જામનગર સમાચાર
-
અમિત શાહે ધર્મપત્ની સાથે જગત મંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી
- 29, મે 2022 01:30 AM
- 3371 comments
- 4569 Views
જામનગર, જામનગરમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેઓ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે, ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેમણે ટૂંકું રોકાણ કર્યું હતું. ત્યારબાદ ગૃહમંત્રી દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચ્યા હતા. જ્યાં દ્વારકાના હેલિપેડ ખાતે તેમનું સ્વાગત કરાયું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે સજાેડે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધારતાં દ્વારકાના હેલીપેડ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ તેમના ધર્મપત્ની સાથે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા મંદિર ટ્રસ્ટના ધનરાજભાઈ નથવાણી, મુળુભાઇ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ, ખેરાજભાઈ કેર, ઓખા શહેર ભાજપ પ્રમુખ દિલીપભાઈ કોટેચા, દેવભૂમિ દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ વરજાગભાઈ માણેક, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહેલ, દેવભૂમિ દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર, દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપપ્રમુખ નયનાબા રાણા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય, લુણાભા સુમણિયા, દેવભૂમિ દ્વારકા ભાજપ જિલ્લા મંત્રી રમેશભાઈ હેરમા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય જે. કે. હથિયા સહિતનાએ કેન્દ્રીય ગૃહ મંત્રીનું સ્વાગત કર્યું હતું.વધુ વાંચો -
૧૦૦ ખખડધજ મકાનોના માલિકોને મનપાની નોટીસ
- 24, મે 2022 01:30 AM
- 2796 comments
- 4292 Views
જામનગર,જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે શહેરમાં આવેલી જર્જરિત ઈમારતોનો સર્વે હાથ ધરી નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરી છે. મનપા દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં શહેરમાં ૧૩૬ જાેખમી ઈમારતો મળી આવી હતી. જેમાં ૩૬ રહીશો દ્વારા પોતાની જાતે જાેખમી ભાગ દૂર કરી દેવામાં આવ્યો છે. બાકી રહેતા ૧૦૦ રહીશોને મનપા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જામનગર શહેરમાં જાહેર માર્ગો પર અનેક જાેખમી ઈમારતો પડવાના વાંકે ઉભેલી છે. જેનો જાેખમી ભાગ તાત્કાલિક દૂર કરવામાં ન આવે તો ચોમાસા દરમિયાન ઈમારત લોકો માટે જાેખમરૂપ બની શકે તેમ છે. મનપા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે ચોમાસા પૂર્વે જ જાેખમી ઈમારતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં કુલ ૧૩૬ મિલ્કતો જાેખમી મળી આવી હતી. જેમાં ૩૬ મિલ્કતધારકોએ પોતાની રીતે જ જાેખમી ભાગ દૂર કરી દીધો છે. બાકી રહેલા ૧૦૦ આસામીઓને મનપા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મહાનગરપાલિકાએ હાથ ધરેલા સર્વેમાં કુલ ૨ ઈમારતો અતિ જાેખમી મળી આવી હતી. જેને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલીશન કરવાનો ર્નિણય કરાયો છે. શહેરમાં અનેક જાેખમી ઈમારતો એવી છે કે, જેમાં મકાન માલિક અને ભાડુઆતનો વિવાદ ચાલી રહ્યો હોય. કેટલીક ઈમારતોમાં કોર્ટ કેસ પણ ચાલી રહ્યા હોય છે. જેથી આવી મિલ્કતને સેફ સ્ટેજ પર લાવવાની કામગીરીમાં વિલંબ થતો હોય છે.વધુ વાંચો -
જામજાેધપુરના બુટલેગરને દ્વારકા પોલીસે ૧૨ લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો
- 21, મે 2022 01:30 AM
- 5843 comments
- 2479 Views
જામનગર, જામનગર જિલ્લાના જામજાેધપુર તાલુકાના બુટલેગરને દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્થાનિક પોલીસે ૧૨ લાખના દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો છે. ગોવાથી દારૂ ભરેલો ટેમ્પો ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ઠલવાય તે પૂર્વે ખંભાળિયા પોલીસે કાર્યવાહી કરી હતી. આ પ્રકરણમાં કચ્છના બે સહિત સાત શખ્સોની સંડોવણી ખુલવા પામી છે. પોલીસે ૨૭૭૨ બોટલ દારૂ અને એક લાખનો બિયરનો જથ્થો કબજે કરી, આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. જામનગર જિલ્લાના જામજાેધપુર તાલુકા મથક ખાતે રહેતો બુટલેગર પ્રફુલ પરસોત્તમભાઈ સીતાપરા નામનો શખ્સ વિદેશી દારૂનો ટેમ્પો ભરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાણવડથી ખંભાળિયા રોડ પરથી પસાર થઈ રહ્યો હોવાની ખંભાળિયા પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે ખંભાળિયા પોલીસે ગઈકાલે સાંજે ખંભાળિયા ભાણવડ ધોરીમાર્ગ પરના લલીયા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન સાંજે સાડા છએક વાગ્યાના સુમારે શંકાસ્પદ હાલતમાં પસાર થતાં એક ટેમ્પાને પોલીસે રોકી લીધો હતો. આ ટેમ્પોમાંથી પ્રફુલ સીતાપરા નામનો જામજાેધપુરનો શખ્સ મળી આવ્યો હતો. જ્યારે પોલીસને જાેઇ ટેમ્પોચાલક યુસુફ સુલેમાન રાવકરડા નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે પ્રફુલને આંતરી લઈ ટેમ્પાની તલાશી લીધી હતી. આ ટેમ્પોમાંથી દારૂ ભરેલ ૨૫૨૦ નંગ બોટલ મળી આવી હતી, જ્યારે ૬૦ નંગ બોટલ બે લીટર દારૂની મળી આવી હતી. પોલીસ દ્વારા રૂપિયા ૧૧ લાખ ૧૭ હજાર ૨૦૦ની કિંમતનો દારૂ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટેમ્પો અંદરથી ૧૦૮૦ નંગ બીયરના ટીન પણ મળી આવ્યા હતા.વધુ વાંચો -
આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ભાવિ જમાઇ સાથે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
- 15, મે 2022 01:30 AM
- 6447 comments
- 5281 Views
દ્વારકા, ખંભાળીયાના તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખની પુત્રીએ ઝેરી દવા પી લેતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.જેમાં મૃતક યુવતિને તેના ફિયાન્સ સાથે ઝઘડો થયા બાદ ઝેર પી લીધી હોવાનું ખુલ્યુ હતુ.. મૃતકના માતાએ તેની પુત્રીની આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ભાવિ જમાઇ સાથે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.મૃતક સાથે સોશિયલ મિડીયામાં ફોટા મુકવા સહિતના મુદદે આરોપીએ અવાર નવાર ઝઘડા કરી કથિત ત્રાસ આપતા આ પગલુ ભરી લીઘાનુ પોલીસ ફરિયાદમાં જાહેર થયુ છે. ખંભાળિયામાં ગાયત્રીનગરમાં રહેતા અને ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન જાેશીની પુત્રી હેમાંગીબેનની સગાઇ આરોપી રત્નદિપ રમેશભાઇ ખેતીયા સાથે થઇ હતી જેના થોડા સમય બાદ આરોપી રત્નદીપએ હેમાંગીબેન સાથે નાની નાની વાતોમાં ઝઘડા કરવા લાગતા તેમની સાથે હેમાંગીબેનની સગાઈ તોડી નાખેલ હતી તેમ છતાં આરોપી રત્નદીપએ હેમાંગીબેનને સગાઈ નહિ તોડવા માટે બળજબરી તેમજ દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં કોઈ સંબંધી સાથે કોઈ જગ્યાએ જાય ત્યારે પણ તે હેમાંગીબેનને કોઈની સાથે નહિ જવા માટે વારંવાર દબાણ કરાતુ હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. ઉપરાંત તેમાં તેમના સોશ્યલ મીડિયામાં કોઈ ફોટા શેર નહિ કરવા વારંવાર હેમાંગીબેન, ફરિયાદી અને તેના ઘરના સભ્યો સાથે ઝઘડા કરી આરોપી રત્નદીપ દ્વારા ઘરે આવી હેમાંગીબેન સાથે ઝઘડો કરવામાં આવ્યો હોવાનુ પણ જાહેર થયુ છે. આ કથિત માનસિક ત્રાસથી કંટાળી ગયેલી હેમાંગીબેને ગત તા.૦૬ના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તેમનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે મૃતકની માતા કિરણબેનની ફરિયાદ પરથી પોલીસે હેમાંગીબેનને મરી જવા મજબૂર કરનાર આરોપી રત્નદીપ રમેશભાઈ ખેતીયા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
જામનગરના મેયરની દિકરીએ પતિ સામે દહેજ તેમ મારકૂટની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં કરી
- 10, મે 2022 01:30 AM
- 4280 comments
- 8882 Views
જામનગર, જામનગર શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની પુત્રીને તેમના કલાસ ટુ ઓફિસર પતિ દ્વારા દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપી મારકૂટ કરતા હોવાની ફરિયાદ સીટી-બી ડીવિઝનમાં નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે. જામનગર શહેરના પ્રથમ નાગરીક એવા મેયર બીના કોઠારીની પુત્રી પંકતી કોઠારીએ સીટી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના રાજકોટ ખાતે રહેતા પતિ કાર્તિક મહેતા ત્રાસ આપીને તેમજ મારકૂટ કરે છે. આ ફરિયાદ બાદ સીટી-બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા તેની તપાસ મહિલા પેાલીસ સ્ટેશનના પીએસઆઇ કરી રહ્યાં છે. આ કેસમાં સુરેન્દ્રનગર ખાતે ડીએલઆર વર્ગ-બેના અધિકારી તરીકે ફરજ બજાવતા કાર્તિક મહેતાને વારંવાર નોટિસો આપવા છતાં હાજર ન થતાં રવિવારના તેઓ રાજકોટ ખાતેથી તેમને લઇ આવ્યા હતાં. આ બનાવના પગલે જામનગરના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે, સાથોસાથ ભારે ચર્ચા જાગી છે.જાેકે આ મામલે આરોપી પતિ કાર્તિક મહેતાએ આરોપ મુક્યો છે કે સમાધાન માટે રૂપિયા ૫૦ લાખની માંગણી કરવામાં આવી છે, કોઇ વાંક નથી તો અમે રૂપિયા આપવા તૈયાર નથી. તેઓ ૨૫ લાખ માંગતા હતાં , અમે લોકો દોઢ લાખ રૂપિયા દેવા તૈયાર છીએ, બાકી આમા મારો કે મારા પરિવારનો કોઇ વાંક નથીઆ કેસમાં ફરિયાદીના કહ્યા મુજબ ૪૯૮ મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે, તેઓ સીટી-બી વિસ્તારમાં રહે છે, એટલે ફરિયાદ સીટી-બી માં દાખલ થઇ બાકી તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચલાવે છે.- કે.જે. ભોયે, પોલીસ ઇન્સ્પેકટર, સીટી-બી., જામનગર. દરમિયાન સમગ્ર શેહરમાં આ ઘટનાને લઇને ચર્ચાનો જાેર પકડ્યો છે.વધુ વાંચો -
લોકડાયરામાં વાઘાણી અને રાદડિયા સાથે એક મંચ પર દેખાતા રાજકીય અટકળો તેજ
- 07, મે 2022 01:30 AM
- 8562 comments
- 5279 Views
જામનગર, ગુજરાત કાૅંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હાલ કાૅંગ્રેસથી નારાજ છે. તેઓ પોતાની નારાજગી જાહેર પણ કરી ચૂક્યા છે. તેની વચ્ચે ગુરુવારે જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં ભાજપના નેતાઓ સાથે જાેવા મળતા હાર્દિક ભાજપમાં જાેડાઈ રહ્યા હોવાની ચર્ચા તેજ બની છે. જામનગરમાં હાર્દિક પટેલે ભાજપના નેતાઓ સાથે મળી લોકડાયરામાં રૂપિયા પણ ઉડાવતા જાેવા મળ્યા હતા. જાે કે, હાર્દિકે મિત્રતાના દાવે અહીં હાજરી આપી હોવાની વાત કરી ભાજપમાં જાેડાવાની વાત અફવા હોવાનું કહ્યું હતું. જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં હાર્દિક પટેલની સાથે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભા જાડેજા એક મંચ પર જાેવા મળ્યા હતા. લોકડાયરામાં ભાજપના નેતાઓની સાથે જ હાર્દિક પટેલ પણ રૂપિયાનો વરસાદ કરતા જાેવા મળ્યા હતા. લોકડાયરાના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે લોકગાયકો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. ત્યારબાદ સામાજિક આગેવાનોએ પણ હાર્દિક પટેલ સહિતના નેતાઓ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહની સાથે સાથે રાજનીતિ પણ ગરમાઈ રહી છે. નરેશ પટેલે અને સીઆર પાટીલ અહીં એકસાથે હાજર રહ્યા હતા. તો પ્રદેશ કાૅંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિકની સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જાેવા મળ્યા હતા.કાૅંગ્રેસથી નારાજ હોવાનો હાર્દિકે સ્વીકાર કર્યો જામનગરમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, પાર્ટી સાથે નારાજગી છે તેનું નિરાકરણ આવશે તો આગળ વધીશું અને નહીં આવે તો પણ આગળ વધીશું. હાર્દિક પટેલને જ્યારે પૂછાયું કે, શું તમારે નારાજગી મુદ્દે હાઈકમાન્ડ સાથે ચર્ચા થઈ છે? તો હાર્દિકે કહ્યું હતું કે મોવડી મંડળ સાથે વાત થઈ નથી. પણ, હું પણ ઈચ્છું છું કે ચર્ચા થઈ જાય. શા માટે સો.મીડિયામાંથી કાૅંગ્રેસનો હોદો હટાવ્યો? જામનગરમાં આજે જ્યારે હાર્દિક પટેલને આ સવાલ કરાયો તો તેમણે કહ્યું હતું કે, રાજકીય ઓળખાણ કરતા સૌથી મોટી ઓળખાણ એ છે કે હું ગુજરાતનો છું. મારો પ્રયાસ એટલો જ છે કે, ગુજરાતનું સારુ થાય.વધુ વાંચો -
સંસદીય સંરક્ષણ સ્થાયી સમિતિ દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશનની મુલાકાત
- 01, મે 2022 01:30 AM
- 3167 comments
- 8923 Views
જામનગર,સંરક્ષણની સંસદીય સ્થાયી સમિતિએ ૨૮ એપ્રિલ ૨૦૨૨થી ૩૦ એપ્રિલ દરમિયાન જામનગરના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી. સંરક્ષણની સ્થાયી સમિતિના ચેરમેન જુઆલ ઓરમ તેમજ સંસદ સભ્યો સહિતનું પ્રતિનિધિમંડળ, લોકસભા સચિવાલય અને સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ પણ આ મુલાકાતમાં જાેડાયા હતા. તેમને આ મુલાકાત દરમિયાન દક્ષિણ પશ્ચિમી એરકમાન્ડની ભૂમિકા અને પરિચાલન પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. આ ટીમે જીઉછઝ્રના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહ સાથે સંવાદ કર્યો હતો. સંસદીય ટીમને બેઝ ખાતેની પરિચાલન તૈયારીઓની માહિતી આપી હતી અને વાયુસેનાના ફાઇટર તેમજ હેલિકોપ્ટરના કાફલાની ક્ષમતાઓનું પ્રદર્શન કરતા એર ઓપરેશન્સના નાના પ્રદર્શનના સાક્ષી બન્યા હતા.વધુ વાંચો -
જામનગર માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ૪૮,૩૮૭ મણ જણસ ઠલવાઈ
- 27, એપ્રીલ 2022 01:30 AM
- 2263 comments
- 6664 Views
જામનગર,જામનગર માર્કેટ યાર્ડમાં એક દિવસમાં ફકત ૪૮૩૮૭ મણ જણસ ઠલવાઇ હતી. ધઉં અને મસાલાની સીઝન પૂર્ણ થતા જણસની આવકમાં ઘટાડો થયો છે. હરાજીમાં ૨૦ કીલો જીરૂના સૌથી વધુ રૂ.૪૦૯૦ બોલાયા હતાં. જામનગર માર્કેટ યાર્ડમાં સોમવારે ફકત ૪૮૩૮૭ મણ જુદી-જુદી જણસ ઠલવાઇ હતી. ઘઉં અને મસાલાની સીઝન પૂર્ણ થતા જણસની આવકમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. ઘઉંની ૬૮૦૦, તુવેરની ૬૧૩, મેથીની ૭૪૪૮, ચણાની ૮૬૭૦, મગફળીની ૧૨૪૧, અરેંડાની ૫૧૧૭, લસણની ૩૫૩૨, કપાસની ૧૫૩૩, જીરૂની ૨૧૯૩, અજમાની ૫૧૪૫, અજમાની ભુસીની ૩૮૮૫, ઘાણાની ૧૭૬૧, વટાણાની ૧૯૫ મણ આવક થઇ હતી. હરાજીમાં ૨૦ કીલો ઘઉંના ભાવ રૂ.૪૦૦-૫૦૨, અડદના રૂ.૮૦૦-૯૮૦, તુવેરના ૮૦૦-૧૨૧૫, મેથીના રૂ.૫૮૦-૧૨૧૦, ચણાના રૂ. ૮૦૦-૯૯૧, મગફળીના રૂ.૧૦૦૦-૧૨૩૦, અરેંડાના રૂ.૧૩૦૮-૧૩૮૫, રાયડાના રૂ.૧૧૦૦-૧૨૪૦, લસણના રૂ.૭૦-૬૭૦, કપાસના ૧૮૦૦-૨૩૦૦, જીરૂના ૨૫૦૦-૪૦૯૦, અજમાના ૧૬૦૦-૨૪૮૦, ઘાણાના રૂ.૧૪૦૦-૨૪૦૫, સૂકા મરચાના રૂ.૧૦૦૦-૪૨૦૦, વટાણાના રૂ.૮૨૦-૧૧૧૫ બોલાયા હતાં. સૂકી ડુંગળી, સોયાબીન, ઇસગબુલ, કલોંજી, મઠ, ચોળી, વાલની કોઇ આવક થઇ ન હતી.વધુ વાંચો -
