વલસાડ સમાચાર
-
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 9819 comments
- 809 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
ઉંમરપાડામાં ૬ અને વલસાડ-પારડીમાં ૪ ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું
- 03, ડિસેમ્બર 2021 01:30 AM
- 2341 comments
- 2818 Views
અમદાવાદ, વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર સાયક્લોનિક સરક્યુલેશનને લીધે રાજ્યભરમાં ભરશિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨૦ તાલુકામાં ૬ ઈંચથી લઈને સામાન્ય ઝાપટાં પડ્યા હતા.જેમાં સુરતના ઉંમરપાડામાં ૬ ઈંચ, વલસાડમાં ૪ ઈંચ,પારડીમાં ૪ ઈંચ, સલસાણા, નવસારી, વાપીમાં ત્રણ ઈંચ, અને દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદપડ્યો હતો. દરમિયાન ગુરૂવારના રોજ સવારે ૬ વાગ્યાથી ૨ વાગ્યા દરમિયાન ૫૫ તાલુકામાં ઝાપટાંથી લઈને એક ઈંચ વરસાદપડ્યો હતો.અરબી સમુદ્રના સરકયુલેશનની અસર તળે ગત રાત્રે સૌરાષ્ટ્ર-ગુજરાતના ૧૨૯ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ચોમાસા જેવો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સુરતના ઉંમરપાડામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ધોધમાર ૬ ઇંચ વરસાદપડતા વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. આ ઉપરાંત વલસાડ શહેર તથા જિલ્લાનાપારડી અને નવસારીના ખેરગામમાં ચાર-ચાર ઇંચ, વલસાડના કપરાડા અને ઉંમરગામમાં ૩.૫ ઇંચ, સુરતના મહુવામાંપણ ૩.૫ ઇંચ ઉપરાંત સુરતનાપલસાણામાં ૩, વાપી, નવસારી, ચિખલીમાં ૩ ઇંચ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં વરસી ગયો હતો.ડાગના વઘઈ, નવસારીના જલાલપોર, ડાંગ (આહવા) તથા વલસાડના ધરમપુરમાં ૨.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. દરમિયાન સુરતના કામરેજ, નવસારીના વાંસદા, ગણદેવી, તાપીના વ્યારા, સુરત શહેર તથા જિલ્લાના બારડોલીમાં બે-બે ઇંચ વરસાદ ખાબકયો હતો. ડાંગના સબુરી, તાપીના વાલોદ, ડોલવાણ અને સોનગઢમાંપણ બે ઇંચ વરસાદપડ્યો હતો. ઉપરાંત નર્મદા જિલ્લામાંપણ દોઢ ઇંચ, સુરતના ઓલપાડ અને માંગરોળમાં દોઢ ઇંચ તેમજ ભરૂચમાં દોઢ, ભરૂચના વાલીયામાં દોઢ ઇંચ, નર્મદાના સાગબારામાં દોઢ ઇંચ, છોટા ઉદેપુરના કવાંટમાં સવા, તાપીના નજીરમાં સવા ઇંચ, ગીર સોમનાથના ઉનામાં સવા ઇંચ, અમરેલીના ખાંભામાં ૧ ઇંચ, સુરતના ચોર્યાસીમાં ૧ ઇંચ તથા ભરૂચના હાંસોટ, વાગ્રા, દાહોદ, નર્મદાના ગરૂડેશ્વર, છોટા ઉદેપુરના નસવાડી, વડોદરાના કરજણ અને સિનોરમાં ૦.૫ ઇંચ તથા ભાવનગરના શિહોર, વલ્લભપુર,પાલીતાણા, અમરેલીના રાજુલા તથા જૂનાગઢના વિસાવદરમાંપણ ૦.૫-૦.૫ ઇંચ વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસ્યો હતો.૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગાંધીનગર, અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. જ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જાેવા મળ્યું છે. ત્યારે માવઠાના કારણે કેવી છે રાજ્યની સ્થિતિ આવો જાણીએ. ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો જાેવા મળ્યો છે.રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જેવો માહોલ જાેવા મળ્યો.સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ રહ્યું હતું. જેને કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈયા.ગાંધીનગર અને સુરત જેવાં શહેરોમાં અલમોડા અને સીમલા જેવું વાતાવરણ જાેવા મળ્યું છે.સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે. રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં ૪ ડીગ્રી સુધીનો ઘટાડો જાેવા મળ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરો, જેવાં કે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો આજે રાજ્યના ૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપી છે. કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડમા જણસી પલડી જવાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વરસાદના કારણે જાણે ખેડૂતોના મોં માંથી કોળિયો છીનવાઈ ગયો હોય તેવુ લાગી રહ્યું છે.. ત્યારે હવે ખેડૂતો સરકાર સામે આશ રાખીને બેઠા છે.વધુ વાંચો -
પીડિતાના કહેવાતા આપઘાતનો વીડિયો વાયરલ ઃ હત્યાની શંકા દૃઢ બની?
- 27, નવેમ્બર 2021 01:15 AM
- 9709 comments
- 3318 Views
વડોદરા, તા.૨૬વેક્સિન ગ્રાઉન્ડ રેપકાંડનો ભોગ બનેલી પીડિતાનો અંતિમ વીડિયો બહાર આવ્યો છે. ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં આ વીડિયોએ અનેક સવાલો ઊભા કર્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે પીડિતાના મૃતદેહના પગ જમીન ઉપર અડેલા છે અને જે ઓઢણીથી ગળાફાંસો ખાધો હોવાનું દેખાય છે એ ફંદો માત્ર ગળા પર છે, જ્યારે ગરદન આખી ખૂલ્લી છે. ફાંસાનો ફંદો ગળા અને ગરદન બંને પર ઘટ્ટ ભીંસાય તો જ વ્યક્તિનું મોત થઈ શકે એ જાેતાં આ મામલો આત્મહત્યાનો છે કે હત્યાનો એવી શંકા ઊભી થઈ છે. વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં પીડિતાનો વીડિયો આજે બહાર આવ્યો છે જેમાં પોલીસ પંચક્યાસ કરી રહેલી દેખાય છે. વીડિયોને ધ્યાનથી જાેતાં આ મામલો આત્મહત્યાને બદલે હત્યાનો હોવાનું લાગી રહ્યું હોય એવા તર્કવિતર્ક ખુદ પોલીસ માટે ઊભા થયા છે. પીડિતાના કહેવાતા આપઘાત બાદનો વીડિયો અનેક સવાલ ઊભા કરે છે. જાે કે, પોલીસ અગાઉથી જ આ મામલો હત્યાનો હોઈ શકે છે એવું માની એ દિશામાં પણ તપાસ કરી છે. ત્યારે એનું મોત નીપજાવાથી કોને લાભ થશે અને કયા કારણોસર એની હત્યા થઈ હોઈ શકે એવા કારણોની શોધખોળ પણ પોલીસ કરી રહી છે. શું એ મીડિયા સમક્ષ જઈને કોઈ વ્યક્તિના, કે વ્યક્તિ સમૂહના ગુનાહિત ભંડા ફોડી નાખશે એવી કોઈ બીક ધરાવનારાઓએ એનું મોઢું કાયમ માટે બંધ નથી કરાવ્યું ને? એ દિશામાં પોલીસ વધુ ગંભીરતાથી તપાસ કરી રહી છે. જે વીડિયો બહાર આવ્યો છે એમાં જાેઈ શકાય છે કે પીડિતાના પગ કોચના ફલોરને અડેલા છે અને યુવતીની બાજુમાં સીટ છે તેને પણ તેનો દેહ અડેલો છે. મહત્ત્વની વાત તો એ છે કે જે ઓઢણી લટકાવી એને ફાંસો ખાધો હોવાનું કહેવાય છે. એ ફંદાને ગાંઠ પણ મારેલી નહીં હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે જેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ છે. વલસાડ રેલવે સ્ટેશન પર ૪ નવેમ્બરના રોજ ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનની સફાઈ કરતા કામદારને ખાલી કોચમાંથી યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન માસ્તર અને રેલવે પોલીસની ટીમને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે તરત જ પહોંચી તપાસ કરતાં પીડિતા પાસેથી ટિકિટ કે પાસ મળી આવ્યા ન હતા. જાે કે, યુવતી પાસેથી મળેલા ફોનના આધારે નવસારી રહેતા પરિવારનો સંપર્ક કરાયો હતો. રેલવે પોલીસે યુવતીના મોત અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી નવસારી જઈ તપાસ કરતાં એના રૂમમાંથી મળેલી ડાયરીમાં સામૂહિક દુષ્કર્મ ગુજારાયો હોવાનું બહાર આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી અને તપાસ માટે વડોદરા આવી વેક્સિન મેદાન અને જે સંસ્થામાં કામ કરતી હતી એ ઓએસીસમાં તપાસ હાથ ધરી હતી. બાદમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જાેડાઈ હતી અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. બીસીએનો કર્મચારી બાયોબબલ છોડી પોલીસને સીસીટીવી ફુટેજ આપવા દોડયો વડોદરા. ગેંગરેપની ઘટનાની તપાસમાં વેક્સિન મેદાન અને ઓએસીસની ઓફિસની આસપાસના માર્ગો-રહેઠાણો, દુકાનો, શો-રૂમ, ઓફિસોના સીસીટીવી ફુટેજ પોલીસ મેળવી રહી છે. ત્યારે બરોડા ક્રિકેટ એસોસિયેશનની ઓફિસ પણ નજીકમાં જ આવેલી હોવાથી પોલીસે બીસીએ પાસેથી સીસીટીવી ફુટેજની માગણી કરતાં જવાબદાર ઈસમ દિનેશ ગંગવાણી કુચબિહાર ટ્રોફીને લઈ બાયોબબલ હેઠળ વેલકમ હોટલમાં હોવા છતાં બબલ છોડી બીસીએની કચેરીએ દોડી આવ્યો હતો. ઓએસીસના સંચાલકોએ બચાવ માટે વાલીઓ-વિદ્યાર્થીઓને ઢાલ બનાવ્યાં? વડોદરા, તા. ૨૬ ઓેએસીસ સંસ્થાના સંચાલકોએ ૧૮ વર્ષની યુવતી પર વેકસીન ઈન્સ્ટીટ્યુટના મેદાનમાં થયેલા પાશવી બળાત્કારની વાત ઈરાદાપુર્વક છુપાવી રાખવાનું પાપ આચર્યું છે અને તેના કારણે બળાત્કાર પિડીતાને આપઘાત કરવાની ફરજ પડી છે. જાેકે યુવતીએ આપઘાત કર્યો કે તેની હત્યા કરાઈ છે તે મામલે પણ વિવાદ છે પરંતું આવું હિનકૃત્ય કર્યા બાદ પણ ઓએસીસ સંસ્થાના સંચાલકોએ ભુલ સ્વીકારવાના બદલે છેલ્લા ૨૨ દિવસથી સતત ચુપકિદી સેવી છે. દરમિયાન ઓએસીસ સંસ્થાની ભેદી પ્રવૃત્તીઓની તપાસ માટે શહેર પોલીસ કમિ.એ એસીપી ચૈાહાણને આદેશ કરતા જ સંસ્થાના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધી માધ્યમોથી સતત અંતર રાખતા ઓએસીસ સંસ્થાના સંચાલકોએ હવે બચાવ માટે પોતાની સંસ્થામાં ફેલોશીપ કરતી માસુમ વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓને ઢાલ બનાવીને પોલીસ સમક્ષ સંસ્થાની તરફેણ માટે આગળ ધર્યા છે. ગઈ કાલે સુરત અને નવસારીથી આવેલા કેટલાક વાલીઓએ તેઓના સંતાનો સાથે શહેર પોલીસ કમિ.કચેરી ખાતે આવેદનપત્ર આપવા ગયા હતા. જાેકે પોલીસ કમિ. નહી મળતા આજે આ ટોળું રેલવે પોલીસના એસપી પરિક્ષીતા રાઠોડને મળ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ કેટલાક વાલીઓએ માધ્યમો સાથે વાતચિત કરી હતી જેમાં તેઓએ ઓએસીસ સંસ્થામાં તેઓના સંતાનો ફેલોશીપ કરે છે અને તેઓને કોઈ સમસ્યા નથી તેમ જણાવી સંસ્થાને આ વિવાદમાં નહી લાવવા માટે જણાવ્યું હતું. તેઓની સાથે હાજર કેટલીક ચબરાક વિદ્યાર્થીનીઓએ પણ તેઓની સહકર્મી વિદ્યાર્થિની પર બળાત્કારના મુદ્દે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો પરંતું તેઓની સંસ્થાને ટાર્ગેટ નહી બનાવવા માટે માધ્યમોમાં વિનંતી કરી હતી. બ્રેઈનવોશ્ડ યુવતી કહે છે વાલીઓ તેઓની મરજી સંતાનો પર થોપી ના શકે રેલવે પોલીસના એસપી કચેરી ખાતે ઓએસીસ સંસ્થામાં ફ્ેલોશીપ કરતી યુવતીઓ પણ આવી હતી. આ યુવતીઓનું સંસ્થામાં કેટલી હદે બ્રેઈનવોશ કરાયુ છે તેનો જીવંત દાખલો માધ્યમોને મળ્યો હતો. યુવતીઓએ તેઓ આ સંસ્થામાં સ્વેચ્છાથી આવી છે તેમ કહેતા એવી પણ વણમાંગી સુફિયાણી સલાહ આપી હતી કે પુત્રીઓ હમેંશા પિતાને વ્હાલી હોય છે પરંતું ૧૮ વર્ષની થયા બાદ હવે તેઓ પોતાનો નિર્ણય લેવા આઝાદ છે અને વાલીઓએ પણ તેઓની મરજી તેઓના પુખ્તવયના સંતાનો પર થોપવી ના જાેઈએ. પોલીસ વિદ્યાર્થીઓને કનડગત ના કરે તેવી વાલીઓની રજૂઆત રેલવે એસપી કચેરી ખાતે નવસારીના બે વાલીઓ સંજય ગાયકવાડ અને મહેન્દ્ર કોરાટે માધ્યમોને જણાવ્યું હતું કે તેઓના સંતાનો ઓએસીસમાં ફેલોશીપ કરી રહ્યા છે અને તેઓને કોઈ તકલીફ નથી. તેેઓએ બળાત્કાર પિડીતા અને તેના પરિવારજનો પ્રત્યે સહાનુભુતિ દાખવવાના બદલે પિડીતાની માતા તેમજ અન્ય વાલીઓએ સંસ્થા સામે ઉઠાવેલા વાંધા ખોટા છે તેમ કહી સંસ્થાને બચાવવાનો ભરપુર પ્રયાસ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે પોલીસ નિતિમત્તા રાખી તપાસ કરે અને સંસ્થામાં વાલીઓ વિના રહેતા વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ ના થાય તે રીતે કામગીરી કરે. ઓએસીસમાં રહીને મળતી આઝાદી કાલની ગુલામી છે માતા-પિતા અને પરિવારથી અલગ રહીને મનફાવતી પ્રવૃત્તી કરતા વિદ્યાર્થીઓ અને ઓએસીસ સંસ્થા સામે જાણીતા યુટ્યુબર શુભમ મિશ્રાએ આજે વેકસીન મેદાન પર બળાત્કારના ઘટનાસ્થળે મિડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો કે જે વિદ્યાર્થીઓને હાલમાં પરિવારથી અલગ રહે છે તેને આઝાદી માને છે ખરેખરમાં તે જ આવતીકાલની ગુલામી હશે. ઓએસીસ સંસ્થાએ ખરેખરમાં પિડીતાને બળાત્કારની ઘટનાબાદ તુરંત મદદ કરવાની જરૂર હતી પરંતું તેઓએ મદદ નહી કરતા યુવતીએ આપઘાત કર્યો છે. સંસ્થાની આવી કાર્યનિતી અને યુવતી સાથે ફેલોશીપ કરતી અને સંસ્થાની વાહવાહ કરી રહેલી સહવિદ્યાર્થિનીઓને પણ તેમણે સવાલ કર્યો હતો કે તમે મદદ કરવાના બદલે કેમ ચુપ રહ્યા ? અને હવે સંસ્થાને બચાવવા માટે કેમ આગળ આવો છો ? રાજકીય અગ્રણીઓ કેમ ચૂપ છે? સંસ્કારી નગરી વડોદરામાં બહારની યુવતી પર આ રીતે થયેલા બળાત્કારના ઘટનાથી ભારે વ્યથિત યુુટ્યુબર શુભમ મિશ્રાએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડોદરામાં રાજયકક્ષાના મંત્રીઓ અને રાજકિય અગ્રણીઓ હાજર છે છતાં તેઓએ આવી ગંભીર ઘટના થવા છતાં ઓએસીસ સંસ્થા સામે કેમ ચુપકિદી સેવી છે ?. તેમણે એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે વડોદરાની છબિ ‘રેપ સિટી’ તરીકે ખરડાશે તો કોઈ પણ બહારની યુવતી-મહિલા વડોદરામાં રહેવા માટે ગભરાશે. સંસ્કારીનગરીની છબિ આ રીતે ના ખરડાય અને કોઈ પણ મહિલા વડોદરામાં તે સલામત હશે તેવી ખાત્રી સાથે આવે તે માટે રાજકિય અગ્રણીઓએ પણ આગળ આવવું પડશે. શું સ્ફોટક ડાયરી મેળવવા માટે જ કોઈ વ્યકિત પીડિતાનો પીછો કરતી હતી? ગેંગરે૫ની પીડિતાની અંગત ડાયરીના પાનાં કોણે ફાડ્યા એ વિષયે હજુ કોઈ ભેદ નથી ખૂલી રહ્યો, ત્યારે પીડિતા જે સંસ્થા સાથે સંકળાયેલી એના અગ્રણીઓએ વાજબી દલીલ કરતાં કહ્યું કે જાે અમારામાંથી કોઈએ એ પાનાં ફાડ્યાં હોય તો આખી ડાયરી જ ના ફાડી નાખત? આ સંજાેગોમાં હવે એવો પ્રશ્ન પણ ઊભો થયો કે ડાયરીના બે પાનાંનો નાશ થયા બાદ એ ડાયરીમાં બીજું પણ ઘણું બધું ગંભીર અને જેલ સુધી લઈ જાય એવા લખાણો હશે તો? એવા વિચારે બે પાનાં ફાડનાર અથવા યુવતી પાસે બળજબરીથી ફડાવનારને પાછળથી એ સંપૂર્ણ ડાયરીનો નાશ કરવાની જરૂરિયાત ઊભી થઈ હોઈ શકે અને એટલે જ એ ડાયરી મેળવવાના ઈરાદે કોઈએ પીડિતાનો પીછો કર્યો હોય જે અંગે ખુદ પીડિતાએ પોતાના આખરી સંદેશામાં પણ જણાવ્યું છે. પીછો કરનારે જ્યારે એને ખાલી ટ્રેનના કોચમાં ઝડપી હોય ત્યારે એની પાસેથી ડાયરી નહીં મળી આવતાં સંભવિત ગંભીર આક્ષેપોથી ડરેલી વ્યક્તિએ કે તેના ઈશારે અન્યએ યુવતીને ગળાફાંસો આપી અથવા પહેલાં મોતને ઘાટ ઉતારી પાછળથી ગળાફાંસો હોવાનું ગેરમાર્ગે દોરવા ઓઢણી ગળામાં નાખી એને લટકાવી દીધી હોય એવી પણ એક શક્યતા પોલીસ ચકાસી રહી છે. જે કોઈ વ્યક્તિ આવું કરવામાં સંડોવાયેલી હોય એ સ્વાભાવિક રીતે જ એવો મુદ્દો ઉઠાવી સંતોષ લઈ રહી હશે કે સીસીટીવી ફુટેજમાં કોઈ વ્યક્તિ એનો પીછો કરતી કે ખાલી ટ્રેનમાં એની પાછળ જતી દેખાઈ નથી. પોલીસ તપાસની માહિતીના આધારે આ મુદ્ાને હાશકારા સાથે ઉઠાવાઈ રહ્યાનું પણ પોલીસને લાગી રહ્યું છે. પીડિતાની એ ડાયરી એના સામાનમાં ન હતી અને પાછળથી એના નવસારીના ઘરેથી મળી એ તો પોલીસના દસ્તાવેજી રેકોર્ડ પર છે. જાે એ ડાયરી યુવતીનો પીછો કરનાર વ્યક્તિને મળી ગઈ હોત તો કદાચ પીડિતા પર ગેંગરેપ થયાની બાબત પણ ક્યારેય બહાર જ નહીં આવત અને ગેંગરેપની જાણ હોવા છતાં જવાબદાર નાગરિકો તરીકે પોલીસને જાણ નહીં કર્યાના ગુનાની પણ હાલ ચાલતી ચર્ચા શરૂ જ ન થઈ હોત.વધુ વાંચો -
