દક્ષિણ ગુજરાત સમાચાર

  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાહુલ, શાહ અને કેજરીવાલનો સૌરાષ્ટ્રમાં હુંકાર

    રાજકોટ રાહુલ ગાંધીએ રાજકોટમાં વિશાળ જનમેદની સામે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. સાથે જ મંચ પરથી ભાજપ પર ઉદ્યોગપતિઓને લ્હાણી કરાવતો આરોપ પણ મૂક્યો. સંબોધનની શરૂઆત પહેલા તેમણે મોરબી દુર્ઘટના મુદ્દે ૨ મિનિટનું મૌન પાળ્યુ હતું. મોરબી દુર્ઘટના પર ગાંધીએ કહ્યું કે, મને પત્રકારોએ પૂછ્યુ કે તમે શુ વિચારો છો. મેં કહ્યું કે, ૧૫૦ લોકોના મોત થયા છે, આ રાજકીય મુદ્દો નથી. આ વિશે હુ નહિ બોલું. પરંતુ આજે સવાલો ઉઠે છે. જેઓએ આ કામ કર્યું તેની સામે કોઈ કાર્યવાહી નહિ. કોઈ એફઆઈઆર નહિ. બીજેપી સાથે તમારો સારો નાતો છે. તો તેમને કંઈ નહિ થાય કે શું. ચોકીદારોને પકડીને અંદર કર્યાં. પરંતુ જવાબદારો સામે કંઈ ન થયું. ગુજરાત સ્મોલ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝનુ હાડકુ છે. નાના વેપારીઓ રોજગાર આપતા હતા, પરંતુ સરકાર કાળાધનના નામે નોટબંધી લાવી, પરંતુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બંધ થઈ ગયા. પાંચ અલગ અલગ ટેક્સ લાવ્યા. જે વેપાર બચ્યા હતા તે પણ નાબૂદ થયા, અરબપતિઓ માટે રસ્તો બનાવવાનો હતો. કોરોનાના સમયે પણ એવુ જ કર્યું. જીએસટી બાદ કોરોના આવ્યો, તેમાં પણ સરકારે મદદ ન કરી. આ કોઈ પોલિસી નથી. નોટબંધી, જીએસટી, કોવિડ કોઈ પોલિસી નથી. તે ખેડૂત, મજબૂર, વેપારીઓને નાબૂદ કરવાના હથિયાર છે. હિન્દુસ્તાનના બે-ચાર ઉદ્યોગપતિઓ માટે રસ્તો બનાવવાના હથિયાર છે. આ અરપતિઓ પોર્ટ, એરપોર્ટ, ઈન્ફ્રસ્ટ્‌ર્કચર, ખેતી, ગ્રોસરી સ્ટોરમાં ઘૂસી રહ્યાં છે. પરંતુ હિન્દુસ્તાનનો યુવા સપનુ જાેવા માંગતો હોય તો તેના માટે લાખો રૂપિયા આપવા પડે છે.કોડિનારમાં અમિત શાહનું સંબોધન ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કાૅંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપના પ્રચાર માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અને ગીર સોમનાથના કોડીનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભા યાજાેઈ હતી. અમિત શાહ સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ કહે છે અમારું કામ બોલે છે, હું તેમને પુછવા માગુ છું કે તમે ૨૫-૩૦ વર્ષથી તમારી સરકાર જ નથી તો તમારું કયો કામ બોલે છે. ભાજપ સરકારે એક જ ઝાટકે ૩૭૦ ની કલમને હટાવી. આમ આદમી પાર્ટીને લઈ લોકોને કહ્યું કે, મેધા પાટકરને લઈને છછઁ સામે જવાબ માંગવાનો છે. કે જેઓએ સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં વિલંબ ઉભો કર્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરતમાં બસમાં લાગેલી આગમાં ભાવનગરની મહિલાનું કરૂણ મોત નિપજ્તા પરિવારમાં શોક

    ભાવનગર, સુરત શહેરમાં ગઈકાલે રાત્રે એક બસમાં આગ લાગી હતી. જેમાં ભાવનગરની એક મહિલાનું મોત થયું છે. સુરતથી ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની બસમાં ગઈકાલે એકાએક આગ લાગી હતી. આ બનાવમાં ભાવનગરનું નવયુગલ ભોગ બન્યું છે. જે પૈકી પરિણીતા ઘટના સ્થળે જ ભડથું થઈ જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જયારે તેના પતિ પણ ગંભીર રીતે દાજી જતા હાલ હોસ્પિટલની બિછાને છે. આ ઘટનાથી ભારે અરેરાટી સાથે આઘાત છવાઈ ગયો હતો. આ બનાવની વિગતો મુજબ સુરતના યોગીચોક પાસે મંગળવારે મોડી રાત્રે રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી. આજે મૃતકના પરિવારજનોએ સુરત પહોંચી પરિણીતાએ પહેરેલી વીંટી, ઝાંઝર અને કપડાના આધારે શબ પરિણીતાનું જ હોવાનું ઓળખી બતાવ્યું હતું. પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી વિધિ બાદ મૃતદેહ સોપાતા બપોરે પરિવારજનો તાન્યાબેનનું શબ અને ઈજાગ્રસ્ત વિશાલભાઈને લઈને ભાવનગર આવવા નીકળ્યા હતા. જ્યા ભાવનગરમાં યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.આ બનાવમાં ભોગ બનનાર સિંધી દંપતીની ગોવાથી અમદાવાદની આજે બુધવારની ફ્લાઈટ હતી પરંતુ કોવિડના કારણે તે ફ્લાઈટ કેન્સલ થઈ હતી. જયારે હવાઈ સેવાની કંપનીએ એક દિવસ અગાઉની સૂરતની ફ્લાઈટમાં ટિકિટની વ્યવસ્થા કરી આપતા મંગળવારે જ ગોવાથી પીકઅપ કરી દંપતી સૂરત જવા નીકળ્યું હતું, સાંજે ૫ વાગ્યા આસપાસ સુરત પહોંચ્યા અને ભાવનગર આવવા રાજધાની ટ્રાવેલ્સમાં હીરાબાગથી બેઠા હતા. તેની થોડી વારમાં જ આગ ફાટી નીકળી હતી.આ બનાવમાં ભોગ ગ્રસ્ત દંપતીના લગ્ન થયાને હજુ બે વર્ષ જ થયા હતા, ૧૭મીએ એનિવર્સરી હોવાથી આ દંપતી ગોવા ફરવા ગયું હતું. પીરછલ્લા શેરીમાં સાગર દુપટ્ટા નામે વ્યવસાય કરતા વિશાલ નારાયણભાઇ નવલાણી (રે. રસાલા કેમ્પ, ડોકટર હાઉસ સામે, રમ નંબર ૭, ઘર નં ૧૮૨) તેમના પત્ની તાન્યાબેન સાથે ગોવા ફરવા ગયા હતા. રિટર્ન ફરતી વખતે સુરતથી ખાનગી બસમાં ભાવનગર આવવા નીકળ્યા હતા.રાજધાની ટ્રાવેલ્સની બસની ડીકીમાં સેનેટાઇઝર હોવાથી આગ વધુ ભડકી હોવાનું ભોગગ્રસ્તના સગાઓએ જણાવ્યું હતું. આ મામલે ઊંડી તપાસ કરવા માંગ કરાઈ છે. સુરત બસ અકસ્માતમાં મૃત્યુ પામેલ ભાવનગરની દીકરી અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સરકાર સહાય આપે તેમની ઉચ્ચ સારવાર કરાવે અને ઘટનાના જવાબદાર લોકો પર કાયદેસરની કડક કાર્યવાહી થાયે તેવી સમાજ સેવી કમલેશ ચંદાણીએ માંગ કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    જીએસટી વધારાના વિરોધમાં અમદાવાદના કાપડ ઉદ્યોગની ધોરી નસ સમાન મસ્કતી માર્કેટ જડબેસલાક બંધ

    કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગ પર જીએસટી ના પાંચ ટકાથી વધારીને ૧૨% નો અધધ વધારો નાખતા આ વધારો કાપડના વેપારીઓને અસહ્ય થઈ પડતાં શહેરની કાપડ ઉદ્યોગની ધોરીનસ કહેવાતી મસ્કતી માર્કેટ સહિત ૨૫ નાના-મોટા કાપડ ઉદ્યોગની માર્કેટ હોય ૧૨% જી.એસ.ટી ના વિરોધમાં સજ્જડ બંધ પાળ્યો હતો કોરોના મહામારી દરમિયાન ધંધો પડી ભાંગ્યો હતો તેમાંથી માંડ બહાર આવી વેપાર-ધંધાની ગાડી ફરીથી પાટે ચડાવવાનો ભગીરથ પ્રયાસ કરતા વેપારી ને માથે ૧૨% જી.એસ.ટી નો માર પડતા શહેરના કાપડ ઉદ્યોગની ધોરી નસ કહેવાતી મસ્કતી માર્કેટના વેપારીઓએ નછૂટકે જીએસટીના મુદ્દે સરકાર સામે વિરોધનું રણશિંગુ ફુક્યું છે જીએસટી મુદ્દે વેપારીઓએ અનેકવાર સરકારને વિનંતી કરવા છતાં સરકારે કોઇ દાદ ન આપતા છે માટે વેપારીઓ એ અંધારપટ નો પ્રોગ્રામ આપી રસ્તા પર ઉતરી આવ્યા હતા છતાં સરકારના પેટનું પાણી ન હાલતા છેવટે મસ્કતી માર્કેટના તમામ વેપારીઓએ તાળાબંધી નો કાર્યક્રમ આપ્યો હતો સમગ્ર મસ્કતી માર્કેટ એ સજ્જડ બંધ પાળી સરકારની નીતિનો વિરોધ કર્યો હતો આ વિરોધમાં ૨૫ કાપડ ઉદ્યોગની માર્કેટ પણ જાેડાઈ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    લિંડા મોડલ સ્કૂલમા ભોજન પૂરું પડતી એજન્સીને રદ કરી અને નવી એજન્સીને ઈજારો આપવા હુકમ

    નસવાડીઃ નસવાડી તાલુકાના લિંડા ગામ ખાતે ચાલતી કન્યા સાક્ષરતા શાળાના ભોજનનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો આદેશ ગાંધીનગરના કર્યાપાલાક નિયામક દ્રારા કરવામાં આવ્યો છે.ભોજનમા વિધાર્થીનીઓને ગુણવતા વાળો ખોરાક ના આપતાં ૭૦ વિધાર્થીનીઆએે નિયામકને રૂબરૂ મા જવાબ આપ્યો હતો જેના લીધે ભોજન નો કોન્ટ્રાક રદ કરાયો લોકસતા જનસતા અહેવાલની અસર પડી છોટાઉદેપુર સાંસદ અને ભરૂચ સાંસદની મહેનત રંગ લાવી છે.    પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામા લિંડા ખાતે ચાલતી શાળામાં ૧૪૦૦ વિધાર્થીનીઓ મોડલ સ્કૂલ અને સાક્ષરતા કન્યા શાળામાં અભ્યાસ કરે છે કન્યાઓને રહેવા અને ભોજન ની સુવિધા સરકાર દ્રારા પુરી પાડવામાં આવે છે આ શાળાઓનું સંચાલન છોટાઉદેપુર જીલ્લાના પ્રયોજના અધિકારી આદિજાતિ વિભાગ દ્રારા કરવામા આવે છે લિંડા ગામે ચાલતી શાળામા વિધાર્થીઓને ભોજન હલકી ગુણવતા વાળું તેમજ પાણી વાળું દૂધ અને કાચી રોટલી આપવામાં આવતી હોવાથી વિદ્યાર્થીનીઓએ હલાબોલ કરતા આની તપાસ માટે ગાંધીનગરથી કાર્યપાલક નિયામક શાળાએ આવીને તાપસ હાથધરી અહેવાલ તૈયાર કરી બંધ કવરમાં સરકારમાં સોંપ્યો હતો ૭૦ જેટલી વિદ્યાર્થીનીઓના એક પછી એક જવાબ લીધા કાર્યપાલક નિયામકએ લીધા હતા જેમાં ભોજન ખરાબ અપાતું હોવાની વિધાર્થીનીઓ અધિકારીઓને રજુવાત કરતા ખરભળાટ મચી ગયો હતો જેને લઈને સમગ્ર મામલામા તપાસનો ધમધમાટ થયો હતો જયારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા પોતાના આદિવાસી સમાજની કન્યાઓની વહારે આવ્યા હતા ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ લોકસતા જનસતાના અહેવાલને જાેઈન્ટ કરીને આદિજાતિ મંત્રીને પત્ર લખ્યો હતો સરકારે આની ગંભીર નોંધ લીધી છે અને તાત્કાલિક અસરથી લિંડા મોડલ સ્કૂલમા ભોજન પૂરું પડતી એજન્સીને રદ કરી અને નવી એજન્સીને ભોજન બનાવવા માટે નો ઈજરો આપવામાંનો હુકમ કર્યો છે જેથી લોકસતા જનસતાના અહેવાલની અસર પડી છે
    વધુ વાંચો
  • ગુજરાત

    વોર્ડનને સસ્પેન્ડ કરવાના હુકમને રદ કરવાની માંગ સાથે વિધાર્થીનીઓનો ભારે સુત્રોચ્ચાર

    નસવાડી:નસવાડી તાલુકાના લિંડા ગામે આવેલી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડલ સ્કૂલના વિધાર્થીઓ વોર્ડનના સમર્થનમાં શાળાનો કેમ્પસ છોડી, ગેટ કૂદીને ને રોડ પર આવી ભારે સુત્રોચ્ચાર કરીને વોર્ડનને સસ્પેન્ડ કરવાનો જે હુકમ કરવામાં આવ્યો છે જેને રદ કરવા માટે વિધાર્થીનીઓ એ માગ કરી હતીપ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકા ના લિંડા શાળાની એક હજાર જેટલી વિધાર્થીનીઓ ઓને ખબર પડી ક તંત્ર દ્રારા ૮ વોડન ને છૂટી કરી દેવમા આવ્યા છે. જેને લઈને વિદ્યાર્થીની ઓમા સવાર થી આક્રોશ હતો તવો શાળા ની જવાની જગ્યાએ હોસ્ટેલ કેમ્પસ માંથી બહાર આવી શાળા નો ગેટ કૂદી ને રોડ ઉપર આવી જતા ગેટ બહાર આવી રોડ ઉપર સૂત્રોચ્ચાર કર્યા તેવોની માંગણી હતી કે રસોડામાં ભોજન સારૂ ના આપવવામાં આવતા અમોએ આંદોલન કર્યું હતું જેમાં વોર્ડન નો શુ વાંક.વોર્ડન કેમ છુટા કરવામાં આવ્યા છે. તેમને પાછા લો. ગુજરાતી માં એક કહેવત છે પાડા ના વાંકે પખાલીને દામ તે કહેવત લિંડા સ્કૂલમાં સાર્થક થાય છે કારણકે ભોજન ખરાબ અપાતું હતું જેને લઈને વિધાર્થીનીઓએ વિવાદ ઉભો કયો થયો હતો અને જેની તપાસ ઉચ્છ કક્ષાએથી કરવામાં આવી હતી પરંતુ રસોઈયા ને છૂટા કરવાની જગ્યાએ વોર્ડનને છુટા કરી દેવાતા વિધાર્થીનીઓ વોર્ડનના સમર્થનમાં આવી હતી અને ૧૦૦૦ જેટલી વિધાર્થીનીઓ રોડ પર આવી જતા શાળાના આચાર્ય મુશ્કેલીમાં મુકાયા હતા વિધાર્થીનીઓ શાળા છોડીને ઘરે જવા માટે બહાર આવી જતા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિદ્યાર્થીની ઓએ માગ કરી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ઉંમરપાડામાં ૬ અને વલસાડ-પારડીમાં ૪ ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું

    અમદાવાદ, વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર સાયક્લોનિક સરક્યુલેશનને લીધે રાજ્યભરમાં ભરશિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨૦ તાલુકામાં ૬ ઈંચથી લઈને સામાન્ય ઝાપટાં પડ્યા હતા.જેમાં સુરતના ઉંમરપાડામાં ૬ ઈંચ, વલસાડમાં ૪ ઈંચ,પારડીમાં ૪ ઈંચ, સલસાણા, નવસારી, વાપીમાં ત્રણ ઈંચ, અને દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદપડ્યો હતો. દરમિયાન ગુરૂવારના રોજ સવારે ૬ વાગ્યાથી ૨ વાગ્યા દરમિયાન ૫૫ તાલુકામાં ઝાપટાંથી લઈને એક ઈંચ વરસાદપડ્યો હતો.અરબી સમુદ્રના સરકયુલેશનની અસર તળે ગત રાત્રે સૌરાષ્ટ્ર-ગુજરાતના ૧૨૯ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ચોમાસા જેવો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સુરતના ઉંમરપાડામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ધોધમાર ૬ ઇંચ વરસાદપડતા વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. આ ઉપરાંત વલસાડ શહેર તથા જિલ્લાનાપારડી અને નવસારીના ખેરગામમાં ચાર-ચાર ઇંચ, વલસાડના કપરાડા અને ઉંમરગામમાં ૩.૫ ઇંચ, સુરતના મહુવામાંપણ ૩.૫ ઇંચ ઉપરાંત સુરતનાપલસાણામાં ૩, વાપી, નવસારી, ચિખલીમાં ૩ ઇંચ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં વરસી ગયો હતો.ડાગના વઘઈ, નવસારીના જલાલપોર, ડાંગ (આહવા) તથા વલસાડના ધરમપુરમાં ૨.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. દરમિયાન સુરતના કામરેજ, નવસારીના વાંસદા, ગણદેવી, તાપીના વ્યારા, સુરત શહેર તથા જિલ્લાના બારડોલીમાં બે-બે ઇંચ વરસાદ ખાબકયો હતો. ડાંગના સબુરી, તાપીના વાલોદ, ડોલવાણ અને સોનગઢમાંપણ બે ઇંચ વરસાદપડ્યો હતો. ઉપરાંત નર્મદા જિલ્લામાંપણ દોઢ ઇંચ, સુરતના ઓલપાડ અને માંગરોળમાં દોઢ ઇંચ તેમજ ભરૂચમાં દોઢ, ભરૂચના વાલીયામાં દોઢ ઇંચ, નર્મદાના સાગબારામાં દોઢ ઇંચ, છોટા ઉદેપુરના કવાંટમાં સવા, તાપીના નજીરમાં સવા ઇંચ, ગીર સોમનાથના ઉનામાં સવા ઇંચ, અમરેલીના ખાંભામાં ૧ ઇંચ, સુરતના ચોર્યાસીમાં ૧ ઇંચ તથા ભરૂચના હાંસોટ, વાગ્રા, દાહોદ, નર્મદાના ગરૂડેશ્વર, છોટા ઉદેપુરના નસવાડી, વડોદરાના કરજણ અને સિનોરમાં ૦.૫ ઇંચ તથા ભાવનગરના શિહોર, વલ્લભપુર,પાલીતાણા, અમરેલીના રાજુલા તથા જૂનાગઢના વિસાવદરમાંપણ ૦.૫-૦.૫ ઇંચ વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસ્યો હતો.૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગાંધીનગર, અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. જ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જાેવા મળ્યું છે. ત્યારે માવઠાના કારણે કેવી છે રાજ્યની સ્થિતિ આવો જાણીએ. ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો જાેવા મળ્યો છે.રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જેવો માહોલ જાેવા મળ્યો.સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ રહ્યું હતું. જેને કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈયા.ગાંધીનગર અને સુરત જેવાં શહેરોમાં અલમોડા અને સીમલા જેવું વાતાવરણ જાેવા મળ્યું છે.સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે. રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં ૪ ડીગ્રી સુધીનો ઘટાડો જાેવા મળ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરો, જેવાં કે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો આજે રાજ્યના ૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપી છે. કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડમા જણસી પલડી જવાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વરસાદના કારણે જાણે ખેડૂતોના મોં માંથી કોળિયો છીનવાઈ ગયો હોય તેવુ લાગી રહ્યું છે.. ત્યારે હવે ખેડૂતો સરકાર સામે આશ રાખીને બેઠા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    એલઆરડી પીએસઆઈ ની ભરતી પારદર્શક રીતે થશે  હર્ષ સંઘવી

    ગાંધીનગર/સુરત, ગુજરાતમાં આગામી દિવસોમાં ૧૦ હજારથી વધુ એલઆરડી અને ૧૩૦૦ જેટલા પીએસઆઈની જગ્યાઓ માટે ભરતી થવાની છે. ત્યારે આ ભરતીને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ ભરતીમાં કોઈ પણ જાતની ગેરરીતિ કે લાગવગને કોઈ સ્થાન નથી. આ ભરતી પારદર્શક રીતે થશે. તેમજ ઉમેદવારોએ એજન્ટો કે વચેટિયાઓની વાતોમાં ભોળવાઈ ન જવા ગૃહ રાજ્ય મંત્રીએ અપીલ કરી છે. રાજ્ય સરકારના પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી દિવસોમાં લોક રક્ષક દળ (એલઆરડી)માં ૧૦,૪૫૯ જેટલી જગ્યાઓ તેમજ ૧૩૦૦ જેટલા પીએસઆઈની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં એલઆરડીની ૧૦,૪૫૯ જગ્યાઓ માટે ૯.૬૦ લાખ કરતા વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેવી જ રીતે ૧૩૦૦ પીએસઆઈની જગ્યાઓ માટે પણ લાખોની સંખ્યામાં યુવાનોએ અરજીઓ કરી છે. એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે રાજ્યના લાખો યુવાનો તેઓ સફળ થશે તેવી આશાઓ સાથે મહેનત કરી રહ્યા છે. ત્યારે આ યુવાનોમાં કઈક અંશે અંદર ખાને એવો ડર પણ છે કે, અગાઉની પરીક્ષાઓની જેમ પેપર લીક નહી થાય ને? આ સંજાેગોમાં પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા તાજેતરમાં એવું જણાવાયું છે કે, આ ભરતી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિને સ્થાન નથી. ત્યારે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ હસમુખ પટેલની આ વાતને દોહરાવી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ભરતી સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કોઈ સ્થાન નથી. ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેદવારોને એમ પણ જણાવ્યું હતું કે, ઉમેદવારો કોઈ પણ એજન્ટોની ચંગુલમાં આવે નહિ, તેમજ કોઈ પ્રલોભનનો શિકાર બને નહિ. આ સમગ્ર ભરતી પ્રક્રિયા ઉપર જિલ્લાભરની પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે. પોલીસ આવા એજન્ટોને શોધી રહી છે. હજુ કેટલાક ઉમેદ્વ્‌વારો લાગવગ થશે તેવી આશાઓ રાખીને બેઠાં છે. ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ પણ પૈસા લઈને નોકરી અપાવવાની વાતો કરીને ઉમેદવારો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. ત્યારે આ ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ ગોપનિયતા જળવાય તેમજ મહેનતુ ઉમેદવારોને ન્યાય મળે તેવી દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    પીડિતાના કહેવાતા આપઘાતનો વીડિયો વાયરલ ઃ હત્યાની શંકા દૃઢ બની?

    વડોદરા, તા.૨૬વેક્સિન ગ્રાઉન્ડ રેપકાંડનો ભોગ બનેલી પીડિતાનો અંતિમ વીડિયો બહાર આવ્યો છે. ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં આ વીડિયોએ અનેક સવાલો ઊભા કર્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે પીડિતાના મૃતદેહના પગ જમીન ઉપર અડેલા છે અને જે ઓઢણીથી ગળાફાંસો ખાધો હોવાનું દેખાય છે એ ફંદો માત્ર ગળા પર છે, જ્યારે ગરદન આખી ખૂલ્લી છે. ફાંસાનો ફંદો ગળા અને ગરદન બંને પર ઘટ્ટ ભીંસાય તો જ વ્યક્તિનું મોત થઈ શકે એ જાેતાં આ મામલો આત્મહત્યાનો છે કે હત્યાનો એવી શંકા ઊભી થઈ છે. વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં પીડિતાનો વીડિયો આજે બહાર આવ્યો છે જેમાં પોલીસ પંચક્યાસ કરી રહેલી દેખાય છે. વીડિયોને ધ્યાનથી જાેતાં આ મામલો આત્મહત્યાને બદલે હત્યાનો હોવાનું લાગી રહ્યું હોય એવા તર્કવિતર્ક ખુદ પોલીસ માટે ઊભા થયા છે. પીડિતાના કહેવાતા આપઘાત બાદનો વીડિયો અનેક સવાલ ઊભા કરે છે. જાે કે, પોલીસ અગાઉથી જ આ મામલો હત્યાનો હોઈ શકે છે એવું માની એ દિશામાં પણ તપાસ કરી છે. ત્યારે એનું મોત નીપજાવાથી કોને લાભ થશે અને કયા કારણોસર એની હત્યા થઈ હોઈ શકે એવા કારણોની શોધખોળ પણ પોલીસ કરી રહી છે. શું એ મીડિયા સમક્ષ જઈને કોઈ વ્યક્તિના, કે વ્યક્તિ સમૂહના ગુનાહિત ભંડા ફોડી નાખશે એવી કોઈ બીક ધરાવનારાઓએ એનું મોઢું કાયમ માટે બંધ નથી કરાવ્યું ને? એ દિશામાં પોલીસ વધુ ગંભીરતાથી તપાસ કરી રહી છે. જે વીડિયો બહાર આવ્યો છે એમાં જાેઈ શકાય છે કે પીડિતાના પગ કોચના ફલોરને અડેલા છે અને યુવતીની બાજુમાં સીટ છે તેને પણ તેનો દેહ અડેલો છે. મહત્ત્વની વાત તો એ છે કે જે ઓઢણી લટકાવી એને ફાંસો ખાધો હોવાનું કહેવાય છે. એ ફંદાને ગાંઠ પણ મારેલી નહીં હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે જેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ છે. વલસાડ રેલવે સ્ટેશન પર ૪ નવેમ્બરના રોજ ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનની સફાઈ કરતા કામદારને ખાલી કોચમાંથી યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન માસ્તર અને રેલવે પોલીસની ટીમને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે તરત જ પહોંચી તપાસ કરતાં પીડિતા પાસેથી ટિકિટ કે પાસ મળી આવ્યા ન હતા. જાે કે, યુવતી પાસેથી મળેલા ફોનના આધારે નવસારી રહેતા પરિવારનો સંપર્ક કરાયો હતો. રેલવે પોલીસે યુવતીના મોત અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી નવસારી જઈ તપાસ કરતાં એના રૂમમાંથી મળેલી ડાયરીમાં સામૂહિક દુષ્કર્મ ગુજારાયો હોવાનું બહાર આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી અને તપાસ માટે વડોદરા આવી વેક્સિન મેદાન અને જે સંસ્થામાં કામ કરતી હતી એ ઓએસીસમાં તપાસ હાથ ધરી હતી. બાદમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જાેડાઈ હતી અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. બીસીએનો કર્મચારી બાયોબબલ છોડી પોલીસને સીસીટીવી ફુટેજ આપવા દોડયો વડોદરા. ગેંગરેપની ઘટનાની તપાસમાં વેક્સિન મેદાન અને ઓએસીસની ઓફિસની આસપાસના માર્ગો-રહેઠાણો, દુકાનો, શો-રૂમ, ઓફિસોના સીસીટીવી ફુટેજ પોલીસ મેળવી રહી છે. ત્યારે બરોડા ક્રિકેટ એસોસિયેશનની ઓફિસ પણ નજીકમાં જ આવેલી હોવાથી પોલીસે બીસીએ પાસેથી સીસીટીવી ફુટેજની માગણી કરતાં જવાબદાર ઈસમ દિનેશ ગંગવાણી કુચબિહાર ટ્રોફીને લઈ બાયોબબલ હેઠળ વેલકમ હોટલમાં હોવા છતાં બબલ છોડી બીસીએની કચેરીએ દોડી આવ્યો હતો. ઓએસીસના સંચાલકોએ બચાવ માટે વાલીઓ-વિદ્યાર્થીઓને ઢાલ બનાવ્યાં? વડોદરા, તા. ૨૬ ઓેએસીસ સંસ્થાના સંચાલકોએ ૧૮ વર્ષની યુવતી પર વેકસીન ઈન્સ્ટીટ્યુટના મેદાનમાં થયેલા પાશવી બળાત્કારની વાત ઈરાદાપુર્વક છુપાવી રાખવાનું પાપ આચર્યું છે અને તેના કારણે બળાત્કાર પિડીતાને આપઘાત કરવાની ફરજ પડી છે. જાેકે યુવતીએ આપઘાત કર્યો કે તેની હત્યા કરાઈ છે તે મામલે પણ વિવાદ છે પરંતું આવું હિનકૃત્ય કર્યા બાદ પણ ઓએસીસ સંસ્થાના સંચાલકોએ ભુલ સ્વીકારવાના બદલે છેલ્લા ૨૨ દિવસથી સતત ચુપકિદી સેવી છે. દરમિયાન ઓએસીસ સંસ્થાની ભેદી પ્રવૃત્તીઓની તપાસ માટે શહેર પોલીસ કમિ.એ એસીપી ચૈાહાણને આદેશ કરતા જ સંસ્થાના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધી માધ્યમોથી સતત અંતર રાખતા ઓએસીસ સંસ્થાના સંચાલકોએ હવે બચાવ માટે પોતાની સંસ્થામાં ફેલોશીપ કરતી માસુમ વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓને ઢાલ બનાવીને પોલીસ સમક્ષ સંસ્થાની તરફેણ માટે આગળ ધર્યા છે. ગઈ કાલે સુરત અને નવસારીથી આવેલા કેટલાક વાલીઓએ તેઓના સંતાનો સાથે શહેર પોલીસ કમિ.કચેરી ખાતે આવેદનપત્ર આપવા ગયા હતા. જાેકે પોલીસ કમિ. નહી મળતા આજે આ ટોળું રેલવે પોલીસના એસપી પરિક્ષીતા રાઠોડને મળ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ કેટલાક વાલીઓએ માધ્યમો સાથે વાતચિત કરી હતી જેમાં તેઓએ ઓએસીસ સંસ્થામાં તેઓના સંતાનો ફેલોશીપ કરે છે અને તેઓને કોઈ સમસ્યા નથી તેમ જણાવી સંસ્થાને આ વિવાદમાં નહી લાવવા માટે જણાવ્યું હતું. તેઓની સાથે હાજર કેટલીક ચબરાક વિદ્યાર્થીનીઓએ પણ તેઓની સહકર્મી વિદ્યાર્થિની પર બળાત્કારના મુદ્દે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો પરંતું તેઓની સંસ્થાને ટાર્ગેટ નહી બનાવવા માટે માધ્યમોમાં વિનંતી કરી હતી. બ્રેઈનવોશ્ડ યુવતી કહે છે વાલીઓ તેઓની મરજી સંતાનો પર થોપી ના શકે રેલવે પોલીસના એસપી કચેરી ખાતે ઓએસીસ સંસ્થામાં ફ્ેલોશીપ કરતી યુવતીઓ પણ આવી હતી. આ યુવતીઓનું સંસ્થામાં કેટલી હદે બ્રેઈનવોશ કરાયુ છે તેનો જીવંત દાખલો માધ્યમોને મળ્યો હતો. યુવતીઓએ તેઓ આ સંસ્થામાં સ્વેચ્છાથી આવી છે તેમ કહેતા એવી પણ વણમાંગી સુફિયાણી સલાહ આપી હતી કે પુત્રીઓ હમેંશા પિતાને વ્હાલી હોય છે પરંતું ૧૮ વર્ષની થયા બાદ હવે તેઓ પોતાનો નિર્ણય લેવા આઝાદ છે અને વાલીઓએ પણ તેઓની મરજી તેઓના પુખ્તવયના સંતાનો પર થોપવી ના જાેઈએ. પોલીસ વિદ્યાર્થીઓને કનડગત ના કરે તેવી વાલીઓની રજૂઆત રેલવે એસપી કચેરી ખાતે નવસારીના બે વાલીઓ સંજય ગાયકવાડ અને મહેન્દ્ર કોરાટે માધ્યમોને જણાવ્યું હતું કે તેઓના સંતાનો ઓએસીસમાં ફેલોશીપ કરી રહ્યા છે અને તેઓને કોઈ તકલીફ નથી. તેેઓએ બળાત્કાર પિડીતા અને તેના પરિવારજનો પ્રત્યે સહાનુભુતિ દાખવવાના બદલે પિડીતાની માતા તેમજ અન્ય વાલીઓએ સંસ્થા સામે ઉઠાવેલા વાંધા ખોટા છે તેમ કહી સંસ્થાને બચાવવાનો ભરપુર પ્રયાસ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે પોલીસ નિતિમત્તા રાખી તપાસ કરે અને સંસ્થામાં વાલીઓ વિના રહેતા વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ ના થાય તે રીતે કામગીરી કરે. ઓએસીસમાં રહીને મળતી આઝાદી કાલની ગુલામી છે માતા-પિતા અને પરિવારથી અલગ રહીને મનફાવતી પ્રવૃત્તી કરતા વિદ્યાર્થીઓ અને ઓએસીસ સંસ્થા સામે જાણીતા યુટ્‌યુબર શુભમ મિશ્રાએ આજે વેકસીન મેદાન પર બળાત્કારના ઘટનાસ્થળે મિડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો કે જે વિદ્યાર્થીઓને હાલમાં પરિવારથી અલગ રહે છે તેને આઝાદી માને છે ખરેખરમાં તે જ આવતીકાલની ગુલામી હશે. ઓએસીસ સંસ્થાએ ખરેખરમાં પિડીતાને બળાત્કારની ઘટનાબાદ તુરંત મદદ કરવાની જરૂર હતી પરંતું તેઓએ મદદ નહી કરતા યુવતીએ આપઘાત કર્યો છે. સંસ્થાની આવી કાર્યનિતી અને યુવતી સાથે ફેલોશીપ કરતી અને સંસ્થાની વાહવાહ કરી રહેલી સહવિદ્યાર્થિનીઓને પણ તેમણે સવાલ કર્યો હતો કે તમે મદદ કરવાના બદલે કેમ ચુપ રહ્યા ? અને હવે સંસ્થાને બચાવવા માટે કેમ આગળ આવો છો ? રાજકીય અગ્રણીઓ કેમ ચૂપ છે? સંસ્કારી નગરી વડોદરામાં બહારની યુવતી પર આ રીતે થયેલા બળાત્કારના ઘટનાથી ભારે વ્યથિત યુુટ્યુબર શુભમ મિશ્રાએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડોદરામાં રાજયકક્ષાના મંત્રીઓ અને રાજકિય અગ્રણીઓ હાજર છે છતાં તેઓએ આવી ગંભીર ઘટના થવા છતાં ઓએસીસ સંસ્થા સામે કેમ ચુપકિદી સેવી છે ?. તેમણે એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે વડોદરાની છબિ ‘રેપ સિટી’ તરીકે ખરડાશે તો કોઈ પણ બહારની યુવતી-મહિલા વડોદરામાં રહેવા માટે ગભરાશે. સંસ્કારીનગરીની છબિ આ રીતે ના ખરડાય અને કોઈ પણ મહિલા વડોદરામાં તે સલામત હશે તેવી ખાત્રી સાથે આવે તે માટે રાજકિય અગ્રણીઓએ પણ આગળ આવવું પડશે. શું સ્ફોટક ડાયરી મેળવવા માટે જ કોઈ વ્યકિત પીડિતાનો પીછો કરતી હતી? ગેંગરે૫ની પીડિતાની અંગત ડાયરીના પાનાં કોણે ફાડ્યા એ વિષયે હજુ કોઈ ભેદ નથી ખૂલી રહ્યો, ત્યારે પીડિતા જે સંસ્થા સાથે સંકળાયેલી એના અગ્રણીઓએ વાજબી દલીલ કરતાં કહ્યું કે જાે અમારામાંથી કોઈએ એ પાનાં ફાડ્યાં હોય તો આખી ડાયરી જ ના ફાડી નાખત? આ સંજાેગોમાં હવે એવો પ્રશ્ન પણ ઊભો થયો કે ડાયરીના બે પાનાંનો નાશ થયા બાદ એ ડાયરીમાં બીજું પણ ઘણું બધું ગંભીર અને જેલ સુધી લઈ જાય એવા લખાણો હશે તો? એવા વિચારે બે પાનાં ફાડનાર અથવા યુવતી પાસે બળજબરીથી ફડાવનારને પાછળથી એ સંપૂર્ણ ડાયરીનો નાશ કરવાની જરૂરિયાત ઊભી થઈ હોઈ શકે અને એટલે જ એ ડાયરી મેળવવાના ઈરાદે કોઈએ પીડિતાનો પીછો કર્યો હોય જે અંગે ખુદ પીડિતાએ પોતાના આખરી સંદેશામાં પણ જણાવ્યું છે. પીછો કરનારે જ્યારે એને ખાલી ટ્રેનના કોચમાં ઝડપી હોય ત્યારે એની પાસેથી ડાયરી નહીં મળી આવતાં સંભવિત ગંભીર આક્ષેપોથી ડરેલી વ્યક્તિએ કે તેના ઈશારે અન્યએ યુવતીને ગળાફાંસો આપી અથવા પહેલાં મોતને ઘાટ ઉતારી પાછળથી ગળાફાંસો હોવાનું ગેરમાર્ગે દોરવા ઓઢણી ગળામાં નાખી એને લટકાવી દીધી હોય એવી પણ એક શક્યતા પોલીસ ચકાસી રહી છે. જે કોઈ વ્યક્તિ આવું કરવામાં સંડોવાયેલી હોય એ સ્વાભાવિક રીતે જ એવો મુદ્દો ઉઠાવી સંતોષ લઈ રહી હશે કે સીસીટીવી ફુટેજમાં કોઈ વ્યક્તિ એનો પીછો કરતી કે ખાલી ટ્રેનમાં એની પાછળ જતી દેખાઈ નથી. પોલીસ તપાસની માહિતીના આધારે આ મુદ્‌ાને હાશકારા સાથે ઉઠાવાઈ રહ્યાનું પણ પોલીસને લાગી રહ્યું છે. પીડિતાની એ ડાયરી એના સામાનમાં ન હતી અને પાછળથી એના નવસારીના ઘરેથી મળી એ તો પોલીસના દસ્તાવેજી રેકોર્ડ પર છે. જાે એ ડાયરી યુવતીનો પીછો કરનાર વ્યક્તિને મળી ગઈ હોત તો કદાચ પીડિતા પર ગેંગરેપ થયાની બાબત પણ ક્યારેય બહાર જ નહીં આવત અને ગેંગરેપની જાણ હોવા છતાં જવાબદાર નાગરિકો તરીકે પોલીસને જાણ નહીં કર્યાના ગુનાની પણ હાલ ચાલતી ચર્ચા શરૂ જ ન થઈ હોત.
    વધુ વાંચો
  • ગુજરાત

