આણંદ : કોરોના કાળની વિપરીત પરિસ્થિતિ અને વૈશ્વિક મંદીના સમયમાં કરમસદનાં એક મહિલા સાહસિકે આર્ત્મનિભર થવાનું બીડું ઝડપ્યું છે. કરમસદના રહેવાસી માયાબેન સોની ઘણાં સમયથી કંઇક કરી છૂટવાની ધગશ ધરાવતા હતા. મહિલા સશક્તિકરણ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્ત્મનિભરની પહેલથી પ્રેરિત થઈ આર્ત્મનિભર થવા તેઓએ તેમનાં પતિ સંદીપ સોની કરી હતી. પતિએ પત્નીને સાથ આપવાનું નક્કી કર્યું હતું. આ કાર્યમાં તેઓને અમૂલનો સહકાર મળ્યો હતો. કરમસદ વિદ્યાનગર રોડ પર આવેલાં શ્રીજી સાનિધ્ય કોમ્પલેક્સ ખાતે તેઓએ એક અલગ જાતનું પાર્લર માધવ નામથી ઊભું કર્યું.