વડોદરા સમાચાર

  • ગુજરાત

    ગૃહમંત્રીના નકલી પીએ સહિતની ત્રિપુટી પાસે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું

    વડોદરા, તા. ૯હાઈવે પર ગત મોડી રાત્રે ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કર્યા બાદ પોલીસને ગૃહમંત્રીના પી.એ. હોવાની બોગસ ઓળખ આપીને પોલીસની બદલી કરાવી નાખવાની ધમકી આપનાર યુવક સહિતની ત્રિપુટી પાસે હરણી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે ત્રણેય યુવકોના રિમાન્ડની માગણી કરી હતી પરંતું રિમાન્ડ નહી મળતાં મોડી સાંજે ત્રણેય આરોપીઓનો જામીન પર છુટકારો થયો હતો. ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર મથુરભાઈ ગુરુવારની મોડી રાત્રે ટ્રાફિક બ્રિગેડના ડ્રાઈવર સાથે સ્પિડગન વન મોબાઈલમાં પેટ્રોલીંગમાં હતા તે સમયે તેમણે હાઈવે પર ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર રસ્તા વચ્ચે ઉભા રહેલા દારૂના નશામાં ચુર યુવકોને સાઈડમાં ઉભા રહેવા ટકોર કરી હતી.  આ યુવકો પૈકીના દરજીપુરા ગામમાં રહેતા વરુણ નારાયણ પટેલ તેમજ હરણી ગામના આકાશ સુરેશ પટેલ,અને પિનાક વિનેશ પટેલે તેમની પર હુમલો કરી માર માર્યો હતો અને વરુણે હું ગૃહમંત્રીનો પી.એ.છું કાલે તમારી બદલી કરાવી દઈશ તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની નવીનચંદ્રની ફરિયાદના પગલે હરણી પોલીસે મોડી રાત્રે જ ઉક્ત ત્રિપુટીની ધરપકડ કરી હતી. રાજયમાં નકલી કચેરી, નકલી ટોલનાકું, સીએમઓ અને પીએમઓના નકલી અધિકારી બાદ કેન્દ્રિય મંત્રી અને ધારાસભ્યોના નકલી પી.એ.ની વાતો વચ્ચે વડોદરામાં ગૃહમંત્રીના નકલી પી.એ. ઝડપાયાની જાણ થતાં ઝોન-૪ના ડીસીપી પન્ના મોમાયાએ આ બનાવની તપાસમાં જાેડાયા હતા. આજે તેમના સુપરવિઝન હેઠળ ઉક્ત ત્રણેય આરોપીઓને પોલીસ પર જે સ્થળે હુમલો કર્યો ત્યાં લઈ જવાયા હતા અને તેઓની પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. રિકન્સ્ટ્રકશનની વિગતો મેળવી પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કરી તેઓના રિમાન્ડની માગણી કરી હતી. રિમાન્ડ નામંજુર થતાં ત્રણેયનો જામીન પર છુટકારો થયો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    કોર્પોરેશનની પાસે હાલ રખડતાં ઢોર સામે કાર્યવાહી માટે પૂરતો સ્ટાફ નથી

    વડોદરા, તા.૯વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા-૨૦૨૩ મુજબ નવી કેટલ પોલીસીનો અમલ કરવામાં આવ્યો છે, ત્યારે આ કામગીરીને વધુ સઘન બનાવવા માટે જરૂરી સ્ટાફની પણ જરૂરીયા ઉભી થઈ છે.જેથી હંગામી ધોરણે સ્ટાફની ભરતી પાલિકા દ્વારા કરવામાં આવશે. વડોદરા કોર્પોરશનના દબાણ અને સિક્યુરિટી વિભાગ માટે કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ અંતર્ગત વિવિધ ૫૨ જગ્યાઓ હંગામી ધોરણે છ માસના કરાર આધારે ભરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ૫ પશુ ચિકિત્સક , ૨૧ એનિમલ હસબન્ડરી ઇન્સ્પેક્ટર, ૪ કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર અને ૨૨ ઢોર પકડનાર સુપરવાઇઝર નો સમાવેશ થાય છે. આ માટે ઉમેદવારોના વોક ઇન ઇન્ટરવ્યૂ તા. ૧૯ અને ૨૦ ના રોજ ઇન્ટરવ્યૂ કમાટીબાગ પ્લેનેટોરીયમ ખાતે સવારે ૧૧ થી ૧ સુધી રાખવામાં આવ્યા છે. કોર્પોરેશનના ઢોર પકડવાની કામગીરી કરતા ડિપાર્ટમેન્ટમાં કોઈ સ્ટાફ નથી. નવી કેટલ પોલીસીનો અમલ માટે માત્ર ઢોર પકડવાની જ કામગીરી નહી, પરંતુ ઢોર પકડીને તેને ઢોર ડબ્બામાં લાવવાનું, ઢોર ડબ્બામાં કાળજી લેવાની, ઢોર છોડાવવા આવે ત્યારે પોલીસ કાર્યવાહી ફરિયાદ કરવી, ઢોર વાડામાં પશુના જન્મ અને મરણની નોંધણી, પેનલ્ટી વસૂલ કરવાની, લાઇસન્સ પરમીટ ઇસ્યુ કરવાની, પરમિટ વિનાના ઢોરવાડા સામે કાર્યવાહી, ઘાસની ખરીદી, પકડાયેલા ઢોરને બહાર ગૌશાળામાં છોડવા જવાની કાર્યવાહી કરવા સહિતની વિવિધ પ્રકારની અનેક કામગીરી કરવાની હોય છે. અમદાવાદમાં સીએનસીડીમાં ખાતાના વડાની જગ્યા પણ ભરાયેલી છે, સુપ્રિટેન્ડન્ટ પણ છે. જેને ગાડીઓ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. અમદાવાદમાં ૨૦૦ નો સ્ટાફ છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં હાલમાં માર્કેટ સુપ્રિન્ટેન્ડેન્ટને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. જાહેરમાં પશુઓને છૂટા મૂકવા અને ઘાસચારો વેચવા પર પ્રતિબંધ જાહેર કરાયો વડોદરા જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો નહીં નાખવા અને રખડતા ઢોરની નોંધણી તથા ટેગ લગાવવા અંગે ડૉ. બી. એસ. પ્રજાપતિ, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૩૩ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં પૂર્વ મંજૂરી સિવાય પશુ લઈ જવા ઉપર, કાર્યક્ષેત્રના હકુમત હેઠળ આવેલ નગરપાલિકા વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર પશુઓ છુટા મૂકવા ઉપર, પશુમાલિકો/બાઈકર્સ ગેંગ ધ્વારા સોશીયલ મીડીયા મારફતે અનધિકૃત પ્રવૃત્તિ/પશુઓ પકડવાની કામગીરીમાં વિક્ષેપ અને જાહેર માર્ગ/રોડ રસ્તા તેમજ જાહેર સ્થળોએ ઘાસચારાના વેચાણ ઉપર પ્રતિબંધ જાહેર કરાયા છે. વધુમાં તમામ પશુઓને ઇહ્લૈંડ્ઢ સ્ૈષ્ઠિર્ષ્ઠરૈॅજ ઉૈંર ફૈજેટ્ઠઙ્મ ઈટ્ઠિ ્‌ટ્ઠખ્ત લગાવી ફરજીયાત નોંધણી કરાવવા માટે જણાવાયું છે.આ જાહેરનામું વડોદરા જિલ્લાની નગરપાલિકા વિસ્તારમાં તા. ૨૭/૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વિબગ્યોર સ્કૂલની ધો.૧૨ની વિદ્યાર્થિનીની બારમા માળના ધાબા પરથી મોતની છલાંગ

    વડોદરા, તા. ૯શહેરના છેવાડે ભાયલી વિસ્તારમાં સાધનસપન્ન પરિવારમાં રહેતી વિબ્ગ્યોર સ્કુલની ધોરણ ૧૨- સાયન્સની વિદ્યાર્થિનીએ ગત રાત્રે તેના ઘર પાસે નવા બંધાયેલા બહુમાળી ઈમારતના બારમા માળના અગાશી પરથી નીચે ભુસકો મારીને આપઘાત કર્યો હતો. આપઘાતના પગલે ફ્લેટમાં રહેતા રહીશો રોડ પર દોડી આવ્યા હતા. આ બનાવની તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. સગીર વયની વિદ્યાર્થિનીએ અભ્યાસના ભારણથી આપઘાત કર્યો હોવાના અનુમાન સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાયલી વિસ્તારમાં આવેલા પેસિફીકા મેન્ડ્રીડ કાઉન્ટી બંગ્લોઝમાં રહેતા જગદીશભાઈ પટેલ હાલમાં પોડીંચેરી ખાતે અદાણી કંપનીમાં ફરજ બજાવે છે. તેમની ૧૭ વર્ષીય પુત્રી અક્ષી ઘર પાસે આવેલા વિબગ્યોર હાઈસ્કુલમાં ધો. ૧૨(સાયન્સ)માં અભ્યાસ કરતી હતી. ગઈ કાલે