દાહોદ સમાચાર

  • ગુજરાત

    ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકના મોત

    દે.બારીયા, દાહોદ તાલુકાના ચોસાલા ગામે રહેતી ચાર વર્ષીય દીપીકાબેન કાળુભાઈ કટારા શાળામાં પરીક્ષાઓ પૂરી થઈ જતા વેકેશનની મજા માણવા ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે મામાના ઘરે આવી હતી. અને ગઈકાલ શુક્રવાર તારીખ ૧૯- ૪- ૨૦૨૪ ના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યા ના સુમારે તે તેના મામાના દીકરા ૯ વર્ષીય રાધે દિલીપભાઇ બિલવાળ સાથે ગામના તળાવમાં ઢોરોને પાણી પીવડાવવા ગઈ હતી. અને ઢોરોને પાણી પીવડાવ્યા બાદ તે બંને જણા તળાવના પાણીમાં નહાવા પડ્યા હતા. અને નહાતે નહાતે તેઓ બંને જણા તળાવના ઊંડા પાણીમાં પહોંચી જતા બંને જણા તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા જ લીમડી પોલીસ મથકના જવાબદાર અધિકારી પીએસઆઇ વીજે ગોહેલ પોતાના સ્ટાફના માણસોને સાથે લઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ગામના તરવૈયાઓ તેમજ ગોતાખોરોની મદદથી તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયેલા રાધે દિલીપ બિલવાળ તથા દીપિકા કાળુ કટારા એમ બંનેની લાશને તળાવના પાણીમાંથી બહાર કઢાવી પંચો રૂબરૂ પોલીસે બંને બાળકોની લાશનું પંચનામું કરી પોસ્ટ મોટમ માટે બંને બાળકોની લાશને લીમડી સરકારી દવાખાને મોકલી આપી લીમડી પોલીસે આ મામલે સીઆરપીસી ૧૭૪ મુજબ આકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પ્રાથમિક શાળા નજીક સ્પીડ બ્રેકર, સાઈન બોર્ડ અને વાઈટ પટ્ટાના અભાવથી અકસ્માતનો ભય

    ઝાલોદ દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં હાઇવે ઉપર આવેલા શાળાઓ આગળ સ્પીડ બ્રેકર અને વ્હાઇટ પટ્ટા દોરેલ અને સાઈન બોર્ડ ના હોવાના કારણે અકસ્માતનો ભય રહે છે આમ ઝાલોદ શહેરમાં આવેલ દાહોદ હાઇવે રોડ સરકારી કુમાર શાળા અને સંતરામપુર રોડ રોડ પર આવેલ આઇ પી.મિશન સ્કૂલ તેમજ અન્ય શાળાઓ આવેલ છે. હાઇવે રોડ હોવાના કારણે અહીંયા વાહન ચાલકો બેફામ હંકારી નીકળી જાય છે અહીંથી નાના બાળકો શાળાએ જવા રસ્તો ઓળંગવો પડે છે. જેથી અકસ્માતનો ભય રહે છે. આને કારણે સત્વરે હાઇવે ઓથોરિટી દ્વારા સ્પીડ બેકર અને સાઈન બોર્ડ મુકવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. શાળા સમય દરમિયાન મેઈન હાઇવે રોડ હોઈ ખાનગી વાહનો દ્વારા અવારનવાર ઓવર સ્પીડ થી ગાડીઓ હંકારી જતા બાળકોના અકસ્માતનો ભય રહે છે જેથી શાળા આગળ સ્પીડ બ્રેકરો અને વ્હાઇટ પટ્ટા દોરવી, સ્કૂલ ના બોડ લગાવી દે તો અકસ્માત નો ભય રહે નહિ..જાે સત્વરે આ કામ ને ધ્યાને ન લેવામાં આવે તો આનો જવાબદાર કોણ તે પણ એક સવાલ છે, ત્યારે તંત્ર દ્વારા રોડ પર યોગ્ય નિયમોનુસાર સાઈનબોર્ડ લગાવે તે જરુરી બન્યુ છે.ઝાલોદ નેશનલ બાયપાસ હાઈવે ઉબડ-ખાબડ  વાહન ચાલકો ત્રસ્ત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા માંથી પસાર થતો નેશનલ બાયપાસ હાઇવેનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી તૂટવા માંડ્યો છે.કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો હાઈવેનો રસ્તો ઠેક ઠેકાણેથી બિસ્માર બનતા હજારો ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જવાબદાર તંત્રની ઢીલી નીતિના કારણે રસ્તાઓ પર ફકત ખાડાઓનું સામ્રાજ્ય જાેવા મળે છે . આખો રસ્તો તૂટેલો હોવા છતાં કોઈ મરામત કરવામાં આવતી નથી.હાલમાં ઝાલોદથી લઈને છેક લીમડી પાસેના હાઈવેનો રસ્તો અસમતોલ બની જતા મોટા વાહન ચાલકોને હેરાન થવું પડી રહ્યું છે.ત્યારે નેશનલ હાઇવે વિભાગ દ્વારા નાના-મોટા ખાડાઓની દુરસ્તીકરણ કરવામાં ન આવતા રાત્રીના સમયે અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે.તાલુકામાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે.જેના કારણે હાઇવેનો રસ્તો ચોવીસ કલાક ધમધમતો રહે છે.ત્યારે રસ્તા પર ખાડાઓ ટાળવા જતા નાના-મોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે.નેશનલ હાઇવે બન્યો ત્યારથી અત્યાર સુધીમાં ૪૫ થી વધુ લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી બેઠા છે.મોત ની ઘટનો બાદ પણ નેશનલ હાઇવે વિભાગનું નગરોળ તંત્ર એક્શનમાં આવીને અકસ્માતની ઘટના રોકવા માટેના પગલાં ન લેતું હોવાનું જાણવા મળેલ છે.હાઇવે પર ના ખાડાઓ અને તંત્ર ભોગે ચાલકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ચલાલી ગામે મકાનમાં આગ લાગતા ઘરવખરી સહિત ચીજ વસ્તુઓ ખાક