તાલુકા પંચાયતના ગુલ્લીબાજ ૩૧ કર્મચારીઓને ગેરહાજર બદલ નોટીસ
- 24, એપ્રીલ 2022 01:30 AM
- 3324 comments
- 1330 Views
જામનગર, જામનગરના ધ્રોલ તાલુકા પંચાયત કચેરીની જીલ્લા પંચાયત પ્રમુખે અચાનક જ મુલાકાત લેતા મોટા ભાગના કર્મચારીઓ ગેરહાજર હતા જેમાં ફરજ પર ૩૧ કર્મચારીઓના સ્ટાફ સામે માત્ર ૫ કર્મચારીની હાજરી જ રજીસ્ટરમાં હોવાથી તાલુકા પંચાયતના ગુટલીબાજ કર્મચારીઓનો ભાંડો ફુટયો હતો. આકસ્મીક ચેકીંગના પગલે તાલુકા પંચાયતના કર્મીઓમાં દોડધામ મચી જવા પામી હતી.આ કર્મીઓ હાજર તો વધુ હતા પણ રજીસ્ટરમાં હાજરી પુરી ન હોવાથી ગેરહાજર ગણાયા હતા. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જામનગર જિ.પં. પ્રમુખ ધરમશી ચનીયારાને ધણા સમયથી ધ્રોલ તાલુકા પંચાયતના ગુટલીબાજ કર્મચારીઓ, તલાટી મંત્રીઓ વગેરેની પ્રજાના કામ બાબતે વ્યાપક ફરીયાદો મળી હતી જે મુદ્દે રજુઆતના પગલે તાલુકા પંચાયત કચેરી ખાતે જિ.પં. પ્રમુખે આકસ્મીક ચેકીંગ કર્યું હતું. તાલુકા પંચાયતના કર્મચારીઓને ઉંઘતા ઝડપી લઈને તાલુકા પંચાયતના અણધડ વહીવટની પોલ ખોલી નાખી હતી. તાકીદે આવા કર્મચારીઓને કારણ દર્શક નોટીશો આપી ખુલાશો પુછવા ડેપ્યુટી ડીડીઓને સુચના પણ આપી હોવાનુ સામે આવ્યુ છે.સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કર્મચારીઓ હાજર તો વધુ હતા પરંતુ રજીસ્ટરમાં હાજરી પુરી ન હતી, આથી ગેરહાજર ગણાયા હતા. ટીડીઓ સરકારી કામ બાબતે બહારગા હોય ત્યારે નાયબ તાલુકા વિકાસ અધિકારી સુચના આપી તાલુકા પંચાયતના અધિકારીઓ સામે પ્રમુખએ નારાજગી દર્શાવીને આવુ નહી ચલાવી લેવાય તેવી આકરા શબ્દોમાં જાટકણી કાઢી તપાસના આદેશોની સુચના આપતા કર્મચારીઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ જંયતીભાઈ કથગરા પણ આ મામલે જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયરાએ ચર્ચા કરીને કર્મચારીઓ ઉપર લગામ રાખીને નિયમીત પ્રજાના કામ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે સુચના આપી હતી. આ ચેકીંગ વેળા આગેવાનો અને તાલુકા પંચાયત સદસ્યો હાજર રહ્યા હતા.વધુ વાંચો -
ભાજપે ભીંતો પર કમળ ચિતર્યુ તો કોંગ્રેસે બાજુમાં લખ્યું કે ૩૫૦ના બોટલના ૯૫૦ કરનારા
- 24, એપ્રીલ 2022 01:30 AM
- 556 comments
- 3982 Views
જામનગર,ભાજપ દ્વારા જાહેર સ્થળોએ પાર્ટી સિમ્બોલ ચિતરાવ્યો છે, ત્યારે કોંગ્રેસે આ જ સિમ્બોલની સામે ગેસ-સિલિન્ડર ચીતરી ભાવવધારો મ્ત્નઁની દેન હોવાનો આક્ષેપ કરતો પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના કમળ દોરેલા ચિત્રની બાજુમાં કાૅંગ્રેસે ૩૫૦ વાળા બાટલાના ૯૫૦ કરનાર તેમ લખ્યું હતું. કોંગ્રેસની આ નીતિને ભાજપે હીન કક્ષાની ગણાવી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવતાં મુખ્ય રાજકીય પક્ષો દ્વારા પ્રચારયુદ્ધ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પ્રચારયુદ્ધની ઝલક આજે જામનગર શહેરમાં પણ જાેવા મળી છે. શહેરના સાત રસ્તા પાસે આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડની દીવાલ પર ભાજપના ચૂંટણી પ્રતીક કમળના નિશાનની આજુબાજુ કોંગ્રેસી કાર્યકરોએ ગેસ-સિલિન્ડરનાં ચિત્ર દોરીને મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો છે. એક તરફ, ભાજપ તેના પ્રચાર કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં દીવાલો પર કમળનાં નિશાન ચિતરાવી રહી છે તો બીજી તરફ આ નિશાનની બાજુમાં જ ગેસના બાટલાના અસહ્ય ભાવવધારાને ઉજાગર કરતાં ચિત્ર ચિપકાવવાના કોંગ્રેસે શરૂ કરતાં વાતાવરણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ આ ચિત્ર કોંગ્રેસી કાર્યકરોએ લગાવ્યા હોવાનું સ્વીકારી જણાવ્યું કે મોંઘવારીથી ત્રસ્ત પ્રજાનું દર્દ દર્શાવવા કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. જામનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કગથરાએ કોંગ્રેસના આ કૃત્યને નિમ્નકક્ષાની માનસિકતા અને રાજનીતિ દર્શાવી છે. તેમણે કહ્યું હતું કે ભાજપે જાે આ પ્રકારનો પ્રચાર કરવો હોય તો એ ઉજ્જવલા યોજનાનો જાેરશોરથી પ્રચાર કરી શકે છે, કેમ કે મોદી સરકારની આ યોજનાએ દેશની કરોડો મહિલાઓને ચૂલાના ધુમાડામાંથી મુકિત અપાવી છે અને ગંભીર બીમારીઓથી બચાવી છે.વધુ વાંચો -
સેવાભાવી સંસ્થાઓ દ્વારા માતાપિતા વિહોણી ૧૬ દિકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા
- 19, એપ્રીલ 2022 01:30 AM
- 7870 comments
- 132 Views
જામનગર,જામનગર શહેરમાં પ્રથમ વખત માતા-પિતા વિહોણી દિકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. તપોવન ફાઉન્ડેશનના સ્થાપક તેમજ ટ્રસ્ટી અને પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી દ્વારા માતા- પિતા વિહોણી ૧૬ દીકરીઓના લગ્ન કરાવ્યાં હતા. જેને લઈ જૂનાગઢના ગોરખનાથ આશ્રમના સંત શેરનાથ બાપુ દ્વારા પણ આ કાર્યને આવકારવામાં આવ્યું હતું. તમામ સાધુ-સંતો તેમજ આમંત્રિતો મહેમાન દ્વારા પણ તેમનું આ કાર્ય પ્રેરણારૂપ ગણાવ્યું હતું અને આગામી સમયમાં વધુ માતા-પિતા વિહોણી દીકરીઓના લગ્ન બીજી સંસ્થા દ્વારા પણ કરાવવામાં આવશે. જામનગરની તપોવન સંસ્થા દ્વારા માતા-પિતા કે પિતા વગરની ૧૬ દિકરીઓના સમુહ લગ્ન ધામધુમથી ઉજવાયા હતા. આ સમુહ લગ્નોમાં નવવધુ બનવા જઈ રહેલી તમામ દિકરીઓનું પુજન કરવામાં આવ્યું હતું. તેમજ જે દંપતીઓને દિકરીની ખોટ છે. તેવા દંપતિઓએ ભાવ પૂર્વક કન્યાદાન કર્યું હતું. ખાસ ગોરાક્ષનાથ આશ્રમના શેરનાથ બાપુએ ઉપસ્થિત રહી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યાં હતા. તમામ ૧૬ દીકરીઓ ઉપર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને લગ્ન ઉત્સવમાં આવેલા મહેમાનો દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ માતા-પિતા વિહોણી તેમજ પિતા વિહોણી દીકરીઓને સમાજના પ્રમુખો સંસ્થાના આગેવાનો, સાધુ-સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. જામનગરમાં પ્રથમ વખત માતા-પિતા વિહોણી દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. તપોવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રણજીતનગર પાછળ પ્રણામી સંપદાયની જગ્યામાં આયોજિત સમુહ લગ્નોત્સવમાં સંસ્થા દ્વારા તમામ દિકરીઓને સહયોગીઓના સહયોગથી આણામાં સોના-ચાંદી દાગીનાથી માંડીને કબાટ, સેટી-પલંગ, ટેબલ, ટોસ્ટર, કુલર જેવી ઘર ઉપયોગી ૧૪૦ થી વધુ વસ્તુઓ કરિયાવર તરીકે આપવામાં આવી હતી. કન્યાઓની મહેંદી, બ્યુટી પાર્લરની,૧૬ વરરાજાઓના ૪ બગીઓમાં સામુહિક વરઘોડાની તેમજ બંન્ને પક્ષોના મર્યાદિત સગા-સબંધીઓના સમુહ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.વધુ વાંચો -
સમગ્ર સૌરાષ્ટ્રમાં હનુમાન દાદાની જયંતિની ઉલ્લાસપૂર્ણ ઉજવણી
- 17, એપ્રીલ 2022 01:30 AM
- 1641 comments
- 3876 Views
ભાવનગર, ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતી છે. આજે હનુમાન જયંતીનો પાવન પર્વ છે. ત્યારે બોટાદના સાળંગપુરમાં હનુમાનજીની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આજે હનુમાન જયંતી પ્રસંગે સાળંગપુર હનુમાન મંદિરે ૧૦ લાખથી વધુ ભક્તો દાદાનાં દર્શન કરશે. આજના દિવસે મારુતિ યજ્ઞ પણ કરવામાં આવશે. વહેલી સવારથી જ ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ ના નારાથી પરિસર ગુંજી ઉઠ્યુ છે. સવારની મંગળા આરતી ખાસ બની રહી હતી. તો ત્યાર બાદની શ્રૃંગાર આરતી ખાસ બની રહી છે. દાદાને કરોડોના ઝવેરાતથી સજાવવામાં આવ્યા છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીની ભવ્ય શોભા યાત્રા નીકળી ત્યારે તેવામાં આ શોભાયાત્રા કેવી ભવ્ય હોય તેની એક ઝલક તમને દર્શાવી રહ્યા છે. હાથી અને ઘોડા સાથે નીકળી આ ભવ્ય શોભાયાત્રામાં ઢોલ નગારાના તાલે ભક્તો જય શ્રી રામના નારા સાથે ઝૂમી ઉઠે છે. તો કતરબ બાજાે જુદા જુદા કરતબ દાખવીને શોભાયાત્રાની ભવ્યતામાં વધારો કરે છે. સાળંગપુરમાં દાદાનાં દર્શન માટે અંદાજે ૧૦ લાખથી વધુ ભક્તો ઊમટ્યા. તંત્ર દ્વારા ખાસ રૂટ સાથે રહેવા-જમવા અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરાઈ છે. બે વર્ષ બાદ સાળંગપુરના શ્રીકષ્ટભંજનદેવ મંદિરમાં હનુમાનજયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અંદાજે ૧૦ લાખથી વધુ દર્શનાર્થીઓ હનુમાન જંયતીના દિવસે આવશે. તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય એ માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત એકસાથે દસ હજારથી વધુ વાહન પાર્ક થઈ શકે એ માટે ૬ વિશાળ પાર્કિંગ એરિયા બનાવાયા છે. દાદાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થાય એ માટે બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.કેદારનાથ મંદિરની આબેહૂબ કૃતિ સાથે શોભાયાત્રા રાજકોટ રાજકોટમાં દરેક હનુમાનજી મંદિરે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ બાલાજી મંદિર દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેદારનાથ મંદિરની આબેહૂબ કૃતિ બનાવવામાં આવી હતી. જે શોભાયાત્રામાં જાેડાઇ હતી. તેમજ અવનવા ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરના વિવિધ હનુમાનજી મંદિરમાં સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટી રહ્યા છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાર, ટુવ્હીલર જાેડાયા હતા. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને જયશ્રી રામ, જય બજરંગબલીના નાદ લગાવવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં ચોકલેટ અને મિલ્કની મિઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગોંડલમાં ૩૦૦ વર્ષ પૌરાણિક તરકોશી હનુમાન મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે. તેમજ હનુમાનજી મહારાજને આકર્ષિત વાઘા પહેરાવામાં આવ્યા છે. દરેક મંદિરોમાં હનુમાનજીને અલગ અલગ શણગાર કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન જાેવા મળી રહી છે. હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર તરકોશી હનુમાનજી મંદિર છે. શહેરના અલગ અલગ હનુમાનજી મંદિરમાં દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હોમ-હવનનું પણ આયોજન કરાયું હતું.જામનગરમાં હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા- બાઈક રેલી જામનગરમાં આજે ૧૬ એપ્રિલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. છોટી કાશી ગણાતા જામનગરમાં આજે ૧૬ એપ્રિલ શનિવારે હનુમાન જનમોત્સવ ના પાવન અવસરે ભગવાન શ્રી હનુમાનજીની શોભાયાત્રાનું નીકળી છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત હનુમાનજીના જન્મોત્સવની શોભાયાત્રાનું પ્રસ્થાન ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતેથી થયું છે. જામનગરમાં શનિવાર અને હનુમાન જનમોત્સવ નો શુભ સમનવ્ય છે. આ પાવન અવસરે તળાવ ની પાળ ખાતે આવેલા વિશ્વવિખ્યાત શ્રી બાલા હનુમાનજી મંદિરે સંપન્ન કરવામાં આવ્યું હતું. હનુમાન જનમોત્સવની આ શોભાયાત્રામાં રામ ભક્ત હનુમાનજીની વિવિધ ઝાંખી કરાવતા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ખાસ ધાર્મિક ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.શનિવારે છોટી કાશી ગણાતા જામનગરમાં આ શોભાયાત્રા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા તમામ ધર્મ પ્રેમીઓને જાેડાઈ રામભક્ત હનુમાનજીનો જય જયકાર કરી ભક્તિમય વાતાવરણ બનાવાયું હતું.વધુ વાંચો -
જામનગરમાં એટીએમમાંથી પૈસા ઉપાડતાં બે પરપ્રાંતીય શખ્સોને પોલીસે ઝડપી પાડયા
- 16, એપ્રીલ 2022 01:30 AM
- 8667 comments
- 2657 Views
જામનગર, જામનગરમાં એક એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતાં બે પરપ્રાંતીય શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. જેઓએ એટીએમમાંથી નાણાં ઉપાડી લેવાનો નવો જ કીમિયો હાથ ધર્યો હતો અને બેંકમાંથી નાણાં એટીએમ મશીનમાંથી ઉપડી જાય પરંતુ મશીનની સ્વીચ બંધ કરી દેતા હોવાથી બેંક ખાતામાં એન્ટ્રી ન પડે, અને તેટલી રકમ બેંક મારફતે ખાતામાં જમા કરાવી લઇ નવતર પ્રકારે ફ્રોડ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. એલસીબીની ટુકડીએ બન્ને શખસો પાસેથી ૩૦ એટીએમ કાર્ડ કબજે કરી લીધા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ નવતર છેતરપિંડીના કિસ્સા અંગેની વિગતો એવી છે કે જામનગરના જાેગર્સ પાર્ક વિસ્તારમાં આવેલા બેન્કના એટીએમ માં પૈસા ઉપાડવા માટે આવેલા બે અજાણ્યા શખસોની શંકાસ્પદ હિલચાલ વિશે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી, અને તેઓ દ્વારા એટીએમ મશીનમાં ગોટાળા કરીને નાણાં કાઢી લેતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના અનુસંધાને એલસીબીની ટુકડીએ વોચ ગોઠવીને બે શખ્સોને અટકાયતમાં લઇ લીધા હતા તે બંનેને એલસીબીની કચેરીએ લઇ જવાયા પછી તેઓના નામ પુછતાં એક શખસે પોતાનું નામ વારીસખાન પઠાણ અને બીજાનું નામ અંસારખાન ક્યૂમખાન હોવાનું કબૂલ્યું હતું. પોલીસ દ્વારા બન્ને શખ્સોની તલાશી લેવામાં આવતાં તેઓના કબજામાંથી જુદી જુદી બેન્કોના ૩૦ થી વધુ એટીએમ કાર્ડ અને બે મોબાઇલ મળી આવ્યા હતા. ઉપરાંત ફ્રોડના માધ્યમથી એકઠી કરેલી કેટલીક રોકડ રકમ મળી આવી હતી. બંને શખસોની પૂછપરછ શરૂ કરાઇ હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની પૂછપરછ દરમિયાન બંને શખ્સો પોતાના વતનમાંથી નીકળ્યા પછી જુદા જુદા રાજ્યમાં થઈને જામનગર આવ્યા હતા અને પોતાના મિત્ર વર્તુળ, ઉપરાંત સગાસંબંધીઓ, વગેરેના ૩૦થી વધુ એટીએમ કાર્ડ મેળવી લીધા હતા જે એટીએમ કાર્ડ માટે જુદા જુદા બેંકોના એટીએમ મશીનમાં તપાસણી કરતા હતા. જ્યાં એટીએમ મશીનને ચાલુ બંધ કરવાની સ્વીચ ધ્યાનમાં હોય તે સ્થળે ઊભા રહીને સૌપ્રથમ બેંકના મશીનમાં એટીએમ કાર્ડ નાખીને નાણાં કાઢવાની પ્રક્રિયા હાથ ધરતા હતા, જે દરમિયાન ચલણી નોટ બહાર આવે ત્યારે જ મશીનની સ્વીચ બંધ કરી દેતા હતા અને મશીનમાં સલવાયેલી ચલણી નોટોને ખેંચી લેતા હતા.વધુ વાંચો -
