કચ્છ-સૌરાષ્ટ્ર સમાચાર

  • ગુજરાત

    ફેબ્રુઆરી મહિનો આવ્યો છતાં ગીરના આંબા પર મોર ન આવતાં ખેડૂતોમાં ચિંતા

    જૂનાગઢ ઉનાળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉનાળો આવતાં જ લોકો ફળોના રાજા કેરીના આગમનની પણ રાહ જાેતા હોય છે, પરંતુ આ વર્ષે કેરીના રસિયા માટે માઠા સમાચાર આવ્યા છે. ગીરની પ્રખ્યાત કેસર કરીના આંબા પર ફેબ્રુઆરી સુધીમાં મોર લાગી જતા હોય છે, પરંતુ ૬૦ ટકા જેટલા આંબા પર ૧૨ ફેબ્રુઆરી સુધીમાં મોર ન બેસતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. આ સ્થિતિ માટે કૃષિ વૈજ્ઞાનિકો વાતાવરણને વિલન ગણાવી રહ્યા છે. ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લામાં આંબા પર મોર ન આવતાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બે દિવસ પહેલાં જ જૂનાગઢ, તાલાલા, આંકોલવાડી સહિતના વિસ્તારમાં આવેલા આંબાના બગીચાનો સર્વે કર્યો હતો, જેમાં મોટા ભાગના બગીચાઓમાં ૩૦થી ૪૦ ટકા જેટલું જ ફ્લાવરિંગ(મોર) થયું હોવાનું સામે આવ્યું છે.કેસર કેરીના બગીચાઓમાં ફેબ્રુઆરી મહિનામાં પણ આંબા પર મોર ન આવતાં જૂનાગઢમા કેરીનો બગીચો ધરાવતા ભોલાભાઈ બગડા નામના ખેડૂતની મુલાકાત કરવામાં આવી હતી. ભોલાભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે આંબા પર મોર જ નથી આવ્યા. અમે દર વર્ષે પાંચ લાખ રૂપિયામાં ઈજારો આપીએ છીએ, પરંતુ આ વર્ષે જે ઈજારેદારો જાેવા માટે આવે છે, તેઓ બે લાખ રૂપિયા આપવા પણ તૈયાર નથી. તેઓ આંબાની સ્થિતિ જાેઈને ચાલ્યા જાય છે.ગીર પંથકમાં દર વર્ષે આંબાના બગીચાનો ઈજારો રાખતા રાહુલ ગોહેલે કહ્યું હતું કે અમે અલગ અલગ ખેતરમાં આંબાની સ્થિતિ જાેવા માટે જઈ રહ્યા છીએ, પરંતુ ક્યાંય હજી સુધી મોર આવ્યા નથી. સામાન્ય રીતે અત્યારે તો ખાખડી કેરી આવી જતી હોય છે, પરંતુ આ વર્ષે વાતાવરણના કારણે હજી મોર પણ નથી દેખાતા. હાલ સ્થિતિ એવી છે કે જાે અમે ઈજારો રાખીએ તોપણ મુશ્કેલીમાં મુકાય એમ છીએ અને ન રાખીએ તોપણ મુશ્કેલીમાં મુકાઈ એમ છીએ.
    વધુ વાંચો
  • ગુજરાત

