ગાંધીનગર-

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 2 મહાન કલાકારો કનોડિયા બંધુઓનું ઓકટોબર માસમાં દુઃખદ અવસાન થયું હતું. જેને કારણે રાજકીય જગત અને ગુજરાતી ફિલ્મ જગતે એક સાથે 2 દમદાર વ્યક્તિ ગુમાવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કનોડિયા બંધુઓને ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને આવીને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પણ કનોડિયા બંધુના ઘરે પહોંચ્યા હતા. અહીં બંન્ને ભાઈઓ નરેશ અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ 25 નવેમ્બરે હિતુ કનોડિયાના ઘરે જઈને નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી. લગભગ 10 મિનિટ આનંદીબેન પટેલ કનોડિયા હાઉસમાં રહ્યા હતા. અહીં સાંસદ તરીકે મહેશ કનોડિયા ચાર વખત ચૂંટાયા હતા, તે ઇતિહાસ પણ આનંદીબેન પટેલે યાદ કર્યો હતો. સાથે પોતાના ભૂતકાળના સંસ્મરણો પણ યાદ કર્યા હતા