પોરબંદર સમાચાર
-
ગેરકાયદે સંગ્રહ કરેલા અનાજના ગોડાઉન પર દરોડા
- 14, જાન્યુઆરી 2023 01:30 AM
- 4408 comments
- 5710 Views
જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા અપાતા ઘઉં ચોખાનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાવાની પ્રવૃત્તિઓ વધી હતી. જરૂરિયાતમંદ લોકો, ગરીબીરેખા હેઠળ બીપીએલ રેશનિંગ કાર્ડ અંતર્ગત અપાતો અનાજનો જથ્થો ગ્રાહકો પાસેથી ઓછા ભાવે ખરીદી ગોડાઉનમાં એકઠું કરી બહાર ટ્રકો દ્વારા મોકલવામાં આવતો હતો. આ અંગે પ્રાંત અધિકારીને જાણ થઈ હતી. તેથી વિસાવદર પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર સસ્તા અનાજ ભેગો કરી વેચતા વેપારીને ત્યાં દરોડા પાડ્યો હતો. જેથી વેપારીઓના આ કોભાંડનો પર્દાફાશ થયો છે. વિસાવદર અને બીલખાના અલગ અલગ ૪ જગ્યાએ દરોડા પાડી લાખો રૂપિયાના ગેરકાયદેસર નાજના જથ્થો કબજાે કર્યો છે. આ દરમિયાન અધિકારીઓ પર હુમલો થયાનું પણ સામે આવ્યું છે. વિસાવદરના પ્રાંત અધિકારી કીર્તન રાઠોડે જણાવ્યું હતું કે વિસાવદર પંથકમાં ઘણા સમયથી જરૂરિયાતમંદ લોકોને અપાતા સરકારી અનાજનું ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવી રહ્યું છે તેવી બાતમી મળી હતી. વિસાવદરમાં ત્રણ જગ્યા પર સમાજની વાડી પાસેથી જીઆઈડીસી, બગીચાની સામેની અલગ અલગ જગ્યા પરથી પ્રાંત અધિકારી ટીમ દ્વારા દરોડા પાડી ૯ લાખથી વધુનો ગેરકાયદેસર અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. વિસાવદરનાં ત્રણ ગોડાઉનમાં દરોડા પાડતા આ પગેરુ બીલખા સુધી પહોંચ્યું હતું. અધિકારીની ટીમ બીલખા દરોડા પાડવા જતા અધિકારીઓ પર સાત શખ્સોએ હુમલો કર્યાનું એસડીએમમે જણાવ્યું હતું. હાલ બીલખા ખાતેના ગોડાઉનમાં તપાસ શરૂ છે.રાણાવાવ ખાતે રાશનને બારોબાર વેચી માર્યાનું કૌભાંડ સામે આવ્યું ૧૨ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ રાણાવાવ ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી ગરીબોને આપવામાં આવતા રાશનને બારોબાર વેચી માર્યાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારબાદ આ મામલે આખરે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે કૌભાંડમાં સામેલ ૧૨ શખ્સો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામા આવી છે. જેમાં પુરવઠા વિભાગના અનાજના ગોડાઉનમાંથી અંદાજીત એક કરોડથી વધુના સસ્તા અનાજના જથ્થાના હિસાબમાં ગડબડી સામે આવી હતી. ત્યારબાદ પુરવઠા વિભાગની ટીમો દ્વારા રાણાવાવ ગોડાઉનમાં તપાસ હાથ ધરી ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું હતું. ૭ હજાર કટ્ટા ઘઉં-ચોખા અને ૨૨ કટ્ટા ખાંડનો હિસાબ ન મળતા આ સસ્તા અનાજના જથ્થાનું અંદાજીત એક કરોડ જેટલાનું કૌભાંડ થયાનું સામે આવ્યું હતું.વધુ વાંચો -
પોરબંદરથી મુંબઇની હવાઇ સેવા બંધ કરાઈ
- 11, ડિસેમ્બર 2022 01:30 AM
- 8864 comments
- 7222 Views
પોરબંદર, પોરબંદરથી અમદાવાદ, મુંબઇ અને દિલ્હીની ફલાઈટમાં પુરતા પ્રમાણમાં મુસાફરો મળતા હોવા છતા અલગ-અલગ બહાનાઓ આગળ ધરીને આ તમામ ફલાઈટ બંધ કરી દેવામાં આવી છે. તેથી પોરબંદર કોંગ્રેસ દ્વારા કેન્દ્રી ય ઉડ્ડચન મંત્રીને લેખિત રજૂઆત કરી સુવિધા શરૂ કરવા માંગ કરી છે.પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવ મોઢવાડિયાએ કેન્દ્રીુય ઉડ્ડયન મંત્રી સિંધિયાને રજૂઆત કરતા જણાવ્યું છે કે, પોરબંદરથી અમદાવાદ, મુંબઈ અને નવી દિલ્લીની વિમાની સેવાઓ શરૂ થઇ હતી અને તેમાં મોટી માત્રામાં મુસાફરો પણ મળી રહેતા હતા. એટલું જ નહીં પરંતુ આ વિમાની સેવા ઉદ્યોગપતિઓ, ફીશ એક્સપોટરો, વેપારીઓથી માંડીને તબીબી સારવાર માટે જતા દર્દીઓને ખુબ જ ઉપયોગી હતી. પરંતુ એક પછી એક આ તમામ ફ્લાઈટો બંધ કરી દેવાતા અને તેનું વ્યાજબી કારણ પણ નહીં જણાવતા કેન્દ્રમની ભાજપ સરકાર પોરબંદરને અન્યાય કરી રહી છે. તેમ જણાવીને વધુમાં ઉમેર્યું છે કે, બંધ થયેલી તમામ ફ્લાઈટ ભાજપ સરકારે વહેલી તકે શરૂ કરવી જાેઈએ. ગત એપ્રિલ મહિનામાં દેશની રાજધાની નવી દિલ્હીથી પોરબંદરની વિમાની સેવાનો પ્રારંભ થયો હતો. જેમાં પહેલી ફલાઇટમાં ૪૫ જેટલા મુસાફરો દિલ્હીથી પોરબંદર આવ્યા હતા તથા અહીંથી દિલ્હી જવા ૩૫ મુસાફરો રવાના થયા હતા. સ્પાઇસ જેટની આ વિમાની સેવા શરૂઆતના તબક્કે અઠવાડીયામાં ચાર દિવસ નિર્ધારિત કરવામાં આવી હતી. જેમાં સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર એમ ચાર દિવસ માટે આ ફલાઇટ ઉડાન ભરતી હતી અને તેમાં પુરતા પ્રમાણમાં મુસાફરો પણ મળી રહેતા હતા. પરંતુ તેમ છતા આ ફલાઈટને બંધ કરી દેવાઈ છે.પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવ મોઢવાડિયાએ કેન્દ્રી ય ઉડ્ડચન મંત્રી સિંધિયાને રજૂઆત કરતા જણાવ્યું છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા સુદામાની ભૂમિ પોરબંદરમાં દરરોજ હજારો પ્રવાસીઓ મુલાકાત લે છે. પોરબંદરને હજુ પ્રવાસન ક્ષેત્રે આગળ ધપાવવું જરૂરી છે. પરંતુ પોરબંદરની કમનસીબી એ છે કે પોરબંદરના એરપોર્ટ ઉપર જે ફલાઇટો ચાલુ હતી તે કોઇ કારણોસર એક પછી એક બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. પોરબંદરના એરપોર્ટ પર લગભગ ચાર માસ જેટલો સમય થયો છે, આમ છતાં એકપણ ફલાઇટ આવી નથી. ત્યારે પોરબંદરનું એરપોર્ટ ફરી શરૂ થાય તે માટે પ્રયત્નો કરવા જાેઇએ અને વહેલીતકે ફલાઇટો શરૂ થાય તે લોકોના હિતમાં ખૂબ જરૂરી છે.વધુ વાંચો -
પોરબંદરમાં બંદોબસ્ત દરમિયાન આઈઆરબીના જવાનો વચ્ચે ફાયરિંગઃ બેના મોતથી ચકચાર
- 27, નવેમ્બર 2022 01:30 AM
- 7079 comments
- 6793 Views
પોરબંદર, પોરબંદર ચૂંટણી બંદોબસ્તમાં આવેલ આઈઆરબીના જવાનો વચ્ચે બબાલ થઈ છે. આ દરમિયાન ફાયરિંગ થતા ૨ લોકોના મોત અને ૨ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં ઝઘડો થયો હતો. ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝગડામાં ફાયરિંગ થયા હોવાનું અનુમાન લાવામાં આવી રહ્યું છે. બે જવાનોનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. ક્યાં કારણે ઝઘડો થયો તે અંગે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં ચૂંટણીના બંદોબસ્ત દરમિયાન ફાયરિંગ થયાની ઘટના બની છે, જેમાં બે લોકોનું મોત થયું છે. ચૂંટણી બંદોબસ્તમાં આવેલા જવાનો વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલમાં બે લોકોના મોત થયા છે.પોરબંદરમાં આઈઆરબીના જવાનો વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર મળ્યા છે. ચૂંટણી પહેલા જ પોરબંદરમાં ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં બે જવાનોના મોત થયા છે, ત્યારે આ મામલે પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ફાયરિંગ થવા પાછળનું કારણ હજૂ સુધી સામે આવ્યું નથી. જાે કે પોલીસ પોતાની તપાસ ચલાવી રહી છે.વધુ વાંચો -
ભુજના ત્રણ શખ્સો શેખપીર ચેકપોસ્ટ પર ડ્રગ્સ સાથે ઝડપાયાં
- 20, નવેમ્બર 2022 01:30 AM
- 9925 comments
- 2368 Views
ભુજ, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપલો વધી ગયો હોવાની ફરિયાદો છે ત્યારે ૧૦ દિવસના ટૂંકાગાળામાં શેખપીરથી માધાપર સુધીના વિસ્તારમાંથી પોલીસે ત્રીજી વખત ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.અગાઉ ૯ નવેમ્બરે એસઓજીએ ૨.૮૦ લાખના એમડી ડ્રગ્સ સાથે ભુજના ૩ યુવાનોને ઝડપયા હતા. જે બાદ ઓરિસ્સાથી ગાંજાે લઈને આવેલા ધાવડાના ૨ વ્યક્તિઓને પકડી લેવાયા હતા જે બાદ હવે શેખપીર ચેકપોસ્ટ પર કાર્યવાહી કરીને એમડી ડ્રગ્સ અને ચરસ લઈને આવેલા ભુજના ૩ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.આરોપીઓ પાસેથી રૂપિયા ૯૬ હજારનું ૯૬.૧ ગ્રામ મારીજુઆના ચરસ અને રૂપિયા ૭ હજારનું ૦.૭ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે શેખપીર ત્રણ રસ્તા પરથી ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ભુજના મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા,રહે. દાદુપીર રોડ,આસિફ કાસમ સમેજા,રહે. મેન્ટલ હોસ્પીટલની બાજુમાં અને દિનેશ લવકુમાર તિવારી,રહે.ભુજીયા તળેટી વાળા આરોપી ઝડપાયા હતા. આરોપીઓ પાસે રહેલી સ્વીફ્ટ કાર ય્ત્ન ૧૨ હ્લઝ્ર ૪૭૦૦ ની તપાસ કરવામાં આવી પણ અંગઝડતીમાં જ રૂ.૯૬ હજારનું ૯૬.૧ ગ્રામ ચરસ અને રૂપિયા ૭ હજારનું ૦.૭ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.શેખપીર ચેકપોસ્ટ પર ચારેબાજુ બેરીકેડ લગાવવામાં આવ્યા હોઇ તે મહત્વપૂર્ણ સાબિત થયા હતા. નાર્કોટીક્સના મુદ્દામાલ સાથે ઝડપાયેલ ભુજના ત્રણ ઈસમો વિરુધ્ધ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ પધ્ધર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેની ક્રોસ તપાસ માધાપર પીએસઆઈ જે.ડી.સરવૈયાને સોંપવામાં આવી છે.આરોપીને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા ભુજના ત્રણ શખ્સોમાંથી મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા વિરુધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે હત્યાના પ્રયાસ તથા એલસીબીમાં આર્મ્સ એક્ટ અને બી ડીવીઝન પોલીસ મથકે સોનાની ચીટીંગ અને મારામારીના ગુનાઓ નોધાયેલા હોવાનું પોલીસે જાહેર કર્યું છે. જયારે અન્ય બે આરોપીઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. પોરબંદર એસ.ઓ.જીએ ખેતરમાંથી ગાંજાના છોડ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો પોરબંદર આગામી સમયમાં યાજાનારી વિધાનસભા ચૂંટણી અનુસંધાને નશીલા પદાર્થો પીનારા તથા માદક પદાર્થોનુ સેવન કરનાર તત્વોની પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા સુચના આપવામાં આવેલી છે. જે અનુસંધાને એસ.ઓ.જી, ઈન્ચાર્જ પીઆઈ એચ.બી.ધાંધલીયા દ્વારા આવા ઇસમો અંગે બાતમી મેળવવા સૂચના કરવામાં આવેલી. જે અનવ્યે એસ.ઓ.જી સ્ટાફના માણસો આ બાબતે કાર્યરત હતા. તે દરમિયાન એએસઆઇ કે.બી.ગોરાણીયા તથા પો.કોન્સ.સમીર સુમાર જુણેજાને બાતમી મળી કે રાણવાવ તાલુકાના હનુમાનગઢ ગામની સીમ કબીર આશ્રમમાં ભરતદાસ પોતાના કબજા ભોગવટાના ફળીયામાં ગાંજાનુ વાવેતર કરેલું છે. જે હકીકતના આધારે સરકારી પંચોને સાથે રાખી રેઇડ કરતા જગ્યામાંથી લીલા ગાંજાના છોડ નંગ-૧ જેનો કુલ વજન ૪ કીલો ૫૪૯ ગ્રામ કી.રૂ.૪૫૪૯૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટની કલમ ૧૯૮૫ની કલમ ૮(બી), ૨૦(એ) (૨-બી) મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો છે.વધુ વાંચો -