રાજ્યના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ, ડાંગમાં ૨૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ
- 29, સપ્ટેમ્બર 2021 05:50 PM
- 2927 comments
- 1801 Views
વલસાડ-વલસાડ જિલ્લામાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન છુટાછવાયા વરસાદી ઝાપટા બાદ મોડી રાત્રે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ કપરાડા અને મહારાષ્ટ્ર બોર્ડરમાં રાત્રે ૧૨ વાગ્યાથી સવાર ૮ વાગ્યા સુધી ૧૫.૯૪ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધુબનડેમમાં પાણી ૯ લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. ૮ કલાકમાં કુલ મધુબનડેમ ૭ દરવાજા ૨ મીટરે ખોલાયા છે. તો ડેમમાંથી ૯ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. આ કારણે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો બીજી તરફ, અધિકારીઓને હેડક્વાટર્સ ન છોડવાની સૂચના અપાઈ છે. વલસાડ શહેરમાં ૬.૫ ઇંચ અને કપરાડા તાલુકામાં ૬ ઇંચ વરસાદ ખાબકી ચૂકયો છે. ત્યારે આજે પણ સવાર બાદ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે વલસાડ શહેરના છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ગઈ મોડીરાત્રે વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો શહેરની રોજીંદી સમસ્યા સમાન છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા વહેલી સવારે નોકરી ધંધે જતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આમ જિલ્લાના તમામ તાલુકાઓ વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી, વાપી અને ઉંમરગામ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. ચોમાસામાં ડાંગ જિલ્લો વરસાદના પાણીથી સોળે કળાએ ખીલી જાય છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ડાંગમાં ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લાના સુંદર હિલસ્ટેશન સાપુતારામાં ૧૦.૭૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આહવામાં ૬.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં ઘોડાપુર આવી ગયુ છે. જિલ્લાના ૧૪ જેટલા લોલેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જિલ્લાના ૧૪ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થવાને કારણે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અંબિકા નદીમાં પૂરની સ્થિતિને લઈ નવસારી જિલ્લાના ઘણા ગામો પણ પ્રભાવિત થયા છે. ડાંગમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. ૨૪ કલાકમાં સાપુતારામાં ૧૦.૭૨ ઇંચ વરસાદ, આહવામાં ૬.૫૨ ઇંચ, વઘઇમાં ૫ ઇંચ, સુબિરમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. પરંતુ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. મંગળવારે દિવસ દરમિયાન ગુજરાતના ૪૫થી વધુ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોધાયો હતો. જેમાં ડાંગમાં સૌથી વધુ ૩, નવસારીના ગણદેવી-વાંસદા- ભરૃચના હાંસોટ-વડોદરામાં ૨.૧૬, ડાંગના વઘઇમાં ૧.૮૫, સુરતના મહુવામાં ૧.૮૧, આણંદના ખંભાત-સુરતના પલસાણા-છોટા ઉદેપુરના નસવાડીમાં ૧.૫૭ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય અન્યત્ર જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં બારડોલી, છોટા ઉદેપુર, વાલોદ, તારાપુર, ગરૃડેશ્વર, આંકલાવ, ચીખલી, સોનગઢ, નીઝર, વાપીનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લામાં આજથી પહેલી તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને ધ્યાને લેતા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અધિકારીઓને તેમનું કાર્યમથક નહીં છોડવાની સુચના અપાઇ છે.વધુ વાંચો -
ગુજરાતના આ જીલ્લામાં બારે મેઘ ખાંગા, ઉમરગામ-વાપીમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ
- 31, ઓગ્સ્ટ 2021 01:54 PM
- 4196 comments
- 4467 Views
વાપી-વલસાડ જિલ્લામાં મંગળવારે 4 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે ટાઉન વિસ્તારમાં અને મહારાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગો પર ઘૂંટણ સુધીના પાણી ફરી વળતા રસ્તાઓ પરની અવરજવર બંધ થઈ હતી. ઉમરગામ તાલુકામાં સવારના 8 થી 10 વાગ્યા સુધીમાં 128mm વરસાદ વરસ્યો હતો. ઉમરગામમાં એ સાથે સિઝનનો કુલ વરસાદ 56ઇંચ થયો છે. મંગળવારે વરસેલા ભારે વરસાદમાં ઠેરઠેર પાણી ભરાયા હતાં. ઉમરગામ સાથે વાપીમાં પણ સવારના 8 થી 10 વાગ્યા દરમ્યાન 106mm વરસાદ વરસતા વાપીમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. ભારે વરસાદને કારણે હાઇવે પર વાહનોની ગતિ ઘટી હતી. વાપીમાં સિઝનનો સરેરાશ 58 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તાલુકા મુજબ સિઝનનો વરસાદ જોઈએ તો વલસાડ તાલુકામાં 50 ઇંચ, પારડી તાલુકામાં પણ 50 ઇંચ, કપરાડા તાલુકામાં 67 ઇંચ અને ધરમપુર તાલુકામાં 56 ઇંચ સિઝનનો કુલ વરસાદ નોંધાયો છે. સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની રીએન્ટ્રીએ ધરતીપુત્રોને ખુશખુશાલ કર્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાં પાણી ભરાવાના બનાવોએ મુશ્કેલી સર્જી છે.વધુ વાંચો -
પાટીલની પાઠશાળા: કાર્યકરોને વિવિધ પાઠ ભણાવવામાં આવ્યા અને કહ્યુ કે..
- 27, ઓગ્સ્ટ 2021 06:52 PM
- 5892 comments
- 1087 Views
વલસાડ- ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આજે શુક્રવારે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા. જ્યાં તેમણે જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓના પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપી હતી. સાથે જ આ કાર્યક્રમમાં વલસાડ વિધાનસભા મતવિસ્તારના ભાજપના પેજ પ્રમુખના કાર્ડનું વિતરણ અને તેમના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓના પ્રશિક્ષણ વર્ગમાં તેમણે સોશિયલ મીડિયાનું મહત્વ સમજાવ્યું હતું અને સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરી લોકોના વચ્ચે રહેવાનો પ્રયાસ તમામ પાર્ટી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કરે તેવી સૂચન કર્યું હતું. કાર્યકર્તાઓને સંબોધતી વખતે સી. આર. પાટીલે કાર્યકર્તાઓએ અધિકારીઓ સાથે દોસ્તી ન રાખવા માટે ટકોર કરી હતી. અધિકારીઓની જગ્યાએ પાર્ટીના પદાધિકારીઓને વધારે મહત્વ આપવાનું કહ્યું હતું અને જે કાર્યકર્તાઓને અધિકારીઓ સાથે દોસ્તી હોય એ કાર્યકર્તાઓને અધિકારીઓ સાથેની દોસ્તી તોડી નાખવા માટે પણ ટકોર કરી હતી. જોકે, કોંગ્રેસ દ્વારા યોજાઇ રહેલી કોવિડ 19 યાત્રા દરમિયાન કોંગ્રેસ દ્વારા કોરોના મૃતકોના સ્વજનો પાસેથી ભરાવવામાં આવતા રૂપિયા 4 લાખના વળતરના ફોર્મ અંગે પણ સી. આર. પાટીલે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો.વધુ વાંચો -
કોરોનાના સમયમાં આમ જનતાને સુવિધાઓ આપવામાં ભાજપની સરકાર નિષ્ફળ નીવડી છે: અમિત ચાવડા
- 24, ઓગ્સ્ટ 2021 06:23 PM
- 1329 comments
- 881 Views
વલસાડ-કોરોનામાં સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ બે લાખથી વધુ લોકોના મોત થયા છે. જેની પાછળ સામાન્ય જનને આરોગ્યની સવલત આપવામાં હાલની ભાજપ સરકાર નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપો આજે ધરમપુર તાલુકાના કાંગવી ગામે કોવિડ-19 ન્યાય યાત્રામાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કર્યા હતા. અમિત ચાવડાએ વિપક્ષ હોવાના નાતે સરકારની સામે આમ જનતાની સાથે રહી લોકોને ન્યાય મળે તે માટેની પહેલ કરવા કોંગ્રેસ સમિતિએ ન્યાય યાત્રા શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન મોતને ભેટેલા લોકોને ચાર લાખ રૂપિયાનું વળતર મળે તે માટે ગામેગામ ફરીને કોંગ્રેસના કાર્યકરો હવે ફોર્મ ભરાવશે અને તેમને ન્યાય અપાવશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોરોના દરમિયાન સમગ્ર ભારતમાં 80 લાખ કરતાં વધુ લોકોના મોત નિપજ્યા છે, પરંતુ સરકાર સાચો આંકડો બહાર પાડવામાં આચકાઇ રહી છે, એટલું જ નહીં ગુજરાતમાં પણ ગામેગામ અનેક લોકોના મોત થયા છે. એક અંદાજ લગાવીએ તો ગુજરાતમાં બે લાખ કરતાં વધુ લોકોના મોત થયા છે અને જેની પાછળનું કારણ એક જ છે કે કોરોનાના સમયમાં આમ જનતાને સરકારી દવાખાનાઓમાં સારવાર આપવામાં તેમજ સુવિધાઓ આપવામાં ભાજપની સરકાર નિષ્ફળ નીવડી છે અને તેમની ગંભીર બેદરકારીના કારણે અનેક લોકોના મોત થયા છે.વધુ વાંચો -
આ જિલ્લામાં મેઘમહેરઃ મધુબેન ડેમની સપાટી 71.60 પર પહોંચી
- 26, જુલાઈ 2021 06:49 PM
- 6716 comments
- 9691 Views
વલસાડ-વલસાડ જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ચેરાપુંજી ગણાતા એવા કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કપરાડા તાલુકાના ૫.૬૦ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે જિલ્લામાં આવેલ મધુબન ડેમની સપાટી ૭૧.૬૦ પહોંચી છે. મધુબન ડેમમાં ૪૦૯૯૪ નવા નીરનું આગમન થયું છે, તો મધુબન ડેમમાંથી દર કલાકે ૨૭૬૪૭ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના ૫ દરવાજા ૧.૫૦ મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહીને લઈને જિલ્લામાં આજરોજ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. સવારના ૬ થી ૧૦ વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૧.૫ ઇંચ, ધરમપુરમાં ૧.૪ ઇંચ, વલસાડમાં ૧.૬ ઇંચ, વાપીમાં ૧ ઇંચ અને પારડીમાં ૧૨ મીમી વરસાદ નોંધાયો છે.વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વલસાડના મોગરાવાડી ખાતે એક વૃક્ષની વિશાળ ડાળી ધરાશાયી થતા મોગરાવાડીથી નેશનલ હાઈવે ૪૮ તરફ જતો માર્ગ બંધ થઇ ગયો હતો. વૃક્ષની ડાળી વીજ તાર પર પડતા વીજ પ્રવાહ બંધ થયો હતો તો લોકો વૃક્ષ નીચે થી જીવના જાેખમે પસાર થવા મજબુર બન્યા હતા.હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. તો જિલ્લા કલેકટર દ્વારા અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવાની સુચનો આપી દેવામાં આવ્યા છે. જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે.વધુ વાંચો -
વલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ
- 22, જુલાઈ 2021 09:12 PM
- 9069 comments
- 927 Views
વલસાડ-વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં છેલ્લા ૫ દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. પાણીની આવકને કારણે મધુબન ડેમના ૯ દરવાજા ૫ મીટર સુધી ખોલાયા હતા. ૨૧ જુલાઇથી ૨૨ જુલાઈની સવારના ૫ વાગ્યા સુધી ડેમમાંથી દર કલાકે ૧ લાખથી વધુ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ધોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દમણમાં ૨૧ જુલાઇની રાતે ભયનો માહોલ છવાયો હતો. ડેમમાં પાણીની આવક થતા ડેમના ૯ દરવાજા ખોલીને ૧.૪૩ લાખ ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે દમણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ અને તંત્ર સતર્ક થઇ ગયા હતા અને તેમના દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જાેકે, સવારે છ વાગ્યાની આસપાસ ડેમની સપાટીમાં થોડો ઘટાડો થયો હતો. ડેમની સપાટી ૭૨.૯૦ની આસપાસ પહોંચી છે. ડેમમાં ૪૩૨૪૭ ક્યૂસેક પાણીની આવક છે જ્યારે ૧.૩૪ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ડેમમાં પાણીનો ધસમસતો પ્રવાહ વધવાને કારણે તંત્રએ ગામડા અને નીચાણવાળા વિસ્તારોને સાવધાન કર્યા હતા. સ્થળાંતરણ કરવાની સ્થિતિ ઉભી થાય તો લોકોને રાખવા માટે પ્રાથમિક શાળામાં શેલ્ટર હોમ પણ બનાવવામાં આવ્યા છે. વલસાડમાં એક એનડીઆરએફ અને દમણ સેલવાસમાં ડિઝાસ્ટરની ટીમ તેનાત કરવામાં આવી હતી.રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૨૦૪.૯૪ મીમી એટલે કે સરેરાશ ૨૪.૬૪ ટકા વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આવતીકાલથી સતત ત્રણ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છેવધુ વાંચો -
અહિંયા નદી-નાળાઓ લીધું રૌદ્ર સ્વરૂપ, ત્રણ દિવસ દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
- 21, જુલાઈ 2021 04:24 PM
- 7459 comments
- 1250 Views
વલસાડ,તા.૨૦વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે જિલ્લાના તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. વલસાડ જિલ્લાની ઔરંગા નદી, દમણ ગંગા, પાર અને કોલક નદી પણ બે કાંઠે વહી રહી છે. સાથે જ વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વલસાડમાં રહેલી એનડીઆરએફની ટીમ પણ એક્શન મોડ પર આવી છે. વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં ૭૫૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતાં નદી કિનારાના ગામના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી હતી અને જાે જરૂર જણાય તો રાહત બચાવની કામગીરી કેવી રીતે કરવી તેના માટે એનડીઆરએફની ટીમે ઓરંગા નદીમાં એક મોક ડ્રિલનું આયોજન કર્યું હતું.વધુ વાંચો -
જાણો, ધોરણ 12નું દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામ કેવું રહ્યું?
