દાહોદ સમાચાર

  • ગુજરાત

    હું ગૃહમંત્રીનો પીએ છું, કાલે બદલી કરાવી દઈશ

    વડોદરા, તા. ૮ રાજયમાં છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની કચેરીના અધિકારી બાદ કેન્દ્રિય અને રાજયકક્ષાના મંત્રીઓના પીએ તરીકેની બોગસ ઓળખ આપવાનો સિલસિલો હવે વડોદરા સુધી આવી પહોંચ્યો છે. શહેરના છેવાડે ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર ગત મધરાતે રોડ પર ઉભા રહેલા યુવકોને ટ્રાફિક પોલીસે સાઈડમાં ઉભા રહેવાનું કહેતા જ નશામાં ધુત ત્રિપુટીએ અપશબ્દો બોલી પોલીસ પર હુમલો કર્યા બાદ એક યુવકે યુવકે ‘હું ગૃહમંત્રીનો પીએ છું, કાલે તમારી બદલી કરાવી દઈશ’ તેવી ધમકી આપી હતી. ધમકી બાદ કારમાં ફરાર થઈ રહેલા યુવકને ઝડપી પાડવા પોલીસે પીછો કરતા યુવકના અન્ય સાગરીતોએ પોલીસનો પીછો કર્યો હતો. બનાવની ગંભીરતા જાેતા આ અંગેની પોલીસે કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસની અન્ય ગાડીઓ હાઈવે પર દોડી આવી હતી જેના પગલે ત્રિપુટી ઝડપાઈ જતાં તેઓની ધરપકડ કરાઈ હતી. શહેર ટ્રાફિક શાખા પુર્વ ઝોનના હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર મથુરભાઈ ગત રાત્રે ટ્રાફિક બ્રિગેડના ડ્‌ાઈવર જ્યોતિષકુમાર પરમાર સાથે સ્પિડ ગન વન મોબાઈલમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તેઓ હાઈવે પર ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર આવેલા પારસ ઢાબા પાસેથી પસાર થતાં હતા તે સમયે તેઓએ રોડ પર ઉભા રહેલા બે યુવકોને સાઈડમાં ઉભા રહીને વાત કરવા જણાવ્યું હતું. પોલીસની વાત સાંભળીને બંને યુવકો એકદમ પોલીસની ગાડી પાસે ગયા હતા જે પૈકીના એક વરુણ નારાયણભાઈ પટેલ (દરજીપુરાગામ, વડોદરા)ને નવીનચંદ્ર ઓળખી ગયા હતા. બંને યુવકોએ દારૂનો નશો કરેલી હાલતમાં પોલીસની ગાડીનો દરવાજાે ખોલી તમે કેમ અહીંયા આવ્યા છો ? તેવું પુછ્યું હતું. નવીનચંદ્રએ યુવકોને દારૂનો નશો કર્યો હોવાનું કહેતા જ તેઓએ ઉશ્કેરાઈને તમે ટ્રાફિકવાળા છો તમારે કોઈ લેવાદેવા નથી તેમ કહીને ડ્રાઈવર સાથે ઝપાઝપી કરીને ડ્રાઈવરને રોડ પર પછાડીને ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં નવીનચંદ્રએ દરમિયાનગીરી કરતા તેમને પણ અપશબ્દો બોલીને બંને યુવકોએ છુટ્ટાહાથની મારામારી કરી હતી જે પૈકી વરુણ પટેલે ધમકી આપી હતી કે ‘હું ગૃહમંત્રીનો પી.એ.છું, હું કાલે તમારી બદલી કરાવી દઈશ, તમે અહીંયા કેવી નોકરી કરો છો’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી બદલ નવીનચંદ્રએ તેને પકડવાનો પ્રયાસ કરતાં તે નજીક ઉભેલી સફેદ રંગની કિયા કારમાં બેસીને ભાગ્યો હતો. નવીનચંદ્ર અને ડ્રાઈવરે વરુણનો પીછો કરતા જ વરુણના સાગરીતોએ થાર અને અન્ય એક સફેદ રંગની કારમાં પોલીસનો પીછો કર્યો હતો અને પોલીસની વાનની આગળ-પાછળ કાર હંકારી હતી. આ બનાવના પગલે નવીનચંદ્રએ સવા બે વાગે પોલીસ કન્ટ્રોલ રૂમમાં વાયરલેસ મેસેજથી જાણ કરી હતી. નવીનચંદ્ર હરણી પોલીસ મથકે આવતા વરુણના સાગરીતોએ પોલીસ મથક સુધી પીછો કર્યો હતો પરંતું ત્યાં હરણી પીઆઈની ગાડી અને પીસીઆર વાન આવી જતા પોલીસે કોર્ડન કરીને વરુણ પટેલ તેમજ તેના બે સાગરીતો આકાશ સુરેશભાઈ પટેલ (હરણીગામ, મોટુ ફળિયું) અને પિનાક વિનેશભાઈ પટેલ (હરણીગામ)ને નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ બનાવની નવીનચંદ્રની ફરિયાદના પગલે હરણી પોલીસે ઉક્ત ત્રિપુટીની હુમલો અને ધમકીના ગુનાની તેમજ દારૂબંધીના ગુનાની બે ફરિયાદો નોંધી હતી.