કચ્છ-સૌરાષ્ટ્ર સમાચાર

  • ગુજરાત

    રાજકોટમાં કરણીસેનાના ક્લેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર

    રાજકોટ તાજેતરમાં રાજસ્થાનમાં રાષ્ટ્રીય કરણીસેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને દેશભરની કરણીસેનામાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. અને તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. ત્યારે આજે રાજકોટ કરણીસેના દ્વારા કલેક્ટર તેમજ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ તકે રાજકોટ કરણીસેનાનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા ‘સુખદેવસિંહના હત્યારાઓને ફાંસી આપો’ સહિત વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો જ્યાં સુધી આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી રાજસ્થાન સરકારની શપથવિધિ નહીં કરવા દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ તકે કરણીસેનાનાં જિલ્લા અધ્યક્ષ ભૂપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કરણીસેનાનાં સાવજ ગણાતા સુખદેવસિંહની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ હત્યારાઓને જલ્દીથી જલ્દી ઝડપી લઈને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ સાથે આજે રાજકોટ કરણીસેના દ્વારા કલેક્ટર અને પો.કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. હવે પછી આવા બનાવો ન બને તે માટે કરણીસેના પણ જાગૃત રહેશે. જાે સરકાર કડક પગલાં નહીં લે તો અમારે કાયદો હાથમાં લેવાની ફરજ પડશે. ત્યારે અમારે આવું ન કરવું પડે તેના માટે સરકારને વિનંતી કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુખદેવસિંહ જાડેજાનાપરિવારજનોને તાત્કાલિક સુરક્ષા પુરી પાડવામાં આવે તેમજ પરિવારમાંથી કોઈ એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે તે જરૂરી છે. સુખદેવસિંહે અવારનવાર સુરક્ષા અંગેની માંગણી કરી હતી પરંતુ કોંગ્રેસ સરકારે તેમને સુરક્ષા આપી ન હતી. કોંગ્રેસ સરકાર સુખદેવસિંહ સાથે શું કરવા માંગતી હતી તે જ ખબર ન હતી. જાેકે હવે ત્યાં પણ ભાજપ સરકાર આવી ગઈ છે. પણ જ્યાં સુધી હત્યારા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી નવી સરકારના શપથવિધિ નહિ થાય. મહિલા કરણીસેના પ્રદેશ અધ્યક્ષ પદમીનીબા વાળાએ જણાવ્યું હતું કે, સુખદેવસિંહની હત્યાની ઘટના મામલે તાત્કાલિક જવાબદારોને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ તમામ જિલ્લાનાં કલેક્ટરો અને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જ્યાં સુધી આ હત્યાના આરોપીઓને ઝડપી લઈ એન્કાઉન્ટર કરવામાં નહીં આવે ત્યાં સુધી નવી સરકારને શપથ લેવા નહીં દઈએ તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    બાંગ્લાદેશ, નેપાળ, મલેશિયાના વેપારી ડુંગળીની ખરીદી કરવા આવ્યા

    ગોંડલ સૌરાષ્ટ્ર ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રિના ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી. જેમાં ગત રાત્રિના યાર્ડની બન્ને બાજુ ૩ કિલોમીટર સુધી ડુંગળી ભરેલા વાહનોની લાઈનો લાગી હતી. જ્યાં ડુંગળીના ૯૦ હજાર કટાની આવક જાેવા મળી છે. જેમાં નાસિક અને લાલ ડુંગળીની વધુ આવક ગોંડલ યાર્ડમાં આવે છે. સુરેન્દ્રનગર, જામનગર, ગિર સોમનાથ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની ડુંગળી લઈને ગોંડલ યાર્ડમાં આવે છે. ડુંગળીની ૯૦ હજાર કટ્ટાની આવક થવા પામી હતી. હરાજીમાં ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૩૦૦થી ૮૦૦ સુધીના બોલાયા હતા. ડુંગળી ખરીદી કરવા માટે બાંગ્લાદેશ, નેપાળ અને મલેશિયા જેવા દેશમાંથી વેપારી ડુંગળીની ખરીદી કરવા ગોંડલ યાર્ડમાં આવી પહોંચ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરેન્દ્રનગર-ધાંગધ્રા નજીક ટ્રક સાથે કાર ટકરાતાં ચારનાં મોત

