ભરૂચ-

ગુજરાતના રાજકારણમાં ઔવેલીના પક્ષે ઝંપલાવતા રાજકીય અટકળો સર્જાઈ છે. ભરૂચ જિલ્લામાં ઔવેસી ની એન્ટ્રી બાદ બી.ટી.એસ.માં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભરૂચ જીલ્લા બી.ટી.એસ. પ્રમુખ સંદીપ વસાવા ૩૦૦ કરતા વધુ કાર્યકરો સાથે રાતોરાત ભાજપમા જાેડાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સંદીપ વસાવા બીટીએસ અને બીટીપી પાર્ટી સાથે વર્ષોથી જાેડાયેલા હતા. ઝઘડિયા તાલુકા ભાજપ મહામંત્રીએ ભાજપનો ખેસ પહેરાવી તેમને પક્ષમાં આવકાર્યા હતા. ભાજપનો ભગવો ધારણ કરતા જ સંદીપ વસાવાએ બીટીપી પર આદિવાસીઓના વિકાસની માત્ર વાતો કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો.