પાટણ સમાચાર
-
મુસ્લિમો અંગેનું નિવેદન ઃ ચંદનજી સામે ચૂંટણી પંચમાં ભાજપની ફરિયાદ
- 21, નવેમ્બર 2022 01:30 AM
- 708 comments
- 4674 Views
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ સિધ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના વિડીયોના ટિ્વટના આરોપનો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ સિધ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનાં વિડીયોના ટિ્વટનો મામલે ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આ મારો વિડીયો જૂનો અને એડિટ કરેલો છે. મુખ્યમંત્રીએ મારા વિડીયો ટિ્વટ કરવાની જગ્યાએ મોરબી હોનારત, સિદ્ધપુર મા સરકારી કોલેજ નથી, રોજગારી નથી તેનું કેમ ટ્વીટ કરતા નથી. હિંદુ ધર્મ, મુસ્લિમ ધર્મ સાથે અથડાય એ માટે આવા વિડીયો ટિ્વટ કરવામાં આવે છે. આવા વિડીયો ટિ્વટ કરવાથી ગુજરાતની જનતા માફ નહીં કરે. જનતા ચૂંટણીમાં જવાબ આપશે. આ વિડિઓ જિલ્લા પંચાયતની ચૂંટણીના સમયનો આ વિડિઓ છે. તેમ જણાવ્યું હતું. ત્યારે હાલતો ટ્વીટ વિડિઓ મામલે સિદ્ધપુરનું રાજકારણ ગરમાઈ ગયું છે. ઝ્રસ્એ ટિ્વટ કરેલા વીડિયો અંગે સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, બે સમાજ વચ્ચે ઝઘડા કરાવવા માટે આ વીડિયો વાયરલ કરાયો છે. હારનો ડર હોવાના કારણે મારો વીડિયો વાયરલ કરાયો છે. આ વીડિયો જિલ્લા પંચાયતની ચૂંટણી સમયનો છે. ચંદનજી ઠાકોરે રાજ્ય સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સિદ્ધપુરની સરસ્વતી નદીમાં કેમ પાણી નાખતા નથી? સિદ્ધપુરમાં કેમ એક પણ કોલેજ બનાવાઈ નથી? મોરબીના હોનારત મામલે કેમ ટિ્વટ ન કરાયું? સતત વધતી મોંઘવારી પર કેમ ટિ્વટ કરતા નથી? કોંગ્રેસના સિદ્ધપુરથી ઉમેદવાર ચંદનજી ઠાકોરનો મુસ્લિમો અંગેના નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસ ઉમેદવારના શબ્દોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શરમજનક શબ્દો ગણાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. કોંગ્રેસને ખબર હોવી જાેઈએ કે તેને હારથી કોઈ નહીં બચાવી શકે. સિદ્ધપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકારે જે નિવેદન આપ્યુ તે વાયરલ થયુ છે. તેમણે કહ્યું હતું કે, ‘આપણે તેમને કંઈક નવું કરવા માટે વોટ આપ્યો હતો, પરંતુ તેમણે વોટ આપીને છેતરાયા છીએ, કોઈએ એકને છેતર્યો હોય તો ઠીક છે, પરંતુ તેમણે આખા દેશને ખાડામાં નાખી દીધો છે. દેશને કોઈ જ બચાવી શકે છે તો માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે અને કોંગ્રેસ પાર્ટી જાે કોઈ બચાવી શકે તો તે મુસ્લિમ પાર્ટી બચાવી શકે છે. હું આનું એક જ ઉદાહરણ આપું, એનઆરસીના મુદ્દે મારા સોનિયા ગાંધી, મારા રાહુલ ગાંધી અને મારી પ્રિયંકા ગાંધી, ૧૮ પ્રકારના પક્ષો હતા, પરંતુ એક પક્ષે મુસ્લિમ સમાજ માટે આજીજી કરી નથી તે મુસ્લિમ સમાજની તરફેણમાં નથી. આ એક માત્ર પક્ષ છે જે તમારા માર્ગે ચાલે છે, તમારું રક્ષણ કરે છે, સમગ્ર દેશમાં તમારા સમુદાયનું રક્ષણ કરે છે. આ ભારતીય જનતા પાર્ટીએ તમને ખલેલ પહોંચાડવાનું કામ કર્યું. ટ્રીપલ તલાકનો મુદ્દો ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા, ટ્રિપલ તલાક હટાવ્યો. કોંગ્રેસની સરકારમાં કમિટીને હજ પર જવા માટે સબસિડી મળતી હતી, ભારતીય જનતા પાર્ટીની ગડબડને કારણે આ સબસિડી જતી રહી. લઘુમતી સંસ્થાઓને પણ સબસિડી આપવામાં આવતી હતી જે છોકરાઓને ભણાવવા મળી હતી જે પણ બંધ કરી દીધી.