    કોવિડ પોઝિટિવ રિપોર્ટને માન્ય ગણીને મૃતકોના પરિવારને સહાય આપવા સરકારની વિચારણા

    અમદાવાદ,  રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. હવે કોરોનાને લીધે મૃત્યુ થયુ હોય તેવા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અને તેના ફોર્મનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ કોરોનાના સહાયના મુદ્દે ગુજરાત સરકારની આલોચના કરી હતી, ડેથ સર્ટીફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના લખેલું હોય તેને જ સહાય મળી શકે પણ મોટાભાગના કેસમાં મૃત્યુનું કારણ કોરોના લખવામાં આવ્યું જ નથી ત્યારે હજારો પરિવારો સરકારી સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આ મુદ્દે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા મહત્વની કવાયત શરૂ કરવામાં આવી છે, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય મેળવવા માટે હવે કોવિડનો પોઝિટિવ રિપોર્ટ માન્ય કરવાની દિશામાં સરકાર વિચારણા કરી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પરિપત્રને મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી આ મામલે રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારણા શરૂ કરી છે અને આ પરિપત્ર માં કેટલાક સુધારા દાખલ કરવાની દિશામાં આજે મહત્વની બેઠક રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બોલાવી હતી. જેમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોને ૫૦૦૦૦ ની સહાય આપવાની થાય છે તે કિસ્સામાં રાજ્ય સરકાર હવે ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ માન્ય રાખવાની દિશામાં આગળ વધી રહી છે.કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઊઠ્‌યો હતો કે, ઘણા મૃતકનાં સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતાં હવે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયાર કરવામાં આવી છે.નવસારીમાં કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું નવા ૩૬ કેસ નોંધાયા ગાંધીનગર,  ગુજરાતમાં મંગળવારના રોજ કોરોનાના નવા ૩૬ કેસ સામે આવ્યા છે. બીજી તરફ ૨૫ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં ૮,૧૬,૮૫૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૪ ટકાએ પહોંચ્યું છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી રહી છે. આજના દિવસમાં ૫,૧૦,૮૪૯ કોરોનાના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૩૧૯ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૩૧૩ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૬,૮૫૬ નાગરિકો કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. બીજી તરફ ૧૦૦૯૨ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. એક નાગરિકનું નવસારીમાં કોરોનાને કારણે મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૭ કેસ, વડોદરા કોર્પોરેશન ૬, નવસારી ૩, જામનગર, રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં ૨-૨ કેસ. ગીર સોમનાથ, જામનગર, સુરત અને વલસાડમાં ૧-૧ કેસ નોંધાયા હતા. બીજી તરફ જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૦ ને રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૧૯૯૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરત લવાયેલા ૧ કરોડના ગાંજા સાથે ત્રણની ધરપકડ

    સુરત, સુરત શહેરમાં ટ્રાન્સપોર્ટની આડમાં ગાંજાનો જથ્થો ઘુસાડવાનાં નેટવર્કને ઝડપી પાડવામાં શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે વેડછા પાટિયા પાસે વોચ ગોઠવી ગાંજાનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક કરોડના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જયારે ત્રીજા આરોપીને ડીંડોલીમાંથી ઝડપી લીધો હતો. પોલીસે ત્રણેયની ધરપકડ કરી એક કરોડનો ગાંજા ઉપરાંત મોબાઈલ, રોકડા રકમ, ટેમ્પો મળી કુલ ૧.૧૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે પોલીસે એકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે ઓરિસ્સાથી એક ટેમ્પોમાં ટ્રાન્સપોર્ટ મારફતે ગાંજાનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. જે ટેમ્પો વેડછા પાટિયા તરફથી સુરત શહેરમાં પ્રવેશ કરશે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રવિવારે પોણા સાતેક વાગ્યાના આરસામાં સુરત કડોદરા રોડ વેડછા પાટીયા વિનાયક પેટ્રોલપંપ નજીક માધવપાર્ક ટ્રાન્સપોર્ટના ગોડાઉનની બાજુમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીમાં વર્ણનવાળો ટેમ્પો (એમ.એચ.૧૮.બીજી.૨૮૯૧) નજરે પડતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેમાંથી ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. જેથી આખરે પોલીસે ટેમ્પો સાથે મોહમદ ફઈમ મોહમદ રફીક શેખ (રહે. ખલીફા સ્ટ્રીટ અઘારીની ચાલ નાનપુરા) તથા મોહમદ યુસુફ ગોસ મોહમદ શેખ (રહે. ખ્વાજાના દરગાહ બડેખા ચકલા) અને અરૂણ સાહેબરાવ મહાડીક (રહે. ડિંડોલી)ને ઝડપી પાડયા હતા. ક્રાઈમ બ્રાન્ચે ટેમ્પોમાંથી ૧૦૦.૨૯ કિલો વજનનો ગાંજા જેની કિંમત રૂપિયા ૧,૦૦,૯૨,૯૦૦, મોબાઈલ નંગ-૪, રોકડા ૭૭૦ અને અશોક લેલન કંપનીનો ટેમ્પો મળી કુલ રૂપિયા ૧,૧૨,૧૪,૬૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓની પુછપરછ દરમિયાન કરેલી કબુલાતને પગલે ગાંજાનો જથ્થો મોકલનાર દિલીપ ગોડા (રહે. ઓડિશાના ગંજામના બરામપુર )ને વોન્ટેડ જાહેર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસનું દબાણ વધતા ઓડિશાથી ગાંજાના સપ્લાયરો હવે ટ્રેનના બદલે ટ્રાન્સપોર્ટ મારફતે શહેરમાં ગાંજા ઘુસાડવાનો કિમીયો અપનાવ્યો છે પરંતુ પોલીસની નજરથી તેઓ ટ્રાન્સપોર્ટ મારફતે પણ શહેરમાં ગાંજાે ઘુસાડવાના પ્રયાસો નિષ્ફળ નીવડી રહ્યા છે. મોટા માથાઓનાં નામો ખુલવાની શક્યતા ડીસીબી પોલીસે એક કરોડથી વધુની રકમના ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે. જે બે પૈકી એક સુરતનો જ બડેખાંચકલાંનો છે. પોલીસે આખી રાત આરોપીની પૂછપરછ કરી હતી. જેમાં મોટા માથાઓના નામો ખુલવાની સંભાવના પોલીસ સેવી રહી છે. હાલ તો પોલીસે સુરતમાં આટલા મોટા પ્રમાણમાં ગાંજાે મગાવનાર કોણ છે? ગાંજા માટે ફાયનાન્સર કોણ છે? અગાઉ કેટલી વાર લાવ્યા અને સુરતમાં કોને કોને સપ્લાય કરવામાં આવે છે તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે. આરોપીઓના ચાર તારીખ સુધીના રીમાન્ડ મંજુર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોડીરાત્રે આખું નેટવર્ક ઝડપી પાડ્યા બાદ આજે બપોરે મોહમદ ફઈમ મોહમદ રફીક શેખ, મોહમદ યુસુફ ગોસ મોહમદ શેખ અને અરૂણ સાહેબરાવ મહાડીક ને કોર્ટમાં રજુ કર્યા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓના આગામી તારીખ ૪ ડિસેમ્બર સુધીના રીમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રીમાન્ડ દરમિયાન સમગ્ર નેટવર્કમાં કોનો-કોનો હાથ છે,ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો, કેટલા સમયથી આ હેરાફેરી ચાલે છે તે તમામ દિશામાં તપાસ કરવામાં આવશે.
    વધુ વાંચો
  • રાજકીય

    માનહાનિ કેસમાં આજે સુરત કોર્ટમાં હાજર થશે રાહુલ ગાંધી, જાણો શું છે સમગ્ર મામલો

    સુરત-કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે સુરતમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થશે અને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા તેમની "મોદી અટકની ટિપ્પણી" પર દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસમાં તેમનું નિવેદન નોંધશે. એ.એન.દવેની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કોર્ટમાં બે સાક્ષીઓના નિવેદનો બાદ રાહુલને 25 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.રાહુલ અગાઉ 24 જૂને કોર્ટમાં હાજર થયો હતો.આ કેસ 13 એપ્રિલે કર્ણાટકમાં ચાલી રહ્યો હતો. 2019. કે કોલારમાં લોકસભાની ચૂંટણી રેલીમાં રાહુલની કથિત ટિપ્પણી સાથે સંબંધિત છે. રેલી દરમિયાન, રાહુલે કથિત રીતે કહ્યું હતું કે, "મોદીના નામે બધા ચોર કેમ છે, પછી તે નીરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદી હોય?"ગુજરાત મોઢવાણિક સમાજના પ્રમુખ પૂર્ણેશ મોદીની ફરિયાદ પર સુરતમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ IPCની કલમ 499 અને 500 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.પૂર્ણેશ મોદી ગુજરાત સરકારમાં પ્રવાસન અને પરિવહન મંત્રી છે. આ કેસમાં રાહુલ બે વખત સુરત કોર્ટમાં હાજર થઈ ચૂક્યો છે. બે નવા સાક્ષીઓની જુબાની બાદ કોર્ટે રાહુલને ફરી હાજર થવા મૌખિક સૂચના આપી છે. ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે, તેથી રાહુલની આ મુલાકાતને ઉત્સવ અને રાજકીય રેલીમાં પરિવર્તિત કરવા ગુજરાત કોંગ્રેસ જોરશોરથી તૈયારી કરી રહી છે.ગુરુવારે સુરત શહેર કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી. જેમાં રાહુલ ગાંધીની સુરત મુલાકાતની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ બપોરે 2 વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ પહોંચશે. અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. નોંધનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા માટે રાજ્યમાં નેતાઓની શોધ ચાલી રહી છે અને રાહુલે નવી દિલ્હીમાં પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે બેઠકોના અનેક રાઉન્ડ પણ કર્યા છે.ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડો.રઘુ શર્માએ મામલાને નવો વળાંક આપતા ભાજપ પર તેમને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ દેશમાં દાયકાઓ સુધી સત્તામાં રહી. આ દરમિયાન ભાજપના નેતાઓએ કોંગ્રેસના નેતાઓ અને વડાપ્રધાનો વિરુદ્ધ વિવિધ નિવેદનો કર્યા હતા, પરંતુ કોંગ્રેસના નેતાઓ ક્યારેય તેમની વિરુદ્ધ કોર્ટમાં ગયા નથી. રઘુ શર્માએ કહ્યું કે ભાજપ કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓને પરેશાન કરવાની રણનીતિ અપનાવી રહી છે. શર્માનો આરોપ છે કે ભાજપે સત્તામાં રહીને ગરીબ પછાત માટે કોઈ સારું કામ કર્યું નથી. કોરોના મહામારી દરમિયાન ભાજપ સરકારોનું વલણ જનવિરોધી અને પ્રજાની ઉપેક્ષાથી ભરેલું હતું. શર્માએ કહ્યું કે કોંગ્રેસ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ભાજપની જનવિરોધી નીતિઓ સામે રસ્તા પર ઉતરશે અને પુરી તાકાતથી આંદોલન ચલાવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરત મહાનગર પાલિકાએ લીધો મહત્વનો નિર્ણય,દિવાળીમાં ફરવા જતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

    સુરત-દિવાળીના તહેવાર દરમિયાન કોરોનાના કેસ ન વધે તે માટે સુરત મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. દિવાળીના તહેવાર માટે બહાર જનારા લોકો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ દિવાળી પર બહાર જતા લોકોને પરત ફરતી વખતે ફરજિયાત RTPCR ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. શહેરની બહાર ગયા બાદ ઘરે પરત ફરવાના 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ માન્ય ગણવામાં આવશે.મોટા ભાગના લોકો દિવાળી પર વતન જાય છે જ્યારે કેટલાક દિવાળી વેકેશનમાં વિદેશ જાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સાવચેતીના ભાગ રૂપે કોરો ગામમાં સંક્રમણ ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી જ રાજ્યભરમાં લોકો દિવાળી માટે ઉમટી રહ્યા છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેથી કોરોના રોગચાળો ફાટી નીકળતો અટકાવી શકાય. આવી સ્થિતિમાં લોકોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે. અન્યથા કોરોના મહામારીમાં સ્થિતિ ફરી વણસી શકે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભરૂચમાં તહેવાર ટાણે વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો

    ભરૂચ -ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં શહેરનાં કેટલાય વિસ્તારોમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાયો છે.જેથી આવનારા ઉત્સાહના પર્વ દિવાળી પહેલાં શહેરમાં જૂદા જૂદા વિસ્તારમાં આવેલી ગંદકીવાળી જગ્યાને સ્વચ્છ બનાવવામાં આવે તેવી લોકએ માંગણી કરી છે નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે દરેક વિસ્તારોમાં કચરા પેટીઓ મુકવામાં આવે છે.જેમાં આસપાસના રહીશો પોતાના ઘરોના કચરાનો નિકાલ કરે છે.પરંતુ નગરપાલિકા દ્વારા સફાઈ નહીં કરવામાં આવતા તેની કામગીરી સમય સર નહિ કરવામાં આવતી હોવાના કારણે કચરા પેટીઓ ઉભરાય જવાથી કચરો બહાર પડે છે.આ કચરો પવન અને પશુઓ ખોરાકની શોધમાં ખેંચી જવાના કારણે જાહેર માર્ગો પર ફેંકાય જાય છે.જેના કારણે માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો અને વટેમાર્ગુઓને તેની દુર્ગંધના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ કચરાના કારણે તેમાં મચ્છરોના ઉપદ્રવ બાંધવા કારણે કેટલાય ઘરોમાં માંદગીના ખાટલાઓ જાેવા મળે છે.રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકાર જયારથી સત્તામાં બેઠી છે ત્યારથી ભારતને સ્વચ્છ બનાવાનું મિશન હાથ ધર્યું છે. વર્ષ ૨૦૧૪થી ભાજપ ઠેર ઠેર લોકોને જાગૃત કરી રહો છે કે, સ્વચ્છતા જાળવો પણ શહેરોનું પાલિકા તંત્ર જાણે ઊંઘી રહ્યું છે તેમ ભરૂચ પાલિકાની હદ્દ વિસ્તારમાં આવેલા કેટલાક વિસ્તારમાં હાલ ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. જેના કારણે હાલમાં શહેરમાં વાયરલ ફીવરના કેસ વધી રહ્યા છે. ભરૂચ શહેરમાં તાવ-શરદીના ૧૩૪૮ કરતા વધું કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં પણ ૧૬ કેસ તો ડેન્ગ્યુનાં હોવાનું સરકારી ચોપડે સત્તાવાર નોંધાયું છે. આગામી દિવસોમાં દિવાળીના શુભ પર્વની આવી રહ્યા હોય ત્યારે શહેરના ઘણા વિસ્તાઓમાં ગંદકી અને કચરાના ઢગ જાેવા મળી રહ્યા છે. જયારે કોઈ સત્તાધારી નેતા આવવાના હોય ત્યારે રાતોરાત રસ્તાઓ પાણીથી સાફ કરવામાં આવે છે અને એ વિસ્તારને ચમકાવી દેવામાં આવે છે ત્યારે શું શહેરની જાહેર જનતા સાથે અન્યાય નથી.ટેક્સ સામાન્ય જનતાથી ઉઘરાવામાં આવે છે અને સવલાતો મોટા નેતાઓને આપવામાં આવે છે.ભરૂચના એક માત્ર શક્તિનાથ વિસ્તારની જ વાત કરીએ તો કચરા પેટી હોવા છતાં રસ્તા પર કચરો ફેલાઈ રહ્યો છે અને પાલિકા દ્વારા તે વિસ્તારમાંથી કચરાપેટી તો ઉંચકી લેવામાં આવે છે પરંતુ આસપાસ પડેલા કચરાને ઉઠવામાં આવતો નથી. વાહનોની અવાર જવરથી ગંદકી વધુને વધુ ફેલાઈ રહી છે.જેથી વાહન ચાલકો પણ દુર્ગંધનો સામનો કરી રહ્યા છે.
    વધુ વાંચો
  • બિઝનેસ

    રત્નકલાકારોને બોનસ નહીં આપતી કંપનીને ડાયમંડ વર્કર યુનિયનની નોટિસ

    સુરત-સુરત શહેરની અમુક હીરા પેઢીઓ દ્વારા રત્નકલાકારોને બોનસ એક્ટ હેઠળ બોનસ આપવામાં આવતું નથી, ત્યારે શનિવારના રોજ લેબર વિભાગ દ્વારા રત્નકલાકારોને દિવાળીનું બોનસ ચૂકવવામાં આવે એ માટે સુરત ડાયમંડ એસોસિએશનને પત્ર લખી રત્નકલાકારો અને કંપનીઓ વચ્ચે બેઠક કરી બોનસના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માટે જાણ કરી છે. ડાયમંડ વર્કર યુનિયનના વાઈસ પ્રમુખ ભાવેશ ટાંક કહ્યું કે, હીરા ફેક્ટરીઓમાં કામ કરતાં કર્મચારીઓને બોનસ એક્ટ હેઠળ બોનસ અપાતું નથી એટલા માટે અમે બે દિવસ પહેલા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જે અંતર્ગત આજે વરાછા અને કતારગામની ત્રણ હીરા પેઢીને લેબર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.હીરા ઉદ્યોગમાં તેજી છે તેમ છતાં અમુક હીરા પેઢી દ્વારા રત્નકલાકારોને બોનસ એક્ટ હેઠળ બોનસ આપવામાં આવતું નથી, જેથી લેબર વિભાગે વરાછા અને કતારગામની ૩ હીરા પેઢીને નોટીસ ફટકારી હતી. શહેરના હીરા ઉદ્યોગના કારખાનાઓ અને કંપનીમાં રત્ન કલાકારોને દિવાળી બોનસ સહિત અન્ય લાભો આપવામાં આવતા નથી. જેને લઈને બે દિવસ પહેલા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવદન પત્ર અપાયું હતું. ૫૦ જેટલી હીરા પેઢી દ્વારા રત્નકલાકારોને દિવાળીના તહેવારે બોનસ તથા ઓવર ટાઈમનો પગાર સહિત અન્ય લાભો આપવામાં આવતા નથી. કલેકટરને રજૂઆત બાદ સુરત લેબર વિભાગે તપાસ હાથ ધરી વરાછા-કતારગામની અહંમ જેમ્સ, ધરતી ડાયમંડ અને મારૂતિ ડાયમંડ કંપનીને નોટિસ ફટકારી હતી. જેમાં બોનસ ચૂકવણી અધિનિયમ ૧૯૬૫ અન્વયે તથા અન્ય શ્રમકાયદા બાબતે નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પૂર્ણેશ મોદીએ તમામ રસ્તા દિવાળી પહેલા બનાવવાનો લક્ષ્ય પૂર્ણ કર્યો

    ડાંગ-ડાંગ જિલ્લામાંથી એક માત્ર નેશનલ હાઈ વે નંબર ૯૫૩ પસાર થાય છે. સોનગઢ થી સાપુતારા સુધીના આ માર્ગની કુલ ૧૦૫ કિલોમીટરની લંબાઈ પૈકી ૮૨.૨ કિલોમીટરનો આ નેશનલ હાઈ વે ડાંગ જિલ્લામાથી પસાર થાય છે. જે બરડીપાડા થી લશ્કરિયા, આહવા, શામગહાન થઈ ગિરિમથક સાપુતારા થઈ મહારાષ્ટ્રને જાેડે છે. ગુજરાત મહારાષ્ટ્રને જાેડતા આ માર્ગ ઉપર ભારે વરસાદને કારણે કેટલેક ઠેકાણે ખાડાઓ પડી જતા તેના ઉપર ડામર પેચવર્કનુ કાર્ય પણ ઝડપભેર શરૂ કરી દેવામા આવ્યુ છે. એન.એચ. ભરૂચ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર હિતેશ સોલિયાના માર્ગદર્શન હેઠળ નવસારી સબ ડિવિઝનના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધર્માં ભટ્ટ દ્વારા આ નેશનલ હાઈ વે ઉપર હાથ ધરાયેલુ આ 'માર્ગ સુધારણા અભિયાન' પૂર્ણ થતા, વાહન ચાલકોને મોટી રાહત મળશે, તેમ એક મુલાકાતમા જણાવાયુ છે.ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પડેલા અનરાધાર વરસાદને પગલે રાજ્યના મોટાભાગના જાહેર માર્ગો ઉપર ભારે નુકશાન થવા પામ્યુ હતુ. જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. રાજ્યના વાહન ચાલકો અને પ્રજાજનોની આ મુશ્કેલી નિવારવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે વિશેષ 'માર્ગ સુધારણા અભિયાન' હાથ ધર્યું છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા, અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે આંતરરાજ્ય ધોરી માર્ગોથી જાેડાયેલા ડાંગ જિલ્લામા પણ આ અભિયાન આગળ વધી રહ્યુ છે. ડાંગમા જિલ્લા પંચાયત, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) સહિત નેશનલ હાઈ વે ઓથોરિટીનો પણ એક માર્ગ આવેલો છે. જેના ઉપર પણ ડામર પેચવર્કનું કામ પુરજાેશમાં ચાલી રહ્યું છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ પણ દિવાળી પહેલા રાજ્યના તમામ માર્ગોની સુધારણાનો લક્ષ નિર્ધાર કર્યો છે. જે ધ્યાને લેતા ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ જિલ્લા પંચાયત, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિત ડાંગમાંથી પસાર થતા એક માત્ર નેશનલ હાઈ વે નંબર ૯૫૩ ઉપર પણ ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવાની સૂચના આપી છે. જે મુજબ આ તમામ વિભાગોએ તેમના હસ્તકના માર્ગોની સુધારણાનુ કાર્ય પુરજાેશમા શરૂ કરી દીધુ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરત સ્વામિનારાયણ સંતે માતાજી પર ટિપ્પણી કરતા વિવાદ, પાંચ શખ્સોએ મંદિરમાં ઘૂસીને કરી તોડફોડ 

    સુરત-સુરત અમરોલી વિસ્તારના હરસિધ્ધિ સોસાયટીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ધમકી આપવાની ઘટના સામે આવી છે. ફોન પર ધમકી આપનારા માવદાન અને હાર્દિક ગઢવી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ ચારથી પાંચ શખ્સોએ મંદિરમાં ઘૂસીને કરી તોડફોડ પણ કરી હતી. સ્વામીએ જૂનાગઢમાં અતિ પ્રસિદ્ધ એવા નાગબાઈ માતાજીને લઈને ટિપ્પણી કરી હતી. મંદિરમાં જઈને જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ અપમાનજનક ટીપ્પણી કરી હોવાના નામે કારણે માર માર્યો હતો. જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ માફી માગવા માટે ભક્તોએ કહ્યું હતું. જૂનાગઢમાં અતિ પ્રસિદ્ધ એવા નાગબાઈ માતાજીને લઈને તેમની સરખામણી અપ્સરા તેમ જ સુંદર મહિલા સાથે કરી હોવાનો સંદર્ભ અને તેની વાત કરી હતી છતા ભાવિકોએ હુમલો કર્યો હતો. મંદિરના સ્વામી દ્વારા દેવીનું અપમાન કરતી ટિપ્પણીઓ કરી હોવાનો આરોપ લાગ્યો હતો બાદમાં માતાજીના ભક્તોનો રોષ વધ્યો.માફી માગ્યા બાદ વિવાદનો અંત આવ્યો હતો છતા હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં લખવા માટે અમે પહોંચ્યા હતા પરંતુ ચારણ સમાજના કેટલાક આગેવાનો દ્વારા સંતો ની માફી માંગી લેતા અમે તેને મોકૂફ રાખી હતી. વડતાલ મંદિરના ચેરમેન અને ચારણ સમાજના અગ્રણીઓ વચ્ચે વાતચીત થઈ હતી. હાલ પૂરતું અમે જે લોકોએ મારામારી કરી છે. તેમની સામે કાયદાકીય પગલાં લેવા કે કેમ તે અંગે વિચારી રહ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરત: કડોદરા GIDCની વિવા પેકેજીંગ મિલમાં લાગી ભીષણ આગ, 2ના મોત

    સુરત-સુરતથી આગ અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. સુરત કડોદરા GIDCની મિલમાં ભીષણ આગ લાગી. GIDCની વિવા પેકેજિંગ મિલમાં આ ઘટના બની.આગ લાગતા જ સુરત શહેર અને જિલ્લાની 10થી વધુ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગ્યા બાદ કામદારોએ 5 મા માળેથી કૂદવાનું શરુ કર્યું હતું, જેમાં અત્યાર સુધી 2 કામદારોનું મોત નીપજ્યું છે.  પ્રશાસનનો દાવો છે કે 125 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં 5 મા માળેથી કૂદીને કેટલા મજૂરો ઘાયલ થયા તે જાણી શકાયું નથી.સોમવારે સુરતના કડોદરા વિસ્તારમાં વરેલી સ્થિત પેકેજિંગ યુનિટમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે આગ લાગી ત્યારે ઘણા મજૂરો પાંચમા માળે કામ કરી રહ્યા હતા. જ્વાળાઓ વધતી જોઈને કામદારો ડરી ગયા અને પોતાનો જીવ બચાવવા માટે પાંચમા માળેથી કૂદવાનું શરૂ કર્યું. આ ઘટનામાં એક મજૂરનું મોત થયું છે. 5 મા માળેથી કૂદકો મારનારા ઘણા મજૂરો ખરાબ રીતે ઘાયલ થયા છે. જોકે, પેકેજીંગ યુનિટમાં આગ લાગ્યાની માહિતી મળ્યા બાદ પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ તેને હાઇડ્રોલિક લિફ્ટમાંથી નીચે ઉતાર્યો હતો. એવું કહેવાય છે કે પેકેજિંગ યુનિટમાંથી સોથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ફાયર બ્રિગેડના ડઝન જેટલા વાહનો સ્થળ પર છે. SDM એ કહ્યું કે ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર આગને કાબૂમાં લેવાની કોશિશમાં લાગેલી છે. અત્સાર સુધીમાં ફાયર બ્રિગેડની ટીમે 125 લોકોને બિલ્ડિંગમાંથી બચાવી લીધા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સરકાર અયોધ્યા યાત્રા માટે આદિવાસી સમાજને રૂા.૫૦૦૦ની સહાય આપશે

    આહવા, ગુજરાતના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજાે એવા આદિવાસી સમાજના પ્રજાજનોને, રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય આપવામા આવશે, તેવી શબરી ધામ ખાતેથી જાહેરાત કરતા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશભાઈ મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન યાત્રા સહિત શ્રવણ તીર્થ યાત્રા જેવી યોજનાઓમા અપાતી આર્થિક સહાયનો ખ્યાલ આપ્યો હતો.દંડકારણયની પાવન ભૂમિ ઉપર વિજયા દશમીની ઉજવણીની સાથે હવેથી પ્રતિવર્ષ પ્રભુ રામ સાથે જાેડાયેલા ગુજરાતના તીર્થ સ્થાનો ઉપર ’દશેરા મહોત્સવ’નુ આયોજન કરવાની નેમ વ્યક્ત કરતા મંત્રીએ, ઉચ્ચત્તમ શાસ્ત્રોક્ત પદ્ધતિ, અને યુગ યુગાન્તરની ગણના પદ્ધતિનો ખ્યાલ આપી, પ્રભુ રામ, રામાયણ, અને રામસેતુને કાલ્પનિક કહેનારા લોકોને વૈજ્ઞાનિક પ્રમાણો મળી ચુક્યા છે તેમ જણાવ્યુ હતુ.નવ નવ દિવસની શક્તિ આરાધનાની મા જગદંબાના ધામ શક્તિપીઠ અંબાજીથી પ્રારંભાયેલી યાત્રાનુ સમાપન ’શબરી ધામ’ ખાતે થઈ રહ્યુ છે, તેમ જણાવતા પ્રવાસન મંત્રીએ ’સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ થયો છે તેમ ઉમેર્યું હતુ.શબરી ધામ ખાતે મહાઆરતી અને રાવણ દહનના કાર્યક્રમમા ભાગ લેતા મંત્રીએ ખાસ કરીને આદિવાસ વિસ્તારોમા દશેરા મહોત્સવની ઉજવણી અધર્મ પર ધર્મના વિજયના નારાને બુલંદ કરવા સાથે, પવિત્ર સ્થાનોની ગરિમા વધારીને, સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરશે તેમ જણાવ્યુ હતુ.શબરી ધામનુ માહાત્મ્ય વર્ણવતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે પ્રવાસન પ્રવૃતિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીનુ પણ વિપુલ માત્રામા સર્જન કરાઇ રહ્યુ છે તેમ જણાવી ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમા શ્રેણીબદ્ધ વિકાસ કામો હાથ ધરીને પ્રજાજનોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમા જણાવ્યુ હતુ.
    વધુ વાંચો
  • ગુજરાત

    PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છાત્રાલયનું ભૂમિ પૂજન કર્યું 

