નવી દિલ્હી

બીપીસીએલ (BPCL)ના રોકાણકારો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. બીપીસીએલમાં 100 ટકા સુધીની એફડીઆઈ માટેની વિશેષ પ્રાવાધન સંભવ છે. બીપીસીએલમાં એફડીઆઇ લાવવા માટે સરકાર જલ્દી એફડીઆઈના નિયમોમાં ફેરફાર કરી શકે છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પેટ્રોલિયમ રિફાઇનિંગ પીએસયુમાં 100 ટકા સુધીની એફડીઆઈ સંભવ થઈ શકે છે. જણાવી દઇએ કે હમણાં પેટ્રોલિયમ રિફાઇનિંગ પીએસયુમાં 49 ટકા સુધીની એફડીઆઇ થઈ શકે છે.

સૂત્રોના અનુસાર આ મુદ્દા પર ડિસિવિવેશન વિભાગ અને વાણિજ્ય વિભાગ વચ્ચે સમજૂતી બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દા પર સંબંધિત મંત્રાલયો, આર્થિક બાબતોથી સંબંધિત, DIPAM અને DPIT વચ્ચે સહમતિપૂર્ણ બન્યા છે. આ પ્રસ્તાવને જલ્દી છે કેબિનેટની શામે અંતિમ મંજૂરી માટે મોકલી શકાય છે.

આ વાત સંભવ છે કે ઙરતના એફડીઆઈ પૉલિસીમાં પેટ્રોલિયમ અને રિફાઇનિંગ સેગમેન્ટમાં સરકારની કંપનીઓમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી આપવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી શકે છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે જલ્દી ફેમા નિયમોમાં ફેરફાર પર નોટિફિકેશન જારી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે મનીકોન્ટ્રોલે 27 મે તમને જાણ કરી હતી કે બીપીસીએલના ખાનગીકરણમાં લગભગ 6 મહિનાનો વિલંબ થઈ શકે છે. સરકાર ઓપન ઑફરથી સંબંધિત સમસ્યાઓના સમાધાન કરવાનો પ્રયાસમાં લાગી છે.