ચંદનજી ઠાકોર સામે ભાજપની પાટણ ચૂંટણી અધિકારીને ફરિયાદ ચંદનજી ઠાકોરના મુસ્લિમો અંગેના નિવેદનનો વિડિયો વાઇરલ થયાં બાદ હવે ભાજપ એક્શ’માં આવ્યુ છે. જે અંતર્ગત હવે ભારતીય જનતા પાર્ટીને સિધ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે આચારંસંહિતા ભંગની ફરિયાદ કરી છે. પાટણ કલેક્ટર અને જીલ્લા ચૂંટણી અધિકારીને એક ફરિયાદ કરતો પત્ર પાઠવ્યો છે જેમાં તમામ પુરાવાઓ રજૂક્યા છે તેમજ આ ઉમેદાર સામે પગલાં લેવાની માંગણી કરી.વધુ વાંચો -
ઊંઝા ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે ધારાસભ્ય બાબુ જમના પટેલની વરણી
- 03, જાન્યુઆરી 2022 01:30 AM
- 9040 comments
- 1829 Views
ગાંધીનગર, મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આજે ઉમિયાધામ માતાજી ટ્રસ્ટના નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે અમદાવાદ જિલ્લાના દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. કડવા પાટીદારોના આસ્થાના ધામ એવા મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે આજે બપોર બાદ ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં નવા પ્રમુખની વરણી અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં પ્રમુખની મુદત પૂર્ણ થતા આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં નવા પ્રમુખ તરીકે દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની પ્રમુખ પદ માટે વરણી કરવામાં આવી હતી. ઉમિયા માતાજી કારોબારી ટ્રસ્ટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. ઊંઝા ઉમિયાધામએ ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર વિશ્વના કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે.વધુ વાંચો -
વડગામના પૂર્વ ધારાસભ્ય મણીભાઇ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
- 28, નવેમ્બર 2021 01:30 AM
- 8050 comments
- 1413 Views
વડગામ, વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષનો સમય છે પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શમવાનું નામ લઇ રહ્યો નથી. હવે વડગામ બેઠક પરના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ રાજીનામુ ધરી દીધું છે. મણીભાઈ વાઘેલાએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં પાર્ટી પર સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરી કહેવાતા દલિત નેતાઓને પ્રોત્સાહન આપી પક્ષમાં પ્રવેશ આપીને ગુજરાતના જૂના પીઢ નેતાઓનું સ્વમાન હણાય તેવા પ્રયત્નો કરવાના આરોપ લગાવ્યા છે. તેમણે પાર્ટીના સક્રિય કાર્યકરપદેથી અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. તેઓ છેલ્લા ૩૦ થી ૪૦ વર્ષોથી પાર્ટીમાં કાર્યરત છે. ૨૦૧૨ ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના કેબિનેટ મંત્રીને હરાવીને જીત મેળવી હતી. તેમણે કહ્યું કે, સત્તાધારી પાર્ટી દ્વારા અનેક પ્રલોભનો આપવામાં આવ્યા છતાં અમે અડીખમ રહ્યા હતા.તેમના કહેવા અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડે દિલ્હી બોલાવીને વડગામ બેઠક માટે પક્ષનો મેન્ડેટ આપવાનું વચન આપ્યું હતું પરંતુ ૨૦૧૭ ની ચૂંટણીમાં પાર્ટીએ એ વચન પાળ્યું ન હતું અને તેમને બેઠક ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. અહીં નોંધવું જાેઈએ કે ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીએ વડગામ બેઠક પરથી ચૂંટણી લડી હતી.કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉભો ન રાખી તેમને બહારથી સમર્થન પૂરું પાડ્યું હતું. આ બેઠક મણીભાઇ વાઘેલાએ ખાલી કરી હતી. જાેકે, તેમણે નામ લીધા વગર કહ્યું કે, ભડકાઉ ભાષણ આપીને દલિત નેતા તરીકે ઉભરી આવવાની ક્ષમતા મારામાં પણ છે પરંતુ મારી વિચારધારા પ્રમાણે પાર્ટી કોઈ કોમ કે જાતિની હોય શકે નહીં. ઉપરાંત તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખની અનઆવડત અને અપરિપક્વ ર્નિણયો અને હાલની પાર્ટીની નીતિ, વિચારધારા અને નાના કાર્યકરોની ઉપેક્ષાને પગલે તેમણે પાર્ટી છોડવાની ફરજ પડી છે.વધુ વાંચો -
‘જૈન ધર્મમાં ત્યાગના સંસ્કારથી મેં પણ એક જ ઘામાં મુખ્યમંત્રીપદ છોડી દીધું’ રૂપાણી
- 15, નવેમ્બર 2021 01:30 AM
- 9651 comments
- 6520 Views
પાટણ, પાટણના પંચાસરા જૈન દેરાસર પાસે આવેલા ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય જયંતસેન સુરીજી મહારાજના શિષ્ય મુનિરાજ ચારિત્ર્ય રત્ન વિજયજીની નિશ્રામાં રવિવારે હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ સહિત ૪૫ ગ્રંથોનું ચાંદીની મુદ્રાથી પૂજન કરવામાં આવ્યું હતું. સવારે સિદ્ધહેમ ગ્રંથની હાથીની અંબાડી પર યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ‘જૈન ધર્મમાં નાની ઉંમરમાં ત્યાગના સંસ્કાર આપવામાં આવે છે. જેથી મે પણ એક જ ઘામાં મુખ્યમંત્રી છોડી દીધું’. પાટણના સંઘના ઉપક્રમે સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવંતો છેલ્લા ત્રણ વર્ષથી પાટણ નગરે ધાર્મિક અધ્યયન કરી રહ્યા હતા. જેની અનુમોદના અર્થે સંઘ દ્વારા બે દિવસીય જ્ઞાનોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રિસ્તુતિક ઉપાશ્રય ખાતેથી સિદ્ધહેમ ગ્રંથ તેમના કરકમળમાં લઈને મહોત્સવ સ્થળે પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જૈન ધર્મમાં સાધુ-સાધ્વીજી તેમના શરીરની પરવા કર્યા વગર ભગવાન મહાવીરના ઉપદેશને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. જૈન ધર્મમાં નાનપણથી ત્યાગ કરવાના સંસ્કાર આપવામાં આવે છે અને તેના લીધે જ મેં પણ મુખ્યમંત્રી પદ છોડી દીધું હતું. ત્યાગ એ સંસ્કૃતિનો ભાગ છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જૈન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વાઘજી વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે જ્ઞાન પૂજા કરવામાં આવી હતી. મુનિરાજ ચારિત્ર રત્ન વિજયજી અને નિપુણરત્ન વિજયજી આદિ સાધુ-સાધ્વી આદિ ઠાણા ૩૪ના સાનિધ્યમાં પંચાસરા જૈન દેરાસર પાસે આવેલા સિદ્ધહેમ જ્ઞાનપીઠના માધ્યમથી વિશાળ રંગમંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. રંગમંડપના મધ્યમાં રંગબેરંગી રંગોળીથી સજ્જ સ્ટેજ બનાવી તેના પર ધાર્મિક ગ્રંથો સ્થાપિત કરીને ચાંદીની મુદ્રાઓથી પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૈન સાધુ ભગવતોને ધાર્મિક અધ્યયન કરાવનાર પંડિત ચંદ્રકાંતભાઈ સંઘવી આદિ પંડિતોનું બહુમાન કરાયું હતું. આ પ્રસંગે જૈનસમાજના લોકો ભાજપના અગ્રણી કે.સી. પટેલ દશરથજી ઠાકોર કિશોર મહેશ્વરી ધીરુભાઈ શાહ શૈલેષભાઇ શાહ વગેરે હાજર રહ્યા હતા.વધુ વાંચો -
યુવતીનું મોઢું કાળું કરવા સાથે મૂંડન કરી વસાહતમાં ફેરવી
- 13, નવેમ્બર 2021 01:30 AM