- 17, જુલાઈ 2021 11:26 AM
- 2809 comments
- 9604 Views
સુરતઆજે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.A ગ્રૂપમાં 466 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે B ગ્રૂપમાં 657 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે.અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.સૌથી વધુ 26831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે સુરત શહેરમાં પણ 546 વિદ્યાર્થીને એ-વન ગ્રેડ મળ્યો છે...આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામની વધુ માહિતી નીચે મુજબ છે.દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામજિલ્લો વિદ્યાર્થી સંખ્યા એ-વન ગ્રેડસુરત 13733 546નવસારી 4463 107વલસાડ 4446 20ડાંગ 296 00તાપી 1186 1ભરૂચ 3142 41નર્મદા 812 06સુરત શહેરનું ઓવરઓલ પરીણામગ્રેડ સંખ્યાએ-વન 546એ-ટુ 2547બી-વન 3628બી-ટુ 3416સી-વન 2387સી-ટુ 1053ડી 144વધુ વાંચો -
તિથલ દરિયામાં કરન્ટ ઃ ૧૫ ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં સહેલાણીઓ ઉમટ્યા
- 25, જુન 2021 01:30 AM
- 6662 comments
- 8942 Views
વલસાડ, વલસાડ નજીક આવેલા તિથલ દરિયા કિનારે ગુરૂવારના રોજ જેઠ સુદ પૂનમના દિવસે ભરતી દરમિયાન ૧૫ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. દરિયામાં કરંટ જાેવા મળ્યો હતો. મોટી સંખ્યામાં સહેલાણીઓ દરિયાની મજા માણવા અને ભરતીમાં દરિયાના મોઝા ઉછળતા જાેવા આવતા હોય છે. ચાલુ વર્ષે કોરોના મહામારીનો જાેતા સહેલાણીઓ માટે તિથલ બીચ સહિત જિલ્લાના પ્રવાસન સ્થળો ઉપર સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. વલસાડના તિથલ દરિયા કિનારે જેઠ માસની પૂનમ નિમિત્તે દરિયાની મોટી ભરતી આવી હતી. ભરતી દરમિયાન તોફાને ચડેલા દરિયામાં કરંટ જાેવા મળ્યો હતો. દરિયામાં પૂનમની ભરતીના ઉછળતા મોજા જાેવા લોકો દૂર-દૂરથી દરિયે પહોંચી જતા હતા. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી ને લઇ જિલ્લા કલેક્ટરે સહેલાણીઓ માટે તિથલ બીચ ઉપર જવા માટે પ્રતિબંધ લગાવ્યો છે જેને લઇ શહેરના લોકો પૂનમ ની ભરતીના મોજા માણવાથી વંચિત રહી ગયા છે.વધુ વાંચો -
ગુજરાત-મહારાષ્ટ્રની ધરા ધ્રુજી, ગુજરાતના આ જીલ્લામાં આંચકા અનુભવતા લોકોમાં ભય
- 24, જુન 2021 02:26 PM
- 3341 comments
- 4100 Views
અમદાવાદ-ગુજરાત, મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામ સહિતના આસપાસના વિસ્તારોમાં આજે 6.3 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા અનુભવતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર આવેલું સોળસુબા, વેવજી ગામોમાં આજે ધરા ધ્રુજી હતી. આ વિસ્તારોમાં આજે ભૂકંપના બે આંચકા અનુભવાય હતા. આ આંચકાની તીવ્રતા 3.2 હોવાનું જાણવામાં આવે છે. આ ભુકંપ પાલઘર જીલ્લાના ડહાણુથી 13 કિમી ઉતર-પુર્વ તરફ નોંધાયો હોવાનું જાણવા મળે છે. આ સાથે આજે જ સવારે 11:57 વાગ્યે મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી ના નેશનલ સેન્ટર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. ભૂકંપનો અનુભવ થતાંની સાથે જ લોકો ભયથી ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.વધુ વાંચો -
પીઠા - સારંગપુર ને જાેડતો ઔરંગાનદીનો પુલ ધરાશાયી થવાની દહેશત
- 11, જુન 2021 01:30 AM
- 3370 comments
- 987 Views
વલસાડ, વલસાડ જિલ્લા પંચાયત માર્ગમકાન વિભાગ દ્વારા પીઠા- સારંગપુર ને જાેડતા ઔરંગા નદી ના પુલ બાબતે થઈ રહેલ બેદરકારી ને કારણે પીઠા- સારંગપુર ગામ ના જ નહીં અન્ય ગામો ના પ્રતિદિન અવર જવર કરવા વાળા વાહન ચાલકો , રહગીરો એ વેઠવાનો વારો આવ્યો છે ઔરંગાનદી પર રહેલ પુલ અતિ જર્જરિત અવસ્થા માં છે બ્રીજ માં પવરાયેલ લોખન્ડ ના સળિયા દેખાઈ રહ્યા છે સારંગપુર તરફ વળાંક પર દર વર્ષે વરસાદ માં મોટા ખાડા પડી જતા વાહન ચાલકો પટકાતા હોય છે વરસાદ ની સિઝન માં પાણી માં ડૂબી જવાને કારણે આ પુલ ગમે ત્યારે ધરસાઈ થવાની ભીતિ સેવાઇ રહી છે છેલ્લાં છ- સાત વર્ષ થી પીઠા તેમજ સારંગપુર ના સરપંચ સહીત અન્ય આગેવાનો એ પણ જિલ્લાપંચાયત ઈજનેર ને જર્જરિત પુલ બનાવવા રજુવતો કરી છે ગામ ના લોકો સહિત અવરજવર કરતા લોકો જીવ ના જાેખમે પસાર થતા હોવાનું જણાવવા માં આવ્યું છે તંત્ર દ્વારા કામ ન થતા લોકો હવે ફરી મીડિયા સમક્ષ વેદના ઠાલવી રહ્યા છે છેલ્લા ત્રણ ચાર વર્ષ દરમિયાન અનેક વાર આ જર્જરિત પુલ બાબતે અનેક વાર અખબારી અહેવાલો પણ પ્રકાશિત થયા હતા તત્કાલીન ઈજનેર ના સમય દરમિયાન લોકો ની રજુવાતો બાદ સલામતી ને ધ્યાને લઇ આ પુલ ના મરમમત માટે પુલ પર મટેરિયલ પણ નાંખવા માં આવ્યું હતું પરંતુ વરસાદ પડતાં પુલ ની મરમમત ની વાત તો દૂર રહી પુલ ના મરમમત માટે નાખવા માં આવેલ મટેરિયલ ઔરંગા માં તણાઈ ગયું હતું . ચોમાસા માં દર વર્ષે આ પુલ પાણી માં ગરકી જાય છે જેના કારણે પુલ નો ધોવાણ થતો રહ્યો છે આસપાસ ના લોકો પુલ નીચે થી રેતી પણ કાઢી લઈ જતા હોવા થી પુલ ના પિલલરો ની મજબૂતાઈ ઓછી થઈ છે વલસાડ માં વરસાદ ની શરૂવાત થતા જ પીઠા- સારંગપુર નો ઔરંગા ના પુલ ની દુર્દશા ની તસ્વીર સામે આવી છે પુલ પર રહેલ ખાડાઓ માં પાણી ભરાઈ ગયા હોવા થી પસાર થનાર વાહનચાલક ખાડા માં જતા પટકાઈ જવાની ગંભીર ભીતિ સેવાઇ રહી છે.દર વર્ષે જિલ્લા પંચાયત નો કરોડો અબજાે ના બજટ પાસ થાય છે પરંતુ આ પુલ નો નિર્માણ થતો નથી આ વિસ્તાર ના ચૂંટાયેલા તાલુકા, જિલ્લા ના પદાધિકારીઓ કે ધારાસભ્ય, સાંસદ સભ્ય તમામે આ પુલ ના નિર્માણ બાબતે ધ્યાન આપ્યું નથી પદાધિકારીઓ ની નિષ્ક્રિયતા ને કારણે આ પુલ હજી સુધી બની શક્યું નથી.વધુ વાંચો -
ગુજરાતમાં ચોમાસનું થશે આગમન, વલસાડમાં પહોચ્યું નૈઋત્યનું ચોમાસુ
- 09, જુન 2021 02:37 PM
- 5850 comments
- 4567 Views
અમદાવાદ-ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. જેના પગલે વલસાડ ,સુરત, ડાંગ, દાદરાનગર હવેલીમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ ધ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાસ્ટ્ર માં ભાવનગર, જૂનાગઠ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ પડસે અને રાત્રિના સમયે હળવા પવન ચાલુ થસે. આગામી 11 તારીખે બંગાળની ખાડીમાં પણ લો પ્રેસર બની રહ્યું છે. જેને લઈને ગુજરાતમાં વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન થસે. હવામાન વિભાગ ધ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. ગુજરાતનાં વલસાડમાં નૈઋત્ય ચોમાસુ પહોચી ગયું છે. જોકે સામાન્ય દિવસો કરતાં 6 દિવસ વહેલું નૈઋત્યનું ચોમાસુ ગુજરાતમાં આવી ગયું છે. હાલમાં ગુજરાતમાં પ્રિ મોંસૂન એક્ટિવિટી શરૂ છે જેને લઈને અત્યારે ગુજરાતનાં અનેક શહેરોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ છે અને રાત્રિના સમયે પવન પણ ચાલી રહ્યો છે. કેરળમાં ચોમાસુ બેસી ગયું છે. ત્યારે મુંબઈમાં પણ 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નૈઋત્યનું ચોમાસુ વલસાડ પહોચતાં વલસાડના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળી રહ્યો છે. વલસાડ, દાદરાનગર હવેલી, વાપી જેવા વિસ્તારોમાં વરસાદ પાડવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિ એ જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસુ ગુજરાત આવી પહોચ્યું છે. વલસાડ , સુરત , તાપી , ડાંગ અને દાદરણગાર હવેલીમાં વરસાદ પાડવાની સંભાવના છે. તો સૌરાસ્ટ્ર માં પણ ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઠ જેવા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. સાથે સાથે હળવો પવન પણ રહેસે, 11 તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. આગમી 5 દિવસ વરસાદની આગાહી છે.વધુ વાંચો -
ડી.જે.સંચાલક સહિત ત્રણ શખ્સની ધરપકડ
- 05, જુન 2021 01:30 AM
- 5894 comments
- 5669 Views
વલસાડ, વલસાડ ના મગોદ ગામે લગ્ન પ્રસંગ માં લોકો કોવિડ-૧૯ ગાઈડ લાઈન નો સરેઆમ ઉલ્લંઘન કરી ડીજે ના તાલ પર નૃત્ય કરી કોરોના ને આમંત્રીત કરતા હોવાની બાબત વલસાડ પોલીસ ને જાણ થતાં જ પોલીસ મગોદ ગામે પહોંચી ડી જે સંચાલક સહિત ત્રણ ની ધરપકડ કરી હતી. વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ ની જીવલેણ લહેર માં આખા દેશ માં હજારો લોકો કમોતે હોમાયા છે છુવાછૂત ની બીમારી હોવા થી સરકારે લોકો ને માસ્ક પહેરવાની સાથે સાથે એક બીજા થી બે ગજ ની દુરી રાખવા આદેશ કર્યા છે અને આદેશ ના પાલન ન કરનાર લોકો ને દંડ આપી કાયદા ના પાઠ પણ શીખવ્યા છે પોલીસ દંડ આપતી હોવાનું જાણતા હોવા છતાં પણ કેટલાક બેદરકાર લોકો કોરોના રૂપી યમરાજ ને પડકાર ફેંકી પોતાની સાથે સાથે જિલ્લા ના તમામ લોકો ના જીવ ને જાેખમ માં મૂકી દેતા હોય છે.લગ્ન પ્રસંગો માં લોકો ની ભારે જનમેદની હોવા થી કોરોના ને મોકળો મેદાન મળી જવાની ભીતિ સેવતા સરકારે લગ્ન પ્રસંગ માં ૫૦ વ્યક્તિઓ પૂરતી સીમિત કરી હતી.સરકારે અપનાવેલ નીતિ ને કારણે વલસાડ જિલ્લા માં કોરોના ના કેશો માં દિવસે દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ કેટલાક બેદરકાર લોકો ને કારણે કોરોના સંક્રમણ ની ગતિ માં વધારો પણ થઈ રહ્યો છે.મગોદ ડુંગરી ખાતે એક લગ્નપ્રસંગમાં ગુરૂવારે રાત્રે યોજાયેલી પાર્ટીનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસ હરકત માં આવી હતી.વધુ વાંચો -
કપરાડાના કુંભઘાટમાં બ્રેક ફેઈલ થતા ટ્રક પલટી ચાલકનો ચમત્કારિક બચાવ
- 31, મે 2021 01:30 AM
- 5276 comments
- 8136 Views
વલસાડ, કપરાડા તાલુકામાં કુંભઘાટમાં અનેક અકસ્માતો બની રહ્યા છે જેને રોકવા માટે કુંભઘાટમાં ત્રિપલ સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે. પરંતુ પુરપાટ ઝડપે ઘાટ ઉતરતા અ અજાણ્યા વાહન ચાલકોને ત્રિપલ સ્પીડ બ્રેકરના દેખાતા સ્પીડ બ્રેકર જ અકસ્માતનું કારણ બની રહ્યા છે. હૈદરાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલા પાવડર ભરેલી ટ્રક કુંભઘાટ માં પલટી જતા માર્ગ માં બાધિત થયો હતો. જાેકે ઘટના માં કોઈ જાનહાની બની નહિ હૈદરાબાદ થી અમદાવાદ તરફ જઈ રહેલી એક ટ્રક નંબર એન એલ ૦૧ બી એ ૨૩૮૧ ના ચાલક કપરાડાના કુંભ ઘાટ ઉપર થી નીચે ઉતારી રહ્યો હતો. ત્યારે બ્રેક ફેઈલ થઈ જતાં સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી માર્ગની વચ્ચોવચ પડી જતા વાહન વ્યવહાર બાધિત થયો હતો. જાેકે ઘટનામાં કોઈ જાનહાની બની નહિ. ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો. ઘટના અંગેની જાણકારી કપરાડા પોલીસને થતા પોલીસ સ્થળ ઉપર પહચીને ટ્રકને માર્ગની વચ્ચેથી સાઈડમાં ખસેડવાની કામગીરી કર્યા બાદ રાબેતા મુજબ વાહન વ્યવહાર શરુ થયો હતો.વધુ વાંચો -
વલસાડ તાલુકામાં રેલવે પ્રોજેક્ટ સર્વેમાં વિવાદ રોલા ગામના લોકોએ કામ અટકાવ્યા
- 29, મે 2021 01:30 AM
- 8388 comments
- 4986 Views
વલસાડ, વલસાડ જિલ્લા માં રેલવે તંત્ર લોકો ના હીત નું વિચારવા મગર મનસ્વી રીતે કામ કરતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે લોકો ની રજુવાતો ને અવગણી રેલવેતંત્ર કામ કરતું હોવાને કારણે લોકો માં રોષ ફાટ્યો છે ગત રોજ ડુંગરી નજીક રોલા ગામે રેલવે બ્રિજ ફાટક નં.૧૦૪ ઉપર ઓવરબ્રિજ માટે જમીન સંપાદન મુદ્દે ગ્રામજનો, ખેડૂતોએ રેલવે દ્વારા થનારી માપણી ને અટકાવી હતી અને ખેડૂતો ના વળતર નો ર્નિણય લીધા બાદ કામગીરી શરૂ કરવા બાબતે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.વલસાડ નજીકના ડુંગરી ગામ ના સરપંચ ચિંતનભાઈ પટેલ ખેડૂત આગેવાન રૂપેશભાઈ પટેલે તથા ગ્રામજનો સાથે થઈને વલસાડ જિલ્લા કલેકટર આર આર રાવલ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વલસાડ નજીકના ડુંગરી રોલા ગામેથી પસાર થતી રેલવે લાઇન ઉપર આવેલી રેલવેની ફાટક નં.૧૦૪ ઉપર ઓવરબ્રિજ પ્રોજેકટ માટે લાઇનમાં આવતા ખેડૂતોની જમીન પાસેથી બાંધકામ થનાર છે.આ માટે સરકારે જમીન સંપાદન માટે ઇરાદો જાહેર કર્યો છે.આ અંગે ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વિધિવત વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ કાયદાકીય પ્રણાલિકા મુજબ આ વાંધાઓની સામે રૂબરૂ સુનાવણીની તક આપવામાં આવી ન હોવાની રાવ ખેડૂતોએ કરી છે.આ પ્રોજેક્ટના સંદર્ભમાં અસરકર્તા ખેડૂતોને સાંભળ્યા વિના જમીન સંપાદન માટે માપણી સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવતા ગામજનોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો અને ગામજનો ને સાંભળો પછી જમીનો યોગ્ય વળતર આપવામાં આવે તે રીતે જણાવ્યું છેવધુ વાંચો -
પોલીસ દ્વારા થતી હેરાનગતિ બાબતે ધારાસભ્યને રજુઆત
- 28, મે 2021 01:30 AM
- 1455 comments
- 1315 Views
વલસાડ,ખેરગામ ચીખલી અને વાંસદાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખાનગી વાહનોમાં મજૂરી કરવા માટે લઈ જતા ખાનગી વાહન ચાલકોને અને મજૂરોને વલસાડ જિલ્લાની પોલીસ નવસારી જિલ્લાની સરહદ પર વગર કારણે કાયમી હેરાન પરેશાન કરી મેમો આપીને આર્થિક તેમજ માનસિક ત્રાસ આપતા ખાનગી વાહન ચાલકોએ ખેરગામ ચીખલી અને વાંસદા મતવિસ્તારના ધારાસભ્ય અનંતભાઈ પટેલને ખેરગામ ખાતે રજુઆત કરી હતી.આ બાબતે ધારાસભ્યએ વાહન ચાલકોને ઘટતું કરવા જણાવ્યું હતું.દેશભરમાં ચાલી રહેલા કોરોના જેવા ગંભીર રોગથી લોકો પીડાય રહ્યા છે.લોકોને બે ટકનું ભોજન મેળવવા પણ ફાંફા પડી રહ્યા છે.ખાનગી કમ્પની કારખાનાઓ મજૂરી કરવા જતાં મજૂરો તેમજ નોકરિયાતો માટે જીવાદોરી સમાન એસ.ટી નિગમની બસ તેમજ રેલવે ટ્રેનો બંધ થતાં વાપી,વલસાડ,નવસારી,સુરત વિસ્તારોમાં આવતા ઉધગો થતા કારખાના ના નોકરિયાત મજૂર વર્ગોને જવા આવાની સરળતા પડી રહી એના માટે ગામનીજ ઇકો કાર વાન જેવી ખાનગી વાહનો ભાડે રાખી પેટનો ખાડો પુરવા માટે વલસાડ વાપી જેવા શહેરોમાં ખેરગામ,ચીખલી અને વાંસદાના ગ્રામ્યવિસ્તારોના બેરોજગાર યુવાનો જતા હોય છે.આવા સમયે વલસાડ-નવસારીની બોર્ડર પર પોલીસ કર્મીઓ દ્વારા વારંવાર મેમો આપી મોટો દંડ વસુલે છે.અને ઘણી વખત કોઈ મોટા બુટલેગરોને પકડતા હોય એવી રીતે પીછો પણ કરવામાં આવતો હોય છે.ત્યારે આ બાબતનું નિરાકરણ આવે તે માટે ખાનગી વાહન ચાલકો દ્વારા ખેરગામ ચીખલી અને વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલને ખેરગામ ખાતે રજુઆત કરવામાં આવી હતી.ત્યારે ખાનગી વાહન ચાલકોની રજુઆત સાંભળીને ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું.કે કોરોનાના સમયમાં સરકારી એસ.ટી બસો બંધ છે.સરકારે ગરબી મધ્યમવર્ગને મદદ કરવી જાેઈએ. પોલીસ તંત્ર અપીલ ગ્રાહ્ય નહિ રાખેતો આંદોલન કરીશ અનંત પટેલ ખેરગામ ચીખલી અને વાંસદા મતવિસ્તારના ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યું હતું.કે ખેરગામ ચીખલી અને વાંસદાના ગ્રામવિસ્તારો માંથી વલસાડ જિલ્લાની જુદી જુદી કમ્પનીઓમાં ખાનગી વાહન માલિકો મજૂરોને મજૂરી માટે દરરોજ લઈ જાય અને લાવે છે.ખાનગી વાહનોને હેરાન કરવા માટે વલસાડ પોલીસ તંત્ર જ્યારે નવા નવા કાયદાઓ બતાવીને ખોટી રીતે મોટા ચલણ કાપે છે.ત્યારે વલસાડ પોલીસ તંત્ર હવે હેરાન ન કરે તે માટે શરૂઆત અમે વિનંતી કરીશું અને અમારી વિનંતીને ગ્રાહ્ય નહિ રાખશે તો ગાંધીચિધ્યા માર્ગે આંદોલન કરીશું.વધુ વાંચો -
