વડોદરા-

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાસંદ અહેમદ પટેલના નિધન પર અનેક રાજકિય નેતા અને સમાજના અગ્રણીઓએ શોકાંજલિ અને શ્રદ્ધા સુમન પાઠવ્યા છે. ત્યારે આજે અહેમદ પટેલને તેમના વતન ખાતે રાજકીય નેતાઓની હાજરીમાં દફનવિધા કરવામાં આવશે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે રામધૂન સાથે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. અહેમદભાઈ પટેલ ની અંતિમક્રિયા માં કોરોના વાઇરસ ની મહામારી માં મોટી સંખ્યા માં લોકો ના જોડાઈ ને તમામ શહેર જિલ્લા મથકમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી જેમાં વડોદરા શહેર પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા.