અમદાવાદ-

અમદાવાદના મેમ્કો રાજીવ ગાંધી ભવન પાસે તાજેતરમાં જ યુવકની થયેલી હત્યા મામલે પોલીસે ૪ લબરમુછીયાની ધરપકડ કરી છે. સામાન્ય મોબાઈલ લુંટવા માટે યુવકની હત્યા કરવામાં આવી હતી. જાેકે પોલીસે હત્યાના ગુનામાં તમામ આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ મોબાઈલ લુંટને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. અમદાવાદના મેમ્કો વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી ભવન નજીક એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જે અંગે પોલીસે તપાસ કરતા ૪ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. મૃતક રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહની હત્યાના ગુનામાં પોલીસે કરણ ઉર્ફે જાડીયો પટણી, શૈલેષ ઉર્ફે શેરડી પટણી, રાકેશ ઉર્ફે વિશાલ પટણી અને ચિરાગ ઊર્ફે ચીન્ટુ પટણીની ધરપકડ કરી છે. આરોપીઓએ યુવકના પગના ભાગે છરીના ઘા ઝીકીને હત્યા કરીને મૃતદેહ ફેકવામા આવ્યો હતો.મૃતક રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહનો મોબાઈલ પડાવી લેવાનો આરોપીએ પ્રયાસ કર્યો હતો જેનો પ્રતિકાર કરતા આ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. પોલીસ તપાસમા સામે આવ્યુ કે મૃતક રાજનારાયણ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. અને બાપુનગરની શ્રી રામદેવ ઈન્ડસ્ટ્રીઝમા મજૂરી કરતો હતો. હત્યાની રાતે તે રિક્ષામાં બેસી ઘર તરફ જઈ રહ્યો હતો તે સમયે આરોપીએ તેની પાસેથી મોબાઈલ ની માંગ કરી હતી.જે નહી આપતા આ હત્યા થઈ હતી.ઉપરાંત આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ તે નરોડા અને ત્યાંથી કૃષ્ણનગર ભાગ્યા હતા. જ્યાં તેમણે વધુ એક મોબાઈલની લુંટ ચલાવી હતી. જે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીની પુછપરછ કરતાં સામે આવ્યુ કે તમામ આરોપી તાજેતરમાં જ ૧૮ વર્ષ પુર્ણ કર્યા છે. અને મોબાઈલ લુંટવાની ટેવના કારણે હત્યાના ગુનામાં જેલના સળીયા ગણવાનો સમય આવ્યો છે. પરંતુ સામાન્ય મોબાઈલ માટે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.