વલસાડ પાલિકાની દાદાગીરીઃ અબ્રામા સીટી સર્વે કચેરી તોડી પાડી બાંધકામ શરૂ
- 27, મે 2021 01:30 AM
- 6687 comments
- 5551 Views
વલસાડ , જેના માથે ગેરકાયદે બાંધકામો હટાવવાની જવાબદારી છે, તેવી પાલિકા જ બળજબરીપૂર્વક બીજાની જમીન ઉપર બાંધકામ શરૂ કરી કબજાે જમાવવાનું શરૂ કરી દે તો કોને કહેવું? વલસાડમાં કંઈક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સીટી સર્વે કચેરીના નામે ચાલતી અબ્રામાની જમીન ઉપર વલસાડ પાલિકાએ કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા વિના બાંધકામ શરૂ કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવથી બે સરકારી વિભાગો આમને-સામને આવી ગયા છે. આ બનાવને વલસાડ સિટી પોલીસ મથકે સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અરજીમાં જણાવ્યા મુજબ અબ્રામામાં આવેલી સી.સ.નં-૨૪૪૭ વાળી જમીન સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી વાપી, મુ.અબ્રામાને હવાલે ચાલી આવેલ છે. સદરહુ જમીન ઉપર સીટી સર્વે કચેરી અબ્રામાનું બાંધકામ થયું હતું અને ત્યાં અબ્રામા સીટી સર્વે કચેરી ચાલતી હતી પરંતુ ત્યારબાદ વલસાડના સર્કિટ હાઉસની પાછળ સીટી સર્વે કચેરીનું નવું મકાન બનતા અબ્રામામાં આવેલી કચેરી પર ઓફિસ બંધ હતી.વલસાડ નગરપાલિકાએ તાઃ-૧૭/૦૬/૨૦૨૦ ના રોજ પત્ર મોકલી મકાન જર્જરીત હાલતમાં હોય રજીસ્ટર્ડ સ્ટ્રકચરલ એન્જીનીયર પાસેથી સ્ટ્રકચર સ્ટેબીલીટી અગે જરૂરી લેખિત અભિપ્રાય મેળવી જમીન દોસ્ત કરવા જણાવ્યું હતું પરંતુ સિટી સરવે કચેરીએ રિપોર્ટ મેળવવા પ્રયાસ કરવા છતાં રિપોર્ટ ન મળતાં વલસાડ નગરપાલિકાએ સીટી સર્વે કચેરીને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના તેમનું મકાન તોડી પાડ્યું હતું દરમિયાન તા.૨૨/૦૨/૨૦૨૧ નાં રોજ સીટી સર્વે કચેરી અબ્રામાનું મકાન નગરપાલીકા કચેરી દ્વારા જમીન દોસ્ત કરી પમ્પીંગ સ્ટેશન બનાવવા ખોદકામ કરી પાયાનું કામ ચાલુ કરવામાં આવેલ હોવાનું જણાયું હતું.પરિણામે જમીન દફતર અધિક્ષક કમ એકત્રીકરણ અધિકારી દ્વારા ચીફ ઓફિસરને તા.૦૪/૦૩/૨૦૨૧ ના પત્રથી સીટી સર્વેનું મકાન કોઇ પણ જાતની પૂર્વ મંજુરી મેળવ્યા વિના તોડી પાડી તેની જગ્યાએ પમ્પીંગ સ્ટેશન બનાવવા ખોદકામ કરી પાયાનું આર.સી.સી. કામ અંગેની શરૂ કરવામાં આવેલ કામગીરી વહીવટી દ્રષ્ટીએ તદ્દન અનુચિત હોય કામગીરી તાત્કાલીક બંધ કરવા જણાવવામાં આવ્યું હતું. તથા સુચનાને અવગણી જાે કોઇ કામગીરી તેઓ તરફથી કરવામાં આવશે તો નિયમોનુસાર ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશેવધુ વાંચો -
કડોદરામાં ટેમ્પાની અટફેટે બાઇકચાલકનું મોત નીપજ્યુ
- 24, મે 2021 01:30 AM
- 5683 comments
- 2580 Views
પલસાણા, પલસાણા તાલુકાના સાંકિ ગામ ખાતે શુભવિલા સોસાયટીમાં રહેતા રાજા મિશ્રા અને તેનાં પિત્રાઈ ભાઈ પિયુષ કુમાર બન્ને સવારે પોતાના ઘરેથી મોટર સાયકલ (નં. જી.જે.૧૯.એ.જે.૩૪૮૩) લઈ સુરત ખાતે આવેલ સરદાર માર્કેટ તરફ ધંધા અર્થે જતા હતા ત્યારે કડોદરા-સુરત રોડ પરથી પસાર થતી વેળાએ કડોદરા ગબ્બર માતાનાં મંદિર પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓએ ટક્કર મારતા બન્ને ફંગોટાઈ ગયા હતા. ટેમ્પો ચાલક ભાગવા જતા ટેમ્પોનું ટાયર રાજા મિશ્રાનાં પેટ પરથી ફરી જતા તેને ગંભીર ઈજાઓ થતા બંને ભાઈઓને નજીકની સંજીવની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. અકસ્માત સર્જાતા અજાણ્યો વાહન ચાલાક ભાગી છૂટ્યો હતો. બન્ને પૈકી પિયુષની હાલત અતિ ગંભીર હોવાથી તેને સુરત ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજાને પલસાણા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા તેનું મૃત્યુ થયું હતું. આ વાતની જાણ કડોદરા પોલીસને થતા તેને ટેમ્પો ચાલકની શોધ શરૂ કરતાં ગણત્રીનાં કલાકોમાં જ ટેમ્પો (નં. જી.જે.૦૫.એ.ટી.૧૯૯૩) નો હોવાની ખાત્રી કરી તેને તેનાં ચાલક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.વધુ વાંચો -
ખેરગામ મામલતદારે પોલીસ બોલાવી દંડ ભરી પોતાની ભૂલ સુધારી
- 22, મે 2021 01:30 AM
- 6539 comments
- 6913 Views
વલસાડ, આવેદનપત્ર સ્વીકારતી વખતે ખેરગામ મામલતદાર કોવિડ૧૯ ગાઈડલાઈન ભૂલી જઇ માસ્ક પહેરવા વગર આવેદનપત્ર સ્વીકાર્યું હતું સરકારી ગાઈડ લાઈન નું ઉલ્લંઘન થયા ની ભૂલ સમજતા જ તેવો એ માસ્ક ન પહેરવા બદલ નો દંડ ભરી અધિકારીઓ માટે પ્રેરણારૂપ બન્યા હતાકોવિડ૧૯ ની વૈશ્વિક મહામારી માં લોકો ની સુરક્ષા ને ધ્યાન માં લઇ સરકારે દેશ ના તમામ લોકો ને ફરજિયાત માસ્ક પહેરવા અને સોસીયલ ડિસ્ટન્સ ના પાલન કરવા આદેશ આપ્યા છે પરંતુ કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ પોતા ની સત્તા ના દુરુપયોગ કરી પોતા ની સાથે સાથે તેમની મુલાકાતે આવેલા અરજદારો માટે પણ કોરોના સંક્રમણ નો ખતરો ઉભો કરતા હોય છે પ્રજા પાસે બેફામ દંડ વસુલ કરનાર પોલીસ અધિકારીઓ પદાધિકારીઓ સામે નતમસ્તક બની જતી હોય છે ગત ૧૭-૧૮ તારીખે આવેલ તૌકતે વાવાઝોડા ની તબાહી માં ખેરગામ તાલુકા ના ખેડૂતો ભારે નુકશાની વેઠી હતી કેરી, ચીકુ, સહિત ઉનાળા માં પકતા અન્ય પાકો નો વાવાઝોડા ના વરસાદી પાણી માં સત્યાનાશ થયો હતો. જે બાબતે ખેરગામ કોંગ્રેસ ના આગેવાનો વિચાર મંથન કરી સરકાર પાસે વળતર મેળવવા ખેરગામ મામલતદાર ના માધ્યમ થી મુખ્ય મંત્રી ને આવેદનપત્ર પાઠવ્યું હતું કોંગ્રેસ ના આગેવાનો કોવિડ ૧૯ ગાઈડ લાઈન હેઠળ મામલતદાર નિરીલ મોદી ને ગતરોજ આવેદનપત્ર આપ્યું હતું પરંતુ મામલતદાર નિરીલ મોદી કોરોના ગાઈડ લાઈન ભૂલ્યા હતા અને માસ્ક પહેરવા વગર જ આવેદનપત્ર સ્વીકાર્યું હતું જે તસ્વીર સોસીયલ મીડિયા માં વાઇરલ થતા મામલતદાર સામે લોકો માં તરેહ તરેહ ની ચર્ચાઓ ઉઠવા પામી હતી જે બાબત ની જાણ મામલતદાર ને થતા તેવો એ પોતાની ભૂલ સુધારી હતી.વધુ વાંચો -
રેલવેએ ખોદેલી ચેનલમાં ડૂબી રહેલા બે બાળકોને બચાવવા જતા માતા પણ ડૂબી ગઈ
- 22, મે 2021 01:30 AM
- 3361 comments
- 3256 Views
વલસાડ, પશ્ચિમ રેલવે દ્વારા વાપી ના બલીઠા ખાતે નવી લાઈન નું કામ ચાલી રહ્યું છે આ કામ નો કોન્ટ્રાકટ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ને આપવા માં આવ્યું છે બાજુ માં ચાલી રહેલ ગટર ના કામ માટે કોન્ટ્રાક્ટરે ઊંડો ખાડો (ચેનલ ) ખોદયો છે જેના માટે ખોદેલ ચેનલમાં તૌકતે વાવાઝોડા સાથે આવેલ વરસાદી પાણી ભરાયું હતું જેમાં ૨ બાળકો અને મહિલાના ડૂબી જવાથી મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. વાપી નજીક બલિઠા ગામે બોમ્બે હોટેલના પાછળના ભાગે રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ડ્ઢહ્લઝ્રઝ્રન્) દ્વારા ગટર માટે ખોદવામાં આવેલ ચેનલમાં ૨ બાળકો ન્હાવા પડ્યા હતાં. બાળકો ઊંડા પાણીમાં ડૂબવા લાગતા તેની બુમાબુમ સાંભળી બાળકની માતાએ તેમને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી. જેમાં ત્રણેય લોકોના ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. વાપી નજીક બલિઠા ગામે બોમ્બે રેસ્ટોરન્ટમાં ભંગારની અને પ્લોટની રાખેવાળીનું કામ કરતા બાબુભાઇ રાઠોડ પર આભ તૂટી પડ્યું છે. બાબુભાઇ રાઠોડનો ૧૦વર્ષીય પુત્ર રાજ અને તેની પત્ની શુશીલાનું તેમજ સાળીના ૧૨ વર્ષીય પુત્ર કાર્તિકનું ઘર નજીક રેલવેની હદમાં બનેલ ગટર માટેના ખાડામાં ડૂબી જવાથી મોત થયું છે. ઘટના અંગે વાપી ટાઉન બી.જે. સરવૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે બલિઠામાં આ ઘટના રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગટર માટે ખોદવામાં આવેલ ખાડામાં બની છે. આ ખાડામાં હાલ વરસાદી પાણી ભરેલું હોય તે પાણીમાં બાબુભાઇ નો પુત્ર રાજ અને તેની સાળી નો પુત્ર કાર્તિક ન્હાવા પડ્યા હતાં. જેને ડૂબતા જાેઈ પુત્ર રાજની માતા બંનેને બચાવવા ઊંડા પાણીમાં કૂદી પડી હતી. જેમાં ત્રણેય ડૂબી ગયા હતાં. ગટરના ખોદકામ માટે બનાવેલ ચેનલમાં માતા-પુત્ર સહિત ત્રણેયે બચાવ માટે બુમાબુમ કરી હતી. જેને નજીકના શોપિંગ સેન્ટરમાં કામ કરતા વોચમેને જાેઈ જતા તે તાત્કાલિક બચાવવા માટે આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.વધુ વાંચો -
વલસાડ મોગરાવાડી-૩૨૯- અંડરપાસ બંધ કરવાની જાહેરાત સામે રોષ
- 21, મે 2021 01:30 AM
- 6604 comments
- 2431 Views
વલસાડ , પશ્ચિમ રેલવેમાં વલસાડ- મોગરાવાડી જ સૌથી નીચો અંડરપાસ-૩૨૯ ધરાવે છે જેમાંથી માત્ર કાર પસાર થઇ શકે છે તેનાથી મોટા વાહનો પસાર થઈ શકતા નથી. જેને દ્વિચક્રી સહિતના વાહનોની અવરજવર બંધ કરવા માટે પશ્ચિમ રેલવેના સિનિયર સેક્સન એન્જિનિયરે પત્ર લખી ૧૫-મૅથી બંધ કરવાની જાહેરાત કરી છે જે અમલી થઇ નથી પરંતુ લોકો માં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ ડિવિઝનલ સેફ્ટી ઓડિટ જે ૨૩-૨૪ માર્ચે થયું હતું તેમણે ખાસ નોંધ કરીને ૩૨૯ અંડરપાસમાંથી અવર જવર નિયંત્રિત કરવા જણાવ્યું હતું જેના સંદર્ભમાં સિનિયર સેક્સન એન્જિનિયરે તા.૧૨/૫ના પત્રથી ૧૫-૫-૨૧ તા.થી દ્વિચક્રી વાહનો સહિતની તમામ અવરજવર માટે આ ૩૨૯- ગરનાળાને પ્રતિબંધિત જાહેર કરવાનું જણાવ્યું હતું, જે તારીખ વીતી ગઈ છતાં અવર-જવર ચાલુ છે પરંતુ જાે બંધ કરવામાં આવશે તો તેના ૩૦ હજારથી વધુ વસ્તી ધરાવતા મોગરાવાડી વિસ્તાર ના લોકો એ હેરાનગતિ ઉઠાવવી પડશે તે સિવાય વલસાડ ના ગ્રામ્ય વિસ્તાર ના તેમજ નવસારી જિલ્લા ના ખેરગામ તાલુકા ના દૈનિક હજારો વાહનો રેલવે ગરનાળા ક્રમાંક ૩૨૯,૩૩૦,૩૩૧ માંથી પસાર થાય છે. જેમાં દર ચોમાસામાં પાણીનો ભરાવો થતા અવરજવર અવરોધાય છે અને વાયા ધરમપુર ચોકડી થઈ, વધુ બળતણ ફૂંકી, સમય વેડફી ટ્રાફિક સમસ્યા સહન કરી અવર જવર કરે છે છતાં ૫૦ વર્ષથી વલસાડની નેતાગીરી વામણી પુરવાર થતાં ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર ૭ સાલથી હોવા છતાં આ વિસ્તાર માટે ઓવરબ્રિજની માંગ સંતોષી શક્યા નથી. ખરેખર ઓવરબ્રિજ ઔરંગા નદી પછી ઉત્તરે લીલાપોર રેલવે ફાટક ક્રમાંક ૩૩૪ પાસે બનવો જાેઈએ. જેના માટે દક્ષિણ ગુજરાતના સાંસદો કે ધારાસભ્યો- વલસાડ પાલિકાના શાસકો હજુ પણ સક્રિય થયા નથી જે ૫૦થી વધુ ગામડાના લોકો માટે ભારે દુઃખ છે જેમનો વહેવાર વલસાડ સાથે અવિરત ચાલે છે.વલસાડ-મોગરાવાડી નગરપાલિકાના શાસકો ૩૨૯ મોગરાવાડી અંડરપાસ ચાલુ રખાવવા માટે શું કરે છે તેની રાહ જાેઈએ.વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરે તો ૧૩મી તારીખે પત્ર મળ્યાની સહી કરી મળેલા પત્ર પર -જરૂરી પગલાં લેશો અને રિપોર્ટ કરશો- પણ લખી દીધું છે. પણ તેમણે આ ગરનાળું બંધ થાય તો તેના કેવા પ્રત્યાઘાતો પડે તેના પર વિચારણા મંથન કર્યું જ નથી જે દુઃખદ છે.વધુ વાંચો -
તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર
- 19, મે 2021 05:00 PM
- 4083 comments
- 4063 Views
અમદાવાદ-તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.વધુ વાંચો -
ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાએ કર્યો વિનાશ, કોરોડોનું નુકસાન, મૃત્યુઆંક 45 પર પહોંચ્યો
- 19, મે 2021 02:47 PM
- 3581 comments
- 6793 Views
અમદાવાદ- ગુજરાતમાં એક દિવસની તારાજી સર્જીને રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે. પરંતુ ગુજરાતમાં પાછળ કોરોડનું નુકસાન અને અનેક લોકોનો ભોગ લેતું ગયું છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં મૃત્યું આંક ધીમે ધીમે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 45 લોકોના મોતના સમચારા મળી રહ્યા છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે. અમરેલીમાં 15 મોત થયા છે. જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 લોકોનાં મોત થયા છે. ભાવનગરમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત થયા છે. ગીર સોમનાથમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી 1 મોત થયા છે. અમદાવાદમાં કુલ 5 મોત થયા છે. જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1નું મોત થયું છે. ખેડામાં 2ના મોત થયા છે જેમા વીજ કરંટથી બંન્નેના મોત થયા છે. આણંદમાં 1 મૃત્યુ વીજ કરંટથી, વડોદરામાં 1 મૃત્યું ટાવર પડી જવાથી, સુરતમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી, વલસાડમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, રાજકોટમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, નવસારીમાં 1 મૃત્યુ છત પડવાથી, પંચમહાલમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી થયું છે.આ વાવાઝોડાથી સૌથી વધારે નુકશાન ખેડૂતોને થયું છે. બાગાયતી પાકના ખેડૂતોને તો રોવાનો વારો આવ્યો જ છે, સાથે ઉભો પાક લોકોનો વાવાઝોડામાં નષ્ટ થઈ ગયો છે. હવે વાવાઝોડાની આફત ધીમે ધીમે ઓછી થઈ રહી છે, ત્યારે સરકાર આવતીકાલથી નુકશાનીનો સર્વે હાથ ધરશે, તથા રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે તેવી સરકારે ખાતરી આપી છે. વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. આ વાવાઝોડાને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આજે રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. ગુજરાતમાં આ વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે.વધુ વાંચો -
