દાહોદ સમાચાર
-
દાહોદ નગરમાં ડોર ટુ ડોર ગાડીઓના માધ્યમથી અચૂક મતદાનનો સંદેશો
- 16, નવેમ્બર 2022 11:16 PM
- 8322 comments
- 289 Views
દાહોદ, તા.૧૬‘‘એ ચૂંટણી આવી !! તમને તો ખબર જ હશે ને ચૂંટણી આવી. મત આપવો એ આપણો અધિકાર અને ફરજ છે લોકશાહીના મહાપર્વમાં પ મી ડિસેમ્બરના રોજ મતદાન કરવાનું અને કરાવવાનું ચૂકશો નહીં. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, દાહોદ’’ આ સંદેશો દરરોજ સવારે દાહોદ નગરના દરેક ઘર સુધી ડોર ટુ ડોર કચરો એકઠી કરતી સ્માર્ટ સીટીની ગાડીઓ થકી કંઇક અનોખી અને અસરકારક રીતે પહોંચાડી રહી છે. આગામી તા. ૫ ડિસેમ્બર સુધી દરેક નગરજનને આ સંદેશો લગભગ ગોખાઇ ગયો હશે એટલી ચોટદાર રીતે તેનું પ્રત્યાયન કરાયું છે. દાહોદ નગરમાં ઘરે ઘરે પહોંચીને કચરો એકઠો કરવાની કામગીરી કરતી ગાડીઓ સ્વચ્છતાના સંદેશાની સાથે અત્યારે મતદાન કરવાનો સંદેશો પણ આપી રહી છે. નગરને સ્વચ્છ રાખવા માટે સ્માર્ટ સીટીની આ ગાડીઓ દરેક ઘરે પહોંચે છે ત્યારે દરેક મતદાતા સુધી લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન કરવા માટેનો સંદેશો ખૂબ સરસ રીતે પહોંચી રહ્યો છે.વધુ વાંચો -
દાહોદ શહેરી વિસ્તારમાં ભાજપને કોંગ્રેસ કરતાં વધુ મત મળે તો જ કેસરિયો સાર્થક ગણાશે
- 16, નવેમ્બર 2022 11:14 PM
- 1461 comments
- 4728 Views
દાહોદ, તા.૧૬વર્ષોથી દાહોદ નગરપાલિકા માં શાસનની ધૂરા ભાજપ પાસે હોવા છતાં દાહોદ શહેરી વિસ્તારમા કોંગ્રેસ જ બાજી મારી જાય છે. આગામી ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં બે તબક્કામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામોની યાદી બહાર પાડતા જ મોટાભાગની રાજકીય પાર્ટીઓમાં ભડકો થતા તેઓના એકતાના દાવાઓ તાર તાર થતા જાેવા મળ્યા છે. પાટલી બદલુઓ ગેલમાં આવતા પાટલી બદલવાની પ્રક્રિયા વેગીલી બની છે તેવા સમયે દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના એક મહિલા સભ્ય સહિત ત્રણ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી કેસરિયો કરી લેતા દાહોદ નગરપાલિકામાં હવે કોંગ્રેસની સમ ખાવા પૂરતી એક મહિલા સભ્ય રહી છે ત્યારે તેની તટસ્થતા સામે પણ શંકા સેવાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ જાેઈએ તો વર્ષોથી દાહોદ નગરપાલિકામાં સત્તાની ધૂરા ભાજપના હાથમાં રહી છે ધૂરંધર પ્રમુખો રહ્યા હોવા છતાં છેલ્લા કેટલાય વર્ષોથી દાહોદ શહેરમાં વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ જ ઉપર રહ્યો છે અને ભાજપને કોંગ્રેસ કરતા ઓછા વોટ મળ્યા છે તેનો ઇતિહાસ ગવાહ છે. દાહોદ નગરપાલિકામાં કુલ ૩૬ સદસ્યો પૈકી માત્ર ચાર જ સદસ્યો કોંગ્રેસના છે અને ૩૨ સદસ્યો ભાજપના છે જેથી દાહોદ નગરપાલિકાની શાસનધૂરા પાસે જ રહી છે ત્યારે દાહોદ નગરપાલિકા ના વોર્ડ નંબર ત્રણના ભાજપમાંથી પાટલી બદલી કોંગ્રેસમાં ગયેલા અને કોંગ્રેસના મેન્ડેડ પર ચૂંટણી લડી જીતેલા સદસ્ય કાઈદભાઈ ચુનાવાલા, તથા કોંગી સભ્ય ઈસ્તીયાક સૈયદ તેમજ લક્ષ્મીબેન ભાટ એમ ત્રણેય પાલિકાના સદસ્યો એ ભાજપનો કેસ પહેરી ગઈકાલે કેસરિયો કરી લેતા દાહોદ નગરપાલિકામાં કોંગ્રેસની સમ ખાવા પૂરતી વોર્ડ નંબર એક માત્ર મહિલા સદસ્ય તસ્લીમબેન નલાવાલા જ રહ્યા છે.વધુ વાંચો -
શહેરા બેઠક માટે કોંગ્રેસમાંથી ખાતુ પગીએ મેન્ડેટ વગર ઉમેદવારી નોંધાવી
- 16, નવેમ્બર 2022 11:12 PM
- 492 comments
- 9229 Views
શહેરા, તા.૧૬ શહેરા ભાજપમાંથી ટિકિટ નહીં મળતા થોડા દિવસ પહેલા કોંગ્રેસમાં જાેડાયેલા ખાતુભાઈ પગી એ વિજય મુહૂર્તમાં કોંગ્રેસ માંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ખાતુભાઈ પગી એ મેન્ડેટ વગર પોતાની ઉમેદવારી ફોર્મ ભરીને જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતુ. શહેરા બેઠક પર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ પક્ષ દ્વારા ખાતુભાઈ પગીને ટિકિટ નહીં આપતા તેઓ ભાજપમાંથી નારાજ થઈને થોડા દિવસ પહેલા તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જાેડાયા હતા. કોંગ્રેસમાં જાેડાયેલા ખાતુભાઈ પગી ગામ માં આવેલા દશા માતાજીના આશીર્વાદ લઈને સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા હતા. તાલુકા સેવા સદન ખાતે ખાતુ ભાઇ પગી પોતાના સમર્થકો સાથે શુભ મુહૂર્ત માં પહોંચી ગયા હતા. ખાતુભાઈ પગી એ ચૂંટણી અધિકારી એન.કે પ્રજાપતિ અને મદદનીશ ચૂંટણી અધિકારી એન.બી.મોદી સમક્ષ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.જ્યારે ખાતુભાઈ પગી એ મને પાર્ટીમાંથી ફોન આવ્યો એટલે મેં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.આ વખતે મારી જીત થવાની છે અને અહીં કોંગ્રેસ જીતવાની છે. આ વખતે સારી એવી લીડ થી હું જીતીશ તેમ જણાવ્યું હતુ.જાેકે ૧૨૪ વિધાનસભા બેઠક પર પ્રથમ વખત કોંગ્રેસ પાર્ટી માંથી ખાતુભાઈ લડી રહ્યા હોય ત્યારે આ વખતની ચૂંટણી તીવ્ર રસાકસી ભરી બની રહે એવી શક્યતાઓ જાેવા મળી રહી છે. ટિકિટ નહીં મળતા ખાતુ ભાઇ પગી ભાજપ પક્ષ છોડીને થોડા દિવસો પહેલા કોંગ્રેસ પક્ષમાં જાેડાયા હતા.વધુ વાંચો -
ડાંગરની ધૂમ ખરીદી પોષણક્ષમ ભાવો મળતાં ખેડૂતોમાં ખુશીની લહેર
- 16, નવેમ્બર 2022 11:04 PM
- 375 comments
- 2415 Views
સુખસર, તા.૧૬ફતેપુરા તાલુકામાં ડાંગરની ખેતી પુષ્કળ પ્રમાણમાં થવા પામેલ છે.અને હાલ ખેડૂતોને દ્વારા ડાંગર વેચાણ કરવાની સિઝન ચાલી રહી છે.ત્યારે ફતેપુરા તથા સુખસર માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા નિયત ભાવ કરતા ઓછા ભાવે ડાંગરની ખરીદી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે જ્યારે ફતેપુરા તાલુકાના બાવાની હથોડ ખાતે આવેલ સરકારી અનાજ ગોડાઉન કેન્દ્ર ખાતે ટેકાના ભાવે ડાંગર ખરીદ કરવામાં આવી રહી છે.સરકારી અનાજ ગોડાઉન ઉપર ડાંગરની ધૂમ ખરીદી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.ગરીબ ખેડૂતોની અબુધતાનો ગેરલાભ ઉઠાવી ફતેપુરા તથા સુખસર માર્કેટયાર્ડોમાં અનાજના વેપારીઓ દ્વારા ખેડૂતોને નિયમો મુજબ ભાવ નહીં આપી હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે.તેમાં હાલ આ માર્કેટયાર્ડોમાં ૨૦ કિલો ડાંગરના ૨૮૦ થી ૩૨૦ સુધીના ભાવે વેપારીઓ ડાંગર ખરીદ કરી રહ્યા છે.જ્યારે ફતેપુરા તાલુકા તાલુકાના સરકારી અનાજ ગોડાઉન બાવાની હાથોડ ખાતે આવેલ છે જ્યાં ડાંગરની ખરીદી ૪૦૮ પ્રતિ મણના ભાવે ખરીદ કરવામાં આવી રહી છે.હાલ સુધી બાવાની હાથોડ ખાતે કુલ ખરીદ કરેલ એમએસપી ડાંગર કટ્ટા ૭,૧૨૬ (૨૪૯૪.૧૦ ક્વિન્ટલ) જેની અંદાજે કુલ કિંમત ૫૦,૮૭,૯૬૪ રૂપિયા થવા જાય છે.તેમજ હાલ આ સરકારી ગોડાઉન ખાતે ડાંગરની ધૂમ ખરીદી કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળે છે.આમ માર્કેટયાર્ડોમાં ખેડૂતોને ડાંગરમાં ૧૦૦ જેટલા વેપારીઓ દ્વારા ઓછા આપી ખેડૂતો સાથે છેતરપિંડી કરાઈ રહી છે.ત્યારે લાગતા-વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપવાની જરૂરત જણાઈ રહી છે. ટેકાના ભાવે ડાંગર ખરીદી કરતા ખેડૂતોને ફાયદો અમો માર્કેટ યાર્ડમાં વેપારીઓ પાસે જ્યારે ડાંગર વેચાણ કરવા જઈએ છીએ ત્યારે અમોને રૂપિયા ૨૮૦ થી ૩૨૦ રૂપિયા સુધીના ભાવો મળે છે. જ્યારે બાવાની હાથોડ ખાતે સરકારી અનાજ ગોડાઉનમાં અમારા પાસે ડાંગર રૂપિયા ૪૦૮ ના ભાવે ખરીદ કરવામાં આવી રહી છે.વધુ વાંચો -
દાહોદના નેતાજી બજારમાં ટ્રાફિક સમસ્યા જટીલ બની
- 16, નવેમ્બર 2022 01:15 AM
- 7828 comments
- 8242 Views
દાહોદ,તા.૧૫દાહોદ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા હળવી થવાને બદલે દિન પ્રતિદિન વધુને વધુ જટિલ બનતી જાેવા મળી રહી છે. દાહોદ નગરપાલિકા દ્વારા શહેરમાં ભૂતકાળમાં ઘણી જગ્યાએ શોપિંગ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. પરંતુ તેમાંના એકેય શોપિંગ સેન્ટરમાં પાર્કિંગની સુવિધા પ્રદાન કરવામાં ન આવતા તે તમામ શોપિંગ સેન્ટરના દુકાનદારો પોતાના વાહનો પોતાની દુકાન આગળ જ પાર્ક કરવા મજબૂર બનતા ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન જટિલ બનતી જાેવા મળી રહી છે. આ ટ્રાફિક સમસ્યા હલ કરવા પાલિકા તેમજ પોલીસ તંત્રના સહિયારા પ્રયાસની તાતી જરૂર છે.પરંતુ આ પ્રયાસમાં પોલીસ તંત્ર તો તૈયાર છે પણ પાલિકા તંત્ર તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. વાત નેતાજી બજારની કરીએ તો ભૂતકાળમાં નેતાજી બજારમાં શાકભાજીના પથારા વાળાઓને કારણે ટ્રાફિક સમસ્યા ઘેરી બનતા તે પથારા વાળાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા માટેની માગણી બુલંદ બનતા નગરપાલિકા દ્વારા તે પથારા વાળાઓને ચાકલિયા રોડ પર શાકમાર્કેટ બનાવી તેમાં જગ્યા ફાળવી આપવામાં આવી અને નેતાજી બજારમાં શાકભાજીના પથારા વાળા કતાર બંધ જ્યાં બેસતા હતા. ત્યાં લોખંડની રેલિંગ બનાવી વાહન પાર્કિંગ માટેની સુવિધા ઉભી કરવામાં આવી હતી. પાર્કિંગ ની જગ્યામાં શરૂઆતના થોડાક દિવસો તો દુકાનદારો પોતાના વાહનો પાર્ક કરતા હતા. અને થોડા દિવસ બાદ દુકાનદારો પોતાની દુકાન ખોલે તે પહેલા જ વાહન પાર્કિંગની જગ્યામાં ફરીવાર શાકભાજીના પથારા વાળાઓ એ અડીંગો જમાવો શરૂ કર્યો હતો. અને જાેત જાેતામાં તો આ પાર્કિંગની જગ્યામાં કતાર બંધ શાકભાજીવાળા બેસતા થઈ જતા પાર્કિંગ ની જગ્યા શાકભાજીના પથારા વાળાઓને જ હાઇજેક કરી હોય તેવું લાગતા અને દુકાનદારોને પોતાના વાહનો પાર્ક કરવા માં તકલીફ પડતા ફરીવાર દુકાનદારો પોતાની દુકાનો આગળ જ પોતાના વાહનો પાર્ક કરવા મજબૂર બનતા નેતાજી બજારની ટ્રાફિક સમસ્યા પુના જટિલ બની જવા પામી છે. હવે તો શાકભાજીના પથારા વાળાઓ કાયમી ધોરણે આ પાર્કિંગ સ્ટેન્ડમાં બેસવા લાગી જતા આ પથારા વાળાઓ પાસેથી રોજબરોજ નગરપાલિકા દ્વારા વહીવટી ખર્ચના નામે નાણા ઉઘરાવતા હોવાનું પણ આ જાેરશોરથી ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે શાકભાજીના કેટલાક પથારા વાળાઓ તો એટલા માથાભારે થઈ ગયા છે કે વાહન ધારકોને પોતાના વાહન પાર્ક કરવા માટે તે લોકો સાથે ઘણીવાર ઉગ્ર ચાલી ઝઘડો કરવા ના છૂટકે મજબૂર થવું પડે છે. નેતાજી બજારમાં વાહન પાર કરવા માટે સારો એવો માતબર ખર્ચ કરી બનાવવામાં આવેલ પાર્કિંગ સ્ટેન્ડનો ઉપયોગ માત્રને માત્ર વાહનો પાર કરવા માટે કરવામાં આવે અને પાર્કિંગ સ્ટેન્ડમાં બેસતા શાકભાજીના આ પથારા વાળાઓને અન્ય સ્થળે વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવે તો નેતાજી બજારની ટ્રાફિક સમસ્યા મહદંશે હળવી બનાવી શકાય તેમાં કોઈ બેમત નથી આ રીતે પૈસા લઈને પાર્કિંગ સ્ટેન્ડમાં શાકભાજીના પથારા વાળાઓને સીધી રીતે નહીં તો આડકતરી રીતે બેસવાની મંજૂરી આપનાર નગરપાલિકાને ટ્રાફિક સમસ્યાને હળવી કરવામાં કોઈ રસ નથી તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.વધુ વાંચો -
મુખ્યમંત્રીના રૂટના રસ્તા બંધ કરાતાં ઠેર-ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં ઃ લોકો અટવાયાં
- 13, ઓક્ટોબર 2022 01:15 AM
- 6915 comments
- 3554 Views
વડોદરા, તા.૭સંસ્કારી અને ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા ગણેશજીના દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે વિવિઘ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીના દર્શન કર્યા હતા.જ્યારે બીજી તરફ મુખ્યમંત્રીના આગમનને લઈને પોલીસ દ્વારા જેતે વિસ્તારોના રસ્તાઓ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. તેમજ પરીવાર સાથે દર્શનાર્થે નિકળેલા લોકો અચવાઈ ગયા હતા. ગણેશોત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી વિવિધ પંડાલોમાં બિરાજમાન શ્રીજીના દર્શન કર્યા હતા.તેઓ સાથે પ્રદેશ ભાજપા મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ,કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યના બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ મેયર કેયુર રોકડિયા તથા ધારાસભ્યો કાઉન્સિલરો તેમજ શહેરના હોદ્દેદારો,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે વર્ષો ની પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રીઓ વડોદરાના ગણેશ ઉત્સવમાં ગણેશજી ના દર્શન માટે અચૂક હાજરી આપે છે આજે વડોદરા શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્ર ભુપેન્દ્ર પટેલ ખાસ દર્શન માટે આવ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા શ્રીજીના દર્શન કર્યા હતા. જાેકે, મુખ્યમંત્રીનો કાફલો જેજે રૂટ પરથી પસાર થઈને જે ગણેશજીના પંડાલ માં જવાનો હતો જે માર્ગ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા સાથે પરીવારના સભ્યો સાથે ગણેશજીના દર્શનાર્થે નિકળેલા લોકો અટવાઈ ગયા હતા.મુખ્યમંત્રીએ હરણી રોડ, નવા બજાર, દાંડિયા બજાર એસવીપીસી ટ્રસ્ટ ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રજીને સુવર્ણ માળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ બગીખાના, વારસિયા રીંગ રોડ માંજલપુર , ઇલોરા પાર્ક તથા સુભાનપુરા હાઈ ટેન્શન વિસ્તારમાં સ્થાપના કરાયેલા ગણેશજીના દર્શન કર્યા હતા.વધુ વાંચો -
ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં જેકોટના કાકા-ભત્રીજાનું મોત
- 22, ડિસેમ્બર 2021 10:40 PM
- 3695 comments
- 883 Views
દાહોદઃ આજરોજ ઇન્દોર અમદાવાદ હાઈવે પર રામપુરા ગામે ખુશી હોટલ નજીક વહેલી સવારે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર દાહોદ તાલુકાના જેકોટ ગામ ના કાકા ભત્રીજા બંને સ્થળ પર જ કાળનો કોળીયો બન્યા નુજાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ-ઇંદોર નેશનલ હાઈવે પર આવેલ રામપુરા ગામ ખાતેની ખુશી હોટલ નજીક વહેલી સવારે સવા છ વાગ્યાના સુમારે એક ટ્રક કન્ટેનરનો ચાલક તેના કબજાનો જીજે.૦૬ એએક્સ. ૦૮૩૫ નંબરની કન્ટેનર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રામપુરા ગામે ખુશી હોટલ નજીક રોડની સાઈડમાં જીજે.૨૦.એડી.૭૭૦૮ નંબરની મોટરસાયકલ લઇને ઉભેલા જેકોટ ગામ ના વજેસિંહ ભાઈ રાયસીંગભાઈ ચૌહાણ અને તેમનો ભત્રીજાે શાંતિલાલ અભેસિંગ ચૌહાણ એમ બંને કાકા-ભત્રીજાને અડફેટમાં લઇ લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બંને કાકા-ભત્રીજાને માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેઓ બન્નેનું સ્થળ પર જ કમ કમાટી ભર્યું મોત નીપજયું હતું જયારે ટ્રક કન્ટેનર નો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી નાસી ગયો હતો ઘટનાની જાણ થતા જ મરણ જનાર કાકા-ભત્રીજાના પરિવાર જનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોના હૈયાફાટ રૂદનથી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મરણ જનાર બંને કાકા-ભત્રીજા ની લાશ નું પંચો રૂબરૂ પંચનામું કરી પીએમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી ટ્રક કન્ટેનરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરીણામો જાહેર થતાં આનંદોત્સવ
- 21, ડિસેમ્બર 2021 11:06 PM
- 7673 comments
- 4060 Views
પંચમહાલ જીલ્લામાં સમાવિષ્ટ ૩૫૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારના રોજ યોજાઈ હતી શાંતિપુર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી અને જીલ્લા નું ૭૯.૪૭ % જેટલું મતદાન નોંધાયુ હતું જેની આજે જીલ્લા ના તાલુકા મથકો ખાતે મતગણતરી ચૂંટણી અધિકારી અને પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી ગોધરા મતગણતરી કેન્દ્ર ખાતે તંત્ર ના યોગ્ય આયોજન ના અભાવે મતગણતરી મંથરગતિએ ચાલતા ઉમેદવારો ના સમર્થકોને કલાકો સુધી બહાર બેસી રહેવાની નોબત આવી હતી જેને લઈ લોકોમાં પણ એક પ્રકારે નારાજગી જાેવા મળી હતી એક પછી એક ચૂંટણી પરીણામો જાહેર થતા સવાર થી મત ગણતરી કેન્દ્ર બહાર સમર્થકોનો મેળાવડો જામ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પંચમહાલ જીલ્લામાં ૧૯મી ડીસેમ્બર ના રોજ ૩૫૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી જીલ્લા નું ૭૯.૪૭ % ટકા મતદાન યોજાયુ જેની આજે જીલ્લા ના તાલુકા મથકો ગોધરા,શહેરા, કાલોલ, હાલોલ, મોરવા, જાંબુઘોડા, ધોધંબા સહીતના તાલુકા મથક ખાતે ચૂંટણી અધિકારી ની ઉપસ્થિતમાં વહેલી સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી રાઉન્ડ મુજબ મતપેટી ખોલી મતગણતરી થયા બાદ ચૂંટણીના એક પછી એક દરેક ગામોના પરીણામ જાહેર કરવામાં આવ્યા હતા જેને લઈ મતગણતરી સ્થળે મોટી સંખ્યામાં ઉમેદવારો અને સમર્થકોના ટોળે ટોળા ઉમટયા હતા જેને પોલીસ નો પણ ચુસ્ત બંદોબસ્ત જાેવા મળ્યો હતો ચૂંટણી પરીણામ જાહેર થતા ની સાથે કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હોય તેવા પણ દ્રશ્યો જાેવા મળ્યા હતા ગોધરા તાલુકામાં સમાવિષ્ટ ૬૫ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી ગદુકપુર પોલિટેક્નિક કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી જયાં તંત્રના યોગ્ય આયોજન ના અભાવે મતગણતરી મંથરગતિએ ચાલતી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું મીડીયાકર્મી માટે યોગ્ય આયોજન ન હોવાથી પરીણામ જાણવા માં ભારે હાલાકી પડી રહી હતી.મતગણતરી સ્થળે વહેલી સવારથી ઉમેદવારોના સમર્થકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટયા હતા જેને લઈ પોલીસે સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો વિજેતા ઉમેદવારો ના એક પછી એક ઢોલ નગારા અને ડીજે સાથે વિજય સરઘસ નીકળ્યા હતા વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકોએ જાહેર શુભેચ્છાઓ પાઠવી મોં મીઠું કરાવ્યું હતું પોલીસ ના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી મોડી રાત્રે સંપન્ન થતા પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.સિંગવડ ખાતે તાલુકાની ૩૦ પંચાયતોની મતગણતરી હાથ ઃ વિજેતાઓમાં ભારે ઉત્સાહ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મથક ખાતે આજે સિંગવડ તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર કચેરી ખાતેના ભવન સવારથી જ મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં ધીમી ગતિએ મતગણતરી ચાલતા પરિણામો બપોર બાદ આવતા હતા દરમિયાન કહી ખુશી કહી ગમ જેવો માહોલ ઉમેદવારો અને સભ્યોમાં જાેવા મળ્યો હતો મોડી સાંજે ૫ વાગ્યા દરમિયાન સિંગવડ તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતો માંથી માત્ર ૧૦ ગ્રામ પંચાયતના સરપંચ પદ અને સભ્યોના નામો વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે ગ્રામ પંચાયત સાકરીયા ના સવલી બેન નરવતભાઈ ભગોરા મેળવેલ મત ૩૮૨ , ગ્રામ પંચાયત પિસોઈ મુકેશભાઈ રતનસિંહ બારીયા ૪૧૫, માતાના ગ્રામ પંચાયતની ધીરાભાઈ રામસિંગભાઈ નીનામા ૫૩૩ મત, સરજુમી ગ્રામ પંચાયતના અંજનાબેન રમેશભાઈ હઠીલાને ૪૬૨ મત,કાલીયાગોટા ગ્રામ પંચાયત રીનાબેન નિલેશભાઈ સંગાડા ને ૬૩૬ મત, નાના આંબલીયા ગ્રામ પંચાયત મહેન્દ્રભાઈ નીરુ ભાઈ પટેલ ૧૦૩૩ મત, અગારા ગ્રામ પંચાયતના તાજ સિંહ દલસીગભાઈ બારીયા ને ૧૦૪૯ મત મળ્યા હતા. પુંસરી ગામે પંચાયતની ચૂંટણીના મતદાન બાદ ધીંગાણામાં ચાર જણાને જીવલેણ ઈજાઓ દાહોદ જિલ્લામાં જ્યારે જ્યારે પણ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય છે ત્યારે ત્યારે ચૂંટણી બાદ મારામારી તેમજ રાયોટિંગના બનાવો બનતા આવ્યા છે ત્યારે દાહોદ તાલુકાના પુંસરી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન બાદ ઉમેદવારી નોંધાવવાના મામલે થયેલ ધીંગાણામાં તલવાર ધારીયા લોખંડની પાઈપો તેમજ લાકડી જેવા મારક હથિયારોનો છૂટથી ઉપયોગ કરાતા એક મહિલા સહિત ચાર જણાને ગંભીર જીવલેણ ઈજાઓ થતા આ મામલે ૧૭ જેટલા ઇસમોના ટોળા વિરુદ્ધ હત્યાની કોશિશ તથા રાયોટિંગનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના પુંસરી ગામના રાકેશ મથુર ભુરીયા સહિત ૧૭ જેટલા ઈસમો નું ટોળું ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનના દિવસે મોડી સાંજના સાડા છ વાગ્યાના સુમારે ગેરકાયદેસર મંડળી બનાવી હાથમાં તલવાર ધારિયા લોખંડની પાઈપો તેમજ લાકડી જેવા મારક હથિયારો લઇ મતદાન મથક નજીક આવી અરવિંદ રત્નાભાઇ ભુરીયા ને બેફામ ગાળો બોલી ધાક-ધમકી આપી તમે કેમ અમારી સામે ઉમેદવારી નોંધાવેલ આજે તમોને છોડવાના નથી. પિસોઈ ગામમાં પથ્થર મારતા વિજેતા ઉમેદવારના સમર્થકને માથાના ભાગે ઈજા સીંગવડ તાલુકાના ચુંટણી પરિણામને લઈ ને વહિવટી તંત્રએની નિષ્કાળજીના કારણે ટ્રાફિક જામ ના દ્ર્શ્યો સર્જાયા .જ્યારે વાહનઓનો ટ્રાફિક જામ થતાં ભારે રોષ જૉવા મળ્યો હતો. વહીવટી તંત્ર ની નિષ્કાળજી ના કારણે ઉમેદવારો અને સમર્થકો સહિત સંખ્યા બંધ મતદારો રસ્તા પર ઉભા રહેતા ટ્રાફિક જામ થયો હતો. જી એલ શેઠ હાઇસ્કુલ સીંગવડ ના મેદાન ખાલી હોવા છતા વ્યવસ્થા ના કરવામાં આવતા ભારે રોષ જાેવા મળ્યો હતો જ્યારે. દિવસ દરમિયાન ચાલેલી મતગણતરીમાં સીંગવડ તાલુકાના પિસોઈ કેસરપુર સહિતના ગામોમાં નાની-મોટા ઝઘડા થવા થયા હતા જ્યારે પિસોઈ ગામમાં પથ્થર મારતા વિજેતા ઉમેદવારના સમર્થક ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સિંગવડ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી બોડેલી ,કવાંટ, છોટાઉદેપુર ,સંખેડા સહિત કેન્દ્રો પર મત ગણતરી ઃભારે ભીડ જાેવા મળી બોડેલી ,કવાંટ, છોટાઉદેપુર ,સંખેડા સહિત કેન્દ્રો પર મત ગણતરીની કામગીરી હાથ ધરાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં ૨૩૦ ગ્રામ પંચાયતમા સામાન્ય ચૂંટણી અને ૦૨ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઇ હતી.સમગ્ર જિલ્લામાં ૭ ગ્રામ પંચાયત સમરસ , થઈ છે૨૨૭ સરપંચ પદ માટે ૯૨૨ ઉમેદવાર ,૧૪૪૧ વોર્ડ સભ્યો માટે ૩૮૫૫ ઉમેદવારો મેદાનમાં હતા.જિલ્લામાં કુલ ૭૦૮ મથદાન મથકો , અતિસંવેદન ૯૪ મતદાન મથક હતા.૨,૬૫,૭૮૮ પુરુષ મતદારો, ૨,૪૯,૯૮૮ મહિલા મતદારો હતા. નગવાવ ગામે પથ્થરમારામાં પોલીસ કર્મીને ઈજાઓ દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના નગવાવ ગામે બુથની બહાર બોગસ વોટીંગ કરવાના પ્રયાસો કરી રહેલ નગવાવ ગામના નવ જેટલા ઈસમોએ ફરજ પરની પોલીસ પર પથ્થરમારો કરતા બે એક પોલીસ કર્મીઓને સામાન્ય ઈજાઓ થવા પામી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર નગવાવ ગામના નિશાળ ફળિયામાં રહેતા પરમાર કુટુંબના હરીશ વીરસીંગભાઇ, દિનેશભાઈ સલુભાઈ, શૈલેષભાઈ સનાભાઇ, રતન કાનજીભાઈ, પરસોત્તમ ફારમભાઈ પ્રકાશ સલુભાઈ, સુરેશ પર્વતભાઈ, જવાહર બાબરભાઈ, પ્રતાપ પર્વતભાઈ ગુલજીભાઈ એમ નવે જણા મતદાનના દિવસે સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે નગવાવ બુથની બહાર ઉભા રહી બોગસ વોટિંગ કરવા ના પ્રયાસો કરી રહ્યા હતા.વધુ વાંચો -
આદિજાતિ મંત્રી નિમિષાબેન અને સાંસદ ભાભોરના પૂતળાનું દહન કરી સૂત્રોચાર
- 13, ઓક્ટોબર 2021 12:00 AM
- 1998 comments
- 6352 Views
દાહોદ : બોગસ આદિ જાતિ પ્રમાણપત્રનો ઉપયોગ કરી વિધાનસભાની ચૂંટણી જીતી આદિજાતિ મંત્રી પદ મેળવનાર નિમિષાબેન સુથાર અને તેઓને ટિકિટ માટે તથા મંત્રી બનાવવા માટે ભલામણ કરનાર દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના પૂતળાનું આજરોજ દાહોદના મુવાલીયા ચોકડી હાઈવે પર આદિવાસી સમાજના કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચાર સાથે સહન કરી પોતાનોરોષ વ્યક્ત કર્યો હતો. બોગસ આદિજાતિ પ્રમાણપત્રને સથવારે ચૂંટણી જીતી પ્રધાનપદું મેળવનારા નિમિષાબેન સુથારનો સમસ્ત આદિવાસી સમાજના તમામ સંગઠનોએ વિરોધ કરી રાજ્યમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા તમામ તાલુકાઓમાં નિમિષાબેનને મંત્રી પદે થી દૂર કરવાની માગણી સાથે ઠેરઠેર આવેદનપત્ર અપાયા અને તે વાતને આજે પંદર દિવસ બાદ પણ સરકાર દ્વારા સકારાત્મક ર્નિણય લેવાતા આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. તેવા સમયે ખાનગી શાળાના ઉદ્ઘાટન પ્રસંગે દાહોદ આવેલા ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પોતાના વક્તવ્યમાં નિમિષાબેન સુથારની ટિકિટ તથા મંત્રી પદ માટે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે ભલામણ કરી હતી. તેમ જણાવતા ભાજપ પ્રદેશ અધ્યક્ષના આ બયાને નિમિષાબેન સામેની આદિવાસી સમાજ દ્વારા ચાલતી લડતમાં બળતામાં ઘી હોમવાનું કામ કરતા આદિવાસી સમાજમાં જશવંતસિંહ ભાભોર સામે પણ ભારે રોષ ભભૂકી ઉઠયો છે અને તેરોષ પ્રગટ કરવાના તાત્પર્ય થી આદિવાસી સમાજના કાર્યકરો દ્વારા આજે મુવાલીયા ચોકડી હાઈવે પર રાજ્યના આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથાર તથા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના પૂતળાનું ભાજપ વિરોધી સૂત્રોચાર સાથે દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.વધુ વાંચો -
દેવગઢ બારીયા શહેર ભાજપ દ્વારા રોગ નિદાન અને વેક્સિનેશન કેમ્પ
- 25, સપ્ટેમ્બર 2021 11:02 PM
- 7821 comments
- 729 Views
દે.બારીયાઆજરોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે તથા સેવા અને સમર્પણ અભિયાન (૧૭ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર) અંતર્ગત દેવગઢ બારીયા શહેર ભાજપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને વેક્સિનેશન કેમ્પનું આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ તેમા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પંડિત દીનદયાળની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવા મા આવી હતી. આ કાર્યક્રમમા શહેર ભાજપ પ્રમુખ નિમેષ જાેષી, મહામંત્રી જયેન્દ્રસિંહ જાડેજા નગરપાલિકા પ્રમુખ ચાર્મી સોની , ઉપપ્રમુખ ગૌરાંગ પંડ્યા, સજ્જન બા , શકુબેન બારીયા , કમલેશદરજી , તેમજ પાર્ટી ના તમામ વરિષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા... આ કેમ્પ મા ડૉ અલ્કેશ ગેહલોત, ડૉ હાર્દિક વ્યાસ , ડૉ મયુરભાઈ વિગેરે ઓએ સેવાઓ આપી હતી. મોટી સંખ્યામા નગરજનોએ વેક્ષીનેશન અને આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ નો લાભ લીધો હતો.વધુ વાંચો -
