ક્રાઈમ વોચ સમાચાર
-
કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ
- 09, જુન 2023 11:46 PM
- 731 comments
- 2571 Views
વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ.. ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.વધુ વાંચો -
કચ્છમાં દલિત પરિવાર સાથે બની અજુગતી ઘટના,રાજ્ય સરકારે કરી આ સહાય
- 30, ઓક્ટોબર 2021 05:48 PM
- 1122 comments
- 9152 Views
કચ્છ-ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર પર અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. ભોગ બનનારા ૬ વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા કુલ ર૧ લાખની સહાય ચૂકવવામાં આવશે. ઘટના સંદર્ભમાં પોલીસે ૭ વ્યક્તિઓની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આવું કરનારા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના લોકો પર મંદિર પ્રવેશ બાબતે કરાયેલા અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રી પ્રદિપસિંહ પરમારે આ અંગેની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકાર રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને કોઇનેય આવા અત્યાચારનો ભોગ બનવું ન પડે તેવી પ્રતિબદ્ધતાથી કર્તવ્યરત છે. દલિત અત્યાચારની આ ઘટનામાં જે ૬ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર હેઠળ છે. તેમને નિયમાનુસાર કુલ ર૧ લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. મંત્રીએ જણાવ્યું કે, કચ્છની આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રીશ્રીએ સત્વરે જરૂરી પગલાં લેવા અને આ ઘટનામાં સંડોવાયેલાઓ પર કડક કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ સંદર્ભમાં કચ્છ જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસે ત્વરિત એકશન લઇને ૭ વ્યક્તિઓની અટકાયત કરી છે.વધુ વાંચો -
ઉઇગુર પ્રત્યે ચીનની ક્રૂરતા! બળજબરીથી તેમના અંગો કાઢી નાખ્યા, કાળાબજારમાં વેચીને વર્ષે આટલા રૂપિયા કમાય છે
- 30, ઓક્ટોબર 2021 12:27 PM
- 5207 comments
- 3549 Views
ચીન-શિનજિયાંગ ક્ષેત્રમાં ઉઇગુર અને અન્ય વંશીય અને ધાર્મિક લઘુમતીઓ પર ચીનનો અત્યાચાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બીજિંગ લઘુમતીઓના અંગો બળજબરીથી કાપીને કાળા બજારમાં વેચી રહ્યું છે અને અબજો ડોલરની કમાણી કરી રહ્યું છે. જો આ વાત સાચી સાબિત થશે તો આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી ચીન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્થિત હેરાલ્ડ સન અખબારમાં ઉઇગુર વિરુદ્ધ અત્યાચારનો આ અહેવાલ પ્રકાશિત થયો હતો.કેવી રીતે તંદુરસ્ત લીવર લગભગ US$160,000માં વેચાય છે. એવું કહેવાય છે કે ચીન આ વેપાર દ્વારા વાર્ષિક એક અબજ ડોલરની કમાણી કરી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, આ પહેલીવાર નથી કે જ્યારે ચીનમાં અટકાયત કેન્દ્રોમાં અંગ કાપવાના આરોપો લગાવવામાં આવ્યા હોય. આ વર્ષની શરૂઆતમાં યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કમિશનએ કહ્યું હતું કે કથિત અંગ કાપણી ફાલુન ગોંગ પ્રેક્ટિશનર્સ, ઉઇગુર, તિબેટીયન, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સહિત લઘુમતીઓને નિશાન બનાવી રહી છે. UNHRC આવા અહેવાલોથી ખૂબ જ ચિંતિત છે.