પોરબંદર સમાચાર

  • ગુજરાત

    ૧ કિલો કેરીનો રૂ.૧૫૫૧ ઐતિહાસિક ભાવે વેચાણ

    પોરબંદર પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રણ દિવસમાં બીજી વખત કેસર કેરીની આવક થઈ છે. ભર શિયાળે આજે ફરી એકવખત કેસર કેરીની આવક થતાં હરાજીમાં ઓલ ટાઇમ હાઇ કહી શકાય એટલો એક કિલોના ૧૫૫૧ જેટલો ઊંચો ભાવ આવ્યો છે. આ પહેલાં સોમવારે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ૨ બોક્સ એટલે કે ૨૦ કિલો કેસર કેરી વેચાણ માટે આવી હતી. જેનો એક કિલોનો ૭૦૧ રૂપિયા ભાવ હરાજીમાં બોલાયો હતો. એ રેકોર્ડ આજે ૧૫૫૧ રૂપિયાના ઐતિહાસિક ઊંચા ભાવે તૂટ્યો છે.પોરબંદર જિલ્લાના બરડા ડુંગર વિસ્તારનાં અનેક ગામોમાં કેસર કેરીના આંબાનું મોટી સંખ્યામાં વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આ સિઝનમાં શિયાળની શરૂઆત થતાં જ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રણ દિવસમાં બીજી વખત કેસર કેરીનું આગમન થતાં હરાજી કરવામાં આવી હતી.પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે કેસર કેરીના ૪ બોક્સ એટલે કે ૪૦ કિલો કેરીની આવક થવા પામી હતી. કેરીની હરાજી કરવામાં આવતા ૧ કિલો કેરીનો રૂ.૧૫૫૧ જેટલા ઐતિહાસિક ઊંચા ભાવે વેચાણ થયું હતું. કેરીના ૧૦-૧૦ કિલોના ૪ બોક્સ ૬૨,૦૪૦ હજારમાં વેચાયાં હતાં. હરાજીમાં કેરીનો આટલો ઊંચો ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતો તથા વેપારીઓ પણ ખુશખુશાલ જાેવા મળી રહ્યા છે. ઉલેખ્ખનીય છે કે આ વર્ષે કેરીની સિઝન કરતાં ૫ મહિના જેટલી વહેલી આવક થઈ રહી છે. જેથી હવે તમારે કેસર કેરીનો સ્વાદ માણવો હોય તો ઉનાળાની રાહ જાેવાની જરૂર નથી. કેમ કે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કડકડતી ઠંડીની વચ્ચે ઉનાળુ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીની પણ બજારમાં સારી માગ રહે છે. કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે. આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભરશિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જાેવા મળી રહ્યું છે. પોરબંદરમાં આ વર્ષે પાંચ મહિના પહેલાં આંબાના ઝાડમાં કેરીના મોર જાેવા મળી રહ્યા છે. કોઈ આંબામાં કેરીની આવક થતા આજે ભરશિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું.પોરબંદર જિલ્લાના હનુમાન ગઢ, બિલેશ્વર, ખંભાળા તેમજ કાટવાણા અને આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલાં ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લાં કેટલાંક વર્ષોથી અહીં મબલખ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવત્તા અને ફળ મોટું હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માગ રહેતી હોય છે. આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિનાથી કેરીની આવક બજારમાં થતી હોય છે, પરંતુ આ વખતે ભરશિયાળે કેસર કેરીનો અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂતોમાં પણ આશ્ચર્યમાં મુકાયા છે. આટલા મહિના પહેલાં કેરીનાં મોટાં ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જાેવા મળી રહી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અમરેલીના નાગધ્રા ગામની શેલ નદીમાં ઘોડાપૂર આવતાં ગાંડીતૂર બની