    સ્વામીએ ખુલાસો આપતાં કહ્યું- હું તો લોકોની પરીક્ષા લેતો હતો

    ભુજ હાલમાં જ ભડકાઉ ભાષણ કરનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ગુજરાતમાં ત્રણ કેસ નોંધાયા છે. ત્યારે સ્વામીનારાયણ સંતોના વિવાદિત નિવેદનો પણ સતત ચર્ચામાં રહે છે. વિવાદિત નિવેદનો કર્યા બાદ સંતોને માફી માંગવાનો પણ વારો આવ્યો છે. ત્યારે હવે કચ્છમાં એક સ્વામીનારાયણ સંતે જાહેરમાં પાકિસ્તાનની જય બોલાવી હતી. જાેકે, પાકિસ્તાનની જય બોલાવીને તેમણે બાદમાં એક ખુલાસો કર્યો હતો. હાલ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાપરના ચિત્રોડ રોડ પર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આવેલી છે. તારીખ ૧૦ ફેબ્રુઆરીના રોજ અહીં પીએમ આવાસ યોજનના ઇ- લોકાર્પણ પ્રસંગ યોજાયો હતો. જેમાં ગુરુકુળના કેપી સ્વામી ઉપસ્થિત રહીને પ્રવચન આપ્યુ હતુ. પોતાના પ્રવચનના અંતે તેમણે ભારત માતા કી જય સાથે વિવિધ દેવી દેવતાઓનાં નામોની જય બોલાવી હતી. જેમાં લોકો પણ ઉત્સાહથી જય બોલાવી રહ્યા હતા. પરંતું એકાએક કેપી સ્વામીએ પાકિસ્તાનનું નામ લીધું હતું. તેથી ભૂલભૂલમાં લોકો પાકિસ્તાનની જય બોલી ગયા હતા. પરંતુ આ બાદ એકદમ શાંતિ છવાઈ હતી. લોકો બોલ્યા બાદ ખબર પડી કે, પાકિસ્તાનની જય બોલ્યા.આ બાદ તરત, સ્વામીએ કહ્યું હતું કે ભારતનું અનાજ ખાવો છો, ભારતની માટી ઉપર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ના આવી તમને? આમ, સ્વામીના જયઘોષ બોલવતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરેન્દ્રનગરમાં વીજશોક લાગતાં ૩નાં મોતઃ૪ને ઈજા

    સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજવાયર અડી જતાં અકસ્માત થયો હતો. વીજશોક લાગતાં એમપીના ત્રણ મજૂરનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે ૬ મજૂર દાઝી ગયા હતા. તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું સામે આવ્યું છે. વીજશોક એટલો ભયંકર હતો કે ટ્રેક્ટરના આગળનાં ચારેય ટાયરો બળી ગયાં હતાં.સુરેન્દ્રનગરના બુબવાણા પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી. ટ્રેક્ટરની ટ્રોલીને વીજવાયર અડી જતાં વીજશોકથી ત્રણ મજૂરે જીવ ગુમાવ્યા છે તેમજ ૬ મજૂર દાઝી ગયા છે. દસાડા પીએસઆઈ વી.આઈ. ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો હતો.દસાડા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય મજૂરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત મજૂરોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમા ખાસેડવામાં આવ્યાં હતા. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પીએસઆઇ વી.આઈ.ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો હતો તેમજ આ ઘટનાની જાણ થતાં પાટડી પ્રાંત કલેકટર આઈ.એ.એસ.- જયંતસિંહ રાઠોડ, પાટડી મામલતદાર જી.પી.પટેલ અને નાયબ મામલતદાર રઘુભાઇ ખાંભલા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે અને બાદમાં હોસ્પિટલે દોડી ગયા હતા. આ ટ્રેક્ટરમાં બેસીને મજૂરો ખેતરમા કાલા વીણવા જતા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.બુબવાણાના સરપંચે અગાઉ ગ્રામપંચાયતના લેટર પેડ પર પીજીવીસીએલને આ નીચા વાયરો અંગે લેખિત રજૂઆત કરી હતી છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. મજૂરો ભરેલી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ગામમાંથી ખેતરે પહોંચે એ પહેલાં રસ્તામાં જ આ ગોઝારી ઘટના બની હતી.મૃતકોનાં નામ • ઉર્મિલાબેન અજયભાઈ (ઉંમર વર્ષ ૨૫) • લાડુબેન ભરમાભાઈ (ઉ.વ ૫૦) • કાજુભાઈ મોહનભાઈ (ઉંમર વર્ષ ૩૫) ઈજા પામનારી વ્યક્તિઓ • બાલી બેન લાભુભાઈ • નરેશભાઈ મોહનભાઈ • સુરમજી નિકેતભાઈ • સુખીબેન કાળુભાઈ • રૂદ કાજુભાઈ
    વધુ વાંચો
  • ગુજરાત

    ગોંડલ યાર્ડમાં લસણનાં રેકોર્ડ બ્રેક ભાવ સૂકા મેવા કરતા પણ લસણ મોંઘું થયું

    અમરેલી સૌરાષ્ટ્રનાં જુદા જુદા યાર્ડમાં લસણની કિંમતમાં સુધારો જાેવા મળ્યો છે. એક સપ્તાહમાં ભાવમાં સરેરાશ વધારો થયો છે. સપ્તાહમાં સરેરાશ ૧૦૦ રૂપિયાથી ૨૦૦ સુધીનો વધારો થયો છે. રાજકોટ યાર્ડમાં લસણનો ભાવ ૫૦૦૦થી ૬૫૦૦ રૂપિયા, ગોંડલ યાર્ડમાં ૩૯૯૨ થી ૮૬૪૧ રૂપિયા અને જામનગર યાર્ડમાં ૬૭૦૦ રૂપિયા સુધી ભાવ રહ્યો છે.સૌરાષ્ટ્રમાં જામનગર યાર્ડમાં ખેડૂતોને લસણના સારા ભાવ મળી રહ્યાં છે. લસણના ભાવમાં સુધારો જાેવા મળ્યો છે.અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ લસણનું વાવેતર કર્યું છે. લસણનું વાવેતર થકી ખેડૂત સારું ઉત્પાદન મેળવે છે. લસણનો ભાવ હાલ ૧૦૦થી ૨૦૦ રૂપિયાનો સુધારો જાેવા મળ્યો છે.લસણની બજારમાં મંદીનો દોર અટક્યો છે અને ભાવમાં ૧૮૦ રૂપિયથી ૨૦૦ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે. ગુજરાતમાં થોડા આવક વધતી અટકી છે અને રાજસ્થાન, એમપીમાં પણ લસણની આવકમાં ઘટાડો થયો હોવાથી આંશિક ભાવમાં વધારો થયો છે. લસણની બજારમાં સુધારો આગળ વધી રહ્યો છે.લસણની થોડી ઘટ હોવાથી બજારમાં માંગ સારી રહી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ટેક્સથી બચવા ટ્રાવેલ્સ સંચાલકોએ પેંતરો રચ્યોઃ એક જ નંબરની ત્રણ બસો રાખતા

    ભાવનગર સરકારી ટેક્સ નહીં ભરવાના ઈરાદે એક જ નંબરની ત્રણ બસોમાં એક સરખી નંબરપ્લેટ નો ઉપયોગ કરી ટેક્સ ચોરી આચરતા ત્રણ ટ્રાવેલ્સ સંચાલકો પૈકી બે શખ્સોને ભાવનગર એલસીબી એ રૂપિયા ૨૦ લાખની બે બસ સાથે ઝડપી લીધા છે જયારે પાલીતાણા ના શખ્સને ઝડપી લીવા તજવીજ હાથ ધરી છે.તાજેતરમાં સરકારી ટેક્સ થી બચવા ટ્રાવેલ્સ સંચાલકોએ એક જ સરખી નંબર પ્લેટ ધરાવતી અલગ-અલગ ત્રણ બસો રોડપર દોડાવતા હોવાની બાતમી ભાવનગર એલસીબી ની ટીમને મળતા એલસીબી એ પાલીતાણા ના ઘેટી રોડપર થી તથા સિહોર સિધ્ધિવિનાયક હોટલ પાસે આવેલ ગેરેજના પાર્કિંગ અને શહેરના નવાપરામા આવેલ લીમડા ટ્રાવેલ્સ ના પાર્કમાં પાર્ક ત્રણ બસોને કબ્જે કરી એસપી કચેરીના ગ્રાઉન્ડમાં લાવવામાં આવી હતી.આ ટ્રાવેલ્સ સંચાલકોએ ત્રણેય બસોમાં એ-આર-૦૬-બી-૬૭૩૨ નંબરની એકસરખી જ નંબરપ્લેટ લગાવેલી હોવા સાથે નકલી દસ્તાવેજાે પણ કબ્જે કર્યાં હતા, તથા શબ્બીર રઝાક મહેતર ઉ.વ.૪૩ રે.નવી માણેકવાડી હરિયાળા પ્લોટ નં-૧/એ તથા જીવરાજ બોઘા ચૌહાણ ઉ.વ.૩૯ રે.સિહોર દાદાની વાવ પાસે ખાડિયા ચોક પ્લોટનં-૧૯૯ સી વાળાને ઝડપી લીધા હતા, જયારે દિલાવર ટ્રાવેલ્સ ના માલિક રે.પાલીતાણા વાળાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી, આ તમામ શખ્સો વિરુદ્ધ ગંગા જળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રૂપિયા ૨૦ લાખની કિંમતની બે બસ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    મૌલાના મુફ્તિ સલમાન અઝહરીના ભચાઉ કોર્ટે જામીન મંજૂર કર્યા રાજકોટ પોલીસ મૌલાનાનો કબજાે લઈ રવાના

