નડીયાદ સમાચાર
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર, જાણો કયારે થશે મતદાન કયારે આવશે પરિણામ
- 23, જાન્યુઆરી 2021 05:37 PM
- 4897 comments
- 4936 Views
ગાંધીનગર-સ્થાનિક સ્વરાજ્યની આગામી મહિના માટે યોજાનારી ચુંટણીની તારીખ જાહેર કરવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકા 28 ફેબ્રુઆરીના રોજ અને નગરપાલિકા અને પંચાયતની ચુંટણી યોજાશે. ગુજરાતમાં 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા ,31 જિલ્લા પંચાયતો અને 232 તાલુકા પંચાયતઓની ચુંટણી યોજાશે. જ્યારે 6 મહાનગરપાલિકાની ચુંટણીનું પરિણામ 2 માર્ચના રોજ જાહેર કરાશે તેમજ નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતનું પરિણામ 5 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરતાની સાથે જે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયતમાં જ્યાં ચૂંટણી યોજાવવાની છે ત્યાં આચાર સંહિતા લાગુ પડી છે. જેમા મહાનગરપાલિકા માટે જાહેરનામું 23 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 8 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. મહાનગરપાલિકા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 6 ફેબ્રુઆરી અને જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 13 ફેબ્રુઆરી રહેશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 471 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,57,813 કેસ
- 22, જાન્યુઆરી 2021 03:31 PM
- 4287 comments
- 8009 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 471 થી વધુ નોંધાયા છે. જેની સામે 727 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4372 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 471 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,57,813 થયો છે. તેની સામે 2,47,950 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,57,813 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 5491 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,57,813 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 5491 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 52 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 5439 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,47,950 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4372 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
રાજયમાં 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં મેઘાની મહેર, બગસરામાં 4 ઈંચ વરસાદ
- 21, સપ્ટેમ્બર 2020 06:14 PM
- 139 comments
- 2177 Views
ગાંધીનગર-ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીનાં બગસરામાં ૪.૨૪ ઇંચ વરસાદ ખાબક્્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યનાં દક્ષિણ અને ઉત્તરનાં અનેક ભાગોમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યા પછી તે ઓડિશા અને પ. બંગાળથી આગળ વધતા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધી વાદળો સાથે હલકાથી ભારે વરસાદ કરીને પસાર થઈ જાય છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીનાં બગસરામાં ૪.૨૪ ઇંચ વરસાદ ખાબકયો છે. જે બાદ જૂનાગઢનાં માણાવદરમાં ૩ ઇંચ, અમરેલીના લાઠીમાં બે ઇંચ, ભાવનગરનાં ઉમરલામાં ૪૮ એમએમ, અમદાવાદનાં સાણંદમાં ૪૫ એમએમ, મોરબીનાં હળવદમાં ૪૩ એમએમ, જૂનાગઢનાં ભેસાણ, અમદાવાદનાં ધોલેરા અને કચ્છનાં રાપરમાં ૪૦ એમએમથી વધુ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં ૧૩૦ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ૧૦૦૦ એમએમથી વરસાદ વરસ્યો હોય તેવા ૧૧૫ તાલુકા છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલની સ્થિતિ પ્રમાણે સોમવારે સુરત, ડાંગ, નવસારી, તાપી, મંગળવારે ડાંગ, તાપી, ગુરુવારે છોટા ઉદ્દેપુર, પંચમહાલ, દાહોદ, શુક્રવારે દાહોદ-પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં જામનગર, પોરબંદર, દ્વારકામાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્્યતા છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. રાત્રે ૧૨ વાગ્યાથી રવિવારે સવારે ૬ વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં ચાર ઇંચ, બારડોલી તેમજ માંડવીમાં બે ઇંચ અને સુરત શહેરમાં સવા ઇંચ વરસાદ ખાબકયો હતો. સુરત શહેરમાં પણ ભારે પવન વચ્ચે સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે સૌરાષ્ટ્રમા અડધાથી ૩ ઈંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૩, રાજકોટ જિલ્લાના મોટીમારડમા ૨, ગીર સોમનાથના વેરાવળમા દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.વધુ વાંચો -
આણંદ-ખેડાના ૩૭ ગામોમાં એલર્ટ
- 25, ઓગ્સ્ટ 2020 09:03 PM
- 9761 comments
- 8483 Views
આણંદ, નડિયાદ : મધ્યપ્રદેશ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને લઈને કડાણા ડેમમાં પાણીની આવક ૨.૩૫ લાખ ક્યૂસેક થઈ હતી. પરિણામે કડાણા ડેમનું લેવલ વધ્યું હતું. કડાણા ડેમનું લેવલ ૪૦૮.૦૭ ફૂટ તથા આવક ૨.૩૫.૨૭૧ ક્યૂસેક છે. કડાણા ડેમની પૂર્ણ સપાટી ૪૧૯ ફૂટ (૧૨૭.૭૧ મીટર) છે, જેથી ડેમમાં હાલ ૭૦%થી વધુ પાણી ભરાઈ ચૂક્યું છે. કડાણા ફ્લડ સેલ દ્વારા વોર્નિગ સ્ટેજ જાહેર કરવામાં આવ્યું હતું. કડાણા ડેમમાંથી સોમવારે સાંજના ૬ કલાકે ૧.૧૨ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. વણાંક બોરી ડેમ ૨૨૧.૫૦ મીટરે પહોંચ્યું હતું. તેમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હતું, જેની અસર આણંદ-ખેડા જિલ્લાના ગામડાંને થઈ હતી. ગળતેશ્વર, ઠાસરા અને બાલાસિનોર તાલુકોના તથા આણંદ જિલ્લાના ઉમરેઠ અને આંકલાવ અને બોરસદ તાલુકાના ૩૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. આણંદ જિલ્લાના મહિકાંઠા વિસ્તારના ગામોના ગ્રામજનોને સાવચેત રહેવા અને નદીકાંઠા સુધી નહીં જવા સૂચના અપાઈ હતી. પોતાના પશુઓને પણ નદી કિનારે નહીં લઇ જવા કહેવાયું હતું. પશુપાલકોને તેમનું પશુધન સલામત સ્થળે ખસેડી લેવા કલેક્ટર આર.જી.ગોહિલે તાકીદ કરી હતી. આણંદ જિલ્લાના મહિનદી કાંઠા વિસ્તારના ગામોની જનતાને નદી કિનારે કે નદીમાં નહીં જવા પણ તાકીદ કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા કલેકટરે ભારે વરસાદના પગલે સોમવારથી આણંદ, બોરસદ, ઉમરેઠ, આંકલાવના પ્રાંત અધિકારી, મામલતદાર સહિત ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક તલાટી મંત્રીને પોતાના હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા તાકીદ કરી હતી.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બિગ બોસ ૧૪
- બૉલીવુડ
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