નડીયાદ સમાચાર
-
મુખ્યમંત્રીના રૂટના રસ્તા બંધ કરાતાં ઠેર-ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં ઃ લોકો અટવાયાં
- 13, ઓક્ટોબર 2022 01:15 AM
- 215 comments
- 5898 Views
વડોદરા, તા.૭સંસ્કારી અને ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા ગણેશજીના દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે વિવિઘ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીના દર્શન કર્યા હતા.જ્યારે બીજી તરફ મુખ્યમંત્રીના આગમનને લઈને પોલીસ દ્વારા જેતે વિસ્તારોના રસ્તાઓ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. તેમજ પરીવાર સાથે દર્શનાર્થે નિકળેલા લોકો અચવાઈ ગયા હતા. ગણેશોત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી વિવિધ પંડાલોમાં બિરાજમાન શ્રીજીના દર્શન કર્યા હતા.તેઓ સાથે પ્રદેશ ભાજપા મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ,કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યના બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ મેયર કેયુર રોકડિયા તથા ધારાસભ્યો કાઉન્સિલરો તેમજ શહેરના હોદ્દેદારો,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે વર્ષો ની પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રીઓ વડોદરાના ગણેશ ઉત્સવમાં ગણેશજી ના દર્શન માટે અચૂક હાજરી આપે છે આજે વડોદરા શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્ર ભુપેન્દ્ર પટેલ ખાસ દર્શન માટે આવ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા શ્રીજીના દર્શન કર્યા હતા. જાેકે, મુખ્યમંત્રીનો કાફલો જેજે રૂટ પરથી પસાર થઈને જે ગણેશજીના પંડાલ માં જવાનો હતો જે માર્ગ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા સાથે પરીવારના સભ્યો સાથે ગણેશજીના દર્શનાર્થે નિકળેલા લોકો અટવાઈ ગયા હતા.મુખ્યમંત્રીએ હરણી રોડ, નવા બજાર, દાંડિયા બજાર એસવીપીસી ટ્રસ્ટ ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રજીને સુવર્ણ માળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ બગીખાના, વારસિયા રીંગ રોડ માંજલપુર , ઇલોરા પાર્ક તથા સુભાનપુરા હાઈ ટેન્શન વિસ્તારમાં સ્થાપના કરાયેલા ગણેશજીના દર્શન કર્યા હતા.વધુ વાંચો -
આરડા શેષના નામે ૨૮ કરોડ ઉઘરાવાયા હોવાનો આરોપ
- 22, જાન્યુઆરી 2022 01:30 AM
- 3951 comments
- 9060 Views
ખેડા, આશરે સાત દાયકા પૂર્વ સહકારની ભાવના અને પશુપાલકોના આર્થિક ઉધ્ધાર માટે સાકાર થયેલ ધી ખેડા જીલ્લા દૂધ ઉત્પાદક સંધ દ્વારા આરડા શેષના નામે ઉધરાવાતા નાણાં મુદ્દે કરોડોનું રચાયેલ કૌભાંડ ઉજાગર થતાં અમૂલના ચેરમેન દ્વારા લૂલો બચાવ કરી હવાતિયાં મારતા હોવાની લાગણી વ્યક્ત થવા પામી છે. જ્યારે આ મુદ્દે તપાસ હાથ ધરતા વાસ્તવિકતા અલગ હોવાનું તારણ ઉજાગર થવા પામ્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર સાતદાયકા પૂર્વ સહકારની ભાવનાથી અને પશુપાલકોના આર્થિક ઉધ્ધારને લક્ષમાં લઇ ધી ખેડા દૂધ ઉત્પાદક સંધ અમૂલ સાકાર કરતાં તે સમયે બંધારણમાં દૂધ ઉત્પાદકની સુવિધા અંતર્ગત ૧૨ પૈસા લીટર દીઠ આરડા શેષના નામે લેવાનું ઠરાવવામાં આવ્યું હતું. જેની પાછળ નો આશય પશુપાલકોને જરૂરિયાત મુજબ સેવા પૂરી પાડવાનો હતો. જાેકે તે સમયે દૂધ પણ લીમીટેડ માત્રામાં ડેરી માં આવતું હતું. પરંતુ ડેરી નો વ્યાપ વધતા હાલમાં પ્રતિદિન લાખો લીટર દૂધ એકત્ર કરવામાં આવી રહ્યું છે.જેના પગલે પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવામાં આવતા હોય અગાઉ લાદવામાં આવેલ આરડા શેષને રદ કરવાના બદલે ડેરી સંચાલકો દ્વારા બાદમાં ૧૮ પૈસા અને વતૅમાનમા ૩૦ પૈસા સભાસદ પાસેથી લીટરે બારોબાર આરડા શેષના નામે ઉધરાવ્યા બાદ પશુપાલકો ને સુવિધા આપવામાં ધાંધીયા કરવામાં આવતા ઓડિટ દરમ્યાન ઉજાગર થતાં રાજ્ય ના સહકારી રજીસ્ટ્રાર દ્વારા રૂપિયા ૨૮ કરોડ ઉપરાંત નું કૌભાંડ થયાનુ બહાર આવતા રિકવરી ના આદેશ કરવામાં આવ્યાં હતા. સંધના ડીરેકટર્સ પાસેથી વસૂલવાના કરવાના આદેશ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે અહેવાલ ઉજાગર થતાં આજે અમૂલના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા સમગ્ર મામલે લૂલો બચાવ કરતાં હોય તેમ આરડા ટ્રસ્ટ ના નામે લેવામાં આવતા શેષ થી પશુપાલકો ને પશુચિકિત્સા ધાસચારો જેવી સુવિધા આપવામાં આવતી હોવાના દાવા કયૉ હતા. જેની તપાસ હાથ ધરતા એક દૂધમંડળીના કર્મચારી ને પૃચ્છા કરતાં ચેરમેન ના બચાવને બાલિશતા જણાવી ડો.કુરિયન ના જન્મદિનની ઉજવણી પાછળ કરોડોના આધણ કરવામાં આવે અને ડેરીના આદ્યસ્થાપકના જન્મદિનની ઉજવણી ને સાદાઈ થી ઉજવાય નો ભેદભાવ કેમ?બીજું કે ચરોતર પંથકમાં દુષ્કાળ ની કદી સ્થીતી સજૉતી નથી તો ધાસચારો કોને આપવામાં આવે છે?પશુ ના આરોગ્ય ની ચિકિત્સા મુદ્દે વિઝીટ પર આવતા તબીબ કચકચાવીને ફી વસુલતા હોય છે. તો આરડા ની સુવિધા કયા?જેતે સમયે લીમીટેડ સભ્ય સંધમા હતા તેના પગલે દૂધ પણ ઓછું એકત્રીકરણ થતું હતું જેથી પશુપાલકો ની સુવિધા અંતર્ગત આરડા ટ્રસ્ટ દ્વારા બાર પૈસા શેષ લેવામાં આવતો હોય વતૅમાનમા લાખો લીટર દૂધનું એકત્રીકરણ થાય છે અને છલાખ ઉપરાંત સભાસદો છે તો શેષ નાબૂદ કરવો જાેઈએ કે વધારો કરી સભાસદ ની જાણ બહાર બારોબાર વસુલવા પાછળ કારણ શું?અમૂલ કે જીસીએમએમએફ દ્વારા વર્ષ ના અંતે ટનૅઓવરના આકડા જાહેર થાય પરંતુ નફાતોટાના હિસાબ કેમ જાહેર કરવામાં આવતા નથી?જેવા સવાલ ઉઠતા ચેરમેન ના સમગ્ર મામલે લૂલો બચાવ સામે વાસ્તવિકતા અલગ હોવાનું તારણ ઉજાગર થવા પામ્યું છે. નવાઈ ની વાત એછેકે જાે આરડા ટ્રસ્ટ ના નામે બારોબાર શેષ પશુપાલકો ની સુવિધા ઉભી કરવા વસુલાતો હોય તો દોઢવર્ષ પૂર્વ પંથકમાં દોઢસો ઉપરાંત દૂધાળા પશુ અમૂલના દાણથી મૃત થયા તો સહાય કેમ આપવામાં આવી નહીં જેવા સવાલ પણ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.અગાઉ ચારસો કરોડોના ચીઝ કૌભાંડ મુદ્દે ઢાકપીછોડાના ખેલ ખેડા જીલ્લા દૂધ ઉત્પાદક સંધના આરડા ટ્રસ્ટના નેજા હેઠળ બારોબાર દૂધ ઉત્પાદક સભાસદ પાસેથી શેષના બહાને સુવિધા મુદ્દે પ્રતિલીટરે ૩૦પૈસા વસુલવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થતાં રાજ્ય સહકારી રજીસ્ટ્રાર દ્વારા રૂપિયા ૨૮ કરોડ ઉપરાંત ના ગેરરીતી થી લેવાયેલ નાણાં બોડૅ ડીરેકટર્સ પાસેથી વસુલવા ના આદેશ કરતાં અમૂલના ચેરમેન દ્વારા લૂલો બચાવ કરતાં અગાઉ વર્ષ ૨૦૧૫/૧૬ દરમ્યાન અમૂલના પૂર્વ એમ.ડી.દ્વારા ચારસો કરોડ ઉપરાંત નું ચીઝ કૌભાંડ આચયૉનો પર્દાફાશ અમૂલના જ તે સમયના વાઇસ ચેરમેન સહિત છ સભ્યો એ કરતાં તે સમયે એમ.ડી.ને તીનપાચ ચંબૂ આપી સમગ્ર મામલે ઢાકપીછોડા કરવાના ખેલ રચાયા હતા. જે મુદ્દે સરકાર સુધી રજૂઆત કરવા છતાં અમૂલ ચેરમેન ભાજપમાં જાેડાતા સરકારે પણ મામલાને અભરાઇએ ચઢાવી દીધો હતો. જેના પગલે વતૅમાનમા શેષના નામે કરોડોનું કૌભાંડ ઉજાગર થતાં ચીઝ કૌભાંડ ની ચર્ચા ઉઠવા પામી નું જાણવા મળેલ છેવધુ વાંચો -
ખેડા: પથરીના દર્દીની ડોક્ટરે કિડની કાઢી લેતા હોસ્પિટલને ૧૧.૨૩ લાખ ચુકવવા પડશે
- 20, ઓક્ટોબર 2021 11:36 AM
- 9142 comments
- 7233 Views