ગૃહમંત્રીના પીએની બોગસ ઓળખ આપી છતાં તેનો ગુનો નહીં નોંધ્યો પોલીસ પર હુમલો કરનાર વરુણ પટેલે પોતે ગૃહમંત્રીનો પીએ હોવાની બોગસ ઓળખ આપી પોલીસની બદલી કરાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી. તાજેતરમાં રાજ્યમાં સરકારી અધિકારી કે કર્મચારીની બોગસ ઓળખ આપી ઠગાઈ કરતા ઝડપાયેલા ગઠિયાઓ વિરુદ્ધ પોલીસે બોગસ ઓળખ આપવા બદલનો અલાયદો ગુનો નોંધ્યો છે, પરંતુ ગત રાતના કિસ્સામાં પોલીસે વરુણ વિરુદ્ધ બોગસ ઓળખ આપવાનો ગુનો નહી નોંધતા પોલીસ કામગીરીએ વિવાદ ઉભો કર્યો છે. રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓના સાથે ખભે હાથ મુકેલા ફોટા વાયરલ થયાં ગત રાત્રે ટ્રાફિક પોલીસને જાહેરમાં અપશબ્દો બોલીને માર માર્યા બાદ પોલીસને બદલી કરાવી દેવાની ધમકી આપનાર વરુણ પટેલ અને આકાશ પટેલ તેમજ પોલીસનો પીછો કરનાર સાગરીતો પણ ભાજપા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પૈકીના વરુણ પટેલ અને આકાશ પટેલ સાથે તેઓના ખભે હાથ મૂકીને ફોટા પડાવ્યાં હતાં, જે ફોટા આ બંનેએ સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા, જે આજે બંનેની ધરપકડ થતાં વાયરલ થયા હતા. નશેબાજાે પોલીસ પર હુમલો કરતા છેક પોલીસ મથક સુધી પહોંચી ગયા! રાત્રે દારૂનો નશો કરીને મધરાતે વૈભવી કારોમાં ફરીને રોડ વચ્ચે ઉભા રહીને ટોળટપ્પા કરતા નબીરાઓની હિમ્મત એટલી હદે વધી ગઈ હતી કે તેઓએ પોલીસની ગાડીનો પીછો કરીને તેઓની આગળ પાછળ ગાડી હંકારીને પોલીસને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી ટ્રાફિક પોલીસની ગાડી હરણી પોલીસ મથકે પહોંચતા આ ટોળકી ઠેક પોલીસ મથક સુધી પહોંચી ગઈ હતી. નશેબાજ ત્રિપુટી અને તેઓના સાગરીતોને કોનું પીઠબળ છે કે તેઓને પોલીસનો કોઈ જ ડર નથી રહ્યો ?. જાે તે દિશામાં પોલીસ તપાસ થાય તો ઘણી વિગતો સપાટી પર આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સ્માર્ટ સિટીની વરવી વાસ્તવિકતા ઃ દાહોદના ભીલવાડામાં ચોમેર ખદબદતી ગંદકીના દૃશ્યો

    દાહોદ: દાહોદ શહેરના ગૌશાળા નજીકના ભીલવાડા વિસ્તારની આઝાદીના સાડા સાત દાયકા પછી પણ કાયાપલટ થઈ નથી. આઝાદીના સાડા સાત દાયકાના સમયગાળામાં દાહોદ નગરપાલિકામાં કેટલાય પ્રમુખો આવ્યા અને ગયા. કેટલાય સત્તાધીશો બદલાયા. પરંતુ કોઈ પણ સત્તાધીશે આ વિસ્તારની ગંદકી દૂર કરવાનો કદીયે પ્રયાસ ન કરતા આ વિસ્તારની ગંદકીથી ખદબદતી હાલત જાેવા મળી રહી છે. આ વિસ્તારના પ્રવેશ દ્વારમાં જ રામદ્વારા મંદિર તેમજ મધ્યમાં વિશ્વકર્મા મંદિર એમ બે ધાર્મિક સ્થાનો આવેલા છે. અને આ બંને ધાર્મિક સ્થાનો પર દર્શન માટે આવતા ભાવિક દર્શનાર્થીઓને આવા દુર્ગંધ મારતી ગંદકી વાળા નર્કાગાર સમા ભીલવાડા વિસ્તારમાં થઈને મજબૂરીવશ નાકે રૂમાલ દબાવી જવું પડે છે. આ વિસ્તારની ગંદકી દૂર કરવા માટે કેટલીયે વાર અખબારી અહેવાલના માધ્યમથી સતાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં પાલિકાના કોઈપણ સત્તાધીશે આ વિસ્તારની હાલત સુધારવાના પ્રયાસો સુદ્ધા કર્યા નથી. તે ખરેખર આ વિસ્તારમાં રહેતા લોકોનું કમનસીબ કહેવાય. આ વિસ્તારમાં ગંદા અને દુર્ગંધ મારતા ગટરના ઉભરાઈને રોડ પર રેલાતા પાણીને કારણે સ્માર્ટ સિટી દાહોદની વરવી વાસ્તવિકતાનો ચિતાર રજૂ કરતા ગંદકીના વરવા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. પરંતુ કોઈને કોઈ કારણસર ગંદકીથી ખદબદતા આ સ્લમ વિસ્તારમાં આ સફાઈ ઝુંબેશ વિસરાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આ વિસ્તારના રહીશોના વોટ મેળવી દાહોદ પાલિકામાં કાઉન્સિલર પદ ભોગવી રહેલા આ વિસ્તારના ચારે કાઉન્સિલરોને આ વિસ્તારની સફાઈ કરવાનું કેમ વિસરાયું? અને આ વિસ્તારની સફાઈ ક્યારે? તેવા વેધક પ્રશ્નો આ વિસ્તારના રહીશો આ વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલરોને પૂછી રહ્યા છે. ત્યારે આ વિસ્તારની સફાઈ ક્યારે હાથ ધરવામાં આવશે તે હવે જાેવું રહ્યું !
