વડોદરા, તા.૧

કોરોના વાઈરસની મહામારીમાં દિવસ રાત પોતાના જીવના જાેખમે સતત કોરોના સંક્રમીત લોકોને સારવાર આપવાનુ કામ કરતા હોસ્પિટલનો પેરામેડિતલ સ્ટાફ, નર્સીંગ સ્ટાફ,તથા અન્ય સંલગ્ન સભ્યો આવા કોરોના વોરીયર્સ એટલે પેરામેડિકલ અને નર્સીંગ સ્ટાફ ને સુરક્ષા માટે વી.વાય.ઓ. દ્વારા સેવ સંકલ્પ અભિયાન અંતર્ગત ૪૦૦ પીપીઈ કીટ્‌સ વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી દ્વારા અર્પણ કરવામાં આવી હતી.સ્વાસ્થ્ય ગૃપ ઓફ હોસ્પિટલના ડો.મેહુલ અગ્રવાતે,પેરામેડિકલ સ્ટાફ વતી આ કીટ્‌સ સ્વીકારી હતી.ઉલ્લેખનિય છે કે,વી.વાય.ઓ. વિશ્વ પરિવાર, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગતકોરોના મહામારીમાં સામાન્ય લોકોને રાહત આપવા માટે સતત કામગીરી કરી રહ્યુ છે.ત્યારે જરૂરીયાતમંદોને અનાજ ની કીટ.આર્થીક સહાય સાથે કોરોના વારીયર્સને સેફ્ટી કીટ જેવી સામગ્રી સતત પહોંચાડવામાં આવી રહ્યુ છે.