જામનગર સમાચાર

  • ગુજરાત

    કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા

    રાજકોટ ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલને શનિવારે રાત્રે બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને જામનગરથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. રાઘવજી પટેલ અત્યારે ભુપેન્દ્ર પટેલ સરકારમાં કૃષિ મંત્રાલય સંભાળે છે. તેમની તબિયત અચાનક લથડ્યા પછી તેમને રાજકોટ લઈ જવાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મામલે ડોક્ટરો સાથે વાતચીત કરી છે. રાઘવજી પટેલને હાલમાં ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. તેમની તબિયત સ્થિર હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. ન્યુરોસર્જન ડો. સંજય ટીલાળા તેમને સારવાર આપી રહ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તાજેતરમાં જામનગર હતા અને જામનગરના પસાયા બેરાજામાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમમાં જાેડાયા હતા. આ દરમિયાન મોડી રાત્રે તેમને માઈનર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. સીનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરિયાએ તેમના હેલ્થ અપડેટ આપતા જણાવ્યું કે, વહેલી સવારે સિનરજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં રાઘવજીભાઈ પટેલ તબિયત સ્થિર છે.સિનર્જી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે રાઘવજી પટેલને દિમાગની જમણી બાજુએ હેમરેજ થયું છે. શનિવારે રાતે લગભગ ૧૦.૩૦ વાગ્યાની આસપાસ તેમને સ્ટ્રોક આવ્યો હતો. તેમને જામનગરની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાર પછી તેમને રાજકોટ અમારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
    વધુ વાંચો
  • ગુજરાત

    જામનગર ખાતે રિલાયન્સ મોલમાં ભયાનક આગ લાગી, અનંત અંબાણી પણ દોડતા આવ્યા

    જામનગર જામનગરમાં રિલાયન્સ મોલમાં મોડી રાતે અચાનક આગની ઘટના બની હતી. જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં કોઈક કારણોસર આગ લાગી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન હોવાનું નિવેદન સામે આવ્યું છે. રિલાયન્સના પ્રવક્તા દ્વારા આધિકારિક નિવેદનમાં જણાવાયું કે, આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પરંતું આગના ધુમાડા ઉંચે સુધી જાેવા મળ્યા હતા. મોડી રાતે અનંત અંબાણી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ૩૦થી વધુ ફાયર ફાઈટર કાર્યરત રહીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આજના દિવસનું કામકાજ પૂર્ણ કરીને મોલ બંધ થયા બાદ આગ લાગી હતી. મોડી રાતે લગભગ ૧૦.૩૦ કલાકે આગ લાગી હતી. તેમાં કોઇ જાનહાની થઈ નથી કે કોઇને ઇજા થઈ નથી. આર.આઇ.એલ.ના ફાયર ટેન્ડરની સાથે જામનગર ડિસ્ટ્રીક્ટ ઓથોરીટી અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ આગને કાબુમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આગની જાણ થતા મોડી રાતે અનંત અંબાણી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રિલાયન્સના પ્રવક્તાએ આગ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આગના કારણની તપાસ કરવામાં આવશે. આ આગમાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી છે. સાથે જ મોલ બંધ થવાનો સમય હોવાથી મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે. જામનગરના મોટી ખાવડી વિસ્તારમાં આવેલ આ રિલાયન્સ મોલમાં મુવી થિયેટર અને ગેમ ઝોન પણ આવેલું છે. આ ઉપરાંત અહી કેફે અને અન્ય રિટેઈલ દુકાનો પણ આવેલી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    જામજાેધપુરમાંથી ફૂડ વિભાગે ૧૦૦ કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા

    જામનગર જામનગર જિલ્લાના જામજાેધપુરમાં આવેલી ઉમિયાજી ડેરી નામની દુકાનમાં તેના વેપારી દ્વારા તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ઘીનું વેચાણ કરાતું હોવાની બાતમી મળતા જામજાેધપુર પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સાથે રાખીને દરોડો પાડ્યો હતો, અને ડેરી તેમજ રહેણાંક મકાનમાંથી ૧૦૦ કિલો શંકાસ્પદ ઘઈનો જથ્થો જપ્ત કર્યો હતો. ઘીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જામજાેધપુરમાં બહુચરાજી મંદિર પાસે આવેલી ઉમિયાજી ડેરી નામની દુકાનમાં તેના સંચાલક બીપીનભાઈ ગોવિંદભાઈ ગોહેલ નામના વેપારી દ્વારા તહેવારો દરમિયાન ભેળસેળ યુક્ત ઘી વેચવાની પેરવી કરી રહ્યા છે, તેવી માહિતી જામજાેધપુ૨ પોલીસને મળી હોવાથી આજે ફૂડ વિભાગના ઓફિસર એન.એમ. પરમારને સાથે રાખીને જામજાેધપુરના પી.આઈ. વાય. જે. વાધેલા અને તેમની ટીમના પ્રશરાજસિંહ જાડે જા, મહેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, અશોકભાઈ ગાગીયા વગેરેએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ઉમિયાજી ડેરી અને તેના ઘરમાંથી ૧૦૦ કિલો શંકાસ્પદ ઘી નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા ઘીના જથ્થાનું ફૂડ અને સેફટી વિભાગના અધિકારીની હાજરીમાં તેમનું સેમ્પલિંગ કરાયું છે, અને પૃથ્થકરણ માટે લેબો૨ેટ૨ીમા મોકલી અપાયું છે . જયારે વેપારી સામે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    વધુ વાંચો
  • ક્રાઈમ વોચ

    કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ

    વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ..  ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રણમલ તળાવની એક વર્ષ દરમિયાન ૧૦.૬૫ લાખ લોકોએ મુલાકાત લીધી

    જામનગર જામનગર શહેરની શાન સમાન એવા રણમલ તળાવ પરિસરમાં સ્વાસ્થ્ય પ્રેમી જનતા દ્વારા ચાલુ વર્ષ દરમિયાન કુલ ૧૦.૬૫ લાખ લોકોએ મુલાકાત લીધી હતી. તેમજ જામ્યુકો દ્વારા કુલ ૧૮,૬૯૦ જેટલા પાસ ઇસ્યુ કરવામાં આવ્યાં હતાં. જામનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત્ત રણમલ તળાવ ખાતે આ વર્ષ દરમિયાન ૧.૨૪ કરોડની આવક થઈ છે. શહેરની સાન સમા રણમલ તળાવ ખાતે શહેરીજનો વહેલી સવારે તેમજ સાંજના સમયે વોકીંગ માટે જતા હોય છે. આ ઉપરાંત રજાના દિવસોમાં તેમજ તહેવારના સમયમાં લોકો મોટી સંખ્યામાં અહીં ફરવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષ દરમિયાન ૧૦.૬૫ લાખ સહેલાણઓએ રણમલ તળાવની, ૧૦ હજાર લોકોએ લેઝર શો તથા ૪૮,૫૦૦ લોકોએ મ્યુઝિયમ (માછલી ઘર)ની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત લાખોટા કોઠા મ્યુઝિમ ખાતે ૫૬ હજાર મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ચામુંડા મિત્ર મંડળ દ્વારા ૪૦ વર્ષથી યોજાતી પદયાત્રાનો સંઘ રવાના

    દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના ભરતનગર, કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ આયોજીત ભાવનગરથી ચોટીલા જવા માટે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના હસ્તે ૫૨ ગજાની ધજાનું પૂજન-અર્ચન કરી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના ભરતનગર કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ છેલ્લા ૪૦ વર્ષથી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે ભાવિક ભક્તો ભાવનગરથી ચોટીલા સુધીનો પદયાત્રા સંઘ યોજવામાં આવ્યો છે.હોળી-ધુળેટીનું પર્વ નજીક આવતા દ્વારકા જતા પદયાત્રીઓમાં વધારો જામનગર ફાગણ માસની પૂર્ણીમા એટલે કે હોલીકા ઉત્સવ, હોળી ઉત્સવ માટે વર્ષોની પરંપરા મુજબ ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે ઠેર-ઠેર ગામે-ગામ થી અસંખ્ય લોકો પગપાળા દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચે છે. આ વર્ષે પણ ગુજરાત-રાજસ્થાન સહિતના રાજયોમાંથી અસંખ્ય પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ પદયાત્રીઓ સેવા માટે પણ હાઈ-વે પર અસંખ્ય સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. જેમાં પદયાત્રીઓ માટે રહેવા, જમવા, ફેરા થવા માટે તેમજ તમામ મેડીકલ માટેની સુવીધાઓ પણ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. સેવાકેમ્પોમાં ડી.જે.ના તાલે પણ પદયાત્રીઓનો થોડો થાક દૂર કરવા માટે કાળીયાઠાકરના ગીતો વગાડી અને ગરબા ઘૂમવા માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    મથુરાનગર સોસાયટીમાં રોડની ફરિયાદથી રિવાબાએ સ્થળ પર પહોંચી ચકાસણી કરી