પોરબંદરમાં સીએમના કાફલામાં આખલા ઘૂસી જતાં દોડધામ મચીઃ તંત્રને માથે માછલાં ધોવાયાં
- 15, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 1383 comments
- 8508 Views
પોરબંદર, ગુજરાતના રસ્તાઓ પર રખડતાં ગાય-આખલાઓને કારણે અવાર-નવાર અકસ્માત સર્જાતા હોય છે. ગઈકાલે કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને રખડતા ઢોરો હડફેટે લેતા તેઓને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ત્યારે એ જ દિવસે રખડતા ઢોર મુખ્યમંત્રીના કોન્વોયમાં પણ ઘૂસી ગયા હતા. ગઈકાલે પોરબંદરમા હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત પોરબંદર પહોંચેલા મુખ્યમંત્રીના કોન્વોય વચ્ચે બે આખલાઓ ઘુસી ગયા હતા. જાેકે કોન્વેયમાં આ આખલાઓ અથડાયા ન હોવાથી અકસ્માત ટળ્યો હતો. તિરંગા યાત્રા પૂર્ણ કરી કોન્વેય પરત ફરી રહ્યો હતો ત્યારે યુગાન્ડા રોડ પર આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં રેઢિયાળ ઢોર રસ્તે રઝળતા જાેવા મળી રહે છે.ગઈકાલે મહેસાણાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કાર્યકરો અને આગેવાનો તિરંગા સાથે યાત્રામાં જાેડાયા હતા, ત્યારે અચાનક દોડતી આવેલી એક ગાય ભીડમાં ઘૂસી ગઈ, ગાયે નીતિન પટેલ સહિત કેટલાક લોકોને અડફેટે લીધા. ગાયની ટક્કર વાગતા નીતિન પટેલ રસ્તા પર પટકાયા. તેમને ઢીંચણના ભાગે ઈજા પહોંચી, અફરા તફરી મચી ગઈ હતી. ટણના ભાગે ઈજા થતા નીતિન પટેલને તુરંત કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. હોસ્પિટલમાં પગનો એક્સ રે કરાવ્યો તેમાં ઢીંચણના ક્રેક થઈ છે. સિટી સ્કેન કરાવતા ડોક્ટરે ૨૦ દિવસનો આરામ કરવા સૂચવ્યું છે. રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ લાંબા સમયથી યથાવત છે. ગુજરાતમાં તમામ જગ્યાએ ઢોરનો ત્રાસ જાેવા મળે છે. આવા તો અનેક કિસ્સાઓ છે, પરંતુ જ્યારે કોઈ નેતા સાથે આવુ બને છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વાવાઝોડાની આગાહી
- 14, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 6440 comments
- 1682 Views
પોરબંદર, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હજુ ૨ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાને લીધે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં સાવર્ત્રિક વરસાદ વરસે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. ગુજરાતમાં આ પહેલાં ૧૨ તારીખથી વરસાદનું જાેર ઘટશે એવી આગાહી કરવામાં આવી હતી, પરંતુ દરિયામાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. આગામી ૨ દિવસ સામાન્યથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ૧૫ -૧૬ ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલ રાજ્યનાં બંદરો પર ૧ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. ગીર- સોમનાથનો દરિયો પણ ગાંડોતૂર બનતાં ભારે પવન ફૂંકાવવાની સાથે ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયામાં ઊછળતાં મોજાંની સાથે ૫૦ કિલોમીટરની ઝડપ કરતાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને માછીમારોના જીવ તાળવે ચોંટ્યા છે, જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. અરબી સમુદ્રમાં ભારે કરંટથી અનેક બોટને નુકસાન પહોંચ્યું છે. દ્વારકામાં ગોમતીઘાટ સહિતના કિનારે અંદાજે ૧૨થી ૧૫ ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં ભારે પવન ફૂંકાયો છે, જેથી ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ રાખવામાં આવ્યું છે. હર્ષદ, નાવદ્રા, દ્વારકાના દરિયામાં ભારે કરંટ જાેવા મળતા માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. માછીમારી કરી રહેલા માછીમારો બંદર પર પરત ફર્યા છે.વધુ વાંચો -
સુત્રાપાડામાં ૧૩ અને કોડીનારમાં ૯ ઈંચ વરસાદ
- 07, જુલાઈ 2022 01:30 AM
- 9389 comments
- 6347 Views
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું. એમાં સુત્રાપાડામાં નવ કલાકમાં ૧૩ ઇંચ, કોડીનારમાં નવ કલાકમાં ૧૧ ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્યવહાર ખોરવાઇ જતાં બંન્ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે. રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગીર સોમનાથના દરિયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગત રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. આ ત્રણેય તાલુકામાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુત્રાપાડામાં રાત્રિના શરૂ થયેલી મેઘસવારીએ સવારે પણ ચાલુ રહી હતી. સૂત્રાપાડામાં ૩૦૨મિમી (૧૨ ઇંચ), કોડીનારમાં ૨૭૯ મિમી (૧૧ ઇંચ) અને વેરાવળમાં ૧૨૪ મિમી (૫ ઇંચ) વરસાદ વરસાવી દીધો હતો. એને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદને પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુત્રાપાડા શહેર-પંથકમાં ગત રાત્રિના અઢી વાગ્યા આસપાસ મેઘરાજાએ પધરામણી કર્યા બાદ વહેલી સવારે સાત વાગ્યા સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતું. આમ, સાત કલાકમાં ૧૨ ઇંચ જેવો વરસાદ વરસી જતાં શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યું હતું, ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જાેવા મળતો હતો. પંથકના મટાણા સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાનાં દૃશ્યો સામે આવ્યાં છે. મટાણા ગામને જાેડતા બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તા-શેરીઓમાં નદી વહેતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતનાં ગામોની શેરીમાં નદી વહેતી થતાં બેટમાં ફેરવાયા જેવો નજારો જાેવા મળતો હતો. સુત્રાપાડાનો વાડી વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુત્રાપાડા તાલુકાનાં અન્ય ગામોને જાેડતા ઉંબરી સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા બંધ થઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કોડીનાર પંથકમાં પણ ગત રાત્રિથી જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જે સવારે પણ અવિરત ચાલુ હતા. એને લીધે કોડીનાર શહેર-પંથકમાં ૧૧ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જળમગ્ન જેવી સ્થિતિ અનેક જગ્યાએ જાેવા મળી હતી. કોડીનાર શહેરની અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો પંથકના દરિયાકાંઠાના મૂળ દ્વારકા, માલાશ્રમ સહિતનાં ગામોની અંદર નદીઓ વહેતી થઇ હતી. તો અનેક લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો પરેશાન થયાં હતાં. ભારે વરસાદને પગલે કોડીનાર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ જળમગ્ન જેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે.દ્વારકામાં ભારે વરસાદથી જગત મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવાઈ દ્વારકામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં ૬.૬ ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે સમગ્ર દ્વારકા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. જેને કારણે દ્વારકામાં જગત મંદિરનાં શિખરે અડધી કાઠીએ ધજા ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લીધો હતો. વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધજા ફરકાવાશે. કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદથી પાણી પાણી બની ગયુ છે. તો દ્વારકામાં ૪ અને ખંભાળિયામાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. મૂશળધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. દ્વારકામાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા થયા છે. રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. સાની નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. લોકો જીવના જાેખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે. ભારે વરસાદથી જિલ્લાના નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. તો બીજી તરફ સીમાની કાલાવડથી બારા તરફ જતાં માર્ગ પર પુલ પર પાણી ફરી વળતા લોકોને જીવના જાેખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે. દ્વારકામાં જગત મંદિરનાં શિખરે ધજા અડધી કાઠીએ ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લેવાયો છે. ખરાબ હવામાન, વરસાદની આગાહીને પગલે વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી ધજા અડધી કાઠીએ ફરકાવાશે. મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં સતત ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. જેના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર પર ફરકાવવામાં આવતી ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જામનગર જામનગર જિલ્લા અને શહેરમાં મેઘરાજાએ વ્હેલી સવારથી ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું. સતત વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે જામનગરને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા દેધનાધન વરસાદ વરસાવી રહ્યા છે. સૌથી વધારે પડાણા ગામમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જામનગર સહિત રાજ્યભરમાં વરસાદની આગાહીની પગલે વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને જિલ્લાને મેઘરાજાએ મુકામ બનાવ્યો છે. તેમજ ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગ વાદળો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બાળકોએ વરસાદમાં નાહવાની મોજ માણી હતી. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. જામનગર જિલ્લા અને શહેરમાં વહેલી સવારથી જ સતત વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારી એવી મેઘમહેર જાેવા મળી રહી છે.જામનગરમાં મકાનની અગાસી પર વિજળી પડી જામનગરના ગુલાબનગર વિસ્તાર નજીક મોહનનગરમાં આવેલા આવાસના ૧૨ નંબરના બિલ્ડીંગની અગાસીના ખૂણા પર વીજળી પડતાં બિલ્ડીંગનો ખૂણો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ ત્યાં વસવાટ કરતા સેંકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. જામનગરના ગુલાબ નગર નજીક મોહનનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ નું નિર્માણ કરાયું છે. જેમાં ૧૨ નંબરની બિલ્ડીંગની અગાસીના એક ખૂણા પર આજે ભારે વરસાદની સાથે વિજળી પડી હતી. જે વીજળીના કારણે બિલ્ડીંગનો અગાસીના ખૂણાનો કેટલોક હિસ્સો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે બિલ્ડીંગમાં વસવાટ કરતા અનેક લોકો પોતાના ઘરમાં જ હતા, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી. પરંતુ સેકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. હજુ પણ વરસાદી વાતાવરણ ચાલુ હોવાથી અન્ય સ્થાનિકોમાં ભયનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે.વધુ વાંચો -
