વડોદરા સમાચાર

  • ગુજરાત

    નર્મદા કેનાલ પરની સૉલાર પૅનલમાં બાકોરું પડ્યું, યુવક કેનાલમાં ડૂબ્યો

    વડોદરા, રાજ્યમાં સૌ પ્રથમ વડોદરામાં સમા વિસ્તારમાંથી પસાર થઇ રહેલી નર્મદા કેનાલ પર સોલાર પેનલ લગાવવામાં આવી હતી. જેની સમયાંતરે સફાઈ કરવાનો કોન્ટ્રાન્ટ જે એજન્સીને આપવામાં આવ્યો હતો તે એજન્સીના કર્મચારી ગઈકાલે સાંજે સોલાર પેનલ સાફ કરી રહ્યા હતા. દરમિયાન અચાનક એક પ્લેટ તૂટી પડતા યુવક નર્મદા કેનાલમાં પડ્યો હતો. ઘટનાની જાણ અન્ય કર્મચારીઓ દ્વારા પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. અંદાજે ૧૨ કલાકથી વધુ સમય સુધી કામગીરી બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વડોદરા શહેરના સમાથી છાણી વિસ્તાર તરફ જતી નર્મદા કેનાલ પર સોલાર પેનલ લગાવામાં આવી છે. આ પ્રોજેક્ટ રાજ્યમાં સૌ પ્રથમ વખત વડોદરામાં જ હાથ ધરવામાં આવ્યો હતો. જે સોલં પેનલની સાફ સફાઈનો કોન્ટ્રાકટ ખાનગી એજન્સીને આપવમાં આવ્યો છે. જે કંપનીના કર્મચારીઓ ગઈકાલે સાંજે પેનલ સાફ કરી રહ્યા હતા. દરમિયાન પેનલની એક પ્લેટ અચાનક તૂટી પડતા સફાઈ કામગીરી કરી રહેલો યુવક કેનાલમાં ખાબક્યો હતો. કેનાલમાં પાણી વધારે હોવાથી યુવક પાણીમાં ડૂબી ગયો હતો. કેનાલમાં ડુબી ગયેલા ૩૧ વર્ષીય ચંદ્રેશ અગ્રવાલ ડૂબ્યા હોવાની જાણ અન્ય સાથીઓ દ્વારા પોલીસ તેમજ ફાયર વિભાગને કરવામાં આવી હતી. પોલીસ તેમજ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ શરૂ કરી હતી. કેનાલમાં ડૂબી ગયેલા ખાનગી કોન્ટ્રાક્ટરના કર્મચારીના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે, તે ઘણા વખતથી સોલાર પેનલ પર ક્લિનિંગ કરવાની કામગીરી કરતો હતો. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા તેને સુરક્ષાના કોઈ જ સાધનો આપવામાં આવ્યા ન હતી. જેના કારણે ઘટના બની અને અમારે પરિવારજન ગુમાવવો પડ્યો છે. મૃત્યુ પામનાર યુવક અગ્રવાલ સમાજનો હોવાથી મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ વોર્ડ નંબર ૨ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતને થતા તેઓ પણ તાત્કાલિક પહોંચી ગયા હતા. છાણી ટીપી ૧૩ ફાયર વિભાગ દ્વારા યુવકની શોધખોળ કરાઈ હતી. જેમાં અંદાજે ૧૨ કલાક કરતા વધારે કામગીરી બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે તપાસ અધિકારી પીએસઆઈ જે.ટી. દેસાઈએ જણાવ્યું હતું કે. ગતરાત્રે ૧૧ઃ૪૫ કલાક બાદ અમને ઘટનાની જાણ થઇ હતી. જેમાં એક યુવક કેનાલમાં ડૂબ્યો હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવને લઈ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા.એકપણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યાં નથી પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરા શહેરના છેવાડે સમા-સાવલી રોડ પર આવેલી નર્મદા કેનાલ પર સોલાર પેનલ સાફ કરતા યુવક કેનાલમાં ડૂબ્યો હતો. ચંદ્રેશ અગ્રવાલ નામના આ આ યુવકની ઉંમર ૩૧ વર્ષની હતી. તે ગઈકાલે સાંજે કેનાલ ઉપરની પેનલ સાફ કરી રહ્યો હતો ત્યારે લથડી ગયેલી સોલાર પેનલ તૂટતા યુવાન કેનાલમાં ડૂબ્યો હોવાની વિગતો ફાયર અને પોલીસને મળી હતી. આ યુવક ખાનગી કોન્ટ્રાક્ટર તરફથી કામ કરતો હતો અને પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે, તે ઘણા વખતથી સોલાર પેનલ પર ક્લિનિંગ કરતો હતો. પરંતુ, એક પણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યા નથી. ફાયર બ્રિગેડ નિષ્ફળ ગઈ ત્યારે સ્થાનિક તરવૈયા યુવકનો મૃતદેહ શોધવામાં સફળ શુક્રવારે મોડી સાંજે સમા -સાવલી રોડ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ પર લગાવેલ સોલાર પૅનલને ૩૧ વર્ષીય કર્મચારી પાણીની પાઈપ લગાવીને સાફ કરતો હતો. એકાએક સોલારની એક પૅનલ તૂટી પડતાં ચંદ્રેશ અગ્રવાલ નામનો આ યુવક કૅનાલમાં ખાબકી પડ્યો હતો. તંત્ર દ્વારા મોડી રાતથી જ તેને શોધવાની કામગીરી શરૂ કરાય હતી, પરંતુ ફાયર બ્રિગેડ આ કામમાં નિષ્ફળ નીવડ્યું હતું અને સ્થાનિકો દ્વારા ફક્ત ૫૦૦ મીટરનાં અંતરમાં જ યુવકના મૃતદેહને શનિવારે સાંજે શોધી કઢાવામાં આવ્યો હતો. તંત્રની આ રીતની કામગીરીથી પરિવારજનો અને સ્થાનિકો ખુબ જ રોષે ભરાયાં હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    પરિવારજનો કહે છે- ભક્તિનો રંગ લાગ્યો હતો, ઠાકોરજીને પામવાની ઇચ્છા હતી...

