કચ્છ-સૌરાષ્ટ્ર સમાચાર

  • ગુજરાત

    ભાવનગરમાં ૬ દિવસ પહેલાં રખડતા ઢોરની અડફેટે ઈજાગ્રસ્ત મહિલાનું મોત

    ભાવનગર, ભાવનગરનો પરિવાર ભડી ગામેથી સ્કૂટર ઉપર પરત આવતો હતો ત્યારે અધેવાડા નજીક ઢોર એ હડફેટે લીધા હતા, જ્યાં મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું, ભાવનગર શહેરના ગાયત્રીનગર સામે રહેતા કાજલબેન પંકજભાઈ શિયાળ અને તેનો પરીવાર બાઈક લઈ તા.૧૧/૦૪/૨૦૨૩ ના રોજ ભડી ગામે ધાર્મિક પ્રસંગે જઈ ભાવનગર આવતી વેળા એ અઘેવાડા નજીક ખોડીયાર માતાજીના મંદિર પાસે આખલા યુદ્ધ ચાલી રહ્યું હતું, જ્યારે સાઈડ માં ઉભા રહેલ દંપતિ તથા તેની બાળકી ઉપર આખલા પડતાં મહીલાને માંથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે તેને ભાવનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે દિવસ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે મહીલાને અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી ઢોર પકડવાની કામગીરી બંધ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનમાં વિકરાળ આગ એકસામટા ૩ ડબ્બા આગમાં બળીને ખાખ

    બોટાદ, બોટાદ રેલવે સ્ટેશને ટ્રેનમાં આગ લાગી છે. ડેમુ ટ્રેનમાં આગ લાગતા દોડધામ મચી હતી. પ્લેટફોર્મ નંબર ૭ ઉપર બંધ હાલતમાં હતી ત્યારે આગ લાગી જેના કારણે મોટી જાનહાની ટળી હતી. રેલવે વિભાગના અધિકારીઓને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરના ૩૦ જવાનો સહિત ૩ ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ આ ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્રનગર સાંજે ૬ વાગે ઉપડે છે. ટ્રેન બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૭ ઉપર બંધ હાલતમાં હતી ત્યારે એકાએક વિકરાળ આગ લાગી હતી. જાેકે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ફાયર ટીમને જાણ થતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી હતી. કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ફાયર ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે ૩ ડબ્બામાં આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    આજકાલ અખંડ ભારતને જાેડવાની ફેશન ચાલે છે  રાજનાથ સિંહ

    ગીર સોમનાથ, ભારત સરકાર દ્વારા વિસ્થાપિત થયેલા તમિલ સૌરાષ્ટ્ર વાસીયો ફરી સૌરાષ્ટ્રમાં આવે અને ગુજરાતીઓ સાથે લાગણીઓ, સંસ્કૃતિ, રિવાજાેનું આદન પ્રદાન થાય તેમજ ભારતના દરેક નાગરિકો એકબીજા સાથે જાેડાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ ખાતે દસ દિવસીય સૌરાષ્ટ્ર તામિલ સંગલ કાર્યકમનું આયોજન કર્યું છે. જેમાં કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાહુલ ગાંધી પર આડકતરા પ્રહાર કરતા કહ્યું હતું કે, અખંડ ભારતને જાેડવાની આજકાલ ફેશન ચાલે છે, જે લોકોથી કઈ થઈ શકતું નથી તે ભારત જાેડવા નીકળી પડ્યા છે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, તેલંગાણા તેમજ પુડુચેરીના ગવર્નર તમિલીસાઈ સોંદરરાજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો સૌરાષ્ટ્રમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવી પ્રજાના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલો અને ગુજરાતીઓ સાથે વાતચીત કર્યા બાદ લોકો મન મૂકીને નાચ્યા હતા. તો તમિલ લોકો શાસ્ત્રીય નૂત્ય સાથે તાલ મીલાવતા હતા અને ગૂજરાતીઓ મન મોર બની થનગાટ કરે, ગીત પર ઝુમી ઊઠ્‌યા હતા. રાજનાથ સિંહે જાહેર જનતાને સંબોધતા કહ્યું હતું કે, તમારી ઉપસ્થિતિ જ બતાવે છે આપણી સાંસ્કૃતિક જડો અટલી ઊંડી અને મજબૂત છે. કે, મોટામાં મોટી આંધી પણ તેને હલાવી પણ શકશે નહીં. પરંતુ આવા અખંડ, અતૂટ અને બેજાેડ ભારતને પણ જાેડવાની આજકાલ એક ફેસન ચાલી પડી છે. જે લોકો કંઈ કરી નથી શકતા તે ભારત જાેડવા નીકળી પડ્યા છે. પણ ભારત કહી રહ્યું છે કે, હું અખંડ છું,હું ક્યારેય તૂટ્યો જ નથી. ત્યારે આ લોકો કહે છે ના અમે તને જાેડીને જ રહીશુ અને આવી વાતો આજકાલથી નહીં લાંબા સમયથી થઈ રહી છે. તેવો આડકતરો કટાક્ષ કરતાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી. ભૂપેન્દ્ર પટેલે જન સંબોધતા કહ્યું કે, આજે આ ઉત્સવ દ્વારા રાષ્ટ્રીય ભવનાનો પાયો નાખવાનો છે. જયારે સૌરાષ્ટ્ર તમિલ સાહિત્યને લઈ મુખ્યમંત્રી એ કહ્યું, મને કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના કેટલાક લોકોએ આ અંગેનું સાહિત્ય સાચવ્યું છે. તે અમને આપજાે અમે તેના પર પુસ્તક બનાવી પ્રકાશિત કરીશું. તેમજ ઉચિત સન્માન પણ કરીશું. તામિલનાડુમાં રાજ્યના પ્રવાસન અને ઉદ્યોગ વિભાગ દ્વારા પણ વિશેષ કાર્યક્રમો યોજાશે. દેશમાં જ્યારે મોગ્લોનું સામ્રાજ્ય હતું. તે સમયે સૌરાષ્ટ્રમાંથી હજારો લોકો પલાયન કરી દક્ષિણ ભારતમાં વસ્યા હતા. જેના કારણે આજે ભારત સરકાર દ્વારા વિસ્થાપિત થયેલા આ તમિલ સૌરાષ્ટ્ર વાસીયો ફરી સૌરાષ્ટ્રમાં આવે અને ગુજરાતીઓ સાથે લાગણીઓ, સંસ્કૃતિ, રિવાજાેનું આદન પ્રદાન થાય તેમજ ભારતના દરેક નાગરિકો એકબીજા સાથે જાેડાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ ખાતે દસ દિવસીય સૌરાષ્ટ્ર તામિલ સંગલ કાર્યકમનું આયોજન કર્યું છે. જેમાં ટ્રેન મારફતે ૩૦૦થી વધુ તમિલ સોરાષ્ટ્રિયન લોકો અહીંના મહેમાન બન્યા છે અને ગુજરાતીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક સાંસ્કૃતિક સંબંધોને ભવ્ય રીતે ઉજાગર અને વધુ મજબૂત કરવા સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં યોજાઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ઉદ્‌ઘાટન સમારોહમાં સહભાગી થવા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. આ નિમિત્તે ઉદ્‌ઘાટન અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, તેલંગાણા તેમજ પૂડુચેરીના ગવર્નર તમિલીસાઈ સોંદરરાજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરમાં આ દર્શન મુલાકાત પ્રસંગે નવસારી સાંસદ સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, જિલ્લા કલેકટર, સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, ટ્રસ્ટી પી.કે.લહેરી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આગામી ૨૬ એપ્રિલે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યકમમાં ભાગ લેશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    શહેર રખડતાં કૂતરાઓના હવાલે ઃ ૧ દિવસમાં ૨૩ને કરડયાં!

    વડોદરા, તા.૭વડોદરા શહેર-જિલ્લામાં માર્ગો પર રખડતી ગાયોના અસહ્ય ત્રાસ બાદ હવે રસ્તાઓ પર રખડતાં કૂતરાઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન રપથી વધુ લોકોને કૂતરાઓ કરડવા અને બચકાં ભરી હિંસક હુમલો કર્યાના બનાવો સત્તાવાર સયાજી હોસ્પિટલમાં નોંધાયા છે. આ તમામને એન્ટિ રેબિટસના ઈન્જેકશનો આપી સારવાર આપવામાં આવી રહી છે. કૂતરાઓના હુમલાઓમાં ત્રણ નાનાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આજે સયાજી હોસ્પિટલમાં એક કરતાં વધુ કૂતરાઓના કેસો આવતાં તબીબો અને સ્ટાફના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વડોદરા શહેરમાં અને તેની આસપાસ તેમજ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી રસ્તાઓ ઉપર રખડતાં ગાય-કૂતરાઓનો ત્રાસ શહેરીજનો અને નિર્દોષ પ્રજા સહન કરી રહી છે. આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆતો અને ફરિયાદો થઈ ચૂકી છે. પરંતુ અત્યાર સુધી કોઈ નિર્ણાયક પરિણામ આવ્યું નથી. જાે કે, સ્થાનિક પાલિકાના સત્તાધીશો ગાયો અને કૂતરાઓ પકડવાની કામગીરીને સંતોષ માણી રહ્યા છે. પાલિકાના સત્તાધીશો રસ્તે રખડતી ગાયો પકડયાની કામગીરીની પ્રસિદ્ધિ જણાવી રહ્યા છે પરંતુ લોકોની સમસ્યા હલ થવામાં કોઈ સુધારો જાેવા મળતો નથી. ખાસ જાણવા જેવી બાબત એ છે કે રસ્તે રખડતી ગાયોના ત્રાસ અસહ્ય બની રહ્યો છે, જેને કારણે નિર્દોષ લોકોને જાનહાનિ પહોંચે છે. આ બનાવની હજુ શાહી સુકાઈ નથી ત્યાં શહેરમાં વરસોવરસ કૂતરાઓની વધી રહેલી સંખ્યાને કારણે ગાયોની સાથે સાથે હવે રસ્તે રખડતાં કૂતરાઓનો ત્રાસ પર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. કૂતરાઓ કરડવાના અને હિંસક બચકાં ભરવાના બનાવોમાં રોજબરોજ વધારો જાેવા મળી રહ્યો છે, જે ખરેખર પાલિકાના સત્તાધીશો માટે પડકારરૂપ બની રહ્યો છે. શહેરની સયાજી હોસ્પિટલમાં વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન રપથી વધુ લોકોને કૂતરાઓ કરડવાના અને બચકાં ભરવાના બનાવો રજિસ્ટરમાં નોંધાયા છે જેમાં તા.૭ એપ્રિલે ર૩ નાના મોટા લોકો સારવાર માટે હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. જ્યારે ગત તા.૬ના રોજ સાત લોકો સારવાર માટે આવ્યા હતા. હાલ આ તમામ લોકોને એન્ટિ રેબિટસના ઈન્જેકશનો આપી સારવાર આપવામાં આવી રહી છે. હવે કૂતરાઓની વસતી ઓછી કરવાનો નિર્ણય લેવાનો સમય આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સગીરા પર લગ્નની લાલચે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર યુવકને ૧૦ વર્ષની કેદ

    વડોદરા, તા. ૭પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા પર પરિચિત યુવકે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારના કારણે સગીરા ગર્ભવતી બની હોવાની જાણ થતાં જ પ્રેમીયુવક અન્ય સ્થળે લગ્ન કરી સાસરીમાં રહેવા જતો હતો. આ બળાત્કારના બનાવની સગીરાએ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસ અત્રેની અદાલતમાં ચાલી પ્રેમીયુવકને દસ વર્ષની કેદની સજા ભોગવી ૧૫ હજારનો દંડ ભરવાનો આદેશ થયો હતો. પાદરા તાલુકાના શાણપુરા ગામમાં રહેતા ૨૪ વર્ષીય દિલીપ ઈશ્વર વસાવાએ ચાર વર્ષ અગાઉ તેની પરિચિત ૧૭ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરા ઘરમાં એકલી હોય ત્યારે દિલીપે તેના ઘરે જઈ તેને લગ્નની લાલચ આપી હતી અને તેની પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારના પગલે સગીરા ગર્ભવતી બની હતી પરંતું પરિવારજનોને ડરના કારણે તેણે આ અંગેની પરિવારજનોને કોઈ જાણ કરી હતી અને તે ખુલ્લા કપડાં પહેરતી હતી. જાેકે સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતાં પરિવારજનો તેને ગોત્રી સરકારી દવાખાનામાં લઈ ગયા હતા જયાં તે આઠ માસથી ગર્ભવતી હોવાની ચોંકાવનારી જાણ થઈ હતી અને ત્યારબાદ ઓક્ટોબર-૨૦૧૯માં સગીરાએ એક સંતાનને જન્મ આપ્યો હતો. બીજીતરફ સગીરા ગર્ભવતી હોવાની જાણ થતાં જ દિલીપ વસાવાએ અન્ય સ્થળે સગાઈ કરી હતી અને લગ્ન બાદ તે સાસરીમાં રહેવા માટે જતો રહ્યો હતો જયાં તેની પત્નીએ પણ એક સંતાનને જન્મ આપ્યો છે. આ બનાવની સગીરાએ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિલીપ વસાવા વિરુધ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ અત્રેના સ્પેશ્યલ પોક્સો એન્ડ એડી.સેશન્સ જજ સલીમ મન્સુરીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ અતુલભાઈ વ્યાસની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી દિલીપને ૧૦ વર્ષની કેદની સજા ફટકારી કુલ ૧૫ હજારનો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ચલાલામાં સર્વજ્ઞાતિ સમુહલગ્નના મંડપમાં બે આખલાઓનું ઘમાસાણ

    અમરેલી અમરેલી જિલ્લામાં આખલાનો આતંક યથાવત જાેવા મળી રહ્યો છે. આખલાની સમસ્યા હવે ગંભીર બની રહી છે. ત્યારે ગઈકાલે ચલાલા શહેરમાં સર્વે જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંડપની અંદર બે આખલા ઘૂસી ગયા હતા અને અંદર ઘમાસાણ શરૂ કરી હતી. ઓચિંતા આખલા આવી ચડતા ભારે અફડા તફડી મચી હતી. લગ્નમાં આખલાઓએ યુદ્ધ શરૂ કરતા તમામ લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ મહેમાનોને અને ઢોલ વાળા પણ ઢોલ લઈને ભાગ્યા હતા. ચારે તરફ લોકોએ આખલાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાઓએ પાણીનો છટકાવ કરી આખાલ યુદ્ધ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, સદનસીબે કોઈને જાનહાનીં થઈ ન હતી. જેના કારણે મોટી દૂર્ઘટના અટકી હતી. અહીં સમૂહ લગ્ન હોવાને કારણે મોટી સંખ્યામાં માનવ મહેરામણ વચ્ચે આખલાએ રીતસર ભાગદોડ મચાવી દીધી હતી. જેનો વીડિયો પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે. મંડપમાં શાસ્ત્રીઓ દ્વારા આખલા હોવાને કારણે તકેદારી રાખવા માટેની પણ જાહેરાત કરવાની ફરજ પડી હતી. આખલા હવે રાજયભરમાં આતંક મચાવી રહ્યા છે. અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. તેમજ કેટલાય લોકોને ઈજા પણ પહોંચાડી છે. ત્યારે અમરેલીમાં તો અનેક વખત બાઇક સહિત વાહનોમાં આખલાઓએ નુકસાન પોહચાડ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    કનેસરામાં ખેતીની ઉપજને લઈ ઝઘડો થતા પિતાએ પુત્રનું ઢીમ ઢાળી દીધું