વરસાદના લીધે વલસાડમાં કેરીના પાકને નુકસાન થયું, ખેડૂતોની ચિંતા વધી
- 19, મે 2021 02:01 PM
- 3668 comments
- 243 Views
વલસાડ-સોમવાર સાંજથી જ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદ વરસ્યો હતો. સાથે જ જિલ્લા સાંજના સમયે જિલ્લાના ધરમપુર કપરાડા પારડી વાપી અને ઉંમરગામ સહિતના તમામ તાલુકાઓમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે તોફાની વાતાવરણમાં વલસાડ જિલ્લાના સૌથી મોટા પાક એવા કેરીના પાકને વ્યાપક નુકશાન થયું છે. જિલ્લાના ધરમપુર-કપરાડા વાપી વલસાડ પારડી અને ઉંમરગામ વિસ્તારમાં આવેલી આંબાવાડીઓમાં કેરીનાં તૈયાર થવા આવેલો પાક ખરી પડ્યો છે. જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં ૪૫ હજાર હેક્ટર વિસ્તારમાં કેરીનો પાક લેવામાં આવે છે અને અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે. આંબાવાડીઓમાં કેરી તૈયાર થવાના સમયે જ ગઇકાલે વરસાદી વાતાવરણ અને વાવાઝોડા જેવા માહોલમાં વરસાદ વરસ્યો હતો. જેને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ કે બગડી ગયેલા કેરીના પાકના ભાવ પણ ઓછા આવી શકે છે. ગયા વર્ષે લોકડાઉન અને આ વખતે પણ મીની લોકડાઉન જેવો માહોલ અને ત્યારબાદ હવે આ તૌક્તે આફતને પગલે બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે.વધુ વાંચો -
તાઉ તે વાવાઝોડાથી 13નાં મોત, અસરગ્રસ્તોને ચુકવાશે કેશડોલ અને ઘરવખરીની સહાય: CM રૂપાણી
- 18, મે 2021 08:08 PM
- 5736 comments
- 6909 Views
ગાંધીનગર-મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતો અને ખેતરોનું મોટું નુકસાન સામે આવ્યું છે. જેમાં ઉનાળા પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. નુકસાનનું વળતર સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે. માછીમારોના નુકસાનનું પણ સર્વે કરાશે. પશુપાલન વિભાગને પણ પશુઓના નુકસાન અંગે પણ સર્વે કરવાની કામગીરી સોંપાઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આજની બેઠકમાં એ પણ નિર્ણય થયો છે કે, ગુજરાતના તમામ અસરગ્રસ્ત શહેરોમાં પુરુ તંત્ર રિસ્ટોર કરવાની કામગીરીમાં 2 દિવસ સતત કાર્યરત રહેશે.હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તે હવે અમદાવાદ પરથી પસાર થઈ ચુક્યું છે. 40 કિમિ કરતા વધારે ઝડપથી અમદાવાદને ધમરોળનારા વાવાઝોડાનાં પગલે અમદાવાદમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. પવનની ઝડપ અને વરસાદને લઈને શહેરનાં અનેક વિસ્તારોમાં તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. બાદમાં બપોર બાદ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. શહેરમાં સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે.તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ગરનાળા, અને રસ્તાઓ પર પાણી ભરાયા. કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના પણ બની હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર રખિયાલમાં એક કાર પર ઝાડ પડવાનો બનાવ બન્યો છે. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. નારણપુરાના આદર્શનગરમાં ઈલેક્ટ્રિક વીજ પોલ તૂટી ગયો હતો. વાવાઝોડું સાણંદ નજીકથી અમદાવાદમાં પ્રવેશી રહ્યું છે. જેથી ભારે પવનથી વીજળીના ડૂલ થવાની ઘટના વધી હતી.વધુ વાંચો -
ગુજરાતમાં તોઉ તે વાવાઝોડાને કારણે 3 ના મોતઃ 2 લાખથી વધુ લોકોનું સ્થળાંતરણ, 40 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી
- 18, મે 2021 03:45 PM
- 4244 comments
- 9006 Views
ગાંધીનગર-મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે, મંગળવારે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજયમાં ખાસ કરીને દરિયા કિનારાના ૧૪ જિલ્લાઓમાં વાવાઝોડાની અને વરસાદની સ્થિતિની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ગઈકાલે રાત્રે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિની પળેપળની માહિતી મેળવવા અને જિલ્લા તંત્રોનું માર્ગદર્શન કરવા ગઈકાલે મધ્યરાત્રિ સુધી ૪ કલાક કન્ટ્રોલ રૂમમાં જાતે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આજે સવારે પણ કન્ટ્રોલ રૂમ પહોંચીને રાત્રિની વાવાઝોડાને વરસાદની સ્થિતિ, નુકસાની અને રોડ રસ્તા બંદરો વગેરેને થયેલી અસરની વિગતો પણ પ્રાપ્ત કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ રાજયના જિલ્લાઓમાં વરસી રહેલા વરસાદ પવનની ગતિ અને હવામાન વિભાગની આગાહી અંગે પણ વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યસચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.વાવાઝોડા અંતર્ગત તા .૧૭/૦૫ /૨૦૨૧ ની રાતથી ૧૮/૦૫/૨૧ના રોજ સવારના ૦૯.૦૦ કલાક સુધીમાં થયેલા નુકશાન તેમજ કામગીરી નીચે પ્રમાણે છે. વાવાઝોડું તા.૧૭-૦૫-૨૦૨૧ ના રોજ ૨૦-૩૦ કલાકે ઉના અને દીવ વચ્ચે ટકરાયેલ છે. જેની ગતિ ૧૫૦થી ૧૭૫ પ્રતિ કલાકની હતી. જેનાથી જિલ્લાના ૧૧૨૭ ગામોમાં અસર થયેલ છે. જેના કારણે ગીર સોમનાથ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં ભારે /અતિભારે વરસાદ પડ્યો છે.( ૨ ) રાજયમાં તા .૧૮ / ૦૫ / ૨૦૨૧ ના સવારના ૬.૦૦ કલાકથી ૦૮.૦૦ કલાક સુધીમાં ૨૨ જિલ્લાના ૧૦૬ તાલુકામાં કુલ ૯૪૩ મીમી વરસાદ નોંધાયો છે. ( ૩ ) રાજયના કુલ -૧૯ જિલ્લાના -૧૧૨૭ સ્થળાંતર કરવા પાત્ર ગામોમાંથી ૨,૨૮,૬૭૧ લોકોને ૨૫૦૦ આશ્રય સ્થળોમાં સ્થાળાંતરીત કરવામાં આવ્યા છે. ( ૪ ) વાવાઝોડાથી થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ૨૭૬ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ, ૨૮૭ માર્ગ અને મકાન વિભાગનીની ટીમો તૈયાર રાખવામાં આવી છે. વધુમાં વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે ૬૫૬ ટીમો તૈયાર રાખેલ છે. આરોગ્ય માટે પ૩૧ ટીમો તથા ૩૬૭ ટીમો મહેસુલી અધિકારીઓને ત્વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવી છે. ( ૫ ) રાજયમાં કોવિડની સ્થિતિને પહોંચી વળવા માટે ૧૪૮૯ પાવરબેક અપ રાખવામાં આવેલ છે. ૧૭૮ ICU એબ્યુલન્સ અને ૬૩૬ -૧૦૮ એબ્યુલન્સની વ્યવસ્થા રાખવામાં આવી છે. ( ૬ ) ઓકસિજન જરૂરીયાતને પહોંચી વળવા માટે તથા ઓકસીજનનું સરળતાથી વહન થાય તે માટે ૩૯ ગ્રીન કોરીડોર બનાવવામાં આવેલ છે. ( ૭ ) રાજયમાં કુલ ૫૦૮ ડીવોટરીંગ પંપ રાખવામાં આવેલ છે . ( ૮ ) ૧૦૩૩૭ હોર્ડીગ્સ શહેરી વિસ્તારમાં તથા ૧૪૮૯ હોડીંગ્સ ગ્રામ્ય વિસ્તારમાંથી ઉતારી લેવામાં આવ્યા છે. જેનાથી નુકશાન થઇ શકે તેવા ૧૩૫ હંગામી સ્ટકચર દૂર કરવામાં આવ્યા છે . ( ૯ ) અમરેલી જીલ્લાના શિયાળબેટ ગામમાં ૩ બોટ તણાઇ ગયેલ છે. (૧૦ ) રાજુલા પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીને નુકશાન થયેલ છે. ( ૧૧ ) જાફરાબાદ તાલુકામાં કોમ્યુનિકેશન બંધ છે તથા ધારી બગસરા, જાફરાબાદ અને ખાંભા તાલુકામાં વીજળી બંધ છે ( ૧૨ ) વાવાઝોડાના કારણે રાજયમાં કુલ ૧૯૪ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તે પૈકી ૪૦ રસ્તા ફરી શરૂ કરવામાં આવ્યા છે. ( ૧૩ ) રાજયમાં કુલ ૨૨૭૧ ગામોમાં વીજ પૂરવઠો બંધ થયેલ છે. જે પૈકી ૨૫૩ ગામોમાં વીજ પૂરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ( ૧૪ ) વાવાઝોડાના કારણે ૧૪૮ પાકી ખાનગી ઈમારતો, ૨૨૧ સરકારી ઈમારતો / સ્ટ્રકચર, ૧૬૬૪૯ કાચાપાકા ઝૂંપડાં નુકસાન થયેલ છે. ( ૧૫ ) રાજયમાં કુલ ૩ માનવ મૃત્યુ થયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં તોઉ તે વાવાઝોડાનું વિનાશકારી તાંડવ, 188 તાલુકામાં ધોધમાર વરસાદ, 3 નાં મોત
- 18, મે 2021 02:27 PM
- 7797 comments
- 9995 Views
અમદાવાદ-'તાઉ'તે વાવાઝોડું ગઈ કાલે રાત્રે રાજ્યમાં ઉના અને ભાવનગરમાં ટકરાયા પછી ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદના અહેવાલ છે. 'તાઉ'તે' વાવાઝોડાને પગલે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં પવન સાથે નવ ઈંચ વરસાદ પડ્યો હતો, જેમાંથી સાત ઇંચ વરસાદ તો માત્ર વહેલી સવારે 4થી 6 કલાકની વચ્ચે નોંધાયો છે. જ્યારે ગીર ગઢડામાં પણ સાત 7 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના ઉંમરગામમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજયમાં કુલ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે ભારે પવનને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રનાં 1000 ગામોમાં વીજપુરવઠો ઠપ થયો હતો.110 તાલુકામાં એક મિ.મીથી છ ઇંચ વરસાદ નોંધાયો હતો. હજુ ગુજરાત માટે 24 કલાક ભારે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે વાવાઝોડું ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે. આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહાર ના નીકળવાના જિલ્લા કલેકટરે તાકીદ કરી છે.વધુ વાંચો -
ગુજરાતને ધમરોળતુ તાઉ તે વાવાઝોડું, 2500 ગામોમાં અંધારપટઃ 150થી વધુ રોડ-રસ્તાઓ બંધ
- 18, મે 2021 02:10 PM
- 3573 comments
- 3691 Views
અમદાવાદ-કેરળ, કર્ણાટક, ગોવા અને મુંબઈમાં વિનાશ વેર્યા બાદ તાઉ-તે વાવાઝોડું સોમવારે મોડી રાત્રે દીવ નજીક ત્રાટક્યું હતું. તાઉ-તે વાવાઝોડાના કારણે ગુજરાતમાં 4 લોકોના મોતના નિપજ્યા હતા. ગુજરાતમાં ચક્રવાત તાઉ-તેએ રાજ્યના કેટલાક ભાગોમાં ત્રાટકીને પશ્ચિમ કાંઠે તબાહી મચાવતા ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા. વાવાઝોડાને કારણે રાજ્યમાં ઘણા વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓને નુકસાન થયું છે, જેથી રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. રાજ્યમાં 2500 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાતા અંધારપટ થવાયો છે. 40 હજારથી વધુ વૃક્ષો ઘરાશાયી બન્યા છે. 1081 વીજ થાંભલા પડી ગયા છે. 196 રોડ-રસ્તાઓ બંધ છે.વાવાઝોડાની સ્પીડ 100 કિમીની છે. તેમજ અમદાવાદ જિલ્લા અને ધોળકામાં તેની અસર દેખાઈ રહી છે. સાથે જ સાંજ સુધી આ વાવાઝોડાની પરિસ્થિતિ ચાલુ રહેશે. જોકે તંત્રની તકેદારીના કારણે કોઈપણ મોટી દુર્ઘટના થઈ નથી. અત્યાર સુધીમાં 1081 થાંબલા, 40 હજાર વૃક્ષો પડી ગયા. 196 રસ્તા બંધ થઈ ગયા, 16500 કાચા મકાન અસરગ્રસ્ત થયા છે, જેનો સર્વે ચાલુ છે. બીજા વિસ્તારમાં 100થી વધુની સ્પીડે પવન ચાલુ છે ત્યાં પણ નુકસાનનો સર્વે ચાલુ છે. અત્યારે વરસાદ 35 તાલુકામાં 1 ઈંચ વરસાદ થયો છે. બગસરામાં 9 ઈંચ, ઉનામાં 8 ઈંચ, સાવરકુંડલામાં 8 ઈંચ, અમરેલી અને આસપાસના સ્થાનોમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. કન્ટ્રોલરૂમથી તમાનની સાથે સંપર્કમાં છીએ. અત્યાર સુધી 3નાં મોત થા છે. જેમાં 1 વાપી, 1 રાજકોટ અને ગારીયાધારમાં 80 વર્ષના 1 વૃદ્ધનું મોત થયું છે.વધુ વાંચો -
‘તોકતે’ વાવાઝોડાને પગલે ભરૂચમાં ૨૭૬૪ લોકોનું સ્થળાંતર
- 18, મે 2021 01:30 AM
- 5664 comments
- 8750 Views
ભરૂચ, ભરૂચ જીલ્લાના દરિયાકાંઠા વિસ્તારના સંભવિત તૌકતે વાવાઝોડાની અસર સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં દરિયાકાંઠે આવેલાં જંબુસર તાલુકાના ૧૪ ગામોના ૬૮૩, વાગરા તાલુકાના ૧૧ ગામોના ૧૫૮૫ અને હાંસોટ તાલુકાના ૫ ગામોના ૪૯૬ મળી કુલ ૩૦ ગામોના કુલ ૨૭૬૪ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે તેમ જીલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ વાગરા તાલુકાના ગામ્ય વિસ્તારની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું. કલેકટરે આ મુલાકાત વેળાએ ગંધારના દરિયા કિનારા અગરિયાઓને તાત્કાલિક રૂબરૂ જઇને સ્થળાંતર કરાવ્યા હતા.આ સ્થળાંતર કરી ગયેલા લોકોમાં કોવિડ આરોગ્યલક્ષી ગાઈડલાઈન પ્રમાણે ચકાસી જાે કોઈને પોઝિટિવ હોય તો તેને અલગ રાખવા ઉપરાંત તાત્કાલિક અસરથી સારવાર કરાવવા જણાવ્યું હતું. કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકોને આ બે દિવસ દરમ્યાન સતત સાવચેતી રાખવાની જરૂર છે.ભરૂચ જીલ્લામાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રબંધ કરવામાં આવ્યા છે આ બાબતમાં કોઈપણ મુશ્કેલી કે રજૂઆત હોય તો જીલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સંપર્ક નંબર ૦૨૬૪૨-૨૪૨૩૦૦ અથવા ૧૦૭૭ નો સંપર્ક સાધવા જણાવાયું છે.લોકોને કોઈપણ પ્રકારની અફવાથી બચવા, સલામત સ્થળે સ્થળાંતર કરવામાં સહયોગ આપવા તથા બચાવ-રાહત કામગીરીમાં અંતરાયરૂપ ન થવા અપીલ છે.સુવા ગામે દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દિવને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેની સાથે ભરૂચના દહેજ બંદરને ૧ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. દહેજમાં પ્રવર્તી રહેલ તૌકતે વાવાઝોડા સંદર્ભે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્તનું આયોજન અને અસરકારક કામગીરી કરવામા આવી રહી છે. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાંઠાના સુવા ગામે પવનની ગતિમા વધારો થયો હતો અને વાતાવરણ બદલાયું હતું. તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી હતી અને બોટને દરિયામાં ન લઇ જવા દઈને કાંઠે લઇ આવ્યા જણાવ્યું હતું. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાઠાના વિસ્તારમાં જેના મકાનો કાચા છે ને જે વિસ્તારમાં પુરનું ભય છે તેવા વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવાયાનું કામ શરૂ કરાયું છે. હાંસોટ અને આલીયાબેટના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તૌકતે વાવાઝોડા ની તીવ્ર અસર ને પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે રાહત કામગીરી માં ઉભુ છે.