મોરબી સમાચાર
-
મોરબીમાં પુંઠાની આડમાં થતી દારૂની હેરાફેરી ૧૩. ૮૨ લાખનો માલ પકડાયો
- 22, જાન્યુઆરી 2023 01:30 AM
- 3258 comments
- 6332 Views
મોરબી, બુટલેગરો બેફામ બની અવનવી તરકીબ અપનાવી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા અવનવા હથકંડા અપનાવી રહ્યાં છે. અને દારૂની હેરાફેરી કરી યુવાધનને બરબાદીના પંથે લઈ જઈ રહ્યાં છે. ત્યારે આજે એક એવો જ કિસ્સો સામે આવ્યો જ્યાં એક ટ્રકમાં પૂંઠાના સ્ક્રેપની આડમાં વિદેશી દારૂ ભરેલો ટ્રક મહારાષ્ટ્રથી કચ્છ તરફ જઈ રહ્યો હતો. ત્યારે મોરબી એલસીબીએ અણીયારી ટોલનાકા પાસે તેને ઝડપી પાડી તેમાંથી રૂ. ૧૩.૮૨ લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા. પુછપરછ દરમિયાન વધુ એક આરોપીનું નામ ખુલતા આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.બનાવની મળતી વિગતો મુજબ, મોરબી એલસીબીને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી એક ટ્રક માળીયા મિયાણા તરફ આવવાનો છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. તેવી ચોકકસ બાતમીના આધારે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવતા તે ટ્રક નીકળતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. તેમાં પૂંઠાની આડમાંથી ૭૭૨૦ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા ૯ લાખ ૫૦ હજાર ૪૦૦ અને બિયરની ૪૩૨૦ બોટલ કિંમત રૂપિયા ૪ લાખ ૩૨ હજાર મળી કુલ રૂપિયા ૧૩.૮૨ લાખનો જથ્થો મળી આવેલો હતો.વધુ વાંચો -
આણંદપરમાં આગથી મગફળી - અનાજ બળીને ખાખ
- 18, ડિસેમ્બર 2022 01:30 AM
- 6246 comments
- 6685 Views
કોડીનાર,કોડીનાર તાલુકાના આણંદપુર ગામે એક ખેડૂતના મગફળી ભરેલા ગોડાઉનમાં કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રીના સમયે ઈરાદાપૂર્વક આગ લગાડી દેવાની ઘટના બની છે. આ આગ લાગવાથી ગોડાઉનમાં રહેલ અનાજ, મગફળીનો જથ્થો ઉપરાંત ખાતરના બાચકા, ખેત ઓજાર સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ જતા ખેડુતને અંદાજે રૂ.૩૦ લાખનું નુકસાન થયુ છે. આ ઘટના અંગે આણંદપુરના ખેડુત અશ્વિન મોરીએ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર તાલુકાના આણંદપુર ગામે રહેતા અશ્વિન મોરીની ગામની સીમમાં દોઢેક હેક્ટર જેટલી ખેતીની જમીન આવેલી છે. આ ખેતરમાં ખેત પેદાશો સાચવવા તથા ખેતી માટે જરૂર સાધનો સહિતની વસ્તુઓ રાખવા માટે એક મોટું ગોડાઉન બનાવાયું છે. જેમાં દિવાળી સમયે ઉત્પાદન થયેલી ૮૦૦ મણ જેટલી મગફળી, ૮૦ મણ જેટલા ઘઉં અને બાજરો, ૩૦ થેલી યુરિયા ખાતર તથા ખેતીના ઓજારો રાખેલા હતા. આ ગોડાઉનમાં ગતરાત્રીના સમયે કોઈ અજાણ્યા શખસોએ ઈરાદાપૂર્વક આગ લગાડી દીધી હતી. જેની જાણ વહેલી સવારે ગામના ખેડુત વિજયભાઈ પોતાના ખેતરે ગયેલા ત્યારે થઈ હતી. આ સમયે પણ ખેતરના ગોડાઉનમાં આગ ચાલુ હતી. જેથી આગની ઘટના અંગે તેઓએ અશ્વિનભાઈ મોરીને જાણ કરતા તેઓ પરીવારના અન્ય સભ્યો સાથે વાડીએ દોડી આવી અન્ય ખેડુતો-ગ્રામજનોની મદદથી આસપાસના કુવામાંથી પાઇપ લાઇન મારફત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. બાદમાં આગની ઘટનાની જાણ કરતા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જાે કે, આગ લાગવાથી ગોડાઉનમાં રહેલ મગફળી, ઘઉં, બાજરો સહિતના અનાજનો જથ્થો, ખાતરનો જથ્થો તથા ખેતીના સાધનો બળીને ખાખ થઈ ગયા હતા. આમ ગોડાઉનમાં આગ લાગવાથી ખેડુતને અંદાજે ૩૦ લાખનું નુકશાન થયા અંગે પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. ખાનપર ધુનડા રોડ પર કપાસ ભરેલી ટ્રક વાયરને અડતા આગ મોરબીના ખાનપર ઘૂનડા રોડ પર શુક્રવારે સવારે કપાસ ભરેલો એક ટ્રક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક જીવંત વાયર સાથે કપાસનો ભાગ અડી જતાં તેમાંથી સ્પાર્ક થયો હતો અને તે કપાસ પર પાડતાં કપાસના મોટા જથ્થામાં આગ લાગી ગઈ હતી.જાેતજાેતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગની જ્વાળાઓ નિકળવા લાગી હતી. આથી આસપાસના લોકોએ તાબડતોબ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી તેમજ આગ પર કાબુ મેળવ્યો હતો. મોરબીના ખાનપર ઘુનડા રોડ પરથી કપાસ ભરીને જતો એક ટ્રક અચાનક જીવંત વીજ વાયરને અડી ગયો હતો, જેના કારણે કપાસના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે ટ્રક ચાલકે ટ્રક ત્યાં જ રોકી દઈ ફાયર વિભાગમાં જાણ કરતા મોરબી ફાયર વિભાગની ટીમના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.વધુ વાંચો -
મોરબી પુલકાંડના મૃતકોને દસ લાખ ચૂકવો હાઈકોર્ટ
- 25, નવેમ્બર 2022 01:30 AM
- 1549 comments
- 6476 Views
અમદાવાદ, મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં હાઈકોર્ટે સુઓમોટો લીધા બાદ આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારે આપેલા વળતર સામે હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરીને દસ લાખ વળતર આપવા સરકારને સૂચન કર્યુ છે. હાઇકોર્ટે નોંધ્યુ છે કે મૃતકોના પરિવારને ૪ લાખનું વળતર એ પૂરતું નથી.. ઘણા એવા લોકોએ જીવ ગુમાવ્યા છે કે જેમના પરિવારનો તેઓ આધાર હતા, બની શકે છે કે જે ઘરના એક માત્ર કમાનાર વ્યક્તિ હોઈ શકે છે. હાઈકોર્ટે પ્રાથમિક રીતે કહ્યું હતું કે, સરકારે ઓછામાં ઓછું ૧૦ લાખ વળતર ચૂંકવવું જાેઈએ.મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, મૃતકોની જ્ઞાતિ જાતિ જાણવાની સરકારને કઇ જરૂરિયાત ઉભી થઇ છે. તમામ મૃતકો સમાન રીતે જ ગણાય. માતા અને પિતા બંને ગુજરી ગયા હોય એવા બાળકોને પ્રતિ મહિને ૩ હજારનું વળતર સરકાર ચૂકવશે તેમ જણાવતાં હાઈકોર્ટે કહ્યું કે, ૩૦૦૦માં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહીં આવે, વળતર પૂરતું નથી.સરકાર વતી એડવોકેટ જનરલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીના રાજવી પરિવારે તમામ મૃતકોને ૧ લાખ વળતર ચૂકવ્યું છે. માતા પિતા બંને ગુજરી ગયા હોય એવા કુલ ૭ બાળકો છે. જેમને મુખ્યમંત્રી રાહત કોષ, પ્રધાનમંત્રી રાહત કોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકને ૩૭ લાખ રૂપિયા ચૂકવવાશે. આમાં અદાણી ફાઉન્ડેશન તરફથી પ્રતિ બાળક ૨૫ લાખ અપાયા છે.કોર્ટનો હુકમ છે.હાઇકોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, જાે ઘાયલ થનાર વ્યક્તિને મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય, ત્યાં રાજ્ય સરકાર તરત પગલાં લે અને તેમને યોગ્ય સારવાર અપાવે.હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે ઓરેવા ગ્રુપના સંચાલકો સામે શું પગલા લેવાયા? હાઈકોર્ટે સખત વલણ અપનાવીને મોરબી નગર પાલિકાને પૂછ્યું... સાડા પાંચ વર્ષ સુધી કોઈ એગ્રિમેન્ટ વિના ઑરેવા ગ્રુપને બ્રિજને વાપરવા કેમ દીધો? શા માટે પાંચ પાંચ વર્ષ સુધી ચૂપ રહ્યા.ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હતો કે જીૈં્ની તપાસનો રિપોર્ટ કોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવે. જીૈં્ની તપાસ યોગ્ય ન લાગે તો હાઇકોર્ટ અન્ય એજન્સીને તપાસ સોંપી દેશે. હાઈકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, બ્રીજની મરામત માટેના કોન્ટ્રાક્ટ અને એ અંગેના પત્ર વ્યવહારમાં મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપને ટિકિટના ભાવમાં જ રસ હોય એવું તેમની વચ્ચેના પત્ર વ્યવહારથી ફલિત થાય છે. બ્રીજની દશા અને જાેખમ મુદ્દે ચિંતા ના હોય એવું પણ દેખાઈ આવે છે. આટલી મોટી દુર્ઘટના બાદ પણ મોરબી નગરપાલિકાને સુપર સીડ કેમ નથી કરી? જાે સરકાર પોતાની સત્તા નહીં વાપરે તો કોર્ટ રીટ ઈશ્યુ કરશે. સુઓમોટોની વધુ સુનાવણી નવી સરકાર બનશે ત્યારે હાથ ધરાશે. એટલે કે આગામી સુનાવણી૧૨ ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. રાજ્ય સરકારને હાઇકોર્ટે સણસણતા સવાલ કર્યા “રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધી કામની બક્ષિસ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, ૧૯૬૩નું પાલન કર્યું હતું કે નહીં તેવો પણ ધારદાર સવાલ કર્યો હતો. આના પરિણામે ૧૩૫ લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં,” એવી કોર્ટે આજના ઓર્ડરમાં નોંધ કરી હતી. હવે આગામી બુધવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ અજંતા બ્રાન્ડથી ઘડિયાળો બનાવતા ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો ૧૫ વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો. ગુજરાતના તમામ બ્રિજના સર્વે કરાવો હાઇકોર્ટ મોરબી જેવી કોઇ બીજી દુર્ઘટના ન સર્જાય અને નિર્દોષ નાગરિકોના જાન ન જાય તે માટે સુઓમોટો સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો હતો અને કહ્યું હતું કે, રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવામાં આવે અને તમામ બ્રિજ યુઝ કરવા માટે ફિટ છે એ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે. જે બ્રિજમાં મરમ્મત કરવાની હોય એ તત્કાલ કરવામાં આવે. ૧૦ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર
- 19, નવેમ્બર 2022 01:30 AM
- 409 comments
- 2260 Views
