વાંસદા, વાંસદા તાલુકાના વાંદરવેલા પી.એચ.સી. સેન્ટરમાં તારીખ ૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ વાંદરવેલા કેન્દ્રની તમામ શાળાના શિક્ષકોએ એક સાથે ભેગા મળી કોવિડ ૧૯ની વેક્સિન મુકાવી હતી. પી.એચ.સી.નો સ્ટાફ તેમજ ડૉ. કલ્પેશ પટેલએ રસી મુકાવતા તમામ શિક્ષકોને કોવિડ ૧૯ વિશે સમજુતી આપી અને તેની સામે કઈ રીતે સુરક્ષિત રહેવું તેની પણ જાણકારી આપી હતી. શિક્ષકોની સમૂહ ભાવના જાેઈ પી.એચ.સી.ના સ્ટાફ તેમજ ડૉ. કલ્પેશ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કોરોના રસી આપવાની હાલ કાર્યવાહી થઇ રહી છે.