રાત્રે અક્ષી તેના ઘરેથી નીકળીને ઘર નજીક હાલમાં નવા બનેલા સેમલુકાસ રેસીડન્સી નામના બહુમાળી ફ્લેટમાં ગઈ હતી. રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં તે ફ્લેટના ૧૨મા માળે ટોપફ્લોરના ધાબા પર પહોંચી હતી અને ત્યાંથી તેણે પેરાફીટ વોલ પર ચઢીને સીધો નીચે ભુસકો માર્યો હતો. ઉંચાઈ પરથી પડતુ મુકતા અક્ષી ફ્લેટના કમ્પાઉન્ડ વોલની બહાર કાચા રોડ પર પટકાઈ હતી અને તેના માથામાં તેમજ મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. રાત્રે આ રસ્તેથી પસાર થતાં દંપતી અને બે યુવકોએ અજાણી કિશોરીને લોહીલુહાણ હાલતમાં પટકાયેલી જાેતા તેઓએ ફલેટના વોચમેનને કમ્પાઉન્ડ વોલ પાસે યુવતી લોહીલુહાણમાં પડી હોવાની જાણ કરી હતી.વોચમેને જાણ કરતાં ફ્લેટના રહીશો રોડ પર તરફ દોડી ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાસ્થળે આવેલી ૧૦૮ના કર્મીઓએ તપાસ કરતાં અક્ષીનું મોત થયાની વિગતો મળી હતી. બીજીતરફ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતક યુવતીની ઓળખ છતી કરવાના પ્રયાસ કર્યા હતાં પરંતું રાત્રે તેની કોઈ વિગતો નહી મળતાં પોલીસે અજાણી યુવતીની નોંધ સાથે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અક્ષીની તપાસ કરી રહેલા પરિવારજનોને કોઈ કિશોરીએ રાત્રે આપઘાત કર્યો હોવાની વિગતો મળતાં તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો જેમાં અક્ષીની ઓળખ છતી થઈ હતી. પોલીસે અક્ષીની માતાની પ્રાથમિક પુછપરછ કર્યા બાદ આજે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સોંપ્યો હતો. આ બનાવની જાણ થતાં અક્ષીના પિતા વડોદરા આવવા માટે રવાના થયા હોવાની વિગતો સાંપડી છે. આ બનાવની તપાસ અધિકારી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ જે.યુ.ગોહિલે જણાવ્યું હતું કે અક્ષી પટેલની વિબ્ગયોર શાળાનું આઈકાર્ડ મળ્યું છે પરંતું તેના મોતનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. અક્ષીએ કદાચ અભ્યાસના ભારણથી આપઘાત કર્યો હશે તેવું અનુમાન છે, અલબત્ત અક્ષીના પરિવારજનોની પુછપરછ બાદ જ કદાચ આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળશે. પોશ એરિયામાં કિશોરીની લાશ મળતાં પોલીસ દોડતી થઈ ભાયલી જેવા પોશ એરિયામાં રાત્રે અક્ષીના આપઘાતના પગલે ઘટનાસ્થળે ટોળાં ભેગા થયા હતા. અક્ષીના મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ જાેતા અને તેની લાશ કેવી રીતે ત્યાં આવી તેની કોઈને ખબર ન હોઈ એક તબક્કે હત્યા કરીને લાશ ફેંકાયાની વાત વહેતી થઈ હતી. બીજીતરફ અજાણી કિશોરીની હત્યાની શંકાની પગલે એક તબક્કે તાલુકા પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે સેમલુકાસ રેસીડન્સી ફ્લેટના ગત રાતના સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી કરી હતી જેમાં અક્ષી પટેલ રાત્રે એકલી ફ્લેટમાં આવ્યા બાદ ધાબા પર પણ એકલી જ જતી હોવાનું નજરે ચઢતાં તેણે આપઘાત કર્યો હોવાની પૃષ્ટી થઈ હતી જેને પગલે ગત રાતથી ચાલતા તર્કવિતર્કોનો અંત આવ્યો હતો. રોડ પર યુવતીની લાશ પડી છે તેટલું બોલી ત્રણ યુવકો ફરાર થયા અક્ષીની લાશ બહુમાળી બિલ્ડીંગના