જેને પગલે હાંસોટ તાલુકા ના સમુદ્રી કિનારે વસેલા ૬ ગામો અને આલીયાબેટ પર રહેતા લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાવવામાં આવ્યુ હતુ. ગુજરાત માં તૌકતે વાવાઝોડાની એક્ટિવિટી શરુ થઇ ગઈ છે,તારીખ ૧૬ મી મે ના રોજ સાંજ થી જ ભારે પવન અને વરસાદી માહોલ સર્જાયો છે,ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત ગામોના લોકોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.જેમાં હાંસોટ તાલુકા ના કંટીયાજાળ, સમલી, વમલેશ્વર, કતપોર, વાંસાનોલી,અને આંકલાવ મળીને ૫૩૧ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ,જ્યારે આલીયાબેટ પર વસતા ૨૫૦ લોકોને હાંસોટ અને અંભેટા ની પ્રાથમિક શાળા માં સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. જ્યારે બીજી તરફ અંકલેશ્વર પંથકમાં પણ દિવસ દરમ્યાન પવનની ગતિ તેજ રહી હતી, અને વાતાવરણ માં ધૂળની ડમરીઓ ઉડી હતી, તેમજ છુટા છવાયા વરસાદી છાંટા પણ વરસ્યા હતા. તૌકતે વવાઝોડાની અસરઃ વલસાડમાં દરિયામાં બાર ફૂટના મોજાં ઉછળ્યાં વલસાડ, તૌકતે વાવાઝોડાની હવામાન વિભાગે આપેલ આગાહી એ વલસાડ જિલ્લા ના વહીવટી તંત્ર ની ઊંઘ ઉડાડી દીધી છે. નવો રોગ મ્યુકોરમાઇકોસીસે એન્ટ્રી મારી છે અને હવે તૌકતે વવાઝોડા ના આગમન ની આગાહી થી લોકો માં દહેશત વ્યાપી છે. હવામાન વિભાગે આ વાવાઝોડું ગુજરાત માં ૧૮ થી ૨૦ તારીખે આવશે ની આગાહી આપી હતી પરંતુ રવિવારે બપોરે બે વાગ્યે થી જ વાવાઝોડા ની અસર જાેવા મળી હતી. કલેક્ટર આર.આર.રાવલ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વલસાડ તાલુકાના ૨૦ ગામોના ૧૦૬૭ લોકોને ૨૬ આશ્રય સ્થાન, પારડી તાલુકાના ૦૬ ગામોમાં ૫૬૧ લોકોને ૩ આશ્રયસ્થાન, ઉમરગામ તાલુકાના ૧૧ ગામોના ૭૮૯ લોકોને બાવન આશ્રયસ્થાનો મળી કુલ ૩૯ ગામોના કુલ ૮૩ આશ્રયસ્થાનોમાં ૧૦૯૬સ્ત્રી અને ૯૫૮ પુરુષ તથા ૩૬૩ બાળકો મળી ૨૪૧૭ લોકોનું સલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા ના શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારો માં વરસાદી માહોલ બન્યો હતો તિથલ ખાતે વર્ષો જૂનો ઝાડ ધરાસાઈ થયો હતો દરિયા થી જાેરદાર પવન ફૂંકાયો હતો અંતરિયાળ વિસ્તારો માં ઘણા ઝૂંપડાઓ ના પતરા ઉડી ગયા હોવાની બાબતો સામે આવી હતી રવિવારે બપોરબાદ વાતાવરણ શાંત બન્યું હતું વલસાડ વહીવટી તંત્રે કાંઠા વિસ્તાર ના ગામડા ના લોકો ને સ્થળાંતર કરવાની કાર્યવાહી કરી હતી મોડી રાત સુધી લગભગ ૬૦૦ થી૭૦૦ લોકો ને સ્થળાંતર કરાવાયું હતું ૨૪૧૭ જેટલા લોકો ને સ્થળાંતર કરવામાં આવ્યું છે વલસાડ કલેકટર આર આર રાવલ અને ડીએસપી ઝાલા એ લોકો ની સુરક્ષા ની બાગડોર સાંભળી હતી. તિથલ દરિયા કિનારે જાેરદાર પવન આવતા ધંધાદારીઓ એ ઉભા કરેલ તંબુઓ તહસ નહસ થઈ ગયા હતા.દરિયા માં ઉઠી રહેલ તરંગો વાવાઝોડા ની આવવાનો શંકેત આપી રહી હતી ૨૪ પોલીસ અધિકારીઓ ની દેખરેખ માં વલસાડ પોલીસ ની સૈકડો જવાનો લોકો ની સુરક્ષા બાબતે તૈનાત થયા હતા વલસાડ ડીએસપી ડો. રાજદીપસિંહ ઝાલા એ જિલ્લા માંથી ૪૦૦ જેટલા તરવૈયાઓ ની ટિમ સજ્જ રાખી હતી તેની સાથે ૧૦૮ અને ખાનગી હોસ્પિટલો ની એમ્બ્યુલનસો પણ સ્ટેન્ડબાય રાખવા માં આવી હતી એન ડી આર એફ ની ટિમ લોકો ને મદદ કરવા ઉપસ્થિત રહી હતી વાવાઝોડા ને લઈ બચાવ માટે કલેકકટરે તમામ વ્યવસ્થાઓ કરી હતી છતાં પણ આવનાર વાવાઝોડું કેવી સ્થિતિ નું સર્જન કરશે તે બાબતે ચિંતાતુર બન્યા હતા.ખેરગામ તાલુકામાં બપોર સુધી તીવ્ર પવનની ઝડપ વર્તાતી હતી, થોડો વરસાદ પડ્યો. પરંતુ બપોરે અઢી વાગ્યાના સુમારે સરસિયાના કુંવરજીભાઇ ઝીણાભાઈ પટેલે હાલમાં જ બનાવેલા મકાનના છાપરાના સિમેન્ટના પંદરેક પતરા ચક્રવાતે ઉડાડતા ઘરમાં ચાર્જિંગ થતો મોબાઈલ ઉપર પડતાં ૯ હજારનો મોબાઈલ કચ્ચરઘાણ થઇ ગયો હતો.વીજ કંપનીઓના વીજ કર્મીઓ ખડેપગે જિલ્લામાં વાવાઝોડાને પગલે વીજળી વેરણ થાય તો કોવિડની સુવિધાઓ ઠપ ન થાય તે માટે ૩૦૦ વીજ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે તથા વીજ તાર તૂટી જવાની સ્થિતિમાં રિસ્ટોરેશન માટે ૧૯ ટીમો સ્ટેન્ડબાય કરવામાં આવી છે. સુપ્રિટેન્ડન્ટ એન્જીનીયર જીઈ જે.એસ.કેદારીયાએ જણાવ્યું હતું કે ૧૧ એન્જીનિયર સાથે ની ૩૦૦ વિજકર્મીઓની ટીમ રિસ્ટોરેશન માટે વાગરા, હાંસોટ અને જંબુસર તાલુકાના દરિયા કાંઠાના ગામોમાં તહેનાત છે. અન્ય તાલુકા અને ભરૂચ,અંકલેશ્વર, આમોદ,જંબુસર નગર માટે પણ અન્ય વીજ સ્ટાફ સ્ટેન્ડ બાયમાં છે. જિલ્લામાં આજે સામાન્ય અને કાલે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વાવાઝોડાના પગલે જિલ્લાભરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જાનહાનીના કોઈ અહેવાલ સાંપડ્યા નથી. ગુજરાતને પ્રાણવાયુ પૂરો પાડતા દહેજ – ઝઘડિયાના ૨ પ્લાન્ટ કાર્યરત રાખવા પર ધ્યાન સમગ્ર ગુજરાતને મોટાપાયે ઓક્સિજન પૂરો પાડતા દહેજ અને ઝઘડિયાનો પ્લાન્ટ ઠપ ન થાય તેના ઉપર વિશેષ ધ્યાન દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ કેન્દ્રિત કર્યું છે. ઔદ્યોગિક ગઢ અને ૧૨૨ દ્ભસ્નો દરિયા કાંઠો ધરાવતા ભરૂચ જિલ્લામાં ઓક્સિજન ઉત્પાદન કરતી કેટલીક કંપનીઓ સાથે ૨ મોટા પ્લાન્ટ આવેલા છે. દહેજની લિંડે અને ઝઘડિયાની કંપની મોટા પાયે ઓક્સિજનનું પ્રોડક્શન કરે છે. કોરોના કાળમાં આ બંને કંપની દ્વારા ઉત્પાદિત થતો પ્રાણવાયુ સમગ્ર રાજ્યમાં પણ મોટા પ્રમાણમાં મોકલવામાં આવે છે. ભરૂચ શહેરમાં રહેલા જાેખમી બેનરો અને હોર્ડિંગ ઉતારાયા ભરૂચ નગરપાલિકા તંત્ર પણ તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાન માં રાખી સજ્જ થઈ ફાયર બ્રિગેડની બે ટીમ ૨૪ કલાક માટે તૈયાર રાખી કામગીરી હાથધરી છે. ભરૂચ નગરપાલિકા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. ફાયર બ્રિગેડની બે ટીમ બચાવ સામગ્રી સાથે રાઉન્ડ ધી કલોક તહેનાત રાખવામાં આવી છે.ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની અને પ્રમુખ અમિત ચાવડાએ નગરપાલિકાની તૈયારી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં રહેલા જાેખમી હોર્ડીંગ અને બેનરોને ઉતારી લેવામાં આવ્યા છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા પાલિકા તંત્ર સજ્જ હોવાનું કહ્યું હતું. માંડવીના અંતરિયાળ ગામોમાં ઘરોને નુકસાન તાઉતે વાવઝોડાના કારણે માંડવી તાલુકાના ફેદરિયા-ઉકાઈ રોડ પરના અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં થયું નુકશાન. સતત ૧૫ થી ૧૬ કલાક વિજપ્રવાહ રહ્યો બંધ. રાજકિય આગેવાનો દ્વારા આગળ આવી પીડિતોને સહાય કરાય તેવી ગ્રામજનોની માંગ. દેશનાં અમુક વિસ્તારોમાં આતંક ફેલાવનાર તાઉતે વાવાઝોડાની અસર માંડવી તાલુકામાં પણ દેખાય હતી. જેનાં સંદર્ભે ફેદરિયા-ઉકાઈ રોડ પર આવેલ અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં અમુક ગરીબ આદિવાસી લોકોનાં ઘર તૂટી જતા જાણે તેમના પર આભ તૂટી પડ્યું હતું. અમુક લોકોએ ઓછીના પૈસા લાવી જાત મહેનત કરી ઘર બનાવ્યાને હજુ માંડ એક કે દોઢ વર્ષ જ થયું હતું અને તેમના પૈસા પણ ચૂકવવાનાં બાકી હોય અને આ વાવાઝોડાને કારણે તેમનું મકાન તૂટી જતા જાણે તેમની આત્માએ રાડ પાડી રુદન કર્યું હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે. તો ઘર સહિત કેટલનાં ખેતરમાં ઉભા પાકને પણ નુકશાન થતા ખેડૂત જાણે માથે હાથ દઈ બેસી ગયો હતો. તો આવી કપરી પરિસ્થિતિમાં રાજકિય આગેવાનો આગળ આવી આવા પીડિતોને સહાય કરે તેવી ગ્રામજનોમાં માંગ ઉભી થઇ છે.વધુ વાંચો -
તાઉ-તે વાવાઝોડાનું કાઉન ડાઉન શરૂ, પોરબંદર અને દીવ માટે સેનાની 12 ટીમ બચાવકાર્ય માટે તૈનાત
- 17, મે 2021 07:29 PM
- 1828 comments
- 4053 Views
અમદાવાદ-ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વાવાઝોડાને પગલે ગુજરાતમાં આર્મીની લગભગ કુલ 180 ટીમોને સજ્જ કરાઇ છે. જેમાં એન્જીનીયર ટાસ્ક ફોર્સ કોવિડ પ્રોટોકોલ્સના આધારે લોકોને સહાય અને તમામ પ્રકારની સહાય પૂરી પાડશે.વાવાઝોડાની મહત્તમ અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેશે. જેથી આર્મીની ટીમ મોટાભાગે સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે આર્મીની 60 ટીમે સુસજ્જ રખાઇ છે. જેમાં દરેક ટીમમાં 6 જવાનો કાર્યરત રહેશે. જે દીવ અને પોરબંદર સહિતના વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરશે. આ સિવાય ગુજરાતના અનેક શહેરોમાં વાવાઝોડાની અસર વર્તાશે. જેને અનુસંધાને પણ બાકીની આર્મીની ટુકડીઓ સુસજ્જ કરાઇ છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાત્રે વાવાઝોડું દિવ નજીક ટકરાશે. જેથી મોટું નુકસાન થવાનો પણ અંદાજ સેવવામાં આવ્યો છે. આ સમયે ઇન્ડિયન આર્મીની બચાવ ટુકડીની મદદથી બચાવ કામગીરી ઝડપી બની શકશે.તૌક્તે વાવાઝોડાના કારણે મુંબઈ એરપોર્ટને બંધ રાખવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 8 વાગ્યા સુધી એરપોર્ટ પર ફ્લાઈટની અવર-જવર બંધ રહેશે. તૌક્તે વાવાઝોડું નજીક પહોંચતા જ દીવનો દરિયો તોફાની બન્યો છે. દીવના દરિયામાં કરંટ વધતા ત્રણ મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. બ્લુ ફ્લેગ બીચને ભારે નુકસાનની સંભાવના છે.તૌક્તે વાવાઝોડુ ગુજરાતથી વધારે નજીક આવ્યું છે. તૌક્તે વાવાઝોડુ સંઘ પ્રદેશ દીવથી માત્ર 90 કિમી દૂર છે. વાવાઝોડૂ નજીક આવતા જ કાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂકાવાનું શરુ થયું છે. દિવ, વેરાવળ, મહુવા અને ઘોઘાના દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શરુઆત થઈ ગઈ છે.તૌક્તે વાવાઝોડું ગણતરીની કલાકોમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. જાફરબાદમાં વાવાઝોડાની તોફાની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભયાવહ કરતું વાતાવરણ જાફરાબાદમાં સર્જાયું છે.વધુ વાંચો -
ગુજરાતમાં ઘણા સ્થળે પવન સાથે તોફાની વરસાદ: દરિયાકાંઠે જોરદાર કરંટ, તંત્ર એલર્ટ
- 17, મે 2021 06:54 PM
- 3737 comments
- 3183 Views
અમદાવાદ-અરબી સમુદ્રમાં તાઉ તે વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારેથી 100 કિલોમીટર દૂર હોવા છતા, ગુજરાતના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફુકાઈ રહ્યો છે. તો ભારે તોફાની વરસાદ પણ વરસી રહ્યો છે. ગુજરાતના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારના જણાવ્યાનુસાર, તાઉ તે વાવાઝોડુ ભાવનગરના મહુવાથી પોરબંદર સુધીમાં દિવથી 20 કિલોમીટર પૂર્વ દિશામાં સોમવાર 17મી મેની રાત્રે ટકરાશે. વાવાઝોડુ જ્યારે જમીન ઉપર ટકરાશે ત્યારે પવનની ઝડપ 165 કિલોમીટરની હશે જે ક્યારેક વધીને 185 કિલોમીટર થવાની સંભાવના છે. તાઉ તે વાવાઝોડાની અસર આવતીકાલ સુધી ગુજરાતમાં વર્તાશે. તાઉ તે વાવાઝોડાની સંભવિત અસર પામનારા 17 જિલ્લામાં સવચેતીના પગલા લેવાયા છે. ગુજરાતના 17 જિલ્લાના 840 ગામમાંથી બે લાખ જેટલા લોકોનું અંદાજે 2000 આશ્રય સ્થાન ઉપર સલામત સ્થળાંતર કરાયું છે. સ્થળાતરીત કરાયેલા લોકોમાં સૌથી વધુ પાંચ જિલ્લાના લોકો છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ. અમરેલી, ભાવનગર સૌથી વધુ અસર પામનારા છે. આ પાંચ જિલ્લામાંથી 1.25 લાખ કરતા વધુનુ સ્થળાંતર કરાયુ છે. ગુજરાતમાંથી દરિયામા માછીમારી કરવા ગયેલા 19811 માછીમારો પરત ફર્યા છે. ગુજરાતમાં નોંધાયેલી એક પણ બોટ હવે દરિયામાં નથી. તમામ બોટ કિનારે લાગરી ચૂકી છે. મીઠાના અગરમાં કામ કરતા 11 હજાર અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોખમી લાગતા 668 હંગામી સ્ટ્રકચરને તોડી પાડવામાં આવ્યા છે. તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી11000થી વઘુ હોર્ડીગ્સને ઉતારી લેવાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં તોઉ-તે વાવાઝોડાને કારણે 25 વર્ષ બાદ દરિયાકાંઠે લાગ્યુ 10 નંબરનુ સિગ્નલ
- 17, મે 2021 04:10 PM
- 5269 comments
- 424 Views
અમદાવાદ-ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યુ છે અને તોફાન આજે રાત્રે ગુજરાતને ટકરાય તેવી આશંકા છે. ત્યારે ગુજરાતના દરિયાકિનારા પર 25 વર્ષ બાદ 10 નબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વાવાઝોડાની અસર અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને, બંદરો પર આ પ્રકારના નંબરના સિગ્નલ આપવામાં આવ્યા છે, ત્યારે ગુજરાતના દરિયા કિનારાના ગામો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસ સામે લડતા ગુજરાતના માથે, વાવાઝોડાનુ ખૂબ જ મોટું સંકટ આવીને ઊભુ થયુ છે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગતિ વધારી છે અને ઝડપથી ગુજરાત તરફ તે આગળ વધી રહ્યુ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યુ છે અને આ કેટેગરીમાં 225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનુ છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે, 10 નંબરનુ સિગ્નલ આપી દેવામાં આવ્યુ છે.વધુ વાંચો -
વલસાડની મહિલા કોન્સ્ટેબલે પ્રસૂતિના આગલા દિવસ સૂધી ફરજ બજાવી
- 17, મે 2021 01:30 AM
- 8634 comments
- 953 Views
વલસાદ, વલસાડ િસિટી પોલીસ મથકમાં ફરજ બજાવતાં એક મહિલા કોન્સ્ટેબલની કામગીરી આંખે વળગે એવી રહી છે. તેમણે તેમની પ્રસૂતિના આગલા દિવસ સુધી પોલીસ મથકમાં ફરજ બજાવી હતી. વલસાડ સિટી પોલીસ મથકે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નિરંજનાબેન કનુભાઇ પટેલ (રહે. કાંજણ હરી, વલસાડ) ગર્ભવતી થઇ ગયા હતા. તેઓ ૯ માસના ગર્ભ સાથે પણ સતત નોકરી કરતા રહ્યા હતા. સિટી પીઆઇ વી. ડી. મોરીએ તેમને મેટરનીટી લીવ લેવા પણ કહ્યું હતુ. ત્યારે નિરંજનાબેને જણાવ્યું કે, હાલ તબિયત સારી છે અને જરૂર જણાતી નથી. એવું કહી તેઓ સતત કાર્યરત હતી. ગત ૧૨મી મે ની રાત્રે તેઓ નોકરી કરીને ઘરે ગયા અને તેમની પ્રસૂતી થઇ હતી.વધુ વાંચો -
લો બોલો, હવે ગુજરાતમાં અહિંયા દર્દીઓમાટે લોન પર વેન્ટીલેટર અપાશે
- 12, મે 2021 04:35 PM
- 2905 comments
- 5174 Views