    શહેરા શહેરાના ચલાલી ગામના ટાડી ફળિયાના રહેણાંક મકાનમાં કોઈ કારણસર આગ લાગતા ઘરવખરી સહિત અન્ય ચીજ વસ્તુઓ બળી ગઈ હતી.આગ લાગેલ સ્થળની તાલુકા ભાજપ પ્રમુખ મગન પટેલિયા સહિત ભાજપ અગ્રણીઓએ મુલાકાત લીધી હતી. શહેરા તાલુકા ના ચલાલી ગામના ટાડી ફળિયા મા રહેતા નર્મદાબેન બારીયાના ઘર મા અચાનક આગ લાગી હતી આગ લાગતા ધુમાડા નાં ગોટેગોટા આકાશ માં જાેવા મળ્યા હતા.અહી આગ લાગવાની ઘટનાને લઈને આજુબાજુ માં રહેતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા.ફાયર બ્રિગેડ ને જાણ કરવાની સાથે સ્થાનિક લોકો દ્વારા પાણી નો મારો શરૂ કરી દીધો હતો આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેવા માં ફાયર બ્રિગેડ આવી જઇને પાણી નો મારો શરૂ કરતા ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી આગ ની ઘટના મા બે બકરા, એક વાછરડી સહિત ઘર વખરી બળીને ખાખ થઈ જતા ઘર માલીક ચિંતિત થવા સાથે આંખમાંથી આંસુ વહેવા માંડ્યા હતા. આ બનેલા બનાવને લઈને તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, હાજાભાઈ ચારણ તેમજ ગામના અગ્રણી રમણભાઈ , તાલુકા ભાજપ મહામંત્રી સંજય બારીયા તેમજ ભાજપ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પટેલ સહિતનાઓ અહીં પહોંચી જઈને પરિસ્થિતિ વાકેફ થઈને નર્મદાબેન બારીયા ને બનતી મદદ કરવા સાથે થોડા ઘણા રૂપિયા પણઆપ્યા હતા.ઘર માલિક નર્મદાબેન વિધવા હોવાથી વધતી જતી મોંઘવારી વચ્ચે પોતાનું ઘરનું ગુજરાત ચલાવું મુશ્કેલ રૂપ બની રહ્યું હતું ત્યારે આ આગ ની ઘટનામાં ઘરવખરી સહિત અન્ય ચીજ વસ્તુ બળી જતા નર્મદાબેન ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. નર્મદાબેન ને મળવાપાત્ર સહાય વહેલી તકે મળે એવા પ્રયત્નો સંબંધિત તંત્ર દ્વારા કરવામાં આવે તો વિધવા નર્મદાબેન બારીયા પોતાના ઘરની મરામત કરાવી શકે તો નવાઈ નહી.
    વધુ વાંચો
  • ગુજરાત