    જસદણ જસદણ તાલુકાના કનેસરા ગામના વાડી વિસ્તારમાંથી ગત શુક્રવારે વહેલી સવારે યુવાનનો મૃતદેહ મળ્યા બાદ યુવાનના પિતા બટુકભાઇ ગુમ હોય અને તેમનો મોબાઇલ બંધ આવતો હોય પોલીસની શંકા યુવાનના પિતા પર ઘેરી બની હતી જ્યારે બનાવ અંગે મૃતક યુવાનની માતા રેખાબેનની ફરિયાદ પરથી ભાડલા પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી પીએસઆઈ આર.એસ.સાકળીયા વધુ તપાસ ચલાવી રહ્યા હતા આખરે ભાડલા પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને વીડીમાંથી હત્યારા પિતાને પકડીને પૂછપરછ આરંભી હતી. કનેસરા ગામના વાડી વિસ્તારમાંથી ગત શુક્રવારે વહેલી સવારે યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવમાં યુવાનનો મૃતદેહ મળ્યા બાદથી તેનો પિતા બટુકભાઈ ગુમ હોય અને તેનો મોબાઈલ પણ બંધ આવતો હોય પોલીસની શંકા વધુ ઘેરી બની હતી. આખરે ભાડલા પોલીસે કનેસરા અને ભેટસુડા ગામની વચ્ચેની વીડીમાંથી પિતાને પકડી પાડી ક્યાં કારણોસર હત્યા કરી હતી તે અંગે પૂછપરછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પિતા-પુત્ર વચ્ચે ખેતીની ઉપજ અંગે ઝઘડો થયો હતો. ઘર કંકાસને લઈ પિતાએ નશાની હાલતમાં પુત્રની વાડીમાં હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. કનેસરા નજીક વાડીમાં મહેશ બટુકભાઈ કુકડિયા (ઉં.વ.૨૪) નામના યુવાનની લાશ મળી આવતાં પોલીસ ભેદ ઉકેલવા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. મૃતક યુવાનના પરિવારજનોની પૂછપરછ કરતા મૃતક મહેશ અને તેના પિતા બટુક ચનાભાઈ કુકડિયા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને ગત ગુરૂવારે રાત્રિના નશાની હાલતમાં પિતાએ જ પુત્રની હત્યા કરી નાખી હોવાની શંકા પોલીસ સેવી રહી હતી.આ બનાવ અંગે મૃતક યુવાનની માતા રેખાબેનની ફરિયાદ પરથી ભાડલા પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી પીએસઆઈ આર.એસ.સાકળીયા વધુ તપાસ ચલાવી રહ્યા હતા. જાેકે, આખરે ભાડલા પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને વીડીમાંથી હત્યારા પિતાને પકડીને પૂછપરછ આરંભી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરેન્દ્રનગરમાં વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો  હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો

    સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેર સહીત જિલ્લામાં પણ વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલમાં દરરોજના ૪૫૦થી ૫૦૦ ઓ.પી.ડી કેસ આવી રહ્યા છે. કોરોનાનો એક પોઝીટીવ કેસ પણ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થઈ રહેલા ફેરફારોને કારણે ઠંડી,માવઠા અને હીટવેવ જેવી ગરમીનું મિશ્ર વાતાવરણ જાેવા મળી રહ્યુ છે. જેને કારણે શરદી,ઉધરસ,તાવ જેવી બિમારીના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. હવામાન ખાતાએ બે દિવસ હીટવેવ અને ત્યાર પછી માવઠાની આગાહી કરવામાં આવી છે. આવા વાતાવરણને કારણે વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પીટલમાં જ દરરોજના ૪૫૦થી ૫૦૦ ઓ.પી.ડી. કેસ આવી રહ્યા છે. અને સરેરાશ રોજના ૪૦થી ૫૦ કેસોમાં વધારો પણ જાેવા મળી રહ્યો છે. આ તમામ કેસો મોટેભાગે શરદી, ઉધરસ અને તાવના હોવાનું જાણવા મળ્યું છે. આ માત્ર સરકારી હોસ્પીટલના જ આંકડા છે. શહેર તથા જીલ્લાની અન્ય સરકારી હોસ્પીટલો, ખાનગી હોસ્પીટલો અને દવાખાનાઓમાં પણ અનેક ગણા કેસ આવતા હોવાનું જાણવા મળ્યું છે.ઉનાળાનો આકરો તાપ પડવાનો શરૂ થશે, ત્યાર પછી આવા કેસમાં ઘટાડો થવાની શકયતા છે. પરંતુ હાલમાં રોગચાળાએ માથુ ઉંચકયુ છે. તો બીજી તરફ ઝાલાવાડમાં ફરી કોરોનાનો પગપેસારો થયો છે. વઢવાણ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની મહિલાનો પોઝિટિવ રિપોર્ટ આવતા હાલ તેઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    બૂટલેગર તથા પરિવારોનો કોડીનાર પોલીસ પર હુમલો, ૫ીઆઈ સહિત કોન્સ્ટેબલને ઇજા

    કોડિનાર ગુજરાતભરમાં દારૂબંધી છે તેમ છતાં ઘણા બેફામ બૂટલેગરો પોલીસી નજર ચુકવીને ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતાં હોય છે અને યુવાનોને નશાના રવાડે ચડાવતા હોય છે. જે માટે પોલીસ કડક કાર્યવાહી અને ચૂસ્ત બંદોબસ્ત રાખી બૂટલેગરોના હેરાફેરી પર પાણી ફેરવી તેમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હોય છે, પરંતુ આજે કોડીનારથી એક એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોલીસ વર્ષો જુના કુખ્યાત બૂટલેગર પર દરોડો પાડવા ગઈ અને લોહીલુહાણ થઈ ગઈ. કોડીનારમાં દારૂના દૂષણ સામે ઉઠેલી વ્યાપક ફરિયાદોને લઈ કોડીનારમાં નવનિયુક્ત ૫ીઆઈ આર.એ. ભોજાણી દ્વારા છેલ્લા ૧૫ દિવસથી કોડીનાર તાલુકામાં દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે કોડીનારમાં દેશી દારૂનો અડ્ડો જમાવી બેઠેલાં કુખ્યાત બૂટલેગરને ત્યાં પોલીસે રેડ કરી હતી. એ દરમિયાન  ત્રણ કર્મીઓ ઉપર કુખ્યાત બૂટલેગરો તથા તેમના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. કારના કાચની પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં ત્રણ પોલીસ કર્મીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણવા મળતી વિગત મુજબ, કોડીનારમાં આવેલા જીન પ્લોટ વિસ્તારમાં વર્ષોથી દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા અને સમગ્ર વિસ્તારમાં દારૂની રેલમછેલ કરતા મુળજી અને રમેશ મોટાપાયે દેશી દારૂનું વેચાણ કરી ધંધો કરે છે. આ બૂટલેગર દ્વારા હેડ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ કરેલી, તે ફરિયાદની તપાસ અર્થે તેમજ લોકોમાંથી મળતી બાતમી આધારે કોડીનાર પોલીસ મોડી સાંજના સમયે રેડ કરવા ગઈ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભૂજના ઢોરી-છછી-ભોજરડોના માર્ગનું કામ અધૂરું છોડી દેવાતા લોકોમાં રોષ

    ભૂજ ભૂજના બન્ની વિસ્તારમાં આવતા ઢોરી ગામથી ભોજરડોને જાેડતા માર્ગ પર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૧૯ કિલોમીટર માર્ગ નિર્માણનું કાર્ય મંજૂર થયું હતું. પરંતુ ૩ કિલોમીટર સુધીના માર્ગ સિવાય ૧૬ કિલોમીટર સુધીના માર્ગ નિર્માણમાં ડામર પાથરવાનું કામ અધૂરું છોડી દેવાયું છે. જેના કારણે હવે આસપાસના ગ્રામજનો માટે પાકો રોડ બનવાનું સ્વપ્ન ફરી એક વખત અધરું રહ્યું છે. ખાસ કરીને બન્ની વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાના ઉદ્દેશથી મંજૂર થયેલું કાર્ય વહીવટી આટીઘૂટીમાં અટકી પડ્યું છે. આ માટે સ્થાનિક લોકોએ તંત્રની ઉદાસીનતા અને કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિના કારણે કામ બંધ થયુ હોવાનો આક્ષેપ કર્યો હતો. દેશની આઝાદીના ૬૮ વર્ષ પછી બન્ની વિસ્તારના જાણીતા ઢોરી, છછી અને ભોજરડો ગામ માટે ૧૯ કી.મી રોડ મંજૂર થયો હતો, પરંતુ ૨ થી ૩ કિલોમીટર સુધીજ ડામર પાથરવામાં આવ્યો જ્યારે બકીનો માર્ગ અધૂરો છોડી દેવામાં આવ્યો છે. આ વિશે જૂથ ગ્રામ પંચાયતના સભ્ય અમીન હાજી જૂણેજાએ તંત્રની ઉદાસીનતાના કારણે કામ અટકી પડ્યું હોવાનું અને માર્ગ નિર્માણમાં ગેરરીતિ થઈ હોવાનું કહ્યું હતું. અત્રે નોંધનીય છે કે, માર્ગ નિર્માણ કરતી એજન્સીને આ માટે રૂ. ૧૪.૫૧ કરોડની રકમ પણ ચૂકવાઈ ગઇ છે. તેમ છતાં ત્રણ ગામને જાેડતા રોડમાં ડામર પાથરવાનું કામ થતું નથી. અલબત્ત જંગલખાતાએ આ માર્ગને એન.ઓ.સી.ના નામે અટકાવી દીધું હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. જાેકે, વર્ક ઓડર બાદ મેટલનું કામ પૂર્ણ થયું ત્યાં સુધી જંગલખાતા દ્વારા આ કામ કેમ અટકાવવામાં ન આવ્યું ? તે તપાસનો વિષય હોવાનું લોકોએ કહ્યું હતું. દરમિયાન કામ અટકી જતા સ્થાનિક લોકોને અવરજવર માટે વધુ પરેશાની ઉભી થઇ રહી છે. ખાસ કરીને કોઈ વ્યક્તિને બીમારીમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં પારાવાર હાલાકી ભોગવવી પડે છે. ત્યારે સંબધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે એવી માગ ઊઠી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પાકિસ્તાન પાસેથી ૧૨૦૦ બોટ ૫૬૦ માછીમારોને મુક્ત કરાવવા માંગ

    પોરબંદર, પોરબંદર સહિત રાજ્યભરની ૧૨૦૦ બોટ અને ૫૬૦ માછીમારોને પાકિસ્તાનના કબજા માંથી મુક્ત કરવા અંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં રજૂઆત કરી છે, માછીમારોની સુરક્ષા, પાકિસ્તાનની જેલમાં રહેલ માછીમારોને મુક્ત કરાવવા અને બોટ અપહરણના કેસમાં માછીમારોને નવી બોટ બાંધવા સહાય સહિતના પ્રશ્નોની રજૂઆત ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં કરી છે. રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતના ૨૭૪ માછીમારોનું અપહરણ કરાયું છે. જેની સામે માત્ર ૫૫ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. અને ગુજરાતના ૫૬૦ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. જ્યારે ગુજરાતની ૧૨૦૦ જેટલી બોટ પાકિસ્તાનના કબજામાં છે. આ અંગે અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું જણાવ્યું છે કે ગુજરાતના જે માછીમારો પાકિસ્તાનની જેલમાં છે, તેની ભારત સરકાર દ્વારા ઓળખ વિધિ કરવામાં આવતી ન હોવાથી તેમને વર્ષો સુધી જેલમાં રહેવું પડે છે.જપ્ત કરેલ ડીઝલ પાસ બોટ માલિકોને પરત આપો આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમા ઓળંગવાના આરોપ સર જપ્ત કરેલ ડીઝલ પાસ અને પરવાનગી પત્રો બોટ માલિકોને પરત આપવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળ સીમા ઓળંગવાના આરોપસર માછીમારો પાસેથી ડીઝલ પાસ તેમજ પરવાનગી પત્રો જપ્ત કરી લેવામાં આવે છે, જે પરત આપવામાં આવે જણાવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    રેલવેની એમ્બ્યુલન્સમાં ઓક્સિજન બોટલનો વાલ્વ લીક થયો, સતર્કતાના કારણે દુર્ઘટના ટળી

    રાજકોટ, રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક નજીક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રેલવે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ચાલુ રસ્તામાં એમ્બ્યુલન્સની અંદર ઓક્સિજન બોટલ વાલ્વ લીક થવાની ઘટના સામે આવી હતી. જેના પગલે દર્દીનાં સગાઓ અવાચક થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોની મદદથી દર્દીને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક રિક્ષામાં ખસેડવાની ફરજ પડી હતી. આજે બપોરના સમયે ૧ વાગ્યા આસપાસ રેલવે હોસ્પિટલની એક એમ્બ્યુલન્સ બે દર્દીઓને લઈ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે લઈ જઈ રહી હતી. દરમિયાન રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક પહોંચતા સમયે અચાનક એમ્બ્યુલન્સમાં ઓક્સિજન બોટલ વાલ્વ લીક થયો હતો. જેના કારણે દર્દીઓ અને તેમના સબંધીઓ સ્તબ્ધ બની ગયા હતા. જાેકે, સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી અને સ્થાનિકોએ તાત્કાલિક અન્ય એમ્બ્યુલન્સની રાહ જાેવાના બદલે દર્દીને રિક્ષામાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રેલવે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીઓ હોવા છતાં ઓક્સિજન બોટલના વાલ્વ કીટમાં લીકેજની ઘટનાને લઈને લોકોમાં કેટલાક સવાલો ઉઠી રહ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રણમલ તળાવની એક વર્ષ દરમિયાન ૧૦.૬૫ લાખ લોકોએ મુલાકાત લીધી

    જામનગર જામનગર શહેરની શાન સમાન એવા રણમલ તળાવ પરિસરમાં સ્વાસ્થ્ય પ્રેમી જનતા દ્વારા ચાલુ વર્ષ દરમિયાન કુલ ૧૦.૬૫ લાખ લોકોએ મુલાકાત લીધી હતી. તેમજ જામ્યુકો દ્વારા કુલ ૧૮,૬૯૦ જેટલા પાસ ઇસ્યુ કરવામાં આવ્યાં હતાં. જામનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત્ત રણમલ તળાવ ખાતે આ વર્ષ દરમિયાન ૧.૨૪ કરોડની આવક થઈ છે. શહેરની સાન સમા રણમલ તળાવ ખાતે શહેરીજનો વહેલી સવારે તેમજ સાંજના સમયે વોકીંગ માટે જતા હોય છે. આ ઉપરાંત રજાના દિવસોમાં તેમજ તહેવારના સમયમાં લોકો મોટી સંખ્યામાં અહીં ફરવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષ દરમિયાન ૧૦.૬૫ લાખ સહેલાણઓએ રણમલ તળાવની, ૧૦ હજાર લોકોએ લેઝર શો તથા ૪૮,૫૦૦ લોકોએ મ્યુઝિયમ (માછલી ઘર)ની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત લાખોટા કોઠા મ્યુઝિમ ખાતે ૫૬ હજાર મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ઝીંઝુવાડા રણમાં તુફાનના ચાલકે ચાર લોકોને અડફેટે લેતાં એક બાળકનું મોત

    પાટડી, પાટડી તાલુકાના ઝીંઝુવાડા રણમાં માતેલા સાંઢની માફક પુરઝડપે આવી રહેલી તુફાન ગાડીએ એક પરિવારના ચિરાગને છીનવી લીધો હતો. રણમાં થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં આઠ વર્ષના બાળકનું કરુણ મોત નિપજ્યું હતુ. ઝીંઝુવાડા રણમાં થયેલા અકસ્માતની ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પાટડી ખાતે આવેલા ઝીંઝુવાડાના રણ ખાતે આવેલા ઐતિહાસિક વચ્છરાજદાદાની જગ્યાએ પાટડી તાલુકાના ફતેપુર ગામનો એક પરિવાર દર્શન કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે તુફાને બાઈકને અકસ્માત સર્જીને જતી રહી હતી. જેમાં ફતેપુર ગામના સાગરભાઈ જીગરભાઈ, અને શાંતીબેન, તથા ૮ વર્ષનો બાળક ધાર્મિક સાથે હતો. જેઓને તુફાન ગાડીએ જાેરદાર ટક્કર માર્યા બાદ ઘાયલ થયેલા ધાર્મિક, સહિત સાગરભાઈ, જીગરભાઈ અને શાંતીબેનને લોહિલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આશરે આઠ વર્ષના બાળક ધાર્મિકને પગના ભાગે અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત જાહેર કર્યો હતો. તથા પી.એમ સહીતની કાર્યવાહી પૂર્ણ કરી બાળકનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. તથા શાંતીબેનને સામાન્ય ઈજાઓ હોવાથી પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. અન્ય બે ઈસમો સાગરભાઈને સાથળના ભાગે અને માથાના ભાગે અને જીગરભાઈને પગ અને આખા શરીર પર ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ત્યારબાદ તેઓના પરિવારજન અર્જુનભાઈ ભોપાભાઈ પાડીવાડીયા દ્વારા સાગરભાઈ અને જીગરભાઈ દ્વારા મોબાઈલમાં પાડેલા તુફાન ગાડીના ફોટાના આધારે ગાડીની ઓળખ કરી અકસ્માત કરી નાસી છુટેલા ચાલક વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તુફાન ગાડી ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ ચલાવી રહી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુમ થયેલા એકના એક પુત્રને શોધી આપવા પરિવારે ભચાઉ પોલીસ મથકે ધરણાં કર્યા