વલસાડ-રાજ્યના અન્ય શહેર અને જિલ્લાઓની સાથે વલસાડ જિલ્લામાં પણ કોરોનાનો ગ્રાફ તેજ ગતિએ વધી રહ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં કરવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દરેક શક્ય પ્રયાસ કરી રહ્યા છે. હવેથી વલસાડ જિલ્લામાં પણ જે ખાનગી હોસ્પિટલોએ વેન્ટિલેટરની જરૂર છે તેવી હોસ્પિટલોને સિવિલ હોસ્પિટલમાંથી લોન પર વેન્ટિલેટર આપવામાં આવશે. જેથી વેન્ટિલેટરની જરૂરિયાતવાળા ગંભીર દર્દીઓની સરળતાથી સારવાર થઇ શકે અને દર્દીના મહામૂલા જીવને પણ બચાવી શકાય. જિલ્લામાં આ વખતની કોરોનાના વેવના ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. આથી જિલ્લામાં ગંભીર દર્દીઓની સારવાર માટે જરૂરી એવા વેન્ટિલેટર ગણતરીની સંખ્યામાં જ ઉપલબ્ધ છે. જેને કારણે અનેક વખત ગંભીર દર્દીઓને વેન્ટિલેટરની જરૂર હોવાથી સમયસર ઉપલબ્ધ થતા ન હતા. આથી અનેક વખત જરૂરિયાતના સમયે ગંભીર દર્દીના પરિવારજનો મુશ્કેલીમાં મૂકાતા હતા અને દર્દીઓનો જીવ પણ જાેખમમાં મૂકાતો હતો. આવી પરિસ્થિતિને પહોંચી વળવા હવે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હવે વલસાડ જિલ્લાની જે ખાનગી હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓની સારવાર માટે વેન્ટિલેટરની જરૂર હોય તેવી હોસ્પિટલોને વહીવટી તંત્ર દ્વારા લોન ઉપર વેન્ટિલેટર આપવામાં આવશે. જાેકે જે ખાનગી હોસ્પિટલો સિવિલ હોસ્પિટલમાંથી વેન્ટિલેટર લોન પર લેશે તે હોસ્પિટલો દર્દીઓ પાસેથી વેન્ટિલેટરનો ચાર્જ વસૂલી શકશે નહિ. ચાર્જ વસુલ્યા વિના લોન પર લીધેલા વેન્ટિલેટરની મફત સેવા પૂરી પાડવી પડશે. સાથે જ હોસ્પિટલો દ્વારા નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી માટે પણ વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં મળી કુલ ૭૮ વેન્ટિલેટરો જ ઉપલબ્ધ છે. આથી જિલ્લામાં વેન્ટિલેટરની જરૂરિયાતવાળા માત્ર ૭૮ દર્દીઓને જ તેની સુવિધા મળી શકે તેવી પરિસ્થિતિ હતી. આથી વહીવટીતંત્ર દ્વારા રજૂઆત કરતા વલસાડ જિલ્લાને વધુ ૭ વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે. જેમાંથી ધરમપુર-કપરાડા અને ભીલાડ જેવા અંતરિયાળ વિસ્તારના સરકારી દવાખાને એક એક વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે. જ્યારે બાકીના પાંચ વેન્ટિલેટરને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. જેથી જિલ્લાની જે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે વેન્ટિલેટરની જરૂર હોય તેવા દર્દીઓને અપાશે. વેન્ટિલેટરથી સારવાર માટે જે તે ખાનગી હોસ્પિટલો વલસાડ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનનો સંપર્ક કરીને તેમની પાસેથી લોન ઉપર વેન્ટિલેટર મેળવી શકશે. જાેકે જે હોસ્પિટલો સિવિલ હોસ્પિટલમાંથી વેન્ટિલેટર લોન પર મેળવી રહી છે તેવી હોસ્પિટલો એ જે તે દર્દીને વેન્ટિલેટરની સારવાર મફત કરવાની રહેશે. સાથે જ નિયમોનું પણ પાલન કરવું જરૂરી રહેશે.વધુ વાંચો -
વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે નવસારીમાં તબીબો દ્વારા અધિકારીઓને આવેદન
- 11, મે 2021 01:30 AM
- 7766 comments
- 6167 Views
વલસાડ, ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ચરમસીમા પર છે.નવસારી જિલ્લામાં રોજ ૧૦૦થી વધુ કોરોના હકારાત્મક દર્દીઓની સંખ્યા વધતી જાય છે ત્યારે જિલ્લાના સરકારી તબીબો પોતાને થતા અન્યાય માટે આંદોલનનું રણશીંગુ ફૂંકી રહ્યા છે જે કોરોના દર્દીઓ માટે ઘાતક શસ્ત્ર બનવાની સંભાવના છે- જાે સરકાર સવેળા પગલાં નહિ ભરે તો કોવિડ દરદીઓ સહિત અન્ય રોગો થી પીડાતા દરદીઓ એ આ આંદોલન ભોગ બનવો પડશે.ટીક્કુ કમિશનની ભલામણો ગુજરાત સરકારે લાગુ નહીં કરતા સને ૨૦૦૫ પછી વર્ગ-૧-૨ની સેવા બજાવતા તબીબોના કે જેઓને જીપીએસસી પાસ કરવાનો નિયમ લાગુ થતા સને ૨૦૧૨માં પાસ કર્યા પછી તબીબ તરીકે જાેડાયેલા તે તારીખના બદલે જીપીએસસી પસાર કર્યા તે તારીખથી પગારધોરણ- ઇજાફો લાગુ કરતા હળાહળ આર્થિક અન્યાય થયેલ છે. સને ૨૦૦૯થી ફરજ બજાવતા તબીબોને ૨૦૧૨ પછી લાભ આપતા ત્રણ વર્ષની આર્થિક ખોટ જાય છે. સાતમા પગાર પંચનો અમલ સને ૨૦૧૬થી થયેલો છે પરંતુ તબીબો માટે ભાડા ભથ્થુ-નોન પ્રેક્ટિસ એલાઉન્સ વિ. લાભો છઠ્ઠા પગાર પંચના આધારે જ પાંચ વર્ષથી મળી રહ્યા છે જે પણ ભારે નાણાકીય અન્યાય છે. સરકાર પર્યાપ્ત જરૂરી તબીબોની નિમણુંક નહીં કરી અછત સર્જી હાલના તબીબોને માનસિક તાણમાં રાખે છે જેઓને છેલ્લા સવા વર્ષથી આરામ કરવાનો- રજા ભોગવવાનો લાભ મળ્યો નથી,સતત કોરોના મહામારીમાં કુટુંબ કબીલા માટે જાેખમી-વ્યસ્ત રહે છે. માંગણીઓ સરકારે નહીં ઉકેલતા- ઇન સર્વિસ ડૉક્ટર્સ ઍસો.એ આજે રાજ્યભરમાં આવેદનપત્રો આપી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. નવસારી જિલ્લા મથકે નિવાસી નાયબ કલેકટરને ડૉ.સર્વશ્રી ડેલીવાલા, પ્રગ્નેશ પરમાર, ધવલ મહેતા, સુરેશ પરમાર તથા જિલ્લા તબીબી અધિકારી ડૉ. દિલીપ ભાવસાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અલગ-અલગ ધોરણ બનાવી વધારો હડપ કરીને ટુકડે ટુકડે ટટળાવીને લાંબા સમયે આપી આવા આંદોલનો ઊભા કરે છે.વધુ વાંચો -
વિદેશોમાં વલસાડી હાફૂસ અને કેસર કેરીની ડિમાન્ડ વધુ
- 10, મે 2021 06:17 PM
- 8330 comments
- 4371 Views
વલસાડ-વલસાડ જિલ્લામાં કેરી માર્કેટોમાં કેરીની આવક શરૂ થઈ વલસાડી હાફૂસ અને કેસરની ડિમાન્ડ વધુ વધુ જાેવા મળી રહી છે. વલસાડના કેરી માર્કેટમાં કેરીની આવક થતી જાેવા મળે છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકડાઉનના કારણે અન્ય રાજ્યમાં એક્સપોર્ટ થતી કેરીઓ પર ગ્રહણ લાગી શકે છે. કોરોના કહેર વચ્ચે વલસાડ જિલ્લાના કેરી માર્કેટોમાં કેરીનો પ્રથમ ફાલની આવક શરૂ થઈ ચૂકયો છે. ચાલુ વર્ષે કેરીની સિઝન ખુલતાની સાથે મુસ્લિમ બિરદારોનો રમઝાન માસ સાથે ચાલી રહ્યો હોવાથી લંડન, ગલ્ફ અને યુકે સહિતના દેશોમાં વલસાડી હાફૂસ, વલસાડી કેસર અને રાજપુરી કેરીની ભારે ડિમાન્ડ જાેવા મળતા જિલ્લાના ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે. મહારાષ્ટ્રની રત્નગીરી કેરી ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને કોવિડની અસરને લઈને તેની ડિમાન્ડ ઘણી ઘટી છે. જ્યારે વલસાડી હાફૂસ કેરીની વિદેશમાં ડિમાન્ડ વધી રહી છે. ડિમાન્ડ સામે પાક હજુ તૈયાર થઈ રહ્યો હોવાથી બજારમાં પહોંચી વળવું ખૂબ અઘરૂં દેખાઈ રહ્યું છે. દર વર્ષે વિદેશમાં એક્સપોર્ટ થતી કેરી સામે ચાલુ વર્ષે ડબલ ભાવથી વલસાડી કેરીનું માર્કેટ ખુલ્યું છે. સામે કેરીનો પાક પણ ઘણો ઓછો હોવાથી ખેડૂતોને ઊંચા ભાવ ચાલુ વર્ષે મળી રહેશે. હાલ વલસાડી હાફૂસ રૂ.૧૧૦૦ થી ૧૨૦૦ વલસાડી કેસર રૂ.૧૨૦૦ અને રાજપુરી કેરી રૂ ૧૦૦૦થી વધુના ભાવે માર્કેટ ખુલ્યું છે. ચાલુ વર્ષે ૩-૪ ફાલમાં કેરી જાેવા મળી રહી હોવાથી કેરીના પાક ઉપર નભતા ખેડૂતોને ઊંચા ભાવ સિઝન દરમિયાન મળી રહેશે. ચાલુ વર્ષે લોકલ માર્કેટમાં પણ કેરીનું બજાર ખુબજ ઊંચું હાલ દેખાઈ રહ્યું છે. તો આગામી દિવસોમાં વલસાડી હાફૂસનો ૧૫૦૦ થી ૧૭૦૦ સુધી જઈ શકે એવી આશા ખેડુતો કરી રહયા છે. મહારાષ્ટ્ર,રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં લાગેલા લોકડાઉનના કારણે અન્ય રાજ્યમાં કેરીનું એક્સપોર્ટ ઓછું જાેવા મળશે. સાથે અન્ય રાજ્યના લોક માર્કેટમાં વલસાડી હાફૂસ ઓછી જાેવા મળશે એવું વેપારીઓ જણાવી રહયા છે.વધુ વાંચો -
મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનમાં અનેક ગામના આગેવાનો નિષ્ક્રિય
- 08, મે 2021 01:30 AM
- 8499 comments
- 2414 Views
વલસાડ, વધતા જતા કોરોના ને ધ્યાને લઇ ભાજપ સરકરે મારુગામ કોરોનામુક્ત ગામ અંતર્ગત અભિયાન ચલાવ્યું છે આ અભિયાન હેઠળ ગામ ના સરપંચ તલાટી સાહિત અન્ય રાજકીય આગેવાનો એ કોવિડ દરદીઓ માટે ગામ માં આઇસોલેસન વોર્ડ બનાવી દરદીઓ ને મદદ કરવા સરકાર દ્વારા આદેશ આપવા માં આવ્યો છે આદેશ પ્રમાણે વલસાડ જિલ્લા ના ૪૦૯ ગામો ની સ્કૂલો માં ૫ થી લઈ ૨૦બેડ સુધી નો આઇસોલેસન વોર્ડ શરૂ કરવા માં આવ્યા છે.પરંતુ ગામડાઓ માં શરૂ કરવા માં આવેલ આઇસોલેસન વોર્ડ માં દરદીઓ દાખલ થતાં જ નથી વોર્ડ માં સેવા કર્મીઓ નથી સરપંચો ,તલાટીઓ કે અન્ય રાજકીય આગેવાનો અદ્રશ્ય થયા છે ધરમપુર અને કપરાડા તાલુકા માં તાપસ કરવા માં આવે તો મારુગામ કોરોના મુક્ત ગામ અભિયાન હેઠળ ગામો ની સ્કૂલો માં શરૂ કરવા માં આવેલ આઇસોલેસન વોર્ડ ખાલીખમ પડ્યા છે સરપંચ તલાટી કે અન્ય રાજકીય આગેવાનો ગામ ના કોવિડ દરદીઓ ની ખબર અંતર પણ લેતા નથી. બીજી બાજુ સરકાર આ અભિયાન હેઠળ કોરોના ની ચેન તોડવાનો દાવો કરી રહી છે. ગામડાઓ માં ઉભેલા આઇસોલેસન વોર્ડ માં સેવા કરવા માટે કર્મચારીઓ ન હોવા થી રાજકીય આગેવાનો રિસ્ક લેવા માંગતા નથી. એક તરફ કોરોના ની ભયંકર મહામારી ની અગ્નિ માં વલસાડ જિલ્લા ના સૈકડો દરદીઓ હોમાઈ રહ્યા છે હોસ્પિટલો પાસે પૂરતું ઓક્સિજન નથી ઓક્સિજન લેવલ ઘટી ગયેલ દરદીઓ ને . સરકાર દરદીઓ માટે યોગ્ય દવા ,રેમડીસીવીર ઈન્જેકશન, ઓક્સિજન સિલિન્ડર ,ની પૂરતી વ્યવસ્થા કરી શકી નથી આરોગ્ય વિભાગ મૃતકો ની સંખ્યા છુપાવવા નો ખેલ રમી રહ્યું છે દરદીઓ માટે હોસ્પિટલો માં યોગ્ય સુવિધા પુરી ન પાડવા માં નિસફળ ગયેલ સરકાર કોરોના ની ચેન તોડવા માટે મારુ ગામ કોરોના મુક્ત ગામ નો અભિયાન શરૂ કરી લોકો ને બચાવવાનો પ્રયાસ કરી રહી છેવધુ વાંચો -
વલસાડમાં દારૂ સાથે ભરૂચનો પોલીસ કર્મચારી ઝડપાયો બે વ્યક્તિ વોન્ટેડ
- 07, મે 2021 01:30 AM
- 8335 comments
- 2081 Views
વલસાડ, વલસાડ એલસીબી એ મળેલી બાતમી ના આધારે દમણ થી આવી રહેલ એક કાર ને અટકાવી તપાસ કરતા કાર માં ૨૨૬ ઈંગ્લીશ દારૂ ના બોટલો મળી આવ્યા હતા કાર સહિત કાર માં સવાર અને કાર ચાલક ને ડિટેન કરી પોલીસે વધુ તપાસ કરતા ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો દારૂ સાથે પકડાયેલ ઈસમ બુટલેગર નહીં પરંતુ પોલીસ હોવાનું જણાઈ આવ્યું હતું.મળેલી વિગતો પ્રમાણે આજે વલસાડ એલસીબી ને મળેલી બાતમી આધારે વલસાડ હાઇવે નેશનલ ૪૮ પર એપીએમસી સામે વોચ ગોઠવી હતી. તેજ સમયે દમણ થી કાર (જી.જે -૧૬- સીબી-૫૪૧૨) માં પરિવાર સાથે ફરી ને આવી રહેલ યુવાન ને પોલીસે અટકાવી કાર ની ચકાસણી કરી હતી કાર માં ચાલક સીટ નીચે તેમજ ડીકી માંથી ૨૬૬ દારૂ ના બોટલો મળી આવ્યા હતા આશ્ચર્ય તો ત્યારે થયો જ્યારે એ વાત ની ખબર પડી કે પરુવાર સાથે કાર માં દારૂ લઈ જનાર કોઈ બુટલેગર નહિ પરંતુ ભરૂચ પોલીસ માં ફરજ બજાવતો પોલીસ કર્મચારી છે કાર ચાલક કારનો ચાલક દીપકભાઈ રમણભાઈ પરમાર ઉમર વર્ષ ૩૭ પાલેજ પોલીસ લાઈન માં રહેતો હોવાનું જણાવ્યું હતું. તેની પત્ની મમતા દીપકભાઈ પરમાર અને તેના દીકરાને ડિટેન કર્યાં હતાં. ન્ઝ્રમ્ની ટીમે ડ્ઢજીઁ કચેરીએ આવીને કારમાંથી દારૂનો જથ્થો ગણતા ૨૨૬ બોટલ દારૂનો જથ્થો જેની કિંમત ૮૭,૮૦૦ મોબાઈલ ફોન ૩ અને ટેબ્લેટ મળી કુલ ૬.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટીમે ભરૂચનો પોલીસ જવાન દિપક પરમાર અને મમતા પરમાર સામે રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દિપક પરમાર પાસેથી.પોલીસનો કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. તમામ ડોક્યુમેન્ટ કબજે કરી માલ ભરાવી આપનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસ જવાન વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
વલસાડ જિલ્લાની શિક્ષિકાએ ૧૦ દિવસની સારવારના અંતે કોરોનાને હરાવ્યો
- 06, મે 2021 01:30 AM
- 9107 comments
- 2004 Views
વલસાડ એમ કહેવાય છે કે, ‘માં સે બડા કોઈ યોદ્ધા નહીં હોતા’, અને આ ઉકિતને અનેક જનનીઓએ સાર્થક પણ કરી બતાવી છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ છે, વલસાડના ટયુશન-ક્લાસીસના ૩૮ વર્ષીય શિક્ષીકા સ્વપ્નાબેન સંદિપભાઈ સેઘાવાલા. વલસાડમાં ૯ વર્ષીય પુત્રી અને પતિ સાથે રહેતા સ્વપ્નાબેને તા.૨૪ એપ્રિલના રોજ ટોનસીલની સમસ્યા અને તાવ જણાતા કોવિડ-૧૯નો રેપિડ ટેસ્ટ કરાવતા પોઝીટીવ હતો. સાથે પરિવારના સભ્યોને ટેસ્ટ કરાવતા નવ વર્ષની પુત્રીનો ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો. પછીના દિવસે સ્વપ્નાબેનને અચાનક શ્વાસ લેવામાં વધુ તકલીફ થવા લાગી. પરિવારે વલસાડમાં આસપાસની હોસ્પિટલોમાં તપાસ કરતા જગ્યા ન મળતા તત્કાલ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાનો ર્નિણય લઇ તેમણે વલસાડથી સુરત એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા. નવ વર્ષની દીકરી કશ્વીને ઘરે હોમ આઈસોલેશનમાં રહીને સારવાર શરૂ કરી. સિવિલમાં કોરોનાની નિઃશુલ્ક સારવાર મેળવી સ્વસ્થ થયેલા સ્વપ્નાબહેને વધુમાં જણાવ્યું કે, મને તા.૨૫ એપ્રિલના રોજથી શ્વાસ લેવામાં વધુ તકલીફ જણાતા ઓક્સિજન પર લાવવામાં આવી હતી. ત્યારબાદ તબિયત સુધાર જણાતા તા.૩ મે થી નોર્મલ રૂમમાં રાખવામાં આવી. મને હોસ્પિટલના તબીબોની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર મળી છેવલસાડ જિલ્લામાં કોરોનાના ૧૧૮ દર્દીઓ સામે આવ્યા વલસાડ વૈશ્વિક મહામારી કોરોના એ વલસાડ જિલ્લા ના લોકો ને ચક્રવ્યૂહ માં ફસાવી લીધો હોય તેમ દરરોજ સો દરદીઓ કરતા વધારે દરદીઓ સત્તાવાર નોંધાઈ રહ્યા છે કેટલાક દરદીઓ દવાખાના જવાના બીકે ઘરે જ રહી દવા કરતા કરતા મોત ને ભેટી જતા હોય છે જેમની કોઈ નોંધ થતી જ નથી આજે પણ વલસાડ જિલ્લા માં ૧૧૮ દરદીઓ સામે આવ્યા છે ૫ દરદીઓ મોત ને ભેટ્યા છે અને ૧૦૦ દરદીઓ ડિસ્ચાર્જ થયા છે વલસાડ તાલુકા માં ૫૬,પારડી માં ૧૨, વાપી માં ૧૯ ઉમરગામ માં ૧૭,ધરમપુર માં ૧૨ અને કપરાડા માં ૨ દરદીઓ માડી ૧૧૮ દરદીઓ નોંધાયા હતા અત્યાર સુધી કુલ ૯૩૧૬૪ દરદીઓ ના ટેસ્ટ થયા છે જેમાં પોઝિટિવ કેસો ૩૮૮૩ છે જેમાંથી ૧૧૯૯ દરદીઓ સારવાર હેઠળ છે.વધુ વાંચો -
ઓક્સિજનના સિલિન્ડરો આવતા૨૪ દર્દીઓને ઓક્સિજન આપી શકાશે
- 06, મે 2021 01:30 AM
- 2225 comments
- 4844 Views
