વડોદરા-

વડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા ધનતેરસ અને પાંચમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે " આયુર્વેદા ફોર કોવીડ -૧૯ ” ની થીમને ધ્યાને રાખી ધન્વતરી પૂજન, આયુર્વેદા ફોર કોવીડ-19 રિચર્સ બુલેટીન સહિતના ડીજીટલ પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આયુર્વેદ-હોમિયોપેથી તબીબ અને ફાર્માસિસ્ટસને બહુમાનિત કરવામા આવ્યા હતા. જિલ્લા કક્ષાનો આ સમારોહ રાવપુરાના આયુર્વેદ દવાખાના ખાતેના બળવંતરાય મહેતા નેચરોપેથી ભવનમાં સપન્ન થયો હતો.  

આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ જિલ્લાના ૩૬ દવાખાનાઓમાં ધન્વતંરી પૂજન અને આરોગ્યલક્ષી પ્રવૃતિઓ જેવી કે, કેમ્પ, વાર્તાલાપ વગેરેનું આયોજન કરવામા આવ્યું હતુ. ઉપરાંત ત્રિમાસિક ડીજીટલ આયુષ ઈ-બુલેટીન (પોષણ વિશેષાંક - અનુબંધ-૨.૦) નું વિમોચન કરવામાં આવ્યું. જેમાં જુલાઈથી સપ્ટેમ્બર માસ સુધીની ત્રિમાસિક કામગીરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આયુષ ફોર કોવીડ -૧૯ અને કોવીડ કામગીરી ખાસ અહેવાલના પ્રથમ અંકનું વિમોચન કે, જેમાં આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, વડોદરાના મે.ઓ. દ્વારા ccc ખાતે કોવીડ પોઝીટીવ દર્દીઓની સારવારનો વિશિષ્ટ અહેવાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યો છે, તેનું ડિજીચલ વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાના 21 આયુર્વેદ તબીબો, 12 હોમિયોપેથી તબીબો અને 07 ફાર્માસિસ્ટને પ્રશસ્તિ પત્ર આપી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી સુધીર જોષી દ્વારા સન્માનિત કરાવમાં આવ્યા હતા.   

  આ સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા જિલ્લા આયુર્વેદ અધિકાર ડો. સુધીર જોષી, વૈદ્ય સર્વ શ્રી આશુતોષ પંડ્યા, આમ્રપાલી પટેલ, ઝંખના જાદવ, જીગર નરસાણા, સહિત સમગ્ર આયુશ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.