જામનગરમાં સોલેરીયમ ઈએસઆર હેઠળના વિસ્તારોમાં આજે પાણી નહીં મળે
- 07, એપ્રીલ 2022 01:30 AM
- 5964 comments
- 4782 Views
જામનગર, જામનગર શહેરના સોલેરીયમ ઈએસઆર હેઠળના વિસ્તારોમાં કાલે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યુ છે. આ વિસ્તારમાં ૪૦૦ એમ.એમ. ડાયા મીટરનો સ્લુઝ વાલ્વ ખરાબ થઈ ગયો હોવાથી તેની બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી આ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા હેઠળના સોલેરીયમ ઈ.એસ. આર.થી ગાંધીનગર સુધીના વિસ્તારમાં પાણી વિતરણ કરતી મુખ્ય પાઈપ લાઈનમાં હનુમાન ગેઈટ પોલીસ ચોકીની સામે હોસ્પિટલ પાસે આવલા ૪૦૦ એમ. એમ. ડાયા મીટરનો સ્લુઝ વાલ્વ ખરાબ થઈ ગયો હોય તે બદલવાની કામગીરી તા.૭-૪-૨૨ ના રોજ કરવાની હોવાથી સોલેરીયમ ઝોન-બી હેઠળ આવતા જામનગરના વિસ્તારો ગાંધીનગર, મોમાઈનગર ૧ થી ૫ પુનીતનગર, શાંતિનગર, શાસ્ત્રીનગર, લાલ બહાદુર સોસાયટી, પટેલ કોલોની ૧ થી ૧૨ ઉભો રોડ, તેમજ તેને સંલગ્ન વિસાતારોમાં તા. ૭-૪-૨૨ ના રોજ પાણી વિતરણ બંધ રહેશે. પાણી વિતરણ બંધના બીજા દિવસે પ્રથમ ઝોન-બી ત્યારબાદના દિવસે ઝોન-એમાં રાખેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.વધુ વાંચો -
ગોકુલનગર વિસ્તારમાં રહેતો પરિવાર અચાનક લાપતા થતાં ચકચાર મચી ગઈ
- 22, માર્ચ 2022 01:30 AM
- 2925 comments
- 6812 Views
જામનગર, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો પાંચ સભ્યોનો એક પરિવાર અચાનક ઘર બંધ કરીને ગુમ થઇ ગયાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે. આ અંગેની વિગત એવી છે કે જામનગરના ગોકુલનગર રડાર રોડ ઉપર નવાનગર શેરી નં.૫માં આવેલ પ્રફુલભાઇ સવાણીના મકાનમાં રહેતા અરવિંદભાઇ હેમતભાઇ નિમાવત (ઉ.વ.૫૨) નામના બાવાજી આધેડ, તેમના પત્ની શિલ્પાબેન નિમાવત (ઉ.વ.૪૫) તેમની પુત્રી કિરણબેન (ઉ.વ.૨૬), પુત્ર રણજીત (ઉ.વ.૨૪) અને કરણ (ઉ.વ.૨૨) ગત તા.૧૧ માર્ચના રોજ પોતાના ઘરેથી અચાનક લાપત્તા થઇ ગયા હતા.આ અંગે સીટી સી ડિવિઝન પોલીસે ગુમનોંધ દાખલ કરી છે અને હેડ કોન્સ.ડી.પી.ગોસાઇ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. ગુમ થયેલ પરિવારજનોના મોબાઇલ ફોન પણ બંધ હોવાથી તેમનો કોઇ સંપર્ક થઇ શકયો નથી. પ્રાથમિક તપાસમાં દંપતિ ગોકુલનગર નજીક બજરંગ ડાઇનીંગ હોલ નામની રેસ્ટોરન્ટ ચલાવતા હતા. જાે કે આ ડાઇનીંગ હોલ તેઓ ભાડેથી ચલાવતા હતા.તેઓએ લોન પણ લીધી હતી પરંતુ આર્થિક સંકળામણને લીધે લોન ભરપાઇ કરી શકતા ન હતા. આ જ કારણે આ પરિવાર જામનગર છોડી લા-પત્તા થઇ ગયાની આશંકા જાગતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.વધુ વાંચો -
ભાણવડની ત્રિવેણી નદીમાં ડૂબી જતાં પાંચ મિત્રોના મોત
- 20, માર્ચ 2022 01:30 AM
- 8386 comments
- 6196 Views
દ્ધારકા, ધૂળેટીનો રંગોનો ઉત્સવ પાંચ પરિવારો માટે માતમનો દિવસ બની ગયો છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડની ત્રિવેણી નદીમાં આજે પાંચ મિત્રોના ડૂબી જવાથી મોત થતાં રંગોનો ઉત્સવ દુઃખનો દિવસ બની ગયો ચે. ભાણવડમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો ધૂળેટીના દિવસે રંગોથી ઉત્સવની ઉજવણી કર્યા બાદ ત્રિવેણી નદીમાં ન્હાવા માટે ગયા હતા. જાેકે, આ પાંચેય મિત્રો નદીમાં ડૂબી જતાં તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.મળતી માહિતી પ્રમાણે ધૂળેટીનો તહેવાર હોવાથી ભાણવડમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો રંગોથી રમ્યા હતા. બાદમાં તેઓ નદીમાં ન્હાવા માટે ગયા હતા. નદીમાં ન્હાવાનો આનંદ માણી રહેલા આ મિત્રો અકસ્માતે ડૂબી ગયા હતા જેના કારણે તેમના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમણે પાંચેય મિત્રોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. નદીમાં ડૂબીને મોતને ભેટેલા પાંચેય કિશોરોની ઉંમર ૧૬-૧૭ વર્ષની હતી. આ પાંચેય મિત્રો હતા અને તમામ લોકો શિવનગર, રામેશ્વર પ્લોટ અને ખારાવાડ, ભાણવડના રહેવાસી હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોતાના વ્હાલસોયા પુત્રોના મૃતદેહો જાેઈને પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયું હતું. પોલીસે તમામ મૃતદેહોનો કબ્જાે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જીતભાઈ ભરતભાઈ કવા (ઉ.વ.૧૬) રહે. શિવનગર, તાલુકા પંચાયત સામે, ભાણવડ હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ (ઉ. વ ૧૭) રહે. ખરાવાડ, ભાણવડ ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા (ઉ.વ.૧૬) રહે. રામેશ્વર પ્લોટ, ભાણવડ ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા રહે. શિવનગર, ભાણવડ હિતાર્થ અશ્વિંગીરી ગોસ્વામી બાવાજી (ઉ.વ.૧૬) રહે. શિવનગર, ભાણવડવધુ વાંચો -
ગૌશાળાના લાભાર્થે રાજભા ગઢવી અને નિરંજન પંડ્યાના ડાયરામાં હજારો રૂપિયાનો વરસાદ
- 12, માર્ચ 2022 01:30 AM
- 1381 comments
- 1183 Views
જામનગર,જામનગરના વિભાપર ગામમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. લોકગાયક રાજભા ગઢવી, નિરંજન પંડ્યા અને ફરિદા મીરના ડાયરામાં લોકોએ ચલણી નોટનો વરસાદ કરતા કલાકારોના સ્ટેજ પર ચલણી નોટના ઢગલાં જાેવા મળ્યા હતા. સૌરાષ્ટ્રમાં લોકડાયરાનું આયોજન હોય અને રૂપિયાનો વરસાદ ન થાય તેવું ભાગ્યે જ બને. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે ગૌશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન થાય છે ત્યારે લોકો મનમૂકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે. આવાજ દ્રશ્યો જામનગર નજીક વિભાપર ગામમાં યોજાયેલા લોકડાયરામાં જાેવા મળ્યા હતા. વિભાપર ગામે જય વછરાજ ગો સેવા ટ્રસ્ટ દ્વારા વાર્ષિક ઉત્સવ ભૂમિપૂજન, પંચકુંડી યજ્ઞ, સન્માન સમારોહ મહાપ્રસાદ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, લોકડાયરામાં ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનિક કલાકાર નિરંજન પંડ્યા, ફરીદા મીરે સંતવાણી દ્વારા ડાયરા રમઝટ બોલાવી હતી ત્યારે રાજભા ગઢવી ચારણી સાહિત્યમાં ભારતીય સંસ્કૃતિ ની પણ રમઝટ બોલાવી હતી ત્યારે લોકોએ મન મૂકીને લોકડાયરામાં ચલણી નોટોના રૂપિયાનો વરસાદ કર્યો હતો.વધુ વાંચો -
ખીજડીયાની સેવા સહકારી મંડળીના મંત્રી સામે ૬૦ લાખની ઉચાપતની ફરિયાદ
- 19, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 489 comments
- 7125 Views
જામનગર, જામનગર જિલ્લાના કાલાવડના નપાણીયા ખીજડીયા ગામની સેવા સહકારી મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ મંડળીના નામે રૂપિયા ૬૦ લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે. આરોપી મંત્રીએ બે વર્ષ પૂર્વે મંડળીના નામે ગોડાઉન ખરીદ કર્યા અંગેના ખોટા દસ્તાવેજ બનાવી, પ્રમુખ સહિતનાઓની ખોટી સહીઓ કરી, નાણા ઉપાડ્યા હતા. તેમજ નાણાને અંગત ઉપયોગમાં લઈ છેતરપિંડી આચરી હોવાનું સામેં આવ્યું છે. જામનગર જિલ્લા સહકારી ક્ષેત્રમાં ચકચારી બનેલી છેતરપીંડી અને વિશ્વાસઘાત પ્રકરણની વિગત મુજબ, કાલાવડના નપાણીયા ખીજડીયા ગામે આવેલા નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડ ખાતે મંત્રી તરીકે ફરજ બજાવતા બીપીન ચંપકભાઈ જાેશીએ વર્ષ ૨૦૨૦ના ઓગસ્ટ માસ પૂર્વે પોતાના અંગત ફાયદા માટે ઠગાઈ કરવાના ઇરાદાથી મંડળીના ખેડૂત ખાતેદારો (સભાસદો) પાસેથી પાક ધીરાણ પેટેના નાણાની વસુલાત કરી હતી. તેમજ મંડળીની અલગ અલગ પહોંચો આપી તે પૈકીની અમુક પહોંચમાં પોતાની જાતે ફેરફાર કરી ખોટી પહોંચ બનાવી રોજમેળમા ખોટો મનધડત હીસાબ ઉધારી લીધા હતા. રોજમેળમા પાના નં-૬૧મા સામાન્ય ખાતાવહીના પાના નં-૧૧૫ થી શ્રી જમીન ખરીદ ખાતે બાબત જે મંડળીના ગોડાઉન માટે જમીન ખરીદ કરતા મંત્રી બીપીન જાેષીને વાઉચર મુજબ વાઉચર નં-૬૬ રોકડા રૂ.૬૦ લાખની કોઇ પણ ઠરાવ કે મંજૂરી વગર એન્ટ્રી કરી નાખી, રૂપીયા ૬૦ લાખના મુલ્યના નાણાની ઉચાપત કરી મંડળીના મંત્રી તરીકે ગુનાહીત વિશ્વાસધાત કર્યો હતો. આ જ ઉચાપત માટે આરોપી મંત્રીએ નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના લેટરપેડ પર તા.૨૯/૧૨/૨૦૨૦ના રોજ કાલાવડ મામલતદારને સંબોધીને શ્રી નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના બોજા-ગીરો મુક્તી કરવા મળેલી નોટીસનો જવાબ તેમ વિષય રાખી જવાબ પણ આપ્યો હતો. જેમાં તેણે પોતાનો બચાવ કરવાના ઇરાદાથી પોતાની રીતે ખોટુ લખાણ આપી, તે લખાણમા પ્રમુખ તરીકે રાઘવ દેવશી નામની હાલના પ્રમુખની ખોટી સહી કરી, મંડળીનો સીક્કો મારી ખોટો દસ્તાવેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.વધુ વાંચો -
પોલીસ તપાસમાં આરોપી બાઈક ચોરીના ગુનામાં પેરોલ પર મુક્ત થયો હોવાનો ખુલાસો
- 17, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 3562 comments
- 6836 Views
જામનગર જામનગરના જાેગર્સ પાર્ક પાસેથી બે દિવસ પૂર્વ થયેલા એક્ટિવાની ચોરી મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપી એક દિવસ પહેલા જ બાઈક ચોરીના ગુનામાં પેરોલ પર મુક્ત થયો હતો. પેરોલ પર મુક્ત થયાના બીજા જ દિવસે ફરી મોટર સાયકલ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. જામનગરમાં બે દિવસ પૂર્વે તા.૧૪ /૦૨/૨૨ના રોજ સાંજે પાંચથી છ વાગ્યાના ગાળા દરમિયાન જાેગસપાર્ક પાસે વી માર્ટ સામે આવેલ રીધ્ધી સીધ્ધી શાકભાજીની દુકાનની બાજુમા રોડ પરથી જયેશભાઇ પરમારની ગ્રે કલરની સુજુકી એકસેસની ચોરી થવા પામી હતી. જીજે ૧૦ સીએસ ૯૮૮૬ નંબરની મોટરસાયકલ ચોરી થઇ જતા જયેશભાઈએ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. રૂપિયા ૩૦ હજારની કીમતના મોટરસાયકલની ચોરી થઇ જતા પોલીસે ટેકનીકલ ટીમ ની મદદથી તપાસ હાથ ધરી, ગુલાબનગર વિસ્તારમાં રહેતા મૂળ તાલાલાના આરોપી નરેશ પરમારને પકડી પાડ્યો હતો. પોલીએ આ શખ્સના કબ્જામાંથી એક્સેસ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ ગીરસોમનાથ જીલ્લાનો તાલાલાનો આરોપી થોડા વર્ષોથી ગુલાબનગર વિસ્તારમાં રહી મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ સખ્સના કોવીડ ટેસ્ટ હાથ ધરી આરોપીની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં મજુરી કામ કરવામાં પૈસા ઓછા મળતા આરોપી નરેશ ચોરીના રવાડે ચડ્યો હતો. અગાઉ એક બાઈક ચોરી કરી હતી. પરંતુ આરોપી પોલીસના હાથ પકડાઈ ગયો હતો. કાયદાકીય કાર્યવાહી બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.વધુ વાંચો -
વેપારીની આંખમાં મરચાની ભૂક્કી છાંટી ૪૫ હજારથી રોકડ રકમની લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર
- 06, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 2406 comments
- 7742 Views
જામનગર જામનગર શહેરના નાગપરા વિસ્તારમાં રહેતા પ્રૌઢ વેપારી રાત્રિના સમયે તેમના ઘરે જતાં હતાં. તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીને ધક્કો મારી પછાડી દઇ આંખમાં મરચાની ભૂક્કી છાંટી ૪૫ હજારથી રોકડ રકમ ભરેલી થેલીની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ખંભાળિયા નાકા બહાર નાગરપરા શેરી નં. ૨માં રહેતા અને માર્કેટમાં વેપાર કરતા પ્રકાશભાઈ ચંદ્રકાંતભાઈ લાલ નામના પ્રૌઢ ગઈકાલે શુક્રવારે રાત્રિના ૦૮ઃ૩૦ વાગ્યાના અરસામાં તેમની દુકાનેથી જીજે-૧૦ બીકયુ-૮૫૦૨ નંબરના એક્ટિવા મોટરસાઈકલ પર તેમના ઘર તરફ જતાં હતાં. રે ખંભાળિયા નાકા પાસે બાઇની વાડી નાગરપરા શેરી નં. ૨ નજીક પહોંચ્યા ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પ્રૌઢ વેપારીને ધક્કો મારી પછાડી દીધા હતાં. ત્યારબાદ વેપારીની આંખમાં મરચાંની ભૂક્કી છાંટી એક્ટીવાના હેન્ડલમાં ટીંગાડેલી રૂ. ૪૫ હજારની રોકડ રકમ ભરેલા પર્સવાળી થેલીની લૂંટ ચલાવી બન્ને શખ્સો નાસી ગયા હતાં.રમિયાન લૂંટની પ્રૌઢ વેપારી દ્વારા પોલીસને જાણ કરાતાં પીઆઈ કે.એલ. ગાધે તથા સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો. તેમજ પ્રૌઢ વેપારીના નિવેદનના આધારે બંન્ને લૂંટારુ શખ્સોને ઝડપી લેવા માટે જિલ્લામાં નાકાબંધી કરી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે બનાવ સ્થળ પાસેના વિસ્તારમાં કયાંય સીસીટીવી ફૂટેજાે અંગે પણ તપાસ હાથ ધરી હતી અને બે અજાણ્યા બાઈકસવાર શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગર પોલીસના ઉચ્ચ અધિકારી સહિત એલસીબી, સીટી એ પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી રાતભર સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.વધુ વાંચો -
જામનગરમાં પ્રતિબંધિત એમ્બ્રગ્રીસ સાથે શખ્સ ઝડપાયો
- 31, જાન્યુઆરી 2022 01:30 AM
- 5718 comments
- 969 Views