ભુતપગલા ગામના પ્રદિપસિંહના પાર્થિવદેહના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર
- 25, સપ્ટેમ્બર 2021 10:55 PM
- 5864 comments
- 6099 Views
દે.બારીયાછેલ્લા ૧૭ વર્ષથી દેશ અને રાષ્ટ્રની સુરક્ષા માટે ભારતીય સેનામાં ફરજ બજાવતા અને આવતી ૩૧ મી ઓકટોબર મહિના ૨૦૨૧ પછી ફરજ મુક્ત થઈ નોકરી પરથી પોતાના માદરે વતનમાં પરત ફરવાના હતા. એવા દેવગઢબારિયા તાલુકાના ભુતપગલા ગામના પનોતા પુત્ર પ્રદિપસિંહ બારીયા પંજાબ મુકામે ચાલુ નોકરીએ અચાનક બીમાર થતાં ચંદીગઢની કમાંન્ડ આર્મી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ નિધન થતાં આજરોજ તેઓના પાર્થિવ દેહને સન્માન સાથે તેમના માદરે વતન ભૂત પગલા લઈ જતા પહેલા આર્મીના વાહનમાં દેવગઢબારિયા ખાતે લાવવામાં આવતાં તેઓના અંતિમ દર્શન માટે તેમજ વીરને શ્રદ્ધાંજલિ આપવા દેવગઢબારિયા નગરમાં આજે માનવ કિડીયારૂ ઉભરાયું હતું અને દેવગઢબારીયા થી તેમના પાર્થિવ દેહને આર્મીની ગાડીમાં તેમના માદરે વતન ભૂતપગલા ગામએ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેઓના ક્રિયાકર્મ માટે સેનાના જવાનોએ રૂપિયા ૧૫,૦૦૦/- શહીદ પ્રદીપભાઈ બારીયાના પરિવારજનોને આપ્યા હતા. ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના ગામના વીર (શહિદ) જવાનને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ પ્રદીપભાઈએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની પ્રાથમિક શાળામાં લીધા પછી ધોરણ ૮ થી ૧૦ નો અભ્યાસ તેઓએ દુધિયા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં કર્યો હતો. જ્યારે અગિયારમું ધોરણ તેઓ દેવગઢબારિયાની મોદી સ્કૂલમાં ભણ્યા હતા. ત્યારબાદ ૨૫/૯/૨૦૦૦ ની સાલમાં તેઓ આર્મીમાં ભરતી થયા હતા અને નાસિક ખાતે આર્મીની ટ્રેનિંગ લીધી હતી. તે પછી તેઓએ આર્મીમાં દેશમાં વિવિધ જગ્યાએ તેમજ સરહદે સેવા બજાવી હતી. તેઓના લગ્ન પ્રભાબેન સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. સંતાનમાં તેઓને બે પુત્રો અને એક પુત્રી છે. જેમાં તુષાર પ્રદીપસિંહ ઉ. વ. ૧૩, વનરાજસિંહ પ્રદીપસિંહ ઉ.વ.૧૨ તથા પુત્રી જ્યોતિબેન પ્રદીપસિંહ ઉ. વ. ૧૮ નો સમાવેશ થાય છે. પ્રદિપસિંહ બારીયા આગામી ૩૧/૧૦/૨૦૨૧ ના રોજ ફરજ નિવૃત્ત થવાના હતા. જેથી તેમના પરિવારજનો તેમના સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત હતા. તે દરમિયાન અચાનક તબિયત બગડતા ચંદીગઢ આર્મી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પ્રદિપસિંહ બારીયાએ ગતરોજ સારવાર દરમિયાન આર્મીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાની ખબર આવતા જ તેમના પરિવારજનોના માથે દુઃખના પહાડ તૂટી પડ્યા હતા અને પરિવારજનોમાં આવવાની ખુશી જગ્યાએ મોતનો માતમ છવાયો હતો અને તેમના અંતિમ દર્શન માટે પરિવારજનોની આખો તરતી રહી હતી. પ્રદિપસિંહનો પાર્થિવ દેહ અંતિમ ક્રિયા માટે તેમના માદરે વતન ભૂતપગલા ગામએ ગાર્ડ ઓફ ઓનર સાથે કરાતા તેઓનો પાર્થિવ દેવ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો. તેમના ક્રિયાકર્મ માટે આર્મીના જવાનોએ પ્રદિપસિંહ બારીયાના પરિવારજનોને રૂપિયા ૧૫,૦૦૦/- ની રોકડ આપી હતી. આ પ્રસંગે દાહોદ જિલ્લના માજી સૈનિક સંગઠન દાહોદ સહિત દેવગઢબારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ, અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.વધુ વાંચો -
દાહોદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- 23, સપ્ટેમ્બર 2021 01:00 AM
- 8206 comments
- 1332 Views
દાહોદ છેલ્લા ત્રણ ચાર દિવસના ઝરમર વરસાદ બાદ મેઘરાજાએ આજે સવારે દાહોદમાં તોફાની બેટિંગ કરતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા દાહોદ શહેરમાં સવારે આઠથી દસ વાગ્યા સુધીના બે કલાકના સમયમાં આશરે બે ઇંચ જેટલો વરસાદ ખાબ કાતા દાહોદની દુધી મતી નદી બે કાંઠે આવતા ડાઇવર્ઝન પુલ ડૂબી જતા પુલની બંને તરફ બેરીકેટ ગોઠવી દેવામાં આવી હતી.અને તે રસ્તા પરની અવર-જવર બંધ કરાવી દેવામાં આવી હતી દાહોદ શહેર સહિત જિલ્લામાં સારા વરસાદને પગલે જિલ્લાના આઠ પૈકી ઉમરીયા અદલવાડા તથા હડપ એમ ત્રણેય ડેમ ઓવર ફ્લો થતા અને જિલ્લા પર તોળાતું પાણીનું સંકટ દૂર થઈ જતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે અને નિચાણવાળા ગામોને સતર્ક કરાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા બે દિવસ હજી દાહોદ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે દુધી માંથી નદી બે કાંઠે આવતા નદી કિનારે આવેલ વવખંડી મંદિર સુધી નદીના પાણી આવતા દાહોદ વાસીઓ નદીકાંઠે ટોળે વળ્યા હતા.વધુ વાંચો -
ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાને વિધાનસભા દંડક બનાવાયા
- 23, સપ્ટેમ્બર 2021 01:00 AM
- 6052 comments
- 4310 Views
સુખસરદાહોદ જિલ્લાના ફતેપુરા મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારાને વિધાનસભા દંડક બનાવાયા છે ૧૨૯ ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારાને વિધાનસભા દંડક તરીકે પદ આપતા ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.તેમજ ધારાસભ્ય રમેશભાઈ કટારા ઉત્તરોત્તર રાજકીય ક્ષેત્રે પ્રગતિના સોપાન સર કરતા રહે તેવા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.ઉપરોક્ત તસ્વીરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બલૈયા ખાતે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતોવધુ વાંચો -
સ્ટેટ હાઇવે બીસ્માર હાલતમાં નાગરિકોને મુશ્કેલી
- 23, સપ્ટેમ્બર 2021 01:00 AM
- 9403 comments
- 6972 Views
દે.બારીયાપીપલોદ થી છોટાઉદેપુરને જાેડતો ગુજરાત સરકારના પીડબલ્યુડી વિભાગના સ્ટેટ હાઇવે હાલ ખૂબ જ ભય જનક સ્થિતિમાં હોવાથી નાગરિકોને પડતી મુશ્કેલી દૂર કરવાની માગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.આવેદનપત્રમાં જણાવ્યું છે કેટલો છોટાઉદેપુરને જાેડતો ગુજરાત સરકારના પીડબલ્યુડી વિભાગના સ્ટેટ હાઇવે હાલ ખૂબ જ ભયજનક સ્થિતિ ધરાવે છે. જે દે.બારીયા નગરના પ્રવેશ દ્વાર થી સમડી સર્કલ થઈ ભેદરવાજા સુધીના રસ્તા પર મોટા પ્રમાણમાં ખાડા પડેલ છે. તદ ઉપરાંત ભૂગર્ભ ગટરના ઢાંકણા પણ યોગ્ય રીતે રસ્તાના લેવલથી બેસાડ્યા નથી જેથી ભારે વાહનોની અવરજવરને કારણે ઘણા એક એક ફૂટ ઊંડા અને મોટા થતા રાહદારીઓને ખૂબ જ સમસ્યા ઉભી થાય છે. રાહદારીઓ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. આ ઉપરાંત વરસાદી પાણી ભરાવાના કારણે ખાડા જાેઈ શકતા ન હોવાથી ભયંકર અકસ્માત થવાનો ભય રહે છે. સ્ટેટ હાઇવે ત્રણ ચાર વર્ષ પહેલા જ થયેલું છે અને અંદાજીત ખર્ચ ૬ થી ૭ કરોડ જેટલોં થયેલ છે. તેમ છતાં ગુણવત્તાના અભાવે નગરજનોએ અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેની યોગ્ય તપાસ થાય એવી આમ આદમી પાર્ટી દ્વારા માગણી કરવામાં આવી છે. તેમજ રસ્તાઓના બાંધકામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરી હલકી ગુણવત્તાવાળા રસ્તાના બાંધકામ માટે જવાબદારોને સજા કરવામાં આવે અને નગર પડતી તકલીફો ધ્યાને રાખીને તાત્કાલિક અસરથી રસ્તા પર પડેલ ખાડાઓનું સમારકામ કરવાની માંગણી કરવામાં આવી છે.વધુ વાંચો -
નલુના સીમાડાં પાસે ઘરમાં દિપડો ઘુસી જતા અફરાતફરીનો માહોલ
- 23, સપ્ટેમ્બર 2021 01:00 AM
- 5064 comments
- 6660 Views
દે.બારીયાદાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં દૂધામળી ગામમાં નલુ ગામના સીમાડાં પાસે આવેલ ઘરમાં વન્ય પ્રાણી એવો દિપડો દિવસે ઘરમાં ઘુસી જતાં અને આખો દિવસ ઘરમાં રહેતા અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો જ્યારે વન વિભાગને જાણ કરતા વનવિભાગ પણ ઘટના સ્થળે દોડી જઇ અને આગળ દીપડાને રેસ્ક્યુ કરી ઘરની બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામમાં સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં ગામના લોકોએ એક દીપડાને વટેમાર્ગુ જતા જાેયો હતો. ત્યારે દુધામલી ગામના મંડોડ કાપસિંગ મકનાભાઈ નામ મકાનમાં ઘુસી જતા અંદર હાજર નવ વર્ષીય બાળકી સહી સલામત ઘરની બહાર આવી ગઈ હતી . હાલમાં ખેતર હોય તેમજ કોતરોને ખેતરોમાં મકાઈ હોય ત્યારે વન્ય પ્રાણીઓ જંગલની બહાર દિવસે પણ આવી જતા હોય છે. ત્યારે દુધામળી ગામમાં વન્ય પ્રાણી દિપડો ઘરમાં ઘૂસી જાય ત્યારે ગામમાં ફફડાટ ફેલાઈ જાય છે. સદ્ નસીબે ઘરની અંદર હાજર બાળકીને દીપડાએ કોઈ નુકસાન પહોંચાડ્યું ત્યાં સુધી દીપડો ઘરમાં જ આરામ અડિગો જમાવી દીધો છે. તેમજ થોડી થોડી વારે ત્રાડ પણ નાખી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ધાનપુર વનવિભાગનો આરાએફઓ આર.બી ચોહાણ સહિત વનવિભાગનો સ્ટાફ ઘરની આસપાસ ખડે પગે રહીને દીપડાને રેસ્કયુ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.વધુ વાંચો -
સંજેલીમાં ગંદકીની ભરમારના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત
- 23, સપ્ટેમ્બર 2021 01:00 AM
- 1430 comments
- 3387 Views
દાહોદ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં હાલ મચ્છરજન્ય અને ઋતુજન્ રોગોએ માજા મુકી છે. ઘેર ઘેર શરદી ખાંસી તાવ મેલેરિયા તેમજ વાઇરલ ઇન્ફેક્શન જેવા રોગોના ખાટલા છે અને દવાખાનાઓ થી માંડી મોટી હોસ્પિટલો પણ દર્દીઓથી ઊભરાઈ રહી છે તેવા સમયે સંજેલી ગામના સરપંચની વિકાસના કામ પ્રત્યેની નિષ્ક્રિયતા ગંદકીની ભરમાર મચ્છરોનો ચરમસીમાએ પહોંચ્યો ઉપદ્રવ ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય અને તેમાંય વળી સરપંચ ના ઘર આગળ મુખ્ય માર્ગ પર વાર્તા આખા ગામના કચરાને કારણે સંજેલી માં ભયંકર રોગચાળો ફાટવાની દહેશત ઊભી થવા પામી છે હાલ સંજેલી પંચાયત દ્વારા ડોર ટુ ડોર કલેકશન કરાતો સુકો અને ભીનો કચરો સંજેલી મુખ્ય માર્ગ પર સરપંચ ના ઘર નજીક તાજેતરમાં જ નવા બનેલા બસ સ્ટેશન ના ગેટ પાસે જ ઠાલવવામાઆવી રહ્યો છે. જેના કારણે નવિન બસ સ્ટેશનના માંડવી રોડ તરફ જતા માર્ગના પ્રવેશદ્વાર પર જ ગંદકીના ફેલાયેલા સામ્રાજ્યને કારણે રોગચાળો વધુ વકરવાની દહેશત ઉભી થવા પામી છે. જેના કારણે તે રસ્તેથી શાળાએ જતા ગામના બાળકો તે તરફ આવેલ મંદિરે દર્શન માટે જતા દર્શનાર્થીઓ તેમજ બસ સ્ટેશનમાં આવતા જતા મુસાફરો માં પણ સંજેલી ગ્રામ પંચાયતના લોલમલોલ વહીવટ સામે ભારે નારાજગી ની સાથે સાથે રોષ પણ પણ જાેવા મળી રહ્યો છે એક તરફ સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મિશન અંતર્ગત ઘરે ઘરે શૌચાલય બનાવવાની અને કચરાપેટી મુકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ સંજેલી ના સરપંચ અને તલાટી ને ગ્રામજનો દ્વારા આ મામલે રજૂઆત કરવા છતાં પણ તે બંને પોતાની મનમાની કરી ડોર ટુ ડોર કચરા કલેકશન નો દુર્ગંધ મારતો સુકો અને ભીનો કચરો મુખ્ય માર્ગ પર સરપંચના ઘર નજીક બસ સ્ટેશન ના ગેટ પાસે જ ઠાલવી સ્વચ્છ ભારત મિશનના લીરેલીરા ઉડાડી ભયાનક રોગચાળાને નોતરી રહ્યા છે છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી એ સંજેલી વાસીઓ ને આર્થિક અને શારીરિક રીતે પાયમાલકરી નાખ્યા છે. જેથી નગરજનો હવે રોગચાળાનુ નામ સાંભળીને જ ફફડાટ અનુભવી રહ્યા છે હાલ સંજેલી માં વાયરલ ઇન્ફેક્શન તાવ શરદી મેલેરિયા જેવા રોગોએ માઝા મૂકી છે અને ડેન્ગ્યુ જેવો ભયાનક રોગ ગામ ના દ્વારે દસ્તક દેવા ઊભો છે ત્યારે સમય-સંજાેગો પારખી સંજેલી ગ્રામ પંચાયત દ્વારા પાણી આવે તે પહેલાં પાળ બાંધવાની નીતિ રીતિ અખત્યાર કરી ગામ ની ગંદકી દૂર કરવામાં આવે તેવી સમયની માંગ છે.વધુ વાંચો -
બાઇક સવાર સ્પીડિંગ બસની નીચે આવી ગયો, પણ પછી જે થયું તે ચમત્કારથી ઓછું નહોતું
- 15, સપ્ટેમ્બર 2021 12:54 PM
- 6850 comments
- 2791 Views
વડોદરા-ઘણીવાર ઇન્ટરનેટ જગતમાં ખતરનાક માર્ગ અકસ્માતોના વીડિયો વાયરલ થાય છે. આ વીડિયો જોયા બાદ એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ અકસ્માતોમાં લોકોનું જીવવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ ક્યારેક આવા ચમત્કારો પણ થાય છે, જેની આપણે અપેક્ષા પણ નથી કરતા. તે અવારનવાર કહે છે કે ના જાકો રખે સૈયાન માર ખાતર ના કોઈ, આ જ કહેવત સાબિત કરતો વિડીયો સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર મુકવામાં આવેલો આ હૃદયસ્પર્શી વીડિયો ગુજરાતના દાહોદનો હોવાનું કહેવાય છે. જ્યાં એક બાઇક સવાર અકસ્માતમાં બચી ગયો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે હાઇવે પર હાઇ સ્પીડ બસ જઇ રહી છે, પરંતુ પછી અચાનક બાઇક પર સવાર એક યુવક વળાંક પર બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. અચાનક તેને બસે ટક્કર મારી.થોડીક સેકંડ માટે, એવું લાગે છે કે યુવાન બસની નીચે આવીને ખરાબ રીતે કચડાઈ જશે, પરંતુ તે બસની નીચેથી સુરક્ષિત રીતે બચી ગયો. બસ અટકી જતાં જ નીચે ફસાયેલી વ્યક્તિ ધીરે ધીરે જાતે જ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને તે પણ નીકળી જાય છે. તેને વિશ્વાસ ન થયો કે તે આ માર્ગ અકસ્માતમાં જીવતો બચી ગયો હતો. આ વીડિયો જોયા બાદ લોકોએ કહ્યું કે તેને સાચું નસીબ કહેવામાં આવે છે, મૃત્યુએ બાઇક સવારને કેટલી નજીક સ્પર્શ કર્યો. તે જ સમયે, અન્ય વપરાશકર્તાએ કહ્યું કે માર્ગ અકસ્માતો હંમેશા જીવલેણ હોય છે, પરંતુ દરેક વ્યક્તિ એટલા નસીબદાર નથી હોતા. જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે ભલે વીડિયોમાં દેખાતી વ્યક્તિ નસીબદાર હોય, પરંતુ મોટાભાગના લોકો આવા અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવે છે, તો પછી તમે રસ્તા પર હંમેશા ધ્યાન રાખો તે વધુ મહત્વનું છે.વધુ વાંચો -
દેવગઠબારીયાના ડાગરીયા ગામે 3 યુવકોના મૃતદેહ મળ્યા, પરિવારજનોમાં આક્રંદનો માહોલ
- 13, ઓગ્સ્ટ 2021 05:45 PM
- 8015 comments
- 7242 Views
દાહોદ- જિલ્લાના ડાંગરીયા ગામે એક વૃક્ષની નજીકમાંથી એક સાથે 3 યુવકોના મૃતદેહો મળી આવ્યાં છે. વહેલી સવારે મૃતદેહોને જોઈ પરિવારજનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. મૃતકોના પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યો હતો. ત્રણેય મૃતકોનો કબજો લઈ પોલીસે નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને રવાના કરી દેવામાં આવ્યાં છે. ત્યારે આ ઘટનાને પગલે અનેક શંકા, કુશંકાઓ પણ વહેતી થવા માંડી છે. આ યુવકોની આત્મહત્યા કે પછી હત્યા કરવામાં આવી હશે કે, પછી કોઈ અકસ્માત નડ્યો હશે? જેવા અનેક સવાલો પરિવારજનો સહિત ગ્રામજનોમાં ઉદ્ભવવ્યા છે. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તલસ્પર્શી તપાસનો આરંભ કર્યો છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે ખેતરમાંથી 3 યુવકોના મૃતદેહ મળી આવતાં જિલ્લાભરમાં ખળભળાટ મચી ગઈ છે. આ ઘટના હત્યા છે કે આત્મહત્યા ? જે અંગે પાલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે. ત્યારે ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. 3 મૃતદેહોને પોસ્ટમાટમ માટે મોકલવામાં આવ્યા છે.વધુ વાંચો -
"પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના"ના લાભાર્થીઓ સાથે સંવાદ, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા
- 03, ઓગ્સ્ટ 2021 01:00 PM
- 2021 comments
- 8290 Views
દાહોદ-રાજ્યની રૂપાણી સરકારના સફળ નેતૃત્વના 5 વર્ષની પુર્ણાહૂતિ નિમિત્તે ચાલી રહેલી ઉજવણીનો આજે 3 ઓગષ્ટે ત્રીજો દિવસ છે.ત્યારે આજના દિવસને અન્નોત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.દાહોદમાં રાજ્ય સરકારના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી જોડાયા છે અને અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યાં છે.આ કાર્યક્રમમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, ગરીબ અને અંત્યોદય પરિવારને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજની કિટનુ વિનામૂલ્યે વિતરણનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓ સાથે ગુજરાતના ગ્રામ્યકક્ષાના નાગરિકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યુ છે. આ યોજના થકી કેવા કેવા લાભ મળ્યા છે. વગેરે અંગે વાતચીત કરશે.ગુજરાતના ૧૭ હજાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી 'અન્નોત્સવ' કાર્યક્રમ અન્વયે 4.25 લાખ ગરીબ અને અંત્યોદય પરિવારોને વ્યકિત દિઠ 5 કિલો અનાજની કિટ વિનામૂલ્યે આપવામાં આવશે. દાહોદ જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાન ખાતેથી યોજનાના લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરશે. સરકારના પાંચ વર્ષ પૂરા થતા હોવાની ઉજવણી રાજ્યવ્યાપી થઈ રહી છે. જેના ભાગરૂપે અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.વધુ વાંચો -
ફતેપુરા તાલુકાના ગલાલપુરા પાટિયા પાસે દારૂ ભરેલી કાર પલટી
- 17, જુલાઈ 2021 01:30 AM
- 9558 comments
- 9750 Views
ફતેપુરા, દાહોદ જિલ્લાના ફતેપુરના ગલાલપુરા ગામે વળાંકમાં એક અલ્ટો ગાડીના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં ગટરમાં પલ્ટી મારી દીધી હતી. પલટી મારેલી અલ્ટો ગાડીમાં જાેતા ગાડીમાં ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હતો. પલટી મારવાના કારણે ગાડીમાં ભરેલા દારૂના કવાંટરીયા બહાર નીકળી ગયા હતા તો થોડા તૂટી ગયા હતા. બનાવની જાણ ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ, સી.બી.બરંડાને થતાં પીએસઆઇ તથા સ્ટાફના માણસો ગલાલપુરા ગામે વળાંકમાં આવી પહોંચ્યા હતા. જ્યાં ઘટનાસ્થળે ગલાલપુરા પાટિયા પાસે સ્ટેશનથી થોડેક આગળ વળાંકમાં અલ્ટો ગાડી પલટી ખાધેલી હાલતમાં તેમ જ ગાડીનો ડ્રાઈવર તથા એક બીજાે માણસ હાજર હોય તેઓને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી. તેઓના શરીરમાંથી ખૂન નીકળતું હતું જેથી તેઓને સરકારી દવાખાનામાં સારવાર કરવા માટે મોકલી આપ્યા હતા. તેમની જરૂરી સારવાર કરી ત્યારબાદ બન્નેને અટકમાં લીધા હતા. જ્યારે રોડની સાઈડમાં ખાડામાં પડેલી સફેદ કલરની અલ્ટો ગાડીને ટ્રેક્ટરના મદદથી કોચિંગ કરીને બહાર કાઢવામાં આવી હતી.વધુ વાંચો -
ધામણબારી ગામે વીજળી પડતાં બે મૂંગા પશુના મોતથી અરારાટી
- 17, જુલાઈ 2021 01:30 AM
- 6533 comments
- 6473 Views
સિંગવડ, દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં ધામણબારી ગામે વીજળી પડતાં બે મૂંગા પશુઓના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે સમાચારની જાણ તાલુકા વિકાસ અધિકારીને થતા ઘટનાસ્થળે પહોંચી મૃતક પશુઓના માલિકને સહાયની કામગીરી હાથ ધરી હતી. સીંગવડ તાલુકામાં ગત મોડી સાંજે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું તે દરમિયાન સીંગવડ તાલુકાના ધામણબારી ગામ ના બારીયા અભેસિંગભાઈ બીજલભાઇ ના ઘર ની પાસે ખુલ્લામાં બાંધેલી ગાય અને ભેંસ ઉપર વીજળી પડી હતી અને વીજળી પડતાં જ ગાય-ભેંસનું ઘટના સ્થળે મોત નિપજ્યું જ્યારે ઘટનાની જાણ ઘરના માલિક અભેસિંહ ભાઈ ના પત્નીને આઘાત લાગતા તબિયત બગડી જતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. જ્યારે ઘટનાની જાણ સિંગવડ તાલુકા વિકાસ અધિકારી આર.કે.મકવાણાને થતા ઘટનાસ્થળે પહોંચી મૃતક પશુઓના માલિકને તાત્કાલિક ધોરણે સહાય મળી રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.વધુ વાંચો -
ફતેપુરા તાલુકાના પટીસરામાં આઘેડની લાશ નજીકના કૂવામાંથી મળતા ચકચાર
- 17, જુલાઈ 2021 01:30 AM
- 3304 comments
- 229 Views
સુખસર, ફતેપુરા તાલુકાના પટીસરા ગામના નવાઘરા ફળિયામાં રહેતા મંગળા ભાઈ ગવલાભાઈ ગરાસીયા ઉ.વ. આશરે ૫૨. નાઓ ખેતીવાડી દ્વારા ગુજરાત ચલાવતા હતા જેઓ ગતરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ મંગળા ભાઈ સમય થવા છતાં પરત ઘરે નહીં આવતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ક્યારે મંગળાભાઈએ શરીર ઉપર પહેરેલ કપડા તેમના કુવાની કિનારી ઉપર પડેલા જાેવા મળ્યા હતા.જ્યારે કૂવામાં પાણીની ઊંડાઈ વધુ હોય ગતરાત્રીના આ કુવામાંથી મોટરો દ્વારા પાણી બહાર કાઢતા કૂવાની અંદર મંગળાભાઈની લાશ પડેલી હોવાનું જાેવા મળતા ઘરના સભ્યોમાં રોકકળ મચી જવા પામી હતી.લાશને જાેતા માથામાં વાગેલાનુ નિશાન જાેવા મળ્યું હતું પરંતુ અકસ્માતે પડતા સમયે કુવાની ધસ વાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.ત્યારબાદ આ સંબંધે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.વધુમાં સ્થાનિક લોકો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ મૃતક દારૂનો વ્યસની હતો.પરંતુ તે માનસિક અસ્થિર નહીં હોવાનું જાણવા મળે છે. જ્યારે સુખસર પોલીસ સ્ટેશનમાં થયેલ નોંધ મુજબ મૃતકનું છેલ્લા દશેક માસથી અસ્થિર મગજ હોવાનું અને તે અકસ્માતે કૂવામાં પડતા કુવાનું વધુ પાણી પી જવાથી મોત નિપજયુ હોવા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરોકત બનાવ સંબંધે મૃતક મંગળાભાઈના ભાઈ રવજીભાઈ ગવલાભાઈ ગરાસીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા લાશના પંચનામા બાદ લાશનું સુખસર સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ બાદ લાશનો કબજાે તેમનાં વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.ધામણબારી તળાવમાંથી ગામના યુવકની લાશ મળી સીંગવડ . ધામણબારી ગામના મંદિર ફળિયામાં રહેતા વરશીંગ દલસીંગ અડ ઉંમર ૫૭ વર્ષ નામના એક આધેડ છેલ્લા ત્રણેક દિવસથી લાપતા હતો. જેથી તેના પરિવારના વ્યક્તિઓ ભારે શોધખોળ આદરી હતી તે દરમિયાન ધામણબારી ગામના તળાવમાં એક મૃતકની લાશ જાેવા મળતા તપાસ કરતા તળાવમાંથી ધામણબારી ગામના વરસીંગભાઇ દલસુખભાઈ એડની લાશ મળી આવી હતી. જ્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવતા નજીકના ખેતરમાંથી મૃતકના કપડા ધામણબારી તળાવની પાળ પર મળી આવ્યા હતા. જ્યારે પ્રાથમિક તપાસમાં ધામણબારી ગામના વરસીંગભાઇ ધામણબારી તળાવમાં નાહવા ગયા હોય નાહવા પડ્યા બાદ સંજાેગો વસાત બહાર નીકળી નહીં શકતા આ ઘટના બની હોય તેમ ચર્ચાય રહ્યું છે.ં પાણી માં લાશ તરતી દેખાતા ગ્રામ જનો એ તાત્કાલિક રણધીકપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં રણધીકપુર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી જઈને લાશને નીકાળવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે રંધીપુર પોલીસએ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
હોમગાડ્ર્સના પોઇન્ટ બંધ કરતાં પીએસઆઇ સામે પ્રશ્નાર્થ
- 13, જુલાઈ 2021 01:30 AM
- 7257 comments
- 977 Views
સંજેલી, સંજેલી બાઇપાસ પ્રતાપપુરા રોડ પર રાત્રે ફરજ દરમિયાન હોમગાર્ડ જવાનોએ દારૂ પકડયા બાદ સ્થાનિક પોલીસની આબરૂના ધજાગરા ઉડતા પોઈન્ટઓ બંધ કર્યા જેથી બુટલેગરોને મોકળું મેદાન મળ્યું છે. ચોરી લૂંટફાટ અને દારૂની હેરાફેરીનો સ્થાનિક લોકોમાં ભય જાેવા મળ્યો હતો. રોલ કોલ દરમિયાન તાલુકા ઓફિસર કમાન્ડિંગ સહિત દારૂની ગાડી પકડનાર છ જવાનોને સ્થાનિક પીએસઆઇ ધમકી આપી તગેડી મુક્યા હતા. સંજેલી તાલુકામાં વર્ષોથી હોમગાર્ડ જવાનો બાયપાસ સહિત વિસ્તારોમાં રાત્રી દરમિયાન ૯૬ જેટલા હોમગાર્ડ જવાનો ૩૨ કોરોના મહામારીમાં પણ ના જવાનું હોય પોઇન્ટ પર ફરજ બજાવે છે. કોરોનામાં પણ આ જવાનોએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી. જેથી ચોરી જેવા બનાવો નહિવત પ્રમાણમાં જાેવા મળે છે. પરંતુ બાયપાસ રોડ પર રાત્રી દરમિયાન દારૂ ભરેલા વાહનોની અવર જવર વધતા બુટલેગરો બેફામ બન્યા હતા. જેમાં ૧૫ દિવસ અગાઉ સંજેલી બાઇપાસ રોડ પણ પોઈન્ટઓ પરના હોમગાર્ડ જવાનો દ્વારા ૨૧મી જૂનને સોમવારે રાત્રી દરમિયાન પ્રતાપપુરા પાસેથી નંબર વગરની દારૂ ભરેલી ગાડી સાથે બે ખેપિયાઓને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા. સંજેલી બાઇપાસ રોડ પર હોમગાર્ડ કમાન્ડિંગની માધ્યમિક શાળા સહિત ત્રણ માધ્યમિક શાળાઓ, ૩ પેટ્રોલ પમ્પ, સરપંચનું તેમજ ન્યાય સમિતિના ચેરમેનનું નિવાસસ્થાન, તાલુકા વિકાસ અધિકારીનું ભાડાનું મકાન સહિત રહેણાંક વિસ્તારો આવેલા છે. તેમ છતાં પણ સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટરએ પોતાની સત્તાના નશામાં ડૂબી હોમગાર્ડ જવાનોનો પોઈન્ટઓ બંધ કરતા પીએસઆઇની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ખડા થયા હતા. હોમગાર્ડ જવાની મંજૂરી આવે તેમને રાખું છું તેઓને મારે દિવસે બોલાવવા કે રાત્રે એ મારો વિષય છે નોકરી ન કરે તો તગેડી મુકુ સંજેલીમાં વધુ હોમગાર્ડ જવાનોની જરૂર નથી જી.આર.ડી.ના જવાનો આવે છે આ બધી મેટર પતી ગઈ છે વર્ષો થઈ ગયા.વધુ વાંચો -
દાહોદમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં વહીવટીતંત્રને હાશકારો
- 13, જુલાઈ 2021 01:30 AM
- 4190 comments
- 9155 Views
