અમદાવાદ,ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં આવતા જ તમામ પક્ષો સક્રિય થયા છે. આપ આ વખતે આક્રમક મુડમાં જાેવા મળી રહી છે. મહિપતસિંહ ચૌહાણ અને વિજય સુંવાળા બંન્ને આપમાં જાેડાયા હતા. ઉત્તર ગુજરાતનાં ખ્યાતનામ કલાકારોમાં વિજય સુંવાળાની ગણત્રી થાય છે. વિજય સુંવાળા ઉત્તર ગુજરાતમાં મજબુત ફેન ફોલોઇંગ ધરાવે છે. આપમાં જાેડાયા બાદ મહિપતસિંહે જણાવ્યું કે, મારી વિચારધારા અને વિઝનમાં જે પાર્ટી ફીટ થાય છે તે આમ આદમી પાર્ટી છે. ૨૦૨૫ પહેલા ગુજરાતના ૫૦૦ દર્શ ગામ આપવા મારૂ સ્વપ્ન છે. જે હવે આપનું પણ સ્વપ્ન છે. યુવાનો મહત્તમ પ્રમાણમાં આપમાં જાેડાય. વિજય સુંવાળાએ આપમાં જાેડાયા બાદ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જમીન સાથે જાેડાયેલા લોકો છે. લોકોનો અવાજ સાંભળે છે. માત્ર લોકોની સેવા માટે જ આ પાર્ટીમાં જાેડાયો છું.મારા જાેડાયા બાદ મારા ચાહકો પણ મોટા પ્રમાણમાં પાર્ટીમાં જાેડાય તેવી મારી અપીલ છે.