જામનગર જામનગર એસઓજી પોલીસે પટેલ કોલોની વિસ્તારમાંથી દેવભૂમિ દ્વારાકા જીલ્લાના ખંભાલીયા ખાતે રહેતા ભાવેશગીરી અરવિંદગીરી ગોસ્વામી નામનાં સખ્સને પકડી પાડ્યો હતો. આ સખ્સના કબ્જામાંથી રૂપિયા એકાદ કરોડની કીમતનું વ્હેલ માછલીનું એમ્બ્રગ્રીસ (ઉલટી) સાથે પકડી પાડ્યો હતો. આ દ્રવ્યની હાલની બજાર કિંમત એકાદ કરોડ જેવી થાય છે. એસઓજીએ આ સખ્સ સામે ફરિયાદ નોંધી આ રેકેટના મૂળ સુધી પહોચવા કવાયત હાથ ધરી છે. જામનગર પોલીસના ઈતિહાસમાં પ્રથમ વખત મળી આવેલ એમ્બરગ્રીસના જથ્થાને કબજે કરી પોલીસે લેબ પરીક્ષણ માટે મોકલી આપ્યો છે.એમ્બરગ્રીસ શું છે? આ એમ્બરગ્રીસ, જેનો ફ્રેન્ચમાં અર્થ ગ્રેએમ્બર થાય છે, તે મીણ જેવું પદાર્થ છે જે સંરક્ષિત સ્પર્મ વ્હેલના પાચન તંત્રમાંથી ઉદ્દભવે છે ત્યારે તેની રચના વિશેની એક થિયરી સૂચવે છે કે તે સ્પર્મ વ્હેલ જ્યારે મોટા પ્રમાણમાં દરિયાઈ પ્રાણીઓનો જથ્થો કે ખોરાક ખાય છે ત્યારે કઠણ, તીક્ષ્ણ પદાર્થોને પસાર કરવા માટે કેટલાક દ્રવ્યો સ્પર્મ વ્હેલના જઠરાંત્રિય માર્ગમાં ઉત્પન્ન થાય છે. એમ્બરગ્રીસને મળની જેમ પસાર થાય છે અને તે ખૂબ જ તીવ્ર અને મજબૂત દરિયાઈ ગંધ ધરાવે છે. તાજી રીતે પસાર થયેલ એમ્બરગ્રીસ એ આછો પીળો રંગનો પદાર્થ છે અને તે ચરબીયુક્ત હોય છે પરંતુ જેમ જેમ તે ઉંમર વધે છે તેમ તે મીણ જેવું બને છે અને લાલ કથ્થઈ રંગનું બને છે, કેટલીકવાર તે ગ્રે અને કાળા રંગના શેડ્સ સાથે હોય છે અને દરિયાઈ ગંધની સાથે હળવી, માટીની, મીઠી ગંધ કે કસ્તુરી જેવી સુગંધ ધરાવતુ હોય છે. એમ્બરગ્રીસના ઉપયોગો શું છે અને તે આટલું મોંઘું કેમ છે? ભારતભરની તપાસ એજન્સીઓ કે જેમણે તાજેતરના ભૂતકાળમાં એમ્બરગ્રીસ જપ્ત કરી છે તે શુદ્ધતા અને ગુણવત્તાના આધારે તેની કિંમત ૧ થી ૨ કરોડ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોવાનો અંદાજ છે.અધિકારીઓનું કહેવું છે કે અત્યંત દુર્લભ હોવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઊંચી માંગ અને ઊંચી કિંમતમાં ફાળો છે. પરંપરાગત રીતે, એમ્બરગ્રીસનો ઉપયોગ અત્તર બનાવવા માટે થાય છે જેમાં કસ્તુરી જેવી સુગંધ હોય છે. ભૂતકાળમાં કેટલીક સંસ્કૃતિઓમાં તેનો ઉપયોગ ખોરાક, આલ્કોહોલિક પીણાં અને તમાકુને સ્વાદ આપવા માટે થતો હોવાના રેકોર્ડ્સ છે, પરંતુ હાલમાં આ હેતુઓ માટે તેનો ભાગ્યે જ ઉપયોગ થાય છે. વન વિભાગના અધિકારીઓ શું કહે છે? પુણેમાં વન વિભાગના અધિકારી કે જેઓ ઓગસ્ટમાં એમ્બરગ્રીસની જપ્તીની તપાસનો ભાગ હતા તેમણે જણાવ્યું હતું કે, “લગભગ ૪૦ દેશોમાં એમ્બરગ્રીસના વેપાર અને વેચાણ પર પ્રતિબંધ છે. હવે આપણે જાણીએ છીએ કે એમ્બરગ્રીસ મુખ્યત્વે ગુજરાત તથા અન્ય રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મેળવવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે એમ્બરગ્રીસ માટેનું મુખ્ય બજાર મધ્ય પૂર્વીય દેશોમાં છે, યુરોપિયન અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો હોવાનુ મનાય છે. એવા અહેવાલો પણ છે કે તેને કામોત્તેજક માનવામાં આવે છે અને તેનો ઉપયોગ કેટલીક દવાઓમાં થાય છે.” પ્રતિબંધ છતાં ધમધમતી ગેરકાયદે પ્રવૃતિઓ કાયદેસરતા અને ભારતમાં જપ્તીના તાજેતરના કેસો યુએસએ, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોમાં એમ્બરગ્રીસના કબજા અને વેપાર પર પ્રતિબંધ છે, અન્ય કેટલાક દેશોમાં તે એક વેપારી કોમોડિટી છે, જાેકે તેમાંના કેટલાક દેશોમાં મર્યાદામાં છે. ભારતીય સંદર્ભમાં, વ્હેલ એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમની અનુસૂચિ ૨ હેઠળ એક સંરક્ષિત પ્રજાતિ છે અને એમ્બરગ્રીસ અને તેની આડપેદાશો સહિત તેની કોઈપણ ઉપ-ઉત્પાદનોનો કબજાે અથવા વેપાર, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ ની જાેગવાઈઓ હેઠળ ગેરકાયદેસર છે. એવું જાેવામાં આવ્યું છે કે એમ્બરગ્રીસની દાણચોરી કરતી ટોળકી તેને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મેળવે છે અને વિવિધ દેશોમાં મોકલે છે.વધુ વાંચો -
બૂટલેગરની પૂછતાછ કરતાં ભીંતમાં માથા પછાડ્યા
- 28, જાન્યુઆરી 2022 01:30 AM
- 3021 comments
- 8785 Views
જામનગર જામનગર સીટી એ ડીવીજન પોલીસ દફતરના પીઆઈ એમ જે જલુ પર પોલીસ દફતરમાં જ એક બુટલેગરે પૂછપરછ વખતે ઉગ્રતા દાખવી હુમલો કર્યો હતો. આ હુમલાને પગલે સનસનાટી મચી જવા પામી હતી. આરોપી સામે ગત વર્ષે નોંધાયેલ દારૂ સબંધિત ત્રણ કેસને લઈને કોર્ટમાં સરન્ડર કરતા પોલીસે તેની વિધિવત અટકાયત કરી પોલીસ દફતર લઇ પૂછપરછ કરી હતી. આ આરોપીએ પીઆઈ પર હુમલો કરી હાથની આંગળીમાં ફેકચર કરી દીધુ હતું. બીજી તરફ એક હાથમાં ખુલી હાથ કડી સાથે આરોપીએ પોતાના માથા દીવાલમાં અથડાવી ઈજા પહોચાડી ખુદને ઈજાઓ પહોચાડતા દવાખાને ખસેડાયો હતો.સીટી એ ડીવીજન પોલીસમાં ગત વર્ષે દારૂ સંબંધિત ત્રણ ગુના નોંધાયા હતા. આ ગુનામાં આરોપી મહાવીરસિહ દેવાજી ભારાજી જાડેજા ઉ.વ ૩૨ રહે.રણજીતસાગર રોડ પ્રણામીનગર સાંઇબાબાના મંદીર પાસે જામનગર વાળાની સંડોવણી ખુલવા પામી હતી. દરમિયાન આ આરોપીએ ગઈ કાલે કોર્ટમાં સરન્ડર કરતા સીટી એ ડીવીજન પોલીસે આરોપીનો કબજાે સંભાળી ડીવીજન લઇ આવી ગઈ કાલે રાત્રે ૮.૩૦ વાગ્યે પૂછપરછ શરુ કરવામાં આવી હતી. આરોપી સામે ગત વર્ષે ૩૧૯૫ બોટલ દારૂ, ૨૧૫ અને ૧૨ બોટલ દારૂ સબંધિત જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય પ્રકરણમાં સંડોવણી સામે આવતા પોલીસે શોધખોળ કરી હતી પરંતુ આરોપીની ભાળ મળી ન હતી દરમિયાન ગઈ કાલે આરોપીએ કોર્ટમાં સરન્ડર કરતા પોલીસે તેની કાયદેસરની અટકાયત કરી પૂછપરછ શરુ કરી હતી.તે દરમ્યાન આરોપી મહાવીરસિંહે પોતાના હાથમાં પહેરાવેલ હથકડી કે જેનો એક છેડો છુટો હોય તેનાથી પોતાના માથામાં મારતા તેમજ પોતાને જે જગ્યાએ બેસાડેલ તેની પાછળની દિવાલમાં માથા ભટકાડતા લોહી નીકળવા લાગતા પીએસઆઈ એમ.વી.મોઢવાડીયા, પોલીસ કોન્સ્ટેબલ સાજીદભાઇ રફીકભાઇ બેલીમ તથા યોગેન્દ્રસિંહ નિરૂભા સોઢા વિગેરેએ આરોપીને રોકવા પ્રયાસ કર્યો હતો. જેમાં ઉસ્કેરાયેલ આરોપી મહાવિરસિંહ જાડેજાએ પોતાના હાથમાં પહેરાવેલ હથકડી વડે પીઆઈ એમ.જે. જલુ પર હુમલો કરી દીધો હતો.જેમાં પીઆઈને જમણા હાથની વચલી આંગળીમાં ફેક્ચરની ઇજા કરી તેમજ ડાબા હાથની વચલી આંગળીમાં મુંઢ પહોચી હતી. ત્યારબાદ હાજર પોલીસકર્મીઓએ આરોપીને કાબુમાં લેવા બળપ્રયોગ કરી શાંત કર્યો હતો.આ બનાવના પગલે પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. હાથમાં ઈજા પહોચતા પીઆઈ એમ.જે. જલુને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને જમણા હાથની વચ્ચેની આંગળીમાં ફેકચર તથા અન્ય હાથની આંગળીમાં મુંઢ ઈજા હોવાનું સામે આવ્યું હતું.બીજી તરફ આરોપીને પણ માથામાં ઈજાઓ પહોચતા જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર લીધા બાદ પરત પોલીસ દફતરે લઇ જવાયો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી મહાવીરસિંહ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
જામનગરની જી.જી.હોસ્પિટલમાં મુખ્ય એકસ-રે મશીન એક મહિનાથી બંધ
- 24, જાન્યુઆરી 2022 01:30 AM
- 9793 comments
- 5185 Views
જામનગર, જામનગરની જી.જી.હોસ્પિટલમાં મુખ્ય એકસ-રે મશીન એક મહિનાથી બંધ છે. આથી પોર્ટેબલ મશીનથી ગાડું ગબડાવામાં આવતા દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આમ છતાં હોસ્પિટલના સતાધીશો કુંભકર્ણની નિંદ્રામાં રાચતા શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખૂબજ મહત્વના ગણાતા એકસ-રે વિભાગમાં મુખ્ય એકસ-રે મશીન એક મહિનાથી બંધ હાલતમાં છે. જેના કારણે પોર્ટેબલ મશીનથી દર્દીઓના ફોટા પાડવામાં આવે છે.જેના કારણે દર્દીઓની પીડામાં ઘટાડાને બદલે વધારો થયો છે. વળી, એકસ-રે પ્લેટનો પણ છેલ્લા ઘણાં સમયથી અભાવ છે. જયારે ડીજીટલ એકસ-રે આપવાને બદલે ડોકટરને મોબાઇલ ફોનમાં કે કાગળની પ્રિન્ટમાં એકસ-રે આપવામાં આવી ગાડું ગબડાવામાં આવી રહ્યું છે. નવાઇની વાત તો એ છે કે, છેલ્લાં મહિનાથી આ સમસ્યા હોવા છતાં હોસ્પિટલના સતાધીશો દ્રારા કોઇ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. આમ છતાં કોઇ કાર્યવાહી ન થતાં અનેક સવાલો ઉઠયા છે.વધુ વાંચો -
રાજકોટ શહેરમાં નવા ૨૦૧ કેસ નોંધાયા મ્યુનિ. કમિશનરની તબિયત લથડી
- 20, જાન્યુઆરી 2022 01:30 AM
- 5450 comments
- 3117 Views
રાજકોટ,રાજકોટ શહેરમાં બુધવારના રોજ બપોર સુધીમાં ૨૦૧ કેસ નોંધાયા છે. જેને પગલે બુધવારે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ સિવિલ હોસ્પિટલના ડોકટરો અને લેબોરેટરીના સંચાલકો સાથે રિવ્યુ બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. સિવિલ હોસ્પિટલમાં હાલ આરટી-પીસીઆર અને એન્ટીજન ૩૫૦૦ જેટલા ટેસ્ટ થઇ રહ્યા છે જે વધારીને ૬૦૦૦ ટેસ્ટ કરવા માટે કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા સિવિલ હોસ્પિટલના અધિક્ષકને આદેશ કરવામાં આવેલ હતો.શહેરમાં કોરોના જ્વાળામુખીની જેમ ફાટ્યો હોય તેમ એક પછી એક સંક્રમિતોની સંખ્યા દીવસ દરમિયાન વધુ રહી છે.જ્યાં આજે રાજકોટ એસ.એમ.ધાધલ પરિવારના પાંચ સભ્યો સાથે કોરોના પોઝિટિવ થતા હોમ આઇસોલેટ થયાં છે.આ સાથે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પ્રકાશ માંગુડા,ગોંડલના મામલતદાર કે.વી નકુમ, ધોરાજીના મામલતદાર કે.ટી જાેલાપરા પણ કોરોના સંક્રમિત થયા છે. ઉપરાંત રાજકોટ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની તબિયત લથડી છે.અત્યંત શરદી-ઉધરસના કારણે તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો છે. જેનું પરિણામ સાંજે આવશે.ગઈકાલે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં ૧૩૩૬ પોઝિટિવ કેસ નોંધાયા હતા.બીજી લહેર પીક પર હતી ત્યારે પણ ૨૦ એપ્રિલના રોજ એક દિવસમાં સૌથી વધુ ૭૬૪ પોઝિટિવ કેસ ચોપડે નોંધાયા હતા આ તેના કરતા બમણા જેટલા કેસ છે. બીજી તરફ ટેસ્ટની સંખ્યા પણ સાવ જૂજ જ છે તેથી શહેરમાં ટેસ્ટ વધશે તેમ હજુ આ આંક ઘણો વધશે. રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે ગોંડલમાં ૩૭, જેતપુરમાં ૩૬, ધોરાજીમાં ૧૬, ઉપલેટામાં ૧૫ , રાજકોટ તાલુકામાં ૬, લોધીકા-જામકંડોરણામાં ૩, કોટડાસાંગાણીમાં બે વર્ષની બાળકી સહિત ૪ કેસ નોંધાયા છે. જ્યારે -જસદણમાં ૪ અને પડધરીમાં ૧ કેસ નોંધાયો છે. ગ્રામ્યમાં ૭૭૭ એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૨૫૩ સંક્રમિતો નોંધાઇ ચુકયા છે.રાજકોટ શહેરમાં એક સપ્તાહ દરમિયાન ૩૭૪૦૯ ટેસ્ટ કરાયા હતા અને તેમાં ૪૦૧૬ પોઝિટિવ કેસ આવ્યા હતા જે સરેરાશ ૧૦ ટકાનો પોઝિટિવ રેશિયો ધરાવે છે એટલે કે દર ૧૦ ટેસ્ટમાંથી એક વ્યક્તિ પોઝિટિવ નીકળ્યો છે પણ મંગળવારે જે કેસ જાહેર થયા છે તેમાં ૪૫૦૦ ટેસ્ટમાંથી ૧૩૩૬ વ્યક્તિ પોઝિટિવ નીકળ્યા છે જે ૨૯ ટકા કરતા વધુ પોઝિટિવિટી રેશિયો ધરાવે છે. સરળભાષામાં દર ૧૦ ટેસ્ટમાં ૩ વ્યક્તિ પોઝિટિવ નીકળે છે અને દર ત્રીજાે વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોય છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે પણ ટેસ્ટની સંખ્યા વધારાતી નથી. રાજકોટ સહિત રાજ્યમાં છેલ્લે ઘણા દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ બે સિન્ડિકેટ સભ્યો અને એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનનો એક વિદ્યાર્થી પણ સંક્રમિત થતા આ ભવનની લેબોરેટરી એક સપ્તાહ માટે બંધ કરી છે અને આખા ભવનને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ યુનિવર્સિટીના બે સિન્ડિકેટ સભ્યો પણ કોરોના પોઝિટિવ થયા છે જેમાંથી એક સભ્યને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે એક વિદ્યાર્થી સંક્રમિત થતા આખું ભવન સેનિટાઈઝ કરાયું હતું. સાંસદ પૂનમ માડમ અને જિ.પં. પ્રમુખ ધરમશી ચનિયારા પણ કોરોનાની ઝપેટે જામનગર જામનગરમાં નેતાઓને પણ કોરોનાનું સંક્રમણ થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ગઇકાલે જામનગરના પૂર્વ મેયર કોરોના સંક્રમિત થયા બાદ જામનગર લોકસભા બેઠકના સાંસદ પૂનમબેન માડમ પણ કોરોના પોઝીટીવ આવ્યાનું તેઓએ જાતે સોશ્યલ મીડિયા ઉપર જાહેર કર્યું છે.જામનગરમાં જાહેર જીવન સાથે જાેડાયેલા નેતાઓને પણ કોરોનાનું સંક્રમણ થવાની ઘટના સતત બની રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહના પત્ની અને પૂર્વ કોર્પોરેટર પ્રફુલ્લાબા જાડેજા, પુત્ર અને યુવા રાજપુત સમાજના અગ્રણી જગદીશસિંહ જાડેજા કોરોના સંક્રમિત થયા હતાં. આ પછી ગઇકાલે જામનગરના પૂર્વ મેયર અને ભાજપના અગ્રણી ડો.અવિનાશ ભટ્ટ કોરોના સંક્રમિત નોંધાયા હતાં.જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે આજે સોશ્યલ મીડિયામાં (પોતાના ટ્વીટર એકાઉન્ટમાં) જાહેરાત કરી હતી કે, તેઓએ કરાવેલ કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓએ પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા અપીલ કરી છે અને તેઓની તબિયત હાલ સ્થિર હોવાથી હોમઆઇસોલેટ થયા છે.ગત્ સપ્તાહમાં જામનગર જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી કારોબારી બેઠકમાં સાંસદ પૂનમબેન આમંત્રિત સભ્ય તરીક ખાસ હાજર રહ્યાં હતાં. આ પછી ગણતરીના કલાકોમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા કોરોના પોઝીટીવ આવ્યા હતાં. તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય વિનોદભાઇ વાદોડરિયા પણ કોરોના પોઝીટીવ આવ્યા હતાં.છેલ્લા બે દિવસથી પૂનમબેનની તબિયત સામાન્ય ન હોવાથી તેઓને કોરોનાના આંશિક લક્ષણ હોવાની શંકા જતાં તેઓએ જાેતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તેવી જાહેરાત તેઓએ જાતે ટ્વીટ કરીને કરી છે.વધુ વાંચો -
ભક્તો પગથિયાં પાસેથી જ દર્શન કરી પરત ફર્યા
- 18, જાન્યુઆરી 2022 01:30 AM
- 6415 comments
- 5907 Views
જામનગર, પોષ મહિનાની પૂનમ હોવાથી જગત મંદિર ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ભક્તો દૂરદૂરથી આવ્યા છે. ત્યારે દેવસ્થાન સમિતિ દ્વારા મંદિરને આજથી આઠ દિવસ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. જાે કે કેટલાક ભક્તો દૂરદૂરથી રેલવેની ટિકિટો બુક કરાવી દ્વારકા મંદિર ખાતે પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી હતી કે દ્વારકાધીશ મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે આઠ દિવસ બંધ છે. ત્યારે ભક્તોમાં પણ રોષની લાગણી પ્રસરી ગઇ હતી. જેથી ભગવાન દ્વારકાધીશના દર્શન પગથિયા પાસેથી જ કરી ભક્તો પાછા ફર્યા હતા અને અમુક ભક્તો ભગવાન દ્વારકાધીશના મંદિરના દ્વારના દર્શન કરીને પાછા ફર્યા હોય તેવા દ્રશ્યો પણ જાેવા મળ્યા છે.જગત મંદિર દ્વારકાધીશ મંદિર ૧૭ જાન્યુઆરીથી ૮ દિવસ માટે બંધ કરાતાં એના વિરોધમાં દ્વારકાની વિવિધ સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે. જેઓ દેવભૂમિ દ્વારકાની પ્રાંત કચેરીએ જઈ આવેદનપત્ર આપશે તેવું સૂત્રો પાસેથી જાેણવા મળ્યું હતું. જ્યારે બીજી તરફ આજે પોષ મહિનાની પૂનમ હોઈ, વહેલી સવારથી ભાવિકો જગત મંદિરે આવી મંદિરનાં પગથિયે શીશ ઝુકાવી ધ્વજાના દર્શન કરી ભારે હ્રદયે પરત ફર્યા છે તેવા દ્રશ્યો પણ જાેવા મળ્યા છે. આજથી જગત મંદિર બંધના ર્નિણયથી સમગ્ર મંદિર પરિસર અને દ્વારકાના બજારો સુમસામ દેખાઈ રહ્યા છે. આગામી ૨૩ જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખવાનો ર્નિણય સામે કોવિડના ગાઈડલાઈન સાથે જગતમંદિરના દ્વાર ખોલવા અપીલ કરાઈ રહી છે. દ્વારકામાં અનેક હોટલોના બુકીંગ પણ કેન્સલ થયા છે. દેવસ્થાન સમિતિ દ્વારા મંદિર બંધની જાહેરાત મોડી કરાતાં દ્વારકાધીશ મંદિરમાં પહોંચેલા ભક્તો તથા યાત્રિકો રોષે ભરાયા છે. ત્યારે એક ભક્ત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હું ધાનેરા-બનાસકાંઠાથી આવું છું, તો હવે અમે લોકો દર પૂનમે આવીએ છીએ. આ વખતે મેં પરમ દિવસ પહેલા નોટિસ ચેક કરી તેમાં એવું હતું કે દર્શન રાબેતા મુજબ દર્શન ચાલુ છે. ત્યારબાદ અમે રેલ્વેની ટિકિટ કરાવી દ્વારકા આવ્યા પછી ખબર પડી કે દર્શન બંધ છે. જ્યારે ગઈકાલે જ એવી નોટિસ આવી કે દર્શન બંધ છે. પ્રશાસને થોડી પહેલા જાણ કરવી જાેઈએ.વધુ વાંચો -
