વડોદરા સમાચાર
-
ઉત્તર – પૂર્વ તરફથી ૧૭ કિ.મી.ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો
- 31, જાન્યુઆરી 2023 10:54 PM
- 265 comments
- 9284 Views
વડોદરા, તા. ૩૧વહેલી સવારે કડકડતી ઠંડીની સાથે ધુમ્મસની ચાદર સમગ્ર શહેર પર પથરાઈ જતા હિલ સ્ટેશન જેવો માહોલ જાેવા મળ્યો હતો. દિવસ દરમ્યાન ઉત્તર – પૂર્વ દિશા તરફથી સત્તર કિ.મી.ની ઝડપે ઠંડા પવનો ફૂંકાતા રાત્રી દરમ્યાન મોટા ભાગના રાજમાર્ગો સૂમસામ નજરે પડ્યા હતા. તે સિવાય ઠેર- ઠેર લોકો તાપણાં કરતા પણ નજરે પડ્યા હતા. ઠંડીમાં ધટાડો નોંધાયા બાદ ફરીથી કડકડતી ઠંડીનો પ્રકોપ શહેરીજનો પર વરસતા સમગ્ર શહેર ઠૂંઠવાયુ હતું. વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ વધી જતા વિઝીબ્લીટીમાં પણ ધટાડો જાેવા મળ્યો હતો. હાઈ – વે પરથી પસાર થતા વાહનોને ધુમ્મસના કારણેે ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસ છવાઈ જવાને કારણે અકસ્માતની ભીતી પણ વાહનચાલકોમાં જાેવા મળી હતી. તે સિવાય વહેલી સવારે તેમજ રાત્રી દરમ્યાન બર્ફિલા પવનો ફૂંકાતા હોવાથી શહેરીજનો તેમના ઘરની આસપાસ તાપણું કરતા નજરે પડ્યા હતા. અનેક રાજ્માર્ગો પણ સૂમસામ જાેવા મળ્યા હતા. તે સાથે જ વિવિધ જળાશયોમાં યાયાવર પક્ષીઓનું પણ આગમન શહેરમાં થયેલું જાેવા મળ્યું હતું. વહેલી સવારે તેમજ રાત્રી દરમ્યાન ઉત્તર – પૂર્વ દિશા તરફથી સત્તર કિ.મી. ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ જાેવા મળ્યો હતો. શહેરમાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૨૭.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ ની સાથે લધુત્તમ તાપમાનમાં ૧.૬ ડીગ્રી સેન્ટીગ્રેડના ધટાડા સાથે તાપમાન ૧૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે જ વાતાવરણમાં વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ ૯૪ ટકાની સાથે સાંજે ૫૪ ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૧૪.૬ મીલબાર્સ નોંધાયું હતું.વધુ વાંચો -
પિતરાઈભાઈએ બહેનની હત્યા કરી
- 31, જાન્યુઆરી 2023 10:54 PM
- 9667 comments
- 5238 Views
ભરૂચ, તા.૩૧બહેન અને બે ભણીયાઓને ૬ મહિના સુધી વડોદરામાં રાખી તેનો ઉઠાવેલ ખર્ચના નાણાં માંગતા ભાઈએ જ આજે ભરૂચમાં કંસ મામનું રૂપ ધારણ કરી ભાણેજ સામે જ બહેનની હત્યા કરી દીધી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. ભરૂચના તુલસીધામ ખાતે આવેલા એસ.એલ.ડી. એચેન્જા ફ્લેટ નં.૪૦૪ માં હિતેશ કરશનભાઈ જાવીયા પત્ની મનીષાબેન અને પુત્ર પુત્રી સાથે રહી દહેજમાં ટ્રેકટર અને ઓટો પાર્ટ્સની દુકાન ચલાવે છે. પુત્રી વડોદરા હોસ્પિટલમાં ડેન્ટલનો અભ્યાસ અને પુત્ર પાર્થ ધંધામાં મદદ કરે છે. ગતરોજ સવારે ૮ વાગ્યે હિતેશભાઈ દહેજ દુકાને જતા હતા દરમિયાન વડોદરાથી તેમનો સાળો મનીષ ગોકળ ભાલોડિયા મનીષાબેનના ઘરે પહોંચી ગયો હતો. પતિ પત્નીના ઝગડા દરમિયાન મનીષાબેન સંતાનો સાથે વડોદરા ખાતે પિતરાઈભાઈ મનિષને ત્યાં લગભગ ૬ મહિના રોકાયા હતા અને ઝઘડાનું સમાધાન થતા ફરીથી પોતાના ઘરે પરત ફર્યા હતા. જાેકે બહેનને પોતાના ઘરે રાખ્યા હોય ભાઈએ બહેન પાસે ખર્ચ માંગ્યો હતો અને આ બાબતે ભાઈ બહેન વચ્ચે નાના મોટા ઝગડા થતા આવ્યાનું જાણવા મળે છે. ત્યારે ગતરોજ મનીષ ભાલોડિયા ભરૂચ ખાતેના નિવાસસ્થાને આવી મનીષાબેન જાેડે ઝઘડો કરવા લાગતા અને પૈસા માંગતા પુત્ર પાર્થ એ મનીષ મામા આવ્યા છે અને મમ્મી જાેડે ઝઘડો કરતા હોવાનું પિતાને ફોન કરી જણાવ્યું હતું. હિતેશભાઈએ ફોન ઉપર મનીષ જાેડે તું શેના પૈસા માંગે છે, ઉલ્ટા તારે મને સોનાના પૈસા આપવાના છે. જે મારી પત્નીએ તને આપતા તે વેચી હોટલમાં રોક્યા હોવાની વાત કરી હતી. પુત્રને મનીષ મામને ઘરમાંથી બહાર કાઢી મુકવા પિતાએ જણાવ્યું હતું. જાેકે ઝગડો એટલો ઉગ્ર ચાલ્યો હતો કે થોડીવારમાં પુત્રે ફરી પિતાને ફોન કરી જણાવ્યું હતું કે મનીષ મામાએ મમ્મીને પેટ, ખભા અને પીઠ ઉપર ચપ્પુના ઉપરા છાપરી ઘા મારતા તેઓનું મોત થયું છે અને મનીષ મામા ભાગી ગયા છે, પત્નીના મોતની ખબર મળતા હિતેશ ભાઈ કાર લઈ ભરૂચ આવવા નીકળ્યા હતા. ઘટનાની જાણ થતાં ભરૂચ સી ડિવિઝન પોલીસ પી.આઇ. એચ.બી. ગોહિલ સ્ટાફ સાથે દોડી આવી તપાસ હાથ ધરી હતી. મૃતક મનીષાબેનના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યા હતા. જાેકે તુલસીધામ જેવા ભરચક વિસ્તારમાં ખૂની ખેલ ખેલાઇ જાય અને આરોપી ફરાર થઇ જાય તે વિચારવા લાયક પ્રશ્ન ઉભો થયો છે. બહેનની હત્યા કરી કરજણ હોટલમાં રોકાયેલા ભાઈએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ બહેન બનેવીના ઝઘડા દરમિયાન પિતરાઈ બહેનને છ મહિના સાથે રાખી તેના ખર્ચ અંગે ની માગણી બાબતે ભાઈ બહેન વચ્ચે ઝઘડો થતાં ઉસકેરાઈ ગયેલા ભાઈઓ બહેન ઉપર ઉપરાંત આપણી ચાકુના ઘા મારી મોતને હવાલે કરી પિતરાઈ ભાઈ મનીષ ભાલોડીયા વડોદરા તરફ ભાગી આવ્યો હતો એ દરમિયાન મનીષ ભાલોડીયા કરજણ ખાતે આવેલી ગ્રીન ક્રિષ્ના હોટલ ખાતે આજે સવારે આવી પહોંચ્યો હતો. અને હોટેલની રૂમ નંબર ૧૧૧ માં રોકાયો હતો. એ દરમિયાન તેને હોટલના રૂમમાં મોનોકોટો નામની ઝેરી દવા ગત ઘટાડીને આપઘાત નો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ હોટલનાં રૂમ બોય ને ખબર પડતા આ બનાવની જાણ હોટલનાં માલિકને કરી હતી જેથી હોટેલ માલિકે રૂમની માસ્ટર કી ચાવી વડે રૂમ ખોલી જાેતા મનિષ ભાલોડીયા બેભાન તેમજ મોઢામાંથી ફીણ નીકળતી હાલતમાં જાેવા મળ્યા હતા અને તેની બાજુમાં દવાનું ટીમ પડેલું મળી આવ્યું હતું જેથી હોટલ માલિક ધવલ કટેસરિયા તેમને સારવાર માટે કરજણ ખાતે આવેલ સરકારી સીએચસી દવાખાને લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અત્રેની સયાજી હોસ્પિટલ ખાતે રિફાઇ કરવામાં આવ્યા હતા જેથી મનીષ ભાલોડીયા ને લઈને હોટલ માલિક સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમને ફરજ પરના તબીબે હાલત ગંભીર હોવાને કારણે આઈ સી યુ માં દાખલ કરીને વેન્ટિલેટર ઉપર સારવાર આપવામાં આવી રહી હોવાનું તબિયત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.વધુ વાંચો -
હૈદ્રાબાદની પ્રેસમાંથી પેપરની ચોરી કરનાર શ્રધાકરની ધરપકડ ઃ ૧૦ દિવસના રિમાન્ડ
- 31, જાન્યુઆરી 2023 10:53 PM
- 9603 comments
- 8871 Views
વડોદરા, તા. ૩૧રાજયમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગત ૨૯મી તારીખે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું પરંતું પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા રાજયની એટીએસની ટીમે પેપર લીક કૈાભાંડનો પર્દાફાશ કરી વડોદરા, સુરત,અમદાવાદ,સાબરકાંઠા અને બિહારની ટોળકીના ૧૫ને ઝડપી પાડતા પરીક્ષા રદ કરાઈ હતી. ગઈ કાલે આ તમામ ૧૫ આરોપીઓને એટીએસે કોર્ટમાં રજુ કરી બાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પરીક્ષાનું પેપર હૈદ્રાબાદની કે.એલ.હાઈટેક પ્રિન્ટીંગ પ્રેસમાં છાપેલું હતું અને આ પ્રેસમાં લેબર તરીકે ફરજ બજાવતા ૨૨ વર્ષીય શ્રધાકર ઉર્ફ જીત સહદેવ લુહા (લક્ષ્મીનગર,સાંગારેડ્ડી, તેલંગાણા મુળ રહે. ઓડીશા) મારફત ટોળકીએ પેપર ચોરી કરાવીને મેળવ્યું હોવાની વિગતો મળતા ગઈ કાલે શ્રધાકરને હૈદ્રાબાદથી ધરપકડ કરાઈ હતી. આજે એટીએસની ટીમે શ્રધાકરને અત્રેની કોર્ટમાં રજુ કરી તેના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતા જણાવ્યું હતું કે આ કૈાભાંડમાં શ્રધાકરે પેપર ચોરી કરી સૈાથી પહેલા ટોળકીના પ્રદીપ નાયકને સાત લાખમાં વેચાણ કર્યું હતું જેથી પ્રદીપ સિવાય અન્ય કોઈને પણ તેણે પેપર વેંચ્યું છે કે કેમ અને પ્રદીપ ઉપરાંત અન્ય કોણ તેની સાથે સંડોવાયેલું છે ? શ્રધાકરે તેની પ્રેસમાં છપાયેલા અન્ય સરકારી નોકરીઓના પેપરનો પણ અગાઉ આ રીતે સોદો કર્યો છે કે કેમ ? તેણે ખરેખરમાં કેટલા રૂપિયામાં પેપરનો સોદો કરેલો અને એડવાન્સ પેટે કેટલા રૂપિયા લીધા છે અને તે ક્યાં છે તેની વિગતો મેળવી પૈસા કબજે કરવાના બાકી છે, પ્રેસમાંથી પેપર ચોરી કરવામાં તેને પ્રેસના અન્ય કોઈએ મદદગારી કરી છે કે કેમ અને આ અગાઉ પણ શ્રધાકર કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ? તેમજ ગઈ કાલે રિમાન્ડ પર લેવાયેલા આરોપીઓને તેની સાથે રાખી પુછપરછ કરવાની છે. પોલીસની રિમાન્ડ અરજી તેમજ મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે શ્રધાકરને દસ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો. શ્રધાકરે ૮મી તારીખે જ પેપર ચોરી કરી પ્રદીપને આપી દીધેલું પ્રદીપ નાયકે સૈાથી પહેલા શ્રધાકર સાથે સાત લાખમાં પેપરનો સોદો કર્યો હતો જે મુજબ શ્રધાકરે પ્રેસમાંથી ૮મી જાન્યુઆરીએ પેપરની એક કોપી ચોરી કરી તે પ્રદીપ નાયકને હૈદ્રાબાદના ભોલારામ વિસ્તારમાં બપોરે આપી હતી. પ્રદીપે ટુકડે ટુકડે ૭૨ હજાર રૂપિયા શ્રધાકરના ફોનપે વોલેટમાં જમા કરાવી તેને એક નવો મોબાઈલ આપ્યો હતો અને બાકીના નાણાં પરીક્ષા પુરી થાય પછી આપવાની ખાત્રી આપી હતી. પરીક્ષા રદ થતાં પરીક્ષાર્થીઓના મનોબળ પર અસર થઈ છે પોલીસે શ્રધાકરના રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે આર્થિક ફાયદા માટે લાખો પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી ટોળકીએ પરીક્ષાર્થીઓ સાથે સરકાર સાથે છેતરપિંડી કરી છે. પેપર લીક થવાના કારણે સરકારને તો ઘણુ મોટું નુકશાન થયું છે પરંતું પરીક્ષાર્થીઓના મનોબળ પર પણ અસર થઈ છે જેના કારણે આરોપીના રિમાન્ડની જરૂર છે અને રિમાન્ડ નહી મળે તો આગળની તપાસ અટકી જાય તેમ છે.વધુ વાંચો -
લાયસન્સ,રજીસ્ટ્રેશન વગર ચાલતી ચીકન-મટન વેચતી ૩૯ દુકાનોને સીલ કરાઈ
- 31, જાન્યુઆરી 2023 10:52 PM
- 3172 comments
- 8129 Views
વડોદરા, તા.૩૧વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ, માર્કેટ તેમજ દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આજે શહેરના બાવામાનપુરા, પાણીગેટ,મોગલવાડા, .યાકુતપુરા વગેરે વિસ્તારમાં લાયસન્સ કે રજીસ્ટ્રેશન વગર ચાલતી મટન, ચીકનની દુકાનો સામે કાર્યવાહી કરીને ૩૯ જેટલી દુકાનોને સીલ કરીને ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પ્ડ મીટ વેચતા અન હાઈજેનીક ચીકન મટન વગેરેની દુકાનો સામે કાર્યવાહી હાથ ઘરી હતી. હાઈકોર્ટમાં થયેલ પીઆઈએલ મુજબ હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યમાં લાયસન્સ કે રજીસટ્રેશન વગર ચાલતી ચીકન, મટનની દુકાનો ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પ્ડ મીટ વેચતી મટનની દુકાને તેમજ અનહાઈજેનીક ચીકન, મટનની દુકાનો સીલ કરવા રાજ્ય સરકારે આપેલી સુચનાના આઘારે વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ, માર્કેટ વિભાગ,દબાણ ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આજે શહેરના વિવિઘ વિસ્તારોમાં આવેલી ચીકન, મટનની દુકાનો તેમજ પાલિકા દ્વારા ભાડે થી ફાળવવામાં આવેલા મટન માર્કેટમાં પણ ચેકીંગની કામગીરી હાથ ઘરી હતી.પાલિકાની ટીમ દ્વારા શહેરના બાવામાનપુરા, પાણીગેટ,મોગલવાડા, યાકુતપુરા, ફેતગંજ,છાણી, છાંણી જકાતનાકા,નીઝામપુરા, પેન્શનપુરા વગેરે વિસ્તારમાં ચેકીંગ કરતા ૩૯ જેટલી દુકાનો લાયસન્સ કે રજીસ્ટ્રેશન વગર ઘંઘો કરતા જણાઈ આવતા ગેરકાયદેસર અનસ્ટેમ્પ્ડ મીટ વેચતા, અનહાઈજેનીક ચીકન મટનની દુકાનો સીલ કરીને બંઘ કરવામાં આવી હતી. વાડી મોગલવાડા વિસ્તારમાં પાલિકા દ્વારા આપવામાં આવેલ મટન માર્કેટમાં ચેકીંગની કામગીરી દરમિયાન માર્કેટના વેપારીઓ તેમજ સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવીને વિરોઘ કર્યો હતો.જાેકે,પોલીસ દ્વારા તમામને માર્કેટની બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ પાલિકાની ટીમ દ્વારા સમજાવટ બાદ મટનના વેપારીઓએ તેમની વસ્તુઓ બહાર કાઢ્યા બાદ મટન માર્કેટને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.ઉલ્લેખનિય છે કે, શહેરમાં અનેક સ્થળે ગેરકાયદે કોઈ પણ પરવાના વગર ચીકન, મટનની દુકાનો ઘમઘમે છે.પાલિકા તંત્ર દ્વારા તબક્કાવાર તમામ પરવાના વગર ચાલતી ચીકન મટનની દુકાનો સામે કાર્યવાહી હાથ ઘરાશે તેમ જણાવ્યુ હતુ.પાલિકા તંત્ર દ્વારા દુકાનોને સીલ કરવાની સાથે દુકાનના સંચાલકોને નોટીસ પણ આપી હતી.વધુ વાંચો -
યુનિ.ની વિવાદાસ્પદ ડાયરી રદ ઃ વા.ચા. સામે યુનિ.માં ભારેલો અગ્નિ
- 31, જાન્યુઆરી 2023 10:50 PM
- 8266 comments
- 4901 Views