દાહોદ, અષાઢી બીજ રથયાત્રાના રોજ દાહોદ શહેરના હનુમાન બજાર ખાતેના શ્રી રણછોડરાયજી મંદિરેથી નિયંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજા આરતી તથા પહિંદવિધિ બાદ બરાબર નવના ટકોરે જય રણછોડ ના જય ઘોષ સાથે કર્યું તેમજ પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જગતના નાથ જગન્નાથની ૧૪ મી રથયાત્રા દબદબા ભેર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. આજરોજ અષાઢી બીજ સોમવારે દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલા શ્રી રણછોડરાય મંદિરેથી જગતના નાથ જગન્નાથની ૧૪ મી રથયાત્રા કર્ફ્યુ ભર્યા માહોલમાં લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે જય રણછોડ નાખો સાથે નીકળી નિર્ધારિત રૂટ ઉપર આગળ વધી અનાજ માર્કેટના ગેટ નંબર એક, બહારપુરા, પડાવ સરદાર ચોક પહોંચી હતી અને ત્યાંથી આગળ વધી નેતાજી બજાર થઈ શહેરના હાર્દ સમા ગાંધી ચોકમાં આવી હતી અને ત્યાંથી દોલત ગંજ બજાર ગૌશાળા થઈ સોનીવાડ ખાતેના રાધાકૃષ્ણ મંદિરે આવી હતી અને ત્યાં જગતના નાથ જગન્નાથજીએ પોતાના મોસાળમાં વિસામો લીધો હતો ૧૫ મિનિટના વિસામા બાદ જગન્નાથજી બહેન સુભદ્રાજી તથા ભાઇ બલરામજી બિરાજીત રથ નિર્ધારિત રૂટ પર આગળ વધી અનાજ માર્કેટના ગેટ નંબર બે આગળ થઈ ગોવિંદ નગરના આશીર્વાદ ચોક ફાયર સ્ટેશને આવ્યો હતો અને ત્યાંથી વળી જૂની કોર્ટ રોડ થઈ પુનઃ ગાંધી ચોક ખાતે આવી ત્યાંથી નેતાજી બજાર થઈ હનુમાન બજાર ખાતેના નિજ મંદિરે પરત આવ્યો હતો. જ્યાં પૂજા આરતી બાદ રથયાત્રાનું સમાપન થયું હતું. રથયાત્રાનું તેના રૂટ પર ઠેરઠેર ભક્તોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કરી ધન્યતા અનુભવી હતી. ભગવાન જગન્નાથ સુભદ્રા તથા બલરામ બિરાજમાન રખના દર્શનનો નગરજનોનો લાભ લે તે માટે એક કલાક રથને શ્રી રણછોડરાયજી મંદિરના પટાંગણમા મુકવામાં આવ્યો હતો. કોરોના કાળ વચ્ચે પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે કર્ફ્યુ ના માહોલમાં ભગવાન જગન્નાથ એ ભક્તોના ઘેર-ઘેર જઇ દર્શન આપ્યા હતા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં રથયાત્રાના આયોજક મંડળ એ શાંતિપ્રિય નગરજનો તેમજ પોલીસ તંત્રનો ખુબ ખુબ આભાર માન્યો હતો.ઝાલોદ નગરમાં રથયાત્રાની ઉત્સાહભેર ઉજવણી રથયાત્રા ઉત્સવ સમિતિ અને પોલીસ તંત્ર ના સુમેળ ભર્યા આયોજન ને કારણે ઝાલોદ નગરમાં ચોથા વર્ષ ની રથયાત્રા સરકારી નિયમોના સંપૂર્ણ પાલન સાથે નીકળી હતી. સવારે ૯-૦૦ કલાકે રણછોડરાયજી મંદિર મુવાડા ખાતે થી શરુ થઈને નિર્ધારિત રૂટ પર નીકળી ને ભક્તજનો ને દૂરથી જ દર્શન આપી ને કોરોના કાળની મર્યાદા ઓના પાલન સાથે મર્યાદિત સમય મા નગર ચર્યા પૂર્ણ કરી નિજ મંદિરે પરત ફરી હતી. રથયાત્રા સમિતિ ના સભ્યો અને યુવાનો ની સાથે સાથે નગરજનો એ પણ સરકારી નિયમોનું પાલન કરી રથયાત્રા સમય દરમ્યાન જનતા કર્ફ્યુ નું પાલન કરી સહયોગ આપ્યો હતો. સોમવાર નો હાટ હોવાને કારણે બપોરના ૧૨ વાગ્યાં પછી સંપૂર્ણ નગર મા દુકાનો ખુલી જતાં વેપારધંધા શરુ થઇ ગયા હતા. સંપૂર્ણ રથયાત્રા નો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થતાં સૌ કોઈ એ ‘જય જગન્નાથ ‘ના જયકારા થી ઝાલોદ ને ભક્તોએ ગુંજવી દીધું હતું તો. વરસાદ પણ અમીછાટના કરી ભીજવી દીધું હતું.વધુ વાંચો -
લીમખેડા જનસેવા કેન્દ્રના નવીનીકરણમાં ભ્રષ્ટાચાર મુદ્દે તપાસના આદેશ
- 13, જુલાઈ 2021 01:30 AM
- 7230 comments
- 2011 Views
લીમખેડા, દાહોદ જિલ્લાના લીમખેડા મામલતદાર કચેરીમા એક રુમમા ૧૨ લાખનો ખર્ચ બતાવી મોડેલ જનસેવા કેન્દ્ર તૈયાર કરવામા આવતા ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત થતા જીલ્લા કલેક્ટરે લીમખેડા પ્રાંત અધિકારીને તપાસ સોંપતા ભ્રષ્ટાચારીઓમા ફફડાટ ફેલાયો હતો. લીમખેડા મામલતદાર કચેરીમાં કાર્યરત જનસેવા કેન્દ્રમાં આવતા લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા સંપુર્ણ સુવિધાઓથી સજ્જ મોડેલ જનસેવા કેન્દ્ર બનાવવા માટે રૂપિયા ૧૨ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામા આવી હતી, મોડેલ જનસેવા કેન્દ્ર માટે ફાળવેલ ગ્રાન્ટ દાહોદ કલેક્ટર દ્વારા લીમખેડા માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ ને હવાલે મુકી લીમખેડા મામલતદાર કચેરીમા મોડેલ જનસેવા કેન્દ્રનું નિર્માણ કરવાની કામગીરી સોપવામા આવી હતી, પરંતુ લીમખેડા માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ ના ના.કા.ઈ. દ્વારા આઠ મહિનાનો સમય વિતવા છતા કામગીરી પૂર્ણ કરવામા નહિ આવતા લીમખેડા મામલતદાર દ્વારા અનેકવાર લેખિત તેમજ મૌખિક સુચનાઓ આપવામા આવતા લીમખેડા માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ ના ના.કા.ઈ. કુંભકર્ણ નિદ્રામાથી જાગીને ફક્ત ખાના પુર્તિ કરવાના ઈરાદે મામલતદાર કચેરીમા આવેલ એક રુમમા, કલર, ફોલ સીલીગ, લાઈટ ફીટીગ, ખુરશીઓ અને કાઉન્ટર, દિવાલ ફેન લગાવી રુમમા અંદાજીત ચાર થી પાંચ લાખનો ખર્ચ કરી રુપીયા બાર લાખ નો ખર્ચ બતાવતા મોડેલ જનસેવા કેન્દ્ર ની કામગીરી મા ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાનુ જણાતા જેના સમાચાર દૈનિક ન્યૂઝ પેપર મા પ્રસિદ્ધ કરવામા આવ્યા હતા, દૈનિક પેપરમાં સમાચાર છપાતા જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર ભ્રષ્ટાચાર ની તટસ્થ તપાસનો આદેશ આપવામા આવ્યો હતો. જીલ્લા કલેક્ટર દ્વારા તપાસ ના આદેશ થતા જ લીમખેડાના આસિસ્ટન્ટ કલેક્ટર હરકતમા આવ્યા હતા અને સમગ્ર પ્રકરણ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો, અને લીમખેડા મામલતદાર પાસે મોડેલ જનસેવા કેન્દ્ર બાબતે વિગતો મેળવી હતી, હાલ તો આસિસ્ટન્ટ કલેક્ટર સમગ્ર પ્રકરણ મામલે ઝીણવભરી તપાસ ચલાવી રહ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ત્યારે હવે તપાસ પુર્ણ થયા બાદ લીમખેડા આસિસ્ટન્ટ કલેક્ટર દ્રારા જીલ્લા કલેક્ટરને તપાસણીનો વિસ્તૃત અહેવાલ મોકલવામા આવશે તેવુ જાણવા મળી રહ્યુ છે.વધુ વાંચો -
ફતેપુરા તાલુકાના ઘાણીખુંટમાં લક્ઝરી બસના ચાલકે રાહદારીને કચડતા મોત
- 06, જુલાઈ 2021 01:30 AM
- 9785 comments
- 3095 Views
સુખસર દાહોદ જિલ્લા ના ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામે લક્ઝરી બસના ચાલકે રાહદારીને અડફેટમાં લઇ અકસ્માત સર્જતા પુરુષનુ ઘટનાસ્થળે જ કમાટી ભર્યું મોત નીપજ્યું છે.જ્યારે મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ બપોરના ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામે એક લક્ઝરી બસના ચાલકે તેના કબજાની ગાડીને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી સાઈડમાં ઊભા રહેલ એક મહિલા સહિત પુરુષને અડફેટમાં લીધા હતા. તેમાં પૂરપાટ દોડી આવેલી લક્ઝરી બસના પૈડા ઘાણીખુટ ગામના રાહુલભાઈ વાદી ઉપર ફરી વળતા સ્થળ ઉપર જ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અકસ્માત બાદ લક્ઝરી ચાલક પોતાના કબજાના વાહનને સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો.જ્યારે આસપાસ થી દોડી આવેલા રોષે ભરાયેલા લોકો એ લક્ઝરીની તોડફોડ કરી હતી.સુખસર પોલીસને જાણ થતા લક્ઝરીનો કબજાે પોલીસે મેળવી બનાવ સંબંધે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.વધુ વાંચો -
સંજેલીના પુષ્કર સાજણ તળાવમાં ડૂબી જવાથી ભાઈ- બહેનના મોત
- 06, જુલાઈ 2021 01:30 AM
- 8011 comments
- 7991 Views
સંજેલી, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથક એવા સંજેલીના પુષ્કર સાજણ તળાવમાં સર્જાયેલી કરૂણાંતિકા માં સંજેલી ગામના સોની પરિવારના બે માસુમ ભાઈ બેન ડૂબી જતા માતાની ગોદ સુની થઈ જતા અને બંને માસુમ ભાઈ બહેનની અર્થી એકસાથે ઉઠતા પરિવારમાં મોતનો માતમ છવાયો હતો અને હૈયાફાટ રૂદન ના હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાતા ઉપસ્થિત સૌની આંખો અશ્રુભીની થઇ હતી જાણવા મળ્યા મુજબ સંજેલી ગામે રહેતા અને ખેતીવાડી નું કામ કરતા સોની પરિવારના રીતેશભાઈ જયંતીલાલ સોની નું ખેતર સંજેલી ગામના પુષ્પ સાગર તળાવ ના કિનારે હોય તે ખેતરમાં રીતેશભાઈ જયંતીલાલ સોની તેમની પત્ની તથા તેમના બંને માસુમ સંતાન નવ વર્ષીય વહાલસોયી દીકરી ધૃતિ બેન તથા સાત વર્ષીય એકનો એક વહાલસોયો દીકરો જયનીશ એમ ચારે જણા નો આખો પરિવાર ગત રોજ રવિવારે બપોરના બારેક વાગ્યાના સુમારે ગયો હતો રીતેશભાઈ સોની અને તેમની પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા અને બંને માસુમ ભૂલકાઓ રમતા રમતા ઢોરો ની પાછળ પાછળ પુષ્પ સાગર તળાવમાં કૂદ્યા હતા તળાવમાં પાણી તો વધારે ન હતું પરંતુ અંદર કાદવ હોવાને કારણે બંને માસૂમ ભૂલકાં તળાવના પાણી માંથી બહાર નીકળી ન શકતા બંને ભુલકા તળાવના પાણીમાં ગરકાવ થઇ જતા તે બંને નું મોત નીપજ્યું હતું આ દરમિયાન ખેતરમાં કામ કરી રહેલ સોની પરિવાર ના દંપતિ ની નજર પડતા પોતાના એકના એક બંને માસુમ સંતાનો ખેતરમાં નજરે ન પડતા તેઓને બાળકો તળાવમાં ડૂબી ગયા હોવાની શંકા પડતા રીતેશભાઈ સોની તથા આસપાસ ના કેટલાક લોકો એ તળાવના પાણીમાં ઉતરી બંને ભૂલકાઓ ની શોધ આદરી હતી અને થોડીવારમાં જ બંને માસુમ ભાઈ- બહેનની લાશ મળી આવતા આ ટૂંકા પરિવારમાં માત્ર બે જ સંતાન હોય અને આજની દુર્ઘટનાનો શિકાર આ બંને ભૂલકાઓ બનતા માતાની ગોદ સૂની થઈ જતા સોની પરિવારમાં મોતનો માતમ છવાયો હતો અને બંને માસુમ ભાઈ બહેનની અર્થી ઘરેથી એકસાથે ઉઠતા હૈયાફાટ રૂદન ના હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાતા ઉપસ્થિત સૌ ની આખો અશ્રુભીની થઇ હતી અને બંને ભૂલકાઓને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી.વધુ વાંચો -
દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની વિકટ સમસ્યા
- 21, જુન 2021 01:30 AM
- 4327 comments
- 4063 Views
દાહોદ, દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે તેના કારણે શહેરીજનોને આ કરે ઉનાળે નિયમિત પાણી ન મળતાં પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. શહેરને વર્ષોથી પાણી પૂરું પાડતા પાટાડુંગરી માં હાલો પાણીનો બમણો જથ્થો હોવા છતાં આયોજનના અભાવે પૂરતું પાણી મળતું નથી ઉપરાંત કડાણા યોજના પણ કાર્યરત છે ત્યારે બબ્બે યોજના કાર્યરત હોવા સત્તા શેરડી જનોને પાણી માટે વલખા મારવા પડતા હોવાથી સત્તાધીશોનું પાણી મપાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે દાહોદ નગરપાલિકા ના પ્રમુખ રીનાબેન પંચાલે એક લોગો અને તેમની તસવીર સાથે એક સૂત્ર વહેતું મૂકયું છે જેમાં લોક હિ તમ કરણીયક એવું કહેવાયું છે અને સંકલ્પ સે સજા એ સહર અપના જેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરાયો છે. જે શહેરના વિકાસ માટે એક ઉજ્જવળ સંકેત લાગી રહ્યો છે પરંતુ બીજી તરફ શહેરમાં કેટલી યે સમસ્યાઓ સમાધાન માટે મોઢું ફાડીને ઊભી છે. જેમાં મુખ્ય સમસ્યા પીવાના પાણીની છે ત્યારે લોકહિતમાં તેનું સત્વરે નિરાકરણ થાય તે જરૂરી છે પાટાડુંગરીમાં આવેલા ઠક્કરબાપા જળાશયમાંથી દાહોદ શહેરને પીવાનું પાણી વર્ષોથી પૂરું પાડવામાં આવે છે. હાલ આ તળાવમાં ૬૦૫ એમસીએફટી પાણીનો જથ્થો છે શહેરને રોજ પાણી આપવામાં આવે તો પણ ૩૦૦ એમસીએફટી પાણી પૂરતું છે ત્યારે તેનાથી બમણું પાણી હોવા છતાં શહેરને આશરે દિવસે પણ પાણી મળતું નથી પાલિકાનો પાણી પુરવઠા વિભાગ હાથી ની માફક ચાલી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. કારણકે પાટાડુંગરીમાં ૨૦૦ મીટર જેટલી પાઇપલાઇન સાડા ત્રણ વર્ષથી કોઇ કારણસર બદલવામાં આવતી નથી.વધુ વાંચો -
દંપતી વચ્ચે તકરાર થતા પત્નીને મોતને ઘાટ ઉતારી પતિ ફરાર
- 21, જુન 2021 01:30 AM
- 2301 comments
- 3731 Views
દાહોદ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડુમકા ગામે છોકરાઓને ઠપકો આપવાના મામલે પતિ-પત્ની વચ્ચે થયેલી તકરારમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના માથામાં તથા મોઢાના ભાગે લાકડાના ત્રણ-ચાર ફટકા મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાસી ગયાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારિયા તાલુકાના કોળીના પૂવાળા ગામના ડુંગર ફળિયામાં રહેતી ૩૪ વર્ષીય મીનાબેનના લગ્ન પંદરથી સોળ વર્ષ પહેલા ધાનપુર તાલુકાના ડુમકા ગામના નીચવાસ ફળિયામાં રહેતા વિક્રમભાઈ ઉર્ફે લાલો નગર સિંહ પસાયા સાથે સમાજના રીતરિવાજ મુજબ કયા હતા.૧૫ વર્ષના લગ્નજીવનમાં મીનાબેનને ચાર સંતાન છે કોઈ કારણસર મીનાબેને પોતાના બાળકોને ઠપકો આપતા મામલો બિચક્યો હતો અને બંને પતિ-પત્ની વચ્ચે બાળકોને ઠપકો આપવાના મામલે ઉગ્ર બોલાચાલી થતા એકદમ ઉશ્કેરાયેલા વિક્રમભાઈ એ ક્રોધાવેશમાં આવી પોતાની પત્ની મીનાબેન ને માથામાં તેમજ મોઢાના ભાગે લાકડાના ત્રણ-ચાર ફટકા મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો. આ સંબંધે મૃતક મીનાબેનના પિતા ગોવિંદભાઈ કામગાભાઈ ભાભોરે ઉપરોક્ત કેફિયત ભરી ફરિયાદ ધાનપુર પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે આ સંદર્ભે મૃતક મીનાબેનના પતિ વિક્રમભાઈ ઉર્ફે લાલો નગર સિંહ પસાયા વિરુદ્ધ ઈપીકો કલમ ૩૦૨ મુજબ ખૂનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.વધુ વાંચો -
પંચાયતોને બિલ માટે તાલુકા કચેરીના ધરમધક્કા ?
- 21, જુન 2021 01:30 AM
- 1035 comments
- 7266 Views
સુખસર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ૬૨ જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે.આ ગ્રામ પંચાયતોમાં સરકાર દ્વારા ૧૫માં નાણાપંચના નાણાં ફાળવી આપવામાં આવેલ છે.અને આ નાણા સરપંચોના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ પાછળ ખર્ચ કરવાના હોય છે. જાેકે જે-તે મંજુર થયેલ વિકાસ કામની શરૂઆત કર્યા બાદ તાલુકા કક્ષાના જવાબદારો દ્વારા તપાસ કરી આ બિલ નાણાં પંચાયતોને ઓનલાઇન ફાળવવાના હોય છે.જેમાં ફતેપુરા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોએ સી.સી રોડ,બોર વિથ મોટર તથા અન્ય વિકાસ લક્ષી કામગીરી પૂર્ણ કર્યા બાદ અને તાલુકા કક્ષાના જવાબદારો દ્વારા જે-તે કામની સ્થળ તપાસ કર્યાનો લાંબો સમય વિતવા છતાં અને થયેલ કામગીરીના બીલના નાણાં મેળવવા અનેકવાર સરપંચો દ્વારા તાલુકા કચેરીના ધક્કા ખાવા છતાં બિલના નાણાં નહીં આપી ધરમ ધકકા ખવડાવવામાં આવતા હોવા બાબતે સરપંચોમાં ગણગણાટ ઉભો થયો હોવાનું જાણવા મળે છે.તેમજ કામગીરી પુર્ણ કરનાર ગ્રામ પંચાયત સરપંચોને બે દિવસમાં બીલ કાઢી આપવા જવાબદારો દ્વારા જણાવવામાં આવે છે. તેમ છતાં કામગીરી પુર્ણ કરનાર ગ્રામ પંચાયતોને બિલના નાણા કયા કારણોસર ફાળવવામાં આવતા નથી ? તે પણ એક ખાસ તપાસનો વિષય છે. જાેકે જે તે સરપંચ પોતાની ક્રેડિટથી વેપારીઓ પાસેથી મટીરીયલ્સ ખરીદતા હોય છે.જ્યારે જે-તે વેપારીને સમયસર નાણાં ભરપાઇ નહીં થતા વેપારી-સરપંચોના સબંધો બગડતા હોય છે.જે ગ્રામ પંચાયતોએ વિકાસ લક્ષી કામગીરી પૂર્ણ કરી હોય તેઓને તાત્કાલિક બિલ છુટા કરી આપવામાં આવે તેવી પણ સરપંચ આલમમાં માંગ ઉઠવા પામેલ છે. ફતેપુરા તાલુકામાં કેટલીક ગ્રામ પંચાયતો ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટના નાણાથી કામગીરી કરવા પાછી પાની કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ થાય તે હેતુથી સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને નાણાપંચ દ્વારા લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે.હાલ ફતેપુરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટ ફાળવી આપવામાં આવેલ છે.તેમાં મોટાભાગની ગ્રામ પંચાયતોએ ગ્રામ વિકાસના કાર્યો કર્યા છે.પરંતુ કેટલીક ગ્રામ પંચાયતોમા ગ્રાન્ટના નાણાં સહી સલામત જમા પડ્યા હોવાનું જાણવા મળે છે.જાેકે ગ્રામ વિકાસના કામો શિયાળુ,ઉનાળુ સમયમાં થઈ શકે. જ્યારે હાલ ચોમાસુ વરસાદ થવાની તૈયારીમાં છે. તેમજ ફતેપુરા તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતોમાં સરપંચો ની સમય મર્યાદા પૂર્ણ થવા ગણતરીના મહિના બાકી રહ્યા છે.તેમ છતાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામોમાં ઉપયોગ કરવા રાહ જાેવાતી હોય તેમ કેટલીક ગ્રામ પંચાયતોના લાખો રૂપિયા ગ્રામ પંચાયતના નામે સહી સલામત હોવાનું જાણવા મળે છે.જાેકે ફતેપુરા તાલુકામાં તમામ ગામડાનો સંપૂર્ણ ભૌગોલિક વિકાસ થઈ ગયો હોય અને નાણાપંચના નાણાં ગ્રામ પંચાયતના નામે સલામત રહે એ ખુશીની બાબત છે.પરંતુ તેવું જાેવા માટે હજી કદાચ વર્ષોનો સમય લાગશે. ત્યારે જે તે ગ્રામપંચાયતને વિકાસ કામો માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો સમયસર સદુપયોગ થાય તે ખૂબ જ જરૂરી જણાય છે. અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે, અગાઉના વર્ષોમાં કેટલાક બોર વિથ મોટરની કામગીરી કરવામાં આવે છે તે નિયમો મુજબ કરવામાં આવેલ નથી.જ્યારે કેટલાક આર.સી.સી રસ્તાઓ ઓન પેપર બનાવી નાણા હડપ કરવામાં આવેલ છે.તેનું હવે પછી પુનરાવર્તન થાય નહીં તે પ્રત્યે પણ તાલુકા-જિલ્લા જિલ્લા તંત્રો દ્વારા ખાસ ધ્યાન આપવાની જરૂર છે.વધુ વાંચો -
સુખસરમાં મૃતક પિતાને મુખાગ્ની આપી દીકરીઅપુત્ર ધર્મ બજાવ્યો
- 13, જુન 2021 01:30 AM
- 392 comments
- 2366 Views
સુખસર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર મેઇન બજાર ખાતે રહેતા સાધુ દિલીપભાઈ શાંતિલાલભાઈ નાઓ એસ.ટી ખાતામાં ખંભાત ડેપોમાં નોકરી કરતા હતા.જેઓ થોડા સમયથી બીમારીના બિછાનેપડેલા હતા.જેઓને ઝાલોદ બાદ વધુ સારવાર માટે ગોધરા લઈ જતા સમયે રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું. જેઓનેપરત ઘરે લઈ આવવામાં આવ્યા હતા.દિલીપભાઈને સંતાનમાં ચારપુત્રીઓ છે.અને આ તમામપુત્રીઓનાં લગ્નપણ થઈ ગયેલા છે. જાેકે એકપુત્રી કેનેડામાંપણ રહેછે. જ્યારે અન્ય દીકરીઓ ગુજરાતમાં હોય સુખસર આવેલ હતી.ત્યારે દીકરીએ પિતાને કાંધ આપી સ્મશાનેપહોંચાડ્યા હતા.અને મુખાગ્નિપણ દીકરીએ આપી હતી.આમ દીકરાની ખોટ દીકરી એપૂરી કરી હોવાનું જાણવા મળે છે.વધુ વાંચો -
દેશી કટ્ટો અને જીવતા કારતૂસ સાથે યુવક પકડાયો
- 13, જુન 2021 01:30 AM
- 654 comments
- 7142 Views
દાહોદ, દાહોદ એલ.સી.બી અનેપેરોલ ફર્લો સ્કવોડ ની સંયુક્ત ટીમે ઝાલોદ તાલુકા ના નાનસલાઈ ગામનાપીકઅપ સ્ટેન્ડપર નજીક થી નાનસલાઈ ગામના યુવકને શંકાસ્પદ હાલતમાં ઝડપીપાડી તેનીપાસેથી રૂપિયા ૧૫ હજારની કિંમતની દેશી માઉઝર પિસ્તોલ એક જીવતો કારતુસ એક મોબાઇલ ફોન તથા રોકડ મળી રૂપિયા ૧૮, ૨૫૦ નો મુદ્દામાલપકડીપાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે ગતરોજ દાહોદ એલસીબીપી.આઈ બી ડી શાહ તથા એલસીબીપીએસઆઇપીએમ મકવાણા તેમજ અન્ય ગુનાઓ માં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓનેપકડીપાડવાની દિશામાં ખાનગી બાતમીદારો રોકી અસરકારક આયોજન બદ્ધ કામગીરી હાથ ધરી હતી તે દરમિયાનપેરોલ ફર્લો સ્ક્વોડનાપીએસઆઇ આઇએસિસોદિયા ને ગુપ્ત બાતમી મળી હતી કે ઝાલોદ તાલુક ના નાનસલાઈ ગામનાપીકઅપ સ્ટેન્ડ નજીક એક ઈસમપોતાનીપાસે ગેરકાયદેસર હથિયાર રાખી વેચવાનીપેરવી માં ફરે છે જે મળેલ બાતમીના આધારેપેરોલ ફર્લો સ્કવોડ તથા એલસીબી સ્ટાફના માણસો બાતમી માં જણાવેલ વર્ણન વાળી જગ્યાએ વર્ણન વાળા યુવકને ઝડપીપાડી તેનીપૂછપરછ કરતા તેણેપોતાનું નામ પ્રજેશ કુમાર અશ્વિનભાઈપટેલ રહેવાસી નાનસલાઈપેટ્રોલપંપની બાજુમાં તાલુકા ઝાલોદ હોવાનું જણાવ્યું હતુંપોલીસે તેની ઝડતી તપાસ કરતા તેના કબજામાંથીપેન્ટના કમરના ભાગે ખોસી રાખેલ એક ગેરકાયદેસર હથિયાર િ પિસ્તોલ તથાપેન્ટના ખિસ્સામાંથી એક જીવતો કારતુસ તેમજ રૂપિયા ત્રણ હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂપિયા ૨૦૦ ની રોકડ મળી કુલ રૂપિયા ૧૮ ૨૫૦ નો મુદ્દામાલ મળી આવતા તે કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરવા ઝાલોદપોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.વધુ વાંચો -
દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારાનો વિરોધ
- 12, જુન 2021 01:30 AM
- 5058 comments
- 8569 Views
દાહોદ,દેશમાં એક તરફ સમગ્ર દેશમાં એક તરફ કોરોના ના કાળા કહેરે શારીરિક અને આર્થિક રીતે સૌને તોડી નાખ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારની વધી રહેલા ભાવોને અંકુશમાં લાવવા મા નિષ્ફળતાને કારણે વધેલી કારમી કમરતોડ મોંઘવારી માં તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાનને આંબી જતા તે ભાવ વધારાના વિરોધમાં આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બળદ ગાડા સાથે શહેરના રાજમાર્ગો પર મોંઘો ગેસ મોઘું તેલ બંધ કરો આ લૂંટ નો ખેલ તેમજ વધેલા ભાવના પોસ્ટર સાથે ભાજપ હાય.. હાય.. ના સૂત્રોચ્ચાર સાથે ફરી ભાવ વધારાનો વિરોધ કરી દેખાવો યોજયા હતા છેલ્લા દોઢ વર્ષથી કાળમુખા કોરોના એ કાળો કેર વર્તાવતા ઘરે-ઘરે કોરોના ના દર્દીઓ ના ખાટલા જાેવા મળ્યા અને શહેરની તમામ હોસ્પિટલોમાં બેડ ની અછત સર્જાઈ મોતનો આંકડો પણ વધુ હોવાના કારણે અનેક પરિવારોના માળો વિખરાઈ ગયા કોઈ નો ઘરનો લાલ તો કોઈના ઘરનો કમાનાર કોરોના મોતને ભેટ્યો હતો ઘરે-ઘરે મોતનો માતમ જાેવા મળ્યો કોરોના એ સૌને આર્થિક રીતે તોડી નાખ્યા આવા કપરા સમયમાં પડતા પર પાટુ ની જેમ કેન્દ્ર અને રાજ્ય સરકારની વધતા ભાવોને અંકુશમાં લેવા માં થયેલી નિષ્ફળતાને કારણે ખાદ્ય ચીજાે ગેસ પેટ્રોલ ડીઝલ અનાજ કઠોળ દાળ તેલ તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો આસમાનને આંબી જતા મધ્યમ વર્ગના લોકોને બે ટંકનો રોટલો કાઢવો મુશ્કેલ બન્યો છે ક્યારે ગરીબોની સ્થિતિ ની કલ્પના જ શું કરવી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે કાળઝાળ મોંઘવારીમાં ભાવો પર અંકુશ લાવવાના મુદ્દે હાથ ઉચા કરી દેતાં જનતા ની હાલત અત્યંત કફોડી બની છે ત્યારે ગૃહના રસોડા નું બજેટ પણ તૂટ્યું છે તેવા સમયે જનતા વહારે આવે કોંગ્રેસ ભાવ વધારાના વિરોધમાં સડકો પર આવી વિરોધ પ્રદર્શન કરી રહી છે તેના પગલે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવ વધારાના વિરોધમાં ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા.છોટાઉદેપુરમા કોગ્રેસ ધ્વારા પેટ્રોલ અને ડિઝલ ના ભાવ વધારા સામે વિરોધ છોટાઉદેપુર, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવો પર એક્સાઇઝ ડ્યુટી નો ભાવ વધારો કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થયો છે જેને પગલે સામાન્ય અને મધ્યમ વર્ગીય પ્રજા ને બોજાે સહન કરવો પડી રહ્યો છે છેલ્લા ૧૪ વર્ષમાં પ્રથમ વાર એવું બન્યું છે કે પેટ્રોલના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે જેના કારણે પ્રજાને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે દરેક જિલ્લામાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના મુદ્દે જિલ્લા કક્ષાએ પ્રદર્શનનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર શહેર ખાતે આવેલા નારાયણ પેટ્રોલ પંપ ઉપર સૂત્રોચ્ચાર કરી મોદી સરકારની હાય-હાયના નારા લાગ્યા હતા છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસના સંગામસિહ રાઠવા દ્વારા પેટ્રોલ પંપ નરેન્દ્ર મોદી અને વિજયભાઇ રુપાણી સરકાર નો વિરોધ કરાયો હતો સાથે જ વિરોધ પ્રદર્શન કરનારાઓને છોટાઉદેપુર પોલીસે ડિટેઈન કરતા કોંગી કાર્યકરોએ અનેક સૂત્રોચ્ચાર કર્યા હતા છોટાઉદેપુર પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા છોટાઉદેપુર કોંગ્રેસના પ્રમુખ તેમજ નગરપાલિકાના કાઉન્સિલરોઅને કોંગી કાર્યકરોને અટકાયત કરી હતી તાલુકા પંચાયતના સભ્ય સહિત કોંગ્રેસી કાર્યકરો જાેડાયા હતા અને તેમણે પેટ્રોલના ભાવ વધારા સામે મોદી સરકારની હાયના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતાપેટ્રોલ-ડિઝલના વધતા ભાવ તેમજ મોંઘવારી અંગે પાવીજેતપુર કોંગ્રેસ દ્વારા આવેદન અપાયુ પાવીજેતપુર વર્તમાન સમયમાં પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચતા તેમજ મોંઘવારી ચરમસીમાએ પહોચી જતા પાવીજેતપુર તાલુકા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને પાવીજેતપુર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વસવાટ કરતા મોટે ભાગે આકાશી ખેતી કરી જીવન નિર્વાહ કરતા ખેડૂતો, ખેત મજૂરો તથા આદિવાસીઓ, અને કોંગ્રેસીઓએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભારત દેશમાં ભારત સરકારનો પેટ્રોલ-ડીઝલ અને તેની ગૌણ પેદાશોના ભાવો આસમાને પહોંચ્યા છે. જે ભાવવધારો અસહ્ય છે ભારત દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો રોજબરોજ વધતા જાય છે, જેને કેન્દ્રની ભાજપ સરકાર લગામ મારી શક્તિ નથી. વહીવટમાં નિષ્ફળ ગયેલી સરકાર કોઈ નક્કર પગલાં લેવાના બદલે આંતરરાષ્ટ્રીય બજાર ના ભાવના બહાના હેઠળ પેટ્રોલ-ડીઝલના ભાવને અંકુશમાં રાખી નથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપર ૧૦૦ ટકા જેટલો ટેક્ષ લઈને પ્રજા પાસે પૈસા ખંખેરવાનું કામ કરે છે. જીવન જરૂરિયાતની વસ્તુ સીંગતેલ અનાજ ના ભાવ આસમાને છે. ત્યારે ખેડૂતોને કાચા માલના પોષણક્ષમ ભાવ મળતા નથી. આ સરકાર ના ભાવ વધારવા અંગે નું ગણિત સમજાતું નથી. ખેડૂતોને ખેત વપરાશ માટે ડીઝલથી ચાલતા વાહનો ટ્રેક્ટર, ઓઇલ એન્જિન, પંપ સેટ, થરેસર વગેરેમાં રોજ-બરોજ ડીઝલની જરૂર પડે છે. નાનામાં નાનો ખેડૂત અને મધ્યમ વર્ગ તથા ગરીબો, યુવાનો, ખેત મજૂરો અને બેરોજગારને પેટ્રોલ-ડીઝલના ભાવ ખૂબ જ આર્થિક રીતે નડે છે.વધુ વાંચો -
પાંદડી ગામથી ૧.૩૪ લાખના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ
- 07, જુન 2021 01:30 AM
- 4385 comments
- 6980 Views
દાહોદ,દાહોદ એલસીબી પોલીસે દાહોદ તાલુકાના પાંદડી ગામે રામ ડુંગરા ફળિયા ના એક મકાનમાં બપોરના સમયે ઓચિંતી પ્રોહી રેડ પાડી તે મકાનમાંથી રૂપિયા ૧ . ૩૪ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂની પેટીઓ નંગ ૨૨ સાથે એક વ્યક્તિને સ્થળ પરથી પકડી પાડી વિદેશી દારૂનો જથ્થો કબજે લીધાં નું તથા વરમખેડા ના બે વ્યક્તિઓ સહિત કુલ ચાર જણા પોલીસને ચકમો આપી નાસી ગયાનું જાણવા મળ્યું છે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વરમખેડા ગામે રહેતા મડીયા ભાઈ પુંજાભાઈ ગણાવા ગોપી ભાઈ મડિયા ભાઈ ગણાવા તથા મય લેશ ભાઈ મડિયા ભાઈ ગણાવા એમ ત્રણે બાપ-દીકરા ઓ બિન અધિકૃત રીતે તેઓના પોતાના કબજાની સફેદ કલરની સ્કોર્પિયો ગાડીમાં પાંદડી ગામના રામ ડુમરા ફળિયામાં રહેતા ચુનીયા ભાઈ ભૂરા ભાઈ ના ઘરે લઈ આવી કટીંગ કરતા હોવાની તેઓને બાતમી મળતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર પીએ મકવાણા તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમે મળેલ બાતમીના આધારે ભાતની વાડી જગ્યાએ વ્યૂહાત્મક વોચ ગોઠવી બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ઓચિંતી પ્રોહી રેડ પાડી સ્થળ પરથી વરમખેડા ગામ ના મડીયા ભાઇ પુંજાભાઇ ઘણાને ઝડપી પાડયો હતો અને સ્થળ પરથી રૂપિયા ૧,૩૪,૮૮૦ નીક કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ ૯૧૨ ભરેલ પેટીઓ નંગ ૨૦ ઝડપી પાડી કબજે લીધી હતી જ્યારે વરમખેડા ગામના ગોપી ભાઈ મ ડીયા ભાઈ ગણાવા મ ય લે સ ભાઈ મડિયા ભાઈ ગણાવા તથા દારૂ લેવા માટે આવેલા બે અજાણ્યા મોટરસાયકલ ચાલકો પણ પોલીસને ચકમો આપી નાસી ગયા હતા આ સંબંધે જેસાવાડા પોલીસે વરમખેડા ગામ ના ઉપરોક્ત ગણાવા પરિવારના ત્રણે બાપ-દીકરા વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