    સુરત-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બાંધવામાં આવેલી છાત્રાલય ફેઝ -1નું ભૂમિપૂજન કર્યું હતું. વર્ષ 2024 સુધીમાં બંને તબક્કાઓનું કામ પૂર્ણ થઈ જશે. પીએમ મોદીએ કહ્યું કે આ પ્રયાસો દ્વારા ઘણા યુવાનોને તેમના સપના સાકાર કરવાની તક મળશે. હું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજને અભિનંદન આપું છું. આ દરમિયાન પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત હાલમાં આઝાદીના 75 માં વર્ષમાં છે. નવા સંકલ્પોની સાથે આ અમૃતકલ આપણને તે લોકોને યાદ કરવા પ્રેરણા આપે છે જેમણે જાહેર ચેતના જાગૃત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આજની પેઢી માટે તે લોકો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરદાર સાહેબે પણ એવું કહ્યું હતું. 'જાતિ અને સંપ્રદાય આપણા માટે અડચણરૂપ ન હોવા જોઈએ. આપણે બધા ભારતના પુત્રો અને પુત્રીઓ છીએ.ગામના વિકાસને લગતા કામને વેગ આપોઆ જગ્યા એટલા માટે વિકસાવવામાં આવી હતી કે જેથી શિક્ષણનો ફેલાવો થાય, ગામના વિકાસને લગતા કામને વેગ મળી શકે. જેઓ ગુજરાત વિશે ઓછું જાણે છે તેમને આજે હું વલ્લભ વિદ્યાનગર વિશે જણાવવા માંગુ છું. તમારામાંથી ઘણાને ખબર હશે કે આ સ્થળ કરમસદ-બાકરોલ અને આણંદ વચ્ચે આવેલું છે. આ જગ્યા એટલા માટે વિકસાવવામાં આવી હતી કે જેથી શિક્ષણનો ફેલાવો થાય, ગામના વિકાસને લગતા કામને વેગ મળી શકે.મેં ગુજરાતમાંથી આ શીખ્યોબધા માટે વિકાસની શક્તિ શું છે, મેં ગુજરાતમાંથી પણ આ શીખ્યા છે. એક વખત ગુજરાતમાં સારી શાળાઓનો અભાવ હતો ત્યારે સારા શિક્ષણ માટે શિક્ષકોની અછત હતી. ઉમિયા માતાના આશીર્વાદ લઈને, ખોડલ ધામની મુલાકાત લીધા પછી, મેં આ સમસ્યાને ઉકેલવા માટે લોકોને મારી સાથે જોડ્યા. પીએમ મોદીએ કહ્યું કે તમારા બધાના આશીર્વાદથી, મારા જેવા ખૂબ જ સામાન્ય વ્યક્તિ, જેની કોઈ પારિવારિક કે રાજકીય પૃષ્ઠભૂમિ નથી, જેની પાસે જાતિવાદી રાજકારણનો કોઈ આધાર નથી, મારા જેવા સામાન્ય માણસને આશીર્વાદ આપીને ગુજરાતની સેવા કરવાની તક મળી. માં આપવામાં આવી હતીપીએમ મોદીએ કહ્યું કે તમારા આશીર્વાદની શક્તિ એટલી મહાન છે કે આજે તેને 20 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં મને સૌપ્રથમ ગુજરાત અને સમગ્ર દેશની અખંડ રીતે સેવા કરવાનો લહાવો મળ્યો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષામાં વ્યાવસાયિક અભ્યાસક્રમો ભણાવવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. હવે અભ્યાસનો અર્થ માત્ર ડિગ્રી સુધી મર્યાદિત નથી, પરંતુ અભ્યાસને કૌશલ્ય સાથે જોડી દેવામાં આવી રહ્યો છે. દેશ તેની પરંપરાગત આવડતોને આધુનિક શક્યતાઓ સાથે પણ જોડી રહ્યો છે.વડાપ્રધાને કહ્યું કે કોરોનાના મુશ્કેલ સમય પછી આપણી અર્થવ્યવસ્થાએ જે ઝડપે પુનરાગમન કર્યું છે તેનાથી ભારત વિશે આખું વિશ્વ આશાથી ભરેલું છે. તાજેતરમાં, એક વિશ્વ સંસ્થાએ એમ પણ કહ્યું છે કે ભારત ફરીથી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. આપણા બધા માટે ખૂબ ગૌરવની વાત છે કે ભૂપેન્દ્ર પટેલ આવા મુખ્યમંત્રી છે જે ટેકનોલોજીમાં પણ જાણકાર છે અને જમીન સાથે સમાન રીતે જોડાયેલા છે. વિવિધ સ્તરે કામ કરવાનો તેમનો અનુભવ ગુજરાતના વિકાસમાં ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે. આપણી નવી પેઢીએ દેશ અને સમાજ માટે જીવતા શીખવું જોઈએ, તેની પ્રેરણા પણ તમારા પ્રયત્નોનો મહત્વનો ભાગ હોવો જોઈએ. સિદ્ધિ માટે સેવાના મંત્રને અનુસરીને, અમે ગુજરાત અને દેશને નવી ઉંચાઈઓ પર લઈ જઈશું.
    વધુ વાંચો
  • ગુજરાત

    PM મોદી સુરતની હોસ્ટેલ ફેઝ વનનું ભૂમિપૂજન કરશે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમ યોજાશે

    સુરત-વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 15 ઓક્ટોબરે સુરતના હોસ્ટેલ ફેઝ વનનું ભૂમિપૂજન કરશે. આ છોકરાઓની છાત્રાલય છે જે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બનાવવામાં આવી છે. પીએમ મોદીના કાર્યક્રમ વિશે માહિતી આપતા પીએમઓએ કહ્યું છે કે તેઓ શુક્રવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભૂમિ પૂજન કરશે. છાત્રાલયની ઇમારતમાં લગભગ 1500 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા છે. તેમાં વિદ્યાર્થીઓ માટે સભાગૃહ અને પુસ્તકાલય પણ છે. તે જ સમયે, બીજા તબક્કાની છાત્રાલયનું નિર્માણ આગામી વર્ષથી શરૂ થશે જેમાં 500 છોકરીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે.પીએમ મોદી યુકેની મુલાકાતેવડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની આબોહવા પરિવર્તન પરિષદમાં ભાગ લેવા માટે બ્રિટન જઈ રહ્યા છે. પીએમની આ મુલાકાત માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. માનવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ઇટાલીમાં જી -20 સમિટમાં તેમની ભાગીદારી સાથે થશે. જોકે આ પ્રવાસો અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુકેના ગ્લાસગોમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર આબોહવાની પરિષદની શરૂઆતમાં ભાગ લેશે. COP 26 તરીકે ઓળખાતી આ ક્લાઇમેટ કોન્ફરન્સ 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન આયોજિત કરવામાં આવી રહી છે. વિશ્વભરના ઘણા રાજ્યોના વડા તેમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી 1 અથવા 2 નવેમ્બરે ક્લાઇમેટ કોન્ફરન્સને પણ સંબોધિત કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે આવ્યા હતા. તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા હતા. તેમણે બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન અમેરિકાનો પ્રવાસ પણ કર્યો છે. વડાપ્રધાન તરીકે વડાપ્રધાને અત્યાર સુધીમાં સાત વખત અમેરિકાની મુલાકાત લીધી છે. તેમનો પ્રથમ પ્રવાસ 2014 માં થયો હતો. વડાપ્રધાન તરીકે આ તેમની પ્રથમ મુલાકાત હતી અને તેમણે મેડિસન સ્ક્વેરમાં ભાષણ પણ આપ્યું હતું. આ પછી, તે 2015, 2016, 2017 અને 2019 માં પણ અમેરિકા ગયો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ABVPનું આંદોલન ઉગ્ર:સુરતમાં ગરબા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, યુનિવર્સિટીને તાળાબંધી

    સુરત-સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી જઇને વિદ્યાર્થીઓને કેટલીક બાબતો અંગે સૂચના આપતાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે દંડાવાળી કરતાં સાત વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. જોકે આ જ પોલીસ થોડા દિવસ પહેલાં ગૃહ રાજ્યમંત્રીની જન આશીર્વાદ યાત્રામાં ઊમટેલી ભીડ સામે ચૂપ રહી હતી. એ સમયે પોલીસ ક્યાં ગઈ હતી?યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસે ગેરકાયદે પ્રવેશ કર્યો હોય એ પ્રકારની ચર્ચા સમગ્ર શહેરમાં શરૂ થઇ છે.હાલ સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા જેસીપીની અધ્યક્ષતામાં તપાસ સોંપાઈ છે. જોકે વિદ્યાર્થી સંગઠન દ્વારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માગ કરાઈ છે. વિરોધપ્રદર્શન ઉગ્ર કરવાની સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.સુરતમાં ગરબા રમવા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓનું આંદોલન પ્રસરી ગયું છે. ખાસ કરીને રાજ્યના મોટા શહેરોની સાથે અન્ય યુનિવર્સિટીઓમાં પણ ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટીમાં પણ છેલ્લા બે દિવસથી ABVPના કાર્યકરો સુરતના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં આજે ABVPના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગો જબરદસ્તીથી બંધ કરાવી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત જામનગરમાં પણ આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. વિદ્યાર્થીઓના ટોળે ટોળા ઉમટી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ પોલીસ મૂક પ્રેક્ષકની જેમ આંદોલનકારીઓ સામે પગલાં લેવામાં સરકારના આદેશની રાહ જોઈ રહી હોય તેવી પરિસ્થિતિ છે.ગુજરાત યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પોલીસ કા એજન્ડા સાફ હૈ ગરબા ખેલના પાપ હૈ જેવા નારા લાગ્યા હતાં. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં શિક્ષણ અને વહિવટી કાર્ય બંધ કરાવવા પ્રયાસ કરાયો હતો.કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં અભ્યાસ ચાલુ હતો તે બંધ કરાવવામાં આવ્યો, વિદ્યાર્થીઓને કલાસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. યુનિવર્સિટીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ બંધ કરાવવાનું શરૂ કર્યું છે.ABVPના કાર્યકરોએ કહ્યું હતું કે, ગુજરાતના ગૃહમંત્રી જે વિસ્તારમાંથી આવે છે ત્યાં જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી પરિષદ પર પોલીસ દ્વારા મારામારી કરવામાં આવી તે કેટલું યોગ્ય છે?ABVP એ ગુજરાત યુનિવર્સિટીમાં આવેદન આપ્યું.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની અંદર થયેલા ઘર્ષણ આ મામલાને લઈને ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા બાદ ભાજપના કેટલાક સિનિયર નેતાઓ દ્વારા વિદ્યાર્થીઓને હવે આ સમગ્ર પ્રકરણ ઉપર પૂર્ણવિરામ મૂકવા માટે કહેવામાં આવ્યું છે. છતાં પણ વિદ્યાર્થીઓ તેમની ઉપરવટ જઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી જઇને વિદ્યાર્થીઓને કેટલીક બાબતો અંગે સૂચના આપતાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે દંડાવાળી કરતાં સાત વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. જેના પડઘા રાજકોટમાં પડ્યાં છે. શહેરમાં સતત બીજે દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પીઆઇ મોદી કો સસ્પેન્ડ કરો જેવા નારા લાગ્યા હતા.તેમજ પોલીસે દારૂ પીને વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. 
    વધુ વાંચો
  • રાષ્ટ્રીય

    Gandhi Jayanti 2021 : બાપુના અમૂલ્ય વિચારો જેમાંથી દરેક વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ

    લોકસત્તા ડેસ્ક-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. મહાત્મા ગાંધી એક નિસ્વાર્થ કર્મયોગી અને અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા યુગ પુરુષ હતા. તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના શિલ્પી માનવામાં આવે છે. લોકો મહાત્મા ગાંધીને બાપુ અને રાષ્ટ્રપિતા તરીકે પ્રેમથી સંબોધે છે અને દર વર્ષે બીજી ઓક્ટોબરને ગાંધી જયંતિ તરીકે ઉજવીને તેમને યાદ કરે છે. મહાત્મા ગાંધીએ જીવનભર સત્ય અને અહિંસાનો અભ્યાસ કર્યો. તેથી, 15 જૂન 2007 ના રોજ, યુનાઇટેડ નેશન્સે મહાત્મા ગાંધીના માનમાં દર વર્ષે 2 ઓક્ટોબરને અહિંસા દિવસ તરીકે ઉજવવાની પણ જાહેરાત કરી હતી. આજે તેમની જન્મજયંતિ નિમિત્તે તેમને યાદ કરીને, તમારે તેમના કિંમતી વિચારો પણ વાંચવા જોઈએ, જે તમારા સમગ્ર જીવનને સમૃદ્ધ બનાવી શકે છે.મહાત્મા ગાંધીના અમૂલ્ય વિચારો1. આઝાદી અર્થહીન છે જો તેમાં ભૂલો કરવાની સ્વતંત્રતા શામેલ નથી.2. વ્યક્તિ તેના વિચારો સિવાય બીજું કંઈ નથી. તે જે વિચારે છે, તે બની જાય છે.3. પાપને નફરત કરો પણ પાપીને નહીં, ક્ષમા એ બહુ મૂલ્યવાન વસ્તુ છે.4. શારીરિક શક્તિથી શક્તિ આવતી નથી. તે અદમ્ય ઇચ્છાથી આવે છે.5. જો તોફાનને હરાવવું હોય તો વધુ જોખમ લઈને આપણે પૂરા બળ સાથે આગળ વધવું પડશે.6. નબળા ક્યારેય માફ કરી શકતા નથી. ક્ષમા શક્તિશાળીની નિશાની છે.7. તમારે માનવતામાં વિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં. માનવતા એક સમુદ્ર જેવી છે. જો સમુદ્રના થોડા ટીપાં ગંદા થઈ જાય, તો આખો સમુદ્ર ગંદો ન બને.8. જ્યાં સુધી તમે ખરેખર તેમને ગુમાવશો ત્યાં સુધી તમે સમજી શકશો નહીં કે તમારા માટે કોણ મહત્વનું છે.9. આપણે શું કરીએ છીએ અને શું કરી શકીએ છીએ તે વચ્ચેનો તફાવત વિશ્વની મોટાભાગની સમસ્યાઓને ઉકેલવા માટે પૂરતો હશે.10. જીવો જાણે કાલે તમારે મરી જવું પડે અને જાણે કે તમારે કાયમ માટે જીવવું પડશે.11. શાંતિનો માર્ગ સત્યનો માર્ગ છે, શાંતિ કરતાં સત્યતા વધુ મહત્વની છે, હકીકતમાં અસત્ય હિંસાનો પિતા છે.12. શ્રદ્ધાને હંમેશા કારણથી તોલવી જોઈએ, જ્યારે શ્રદ્ધા આંધળી બને છે ત્યારે તે મરી જાય છે.13. તમારી જાતને જાણવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમારી જાતને અન્યની સેવામાં લગાડો.14. આપણે જેની પૂજા કરીએ છીએ તેના જેવા બનીએ છીએ.15. કોઈપણ સ્વાભિમાની વ્યક્તિ માટે, સોનાની સાંકળો લોખંડની સાંકળો કરતાં ઓછી કઠિન હશે. પ્રિક મેટલમાં નહીં પણ સાંકળોમાં છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ડાંગ: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઓક્ટોબર માસ દરમિયાન આ કાર્યક્રમોનુ કરાયુ આયોજન 

    આહવા-આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિશેષ કરીને ગ્રામીણ ક્ષેત્રોમા વ્યાપક સફાઈ ઝુંબેશ સાથે,સ્વચ્છ જીવનશૈલીનો સંદેશ આપતા ડાંગ કલેક્ટર ભાવિન પંડયા એ આહવા ખાતેના એસ.ટી. ડેપોએ થી ક્લિન ઈન્ડિયાનુ બ્યૂગલ ફૂંકયુ છે. ભારત સરકાર દ્વારા તારીખ 1 થી 31મી ઓક્ટોબર દરમિયાન આયોજિત ‘ક્લિન ઈન્ડિયા’ મુવમેન્ટના ભાગરૂપે આયોજિત સ્વચ્છ ભારત મિશનના શુભારંભ કાર્યક્રમનો પ્રારંભ કરાતા કલેક્ટર પંડયા એ પ્રજાજનોના સહયોગ સાથે વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો, જનપ્રતિનિધિઓ, ગ્રામીણ કર્મચારીઓ વિગેરેની ભાગીદારીથી આખા માસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે તેમા સહયોગી બનવાની અપીલ કરી હતી. આહવા એસ.ટી. ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પ્રજાજોગ સંદેશમા કલેક્ટર પંડયા એ ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ ની વિભાવના સ્પષ્ટ કરી માસ દરમિયાન દરેક સરકારી કચેરીઓ, સ્કૂલ કોલેજો,જાહેર સ્થળો, સ્મારકો, જિલ્લાના જળ સ્ત્રોતો વિગેરેની વ્યાપક સ્વચ્છતા હાથ ધરી જનજનમા સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ કેળવવામા આવશે તેમ જણાવ્યુ હતુ. આ કાર્યક્રમ વેળા જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક નિલેષ પંડયા,નિવાસી અધિક કલેક્ટર પદ્મરાજ ગામિત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એન.ચૌધરી,પ્રયોજના વહીવટદાર કે.જી.ભગોરા સહિતના અધિકારીઓ એ ઉપસ્થિત રહી જનચેતના જગાવી હતી. નહેરુ યુવા કેન્દ્રના સંયોજક અનુપ ઇંગોલે એ કાર્યયોજના રજૂ કરી મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતુ. આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંતે સફાઈ કર્મચારીઓની ટિમ સાથે ઉપસ્થિત રહી યોગદાન આપ્યુ હતુ. આ વેળા મહાનુભાવો તથા પ્રજાજનોએ સ્વચ્છતાના શપથ લઈને ક્લિન ઈન્ડિયા મુવમેન્ટમા પોતાનુ યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    Surat :  મનપાનો મોટો નિર્ણય, રસી લીધી હશે તે જ લોકો ગરબામાં ભાગ લઈ શકશે

