ભાવનગર સમાચાર

  • ગુજરાત

    ટેક્સથી બચવા ટ્રાવેલ્સ સંચાલકોએ પેંતરો રચ્યોઃ એક જ નંબરની ત્રણ બસો રાખતા

    ભાવનગર સરકારી ટેક્સ નહીં ભરવાના ઈરાદે એક જ નંબરની ત્રણ બસોમાં એક સરખી નંબરપ્લેટ નો ઉપયોગ કરી ટેક્સ ચોરી આચરતા ત્રણ ટ્રાવેલ્સ સંચાલકો પૈકી બે શખ્સોને ભાવનગર એલસીબી એ રૂપિયા ૨૦ લાખની બે બસ સાથે ઝડપી લીધા છે જયારે પાલીતાણા ના શખ્સને ઝડપી લીવા તજવીજ હાથ ધરી છે.તાજેતરમાં સરકારી ટેક્સ થી બચવા ટ્રાવેલ્સ સંચાલકોએ એક જ સરખી નંબર પ્લેટ ધરાવતી અલગ-અલગ ત્રણ બસો રોડપર દોડાવતા હોવાની બાતમી ભાવનગર એલસીબી ની ટીમને મળતા એલસીબી એ પાલીતાણા ના ઘેટી રોડપર થી તથા સિહોર સિધ્ધિવિનાયક હોટલ પાસે આવેલ ગેરેજના પાર્કિંગ અને શહેરના નવાપરામા આવેલ લીમડા ટ્રાવેલ્સ ના પાર્કમાં પાર્ક ત્રણ બસોને કબ્જે કરી એસપી કચેરીના ગ્રાઉન્ડમાં લાવવામાં આવી હતી.આ ટ્રાવેલ્સ સંચાલકોએ ત્રણેય બસોમાં એ-આર-૦૬-બી-૬૭૩૨ નંબરની એકસરખી જ નંબરપ્લેટ લગાવેલી હોવા સાથે નકલી દસ્તાવેજાે પણ કબ્જે કર્યાં હતા, તથા શબ્બીર રઝાક મહેતર ઉ.વ.૪૩ રે.નવી માણેકવાડી હરિયાળા પ્લોટ નં-૧/એ તથા જીવરાજ બોઘા ચૌહાણ ઉ.વ.૩૯ રે.સિહોર દાદાની વાવ પાસે ખાડિયા ચોક પ્લોટનં-૧૯૯ સી વાળાને ઝડપી લીધા હતા, જયારે દિલાવર ટ્રાવેલ્સ ના માલિક રે.પાલીતાણા વાળાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી, આ તમામ શખ્સો વિરુદ્ધ ગંગા જળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રૂપિયા ૨૦ લાખની કિંમતની બે બસ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર જાેવા મળ્યા

    ભાવનગર,તા.૨૬ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે ધ ભાવનગર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર જાેવા મળ્યા હતા. પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અને કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું. આ તકે ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે, અમે બન્નેએ બલૂન ઉડાડ્યાં તે બલૂન ઉપર જઈને એકસાથે થઈ ગયાં હતાં. તે સંકેત આપે છે કે ભાવનગરના વિકાસમાં અમે સાથે છીએ. બીજી તરફ શક્તિસિંહ ગોહિલે સત્તા પડાવવા નહીં પણ સેવા માટે તમામને આવવા આમંત્રણ આપ્યું હતું.ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ તથા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત કાૅંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે સહિતના રાજકીય નેતાગણ, કલેક્ટર, કમિશનર, અગ્રણી, મહાનુભાવોની ઉપસ્થિતિમાં રંગારંગ ઈનોગ્રેશન સમારોહ સાથે ફૂડ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આ પ્રસંગે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રાસંગિક સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અમે સાથે દીપ પ્રાગટ્ય કર્યું હતું. બે બલૂન હતાં. જેમાં એક બલૂન મારા હાથમાં અને એક બલૂન શક્તિભાઈના હાથમાં હતું. અહિં તો અમે થોડા દૂર ઊભા હતા. પણ આ બન્ને બલૂન થોડા ઉપર જઈને એકસાથે થઈ ગયાં હતાં. તે સંકેત આપે છે કે ભાવનગરના વિકાસમાં અમે સાથે છીએ. બધા ફેસ્ટિવલમાં મંદી આવે પણ આ એક જ ફૂડ ફેસ્ટિવલ એવો જેમાં ક્યારે મંદી ના આવે, બધા વતી આ ફેસ્ટિવલ હરહંમેશાં તેજી રહે તેવી શુભેચ્છાઓ આપું છું.બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ખૂબ આનંદની વાત છે કે ભાવનગરમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું છે. રાજકારણમાં વિચારધારા બધે અલગ અલગ હોય છે, આ એક પરંપરા છે જેમાં કોઈ દુશ્મનાવટ નથી. હું તો બધાને આમંત્રણ આપું છું કે, સત્તા પડાવવા નહીં પણ સેવાની સાધનાનો આ યજ્ઞ છે જેમાં પેજ પ્રેસિડેન્ટ હોય, પેજ પ્રમુખ હોય કે નાનો કાર્યકર હોય તે પણ આવે તો એને આવકારું છું.વધુમાં જણાવ્યું કે, કમનસીબે ભાજપની સરકાર સંપૂર્ણ વિકાસની ચિંતા કરતી નથી, જેના પરિણામે જે શહેરોમાં ખરેખર વિકાસ થવો જાેઈએ તે થતો નથી. જે જિલ્લામાં રોજગારીની જરૂર છે જે અવિકસિત જિલ્લાઓ છે ત્યાં ઉદ્યોગો જાય તો વિકાસ થાય આ પ્રકારના સંપૂર્ણ વિકાસની ચિંતા થાય તો જ ભાવનગરનો વિકાસ થાય અને તો જ બીજા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાનો વિકાસ થાય.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભાવનગરના ફૂલસરમાં જૂની અદાવતે હુમલામાં ઘવાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત

    ભાવનગર ભાવનગર ફૂલસર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાલય ની બાજુમાં ૨૫ વારીયા સ્લમ વસાહતમાં રહેતા અને મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા ગીતાબેન કિશોરભાઈ મારૂ ઉ.વ.૪૫ના પુત્ર ગૌતમને આજથી ત્રણ વર્ષ પહેલાં ઘરપાસે જ રહેતા શૈલેષ ધનજી કોળી તથા રોહન શંભુ કોળી સાથે માથાકૂટ થતા ગૌતમે બંને શખ્સો વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જે અંગેનો કેસ હાલમાં કોર્ટમાં ચાલતો હોય ત્યારે ગતરોજ રાત્રીના સમયે ગૌતમની માતા ગીતાબેન પતિ માટે ઘર પાસે આવેલ દુકાને બીડી લેવા ગઈ હોય એ વખતે શૈલેષ ઘનજી, રોહન શંભુ તથા બે અજાણ્યા શખ્સોએ મહિલાને ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે તારા પુત્ર એ કરેલો પોલીસ કેસ પોછો ખેંચી લે અને અમારી સાથે સમાધાન કરી લે આથી મહિલાએ પોલીસ કેસ પરત લેવાની તથા સમાધાન ની ના પાડતા ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ મહિલાને પાઈપ વડે આડેધડ માર માર્યો હતો, અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, દરમ્યાન ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું, બીજી તરફ મૃતક મહિલાની ડેડબોડી સરટી હોસ્પિટલમાં પીએમ રૂમમાં રાખવામાં આવી છે અને દલિત સમાજના લોકો અગ્રણીઓ મોટી સંખ્યામાં એકઠા થયા છે, અને આરોપીઓ ને જયાં સુધી ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારી અંતિમ સંસ્કાર ન કરવાનો ર્નિણય કર્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ઘોઘાથી દહેજ જવા નીકળેલાં જહાજમાં અંદાજે ૫૦૦ મુસાફરો અને ૬૦ વાહનો ફસાયા

    ભાવનગર,ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ તેના રાબેતા મુજબ સમય પ્રમાણે ૫ઃ૩૦ કલાકે ઉપડ્યું હતું, ઘોઘાથી થોડે જ દૂર કાદવમાં ફસાતા અનેક મુસાફરો પરેશાન થયા હતા. કાદવમાં ફસાયેલા જહાજમાં ૫૦૦ જેટલા મુસાફરો અને ૫૦ થી ૬૦ વાહનો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ ભરતી આવશે એટલે જહાજ શરૂ થઈ જશે. તો બીજી તરફરો રો ફેરીના તમામ ફોન બંધ આવતા વધુ વિગતો મળી શકી ન હતી.છેલ્લા બે કલાકથી રો-રો ફેરી સર્વિસના જહાજ ને ૨ ટગ દ્વારા બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, પણ હજુ સુધી ફેરી બહાર કાઢવામાં સફળતા મળી ન હતી. રો-રો ફેરી માં રહેલા મુસાફરો છેલ્લા બે કલાક થી વધારે સમયથી પરેશાન રહ્યા હતા, હજુ પણ કલાકો કરતા વધારે સમય રો-રો ફેરીના જહાજ ને બહાર કાઢવામાં લાગે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે.ઘોઘા-હજીરા ફેરી ટ્રીપ ઘોઘા થી સાંજે ૫ઃ૩૦ વાગે ઉપડવાની હતી, જે વાતાવરણને કાદવમાં ફસવાના કારણે ૨ કલાક જેટલો સમય થયો છતાં પણ તે ઉપડી શકી ન હતી. આ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઘોઘા રો રોથી ૫૦૦ મીટર દૂર પાણી ઘટવાથી બંધ થયું છે, પાણી ની ભરતી આવશે એટલે શરૂ થઈ જશે. આ ફેરી ૫૦૦ જેટલા મુસાફરો છે અને ૬૦ થી ૭૦ જેટલા વાહનો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    બ્રેઇન ડેડ આધેડની કિડની અને લીવરનું પરિવાર દ્વારા અંગદાન

