બનાસકાંઠા સમાચાર

  • ગુજરાત

    દાંતા નજીક ટ્રકે ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર સાતનાં મોત

    દાંતા, તાલુકાના કૂકડી ગામના ૨૫ જેટલાં શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાં બેસીને રામદેવરા મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. ત્યારે આ શ્રદ્ધાળુઓ સાથે એક દુઃખદ ઘટના બની હતી. તેમના ટ્રેક્ટરને એક ટ્રકે ભયંકર ટક્કર મારી હતી. જે બાદ કેટલાંક શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાંથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં સાત જેટલાં શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. જ્યારે કેટલાંક શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. રોંગ સાઈડમાંથી આવતા ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. સાતે જ ૧૦૮ અને પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યારે પોલીસે મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દાંતા તાલુકાના કૂકડી ગામના ૨૫ જેટલાં શ્રદ્ધાળુઓએ રાજસ્થાનના રામદેવરા મંદિરે દર્શન કરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. ગઈ રાત્રે આ તમામ શ્રદ્ધાળુઓ પાલી હાઈવે પહોંચ્યા હતા. આ તમામ શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાં બેસીને દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે એક ટ્રકે તેમના ટ્રેક્ટરને ભયંકર ટક્કર મારી હતી. જે બાદ કેટલાંક શ્રદ્ધાળુઓ નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં સાત જેટલાં લોકોનાં મોત થયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જ્યારે ૧૫થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બનાવની જાણ થતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ ૧૦૮ અને પોલીસ ટીમને પણ કરવામાં આવી હતી. ૧૦૮ અને પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ભયંકર અકસ્માતમાં ટ્રેક્ટરનો ભૂકો બોલી ગયો હતો. તો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહ કબજે કર્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે આ ટ્રક રોંગ સાઈડમાથી આવ્યું હતું. જે બાદ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારી હતી. આ ટ્રેક્ટરમાં ૨૫ લોકો સવાર હતા. આ ભયંકર ટક્કર માર્યા બાદ લોકો ટ્રેક્ટરની આગળ ઉછળીને પડ્યા હતા. તો પોલીસે પણ આ અકસ્માતનું સાચુ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. તો અકસ્માત બાદ કૂકડી ગામમાં માતમ છવાઈ ગયો છે. હોંશે હોંશે ભગવાનના દર્શન કરવા નીકળેલા યાત્રીઓને જ અકસ્માત નડતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. સાત લોકોનાં મોત થયા છે અને તેમના પરિવારમાં પણ ભારે આક્રંદ જાેવા મળી રહ્યું છે. બીજી તરફ, આ બનાવના પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટિ્‌વટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે આ મામલે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પોલીસ હુમલા કેસમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જામીન મળ્યા

    બારપેટા, ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામના બારપેટા જિલ્લાની સ્થાનિક અદાલતે પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાના કેસમાં જામીન આપ્યા છે. આ કેસમાં તેમને અગાઉ કોર્ટે પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટ્‌વીટ કરવાના સંબંધમાં પાલનપુરના સરકીટ હાઉસમાંથી અડધી રાતના ધરપકડ કરવામાં આવેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સોમવારે આસામની કોકરાઝાર કોર્ટે જામીન આપ્યા હતા. જાે કે, જામીન મળ્યા પછી, આસામ પોલીસે અધિકારીઓ પર હુમલો કરવાના કેસમાં તેમની તુરત જ ફરીથી ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું કે કોંગ્રેસ સમર્થિત ધારાસભ્ય મેવાણી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મેવાણી વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમણે પોતાના ટિ્‌વટમાં દાવો કર્યો છે કે, ગોડસેને ભગવાન માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાંપ્રદાયિક સંઘર્ષ સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જાેઈએ. ઉપરોક્ત ટ્‌વીટના સંદર્ભમાં, ઉપરોક્ત માટે મેવાણી સામે ગુનાહિત કાવતરું, ૧૫૩ (છ) (બે સમુદાયો સામે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), ૨૯૫ (છ) અને ૫૦૪ (શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાના હેતુથી વસ્તુઓ કહેવું) ટિ્‌વટ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    જિજ્ઞેશ મેવાણીને મહિલા પોલીસકર્મીની છેડતીના કેસમાં ૫ દિવસના પોલીસ રિમાન્ડ

    બારપેટા, ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની તકલીફો દૂર થવાની નામ લેતી નથી. મંગળવારે આસામના બારપેટા જિલ્લાની સ્થાનિક અદાલતે મહિલા પોલીસકર્મીની છેડતીના કેસમાં મેવાણીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્‌વીટ કરવા બદલ કોર્ટે સોમવારે જ જીગ્નેશ મેવાણીને જામીન આપ્યા હતા. જામીન બાદ તરત જ જીગ્નેશ મેવાણીની અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મહિલા પોલીસકર્મી સાથે ગેરવર્તનના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તરત જ પોલીસે અન્ય એક કેસમાં મેવાણીની ધરપકડ કરી હતી. આ દરમિયાન જીગ્નેશ મેવાણીને કોકરાઝારથી બારપેટા લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેના પર મહિલા પોલીસકર્મીઓની છેડતી અને દુર્વ્યવહારનો આરોપ લાગ્યો હતો. આ પહેલા જીગ્નેશ મેવાણીની પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્‌વીટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મેવાણીની આસામ પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. આ કેસમાં મેવાણી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડમાં હતો.જિગ્નેશ મેવાણી સામે નોંધાયેલી ફરિયાદમાં તેમની સામે અનેક કલમો લગાવવામાં આવી છે. તેમના પર ભાજપ, આરએસએસ અને પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ અને નિંદાત્મક ટિપ્પણી કરવાનો આરોપ છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા પણ મેવાણીએ કેટલાક વિવાદાસ્પદ ટિ્‌વટ કર્યા હતા, જેના પર પોલીસે નોંધ લીધી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સૌરાષ્ટ્રનાં હવામાનમાં પલટો ભરશિયાળે ઝાપટાં

    રાજકોટ, સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવતા શનિવાર સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે ત્યારે આ આગાહીના પગલે ગઈકાલ રાત્રીથી ફરી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભરશિયાળામાં ચોમાસુ માહોલ જામ્યો છે અને ઠેર-ઠેર ઝાપટા સાથે કમોસમી વરસાદ પડવા લાગ્યો છે. ગઈકાલે રાત્રીના અને આજે સવારે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમદાવાદ, જામનગર, અબડાસા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, ખંભાળિયા અને અરવલ્લીમાં વરસાદ પડયો હતો.દરમિયાન સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલો મુજબ આજે સવારે પુરા થતા ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા, કચ્છ, દ્વારકા અને અરવલ્લી જિલ્લાના ૯ તાલુકાઓમાં ઝાપટા વરસ્યા હતા. સાબરકાંઠાના વિજયનગર, બનાસકાંઠાના ધાનેરા, ડીસા, લાખાની તથા પાટણ, શંખેશ્ર્‌વર અને અમદાવાદમાં કમોસમી વરસાદ પડયો હતો. અમદાવાદમાં આજે વ્હેલી સવારે પણ વરસાદ પડયો હતો. રાજકોટ શહેરમાં ગતરાત્રે ઝાપટાંએ રોડ-રસ્તા ભીના કરી દીધા બાદ આજે પણ સવારે ચોમાસુ માહોલ વચ્ચે છાંટા પડયા હતા. ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે આખો દિવસ તથા આજે પણ સવારથી વાતાવરણમાં પલટો યથાવત હતો. ગઈકાલે બપોર બાદ આખા જિલ્લામાં કમોસમી છાંટા વરસ્યા હતા. જે આજે પણ અવિરત રીતે વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ખંભાળિયા તાલુકા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મોસમમાં પલટો આવ્યો છે. આજે પણ સવારથી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને ઘટાટોપ વાદળો વચ્ચે ખંભાળિયા તાલુકામાં ગઈકાલે બપોરથી કમોસમી છાંટા વરસ્યા હતા. ફિશસરીઝ વિભાગ દ્વારા માછીમારોને તાકીદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આગામી તારીખ ૫ થી ૭ જાન્યુઆરી સુધી માછીમારો જાેગ એક જાહેર ચેતવણી જારી કરવામાં આવી છે. તંત્ર દ્વારા જણાવાયા મુજબ ત્રણ દિવસ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના વચ્ચે માછીમારોને દરિયામાં દૂર સુધી માછીમારી ન કરવા તથા કિનારાની નજીક રહી અને માછીમારી કરવા ઉપરાંત ભારે પવન તથા વરસાદની પરિસ્થિતિમાં તાકીદે કિનારા પર પહોંચી જવા જિલ્લાના જુદા જુદા મત્સ્યોદ્યોગ કેન્દ્ર તથા આ અંગેના એસો.ને લેખિત પત્ર દ્વારા જણાવાયું છે. મળતી વિગતો મુજબ જામજાેધપુરના મોટી ગોપ ગામે એકધારો ૩૦ મિનિટમાં પોણો ઇંચ વરસાદ થયો હતો તેમજ જામજાેધપુર શહેરમાં પણ ગત સાંજે છ વાગ્યાથી મોડીરાત સુધી ધીમીધારે વરસાદી છાંટા પડયા હતા. જામજાેધપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે વ્હેલી સવારથી વરસાદી વાતાવરણ સાથે વરસાદના છાંટા ચાલુ રહ્યા હતા. જામનગર શહેર અને જિલ્લામાં મોસમએ ફરીથી કરવટ બદલી છે. માવઠાને પગલે ધરતીપુત્રોને હાલાકીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય સમગ્ર ગુજરાતમાં ૩ દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની સિઝન દરમ્યાન પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. હાલની પરિસ્થિતિ મુજબ સમગ્ર ગુજરાતના ખેડૂતો દ્વારા શિયાળાની શરૂઆત થતાની સાથે જ શિયાળું પાકોનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું હતું. જીરું, વરિયાળી અને ચણા જેવા રવિ પાકોનું વાવેતર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ શિયાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદી ઝાપટાંને પગલે શિયાળું પાકમાં વાવેતરને નુકસાનની ભીતિ સર્જાઇ હોય તેવું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ વાતાવરણમાં ભેજ હોય તેઓ સ્પષ્ટ અહેસાસ થઇ રહ્યો છે. તેવા સંજાેગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સહિતના પંથકોમાં વહેલી સવારથી વાતાવરણ ભેજ વાળું લોકો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તે સાચી પડી છે. આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો સમય આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં લીંબડી, સાયલા, ચોટીલા, થાન, વઢવાણ, જાેરાવરનગર અને રતનપર સહિતના ગામોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    બટુક મોરારીએ મુખ્યમંત્રીને ધમકી આપતો વીડિયો ડીસામાં બનાવ્યો હતો

    ડીસા, વાવના મહેશ શંકરલાલ ત્રિવેદી ઉર્ફે રામકથાકાર બટુક મોરારીએ બે દિવસ અગાઉ મુખ્યમંત્રી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જે અંગે તેની રાજસ્થાનથી ધરપકડ કરાયા બાદ ડીસા દક્ષિણ પોલીસે આ બટુક મોરારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બટુક મોરારીએ મુખ્યમંત્રી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી અને જાે પૈસા નહીં પહોંચાડે તો અકસ્માત કરાવી જાનથી મરાવી નાખવાની ધમકી આપતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને વાવ પોલીસ સહિત બનાસકાંઠા જિલ્લા એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી હતી.આ દરમિયાન આ મહેશભાઈ ઉર્ફે બટુક મોરારી રાજસ્થાનના રેવદર પાસે હોવાની માહિતી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછ કરતા આ બટુક મોરારીએ ડીસામાં ફુવારા સર્કલ પાસ આવેલી શિવ હોટલમાં ૨૫ નવેમ્બરના રોજ રોકાયો હતો અને તે દિવસે આ હોટલના રૂમમાં જ તેને આ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. જેથી ડીસા દક્ષિણ પોલીસે આ બટુક મોરારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વડગામના પૂર્વ ધારાસભ્ય મણીભાઇ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

