દાહોદ સમાચાર
-
મધ્ય ગુજરાતની આ શાળાના એક શિક્ષક કોરોના સંક્રમિત, વાલીઓમાં ચિંતા
- 08, માર્ચ 2021 03:49 PM
- 7173 comments
- 3486 Views
દાહોદ-સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી ગુજરાતમાં કોરોનાએ માથું ઉચક્યું છે. બીજી તરફ સ્કૂલો પણ ધીમે ધીમે શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે સ્કૂલોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. હવે દાહોદ જિલ્લાના લીમડીની સ્કુલમાં કોરોનાની એન્ટ્રી થતાં વાલીઓ ચિંતિત બન્યા છે. લીમડીની બી પી અગ્રવાલ હાઇસ્કૂલમાં શિક્ષકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જીલ્લાની વધુ એક શાળામાં કોરાનાની દસ્તક થઈ છે. શિક્ષકનો રિપોર્ટ પોઝીટીવ આવતા વિદ્યાર્થી-વાલીઓમાં ચિતા વધી છે. શાળાને ગ્રામ પંચાયત દ્વારા સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પહેલા દેવગઢ બારીયામાં બે શિક્ષકોને કોરોના થયો હતો.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ
- 08, માર્ચ 2021 03:06 PM
- 6075 comments
- 762 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ઉનાળાની એન્ટ્રીઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો
- 08, માર્ચ 2021 02:31 PM
- 3254 comments
- 7114 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.વધુ વાંચો -
દાહોદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં ૪૦ હજારથી વધુ નાગરિકોએ રસી મુકાવી
- 08, માર્ચ 2021 01:30 AM
- 1052 comments
- 166 Views
દાહોદ, દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. ત્રીજા તબક્કામાં સીનીયર સીટીઝન તેમજ ૫૦ વર્ષથી ઉપરના વિવિધ બીમારીઓથી પીડાતા દર્દીઓને કોરોના ની રસી અપાઇ રહી છે. ત્યારે કોરોના કાળમાં દાહોદ જિલ્લાએ એક વધુ કીર્તિમાન સ્થાપિત કર્યું છે. જેમાં ૪૦,૦૦૦ થી વધુ સામાન્ય નાગરિકોને રસીકરણ કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં દાહોદ જિલ્લો પ્રથમ હરોળમાં પહોંચી ચૂક્યો છે. તેમાં એક દિવસમાં ૧૦,૦૦૦ નાગરિકોને રસી આપવામાં આવી છે દાહોદ જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં ૨,૮૩૫ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે તેમાંથી ૨૭૨૧ દર્દી સ્વસ્થ થયા છે. જ્યારે ૯૩ દર્દીઓ કોરોના અને કોરોના સહિતની વિવિધ બીમારીઓના કારણે મોતને ભેટયા છે. હાલમાં એક્ટિવ કેસ (૧૫)પંદર જ છે. જિલ્લામાં છેલ્લા દોઢ માસથી રોજ રોજ એકાદ બે કેસ નોંધાઈ રહ્યા છે. તેથી કેટલાય દિવસો પછી ગતરોજ ૬ઠ્ઠી માર્ચે ત્રણ કેસો નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં રસીકરણની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દાહોદ જિલ્લામાં રસીકરણની કામગીરીનો આરંભ ૧૬મી જાન્યુઆરીથી કરવામાં આવ્યો હતો. જેમાં સૌપ્રથમ કોરોનાની રસી આરોગ્ય કર્મીઓની અપાઇ હતી. ત્યારબાદ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રના કર્મચારીઓ અધિકારીઓને અપાઇ હતી. તેમાંના ઘણા બધાએ રસીનો બીજાે ડોઝ લઈ લીધો છે કારણ કે ૨૮ દિવસમાં તે લઈ લેવાનું હોય છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