    સુરેન્દ્રનગર અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લગ્નપ્રસંગ પતાવી ઘરે જઈ રહેલા હળવદના યુવકોની સ્વિફ્ટ કાર પલટી મારી ડિવાઈડર કુદાવી સામેની સાઈડ ઉપર જઈ રહેલા આઈસર સાથે અથડાઈ હતી. જેથી ચાર યુવકોનાં મોત થયાં છે. તેમજ ૩ યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનું એન્જિન બહાર નીકળીને ૨૦ ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું.આ અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામના છ યુવાનો ધ્રાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્નપ્રસંગમાં ગયા હતા. જ્યાંથી રાત્રીના જમવા માટે હોટલમાં ગયા ત્યાંથી પરત હળવદ પોતાના ઘરે આવી રહ્યા હતા. ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડમાં આવી રહેલી આઈસર સાથે અથડાતાં કારમાં બેઠેલા છ પૈકી ચાર યુવાનોનાં મોત થયાં હતાં. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું એન્જિન બહાર નીકળીને ૨૦ ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું.આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાઓને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. અકસ્માતની ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.તમામ મૃતકોના નામ કરસનભાઈ ભરતભાઈ, ઉ.વ. આશરે ૨૩ કિરણભાઈ મનુભાઈ, ઉ.વ. આશરે ૧૮ ઉમેશભાઈ જગદીશભાઈ, ઉ.વ. આશરે ૧૫ કાનાભાઇ ભુપતભાઇ, ઉ.વ. આશરે ૧૮ સારવાર હેઠળ લોકોના નામ અમીતભાઈ જગદીશભાઈ કાનાભાઈ રાયધનભાઈ સુરેલા સુરેશભાઈ શંભુભાઈ ધામેચા
    વધુ વાંચો
  • ગુજરાત

     મોરબીના સીરામીક ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ

    મોરબી વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગને નવું વર્ષ ફળ્યું નથી ઉલટું નવા વર્ષમાં ટાઢોડું આવી જતા ૧૦૦ જેટલા સિરામિક એકમો બંધ થયા છે. ગુજરાત ગેસના દૈનિક વપરાશમાં ૮ લાખ ક્યુબિક મીટર અને એલપીજી ગેસના વપરાશમાં દૈનિક ૧૦ લાખ ક્યુબિક મીટરનો ઘટાડો થતા સિરામીક ઇન્ડસ્ટ્રીઝ ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. વર્ષે ૬૦ હજાર કરોડનું ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્નઓવર ધરાવતા વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગને કોરોના મહામારી બાદ મંદીનો સામનો કરવાનો સમય જાેવો પડ્યો છે. ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ તળિયે બેસી ગયા બાદ મોરબીનો સિરામીક ઉદ્યોગ એક્સપોર્ટ ઉપર મદાર રાખી રહ્યો છે, પરંતુ હાલમાં દિવાળી બાદ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ડિમાન્ડ તળિયે પહોંચી જતા સિરામીક ઇન્ડસ્ટ્રીઝને બોણીને બદલે મંદીનો ફટકો પડ્યો છે. મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયાના જણાવ્યા મુજબ દિવાળી બાદ સારા વ્યાપારની આશા હતી, પરંતુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ તળિયે બેસી જતા મોરબી ક્લસ્ટરમાં આવેલા ૮૨૫ જેટલા સીરામીક એકમો પૈકી હાલમાં ૧૦૦ જેટલા એકમો બંધ થયા છે. વધુમાં હરેશભાઇ બોપલીયા ઉમેરે છે, મોરબીમાં દિવાળી પૂર્વે ગુજરાત ગેસના પાઈપલાઈન ગેસનો સરેરાશ દૈનિક ૪૦ લાખ ક્યુબિક મીટર વપરાશ હતો. જે હાલમાં ઘટીને ૩૨ લાખ ક્યુબિક મીટર થયો છે. એ જ રીતે મોરબીમાં એલપીજી ગેસનો પણ દૈનિક ૪૦ લાખ ક્યુબિક મીટર વપરાશ હતો જે પણ ઘટીને ૩૦ લાખ ક્યુબિક મીટર દૈનિક થયો છે જે મંદીની ગવાહી આપી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં આ મંદીના માહોલમાં સૌથી વધુ અસર વોલ ટાઇલ્સ એકમો ઉપર પડી રહી હોવાનું મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું હતું. સાથે જ વિટ્રિફાઇડ, ફ્લોર તેમજ અન્ય સેગમેન્ટમાં પણ ઉદ્યોગકારો મંદીનો સામનો કરી રહ્યા હોવાનું અને ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ માર્કેટમાં લેવાલી ઠપ્પ હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    ૧ કિલો કેરીનો રૂ.૧૫૫૧ ઐતિહાસિક ભાવે વેચાણ