જામનગર શહેરમાં લૂંટ-ધાડ-મારામારીના ગુનામાં સંડોવાયેલા દિવલા ડોનની ધરપકડ
- 09, જાન્યુઆરી 2022 01:30 AM
- 6999 comments
- 4286 Views
જામનગર, જામનગર શહેરમાં ૩૨ થી વધુ લૂંટ-ધાડ- મારામારી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા તેમજ કેટલાક સમયથી નાસતા ફરતા રહેલા કુખ્યાત દિવલા ડોનને સીટી-સી ડિવિઝન પોલીસે પકડી પાડયો છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર શાંતિ નગર વિસ્તાર શેરી નંબર -૬ માં રહેતા દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દિવલા ડોન સામે લૂટ- મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે, અને આજથી ચારેક મહિના પહેલાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં એક સ્કુટર ચાલક અને આંતરી લૂંટ ચલાવીને ભાગી છૂટયા પછી પોલીસે તેની સામે ગુનો નોંધી ફરાર જાહેર કર્યો હતો. જે નાસતાં ફરતા આરોપી ને સીટી બી ડિવિઝન પોલીસ શોધી રહી હતી, તે દરમિયાન ગઈકાલે કુખ્યાત શખ્સ દિવલો જામનગરમાં આવ્યો હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે તેને પકડી પાડયો છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન શહેરમાં અનેક ગુનાઓ આચર્યા હોવાનું અને તેની સામે તડીપાર તેમ જ પાસા સહિતના શસ્ત્રો ઉગામીલીધા હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં પણ તે અસામાજિક પ્રવૃત્તિ ચાલુ રાખતો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી.વધુ વાંચો -
રેંગિંગ કમિટીની ટીમે તપાસ કરતાં હોસ્ટેલના ૧૫ છાત્રોએ રેગીંગ કર્યુર્ં હોવાનો ઘટસ્ફોટ
- 26, ડિસેમ્બર 2021 01:30 AM
- 5939 comments
- 8540 Views
જામનગર, જામનગરની સરકારી ફીઝિયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી. સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવી રહ્યુ હોવાની કોલેજના આચાર્યને ફરિયાદ મળી હતી. જેને આધારે રેંગિંગ કમિટીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં હોસ્ટેલના ૧૫ છાત્રોએ જૂનિયર વિદ્યાર્થિઓની હેરાનગતી કરી રેગીંગ કર્યું હોવાનો તપાસ કમિટીના રીપોર્ટમાં ખુલાસો થયો છે. જેને લઈને કોલેજના પ્રિન્સીપાલે ૧૫ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. ૬ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જ્યારે ૬ વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવાની મનાઈ ફરવામાં આવી છે. તેમજ ત્રણ વિદ્યાર્થીઓને હજુ સુધી સજા કરવામાં આવી નથી. સરકારી ફીઝિયોથેરાપી કોલેજમાં સોમવારે સાંજે બીજા વર્ષના ૨૮ વિદ્યાર્થીઓએ લેખિતમાં રેગિંગની ફરિયાદ આપી હતી. જેને લઈને પ્રિન્સીપાલ દ્વારા આ ફરિયાદ એન્ટી રેગિંગ કમીટીને સોંપી દેવામાં આવી હતી. જેને લઈ ૩ સભ્યોની એન્ટી રેગિંગ કમિટીએ ભોગગ્રસ્ત અને આક્ષેપિત વિદ્યાર્થીઓ મળી કુલ ૪૫ છાત્રોના નિવેદનો નોંધ્યા હતા. તપાસ કમિટીએ બે દિવસ સુધી તપાસ ચલાવી ગઈ કાલે સાંજે રીપોર્ટ તૈયાર કર્યો હતો. તપાસ સમિતિના રીપોર્ટની ભલામણ મુજબ આજે કોલેજના પ્રિન્સીપાલ સોરાણીએ સજાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, હોસ્ટેલમાં જૂનિયર અને સીનિયર વચ્ચે ભેદ ઉભો કરવામાં આવતો હતો. સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર પર અવારનવાર દબાણ ઉભું કરાતું હતું.સીનિયર વિદ્યાર્થીમાં જે ૬ વિદ્યાર્થીઓને વધુ સજા કરવામાં આવી તે વિદ્યાર્થીઓએ આગેવાની લઈ અન્ય વિદ્યાર્થીઓને પોતાની સાથે જાેડ્યા હતા. જેને લઈને આ ૬ વિદ્યાર્થીઓને એક વર્ષ પરીક્ષા આપવા નહી દેવાનો ર્નિણય લેવાયો છે. ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીઓએ રેગિંગની આગેવાની ન લે તે માટે તેની પર અન્ય કરતા સખ્ત પગલા ભરવામાં આવ્યા છે એમ સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલ દિનેશ સોરાણીએ જણાવ્યું છે. જાેકે, આ મામલે ફોજદારી ફરિયાદ દાખલ કરવા અંગે કોલેજ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એ આશ્ચર્યની વાત છે.વધુ વાંચો -
જામનગરમાં અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા ધોવાણ અંગે કૃષિ મંત્રીની ખેડૂતો સાથે બેઠક
- 25, ડિસેમ્બર 2021 01:30 AM
- 8062 comments
- 4606 Views
જામનગર, જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથી ઉંડ-૨ તથા આજી-૪ સિંચાઇ યોજનાના હેઠવાસના કાંઠામાં ધોવાણ થયું હતું. જે બાબતે ખેડુતો સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે બેઠક કરી હતી. સિંચાઇ ખાતાના અધિકારીઓ અને ખેડુતો સાથે ઉંડ-૨ તથા આજી-૪ નદીના નીચવાસના ભારે વરસાદના કારણે નદી કાંઠાને થયેલા નુકશાન બાબતે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈ અધિકારીઓને બેઠકમાં જરૂરી સુચનાઓ આપી હતી. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, જામનગર જિલ્લાના જાેડિયા તાલુકામાં આવેલા ઉંડ-૨ તથા આજી-૪ સિંચાઇ યોજનાના હેઠવાસના કાંઠાઓ અતિવૃષ્ટિના પૂરના કારણે તુટી ગયા છે. કાંઠા ઉપર આવેલા ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું છે. આ ધોવાણ થયેલા ખેડૂતોના ખેતરો તથા નદી કાંઠાને પુનઃમરામત કરી સલામત સ્થિતિમાં લાવવા માટે સરકાર તરફથી જરૂરી કરાવવા સિંચાઇ ખાતાના ઉચ્ચ અધિકારીઓ તથા ખેડૂતો સાથે માર્કેટ યાર્ડ જાેડિયા ખાતે બેઠક યોજી હતી. ખેડુત આગેવાનો ધરમશી ચનિયારા, ભરત દલસાણીયા, જેઠાલાલ અઘેરા, રસીક ભંડેરી, પદુભા જાડેજા, ઘનશ્યામ રાઠોડ, વલ્લભ ગોઠી તથા મોટી સંખ્યામાં ખેડૂતો તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.વધુ વાંચો -
ધુંવાવ નાકાના યુવાનની ઘા મારી કરપીણ હત્યા
- 19, ડિસેમ્બર 2021 01:30 AM
- 1197 comments
- 4027 Views
જામનગર, જામનગરના ધુંવાવ નાકા વિસ્તારમાં રહેતા એક યુવાન ની પૂર્વ આયોજિત કાવતરું ઘડી ખીમલીયા સીમ વિસ્તારમાં છરી તેમજ ધોકાના આડેધડ ઘા મારી કરપીણ હત્યા નીપજાવી હતી. જે પ્રકરણમાં ત્રણ આરોપીઓ સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયા પછી એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ધ્રોલ પંથકમાંથી પકડી પાડયા છે, અને પંચકોશી બી ડિવિજન પોલીસ મથકમા સુપરત કરી દીધા છે. જે ત્રણેયને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જામનગરમાં ધુંવાવ નાકા વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે મુન્નો કાનજીભાઈ વાગોણા નામના યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ જામનગર-ખંભાળિયા હાઇવે રોડ પર સીમલીયા ગામ ના પાટીયા સામે મોરકંડા ગામ તરફ જવાના રસ્તે થી મળી આવ્યા પછી પંચકોશી બી ડિવિઝન પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ ના આધારે ત્રણ આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો પોલીસે જામનગરમાં રહેતી મૃતકની પત્ની પુનમબેન વાધોણા ની ફરિયાદ ના આધારે આરોપીઓ સાગર ઉર્ફે ધમભા મહાકાલ કારડીયા, અમીત પીપળીયા, તથા આકાશ ઉર્ફે બબન કોળી વગેરે સામે ગુન્હો નોંધ્યો હતો. આ કામના આરોપી ધમભા ઉર્ફે મહાકાલનો ઇગ્લીશ દારૂનો પોલીસમાં કેસ થયેલો, તેમાં ફરીયાદીના પતિ મહેશભાઇ વાધોણાએ પોલીસમાં બાતમી આપી હોવાની શંકા ખાર રાખીને ત્રણેય આરોપીઓએ અગાઉથી મરનાર ને મારી નાખવાનો પ્લાન બનાવી મહેશને ફોન કરી બોલાવી ખીમલિયા તરફ બાઇકમાં લઈ ગયા હતા, જ્યાં છરી તથા ધોકાથી શરીરે આડેધડ ઘા મારી ગંભીર ઇજા કરી હત્યા નિપજાવી હતી. જે ગુનો આચરી ત્રણેય આરોપીઓ નાશી ગયા હતા. અને પંચકોશી બી ડિવિઝન તેમજ એસીબીની ટીમ સહિતની પોલીસ ટુકડી ત્રણેય આરોપીઓને શોધી રહી હતી. દરમિયાન એલસીબીએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ ગુનામા સંડોવાયેલા આરોપીઓ શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી આરોપીઓ બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવી હતી. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઇ તલાવડીયા તથા યોગરાજસિંહ રાણાને મળેલી હકિકતના આધારે ધ્રોલ તાલુકાના લૈયારાગામ પાસેથી આ ગુનામા સંડોવાયેલ ત્રણેય આરોપીઓ સંતાયા છે તેવી માહિતીને આધારે ત્રણેયને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે પંચકોષી બી ડીવી પોલીસ મથકને સોપી દીધા હતા. જે ત્રણેય આરોપીઓના રેપીડ કોવિડ ટેસ્ટ કરાયો હતો. જેના રિપોર્ટ નેગેટિવ મળતા હત્યાકેસમાં ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉપરાંત લોહીવાળા કપડા વગેરે કબજે લેવાયા છે.જે ત્રણેયને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂની બાતમી ના પ્રશ્નો ડખો થયો હોવાથી મહેશ ની હત્યાર કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, અને અશોક જામનગર થી તેની સાથે બાઈકમાં બેસીને ખીમલિયા પાસે આવ્યો હતો અને દારૂનો જથ્થો આવવાનો છે, તેમ કહી મોડી રાત્રે બનાવના સ્થળે લઇ જઇ ત્રણેય શખ્સોએ છરી અને ધોકા ના ઘા ઝીકી દીધા હતા. પોલીસ દ્વારા હથિયાર મેળવવા માટે ઉપરાંત મૃતકની બાઈક અને આરોપીના વાહન વગેરે કબજે મેળવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.વધુ વાંચો -
મણીલક્ષ્મી તીર્થથી ‘એન્વાઈરો રાઇડર્સ’ ગ્રુપના સભ્યો દ્વારા સાયકલ યાત્રાનો પ્રારંભ
- 13, ડિસેમ્બર 2021 01:30 AM
- 9289 comments
- 4022 Views
જામનગર, સંધારણીય વિકાસ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જામનગરના ૧૦ સાયકલવિરો તારાપુર ચોકડીથી - ઈન્દોર સુધીની ૪૦૦ કિ.મી.ની સાયકલ યાત્રાએ જવા રવાના થયા હતા. આજ સાંજથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા હાલ વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચી હોવાનું સાયકલીસ્ટોએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.સંધારણીય વિકાસ અને સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય ઉદ્દેશ અને શારીરિક ફિટનેશના સંદેશ સાથે જામનગરથી વાહન મારફતે તારાપુર ખાતે આવેલ મણીલક્ષ્મી તીર્થ પહોંચ્યા બાદ ‘એન્વાઈરો રાઇડર્સ’ ગ્રુપના સાયકલવિરોએ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તારાપુરથી ઈન્દોર સુધીની ૪૦૦ કિ.મી.ની સાયક્લ યાત્રાનું આયોજન કરાયું છે. જે યાત્રા હાલ વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચી છે. જેમાં ૬૩ વર્ષ સુધીની ઉંમરના સભ્યોએ જાેડાય શારીરિક ફિટનેશનો સંદેશો પાઠવ્યો છે. જેમાં જામનગરના જયેન્દ્રભાઈ ગુસાણી, હેમંતભાઈ પાઠક, અરૂણભાઈ મુન્જાલ, હરેશભાઈ ઠકરાર, બાલકૃષ્ણભાઈ બગડાઈ, વિનોદભાઈ બથીયા, પ્રદિપભાઈ કટેશિયા, તરુણભાઈ ગુસાણી, ચંદ્રેશભાઈ શેઠ, રાહુલભાઈ ગણાત્રા અને અમિત મહેતા જાેડાયા છે. તારાપુર ચોકડીથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા વડતાલ, ધાર થઈ ઉજૈન અને ત્યાર બાદ ઈન્દોર પહોંચશે. ઉલ્લેખનિય છે કે શરીરિક ફિટનેસ અને સ્વચ્છતાના સામાજિક સંદેશ સાથે સતત બીજા વર્ષે ‘એન્વાઈરો રાઇડર્સ’ ગ્રુપના આ સભ્યો દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે. ગત વર્ષે જામનગરથી નાથદ્વારા સુધી ૬૨૦ કિલોમીટરની સાયકલ યાત્રા યોજવામાં આવી હોવાનું સાયલકવિરોએ જણાવ્યું હતું.વધુ વાંચો -
એચ.આઇ.વી ટેસ્ટીંગ માટે જી.જી હોસ્પિટલને રાજ્યમાં પ્રથમ નંબર
- 04, ડિસેમ્બર 2021 01:30 AM
- 840 comments
- 7676 Views
જામનગર, જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ તથા ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના ગાયનેક વિભાગને નવજાત શીશુમાં એચઆઇવીનો ફેલાવો અટકે માટે લીધેલા તકેદારીનાં પગલાં તેમજ હાયર ટેસ્ટીંગ બદલ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગના વડા ડો.નલીની આનંદે જણાવ્યું હતુ કે, જી.જી. હોસ્પિટલમાં પ્રસુતી કરાવવા આવતા દરેક મહિલા દર્દીઓના એચઆઇવી ટેસ્ટમાં સમગ્ર રાજ્યમાં જામનગરે પ્રથમ ક્રમાક મેળવ્યો છે. માતાથી બાળકમાં એચઆઇવીનો ચેપ ન પ્રસરે તે માટે જીએસએસી દ્વારા ચાલતા પીપીટીસીટી પ્રોગ્રામ અંતર્ગત રાજ્યની તમામ મેડીકલ કોલેજમાં જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને વર્લ્ડ એઈડસ દિવસ અંતર્ગત રાજકોટમાં મમતા કલીનીકમાં સૌથી વધુ એચઆઇવી ટેસ્ટીંગ લોડ એવોર્ડ સન્માનિત કરવામાં આવી છે. આ માટે ડો. નલીની આનંદે સ્ત્રીરોગ અને પ્રસુતી વિભાગના લેબ ટેકનીશીયન, કાઉન્સિલર, રેસીડ્ન્ટ ડોકટર્સ, માઇક્રોબાયોલોજી વિભાગ વગેરેની કામગીરીને બિરદાવી હતી.વધુ વાંચો -
જામનગરના કોન્ટ્રાક્ટરને બેંગ્લોરની પેઢીએ ૪૭ લાખનો ચૂનો ચોપડ્યો
- 04, ડિસેમ્બર 2021 01:30 AM
- 219 comments
- 2121 Views