ભાવનગરથી સાઇકલ યાત્રાએ નીકળેલા લાયન્સ કલબના બે યુવાનો પોરબંદર પહોંચ્યા
- 24, મે 2022 01:30 AM
- 2938 comments
- 2420 Views
પોરબંદર, કચ્છ થી શરૂ કરવામાં આવેલ આ સાઇકલ યાત્રા વલસાડ ખાતે પૂર્ણ થશે,આ યાત્રામાં મિલનભાઈ રાવલ અને શૈલેન્દ્ર ભાઈ ગોહિલ ભાગ લઈ રહ્યા છે, યાત્રા ના ભાગ રુપે આ બંને યુવાનો પોરબંદર પહોંચ્યાં છે. અહીં લાયન્સ ૨હઙ્ઘ વિડીજી હિરલબા જાડેજા, પ્રમુખ પંકજ ચંદારાણા, સેક્રેટરી કેતન હિંડોચા, આશિષ ભાઈ પંડ્યા, નીધી બેન શાહ, ગોપાલ ભાઈ લોઢારીએ આ યુવાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું અને યાત્રા માટે શુભેચ્છા પાઠવી છે. ગુજરાતના ૧૬૦૦કિમી દરિયાકાંઠાની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ સાયકલ યાત્રા ૩૦ મે ૨૦૨૨ સુધી ચાલશે. જેમાં ગુજરાતના દરિયાકાંઠાના ૧૪ જિલ્લા અને ૪૦ જેટલા તાલુકાઓમાંથી આ સાયકલ યાત્રા પસાર થશે. આ સાયકલ યાત્રા સારા સ્વાસ્થ્ય માટે સાયકલિંગને પ્રમોટ કરવા, દરિયા કિનારાના પર્યટન સ્થળો પર ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જન જાગૃતિ કાર્યક્રમ કરવા તથા દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે ભંડોળ, સેવા, નીધી, સામગ્રી એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે નીકળી છે.વધુ વાંચો -
પોરબંદરમાં શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શિક્ષકોની વધ ઘટ માટેનો કેમ્પ યોજાયો
- 20, મે 2022 01:30 AM
- 4646 comments
- 1099 Views
પોરબંદર,પોરબંદરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શિક્ષકોની વધ ઘટ માટેનો કેમ્પ યોજાયો હતો. જેના અનુસંધાને પોરબંદર શહેરના બીઆરસી ભવન ખાતે પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં વધ થતા શિક્ષકો તેમજ તાલુકામાં બહાર ગયેલા શિક્ષકો માટે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં જિલ્લાભરના ૫૦ જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૪૫ જેટલા શિક્ષકોના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે એકદમ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં પણ રાજ્ય સરકારની સુચના અનુસાર અન્ય બદલી કેમ્પોનું આયોજન હાથ ધરવામાં આવશે.વધુ વાંચો -
કાંધલ જાડેજાને પોલીસ જાપ્તામાંથી ભાગવાના કેસમાં દોઢ વર્ષની કેદ
- 21, એપ્રીલ 2022 01:30 AM
- 6195 comments
- 5721 Views
અમદાવાદ, કુતિયાણા બેઠકના એનસીપીના ધારાસભ્ય, અને બાહુબલિ નેતા તરીકે ઓળખાતા કાંધલ જાડેજાને કોર્ટે પોલીસ જાપ્તામાંથી ભાગી જવાના કેસમાં દોઢ વર્ષની સજા અને ૧૦ હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે. ૨૦૦૭ના આ કેસમાં પોલીસને થાપ આપી કાંધલ જાડેજા શિવાની હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે ૨૦૦૯માં તેમની ફરી ધરપકડ કરી હતી. આ કેસમાં હોસ્પિટલના સ્ટાફ, ડૉક્ટર તેમજ પોલીસ સહિત કુલ ૧૪ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. જાેકે, કોર્ટે કાંધલ સિવાયના તમામ આરોપીઓને નિર્દોષ છોડી દીધા છે. એક મર્ડર કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા કાંધલ જાડેજાને ૨૦૦૭માં રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી શિવાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ પોલીસને ખો આપીને ફરાર થઈ ગયા હતા. આખરે ૨૦૦૯માં પોલીસને મહારાષ્ટ્રથી કાંધલ જાડેજાની ધરપડ કરવામાં સફળતા મળી હતી. આ મામલે હોસ્પિટલના ડૉ. તુષાર શાહ તેમજ ડૉ. સુનિલ પોપટ ઉપરાંત જેલના ડૉ. અમૃતલાલ પરમાર અને ચાર પોલીસ ગાર્ડ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જાેકે, તમામને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતા. કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયા બાદ કાંધલ જાડેજાનું ધારાસભ્ય પદ પણ જાેખમમાં આવી શકે છે. જાેકે, તેમની પાસે નીચલી કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાનો વિકલ્પ ખૂલ્લો છે. ઉપલી કોર્ટ સજા પર સ્ટે આપે તો તેમનું ધારાસભ્ય પદ બચી શકે છે. પોરબંદરના ગોડમધર તરીકે ઓળખાતા સંતોકબેન જાડેજાના ચાર સંતાનોમાંના એક કાંધલ જાડેજા પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા બાદ ૨૦૦૯માં મહારાષ્ટ્રથી ફરી પકડાયા ત્યારે તેમના પર ૨૨ જેટલા ગુના નોંધાયેલા હતા.વધુ વાંચો -
મધુવંતીને મહેરામણ સંગ માધવરાયના મધુવનમાં રોપાશે માંડવા માધવપુર ભાસે ભૂતળ સ્વર્ગ
- 10, એપ્રીલ 2022 01:30 AM
- 5319 comments
- 3091 Views
પોરબંદર મહાભારતના શૈલપર્વમાં જેનો સ્પષ્ટ ઉલ્લેખ છે તે સુરાષ્ટ્રનું માધવ તીર્થ એટલે કે માધવપુર ઘેડ ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ પ્રસંગ પર્વ લોકમેળાની તૈયારીમાં મોહનમય બની ગયુ છે. એક એક ભક્ત ભાવિકના હૈયામાં વા’લાના વિવાહનો હરખ છે, તો બીજી બાજુ ઉત્તર પૂર્વીય વિસ્તાર ના રાણી- માતા રૂક્ષ્મણી અને દ્વારકાધીશ માધવરાયના માધવપુરમાં લગ્નના સાંસ્કૃતિક સમન્વયને એક ભારત શ્રેષ્ઠ ભારત તેમજ આઝાદીના અમૃત અવસરે ઉજાગર કરવા ઉત્તરપૂર્વીય વિસ્તારના અને ગુજરાતના એમ કુલ ૨૪૩ કલાકારો કલાનો ઓજસ પાથરવા તૈયાર છે. મહેરામણે માધવરાયને મધુવંતીના કાંઠે મધુવનમાં જે ભૂમિ લગ્ન માટે આપી તે ભૂમિ કુદરતી રમણીયતા વચ્ચે સ્વર્ગ જેવી છે. આવા માધવપુરમાં રામનવમી તા.૧૦થી તા.૧૪ સુધી યોજાનાર લોકમેળો ચાલુ વર્ષે રાષ્ટ્રીય ફલક પર ઉજાગર થઇ રહ્યો છે. માધવપુરના ગ્રામજનોમાં હર્ષ અને ઉત્સાહ છે. ભગવાન માધવરાય ના લગ્ન પ્રસંગ ની તૈયારીઓ કરી રહેલા જાનૈયા અને માંડવીયા તેમજ માધવરાય અને રૂક્ષ્મણી મંદિર દ્વારા પણ તૈયારીઓ થઈ રહી છે. કવિ મનોજ ખંડેરિયા ના શબ્દોમાં અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા એમ ગ્રામજનો -આયોજકો- સરકારી તંત્રના કર્મયોગીઓ સૌને આવકારવા સુસજ્જ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય ઉત્તરપૂર્વીય રાજ્યો ના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને આવકારવા - બહારથી આવનાર પ્રવાસીઓ ભક્તો ને માધવપુરમાં આવકારવા અને લોકમેળો આનંદનો અવસર બને તે માટે ગુજરાત સરકારના સંબંધિત વિભાગો અને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર જહેમત ઉઠાવી રહ્યુ છે. તા.૧૦ એપ્રિલના રોજ સાજે ૬ કલાકથી શરૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સરકારી તંત્ર દ્વારા મુખ્ય કાર્યક્રમ ની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચાર દિવસ સુધી જાણીતા કલાકારો અને કલાવૃંદ સહિત વિવિધ કૃતિઓ માટે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તૈયારીઓ કરી છે.વધુ વાંચો -
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માધવપુર ઘેડના મેળામાં૧૦મી એપ્રિલે ખાસ ઉપસ્થિત રહેશે
- 07, એપ્રીલ 2022 01:30 AM
- 1122 comments
- 2993 Views
પોરબંદર, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પોરબંદર ખાતે માધવપુર ઘેડના મેળાનો આગામી તા. ૧૦મી એપ્રિલે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉત્તર પૂર્વ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાજય સરકારના માર્ગદર્શન તા.૧૦થી ૧૪ એપ્રિલ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વ્યાપ વધે એ માટે ટુરીઝમ સર્કિટના માધ્યમ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પૂર્વથી પશ્ચિમને જાેડતા રાષ્ટ્રીય સાંસ્કૃતિક પર્વની ગરિમામય ઉજવણી કરાશે.સૌરાષ્ટ્રના અતિ મહત્વના ગણાતા આ ભાતીગળ મેળાથી શ્રદ્ધાળુઓને ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના જીવનમાંથી અતુટ શ્રદ્ધા અને આ વિરાસતોની અખંડિતતાની પ્રેરણા મળતી રહે છે. મોદીએ પણ તાજેતરમાં મન કી બાતમાં માધવપુરના આ મેળાનો ઉલ્લેખ કરી તેનું મહત્વ જણાવ્યું હતુ. ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગેમાધવપુર ઘેડ ખાતે યોજાતો પરંપરાગત મેળાને રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે પ્રસ્થાપિત કરવા કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વ વિકાસ મંત્રાલય અને ગુજરાતના યુવા સાંસ્કૃતિક વિભાગનના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમોનુ સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ુ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ- સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ મલ્ટી મીડિયા શો, ઈન્ડેક્સ સી દ્વારા એકઝીબીશન, ચાર દિવસ સુધી વિવિધ થીમ પર એક ભારત શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરતી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાશે. માધવપુર ઘેડના મેળાને સૌરાષ્ટ્રની ટુરીઝમ સર્કિટ સાથે જાેડી પ્રવાસીઓને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતોની જાણકારી મળે અને સાથોસાથ સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું નિર્માણ થાય તેવા બહુઆયામી ઉમદા હેતુ માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેકવિધ નવતર પ્રયાસો થઈ રહ્યાં છે. પ્રવાસીઓને વિવિધ સગવડતા મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેડૂતો-વેપારીઓની દિવાળી બગાડી
- 25, ઓક્ટોબર 2021 02:13 PM
- 7085 comments