તેના તાજેતરના અહેવાલમાં, હેરાલ્ડ સને અંગવિચ્છેદન માટેની પ્રક્રિયાઓ વિશે વિસ્તૃત માહિતી આપી છે. આમાં ઉઇગુર અને અન્ય લઘુમતીઓના બળજબરીપૂર્વક અંગ વિચ્છેદન અને નસબંધીનો સમાવેશ થાય છે. હોસ્પિટલો જ્યાં અંગો દૂર કરવામાં આવે છે તે અટકાયત કેન્દ્રોથી દૂર સ્થિત નથી. તે જણાવે છે કે હોસ્પિટલોમાં કરવામાં આવતા ઓપરેશનની સંખ્યા અને ટૂંકી રાહ યાદી દર્શાવે છે કે મોટા પાયે બળજબરીથી અંગ કાપવાનો લાંબો સમયગાળો છે. અખબારે ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટના અહેવાલને ટાંક્યો છે કે 2017 અને 2019 ની વચ્ચે, લગભગ 80,000 ઉઇગરોની દેશભરની ફેક્ટરીઓમાં દાણચોરી કરવામાં આવી હતી.Uighurs પાસેથી $84 બિલિયનની સંપત્તિ જપ્ત કરવામાં આવી ASPI રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'ઘરથી દૂર આવેલી આ ફેક્ટરીઓમાં ઉઇગરોને અલગ રૂમમાં રહેવું પડે છે. કામ કર્યા પછી મેન્ડરિન અને વૈચારિક તાલીમ લેવી પડે છે. તેમની સતત દેખરેખ રાખવામાં આવે છે અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતા અટકાવવામાં આવે છે. તેમાં મોટાભાગની રિયલ એસ્ટેટ હતી. આ વર્ષની શરૂઆતમાં યુનાઈટેડ નેશન્સ દ્વારા મળેલા આરોપો અનુસાર, કેદીઓમાંથી સૌથી સામાન્ય અંગો હ્રદય, કિડની, લીવર, કોર્નિયા છે.વધુ વાંચો -
શાહરૂખ ખાનની ટીમ આર્થર રોડ જેલ પહોંચી, આર્યન ખાન ગમે ત્યારે જેલમાંથી બહાર આવી શકે છે
- 30, ઓક્ટોબર 2021 10:51 AM
- 4342 comments
- 7510 Views
મુંબઈ-આર્યન ખાનને લેવા શાહરૂખ ખાનની કાર આર્થર રોડ જેલ પહોંચી હતી. શાહરૂખ ખાનનો ખાનગી સુરક્ષા ગાર્ડ રવિ સિંહ કારમાંથી નીચે ઉતર્યો અને આર્થર રોડ જેલમાં પ્રવેશ કર્યો. કારમાં શાહરૂખ ખાન છે કે નહીં તે કહી શકાય નહીં. શાહરૂખ ખાન જેલની બહાર એક હોટલમાં રોકાયો છે. હાલમાં જેલની બહાર ચાહકોની મોટી ભીડ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાન પોતે જેલની અંદર આવશે કે નહીં, આ અંગે કશું કહેવું મુશ્કેલ છે. હાલમાં શાહરૂખ ખાનનો બોડીગાર્ડ રવિ સિંહ જેલની અંદર ગયો છે. જેલના દરવાજા પાસે સફેદ રંગનું રેન્જ રોવર વાહન પાર્ક કરવામાં આવ્યું છે. કારના કાળા કાચને કારણે અંદર પાછળની સીટ પર કોણ બેઠું છે તે જાણી શકાયું નથી. હાલમાં શાહરૂખ ખાનનો ખાનગી બોડીગાર્ડ અને તેની સાથેનો એક બાઉન્સર જેલની અંદર ગયો છે. આર્યન ખાન આ રેન્જ રોવર વાહન દ્વારા મન્નતની દિશામાં જશે.