- 3014 comments
- 1609 Views
પાટણ, પાટણ જિલ્લાના હારીજમાં પ્રેમ કરવાની જાણે કે યુવતી ભૂલ કરી બેઠી હોય તેમ તાલિબાની સજા યુવતીને આપવામાં આવી હોવાનો વીડિયો ફરતો થયો છે. વીડિયોમાં જે હદે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જાેઇને એક સમયે આપણું હૃદય પણ કંપી ઉઠે. પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું, માથે મુંડન કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી હતી. જે વીડિયો વાઈરલ થયા છે, એ ઘટના પાંચ દિવસ પહેલા બની હોવાનું જાણવા મળ્યું છે. હારીજની વાદી વસાહતમાં રહેતી એક યુવતીને પ્રેમ થઇ ગયો હતો. યુવતીને ખબર હતી કે સમાજ તેના પ્રેમને સ્વીકારશે નહીં જેથી તેણે સમાજના નિયમોને નેવે મૂકીને પ્રેમી સાથે ભાગવાનો ર્નિણય કર્યો હતો. યુવતી પ્રેમી સાથે ભાગવામાં સફળ રહી હતી પરંતુ યુવતીના આ પગલાની જાણ વસાહતને થતાં યુવતીને પકડીને વસાહતમાં લાવવામાં આવી હતી. યુવતીએ વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતા સમાજના આગેવાનોએ સમાજની દીકરીને આકરી સજા આપવાનો ર્નિણય કર્યો હતો. યુવતીને વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાથી સમાજના આગેવાનોએ તેને તાલિબાની સજા ફટકારી હતી. યુવતીના માથે મૂંડન કરવામાં આવ્યું હતું. કલાડીથી તેનુ મોઢું કાળું કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મુકવામાં આવ્યા હતા. આટલેથી ન અટકતા યુવતીના હાથ બાંધી, માથા પર ગરમ દેવતા મુકીને આખી વસાહતમાં ફેરવવામાં આવી હતી. તાલિબાની સજા અપાઈ એ સમયે યુવતી સતત કરગરતી રહી, રડતી રહી પરંતુ સમાજના આગેવાનો કે ઉપસ્થિત કોઇનું હૃદય પીગળ્યું ન હતું. યુવતીને આપવામા આવેલી આ સજાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. હારીજના આ વાઇરલ વીડિયો અંગે હારીજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બાબતની તેમને જાણ નથી. આવો કોઇ વાઈરલ થયેલો વીડિયો તેમની પાસે આવ્યો નથી. આ મામલે પોલીસમાં કોઇપણ પ્રકારની રજૂઆત કે ફરિયાદ મળી ન હોવાનું તેમણે જણાવ્યું નથી.આ અગાઉ દાહોદમાં મહિલાને રસ્તામાં ૨૦ ફૂટ ઢસડી-ઢસડીને મારી હતી ૧૭ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ એક વીડિયો ફરતો થયો હતો. જેમાં દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જાેડે કેમ બોલાચાલી રાખી છે એમ કહી મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો. પોતાના જ પરિવારના ૪ જેટલા ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ રોડ પર ઢસડી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાં હતા.વધુ વાંચો -
ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ સામે લોકાયુક્તની કાર્યવાહીના પગલે નિવૃત કરાશે
- 31, ઓક્ટોબર 2021 01:30 AM
- 1783 comments
- 5236 Views
પાટણ, ગુજરાત યુનિર્સિટીના પૂર્વ કુલપતિ ડો.આદેશપાલ સામે કાર્યવાહી કરવા મામલે કારોબારીની ખાસ બેઠક મળી હતી. ડો.આદેશપાલ સામે લોકાયુક્તે કાર્યવાહીના આદેશ કર્યા છે. ઉત્તર ગુજરાત યુનિ. ખાતે કારોબારી બેઠક મળી હતી. જેમાં તા. ૧-૧૧-૨૦૨૧થી ડૉ.આદેશપાલને ફરજિયાત નિવૃત કરવાનો સર્વાનુમતે ર્નિણય કરવામાં આવ્યો છે. ડો.આદેશપાલને સજાના ભાગરૂપે કારોબારીએ ર્નિણય લીધો હતો. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.