- 6036 Views
રાજકોટ-સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે. ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રોની ચિંતા વધી છે.કમોસમી વરસાદથી સમગ્ર પંથકના ખેડૂતો ચિંતિત બન્યા છે. ખરીફ પાકને પણ ભારે નુક્સાન થવાની ભીતિ છે. દિવાળીની ઘરાકી પણ હવે તદ્દન નિષ્ફળ જવાની ભીતિ વેપારીમાં સેવાઇ રહી છે. મંદીના માહોલ વચ્ચે દિવાળીમાં થોડી ઘણી ઘરાકી નીકળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. દિવાળીના તહેવારો પૂર્વે જ એકાએક કમોસમી વરસાદ પડતાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોમાં નુક્સાન નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.ભાવનગર જિલ્લામાં ગઈકાલે બપોર પછી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે આસો મહિનામાં ચોમાસાની વિધિવત વિદાય થઈ ચૂકી હોય છે. અમરેલી જિલ્લાનો ખેડૂત હજી તો તાઉ-તેની અસરમાંથી માંડ બહાર નીકળી રહ્યો છે ત્યાંજ વધુ એકવાર ખેતી પર સંકટ સર્જાયું હતું. બપોરના સમયે સાવરકુંડલા પંથકના મોટા ભામોદ્રા અને છેલણા આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મોટા ભામોદ્રા ગામમાં તો ધોધમાર વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહેતા થયા હતા.ગઈકાલે સાંજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી પડ્યો. જેની અસર ખેડૂતોને ખેતર સાથે સાથે માર્કેટ યાર્ડમાં રહેલા પાક પર થઇ. ખેતરમાં અતિવૃષ્ટિથી બચેલો થોડો ઘણો પાક પણ આ વરસાદમાં નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઇ છે.વધુ વાંચો -
આશ્રમ દ્વારા કોકિલાબેન અંબાણીને રાજર્ષિ એવોર્ડ એનાયત કરાયો
- 12, ઓક્ટોબર 2021 01:30 AM
- 5925 comments
- 1823 Views
પોરબંદર, સાંદિપની આશ્રમ આયોજિત ગૌરવ એવોર્ડમાં કોકિલાબેન અંબાણીને રાજર્ષિ એવૉર્ડ એનાયત કરાયો હતો. સાંદિપની આશ્રમ દ્રારા દર વર્ષે રાજર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને મહર્ષિ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ત્યારે આ વખતે કોવિડમાં સરાહનિય કામગીરી બદલ કોકિલાબેન અંબાણીને રાજર્ષિ એવૉર્ડથી સન્માનિત કરાયા.પરંતુ કોકિલાબેન અંબાણી વિદેશ પ્રવાસે હોવાથી ઉપસ્થિત રહી શક્યા ન હતા.જેથી આ આ એવોર્ડ લેવા માટે કોકિલાબેનના પુત્રવધુ ટીનાબેન અંબાણી આવ્યા હતા અને તેઓએ કોકિલાબેન વતી લોકોનો અને સાંદિપની આશ્રમનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા અને રિલાયન્સના અનિલ અંબાણી અને ટીના અંબાણી ઉપસ્થિત રહ્યા હતા.વધુ વાંચો -
દર વર્ષની પરંપરા મુજબ સર્વધર્મ પ્રાથના સભા કાર્યક્રમમાં મુખ્યપ્રધાને હાજરી આપી
- 03, ઓક્ટોબર 2021 01:30 AM
- 557 comments
- 1503 Views
પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે ૧૫૨મી જન્મ જયંતી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધી જયંતિ અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિરમાં આયોજિત પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ વેળાએ કીર્તિ મંદિરની મુલાકાત લઈ પૂજ્ય બાપુને ભાવસભર અંજલિ આપી કૃતજ્ઞતા વ્યકત કરી હતી. પોરબંદરમાં બાપુના જન્મ સ્થળ કિર્તીમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. સર્વધર્મ પ્રાથના સભા કાર્યક્રમમાં દર વર્ષની પરંપરા મુજબ રાજ્યના મુખ્યપ્રધાને હાજરી આપી હતી. તેમણે વહેલી સવારે સૌથી પહેલા ગાંધીજી તેમજ કસ્તુરબાના તૈલીય ચિત્રને પુષ્પાંજલિ અર્પી હતી. મુખ્યમંત્રી સાથે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ,પ્રસિદ્ધ ભાગવત કથાકાર અને સાંદિપની ગુરુકુળના સ્થાપક પૂજ્ય રમેશભાઈ ઓઝા, સાંસદ રામભાઈ મોકરિયા, રમેશભાઈ તેમજ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને અગ્રણીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ પણ પ્રાર્થના સભામાં જાેડાયા હતા અને પૂજ્ય બાપુને ભાવાંજલિ આપી હતી.વધુ વાંચો -
CM ભૂપેન્દ્ર પટેલ આજે પોરબંદરની મુલાકાતે,નગરપાલિકા સેવાસદનના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું
- 02, ઓક્ટોબર 2021 04:43 PM
- 6657 comments
- 4866 Views
ગાંધીનગર-ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજીની જન્મ ભૂમિ પોરબંદર ગયા હતા. જ્યાં બાપુના જન્મ સ્થળ એવા કીર્તિમંદિરમાં આયોજિત પ્રાર્થનાસભામાં સહભાગી થયા હતા. ત્યાર બાદ તેમણે પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા સેવાસદનના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજંયતિ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બાપુની જન્મભૂમિ એવા પોરબંદરમાં બાપુના જન્મસ્થળ કિર્તીમંદિરમાં આયોજીત પ્રાર્થનાસભામાં સહભાગી થયાં હતાં.. બાપુની તસ્વીરને પુષ્પાંજલિ અર્પી તેમને નમન કર્યાં હતાં. જ્યારે પ્રાર્થના સભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, કથાકાર અને સાંદિપની ગુરુકુળના સ્થાપક પૂજ્ય રમેશ ભાઈ ઓઝા, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, તેમજ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને અગ્રણીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા યાત્રાને લીલીઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવી હતી. આ ઉપરાંત ગાંધી જયંતિ નિમિત્તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે અંદાજે રૂપિયા 6.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકાના આધુનિક સુવિધાસભર ભવનનું લોકાર્પણ કરીને શહેરી જનસેવા માટે આ નવા બિલ્ડિંગને ખૂલ્લું મૂક્યું હતું.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા સેવાસદનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત નગરપાલિકા સેવાસદનમાં કુલ 21 રૂમો તૈયાર કરવામાં આવ્યા છે. આ નવું સેવાસદન પોરબંદર-છાંયાના જનસુવિધાના કામોને નવો ઓપ આપશે. અને જનસુખાકારીની નેમ વધુ વેગવાન બનશે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ અવસરે રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ સાંસદ રમેશ ધડુક, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય બાબુભાઇ બોખિરીયા અને અગ્રણીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સાંજે રૂપિયા 4.30 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચિલ્ડ્રન હોમનું પણ ઉદ્ધાટન કર્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંદિપની આશ્રમમાં કથાકાર રમેશભાઈ ઓઝાની સાથે પણ મુલાકાત કરી હતી.વધુ વાંચો -
ગુજરાતના આ સમુદ્રના તોફાની મોજા વચ્ચે બાથ ભીડી 21 વર્ષથી યુવાનો તિરંગો ફરકાવી રાષ્ટ્ર ગાન કરી સલામી આપે છે
- 15, ઓગ્સ્ટ 2021 10:07 AM
- 7114 comments
- 5521 Views
અમદાવાદ-પોરબંદરના મહાસાગરમાં 21 વર્ષથી તોફાની મોજા સાથે બાથ ભીડી દેશ ભક્તિના રંગે રંગાયેલા યુવાનો ધ્વજ વંદન અને રાષ્ટ્ર ગાન કરી સલામી આપે છે. પોરબંદર ચોપાટી ખાતે 21 વર્ષથી શ્રી રામ સ્વિમિંગ કલબના યુવાનો, વૃદ્ધ, બાળકો અને મહિલાઓ પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વ પર સમુદ્રના તોફાની મોજા સામે ભાથ ભીડી મધ દરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્ર ગીતનું ગાયન કરી સલામી આપે છે. ‘ આજે 21 વર્ષથી અમારી કલબના યુવાનો દ્વારા મધ દરિયે ફ્લેગ હોસ્ટિંગ કરીએ છીએ. 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ધ્વજ લહેરાવીએ છીએ આજે સમુદ્ર થોડો તોફાની હોવા છતાં અમે હિંમત દાખવી ધ્વજ લહેરાવેલ હતો. વર્ષોથી અમારી પરંપરા મુજબ આજે મધ દરિયે ધ્વજ લહેરાવેલ અને રાષ્ટ્રગીત ગાયું હતું દર વર્ષે યુવાનો અને મહિલાઓ આ કાર્યકેમમાં જોડાય છે. આજે સમુદ્રના તોફાની મોજા વચ્ચે પણ દેશ પ્રત્યે.લાગણી દર્શાવી હતી અને હિંમતભેર સમુદ્રમાં તિરંગો લહેરાવ્યો હતો. આમ દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનું અનોખુ ઉદાહરણ આપ્યું હતું.વધુ વાંચો -
રાણાવાવ ફેક્ટરી દુર્ઘટમાં 3 શ્રમિકોનાં મોત, CM રૂપાણીએ કલેક્ટર સાથે કરી ટેલિફોનિક વાતચીત આપી આ સુચના
- 13, ઓગ્સ્ટ 2021 10:34 AM
- 2088 comments
- 4193 Views
પોરબંદર-પોરબંદરના રાણાવાવ નજીક સિમેન્ટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ચિમનીની અંદર માંચડો તૂટી પડતાં અંદર કામ કરી રહેલા 6 શ્રમિકો 45 ફૂટ ઉંચેથી પટકાયા હતા.ગઈકાલે બપોરે આ ઘટના સર્જાઈ હતી. જેની જાણ થતાં જ NDRF સહિતની ટીમોએ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા છે. ત્યારે 3 શ્રમિકોને કાટમાળમાંથી સલામત બહાર કઢાયા છે. આ મામલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે પોરબંદર કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સત્વરે રાહત અન બચાવ કામગીરી માટે સૂચના આપી હતી. આ દુર્ઘટનામાં બચાવ રાહત અને સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા મદદ માટેની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ એન.ડી.આર.એફ.ની 2 ટીમ પણ આ કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપવાની સંબંધિતોને સૂચના આપી છે.વધુ વાંચો -
ગુજરાતની આ 8 વર્ષની પ્રિન્સીએ યોગમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, પ્રિન્સીએ માત્ર 4:4:16 મિનિટમાં 101 યોગા કર્યા
- 10, ઓગ્સ્ટ 2021 03:16 PM
- 2315 comments
- 2014 Views
પોરબંદર-સામાન્ય રીતે વૃદ્ધ લોકો રોગમાંથી મુક્તિ મેળવવા યોગ અને પ્રાણાયામ કરતા હોય છે, પરંતું વિશ્વ લેવલે યોગના પ્રચાર-પ્રસાર બાદ આધુનિક યુગમાં બાળકો પણ યોગ તરફ વધુ રસ લેતા થયા છે. પોરબંદરની 8 વર્ષની પ્રિન્સીએ માત્ર 4:4:16 મિનિટમાં 101 યોગ નામ સાથે કર્યા હતા તેમજ પાણી ભરેલા ટબમાં 1 મિનિટમાં 30 યોગ કરી રેકોર્ડ બનાવ્યો છે અને યોગમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી 8 વર્ષની પ્રિન્સી મહેશભાઈ જેઠવાએ યોગ ક્ષેત્રે 2 રેકોર્ડ બનાવ્યા છે. પોરબંદરમાં માત્ર 8 વર્ષની પ્રિન્સીએ વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવી યોગ ક્ષેત્રે પોરબંદરનું ગૌરવ વધાર્યું છે. પ્રિન્સી યોગ ટ્રેનર માનસી નારણકાના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ છે.પ્રિન્સીએ કચ્છ-ભુજના યોગ ટ્રેનરનો જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ભુજના યોગ ટ્રેનરે 10 મિનિટમાં 73 યોગ કરી રેકોર્ડ બનાવ્યો હતો. જે પોરબંદરની પ્રિન્સીએ 4.4 મિનિટ અને 17 સેકન્ડમાં 101 યોગ નામ સાથે કરી બતાવ્યા હતા અને જૂનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત પ્રિન્સીએ પાણી ભરેલા ટબમાં 1 મિનિટમાં 30 જેટલા જુદા-જુદા યોગ કરી રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પવન સોલંકી ઉપસ્થિત રહી પ્રિન્સીને આ રેકોર્ડસ બદલ સર્ટિફિકેટ તેમજ મેડલ આપી સન્માનિત કરી હતી.વધુ વાંચો -
કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય ગુજરાતમાં 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદા 31 જુલાઈ કરાઈ
- 16, જુલાઈ 2021 09:07 PM
- 6462 comments
- 3598 Views
ગાંધીનગર-મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોની પ્રર્વતમાન સ્થિતીના થઇ રહેલા સતત ઘટાડાની સમીક્ષા કરીને વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં મળેલી આ કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કરફયુ રાત્રે ૧૦ થી સવારે 6 સુધી અમલમાં છે. આ રાત્રિ કરફયુની મુદત તા.ર૦ જુલાઇ-ર૦ર૧ મંગળવારે સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તેને હવે ૩૧ જુલાઇ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે. એટલે કે આ ૮ મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયાવધિ હવે, તા.૧ ઓગસ્ટ-ર૦ર૧ સવારે ૬ કલાકે પૂરી થશે.રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ ૬૦ ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશેકોર કમિટીમાં લેવાયેલા અન્ય નિર્ણયો મુજબ રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ તા.ર૦ જુલાઇ-ર૦ર૧ થી તેની ક્ષમતાના ૬૦ ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે નિયત એસ.ઓ.પી.ને આધિન શરૂ કરી શકાશે.પ્રાયવેટ અને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી માં ૧૦૦ ટકા પેસેન્જર અને એ.સી.માં ૭પ ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. રાજ્યમાં પ્રાયવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે પણ તા.ર૦ જુલાઇ-ર૦ર૧થી કેટલીક છૂટછાટો આપવાનો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો છે. પબ્લિક અને પ્રાયવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી બસ સેવાઓ 100 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઊભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી. એ.સી સેવાઓ તેની ક્ષમતાના ૭પ ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે.વધુ વાંચો -
પોરબંદરનું શ્રી હરિ મંદિર ૨૧મી જૂનથી દર્શનાર્થીઓ માટે ખૂલશે
- 20, જુન 2021 01:30 AM
- 522 comments
- 2903 Views
પોરબંદર, પોરબંદરમાં પૂજ્ય ભાઈ દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલ શ્રીહરિમંદિર તા.૨૧ જૂનના રોજ ર્નિજળા એકાદશીના પાવન દિવસે દર્શનાર્થીઓ માટે ખુલી રહ્યું છે. કોવિડ૧૯ના સમયમાં દરેક દર્શનાર્થીઓને સાવધાની રાખીને અને નિયમનું પાલન કરીને હરિમંદિરે દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોવિડ-૧૯ની મહામારીની બીજી લહેરને કારણે ગત એપ્રિલ મહિનામાં શ્રીહરિ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. પરંતુ વર્તમાન સમયમાં કોવિડ-૧૯ના કેસોમાં રાહત થતાં સરકારશ્રી દ્વારા પણ કોવિડ ગાઈડલાઇન મુજબ ધાર્મિક સ્થાનોને પુનઃ ખોલવાની સંમતિ આપવામાં આવી છે. આ અનુસંધાને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દર્શનાર્થીઓ માટે શ્રી હરિમંદિર ખોલવાનો ર્નિણય લેવામાં આવેલ છે. દર્શનાર્થીઓ માટેનો સમય સવારથી ૭ઃ૩૦થી બપોરે ૧ઃ૦૦ સુધી અને સાંજે ૪ઃ૩૦થી ૬ઃ૩૦ સુધી રહેશે. તા.૨૧મીના રોજ દર્શનાર્થીઓ માટે શ્રીહરિમંદિર ફરીથી ઉદ્ઘાટિત થઈ રહ્યું છે. ર્નિજળા એકાદશીના પરમ પાવન દિવસે પૂજ્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં શ્રીહરિ મંદિરમાં આંબા મનોરથ ઉત્સવ દર્શન થશે. જેના દર્શનનો સમય સવારથી ૭ઃ૩૦ થી બપોરે ૧ઃ૦૦ સુધી અને સાંજે ૪ઃ૩૦ થી ૬ઃ૩૦ સુધી રહેશે. બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે ઉત્સવ આરતી સંપન્ન થશે.વધુ વાંચો -
ગુજરાત કોસ્ટગાર્ડ ની તાકાત માં વધારો આધુનિક 'સજાગ' જહાજનું આગમન
- 12, જુન 2021 03:43 PM
- 5181 comments
- 9811 Views
અમદાવાદ-પોરબંદરથી સમગ્ર રાજ્યના દરિયાકાંઠાની સુરક્ષા, રેસ્કયુ અને પેટ્રોલીંગની કામગીરી સજાગ દ્વારા સંભાળવામાં આવશે. ભારતીય નૌસેનામાં કોસ્ટગાર્ડ વિભાગમાં સજાગનું ખુબજ મહત્વ રહ્યું છે. 105 મીટર લંબાઈની શ્રેણીના પેટ્રોલ સંચાલીત સજાગ ભારતીય કોસ્ટગાર્ડમાં સુરક્ષા માટે સદા તત્પર રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલ દ્વારા આ જહાજને મંજૂર કરવામાં આવ્યું હતું. રેડી રીલેવેન્ટ અને રિસ્પોન્સીવની ફરજ સુપેરે બજાવતા સજાગમાં ઈન્ટેગ્રેટેડ બ્રીજ સીસ્ટમ, મશીનરી કંટ્રોલ સીસ્ટમ, પાવર મેનેજમેન્ટ અને બે હાઈસ્પીડ શી બોટથી ફુલ્લી લોડેડ જર્મન ટેકનોલોજીથી બનાવેલા આ જહાજની ઝડપ 26 ક્નોટસની જાણવા મળે છે. 9 મેગા વોલ્ટ ડિઝલ એન્જીનની વધારાની શક્તિ ધરાવતા સજાગમાં રિમોટ કંટ્રોલ સીસ્ટમ પણ ઉપલબ્ધ છે. પેટ્રોલીંગ માટેની તમામ સાધન સામગ્રી, ઓટોમેટીક વેપન્સ સીમ્યુલેટર, એડવાન્સ લાઈટ હેલીકોપ્ટર, સીંગર એન્જીન ચેતક ચોપર અને પ્રદુષણ નિયંત્રણ વ્યવસ્થા અને 12 અધિકારીઓ તેમજ 99 કર્મચારીઓ સાથે સજાગ કોસ્ટગાર્ડ માટે જાગતી આંખ બની રહેશે.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી આ તારીખ સુધી માછીમારોને સમુદ્રમાં ન જવા ફરમાન, જાણો કારણ
- 25, મે 2021 06:40 PM
- 9150 comments
- 8019 Views
કચ્છ-કચ્છ જિલ્લાના જુદા જુદા બંદરેથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ વિગેરેની આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી. તેમજ માહે મે માસથી દરિયો તોફાની થઇ જાય છે. મત્સ્યોધોગ કમિશનર, ગાંધીનગર તરફથી રાજયમાં દરિયાઇ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા.૧/૬/૨૦૨૧ થી તા.૩૧/૭/૨૦૨૧ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરરાષ્ટ્રીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમ છતાં અનધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડા, વરસાદ જેવા પરિબળોથી સમદ્ર તોફાની બને તેવા સંજોગોમાં માછીમારોના જાનનું જોખમ ઉભું થાય તેવો પુરતો સંભવ છે. જેથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અનિવાર્ય છે. ભારતીય ફોજદારી કાર્યરિતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ પ્રવિણા ડી.કે. (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ ફરમાવેલ છે કે કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રીક એરિયામાં કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યકિતએ આગામી તા.૧/૬/૨૦૨૧ થી તા.૩૧/૭/૨૦૨૧ સુધી માછીમારી માટે કે અન્ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરિયામાં જવું નહીં અને કોઇપણ બોટની અવરજવર કરવી નહીં. આ હુકમ અન્વયે પોર્ટ ઉપર આવતા વ્યાપારિક જહાજોને, લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, પોલીસ દળોની બોટો, પગડીયા માછીમારોને આ હુકમ લાગુ પડશે નહીં.વધુ વાંચો -
CM રૂપાણીએ તાઉતે વાવાઝોડાથી અગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત
- 20, મે 2021 02:12 PM
- 2231 comments
- 3797 Views
રાજકોટ-તાજેતરમાં તાઉતે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતને તહેશ નેહત કરી દીધુ હતું. ત્યારે સૌથી વધારે પ્રભાવિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ત્યારે ગુજરાતમાં કરોડો રૂપિયાનું નુકસાન અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ પણ હવાઈ નિરિક્ષણ કર્યું હતું. જોકે, આજે ગુરુવારે ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અસગ્રસ્ત વિસ્તારોની મુલાકત લીધી હતી. સાથે સાથે અગ્રસ્ત વિસ્તારોના પીડિતો સાથે પણ વાત કરી હતી. સીએમ રૂપાણીને સરપંચ અને ગરડા ગામનાં લોકોએ આ મહામુસિબતથી પડેલું દુખ અને વ્યથા વર્ણવી હતી. જેની સામે સીએમે તેમને આશ્વાસન આપ્યું હતું કે, સરકાર તમારી મદદ કરશે. નોંધનીય છે કે, વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલાઓને આજથી કેશડોલ ચૂકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. 16 અને 17મી મેના રોજ સ્થળાંતર થયેલા લોકોને રાજ્ય સરકાર સાત દિવસની કેશડોલ ચૂકવશે. પુખ્ત વયના વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને રૂ. 60 પ્રતિ દિવસ ચૂકવવામાં આવશે. કેન્દ્ર સરકાર વાવાઝોડામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 2-2 લાખની તથા ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારને ચાર-ચાર લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તૌક્તે વાવાઝોડાને કારણે જે લોકો પ્રભાવિત થયા છે તેમની સાથે છે અને તેમને જરૂરી તમામ મદદ કરશે. પીએમ મોદીએ જણાવ્યું કે અમદાવાદમાં બેઠક દરમ્યાન તોકતે વાવાઝોડાને કારણે ઉદ્દભવેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યની પણ માહિતી મેળવી હતી.વધુ વાંચો -
તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર
- 19, મે 2021 05:00 PM
- 9019 comments
- 8326 Views
અમદાવાદ-તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.વધુ વાંચો -
ગુજરાતને ફરી પાટા પર લાવવા સરકારની કવાયત શરૂ, ક્યાં કેટલું નુકસાન? સર્વેની કામગીરી શરૂ
- 19, મે 2021 04:49 PM
- 9418 comments
- 4338 Views