આર્યન ખાન ગમે ત્યારે જેલમાંથી બહાર આવી શકે છેઆર્થર રોડ જેલની બહાર હોબાળો મચી ગયો છે. કોઈપણ આર્યન ખાન જેલમાંથી બહાર આવી શકે છે. લગભગ 27 દિવસ પછી આર્યન ખાન તેના ઘરે જશે. આર્થર રોડની સાથે શાહરૂખ ખાનના મન્નત બંગલાની બહાર પણ ઘણી ભીડ જોવા મળી રહી છે. બંને જગ્યાએ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. આર્યન ખાનને 25 દિવસ બાદ ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. શુક્રવારે નિર્ધારિત સમયમર્યાદામાં તેમના જામીનનો હુકમ જેલમાં પહોંચી શક્યો ન હતો. જેના કારણે શુક્રવારે આર્યન જેલમાંથી બહાર આવી શક્યો ન હતો. હવે આર્યન ખાન થોડીવારમાં જેલમાંથી બહાર આવશે. કૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં 3 ઓક્ટોબરે તેની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાનની સાથે તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મોડલ મુનમુન ધામેચા પણ આજે જેલમાંથી બહાર આવશે.વધુ વાંચો -
Aryan Khan Bail: આર્યન ખાનને કોર્ટની આ 14 શરતોનું પાલન કરવું પડશે નહીંતર જામીન રદ થઈ શકે છે
- 29, ઓક્ટોબર 2021 05:25 PM
- 6802 comments
- 4232 Views
મુંબઈ-મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને જામીન મળી ગયા છે. જોકે, જામીન આપવાની સાથે કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે. જે ત્રણેય આરોપીઓએ જામીનના સમયગાળા દરમિયાન પીવું પડશે. જામીનના આદેશ મુજબ ત્રણેય આરોપીઓએ દર શુક્રવારે NCBની મુંબઈ ઓફિસમાં હાજર થવું પડશે. આ સાથે તે NDPS કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકે નહીં. કોર્ટના આદેશ અનુસાર આર્યન અને અન્ય બે આરોપી એનડીપીએસ કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકતા નથી. આ સાથે જ તેને પોતાનો પાસપોર્ટ તાત્કાલિક સ્પેશિયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટના આદેશ અનુસાર તેના સહ-આરોપી સાથે સંપર્કમાં રહેવા પર પણ પ્રતિબંધ રહેશે.આ છે કોર્ટના આદેશની તમામ શરતો-1. કોર્ટના આદેશ મુજબ આરોપીએ 1 લાખ રૂપિયાના પીઆર બોન્ડ આપવો પડશે. તે એક અથવા વધુ સુરક્ષા થાપણો સાથે રજૂ કરી શકાય છે.2. આરોપીઓ તે પ્રવૃત્તિઓ જેવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં જેના આધારે તેમની સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવે છે.3. આરોપીએ તેના સહ-આરોપી અથવા સમાન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી અન્ય કોઈપણ વ્યક્તિ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ રીતે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.4. આરોપીએ નામદાર સ્પેશિયલ કોર્ટની કાર્યવાહી પહેલાં કાર્યવાહી માટે પ્રતિકૂળ હોય તેવું કોઈ કૃત્ય કરવું નહીં.5. આરોપી વ્યક્તિગત રીતે કે કોઈપણ માધ્યમથી સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં કે પુરાવા સાથે છેડછાડ કરશે નહીં.6. આરોપીઓએ તેમનો પાસપોર્ટ તાત્કાલિક સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.7. આરોપીએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ ઉપરોક્ત કાર્યવાહીના સંદર્ભમાં મીડિયામાં કોઈ નિવેદન આપવું નહીં.8. સ્પેશિયલ એનડીપીએસ જજ, બૃહદ મુંબઈની પૂર્વ પરવાનગી વિના આરોપી દેશ છોડશે નહીં.9. જો આરોપીઓને બૃહદ મુંબઈની બહાર જવાનું હોય, તો તેઓ તપાસ અધિકારીને