જામનગર, જામનગરના કોન્ટ્રાક્ટર સાથે રૂપિયા ૪૭.૫૦ લાખની છેતરપિંડી થયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. બેંગ્લોર સ્થિત એક પેઢીના કર્મચારીએ ચાઈનાથી કન્ટ્રકશન મશીન ઈમ્પોર્ટ કરી આપવા માટે સમયાંતરે રૂપિયા પડાવી, અંતે મશીન કે રૂપિયા પરત નહી કરી જામનગરના આસામી સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.જામનગરમાં સુમેર કલબ રોડ પર જય કેબલની સામેં રહેતા અને બાંધકામના ધંધામાં સક્રિય એવા વિનોદભાઈ વાડોદરિયાએ પોતાના ધંધાર્થે ઓટોમેટિક મશીનની જરૂર હોવાથી બેંગ્લોર સ્થિત મેસર્સ સિકોન ઇન્ફ્રાટેક પ્રા.લીમીટેડ નામની કંપનીનો સંપર્ક કર્યો હતો અને કવોટેશન મંગાવ્યું હતું. દરમિયાન આ કંપનીના ડાયરેક્ટર સીબુ પોલે બાંધકામના વ્યવસાય માટે ઓમોટીક ૐડ્ઢડ્ઢ ૨ન્ ૨૦૦છ મશીન માટે એક પત્ર પાઠવી ચાઈનાથી આ મશીન ઈમ્પોર્ટ કરવા અંગે મૂળ કીમત, ઇમ્પોર્ટ ડ્યુટી તથા કસ્ટમ ડ્યુટી સહિત રૂપિયા ૪૭,૫૦,૦૦૦નું એસ્ટીમેટ આપ્યું હતું. પ્રત્યુતર રૂપે જામનગરનાં આસામીએ મશીન ખરીદ કરવાનો ઓર્ડર આપી,અલગ અલગ ચેકથી, અલગ-અલગ સમયે રૂપિયા ૪૭.૫૦ લાખની રકમ મેળવી લીધી હતી. ત્યાર બાદ મશીન સપ્લાય ન કરી અને રૂપિયા પણ પરત ન કરી આરોપી સીબુએ લાખો રૂપિયા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું.મોટા કન્ટ્રકશન કામમાં ઉપયોગમાં લેવાતું એચડીડી-૨ એલ ૨૦૦એ ખરીદ કરવાની પ્રાથમિક ઓપચારિકતા પૂર્ણ કરી કોન્ટ્રાકટર વિનોદભાઈએ બેંગ્લોરની કંપનીના ડાયરેક્ટર સીબુને તા. ૨/૩/૨૦૧૯ના રોજ ચાર લાખ રૂપિયા અને ૧૩/૩/૨૦૧૯ના રોજ આઠ લાખ રૂપિયા મળી કુલ ૧૪ લાખ રૂપિયા એડવાન્સ પેટે ચૂકવી દીધા હતા. ૧૪ લાખ ચૂકતે થઇ ગયા પછી કંપની તરફ એમ કહેવામાં આવ્યું હતું કે મશીનનો ઓર્ડર આપી દેવાયો છે.બેંગ્લોરની કંપનીએ ચાઈના સ્થિત કંપનીને મશીન પરચેજનો ઓર્ડર આપ્યા બાદ તેઓના તરફથી ગત તા. ૨૨-૦૧-૨૦૨૦ ના રોજ કહેવામાં આવ્યું હતું કે મશીન તૈયાર થઇ ગયું છે. જેથી આજે તમે રૂપિયા ૧૫ લાખ ચૂકવી આપો, જેને લઈને જામનગરના બિલ્ડરે રૂપિયા ૧૫ લાખ પણ ચૂકવી દીધા હતા. આમ મશીન તૈયાર થવા સુધીમાં ૨૯ લાખની રકમ ચૂકવી દેવામાં હતી.મશીન ખરીદ પ્રક્રિયાને દસ માસના સમય ગાળામાં બેંગ્લોરની પેઢીએ રૂપિયા ૨૯ લાખ લઇ લીધા બાદ તા. ૫/૩/૨૦૨૦ના રોજ બાકી રહેતા રૂપિયા ૨૦.૫૦ લાખ મોકલી આપવા કહ્યું હતું. જેને લઈને વિનોદભાઈએ આ રૂપિયા પણ ચૂકતે કરી એસ્ટીમેટ મુજબની રૂપિયા ૪૭.૫૦ લાખની રકમ મશીન આવે તે પૂર્વે જ ચુકતે કરી દીધી હતી.‘મશીન ચેન્નઈ આવી ગયું છે કોરોનામાં ફસાયું છે’ઓટોમેટીક મશીનના ઓર્ડર બાદ બેંગ્લોરની કંપનીએ મશીનની તમામ લાગત કોસ્ટ વશુલ કરી લીધી હતી.વધુ વાંચો -
જામનગરમાં રોડ ઉપર ગેરકાયદે ખડકી દેવાયેલું મકાન મનપા દ્વારા તોડી પડાયું
- 30, નવેમ્બર 2021 01:30 AM
- 8759 comments
- 609 Views
જામનગર, જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સોમવારના રોજ ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વિભાપર રોડ પર આવેલ અડચણરૂપ ગેરકાયદે મકાન તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જાેકે, થોડા સમય પહેલા આ મકાન તોડી પાડવા માટે કામગીરી શરૂ કરવામાં આવતા મકાન માલીક દ્વારા આત્મવિલોપનની ધમકી આપવામાં આવતા કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. જામનગરના વિભાપર રોડ પર રહેતા ઇકબાલ ખફી નામના આસામીનું ગેરકાયદે મકાન તોડી પાડવાની કાર્યવાહી જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ શાખા દ્વારા સોમવારના રોજ હાથ ધરવામાં આવી હતી.જેમાં અગાઉ મકાન માલીક ઇકબાલ ખફી અને પરિવારે મકાન તોડી પાડશો તો આત્મવિલોપનની ધમકી આપતા ડીમોલેશનની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. જે કાર્યવાહી સોમવારના રોજ ફરી હાથ ધરવામાં આવી હતી અને મકાન તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે મકાનના આગળનો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. બાદમાં ઘરની અંદર સામાન પડયો હોય જે દૂર કરવા માટે તંત્ર દ્વારા મકાનનો અમુક ભાગ બાકી રાખી દેવામાં આવ્યો હતો.વધુ વાંચો -
મુકેશ અંબાણીએ ખરીદેલા લાખોની કિંમતના બે દુર્લભ ઓલિવ વૃક્ષો જામનગરના બંગલોમાં મુકવામાં આવશે
- 28, નવેમ્બર 2021 01:30 AM
- 9147 comments
- 2322 Views
જામનગર, દેશના સૌથી અમીર શખ્સ મુકેશ અંબાણીની કોઈ પણ વાત સામાન્ય હોય નથી. તેઓ જે પણ વસ્તુ ખરીદે છે તે ખાસ હોય છે. મુંબઈના એન્ટીલિયા હાઉસ બાદ હવે તેમનુ જામનગરનું અંબાણી હાઉસ પણ ખાસ બનવા જઈ રહ્યું છે. કારણ કે, અહી સ્પેનથી મંગાવેલા લાખોની કિંમતના બે મોટા વૃક્ષ મૂકાવા જઈ રહ્યાં છે. જેની ગણના વિશ્વના દુર્લભ વૃક્ષોમાં થાય છે. મુકેશ અંબાણીના જામનગરના બંગલામાં જલ્દી જ દુર્લભ ઓલિવના વૃક્ષો લાગવા જઈ રહ્યાં છે, જેમને આંધ્રપ્રદેશની એક નર્સરીમાં ઉછેરવામાં આવ્યા હતા. ૧૮૦ વર્ષ જૂના ઓલિવના વૃક્ષને લગભગ ત્રણ વર્ષ પહેલા સ્પેનથી લાવવામાં આવ્યા હતા, જે આંધ્રપ્રદેશની ગૌતમી નર્સરીમાં ઉછી રહ્યા હતા. બે દિવસ પહેલા ૨૪ નવેમ્બરના રોજ બે ઓલિવ ટ્રીને ટ્રક પર લાદવામાં આવ્યા હતા અને ગુજરાત તરફ આવવા રવાના કરાયા હતા. પાંચ દિવસમાં આ બંને મહાકાય વૃક્ષો જામનગર પહોંચી જશે. જાેકે, ગૌતમી નર્સરીએ વૃક્ષોની કિંમત વિશે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, અંબાણીએ બંને ઓલિવ વૃક્ષોના ટ્રાન્સપોર્ટેશન સહિત લગભગ ૮૫ લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. આંધ્રપ્રદેશની ગૌતમી નર્સરીના માલિક માર્ગની વીરબાબૂએ કહ્યું કે, તેમને લગભગ એક સપ્તાહ પહેલા અંબાણી હાઉસમાંથી ઓર્ડર મળ્યો હતો. એક આર્કિટેક્ટને અમે અંબાણી હાઉસમાં મોકલ્યો હતો. તેના બાદ રિલાયન્સના કર્મચારીઓએ ગત સપ્તાહમાં ઓર્ડર આપ્યો હતો. અમને કહેવામાં આવ્યું કે, અંબાણીના જામનગર સ્થિત બંગલોમાં આ વૃક્ષોને મૂકવામાં આવશે. આ દુર્લભ વૃક્ષની વાત કરીએ તો, પ્રત્યેક વૃક્ષનું વજન લગભગ ૨ ટન છે. તેના મૂળને કાળજીપૂર્વક ધરતી સાથે બાંધવામાં આવે છે. બાદમાં તેને ઢાંકીને ટ્રાન્સપોર્ટેશન માટે મોકલાય છે. વૃક્ષને ટ્રક પર લોડ કરવા માટે ૨૫ લોકોની ટીમ કામે લાગી હતી. હાઈડ્રોલિક ક્રેનની મદદથી વૃક્ષોને ટ્રકમાં લોડ કરવામાં આવ્યા હતા. આ વૃક્ષ નાજુક પ્રકૃતિના હોવાથી તેમને લઈ જતુ વાહન ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની સ્પીડથી પસાર થાય છે. આ કારણે તેને જામનગર પહોંચતા ૫ દિવસ લાગશે. વીરબાબુએ જણાવ્યું કે, અંબાણી પરિવાર જામનગરમાં એક ઝૂ બનાવી રહ્યું છે. અહી ઈકો સિસ્ટમ ડેવલપ કરવામા આવશે.વધુ વાંચો -
જામનગરમાં ૧૦ કિલો ગાંજા સાથે ચાર આરોપીને ઝડપતી એસઓજી
- 27, નવેમ્બર 2021 01:30 AM
- 7346 comments
- 1554 Views
જામનગર, જામનગરમાં ડ્રગ્સ સહિત ગાંજાનો કાળો કારોબાર સતત વધી રહ્યો છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ પોલીસ જામનગરમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કારમાં ૧૦ કિલો ગાંજાે ભરી જઈ રહેલા ૪ શખ્સોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યાં હતા. પોલીસે રૂપિયા ૪.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગરમાં કેફી દ્રવ્યને ડામવા પોલીસ સર્તક બની છે. પોલીસે ડ્રગ્સ ઝડપ્યા બાદ હાલ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઈકો કારમાં ગાંજાનો જથ્થો લઈને જઈ રહેલા ૪ શખ્સોને પોલીસે દબોચી લીધા છે. બે આરોપીઓ અગાઉ પણ ગાંજા પ્રકરણમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. એસઓજી પોલીસે ચોક્કસ હક્કિતના આધારે રેડ કરી હતી. જેમાં આરોપી સલીમ ઉર્ફે સલીયો વલીમામદ માકોડા, રાહુલ ઉર્ફે કારો રાજુભાઇ દતેશરીયા, તુષાર ઉર્ફે ટકો હરીશભાઇ ગણાત્રા , મહેન્દ્રસિંહ ઉર્ફે મેદીયો ઉમેદસિંહ જાડેજા તમામ જામનગર વાળાઓને ઇક્કો ગાડી સાથે૧૦ કિલો ૩૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ૧૦ કિલો ગાંજાે તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪,૪૮,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ શખ્સો વિરૂદ્ધ સીટી બી ડીવી. પો.સ્ટે.માં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કર્યો છે. મજકુર સલીમ વલીમામદ માકોડા તથા રાહુલ ઉર્ફે કારો રાજુભાઇ દતેશરીયા અગાઉ પણ ગાંજાના કેસમાં ઝડપાયા હોવાની હકીકત પણ સામે આવી છે.વધુ વાંચો -
૧૨ કલાકમાં મગફળીની ૨૩૦૦૦ ગુણીની મબલક આવક થઇ
- 25, નવેમ્બર 2021 01:30 AM
- 9964 comments
- 3065 Views
જામનગર, શહેરના હાપા માર્કેટીંગ યાર્ડ મગફળીથી ઊભરાઈ રહ્યું છે. મગફળીની મબલખ આવક થઈ રહી છે. ૧૨ કલાકમાં ૨૩૦૦૦ ગુણીની આવક યાર્ડમાં થઈ હતી. માત્ર જામનગર જિલ્લાના જ નહીં પણ અન્ય જિલ્લા અને તાલુકાના ખેડુતો જામનગરના યાર્ડમાં માલના વેચાણ માટે આવવાનુ પસંદ કરી રહ્યા છે. ઓકટોબરથી શરૂ થયેલી મગફળીની આવકમાં અત્યાર સુધીમાં સવા લાખથી વધુ મગફળીની ગુણીની આવક થઈ ચુકી છે. વારંવાર નવી આવક પર રોક મુકવા માટે યાર્ડ સંચાલક મજબુર બન્યા છે. જગ્યાના અભાવે આવેલી મગફળીના વેચાણ બાદ જગ્યા થાય બાદ ફરી નવી આવક શરૂ કરવામાં આવે છે.જામનગરનું હાપા માર્કેટીંગ યાર્ડ મગફળી માટેનું હબ બની રહ્યું છે. સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો હાપા માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે. ગત વર્ષે રાજયમાં સૌથી વધુ ભાવ હાપામાં નોંધાયા હતા. ફરી આ વખતે ખેડુતોને મગફળીના મણના ૧૬૬૫ રૂપિયા જેટલો ઉંચો ભાવ મળ્યો છે. મગફળીની આવક વધતા નવી આવક પર રોક લગાવી પડે છે. જયારે ૧૨ કલાક માટે આવક શરૂ કરતા ૩૫૦ જેટલા ખેડુતો ૨૩ હજાર ગુણી સાથે યાર્ડ પહોચ્યા. ૪૦ હજારથી વધુ મણનો જથ્થો ૧૨ કલાકમાં યાર્ડમાં આવ્યો હતો. જામનગર જિલ્લાના તમામ તાલુકા અને કચ્છ, મોરબી, દેવભુમિદ્વારકા, અમરેલી, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી ખેડુતો મગફળી વેચવા આવી રહ્યા છે.અહીં સ્થાનિક વેપારીઓની સંખ્યા તેમજ તામિલનાડુના ૫૦ જેટલા વેપારીઓ હોવાથી હરીફાઈથી હરાજીમાં સારો ભાવ ખેડુતોને મળે છે. ટેકાનો ભાવ મણના ૧૧૧૦ ખેડુતો મળે છે. જયારે અહીં ખુલ્લા બજારમાં ૧૦૦૦થી ૧૬૬૫ સુધીનો ભાવ ખેડુતોને મળે છે. ટેકાભાવે વેચાણમાં ખેડુતોને અને મુશકેલી રહેતી હોય છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન, વારાની રાહ જાેવાની, રીઝેકશન થવાની શકયતા, પૈસા મેળવવા માટે રાહ જાેવાની, સહિતની મુશ્કેલી થાય. જયારે ખૂલ્લામાં ના રજીસ્ટ્રેશન, ના વારાની રાહ, તેમજ ખુલ્લા બજારમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળે છે. અને રોકડેથી વ્યવહાર હોવાથી ખેડુતો ખુલ્લા બજારને પસંદ કરે છે. તામિલનાડુના વેપારીઓ યાર્ડમાં મગફળીની ખરીદી માટે આવતા સૌરાષ્ટ્રના ખેડુતોને મગફળીના પુરતા ભાવ મળી રહ્યા છે. તમિલનાડુના વેપારીઓ દ્વારા મગફળીની ૯ નંબર અને ૬૬ નંબરની ખરીદી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, જેથી તેના ભાવ અન્ય પ્રમાણમાં સારા મળી રહ્યા છે. ખુલ્લા બજારમાં સારા ભાવના કારણે સૌરાષ્ટ્રભરના ખેડુતો હાપા યાર્ડ સુધી આવે છે.વધુ વાંચો -
જામનગરના યુવકનું બ્રેનડેડ થતા તેના પરિવારે અંગદાન કર્યું
- 25, નવેમ્બર 2021 01:30 AM
- 2423 comments
- 2986 Views
રાજકોટ, જામનગરમાં દીપક અપરિણીત હતો અને બી.કોમ. સુધી અભ્યાસ કરી પ્રાઇવેટ નોકરી કરતો હતો. દીપક ત્રણ ભાઇ-બહેનમાં સૌથી મોટો હતો. ૪૨ વર્ષની ઉંમરે બ્રેનસ્ટ્રોકને કારણે બ્રેનડેડ જાહેર થતાં આજે પરિવારજનોએ અંગદાન અંગે ર્નિણય કર્યો હતો અને ૬ લોકોને નવજીવન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સિનર્જી હોસ્પિટલ ખાતેથી અગાઉ બે વખત કિડની ડોનેટ અમદાવાદ ખાતે કરવામાં આવી હતી, જ્યારે હૃદય અને લિવરનું પ્રથમ વખત ડોનેશન કરવામાં આવ્યું હતું.ર્ સિનર્જી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો.સુરસિંહ બારડે જણાવ્યું હતું કે જામનગરના દીપક ત્રિવેદી નામના દર્દીને નાની ઉંમરે બ્રેનસ્ટ્રોકને કારણે બ્રેનડેડ જાહેર થતાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા પરિવારને અંગદાન અંગે જાગ્રત કર્યો હતો. પરિવારજનોએ ૬ અંગનું દાન કરવા ર્નિણય કરવામાં આવતાં આજે ગ્રીન કોરિડોરની મદદથી હૃદયને બાય એર અમદાવાદ સિમ્સ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે બે કિડની, લિવર ઝાયડસ હોસ્પિટલ ખાતે બાય રોડ પહોંચાડવામાં આવશે અને દર્દીની બંને આંખનું રાજકોટમાં દાન કરવામાં આવશે.દીપક ત્રિવેદી નામના યુવાનને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, આથી તેને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલ લવાયો હતો, પરંતુ તબીબોએ બ્રેનડેડ જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જાેકે દીપક તેમના નામના અર્થ મુજબ બીજાના જીવનમાં પ્રકાશ પ્રજ્વલિત કરીને કાયમ જીવંત રહી શકે એ માટે પરિવારજનોએ તેનાં અંગોનું દાન કરવા ર્નિણય કર્યો હતો. આજે બપોરે અમદાવાદની સિમ્સ હોસ્પિટલની ટીમ રાજકોટ આવી હતી અને દીપકનું ધબકતું હૃદય બહાર કાઢ્યું હતું. બાદમાં સિનર્જી હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફત ધબકતું હૃદય સાડા છ મિનીટમાં એરપોર્ટ પહોંચાડ્યું હતું અને ત્યાંથી બાય એર અમદાવાદ રવાના થયું છે. આ ઉપરાંત બે કિડની, લિવર અને બે આંખનાં દાન થકી દીપક ૬ વ્યક્તિમાં જીવિત રહેશે. જામનગરની પંચવટી સોસાયટીમાં રહેતા દીપક ત્રિવેદી નામના યુવાનને સોમવારે સવારે તેમના ઘરે અચાનક માથું દુખવા લાગતાં ઊલટી થવા લાગી હતી. બાદમાં જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ રાજકોટની સનર્જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં ગઇકાલે બપોરે ટૂંકી સારવાર બાદ તેને બ્રેનડેડ જાહેર કરાયો હતો. આજે પરિવારજનો દ્વારા તેમનાં અંગોનું દાન કરવા ર્નિણય કરાયો હતો. દીપકનાં અંગો થકી બીજી ૬ જિંદગીને નવજીવન મળશે. તેમના પુત્રને હંમેશ માટે જીવંત જાેવા પરિવારે આ ર્નિણય કર્યો હતો. દીપકના પિતા કિશોરચંદ્ર ત્રિવેદીએ મારો પુત્ર દીપક તેમના નામના અર્થ મુજબ બીજા ૬ લોકોની જિંદગીમાં પ્રકાશ પ્રજ્વલિત કરી નવજીવન આપશે. તેનાં અંગોનું દાન કરવામાં આવ્યું છે અને એના થકી બીજાની જિંદગીમાં કાયમ જીવંત રહેશે. તેનાં અંગો થકી બીજા લોકોના શરીરમાં અમે તેને કાયમ જીવંત જાેઈશું. ભગવાન તેના આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના છે.વધુ વાંચો -
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ જામનગરની મુલાકાતે આવતાં રાજકીય માહોલ ગરમાયો
- 24, નવેમ્બર 2021 01:30 AM
- 1851 comments
- 2216 Views
જામનગર, જામનગરમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મુલાકાત લેતા રાજકીય માહોલ ગરમાયો હતો. શહેરમાં ચર્ચાઓએ પણ જાેર પકડ્યું હતું. બપોર બાદ નરેશ પટેલે જામનગર શહેરમાં અનેક જગ્યાએ આગેવાનોની ઓફિસ તેમજ નિવાસસ્થાનોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓ કોઈપણ રાજકીય લોકોને મળ્યા નહોતા અને સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલની જામનગરની મુલાકાત પાછળ કારણ શું હશે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે જામનગરની મુલાકાત લીધી હતી, જે દરમિયાન રણજીતનગર પટેલ સમાજ તેમજ સમાજના સામાજિક આગેવાનો અને શ્રેષ્ઠીઓની તેમણે મુલાકાત લીધી હતી. આ સિવાય ખોડલધામના પાયાના કાર્યકરો અને પૂર્વ હોદ્દેદારો સાથે પણ તેમણે મિટિંગ યોજી હતી. ત્યારબાદ તેમણે જામનગર જિલ્લા ખોડલધામ સમિતિની કાર્ય મુલાકાત લીધી હતી, જે દરમિયાન ખોડલધામ સમિતિના કન્વીનર તથા મહિલાઓ પણ મિટિંગમાં ઉપસ્થિત રહ્યાં હતાં. નરેશ પટેલે જામનગરમાં અલગ-અલગ પાંચથી વધુ જગ્યાએ મીટીંગ યોજી હતી. જેમાં આગેવાનોના નિવાસસ્થાને જઇ મિટિંગો કરતાં અને સૂચનો લેવાતાં સમાજને પડતી મુશ્કેલીના પ્રશ્નો પણ તેમની સામે આવ્યા હતા. આ સિવાય તેમની આ મુલાકાતના સંદર્ભે જામનગરમાં અનેક તર્ક-વિતર્કો પણ સર્જાયા હતા.વધુ વાંચો -
ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓને ભૂલે છે એમની હવા કાઢીશું
- 22, નવેમ્બર 2021 01:30 AM
- 8071 comments
- 7201 Views
જામનગર, જામનગર ભાજપના સ્નેહ મિલન તેમજ લોકાર્પણના કાર્યક્રમમાં આવેલા પ્રદેશ પ્રમુખ પાટીલે પોતાના આકમક તૈવર દેખાડતા કહ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધીઓમાં હવા ભરાય ગઇ હશે તો તેને કાઢી નાખવામાં આવશે, કાર્યક્રરોનું સન્માન જાળવવું પડશે. નરેન્દ્ર મોદી અને અમીત શાહના નામે ચૂંટણી જીતો છો તે ભુલતા નહી તેમ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જણાવ્યું હતું. જામનગર ભાજપના સ્નેહ મિલન માટે આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ૧૨ કરોડના વિકાસ કામો જેમાં કાલાવડ તાલુકા પંચાયતનું ભવન, તલાટી કર્મચારી આવાસનું ખાતમુહુર્ત કર્યુ હતું આ પછી તેમણે જામનગરમાં પ્રહ્મ પુરસ્કાર અને ગૌરવ પુરસ્કારથી સન્માનીત વિશિષ્ટ એવોર્ડ કાર્ય કરનાઓને સન્માનીત કર્યા હતાં.ત્યાર બાદ ઓશવાળ સેન્ટરના મેદાનમાં સ્નેહ મિલનના કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધીઓમાં હવા ભરાઇ ગઇ હશે તો તેને કાઢી નાખવામાં આવશે, કાર્યકરોનું સન્માન જાળવવું પડશે, નરેન્દ્ર મોદી અને અમીત શાહના નામે ચૂંટણી જીતો છો તે ભુલી ન જતાં આ ઉપરાંત તેમણે વિદ્યાન સભાની ચૂંટણીમાં ૧૮૨ સીટનો ટાર્ગેટ હોવાનું જણાવ્યું હતું અને તેના માટે તમામે કામે લાગી જવા કહ્યું હતું. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, હવે તમે સચિવાલયમાં જાઓ છો, ત્યારે આજ મંત્રીઓ જે અહીંયા બેઠા છે એજ મંત્રીઓ તમને આવકાર આપે છે. તમારી વાત સાંભળે છે, તમને ચા-પાણીનું પૂછે છે, પહેલાં નહોતા પૂછતા. હવે તો જમવાનું પણ પૂછશે. નહીં જમાડે તો પણ જમાડવું પડશે, મારૂ બધા પર ધ્યાન છે. મિત્રો, સરકાર બલદાય, મંત્રીઓ બદલાય. મંત્રીઓ એટલે બદલાય કે નવી કેડર ઉભી કરવાની ભારતીય જનતાપાર્ટીની પરંપરા રહીં છે. આવનારા દિવસોમાં નવું લોહી આવે, ભારતીય જનતાપાર્ટીની ધુરા સંભાળવા માટે સક્ષમ બને. પાટીલે વધુમાં જણાવ્યું કે, ઉમેદવારો જ્યારે જીતતા હોય છે, ત્યારે કેટલાકને હવા પણ ભરાઇ જતી હોય છે, કાર્યકર્તાઓને ભૂલી જતાં હોય છે. પણ હવે તે હવા કાઢી નાખવામાં આવશે. કાર્યકર્તાનું કોઇપણ મંત્રી અપમાન કરશે તો તેને સહન કરવામાં આવશે નહીં.વધુ વાંચો -
કંગના રાણાવત સામે ફરિયાદ નોંધવા જામનગર મહિલા કોંગ્રેસનું પોલીસવડાને આવેદન
- 19, નવેમ્બર 2021 01:30 AM
- 5233 comments
- 4487 Views
જામનગર, જામનગરમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત ઉપર ફરિયાદ નોંધવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને મહિલા નગરસેવિકા દ્વારા ગુરૂવારના રોજ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કંગના રણાવત અવાર-નવાર દેશની શાંતિ અને ભાઈચારો બગડે એવા નિવેદનો આપ્યા છે. આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્માગાંધી વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરેલી છે જે ખુબજ આઘાતજનક છે અને લોકોની લાગણી દુભાઈ છે અને દેશની શાંતિ માટે ખતરારૂપ છે. જ્યારે કંગના રણાવતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મહાત્મા ગાંધી ઉપર અપમાનજનક લખાણ લખ્યું છે, એમાં મહાત્મા ગાંધીને સત્તાના ભૂખ્યા અને ચાલક ગણાવ્યા છે.કંગના રણાવત સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ગુરૂવારના રોજ જિલ્લા પોલીસ વડાની કચેરી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નયનાબા જાડેજા, મહિલા કોર્પોરેટર જેનમ ખફી રચનાબેન નંદાણીયા સહિત મહિલા આગેવાનો જિલ્લા પોલીસ વડાની કચેરી રજૂઆત કરી આવેદનપત્ર અને માંગણી કરી હતી. દેશની શાંતિ અને ભાઈચારો બગડે એવા નિવેદનો આપતી હોય ફરિયાદ નોંધવા રજૂઆત જામનગરમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત ઉપર ફરિયાદ નોંધવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને મહિલા નગરસેવિકા દ્વારા ગુરૂવારના રોજ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કંગના રણાવત અવાર-નવાર દેશની શાંતિ અને ભાઈચારો બગડે એવા નિવેદનો આપ્યા છે. આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્માગાંધી વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરેલી છે જે ખુબજ આઘાતજનક છે અને લોકોની લાગણી દુભાઈ છે અને દેશની શાંતિ માટે ખતરારૂપ છે. જ્યારે કંગના રણાવતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મહાત્મા ગાંધી ઉપર અપમાનજનક લખાણ લખ્યું છે, એમાં મહાત્મા ગાંધીને સત્તાના ભૂખ્યા અને ચાલક ગણાવ્યા છે.કંગના રણાવત સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ગુરૂવારના રોજ જિલ્લા પોલીસ વડાની કચેરી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નયનાબા જાડેજા, મહિલા કોર્પોરેટર જેનમ ખફી રચનાબેન નંદાણીયા સહિત મહિલા આગેવાનો જિલ્લા પોલીસ વડાની કચેરી રજૂઆત કરી આવેદનપત્ર અને માંગણી કરી હતી.વધુ વાંચો -
કાલાવાડમાં પરિવારે જેમના અંતિમ સંસ્કાર કર્યા એ વૃદ્ધ જીવતા પરત ફરતા લોકો પણ ડઘાઇ ગયા
- 16, નવેમ્બર 2021 01:30 AM
- 3108 comments
- 2232 Views
જામનગર,જામનગરમાં લાપતા બનેલા બે વૃદ્ધનો અજીબોગરીબ કિસ્સો છે. કાલાવડ નાકા બહાર જેના નામે અંતિમ સંસ્કાર કરી નાંખ્યા એ વૃદ્ધ ઘરે પહોંચતા ભારે આશ્ચર્ય સર્જાયુ હતું. ત્યારે પરિવાર અને પોલીસ તંત્ર બંનેની બેદરકારી સામે આવી છે. પોલીસ અને પરિવાર બંને દ્વારા લાશની યોગ્ય રીતે ખરાઈ ન કરાતા આ ભેદ સર્જાયો હતો. જામનગરના કાલાવાડ વિસ્તારની આ ઘટના છે. આ વિસ્તારમાં રહેતા દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ અને કેશુભાઈ મકવાણા નામના બે વૃદ્ધો અલગ અલગ કિસ્સામાં ગુમ થયા હતા. બંનેના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં આ વિશે જાણ કરાઈ હતી. ત્યારે શાકમાર્કેટ વિસ્તારમાં એક વૃદ્ધની લાશ મળી આવી હતી. પોલીસે આ વિશે કેશુભાઈ મકવાણાના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારે તેમના પરિવારે મૃતદેહ સ્વીકારીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. જાેકે, સમગ્ર અંતિમ વિધિ પૂરી થઈ ત્યારે કેશુભાઈ મકવાણા ઘરે આવ્યા હતા. આ જાેઈને પરિવાર ડઘાઈ ગયો હતો. ત્યારે સમગ્ર મામલો ફરીથી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. દયાળજી રાઠોડના પરિવારે મૃતદેહની ઝીણવટથી ખરાઈ નહીં કરતાં મામલો સામે આવ્યો હતો. તેમણે દયાળજી રાઠોડ નામના વૃદ્ધને કેશુ મકવાણા સમજીને અંતિમ સંસ્કાર કર્યા હતા. પરંતુ કેશુ મકવાણા ઘરે જીવતા પરત આવતા પરિવાર આશ્ચર્યમાં મૂકાયો હતો. જે વ્યકિતના અંતિમ સંસ્કાર કરી નખાયા તે કેશુભાઈ મકવાણા નહીં પણ કાલાવડ નાકા બહાર રહેતા દયાળજીભાઈ રાઠોડનો મૃતદેહ હતો. આમ, દયાળજીભાઈ પરત આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જીવિત વ્યક્તિને બદલે અન્ય ગુમ વ્યક્તિના મૃતદેહને અન્યના પરિવારજનોએ અંતિમ વિધિ કરી દીધી હતી. બંને પરિવારોએ લાશની ઓળખ યોગ્ય રીતે ના કરી તેમજ પોલીસે પણ જરૂરી આધારોની ચકાસણી યોગ્ય રીતે ન કરી. ત્યારે હવે પોલીસે ફરીથી અલગ કાર્યવાહી કરવી પડી હતી. આજે સ્મશાનમાં જઈ અને અસ્થીકુંભમાં પણ નામ ફેરફાર કરવામાં આવ્યા હતા. સ્મશાનગૃહમાં મૃતકના અસ્થિઓ નામ લખી રાખવામા આવે છે. કેશુભાઈના પરિવારજનો દ્વારા અસ્થિકુંભ પર નામ લખાવેલું હોવાના કારણે હવે દયાળજીભાઈના પરિવાર દ્વારા અસ્થિકુંભનું નામ બદલવા ઉપરાંત મૃત્યુના દાખલા મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી છે.વધુ વાંચો -
જામનગરમાં ચોરીની અનેક ઘટનાને અંજામ આપનારો નામચીન ચોર ઝડપાયો
- 15, નવેમ્બર 2021 01:30 AM
- 8674 comments
- 8948 Views
જામનગર, જામનગર જિલ્લા સહીત અનેક સ્થળોએ અનેક વખત ચોરી કરી નામચીન બની ગયેલો હુસેન ઉર્ફે હુસનાને ન્ઝ્રમ્ સ્ટાફ ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલાવડીયા અને હરદીપભાઈ ધાંધલ ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આરોપીએ છેલ્લા ત્રણ મહિનામાં જામનગરમાં પાંચ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારે તેની પાસેથી સોના-ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યાં છે. બીજી તરફ આરોપીની પૂછપરછમાં દાગીના ખરીદનારા સોનીની પણ સંડોવણી ખુલી છે. પોલીસે હાલ સોનીને ફરાર દર્શાવી તેની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.જામનગરમાં હરીયા સ્કૂલની પાછળ, જેનદેરાસર પાસે રહેતા ભરતભાઇ કાંતીલાલ કારીયા આજથી આશરે અઢી-ત્રણ મહિના પહેલા પોતાના પુત્રના ઘરે અમદાવાદ ખાતે ગયા હતા, ત્યારે પાછળથી કોઇ અજાણયા ઇસમે ફરીયાદીના મકાનના તાળા તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૪૦,૯૧૩ની ચોરી કરી હતી. જેથી ફરીયાદીએ સીટી સી ડીવી પો.સ્ટે.માં અજાણયા ઈસમ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરાવી હતી.આ ઉપરાંત યાદવનગરમાં રહેતા ઉમૈદભાઇ ભીમાભાઇ રાઠોડ તથા તેમની બાજુમાં રહેતા સંજયભાઇ ભીખુભાઇ ચાવડા પોતાના મકાનને તાળા મારી બહારગામ ગયા હતા. આ દરમિયાન કોઇ અજાણયો ઈસમે તાળા તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૪૮.૮૫૦/ની ચોરી કરી હતી. ત્યારે ૩ માસ પૂર્વેની આ ચોરીની ઘટનામાં જામનગરનો કુખ્યાત ચોર હુસનો સંડોવાયેલ હોવાની એલસીબીને હકીકત મળી હતી. પોલીસે બાતમીના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. જેમાં આ શખ્સ ચાંદી બજાર આસપાસ હોવાનું સામે આવતા એલસીબીની ટીમે ચાંદી બજાર પહોચી વોચ ગોઠવી હતી. જ્યાં શંકાસ્પદ હાલતમાં નીકળેલા હુસનાને પોલીસે આંતરી લીધો હતો. એલસીબીએ આરોપી હુશેનભાઇ ઉર્ફે હુશનો ચોર અલીભાઇ જાેખીયા રહે. ધરારનગર-૧, સલીમબાપુના મઢેશા પાસે, જામનગર વાળાના કબ્બામાથી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૫૩,૨૫૦ તથા રોકડ રૂપિયા ૩૨,૦૦૦ મળી કુલ રૂપિયા ૮૫,૨૫૦નો મુદ્દામાલ મળી આવતા કબજે કરવામાં આવ્યો છે. હુસનાએ ચોરી કરી અમુક મુદ્દામાલ જામનગરના સોની સનત પાલાને વેચી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે સોની વેપારી સુધી પહોચવા કવાયત શરુ કરી છે.વધુ વાંચો -
ત્રણ પેઢીમાં જીએસટી ટીમ દ્વારા તપાસ કરાઇ
- 14, નવેમ્બર 2021 01:30 AM
- 772 comments
- 6736 Views
જામનગર, જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ૧૦મી તારીખે સેન્ટ્રલ જી.એસ.ટી. ની અલગ-અલગ બે ટીમો ત્રાટકી હતી, અને બ્રાસના મોટા ઉદ્યોગ ગ્રુપના જુદા-જુદા બે એકમો સહિત ત્રણ પેઢીમાં બિલિંગ કૌભાંડના સંદર્ભમાં તપાસણી હાથ ધરી હતી. સતત બે દિવસના સર્ચ ઓપરેશન પછી જીએસટીના અધિકારીઓ ત્રણેય પેઢીમાંથી ચોપડા સહિતનું થોક બંધ સાહિત્ય કબજે કરીને સાથે લઈ ગયા છે. ઉપરાંત તે પેઢીને સંલગ્ન એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં પણ ચકાસણી હાથ ધરી હતી. જે બાદ બ્રાસપાર્ટનો કેટલોક તૈયાર માલ સિઝ કરી દીધો હતો. મુંબઈની બ્રાસના ઉદ્યોગ સાથે સંકળાયેલી એક પેઢીમાં તાજેતરમાં સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. જેમાં બિલિંગ કૌભાંડ સામે આવ્યું હતું, અને તેના તાર જામનગરના એક બ્રાસ ઉદ્યોગકાર ગ્રુપના અલગ-અલગ બે એકમો સાથે જાેડાયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી સેન્ટ્રલ જી.એસ.ટી.ની ટીમ દ્વારા તપાસનો દોર જામનગર સુધી લંબાવ્યો હતો. ગત ૧૦ મી તારીખે રાજકોટ તરફથી અલગ-અલગ બે ટુકડીઓ જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવી પહોંચી હતી, અને એક બ્રાસના ઉદ્યોગકારના ગ્રુપના અલગ-અલગ બે એકમો ઉપર સામૂહિક રીતે દરોડા પાડવામાં આવ્યાં હતા. ત્યાર પછી બ્રાસપાર્ટ અને અન્ય એક પેઢી કે જેની સાથે જાેડાયેલી હતી, તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની જી.એસ.ટી.ની ટુકડીની પણ મદદ લેવામાં આવી હતી. સતત બે દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન પછી ઉપરોક્ત ત્રણેય એકમોમાં બે સ્થળે તેના માલિક હાજર ન હતા, જેથી તેઓને જીએસટી સમક્ષ હાજર થવા માટેની નોટિસ ઇશ્યુ કરી દેવામાં આવી છે. જ્યારે ત્રણેય પેઢીમાંથી ચોપડાઓ સહિતનું સાહિત્ય કબજે કરી લેવાયું છે. આ ઉપરાંત સેન્ટ્રલ જીએસટીની ટીમની તપાસણી અને આર્થિક તેમજ માલસામાનની લેવડ-દેવડના વ્યવહારોની ચકાસણીમાં જામનગરની એક ટ્રાન્સપોર્ટની પેઢીમાં તૈયાર માલ સપ્લાય કરવા માટે મોકલ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જામનગરની એક ટ્રાન્સપોર્ટની પેઢીના ગોડાઉનમાં જીએસટીની ટુકડી પહોંચી ગઈ હતી, અને ત્યાં પણ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ટ્રાન્સપોર્ટના માલિક હાજર ન હતા, પરંતુ એક ટ્રકમાં બ્રાસના પાર્સલો મૂકવામાં આવ્યાં હતા. જે ઉપરોક્ત પેઢીના સંદર્ભમાં આવેલા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તે તમામ પાર્સલને હાલ સિઝ કરીને રાખી દેવામાં આવ્યાં છે, અને તેના બિલ વગેરે સાથે ટ્રાન્સપોર્ટરને હાજર થવા ફરમાન કરાયું છે. સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કર્યા પછી કેટલી ટેક્સ ચોરી કરવામાં આવી છે, અથવા તો બિલિંગ કૌભાંડ આચરવામાં આવ્યું છે કે નહિં તેની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.વધુ વાંચો -
૧૪ પોલીસકર્મીઓની એકસાથે બદલી કરાતા પોલીસ બેડામાં ખળભળાટ
- 13, નવેમ્બર 2021 01:30 AM
- 3555 comments
- 1870 Views
