જામનગર સમાચાર
-
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 907 comments
- 2464 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
રણમલ તળાવની એક વર્ષ દરમિયાન ૧૦.૬૫ લાખ લોકોએ મુલાકાત લીધી
- 12, માર્ચ 2023 01:30 AM
- 4769 comments
- 2178 Views
જામનગર જામનગર શહેરની શાન સમાન એવા રણમલ તળાવ પરિસરમાં સ્વાસ્થ્ય પ્રેમી જનતા દ્વારા ચાલુ વર્ષ દરમિયાન કુલ ૧૦.૬૫ લાખ લોકોએ મુલાકાત લીધી હતી. તેમજ જામ્યુકો દ્વારા કુલ ૧૮,૬૯૦ જેટલા પાસ ઇસ્યુ કરવામાં આવ્યાં હતાં. જામનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત્ત રણમલ તળાવ ખાતે આ વર્ષ દરમિયાન ૧.૨૪ કરોડની આવક થઈ છે. શહેરની સાન સમા રણમલ તળાવ ખાતે શહેરીજનો વહેલી સવારે તેમજ સાંજના સમયે વોકીંગ માટે જતા હોય છે. આ ઉપરાંત રજાના દિવસોમાં તેમજ તહેવારના સમયમાં લોકો મોટી સંખ્યામાં અહીં ફરવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષ દરમિયાન ૧૦.૬૫ લાખ સહેલાણઓએ રણમલ તળાવની, ૧૦ હજાર લોકોએ લેઝર શો તથા ૪૮,૫૦૦ લોકોએ મ્યુઝિયમ (માછલી ઘર)ની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત લાખોટા કોઠા મ્યુઝિમ ખાતે ૫૬ હજાર મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.વધુ વાંચો -
ચામુંડા મિત્ર મંડળ દ્વારા ૪૦ વર્ષથી યોજાતી પદયાત્રાનો સંઘ રવાના
- 03, માર્ચ 2023 01:30 AM
- 8692 comments
- 4074 Views
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના ભરતનગર, કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ આયોજીત ભાવનગરથી ચોટીલા જવા માટે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના હસ્તે ૫૨ ગજાની ધજાનું પૂજન-અર્ચન કરી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના ભરતનગર કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ છેલ્લા ૪૦ વર્ષથી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે ભાવિક ભક્તો ભાવનગરથી ચોટીલા સુધીનો પદયાત્રા સંઘ યોજવામાં આવ્યો છે.હોળી-ધુળેટીનું પર્વ નજીક આવતા દ્વારકા જતા પદયાત્રીઓમાં વધારો જામનગર ફાગણ માસની પૂર્ણીમા એટલે કે હોલીકા ઉત્સવ, હોળી ઉત્સવ માટે વર્ષોની પરંપરા મુજબ ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે ઠેર-ઠેર ગામે-ગામ થી અસંખ્ય લોકો પગપાળા દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચે છે. આ વર્ષે પણ ગુજરાત-રાજસ્થાન સહિતના રાજયોમાંથી અસંખ્ય પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ પદયાત્રીઓ સેવા માટે પણ હાઈ-વે પર અસંખ્ય સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. જેમાં પદયાત્રીઓ માટે રહેવા, જમવા, ફેરા થવા માટે તેમજ તમામ મેડીકલ માટેની સુવીધાઓ પણ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. સેવાકેમ્પોમાં ડી.જે.ના તાલે પણ પદયાત્રીઓનો થોડો થાક દૂર કરવા માટે કાળીયાઠાકરના ગીતો વગાડી અને ગરબા ઘૂમવા માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.વધુ વાંચો -
મથુરાનગર સોસાયટીમાં રોડની ફરિયાદથી રિવાબાએ સ્થળ પર પહોંચી ચકાસણી કરી
- 04, ફેબ્રુઆરી 2023 01:30 AM
- 6374 comments
- 7469 Views
જામનગર ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાને શહેરના ગોકુલ નગર વિસ્તારનાં મથુરા નગરમાં ચાલતા સી.સી. રોડનું કામ નબળુ થતું હોવાની જાણ વિસ્તારનાં લોકોએ કરતાં ધારાસભ્ય રિવાબા જાડેજા મહાનગરપાલિકાનાં અધિકારીઓને સાથે રાખી સી.સી. રોડનાં કામ ચેક કરવા પહોંચ્યા હતા. રીવાબા જાડેજાએ તાત્કાલિ અધિકારીઓને કામમાં ભ્રષ્ટાચાર ન થાય એની સૂચના આપી હતી. અધિકારીઓએ પણ કામ મંજૂર થયા મુજબ જ કોન્ટ્રાકટર પાસેથી કામ કરાવવાની ખાત્રી આપી હતી. ઉલ્લેખનીય છે કે, રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના કામમાં કેટલાક લોકો નબળી ગુણવત્તા વાળું કામ કરે છે. આવા ભ્રષ્ટચારીઓ પર નવનિયુક્ત જન પ્રતિનિધી રિવાબાએ લાલ આંખ બતાવતા સ્થાનિક લોકોમાં ધારાસભ્યની કામગીરીને લઈને ઉત્સાહ અને સંતોષકારક કામગીરી થયાની ચર્ચાઓ સાથે ધારાસભ્યને લોકોએ બિરદાવ્યા હતા. નવા બની રહેલા સીસી રોડની મુલાકાત સમય એ સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય રિવાબા જાડેજા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટું, શહેર ભાજપ આગેવાન દિલીપસિંહ સહિત સિવિલ શાખાના નાયબ એન્જિનિયર પાઠક સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ માટે અને આગળ રોડનું કામ વ્યવસ્થિત થાય તે રીતે અધિકારીઓને પણ કડક સૂચના આપવામાં આવી હતી.વધુ વાંચો -
બે બાઈક વચ્ચે ટક્કર બંને બાઈક ચાલકોનીે હાલત ગંભીર બનતા હોસ્પિટલમાં ખસેડાયા
- 20, જાન્યુઆરી 2023 01:30 AM
- 1794 comments
- 2488 Views
જામનગર, જામનગરના તીનબત્તી વિસ્તારમાં બુધવારે રાત્રે બે બાઈક વચ્ચે જાેરદાર ટક્કર થતાં બંને બાઈકસવારોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક બાઈકનો ચાલક રોડની જમણી બાજુ વળી રહ્યો હતો ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલા અન્ય બાઈકચાલકે જાેરદાર ટક્કર મારતાં બંને પટકાયા હતા. અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરના તીનબત્તી વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે બનેલી અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં જાેઈ શકાય છે કે એક બાઈકસવાર રોડની જમણી બાજુ વળવા માટે પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલા અન્ય બાઈકચાલકે જાેરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જાેરદાર હતો કે બંને બાઈકસવાર જમીન પર પટકાયા હતા. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થયો હતો અને લોકો પણ એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક ૧૦૮ને જાણ કરતાં બંને યુવકને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પણ પહોંચી હતી અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
કોઇએ ડરવાની જરૂર નથી, જરૂર પડ્યે ઈન્કમટેક્સ તથા ઇડીની મદદ લઇશું :આઈજી
- 17, જાન્યુઆરી 2023 11:15 PM
- 6107 comments
- 3588 Views
જામનગર,તા.૧૭જામનગરમાં રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ ના ખુલ્લા લોક દરબારમાં ફરિયાદોનો ધોધ વરસ્યો તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાશે અને જરૂર પડશે તો ઇન્કમટેક્સ તથા ઇડીની પણ મદદ લેવામાં આવશે તેવું આઈજી અશોકકુમાર યાદવ આવે લોક દરબારમાં જાહેરમાં જણાવ્યું હતું. જામનગરમાં વ્યાજખોરોની જંગલમાંથી બચવા માટે જાહેર લોકદરબાર યોજાયો જ્યારે જામનગરની જનતાને વ્યાજખોરોના દૂષણમાં ફસાયેલા લોકો માટેની જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા આયોજિત જિલ્લા પોલીસ મહાન નિરીક્ષક અશોકકુમાર યાદવના અધ્યક્ષ સ્થાને દરબારગઢ સર્કલ ખાતે વ્યાજખોરોના જંગલમાંથી બચાવવા માટે ભવ્ય લોક દરબાર યોજાયો જેમાં અરજદારોએ પોતાની પડતી મુશ્કેલીઓ રજૂ કરીઅને જામનગર પોલીસ અને આઇજી દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવા સ્ટેજ પરથી આદેશ કર્યો હતો. હું વ્યાજખોરોના જંગલમાં ફસાયેલો છું મારી ઉપર ખૂબ વીતી છે હું હરજી લઈને આવ્યો છું રૂબરૂ તમે વાંચી લ્યો જેમાં તમામે તમામ વિગત છે હું અત્યારે મોરબી રહું છું ત્યાં કારખાનામાં કામ કરું છું મારો પરિવાર બે બાળકો છે મારા બાળકને ૧૮ વર્ષનો બાળક આપની સમક્ષ બેઠો છે તેનું નામ દેવ છે તેને બે વખત બ્લડ કેન્સર થયું છે મારી પાસે ફાઈલ પણ મોજૂદ છે તમારે જાે ફાઈલ જાેવી હોય તો હું ફાઈલ પણ આપીશ. જ્યારે અરજદારે કહ્યું હતું કે મારું રેસીડન્ટ જામજાેધપુર છે પણ હું રાતોરાત હિજરત કરીને ભાગેલો છું. જ્યારે મેં પાંચ લોકોના નામ અરજીમાં લખેલા છે રકમ તો ઘણી બધી છે મેં મારા ધંધા માટે લીધી હતી અને કોરોના આઇવો અને મારા બાળકને બ્લડ કેન્સર થઈ ગયું હતું.વધુ વાંચો -
જામનગર મનપા દ્વારા વન ડે વન વોર્ડ સફાઈ ઝુંબેશ અંતગર્ત વોર્ડ નં-૬માં કામગીરી હાથ ધરાઈ
- 22, ડિસેમ્બર 2022 01:30 AM
- 2954 comments
- 1460 Views
જામનગર, જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી, નાયબ કમિશ્નર ભાવેશ જાનીના એક્શન પ્લાન મુજબ તેમજ સોલીડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર મુકેશ વરણવાના માર્ગદર્શન મુજબ સમગ્ર શહેરને સ્વચ્છ-સુંદર રાખવા માટે “વન ડે વનવોર્ડ” સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં “વન ડે વન વોર્ડ” સફાઈ ઝુબેશનું આયોજન કરવામાંઆવ્યું છે. જે અંતર્ગત વોર્ડ નં.૬માં એર ફોર્સ મેઈન રોડ, ડિફેન્સ કોલોની, તિરૂપતિ પાર્ક, બાલાજી પાર્ક. ભીંડા વાળી વિસ્તાર, યોગેશ્વર ધામ વિસ્તારોમાં સમુહ સફાઈ તેમજ પાવડર ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં ૧ જે.સી.બી. ૨ ટ્રેક્ટર અને ૭૮ જેટલા સફાઈ કર્મચારીઓ રોકાયાં હતા.વધુ વાંચો -
ગોરધનપર ગામ નજીક આવેલી ગ્રીનવિલા સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
- 21, નવેમ્બર 2022 01:30 AM
- 3381 comments
- 8151 Views
જામનગર, જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં આવતા ગોરધનપર ગામ નજીક આવેલી ગ્રીનવિલા સોસાયટીમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ ન મળી રહી હોઇ મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જેના પગલે આજે રાજકીય નેતાઓમાં દોડધામ મચી હતી. જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં આવતા ગોરધનપર ગામ નજીક ગ્રીનવિલા સોસાયટી આવેલી છે. જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલી આ સોસાયટી નજીક લોકોએ ડીવાઈડર બનાવવાની માગ કરી છે. આ ઉપરાંત પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હોવાની રજૂઆત કરવામાં આવી છે. પ્રશ્નનો ઉકેલ ન આવતા આજે સોસાયટીના રહેવાસીઓએ એક બેઠક યોજી મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જ્યાં સુધી પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી મત પણ નહીં તેવા નારા બોલાવી સૂત્રોચાર કર્યા હતા.સોસાયટીના લોકો એકઠા થયા ત્યારે રાજકીય ગરમાવો જાેવા મળ્યો અને રાજકીય લોકો સોસાયટીમાં આવી સમજાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રીનવિલા સોસાયટીના લોકોની એક જ માંગ હતી કે પ્રાથમિક સુવિધા આપો નહીં તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો મત પણ નહીં ના નારા અને સૂત્રોચાર લગાવ્યા હતા.વધુ વાંચો -
કૃષિ મંત્રી રાઘવજી પટેલને ગામલોકોએ ઘેર્યા
- 20, નવેમ્બર 2022 01:30 AM
- 2516 comments
- 9201 Views
જામનગર, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષો જીત મેળવવા માટે એડીચોંટીનું જાેર લગાવી રહ્યા છે. તેમજ ઉમેદવારોએ પણ પોતાના મતવિસ્તારમાં જાેરશોરથી પ્રયાર પ્રસાર તેજ કરી દીધો છે, પરંતુ કેટલાક ઉમેદવારોને પ્રચાર દરમિયાન વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પણ જામનગરની ભાગોળે આવેલા નવાનાગના ગામમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સતવારા સમાજનું વર્ચસ્વ ધરાવતા નવાનાગમાં લોકોએ વિવિધ પ્રશ્ને રાઘવજી પટેલને ઘેરી લીધા હતા. ગામલોકોએ હલ્લાબોલ કરતા રાઘવજી પટેલને ભાષણ કર્યા વગર જ વિલા મોઢે પાછું જવું પડ્યું હતું. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારમાં નવા નાગ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ પ્રચાર અર્થે ગયા હતા. જ્યાં ગામમાં ખાટલા બેઠકનું આયોજન હતું. જાેકે, બેઠક યોજાય તે પહેલા જ ગામલોકોએ રાઘવજી પટેલનો ઘેરાવ કર્યો હતો. નવાગામના પડતર પ્રશ્નોની અનેક વખત રજૂઆત કરી હોવા છતાં નિકાલ ન આવતા ગ્રામજનો વિફર્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારે ધાંધલ-ધમાલ શરૂ કરી દીધી હતી. ગામલોકોએ દેકારો બોલાવતા રાઘવજી પટેલે ગામલોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જાેકે, મામલો શાંત ન પડતા રાઘવજી પટેલ ભાષણ કર્યા વગર જ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જામનગર ગ્રામ્ય વિસ્તાર નવા નાગના ગામમાં મોટા પ્રમાણમાં સતવારા સમાજના લોકો રહે છે. ભાજપથી અત્યારે સતવારા સમાજના લોકો નારાજ જાેવા મળી રહ્યા છે. તે સમયે જ રાઘવજી પટેલ ગામમાં પ્રચાર કરવા ગયા હતા. ત્યારે સતવારા સમાજના લોકોએ રાઘવજી પટેલનો ઘેરાવ કરી દેકારો મચાવ્યો હતો. જેથી રાઘવજી પટેલ ભાષણ કર્યા વગર જ ચાલ્યા ગયા હતા. જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને નવાનાગ ગામના લોકોએ અનેક પ્રશ્નોની રજૂઆત કરી હતી જાેકે, તે કામ થયા ન હતા.વધુ વાંચો -
રાજકોટમાં ચૂંટણી ટાણે ૪૦ લાખ રોકડા ઝડપાયાં
- 18, નવેમ્બર 2022 01:30 AM
- 8136 comments
- 8399 Views