જાણ કરશે અને તપાસ અધિકારીને તેમનો પ્રવાસ કાર્યક્રમ આપશે.10. આરોપીઓએ તેમની હાજરી ચિહ્નિત કરવા માટે દર શુક્રવારે સવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે NCB મુંબઈ કાર્યાલયમાં હાજર રહેવું પડશે.11. કોઈપણ ન્યાયી કારણ દ્વારા અટકાવવામાં ન આવે તો, આરોપી તમામ તારીખે કોર્ટમાં હાજર રહેશે.12. જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે આરોપીએ NCB અધિકારીઓ સમક્ષ હાજર થવું પડશે.13. એકવાર ટ્રાયલ શરૂ થઈ જાય પછી, અરજદાર/આરોપી કોઈપણ રીતે ટ્રાયલમાં વિલંબ કરવાનો પ્રયાસ કરશે નહીં.14. જો આરોપી આમાંની કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરે છે, તો NCBને તેમના જામીન રદ કરવા માટે સીધા જ સ્પેશિયલ જજ/કોર્ટમાં અરજી કરવાનો અધિકાર છે.વધુ વાંચો -
શું આર્યન ખાન આજની રાત પણ જેલમાં વિતાવશે, જાણો જામીન મળ્યા બાદ શું છે છૂટવાની પ્રક્રિયા
- 29, ઓક્ટોબર 2021 10:24 AM
- 6786 comments
- 7020 Views
મુબઈ-આર્યન ખાનને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. હવે તેની રિલીઝની પ્રક્રિયા આજે એટલે કે શુક્રવારે શરૂ થશે. મળતી માહિતી મુજબ, જો આ પ્રક્રિયા આજે સાંજે 5 વાગ્યા સુધીમાં પૂર્ણ નહીં થાય તો આર્યનને આજની રાત પણ જેલમાં જ વિતાવવી પડશે અને પછી કાલે સવારે તેને મુક્ત કરવામાં આવશે. મુંબઈ હાઈકોર્ટમાંથી મળેલા જામીનના આદેશની નકલ સ્પેશિયલ NDPS કોર્ટમાં જમા કરાવવાની હોય છે. સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ જામીનની રકમ અથવા સિક્યોરિટી માટે વ્યક્તિગત બોન્ડ તેમજ કેટલાક અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો રજૂ કર્યા પછી આરોપીના નામે 'રિલીઝ ઓર્ડર' જારી કરે છે. આ રીલીઝ ઓર્ડર આર્થર રોડ જેલની બહાર બેલ બોક્સમાં મુકવામાં આવ્યો છે.સાંજે 5 વાગ્યા સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશેસાંજે 5 વાગ્યાથી કોર્ટની પ્રક્રિયા પૂરી કરીને જામીન પેટીમાં રિલિઝ ઓર્ડર મૂકવામાં આવશે તો સાંજે 7-8 વાગ્યા સુધીમાં આર્યન બહાર આવી જશે. આ બોક્સમાંથી નીકળતા રીલીઝ ઓર્ડરના આધારે જેલ સત્તાવાળાઓ આરોપીઓને મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ આરોપીને છોડી દેવામાં આવે છે.વધુ વાંચો -
બોમ્બે હાઈકોર્ટે આર્યનના જામીન મંજુર કર્યા, પરંતુ આજે જેલમાંથી મુક્ત થશે નહીં
- 28, ઓક્ટોબર 2021 04:58 PM
- 4333 comments
- 5590 Views
મુંબઈ- ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને જામીન આપી દીધા છે. આર્યનની સાથે કોર્ટે (બોમ્બે હાઈકોર્ટ) અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ભુનેજાની જામીન અરજી પણ સ્વીકારી હતી. લગભગ 25 દિવસ સુધી ત્રણેય આરોપીઓ NCBની કસ્ટડીમાં હતા. અગાઉ સેશન્સ કોર્ટે તેને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ તેઓ હાઈકોર્ટમાં ગયા હતા. હવે ત્રણેયના જામીન હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે, જોકે એનસીબીએ ત્રણેયના જનમતનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તપાસ એજન્સીએ કહ્યું હતું કે આ ગુના માટે તેને જામીન આપી શકાય નહીં. પરંતુ આર્યનના વકીલ મુકુલ રોહતગીએ તેને જામીન મેળવવા માટે ઘણા મજબૂત મુદ્દા કોર્ટ સમક્ષ મુક્યા હતા. બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ પણ આર્યન આજે ઘરે જઈ શકશે નહીં. આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે તે આજે નહીં છોડે.અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના પણ જામીન મંજુર ક્રુઝ ડ્રગ્સ કેસમાં 26 દિવસ બાદ મુંબઈ હાઈકોર્ટ આર્યન ખાન સહિત અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન મંજુર કર્યા છે.ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસની દલીલ બાદ મુંબઈ હાઈકોર્ટ આર્યન ખાન સહિત અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન મંજુર કર્યા છે. ભારતના પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી આર્યન ખાનનો કેસ લડી રહ્યા છે. મંગળવારે પણ કોર્ટમાં NCB અને આર્યન ખાનના વકીલોએ જોરદાર દલીલો રજૂ કરી હતી. NCBએ આર્યન ખાનને જામીન મળવાનો જોરદાર વિરોધ કર્યો હતો, ત્યારે મુકુલ રોહતગીએ આર્યન ખાનની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા.અમિત દેસાઈની દલીલો અરબાઝ મર્ચન્ટના વકીલ અમિત દેસાઈએ કહ્યું હતુ કે, તમે આર્યન ખાનનો અરેસ્ટ મેમો જુઓ. ધરપકડ માટે NCB પાસે નક્કર પુરાવા નથી. ધરપકડ એવા ગુના માટે કરવામાં આવી છે જે આચરવામાં જ નથી આવી. અરબાઝ પાસેથી માત્ર 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. NCB જે ષડયંત્રની વાત કરી રહ્યું છે તેને સાબિત કરવા માટે NCBએ કોર્ટ સમક્ષ વોટ્સએપ ચેટ રજૂ કરી છે. આ ચેટ્સને ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી. NCBનો આ પુરાવો 65B હેઠળ કોર્ટમાં માન્ય નથી. ફોન કબજે કરાયો ન હતો પરંતુ રિમાન્ડ કોપીમાં તેનો ઉલ્લેખ કરાયો છે. વકીલ મુકુલ રોહતગીએ આર્યનની ધરપકડને લઈને NCB પર સવાલ ઉઠાવ્યા અમિત દેસાઈની દલીલો વચ્ચે આર્યનના વકીલ મુકુલ રોહતગીએ પણ જામીન માટે દલીલો કરી હતી. તેમણે કહ્યું- ‘અરેસ્ટ મેમો ધરપકડ માટે યોગ્ય કારણ આપતું નથી. કલમ 22 સીઆરપીસીની કલમ 50 કરતાં વધુ મહત્વની છે. આ હેઠળ, કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકાતી નથી જ્યાં સુધી તેને તેની ધરપકડના કારણની જાણ ન હોય. અને તે વ્યક્તિને તેના અનુસાર વકીલની સલાહ લેવાનો અધિકાર છે. તેમની પાસે ફોન છે પરંતુ રિમાન્ડ સમયે તેઓએ અમને તે વિશે જણાવ્યું ન હતું. અમારી પાસે WhatsApp ચેટની ઍક્સેસ નથી.વધુ વાંચો -
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર ધનરજની બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો, સ્થાનિકોએ 7 લોકોને સ્લેબમાંથી બહાર કાઢ્યા
- 28, ઓક્ટોબર 2021 04:48 PM
- 2240 comments
- 361 Views