    કચ્છ (ભુજ ) રાજ્યમાં ભડકાઉ ભાષણ આપી વિવાદ ઉભો કરનાર મુફ્તી સલમાન અઝહરિ સામે કચ્છના સામખીયાળીમાં પણ ફરિયાદ દાખલ કરાઈ હતી, આ મામલે ગત તા.૭ના આરોપી અઝહરીને ભચાઉ કોર્ટમાં હાજર કરાયો હતો અને કોર્ટે તેને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. આરોપી અઝહરીના આજે દિવસના પોલીસ રિમાન્ડ પુરા થતા ભચાઉની સ્પે.કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળી આરોપી અઝહરીના તરફે શરતી જામીન મંજુર કર્યા હતા. રૂ.૩૦ હજારના બોન્ડ ઉપર જામીન મળતા કોર્ટમાંથી બહાર આવેલા અઝહરીને હાજર રાજકોટ પોલીસે કસ્ટડીમાં લઇ આરોપી સાથે રાજકોટ જવા રવાના થઈ હતી.જૂનાગઢની જેમ સામખીયાળીમાં પણ જાહેર મંચ પરથી ભડકાઉ ભાષણ આપનાર મૌલાના અઝહરી ને આજે પૂર્વ કચ્છ ક્રાઈમ બ્રાન્ચની ટિમ રિમાન્ડ પુરા થતા ફરી ભચાઉ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ વિઠલાણીએ આરોપી સામે આ પૂર્વે પણ ૧૦ જેટલા ગંભીર આરોપ હોવાની અને રાજ્ય બહારથી આવી અશાંતિ ફેલાવવાના પ્રયાસને ધ્યાને લઇ જામીન સામે વાંધો રજૂ કર્યો હતો, જેની સામે બચાવ પક્ષની વકીલ પેનલે પણ વિવિધ દલીલો રજૂ કરતા સ્પે. કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુ.યોગીતા શર્માએ રજૂઆતને ગ્રાહે રાખી રૂ.૩૦ હજારના શરતી જામીન મંજુર કર્યા હતા. બચાવ પક્ષના વકીલ તરીકે સિદ્ધિક નારેજા, રમેશ પરમાર, ગુલામસા શેખ, સાજીદ મકરાની, ઇમરાન મેમણ, રફીક રાયમાં હાજર રહ્યા હતા.આરોપી અઝહરીને કોર્ટમાંથી જામીન મળતા કોર્ટની બહાર હાજર રાજકોટ પોલીસે તેની કસ્ટડી મેળવી, રાજકોટ જવા રવાના થઈ હતી. આ સમયે કોર્ટ સંકુલ બહાર કચ્છ લઘુમતી સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા

    રાજકોટ ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલને શનિવારે રાત્રે બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને જામનગરથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. રાઘવજી પટેલ અત્યારે ભુપેન્દ્ર પટેલ સરકારમાં કૃષિ મંત્રાલય સંભાળે છે. તેમની તબિયત અચાનક લથડ્યા પછી તેમને રાજકોટ લઈ જવાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મામલે ડોક્ટરો સાથે વાતચીત કરી છે. રાઘવજી પટેલને હાલમાં ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. તેમની તબિયત સ્થિર હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. ન્યુરોસર્જન ડો. સંજય ટીલાળા તેમને સારવાર આપી રહ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તાજેતરમાં જામનગર હતા અને જામનગરના પસાયા બેરાજામાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમમાં જાેડાયા હતા. આ દરમિયાન મોડી રાત્રે તેમને માઈનર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. સીનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરિયાએ તેમના હેલ્થ અપડેટ આપતા જણાવ્યું કે, વહેલી સવારે સિનરજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં રાઘવજીભાઈ પટેલ તબિયત સ્થિર છે.સિનર્જી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે રાઘવજી પટેલને દિમાગની જમણી બાજુએ હેમરેજ થયું છે. શનિવારે રાતે લગભગ ૧૦.૩૦ વાગ્યાની આસપાસ તેમને સ્ટ્રોક આવ્યો હતો. તેમને જામનગરની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાર પછી તેમને રાજકોટ અમારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
    વધુ વાંચો
  • ગુજરાત