કમ્પાઉન્ડ વોલ પાસે પડી હતી જે અંગેની ત્યાંથી પસાર થતાં બાઈકસવાર ત્રણ યુવકોએ બિલ્ડીંગના વોચમેનને સૈાપ્રથમ જાણ થઈ હતી. વોચમેને તેની કંપનીના અધિકારીઓને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરાઈ હતી. વોચમેને પોલીસને જણાવ્યું હતું કે તે ગેટ બંધ કરતો હતો તે સમયે બાઈક પર આવેલા ત્રણ યુવકો ‘રોડ પર એક યુવતીની લાશ પડી છે’ માત્ર એટલી જાણ કરી ફરાર થઈ ગયા છે, બાકી મને કંઈ ખબર નથી. અક્ષીની લાશ રોડ પર ક્યાંથી આવી તેની રાત્રે કોઈ જાણકારી ન હોઈ વોચમેનની વાત સાંભળીને શરૂઆતમાં ઉક્ત ત્રણ અજાણ્યા યુવકો શંકાના ઘેરામાં આવતા મામલો ગુંચવાયો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    હું ગૃહમંત્રીનો પીએ છું, કાલે બદલી કરાવી દઈશ

    વડોદરા, તા. ૮ રાજયમાં છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની કચેરીના અધિકારી બાદ કેન્દ્રિય અને રાજયકક્ષાના મંત્રીઓના પીએ તરીકેની બોગસ ઓળખ આપવાનો સિલસિલો હવે વડોદરા સુધી આવી પહોંચ્યો છે. શહેરના છેવાડે ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર ગત મધરાતે રોડ પર ઉભા રહેલા યુવકોને ટ્રાફિક પોલીસે સાઈડમાં ઉભા રહેવાનું કહેતા જ નશામાં ધુત ત્રિપુટીએ અપશબ્દો બોલી પોલીસ પર હુમલો કર્યા બાદ એક યુવકે યુવકે ‘હું ગૃહમંત્રીનો પીએ છું, કાલે તમારી બદલી કરાવી દઈશ’ તેવી ધમકી આપી હતી. ધમકી બાદ કારમાં ફરાર થઈ રહેલા યુવકને ઝડપી પાડવા પોલીસે પીછો કરતા યુવકના અન્ય સાગરીતોએ પોલીસનો પીછો કર્યો હતો. બનાવની ગંભીરતા જાેતા આ અંગેની પોલીસે કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસની અન્ય ગાડીઓ હાઈવે પર દોડી આવી હતી જેના પગલે ત્રિપુટી ઝડપાઈ જતાં તેઓની ધરપકડ કરાઈ હતી. શહેર ટ્રાફિક શાખા પુર્વ ઝોનના હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર મથુરભાઈ ગત રાત્રે ટ્રાફિક બ્રિગેડના ડ્‌ાઈવર જ્યોતિષકુમાર પરમાર સાથે સ્પિડ ગન વન મોબાઈલમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તેઓ હાઈવે પર ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર આવેલા પારસ ઢાબા પાસેથી પસાર થતાં હતા તે સમયે તેઓએ રોડ પર ઉભા રહેલા બે યુવકોને સાઈડમાં ઉભા રહીને વાત કરવા જણાવ્યું હતું. પોલીસની વાત સાંભળીને બંને યુવકો એકદમ પોલીસની ગાડી પાસે ગયા હતા જે પૈકીના એક વરુણ નારાયણભાઈ પટેલ (દરજીપુરાગામ, વડોદરા)ને નવીનચંદ્ર ઓળખી ગયા હતા. બંને યુવકોએ દારૂનો નશો કરેલી હાલતમાં પોલીસની ગાડીનો દરવાજાે ખોલી તમે કેમ અહીંયા આવ્યા છો ? તેવું પુછ્યું હતું. નવીનચંદ્રએ યુવકોને દારૂનો નશો કર્યો હોવાનું કહેતા જ તેઓએ ઉશ્કેરાઈને તમે ટ્રાફિકવાળા છો તમારે કોઈ લેવાદેવા નથી તેમ કહીને ડ્રાઈવર સાથે ઝપાઝપી કરીને ડ્રાઈવરને રોડ પર પછાડીને ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં નવીનચંદ્રએ દરમિયાનગીરી કરતા તેમને પણ અપશબ્દો બોલીને બંને યુવકોએ છુટ્ટાહાથની મારામારી કરી હતી જે પૈકી વરુણ પટેલે ધમકી આપી હતી કે ‘હું ગૃહમંત્રીનો પી.એ.