વડોદરા

વડોદરા રેલવે સ્ટેશનથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન વચ્ચે અલગ અલગ જગ્યાએ ટ્રેનની અડફેટે બે વ્યક્તિઓ મોતને ભેટી હોવાના બનાવો સયાજી હોસ્પિટલના ચોપડે નોંધાયા હતા. રેલવે પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર કાભઈભાઈ શનાભાઈ રાઠોડિયા (ઉં.વ.પ૦) વિશ્વામિત્રી નદી અને વિશ્વામિત્રી બ્રિજ વચ્ચે ટ્રેનની અડફેટે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે આવી ગયા હતા જેથી તેઓનું મોત નીપજ્યું હતું. અકસ્માત મોતના બનાવની જાણ રેલવે પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.

બીજા બનાવની વિગત અનુસાર માંજલપુર આકાર કોમ્પલેકસ નજીક આવેલ પરમ પાર્કમાં રહેતા સંજયભાઈ પ્રભાકર કુલકર્ણી (ઉં.વ.૪૭) આજે સવારે ૮ વાગ્યાની આસપાસ વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવની જાણ રેલવે પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.