બનાસકાંઠા સમાચાર

  • ગુજરાત

    યાત્રાધામ અંબાજી હવે ગુજરાતનું નવુ પ્રવાસન સ્થળ બનીને ઉભરશે

    ગાંધીનગર ગુજરાત હવે ટુરિઝમ હબ બની રહ્યું છે. અહી આવનાર મુલાકાતીને રાજ્યનો એક એક ખૂણો જાેઈ શકે તે માટે સરકાર વિવિધ આયોજનો કરી રહી છે. ગુજરાતના એક પછી એક સ્થળો ટુરિઝમ હોટસ્પોટ બની રહ્યાં છે. હવે વારો અંબાજીનો છે. અંબાજી હવે ગુજરાતનું નવુ પ્રવાસન સ્થળ બનીને ઉભરશે. ગુજરાત સરકારે એક આલાગ્રાન્ડ યોજના બનાવી રહી છે. અંબાજીમાં અંબે માતા વિશે લોકોની આસ્થા અને ભક્તિને ધ્યાનમાં રાખીને વિકાસનો રોડમેપ તૈયાર કરાઈ રહ્યો છે. ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, કાયમી રોશની સાથે વિવિધ આયોજનોનું પ્લાનિંગ કરાયું છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી મંદિરમાં દર્શને આવે છે. જેથી અંબાજીને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ જેવું નવુ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવાશે. આ માટે ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, સંસ્કૃત પાઠશાલા, મંદિર પર કાયમી રોશની, નવુ બસ સ્ટેન્ડ, માંગલ્ય વન, નેચરલ એજ્યુકેશન સેન્ટર સહિતના આકર્ષણો ઉમેરવામાં આવશે. ૩૫ કરોડના ખર્ચે બની રહેલા ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટરની બાજુમાં વિશાળ ભોજનાલય પણ બનશે. જેમાં હજારો લોકો એકસાથે જમી શકશે. અત્યાર સુધી મંદિરનું શિખર સુવર્ણજડિત હતું. પરંતું હવે આગામી સમયમાં મંદિરના શિખર નીચેની પેટી, સભામંડપ ઉપરના મુખ્ય ઘુમ્મટ તથા નાના ઘુમ્મટવાળી ત્રણ ચોકીઓ, નૃત્યમંડપને પણ સુવર્ણજડિત કરાશે. એટલુ જ નહિ, આ આયોજનમાં અંબાજીના આજુબાજુ આવેલા મંદિરોને પણ આવરી લેવાશે. જેમાં કોટેશ્વર મહાદેવ, કામાક્ષી મંદિર, કુંભારીયા જૈન તીર્થ સહિત અન્ય ધાર્મિક સ્થળોને પણ આવરી લેવાશે. આ ઉપરાંત અંબાજીમાં વિવિધ પ્રતિમાઓ પણ લગાવવામાં આવશે.જાે અંબાજીમાં ધાર્મિક ટુરિઝમ વધશે, તો સ્થાનિક સુવિધાઓ પણ વધારાશે. જેમ કે, રોડ-રસ્તા, પાણી, વીજળી, ફૂડ વગેરેને ધ્યાનમાં રાખવામાં આવશે. આ વિકાસથી સ્થાનિક લોકોને વધુ રોજગારી મળશે.
    વધુ વાંચો
  • ક્રાઈમ વોચ

    કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ

    વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ..  ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    દાંતા નજીક ટ્રકે ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર સાતનાં મોત