    વડગામ, વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષનો સમય છે પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શમવાનું નામ લઇ રહ્યો નથી. હવે વડગામ બેઠક પરના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ રાજીનામુ ધરી દીધું છે. મણીભાઈ વાઘેલાએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં પાર્ટી પર સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરી કહેવાતા દલિત નેતાઓને પ્રોત્સાહન આપી પક્ષમાં પ્રવેશ આપીને ગુજરાતના જૂના પીઢ નેતાઓનું સ્વમાન હણાય તેવા પ્રયત્નો કરવાના આરોપ લગાવ્યા છે. તેમણે પાર્ટીના સક્રિય કાર્યકરપદેથી અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. તેઓ છેલ્લા ૩૦ થી ૪૦ વર્ષોથી પાર્ટીમાં કાર્યરત છે. ૨૦૧૨ ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના કેબિનેટ મંત્રીને હરાવીને જીત મેળવી હતી. તેમણે કહ્યું કે, સત્તાધારી પાર્ટી દ્વારા અનેક પ્રલોભનો આપવામાં આવ્યા છતાં અમે અડીખમ રહ્યા હતા.તેમના કહેવા અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડે દિલ્હી બોલાવીને વડગામ બેઠક માટે પક્ષનો મેન્ડેટ આપવાનું વચન આપ્યું હતું પરંતુ ૨૦૧૭ ની ચૂંટણીમાં પાર્ટીએ એ વચન પાળ્યું ન હતું અને તેમને બેઠક ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. અહીં નોંધવું જાેઈએ કે ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીએ વડગામ બેઠક પરથી ચૂંટણી લડી હતી.કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉભો ન રાખી તેમને બહારથી સમર્થન પૂરું પાડ્યું હતું. આ બેઠક મણીભાઇ વાઘેલાએ ખાલી કરી હતી. જાેકે, તેમણે નામ લીધા વગર કહ્યું કે, ભડકાઉ ભાષણ આપીને દલિત નેતા તરીકે ઉભરી આવવાની ક્ષમતા મારામાં પણ છે પરંતુ મારી વિચારધારા પ્રમાણે પાર્ટી કોઈ કોમ કે જાતિની હોય શકે નહીં. ઉપરાંત તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખની અનઆવડત અને અપરિપક્વ ર્નિણયો અને હાલની પાર્ટીની નીતિ, વિચારધારા અને નાના કાર્યકરોની ઉપેક્ષાને પગલે તેમણે પાર્ટી છોડવાની ફરજ પડી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગ્રામરક્ષક દળની ૬૦૦ જગ્યા માટે ૬ હજાર ઉમેદવારો પહોંચતાં અરાજકતા સર્જાઈ

    પાલનપુર, પાલનપુરમાં ગ્રામરક્ષક દળની ૬૦૦ જગ્યા માટે ૬ હજારથી વધુ ઉમેદવારો ઉમટી પડ્યા હતા. પાલનપુરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવતા બેરોજગારોનો મહાસાગર જાેવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમેદવારો આવતા ધક્કામુક્કી થઈ હતી. ભરતી પ્રક્રિયાની અવ્યવસ્થાના કારણે અરાજકતા સર્જાઈ હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે શનિવારે ય્ઇડ્ઢની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ હેડક્વાર્ટરમાં સવારથી ઉમેદાવારો પહોંચ્યા હતા. પરંતુ ૬૦૦ ભરતીની સામે હજારો ઉમેદવારો પહોંચી જતા અરાજકતા જાેવા મળી હતી. પોલીસે ઉમેદવારોને નિયંત્રિત કરવા માટે લાકડી બતાવવી પડી હતી. વધુ અફરાતફરીની સ્થિતિ ન સર્જાય એ માટે ઉમેદવારોને પોલીસે ગેટ પર રોકી રાખ્યાં હતા. પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહેલી ગ્રામ રક્ષક દળની ભરતી પ્રક્રિયામાં નોકરી મેળવવા માટે પાલનપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા. જાેકે, ૬૦૦ની ભરતી કરવાની છે. તેની સામે ૬ હજાર જેટલા બેરોજગાર યુવાનો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. જેથી ધક્કામુક્કી સર્જાઈ હતી. જેથી પોલીસે આ ઉમેદવારોને વ્યવસ્થિત રીતે ગોઠવી અને ભરતી પ્રક્રિયા સરળ બને તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા.આ અંગે બનાસકાંઠા ડી,વાય,એસ,પી., આર. કે. પટેલે જણાવ્યું હતું કે. અવસ્થા અને લાઠીચાર્જનો કોઈ સવાલ નથી ક્યાંય પણ લાઠી ચાર્જ થયો નથી. સવારે જે ઉમેદવારોને બોલાવેલા સમય પ્રમાણે એ લોકોને વાલિયો અને બીજા બધાને લઈને આવતા થોડુંક ટ્રાફિકજામ થયુ હતુ. એ પછી હેડક્વાટરનો જે મુખ્ય ગેટ છે એની અંદર લાઈન કરી ઉમેદવારોને સારી વ્યવસ્થા કરીને લાઈનસર યુનિટી અંદર લઈને એમને હોલ્ડિંગ એરિયામાં વ્યવસ્થિત બેસાડીને વારાફરતી રનીંગ ટ્રેક ઉપર લીધા છે. નવી ટેકનીક વ્યવસ્થા અમે સારી રીતે કરી છે. મેડિકલ વ્યવસ્થાપન રનીંગ ટ્રેક નજીક જ રાખેલી છે. પુરુષ માટે મેકમ ૧૭૮ હતું જે ફોર્મ ૪૬૭૧ જેવા ભરાયા હતા. તે તમામ પુરુષોને બોલાવીને દોઢની પ્રક્રિયા સમગ્ર ચાલી રહી છે, અને મહિલાઓની જે છે કે ટોટલ ૨૭૬ જેવી ખાલી જગ્યાઓ છે. જેમાં ૪૨૫ ફોર્મ ક્વોલિફાઈડ થયા છે. તેની તમામ પ્રક્રિયા આવતીકાલે રહેશે મહિલાઓ તમામ પ્રક્રિયા પાસ કરી તેમને પણ લેખિત પરીક્ષાનું આયોજન કરેલું છે. તેના આધારે મેરીટ લિસ્ટ બનાવીને જે ખાલી જગ્યાઓ છે તે ભરનાર છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વાવના ધારાસભ્ય ગેનીબેને સાસરીમાં ઉદઘાટનમાં લાજ કાઢીને ભાષણ આપ્યું

    બનાસકાંઠા, વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ઘૂંઘટ તાણીને (લાજ કાઢીને) સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા છે. દિયોદરના કોતરવાડા ગામે ગેનીબેન ઠાકોરનું સાસરું છે. સાસરિયામાં લાયબ્રેરીના ઉદ્‌ઘાટન પ્રસંગે તેઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન સમાજની સામાજિક પ્રથા અને વડીલોની મર્યાદા જાળવવા જાહેર મંચ પર તેમણે ઘૂંઘટ તાણીને જ ભાષણ આપ્યું હતું. ઘૂંઘટમાં ભાષણ આપતા તેમનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં આ વીડિયોને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જેમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે, ધારાસભ્ય હોવા છતા પણ પોતાના આદર્શો મુલ્યો અને સંસ્કારોને ભુલ્યા નથી. આ સંસ્કારોની તેમને શરમ નહી પરંતુ ગર્વ છે. જ્યારે અન્ય કેટલાક લોકો કહી રહ્યા છે કે, મહિલા સશક્તિકરણની વાતો થઇ રહી છે, પરંતુ ધારાસભ્ય જેવડા મોટા પદ પર પહોંચવા છતા તેમણે પુરૂષ પ્રધાન માનસિકતાનો શિકાર બનવું પડે છે અને ઘુંઘટ તાણવો પડે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૨૫ સીટો સાથે ગુજરાતમાં કોંગ્રેસ ફરી સત્તામાં આવશે  હાર્દિક પટેલ

    બનાસકાંઠા, પાલનપુરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જાેડાતા યુવા હુંકાર રેલી અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી બી.કે. ગઢવી સંકુલ સુધી બાઇક અને કાર રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જાેડાયા હતા. આ રેલીમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી હાર્દિક પટેલે હુંકાર કરતા કહ્યુ હતું કે, ગુજરાતમાં ૩૦ વર્ષથી સત્તામાં બેઠેલી પાર્ટીને હરાવવી મુશ્કેલ છે તેવું કોઈ કહેતું હોય તો હું કહેવા માગું છે કે આ જ બનાસકાંઠાની જનતાએ ૬ સીટો કોંગ્રેસને આપી હતી.પાલનપુરમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના અભિવાદન કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આકરા શબ્દોમાં ભાજપની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે મોટી સંખ્યામાં અન્યાય સામે લડવું પડે છે. જીગ્નેશ મેવાનીએ દલિતો, શોષિતો સામે કામ કર્યું છે. ગુજરાતમાં ૩૦ વર્ષથી સત્તામાં બેઠેલી પાર્ટીને હરાવવી મુશ્કેલ છે તેવું કોઈ કહેતું હોય તો હું કહેવા માગું છે કે આજ બનાસકાંઠાની જનતાએ ૬ સીટો કોંગ્રેસને આપી હતી. આગામી ૨૦૨૨ ની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ બનાસકાંઠાની ૯ સીટો જીતશે. ૨૦૨૨ ની ચૂંટણીમાં ૧૨૫ સીટો સાથે ગુજરાતમાં કોંગ્રેસ ફરી સત્તામાં આવશે. તેમણે કહ્યુ હતું કે, હવે જાે ગુજરાતની જનતા સાથે અન્યાય થશે તો તમારી ખુરશીના ત્રણ પાયા છોડીને તમને ૩૦ સીટો ઉપર લાવી દઈશું. ૨૦૧૪ પહેલા ગુજરાત અને દેશમાં પેટ્રોલ ૭૦ રૂપિયે મળતું હતું, ત્યારે ભારતીય જનતા પાર્ટી મોંઘવારીને લઈને વિરોધ કરતા હતા, પણ આજે કેમ બોલતા નથી. ભાજપની તાનાશાહી અને ગુંડાગર્દી સામે લોકો લાચાર છે. આજે એક તરફ સરકાર ઉદ્યોગપતિઓના વીજળી બિલ માફ કરે છે, પણ ગુજરાતના ખેડૂતને પૂરતી વીજળી પણ મળતી નથી. હવે અન્યાય અને અત્યાચારીઓને સમજાવવાની જરૂર છે. આપણી સામે ખૂબ મોટું કૌરવોનું લશ્કર છે અને આપણી સાથે ઓછા પાંડવો છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, આજે હું કોંગ્રેસ પક્ષમાં નહિ કોંગ્રેસ નામના આપણા પરિવારમાં જાેડાઈ રહ્યો છું. હું કેમ જાેડાયો છું તે પણ જણાવી દઉં. આ દેશના બંધારણને બચાવવા માટે હું કોંગ્રેસમાં જાેડાયો છું. આજે દેશમાં બેરોજગારી અને મોંઘવારી ચરમસીમા પર છે. ગુજરાતમાં ૪૦ ટકા મહિલાઓ ચા બનાવે ત્યારે તેમાં દૂધ નાંખી નથી શકતી તેવું મેં ક્યાંક વાંચ્યું છે. બનાસકાંઠામાં કોંગ્રેસનું પ્રભુત્વ હોવાથી જાણી જાેઈને ભાજપે અહીંના લોકોને પાણીથી વંચિત રાખ્યા છે. બનાસકાંઠામાં ખેડૂતોને સમયસર વીજળી નથી મળતી. પ્લોટ નથી મળતા, કોઈ રોજગાર નથી મળતા. બનાસકાંઠાની તમામ ૯ બેઠકો ઉપર હું કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે સાથે તેમને જીતાડવા ચૂંટણી લડીશ. આ મારો અભિવાદન કાર્યક્રમ નથી, કોઈ હુંકાર રેલી નથી, પણ ૨૦૨૨ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. વડગામના મુસ્લિમ ભાઈઓને ઝ્રછછ અને દ્ગઇઝ્ર વખતે બહુ રંજાડ્યા છે, પણ સમય આવે બતાવી દઈશું.
    વધુ વાંચો
  • ગુજરાત

    ડીસા એમડી ડ્રગ્સ કેસમાં મુંબઈના યુવકની ધરપકડ

    ડીસા, ડીસા તાલુકા પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ચાર શખ્સોને ઝડપ્યા બાદ પુછપરછ દરમિયાન મુંબઈના યુવકની સંડોવણી જણાતા પોલીસે યુવકને ડીસા લાવી પુછપરછ હાથ ધરી છે. ડીસા-ધાનેરા હાઇવે પરના કંસારી ત્રણ રસ્તા નજીકથી પોલીસે ભવરલાલ ભગવાનરામ જાટ (રહે.ટામ્પી, તા.ચિતલવાણા, જી.જાલોર-રાજસ્થાન), રતનલાલ પ્રેમારામ નાઇ (રહે.ડાવલ,તા.ચિતલવાણા, જી.જાલોર-રાજસ્થાન), હનુમાનરામ જુજારામ જાટ (રહે.ભીમથલ, તા.ધોરીમન્ના, જી.બાડમેર,રાજસ્થાન) અને હનુમાનરામ ભવરારામ જાટ (રહે.ભીમથલ, તા.ધોરીમન્ના, જી.બાડમેર,રાજસ્થાન) ને ઝડપી પાડી તપાસ કરતાં ગાડીમાંથી રૂપિયા ૧૧.૭૫ લાખની કિંમતના ૧૧૭ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.આ કેસમાં મુંબઈના યુવકની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.આથી પીઆઈ એમ.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.જે.ચાવડાએ ટીમ સાથે મુંબઈ પહોંચી અંકીતકુમાર મથુરાપ્રસાદ ગૌતમ (રહે.મુંબઇ વિરાર, ગ્લોબલ સીટી) ની ધરપકડ કરી તપાસ માટે ડીસા લાવવામાં આવ્યો હતો. પોલીસની કડક પુછપરછ કરતાં કારના સ્ટીયરીંગ નીચે આવતા બોક્સમાંથી ૧૧.૭૫ લાખનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું તેમ પીઆઈ એમ.જે.ચૌધરીએ જણાવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાધનપુરમાં શસ્ત્ર પૂજનમાં હાજર પૂર્વ ધારાસભ્યનું હવામાં ફાયરિંગ