ગાંધીનગર-કોરોનાના ભયાનક મારનો સામનો કરી રહેલા ગુજરાતથી કુદરત જાણે કે રુઠી હોય તેવી રીતે 'તાઉતે' નામનું મહાભયાનક વાવાઝોડું આવી પડતાં સરકાર તેમજ લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. બે દિવસ સુધી ખૌફના મંજર ઉભા કરીને વાવાઝોડું હવે પસાર થઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા પણ વાવાઝોડાને કારણે ક્યાં કેટલું નુક્સાન થયું છે તેના સર્વે સહિતની કામગીરી 'બંબાટ' શરૂ કરી દેવામાં આવી છે. એકંદરે રાજ્યને ફરી 'ધબકતું' કરવા માટે સરકારે મથામણ શરૂ કરી દીધી છે. વાવાઝોડાએ જે-જે જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે તે જિલ્લાઓને બે દિવસની અંદર 'બેઠા' કરી દેવા સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વાવાઝોડાએ ખાસ કરીને ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું હોય તેનો સર્વે કરવા પર સરકાર પ્રાથમિકતા આપી રહી છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં ઝુંપડા અને કાચા મકાનો તૂટી પડ્યા છે ત્યાં તાકિદે કેશડોલ્સ ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવા સરકારે આદેશ આપ્યો છે. પત્રકાર પરિષદને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વાવાઝોડાએ ગુજરાતમાં 13 લોકોનો ભોગ લીધો છે. આગોતરા આયોજન, આગમચેની, સહિયારા અને સક્રિય પ્રયત્નો તેમજ લોકોના સહકારથી ગુજરાત વાવાઝોડારૂપી આફતમાંથી હેમખેમ બહાર આવી ગયું છે. વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના સર્વેક્ષણની કામગીરી શરૂકરી દેવાઈ છે. પ્રાથમિક તબક્મે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. જે જિલ્લાઓમાં વિશે નુકસાન થયું છે ત્યાં પાડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગરીમાં સામેલ કરવામાં આવ્યા છે જેથી કામગીરીમાં ઝડપ આવી શકે. યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારા-ધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રાહતની વાત એ છે કે એક પણ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને વાવાઝોડાને કારણે કોઈ તકલીફ પડ નથી. રાજ્યમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી અને તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો આમ છતાં તંત્રની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે ક્યાંય વીજ સપ્લાયને લઈને સમસ્યા સર્જાવા પામી નથી. વાવાઝોડાની સૌથી વધુ અસર ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં જોવા મળી છે તેથી સરકાર દ્વારા આ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરીને વિસ્તૃત વિગતો મેળવવામાં આવી રહી છે.વધુ વાંચો -
ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાએ કર્યો વિનાશ, કોરોડોનું નુકસાન, મૃત્યુઆંક 45 પર પહોંચ્યો
- 19, મે 2021 02:47 PM
- 1418 comments
- 540 Views
અમદાવાદ- ગુજરાતમાં એક દિવસની તારાજી સર્જીને રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે. પરંતુ ગુજરાતમાં પાછળ કોરોડનું નુકસાન અને અનેક લોકોનો ભોગ લેતું ગયું છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં મૃત્યું આંક ધીમે ધીમે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 45 લોકોના મોતના સમચારા મળી રહ્યા છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે. અમરેલીમાં 15 મોત થયા છે. જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 લોકોનાં મોત થયા છે. ભાવનગરમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત થયા છે. ગીર સોમનાથમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી 1 મોત થયા છે. અમદાવાદમાં કુલ 5 મોત થયા છે. જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1નું મોત થયું છે. ખેડામાં 2ના મોત થયા છે જેમા વીજ કરંટથી બંન્નેના મોત થયા છે. આણંદમાં 1 મૃત્યુ વીજ કરંટથી, વડોદરામાં 1 મૃત્યું ટાવર પડી જવાથી, સુરતમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી, વલસાડમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, રાજકોટમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, નવસારીમાં 1 મૃત્યુ છત પડવાથી, પંચમહાલમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી થયું છે.આ વાવાઝોડાથી સૌથી વધારે નુકશાન ખેડૂતોને થયું છે. બાગાયતી પાકના ખેડૂતોને તો રોવાનો વારો આવ્યો જ છે, સાથે ઉભો પાક લોકોનો વાવાઝોડામાં નષ્ટ થઈ ગયો છે. હવે વાવાઝોડાની આફત ધીમે ધીમે ઓછી થઈ રહી છે, ત્યારે સરકાર આવતીકાલથી નુકશાનીનો સર્વે હાથ ધરશે, તથા રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે તેવી સરકારે ખાતરી આપી છે. વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. આ વાવાઝોડાને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આજે રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. ગુજરાતમાં આ વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે.વધુ વાંચો -
તાઉ તે વાવાઝોડાથી 13નાં મોત, અસરગ્રસ્તોને ચુકવાશે કેશડોલ અને ઘરવખરીની સહાય: CM રૂપાણી
- 18, મે 2021 08:08 PM
- 7232 comments
- 8404 Views
ગાંધીનગર-મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતો અને ખેતરોનું મોટું નુકસાન સામે આવ્યું છે. જેમાં ઉનાળા પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. નુકસાનનું વળતર સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે. માછીમારોના નુકસાનનું પણ સર્વે કરાશે. પશુપાલન વિભાગને પણ પશુઓના નુકસાન અંગે પણ સર્વે કરવાની કામગીરી સોંપાઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આજની બેઠકમાં એ પણ નિર્ણય થયો છે કે, ગુજરાતના તમામ અસરગ્રસ્ત શહેરોમાં પુરુ તંત્ર રિસ્ટોર કરવાની કામગીરીમાં 2 દિવસ સતત કાર્યરત રહેશે.હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તે હવે અમદાવાદ પરથી પસાર થઈ ચુક્યું છે. 40 કિમિ કરતા વધારે ઝડપથી અમદાવાદને ધમરોળનારા વાવાઝોડાનાં પગલે અમદાવાદમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. પવનની ઝડપ અને વરસાદને લઈને શહેરનાં અનેક વિસ્તારોમાં તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. બાદમાં બપોર બાદ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. શહેરમાં સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે.તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ગરનાળા, અને રસ્તાઓ પર પાણી ભરાયા. કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના પણ બની હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર રખિયાલમાં એક કાર પર ઝાડ પડવાનો બનાવ બન્યો છે. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. નારણપુરાના આદર્શનગરમાં ઈલેક્ટ્રિક વીજ પોલ તૂટી ગયો હતો. વાવાઝોડું સાણંદ નજીકથી અમદાવાદમાં પ્રવેશી રહ્યું છે. જેથી ભારે પવનથી વીજળીના ડૂલ થવાની ઘટના વધી હતી.વધુ વાંચો -
ગુજરાતમાં તોઉ તે વાવાઝોડાનું વિનાશકારી તાંડવ, 188 તાલુકામાં ધોધમાર વરસાદ, 3 નાં મોત
- 18, મે 2021 02:27 PM
- 6477 comments
- 3157 Views
અમદાવાદ-'તાઉ'તે વાવાઝોડું ગઈ કાલે રાત્રે રાજ્યમાં ઉના અને ભાવનગરમાં ટકરાયા પછી ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદના અહેવાલ છે. 'તાઉ'તે' વાવાઝોડાને પગલે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં પવન સાથે નવ ઈંચ વરસાદ પડ્યો હતો, જેમાંથી સાત ઇંચ વરસાદ તો માત્ર વહેલી સવારે 4થી 6 કલાકની વચ્ચે નોંધાયો છે. જ્યારે ગીર ગઢડામાં પણ સાત 7 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના ઉંમરગામમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજયમાં કુલ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે ભારે પવનને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રનાં 1000 ગામોમાં વીજપુરવઠો ઠપ થયો હતો.110 તાલુકામાં એક મિ.મીથી છ ઇંચ વરસાદ નોંધાયો હતો. હજુ ગુજરાત માટે 24 કલાક ભારે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે વાવાઝોડું ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે. આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહાર ના નીકળવાના જિલ્લા કલેકટરે તાકીદ કરી છે.વધુ વાંચો -
ગુજરાતને ધમરોળતુ તાઉ તે વાવાઝોડું, 2500 ગામોમાં અંધારપટઃ 150થી વધુ રોડ-રસ્તાઓ બંધ
- 18, મે 2021 02:10 PM
- 227 comments
- 6935 Views
અમદાવાદ-કેરળ, કર્ણાટક, ગોવા અને મુંબઈમાં વિનાશ વેર્યા બાદ તાઉ-તે વાવાઝોડું સોમવારે મોડી રાત્રે દીવ નજીક ત્રાટક્યું હતું. તાઉ-તે વાવાઝોડાના કારણે ગુજરાતમાં 4 લોકોના મોતના નિપજ્યા હતા. ગુજરાતમાં ચક્રવાત તાઉ-તેએ રાજ્યના કેટલાક ભાગોમાં ત્રાટકીને પશ્ચિમ કાંઠે તબાહી મચાવતા ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા. વાવાઝોડાને કારણે રાજ્યમાં ઘણા વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓને નુકસાન થયું છે, જેથી રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. રાજ્યમાં 2500 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાતા અંધારપટ થવાયો છે. 40 હજારથી વધુ વૃક્ષો ઘરાશાયી બન્યા છે. 1081 વીજ થાંભલા પડી ગયા છે. 196 રોડ-રસ્તાઓ બંધ છે.વાવાઝોડાની સ્પીડ 100 કિમીની છે. તેમજ અમદાવાદ જિલ્લા અને ધોળકામાં તેની અસર દેખાઈ રહી છે. સાથે જ સાંજ સુધી આ વાવાઝોડાની પરિસ્થિતિ ચાલુ રહેશે. જોકે તંત્રની તકેદારીના કારણે કોઈપણ મોટી દુર્ઘટના થઈ નથી. અત્યાર સુધીમાં 1081 થાંબલા, 40 હજાર વૃક્ષો પડી ગયા. 196 રસ્તા બંધ થઈ ગયા, 16500 કાચા મકાન અસરગ્રસ્ત થયા છે, જેનો સર્વે ચાલુ છે. બીજા વિસ્તારમાં 100થી વધુની સ્પીડે પવન ચાલુ છે ત્યાં પણ નુકસાનનો સર્વે ચાલુ છે. અત્યારે વરસાદ 35 તાલુકામાં 1 ઈંચ વરસાદ થયો છે. બગસરામાં 9 ઈંચ, ઉનામાં 8 ઈંચ, સાવરકુંડલામાં 8 ઈંચ, અમરેલી અને આસપાસના સ્થાનોમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. કન્ટ્રોલરૂમથી તમાનની સાથે સંપર્કમાં છીએ. અત્યાર સુધી 3નાં મોત થા છે. જેમાં 1 વાપી, 1 રાજકોટ અને ગારીયાધારમાં 80 વર્ષના 1 વૃદ્ધનું મોત થયું છે.વધુ વાંચો -
તાઉ-તે વાવાઝોડાનું કાઉન ડાઉન શરૂ, પોરબંદર અને દીવ માટે સેનાની 12 ટીમ બચાવકાર્ય માટે તૈનાત
- 17, મે 2021 07:29 PM
- 4561 comments
- 6785 Views
