ક્રાઈમ વોચ સમાચાર
-
અમદાવાદમાં નકલી ખાદ્ય તેલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ, 4ની ધરપકડ
- 01, માર્ચ 2021 06:56 PM
- 5421 comments
- 7659 Views
અમદાવાદ-એક તરફ તેલના ડબ્બાની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં સનફ્લાવર તેલના ડબ્બામાં સોયાબીનનું તેલ નાંખીને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે નારણપુરા પોલીસે ૪ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા આકાશ ફ્લેટ્સ્ સ્થિત તિરુપતિ પ્રોવિઝન સ્ટોર્સમાં પોલીસે દરોડા પાડ્યીને ફોચ્ર્યુન બ્રાન્ડના સર ફ્લાવર કુકિંગ ઓઈલના ડુપ્લિકેટ ડબ્બા જપ્ત કર્યાં હતા. જ્યારે વેપારી વિક્રમ ચૌધરીને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેણે શૈલેશ મોદીનું નામ આપ્યું હતું. જે બાદ પોલીસે શૈલેશ મોદીને ઝડપી પાડી તેની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે આ ડૂપ્લિકેટ તેલના ડબ્બા ઓઢવના મહેશ અને અજિત પટેલ પાસેથી મંગાવ્યા હોવાનું કબૂલ્યું હતું. નારણપુરા પોલીસની તપાસમાં સામે આવ્યું કે, ઓઢવના મહેશ પટેલ નામનો આરોપી શ્રી ગણેશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામે પરવાનગી લઈને પોતાની ફેક્ટરીમાં સોયાબીન તેલના ડબ્બા પર ફોચ્ર્યુન સનફ્લાવર તેલના લોગો સાથેની સ્ટીકર લગાવીને શહેરના વિવિધ વેપારીઓને વેચાણ કરતો હતો. હાલ પોલીસે કોપીરાઈટ અને ઠગાઈ સહિતની વિવિધ કલમો હેઠળ આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ આદરી છે.વધુ વાંચો -
સુરત: ઓનલાઇન છેતરપિંડીના કેસમાં ઝારખંડની ગેંગનો પર્દાફાશ, 6 શખ્સો ઝડપાયા
- 01, માર્ચ 2021 04:08 PM
- 8214 comments
- 9650 Views
સુરત-જો તમે બેંક એકાઉન્ટમાં ઓન લાઇન રીતે નાણાની લેવડ-દેવડ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે ઠગબાજો નવા નવા પેંતરા રચીને ખાતામાંથી નાણા ટ્રાન્સફર કરી લેતા હોય છે. લોકોના ખાતામાંથી નાણા ટ્રાન્સફર કરી લેતી આવી જ એક ઝારખંડની ગેંગના 6 શખ્સો ઝડપાઈ ગયા છે. સુરતની GIDC પોલીસે કારમાં જઈ રહેલા તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ લોકોને ફોન કરીને કાર્ડ બ્લોક કરવાનું, લોટરી લાગી હોવાનું અને KYC કરવાનું કહીને ખાતાની વિગતો મેળવી લેતી હતી. ત્યારબાદ તરત જ ખાતામાંથી નાણા ટ્રાન્સફર કરી લેતી હતી. આ ગેંગ સામે દેશભરમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર અને મોબાઈલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
બનાસકાંઠા: કાંકરેજના મોટા જામપુરમાં ગેસ ગળતરથી બે લોકોના મોત
- 01, માર્ચ 2021 03:38 PM
- 5993 comments
- 6528 Views
બનાસકાંઠા- જિલ્લાના કાંકરેજ તાલુકાના મોટાજામપુર ગામે ખેતરમાં બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિના ગુગળામણથી મોત થયા છે. બેના મોતથી સમગ્ર પંથકમાં સનાટ્ટો છવાઈ ગયો છે. જોકે બનાવમાં 4 લોકોનો આબાદ બચાવ થયો છે. કાંકરેજ તાલુકાના મોટા જામપૂરના ખેડૂતપુત્ર અને તેના ભાગીયાનું કરૂણ મોત થયું છે. મોટા જામપુર ગામે ખેતરમાં બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા સુંડાજી ઠાકોર ઊતર્યા હતા, જેમાં કુવામાં સાફ સફાઈ વખતે ગુગળામણ થતા ભાગીયો અંદર બેભાન થઈ ગયો હતો. બનાવની જાણ પરિવારજનો શિહોરી પોલીસને કરતા પોલીસ પણ બનાવ સ્થળ પર દોડી આવી હતી અને બંને મૃતકની લાશને પીએમ અર્થે થરા રેફરેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જેમાં મોટા જામપુરા ગામે આ બનાવથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોટા જામપુર ખાતે બનેલી ઘટનાને લઇને સમગ્ર પંથકમાં સન્નાટો છે. બનાવમાં પીડિત અન્ય 4 લોકો પણ રાધનપુર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને પીડિત 4 ની હાલત પણ સુધારા પર છે, ત્યારે સિહોરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
પતિએ પત્ની અને બાળકની સોપારી આપી, માસુમને જાેઈને કોન્ટ્રાકટ કિલર સાથે શું થયું..
