વડોદરા, તા.૧૫

કોર્પોરેશન દ્વારા કપુરાઈ પાણીની ટાંકીના વાલ્વનું સમારકામ હાથ ધરાતા૧ એમએલડી પાણીની ધટ પડશે જેના કારણે શુક્રવારે સાંજે દક્ષિણ વિસ્તારમાં અંદાજે ૨૨ હજાર લોકોને પાણીમાં કાપ મૂકવામાં આવ્યો છે જેના કારણે આ વિસ્તારમાં શુક્રવારે પાણીનો કકળાટ સર્જાશે.પાલિકા દ્વારા વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં કપુરાઈ પાણીની ટાંકીના ૬૦૦ એમેએમ ડાયાના ૩ નંગ ડીલીવરી વાલ્વનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેથી આવતીકાલે સવારના બે ઝોનને પાણી વિતરણ કર્યા બાદ આ કામગીરી હાથ ધરાશે. જેથી શુક્રવારે કપુરાઈ ટાંકીથી બપોરે તથા સાંજે પાણી વિતરણ કરવામાં આવશે નહીં અને કામગીરી પુર્ણ થયા બાદ શનિવારથી રાબેતા મુજબનું પાણી વિતરણ કરાશે.