રેલવે પોલીસમાં નોકરીના બહાને નોકરીવાંચ્છુઓ પાસેથી રૂપિયા૧૨.૫૦ લાખ ઉઘરાવી છેતરપીંડી
- 07, જુન 2021 01:30 AM
- 6860 comments
- 3944 Views
દાહોદ,દાહોદ જિલ્લામાં નોકરી અપાવવાના બહાને પૈસા પડાવી વિશ્વાસઘાત ઠગાઈ કર્યાના ઘણા કિસ્સાઓ હાલ પ્રકાશમાં આવ્યા છે તેવા સમયે દાહોદ જિલ્લાના ગરબાડા માળ ફળિયાના એક ઠગે ગરબાડા તળાવ ફળિયા ના એક શ્રમિક સહિત કેટલાક નોકરીવાંચ્છુ ઓને પોતે રેલવે પોલીસમાં એસ આઈ તરીકે નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી નોકરી વાંચ્છુઓને નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી રૂપિયા ૧૨,૫૦,૦૦૦ લઈ ફોટા આઈ કાર્ડ તથા ખોટા નોકરીના ઓર્ડર આપી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા માળ મોહનીયા ફળિયામાં રહેતા અરવિંદભાઈ મનુભાઈ સંગાડા નામના એક ઠગે તારીખ ૧૪ ૧ ૨૦૨૦ થી તારીખ ૨ ૫ ૨૦૨૧ દરમિયાન ગરબાડા ગામ ના તળાવ ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા ૨૪ વર્ષીય દેવેન્દ્રભાઈ હરીશભાઈ પંચાલ તથા અન્ય કેટલાક નોકરીવાંચ્છુ વ્યક્તિઓ પાસે જઈ હું રેલવે પોલીસમા એસ આઈ તરીકે નોકરી કરું છું અને મારી પહોંચ ઉપર સુધી છે તમોને નું રેલવેમાં નોકરી જાેઈતી હોય તો હું અપાવી શકું છું એવું કહી નોકરીની લાલચ આપતા દેવેન્દ્ર ભાઈ પંચાલ તથા અન્ય નોકરીવાંચ્છુ ઓ આ ઠગની માયાજાળમા પટાયા હતા અને અરવિંદભાઈ સંગાડા નામના આ ઠગે રેલવે પોલીસમાં નોકરી અપાવવા માટે તે તમામ નોકરીવાંચ્છુ ઓ પાસેથી કુલ રૂપિયા ૧૨,૫૦,૦૦૦ ની માતબર રકમ ઉઘરાવી લીધી હતી ત્યારબાદ તે તમામ નોકરી વાંચ્છુઓને આરપીએફ ના ખોટા આઈ કાર્ડ તથા ખોટા નોકરીના ઓર્ડર આપતા તે સૌ ને અરવિંદભાઈ સંગાડા પર ભરોસો બેસી ગયો હતો. પરંતુ જ્યારે તેઓ નોકરી માટેનો ઓર્ડર લઈને નોકરી પર હાજર થવા ગયા ત્યારે તે નોકરીનો ઓર્ડર તથા આઈ કાર્ડ બંને ખોટા હોવાનું જાણવા મળતા તે સૌએ થયા હોવાની અનુભૂતિ કરી હતી અને અરવિંદભાઈ સંગાડા નો ફોન પર સંપર્ક કરતા તેઓ નો ફોન સતત બંધ આવતા આ સંબંધે ગરબાડા ગામ ના તળાવ ફળિયામાં રહેતા અને છેતરપિંડીનો ભોગ બનેલ દેવેન્દ્રભાઈ હરીશભાઈ પંચાલ એ ગરબાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગરબાડા માળના મોહનીયા ફળિયામાં રહેતા અરવિંદભાઈ મનુભાઈ સંગાડા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
સુખસર ખાતે વરલી મટકાનો જુગાર રમાડતા ત્રણ ખેલીઓે ઝડપાયા
- 06, જુન 2021 01:30 AM
- 6730 comments
- 3394 Views
સુખસર, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર પંથકની શ્રમિક પ્રજા વરલી-મટકાના જુગાર બાબતે તદ્દન અજાણ છે.દાહોદ એલ.સી.બી પોલીસના હે.કો હિરેન્દ્રસિંહ સોલંકી તથા અલ્કેશભાઇ નાઓ સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ આધારભૂત બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે,સુખસર ખારીયા નદીના કાંઠે આવેલ સ્મશાનની પાછળ કંતાનના ઝૂંપડામાં ત્રણ ઈસમો દ્વારા વરલી-મટકાનો આંક ફરકનો જુગાર રમાય છે.તેવી બાતમી હકીકતના આધારે નજીકમાંથી બે પંચના માણસો સાથે લઈ બાતમી વાળી જગ્યાએ એલ.સી.બી પોલીસે રેડ કરવા જતાં કેટલાક લોકો ટોળે વળી કાંઇક લખતા હોય જેઓને કોર્ડન કરી પકડવા દોડતા ત્રણ ઈસમો સ્થળ ઉપર પકડી પાડેલ. જ્યારે અન્ય જુગારીયાઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.જ્યારે પકડાયેલા ઇસમોનુ નામ પુછતા એક વ્યક્તિએ પોતાનું નામ નાગેશ કુમાર કમલકાંત સાધુ રહે.લીમડી,જૈન મંદિર સામે,તા.ઝાલોદ તથા બીજાનું નામ પુછતા તેણે પોતાનું નામ પ્રકાશભાઈ માનસિંગભાઈ પારગી રહે.કરમેલ,તા. ફતેપુરા તથા ત્રીજા ઇસમનું નામ પુછતા તેણે નરેન્દ્રભાઈ દરિયાવરભાઈ બારીયા,રહે.રણીયાર,તા.ઝાલોદ જિલ્લો.દાહોદનો હોવાનું જણાવેલ આ ત્રણ ઈસમોને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી સુખસર પોલીસને સોંપ્યા હતા.ઝડપાયેલા ઇસમોની અંગજડતી કરતા નાગેશકુમાર પાસેથી એક હાથમાં ચાલુ હાલતમાં બોલપેન તથા બીજા હાથમાં વરલી મટકાના જુદી-જુદી આંક ફરકના આંકડા લખેલ કાગળની એક સફેદ કલરની ચીઠ્ઠી મળી આવેલપ્રકાશપારગીના પેન્ટના ખિસ્સા માંથી એક સફેદ કલર ની ચીઠ્ઠી મળી આવેલ હતી.જેઅંગજડતી દરમિયાન નાગેશ કુમારના પેન્ટના ખિસ્સામાંથી ૫૦૦ના દરની ચલણી નોટો મળી આવેલ.જે નોટોની ગણતરી કરી જાેતા રૂપિયા ૫૦૦૦/- તથા સોના દરની બે ચલણી નોટો મળી આવેલ હતી.આમ રોકડ રૂપિયા- ૫૨૦૦/-તથા એક ઓપો કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂપિયા-૫૦૦૦/- કુલ મળી રૂપિયા- ૧૦,૨૫૦/- જ્યારે બીજા ઈસમના પેન્ટના ખિસ્સામાં પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા-૩૭૫૦/- મળી આવેલ હતા. ત્રીજા ઇસમના પેન્ટના ખિસ્સામાંથી પંદરસો રૂપિયા મળી આવ્યા હતા.વધુ વાંચો -
યુવતી સાથેના એક તરફી પ્રેમને કારણે કૌટુંબીક ભાણેજે મામાને મોતને ઘાટ ઉતાર્યો
- 05, જુન 2021 01:30 AM
- 417 comments
- 9935 Views
દાહોદ,દાહોદ તાલુકાના મુવાલીયા ગામે તળાવમાંથી દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ના યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી લેવામાં પોલીસે સફળતા મેળવી છે મૃતક યુવાનના કુટુંબી ભાણેજે જ એક યુવતી સાથેના એક તરફી પ્રેમને કારણે પોતાના મામાને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે પરમ દિવસે મોડી રાતના દાહોદ તાલુકાના મુવાલીયા ગામના તળાવમાંથી દાહોદના ગલાલીયાવાડ માં રહેતા શ્યામ બુધા રામ પારગીની લાશ મળી આવી હતી. મૃતક શ્યામને આંખના ભાગે તેમજ માથાના ભાગે બોથડ પદાર્થથી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાેવા મળ્યું હતું અને આ સંબંધે મૃતક શ્યામ ના પિતા દ્વારા દાહોદ તાલુકા મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. સ્થાનિકો પાસેથી જાણવા મળ્યા મુજબ મૃતક શ્યામનો કુટુંબી ભાણેજ અવારનવાર તેના મામાના ઘરે ગામે ગલાલીયાવાડ ગામે આવતો જતો રહેતો હતો અને તેના મામાના ગામની એક છોકરી ના તે એકતરફી પ્રેમમાં હતો તેના મામા શ્યામ પણ છોકરીને મળતો હતો અને વાતચીત પણ કરતો હતો શ્યામ આ છોકરી સાથે વાતચીત કરતો હોવાનું કુટુંબી મામા અર્જુન ભાઈ ને જાણવા મળતાં તેના અને શ્યામ વચ્ચે અગાઉ પણ બોલાચાલી અને ઝઘડો તકરાર થયા હતા આ માહિતી પોલીસને મળતા પોલીસે મૃતક શ્યામના કુટુંબી મામા અર્જુનભાઈ ની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી પોલીસ પૂછપરછમાં અર્જુને કબૂલ કર્યું હતું કે બંને વચ્ચે એક જ છોકરી ના પ્રેમ સંબંધ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ અર્જુને શ્યામ ને હું તને ઘાટ ઉતારવા માટે નો પ્લાન ઘડી કાઢયો હતો બનાવના દિવસે અર્જુન નો જન્મદિવસ હોય અને જન્મદિવસની ઉજવણી ના બહાના હેઠળ અર્જુને શ્યામને તેના ઘરે બોલાવ્યો હતો અને તેની મોટરસાઈકલ લઈ બંને જણા રાબડાલ આવ્યા હતા અને ત્યાંથી બંને જણા મુવાલિયા તળાવ પર આવ્યા હતા અને તળાવના કિનારેમૃતક શ્યામ ને લઈ જઈ અર્જુને શ્યામ ને તળાવમાં ધક્કો મારી દીધો હતો શ્યામે તળાવ માંથી બહાર નીકળવાની ઘણી કોશિશ કરી હતી તે વખતે કિનારે ઉભેલા અર્જુને બાજુમાં પડેલા મોટા પથ્થર વડે શ્યામના માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારી ત્યાં જ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.વધુ વાંચો -
ત્રણ જેટલી દુકાનોના પરવાના ત્રણ માસ માટે સસ્પેન્ડ કરાયા
- 04, જુન 2021 01:30 AM
- 3524 comments
- 7574 Views
દાહોદ હાલ કોઈ વિભાગ એવો નહીં જાેવા મળે જ્યાં ભ્રષ્ટાચાર ચાલતો ન હોય તેવા સમયે દાહોદ જિલ્લામાં ગરીબ લોકોને સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા સરકારે નક્કી કરેલ પુરવઠો પૂરો આપવામાં આવે છે કે નહીં તે જાેવા દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં ૫૬ જેટલી સસ્તા અનાજની દુકાનો આકસ્મિક તપાસ હાથ ધરાતા અનાજ વિતરણમાં ગંભીર ક્ષતિઓ જાેવા મળતા જિલ્લામાં ત્રણ જેટલી સસ્તા અનાજની દુકાનોના ત્રણ માસ માટે અને બે દુકાનોના બે માસ માટે પરવાના સસ્પેન્ડ કરાતા સસ્તા અનાજની દુકાનોના સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કોરોના વાયરસની વ્યાપક અસરના કારણે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓને ૨૦૨૧ ના મે માસ દરમિયાન કેન્દ્ર સરકાર પુરસ્કૃત પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના હેઠળ મફતમાં તથા એન.એફ.એસ.એ યોજના અંતર્ગત રેગ્યુલર પ્રમાણ અને દરથી અનુ પુરવઠો આપવામાં આવે છે કે કેમ જેની ચકાસણી કરવા માટે દાહોદ જિલ્લા કલેકટરના તારીખ ૨૧.૫.૨૦૨૧ ના હુકમથી દાહોદ જિલ્લાની ૫૬ જેટલી વ્યાજબી ભાવની દુકાનોમાં પ્રાંત અધિકારી અને મામલતદારો મારફતે આંતર તાલુકા તપાસ કરવામાં આવી હતી અને તેના અહેવાલ કલેકટરને સુપરત કરવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવેલી ગંભીર ક્ષતિઓ ને આધારે દાહોદ તાલુકાની ત્રણ દુકાનોના ત્રણ માસ માટે તથા સંજેલી તાલુકાના જસુણી ગામની બે દુકાનોના બે માસ માટે પરવાના મોકૂફ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.વધુ વાંચો -
કતવારા નજીક એલપીજી ગેસ ભરેલા ટેન્કરના કેબિનમાં આગ
- 31, મે 2021 01:30 AM
- 913 comments
- 7614 Views
દાહોદ, ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર દાહોદ તાલુકાના કતવારા ગામ નજીક રોડ પર દહેજ થી ઉજ્જૈૈન જઈ રહેલા એલપીજી ગેસ ભરેલા ટેન્કરના કેબિનમાં અકસ્માતે આગ લાગી જતાં ઘટનાની જાણ થતા કતવારા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી સમય સુચકતા વાપરી એક તરફનો હાઇવે રોડ બંધ કરી ઘટનાસ્થળે એકત્રિત થયેલા લોકોને ત્યાંથી ખસેડી ફાયર સ્ટેશનને આજ અંગેની જાણ કરતા તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવેલ ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગ ઓલવી નાખી ઘટનારી ભયાનક ઘટનાને ઘટતી રોકી લેતા સૌએ હાશકારો લીધો હતો.પ્રાપ્ત વિગત અનુસાર જીજે.૧૨.એટી.૭૨૨૫ નંબરના ટેન્કરમાં દહેજ થી એલપીજી ગેસ ભરી ઉજ્જૈન જવા નીકળ્યું હતું અને ટેન્કર દાહોદ થી પસાર થઇ અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પર આગળ વધ્યું હતું. તે દરમિયાન આજે સવારે અગિયારેક વાગ્યાના સુમારે કતવારા ગામ નજીક એલપીજી ગેસ ભરેલું ટેન્કરની કેબીનમાં અકસ્માતે આગ લાગી જતા તેનો ચાલક અને કલીનર કેબિનમાંથી ટેન્કર બંધ કરી નીચે ઉતરી ગયા હતા. ટેન્કરના કેબિનમાં આગ લાગતિ નજરે પડતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે સમયે ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી આવેલ કતવારા પોલીસે આ અંગેની જાણ દાહોદ ફાયર સ્ટેશનને કરી ઘટનાસ્થળે એકત્રિત થયેલ લોકોને ત્યાંથી ખસેડી સમય સુચકતા વાપરી પોલીસે એક તરફનો હાઇવે બંધ કરી પોલીસ ગોઠવી દીધી હતી. ફાયરબ્રિગેડના લાશ્કરોએ પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમતએ આગ પર કાબુ મેળવી હતી.વધુ વાંચો -
અપહરણ અને બળાત્કારના ગુનાનો આરોપી પકડાયો
- 28, મે 2021 01:30 AM
- 6730 comments
- 8043 Views
દાહોદ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડા તેમજ દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જાેઈસરએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથમાં રીતે અસરકારક કોમ્બિંગ હાથ ધરવા કોમ્બિંગ હાથ ધરવા આપેલ માર્ગદર્શન હેઠળ અને દેવગઢબારીયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બેગડીયાની સૂચનાથી ધાનપુર પી.એસ.આઇ, બી.એમ પટેલએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગનું આયોજન કર્યું હતું. તે દરમિયાન પેટ્રોલિંગમાં ઉપસ્થિત ધાનપુર એ.એસ.આઇ રોહિતભાઈ મંગુભાઈને મળેલ ખાનગી બાતમીના આધારે વર્ષ ૨૦૧૬ ના સગીરાના અપહરણ તેમજ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ચાર વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા ધાનપુર તાલુકાના લીમડી મેન્દ્રી ગામના અરવિંદભાઈ નાથુભાઈ પરમારને તેના ગામના રોડ પરથી વોચ દરમિયાન ઝડપી પાડી તેને ધોરણ સાત હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
પાઇપ લાઇનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ
- 28, મે 2021 01:30 AM
- 9525 comments
- 6515 Views
દાહોદ, આકરા ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે દાહોદ જિલ્લામાં નદી-નાળા સુકાઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારોની જનતાને પીવાના પાણી માટે વહેલી સવારે બબ્બે ત્રણ ત્રણ કિલોમીટરની દડમજલ કાપવી પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સૌને પાણીની સમસ્યા સતાવી રહી છે. તેવા સમયે દાહોદ ખાતે ખરેડીમાં કડાણા સિંચાઈ યોજનાની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા આખા દિવસમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયા બાદ પાણીની પાઈપલાઈનનું સમારકામ કરવા માટે સંલગ્ન વિભાગની ટીમો ઉતરી આવી હતી અને પાઇપલાઇનનું સમારકામ કરી પાણી લીકેજ કરતું બંધ કરી દેવાતા પાણીનો વેડફાટ થતો અટકયો હતો. દાહોદ જિલ્લામાં કોઈ પણ મોટી સિંચાઇ યોજના ન હોવાથી જિલ્લાનો ખેડૂત વરસાદ આધારીત ખેતી કરે છે અને ત્યારબાદ ના દિવસોમાં પોતાનું ખોરડું ભગવાન ભરોસે મૂકી પરિવાર સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમા મજૂરી અર્થે નીકળી જાય છે.જિલ્લાનો ખેડૂત બારેમાસ ખેતી કરી શકે અને પોતાના માદરે વતનમાં જ પોતાના કુટુંબ કબીલા સાથે રહી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા દાહોદ જિલ્લા માટે કડાણા આધારિત સિંચાઈ યોજના તૈયાર કરવામાં આવી છે જેમાં રૂપિયા ૧૦૫૪ કરોડના ખર્ચે કડાણા થી પાઇપલાઇન દ્વારા પાણી લાવી દાહોદ જિલ્લાના સિંચાઈ તળાવોમાં ઠાલવવામાં આવે છે. આ પાઈપલાઈન દાહોદ પાસે આવેલા દાહોદ તાલુકાના ખરેડી ગામ વિસ્તારમાંથી પસાર થાય છે. જે પાઇપલાઇનમાં ગતરોજ વહેલી સવારે પાંચ વાગ્યે લીકેજ થઈ જતા તેના વાલ માંથી કુવારા સાથે પાણી નીકળી રહ્યું હતું. જેના કારણે આસપાસ ના ખેતરો નાના સરોવરમાં ફેરવાઈ ગયા હતા અને રાત્રે પણ જાે પાણી કરવાનું ચાલુ રહેશે તો ઘરોમાં પાણી ભરાઇ જવાની દહેશત ઊભી થતાં આ અંગેની જાણ તાબડતોબ સંલગ્ન તંત્રના અધિકારીઓને કરવામાં આવી હતી અધિકારીઓ સાંજે સમાર કામ માટે આવે તે પહેલા તો સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઇ ગયું હતું કારણકે થોડે થોડે અંતરે પાઇપલાઇનમાં બે જુદી જુદી જગ્યાએ લીકેજ સર્જાયું હોવાનું પણ જાણવા મળ્યું હતું. સાંજે આ પાઇપલાઇનના લીકેજથી સમારકામ હાથ ધરી લીકેજ બંધ કરાતા પાણીનો વેડફાટ થતો હતો. આખો દિવસ પાણી લીકેજ થતા મચ્છરો લિટર પાણીનો વેડફાટ થઈ ગયો હતો આ જ રીતનું લીકેજ અગાઉ થોડા દિવસ પહેલા પણ દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે સર્જાયું હતું તે વખતે પણ હજારો લીટર પાણી નો વેડફાટ થવા પામ્યો હતો આવામાં આ રીતે પાણીનો હતો વેડફાટ ઘણો મોંઘો પડી રહ્યો છે જેથી આ રીતે પાણીની પાઇપલાઇનમાં ફરીવાર લીકેજ ન સર્જાય તે માટે તકેદારી રાખવી અત્યંત જરૂરી થઈ પડી છે.વધુ વાંચો -
જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલી જતા લોકોની ભીડ
- 13, મે 2021 12:00 AM
- 1139 comments
- 7537 Views
દાહોદદાહોદ શહેરમાં કોરોના મહામારીના પગલે તંત્ર દ્વારા લાવવામાં આવેલ નિયંત્રણોની મુદત પુરી થતા નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવી દેવામાં આવ્યા છે શહેરમાં સવારથી જ કરિયાણા તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલી જતા લોકોની ભીડ શરૂ થઈ જાય છે અને જાેતજાેતામાં ભીડ એટલી બધી વધી જાય છે કે ત્યાં સોશિયલ ડીશસ્ટન્સના ધજાગરા રોજે રો જે ઉડતા જાેવા મળી રહ્યા છે જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે દાહોદ શહેર સહિત જિલ્લામાં કેટલાય દિવસોના કોરોના ના કહેર બાદ કોરોના નું જાેર છેલ્લા ત્રણ-ચાર દિવસથી નબળું પડ્યું છે. જે તંત્ર તથા દાહોદ વાસીઓ માટે સારા સમાચાર છે દાહોદ શહેરમાં કોરોનાના કાળા કહેરના કારણે દર્દીઓની સંખ્યા વધી જતા હોસ્પિટલો ઊભરાઈ રહી છે હોસ્પિટલોમાં નહિવત બેડ ખાલી છે મરણ નો આંકડો પણ તેજ ગતિએ વધી રહ્યો છે. આવા સમયે સરકારી ગાઈડલાઈન તેમજ એસ.એમ.એસ ના નિયમનું પાલન કરવું અત્યંત જરૂરી હોવાનું સૌ કોઈ જાણતા હોવા છતાં દાહોદ વાસીઓ પોતાના શહેર પરત્વેની ફરજનું પાલન કરવામાં પાછા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સવાર પડતાં જ દાહોદ શહેરના પડાવ યસ માર્કેટ હનુમાન બજાર એમ.જી.રોડ કથીરિયા બજાર ભોઈવાડા જેવા વિસ્તારોમાં લોકોની બેદરકારીને કારણે સોશિયલ ડીશસ્ટન્સના ધજાગરા ઉડાડતા જાેવા મળી રહ્યા છે.વધુ વાંચો -
વેક્સિનેશન તેમજ ટેસ્ટિંગ માટે વધુમાં વધુ લોકોને પ્રોત્સાહિત કરવામા સરકાર નિષ્ફળ
- 13, મે 2021 12:00 AM
- 4507 comments
- 5366 Views
દાહોદકોરોનાના વધતા કેસો વચ્ચે કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાએ દાહોદના ઝાયડસ સરકારી દવાખાનાની આજે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાની સાથે દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા તથા ગરબાડા તાલુકાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ કોરોનાના વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઇ તેઓના ખબર અંતર પૂછી તેઓને મળતી સારવાર આ બાબતે પૂછપરછ કરી હતી. દાહોદ જિલ્લો ટ્રાયબલ જિલ્લો છે અને દાહોદ ખાતેની સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓને જાેઈતી તમામ સુવિધાઓ હાલમાં ઉપલબ્ધ છે. પરંતુ આજે દાહોદની આજુબાજુ ના રાજ્યો અને આજુબાજુના જીલ્લાઓમાં થી કોરોના જે દર્દીઓ સારવાર અર્થે આવે છે તેની સંખ્યા પણ ખૂબ મોટી છે જેના કારણે દાહોદની સવિલ હોસ્પિટલમાં બેડ ખાલી પડતા નથી અને જે આજુબાજુના પીએચસી અને સીએચસી કેન્દ્રો પૈકી મોટાભાગના કેન્દ્રોમાં મોટાભાગની જગ્યાઓ ખાલી પડી છેે. ત્યાં અન્ય સુવિધા પણ નથી સરકારે આજે વેક્સિનેશન તેમજ ટેસ્ટિંગ માટે વધુમાં વધુ લોકોને પ્રોત્સાહિત કરવા જાેઈતા હતા તે કરવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. ટેસ્ટીંગ કીટ માટેનું જે મટીરીયલ પ્રોવાઇડ કરવું જાેઈએ તે પીએચસી અને સીએચસી કેન્દ્રમાં સરકાર પ્રોવાઇડ કરી શકી નથી.વધુ વાંચો -
ગુજરાતના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યૂને લઈને જુઓ શું લેવાયો નિર્ણય, આ તારીખ સુધી કર્ફ્યૂ યથાવત
- 11, મે 2021 05:49 PM
- 1600 comments
- 6709 Views
ગાંધીનગર-ગુજરાતની 8 મનપા સહિત 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે સરકારે ગુજરાતના 36 શહેરોમાં લાગેલા કર્ફ્યૂને લંબાવ્યું છે, આગામી 18 મે સુધી કર્ફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે. આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાને લઈને સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ નિયંત્રણો મુકવા કરેલા સૂચનનો સરકાર સ્વીકાર કરી લગ્નો અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ કડક હાથે કામ લ્યે તેવી શકયતા છે. એટલુ જ નહિ લગ્ન સમારોહ ઉપર ૧૫ દિવસનો પ્રતિબંધ લાદવામાં આવે તેવી શકયતા છે. ધાર્મિક કાર્યક્રમોમા પણ સંખ્યા સીમીત કરવામાં આવે તેવી શકયતા છે. હાઈકોર્ટમાં એવી દરખાસ્ત થઈ હતી કે લગ્નોમાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો ૧૫ દિવસ માટે પ્રતિબંધીત કરવામાં આવે. અનેક ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન કાર્યક્રમોમાં ભીડ થાય છે તે બંધ થવુ જોઈએ. હાલ લગ્ન સમારોહમાં ૫૦ લોકોની હાજરી નિશ્ચિત કરવામાં આવી છે. તેમા ઘટાડો કરવામા આવે તેવુ સૂચન થયુ છે. સરકારે પણ આ સંખ્યા ઘટાડવા તૈયારી દર્શાવી છે.વધુ વાંચો -
સંતરોડના કોવિડ સેન્ટરમાં પ્રધાનની મુલાકાત બાદ તાળા વાગી ગયાં
- 11, મે 2021 01:30 AM
- 8998 comments
- 2536 Views
દાહોદ,મોરવા હડફની. કે જ્યાં સંતરોડ ગામે રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમારની કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધા બાદ તુરંત સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું.જયદ્રથસિંહ પરમારની મુલાકાત વખતે સેન્ટરમાં હાજર દર્દી પણ પ્રધાનની મુલાકાત બાદ કોવિડ સેન્ટરમાંથી ગાયબ થઇ ગયા. પ્રધાનની મુલાકાત વખતે કોરોનાના શંકાસ્પદ દર્દીઓને લાવવામાં આવ્યા.સંતરોડ ગામના સેન્ટરની પ્રધાન જયદ્રથસિંહે લીધેલી મુલાકાત અને ત્યાર બાદની સ્થિતિ એમ બંને ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. અન્ય વીડિયોમાં પ્રધાનની મુલાકાત બાદ કોવિડ કેર સેન્ટર તાળું મારેલી સ્થિતિમાં જાેવા મળ્યું. બીજી તરફ કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા આરોગ્યકર્મીએ પણ દર્દીને હમણા જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું જણાવી બચાવ કર્યો હતો. તાળાં મરાય તે તદ્દન ખોટું છે.વધુ વાંચો -
દાહોદના ૧૦૧ આરોગ્ય કેન્દ્રોમાં અધિકારીઓ દ્વારા આકસ્મિક ચકાસણી
- 11, મે 2021 01:30 AM
- 3975 comments
- 9290 Views
દાહોદ, દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરી રહેલી કોરોનાની મહામારીને નાથવા માટે કાર્યરત આરોગ્ય કેન્દ્રની કલેક્ટર વિજય ખરાડીએ સાગમટે આકસ્મિક ચકાસણી કરાવી છે. દાહોદ નગરમાં કાર્યરત બે અર્બન હેલ્થ સેન્ટર અને જિલ્લાના પીએચસી-સીએચસી મળી કુલ ૧૦૧ આરોગ્ય કેન્દ્રોની ૩૫ અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. કલેક્ટર ખરાડીએ ઉક્ત બાબતે માહિતી આપતા જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં પાછલા એક તબક્કામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી વધુ પ્રમાણમાં કેસો મળી આવ્યા હતા. દાહોદ જિલ્લામાંથી મળી આવતા કોરોના વાયરસના કેસોમાંથી ગ્રામ્ય વિસ્તારોના કેસોનું પ્રમાણ ૭૦ ટકા હતું. આ બાબતને ધ્યાને રાખીને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રોની કામગીરીની ચકાસણી કરવી આવશ્યક હતી. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને હાલમાં આરોગ્ય કેન્દ્રોમાં સવારના ૯થી ૧૨ સુધીમાં ઓપીડી તબીબો દ્વારા કરવામાં આવે છે. બપોર બાદ ફિલ્ડ વિઝીટ ઉપરાંત કોન્ટેક્ટ ટ્રેસિંગ, કોરોનાવાળા વિસ્તારમાં આરોગ્યલક્ષી કામગીરી કરાઇ રહી છે. આ બાબતે ધ્યાને રાખીને એક ચેકલિસ્ટ નિયત કરવામાં આવ્યું હતું અને તે મુજબ જિલ્લાકક્ષાના ૩૫ અધિકારીઓને તમામ આરોગ્યકેન્દ્રોની આકસ્મિક તપાસણી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. આ ચેક લિસ્ટમાં તપાસણી સમયે ઉ૫સ્થિત માનવ સંસાધન, ઓપીડીની વિગતો, વેક્સીનેશન, ધન્વંતરિ રથ, આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવેલા એક્ટીવ કેસની સંખ્યા, હોટસ્પોટ વિસ્તારમાં થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ સહિતની બાબતોનો સમાવેશ થતો હતો. ચકાસણી કરાયેલા આરોગ્ય કેન્દ્રની સંખ્યા જાેઇએ તો દાહોદ તાલુકાના ૨૦, ગરબાડા તાલુકાના ૧૦, દેવગઢ બારિયા તાલુકાના ૧૨, લીમખેડાના ૭, સિંગવડના ૮, ધાનપુરના ૯, ઝાલોદના ૧૮, ફતેપુરાના ૧૨ અને સંજેલીના ૫ મળી કુલ ૧૦૧ આરોગ્ય કેન્દ્રની તપાસ કરવામાં આવી હતી.વધુ વાંચો -
ગુજરાતમાં આ તારીખે લગ્નગાળો, પોલીસ દરેક સમારોહ પર નજર રાખશે: CM વિજય રૂપાણી
- 20, એપ્રીલ 2021 07:11 PM
- 4803 comments
- 4529 Views
દાહોદ -દાહોદ પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જિલ્લા વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને વહીવટી તંત્રની કામગીરી મુદ્દે મંથન કર્યું હતું. સમગ્ર રાજ્યમાં આગામી તા. 25, 26 અને 27ના રોજ મોટા પ્રમાણમાં લગ્નગાળો છે. તેમાં કોવિડની ગાઇડલાઇનનું પાલન થાય તે જોવાની જેતે વિસ્તારના પોલીસ સ્ટેશનને જવાબદારી સોંપવામાં આવી છે. જો લગ્નમાં નિયત કરતા વધુ ભીડ જોવા મળશે, તો જવાબદાર પોલીસ અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે. સીએમ રૂપાણીએ કહ્યું કે, દાહોદ જિલ્લામાં જે વિસ્તારોમાંથી વધુ કોરોનાના કેસો મળી આવે છે, ત્યાં ટેસ્ટ, ટ્રેસિંગ અને આઇસોલેટ કાર્યમંત્રને આધારે લોકસહકારથી ઘનિષ્ઠ આરોગ્ય ચકાસણીની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. દર્દીઓને આરોગ્યલક્ષી દવાઓની કિટ્સ પણ આપવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટેની સ્થાનિક પ્રશાસનને સૂચના આપવામાં આવી છે.વધુ વાંચો -
ગુજરાતમાં હાલ લૉકડાઉન લગાવવાની કોઇ જ જરૂર નહીં: CM વિજય રૂપાણી
- 20, એપ્રીલ 2021 07:06 PM
- 6433 comments
- 9762 Views
દાહોદ-દાહોદ પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જિલ્લા વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને વહીવટી તંત્રની કામગીરી મુદ્દે મંથન કર્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર સાથે યોજાયેલ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા સી.એમ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ લૉકડાઉન લાદવાની કોઇ જ જરૂર નથી. કારણ કે 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ, તમામ શૈક્ષણિક સંસ્થાઓ , મોલ્સ, થિયેટરો, જિમ કોરોનાના સંક્રમણ વધતા બંધ કરવામાં આવ્યા છે.આ સાથે જ આગામી સપ્તાહમાં ૩૦૦ પથારીની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી છે. જેમાં દાહોદમાં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ૨૦૦ પથારી અને જિલ્લામાં ૧૦૦ વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે. એટલે, દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની ૩૦૦ પથારી આગામી એક સપ્તાહમાં વધી જશે. લગ્નગાળામાં કોવિડ ગાઇડલાઇનનું ચોક્કસ પાલન થાય તેવું કર્યું સૂચન કરવા જણાવ્યું હતું. સી.એમ રૂપાણીએ કહ્યું કે, દાહોદ જિલ્લામાં જે વિસ્તારોમાંથી વધુ કોરોનાના કેસો મળી આવે છે, ત્યાં ટેસ્ટ, ટ્રેસિંગ અને આઇસોલેટ કાર્યમંત્રને આધારે લોકસહકારથી ઘનિષ્ઠ આરોગ્ય ચકાસણીની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. દર્દીઓને આરોગ્યલક્ષી દવાઓની કિટ્સ પણ આપવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટેની સ્થાનિક પ્રશાસનને સૂચના આપવામાં આવી છે.વધુ વાંચો -
નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર પાસેથી ૫ કરોડથી વધુ અપ્રમાણસર મિલ્કત મળી
- 18, એપ્રીલ 2021 12:00 AM
- 3099 comments
- 818 Views
ગોધરાપંચમહાલ જીલ્લા પંચાયત હસ્તક ના માર્ગ અને મકાન વિભાગમાં સુપરવાઈઝર બાદ નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ગોધરા દેવગઢબારીઆ,લીમખેડા અને મોરવા(હ) ખાતે જેતે સમયે ફરજ બજાવતા અને સીંધી સમાજના ચુની પારૂમલ ધારસીયાણીએ પોતાની ફરજકાળ દરમ્યાન ભ્રષ્ટાચાર આચરી અધધ અપ્રમાણસર મિલ્કતો વસાવી હોવાની અને તેનાથી અધધ રોકાણ કર્યા હોવાની ફરીયાદો ગાંધીનગર સ્થિત એન્ટી કરપ્શન બ્યુરોને મળતા ચુની ધારસીયાણી સામે ૨૦૧૩ થી એસીબીની તપાસ ચાલતી હતી જેની તપાસ ખાતાકીય રાહે અંદર ખાનગી ચાલ્યા બાદ અને “ધનજીમામા”ગૃપ પર તા.૨/૭/૨૦૧૨ ના રોજ આવકવેરા ના સર્ચ ઓપરેશન દરમ્યાન પણ દોષપાત્ર દસ્તાવેજાે મળી આવતા ચુની ધારસીયાણી પણ તેઓની પત્ની ધનવંતીબેન તથા તેમના આશ્રીતોના નામે કરેલા રોકાણની વિગતો એસીબી ના રડારમાં આવતા ખુદ એસીબી પણ ચુની ધારસીયાણીએ તેમની કુલ આવક ચાર કરોડ એકાણુ લાખ અઠ્ઠાણુ હજાર પાંચસો છબ્બીસ (૪,૯૧,૯૮,૫૨૬) ની સામે દસ કરોડ ઓગણચાલીસ લાખ છોત્તેર હજાર બસો છન્નુ રૂપિયા મળી આવતા ચુની ધારસીયાણીએ ગોધરા, ટુવા,છબનપુર,ગોવિંદી,વાવડીબુઝર્ગ અને હાલોલ ના વડાતળાવ ખાતે મળી રૂપિયા પાંચ કરોડ સુડતાવીસ લાખ છોત્તેર હજાર સાતસો સીત્તેર (૫,૪૭,૭૬,૭૭૦) રૂપિયા જેટલી અપ્રમાણસર મિલ્કતો મળી આવતા અંતે ગોધરા સ્થિત એન્ટી કરપ્શન બ્યૂરો ના પોલીસ ઈન્સ્પેક્ટરે જામનગર થી નિવૃત્ત થયેલા નાયબ કાર્યપાલક ઈજનેર ચુની પારૂમલ ધારસીયાણી સામે ગુનો દાખલ કરાયો છે.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
- 10, એપ્રીલ 2021 03:37 PM
- 6742 comments
- 9860 Views
વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