ગાંધીનગર -

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને જોઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નિવેદન કરાયું છે કે, રાજ્યમાં કોરોનાના કેસો વધ્યા છે. આ મામલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મ્યુનિસિપલ કમિશનરને યોગ્ય નિર્ણય લેવા અને જરૂરી પગલાં લેવાની છૂટ અપાઈ છે. જો કે, રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ આજે સાંજ સુધીમાં લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. રાજ્યની મહાપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરોને સૂચના આપવામાં આવી છે. આ મ્યુનિસિપલ કમિશનરને યોગ્ય નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે અને જરૂરી પગલાં લેવા માટે પણ તેમને છૂટ અપાઇ છે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, આજે રાત્રિ કરફ્યુ અંગે નિર્ણય લેવામાં આવશે. અન્ય પગલાં લેવા મુદ્દે પણ આજે ચર્ચા કરવામાં આવશે. કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. રાજ્ય પાસે પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઈ અવ્યવસ્થા નથી.