વડોદરા-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે વડોદરામાં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર માટે આવેલા મુખ્યમંત્રી રૂપાણી નિઝામપુરા ખાતે ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા ત્યારે રાત્રીના 8ઃ40 કલાકે તેઓને એકાએક નબળાઈ લાગીને ચક્કર આવી જતાં તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા.

જો કે, ત્યારબાદ તેમને તેમના સહાયકોએ તત્કાળ સારવાર આપવી શરૂ કરી હતી. થોડો સમયમાં તેમને સારું લાગતાં તેઓ જાતે ઊભા થયા હતા, અને પોતાની કારમાં બેસીને એરપોર્ટ ખાતે જવા રવાના થયા હતા. મુખ્યમંત્રીના દિવસભરના વ્યસ્ત કાર્યક્રમને પગલે લાગેલા થાકથી અશક્તિ આવી જતાં એકાએક આમ ચક્કર આવી ગયા હોવાનું પ્રાથમિક અનુમાન કરાયું હતું.