અમદાવાદ-ખેડા જિલ્લાના વંઘરોલી ગામના દેવેન્દ્રભાઈ રાવલે પીઠના તીવ્ર દુખાવા અને પેશાબ કરવામાં તકલીફ માટે બાલાસિનોર શહેરની કેએમજી જનરલ હોસ્પિટલના ડો.શિવુભાઈ પટેલની સલાહ લીધી હતી. મે ૨૦૧૧ માં તેમની ડાબી કિડનીમાં ૧૪ એમએમની પથરી હોવાનું નિદાન થયું હતું. જેની સારવાર માટે રાવલને વધુ સારી સુવિધામાં ધરાવતી હોસ્પિટલમાં જવાની સલાહ પણ આપવામાં આવી હતી, પરંતુ તેમણે તે જ હોસ્પિટલમાં સર્જરી કરાવવાનું પસંદ કર્યું હતું. ૩ સપ્ટેમ્બર, ૨૦૧૧ ના રોજ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સર્જરી બાદ પરિવારજનોને ત્યારે ઝટકો લાગ્યો કે જ્યારે ડોક્ટરે કહ્યું કે પથરીને બદલે દર્દીની કિડની જ કાઢવી પડી છે. આ સાથે ડોક્ટરે કહ્યું કે આવું તેમણે દર્દીના શ્રેષ્ઠ હિતને ધ્યાને રાખી કર્યું છે. જ્યારે રાવલને પેશાબ કરવામાં વધુ તકલીફ થવા લાગી ત્યારે તેને નડિયાદની કિડની હોસ્પિટલમાં શિફ્ટ કરવાની સલાહ આપવામાં આવી. બાદમાં જ્યારે તેમની તબિયત વધુ બગડી તો અમદાવાદની આઈકેડીઆરસીમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ૮ મી જાન્યુઆરી, ૨૦૧૨ ના રોજ રેનલ કોમ્પ્લિકેશનના કારણે તેમનું મૃત્યુ થયું. જે બાદ તેમના વિધવા પત્ની મીનાબેને નડિયાદ ખાતે ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ દાખલ કરી. પંચે ૨૦૧૨ માં તબીબ, હોસ્પિટલ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિ.ને તબીબી બેદરકારી બદલ વિધવાને રુ. ૧૧.૨૩ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ડિસ્ટ્રિક્ટ કમિશનનો આદેશ આવ્યા બાદ આ રકમ કોણ ચુકવશે હોસ્પિટલ કે વીમા કંપની તેને લઈને આ કેસ રાજ્ય ગ્રાહક સુરક્ષા કમિશન સમક્ષ આવ્યો હતો. જેમાં પ્રશ્ન હતો કે વળતર ચૂકવવા માટે કોને જવાબદાર ગણવા જાેઈએ. કેસની સમગ્ર વિગત સાંભળ્યા બાદ રાજ્ય આયોગે નોંધ્યું કે હોસ્પિટલમાં ઇન્ડોર અને આઉટડોર દર્દીઓ માટે વીમા પોલિસી હતી, પરંતુ સારવાર કરનારા ડોક્ટર દ્વારા તબીબી બેદરકારી માટે વીમાદાતા જવાબદાર નથી. આ સર્જરી માત્ર કિડનીમાંથી પથરી દૂર કરવા માટે હતી અને પથરી દૂર કરવા માટે જ સંમતિ લેવામાં આવી હતી ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચે બાલાસિનોરની કેએમજી જનરલ હોસ્પિટલને દર્દીના સગાને રુ. ૧૧.૨૩ લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે. હોસ્પિટલમાં પથરીની બિમારીને લઈને દાખલ થયેલા દર્દીની પથરી કાઢવાની જગ્યાએ ડોક્ટર્સે ડાબી કિડની જ કાઢી નાખી હતી. જે બાદ શરીરમાંથી મહત્વપૂર્ણ અંગ બહાર કઢાયાના ચાર મહિના બાદ દર્દીનું મૃત્યુ થયું. ગ્રાહક અદાલતે જણાવ્યું હતું કે હોસ્પિટલ તેના કર્મચારીના બેદરકારીપૂર્ણ કૃત્ય માટે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે જવાબદારી ધરાવે છે. આ કિસ્સામાં ઓપરેટિંગ ડોક્ટરની ભૂલ માટે હોસ્પિટલ જવાબદાર છે. "એમ્પ્લોયર માત્ર તેના પોતાના કૃત્યો અથવા કમિશન અને બાદબાકી માટે જ જવાબદાર નથી, પણ તેના કર્મચારીઓની બેદરકારી માટે પણ જવાબદાર છે, જ્યાં સુધી તે બેદરકારી કર્મચારી દ્વારા રોજગારના સ્થાને અને ફરજ દરમિયાન કરવામાં આવી હોય. આ જવાબદારી રિસ્પોન્ડન્ટ સુપિરિયરના સિદ્ધાંત અનુસાર એટલે કે માલિકને જવાબ આપવા દોને આધારીત છે. તેમ કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું. અને કોર્ટે હોસ્પિટલને આદેશ આપ્યો હતો કે કેસ દાખલ કરનારને વર્ષ ૨૦૧૨થી ૭.૫ ટકાના વ્યાજ સાથે વળતરની રકમ ચૂકવવામાં આવે.વધુ વાંચો -
ઓવરટેકમાં જિંદગી થઈ ઓવરટેક: કપડવંજ પાસે કાર અકસ્માતમાં 4 મિત્રોના મોત
- 01, ઓક્ટોબર 2021 03:50 PM
- 5256 comments
- 9353 Views
નડિયાદ-કપડવંજથી મોડાસા જતાં રોડ પર વહેલી પરોઢે કાર અને આઈશર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં અફરાતફરી મચી જવા પામી. પાંચેય મિત્રો રણુજા થી દર્શન કરીને પરત કપડવંજ આવી રહ્યા હતા તે દરમિયાન કાર અને આઈશર ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વાત્રક ખાનગી હોસ્પિટલ ખસેડાયા તથા મૃતકોના મૃતદેહોને કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા.ગત 27 સપ્ટેમ્બરના રોજ રણુજા દર્શન કરવા ગયેલ પાંચેય મિત્રો ઘરે પરત ફરતા કપડવંજથી મોડાસા જતાં રોડ પર કાવઠ પાટીયા નજીક વહેલી પરોઢે i20 કાર અને આઈશર ઓવરટેક કરવા જતા ગંભીર અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા કપડવંજ રૂરલ પોલીસ મથકના કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતમાં 4 ના ઘટનાસ્થળે મોત જ્યારે 1 ઇજાગ્રસ્ત સારવાર અર્થે વાત્રક ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા. મળેલ માહિતી મુજબ તમામ મિત્રો કપડવંજ તાલુકામાં હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવતા હતા. જેઓ રણુજા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાથી પરત કપડવંજ ફરતા તેમનું ગંભીર અકસ્માત થયો હતો. જેમાં 4 મિત્રોએ જીવ ગુમાવ્યો. જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતકોના પરિવારજનો, સગા-સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળ ના ટોળેટોળા ઉમટયા હતા.વધુ વાંચો -
સરકારી નાણાંનો વ્યય અને તંત્રની અણઆવડત જોવી હોય તો આ પાલિકાની મુલાકાત જરૂર કરો
- 22, સપ્ટેમ્બર 2021 02:41 PM
- 2796 comments
- 4157 Views
નડિયાદ-સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લોક સુખાકારી માટે કરોડો રૂપિયાના વાહનો ફાળવવામાં આવે છે. ચકલાસી નગરપાલિકામાં સંસ્થાઓની બેદરકારીઓને કારણે વાહનોની દુર્દશા થઈ છે સરકાર દ્વારા નગરપાલિકાને 1 કરોડ થી વધુ કિંમતના વાહનો ફાળવ્યા છે, પરંતુ માત્ર ડ્રાઇવર નહી હોવાને કારણે આ તમામ વાહનો હાલ ભંગારમાં ફેરવાઈ ગયા છે. ગુજરાત સરકાર દ્વારા ચકલાસી નગરપાલિકાને લોક સુખાકારી માટે એમ્બયુલન્સ, લોડર, જેસીબી, ફાયર, ટ્રેક્ટર, બુલેટ, ટ્રેક્ટર ટ્રોલી ફાળવવામાં આવ્યા છે. જેની કિંમત અંદાજીત એક કરોડ કરતા વધુ થવા જાય છે. નવાઈની વાત એ છે કે સરકારે ફાળવેલ વાહનોને ચલાવવા માટે છેલ્લા 9 વર્ષથી એક પણ ડ્રાઈવર ચકલાસી નગર પાલિકા પાસે નથી. જેના કારણે મોટાભાગના વાહનો ભંગારમાં ફેરવાઈ ગયા છે. શોભાના ગાંઠિયા સમાન પડી રહ્યા છે આ વાહનો નગરપાલિકાના પ્લોટમાં. ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે એકવાર નગરપાલિકાને વાહનો આપ્યા બાદ તેનો ઉપયોગ થાય છે કે કેમ ? તે બાબતે ઉચ્ચ વિભાગ કોઈ માહિતી જ નહીં મેળવતુ હોય ? વાહન મેળવતી નગરપાલિકા પણ અમારી પાસે ડ્રાઇવર નથી, તમે બીજી જરૂરિયાતમંદ પાલિકાને વાહન આપો તેમ પણ જણાવતી નહીં હોય ? પ્રજાના ટેક્ષના પૈસે ખરીદાતી આ સાધન સામગ્રી આ પ્રકારે ભંગારમાં ફેરવાય તે કેટલું યોગ્ય? વાય.જે.ગણાત્રા ચીફ ઓફિસરે જણાવ્યુ, વાહનો બંધ અને ભંગાર હાલતમાં હોવાથી તેને રીપેર કરાવવા માટે અગાઉ ચાર વાર ટેન્ડર બહાર પાડ્યા છે. આવતા અઠવાડીયે વધુ એક ટેન્ડર બહાર પાડવાનું છે. આ વાહનો ચાલુ થાય ત્યારબાદ ડ્રાઇવરની વ્યવસ્થા કરી તેનો ઉપયોગ શરૂ કરીશું.વધુ વાંચો -
અમદાવાદ-વડોદરા હાઈ-વે પર ઊભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત
- 30, જુલાઈ 2021 02:09 PM
- 9393 comments
- 5680 Views
નડિયાદ-ખેડા જિલ્લા મથક નડિયાદ નજીકથી પસાર થતા અમદાવાદ-વડોદરા હાઈ- વે ઉપર ગુતાલ ઓવર બ્રિજ પાસે ઉભેલી ટ્રકની પાછળ ધડાકા સાથે બાઈક ઘુસી જતાં બાઈકચાલક ૩૦ વર્ષીય યુવાન પત્રકાર જોસેફ ક્રિશ્ચયનનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. નડિયાદનાં યુવાન પત્રકારના મોતને પગલે પત્રકાર જગતમાંશોક ની લાગણી જોવા મળી રહી છે.આશાસ્પદ યુવાને રોડ અકસ્માતમાં જીવ ગુમાવતા તેમનો પરિવાર પણ વ્યથિત જોવા મળી રહ્યો છે. નડિયાદ રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.વધુ વાંચો -
માત્ર 6 મહિના પહેલા લાખોના ખર્ચે બનેલા ડાકોરને જોડતો મહુધા રોડની હાલત તો જુઓ
- 16, જુલાઈ 2021 12:23 PM
- 9518 comments
- 3383 Views
નડિયાદયાત્રાધામ ડાકોરને જોડતો મહુધા રોડ બને હજી ૬ મહિના પણ પૂરા થયા નથી,ત્યાં પ્રથમ વરસાદમાં જ રોડની હાલત ભંગાર થઈ જવા પામી છે.જવાબદાર આર ઍન્ડ બી ના અધિકારીઓ જે તે એજન્સી ને કામ આપ્યા બાદ તેમની સાથે સાંઠગાંઠ કરતા હોવાને કારણે એજન્સી દ્વારા રોડનાં કામમાં ભારે વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ડાકોર ગાયોનાં વાડાથી મહુધા તરફનાં માર્ગે સામાન્ય વરસાદ થતાં જ રસ્તાની પોલ ખુલી જવા પામી છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા રોડની કફોડી હાલત જોઈને જવાબદાર તંત્ર અને એજન્સી વચ્ચે સારો તાલમેલ હોવાનું સાબિત થઈ રહ્યું છે. હલકી ગુણવત્તા નું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાને કારણે ટૂંકાગાળા માં રોડ ઉપર નો ડામર ઉખડી ને મસમોટા ખાડા થઈ જવા પામ્યા છે,જેને પગલે દ્વી ચક્રી વાહનો, કાર જેવા વાહનચાલકો ને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે તેમજ ભારે વાહનો ઉખડી ગયેલા રોડ ને કારણે ફસાઈ જવાના બનાવો બની રહ્યા છે. ડાકોરથી મહુધા વચ્ચે બનેલા રોડનું સત્વરે સમારકામ કરી ને દુરસ્ત કરવામાં આવશે કે પછી ગેરંટી સમય પૂરો થાય ત્યાં સુધી વાહન ચાલકો ને ઉબડ ખાબડ રોડ ઉપર જ પસાર થવું પડશે તે બાબત માર્ગ મકાન વિભાગના જવાબદારો જ નક્કી કરશે તેમ જોવા મળી રહ્યું છે.સામાન્ય વરસાદ માં ધોવાઈ ગયેલા રોડની હાલત વધુ ભારે વરસાદ માં કેવી થાય છે તે જોવું રહ્યું !વધુ વાંચો -
CMના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, 8 મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે
- 08, જુલાઈ 2021 09:26 PM