મોરબી, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીમાં ટંકારા વિધાનસભા ના ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયા માટે જાહેર સભાને સંબોધન કર્યુહતું. વિશ્વાસ ટકાવી રાખવો મહત્વનું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.મહર્ષિ દયાનંદ સરસ્વતીની ભૂમિ કહીને સંબોધન કોઈનો વિશ્વાસ કેળવવો અને વિશ્વાસ કેળવ્યા પછી ટકાવી રાખવો એ અગત્યની વાત છે વર્ષો સુધી ગુજરાતમાં તકલીફો પાયાની સુવિધાથી માંડીને દરેક તકલીફ લાંબા સમય સુધી સુરક્ષા વ્યવસ્થા સહિતની તકલીફો શાસન કર્યું તે દુર ના કરી શક્યા..પછી લોકોએ ભાજપને શાસન પર બેસાડ્યા પછી નરેન્દ્રભાઈએ ગુજરાતની ધરા સંભાળી અને તેઓએ રાજનીતિમાં નવી દિશા વિકાસની રાજનીતિ આપી.ગુજરાતમાં જે ફેરફાર થયા તે દેશ અને દુનિયા જાેઈ રહી છે.વિશ્વાસને ટકાવી રાખી પ્રજાને પડતી મુશ્કેલી કેમ દુર કરી સકાય તેના માટે હમેશ વિચાર કરી કામ શરુ કર્યું બે દાયકા પહેલા ક્યાય પાણી, વીજળી, રોડ રસ્તા હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર , ધંધા રોજગાર મુશ્કેલીનરેન્દ્ર મોદીએ એ નર્મદા નીર, ૨૪ કલાક ગામો ગામ વીજળી, નાના ગામોને જાેડતા રસ્તા બનાવ્યા, આરોગ્ય સુવિધાઓ આપી આજે દરેક જીલ્લા, તાલુકામાં ધંધા રોજગાર, ખેડૂત ખેતીથી ખુશ છે,રસ્તાનું ના હોય તેથી મોટું નેટવર્ક કેનાલનું બનાવ્યું છે.અનેક કામો શરુ થયા હશે તેના લોકાપર્ણ આપને જ કરવાના છે.નરેન્દ્ર મોદી હોય ત્યારે વિકાસ કામમાં રૂપિયા ની ઘટ નો આવે, કોરોના કાળ પછી ગુજરાતનું બજેટ બનાવ્યું તે અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી મોટામાં મોટું બજેટ છે.વિકાસની રાજનીતિ છે અગાઉ કેવી રીતે ચુંટણી લડવામાં આવતી, કેટલી ચિંતા હોય આજે એમાંથી કશું જાેવા ના મળે, સુરક્ષા એટલી જ સારી થઇ ગઈ છે ૨૫ વર્ષના યુવાનને કર્ફ્યું શું છે એ ખબર નથી.કેજરીવાલ બાવળનું વૃક્ષ જ્યારે રાહુલ નિંદામણઃ શિવરાજસિંહ કચ્છ,તા.૧૮ ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે એમ-એમ પ્રચારની ગરમાગરમી પણ તેજ બની છે. મધ્યપ્રદેશના બે મુખ્યમંત્રી, એક વર્તમાન ઝ્રસ્ શિવરાજ સિંહ અને પૂર્વ ઝ્રસ્ દિગ્વિજય સિંહે આજે તલવારો તાણી હતી. શિવરાજ સિંહે તો અબડાસાની એક સભામાં ત્યાં સુધી કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે.. તેમની પાસે જે માગો એ મળશે.. મધ્યપ્રદેશની જનતામાં ‘મામા’ના હુલામણા નામે ઓળખાતા શિવરાજ સિંહે અબડાસાની સભામાં કહ્યું હતું કે અત્યારે ગુજરાતમાં નોટંકી કરવાવાળા રોજેરોજ જુઠ્ઠું બોલે છે. એક દિવસ બીજું કહે બીજા દિવસે બીજું બોલે. નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે, જે માગો એ મળશે. કેજરીવાલ છે બાવળનું વૃક્ષ, માત્ર કાંટા આપશે. જ્યારે રાહુલબાબા નીંદણ છે, આખો પાક નષ્ટ કરી દેશે. કોંગ્રેસે આટલાં વરસ ગુજરાતમાં રાજ કર્યું એ શું કર્યું? ગુજરાતને તબાહ અને બરબાદ કરી દીધું. યોગી આદિત્યનાથે અમૃતિયાને જીવન બચાવનાર ગણાવ્યાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માં પોતાના ગુમાવ્યા છે તેઓ ને શ્રદ્ધાંજલિ યોગી આદિત્યનાથ એ આપી હતી. તેમણે કહ્યું હતું કે આખો દેશ આ ઘટના માં મોરબી સાથે ઊભો રહ્યો..કાંતિ ભાઈ વખાણ કર્યા.કાંતિ ભાઈ સહિતના કાર્યકરો ઑ લોકોને બચવવા મદદરૂપ બનાયા.મોરબી સામે અનેક ચુનોતી આવી છતાં મોરબી ઉભુ થયુ છે. ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ભૂતકાળમાં અને વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મોરબી માટે કરાયેલા કામને તેમણે ગણાવ્યા હતા. તેમણે ભાજપના મોરબીના ઉમેદવાર કાંતિ અમૃતિયાને લોકોને જીવ બાચવનારા લેખાવ્યા હતા.વધુ વાંચો -
પ્રેમ સબંધનો ભાંડો ફુટતા કૌટુંબિક ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી
- 24, મે 2022 01:30 AM
- 2902 comments
- 7876 Views
હળવદ, હળવદના ઘણાદ ગામે તાજેતરમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ યુવાનની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રેમ સંબધમાં કૈટુંબિક મામાના દીકરાએ જ યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોતાની બહેન સાથે યુવાનને પ્રેમસબંધ હોવાથી તેના જ કૌટુંબિક મામના દીકરાએ આ યુવાનનું કાસળ કાઢી નાખ્યું હોવાનું ખુલ્યું હતું. આથી હળવદ પોલીસે હત્યા કરનારા કૌટુંબિક મામના દીકરાની ધરપકડ કરી હતી. હળવદના ઘણાદ ગામે રહેતા રાજુભાઇ નામના યુવાનને કોઈએ તેની વાડીએ મોતને ઘાટ ઉતારી હત્યા કરી નાખી હતી. યુવાનની હત્યાના બનાવની જાણ થતાં હળવદ પોલીસે મૃતકના નજીકના પરિચિતોની ઉલટ તપાસ કરતા આ યુવાનની બીજા કોઈએ નહી પણ તેના જ કૌટુંબિક મામાના દીકરાએ હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ સુનીલભાઇ નાગરભાઇ જીજરીયાએ આરોપી હિરાભાઇ ઉર્ફે ભાનુભાઇ ભરતભાઇ કોળી તથા તપાસમાં ખુલ્લે તે તમામ માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના મૃતક ભાઇ રાજુભાઇ નાગરભાઇ ઉ.વ.૨૪ને તેના કૌટુંબિક મામા ભરતભાઇ કોળી રહે કવાડીયા વાળાની દિકરી સાથે પ્રેમ સંબધ હોય જેનુ મનદુખ રાખી આરોપીએ અન્ય સાથે આવી આ યુવક પોતાની વાડીએ સુતો હતો, ત્યા કોઈપણ હથીયારો સાથે આવી હથીયારો વડે માથામાં મારી જીવલેણ ઈજાઓ કરી હત્યા કરી નાખી હતી. હાલ હળવદ પીઆઈ માથુકીયા, પીએસઆઇ ટાપરીયા, ચેતન કળવાતર, ભરતભાઈ આલ, બિપીનભાઈ પરમાર, દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, પ્રફુલસોનગ્રા, ઇતેશરાઠોડ, શક્તિસીંહ પરમાર સહિતની ટીમે શંકાના આધારે આરોપી હિરાભાઇ ઉર્ફે ભાનુભાઇ ભરતભાઇ કોળીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
હળવદમાં મૃત્યુ પામેલા મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા ઃ વેપારીઓ અડધો દિવસ બંધ પાળશે
- 20, મે 2022 01:30 AM
- 8758 comments
- 5452 Views
હળવદ, હળવદ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. હળવદ ખાતે ૮ મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા તેમજ એક બાળકની દફનવિધિ કરાઈ છે. અન્ય ૩ લોકોના અગ્નિ સંસ્કાર કચ્છના કુંભારીયા ગામ ખાતે કરવામાં આવ્યા હતા. હળવદની ગોઝારી ઘટનામાં કારખાનાની દિવાલ ધરાશાયી થતાં ૧૨ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ ઘટનામાં મોતને ભેટેલા ૨૪ વર્ષના શીતલબેન દિલીપભાઇના પેટમાં સાડા સાત માસનો ગર્ભ હતો. આ ગર્ભવતી મહિલા સહિતના એક જ પરિવારના છ લોકોના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો હતો. તેમજ એકી સાથે ગામમાંથી આટલી મોટી સંખ્યામાં સ્મશાન યાત્રા નીકળતા સમગ્ર હળવદ પંથકમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મોરબીના હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતાં એક જ પરિવારના ૬ સહિત ૧૨ લોકોનાં મોત થયા હતા. હળવદ પંથક સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત નિપજતા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી કઠણ કાળજુ ધરાવતા લોકોનું પણ કાળજુ દ્રવી ઉઠ્યું છે. આ ઘટનાથી હળવદ પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. ત્યારે હળવદના વેપારીઓ આજે અડધો દિવસ દુકાનો બંધ રાખી શોક પાળશે અને વેપારીઓ દ્વારા શોકસભા યોજી હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાશે.વધુ વાંચો -
ઇન્ડોનેશિયાથી આવેલ શીપમાં લીકેજ થવાના કારણે કોલસો ભરેલું બાર્જ ડૂબ્યું
- 17, મે 2022 01:30 AM
- 7370 comments
- 9678 Views
મોરબી, જિલ્લાના નવલખી બંદર પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં કોલસા ભરેલું બાર્જ દરિયા કાંઠે આવી રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર તેમાં લીકેજ થવાના કારણે આ બાર્જ દરિયામાં ડૂબી ગયું હતું અને તેમાં ભરેલ કોલસો પણપાણીમાં ડૂબી ગયો હતો. ગત શનિવારે સાંજના સમયે મોરબી નજીક આવેલા દરિયામાં ઉભેલ જહાજમાંથી કોલસો બાર્જમાં ભરીને બાર્જને કાંઠે લઈને આવતા હતા, ત્યારે તેમાં લીકેજ થવાથી તે બાર્જ દરયિામાં ડૂબ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અંદાજે ૧૨૦૦ ટન કરતા વધુ કોલસો દરિયાના પાણીમાં ડૂબી ગયો છે. મળતી માહિતી પ્રમાણે, ઈન્ડોનેશિયામાંથી કોલસો ભરીને શીપ આવ્યું હતું. ત્યારે તે બાર્જ ડૂબી ગયું હતું અને જે બાર્જ હાલમાં દરિયામાં ડૂબી ગયું છે તે શ્રીજી શીપીંગ કંપનીનું બાર્જ હોવાનું કંપનીના કર્મચારી પાસેથી જ જાણવા મળ્યું છે.વધુ વાંચો -
સિરામિક ઉદ્યોગને પુરતો ગેસ નહીં મળતાં રજૂઆતનો સકારાત્મક પ્રતિભાવ મળતાં હાશકારો
- 01, મે 2022 01:30 AM
- 2816 comments
- 8670 Views
મોરબી, રશિયા યુક્રેન યુદ્ધ ની પ્રત્યક્ષ પરોક્ષ સીધી અસર મોરબી સિરામિક ઉદ્યોગ ઉપર જાેવા મળી રહી છે.જેના પગલે એક તરફ ભાવ વધારા,ટ્રાન્સપોર્ટ,રોમ ટી રિયલ સહિત ભાવ વધારા વચે,તાકીદ ની સ્થિતિ વચે સિરામિક ઉદ્યોગ માટે મુખ્ય ઘટક ગેસ હોય,તેમના ગેસ કપની દ્વારા પર્યાપ્ત માત્રા માં ગેસ નહી મળતા સિરામિક એશો.અને ઉદ્યોગ કારો એ ગેસ કંપની એ પોતાની રજૂઆત વચે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો ને પગલે હાલ પૂરતો ગેસ આપવા મા આવશે તેવી ધરપત આપવામાં આવી હોવા અંગે માહિતી આપતા મોરબી સિરામિક એશો.નાં પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને હરેશભાઈ બો પ લી યા એ આ અંગે ઉદ્યોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી..ઉલેખ નીય છે કે સિરામિક ઉદ્યોગ નાં હાર્દ સ્વરૂપ મુખ્ય ઘટક ગેસ ફયુલ હોય ,તે ન મળે તો સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ જાય તેવી સ્થિતિ મા કારખાનાઓ બંધ કરવા પડે તેવી સ્થિતિ અંગે સિરામિક ઉદ્યોગ જગત માં ચિંતા નો માહોલ ..સર્જાયો છે. મોરબી સિરામિક ઉદ્યોગ માં ગુજરાત ગેસ કંપની દ્વારા કરાર આધારિત ગેસ માં તાકીદ ની પરિસ્થિતિ મા ગેસ સપ્લાય માં છેલ્લા કેટલાક સમય થી સિરામિક ઉધોગ મુશ્કેલી અનુભવી રહ્યા છે.કેમ કે સિરામિક ટાઇલ્સ ઉત્પાદન માં ઇંધણ ફ્યુલ તરીકે ગેસ મુખ્ય ઘટક હોય પૂરતા પ્રમાણ માં જરૂરી સપ્લાય નાં વાંકે ફેકટરી બંધ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાતા ઉદ્યોગ કારો ગુજરાત ગેસ કંપની એ રજૂઆત સાથે ઉચ્ચ કક્ષા એ પણ આ અહમ પ્રશ્ન રજૂઆત કરેલ.જેના પગલે સિરામિક એશો.નાં પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને હરેશભાઈ બોપલીયાના જણાવતા અનુસાર ગુજરાત ગેસ દ્વારા આં અંગે પૂરતો ગેસ આપવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ઉલેખ નીય છે કે ગુજરાત ગેસ કંપની દ્વારા કરાર આધારિત અને અન્ય માટે ગેસ સપ્લાય કરાતો હોય છે. કેટલાક સમય થી યુક્રેન રશિયા યુદ્ધ સહિત અન્ય કારણો સર ગેસ શોર્ટ સપ્લાઈ પ્રશ્ન વચે ગેસ કંપની દ્વારા ગેસ માં કાપ મૂકતા સિરામિક ઉદ્યોગ જગત માં ચિંતા નાં માહોલ વચે પૂરતા પ્રમાણમાં ગેસ ન મળે તો કંપનીઓ બંધ કરવી પડે તેવી સ્થિતિ વચે ગુજરાત ગેસ કંપની સહિત સરકાર માં ઉચ્ચ કક્ષા એ રજૂઆત ને પગલે નિયત નિયમ અનુસાર જરૂરી પૂરતો જથો મલી રહે તેવી ગેસ કંપની દ્વારા ઉદ્યોગ કારો ને ખાતરી તેનું ધરપત આપવામા આવશે.વધુ વાંચો -