    દાંતા, તાલુકાના કૂકડી ગામના ૨૫ જેટલાં શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાં બેસીને રામદેવરા મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. ત્યારે આ શ્રદ્ધાળુઓ સાથે એક દુઃખદ ઘટના બની હતી. તેમના ટ્રેક્ટરને એક ટ્રકે ભયંકર ટક્કર મારી હતી. જે બાદ કેટલાંક શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાંથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં સાત જેટલાં શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. જ્યારે કેટલાંક શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. રોંગ સાઈડમાંથી આવતા ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. સાતે જ ૧૦૮ અને પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યારે પોલીસે મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દાંતા તાલુકાના કૂકડી ગામના ૨૫ જેટલાં શ્રદ્ધાળુઓએ રાજસ્થાનના રામદેવરા મંદિરે દર્શન કરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. ગઈ રાત્રે આ તમામ શ્રદ્ધાળુઓ પાલી હાઈવે પહોંચ્યા હતા. આ તમામ શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાં બેસીને દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે એક ટ્રકે તેમના ટ્રેક્ટરને ભયંકર ટક્કર મારી હતી. જે બાદ કેટલાંક શ્રદ્ધાળુઓ નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં સાત જેટલાં લોકોનાં મોત થયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જ્યારે ૧૫થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બનાવની જાણ થતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ ૧૦૮ અને પોલીસ ટીમને પણ કરવામાં આવી હતી. ૧૦૮ અને પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ભયંકર અકસ્માતમાં ટ્રેક્ટરનો ભૂકો બોલી ગયો હતો. તો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહ કબજે કર્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે આ ટ્રક રોંગ સાઈડમાથી આવ્યું હતું. જે બાદ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારી હતી. આ ટ્રેક્ટરમાં ૨૫ લોકો સવાર હતા. આ ભયંકર ટક્કર માર્યા બાદ લોકો ટ્રેક્ટરની આગળ ઉછળીને પડ્યા હતા. તો પોલીસે પણ આ અકસ્માતનું સાચુ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. તો અકસ્માત બાદ કૂકડી ગામમાં માતમ છવાઈ ગયો છે. હોંશે હોંશે ભગવાનના દર્શન કરવા નીકળેલા યાત્રીઓને જ અકસ્માત નડતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. સાત લોકોનાં મોત થયા છે અને તેમના પરિવારમાં પણ ભારે આક્રંદ જાેવા મળી રહ્યું છે. બીજી તરફ, આ બનાવના પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટિ્‌વટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે આ મામલે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પોલીસ હુમલા કેસમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જામીન મળ્યા

    બારપેટા, ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામના બારપેટા જિલ્લાની સ્થાનિક અદાલતે પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાના કેસમાં જામીન આપ્યા છે. આ કેસમાં તેમને અગાઉ કોર્ટે પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટ્‌વીટ કરવાના સંબંધમાં પાલનપુરના સરકીટ હાઉસમાંથી અડધી રાતના ધરપકડ કરવામાં આવેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સોમવારે આસામની કોકરાઝાર કોર્ટે જામીન આપ્યા હતા. જાે કે, જામીન મળ્યા પછી, આસામ પોલીસે અધિકારીઓ પર હુમલો કરવાના કેસમાં તેમની તુરત જ ફરીથી ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું કે કોંગ્રેસ સમર્થિત ધારાસભ્ય મેવાણી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મેવાણી વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમણે પોતાના ટિ્‌વટમાં દાવો કર્યો છે કે, ગોડસેને ભગવાન માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાંપ્રદાયિક સંઘર્ષ સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જાેઈએ. ઉપરોક્ત ટ્‌વીટના સંદર્ભમાં, ઉપરોક્ત માટે મેવાણી સામે ગુનાહિત કાવતરું, ૧૫૩ (છ) (બે સમુદાયો સામે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), ૨૯૫ (છ) અને ૫૦૪ (શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાના હેતુથી વસ્તુઓ કહેવું) ટિ્‌વટ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    જિજ્ઞેશ મેવાણીને મહિલા પોલીસકર્મીની છેડતીના કેસમાં ૫ દિવસના પોલીસ રિમાન્ડ