- 1806 comments
- 2001 Views
અમદાવાદ-શાળા-કોલેજો અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે – નિયત એસ.ઓ.પી. સાથે યોજી શકાશે. ધોરણ-૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટેના કોચિંગ-ટયૂશન કલાસીસ સ્થળની ક્ષમતાના પ૦ ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઇઝ અને કોરોના એસ.ઓ.પી.ના પાલન સાથે શરૂ કરી શકાશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફયુનો અમલ કરાશે. અગાઉ આ આઠ મહાનગરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કરફયુ અમલમાં હતો તેમાંથી હવે આઠ મહાનગરો પૂરતો જ આ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. આ રાત્રિ કરફયુ તા.૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ના સવારે ૬ કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી આ આઠ મહાનગરોમાં રહેશે. વિજયભાઇ રૂપાણી અને કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાત્રિ કરફયુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.રેસ્ટોરેન્ટ્સ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી, તેમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે.રેસ્ટોરેન્ટ્સ Home deliveryની સુવિધા રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકશે. જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહી.જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦ (એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૪૦ (ચાળીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે. કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રી મુખ્ય અધિક સચિવ એમ. કે. દાસ, આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.વધુ વાંચો -
ગુજરાતના આ શહેરને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાતા લોકોમાં ફફડાટ ફેલાયો
- 01, જુલાઈ 2021 06:36 PM
- 438 comments
- 4052 Views
નડિયાદ-ગુજરાત હજુ કોરોના વાયરસની બીજી લહેરમાથી બહાર નીકળ્યું નથી, તેવામાં નડિયાદ શહેર એક ભયાનક રોગમાં સપડાયું છે. નડિયાદ શહેરને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાતા હડકંપ મચી ગયો છે. આસપાસના ગામડાઓમાં લોકો ડરી રહ્યા છે. નડિયાદ શહેર અને આસપાસનો ૧૦ કિ.મી. વિસ્તારને ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આ માટે ખેડા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પડાયું છે. જેમાં શહેરમાં ઝાડા-ઉલટીના કેસો નોંધાતા તાબડતોડ રીતે આ ર્નિણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. એક મહિના સુધી નડિયાદ કલેક્ટરનું જાહેરનામું અમલમાં રહેશે. નપાના ચીફ ઓફિસસને પણ આ રોગને કાબૂમાં લેવા માટે જરૂરી પગલા લેવા સૂચના આપી દેવામાં આવી છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે નડિયાદ શહેરના કનીપુરા વિસ્તારમાંથી કોલેરાનો કેસ મળી આવ્યો છે, બુધવારે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી આરોગ્ય વિભાગે ૧૦ જેટલા સેમ્પલ લીધા હતા. જેના ટેસ્ટિંગ દરમિયાન કોલેરા પોઝિટિવ મળી આવતા તંત્ર દ્વારા નડિયાદ પાલિકા વિસ્તારને કોલેરાગ્રસ્ત તેમજ આસપાસના ૧૦ કિ મી ના વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. નડિયાદ શહેરમાં ખાણી-પીણીની લારીઓ તેમજ અન્ય હાટડીઓ શરૂ થઇ ગઇ છે. શહેરમાં ઠેક ઠેકાણે ગંદકીની પણ ફરિયાદ ઉઠી છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કનીપુરા, જવાહર નગર, મિલ રોડ, કપડવંજ રોડ પરથી સંકાસ્પદ કોલેરાના સેમ્પલો લેવાયા હતા. જેના ટેસ્ટિંગ દરમિયાન કેસ મળી આવ્યા હતા. નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં સફાઈ નહીં થતી હોવાને કારણે ગંદકીની સમસ્યા વકરી છે. ત્યારે કોલેરાગ્રસ્ત નડિયાદને તેમાંથી બહાર લાવવા પાલિકા પગલા ભરે તે જરૂરી છે.વધુ વાંચો -
અહિંયા નગરપાલિકા શોપિંગ સેન્ટરની 3 દુકાનનો જર્જરિત સ્લેબ ધરાશાય, કોઈ જાનહાની નહિ
- 26, જુન 2021 02:13 PM
- 3121 comments
- 6024 Views
નડિયાદ-નડિયાદ નગરપાલિકાની પાછળ આવેલા શોપિંગ કોમ્પલેક્ષમાં 3 દુકાનોના આગળનો જર્જરિત સ્લેબ ધરાશાયી થયો હતો. આ સ્લેબ ધરાશયી થવાના કારણે સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી. ઘટનાની જાણે થતા નગરપાલિકાની ટિમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. નગરપાલિકા ની ટીમ દ્વારા કાટમાળને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. નડિયાદ નગરપાલિકા પાછળ 45 વર્ષ જૂનું શોપિંગ સેન્ટર આવેલું છે. આ ઘટના બાદ નડિયાદ નગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.વધુ વાંચો -
તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર
- 19, મે 2021 05:00 PM
- 1177 comments
- 3283 Views
અમદાવાદ-તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.વધુ વાંચો -
ગુજરાતને ફરી પાટા પર લાવવા સરકારની કવાયત શરૂ, ક્યાં કેટલું નુકસાન? સર્વેની કામગીરી શરૂ
- 19, મે 2021 04:49 PM
- 5469 comments
- 2442 Views
ગાંધીનગર-કોરોનાના ભયાનક મારનો સામનો કરી રહેલા ગુજરાતથી કુદરત જાણે કે રુઠી હોય તેવી રીતે 'તાઉતે' નામનું મહાભયાનક વાવાઝોડું આવી પડતાં સરકાર તેમજ લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. બે દિવસ સુધી ખૌફના મંજર ઉભા કરીને વાવાઝોડું હવે પસાર થઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા પણ વાવાઝોડાને કારણે ક્યાં કેટલું નુક્સાન થયું છે તેના સર્વે સહિતની કામગીરી 'બંબાટ' શરૂ કરી દેવામાં આવી છે. એકંદરે રાજ્યને ફરી 'ધબકતું' કરવા માટે સરકારે મથામણ શરૂ કરી દીધી છે. વાવાઝોડાએ જે-જે જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે તે જિલ્લાઓને બે દિવસની અંદર 'બેઠા' કરી દેવા સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વાવાઝોડાએ ખાસ કરીને ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું હોય તેનો સર્વે કરવા પર સરકાર પ્રાથમિકતા આપી રહી છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં ઝુંપડા અને કાચા મકાનો તૂટી પડ્યા છે ત્યાં તાકિદે કેશડોલ્સ ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવા સરકારે આદેશ આપ્યો છે. પત્રકાર પરિષદને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વાવાઝોડાએ ગુજરાતમાં 13 લોકોનો ભોગ લીધો છે. આગોતરા આયોજન, આગમચેની, સહિયારા અને સક્રિય પ્રયત્નો તેમજ લોકોના સહકારથી ગુજરાત વાવાઝોડારૂપી આફતમાંથી હેમખેમ બહાર આવી ગયું છે. વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના સર્વેક્ષણની કામગીરી શરૂકરી દેવાઈ છે. પ્રાથમિક તબક્મે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. જે જિલ્લાઓમાં વિશે નુકસાન થયું છે ત્યાં પાડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગરીમાં સામેલ કરવામાં આવ્યા છે જેથી કામગીરીમાં ઝડપ આવી શકે. યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારા-ધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રાહતની વાત એ છે કે એક પણ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને વાવાઝોડાને કારણે કોઈ તકલીફ પડ નથી. રાજ્યમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી અને તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો આમ છતાં તંત્રની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે ક્યાંય વીજ સપ્લાયને લઈને સમસ્યા સર્જાવા પામી નથી. વાવાઝોડાની સૌથી વધુ અસર ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં જોવા મળી છે તેથી સરકાર દ્વારા આ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરીને વિસ્તૃત વિગતો મેળવવામાં આવી રહી છે.વધુ વાંચો -
ગુજરાતના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યૂને લઈને જુઓ શું લેવાયો નિર્ણય, આ તારીખ સુધી કર્ફ્યૂ યથાવત
- 11, મે 2021 05:49 PM
- 1822 comments
- 7039 Views