    ભાવનગર,તા.૪પાલિતાણા તાલુકાના સમઢિયાળા શાળામાં પ્યુન તરીકે નોકરી કરતા નોંઘણવદર ગામના આધેડનું ગત તા.૧ને બુધવારના રોજ સાંજના સમયે સમઢિયાળા-નોંઘણવદર રોડ વચ્ચે અકસ્માત થતાં તેમને પ્રથમ પાલિતાણા બાદ ભાવનગરની બિમ્સ હોસ્પિટલમાં ડો.રાજેન્દ્ર કાબરીયાની દેખરેખ હેઠળ સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં તેમને બ્રેઇન હેમરેજ થયા બાદ ડો.કાબરીયાએ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. જે બાદ પરિવારજનોને અંગદાન માટે સમજાવતા પરિવારજનો દ્વારા લીવર તથા બંને કિડનીના અંગદાનનો ર્નિણય કરાતા આજે સવારે બિમ્સ હોસ્પિટલ ખાતેથી ભાવનગર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવી અંગદાનને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નોંઘણવદર ગામે રહેતા અને સમઢિયાળા શાળામાં પ્યુન તરીકે નોકરી કરતા મહેશભાઇ બોઘાભાઇ મારૂ (ઉ.વ.આ.૫૬) ગત તા.૧ને બુધવારે સાંજના સમયે શાળાએથી છુટ્યા બાદ પોતાનું બાઇક લઈ સમઢિયાળાથી નોંઘણવદર ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત થતાં તેમને નોંઘણવદરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ૧૦૮ મારફત હોસ્પિટલ લઇ જવાયેલા ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની બિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં ડો.રાજેન્દ્ર કાબરીયા દ્વારા બ્રેઇન હેમરેજ થયું હોવાનું જણાવેલ અને બે દિવસ રાહ જાયા બાદ આજે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યાં હતાં, અને મહેશભાઇના પરિવારને અંગદાન અંગે માહિતી આપતા પરિવારજનો અંગદાન માટે તૈયાર થયા હતા, આથી લીવર તથા બંને કિડનીનું અંગદાન કરવામાં આવ્યું હતું, આજે બપોરે ભાવનગર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવી બિમ્સ હોસ્પિટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે અંગો મોકલવામાં આવ્યા હતાં. આ અંગે મહેશભાઇના પરિવારજનો તેમના પુત્ર તથા તેના ભાઇએ ડો.કાબરીયાના જણાવ્યાં અનુસાર કોઇની જિંદગી બચી શકતી હોય તેવા હેતુથી અંગદાનનો પરિવાર દ્વારા ર્નિણય કરાયો છે અને અન્ય લોકોએ પણ આવી રીતે અંગદાન કરવું જાઇએ તેમ જણાવ્યું હતું. આમ, પરિવારના આ ર્નિણયથી સમાજને નવો રાહ ચિંધ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    એસ.ટીનો મહત્વનો ર્નિણયઃતહેવારોમાં ભાવનગર એસ.ટી ડિવિ. એક્સ્ટ્રા બસો દોડાવાશે