    દાહોદ તાલુકાના વણભોરી ગામે જુના કુવામાં નહાવા પડેલા કિશોરની લાશ મળી

    દાહોદ,દાહોદ તાલુકાના વણભોરી ગામના તળાવમાં આવેલ જુના સરકારી કુવામાં નહાવા પડેલ વણભોરી ગામના ૧૭ વર્ષીય કિશોરનું કૂવાના ઊંડા પાણીમાં ડૂબી જતા મોત નીપજતા તેની લાશને બીજે દિવસે સાંજે વડોદરાની એનડીઆરએફની ટીમે કૂવામાંથી બહાર કાઢયાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર વણભોરી ગામે માવી ફળિયામાં રહેતો ૧૭ વર્ષીય અજયભાઈ ઈકાભાઈ માવી ગત તારીખ ૧૨-૪-૨૦૨૪ ના રોજ સાંજના સુમારે પોતાના ગામના તળાવમાં આવેલ સરકારી કુવામાં નહાવા પડ્યો હતો. અને તે નહાતે નહાતે કુવાના ઊંડા પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. આ હકીકતથી અજાણ અજયભાઈ માવીના ઘરવાળાઓએ અજયભાઈ ની શોધખોળ આદરી હતી. તે દરમિયાન તેના કપડા ગામના તળાવમા આવેલ કુવાની બહારથી મળી આવતા અજયભાઈ કુવામાં ડૂબી ગયો હોવાનું ચોક્કસપણે જણાઈ આવતા તેઓએ આ અંગેની જાણ દાહોદ ફાયર સ્ટેશને કરતા દાહોદ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ગામના તરવૈયાઓ તેમજ ગોતાખોરોની મદદ લઈ કુવામાં અજયભાઈની શોધ ખોળ આદરી હતી. પરંતુ તેમાં તેઓને સફળતા મળી ન હતી. જેથી તેઓએ વડોદરાથી એનડીઆરએફની ટીમને બોલાવી હતી. જે ટીમે અથાગ પ્રયાસ બાદ કુવાના ઊંડા પાણીમાંથી મરણ જનાર અજયભાઈ માવીની લાશ શોધી બહાર કાઢી હતી. અને આગળની કાર્યવાહી માટે સ્થળ પર એકત્રિત ગ્રામજનોની હાજરીમાં કતવારા પોલીસને સુપરત કરતા કતવારા પોલીસે મૃતક અજયભાઈ માવીની લાશનો કબજાે લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે કતવારા સરકારી દવાખાને મોકલી આપી પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસા ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પાડલીયા ગામે જીપ ચાલકે આઠ વર્ષની બાળકીને અડફેટે લેતા મોત

    સુખસર  ફતેપુરા તાલુકામાં કેટલાક વાહનચાલકો બેફામ બનતા દિન- પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.જેમાં આજરોજ પાડલીયા ખાતે આવેલ સાહેબ પ્રાઇમરિ સ્કૂલમાં સવારના શાળાએ અભ્યાસ કરવા આવેલી આઠ વર્ષીય બાળકીને શાળાના ગેટ સામે તુફાન જીપના ચાલકે અડફેટમાં લઇ મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા બાળકીને સારવાર મળે તે પહેલા સ્થળ ઉપર જ કામકમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.અકસ્માત બાદ તુફાન જીભનો ચાલક પોતાના કબજાની ગાડીને સ્થળ ઉપર છોડી ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળે છે. જાણવા મળેલી વિગતો મુજબ સંતરામપુર તાલુકાના ચીચાણી તેર ફળિયા ખાતે રહેતા રાહુલભાઈ લાલુભાઈ ગણાસવાની પુત્રી જાનવીબેન રાહુલભાઈ ગણાસવા ઉ.વ.૮ ની બલૈયા ક્રોસિંગ પાડલીયા ખાતે આવેલ સાંઈ પ્રાયમરી સ્કૂલમાં ધોરણ ૩ માં અભ્યાસ કરતી હતી.જે રોજની જેમ આજ રોજ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં શાળામાં અભ્યાસ અર્થે આવેલ હતી. અને ઇક્કો ગાડી માંથી ઉતરી શાળાના ગેટની સામે બલૈયા ક્રોસિંગથી ફતેપુરા જતા જાહેર માર્ગની સાઈડમાં શાળાના ગેટ પાસે ઊભેલી હતી.તેવા સમયે તુફાન ગાડી નંબર જીજે-૧૭ સીઇ-૦૧૦૨ ના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઇડમાં ઉભેલી જાનવીને અડફેટમાં લઈ અકસ્માત કરતાં જાનવીને મોઢાના ભાગે તથા શરીરે જીવલેણ ઇજાઓ પહોંચી હતી.જેમાં ઇજાગ્રસ્ત બાળકીને સારવાર મળે તે પહેલા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે તુફાન જીભનો ચાલક અકસ્માત બાદ પોતાના કબજાની ગાડીને સ્થળ ઉપર છોડી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે.પરિવારની લાડકી બાળકીનું અકસ્માતે અકસ્મિક મોત નીપજતા પરિવાર માં રોકકળ સાથે સગા સ્નેહીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હોવાનું જાણવા મળે છે. ઉપરોક્ત અકસ્માત સંદર્ભે મૃતક જાનવીના પિતા રાહુલભાઈ લાલુભાઈએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં મૃતક બાળકીની લાશ ને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ માટે મોકલી આપી તુફાન જીપ નો કબજાે લઈ ફરાર તુફાન જીપ ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પ્રાથમિક શિક્ષક સામે આચાર સહિતા ભંગ બદલ પગલા લેવા ડીઈઓને રજૂઆત