વડોદરા,તા.૩૧આખરે મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીની ૨૦૨૩ નવા વર્ષની ડાયરીમાં ગંભીર ક્ષતિઓ મામલે સિન્ડિકેટ સભ્યોની નારાજગી બાદ આજે મળેલ સિન્ડિકેટ બેઠકમાં નવા વર્ષની પ્રસિધ્ધ થયેલ ડાયરીને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે યુનિ. વાઇસ ચાન્સલરના ડો વિજય શ્રીવાસ્તવનો આ મામલે ધોર પરાજય ગણી શકાય તેવી ચર્ચા યુનિ. વર્તુળમાં થતી જાેવા મળે છે. યુનિ,નાં ઇતિહાસમાં પ્રથમવાર આવું બન્યુ છે કે ડાયરી છપાઇને સિન્ડીકેટ સભ્યોને મળી હોય અને તેમાં અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ જણાતા મળતા છપાઇ ગયેલ ડાયરીને રદ કરી નવી ડાયરી છાપવાનો નિર્ણય કરવો પડયો હોય. વાચા ડો વિજયકુમારના મનસ્વી વહીવટનાં કારણે આ પ્રકારના વિવાદો ઉભા થઇ રહ્યા છે તેવો ગણગણાટ થઇ રહ્યો છે. અને અનેક વિવાદોનાં કારણે વાઇસ ચાન્સલર સામે યુનિ. વર્તુળમાં ઉકળતો ચરૂ જાેવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્વ મોદીની સ્ટાઇલો મારતા મનસ્વી વા.ચા. વિજય શ્રીવાસ્તવને સિન્ડિકેટની સણસણતી લપડાક સમાન છે. યુનિ.ની વિવાદસ્પદ ડાયરી રદ કરવી પડે એટલી ગંભીર ભુલો સામે આવતા વા.ચા. સામે યુનિ.માં ભારેલો અગ્નિ જાેવા મળી રહ્યો છે.અને રદ થયેલ ડાયરીનો સંપુર્ણ ખર્ચ વા.ચા.ના પગારમાંથી વસુલ લેવા માટેની દરખાસ્ત લાવવાના ચક્રો ગતિમાન શરૂ થયા છે. ડાયરીને લઇને વિવાદ ત્યારે ઉભો થયો જયારે નવા વર્ષની ડાયરી ગેરવહીવટનાં કારણે તેના છાપકામમાં વિલંબ થયો અને વિલંબ બાદ પ્રસિધ્ધ કરવામાં આવેલ ડાયરીમાં અનેક પ્રકારની ગંભીર ભુલો જાેતા સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો અને વિદ્યાર્થી સંગઠનો નો રોષ અને નારાજગી વાઇસ ચાન્સલર ડો વિજયકુમાર સામે જાેવા મળી રહ્યો છે. જે ગંભીર ભુલો સામે આવી છે તેમાં રાષ્ટ્રગાન વંદેમાતરમ ને ડાયરીમાંથી બાદબાકી કરવામાં આવી છે. તે સિવાય અધ્યાપકો- કર્મચારીઓનાં વિભાગો અને સંપર્ક નંબરોજ લખવામાં આવ્યઆ નથી. ૨૦૨૩ ની નવી ડાયરીમાં યુનિ. વહીવટકર્તાઓએ યુનિ.નાં અધ્યાપકો અને કર્મચારીઓનાં નાંમ તેમનો વિભાગ, સંપર્ક નંબર જ ન લખતા અધ્યાપકો સહિત કર્મચારીઓમાં નારાજગી જાેવા મળી રહી છે. વર્ષોથી યુનિ.ની ડાયરીમાં સંબધિત વિભાગોનાં હેડ- અધ્યાપકો કર્મચારીઓ સહિત યુનિવર્સિટીની ડાયરીમાં દરેક ફેકલ્ટીના વિભાગીય વડાઓનાં સંપર્ક નંબરો પણ પ્રસિધ્ધ કરવામાં આવતા હોય છે. પ્રથમવાર અધ્યાપકો,. ફેકલ્ટીનાં વડાઓ અને કર્મચારીઓના નામો અને સંપર્ક નંબરોને પ્રકાશિત કરવામાં આવ્યા નથી. ૨૦૨૩ની ડાયરીમાં ચાન્સેલર, વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, સેનેટ અને સિન્ડિકેટ સભ્યો, યુનિવર્સિટીના અધિકારીઓ અને વિવિધ ફેકલ્ટીના ડીનના જ નામનો અને કોન્ટેક્ટ નંબરને પ્રકાશિત કરવામાં આવ્યા છે. છવટે વિવાદસ્પદ અને ભુલોની ભરમાર સાથે ઉતાવળે પ્રસિધ્ધ કરવામાં આવેલ એમ.એસ.યુનિની નવા વર્ષની ડાયરીને આખરે રદ કરી ભુલો સુધારી નવી ડાયરી પ્રસિધ્ધ કરવાનો નિર્ણય કરવો પડયો છે. એમ,એસ.યુનિ. ની નવા વર્ષની ડાયરીમાં ગંભીર ભુલોનાં કારણે તેને રદ કરવી પડી છે ત્યારે ડાયરી છાપકામનો ખર્ચની જવાબદારી કોણ લેશે. તેવા સવાલો સાથે યુનિ. વર્તુળમાં ચર્ચા છે કે કેટલાક સિન્ડિકેટ સભ્યો ડાયરી છાપવાનો ખર્ચ વાઇસ ચાન્સલર ડો વિજયકુમાર શ્રીવાસ્તવ પાસેથી વસુલવા માટે આગામી સિન્ડિકેટ બેઠકમાં દરખાસ્ત લાવે તેવું પણ વિચારી રહ્યા છે.સિન્ડીકેટ સભ્યોમાં પણ યુનિ. વાચાનાં ગેરવહીવટ અને મનસ્વી નિર્ણયોના કારણે ભારે નારાજગી જાેવા મળી રહી છે. અને તેના પડઘા આગામી સિન્ડિકેટ બેઠકમાં પડે તેવી શકયતાઓ છે. યુનિ. પરીસરમાં બનેલ વિવાદસ્પદ ઘટનાઓ અંગે બે દિવસોમાં હાઇપાવર કમિટિ વાચાને રીપોર્ટ સોંપશે એમ.એસ.યુનિ.કેમ્પસમાં મારામારી, વિદ્યાર્થીની છેડતી અને નમાજ પઢવાના મુદ્દે વિવાદો સર્જાયા છે. અને આ તમામ ઘટનાઓ સંદર્ભે હાઇપાવર કમિટિની રચના કરવામાં આવી છે. આ હાઇપાવર કમિટિની ત્રણ બેઠકો મળી ચુકી છે. અને જેમાં ફરીયાદી સહિત જે વિદ્યાર્થીઓ પર વિવિધ આરોપો છે તેમના જવાબો પણ લેવામાં આવ્યા છે. ત્યારે તમામ વિવાદસ્પદ ઘટનાઓ અંગે જે સંડોવણી સામે આવી છે. તેના પુરાવાઓ ને ધ્યાંનમાં રાખીને હાઇપાવર કમિટિ તેનો રીપોર્ટ યુનિ. વાચા સમક્ષ આવતીકાલે અથવા તેના પછીનાં દિવસમાં સોંપશે યુનિ. પીઆરનો લુલો બચાવથી વિદ્યાર્થીઓ સંગઠનો માં નારાજગી ડાયરીનાં વિવાદ અંગે યુનિવસિર્ટીનાં પીઆરઓ લકુલેશ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે ડાયરીનું કદ નાનું કરવામાં આવ્યુ છે. અને કયુઆર કોડ આપવામાં આવ્યો છે તે સ્કેન કરવાથી દરેક ફેકલ્ટીના કર્મચારીઓ અને અધ્યાપકોની જાણકારી મળશે. ત્યારે અધ્યાપકો અને કર્મચારીઓમાં સવાલ એ પણ ઉભો થાય છે કે નવી ટેકનોલોજીનાં ઉપયોગ કરી જે કયુઆર કોડ આપવામાં આવ્યો છે તો પછી વાઇસ ચાન્સલર સહિત બીજા જે નંબરો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેને પણ કયુઆર કોડમાં સમાવી લેવામાં આવ્યા હોય તો લખવાની શી જરૂર છે. જાે કે યુનિ. સત્તાધીશોને ડાયરી સંબધિત તેમની ભુલો સ્વિકારી છે અને ડાયરી ફરી છાપપવાનો નિર્ણય લઇ પ્રસિધ્ધ કરવામાં આવેલ ડાયરી રદ કરી છે. નૈતિકતાનાં ધોરણે વા.ચા. ડો વિજયકુમાર કયારે રાજીનામું આપશે ? સ્વપ્રશસ્તી થાય એવા પ્રિન્ટીંગના ઓર્ડરો આપવા જેવા વિવાદમાંજ મ.સ.યુનિ.ના વા.ચા.પદે નિમાયેલા તત્કાલિન વા.ચા. ડો સુરેશ દલાલે વા.ચા. બનવાના ગણતરીના દિવસોમાં વા.ચા.પદેથી રાજીનાંમુ આપી દેવું પડયુ હતુ. નૈતિક રીતે જાગ્રુત એવા સાહિત્યકાર ડો સુરેશ દલાલ જેવી નૈતિકતા વર્તમાંન વા.ચા. ડો વિજય શ્રીવાસ્તવ આટલા બધા વિવાદો પછી પણ બતાવતા નથી. એ એમની ખુરશીની લાલચ બતાવે છે. એવી ચર્ચા યુનિ.ના બુધ્ધિજીવી શિક્ષક- કર્મચારીઓમાં ચાલે છે.વધુ વાંચો -
ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સરદારભવન ખાતે ભજનમંડળની હરીફાઈ યોજાઈ
- 31, જાન્યુઆરી 2023 10:42 PM
- 6853 comments
- 7814 Views
વડોદરા, તા. ૩૧ પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને સરદારભવન ખાતે ભજનમંડળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગાંધી ગીતો ગાવાના હતા. આ કાર્યક્રમ દરમ્યાન સાહિત્યકાર અને પત્રકાર દૂર્ગેશ ઉપાધ્યાય દ્વારા ગીત અને ભંજનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તે સિવાય ગાંધી વિચારો વિશે પણ સમજ આપવામાં આવી હતી. ભજનમંડળ સ્પર્ધામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંકે જ્ઞાનયજ્ઞ સ્કુલ , બીજા ક્રંમાકે ખુશાલચંદ સ્કુલ તેમજ ત્રીજા ક્રમાંકે સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રુપ અને પ્રગતિ વિદ્યાલય સરસ્વતી ગ્રુપના બાળકો વિજેતા બન્યા હતા. તે સિવાય ગુજરાત વિદ્યાપીઠ દ્વારા લેવાતી ગાંધી વિચાર પ્રચાર પરીક્ષામાં વિજેતા બનેલા પંદર જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતું.વધુ વાંચો -
મેટલ વેસ્ટ સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ: એકને ગંભીર ઈજા
- 31, જાન્યુઆરી 2023 10:41 PM
- 1845 comments
- 8772 Views
વડોદરા, તા.૩૧ વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસીમાં આવેલ મેટલ વેસ્ટ સ્ક્રેપના ગોડાઉનમાં સવારના સમયે આગ લાગતા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દોડઘામ મચી હતી.બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલ ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગના આ બનાવમાં એક વ્યક્તી દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સરકીટ થી લાગી હોંવાનુ જાણવા મળે છે. શહેરના મકરપુરા જીઆઇડીસી શેડ નંબર ૨૮૨/૨/બી ખાતે આવેલ મોતી એન્ડ સન્સ સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મછી હતી. અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી આગને પગલે મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા હતા. આ ઘટનામાં આગની જ્વાળાથી એક જણ દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે જીઆઇડીસી ફાયર સ્ટેશન ઓફિસર જયદીપ ગઢવીએ કહ્યું હતું કે, મેટલ વેસ્ટ સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. સંદેશો મળતા ફાયર લાશ્કરો તુરંત સ્થળ પર દોડી ગયા હતા. અને બે વોટર બાઉઝર, એક ફાયર એન્જિન અને એક વોટર ટેન્કરના ઉપયોગ વડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મેટલ વેસ્ટને પ્રેસ કરતી વખતે પ્રેસ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન હોવાનુ તેમણે કહ્યુ હતુ.વધુ વાંચો -
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના સ્માર્ટ રોડ પરથી દબાણો હટાવાશે
- 31, જાન્યુઆરી 2023 10:37 PM
- 1327 comments
- 4511 Views
વડોદરા,તા.૩૧ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રવેશતા રસ્તાઓને સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ રોડ પર થયેલા દબાણો હટાવવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, તબક્કાવાર એક પછી એક તમામ સ્માર્ટ રોડ પર થયેલા લારી ગલ્લા સહિતના દબાણો હટાવવામાં દૂર કરવામાં આવશે. સ્થાયી સમિતીના ચેરમેને કહ્યુ હતુ કે, જે સ્માર્ટ રોડ બનાવ્યા છે. તે ખુલ્લા રહેવા જાેઈએ. સ્માર્ટ રોડ પર લારી ગલ્લા સહિતના દબાણો અને બંધ લારીઓ વગેરેને તબક્કાવાર દૂર કરવામાં આવશે. આજે પાલિકાની દબાણ ટીમે વાઘોડિયા રોડ પર વૃંદાવનથી હાઇવે તરફના સ્માર્ટ રોડ પર થી ૨૮ જેટલી લારીઓ દૂર કરાઈ ગચી. જેમાંથી કેટલીક તો બંધ લીરીઓ પડી હતી. એક જ વ્યક્તિ દ્વારા બે ત્રણ-ત્રણ લારીઓ ગોઠવી દેવાય છે. તેમના કહેવા મુજબ શહેરમાં હાઇવે થી જે સ્માર્ટ રોડ બનાવવામાં આવેલા છે તેમાં કપૂરાઈથી સોમા તળાવ, વાઘોડિયા રોડ વૃંદાવન ચોકડી, આજવા રોડ સરદાર એસ્ટેટ, હરણી થી હનુમાન મંદિર, દુમાડથી અમિત નગર સર્કલ સુધી, મકરપુરા થી સુશનની અંદર સુધી તેમજ ગોત્રી થી અંદરની બાજુ જે સ્માર્ટ રોડ બનાવવામાં આવેલા છે ત્યા પણ તબક્કા વાર દબાણ હટાવવાની કામગીરી થશે. આ ઉપરાંત આજે ચોખંડી નાની શાકમાર્કેટ ની આસપાસના દબાણો પણ ખસેડવામાં આવ્યા હતા.વધુ વાંચો -
તાલીમાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ તેમજ વર્કિંગ મોડેલ રજૂ કર્યા
- 29, જાન્યુઆરી 2023 11:16 PM
- 963 comments
- 8765 Views
વડોદરા, તા.૨૯વીસીસીઆઈ એક્સપોમાં આઈ.ટી.આઈ તરસાલીના પ્રિન્સિપાલ એ.આર.શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓએ તેમની તાલીમ દરમિયાન તાલીમને અનુરૂપ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ તેમજ વર્કિંગ મોડેલ બનાવી રજૂ કર્યા હતા.જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તાલીમાર્થીઓએ બનાવેલા તમામ પ્રોજેક્ટ પ્રદર્શનમાં મુક્વામા આવ્યા હતા. જેમાં ઈલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપના પ્રોજેક્ટ જેવા કે પાવર જનરેશનથી ડીસ્ટ્રિબ્યુશન સુધીનું મોડેલ, હાઈપાવર ઇલેક્ટ્રિસિટી જનરેશન, બાય ગાર્બેજ, રિવર પ્યોરીફાયર, સોલારથી ચાલતી ટ્રેન જેવા પ્રોજેક્ટ પ્રદર્શનમાં મુકાયા હતા. ઇન્સ્ટ્રૂમેન્ટ મિકેનિક ટ્રેડના પ્રોજેક્ટ જેવા કે ઇ. વી. એમ. મશીન, હોમ સિક્યુરિટી માટે તેમજ મિકેનિકલ ટ્રેડના વિવિધ મશીનો જેવા કે લેથ મશીન, મીલીંગ મશીન,શેપર મશીન, વેલ્ડીંગ મશીન,સી.એન.સી. મશીન વગેરે મશીનો દ્વારા વિવિધ પ્રકારની સ્કીલનો ઉપયોગ કરીને ઝડપી ઉત્પાદન ક્ષમતામાં વધારો કેમ કરવો, અન્ય ટ્રેડના વિવિધ મશીનો જેવા કે ફિટિંગ , ટર્નિંગ, વેલ્ડીંગ જાેબ આઈડિયા સાથે પ્રોજેક્ટ બનાવ્યા હતા. આ પ્રદર્શનમાં નિહાળવા આવતા લોકોને તાલીમાર્થીઓએ પ્રોજેક્ટ વિશે વિગતવાર સમજ આપી હતી. આ તાલીમાર્થીઓને દરેક પ્રોજેક્ટમાં ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ શ્રીમતી પી.એન.શાહ,શ્રીમતી ડી.જે.કડિયા, શ્રીમતી વિ.કે.ભટ્ટ, શ્રીમતી સી.એમ.વણકર, શ્રીમતી આર.ડી.બારીયાએ તાલીમાર્થીને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.વધુ વાંચો -
યવતેશ્વર ઘાટ ખાતે વહો વિશ્વામિત્રી પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું
- 29, જાન્યુઆરી 2023 11:15 PM
- 9524 comments
- 821 Views
વડોદરા ,તા. ૨૯વહો વિશ્વામિત્રી અભિયાનના કાર્યકર્તાઓ દ્વારા બે મહિનામાં વિવિધ મંદિરો અને વિશ્વામિત્રીને જાેડતી દસ પદયાત્રાઓ યોજવામાં આવી હતી. આજે અંતિમ પદયાત્રા સંતરામ મંદિર થી યવતેશ્વર ઘાટ ખાતે પહોંચી હતી. જ્યાં આ પદયાત્રાની પૂર્ણાહૂતિ થઈ હતી. આ પદયાત્રામાં અભિયાનમાં જાેડાયેલ કાર્યકર્તાઓ તેમજ સંતરામ મંદિરના મંહત પણ જાેડાયા હતા. વહો વિશ્વામિત્રી અભિયાન વેગવંતુ બની રહ્યુ છે ત્યારે અભિયાનમાં જાેડાયેલા કાર્યકર્તાઓ દ્વારા પદયાત્રા યોજીને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આજે અંતિમ પદયાત્રામાં થોડા દિવસ પૂર્વે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં એક બાળક ખિશાગ વ્યાસ દ્વારા વિશ્વામિત્રી નદીના પાણીનો રંગ કાળો બતાવતા શાસકો દ્વારા પણ વિદ્યાર્થીની નોંધ લેવામાં આવી હતી. તે વિદ્યાર્થી પણ તેના માતાપિતા સાથે પદયાત્રામાં જાેડાયો હતો. તે સિવાય સંતરામ મંદિરના મંહત ભરતદાસજી મહારાજ અને ગોસ્વામી પંકજકુમાર બાબુભાઈ બેન્કર સહિતના કાર્યકર્તાઓ પદયાત્રામાં જાેડાયા હતા.વધુ વાંચો -
પ્રેરણા ઈવેન્ટ અંતર્ગત દિવ્યાંગજનો માટે “આગાઝ” કાર્યક્રમનું આયોજન
- 29, જાન્યુઆરી 2023 11:14 PM
- 889 comments
- 9563 Views