રાજકોટ વિધાનસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારની કામગીરી જાેરશોરથી ચાલી રહી છે તો બીજી તરફ નાણાકીય હેરફેર મામલે તંત્ર પણ સાબદુ બની ગયું છે. આજે રાજકોટના દક્ષિણ વિસ્તારમાં ૪૦ લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. શહેરના ઢેબર રોડ પર જસાણી સ્કૂલ પાસે ફોર્ચ્યુનર કાર સાથે એક વ્યક્તિને તપાસ ટીમે અટકાવ્યો હતો. નાણાકીય હેરફેર મામલે ટીમના ચેકિંગ દરમિયાન ૪૦ લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઇ છે. હાલ તો ઇન્કમટેક્સ વિભાગની ટીમ દોડી ગઈ છે અને નાણાકીય બાબતે કાગળો મગાવવામાં આવ્યા છે. આ અંગે રાજકોટના ડીડીઓએ પ્રાથમિક માહિતી આપી છે. ફોર્ચ્યુનર કારમાં ૪૦ લાખની રોકડ સાથે પસાર થતા વ્યક્તિને અટકાવવામાં આવ્યો હતો. ચેકિંગમાં રહેલી ટીમે તપાસ કરી તો આ વ્યક્તિની ફોર્ચ્યુનરમાંથી ૪૦ લાખની રોકડ મળી હતી. આથી તેને અટકાવ્યો હતો. આ વ્યક્તિ કોઈ કારખાનાનો માલિક હોવાનું જાણવા મળ્યું છે. જાણ થતા જ ઇન્કમટેક્સ વિભાગ, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને તપાસ હાથ ધરી છે.હજુ ગત શનિવારે રાજકોટના રેલવે સ્ટેશન ખાતેથી રૂ.૧.૩૫ કરોડનું સોનુ ઝડપાયું હતું. રેલવે ર્જીંય્ અને ૈં્ વિભાગની ખાસ સ્ક્વોડે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આંગડિયા પેઢી મારફત ટ્રેનમાં મુંબઈથી સોનાના ૨૧ બિસ્કિટ અને ૩૦૦ ગ્રામ ઘરેણા આવતા હોવાની બાતમીના વોચ ગોઠવાઈ હતી અને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ૈં્ વિભાગે ખાસ સ્ક્વોડની રચના કરી છે. જે સ્ક્વોડ ચૂંટણીના અનુસંધાને હાલમાં આંગડિયા પેઢીમાં સોના-રોકડની થતી હેરફેર પર નજર રાખી રહી છે. ગત શનિવારે રાજકોટ રેલવે સ્ટેશન પર ઓખા-મુંબઈ ટ્રેનમાં સોનાનો મોટો જથ્થો મુંબઈથી રાજકોટ આવી રહ્યો હતો, આ જથ્થો આંગડિયા પેઢી મારફત સ્થાનિક વેપારીને પહોંચાડવાનો હતો તેવી હકિકત સ્ક્વોડને મળી હતી. આથી રેલવે સ્ટેશન પર રેલવે ર્જીંય્ સાથે વોચ ગોઠવી હતી.સોનુ મળતા જ તે કબ્જે કરી લેવાયું હતું. તપાસ કરતા મુંબઈની લક્ષ્મીનારાયણ આંગડિયા પેઢી મારફત સોનુ મોકલવામાં આવ્યું હતું. રાજકોટના સ્થાનિક વેપારીને સોનુ પહોંચાડવાનું હતું. તેઓને પહોંચે તે પહેલાં જ જપ્ત કરાયું હતું. જેને લઈ સોની બજારમાં ચર્ચા ઉઠી હતી. ટ્રેનમાં ત્રણ પાર્સલ હતા જેમાં એકમાં સોનુ, એકમાં ચાંદી અને એકમાં રોકડ રકમ હતી. જામનગરમાં મધરાતે કારમાંથી ૨૪ લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા જામનગર જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે વિક્ટોરિયા પુલ નજીક આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બંદોબસ્તમાં રહેલી સ્ટેટિક સર્વેલસની ટીમને સ્વીફ્ટ કારમાંથી ૨૪ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. બુધવારે રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યે બનેલી આ ઘટનાના પગલે અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને કારચાલકની પૂછપરછ હાથ ધરી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પગલે બિન હિસાબી રોકડની હેરફેર પર નજર રાખવા માટે તંત્ર દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી નજીક વ્હોરાના હજીરા પાસેથી પસાર થતી જીજે - ૦૩ એમઈ - ૯૬૦૦ નંબરની એક સ્વીફ્ટ કારમાંથી ૨૪ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આટલી મોટી રકમ મળતાની સાથે જ ચૂંટણી સંબંધીત કામગીરી કરતી સ્ટેટીક સર્વેલન્સ ટીમ (એસએસટી) તરત જ હરકતમાં આવી ગઈ હતી અને આ લખાઈ રહ્યું છે ત્યારે બુધવારે રાત્રે ૧૨ઃ૦૦ વાગ્યે કારચાલકની ઘનિષ્ઠ પૂછતાછ શરૂ કરવામાં આવી છે.વધુ વાંચો -
જામનગરમાં બે વર્ષ બાદ શ્રાવણી મેળાનું મહાનગર પાલિકા દ્વારા આયોજન
- 14, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 7307 comments
- 8165 Views
જામનગર, જામનગરમાં સતત બે વર્ષ કોરોના કાળ બાદ આ વર્ષે શ્રાવણી મેળાનું મહાનગર પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મેયર અને ધારાસભ્યના હસ્તે મેળાનું ઉદ્ધટન કરવામાં આવ્યું છે અને શ્રાવણી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેથી મોટી સંખ્યામાં શહેરીજનોએ મેળાની મોજ માણવા પહોંચી ગયા હતા. શ્રાવણી મેળાને લઈ તમામ પ્રકારની તંત્ર દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મનોરંજન રાઈડ, ખાણીપીળીના સ્ટોલ, આઈસ્ક્રીમના સ્ટોલ સહિત અનેક મનોરંજનની વસ્તુઓ મેળામાં ઉપલબ્ધ છે. શ્રાવણી મેળાના ઉદ્ઘાટન વખતે મનોરંજન રાઈડમાં મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડ સહિતનાઓ બેઠા હતા અને મેળાની મોજ માણી હતી. વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર કેશુભાઈ માડમે મનોરંજન રાઈડમાં બેસી મેળાની મોજ માણી હતી. મનપા દ્વારા શ્રાવણી મેળાનું ૧૬ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. મેળાની અંદર વહીવટી તંત્ર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કોઈપણ અનિચ્છનીય કે આગની ઘટના ન બને તે માટે ફાયરનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે. તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મેળાની તમામ જગ્યાએ સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા મેળાનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે. આજરોજ મોનિટરિંગ કરવા માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ખાસ આવ્યાં હતા અને સીસીટીવી કેમેરા ઉપર બાજ નજર રાખી અને નિરીક્ષણ કર્યું હતું. આજથી શ્રાવણી મેળાની શરૂઆત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સમગ્ર મેળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ કરીને પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ્યાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે શહેરનો મુખ્ય માર્ગ છે જે મુખ્ય માર્ગ પર બંને સાઈડ બેરીગેટ લગાવી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવા માટે જિલ્લા પોલીસવડા અને મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીએ પોલીસ અને મહાનગરપાલિકાના તંત્રને સુચના આપી છે.વધુ વાંચો -
ફરસાણની દુકાનમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લઇ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા
- 14, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 2507 comments
- 9654 Views
જામનગર, જામનગરમાં સાતમ-આઠમના તહેવાર નજીક આવતા મહાપાલિકાની આરોગ્ય શાખા જાગી છે. કારણ કે, ફુડશાખાએ ચેકીંગ હાથ ધરી ૧૨ ફરસાણની દુકાનમાંથી ખાધ પદાર્થના નમૂના લઇ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે. ખાણી પીણીની રેંકડીધારકોને ખોરાક ઢાંકીને રાખવા તાકીદ કરવામાં આવી છે. સાતમ-આઠમના તહેવારો નજીક આવતા મનપાની ફુડશાખાએ શહેરના જુના રેલવે સ્ટેશન, બેડી ગેઇટ, સહિતના વેપારીઓને ત્યાંથી ફરસાણ, મિઠાઇના નમૂના લીધા હતાં. આ તમામ નમૂના પરીક્ષણ અર્થે વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.તદઉપરાંત મામલતદાર તરફથી મળેલી ફરિયાદ અન્વયે અંબર ચોકડીથી ડીકેવી કોલેજ સુધીના રોડની બંને બાજુ ઉભા રહેતા ખાણીપીણીના ધંધાર્થીઓ પર તપાસ કરી હતી. રેકડી ધારકને સત્વરે ફુડ રજીસ્ટ્રેશન મેળવવા અને તમામ ખાધ પદાર્થ ઢાંકીને રાખવા અને રસ્તા પર ન્યુસન્સ ઉભા ન થાય તે જાેવા તાકીદ કરી હતી. સાથે ૫ રેકડી ધારકોને ફુડ રજીસ્ટ્રેશન આપવામાં આવ્યા હતાં.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતૂર
- 14, જુલાઈ 2022 01:30 AM
- 213 comments
- 1192 Views
ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના અને ગીર જંગલ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ઠંડા પવન સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જે સવારથી પણ ધીમી ધારે વરસી રહ્યો છે. જિલ્લામાં રાત્રિથી લઈ સવાર સુધીમાં સૌથી વધુ ગીર-ગઢડામાં ૫ ઈંચ તથા બાકીના પાંચેય તાલુકામાં સરેરાશ ૨થી ૩ ઈંચ વરસાદ વરસી ગયો છે. આજના ભારે વરસાદને પગલે ગીર-ગઢડાની રૂપેણ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતાં ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જાેડતા અનેક રસ્તાઓ અને પુલો પર પૂરના પાણી ફરી વળેલા નજરે પડ્યા છે. તો જિલ્લાના ડેમોમાં પણ ધીમી ધારે નવા નીરની આવક જાેવા મળી રહી છે. ગઈકાલથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવવાની સાથે ઘટાટોપ વાદળો બંધાયાં બાદ છએય તાલુકાઓમાં ક્રમશઃ વારાફરતી ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ થયો હતો. આખી રાત દરમિયાન ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ અવિરત વરસ્યા બાદ સવારથી પણ સૂર્ય નારાયણની ગેરહાજરી વચ્ચે મેઘાવી માહોલમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગતરાત્રિના ધીમી ધારે વરસ્યા બાદ વહેલી સવારના પાંચેક વાગ્યાથી ગીર-ગઢડા શહેર-પંથકમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જેમાં રાત્રિના એકાદ ઈંચ બાદ સવારે ચાર કલાકમાં વધુ ૪ ઈંચ વરસાદ ખાબકી જતાં પંથકમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના પગલે ગીર-ગઢડા પંથકની નાની-મોટી તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હોય એમ બર કાંઠે વહેતી જાેવા મળતી હતી. પંથકની મછુન્દ્રી, સાંગવાડી, સાહી અને રૂપેણ જેવી મુખ્ય નદીઓમાં ઘોડાપૂર આવેલું નજરે પડતું હતું. આ નદીઓમાં આવેલા પૂરના પાણી પંથકના ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જાેડતા માર્ગો અને તેના પુલો પર ફરી વળતાં વાહનવ્યવહાર અમુક સમય માટે બાધિત થયો હતો, જેમાં ગીર-ગઢડાથી હરમડિયા અને ઘોકડવાને જાેડતા બન્ને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં બેએક કલાક સુધી વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ માર્ગે પર ઠેરઠેર ધસમસતા વરસાદી પાણી વહેતા જાેવા મળી રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને હવામાન વિભાગે હજુ પણ ગુજરાતમાં બે દિવસની ધોધમાર વરસાદની આગાહી આપી છે. ચારે બાજુ હજુ પાણી ઉતર્યુ નથી એ વચ્ચે ભારે વરસાદની આગાહીથી તંત્રપણ સતર્ક બની ગયુ છે.ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જાેવા મળતાં પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. રાજકોટ શહેરમાં ગઈકાલે ભારે વરસાદને પગલે ચારેબાજુ પાણી જ પાણી ભરાઈ ગયા હતા.એ સમયે પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી. જ્યાં શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં. આથી વાહનચાલકોમાં મુશ્કેલી જાેવા મળી હતી. આ અંગે આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ અમે શહેરના લગભગ તમામ રાજમાર્ગ અને મુખ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા ઝ્રઝ્ર્ફ નેટવર્કનો ઉપયોગ રસ્તાના ખાડાઓ શોધવા માટે કરી રહ્યા છીએ. અને ખાડા શોધીને તેને બુરવાની સૂચના પણ મે ત્રણે ઝોનના સીટી ઇજનેરોને આપી દીધી છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ગઈકાલથી જ તમામ ઇજનેરોને પોતપોતાના ઝોન અને વોર્ડમાં ઝ્રઝ્ર્ફમાંથી નિહાળીને ખાડા બુરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મેટલ, મોરમ જે પ્રકારે ખાડા બુરાતા હોય તે કેમેરામાંથી જાેઇને તુરંત સુચના આપવા અને વાહન ચાલકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે બાબત ધ્યાને રાખવા સૂચનાઓ જાહેર કરી હતી.રાજકોટના વીરપુર-જસદણમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસતા પાણીપાણી રાજકોટ, રાજકોટના. વીરપુર અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો. જસદણ અને આટકોટમાં સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. તેમજ ખેતરો પણ પાણી પાણી થયા છે. જયારે રાજકોટ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં વરસાદી ઝાપટા અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વીરપુર સહિત પીઠડીયા,મેવાસા,જેપુર, હરિપર,ઉમરાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ઉપલેટા તાલુકાના સાજડીયારી ગામ પાસેથી પસાર થતા પૂલની એક સાઈડમાં ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે. વોકળામાં પાણીની પુષ્કળ આવકને લઈ અને પૂલના એક સાઈડનું ધોવાણ થયું છે. જેને કારણે પૂલનો અમુક ભાગ ધરાશાયી થયો છે. હાલ સાજડીયારીથી ટીબડી જવા માટેના વાહન ચાલકો હેરાન થયા છે. ગત વર્ષે પણ આ પુલના ભાગનું થયું હતું ધોવાણ તેવી પણ વિગતો સામે આવી છે. એ સમયે ઇદ્ગમ્ વિભાગ દ્વારા માત્ર માટી નાખીને કામચલાઉ રીપેરીંગ કરવામાં આવ્યું હતું. હાલ વરસાદી વાતાવરણ છે. જાે ધોધમાર વરસાદ પડશે તો દુર્ઘટના સર્જાય શકે છે. હાલ વરસાદને પગલે શહેરના માંડાડુંગર વિસ્તારમાંથી એક અજગર મળી આવ્યો હતો. જેનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.જામનગર-દ્વારકામાં સાડાચાર ઇંચ વરસાદ વરસ્યો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં એક ઇંચથી લઈ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈ રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. બીજી તરફ ભારે વરસાદની આગાહીના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં એનડીઆરએફની એક-એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા વરસાદના સતાવાર આંકડાઓ જાેઈએ તો આજે સવારે પૂર્ણ થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીયામાં ૨ ઇંચ, કલ્યાણપુરમાં ૧ ઇંચ, ભાણવડ અને દ્વારકામાં પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર જિલ્લામાં તાલુકા મથકે વાત કરવામાં આવે તો કાલાવડમાં સવા ઇંચ, જામજાેધપુરમાં અડધો ઇંચ, જામનગર શહેરમાં ૨ ઇંચ, જાેડીયામાં સાડા ચાર ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.વધુ વાંચો -
સુત્રાપાડામાં ૧૩ અને કોડીનારમાં ૯ ઈંચ વરસાદ
- 07, જુલાઈ 2022 01:30 AM
- 2126 comments
- 3551 Views
