બોલિવૂડ એક્ટ્રેસ મોહિના કુમારી પણ કોરોનાથી વંચિત રહી શકી નથી. તે કોરોનાગ્રસ્ત બની ગઈ છે. તેના પરિવારના પાંચ સદસ્યો કોરોનાગ્રસ્ત થયા છે. મોહિના ઉત્તરાખંડના કેબિનેટ પ્રધાન સતપાલ મહારાજની પુત્રવધૂ છે.લગ્ન બાદ ટીવીથી છે દૂર,લગ્ન બાદ ભલે તે ટીવીથી દૂર ચાલી ગઈ હોય પણ સોશિયલ મીડિયામાં તે ઘણી સક્રિય છે. ઘરના પાંચ સદસ્યને કોરોના પોઝિટિવ આવતા તમામને ઋષિકેશની એક જ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેઓ કોરોન્ટાઇન છે અને તબીબોની દેખરેખ હેઠળ છે. આમ તો મોહિના તબીબોને દેખરેખમાં છે પરંતુ તેણે તાજેતરમાં એક પોસ્ટ કરી છે જેમાં તે બેચેન દેખાય છે.તે અવારનવાર પોતાના ફોટો શેર કરતી રહેતી હોય છે. મોહિનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સ માટે એક મેસેજ આપ્યો છે.સોશિયલ મીડિયો પર કરી આવી પોસ્ટ તેણે લખ્યું છે સૂઈ શકતી નથી. પ્રારંભના દિવસો કપરા છે અને ખાસ કરીને ઘરના સૌથી યુવાન અને વડીલ લોકો છે પરંતુ હું પ્રાર્થના કરી રહી છું કે બધા સાજા થઈ જાય. અમને કોઈ ફરિયાદ કરવાનો અધિકાર નથી કેમ કે અમારા કરતાં ઘણા એવા લોકો છે જે મહામારીનો સામનો કરી રહ્યા છે. પણ હું તે તમામનો આભાર માનું છું જે અમારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.