વડોદરા, તા. ૨૯એમ.એસ.યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા દિવ્યાંગજનો માટે યોજાતી પ્રેરણા ઈવેન્ટ અંતર્ગત “આઘાઝ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જરુરીયાતમંદ લોકો માટે ડોનેશન ડ્રાઈવ યોજવામાં આવી હતી. છેલ્લા સત્તર વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયેલ અને પાંચ વર્ષથી યુનેસ્કો દ્વારા સન્માનિત થતી એશિયાની સૌથી મોટી દિવ્યાંગજનોે માટેની ઈવેન્ટ “પ્રેરણા – ધ ઈમેન્સીપેશન” અંતર્ગત એમ .એસ. યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા “આઘાઝ” કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડોનેશન ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા આજવા રોડ , દંતેશ્વર , કારેલીબાગ , પોલોગ્રાઉન્ડ , તરસાલી સહિતના સ્લમ વિસ્તારોમાં જઈને જરુરીયાતમંદ લોકોને કપડાં , પગરખાં, રમકડાં તેમજ સ્ટેશનરી સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.વધુ વાંચો -
લીલાબા ફાર્મહાઉસમાં વિદેશી દારૂના કટિંગ વખતે પોલીસ ત્રાટકી
- 29, જાન્યુઆરી 2023 11:12 PM
- 9532 comments
- 671 Views
વડોદરા, તા. ૨૯ કરજણ પોલીસને બાતમી મળેલ કે સંજયકુમાર ઉર્ફે સંજીવકુમાર વિઠ્ઠલભાઈ પટેલ ( રહે , રણછોડપાર્ક સોસાયટી , કરજણ)નાઓ તેમના સાથીદારો મારફતે ગણપતપૂરા ગામ પાસે આવેલ લીલાબા ફાર્મહાઉસ પર મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો મંગાવ્યો છે જેથી કરજણ પોલીસ દ્વારા લીલાબા ફાર્મહાઉસ ખાતે રેડ પાડતા વિદેશી દારૂ અગિયાર લાખથી વધુ કિંમતનો વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. કરજણ પોલીસે દારુના જ્થ્થા સાથેે સંજયકુમાર ઉર્ફે સંજીવકુમાર વિઠ્ઠલભાઈ પટેલ ( રહે , રણછોડપાર્ક સોસાયટી , કરજણ), અર્જૂન અભેસિંગભાઈ મેડા (ગરબાગ્રાઉન્ડ પાસેના ઝૂંપડામાં , રણછોડપાર્ક સોસાયટી) , પ્રવીણભાઈ પ્રકાશભાઈ સોની (રહે, શ્રીજી હોટલ, કરજણ) , ઘનશ્યામભાઈ રાઠોડિયા (રાઠોડીયાવાસ , ધાવટ ગામ ) અને વિપુલકુમાર ઉર્ફે લાલો કનુભાઈ પટેલ (રહે, બાવીસી ખડકી ,ઘાવટ ગામ)ની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ ૧૨, ૬૪,૫૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વધુ વાંચો -
વીસીસીઆઈ - યુએઈની રસલ ખેમા ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે એમઓયુ
- 29, જાન્યુઆરી 2023 11:10 PM
- 1799 comments
- 4520 Views
વડોદરા, તા. ૨૯ વીસીસીઆઈ એક્સ્પોમાં આજે વીસીસીઆઈ અને યુનાઈટેડ આરબ અમિરાતની રસલ ખેમા ચેમ્બર ઓફ કોમર્સ સાથે એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને રસલ ખેમા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એકબીજાની સાથે વેપાર ઉદ્યોગ ક્ષેત્રની માહિતીનું આદાન-પ્રદાન કરવા અંગે સમજૂતિ કરાર કરાયા હતા જે મુજબ બંને ચેમ્બર વેપાર અને ઉદ્યોગમાં રહેલી તમામ સંભાવનાઓનું આદાન-પ્રદાન કરશે. વીસીસીઆઈના પ્રમુખ મેઘજી પટેલ, માનદ મંત્રી જલંધુ પાઠક, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ચેરમેન એક્સપો હિમાંશુ પટેલ, સુભાષ નગરશેઠ સહ માનદમંત્રી નીપમ દેસાઈ અંકુર પટેલ તથા ખજાનચી અમિત શાહ હાજર રહ્યા હતા. રસલ ખેમા ચેમ્બર ઓફ કોમર્સના ફર્સ્ટ વાઇસ ચેરમેન અને ચેરમેન સુપ્રીમ કાઉન્સિલ ઓફ એસએમઇ યુસુફ ઇસ્માઈલ, રાખ ચેમ્બરના કોમર્શિયલ મેનેજર ઈસ્માઈલ બલુચી ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડોદરાના નવલખી મેદાન ખાતે યોજાયેલા વીસીસીઆઇ એક્સ્પો પ્રદર્શનનો ઉધોગ જગતનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.વધુ વાંચો -
પારુલ યુનિ.ના એક્ટિવાસવાર આશાસ્પદ વિદ્યાર્થીનું કરુણ મોત
- 26, જાન્યુઆરી 2023 12:37 AM
- 674 comments
- 2453 Views
વડોદરા, તા.૨૫ વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે ઈનોવા કારનું ટાયર અચાનક ફાટતાં કાર રોડ-ડિવાઈડર કૂદીને રોંગસાઈડ પર આવી જતાં સામેના રોડ પરથી આવી રહેલા તરસાલીના એક્ટિવાચાલક અડફેટે આવી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે માંજલપુર પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી કારચાલકની અટકાયત કરી છે. અકસ્માતના બનાવને પગલે લાલબાગ બ્રિજ પાસે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. જાે કે, પોલીસ આવી પહોંચતાં ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના તરસાલી ગંગાસાગર એપાર્ટમેન્ટમાં રહેતો મોહિત ધનંજ્ય પાટીલ (ઉં.વ.૩૦) વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટીમાં બી.ઈ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે આજે કોલેજથી ઘરે આવ્યો હતો. ત્યાર બાદ ઘરેથી ફતેગંજ ખાતે રહેતા તેના મિત્રને મળવા માટે એક્ટિવા લઈને લાલબાગ બ્રિજ પરથી દાંડિયા બજાર તરફ આવી રહ્યો હતો, એ સમયે રાકેશભાઈ નામના ઈનોવા કારચાલક પાવાગઢ-હાલોલ ખાતે લગ્નપ્રસંગ પતાવી લાલબાગ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે વખતે અચાનક કારનું ટાયર ફાટતાં કાર પરનો સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર જતી રહી હતી, જેમાં સામેના રોડ પરથી પસાર થઈ રહેલો મોહિત પાટીલને અડફેટમાં લીધો હતો. મોહિત પાટીલ બ્રિજની રેલિંગ સાથે અથડાતાં તેને માથાના ભાગે અને અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે કાઉન્સિલર શૈલેષ પરીખ પણ ઊભા રહ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી દવાખાને પહોંચતો કર્યો હતો. બીજી તરફ અકસ્માતના બનાવને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. માંજલપુર પોલીસને આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જાે કે, કારચાલક મદદે આવતાં પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વધુ વાંચો -
છાણી કેનાલથી નવા યાર્ડ સુધીના ગેરકાયદે દબાણો તોડાયાં
- 26, જાન્યુઆરી 2023 12:34 AM
- 8046 comments
- 8628 Views
વડોદરા, તા.૨૫ વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે છાણી કેનાલ રોડ થી નવા યાર્ડ વિસ્તારમાં આવેલા ૪૦ થી વધુ ઝૂંપડા તથા એક ધાર્મિક સ્થાન ની આજુબાજુમાં કરેલા બાંધકામ હટાવવાની કામગીરી કરવામાં આવતા દબાણ શાખાની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે ચકમક ઝરી હતી.દબાણ હટાવવાની મેયર કેયૂર રોકડિયાની હાજરીમાં કાર્યવાહી થઈ હતી. જાે કે, બેઘર બનેલા ઝૂંપડાવાસીઓમાંથી એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા ક્ષણીક વાતાવરણ તંગ થઈ ગયું હતું. પોલીસ તથા મ્યુનિ. દબાણ હટાવો વિભાગના સ્ટાફે તરત મહિલા પાસેથી માચીસ છીનવી લીધી હતી.અને ઝુપડા, શેડ સહિતના દબાણો તોડી પાડ્યા હતા. કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ઢોર વાડાના ગેરકાયદે દબાણો તેમજ રસ્તાને નડતરરૂપ હોય તેવા હંગામી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કોર્પોરેશનની દબાણ શાખા ની ટીમ તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ દ્વારા દબાણ હટાવોની કામગીરી આજે છાણી વિસ્તારમાં શમશેરા ફ્લેટ પાસે થી પસાર થતી નર્મદા કેનાલની આસપાસના ગ્રીનબેલ્ટના પ્લોટોમાં ગેરકાયદે રીતે છેલ્લા ૨૭ વર્ષથી મંદિર બાંધીને તેની આડમાં ગોડાઉન તેમજ પુજારીની રૂમ વગેરે બાંધકામ કરી દઈ અને આજુબાજુના ગરીબ લોકો પાસેથી ભાડું ઉઘરાવનાર વ્યક્તિ સામે કોર્પોરેશનને કાર્યવાહી કરી મંદિર સિવાયના આજુબાજુના ગેરકાયદે દબાણો તોડી પાડ્યા હતા. સાથે સાથે નર્મદા કેનાલની આજુબાજુમાં ગેરકાયદે બંધાયેલા ૨૭ થી વધુ ઝુપડા ૧૫ જેટલા શેડ તેમજ ફૂટપાથ પર કરાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન મેયર અને સયાજીગંજના ધારાસભ્ય જાતે ઉપસ્થિત રહ્યા હતા.અને કહ્યુ હતુ કે, વિસ્તારના રહીશોની અવાર નવાર આ અંગેની રજૂઆત હતી જેને લઈને પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ઘરી ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા છે. સાથે સાથે પૂર્વ કોર્પોરેટરે વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે અનેક વર્ષથી એક વ્યક્તિએ મંદિરની આડમાં આજુબાજુની કોર્પોરેશનની જમીન પર કબજાે જમાવી દઈ ગેરકાયદે બાંધકામ કરી દઈ ધંધો કરતા હતા અને ગરીબો પાસેથી ભાડું પણ વસૂલ કરવામાં આવતું હતું તેવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.વધુ વાંચો -
ઠંડો પવન અને લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા શહેરીજનો ઠૂંઠવાયા
- 24, જાન્યુઆરી 2023 11:43 PM
- 1146 comments
- 8212 Views
વડોદરા, તા. ૨૪વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે લધુત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો ધટાડો થતા શહેરીજનો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા હતા. રાત્રી દરમ્યાન ઠંડા પવન ફૂંકાવાના કારણે મોટાભાગના રાજમાર્ગો સૂમસામ નજરે પડ્યા હતા. લધુત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડના ધટાડો નોંધાતા શહેરીજનો ઠંડીથી ઠૂંઠવાયા હતા. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં શરીરને તંદુરસ્ત બનાવવા માટે અનેક લોકો કમાટીબાગ સહિત વિવિધ બગીચાઓમાં મોર્નિગ વોક કરતા નજરે પડ્યા હતા. તે સિવાય અશહ્ય ઠંડીના કારણે શરદી ખાંસીની બિમારીમાં વધારો નોેંધાયો હતો. દિવસ દરમ્યાન દક્ષિણ દિશા તરફથી પાંચ કિ.મી.ની ઝડપે ઠંડા પવન ફૂંકાયા હતા.આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૨૬ ડીગ્રી સેન્ટીગ્રેડ ની સાથે લધુત્તમ તાપમાનમાં ૧.૮ ડીગ્રી સેન્ટીગ્રેડના ઘટાડા સાથે તાપમાન ૧૧.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે જ વહેલી સવારે ભેજનું પ્રમાણ ૮૬ ટકાની સાથે સાંજે ૪૧ ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૧૨ મીલબાર્સ નોંધાયું હતું.વધુ વાંચો -
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૩-૨૪ નું ડ્રાફ્ટ બજેટ તા.૨૭મી એ રજૂ થશે
- 24, જાન્યુઆરી 2023 11:41 PM
- 7913 comments
- 813 Views
વડોદરા, તા.૨૪વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનુ ચાલુ નાણાંકિય વર્ષનુ રીવાઈઝ્ડ અને વર્ષ ૨૦૨૩-૨૪નુ ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતી સમક્ષ રજૂ કરાશે.વર્ષ ૨૦૧૮-૧૯ માં સફાઈ ચાર્જમાં વઘારો કરાયા બાદ છેલ્લા ચાર વર્ષ થી વેરામાં કોઈ વઘારો કરવામાં આવ્યો નથી.સાથે રાજ્ય સરકારે પણ મહાનગર પાલિકાઓને આવકના નવા સ્ત્રોત ઉભા કરવા સુચના આપવામાં આવી છે. ત્યારે આ વખતના બજેટમાં લોકો પર કર-દરનુ ભારણ ઝીંકવામાં આવે તેવી પૂરી શક્યતા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૨-૨૩ નું રીવાઈઝડ અને વર્ષ ૨૦૨૩ -૨૪ નું ડ્રાફ્ટ બજેટ તા.૨૭ ના રોજ સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ મ્યુનિસિપલ કમિશનર રજૂ કરશે. ગયા વર્ષે વડોદરા કોર્પોરેશન નું ૩,૮૩૮.૬૭ કરોડનું બજેટ રજૂ કરાયુ હતુ. કોર્પોરેશનમાં આગામી બજેટ સંદર્ભે ગત અઠવાડિયે મેયર-કમિશનર અને કોર્પોરેશનના અધિકારીઓ અને હોદ્દેદારો સાથે પ્રાથમિક ચર્ચા વિચારણા થઈ હતી. જેમાં નવા નાણાકીય વર્ષ દરમિયાન શું નવું આયોજન થઈ શકે છે, નવા પ્રોજેક્ટ કયા લાવી શકાય તેમ છે, તેમજ બીજા કયા કામ કરવા જેવા છે તે અંગે વિચારણા કરાઈ હતી . શહેર મા નવા સ્તરે વિકાસને લઈ જવા સહિતના માઇક્રો પ્લાનિંગ સંદર્ભે વિચાર વિમર્શ થયો હતો. વડોદરામાં છેલ્લા કેટલાક વર્ષોથી કોર્પોરેશનની વિવિધ સેવા સુવિધા ની લાગતોમાં વધારા સિવાય કરદરમાં વધારો થયો નથી અને સરકાર પણ આગામી ૨૫ વર્ષના વિકાસના વિઝન સાથે આગળ ધપવા માંગે છે, ત્યારે બજેટ કર ભારણ સાથેનું હશે તેવું જણાઈ રહ્યું છે.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લે વર્ષ ૨૦૧૮-૧૯માં સફાઈ ચાર્જ માં વઘારો કરવામાં આવ્યો હતો.ત્યારબાદ કોરોનાકાળ સહિત છેલ્લા ચાર વર્ષમાં વેરામાં કોઈ વઘારો કરાયો નથી. આગામી વર્ષ ૨૦૨૩ ચૂંટણીનું વર્ષ નથી. તેમ જ વર્ષ ૨૦૨૪માં મે મહિનાની આસપાસ લોકસભાની ચૂંટણીઓ યોજવાની છે, ત્યારે આગામી બજેટમાં કેટલાક વેરા અને લાગતો માં વઘારો કરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૮-૧૯ માં સફાઈ ચાર્જમાં વઘારાની સાથે રહેણાંક તેમજ કોમર્શીય મિલ્કતોના સફાઈ ચાર્જ મિલ્કતના એરીયા મુજબ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનની પોતાની આવક કરતા ખર્ચ વધુ : નવા વિકાસના કામો સરકારની સહાય પર ? વડોદરા કોર્પોરેશનનુ બજેટ વાસ્તવીક હશેે કે અવાસ્તવીક તે અંગે દર બજેટમાં ચર્ચા થાય છે.વિપક્ષ દ્વારા દર વખતે સભામાં આંકડાકિય માહિતી સાથે બજેટ અવાસ્તવીક હોંવાની રજૂઆત થાય છે.ચાલુ નાણાંકિય વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાં રજૂ કરેલા આંકડા જાેતા વડોદરા કોર્પોરેશનની પોતાની આવક કહી શકાય તે સામાન્ય કર,વ્યાજ અને ભાડુ,પાણી, ડ્રેનેજ કર, અન્ય વેરા સહિત મળીને કુલ આવક રૂા.૮૩૨ કરોડ જેટલી છે.તો સામે મહેકમ ,નિભાવણી,પ્રાથમિક શિક્ષણ,લાઈટ બીલ વગેરેનો ખર્ચ રૂા.૧૩૪૭ જેટલો થાય છે.આમ ૫૦૭ કરોડ જેટલી રકમ ઓક્ટ્રોટ સહિત વિવિઘ ગ્રાન્ટ રાજ્ય સરકાર માંથી આવે તો કોર્પોરેશનનુ ગાડુ ચાલી શકે પરંતુ તેમાં વિકાસના કોઈ કામોનો સમાવેશ નથી. આમ સરકારની સહાય મળે તોજ શહેરમાં વિકાસના નાના મોટા કામોનુ આયોજન થઈ શકે તેમ હોંવાનુ પણ બજેટના આંકડા જાેતા સ્શ્ષ્ટ થાય છે.હવે વર્ષ ૨૦૨૩-૨૪ નુ બજેટ રજૂ કરાનાર છે. ત્યારે આ બજેટ વાસ્તવીક હશે કે આંકડાની માયાજાળની જેમ અવાસ્તવીક હશે તેના પર સૌની નજર રહેશે.ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષના બજેટમાં તેમજ તે અગાઉના પણ બજેટમાં મુકવામાં આવેલા એવા અનેક કામો છે જે હજીસુઘી થયા નથી અને ત્યાર પછીના વર્ષોના બજેટ માંથી કેટલાક કામો જાહેરાત કરાયા બાદ ગાયબ થઈ ગયા હોંવાની રજૂઆતો પણ પાલિકાની સામાન્ય સભામાં અનેક વખત થઈ છે.વધુ વાંચો -
ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે ક્રેડાઈ રૂા.૫૦ લાખ અને વી.એન.એફ રૂા. ૨૫ લાખનું યોગદાન આપશે
- 24, જાન્યુઆરી 2023 11:40 PM
- 3450 comments
- 7516 Views
વડોદરા, તા.૨૪વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે ક્રેડાઈ વડોદરા દ્વારા રૂા.૫૦ લાખ અને વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ દ્વારા રૂા.૫૦ લાખના અનુદાનની જાહેરાત કરવામાં આવે છે. આ અંગે ક્રેડાઈ વડોદરા અને વડોદરા નવરાત્રી ફેસ્ટીવલમાં મયંક પટેલે જણાવ્યું હતું કે, વડોદરા એટલે કલા, સંસ્કૃતિ, શિક્ષણ અને સંસ્કાર નગરી, આમ તો વડોદરાનો ઈતિહાસ સદીઓ જુનો છે.વિશ્વામિત્રી નદી કાંઠે વસેલા આ શહેરની ઓળખ અગાઉ અંકોટક,ચંદનાવટી અને બરોડા સ્ટે તરીકે થઈ હતી. વડોની નગરીને ૧૯૭૫માં તેનું મુળ નામ વડોદરા ફરી આપવામાં આવ્યું. ૯મી સદીથી ૨૧મી સદીની આ યાત્રામાં વડોદરા શહેર પાસે અનેક ઐતિહાસિક વારસાનો ખજાનો સંગ્રહિત થયો છે. આ સંગ્રહમાં વર્તમાન વડોદરા શહેરમાં આવેલી અનેક ઐતિહાસિક ઈમારતો પણ સમાવિષ્ટ થાય છે. પરંપરા અને ઐતિહાસિક મુલ્યેની જાળવણી એ ભારતીય સંસ્કાર છે. ત્યારે વડોદરા મધ્યે આવેલી આવી ઐતિહાસિક ઈમારતોનું જનત થાય અને તેની જાળવણી થાય તે સુનિશ્ચ્ત કરવું સૌ વડોદરાવાસીઓને પ્રાથમિક ફરજ બને છે. હાલ રાવપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલાએ શહેરની ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે મ્યુનિસિપલ કમિશ્નર બચ્છાનીધી પાણીને પત્ર લખી આહવાનું કર્યું છે. શહેરનો ઐતિહાસિક વારસો જાળવવાની બાલકૃષ્ણ શુકલાએ કરેલી આ પહેલમાં તમામ વડોદરાવાસીઓને તન, મન ધનથી સહયોગ આપવો જાેઈએ અને તે ખરા અર્થમાં જન્મભૂમિ-કર્મભૂમિ ને અદા કરેલું વ્યક્તિગત ઋણ હશે. એ વડોદરાવાસી તરીકે ક્રેડાઈ વડોદરા આ તક ગુમાવવા માંગતું નથી. શહેરના સર્વાંગ વિકાસ માટે અતિ ઉપયોગી એવી શહેરની ઐતિહાસિક ઈમારતોની જાળવણી થાય અને તે વર્ષો સુધી શહેરની ભવ્યતાની સાક્ષી બને. આવનાર પેઢીન આ અમુલ્ય વારસો સારી રીતે સોંપી શકાય તે ખુબ જરૂરી છે. ત્યારે આ પ્રક્રિયામાં વડોદરા ક્રેડાઈ દ્વારા શહેરની ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે ક્રેડાઈ વડોદરા રૂા.૫૦,૦૦૦,૦૦ અને વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ દ્વારા રૂા.૨૫ લાખના યોગદાન આપવાની જાહેરાત કરી હતી.વધુ વાંચો -
માંડવી નજીકના મહાકાળી મંદિરે ચિંતામણી ગણેશજીના સાનિધ્યમાં ગણેશ યાગનું આયોજન
- 24, જાન્યુઆરી 2023 11:29 PM
- 9585 comments
- 6522 Views
વડોદરા, તા. ૨૪ આવતીકાલે વિનાયક ચતુર્થી હોવાથી માંડવી ખાતે આવેલ મહાકાળી મંદિરે ચિંતામણી ગણેશજીના સાનિધ્યમાં ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. તે સિવાય મોદક આહુતિના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ચતુર્થી હોવાથી શહેરના વિવિધ ગણપતિ મંદિરોમાં પણ ભક્તો પૂજા – અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ઉમટશે. આવતીકાલે ગણેશજીનો પ્રાગ્ટય દિવસ જેને વિનાયક ચતુર્થી અને માઘી ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે. લોક વાર્તા અનુસાર , માઘી ગણેશ ચતુર્થીના દિવસે પાર્વતી માતાએ પોતાના શરીરના મેલમાંથી ગણેશજીનું પ્રાગ્ટય કર્યુ હતું. જેથી આ ચતુર્થીને માઘી ચતુર્થી કહેવામાં આવે છે. શહરેના માંડવી વિસ્તારમાં આવેલ પૌરાણીક મહાકાળી મંદિરમાં ૧૭મી સદીથી એટલે કે ત્રણસો વર્ષ જૂના આ મંદિરમાં ચિંતામણી ગણેશજીની મુર્તિ પણ સ્થાપિત છે. કાલે વિનાયક ચતુર્થીના પ્રસંગે સવારે નવ કલાક થી સાંજે પાંચ વાગ્યા સુધી ગણેશ યાગ યોજાશે જેમાં મોદકની આહુતિ પણ આપવામાં આવશે. આ ગણેશયાગ મંદિરમાં સો વર્ષમાં પ્રથમ વાર યોજાશે તેવું હેમંત મહારાજે જણાવ્યું હતું.વધુ વાંચો -
કમાટીબાગમાં તા.૨૭થી શિક્ષણ સમિતિ દ્વારા ત્રિ-દિવસીય ૫૦મા બાળમેળાનું આયોજન
- 23, જાન્યુઆરી 2023 11:34 PM
- 5645 comments
- 7851 Views
વડોદરા, તા.૨૩ વર્ષ ૧૯૭૨ થી સતત યોજાતો એકમાત્ર એવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો ૫૦મો બાળમેળો તા. ૨૭ થી તા. ૨૯ સુધી કમાટીબાગ ખાતે યોજાશે. આ બાળમેળાને સયાજી કાર્નિવલ નામ આપવામાં આવ્યુ છે. તારીખ ૨૭ ના રોજ સવારે ૯ઃ૦૦ વાગે બાળમેળાનું ઉદ્ઘાટન થશે અને આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.આ વખતનનો બાળમેળો જી-૨૦ થીમ આઘારિત હશે . બાળમેળા અંગે માહિતી આપતા સમિતીના અઘ્યક્ષ હીતેશ પટણી અને ઉપાઘ્યક્ષ ડો. હેમાંગ જાેશીએ જણાવ્યુ હતુ કે, શિક્ષણ સમિતિની ૧૨૦ શાળાઓ છે. જેમાં આશરે ૩૮,૦૦૦ બાળકો છે. બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળાનું વિશેષ આકર્ષણ રહ્યું છે, અને દર વર્ષે જાન્યુઆરીમા તેનું આયોજન થાય છે. આ વર્ષે ૫૦મો બાળમેળો યોજાશે. જેમાં દર વર્ષની માફક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને મનોરંજન સહિતના વિવિધ વિભાગો મુજબ ૧૦૦ થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવશે. બાળકોમાં એડવેન્ચરની પ્રવૃત્તિનું પણ આકર્ષણ રહેશે. અને તે માટે વિવિઘ વિભાગ ઉભો કરવામાં આવશે. આ સિવાય વિસરાયેલી રમતો એટલે લખોટી,ભમેરડો, સોતડીયુ વગેરે પણ આકર્ષણ રહેશે. આ વર્ષે ભારતને જી ૨૦ નું યજમાન પદ મળ્યું છે અને બાળમેળામાં તેનું વિશેષ આકર્ષણ ઊભું કરાશે. જી ૨૦ના વસુધૈવ કુટુંબકમ થીમ પર બાળમેળાનું આયોજન થશે અને વિવિધ વિભાગોમાં પણ આ વખતે વધારો કરવામાં આવશે.સાથે બાળકો દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટ,બાહ્ય પ્રોજેક્ટમાં ટ્રાફીક અવેરનેસ,શ ીટીમ, પોલીસના શસ્ત્રોનુ પ્રદર્શન વગેરે પણ જાેઈ શકાશે.ઉપરાંત આનંદ બજારમાં વાજબી દરે વિવિઘ વાનગીઓ પણ માણી શકાશે. આ વર્ષ મીલેટ વર્ષ છે. ત્યારે સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટ દ્વારા મીલેટ વાનગી સ્પર્ઘાનુ આયોજન પણ કરવામાં આવ્યુ છે.વધુ વાંચો -
‘વીસીસીઆઇ એક્સ્પો-૨૦૨૩’નો ૨૭મીથી પ્રારંભ
- 23, જાન્યુઆરી 2023 11:32 PM
- 1423 comments
- 2499 Views
વડોદરા,તા.૨૩ ભારતીય અર્થતંત્રના બેકબોન સમાન એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોને મહત્તમ પ્રોત્સાહન પૂરૂ પાડવા ઉપરાંત ડિમાન્ડ તથા સપ્લાય વચ્ચેની ખૂટતી કડીઓ પૂરવાના ઉદ્દેશ સાથે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (વી.સી.સી.આઈ.) દ્વારા ૧૧મું મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન ‘વીસીસીઆઇ એક્સ્પો-૨૦૨૩’ યોજવા જઇ રહ્યો છે. વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં આગામી તા. ૨૭થી ૩૦ જાન્યુઆરી-૨૦૨૩ સુધી યોજનારા આ શાનદાર એક્ઝિબિશન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકારના આર્ત્મનિભર ભારતની સંકલ્પના અનુસાર સ્થાનિક કક્ષાએ રોકાણકારોને માર્ગદર્શન મળવાની સાથે મધ્યમ તથા લઘુ ઉદ્યોગકારોને પોતાની સેવા અને ઉત્પાદનોને પ્લેટફોર્મ પુરું પાડવામાં આવનાર છે. આ અંગે પત્રકારોને માહિતી આપતા એક્ષ્પોનાં ચેરમેન હિમાંશુ પટેલ અને જાલેન્દુ પાઠકે જણાવ્યું હતું કે, આ સૌથી મોટા એક્સ્પોનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે તા. ૨૭ જાન્યુઆરીએ સવારે ૯.૧૫ કલાકે કરવામાં આવશે. સમારંભના ચીફ ગેસ્ટ તરીકે બાલકૃષ્ણ શુક્લ (વિધાન સભા ના દંડક અને એમ.એલ.એ.-રાવપુરા) અને કેયુર રોકડિયા (મેયર - એમ.એલ.એ.-સયાજીગંજ) અને શ્રીમતિ રંજનબેન ભટ્ટ (એમ.પી.-વડોદરા) રહેશે. સમારંભના ગેસ્ટ ઓફ ઓનર તરીકે યોગેશ પટેલ (એમ.એલ.એ.-માંજલપુર), શ્રીમતિ મનીષા વકીલ (એમ.એલ.એ.-શહેર-વાડી),ચૈતન્ય દેસાઈ (એમ.એલ.એ.-અકોટા), ભાર્ગવ ભટ્ટ (સ્ટેટ સેક્રેટરી બી.જે.પી.)ડૉ. વિજય શાહ (પ્રેસિડેન્ટ વડોદરા સીટી-બી.જે.પી.) રહેશે.વિશેષ આમંત્રિત તરીકે બન્છાનીધી પાની (મ્યુનીસીપલ કમિશનર), એ.બી.ગોર (કલેકટર), ડૉ.સમશેરસિંગ (પોલીસ કમિશનર). એમ.એસ.એમ.ઇ ડાયરેક્ટર વિકાસ ગુપ્તા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિવિધ દિવસોમાં રાજ્ય સરકાર અને કેન્દ્રસરકારના મંત્રીઓ મુલાકાત લેશે. વીસીસીઆઇ એક્સપો-૨૦૨૩ તા.૨૭ જાન્યુઆરી થી ૩૦ જાન્યુઆરી– ૨૦૨૩ સુધી ચાલશે અને સવારના ૧૦થી સાંજના ૬ વાગ્યા સુધી નિહાળી શકાશે. મુલાકાતીઓએ ુુુ.દૃષ્ઠષ્ઠૈીટॅર્.ર્ખ્તિ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું છે.વધુ વાંચો -
ફલેટનો લોખંડનો મુખ્ય દરવાજાે અથડાવા બાબતે ઝઘડો થતાં વૃદ્ધાને ઢોરમાર માર્યો
- 23, જાન્યુઆરી 2023 11:31 PM
- 5665 comments
- 3169 Views
વડોદરા, તા.૨૩શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ રવિ ફલેટમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે મકાનના દરવાજા અથડાવાની નજીવી બાબતે ઠપકો આપતાં માથાભારે શખ્સ પાડોશીના ઘરમાં ઘૂસી ૬૦ વર્ષીય વૃદ્ધાને વાળ પકડીને ઢોરમાર મારતાં ફલેટમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. હુમલો કરનાર પુત્રીએ ઈજાગ્રસ્ત વૃદ્ધાના પુત્રને પોક્સો હેઠળ ફરિયાદ કરવાની ધમકી આપી રહી હોવાના આક્ષેપો કરી રહી છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ સુભાનપુરા વિસ્તારમાં રવિ ફલેટમાં રહેતા નીતાબેનની પાડોશમાં વિજયભાઈ ભટ્ટ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ પાનનો ગલ્લો ચલાવે છે. બંને પાડોશીઓ વચ્ચે એકબીજાના ફલેટના મુખ્ય દરવાજાની જાળીઓ અથડાઈ રહી છે જેથી વિજયભાઈ અને તેમના પરિવાર દ્વારા લોખંડની જાળી જાેર-જાેરથી અથડાવામાં આવી રહી હતી જે મામલે પાડોશમાં રહેતાં નીતાબેને દરવાજાે ધીરેથી ખોલ-બંધ કરવા માટે ઠપકો આપ્યો હતો, જે ઠપકો કડવો લાગતાં વિજયભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો સાથે પાડોશીના ઘરમાં ઘૂસી લાકડા જેવું મારક હથિયાર લઈને ૬૦ વર્ષીય વૃદ્ધાને વાળ પકડીને ઢોરમાર મારતાં વૃદ્ધાએ બૂમાબૂમ કરી મૂકતાં અન્ય રહીશો દોડી આવ્યા હતા અને મારામારીમાં દરમિયાનગીરી કરી છોડાવ્યાં હતાં. આ હુમલામાં ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે નજીકના ખાનગી દવાખાને લઈ જવાયાં હતાં. તે બાદ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હુમલો કરનાર વિજયભાઈની પુત્રીએ પોલીસમાં ફરિયાદ કરી છે તો હું સામે છેડતીની ફરિયાદ નોંધાવી ફીટ કરાવી દેવાની ધમકી આપી રહી હોવાના આક્ષેપો કર્યા હતા.વધુ વાંચો -
શહેરના કોફી આર્ટીસ્ટ ઉદય કોરડેને ભારતીય રત્ન અને ડાॅ. એ.પી.જે.અબ્દુલ કલામ એવોર્ડ એનાયત
- 23, જાન્યુઆરી 2023 11:29 PM
- 1272 comments
- 6893 Views
વડોદરા, તા. ૨૩દિલ્હી ખાતે પરાક્રમ દિવસ નિમિત્તે દેશભરના કલાકારોને તેમની કૃતિ અનુસાર એવોર્ડ એનાયત કરાયા હતા. ત્યારે શહેરના કોફી આર્ટીસ્ટ ઉદય કોરડેને ભારતીય રત્ન અને ડાॅ.એ.પી.જે.અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દર વર્ષે ૨૩મી જાન્યુઆરી નારોજ સુભાષચંદ્ર બોઝના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને દેશભરમાં પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજંયતિ હોવાથી ઈન્ડીયન ઈન્ટરનેશનલ સેન્ટર દિલ્હી ખાતે એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂર્વે ૨૨૦૦ જેટલા કલાકારોના નામ પસંદ કર્યા બાદ ૧૦૦ કલાકારોને વિવિધ શ્રેણી અનુસાર પંસદ કરવામાં આવ્યા હતા. જેમાં શહેરના રાવપૂરા ખાતે રહેતા કોફી આર્ટીસ્ટ ઉદય ઉલ્હાસ કોરડેને એવોર્ડ માટે પંસદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તેઓને ડાॅ. એ . પી. જે. અબ્દુલ કલામ એવોર્ડ અને ભારતીય રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.વધુ વાંચો -
વાઘોડિયાના દંખેડા ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી ૧૧ હજારની લાંચ લેતાં ઝડપાયો
- 23, જાન્યુઆરી 2023 11:28 PM
- 7580 comments
- 2135 Views
વાઘોડિયા,તા.૨૩તાલુકામા સતત બીજી વખત એસીબીને સફળ ટ્રેપ કરવામા સફળતા મળી હતી.તાલુકા સેવાસદન બાદ ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી જડપાયો છે દંખેડા ગ્રામ પંચાયતમા તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રૂપિયા ૧૧,૦૦૦ ની લાંચલેતા તલાટી એસીબીના સકંજામા રંગે હાથ ઝડપાયો હતો. દંખેડા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી કનુભાઈ સોલંકી ચાંદપુરા ગામના ખેડૂત પાસે પેઢીનામુ કરાવવા માટે લાંચની રકમ માગી હતી જાે કે ખેડૂત સીધી લીટી નો વારસદાર હોય અને ડભોઇ પ્રાંત કલેકટર માં કોર્ટના કામકાજ અંગે પેઢીનામાની અત્યંત જરૂર હોય તલાટી કમ મંત્રી પાસે પેઢીનામુ કરાવવા વારંવાર ધક્કા ખાતો હતો.ખેડુત પેઢીનામાં માટે સીધી લીટી નો વારસદાર હોવા છતાં કનુભાઈ સોલંકીએ વહિવટ પતાવવા ફરીયાદિ પાસે ૧૫૦૦૦ની માંગણી કરી હતી જે બાદ ૧૩૦૦૦ માં સોદો પાક્કો થયો હતો પરંતુ ફરિયાદી પાસે પૈસા ના હોવાથી તેને પોતાના મિત્રને વાત કરતા એસીબી નો સંપર્ક કર્યો હતો.જે પૈકીના આજે રૂપિયા ૧૧૦૦૦ લાંચના લેવા માટે વાઘોડિયા વડોદરા રોડ પર આવેલા આમોદર પાસેના અનંતા શુભ લાભની સામે કલશ એપાર્ટમેન્ટ પાસે રોડ પર એસીબીએ ગોઠવેલા છટકામા રૂપિયા ૧૧૦૦૦ ની લાંચ લેતા તલાટી કમ મંત્રી કનુભાઈ સોલંકી રંગે હાથ ઝડપાયો હતો. વાઘોડિયામાં એસીબીની આ અઠવાડિયામાં સતત બીજી સફળ ટ્રેપ થતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયેલો જાેવા મળ્યો હતો.વધુ વાંચો -
બિલ વગર એરપોર્ડસ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતાં શંકાસ્પદ યુવકની અટકાયત
- 23, જાન્યુઆરી 2023 11:27 PM
- 5659 comments
- 7105 Views
વડોદરા, તા. ૨૩ ફતેગંજ વિસ્તારમાં બિલ વગર એપલ કંપનીના એરપોર્ડસ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતા શખ્સને ૬૪ એરપોર્ડસ તથા ૧૬ સ્માર્ટવોચ સાથે સયાજીગંજ પોલીસે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ૮ હજાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સયાજીગંજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તેસમયે ચોકકસ માહિતી મળી હતી કે ફતેગંજ વિસ્તારમા આવેલ એમ્પાયર બિલ્ડીંગની સામે સોનાલીકા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર ઉપર બિલ વગર એપલ કંપનીના એરપોર્ડસ તથા સ્માર્ટવોચનું વેચાણ થઇ રહ્યું છે. જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડી એરપોર્ડસ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતા જયેશ તેજુમલ કેલવાણી (રહે, ગણેશ નિવાસસ, ફતેગંજ)ને ૬૪૦૦ની કિંમતના ૬૪ નંગ એરપોર્ડસ તથા ૧૬૦૦ની કિંમતની ૧૬ નંગ સ્માર્ટવોચ સાથે ઝડપી પાડયો હતો. આરોપી જયેશ પાસેને મળી આવેલ મટીરીયલનો કોઇ પુરાવા મળી ન આવતા પોલીસે આરોપી જયેશને મુદ્દામાલ સાથે અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.વધુ વાંચો -
૫ોલીસે બંંને કર્મચારીઓને ૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
- 23, જાન્યુઆરી 2023 11:26 PM
- 2856 comments
- 6448 Views
વડોદરા, તા. ૨૩ફ્લિપકાર્ટ ઓનલાઇન શોપિંગ દરમ્યાન ગ્રાહકોને મટીરીયલ પહોચાડતી કુરિયર કંપનીમાં ડિલિવરી બોય અને અગાઉ કંપનીમાં કામ કરતા કર્મચારીએ ૩ લાખથી વધુની કિંમતના એપલ કંપનીના ૧૨ નંગ એરપોર્ડસની ચોરી કર્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે તપાસ કરતા બંન્ને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. અલકાપુરી સારથી કોમ્પલેક્ષ ખાતે આવેલ ઇન્ટાકાર્ડ કુરિયર કંપનીના કર્મચારીઓ ૨૦૨૨ના ઓકટોબર માસ દરમિયાન સ્ટોકમાં કેટલાક પાર્સલ ઓછા જણાઇ આવ્યા હતા. વોચ ગોઠવતા કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો અંકિત રોહિત એપલ કંપનીનું એરપોર્ડસ ચોરી કરતા ઝડપાયો હતો. સ્ટોકની ગણતરી સમયે ત્રણ લાખની કિંમતના એપલ કંપનીના ૧૨ નંગ એરપોર્ડસ ચોરી થયાની વિગતો બહાર આવી હતી. જેથી ટીમ લીડરે આ ચોરીમાં અંકિત અંબાલાલ રોહિત તથા અગાઉ કામ કરતા કર્મચારી વરૂણ અશોકભાઇ પટેલની સંડોવણી હોવાનું જણાઇ આવ્યું હતી. આ બનાવની જાણ સયાજીગંજ પોલીસને કરતા સયાજીગંજ પોલીસે ડિલિવરી બોય અને પૂર્વ કર્મચારી વિરૂધ્ધ ગુનો નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં બંન્ને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી.વધુ વાંચો -
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે ૧૦ વર્ષીય શૌર્યજીત ખૈરેનેે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર
- 23, જાન્યુઆરી 2023 11:23 PM
- 6668 comments
- 2389 Views
વડોદરા, તા. ૨૩ શહેરના દસ વર્ષિય મલ્લખંભ ખેલાડી શૌર્યજીત ખૈરેને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૃના હસ્તે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર – ૨૦૨૩ એનાયત કરવામાં આવ્યો હતો. દસ વર્ષિય મલ્લખંબ ખેલાડી શૌર્યજીત ખૈરે વડોદરાની નામાંકિત ૧૫૦ વર્ષ જૂના પ્રો.માણિક રાવજી શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિર , દાંડીયાબજાર ખાતે તાલીમ મેળવ હતી. તે તાજેતરમાં યોજાયેલ નેશનલ ગેમ્સમાં ભાગ લીધા બાદ તેની તૈયારીઓ કરી રહ્યો હતો તે દરમ્યાન તેના પિતાનું નિધન થયું હતુ તે છતાં તેને અદભૂત પ્રદર્શન કરીને તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. તેના આ પ્રદર્શનથી વડાપ્રધાન પણ પ્રભાવીત થયા હતા. તેને આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજ્ઞાન ભવન , નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો.વધુ વાંચો -
શહેરમાં કેનાલ રૂફટોપથી થતાં સૌરઊર્જાના ઉત્પાદનને નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનના ટેબ્લોમાં સ્થાન મળશે
- 22, જાન્યુઆરી 2023 11:25 PM
- 7019 comments
- 8368 Views
વડોદરા,તા.૨૨ શહેરમાં કેનાલ રૂફટોપથી થતાં સૌરઊર્જાના ઉત્પાદનને નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનના રોજ યોજાનીરી પરેડમાં ટેબ્લોમાં સ્થાન મળશે. આ ઝાંખી દ્વારા બિનપરંપરાગત ઉર્જાસ્ત્રોતથી ઉજ્જવળ અને આર્થિક રીતે અગ્રેસર ગુજરાત આ ઉર્જાનાં ઉપયોગ વડે વિશ્વનું માર્ગદર્શક બની રહે તેવો અસરકારક સંદેશ આપવામાં આવ્યો છે. કચ્છમાં આકાર લઈ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ ૨૪ટ૭ સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, પીએમ-કુસુમ યોજના થકી ખેડૂતોની ખુશહાલી અને કેનાલ રુફટોપથી થતું સૌરઊર્જાનું ઉત્પાદન મુખ્ય આકર્ષણો રહેશે. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ નવી દિલ્હીના ‘કર્તવ્યપથ’ પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ‘’ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત’’ વિષયને આવરી લેતી ઝાંખી રજૂ થનારી છે. જે દેશ અને દુનિયાને પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોનાં પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મર્નનિભર બનવાનો સંદેશ આપશેસમગ્ર વિશ્વ આજે પરંપરાગત ઊર્જાસ્ત્રોતોની કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ સ્ત્રોતો કાળક્રમે ક્ષીણ થઇ રહ્યા છે, તો બીજી તરફ આ ઊર્જાસ્ત્રોને લીધે પ્રદુષણ વધતા સમગ્ર પૃથ્વી ઉપરનું તાપમાન વધી રહ્યું છે, જેના લીધે દુનિયાના સંખ્યાબંધ દેશો ‘’ક્લાઈમેટ ચૅન્જ’’ના કારણે પૂર, ભૂ સ્ખલન, સુનામી, ભૂકંપ જેવી કુદરતી આપદાઓનો સામનો કરી રહ્યા છે. જેની ગંભીર ચિંતા યુનાઇટેડ નેશન કાન્ફરન્સ કલાઇમેટ ચેન્જ દ્વારા કરવામાં આવી છે. દેશમાં ગુજરાત બિનપરંપરાગત ઉર્જાનાં ઉત્પાદનમાં અગ્રેસર છે.વધુ વાંચો -
સયાજી હોસ્પિટલમાં જન્મજાત બહેરાશ અને કાનની અન્ય તકલીફ નિવારણો અંગે કાર્યશિબિર યોજાઇ
- 22, જાન્યુઆરી 2023 11:24 PM
- 6809 comments
- 7594 Views
વડોદરા, તા.૨૨ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં જન્મજાત બહેરાશ નિવારણ માટે કોકલિયર ઈમ્પ્લાન્ટ અને કાનની અદ્યતન સારવાર તથા શસ્ત્રક્રિયાના જ્ઞાનના આદાન-પ્રદાન કરવા માટે દેશના ઈએનટી નિષ્ણાત તબીબોનો કાર્યશિબિર સાથે સેમિનાર યોજાયો હતો જેમાં ચેન્નાઈ ખાતેના ડો. રવિ રામાલિંગમ, કોલકાતાના ડો. તુષાર કાંતિ ઘોષ સહિત અન્ય નિષ્ણાત તબીબો અને સયાજી હોસ્પિટલના સુપ્રિ. ડો. રંજન ઐયર ઉપસ્થિત રહ્યા હતા. શહેરની સયાજી હોસ્પિટલમાં બહેરાશ અને કાનના રોગો માટે બે દિવસનો સેમિનાર યોજાયો છે. જેમાં દેશના નિષ્ણાત તબીબોએ દર્દીઓની પ્રત્યક્ષ શસ્ત્રક્રિયા કરવાની સાથે ભાગ લઈ રહેલા તબીબોને ઉપયોગી પ્રશિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ બે દિવસીય કાર્યશિબિરમાં વિવિધ અને જટિલ સમસ્યા ધરાવતા સાતથી વધુ દર્દીઓની શસ્ત્રક્રિયા કરી તકલીફ દૂર કરવામાં આવશે. આ કાર્યશિબિરમાં દેશભરમાંથી ૯૬ જેટલા નિષ્ણાત તબીબોએ ભાગ લીધો હતો. જેનું નેતૃત્વ ચેન્નાઈના ડો. રવિ રામલિંગમ અને કોલકાતાના ડો. તુષાર કાંતિ ઘોષ બે દિવસીય વડ ઓટો કોનનું કાર્ય કરી રહ્યા છે. આ કાર્યશિબિરની જાણકારી આપતાં સયાજી હોસ્પિટલના સુપ્રિ. અને કાન, નાક, ગળા વિભાગના વડા ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, આ કાર્યશાળા મુખ્યત્વે બંને કાનોની જન્મજાત બહેરાશના નિવારણ માટેની કોકલિયર ઈમ્પ્લાન્ટ અને અન્ય શસ્ત્રક્રિયાઓ કરવાની સાથે તબીબોને અદ્યતન સારવાર-સર્જરી અને માર્ગદર્શન આપવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.‘’વધુ વાંચો -
ગેસ લીકેજના બનાવમાં દાઝી ગયેલા માતા-પુત્ર પૈકી પુત્રનું મોતઃપરિવારમાં શોકની કાલિમા છવાઈ
- 22, જાન્યુઆરી 2023 11:23 PM
- 821 comments
- 4856 Views
વડોદરા, તા.૨૨શહેરના ગોત્રી વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર સોાસયટીમાં ઘરની ગેસલાઈન લીકેજ થવાના કારણે બનેલા આગના બનાવમાં દાઝેલા માતા-પુત્ર પૈકી ત્રણ વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે માતાની હાલત નાજુક હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળેલ છે. આ બનાવની વિગત મુજબ ગઈકાલે રાત્રિના સમયે ગોત્રી વિસ્તારમાં આવેલ ગાયત્રી સ્કૂલ નજીક ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં ગેસની લાઈનમાંથી ગેસ લીકેજ થઈ રહ્યો હતો. જેના કારણે વીજ લાઈટની સ્વીચ ચાલુ કરતાં જ ઘરમાં ગેસનો ફેલાવો થવાથી આગ ભભૂકી ઊઠી હતી. આ બનાવમાં ઘરમાં હાજર નયનાબેન ઉમંગભાઈ બારોટ (ઉં.વ.રર) અને પુત્ર મિવાન ઉમંગભાઈ બારોટ (ઉં.વ.૩) દાઝી ગયાં હતાં. આ બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન માસૂમ પુત્ર મિવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે માતાની હાલત નાજુક હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળે છે.વધુ વાંચો -
કારમાં ૧૨૦ વિદેશીની દારૂની બોટલો સાથે બે યુવકો ઝડપાયા
- 22, જાન્યુઆરી 2023 11:21 PM
- 6223 comments
- 1868 Views
વડોદરા,તા.૨૨ શહેર પીસીબીને મળેલ બાતમીનાં આધારે પોલીસે શહેરનાં સરસીયા તળાવ પાસે ગોસાઇ મોહલ્લા પાસે વોચ રાખી બ્રિઝાકારમાંથી ૧૨૦ વિદેશી દારૂની બોટલો સાથે બે યુવકોને ઝડપી પાડયા હતા. પીસીબીને બાતમી મળી હતી કે વારસિયા ગોસાઇ મોહલ્લામાં રહેતો રાહુલ ઓડ સફેદ કલરની બ્રિઝાકાર નંબર જીજે ૦૬ પી.એસ.૬૭૧૧ માં વિદેશી દારૂનો જથ્થો ભરી તેના ઘર તરફ લાલ અખાડા થઇ સરસીયા તળાવ પાસે આવેલ ગોસાઇ મોહલ્લા થી પસાર થવાનો છે. પીસીબી પોલીસે ગોસાઇ મોહલ્લા પાસે વોચ ગોઠવી હતી ત્યારે માહીતી મુજબની બ્રિઝાકાર ને રોકી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની ૧૨૦ બોટલો મળી આવી હતી. જેની કિમંત ૭૦,૦૦૦ થાય છે. પોલીસે વિદેશી દારૂ સાથે બે યુવકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. બન્ને આરોપીઓ રાહુલ વિનોદભાઇ ઓડ રહેવાસી ગોસાઇ મોહલ્લો. અને બીજાે આરોપી સંજય ડાહ્યાભાઇ રાણા રહેવાસી નવીધરતી ગોલવાડ કારેલીબાગ ની ધરપકડ કરી હતી જયારે ત્રીજાે આરોપી કેતન રાણા રહેવાસી આશા પુરીનગર વૈકઠ પાછળ વાધોડિયા રોડ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે બ્રિઝા કાર કિમંત પાંચ લાખ, મોબાઇલ ફોનં નંગ૨ કિમંત ૨૫૦૦ અને વિદેશી દારૂની ૧૨૦ બોટલ કિમંત રૂપિયા ૭૦,૦૦૦ મળીને કુલ ૫,૬૨,૫૦૦ નો મદ્દામાલ કબ્જે કર્યો છે.વધુ વાંચો -
ઘર પાસે દારૂની પોટલીઓ-બોટલો નાંખવાના મુદ્દે સામસામે હુમલો : હુમલાના દૃશ્યો વાયરલ
- 22, જાન્યુઆરી 2023 11:14 PM
- 3068 comments
- 4136 Views
વડોદરા, તા. ૨૧દંતેશ્વર વિસ્તારમાં વિજયવાડી સ્થિત ઘાઘરેટિયામાં રહેતા ૩૬ વર્ષીય હસમુખભાઈ છગનભાઈ સોલંકી તેમના પત્ની ઉર્મિલાબેન સાથે મળીને સોમાતળાવ પાસે પાન-પડીકીનો ગલ્લો ધરાવે છે. ગઈ કાલે સવારે ઉક્ત દંપતીએ તેઓના મકાનની બાજુમાં રહેતા લતાબેન દિપક પરમારને તેઓના બાજુના વાડામાં દારૂની ખાલી પોટલીઓ અને બોટલો નાખવાની ના પાડતા ઉશ્કેરાઈને દંપતીને અપશબ્દો કહ્યા હતા. આ દરમિયાન લતાબેનનો પતિ દિપક તેમજ બહેન રમીલા જયંતિ પરમાર અને ભાણીયો મનીષ જયંતી પરમાર પર બહાર દોડી આવી અને તેઓએ અપશબ્દોનો મારો ચલાવી હસમુખભાઈને જાહેરમાં લાફા ઝીંક્યા હતા અને આ પૈકી દિપકે લાકડી વડે હસમુખભાઈને લાકડીના ફટકા માર્યા હતા તેમજ હવે અમારુ નામ લીધું છે તો તને જીવતો નહી છોડું તેવી ધમકી આપી હતી. જયારે સામાપક્ષે લતાબેન દિપક પરમારે પણ પાડોશી દંપતી હસમુખ અને ઉર્મિલાબેન સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ દારૂની પોટલીઓ અને કચરો નાખવાના મુદ્દે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ઉર્મિલાબેને વાળ પકડી નીચે પાડી દીધા હતા અને તેમની પુત્રી ઉર્વશીને હસમુખે માથામાં લાકડીના ફટકા માર્યા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી. બંને પક્ષે નોંધાયેલી ફરિયાદના પગલે મકરપુરા પોલીસે તમામ છ આરોપીઓની ધરપકડ કરી હતી. જાેકે આ પૈકી હસમુખભાઈને સગીરા સહિત પાડોશીઓએ લાફા મારી તેમજ લાકડીના ફટકા મારવાનો વિડીઓ સોશ્યલ મિડિયામાં વાયરલ થયો હતો અને આ અંગેની શહેર પો.કમિ.કચેરી ખાતે પણ ફરિયાદ કરવા માટે પરિવાર પહોંચ્યું હતું.વધુ વાંચો -