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું. એમાં સુત્રાપાડામાં નવ કલાકમાં ૧૩ ઇંચ, કોડીનારમાં નવ કલાકમાં ૧૧ ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્યવહાર ખોરવાઇ જતાં બંન્ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે. રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગીર સોમનાથના દરિયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગત રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. આ ત્રણેય તાલુકામાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુત્રાપાડામાં રાત્રિના શરૂ થયેલી મેઘસવારીએ સવારે પણ ચાલુ રહી હતી. સૂત્રાપાડામાં ૩૦૨મિમી (૧૨ ઇંચ), કોડીનારમાં ૨૭૯ મિમી (૧૧ ઇંચ) અને વેરાવળમાં ૧૨૪ મિમી (૫ ઇંચ) વરસાદ વરસાવી દીધો હતો. એને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદને પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુત્રાપાડા શહેર-પંથકમાં ગત રાત્રિના અઢી વાગ્યા આસપાસ મેઘરાજાએ પધરામણી કર્યા બાદ વહેલી સવારે સાત વાગ્યા સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતું. આમ, સાત કલાકમાં ૧૨ ઇંચ જેવો વરસાદ વરસી જતાં શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યું હતું, ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જાેવા મળતો હતો. પંથકના મટાણા સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાનાં દૃશ્યો સામે આવ્યાં છે. મટાણા ગામને જાેડતા બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તા-શેરીઓમાં નદી વહેતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતનાં ગામોની શેરીમાં નદી વહેતી થતાં બેટમાં ફેરવાયા જેવો નજારો જાેવા મળતો હતો. સુત્રાપાડાનો વાડી વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુત્રાપાડા તાલુકાનાં અન્ય ગામોને જાેડતા ઉંબરી સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા બંધ થઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કોડીનાર પંથકમાં પણ ગત રાત્રિથી જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જે સવારે પણ અવિરત ચાલુ હતા. એને લીધે કોડીનાર શહેર-પંથકમાં ૧૧ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જળમગ્ન જેવી સ્થિતિ અનેક જગ્યાએ જાેવા મળી હતી. કોડીનાર શહેરની અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો પંથકના દરિયાકાંઠાના મૂળ દ્વારકા, માલાશ્રમ સહિતનાં ગામોની અંદર નદીઓ વહેતી થઇ હતી. તો અનેક લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો પરેશાન થયાં હતાં. ભારે વરસાદને પગલે કોડીનાર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ જળમગ્ન જેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે.દ્વારકામાં ભારે વરસાદથી જગત મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવાઈ દ્વારકામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં ૬.૬ ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે સમગ્ર દ્વારકા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. જેને કારણે દ્વારકામાં જગત મંદિરનાં શિખરે અડધી કાઠીએ ધજા ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લીધો હતો. વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધજા ફરકાવાશે. કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદથી પાણી પાણી બની ગયુ છે. તો દ્વારકામાં ૪ અને ખંભાળિયામાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. મૂશળધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. દ્વારકામાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા થયા છે. રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. સાની નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. લોકો જીવના જાેખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે. ભારે વરસાદથી જિલ્લાના નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. તો બીજી તરફ સીમાની કાલાવડથી બારા તરફ જતાં માર્ગ પર પુલ પર પાણી ફરી વળતા લોકોને જીવના જાેખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે. દ્વારકામાં જગત મંદિરનાં શિખરે ધજા અડધી કાઠીએ ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લેવાયો છે. ખરાબ હવામાન, વરસાદની આગાહીને પગલે વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી ધજા અડધી કાઠીએ ફરકાવાશે. મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં સતત ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. જેના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર પર ફરકાવવામાં આવતી ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જામનગર જામનગર જિલ્લા અને શહેરમાં મેઘરાજાએ વ્હેલી સવારથી ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું. સતત વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે જામનગરને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા દેધનાધન વરસાદ વરસાવી રહ્યા છે. સૌથી વધારે પડાણા ગામમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જામનગર સહિત રાજ્યભરમાં વરસાદની આગાહીની પગલે વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને જિલ્લાને મેઘરાજાએ મુકામ બનાવ્યો છે. તેમજ ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગ વાદળો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બાળકોએ વરસાદમાં નાહવાની મોજ માણી હતી. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. જામનગર જિલ્લા અને શહેરમાં વહેલી સવારથી જ સતત વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારી એવી મેઘમહેર જાેવા મળી રહી છે.જામનગરમાં મકાનની અગાસી પર વિજળી પડી જામનગરના ગુલાબનગર વિસ્તાર નજીક મોહનનગરમાં આવેલા આવાસના ૧૨ નંબરના બિલ્ડીંગની અગાસીના ખૂણા પર વીજળી પડતાં બિલ્ડીંગનો ખૂણો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ ત્યાં વસવાટ કરતા સેંકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. જામનગરના ગુલાબ નગર નજીક મોહનનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ નું નિર્માણ કરાયું છે. જેમાં ૧૨ નંબરની બિલ્ડીંગની અગાસીના એક ખૂણા પર આજે ભારે વરસાદની સાથે વિજળી પડી હતી. જે વીજળીના કારણે બિલ્ડીંગનો અગાસીના ખૂણાનો કેટલોક હિસ્સો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે બિલ્ડીંગમાં વસવાટ કરતા અનેક લોકો પોતાના ઘરમાં જ હતા, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી. પરંતુ સેકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. હજુ પણ વરસાદી વાતાવરણ ચાલુ હોવાથી અન્ય સ્થાનિકોમાં ભયનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે.વધુ વાંચો -
કૂવામાં રોટલા પધરાવીને વરસાદની આગાહી કરવાની ‘આમરા’ ગામની પરંપરા આજે પણ જીવંત
- 05, જુલાઈ 2022 01:30 AM
- 9675 comments
- 215 Views
જામનગર, ચોમાસા દરમિયાન હવામાન વિભાગ ભલે વરસાદની આગાહી કરતો હોય, પણ આજેય એવાં ગામો છે, જ્યાં પરંપરાગત પદ્ધતિથી વરસાદની આગાહી કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં આવેલું આમરા ગામ એમાંનું એક છે. અહીં ગામના કૂવામાં રોટલો પધરાવી વર્ષ કેવું રહેશે એની આગાહી કરવામાં આવે છે. આ વર્ષે રોટલો ઈશાન દિશા તરફ જતાં વર્ષ સારું રહેવાની આગાહી કરવામાં આવી છે. જામનગર નજીક આવેલા આમરા ગામમાં રોટલાના આધારે વરતારો નક્કી કરવાની આ પરંપરા ૧૫૦ વર્ષ જૂની હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે તમામ ગામલોકો એકઠા થાય છે. પરંપરા મુજબ ગામમાં સતવારા સમાજના ઘર પર રોટલા બનાવવામા આવે છે. ત્યાર બાદ વાણંદ સમાજની વ્યકિત આ રોટલા લઈ ગામના ભમ્મરિયા કૂવા પર પહોંચે છે. આ સમયે ગામના તમામ લોકો ઢોલ-નગારા સાથે જાેડાય છે. કૂવા પર પહોંચ્યા બાદ ગામના ક્ષત્રિય સમાજની વ્યક્તિ રોટલો લઈ કૂવામાં પધરાવે છે. દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે વેરાઈ માતાના મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. લોકવાયકા પ્રમાણે, વર્ષો અગાઉ ખેતરે ભાત લઈને જતી મહિલાના હાથમાંથી રોટલા ઝૂંટવી લીધા પછી ગામ પર આફત આવી હતી. જે-તે સમયે આ કૂવામાં રોટલા પધરાવ્યા બાદ આફત ટળી હતી. ત્યારથી આ રસમ અપનાવાતી હોવાનું ગ્રામજનો કહે છે.વધુ વાંચો -
અમિત શાહે ધર્મપત્ની સાથે જગત મંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી
- 29, મે 2022 01:30 AM
- 8093 comments
- 582 Views
જામનગર, જામનગરમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેઓ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે, ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેમણે ટૂંકું રોકાણ કર્યું હતું. ત્યારબાદ ગૃહમંત્રી દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચ્યા હતા. જ્યાં દ્વારકાના હેલિપેડ ખાતે તેમનું સ્વાગત કરાયું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે સજાેડે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધારતાં દ્વારકાના હેલીપેડ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ તેમના ધર્મપત્ની સાથે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા મંદિર ટ્રસ્ટના ધનરાજભાઈ નથવાણી, મુળુભાઇ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ, ખેરાજભાઈ કેર, ઓખા શહેર ભાજપ પ્રમુખ દિલીપભાઈ કોટેચા, દેવભૂમિ દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ વરજાગભાઈ માણેક, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહેલ, દેવભૂમિ દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર, દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપપ્રમુખ નયનાબા રાણા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય, લુણાભા સુમણિયા, દેવભૂમિ દ્વારકા ભાજપ જિલ્લા મંત્રી રમેશભાઈ હેરમા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય જે. કે. હથિયા સહિતનાએ કેન્દ્રીય ગૃહ મંત્રીનું સ્વાગત કર્યું હતું.વધુ વાંચો -
૧૦૦ ખખડધજ મકાનોના માલિકોને મનપાની નોટીસ
- 24, મે 2022 01:30 AM
- 2580 comments
- 2862 Views
જામનગર,જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે શહેરમાં આવેલી જર્જરિત ઈમારતોનો સર્વે હાથ ધરી નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરી છે. મનપા દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં શહેરમાં ૧૩૬ જાેખમી ઈમારતો મળી આવી હતી. જેમાં ૩૬ રહીશો દ્વારા પોતાની જાતે જાેખમી ભાગ દૂર કરી દેવામાં આવ્યો છે. બાકી રહેતા ૧૦૦ રહીશોને મનપા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જામનગર શહેરમાં જાહેર માર્ગો પર અનેક જાેખમી ઈમારતો પડવાના વાંકે ઉભેલી છે. જેનો જાેખમી ભાગ તાત્કાલિક દૂર કરવામાં ન આવે તો ચોમાસા દરમિયાન ઈમારત લોકો માટે જાેખમરૂપ બની શકે તેમ છે. મનપા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે ચોમાસા પૂર્વે જ જાેખમી ઈમારતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં કુલ ૧૩૬ મિલ્કતો જાેખમી મળી આવી હતી. જેમાં ૩૬ મિલ્કતધારકોએ પોતાની રીતે જ જાેખમી ભાગ દૂર કરી દીધો છે. બાકી રહેલા ૧૦૦ આસામીઓને મનપા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મહાનગરપાલિકાએ હાથ ધરેલા સર્વેમાં કુલ ૨ ઈમારતો અતિ જાેખમી મળી આવી હતી. જેને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલીશન કરવાનો ર્નિણય કરાયો છે. શહેરમાં અનેક જાેખમી ઈમારતો એવી છે કે, જેમાં મકાન માલિક અને ભાડુઆતનો વિવાદ ચાલી રહ્યો હોય. કેટલીક ઈમારતોમાં કોર્ટ કેસ પણ ચાલી રહ્યા હોય છે. જેથી આવી મિલ્કતને સેફ સ્ટેજ પર લાવવાની કામગીરીમાં વિલંબ થતો હોય છે.વધુ વાંચો -
જામજાેધપુરના બુટલેગરને દ્વારકા પોલીસે ૧૨ લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો
- 21, મે 2022 01:30 AM
- 2661 comments
- 1272 Views
જામનગર, જામનગર જિલ્લાના જામજાેધપુર તાલુકાના બુટલેગરને દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્થાનિક પોલીસે ૧૨ લાખના દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો છે. ગોવાથી દારૂ ભરેલો ટેમ્પો ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ઠલવાય તે પૂર્વે ખંભાળિયા પોલીસે કાર્યવાહી કરી હતી. આ પ્રકરણમાં કચ્છના બે સહિત સાત શખ્સોની સંડોવણી ખુલવા પામી છે. પોલીસે ૨૭૭૨ બોટલ દારૂ અને એક લાખનો બિયરનો જથ્થો કબજે કરી, આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. જામનગર જિલ્લાના જામજાેધપુર તાલુકા મથક ખાતે રહેતો બુટલેગર પ્રફુલ પરસોત્તમભાઈ સીતાપરા નામનો શખ્સ વિદેશી દારૂનો ટેમ્પો ભરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાણવડથી ખંભાળિયા રોડ પરથી પસાર થઈ રહ્યો હોવાની ખંભાળિયા પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે ખંભાળિયા પોલીસે ગઈકાલે સાંજે ખંભાળિયા ભાણવડ ધોરીમાર્ગ પરના લલીયા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન સાંજે સાડા છએક વાગ્યાના સુમારે શંકાસ્પદ હાલતમાં પસાર થતાં એક ટેમ્પાને પોલીસે રોકી લીધો હતો. આ ટેમ્પોમાંથી પ્રફુલ સીતાપરા નામનો જામજાેધપુરનો શખ્સ મળી આવ્યો હતો. જ્યારે પોલીસને જાેઇ ટેમ્પોચાલક યુસુફ સુલેમાન રાવકરડા નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે પ્રફુલને આંતરી લઈ ટેમ્પાની તલાશી લીધી હતી. આ ટેમ્પોમાંથી દારૂ ભરેલ ૨૫૨૦ નંગ બોટલ મળી આવી હતી, જ્યારે ૬૦ નંગ બોટલ બે લીટર દારૂની મળી આવી હતી. પોલીસ દ્વારા રૂપિયા ૧૧ લાખ ૧૭ હજાર ૨૦૦ની કિંમતનો દારૂ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટેમ્પો અંદરથી ૧૦૮૦ નંગ બીયરના ટીન પણ મળી આવ્યા હતા.વધુ વાંચો -
આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ભાવિ જમાઇ સાથે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
- 15, મે 2022 01:30 AM
- 6837 comments
- 8935 Views
દ્વારકા, ખંભાળીયાના તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખની પુત્રીએ ઝેરી દવા પી લેતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.જેમાં મૃતક યુવતિને તેના ફિયાન્સ સાથે ઝઘડો થયા બાદ ઝેર પી લીધી હોવાનું ખુલ્યુ હતુ.. મૃતકના માતાએ તેની પુત્રીની આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ભાવિ જમાઇ સાથે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.મૃતક સાથે સોશિયલ મિડીયામાં ફોટા મુકવા સહિતના મુદદે આરોપીએ અવાર નવાર ઝઘડા કરી કથિત ત્રાસ આપતા આ પગલુ ભરી લીઘાનુ પોલીસ ફરિયાદમાં જાહેર થયુ છે. ખંભાળિયામાં ગાયત્રીનગરમાં રહેતા અને ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન જાેશીની પુત્રી હેમાંગીબેનની સગાઇ આરોપી રત્નદિપ રમેશભાઇ ખેતીયા સાથે થઇ હતી જેના થોડા સમય બાદ આરોપી રત્નદીપએ હેમાંગીબેન સાથે નાની નાની વાતોમાં ઝઘડા કરવા લાગતા તેમની સાથે હેમાંગીબેનની સગાઈ તોડી નાખેલ હતી તેમ છતાં આરોપી રત્નદીપએ હેમાંગીબેનને સગાઈ નહિ તોડવા માટે બળજબરી તેમજ દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં કોઈ સંબંધી સાથે કોઈ જગ્યાએ જાય ત્યારે પણ તે હેમાંગીબેનને કોઈની સાથે નહિ જવા માટે વારંવાર દબાણ કરાતુ હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. ઉપરાંત તેમાં તેમના સોશ્યલ મીડિયામાં કોઈ ફોટા શેર નહિ કરવા વારંવાર હેમાંગીબેન, ફરિયાદી અને તેના ઘરના સભ્યો સાથે ઝઘડા કરી આરોપી રત્નદીપ દ્વારા ઘરે આવી હેમાંગીબેન સાથે ઝઘડો કરવામાં આવ્યો હોવાનુ પણ જાહેર થયુ છે. આ કથિત માનસિક ત્રાસથી કંટાળી ગયેલી હેમાંગીબેને ગત તા.૦૬ના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તેમનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે મૃતકની માતા કિરણબેનની ફરિયાદ પરથી પોલીસે હેમાંગીબેનને મરી જવા મજબૂર કરનાર આરોપી રત્નદીપ રમેશભાઈ ખેતીયા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