    અમરેલી,પોરબંદર,કચ્છ, ગુજરાત પર છેલ્લા ૫ દિવસથી બિપોરજાેય વાવાઝોડાનું સંકટ ઘેરાયું હતું ત્યારે સૌરાષ્ટ્રના લોકોને આ વાવઝોડુ તાઉતેની યાદ તાજી કરાવી દેશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં સવારથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાધનપુરમાં પણ અનરાધાર વરસાદ શરૂ થતાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. ભારે પવનમાં ગેલાશેઠની શેરીમાં બંધ મકાનનું પતરું ઊડ્યું છે. ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના પગલે રોડ પર પાણી ભરાયાં છે. પાણીમાંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેર અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયાં છે.વાવાઝોડાને લઈને અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, ખાંભા, સાવરકુંડલા અને ધારી પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થયાં છે તેમજ નદી-નાળાં વરસાદી પાણીથી છલકાયાં છે. ગીર પંથકના સરસિયા, જીરા, ડાભાળી, હીરાવા અને નાગધ્રામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. આથી નાગધ્રા ગામની શેલ નદી ગાંડીતૂર બની છે અને ઘોડાપૂરથી બેઠા પુલ પર પૂરના પાણી ફરી વળ્યા છે વાવાઝોડાની અસર ભચાઉ અને જખૌમાં શરૂ થઈ ગઈ હોય એમ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે તેમજ ભુજમાં ધોધમાર વરસાદથી જૂના બસસ્ટેન્ડ પાસે રસ્તા પર પાણી ભરાયાં છે. જાફરાબાદમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. જાફરાબાદ બંદર પર ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. હાલ જાફરાબાદ સહિત અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ૪૨ ાદ્બॅરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હાલ લોકોને વાડાઝોડું- ‘તાઉતે’ની યાદ તાજી થઈ રહી છે. ભારે પવનથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના પશ્ચિમ કાંઠા પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના માંડવીમાં તોફાની પવન સાથે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે, આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૧ તાલુકામાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જામનગરના દરિયાકિનારે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દરિયાકિનારે ડરામણાં દૃશ્યો જાેવા મળી રહ્યાં છે.પોરબંદરમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે તેમજ પવનની ગતિ વધુ હોવાથી રસ્તા પર પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.૨૪ કલાકના વરસાદની વાત કરીએ તો અંજારમાં ૩૦ મિમી, ભુજમાં ૩૩ મિમી, માંડવીમાં ૧૫ મિમી, મુંદ્રામાં ૧૫ મિમી, નખત્રાણામાં ૧૩ મિમી, રાપરમાં ૧૬ મિમી, અબડાસામાં ૧૧ મિમી, દાંતામાં ૧૦ મિમી, ભચાઉમાં ૯ મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજકોટમાં પણ આજે સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું જ્યાં ટકરાવાનું છે ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, આથી અહીં ડરામણાં દૃશ્યો જાેવા મળી રહ્યાં છે. ગુજરાતમાં જખૌ બંદર પાસે આ વાવાઝોડું ટકરાવાનું છે. ૧૬ અને ૧૭ જૂનના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વરસાદ અને પવનની ગતિમાં વધારો થશે. ૧૬ જૂને બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ ઉપરાંત મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની સંભાવના છે.જ્યારે આ પ્રભાવિત વિસ્તારો સહિતમાં કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ૬૨થી ૮૭ ાદ્બॅરની ગતિએ પવન ફુંકાવાની સાથે મધ્યથી ભારે વીજળી થવાની શક્યતા છે.
    વધુ વાંચો
  • ક્રાઈમ વોચ

    કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ

    વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ..  ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પાકિસ્તાન પાસેથી ૧૨૦૦ બોટ ૫૬૦ માછીમારોને મુક્ત કરાવવા માંગ