    વધુ વાંચો
  • ગુજરાત

    વાહનમાં લઈ જવાતો રૂપિયા ૮૬.૪૦ લાખની કિંમતનો દારૂ પકડાયો ઃ ગાડીના ચાલકની અટક

    દાહોદ ઃ દાહોદ અને ઝાલોદના રસ્તે વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડાય છે પરંતુ આ બંને પાડોશી રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોય આચાર સંહિતા અમલમાં હોવાથી બંને રાજ્યોની દાહોદ જિલ્લાને જાેડતી સરહદો સીલ કરી દેવામાં આવી છે અને દાહોદ જિલ્લાની પોલીસ પણ પોતાની સરહદે સાબદી બની છે. તેવા સમયે કતવારા પી.એસ.આઇ, એ.પી પરમારને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ તરફથી ટાટા મોટર્સ લિમિટેડ કંપનીની બાર છક્કા ગાડી દેશી દારૂનો જંગી જથ્થો લઈ કતવારા પર થઈ અમદાવાદ તરફ જનાર છે. બાતમીને આધારે ગતરોજ બપોરના સમય કતવારા પીએસઆઇ એપી પરમાર પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે લઈ ગુજરાતની સરહદે આવેલ ગંગેલા ચીફ પોસ્ટ પર યુહાત્મક વોચ ગોઠવી આત્મીમાં દર્શાવેલ બાર છક્કા ગાડી પકડી પાડી તેની તલાસી લઈ ગાડી માંથી લાકડાના મોટા બોક્સોમાં વ્યવસ્થિત રીતે ગોઠવીને મુકેલ રૂપિયા ૮૬.૪૦ લાખની કુલ કિંમતની ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ રોયલ બ્લ્યુ માલ્ટ વિસ્કીની કુલ પેટીઓ નંગ-૧૨૦૦ માં ભરેલ કુલ બોટલ નંગ-૫૭,૬૦૦ પાડી ગાડી ના ચાલક હરિયાણાના કલાપત ગામના સુરેન્દ્રસિંહ કર્મવીરસિંહ ચમર ની અટક કરી તેની પાસેથી રૂપિયા ૫,૦૦૦/-ની કિંમતનો મોબાઈલ ફોન તથા રૂપિયા ૩,૦૦૦/-ની કિંમતનું જીપીએસ પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૨૦ લાખની કિંમતની બાર છક્કા ગાડી મળી કુલ રૂપિયા ૧,૦૬,૪૮,૦૦૦/-નો મુદ્દા માલ કબજે લઈ ગાડીના ચાલક, ગાડીમાં દારૂનો જથ્થો ભરી આપનાર તથા દારૂનો જથ્થો મંગાવનાર અમદાવાદના બુટલેગર હિત કુલ પાંચ જણા વિરુદ્ધ કતવારા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    માંડલીમા જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો ૫૨,૩૫૦ ના મુદ્દા માલ સાથે ૮ શખ્સ ઝડપાયા

    દાહોદ ઃ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના આઠ નબીરાઓ રંગે હાથ ઝડપાયા સંજેલી તાલુકાના માંડલી ખાતે આવેલા તબેલા પર પોતાનો લાભ ખાટવા માટે બહારથી પતા પ્રેમીઓને બોલાવી જુગાર રમાડતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી અને ૫૨,૩૫૦ ના મુદ્દા માલ સાથે આઠ પત્તા પ્રેમીઓને ઝડપી પાડી ફરાર તબેલા સંચાલક સહિત ૯ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવતા મોટા નબીરાઓ ઝડપાયા ચર્ચાનો વિષય બન્યો હતો.સંજેલી તાલુકાના માંડલી ખાતે આવેલા અલ્કેશભાઇ ધુળાભાઈ બામણીયાના તબેલા ઉપર પોતાનો લાભ ખાવા માટે બહારથી પત્તા પ્રેમીઓને બોલાવી પોતાનો લાભ ખાટવા માટે જુગાર રમાડતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેડ પાડતા જુગારીઓમાં નાશ ભાગ મચી જવા પામી હતી. પોલીસે કોર્ડન કરી અને વૈભવ કુમાર સુરેશભાઈ જૈન ,મજીદ સતાર શેખ, રિઝવાન રજાક તુરા, બનટુ લક્ષ્મણ હરીજન, રમણ ધના ચારેલ, દલપતસિંહ બળવંતસિંહ ખાટ, વિકાસ નરેન્દ્ર જૈન, કાદર મોહમ્મદ શેખ,આઠ પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા હતા પાડ્યા હતા દાવપર થી તેમજ અંગ જડતી કરતા ૪૮,૮૫૦ ની રોકડ રકમ તેમજ ૩૫૦૦ ના ત્રણ મોબાઇલ મળી કુલ ૫૨,૩૫૦ મુદ્દા માલ સાથે આઠ નબીરાઓને ઝડપી પાડ્યા હતા
    વધુ વાંચો
  • ગુજરાત

    આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર રૂપિયા ૫૦ હજારની લાંચ લેતા દાહોદ એસીબીના હાથે રંગે હાથ પકડાયો

    દાહોદ : ઝાલોદ તાલુકાના એક જાગૃત નાગરિકે સરકારની મનરેગા યોજના અંતર્ગત કરેલ કોઝવે (પાણીના નાળા) બનાવવાની કામગીરી અંગેના તેઓના પોતાના રૂપિયા ૪૨,૯૩,૪૪૧/-ની કુલ કિંમતના ચાર બિલો મંજૂર થવા સારું ઝાલોદ તાલુકા પંચાયત કચેરીના મનરેગા વિભાગના કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મોહનસિંહ ગોપાલસિંહ કટારાને કાયદેસરની પ્રક્રિયા અનુસરી આપ્યા હતા. જે બીલો મંજૂર કરી આપવા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મોહનસિંહ કટારાએ બિલોની કુલ રકમની ૧૦% રકમની જાગૃત નાગરિક પાસે માંગણી કરી હતી. પરંતુ તે જાગૃત નાગરિક પાસે પુરા પૈસાની સગવડ ન હોવાથી તેને આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મોહનભાઈ કટારાને રૂપિયા ૫૦ હજાર આપવા જણાવી બાકીના પૈસા પછી કરી આપવા જણાવ્યું હતું. પરંતુ તે જાગૃત નાગરિક લાંચની રકમ રૂપિયા ૫૦ હજાર આપવા માંગતા ન હોવાથી તેને આ સંબંધે દાહોદ એસીબી કચેરીએ આવી આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેથી ગતરોજ તારીખ ૩૦-૧૦-૨૦૨૩ ને સોમવારના રોજ નક્કી કર્યા મુજબ ઝાલોદ બાયપાસ રોડ ઠૂઠી કંકાસિયા ચોકડી પર દાહોદ એસીબી પીઆઇ કે.વી ડીંડોરે ગોધરા પંચમહાલ એકમ એસીબીના મદદનીશ નિયામક બી એમ પટેલના સુપરવિઝન હેઠળ લાંચના છટકાનું આયોજન ગોઠવ્યું હતું અને પંચની હાજરીમાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મોહનસિંહ ગોપાલસિંહ કટારાએ જાગૃત નાગરિક પાસેથી હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૫૦ હજારની લાંચની માગણી કરી લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ જતા જિલ્લામાં લાંચિયા અધિકારીઓ તથા લાંચિયા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    દાહોદની લક્ષ્મીપાર્ક સોસાયટીના રહીશો પાણી, રસ્તા, તેમજ સફાઈ જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત

    દાહોદ : દાહોદ નગરપાલિકાની હદ પર આવેલ લક્ષ્મી પાર્ક સોસાયટીમાં આશરે ૩૦૦ જેટલા ઘરો આવેલા છે. અને ૧૫,૦૦૦ ઉપરાંત ની વસ્તી ધરાવતો આ વિસ્તાર છે. પરંતુ છેલ્લા ૧૫ વર્ષથી આ સોસાયટીના રહીશો પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઈટ તેમજ સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. નળ સે જળ યોજનાના નળ તો નખાયા કનેક્શન પણ અપાયા અને ટ્રાયલ .માટે એક વખત પાણી પણ આપ્યું હતું ત્યારબાદ તે વાતને દોઢ વર્ષ થયું પરંતુ આજદિન સુધી નળમાં પાણી નથી આવ્યું. આ સોસાયટીમાં મોટેભાગે શ્રમજીવી વર્ગ વસવાટ કરતો હોય તેઓને ટેન્કરનું પાણી પોસાય તેમ નથી. થોડા સમય અગાઉ આ સોસાયટીમાં કડાણાથી આવતા પાણી માટેના નળ કનેક્શન આપવામાં આવ્યા હતા. પરંતુ ચાર દિવસ પહેલા જ નગરપાલિકા દ્વારા તે કનેક્શનો કાપી નાખવામાં આવતા લક્ષ્મી પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. સમસ્યા બાબતે ગ્રામ પંચાયત, કલેકટર કચેરી, પોલીસમાં તેમજ અન્ય લાગતી વળગતી જગ્યાએ રજૂઆત કરી હતી પરંતુ તેઓને આ મામલે હજી સુધી માત્ર ખોટા દિલાસા જ આપવામાં આવ્યા છે. અને તે સમસ્યાનું નિરાકરણ આજદિન સુધી કરવામાં આવ્યું નથી . અહીં મુખ્ય વાત એ આવે છે કે આ સોસાયટી દાહોદ નગરપાલિકાની હદને અડીને આવેલી છે. અને ત્યાંથી ગલાલીયાવાડ ગ્રામ પંચાયતની હદ શરૂ થાય છે. અને આ સોસાયટીમાં રહેતા મોટા ભાગના લોકો બહારગામથી અહીં નોકરી માટે રહે છે. એટલે જ એમનું ચૂંટણી કાર્ડ પોતાના વતનનું છે એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ સોસાયટીનું મતદાન ખૂબ જ ઓછું થવાના કારણે આ સોસાયટીના કામ માટે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. અને ઘર ઘર પાણીનો સરકારનો દાવો અહીં પોકળ સાબિત થતો જાેવા મળી રહ્યો છે. નલસે જલ યોજના અંતર્ગત લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નળની લાઈનો તો નાખવામાં આવી છે‌. નળની ચકલીઓ પણ બેસાડવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી નળની ચકલીઓમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. ગત રાતે આ સોસાયટીના રહીશોએ ભેગા થઈ એક મીટીંગ રાખી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારોની પડતર માગણીઓ નહીં સંતોષાતા અચોક્કસ મુદતની હડતાલ

    દાહોદ : દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારો પંદર જેટલી પડતર માંગણીઓના નિકાલ માટે અવાર નવાર દાહોદ નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર સમક્ષ મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હોવા છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા આ મામલે કોઈ સમાધાનકારી વલણ દાખવવામાં ન આવતા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. અને આ સંદર્ભે ગત તારીખ ૧૧-૯-૨૦૨૩ ના રોજ ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક ચર્ચા કરતા તેઓએ હાલ વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. મુફદ્દલ સૈયદના સાહેબ આવેલ હોવાથી હાલ પૂરતી હડતાલ મોકૂફ રાખવા જણાવ્યું હતું. એ વાતને પણ એક માસ કરતા વધુ સમય વીતી ગયા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નક્કર કામગીરી કરવાને માત્રને માત્ર ઠાલા વચનો આપવામાં આવ્યા હતા. અને તારીખ ૧૩-૧૦-૨૦૨૩ ના રોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તથા અખિલ ભારતીય સફાઈ કામદાર મજદૂર સંઘના હોદ્દેદારો વચ્ચે આ મામલે મિટિંગ પણ યોજાઇ હતી. તેમ છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા પડતર માગણીઓના નિકાલને મામલે યોગ્ય પ્રત્યુતર આપવામાં ન આવતા ઔદ્યોગિક વિવાદ અધિનિયમ ૧૯૪૭ ની કલમ -૨૨ હેઠળ દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામી ગતરોજ તારીખ ૩૦-૧૦-૨૦૨૩ને સોમવારના રોજ બપોરથી જ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા આજે સવારે શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ જાેવા મળ્યા હતા. એક તરફ સ્વચ્છતા હી સેવાના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં શરૂ થયેલા સઘન સફાઈ અભિયાનના પગલે દાહોદમાં પણ સ્વચ્છતા હી સેવાની નેમ સાથે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. તેવા સમયે જ પોતાની પડતર માગણીઓના નિકાલના મામલે દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જેના કારણે શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ જાેવા મળી રહ્યા છે. ત્યારે શહેરમાં સ્વચ્છતા હી સેવા સૂત્રને અપનાવીને દાહોદમાં ગોકળ ગાય ગતિએ ચાલી રહેલ સફાઈ અભિયાનને વેગીલું બનાવવું જરૂરી થઈ પડ્યું છે.