    દાહોદ આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલી બની જતા સરકારી કર્મચારીઓ તેમજ અધિકારીઓની કેટલીક પ્રવૃત્તિઓ પર રોક લાગી જતી હોય છે. અને તેઓને આદર્શ ચૂંટણીની આચાર સંહિતા તેમજ ગુજરાત કર્મચારી વર્તણૂક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું તેઓની ફરજમાં આવતું હોય છે. ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બે દિવસ અગાઉ પ્રદેશ ભાજપા પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા પાર્ટીના એક પ્રચાર કાર્યક્રમમાં પોતાની નૈતિક ફરજ ભૂલી ગુજરાત કર્મચારી વર્તણુક નિયમોની તેમજ આદર્શ ચૂંટણી આચાર સંહિતા ની એસીતેસી કરી ભાજપ પાર્ટીના સિમ્બોલવાળો ખેસ તેમજ ટોપી પહેરી જિલ્લાની એક પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા એક સરકારી કર્મચારી હાજર રહેતા જિલ્લાના કેટલાક જાગૃત નાગરિકોએ આ અંગે લેખિતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરી તે સરકારી કર્મચારી સામે કાયદેસરના તાત્કાલિક પગલાં લેવાની માગણી કરતા જિલ્લાના શિક્ષક આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જાગૃત નાગરિકોએ પોતાના હસ્તાક્ષરવાળી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરેલ લેખિત રજૂઆતમાં જણાવાયુ છે કે, આપના તાબાની ફતેપુરા તાલુકાની ફતેગડી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પુનાભાઈ પારગી ગત તારીખ ૮- ૪- ૨૦૨૪ ને સોમવારના રોજ ઝાલોદ મુકામે ગોયલ પેલેસ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ એક રાજકીય પ્રચાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને તે કાર્યક્રમના આયોજક એવી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ વાળો ખેસ તથા ટોપી પહેરી એ પક્ષના કાર્યકરની જેમ કામ કરતા જાહેર જનતાએ તેઓને જાેયા હતા. આ ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં આપના તાબાનો એક સરકારી કર્મચારી ગુજરાત કર્મચારી વર્તણૂક નિયમોનો અને ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ આદર્શ ચૂંટણી આચારસંહિતાનો સરેઆમ ભંગ કરતો હોય એ બાબત આપની કચેરી અને આપના માટે ખૂબ જ શરમજનક છે. જેથી આપ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ આદર્શ ચૂંટણી આચાર સંહિતા અને ગુજરાત કર્મચારી વર્તણૂક નિયમોના સરેઆમ ભંગ બદલ ઉપરોક્ત સરકારી કર્મચારી ઉપર લેવામાં આવતા કાયદેસરના પગલાં તાત્કાલિક લઈ પોતાની ફરજ પ્રત્યે ઈમાનદારી દાખવશો એવી અપેક્ષા રાખી માંગણી કરવામાં આવી છે. ત્યારે આ સરકારી કર્મચારી સામે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કોઈપણ પ્રકારના રાજકીય દબાણમાં ન આવી પોતાની સંનિષ્ઠ ફરજમાં નૈતિકતા દાખવી ક્યારે અને કેવા પગલાં લેશે તે હવે જાેવું રહ્યું!!! આ લેખિત રજૂઆતની એક એક નકલ દાહોદ લોકસભા બેઠકના ચૂંટણી રિટર્નિંગ ઓફિસર કલેકટર દાહોદ લોકસભા બેઠકના ઓબ્ઝર્વર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ફતેપુરાને રવાના કરવામાં આવતા આ પ્રાથમિક શિક્ષકનો આ ચર્ચાસ્પદ મુદ્દો હાલ જિલ્લા ફલક પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.સરકારી કર્મચારી આચારસંહિતાનો ભંગ ના કરી શકે • શિક્ષક તરીકે ફરજ બજાવતા કર્મચારીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે તેવી ચોક્કસ માહિતીની જાણ અમો પાસે નથી.અને આ બાબત સત્ય હશે તો તે કર્મચારી સામે યોગ્ય પગલા ભરવામાં આવશે. • આરત સિંહ બારીયા ડી.પી.ઈ.ઓ • અમારા તરફથી તમામ શિક્ષકોને જાણ કરી દેવામાં આવેલ છે કે,કોઈએ આચાર સંહિતાનો ભંગ કરવો નહીં. છતાં સોશિયલ મીડિયામાં ફરતા ફોટા મેં જાેયા છે.પરંતુ મારી ટ્રાન્સફર થઈ ગયેલ હોય માટે હું હજી નામજાેગ કે ફેસ ઉપરથી તે કર્મચારીને ઓળખતી નથી.અને આ બાબત સત્ય હશે તો તેવા કર્મચારી સામે પગલા ભરવામાં આવશે. • જીજ્ઞાબેન અમૃતિયા,ટી.પી.ઇ.ઓ • મારા સેજા માં આવતી તમામ પ્રાથમિક શાળાઓમાં આચાર સંહિતાના ભંગ વિશે તમામ શિક્ષકોને વોર્ડ શોપ ગ્રુપના માધ્યમથી જાણ કરી દેવામાં આવેલ છે.જાે કોઈ શિક્ષક કર્મચારી આચારસંહિતાનો ભંગ કરશે તો તે કર્મચારીને પોતાની જવાબદારી રહેશે તેવી જાણ અમોએ કરી દીધેલ છે. • શૈલેષ.આર.મહીડા,સી.આર.સી વાગડ
    વધુ વાંચો
  • ગુજરાત