    રાધનપુર,સમીના વરાણા ખાતે શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર દ્વારા બંદૂકમાંથી ફાયરિંગ કરતાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બન્યું હતું.ફાયરિંગ આ મામલે પોલીસે વિડિયો મેળવીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. વરાણા ખાતે શુક્રવારે વિજયાદશમી નિમિત્તે રવિભાણ આશ્રમ ખાતે રાધનપુર વિધાનસભા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શસ્ત્ર પૂજા બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર સાથે અન્ય વ્યક્તિ બંદૂક વડે હવામાં ગોળીનું ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.શક્તિ પ્રદર્શન માટે ફાયરિંગ કરવું ગેરકાયદેસર હોય પૂર્વ ધારાસભ્યના ફાયરિંગના વીડિયોને લઈ ચકચાર મચતાં પોલીસે ફાયરિંગ મામલે તપાસ શરૂ કરી હતી. એસ.ઓ.જી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે વીડિયોમાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હોય ધારાસભ્યની પૂછપરછ કરી તપાસ કરવામાં આવશે.
    વધુ વાંચો
  • રાષ્ટ્રીય

    વડાપ્રધાન મોદીએ દેશના નિરોગી ગામ પીપળીના ગ્રામજનોનો જુસ્સો વધાર્યો

    પાલનપુર ૨ ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની ૧૪૨૫૦ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન કરાયું છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જળ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો હતો. પાલનપુરના પીપળી ગામના સરપંચ રમેશભાઈ પટેલ સાથે પ્રધાનમંત્રીએ સીધો સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ સરપંચ પાસે ગામમાં પાણીની વ્યવસ્થા અને ગુણવત્તા અને લોકોના સહકાર વિશે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતી કહેવત ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય...’ તેવું કહીને ગામલોકોનો જુસ્સો વધાર્યો હતો. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં પાણીની તંગી અને તેની મહત્વતા વિશે વાત કરી લોકોને પાણીનું મહત્ત્વ સમજાવ્યું હતું. મોદી પીંપળી ગામના લોકો સાથે વીડિયો-કોન્ફરન્સિંગથી જળ જીવન મિશનની વાતચીત કરી. આ સંવાદમાં પીંપળી ગ્રામસભાએ પ્લાસ્ટિકમુક્ત ગામ બનાવવાનો ઠરાવ પસાર કર્યો હતો. પીએમ મોદીએ ગામ લોકો સાથે અનેક મુદ્દે વાત કરી હતી. પીએમ મોદીએ ગામના સરપંચ રમેશભાઈને પૂછ્યું હતું કે, તમારા ગામમાં કેટલા ટપક સિંચાઇ પદ્ધતિ સાથે જાેડાયેલા છે? તેમણે જવાબ આપ્યો હતો કે, ગામના ૯૫ ટકા લોકો જાેડાયા છે. પીએમ મોદીએ સવાલ કર્યો હતો કે, જ્યારે ચૂંટણી આવશે ત્યારે ગામથી બીજા ચૂંટણી લડશે અને કહી દેશે કે પાણી મફત આપીશું તો શું કરશો? જેના જવાબમાં સરપંચે કહ્યુ કે, મફત પાણીની વાતો કરનારા પણ જાણે છે કે અમારી પાસે પાણી ઓછું છે, અનમોલ છે, પાણી આપવાનું પણ છે અને યોગદાન લેવાનું પણ છે. પીએમ મોદીએ ગામવાસીઓને કહ્યું હતું કે, આપણે ગુજરાતીમાં કહેવત છે, સિદ્ધિ તેની જઇ વરે જે પરસેવે નહાય, તમારા ગામના તમામ લોકોએ શ્રમ કર્યો તેનું ફળ તમને મળી રહ્ય્યું છે. તમારા જેવા નાગરીકોનો શ્રમ જ સાચી શક્તિ છે. સાથે સંવાદના સમાચારથી જ પીપળી ગામ સહિત સમગ્ર પંથકમાં ગર્વની સાથે ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. ૨ ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જયંતિ પ્રસંગે રાજ્યભરમાં સફાઇ અભિયાન સહિત રાજ્યની ૧૪૨૫૦ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખાસ ગ્રામસભા માટે પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો હતો. આ કારણે હાલ નાનકડુ એવુ પીપળી ગામ સમગ્ર દેશમાં ચર્ચાઈ રહ્યુ છે. જેને લઈને પીપળી ગામના લોકો સહિત બનાસકાંઠામાં ખુશી ફેલાઈ છે. 
    વધુ વાંચો
  • ધર્મ જ્યોતિષ

    સતત બીજા વર્ષે પણ નહીં યોજાય અંબાજી ચાચરચોકમાં નવરાત્રીના ગરબા

    અંબાજી-મા અંબેનું મૂળ સ્થાન અંબાજી જે 51 શક્તિપીઠ માનુ એક તીર્થસ્થળ માનવામાં આવે છે. જેના નામના ગરબા સમગ્ર ભારત ભરમાં ગવાય છે ને રમાય છે. આસો સુદ માસની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે પણ આ વખતે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ બીજા વર્ષે પણ યથાવત રહ્યું છે. રાજ્ય સરકારે 400 માણસો સુધીની પરવાનગી આપી છે પણ આપ જે ફાઈલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જોતા શક્તિપીઠ અંબાજી મંદિર ચાચરચોકમાં હજારોની મેદની જોવા મળી રહી છે ને આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તો કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા રહેલી હોવાથી છેલ્લા 60 વર્ષથી મંદિર ચાચરચોકમાં ગરબાનું આયોજન કરતુ નવયુવક પ્રગતિ મંડળ આ વખતે સતત બીજા વર્ષે પણ ગરબાનો કાર્યક્રમ ન યોજવાનો નિર્ણય લીધા હોવાનુ નવ યુવક પ્રગતિ મંડળ અંબાજીના પ્રમુખ મહેશ પંડ્યાએ જણાવ્યું હતું.મંદિર ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ ભલે મુલતવી રખાયો હોય પણ નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ રહેશે ને રાબેતા મુજબ આરતીના સમય મંદિરમાં દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ શકશે. પ્રથમ નવરાત્રીએ નિજ મંદિરમાં શુભ મુહર્તમાં ઘટ સ્થાપન કરી જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે તેમ અંબાજી મંદિર ટ્રસ્ટના ભટ્ટજી મહારાજ જયશીલ ઠાકરે જણાવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    વિધાનસભાના અધ્યક્ષ ર્ડા.નીમાબેન આચાર્યએ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના દર્શન કર્યા

    અંબાજી-કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ સજોડે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી મા જગદંબાના આશિર્વાદ મેળવ્યાં હતાં. આ પ્રસંગે અધ્યક્ષએ મિડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, આજે મને ખુબ ખુશી છે કે મા અંબાના આશીર્વાદથી વિધાનસભાના અધ્યક્ષની ખુબ મોટી જવાબદારી મળી છે. જયાં લોકોની સુખ- સુવિધામાં વધારો કરવા તથા તેમના કલ્યાણ માટેના કાયદાઓ બને છે. તેમણે કહ્યું કે આજે મા અંબાના દર્શન કરી મા ને પ્રાથના કરી છે કે, દેશના તમામ લોકોનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તથા લોકોના ઘરમાં સુખ-સમૃધ્ધિ પથરાય. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મારા પર વિ‍શ્વાસ મુકી વિધાનસભા ગૃહની આટલી મોટી જવાબદારી સોંપી છે ત્યારે માતાજી લોકોના કલ્યાણ માટેના કામ કરવાની મને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે કોરોનાના થર્ડ વેવની ચર્ચા ચાલી રહી છે ત્યારે થર્ડ વેવ આવે જ નહીં તથા મા જગદંબાના આશીર્વાદ આપણા રાજય અને દેશ પર સતત વરસતા રહે અને આપણું રાજ્ય સતત વિકાસના નવા આયામો સર કરે તેવી પણ માતાજીને પ્રાર્થના કરી છે. અધ્યક્ષએ કહ્યું કે મહિલા સશક્તિકરણ માટે હું ૧૯૯૦ થી સતત કાર્ય કરુ છુ. મહિલાઓની સુરક્ષા- સલામતી અને સર્વાગી વિકાસ માટે રાજયમાં ૧૫૦ થી વધુ યોજનાઓ અમલી બનાવાઇ છે. સંકટના સમયમાં મહિલાઓને સુરક્ષા પુરી પાડવા ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન કાર્યરત છે. તેમણે કહ્યું કે આજે મહિલાઓએ તમામ ક્ષેત્રોમાં પ્રગતિના સોપાનો સર કરી પુરૂષ સમોવડી બની છે. પોલીસ ભરતીમાં ૩૩ ટકા મહિલાઓ માટે અનામતના લીધે રાજ્યમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. આ પ્રસંગે દાંતાના ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડીએ માતાજીની મૂર્તિ અને શાલથી તથા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે. ચાવડાએ માતાજીનો ખેસ પહેરાવી અધ્યક્ષશ્રીનું સ્વાગત-સન્માન કર્યું હતું.ભાવેશભાઈ આચાર્ય, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રેખાબેન ખાણેશા, અગ્રણીઓ સર્વ હિતેશભાઈ ચૌધરી, શ્રી સાગરભાઇ ચૌધરી, શ્રી ગોવિંદભાઈ ચૌધરી, શ્રી રાજુભાઇ ડાભી, પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા, મદદનીશ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિત અધિકારીઓ અને આગેવાનો સહીત ઈન્ડીય રેડક્રોસ સોસાયટી દાંતતાલુકા બ્રાન્ચ ના અધ્યક્ષ મહેન્દ્ર અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં
    વધુ વાંચો
  • ગુજરાત

    ડીસામાં ૫ ઇંચ વરસાદ દુકાનો-ઘરોમાં પાણી ઘૂસ્યાં

    ડીસા, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાવર્ત્રિક વરસાદ થઇ રહ્યો છે. જેમાં ગઈકાલે મોડી સાંજે દાંતીવાડામાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ છેલ્લા ૨૪ કલાકમાં ડીસામાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના પગલે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલી દુકાનોમાં પાણી ભરાઇ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. ડીસામાં રવિવારના રોજ વહેલી સવારે ત્રણ કલાકમાં જ ૫ ઇંચ જેટલો વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બનાસકાંઠા જિલ્લામાં શનિવારે બપોર બાદ વરસાદની હેલી શરૂ થઈ ગઈ છે. જેમાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી સાંજે અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. દાંતીવાડામાં શનિવારે સાંજે બે કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મેઘરાજાએ આખી રાત ધીમી ધારે અમી વરસાવ્યા બાદ આજે વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ડીસા પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી જ પાણી જાેવા મળ્યા હતા. ભારે વરસાદ થતા અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું.ભારે વરસાદના પગલે ડીસાની સિંધી કોલોની, લાલચાલી, તેરમિનાળા અને સંતઅન્ના હાઇસ્કુલ પાસેના વિસ્તારોમાં એકથી બે ફૂટ જેટલું પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સંતઅન્ના હાઇસ્કુલ પાસે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલા શોપિંગ સેન્ટરોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારોને મોટું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. શનિવારે દાતીવાડા અને આજે ડીસામાં ભારે વરસાદ બાદ પાટણ જિલ્લામાં પણ મેઘરાજાએ મંડાણ કર્યું છે. જેમાં પાટણ, સરસ્વતી, સિદ્ધપુર અને ચાણસ્મા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ગાજવીજ સાથે એક ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે પાટણના બે રેલવે ગરનાળા, કોલેજ રોડ પર બનાવાયેલા અંડરબિજ, શ્રમજીવી રોડ, કે.કે ગર્લ્સ હાઈસ્કૂલ ઝવેરી બજાર, બુકડી, રાજકા વાડા, બી એમ હાઈસ્કૂલ રોડ, પારેવા સર્કલ અને પિતાંબર તળાવ સહિતના નિચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયા છે.બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં છેલ્લે છેલ્લે પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે. ખાસ કરીને ડીસામાં આજે વહેલી સવારે ત્રણ કલાકમાં જ ૫ ઇંચ જેટલો વરસાદ થયો હતો. તેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા, અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકોના માલસામાનને નુકસાન થયું છે. ડીસાના આખોલ ચોકડી પર આવેલી ૧૦૦ જેટલી દુકાનોમાં પાણી ઘૂસી ગયું હતું. આ સિવાય કંસારીના આજુબાજુના વિસ્તારોમાં પણ ધમાકેદાર પડેલા વરસાદના કારણે તબાહી સર્જાઇ છે. અહીં ગામમાં જવાનો મુખ્ય માર્ગ પર પાણી ભરાઇ ગયા હતા અને મોટાભાગના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. અગાઉ એક મહિના સુધી વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતું અને હવે મોડે મોડે પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં થોડો ઘણો જે પાક તૈયાર થયો હતો તેમાં પણ નુકસાન થયું છે, કંસારી પંથકમાં મોટા ભાગના ખેતરોમાં બે-ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઇ જતાં ખેડૂતોને ફરી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભગવાનના ધામમાં છેતરપીંડી, અંબાજીમાં ભક્તોએ ચઢાવેલી  113 કીલોની ચાંદી નકલી નીકળી