અમદાવાદ-ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વાવાઝોડાને પગલે ગુજરાતમાં આર્મીની લગભગ કુલ 180 ટીમોને સજ્જ કરાઇ છે. જેમાં એન્જીનીયર ટાસ્ક ફોર્સ કોવિડ પ્રોટોકોલ્સના આધારે લોકોને સહાય અને તમામ પ્રકારની સહાય પૂરી પાડશે.વાવાઝોડાની મહત્તમ અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેશે. જેથી આર્મીની ટીમ મોટાભાગે સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે આર્મીની 60 ટીમે સુસજ્જ રખાઇ છે. જેમાં દરેક ટીમમાં 6 જવાનો કાર્યરત રહેશે. જે દીવ અને પોરબંદર સહિતના વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરશે. આ સિવાય ગુજરાતના અનેક શહેરોમાં વાવાઝોડાની અસર વર્તાશે. જેને અનુસંધાને પણ બાકીની આર્મીની ટુકડીઓ સુસજ્જ કરાઇ છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાત્રે વાવાઝોડું દિવ નજીક ટકરાશે. જેથી મોટું નુકસાન થવાનો પણ અંદાજ સેવવામાં આવ્યો છે. આ સમયે ઇન્ડિયન આર્મીની બચાવ ટુકડીની મદદથી બચાવ કામગીરી ઝડપી બની શકશે.તૌક્તે વાવાઝોડાના કારણે મુંબઈ એરપોર્ટને બંધ રાખવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 8 વાગ્યા સુધી એરપોર્ટ પર ફ્લાઈટની અવર-જવર બંધ રહેશે. તૌક્તે વાવાઝોડું નજીક પહોંચતા જ દીવનો દરિયો તોફાની બન્યો છે. દીવના દરિયામાં કરંટ વધતા ત્રણ મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. બ્લુ ફ્લેગ બીચને ભારે નુકસાનની સંભાવના છે.તૌક્તે વાવાઝોડુ ગુજરાતથી વધારે નજીક આવ્યું છે. તૌક્તે વાવાઝોડુ સંઘ પ્રદેશ દીવથી માત્ર 90 કિમી દૂર છે. વાવાઝોડૂ નજીક આવતા જ કાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂકાવાનું શરુ થયું છે. દિવ, વેરાવળ, મહુવા અને ઘોઘાના દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શરુઆત થઈ ગઈ છે.તૌક્તે વાવાઝોડું ગણતરીની કલાકોમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. જાફરબાદમાં વાવાઝોડાની તોફાની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભયાવહ કરતું વાતાવરણ જાફરાબાદમાં સર્જાયું છે.વધુ વાંચો -
ગુજરાતમાં ઘણા સ્થળે પવન સાથે તોફાની વરસાદ: દરિયાકાંઠે જોરદાર કરંટ, તંત્ર એલર્ટ
- 17, મે 2021 06:54 PM
- 1801 comments
- 1675 Views
અમદાવાદ-અરબી સમુદ્રમાં તાઉ તે વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારેથી 100 કિલોમીટર દૂર હોવા છતા, ગુજરાતના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફુકાઈ રહ્યો છે. તો ભારે તોફાની વરસાદ પણ વરસી રહ્યો છે. ગુજરાતના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારના જણાવ્યાનુસાર, તાઉ તે વાવાઝોડુ ભાવનગરના મહુવાથી પોરબંદર સુધીમાં દિવથી 20 કિલોમીટર પૂર્વ દિશામાં સોમવાર 17મી મેની રાત્રે ટકરાશે. વાવાઝોડુ જ્યારે જમીન ઉપર ટકરાશે ત્યારે પવનની ઝડપ 165 કિલોમીટરની હશે જે ક્યારેક વધીને 185 કિલોમીટર થવાની સંભાવના છે. તાઉ તે વાવાઝોડાની અસર આવતીકાલ સુધી ગુજરાતમાં વર્તાશે. તાઉ તે વાવાઝોડાની સંભવિત અસર પામનારા 17 જિલ્લામાં સવચેતીના પગલા લેવાયા છે. ગુજરાતના 17 જિલ્લાના 840 ગામમાંથી બે લાખ જેટલા લોકોનું અંદાજે 2000 આશ્રય સ્થાન ઉપર સલામત સ્થળાંતર કરાયું છે. સ્થળાતરીત કરાયેલા લોકોમાં સૌથી વધુ પાંચ જિલ્લાના લોકો છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ. અમરેલી, ભાવનગર સૌથી વધુ અસર પામનારા છે. આ પાંચ જિલ્લામાંથી 1.25 લાખ કરતા વધુનુ સ્થળાંતર કરાયુ છે. ગુજરાતમાંથી દરિયામા માછીમારી કરવા ગયેલા 19811 માછીમારો પરત ફર્યા છે. ગુજરાતમાં નોંધાયેલી એક પણ બોટ હવે દરિયામાં નથી. તમામ બોટ કિનારે લાગરી ચૂકી છે. મીઠાના અગરમાં કામ કરતા 11 હજાર અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોખમી લાગતા 668 હંગામી સ્ટ્રકચરને તોડી પાડવામાં આવ્યા છે. તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી11000થી વઘુ હોર્ડીગ્સને ઉતારી લેવાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં તોઉ-તે વાવાઝોડાને કારણે 25 વર્ષ બાદ દરિયાકાંઠે લાગ્યુ 10 નંબરનુ સિગ્નલ
- 17, મે 2021 04:10 PM
- 2307 comments
- 3790 Views
અમદાવાદ-ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યુ છે અને તોફાન આજે રાત્રે ગુજરાતને ટકરાય તેવી આશંકા છે. ત્યારે ગુજરાતના દરિયાકિનારા પર 25 વર્ષ બાદ 10 નબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વાવાઝોડાની અસર અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને, બંદરો પર આ પ્રકારના નંબરના સિગ્નલ આપવામાં આવ્યા છે, ત્યારે ગુજરાતના દરિયા કિનારાના ગામો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસ સામે લડતા ગુજરાતના માથે, વાવાઝોડાનુ ખૂબ જ મોટું સંકટ આવીને ઊભુ થયુ છે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગતિ વધારી છે અને ઝડપથી ગુજરાત તરફ તે આગળ વધી રહ્યુ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યુ છે અને આ કેટેગરીમાં 225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનુ છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે, 10 નંબરનુ સિગ્નલ આપી દેવામાં આવ્યુ છે.વધુ વાંચો -
કેટલું દૂર છે અને ક્યારે ત્રાટકશે તાઉ-તે વાવાઝોડું ? ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હાઈ એલર્ટ
- 17, મે 2021 03:32 PM
- 5769 comments
- 4522 Views
અમદાવાદ-રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે કયા જિલ્લામાં સુધી સ્થિતિ છે તેનું વિવરણ આપને જણાવી દઈએ.તૌકતે વાવાઝોડું હાલ ઉત્તર-પશ્વિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, આ વાવાઝોડું વેરાવળ બંદરથી આશરે 260 કિ.મી દૂર છે, વાવાઝોડું છેલ્લા 6 કલાકથી અંદાજીત 15 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આજે સૌરાષ્ટ્રમા ત્રાટકવાનું છે જેને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને હાઈએલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે.તૌકતે વાવાઝોડાંને કેટેગરી-4 નું વાવાઝોડું જાહેર કરાયું છે, હવામાન વિભાગ પ્રમાણે જે અત્યંત ગંભીર વાવાઝોંડુ માનવામાં આવે છે, કેટેગરી-4માં 225 થી 279 કિ.મીની ઝડપે પવન ફુંકાય છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકવાની સંભાવના સેવાઈ રહી છે, વેરાવળ અને જાફરાબાદમાં પણ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે મહત્વનું છે કે આ સિગ્નલ 25 વર્ષ બાદ લગાવવામાં આવ્યું છે.વધુ વાંચો -
વાવાઝોડુ દિવથી 20 કિલોમીટર પૂર્વ ગુજરાતના દરિયાકાંઠે રાત્રે ટકરાશે, બંદરો પર ભયસૂચિત સિગ્નલો
- 17, મે 2021 03:20 PM
- 5704 comments
- 2231 Views
અમદાવાદ-તાઉતે વાવાઝોડાંના તોફાનની અસર અત્યારથી જ વર્તાઇ રહી છે. ત્યારે આ વાવાઝોડું આજ સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકે તેવી પ્રબળ સંભાવના છે. જેને લઈને રાજ્યભરના દરિયાકાંઠાના વિસ્તારોમાં બંદરો પર ભયસૂચિત સિગ્નલો લગાવવામાં આવ્યા છે. અમરેલીના જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જે અત્યંત ભયંકર પરિસ્થિતિ સૂચવે છે. અમરેલી જિલ્લાનો દરિયા કિનારો હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યો છે. જ્યારે ભાવનગરના ત્રણ બંદરો ઘોઘા,અલંગ,અને નવી બંદર ઉપર 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે જે લોકલ વોર્નિંગ સૂચવે છે. વેરાવળ બંદર અને દ્વારકાના ઓખા બંદર પર પણ 4 નંબરનું સિગ્નલ લગાવાયું જ્યારે મોરબીના નવલખી બંદર અને જામનગરના તમામ બંદરો પર પણ 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઇ છે તેમજ નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગરમાં આશરે 3 મીટરથી ઉપરના મોજાં સાથે તાઉત્તેનું તોફાન આગળ વધે તેવી ચેતવણી આપી દેવાઈ છે. ભરૂચ, આણંદ સહિતના દક્ષિણના ભાગોમાં 2-3 મી. જ્યારે સુરત, નવસારી, વલસાડ ઉપર 1-2 મીટર તો સ્ટ્રોમ સમયે ગુજરાતના બાકીના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર 0.5 - 1 મી. મોજાં સાથે વાવાઝોડાની લપેટમાં આવે તેવી દહેશત છે. આઇએમડીના ડાયરેક્ટર જનરલએ માહિતી આપતા કહ્યું કે પશ્ચિમ ઘાટ પરના તાઉતેના ખતરાને લઈ ગોવાનાં ડોપ્લર વેધર રડાર દ્વારા ચક્રવાતી સિસ્ટમ પર નજર રાખવામાં આવી રહી છે. અમે સતત ચક્રવાતની ગતિવિધિને અપડેટ કરી રહ્યા છીએ. જેથી દરેક સુધી વાવાઝોડાની માહિતી પહોંચે અને શક્ય તેટલા તમામ પગલા આગોતરા ભરી નુકસાનીને ટાળી શકે.ગુજરાતના દરિયાકાંઠે 'તાઉ તે' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 'તાઉ તે' વાવાઝોડું 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજે રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાશે વાવાઝોડું. દિવથી 180 કિમી હાલમાં દુર છે આ વાવાઝોડું. વાવાઝોડુ ટકરાશે ત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે તેની ઝડપ 185 કિમિ સુધી હોઈ શકે છે. છેલ્લા 6 કલાકથી આશરે 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહયું છે. હાલમાં સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર ગ્રેટ ડેન્જર સિગ્નલ આપવામાં આવ્યા છે જેને લઈને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી , ખેડા, પાટણમાં ભારે વરસાદ રહેશે.વધુ વાંચો -
ગુજરાતના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યૂને લઈને જુઓ શું લેવાયો નિર્ણય, આ તારીખ સુધી કર્ફ્યૂ યથાવત
- 11, મે 2021 05:49 PM
- 8021 comments
- 6126 Views