છું, હું કાલે તમારી બદલી કરાવી દઈશ, તમે અહીંયા કેવી નોકરી કરો છો’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી બદલ નવીનચંદ્રએ તેને પકડવાનો પ્રયાસ કરતાં તે નજીક ઉભેલી સફેદ રંગની કિયા કારમાં બેસીને ભાગ્યો હતો. નવીનચંદ્ર અને ડ્રાઈવરે વરુણનો પીછો કરતા જ વરુણના સાગરીતોએ થાર અને અન્ય એક સફેદ રંગની કારમાં પોલીસનો પીછો કર્યો હતો અને પોલીસની વાનની આગળ-પાછળ કાર હંકારી હતી. આ બનાવના પગલે નવીનચંદ્રએ સવા બે વાગે પોલીસ કન્ટ્રોલ રૂમમાં વાયરલેસ મેસેજથી જાણ કરી હતી. નવીનચંદ્ર હરણી પોલીસ મથકે આવતા વરુણના સાગરીતોએ પોલીસ મથક સુધી પીછો કર્યો હતો પરંતું ત્યાં હરણી પીઆઈની ગાડી અને પીસીઆર વાન આવી જતા પોલીસે કોર્ડન કરીને વરુણ પટેલ તેમજ તેના બે સાગરીતો આકાશ સુરેશભાઈ પટેલ (હરણીગામ, મોટુ ફળિયું) અને પિનાક વિનેશભાઈ પટેલ (હરણીગામ)ને નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ બનાવની નવીનચંદ્રની ફરિયાદના પગલે હરણી પોલીસે ઉક્ત ત્રિપુટીની હુમલો અને ધમકીના ગુનાની તેમજ દારૂબંધીના ગુનાની બે ફરિયાદો નોંધી હતી.ગૃહમંત્રીના પીએની બોગસ ઓળખ આપી છતાં તેનો ગુનો નહીં નોંધ્યો પોલીસ પર હુમલો કરનાર વરુણ પટેલે પોતે ગૃહમંત્રીનો પીએ હોવાની બોગસ ઓળખ આપી પોલીસની બદલી કરાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી. તાજેતરમાં રાજ્યમાં સરકારી અધિકારી કે કર્મચારીની બોગસ ઓળખ આપી ઠગાઈ કરતા ઝડપાયેલા ગઠિયાઓ વિરુદ્ધ પોલીસે બોગસ ઓળખ આપવા બદલનો અલાયદો ગુનો નોંધ્યો છે, પરંતુ ગત રાતના કિસ્સામાં પોલીસે વરુણ વિરુદ્ધ બોગસ ઓળખ આપવાનો ગુનો નહી નોંધતા પોલીસ કામગીરીએ વિવાદ ઉભો કર્યો છે. રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓના સાથે ખભે હાથ મુકેલા ફોટા વાયરલ થયાં ગત રાત્રે ટ્રાફિક પોલીસને જાહેરમાં અપશબ્દો બોલીને માર માર્યા બાદ પોલીસને બદલી કરાવી દેવાની ધમકી આપનાર વરુણ પટેલ અને આકાશ પટેલ તેમજ પોલીસનો પીછો કરનાર સાગરીતો પણ ભાજપા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પૈકીના વરુણ પટેલ અને આકાશ પટેલ સાથે તેઓના ખભે હાથ મૂકીને ફોટા પડાવ્યાં હતાં, જે ફોટા આ બંનેએ સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા, જે આજે બંનેની ધરપકડ થતાં વાયરલ થયા હતા. નશેબાજાે પોલીસ પર હુમલો કરતા છેક પોલીસ મથક સુધી પહોંચી ગયા! રાત્રે દારૂનો નશો કરીને મધરાતે વૈભવી કારોમાં ફરીને રોડ વચ્ચે ઉભા રહીને ટોળટપ્પા કરતા નબીરાઓની હિમ્મત એટલી હદે વધી ગઈ હતી કે તેઓએ પોલીસની ગાડીનો પીછો કરીને તેઓની આગળ પાછળ ગાડી હંકારીને પોલીસને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી ટ્રાફિક પોલીસની ગાડી હરણી પોલીસ મથકે પહોંચતા આ ટોળકી ઠેક પોલીસ મથક સુધી પહોંચી ગઈ હતી. નશેબાજ ત્રિપુટી અને તેઓના સાગરીતોને કોનું પીઠબળ છે કે તેઓને પોલીસનો કોઈ જ ડર નથી રહ્યો ?. જાે તે દિશામાં પોલીસ તપાસ થાય તો ઘણી વિગતો સપાટી પર આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    બોમ્બેના તૌફીકનું ગોવા કનેક્શન બહાર આવ્યું