જામનગરના મેયરની દિકરીએ પતિ સામે દહેજ તેમ મારકૂટની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં કરી
- 10, મે 2022 01:30 AM
- 8641 comments
- 8531 Views
જામનગર, જામનગર શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની પુત્રીને તેમના કલાસ ટુ ઓફિસર પતિ દ્વારા દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપી મારકૂટ કરતા હોવાની ફરિયાદ સીટી-બી ડીવિઝનમાં નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે. જામનગર શહેરના પ્રથમ નાગરીક એવા મેયર બીના કોઠારીની પુત્રી પંકતી કોઠારીએ સીટી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના રાજકોટ ખાતે રહેતા પતિ કાર્તિક મહેતા ત્રાસ આપીને તેમજ મારકૂટ કરે છે. આ ફરિયાદ બાદ સીટી-બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા તેની તપાસ મહિલા પેાલીસ સ્ટેશનના પીએસઆઇ કરી રહ્યાં છે. આ કેસમાં સુરેન્દ્રનગર ખાતે ડીએલઆર વર્ગ-બેના અધિકારી તરીકે ફરજ બજાવતા કાર્તિક મહેતાને વારંવાર નોટિસો આપવા છતાં હાજર ન થતાં રવિવારના તેઓ રાજકોટ ખાતેથી તેમને લઇ આવ્યા હતાં. આ બનાવના પગલે જામનગરના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે, સાથોસાથ ભારે ચર્ચા જાગી છે.જાેકે આ મામલે આરોપી પતિ કાર્તિક મહેતાએ આરોપ મુક્યો છે કે સમાધાન માટે રૂપિયા ૫૦ લાખની માંગણી કરવામાં આવી છે, કોઇ વાંક નથી તો અમે રૂપિયા આપવા તૈયાર નથી. તેઓ ૨૫ લાખ માંગતા હતાં , અમે લોકો દોઢ લાખ રૂપિયા દેવા તૈયાર છીએ, બાકી આમા મારો કે મારા પરિવારનો કોઇ વાંક નથીઆ કેસમાં ફરિયાદીના કહ્યા મુજબ ૪૯૮ મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે, તેઓ સીટી-બી વિસ્તારમાં રહે છે, એટલે ફરિયાદ સીટી-બી માં દાખલ થઇ બાકી તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચલાવે છે.- કે.જે. ભોયે, પોલીસ ઇન્સ્પેકટર, સીટી-બી., જામનગર. દરમિયાન સમગ્ર શેહરમાં આ ઘટનાને લઇને ચર્ચાનો જાેર પકડ્યો છે.વધુ વાંચો -
લોકડાયરામાં વાઘાણી અને રાદડિયા સાથે એક મંચ પર દેખાતા રાજકીય અટકળો તેજ
- 07, મે 2022 01:30 AM
- 1423 comments
- 4749 Views
જામનગર, ગુજરાત કાૅંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હાલ કાૅંગ્રેસથી નારાજ છે. તેઓ પોતાની નારાજગી જાહેર પણ કરી ચૂક્યા છે. તેની વચ્ચે ગુરુવારે જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં ભાજપના નેતાઓ સાથે જાેવા મળતા હાર્દિક ભાજપમાં જાેડાઈ રહ્યા હોવાની ચર્ચા તેજ બની છે. જામનગરમાં હાર્દિક પટેલે ભાજપના નેતાઓ સાથે મળી લોકડાયરામાં રૂપિયા પણ ઉડાવતા જાેવા મળ્યા હતા. જાે કે, હાર્દિકે મિત્રતાના દાવે અહીં હાજરી આપી હોવાની વાત કરી ભાજપમાં જાેડાવાની વાત અફવા હોવાનું કહ્યું હતું. જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં હાર્દિક પટેલની સાથે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભા જાડેજા એક મંચ પર જાેવા મળ્યા હતા. લોકડાયરામાં ભાજપના નેતાઓની સાથે જ હાર્દિક પટેલ પણ રૂપિયાનો વરસાદ કરતા જાેવા મળ્યા હતા. લોકડાયરાના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે લોકગાયકો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. ત્યારબાદ સામાજિક આગેવાનોએ પણ હાર્દિક પટેલ સહિતના નેતાઓ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહની સાથે સાથે રાજનીતિ પણ ગરમાઈ રહી છે. નરેશ પટેલે અને સીઆર પાટીલ અહીં એકસાથે હાજર રહ્યા હતા. તો પ્રદેશ કાૅંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિકની સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જાેવા મળ્યા હતા.કાૅંગ્રેસથી નારાજ હોવાનો હાર્દિકે સ્વીકાર કર્યો જામનગરમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, પાર્ટી સાથે નારાજગી છે તેનું નિરાકરણ આવશે તો આગળ વધીશું અને નહીં આવે તો પણ આગળ વધીશું. હાર્દિક પટેલને જ્યારે પૂછાયું કે, શું તમારે નારાજગી મુદ્દે હાઈકમાન્ડ સાથે ચર્ચા થઈ છે? તો હાર્દિકે કહ્યું હતું કે મોવડી મંડળ સાથે વાત થઈ નથી. પણ, હું પણ ઈચ્છું છું કે ચર્ચા થઈ જાય. શા માટે સો.મીડિયામાંથી કાૅંગ્રેસનો હોદો હટાવ્યો? જામનગરમાં આજે જ્યારે હાર્દિક પટેલને આ સવાલ કરાયો તો તેમણે કહ્યું હતું કે, રાજકીય ઓળખાણ કરતા સૌથી મોટી ઓળખાણ એ છે કે હું ગુજરાતનો છું. મારો પ્રયાસ એટલો જ છે કે, ગુજરાતનું સારુ થાય.વધુ વાંચો -
સંસદીય સંરક્ષણ સ્થાયી સમિતિ દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશનની મુલાકાત
- 01, મે 2022 01:30 AM
- 2120 comments
- 4278 Views
જામનગર,સંરક્ષણની સંસદીય સ્થાયી સમિતિએ ૨૮ એપ્રિલ ૨૦૨૨થી ૩૦ એપ્રિલ દરમિયાન જામનગરના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી. સંરક્ષણની સ્થાયી સમિતિના ચેરમેન જુઆલ ઓરમ તેમજ સંસદ સભ્યો સહિતનું પ્રતિનિધિમંડળ, લોકસભા સચિવાલય અને સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ પણ આ મુલાકાતમાં જાેડાયા હતા. તેમને આ મુલાકાત દરમિયાન દક્ષિણ પશ્ચિમી એરકમાન્ડની ભૂમિકા અને પરિચાલન પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. આ ટીમે જીઉછઝ્રના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહ સાથે સંવાદ કર્યો હતો. સંસદીય ટીમને બેઝ ખાતેની પરિચાલન તૈયારીઓની માહિતી આપી હતી અને વાયુસેનાના ફાઇટર તેમજ હેલિકોપ્ટરના કાફલાની ક્ષમતાઓનું પ્રદર્શન કરતા એર ઓપરેશન્સના નાના પ્રદર્શનના સાક્ષી બન્યા હતા.વધુ વાંચો -
જામનગર માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ૪૮,૩૮૭ મણ જણસ ઠલવાઈ
- 27, એપ્રીલ 2022 01:30 AM
- 6110 comments
- 5401 Views
જામનગર,જામનગર માર્કેટ યાર્ડમાં એક દિવસમાં ફકત ૪૮૩૮૭ મણ જણસ ઠલવાઇ હતી. ધઉં અને મસાલાની સીઝન પૂર્ણ થતા જણસની આવકમાં ઘટાડો થયો છે. હરાજીમાં ૨૦ કીલો જીરૂના સૌથી વધુ રૂ.૪૦૯૦ બોલાયા હતાં. જામનગર માર્કેટ યાર્ડમાં સોમવારે ફકત ૪૮૩૮૭ મણ જુદી-જુદી જણસ ઠલવાઇ હતી. ઘઉં અને મસાલાની સીઝન પૂર્ણ થતા જણસની આવકમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. ઘઉંની ૬૮૦૦, તુવેરની ૬૧૩, મેથીની ૭૪૪૮, ચણાની ૮૬૭૦, મગફળીની ૧૨૪૧, અરેંડાની ૫૧૧૭, લસણની ૩૫૩૨, કપાસની ૧૫૩૩, જીરૂની ૨૧૯૩, અજમાની ૫૧૪૫, અજમાની ભુસીની ૩૮૮૫, ઘાણાની ૧૭૬૧, વટાણાની ૧૯૫ મણ આવક થઇ હતી. હરાજીમાં ૨૦ કીલો ઘઉંના ભાવ રૂ.૪૦૦-૫૦૨, અડદના રૂ.૮૦૦-૯૮૦, તુવેરના ૮૦૦-૧૨૧૫, મેથીના રૂ.૫૮૦-૧૨૧૦, ચણાના રૂ. ૮૦૦-૯૯૧, મગફળીના રૂ.૧૦૦૦-૧૨૩૦, અરેંડાના રૂ.૧૩૦૮-૧૩૮૫, રાયડાના રૂ.૧૧૦૦-૧૨૪૦, લસણના રૂ.૭૦-૬૭૦, કપાસના ૧૮૦૦-૨૩૦૦, જીરૂના ૨૫૦૦-૪૦૯૦, અજમાના ૧૬૦૦-૨૪૮૦, ઘાણાના રૂ.૧૪૦૦-૨૪૦૫, સૂકા મરચાના રૂ.૧૦૦૦-૪૨૦૦, વટાણાના રૂ.૮૨૦-૧૧૧૫ બોલાયા હતાં. સૂકી ડુંગળી, સોયાબીન, ઇસગબુલ, કલોંજી, મઠ, ચોળી, વાલની કોઇ આવક થઇ ન હતી.વધુ વાંચો -
તાલુકા પંચાયતના ગુલ્લીબાજ ૩૧ કર્મચારીઓને ગેરહાજર બદલ નોટીસ
- 24, એપ્રીલ 2022 01:30 AM
- 2429 comments
- 8526 Views
જામનગર, જામનગરના ધ્રોલ તાલુકા પંચાયત કચેરીની જીલ્લા પંચાયત પ્રમુખે અચાનક જ મુલાકાત લેતા મોટા ભાગના કર્મચારીઓ ગેરહાજર હતા જેમાં ફરજ પર ૩૧ કર્મચારીઓના સ્ટાફ સામે માત્ર ૫ કર્મચારીની હાજરી જ રજીસ્ટરમાં હોવાથી તાલુકા પંચાયતના ગુટલીબાજ કર્મચારીઓનો ભાંડો ફુટયો હતો. આકસ્મીક ચેકીંગના પગલે તાલુકા પંચાયતના કર્મીઓમાં દોડધામ મચી જવા પામી હતી.આ કર્મીઓ હાજર તો વધુ હતા પણ રજીસ્ટરમાં હાજરી પુરી ન હોવાથી ગેરહાજર ગણાયા હતા. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જામનગર જિ.પં. પ્રમુખ ધરમશી ચનીયારાને ધણા સમયથી ધ્રોલ તાલુકા પંચાયતના ગુટલીબાજ કર્મચારીઓ, તલાટી મંત્રીઓ વગેરેની પ્રજાના કામ બાબતે વ્યાપક ફરીયાદો મળી હતી જે મુદ્દે રજુઆતના પગલે તાલુકા પંચાયત કચેરી ખાતે જિ.પં. પ્રમુખે આકસ્મીક ચેકીંગ કર્યું હતું. તાલુકા પંચાયતના કર્મચારીઓને ઉંઘતા ઝડપી લઈને તાલુકા પંચાયતના અણધડ વહીવટની પોલ ખોલી નાખી હતી. તાકીદે આવા કર્મચારીઓને કારણ દર્શક નોટીશો આપી ખુલાશો પુછવા ડેપ્યુટી ડીડીઓને સુચના પણ આપી હોવાનુ સામે આવ્યુ છે.સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કર્મચારીઓ હાજર તો વધુ હતા પરંતુ રજીસ્ટરમાં હાજરી પુરી ન હતી, આથી ગેરહાજર ગણાયા હતા. ટીડીઓ સરકારી કામ બાબતે બહારગા હોય ત્યારે નાયબ તાલુકા વિકાસ અધિકારી સુચના આપી તાલુકા પંચાયતના અધિકારીઓ સામે પ્રમુખએ નારાજગી દર્શાવીને આવુ નહી ચલાવી લેવાય તેવી આકરા શબ્દોમાં જાટકણી કાઢી તપાસના આદેશોની સુચના આપતા કર્મચારીઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ જંયતીભાઈ કથગરા પણ આ મામલે જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયરાએ ચર્ચા કરીને કર્મચારીઓ ઉપર લગામ રાખીને નિયમીત પ્રજાના કામ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે સુચના આપી હતી. આ ચેકીંગ વેળા આગેવાનો અને તાલુકા પંચાયત સદસ્યો હાજર રહ્યા હતા.વધુ વાંચો -
ભાજપે ભીંતો પર કમળ ચિતર્યુ તો કોંગ્રેસે બાજુમાં લખ્યું કે ૩૫૦ના બોટલના ૯૫૦ કરનારા
- 24, એપ્રીલ 2022 01:30 AM
- 4603 comments
- 566 Views
જામનગર,ભાજપ દ્વારા જાહેર સ્થળોએ પાર્ટી સિમ્બોલ ચિતરાવ્યો છે, ત્યારે કોંગ્રેસે આ જ સિમ્બોલની સામે ગેસ-સિલિન્ડર ચીતરી ભાવવધારો મ્ત્નઁની દેન હોવાનો આક્ષેપ કરતો પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના કમળ દોરેલા ચિત્રની બાજુમાં કાૅંગ્રેસે ૩૫૦ વાળા બાટલાના ૯૫૦ કરનાર તેમ લખ્યું હતું. કોંગ્રેસની આ નીતિને ભાજપે હીન કક્ષાની ગણાવી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવતાં મુખ્ય રાજકીય પક્ષો દ્વારા પ્રચારયુદ્ધ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પ્રચારયુદ્ધની ઝલક આજે જામનગર શહેરમાં પણ જાેવા મળી છે. શહેરના સાત રસ્તા પાસે આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડની દીવાલ પર ભાજપના ચૂંટણી પ્રતીક કમળના નિશાનની આજુબાજુ કોંગ્રેસી કાર્યકરોએ ગેસ-સિલિન્ડરનાં ચિત્ર દોરીને મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો છે. એક તરફ, ભાજપ તેના પ્રચાર કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં દીવાલો પર કમળનાં નિશાન ચિતરાવી રહી છે તો બીજી તરફ આ નિશાનની બાજુમાં જ ગેસના બાટલાના અસહ્ય ભાવવધારાને ઉજાગર કરતાં ચિત્ર ચિપકાવવાના કોંગ્રેસે શરૂ કરતાં વાતાવરણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ આ ચિત્ર કોંગ્રેસી કાર્યકરોએ લગાવ્યા હોવાનું સ્વીકારી જણાવ્યું કે મોંઘવારીથી ત્રસ્ત પ્રજાનું દર્દ દર્શાવવા કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. જામનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કગથરાએ કોંગ્રેસના આ કૃત્યને નિમ્નકક્ષાની માનસિકતા અને રાજનીતિ દર્શાવી છે. તેમણે કહ્યું હતું કે ભાજપે જાે આ પ્રકારનો પ્રચાર કરવો હોય તો એ ઉજ્જવલા યોજનાનો જાેરશોરથી પ્રચાર કરી શકે છે, કેમ કે મોદી સરકારની આ યોજનાએ દેશની કરોડો મહિલાઓને ચૂલાના ધુમાડામાંથી મુકિત અપાવી છે અને ગંભીર બીમારીઓથી બચાવી છે.વધુ વાંચો -
સેવાભાવી સંસ્થાઓ દ્વારા માતાપિતા વિહોણી ૧૬ દિકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા
- 19, એપ્રીલ 2022 01:30 AM
- 6926 comments
- 1910 Views
જામનગર,જામનગર શહેરમાં પ્રથમ વખત માતા-પિતા વિહોણી દિકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. તપોવન ફાઉન્ડેશનના સ્થાપક તેમજ ટ્રસ્ટી અને પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી દ્વારા માતા- પિતા વિહોણી ૧૬ દીકરીઓના લગ્ન કરાવ્યાં હતા. જેને લઈ જૂનાગઢના ગોરખનાથ આશ્રમના સંત શેરનાથ બાપુ દ્વારા પણ આ કાર્યને આવકારવામાં આવ્યું હતું. તમામ સાધુ-સંતો તેમજ આમંત્રિતો મહેમાન દ્વારા પણ તેમનું આ કાર્ય પ્રેરણારૂપ ગણાવ્યું હતું અને આગામી સમયમાં વધુ માતા-પિતા વિહોણી દીકરીઓના લગ્ન બીજી સંસ્થા દ્વારા પણ કરાવવામાં આવશે. જામનગરની તપોવન સંસ્થા દ્વારા માતા-પિતા કે પિતા વગરની ૧૬ દિકરીઓના સમુહ લગ્ન ધામધુમથી ઉજવાયા હતા. આ સમુહ લગ્નોમાં નવવધુ બનવા જઈ રહેલી તમામ દિકરીઓનું પુજન કરવામાં આવ્યું હતું. તેમજ જે દંપતીઓને દિકરીની ખોટ છે. તેવા દંપતિઓએ ભાવ પૂર્વક કન્યાદાન કર્યું હતું. ખાસ ગોરાક્ષનાથ આશ્રમના શેરનાથ બાપુએ ઉપસ્થિત રહી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યાં હતા. તમામ ૧૬ દીકરીઓ ઉપર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને લગ્ન ઉત્સવમાં આવેલા મહેમાનો દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ માતા-પિતા વિહોણી તેમજ પિતા વિહોણી દીકરીઓને સમાજના પ્રમુખો સંસ્થાના આગેવાનો, સાધુ-સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. જામનગરમાં પ્રથમ વખત માતા-પિતા વિહોણી દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. તપોવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રણજીતનગર પાછળ પ્રણામી સંપદાયની જગ્યામાં આયોજિત સમુહ લગ્નોત્સવમાં સંસ્થા દ્વારા તમામ દિકરીઓને સહયોગીઓના સહયોગથી આણામાં સોના-ચાંદી દાગીનાથી માંડીને કબાટ, સેટી-પલંગ, ટેબલ, ટોસ્ટર, કુલર જેવી ઘર ઉપયોગી ૧૪૦ થી વધુ વસ્તુઓ કરિયાવર તરીકે આપવામાં આવી હતી. કન્યાઓની મહેંદી, બ્યુટી પાર્લરની,૧૬ વરરાજાઓના ૪ બગીઓમાં સામુહિક વરઘોડાની તેમજ બંન્ને પક્ષોના મર્યાદિત સગા-સબંધીઓના સમુહ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.વધુ વાંચો -
સમગ્ર સૌરાષ્ટ્રમાં હનુમાન દાદાની જયંતિની ઉલ્લાસપૂર્ણ ઉજવણી
- 17, એપ્રીલ 2022 01:30 AM