    અંબાજી-બનાસકાંઠામાં મા અંબાના ધામમાં પૂજાપાના વેપારીઓ ભક્તોને ચુનો ચોપડતા હોવાનું સામે આવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટે ભાદરવી પૂનમ બાદ ભંડારાની ગણતરીમાં ચઢાવેલી ચાંદી નકલી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં ભક્તો દ્વારા માતાજીને ચઢાવવામાં આવેલા પૂજાપાની 113 કીલોની ચાંદી નકલી હોવાનું સામે આવ્યું છે. જેને ટ્રસ્ટ દ્વારા હવે ખોટી ખાખર તરીકે ગણી તેની હરાજી કરી નિકાલ કરશે.યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન અને વિવિધ બાધા-આખડી પૂર્ણ કરવા આવે છે. અંબાજી આવતા માઇ ભક્તો આખડી પૂર્ણ કરવા સ્થાનિક પ્રસાદના સ્ટોર પરથી ચાંદીના છત્રોથી માંડી યંત્રો, નેત્ર, માતાજીના પગલા ખરીદી માતાજીના ભંડારમાં અર્પણ કરે છે. પરંતુ મા અંબાની સન્મુખ રાખેલી દાનપેટીમાં ચાંદીના છત્ર સીધાજ ભંડારમાં જમા થાય છે. પરંતુ તે નકલી ચાંદીથી બનેલ હોવાનું સામે આવ્યું છે. ગણતરીમાં વર્ષ 2019-20માં ભંડારમાં 273 કિલો અને વર્ષ 2021માં ભંડારમાં 113 કિલો ખોટી ચાંદીનો પૂજાપો એકઠો થયો છે. સોની પાસે દર વર્ષે આ જથ્થો ચેક કરાવાય છે. જેમાં આ ચાંદી નકલી હોવાનું સામે આવ્યું હતું. અંબાજી મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારી સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, અંબાજી મંદિર લોકો બાધા માનતા પુરી કરે છે, ત્યારે માતાજીને ચાંદીથી બનેલા છત્તર, ત્રિશુલ, નાના ઘર જેવા અનેક આભૂષણો ધરાવી પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. પણ મંદિરમાં મોટી સંખ્યામાં આવેલા આવા ચાંદીના આભૂષણો પણ સામેલ છે, જેમાના 90 ટકા જેટલા આભૂષણો ખોટા જોવા મળ્યા છે. જેને લઈ મંદિર ટ્રસ્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. આવા આભૂષણોમાં છેતરાતા યાત્રિકોને ખરાઈ કરીને ચાંદી ખરીદ કરવા અપીલ કરવામાં આવી છે. એક તરફ ચાંદી ખરીદનારા ભક્તો લૂંટાય છે, તો બીજી તરફ મંદિરને પણ મોટી ખોટનો સામનો કરવો પડે છે. જેથી યાત્રિકોએ આવા આભૂષણો કોઈ પણ દુકાનથી ન ખરીદીને ચોકસાઈવાળી દુકાનેથી ખરીદવા જોઈએ. 
    વધુ વાંચો
  • ગુજરાત

    BSF જવાનોની સાયકલ યાત્રાનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત,જમ્મુ-કાશ્મીરથી નિકળી છે યાત્રા

    વડગામ-દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી- આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડીયા મુવમેન્ટને વેગ આપવા બી.એસ.એફ. જવાનો દ્વારા દેશભરમાં સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર સીમા ચોકી ઓક્ટ્રોયથી તા.૧૫ ઓગષ્ટા-૨૦૨૧ના રોજ ગુજરાતના દાંડી જવા રવાના થયેલી સાયકલ યાત્રાનું તા. ૨૧ ઓગષ્ટ૫-૨૦૨૧ના રોજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ થતાં દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરથી દાંડી જતી બી.એસ.એફ. જવાનોની આ સાયકલ યાત્રાને આજે વહેલી સવારે-૭.૦૦ વાગે દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતેથી ૯૩ બટાલીયનના કમાન્ડન્ટશ્રી દલબીરસિંહ અહલાવત અને ૧૦૯ બટાલીયનના કમાન્ડન્ટશ્રી એ. કે. તિવારી અને સીમા સુરક્ષા દળના અન્ય જવાનોએ ફ્લેગ ઓફ કરી આગળ જવા પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ આ સાયકલ રેલી સિધ્ધપુર પહોંચતા ત્યાં પણ સ્થાનિક લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરથી નિકળેલી આ સાયકલ યાત્રા આગામી તા. ૨ ઓક્ટોબર, મહાત્મા ગાંધીજીના જન્મદિવસે દાંડી પહોંચશે. તેમ બી.એસ.એફ.ના ઓફિસરશ્રી રાજીવકુમારે જણાવ્યું હતું. ફોટો 
    વધુ વાંચો
  • ગુજરાત

    અંબાજીમાં પૂનમ ભરવા જતા યાત્રીઓને ગાડીએ કચડ્યા ૩ કિશોરોના મોત

    અંબાજી, અંબાસા ગામથી સંઘ મા અંબાનાં દર્શન કરવા જઇ રહ્યો હતો. પરિવાર માતાના ધામમાં જતા વાહનચાલકની ભૂલને કારણે યમધામ પહોંચી ગયો. પગપાળા સંઘને રાણપુર ગામ પાસે બેફામ આવી રહેલા અજાણ્યા વાહને ટક્કર મારતાં ૩ લોકોનાં મોત થયાં છે, જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બનાવને પગલે બનાસકાંઠા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલે શુક્રવારે અગિયાર વાગ્યે યાત્રાધામ અંબાજી પગપાળા આવી રહેલા યાત્રાળુને રાણપુર પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી, જેથી ૧ મહિલા સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોના પરિવાર દ્વારા અકસ્માત સર્જેલા વાહનચાલક સામે કાયદાકીય સજાની માગ કરી છે. મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે મારા ભાઈઓ કાલે અગિયાર વાગ્યે અંબાસાથી અંબાજી દર્શન માટે નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો છે. અમારાં બે ભાઈ અને એક બહેન હતાં. તેમણે જણાવ્યું હતું કે અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે આવી રીતે બેફામ વાહન ચલાવનારા સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી આવી ઘટના ફરી ન બને. ભાદરવી પૂનમને લઇ મોટી સંખ્યામાં ભક્તો પદ યાત્રા કરી અંબાજી દર્શન માટે આવી રહ્યા છે. ત્યારે અંબાજી હડાદ રોડ પર પદયાત્રા કરી અંબાજી આવતા પદ યાત્રિકોને અજાણ્યા વાહને અડફેટે લેતાં ત્રણ પદયાત્રીઓ ના મોત થયા હતા. તેમજ બે ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે મોતને પગલે પોલીસ વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જાેકે, આ અકસ્માત બાદ ખાનગી વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં 89 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, આ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો

    ગાંધીનગર-રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કુલ 89 તાલુકામાં આજે વરસાદ વરસ્યો છે. સવારથી જ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થઇ રહી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા અને સાબરકાંઠામાં નોંધાયો છે. જેમાં દાંતા, વડગામ, પાલનપુર, વિજયનગરમાં 3 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મા, ડીસા, સતલાસણામાં પણ 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો સુરતના ઉમરપાડામાં છેલ્લા બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. મોરબીના હળવદ, સુરેન્દ્રનગરના દસાડામાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 20 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસાદ થતા જળાશયોમાં પાણીની આવક થઇ છે. જેમાં સાબરકાંઠાના હાથમતી જળાશયમાં 150 કયુસેક પાણીની આવક, જવાનપુરા બેરેજમાં 225 કયુસેક પાણીની આવક, હરણાવ જળાશયમાં 600 કયુસેક પાણીની આવક થઇ છે. તો પાટણ જિલ્લાના સિધ્ધપુરમાં 3 ઈંચ, સરસ્વતીમાં 2 ઈંચ, પાટણમાં 2 ઈંચ, હારીજ અને સાંતલપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.મહેસાણાના સતલાસણામાં 2 ઈંચસ ઊંઝામાં 1 ઈંચ, કડીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    યાત્રાધામ અંબાજીમાં અતી ભારે વરસાદ, રસ્તા પરના વાહનો રમકડાની જેમ તણાયાં

    અમદાવાદ-રાજ્યમાં ૧ જુનથી ૩૧ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ૫૮૩.૬ મિ.મી. સામે ૨૯૪.૯ મિ.મી. વરસાદ પડતાં ૪૯ ટકા ઓછો વરસાદ પડ્યો છે. જાે કે, આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં મધ્યમથી ભારે તેમજ કેટલાંક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.જન્માષ્ટમીના બીજા દિવસે વિવિધ શહેરો, તાલુકાઓમાં થયેલા વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલું લૉ પ્રેશર છે. તેના પગલે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો.દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં ૧૬ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ ખાબકતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત વાપીમાં ૬ ઇંચ તો કપરાડામાં ૩ ઇંચ વરસાદ થયો હતો, જ્યારે વલસાડ, પારડીમાં ૨ ઇંચ તથા ધરમપુરમાં ૧ ઇંચ વરસાદ થયો હતો. ઉત્તર ગુજરાતમાં ૨૭ દિવસ બાદ ૨૦ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ સવા ૪ ઇંચ વરસાદ બનાસકાંઠામાં વડગામમાં પડ્યો છે. બનાસકાંઠાના વડગામમાં સવા ૪ ઇંચ, પાલનપુરમાં સવા ૩ ઇંચ, ડીસા પોણા ૨ ઇંચ, લાખણી દોઢ ઇંચ સહિત સાવર્ત્રિક વરસાદ થયો હતો.રાજ્યમાં વરસાદના કારણે થયેલા વિવિધ અકસ્માતોમાં ત્રણના મોત નિપજ્યાં હતા. મહેસાણાના વિસનગર તાલુકાના ગણપતપુરામાં ઘાસચારો લેવા ગયેલી મહિલા અને યુવકનાં તેમજ મહેસાણા તાલુકાના છઠિયારડામાં મકાનનો સ્લેબ તૂટતાં ૩૧ વર્ષીય મહિલાનું મોત થયું હતું. ગુજરાતમાં વરસાદની અછતને પગલે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ત્યારે મંગળવારે ૧૫૫ તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાતાં રાહતનો અનુભવ થયો હતો. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં મધ્યમથી ભારે તેમજ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાંને પગલે તાપમાનમાં ૬ ડીગ્રીનો ઘટાડો થતાં ઠંડક પ્રસરી હતી.મહેસાણા જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં ઊંઝામાં ૨ ઇંચ, જાેટાણામાં ૧ ઇંચ, પાટણ જિલ્લાના સરસ્વતી અને સિદ્ધપુરમાં ૨ ઈંચથી વધુ વરસાદ થયો છે. સાબરકાંઠા જિલ્લામાં પોશીનામાં અઢી ઇંચ, તલોદ અને પ્રાંતિજમાં ૨ ઇંચ, વિજયનગરમાં દોઢ ઇંચ, ઇડર અને વડાલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લાના માલપુરમાં પોણા કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં કુંકાવાવમાં બે અમરેલીમાં દોઢ ઇંચ વરસાદ જ્યારે વડિયા, બગસરા, રાજુલા અને ચલાલા પંથકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ગોંડલ પંથકમાં પણ ભારે ઝાપટું પડી ગયું હતું. ઉનામાં પણ હળવે વરસાદ થયો હતો. જાેડીયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદ, રસ્તા નદી બન્યાં,ડીસામાં 2 ઈંચ