૧૦૮ ફૂટ ઊંચી હનુમાનજીની વિરાટ પ્રતિમાનું પીએમ મોદીનાં હસ્તે વચ્ર્યુઅલી અનાવરણ
- 17, એપ્રીલ 2022 01:30 AM
- 1212 comments
- 6764 Views
મોરબી, મોરબી પાસે નાં ભારતનગર બેલા સ્થિત હરિહર ધામ ખોખરા હનુમાન ધામ ખાતે પ્ર.મંત્રી ન.મોદી નાં વરદ હસ્તે હનુમાન જયંતી પા વન અવસર પર ગુજરાત ની સૌ થી ઉંચી અને પશ્ચિમ ક્ષેત્ર મા ભવ્ય દિવ્ય ૧૦૮ ફૂટ ઊંચી હનુમાનજી ની વિરાટ પ્રતિમા નું પીએમન.મોદી નાં વરદ હસ્તે વાર્ચ્યુલ માધ્યમ થી કરાયું પ્રેરક અનાવરણ આં પ્રસંગે મહા મંડ લેન્શ્વર કનકેશ્વરી દેવી નાં અધ્યક્ષ સ્થાને નૌ દિવસીય રામાયણ કથા માં પ્ર.મંત્રી દ્વારા પ્રસંગોચિત વકતવ્ય..રામ ભક્ત હનુમાનજી ની સેવક તરીકે પ્રેરક સંદેશ સાથે પોતે ક્રિયાના કરતા નહી પણ સેવક ભાવ સાથે સેવા નાં સંદેશ ચરિતાર્થ કરવા સહિત ધર્મ સ્થાનો મા સંતો દ્વારા સ્વચ્છતા નાં અનુગ્રહ સંદેશ સાથે સમાજ નવનિર્માણ ની પ્રેરક વાતો વચે મોરબી સાથે પોતાના આગવા સં ન સ્મરણો યાદ કરી આજે વૈશ્વિક કક્ષાએ આગવી ઓળખ ઉભી કરનાર મોરબી ને આં ભવ્ય દિવ્ય હનુમાનજી ની ૧૦૮ ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા સાથે નવી ઓળખ સાથે હરિહર ધામ.દર્શનીય તીર્થ ધામ બની રહેશે તેમ જણાવી મોરબી કચ્છ જામનગર નાં ઔદ્યોગિક વિકાસ સાથે દેશ નાં વિકાસ માટે ધરોહર સમાન અને પ્રેરણા રૂપ લેખાવેલ.વધુ વાંચો -
ગુનેગારો બેફામ ધોળા દિવસે ખંડણી માગીને વૃદ્ધની તેમની દુકાનમાં હત્યા
- 16, એપ્રીલ 2022 01:30 AM
- 3200 comments
- 8954 Views
મોરબી, મોરબી જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ખાસ કરીને ગંભીર ગુના વધુ બની રહ્યા છે. જે સમાજ માટે લાલબતી સમાન છે ત્યારે ટંકારા વિસ્તારમાં જુદા-જુદા બે વેપારીઓને જુદાજુદા મોબાઈલ નંબર ઉપરથી અજાણ્યા શખ્સ દ્વારા ફોન કરીને ખંડણી માંગવામાં આવી હતી. જેમાં ટંકારામાં આવેલ ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ સવજીભાઈ કકાસણી (ઉંમર ૩૭ વર્ષ) પાસેથી ૧૦ લાખ અને ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અશોકભાઈ મોહનભાઈ મુછાળા પટેલ (ઉંમર ૪૫) પાસેથી પાંચ લાખ આમ કુલ મળીને ૧૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી. જે ગુનાની તપાસમાં નવો જ ખુલાસો સામે આવ્યો છે. ફરિયાદી અરવિંદભાઈ કકાસણીના પિતા સવજીભાઈ રામજીભાઇ કકાસણીની તેમની દુકાન સરિતા ટ્રેડિંગમાં બેઠા હતા ત્યારે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જેથી પોલીસે ત્રણ આરોપી હર્ષિત બેચારભાઈ ઢેઢી, પ્રિન્સ જિતેન્દ્રભાઈ અઘારા અને યોગેશ રવિન્દ્રભાઈ પાવરા (રહે. પીઓ વોટર પ્લાન્ટના કવાર્ટરમાં ટંકારા) ની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ટંકારા પોલીસે ખંડણી અને ફોન ઉપર ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. જાેકે, આ ગુનામાં પકડાયેલા આરોપીઓએ સવજીભાઈ રામજીભાઇ કકાસણીની દેશી કટ્ટાથી તેમના લમણે ફાયરિંગ કરીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી હત્યા, કાવતરું સહિતની કલમનો પોલીસે ઉમેરો કર્યો છે. પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, હર્ષિત ઢેઢી મૃતક સવજીભાઈની દુકાને આવતો જતો હતો. જેથી કરીને તેને દુકાને કરવામાં આવતા આર્થિક વ્યવહારની જાણકારી હતી અને તેને પ્રિન્સ અઘારાને પોતાની સાથે રાખ્યો હતો અને પ્રિન્સ અઘારા કોઈ જગ્યાએથી દેશી કટ્ટો લઈને આવ્યો હતો. જેનાથી હર્ષિત ઢેઢીએ સાવજીભાઇની હત્યા કરી હતી. જાે કે, તે સમયે પરિવારના લોકોને એવું લાગ્યું હતું કે, હાર્ટ એટેક આવ્યો હોવાથી નીચે પડ્યા હશે અને માથામાંથી લોહી વહી જવાથી તેઓ ચોંકી ગયા હતા. ત્યાર બાદ મૃતકના દીકરા અને અન્ય વેપારીને ખંડણી માટેના ફોન કરવામાં આવ્યા અને તેના પરિવારના લોકોને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ગુનો નોંધાયો હતો અને તેમાં ત્રણેય હત્યારાને પોલીસે ઝડપી લીધા છે.વધુ વાંચો -
મોરબીમાં હડકાયા કૂતરાએ બાળકો સહિત ૩૬ લોકોને બચકાં ભરતાં વિસ્તારમાં ભયનો માહોલ
- 29, માર્ચ 2022 01:30 AM
- 4891 comments
- 5349 Views
મોરબી, મોરબીમાં એક જ દિવસે ૩૬ જેટલા વ્યક્તિને કૂતરું કરડવા ના બનાવના સી.સી.ટીવી. ફૂટેજ સોશીયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે મોરબી મહેન્દ્રનગર પાસે પ્રભુકૃપા સોસાયટી સહિત આજુબાજુ ના વિસ્તારમાં હડકાયા કૂતરાએ રીત સર આંતક ફેલાવ્યો હોય તેમ ૩૬ જેટલા વ્યક્તિઓને બચકા ભરી લેતા મોરબી સરકારી સિવિલ હોસ્પિટલ મા મોટી સંખ્યામાં કૂતરું કરડવા થી ઇજાગ્રસ્ત ઘાયલો નો ધસારો થયો હતો. ઇજાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં પણ આરોગ્ય વિભાગની દોડધામ મચી ગઇ હતી..જ્યાં ફરજ પરના હાજર સ્ટાફ અને તબીબો દ્વારા ઇન્જેક્શન સહિત જરૂરી સારવાર આપવામાં આવેલી હતી...મોરબીમાં રીતસરનો કૂતરાએ આતંક મચાવી દીધો હતો. બે દિવસ પહેલા કૂતરા કરડવાના બનાવ અંગે સી.સી.ટીવી ના ફૂટેજ સોશીયલ મીડીયા માં વાયરલ થયેલ ફૂટેજ સાથે એક જ દિવસ માં ૩૬ જેટલા વ્યક્તિઓ ને કરડી જનાર કૂતરા ના આંતક થી ઘાયલ નાના નાના ભૂલકાં ઓ થી લઇ પરિવાર જનો બચાવવા જતાં તેમને પણ ગંભીર રીતે બચકા ભરતા ,કરડતા શ્વાન નાં આંતક ની સમગ્ર ઘટના સોશીયલ મીડિયા માં વાયરલ થઇ હતી. આ ઘટના વાઇરલ થવાના પગલે લોકોમાં પણ ભય ફેલાઇ ગયો હતો. મોરબી સિવિલ હોસ્પિટલનાં સૂત્રો પાસેથી આ બનાવની મળતી માહિતી મુજબ, મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલી પ્રભુકૃપા ટાઉનશિપ નજીક એક કૂતરું હડકાયું થયું હતું. આ હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો હતો. નાનાં નાનાં ભૂલકાં મળી ૧૫ જેટલા લોકોને હડકાયા કૂતરાએ બચકાં ભર્યાં હતાં, જેથી તમામને હડકવાવિરોધી રસી મુકાવવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યુ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.વધુ વાંચો -
પોલેન્ડના રાજદૂતે મોરબીના મયુર પેલેસ સહિતના ઐતિહાસીક સ્થળોની મુલાકાત લીધી
- 25, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 8651 comments
- 6592 Views
મોરબી, પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કી મોરબી જિલ્લાની એક દિવસની ટૂંકી મુલાકાત લીધી હતી. ગત મંગળવારે મયુર પેલેસની મુલાકાતના પ્રારંભે પેલેસના પ્રતિનિધિ મનહરસિંહ જાડેજાએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ફૂલનો હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું જ્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દેવાંગ રાઠોડ દ્વારા ગુલદસ્તો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.મોરબીના મયુર પેલેસમાં રહેલ ઐતિહાસીક ચિત્રો, બાંધકામની શૈલી, રાચરચીલુ વગેરે જાેઇને પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કી અભિભૂત થયા હતા. આ મુલાકાત વેળાએ તેઓશ્રીએ જણાવ્યું હતું કે, દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના ચિત્રકારોને અહીંના રાજા દ્વારા શરણ આપીને રક્ષણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ પોલેન્ડના કલાકારો દ્વારા અહીં અનેક પ્રકારના ચિત્રો દોરવામાં આવ્યા હતા. જેનો અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે. જેને જાેઇને હું અભિભૂત થયો છું. મયુર પેલેસની મુલાકાત બાદ પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કી એ દરબાર ગઢ અને મણિમંદિરની પણ મુલાકાત લઇ મોરબીની ઐતિહાસીક અને સાંસ્કૃતિક ધરોહરની મુલાકાત લીધી હતી. ઉપરાંત તેમણે બપોરે ભોજનમાં ગુજરાતી વ્યંજનનો રસાસ્વાદ માણ્યો હતો. તેઓશ્રીની મુલાકાત વેળાએ પોલેન્ડ એમ્બેસીના સેક્રેટરી ઇવા સ્ટેન્કીવિઝ, મયુર પેલેસના મેનેજર મનહરસિંહ જાડેજા ઉપરાંત જિલ્લા વહિવટી તંત્ર વતી ડેપ્યુટી કલેક્ટરશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દેવાંગ રાઠોડ જાેડાયા હતા.વધુ વાંચો -
કલરકામની મજૂરીના પૈસા આપવા સંચાલકોએ ઇન્કાર કરી દેતા દંપતીએ ફિનાઈલ પીધું
- 25, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 4216 comments
- 7246 Views
રાજકોટ, રાજકોટના મોરબી રોડ પર આવેલા હડાળા ગામ પાસે નવનિર્મિત નર્સિંગ સ્ટુડન્ટ હોસ્ટેલના કલરકામની મજૂરીના પૈસા આપવા સંચાલકોએ ઇન્કાર કરી દીધો હતો. આથી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા દંપતીએ ફિનાઈલ પી લીધું હતું. જેને સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દંપતીએ આક્ષેપ કર્યો છે કે, સંચાલકે મજૂરીના બાકી ૫૦ હજાર રૂપિયા ન આપતા આ પગલું ભર્યું છે.બનાવની વિગત મુજબ પિતૃકૃપા રેસિડેન્સીમાં રહેતા અમીત થોરીયા અને તેના પત્ની અંજુબેન હડાળાના પાટીયા પાસે નવી બની રહેલા નર્સિંગ હોસ્ટેલ પાસે ફિનાઇલ પી લેતા બેભાન થઇ ઢળી પડ્યા હતા. સારવારમાં રહેલા દંપતીએ કુવાડવા પોલીસને જણાવ્યું હતું કે, તેઓ મૂળ રાણાવાવના રહેવાસી છે અને તેમના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. તેમજ થોડા સમય પહેલા શહેરની ભાગોળે આવેલા હડાળાના પાટીયા નજીક નવી બની રહેલી નર્સિંગ સ્ટુડન્ટ હોસ્ટેલના બિલ્ડિંગમાં કલર કરવાનું મજૂરી કામ રાખ્યું હતું. આ કામ હોસ્ટેલના સંચાલક અમિત જાેષી અને પાઠકભાઈ મારફતે રાખ્યું હતું.કામ પૂરૂ થયા બાદ મજૂરી કામ પેટે રૂ. ૮૦ હજાર આપવાના હતા. તેમાંથી સંચાલકોએ રૂ.૩૦ હજાર આપ્યા હતા. બાકી નીકળતા રૂ.૫૦ હજાર બાબતે અનેકવાર માગણી કરવા છતા સંચાલકો રૂપિયા આપવા બાબતે ગલ્લા-તલ્લા કરતાં હોય કંટાળી આ પગલું ભર્યું હતું. દંપતીના નિવેદન પરથી કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