આદેશપાલ દ્વારા ગુજરાત યુનિમાં ભૂતપૂર્વ કુલપતિ સમય ગાળા દરમિયાન નિયમ વિરુદ્ધ નાણાકીય વ્યવહારો કરી એક કરોડથી વધુ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ લાગતા શિક્ષણ વિભાગે લોકાયુક્તમાં તપાસ આપતા લોકાયુક્ત દ્વારા તપાસના અંતે તેમને દોષિત ઠેરવ્યાં હતા. આ બાબતે કાર્યવાહી કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને આદેશ કરવામાં આવતા આદેશ અનુસંધાને શનિવારે ઇસી બેઠકમાં પ્રોફેસરને સ્વૈચ્છિક કાયમી નિવૃત્તિ માટે આદેશ કરવાનો ઠરાવ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતા યુનિવર્સિટીમાં ખળભળાટ મચ્યો હતો. યુનિવર્સિટીમાં ફરજ બજાવતા પ્રોફેસર ડૉ.આદેશપાલે ૨૦૧૧ માં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં લાઈબ્રેરી સહિતના વિવિધ કામોમાં ચુકવણું નિયમ મુજબ ના કરી રૂપિયા ૧.૭૦ કરોડના નાણાકીય ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠયા હતા. આ બાબતે શિક્ષણ વિભાગે જ લોકાયુક્તમાં ફરિયાદ કરતા તપાસના અંતે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.લોકાયુક્તના એહવાલ અનુસંધાને રાજ્ય શિક્ષણ વિભાગના નાયબ સચિવ મૌલિક શાહ દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને ૧૪ ઓક્ટોમ્બરના રોજ પત્ર લખી લોકાયુક્તના અહેવાલ અનુસાર ડૉ.આદેશપાલ હાલ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હોય કુલપતિ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને શનિવારે કુલપતિ જે. જે. વોરાની અધ્યક્ષતામાં કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં સરકારની સૂચના મુજબ શિક્ષાત્મક પગલાં લેવાના ભાગ રૂપે તમામ સભ્યોના સર્વેનું મતે પ્રોફેસરને કાયમી ૧ ,૧૧ ,૨૦૨૧ થી જ ફરજીયાત નિવૃત્તિ લઈ લેવા માટે હુકમ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ઇસી સભ્ય શૈલેષ પટેલ , સ્નેહલ પટેલ,દિલીપ ચૌધરી, સહિતના સભ્યો હાજર રહ્યા હતા. પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે રાજ્યપાલ દેવવ્રત આચાર્યને ઉદેશીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું છે કે, સરકારે પૂર્વ કુલપતિ ડૉ. આદેશપાલને લોકાયુકતમાં દોષિત જાહેર થ્આવકાર દાયક છે,વધુ વાંચો -
પાટણમાં રસી લેનાર લાભાર્થીનો લકી ડ્રો પ્રમાણે તેલ અપાશે
- 27, ઓક્ટોબર 2021 03:03 PM
- 729 comments
- 9677 Views
પાટણ-પાટણ શહેરમાં કોરોનાની રસી લેનારને એક લીટર તેલ અપાતું હોવાની વાત શહેરમાં પ્રસરતા વેક્સિન લેવામાં બાકી રહેલા લોકોમાં ઉત્સાહ જાગ્યો છે અને આજના મોંઘવારીના સમયમાં મોંઘાભાવે વેચાતું તેલ મફતમાં અપાતું હોવાનું જાણીને રસી લેવામાં આળસ કરી રહેલા લોકો આવા પ્રોત્સાહનથી વેક્સિન લેવા પ્રેરાઈ રહ્યા હોવાનુ જાેવા મળી રહ્યું છે. જેમાં પ્રથમ દિવસે ૧૫ લાભાર્થીને એક લીટર તેલ આપવામાં આવ્યું હતુંવૈશ્વિક કોરોના મહામારી સામેની લડતના ભાગરૂપે સરકાર દ્વારા દેશના તમામ નાગરિકોને વિનામૂલ્યે કોરોના પ્રતિરોધક વેક્સિન મળી રહે તેવું આયોજન અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ છતાં ઘણા લોકો વિવિધ પ્રકારના કારણોસર રસી લેવા માટે આગળ આવી રહ્યા નથી. ત્યારે કોરોનાની આ રસીથી કોઈપણ પુખ્તવયના નાગરિક બાકી રહી ન જાય એ માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર પણ સક્રિય અને પ્રયત્નશીલ રહ્યું છે અને તેના ભાગરૂપે હવે રસી લેવામાં બાકી રહેલા લોકો વેક્સિન લેવા માટે ઉત્સાહથી