    સંજેલી બસ સ્ટેશનના કમ્પાઉન્ડના ઝાડી ઝાખરામાંથી નવજાત બાળકી મળતા ચકચાર

    સંજેલી સંજેલી નગરના બસ સ્ટેશનના કમ્પાઉન્ડની અંદર રોડની ડાબી બાજુમાં આવેલ ઝાડી ઝાંખરામાંથી ૧૫દિવસની જીવિત બાળકી કપડા ભરેલી થેલીમાંથી મળી આવતા સંજેલી તાલુકા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાના હિંદોલીયા ગામના રહેવાસી અને સંજેલી બસ સ્ટેશનમાં હાલ ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ તેરસિંગભાઈ ભાભોર આજરોજ સવારે સાતેક વાગ્યાના સુમારે સંજેલી બસ સ્ટેશનમાં પોતાની ફરજ પર હાજર હતા. અને તે સમયે તેઓ પોતાની ફરજના ભાગરૂપે બસ સ્ટેશનના દક્ષિણ દિશાના ગેટ બાજુ ચેકિંગ કરવા માટે ગયા હતા. તે સમયે બસ સ્ટેશનના કમ્પાઉન્ડની અંદર રોડની ડાબી બાજુ આવેલ ઝાડી ઝાંખરામાંથી નવજાત બાળકના રડવાનો અવાજ આવતા તેઓ તે દિશામાં આગળ વધી ઝાડી ઝાંખરા નજીક જઈને જાેતા ત્યાં કપડાં ભરેલી લાલ કલરની વાદળી પટ્ટાવાળી એક થેલીમાં નવજાત શિશુ નજરે પડતા તેઓએ આજુબાજુ તપાસ કરતા કોઈ મહિલા કે પુરુષ ત્યાં જાેવા ન મળતા તેઓએ આ અંગેની જાણ સંજેલી પોલીસને કરતા તાબડતોબ ઘટના સ્થળે દોડી આવેલ સંજેલી પોલીસે નવજાત બાળકીનો કબજાે લઈ પ્રાથમિક સારવાર કરાવવાની તજવીજ હાથ ધરી હતી. 
    વધુ વાંચો
  • ગુજરાત