વલસાડ, કોરોના મહામારી એ ખેરગામ વહીવટી તંત્ર ની પોલ ખોલી નાખી છે મહામારી ના ખપ્પર માં દરરોજ સૈકડો દરદીઓ હોમાઈ રહ્યા હોવા છતાં રાજકીય તંત્ર ના હોદ્દેદારો ખેરગામ રેફરલ હોસ્પિટલ માં ઓક્સિજન પાઇપ લાઈન માં લીકેજ હોવાનું જાણવા છતાં નિશ્ચિન્ત બની ગયા હતા અખબારી અહેવાલો એ મામલો જાહેર કર્યો ત્યારે પણ કોઈ આગળ આવ્યું નહીં એવા કોપરા કાળ માં ખેરગામ ના રિદ્ધિ ઓટો ના મલિક સતીશ ભાઈ પટેલે ખેરગામ તાલુકા ભાજપ ગ્રુપ માં લોકો ને આગળ આવવા અપીલ કરી હતી અને લોક ફાળે રેફરલ માં જરૂરી સાધનો અને કર્મચારીઓ માટે સુરક્ષા ની કિટો લાવવા આગળ આવ્યા હતા ત્યારબાદ ભૌતેષ ભાઈ સહિત ના અનેક આગેવાનો આગળ આવ્યા હતા લોકો ફાળે થી આરોગ્ય કર્મચારીઓ ને કીટ આપી હતી અને ઓક્સિજન સિલિન્ડર ની વ્યવસ્થા કરી હતી દસ વરસ થી બંધ ઓક્સિજન ની પાઇપ લાઈન બાબતે તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી છે ર્સ્વનિભર થવા માટે કોવીડ કેર સમિતિની રચના થઈ જેના દ્વારા ઓક્સિજન ના બે કંન્સંટ્રેટર (ધર્માચાર્ય પરભુદાદા અને પણંજના એન આર આઈ દ્વારા) પીટીસી કિટ્સ, ત્રણ ઓક્સિજન સિલિન્ડર સામે બીજા ૧૬ સિલિન્ડર સમિતિએ આપ્યા.હતા મંગળવારે કલેકટર આદ્રા અગ્રવાલ ની મુલાકાત બાદ આજથી ૨૪ ઓક્સિજનના દર્દીઓને સીધો પ્રાણવાયુ પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય તે માટેની પડતર લાઈનના નવીનીકરણનો પ્રારંભ થયો છે,વધુ વાંચો -
વલસાડમાં કોરોનાનો કહેર યથાવત નવા ૧૨૫ દર્દીઓઃવધુ ૯ વ્યક્તિઓનાં મોત
- 04, મે 2021 01:30 AM
- 8813 comments
- 6369 Views
વલસાડ, વલસાડ જિલ્લા માં કોરોના નામના રાક્ષસે ચોમેર આતંક મચાવી રહ્યો છે દરરોજ સૈકડો દરદીઓ કોરોના વાઇરસ થી સંક્રમિત થઈ રહ્યા છે આજે વલસાડ જિલ્લા માં કોરોના ના ૧૨૫ દરદીઓ સામે આવતા લોકો માં દહેશત યથાવત છે. આરોગ્ય વિભાગ ના જણાવ્યા પ્રમાણે કોરોના વાઇરસે વલસાડ જિલ્લા માં ચારેબાજુ કોહરામ મચાવી રહ્યો છે.ડિસ્ચાર્જ થાય તેના કરતા વધારે દરદીઓ દરરોજ નોંધાઈ રહ્યા છે આજે ૧૨૫ દરદીઓ નોંધાયા જ્યારે ૯૧ દરદીઓ ડિસ્ચાર્જ થયા હતા ૯ દરદીઓ ના દુઃખદ મરણ થયા હતા વલસાડ તાલુકા માં ૩૮, પારડી તાલુકા માં ૨૫, વાપી તાલુકા માં ૧૨, ઉમરગામ તાલુકા માં ૩૮, ધરમપુર તાલુકા માં ૧૧ જ્યારે કપરાડા તાલુકા માં ૧મળી કુલ ૧૨૫ દરદીઓ સામે આવ્યા હતા જિલ્લા માં કોરોના ના અત્યાર સુધી ના ૮૮૬૩૮ દરદીઓ ના ટેસ્ટ કરવા માં આવ્યા છે જેમાં કુલ પોઝિટિવ કેસો ૩૬૪૫ છે અને ૮૪૯૯૩ નેગેટિવ રિપોર્ટ આવ્યા છે ૧૧૬૧ દરદીઓ સારવાર હેઠળ દાખલ છે ૨૨૦૨ દરદીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ આદમી પાર્ટી એ દરદીઓ ના હીત નું વિચારી પીપીઇ કીટ પહેરી ને એકવાર દરદી ના સ્વજન ને મળવા દેવા જવા દેવા માટે માંગ કરી છે તંત્ર આમઆદમી પાર્ટી ની વાત લગભગ નહિ સ્વીકારે તો દરદીઓ ના સ્વજનો માં ઉઠેલ તરેહ તરેહ ના ચર્ચા ના સમાધાન કરવું પણ તંત્ર ની જવાબદારી છે ત્યારે લોકો માં ઘણા દિવસ થી સીસીટીવી કેમેરા ના માધ્યમ થી સિવિલ બહાર લાઈવ પ્રસારણ માટે બુમ ઉઠી છે. કલેક્ટરે કહ્યું કે વલસાડને શક્ય તેટનો વધુ ઓક્સિડન પુરો પડાશે. ઉલ્લેખનીય છે કે રેગ્યુલર ૨૦ ટન ઓક્સિજન ના જથ્થાની જરૂર છે પરંતુ જથ્થો ઘટાડીને ૧૫ ટન કર્યો , ત્યારબાદ ૧૧.૫ ટન કર્યો અને હવે ૭ ટન જ ઓક્સિજન મળશે.વધુ વાંચો -
વાપી જનસેવા હોસ્પિ.માં ઓક્સિજન ન હોવાથી કોરોનાના દર્દીઓ માટે પ્રવેશ બંધ
- 04, મે 2021 01:30 AM
- 3851 comments
- 6611 Views
વલસાડ, વલસાડ જિલ્લા માં કોરોના એ એવો આતંક મચાવ્યો છે કે સરકારી આરોગ્ય કર્મીઓ થી લઇ ખાનગી હોસ્પિટલો ના ડોકટરો કોવિડ દરદીઓ ને બચાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ જરૂરી આરોગ્ય ની સુવિધાઓ ના અભાવે ડોકટર મજબુર બન્યા છે. વાપીની જનસેવા હોસ્પિટલમાં ઓક્સિજન ન હોવાથી દર્દીઓ માટે પ્રવેશ બંધ ખરાયો હતો. પોતાના પેશન્ટ ને બચાવવા માટે ડોકટરો જીવજાન થી મહેનત કરી રહ્યા છે પરંતુ ઓક્સિજન ના અભાવે દરદીઓ મોત ને ભેટી જાય છે પોતા ના પેશન્ટ ને પોતા ની નજર સામે મરતા જાેઈ ડોકટરો પણ ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે મજબુર ડોકટરો ની વ્યથા કોઈ સમજી શકતું નથી દરદી ના મરણ થયા બાદ દરદી ના સ્વજનો પણ ડોકટરો પર ખોટા આક્ષેપ કરી તેવો ને ઓર દુઃખી કરતા હોય છે પરંતુ હકીકત એ છે કે પોતા નો પેસેન્ટ ના મરણ થતા ડોકટરો ને પણ ભારે આઘાત લાગતો હોય છે આ મહામારીએ ડોકટરો ની ચારેબાજુ થી પરીક્ષા લેવાઈ રહી હોય તેવી સ્થિતિ ઉભી કરી છે બે દિવસ પહેલા રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણી વલસાડ સિવિલ ની મુલાકાતે આવેલા ત્યારે રાજ્ય ના કોઈપણ હોસપિટલ માં રેમડીસિવિર ઈન્જેકશન કે ઓક્સિજન ભરપૂર માત્ર માં ઉપલબ્ધ કરવા માં આવ્યા હોવાનું જણાવી વાહવાહી ના બણગાં ફુક્યા હતા પરંતુ ઓક્સિજન ની કેટલી કમી છે એ બાબત કોઈ થી છુપાયેલી નથી વાપી ની શ્રેયસ મેડીકેર સંચાલિત એમ.એન.મેહતા (વલવાડા ) જનસેવા હોસ્પિટલે ઓક્સિજન ના અછત ને કારણે કોવિડ ના દરદીઓ ને દાખલ કરતા બંધ થયા છે હોસ્પિટલ ની સામે ઓક્સિજન ની અછત ને કારણે કોવિડ દરદીઓ ને દાખલ કરવા માં આવશે નહિ નો બોર્ડ મારી દેવાયો છે. આ હોસ્પિટલ માં મોટા ભાગ ના ટ્રસ્ટીઓ કોંગ્રેસી હોવાને કારણે અહીં ઓક્સિજન અપાતું ન હોવાની પણ લોકો માં બુમ ઉઠી હાલે રાજનીતિ રમવાનો સમય નથી પરંતુ સત્તા ના પૂજારીઓ મહામારી માં પણ રાજનીતિ રમતા લોકો માં રોષ જાેવા મળી રહ્યો છે.વધુ વાંચો -
વલસાડ એન્જિનીયરીંગ કોલેજમાં ૩૦૦ બેડનું કોવિડકેર સેન્ટર શરૂ
- 03, મે 2021 01:30 AM
- 6365 comments
- 7324 Views
વલસાડ,હોસ્પિટલ માં જગ્યા મેળવવા માટે દર દર ભટકતા દરદીઓ ની અસહ્ય પીડા જાેઈ ને દ્રવીત થયેલા વલસાડ કલેકટર આર આર રાવલે એન્જીનીયરીંગ કોલેજ માં ૩૦૦ બેડ ના ક્ષમતા વાળા કોવિડકેર સેન્ટર નું નિર્માણ કર્યું છે રાવીવારે ૧૦૦ બેડ થી આ કોવિડકેર નો પ્રારંભ કરવા માં આવ્યું હતું કોવિડકેર સેન્ટર શરૂ થતાં પ્રજા માં રાહતનો અનુભવ થયો હતો.વલસાડ જિલ્લા માં કોરોના વાઇરસે મૃત્યુપાસ માં દબોચી સંક્રમિત દરદીઓ ને ઝડપથી મોતને ઘાટ ઉતારી રહ્યો છે. સંક્રમિત દરદીઓ થી વલસાડ સિવિલ જ નહીં જિલ્લા માં આવેલ તમામ ખાનગી હોસ્પિટલો પણ ઉભરાઇ આવી છે હોસ્પિટલો માં બેડ ન હોવા થી નવા દરદીઓ ને એડમિટ કરવા માટે ના પાડી દેવાતા દરદીઓ એ વેઠવાનો વારો આવ્યો છે જિલ્લા ની કોઈ પણ હોસ્પિટલ એડમિટ કરવા માટે સ્વજનો પોતા ના દરદીને લઈને દર દર ભટકવા મજબુર બન્યા છે એવા કપરા કાળ માં વલસાડ ના જાંબાઝ દયાવાન કલેકટર આર આર રાવલ લોકો ને બચાવવા સતત આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્ર ની કામગીરી પર નજર રાખે છે દરડીઓની પીડા ને ધ્યાન માં રાખી અવાર નવાર સિવિલ હોસ્પિટલ ની મુલાકત લેતા હોય છે.વધુ વાંચો -
વલસાડ જિલ્લામાં કોરોનાથી વધુ ૧૩ દર્દીઓનાં મોત
- 02, મે 2021 01:30 AM
- 302 comments
- 2030 Views
વલસાડ, વલસાડ જિલ્લા માં કોરોના એ ઘાતક સ્વરુપ ધારણ કર્યો છે લોકડાઉન બાદર્પણ વલસાડ જિલ્લા માં જીવલેણ કોરોના વાઇરસ ના સંક્રમણ માં ઘટાડો થતો નથી દરરોજ સંક્રમિત દરદીઓ ની સંખ્યા માં વધારો નોંધાઈ રહ્યો છે આજે ૧૩૩ નવા દરદીઓ સામે આવ્યા છે અને ૧૩ દરદીઓ ના સત્તાવાર મરણ નોંધાયો છે.આજે વલસાડ જિલ્લા માં કોરોના બોમ ફાટ્યો છે ૧૩૩ દરદીઓ સામે આવ્યા છે ૬૬ દરદીઓ ડિસ્ચાર્જ થઈ ઘરે ગયા છે જ્યારે અતિ દુઃખદ એમ ૧૩ દરદીઓ મોત ને ભેટ્યા છે. વલસાડ તાલુકા માં ૫૭, પારડી માં ૯, વાપી ૧૦, ઉમરગામ માં ૨૫, ધરમપુર મા ૩૦અને કપરાડા માં ૨ કેસ મળી ૧૩૩ કેસો નોંધાયા છે. વલસાડ તાલુકા માં અત્યાર સુધી માં ૧૫૪૭ કેસ અને દાખલ દરદીઓ ૫૧૩ અને ડિસ્ચાર્જ ૯૫૦ દરદીઓ અને ૫ ના મોત કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર ૭૯ ના નોંધાયા છે પારડી તાલુકા માં કુલ ૪૧૮ કેસો તેમાંથી ૧૦૧ દાખલ છે ૨૭૮ ડિસ્ચાર્જ થયા છે અને ૭ ના મરણ તેમજ અન્ય કારસોસર ૩૨ ના મરણ નોંધાયા છે વાપી તાલુકા માં ૬૨૭ દરદીઓ તેમાં થી ૧૦૮ દાખલ છે અને ૪૪૪ ડિસ્ચાર્જ થયા છે ૭ ના મરણ પરંતુ અન્ય કારણોસર ૬૮ ના મરણ થયા છે ઉમરગામ તાલુકા માં ૩૫૮ દરદીઓ તેમ થી ૧૭૭ દાખલ છે અને ૧૫૭ ડિસ્ચાર્જ થયો છે અને ૧ નું મરણ જયારે અન્ય કારણોસર ૨૩ નું મરણ થયું છે થયું છે. ધરમપુર માં ૨૮૦ દરદીઓ માંથી ૧૩૭ દાખલ છે અને ૧૦૮ ડિસ્ચાર્જ થયા છે જ્યારે ૯ ના મરણ થયા છે અને અન્ય કારણો સર ૨૬ ના મરણ થયા છે કપરાડા તાલુકા માં ૧૭૩ દરદીઓ માંથી ૬૩ દાખલ છે અને ૧૦૦ ડિસ્ચાર્જ થયાં છે જ્યારે ૪ ના મરણ નોંધાયો છે. કોરોના પોઝિટિવ સહિત અન્ય કારણો સર ૬ ના મરણ થયા છે અત્યાર સુધી માં જિલ્લા માં કુલ ૩૪૦૩ કેસો નોંધાયા છે ૧૦૯૯ દરદીઓ સારવાર હેઠળ છે.વધુ વાંચો -
સોશિયલ મીડિયામા ફોરવર્ડ થયેલા કરફ્યુનાં મેસેજ બાબતે વિવાદ
- 01, મે 2021 01:30 AM
- 6075 comments
- 2031 Views
વલસાડ, નવસારી જિલ્લામાં કરફયૂ અંગેનો ખોટો મેસેજ ફોરવર્ડ કર્યા બાદ એનું ધ્યાન દોરનારા ખેરગામના પત્રકારને સ્થાનિક યુવકે ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પત્રકારના ઘરે પહોંચી જઈ ધમકી આપનારા યુવાન સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. ખેરગામ પોલીસ મથકે અપાયેલી ફરિયાદ અરજીમાં જણાવ્યા મુજબ ખેરગામ બજારમાં રહેતા વિનોદભાઈ મિસ્ત્રી પત્રકાર તરીકે સેવા આપે છે. તા.૨૮.૦૪.૨૧ ના રોજ રાજ્ય સરકારે ગુજરાતનાં ૨૯ શહેરોમાં કરફ્યુ લગાવવાનો આદેશ જારી કરતા વોટ્સઅપ ઉપર ચાલતા “ભાજપ ગ્રુપ ખેરગામ તાલુકા” ગ્રુપમાં ખેરગામના અંકુર હર્ષદરાય શુક્લએ નવસારી શહેરને બદલે સમગ્ર નવસારી જિલ્લામાં કરફ્યુ લાગ્યા- નો ખોટો મેસેજ ગ્રુપમાં ફોરવર્ડ કર્યો હતો. જેમાં વિનોદભાઈએ એક જાગૃત નાગરિક તરીકે અંકુરને ગ્રુપમાં મેસેજ કરી ફક્ત નવસારી શહેરમાં કરફ્યુ છે, સમગ્ર જિલ્લામાં નથી- એવો મેસેજમાં રીપ્લાય કરતા સામાવાળા રોષે ભરાયા હતા અને વિનોદભાઈ ઉપર અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી મેસેજ કર્યા હતા. ખોટાં સમાચારો વાયરલ કર્યા બાદ અમે એમનું ધ્યાન દોરતાં અંકુર શુક્લ વિનોદભાઇના ઘરે પહોંચી ગયા હતા. વિનોદભાઈ ઘરે ન હોઈ વિનોદભાઈના પત્નીને- વિનોદ ક્યાં છે? એને જાનથી મારી નાખીશ- એમ કહી ધમકી આપી હતી. જે બાબતે સાયબર ક્રાઇમનો ગૂનો કરનારા અંકુર સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિનોદભાઈ મિસ્ત્રી એ ખેરગામ પોલીસ મથકે અરજી કરી કાયદેસર પગલાં ભરવા માંગ કરી છે. જે બાબતે અંકુર સુકલ નો ટેલિફિનિક સંપર્ક કરતા તેમણે હું વિનોદભાઈ ની ઘરે ગયો હતો પરંતુ સમજાવવા ગયો હતો જાન થી મારી નાખવાની ધમકી આપી નથીવધુ વાંચો -
વાપીના ૧૭ ગામોમાં ૨૫૦ બેડ સાથેના આઈસોલેશન સેન્ટરો શરૂ
- 01, મે 2021 01:30 AM
- 5983 comments
- 9712 Views
વલસાડ, વલસાડ જિલ્લામાં ઝડપથી પ્રસરી રહેલા કોરોનાની મહામારીને નિયંત્રણમાં લેવા કલેકટર આર આર રાવલ ના માર્ગદર્શન હેઠળ જિલ્લાનું વહીવટીતંત્ર આકાશ - પાતાળ એક કરી રહ્યું છે . કોરોનાની ખતરનાક સાબિત થઇ રહેલી બીજા સ્ટેજની લ્હેરના કારણે સંક્રમિત થયેલ દરદીઓ ને સારવાર માટે સુવિધા આપવા વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૭ આઈસોલેશન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે . જેમાં ૨૫૦ થી વધુ પથારીઓનું નિર્માણ કરાયું છે . વલસાડ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ ધર્મેશ મકવાણાએ વાપી ખાતે ગઈકાલે તાલુકા પંચાયતના પદાધિકારી સાથે બેઠક યોજી ગ્રામ્ય વિસ્તારોમાં હોમ કોરોન્ટાઇન થતા કોરોનાના દર્દીઓને આઈસોલેશન સેન્ટરનો લાભ લેવા અપીલ કરી હતી . વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રજનીકાંત પટેલ , કારોબારી સમિતિના અધ્યક્ષ સંજયભાઈ પટેલ , સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ મનોજભાઈ માહ્યાવંશી વાપી તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઈ પટેલ , તાલુકા વિકાસ અધિકારી શિવરાજસિંહ ખુમાણની હાજરીમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને મળેલ બેઠકમાં ડેપ્યુટી ડીડીઓ ધર્મેશ મકવાણાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી પ્રસરતો કોરોનાનો રોગને નિયંત્રણમાં લેવા આઈસોલેશન સેન્ટરો ખુબ જ ઉપયોગી સાબિત થશે . આ સેન્ટરોમાં રહેવા - જમવાની સુવિધાઓ ઉપરાંત મેડીકલ સુવિધાઓ આપવા મેડીકલ ટીમ દર્દીઓની નિયમિત તબીબી ચકાસણી પણ કરશે . મકવાણાએ તાલુકા પંચાયતના પદાધિકારીઓને આ ઘર આંગણે ઉભી કરાયેલી સુવિધાઓનો વ્યાપક પ્રસાર કરવા અનુરોધ કરતા કહ્યું હતું કે , વાપી તાલુકામાં એન્ટીજન ટેસ્ટ કરવા માટે પુરતી કીટ છે તેથી એન્ટીજન ટેસ્ટ વધુ થાય અને સમયસર દર્દીઓ સારવાર લે તો મૃત્યુઆંક ઘટાડી શકાશે . તેમણે ગ્રામ્યકક્ષાએ કોરોનાને નિયંત્રણમાં લેવા સરપંચો અને ગ્રામ વોરીયર્સ સમિતિને સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી હતી .વધુ વાંચો -
રાત્રી કરફ્યુના કારણે વલસાડ પોલીસ છાવણીમાં ફેરવાયું
- 30, એપ્રીલ 2021 01:30 AM
- 5115 comments
- 1252 Views
વલસાડ, વૈશ્વિક મહામારી એ આખા રાજ્ય પર આતંક મચવ્યું છે દરરોજ કોરોના ના અનેકગણા દરદીઓ સામે આવી રહ્યા છે ખાનગી હોય કે સરકારી હોસ્પિટલો દરદીઓ થી ઉભરાઈ આવી છે દરદીઓ ની સારવાર માટે પૂરતા સાધનો નથી લોકો કમોતે મરી રહ્યા છે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ ના નિયમો પાડવા મા પણ પ્રજા બેદરકાર બની હોવા થી કોરોના ચોમેર વ્યપ્યું છે એવા માં લોકો ને બચાવવા સરકારે રાજ્ય ના ૨૯ શહેરો માં રાત્રી કરફ્યુ મુક્યો છે અને કરફ્યુ નો કડક અમલવારી કરવા આદેશ આપ્યો છે કરફ્યુ વાળા શહેરો માં વલસાડ અને નવસારી નો પણ સમાવેશ થાય છે બુધવાર થી રાત્રી કરફ્યુ નો અમલીકરણ થયો હતો આજે કરફ્યુ નો બીજાે દિવસ છે વલસાડ ના ડીએસપી ડો.રાજદીપસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ વલસાડ પોલીસે કરફ્યુ ને સફળ બનાવ્યો છે લટાર મારવા નીકળતા એક પણ વ્યક્તિ ને છોડવા માં આવતું ન હોવા થી લોકો ઘરો થી નીકળતા બંધ થયા છે રાત ના ૮ વાગ્યા બાદ થી પોલીસ આખા શહેર માં એલર્ટ થઈ જાય આખું શહેર પોલીસ છાવણી માં ફેરવાઈ જાય છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