દાહોદ : દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારો પંદર જેટલી પડતર માંગણીઓના નિકાલ માટે અવાર નવાર દાહોદ નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર સમક્ષ મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હોવા છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા આ મામલે કોઈ સમાધાનકારી વલણ દાખવવામાં ન આવતા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. અને આ સંદર્ભે ગત તારીખ ૧૧-૯-૨૦૨૩ ના રોજ ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક ચર્ચા કરતા તેઓએ હાલ વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. મુફદ્દલ સૈયદના સાહેબ આવેલ હોવાથી હાલ પૂરતી હડતાલ મોકૂફ રાખવા જણાવ્યું હતું. એ વાતને પણ એક માસ કરતા વધુ સમય વીતી ગયા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નક્કર કામગીરી કરવાને માત્રને માત્ર ઠાલા વચનો આપવામાં આવ્યા હતા. અને તારીખ ૧૩-૧૦-૨૦૨૩ ના રોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તથા અખિલ ભારતીય સફાઈ કામદાર મજદૂર સંઘના હોદ્દેદારો વચ્ચે આ મામલે મિટિંગ પણ યોજાઇ હતી. તેમ છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા પડતર માગણીઓના નિકાલને મામલે યોગ્ય પ્રત્યુતર આપવામાં ન આવતા ઔદ્યોગિક વિવાદ અધિનિયમ ૧૯૪૭ ની કલમ -૨૨ હેઠળ દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામી ગતરોજ તારીખ ૩૦-૧૦-૨૦૨૩ને સોમવારના રોજ બપોરથી જ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા આજે સવારે શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ જાેવા મળ્યા હતા. એક તરફ સ્વચ્છતા હી સેવાના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં શરૂ થયેલા સઘન સફાઈ અભિયાનના પગલે દાહોદમાં પણ સ્વચ્છતા હી સેવાની નેમ સાથે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. તેવા સમયે જ પોતાની પડતર માગણીઓના નિકાલના મામલે દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જેના કારણે શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ જાેવા મળી રહ્યા છે. ત્યારે શહેરમાં સ્વચ્છતા હી સેવા સૂત્રને અપનાવીને દાહોદમાં ગોકળ ગાય ગતિએ ચાલી રહેલ સફાઈ અભિયાનને વેગીલું બનાવવું જરૂરી થઈ પડ્યું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ૩૪.૧૪ લાખ ઉપરાંતની કિંમતના લીલા ગાંજાના ૧૨૦૯ છોડ સાથેે ખેતર માલિકની ધરપકડ કરાઈ

    દેવગઢ બારિયા : દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોઢવા ગામે કપાસ તથા તુવેરના વાવેતરની આડમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલા ખેતરોમાં ધાનપુર પોલીસે એસ.ઓ.જી પોલીસને સાથે રાખી ઓચિંતો છાપો મારી રૂપિયા ૩૪.૧૪ લાખ ઉપરાન્તની કિંમતના ૩૪૧.૪૩૦ કિલોગ્રામ કુલ વજનના ગાંજાના છોડ નંગ-૧૨૦૯ સાથે ખેતર માલિકની ધરપકડ કર્યાનું જાણવા મળ્યું છે. ધાનપુર પી.એસ.આઇ આર. જી. ચુડાસમાએ પોતાના સ્ટાફના માણસોને સાથે રાખી ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પીએસઆઈઆરજી ચુડાસમાને બાતમી મળી હતી કે, મોઢવા ગામે પટેલ ફળિયામાં રહેતા ચંદ્રસિંહ રામસિંહ બારીયાએ તેની માલિકીના તથા કબજા ભોગવટાના ખેતરોમાં કપાસ તથા તુવેરના વાવેતરની આડમાં માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જે બાતમીના આધારે પી.એસ.આઇ આરજી ચુડાસમાએ પોતાના ઉપરી અધિકારીની સુચના મુજબ ગેઝેટેડ અધિકારી એસ ઓ જી પી આઈ એમએસ ગામેતીને સાથે રાખી પોતાની ટીમને સાથે લઈ મોઢવા ગામે પટેલ ફળિયામાં બાતમીમાં દર્શાવેલ ચંદ્રસિંહ રામસિંહ બારીયાની માલિકીના તથા કબજા ભોગવટાના કપાસ તથા તુવેરના વાવેતરવાળા ખેતરોમાં ઓચિંતો છાપો મારી ખેતરો માંથી રૂપિયા ૩૪,૧૪,૩૦૦/-ની કુલ કિંમતના ૩૪૧.૪૩૦ કિલોગ્રામ કુલ વજનના લીલા ગાંજાના છોડ નંગ-૧૨૦૯ પકડી પાડી એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી ખેતરમાંથી મળી આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થના છોડનું પરીક્ષણ કરાવતાં તમામ છોડ લીલા ગાંજાના છોડ હોવાનું જણાવતા પોલીસે ૫૫ વર્ષીય ખેતર માલિક ચંદ્રસિંહ રામસિંહ બારીયાની ધરપકડ કરી કચેરીએ લાવી ગાંજાના છોડનું કેટલા સમયથી વાવેતર કરો છો ? તમામ બાબતની સઘન પૂછપરછ હાથ ધરી તેના વિરુદ્ધ ધાનપુર પોલીસે નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    હાય રે મજબૂરી! પુુત્ર મોતને હાથતાળી ના આપે તે માટે ખુદ માતા-પિતાએ તેનાં હાથ બાંધી દીધાં!