એન.આર.આઈ પરિવાર મીણબત્તીના પ્રકાશ હેઠળ જીવવા મજબૂર
- 22, જાન્યુઆરી 2023 11:13 PM
- 2582 comments
- 6418 Views
વડોદરા, તા. ૨૨સરકાર મોટી મોટી બાંગો પોકાળે છે કે ગામે ગામ વીજળી પહોચાડી છે. જાે કે કારેલીબાગ વિસ્તારમાં આવેલ એનઆરઆઇ પરીવાર આવ્યાને ૨૫ દિવસથી વધુનો સમય વિત્યો છતા પણ જીઇબીના અધિકારીઓની દાદાગીરીના પરિણામે પરિવાર મીણબત્તીનો ઓઠા હેઠળ જીવવા મજબુર બન્યો છે. પહેલાના યુગમાં લોકો જયારે વિજળી ન હતી ત્યારે લોકો મીણબત્તી કે દિવા સળગાવીને પોતાનું જીવ ગુજારતા હતા.ઘણા લોકોતો મીણબતી કે દિવા સળગાવીને અભ્યાસ પણ કરતા અને પોતાનુ જીવન નિર્વાહ ચલાવતા હતા. તેજ સમયનો યુગની યાદ અપવાતો કિસ્સો આજ રોજ પ્રકાશમાં આવ્યો હતો. છેલ્લા ૨૫થી વધુ દિવસ વિત્યા છતા પણ જીઇબીના અધિકારીઓની બેદરકારી ભર્યા વહીવટને લીધે એક એનઆરઆઇ પરિવાર મીણબતી ના પ્રકાશ હેઠળ જીવન જીવવા મજબુર બન્યો છે. હા આપણે વાત કરીએ છીએ કારેલીબાગ વિસ્તારમાં આવેલ નટરાજ એન્કલેવમાં આવેલ એક ફલેટમાં એનઆરઆઇ પરિવારે પોતાની દાસ્તાન આજ રોજ મીડીયા સમક્ષ જણાવી હતી. સરકાર ગામે ગામ વીજળી પહોચાડી ગામડાઓને ઝળહળી રહ્યા છે પરંતુ દિવા તળે અંધારુ હોય તેવો જ બનાવ આ એનઆરઆઇ પરિવાર સાથે બન્યો છે. કારેલીબાગના એનઆરઆઇ પરિવારે જણાવ્યું હતુ કે અમે ગત ડિસેમ્બર માસમાં ઇન્ડીયા ખાતે આવ્યા હતા અને આ ફલેટ જે મારા પુત્રના નામે છે. મારા પુત્ર ૧૩ પહેલા હાર્ટએટેકના પરિણામે મૃત્યુ પામ્યો હતો. અમે અહીયા આવ્યા ત્યારે લાઇટનું મીટર હતું નહી. જેથી અમે જીઇબીમાં આ અંગેની રજુઆત કરી હતી. જાે કે વિજકંપની અમારા મૃતક પુત્ર અમિતભાઇના પુરાવા માંગવામા આવ્યા હતાં. જે પુરાવા આપ્યા બાદ બિલ પણ ભર્યું છતા અમને ૨૭ થી ૨૮ દિવસ સુધી જીઇબીમાં ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. પુરાવા આપ્યા બાદ પણ જીઇબીના જાણકાર અધિકારી દ્વારા મૃતકના વધુ પુરાવા માંગતા પરિવારજનોએ તે પુરાવા પણ જીઇબીના અધિકારીઓને આપ્યા છતા પણ વીજકંપનીઓના આડોડાઇને કારણે હાલ પરિવાર મીણબત્તીના પ્રકાશે જીવવા મજબુર બન્યો છે.વધુ વાંચો -
ભ્રષ્ટ અધિકારીઓને લીધે બજારોમાં ઠેર ઠેર ટ્રાફિક જામ
- 22, જાન્યુઆરી 2023 11:11 PM
- 1652 comments
- 2167 Views
વડોદરા, તા. ૨૨ટ્રાફિક પોલીસ અને પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના ભ્રષ્ટાચારના લીધે ન્યાયમંદિર, મંગળબજાર અને માંડવી રોડ પર ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓ અને ટ્રાફિક પોલીસની હપ્તાબાજીને પરિણામે ન્યાયમંદિર, મંગળબજાર સહિતના વિસ્તારમોમાં પથારાવાળોઓનો રાફડો ફાટી નીકળ્યો અને દુકાનો વાળા પણ દુકાનની બહાર મોટા મોટા લટકાણીયા લટકાવીને જાહેર રોડ રોકી રાખે છે. પરીણામે નિર્દોષ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જાડી ચામડીના પાલીકા અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગતને લીધે બજારોમાં પાથારાવાળાનો પરિણામે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળ્યા હતા. આ ટ્રાફિક માટે જવાબદાર કોણ ? તે વિસ્તારના લોકોના માથે માથાના દુઃખાવા સમાન બની ગયો છે. જાહેર રોડ રસ્તા પર રોડને રોકીને પથારો નાખીને અડધો અડધ રોડ રોકી લે છે જેને લઇને ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં અવર જવર કરવા માટે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તદઉપરાંત ટ્રાફિકના લીધે વાહનચાલકો દ્વારા જાેર શોરથી હોન પણ વગાડવામાં આવે છે જેને લઇને સ્થાનિકો માટે પણ માથાનો દુઃખાવો બની ગયો છે. જેથી વાહનચોલકોને કલોકો સુધી ટ્રાફિકમાં અટવાવુ પડી રહ્યુ છે. ઘણી વાર તો ત્યાંથી ઇમરજન્સીમાં પસાર થઇ રહેલી એમ્બુલન્સને પણ ઘણી વાર આ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. પથારાવાળાઓ પથારો લગાવવા અધિકારીઓ અને પોલીસને ભરણ આપે છે? પાલિકા દ્વારા વારંવાર પથારાવાળાના દબાણો દુર કરવામાં આવે છે તેના બીજા દિવસે જાણે પથારાવાળાને પાલિકાના અધિકાર કે ટ્રાફિક પોલીસની બીક ના હોય તે રીતે ફરીથી પથારો લગાવીને પોતાનો ધંધો કરે છે. જાે દબાણ દુર કર્યેને બીજા દિવસે ફરીથી દબાણ થતુ હોય તો જાણે પાલીકાના ભ્રષ્ટ અધિકારી અને ટ્રાફિક પોલીસને શુ ભરણ આપવામાં આવે છે ? તે એક પ્રશ્ન શહેરીજનો માટે માથાના દુઃખાવા સમાન છે. શું ન્યાયમંદિર ફોર વ્હીલર ગાડીઓનું પાર્કિંગ સ્ટેન્ડ છે? ન્યાયમંદિરને હેરીટેજ બનાવવા માટે પાલીકા કમર કસી રહી છે એકબાજુ પાલીકા હેરીટેજ બનાવવા માટે ફુલોના વેપારીને ત્યાંથી દુર કર્યા ત્યારે તેમણે ત્યાં ધૂળ ખાતી ફોર વ્હીલર ગાડીઓ કે ત્યાં પાર્ક થયેલી ગાડીઓ દેખાઇ ન હતી. ન્યાયમંદિર જાણે પાર્કીંગ સ્ટેન્ડ હોય તે રીતે લોકો ન્યાયમંદિરની આજુબાજુ તેમની ફોરવ્હીલર ગાડીઓનુ જાહેર રોડ પર પાર્કિંગ કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસને ફકત નો પાર્કિંગમાં રહેલ ટુ વ્હીલર ગાડીને ક્રેનમા લઇને તોડપાણી કરવામાં રસ હોય તે રીતે તેમણે ફોરવ્હીલર ગાડીઓ દેખાતી નથી.વધુ વાંચો -
સરકારી જમીન પચાવી પાડી વ્હાઈટ હાઉસ સ્કીમ શરૂ કરનાર ભૂમાફિયાને પાંચ દિવસના રિમાન્ડ
- 22, જાન્યુઆરી 2023 12:42 AM
- 2941 comments
- 7198 Views
વડોદરા, તા. ૨૧દંતેશ્વર વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીનના બોગસ દસ્તાવેજાે બનાવીને જમીન પચાવી પાડ્યા બાદ આ જમીન પર વ્હાઈટ હાઉસ નામે બંગલા-મકાનોની સ્કીમ શરૂ કરી ઠગાઈ કરનાર ભુમાફિયા ત્રિપુટીને આજે કોર્ટમાં રજુ કરાતા ત્રણેય આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ થયો હતો. આ બનાવની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચના એસીપી તેમજ મામલતદારે ત્રણેય આરોપીઓને સાથે રાખી પચાવી પાડેલી સરકારી જગ્યાનું પંચનામુ કરી આરોપીઓએ ખરેખરમાં કેટલી જમીન પચાવી પાડી છે તેની વિગતો મેળવી હતી. દંતેશ્વર (દક્ષિણ) સર્વેનંબર-૫૪૧વાળી કરોડો રૂપિયાની વિશાળ જગ્યા સરકારી હોવા છતાં ભુમાફિયા ટોળકીના સંજય બચુસિંહ પરમાર , તેની પત્ની લક્ષ્મીબેન (લક્ષ્મી નિવાસ બંગ્લો, ડી-માર્ટ પાછળ, વાઘોડિયારોડ) અને શાંતાબેન ઉર્ફ ગજરાબેન બચુભાઈ રાઠોડ (નવરંગપુરા હાઉસીંગ, સમતા, ગોરવા )એ ઉક્ત સરકારી જમીન પોતાની માલિકીની છે તેવું દર્શાવી વારસદારો ઉભા કર્યા હતા. તેઓએ ભેગા મળીને કલેકટરના બોગસ ટેનન્સી હુકમ, બિનખેતી હુકમ, રજાચિટ્ઠી અને ટીપી ફોર્મ-એફ સહિતના દસ્તાવેજાે બનાવ્યા બાદ બોગસ વારસદાર શાંતાબેન ઉર્ફ ગજરાબેને ઉક્ત જમીનનો લક્ષ્મીબેન પરમારને દસ્તાવેજ કરી આપતા આ સરકારી જગ્યા પર સંજય પરમાર અને તેની પત્ની લક્ષ્મીબેને વ્હાઈટ હાઉસ નામે બંગલા મકાનોની સ્કીમ શરૂ કરી અલગ અલગ ગ્રાહકોને અલગ અલગ કિંમતમાં ૫૩ જેટલા સબપ્લોટ પાડી તેનું વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી કરોડો રૂપિયાનું કૈાભાંડ આચર્યું હતું. આ બનાવની રેવન્યુ અધિકારીએ ક્રાઈમ બ્રાન્ચમાં લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પરમાર તેની પત્ની લક્ષ્મીબેન અને બોગસ જમીનમાલિક શાંતાબેનની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સંજય પરમાર અગાઉ રાવપુરા પોલીસ મથકમાં પણ મિલ્કતના બોગસ દસ્તાવેજાે બનાવવાના ગુનામાં સંડોવાયેલો હોવાની વિગતો મળી હતી. આ બનાવની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચના એસીપી એચ.એ.રાઠોડ તેમજ રેવન્યુ અધિકારી અને પંચોની હાજરીમાં ત્રણેય આરોપીઓને સાથે રાખી ઉક્ત વિવાદીત જમીનનું પંચનામુ કરી પચાવી પાડેલી જગ્યાની વિગતો મેળવાઈ હતી. ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરી ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી. આરોપીઓ પાસેથી હજુ બોગસ દસ્તાવેજાે કબજે કરવાના બાકી છે, તેઓએ કોમ્પ્યુટર પર તેમજ દસ્તાવેજાે બનાવ્યા હોઈ કોમ્પ્યુટરની તેમજ પેપર અને સ્ટેમ્પની તપાસ કરવાની છે, આ જમીન પર પહેલા કાનન વિલા અને ગજાનંદ સોસાયટીની સ્કીમ બહાર પાડી બોગસ રજાચિઠ્ઠી બનાવેલી જે કેવી રીતે બનાવી ?, ૫૩ સબપ્લોટ વેચાણ માટે દસ્તાવેજાે કરવામાં કોણે કોણે મદદગારી કરી છે ? સરકારી જમીન વેચાણથી કોના ભાગમાં કેટલા નાણાં આવ્યા છે અને તે ક્યાં સગેવગે કર્યા છે અને સરકારી કર્મચારી-અધિકારીએ પણ લાભ મેળવવા માટે આરોપીઓને મદદ કરી હોવાની શંકા હોઈ તેની તપાસ કરવાની બાકી હોઈ મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે ત્રણેય આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો. વ્હાઇટ હાઉસ લેન્ડ ગ્રેબિંગ મામલે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના ગંભીર આરોપ શહેરનાં દંતેશ્વર વિસ્તારમાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીન પર ખોટા દસ્તાવેજાે બનાવી જમીન હડપ કરી તેના પર કોમર્શિયલ બાંધકામ સ્કીમો કરી ઝે કોભાંડ આચરવામાં આવ્યુ છે તેમાં સંડોવાયેલા તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે તપાસ કરી કડક કાર્યવાહીની માંગ મનપાનાં પુર્વ વિપક્ષ નેતા ચંદ્વકાંન્ત શ્રીવાસ્તવે કરી છે, તેમણે જણાવ્યુ હતુ કે મે આ સરકારી જમીન કોભાંડ અંગે તમામ લેખિત પુરાવાઓ સાથે કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, અને પોલીસ કમિશનર ને જાણ કરી હતી, તો મારા નામથી ફરીયાદ કેમ કરવામાં ન આવી તેવો પ્રશ્ન સાથે કલેકટર ને સુઓમોટો કરવાની કેમ જરૂર પડી તેમ કહી સમગ્ર મામલો પોલીસ સહિત સરકાર દ્વારા રફેદફે કરવાનો કારસો રચાયો છે તેવા આરોપો કર્યા હતા. ત્યારે આ મામલે પોલીસ ગંભીરતાથી તપાસ કરે તેવી માંગ તેમણે કરી હતી.વધુ વાંચો -
શનિશ્ચર અમાસ નિમિત્તે ભગવાન શનિદેવનો વિશેષ શણગાર કરાયો
- 22, જાન્યુઆરી 2023 12:39 AM
- 9918 comments
- 4264 Views
વડોદરા, તા. ૨૧ આજે શનેશ્ચર અમાસ હોવાથી અનેક લોકો મોટી સંખ્યામાં ભગવાન શનિ મહારાજના દર્શનાર્થે ઉમટયાં હતા. શહેરના વાડી વિસ્તારમાં આવેલ શનિમંદિરમાં ભગવાન શનિદેવ મહારાજનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. તેે સિવાય મોટી સંખ્યાં ભક્તો દ્વારા હોમ - હવન તેમજ ગરીબોને ભોજન કરાવીને અન્નદાન કર્યું હતું. હિંદુ માન્યતા અનુસાર , જે લોકોને શનિની પનોતી ચાલતી હોય તેવા લોકો શનેશ્ચર અમાસના દિવસે જપ – તપ અને દાન કરે તો તેઓને પનોતીમાં રાહત થાય છે. આજે શનેશ્ચર અમાસ હોવાથી લોકો ગૌશાળામાં ગાયને તેમજ વસ્ત્ર દાન , અન્નદાન સહિતનું દાન કર્યુ હતું. તે સિવાય નર્મદા તટે આવેલ નાની – મોટી પનોતી અને કુબેર ભંડારી ખાતે મોટી સંખ્યાંમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ હતું.શનેશ્ચર અમાસ હોવાથી માંજલપુર , દાંડીયાબજાર અને વાડી વિસ્તાર ખાતે આવેલ શનિમંંદિરોમાં ભક્તોની ભીડ ઉમટેલી જાેવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તો કાળાં તલ અને તેલ ચઢાવીને તેમનું વર્ષ અડચણ વિના પસાર થાય તે માટેની પ્રાર્થના કરી હતી.વધુ વાંચો -
શૌર્યજીત ખૈરેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરાશે
- 22, જાન્યુઆરી 2023 12:38 AM
- 9598 comments
- 5584 Views
વડોદરા, તા. ૨૧ દસ વર્ષિય મલ્લખંબ ખેલાડી શૌર્યજીત ખૈરે વડોદરાની નામાંકિત ૧૫૦ વર્ષ જૂના પ્રો.માણિક રાવજી શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિર, દાંડીયાબજાર ખાતે કોચ વિલાસ પારકર , જીત સપકાળ અને અમેય પવારના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી છે. તેઓએ ે તાજેતરમાં યોજાયેલ ૩૬માં નેશનલ ગેમ્સ અંતર્ગત મલ્લખંબમાં રાજયની ટીમમાં પંસદગી પામીને તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. તે સિવાય હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા વિજ્ઞાન ભવન , નવી દિલ્હી ખાતે યોજાનાર એવોર્ડ સમાંરભમાં મલ્લખંબ ખેલાડી શૌર્યજીત ખૈરેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. માત્ર દસ વર્ષની નાની ઉંમરમાં મોટી સિધ્ધી મેળવતા પરીવારજનો , પ્રો.માણિક રાવજી શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિર સંસ્થા તેમજ સમગ્ર શહેરનું ગૌરવ વધાર્યુ હતું.વધુ વાંચો -
દોડકા ગામના યુવકે વિદ્યાર્થિની પોતાના વશમાં ન થતાં ચાકૂ વડે ઘાતક હુમલો કર્યો
- 22, જાન્યુઆરી 2023 12:37 AM
- 7334 comments
- 870 Views