ગાંધીનગર-ગુજરાતની 8 મનપા સહિત 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે સરકારે ગુજરાતના 36 શહેરોમાં લાગેલા કર્ફ્યૂને લંબાવ્યું છે, આગામી 18 મે સુધી કર્ફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે. આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાને લઈને સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ નિયંત્રણો મુકવા કરેલા સૂચનનો સરકાર સ્વીકાર કરી લગ્નો અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ કડક હાથે કામ લ્યે તેવી શકયતા છે. એટલુ જ નહિ લગ્ન સમારોહ ઉપર ૧૫ દિવસનો પ્રતિબંધ લાદવામાં આવે તેવી શકયતા છે. ધાર્મિક કાર્યક્રમોમા પણ સંખ્યા સીમીત કરવામાં આવે તેવી શકયતા છે. હાઈકોર્ટમાં એવી દરખાસ્ત થઈ હતી કે લગ્નોમાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો ૧૫ દિવસ માટે પ્રતિબંધીત કરવામાં આવે. અનેક ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન કાર્યક્રમોમાં ભીડ થાય છે તે બંધ થવુ જોઈએ. હાલ લગ્ન સમારોહમાં ૫૦ લોકોની હાજરી નિશ્ચિત કરવામાં આવી છે. તેમા ઘટાડો કરવામા આવે તેવુ સૂચન થયુ છે. સરકારે પણ આ સંખ્યા ઘટાડવા તૈયારી દર્શાવી છે.વધુ વાંચો -
શું ગુજરાતમાં મિની લોકડાઉન લંબાશે ? આજે સાંજે નિર્ણયની જાહેરાત થઇ શકે છે
- 04, મે 2021 03:16 PM
- 3749 comments
- 874 Views
અમદાવાદ-ગુજરાતમાં કોરોના સંક્રમણને ડામવા માટે રાજય સરકાર દ્વારા જે મીની લોકડાઉન જેવા નિયંત્રણો લાદયા છે તે આગામી તા. 1ર સુધી લંબાવવાશે તેવા સંકેત છે. સરકાર દ્વારા આ અંગે આજે સતાવાર નિર્ણયની જાહેરાત થઇ શકે છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના સંક્રમણના કેસમાં મામુલી ઘટાડો થયો છે. કોરોનાના દર્દીઓ માટેની બેડ સહીતની વ્યવસ્થા વધારી છે તે જોતા હાલ રાજયમાં હવે હોસ્પિટલો માટે લાંબી લાઇન જોવા મળતી નથી. ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં અગાઉ જે 108ની લાંબી લાઇન હતી તે છેલ્લા બે દિવસથી અદૃશ્ય થઇ ગઇ છે. ગુજરાતમાં રીકવરી રેટ પણ વધ્યો છે પરંતુ રાજય સરકાર હાલ કોઇ ગફલતમાં રહેવા માંગતી નથી અને વર્તમાન નિયંત્રણો જે લાગુ છે તે યથાવત રાખીને પણ સરકાર કફર્યુના સમયમાં હજી પણ થોડો વધારો કરી શકે છે. અથવા તો રાત્રીના 8 થી સવારના 6 સુધીનો કફર્યુ છે તે ચાલુ રહેશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અધ્યક્ષ પદે આજ કોર કમીટીની મીટીંગ મળનાર છે અને તેમાં આ નિયંત્રણો લંબાવાશે. હાલ આવશ્યક સેવાઓ સિવાય અન્ય કોઇ વ્યાપારને મંજુરી નથી અને દુકાનો પણ ખોલવા દેવામાં આવતી નથી. જોકે ઉધોગ યથાવત રીતે ચાલુ છે અને તેમાં કોઇ પ્રતિબંધાત્મક આદેશો આવશે નહીં.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
- 10, એપ્રીલ 2021 03:37 PM
- 2283 comments
- 285 Views
વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ
- 10, એપ્રીલ 2021 03:13 PM
- 8102 comments
- 2398 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ
- 08, એપ્રીલ 2021 03:03 PM
- 6083 comments
- 2053 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે.વધુ વાંચો -
રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે રેમડેસિવીર ઈન્જેક્શનને લઈને શું કરી જાહેરાત, જાણો વધુ
- 08, એપ્રીલ 2021 02:31 PM
- 1458 comments
- 5226 Views
અમદાવાદ-કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.કોરોના મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ફરી કેસ વધતા હોસ્પિટલમાં બેડ વધારવા પડ્યા છે. સુરત શહેરની સ્થિતિને રીવ્યુ કરી એક અધિકારીની નિમણૂંક કરી છે. રાજકોટ અને વડોદરાની પણ સમીક્ષા કરી હતી હતી. કિડની, યુ.એન.મહેતા હોસ્પિટલ કોવિડ માટે ચાલુ છે. પંકજકુમાર સંક્રમિત થતા અવંતિકા સિંહની નિમણૂંક કરાઈ છે. હવે રેમડેસિવર ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. દર્દીએ દાખલ નહીં રહેવું પડે. 1-2 કલાક કોમ્યુનિટી હોલમાં દર્દી રોકાઈને ઘરે જઈ શકશે.કોમ્યુનિટી હોલમાં ઈન્જેક્શન લીધેલા દર્દીઓનું ધ્યાન નર્સિંગ સ્ટાફ રાખશે નર્સિંગ હોમમાં ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. જેથી હોસ્પિટલમાં ખરેખર જરૂરિયાત વાળા દર્દીઓ માટે પથારી ખાલી રહી શકશે. ગુજરાતમાં રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારેકોરોના મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ
- 07, એપ્રીલ 2021 03:05 PM
- 9187 comments
- 6615 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ
- 06, એપ્રીલ 2021 02:45 PM
- 4579 comments
- 1983 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ
- 05, એપ્રીલ 2021 02:51 PM
- 772 comments
- 3972 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
આઝાદી પછી દેશના આદીવાસીઓનો વિકાસ થવો જાેઈએ એવો થયો નથી
- 25, માર્ચ 2021 12:00 AM
- 7564 comments
- 291 Views
રાજપીપળાઈકો સેન્સેટિવ કાયદાની વિરૂદ્ધમાં આદીવાસીઓના હિત માટે સાંસદ પદેથી અને પક્ષમાંથી રાજીનામુ ધરી દેનાર ગુજરાતના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ દેશના કેન્દ્રીય નાણામંત્રીને દેશમાં આદિવાસીઓની સ્થિતિનું વર્ણન કરતો એક પત્ર લખ્યો છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આઝાદી પછી દેશના આદીવાસીઓનો જે રીતે વિકાસ થવો જાેઈએ એવો થયો નથી, ભાજપના શાસન પછી જ વિકાસ દેખાઈ રહ્યો છે અને આદિવાસીઓના વિકાસ માટે ભાજપ સરકાર પ્રયાસ કરી રહી છે.પરંતુ દેશમાં અન્ય સમાજની સામે આદીવાસી સમાજ પાછળ છે.સિંચાઈની સુવિધાના અભાવે સિંચાઈ સુવિધાના અભાવે રોજી રોટી માટે આદિવાસીઓએ અન્ય શહેરોમાં જવું પડે છે.દેશના આદિવાસી તથા પછાત વિસ્તારમાં શિક્ષણનું નીચું સ્તર સુધારવું જરૂરી છે, સાથે સાથે આદીવાસી અને પછાત વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાં એડમિશન તો મળે છે પણ યોગ્ય રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવી જાેઈએ. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે દેશના શહેરી વિસ્તારોમાં રહેતા આદીવાસીઓને આવાસ બનાવવા જમીન નથી એવા ગરીબ પરિવારના લોકોને રહેવા લાયક જમીનની વ્યવસ્થા કરવી જાેઈએ.દેશમાં ચાલી રહેલી મોટી મોટી પરિયોજનામાં જે પણ આદીવાસી ખેડૂતની જમીન સંપાદિત થાય છે અથવા જેમને વિસ્થાપિત કરાય છે એમને જમીન અને પ્રાથમિકતાના આધારે પરિયોજનામાં રોજગારી ઉપલબ્ધ કરાવવી જાેઈએ, ખનન માટે લેવાતી જમીનની સામે યોગ્ય વળતર મળવું જાેઈએ. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સરદાર સરોવર યોજના અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા પ્રોજેકટ છતાં એ વિસ્તારના આદિવાસીઓના વિકાસ અને ઉત્થાન સાથે જાેડાયેલા પ્રશ્નો હાલમાં પણ અધૂરા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ
- 16, માર્ચ 2021 03:11 PM
- 7255 comments
- 9270 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 810 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,78,207 કેસ
- 15, માર્ચ 2021 02:49 PM
- 2192 comments
- 7594 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 810 થી વધુ નોંધાયા છે. જેની સામે 586 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4424 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 810 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,78,207 થયો છે. તેની સામે 2,69,361 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4422 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4422 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 54 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4368 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,361 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4424 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
આજે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટીબોર્ડ ગૃહસ્થ વિભાગની ચૂંટણીનું મતદાન
- 14, માર્ચ 2021 12:00 AM
- 3323 comments
- 5214 Views