    ભચાઉ,ભચાઉ તાલુકાના કબરાઉ ગામ સામે આવેલી સરકાર હસ્તકની આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતો ૧૪ વર્ષીય કિશોર છેલ્લા ૬ દિવસથી ગુમ થયો છે. જે અંગેની ગુમનોંધ પરિજનોએ ભચાઉ પોલીસમાં કરાવી હતી. પરંતુ એક સપ્તાહનો સમય થવા આવ્યો છતાં લાપતા કિશોરનો હજુ સુધી કોઈ પત્તો મળી શક્યો નથી. શ્રમજીવી પરિવારના એકનાએક પુત્રને શોધી આપવા અનુસૂચિત જ્ઞાતિના લોકો દ્વારા ભચાઉ પોલીસ મથકમાં આજીજી કરવામાં આવી રહી છે અને પરિજનો સાથે મોટી સંખ્યમાં સમાજનાં ભાઈઓ બહેનો ધરણા પર બેસી ગયા છે. ખાસ કરીને ગુમસુદા પુત્રની માતાએ અન્નજળનો ત્યાગ કર્યો હોવાનો દાવો ઉપસ્થિત અગ્રણીઓએ કર્યો છે. ત્યારે સંબધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે એવી માગ ઉઠી છે. ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો પુત્ર ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને લઇ કબરાઉ નજીકની આદર્શ નિવાસી શાળામાં રહી અભ્યાસ કરતો હતો. પાર્થ રૂપેશ મકવાણા નામનો કિશોર ગત તા. ૬થી લાપતા બન્યો છે. કિશોરની શોધખોળ માટે પરિવાર અને સમાજના અગ્રણીઓ , સ્નેહીજનો દ્વારા પોલીસમાં નોંધ કરાવ્યાની સાથે ખાનગીરાહે પણ શોધ આદરી હતી. દરમિયાન ગુમસુદા કિશોરના પરિજનો દ્વારા ગઈકાલથી ભચાઉ પોલીસ મથકે ધરણા પર બેસી કિશોરને શોધી આપવા આજીજી કરી રહ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    આરોગ્ય શાખાએ ૧૭ ચિચોડાના થડાનું ચેકિંગ ૧૧ વેપારીને લાઇસન્સ મેળવવા નોટિસ ફટકારી

    રાજકોટ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર શહેરમાં શેરડીના રસના ચિચોડા જાેવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા રસના ચિચોડામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ વિસ્તારમાં ૧૯ વેપારીને ત્યાં ચેકિંગ કરી જેમાંથી ૧૧ વેપારીને લાઇસન્સ મેળવવા અંગે નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના કોઠારિયા મેઇન રોડથી હરિધવા મેઇન રોડ અને ૮૦ ફૂટ રોડથી કેનાલ રોડ વિસ્તારમાં આવેલ ઠંડા-પીણાં તથા શેરડીના રસનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૧ પેઢીને લાઇસન્સ મેળવવા અંગે સૂચના આપવામાં આવી હતી તેમજ શેરડીના રસના ૧૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    બેટ દ્વારકામાં સરકારી દબાણો ઉપર બુલડોઝર

    દ્વારકા, રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર અને અનધિકૃત રીતે સરકારી જમીન પર કબજાે કરનારા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા થોડા સમય પૂર્વે મેગા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યમાં સૌપ્રથમ વખત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ધર્મસ્થળ વિસ્તારમાં થોડા સમય પૂર્વે હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં ધર્મસ્થળો, કોમર્શિયલ તેમજ રહેણાંક બાંધકામો, વંડાઓ, વગેરે પ્રકારનું સરકારી જમીન ઉપરનું દબાણ ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. ત્યારે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ પલસાણિયાએ જણાવ્યું હતું કે, ૬૦ કોમર્શિયલ, ૧૫૦ રહેણાંક અને ૭ અન્ય બાંધકામ મળીને કુલ ૯.૫ લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંધકામો હર્ષદ ગાંધવીમાં ડિમોલિશ કરવામાં આવશે. થોડા સમયના બ્રેક બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી વધુ એક દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ઐતિહાસિક ધર્મસ્થળ હર્ષદ ગાંધવી ખાતે આજરોજ ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના વડપણ હેઠળ સ્થાનિક રેવન્યુ સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારના દબાણો પર ડિમોલિશન કાર્ય કરવાની કામગીરીનું સુવ્યવસ્થિત આયોજન કરાયું હતું. થોડા સમય પૂર્વે આ વિસ્તારના દબાણકારોને ૧૮ જાન્યુઆરીના રોજ લેખિત નોટિસ ઇશ્યૂ થયા બાદ અનેક દબાણો યથાવત રહેતા આખરે આજે સવારથી જૂદા-જૂદા પ્રકારના દબાણો પર સરકારી મશીનો વડે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ પલસાણિયાએ જણાવ્યું હતું કે, ૬૦ કોમર્શિયલ, ૧૫૦ રહેણાંક અને ૭ અન્ય બાંધકામ મળીને કુલ ૯.૫ લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંધકામો હર્ષદ ગાંધવીમાં ડિમોલિશ કરાશે.૫ મહિના પહેલા દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી બેટ દ્વારકા ખાતે તારીખ ૧ ઓક્ટોબર ૨૦૨૨થી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ પ્રથમ ચરણમાં વેગવંતી રહ્યા બાદ થોડા દિવસોના વિરામ પછી શરૂ થયેલા બીજા રાઉન્ડમાં સૌથી વધુ કહી શકાય તેટલું મંગળવારે વધુ ૫૦ હજાર ફૂટ જેટલું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું. આ જગ્યાની બજાર કિંમત આશરે રૂપિયા એક કરોડ ઉપરાંતની ગણાવી હતી. વધુ ૫૦ હજાર ફૂટ દબાણ ખુલ્લું કરાયું ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા ગુપ્તતાપૂર્વક કરવામાં આવેલા સર્વે બાદ હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં એક સપ્તાહના સમયગાળા દરમિયાન આશરે રૂપિયા ૭ કરોડથી વધુની કિંમતની પોણા બે લાખ ફૂટ જેટલી જગ્યા પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું. તંત્ર દ્વારા હાથ વધારવામાં આવેલી આ દબાણ હટાવ ઝુંબેશના આટલા દિવસોમાં ક્યાંય ઘર્ષણ કે તંગદીલીના બનાવો બન્યા ન હતા. સપ્તાહમાં પોણા બે લાખ ફૂટ જગ્યા પર બુલડોઝર ફરી વળ્યું હતું જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, સ્થાનિક ચીફ ઓફિસર, મામલતદાર, વગેરેની ટીમ દ્વારા દુકાનો, મકાન, પાકા વંડાઓ સહિતની જગ્યાઓ ખુલી કરવામાં આવી હતી. બેટ દ્વારકાના આ ઓપરેશનની કામગીરીમાં તંત્રને મળેલી સફળતા બાદ દરિયા કિનારાની આંતરિક સુરક્ષા તથા રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં અન્ય જિલ્લાઓમાં પણ શરૂ થયેલા ડિમોલિશનથી મૃદુ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છાપ હવે મક્કમ મુખ્યમંત્રી તરીકેની ઊભી થઈ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    યુવકને લાકડીના ફટકા મારી ત્રણ દાંત તોડી નાંખનાર ભરવાડ ત્રિપુટી ઝડપાઈ

    વડોદરા, તા. ૪મકરપુરા ગામમાં જયરામનગર પાસે બાઈક ધીમી ચલાવવાનું કહેનાર વિધર્મી યુવકને જાહેરમાર્ગ પર ઘેરી લઈ ઢોર માર માર્યા બાદ ડાંગનો ફટકો મારી રોડ પર પાડી દઈ ત્રણ દાંત તોડી નાખવાના બનાવમાં માંજલપુર પોલીસે સગીર સહીત ચાર માથાભારે ભરવાડોને ઝડપી પાડ્યા હતા. મકરપુરા ગામમાં સ્વામીનારાયણ મંદિર સામે મરાઠીચાલીમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાહ કરતા સમીર ઐયાસભાઈ પઠાણ ગત ૧લી તારીખના બપોરે મકરપુરા ગામ જયરામનગર પાસે બકરો લઈ રોડ પર ઉભો હતો તે સમયે મકરપુરાગામ જશોદા કોલોનીના નાકે ભરવાડવાસમાં રહેતો મેહુલ ભરવાડ તેની એકદમ નજીકથી પુરઝડપે બાઈક પર પસાર થયો હતો જેના કારણે અકસ્માત થતાં રહી ગયો હતો. સમીરે તેને બાઈક જાેઈને ચલાવવાનું કહેતા જ મેહુલે બોલાચાલી કર્યા બાદ ફોન કરીને મકરપુરા ભરવાડવાસમાં રહેતા તેના સાગરીતોને સંજય ભરવાડ, ધમો ભરવાડ અને દેવરાજ ભરવાડને બોલાવ્યા હતા. ઘટનાસ્થળે દોડી આવેલા તમામ ભરવાડોએ ભેગા મળીને સમીર પઠાણને જાહેરમાર્ગ પર ઘેરી લઈ ઢોર માર્યો હતો અને ડાંગનો ફટકો મારી નીચે પાડી દેતા સમીરના ત્રણ દાંત તુટી ગયા હતા જે બનાવની સમીરે માથાભારે ભરવાડો સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં સંડોવાયેલા ધર્મેશ ભરવાડ, સંજય ભરવાડ, દેવરાજ ભરવાડ અને એક સગીર વયના આરોપીને મકરપુરા પોલીસે આજે ઝડપી પાડ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભુજમાં વ્યાજખોરી કરનાર બે મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યાં

    ભુજ ભુજમાં વ્યાજખોરી કરતા બે મહિલા સહિત ત્રણ આરોપીની માનકુવા પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વ્યાજખોરી સામે સખ્તપણે કાર્યવાહીના દિશા નિર્દેશ અન્યવે ભુજના ત્રણ સામે વ્યાજખોરી સબબ માનકુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કેસમાં સો ટકા રિકવરી કરી રજૂઆત કર્તાને ન્યાય અપાવ્યો હતો. ​​​​​​​ભુજના ગણેશ નગરમાં રહેતા ૩૦ વર્ષીય​​​​​​​ અરજદાર દીનેશ રમેશ ગુંસાઇએ વ્યાજખોરીની કરેલી રજૂઆતની માનકુવા પોલીસે તપાસ કરી ભૂજના બે મહિલા સહિત ત્રણ વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં વ્યાજે નાણાં ધીરધાર સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામા આવ્યો હતો. આ કામના આરોપીઓ (૧) ધિરેન્દ્ર ઉર્ફે જીગો ભગવતીપ્રસાદ દવે ઉં.વ.૨૮ રહે.છઠ્ઠીબારી રીંગરોડ વેરાઇ કૃપા એપાર્ટમેંટ ત્રીજાે માળ ભુજ તથા (૨) દિક્ષીતાબેન દવે ઉ.વ.૩૫ રહે. રહે.છઠ્ઠીબારી રીંગરોડ વેરાઇ કૃપા એપાર્ટમેંટ ત્રીજાે માળ ભુજ અને (૩) પિન્કીબેન દિવ્યાગભાઇ ગૌસ્વામી ઉ.વ.૩૦ રહે.ગણેશનગર ભુજ તા.ભુજ વાળાને સદર ગુનાના કામે અટક કરી આરોપી ધિરેન્દ્ર ઉર્ફે જીગો ભગવતીપ્રસાદ દવે ઉ.વ.૨૮ રહે.છઠ્ઠીબારી રીંગરોડ વેરાઇ કૃપા એપાર્ટમેંટ ત્રીજાે માળ ભુજ વાળાને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા ફરીયાદી પાસેથી લીધેલો મોબાઈલ ફોન તથા રોકડા રૂપીયા મળી આવ્યાં હતા. જે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટશે

    જામનગર પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પદયાત્રીઓનો મોટો સમુદાય રાજ્યના અલગ-અલગ પ્રાંતમાંથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહયો છે. પદયાત્રીઓની શ્રદ્ધાને કારણે તેમના ચહેરા પર જરાપણ થાક દેખાતો નથી. કાળિયા ઠાકોરમાં પૂર્ણ આસ્થા સાથે દ્વારકા પધારતા દરેક પદયાત્રીઓની શ્રદ્ધા તથા તેમની ભક્તિ બિરદાવા લાયક છે. આગામી ફુલડોલ ઉત્સવમાં દ્વારકા જવા માટે નીકળેલા પદયાત્રીઓ હવે ઉત્સવ નજીક આવતા હજારોની સંખ્યામાં દર્શને જઈ રહ્યા છે. જામનગર બાયપાસથી છેક દ્વારકા રોડ પર ઠેર-ઠેર કેમ્પોનું આયોજન થયું છે. તે એટલું અદ્ભૂત રીતે છે કે થોડું ચાલો ત્યાં પદયાત્રી માટે સેવા કેમ્પ કાર્યરત હોય છે. તેમને જરૂરીયાત મુજબ વસ્તુઓ મળી શકે અને ચા, પાણી, નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા ઉપરાંત આરામ કરી શકે તેવી તમામ સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.પડાણા, મેઘપર રોડ પાસે એક સાથે બે કિલોમીટરમાં સાતથી આઠ વિશાળ કેમ્પ કાર્યરત છે. જયાં પદયાત્રીઓનો મોટો સમુદાય વિસામો લે છે. અત્યંત આધુનિક સુવિધા સાથેના રિલાયન્સ કંપનીના સેવા કેમ્પમાં પણ તમામ પ્રકારની સુવિધાઓ યાત્રિકો માટે ઉપલબ્ધ છે. ખંભાળીયા નજીક આરાધના ધામ પાસે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલ સેવા કેમ્પમાં મસાજ સાથે વાઈબ્રેટર મશીનની સેવા પદયાત્રીઓને આપવામાં આવી રહી છે. ચરકલાવાળો મુખ્ય રોડ ભારે વાહનો માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. કારણ કે હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં નાના મોટા બાળકોથી લઈ વયોવૃદ્ધ દ્વારકા પગપાળા ચાલતા આવી રહ્યા છે. દ્વારકા જગત મંદિરના દર્શન થાય છે ત્યારે આ પગપાળા ચાલતા ભક્તો ખૂબ જાેશમાં આવી જાય છે અને જાણે તેમના ચહેરા પર લેશમાત્ર થાક પણ વર્તાતો નથી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ઉના અને નવાબંદર મરીન પોલીસે ૪૯ લાખના દારૂનો નાશ કર્યો