    પોરબંદર, પોરબંદર સહિત રાજ્યભરની ૧૨૦૦ બોટ અને ૫૬૦ માછીમારોને પાકિસ્તાનના કબજા માંથી મુક્ત કરવા અંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં રજૂઆત કરી છે, માછીમારોની સુરક્ષા, પાકિસ્તાનની જેલમાં રહેલ માછીમારોને મુક્ત કરાવવા અને બોટ અપહરણના કેસમાં માછીમારોને નવી બોટ બાંધવા સહાય સહિતના પ્રશ્નોની રજૂઆત ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં કરી છે. રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતના ૨૭૪ માછીમારોનું અપહરણ કરાયું છે. જેની સામે માત્ર ૫૫ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. અને ગુજરાતના ૫૬૦ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. જ્યારે ગુજરાતની ૧૨૦૦ જેટલી બોટ પાકિસ્તાનના કબજામાં છે. આ અંગે અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું જણાવ્યું છે કે ગુજરાતના જે માછીમારો પાકિસ્તાનની જેલમાં છે, તેની ભારત સરકાર દ્વારા ઓળખ વિધિ કરવામાં આવતી ન હોવાથી તેમને વર્ષો સુધી જેલમાં રહેવું પડે છે.જપ્ત કરેલ ડીઝલ પાસ બોટ માલિકોને પરત આપો આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમા ઓળંગવાના આરોપ સર જપ્ત કરેલ ડીઝલ પાસ અને પરવાનગી પત્રો બોટ માલિકોને પરત આપવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળ સીમા ઓળંગવાના આરોપસર માછીમારો પાસેથી ડીઝલ પાસ તેમજ પરવાનગી પત્રો જપ્ત કરી લેવામાં આવે છે, જે પરત આપવામાં આવે જણાવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    પોરબંદરમાં મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઇ કરી વેલેન્ટાઈન ડે ઉજવ્યો

    પોરબંદર,તા.૧૪૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનો પર્વ, આ પર્વને લોકો અલગ અલગ પ્રેમની વ્યાખ્યા થકી ઉજવતા હોય છે. ત્યારે દેશની આઝાદીમાં જેમણે બલિદાન આપ્યા છે. તેવા મહાનુભાવોને આજે યાદ કરી પોરબંદર જિલ્લા એનએસયુઆઇ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનુભાવોની પ્રતિમાઓ આવેલી છે, જે પ્રતિમાઓ જાળવણીના અભાવે ધૂળ ખાઇ રહી છે. ત્યારે આવી પ્રતિમાઓને પોરબંદર એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પાણી વડે ધોઈ અને ત્યારબાદ સાફ-સફાઇ કરી અને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકી હુમલામાં દેશના ૪૪ વીર જવાનો શહીદો થયા હતા. તે શહીદોને પણ આજે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી ૨ મિનિટનું મૌન પાળી તેમને યાદ કરી પોરબંદર જિલ્લા દ્ગજીેંૈં ટીમ દ્વારા નમન કરવા આવ્યું હતું. પોરબંદર એનએસયુઆઇ દ્વારા પક્ષપાત ભૂલી શહેરની તમામ પ્રતિમાઓની સાફસફાઇ કરી આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ પક્ષના પંડિત દિનદયાળ ઉપાધ્યાય, શ્યામપ્રસાદ મુખરજીની પ્રતિમાઓનો પણ સમાવેશ થાય છે. જેમને દ્ગજીેંૈં ટીમે સાફ સફાઇ કરી અને હાર પહેરાવ્યા હતા. નગરપાલિકા આ પ્રતિમાઓની વ્યવસ્થિત સાફ-સફાઇ કરે અને તેમની જાળવણી માટે યોગ્ય વ્યવસ્થા કરે જેથી પોરબંદરની પણ શોભા વધશે તેવી રજૂઆત એનએસયુઆઇ દ્વારા કરવામાં આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગેરકાયદે સંગ્રહ કરેલા અનાજના ગોડાઉન પર દરોડા

    જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા અપાતા ઘઉં ચોખાનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાવાની પ્રવૃત્તિઓ વધી હતી. જરૂરિયાતમંદ લોકો, ગરીબીરેખા હેઠળ બીપીએલ રેશનિંગ કાર્ડ અંતર્ગત અપાતો અનાજનો જથ્થો ગ્રાહકો પાસેથી ઓછા ભાવે ખરીદી ગોડાઉનમાં એકઠું કરી બહાર ટ્રકો દ્વારા મોકલવામાં આવતો હતો. આ અંગે પ્રાંત અધિકારીને જાણ થઈ હતી. તેથી વિસાવદર પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર સસ્તા અનાજ ભેગો કરી વેચતા વેપારીને ત્યાં દરોડા પાડ્યો હતો. જેથી વેપારીઓના આ કોભાંડનો પર્દાફાશ થયો છે. વિસાવદર અને બીલખાના અલગ અલગ ૪ જગ્યાએ દરોડા પાડી લાખો રૂપિયાના ગેરકાયદેસર નાજના જથ્થો કબજાે કર્યો છે. આ દરમિયાન અધિકારીઓ પર હુમલો થયાનું પણ સામે આવ્યું છે. વિસાવદરના પ્રાંત અધિકારી કીર્તન રાઠોડે જણાવ્યું હતું કે વિસાવદર પંથકમાં ઘણા સમયથી જરૂરિયાતમંદ લોકોને અપાતા સરકારી અનાજનું ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવી રહ્યું છે તેવી બાતમી મળી હતી. વિસાવદરમાં ત્રણ જગ્યા પર સમાજની વાડી પાસેથી જીઆઈડીસી, બગીચાની સામેની અલગ અલગ જગ્યા પરથી પ્રાંત અધિકારી ટીમ દ્વારા દરોડા પાડી ૯ લાખથી વધુનો ગેરકાયદેસર અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. વિસાવદરનાં ત્રણ ગોડાઉનમાં દરોડા પાડતા આ પગેરુ બીલખા સુધી પહોંચ્યું હતું. અધિકારીની ટીમ બીલખા દરોડા પાડવા જતા અધિકારીઓ પર સાત શખ્સોએ હુમલો કર્યાનું એસડીએમમે જણાવ્યું હતું. હાલ બીલખા ખાતેના ગોડાઉનમાં તપાસ શરૂ છે.રાણાવાવ ખાતે રાશનને બારોબાર વેચી માર્યાનું કૌભાંડ સામે આવ્યું ૧૨ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ રાણાવાવ ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી ગરીબોને આપવામાં આવતા રાશનને બારોબાર વેચી માર્યાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારબાદ આ મામલે આખરે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે કૌભાંડમાં સામેલ ૧૨ શખ્સો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામા આવી છે. જેમાં પુરવઠા વિભાગના અનાજના ગોડાઉનમાંથી અંદાજીત એક કરોડથી વધુના સસ્તા અનાજના જથ્થાના હિસાબમાં ગડબડી સામે આવી હતી. ત્યારબાદ પુરવઠા વિભાગની ટીમો દ્વારા રાણાવાવ ગોડાઉનમાં તપાસ હાથ ધરી ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું હતું. ૭ હજાર કટ્ટા ઘઉં-ચોખા અને ૨૨ કટ્ટા ખાંડનો હિસાબ ન મળતા આ સસ્તા અનાજના જથ્થાનું અંદાજીત એક કરોડ જેટલાનું કૌભાંડ થયાનું સામે આવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    પોરબંદરથી મુંબઇની હવાઇ સેવા બંધ કરાઈ