નડિયાદઆજે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટીબોર્ડ ગૃહસ્થ વિભાગની ચૂંટણીનું મતદાન યોજવામાં આવ્યું છે. સવારે ૭ઃ૩૦થી સાંજે ૫ઃ૩૦ સુધી મતદાન થશે. વડતાલ સંસ્થામાં આસ્થા ધરાવતાં ૭૨ હજાર ભક્તો પોતાના મતાધિકારનો ઊપયોગ કરશે. વડતાલ, સુરત, રાજકોટ, મુંબઈ, જલગાંવ (મહારાષ્ટ્ર) અને કુક્ષી (મધ્યપ્રદેશ)માં મતદાન થશે. તા.૧૫એ મતપેટીઓ વડતાલ આવશે અને તા.૧૬એ મત ગણતરી થશે. વિજેતા બનશે તે ટીમ વડતાલ મંદિર અને તેનાં તાબાના મંદિરો સાથે નિઃશુલ્ક હોસ્પિટલ, સંસ્કૃત પાઠશાળા, ગૌશાળા વગેરેનો વહિવટ સંભાળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડતાલ બોર્ડના કુલ સાત પૈકીના ત્રણ સીટ બિનહરીફ જાહેર થયેલી છે. સાધુ વિભાગમાં શ્રીદેવપ્રકાશદાસજી સ્વામી (ચેરમેન), પાર્ષદ ઘનશ્યામ ભગત, અને બ્રહ્મચારી પ્રભુતાનંદજી. આ ત્રણ ત્યાગી બિનહરીફ થયાં છે અને ત્રણેય દેવપક્ષના છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 700 પોઝીટીવ કેસ, કુલ 2,75,907 કેસ
- 12, માર્ચ 2021 03:01 PM
- 3619 comments
- 4401 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 700 થી વધુ નોંધાયા છે. જેની સામે 451 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 700 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,907 થયો છે. તેની સામે 2,67,701 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3788 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3788 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 49 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3739 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,701 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે કોરોના થી કોઈ મૃત્યુ નોંધાયા નથી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 675 પોઝીટીવ કેસ, કુલ 2,75,197 કેસ
- 11, માર્ચ 2021 02:50 PM
- 8397 comments
- 8989 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 675 થી વધુ નોંધાયા છે. જેની સામે 484 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 675 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,197 થયો છે. તેની સામે 2,67,250 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3529 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3529 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 47 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3482 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,250 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 581 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,74,522 કેસ
- 10, માર્ચ 2021 03:40 PM
- 6743 comments
- 219 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 581 થી વધુ નોંધાયા છે. જેની સામે 453 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 581 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,74,522 થયો છે. તેની સામે 2,66,766 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3338 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3338 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 43 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3295 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,766 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 555 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,941 કેસ
- 09, માર્ચ 2021 03:07 PM
- 6028 comments
- 493 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 555 થી વધુ નોંધાયા છે. જેની સામે 482 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4416 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 555 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,941 થયો છે. તેની સામે 2,66,313 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3212 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3212 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 41 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3171 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,313 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4416 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
શેકાવા માટે તૈયાર રહેજો: ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચશે
- 09, માર્ચ 2021 02:13 PM
- 994 comments
- 8211 Views
ગાંધીનગર-રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડીગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ, રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યનાં શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો ૩૭.૫ ડીગ્રીએ પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો ૩૬.૮ ડીગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં ૩૬.૪ ડીગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૩૬.૭ ડીગ્રી, વડોદરામાં ૩૬.૬ ડીગ્રી, સુરતમાં ૩૫.૫ ડીગ્રી, અમરેલીમાં ૩૭.૮ ડીગ્રી, ભાવનગરમાં ૩૫.૨ ડીગ્રી, રાજકોટમાં ૩૭.૬ ડીગ્રી સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડીગ્રી, મહુવામાં ૩૫.૬ ડીગ્રી, કેશોદમાં ૩૫.૨ ડીગ્રી, ભુજમાં ૩૫ ડીગ્રી નોંધાયું હતું. માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતનાં શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ
- 08, માર્ચ 2021 03:06 PM
- 679 comments
- 8997 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ઉનાળાની એન્ટ્રીઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો
- 08, માર્ચ 2021 02:31 PM
- 609 comments
- 6663 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.વધુ વાંચો -
શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો મળશે લાભ, શિક્ષણમંત્રી ચુડાસમાએ ગૃહમાં કરી જાહેરાત
- 05, માર્ચ 2021 03:53 PM
- 1050 comments
- 1968 Views
ગાંધીનગર-રાજ્યમાં આવેલી યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો લાભ આપવાનું ગૃહમાં શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારના અ નિર્ણયથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. રાજ્યમાં આવેલી યુનિવર્સીટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા તેઓની પડતર માંગણીઓને લઈને અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકા તેમજ જીલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના પરિણામ આવી ગયા બાદ વિધાનસભા સત્ર શરુ થતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જાહેરાત કરી હતી. ત્યારે તા.1-1-૨૦૧૬ થી કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવાનું સરકારે નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કર્મચારીઓને એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા ટૂંક સમયમાં આપવામાં આવશે. જેથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં ખુશી વ્યાપી જવા પામી હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 480 પોઝીટીવ કેસ, કુલ 2,71,725 કેસ
- 05, માર્ચ 2021 03:48 PM
- 1889 comments
- 238 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 480 થી વધુ નોંધાયા છે. જેની સામે 369 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 480 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,725 થયો છે. તેની સામે 2,64,564 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2749 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2749 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 40 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2709 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,564 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 400 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,71,245 કેસ
- 04, માર્ચ 2021 03:43 PM
- 8483 comments