- 8632 comments
- 9333 Views
ભાવનગર, ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતી છે. આજે હનુમાન જયંતીનો પાવન પર્વ છે. ત્યારે બોટાદના સાળંગપુરમાં હનુમાનજીની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આજે હનુમાન જયંતી પ્રસંગે સાળંગપુર હનુમાન મંદિરે ૧૦ લાખથી વધુ ભક્તો દાદાનાં દર્શન કરશે. આજના દિવસે મારુતિ યજ્ઞ પણ કરવામાં આવશે. વહેલી સવારથી જ ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ ના નારાથી પરિસર ગુંજી ઉઠ્યુ છે. સવારની મંગળા આરતી ખાસ બની રહી હતી. તો ત્યાર બાદની શ્રૃંગાર આરતી ખાસ બની રહી છે. દાદાને કરોડોના ઝવેરાતથી સજાવવામાં આવ્યા છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીની ભવ્ય શોભા યાત્રા નીકળી ત્યારે તેવામાં આ શોભાયાત્રા કેવી ભવ્ય હોય તેની એક ઝલક તમને દર્શાવી રહ્યા છે. હાથી અને ઘોડા સાથે નીકળી આ ભવ્ય શોભાયાત્રામાં ઢોલ નગારાના તાલે ભક્તો જય શ્રી રામના નારા સાથે ઝૂમી ઉઠે છે. તો કતરબ બાજાે જુદા જુદા કરતબ દાખવીને શોભાયાત્રાની ભવ્યતામાં વધારો કરે છે. સાળંગપુરમાં દાદાનાં દર્શન માટે અંદાજે ૧૦ લાખથી વધુ ભક્તો ઊમટ્યા. તંત્ર દ્વારા ખાસ રૂટ સાથે રહેવા-જમવા અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરાઈ છે. બે વર્ષ બાદ સાળંગપુરના શ્રીકષ્ટભંજનદેવ મંદિરમાં હનુમાનજયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અંદાજે ૧૦ લાખથી વધુ દર્શનાર્થીઓ હનુમાન જંયતીના દિવસે આવશે. તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય એ માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત એકસાથે દસ હજારથી વધુ વાહન પાર્ક થઈ શકે એ માટે ૬ વિશાળ પાર્કિંગ એરિયા બનાવાયા છે. દાદાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થાય એ માટે બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.કેદારનાથ મંદિરની આબેહૂબ કૃતિ સાથે શોભાયાત્રા રાજકોટ રાજકોટમાં દરેક હનુમાનજી મંદિરે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ બાલાજી મંદિર દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેદારનાથ મંદિરની આબેહૂબ કૃતિ બનાવવામાં આવી હતી. જે શોભાયાત્રામાં જાેડાઇ હતી. તેમજ અવનવા ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરના વિવિધ હનુમાનજી મંદિરમાં સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટી રહ્યા છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાર, ટુવ્હીલર જાેડાયા હતા. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને જયશ્રી રામ, જય બજરંગબલીના નાદ લગાવવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં ચોકલેટ અને મિલ્કની મિઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગોંડલમાં ૩૦૦ વર્ષ પૌરાણિક તરકોશી હનુમાન મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે. તેમજ હનુમાનજી મહારાજને આકર્ષિત વાઘા પહેરાવામાં આવ્યા છે. દરેક મંદિરોમાં હનુમાનજીને અલગ અલગ શણગાર કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન જાેવા મળી રહી છે. હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર તરકોશી હનુમાનજી મંદિર છે. શહેરના અલગ અલગ હનુમાનજી મંદિરમાં દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હોમ-હવનનું પણ આયોજન કરાયું હતું.જામનગરમાં હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા- બાઈક રેલી જામનગરમાં આજે ૧૬ એપ્રિલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. છોટી કાશી ગણાતા જામનગરમાં આજે ૧૬ એપ્રિલ શનિવારે હનુમાન જનમોત્સવ ના પાવન અવસરે ભગવાન શ્રી હનુમાનજીની શોભાયાત્રાનું નીકળી છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત હનુમાનજીના જન્મોત્સવની શોભાયાત્રાનું પ્રસ્થાન ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતેથી થયું છે. જામનગરમાં શનિવાર અને હનુમાન જનમોત્સવ નો શુભ સમનવ્ય છે. આ પાવન અવસરે તળાવ ની પાળ ખાતે આવેલા વિશ્વવિખ્યાત શ્રી બાલા હનુમાનજી મંદિરે સંપન્ન કરવામાં આવ્યું હતું. હનુમાન જનમોત્સવની આ શોભાયાત્રામાં રામ ભક્ત હનુમાનજીની વિવિધ ઝાંખી કરાવતા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ખાસ ધાર્મિક ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.શનિવારે છોટી કાશી ગણાતા જામનગરમાં આ શોભાયાત્રા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા તમામ ધર્મ પ્રેમીઓને જાેડાઈ રામભક્ત હનુમાનજીનો જય જયકાર કરી ભક્તિમય વાતાવરણ બનાવાયું હતું.વધુ વાંચો -
જામનગરમાં એટીએમમાંથી પૈસા ઉપાડતાં બે પરપ્રાંતીય શખ્સોને પોલીસે ઝડપી પાડયા
- 16, એપ્રીલ 2022 01:30 AM
- 1565 comments
- 8745 Views
જામનગર, જામનગરમાં એક એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતાં બે પરપ્રાંતીય શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. જેઓએ એટીએમમાંથી નાણાં ઉપાડી લેવાનો નવો જ કીમિયો હાથ ધર્યો હતો અને બેંકમાંથી નાણાં એટીએમ મશીનમાંથી ઉપડી જાય પરંતુ મશીનની સ્વીચ બંધ કરી દેતા હોવાથી બેંક ખાતામાં એન્ટ્રી ન પડે, અને તેટલી રકમ બેંક મારફતે ખાતામાં જમા કરાવી લઇ નવતર પ્રકારે ફ્રોડ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. એલસીબીની ટુકડીએ બન્ને શખસો પાસેથી ૩૦ એટીએમ કાર્ડ કબજે કરી લીધા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ નવતર છેતરપિંડીના કિસ્સા અંગેની વિગતો એવી છે કે જામનગરના જાેગર્સ પાર્ક વિસ્તારમાં આવેલા બેન્કના એટીએમ માં પૈસા ઉપાડવા માટે આવેલા બે અજાણ્યા શખસોની શંકાસ્પદ હિલચાલ વિશે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી, અને તેઓ દ્વારા એટીએમ મશીનમાં ગોટાળા કરીને નાણાં કાઢી લેતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના અનુસંધાને એલસીબીની ટુકડીએ વોચ ગોઠવીને બે શખ્સોને અટકાયતમાં લઇ લીધા હતા તે બંનેને એલસીબીની કચેરીએ લઇ જવાયા પછી તેઓના નામ પુછતાં એક શખસે પોતાનું નામ વારીસખાન પઠાણ અને બીજાનું નામ અંસારખાન ક્યૂમખાન હોવાનું કબૂલ્યું હતું. પોલીસ દ્વારા બન્ને શખ્સોની તલાશી લેવામાં આવતાં તેઓના કબજામાંથી જુદી જુદી બેન્કોના ૩૦ થી વધુ એટીએમ કાર્ડ અને બે મોબાઇલ મળી આવ્યા હતા. ઉપરાંત ફ્રોડના માધ્યમથી એકઠી કરેલી કેટલીક રોકડ રકમ મળી આવી હતી. બંને શખસોની પૂછપરછ શરૂ કરાઇ હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની પૂછપરછ દરમિયાન બંને શખ્સો પોતાના વતનમાંથી નીકળ્યા પછી જુદા જુદા રાજ્યમાં થઈને જામનગર આવ્યા હતા અને પોતાના મિત્ર વર્તુળ, ઉપરાંત સગાસંબંધીઓ, વગેરેના ૩૦થી વધુ એટીએમ કાર્ડ મેળવી લીધા હતા જે એટીએમ કાર્ડ માટે જુદા જુદા બેંકોના એટીએમ મશીનમાં તપાસણી કરતા હતા. જ્યાં એટીએમ મશીનને ચાલુ બંધ કરવાની સ્વીચ ધ્યાનમાં હોય તે સ્થળે ઊભા રહીને સૌપ્રથમ બેંકના મશીનમાં એટીએમ કાર્ડ નાખીને નાણાં કાઢવાની પ્રક્રિયા હાથ ધરતા હતા, જે દરમિયાન ચલણી નોટ બહાર આવે ત્યારે જ મશીનની સ્વીચ બંધ કરી દેતા હતા અને મશીનમાં સલવાયેલી ચલણી નોટોને ખેંચી લેતા હતા.વધુ વાંચો -
જામનગરમાં સોલેરીયમ ઈએસઆર હેઠળના વિસ્તારોમાં આજે પાણી નહીં મળે
- 07, એપ્રીલ 2022 01:30 AM
- 526 comments
- 3591 Views
જામનગર, જામનગર શહેરના સોલેરીયમ ઈએસઆર હેઠળના વિસ્તારોમાં કાલે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યુ છે. આ વિસ્તારમાં ૪૦૦ એમ.એમ. ડાયા મીટરનો સ્લુઝ વાલ્વ ખરાબ થઈ ગયો હોવાથી તેની બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી આ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા હેઠળના સોલેરીયમ ઈ.એસ. આર.થી ગાંધીનગર સુધીના વિસ્તારમાં પાણી વિતરણ કરતી મુખ્ય પાઈપ લાઈનમાં હનુમાન ગેઈટ પોલીસ ચોકીની સામે હોસ્પિટલ પાસે આવલા ૪૦૦ એમ. એમ. ડાયા મીટરનો સ્લુઝ વાલ્વ ખરાબ થઈ ગયો હોય તે બદલવાની કામગીરી તા.૭-૪-૨૨ ના રોજ કરવાની હોવાથી સોલેરીયમ ઝોન-બી હેઠળ આવતા જામનગરના વિસ્તારો ગાંધીનગર, મોમાઈનગર ૧ થી ૫ પુનીતનગર, શાંતિનગર, શાસ્ત્રીનગર, લાલ બહાદુર સોસાયટી, પટેલ કોલોની ૧ થી ૧૨ ઉભો રોડ, તેમજ તેને સંલગ્ન વિસાતારોમાં તા. ૭-૪-૨૨ ના રોજ પાણી વિતરણ બંધ રહેશે. પાણી વિતરણ બંધના બીજા દિવસે પ્રથમ ઝોન-બી ત્યારબાદના દિવસે ઝોન-એમાં રાખેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.વધુ વાંચો -
ગોકુલનગર વિસ્તારમાં રહેતો પરિવાર અચાનક લાપતા થતાં ચકચાર મચી ગઈ
- 22, માર્ચ 2022 01:30 AM
- 2297 comments
- 202 Views
જામનગર, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો પાંચ સભ્યોનો એક પરિવાર અચાનક ઘર બંધ કરીને ગુમ થઇ ગયાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે. આ અંગેની વિગત એવી છે કે જામનગરના ગોકુલનગર રડાર રોડ ઉપર નવાનગર શેરી નં.૫માં આવેલ પ્રફુલભાઇ સવાણીના મકાનમાં રહેતા અરવિંદભાઇ હેમતભાઇ નિમાવત (ઉ.વ.૫૨) નામના બાવાજી આધેડ, તેમના પત્ની શિલ્પાબેન નિમાવત (ઉ.વ.૪૫) તેમની પુત્રી કિરણબેન (ઉ.વ.૨૬), પુત્ર રણજીત (ઉ.વ.૨૪) અને કરણ (ઉ.વ.૨૨) ગત તા.૧૧ માર્ચના રોજ પોતાના ઘરેથી અચાનક લાપત્તા થઇ ગયા હતા.આ અંગે સીટી સી ડિવિઝન પોલીસે ગુમનોંધ દાખલ કરી છે અને હેડ કોન્સ.ડી.પી.ગોસાઇ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. ગુમ થયેલ પરિવારજનોના મોબાઇલ ફોન પણ બંધ હોવાથી તેમનો કોઇ સંપર્ક થઇ શકયો નથી. પ્રાથમિક તપાસમાં દંપતિ ગોકુલનગર નજીક બજરંગ ડાઇનીંગ હોલ નામની રેસ્ટોરન્ટ ચલાવતા હતા. જાે કે આ ડાઇનીંગ હોલ તેઓ ભાડેથી ચલાવતા હતા.તેઓએ લોન પણ લીધી હતી પરંતુ આર્થિક સંકળામણને લીધે લોન ભરપાઇ કરી શકતા ન હતા. આ જ કારણે આ પરિવાર જામનગર છોડી લા-પત્તા થઇ ગયાની આશંકા જાગતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.વધુ વાંચો -
ભાણવડની ત્રિવેણી નદીમાં ડૂબી જતાં પાંચ મિત્રોના મોત
- 20, માર્ચ 2022 01:30 AM
- 3706 comments
- 390 Views
દ્ધારકા, ધૂળેટીનો રંગોનો ઉત્સવ પાંચ પરિવારો માટે માતમનો દિવસ બની ગયો છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડની ત્રિવેણી નદીમાં આજે પાંચ મિત્રોના ડૂબી જવાથી મોત થતાં રંગોનો ઉત્સવ દુઃખનો દિવસ બની ગયો ચે. ભાણવડમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો ધૂળેટીના દિવસે રંગોથી ઉત્સવની ઉજવણી કર્યા બાદ ત્રિવેણી નદીમાં ન્હાવા માટે ગયા હતા. જાેકે, આ પાંચેય મિત્રો નદીમાં ડૂબી જતાં તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.મળતી માહિતી પ્રમાણે ધૂળેટીનો તહેવાર હોવાથી ભાણવડમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો રંગોથી રમ્યા હતા. બાદમાં તેઓ નદીમાં ન્હાવા માટે ગયા હતા. નદીમાં ન્હાવાનો આનંદ માણી રહેલા આ મિત્રો અકસ્માતે ડૂબી ગયા હતા જેના કારણે તેમના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમણે પાંચેય મિત્રોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. નદીમાં ડૂબીને મોતને ભેટેલા પાંચેય કિશોરોની ઉંમર ૧૬-૧૭ વર્ષની હતી. આ પાંચેય મિત્રો હતા અને તમામ લોકો શિવનગર, રામેશ્વર પ્લોટ અને ખારાવાડ, ભાણવડના રહેવાસી હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોતાના વ્હાલસોયા પુત્રોના મૃતદેહો જાેઈને પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયું હતું. પોલીસે તમામ મૃતદેહોનો કબ્જાે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જીતભાઈ ભરતભાઈ કવા (ઉ.વ.૧૬) રહે. શિવનગર, તાલુકા પંચાયત સામે, ભાણવડ હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ (ઉ. વ ૧૭) રહે. ખરાવાડ, ભાણવડ ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા (ઉ.વ.૧૬) રહે. રામેશ્વર પ્લોટ, ભાણવડ ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા રહે. શિવનગર, ભાણવડ હિતાર્થ અશ્વિંગીરી ગોસ્વામી બાવાજી (ઉ.વ.૧૬) રહે. શિવનગર, ભાણવડવધુ વાંચો -
ગૌશાળાના લાભાર્થે રાજભા ગઢવી અને નિરંજન પંડ્યાના ડાયરામાં હજારો રૂપિયાનો વરસાદ
- 12, માર્ચ 2022 01:30 AM
- 685 comments
- 6186 Views
જામનગર,જામનગરના વિભાપર ગામમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. લોકગાયક રાજભા ગઢવી, નિરંજન પંડ્યા અને ફરિદા મીરના ડાયરામાં લોકોએ ચલણી નોટનો વરસાદ કરતા કલાકારોના સ્ટેજ પર ચલણી નોટના ઢગલાં જાેવા મળ્યા હતા. સૌરાષ્ટ્રમાં લોકડાયરાનું આયોજન હોય અને રૂપિયાનો વરસાદ ન થાય તેવું ભાગ્યે જ બને. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે ગૌશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન થાય છે ત્યારે લોકો મનમૂકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે. આવાજ દ્રશ્યો જામનગર નજીક વિભાપર ગામમાં યોજાયેલા લોકડાયરામાં જાેવા મળ્યા હતા. વિભાપર ગામે જય વછરાજ ગો સેવા ટ્રસ્ટ દ્વારા વાર્ષિક ઉત્સવ ભૂમિપૂજન, પંચકુંડી યજ્ઞ, સન્માન સમારોહ મહાપ્રસાદ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, લોકડાયરામાં ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનિક કલાકાર નિરંજન પંડ્યા, ફરીદા મીરે સંતવાણી દ્વારા ડાયરા રમઝટ બોલાવી હતી ત્યારે રાજભા ગઢવી ચારણી સાહિત્યમાં ભારતીય સંસ્કૃતિ ની પણ રમઝટ બોલાવી હતી ત્યારે લોકોએ મન મૂકીને લોકડાયરામાં ચલણી નોટોના રૂપિયાનો વરસાદ કર્યો હતો.વધુ વાંચો -
ખીજડીયાની સેવા સહકારી મંડળીના મંત્રી સામે ૬૦ લાખની ઉચાપતની ફરિયાદ
- 19, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 3153 comments
- 3246 Views