    પોરબંદર, પોરબંદરથી અમદાવાદ, મુંબઇ અને દિલ્હીની ફલાઈટમાં પુરતા પ્રમાણમાં મુસાફરો મળતા હોવા છતા અલગ-અલગ બહાનાઓ આગળ ધરીને આ તમામ ફલાઈટ બંધ કરી દેવામાં આવી છે. તેથી પોરબંદર કોંગ્રેસ દ્વારા કેન્દ્રી ય ઉડ્ડચન મંત્રીને લેખિત રજૂઆત કરી સુવિધા શરૂ કરવા માંગ કરી છે.પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવ મોઢવાડિયાએ કેન્દ્રીુય ઉડ્ડયન મંત્રી સિંધિયાને રજૂઆત કરતા જણાવ્યું છે કે, પોરબંદરથી અમદાવાદ, મુંબઈ અને નવી દિલ્લીની વિમાની સેવાઓ શરૂ થઇ હતી અને તેમાં મોટી માત્રામાં મુસાફરો પણ મળી રહેતા હતા. એટલું જ નહીં પરંતુ આ વિમાની સેવા ઉદ્યોગપતિઓ, ફીશ એક્સપોટરો, વેપારીઓથી માંડીને તબીબી સારવાર માટે જતા દર્દીઓને ખુબ જ ઉપયોગી હતી. પરંતુ એક પછી એક આ તમામ ફ્લાઈટો બંધ કરી દેવાતા અને તેનું વ્યાજબી કારણ પણ નહીં જણાવતા કેન્દ્રમની ભાજપ સરકાર પોરબંદરને અન્યાય કરી રહી છે. તેમ જણાવીને વધુમાં ઉમેર્યું છે કે, બંધ થયેલી તમામ ફ્લાઈટ ભાજપ સરકારે વહેલી તકે શરૂ કરવી જાેઈએ. ગત એપ્રિલ મહિનામાં દેશની રાજધાની નવી દિલ્હીથી પોરબંદરની વિમાની સેવાનો પ્રારંભ થયો હતો. જેમાં પહેલી ફલાઇટમાં ૪૫ જેટલા મુસાફરો દિલ્હીથી પોરબંદર આવ્યા હતા તથા અહીંથી દિલ્હી જવા ૩૫ મુસાફરો રવાના થયા હતા. સ્પાઇસ જેટની આ વિમાની સેવા શરૂઆતના તબક્કે અઠવાડીયામાં ચાર દિવસ નિર્ધારિત કરવામાં આવી હતી. જેમાં સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર એમ ચાર દિવસ માટે આ ફલાઇટ ઉડાન ભરતી હતી અને તેમાં પુરતા પ્રમાણમાં મુસાફરો પણ મળી રહેતા હતા. પરંતુ તેમ છતા આ ફલાઈટને બંધ કરી દેવાઈ છે.પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવ મોઢવાડિયાએ કેન્દ્રી ય ઉડ્ડચન મંત્રી સિંધિયાને રજૂઆત કરતા જણાવ્યું છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા સુદામાની ભૂમિ પોરબંદરમાં દરરોજ હજારો પ્રવાસીઓ મુલાકાત લે છે. પોરબંદરને હજુ પ્રવાસન ક્ષેત્રે આગળ ધપાવવું જરૂરી છે. પરંતુ પોરબંદરની કમનસીબી એ છે કે પોરબંદરના એરપોર્ટ ઉપર જે ફલાઇટો ચાલુ હતી તે કોઇ કારણોસર એક પછી એક બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. પોરબંદરના એરપોર્ટ પર લગભગ ચાર માસ જેટલો સમય થયો છે, આમ છતાં એકપણ ફલાઇટ આવી નથી. ત્યારે પોરબંદરનું એરપોર્ટ ફરી શરૂ થાય તે માટે પ્રયત્નો કરવા જાેઇએ અને વહેલીતકે ફલાઇટો શરૂ થાય તે લોકોના હિતમાં ખૂબ જરૂરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પોરબંદરમાં બંદોબસ્ત દરમિયાન આઈઆરબીના જવાનો વચ્ચે ફાયરિંગઃ બેના મોતથી ચકચાર

    પોરબંદર, પોરબંદર ચૂંટણી બંદોબસ્તમાં આવેલ આઈઆરબીના જવાનો વચ્ચે બબાલ થઈ છે. આ દરમિયાન ફાયરિંગ થતા ૨ લોકોના મોત અને ૨ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં ઝઘડો થયો હતો. ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝગડામાં ફાયરિંગ થયા હોવાનું અનુમાન લાવામાં આવી રહ્યું છે. બે જવાનોનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. ક્યાં કારણે ઝઘડો થયો તે અંગે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં ચૂંટણીના બંદોબસ્ત દરમિયાન ફાયરિંગ થયાની ઘટના બની છે, જેમાં બે લોકોનું મોત થયું છે. ચૂંટણી બંદોબસ્તમાં આવેલા જવાનો વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલમાં બે લોકોના મોત થયા છે.પોરબંદરમાં આઈઆરબીના જવાનો વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર મળ્યા છે. ચૂંટણી પહેલા જ પોરબંદરમાં ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં બે જવાનોના મોત થયા છે, ત્યારે આ મામલે પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ફાયરિંગ થવા પાછળનું કારણ હજૂ સુધી સામે આવ્યું નથી. જાે કે પોલીસ પોતાની તપાસ ચલાવી રહી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભુજના ત્રણ શખ્સો શેખપીર ચેકપોસ્ટ પર ડ્રગ્સ સાથે ઝડપાયાં