    નડિયાદ-૦૮ખેડા જિલ્લાના બિલોદરાના સિરપ કાંડમાં નવ લોકોના અપમૃત્યુના બનાવમાં ખેડા પોલીસે સિરપકાંડના માસ્ટમાઈન્ટ નિતીન કોટવાણી સહિતના આરોપીઅની વડોદરા અને મુંબઈથી ધરપકડ કરી હતી. અ પૈકીના મુંબઈથી ઝડપાયેલા તૌફીકના રિમાન્ડ એવી વિગતો સપાટી પર આવી છે કે સિરપ કાંડમાં નડિયાદનો યોગેશ સિંધી તો એક જ મહોરું છે જયારે તોફીકે ગોવાથી મિથેલોનનો જથ્થો લાવી તેનું યોગેશ ઉપરાંત રાજયમાં અન્ય વેપારીઓને આશરે ૧૫ હજાર લીટર જેટલો જીવલેણ મિથાઈલનો જથ્થો વેચાણ કર્યો છે. આ વિગતોના પગલે ખેડા પોલીસની એક ટીમે તપાસનો દોર ગોવા તરફ લંબાવ્યો છે જયારે અન્ય ટીમે તોફીક પાસેથી ગેરકાયદે મિથેલીન ખરીદનારાની શોધખોળ શરૃ કરી છે. પૂછપરછમાં અનેક લોકોને મીથાઈલ આલ્કોહોલ કે કેમિકલ સપ્લાય કર્યું હોવાનો ઘટસ્ફોટ કરતા ખેડા સીટ દ્વારા તપાસનો દોર ગોવા તરફ લાંબાવ્યો છે. ગોવાના મુખ્ય સપ્લાયરની પુછપરછમાં તેણે રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા કેટલા લોકોને મિથેલોનનો કેટલો જથ્થો સપ્લાય કર્યો છે તેનો ખુલાસો ટૂંકમાં જ થશે તેમ મનાઈ રહ્યું છે. અ ઉપરાંત તોફીકે રાજ્યના કેટલાક વેપારીઓને મિથેલોનનું ગેરકાયદે વેંચાણ કર્યું છે જેનો કેમિકલ, કલર, કાપડ અને બિનખાદય પદાર્થમાં ઉપયોગ થયાનું મનાય છે અને મિથેલોન યુક્ત પદાર્થના ઉપયોગથી નિર્દોષ ગ્રાહકોના આરોગ્ય સાથે પણ ચેડાં થાય તેમ હોઈ ખેડા પોલીસની ટીમે તોફીક પાસેથી મિથેલોન ખરીદનારા વેપારીઓની પણ યાદી તૈયાર કરી તમામની અટકાયતા ચક્રો ગતિમાન કર્યા છે જેને પગલે સિરપકાંડમાં આરોપીઓની મોટી સંખ્યામાં ધરપકડ થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    સમજાતું નથી! તાંદલજા તળાવમાં ગંદકી છે કે, ગંદકીમાં તળાવ!?

    વડોદરા કોર્પોરેશનના સ્વચ્છતા અભિયાન અને કાઉન્સિલરોના સાવરણી મહોત્સવની તસવીરો જાેઈને અમને એમ થયું કે, શહેરમાં સ્વચ્છતાની વાસ્તવિકતા શું છે? એની સત્યતા ચકાસવી જાેઈએ. એટલામાં કો’કે દાવો કર્યો કે, તાંદલજા તળાવમાં જેટલી ગંદકી છે એટલી કદાચ તમે તમારી જિંદગીમાં જાેઈ નહીં હોય. અમને એની વાત પર ભરોસો ન હતો એટલે અમે તાંદલજા ગામની મુલાકાત લીધી. જ્યાં તળાવની સ્થિતિ જાેઈને એક તબક્કે અમે મૂંઝવણમાં મુકાઈ ગયા. અમને સમજાતું ન હતું કે, અહીં તળાવમાં ગંદકી છે કે, ગંદકીમાં તળાવ? ખેર, તાંદલજા તળાવની આ તસવીર જાેઈને તમને શું લાગે છે? ખરેખર, આને તળાવ કહેવાય?
    વધુ વાંચો
  • ગુજરાત

    વર્ષ પૂર્વે નાખેલાં પેવરબ્લોક ઉખેડીને ૧૯ લાખના ખર્ચે ફરી ફૂટપાથ બનાવવાનું શરૂ!

    વડોદરા, તા.૮વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રજાના વેરાના નાણાંના વેડફાટનો વધુ એક નમૂનો પ્રકાશમાં આવ્યો છે. એક વર્ષ પૂર્વે જ દાંડિયા બજાર ચાર રસ્તાથી લક્કડીપુલ સુધી નવીન પેવરબ્લોકનું કામ કરવામાં આવ્યું હતું. હવે આ સારા પેવરબ્લોક નવલખી ખાતે કચરામાં નાખી ૧૯ લાખના ખર્ચે ફરી આ ફૂટપાથ પેવરબ્લોક સાથે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતાં લોકોમાં પણ પાલિકાની કામગીરી સામે આશ્ચર્ય ફેલાયું છે. વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશો કેટલીક કામગીરી આડેધડ કરતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે પ્રજાના વેરાના નાણાંનો વેડફાટ કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના દાંડિયા બજાર મેઈન રોડ પર ચાર રસ્તાથી સિદ્ધિ વિનાયક મંદિર થઈને લક્કડીપુલ સુધીનો હયાત ફૂટપાથ જેનું પેવરબ્લોક લગાડવાનું કામ ગત વર્ષે જ લાખોના ખર્ચે કરવામાં આવ્યું હતું. એક વર્ષ પૂર્વે જ બનાવેલા આ ફૂટપાથના પેવરબ્લોક પણ સારા હતા, માત્ર કલર થોડો ડલ પડી ગયો હતો, પરંતુ વિકાસના કામોના નામે લાખોના ખર્ચે બનાવેલા ફૂટપાથના પેવરબ્લોક ઉખેડીને ૧૯ લાખના ખર્ચે નવો ફૂટપાથ પેવરબ્લોક સાથે બનાવવામાં આવી રહ્યો છે અને ફૂટપાથમાંથી નીકળેલા આખા અને સારી કન્ડિશનવાળા પેવરબ્લોક નવલખી કૃત્રિમ તળાવની પાસે ઢગલો કરી કચરામાં ઠાલવવામાં આવ્યા છે. ત્યારે વોર્ડ નં. ૧૩ના કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ આ કામ કોનો ફાયદો કરાવવા થઈ રહ્યું છે તેની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ચાંદોદમાં પોલીસ કોન્સ્ટેબલ ૩૫ હજારની લાંચ લેતા રંગ હાથ ઝડપાયો

    ચાંદોદ,તા.૮ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસના કોન્સ્ટેબલ ૩૫૦૦૦ હજારની લાંચ લેતા એ.સી.બી ના હાથે રંગે હાથે ઝડપાયા હતો.ડભોઇમાં ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વકરવા લાગ્યો છે. ડભોઈ તાલુકાના ચાંદોદ પોલીસ મથકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ મોતીભાઈ વજાભાઈ રબારીની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જાણવા મળ્યાં મુજબ, ચાંદોદ પોલીસ મથકે ફરજ બજાવતા હતાં જેમની ફરજ તેનતળાવ બીટ ખાતે હતી જેમાં એક ઇસમ ૨૨ નવેમ્બર,૨૦૨૩ના રોજ કરણેટ વસાહત -૧માંથી બે વિદેશી શરાબના બે નંગ કવાટરીયા લઈને પોર જતાં હતાં ફરિયાદીને તેનતળાવ કેનાલ પાસે કોન્સ્ટેબલ હરેશભાઈએ બે કવાટરીયા સાથે પકડેલ હતા. ફરિયાદી અને પિતરાઈ ભાઈ પર દારૂનો કેસ કરેલ હતો. જેમાં ફરિયાદી ને જામીન મળી ગયેલા ત્યાર પછી ફરિયાદીના પિતરાઈ ભાઈને હાજર કરવાના અને માર નહીં મારવા તથા હેરાન નહીં કરવાના ૪૦,૦૦૦ની માગણી કરી હતી, જેમાં રકઝકને અંતે ૩૫,૦૦૦માં નક્કી કર્યું હતું. જાેકે, ફરિયાદી લાંચ આપવા માગતાં ના હોય પોતાની ફરિયાદ છોટાઉદેપુર એસીબીને આપેલ, જેમાં આજરોજ લાંચના છટકાનું આયોજન કરી એસીબીએ પંચને સાથે રાખી આજે લાંચની રકમ ૩૫,૦૦૦ સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ જવા પામ્યા હતા. આ લાંચ કેસમાં કે.એન.રાઠવા પીઆઈ છોટાઉદેપુર એસીબી અને સુપરવિઝન બી.એમ. પટેલ ઈન્ચાર્જ મદદનીશ નિયામક એસીબી વડોદરા એકમે આખો ખેલ પાડી દીધો છે. કહે છે કે ચાંદોદ પોલીસ મથકમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોને ખોટી હેરાનગતિની ચર્ચા આખાય પંથકમાં ઉઠવા પામી છે. થોડાક દિવસ પૂર્વે ડભોઇ સેવા સદનમાં એસીબી ટ્રેપ નિષ્ફળ નિવડેલ હતો, પરંતુ આજ રોજ તેમાં સફળતા મળી હતી. ડભોઇ પંથકમાં ભ્રષ્ટાચારની બોલબાલા દિવસેને દિવસે વધવા પામી છે. દારૂ, જુગારના કેસમાં લાંચ આપી છુટી જવાને કારણે કોઈને ડર રહ્યો નથી, જેને લઇને જાગૃત નાગરિક દ્વારા એસીબીને જાણ કરી લાંચ લેતાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ખંડેરાવ માર્કેટમાં શાકભાજી પર કૂતરાં પેશાબ કરે છે!!