જામનગર, જામનગર જિલ્લાના કાલાવડના નપાણીયા ખીજડીયા ગામની સેવા સહકારી મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ મંડળીના નામે રૂપિયા ૬૦ લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે. આરોપી મંત્રીએ બે વર્ષ પૂર્વે મંડળીના નામે ગોડાઉન ખરીદ કર્યા અંગેના ખોટા દસ્તાવેજ બનાવી, પ્રમુખ સહિતનાઓની ખોટી સહીઓ કરી, નાણા ઉપાડ્યા હતા. તેમજ નાણાને અંગત ઉપયોગમાં લઈ છેતરપિંડી આચરી હોવાનું સામેં આવ્યું છે. જામનગર જિલ્લા સહકારી ક્ષેત્રમાં ચકચારી બનેલી છેતરપીંડી અને વિશ્વાસઘાત પ્રકરણની વિગત મુજબ, કાલાવડના નપાણીયા ખીજડીયા ગામે આવેલા નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડ ખાતે મંત્રી તરીકે ફરજ બજાવતા બીપીન ચંપકભાઈ જાેશીએ વર્ષ ૨૦૨૦ના ઓગસ્ટ માસ પૂર્વે પોતાના અંગત ફાયદા માટે ઠગાઈ કરવાના ઇરાદાથી મંડળીના ખેડૂત ખાતેદારો (સભાસદો) પાસેથી પાક ધીરાણ પેટેના નાણાની વસુલાત કરી હતી. તેમજ મંડળીની અલગ અલગ પહોંચો આપી તે પૈકીની અમુક પહોંચમાં પોતાની જાતે ફેરફાર કરી ખોટી પહોંચ બનાવી રોજમેળમા ખોટો મનધડત હીસાબ ઉધારી લીધા હતા. રોજમેળમા પાના નં-૬૧મા સામાન્ય ખાતાવહીના પાના નં-૧૧૫ થી શ્રી જમીન ખરીદ ખાતે બાબત જે મંડળીના ગોડાઉન માટે જમીન ખરીદ કરતા મંત્રી બીપીન જાેષીને વાઉચર મુજબ વાઉચર નં-૬૬ રોકડા રૂ.૬૦ લાખની કોઇ પણ ઠરાવ કે મંજૂરી વગર એન્ટ્રી કરી નાખી, રૂપીયા ૬૦ લાખના મુલ્યના નાણાની ઉચાપત કરી મંડળીના મંત્રી તરીકે ગુનાહીત વિશ્વાસધાત કર્યો હતો. આ જ ઉચાપત માટે આરોપી મંત્રીએ નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના લેટરપેડ પર તા.૨૯/૧૨/૨૦૨૦ના રોજ કાલાવડ મામલતદારને સંબોધીને શ્રી નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના બોજા-ગીરો મુક્તી કરવા મળેલી નોટીસનો જવાબ તેમ વિષય રાખી જવાબ પણ આપ્યો હતો. જેમાં તેણે પોતાનો બચાવ કરવાના ઇરાદાથી પોતાની રીતે ખોટુ લખાણ આપી, તે લખાણમા પ્રમુખ તરીકે રાઘવ દેવશી નામની હાલના પ્રમુખની ખોટી સહી કરી, મંડળીનો સીક્કો મારી ખોટો દસ્તાવેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.વધુ વાંચો -
પોલીસ તપાસમાં આરોપી બાઈક ચોરીના ગુનામાં પેરોલ પર મુક્ત થયો હોવાનો ખુલાસો
- 17, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 7358 comments
- 9890 Views
જામનગર જામનગરના જાેગર્સ પાર્ક પાસેથી બે દિવસ પૂર્વ થયેલા એક્ટિવાની ચોરી મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપી એક દિવસ પહેલા જ બાઈક ચોરીના ગુનામાં પેરોલ પર મુક્ત થયો હતો. પેરોલ પર મુક્ત થયાના બીજા જ દિવસે ફરી મોટર સાયકલ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. જામનગરમાં બે દિવસ પૂર્વે તા.૧૪ /૦૨/૨૨ના રોજ સાંજે પાંચથી છ વાગ્યાના ગાળા દરમિયાન જાેગસપાર્ક પાસે વી માર્ટ સામે આવેલ રીધ્ધી સીધ્ધી શાકભાજીની દુકાનની બાજુમા રોડ પરથી જયેશભાઇ પરમારની ગ્રે કલરની સુજુકી એકસેસની ચોરી થવા પામી હતી. જીજે ૧૦ સીએસ ૯૮૮૬ નંબરની મોટરસાયકલ ચોરી થઇ જતા જયેશભાઈએ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. રૂપિયા ૩૦ હજારની કીમતના મોટરસાયકલની ચોરી થઇ જતા પોલીસે ટેકનીકલ ટીમ ની મદદથી તપાસ હાથ ધરી, ગુલાબનગર વિસ્તારમાં રહેતા મૂળ તાલાલાના આરોપી નરેશ પરમારને પકડી પાડ્યો હતો. પોલીએ આ શખ્સના કબ્જામાંથી એક્સેસ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ ગીરસોમનાથ જીલ્લાનો તાલાલાનો આરોપી થોડા વર્ષોથી ગુલાબનગર વિસ્તારમાં રહી મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ સખ્સના કોવીડ ટેસ્ટ હાથ ધરી આરોપીની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં મજુરી કામ કરવામાં પૈસા ઓછા મળતા આરોપી નરેશ ચોરીના રવાડે ચડ્યો હતો. અગાઉ એક બાઈક ચોરી કરી હતી. પરંતુ આરોપી પોલીસના હાથ પકડાઈ ગયો હતો. કાયદાકીય કાર્યવાહી બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.વધુ વાંચો -
વેપારીની આંખમાં મરચાની ભૂક્કી છાંટી ૪૫ હજારથી રોકડ રકમની લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર
- 06, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 2182 comments
- 6000 Views
જામનગર જામનગર શહેરના નાગપરા વિસ્તારમાં રહેતા પ્રૌઢ વેપારી રાત્રિના સમયે તેમના ઘરે જતાં હતાં. તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીને ધક્કો મારી પછાડી દઇ આંખમાં મરચાની ભૂક્કી છાંટી ૪૫ હજારથી રોકડ રકમ ભરેલી થેલીની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ખંભાળિયા નાકા બહાર નાગરપરા શેરી નં. ૨માં રહેતા અને માર્કેટમાં વેપાર કરતા પ્રકાશભાઈ ચંદ્રકાંતભાઈ લાલ નામના પ્રૌઢ ગઈકાલે શુક્રવારે રાત્રિના ૦૮ઃ૩૦ વાગ્યાના અરસામાં તેમની દુકાનેથી જીજે-૧૦ બીકયુ-૮૫૦૨ નંબરના એક્ટિવા મોટરસાઈકલ પર તેમના ઘર તરફ જતાં હતાં. રે ખંભાળિયા નાકા પાસે બાઇની વાડી નાગરપરા શેરી નં. ૨ નજીક પહોંચ્યા ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પ્રૌઢ વેપારીને ધક્કો મારી પછાડી દીધા હતાં. ત્યારબાદ વેપારીની આંખમાં મરચાંની ભૂક્કી છાંટી એક્ટીવાના હેન્ડલમાં ટીંગાડેલી રૂ. ૪૫ હજારની રોકડ રકમ ભરેલા પર્સવાળી થેલીની લૂંટ ચલાવી બન્ને શખ્સો નાસી ગયા હતાં.રમિયાન લૂંટની પ્રૌઢ વેપારી દ્વારા પોલીસને જાણ કરાતાં પીઆઈ કે.એલ. ગાધે તથા સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો. તેમજ પ્રૌઢ વેપારીના નિવેદનના આધારે બંન્ને લૂંટારુ શખ્સોને ઝડપી લેવા માટે જિલ્લામાં નાકાબંધી કરી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે બનાવ સ્થળ પાસેના વિસ્તારમાં કયાંય સીસીટીવી ફૂટેજાે અંગે પણ તપાસ હાથ ધરી હતી અને બે અજાણ્યા બાઈકસવાર શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગર પોલીસના ઉચ્ચ અધિકારી સહિત એલસીબી, સીટી એ પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી રાતભર સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.વધુ વાંચો -
જામનગરમાં પ્રતિબંધિત એમ્બ્રગ્રીસ સાથે શખ્સ ઝડપાયો
- 31, જાન્યુઆરી 2022 01:30 AM
- 8422 comments
- 3505 Views
જામનગર જામનગર એસઓજી પોલીસે પટેલ કોલોની વિસ્તારમાંથી દેવભૂમિ દ્વારાકા જીલ્લાના ખંભાલીયા ખાતે રહેતા ભાવેશગીરી અરવિંદગીરી ગોસ્વામી નામનાં સખ્સને પકડી પાડ્યો હતો. આ સખ્સના કબ્જામાંથી રૂપિયા એકાદ કરોડની કીમતનું વ્હેલ માછલીનું એમ્બ્રગ્રીસ (ઉલટી) સાથે પકડી પાડ્યો હતો. આ દ્રવ્યની હાલની બજાર કિંમત એકાદ કરોડ જેવી થાય છે. એસઓજીએ આ સખ્સ સામે ફરિયાદ નોંધી આ રેકેટના મૂળ સુધી પહોચવા કવાયત હાથ ધરી છે. જામનગર પોલીસના ઈતિહાસમાં પ્રથમ વખત મળી આવેલ એમ્બરગ્રીસના જથ્થાને કબજે કરી પોલીસે લેબ પરીક્ષણ માટે મોકલી આપ્યો છે.એમ્બરગ્રીસ શું છે? આ એમ્બરગ્રીસ, જેનો ફ્રેન્ચમાં અર્થ ગ્રેએમ્બર થાય છે, તે મીણ જેવું પદાર્થ છે જે સંરક્ષિત સ્પર્મ વ્હેલના પાચન તંત્રમાંથી ઉદ્દભવે છે ત્યારે તેની રચના વિશેની એક થિયરી સૂચવે છે કે તે સ્પર્મ વ્હેલ જ્યારે મોટા પ્રમાણમાં દરિયાઈ પ્રાણીઓનો જથ્થો કે ખોરાક ખાય છે ત્યારે કઠણ, તીક્ષ્ણ પદાર્થોને પસાર કરવા માટે કેટલાક દ્રવ્યો સ્પર્મ વ્હેલના જઠરાંત્રિય માર્ગમાં ઉત્પન્ન થાય છે. એમ્બરગ્રીસને મળની જેમ પસાર થાય છે અને તે ખૂબ જ તીવ્ર અને મજબૂત દરિયાઈ ગંધ ધરાવે છે. તાજી રીતે પસાર થયેલ એમ્બરગ્રીસ એ આછો પીળો રંગનો પદાર્થ છે અને તે ચરબીયુક્ત હોય છે પરંતુ જેમ જેમ તે ઉંમર વધે છે તેમ તે મીણ જેવું બને છે અને લાલ કથ્થઈ રંગનું બને છે, કેટલીકવાર તે ગ્રે અને કાળા રંગના શેડ્સ સાથે હોય છે અને દરિયાઈ ગંધની સાથે હળવી, માટીની, મીઠી ગંધ કે કસ્તુરી જેવી સુગંધ ધરાવતુ હોય છે. એમ્બરગ્રીસના ઉપયોગો શું છે અને તે આટલું મોંઘું કેમ છે? ભારતભરની તપાસ એજન્સીઓ કે જેમણે તાજેતરના ભૂતકાળમાં એમ્બરગ્રીસ જપ્ત કરી છે તે શુદ્ધતા અને ગુણવત્તાના આધારે તેની કિંમત ૧ થી ૨ કરોડ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોવાનો અંદાજ છે.અધિકારીઓનું કહેવું છે કે અત્યંત દુર્લભ હોવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઊંચી માંગ અને ઊંચી કિંમતમાં ફાળો છે. પરંપરાગત રીતે, એમ્બરગ્રીસનો ઉપયોગ અત્તર બનાવવા માટે થાય છે જેમાં કસ્તુરી જેવી સુગંધ હોય છે. ભૂતકાળમાં કેટલીક સંસ્કૃતિઓમાં તેનો ઉપયોગ ખોરાક, આલ્કોહોલિક પીણાં અને તમાકુને સ્વાદ આપવા માટે થતો હોવાના રેકોર્ડ્સ છે, પરંતુ હાલમાં આ હેતુઓ માટે તેનો ભાગ્યે જ ઉપયોગ થાય છે. વન વિભાગના અધિકારીઓ શું કહે છે? પુણેમાં વન વિભાગના અધિકારી કે જેઓ ઓગસ્ટમાં એમ્બરગ્રીસની જપ્તીની તપાસનો ભાગ હતા તેમણે જણાવ્યું હતું કે, “લગભગ ૪૦ દેશોમાં એમ્બરગ્રીસના વેપાર અને વેચાણ પર પ્રતિબંધ છે. હવે આપણે જાણીએ છીએ કે એમ્બરગ્રીસ મુખ્યત્વે ગુજરાત તથા અન્ય રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મેળવવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે એમ્બરગ્રીસ માટેનું મુખ્ય બજાર મધ્ય પૂર્વીય દેશોમાં છે, યુરોપિયન અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો હોવાનુ મનાય છે. એવા અહેવાલો પણ છે કે તેને કામોત્તેજક માનવામાં આવે છે અને તેનો ઉપયોગ કેટલીક દવાઓમાં થાય છે.” પ્રતિબંધ છતાં ધમધમતી ગેરકાયદે પ્રવૃતિઓ કાયદેસરતા અને ભારતમાં જપ્તીના તાજેતરના કેસો યુએસએ, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોમાં એમ્બરગ્રીસના કબજા અને વેપાર પર પ્રતિબંધ છે, અન્ય કેટલાક દેશોમાં તે એક વેપારી કોમોડિટી છે, જાેકે તેમાંના કેટલાક દેશોમાં મર્યાદામાં છે. ભારતીય સંદર્ભમાં, વ્હેલ એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમની અનુસૂચિ ૨ હેઠળ એક સંરક્ષિત પ્રજાતિ છે અને એમ્બરગ્રીસ અને તેની આડપેદાશો સહિત તેની કોઈપણ ઉપ-ઉત્પાદનોનો કબજાે અથવા વેપાર, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ ની જાેગવાઈઓ હેઠળ ગેરકાયદેસર છે. એવું જાેવામાં આવ્યું છે કે એમ્બરગ્રીસની દાણચોરી કરતી ટોળકી તેને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મેળવે છે અને વિવિધ દેશોમાં મોકલે છે.વધુ વાંચો -
બૂટલેગરની પૂછતાછ કરતાં ભીંતમાં માથા પછાડ્યા
- 28, જાન્યુઆરી 2022 01:30 AM
- 749 comments
- 542 Views
જામનગર જામનગર સીટી એ ડીવીજન પોલીસ દફતરના પીઆઈ એમ જે જલુ પર પોલીસ દફતરમાં જ એક બુટલેગરે પૂછપરછ વખતે ઉગ્રતા દાખવી હુમલો કર્યો હતો. આ હુમલાને પગલે સનસનાટી મચી જવા પામી હતી. આરોપી સામે ગત વર્ષે નોંધાયેલ દારૂ સબંધિત ત્રણ કેસને લઈને કોર્ટમાં સરન્ડર કરતા પોલીસે તેની વિધિવત અટકાયત કરી પોલીસ દફતર લઇ પૂછપરછ કરી હતી. આ આરોપીએ પીઆઈ પર હુમલો કરી હાથની આંગળીમાં ફેકચર કરી દીધુ હતું. બીજી તરફ એક હાથમાં ખુલી હાથ કડી સાથે આરોપીએ પોતાના માથા દીવાલમાં અથડાવી ઈજા પહોચાડી ખુદને ઈજાઓ પહોચાડતા દવાખાને ખસેડાયો હતો.સીટી એ ડીવીજન પોલીસમાં ગત વર્ષે દારૂ સંબંધિત ત્રણ ગુના નોંધાયા હતા. આ ગુનામાં આરોપી મહાવીરસિહ દેવાજી ભારાજી જાડેજા ઉ.વ ૩૨ રહે.રણજીતસાગર રોડ પ્રણામીનગર સાંઇબાબાના મંદીર પાસે જામનગર વાળાની સંડોવણી ખુલવા પામી હતી. દરમિયાન આ આરોપીએ ગઈ કાલે કોર્ટમાં સરન્ડર કરતા સીટી એ ડીવીજન પોલીસે આરોપીનો કબજાે સંભાળી ડીવીજન લઇ આવી ગઈ કાલે રાત્રે ૮.૩૦ વાગ્યે પૂછપરછ શરુ કરવામાં આવી હતી. આરોપી સામે ગત વર્ષે ૩૧૯૫ બોટલ દારૂ, ૨૧૫ અને ૧૨ બોટલ દારૂ સબંધિત જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય પ્રકરણમાં સંડોવણી સામે આવતા પોલીસે શોધખોળ કરી હતી પરંતુ આરોપીની ભાળ મળી ન હતી દરમિયાન ગઈ કાલે આરોપીએ કોર્ટમાં સરન્ડર કરતા પોલીસે તેની કાયદેસરની અટકાયત કરી પૂછપરછ શરુ કરી હતી.તે દરમ્યાન આરોપી મહાવીરસિંહે પોતાના હાથમાં પહેરાવેલ હથકડી કે જેનો એક છેડો છુટો હોય તેનાથી પોતાના માથામાં મારતા તેમજ પોતાને જે જગ્યાએ બેસાડેલ તેની પાછળની દિવાલમાં માથા ભટકાડતા લોહી નીકળવા લાગતા પીએસઆઈ એમ.વી.મોઢવાડીયા, પોલીસ કોન્સ્ટેબલ સાજીદભાઇ રફીકભાઇ બેલીમ તથા યોગેન્દ્રસિંહ નિરૂભા સોઢા વિગેરેએ આરોપીને રોકવા પ્રયાસ કર્યો હતો. જેમાં ઉસ્કેરાયેલ આરોપી મહાવિરસિંહ જાડેજાએ પોતાના હાથમાં પહેરાવેલ હથકડી વડે પીઆઈ એમ.જે. જલુ પર હુમલો કરી દીધો હતો.જેમાં પીઆઈને જમણા હાથની વચલી આંગળીમાં ફેક્ચરની ઇજા કરી તેમજ ડાબા હાથની વચલી આંગળીમાં મુંઢ પહોચી હતી. ત્યારબાદ હાજર પોલીસકર્મીઓએ આરોપીને કાબુમાં લેવા બળપ્રયોગ કરી શાંત કર્યો હતો.આ બનાવના પગલે પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. હાથમાં ઈજા પહોચતા પીઆઈ એમ.જે. જલુને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને જમણા હાથની વચ્ચેની આંગળીમાં ફેકચર તથા અન્ય હાથની આંગળીમાં મુંઢ ઈજા હોવાનું સામે આવ્યું હતું.બીજી તરફ આરોપીને પણ માથામાં ઈજાઓ પહોચતા જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર લીધા બાદ પરત પોલીસ દફતરે લઇ જવાયો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી મહાવીરસિંહ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
જામનગરની જી.જી.હોસ્પિટલમાં મુખ્ય એકસ-રે મશીન એક મહિનાથી બંધ
- 24, જાન્યુઆરી 2022 01:30 AM
- 7684 comments
- 6760 Views
જામનગર, જામનગરની જી.જી.હોસ્પિટલમાં મુખ્ય એકસ-રે મશીન એક મહિનાથી બંધ છે. આથી પોર્ટેબલ મશીનથી ગાડું ગબડાવામાં આવતા દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આમ છતાં હોસ્પિટલના સતાધીશો કુંભકર્ણની નિંદ્રામાં રાચતા શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખૂબજ મહત્વના ગણાતા એકસ-રે વિભાગમાં મુખ્ય એકસ-રે મશીન એક મહિનાથી બંધ હાલતમાં છે. જેના કારણે પોર્ટેબલ મશીનથી દર્દીઓના ફોટા પાડવામાં આવે છે.જેના કારણે દર્દીઓની પીડામાં ઘટાડાને બદલે વધારો થયો છે. વળી, એકસ-રે પ્લેટનો પણ છેલ્લા ઘણાં સમયથી અભાવ છે. જયારે ડીજીટલ એકસ-રે આપવાને બદલે ડોકટરને મોબાઇલ ફોનમાં કે કાગળની પ્રિન્ટમાં એકસ-રે આપવામાં આવી ગાડું ગબડાવામાં આવી રહ્યું છે. નવાઇની વાત તો એ છે કે, છેલ્લાં મહિનાથી આ સમસ્યા હોવા છતાં હોસ્પિટલના સતાધીશો દ્રારા કોઇ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. આમ છતાં કોઇ કાર્યવાહી ન થતાં અનેક સવાલો ઉઠયા છે.વધુ વાંચો -
રાજકોટ શહેરમાં નવા ૨૦૧ કેસ નોંધાયા મ્યુનિ. કમિશનરની તબિયત લથડી
- 20, જાન્યુઆરી 2022 01:30 AM
- 5843 comments
- 113 Views