મોરબી-માળીયા હાઇવે પર બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં બેનાં મોત
- 26, જાન્યુઆરી 2022 01:30 AM
- 4308 comments
- 7906 Views
મોરબી, મોરબીમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. સોમવારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં મોરબી-માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર નજીક અંધારામાં બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે વ્યક્તિનાં મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.આ ગોઝારા અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી-માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર નજીક પુલ પાસે ભરડીયા નજીક બંધ પડેલા ટ્રક પાછળ રાત્રીના અંધારામાં બાઈક ઘુસી જતા સવારામભાઈ ( ઉ.વર્ષ ૩૫ )નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે અને અન્ય મૃત વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયાસો ચાલી રહ્યા છે.આ અકસ્માતની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો છે. તેમજ ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા તજવીજ હાથ ધરવાની સાથે અકસ્માતમાં મૃત્યુ પામનારા અન્ય વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.વધુ વાંચો -
હળવદમાં ઝુંપડામાં રહેતા આધેડની તિક્ષણ હથિયારના ધા ઝીકી હત્યા
- 15, નવેમ્બર 2021 01:30 AM
- 9416 comments
- 6362 Views
મોરબી, મોરબીના હળવદમાં આધેડની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હળવદના વેગડવાવ રોડ ઉપર આવેલી ભવાનીનગર વિસ્તારમાં રહેતા આધેડની શનિવારની રાત્રીના તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી છે. આ ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને શોધી કાઢવા ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. હળવદના વેગડવાવ રોડ ઉપર ભવાની નગરમાં રહેતા મૂળ સાપકડા ગામના વતની એવા જેમાભાઈ રૂપાભાઈ નંદેશરીયા ઉ.૫૫નો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. તેમના રહેણાંકની બહાર ખાટલા નીચે તેમનો મૃતદેહ પડ્યો હોવાનું તેમના ભાણેજને જાેવા મળતા તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે દોડી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૂળ સાપકડા ગામના વતની મૃતક જેમાભાઈ અને તેમના નાનાભાઈ રમણીકભાઈ નિર્વિવાહિત છે અને બન્ને ભાઈઓ મજૂરીકામ કરી જીવન નિર્વાહ ચલાવે છે. ગતરાત્રીના બનેલી ઘટનામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકાતા જેમાભાઈનું વધુ પડતું લોહી નિકળવાથી મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. પોલીસની તપાસમાં પાડોશમાં રહેતો પરિવાર ઘર બંધ કરીને ચાલ્યો ગયો હોય હત્યા અંગે શંકાની સોય પાડોશી ઉપર તકાઈ રહી છે.વધુ વાંચો -
હળવદમાં એક જ દિવસમાં હડકાયા કૂતરાએ ૨૩ લોકોને બચકાં ભર્યા
- 29, ઓક્ટોબર 2021 01:30 AM
- 1068 comments
- 2675 Views
મોરબી, મોરબી જિલ્લાના હળવદ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે જ હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો છે. આજે ગુરૂવારે એક જ દિવસમાં હડકાયા કુતરાએ ૨૩ લોકોને બચકાં ભરી લેતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ સુવિધા વગરની હળવદ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોવાથી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટેના ઇન્જેક્શન માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર દોડવું પડ્યું હતું.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે ગુરૂવારે હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા વિસ્તારમાં હડકાયા કૂતરાએ રીતસરનો આતંક મચાવી એક પછી એક એમ ૨૩ લોકોને બચકાં ભરી લીધા હતા. જેને લઈ આ વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. હડકાયા કૂતરાના આતંકના લીધે આસપાસના વિસ્તારના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.હળવદ સરકારી હોસ્પિટલમાં દશેરાના દહાડે જ ઘોડું ન દોડે ઉક્તિ મુજબ હડકવા વિરોધી રસીનો સ્ટોક જ ઉપલબ્ધ ન હોય મોટા પ્રમાણમાં હડકાયા કૂતરાનો ભોગ બનેલા લોકો સારવાર માટે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પરંતું હોસ્પિટલમાં હડકવા વિરોધી રસીનો પૂરતો સ્ટોક જ ન હોય લોકોને પોતાના ખર્ચે અને જાેખમે સારવાર કરાવવા માટે મોરબી અને સુરેન્દ્રનગર તરફ દોટ મુકવી પડી હતી.વસાપડા ગામે માતા પાસે સુઇ રહેલા બાળકને દીપડાએ ફાડી ખાધો જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં દીપડાના આતંક વધતો જાય છે. હાલ રવિ સીઝનનો પ્રારંભ થયો હોવાથી ખેડુતો સીમ-વાડીમાં કામ કરી રહ્યા છે. ત્યારે દીપડાના આતંકથી ખેડુતો ડરી રહ્યા છે. તાજેતરમાં વંથલીના વસાપડા ગામની સીમમાં દીપડાએ ૫ વર્ષના માસૂમ બાળકને ફાડી ખાદ્યો હતો. દાહોદનો શ્રમિક પરિવાર કામ અર્થે વસાપડા ગામે આવ્યો હતો. રાત્રે ઘરનો દરવાજાે ભૂલથી ખુલ્લો રહી ગયો હતો. ૫ વર્ષનો માસૂમ યોગેશ માતા પાસે સૂતો હતો. તે દરમિયાન દીપડો ઘરમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને બાળકને ઢસડીને બહાર લઈ જઈ તેના પર હુમલો કર્યો હતો. જેમાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો છે. જ્યારે દીપડાને પકડવા વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ ઘટનાને લઈ ગામમાં ભયની સાથે આક્રોશનો માહોલ જાેવા મળ્યો છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, આશરે ૩ મહિના પહેલા જ ભાવનગર અને અમરેલી પંથકમાં પણ દીપડાના આંતકની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પણ એક બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. ૩ જેટલા વ્યક્તિ પર દીપડાએ હુમલો પણ કર્યો હતો.વધુ વાંચો -
ગેસના ભાવમાં ઘરખમ વધારાથી મોરબી સિરામીક ઉદ્યોગને ફટકો
- 07, ઓક્ટોબર 2021 01:30 AM
- 2694 comments
- 7215 Views
મોરબી સિરામિક ઉદ્યોગમાં થતા ગેસની ઉપયોગની વાત કરવામાં આવે તો આ ઉદ્યોગમાં દરરોજ ૭૦ લાખ ક્યુબીક ગેસનો વપરાસ કરવામાં આવે. આના કારણે ગુજરાત ગેસ કંપનીને આ ઉદ્યોગથી ગુજરાતમાં સૌથી વધારે ફાયદો થાય છે. જ્યારે પણ કંપની દ્વારા ભાવ વધારો કરવામાં આવે તો તેનો ર્નિણય રાતોરાત જ લેવામાં આવે છે. પહેલા ગેસનો ભાવ ૩૭.૩૬ હતો અને હવે નવો ભાવ ૪૭.૫૧ રૂપિયા થયો છે. આ ભાવ વધારાના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને દર મહીને ૨૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડશે. મહત્ત્વની વાત છે કે હાલ ડોમેસ્ટિક બજારોમાં પણ ટાઈલ્સની ખપત છે. બીજી તરફ કોલસા અને વીજળીના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. મંદીના સમય બાદ સિરામિક ઉદ્યોગે વિદેશથી કરોડો રૂપિયાના માલના ઓર્ડર મેળવ્યા બાદ ગેસનો ભાવ વધતા ઓર્ડરમાં નુકસાન સહન કરવાનો સમય આવ્યો છે. છેલ્લા ૩ મહિનામાં ગેસના ભાવ ૨૦ રૂપિયા વધ્યા છે.ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીઓ અલગ-અલગ વિસ્તારમાં જઈને જન આશિર્વાદ યાત્રા થકી લોકોનો અભાર માની રહ્યા છે. ત્યારે મોરબીના ધારાસભ્ય અને રાજ્ય સભાના મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના જન આશિર્વાદ યાત્રા કરીને લોકોના આશિર્વાદ લીધા હતા. મોરબીમાં મંત્રીની જન આશિર્વાદ યાત્રા બાદ સિરામિક ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. આ કહેવાનું કારણ એ છે કે, ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં ૧૦.૭૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક સાથે ૧૦ રૂપિયા ભાવ વધારો થયો હોવાના કારણે સિરામિક ઉદ્યોગમાં ભૂકંપ સર્જાયો છે. ગેસના ભાવમાં વધારો થયો હોવાના કારણે સિરામિક ઉદ્યોગ પર મહીને અંદાજીત ૨૦૦ કરોડ રૂપિયાનું ભારણ વધ્યું હોય તેવું કહી શકાય. દેશમાં કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો પરિવારનું ગુજરાન ચલાવવા માટે જેમ-તેમ નોકરી ધંધા પર લાગ્યા છે તેવામાં મોંઘવારીના કારણે લોકોની કમર તૂટી રહી છે. મોરબીને સિરામિકનું હબ ગણવામાં આવે છે. ત્યારે મંદીના માહોલ વચ્ચે માંડ-માંડ સિરામિક ઉદ્યોગની ડીમાંડમાં વધારો થયો હતો. ત્યારે ગેસમાં થયેલા ભાવ વધારાના કારણે સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થયો છે. મહત્ત્વની વાત છે કે, સિરામિક ઉદ્યોગમાં ઓર્ડરનું કામ એડવાન્સમાં લેવામાં આવતું હોય છે. એટલા માટે જે તે સમયે જે ભાવ નક્કી કરવામાં આવ્યો હોય તેટલું જ પેમેન્ટ ઉદ્યોગકારોને મળતું હોય છે. એટલે ઉદ્યોગકારો એક્સપોર્ટના ઓર્ડરમાં ભારે નુકસાનીની શક્યતા સેવો રહ્યા છે. મહત્તવની વાત છે કે, અગાઉ પણ ગેસ કંપની દ્વારા આ પ્રકારે જ ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પણ સિરામિક ઉદ્યોગ સાથે સંકડાયેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સિરામિક ઉદ્યોગને ધ્યાનમાં લીધા વગર ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં ૧૦.૭૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પણ ઉદ્યોગકારોની સમસ્યા એ છે કે, તેઓ રજૂઆત કરશે તો પણ ગેસના ભાગ ઘટશે નહીં એટલે તેમની પાસે આ ર્નિણયને સ્વીકારવા સિવાય બીજાે કોઈ રસ્તો નથી.વધુ વાંચો -
મોરબીનાં ટીબડી પાટિયા નજીક ભયંકર અકસ્માત,પાંચનાં મોત
- 23, સપ્ટેમ્બર 2021 03:30 PM
- 9261 comments
- 4144 Views