જામનગર,જામનગર શહેર બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરજ બજાવતા આઠ પોલીસકર્મીઓ સહીત જીલ્લાના ૧૪ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં સ્થાન પામેલા સીટી બી ડિવિઝનના ચાર પોલીસકર્મીઓની સજારૂપે બદલી કરવામાં આવી હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યું છે. આ ચારેય પોલીસકર્મીઓએ ફાયરિંગ પ્રેક્ટીસ પણ બીજા પાસે કરાવી લેતા આ પગલું ભરવામાં આવ્યું હતું, એટલું જ નથી જે પોલીસકર્મીઓએ ભડકા કર્યા એના પણ એજ હાલ થયા છે.જામનગર જિલ્લા પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓ કરવામાં આવી હતી. જેમાં કાલાવડ ગ્રામ્યમાંથી ગીતાબેન હરદાસભાઈ ગોજીયા, પંકજ ખીમાભાઈ વાઘેલા, જીતેન્દ્ર ખુમાનસિંહ જાડેજા, કાલાવડ શહેરમાંથી મયુર જયેન્દ્રસિંહ જાડેજાની સિટી બી ડિવિઝનમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે જામજાેધપુરથી ક્રિપાલ પ્રતાપસિંહ સોઢા અને ધર્મેન્દ્ર નટુભા જાડેજાને પણ સિટી-બી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા હતા.બીજી તરફ સિટી બી ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા આઠ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં રવિન્દ્ર મહાવીરસિંહ જાડેજા, ક્રિપાલ ચંદ્રસિંહ જાડેજા, અર્જુન રામદેવસિંગ જાડેજા અને દેવસુર મીરાભાઈ સાગઠિયાની ધ્રોલ, ફૈઝલ મામદભાઈ ચાવડા અને શોભરાજ ગુમાનસિંહ જાડેજાની કાલાવડ ગ્રામ્ય, ભગીરથ નરેન્દ્રસિંહ જાડેજાની જામજાેધપુર અને વિરેન્દ્ર સુરૂભા ઝાલાની કાલાવડ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી હતી.બદલી પાછળનું કારણ ભલે ખાતાકીય સરળતા બતાવવામાં આવી રહ્યું હોય, પણ આ બદલી સિટી બી ડિવિઝન પોલીસકર્મીઓના ‘ફાયરિંગ કાંડ’ને લઈને થઈ હોવાની ચર્ચાઓ પોલીસ બેડામાં તેજ બની છે. દર વર્ષે દરેક પોલીસકર્મીઓને ફરજીયાત ફાયરિંગ પ્રેક્ટીસ કરવાની હોય છે, પણ આઠ પૈકીના ચાર પોલીસકર્મીઓએ વિજરખી ખાતે હાજરી પુરાવી ન હતી. જ્યારે તેમની જગ્યાએ અન્ય ચાર પોલીસકર્મીઓએ ફાયરિંગ કરી નાખ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. આ વાત જીલ્લા પોલીસ વડા સુધી પહોંચી જતા આઠેયની એકસાથે બદલી કરી નખાઇ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.વધુ વાંચો -
જામનગરમાં ઉત્તર ભારતીય સમુદાય દ્વારા છઠ્ઠપૂજાની આસ્થાભેર ઉજવણી
- 12, નવેમ્બર 2021 01:30 AM
- 764 comments
- 2845 Views
જામનગર, જામનગર શહેરમાં પણ ઉત્તર ભારતીય સમુદાય દ્વારા છઠપૂજાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે. જામનગર શહેરના બાલાજી પાર્ક, સેનાનગર, રવિ પાર્ક સહિતના વિસ્તારોમાં પાણીના વિશાળ કુંડ બનાવી ઉત્તર ભારતીય સમુદાયની મહિલાઓ દ્વારા ઉગતા સૂર્ય અને અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરી વિધિવત રીતે પૂજા કરવામાં આવી. આ તકે મેયર બીનાબેન કોઠારી, ભાજપના નગરસેવકો અને ભાજપ અગ્રણી જીતુભાઈ લાલ તેમજ ઉત્તર ભારતીય સમુદાયના આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર ભારત અને હિંદુ ધર્મનો આ એકમાત્ર તહેવાર છે જેમાં ઉત્તર ભારતીય સમુદાયની મહિલાઓ દ્વારા પૂજા કરીને ઉગતા સૂર્ય અને અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. આ તહેવાર હિંદુ ધર્મમાં આસ્થાની પૂજા છે, જેમાં સૂર્ય ભગવાનને આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. છઠ પૂજા ઉત્તર ભારતમાં ઉજવાતા સૌથી મોટા તહેવારોમાંનો એક છે અને તે ખાસ કરીને ઉત્તર ભારતીય રાજ્યોમાં ઉજવવામાં આવે છે.પોતાના વતનથી દૂર રહેતા લોકો પણ તેઓ જ્યાં રહે છે ત્યાં આ તહેવાર ઉજવે છે.વધુ વાંચો -
૧૮૨ બેઠક જીતવાનો શંખનાદ કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ
- 26, ઓક્ટોબર 2021 01:30 AM
- 5793 comments
- 1504 Views
ખંભાળીયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ આયોજિત દ્વારકાધીશ ધ્વજારોહણ કાર્યક્રમમાં રાજ્યના ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તથા અનેક મંત્રીઓ, આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.દ્વારકા આહીર સમાજથી હજારો કાર્યકરો મોટી સંખ્યામાં ગોમતી ઘાટ પાસેના રીલાયન્સના સુદામા સેતુ પહોંચ્યા હતા. જ્યાં દ્વારકાધીશની ધ્વજનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન થયું હતું. તે પછી સાંજે પાંચ વાગ્યે ધ્વજારોહણ થયું હતું જેમાં કાર્યકરો જનમેદની ઉમટી પડી હતી.ધ્વજારોહણ પછી ૨૧ ખુલ્લી જીપમાં આગેવાનો સાથે સી.આર. પાટીલ, રઘુભાઈ હુંબલ, દ્વારકા ભાજપ પ્રમુખ ખીમભાઈ જાેગલ તથા મંત્રીઓ કાર્યકરો શહેરમાં નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં બ્રાહ્મણ, વાઘેર,રાજપૂત, લોહાણા, સતવારા,રબારી, સોની, ભરવાડ વગેરે ૨૬ જ્ઞાતિ સંસ્થાઓ દ્વારા ભવ્ય સન્માન સ્મૃતિ ભેટો સાથે થયું હતું .કાર્યક્રમમાં સૌથી વધુ આકર્ષણ જગાડનાર તથા વિશિષ્ટ રીતે ૨૧૦૦ યુવાનોએ ભારત દેશ વિશે રાષ્ટ્રપ્રેમથી કટિબધ્ધ થવાનો સંકલ્પ લીધો હતો. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષા ભારતીબેન શિયાળ તથા ૧૫૦ વેદપાઠી બ્રાહ્મણો જાેડાયા હતા.વધુ વાંચો -
જામજાેધપુરમાંથી સસ્તા અનાજની દુકાનેથી બારોબાર વેચાતો ચોખાનો જથ્થો ઝડપાયો
- 26, ઓક્ટોબર 2021 01:30 AM
- 521 comments
- 5913 Views
જામનગર, જામનગરના જામજાેધપુરમાંથી સસ્તા અનાજની દુકાનનું રાશન સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. જામજાેધપુર પોલીસ રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કોટડા બાવીસી ગામ પાસે આવેલા એક કારખાનામાં ટ્રકમાંથી માલ ઉતરી રહ્યો હતો. તે માલની તપાસ કરતા કોઈ પુરાવા મળ્યાં ન હતા. જેથી મામલતદારને જાણ કરવામાં આવી હતી.આ મામલે મામલતદારે તપાસ હાથ ધરતા સસ્તા અનાજની દુકાનના સરકારી ચોખા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ચોખાની ૩૦૧ બોરી જપ્ત કરી હ્લઝ્રૈંના ગોડાઉન ખાતે સિઝ કરવામાં આવ્યાં છે. રૂપિયા ૫ લાખની કિંમતનો ટ્રક પણ કબ્જે કરી જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવી હતી. જામજાેધપુરમાં સસ્તા અનાજની દુકાનનું રાશન ફ્લોરમિલ સુધી પહોંચાડવાના રેકેટની માહિતી મળતા પોલીસ ત્યાં પહોચી હતી. આ દરમિયાન એક ટ્રકમાંથી સરકારી અનાજની દુકાનનો માલ ઉતરી રહ્યો હતો. જેથી આ મામલો રેવન્યુ વિભાગને લગતો હોવાથી પોલીસે વધુ કાર્યવાહી માટે જામજાેધપુરના મામલતદારને જાણ કરી હતી. મામલતદારે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સસ્તા અનાજના ચોખાના ૫૦ કિલોની એક બોરી એવી ૩૦૧ બોરી મળી આવી હતી.જામજાેધપુર પોલીસે કોટડાબાવીસી નજીક એક ટ્રકમાંથી સસ્તા અનાજનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી અનાજ ઉતરી રહ્યુ હતું. ત્યારે ટ્રકચાલક સહિતની પ્રાથમિક તપાસ કરતા આ અનાજના કોઈ પુરાવા મળ્યાં ન હતા. જેથી આ મામલે મામલતદારને જાણ કરતા દુકાનના સરકારી ચોખા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.જામજાેધપુરના મામલતદાર ધર્મેશ કાછડે જણાવ્યું હતું કે, પોલીસે ટ્રકમાંથી સરકારી સસ્તા અનાજનો જથ્થો ઝડપ્યો છે. ચોખાની ૩૦૧ બોરી સહિત ટ્રક સહિતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ અંગેનો રીપોર્ટ કલેક્ટરને કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ કાર્યવાહી પુરવઠા વિભાગ અને કલેકટર કચેરી દ્વારા કરવામાં આવશે.પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરવા માટે હું રૂબરૂ સ્થળ પર જઈશ અને વિશેષ તપાસ હાથ કરીશ. તેમજ ગાંધીનગરથી પણ એક ટીમ જામજાેધપુર ખાતે આવી રહી છે અને તપાસ બાદ વિગત સામે આવશે. જામજાેધપુર તાલુકાના કોટડા પાટિયા પાસેથી ગઈકાલે રાત્રે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ વખતે કોટડા બાવીસી ગામના પાટિયા પાસે આવેલ વ્રજ ફ્રુડ પ્રોડક્ટ્સ નામના કારખાનામાં એક ટ્રકમાંથી અનાજનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો.વધુ વાંચો -
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેડૂતો-વેપારીઓની દિવાળી બગાડી
- 25, ઓક્ટોબર 2021 02:13 PM
- 3526 comments
- 9181 Views
રાજકોટ-સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે. ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રોની ચિંતા વધી છે.કમોસમી વરસાદથી સમગ્ર પંથકના ખેડૂતો ચિંતિત બન્યા છે. ખરીફ પાકને પણ ભારે નુક્સાન થવાની ભીતિ છે. દિવાળીની ઘરાકી પણ હવે તદ્દન નિષ્ફળ જવાની ભીતિ વેપારીમાં સેવાઇ રહી છે. મંદીના માહોલ વચ્ચે દિવાળીમાં થોડી ઘણી ઘરાકી નીકળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. દિવાળીના તહેવારો પૂર્વે જ એકાએક કમોસમી વરસાદ પડતાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોમાં નુક્સાન નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.ભાવનગર જિલ્લામાં ગઈકાલે બપોર પછી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે આસો મહિનામાં ચોમાસાની વિધિવત વિદાય થઈ ચૂકી હોય છે. અમરેલી જિલ્લાનો ખેડૂત હજી તો તાઉ-તેની અસરમાંથી માંડ બહાર નીકળી રહ્યો છે ત્યાંજ વધુ એકવાર ખેતી પર સંકટ સર્જાયું હતું. બપોરના સમયે સાવરકુંડલા પંથકના મોટા ભામોદ્રા અને છેલણા આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મોટા ભામોદ્રા ગામમાં તો ધોધમાર વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહેતા થયા હતા.ગઈકાલે સાંજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી પડ્યો. જેની અસર ખેડૂતોને ખેતર સાથે સાથે માર્કેટ યાર્ડમાં રહેલા પાક પર થઇ. ખેતરમાં અતિવૃષ્ટિથી બચેલો થોડો ઘણો પાક પણ આ વરસાદમાં નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઇ છે.વધુ વાંચો -
જામનગર ખીજડીયા બાયપાસ પાસે ટ્રક પલટી ખાતાં ટ્રકચાલક અને ક્લિનરનાં ઘટના સ્થળે મોત
- 25, ઓક્ટોબર 2021 01:30 AM
- 6422 comments
- 2674 Views
જામનગર, જામનગર નજીકનો ખીજડીયા બાયપાસ અકસ્માત પોઈન્ટ બની રહ્યો હોય તેમ છાસવારે અહીં અકસ્માતોની અને ખાસ કરીને કેમિકલ ભરેલ ટેન્કરો પલટી જવાની ઘટનાઓ સામે આવતી રહી છે. એવામાં રવિવારના રોજ ખીજડીયા બાયપાસ નજીક ટ્રક પલટી જતાં બે લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુરથી સોડા ભરી હૈદરાબાદ તરફ જઈ રહેલ ટ્રક ખીજડીયા બાયપાસ નજીક પહોચતાં એકાએક રોડ નીચે ઉતરીને પલ્ટી મારી ગઈ હતી. જી જે ૩૭ ટી ૭૯૦૬ નંબરની ટ્રક એકાએક પલટી મારી રોડની નીચે ઉતરી ગઈ હતી. જેમાં બે યુવકોના ટ્રક નીચે દબાઈ જવાના કારણે ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. સૂત્રો અનુસાર ટ્રકચાલક અને ક્લિનરના મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવને પગલે પંચકોશી એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરની ભાગોળે ખીજડીયા બાયપાસ નજીક ટ્રક પલટી જતાં સર્જાયેલ અકસ્માતમાં ક્લિનર અને ચાલક બંનેના સ્થળ પર જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજયા હતા. આજે વહેલી સવારે ચારેક વાગ્યે મીઠાપુરથી સોડા ભરી હૈદરાબાદ તરફ જતી ટ્રક એકાએક રોડ નીચે ઉતરી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. ચાલકને ઝોકું આવી જતાં આ ઘટના ઘટી હોવાનો અંદાજ લગાવી પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે મૃતકોના પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. જામનગરની નજીક ખીજડીયા બાયપાસ પાસે આજે તા. ૨૪ ઓક્ટોબરની વહેલી સવારે ચારેક વાગ્યા આસપાસ રાજકોટ તરફ જતી જી જે ૩૭ ટી ૭૯૦૬ નંબરની ટ્રક એકાએક પલટી મારી રોડની નીચે ઉતરી ગઈ હતી. જેમાં ટ્રકના ચાલક પ્રભાતસિંહ મેઘરાજસિંહ વાઘેલા ઉં.વ. ૪૦ અને ક્લિનર અસરફ ભીખુભાઈ મંગીયા ઉં.વ. ૩૫ બંને ટ્રક નીચે દબાઈ જતાં, બંનેના સ્થળ પર જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવના પગલે જામનગર ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોચી બચાવ કાર્ય શરુ કર્યું હતું. પરંતુ મદદ મળે તે પૂર્વે ચાલક અને ક્લિનરનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવના પગલે પંચકોશી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રકચાલક અને ક્લિનર પણ દ્વારકા જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતકોના પરિવાર અને ટ્રક માલિકનો સંપર્ક કરી આગળની તજવીજ હાથ ધરી છે. આ બનાવના પગલે મૃતકોના પરિવારમાં શોક છવાયો છે.વધુ વાંચો -
રાજ્ય કૃષિમંત્રી રાઘવજી અતિવૃષ્ટિ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે ચર્ચા કરશે
- 12, ઓક્ટોબર 2021 01:30 AM
- 1503 comments
- 3769 Views
ગાંધીનગર, ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ કેબિનેટ મંત્રી બન્યા બાદ બુધવારે પ્રથમ વખત દિલ્હીની મુલાકાત લેવાના છે. દિલ્હીની મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરની મુલાકાત લેશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારમાં રહેલા ગુજરાતનાં મંત્રીઓ તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાની પણ મુલાકાત લેશે. ગુજરાતમાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિને કારણે થયેલા નુકશાન અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ બુધવારે દિલ્હી ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની મુલાકાત જવાના છે. જ્યાં તેઓ ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિના કારણે કેટલાક જિલ્લાઓમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરશે તેમજ આ નુકશાન સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા શક્ય એટલી મદદ કરવાની માંગણી કરવામાં આવશે.કેબિનેટ મંત્રી બન્યા બાદ રાઘવજી પટેલ પ્રથમ વખત દિલ્હી જઈ રહ્યા છે. બુધવારે કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ દિલ્હીના પ્રવાસે જનારા કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની મુલાકાત લેશે.આ ઉપરાંત કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગુજરાતનાં કેન્દ્રિય મંત્રીઓ પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ અને મહેન્દ્ર મુંજપરાની પણ શુભેચ્છા મુલાકાત કરવાના છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