વડોદરા,તા.૩  

શહેરના નવનિર્મિત જાગનાથ મહાદેવનું ભુમીપુજન કરનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત થતા તેઓ ઝડપથી સાજા થાય એના માટે શિવ પરિવાર દ્વારા છઠીના રોજ જાગનાથ મહાદેવ ખાતે સવારે ૧૦ થી સાંજે છ સુધી શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

એમ ગુજરાત વિધાનસભામાં ૧૮ વર્ષ સુધી સાથે કામ કરનાર વડોદરાના ધારાસભ્ય અને રાજ્યના નર્મદા મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું.આ દિવસે ગુડગાઓની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને માટે જાગનાથ મહાદેવ ખાતે શિવ પરિવાર દ્વારા મહામૃત્યુંજય જાપનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિદ્વાન ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરાશે.આ પ્રસંગે મુકેશ દીક્ષિત ,મયુર ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.