રાજકોટ,રાજકોટ શહેરમાં બુધવારના રોજ બપોર સુધીમાં ૨૦૧ કેસ નોંધાયા છે. જેને પગલે બુધવારે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ સિવિલ હોસ્પિટલના ડોકટરો અને લેબોરેટરીના સંચાલકો સાથે રિવ્યુ બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. સિવિલ હોસ્પિટલમાં હાલ આરટી-પીસીઆર અને એન્ટીજન ૩૫૦૦ જેટલા ટેસ્ટ થઇ રહ્યા છે જે વધારીને ૬૦૦૦ ટેસ્ટ કરવા માટે કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા સિવિલ હોસ્પિટલના અધિક્ષકને આદેશ કરવામાં આવેલ હતો.શહેરમાં કોરોના જ્વાળામુખીની જેમ ફાટ્યો હોય તેમ એક પછી એક સંક્રમિતોની સંખ્યા દીવસ દરમિયાન વધુ રહી છે.જ્યાં આજે રાજકોટ એસ.એમ.ધાધલ પરિવારના પાંચ સભ્યો સાથે કોરોના પોઝિટિવ થતા હોમ આઇસોલેટ થયાં છે.આ સાથે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પ્રકાશ માંગુડા,ગોંડલના મામલતદાર કે.વી નકુમ, ધોરાજીના મામલતદાર કે.ટી જાેલાપરા પણ કોરોના સંક્રમિત થયા છે. ઉપરાંત રાજકોટ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની તબિયત લથડી છે.અત્યંત શરદી-ઉધરસના કારણે તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો છે. જેનું પરિણામ સાંજે આવશે.ગઈકાલે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં ૧૩૩૬ પોઝિટિવ કેસ નોંધાયા હતા.બીજી લહેર પીક પર હતી ત્યારે પણ ૨૦ એપ્રિલના રોજ એક દિવસમાં સૌથી વધુ ૭૬૪ પોઝિટિવ કેસ ચોપડે નોંધાયા હતા આ તેના કરતા બમણા જેટલા કેસ છે. બીજી તરફ ટેસ્ટની સંખ્યા પણ સાવ જૂજ જ છે તેથી શહેરમાં ટેસ્ટ વધશે તેમ હજુ આ આંક ઘણો વધશે. રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે ગોંડલમાં ૩૭, જેતપુરમાં ૩૬, ધોરાજીમાં ૧૬, ઉપલેટામાં ૧૫ , રાજકોટ તાલુકામાં ૬, લોધીકા-જામકંડોરણામાં ૩, કોટડાસાંગાણીમાં બે વર્ષની બાળકી સહિત ૪ કેસ નોંધાયા છે. જ્યારે -જસદણમાં ૪ અને પડધરીમાં ૧ કેસ નોંધાયો છે. ગ્રામ્યમાં ૭૭૭ એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૨૫૩ સંક્રમિતો નોંધાઇ ચુકયા છે.રાજકોટ શહેરમાં એક સપ્તાહ દરમિયાન ૩૭૪૦૯ ટેસ્ટ કરાયા હતા અને તેમાં ૪૦૧૬ પોઝિટિવ કેસ આવ્યા હતા જે સરેરાશ ૧૦ ટકાનો પોઝિટિવ રેશિયો ધરાવે છે એટલે કે દર ૧૦ ટેસ્ટમાંથી એક વ્યક્તિ પોઝિટિવ નીકળ્યો છે પણ મંગળવારે જે કેસ જાહેર થયા છે તેમાં ૪૫૦૦ ટેસ્ટમાંથી ૧૩૩૬ વ્યક્તિ પોઝિટિવ નીકળ્યા છે જે ૨૯ ટકા કરતા વધુ પોઝિટિવિટી રેશિયો ધરાવે છે. સરળભાષામાં દર ૧૦ ટેસ્ટમાં ૩ વ્યક્તિ પોઝિટિવ નીકળે છે અને દર ત્રીજાે વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોય છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે પણ ટેસ્ટની સંખ્યા વધારાતી નથી. રાજકોટ સહિત રાજ્યમાં છેલ્લે ઘણા દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ બે સિન્ડિકેટ સભ્યો અને એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનનો એક વિદ્યાર્થી પણ સંક્રમિત થતા આ ભવનની લેબોરેટરી એક સપ્તાહ માટે બંધ કરી છે અને આખા ભવનને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ યુનિવર્સિટીના બે સિન્ડિકેટ સભ્યો પણ કોરોના પોઝિટિવ થયા છે જેમાંથી એક સભ્યને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે એક વિદ્યાર્થી સંક્રમિત થતા આખું ભવન સેનિટાઈઝ કરાયું હતું. સાંસદ પૂનમ માડમ અને જિ.પં. પ્રમુખ ધરમશી ચનિયારા પણ કોરોનાની ઝપેટે જામનગર જામનગરમાં નેતાઓને પણ કોરોનાનું સંક્રમણ થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ગઇકાલે જામનગરના પૂર્વ મેયર કોરોના સંક્રમિત થયા બાદ જામનગર લોકસભા બેઠકના સાંસદ પૂનમબેન માડમ પણ કોરોના પોઝીટીવ આવ્યાનું તેઓએ જાતે સોશ્યલ મીડિયા ઉપર જાહેર કર્યું છે.જામનગરમાં જાહેર જીવન સાથે જાેડાયેલા નેતાઓને પણ કોરોનાનું સંક્રમણ થવાની ઘટના સતત બની રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહના પત્ની અને પૂર્વ કોર્પોરેટર પ્રફુલ્લાબા જાડેજા, પુત્ર અને યુવા રાજપુત સમાજના અગ્રણી જગદીશસિંહ જાડેજા કોરોના સંક્રમિત થયા હતાં. આ પછી ગઇકાલે જામનગરના પૂર્વ મેયર અને ભાજપના અગ્રણી ડો.અવિનાશ ભટ્ટ કોરોના સંક્રમિત નોંધાયા હતાં.જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે આજે સોશ્યલ મીડિયામાં (પોતાના ટ્વીટર એકાઉન્ટમાં) જાહેરાત કરી હતી કે, તેઓએ કરાવેલ કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓએ પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા અપીલ કરી છે અને તેઓની તબિયત હાલ સ્થિર હોવાથી હોમઆઇસોલેટ થયા છે.ગત્ સપ્તાહમાં જામનગર જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી કારોબારી બેઠકમાં સાંસદ પૂનમબેન આમંત્રિત સભ્ય તરીક ખાસ હાજર રહ્યાં હતાં. આ પછી ગણતરીના કલાકોમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા કોરોના પોઝીટીવ આવ્યા હતાં. તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય વિનોદભાઇ વાદોડરિયા પણ કોરોના પોઝીટીવ આવ્યા હતાં.છેલ્લા બે દિવસથી પૂનમબેનની તબિયત સામાન્ય ન હોવાથી તેઓને કોરોનાના આંશિક લક્ષણ હોવાની શંકા જતાં તેઓએ જાેતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તેવી જાહેરાત તેઓએ જાતે ટ્વીટ કરીને કરી છે.વધુ વાંચો -
ભક્તો પગથિયાં પાસેથી જ દર્શન કરી પરત ફર્યા
- 18, જાન્યુઆરી 2022 01:30 AM
- 5286 comments
- 447 Views
જામનગર, પોષ મહિનાની પૂનમ હોવાથી જગત મંદિર ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ભક્તો દૂરદૂરથી આવ્યા છે. ત્યારે દેવસ્થાન સમિતિ દ્વારા મંદિરને આજથી આઠ દિવસ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. જાે કે કેટલાક ભક્તો દૂરદૂરથી રેલવેની ટિકિટો બુક કરાવી દ્વારકા મંદિર ખાતે પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી હતી કે દ્વારકાધીશ મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે આઠ દિવસ બંધ છે. ત્યારે ભક્તોમાં પણ રોષની લાગણી પ્રસરી ગઇ હતી. જેથી ભગવાન દ્વારકાધીશના દર્શન પગથિયા પાસેથી જ કરી ભક્તો પાછા ફર્યા હતા અને અમુક ભક્તો ભગવાન દ્વારકાધીશના મંદિરના દ્વારના દર્શન કરીને પાછા ફર્યા હોય તેવા દ્રશ્યો પણ જાેવા મળ્યા છે.જગત મંદિર દ્વારકાધીશ મંદિર ૧૭ જાન્યુઆરીથી ૮ દિવસ માટે બંધ કરાતાં એના વિરોધમાં દ્વારકાની વિવિધ સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે. જેઓ દેવભૂમિ દ્વારકાની પ્રાંત કચેરીએ જઈ આવેદનપત્ર આપશે તેવું સૂત્રો પાસેથી જાેણવા મળ્યું હતું. જ્યારે બીજી તરફ આજે પોષ મહિનાની પૂનમ હોઈ, વહેલી સવારથી ભાવિકો જગત મંદિરે આવી મંદિરનાં પગથિયે શીશ ઝુકાવી ધ્વજાના દર્શન કરી ભારે હ્રદયે પરત ફર્યા છે તેવા દ્રશ્યો પણ જાેવા મળ્યા છે. આજથી જગત મંદિર બંધના ર્નિણયથી સમગ્ર મંદિર પરિસર અને દ્વારકાના બજારો સુમસામ દેખાઈ રહ્યા છે. આગામી ૨૩ જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખવાનો ર્નિણય સામે કોવિડના ગાઈડલાઈન સાથે જગતમંદિરના દ્વાર ખોલવા અપીલ કરાઈ રહી છે. દ્વારકામાં અનેક હોટલોના બુકીંગ પણ કેન્સલ થયા છે. દેવસ્થાન સમિતિ દ્વારા મંદિર બંધની જાહેરાત મોડી કરાતાં દ્વારકાધીશ મંદિરમાં પહોંચેલા ભક્તો તથા યાત્રિકો રોષે ભરાયા છે. ત્યારે એક ભક્ત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હું ધાનેરા-બનાસકાંઠાથી આવું છું, તો હવે અમે લોકો દર પૂનમે આવીએ છીએ. આ વખતે મેં પરમ દિવસ પહેલા નોટિસ ચેક કરી તેમાં એવું હતું કે દર્શન રાબેતા મુજબ દર્શન ચાલુ છે. ત્યારબાદ અમે રેલ્વેની ટિકિટ કરાવી દ્વારકા આવ્યા પછી ખબર પડી કે દર્શન બંધ છે. જ્યારે ગઈકાલે જ એવી નોટિસ આવી કે દર્શન બંધ છે. પ્રશાસને થોડી પહેલા જાણ કરવી જાેઈએ.વધુ વાંચો -
જામનગર શહેરમાં લૂંટ-ધાડ-મારામારીના ગુનામાં સંડોવાયેલા દિવલા ડોનની ધરપકડ
- 09, જાન્યુઆરી 2022 01:30 AM
- 580 comments
- 2212 Views
જામનગર, જામનગર શહેરમાં ૩૨ થી વધુ લૂંટ-ધાડ- મારામારી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા તેમજ કેટલાક સમયથી નાસતા ફરતા રહેલા કુખ્યાત દિવલા ડોનને સીટી-સી ડિવિઝન પોલીસે પકડી પાડયો છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર શાંતિ નગર વિસ્તાર શેરી નંબર -૬ માં રહેતા દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દિવલા ડોન સામે લૂટ- મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે, અને આજથી ચારેક મહિના પહેલાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં એક સ્કુટર ચાલક અને આંતરી લૂંટ ચલાવીને ભાગી છૂટયા પછી પોલીસે તેની સામે ગુનો નોંધી ફરાર જાહેર કર્યો હતો. જે નાસતાં ફરતા આરોપી ને સીટી બી ડિવિઝન પોલીસ શોધી રહી હતી, તે દરમિયાન ગઈકાલે કુખ્યાત શખ્સ દિવલો જામનગરમાં આવ્યો હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે તેને પકડી પાડયો છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન શહેરમાં અનેક ગુનાઓ આચર્યા હોવાનું અને તેની સામે તડીપાર તેમ જ પાસા સહિતના શસ્ત્રો ઉગામીલીધા હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં પણ તે અસામાજિક પ્રવૃત્તિ ચાલુ રાખતો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી.વધુ વાંચો -
રેંગિંગ કમિટીની ટીમે તપાસ કરતાં હોસ્ટેલના ૧૫ છાત્રોએ રેગીંગ કર્યુર્ં હોવાનો ઘટસ્ફોટ
- 26, ડિસેમ્બર 2021 01:30 AM
- 2258 comments
- 9112 Views
જામનગર, જામનગરની સરકારી ફીઝિયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી. સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવી રહ્યુ હોવાની કોલેજના આચાર્યને ફરિયાદ મળી હતી. જેને આધારે રેંગિંગ કમિટીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં હોસ્ટેલના ૧૫ છાત્રોએ જૂનિયર વિદ્યાર્થિઓની હેરાનગતી કરી રેગીંગ કર્યું હોવાનો તપાસ કમિટીના રીપોર્ટમાં ખુલાસો થયો છે. જેને લઈને કોલેજના પ્રિન્સીપાલે ૧૫ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. ૬ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જ્યારે ૬ વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવાની મનાઈ ફરવામાં આવી છે. તેમજ ત્રણ વિદ્યાર્થીઓને હજુ સુધી સજા કરવામાં આવી નથી. સરકારી ફીઝિયોથેરાપી કોલેજમાં સોમવારે સાંજે બીજા વર્ષના ૨૮ વિદ્યાર્થીઓએ લેખિતમાં રેગિંગની ફરિયાદ આપી હતી. જેને લઈને પ્રિન્સીપાલ દ્વારા આ ફરિયાદ એન્ટી રેગિંગ કમીટીને સોંપી દેવામાં આવી હતી. જેને લઈ ૩ સભ્યોની એન્ટી રેગિંગ કમિટીએ ભોગગ્રસ્ત અને આક્ષેપિત વિદ્યાર્થીઓ મળી કુલ ૪૫ છાત્રોના નિવેદનો નોંધ્યા હતા. તપાસ કમિટીએ બે દિવસ સુધી તપાસ ચલાવી ગઈ કાલે સાંજે રીપોર્ટ તૈયાર કર્યો હતો. તપાસ સમિતિના રીપોર્ટની ભલામણ મુજબ આજે કોલેજના પ્રિન્સીપાલ સોરાણીએ સજાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, હોસ્ટેલમાં જૂનિયર અને સીનિયર વચ્ચે ભેદ ઉભો કરવામાં આવતો હતો. સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર પર અવારનવાર દબાણ ઉભું કરાતું હતું.સીનિયર વિદ્યાર્થીમાં જે ૬ વિદ્યાર્થીઓને વધુ સજા કરવામાં આવી તે વિદ્યાર્થીઓએ આગેવાની લઈ અન્ય વિદ્યાર્થીઓને પોતાની સાથે જાેડ્યા હતા. જેને લઈને આ ૬ વિદ્યાર્થીઓને એક વર્ષ પરીક્ષા આપવા નહી દેવાનો ર્નિણય લેવાયો છે. ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીઓએ રેગિંગની આગેવાની ન લે તે માટે તેની પર અન્ય કરતા સખ્ત પગલા ભરવામાં આવ્યા છે એમ સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલ દિનેશ સોરાણીએ જણાવ્યું છે. જાેકે, આ મામલે ફોજદારી ફરિયાદ દાખલ કરવા અંગે કોલેજ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એ આશ્ચર્યની વાત છે.વધુ વાંચો -
જામનગરમાં અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા ધોવાણ અંગે કૃષિ મંત્રીની ખેડૂતો સાથે બેઠક
- 25, ડિસેમ્બર 2021 01:30 AM
- 1546 comments
- 3723 Views
જામનગર, જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથી ઉંડ-૨ તથા આજી-૪ સિંચાઇ યોજનાના હેઠવાસના કાંઠામાં ધોવાણ થયું હતું. જે બાબતે ખેડુતો સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે બેઠક કરી હતી. સિંચાઇ ખાતાના અધિકારીઓ અને ખેડુતો સાથે ઉંડ-૨ તથા આજી-૪ નદીના નીચવાસના ભારે વરસાદના કારણે નદી કાંઠાને થયેલા નુકશાન બાબતે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈ અધિકારીઓને બેઠકમાં જરૂરી સુચનાઓ આપી હતી. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, જામનગર જિલ્લાના જાેડિયા તાલુકામાં આવેલા ઉંડ-૨ તથા આજી-૪ સિંચાઇ યોજનાના હેઠવાસના કાંઠાઓ અતિવૃષ્ટિના પૂરના કારણે તુટી ગયા છે. કાંઠા ઉપર આવેલા ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું છે. આ ધોવાણ થયેલા ખેડૂતોના ખેતરો તથા નદી કાંઠાને પુનઃમરામત કરી સલામત સ્થિતિમાં લાવવા માટે સરકાર તરફથી જરૂરી કરાવવા સિંચાઇ ખાતાના ઉચ્ચ અધિકારીઓ તથા ખેડૂતો સાથે માર્કેટ યાર્ડ જાેડિયા ખાતે બેઠક યોજી હતી. ખેડુત આગેવાનો ધરમશી ચનિયારા, ભરત દલસાણીયા, જેઠાલાલ અઘેરા, રસીક ભંડેરી, પદુભા જાડેજા, ઘનશ્યામ રાઠોડ, વલ્લભ ગોઠી તથા મોટી સંખ્યામાં ખેડૂતો તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.વધુ વાંચો -
ધુંવાવ નાકાના યુવાનની ઘા મારી કરપીણ હત્યા
- 19, ડિસેમ્બર 2021 01:30 AM
- 7858 comments
- 1973 Views
