જામનગર-
જામનગર શહેરમાં મોટું નામ ધરાવતા બિલ્ડર અને લેન્ડ ડેવલપર્સ મેરામણ હરદાસભાઇ પરમારે ગુરૂવારે રાતે માંકડ મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હોવાની ચર્ચાઓ બે દિવસથી શહેરમાં ચાલી રહી છે, જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અને જ્યાં મેરામણ પરમારની સારવાર શરુ કરવામાં આવી હતી, હોસ્પિટલ પોલીસે પણ આ અંગેની એમએલસી કેસ નોંધ્યો હતો. જો કે ગત સાંજે તેમની તબિયત સ્થિર થતાં તેમને રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે, મેરામણ પરમારે કયાં કારણોસર દવા પીધી તે રહસ્ય અકબંધ રહ્યું છે.
જામનગરના ધનાઢ્ય બિલ્ડર આવું પગલું ભરે તેના પાછળનું કારણ પોલીસના નિવેદનમાં જ બહાર આવશે. જામનગર શહેરની બિલ્ડરલોબીમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. જી.જી. હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધ થઇ છે,જો કે બિલ્ડરે ક્યાં કારણોસર ઝેરી દવા ગટગટાવી તે અંગેનો કોઈ ફોળ પડ્યો નથી.પણ જે કારણ સામે આવશે તે ચોકાવનારું જરૂર હશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.જો કે આ અંગે કોઈ તંત્ર કે તેમના પરિવાર દ્વારા સતાવાર માહિતી આ અંગે જાહેર કરાઈ નથી, મહત્વનું છે કે બિલ્ડર મેરામણ પરમાર જમીન મકાનના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મોંઘીદાટ ગાડીઓનો કાફલો ધરાવે છે. ત્યારે આટલી સુખી સંપન્ન જિંદગી છતાં આપઘાતનો પ્રયાસ તે જામનગરમાં ચર્ચાનો વિષય બન્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments