વાઘોડિયા

વાઘોડિયા ખેરવાડી રોડ પર તલાવીયા પુરાની મહિલા દુકાનેથી સામાન ખરીદી સંધ્યાટાણે રોડ પર ચાલતા આવતા હતા ત્યારે અજાણ્યા મોટરસાયકલે પાછળથી ટક્કર મારી મોત નીપજાવી વાહન ઘટના સ્થળે છોડી ફરાર થઈ ગયો હતો.

વાઘોડિયા ના તળાવીયા પુરા ગામ ના કપિલાબેન કાંતિલાલ બારીયા સાંજના સુમારે દુકાનેથી સામાન લઈ વાઘોડિયા ખેરવાડી રોડ પર પરત ફરી રહ્યા હતા ત્યારે વાઘોડિયા થી ખેરવાડી તરફ જતા પલ્સર મોટરસાયકલના ચાલકે પૂરપાટ ઝડપે બાઇક હંકારી રસ્તે ચાલતી મહિલાને પાછળથી અથાડી રોડ પર પાડી દેતા મહિલાને માથા તેમજ હાથેપગે અને કમ્મરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાબતની જાણકારી તેમના પુત્ર નિલેષભાઈને થતા તેવો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતે ઈજા પામનાર માતાને ૧૦૮ને ફોન કરી પ્રથમ પિપડીયા ઘિરજ હોસ્પીટલમા સારવારમાટે ખસેડાયા હતા. જયાંથી વઘુ સારવારમાટે વડોદરા એસ. એસ. જી હોસ્પીટલ ખસેડતા આજે બપોરે સારવાર દરમ્યાન તેવોનુ હોસ્પીટલના બિછાને મોત નિપજ્યુ હતુ. અકસ્માત બાદ ઘટના સ્થળે બાઈકમુકી ફરાર થનાર અજાણ્યા સખ્સ વિરુઘ્ઘ વાઘોડિયા પોલીસ મથકે ફરીયાદ નોંઘાઈ છે. તપાસમા બાઈક નંબરના આઘારે તેના માલિક વિનોદભાઈ લક્ષ્મણભાઈ પટેલ રહે. વાઘોડિયાનાઓના ડ્રાઈવર અજય સાંજના સુમારે બાઈકલઈ અમરેશ્વરપુરા જતાં અકસ્માત સર્જાયો હોવાનુ સામે આવ્યુ છે.પોલીસે અજયની શોઘખોળ આરંભી છે.