મોરબી-મોરબીનાં ટિબડીના પાટીયા નજીક એક ગોઝારો અકસ્માત થતા પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બુધવારે સાંજે મોરબી તાલુકાના કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત નિપજતા હતા.આથી મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે ટિબડી રોડ રક્તરંજીત બન્યો છે. આ બનાવને પગલે મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, મોરબી તાલુકા પીઆઇ એમ આર ગોઢાણીયા સહિતનો પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો છે.આ ગોઝારા બનાવની જાણવા મળતી વિગત અનુસાર મોરબી ટિબડીના પાટિયા નજીક સ્વીફ્ટ કારનો ચાલક બાઈક ચાલકને બચાવવા જતા સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં પાંચ લોકોના દબાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કારમાં સવાર આનંદ શેખાવાત (ઉ.વ ૨૬), તારાચંદ (ઉ.વ.૩૦), બિરજુભાઈ (ઉ.વ.૨૨) પવન મિસ્ત્રી(ઉ.વ. ૨૮) સહિત પાંચના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.વધુ વાંચો -
શિક્ષણમંત્રી, કૃષિમંત્રી અને બ્રિજેશ મેરજા સહિતના મંત્રીઓએ કામગીરી શરૂ કરી
- 18, સપ્ટેમ્બર 2021 11:08 PM
- 3691 comments
- 9570 Views
ગાંધીનગર, ગાંધીનગરમાં આજથી ધમધમાટ શરૂ થયો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ આજથી વિધિવત ચાર્જ સંભાળી રહ્યાં છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને બ્રિજેશ મેરજા સહિતના મંત્રીઓએ ઓફિસમાં એન્ટ્રી કરીને વિધિવત કામગીરી શરૂ કરી છે. આ સાથે જ રૂપાણી સરકારના મંત્રીઓએ પોતાના બંગલા અને ઓફિસ ધીરે ધીરે છોડવા માંડ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજે વિધિવત્ રીતે ચાર્જ સંભાળ્યો છે. તેઓ આજે પોતાની સાથે‘ યશસ્વી ભારત, ભગવદ ગીતા અને માય જર્ની વિથ એન આઈડિયોલોજી નામના ત્રણ પુસ્તકો લઈને પોતાની ચેમ્બરમાં આવ્યાં હતાં. આ પહેલા તેમણે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના પગલે લાગીને તેમના આર્શીવાદ લીધા હતા. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ચાર્જ લેવા પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓ અને શુભેચ્છકોને નવા ગૃહરાજ્ય મંત્રીએ અપીલ કરી કે, શુભેચ્છા આપવા માટે ગાંધીનગર સુધી લાંબા ન થાય. જે તે જિલ્લાની મુલાકાત દરમિયાન તમામ સાથે મુલાકાત કરીશ. ગાંધીનગરમાં નવા મંત્રીઓને ચેમ્બરની ફાળવણી થઈ ચૂકી છે. મંત્રીઓ આજથી વિધિવત ચાર્જ લઈ રહ્યાં છે. ગાંધીનગરમાં આજે તમામ મંત્રીઓ અલગ-અલગ સમયે ચાર્જ લેશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધિવત ચાર્જ લીધો. શ્રમ, રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ ચાર્જ લીધો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ ચાર્જ સંભાળ્યો છે. પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીઠાઈ ખવડાવીને જીતુ વાઘાણીનું ચેમ્બરમાં સ્વાગત કર્યુ હતું.વધુ વાંચો -
અંજાર તાલુકાના આ ગામે 75 વર્ષ બાદ પણ મંદિરમાં રાખેલો શીરો તાજો નીકળ્યો, જાણો શું છે સમગ્ર ધટના
- 10, સપ્ટેમ્બર 2021 05:22 PM
- 6305 comments
- 6494 Views
કચ્છ-આપણી સામે અનેકવાર માનવામાં ન આવે તેવી ઘટનાઓ બનતી હોય છે. કેટલાક લોકો તેને ચમત્કાર કહે છે, તો કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા ગણે છે, શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પુરાવાની જરૂર પડતી નથી. પરંતુ આજે કલિયુગમાં ચમત્કાર વગર નમસ્કાર ને કોઈ માનતું નથી. અંજાર તાલુકાના ખેડાઈ ગામે એક અદ્ભુત ઘટના ઘટી હતી. ખેડોઈ ગામમાં પટેલ વાસમાં લક્ષ્મીનારાયણ ચોકમાં 75 વર્ષ જૂનુ લક્ષ્મીનારાયણ દેવ નું મંદિર આવેલું છે. જેનુ શિખર જર્જરિત થતાં વિધિવિધાન સાથે આજરોજ તારીખ 8.9. 2021 ના હોમ હવન દ્વારા નવું શિખર કરવા માટે જુના શિખરને હટાવતા તે જગ્યાએ 75 વર્ષ જૂનો તાંબાનો સિક્કો નીકળ્યો જેમાં “માગસર સુદ છઠ, સોમવાર સંવંત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં” લખ્યું હતું. અને નવાઈની વાત તો એ છે કે,.. સિક્કા ની નીચે 75 વર્ષ જૂની લાપસી ની પ્રસાદી નીકળી. પ્રસાદી ને જોતા ખ્યાલ આવે કે જાણે પ્રસાદી હમણાં જ તાજી બનાવેલી હોય તેવી ઘી ની સુગંધ આવે છે. ઇશ્વર ની હાજરી સમજો કે વૈજ્ઞાનિક કરામત સમજો જે હોય તે ભાવિક ભક્તો લક્ષ્મીનારાયણ ભગવાનની જય બોલી પ્રસાદને આરોગી હતી. અને લક્ષ્મી નારાયણ ભગવાન પ્રત્યેક્ષ હોય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.હાલ અંજારના ભક્તો આ ચમત્કારને નજરોનજર જોઈ શકે તે માટે શીરાને સાચવવામાં આવ્યો છે. આ અદભૂત ઘટનાને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે તેવુ ખેડોઈના પાટીદાર સનાતન સમાજના પ્રમુખ અંબાલાલભાઈ છાભૈયાએ જણાવ્યું.વધુ વાંચો -
ગુજરાતના ઇતિહાસમાં કાળો દિવસ મોરબી જળ પ્રલય: મોરબી જળ હોનારાતની આજે 42મી વર્ષી
- 11, ઓગ્સ્ટ 2021 10:49 AM
- 7447 comments
- 5064 Views
મોરબી-આજે 42 વર્ષ વીતી ગયા છે જળ હોનારતને જયારે મચ્છુ 2 ડેમ તુટ્યો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. એવી હોનારત કે જેને 42-42 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી. તારીખ 11 ઓગસ્ટ 1979 જયારે મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 બંધ પાણીના સખત પ્રવાહને ઝીરવી શક્યો ન હતો અને બંધની દીવાલ તૂટી પડતા અકસ્માત સર્જાયો હતો. એવો વિનાશ જે માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો ન હતો કે, આવા હોનારતની કોઈએ કલ્પના પણ કરી ન હતી.ગોઝારા દિવસના ક્યારેય ન ભૂલી સકાય એવા એ ભયંકર દિવસની કેટલીક તસવીરો..11 ઓગસ્ટ 1979 નો એ દિવસ અને સમય હતો બપોરે 3 : 15 નો જયારે મોરબીમાં સમાચાર વહેતા થયા હતા કે, ત્રણ ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ-2 ડેમ તુટ્યો છે. તો લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે 03 : 30 કલાકની આસપાસ તો પૂરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડ્યા હતા અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું, ત્યારે એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી આવો જોઈએ ગોઝારા દિવસના ક્યારેય ન ભૂલી સકાય મોરબીના ઉપરવાસથી સતત થઈ રહેલી પાણીની આવકને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ સમાવી શક્યો ન હતો અને આખરે બપોરે ડેમ તૂટ્યો અને જોતજોતામાં 03:30 વાગ્યે તો મોરબી શહેરમાં મોતનું તાંડવ શરૂ થઇ ચૂક્યું હતું અને માત્ર 2 કલાકના ગાળામાં તો મોરબીને વેરવિખેર કરીને પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાય દૂર નીકળી ગયો હતો. શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઇને ગભરાય ગયેલા મોરબીવાસીઓ આમથી તેમ જીવ બચાવવા દોડ લગાવી હતી પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણ કે, નીચે પાણી પાણી હતા તો જે લોકો ઈમારત અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તે ઈમારતો પણ પાણીના પ્રવાહનો સામનો કરી ના સકતા જમીનદોસ્ત બની ગઈ હતી. હજારો માનવ જિંદગીઓ કાઈ પણ સમજે તે પહેલા તો પાણી તેના સ્વજનોને , મિલકતોને ક્યાય તાણી ગયું હતું અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિસહાય બનીને કુદરતના ખેલ જોઈ રહ્યો હતો. ગલીહોય કે મહોલ્લા, બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું. ઠેર-ઠેર પૂરમાં હોમાઈ ગયેલી માનવ શબો પડ્યા હતા તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા. જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડ્યા રહ્યા હતા. 11 ઓગસ્ટ 1979નો દિવસ આપણે ક્યારેય ન ભૂલી શકાય કુદરતની ક્રુરતા કહો કે, પછી માનવસર્જિત આફત કહો ત્રણ કલાકમાં જે બન્યું હતું તે તબાહી મચાવનારા દિવસને આજે 42 વર્ષનો સમય વીતી ચૂક્યો છે પરંતુ હજુ મોરબીવાસીઓની આંખમાંથી એ દ્રશ્યો ભુલાતા નથી. તે દિવસને યાદ કરતા હજુ હજારો આંખો ચોધાર આંસુએ રડી પડે છે.વધુ વાંચો -
મોરબીમાં મૂશળધારઃ હાઈવે પાણીમાં ગરકાવ, મચ્છુ ૩-ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો
- 26, જુલાઈ 2021 07:02 PM
- 1947 comments
- 4818 Views
મોરબી-સૌરાષ્ટ્રમાં બરોબરનો અષાઢી માહોલ જામ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં મેઘમહેર યથાવત છે. મોરબી શહેર જિલ્લા પર મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. મોરબી શહેરમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જાેવા મળઈ હતી. નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાવાની સાથે અનેક ઘરોમાં પાણી ઘુસતા લોકોની કફોડી હાલત થઈ ગઈ છે. જ્યારે માર્ગો મદીના વહેણ બની જતા ટ્રાફિકજામની હાડમારી સર્જાઈ હતી. મચ્છુ ૩ ડેમ પણ સંપુર્ણ ભરાઈ ચૂક્યો છે. આ ઉપરાંત અનેક ગામોનો સંપર્ક પણ કપાયો છે. મોરબીમાં ગતરાત્રીથી મેઘરાજા દે ધનાદનની જેમ સતત ધીમીધારે હેત વરસાવી રહ્યા છે. પણ સતત વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાવવાની કાયમી સમસ્યાએ મોં ફાડ્યું છે. જાે કે હજુ ત્રણથી વધુ ઈંચ જ વરસાદ પડ્યો છે. આટલા વરસાદમાં પણ ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. તેમાંય નીચાણવાળા વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. આ ઉપરાંત મોટાભાગના માર્ગો ઉપર નદીના વહેણની જેમ ધસમસતા પાણી ફરી વળ્યાં છે. રોડ ઉપર પાણી ભરાતા મુખ્ય રસ્તાઓ પર ઠેરઠેર ટ્રાફિકજામ સર્જાયો હતો. ખાસ કરીને શહેરમાંથી સામાકાંઠા તરફ સીરામીક એકમોમાં કામ સબબ નીકળેલા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. આથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોરબીના શાકમાર્કેટની અંદર અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ સરદાર બાગ સામેના રસ્તા ઉપર ગોઠણસમા પાણી ભરાયા હતા. આ ઉપરાંત શનાળા રોડ તેમજ સુપર માર્કેટ ઉપર પાણી નદીના વહેણની જેમ ફરી વળ્યાં હતા. વાવડી રોડ અને લાતીપ્લોટ વિસ્તાર તેમજ આજુબાજુમાં ૩-૩ ફૂટ જેટલા પાણી ભરાતા હોડી લઈને પસાર થવું પડે એવી સ્થિતિ વચ્ચે વાહનોના વ્હીલ ડૂબી જાય તેવી કપરી સ્થિતિ સર્જાઈ હતી. તેમજ વાવડી રોડની ગાયત્રીનગર સહિતની સોસાયટીઓમાં તથા વીસીપરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા.વધુ વાંચો -