રાજકોટ-રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ધનરજની બિલ્ડિંગની બાલ્કનીનો સ્લેબ અચાનક તૂટી ગયો હતો, જેના કારણે સ્લેબ નીચે રહેલ ત્રણથી ચાર દુકાનો દટાઈ ગઈ હતી. જ્યારે આ દુકાનમાં રહેલા 5થી 7 લોકો પણ દટાયા હતા. જોકે, આ ઘટનમાં કોઈ જાનહાની નથી થઈ. અત્યારે ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી સ્લેબ હટાવવાની કામગીરી શરૂ કરી છે. જોકે, અત્યારે આ વિષય સમગ્ર રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. યાગ્નિક રોડ ઉપર આવેલા ધનરજની બિલ્ડિંગનો સ્લેબ પડી જવાની ઘટના સામે આવતા યાજ્ઞિક રોડ પર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. જ્યારે પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી. સમગ્ર મામલે રાજકોટ પોલીસના ઝોન 1ના ડીસીપી પ્રવીણકુમારે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને આગળની કાર્યવાહી કરવાની વાત કરી હતી. જ્યારે કોર્પોરેશન દ્વારા પણ આ બિલ્ડીંગ કેટલા વર્ષ જૂનું છે, તેમ જ બિલ્ડિંગ પાસે NOC છે કે નહીં સહિતના કાયદેસરના દસ્તાવેજો છે કે કેમ તે સમગ્ર મામલે પણ તપાસ શરૂ કરી છે. બિલ્ડીંગની બાલ્કનીનો સ્લેબ પડી ભાંગવાની ઘટનાને પગલે હાલ વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.બાલ્કનીનો સ્લેબ પડી ભાગવાની ઘટનાના કારણે અહીં નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરેલા વાહનો દબાઈ ગયા હતા, જેના કારણે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે 5થી 7 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાલ્કનીનો સ્લેબ પડવાના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 3થી 4 દુકાનમાં પણ ભારે નુકસાન થયું હતું. આ દુકાનની અંદર જે ગ્રાહકો હતા તે પણ ફસાઈ ગયા હતા. જોકે, સ્થઆનિકોએ ગ્રાહકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.વધુ વાંચો -
હેકરનો ખુલાસો! આર્યન ખાનની ચેટમાં ફેરફાર કરવા અને પૂજા દદલાનીની કોલ ડિટેલ્સ કાઢવા માટે મળી આ ઓફર
- 28, ઓક્ટોબર 2021 03:20 PM
- 4434 comments
- 2543 Views
મુંબઈ-મનીષ ભંગાલે નામના હેકરે દાવો કર્યો છે કે 6 ઓક્ટોબરે આલોક જૈન અને શૈલેષ ચૌધરી નામના બે વ્યક્તિઓ તેને મળ્યા હતા અને પૂજા દદલાનીની કોલ ડિટેઈલ કાઢવા માટે કહ્યું હતું. આર્યન ખાનની ચેટમાં ફેરફાર કરવાનું પણ કહ્યું હતું. તેના બદલામાં તેને 5 લાખ રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ મનીષ ભંગાલેએ તેને ના પાડી. આલોક જૈન અને શૈલેષ ચૌધરીએ પ્રભાકરના નામનું ડમી સિમકાર્ડ પણ માંગ્યું હતું. મનીષ ભંગાલે એ જ વ્યક્તિ છે જેણે થોડા વર્ષો પહેલા દાવો કર્યો હતો કે તત્કાલીન ભાજપના મંત્રી એકનાથ ખડસે પાકિસ્તાનમાં દાઉદના ઘરે ફોન પર વાત કરતા હતા. તેણે લેન્ડલાઈન નંબર પણ શેર કર્યો. જોકે, બાદમાં આ વાત ખોટી સાબિત થઈ હતી અને મનીષ ભંગાલેની ધરપકડ કરવામાં આવી હતી.ફ્લેચર પટેલે દાવો કર્યો હતો કે હું સ્થળ પર હાજર નહોતોતે જ સમયે, કેસના સાક્ષી ફ્લેચર પટેલે કહ્યું કે મને એનસીબીની વિજિલન્સ ટીમ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, મને ખબર પડી કે શું હું આર્યન કેસમાં તે દિવસે ક્રૂઝ રેઇડનો ભાગ હતો કે ત્યાં હાજર હતો. ફ્લેચર પટેલે જણાવ્યું કે હું તે દિવસે સ્થળ પર નહોતો, મેં NCBને કહ્યું છે, હું આ પહેલા 2 થી 3 કેસમાં NCBનો સાક્ષી રહ્યો છું.નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર તેણે કહ્યું કે તેણે મારા પર લગાવેલા તમામ આરોપો ખોટા છે, હું એનજીઓ ચલાવું છું, એક્સ-સર્વિસમેન યુનિયનનો સભ્ય છું. અમે સમીર વાનખેડેને અનેક ઈવેન્ટ્સમાં તેમની ઈમાનદારી જોઈને મુખ્ય અતિથિ તરીકે ઘણી વખત બોલાવ્યા હતા. નવાબ મલિક મારા પર બળજબરીથી ખોટા આરોપો લગાવી રહ્યા છે. આર્યન ખાનની જામીન અરજી પર આજે ત્રીજા દિવસે સુનાવણી થવાની છે. આજે NCB આ મામલે પોતાનો પક્ષ રજૂ કરશે.વધુ વાંચો -
તાલિબાની સરકારમાં વધ્યો 'આતંક', લોકોએ કહ્યું- લૂંટફાટ અને બંદૂકની અણી પર થાય છે અપહરણ
- 28, ઓક્ટોબર 2021 11:12 AM
- 4736 comments
- 4433 Views
અફઘાનિસ્તાન-છેલ્લા કેટલાક સપ્તાહમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને અન્ય મોટા શહેરોમાં લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે. કાબુલના ઘણા રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં રાજધાની શહેર અને અન્ય પ્રાંતોમાં સશસ્ત્ર લૂંટના કેસમાં વધારો થયો છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઇસ્લામિક અમીરાતના શાસન દરમિયાન સશસ્ત્ર લૂંટમાં ઘટાડો થવાની ધારણા હતી, પરંતુ હજુ પણ સમગ્ર દેશમાં ગુનાઓ થઈ રહ્યા છે. અફઘાનિસ્તાનની રાજધાની સહિત ઘણા વિસ્તારોમાં ડાકુ હથિયારો સાથે ફરતા જોવા મળ્યા છે. કાબુલના રહેવાસી શુજા કહે છે કે તેમની અપેક્ષાઓથી વિપરીત, દુર્ભાગ્યવશ, લૂંટ અને અપહરણના કિસ્સાઓ હજુ પણ સામે આવી રહ્યા છે અને તેમને રોકવામાં આવ્યા નથી. તે જ સમયે, મોહમ્મદ યુનુસ કહે છે કે તાલિબાનના કબજા સાથે, અમને અપેક્ષા હતી કે લૂંટ ઓછી થશે, પરંતુ કેસ હજુ પણ થઈ રહ્યા છે.લૂંટ અને અપહરણના કેસમાં 100થી વધુ લોકોની ધરપકડરહેવાસીઓએ ઇસ્લામિક અમીરાતના અધિકારીઓને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઉભા રહેવા હાકલ કરી છે. દરમિયાન, ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા બે અઠવાડિયામાં લૂંટ અને અપહરણ સહિતના વિવિધ ગુનાઓના આરોપસર 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા સૈયદ ખોસ્તીને ટોલો ન્યૂઝ દ્વારા ટાંકવામાં આવ્યું હતું કે, “છેલ્લા 15 દિવસમાં જ 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.અફઘાનિસ્તાન ભૂખમરાનો સામનો કરી રહ્યું છેઅફઘાનિસ્તાન પણ ભૂખમરાના સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં સ્થિતિ એવી છે કે લોકો હવે ખોરાક ખરીદવા માટે પણ તેમની મિલકત અને પશુઓ વેચીને જીવન જીવી રહ્યા છે. હવે સ્થિતિ કફોડી બની છે, અહીં વાલીઓ પેટ ભરવા માટે સંતાનોને વેચવા મજબૂર છે. સ્થિતિ એ છે કે ભૂખથી પીડાતા લોકો લગ્ન માટે 3-4 વર્ષની છોકરીઓથી લઈને આઠથી દસ વર્ષની છોકરીઓને વેચી રહ્યા છે.વધુ વાંચો
વિડિયો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