    વડોદરા, ૪૮ કલાક અગાઉ શહેરમાં આવેલી એક પ્રખ્યાત હવેલીના પૂજારીનો ૧૫ વર્ષીય સગીર દીકરો જીગર જગદીશભાઇ જાેષી ગુમ થયો હોવાની ફરિયાદ વિસ્તારના સ્થાનિક પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ૧૫ વર્ષીય સગીર દીકરો મંદિરની હવેલીના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જાેવા મળી રહ્યો છે, પછી તે સ્થાનિક વિસ્તારની ગલીમાં જતો હોવાનું દેખાય છે અને ત્યારબાદ તે ઉર્મી રોડ પર જતો હોવાનું પોલીસને સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ૧૫ વર્ષીય સગીર દીકરો જીગર જાેષી ગુમ થઇ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. તેના પરિવારજનો જ્યારે પોલીસ મથકે ફરિયાદ કરવા આવ્યા ત્યારે ખૂબ જ રડતા હતા. પરિવારજનોએ હવેલીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો સગીર દીકરો સ્પષ્ટ રીતે જાેઇ શકાતો હતો. વધુ તપાસ કરી તો ખબર પડી કે દીકરો હવેલીમાંથી નીકળીને તેમના જ વિસ્તારની કોઇ ગલીમાં જતો હોય તેવું જાણવા મળ્યું હતંુ. ત્યારબાદ દીકરો જીગર ઉર્મી રોડ પર એકલો જતો હોય તેવું પોલીસને સીસીટીવી ફૂટેજમાં જાેવા મળી રહ્યું છે, જેથી પોલીસે હવે ઉર્મી રોડથી આગળના સીસીટીવી ફૂટેજથી તેની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ પરિવારજનો દ્વારા ૪૮ કલાક બાદ પણ કોઇ પતો ન લાગતા પોતાના દીકાર જીગરના ફોટા સાથે એવી અપીલ કરી છે કે - દીકરા જીગર તંુ જ્યાંં છે ત્યાંથી તંુ ઘરે પરત આવી જા. જાેકે, ૪૮ કલાક વિત્યા બાદ પણ હજુ સુધી ૧૫ વર્ષીય સગીર દીકરાનો કોઇ પતો પરિવારજનોને લાગ્યો નથી. જાેકે, સગીર દીકરો જીગર જાેષી ગુમ થયો હોવાની તપાસમાં શહેર પોલીસનો ડીસીબી, પીસીબી, એસઓજી સહિતની સ્થાનિક પોલીસ સ્ટાફ પણ તેની શોધખોળ હાથ ધરી છે.બ્રાન્ડેડ કપડાંનો શોખીન સગીર ઘરેથી ફક્ત બે જાેડી જૂનાં કપડાં જ કેમ લઈ ગયો? મળતી માહિતી મુજબ પરિવારજનો દ્વારા તેને દીકરા જીગરને બ્રાન્ડેડ કપડા પહેરાવતા હતા, પરંતુ દીકરો જીગર જયારે ઘરેથી ૪૮ કલાક પહેલા ઘરેથી નીકળી ગયો હતો ત્યારે જીગર ફક્તા ઘરમાં પહેરવાના બે જાેડી જુના કપડા લઇને નીકળ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે. હવેલી બાદ તે ઊર્મી રોડ પર એકલો જતો દેખાઇ રહ્યો છે ૪૮ કલાક પહેલા ગુમ થયેલ જીગર જાેષીને શોધવા શહેર પોલીસની ડીસીબી, પીસીબી,એસઓજી સહિત સ્થાનિક પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જીગર જાેષી પહેલાં હવેલીમાં સ્પષ્ટ દેખાયા બાદ તે બપોરના સમયે તે એકલો ઉર્મી રોડ પર જતો હોય તેવું સીસીટીવી ફૂટેજમાં જાેવા મળી રહ્યું છે. હવે પોલીસે ઉર્મી રોડથી આગળના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે. આધ્યાત્મિક જીવનમાં રસ ધરાવતો જિગર મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો નથી પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આજના આધુનિક યુગમાં નાના બાળકોને મોબાઇલ ફોન તેમની પ્રાથમિક જરૂરિયાત છે. બીજી તરફ આધ્યાત્મિક જીવનમાં રસ ધરાવતા અને સંસારિક જીવનને ત્યાગ કરવાનો રસ ધરાવતા જીગર જાેષી ફોનનો ઉપયોગ કરતો ન હતો. ચિંતાતુર પરિવારજનોએ દીકરાને પરત આવવા સોશિયલ મીડિયામાં અપીલ કરી ફરિયાદ નોંધાવીને ચિંતાતુર બનેલા જીગર જાેષીના પરિવારજનઓએ સોશિયલ મીડિયાના માધ્યામ થકી તેમનો દીકરો વહેલો ઘરે આવી જાય તેની માટે એક પોસ્ટ શેર કરી હતી. લખ્યું હતું કે, દીકરા વહેલો ઘરે આવી જા અમે તારી રાહ જાેઇ રહ્યા છે તો ગમે ત્યાં હોય ત્યાંથી તું આવી જા, તેવી પોસ્ટ પણ કરી હતી, પરંતુ ચિંતાતુર પરિવારજનોને હજુ પણ ૧૫ વર્ષીય સગીર દીકરો જીગર જાેષીની કોઇ ભાળ મળી રહી નથી.
    વધુ વાંચો
  • ગુજરાત

    નાના ઉદ્યોગો ભારતની તાકાત નિર્મલા સીતારમણ

    વડોદરા, ૨૦૪૭ સુધી વિકસિત ભારતનું લક્ષ્ય સનરાઈઝ, કૃષિ, સૉલાર એનર્જી, મેન્યુફેક્ચરિંગ, કૃષિ અને સર્વિસ સેન્ટરના વિકાસની સાથે આત્મનિર્ભરતા દ્વારા હાંસિલ કરાશે. સરકારે તે માટે અનેક સુધારાવાદી નિર્ણય લીધા છે, તેમ વડોદરા ખાતે આવેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું.ફોરમ ફોર ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ એસોસિયેશન વડોદરા દ્વારા આયોજિત ફોર કાસ્ટ ફોર ઈન્ડિયન ઈકોનોમી ૨૦૪૭ને સંબોધતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કોવિડ બાદ રશિયા-યુક્રેન યુદ્ધ, ચીન-અમેરિકા વચ્ચેનો તણાવ જેવી સ્થિતિમાં પણ સરકારની નીતિઓના કારણે લોકોનો વિશ્વાસ જળવાઈ રહ્યો છે અને ગ્રોથરેટ ઘણો સારો રહ્યો છે. વૈશ્વિક સ્તરે ગ્રોથરેટમાં ભારત ફાસ્ટેસ્ટ ઈકોનોમી તરીકે ઊભરી આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૪૭ સુધી વિકસિત ભારતનો સંકલ્પ પ્રાપ્ત કરવા માટે યોગ્ય લક્ષ્ય છે. લીડરશિપ અને વિઝનરી આઉટ લૂકના કારણે આજે તમામ ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે. તેમણે આત્મનિર્ભરતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, આપણે માત્ર વિવિધ વસ્તુઓની આયાત નહીં, પરંતુ આપણે જે જાેઈએ તેનું ઉત્પાદન પણ કરવું પડશે. નાણામંત્રીએ કહ્યું હતું કે, અત્યારે જે આર્થિક સુધારા થઈ રહ્યા છે, જેના કારણે ૨૦૪૭માં વિકસિત દેશની જગ્યાએ વિકાસશીલ દેશ બનવાનું છે એ લક્ષ્ય સાથે આગળ ચાલી રહ્યા છીએ. ૨૦૪૭ સુધીમાં ભારતમાં મધ્યમવર્ગની સંખ્યા વધીને ૭૦ કરોડ જેટલી થઈ જશે. વિકસિત ભારત બનાવવા માટે કૃષિક્ષેત્રમાં પણ સુધારા થઈ રહ્યા છે, તેમાં માર્કેટ ખૂલ્લું કરવું, કોલ્ડ સ્ટોરેજ વગેરેના આયોજન સાથે કૃષિ ફાયદાકારક બને તે માટનેા પ્રયાસો કરાયા છે. આ ઉપરાંત ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. નાના ઉદ્યોગો ભારતની તાકાત છે, સાથે મોટા ઉદ્યોગો પણ જરૂરી છે, જેથી એક્સપોર્ટ પણ કરી શકાય. તેમણે કહ્યું હતું કે, લોકોએ દેશમાં બનેલી વસ્તુઓનો આગ્રહ રાખવો જાેઈએ, જેથી આત્મનિર્ભર થઈ શકીએ. સરકારે આત્મનિર્ભર થવા માટે સંરક્ષણ ક્ષેત્રમાં અનેક પગલાં લીધાં છે. જ્યારે દેશમાં હવે વ્હીકલ બનવા લાગ્યાં છે. સોલાર ઈક્વિપમેન્ટ પણ દેશમાં જ બનવા લાગ્યાં છે. સેમિકન્ડકટરમાં પણ દેશના જ લોકો રોકાણ કરી રહ્યા છે. ગુજરાતમાં બે અને આસામાં એક પ્લાન્ટ એમ ત્રણ પ્લાન્ટ આગામી દિવસોમાં બનશે. તેમણે તમામના પ્રયાસથી ૨૦૪૭માં ભારત વિકસિત બનશે તેમ કહ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    અમિતનગર પર પોલીસનો ડ્રામા મોતનાં શટલિયાં બેરોકટોક અમિતનગર પાસે ચોરીછૂપીથી, તો દુમાડ ચોકડી, સોમા તળાવ પાસે સરેઆમ મુસાફરોની હેરફેર