    બનાસકાંઠા-ગુજરાતમાં વરસાદ ખેચવાને કારણે ખેડૂતોમાં દુષ્કાળની ભીતિ લગતી હતી, દુષ્કાળ ઉંબરે પહોંચી ગયેલા ગુજરાતને જાણે છેલ્લી ઘડીએ મેઘરાજા ઉગારી રહ્યું હોય તેવા ચિહ્નોરૂપે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ ને કારણે, રસ્તા નદી માં પરિવર્તિત થઈ ગયા હતા. રસ્તા પર ઊભાં રહેલાં વાહનો તણાવા લાગ્યાં હતાં. લોકો વરસાદી પાણીમાં પોતાના તણાતાં વાહનોને પાણીના પ્રવાહથી બચાવવા દોટ મૂકતા જોવા મળ્યા હતા. ગઈકાલે દિવસભરના ભારે ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદ શરૂ થયો હતો. ડીસામાં 2 ઈંચ અને વડગામમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. બીજીતરફ સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જૂનાગઢ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. તેમાં પણ અમરેલીના કૂકાવાવમાં તો કલાકમાં જ 2 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટોછવાયો પરંતુ નોંધપાત્ર વરસાદ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં 28 દિવસ બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતાં ખેડૂતોના મૂરઝાયેલા પાકોને નવજીવન મળ્યું છે. જોકે ગઈકાલ સાંજના સમયે દિવભરના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો હતો. એમાં યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ પડતાં, અંબાજી રોડ પર દુકાનો આગળ મૂકેલાં વાહનો વરસાદી પાણીમાં તણાવા લાગ્યાં હતાં.છેલ્લા બે માસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ત્રણ દિવસથી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, અને જોતજોતાંમાં રસ્તા ઉપર પાણી એટલી હદે રેલાયા કે લોકોનાં ઊભેલાં વાહનો પણ તણાવા લાગ્યાં હતાં. બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકના વરસાદી તાલુકાના આંકડા જોઇએ તો અમીરગઢમાં 01 મિમી, કાંકરેજમાં 18 મિમી, ડીસામાં 44 મિમી, થરાદમાં 07 મિમી, દાંતામાં 21 મિમી, દાંતીવાડામાં 17 મિમી, દિયોદરમાં 03 મિમી, ધાનેરામાં 15 મિમી, પાલનપુરમાં 19 મિમી, ભાભરમાં 33 મિમી, લાખણીમાં 31 મિમી, વડગામમાં 76 મિમી, વાવમાં 02 મિમી, સુઇગામમાં 21 મિમી પડ્યો છે. જિલ્લામાં આ વર્ષનો 31.62 ટકા જેટલો એવરેજ વરસાદ નોંધાયો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    બનાસકાંઠામાં ભૂકંપ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાતા લોકોમાં ફફડાટ

    અમદાવાદ-ગુજરાતના કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે, ત્યારે આજે બનાસકાંઠામાં પણ ભૂકંપ આંચકો આવતા લોકો ડરી ગયા હતા. બનાસકાંઠા જીલ્લાના વાવથી 84 કિમી દૂર આ આંચકો અનુભવાયો હતો અને ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાનનું બાડમેર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાતા છેક પાલનપુર સહિતનાં વિસ્તારોમાં પણ હલકા આંચકા અનુભવાયા હતા. જોકે એક  સપ્તાહ પહેલા જામનગરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાધામ મચી હતી. એ જ સવારે જમ્મુ અને મેરઠમાં ભૂકંપ આવ્યા બાદ ગુજરાતમાં પણ જામનગર ખાતે આંચકા અનુભવાયા હતા. જોકે દિવસે દિવસે ભુંકપના આંચકાના કારણે અને ખાસ કરીને ગુજરાતમાં અમુભવાતા ભુકંપના આંચકાને પગલે લોકામાં ડરનો મહાલ જોવા મળી રહ્યો હતો. 
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતના આ જીલ્લામાં કોરોનાવાયરસની ત્રીજી લહેર પહેલા જિલ્લામાં વાયરલ ફીવરના કેસમાં વધારો, તંત્ર એલર્ટ

    બનાસકાંઠા- ડીસા શહેરમાં કોરોનાવાયરસની મહામારીમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા જે બાદ હવે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા સહિત ડીસા શહેરમાં એક બાદ એક ઋતુ બદલાતાં બીમારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કોરોનાવાયરસની ત્રીજી લહેર પહેલા હાલમાં બીમારીનું પ્રમાણ વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે. સતત વાયરલનું પ્રમાણ વધતાં હાલમાં સરકારી હોસ્પિટલો તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ બીમાર દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. દેશ આગામી સમયમાં આવનારી સંભવિત કોરોનાની ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યો છે. તેવામાં અચાનક બનાસકાંઠા જીલ્લામાં બાળકોમાં વાઇરલ ફ્લૂના કેશોમાં વધારો થતાં સરકારમાં ચિંતા વધી ગઈ છે.વર્તમાન સમયમાં નાના બાળકોમાં તાવના કેસો વધી ગયા છે.અને મોટાભાગે દશ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આ બિમારીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ડીસા શહેરમાં પણ સરકારી હોસ્પિટલમાં હાલમાં રોજના 200થી પણ વધુ નાના બાળકો બીમાર સામે આવી રહ્યા છે સતત વધતાં જતાં બાળકોના બીમારીના કારણે હાલમાં લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. આ અંગે તબીબો પણ જણાવી રહ્યા છે કે અત્યારે વાઇરલ ફ્લૂ ધરાવતા નાની ઉંમરના બાળકો સારવાર માટે વધારે આવી રહ્યા છે.. અને વર્તમાન સમયમાં જે રીતે વાઇરલ ફ્લૂના કેશોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વાઇરલ ફ્લૂ અને કોરોના વાઇરસના લક્ષણો સમાનતા ધરાવતા હોવાથી લોકોએ આ બાબતે ગંભીરતા રાખવી જરૂરી છે અને બાળકોમાં તાવ અને શરદીના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર માટે લઈ જવું જેથી કોરોના વાઇરસની સંભવિત ત્રીજી લહેરથી બચી શકાય. કોરોના વાઇરસની સંભવિત ત્રીજી લહેર પહેલા બનાસકાંઠા જીલ્લામાં બાળકોમાં વાઇરલ ફીવરે આતંક મચાવ્યો છે.બદલાયેલા હવામાનને પગલે અત્યારે બનાસકાંઠા જીલ્લામાં બાળકોમાં વાઇરલ ફ્લૂના કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં રોજના 3000થી પણ વધુ નાના બાળકો સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
    વધુ વાંચો
  • રાજકીય

    વાયરલ થયેલા ફોટા બાદ ભાજપના સાંસદ પરબત પટેલે જાણો શું કહ્યું..

    બનાસકાંઠા-બનાસકાંઠામાં છેલ્લા એક અઠવાડિયાથી એક વ્યક્તિના એક યુવતી સાથેના ફોટાએ ચર્ચાને વેગ આપ્યો છે. જોકે, આ ફોટા સામે આવતા રાજકીય લોબીમાં જ નહીં સર્વત્ર ખળભળાટ મચી ગયો છે. ડીસામાં બ્રીજના ઉદ્ઘાટન કાર્યક્રમ વખતે વાયરલ થયેલા આ ફોટા મામલે આખરે સાંસદ પરબત પટેલે સ્પષ્ટતા કરી દીધી છે. તેઓ નખશીખ પ્રામાણિક છે એવું જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મેઘા પટેલે આ પહેલા ભાજપના ટોચના નેતાનો અશ્લીલ વીડિયો તા.15 ઓગસ્ટના રોજ જાહેર કરવાની વાતથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. આ સાથે ભાજપના એક નેતાનો ફોટો પણ ફેસબુમાં પોસ્ટ કર્યો હતો. મેઘા પટેલે એક પોસ્ટ મૂકી લખ્યું હતું કે, નેતાજીનો સેક્સ વીડિયો 4.6 મિનિટનો છે. એમાંથી 1 મિનિટનો કટિંગ વીડિયો તા.15 ઓગસ્ટના રોજ 12.39 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે. તેણે લખ્યું હતું કે, આ નેતા પાલનપુર સર્કિટ હાઉસમાં રંગરેલિયા રમતા ઝડપાયા હતા. ધન્યવાદ નેતાજી. ડીસામાં એલિવેટેડ બ્રીજના ઉદ્ધાટનમાં આવેલા સાંસદ પરબત પટેલે કહ્યું કે, મીડિયાના માધ્યમથી મે આ જોયું છે. તા.15 ઓગસ્ટના રોજ મારો વીડિયો વાયરલ કરવાની ધમકી ઉચ્ચારી છે. પણ મને આ અંગે કોઈ પ્રકારની જાણકારી નથી. મેં મારી જિંદગીમાં કોઈ સાથે આવું ખરાબ કામ કર્યું નથી. મારા ફોટાનો ઉપયોગ કરીને, ખોટી રીતે એડિટ કરીને કોઈએ કંઈ કર્યું હોય તો મને ખબર નથી. મીડિયાના માધ્યમથી મારૂ નામ અપાયું છે એટલે મારે પણ એમાં જોવું પડશે કે આખરે એમાં છે શું? પણ આવી રીતે ફોટા એડિટ કરીને મને બદનામ કરવાનું તથા પૈસા પડાવવાનું એક પ્રકારનું કાવતરૂ છે. જોકે, સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વારંવાર ચર્ચામાં રહી હતી. આ ઉપરાંત નેતૃત્વ સામે પણ પ્રશ્નો ઊઠ્યા હતા. ફોટા વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. બનાસકાંઠા ભાજપ સાંસદ પરબત પટેલે કહ્યું હતું કે, આ વીડિયોમાં એમનો કોઈ ફોટો નથી. સાંસદે ત્યાં સુધી કહ્યું કે, હું આવી કોઈ યુવતીને ઓળખતો પણ નથી. મેં કોઈ પ્રકારના ફોટા જોયા પણ નથી. પણ હવે જોવા પડશે. આ તો બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ છે. બનાસકાઠાના થરાદના ભાયર ગામના કોઈ શખ્સે એક વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું થશે લોકાર્પણ

    ડીસા-બનાસકાંઠામાં ડીસા શહેરની મધ્યમાંથી રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજને ૨૨૫ કરડો રૂપિયાના ખર્ચે ડીસાના શહેરીજનોની સુરક્ષાને ધ્યાને લેતા ખાસ મહેનત કરીને નિર્માણ કરવામાં આવ્યો છે જેથી અકસ્માતો નિવારી શકાય. બ્રિજનું આવતીકાલે ૭મી ઑગસ્ટના રોજ ઇ-લોકાર્પણ થશે. આ બ્રિજની ખાસિય ઘણી છે જેમાં એક તેની લંબાઈ છે. કુલ ૩.૭ કિમી લાંબા બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,સીએમ વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરશે ઇ-લોકાર્પણ કરશે. આ બ્રિજ નેશનલ હાઇવે નંબર -૨૭ પરથી પસાર પસાર થાય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી.અગાઉ ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવો બની ગઈ હતી. ટ્રાફિકના કારણે વાહન ચાલકોને કલાકો ટ્રાફિકમાં ફસાઈ જવાનો વલારો આવતો હતો. ડીસા રાજ્યનું સૌથી મોટું બટેટાનું માર્કેટયાર્ડ છે. ઉપરાંત અનેક ખેત જણસનું બજાર છે જેથી મોટી સંખ્યામાં અહીંયા માલવાહક વાહનોની આવ-જા થતી રહેતી હોય છે.નોંધનીય છે કે, આકાશી દ્રશ્યમાં સાપના લીસોટા જેવો લાગતો આ બ્રીજ બનાસકાંઠાના ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.૨૭ ઉપર બનેલા ગુજરાતના સૌથી લાંબા એલીવેટેડ કોરીડોરના છે. જે ગુજરાતના પોરબંદર અને આસામના સિલચરને જાેડતો ઇસ્ટ-વેસ્ટ કોરીડોર છે.નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રૂ.૨૨૨ કરોડના ખર્ચે માત્ર ૨ વર્ષમાં તૈયાર કરાયેલા ૩.૭૫૦ કિલોમીટર લાંબા આ કોરીડોરમાં ડીસા શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ૪ લેન ઉપર અને ૪ લેન નીચે તેમજ ૨ લેનવાળા બંને તરફ સર્વિસ રોડ બનાવાયાં છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    આ જિલ્લાના 34 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ, કોરોના વાઈરસની ત્રીજી લહેરના ડરથી લોકો લઈ રહ્યા છે વેકશીન

    બનાસકાંઠા- સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસની મહામારી નાથવા માટે ગુજરાત સરકાર દ્વારા લોકોનું વધુમાં વધુ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધી ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કોરોના રસીકરણ સફળ જોવા મળી રહ્યું છે. કોરોના વાઈરસની બીજી લહેરમાં ગુજરાતમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. જે બાદ કોરોના વાઈરસની મહામારીમાં લોકો સુરક્ષિત રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કલેકટર આનંદ પટેલની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હાલમાં વધુમાં વધુ લોકો કોરોના રસીકરણ કરાવી રહ્યા છે.ગુજરાતમાં ભલેને લોકો રસીની અછતનો સામનો કરી રહ્યા હોય પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રસીકરણની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. તેના કારણે અત્યાર સુધીમાં 34 થી પણ વધુ ગામડાઓમાં રસીકરણની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત 37 લાખની વસ્તીમાંથી 18 થી વધુ ઉંમરના લોકોની સંખ્યા 27 લાખ જેટલી છે. તેમાંથી અત્યાર સુધી 9 લાખ જેટલા લોકોને રસી આપવામાં આવી છે. એટલે કે, અંદાજે 38 ટકા લોકોને રસીના બંને ડોઝ અપાય ગયા છે. તેમાં પાલનપુર, ડીસા, દિયોદર અને લાખણી તાલુકામાં રસીકરણ મામલે લોકોમાં ખૂબ જ જાગૃત છે અને તેના કારણે અત્યાર સુધીમાં 34 થી પણ વધુ ગામડાઓમાં આ રસીકરણની પ્રક્રિયા 100 ટકા પૂર્ણ થઇ ગઇ છે.
    વધુ વાંચો
  • રાજકીય