ગાંધીનગર-ગુજરાતની 8 મનપા સહિત 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે સરકારે ગુજરાતના 36 શહેરોમાં લાગેલા કર્ફ્યૂને લંબાવ્યું છે, આગામી 18 મે સુધી કર્ફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે. આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાને લઈને સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ નિયંત્રણો મુકવા કરેલા સૂચનનો સરકાર સ્વીકાર કરી લગ્નો અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ કડક હાથે કામ લ્યે તેવી શકયતા છે. એટલુ જ નહિ લગ્ન સમારોહ ઉપર ૧૫ દિવસનો પ્રતિબંધ લાદવામાં આવે તેવી શકયતા છે. ધાર્મિક કાર્યક્રમોમા પણ સંખ્યા સીમીત કરવામાં આવે તેવી શકયતા છે. હાઈકોર્ટમાં એવી દરખાસ્ત થઈ હતી કે લગ્નોમાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો ૧૫ દિવસ માટે પ્રતિબંધીત કરવામાં આવે. અનેક ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન કાર્યક્રમોમાં ભીડ થાય છે તે બંધ થવુ જોઈએ. હાલ લગ્ન સમારોહમાં ૫૦ લોકોની હાજરી નિશ્ચિત કરવામાં આવી છે. તેમા ઘટાડો કરવામા આવે તેવુ સૂચન થયુ છે. સરકારે પણ આ સંખ્યા ઘટાડવા તૈયારી દર્શાવી છે.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
- 10, એપ્રીલ 2021 03:37 PM
- 5034 comments
- 3202 Views
વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ
- 10, એપ્રીલ 2021 03:13 PM
- 5938 comments
- 4185 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ
- 08, એપ્રીલ 2021 03:10 PM
- 1221 comments
- 8069 Views
અમદાવાદ-કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) - એમ વિવિધ સંવર્ગની ભરતીની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે. ક્રોરોનાની વકરતી પરિસ્થિતિને ધ્યાને લઈને હાલ માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.10 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર હતી પરંતુ કોવિડ-19ના વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા સાવચેતીના ભાગરૂપે આ પ્રિલિમિનરી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. તેમજ પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ
- 08, એપ્રીલ 2021 03:03 PM
- 7882 comments
- 240 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે.વધુ વાંચો -
રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે રેમડેસિવીર ઈન્જેક્શનને લઈને શું કરી જાહેરાત, જાણો વધુ
- 08, એપ્રીલ 2021 02:31 PM
- 6396 comments
- 7301 Views
અમદાવાદ-કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.કોરોના મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ફરી કેસ વધતા હોસ્પિટલમાં બેડ વધારવા પડ્યા છે. સુરત શહેરની સ્થિતિને રીવ્યુ કરી એક અધિકારીની નિમણૂંક કરી છે. રાજકોટ અને વડોદરાની પણ સમીક્ષા કરી હતી હતી. કિડની, યુ.એન.મહેતા હોસ્પિટલ કોવિડ માટે ચાલુ છે. પંકજકુમાર સંક્રમિત થતા અવંતિકા સિંહની નિમણૂંક કરાઈ છે. હવે રેમડેસિવર ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. દર્દીએ દાખલ નહીં રહેવું પડે. 1-2 કલાક કોમ્યુનિટી હોલમાં દર્દી રોકાઈને ઘરે જઈ શકશે.કોમ્યુનિટી હોલમાં ઈન્જેક્શન લીધેલા દર્દીઓનું ધ્યાન નર્સિંગ સ્ટાફ રાખશે નર્સિંગ હોમમાં ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. જેથી હોસ્પિટલમાં ખરેખર જરૂરિયાત વાળા દર્દીઓ માટે પથારી ખાલી રહી શકશે. ગુજરાતમાં રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારેકોરોના મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ
- 07, એપ્રીલ 2021 03:05 PM
- 4479 comments
- 7715 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ
- 06, એપ્રીલ 2021 02:45 PM
- 7742 comments
- 1712 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં આગ ઝરતી ગરમી, કામ સિવાય જો બહાર ગયા તો થશે આવા હાલ
- 06, એપ્રીલ 2021 02:30 PM
- 6119 comments
- 4220 Views
અમદાવાદ-રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે મોટા આગાહી કરી છે. જે મુજબ આગામી બે દિવસ અમદાવાદમાં યલો અલર્ટ રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. કાળઝાળ ગરમી માટે અમદાવાદવાસીઓએ તૈયાર રહેવું પડશે. બે ત્રણ દિવસથી અમદાવાદમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ૩ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ આ તાપમાનમાં વધારો થશે. ૮ અને ૯ એપ્રિલના ગીર સોમનાથ, પોરબંદર માં હિટવેવની આગાહી છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન ૪૨ ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે.ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. તેની સાથે ગરમીનું પ્રભુત્વ પણ લોકોને અસર કરી રહ્યું છે. કોરોના સંક્રમણની સાથે ગરમી વધવાથી લોકોમાં વધુ ભય ફેલાયો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ રાજકોએ ઓરેન્જ એલર્ટ રહેશે તેવી આગાહી કરી છે. છેલ્લા બે ત્રણ દિવસથી શહેરમાં વહેલી સવારે ઠંડી અને બપોરે હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે. તે ઉપરાંત રાજકોટમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ગરમીમાં લૂ લાગવા (હીટ વેવ)ના બનાવો પણ બનતા હોય છે જેથી આવા બનાવો ના બને તે માટે શુ તકેદારી રાખવી તે અંગેની પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવતી હોય છે. ગરમીમાં ત્રણ એલર્ટ હોય છે જેમાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટનો સમાવેશ થાય છે. આ ત્રણે એલર્ટમાં ગરમીનો પારો કેટલો હોય તે પણ સુનિશ્ચિત કરાયુ છે. સામાન્ય સંજાેગોમાં ગરમીની સીઝનમાં ત્રણ પ્રકારના એલર્ટો જાહેર થતા હોય છે. જેમાં ૪૧.૧ ડિગ્રી સેન્ટીગ્રેડથી ૪૩ ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી હોય ત્યારે યલો એલર્ટ જાહેર કરાય છે. આ ઉપરાંત બીજુ એલર્ટ ઓરેન્જ એલર્ટ કહેવાય છે. આ એલર્ટ ૪૩.૧થી ૪૪.૯ ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી હોય ત્યારે જાહેર થાય છે. ત્રીજું રેડ એલર્ટ છે. જે ૪૫ ડિગ્રીથી વધારે તાપમાન માટે જાહેર કરવામાં આવે છે.વધુ વાંચો -
મહાનગરોમાં કોરોના કાબૂ લેવા સરકારે IAS કક્ષાના 8 અધિકારીઓને જવાબદારી સોંપી
- 05, એપ્રીલ 2021 06:58 PM
- 4769 comments
- 6247 Views
ગાંધીનગર-રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સૌથી વધુ કોરોનાના કેસ મહાનગરોમાં નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આઇએએસ કક્ષાના ૮ અધિકારીને જવાબદારી સોંપી છે. રાજ્ય સરકારે ૮ મનપામાં વકરતી કોરોનાની સ્થિતિને લઇને મહત્વનો ર્નિણય કર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મનપા માટે ૈંછજી કક્ષાના ૮ અધિકારીને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જવાબદારી સોંપી છે. કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંગલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાઈ છે. મૂળ કામગીરી ઉપરાંત . વિવિધ જિલ્લાઓમાં કોવિડ કેર સેન્ટરમાં તબીબી કામગીરીનું સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. ૧. ડૉ.મનીષ બંસલ આઇએએસ અમદાવાદ જિલ્લાની જવાબદારી ૨. દિનેશ રબારી નાયબ વનસરક્ષકને સુરતની જવાબદારી ૩. ડૉ.હર્ષિત ગોસાવી આઇએએસ વડોદરાની જવાબદારી ૪. અમિત યાદવ આઇએએસ ગાંધીનગરની જવાબદારી ૫. સ્તુતિ ચારણ આઇએએસ રાજકોટની જવાબદારી ૬. આર.આર.ડામોર ગેસ ભાવનગરની જવાબદારી ૭ આર.ધનપાલ આઇએફએસ જામનગરની જવાબદારી ૮. ડૉ.સુનિલકુમાર બેરવાલ આઇએફએસને જૂનાગઢની જવાબદારીવધુ વાંચો -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ
- 05, એપ્રીલ 2021 02:51 PM
- 1155 comments
- 9230 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ
- 16, માર્ચ 2021 03:11 PM
- 3033 comments
- 2857 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 810 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,78,207 કેસ
- 15, માર્ચ 2021 02:49 PM
- 905 comments
- 5240 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 810 થી વધુ નોંધાયા છે. જેની સામે 586 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4424 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 810 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,78,207 થયો છે. તેની સામે 2,69,361 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4422 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4422 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 54 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4368 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,361 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4424 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 700 પોઝીટીવ કેસ, કુલ 2,75,907 કેસ
- 12, માર્ચ 2021 03:01 PM
- 6548 comments
- 6575 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 700 થી વધુ નોંધાયા છે. જેની સામે 451 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 700 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,907 થયો છે. તેની સામે 2,67,701 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3788 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3788 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 49 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3739 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,701 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે કોરોના થી કોઈ મૃત્યુ નોંધાયા નથી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 675 પોઝીટીવ કેસ, કુલ 2,75,197 કેસ
- 11, માર્ચ 2021 02:50 PM
- 9663 comments
- 2253 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 675 થી વધુ નોંધાયા છે. જેની સામે 484 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 675 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,197 થયો છે. તેની સામે 2,67,250 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3529 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3529 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 47 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3482 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,250 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