    વડોદરામાં વધુ એક મંગળવારની સવાર ગોઝારી સાબિત થઈ શહેરના કારેલીબાગ વિસ્તારના આનંદનગરમાં ભાડાના મકાનમાં ઉપરના માળે પોતાની બે પુત્રીઓ સાથે રહેતી ૪૨ વર્ષીય ડિવોર્સી દક્ષા ચૈાહાણે પણ આર્થિક ભીંસના કારણે રાત્રિના સમયે તેની બંને પુત્રીઓ ૧૯ વર્ષીય હની અને ૧૪ વર્ષીય શાલીનીને જમવામાં ઝેર આપ્યા બાદ બંને પુત્રીઓના ગળે ટુંપો આપીને હત્યા કરી હતી અને ત્યારબાદ ગત ૧૧મી જુલાઈના મંગળવારની સવારે તેણે પણ મકાનમાં ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાેકે આ સમયે તેના મકાનમાં સરનામુ પુછવા માટે આવેલી અજાણી વ્યકિતએ બુમરાણ મચાવતા મકાનમાલિક અને તેમના પરિવારજનોએ દક્ષાને ફાંસો ખાતા અટકાવતા તેનો બચાવ થયો હતો. આ ઘટના મંગળવારે સવારે બન્યા બાદ આજે પંચાલ પરિવારે પણ મંગળવારના સવારે જ સામુહિક આપઘાત કરતા શહેરમાં એક જ માસમાં મંગળવારની સવાર વધુ એક વાર ગોઝારી સાબિત થઈ છે. દર્દ સહન થતું નોહતું છતાં મુકેશભાઈએ જાતે ગળા પર બ્લેડના ચીરા માર્યા મુકેશભાઈને તેમના પુત્રનું ફાંસો ખાવાના કારણે અને પત્નીએ વિષપાન કરવાના કારણે મોત થયાની જાણ થતાં તેમણે પણ આપઘાત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. એક હુંકમાં પુત્રનો મૃતદેહ લટકેલો હોઈ અને ઘરમાં લાવેલી ઝેરની બંને બોટલો પત્નીએ ખાલી કરી નાખી હોઈ મુકેશભાઈને આપઘાત માટે અત્યંત પિડાદાયક માર્ગ પસંદ કરવાની ફરજ પડી હતી. મુકેશભાઈએ રસોડામાંથી ચાકુ લાવી ગળા પર જાતે ઘા કર્યા બાદ દાઢી કરવાની બ્લેડથી ગળા પર ચીરા મારવાની શરૂઆત કરી હતી. ગળા પર બ્લેડના ચીરા મારતી વખતે પિડા સહન નહી થતાં તેમણે બચાવ માટે બુમો પાડી હતી. જાેકે પત્ની અને પુત્રના મૃતદેહો નજર સામે હોઈ પિડા સહન નહી થવા છતાં તેમણે વધુ ઝનુનપુર્વક જાતે ગળા પર ચીરા માર્યા હતા અને ગળાની ઠેક અંદર સુધી તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ટુંકી સારવાર બાદ તેમનું પણ મોત નિપજ્યું હતું. નયનાબેને એક્સેસ પોઈઝન ડ્રિન્કિંગ કર્યાનો રિપોર્ટ નયનાબેન પંચાલનું ઝેરી દવા પીવાના કારણે મોત નિપજ્યું હોઈ તેમણે જાતે દવા પીધી છે કે પછી તેમને પતિ કે પુત્રએ બળજબરીથી ઝેરી દવા પીવડાવી છે તેની ખરાઈ માટે નયનાબેનનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં નયનાબેનના શરીરમાંથી વધુ પડતા ઝેરનો જથ્થો મળ્યો હતો. આ અંગે પીઆઈ તિવારીએ જણાવ્યું હતું કે નયનાબેનના શરીરમાંથી જેટલુ ઝેર મળ્યું છે તે કોઈ પણ વ્યક્તિને બળજબરીથી પીવડાવવાનું અશક્ય છે. નયનાબેનના શરીરમાંથી એક્સેસ પોઈઝન મળતા તેમણે પોતે કોઈ પણ રીતે બચી ના શકે તેવું નક્કી કરીને જ વધુ પડતુ ઝેર પીધું હતું. તેમનું આશરે ચારેક વાગે મોત થયાનું અનુમાન હોઈ તેમણે ગત રાત્રે જ ઝેર પીધું હોવાની શંકા છે. પરિવારને આજે ભાડાનું મકાન ખાલી કરવાની તાકીદ કરાયેલી મુકેશભાઈ જે મકાનમાં ભાડેથી રહે છે તે મકાન હાલમાં વિવેક સિંહ નામના યુવકે જુના માલિક પાસેથી ખરીદયુ છે. વિવેક સિંહે મુકેશભાઈને જાણ કરી હતી કે તેણે આ મકાન ખરીદયુ છે એટલે તે એક માસમાં આ મકાન ખાલી કરી દે. એક માસની મુદત આજે પૂરી થતાં મુકેશભાઈને આજે મકાન ખાલી કરવાનું હતું અને મુકેશભાઈ દાંડિયાબજાર વિસ્તારમાં જ ભાડાનું એક મકાન નક્કી પણ કરી આવ્યા હતા. જાેકે મકાન ખાલી કરવાના દિવસે મુકેશભાઈએ પરિવાર સાથે સામુહિક આપઘાત કરતા પોલીસે નવા મકાનમાલિકની પણ પૂછપરછ કરી હતી. યુવાન પુત્ર બેકાર હોઈ મુકેશભાઈ વારંવાર ઓવરટાઈમ કરતા હતા મુકેશભાઈ ખાનગી સિક્યુરીટી કંપનીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને તેમને દર મહિને માત્ર ૭૫૦૦ રૂપિયાનો પગાર મળતો હતો. હાલની કારમી મોંઘવારીમાં ભાડાના મકાનમાં રહીને પોતાનું તેમજ પત્ની અને યુવાન પુત્રનું ગુજરાન ચલાવવાનું