ગાંધીનગર, રાજ્ય સરકારે બીએચ સિરીઝ હેઠળ રજિસ્ટ્રેશન માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ મોટર વ્હીકલ ટેક્સના દરો પણ જાહેર કરાયા છે. જે મુજબ વાહનની કિંમત પ્રમાણે વેચાણ કિંમતના ૮થી ૧૨ ટકા ટેક્સ વસુલાશે. દેશના કોઇપણ રાજ્યમાં રી રજિસ્ટ્રેશન વિના વાહન ફેરવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ભારત સિરીઝ હેઠળ વાહનોનું રજિસ્ટ્રેશન ગુજરાતમાં પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશના ૧૫ જેટલા રાજ્યોએ મ્ૐ સિરીઝનો અમલ શરૂ કર્યો છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ હવે થઇ ગયો છે. સેના- પેરામિલેટ્રી ફોર્સના જવાનો, કેન્દ્ર- રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેમની બદલી એકથી બીજા રાજ્યોમાં થતી હોય તેમને પોતાનું વાહન અન્ય રાજ્યોમાં લઇ જતી વખતે રી રજિસ્ટ્રેશન કરવું ન પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ભારત સિરીઝ હેઠળ રજિસ્ટ્રેશનની જાેગવાઇ કરવામાં આવી છે.