    બારપેટા, ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની તકલીફો દૂર થવાની નામ લેતી નથી. મંગળવારે આસામના બારપેટા જિલ્લાની સ્થાનિક અદાલતે મહિલા પોલીસકર્મીની છેડતીના કેસમાં મેવાણીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્‌વીટ કરવા બદલ કોર્ટે સોમવારે જ જીગ્નેશ મેવાણીને જામીન આપ્યા હતા. જામીન બાદ તરત જ જીગ્નેશ મેવાણીની અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મહિલા પોલીસકર્મી સાથે ગેરવર્તનના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તરત જ પોલીસે અન્ય એક કેસમાં મેવાણીની ધરપકડ કરી હતી. આ દરમિયાન જીગ્નેશ મેવાણીને કોકરાઝારથી બારપેટા લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેના પર મહિલા પોલીસકર્મીઓની છેડતી અને દુર્વ્યવહારનો આરોપ લાગ્યો હતો. આ પહેલા જીગ્નેશ મેવાણીની પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્‌વીટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મેવાણીની આસામ પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. આ કેસમાં મેવાણી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડમાં હતો.જિગ્નેશ મેવાણી સામે નોંધાયેલી ફરિયાદમાં તેમની સામે અનેક કલમો લગાવવામાં આવી છે. તેમના પર ભાજપ, આરએસએસ અને પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ અને નિંદાત્મક ટિપ્પણી કરવાનો આરોપ છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા પણ મેવાણીએ કેટલાક વિવાદાસ્પદ ટિ્‌વટ કર્યા હતા, જેના પર પોલીસે નોંધ લીધી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સૌરાષ્ટ્રનાં હવામાનમાં પલટો ભરશિયાળે ઝાપટાં