વડોદરા, તા.૨૧ એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે દશરથ ખાતે આઈટીઆઈ કોલેજમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીને રણોલી બસસ્ટેન્ડ પાસે રોકી પોતાની સાથે લઈ જવાની જબરદસ્તી સાથે પોતાના વશમાં લેવા પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીએ ઈન્કાર કરતાં ઉશ્કેરાયેલા યુવકે તેણીની ઉપર ચાકૂ વડે હુમલો કરતાં હાથ ઉપર ઈજાઓ પહોંચી હતી. ઉશ્કેરાયેલો યુવક બનાવસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે વિદ્યાર્થિનીને સારવાર માટે બાજવા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. આ બનાવની જાણ છાણી પોલીસને કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી ફરાર આરોપી યુવકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. વડોદરા તાલુકાના દોડકા ગામે રહેતી ૧૬ વર્ષીય કિશોરી દશરથ ખાતે આવેલ આઈટીઆઈ કોલેજમાં ડ્રાફટમેન સિવિલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેણીની રોજ દોડકાથી દશરથ બસ મારફત અપ-ડાઉન કરે છે. આ વિદ્યાર્થિનીના એકતરફી પ્રેમમાં પાગલ બનેલો તેના જ ગામનો અજય રાઠોડ વિદ્યાર્થિની સાથે મિત્રતા કરવા માટે અથાગ પ્રયાસ કરતો હતો અને વારંવાર પત્ર મોકલતો હતો, પરંતુ વિદ્યાર્થિનીએ કોઈ મચક ન આપતાં તે રઘવાયો બન્યો હતો. તેને આજે વિદ્યાર્થિનીનો પીછો કરી જે બસમાં બેઠી હતી તેની પાછળ આવ્યો હતો. રણોલી પાસે બસમાંથી ઉતરીને કોલેજ તરફ ચાલતી જતી હતી તે વખતે અજય રાઠોડે આ વિદ્યાર્થિનીને આંતરી હતી અને પોતાની સાથે લઈ જવા માટે જબરદસ્તી સાથે કહ્યું કે ચાલ મારી સાથે તેમ જણાવ્યું હતું. જાે કે, વિદ્યાર્થિનીએ ધરાર ઈન્કાર કરતાં તે અકળાઈ ગયો હતો અને ખિસ્સામાં લાવેલ ચાકૂ વડે તેણીની ઉપર ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં હાથ ઉપર ચાકૂના બે ઘા વાગ્યા હતા. સ્થળ પર વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં અન્ય રાહદારીઓ દોડી આવ્યા હતા. જ્યારે હુમલાખોર ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સારવાર માટે બાજવા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ હતી. આ બનાવની જાણ છાણી પોલીસને કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.વધુ વાંચો -
૫કડાયેલી ગાયોના ટેગ નંબરોના આધારે બે ગૌપાલકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
- 22, જાન્યુઆરી 2023 12:36 AM
- 2478 comments
- 4914 Views
વડોદરા, તા.૨૧ વડોદરા શહેરમાં રસ્તે રખડતી ગાયોને લીધે રોજબરોજ થતાં અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે તેવા સમયે વડોદરા પાલિકાએ ગાયોને રસ્તે રખડતી છોડી મૂકતાં લોકોના જીવનું જાેખમ ઊભું કરતાં ગૌપાલકો પૈકી બે ગૌપાલકો વિરુદ્ધ પાલિકાની ઢોરપાર્ટીના અધિકારીએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના દિવાળીપુરા ગદાપુરા ભરવાડ વાસમાં રહેતા વાલાભાઈ રઘાભાઈ ભરવાડે તેની ગાયોને શહેરના જાહેર માર્ગો ઉપર રસ્તે રખડતી છોડી મૂકી હતી. આ દરમિયાન તેમની બે ગાયો ગોત્રી ઈસ્કોન મંદિર પાસેથી પાલિકાની ઢોરપાર્ટીએ પકડી હતી. આ પકડાયેલી ગાયોના કાન પર લગાવેલા અલગ અલગ બે ટેગ નંબરો જાેવા મળ્યા હતા. આ ટેગ નંબરના આધારે ગાયોના માલિકની તપાસ કરતાં નામ-નંબરના આધારે ગદાપુરા ભરવાડ વાસમાં રહેતા ગાયોના માલિક વાલાભાઈ ભરવાડનું નામ ખૂલ્વા પામ્યું હતું. જેના આધારે પાલિકાના ઢોરપાર્ટીના અધિકારી વિજય પંચાલે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૌપાલક વાલાભાઈ ભરવાડ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં રસ્તે રખડતાં ઢોરોને કારણે અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ પાલિકાના ઢોરપાર્ટીના તંત્રે ગૌપાલકો સામે લાલ આંખ કરી ગાયો પકડવાની સાથે સાથે કડક કાર્યવાહી કરતાં ગૌપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.વધુ વાંચો -
૪૩ કાચાં ઝુંપડાં તોડી પાડયાં: પ્લોટ ખૂલ્લો થતાં આ સ્થળેગોત્રી શાકમાર્કેટ ખસેડાશે
- 22, જાન્યુઆરી 2023 12:35 AM
- 2905 comments
- 8037 Views
વડોદરા, તા.૨૧ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા આજે બીજા દિવસે પણ દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ રહી હતી. સુભાનપુરા હાઈટેન્શન રોડ ઉપર ઇન્દિરા નગર સુભાનપુરા ખાતે પ્લોટ પર વર્ષોથી કરવામાં આવેલ ૪૩ કાચા- પાકા ઝુંપડાઓ સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. હાઈ ટેન્શન રોડ, અમીન પાર્ટી પ્લોટ ની બાજુમાં ગેરકાયદે બનેલા પતરા નો શેડ તોડી પાડવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી બાદ મેયર અને સ્થાનિક કાઉન્સિલરોએ દબાણો હટાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. આ કામગીરીનું નિરીક્ષણ કરવા મેયર અને વિસ્તારના કોર્પોરેટરો પહોંચ્યા હતા. મેયર સાથે વોર્ડનાં સ્થાનિક અધિકારીઓ, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને તેમની ટીમ પણ જાેડાઈ હતી. મેયર કેયુર રોકડિયાએ દબાણ હટાવવાની કામગીરીની નિરિક્ષણ બાદ કહ્યુ હતુ કે વર્ષોથી અહિં ગેરકાયદેસર દબાણો મનપાનાં પ્લોટ પર કરવામાં આવ્યા હતા. આ પ્લોટ કોર્પોરેશનની માલિકીનો છે, હવે મનપા દ્વારા શાકમાર્કેટ સહિત જીમ અને સ્વિમિંગ પૂલ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. યસ કોમ્પલેક્ષ પાસે ગોત્રી શાક માર્કેટ આવેલ છે. ત્યાં શાક માર્કેટના કારણે ટ્રાફિકના પ્રશ્નો સર્જાય છે, લોકોને હાલાકીઓ ભોગવવી પડે છે. અને એટલે શાક માર્કેટ ખસેડીને અહિં ખસેડવામાં આવશે.વધુ વાંચો -
રજીસ્ટાર કચેરીનો કરાર આધારિત કર્મી એક હજારની લાંચ લેતાં ઝડપાયો
- 17, જાન્યુઆરી 2023 11:44 PM
- 2020 comments
- 5662 Views
વાઘોડિયા,તા.૧૭વાઘોડિયા સેવા સદન ખાતે રજીસ્ટાર કચેરીમા છઝ્રમ્એ છટકુ ગોઠવતા કરાર આધારીત કર્મચારી રુપીયા એક હજારની લાંચ લેતા ઝડપાયો હતો.વાઘોડિયા સેવાસદન ખાતે રજીસ્ટાર કચેરીમા કરાર આધારીત ફરજ બજાવતો ચંદ્રેશ રણછોડભાઈ સોલંકીનાઓએ ફરીયાદિ પાસે દસ્તાવેજના ઈન્ડેક્ષપેટે રુપીયા એક હજારની માંગણી કરી હતી. જાેકે ફરીયાદિ આવી કોઈ રકમ આપવા માંગતો ના હોય તેને લાંચ રુશ્વત બ્યુરોમા ફરીયાદ કરતા આજરોજ આરોપીને છટકામા આબાદ ઝડપી પાડવા જાળ બિછાવી હતી. ફરીયાદિએ પોતાના કામ પેટે રુપીયા એકહજાર આપવાની તૈયારી બતાવતા આરોપીએ ફરીયાદિને રજીસ્ટાર ઓફિસની બાજુમા આવેલ રેકોર્ડ રુમમા બોલાવ્યો હતો. દસ્તાવેજના ઈન્ડેક્ષ પેટે રુપીયા એક હજાર ફરીયાદિ પાસેથી સ્વિકારતાની સાથે જ છઝ્રમ્એ તેને લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જાેકે વાઘોડિયા રજીસ્ટાર કચેરીએ આ રકમ તે પોતાના માટે સ્વિકારતો હતો કે કોઈ બાબુઓના કહેવાથી. ? આ અંગે છઝ્રમ્એ પુછપરછ આરંભી છે. લગભગ પાંચ કલાક સુઘી છઝ્રમ્ના અઘિકારીએ આરોપીની પુછપરછ શરુ કરી હતી.સેવાસદન ખાતે છઝ્રમ્ટ્રેપની વાત સરકારી કચેરીઓમા વાયુવેગે ફેલાતા લાંચીયા બાબુઓમા ફફડાટ વ્યાપી ગયો હતો.વધુ વાંચો -
સાયન્સ ફેકલ્ટીમાં નમાજના મુદ્દે ભેરવાયેલા યુનિ.ના સત્તાધીશોનો ઢાંકપીછોડાનો પ્રયાસ
- 17, જાન્યુઆરી 2023 11:33 PM
- 4486 comments
- 8588 Views
વડોદરા, તા. ૧૭વિશ્વવિખ્યાત મ.સ.યુનિ.ના સાયન્સ ફેકલ્ટી સ્થિત બોટની ડિપાર્ટમેન્ટમાં ધોળેદહાડે જાહેરમાં એક વિદ્યાર્થિનીએ નમાજ પઢવાના ચકચારભર્યા કિસ્સામાં યુનિ.ના સત્તાધીશોએ વિવાદથી બચવા માટે સમગ્ર બનાવ પર ઢાંકપીછોડો કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આવા ગંભીર બનાવના છ દિવસ બાદ પણ બોટની ડિપાર્ટમેન્ટમાં નમાજ પઢનાર વિદ્યાર્થિની કોણ છે ? અને તે ખરેખર ફેકલ્ટીની વિદ્યાર્થિની છે કે પછી યુનિ. કેમ્પસમાં વારંવાર ગેરકાયદે ધુસીને અરાજકતા ફેલાવતા અસામાજિક તત્વોની ગેંગની કોઈ સભ્ય છે ? તેની સુધ્ધા યુનિ.ના સત્તાધીશોને જાણકારી મળી નહી શકતાં યુનિ.નું વહીવટી અને સિક્યુરીટી વિભાગ આવા બનાવોની તપાસમાં કેટલું ગંભીર છે તેની પણ પોલ ઉઘાડી પડી છે. મ.સ.યુનિ.ના સાયન્સ ફેકલ્ટી સ્થિત બોટની ડિપાર્ટમેન્ટમાં ગત ૧૩મી જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ પતંગોત્સવમાં વ્યસ્ત હતા તે સમયે બપોરને સમયે બોટની ડિપાર્ટમેન્ટના બીજા માળે ડ્રીન્કીંગ વોટર એરિયામાં દિવાલ તરફ એક વિદ્યાર્થીએ સાદડી પાથરી નમાજ પઢી હતી. આ સમગ્ર ઘટનાનો એકમાત્ર ‘લોકસત્તા-જનસત્તામાં’ અહેવાલ પ્રસિધ્ધ થતાં ભારે હોબાળો મચ્યો હતો. આ સમગ્ર ઘટનાની સાયન્સ ફેકલ્ટીની લોકલ કમિટીને તપાસ કરવાનો આદેશ કરાયો હતો જયારે આજે મ.સ.યનિ.માં મળેલી હાઈ પાવર કમિટીની બેઠક મળી હતી જેમાં યુનિ.માં અગાઉ થયેલી મારામારીની ઘટના સાથે બોટની વિભાગમાં વિદ્યાર્થિની દ્વારા નમાજ પઢવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. આ બેઠક અંગે મળતી વિગતો મુજબ આ બંને ઘટનાના સાક્ષી એવા ૯ વિદ્યાર્થીઓના કમિટી સમક્ષ પુછપરછ કરી નિવેદનો મેળવાયા હતા જેમાં નમાજ પઢવાની ઘટના બની હોવાનું વિદ્યાર્થીઓએ સ્વીકારી હોવાની વિગતો સાંપડી છે. બીજીતરફ આ સમગ્ર ઘટના અંગે પહેલેથી જ સેફ મોડમાં આવી ગયેલા સાયન્સ ફેકલ્ટીના ડીન હરિભાઈ કટારિયાએ આજે સમગ્ર વિવાદથી હાથ ખંખેરવા માટે માત્ર પાંચ લીટીનો એક જાહેર પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં એવી સુફિયાણી સુચના આપવામાં આવી હતી કે હવેથી સાયન્સ ફેકલ્ટીમાં કોઈ પણ વિદ્યાર્થી કે ફેકલ્ટી મેમ્બર્સ ધાર્મિક પ્રવૃત્તી કરી શકાશે નહી અને આ સુચનાનો ભંગ કરનાર સામે શિસ્તભંગના પગલા લેવાશે. જાેકે આ સમગ્ર ઘટનામાં સાયન્સ ફેકલ્ટીની લોકલ કમિટીની ફરજ એ છે કે નમાજ પઢનાર વિદ્યાર્થિની કોણ છે? અને તે ખરેખર સાયન્સ ફેકલ્ટીની છે કે પછી યુનિ. કેમ્પસમાં વારંવાર ગેરકાયદે ધુસીને અરાજકતા ફેલાવતા અસામાજિક તત્વોની ગેંગની કોઈ સભ્ય છે ? પરંતું આ રીતે સામાન્ય પરિપત્ર બહાર પાડી યુનિ.ના સત્તાધીશો જે રીતે સમગ્ર બનાવ પર ઢાંકપીછોડાનો પ્રયાસ કરી રહ્યા છે તે ભવિષ્યમાં ફરી આવી ઘટનાનું પુનરાવર્તન થાય તે માટે એક જાતનું પ્રોત્સાહન છે તેવું શિક્ષણવિદોનું માનવુ છે. નમાજના મુદ્દે મિડિયામાં પ્રતિક્રિયા આપનાર વિદ્યાર્થીને ધમકી બોટની ડિપાર્ટમેન્ટમાં નમાજના વિવાદ અંગે ટીવાય બીએસસી બોટની ડિપા.ના ૨૦ વર્ષીય વિદ્યાર્થી અને રોયલ ક્લબ ઓફ સાયન્સ ગ્રુપના સભ્ય કુલદીપ જાેષીએ મિડિયામાં પ્રતિક્રિયા આપી હતી જેની અદાવતે આજે સવારે તેને નાગરવાડામાં રહેતા અમ્માર ગાજિયાવાલાએ કોલેજ બહાર રોડ પર મળી ધમકી આપી હતી કે મુસ્લીમ છોકરી નમાજ પઢતી હોય જે બાબતે તે મિડિયાવાળાને બાઈટ આપી છે જેથી હું તારા ટાંટીયા તોડી નાખી જાનથી મારી નાખીશ. ગત રાત્રે પણ તેણે મોબાઈલ ફોન પર ‘ તું હોતા કોન હૈ બાઈટ દેને વાલા ’તેમ કહી અપશબ્દો બોલી મારવાની ધમકી આપી હતી. આ અંગે કુલદીપે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અમ્માર ગાજિયાવાલા સામે ગુનો નોંધી તેની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. માત્ર સાયન્સ ફેકલ્ટી પુરતું નહી પરંતું સમગ્ર યુનિ.માટે પરિપત્ર જાહેર કરો સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપા.માં વિદ્યાર્થિનીના નમાજના મુદ્દે ભેરવાયેલા સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વારા હવેથી સાયન્સ ફેકલ્ટીમાં કોઈ પણ જાતની ધાર્મિક પ્રવૃત્તી નહી કરી શકાય તેવો પરિપત્ર બહાર પાડવા અંગે ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસો.દ્વારા એવી માગણી કરાઈ છે કે ધાર્મિક પ્રવૃત્તી પર માત્ર સાયન્સ ફેકલ્ટીમાં જ પ્રતિબંધ લાદવામાં આવ્યો છો તે પ્રતિબંધ માત્ર એક ફેકલ્ટી પુરતો નહી નહી પરંતું સમગ્ર યુનિ.માં આ લાગુ કરવામાં આવે. એક વાર થાય તો ભુલ, પરંતુ ત્રણ-ત્રણ વખત થાય તે ચોક્કસ કાવત્રુ શિક્ષણધામમાં નમાજના વિવાદ અંગે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ ડો.જ્યોર્તિનાથ મહારાજે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે યુનિ.ના સંસ્કૃત ડિપાર્ટમેન્ટ ત્યારબાદ યુનિટ બિલ્ડીંગ ખાતે અને હવે બોટની ડિપાર્ટમેન્ટમાં નમાજ પઢવાની ઘટના બની છે. એક વાર બિનઈરાદાપુર્વક કોઈ કોઈ ભુલ કરે તો તેને ભુલ માની શકાય પરંતું સતત ત્રણ ત્રણ વખત જાે એક જ પ્રકારની ભુલ થાય તો તે ભુલ નહી પરંતું ચોક્કસ પ્રકારનું કાવત્રુ હોવાનું મારુ માનવુ છે અને આ અંગે કાર્યવાહી કરવા મે યુનિ.સત્તાધીશોને પણ અગાઉ ફરિયાદ કરી છે. નમાજ વિવાદની યુનિ. દ્વારા પોલીસને જાણ કરાઈ મ.સ.યુનિ.માં અવારનવાર નમાજ પઢવાના વિડીઓ વાયરલ થતાં યુનિ.માં શૈક્ષણીક અને શાંતિનું વાતાવરણ ખોરવાઈ રહ્યું છે તેને ધ્યાનમાં લઈને આ બનાવ સંદર્ભે યુનિ.કેમ્પસમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે યુનિ.ના સત્તાધીશોએ આજે શહેર પોલીસ તંત્રને જાણ કરી છે. યુનિ.દ્વારા વ્યક્ત કરાયેલી દહેશતના પગલે હવે આ બનાવની એ-ડિવિઝનના એસીપી ડી.જે.ચાવડાએ તપાસ શરૂ કરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.વધુ વાંચો -
શહેરમાં વધુ ૨૧ ઢોરવાડના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા નોટીસ અપાઈ
- 17, જાન્યુઆરી 2023 11:29 PM
- 7951 comments
- 1506 Views