    ભાવનગર,તા.૧દિવાળીના તહેવારોને લઈને ભાવનગર એસટી ડીવીઝન દ્વારા ભાવનગર સહિત ડિવિઝન હેઠળના આઠ ડેપો માથી મુસાફરોને સ્થળે પહોંચાડવા તથા ત્યાંથી લાવવા માટે રેગ્યુલર ટ્રીપ ઉપરાંત વધારાની ૧૫૦ બસો દોડાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દર વર્ષે દિપોત્સવ પર્વમાં રાજ્ય માં વિવિધ મહાનગરોમાં વસતાં પ્રવાસીઓ ને તહેવાર નિમિત્તે સુખરૂપ અને આરામદાયક સુરક્ષિત મુસાફરી માટે એસટી ડિવિઝન દ્વારા વધારાની બસો દોડાવવામાં આવે છે જેથી ખાનગી બસોમાં મોંઘા ટીકીટ-ભાડા ખર્ચ થી લોકો બચે અને મુસાફરી માટે ઘસારો પણ ન થાય આ વર્ષે પણ રાજ્ય સાથોસાથ ભાવનગર એસટી ડિવિઝન દ્વારા તા,૩૦ ઓક્ટોબરથી ભાવનગર મુખ્ય ડિવિઝન તથા ભાવનગર હેઠળના ગારિયાધાર તળાજા, મહુવા પાલીતાણા બોટાદ બરવાળા અને ગઢડા ડેપો માથી કુલ ૧૫૦ થી વધુ બસો સુરત, અમદાવાદ, વડોદરા, વડતાલ, છોટાઉદેપુર, દાહોદ સહિતના શહેરો માટે દોડાવવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    દિન-પ્રતિદિન વધતા હાર્ટ એટેક બનાવને ધ્યાને લઈ ભાવનગરમાં રોટરી ક્લબ રોયલ દ્વારા સી.પી.આરની ટ્રેનિંગ

    ભાવનગર,તા.૧આજકાલ હાર્ટ એટેકના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જે વ્યક્તિ આજે સાજાે હોય તે વ્યક્તિ ગમે ત્યારે સીવીયર હાર્ટ એટેકનો શિકાર બનતો જાેવા મળે છે, ત્યારે આવા સંજાેગોમાં ભારત સરકાર દ્વારા ઇમરજન્સી એટેક સમયે તુરંત યોગ્ય સારવાર દ્વારા વ્યક્તિના હાર્ટને કાર્યરત કરવા માટેની ખાસ ઝ્રઁઇની ટ્રેનિંગ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનું અને વધુમાં વધુ ટ્રેનર ઉભા કરવાનું અભિયાન ચાલે છે. આવા સંજાેગોમાં સામાજિક સેવકાર્યો માટે જાણીતી સંસ્થા રોટરી કલબ રોયલ તથા બજરંગદાસ બાપા હોસ્પિટલની ક્રિટિકલ ટિમ દ્વારા વધુમાં વધુ ટ્રેનર ઉભા કરી ૫૦,૦૦૦ કરતા વધુ વ્યક્તિઓ સુધી ઝ્રઁઇ ટ્રેનિંગ પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે,જેમાં બજરંગદાસ હોસ્પિટલની ડોકટરોની ટિમ સાથે આ પ્રોજેકટનો પ્રારંભ જ્ઞાનગુરૂ વિદ્યાપીઠ ખાતે વિદ્યાપીઠના સ્ટાફ, રોટ્રેક્ટના મેમ્બર્સ અને કલબના મેમ્બર્સ સહિત ૧૦૦ જેટલા લોકોએ ટ્રેનીંગમાં ભાગ લીધો હતો. બજરંગદાસ હોસ્પિટલના ડો.દર્શન શુક્લ, ડો.હિરેન કવા, ડો ધવલ વૈદ્ય અને અન્ય નસિંગ સ્ટાફ ઉપસ્થિત રહી સંપૂર્ણ ઝ્રઁઇની પીપીટીના માધ્યમથી અને દરેક સભ્યોને પ્રેક્ટીકલ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી, ક્રિટિકલ સંજાેગોમાં શું કાળજી લેવી ? શું કરવું ? શું ન કરવું ? કઈ કઈ બાબતો ધ્યાન રાખવી.
    વધુ વાંચો
  • ક્રાઈમ વોચ

    કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ

    વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ..  ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભાવનગરમાં ૬ દિવસ પહેલાં રખડતા ઢોરની અડફેટે ઈજાગ્રસ્ત મહિલાનું મોત

    ભાવનગર, ભાવનગરનો પરિવાર ભડી ગામેથી સ્કૂટર ઉપર પરત આવતો હતો ત્યારે અધેવાડા નજીક ઢોર એ હડફેટે લીધા હતા, જ્યાં મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું, ભાવનગર શહેરના ગાયત્રીનગર સામે રહેતા કાજલબેન પંકજભાઈ શિયાળ અને તેનો પરીવાર બાઈક લઈ તા.૧૧/૦૪/૨૦૨૩ ના રોજ ભડી ગામે ધાર્મિક પ્રસંગે જઈ ભાવનગર આવતી વેળા એ અઘેવાડા નજીક ખોડીયાર માતાજીના મંદિર પાસે આખલા યુદ્ધ ચાલી રહ્યું હતું, જ્યારે સાઈડ માં ઉભા રહેલ દંપતિ તથા તેની બાળકી ઉપર આખલા પડતાં મહીલાને માંથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે તેને ભાવનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે દિવસ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે મહીલાને અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી ઢોર પકડવાની કામગીરી બંધ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો

વિડિયો