- 6369 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 400 થી વધુ નોંધાયા છે. જેની સામે 358 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 400 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,245 થયો છે. તેની સામે 2,64,195 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2638 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2638 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 39 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2599 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,195 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દી નું મૃત્યુ નોંધાયુ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 454 પોઝીટીવ કેસ, કુલ 2,70,770 કેસ
- 03, માર્ચ 2021 02:38 PM
- 2121 comments
- 9156 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 454 થી વધુ નોંધાયા છે. જેની સામે 361 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 454 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,770 થયો છે. તેની સામે 2,63,837 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2522 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2522 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 37 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2485 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,63,837 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ELECTION 2021: 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ
- 02, માર્ચ 2021 03:33 PM
- 342 comments
- 9585 Views
અમદાવાદ-ગુજરાતની રાજકોટ સહિત 31 જિલ્લા પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મતગણતરી યોજાઇ રહી છે તેમાં 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ હોવાના પ્રારંભીક સંકેતો સાંપડયા છે. સૌરાષ્ટ્રની 8 સહિત ગુજરાતની 28 જિલ્લા પંચાયતોમાં ભાજપના બહુમતી ઉમેદવારો જીતના માર્ગે હોવાથી ભાજપનું શાસન આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. 2015ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને માત્ર 7 જિલ્લા પંચાયતોમાં સત્તા મળી હતી. તેના બદલે આ વખતે બહુમતી જિલ્લા પંચાયતો પર ભાજપનો કબ્જો આવવાના એંધાણ પ્રારંભીક ટ્રેન્ડમાં મળી રહ્યા છે. સમગ્ર 31 જિલ્લા પંચાયતોમાં 74 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ ગઇ છે ત્યારે કોંગ્રેસને માત્ર 15 બેઠકો જ મળી છે. તાલુકા પંચાયતોમાં 358 બેઠકોમાં ભાજપના ઉમેદવારોને સરસાઇ હતી. જયારે કોંગ્રેસના ફાળે 94 બેઠકો હતી. નગરપાલિકામાં આ બેઠકો અનુક્રમે 238 અને 60 હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 427 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,70,316 કેસ
- 02, માર્ચ 2021 03:27 PM
- 9347 comments
- 7498 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 427 થી વધુ નોંધાયા છે. જેની સામે 360 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 427 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,316 થયો છે. તેની સામે 2,64,476 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,316 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2429 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,316 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2429 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 35 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2394 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,476 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા કમલમ્ ખાતે વિજયોત્સવ
- 02, માર્ચ 2021 03:01 PM
- 8856 comments
- 1540 Views
ગાંધીનગર-પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા ભાજપમાં આનંદ છવાયો છે. ગાંધીનગર ખાતે ભાજપના કાર્યાલય કમલમ પર વિજયોત્સવ મનાવવામાં આવ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રુપાણીની હાજરીમાં ભાજપના કાર્યલય પર કાર્યકર્તાઓએ વિજય મનાવ્યો. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યલય કમલમ્ પર જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો. મહાપાલિકા બાદ પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે જે રીતે કેસરીયો લહેરાવી દીધો છે અને મોટા ભાગની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તથા મહાપાલિકાઓમાં ભાજપ સત્તા પર આવશે તે નિશ્ર્ચિત બન્યુ છે. તેથી આ ભવ્ય વિજયની ઉજવણી કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહી જીતની ખુશીનો વિજયોત્સવ મનાવ્યો હતો.વધુ વાંચો -
ગુજરાતમાં BJPનાં સારા દેખાવ બાદ CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પહોચ્યા કમલમ
- 02, માર્ચ 2021 02:20 PM
- 5092 comments
- 2180 Views
ગાંધીનગર-ભાજપ માટે આ વખતની તાલુકા, જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણી પ્રતિષ્ઠા સભર બનીને રહી ગઈ હતી. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતગણતરીનાં પ્રારંભ સાથે જ ભાજપે સપાટો બોલાવીને જિલ્લા પંચાયતની 31 સીટ પૈકી 30 પર , 231 પૈકી 158 તાલુકા પંચાયત, નગર પાલિકામાં 81 પૈકી 67 બેઠક પર આગળ નિકળી ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે મનપાની ચૂંટણીની સરખામણીએ ગામડાઓની ચૂંટણીમાં સારૂ એવું મતદાન થયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતમાં 65 ટકા મતદાન, તો પાલિકા માટે 55 ટકા સરેરાશ મતદાન થયું હતું. જોકે ગત્ત ચૂંટણીની ટકાવારી કરતા આ મતદાન ઓછું છે પરંતુ મનપાની સરખામણીએ વધુ નોંધાયેલું મતદાન ભાજપ પક્ષને ફળતું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ ભાજપે સારૂ પ્રદ્શન કરતા હાર્દિક પટેલ સહિત કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની હવા નિકળી ગઈ છે. આ વર્ષે ખેડુતોનું આંદોલન, છેલ્લા સમયે ખાતરનો કોંગ્રેસે ઉભો કરેલો મુદ્દો પણ ચાલ્યો નોહતો તો મોંઘવારીમો મુદ્દો કોંગ્રેસ ફરી એકવાર વટાવી નોહતી શકી. શહેરી વિસ્તારો બાદ હેવ ગ્રામ્ય સ્તરે પણ ભાજપે ક્લીન સ્વીપ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આવનારી વિધાનસભાની ચૂંટણી માટેનાં પગથિયું ગણાતા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં મેળવેલા વિજયને વધાવી લેવા ટૂંક સમયમાં કમલમ કાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોચશે અને સાથે જ ભાજપ વિજયોત્સવની શરૂઆત પણ કરી દેશે.વધુ વાંચો -
કમળ ખીલશે કે પંજાના ઉદય થશેઃ આવતીકોલે જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ
- 01, માર્ચ 2021 07:17 PM
- 6654 comments
- 8612 Views
ગાંધીનગર-૨૮ ફેબ્રુઆરીના રોજ રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ૧૫ નગરપાલિકાઓ અને ૩ તાલુકા પંચાયતોની પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં આવતીકાલે એટલે મંગળવારે પરિણામ આવશે. જાેવાનું એ રહેશે કે જે પ્રકારે છ મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે તે જ પ્રકારે ભાજપ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓમાં કબ્જે કરે છે કે પછી કોંગ્રેસ બચેલી શાખને બચાવે છે. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જાેવા મળ્યો. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મનપા ચૂંટણી કરતા ભારે મતદાન થયેલું જાેવા મળ્યું. ત્યારે જાેવાનું એ રહેશે કે આ વખતે થયેલું આ ભારે મતદાન કોને ફાયદો કરાવશે. આ વખતે ગુજરાતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીને પણ મનપા ચૂંટણીમાં બેઠકો મળી છે. જેમાં તાલુકા પંચાયતો માટે સરેરાશ ૬૬.૬૦ ટકા મતદાન યોજાયું. જિલ્લા પંચાયતોની વાત કરીએ તો સરેરાશ ૬૫.૮૦ ટકા મતદાન જ્યારે નગરપાલિકાઓમાં ૫૮.૮૨ ટકા મતદાન થયું. વર્ષ ૨૦૧૫ની ચૂંટણીઓ કરતા મતદાનમાં સરેરાશ ૩ ટકાનો ઘટાડો જાેવા મળ્યો. જ્યારે નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં ૪૭.૬૩ ટકા અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણીમાં ૬૮.૬૫ ટકા મતદાન થયું છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ ૬૩.૩૪ ટકા મતદાન થયું છે. સૌથી વધુ નર્મદામાં ૭૮ ટકા મતદાન થયું. રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીઓના પરિણામ ૨ માર્ચના રોજ આવશે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠકમાંથી ૧૧૭ બેઠક બિનહરીફ થઈ છે. ૮૧ નગરપાલિકાની ૨૭૨૦ બેઠકોમાંથી ૯૫ બેઠક બિનહરીફ થઈ છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક બિનહરીફ થઈ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 401 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,69,889 કેસ