અઘરુ હોઈ મુકેશભાઈ વારંવાર ઓવરટાઈમ કરતા હતા જેની તેમણે પોતાની એક ડાયરીમાં પણ નોંધ કરી હતી. આ ઉપરાંત તેમણે ખર્ચાઓને પહોંચી વળવા માટે કંપનીમાંથી ઉપાડ પણ લીધો હોઈ તેની પણ નોંધ ડાયરીમાંથી મળી આવી છે. કરુણાંતિકાની પરાકાષ્ઠા! પુુત્ર ફાંસો ખાધા બાદ શ્વાસ રૂંધાઈ ને બચાવનો પ્રયાસ ન કરી શકે એ માટે માતા-પિતાએ તેનાં હાથ બાંધ્યા! આજે સવારે પંચાલ પરિવારના મકાનમાં માતા અને પુત્રના મૃતદેહો અલગ અલગ રૂમમાં મળ્યા હતા જેમાં યુવાન પુત્ર મિત્તુલે બનિયન પહેરેલી હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મિત્તુલની લાશના બંને પગ જમીનને અડેલા હતાં જયારે તેના બંને હાથ ભૂરાં રંગના દુપટ્ટાથી ડબલગાંઠ મારીને બાંધેલી હાલતમાં જાેવા મળતા મિત્તુલે આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા કરીને લટકાવી દેવાયો છે તે અંગે પણ શંકાઓ ઉભી થઈ હતી. પ્રારંભીક તપાસમાં પરિવારના ત્રણેય સભ્યોએ જાતે જ આપઘાત કર્યો હોવાની વિગતો સપાટી પર આવતા આ બનાવમાં કરૂણતાની પરાકાષ્ઠાએ સૌને હચમચાવી મૂક્યા હતા. મિત્તુલ ફાંસો ખાઈને આપઘાત કરવાનું નક્કી કરતા ફાંસો ખાધા બાદ શ્વાસ રૂંધાતા જ તે બચાવ માટે જાતે પ્રયાસ કરશે અને મોતને કદાચ હાથતાળી આપશે તેવી ખાતરી હોઈ ખુદ માતા-પિતાએ જ યુવાન પુત્રના બંને હાથ દુપટ્ટાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ પુત્રએ ફાંસો ખાધો હતો. મરી જ જવાનો નિર્ધાર કરી પરિવાર કાયમ માટે પોઢી ગયું કાછિયાપોળમાં પંચાલ પરિવારના સામુહિક આપઘાત પ્રકરણની પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે કે પરિવાર આર્થિક ભીંસથી એટલી હદે કંટાળ્યું હતું કે તેઓએ ગમે તે ભોગે એક સાથે જ જીવનનો અંત લાવવાનું સામુહિક નિર્ણય લીધો હતો. ત્રણેય જણાએ એક જ પધ્ધતીથી આપઘાત કરશે તો કદાચ કોઈનો બચાવ થઈ જશે તેવુ લાગતા પુત્રએ બંને હાથ બાંધીને ફાંસો ખાઘો હતો જયારે માતાએ અત્યંત તીવ્ર જંતુનાશક ઝેરી દવા પીધી હતી. અંતે પિતાએ જાતે ગળા પર બ્લેડના ચીરા માર્યા અને પરિવાર કાયમ માટે પોઢી ગયું હતું. પુત્ર મિત્તુલને શેરબજારમાં દેવું થતાં પરિવાર ભીંસમાં મૂકાયું મુકેશભાઈનો યુવાન પુત્ર મિત્તુલ હાલમાં કોઈ કામધંધો કરતો ન હોઈ મુકેશભાઈને બેકાર પુત્રનું પણ ભરણપોષણ કરવાની ફરજ પડી હતી. મળતી વિગતો મુજબ મિત્તુલને તેના આડોશપાડોશમાં કોઈની સાથે મિત્રતા નહોંતી અને અગાઉ તે શેરબજારનું કામ કરતો હતો તેમાં તેને ખોટ ગઈ હતી. પુત્રએ દેવાળું ફુંકતા મધ્યમવર્ગીય પરિવાર આર્થિક ભીંસમાં મુકાયું હતું અને પુત્રની નિષ્ફળતાના કારણે સમગ્ર પરિવારનો ભોગ લેવાયો હોવાનું પણ મનાઈ રહ્યું છે. પરિવારને સંબંધી કે પડોશીઓ સાથે કોઈ સંપર્ક ન હતો! મુકેશભાઈ પંચાલે પુત્ર અને પત્ની સાથે આપઘાત કર્યાની જાણ થતાં જ મુકેશભાઈના બે સગા ભાઈઓ જે વડોદરામાં રહે છે તે પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે આ બંને ભાઈઓની તેમજ મુકેશભાઈના પાડોશીઓની પુછપરછ કરી હતી જેમાં એવી વિગતો મળી હતી કે મુકેશભાઈ અને તેમના પરિવારને છેલ્લા દસેક વર્ષથી ભાઈઓ કે અત્રે રહેતા સંબંધીઓ સાથે સંપર્ક નહોંતો અને માત્ર મરણપ્રસંગોમ ક્યારેક ભેગા થતા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    દાંડિયાબજાર કાછિયાપોળમાં મોડી રાત્રે સર્જાઈ હૃદયદ્રાવક કરુણાંતિકા : માતા-પિતા અને પુત્રનો સામુહિક આપઘાત