    પોરબંદર પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રણ દિવસમાં બીજી વખત કેસર કેરીની આવક થઈ છે. ભર શિયાળે આજે ફરી એકવખત કેસર કેરીની આવક થતાં હરાજીમાં ઓલ ટાઇમ હાઇ કહી શકાય એટલો એક કિલોના ૧૫૫૧ જેટલો ઊંચો ભાવ આવ્યો છે. આ પહેલાં સોમવારે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ૨ બોક્સ એટલે કે ૨૦ કિલો કેસર કેરી વેચાણ માટે આવી હતી. જેનો એક કિલોનો ૭૦૧ રૂપિયા ભાવ હરાજીમાં બોલાયો હતો. એ રેકોર્ડ આજે ૧૫૫૧ રૂપિયાના ઐતિહાસિક ઊંચા ભાવે તૂટ્યો છે.પોરબંદર જિલ્લાના બરડા ડુંગર વિસ્તારનાં અનેક ગામોમાં કેસર કેરીના આંબાનું મોટી સંખ્યામાં વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આ સિઝનમાં શિયાળની શરૂઆત થતાં જ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રણ દિવસમાં બીજી વખત કેસર કેરીનું આગમન થતાં હરાજી કરવામાં આવી હતી.પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે કેસર કેરીના ૪ બોક્સ એટલે કે ૪૦ કિલો કેરીની આવક થવા પામી હતી. કેરીની હરાજી કરવામાં આવતા ૧ કિલો કેરીનો રૂ.૧૫૫૧ જેટલા ઐતિહાસિક ઊંચા ભાવે વેચાણ થયું હતું. કેરીના ૧૦-૧૦ કિલોના ૪ બોક્સ ૬૨,૦૪૦ હજારમાં વેચાયાં હતાં. હરાજીમાં કેરીનો આટલો ઊંચો ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતો તથા વેપારીઓ પણ ખુશખુશાલ જાેવા મળી રહ્યા છે. ઉલેખ્ખનીય છે કે આ વર્ષે કેરીની સિઝન કરતાં ૫ મહિના જેટલી વહેલી આવક થઈ રહી છે. જેથી હવે તમારે કેસર કેરીનો સ્વાદ માણવો હોય તો ઉનાળાની રાહ જાેવાની જરૂર નથી. કેમ કે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કડકડતી ઠંડીની વચ્ચે ઉનાળુ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીની પણ બજારમાં સારી માગ રહે છે. કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે. આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભરશિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જાેવા મળી રહ્યું છે. પોરબંદરમાં આ વર્ષે પાંચ મહિના પહેલાં આંબાના ઝાડમાં કેરીના મોર જાેવા મળી રહ્યા છે. કોઈ આંબામાં કેરીની આવક થતા આજે ભરશિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું.પોરબંદર જિલ્લાના હનુમાન ગઢ, બિલેશ્વર, ખંભાળા તેમજ કાટવાણા અને આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલાં ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લાં કેટલાંક વર્ષોથી અહીં મબલખ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવત્તા અને ફળ મોટું હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માગ રહેતી હોય છે. આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિનાથી કેરીની આવક બજારમાં થતી હોય છે, પરંતુ આ વખતે ભરશિયાળે કેસર કેરીનો અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂતોમાં પણ આશ્ચર્યમાં મુકાયા છે. આટલા મહિના પહેલાં કેરીનાં મોટાં ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જાેવા મળી રહી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    લીલી પરિક્રમા પૂર્ણ થઈઃ ૧૩ લાખથી વધુ યાત્રાળુ પુણ્યનું ભાથું બાંધી વતન પરત ફર્યા