વડોદરા, તા.૧૭રખડતા ઢોરોની સમસ્યા ત્રાસ દાયક બની છે. ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકારે બડોદરા કોર્પોરેશનમાં આવ્યું છે. આજે વધુ ૨૧ ઢોરવાડોના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા નોટીસ કર્મચારી દક્ષિણ વિસ્તારમાં બે ઢોરવાડ તોડી પાડ્યા હતા. ઉપરાંત એક ખાળકૂવો અને એક પાણી ડ્રેનેજનું કનેક્શન કાપી નાંખીવામાં આવ્યા હતા. શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા સૂચના અપાતા મ્યુનિસિપલના તંત્ર સક્રિય થતા સોમવારે ચારે ઝોનમાં ૪૦૬ ઢોરવાડને વોર્ન્િંાગ આપી હતી અને ઢોરવાડના પાણી ડ્રેનેજના ૬ જાેડાણ કાપી નાંખ્યા હતા. આજે પણ પાલિકાની ઢોરપાર્ટી દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી સાથે ઝોનમાં અધિકારીઓ સહિતની ટીમોએ પણ સવારથી કામગીરી કરી હતી. જેમાં પશ્ચિમ ઝોનમાં વધુ ૪ ગેરકાદેસર ઢોરવાડાના પાણી ડ્રેનેજના કનેક્શનો કાપી નાંખવા વોર્ન્િંાગ આપવામાં આવી હતી. જ્યારે દક્ષિણ ઝોનમાં દંતેશ્વર ભાથુજી નગર ખાતે ગૌપાલક દ્વારા કરવામાં આવેલ રોડનું વધારાનું બાંધકામ અને ખાળકૂવો તોડી પાડ્યો હતો. ઉપરાંત મકરપુરા એરફોર્સ પાસે પણ એક ગેરકાયદે ઢોરવાડો તોડી પાડ્યો હતો. જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોવાળા ૨૧ પશુવાડાઓને નોટીસ આપવામાં આવી હતી. ઉપરાંત હોટસ્પોટ પરથી પાંચ ગાયના ટેગીંગ નંબરના અધારે પશુ માલિકોને ચેતવણી આપવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા આજે વધુ ૧૧ પશુઓનું ટેગીંગ કરીને ૧૭ પશુઓને ગૌશાળામાં મોકલી આપી હતી. આમ પાલિકા દ્વારા સતત બીજા દિવસે રખડતા પશુઓ છોડનારા ગૌપાલકો સામે સઘન કાર્યવાહી ચાલું રાખી હતી. ૭ આખલા સહિત ૩૮ રખડતા પશુ પકડાયા પાલિકાની વિવિધ ટીમો દ્વારા સોમવારથી રખડતી ગાયો સહિતના પશુઓ પકડવા માટે રાઉન્ડ ધી ક્લોક કામગીરી શરૂ કરી છે. સીસીટીવીના આધારે પણ તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સોમવારે અન મંગળવાર એમ બે દિવસમાં પાલિકાની ટીમ દ્વારા ૭ આખલા સહિત ૩૮ રખડતા પશુઓને પકડીને ઢોર ડબ્બામાં પૂર્યા હતા.વધુ વાંચો -
નેશનલ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટ ગુજરાતના માલવે સેમિફાઇનલમાં રમવાની તક ગુમાવી
- 17, જાન્યુઆરી 2023 10:55 PM
- 6957 comments
- 4761 Views
વડોદરા, તા.૧૭વડોદરાના સમા ઇન્ડોર કોમ્પલેક્સ ખાતે રમાઈ રહેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મંગળવારે ગુજરાતના માનવ પંચાલની યૂથ બોયઝ અંડર-૧૩ કેટેગરીમાં શાનદાર આગેકૂચ અટકી ગઈ હતી તે ક્વાર્ટર ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરના રિત્વિક ગુપ્તા સામે તેનો ૦-૩થી પરાજય થયો હતો.અમદાવાદનો ૧૨ વર્ષીય માલવ રાજ્યનો એકમાત્ર ખેલાડી હતો જે મેઇન ડ્રો બાદ ટકી રહ્યો હતો કેમ કે સમર્થ શેખાવત, માનવ મહેતા, દાનિયા ગોદીલ, મૌબિની ચેટરજી અને જિયા ત્રિવેદી પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા હતા. અંડર-૧૫ કેટેગરીમાં ગુજરાતના આયુષ તન્ના, હિમાંશ દહિયા, પ્રાથા પવાર, રિયા જયસ્વાલ, મૌબિની ચેટરજી, જિયા ત્રિવેદી તથા નિધી પ્રજાપતિ અનુક્રમે બોયઝ અને ગર્લ્સ કેટેગરીના મેઇન ડ્રોમાં પ્રવેશ્યા હતા પરંતુ માત્ર સુરતના આયુષ તથા અમદાવાદની પ્રાથા દ રાઉન્ડ ઓફ ૬૪ની આગળ નીકળી શક્યા હતા. દરમિયાન આયુષે રાઉન્ડ ઓફ ૩૨માં પ્રવેશવા માટે તનિશ પેન્ડસેને ૩-૦ (૧૧-૩,૧૧-૬,૧૧-૭)થી હરાવ્યો હતો. ઇન્ટરનેશનલ મેડલ વિજેતા પ્રાથાએ તીવ્ર રસાકસીભરી મેચમાં બંગાળ-એ ટીમની જિત્સા રોયને ૩-૨ (૧૦-૧૨,૧૧-૫,૯-૧૧,૧૧-૯,૧૨-૧૦)થી હરાવીને આગેકૂચ કરી હતી. દિલ્હીના આયુષી સિંહા સામે નિધીને પરાજય થયો હતો તો તામિલનાડુની એમ. અનાયાએ જિયાને ૦-૩થી અને બી. રીના (તામિલનાડુ)એ મૌબિનીને ૦-૩થી હરાવી હતી. દરમિયાન ઉત્તર પ્રદેશના વીર બાલ્મિકીએ અંડર-૧૧ ટાઇટલ જીતી લીધું હતું. તેણે શાનદાર પ્રદર્શન કરીને મહારાષ્ટ્રના પ્રતિક તુલસાનીને ૩-૦થી હરાવ્યો હતો તો બંગાળ-એ ટીમની સતુર્યા બેનરજીએ ગર્લ્સ અંડર-૧૧ ટાઇટલ જીતવા માટે તનિષ્કા કાલભૈરવ (કર્ણાટક)ને ૩-૧ થી હરાવી હતી.વધુ વાંચો -
પાણીગેટથી માંડવી સુધીના રોડ પર વેપારીઓને દબાણ નહીં કરવા સૂચના
- 17, જાન્યુઆરી 2023 10:54 PM
- 9000 comments
- 7678 Views
વડોદરા,તા.૧૭ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારીઓ સાથે આજે મેયર તથા સ્થાયી સમિતીના ચેરમેન સવારે પાણીગેટ થી માંડવી સુધીના રોડ પર ચાલતા નીકળ્યા હતા અને દુકાનદારોને રોડ પર ટ્રાફિકને નડતરરૂપ બને તે રીતે માલ સામાન અને લટકણીયા તેમજ મેનેક્વીન વગેરે રાખી દબાણ નહીં કરવા સુચના આપી હતી. પાણીગેટ થી માંડવી સુધીનો રોડ આમ પણ ઘણો સાંકડો છે, પરંતુ વેપારીઓ દ્વારા રોડ પર લોખંડની એંગલો, પૂતળા વગેરે રાખીને જે રીતે ડિસ્પ્લે કરે છે. તેના કારણે રોડ પર પસાર થવાની જગ્યા રહેતી નથી અને તેના લીધે ટ્રાફિક જામ થાય છે. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ આ વિસ્તારમાં વેપારીઓને રોડ પર દબાણ નહીં કરવા અને માર્ગ ખુલ્લો રહે તે માટે સૂચના આપી હતી, પરંતુ તેનું કોઈ અમલ થયો નથી જેથી આજે ફરી વખત ચાલતા નીકળીને દુકાનદારોને સમજ આપી હતી, અને ચીમકી આપી હતી કે જાે વેપારીઓ સમજ નહીં દાખવે અને આમજ રોડ પર દબાણો કરતા રહેશે તો દુકાન બંધ કરાવવા સુધીની કોર્પોરેશન કાર્યવાહી કરશે તેવી તાકીદ પણ કરી હતી. દુકાનદારો ધંધો કરે તેની સામે કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ લોકોને અને વાહન ચાલકોને નડતરરૂપ બને તે રીતે રોડ પર પૂતળા અને એંગલો મૂકી દબાણ કરવું તે ઠીક નથી તેવી સ્પષ્ટ સૂચના આપી હતી. આજની આ મૌખિક સૂચના પછી પણ જાે વેપારીઓ દબાણ કરવાનું ચાલુ રાખશે તો કોર્પોરેશન આગામી દિવસોમાં દબાણ હટાવી માલસામાન વગેરે જપ્ત કરવા સહિતની કાર્યવાહી હાથ ઘરશે તેમ જાણવા મળે છે.વધુ વાંચો -
સોશિયલ મિડિયા પર ફોટા મુકી પહાડી પોપટનું વેચાણ કરનાર શખ્સની ધરપકડ
- 17, જાન્યુઆરી 2023 10:52 PM
- 9517 comments
- 5224 Views
વડોદરા, તા. ૧૭ઓનલાઈન સ્ટેટસ મુકી વન્યજીવોનું વેચાણ કરનાર વ્યક્તિની બાતમીને આધારે ગુજરાત એસ.પી.સી.એ. સંસ્થા દ્વારા વન વિભાગને સાથે રાખીને ડમી ગ્રાહક બની રેડ પાડતા પહાડી પોપટ તેમજ કુતરાના બચ્ચાનું વેચાણ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. મૂળ દાહોદના ચૌહાણ વિજેન્દ્રસિંહ હિંમતસિંહ પેટ સેન્ટર (પાળેલા કૂતરાનું વેંચાણ કરતું સેન્ટર) ચલાવે છે. તેઓ દ્વારા થોડા દિવસ અગાઉ પોપટના વેચાણ માટેનું ઓનલાઈન સ્ટેટસ મુકયું હતું. જેની જાણ ગુજરાત પ્રાણી નિવારણ સંસ્થાને થતા તેઓ વડોદરા અને દાહોદ વન વિભાગને સાથે રાખીને ડમી ગ્રાહક બનીને તેની પાસેથી પ્રથમ કુતરાની ખરીદી માટેની માહિતી માંગી હતી. બાદમાં પોપટ વિશેનું જણાવતા તેને એક પોપટ બે હજારની કિંમતમાં વેચવાનું નક્કી કરતા તેને ગોધરા – દાહોદ હાઈવે પર પોપટ અને કુતરુ આપવાનું નક્કી કરીને બોલાવ્યા બાદ તેની વન વિભાગના અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી કુલ ૧૪ પહાડી પોપટ તેમજ ફિટનેસ સર્ટીફીકેટ વિનાનું માત્ર પાત્રીસ દિવસનું કુતરાંનું બચ્ચું મળી આવતા તેની વિરુધ્ધ વન્યજીવ વેંચાણનો તેમજ પ્રાણી ક્રુરતાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વધુ વાંચો -
પતંગની દોરીથી ઘાયલ થતાં ૧નું મોત ઃ ૨૫થી વધુ ઘાયલ
- 15, જાન્યુઆરી 2023 10:36 PM
- 9447 comments
- 2585 Views
વડોદરા, તા.૧૫ઉત્સવપ્રિય નગરીમાં ઉત્તરાયણ પતંગોત્સવ દરમિયાન વિતેલા ૪૮ કલાક દરમિયાન રપથી વધુ પતંગ-દોરીથી વાહનચાલકોના ગળા કપાવાના અને ધાબા ઉપરથી પડી જવાના બનાવો બન્યા છે. જેમાં એક વ્યક્તિનું પતંગની દોરીથી ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. છાણી ગામ નંદનગરમાં રહેતા સ્વામીજી પરત્માનંદ યાદવ (ઉં.વ.૩પ) રણોલી બ્રિજ પરથી પસાર થતા હતા તે દરમિયાન પતંગની ચાઈનીઝ દોરી તેમના ગળામાં આવી ગઈ હતી. હેલ્મેટ પહેરેલ હોવા છતાં સ્વામીજી યાદવના ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને મોતને ભેટયા હતા. ગાજરાવાડી ગણપતિ મંદિર પાસે રહેતા રણજિતસિંહ માનસિંહ પઢિયાર (ઉં.વ.૩૭)ના ગળામાં પતંગની દોરી આવી જતાં ગળાના ભાગે ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રતાપનગર અનુપમનગરમાં રહેતી પ્રિયાંશી ઉમેશભાઈ માળી (ઉં.વ.૧૦)ને કપાયેલી પતંગની દોરીનો ઘસરકો ગાલ ઉપર વાગતાં ગાલ અને હોઠ કપાઈ ગયા હતા. છાણી જકાત નાકા પાસે રહેતો રોકી દાઉદભાઈ પરમાર (ઉં.વ.૩પ) હાલોલ રોડ પર ગળાના ભાગે પતંગની દોરી ભરાઈ જતાં ઘાયલ થયો હતો. માંડવી મહેતા પોળમાં કલ્યાણરાયજી હવેલી સામે રહેતા અમિત કિરીટભાઈ ત્રિવેદી (ઉં.વ.૩પ)ને સંગમ ચાર રસ્તા પાસે ગળામાં પતંગની દોરી આવી જતાં ઈજાગ્રસ્ત થયો હતો. પ્રતાપનગર રોડ ગીતામંદિરની ચાલીમાં રહેતો વિજય જિતેન્દ્રભાઈ (ઉં.વ.રપ)ને અકોટા બ્રિજ પર પતંગની દોરી ગળામાં ફસાઈ જતાં ઈજા પહોંચી હતી. કારેલીબાગ તુલસીવાડી સંજયનગરમાં રહેતો સ્નેહલ જશુભાઈ પરમાર (ઉં.વ.ર૩)ને લાલબાગ બ્રિજ કાશીવિશ્વનાથ મંદિર પાસે પતંગની દોરી ગળામાં આવી ગઈ હતી, જેથી તેને ઈજાઓ પહોંચી હતી. માણેજા ક્રોસિંગ પાસેથી બાઈક પર પસાર થતી વખતે સ્વામીનારાયણ આશીર્વાદ સોસાયટીમાં રહેતો શુભમ્ ભાનુદાસ સુર્વે (ઉં.વ.રર) પતંગની દોરી આવી જતાં ઈજાઓ થઈ હતી. મકરપુરા જીઆઈડીસી ભવાનીનગરમાં રહેતો પાર્થ નિલેશભાઈ કરાઈ (ઉં.વ.ર૦) ને બાઈક પર જતી વખતે ઘર પાસે જ પતંગની દોરી આવી જતાં તેને ઈજાઓ પહોંચી હતી. સરદાર એસ્ટેટ રોડ પર ખોડિયારનગરમાં રહેતો વિજય ભીમાભાઈ રાવલ (ઉં.વ.૩૮)ને ફતેગંજ બ્રિજ પરથી બાઈક લઈને જતી વખતે પતંગની દોરી નાક ઉપર આવી જતાં તેને ઘસરકો વાગતાં લોહીલુહાણ થયો હતો. નવાપુરા વિસ્તાર એસએસસી બોર્ડની કચેરી પાસ રહેતો સંતોષ બાળાભાઈ દેવીપૂજક (ઉં.વ.૩ર)ને પતંગની દોરી આવી જતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. અલવા નાકા કોતર તલાવડી સોનાપાર્કમાં રહેતો રવિ અશોકભાઈ માળી (ઉં.વ.ર૬)ને ગળામાં પતંગની દોરી આવી જતાં તે ઘાયલ થયો હતો. આજવા રોડ એકતાનગરમાં રહેતો સાહિલ ફિરોજ શેખ (ઉં.વ.૮) મકાનના ધાબા પર પતંગ ચગાવતો હતો તે વખતે તે ધાબા પરથી નીચે પડતા માથાના ભાગે ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ સાથે શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પતંગની દોરીથી ઈજાગ્રસ્તો અને ધાબા ઉપરથી નીચે પડવાના અલગ અલગ સ્થળોએ રપથી વધુ બનાવો બનવા પામ્યા હતા.વધુ વાંચો -
બે મકાનના ટેરેસમાં આગના બનાવો સાથે ૭ બનાવો નોંધાયા
- 15, જાન્યુઆરી 2023 10:35 PM
- 9261 comments
- 2029 Views
વડોદરા, તા.૧૫ઉત્તરાયણના તહેવારની ઉજવણી દરમિયાન શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાના કુલ સાત બનાવો બનવા પામ્યા હતા. જેમાં કમુબાળા હોલ, ગેંડીગેડ રોડ અને માંડવી નરસિંહજી પોળના મકાનોના ધાબાઓ ઉપર સળગતા ગુબ્બારાઓ પડતાં આગ લાગવાના બનાવો નોંધાયા હતા. શહેરના માંડવી સ્થિત નરસિંહજીની પોળમાં આવેલ ઝવેરી કાંતિલાલનું મકાન આવેલ છે. તેમના મકાનના ધાબા ઉપર સળગતો ગુબ્બારો પડતાં પડતાં ધાબા ઉપર ફાટેલી પતંગો અને કેટલોક સામાન મૂકેલ હોવાથી જે સળગી ઊઠયો હતો. જાે કે, આગ વધુ પ્રસરે એ પહેલાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં રેસ્કયૂ ટીમ બનાવસ્થળે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. એ જ પ્રમાણે ગેંડીગેટ રોડ સ્થિત કમુબાળા હોલની સામે આવેલ એક મકાનના ધાબા ઉપર સળગતો ગુબ્બારો પડતાં ધાબા પરનો કેટલોક સામાન સળગી ગયો હતો. જેના કારણે આગે દેખા દીધી હતી. રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિક રહીશોમાં ભાગદોડી મચી ગઈ હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં રેસ્કયૂ ટીમ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.વધુ વાંચો -
મ.સ. યુનિ.પરિસરમાં કોન્ટ્રાકટર દ્વારા ચંદનના ઝાડ કાપવામાં આવતાં વિવાદ
- 15, જાન્યુઆરી 2023 10:34 PM
- 8904 comments
- 914 Views
વડોદરા,તા.૧૫મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીનાં પરિસરમાં અનેક સ્થળોએ ચંદનનાં ઝાડ આવેલ છે. અને તસ્કરો દ્વારા અનેકવાર ચંદનનાં ઝાડની ચોરીની ઘટનાઓ બની છે. પરંતુ યુનિ.નાં કોન્ટ્રાકટર દ્વારાજ યુનિ. પરિસરમાં આવેલ ચંદનનાં કિંમતી ઝાડને કાપી નાંખવામાં આવતા વિદ્યાર્થીઓએ કોન્ટ્રાકટર સામે પોલીસ ફરીયાદ સહિત પગલા લેવાની માંગ કરી છે. હાલમાં યુનિ. પરિસરમાં વૂક્ષોને ટ્રીમીંગ કરવાનું કાર્ય ચાલી રહ્યુ છે. ત્યારે મોટા થઇ ગયેલા વૂક્ષોના છાંટવાનાં કાર્ય દરમ્યાંન કોન્ટ્રાકટર દ્વારા માલતીબાગમાં આવેલ એક ચંદનનાં ઝાડને કાપી નાંખતા વિવાદ સર્જાયો છે. કાપી નાંખવામાં આવેલ ચંદનનાં ઝાડ મામલે યુનિનાં વિદ્યાર્થીઓને ખબર પડતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ચંદનનાં ઝાડનાં લાકડાઓ સગેવગે ન થાય તેની તકેદારી લીધી હતી. પરંતુ વિદ્યાર્થીઓએ કોન્ટ્રાકટ દ્વારા ચંદનનાં ઝાડને કાપ નાંખવા મામલે અનેક સવાલો ઉભા કર્યા છે. શુ કોન્ટ્રાકટર ચંદનનાં ઝાડને ઓળખતો ન હતો.ભુલથી ચંદનની ઝાડ કાપી નાંખ્યા બાદ તેણે યુનિ. સત્તાધીશોને તેની જાણ કરી છે કે કેમ.. સહિત અનેક પ્રશ્નો સાથે વિદ્યાર્થીઓ સંબધિત કોન્ટ્રાકટર સામે પોલીસ ફરીયાદ સહિત પગલાઓ લેવાની માંગ કરી છે.વધુ વાંચો -
રાજનેતાઓ અને ક્રિકેટરો દ્વારા પરિવારજનો સાથે પતંગોત્સવની ઉજવણી
- 15, જાન્યુઆરી 2023 10:29 PM
- 4096 comments
- 1845 Views
ઉત્સવપ્રિય નગરી વડોદરામાં પતંગોત્સવનો અનેરો માહોલ જાેવા મળ્યો છે ત્યારે આ માહોલને માણવા શહેરના વિવિધ રાજનેતાઓ પૈકી યોગેશ પટેલ, કેયુર રોકડીયા, ચૈતન્ય દેસાઈ, મનીષા વકીલ, રંજન ભટ્ટ, ડાॅ. વિજય શાહ તેમજ ક્રિકેટર કિરણ મોરેએ તેમના પરિવારજનો સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