- 01, માર્ચ 2021 02:09 PM
- 1528 comments
- 1511 Views
મુંબઈ-ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઈન્શ્યોરન્સના પૈસા માટે એક વ્યક્તિએ પોતાની જ પત્ની અને સંતાનની હત્યા માટે સોપારી આપી દીધી. કોન્ટ્રાક્ટ કિલર જ્યારે આરોપીની પત્ની અને બાળકની હત્યા કરવા પહોંચ્યો, તો ૪ વર્ષના બાળકને જાેઈને તેનું દિલ પીગળી ગયું અને તેણે કોઈની હત્યા ન કરી. સાથે જ મહિલાને પણ પતિની હકીકત જણાવી દીધી અને ત્યાંથી જતો રહ્યો. આરોપી વ્યક્તિની ઓળખ અજય યાદવના રૂપમાં થઈ છે. તે આઝમગઢનો રહેનારો છે. પોલીસે જણાવ્યું કે, યાદવ એક મેડિકલ રિપ્રેઝન્ટેટિવ છે. તેની પત્ની રાખી બિહારની રહેનારી છે. બંનેના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્નના તુરંત બાદ જ બંને વચ્ચે તકરાર થવાનું શરૂ થઈ ગયું. રાખીને શંકા હતી કે તેના પતિ અજયનું ક્યાંક ચક્કર તાલી ચાલી રહ્યું છે. રોજ-રોજના ઝઘડાથી પરેશાન અને રાશીના નામનો વીમો પકવવા માટે અજયે એક ષડયંત્ર રચ્યું. અજયે પત્ની અને દીકરાથી છૂટકારો મેળવવા માટે પોતાના એક મિત્ર રામ પ્રસાદની મદદ લીધી. રામ પ્રસાદે કથિત રીતે તેને કોન્ટ્રાક્ટ કિલર ગજરાત સાથે મુલાકાત કરાવી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, યાદવે ગજરાજને પોતાની પત્ની અને બાળકની હત્યા એવી રીતે કરવા માટે કહ્યું હતું, જેથી તે અકસ્માત લાગે. આ માટે ગજરાજને ૧૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ૨૫ ફેબ્રુઆરીએ ગજરાજ સેલ્સમેન બનીને યાદવના ઘરે પહોંચ્યો. પોલીસે જણાવ્યું કે, ગજરાજે જ્યારે ત્યાં ૪ વર્ષના બાળકને જાેયો તો તેનું હૃદય પીગળી ગયું. તેણે રાખીને તમામ વાત જણાવી દીધી. ગજરાજે રાખીને એક વીડિયો પણ બતાવ્યો, જેમાં યાદવ તેને રાખીની હત્યા કેવી રીતે કરવી તે જણાવી રહ્યો હતો. આ બાદ રાખીએ કવિનગર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પુરાવાઓના આધારે પોલીસે અજય યાદવ અને રામ પ્રસાદને પકડી લીધા. પોલીસે જણાવ્યું કે, હજુ સુધી જાણી શકાયું નથી કે કોન્ટ્રાક્ટ કિલર ગજરાજ ક્યાં છે, પરંતુ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરીને અને નિશાનના આધારે જલ્દી જ તેની પણ ધરપકડ કરી લેવામાં આવશે.વધુ વાંચો
વિડિયો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