    વડોદરા, તા. ૧૮કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે આવેલા શટલિયા વાહનોના ગેરકાયદે સ્ટેન્ડ પરથી ગઈ કાલે ૧૦ મુસાફરોને ભરીને નીકળેલી અર્ટિકા કારને એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થતાં કારચાલક અને તમામ ૧૦ નિર્દોષ મુસાફરો સહિત ૧૧ના મોતના બનાવના પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદે સ્ટેન્ડનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ગઈ કાલની દુર્ઘટના બાદ પોલીસ તંત્ર પર માછલા ધોવાતા આબરુ બચાવવા માટે સફાળી જાગેલી પોલીસે આજે સવારથી ગેરકાયદે સ્ટેન્ડ પરથી મુસાફરોની ગેરકાયદે હેરફેર બંધ કરાવી હતી. જાેકે આવા ગંભીર બનાવ બાદ પણ તંત્રની માનવતા જાણે મરી પરવારી હોય તેમ અમિતનગર સર્કલ પાસેના ગેરકાયદે સ્ટેન્ડના બદલે મંદિરની પાછળથી તેમજ થોડાક અંતરે ચોરી-છુપીથી તેમજ દુમાડચોકડી અને સોમતળાવ ચારરસ્તા સહિતના અન્ય વિસ્તારોમાં શટલિયા કારચાલકોએ બિન્ધાસ્ત પણે મુસાફરોને ઠાંસીઠાંસીને બેસાડીને અમદાવાદ-ડભોઈની ટ્રીપ મારી હતી. એક્સપ્રેસ હાઈવે પર અર્ટિકાકારને અકસ્માત નડતા કુલ ૧૧ના મોત નિપજયા હતા અને આ અર્ટિકા કાર વડોદરાના અમિતનગર સર્કલ પાસેથી ભરાઈ હોવાની વિગતો સપાટી પર આવતા અમિતનગર પાસે ચાલતું ગેરકાયદે સ્ટેન્ડ ફરી વિવાદમાં સપડાયું છે. જાેકે ગઈ કાલની ગોઝારી દુર્ઘટના બાદ હોબાળો મચતા શહેર ટ્રાફિક પોલીસ આજે સવારથી જ જાંઘ છુપાવવા માટે દોડતી થઈ હતી. કાયમ મુસાફરો અને ઈક્કો કારના જમાવડાથી ધમધમતા કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે આજે પોલીસે શટલિયા ઈક્કો કારને ઉભી રહેવા દીધી નહોંતી અને કડક કામગીરીનો દેખાડો કર્યો હતો. જાેકે પોલીસની કામગીરી દેખાડો હોય તે ખુલ્લેઆમ નજરે ચઢતું હતું. અમિતનગર સર્કલ પાસે મહાદેવ મંદિરના પ્રાંગણમાં ગેરકાયદે સ્ટેન્ડ ચાલતું હોઈ અમદાવાદ જવા માટે અનેક મુસાફરો આજે પણ આ ગેરકાયદે સ્ટેન્ડ પર આવ્યા હતા, પરંતુ પોલીસે અગાઉથી સૂચના આપી હોવાના કારણે આ સ્થળે કોઈ વાહન ઊભું નહોતું. જાેકે, વાહનચાલકોએ તેઓની કારને ગેરકાયદે સ્ટેન્ડથી થોડાક જ અંતરે આગળની તરફ તેમજ મંદિરના પાછળ કમ્પાઉન્ડ વોલ પાસે તેઓની કાર પાર્ક કરીને સાઈડમાં ઉભી કરી હતી અને દરવાજા ખુલ્લા રાખ્યા હતા. દરમિયાન ગેરકાયદે સ્ટેન્ડ પર આંટાફેરા મારતા ઈક્કો અને અર્ટિગા કારના માથાભારે ચાલકોએ ખેડા, નડિયાદ અને અમદાવાદ તરફ જવા માગતાં મુસાફરો સાથે ભાવતાલ કરીને તેઓને થોડાક અંતરે આગળ તેમજ મંદિરની પાછળ કમ્પાઉન્ડ વોલ પાસે ઉભી રાખેલી પોતાની કારના નંબરો આપીને કારમાં જઈને બેસવા માટે સુચના આપી હતી જેથી મુસાફરો ત્યાંથી ચાલતા કારમાં બેસી ગયા હતા અને જેવી કાર ભરાઈ જતા કારચાલકો તુરંત ત્યાં જઈને કારને હંકારીને આગળ રવાના થયા હતા. માત્ર અમિતનગર સર્કલ જ નહી પરંતું દુમાડ ચોકડી, કીર્તિસ્તંભ અને સોમાતળાવ પાસેથી પણ ખાનગી વાહનચાલકોએ મુસાફરોને વાહનોમાં મર્યાદા કરતા વધુ મુસાફરોને ઠાંસીઠાંસીને બેસાડીને ગેરકાયદે હેરફેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ સ્થળોએ ટ્રાફિક પોલીસના જવાનો હોવા છતાં તેઓ આંખ આડા કાન કરતા નજરે ચઢ્યાં હતા અને લોકસત્તા-જનસત્તાની ટીમે ટ્રાફિક પોલીસ જવાનોને તેઓની સામે શટલિયા વાહનોમાં નિયત મર્યાદા કરતા વધુ મુસાફરોને બેસાડીને વાહનચાલકો અવરજવર કરતા હોવા છતાં કામગીરી કેમ નથી કરતા તેવો પ્રશ્ન કરતા તેઓએ કામગીરી કરીયે છે તેમ કહી વધુ કઈ કહેવાનો ઈનકાર કર્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    નીલ ભોજવાણીના અંતિમસંસ્કારમાં ભરૂચથી તેના ૩૦૦ મિત્રો વાહનોમાં વડોદરા આવ્યા