    હું ગૃહમંત્રીનો પીએ છું, કાલે બદલી કરાવી દઈશ

    વડોદરા, તા. ૮ રાજયમાં છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની કચેરીના અધિકારી બાદ કેન્દ્રિય અને રાજયકક્ષાના મંત્રીઓના પીએ તરીકેની બોગસ ઓળખ આપવાનો સિલસિલો હવે વડોદરા સુધી આવી પહોંચ્યો છે. શહેરના છેવાડે ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર ગત મધરાતે રોડ પર ઉભા રહેલા યુવકોને ટ્રાફિક પોલીસે સાઈડમાં ઉભા રહેવાનું કહેતા જ નશામાં ધુત ત્રિપુટીએ અપશબ્દો બોલી પોલીસ પર હુમલો કર્યા બાદ એક યુવકે યુવકે ‘હું ગૃહમંત્રીનો પીએ છું, કાલે તમારી બદલી કરાવી દઈશ’ તેવી ધમકી આપી હતી. ધમકી બાદ કારમાં ફરાર થઈ રહેલા યુવકને ઝડપી પાડવા પોલીસે પીછો કરતા યુવકના અન્ય સાગરીતોએ પોલીસનો પીછો કર્યો હતો. બનાવની ગંભીરતા જાેતા આ અંગેની પોલીસે કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસની અન્ય ગાડીઓ હાઈવે પર દોડી આવી હતી જેના પગલે ત્રિપુટી ઝડપાઈ જતાં તેઓની ધરપકડ કરાઈ હતી. શહેર ટ્રાફિક શાખા પુર્વ ઝોનના હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર મથુરભાઈ ગત રાત્રે ટ્રાફિક બ્રિગેડના ડ્‌ાઈવર જ્યોતિષકુમાર પરમાર સાથે સ્પિડ ગન વન મોબાઈલમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તેઓ હાઈવે પર ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર આવેલા પારસ ઢાબા પાસેથી પસાર થતાં હતા તે સમયે તેઓએ રોડ પર ઉભા રહેલા બે યુવકોને સાઈડમાં ઉભા રહીને વાત કરવા જણાવ્યું હતું. પોલીસની વાત સાંભળીને બંને યુવકો એકદમ પોલીસની ગાડી પાસે ગયા હતા જે પૈકીના એક વરુણ નારાયણભાઈ પટેલ (દરજીપુરાગામ, વડોદરા)ને નવીનચંદ્ર ઓળખી ગયા હતા. બંને યુવકોએ દારૂનો નશો કરેલી હાલતમાં પોલીસની ગાડીનો દરવાજાે ખોલી તમે કેમ અહીંયા આવ્યા છો ? તેવું પુછ્યું હતું. નવીનચંદ્રએ યુવકોને દારૂનો નશો કર્યો હોવાનું કહેતા જ તેઓએ ઉશ્કેરાઈને તમે ટ્રાફિકવાળા છો તમારે કોઈ લેવાદેવા નથી તેમ કહીને ડ્રાઈવર સાથે ઝપાઝપી કરીને ડ્રાઈવરને રોડ પર પછાડીને ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં નવીનચંદ્રએ દરમિયાનગીરી કરતા તેમને પણ અપશબ્દો બોલીને બંને યુવકોએ છુટ્ટાહાથની મારામારી કરી હતી જે પૈકી વરુણ પટેલે ધમકી આપી હતી કે ‘હું ગૃહમંત્રીનો પી.એ.છું, હું કાલે તમારી બદલી કરાવી દઈશ, તમે અહીંયા કેવી નોકરી કરો છો’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી બદલ નવીનચંદ્રએ તેને પકડવાનો પ્રયાસ કરતાં તે નજીક ઉભેલી સફેદ રંગની કિયા કારમાં બેસીને ભાગ્યો હતો. નવીનચંદ્ર અને ડ્રાઈવરે વરુણનો પીછો કરતા જ વરુણના સાગરીતોએ થાર અને અન્ય એક સફેદ રંગની કારમાં પોલીસનો પીછો કર્યો હતો અને પોલીસની વાનની આગળ-પાછળ કાર હંકારી હતી. આ બનાવના પગલે નવીનચંદ્રએ સવા બે વાગે પોલીસ કન્ટ્રોલ રૂમમાં વાયરલેસ મેસેજથી જાણ કરી હતી. નવીનચંદ્ર હરણી પોલીસ મથકે આવતા વરુણના સાગરીતોએ પોલીસ મથક સુધી પીછો કર્યો હતો પરંતું ત્યાં હરણી પીઆઈની ગાડી અને પીસીઆર વાન આવી જતા પોલીસે કોર્ડન કરીને વરુણ પટેલ તેમજ તેના બે સાગરીતો આકાશ સુરેશભાઈ પટેલ (હરણીગામ, મોટુ ફળિયું) અને પિનાક વિનેશભાઈ પટેલ (હરણીગામ)ને નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ બનાવની નવીનચંદ્રની ફરિયાદના પગલે હરણી પોલીસે ઉક્ત ત્રિપુટીની હુમલો અને ધમકીના ગુનાની તેમજ દારૂબંધીના ગુનાની બે ફરિયાદો નોંધી હતી.ગૃહમંત્રીના પીએની બોગસ ઓળખ આપી છતાં તેનો ગુનો નહીં નોંધ્યો પોલીસ પર હુમલો કરનાર વરુણ પટેલે પોતે ગૃહમંત્રીનો પીએ હોવાની બોગસ ઓળખ આપી પોલીસની બદલી કરાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી. તાજેતરમાં રાજ્યમાં સરકારી અધિકારી કે કર્મચારીની બોગસ ઓળખ આપી ઠગાઈ કરતા ઝડપાયેલા ગઠિયાઓ વિરુદ્ધ પોલીસે બોગસ ઓળખ આપવા બદલનો અલાયદો ગુનો નોંધ્યો છે, પરંતુ ગત રાતના કિસ્સામાં પોલીસે વરુણ વિરુદ્ધ બોગસ ઓળખ આપવાનો ગુનો નહી નોંધતા પોલીસ કામગીરીએ વિવાદ ઉભો કર્યો છે. રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓના સાથે ખભે હાથ મુકેલા ફોટા વાયરલ થયાં ગત રાત્રે ટ્રાફિક પોલીસને જાહેરમાં અપશબ્દો બોલીને માર માર્યા બાદ પોલીસને બદલી કરાવી દેવાની ધમકી આપનાર વરુણ પટેલ અને આકાશ પટેલ તેમજ પોલીસનો પીછો કરનાર સાગરીતો પણ ભાજપા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પૈકીના વરુણ પટેલ અને આકાશ પટેલ સાથે તેઓના ખભે હાથ મૂકીને ફોટા પડાવ્યાં હતાં, જે ફોટા આ બંનેએ સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા, જે આજે બંનેની ધરપકડ થતાં વાયરલ થયા હતા. નશેબાજાે પોલીસ પર હુમલો કરતા છેક પોલીસ મથક સુધી પહોંચી ગયા! રાત્રે દારૂનો નશો કરીને મધરાતે વૈભવી કારોમાં ફરીને રોડ વચ્ચે ઉભા રહીને ટોળટપ્પા કરતા નબીરાઓની હિમ્મત એટલી હદે વધી ગઈ હતી કે તેઓએ પોલીસની ગાડીનો પીછો કરીને તેઓની આગળ પાછળ ગાડી હંકારીને પોલીસને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી ટ્રાફિક પોલીસની ગાડી હરણી પોલીસ મથકે પહોંચતા આ ટોળકી ઠેક પોલીસ મથક સુધી પહોંચી ગઈ હતી. નશેબાજ ત્રિપુટી અને તેઓના સાગરીતોને કોનું પીઠબળ છે કે તેઓને પોલીસનો કોઈ જ ડર નથી રહ્યો ?. જાે તે દિશામાં પોલીસ તપાસ થાય તો ઘણી વિગતો સપાટી પર આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સ્માર્ટ સિટીની વરવી વાસ્તવિકતા ઃ દાહોદના ભીલવાડામાં ચોમેર ખદબદતી ગંદકીના દૃશ્યો