- 01, માર્ચ 2021 03:02 PM
- 6481 comments
- 5051 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 401 થી વધુ નોંધાયા છે. જેની સામે 301 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4410 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 460 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,69,889 થયો છે. તેની સામે 2,63,116 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,889 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2363 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,889 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2363 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 32 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2331 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,63,116 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4410 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દી નું મૃત્યુ નોંધાયુ છે.વધુ વાંચો -
ગુજરાતમાં 60 વર્ષથી ઉપરની વયના વરિષ્ઠ નાગરિકોને આજથી વેક્સિન આપવાનો પ્રારંભ
- 01, માર્ચ 2021 02:24 PM
- 7601 comments
- 3225 Views
ગાંધીનગર-રાજ્યમાં કોરોના વેક્સિન વરિષ્ઠ નાગરિકો ૬૦ વર્ષથી ઉપરની વયના વડીલોને ૧ માર્ચથી આપવાનો પ્રારંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ૬૦ લાખ જેટલા સૌ વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈને કોરોના સામેની આપણી લડાઈના આ નિર્ણાયક અંતિમ તબક્કામાં પોતાનું યોગદાન અવશ્ય આપવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ આ અપીલ કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકારે સૌના આરોગ્યની ચિંતા કરીને કોરોના સામે શરુઆતથી જ લોકસહયોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠાથી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં સફળતા મેળવી છે. હવે જ્યારે કોરોના સામે રસીકરણ અભિયાન પણ દેશભરમાં શરૂ થયું છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકોના સહકારથી આપણું રાજ્ય એમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે. વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે. રાજ્યભરની ૨૧૯૫ જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ ૫૩૬ જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના રસીના ડોઝ આપવામાં આવશે. આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે ૩૦ હજાર જેટલા માનવ બળની સેવાઓ ઉપલબ્ધ બનવાની છે.તેમણે એમ પણ જણાવ્યું છે કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી જ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૬૦ વર્ષથી વધુની વયના હરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોરોના સામેના જંગમાં સઘન આરોગ્ય ન્તરિ રથ, ૧૦૪ હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિતના અનેક પરિણામ કારી પગલાંઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે હવે સૌ વરિષ્ઠ વડીલો અવશ્યપણે રસીના ડોઝ લઈને હારશે કોરોના જીતશે ગુજરાતના મંત્રને સાકાર કરી કોરોના સામેની લડાઈના આ અંતિમ તબક્કામાં વિજય મેળવે. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને પણ અપીલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસ ના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે.વધુ વાંચો -
ગુજરાતમાં માર્ચમાં કાળઝાળ ગરમી અને એપ્રિલમાં કરાં-વરસાદ પડશે, જાણો કોણે કરી આગાહી
- 01, માર્ચ 2021 02:11 PM
- 5171 comments
- 3629 Views
અમદાવાદ-રાજ્યમાં હાલ તો બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચ મહીનાથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે. પરંતુ ઉનાળામાં વિપરીત હવામાન રહેવાની શકયતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે. જાેકે, ફેબ્રુઆરીમાં ૨૭થી ૨૮માં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા થશે. જેની અસર ગુજરાતમાં થશે. એટલે કે ઠંડા પવનને કારણે લઘુતમ તાપમાન ઘટશે અને રાત દરમિયાન ઠંડીનો અહેસાસ થશે. માર્ચ મહિનાની શરુઆતમાં ઠંડા પવન ફૂંકાશે પરંતુ મહત્તમ તાપમાન યથાવત રહશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ડીસા અને નલિયામાં ૧૪થી ૧૫ માર્ચ બાદ તાપમાન વધશે.૧૫ માર્ચ બાદ કેટલાક ભાગમાં ૪૧થી ૪૨ તાપમાન રહેવાની સંભાવના છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં તો ગુજરાતમાં અગન વર્ષા થાય છે. મહત્તમ તાપમાન ઊંચું જવાના કારણે લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરતા હોય છે. જાેકે આ વખતે જ્યોતિષાચાર્યોએ આગાહી કરી છે કે, એપ્રિલ મહિનામાં દેશના કેટલા ભાગમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેની અસર ગુજરાતના તાપમાન પર થાય. તેમજ ગલ્ફ તરફથી આંધી ભર્યા પવન ફૂંકાય. જેના કારણે ઉત્તર ગુજરાત, રાજસ્થાનના કેટલાક ભાગે ધુળિયું વાતાવરણ રહશે. આ જ્યોતિષાચાર્યોએ વધુમાં જણાવ્યું છે કે, મે મહિનામાં તાપમાન ૪૫ ડિગ્રી રહેશે અને ઘણા ભાગોમાં રેકોડ બ્રેક ગરમી પડશે. પરંતુ મેં મહિનામાં પ્રિ મોન્સૂન ગતિવિધિઓ વધશે અને તેની અસર ચોમાસાના વરસાદ પર પડશે. અમદાવાદ, ડીસા, વડોદરા, દાહોદ, ઇડર, સુરત, ભાવનગર, ભુજ, નલિયા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢના વિસ્તારોમાં આકરી ગરમી પડશે. તેમજ રાજસ્થાનના અનેક ભાગોમાં આગ ઓકતી ગરમી પડી શકે છે. જેની અસર ગુજરાતના તાપમાન પર થશે.એટલે ઉનાળામાં પણ વાતાવરણ વિપરીત રહેવાના શકયતા છે. માર્ચ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ રહશે.તો એપ્રિલ મહિનામાં ધૂળની ભરી આંધી ફૂંકાશે અને મેં મહીનામ પ્રિ મોન્સૂન એક્ટિવિટી વધશે. તેમજ વધુમાં આ અરસામાં આકરી ગરમી પડશે અને કેટલાંક ભાગોમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસને પાર કરશે. તો વળી કેટલાંક ભાગોમાં વિક્રમજનક ગરમી પડશે. એપ્રિલમાં ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં વરસાદ, હિમવર્ષા થતા જમ્મુ કાશ્મીરની નદીઓના જળસ્તરમાં વધારો થશે.વધુ વાંચો -
ELECTION 2021: 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ
- 28, ફેબ્રુઆરી 2021 06:34 PM
- 3619 comments
- 6065 Views
ગાંધીનગર-ગુજરાતમાં આજે 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણી વહેલી સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું. 8261 બેઠકો માટે 22216 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. મતદાનને લઈને સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતાં. ગુજરાતમાં રવિવાર 28મી ફેબ્રુઆરી 2021ના રોજ, 31 જિલ્લા પંચાયત, 214 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતદાન યોજાશે. 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો અને 81 નગરપાલિકાની 2720 બેઠકો સહીત કુલ 8474 બેઠકો માટે ચૂંટણી યોજાશે. મતદાન પૂર્વે જ કડી અને ઉના નગરપાલિકા ભાજપના ફાળે આવી ચૂકી છે. આ મતદાનની મતગણતરી આગામી 2 માર્ચને મંગળવારના રોજ સવારના 9 કલાકેથી હાથ ધરાશે. 2015માં પાટીદાર અનામત આંદોલનની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી ચૂંટણીમાં, 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો હારી ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી .જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.વધુ વાંચો -
ELECTION 2021: જિલ્લા-તાલુકા પંચાયતમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન
- 28, ફેબ્રુઆરી 2021 06:01 PM
- 1841 comments
- 4198 Views