મોરબીમાં જૂની અદાવતમાં ધોકા, પાઇપથી હુમલો, એકનું મોત
- 23, જુન 2021 01:30 AM
- 4742 comments
- 4664 Views
મોરબી,મોરબીમાં તાલુકાના ધરમપુર ગામે જૂની અદાવતનો ખાર રાખી એક યુવાન પર ૧૦ જેટલા વ્યક્તિઓએ જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થતા આ બનાવ હત્યામાં પલટાયો છે. મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગતે વાત કરીએ તો મોરબીના ધરમપુર ગામે રહેતા ભરતભાઈ પરમાર નામના વ્યક્તિ પર ગામમાં જ રહેતા ઈસમોએ લાકડી, પાઇપ, ધોકા વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં મૃતક ભરતભાઈના પત્ની મંજુબેન ભરતભાઈ પરમાર (ઉં.વ. ૨૮) અને તેના પતિ ભરતભાઈને જૂની માથાકૂટ ચલતી હોય તેનો ખાર રાખી આરોપી જાદવભાઈ ઉર્ફે જાદો, બેચરભાઈ ભરવાડ, બેચરભાઈ ભરવાડનો ભાઈ શલીયો ભરવાડ, મૈલો કોળી, મૈલા કોળીનો ભાઈ સંજય કોળી, બળીયો કોળી, બળિયા કોળીના સંબધી શિવો કોળી અને શિવા કોળીનો દીકરો બાબો કોળીએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ હુમલામાં જગદીશભાઈ અને ભરતભાઈને પરમારને માર મારતા ભરતભાઈને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હૉસ્પિટલ ઇજાગ્રસ્ત ભરતભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે બંને વ્યક્તિઓ નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે હાલ મોરબી પોલીસે નવ ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.વધુ વાંચો -
ખાખરાળામાં ચાલુ ટ્રકમાંથી ટાયર નીકળી દુકાનમાં ઘૂસ્યું લોકોનો બચાવ
- 21, જુન 2021 01:30 AM
- 3488 comments
- 5855 Views
મોરબી મોરબીના મોરબી-નવલખી હાઈવે ઉપર આવેલા ખાખરાળો ગામે એક અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી. અહીં આજે રવિવારે બપોરે હાઇવે ઉપરથી ટ્રક પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રકના પાછળનું એક ટાયર અચાનક નીકળી ગયું હતું. આ ટાયર ફૂલ સ્પીડમાં હાઈવે નજીક આવેલા રવેચી સ્ટી સ્ટોલમાં ઘૂસી ગયું હતું. આ સમયે દુકાનામાં ત્રણ લોકો અને ટીસ્ટોલની બહાર રાખેલા બાંકડા ઉપર બે બાળકો બેઠાં હતા. જાેકે, ટાયરને આવતા જાેઈને લોકો ત્યાંથી હટી ગયા હતા. આમ તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. ટી સ્ટોલને ધડાકાભેર ટાયર અથડાતા તેને મોટું નુકસાન પહોંચ્યું હતું. ટાયર અકસ્માતનો આ સમગ્ર વીડિયો નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થયો હતો. સીસીટીવીમાં જાેઈ શકાય છે કે ટી સ્ટોલ અને દુકાનમાં કેટલાક લોકો ઊભા છે અને બાજુમાં આવેલા હાઈવે ઉપર વાહનોની અવર જવર ચાલું છે. ટ્રકનું ટાયર છૂટું પડીને સીધું જ દુકાનમાં ઘૂસી જાય છે. સમય સૂચકતાથી દુકાનમાં હાજર લોકોનો આબાદ બચાવ થાય છે.વધુ વાંચો -
અહો આશ્ચર્યમ, અહિંયા યુવાને કલેકટર અને એસપીને પત્ર લખી દારૂ વેચવાની મંજૂરી માંગી
- 03, જુન 2021 06:57 PM
- 1429 comments
- 6589 Views
મોરબી-મોરબીમાં એક યુવાને જિલ્લા કલેકટર અને જીઁને લેખિત રજૂઆત કરીને દારૂ વેચવા મંજુરી માંગી છે. વ્યવસાયે લેબર કોન્ટ્રાકટર એવા યુવાને દારૂ વેચવા મંજુરી માંગીને આમ તો બેફામ વેચતા દારૂ મુદ્દે તંત્રને ટકોર કરી છે અને કટાક્ષની ભાષામાં પોલીસ દ્વારા મોટા હપ્તા લેવાતા હોવાનો સણસણતો આક્ષેપ પણ લેખિતમાં કરી તંત્રના ગાલ પર ના દેખાય એવો તમાચો માર્યો છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે, મોરબીના લીલાપર ગામે રહેતા ગૌતમ મકવાણા નામના યુવાને જિલ્લા કલેકટર અને એસપીને લેખિત રજૂઆત કરી છે. વ્યવસાયે લેબર કોન્ટ્રાકટર એવા ગૌતમભાઈ પોતે સામાજિક સેવા કરતા હોવાના દાવા સાથે દારૂ વેચવાની મંજુરી માંગતી રજૂઆત લેખિતમાં કરી છે. તેમના જણાવ્યા મુજબ સમગ્ર જિલ્લામાં બેફામ રીતે દારૂનું વેચાણ થઇ રહ્યું છે અને પોલીસ તંત્રને હપ્તા આપીને દારૂ વેચવામાં આવી રહ્યો છે. તેથી જ તેમને પણ તાત્કાલિક દારૂ વેચવા મંજુરી આપવી જાેઈએ એવી માંગ કરી છે. અને સાથો સાથ આ માટે જે પણ પૈસા આપવા પડે એ માટે તેઓ તૈયાર છે.દારૂબંધીના નામે જે રીતે હપ્તાખોરીથી દારૂ વેચાઈ રહ્યો છે તે બંધ થવું જાેઈએ અન્યથા તેમને પણ દારૂ વેચવા માટે મંજુરી આપવી જાેઈએ. આ રજૂઆતથી સમગ્ર મોરબી તંત્રમાં ચકચાર મચી છે. એક સમય યુવાને આવી રજૂઆત કરીને તંત્રના ગાલ પર જાેરદાર તમાચો માર્યો છે. હવે આ રજૂઆત બાદ તંત્ર શું કરે છે એ જાેવાનું રહ્યું છે.વધુ વાંચો -
તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર
- 19, મે 2021 05:00 PM
- 4810 comments
- 6220 Views
અમદાવાદ-તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.વધુ વાંચો -
ગુજરાતને ફરી પાટા પર લાવવા સરકારની કવાયત શરૂ, ક્યાં કેટલું નુકસાન? સર્વેની કામગીરી શરૂ
- 19, મે 2021 04:49 PM
- 1938 comments
- 3461 Views
ગાંધીનગર-કોરોનાના ભયાનક મારનો સામનો કરી રહેલા ગુજરાતથી કુદરત જાણે કે રુઠી હોય તેવી રીતે 'તાઉતે' નામનું મહાભયાનક વાવાઝોડું આવી પડતાં સરકાર તેમજ લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. બે દિવસ સુધી ખૌફના મંજર ઉભા કરીને વાવાઝોડું હવે પસાર થઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા પણ વાવાઝોડાને કારણે ક્યાં કેટલું નુક્સાન થયું છે તેના સર્વે સહિતની કામગીરી 'બંબાટ' શરૂ કરી દેવામાં આવી છે. એકંદરે રાજ્યને ફરી 'ધબકતું' કરવા માટે સરકારે મથામણ શરૂ કરી દીધી છે. વાવાઝોડાએ જે-જે જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે તે જિલ્લાઓને બે દિવસની અંદર 'બેઠા' કરી દેવા સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વાવાઝોડાએ ખાસ કરીને ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું હોય તેનો સર્વે કરવા પર સરકાર પ્રાથમિકતા આપી રહી છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં ઝુંપડા અને કાચા મકાનો તૂટી પડ્યા છે ત્યાં તાકિદે કેશડોલ્સ ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવા સરકારે આદેશ આપ્યો છે. પત્રકાર પરિષદને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વાવાઝોડાએ ગુજરાતમાં 13 લોકોનો ભોગ લીધો છે. આગોતરા આયોજન, આગમચેની, સહિયારા અને સક્રિય પ્રયત્નો તેમજ લોકોના સહકારથી ગુજરાત વાવાઝોડારૂપી આફતમાંથી હેમખેમ બહાર આવી ગયું છે. વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના સર્વેક્ષણની કામગીરી શરૂકરી દેવાઈ છે. પ્રાથમિક તબક્મે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. જે જિલ્લાઓમાં વિશે નુકસાન થયું છે ત્યાં પાડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગરીમાં સામેલ કરવામાં આવ્યા છે જેથી કામગીરીમાં ઝડપ આવી શકે. યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારા-ધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રાહતની વાત એ છે કે એક પણ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને વાવાઝોડાને કારણે કોઈ તકલીફ પડ નથી. રાજ્યમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી અને તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો આમ છતાં તંત્રની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે ક્યાંય વીજ સપ્લાયને લઈને સમસ્યા સર્જાવા પામી નથી. વાવાઝોડાની સૌથી વધુ અસર ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં જોવા મળી છે તેથી સરકાર દ્વારા આ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરીને વિસ્તૃત વિગતો મેળવવામાં આવી રહી છે.વધુ વાંચો -
તાઉ તે વાવાઝોડાથી 13નાં મોત, અસરગ્રસ્તોને ચુકવાશે કેશડોલ અને ઘરવખરીની સહાય: CM રૂપાણી
- 18, મે 2021 08:08 PM
- 2812 comments
- 6054 Views
ગાંધીનગર-મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતો અને ખેતરોનું મોટું નુકસાન સામે આવ્યું છે. જેમાં ઉનાળા પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. નુકસાનનું વળતર સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે. માછીમારોના નુકસાનનું પણ સર્વે કરાશે. પશુપાલન વિભાગને પણ પશુઓના નુકસાન અંગે પણ સર્વે કરવાની કામગીરી સોંપાઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આજની બેઠકમાં એ પણ નિર્ણય થયો છે કે, ગુજરાતના તમામ અસરગ્રસ્ત શહેરોમાં પુરુ તંત્ર રિસ્ટોર કરવાની કામગીરીમાં 2 દિવસ સતત કાર્યરત રહેશે.હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તે હવે અમદાવાદ પરથી પસાર થઈ ચુક્યું છે. 40 કિમિ કરતા વધારે ઝડપથી અમદાવાદને ધમરોળનારા વાવાઝોડાનાં પગલે અમદાવાદમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. પવનની ઝડપ અને વરસાદને લઈને શહેરનાં અનેક વિસ્તારોમાં તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. બાદમાં બપોર બાદ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. શહેરમાં સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે.તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ગરનાળા, અને રસ્તાઓ પર પાણી ભરાયા. કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના પણ બની હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર રખિયાલમાં એક કાર પર ઝાડ પડવાનો બનાવ બન્યો છે. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. નારણપુરાના આદર્શનગરમાં ઈલેક્ટ્રિક વીજ પોલ તૂટી ગયો હતો. વાવાઝોડું સાણંદ નજીકથી અમદાવાદમાં પ્રવેશી રહ્યું છે. જેથી ભારે પવનથી વીજળીના ડૂલ થવાની ઘટના વધી હતી.વધુ વાંચો -