    રાજકોટ, સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવતા શનિવાર સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે ત્યારે આ આગાહીના પગલે ગઈકાલ રાત્રીથી ફરી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભરશિયાળામાં ચોમાસુ માહોલ જામ્યો છે અને ઠેર-ઠેર ઝાપટા સાથે કમોસમી વરસાદ પડવા લાગ્યો છે. ગઈકાલે રાત્રીના અને આજે સવારે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમદાવાદ, જામનગર, અબડાસા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, ખંભાળિયા અને અરવલ્લીમાં વરસાદ પડયો હતો.દરમિયાન સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલો મુજબ આજે સવારે પુરા થતા ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા, કચ્છ, દ્વારકા અને અરવલ્લી જિલ્લાના ૯ તાલુકાઓમાં ઝાપટા વરસ્યા હતા. સાબરકાંઠાના વિજયનગર, બનાસકાંઠાના ધાનેરા, ડીસા, લાખાની તથા પાટણ, શંખેશ્ર્‌વર અને અમદાવાદમાં કમોસમી વરસાદ પડયો હતો. અમદાવાદમાં આજે વ્હેલી સવારે પણ વરસાદ પડયો હતો. રાજકોટ શહેરમાં ગતરાત્રે ઝાપટાંએ રોડ-રસ્તા ભીના કરી દીધા બાદ આજે પણ સવારે ચોમાસુ માહોલ વચ્ચે છાંટા પડયા હતા. ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે આખો દિવસ તથા આજે પણ સવારથી વાતાવરણમાં પલટો યથાવત હતો. ગઈકાલે બપોર બાદ આખા જિલ્લામાં કમોસમી છાંટા વરસ્યા હતા. જે આજે પણ અવિરત રીતે વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ખંભાળિયા તાલુકા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મોસમમાં પલટો આવ્યો છે. આજે પણ સવારથી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને ઘટાટોપ વાદળો વચ્ચે ખંભાળિયા તાલુકામાં ગઈકાલે બપોરથી કમોસમી છાંટા વરસ્યા હતા. ફિશસરીઝ વિભાગ દ્વારા માછીમારોને તાકીદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આગામી તારીખ ૫ થી ૭ જાન્યુઆરી સુધી માછીમારો જાેગ એક જાહેર ચેતવણી જારી કરવામાં આવી છે. તંત્ર દ્વારા જણાવાયા મુજબ ત્રણ દિવસ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના વચ્ચે માછીમારોને દરિયામાં દૂર સુધી માછીમારી ન કરવા તથા કિનારાની નજીક રહી અને માછીમારી કરવા ઉપરાંત ભારે પવન તથા વરસાદની પરિસ્થિતિમાં તાકીદે કિનારા પર પહોંચી જવા જિલ્લાના જુદા જુદા મત્સ્યોદ્યોગ કેન્દ્ર તથા આ અંગેના એસો.ને લેખિત પત્ર દ્વારા જણાવાયું છે. મળતી વિગતો મુજબ જામજાેધપુરના મોટી ગોપ ગામે એકધારો ૩૦ મિનિટમાં પોણો ઇંચ વરસાદ થયો હતો તેમજ જામજાેધપુર શહેરમાં પણ ગત સાંજે છ વાગ્યાથી મોડીરાત સુધી ધીમીધારે વરસાદી છાંટા પડયા હતા. જામજાેધપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે વ્હેલી સવારથી વરસાદી વાતાવરણ સાથે વરસાદના છાંટા ચાલુ રહ્યા હતા. જામનગર શહેર અને જિલ્લામાં મોસમએ ફરીથી કરવટ બદલી છે. માવઠાને પગલે ધરતીપુત્રોને હાલાકીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય સમગ્ર ગુજરાતમાં ૩ દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની સિઝન દરમ્યાન પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. હાલની પરિસ્થિતિ મુજબ સમગ્ર ગુજરાતના ખેડૂતો દ્વારા શિયાળાની શરૂઆત થતાની સાથે જ શિયાળું પાકોનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું હતું. જીરું, વરિયાળી અને ચણા જેવા રવિ પાકોનું વાવેતર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ શિયાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદી ઝાપટાંને પગલે શિયાળું પાકમાં વાવેતરને નુકસાનની ભીતિ સર્જાઇ હોય તેવું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ વાતાવરણમાં ભેજ હોય તેઓ સ્પષ્ટ અહેસાસ થઇ રહ્યો છે. તેવા સંજાેગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સહિતના પંથકોમાં વહેલી સવારથી વાતાવરણ ભેજ વાળું લોકો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તે સાચી પડી છે. આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો સમય આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં લીંબડી, સાયલા, ચોટીલા, થાન, વઢવાણ, જાેરાવરનગર અને રતનપર સહિતના ગામોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    બટુક મોરારીએ મુખ્યમંત્રીને ધમકી આપતો વીડિયો ડીસામાં બનાવ્યો હતો

    ડીસા, વાવના મહેશ શંકરલાલ ત્રિવેદી ઉર્ફે રામકથાકાર બટુક મોરારીએ બે દિવસ અગાઉ મુખ્યમંત્રી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જે અંગે તેની રાજસ્થાનથી ધરપકડ કરાયા બાદ ડીસા દક્ષિણ પોલીસે આ બટુક મોરારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બટુક મોરારીએ મુખ્યમંત્રી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી અને જાે પૈસા નહીં પહોંચાડે તો અકસ્માત કરાવી જાનથી મરાવી નાખવાની ધમકી આપતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને વાવ પોલીસ સહિત બનાસકાંઠા જિલ્લા એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી હતી.આ દરમિયાન આ મહેશભાઈ ઉર્ફે બટુક મોરારી રાજસ્થાનના રેવદર પાસે હોવાની માહિતી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછ કરતા આ બટુક મોરારીએ ડીસામાં ફુવારા સર્કલ પાસ આવેલી શિવ હોટલમાં ૨૫ નવેમ્બરના રોજ રોકાયો હતો અને તે દિવસે આ હોટલના રૂમમાં જ તેને આ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. જેથી ડીસા દક્ષિણ પોલીસે આ બટુક મોરારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વડગામના પૂર્વ ધારાસભ્ય મણીભાઇ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