    જૂનાગઢ ગરવા ગઢ ગિરનારની ગોદમાં વર્ષોથી ચાલી આવતી પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ આવે છે. ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે ભવનાથની લીલી પરિક્રમા. આ પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ પોતપોતાના ગ્રુપ પરિવાર મિત્રો સાથે આવે છે .ત્યારે આ વર્ષે દીવ ઉઠી અગિયારસના દિવસે વિધિવત રીતે શરૂ થતી પરિક્રમા એક દિવસ અગાઉ શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજે કાર્તિકીય પૂર્ણિમાના દિવસે આ પરિક્રમા પૂર્ણ થઇ છે .આ લીલી પરિક્રમામાં તંત્ર દ્વારા જણાવ્યા મુજબ ૧૩ લાખ થી વધુ યાત્રાળુએ પરિક્રમા પૂર્ણ કરી છે .અને પોતાના વતન પરત ફર્યા છે. મુંબઈથી પરિક્રમા કરવા આવેલા મિતેશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મારું આખું ગ્રુપ મુંબઈથી પરિક્રમા કરવા માટે આવ્યું હતું. પરિક્રમા ના આનંદનું વર્ણન કરવું શબ્દોમાં ખૂબ જ કઠિન છે. ગિરનારના સાનિધ્યમાં પરિક્રમા ની અદભુત અનુભૂતિ અમારા ગ્રુપે કરી છે. આ પરિક્રમામાં પોલીસ અને પ્રશાસન પણ પરિક્રમામાં ખડે પગે હતું. તંત્રનું રાત દિવસ સતત યાત્રાળુઓને માર્ગદર્શન રહ્યું હતું. સ્વચ્છતા માટે પણ ઘણા સારા એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા .અને દરેક યાત્રાળુ એ પણ સ્વચ્છતા નું ધ્યાન રાખવું જાેઈએ. આજે પરિક્રમા પૂર્ણ થઈ છે અને લાખો પરિક્રમાથીઓએ આ પરિક્રમાનો લાભ લીધો છે.યાત્રાળુ અલ્પેશ નાયકી જણાવ્યું હતું કે, મનમાં એક ભાવ જાગ્યો હતો કે ગિરનારની પરિક્રમા કરવી છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    દીપડાએ બે વર્ષના બાળકનું માથું પકડી લેતાં ચામડી સહિત વાળ નીકળી ગયા