    તેલ ભરેલા ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત તેલ લેવા લોકોની પડાપડી

    ગોંડલ ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર શેમળા પાસે તેલ ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેલ ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક ગોંડલ તરફથી રાજકોટ તરફ જતું હતું. જેમાં તેલના ટેન્કરની પાછળ સિમેન્ટ ભરેલ ટ્રક ઘુસાડી દીધો હતો. ગોંડલના સોલ્વન્ટ પ્લાન્ટમાંથી તેલ ભરીને ટેન્કર જતું હતું. અકસ્માતને કારણે તેલ ભરેલા ટેન્કમાંથી તેલ રસ્તા પર ઢોળાયું હતું. લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી. અકસ્માત બાદ અકસ્માત સ્થળે તેલ ભરેલ ટેન્કર જાેવા મળેલું ના હતું. સિમેન્ટ ભરેલ ટ્રક જાેવા મળ્યો હતો.આસપાસના લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી. હાથમાં જે આવ્યું તે વાસણ લઈને લોકો તેલ માટે દોટ લગાવી હતી. લોકો બરણી, કેરબા, ડોલ સહિતના વાસણો લઈને પહોંચી ગયા હતા અને તેલ ભરવા લાગ્યા હતા. જેમાં ટેન્કર પલટી જતા રસ્તા પર તેલના જાણે ખાબોચિયા ભરાઈ ભરાઈ હતા. તેલ ભરેલુ ટેન્કરનું અકસ્માત થયાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેલ લેવા માટે હોડ મચાવી હતી. અકસ્માતની ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસને કરવામાં આવી હતી.ટેન્કર પલટી જતા લોકોએ રીતસર લૂંટ ચલાવી હતી. સ્ત્રીઓ, બાળકો, યુવાનો સહિતનાઓ હાથમાં ડબ્બા, ડોલ, બરણી, લઈને તેલ ભરવા લાગ્યા હતા. હાલ તેલના ભાવો આસમાને છે ત્યારે તેલ મફતમાં તેલ લૂંટવા માટે લોકોએ લાઈનો લગાવી હતી. રસ્તા પર તેલની ધારાઓ વહેવા લાગી હતી.અકસ્માત થયા બાદ ટેન્કર ગોંડલ સુધી ગયું હતું. ટેન્કરમાંથી તેલ લીકેજ હોવાથી ગોંડલ સુધી રસ્તા પર તેલ પડ્યું હતું. અકસ્માત સ્થળેથી લીકેજ ટેન્કર ગોંડલ સુધી દોડી આવ્યું હતું. સમગ્ર હાઇવે પર તેલ ઢોળાયું હતું. હાઇવે પર તેલ ઢોળાતા બાઈક ચાલકો સ્લીપ થઈને પડી રહ્યા છે. હાલ ગોંડલ ફાયર દ્વારા હાઇવે પર જ્યાં તેલ ઢોળાયું છે ત્યાં પાણી છાંટવામાં આવી રહ્યું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    જામનગર ખાતે રિલાયન્સ મોલમાં ભયાનક આગ લાગી, અનંત અંબાણી પણ દોડતા આવ્યા