    આગામી નવરાત્રીને લઈ મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે. તાજેતરમાં રાંદેર અઠવાલાઇન્સ વિસ્તારમાં એક પરિવાર અને બિલ્ડીંગના લોકો સંક્રમિત થતાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકો હાલમાં સંક્રમિત આવી રહ્યા છે તેમની હિસ્ટ્રીમાં ગણેશ ઉત્સવનું કારણ જોવા મળે છે. માનપાએ લીધેલા આ નિર્ણય બાદ નવરાત્રીમાં ગરબાના આયોજન કરનારાઓએ રસી મામલે ધ્યાન આપવું પડશે. ગરબા આયોજનમાં મનપા આકસ્મિક ચેકિંગ પણ હાથ ધરશે. મનપાને આશા છે કે ગરબે રમવા માટે પણ બાકી રહી ગયેલા લોકો રસી લેશે.તમને જણાવી દઈએ કે રાજ્યમાં નવરાત્રીને લઈને કેટલીક છૂટ આપવામાં આવી છે. આ વચ્ચે સુરતમાં કોરોનાના કેસને ધ્યાનમાં લઈને SMC એ મોટો નિર્ણય કર્યો છે. તેમજ તમને જણાવી દઈએ કે સુરત અઠવામાં સીલ કરાયેલ મેઘ મયુર અને આવિષ્કારમાં વધુ ત્રણ કેસ કોરોનાના આવ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે 3 બાળકોને પોઝિટિવ કેસ આવ્યા છે. અગાઉ મેઘમયુરમાં એક સાથે 9 લોકોને પોઝિટિવ કેસ આવ્યા હતા. ક્લસ્ટર કરાયેલા વિસ્તારમાં કોન્ટેક્ટ ટ્રેસિંગના બાળકો પોઝિટિવ મળ્યા છે. ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં રેકોર્ડબ્રેક વરસાદ, સપ્ટેમ્બરના 28 દિવસમાં જ 16 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

    અમદાવાદ-ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 28 દિવસમાં જ 16 ઈંચ આશરે 52 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ વખતે જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ ત્રણ માસ સુધીમાં માત્ર 14.49 આંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વલસાડના કપરાડા તાલુકામાં 112.84 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો કચ્છના લખપતમાં માત્ર 7.88 ઈંચ જ વરસાદ વરસ્યો છે. મોટા ભાગે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સીઝનનો અંદાજે 60થી 70 ટકા વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વખતે આ બંને મહિનામાં ઘણો ઓછો વરસાદ થયો છે. ઓગસ્ટ મહિનામાં માત્ર સવા બે ઈંચ જ વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 209 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. સિંચાઈ વિભાગના અધિકારીઓ મુજબ રાજ્યના 206 ડેમમાં 4 લાખ 46 હજાર 45 MCFT(મિલિયન ક્યૂબિક ફિટ) પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 80 ટકા છે. હાલ રાજ્યમાં 96 જળાશય હાઈ એલર્ટ પર છે તો 9 જળાશય એલર્ટ પર છે તેમજ 13 જળાશય વોર્નિંગ પર છે. વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમને ડિપ્લોઇ કરી દેવામાં આવી છે. NDRFની 20 પૈકીની 17 ટીમ સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોઇ કરવામાં આવી છે, જ્યારે SDRFની 11 પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોઇ કરવામાં આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજ્યના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ, ડાંગમાં ૨૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ

    વલસાડ-વલસાડ જિલ્લામાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન છુટાછવાયા વરસાદી ઝાપટા બાદ મોડી રાત્રે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ કપરાડા અને મહારાષ્ટ્ર બોર્ડરમાં રાત્રે ૧૨ વાગ્યાથી સવાર ૮ વાગ્યા સુધી ૧૫.૯૪ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધુબનડેમમાં પાણી ૯ લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. ૮ કલાકમાં કુલ મધુબનડેમ ૭ દરવાજા ૨ મીટરે ખોલાયા છે. તો ડેમમાંથી ૯ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. આ કારણે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો બીજી તરફ, અધિકારીઓને હેડક્વાટર્સ ન છોડવાની સૂચના અપાઈ છે. વલસાડ શહેરમાં ૬.૫ ઇંચ અને કપરાડા તાલુકામાં ૬ ઇંચ વરસાદ ખાબકી ચૂકયો છે. ત્યારે આજે પણ સવાર બાદ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે વલસાડ શહેરના છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ગઈ મોડીરાત્રે વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો શહેરની રોજીંદી સમસ્યા સમાન છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા વહેલી સવારે નોકરી ધંધે જતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આમ જિલ્લાના તમામ તાલુકાઓ વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી, વાપી અને ઉંમરગામ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. ચોમાસામાં ડાંગ જિલ્લો વરસાદના પાણીથી સોળે કળાએ ખીલી જાય છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ડાંગમાં ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લાના સુંદર હિલસ્ટેશન સાપુતારામાં ૧૦.૭૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આહવામાં ૬.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં ઘોડાપુર આવી ગયુ છે. જિલ્લાના ૧૪ જેટલા લોલેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જિલ્લાના ૧૪ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થવાને કારણે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અંબિકા નદીમાં પૂરની સ્થિતિને લઈ નવસારી જિલ્લાના ઘણા ગામો પણ પ્રભાવિત થયા છે. ડાંગમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. ૨૪ કલાકમાં સાપુતારામાં ૧૦.૭૨ ઇંચ વરસાદ, આહવામાં ૬.૫૨ ઇંચ, વઘઇમાં ૫ ઇંચ, સુબિરમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. પરંતુ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. મંગળવારે દિવસ દરમિયાન ગુજરાતના ૪૫થી વધુ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોધાયો હતો. જેમાં ડાંગમાં સૌથી વધુ ૩, નવસારીના ગણદેવી-વાંસદા- ભરૃચના હાંસોટ-વડોદરામાં ૨.૧૬, ડાંગના વઘઇમાં ૧.૮૫, સુરતના મહુવામાં ૧.૮૧, આણંદના ખંભાત-સુરતના પલસાણા-છોટા ઉદેપુરના નસવાડીમાં ૧.૫૭ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય અન્યત્ર જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં બારડોલી, છોટા ઉદેપુર, વાલોદ, તારાપુર, ગરૃડેશ્વર, આંકલાવ, ચીખલી, સોનગઢ, નીઝર, વાપીનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લામાં આજથી પહેલી તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને ધ્યાને લેતા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અધિકારીઓને તેમનું કાર્યમથક નહીં છોડવાની સુચના અપાઇ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

    નવસારી-ગુલાબ નામના વાવાઝુડા ની વિપરીત અસર દક્ષિણ ગુજરાત માં જોવા મળી છે નવસારી જિલ્લાના ઉપરવાસ ના વરસાદે જિલ્લાની નદીઓ ને ફરી વેગીલા પ્રવાહ વાળી કરી છે ત્યારે ગણદેવી શહેર ની વેગણિયા ખાડી પર આવેલ લો લેવલ બ્રિજ મૌસમ માં 4 વખત ગરકાવ થયો છે જેના કારણે 250થી વધુ પરિવારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો વળી બીજી તરફ વેગીલા પ્રવાહમાં બ્રિજ પર અમુક લોકો જોખમી રીતે ઉભેલા નજરે ચઢ્યા છે. નદી માં તણાઈ ને આવેલા લાકડા પકડવા અહીંના સ્થાનિકો જીવ ના જોખમે બ્રિજ પર ઉભા છે તંત્ર માત્ર માર્ગ બંધ કર્યો છે પણ પોલીસકર્મી ન હોવાને કારણે અહીં જોખમ ભર્યું સાહસ કરી ને જીવ ની બાજી ખેલી રહ્યા છે સુપા કુરેલ ગામનો પુલ પાણી ગરકાવ થતાં લોકોને હાલાંકી નવસારી જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીઓમાં પાણીની આવક થઇ છે. સુપા કુરેલ ગામને જોડતો લો લાઇન પુલ પાણીમાં ડૂબ્યો છે. પૂર્ણા નદીમાં પાણીની આવક થતા લો લાઇન પુલ પર પાણી ફરી વળ્યા છે. જેને લઇ લોકોને 10 કિમી ફરીને જવું પડી રહ્યું છે ગુલાબ વાવાઝોડાની વિપરીત અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. જેને લઈને નવસારી વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. અને ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રએ કાંઠા વિસ્તારોના ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જિલ્લા કલેકટરે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ ખલાસીઓને પણ દરિયો ન ખડેવાની સૂચાનાઓ પણ આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે નદીના જળસ્તરમાં થયો વધારો નવસારીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે નદીઓ પાણીની આવકમાં વધારો થયો છે. તો વળી કેટલીક નદીઓ તો ગાંડીતૂર બની વહેવા લાગી છે. ત્યારે નવસારી અને દક્ષિણ ગુજરાત સહિત અંબિકા, કાવેરી નદીઓના જળસ્તરોમાં વધારો થયો છે. જેને લઈને ચીખલી નજીક આવેલો બંધારો ઓવર ફ્લો થયો જેને લઈને ગ્રામજનો અને વહીવટી તંત્રને ભારે મુળશ્કેલીનો સામાનો કરવો પડી રહ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત પર ગુલાબ પછી "શાહીન" વાવાઝોડાનો ખતરો, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

    અમદાવાદ-ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પર "શાહીન" વાવાઝોડુ ટોળાઈ રહ્યું છે, અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કાંઠે ટકરાયેલા ગુલાબ વાવઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં બીજુ તોફાની વાવાઝોડુ "શાહીન" ઉમટી રહ્યું છે, જેના કારણે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે, જેના કારણે રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદ વરસી શકે છે. માછીમારોને પણ આગામી 2 દિવસ દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, જૂનાગઢ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો જેવા કે, સુરત, તાપી, ડાંગ, નવસારી અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મધ્યમાં આણંદ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ તથા જામનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી, પોરબંદર તથા દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ઈન્દિરાનગરમાં પુષ્કળ પાણી ભરાયા છે તો શહેરના ફૂરજા ચાર રસ્તા પાસે રસ્તા પરથી નદીઓ વહી રહી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના લીધે લોકોના ઘરો તથા દુકાનોમાં પાણી ઘૂસી જવાની ચિંતામાં પણ વધારો થયો છે.  ગુજરાતના દરેક જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ થયું છે, ભારે વરસાદના કારણે ધણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે, વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે,
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજ્યના 20 જિલ્લાઓમાં યલો એલર્ટ, છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો

    અમદાવાદ-આજે સવારથી જ અમદાવાદમાં પવન ફૂંકાવાનો શરૂ થયો છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. 'ગુલાબ' નામનું ચક્રવાતી વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું. ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે.હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યા મુજબ, ગુજરાત પર “શાહીન” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલ ડિપ ડિપ્રેશન છે, જે 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશન બનશે. “શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આટલું જ નહીં, આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. મંગળવારે ખાબકેલા વરસાદને લીધે રાજ્યમાં વાહનવ્યવહારને મોટી અસર પહોંચી હતી. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચાર સ્ટેટ હાઈવે,138 પંચાયતના માર્ગો મળીને કુલ 142 રસ્તાઓ બંધ થયાં છે. છેલ્લા 24 કલાકમાં સુરત, નર્મદા, વલસાડ, અમદાવાદ, આણંદ, તાપી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 100 મિ.મી કરતાં વધુ વરસાદ થયો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 24 પોઝિટિવ કેસ, એક પણ દર્દીનું મૃત્યુ નહી

    અમદાવાદ-ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર બાદ કેસ સતત ઘટી રહ્યા છે, ત્યારે 26 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન જેવા કે, વડોદરા અને સુરત, રાજકોટ, ભાવનગરમાં જ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 5 કોર્પોરેશન જેવા કે, સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 પોઝિટિવ કેસ નોંધાયો નથી, જ્યારે એક પણ દર્દીને રજા આપવામાં આવી નથી.25 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં કુલ 3,15,813 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 1,14,839 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 1,12,941 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ સમગ્ર રાજ્યમાં કુલ 6,03,36,757 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 148 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 5 વેન્ટિલેટર પર અને 143 દર્દીઓ સ્ટેબલ છે અને દર્દીના સારવાર દરમિયાન કુલ મૃત્યુ 10,082 નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 8,15,666 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.
    વધુ વાંચો
  • રાજકીય

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બે દિવસ સુરત પ્રવાસે,કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા

    સુરત-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સુરતના પ્રવાસે છે. અડાજણ ખાંતે આંબેડકર ભવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય ખાતે રોકાણ કરશે. આજે સવારે તેઓ ટ્રેન મારફત સુરત પહોંચ્યા હતા. બે દિવસ દરમિયાન તેઓ સુરત શહેરમાં વિવિધ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગકારોને મળશે. સાયન્સ સેન્ટર ખાતે આજે સાંજે તેઓ હિન્દુત્વ વિષય પર પ્રવચન આપશે મોહન ભાગવતના સુરત રોકાણ દરમિયાન સામાજિક અગ્રણીઓ ને વર્તમાન સમયના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા. સુરતના જાણીતા હીરા ઉદ્યોગકારો અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ તેઓ આરએસએસ કાર્યાલય ખાતે મીટિંગ કરશે. સાયન્સ સેન્ટર ખાતે આજે સાંજે તેઓ કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં કેટલાક સિલેક્ટેડ વ્યક્તિઓને જ આમંત્રિત કરાયા છે.મોહન ભાગવત અને મુલાકાતથી ભાજપ સંગઠન સક્રિય થઇ ગયું છે. મોહન ભાગવત જ્યારે પણ આ પ્રકારના પ્રવાસ કરે છે ત્યારે સ્થાનિક નગરની અંદર રાજકીય અને સામાજિક રીતે જે મહત્ત્વના મુદ્દા હોય છે એના પર તેઓ ચર્ચા કરતા હોય છે. ભાજપના સંગઠનના કેટલાક મહત્ત્વના હોદ્દેદારો પણ મોહન ભાગવત સાથે બેઠક કરે એવી શક્યતા છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ‘યલો’ અને ‘ઓરેન્જ’ એલર્ટ

    અમદાવાદ-રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો હજી કોરા ધાકોર છે. રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી કડાકાભડાકા અને ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે માત્ર પશ્ચિમ વિસ્તારમાં અડધો કલાક વરસાદ પડ્યો હતો, જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા અને સોલામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.રાજ્યમાં સરેરાશ 85% વરસાદ થયો છે. ગત વર્ષે 27 સપ્ટેમ્બર સુધી 135% વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે 50% વરસાદ ઓછો છે. રાજ્યમાં હજુ પણ 10 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં આ સીઝનમાં અત્યારસુધી થયેલા વરસાદમાં 50 ટકા વરસાદ તો એકલા સપ્ટેમ્બર મહિનામાં જ થયો છે.સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 110 મિમી જેટલો વરસાદ થતો હોય છે. આ વર્ષે 340 મિમી, એટલે કે સરેરાશથી ત્રણ ગણા ટકા વરસાદ થયો છે. ટકાવારીની રીતે દેશમાં સપ્ટેમ્બરમાં સરેરાશની સામે સૌથી વધુ ગુજરાતમાં વરસાદ છે. ભારતીય હવામાન ખાતાની 110 વર્ષ ઓલ ઇન્ડિયા રેઇનફોલ મંથલી આંકડાઓને આધારે કરાયેલા વિશ્લેષણ મુજબ, છેલ્લાં 100 વર્ષના ચોમાસાના ઇતિહાસમાં આ વર્ષે સપ્ટેમ્બરનો આ સમયગાળાનો બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    આ વર્ષે નવરાત્રીમાં ગરબા ગાવા મળશે, સરકારે નવરાત્રીની ગાઈડલાઈન્સ જાહેર કરી