    દાહોદ: દાહોદ શહેરના ગૌશાળા નજીકના ભીલવાડા વિસ્તારની આઝાદીના સાડા સાત દાયકા પછી પણ કાયાપલટ થઈ નથી. આઝાદીના સાડા સાત દાયકાના સમયગાળામાં દાહોદ નગરપાલિકામાં કેટલાય પ્રમુખો આવ્યા અને ગયા. કેટલાય સત્તાધીશો બદલાયા. પરંતુ કોઈ પણ સત્તાધીશે આ વિસ્તારની ગંદકી દૂર કરવાનો કદીયે પ્રયાસ ન કરતા આ વિસ્તારની ગંદકીથી ખદબદતી હાલત જાેવા મળી રહી છે. આ વિસ્તારના પ્રવેશ દ્વારમાં જ રામદ્વારા મંદિર તેમજ મધ્યમાં વિશ્વકર્મા મંદિર એમ બે ધાર્મિક સ્થાનો આવેલા છે. અને આ બંને ધાર્મિક સ્થાનો પર દર્શન માટે આવતા ભાવિક દર્શનાર્થીઓને આવા દુર્ગંધ મારતી ગંદકી વાળા નર્કાગાર સમા ભીલવાડા વિસ્તારમાં થઈને મજબૂરીવશ નાકે રૂમાલ દબાવી જવું પડે છે. આ વિસ્તારની ગંદકી દૂર કરવા માટે કેટલીયે વાર અખબારી અહેવાલના માધ્યમથી સતાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં પાલિકાના કોઈપણ સત્તાધીશે આ વિસ્તારની હાલત સુધારવાના પ્રયાસો સુદ્ધા કર્યા નથી. તે ખરેખર આ વિસ્તારમાં રહેતા લોકોનું કમનસીબ કહેવાય. આ વિસ્તારમાં ગંદા અને દુર્ગંધ મારતા ગટરના ઉભરાઈને રોડ પર રેલાતા પાણીને કારણે સ્માર્ટ સિટી દાહોદની વરવી વાસ્તવિકતાનો ચિતાર રજૂ કરતા ગંદકીના વરવા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. પરંતુ કોઈને કોઈ કારણસર ગંદકીથી ખદબદતા આ સ્લમ વિસ્તારમાં આ સફાઈ ઝુંબેશ વિસરાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આ વિસ્તારના રહીશોના વોટ મેળવી દાહોદ પાલિકામાં કાઉન્સિલર પદ ભોગવી રહેલા આ વિસ્તારના ચારે કાઉન્સિલરોને આ વિસ્તારની સફાઈ કરવાનું કેમ વિસરાયું? અને આ વિસ્તારની સફાઈ ક્યારે? તેવા વેધક પ્રશ્નો આ વિસ્તારના રહીશો આ વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલરોને પૂછી રહ્યા છે. ત્યારે આ વિસ્તારની સફાઈ ક્યારે હાથ ધરવામાં આવશે તે હવે જાેવું રહ્યું !
    વધુ વાંચો
  • ગુજરાત

