દિલ્હી-

કોરોનાને નાથવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વેક્સિનેશનને દિવસેને દિવસે સઘન બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ અંતર્ગત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આજે વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ કોરોના સામે સુરક્ષાકવચ ધારણ કર્યું છે. યોગી આદિત્યનાથે લખનૌની સિવિલ હોસ્પિટલમાં ભારત બાયોટેકની કો-વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો અને સાથે સાથે લોકોને પણ વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશવાસીઓને વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવા બદલ આખો દેશ વડાપ્રધાનનો આભારી છે.