    અમદાવાદ-નવરાત્રી આડે હવે માત્ર પંદર દિવસ બાકી રહ્યાં છે. ગુજરાતની નવરાત્રી જગમશુહર છે. બોલીવુડ પણ નવરાત્રી માણવા ગુજરાત આવે છે. ગત વર્ષે તો કોરોના જેવી વૈશ્વિક મહામારી હતી, જેથી ગરબા ગાઈ શકયા ન હતા, પણ આ વર્ષે કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે, તો ગુજરાત સરકારે ગરબા ગાવા માટેની થોડી છૂટ આપી છે, તેમ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ગત વર્ષે કોરોના વાયરસ ફેલાયો હતો, જેના કારણે ગુજરાત સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડીને ગરબા રમવા પર પ્રતિબંધ મુક્યો હતો. માત્ર માતાજીની ગરબી અને ઘટ સ્થાપન કરવાની મંજૂરી આપી હતી. પૂજા અને આરતી કરીને રાત્રે 10 વાગ્યા પહેલા ઘરે જતું રહેવાનું. લાઉડ સ્પીકર, ડીજે કે ગરબા ગાવાની છૂટ હતી નહી. આમ પ્રજા ખૂબ કોરોનાથી ડરેલી હતી, જેથી કોઈએ ગરબા ગાયા નથી. માત્ર નવ દિવસ માતાજીની આરતી પૂજા કરી હતી. પ્રસાદ પણ વહેંચવાનો ન હતો. આ વર્ષે કોરોનાની બીજી લહેર આવીને જતી રહી છે. હાલ ગુજરાતમાં દરરોજ માંડ 10થી 12 કેસ આવે છે. જેથી ગુજરાત સરકારે થોડી છૂટછાટ આપી છે. નવા મુખ્યપ્રધાન સાથે નવું પ્રધાનમંડળ આવ્યું છે, જેથી હવે સરકારે નવરાત્રીની ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જેમાં ગરબા ગાવાની છૂટ મળી છે.શેરી ગરબાની છૂટ મળશે સોસાયટી કે એપોર્ટમેન્ટના ચોકમાં માતાજીની ગરબી પઘરાવી શકાશે ઘટ સ્થાપન કરી શકાશેઆરતી પૂજા અને પેકિંગવાળો પ્રસાદ વહેંચવાની છૂટ અપાશે કલબ, પાર્ટી પ્લોટમાં ગરબાની છૂટ નહી મળેશેરી ગરબામાં વેક્સિન લીધી હશે તે જ ગરબા કરી શકશે ગરબા ગાનારે ફરજિયાત પણે માસ્ક પહેરેલું હોવું જોઈએ રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા કરી શકાશેડીજે અને લાઉડ સ્પીકર રાત્રિના 12 વાગ્યા સુઘી વગાડી શકાશે
    વધુ વાંચો
  • ગુજરાત

    ભગવાનના ધામમાં છેતરપીંડી, અંબાજીમાં ભક્તોએ ચઢાવેલી  113 કીલોની ચાંદી નકલી નીકળી

    અંબાજી-બનાસકાંઠામાં મા અંબાના ધામમાં પૂજાપાના વેપારીઓ ભક્તોને ચુનો ચોપડતા હોવાનું સામે આવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટે ભાદરવી પૂનમ બાદ ભંડારાની ગણતરીમાં ચઢાવેલી ચાંદી નકલી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં ભક્તો દ્વારા માતાજીને ચઢાવવામાં આવેલા પૂજાપાની 113 કીલોની ચાંદી નકલી હોવાનું સામે આવ્યું છે. જેને ટ્રસ્ટ દ્વારા હવે ખોટી ખાખર તરીકે ગણી તેની હરાજી કરી નિકાલ કરશે.યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન અને વિવિધ બાધા-આખડી પૂર્ણ કરવા આવે છે. અંબાજી આવતા માઇ ભક્તો આખડી પૂર્ણ કરવા સ્થાનિક પ્રસાદના સ્ટોર પરથી ચાંદીના છત્રોથી માંડી યંત્રો, નેત્ર, માતાજીના પગલા ખરીદી માતાજીના ભંડારમાં અર્પણ કરે છે. પરંતુ મા અંબાની સન્મુખ રાખેલી દાનપેટીમાં ચાંદીના છત્ર સીધાજ ભંડારમાં જમા થાય છે. પરંતુ તે નકલી ચાંદીથી બનેલ હોવાનું સામે આવ્યું છે. ગણતરીમાં વર્ષ 2019-20માં ભંડારમાં 273 કિલો અને વર્ષ 2021માં ભંડારમાં 113 કિલો ખોટી ચાંદીનો પૂજાપો એકઠો થયો છે. સોની પાસે દર વર્ષે આ જથ્થો ચેક કરાવાય છે. જેમાં આ ચાંદી નકલી હોવાનું સામે આવ્યું હતું. અંબાજી મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારી સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, અંબાજી મંદિર લોકો બાધા માનતા પુરી કરે છે, ત્યારે માતાજીને ચાંદીથી બનેલા છત્તર, ત્રિશુલ, નાના ઘર જેવા અનેક આભૂષણો ધરાવી પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. પણ મંદિરમાં મોટી સંખ્યામાં આવેલા આવા ચાંદીના આભૂષણો પણ સામેલ છે, જેમાના 90 ટકા જેટલા આભૂષણો ખોટા જોવા મળ્યા છે. જેને લઈ મંદિર ટ્રસ્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. આવા આભૂષણોમાં છેતરાતા યાત્રિકોને ખરાઈ કરીને ચાંદી ખરીદ કરવા અપીલ કરવામાં આવી છે. એક તરફ ચાંદી ખરીદનારા ભક્તો લૂંટાય છે, તો બીજી તરફ મંદિરને પણ મોટી ખોટનો સામનો કરવો પડે છે. જેથી યાત્રિકોએ આવા આભૂષણો કોઈ પણ દુકાનથી ન ખરીદીને ચોકસાઈવાળી દુકાનેથી ખરીદવા જોઈએ. 
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતના હીરા વેપારી પર આવકવેરાના દરોડા, 500 કરોડની છેતરપિંડી પકડાઈ 

    સુરત-આવકવેરા વિભાગે ગુજરાતમાં હીરાના વેપારીના સ્થળે દરોડા પાડ્યા છે. વેપારીના 23 સ્થળો પર કરાયેલા આ દરોડામાં 500 કરોડથી વધુની છેતરપિંડી પકડાઈ હતી. આવકવેરા વિભાગના નિવેદન મુજબ ગુજરાતનો આ ઉદ્યોગપતિ હીરાનું ઉત્પાદન અને નિકાસ કરવાનું કામ કરે છે. ઉદ્યોગપતિના સુરત, નવસારી, / મોરબી, વાંકાનેર અને મુંબઈમાં કુલ 23 સ્થળોએ દરોડા પાડીને 22 સપ્ટેમ્બરે જપ્ત કરવામાં આવ્યા હતા.આવકવેરા અધિકારીઓએ માહિતી આપી હતી કે ગુપ્ત માહિતીથી મળેલી માહિતીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન 518 કરોડ રૂપિયાના હીરાનો અઘોષિત વેપાર દસ્તાવેજો વગેરેની શોધમાં પકડાયો હતો.  આવકવેરા વિભાગના નિવેદન અનુસાર, ઉદ્યોગપતિએ હીરાના આ અઘોષિત વેપારના નાણાં મિલકત અને શેરબજારમાં રોક્યા છે.  દરોડા દરમિયાન વિભાગે મોટી માત્રામાં અઘોષિત દાગીના અને 1.95 કરોડની રોકડ પણ જપ્ત કરી છે. આ સાથે 10.98 કરોડ રૂપિયાના 8900 કેરેટ હીરા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    હવે ઘર બેઠા પોલીસ સ્ટેશનની માહિતી મળી શકશે,જાણો કઇ રીતે?

    ગાંધીનગર-પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી અટકાવી અને ગુના શોધી કાઢવા માટે ફિલ્ડમાં કામ કરતા પોલીસ કર્મચારીઓ માટે પણ એક અલાયદી સગવડ ઉભી કરવામાં આવી છે.જેમાં પોલીસ કર્મીઓના મોબાઈલમાં પોકેટકોપ નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે. જેમાં પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનેગારોની સંપૂર્ણ માહિતી મૂકવામાં આવે છે. જેનાથી પોલીસ કર્મી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનેગાર પર નજર રાખી શકે છે.ગુજરાતના ૬૦૦ જેટલા પોલીસ સ્ટેશનોને સ્માર્ટ બનાવવામાં આવ્યા છે. ઇ-ગુજકોપ નામની એક એપ્લિકેશનથી પોલીસ અને લોકોનું કામ ઘણું આસાન બની ગયું છે. પોલીસ સ્ટેશનની કામગીરીમાં વધુ ઝડપ આવી છે અને લોકો સીધી એપ્લિકેશનમાં ફરિયાદ નોંધી શકે છે. રાજ્યના જે પોલીસ સ્ટેશનમાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ત્યાં ઉત્તમ પરિણામ મળ્યાં છે. ભારતની આઝાદી પછી પોલીસ માટે પોલીસ સ્ટેશનમાં અલગ અલગ રજીસ્ટર મેઈનટેઈન કરવા પડતા હતા, જેમાં ચાર ભાગ—પીએસઓ, એકાઉન્ટ, બારનીશી અને એમઓબી એમ ચાર ભાગમાં ૩૭ રજિસ્ટર રાખવામાં આવતા હોય છે. આ ચાર મુખ્ય રજિસ્ટરથી આખા પોલીસ સ્ટેશનનું સંચાલન થતું હોય છે. હવેથી આ સિસ્ટમ કમ્પ્યુટરાઈઝ્‌ડ કરાઈ છે. પોલીસ સ્ટેશનમાં કોઈ પણ ફરિયાદ કોઈ પણ આરોપી કે કોઈ પણ કેસની માહિતી ભલે તે વર્ષો જૂની હોય તો પણ ગણતરીની સેકન્ડમાં મળવા લાગી છે. પોલીસ સ્ટેશન અને તેના વિસ્તારની માહિતી મેળવા માટે અત્યાર સુધી ઉચ્ચ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને પત્ર લખીને લેખિતમાં માહિતી માંગવામાં આવતી હતી. જેને દિવસોના દિવસ લાગી જતા હતા. હવે માહિતી માંગવાની આવતાની સાથે જ ગણતરીના સેકન્ડ્‌સમાં મળી મળવા લાગી છે. એપ્લિકેશનની મદદથી માનવ કલાકો ઓછા થવા લાગ્યા છે અને કામમાં સરળતા આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    નવસારીમાં ભારે વરસાદ,અનેક વિસ્તારમાં ભરાયા પાણી,લોકો પરેશાન

    નવસારી-ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે.ત્યારે નવસારીમાં વરસાદના વિરામ બાદ હવે અમુક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.શહેરમાં આવેલા દશેરા ટેકરી અને રેલરાહત કોલોનીમાં વરસાદી પાણીનો ભરાવો યથાવત રહ્યો છે. જેના લીધે લોકો પરેશાની સામનો કરી રહ્યા છે.આ ઉપરાંત રેલ રાહત કોલોનીમાં રહેતા લોકોના ઘર આંગણે સુધી વરસાદી પાણી પહોંચ્યા છે.આ ઉપરાંત હજુ પણ ઉપરવાસમાં વરસાદના કારણે પૂર્ણાં અને અંબિકા નદીની સપાટી માં વધારો થઈ રહ્યો છે. જો કે પૂર્ણાં નદીની જળસપાટી ૧૧ ફૂટે પહોંચી જ્યારે ભયજનક જળસપાટી ૨૩ ફૂટ છે. તેવી જ રીતે અંબિકા નદીની જળસપાટી ૧૫ ફૂટે પહોંચી છે.રાજ્યમાં અનેક શહેરોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંં પણ વરસાદે ધામા નાખ્યા છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    ઉકાઇની ડેમની સપાટી 341 ફૂટને પાર, ઉપરવાસમાં ફરી વરસાદથી આવક વધી

    સુરત-ઉપરવાસમાં વરસાદને લઇ ઉકાઇ ડેમમાં ફરી એકવાર પાણીની આવક શરૂ થઇ છે. મંગળવારે દિવસભર ઉકાઇ ડેમમાં 36 હજાર ક્યુસેકથી લઇ 53 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતા સપાટી 341 ફૂટને પાર થઇ ગઇ છે. એક જ દિવસમાં ડેમની સપાટીમાં 0.70 ફૂટનો વધારો થયો છે. મોડીરાતે 8 કલાકે ઉકાઇ ડેમની સપાટી 341.20 ફૂટ નોંધાઇ છે. હાલની સપાટી રૂલ લેવલ 340 ફૂટથી 1.20 ફૂટ ઉપર છે. જો કે, આગામી દિવસમાં ઉપરવાસમાં ભારે વરસાદની શક્યતા ન હોવાથી ડિસ્ચાર્જ 1100 ક્યુસેક યથાવત રાખવામાં આવ્યો છે. વિતેલા 24 કલાકમાં 21 રેઇન ગેજસ્ટેશનમાં કુલ 117 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. હથનુર ડેમની સપાટી 213.190 મીટર જ્યારે ડિસ્ચાર્જ 20723 ક્યુસેક છે. હાલમાં ઉકાઇ ડેમ ભયજનક સપાટીથી 4 ફૂટ અને હથનુર ડેમ માત્ર 1 મીટર જ દૂર છે. હવે ભારે વરસાદની શક્યતા ઓછી હોવાથી સત્તાધીશોએ ડેમ સંપૂર્ણ ભરવા કવાયત હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરત: નવા 13 ફાયર સ્ટેશન બનાવવા SMCની મંજૂરી, ઓક્ટોબરમાં પુણા વિસ્તારનું નવું ફાયર સ્ટેશન ખુલ્લુ મુકાશે

    સુરત- શહેરની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને હવે વધારાના 13 ફાયર સ્ટેશન બનાવવાના કામને પણ મંજૂરી આપવામાં આવી રહી છે. સાથે જ ફાયર ફાઇટિંગ માટે જરૂરી મહેકમ પણ ઉભા કરવાની દિશામાં કોર્પોરેશન આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં ફાયર ફાઇટિંગ માં મદદરૂપ થઇ રહે તેવા અત્યાધુનિક સાધનો પણ વસાવવાની દિશામાં કોર્પોરેશને કામગિરી શરૂ કરી દીધી છે. આવનારા ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં પુણા ગામ વિસ્તારમાં આવેલા પુણા ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ફાયરસ્ટેશનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. હાલ સુરતમાં 16 જેટલા ફાયર સ્ટેશન કાર્યરત છે. અને હજી બીજા નવા 13 ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી પુણા વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશનનું ઉદઘાટન ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે તેવી સંભાવના છે. ફાયર વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરી બાબતે મેયર અને સબંધીત ફાયર અધિકારીઓ વચ્ચે એક બેઠક પણ મળી હતી. વિવિધ કેટેગરીની 1055 શીડ્યુલ્ડ પૈકીની જગ્યામાંથી હાલ 902 જેટલી જગ્યાઓ ભરવામાં આવી છે. જયારે અન્ય જેટલી પણ ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓ પર પણ ભરતી કરવાની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે. શહરમાં આયોજન હેઠળના નવા ફાયર સ્ટેશનો બાબતે સ્ટાફની જરૂરિયાત બાબતની દરખાસ્ત પર સ્થાયી સમિતિએ મંજૂરીની મહોર મારી દીધી છે. ફાયર વિભાગના કુલ 48 ડ્રાઈવરો પૈકી માત્ર 20 ડ્રાઇવરોને જ યુનિફોર્મ મળ્યા છે. ડ્રાઈવર, ક્લીનર, માર્શલ, લીડર, જમાદારને દોઢ વર્ષથી યુનિફોર્મ મળ્યા નથી. અને ઝડપથી તેઓ તમામને પણ યુનિફોર્મ ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી: આ જીલ્લાઓમાં મેઘમહેર યથાવત

    અમદાવાદ-ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ મેઘરાજાની મહેર યથાવત રહી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ,વડોદરા, ખેડા આણંદ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં ભરૂચ નર્મદા અને સુરતમાં બુધવારે ભારે વરસાદ પડી શકે છે.
    વધુ વાંચો
  • રમત ગમત

    ગુજરાતની આ 7 સિનિયર મહિલા ખેલાડીઓની ગુજરાત ટીમમાં પસંદગી, રેણુકા ચૌધરીની સુકાની તરીકે પસંદગી 

    સુરત- BCCI દ્વારા 31 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બધાજ રાજ્યના સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં ગુજરાતની ટીમમાં સૌપ્રથમ વખત સુરતની એક સાથે 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ પેહલા સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ખિલાડીઓ ત્રણ ખિલાડીઓ તથા ચાર ખિલાડીઓની પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ આ વખતે એક સાથે સુરતની 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તે સુરત માટે ખુબજ ગૌરવની વાત છે. BCCI દ્વારા 31 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.તેમાં સુરતની 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ટીમની કેપટન રેણુકા ચૌધરી જેઓ બેટિંગ-તથા ઓલરાઉન્ડર છે. કૃતિકા ચૌધરી જેઓ ટીમના વાઇસ કેપટન છે અને સ્પિનર તથા ઓલરાઉન્ડર છે. ગોપી મેદપરા તેઓ વિકેટ કીપર છે. પ્રજ્ઞા ચૌધરી તેઓ પણ સ્પિનર તથા ઓલરાઉન્ડર છે. તોરલ પટેલ તેઓ ઓફ સ્પિનર છે. મૈત્રી પટેલ તેઓ પેસ બોલર તથા ઓલરાઉન્ડર છે. અને શ્વેતા ચૌધરી તેઓ પણ સ્પિનર તથા ઓલરાઉન્ડર છે. આ તમામ ખિલાડીઓ છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છે. તથા તમામ ખિલાડીઓ ચીફ સિલેક્ટર ખ્યાતિ શાહ, ભૂમિ માખણીયા, પૂર્વી પટેલ તથા હેડ કોચ પ્રતીક પટેલના દેખરેખમાં તાલીમ લઇ રહ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતના આ શહેરમાં ફરી કોરોના ની દસ્તક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, સ્કૂલ 25 સપ્ટેમ્બર સુધી બંધ

    સુરત- અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકાવિહાર સ્કૂલમાં ગત શનિવારના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ જે કોર્પોરેશન દ્વારા શહેરના શાળા-કોલેજોમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત શનિવારના રોજ શહેરમાં ફરીથી ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોરોના ટેસ્ટિંગ કર્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ અને સ્કૂલ સંચાલકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તે બધા નેગેટિવ આવ્યા હતા. સુરત શહેરમાં ગત શનિવારના રોજ અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકાવિહાર સ્કૂલની ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું કોરોના ટેસ્ટિંગ કર્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓનું તેમજ સ્કૂલ સંચાલકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારબાદ સુરત કૉર્પોરેશન દ્વારા સ્કૂલને 25 સપ્ટેમ્બર સુધી બંધ રાખવા આવી છે, તથા વિદ્યાર્થિનીના ઘરે પણ તમામનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. પરિવારના તમામ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકાવિહારની વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલને 25 સપ્ટેમ્બર સુધી બંધ કરવામાં આવી.
    વધુ વાંચો
  • ગુજરાત

    નવસારી કસ્ટોડીયલ ડેથ મામલે આદિવાસીઓનું ધરણાં પ્રદર્શન

    નવસારી-નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથના મામલે સતત બે મહિનાથી આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. આદિવાસી યુવકના મોત બાદ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે પગલાં ન લેવાતા સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે આ મામલે આજે ચીખલી ખાતે ધરણાં પ્રદર્શનનું આયોજન કરાયું છે. જો કે, ધરણાં કરે તે પહેલાં આદિવાસી સમાજના આગેવાનોને પોલીસે ડિટેઈન કરવાની શરૂઆત કરી છે. ધારાસભ્ય અનંત પટેલને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. જેના કારણે આદિવાસી સમાજ ભારે રોષમાં આવ્યો છે. આદિવાસી આગેવાનોને ત્યાં ગયેલી પોલીસને ગામ લોકોએ ભગાડ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં બે મહિના અગાઉ થયેલ આદિવાસી યુવાનોનાં કસ્ટોડીયલ ડેથને મામલે સતત વિરોધ થઈ રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગ કરાઈ રહી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ, જાણો ક્યાં ક્યાં મેઘો થશે મહેરબાન?