    બનાસકાંઠાનાં ખેડૂતની ચીમકીઃ 15 ઓગસ્ટે નેતાનો સેક્સ વીડિયો કરશે વાયરલ

    બનાસકાંઠા-હાલ બનાસકાંઠામાં એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતે એક નેતાની સેક્સ સીડી વાયરલ કરવાની સોશિયલ મીડિયામાં ચીમકી આપતી પોસ્ટ કરતા જ ખળભળાટ મચી ગયો છે. આ ખેડૂતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે ચીમકી આપતા કહ્યું છે કે, જિલ્લાના કોઈ મોટા નેતાની સેક્સ સીડી ૧૫મી ઓગસ્ટના રોજ ૧૨.૩૯ કલાકે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને ટિ્‌વટર પર વાયરલ થશે. થરાદ તાલુકાના ભાચર ગામે રહેતા ખેડૂતે એક મોટા નેતાની સેક્સ સીડી વાયરલ કરવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ ખળભળાટ મચી ગયો છે. ભચાર ગામે રહેતા માધાભાઈ પટેલ નામના ખેડૂતે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ વાઇરલ કરી છે. જેમાં સફેદ ઝભ્ભા લેંઘો પહેરેલો એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ કર્યો છે. આ સાથે પોસ્ટમાં ૧૫મી ઓગસ્ટના રોજ ૧૨ઃ૩૯ કલાકે આ નેતાની આખો સેક્સ વીડિયો વાયરલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.આજે વહેલી સવારે માધાભાઈ પટેલે કરેલી આ પોસ્ટથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. જાેકે આ પોસ્ટમાં દેખાતો નેતા કોણ છે, ક્યાંનો છે, કયા પક્ષનો છે તે અંગે સ્પષ્ટીકરણ કરાયું નથી પરંતુ અત્યારે આ પોસ્ટ ને લઈને બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. થોડા સમય પહેલા કર્ણાટકના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી પર કથિત યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. એક સીડીમાં કથિત રીતે મંત્રી એક મહિલા સાથે શારીરિક સંબંધો બાંધતા નજરે પડતા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    આ પર્યટન સ્થળે ભારે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી, અનેક કારોને પહોચ્યું નુકશાન 

    બનાસકાંઠા- માઉન્ટમાં આહલાદક વાતાવરણના કારણે ગુજરાતી સાહેલાણીઓનો ઘસારો વધ્યો છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ અને પવનના કારણે વૃક્ષ નીચે 5 જેટલી ગુજરાતીઓની ગાડી દબાઈ જતાં ગાડી માલિકોને પણ ભારે નુકસાન થયું છે. કોરોના મહામારી હળવી થતાં અને વરસાદના કારણે માઉન્ટ આબુનું વાતાવરણ આહલાદક બનતા જે ગુજરાતીઓ ભારે ધસારો વધી રહ્યો છે. જેમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ભારે વરસાદ અને પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. સતત વરસાદ ન અકારને ભેજવાળી જમીન થતા ધરાશયી થયેલા વૃક્ષો નીચે 5 જેટલા ગુજરાતીઓની ગાડી આવી જતાં ભારે નુકસાન થયું છે બે ગાડી માં તો ડ્રાઇવર બેઠા હતા અને વૃક્ષ ધરાશય થઇને ગાડી પર પડ્યા હતા. જોકે સદ્નસીબે કોઇ જાનહાની થઇ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    હવે.. બનાસ ડેરી 50 મેગાવોટ સોલાર પ્લાન્ટથી પોતાની વીજળી ઉત્પન્ન કરશે!

    બનાસકાંઠાબનાસ ડેરી, એશિયાની સૌથી મોટી દૂધ સહકારી, ટૂંક સમયમાં તેની પોતાની વીજળી ઉત્પન્ન કરશે. બનાસ ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં આવેલી ડેરીમાં 50 મેગાવાટ (મેગાવોટ) સોલર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.જે ડેરીના વીજ ખર્ચમાં 25 ટકાનો ઘટાડો કરવામાં મદદ કરશે. “બનાસ ડેરી એક અલગ સહકારી મંડળ બનાવવાની યોજના ધરાવે છે જે વીજળી ઉત્પન્ન કરવામાં મદદ કરી શકે. દર વર્ષે બનાસ ડેરી અને ગ્રામ કક્ષાની દૂધ સહકારી સંસ્થાઓને રૂ. 200 કરોડની વીજળીની જરૂર પડે છે. આ ખેડૂતોના નાણાં છે જે આપણે વીજ કંપનીઓને વીજળીના બીલ તરીકે ચૂકવવાનું સમાપ્ત કરીએ છીએ. તેથી અમે બનાસકાંઠામાં સ્થાનિક દૂધ સહકારી મંડળને સાથે રાખીને આ નવી સંસ્થા બનાવવાનું વિચારી રહ્યા છીએ, 'એમ ચૌધરીએ ડેરીની 53 મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું. “બનાસ ડેરી પ્રથમ કેટલાક વર્ષોમાં આ પહેલને સમર્થન આપશે. ઉપયોગમાં લેવાતી શક્તિ કેપ્ટિવ હેતુ માટે હશે. આથી વીજ ખર્ચમાં 20-25 ટકાનો બચાવ થશે. સહકારી ક્ષેત્રમાં સંભવત: આ પહેલી પહેલ હશે, ”ડેરી આ પહેલથી નાણાં બચાવવામાં સક્ષમ બનશે એમ ઉમેરતાં ચૌધરીએ જણાવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં 5.50 લાખ પશુપાલકોને 1 લાખનો અકસ્માત વીમો બનાસ ડેરી ચૂકવશે

    બનાસકાંઠા-આજે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ૫૩મી સામાન્ય સભામાં ડેરી અને પશુપાલકોને લઈને મોટી જાહેરાત કરાઇ છે. ડેરીને દર વર્ષે ૧૦૦ કરોડની વીજળીની જરૂર પડે છે. ત્યારે બનાસ ડેરીએ સોલારની નવી સંસ્થા બનાવવાનું આયોજન કર્યું છે. આ સાથે જ પશુપાલકોને કિલો દૂધ ફેટના ૮૧૮ રૂપિયા ભાવ આપવાનું પણ નક્કી કર્યું છે. આ સાથે સાડા પાંચ લાખ પશુપાલકોને એક લાખનો અકસ્માત વિમો પણ બનાસ ડેરી ચૂકવશે તેમ નક્કી કર્યું છે. બનાસ ડેરી સનાદારમાં શરૂ કરશે નવી ડેરી. સનાદરમાં નવી ડેરીની શરૂઆત ડિસેમ્બર સુધી કરાશે. આ ઉપરાંત પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરાઇ છે. પશુપાલકોને ભાવ ફેર પેટે ૧૧૩૨ કરોડ રૂપિયા ચૂકવાશે.ડેરીના ચેરમને શંકર ચૌધરીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, ‘રોજના ૨૭ કરોડ ૭૬ લાખ રૂપિયા બનાસકાઠાના પશુપાલકોને ચૂકવવામાં આવે છે. બનાસ ડેરીની મૂડીમાં બે હજાર ૯૪૧ કરોડનો વધારો થયો છે. આપણે જિલ્લામાં ઓક્સિજનની કમી ન સર્જાય તે માટે ઓક્સિજનનો પ્લાન્ટ પણ ઊભો કર્યો છે. કોરોના કાળમાં પણ બનાસ ડેરી સંચાલિત બનાસ મેડિકલ કોલેજે મહત્વનું કામ કર્યું છે. બનાસ ડેરીએ કોરોના કાળમાં એક પણ દિવસ પશુપાલકોનું દૂધ લેવાનું બંધ નથી કર્યું. બનાસ ડેરીમાં પહેલાં ૩૭૩ કરોડનું ટર્ન ઓવર હતું જે હવે ૨૦ વર્ષ બાદ ૧૨,૯૮૩ કરોડ થયું છે.વધુમાં જણાવ્યું કે, ‘દર મહિને આપણે ૮૩૩ કરોડ રૂપિયા જમા કરાવીએ છીએ અને એ બનાસકાંઠા જીલ્લો છે. રોજના ૨૭ કરોડ ૭૬ લાખ રૂપિયા રોજના બનાસકાંઠાના પશુપાલકોને ચૂકવિએ છીએ. ગઈ વખતે કિલો ફેટના ૮૧૨ ભાવ આપ્યો હતો જ્યારે આ વખતે ૮૧૮ કિલો ફેટ ભાવ આપવાનું નક્કી કર્યું છે. બનાસ ડેરી દ્વારા ૧૧૩૨ કરોડ રૂપિયા ભાવ વધારો અપાયો છે. ૧૪.૧૮% ભાવ વધારો પશુપાલકોને મળશે. ૫.૫૦ લાખ પશુપાલકોને ૧ લાખનો અકસ્માત વીમો બનાસ ડેરી ચૂકવશે. બનાસ ડેરીને દર વર્ષે ૧૦૦ કરોડની વીજળીની જરૂર પડે છે. જેથી બનાસ ડેરી સોલારની નવી સંસ્થા બનાવવાનું આયોજન કરશે. હવે વીજળી ઉત્પન્ન કરવાનું કામ કરવું પડશે. જેનાથી પશુપાલકોના ૧૦૦ કરોડ બચી શકે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અહિંયા BSFના વધુ 32 જવાનો કોરોના સંક્રમિત થતા કુલ આંકડો 52 થયો, જવાનોના સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

    બનાસકાંઠા- જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવવા માટે આવેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો કોરોના સંક્રમિત થયા છે. નાગલેન્ડથી 1000 જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. જેમાંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ મેળવીને તપાસ અર્થે મોકલાયા હતા. જેમાંથી સોમવારે 20 જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવતા ત્યારબાદ કુલ 433 જવાનોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી વધુ 32ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક 52 થયો છે. અસરગ્રસ્ત જવાનોમાં કોરોનાનો ક્યો વેરિયન્ટ છે, તેની તપાસ માટે નમૂના ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. જે 15 દિવસ બાદ જાણી શકાશે. જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેર ભયાનક સાબિત થઇ હતી. કોરોનાની બીજી લહેર લોકોની બેદરકારીના કારણે સામે આવી હતી. આ કોરોના વાઇરસની બીજી લહેરમાં બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટિવ સાબિત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે હજુ તો માંડ માંડ કોરોના વાઇરસની બીજી લહેર પૂર્ણ થઇ છે. ત્યારે ફરી એકવાર કોરોનાના કેસ શરૂ થયા છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર બનાસકાંઠા જિલ્લામાં આવી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં આજે મંગળવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનો કોરોના સંક્રમિત થવાનો આંક વધ્યો છે. એકસાથે 20 જવાનો કોરોના સંક્રમિત થયા બાદ આજે વધુ 32 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંકડો 52 સુધી પહોંચ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    આ છે ગરવી ગુજરાતની કમાલ.. એપ્રિલમાં કોવીડથી મોત થયુ અને જુલાઈમાં રસીનો બીજો ડોઝ મળ્યો!

    બનાસકાંઠાગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા વરસીભાઇ પરમારના મોબાઈલ પર અભિનંદન સંદેશ, તેમના દહન પર મીઠું છંટકાવ કરવામાં કંઈ ઓછું નહોતું. આ વર્ષે 23 એપ્રિલે તેમના પિતા હરિજી લક્ષ્મણ પરમાર (70) ના કોરોનાથી અવસાન થયું હતું. તેનો પરિવાર આ દુ: ખમાં ડૂબી ગયો છે. પરંતુ 14 જુલાઇએ તેના મોબાઇલ પર એક સંદેશ આવ્યો જેમાં લખ્યું છે કે 'અભિનંદન, તમારા પિતાને પણ કોવિડ -19 રસીનો બીજો ડોઝ મળ્યો. વર્સીભાઈનો ક્રોધ અને વેદના કોઈ મર્યાદા જાણતી નહોતી. વહીવટની ઘોર બેદરકારી અને અવ્યવસ્થિત વહીવટથી તે ભારે નારાજ છે. વરસીભાઇ કહે છે કે જો તેના પિતાને તે સમયે હોસ્પિટલમાં પથારી અને ઓક્સિજન હોત, તો તે આજે જીવિત હોત. વર્સીએ કહ્યું, "રસી વ્યવસ્થાપન અંગેની આ મોટી બેદરકારી અને આ સિસ્ટમની બેદરકારી મારા પિતાના મોતની મજાક છે." હું ઈચ્છું છું કે જો તેને પહેલાં રસી મળી હોત, તો કદાચ તેનું જીવન બચી ગયું હોત.રસીનો પહેલો ડોઝ પણ નથી મળ્યોટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, વર્શીભાઇએ જણાવ્યું હતું કે, મારા પિતાને રસીનો પહેલો ડોઝ પણ મળ્યો નથી. તેમણે કહ્યું કે તે બળીને મીઠું છાંટવા જેવું છે. ગુજરાતમાં આવી ભૂલનો આ પહેલો કેસ નથી. કોવિન એપ પરથી ઘણા લોકોને મેસેજીસ મોકલવામાં આવી રહ્યા છે. આમાંના ઘણા લોકો પણ મરી ગયા છે. બનાસકાંઠા જિલ્લાના સૈગામ તાલુકાના રાડોસણ ગામના રહેવાસી વરસીભાઇ કહે છે કે એક વ્યક્તિ સારવારના અભાવને કારણે મૃત્યુ પામે છે અને વ્યંગાત્મક વાત એ છે કે સિસ્ટમ તેમને કોવિડ -19 રસી આપી રહી છે. છેવટે, તે શું પ્રાપ્ત કરવા માંગે છે?સિવિલ હોસ્પિટલમાં બેડ મળી નથીવર્શીભાઇએ જણાવ્યું કે તેમને તેમના પિતાની સારવાર માટે ત્રણ દિવસ આ હોસ્પિટલથી તે હોસ્પિટલમાં જવું પડ્યું હતું. તેમણે કહ્યું કે, પાલનપુર સિવિલ હોસ્પિટલમાં, સેંકડો દર્દીઓ હોસ્પિટલની બહાર અહીં અને ત્યાં સૂતેલા હતા. ઘણાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. મારા પિતા માટે કોઈ પલંગ નહોતો. ત્રણ દિવસની સખત મહેનત બાદ મેં મારા પિતાને થરાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ મોડું થઈ ગયું હતું અને ઓક્સિજન સંતૃપ્તિના અભાવને કારણે તેમનું અવસાન થયું. એડમિટ થયાના ત્રણ દિવસ બાદ 23 એપ્રિલના રોજ તેમનું અવસાન થયું. હરિજીના જમાઇ શિવરામે કહ્યું કે, રાજ્યના વહીવટીતંત્રે ખાતરી કરવી જોઈએ કે રાજ્યમાં યોગ્ય વ્યક્તિને રસી મળે અને યોગ્ય વ્યક્તિને તેના વિશે સંદેશ મળે.
    વધુ વાંચો
  • ગુજરાત

    આ તારીખથી બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરીયા માટે શરૂ થશે રસીકરણ અભિયાન

    બનાસકાંઠા-બનાસકાંઠા માં બાળકોમાં થતાં ડિપ્થેરીયા નામના રોગને અટકાવવા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરાશે. જેમાં 16 વર્ષ સુધીના અંદાજે 5 લાખ જેટલાં બાળકોને આગામી તા. 19 જુલાઇ-2021 સોમવારથી ડિપ્થેપરીયા રસી આપવાનું શરૂ કરવામાં આવશે. અગાઉ બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષથી ડિપ્થેરીયાના કારણે બાળકોના થયા છે મોત બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષ અગાઉ ડિપ્થેરીયા નામના રોગે હાહાકાર મચાવ્યો હતો. જેમાં વર્ષ-૨૦૧૯ માં ડિપ્થેેરીયાના 377 કેસ સામે આવ્યા હતાં. તેમાંથી 17 બાળકોના સારવાર દરમ્યાન મોત નિપજ્યાં હતાં. ત્યાર બાદ વર્ષ-2020માં 71 કેસ સામે આવ્યાં હતાં. જેમાંથી 10 બાળકોના મૃત્યું થયાં હતાં. આ વર્ષે અત્યાર સુધીમાં ડિપ્થેિરીયાના 24 કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાંથી 3 કમનસીબ બાળકોના મૃત્યું થયાં છે. ત્યારે ડિપ્થેરીયાના આ રોગથી એક પણ બાળકનું મોત ન થાય તે માટે આરોગ્ય અને શિક્ષણ વિભાગની ટીમોને સજ્જ કરી રસીકરણનું મહાઅભિયાન હાથ ધરવામાં આવશે. શિક્ષણ અને આરોગ્ય વિભાગ રસીકરણ ઝુંબેશ સંયુક્ત રીતે કરશે કામ
    વધુ વાંચો
  • ગુજરાત

    CM રૂપાણીએ આજે અંબાજી ખાતે દર્શન કર્યા, જાણો માં અંબાને શું કરી પ્રાર્થના

    ગાંધીનગર-મા અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારની વહેલી સવારે અંબાજી મંદિરમાં માતાજીની આરતી કરી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંજલિબહેન રૂપાણી સાથે આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. કોરોનાની બીજી લહેર પર સફળતા મેળવ્યા બાદ વધુ જનહિત કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે તથા ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, મહત્તમ વેક્સિનેશનથી કોરોનાની ત્રીજી લહેરને અટકાવી શકાશે અને હારશે કોરોના, જીતશે ગુજરાતના મંત્રને આપણે સૌ સાથે મળીને ચરિતાર્થ કરી શકીશું.  આ પ્રસંગે ધારાસભ્ય શશીકાંત પંડ્યા, બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, આસિસ્ટન્ટ કલેક્ટર પ્રશાંત જીલોવા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડા સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.
    વધુ વાંચો
  • ગુજરાત

    નડાબેટ સીમાદર્શન કાર્યક્રમથી ગુજરાતને બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વના પ્રવાસન સ્થળોમાં મોખરાનું સ્થાન મળશે

    બનાસકાંઠા -બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ફરજ બજાવતા B.S.F.ના જવાનોની તથા ઝીરો પોઈન્ટની મુલાકાત લીધી હતી. આપણે સમાજમાં સુખ અને શાંતિપૂર્વક જીવી રહ્યાં છે એનો શ્રેય આપણા દેશની સુરક્ષા માટે બોર્ડર પર ખડે પગે, જીવના જોખમે ફરજ બજાવી રહેલા દેશના જવાનોને ફાળે જાય છે. નડેશ્વરી મંદિરથી સીમાદર્શન માટેના ઝીરો પોઇન્ટ સુધી જવાના માર્ગ પર T જંકશન પાસે વિવિધ યાત્રી સુવિધાના કામો અલગ-અલગ ફેઇઝમાં હાથ ધરાઇ રહ્યા છે.ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે આવેલ ભારત પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદે, રૂપિયા 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે સુવિધા વિકસાવાશે. આગામી 15મી ઓગસ્ટ સુધીમાં સુવિધા ઉભી કરી દેવાની નેમ ગુજરાત સરકારે રાખી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે, નડાબેટ ખાતે ચાલી રહેલા વિકાસ કામોની સમિક્ષા હાથ ધરી હતી. નડાબેટ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદના સ્થળે સૂર્ય ઉર્જાથી ઝળહળતુ કરાશે. જેના માટે કુલ 14 જેટલા સોલાર ટ્રી લગાવાશે. જેના કારણે સીમાદર્શન-બોર્ડર સુધીના વિસ્તારનો અંધકાર દૂર કરી શકાશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નડાબેટ સીમાદર્શન કાર્યક્રમથી ગુજરાતને બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વના પ્રવાસન સ્થળોમાં મોખરાનું સ્થાન અપાવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    બનાસકાંઠામાં ખેતરમાં વીજળી પડતાં અનેક પશુઓના મોત

    બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે અચાનક વાવાઝોડું આવ્યું હતું. જાેકે, પહેલા જ વરસાદમાં બનાસકાંઠામાં વીજળી પડવાનો બનાવ બન્યો છે. ખેતરમાં વીજળી પડતા એક ખેડૂતના પશુઓનું મોત થયું છે. જેથી ખેડૂતની રોજગારી છીનવાઈ છે. બનાસકાંઠાના દિયોદર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યુ હતું. મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં કાચા મકાનો અને છાપરાઓના પતરા ઉડ્યા હતા. ભાદર ગામે પશુઓને બાંધવાનું ઢાળીયું પડતાં એક ગાયનું મોત થયું છે. તો ભારે પવનના કારણે બાજરી સહિત અનેક પાકો ઢળી ગયા છે. મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવતા ભારે પવનથી અનેક મકાનોના પતરા ઉડ્યા છે. દિયોદરના મોજરું ગામે ભારે પવનથી રહેણાંક મકાનોને નુકસાન થયું છે. દિયોદર સહિત અનેક પંથકમાં ખેતીના પાકોને નુકશાન પહોંચ્યું છે. બનાસકાંઠા ભાભર તાલુકાના ખારા ગામે મોડી રાત્રે ભારે પવન અને વરસાદ સાથે વિજળી પડી હતી. ભાભર તાલુકાના ખારા ગામે એક ખેડૂતના ખેતરમાં વીજળી ત્રાટકી હતી. જેથી એક ખેતર બાંધેલ ૨ ભેંસોના મોત થયા છે. તો એક ભેંસ ઘાયલ થઈ છે. ભાગીયા તરીકે ખેતીકામ કરતા ખેત મજૂરની ૨ ભેંસોના મોત થતાં ખેડૂતના માથા પર આભ તૂટી પડ્યું હતું. તેની આજીવિકા છીનવાઈ છે. ત્યારે આ ગરીબ ખેડૂતને સરકાર સહાય કરે તેવી સરપંચ સહિત ગામ લોકોએ અપીલ કરી. તો બીજી તરફ, બનાસકાંઠામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતાં માર્કેટયાર્ડમાં પડેલ માલ પણ પલળી ગયો છે. ભીલડી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડી રહેલ બાજરી સહિતનો માલ પલળ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યૂને લઈને જુઓ શું લેવાયો નિર્ણય, આ તારીખ સુધી કર્ફ્યૂ યથાવત

    ગાંધીનગર-ગુજરાતની 8 મનપા સહિત 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે સરકારે ગુજરાતના 36 શહેરોમાં લાગેલા કર્ફ્યૂને લંબાવ્યું છે, આગામી 18 મે સુધી કર્ફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે. આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાને લઈને સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ નિયંત્રણો મુકવા કરેલા સૂચનનો સરકાર સ્વીકાર કરી લગ્નો અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ કડક હાથે કામ લ્યે તેવી શકયતા છે. એટલુ જ નહિ લગ્ન સમારોહ ઉપર ૧૫ દિવસનો પ્રતિબંધ લાદવામાં આવે તેવી શકયતા છે. ધાર્મિક કાર્યક્રમોમા પણ સંખ્યા સીમીત કરવામાં આવે તેવી શકયતા છે. હાઈકોર્ટમાં એવી દરખાસ્ત થઈ હતી કે લગ્નોમાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો ૧૫ દિવસ માટે પ્રતિબંધીત કરવામાં આવે. અનેક ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન કાર્યક્રમોમાં ભીડ થાય છે તે બંધ થવુ જોઈએ. હાલ લગ્ન સમારોહમાં ૫૦ લોકોની હાજરી નિશ્ચિત કરવામાં આવી છે. તેમા ઘટાડો કરવામા આવે તેવુ સૂચન થયુ છે. સરકારે પણ આ સંખ્યા ઘટાડવા તૈયારી દર્શાવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત મોડલ ?, આવી ગરમીમાં ટેન્ટ નીચે સારવાર લેવા મજબુર દર્દીઓ