    જામનગર ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાને શહેરના ગોકુલ નગર વિસ્તારનાં મથુરા નગરમાં ચાલતા સી.સી. રોડનું કામ નબળુ થતું હોવાની જાણ વિસ્તારનાં લોકોએ કરતાં ધારાસભ્ય રિવાબા જાડેજા મહાનગરપાલિકાનાં અધિકારીઓને સાથે રાખી સી.સી. રોડનાં કામ ચેક કરવા પહોંચ્યા હતા. રીવાબા જાડેજાએ તાત્કાલિ અધિકારીઓને કામમાં ભ્રષ્ટાચાર ન થાય એની સૂચના આપી હતી. અધિકારીઓએ પણ કામ મંજૂર થયા મુજબ જ કોન્ટ્રાકટર પાસેથી કામ કરાવવાની ખાત્રી આપી હતી. ઉલ્લેખનીય છે કે, રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના કામમાં કેટલાક લોકો નબળી ગુણવત્તા વાળું કામ કરે છે. આવા ભ્રષ્ટચારીઓ પર નવનિયુક્ત જન પ્રતિનિધી રિવાબાએ લાલ આંખ બતાવતા સ્થાનિક લોકોમાં ધારાસભ્યની કામગીરીને લઈને ઉત્સાહ અને સંતોષકારક કામગીરી થયાની ચર્ચાઓ સાથે ધારાસભ્યને લોકોએ બિરદાવ્યા હતા. નવા બની રહેલા સીસી રોડની મુલાકાત સમય એ સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય રિવાબા જાડેજા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટું, શહેર ભાજપ આગેવાન દિલીપસિંહ સહિત સિવિલ શાખાના નાયબ એન્જિનિયર પાઠક સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ માટે અને આગળ રોડનું કામ વ્યવસ્થિત થાય તે રીતે અધિકારીઓને પણ કડક સૂચના આપવામાં આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    બે બાઈક વચ્ચે ટક્કર  બંને બાઈક ચાલકોનીે હાલત ગંભીર બનતા હોસ્પિટલમાં ખસેડાયા

    જામનગર, જામનગરના તીનબત્તી વિસ્તારમાં બુધવારે રાત્રે બે બાઈક વચ્ચે જાેરદાર ટક્કર થતાં બંને બાઈકસવારોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક બાઈકનો ચાલક રોડની જમણી બાજુ વળી રહ્યો હતો ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલા અન્ય બાઈકચાલકે જાેરદાર ટક્કર મારતાં બંને પટકાયા હતા. અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરના તીનબત્તી વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે બનેલી અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં જાેઈ શકાય છે કે એક બાઈકસવાર રોડની જમણી બાજુ વળવા માટે પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલા અન્ય બાઈકચાલકે જાેરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જાેરદાર હતો કે બંને બાઈકસવાર જમીન પર પટકાયા હતા. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થયો હતો અને લોકો પણ એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક ૧૦૮ને જાણ કરતાં બંને યુવકને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પણ પહોંચી હતી અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    કોઇએ ડરવાની જરૂર નથી, જરૂર પડ્યે ઈન્કમટેક્સ તથા ઇડીની મદદ લઇશું :આઈજી

    જામનગર,તા.૧૭જામનગરમાં રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ ના ખુલ્લા લોક દરબારમાં ફરિયાદોનો ધોધ વરસ્યો તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાશે અને જરૂર પડશે તો ઇન્કમટેક્સ તથા ઇડીની પણ મદદ લેવામાં આવશે તેવું આઈજી અશોકકુમાર યાદવ આવે લોક દરબારમાં જાહેરમાં જણાવ્યું હતું. જામનગરમાં વ્યાજખોરોની જંગલમાંથી બચવા માટે જાહેર લોકદરબાર યોજાયો જ્યારે જામનગરની જનતાને વ્યાજખોરોના દૂષણમાં ફસાયેલા લોકો માટેની જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા આયોજિત જિલ્લા પોલીસ મહાન નિરીક્ષક અશોકકુમાર યાદવના અધ્યક્ષ સ્થાને દરબારગઢ સર્કલ ખાતે વ્યાજખોરોના જંગલમાંથી બચાવવા માટે ભવ્ય લોક દરબાર યોજાયો જેમાં અરજદારોએ પોતાની પડતી મુશ્કેલીઓ રજૂ કરીઅને જામનગર પોલીસ અને આઇજી દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવા સ્ટેજ પરથી આદેશ કર્યો હતો. હું વ્યાજખોરોના જંગલમાં ફસાયેલો છું મારી ઉપર ખૂબ વીતી છે હું હરજી લઈને આવ્યો છું રૂબરૂ તમે વાંચી લ્યો જેમાં તમામે તમામ વિગત છે હું અત્યારે મોરબી રહું છું ત્યાં કારખાનામાં કામ કરું છું મારો પરિવાર બે બાળકો છે મારા બાળકને ૧૮ વર્ષનો બાળક આપની સમક્ષ બેઠો છે તેનું નામ દેવ છે તેને બે વખત બ્લડ કેન્સર થયું છે મારી પાસે ફાઈલ પણ મોજૂદ છે તમારે જાે ફાઈલ જાેવી હોય તો હું ફાઈલ પણ આપીશ. જ્યારે અરજદારે કહ્યું હતું કે મારું રેસીડન્ટ જામજાેધપુર છે પણ હું રાતોરાત હિજરત કરીને ભાગેલો છું. જ્યારે મેં પાંચ લોકોના નામ અરજીમાં લખેલા છે રકમ તો ઘણી બધી છે મેં મારા ધંધા માટે લીધી હતી અને કોરોના આઇવો અને મારા બાળકને બ્લડ કેન્સર થઈ ગયું હતું.
    વધુ વાંચો