અરવલ્લી,તા.૯ 

સમગ્ર રાજયમાં સુજલામ-સુફલામ જળ અભિયાનના તૃતીય તબક્કામાં જળસંચયના કામોમાં જે.સી.બી.,ટ્રેકટર-ડમ્પરનો ઉપયોગ થકી રાજયની જનશક્તિએ વિરાટ પુરૂષાર્થ આદરતા જળ સંચયના કામો શરૂ કરાયા હતા. જેનાથી પાણીના તળ ઉંચા આવતા જિલ્લાના કેટલાય તાલુકાઓ ડાર્કઝોનમાંથી બહાર આવી શક્યા છે. જળશક્તિનું આ અભિયાન અરવલ્લી જિલ્લામાં હાથ ધરી ૧૨૦૦થી વધુ કામો પૂર્ણ કરાયા છે. સુજલામ-સુફલામ જળઅભિયાન અંતર્ગત અત્યાર સુધી ચેકડેમ, ડીસીલ્ટીંગ, નહેરોની સફાઇ, ચેકડેમ, ચેકડેમ રિપેરીંગ, તળાવ, વનતલાવડી અને રેઇન વોટર હાવેર્સ્ટીંગ સહિતના ૧૨૮૪ વધુ કામ હાથ ધરાયા હતા. જેમાં જળસંપતિના ૮૮૧ કામો, પાણી પુરવઠાના ૪૬, વન અને પયાર્વરણના ૬૯, વોટર શેડના ૨૨, શહેરી વિકાસ નગરપાલિકાના ૪ અને ગ્રામ વિકાસના ૧૦૭ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના થકી ૧૦.૯૪ લાખ ઘન મીટર માટીના જથ્થાની ઉપલબ્ધિ થઇ અને જળ સંચય થકી ૩૮.૬૪ મીલીયન ઘન ફૂટ પાણીની સગ્રંહ શક્તિમાં વધારો થશે.