અમદાવાદ-

કોરોના વાયરસ સામેની લડાઈમાં માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. અને જો લોકોમાં માસ્ક ન પહેરે તો તંત્ર દ્વારા દંડ પણ ફટકારવામાં આવે છે. તેવામાં જે લોકો પાસે માસ્ક ન હોય તો તેઓ રૂમાલ નો ઉપયોગ કરીને પણ કોરોના સામે રક્ષણ મેળવી શકે છે. પરંતુ માર્કેટમાં આવેલા વાલ્વ અને ફિલ્ટર વાળા માસ્કને લઈને તબીબી નિષ્ણાંતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના અધિક નિયામકે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને પત્ર લખીને લોકોને જાગૃત કરવા માટે જણાવાયું છે. કોરોના સામે આ માસ્ક કોઈ રક્ષણ આપતું ન હોવાનું પત્રમાં કહેવામાં આવ્યું છે. કે હાલ માં કોરોના માં બજાર માં જુદાજુદા માસ્ક નું વેચાણ થઈ રહ્યું છે ત્યારે ફિલ્ટર વાળા અને વાલ્વ વાળા માસ્ક બજાર માં મળી રહ્યા છે ત્યારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આવા માસ્ક નો ઉપયોગ નહિ કરવા માટે જણાવાયુ છે. કારણ કે વાલ્વ અને ફિલ્ટર વાળા માસ્ક કોરોના ના વિષાણુઓ સામે રક્ષણ આપી શકતા ન હોવાથી આવા માસ્ક નહિ વાપરવા અને લોકો માં જાગૃતિ લાવવા માટે રાજ્ય ના દરેક વિભાગ ને સૂચના આપવામાં આવી છે. 

નિષ્ણાંતો અનુસાર માસ્કમાં રહેલો વન-વે વાલ્વ જ્યારે વ્યક્તિ શ્વાસ લે ત્યારે બંધ થઈ જાય છે, અને જ્યારે તે શ્વાસ બહાર કાઢે ત્યારે ખૂલી જાય છે. જેના કારણે વાલ્વવાળું માસ્ક પહેરેલી વ્યક્તિ શ્વાસ લે ત્યારે તેના શ્વાસમાં હવા ફિલ્ટર થઈને આવે છે. જોકે, તે શ્વાસ કાઢે ત્યારે વાલ્વના નાનાકડા કાણાંમાંથી હવા પ્રેશર સાથે બહાર નીકળે છે. આ હવા ફિલ્ટર થઈને બહાર નથી આવતી. મતલબ કે, માસ્ક પહેરનારા વ્યક્તિને જો કોરોનાનો ચેપ લાગેલો હોય તો તે હવામાં વાયરસ ફેલાવી શકે છે.