    ઉના અને નવાબંદર મરીન પોલીસે છેલ્લા એક વર્ષમાં ઝડપી પાડેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ત્યાંના અધિકારીની હાજરીમાં કરવામાં આવી હતી. ઉના ગીરગઢડા રોડ પર આવેલ ફેક્ટરી ગ્રાઉન્ડમાં દારૂના જથ્થા પર રોલર મશીન ફેરવી તમામ દારૂની બોટલોનો નાશ કરવામાં આવી હતી. ઉના પોલીસ દ્વારા ૩૦૦૩૭ બોટલ નંગ દારૂ પકડવામાં આવ્યો હતો. જેની કિંમત રૂ. ૪૪ લાખ ૩૫ હજાર ૧૧૬ હતી. જ્યારે નવાબંદર મરીન પોલીસે છેલ્લા એક વર્ષમાં ૪૭૭૧ બોટલ નંગ દારૂ ઝડપી પાડ્યો હતો. જેની કિંમત રૂ. ૪ લાખ ૬૭ હજાર ૨૦ છે. કુલ મળીને ૪૯ લાખ ૨ હજાર ૧૩૬ ના દારૂના જથ્થા પર રોલર મશીન ફેરવવામાં આવ્યું હતું. આ દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો.નારી ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બેને પોલીસે દબોચી લીધાં ભાવનગર ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગત રાત્રીના રોજ પેટ્રોલીંગ દરમિયાન નારી ચોકડી પાસેથી રાજસ્થાનથી ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં લઈ જવાતો પરપ્રાંતિય ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે આ દારૂની ખેપ લઈને આવી રહેલા ખેપીયાને તથા ડિલિવરી લેવા આવેલા બુટલેગરને પોલીસે ઝડપી લીધા હતા અને સાત બુટલેગરો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વરતેજ પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ નારી ચોકડી પાસે પેટ્રોલીંગમા હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ધોલેરા તરફથી આવી રહેલા એક ટ્રકમાં પરપ્રાંતિય દારૂનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો છે જે હકીકત આધારે ટીમ વોચમા હતી. ત્યારે બાતમીદારોએ કહેલ તે ટ્રક પસાર થતાં તેને અટકાવતા ડ્રાઈવર સીટની બાજુમાં બેસેલ શખ્સ નીચે ઉતરી ફરાર થઈ ગયો હતો. જાેકે, ડ્રાઈવર સહિત બે શખ્સો કેબીનમાંથી મળી આવ્યાં હતા. ચાલક તથા અન્ય શખ્સની પ્રાથમિક પુછપરછ સાથે ટ્રકની તલાશી લેતાં ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં પરપ્રાંતિય દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂના જથ્થા અંગે ડ્રાઈવર તથા સાથે રહેલ શખ્સ પાસે દસ્તાવેજ-પરમિટ માંગતા બંને શખ્સો યોગ્ય ખુલાસો ન કરી શકતા બંને શખ્સોને ટ્રક, ચોખા દારૂ સહિતના મુદ્દામાલ સાથે પોલીસ મથકે લાવી પુછતાછ હાથ ધરતા ઝડપાયેલ શખ્સોએ પોતાના નામ-સરનામાં સાથે આ શરાબનો જથ્થો મંગાવનાર બુટલેગરો સહિતની કબૂલાત આપી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    આંબરડી ગામમાં ખેતરમાં ૨૫૦ મણ ઘઉંનો તૈયાર પાક બળી ગયો

    સાવરકુંડલા, સાવરકુંડલા તાલુકાના આંબરડીમા આવેલ એક ખેતરમા વિજપોલમા શોકસર્કિટ થતા ૨૫૦ મણ ઘઉંનો તૈયાર પાક બળી જતા ખેડૂતને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતરમા આગની આ ઘટના સાવરકુંડલા તાલુકાના આંબરડીમા બની હતી. અહી રહેતા ખેડૂત ભરતભાઈ કસવાળાના ખેતરમા ૫ વિઘાના ઘઉંનો તૈયાર પાક આજે નજર સામે જ જાેતજાેતામાં બળીને ખાક થઈ ગયો હતો. આંબરડી ગામ નજીક આવેલ ભરતભાઈ કસવાળાની વાડીમાં ઘઉંના વાવેતર વચ્ચે પીજીવીસીએલનો વીજપોલ પસાર થતો હોય આજે બપોરે વીજપોલમાં એકાએક શોકસર્કિટ થતાં તૈયાર ઉભેલા ૨૫૦ મણ જેટલા ઘઉં બળી ગયા હતા. ઘઉંમાં આગ લાગવાની ઘટના બનતા જ ખેડૂત ભરતભાઈ કસવાળાએ ગામના સરપંચ પ્રેમજીભાઈ બગડા અને તલાટી કમ મંત્રી ભગવાનજીભાઈ ચાવડાને જાણ કરતા તેઓ દોડી ગયા હતા. ખેડૂતે વીજપોલમાંથી શોકસર્કિટના કારણે આગ લાગી હોય પીજીવીસીએલ પાસે નુકસાનીના વળતરની આશાએ માંગ કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    આનંદીબેન પટેલે ક્રાફ્ટરૂટ્‌સ એક્ઝિબિશનનું ઉદ્‌ઘાટન કર્યું

    રાજકોટ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ દ્વારા આજથી ૬ માર્ચ સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ક્રાફ્ટરૂટ્‌સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું ઉદ્‌ઘાટન આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનની અંદર દેશના અલગ અલગ વિસ્તારોમાંથી ૨૨ રાજ્યોના ૨૫,૦૦૦ જેટલા કલાકારોએ તૈયાર કરેલ ૭૫થી વધુ ક્રાફ્ટ્‌સ રાજકોટ એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવશે. આનંદીબેને જણાવ્યું હતું કે,બેરોજગાર પતિને પણ ક્રાફ્ટકલાથી મહિલાઓ પગભર બનાવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણા દેશમાં એગ્રીકલ્ચર બાદ ક્રાફ્ટ સેક્ટરમાં ૨થી અઢી કરોડ લોકો જાેડાયા છે. આ અનઓગ્રેનાઇઝડ સેક્ટર છે. જેને ઓર્ગેનાઇઝડ કરવું જરૂરી હતું. જેના માટે અમારી સંસ્થાઓ મૂવમેન્ટ શરૂ કરી. અલગ-અલગ સેલ્ફ ગ્રુપ, કોર્પોરેટ ગ્રુપ, ઇન્ડીવિઝીયુઅલ આર્ટીઝન એન્ટપ્રિનિયર જે પોતાની પ્રાઇવેટ કંપની હોય જે ક્રાફ્ટ સાથે જાેડાયેલા હોય, એજ્યુકેશન ઇન્સ્ટટ્યૂટ વચ્ચેને ભેગા કરીને આ પ્લેટફોર્મ શરૂ કર્યું. આ પ્લેટફોર્મ દરેક લોકો સાથે કામ કરે છે. અમે ૨૨ રાજ્યોના ક્રાફ્ટ સાથે જાેડાયેલા છીએ. ૮૫થી વધુ ક્રાફ્ટરૂટ્‌સના એક્ઝીબિશન ભારત તથા વિદેશમાં થયા છે. કારીગરોની પ્રોડક્ટ વેંચાય તેની જવાબદારી સંસ્થા લે છે. પ્રોડક્ટ વેંચાય ત્યારે જ્યારે તેની ડીઝાઇન વ્યવસ્થિત હોય, કોસ્ટ બરોબર હોય, યોગ્ય સમયે ડિલીવરી થતી હોય તો જ પ્રોડક્ટ વેચાય અમે અમારા ડિઝાઇનરની પાસે પણ કારીગરોને લઇ જાય તેથી કંઇક નવું થઇ શકે. રો-મટીરીયલ જાેતું હોય તો તેની મદદ કરીએ. મોટો ઓર્ડર હોય તો સંસ્થા વગર વ્યાજે લોન આપે છે.હાલ સંસ્થા સાથે દેશભરમાંથી ૨૫૦૦૦થી વધુ લોકો જાેડાયા છે. તેનો ગર્વ છે. ક્રાફ્ટરૂટ્‌સ સંસ્થામાં ઘણા બધા વોલીયન્ટર્સ જાેડાયા છે. ૨૦ થી વધુ ડિઝાઇનીંગ સ્કૂલો સાથે જાેડાયેલા છીએ. તેના ૨૦૦થી વધુ ઇન્ટરસની એપ્લીકેશન આવતી હોય છે. દર વખતે એક્ઝિબિશનમાં કારીગરો ૭૦થી ૭૫ લાખ રૂપિયાનું વેંચાણ થાય છે. ઉલ્લેખનીય છે કે ક્રાફટરૂટસ્‌ એકઝીબિશનમાં ૮ થી ૧૦ ક્રાફટનું લાઈવ ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે.જેમાં બાળખોને કોટરી કરવી હોય તો તે શીખી શકશે માટીમાં હાથ નાખવા બાળકો તૈયાર નથી હોતા તેઓ મોબાઈલ સાથે જાેડાયેલા રહે છે તો માટીથી બનતી વસ્તુ બાળકો જાેઈ શકશે ને બનાવી પણ શકશે. લાઈવ ડેમોસ્ટ્રેશન થકી કારીગરોની કળા વિશે માહિતી મળી શકશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ચામુંડા મિત્ર મંડળ દ્વારા ૪૦ વર્ષથી યોજાતી પદયાત્રાનો સંઘ રવાના

    દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના ભરતનગર, કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ આયોજીત ભાવનગરથી ચોટીલા જવા માટે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના હસ્તે ૫૨ ગજાની ધજાનું પૂજન-અર્ચન કરી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના ભરતનગર કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ છેલ્લા ૪૦ વર્ષથી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે ભાવિક ભક્તો ભાવનગરથી ચોટીલા સુધીનો પદયાત્રા સંઘ યોજવામાં આવ્યો છે.હોળી-ધુળેટીનું પર્વ નજીક આવતા દ્વારકા જતા પદયાત્રીઓમાં વધારો જામનગર ફાગણ માસની પૂર્ણીમા એટલે કે હોલીકા ઉત્સવ, હોળી ઉત્સવ માટે વર્ષોની પરંપરા મુજબ ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે ઠેર-ઠેર ગામે-ગામ થી અસંખ્ય લોકો પગપાળા દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચે છે. આ વર્ષે પણ ગુજરાત-રાજસ્થાન સહિતના રાજયોમાંથી અસંખ્ય પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ પદયાત્રીઓ સેવા માટે પણ હાઈ-વે પર અસંખ્ય સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. જેમાં પદયાત્રીઓ માટે રહેવા, જમવા, ફેરા થવા માટે તેમજ તમામ મેડીકલ માટેની સુવીધાઓ પણ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. સેવાકેમ્પોમાં ડી.જે.ના તાલે પણ પદયાત્રીઓનો થોડો થાક દૂર કરવા માટે કાળીયાઠાકરના ગીતો વગાડી અને ગરબા ઘૂમવા માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજકોટ જેલમાંથી ગુજસીટોકના ફરારને જૂનાગઢમાંથી પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો

    રાજકોટ રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો ગુજસીટોકનો આરોપી જૂનાગઢ હોવાની મળતા પેરોલ ફર્લો સ્કોડે દબોચી લીધો હતો. આરોપીને જૂનાગઢની જિલ્લા જેલમાં ધકેલવામાં આવ્યો હતો. જુનાગઢ જિલ્લામાં શાંતિનો માહોલ જળવાય અને ગેરકાયદેસર પ્રવૃતિઓ નાબૂદ થાય તેવા હેતુથી પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટીએ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં જુદા-જુદા ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપી હતી. જેને આધારે જૂનાગઢ પેરોલ ફર્લો સ્કોડ અને જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાનપેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઈ. ઉમેશભાઈ વેગડા પો.હેડ.કોન્સ. સંજયભાઈ વઘેરા, પો.કોન્સ. દિનેશભાઇ છૈયા,જયેશ ભાઈ બામણીયા સ્ટાફ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર ગુજસીટોક કાચા કામનો આરોપી એઝાજ ફારૂકભાઈ બ્લોચ જૂનાગઢમાં હોવાની ખાનગી બાતમીના આધારે જેલ ફરારીના આરોપીને મતવાવાડવિસ્તારમાથી ઝડપી લીધો હતો. ત્યારબાદ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સોપી આપવામા આવ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    ફૂડ લાઇસન્સ વગર ફૂડ વેંચતા ૧૧ ધંધાર્થી ઝડપાયા

    રાજકોટ રાજકોટ આજે આરોગ્ય વિભાગના દરોડામાં ફૂડ વેંચતા ૧૧ ધંધાર્થીઓ ફૂડ લાઇસન્સ વગર ખાદ્યસામગ્રીનું વેચાણ કરતા ઝડપાયા હતા. પરંતુ આરોગ્ય વિભાગે દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવાને સ્થાને માત્ર લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપીને સંતોષ માની લીધો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના નાગેશ્વર મેઇન રોડ -જામનગર રોડ વિસ્તારમાં આવેલ મહાદેવ નમકીન, તિરુપતિ ફરસાણ સ્વીટ માર્ટ, સનરાઇઝ સુપર માર્કેટ, ગાંધી સોડા શોપ, લાઈફ કેર ફાર્મસી, ગોપાલ નમકીન સ્વીટ માર્ટ, મહાવીર પ્રોવિઝન સ્ટોર, સુરેશ નમકીન, શ્રીજી મેડિકલ સ્ટોર, અનમોલ રસ ડેપો અને શ્રી બાલાજી કોલ્ડ્રિંક્સ શ્ આઇસ્ક્રીમને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર અને અબ્દુલહુસેન શેખભાઇ એન્ડ સન્સ ખાતેથી જાયદી ખજૂર, અરિહંત પ્રોવિઝન સ્ટોરમાંથી હારડા,એન. બી. બ્રધર્સમાંથી દાળીયાના નમૂના લેવામાં આવ્યા હતા.ફાયર સેફટી અંગેની મોકડ્રિલ યોજાઈ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીની તાલીમ અંતર્ગત વ્રજ હાઈટસ ખાતે ફાયર સેફટી અંગેની મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં ૫૦ જેટલા રહેવાસીઓને બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જાેઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો,જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેની તાલીમ અપાઈ હતી. પૂર્ણા કિશોરી જાગૃતિ કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ જાગૃતિ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે અને આ તમામ કાર્યક્રમો દ્વારા ૈંઝ્રડ્ઢજીનાં લાભાર્થીઓને જીવન ઉપયોગી મેસેજ મળી રહે તેવા સુચારૂ પ્રયત્નો કરવામાં આવે છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાનાં સંયુક્ત ઉપક્રમે પૂર્ણા કિશોરી જાગૃતિ કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં ૧ માર્ચના રોજ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કિશોરીઓ માટે સ્થળ પર જ લોહીની તપાસ ૐમ્ ટેસ્ટની સગવડો ઉપસ્થિત કરવામાં આવી હતી. જેમાં ૧૩૦ કિશોરીનો ૐમ્ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 
    વધુ વાંચો
  • ગુજરાત

    સાયલા નજીક ૩.૯૦ કરોડ લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર

    રાજકોટ રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાયલા નજીક લૂંટની ઘટના બની છે. જેમાં કુરિયર સર્વિસની કારને આંતરી પોલીસની ઓળખ આપી ગાડીમાં દારૂ હોવાનું કહી ચેક કરવાના બહાને ફરિયાદીને બાંધી માર મારી અંદાજિત ૩.૯૦ કરોડ રકમની લૂંટ ચલાવી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. બાદમાં પોલીસ દ્વારા ૧૦ ટીમો બનાવી નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જેમાંની એક ટીમ જ્યાંથી કુરિયર સર્વિસની કાર રવાના થઈ હતી તે રાજકોટની ન્યુઝ એર સર્વિસની ઓફિસે પહોંચી તપાસ કરી છે. અહીં પોલીસે સીસીટીવી ચેક કરતા પાર્સલ ભરેલી કાર ગતરાતે ૯.૪૦ વાગ્યે રવાના થઈ હોવાનું ખુલ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રણછોડનગર શેરી નંબર ૪માં આવેલ ન્યુઝ એર કુરિયર સર્વિસની ઓફિસમાંથી ગઈકાલે રાત્રિના ૯.૪૦ વાગ્યે સામાન ભરી ગાડી અમદાવાદ તરફ મોકલવામાં આવી હતી. જાેકે, ગાડી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક પહોંચતા ૩ જેટલી કાર દ્વારા ન્યુઝ એર કંપનીની કારને આંતરી લૂંટારુઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. બાદમાં પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી ૧૦ જેટલી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, સાયલા નજીક અંદાજિત ૩.૯૦ કરોડની લૂંટની ઘટના બની છે, હાલ ૧૦ જેટલી ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ ૧૦ ટીમનું સુપરવિઝન સુરેન્દ્રનગર એસપી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સુરેન્દ્રનગરની એક ટીમ રાજકોટ કુરિયર ઓફિસ પહોંચી તપાસ હાથ ધરી છે. જેમાં ગાડી પાર્સલ ભરી જતી હોય તે સમયના અને તે પહેલાના સીસીટીવી ફૂટેજ તપાસવા તેમજ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સહિત તમામની પુછપરછ કરાઇ છે. રાજકોટના રણછોડનગર શેરી નંબર ૪માં આવેલ ન્યુઝ એર સર્વિસ નામની પાર્સલ ઓફિસ ખાતે પોલીસની ટીમ પહોંચી છે અને સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. સાથે જ અલગ અલગ હાઇવે પરના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. હાઇવે પર પણ નાકાબંધી કરવામાં આવી છે. પાર્સલ ઓફિસથી શરૂ કરી હાઇવે સુધી તમામ સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    શિવાલયોમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજ્યો

    સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ધ્વજા પૂજન કરી અને શિવરાત્રિ મહોત્સવનો મંગલ પ્રારંભ કરાયો હતો. આજે સોમનાથ તીર્થમાં સમગ્ર દેશભરમાંથી તેમજ અનેક ભાવિકો વિદેશોમાંથી પણ સોમનાથ પહોંચ્યા હતા. સવારે ચાર વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી ભાવિક હાથમાં બીલીપત્ર અને પુષ્પો લઈ લાંબી કટારોમાં ઊભા હતા અને ક્યારેય ભગવાન સોમનાથ મહાદેવના દર્શન થાય તેની રાહમાં હતા. સમગ્ર સોમનાથ તીર્થ આજે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી રહ્યું છે. ગીર સોમનાથમાં મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્‌યું હતું. તો સોમનાથ મંદિરને વિવિધ રંગબેરંગી ફૂલોના દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યું છે. વહેલી સવારે સોમનાથ દાદાના મંદિરમાં આરતીનો લાભ લેવા ભાવિકો દર્શને મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. મંદિરમાં ભક્તોની લાંબી કતાર સાથે ભારે ભીડ જાેવા મળી હતી. તો આજે સોમનાથ મંદિરે અનેકવિધ અગ્રણીઓ સાધુ સંતો તેમજ લાખોની માત્રામાં ભાવિક ભક્તો પણ સોમનાથમાં ઉમટશે. આમ સતત ૪૨ કલાક સુધી સોમનાથ તીર્થ હરણના નાદથી ગુંજતું રહેશે.મુકેશ અંબાણી અને પુત્ર આકાશ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ ના દર્શન કર્યા મહાશિવરાત્રીના પાવન પર્વ પર મુકેશ અંબાણી તેમજ પુત્ર આકાશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને કર્યા હતા. સાથે તેઓએ જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા ના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો. તેમજ મુકેશ અંબાણી દ્વારા સોમનાથ ટ્રસ્ટને ૧.૫૧ કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાની ઉજવણી ભવનાથ મહાદેવ મંદિર એક પ્રાચીન મહાદેવનું મંદિર છે. ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું, તે ગુજરાતના સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક છે અને જૂનાગઢમાં શ્રદ્ધાળુઓ નું આસ્થાનું કેન્દ્ર છે .માત્ર શિવરાત્રી પર જ નહિ પરંતુ ૩૬૫ દિવસ આ મંદિરમાં ભક્તો ભવનાથ મહાદેવના દર્શને આવી ધન્યતા અનુભવે છે ત્યારે શિવરાત્રી ના મેળો હાલ જામ્યો છે ત્યારે લોકો બહોળી સંખ્યા માં મહાદેવના દર્શને ઉમટી પડ્યા હતા હર હર મહાદેવના નાથ સાથે અલગ અલગ અખાડાના રથો બેન્ડ,વાજા, ઢોલ,શરણાઈના સૂર ભક્તિભાવ સાથે નીકળશે ત્યારે લાખોના અવિરત પ્રવાહ થી યોજાતા શિવરાત્રી મેળામાં હર હર મહાદેવના નાથ સાથે આખરી કલાકો તરફ જઈ રહ્યું છે .ત્યારે વહીવટી તંત્ર પોલીસ તંત્ર પણ રવેડી ને લઇ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેળાને આખરી ઉપ આપી રહ્યા છે. જામનગરના શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે. ત્યારે આજે મહાશિવરાત્રિના પાવનકારી પર્વને લઈને ભોળાનાથને રીઝવવા માટે શિવભક્તો જુદા જુદા શિવ મંદિરોમાં ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવના નાદ સાથે રુદ્ર અભિષેક, જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી હતી. ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો. છોટી કાશીનું બિરુદ પામેલા જામનગર શહેરમાં અનેક પુરાણા પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર ભીડભંજન મહાદેવ મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ઓમકાલેશ્વર મહાદેવ વેદનાથ મહાદેવ, નર્મેશ્વર મહાદેવ, ગૌરીશંકર મહાદેવ સહિતના અનેક શિવાલયોમાં આજે મહાશિવરાત્રિના પાવનકારી પર્વને લઈને શિવ ભક્તો દર્શન માટે લાંબી કતારો લગાવી હતી અને શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરી હતી તેમજ સમગ્ર શહેરમાં શિવમય વાતાવરણ પર જાેવા મળ્યું હતું. પંચેશ્વર ટાવર સિધ્ધનાથ મહાદેવ મંદિરના દ્વારે ભગવાન શિવજીના મહાપ્રસાદ એવા ભાંગના વિતરણ માટેના કેન્દ્રો પણ ઊભા થયા હતા ત્યાં ભક્તો ભાવિકો કે પ્રસાદ લેવા માટે કતારો લાગી હતી. જામનગર શહેરમાં પ્રતિવર્ષ શિવરાત્રીના પાવનકારી પર્વને લઈને શોભા યાત્રા નીકળે છે જે પરંપરા મુજબ આ વખતે પણ ૪૨મી શોભા યાત્રા સાંજે યોજાશે. ભુજમાં શિવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી વિશાળ શોભાયાત્રાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું ભગવાન ભોળાનાથના પર્વ મહા શિવરાત્રિની સમગ્ર કચ્છમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ભાવિકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ભુજ શહેરમાં સમસ્ત સનાતન હિન્દૂ સમાજ દ્વારા આ પ્રસંગે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ટ્રેકટર, ટ્રેલર અને જીપ સહિતના ૩૦થી વધુ વાહનો શણગાર સાથે જાેડાયા હતા. જેમાં ભક્તો ધાર્મિક ગિતો પર ઝૂમતા જાેવા મળ્યા હતા. તો મોટેરા સાથે નાના બાળકો પણ શીવમગ્ન બન્યા હતા. બાળ શંકર બનેલા શિવજી સાથે લોકોએ સેલ્ફી લેવાનો આંનદ માણ્યો હતો. શહેરના પારેશ્વર ચોકથી પ્રસ્થાન પામેલી શૉભાયાત્રા જ્યુબિલિ સર્કલ થઈ ધીંગેશ્વર મહાદેવ મંદિરે સમાપન થઈ હતી. આ પ્રસંગે રામ મંદિર સામે હમીસર તળાવ કિનારે આયોજિત જમણવારનો અંદાજિત ૧૫ હજાર લોકોએ લાભ લીધો હતો. બીજી તરફ હાટકેશ્વર મંદિર , ધીંગેશ્વર મંદિર સહિતના શિવમંદિરોમાં શિવલિંગના દર્શન માટે ભાવિક ભક્તોની કતારો જાેવા મળી હતી. આજે શિવરાત્રિના મહા પર્વે સમગ્ર કચ્છના શિવ મંદિરો હર હર ભોલેના નાદથી ગાજી ઉઠ્‌યા હતા. ઢોલ-નગારાના તાલે મહાદેવની શોભાયાત્રામાં કાઠિયાવાડી પરિધાનમાં યુવાનોએ ગરબાની રમઝટ બોલાવી આજે મહાશિવરાત્રિ છે, ત્યારે રાજકોટ જિલ્લાના સૌથી મોટા મહાદેવ મંદિર ઘેલા સોમનાથમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ ઘેલા સોમનાથ દાદાના દર્શન કરવા ભાવિકો ઉમટી રહ્યા છે. તેમજ દર્શન માટે મંદિરમાં ભાવિકોની લાંબી લાઈન જાેવા મળી રહી છે. ઢોલ-નગારાના તાલે ઘેલા સોમનાથ દાદાની શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં યુવાનોએ કાઠિયાવાડી પરિધાનમાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. મહાસતી મીનળદેવી દ્વારા ૧૫મી સદીને સ્થાપિત પવિત્ર ઘેલા નદીના કિનારે આવેલ અને ભારતની બાર જ્યોતિર્લિંગ જેટલું જ મહત્વ ધરાવતી ઘેલાસોમનાથ મહાદેવની સુપ્રસિદ્ધ શિવલિંગનું અનેરૂ મહત્વ છે. આજે સવારના ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. તેમજ ઘેલાસોમનાથ દાદાના ભક્તોને સવારના છથી સવારના ૧૦ કલાક સુધી રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘેલા સોમનાથની નજીક આવેલ સોમપીપળીયા ગામથી ભગવાનની શોભાયાત્રા યોજાઈ હતી. રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રામાં સામાજિક, રાજકીય અને રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા. તેમજ બપોરના ૧૨ઃ૩૦ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. ભાવનગરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું દેવોનાં દેવ મહાદેવને પ્રસન્ન કરવાના પર્વ મહાશિવરાત્રિની આજે સમગ્ર ગોહિલવાડમાં ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રિ અન્વયે શહેર-જિલ્લામાં આવેલા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. ભાવેણાનું આસ્થાનું પ્રતિક એવું મંદિર એટલે ‘તખ્તેશ્વર મહાદેવ’. આ મંદિર ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર છે. જે સંપૂર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવવામાં આવેલું છે. આજે મહાશિવરાત્રિ નિમિતે આ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભાવનગર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં આવેલા શિવ વિહાર ટ્રસ્ટના ભગવાનેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રિ નિમિતે ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી, જ્યાં ભક્તોએ મહાદેવની દુધના અભિષેક સાથે પૂજા કરી હતી. ઉપરાંત આજે પ્રસાદી રૂપે દરેક શિવાલયોમાં ભાંગની પ્રસાદી પણ આપવામાં આવી હતી. મહાશિવરાત્રિ પર્વની ભાવનગર શહેર-જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે, શિવ ભક્તો વહેલી સવારથી મોડી રાત સુધી શિવાલયોમાં ભીડ જમાવી મહાદેવની પૂજા અર્ચના કરશે. ભોળાનાથને પ્રિય ભાંગનો પ્રસાદ ચડાવાશે. સાથે જ અલગ અલગ પદાર્થોનો અભિષેક કરી સુરક્ષાની કામનાઓ કરાશે. શહેરમાં આવેલા પ્રાચિન શિવાલયો જેમાં જશોનાથ મહાદેવ, તખ્તેશ્ર્‌વર મહાદેવ, ગંગનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં શિવભક્તોનો મેળો જામશે. શહેરમાં આવેલા શિવ મંદિરોને સુંદર શણગાર તથા રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યાં છે. ઉપરાંત જિલ્લાના ઐતિહાસિક મહત્વ ધરાવતા નિષ્કલંક, ગોપનાથ, સિહોર ગૌવતમેશ્ર્‌વર સહિતના શિવાલયમાં ભક્તો ઉમટી પડવાની પુરેપુરી શક્યતા જાેવાઈ રહી છે. શ્રધ્ધાળુઓ આજે ઉપવાસ રાખી ફળાહારમાં શક્કરીયા, સામો, રાજગરો, બટેટા, સાબુદાણા તથા ફળફળાદિ આરોગી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે. અનેક શિવાલયોમાં હોમાત્મક લઘુરૂદ્ર, સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજના દિવસે શિવજીની ત્રણ પ્રહરની મહાપૂજાનું વિશેષ મહાત્મ્ય શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. આથી આધિ-વ્યાધિ, ઉપાધિમાંથી અને સાંસારિક વિટંબણાઓમાંથી મુક્ત થવા જીવ શિવના શરણે જશે. ભોળાનાથના દર્શન માટે ભક્તો ઊમટ્યાં દેવાધિદેવ મહાદેવની આરાધનાના પર્વ મહાશિવરાત્રિની આજે શહેરભરનાં શિવાલયોમાં ભાવ, ભક્તિ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં શિવાલયોએ આજે અનેરો શણગાર સર્જ્‌યો હતો તેમજ પરોઢથી ચાર પ્રહરની પૂજા-વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો. લઘુરૂદ્ર યજ્ઞ, રૂદ્રાભિષેક, રૂદ્રી પાઠ, શિવમહિમ્ન શ્રોત, શિવશૃંગાર, મધ્યાહ્ન તથા સંધ્યાકાળે મહાઆરતી, બપોરના સમયે બટુકભોજન, ફરાળી પ્રસાદ વિતરણ, ભાંગ વિતરણ અને ચાર પ્રહરની પૂજા સાથે શહેરના પ્રત્યેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગૂંજી ઊઠ્‌યા હતા. મહાશિવરાત્રિ નિમિત્તે પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ, કોઠી કમ્પાઉન્ડમાં આવેલા કોટેશ્વર મહાદેવ, એરપોર્ટ ફાટક પાસેના મહાકાલેશ્વર મહાદેવ, કાશી-વિશ્વનાથ મહાદેવ, જંકશન પ્લોટમાં ગીતા વિદ્યાલય, રણછોડદાસ બાપુ આશ્રમ સહિત સર્વત્ર ભક્તોની ભીડ ઊમટી હતી. આજી નદીના મધ્યમાં બિરાજતા રામનાથ મહાદેવને મનાવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોય એ પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. સવારે અભિષેક, પૂજન, મહાઆરતી, ભાંગ વિતરણ તથા પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મહંત કપિલગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું. ભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ પર દૂધ, દહીં, ઘી, ગંગાજળ, નાગકેસર સહિતનાં દૃવ્યોથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરી રહ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સૌથી મોટું રેતીચોરીનું રેકેટ ઝડપાયા બાદ ભાજપના નેતાએ પીએમને ટેગ કરતા ખળભળાટ

    અમરેલી તા.૧૪અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે ચાલી રહેલા રેતીચોરીના કૌભાંડનો મામલતદારે ગઈકાલે રાત્રે પર્દાફાશ કરી લાખો રૂપિયાની મશીનરી જપ્ત કરી છે. આ સમગ્ર મામલે ખાણખનીજ વિભાગને તપાસ સોંપી દેવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડો. ભરત કાનાબારે પીએમ મોદીને ટેગ કરી એક ટ્‌વીટ કરતા જિલ્લાની રાજનીતિ ગરમાઈ છે. સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા કરાતા હોવાનો ટ્‌વીટમાં આક્ષેપ કરાયો છે. રાજુલાના ભાક્ષી ગામ પાસે ચાલતું હતું કૌભાંડ રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે આવેલી નદીમાં બેરોકટોક રેતી ચોરી થતી હોવાની તંત્રને માહિતી મળ્યા બાદ ગતરાત્રિએ સંદિપસિંહ જાદવ અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. મામલતદાર અને તેમની ટીમે ઘટનાસ્થળ પરથી રેતી કાઢવા માટેની મશીનરી સાથેની ચાર બોટ અને એક હિટાચી મશીન કબજે કર્યું હતું. આ ઉપરાંત કાંઠા વિસ્તારમાંથી મસમોટો રેતીનો જથ્થો પણ મળી આવ્યો હતો. અમરેલી જિલ્લામાંથી મસમોટા રેતીચોરી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડો. ભરત કાનાબારે આજે બપોરે ૧૨ વાગ્યે પીએમ મોદીને ટેગ કરી એક ટ્‌વીટ કર્યું હતું. જેમાં ભાક્ષી ગામ પાસેથી ઝડપાયેલા રેતીચોરીના કૌભાંડને જિલ્લાનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું અને સાથે લખ્યું હતું કે,સરકારી કામોમાં ભાગો રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા. રાજુલાના પ્રાંત અધિકારી કુલદીપસિંહ વાળાએ કહ્યું હતું કે, ગતરાત્રે અમને રેતીચોરી બાબતે માહિતી મળતા મામલતદારની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઘટનાસ્થળ પરથી ચાર બોટ અને એક હિટાચી મશીન સીઝ કરવામાં આવ્યું છે. અહીં કેટલી રેતી ચોરી કરવામાં આવી અને આ કૌભાંડ સાથે કોણ સંકળાયેલું છે તે અંગે ખાણખનીજ વિભાગને તપાસ સોંપવામાં આવી છે. અમરેલી ભાજપના નેતા પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પરથી સમયાંતરે વિવિધ વિષયો પર ટ્‌વીટ કરતા રહે છે જે ચર્ચામાં પણ રહેતા હોય છે. ભૂતકાળમાં ચોમાસા દરમિયાન ધોવાઈ જતા રસ્તાઓને લઈ લેભાગુ કોન્ટ્રાક્ટરો, કટકીબાજ અધિકારીઓ અને ભ્રષ્ટ લોકસેવકોની ટોળકીને ટુકડે ટુકડે ગેંગ ગણાવી હતી. આ ઉપરાંત ન્યાયતંત્ર, ઈ-કોમર્સ કંપની, બિસ્માર રસ્તા, ગટરના પ્રશ્નો જેવા મુદ્દે આગવા અંદાજમાં કરેલા ટ્‌વીટ ચર્ચામાં રહ્યાં છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ખનીજ વિભાગના અધિકારીઓ પર ખનીજચોરોનો હુમલો