    વાહનમાં લઈ જવાતો રૂપિયા ૮૬.૪૦ લાખની કિંમતનો દારૂ પકડાયો ઃ ગાડીના ચાલકની અટક

    દાહોદ ઃ દાહોદ અને ઝાલોદના રસ્તે વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડાય છે પરંતુ આ બંને પાડોશી રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોય આચાર સંહિતા અમલમાં હોવાથી બંને રાજ્યોની દાહોદ જિલ્લાને જાેડતી સરહદો સીલ કરી દેવામાં આવી છે અને દાહોદ જિલ્લાની પોલીસ પણ પોતાની સરહદે સાબદી બની છે. તેવા સમયે કતવારા પી.એસ.આઇ, એ.પી પરમારને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ તરફથી ટાટા મોટર્સ લિમિટેડ કંપનીની બાર છક્કા ગાડી દેશી દારૂનો જંગી જથ્થો લઈ કતવારા પર થઈ અમદાવાદ તરફ જનાર છે. બાતમીને આધારે ગતરોજ બપોરના સમય કતવારા પીએસઆઇ એપી પરમાર પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે લઈ ગુજરાતની સરહદે આવેલ ગંગેલા ચીફ પોસ્ટ પર યુહાત્મક વોચ ગોઠવી આત્મીમાં દર્શાવેલ બાર છક્કા ગાડી પકડી પાડી તેની તલાસી લઈ ગાડી માંથી લાકડાના મોટા બોક્સોમાં વ્યવસ્થિત રીતે ગોઠવીને મુકેલ રૂપિયા ૮૬.૪૦ લાખની કુલ કિંમતની ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ રોયલ બ્લ્યુ માલ્ટ વિસ્કીની કુલ પેટીઓ નંગ-૧૨૦૦ માં ભરેલ કુલ બોટલ નંગ-૫૭,૬૦૦ પાડી ગાડી ના ચાલક હરિયાણાના કલાપત ગામના સુરેન્દ્રસિંહ કર્મવીરસિંહ ચમર ની અટક કરી તેની પાસેથી રૂપિયા ૫,૦૦૦/-ની કિંમતનો મોબાઈલ ફોન તથા રૂપિયા ૩,૦૦૦/-ની કિંમતનું જીપીએસ પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૨૦ લાખની કિંમતની બાર છક્કા ગાડી મળી કુલ રૂપિયા ૧,૦૬,૪૮,૦૦૦/-નો મુદ્દા માલ કબજે લઈ ગાડીના ચાલક, ગાડીમાં દારૂનો જથ્થો ભરી આપનાર તથા દારૂનો જથ્થો મંગાવનાર અમદાવાદના બુટલેગર હિત કુલ પાંચ જણા વિરુદ્ધ કતવારા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    વધુ વાંચો