ગાંધીનગર-ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકા માટે મતદાન યોજાયું હતું. જેમાં વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદાતાઓની લાંબી કતારો જાેવા મળી હતી. મતદાન પ્રક્રિયા સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી. કુલ ૨૨૧૭૦ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયા છે. આ ચૂંટણીનું પરિણામ બે માર્ચે એટલે કે મંગળવારે જાહેર થશે. મતદાન પૂર્ણ થવા આવ્યું ત્યાં સુધી ૩૧ જિલ્લા પંચાયતમાં સરેરાશ ૫૨.૯૬ ટકા મતદાન નોંધાયું છે. તો ૨૩૧ તાલુકા પંચાયતમાં કુલ ૫૫.૩૪ ટકા નોંધાયું છે અને ૮૧ નગરપાલિકામાં મતદાનની વાત કરીએ તો કુલ ૫૦.૩૪ ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધારે ડાંગમાં મતદાન નોંધાયું છે.વાત કરવામાં આવે તો છ મહાનગપાલિકાની ચૂંટણીમાં થયેલ મતદાન કરતાં ગામડાઓ સવાયા સાબિત થયા હોય તેવું દેખાઇ રહ્યું છે. મોટા ભાગની જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં મતદાન સારું નોંધાયું છે.વિવિધ જિલ્લા પંચાયતોની કુલ ૨૫ બેઠકો બિનહરીફ, વિવિધ તાલુકા પંચાયતોની ૧૧૭ બેઠકો બિનહરીફ, વિવિધ નગરપાલિકાઓની ૯૫ બેઠકો બિનહરીફ થઇ છે. વિરમગામ નગરપાલિકા ચૂંટણીના બુથ બહાર મારામારી બે જુથ વચ્ચે પથ્થર મારાની ઘટના બની હતી. વોર્ડ-૮ના એમ.જે.આઈસ્કૂલ બહાર ભાજપ અને અપક્ષ ઉમેદવારોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.પાલનપુર અને વિરમગામમાં ભાજપ તેમજ અપક્ષના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બંન્ને પક્ષો એકબીજાને લાતો મારતા જાેવા મળ્યા હતા. સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આજે જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત ૨ માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. મતદાનને અડધો દિવસ વીત્યા બાદ પણ મતદાન મથકમાં એક પણ વોટ પડ્યો નથી. નર્મદા ડેમના વિસ્થાપીતોને આ મથકમાં વસાવવામાં આવ્યા છે. સ્થાનિકોને એક પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહિ સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. વલસાડના ઉમરગામ તાલુકાના નારોગલ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. સ્થાનિક લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા ગામમાં લગ્નમાં ડીજે વગાડવા બાબતે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી. જેથી ગુસ્સે થયેલા ગામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.રાજ્યમાં બે દિવસ અગાઉ મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ જેમાં ભાજપને પોતાની શાખ યથાવત રાખવામાં સફળતા મળી છે. જ્યારે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સુરતમાં તો કોંગ્રેસ પોતાનું ખાતું પણ નથી ખોલાવી શકી. આવામાં આપ એક નવા પક્ષ તરીકે ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અને પંચાયતની ચૂંટણીમાં શું થાય છે તેના પર સૌની નજર છે. આ ચૂંટણીઓ રાજ્યના રાજકરણ પર ખૂબ મોટી અસર પાડી શકે છે. જેનાથી આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા જ જનતાનો મૂડ પરખાઈ જશે.વધુ વાંચો -
ELECTION 2021: બપોરે 2 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન થયુ ? જાણો લેટેસ્ટ આંકડા
- 28, ફેબ્રુઆરી 2021 02:27 PM
- 5063 comments
- 2350 Views
અમદાવાદ- રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમુક બુથ પર વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 809 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લા અને તાલુકામાં 1 હજાર 199 મતદાન કેંદ્ર ઉભા કરાયા છે. જ્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 7 લાખ 15 હજાર 511 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જયારે ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૧ લાખ ૩૮ હજાર ૨૭૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાજકોટ જિલ્લાના 1 હજાર 146 મતદાન બુથ પૈકી 396 કેંદ્રને સંવેદનશીલ મતદાન કેન્દ્ર જાહેર કરાયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો, જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે 586 ઉમેદવારો મેદાનમાં છેવધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 460 પોઝીટીવ કેસ, કુલ 2,69,031 કેસ
- 27, ફેબ્રુઆરી 2021 03:16 PM
- 862 comments
- 6013 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 460 થી વધુ નોંધાયા છે. જેની સામે 315 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ મૃત્યુ આંક 4408 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 460 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,69,031 થયો છે. તેની સામે 2,62,487 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,031 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2136 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,031 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2136 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 38 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2098 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,62,487 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4408 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ELECTION 2021: 55,000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે
- 27, ફેબ્રુઆરી 2021 02:49 PM
- 4218 comments
- 2652 Views
ગાંધીનગર- 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે. જેમાં 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં 55,000થી વધુ પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન બને તે માટે પણ ખાસ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે.પોલીસ સુરક્ષાની બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ યોજાનારી ચૂંટણીમાં 12 CAPFની કંપની પણ ચૂંટણી વ્યવસ્થામાં હાજર રહેશે. આ ઉપરાંત 13 DYSP, 34 PSI કુલ મળીને 15,000 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને 64 SRPની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. આમ આ ચૂંટણી બંદોબસ્તમાં 55 હજાર જેટલા હોમગાર્ડ અને GRDના સભ્યોને પણ ચૂંટણી બંદોબસ્તમાં ફરજો આપવામાં આવી છે. જ્યારે ચૂંટણી બંદોબસ્ત માટે કુલ 12 પેરામિલિટરીની કંપનીઓ પણ વિવિધ સ્થળો પર બંદોબસ્તમાં હાજર રહેશે.વધુ વાંચો -
ગુજરાતમાં ચૂંટણી બાદ વધ્યા કોરોનાના કેસ, 4 શહેરોમાં 15 માર્ચ સુધી કર્ફ્યૂ
- 27, ફેબ્રુઆરી 2021 02:38 PM
- 6151 comments
- 2702 Views
અમદાવાદ-ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સાથે જ કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કર્ફ્યૂ હજી 15 દિવસ માટે વધારી દીધું છે. રાજ્ય સરકાર તરફથી કોવિડ-19 વેક્સિનના બીજા તબક્કાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુની મહિલા, પુરુષો અને 45થી 59 વર્ષના ગંભીર રોગોથી પીડિત મહિલા-પુરૂષોને કોવિડ-19ની વેક્સિન આપવામાં આવશે. ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સાથે જ કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં 460 નવા કેસ સામે આવ્યા છે, એમાંથી વડોદરાના 109 અને અમદાવાદના 101 સામેલ છે. જોકે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મોતનો એક પણ કેસ નોંધાયેલો નથી. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના 4408 લોકોનાં મોત નીપજ્યાં છે, એમાંથી એકલા અમદાવાદના 2311 મોત સામેલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 269031 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, એમાંથી 262587 લોકો સ્વસ્થ થઈને ઘરે જઈ ચૂક્યા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બોલાવવામાં આવેલી કોર કમિટીની બેઠકમાં અમદાવાદ સહિત ચાર મહાનગર પાલિકાઓમાં નાઈટ કર્ફ્યૂ આગામી 15 માર્ચ સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની વેક્સિનના બીજા તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરી અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી છે. મુખ્યમંત્રીએ વેક્સિન આપવા બાદ એના પર થતી અસર અથવા વિપરીત અસર પર નજર રાખવા પર જોર આપ્યું છે. મીટિંગમાં બીજા તબક્કામાં કોરોના વૉરિયર્સને બીજી ડોઝ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