    વડોદરા, તા.૧શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી ડિવોર્સી માતાએ તેની સગી બે પુત્રીઓની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યાના બનાવની શાહી સૂકાય તે અગાઉ આજે રાવપુરા વિસ્તારમાં રહેતાં પંચાલ પરિવારના દંપતી અને તેઓના યુવાન પુત્રએ સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ભાડાના મકાનમાં રહેતાં પરિવારના સામૂહિક આપઘાતના બનાવમાં આર્થિક ભીંસ કારણ કારણભૂત હોવાની વિગતો સપાટી પર આવતાં કાળઝાળ મોંઘવારીમાં વધુ એક પરિવાર પીંખાયું છે. આ બનાવની જાણ થતાં જ શહેર પોલીસ તંત્રના ઉચ્ચાધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને માતા-પુત્રના મૃતદેહને તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતાને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જેમાં પિતાનું પણ સારવારના અંતે મોડી સાંજે મોત નીપજ્યું હતું. શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં પિરામિતાર રોડ પર કાછિયાપોળમાં આવેલી પીઠ્ઠળ કૃપા બિલ્ડિંગના બીજા માળે ભાડાના મકાનમાં રહેતા ૪૭ વર્ષિય મુકેશભાઈ ભોગીલાલ પંચાલ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા જયારે તેમના પત્ની ૪૫ વર્ષીય નયનાબેન વ્યવસાયે ગૃહિણી હતી અને ૨૨ વર્ષીય પુત્ર મિત્તુલ શેરબજારનું કામ કરતો હતો. આજે વહેલી સવારે મુકેશભાઈના મકાનમાંથી બચાવો..બચાવો..ની ચીસો સાંભળવા મળતા જ નીચેના પહેલા માળે રહેતા મકાનમાલિકની પત્ની તુરંત ઉપરના માળે દોડી ગયા હતા. તેમણે ઉપરના માળે જાેતા જ પહેલા રૂમમાં મુકેશભાઈ લોહીલુહાણ હાલતમાં હતા અને તેમણે જણાવ્યું હતું કે અંદરના રૂમમાં મારી પત્ની અને પુત્રએ આપઘાત કરી લીધો છે એટલે મેં પણ મરી જવા માટે મારા ગળા પર ચાકુ અને બ્લેડના ચીરા માર્યા છે. મકાનમાલિકની પત્નીએ અંદર જાેતા મિત્તુલે સિલીંગ ફેનની બાજુની હીંચકાના હુકમાં દોરડી વડે ફાંસો ખાઈને લટકતો હોવાની તેમજ અન્ય રૂમમાં નયનાબેન પણ ચત્તા મોંઢે જમીન પર પડેલા હોવાની અને તેમની આજુબાજુમાં લીલા રંગનું પ્રવાહી અને ઝેરની બોટલો પડેલી જાેતા જ તેમણે તુરંત બહાર દોટ મૂકી હતી અને તેમના પરિવારજનો અને પાડોશીઓને મદદ માટે આવવા માટે બુમો પાડી હતી. મુકેશભાઈ લોહીલુહાણ હાલતમાં કણસતા હોઈ તેમને તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બીજીતરફ ભરચક વિસ્તારમાં આ બનાવની જાણ થતાં ટોળેટોળે ઘટનાસ્થળે ભેગા થયા હતા જેમાં પુત્ર અને માતા સંભવિત મૃત હાલતમાં હોવાની જાણ થતાં આ બનાવની પોલીસને જાણ કરાઈ હતી. બનાવના પગલે ઝોન-૨ના ડીસીપી અભય સોની તેમજ રાવપુરા પોલીસ મથકના પીઆઈ પી.જે.તિવારી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નયનાબેન અને મિત્તુલના મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં ખસેડી એફએસએલની ટીમને ઘટનાસ્થળે બોલાવી બનાવની તપાસ શરૂ કરી હતી. આ બનાવ હત્યા કે આપઘાતનો છે તેની પ્રાથમિક વિગતો મેળવવા મેળવવા માટે પોલીસે ઈજાગ્રસ્ત મુકેશભાઈની પુછપરછ કરી હતી જેમાં તેમણે આર્થિક સંકળામણના કારણે પત્ની અને પુત્રએ આપઘાત કરી તેમણે પણ જાતે ગળા પર ચીરા મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે તેટલી વિગતો જણાવી હતી. જાેકે મુકેશભાઈને ગળાના ભાગે ઉંડે સુધી ઈજા હોઈ તેમની ઘનિષ્ટ સારવાર હાથ ધરાઈ હતી પરંતું મોડી સાંજે તેમનું પણ કરુણ મોત નીપજતા સમગ્ર પરિવાર આર્થિક ભીંસના કારણે પીંખાયો હતો. આ બનાવનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ઘટનાસ્થળેથી મિત્તુલનો મોબાઈલ ફોન તેમજ જંતુનાશક દવાની બે બોટલ તેમજ લોહીથી ખરડાયેલા ચાકુ અને બ્લેડ કબજે કર્યા હતા. આ પૈકીના નયનાબેનના મૃતદેહ પાસેથી ડાયરી પણ મળી હતી જે પોલીસે કબજે કરી હતી, પરંતું ડાયરીમાં કોઈ ફળદાઈ વિગતો મળી નથી તેમ ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું. પંચાલ પરિવાર આર્થિક ભીંસમાં હોઈ અને તેમને એક માસમાં મકાન ખાલી કરવાની તાકિદ કરાઈ હતી અને આજે મુદતનો છેલ્લો દિવસ હોવાની પોલીસને વિગતો સાંપડતા પોલીસે નવા મકાનમાલિક વિવેક સિંહાની પણ પુછપછર હાથ ધરી હતી.
    વધુ વાંચો