    વડોદરા, તા.૭શહેરના ખંડેરાવ માર્કેટમાં રખડતાં કૂતરાં શાકભાજી ભરેલા કોથળા ઉપર પેશાબ કરતા હોય એવો જુગુપ્સાપ્રેરક વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વીડિયોમાં રખડતા કૂતરાં માર્કેટમાં પડેલા શાકભાજીના ઢગલાને ચાટતાં, એની ઉપર આળોટતાં અને એની ઉપર આરામ ફરમાવતા સ્પષ્ટ નજરે પડે છે. અમારો દાવો છે કે, જાે તમે આ વીડિયો જાેઈ લેશો તો તમે ક્યારેય ખંડેરાવ માર્કેટમાંથી શાકભાજી નહીં ખરીદો. બધા જ જાણે છે કે, ખંડેરાવ માર્કેટમાં રખડતા કૂતરાઓનો જમાવડો છે. કૂતરા અબોલ પશુઓ છે. થાંભલો હોય કે, શાકભાજી ભરેલો કોથળો..એના માટે તો બંને સરખા જ છે. જ્યાં જગ્યા મળે ત્યાં પેશાબ કરે એ સ્વાભાવિક છે. પણ ચોંકાવનારી વાત તો એ છે કે, માર્કેટના શાકભાજીના વેપારીઓ પણ એમને રોકતા નથી. વહેલી સવારે તો એવી ખતરનાક સ્થિતિ હોય છે કે, માર્કેટમાં શાકભાજીના ઢગલા પડેલા હોય છે. રસ્તા પર ભાજી પથરાયેલી હોય છે, પાણીનો છંટકાવ કરીને ધાણાની ઝૂડીઓ પથરાયેલી હોય છે અને ત્યાં શ્વાનોની ટોળકી બિન્દાસ્ત ફરતી હોય છે. એમને ખબર નથી હોતી કે, આ શાકભાજી લોકોના રસોડામાં જવાની છે. એમને ખબર નથી હોતી કે, આ શાકભાજી લોકોના પેટમાં જવાની છે. એ તો નિર્દોષ પ્રાણી છે એ તો અજાણતાથી શાકભાજી પર આટોળતા રહે છે. અને જ્યાં જગ્યા મળે ત્યાં પેશાબ પણ કરતા રહે છે. ખંડેરાવ માર્કેટમાં એમને રોકવાવાળુ કોઈ નથી. લોકોને ખાવાના શાકભાજીને ગંદકીથી બચાવવાવાળુ કોઈ નથી. અહીં તો શાકભાજીનો માત્ર વેપાર થાય છે. ભલે, એમાં કૂતરાએ પેશાબ કર્યો હોય. ભલે, એની ઉપર કૂતરાં આળોટ્યાં હોય. ભલે, એને કૂતરાએ ચાટ્યાં હોય. લોકોના આરોગ્યની પરવા કર્યા વિના વેપારીઓ આવા શાકભાજી ધડાધડ વેચીને નવરાં થવાના ફિરાકમાં જ હોય છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    જંબુસરના કાવીની બે યુવતીઓને ડ્રગ આપી બળાત્કાર કેસમાં બે આરોપી ઝડપાયા,બે ફરાર

    ભરૂચ, તા.૭ભરૂચ જિલ્લો ઔધોગિક જિલ્લો કહેવાય છે જ્યાં દેશ અને દુનિયાભરથી લોકો રોજગારી અર્થે આવે છે અને પોતાના પરિવાર સાથે રહી ઉજ્જવળ ભવિષ્યની ભાવનાઓ સેવે છે. ત્યારે ભરૂચમાં એક એવો કિસ્સો જાહેર થયો છે જેમાં હવે પોતાના બાળકોના ભવિષ્ય માટે વાલીઓને માથે ચિંતાના વાદળો છવાયેલા જાેવા મળે છે. જંબુસર તાલુકાનાં કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના કાવલી ગામે આવેલ એક આંબાવાડીના ફાર્મ પર ચાર યુવાનો બે યુવતીઓને લઇ જઈ નશાકારક પ્રદાર્થના ઇન્જેકસન આપી બળાત્કાર ગુજાર્યોે હોવાની કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નશાકારક ડ્રગના ઇન્જેકસનનો ડોઝ એક યુવાન એક યુવતીને ડાબા હાથે આપતો હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ઇન્જેક્શન લેતી યુવતી અને યુવકનો વીડીયો વાયરલ થતા સમગ્ર ઘટનાનો પર્દાફાસ્ટ થયો છે. ૧૮ અને ૨૦ વર્ષની બે સગી બહેનો સાથે મિત્રતા કેળવી યુવતીઓ સાથે બળાત્કાર કરી યુવતીઓની જિંદગી બરબાદ કરતા નરાધમોની વિરુદ્ધ ફરિયાદ બાદ પોલીસે બે યુવાનોને ઝડપી લીધા હતા. જેમાં સમગ્ર ઘટનામાં કાવી પોલીસે ભડકોદ્રા ગામના યાસીન ખાલીદ ચોક તેમજ નઇમ ઇસ્માઇલ મુસા પટેલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વિડિઓ વાયરલ કરના ઈસમ તેમજ અનસ નામના ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટનામા ઇ.પી.કો.કલમ-૩૭૬(૨),(જે), ૩૨૮, ૧૧૪ તથા આઇ.ટી.એકટ કલમ ૬૭ મુજબના ની કલમો હેઠણ ગુનો નોંધી વધુ તપાસ ૈેષ્ઠટ્ઠુ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. આર ગાવીત કરી રહ્યા છે
    વધુ વાંચો