    સુરેન્દ્રનગર,તા.૧૪સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે, ત્યારે ખનીજ ચોરી અટકાવવાનો પ્રયાસ સતત હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાંથી કપચી, મુળી થાન પંથકમાંથી કોલસો સહિત રેતીની સતત ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી અટકાવવા માટેનો પ્રયાસ સતત સુરેન્દ્રનગર ખાણ અને ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતો હોય છે. અને રેડ પણ કરવામાં આવતી હોય છે. પરંતુ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે. ત્યારે સુરેન્દ્રનગરના લીંબડી તરફ ખાણ અને ખનીજ વિભાગના મુખ્ય અધિકારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે ઉપર ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ઓવરલોડ જે ડમ્પર ખનીજ ભરીને જતા હોય તેને ઉભા રાખી અને ચેક કરવામાં આવતા હતા. તે દરમિયાન અચાનક મામલો બિચક્યો હતો. અને ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી ઉપર પ્રથમ હુમલો કરાયો હતો. પથ્થર અને અન્ય પદાર્થથી હુમલો કરાયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાડીના કાચ પણ તોડી પાડવામાં આવ્યા છે, અન્ય સ્પેરપાર્ટને પણ નુકસાન થયું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ ખનીજ ચોરી ખુલ્લેઆમ રીતે થઈ રહી છે. ત્યારે ખનીજ માફીઆઓ સતત બેફામ બનતા જઈ રહ્યા છે. હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર પણ હુમલાઓ કરી રહ્યા છે. લીંબડી નજીક આ બનાવ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે જાણ થતા તપાસ કામગીરીનો દોર પણ યથાવત કરી દેવામાં આવ્યો છે. ત્યારે જિલ્લામાં ચાલતી ખનીજચોરી ઉપર ક્યારે રોક લાગશે ? તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે, હવે ખાણખનીજ વિભાગના અધિકારીઓ પણ કેટલા સુરક્ષિત છે ? પોતાની કામગીરી દરમિયાન કેટલી તે સુરક્ષા અનુભવી રહ્યા છે અને ભુમાફિયાઓ સામે તેમને ક્યારે રક્ષણ મળશે ? તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. એક મહિનામાં ૪ સ્થળોએ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલાના બનાવ બન્યા સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે. હવે આ ખનીજચોરી ક્યારે અટકશે, તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે. ત્યારે એક મહિનામા ચાર સ્થળો ઉપર ખનીજ વિભાગના અધિકારીઓને કર્મચારીઓ ઉપર હુમલો તેમજ ગેરવર્તનના બનાવ સામે આવ્યા છે. ખાસ કરીને આરટીઓ ઓફિસ નજીક આવેલી ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં થોડા સમય પહેલા ભૂમાફિયાઓ દ્વારા ખનીજ અધિકારીઓને જાન મારી નાખવાની ધમકી આપવામા આવી હતી. ત્યારબાદ આ મામલે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરાયો હતો. ત્યારે લીંબડી નજીક પણ આજે બનાવ બન્યો છે, ત્યારે એક મહિનામાં ચાર સ્થળોએ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર હુમલાઓ તથા ફરજ રૂકાવટ કરવામાં આવી છે. લીંબડી નજીક ચેકપોસ્ટ ઉપર બબાલ સર્જાઈ લીંબડી નજીક સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. જિલ્લામાં ખનીજચોરી અટકાવવાનો પ્રયાસ ખાણ ખનીજ વિભાગે હાથ ધરી છે. પરંતુ તેમ છતાં પણ જિલ્લામા ખનીજ ચોરી અટકી રહી નથી. ત્યારે લીંબડી નજીક ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી ખનીજ ભરેલી ગાડીઓ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ચેક કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે. ત્રણ જેટલા અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. પથ્થરો તેમજ અન્ય પદાર્થોથી હુમલો કરવામાં આવ્યો છે. જાેકે આ મામલે તપાસનો દોર હાલની પરિસ્થિતિમાં યથાવત કરવામાં આવ્યો છે. ત્યારે ડમ્પર ચાલકો દ્વારા બેફામ રીતે ખનીજ ઓવરલોડ ભરવામાં આવ્યું હોય અને તેની વાતચીતમાં બબાલ થઈ હોય તેવું પ્રાથમિક કારણમાં સામે આવ્યું છે. વિભાગની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું લીંબડી નજીક ખાણ ખનીજ વિભાગ દ્વારા ઉભી કરવામાં આવેલી ચેક પોસ્ટ ઉપર ખનીજ વિભાગના અધિકારીઓને કર્મચારીઓ ઉપર હુમલાના બનાવ બાદ તાત્કાલિકપણે તપાસનો દોરી યથાવત કરી દેવામાં આવ્યો છે. ખનીજની ગાડીને પણ તોડી પાડવામાં આવી છે. ગાડીના કાચ તેમજ અન્ય સ્પેરપાર્ટો ઉપર પણ પથ્થરથી હુમલો કરાયો છે અને તોડી પાડવામાં આવ્યા છે. આ મામલે આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિતની વસ્તુઓ મેળવવામાં આવી રહી છે અને તપાસનો દોર યથાવત કરવામાં આવ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, અવરલોડ ડમ્પર અને અન્ય વાહનો જે ભરેલા હતા, તેના ચેકિંગ દરમિયાન સામાન્ય બોલાચાલીમાં બિચકાયો હતો. અને ત્યારબાદ ખનીજ વિભાગના ત્રણ કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કરાયો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભુજના માધાપર હાઇવે આમલેટની હંગામી દુકાનમાં મધરાતે આગ લાગી

    ભુજ,તા.૧૪ભુજ પાસેના માધાપરમાં ગત મધ્યરાત્રિએ એક અમલેટની હંગામી દુકાનમાં આગ લાગી ઉઠતા વિવિધ તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી. શહેરના જુના રેલવે સ્ટેશન રોડ પાસેની શક્તિ હોટેલ નજીક આગની આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા તુરંત ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઇટરની મદદ વડે આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો હતો. આગના પગલે ફાયર સાથે પોલીસ અને હોમગાર્ડ યુનિટ સહિતના તંત્ર આગ બુઝાવની કામગીરીમાં વ્યસ્ત બન્યા હતા. જાેકે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ભુજ શહેર પાસેના માધાપર હાઇવે પર આવેલી શક્તિ હોટલની સામે ગત રાત્રિના ૧.૪૫ વાગ્યાના અરસામાં એક આમલેટની હંગામી દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયરટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. દરમિયાન આગના સ્થળ રહેલી વિજ ડીપીને વિજ વિભાગને જાણ કરી વિજલાઈન બંધ કરવામાં આવી હતી. રાત્રિનો સમય હોવાથી જાનહાની ટડી હતી, જાેકે કેબિન સહિતની સામગ્રી આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. આ કામગીરીમાં ફાયરના મહમદભાઈ જત અને સ્ટાફના લોકો જાેડાયા હતા, તો પોલીસની એક નંબર મોબાઈલ તથા ભુજ શહેર હોમગાર્ડસના કમાન્ડિંગ ઓફિસર વારીશ પટણી તથા ગૌરંગ જાેશી. અમન દનીચા, મુસ્તાક પઢીયાર, ફારૂક સમા સહિતના હોમગાર્ડ જવાનો પણ બનાવ સ્થળ પહોંચી આગ બુઝાવની કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    પાલિતાણામાં પત્નીની હત્યા કરનાર પતિને સજા, બે મહિલાઓને નિર્દોષ છૂટકારો

    પાલીતાણા,તા.૧૪૧૧ માસ પુર્વે ભાવનગર જીલ્લાના પાલીતાણાના તળાવ વિસ્તારમાં રહેતા પતિએ પત્નિનું ગળુ દબાવી હત્યા કરી હતી. જેમા બે મહિલાઓએ મદદગારી કરી હતી આ અંગેનો ગુનો જે તે સમયે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે પતિ સહિત બે મહિલાઓ સામે હત્યા સહિતનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઇ મુખ્ય આરોપી પતિ સામેનો હત્યાનો ગુનો સાબિત માની આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય બે મહિલાઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. પાલીતાણાના તળાવ વિસ્તારમાં આવેલ મોટા પીરની દરગાહ પાસે રહેતા ઇમ્તીયાઝ અલારખભાઇ ડેરૈયા, તેની માતા જાનુબેન ઉર્ફે જૈનમબેન અલારખભાઇ ડેરૈયા અને બહેન અફસાનાબેન ડેરૈયાએ ગત તા.૨૦-૩-૨૦૨૨ ના રોજ ઘરેલુ ઝઘડામાં ઇમ્તીયાઝના પત્નિ નરગીસબેનની ગળે ટુંપો દઇ તેમજ ઓશિકા વડે શ્વાસ રૂંધાવી હત્યા કરી નાખી હતી. આ અંગે મૃતક નરગીસબેનના પિતા રસુલખાન નવાબખાન બ્લોચ રહે. હિંમતનગર, સાબરકાંઠાવાળાએ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ઇમ્તીયાઝ ડેરૈયા, અફસાનાબેન ડેરૈયા અને જૈનમબેન ડેરૈયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પાલીતાણા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૨ અને ૩૪ મુજબનો ગુનો નોંઘી ત્રણેયની ધરપકડ કરી હતી. જે કેસ અત્રેની ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયમૂર્તિ એલ.એસ. પિરજાદાએ મદદનીશ સરકારી વકીલની અસરકારક દલીલો તેમજ લેખીત અને મૌખીક પૂરાવાઓ તેમજ સાક્ષીઓની જુબાનીઓ ગ્રાહ્ય રાખી ઈમ્તીયાઝ અલારખભાઈ ડૈરૈયા (ઉં.વ.૩૧, રે. તળાવ વિસ્તાર, પાલીતાણા)ને કસુરવાન ઠરાવી સખ્ત આજીવન કારાવાસની સજા ફટકારી હતી, અને રૂપિયા ૧૦ હજારનો દંડ ભરવા હુકમ કર્યો હતો. દંડ ન ભરે તો બીજા વધુ બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો, જ્યારે આરોપીના માતા જૈનમબેન અને બહેન અફસાનાબેનને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજકોટમાં સ્માર્ટ સિટી નજીક ૪૫ હજાર ચો.મી. પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

    રાજકોટ,તા.૧૪રાજકોટમાં રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં ડ્રિમ સિટી નજીક સરકારી ખરાબાની ૪૫ હજાર ચો. મી. થી વધુની જમીન પર ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણને દૂર કરી આશરે રૂ.૨૩૦ કરોડના મૂલ્યની જમીન ખાલી કરાવાઈ હતી. અધિક નિવાસી કલેકટર કે.બી.ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર જાનકી પટેલ તેમજ ટીમ દ્વારા આજ સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ રૈયા હિલ પાસે રૈયા ૩૧૮ની ટી.પી. સ્કીમ નં-૨૨ માં એસ.પી. ૬૧ -૧, ૨ માં સરકારી ખરાબા જમીન પર ૪૫,૮૭૦ ચો.મી.જમીન પરના ૫૦થી વધુ કાચા અને પાકા મકાન તેમજ ગેરેજ, એલ્યુમિનિયમ સ્ક્રેપ સહિત કેટલાક કોમર્શિયલ બાંધકામોનું ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના બે બુલડોઝર સહિત ટ્રક-ટ્રોલર વગેરે જેવા સાધનોથી દબાણ હટાવી કાટમાળનો સ્થળ પરથી તુર્ત જ નિકાલ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની દબાણ હટાવ કામગીરીમાં સુરક્ષા બંદોબસ્ત અર્થે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બી.આર. ભરવાડ તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.જી. જાડેજા સહિત ૨૦થી વધુ પોલીસ જવાનો, પી.જી.વી.સી.એલ.ની ટીમ તેમજ નાયબ મામલતદાર સહિત વહીવટી તંત્રની ટીમ સામેલ થઇ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ચાર દીકરીઓ તરીને દ્વારકાથી શિવરાજપુર પહોંચી

    પોરબંદર,તા.૧૪વર્ષ ૨૦૨૨માં રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિયેશન આયોજિત તથા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, પોરબંદરના સમસ્ત ખારવા સમાજ, મરીન સિક્યુરિટી ગાર્ડ, ક્રિડા ભારતી સૌરાષ્ટ્ર વિભાગ, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટના સહયોગથી સૌરાષ્ટ્રની છ દીકરીઓ તથા ચાર બાળકો મળી, કુલ દસ ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોને સાર્થક કરવા સ્વચ્છતા અભિયાન ટુરિઝમ ડેવલોપમેન્ટ આધ્યાત્મિક ટુરિઝમ ડેવલોપમેન્ટ અને ખારવા સમાજને રોજગારીની વ્યાપક રીતે સંભાવના ઊભી થઈ તે હેતુથી કૃષ્ણનગરી દ્વારકાથી શિવનગરી સોમનાથમાં ઓપન વોટર સમુદ્ર તરણ એક્સપિડેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દ્વારકાથી શિવરાજપુર બીચ વચ્ચે ૧૫ કિ.મી. જેટલો સુંદર અને રમણીય દરિયાકાંઠો છે. તેમાં ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ અને દ્વારકામાં નવી રોજગારીની તકો ઊભી થાય તે હેતુથી રાજકોટની ચાર દીકરીઓ મૈત્રી જાેશી, વેનેસા શુક્લ બાંસુરી મકવાણા તથા પ્રિષાબેન ટાક રવિવાર તા. ૧૨ના રોજ દ્વારકાથી શિવરાજપુર બીચ ખાતે ઓપન વોટર સ્વિમિંગ એક્સપીડેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સવા આઠ વાગ્યે દ્વારકા બીચ ખાતેથી ચાર દીકરીઓએ સ્વિમિંગ શરૂ કર્યું હતું. જે બપોરે સવા બાર વાગ્યે શિવરાજપુર બીચ ખાતે પૂર્ણ થયું હતું. રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિયેશન તથા સમસ્ત ખારવા સમાજ પોરબંદર મરીન સિક્યુરિટી ગાર્ડ ક્રિડા ભારતી સૌરાષ્ટ્ર વિભાગ સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ગુજરાતના સહયોગથી વર્ષ ૨૦૨૨માં સૌરાષ્ટ્રની છ દીકરીઓ તથા ચાર બાળકો સહિત કુલ ૧૦ ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોને સાર્થક કરવા સ્વચ્છતા અભિયાન ટુરિઝમ ડેવલોપમેન્ટ આધ્યાત્મિક ટુરિઝમ ડેવલોપમેન્ટ અને ખારવા સમાજને રોજગારીની વ્યાપક રીતે સંભાવના ઊભી થાય તેવા ઉમદા હેતુથી હરીથી હર એટલેકે ભગવાન કૃષ્ણની નગરીથી ભગવાન શિવની નગરી દરમિયાન ઓપન વોટર સમુદ્ર ત્રણ એક્સપિડેશન કાર્યક્રમ યોજેલો હતો. જેની ભવ્ય સફળતા બાદ તા. ૧૨.૦૨.૨૩ના રોજ દ્વારકાથી શરૂ કરીને શિવરાજપુર બીચ, જે અંદાજે ૧૫ કિ.મી જેટલું અંતર છે. ત્યા સુધી રાજકોટની ચાર દીકરીઓ મૈત્રી જાેશી, વેનેસા શુક્લ, બાંસુરી મકવાણા તથા પ્રિષાબેન ટાંકે તારીખ ૧૨/૦૨/૨૩ના રોજ દ્વારકાથી લઈ શિવરાજપુર બીચ ખાતે ઓપન વોટર સ્વિમિંગ એક્સપીડેશન કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    પોરબંદરમાં મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઇ કરી વેલેન્ટાઈન ડે ઉજવ્યો

    પોરબંદર,તા.૧૪૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનો પર્વ, આ પર્વને લોકો અલગ અલગ પ્રેમની વ્યાખ્યા થકી ઉજવતા હોય છે. ત્યારે દેશની આઝાદીમાં જેમણે બલિદાન આપ્યા છે. તેવા મહાનુભાવોને આજે યાદ કરી પોરબંદર જિલ્લા એનએસયુઆઇ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનુભાવોની પ્રતિમાઓ આવેલી છે, જે પ્રતિમાઓ જાળવણીના અભાવે ધૂળ ખાઇ રહી છે. ત્યારે આવી પ્રતિમાઓને પોરબંદર એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પાણી વડે ધોઈ અને ત્યારબાદ સાફ-સફાઇ કરી અને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકી હુમલામાં દેશના ૪૪ વીર જવાનો શહીદો થયા હતા. તે શહીદોને પણ આજે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી ૨ મિનિટનું મૌન પાળી તેમને યાદ કરી પોરબંદર જિલ્લા દ્ગજીેંૈં ટીમ દ્વારા નમન કરવા આવ્યું હતું. પોરબંદર એનએસયુઆઇ દ્વારા પક્ષપાત ભૂલી શહેરની તમામ પ્રતિમાઓની સાફસફાઇ કરી આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ પક્ષના પંડિત દિનદયાળ ઉપાધ્યાય, શ્યામપ્રસાદ મુખરજીની પ્રતિમાઓનો પણ સમાવેશ થાય છે. જેમને દ્ગજીેંૈં ટીમે સાફ સફાઇ કરી અને હાર પહેરાવ્યા હતા. નગરપાલિકા આ પ્રતિમાઓની વ્યવસ્થિત સાફ-સફાઇ કરે અને તેમની જાળવણી માટે યોગ્ય વ્યવસ્થા કરે જેથી પોરબંદરની પણ શોભા વધશે તેવી રજૂઆત એનએસયુઆઇ દ્વારા કરવામાં આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ધરતી સેલ્સ એજન્સીમાંથી ૫૪ લીટર વાસી કોલ્ડડ્રીંક્સના જથ્થાનો નાશ કરાયો

     રાજકોટ,તા.૭ રાજકોટ શહેરના ભાવનગ૨ ૨ોડ પ૨ આજી ડેમ ચોકડીથી જૈન દે૨ાસ૨ સુધીના ૨સ્તે ફુડ વિભાગે ખાણીપીણીના ૨૭ દુકાનદા૨ોને ત્યાં ચેકીંગ દરમિયાન ધરતી સેલ્સ એજન્સીમાંથી ૫૪ લીટર વાસી કોલ્ડડ્રીંક્સનો જથ્થો ઝડપાયો હતો. આ ઉપરાંત અન્ય સ્થળેથી કુલ ૮૬ કિલો વાસી ખોરાક મળ્યો હતો. જેથી બન્નેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વન વીક વન ૨ોડ અંતર્ગતની આ ઝુંબેશમાં આજે જૈન દે૨ાસ૨ ૨ોડ પ૨ આવેલ ધ૨તી સેલ્સ એજન્સીમાં ચેકીંગ ક૨વામાં આવતા ત્યાંથી ૨૦૦ એમ.એલ.ની ૨૭૦ બોટલ સોફટ ડ્રીંક્સ એકસ્પાય૨ી ડેટ વીતેલી મળી આવી હતી. જેથી આ ૫૪ લીટર કોલ્ડડ્રીંક્સનો નાશ ક૨વામાં આવ્યો હતો. ઉપ૨ાંત ૭ કિલો પેકડ નમકીન પણ વાસી મળતા તે ફેકી દઈને લાયસન્સ તથા હાઈજેનીક કંડીશન માટે નોટીસ આપવામાં આવી હતી. બાજુમાં આવેલ જય અંબે ફુડસમાંથી પણ ૨૫ કિલો અખાદ્ય ચણા મળતા તેનો નાશ ક૨ી યોગ્ય સ્ટો૨ેજ વ્યવસ્થા ક૨વા અને લાયસન્સ બાબતે નોટીસ અપાઈ હતી. આ ઉપ૨ાંત ખોડીયા૨ પાન, ખોડીયા૨ ટી સ્ટોલ અને મહાદેવ ડે૨ી ફાર્મને પણ તાકીદ ક૨ાઈ છે. આ ૨ોડ પ૨ આવેલ અન્ય દુકાનો ચામુંડા ડે૨ી, હેમલ પાન, દ્વા૨કેશ પાન, મુ૨લીધ૨ પાન, આનંદ કોલ્ડડ્રીંક્સ, શક્તિ નાસ્તા ગ્રુપ, બજ૨ંગ મેડીકલ, સમ્રાટ ૧, શુભમ ડે૨ી, ૨ાધે ક્રિષ્ન ડે૨ી, શ્યામ ડે૨ી, અ૨માન જન૨લ સ્ટોર્સ, શ્યામ સ્ટોર્સ, બજ૨ંગ ફ૨સાણ, ચામુંડા પાન, સાંઈનાથ પાંઉભાજી, બજ૨ંગ પાન, ઓમ શાંતિ પાણી પુ૨ી, ૨ોનક પાંઉભાજી, જય શક્તિ મીલ, જય ૨ામનાથ પાન, ફ્રોઝન આઈસ્ક્રીમની પણ તપાસ ક૨ાઈ હતી.ફુડ તંત્રએ જયુબેલી શાકમાર્કેટ સામે ગુમાનસિંહજી સેન્ટ૨માં દિ૨યાલાલ ટ્રેડર્સમાંથી ક્રીમીલાઈટ ફેટ સ્પ્રેડ અને કુવાડવા ૨ોડ પ૨ ૧૪ લાતી પ્લોટમાં આવેલ ઓમ એન્ટ૨પ્રાઈઝમાંથી અમુલ મોઝ૨ેલા એન્ડ ચીઝ, અમુલ પીનટ સ્પ્રેડના નમુના લઈ લેબો૨ેટ૨ીમાં પ૨ીક્ષણ માટે મોકલ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભાવનગર નજીક આવેલા ટાપુને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો પર્યટક સ્થળ બની શકે

    ભાવનગર,તા.૭ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલ દરિયામાં આશરે સાડા છ નોટિકલ માઈલ દૂર ઐતિહાસિક ટાપુ આવેલો છે આ ટાપુ પીરમબેટ તરીકે ઓળખાય છે આજની યુવા પેઢી આ ટાપુથી વાકેફ નથી પરંતુ જયારે ભાવનગર કે ઐતિહાસિક એવાં “વળા” બંદર જે આજનું વલ્લભીપુર છે એનું અસ્તિત્વ પણ નહોતું એ સમયે પીરમબેટ રજવાડું હતું. આજે સદીઓના વહાણા વાયા અને ગોહિલવાડનો જાજરમાન ઈતિહાસ સરકારી ઉદાસીનતા સાથે કાયદાકીય આંટીઘૂંટીને પગલે ગુમનામીના ગર્તામાં સુષુપ્ત બન્યો છે. સરકાર દ્વારા આ ટાપુના વિકાસની શક્યતાઓ તપાસવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જાે અહીં વિકાસ કરવામાં આવે તો લોકોને અહીં વિદેશી આઈલેન્ડ જેવી જ સુવિધાઓ મળી શકે તેમ છે. ઈતિહાસકારોના મત મુજબ ૧૫મી સદીના ઉતરાર્ધે ગોહિલવાડના રાજવંશીઓએ મુસ્લિમો પર આક્રમણ કરી ખંભાતની ખાડીમાં આવેલ પીરમબેટ ટાપુ પર કબ્જાે કર્યો હતો અને સમયાંતરે પોતાની રાજધાની સ્થાપી હતી. એક સમયે સમ્રાટ અકબર બાદશાહ સામે જંગ લડેલ વીર સૂરવીર મોખડાજી ગોહિલે આ પીરમબેટ પર રાજ કર્યું હતું. દિલ્હી સલતનતના જહાજાે અખાતી દેશો-પ્રાંતોમાંથી દાણ (કર) ઉઘરાવી પરત ફરી રહ્યાં હતાં તે વેળાએ મોખડાજી ગોહિલે આ જહાજાેને અટકાવી પોતાની જળસીમામાંથી પસાર થવા દાણની માંગ કરી હતી, પરંતુ અકબરના સૈનિકોએ દાણ દેવાનો ઈન્કાર કરતાં મોખડાજી ગોહિલે સોના-ચાંદી હીરા-મોતી સહિત કિંમતી ખજાના ભરેલા વહાણ ફૂંકી માર્યા અને અહીં જ જળ સમાધિ અપાવી હોવાનો ઈતિહાસ આજે પણ મોજુદ છે, આ વાતથી ગીન્નાયેલ અકબરે સૈન્ય સાથે પીરમબેટ પર આક્રમણ કર્યું દિવસો સુધી યુધ્ધ ચાલ્યું અને છળકપટથી મોખડાજી ગોહિલને મારી નાખવાનો કારસો ઘડાયો યોજના મુજબ મોખડાજી લડત સમયે દગાથી વાર કરી તેમનું મસ્તક ધડથી અલગ કરી દેવામાં આવ્યું પરંતુ પીરમબેટથી દૂર સુધી મસ્તક વિનાના ધડે અકબરની સેનાને હંફાવી પરાસ્ત કરી હોવાની લોકવાયકા છે. ૩ કિ.મી. લાંબો અને ૧ કિ.મી. પહોળો આ ટાપુ દરિયાકિનારેથી સમુદ્રમાં ૧૦ કિ.મી. અંદર છે. યાંત્રિક હોડીની મદદથી લગભગ એક ક્લાકની મુસાફરી પછી આ ટાપુ પર પહોચી શકાય છે. બેટ પર એક દીવાદાંડી પણ છે. અંગ્રેજાેએ વહાણવટા પર નજર રાખવા ૨૪ મીટર ઉંચી દીવાડાંડી બનાવી હતી. આ ટાપુ પર માનવ વસવાટ નથી. ૫૦થી વધુ પ્રકારના જળચર સહિતના પક્ષીઓ વસવાટ કરતા હોવાનો અંદાજ છે.પીરમબેટ પ્રવાસીઓ માટે સુંદર સ્થાન છે. અહીંયા દરિયાના પટમાંથી બનેલા ખડકોના પથ્થરોની કોતરણી જાણે આબેહૂબ પ્રજાતિઓ જેવી ખૂબજ સુંદર જાેવા મળે છે, એ પથ્થરો જાેઈને તમે પણ કહેશો કે વાહ....શુ કારીગરી છે, આ તો કુદરતની કરામત છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માતમાં ૪ના મોત

     સુરેન્દ્રનગર,તા.૭ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં ૪ વ્યક્તિના જીવનદીપ બુઝાઈ ગયા છે. આયા ગામના બોર્ડ નજીક વહેલી સવારે ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ૪ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ અંગેની મળતી માહિતી અનુસાર મોડાસાથી હોસ્પિટલના કામ અર્થે ખાંટ પરિવાર રાજકોટ જઈ રહ્યા હતા, તે દરમિયાન વહેલી સવારે ડ્રાઇવરને આગળ બંધ પડેલો ટ્રક ન દેખાતા ઇકો કારના ડ્રાઈવરે ધડાકાભેર ટ્રક પાછળ ઇકો કાર અથડાવી હતી. જેમાં ઘટનાસ્થળે ચાર લોકોના મોત નિપજ્યા હતા. મોડાસાથી એક જ પરિવારના ચાર લોકો કારમાં દવાખાને રાજકોટ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન ડોળીયા નજીક ડ્રાઇવર દ્વારા ટ્રકના પાછળના ભાગે કાર ઘુસાડી દેવામાં આવતા હાઈવે પણ મોતની ચિંચિયારીઓથી ગુંજી ઉઠ્‌યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના પતરાં ચીરીને મૃતદેહો બહાર કાઢાયા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત પણ દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ પરિવાર મોડાસાનું હોવાનું ખુલવા પામ્યું છે. પરિવારજનોને પણ આ બાબતની જાણ કરી અને સાયલા ખાતે બોલાવી અને તેમને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ મામલે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ મૃતકોની ડેડબોડીને ઇકો કારમાંથી બહાર કાઢવામાં આવી હતી. અને આ બાબતે તમામ મૃતકોની ડેડબોડીને પીએમ માટે સાયલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેમાં અકસ્માતનો ભોગ બનેલો ખાંટ પરિવાર હોવાનું પણ બહાર આવ્યું છે. ત્યારે હજુ સુધી મૃતકો ઓળખ થઈ શકી નથી. આ બાબતે તપાસ કામગીરી સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી જઈ હાથ ધરી છે. બે પુત્ર, પિતા અને ભત્રીજાનું ઘટનાસ્થળે મોતની નિપજતા ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારના ચાર લોકોના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી છે. મોડાસાથી વહેલી સવારે પિતાની દવા લેવા રાજકોટ સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા, તેઓ પિતાની દવા લેવા મોડાસાથી રાજકોટ તરફ સવારે ૫ઃ૦૦ વાગ્યે નિકળ્યા હતા. ત્યારે બે પુત્ર અને ભત્રીજાે પણ કામ અર્થે સાથે હતા. તે દરમિયાન ડોળીયા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજવા પામ્યું છે. ત્યારે આ મામલે ખાંટ પરિવાર શોકમગ્ન બન્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં હાઇવે ઉપર ૧૭ લોકોના મોત નિપજ્યાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ અને રાજકોટ હાઇવે ઉપર અકસ્માતોની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. જિલ્લાના હાઇવે ગોઝારા સાબિત થઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર છેલ્લા ત્રણ મહિનામાં ૧૭ લોકોના અકસ્માતના પગલે મોત નિપજવા પામ્યા છે. જેમાં બંધ ટ્રક પાછળ વાહન ઘૂસી ગયું હોય અને મોત નિપજ્યું હોય તેવા ૧૭ લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અમદાવાદ-માળીયા હાઇવે પર ગાઢ ધુમ્મસના કારણે એક પછી એક ૩૦ વાહનો એકબીજા પાછળ ધડાકાભેર અથડાયા

    માળીયા: માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક આજે વહેલી સવારે ગાઢ ધૂમમ્સને કારણે એક પછી એક ૩૦ વાહનો અથડાતા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. અને આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર જ્યારે ચાર વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાની વિગતો બહાર આવી છે. આ ગોઝારી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક આજે વહેલી સવારે ગાઢ ધૂમમ્સને કારણે અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. જેમાં એક પછી એક નાના મોટા ૩૦ વાહનો અથડાતા હાઇવે ઉપર બન્ને તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો. આ દરમિયાન અકસ્માતોની ઘટના અંગેની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક અને માળીયા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ટ્રાફિક ક્લિયર કરાવવા કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય ત્રણથી ચાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજકોટ સિવિલમાં દારૂ ઢીંચીને દર્દીની સારવાર કરતો તબીબ રંગેહાથ ઝડપાયો

    રાજકોટ,તા.૭ રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીને આધારે સિવિલ હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ ઢીંચતો હતો અને નશાખોર હાલતમાં દર્દીઓની સારવાર કરતો ઝડપાયો હતો. પોલીસે ડોક્ટર રૂમની તલાશી લેતા તેના કબાટના ખાનામાંથી દારૂનો જથ્થો પણ મળી આવતા તબીબનો ભાંડો ફૂટી ગયો હતો. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના છઝ્રઁ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર પોતાની ડ્યૂટી દરમિયાન હોસ્પિટલમાં જ દારૂ ઢીંચે છે. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતો. એ સમયે ડો.સાહિલ ખોખર ઇમર્જન્સી રૂમની બહાર કાચની કેબિનમાં એક નર્સ સાથે બેઠો હતો, ડો.ખોખરને ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાની ઓળખ આપી તેનું માસ્ક હટાવતાં જ ડોક્ટર ખોખર નશાખોર હાલતમાં મળી આવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડો.સાહિલ ખોખરને કેસબારીની સામે આવેલા ડોક્ટર રૂમમાં લઇ જવાયો હતો, જ્યાં લાકડાંના કબાટમાં તેનું ખાનું ખોલાવતાં જ પાણીની બોટલમાં દારૂ ભરેલો મળ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડો.ખોખર ચારેક વર્ષથી કરારી તબીબ તરીકે ફરજ બજાવે છે. તેણે પોલીસ પાસે કબુલ્યું છે કે તે જ્યારે પણ ફરજ પર હોય ત્યારે ડોક્ટર રૂમમાં જઇને દારૂના ઘૂંટડા મારી ફરી ઇમર્જન્સી રૂમમાં આવી જતો હતો. હાલ સમગ્ર મામલે હ્લૈંઇ ફાઈલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. એસ.પી.રાઠોડે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે ૩ અધિકારીઓની તપાસ કમિટી બનાવવામાં આવી છે. તપાસ કમિટી દ્વારા સમગ્ર મામલે તપાસ કરી ૨૪ કલાકમાં પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ વડી કચેરીએ મોકલી કાર્યવાહી કરવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વડી અદાલતે જામીન આપવાની ના પાડતા જામીન અરજી પરત ખેંચાઇ