    ભુજ, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપલો વધી ગયો હોવાની ફરિયાદો છે ત્યારે ૧૦ દિવસના ટૂંકાગાળામાં શેખપીરથી માધાપર સુધીના વિસ્તારમાંથી પોલીસે ત્રીજી વખત ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.અગાઉ ૯ નવેમ્બરે એસઓજીએ ૨.૮૦ લાખના એમડી ડ્રગ્સ સાથે ભુજના ૩ યુવાનોને ઝડપયા હતા. જે બાદ ઓરિસ્સાથી ગાંજાે લઈને આવેલા ધાવડાના ૨ વ્યક્તિઓને પકડી લેવાયા હતા જે બાદ હવે શેખપીર ચેકપોસ્ટ પર કાર્યવાહી કરીને એમડી ડ્રગ્સ અને ચરસ લઈને આવેલા ભુજના ૩ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.આરોપીઓ પાસેથી રૂપિયા ૯૬ હજારનું ૯૬.૧ ગ્રામ મારીજુઆના ચરસ અને રૂપિયા ૭ હજારનું ૦.૭ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે શેખપીર ત્રણ રસ્તા પરથી ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ભુજના મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા,રહે. દાદુપીર રોડ,આસિફ કાસમ સમેજા,રહે. મેન્ટલ હોસ્પીટલની બાજુમાં અને દિનેશ લવકુમાર તિવારી,રહે.ભુજીયા તળેટી વાળા આરોપી ઝડપાયા હતા. આરોપીઓ પાસે રહેલી સ્વીફ્ટ કાર ય્ત્ન ૧૨ હ્લઝ્ર ૪૭૦૦ ની તપાસ કરવામાં આવી પણ અંગઝડતીમાં જ રૂ.૯૬ હજારનું ૯૬.૧ ગ્રામ ચરસ અને રૂપિયા ૭ હજારનું ૦.૭ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.શેખપીર ચેકપોસ્ટ પર ચારેબાજુ બેરીકેડ લગાવવામાં આવ્યા હોઇ તે મહત્વપૂર્ણ સાબિત થયા હતા. નાર્કોટીક્સના મુદ્દામાલ સાથે ઝડપાયેલ ભુજના ત્રણ ઈસમો વિરુધ્ધ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ પધ્ધર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેની ક્રોસ તપાસ માધાપર પીએસઆઈ જે.ડી.સરવૈયાને સોંપવામાં આવી છે.આરોપીને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા ભુજના ત્રણ શખ્સોમાંથી મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા વિરુધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે હત્યાના પ્રયાસ તથા એલસીબીમાં આર્મ્સ એક્ટ અને બી ડીવીઝન પોલીસ મથકે સોનાની ચીટીંગ અને મારામારીના ગુનાઓ નોધાયેલા હોવાનું પોલીસે જાહેર કર્યું છે. જયારે અન્ય બે આરોપીઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. પોરબંદર એસ.ઓ.જીએ ખેતરમાંથી ગાંજાના છોડ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો પોરબંદર  આગામી સમયમાં યાજાનારી વિધાનસભા ચૂંટણી અનુસંધાને નશીલા પદાર્થો પીનારા તથા માદક પદાર્થોનુ સેવન કરનાર તત્વોની પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા સુચના આપવામાં આવેલી છે. જે અનુસંધાને એસ.ઓ.જી, ઈન્ચાર્જ પીઆઈ એચ.બી.ધાંધલીયા દ્વારા આવા ઇસમો અંગે બાતમી મેળવવા સૂચના કરવામાં આવેલી. જે અનવ્યે એસ.ઓ.જી સ્ટાફના માણસો આ બાબતે કાર્યરત હતા. તે દરમિયાન એએસઆઇ કે.બી.ગોરાણીયા તથા પો.કોન્સ.સમીર સુમાર જુણેજાને બાતમી મળી કે રાણવાવ તાલુકાના હનુમાનગઢ ગામની સીમ કબીર આશ્રમમાં ભરતદાસ પોતાના કબજા ભોગવટાના ફળીયામાં ગાંજાનુ વાવેતર કરેલું છે. જે હકીકતના આધારે સરકારી પંચોને સાથે રાખી રેઇડ કરતા જગ્યામાંથી લીલા ગાંજાના છોડ નંગ-૧ જેનો કુલ વજન ૪ કીલો ૫૪૯ ગ્રામ કી.રૂ.૪૫૪૯૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટની કલમ ૧૯૮૫ની કલમ ૮(બી), ૨૦(એ) (૨-બી) મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો છે.
    વધુ વાંચો