    ગાંધીનગર-બંગાળની ખાડીમાં સર્જાયેલા લો ડિપ્રેશનના કારણે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેની સીધી અસર ગુજરાત પર થશે. હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ફરી મેઘમહેર થઇ શકે છે. હવામાન વિભાગે 19થી 21 તારીખ સુધી એટલે કે, આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, પંચમહાલ,અરવલ્લી,સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 20 સપ્ટેમ્બર સોમવારે એટલે કે આજે છોટાઉદેપુર, દાહોદ,પંચમહાલ, ખેડા, અરવલ્લી, વડોદરા, મહીસાગર, સાંબરકાંઠામાં મઘ્યમથી ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આગામી હે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. 20 સપ્ટેમ્બર સોમવારે એટલે કે આજે છોટાઉદેપુર, દાહોદ,પંચમહાલ, ખેડા, અરવલ્લી, વડોદરા, મહીસાગર, સાંબરકાંઠામાં મઘ્યમથી ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આગામી હે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં 21 સપ્ટેમ્બર મંગળવારે, મહીસાગર, છોટા ઉદેપુર,અમરેલી, ભાવનગર, વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, , નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી કરી કરી છે. જોકે આ આગાહી વચ્ચે મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં મેઘમહેર થઈ શકે છે. જોકે એક દિવસના વિરામબાદ મોધારાજા ફરિ ધમાકેદાર બેટીંગના મુડમાં જોવા મળી રહ્યા છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    વડોદરાના રાજેન્દ્ર ત્રિવેદી અને સુરતના પુર્ણેશ મોદીને પ્રવકતા મંત્રી બનાવાયા

    ગાંધીનગર, ગુજરાતનાં નવા મંત્રીમંડળના બે સભ્યોને સરકારના પ્રવકતા મંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે. આ બંને મંત્રીઓ સરકારના ર્નિણયો અંગે મીડિયા સાથે સંકલન કરીને સરકારની વાત રજૂ કરશે. રાજયની વિજય રૂપાણી અને નીતિન પટેલની સરકારના રાજીનામાં લઈ લીધા બાદ ભાજપ દ્વારા પ્રથમ વખત ચૂંટાયેલા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની ગુરુવારે શપથવિધિ યોજાઇ હતી. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના સભ્યોને તેમની ચેમ્બરની ફાળવણી કરી દેવામાં આવી છે. જે પૈકીનાં મોટાભાગના સભ્યોએ આજે પોતાની ચેમ્બરમાં પ્રવેશ કરીને વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો હતો. દરમિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારના પ્રવકતા મંત્રી તરીકે બે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે.  સરકારના પ્રવકતા મંત્રી તરીકે મહેસૂલ તેમજ કાયદો અને ન્યાય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા માર્ગ-મકાન અને વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને મંત્રીઓ મીડિયા સાથે સંકલનની કામગીરી કરશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજ્ય ગૃહ મંત્રીનો ચાર્જ લેતા અગાઉ હર્ષ સંઘવીએ જાડેજા પાસેથી લેશન લીધું

    ગાંધીનગર, ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળના મોટાભાગના મંત્રીઓએ સત્તાવાર રીતે પોતાને ફાળવેલી ઓફિસમાં જઈને લીધો છે. ત્યારે રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાને ફાળવેલી ચેમ્બરમાં ભારત માતાની તસવીરની પૂજા સાથે ગણેશ સ્થાપના કરીને ઓફિસનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. સંઘવી વધુમાં જણાવ્યું હતું કે, હું પ્રથમ વખત મારા માતા-પિતાને લઈને ગાંધીનગર આવ્યો છું અને ગૃહ રાજ્ય મંત્રી તરીકે મારા માતા-પિતાના આશીર્વાદ લીધા બાદ મંત્રી પદનો ચાર્જ સંભાળ્યો છે.ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ કે, જે અત્યારે જે તે જિલ્લામાં ફરજ નિભાવી રહ્યા છે. તેઓએ શુભેચ્છા આપવા માટે ગાંધીનગર આવવું નહીં, પરંતુ હું ટૂંક સમયમાં જ તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરીને જિલ્લામાં આવીને માહિતીઓ પ્રાપ્ત કરીશ.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ચાર્જ લેતા અગાઉ વિજય રૂપાણીના સરકારના તમામ મંત્રીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને તેમના આશીર્વાદ લીધા બાદ હું ઓફિસમાં ચાર્જ લેવા માટે આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મને ગૃહ વિભાગનો ચાર્જ સોંપાયો છે, ત્યારે મારા પુરોગામી એવા પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે સવા કલાક બેસીને તેમની પાસેથી માર્ગદર્શન અને લેશન લઈને તમામ માહિતીઓ મેળવી હતી ત્યાર બાદ મેં ગૃહ રાજ્ય મંત્રી પદનો ચાર્જ સંભાળ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ચાર્જ લેતાની સાથે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, કોઈપણ વ્યક્તિએ કે અધિકારીઓએ સ્વર્ણિમ સંકુલ- ૨ માં શુભેચ્છા માટે બુકે લઈને આવવું નહીં. સાથે તેમણે એવી અપીલ કરી હતી કે, કોઈએ પણ શુભેચ્છા આપવા માટે સમયનો બગાડ કરીને શુભેચ્છા આપવી નહીં, જ્યારે જે લોકો શુભેચ્છા આપવા માંગે છે, તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છા આપી શકે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતનું આ શેહર વેક્સિનેશનમાં નં.1 એક દિવસમાં રેકોર્ડબ્રેક 2.05 લાખને રસી મુકાઈ

    સુરત-પીએમના જન્મદિવસે વેક્સિનેશન ડ્રાઈવમાં સાંજે 7.41 વાગ્યા સુધીમાં 1,78,752ને વેક્સિન મુકાઇ છે, લોકોમાં ઉત્સાહ વધુ હોય મહાપાલિકા એ સેન્ટરો વધારી 310 કર્યા છે. પ્રથમ ડોઝ 77,050 અને બીજો ડોઝ 1,01,702 થયા છે. ત્યારે 34,32,737ના ટાર્ગેટ સામે પ્રથમ ડોઝ 31,86,501 પહોંચતાં 92.08 ટકા અને બીજો ડોઝ 13,50,811 થતાં 42.40 ટકા સુધી પહોંચી ગયો છે. મહાપાલિકાએ મેગા ડ્રાઇવ પૂર્વ દિવસે જ 4 લાખને મેસેજ કરી દેવાયા હતાં તેથી સવારથી જ લોકોનો વેક્સિન માટે ઉત્સાહ જણાતાં સેન્ટરો પર લાઇનો લાગવા માંડી હતી. શહેરભરના કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, ખાનગી સ્કૂલ સમિતિની સ્કૂલ, હેલ્થ સેન્ટરો તથા મોબાઇલ વેક્સિનેશન ટીમ ખાતે ઠેર ઠેર વેક્સિનેશન કરાયું હતું. સામાજિક સંસ્થાઓ અને લોક પ્રતિનિધિઓ મોટાપાયે વેક્સિન કામગીરીમાં જોતરાયા હતાં. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અગાઉ વધુમાં વધુ 78,908ને રસી મુકાઇ હતી પરંતુ પીએમના જન્મદિવસે આ રેકર્ડ તુટ્યો છે. સાંજે 7.41 વાગ્યા સુધીમાં 1.78 લાખથી વધુને વેક્સિન મુકાઇ છે. રાત્રિ સુધી 2.20 લાખ જેટલું રસીકરણ થાય તેમ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    આજથી નવુ મંત્રીમંડળ લાગ્યુ કામે,ચેમ્બરની ફાળવણી કરવામાં આવી

    ગાંધીનગર-ગુજરાતનું નવુમંડળ કામે લાગ્યું છે.આજથી તમામ મંત્રીઓને પોતાની ચેમ્બરની ફાળવણી કરવામાં આવી છે.કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે આજે વિધિવત રીતે મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ખાલી પડેલી ચેમ્બરમાં નવા કૃષિ મંત્રી રાઘવજી પટેલ બેસશે.સરકારની ઈમેજ નવેસરથી ઊભી કરવા માટે જે નવી સરકાર રચાઈ છે તેમના માંથે મોટી જવાબદારીનો ભાર મુકવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની નવી રચાયેલી સરકારના મંત્રીઓને અગાઉ રહેલા મંત્રીઓની ચેમ્બર ફાળવવામાં આવી છે.જુઓ, કયા મંત્રીઓને કઈ ચેમ્બરમાં સ્થાન મળ્યું છે.સ્વર્ણિમ સંકુલ-1ના બીજા માળે નીતિન પટેલના સ્ટાફની ચેમ્બર હવે જિતુ વાઘાણીને અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ચેમ્બર કૃષિમંત્રી રાઘવજી પટેલને ફાળવી છે. અગાઉ નીતિન પટેલ હસ્તક બે ચેમ્બર હોવાથી બે કેબિનેટ મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ-2માં ચેમ્બર આપી હતી, પરંતુ હવે તમામ 10 કેબિનેટ મંત્રીનો સમાવેશ સ્વર્ણિમ સંકુલ-1માં કરી દેવાયો છે. સ્વર્ણિમ સંકુલ-2માં પાવર સેન્ટર ત્રીજા માળે આવેલી પ્રદીપસિંહ જાડેજાની ચેમ્બર હવે રાજ્યકક્ષાના મંત્રી આર.સી.મકવાણાને અપાઇ છે, જ્યારે નવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને સ્વર્ણિમ સંકુલ-2ના પ્રથમ માળે આવેલી ચેમ્બર-1 અપાઇ છે, જ્યાં રૂપાણી સરકારના કુંવરજી બાવળિયા બેસતા હતા. જ્યારે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશ મોદીને આર.સી ફળદુની ચેમ્બર ફાળવવામાં આવી છે.નવા મંત્રીઓને ચેમ્બરની ફાળવણી કરવામાં આવતા જ તેમણે ચાર્જ સંભાળ્યો છે. આજથી તમામ મંત્રીઓ નવા જોશ સાથે એક્શનમાં આવી ગયા છે.
    વધુ વાંચો
  • ક્રાઈમ વોચ

    અન્ય રાજયો કરતા ગુજરાતમાં 2020માં હિટ એન્ડ રનમાં 1104 લોકોનાં મોત નિપજ્યા

    અમદાવાદ-રાજ્યમાં રોડ એક્સીડન્ટમાં ૬૫૬૪ લોકોએ જીવ ગૂમાવ્યો જેમાં હિટ એન્ડ રનમાં ૧૧૦૪ લોકોના મોત થયા હતા. અન્ય રાજ્યની તુલનામાં ગુજરાતમાં રોડ એક્સીડન્ટની ઘટનાઓ ઓછી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં ૧૯૨૦૫ લોકો, મધ્યપ્રદેશમાં ૧૧૭૪૪, મહારાષ્ટ્રમાં ૧૧૬૫૮ અને કર્ણાટકામાં ૧૧૫૭૩ લોકોએ રોડ અકસ્માતમાં જીવ ગૂમાવ્યો છે. આ રાજ્યોમાં હિટ એન્ડ રનમાં જીવ ગૂમાવનાર લોકોની સંખ્યા પણ વધુ છે. ઉત્તરપ્રદેશમાં રોડ એક્સીડેન્ટમાં ૧૯૨૦૫ના મોત સામે હિટ એન્ડ રનના બનાવમાં મરનારની સંખ્યા ૧૫૪૮૫ છે. આમ, ઉત્તરપ્રદેશમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં ઉછાળો જાેવા મળ્યો છે. ગુજરાતમાં રાયોટીંગની ૧૦૮૩ બનાવો બન્યા જેમાં કોમી અને ર્ધામિક અથડામણની ૨૩ ઘટના અને સાંપ્રદાયીક હિંસાની ૧૦ ઘટનાઓ બની હતી. ૨૦૨૦માં રાજ્યમાં રોડ અકસ્માતમાં ૬૫૬૪ લોકોએ જીવ ગૂમાવ્યો જેમાં હિટ એન્ડ રનની ઘટનામાં રાજ્યમાં ૧૧૦૪ લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઊભા કરતાં ચોંકાવનારા આંકડા બહાર આવી રહ્યા છે. ૨૦૨૦માં રાજ્યમાં ૪૮૬ મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની તેમજ એસીડ એટેકની ૮ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. ગ્દઝ્‌રઇમ્‌ (નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો) દ્વારા જારી કરવામાં આવેલા વર્ષ ૨૦૨૦ના આંકડાના આધારે ઉપરોક્ત વિગતો બહાર આવી છે. ગુજરાતમાં ૨૦૨૦માં જૂથ અથડામણની ૧૦૮૩ ઘટનાઓમાં ૧૩૮૨ લોકો ભોગ બન્યા જેમાં કોમી, ર્ધામિક અને સાંપ્રદાયીક હિંસાની કુલ ૩૩ ઘટનાઓમાં ૫૦ લોકો ભોગ બન્યા હતા. રાજકીય અને જાતિગત સંઘર્ષની કુલ ૩૦ હિંસાની ઘટનાઓ નોંધાઈ હતી. આ ઉપરાંત ખેતી મામલે, વિદ્યાર્થીઓના જૂથ, નાણાંકીય વિવાદ, પાણીનો વિવાદ, જમીન વિવાદ, કૌટુંબીક વિવાદ, આંદોલન અને દુશ્મનાવટને પગલે હિંસાના બનાવો બન્યા હતા. રાજ્યમાં પોલીસ અને સરકારી કર્મચારીઓ પર હિંસાના ૫૦ બનાવો બન્યા હતા. મહિલાઓની સુરક્ષા મામલે વધુ સક્ષમ કાર્યવાહી અને કાયદાકીય જાેગવાઈઓ તૈયાર કરવા રાજ્ય સરકારને વિચારણા કરવી પડે તેવી આંકડાકીય સ્થિતી છે. રાજ્યમાં ૨૦૨૦માં ૪૮૬ મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની જેમાં એસીડ એટેકની ૮ ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. મહિલાઓ પર હુમલાની ૩૦૬ ઘટનાઓ નોંધાઈ ઊપરાંત શારિરીક છેડછાડની ૩૫૮ ઘટનાઓ બની જેમાં ૧૪ ઘટના મહિલાઓના કાર્યસ્થળ પર બની છે.જાહેર ટ્રાન્સપોર્ટના સ્થળે મહિલાઓની છેેડછાડના ત્રણ બનાવ બન્યા છે. મહિલાઓનો પીછો કરીને પજવવાની ૧૧૪ તેમજ ગંદા અને બિભત્સ ઈશારા કરવાની ૧૪ ઘટનાઓ રાજ્યમાં નોંધાઈ છે.
    વધુ વાંચો

સુરત સમાચાર

તાપી સમાચાર

નવસારી સમાચાર

વલસાડ સમાચાર

ડાંગ સમાચાર