    જામનગર જામનગરમાં રિલાયન્સ મોલમાં મોડી રાતે અચાનક આગની ઘટના બની હતી. જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં કોઈક કારણોસર આગ લાગી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન હોવાનું નિવેદન સામે આવ્યું છે. રિલાયન્સના પ્રવક્તા દ્વારા આધિકારિક નિવેદનમાં જણાવાયું કે, આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પરંતું આગના ધુમાડા ઉંચે સુધી જાેવા મળ્યા હતા. મોડી રાતે અનંત અંબાણી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ૩૦થી વધુ ફાયર ફાઈટર કાર્યરત રહીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આજના દિવસનું કામકાજ પૂર્ણ કરીને મોલ બંધ થયા બાદ આગ લાગી હતી. મોડી રાતે લગભગ ૧૦.૩૦ કલાકે આગ લાગી હતી. તેમાં કોઇ જાનહાની થઈ નથી કે કોઇને ઇજા થઈ નથી. આર.આઇ.એલ.ના ફાયર ટેન્ડરની સાથે જામનગર ડિસ્ટ્રીક્ટ ઓથોરીટી અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ આગને કાબુમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આગની જાણ થતા મોડી રાતે અનંત અંબાણી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રિલાયન્સના પ્રવક્તાએ આગ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આગના કારણની તપાસ કરવામાં આવશે. આ આગમાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી છે. સાથે જ મોલ બંધ થવાનો સમય હોવાથી મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે. જામનગરના મોટી ખાવડી વિસ્તારમાં આવેલ આ રિલાયન્સ મોલમાં મુવી થિયેટર અને ગેમ ઝોન પણ આવેલું છે. આ ઉપરાંત અહી કેફે અને અન્ય રિટેઈલ દુકાનો પણ આવેલી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ધ્રાંગધ્રાના રણ કાઠા વિસ્તારમાં ફરીથી નર્મદાના પાણી ફરી વળતા હજારો ટન મીઠાને નુકશાની

    ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા સહિત હળવદ તથા પાટડીના રણ કાઠા વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓ વર્ષના આઠ મહિનાઓ સુધી કાળી મજૂરી કરી મીઠું પકવી પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે ધ્રાંગધ્રાના રણ કાઠા વિસ્તારમાં ફરીથી નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, નર્મદા વિભાગના આ અણઘડ વહીવટના લીધે ખેડૂત તથા અગરિયા એમ બંને મજૂર વર્ગને નુકસાની વેઠવી પડી છે. જેમાં હાલમાં જ ખેડૂતો પોતાના ખેતરમાં કરેલ વાવેતર માટે પીયતનું પાણી કેનાલમાંથી લેવા જતા તંત્ર દ્વારા ખેડૂતો પર પાણી ચોરીની ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી હતી જેના લીધે ખેડૂતો ફરિયાદની બીકે કેનાલમાંથી પાણી લેવાનું ટાળતા હતા જેમાં ખેડૂતોને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઈ છે ત્યારે બીજી તરફ નર્મદાનું હજારો ક્યુસેક પાણી રણમાં વેડફાવાના લીધે અગરિયાઓને પણ ભારે નુકશાન સહન કરવું પડ્યું છે. રણ કાઠા વિસ્તારમાં મીઠું પકવી ગુજરાન ચલાવતા અગરિયાઓના પાટા પર પાણી ફરી વળતા હાલ ૪૦૦ થી વધુ અગરિયાઓના હજારો ટન મીઠા પર પણ પાણી ફરી વળ્યુ છે. જેથી સ્પષ્ટ રીતે નર્મદા વિભાગ દ્વારા કેનાલમાંથી પાણી નહિ લેવાની નીતિ સામે ખેડૂતોને અને અગરિયાઓ એમ બંનેને નુકશાન પહોંચ્યુ છે. જાેકે રણ કાઠામાં નર્મદાનું પાણી ફરી વળવાનો કિસ્સો આ વર્ષે પ્રથમ વાર બન્યો તેવું પણ નથી, આ અગાઉ પણ દર વર્ષે આ પ્રકારે પાણી ફરી વળવાની બાબતને લઈને તે સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને અગરિયાઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી નુકસાની અંગેની જાણ કરી હતી.
    વધુ વાંચો

રાજકોટ સમાચાર

ભાવનગર સમાચાર

જામનગર સમાચાર

સુરેન્દ્રનગર સમાચાર

કચ્છ સમાચાર

જૂનાગઢ સમાચાર

મોરબી સમાચાર

પોરબંદર સમાચાર

ગીર સોમનાથ સમાચાર

દેવભૂમિ દ્વારકા સમાચાર

બોટાદ સમાચાર

અમરેલી સમાચાર