    પાલનપુર-બનાસકાંઠામાં કોરોના નો કહેર આજે પણ યથાવત છે ત્યારે ડીસાના ગ્રામીણ વિસ્તારમાં ગ્રામજનો દ્વારા શાળાઓમાં હોસ્પિટલ ઉભી કરાઈ છે તો ક્યાંક ટેન્ટ નીચે દર્દીઓને સારવાર અપાઇ રહી છે. બનાસકાંઠામાં દિન-પ્રતિદિન કોરોના કહેર સાથે વાયરલ ફીવર ના કેસો દિન-પ્રતિદિન વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગયા છે ત્યારે લોકોને સારવાર ક્યાં કરાવી તેને લઈને સમસ્યા ઊભી થઈ છે સાથે હાલમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના નું સંક્રમણ વધુ છે. ત્યારે ગ્રામીણ વિસ્તારના લોકોને શહેરોની હોસ્પિટલમાં સારવાર ન મળતા ગ્રામજનોની મદદથી હવે ગામડાઓની અંદર હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે. જેમાં ડીસાના આસેડા ગામે ગ્રામજનોએ ઘર ઘર ફરી ખાટલા ઓ ભેગા કરી અને પ્રાથમિક શાળામાં ૪૦ બેડની હોસ્પિટલ શરૂ કરી છે.બે તબીબો દ્વારા રોજે આસેડા સહિત આસપાસના ૧૦૦ વધુ દર્દીઓને સારવાર અપાઇ રહી છે. જાેકે ગ્રામજનો દ્વારા ગામમાં દર્દીઓ માટે ઓક્સિજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ડીસાના જુનાડીસા માં પણ કોરોના અને વાઇરલ ફીવરના દર્દીઓ વધતા ગ્રામજનો દ્વારા ગામમાં ટેન્ટ નીચે દર્દીઓને સારવાર આપવા માટે વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં રોજે ૨૦૦થી વધુ દર્દીઓને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. જાેકે ગામની અંદર ઓક્સિજન ની પણ વ્યવસ્થા મળી રહે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો કેટલાક દર્દીઓ ઝાડ ઉપર બોટલો લગાવી અને સારવાર લઇ રહ્યા છે. તો ક્યાંક ટેન્ટ લગાવીને સારવાર કરી રહ્યા છે તો ક્યાંક શાળાઓમાં સારવાર લઇ રહ્યા છે જાેકે હાલમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના ના કેસ વધતા હવે ગ્રામજનોએ ગામમાં હોસ્પિટલ ઉભી કરી દીધી છે. જાે કે બનાસકાંઠાના અનેક ગામો એવા છે જ્યાં ગામની અંદર શાળાઓમાં ,પંચાયત ઘરોમાં, હોસ્પિટલ ઉભી કરીને દર્દીઓને સારવાર મળી રહે તે માટેનું આયોજન કર્યું છે. ડીસામાં મોટાભાગની હોસ્પિટલો હાઉસફૂલ છે જેથી ગ્રામીણ વિસ્તારના દર્દીઓ ને સારવાર ન મળતાં આસેડા જુનાડીસા અને રાણપુર જેવા ગામોમાં હાલ ગામલોકો દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરાઇ છે.જાેકે તંત્ર અને સરકાર ની મદદ વગર દર્દીઓ ખૂબ સારી રીતે સારવાર લઈ રહ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતના આ જીલ્લામાં ઓક્સિજન ખૂટતા હાહાકાર, એક જ દિવસમાં 15થી વધુના મોત

    બનાસકાંઠા-ડીસામાં ઓક્સિજન ખૂટતા દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. એક જ દિવસમાં ૨૦થી વધુ દર્દીઓના ઓક્સિજનના કારણે મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો છે. જો કે દર્દીના સગાઓએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. બનાસકાંઠામાં કોરોના પીડિત દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર પાસે અપૂરતી સુવિધાના કારણે બનાસકાંઠામાં અનેક દર્દીઓ ના મૃત્યુ થઈ રહ્યા છે અને જેમાં મેડિકલ હબ ગણાતા ડીસામાં ઓક્સિજન ના અભાવે એક જ દિવસમાં ૨૦થી વધુ દર્દીઓ મોતને ભેટયા છે. મોટાભાગના આયુસીયુ સેન્ટરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન હોવાના કારણે દર્દીઓના મોત થઈ રહ્યા છે .હેત આઈસીમાં પાંચ દર્દીઓના મોત થતા દર્દીના સગાઓએ રોષ વ્યક્ત કરી ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે આઇસીયુ સંચાલકે ઓક્સિજન ન હોવાનું જણાવ્યું હતું. મેડિકલ હબ ગણાતા ડીસામાં દિન-પ્રતિદિન દર્દીઓના મોત માં વધારો થઈ રહ્યો છે. ડીસા સિવિલ હોસ્પિટલમાં 40 બેડની હોસ્પિટલ સામે માત્ર સાત જ બેડમાં ઓક્સિજન મળે તેવી વ્યવસ્થા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ન હોવા ના કારણે દર્દીઓના મૃત્યુનો થઈ રહ્યા છે. જોકે તંત્રનો દાવો પોકળ પુરવાર થઇ રહ્યો છે. એક તરફ રેમડીસીવર કાળા બજાર બીજી તરફ ઓક્સિજનની અછતના કારણે સમગ્ર જિલ્લાના દર્દીઓમાં મૃત્યુનો આંક વધી રહ્યો છે.જોકે તંત્ર આખરે જિલ્લામાં સુવીધા ઉભી કરવામાં નિષ્ફળ સાબિત થયું છે.બનાસકાંઠા કલેકટરે આનંદ પટેલ અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો જીગ્નેશ હરિયાણી પૂરતા પ્રમાણમાં સુવિધા હોવાના દાવા કરે છે ત્યારે ડીસામાં દર્દીઓને કાળા બજારમાં ઇન્જેનશન લેવા મજબુર છે. તો આઇસીયું માં કોઈ દર્દીને દાખલ કરવા તૈયાર નથી. 
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતની આ નર્સે એકલા હાથે 1300થી વધુ સગર્ભાઓની કુદરતી પ્રસૂતિ કરાવી

    પાલનપુર-‘એક માતાના ઉદરમાંથી બાળક જન્મે ત્યારે માતા અને પરિવારજનો એ રડતાં બાળકનો પ્રથમ વખત ચહેરો જાેઇને હર્ષના આંસુ સારે છે. ત્યારે મને મારી ફરજ પ્રત્યે માન થાય છે કારણ કે ઇશ્વર જે બાળકને સર્જે છે તેને પૃથ્વી ઉપર અવતારવાનું કામ મને સોંપ્યું છે.’ આ શબ્દો છે. ખેડૂત પુત્રી અને પાલનપુર તાલુકાના ગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિચારિકા મધુબેન ચૌધરીના કે જેઓએ બનાસકાંઠામાં સૌથી વધુ ૧૩૪૯ બાળકોની કુદરતી પ્રસૂતિ કરાવી છે. ગઢપંથકમાં વસવાટ કરતાં ગરીબ પરિવારો માટે મડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં ફિમેલ હેલ્થ વર્કર મધુબેન રામજીભાઇ ચૌધરી દેવદૂત સમાન બની ગયા છે. મધુબેનને નાનપણથી લોકસેવા કરવાનો મનમાં ર્નિણય લીધો હતો. પિતાજીએ ઉચ્ચ અભ્યાસ કરાવી તેમનું સપનું પૂર્ણ કર્યુ. મધુબેને જણાવ્યું હતુ કે, ગઢમાં મારું પોસ્ટિંંગ થયું ત્યારે જાણ્યું કે, ગરીબ પરિવારોને ખાનગી હોસ્પિટલોમાં લૂંટાઈ રહ્યા છે. આથી સગર્ભા માતાઓની મુલાકાતો શરૂ કરી તેમને સરકારી દવાખાને વિનામૂલ્યે પ્રસુતિ માટે સમજાવ્યા પરિણામ એ મળ્યું કે, સાત વર્ષમાં મારા હાથે ૧૩૪૯ બાળકોનો કુદરતી જન્મ કરાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ પ્રસૂતિ કરાવ્યાનો મને આનંદ છે. જે બદલ સામાજીક સંસ્થા દ્વારા મારું સન્માન પણ કરવામાં આવ્યું છે. મધુબેન ચૌધરી છેલ્લા સાત વર્ષમાં કરાવેલી પ્રસુતિઓમાં એકપણ માતા કે શિશુનું મૃત્યું થયું નથી જેને સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવે છે. તેમના લગ્ન વડગામના ચંગવાડા ગામના એન્જિનિયર ભરતભાઇ સાથે થયા છે. તેમને એક પુત્રી ધૃતિ છે. પતિ પણ ડિલિવરી વખતે તેમ જ ઘરકામમાં મદદ કરે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?

    વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ

    અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
    વધુ વાંચો
  • રાજકીય

    પ્રતિષ્ઠા ભૂખ્યા BJPના નેતા અલ્પેશ ઠાકોરે મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં ભેગી કરી ભીડ

    પાલનપુર-ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે હરણફાળ ભરી છે. રાજ્યમાં સતત કોરોના કેસનો આંકડો રોકેટ ગતિએ વધી રહ્યો છે. ત્યારે સરકારે રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રી કફ્ર્યું નાખ્યો છે. જયારે રાજ્યના ૧૦૦ થી વધુ નાના શહેરો અને ટાઉનમાં સ્વયંભૂ કફ્ર્યું અથવા લોકડાઉન નાખવામાં આવ્યું છે. લગ્ન જેવા પ્રસંગોએ પણ ૧૦૦ થી વધુ વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવો છે. ત્યારે નેતાઓના હજુ પણ જાહેર કાર્યક્રમોમાં ભીડ ભેગી રહ્યા છે. એકબાજુ જનતા ઉપર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તો શું નેતાઓના કાર્યક્રમમાં કોરોના નથી ડોકાતો..? પોતાની પ્રસિદ્ધિ માટે લોકોના જીવ જાેખમમાં મૂકી નેતાઓ ભીડ ભેગી કરતા જાેવા મળ્યા છે. કોરોના મહામારીના સમયમાં સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરા પડવાની જગ્યાએ આ ભાજપના નેતા ઉંધી ગંગા વહાવી રહ્યા છે. અને કોરોના કાળમાં મંદિરમાં ભીડ ભેગી કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા કોરોના મહામારીમાં પણ નેતાઓના કાર્યક્રમ યથાવત્‌ જાેવા મળ્યા છે. ગીડાસણ ગામે અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ભીડ એકત્ર થઇ હતી. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ભીડ એકત્ર થઇ હતી. જ્યાં સરેઆમ સો.ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડતા જાેવા મળ્યા હતા. કોરોના મહામારી સમયે પણ નેતાઓ તાયફા કરી રહ્યા છે. જયારે અવારનવાર સોશિયલ મીડિયામાં કોરોનાથી ભયાવહતા દર્શાવતા વિડીયો પણ હાલમાં વાઈરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પણ આ નેતા આવા તાયફા કરી શું સાબિત કરવા માંગે છે ? ભીડ કઈ રીતે એકત્ર થઈ તેને લઈ વહીવટી તંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૩ લાખને પાર કરી ચુક્યો છે. અને તો રાજ્યમાં કોરોનાથી મૃત્યુ આંક પણ સતત વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગતરોજ ૩૫ લોકોના કોરોનાથી મોત થયા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ

    ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ

    અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ

    અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ

    અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    દારૂની હેરાફેરી કરતો હોમગાર્ડ જવાન ઝડપાયો

    અંબાજી, ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી હોમગ્રાડ યુનિટ માં છેલ્લા ૫ વર્ષ થી ફરજ બજાવતો હર્ષ હરેશભાઇ દવે પોતાની અલ્ટો કાર માં વિદેશી દારૂ ભરી ને ઉભો છે તેવી હકીકત અંબાજી પોલીસ ને મળતા પોલીસ સબઇન્સ્પેક્ટર પીકે લીંબચીયા એ.એસ.આઇ રઘુભાઇ પોલીસ સ્ટાફ સાથે અંબાજી હાઇવે પર આવેલી શામળ ભાઈ ની ચા ની હોટલ આગળ ઉભેલી અલ્ટો કાર ની તપાસ કરતા ૪૨ બોટલ વિદેશી દારૂ ની કિંમત રૂપિયા ૫૨૨૦૦ નું ઝડપી પડ્યો છે.તેમજ અલ્ટો કાર અને મોબાઈલ સહીત કુલ રૂપિયા ૧.૩૭ લાખ નો મુદ્દામાલ કબ્જે કરી એ.એસ.આઇ રઘુભાઇ એ દાખલ કરેલી ફરિયાદ ના આધારે પોલીસ સબઇન્સ્પેક્ટ પીકે લીમ્બાચીયા વધુ તપાસ કરી રહ્યા છે. અંબાજી માં હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવતો હર્ષ હરેશભાઇ દવે પોતે હોમગાર્ડ ની નોકરી સાથે અંબાજી મંદિર ના પ્રસાદ વિતરણ કેન્દ્ર માં સુપરવાઈઝર તરીકે પણ ઓઉટસોર્સ તરીકે ફરજ બજાવતો હતો અને આ હર્ષ દવે ની ગાડી માંથી પકડાયેલો રૂપિયા ૫૨૨૦૦ નો વિદેશી દારૂ લાવા લઇ જવા પાછળ કોનો દોરી સંચાર છે તેની શોધ પોલીસ કરી રહી છે ને હોમગાર્ડ તરીકે ફરજ બજાવાની સાથે અંબાજી મંદિર માં પ્રસાદ વિતરણ કેન્દ્ર માં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હોય ત્યારે પોતાની ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે પોતાની ફરજ માં બેદરકારી ને લઈ આકરા પગલાં લેવાય તેવી પ્રજા ની માંગ ઉઠી છે અંબાજી પોલીસે નશાબંધી ના નવા કાયદા અનુસાર ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ

    અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 810 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,78,207 કેસ

    અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 810 થી વધુ નોંધાયા છે. જેની સામે 586 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4424 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 810 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,78,207 થયો છે. તેની સામે 2,69,361 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4422 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4422 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 54 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4368 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,361 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4424 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
    વધુ વાંચો