    છેલ્લે અમારી સાથે જ ક્લાસ એટેન્ડ કર્યો હતો બે દિવસ પહેલા ઘરે જવાનો હતો, ત્યારે અમારી સાથે કલાસ એટેન્ડ કર્યો હતો. તે સમયે ક્યાં ખબર હતી કે, આ નિલ સાથેનો અતિંમ ક્લાસ હશે. તે અમારો ક્લાસ મોનીટર હતો. કોલેજના બધા છોકરા – છોકરીઓ સાથે સારુ બનતું હતું પછી તે સીનીયર કેમ ન હોય. તે ભણવામાં પણ ખુબ હોંશિયાર હતો. હવે અમને તેની ખુબ ખોટ અનુભવાશે.- પ્રિન્સી પટેલ, વિદ્ર્યાથિની, કચ્છવડોદરા, તા. ૧૮ વડોદરા-અમદાવાદ એકસપ્રેસ - વે ઉપર નડિયાદ નજીક ગત રોજ ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં ૧૦ વ્યક્તિના મોત થયા હતા. જે પૈકી બે મુસાફરો વડોદરાના હોવાની ઓળખ ગઇકાલે થઇ હતી. જ્યારે એક વ્યક્તિની ઓળખ કાલે થઇ શકી ન હતી. જે આજે થતાં તે વ્યક્તિ પણ વડોદરાના ગાજરાવાડી વિસ્તારના એક વેપારી હોવાનું સામે આવ્યું હતું. જે પૈકી નીલ ભોજવાણીના મૃતદેહને વડોદરા લાવ્યા બાદ આજે ખાસવાડી સ્મશાનમાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતાં. ત્યારે નીલને અંતિમ વિદાય આપવા તેની સાથે ભરૂચની કિરણ સી પટેલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સાથીઓ તેમજ તેના સિનિયર મળી હોસ્ટેલના ૩૦૦ જેટલા વિદ્યાર્થી ૩ લકઝરી બસ તેમજ ખાનગી વાહનમાં વડોદરા આવ્યા હતાં. ગેરકાયદે શટલિયાઓ વિરુદ્ધ સરકારમાં રજૂઆત કરીશું વડોદરાનો નીલ ભોજવાણીને ૬ મહિના પહેલા જ ભરૂચની કે. સી પટેલ કોલેજમાં મેડીકલમાં પ્રવેશ મળ્યો હતો. તે કોલેજમાં સિનિયર - જૂનિયર, ટીચર સાથે મળીને રહેતો હતો. તે ભણવામાં પણ ખુબ હોંેશિયાર હતો, પરંતુ જે રીતે તેનું અક્સ્માતમાં મોત થયું છે તે ખુબ દુઃખદ છે. ત્યારે સાથી વિદ્યાર્થીઓનું કહેવું છે કે, વડોદરા અમદાવાદ વચ્ચે ચાલતી ગેરકાયદે ખાનગી વાહન સામે પોલીસે કાર્યવાહી કરવી જાેઇએ અને સરકારે પણ આ વાતનું ધ્યાન રાખવું જાેઇએ. જરૂર પડશે તો અમે આ ગેરકાયેદ ચાલતા વાહન સામે સરકારેને રજૂઆત પણ કરીશું. પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હોવા છતાં બીજા-ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ સાથે મિત્રતા હતી ઃ ડીન નિલ ભોજવાણી પ્રથમ વર્ષ ૨૦૨૩-૨૦૨૪નો વિદ્યાર્થી હતો. જે ખુબજ હોશીયાર અને બાહોશો વિદ્યાર્થી હતો. તે કલાસમાં ક્લાસ મોનીટર પણ હતો. તે એક દિવસ પહેલા જ અમદાવાદ ખાતે આઇપીએલની મેચ જાેવાનીકળ્યો હતો. મેં આ પહેલો એવો વિદ્યાર્થી જોયો કે જે પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હોવા છતાં બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ સાથે ઘરોબો ધરાવતો હતો. એટલું જ નહીં બધાની સાથે તે પ્રેમ અને મળતાવળો રહેતો હતો. કોલેજમાં તેની હાજરી પણ ૯૦ ટકા રહેતી તેમજ તેના માર્કસ પણ ૮૦થી ૯૦ ટકા આવતા હતા. નિલ કોલેજનો એક આઇડલ વિદ્યાર્થી હતો. તેના મૃત્યુના સમાચાર સાંભળીને ઘણું દુઃખ થયું છે. - ડો. જયરામ પટેલ, ડીન, કિરણ સી પટેલ મેડિકલ કોલેજ, ભરૂચ સાચું નથી લાગતંુ કે હવે નીલ નથી અમને સાચું નથી લાગતું કે નીલ હવે અમારી સાથે નથી રહ્યો. તેણે બે દિવસ પહેલા જ એક ફ્રેન્ડશીપનો વિડીયો મોકલ્યો હતો અને કહ્યું હતું કે, બહુ જ દિવસ થયા આપણે મળ્યા નથી. અમે મળવાના જ હતા પણ તેની ટ્રેન મિસ થઇ જતાં અમે મળી શક્યા નહીં. હવે જીંદગી ભર મને તેને નહીં મળી શકવાનો અફસોસ રહેશે. યશોદીપ પાટીલ, વિદ્યાર્થી, ભરૂચ નીલ ટોપટેનમાં હતો કોલેજમાં તે ભણવામાં ખુબ હોંશિયાર તો હતો જ અને તાજેતરમાં લેવાયેલી કોલેજની ઇન્ટરનલ પરીક્ષામાં તેને સારા માર્કસ મેળવ્યા હતા. કોલજેમાંથી તે ટોપ ટેન આવતા ખુબ જ ખુબ હતો. પણ તેને પણ કયાં ખબર હતી કે મેચ જોવા તે વડોદરા આવશે પછી ક્યારેય તે પરીક્ષા જ નહીં આપી શકે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગોધરાના જીતપુરાનો પરિવાર પીંખાયો ઃ બે દીકરીઓ નોંધારી બની

    ગોધરા.તા.૧૮અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વે ઉપર પાકિર્ંગ લેનમાં ઉભેલા ટ્રેલર પાછળ ૧૨૦ કિ.મીની ઝડપે આવતી કાર અથડાઇ હતી. આ અકસ્માતમાં ૧૦ વ્યક્તિના મોત થયા હતા, જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે. સામાજિક પ્રસંગમાં હાજરી આપી પોતાના સંબંધીને ત્યાં હાલોલથી અમદાવાદ જતાં સમયે ડ્રાઇવરની ભૂલના પગલે મોતને ભેટ્‌યા હતા. અકસ્માતમાં માતા, પુત્ર સહિત પિતાનું ઘટના સ્થળે કરુણ મોત થતાં પરિવારજનોમાં માતમ છવાયો હતો. ગઇકાલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ- વે- ઉપર ટ્રેલર પાછળ કાર ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૦ વ્યક્તિના મોત નિપજ્યાં હતા. જેમાં મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા ગામના વતની અને છેલ્લા બે દાયકાથી વાપી સ્થાયી થયેલા એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જેમાં માતા-પિતા અને પુત્રનો સમાવેશ થાય છે. ગોજારી ઘટનામાં માતા-પિતા અને પુત્રના મોત થતા બે દિકરીઓએ ભાઇ તેમજ માતા-પિતા ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા અમિતભાઈ મનોજભાઈ સોલંકી પોતાના પત્ની અને ત્રણ બાળકો સાથે છેલ્લા બે દાયકાથી વાપી સ્થાયી થયા હતા. જ્યાં અમિત સોલંકી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બે દિવસ પહેલા પોતાના ગામમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા અમિતભાઇ પત્ની, બે દીકરીઓ અને દીકરા સાથે હાલોલ આવ્યા હતા. જ્યાંથી અમિતભાઈ પોતાની બહેનની તબિયત જાેવા માટે પત્ની ઉષાબેન અને દીકરા દક્ષ સાથે એક ખાનગી કારમાં અમદાવાદ જવાં નીકળ્યા હતા. તે સમયે અકસ્માતનો ભોગ બન્યા અને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    મોતલોકમાં પહોંચેલાં દસે-દસ હતભાગીઓએ અમિતનગરથી જ અર્ટિગા પકડી હતી!

    વડોદરા, તા.૧૭વડોદરા શહેરમાં કાંડો થાય તેની હવે કોઇને નવાઇ નથી, કારણ કે પોલીસની રહેમ નજર હેઠળ તેમજ લાગતા વળતા તંત્રની ગંભીર બેદરકારીને કારણે શહેરમાં અનેક કાંડો થયાં છે અને પજુ થઈ રહ્યાં છે. થોડા સમય અગાઉ જ પાલિકા તંત્રના પાપે બોટ કાંડ થયો હતો, હજુ તેની શાહી સૂકાઇ નથી ત્યાં તો નવો અકસ્માત કાંડ સર્જાયો છે, જેમાં ૧૦ નિર્દોષના મોત નીપજ્યાં છે. ઓ અકસ્માત કાંડમાં વડોદરા શહેરના ત્રણ કમભાગી સામે છે. જાેકે, બાકીના મોતને હવાલે થયેલાં લોકોએ પણ મોતની આ સવારી વડોદરાના અમિતનગર ખાતેથી જ પકડી હતી. શહેરના અમિતનગર બ્રિજ નીચેથી ગેરકાયદેસર ચાલતા ટેક્સી સ્ટેન્ડ કોઇ પણ પોલીસ અધિકારી કે તંત્રને દેખાતું નથી. જાે તંત્રએ ગેરકાયદેસર ચાલતા ટેક્સી સ્ટેન્ડ સામે પગલાં લીધાં હોત તો આજા ૧૧ જીવ બચી ગયાં હોત. આજ રોજ બપોરના સમયે આશરે ૧૨થી ૧૨.૩૦ વાગ્યા વચ્ચે ૧૦ પેસેન્જરોને ભરીને જીજે ૨૭ ઇસી ૨૫૭૮ નંબરની અર્ટિગા ગાડી અમદાવાદ જવા નીકળી હતી. આ અર્ટિગા ગાડી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા કરણ ગીરીશભાઇ બ્રહ્મભટ્ટની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ગાડી કરણ બ્રહ્મભટ્ટે ૨૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જેમાં યોગેશભાઇ નરેન્દ્રભાઇ પંચાલ (રહે, અમદાવાદ), સુરેન્દ્રસિંહ રાવત (રહે, રાજસ્થાન ડ્રાઇવર), નીલકુમાર મુકેશકુમાર ભોજાણી (રહે, વડોદરા), જયશ્રીબેન મનોજભાઇ મિસ્ત્રી (રહે, વડોદરા), સોલંકી અમિત મનોજ (રહે, વાપી) શાહબુદ્દીન અબ્દૂલશકર અંસારી (રહે, મુબઇ), નીલ મુકેશ ભોજવાણી (રહે, વડોદરા) સહિત કુલ ૧૦ લોકો અમદાવાદ જઈ રહ્યાં હતા. વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહેલી કાર નડીયાદ પાસે બાજુમાં ટેન્કર પાર્ક કરીને ઉભી હતી. તે ટેન્કરની પાછળ કાર ઘૂસી જતાં હાઇવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. ટેન્કર પાછળ જે ઘૂસી ગઇ હતી, એમાં કુલ ૧૦ લોકો સવાર તમામ લોકોના મોત નીપજ્યાં હતા. નીલ ભરૂચ મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હતો વડોદરા-અમદાવાદ એકસપ્રેસ હાઇવે અકસ્માતમાં ૨ લોકો વડોદરાના પણ છે, જેમાંથી એક યુવક નીલ ભોજાણી હરણી વારસિયા રોડ પર આવેલા દયાલનગરનો રહેવાસી હતો અને તે ભરૂચ ખાતે એમબીબીએસનો અભ્યાસ કરતો હતો. એકના એક પુત્રના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. નીલે તાજેતરમાં જ ભરૂચ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન લીધું હતંુ. પુત્રવધૂની ડિલિવરી કરાવવા દુબઇથી આવેલા જયશ્રીબેન મોતને ભેટયાં વારસિયા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રહેતા ૫૭ વર્ષીય જયશ્રીબેન મિસ્ત્રીને પણ કાળ ભરખી ગયો છે. તેઓ કામ માટે અમદાવાદ જવા માટે નીકળ્યાં હતા. ૧૧ વર્ષથી દુબઇ રહેતા જયશ્રી બેન ૨૧ ફેબ્રુઆરીના ભારત રોજ આવ્યા હતા અને ૨૦ એપ્રિલના રોજ પરત દુબઇ જવાના હતા. તેઓ પુત્રવધુની ડિલીવરી માટે ભારત આવ્યા હતા અને કાળ ભરખી ગયો.
    વધુ વાંચો
  • ગુજરાત