    રાજકોટ રાજકોટમાં ૭ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. જાેકે આ કેસમાં ૯ દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ ૧૦માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો. દેવાયત ખવડે જામીન અરજી કરી હતી. પરંતુ ૨૧ દિવસ પહેલા રાજકોટ સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. બાદમાં દેવાયત ખવડે હાઇકોર્ટના દ્વાર ખટખટાવી જામીન અરજી કરી હતી. જાેકે આજે હાઇકોર્ટે જામીન આપવાની ના પાડતા જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. આથી દેવાયત ખવડનો જેલવાસ લંબાયો છે. હાઇકોર્ટમાં સરકારી વકીલે દલિલ કરતા જણાવ્યં હતું કે, દેવાયત ખવડ અને અન્ય બે આરોપી સામે ગંભીર પ્રકારની કલમો નોંધાયેલી છે. તેમજ સજ્જડ પૂરાવાઓ હોવાથી તેમને જામીન આપવા ન જાેઈએ. તેમજ જાે જામીન આપવામાં આવે તો પૂરાવાઓને સાક્ષી સાથે ચેડાં થઈ શકે તેમ છે. જેથી હાઇકોર્ટે જામીન આપવામાં નહીં આવે તેવું કહેતા દેવાયત ખવડના વકીલે પોતાની જામીન અરજી પરત ખેંચી લીધી હતી. કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.૪૨) ૭ ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    મથુરાનગર સોસાયટીમાં રોડની ફરિયાદથી રિવાબાએ સ્થળ પર પહોંચી ચકાસણી કરી

    જામનગર ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાને શહેરના ગોકુલ નગર વિસ્તારનાં મથુરા નગરમાં ચાલતા સી.સી. રોડનું કામ નબળુ થતું હોવાની જાણ વિસ્તારનાં લોકોએ કરતાં ધારાસભ્ય રિવાબા જાડેજા મહાનગરપાલિકાનાં અધિકારીઓને સાથે રાખી સી.સી. રોડનાં કામ ચેક કરવા પહોંચ્યા હતા. રીવાબા જાડેજાએ તાત્કાલિ અધિકારીઓને કામમાં ભ્રષ્ટાચાર ન થાય એની સૂચના આપી હતી. અધિકારીઓએ પણ કામ મંજૂર થયા મુજબ જ કોન્ટ્રાકટર પાસેથી કામ કરાવવાની ખાત્રી આપી હતી. ઉલ્લેખનીય છે કે, રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના કામમાં કેટલાક લોકો નબળી ગુણવત્તા વાળું કામ કરે છે. આવા ભ્રષ્ટચારીઓ પર નવનિયુક્ત જન પ્રતિનિધી રિવાબાએ લાલ આંખ બતાવતા સ્થાનિક લોકોમાં ધારાસભ્યની કામગીરીને લઈને ઉત્સાહ અને સંતોષકારક કામગીરી થયાની ચર્ચાઓ સાથે ધારાસભ્યને લોકોએ બિરદાવ્યા હતા. નવા બની રહેલા સીસી રોડની મુલાકાત સમય એ સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય રિવાબા જાડેજા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટું, શહેર ભાજપ આગેવાન દિલીપસિંહ સહિત સિવિલ શાખાના નાયબ એન્જિનિયર પાઠક સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ માટે અને આગળ રોડનું કામ વ્યવસ્થિત થાય તે રીતે અધિકારીઓને પણ કડક સૂચના આપવામાં આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    મનપા કર્મચારીની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આઠ શખ્સોની ધરપકડ

    રાજકોટ રાજકોટ શહેરના ૮૦ ફૂટ રોડ આંબેડકરનગરમાં બુધવારે રાતે નવા થોરાળા મેઇન રોડ, સ્વામિનારાયણ સ્કૂલની સામે -૧માં રહેતા અને મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીમાં નોકરી કરતા સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઇ મકવાણા નામના યુવાનની સરાજાહેર હત્યા થઇ હતી. બે મહિના પહેલા થયેલી માથાકૂટનો ખાર રાખી તેમજ શેરીમાંથી નીકળવાની ના પાડી તો પણ કેમ નીકળે છે તેમ કહી કાર અને બાઇકમાં ધસી આવેલા ૮ શખ્સે છરીના ઘા ઝીંકી તેમજ માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યાના બનાવને પગલે થોરાળા પોલીસ મથકના પીઆઇ ડો.એલ.કે.જેઠવા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક સિદ્ધાર્થના બનેવી સુનિલભાઇ નાથાભાઇ ચાવડાની ફરિયાદ પરથી આઠ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ આરોપીઓને સકંજામાં લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. સિદ્ધાર્થ ઉર્ફે રઘાની હત્યા થયા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. દરમિયાન તબીબોએ કરેલા પોસ્ટમોર્ટમમાં સિદ્ધાર્થને છરીના બે ઘા ઝીંકાયા હતા. જેમાં સિદ્ધાર્થને છરીના પહેલા ઘાથી ગળાથી નીચેના ભાગે ગંભીર ઇજા થવાથી જમણી સાઇડનું ફેફસું તેમજ હૃદયથી ગળા તરફ જતી નસ કપાઇ ગયાનું અને છરીનો બીજાે ઘા નાભીની ઉપર લાગ્યો હતો. જેથી હોજરી કપાઇ ગઇ હતી. 
    વધુ વાંચો
  • ગુજરાત

    ગઢડાના નિગાળા ગામે કેરી નદી પર ટ્રેક્ટર પલટી માર્યું

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ નિગાળા ગામ નજીક પસાર થતી કેરી નદીના પુલ પરથી વાડીએ મજૂરી કામ કરવા માટે ટ્રેક્ટરમાં આશરે ૮ જેટલા મજૂરોને વાડીએ લઈ જતા હતા. તે દરમિયાન કેરી નદી પરના પુલ પરથી ટ્રેક્ટર ટ્રોલી સાથે પસાર થતા સમયે સ્ટેરિંગ પર ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેક્ટર કેરી નદીમાં ખાબક્યું હતું. ટ્રેક્ટરમાં સવાર આઠ જેટલા મજૂર તેમજ ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી. ગઢડા તાલુકાના નિગાળા ગામ પાસેથી પસાર થતી કેરી નદીમાં માહિતી મુજબ સવારે ૮ કલાકની આસપાસ ખેત મજૂરોને મજૂરી અર્થે વાડીએ લઈ જતા ટ્રેક્ટર ટ્રોલી સાથે કેરી નદીમાં ખાબકતા તમામ મજૂરો તેમજ ડ્રાયવરનો આબાદ બચાવ થયો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    કુંભારવાડામાં રેલવે ફાટક સતત બંધ રહેતા હાલાકી

    ભાવનગર, ભાવનગરમાં રેલવે ફાટક સતત બંધ રહેતા લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે હવે તો અંતિમ સફર માટે મૈયતને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કુંભારવાડા વિસ્તારમાં રેલવે ક્રોસિંગ પાર કરી અને સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે. ત્યારે સતત ટ્રેનની અવર-જવરના કારણે ફાટક બંધ રહેતા મૈયતને પણ ફાટક ઉપરથી જીવના જાેખમે લઇને જવું પડી રહ્યું છે. બીજી બાજુ ભાવનગર શહેરમાં આવેલા રેલવે અંડરબ્રિજ નીચે સતત પાણી પડી રહ્યુ છે જેના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના ઘટી શકે છે. મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી પાણીની લાઈન લીકેજ હોવાથી અંડરબ્રિજ નીચે સતત પાણી ભરાઈ રહ્યું છે. ચોમાસા દરમિયાન તો સ્વિમિંગ પૂલની માફક અંડર બ્રિજ પાણીમાં સમાઈ જાય છે. જેને લઈ લોકોને હાલાકી પડી રહી છે. જેથી તાકી દે પ્રશ્નોનું નિરાકરણ લાવવું જરૂરી છે.શહેરના કુંભારવાડા અંડરબ્રિજનો પ્રશ્ન છેલ્લ ઘણાં વર્ષોથી સળગી રહ્યો છે આમ છતાં મહાનગરપાલિકાનું તંત્ર જાગી રહ્યું નથી. રેલવે ફાટક બંધ હોય છે ત્યારે આ અંડરબ્રીજ નીચેથી હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે. જાેકે, ત્યા અંડરબ્રીજમાં પણ પાણી ભરાઈ રહેતા શહેરીજનોને ખૂબ જ પરેશાની ભોગવવી પડી રહી છે. આમ છતાં મનપા તંત્ર સામાન્ય પ્રશ્નનું નિરાકરણ નથી લાવી રહ્યું જેનો ભોગ ભાવનગરની જનતા બની રહી છે. કુંભારવાડા વિસ્તારમાં સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે. ત્યારે સતત ટ્રેનની અવર-જવરના કારણે ફાટક બંધ રહે છે. જેથી લોકોને હાલાકી પડી રહી છે. અંતિમ સફર માટે પણ લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે મૈયત લઈને જઈ રહેલા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ફાટક બંધ હોવાના કારણે મૈયતને ફાટક ઉપરથી જીવના જાેખમે લઇને જવું પડ્યું હતું. કુંભારવાડા વિસ્તારમાં આશરે ૩૦ હજારથી વધુ લોકો વસવાટ કરે છે. જેમાં મોટાભાગના લોકોને શહેર તરફ આવવા જવા માટે રેલવે ક્રોસિંગ પાર કરીને જવું પડે છે. કુંભારવાડા રેલવે ક્રોસિંગ દિવસભરમાં અંદાજે ૧૦ કરતા વધુ સમય બંધ કરવામાં આવે છે. જેથી લોકો અંડરબ્રિજનો ઉપયોગ મોટી સંખ્યામાં કરે છે. જાેકે, ચોમાસા દરમિયાન અંડરબ્રિજમાં પાણી ભરાય જાય છે. આ સાથે જ અંડરબ્રિજ નીચે પડી રહેલા પાણીના કારણે સ્ટ્રકચર પણ નબળું પડી ગયું છે જાે કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની પાછળ જવાબદાર કોણ રહેશે તે પણ સૌથી મોટો સવાલ છે. રેલવે અંડરબ્રિજ નીચે પડી રહેલા પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    બોટાદમાં નવ વર્ષની બાળકી પર બળાત્કાર કરી હત્યા કરનાર નરાધમને કડકમાં કડક સજાની માંગ

    બોટાદ બોટાદમાં વાસી ઉત્તરાયણના દિવસે પતંગ લૂંટવા ગયેલી એક ફૂલ જેવી માસૂમ બાળા ઉપર બોટાદના શિવનગરમાં રહેતા હવસખોર શખ્સે હેવાનિયતની હદ વટાવી બળાત્કાર ગુજારી ર્નિદયતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં જવાલારૂપી રોષ ભભુકી ઉઠયો છે.ત્યારે પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ત્રણ ટીમ બનાવી ગણતરીના કલાકોમાં જ હવસખોર નરાધમ શખ્સને દબોચી લીધો હતો. બોટાદ ખાતે માત્ર ૯ વર્ષની ફુલ જેવી બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર બળાત્કારી વિરૂધ્ધ કાયદાકીય સખ્તમાં સખ્ત આજીવન કેદની અથવા ફાસીની સજા આપી ન્યાય આપવા જુનાગઢ જિલ્લાના દેવી પૂજક સમાજમાં રોષની જવાળા ભભુકી ઉઠી છે. જૂનાગઢના વોર્ડ નંબર કોર્પોરેટર ચેતનાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે બોટાદમાં નરાધમ દ્વારા બાળકી પર જે ગુજારવામાં આવ્યો છે તે અતિ નિંદનીય છે અને આવા લોકોને ફાંસીની સજા કરતા પણ વધુ આકરી સજા આપવી જાેઈએ આવા બળાત્કારીઓને જાહેરમાં પ્રજાની વચ્ચે કડકમાં કડક સજા કરવી જાેઈએ કે આ સજાને જાેઈ આવું કૃત્ય કરતા પહેલા કોઈપણ વ્યક્તિ આવું પગલું ભરે નહિ.
    વધુ વાંચો
  • ગુજરાત

    ટીનમસ ગામની શાળાનું બિલ્ડિંગ જર્જરિત

    જૂનાગઢ જૂનાગઢના વંથલી તાલુકાના ટીનમસ ગામમાં આવેલી આદર્શ વિદ્યા વિનય મંદિરનું બિલ્ડિંગ જર્જરિત બનતા વિદ્યાર્થીઓ બહાર બેસી ભણવા મજબૂર બન્યા છે. શાળામાં આમ તો ૩૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ, મોટાભાગના વિદ્યાર્થીઓ ડરના માર્યા શાળાએ આવવાનું જ બંધ કરી દીધું છે. વંથલી તાલુકાના ટીનમસ ગામમાં આવેલી આદર્શ વિદ્યા વિનય મંદિરની ઈમારત ૧૯૮૬માં બની હતી. સમય જતા આ ઈમારત જર્જરિત થતા વર્ગખંડની છતમાંથી પોપડાઓ ખરવા લાગ્યા છે. જેના કારણે સલામતીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓને બહાર જ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ટીનમસ ગામની આદર્શ વિદ્યા વિનય મંદિરની સ્થિતિ એવી છે કે, અહીં હાલ નામ માત્રના એક જ શિક્ષક છે. આચાર્યો ચાર્જ પણ તેમની પાસે જ છે. વિદ્યાર્થીઓને તમામ વિષય એક જ શિક્ષકે ભણાવવાના રહે છે. શાળાના ઈન્ચાર્જ આચાર્ય પી.એસ.કાલરિયાએ કહ્યું હતું કે, ઘણા વર્ષો થઈ ગયા હોવાના કારણે સ્કૂલ બિલ્ડિંગ જર્જરિત બન્યું છે. એકવાર રિનોવેશન કરવામાં આવ્યું હતું. પરંતુ, ફરી જર્જરિત થઈ જતા અમારા તરફથી રજૂઆત કરવામાં આવી છે. જાે સરકાર ગ્રાન્ટની ફાળવણી કરે તો ફરી રિનોવેશન કરી શકાય.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજકોટમાં વેસ્ટ ઝોનમાં એક દુકાન, ત્રણ ઓરડી સહિત દબાણો પર જેસીબી ફરી વળ્યું

    રાજકોટ, ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઈસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. આજે પૂર્વ ઝોન વોર્ડ નં.૪ અને ૧૮માં થયેલા અન-અધિકૃત દબાણો દૂર કર્યા હતા તેના પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે ૧ દુકાન અને ૩ ઓરડી સહિત ગેરકાયદે બાંધકામો દૂર કરી અંદાજિત ૧૫૪૬ ચોરસ મીટરની ૬.૬૫ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. આ ડિમોલિશનમાં ટાઉન પ્લાનિંગ શાખા (ઇસ્ટ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    સાળંગપુર હનુમાનજીને રંગબેરંગી ફુગ્ગાના શણગાર સાથે મીઠાઈનો અન્નકૂટ ધરાયો

    બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા માં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી દાદાનું ધામ જ્યાં ખૂબ મોટી સંખ્યા માં હનુમાનજી દાદાના હરિભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગર સ્વામી ના માર્ગદર્શન હેઠળ આજે અમાસ તેમજ શનિવાર ના રોજ રંગ બેરંગી કલર ફૂલ ફુગ્ગા નો દિવ્ય શણગાર કરવામાં આવેલ છે. તેમજ અદભૂત શણગાર સાથે કાજુકતરી, બરફી,પેંડા,લાડુ જેવી વિવિધ મીઠાઈ નો અન્નકૂટ ધરાવી મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી હનુમાનજી દાદા ને કરાયેલ અદભૂત શણગાર સાથે ના દર્શન કરી હરિ ભક્તો એ આ દિવ્ય દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
    વધુ વાંચો

રાજકોટ સમાચાર

ભાવનગર સમાચાર

જામનગર સમાચાર

સુરેન્દ્રનગર સમાચાર

કચ્છ સમાચાર

જૂનાગઢ સમાચાર