    વડગામ, વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષનો સમય છે પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શમવાનું નામ લઇ રહ્યો નથી. હવે વડગામ બેઠક પરના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ રાજીનામુ ધરી દીધું છે. મણીભાઈ વાઘેલાએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં પાર્ટી પર સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરી કહેવાતા દલિત નેતાઓને પ્રોત્સાહન આપી પક્ષમાં પ્રવેશ આપીને ગુજરાતના જૂના પીઢ નેતાઓનું સ્વમાન હણાય તેવા પ્રયત્નો કરવાના આરોપ લગાવ્યા છે. તેમણે પાર્ટીના સક્રિય કાર્યકરપદેથી અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. તેઓ છેલ્લા ૩૦ થી ૪૦ વર્ષોથી પાર્ટીમાં કાર્યરત છે. ૨૦૧૨ ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના કેબિનેટ મંત્રીને હરાવીને જીત મેળવી હતી. તેમણે કહ્યું કે, સત્તાધારી પાર્ટી દ્વારા અનેક પ્રલોભનો આપવામાં આવ્યા છતાં અમે અડીખમ રહ્યા હતા.તેમના કહેવા અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડે દિલ્હી બોલાવીને વડગામ બેઠક માટે પક્ષનો મેન્ડેટ આપવાનું વચન આપ્યું હતું પરંતુ ૨૦૧૭ ની ચૂંટણીમાં પાર્ટીએ એ વચન પાળ્યું ન હતું અને તેમને બેઠક ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. અહીં નોંધવું જાેઈએ કે ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીએ વડગામ બેઠક પરથી ચૂંટણી લડી હતી.કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉભો ન રાખી તેમને બહારથી સમર્થન પૂરું પાડ્યું હતું. આ બેઠક મણીભાઇ વાઘેલાએ ખાલી કરી હતી. જાેકે, તેમણે નામ લીધા વગર કહ્યું કે, ભડકાઉ ભાષણ આપીને દલિત નેતા તરીકે ઉભરી આવવાની ક્ષમતા મારામાં પણ છે પરંતુ મારી વિચારધારા પ્રમાણે પાર્ટી કોઈ કોમ કે જાતિની હોય શકે નહીં. ઉપરાંત તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખની અનઆવડત અને અપરિપક્વ ર્નિણયો અને હાલની પાર્ટીની નીતિ, વિચારધારા અને નાના કાર્યકરોની ઉપેક્ષાને પગલે તેમણે પાર્ટી છોડવાની ફરજ પડી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગ્રામરક્ષક દળની ૬૦૦ જગ્યા માટે ૬ હજાર ઉમેદવારો પહોંચતાં અરાજકતા સર્જાઈ