    અમિત નગર અને દુમાડથી રોજે રોજ દોડતી મોતની અર્ટિગા ભરણું મહિને રૂ.૩૦૦૦!

    વડોદરા, તા. ૧૭વડોદરાથી અમદાવાદ જતી અર્ટિગા કારને નડિયાદ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં ૧૦ વ્યક્તિના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આ અકસ્માતનો ગુનેગાર કોણ? વડોદરાથી અમદાવાદ સીટીએમ વચ્ચે ચાલતી શટલ સવારીઓ અને તેને પ્રોત્સાહન આપતા વ્યક્તિઓ જ આના ગુનેગાર છે. વડોદરા અમદાવાદ વચ્ચે ચાલતા શટલ વાહનો જ હવે શબવાહિની બની ગયા છે. જેની માટે એક તરફનું ભરણ મહિને રૂ. ૩૦૦૦ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે શટલ વાહનોનો પ્રોત્સાહન આપતા અધિકારીઓ એક વાહનના મહિને રૂ. ૩૦૦૦ માટે અનેક લોકોના જીવ જાેખમમાં મૂકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાથી અમદાવાદ શટલ ફેરા કરતી ઇકો અને અર્ટિગા કારનો એક ચોક્કસ વ્યક્તિ દ્વારા વહીવટ કરવામાં આવે છે. જે વહીવટમાં એક કારણ મહિને રૂ. ૩૦૦૦ વડોદરા અને રૂ. ૩૦૦૦ અમદાવાદમાં હપ્તો ભરવાનો હોય છે. તો બીજી તરફ વાહન ચાલકો દ્વારા ઇકો કારમાં રૂ. ૧૨૦ અને અર્ટિગા કારમાં રૂ. ૧૫૦નું ભાડું એક વ્યક્તિ પાસે લેવામાં આવે છે. એટલું જ નહીં કાર ખાસ શટલ મારવા માટે જ ખરીદવામાં આવે છે. જેથી વધારેમાં વધારે કમાણી થાય તે માટે ડ્રાઈવરને વધુમાં વધુ ફેરા મારવાના હોય છે. બે શિફ્ટમાં ડ્રાઈવર નોકરી પર રાખવામાં આવે છે. વધારેમાં વધારે ફેરા મારવાના લ્હાયમાં કારના ચાલકો દ્વારા મુસાફરોનો જીવ જાેખમમાં મુખવામાં આવે છે. જાેકે, આ કારના ચાલકો એક ચોક્કસ વ્યક્તિ સાથે સેટિંગ કરીને વાહન અમિત નગર સર્કલ, સમા સર્કલ અને હાઇ-વે પર દુમાડ ચોકડી ઉભા રાખી ત્યાં જ મુસાફરોને બેસાડતા હોય છે. તેમને અટકાવવાની જવાબદારી પોલીસ વિભાગની અને આરટીઓની બને છે. પરંતુ મહિને એક કારના રૂ. ૩૦૦૦ના હપ્તા માટે પોલીસ દ્વારા પણ તેમની સામે કોઈ જ કાયર્વાહી કરવામાં આવતી નથી. એટલું જ નહીં આ હપ્તા રાજના કારણે રોજબરોજ વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા અપડાઉન કરતા લોકોના જીવ જાેખમમાં મુકાય છે. દુર્ઘટનામાં ગુનેગાર કોણ અને કેમ? • હરણી પોલીસ સ્ટેશન ઃ વડોદરાથી અમદાવાદ જતા શટલ વાહનો જે વિસ્તારમાંથી ગેરકાયદે મુસાફરોને બેસાડે છે તે વિસ્તાર હરણી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. ત્યારે તેમને અટકાવવાની જવાબદારી હરણી પોલીસની હોય છે. પરંતુ હરણી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. • સમા પોલીસ સ્ટેશન ઃ વડોદરા અમદાવાદ વચ્ચે ગેરકાયદે મુસાફરોનું વહન કરતા શટલ વાહનો જ્યાંથી ઉપડે છે તે વિસ્તારો સમા પોલીસ સ્ટેશનની હદમાં પણ આવે છે. ત્યારે તેમની સામે કાયર્વાહી કરવાની જવાબદાર સમા પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા અધિકારીઓ અને કમર્ચારીઓની પણ બને છે. • શહેર ટ્રાફિક પોલીસ ઃ સીટ બેલ્ટ પહેર્યા ન હોય, હેલ્મેટ ન પહેર્યું હોય, રેડ લાઇટમાં લાઈનની બહાર ઉભા રહેલા વાહન ચાલકોને દંડ કરવામાં પાવરધા ટ્રાફિક પોલીસના જવાનોને અમિત નગર સર્કલ, સમા સર્કલ પર મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતા વાહન ચાલકો દેખાતા નથી. તેમની સામે કાયર્વાહી કરવાની જવાબદારી ટ્રાફિક પોલીસની પણ બને છે. • તાલુકા પોલીસ સ્ટેશન ઃ વાહનની ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડી વડોદરાથી અમદાવાદ શટલ મારતા વાહન ચાલકો તાલુકા પોલીસની હદમાંથી જ પસાર થાય છે. ત્યારે તેમની સામે કાયર્વાહી કરવાની જવાબદારીમાંથી તાલુકા પોલીસ પણ ચુકી છે. • તાલુકા ટ્રાફિક પોલીસ ઃ હાઇ-વે પર ટ્રાફિકનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે કોઈની પરવાનગી લેવી પડતી નથી. પરંતુ હાઈ-વે પરથી પસાર થતા ગેરકાયદે મુસાફરોનું વહન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની જવાબદારીમાં ચૂક કરી છે. • હાઇવે ટ્રાફિક પોલીસ ઃ એક્સપ્રેસ વે પર સતત હાઇવે ટ્રાફિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. એટલું જ નહીં ગેરકાયદે એક્સપ્રેસ વે પર ફરતા અથવા તો રેસ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. પરંતુ વડોદરા - અમદાવાદ શટલ મારતા વાહન ચાલકો સામે કાયર્વાહી કરવામાં આવતી નથી. હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ શું કરે છે? હરણી પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ગેરકાયદે વહીવટ સામે પીઆઇ સી.બી. ટંડેલ આંખ આડાકાન કરતા હોય તેમ તેમના જ વિસ્તારમાં ઘટનાઓ બની રહી છે. હરણી પોલીસ સ્ટેશનની સામે જ હરણી લેક ઝોનમાં ચાલી રહેલા ગેરકાયદે વહીવટના કારણે ૧૨ બાળકો અને બે શિક્ષિકાના મોત થયા હતા. ત્યારે હવે, એક્સપ્રેસ વે પર અકસ્માતના તાર પણ હરણી પોલીસ સ્ટેશન સાથે જાેડાયેલા છે. અકસ્માતમાં અમદાવાદના કાર માલિકની કાર હરણી પોલીસ સ્ટેશની હદમાંથી જ ગેરકાયદે મુસાફરોને લઈને ઉપડી હતી. ત્યારે પીઆઈ સી. બી. ટંડેલ સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજસ્થાન અને ગૌપાલક સમાજનો દબદબો વડોદરા અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઇવે પર ચાલતાં ગેરકાયદે શટલ વ્યવસાયમાં ગૌપાલકોનો મોટો વહીવટ છે. જેમાં પણ ખાસ કરી અમિત નગર સર્કલ પર રીક્ષા પાર્ક કરી પોલીસની આગતા સ્વાગત કરતા રીક્ષા ચાલકો પૈકીના જ કેટલાક જગમાલ ઈશારે કામ કરે છે. તે ઉપરાંત આ કારના ચાલકોમાં પણ ગૌપાલક સમાજ અને રાજસ્થાનના એક સમાજનું વર્ચસ્વ છે. તે સિવાય અન્ય કોઈ વ્યક્તિ દબદબો જમાવવાનો પ્રયાસ કરે તો તેને માર મારવા અને હત્યાની ધમકી પણ આપવામાં આવતી હોવાની ઘટના ભૂતકાળમાં બની છે. પોલીસ અધિકારીઓ-કર્મચારીઓની પણ ગાડીઓ વડોદરામાં પોલીસની મૂડીનો વહીવટ કરતો જગમાલ ઉર્ફે મૂડી ખાસ ડ્રાઈવર રાખી વાહનો ચલાવી રહ્યાની માહિતી મળી રહી છે. જેમાં શહેરના હરણી, સમા અને કારેલબાગ પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક શાખામાં આ વિસ્તારમાં ફરજ બજાવી ચૂકેલા અથવા હાલમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના વાહનોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહનની ખરીદી કરી મૂડીને સોંપી દેવામાં આવે છે. જે બાદ તેનો વહીવટ નક્કી થયાં મુજબ કારના માલિક પોલીસ અધિકારીને કર્મચારી સુધી સમયાંતરે પહોંચી જાય છે. એક્સપ્રેસ વે પર ભારદારી વાહનોની સંખ્યા વધી અમદાવાદ કે તેનાથી આગળ જવા માટે અથવા તે તરફથી વડોદરા કે ભરૂચ તરફ આવવા માટે નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે બન્નેનો ઉપયોગ થઇ શકે તેમ છે. પહેલા ભારદારી વાહનો માત્ર નેશનલ હાઈવેનો જ ઉપયોગ કરતા હતા. પરંતુ નેશનલ હાઇવે નવો બન્યા હતા તેના પર ટોલ લેવાની શરૂઆત કરાઈ હતી. જે ટોલ એક્સપ્રેસ વેના ટોલ કરતા પણ વધારે છે. જેથી હવે, ભારદારી વાહનો ટોલ બચાવવા માટે તેમજ સમય બચાવવા માટે નેશનલ હાઇવે નહીં પરંતુ એક્સપ્રેસ વેનો ઉપયોગ વધારે કરે છે. જેના કારણે અકસ્માતની સંખ્યા પણ વધી છે. પોલીસ માટે ‘મૂડી’ ઉઘરાવતો જગમાલ મૂડી કોણ? વડોદરા-અમદાવાદ વચ્ચે શટલ મારતા વાહન ચાલકો પાસેથી મહિને રૂ. ૩૦૦૦નો હપ્તો લેવામાં આવે છે. જે હપ્તો હરણી - સમા પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા, તાલુકા પોલીસ અને તાલુકા ટ્રાફિક સુધી પહોંચાડવાની જવાબદારી એક વ્યક્તિ દ્વારા નિભાવવામાં આવે છે. શરીર પર સોનાની દુકાન જેટલા ઘરેણાં પહેરી ફરતા જગમાલ ઉર્ફે મૂડી પોલીસ અને વાહન ચાલકો વચ્ચેનો બ્રિજ છે. જે મૂડી ઉઘરાવી જુદા જુદા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સુધી પહોંચાડે છે. અમદાવાદ પોલીસને પણ ભરણ ચૂકવાય છે? વડોદરાથી અમદાવાદ વચ્ચે ચાલતા શટલ વાહનો માટે અમદાવાદ સીટીએમ ખાતે ખાસ સ્ટોપેજ બનાવવામાં આવ્યું છે. જ્યાં પોલીસ પોઇન્ટ પણ મુકવામાં આવ્યો છે. અમદાવાદ હોય કે વડોદરા ભરણ આપતા વાહનો સિવાય અન્ય કોઈ વાહન ચાલક ત્યાં ઉભા રહે તો તેમને ભગાડવામાં આવે છે અથવા તો દંડ કરાવમાં આવે છે. વડોદરાની જેમ અમદાવાદમાં પણ એક વાહનના મહિને રૂ. ૩૦૦૦ ભરણ લેવામાં આવતું હોવાનું જાણવા મળે છે. પોલીસના જવાબદેહી અધિકારીઓ જવાબ આપતાં કેમ ગભરાય છે? વડોદરાથી ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરીને જતી શટલ અર્ટિગાને નડિયાદ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ૧૦ વ્યક્તિના મોત થયા હોવાનું જાણવા મળે છે. ત્યારે ગેરકાયદે મુસાફરોને લઈને જતા અર્ટિગા અને ઇકોના વાહન ચાલકો સામે પગલાં કેમ લેવાતા નથી? તે પ્રશ્નનો જવાબ આપવામાં અધિકારીઓ દ્વારા શોભાયાત્રાના બહાના કાઢવામાં આવી રહ્યા છે. પોલીસના જવાબદેહી અધિકારીઓને ફોન કરીએ તો તેઓ દ્વારા પ્રશ્ન સાંભળ્યા બાદ શોભાયાત્રામાં અવાજ વધારે છે સંભળાતું નથી તેવા બહાના બતાવી જવાબ આપવાનું ટાળવામાં આવી રહ્યું છે. શહેરના ટ્રાફિક ડીસીપીને જવાબ આપવામાં ઘોંઘાટ નડ્યો! એક્સપ્રેસ વે પર બનેલી અકસ્માતની ઘટનાના તાર વડોદરા ટ્રાફિક શાખાની કામગીરી સાથે જાેડાયેલા છે. ત્યારે આ બાબતે ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકસત્તા જનસત્તા દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે, અમિત નગર સર્કલથી મુસાફરોનું ગેરકાયદે વહન કરતા વાહન ચાલકો સામે કોઈ કાયર્વાહી કેમ થતી નથી. સવાલ સાંભળ્યા બાદ તેમનો જવાબ હતો - રામનવમીની શોભાયાત્રામાં છું, ઘોંેઘાટ થઇ રહ્યો હોવાનું બહાનું બતાવી જવાબ આપવાનું ટાળ્યું હતું. અર્ટિગા અને ઈકોમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડાય છે વડોદરાથી મુસાફરો ભરી અમદાવાદ લઇ જતા શટલ વાહન ચાલકો મોટા ભાગે ઇકો અને અર્ટિગા કારનો જ ઉપયોગ કરે છે. ઈકોમાં ડ્રાઈવર સાથે નવ વ્યક્તિ, અર્ટિગામાં ડ્રાઈવર સાથે સાત વ્યક્તિને બેસાડવાની આરટીઓ દ્વારા મંજૂરી છે. તેમ છતાં ડ્રાઈવર ઉપરાંત ઇકો કારમાં ૧૦થી ૧૧ વ્યક્તિ જયારે અર્ટિગા કારમાં ડ્રાઈવર ઉપરાંત ૧૦ વ્યક્તિ બેસાડવામાં આવે છે. જેની સામે શહેર-તાલુકા અને હાઇવે ટ્રાફિક પોલીસ મૌન રહે છે. ઇ્‌ર્ંએ હાથ ખંખેરી લીધા! વડોદરાના આરટીઓ જીગર પટેલે જણાવ્યું હતંુ કે, અર્ટિગામાં ૭ જણ બેસી શકે છે. પ્રાઈવેટ પાસિંગમાં વધુ પેસેન્જર બેસાડીને તેનો કમર્શિયલ ઉપયોગ કરતા હોય તેવાં સામે સમયાંતરે ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવે છે. જાેકે, આજે એક્સપ્રેસ વે પર ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડીને જતી પ્રાઈવેટ પાસિંગની ગાડીને અકસ્માત થતાં ૧૦ વ્યક્તિના મોત નીપજ્યાં હતાં.
    વધુ વાંચો
  • ગુજરાત

