કોલકતા

આજે વિજય હઝારે ટ્રોફી ની ઈલાઈટ ગ્રુપ-ઈની કોલકત્તામાં રમાયેલી મેચમાં સૌરાષ્ટે જમ્મુ કાશ્મીર ને અંતિમ ઓવરમાં ૩ વિકેટે હાર આપી હતી. ટોસ જીતીને સૌરાષ્ટે જમ્મુ કાશ્મીરને પ્રથમ બેટીગમાં ઉતાર્યુ હતું. જમ્મુ કાશ્મીરની શરૂઆત સારી રહી હતી.ઓપનર વિવરાન્ત શર્મા એ ૬૬ અને શુભમ ખજુરીયા એ ૬૮ રન કર્યા હતા. જમ્મુ કાશ્મીરે પ્રથમ બેટીંગ કરતાં ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૭૯ રન કર્યા હતાં.સૌરાષ્ટ તરફથી ચેતન સાકરીયા એ ૩ વિકેટ,ધર્મેન્દ્ર સિહં જાડેજા એ ૩ વિકેટ ઝડપી હતી .

૨૮૦ રનનાં લક્ષ્યાંક સાથે ઉતરેલી સૌરાષ્ટે ૪૯.૧ ઓવર માં ૭ વિકેટ ૨૮૩ રન કરી મેચ જીતી હતી. સૌરષ્ટ્ર તરફથી વિષ્વરાજ જાડેજા એ ૪૮,અર્પિત વસાવડા એ ૬૬ અને ચીરાગ જાની એ મેચ વીનીંગ પારીમાં અણનમ ૯૩ રન કર્યા હતા.ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ બોલીંગ બાદ બેટીંગ માં પણ પોતાનું કૌવત બતાવ્યુ હતું અને ૪૦ રન ફટકાર્યા હતા. અંતમાં કેપ્ટન જયદેવ ઉનડકટે ૮ બોલમાં ૧૫ રન કર્યા હતાં અને સૌરાષ્ટે મેચ જીતી લીધી હતી.