અરવલ્લી,તા.૮ 

અરવલ્લી જિલ્લામાં ચોમાસા પૂર્વે પાણીજન્ય રોગચાળાથી બચાવી શકાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી છે તેની સાથે પાણી પુરવઠા વિભાગે પણ જિલ્લામાં પાણીના મુખ્ય સ્ત્રોતની સફાઇ કરી લોકોને પીવાનું શુધ્ધ પાણી પંહોચાડવાની નેમ વ્યકત કરી છે. જિલ્લાના ગ્રામિણ અને આદિજાતિ વિસ્તારોમાં લોકોને ઘર આંગણે નળ કનેકશનથી પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણીની ૯૯૦ યોજનાઓ થકી ઘરે-ધરે પાણી પંહોચાડવાનું આયોજન હાથ ધરાયું છે. લોકો ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગચાળાની અસરમાં ન આવે તે માટે જિલ્લાના પાણી પુરવઠા વિભાગે તાલુકાઓમાં હયાત ૪૬ સ્ત્રોતની સફાઇ કરી છે. જેમાં બાયડના ૯, ભિલોડાના ૯ ધનસુરાના ૭ માલપુરના ૭ મેઘરજના ૭ અને મોડાસાના ૭ પાણીના ઓવરહેડ ટાંકીઓ અને સંપની સફાઇ કરી છે.