દિલ્હી-

વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથને ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના એક પ્રકારના સ્થાનિકતાના સ્ટેડમાં પ્રવેશ કરી રહ્યો છે, જ્યાં વાઈરસનો ફેલાવો નિમ્ન અને મધ્યમ સ્તર પર ચાલી રહ્યો છે. જોકે, સ્થાનિક સ્થિતિ ત્યારે થાય છે. જ્યારે દેશની વસ્તી વાઈરસની સાથે રહેતા શીખી જાય છે. આ મહામારીના ફેલાવવાના સ્ટેજથી ખૂબ જ અલગ છે. આ એ સ્ટેજ છે. જ્યારે વાઈરસ વસ્તી પર હાવી થઈ જાય છે. આ સાથે જ કો-વેક્સિનની મંજૂરી આપવા અંગે કહ્યું હતું કે, તેમને પૂરો વિશ્વાસ છે કે, W.H.O.ના ટેક્નિકલ ગૃપ કોવેક્સિનને તેની અધિકૃત રસીઓમાંથી એક થવા માટે મંજૂરી આપવા માટે સંતુષ્ટ હશે અને આ સપ્ટેમ્બરના મધ્ય સુધી થઈ શકે છે. એક ઈન્ટરવ્યૂમાં W.H.O.ના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, ભારતના આકાર અને દેશના અલગ અલગ ભાગમાં જનસંખ્યાની વિવિધતા અને ઈમ્યુનિટીની સ્થિતિને જોતા એ સંભવ છે કે, કોરોના સંક્રમણની સ્થિતિ આ પ્રકારે જાહેર થઈ શકે છે. દેશના વિવિધ ભાગમાં વાઈરસની સંખ્યાનો ઉતાર-ચડાવ રહી શકે છે. W.H.O.ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથને જણાવ્યું હતું કે, અમે એક પ્રકારની સ્થાનિકતાના તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ, જ્યાં કોરોનાના નિમ્ન અને મધ્યમ સ્તરનું ટ્રાન્સમિશન ચાલી રહ્યું છે, પરંતુ આ પ્રકારની ઘાતક વૃદ્ધિ અને શિખર નથી દેખાઈ રહ્યા, જે અમે કેટલાક મહિના પેહલા જોયો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, વર્ષ 2022ના અંત સુધીમાં અમે તે સ્થિતિમાં હોઈશું કે, અમે 70 ટકા વેક્સિનેશનના લક્ષ્યને મેળવી લઈશું અને પછી દેશોમાં સ્થિતિ ફરી સામાન્ય થઈ શકે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સ્વામીનાથનનો અહેવાલ: ભારતના કદ અને દેશના વિવિધ ભાગોમાં વસતીની વિવિધતા અને રોગપ્રતિકારક સ્થિતિને જોતા, કોરોનાનું જોખમ ''ખૂબ જ સંભવ છે''