    જુનાગઢ, ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થતા માનવ પર હુમલાની ઘટનામાં પણ વધારો થયો છે. ચાર દિવસ પહેલા પરિક્રમા દરમિયાન દીપડાએ એક તરુણીને ફાડી ખાધા બાદ હવે બે વર્ષના બાળક પર હુમલાની ઘટના બની છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા પરિવારનું બે વર્ષનું બાળક ફળિયામાં રમી રહ્યું હતું ત્યારે ત્રાટકેલો દીપડો બાળકનું માથું પકડી ભાગવા લાગ્યો હતો. આ જ સમયે બાળકના માતાપિતાની નજર પડતા તેઓએ દીપડા સામે બાથ ભીડી હતી અને બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં માતાપિતાને સફળતા મળી હતી. જાે કે, દીપડાની ચુંગાલમાંથી બાળકને છોડાવતી સમયે બાળકના માથાના તમામ વાળ ચામડી સાથે નીકળી જતા બાળકને ગંભીરી ઈજા પહોંચી હતી. હાલ તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારના કિરીટનગરમાં રહેતા સીડા પરિવારનો બે વર્ષીય બાળક ગઈકાલે સાંજે ઘરના ફળિયામાં રમી રહ્યો હતો. ત્યારે જ જંગલ વિસ્તારમાંથી ધસી આવેલા દીપડાએ બાળકનું માથું પકડી દીવાલ પર ચઢી ગયો હતો.આ જ સમયે બાળકના માતાપિતાની નજર પડતા જ દીપડા સામે બાથ ભીડી હતી અને બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. માતાપિતાએ દીપડાનો સામનો કરતા દીપડો બાળકને મૂકીને નાસી છૂટ્યો હતો. જાે કે, બાળકના માથાના તમામ વાળ ચામડી સાથે નીકળી જતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. જેને પ્રાથમિક સારવાર જૂનાગઢ અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તાર સુધી દીપડો ઘૂસી આવીને હુમલો કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગની ટીમે પાંજરુ ગોઠવી ફરી હટાવી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જંગલ વિસ્તાર નજીક હોવાના કારણે અવારનવાર દીપડો આ વિસ્તારમાં ચડી આવતો હોવાનું અને પશુઓનો શિકાર કરતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજકોટમાં રોંગ સાઇડમાં આવેલા એક્ટિવાચાલકને ફૂટબોલની જેમ સ્કોર્પિયોએ ઉડાડ્યો; ઘટનાસ્થળે મોત

    રાજકોટ રાજકોટ-જામનગર હાઇવે પર ગઇકાલે રાત્રિના ૧૧ વાગ્યે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઘંટેશ્વરથી માધાપર જતી સ્કોર્પિયો કાર હડફેટે એક્ટિવા ચાલક આવતા ગમખ્વાર અકસમાત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક્ટિવા સવાર યુવકને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાત્રિના ૧૧ વાગ્યે સ્કોર્પિયો કાર ઘંટેશ્વરથી માધાપર ચોક તરફ પસાર થઇ રહી હતી. આજ સમયે ડબલ સવારી એક્ટિવાચાલકો રોંગ સાઈડમાં આવતા પોતે ધડાકાભેર કાર સાથે અથડાયા હતા અને ૨૦ ફૂટ ઊછળીને એક્ટિવા સાથે ફંગોળાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ સૂરજસિંહ દાસ નામના યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક સૂરજસિંહ લાલસિંહ દાસ (ઉં.વ.૨૮) જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક હોટલમાં કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. સૂરજસિંહ તથા તેની સાથે કામ કરતો તેનો મિત્ર કમલ થાપા બંન્ને એક્ટિવા જીજે.૦૩.સીએફ.૬૪૩૮નું લઇને ઘંટેશ્વર પાર્ક હોટલથી તેનો મોબાઇલ ફોન લેવા માટે બહાર જતા હતાં. ત્યારે હોટલની સામે જામનગર રોડ ઉપર એક કાળા કલરની સ્કોર્પિયો કાર જેનો નંબર જીજે.૦૩.એમએલ.૮૨૪૫ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી એક્ટિવા સહિત બંન્ને યુવકોને હડફેટે લેતા બન્નેને માથે અને શરીરે ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક તેની ગાડી સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક્ટિવાનો બુકડો બોલી ગયો છે, જ્યારે સ્કોર્પિયોના આગળના ભાગને પણ ભારે નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, રાત્રે બનેલી અકસ્માતની ઘટના બાદ હાલ મૃતકના જીજાજીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભાવનગરના ફૂલસરમાં જૂની અદાવતે હુમલામાં ઘવાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત

    ભાવનગર ભાવનગર ફૂલસર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાલય ની બાજુમાં ૨૫ વારીયા સ્લમ વસાહતમાં રહેતા અને મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા ગીતાબેન કિશોરભાઈ મારૂ ઉ.વ.૪૫ના પુત્ર ગૌતમને આજથી ત્રણ વર્ષ પહેલાં ઘરપાસે જ રહેતા શૈલેષ ધનજી કોળી તથા રોહન શંભુ કોળી સાથે માથાકૂટ થતા ગૌતમે બંને શખ્સો વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જે અંગેનો કેસ હાલમાં કોર્ટમાં ચાલતો હોય ત્યારે ગતરોજ રાત્રીના સમયે ગૌતમની માતા ગીતાબેન પતિ માટે ઘર પાસે આવેલ દુકાને બીડી લેવા ગઈ હોય એ વખતે શૈલેષ ઘનજી, રોહન શંભુ તથા બે અજાણ્યા શખ્સોએ મહિલાને ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે તારા પુત્ર એ કરેલો પોલીસ કેસ પોછો ખેંચી લે અને અમારી સાથે સમાધાન કરી લે આથી મહિલાએ પોલીસ કેસ પરત લેવાની તથા સમાધાન ની ના પાડતા ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ મહિલાને પાઈપ વડે આડેધડ માર માર્યો હતો, અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, દરમ્યાન ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું, બીજી તરફ મૃતક મહિલાની ડેડબોડી સરટી હોસ્પિટલમાં પીએમ રૂમમાં રાખવામાં આવી છે અને દલિત સમાજના લોકો અગ્રણીઓ મોટી સંખ્યામાં એકઠા થયા છે, અને આરોપીઓ ને જયાં સુધી ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારી અંતિમ સંસ્કાર ન કરવાનો ર્નિણય કર્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજકોટમાં ભારે પવન સાથે વરસાદથી એરંડા-તુવેર સહિતના પાક ધોવાયા

    રાજકોટ હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસમાં રાજકોટ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ગઈકાલે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડતાં ઠેર-ઠેર ઉભા પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને પડધરી તાલુકામાં આવતા અનેક ગામોમાં એરંડા-તુવેર સહિતના પાક ધોવાઇ જતા જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ અંગે ખેડૂત આગેવાન દિલીપ સખીયાએ સરકાર સમક્ષ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની માગ કરી છે. ખેડૂત આગેવાન દિલીપ સખીયાએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ ચાર વર્ષથી કમોસમી વરસાદનું પ્રમાણ દિવસે-દિવસે વધતું જાય છે. વાતાવરણમાં પણ બદલાવ આવી રહ્યો છે. જ્યારે પણ માવઠું થાય ત્યારે જગતનો તાત મોટામાં મોટી નુકસાનીનો ભોગ બનતો હોય છે. હાલ શિયાળાની ઠંડીમાં કમોસમી વરસાદ થતાં ફરીથી એકવાર ખેડૂતોની હાલત કફોડી બની છે. જ્યાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, ત્યાં લાંબા ગાળાનાં પાક જેવા કે એરંડા, તુવેર અને મરચીનાં પાકને વ્યાપક નુકસાન થયું છે. બીજીતરફ પશુપાલકો માટે મહત્ત્વના ચારા મકાઈ અને જુવાર ઊંચા હોવાથી તેને પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત શિયાળામાં પશુપાલકોનો ચારો ખુલ્લામાં પડ્યો રહેતો હોય છે. જેને ઢાંકવાની વ્યવસ્થા કે સમય ન રહેતા અચાનક પડેલા આ વરસાદને કારણે મોટું નુકસાન થતા પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પશુપાલકો માટે સોનાની કિંમતનો ગણાતો ચારો ધોવાઈ જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ શિયાળાની સિઝન હોવાથી ખેડૂતો દ્વારા શિયાળુ પાક જેવા કે, ધાણા, જીરું, અને ડુંગળીનું વાવેતર કરાયું હતું. આવા પાકોમાં અચાનક ઉપરથી પાણી પડતા મોટી નુકસાની ખેડૂતોએ ભોગવવી પડી છે. હાલ મગફળીની સિઝન પણ પાંચ ટકા બાકી છે. 
    વધુ વાંચો

રાજકોટ સમાચાર

ભાવનગર સમાચાર

જામનગર સમાચાર

સુરેન્દ્રનગર સમાચાર

કચ્છ સમાચાર

જૂનાગઢ સમાચાર

મોરબી સમાચાર

પોરબંદર સમાચાર

ગીર સોમનાથ સમાચાર

દેવભૂમિ દ્વારકા સમાચાર

બોટાદ સમાચાર

અમરેલી સમાચાર