જામનગર, જામનગરના ધુંવાવ નાકા વિસ્તારમાં રહેતા એક યુવાન ની પૂર્વ આયોજિત કાવતરું ઘડી ખીમલીયા સીમ વિસ્તારમાં છરી તેમજ ધોકાના આડેધડ ઘા મારી કરપીણ હત્યા નીપજાવી હતી. જે પ્રકરણમાં ત્રણ આરોપીઓ સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયા પછી એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ધ્રોલ પંથકમાંથી પકડી પાડયા છે, અને પંચકોશી બી ડિવિજન પોલીસ મથકમા સુપરત કરી દીધા છે. જે ત્રણેયને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જામનગરમાં ધુંવાવ નાકા વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે મુન્નો કાનજીભાઈ વાગોણા નામના યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ જામનગર-ખંભાળિયા હાઇવે રોડ પર સીમલીયા ગામ ના પાટીયા સામે મોરકંડા ગામ તરફ જવાના રસ્તે થી મળી આવ્યા પછી પંચકોશી બી ડિવિઝન પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ ના આધારે ત્રણ આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો પોલીસે જામનગરમાં રહેતી મૃતકની પત્ની પુનમબેન વાધોણા ની ફરિયાદ ના આધારે આરોપીઓ સાગર ઉર્ફે ધમભા મહાકાલ કારડીયા, અમીત પીપળીયા, તથા આકાશ ઉર્ફે બબન કોળી વગેરે સામે ગુન્હો નોંધ્યો હતો. આ કામના આરોપી ધમભા ઉર્ફે મહાકાલનો ઇગ્લીશ દારૂનો પોલીસમાં કેસ થયેલો, તેમાં ફરીયાદીના પતિ મહેશભાઇ વાધોણાએ પોલીસમાં બાતમી આપી હોવાની શંકા ખાર રાખીને ત્રણેય આરોપીઓએ અગાઉથી મરનાર ને મારી નાખવાનો પ્લાન બનાવી મહેશને ફોન કરી બોલાવી ખીમલિયા તરફ બાઇકમાં લઈ ગયા હતા, જ્યાં છરી તથા ધોકાથી શરીરે આડેધડ ઘા મારી ગંભીર ઇજા કરી હત્યા નિપજાવી હતી. જે ગુનો આચરી ત્રણેય આરોપીઓ નાશી ગયા હતા. અને પંચકોશી બી ડિવિઝન તેમજ એસીબીની ટીમ સહિતની પોલીસ ટુકડી ત્રણેય આરોપીઓને શોધી રહી હતી. દરમિયાન એલસીબીએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ ગુનામા સંડોવાયેલા આરોપીઓ શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી આરોપીઓ બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવી હતી. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઇ તલાવડીયા તથા યોગરાજસિંહ રાણાને મળેલી હકિકતના આધારે ધ્રોલ તાલુકાના લૈયારાગામ પાસેથી આ ગુનામા સંડોવાયેલ ત્રણેય આરોપીઓ સંતાયા છે તેવી માહિતીને આધારે ત્રણેયને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે પંચકોષી બી ડીવી પોલીસ મથકને સોપી દીધા હતા. જે ત્રણેય આરોપીઓના રેપીડ કોવિડ ટેસ્ટ કરાયો હતો. જેના રિપોર્ટ નેગેટિવ મળતા હત્યાકેસમાં ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉપરાંત લોહીવાળા કપડા વગેરે કબજે લેવાયા છે.જે ત્રણેયને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂની બાતમી ના પ્રશ્નો ડખો થયો હોવાથી મહેશ ની હત્યાર કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, અને અશોક જામનગર થી તેની સાથે બાઈકમાં બેસીને ખીમલિયા પાસે આવ્યો હતો અને દારૂનો જથ્થો આવવાનો છે, તેમ કહી મોડી રાત્રે બનાવના સ્થળે લઇ જઇ ત્રણેય શખ્સોએ છરી અને ધોકા ના ઘા ઝીકી દીધા હતા. પોલીસ દ્વારા હથિયાર મેળવવા માટે ઉપરાંત મૃતકની બાઈક અને આરોપીના વાહન વગેરે કબજે મેળવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.વધુ વાંચો -
મણીલક્ષ્મી તીર્થથી ‘એન્વાઈરો રાઇડર્સ’ ગ્રુપના સભ્યો દ્વારા સાયકલ યાત્રાનો પ્રારંભ
- 13, ડિસેમ્બર 2021 01:30 AM
- 7215 comments
- 155 Views
જામનગર, સંધારણીય વિકાસ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જામનગરના ૧૦ સાયકલવિરો તારાપુર ચોકડીથી - ઈન્દોર સુધીની ૪૦૦ કિ.મી.ની સાયકલ યાત્રાએ જવા રવાના થયા હતા. આજ સાંજથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા હાલ વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચી હોવાનું સાયકલીસ્ટોએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.સંધારણીય વિકાસ અને સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય ઉદ્દેશ અને શારીરિક ફિટનેશના સંદેશ સાથે જામનગરથી વાહન મારફતે તારાપુર ખાતે આવેલ મણીલક્ષ્મી તીર્થ પહોંચ્યા બાદ ‘એન્વાઈરો રાઇડર્સ’ ગ્રુપના સાયકલવિરોએ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તારાપુરથી ઈન્દોર સુધીની ૪૦૦ કિ.મી.ની સાયક્લ યાત્રાનું આયોજન કરાયું છે. જે યાત્રા હાલ વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચી છે. જેમાં ૬૩ વર્ષ સુધીની ઉંમરના સભ્યોએ જાેડાય શારીરિક ફિટનેશનો સંદેશો પાઠવ્યો છે. જેમાં જામનગરના જયેન્દ્રભાઈ ગુસાણી, હેમંતભાઈ પાઠક, અરૂણભાઈ મુન્જાલ, હરેશભાઈ ઠકરાર, બાલકૃષ્ણભાઈ બગડાઈ, વિનોદભાઈ બથીયા, પ્રદિપભાઈ કટેશિયા, તરુણભાઈ ગુસાણી, ચંદ્રેશભાઈ શેઠ, રાહુલભાઈ ગણાત્રા અને અમિત મહેતા જાેડાયા છે. તારાપુર ચોકડીથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા વડતાલ, ધાર થઈ ઉજૈન અને ત્યાર બાદ ઈન્દોર પહોંચશે. ઉલ્લેખનિય છે કે શરીરિક ફિટનેસ અને સ્વચ્છતાના સામાજિક સંદેશ સાથે સતત બીજા વર્ષે ‘એન્વાઈરો રાઇડર્સ’ ગ્રુપના આ સભ્યો દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે. ગત વર્ષે જામનગરથી નાથદ્વારા સુધી ૬૨૦ કિલોમીટરની સાયકલ યાત્રા યોજવામાં આવી હોવાનું સાયલકવિરોએ જણાવ્યું હતું.વધુ વાંચો -
એચ.આઇ.વી ટેસ્ટીંગ માટે જી.જી હોસ્પિટલને રાજ્યમાં પ્રથમ નંબર
- 04, ડિસેમ્બર 2021 01:30 AM
- 2075 comments
- 921 Views
જામનગર, જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ તથા ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના ગાયનેક વિભાગને નવજાત શીશુમાં એચઆઇવીનો ફેલાવો અટકે માટે લીધેલા તકેદારીનાં પગલાં તેમજ હાયર ટેસ્ટીંગ બદલ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગના વડા ડો.નલીની આનંદે જણાવ્યું હતુ કે, જી.જી. હોસ્પિટલમાં પ્રસુતી કરાવવા આવતા દરેક મહિલા દર્દીઓના એચઆઇવી ટેસ્ટમાં સમગ્ર રાજ્યમાં જામનગરે પ્રથમ ક્રમાક મેળવ્યો છે. માતાથી બાળકમાં એચઆઇવીનો ચેપ ન પ્રસરે તે માટે જીએસએસી દ્વારા ચાલતા પીપીટીસીટી પ્રોગ્રામ અંતર્ગત રાજ્યની તમામ મેડીકલ કોલેજમાં જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને વર્લ્ડ એઈડસ દિવસ અંતર્ગત રાજકોટમાં મમતા કલીનીકમાં સૌથી વધુ એચઆઇવી ટેસ્ટીંગ લોડ એવોર્ડ સન્માનિત કરવામાં આવી છે. આ માટે ડો. નલીની આનંદે સ્ત્રીરોગ અને પ્રસુતી વિભાગના લેબ ટેકનીશીયન, કાઉન્સિલર, રેસીડ્ન્ટ ડોકટર્સ, માઇક્રોબાયોલોજી વિભાગ વગેરેની કામગીરીને બિરદાવી હતી.વધુ વાંચો -
જામનગરના કોન્ટ્રાક્ટરને બેંગ્લોરની પેઢીએ ૪૭ લાખનો ચૂનો ચોપડ્યો
- 04, ડિસેમ્બર 2021 01:30 AM
- 445 comments
- 2661 Views
જામનગર, જામનગરના કોન્ટ્રાક્ટર સાથે રૂપિયા ૪૭.૫૦ લાખની છેતરપિંડી થયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. બેંગ્લોર સ્થિત એક પેઢીના કર્મચારીએ ચાઈનાથી કન્ટ્રકશન મશીન ઈમ્પોર્ટ કરી આપવા માટે સમયાંતરે રૂપિયા પડાવી, અંતે મશીન કે રૂપિયા પરત નહી કરી જામનગરના આસામી સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.જામનગરમાં સુમેર કલબ રોડ પર જય કેબલની સામેં રહેતા અને બાંધકામના ધંધામાં સક્રિય એવા વિનોદભાઈ વાડોદરિયાએ પોતાના ધંધાર્થે ઓટોમેટિક મશીનની જરૂર હોવાથી બેંગ્લોર સ્થિત મેસર્સ સિકોન ઇન્ફ્રાટેક પ્રા.લીમીટેડ નામની કંપનીનો સંપર્ક કર્યો હતો અને કવોટેશન મંગાવ્યું હતું. દરમિયાન આ કંપનીના ડાયરેક્ટર સીબુ પોલે બાંધકામના વ્યવસાય માટે ઓમોટીક ૐડ્ઢડ્ઢ ૨ન્ ૨૦૦છ મશીન માટે એક પત્ર પાઠવી ચાઈનાથી આ મશીન ઈમ્પોર્ટ કરવા અંગે મૂળ કીમત, ઇમ્પોર્ટ ડ્યુટી તથા કસ્ટમ ડ્યુટી સહિત રૂપિયા ૪૭,૫૦,૦૦૦નું એસ્ટીમેટ આપ્યું હતું. પ્રત્યુતર રૂપે જામનગરનાં આસામીએ મશીન ખરીદ કરવાનો ઓર્ડર આપી,અલગ અલગ ચેકથી, અલગ-અલગ સમયે રૂપિયા ૪૭.૫૦ લાખની રકમ મેળવી લીધી હતી. ત્યાર બાદ મશીન સપ્લાય ન કરી અને રૂપિયા પણ પરત ન કરી આરોપી સીબુએ લાખો રૂપિયા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું.મોટા કન્ટ્રકશન કામમાં ઉપયોગમાં લેવાતું એચડીડી-૨ એલ ૨૦૦એ ખરીદ કરવાની પ્રાથમિક ઓપચારિકતા પૂર્ણ કરી કોન્ટ્રાકટર વિનોદભાઈએ બેંગ્લોરની કંપનીના ડાયરેક્ટર સીબુને તા. ૨/૩/૨૦૧૯ના રોજ ચાર લાખ રૂપિયા અને ૧૩/૩/૨૦૧૯ના રોજ આઠ લાખ રૂપિયા મળી કુલ ૧૪ લાખ રૂપિયા એડવાન્સ પેટે ચૂકવી દીધા હતા. ૧૪ લાખ ચૂકતે થઇ ગયા પછી કંપની તરફ એમ કહેવામાં આવ્યું હતું કે મશીનનો ઓર્ડર આપી દેવાયો છે.બેંગ્લોરની કંપનીએ ચાઈના સ્થિત કંપનીને મશીન પરચેજનો ઓર્ડર આપ્યા બાદ તેઓના તરફથી ગત તા. ૨૨-૦૧-૨૦૨૦ ના રોજ કહેવામાં આવ્યું હતું કે મશીન તૈયાર થઇ ગયું છે. જેથી આજે તમે રૂપિયા ૧૫ લાખ ચૂકવી આપો, જેને લઈને જામનગરના બિલ્ડરે રૂપિયા ૧૫ લાખ પણ ચૂકવી દીધા હતા. આમ મશીન તૈયાર થવા સુધીમાં ૨૯ લાખની રકમ ચૂકવી દેવામાં હતી.મશીન ખરીદ પ્રક્રિયાને દસ માસના સમય ગાળામાં બેંગ્લોરની પેઢીએ રૂપિયા ૨૯ લાખ લઇ લીધા બાદ તા. ૫/૩/૨૦૨૦ના રોજ બાકી રહેતા રૂપિયા ૨૦.૫૦ લાખ મોકલી આપવા કહ્યું હતું. જેને લઈને વિનોદભાઈએ આ રૂપિયા પણ ચૂકતે કરી એસ્ટીમેટ મુજબની રૂપિયા ૪૭.૫૦ લાખની રકમ મશીન આવે તે પૂર્વે જ ચુકતે કરી દીધી હતી.‘મશીન ચેન્નઈ આવી ગયું છે કોરોનામાં ફસાયું છે’ઓટોમેટીક મશીનના ઓર્ડર બાદ બેંગ્લોરની કંપનીએ મશીનની તમામ લાગત કોસ્ટ વશુલ કરી લીધી હતી.વધુ વાંચો -
જામનગરમાં રોડ ઉપર ગેરકાયદે ખડકી દેવાયેલું મકાન મનપા દ્વારા તોડી પડાયું
- 30, નવેમ્બર 2021 01:30 AM
- 7008 comments
- 3499 Views
જામનગર, જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સોમવારના રોજ ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વિભાપર રોડ પર આવેલ અડચણરૂપ ગેરકાયદે મકાન તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જાેકે, થોડા સમય પહેલા આ મકાન તોડી પાડવા માટે કામગીરી શરૂ કરવામાં આવતા મકાન માલીક દ્વારા આત્મવિલોપનની ધમકી આપવામાં આવતા કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. જામનગરના વિભાપર રોડ પર રહેતા ઇકબાલ ખફી નામના આસામીનું ગેરકાયદે મકાન તોડી પાડવાની કાર્યવાહી જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ શાખા દ્વારા સોમવારના રોજ હાથ ધરવામાં આવી હતી.જેમાં અગાઉ મકાન માલીક ઇકબાલ ખફી અને પરિવારે મકાન તોડી પાડશો તો આત્મવિલોપનની ધમકી આપતા ડીમોલેશનની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. જે કાર્યવાહી સોમવારના રોજ ફરી હાથ ધરવામાં આવી હતી અને મકાન તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે મકાનના આગળનો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. બાદમાં ઘરની અંદર સામાન પડયો હોય જે દૂર કરવા માટે તંત્ર દ્વારા મકાનનો અમુક ભાગ બાકી રાખી દેવામાં આવ્યો હતો.વધુ વાંચો -
મુકેશ અંબાણીએ ખરીદેલા લાખોની કિંમતના બે દુર્લભ ઓલિવ વૃક્ષો જામનગરના બંગલોમાં મુકવામાં આવશે
- 28, નવેમ્બર 2021 01:30 AM
- 5807 comments
- 4367 Views
જામનગર, દેશના સૌથી અમીર શખ્સ મુકેશ અંબાણીની કોઈ પણ વાત સામાન્ય હોય નથી. તેઓ જે પણ વસ્તુ ખરીદે છે તે ખાસ હોય છે. મુંબઈના એન્ટીલિયા હાઉસ બાદ હવે તેમનુ જામનગરનું અંબાણી હાઉસ પણ ખાસ બનવા જઈ રહ્યું છે. કારણ કે, અહી સ્પેનથી મંગાવેલા લાખોની કિંમતના બે મોટા વૃક્ષ મૂકાવા જઈ રહ્યાં છે. જેની ગણના વિશ્વના દુર્લભ વૃક્ષોમાં થાય છે. મુકેશ અંબાણીના જામનગરના બંગલામાં જલ્દી જ દુર્લભ ઓલિવના વૃક્ષો લાગવા જઈ રહ્યાં છે, જેમને આંધ્રપ્રદેશની એક નર્સરીમાં ઉછેરવામાં આવ્યા હતા. ૧૮૦ વર્ષ જૂના ઓલિવના વૃક્ષને લગભગ ત્રણ વર્ષ પહેલા સ્પેનથી લાવવામાં આવ્યા હતા, જે આંધ્રપ્રદેશની ગૌતમી નર્સરીમાં ઉછી રહ્યા હતા. બે દિવસ પહેલા ૨૪ નવેમ્બરના રોજ બે ઓલિવ ટ્રીને ટ્રક પર લાદવામાં આવ્યા હતા અને ગુજરાત તરફ આવવા રવાના કરાયા હતા. પાંચ દિવસમાં આ બંને મહાકાય વૃક્ષો જામનગર પહોંચી જશે. જાેકે, ગૌતમી નર્સરીએ વૃક્ષોની કિંમત વિશે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, અંબાણીએ બંને ઓલિવ વૃક્ષોના ટ્રાન્સપોર્ટેશન સહિત લગભગ ૮૫ લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. આંધ્રપ્રદેશની ગૌતમી નર્સરીના માલિક માર્ગની વીરબાબૂએ કહ્યું કે, તેમને લગભગ એક સપ્તાહ પહેલા અંબાણી હાઉસમાંથી ઓર્ડર મળ્યો હતો. એક આર્કિટેક્ટને અમે અંબાણી હાઉસમાં મોકલ્યો હતો. તેના બાદ રિલાયન્સના કર્મચારીઓએ ગત સપ્તાહમાં ઓર્ડર આપ્યો હતો. અમને કહેવામાં આવ્યું કે, અંબાણીના જામનગર સ્થિત બંગલોમાં આ વૃક્ષોને મૂકવામાં આવશે. આ દુર્લભ વૃક્ષની વાત કરીએ તો, પ્રત્યેક વૃક્ષનું વજન લગભગ ૨ ટન છે. તેના મૂળને કાળજીપૂર્વક ધરતી સાથે બાંધવામાં આવે છે. બાદમાં તેને ઢાંકીને ટ્રાન્સપોર્ટેશન માટે મોકલાય છે. વૃક્ષને ટ્રક પર લોડ કરવા માટે ૨૫ લોકોની ટીમ કામે લાગી હતી. હાઈડ્રોલિક ક્રેનની મદદથી વૃક્ષોને ટ્રકમાં લોડ કરવામાં આવ્યા હતા. આ વૃક્ષ નાજુક પ્રકૃતિના હોવાથી તેમને લઈ જતુ વાહન ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની સ્પીડથી પસાર થાય છે. આ કારણે તેને જામનગર પહોંચતા ૫ દિવસ લાગશે. વીરબાબુએ જણાવ્યું કે, અંબાણી પરિવાર જામનગરમાં એક ઝૂ બનાવી રહ્યું છે. અહી ઈકો સિસ્ટમ ડેવલપ કરવામા આવશે.વધુ વાંચો -
જામનગરમાં ૧૦ કિલો ગાંજા સાથે ચાર આરોપીને ઝડપતી એસઓજી
- 27, નવેમ્બર 2021 01:30 AM
- 3390 comments
- 7889 Views
જામનગર, જામનગરમાં ડ્રગ્સ સહિત ગાંજાનો કાળો કારોબાર સતત વધી રહ્યો છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ પોલીસ જામનગરમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કારમાં ૧૦ કિલો ગાંજાે ભરી જઈ રહેલા ૪ શખ્સોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યાં હતા. પોલીસે રૂપિયા ૪.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગરમાં કેફી દ્રવ્યને ડામવા પોલીસ સર્તક બની છે. પોલીસે ડ્રગ્સ ઝડપ્યા બાદ હાલ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઈકો કારમાં ગાંજાનો જથ્થો લઈને જઈ રહેલા ૪ શખ્સોને પોલીસે દબોચી લીધા છે. બે આરોપીઓ અગાઉ પણ ગાંજા પ્રકરણમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. એસઓજી પોલીસે ચોક્કસ હક્કિતના આધારે રેડ કરી હતી. જેમાં આરોપી સલીમ ઉર્ફે સલીયો વલીમામદ માકોડા, રાહુલ ઉર્ફે કારો રાજુભાઇ દતેશરીયા, તુષાર ઉર્ફે ટકો હરીશભાઇ ગણાત્રા , મહેન્દ્રસિંહ ઉર્ફે મેદીયો ઉમેદસિંહ જાડેજા તમામ જામનગર વાળાઓને ઇક્કો ગાડી સાથે૧૦ કિલો ૩૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ૧૦ કિલો ગાંજાે તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪,૪૮,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ શખ્સો વિરૂદ્ધ સીટી બી ડીવી. પો.સ્ટે.માં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કર્યો છે. મજકુર સલીમ વલીમામદ માકોડા તથા રાહુલ ઉર્ફે કારો રાજુભાઇ દતેશરીયા અગાઉ પણ ગાંજાના કેસમાં ઝડપાયા હોવાની હકીકત પણ સામે આવી છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