    આરોગ્યને નુક્સાન કરે એ રીતે કેરી પકવતાં વેપારીઓને ઝડપવા નીકળેલી આરોગ્યની ટીમને કંઈ ન મળ્યું!

    વડોદરા, તા.૧૫વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખંડેરાવ માર્કેટ અને વેરાઇ માતા ચોક વિસ્તારમાં ફ્રૂટના વેપારીઓના ત્યાં દરોડા પાડી ચેકિંગ હાથ ધરમાં આવ્યું હતું. ચેકિંગનો મુખ્ય ઉદેશ કેરીઓને પાવડર અને કેમિકલ દ્વારા પકવાતી હોય તો તેવા વેપારીઓને ઝડપવાનો હતો. જાેકે, પાલિકાની ટીમની તપાસમાં ફળો પકાવવા માટે ઉપયોગમાં લેવાતા કેલ્શિયમ કાર્બાઈડની પડીકીઓ મળી આવી ન હતી, પરંતુ હવે ફળો ઇથિલીન રાઇપનરથી પકાવવામાં આવી રહી હોવાનું મળ્યું હતું! ઇથિલીન રાઇપનરને ફળો પકવવા માટે મંજૂરી આપવામાં આવી હોવાથી પાલિકાનો દાવ ઊંધો પડ્યો હતો. જાેકે, ચેકિંગ દરમિયાન ૮૫ કિલો અખાદ્ય ફળોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ઉનાળાની ઋતુમાં રસદાર ફળો જેવા કે, ફળોનો રાજા કેરીઓ ઉપરાંત દ્રાક્ષ, તરબૂચ, ચીકુ વગેરેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત શહેરમાં ઠેર-ઠેર કેરીના જ્યૂસનું પણ વેચાણ શરૂ થઈ ગયું છે. ત્યારે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતાં તત્વોને ઝડપી લેવા એક ડ્રાઇવનું આયોજન કરાયું હતું. ઓ ડ્રાઇવમાં ફળો કેવી રીતે પકાવવામાં આવી રહ્યા છે, તેની તપાસ મુખ્ય હેતુ હતો. તે અંગે ખંડેરાવ માર્કેટ અને વેરાઇ માતા ચોક સ્થિત ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખંડેરાવ માર્કેટ, વેરાઇ માતા રોડ, સિદ્ધનાથ રોડ અને તેની આસપાસમાં આવેલ ૫૫ જેટલી ફ્રૂટના વેપારીઓની વખારો અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ૮૫ કિલો સડી ગયેલી કેરીઓ, ચીકુ, પપૈયા, સફરજનનો નાશ કરવામાં આવ્યો હતો. શિડ્યૂઅલ-૪ મુજબ વેપારીઓને સફાઇ રાખવા માટે કડક તાકીદ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ અગાઉ વેપારીઓ દ્વારા પ્રતિબંધિત કેલ્શિય કાર્બાઈડ દ્વારા કેરીઓ પકવવામાં આવતી હતી. જાેકે, હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ફળો પકાવવા માટે ઇથિલીન રાઇપનરના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આથી ફળોની વખારો અને દુકાનોમાં ફળો પકાવવા માટે અગાઉ ઉપયોગમાં લેવાતા કેલ્શિય કાર્બાઈડની પડીકીઓ કોઇ જગ્યાએથી મળી આવી ન હતી. તેની સામે ઈથિલીન રાઈપનરનો ઉપયોગ કરાત હોવાનું જણાઈ આવ્યું હતંુ. વડોદરાના બજારમાં કેરીનો ૧૦ કિલોનો ભાવ ૨૦૦૦થી ૨૫૦૦ વડોદરા, તા. ૧૫ ઉનાળાની શરૂઆતથી સાથે જ ફળોનો રાજા એવી કેરીની આવક અને ઉપાડ શરૂ થઇ જતો હોય છે. વડોદરાના બજારોમાં કેરીનો પ્રતિ ૧૦ કિલોનો ભાવ રૂ. ૨૦૦૦થી ૨૪૦૦ જેટલો છે. જયારે રત્નાગીરી હાફુસ પ્રતિ ડઝનનો ભાવ રૂ. ૮૦૦ જેટલો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સરખામણીએ કેરીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાતમાં કદાચ એવું કોઈ વ્યક્તિ હશે જેની કેરીનો સ્વાદ નથી ભાવતો. ઉનાળો આવે એટલે ઘરમાં કેરીના જ જુદા જુદા વ્યજંન જરૂર બને. વડોદરા હોય કે રાજ્યના કોઈ પણ બજાર કેરીનું આગમન શરૂ થઇ ગયું છે. પરંતુ વડોદરાની વાત કરીએ તો ગતવર્ષની સરખામણીએ આ વર્ષે કેરીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહથી કેરીના ભાવમાં વધારો નોંધાયો છે. જાેકે, આગામી થોડા દિવસોમાં નવો સ્ટોક આવે ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ વેપારીઓ જાેઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી માવઠાની અસર કેરીના પાક પર થઇ છે. જેના કારણે આ વર્ષે ભાવમાં વધારો થયો છે. વડોદરામાં હાલમાં રત્નાગીરી હાફૂસનો ભાવ પ્રતિ ડઝન રૂ. ૮૦૦ છે. જે રિટેલ ભાવ છે. હોલસેલના બજારમાં રત્નાગીરી હાફૂસનો ભાવ પ્રતિ ડઝન રૂ. ૫૦૦થી ૫૫૦ જેટલો છે. તો બીજી તરફ ગુજરાતીઓમાં સૌથી વધુ પ્રખ્યાત એવી કેસર કેરીનો ભાવ હાલ વડોદરામાં ઘણો વધારે છે. રત્નાગીરીથી આવતી કેસર કેરી વડોદરામાં હોલસેલ માર્કેટમાં એક પેટીના (અંદાજે ૧૦ કિલો)નો ભાવ રૂ. ૧૯૦૦ જેટલો છે. જયારે આજ કેરી રિટેલ માર્કેટમાં એક પેટીના રૂ. ૨૪૦૦થી ૨૫૦૦ના ભાવે વેચાઈ રહી છે. જયારે વલસાડથી આવતી કેરીનો એક પેટીનો હોલસેલ ભાવ રૂ. ૧૬૦૦ જયારે રિટેલ ભાવ રૂ. ૨૦૦૦ જેટલો છે. સામાન્ય રીતે કેરીનો ભાવ એપ્રિલ મહિનામાં એક પેટીના રૂ. ૮૦૦થી ૧૦૦૦ થઇ જતો હોય છે. પરંતુ આ વર્ષે હજી ભાવ ઘટવાનું નામ લેતો નથી. ઉલ્લેખનીય છે કે, આ વખતે મહોર આવવાની શરૂઆત તો થઈ હતી, ત્યારબાદ આંબા પર નાની મોટી ખાખટી પણ આવી હતી. પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો વધુ પડતો તાપ પડવાના કારણે આંબા પરથી મહોર ખરવાનું પ્રમાણ વધ્યું છે. એટલું જ નહીં એપ્રિલમાં કેરી તૈયાર થઈ જાય છે, પરંતુ હાલ આંબા પર અચાનક કુપળો ફૂટીને નવા પાન આવવાની શરૂઆત થઈ છે. જે ચોમાસામાં ફૂટતા હોય છે. ગ્લોબલ વોર્મિગની આ અસરથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તલાલા-ગીર અને કચ્છની કેરી ક્યારે આવશે? વડોદરામાં હજી તલાલા-ગીરથી તેમજ કચ્છથી કેસર કેરીની આવક શરૂ થઇ નથી. વડોદરામાં ફળના હોલસેલ વેપારી દીપકભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આ વર્ષે તલાલા-ગીરથી આવતી કેસર કેરી આવતા હજી ૧૫ દિવસનો સમય લાગશે. એટલે કે ૧ મે બાદ વડોદરાના બજારમાં તલાલા-ગીરની કેસર કેરી મળશે. જાેકે, તેનો ભાવ શું હશે તે હાલમાં કેહવું મુશ્કેલ છે. તો કચ્છની કેસર કેરી ૧૫મી જૂન બાદ જ બજારમાં આવશે. તળાજામાં સામાન્ય કરતાં ઓછું ઉત્પાદન તળાજા તાલુકામાં આ વખતે કેરીનું ઉત્પાદન ૬૦થી ૭૦ ટકા જેટલું જ થયું છે. જે સામાન્ય કરતા ઓછું આંકવામાં આવી રહ્યું છે. ઓછા ઉત્પાદનને કારણે કેસર કેરીનો સ્વાદ આ વખતે મોંઘો પડે તેવી શક્યતા નકારી શકતી નથી. ગરીબ પરિવારો માટે તો કેરી આ વર્ષે એક સ્વપ્ન બને તેવા સંજાેગો દેખાઈ રહ્યા છે. તળાજા પંથકમાં દર વર્ષે લગભગ ૫૦૦૦ ટન કેરીનું ઉત્પાદન થાય છે. પરંતુ આ વખતે ઉત્પાદન માત્ર ૧૫૦૦થી ૨૦૦૦ ટન જ થયું છે. કેરી શું ભાવે મળે છે? કેરી હોલસેલ રિટેલ હાફુસ (રત્નાગીરી) ૫૦૦ ૮૦૦ કેસર (રત્નાગીરી) ૧૯૦૦ ૨૫૦૦ કેસર (વલસાડ) ૧૬૦૦ ૨૦૦૦ બદામ (બેગ્લોરી) ૧૦૦૦ ૧૪૦૦ બદામ (હૈદ્રાબાદી) ૬૦૦ ૮૦૦ તોતાપુરી (દક્ષિણ ભારત) ૬૦૦ ૮૦૦
    વધુ વાંચો
  • ગુજરાત

