વડોદરા-

વાઘોડિયાના પિપળીયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠમાં ગર્લ્સ હોસ્ટેલના સાતમા માળેથી કુદી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. મળતી માહિતી મુજબ શ્રૃતી નાયકે આપઘાત કર્યો છે. ફિઝિયોથેરાપીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીની સોમવારે કોલેજ શરૂ થતાં જ સુરતથી આવી હતી. અગમ્ય કારણોસર વિદ્યાર્થિનીએ ગર્લ્સ હોસ્ટેલના સાતમા માળેથી કૂદી આપઘાત કર્યો છે. સુમનદીપ વિદ્યાપીઠ વાઘોડિયા પોલીસને ઘટનાની જાણકારી આપી છે. વાઘોડિયા પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.