મોરબી: કોરોનાની અસર સિરામિક ઉદ્યોગ પર જાેવા મળી, 90 જેટલા યુનિટો બંધ
- 12, મે 2021 07:13 PM
- 707 comments
- 7021 Views
મોરબી-જિલ્લામાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે. જાે કે હાલમાં દેશના જુદા-જુદા રાજ્યની અંદર લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન હોવાથી સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓ વધી ગઈ છે. લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન હોવાથી વેપારીઓ દ્વારા માલની ડિમાન્ડ ઓછી કરવામાં આવે છે. જેના લીધે સિરામિક કારખાનાની અંદર ગોડાઉનો છલકાઈ ગયા છે, ત્યારે લગભગ ૯૦ જેટલી સિરામિક ફેક્ટરીને હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ઘણા રાજ્યની અંદર કોરોના કેસો વધારે આવે છે. કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંકડો પણ દેશની અંદર વધી રહ્યો છે, ત્યારે ગુજરાત સહિત જુદા-જુદા દેશની અંદર લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન સ્થાનિક સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલું છે. જેના લીધે આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાયની મોટાભાગની દુકાનો બંધ રહેતી હોવાથી તેની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ જાેવા મળી રહી છે. કારણ કે મોરબીના સિરામિક ઉદ્યોગે પણ ઉત્પાદન ઘટાડ્યું છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી વિગત મુજબ કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યની અંદર હાલમાં લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન અમલમાં છે અને આની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર થઈ છે. કારણ કે અન્ય રાજ્યોના વેપારીઓ દ્વારા નવો માલ મંગાવવામાં આવતો નથી. જેથી ૩૦ ટકા જેટલું લોડિંગ દરેક કારખાનાની અંદર ઘટી ગયું છે અને લોડિંગ ઘટી ગયું હોવાના કારણે મોટા ભાગના કારખાનાની અંદર ગોડાઉનમાં તૈયાર માલનો ભરાવો જાેવા મળે છે. ઘણા કારખાનેદારોએ પોતાના કારખાનાની અંદર ૩૦ ટકાથી લઈને ૫૦ ટકા સુધી ઉત્પાદનમાં કાપ મૂકી દીધો છે. કેટલાક રાજ્યોનો શ્રમિકો જે ફેકટરીઓમાં કામ કરે છે પણ લોકડાઉન વધુ સમય ચાલશે તેવું માની હાલ વતન તરફ જતા રહ્યા છે. પરિસ્થતિ સરળ બને ત્યાર બાદ જ પરત ફરશે. આના લીધે પણ મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ મુશ્કેલી ભોગવી રહ્યો છે અને આગામી સમયમાં વધુ ફેક્ટરીઓ બંધ થશે તેવી સંભાવના છે.વધુ વાંચો -
કોરોનાના વધતા કેસોને બ્રેક લગાવવા સૌરાષ્ટ્રવાસીઓએ હવે આ રસ્તો અજમાવ્યો
- 12, એપ્રીલ 2021 10:30 AM
- 3960 comments
- 124 Views
રાજકોટ- સમગ્ર દેશમાં કોરોના મહામારીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે હવે સૌરાષ્ટ્રવાસીઓમાં કોરોનાની ચેઈનને તોડવા માટે સ્વયંભૂ લોકડાઉનની અજમાયશ શરુ કરી દેવાઈ છે. પોઝિટિવ કેસની સંખ્યા 1100 ને પાર પહોંચી ગઈ છે. 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 1164 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 89 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજકોટ બાદ જો ક્યાંય સૌથી વધુ સંક્રમણ હોય તો તે જામનગર અને મોરબી શહેર છે. એકલા રાજકોટ શહેરમાં 405 અને જિલ્લામાં 70 પોઝિટિવ કેસ નોંધાયેલા છે. જામનગર શહેરમાં 189 અને ગ્રામ્યમાં 123 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો મોરબી જિલ્લામાં 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો હવે પરિસ્થિતિ સમજી ગયેલા સૌરાષ્ટ્રવાસીઓ ખુદ સ્વંયભૂ લોકડાઉન તરફ વળ્યા છે. તેમનુ કહેવુ છે કે, સરકાર ભરે ન કરે, પણ અમે લોકડાઉન લગાવીશું.મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાંથી બે યાર્ડ એક સપ્તાહ સુધી બંધ રહેશે. મોરબી અને વાંકાનેર માર્કેટ યાર્ડ આગામી તા ૧૭ સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બંન્ને યાર્ડને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો ફેંસલો કર્યો છે. આજે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જામનગર નજીક ફલા ગામમાં આજથી લોકડાઉન લાગુ કરાયું છે. કોરોના સંક્રમણ પગલે એક સપ્તાહનું લોકડાઉન જાહેર કરાયું છે. ફલા ગામમાં દીવન જરૂરિયાત સિવાયના તમામ વેપાર ધંધા બંધ રહેશે તેવો નિર્ણય લોકો દ્વારા કરવામાં આવ્યો છે.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
- 10, એપ્રીલ 2021 03:37 PM
- 3383 comments
- 4929 Views
વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ
- 10, એપ્રીલ 2021 03:13 PM
- 2699 comments
- 5978 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
કોરોના ની બુલેટ સ્પીડ બપોર સુધીમાં સૌરાષ્ટ્રમાં નવા નોંધાયા આટલા પોઝિટિવ કેસ
- 09, એપ્રીલ 2021 04:44 PM
- 2144 comments
- 1960 Views
રાજકોટ-રાજકોટમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં 34 દર્દીઓને કોરોના ભરખી ગયો છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કોરોના દરરોજ નવો રેકોર્ડ સર્જી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 994 કેસ નોંધાયા છે. અડધો અડધ કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. જેની સંખ્યા 520 થઈ ગઈ છે.જો કે સામે પોરબંદરમાં રાહત જોવા મળી છે. અહીં માત્ર ચાર કેસ જ નોંધાયા છે. ઉપરાંત આજે બપોર સુધીમાં રાજકોટ શહેરમાં નવા 150 કેસ સામે આવ્યા છે.રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4022 કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 2197 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 994 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 427 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 93 કેસો નોંધાયા છે. આમ કુલ 520 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 71 અને ગ્રામ્યમાં 201 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 7533 અને જિલ્લામાં 5003 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 99 અને ગ્રામ્યમાં 104 મળી કુલ 203 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 6 અને ગ્રામ્યમાં 40 મળી 46 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 4976 અને જિલ્લામાં 3204 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 23 અને ગ્રામ્યમાં 61 કેસ નોંધાયા છે. શહેરમાં 28 અને ગ્રામ્યમાં 10 મળી કુલ 38 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 1469 અને જિલ્લામાં 1590 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 39 અને ગ્રામ્યમાં 38 મળી કુલ માત્ર 77 કેસ જ નોંધાયા છે. જ્યારે શહેરમાં 9 અને જિલ્લામાં 6 મળી 15 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 1410 અને જિલ્લામાં 6492 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.વધુ વાંચો -
CM રૂપાણીએ 3 T ની સમજ સાથે લોકોને સાવચેત રહેવા અપીલ કરી
- 09, એપ્રીલ 2021 03:59 PM
- 122 comments
- 5736 Views
રાજકોટ-દેશના વિવિધ રાજ્યોમાં ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધ્યો છે. ત્યારે આજે સીએમ વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલે મોરબીની મુલાકાત લીધી હતી. જેમાં વેન્ટિલેટર, બેડ અને રેમડીસીવીર ઇન્જેક્શન તેમજ ટેસ્ટ કિટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સીએમએ 20 મહાનગરોમાં રાતે કરફ્યૂ કેમ કરવામાં આવ્યો છે તે અંગે પણ નિવેદન આપ્યું છે.રાતના કરફ્યૂ અંગે જણાવ્યું કે, 20 નગરોમાં જેમાં મોરબી પણ સામેલ છે તેમાં રાતે કરફ્યૂ ચાલુ કર્યું છે. જેથી ગરમીમાં લોકો બનિજરૂરી રાતે બહાર ન નીકળે અને સંક્રણ વધે નહીં. આ ઉપરાંત સીએમ રૂપાણીએ વડાપ્રધાન મોદીએ આપેલા ત્રણ 'T'અંગે જણાવતા કહ્યું હતું કે, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધવાનું છે. જેમાં કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તમામ આંકડા સાચા જ બતાવવામાં આવી રહ્યા છે. આંકડા છુપાવવાનો કોઈ મતલબ જ નથી અને રાજ્ય સરકાર દ્વારા આ તમામ મુદ્દે હાલ બેઠક કરી અને મોરબી જિલ્લાની સ્થિતિ સુધરે તેમજ હાલ પણ મોરબી ની સ્થિતિ કન્ટ્રોલમાં છે તેવું જણાવ્યું હતું.વધુ વાંચો -
સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાની બીજી લહેર ઘાતક, કોરોના દર્દીનો ઝડપભેર વધારો
- 09, એપ્રીલ 2021 02:35 PM
- 1531 comments
- 6328 Views
રાજકોટ-મોરબી અને તેની આસપાસના વિસ્તારો જેવાકે વાંકાનેરમાં કોરોનાની બીજી લહેરમાં શહેર અને ગ્રામ્ય પંથકના ઘણા લોકોને ઝપટમાં લઇ લીધા છે. જેમાં કોવિડ વિભાગના તાલુકા હેલ્થ ઓફીસર પણ બાકાત નથી કોરોના મહામારીની બીજી લહેરમાં વાંકાનેરમાં મૃત્યુદર પણ વધી ગયો છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાય છે. વાંકાનેરની સરકારી હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફના ઘણા કર્મચારીઓ પણ આ બીમારીમાં સપડાયા છે અને વર્તમાન સમયમાં અપુરતા સ્ટાફ વચ્ચે દર્દીઓની સેવા કરતા જોવા મળે છે. ત્યારે તાકીદે ડોકટર અને નશીંગ સ્ટાફ વધારવા પ્રજામાંથી માંગ ઉઠી છે.મોરબી જીલ્લામાં કોરોના દર્દીઓની સારવારમાં વધારો કરવા માટે તંત્ર કામે લાગ્યું છે. મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રાની અધ્યક્ષતામાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓની મીટીંગ યોજાઇ હતી જેમાં આગામી રવિવાર સુધીમાં મોરબી સિવિલમાં વધુ 80 બેડની વ્યવસ્થા કરવા માટેની અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને મેડિકલ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેવું કલેકટરે જણાવ્યુ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ
- 08, એપ્રીલ 2021 03:03 PM
- 2231 comments
- 8878 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ
- 07, એપ્રીલ 2021 03:05 PM
- 1392 comments
- 4079 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ
- 06, એપ્રીલ 2021 02:45 PM
- 3697 comments
- 6035 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતના આ શહેરમાં કોરોનાથી હાલત ગંભીર: હોસ્પિટલોમાં નથી જગ્યા
- 06, એપ્રીલ 2021 02:35 PM
- 8643 comments
- 7085 Views
રાજકોટ-મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. સરકારી કચેરીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. પ્રથમ જિલ્લા પંચાયત કચેરીમાં કોરોનાએ ભરડો લીધા બાદ હવે નગરપાલિકા અને તાલુકા પંચાયતનો પણ વારો કાઢ્યો છે. બીજી તરફ હોસ્પિટલો પણ હાઉસફુલ તરફ હોવાનું જાણવા મળ્યું છે. મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ, ડે.ડીડીઓ સહિતના સાતેક અધિકારીઓને કોરોના વળગ્યા બાદ હવે નગરપાલિકા અને તાલુકા પંચાયતની પણ તેવી જ સ્થિતિ બની રહી છે. નગરપાલિકામાં અગાઉ 7થી 8 સદસ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ હવે ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પ્રમુખના પતિ, બે સદસ્યો તેમજ અન્ય કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ તેઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને સ્વાસ્થ્યની કાળજી રાખવા અપીલ પણ કરી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. કુલ 4થી 5 સદસ્યો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે બેથી ત્રણ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.વધુ વાંચો -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ
- 05, એપ્રીલ 2021 02:51 PM
- 1891 comments
- 9973 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ
- 16, માર્ચ 2021 03:11 PM
- 3675 comments
- 6601 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 810 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,78,207 કેસ
- 15, માર્ચ 2021 02:49 PM
- 6193 comments
- 5514 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 810 થી વધુ નોંધાયા છે. જેની સામે 586 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4424 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 810 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,78,207 થયો છે. તેની સામે 2,69,361 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4422 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4422 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 54 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4368 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,361 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4424 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 700 પોઝીટીવ કેસ, કુલ 2,75,907 કેસ
- 12, માર્ચ 2021 03:01 PM
- 9962 comments
- 8906 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 700 થી વધુ નોંધાયા છે. જેની સામે 451 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 700 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,907 થયો છે. તેની સામે 2,67,701 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3788 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3788 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 49 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3739 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,701 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે કોરોના થી કોઈ મૃત્યુ નોંધાયા નથી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 675 પોઝીટીવ કેસ, કુલ 2,75,197 કેસ
- 11, માર્ચ 2021 02:50 PM
- 1569 comments
- 669 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 675 થી વધુ નોંધાયા છે. જેની સામે 484 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 675 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,197 થયો છે. તેની સામે 2,67,250 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3529 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3529 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 47 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3482 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,250 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 581 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,74,522 કેસ
- 10, માર્ચ 2021 03:40 PM
- 5927 comments
- 5429 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 581 થી વધુ નોંધાયા છે. જેની સામે 453 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 581 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,74,522 થયો છે. તેની સામે 2,66,766 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3338 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3338 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 43 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3295 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,766 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 555 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,941 કેસ
- 09, માર્ચ 2021 03:07 PM
- 694 comments
- 9211 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 555 થી વધુ નોંધાયા છે. જેની સામે 482 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4416 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 555 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,941 થયો છે. તેની સામે 2,66,313 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3212 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3212 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 41 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3171 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,313 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4416 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
શેકાવા માટે તૈયાર રહેજો: ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચશે
- 09, માર્ચ 2021 02:13 PM
- 359 comments
- 3293 Views
ગાંધીનગર-રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડીગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ, રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યનાં શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો ૩૭.૫ ડીગ્રીએ પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો ૩૬.૮ ડીગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં ૩૬.૪ ડીગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૩૬.૭ ડીગ્રી, વડોદરામાં ૩૬.૬ ડીગ્રી, સુરતમાં ૩૫.૫ ડીગ્રી, અમરેલીમાં ૩૭.૮ ડીગ્રી, ભાવનગરમાં ૩૫.૨ ડીગ્રી, રાજકોટમાં ૩૭.૬ ડીગ્રી સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડીગ્રી, મહુવામાં ૩૫.૬ ડીગ્રી, કેશોદમાં ૩૫.૨ ડીગ્રી, ભુજમાં ૩૫ ડીગ્રી નોંધાયું હતું. માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતનાં શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ
- 08, માર્ચ 2021 03:06 PM
- 5189 comments
- 2404 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ઉનાળાની એન્ટ્રીઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો
- 08, માર્ચ 2021 02:31 PM
- 5154 comments
- 5212 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.વધુ વાંચો -
વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારી કેવી ભારે પડી, જૂઓ અહીં
- 08, માર્ચ 2021 09:44 AM
- 8040 comments
- 6586 Views
અમદાવાદ-હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઝૂંપટપટ્ટીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આજે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ આગમાં સાત જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.જેથી શ્રમિકોની તમામ ઘરવખરી આગમાં નાશ પામી હતી.જીઈબીના કોન્ટ્રાક્ટરએ ઘાસ સલગાવતા આ આગની દુર્ઘટના બની હતી અને ગરીબોનો આશરો છીનવાઈ જવાની સાથે મરણમૂડી પણ સ્વાહા થઈ જવા પામી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જીઆઇડીસી વિસ્તારમાં કેટલાક મજૂરો ઝુંપડા બાંધીને રહી મીઠાની મજૂરી કામ કરે છે ત્યારે આજે સવારે આ ઝૂંપટપટ્ટીમાં રહેતા મજૂરો મીઠાનું મજૂરી કરવા ગયા હતા.ત્યારે પાછળથી જીઇબીના કોન્ટ્રાક્ટરે હળવદના જીઆઇડીસી વિસ્તારમાં વીજ સબ સ્ટેશન પાસે ઘાસ સળગાવ્યું હતું. આથી આ આગનો તણખલો બાજુની ઝૂંપટપટ્ટીમાં પડતા જ ઝુંપડા ભડભડ સળગવા લાગ્યા હતા.આ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા સાતેક ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