    અમદાવાદ લઇ જવાતો ૯૫ કિલો ગાંજાે ઝડપાયો 

    વડોદરા, તા. ૧૫શહેરના છેવાડે આવેલા દેણા ચોકડી પાસેના પેટ્રોલપંપ પર આજે બપોરે પેટ્રોલ ભરાવવા માટે ઉભા રહેલા જિલ્લા પોલીસના એક કોન્સ્ટેબલની સતકર્તાથી સ્વીફ્ટ કારમાં ભરેલો ૯૫ કિલોથી વધુનો ગાંજાે ઝડપાયો હતો. ઓટોરિક્ષામાં પાયલોટીંગ કરીને ગાંજાને કારમાં અમદાવાદ લઈ જતો મુખ્ય સુત્રધાર પોલીસ કામગીરીને જાેતા જ ફરાર થયો હતો. આ બનાવની હરણી પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ગાંજાના જથ્થા સાથે બેની અટકાયત કરી ગાંજાે અને કાર સહિતનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો. અમદાવાદના જુંહાપુરા વિસ્તારના ફતેહવાડીમાં રહેતો ઉસ્માન નુરમીંયા મલેક રિક્ષાડ્રાઈવીંગ કરે છે. ગઈ કાલે તેને તેના પરિચિત અમદાવાદના શાહનવાઝે વડોદરાથી આગળ પોર પાસેથી ગાંજાે લાવવાનો છે તેની વર્દી મારવા કહ્યું હતું. ત્યારબાદ શાહનવાઝેે અમદાવાદથી ભાડાની સ્વીફ્ટ કાર લીધી હતી અને કાર ઉસ્માનને ચલાવવા માટે આપી હતી અને તેની સાથે મહેસાણાના વીજાપુરમાં રહેતો રમેશ માનસીંગ ઠાકોર પણ ઉસ્માન સાથે કારમાં આવ્યો હતો જયારે શાહનવાઝે અમદાવાદથી ઓટોરિક્ષામાં પાયલોટીંગ કર્યું હતું. શાહનવાઝે પોર પાસે ઉસ્માન અને રમેશને ઉભા રહેવા માટે જણાવ્યું હતું અને ત્યારબાદ તે રિક્ષા લઈને રવાના થયો હતો અને થોડીવાર બાદ રિક્ષામાં નાની મોટી પ્લાસ્ટીકની થેલીઓમાં લીલો-સુકો ગાંજાનો જથ્થો લઈને આવ્યો હતો અને તેને સ્વીફ્ટ કારની પાછળની સીટ પર મુકી હતી અને ત્યારબાદ ફરીથી રિક્ષામાં પાયલોટીંગ કરીને કારને અમદાવાદ તરફ લઈ જવા માટે નીકળ્યો હતો. દરમિયાન તેઓ શહેરના છેવાડે દેણા ચોકડી પાસે પહોંચતા કારમાં પેટ્રોલ અને ગેસ ખલાસ થતાં ઉસ્માન મલેક કારને દેણાચોકડી પાસે રોડ ક્રોસ કરીને પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે ગયો હતો જયારે શાહનવાઝ સામેના રોડ પર રિક્ષામાં તેઓની રાહ જાેવા માટે ઉભો રહ્યો હતો. ઉસ્માન પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવતો હતો તે સમયે ત્યાં જિલ્લા પોલીસનો એક કોન્સ્ટેબલ પણ બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે આવ્યા હતા. આ પોલીસ કોન્સ્ટેબલે સ્વીફટ કારની પાછળની સીટ પર શંકાસ્પદ લાગતા લીલા-સુકા પાંદડાનો જથ્થો જોતાં તેણે તુરંત કારચાલકને આંતરીને ઉભો રખાવ્યો હતો અને કારમાં તપાસ કરી હતી. કારમાં ગાંજાે હોવાની જાણ થતાં કોન્સ્ટેબલે જિલ્લા પોલીસના અધિકારીઓને જાણ કરતા તેઓ પેટ્રોલપંપ પર દોડી આવ્યા હતા. જાેકે પેટ્રોલપંપ હરણી પોલીસની હદમાં આવતો હોઈ આ અંગેની હરણી પોલીસને જાણ કરાઈ હતી જેને પગલે પીઆઈ સી.બી.ટંડેલ સહિતો સ્ટાફ પેટ્રોલ પર દોડી ગયો હતો. કારમાં ગાંજાે હોવાની વિગતો મળતાં એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. કારમાં ગાંજાે હોવાનું સપાટી પર આવતા પોલીસે કારમાંથી ૯.૫૧ લાખથી કિંમતનો ૯૫.૧૦૦ કિલો ગાંજાનો જથ્થો અને સ્વીફ્ટ કાર અને મોબાઈલ ફોન સાથે ઉસ્માન મલેક અને રમેશ ઠાકોરની ધરપકડ કરી હતી. આ બંનેએ તેઓ શાહનવાઝના કહેવાથી ગાંજાે લાવી તેની ખેંપ મારતા હોવાનું કહેતા પોલીસે શાહનવાઝને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
    વધુ વાંચો