    પાલનપુર, પાલનપુરમાં ગ્રામરક્ષક દળની ૬૦૦ જગ્યા માટે ૬ હજારથી વધુ ઉમેદવારો ઉમટી પડ્યા હતા. પાલનપુરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવતા બેરોજગારોનો મહાસાગર જાેવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમેદવારો આવતા ધક્કામુક્કી થઈ હતી. ભરતી પ્રક્રિયાની અવ્યવસ્થાના કારણે અરાજકતા સર્જાઈ હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે શનિવારે ય્ઇડ્ઢની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ હેડક્વાર્ટરમાં સવારથી ઉમેદાવારો પહોંચ્યા હતા. પરંતુ ૬૦૦ ભરતીની સામે હજારો ઉમેદવારો પહોંચી જતા અરાજકતા જાેવા મળી હતી. પોલીસે ઉમેદવારોને નિયંત્રિત કરવા માટે લાકડી બતાવવી પડી હતી. વધુ અફરાતફરીની સ્થિતિ ન સર્જાય એ માટે ઉમેદવારોને પોલીસે ગેટ પર રોકી રાખ્યાં હતા. પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહેલી ગ્રામ રક્ષક દળની ભરતી પ્રક્રિયામાં નોકરી મેળવવા માટે પાલનપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા. જાેકે, ૬૦૦ની ભરતી કરવાની છે. તેની સામે ૬ હજાર જેટલા બેરોજગાર યુવાનો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. જેથી ધક્કામુક્કી સર્જાઈ હતી. જેથી પોલીસે આ ઉમેદવારોને વ્યવસ્થિત રીતે ગોઠવી અને ભરતી પ્રક્રિયા સરળ બને તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા.આ અંગે બનાસકાંઠા ડી,વાય,એસ,પી., આર. કે. પટેલે જણાવ્યું હતું કે. અવસ્થા અને લાઠીચાર્જનો કોઈ સવાલ નથી ક્યાંય પણ લાઠી ચાર્જ થયો નથી. સવારે જે ઉમેદવારોને બોલાવેલા સમય પ્રમાણે એ લોકોને વાલિયો અને બીજા બધાને લઈને આવતા થોડુંક ટ્રાફિકજામ થયુ હતુ. એ પછી હેડક્વાટરનો જે મુખ્ય ગેટ છે એની અંદર લાઈન કરી ઉમેદવારોને સારી વ્યવસ્થા કરીને લાઈનસર યુનિટી અંદર લઈને એમને હોલ્ડિંગ એરિયામાં વ્યવસ્થિત બેસાડીને વારાફરતી રનીંગ ટ્રેક ઉપર લીધા છે. નવી ટેકનીક વ્યવસ્થા અમે સારી રીતે કરી છે. મેડિકલ વ્યવસ્થાપન રનીંગ ટ્રેક નજીક જ રાખેલી છે. પુરુષ માટે મેકમ ૧૭૮ હતું જે ફોર્મ ૪૬૭૧ જેવા ભરાયા હતા. તે તમામ પુરુષોને બોલાવીને દોઢની પ્રક્રિયા સમગ્ર ચાલી રહી છે, અને મહિલાઓની જે છે કે ટોટલ ૨૭૬ જેવી ખાલી જગ્યાઓ છે. જેમાં ૪૨૫ ફોર્મ ક્વોલિફાઈડ થયા છે. તેની તમામ પ્રક્રિયા આવતીકાલે રહેશે મહિલાઓ તમામ પ્રક્રિયા પાસ કરી તેમને પણ લેખિત પરીક્ષાનું આયોજન કરેલું છે. તેના આધારે મેરીટ લિસ્ટ બનાવીને જે ખાલી જગ્યાઓ છે તે ભરનાર છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વાવના ધારાસભ્ય ગેનીબેને સાસરીમાં ઉદઘાટનમાં લાજ કાઢીને ભાષણ આપ્યું

    બનાસકાંઠા, વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ઘૂંઘટ તાણીને (લાજ કાઢીને) સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા છે. દિયોદરના કોતરવાડા ગામે ગેનીબેન ઠાકોરનું સાસરું છે. સાસરિયામાં લાયબ્રેરીના ઉદ્‌ઘાટન પ્રસંગે તેઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન સમાજની સામાજિક પ્રથા અને વડીલોની મર્યાદા જાળવવા જાહેર મંચ પર તેમણે ઘૂંઘટ તાણીને જ ભાષણ આપ્યું હતું. ઘૂંઘટમાં ભાષણ આપતા તેમનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં આ વીડિયોને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જેમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે, ધારાસભ્ય હોવા છતા પણ પોતાના આદર્શો મુલ્યો અને સંસ્કારોને ભુલ્યા નથી. આ સંસ્કારોની તેમને શરમ નહી પરંતુ ગર્વ છે. જ્યારે અન્ય કેટલાક લોકો કહી રહ્યા છે કે, મહિલા સશક્તિકરણની વાતો થઇ રહી છે, પરંતુ ધારાસભ્ય જેવડા મોટા પદ પર પહોંચવા છતા તેમણે પુરૂષ પ્રધાન માનસિકતાનો શિકાર બનવું પડે છે અને ઘુંઘટ તાણવો પડે છે.
    વધુ વાંચો