આગળ આવે તે માટે તેમને પ્રોત્સાહન મળે તે હેતુથી રસીનો પહેલો કે બીજાે ડોઝ લેનાર લાભાર્થીને લક્કી ડ્રો કુપન આપીને એ જ દિવસે તેનો ડ્રો કરી રોજ રસી લેનાર ૧૦૦ લાભાર્થીઓ પૈકી ૨૦ લાભાર્થીઓને એક એક લીટર ખાદ્યતેલની બોટલ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સાંજે પાટણ તાલુકા હેલ્થ કચેરીના ટીએચઓ ડો. ગૌરાંગ પરમારની સુચના માર્ગદર્શન મુજબ કચેરીના સુપરવાઇઝર દિનેશ પટેલ અને મેહુલ કતપરા દ્વારા કોરોનાની રસી લેવા આવેલ લાભાર્થીઓને લક્કી ડ્રો સિસ્ટમરૂપે એક એક લીટર તેલની બોટલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય વિભાગના કર્મચારી મેહુલ કતપરાએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં કોરોના રસીકરણ અભિયાનને વેગ મળે અને કોઈ વ્યક્તિ રસીથી વંચિત ન રહી જાય તે માટે બાકી રહી ગયેલા તમામ લોકો રસી લેવા પ્રોત્સાહિત થાય તે હેતુથી પાટણના જાણીતા બિલ્ડર બેબાશેઠ અને એનજીઓના સહયોગથી કોરોના રસી લેવા આવનાર લાભાર્થીઓને લકી ડ્રો કરીને એક અઠવાડિયા સુધી દરરોજ ૨૦ લાભાર્થીને એક લીટર તેલની બોટલ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પાટણ શહેરના સિવિલ હોસ્પિટલ, બગવાડા દરવાજા અને વિ.કે.ભુલા હાઈસ્કૂલ પાસેના રસીકરણ કેન્દ્ર ખાતે જે કોઈ નાગરિક કોરોનાની રસી મુકાવશે તેમને લકી ડ્રોની કુપન આપવામાં આવશે અને આવા ૧૦૦ લાભાર્થીઓ પૈકી દરરોજ ૨૦ કુપનનો લકી ડ્રો યોજવામાં આવશે અને તેના વિજેતાઓને એક લીટર તેલની બોટલ આપવામાં આવશે.વધુ વાંચો -
રાધનપુરમાં શસ્ત્ર પૂજનમાં હાજર પૂર્વ ધારાસભ્યનું હવામાં ફાયરિંગ
- 16, ઓક્ટોબર 2021 01:30 AM
- 9182 comments
- 3831 Views
રાધનપુર,સમીના વરાણા ખાતે શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર દ્વારા બંદૂકમાંથી ફાયરિંગ કરતાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બન્યું હતું.ફાયરિંગ આ મામલે પોલીસે વિડિયો મેળવીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. વરાણા ખાતે શુક્રવારે વિજયાદશમી નિમિત્તે રવિભાણ આશ્રમ ખાતે રાધનપુર વિધાનસભા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શસ્ત્ર પૂજા બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર સાથે અન્ય વ્યક્તિ બંદૂક વડે હવામાં ગોળીનું ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.શક્તિ પ્રદર્શન માટે ફાયરિંગ કરવું ગેરકાયદેસર હોય પૂર્વ ધારાસભ્યના ફાયરિંગના વીડિયોને લઈ ચકચાર મચતાં પોલીસે ફાયરિંગ મામલે તપાસ શરૂ કરી હતી. એસ.ઓ.જી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે વીડિયોમાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હોય ધારાસભ્યની પૂછપરછ કરી તપાસ કરવામાં આવશે.વધુ વાંચો -
ઠાકોર સમાજનો હુંકાર મુખ્યમંત્રી અમારો નહીં તો તમે જઇ શકો છો
- 16, ઓક્ટોબર 2021 01:30 AM
- 4132 comments
- 634 Views
પાટણ, સરસ્વતી તાલુકાના વડુ ગામ ખાતે વિજયા દશમી પ્રસંગે સહસ્ત્ર પૂજન તેમજ આગામી ૨૦૨૨ માં સી.એમ ક્ષત્રિય ઠાકોર સમાજનો હોવો જાેઈએ તેવા હુંકાર સાથે શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ શક્તિપ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો સાથે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. પરોક્ષ રીતે આ સમગ્ર કાર્યક્રમને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું. કોંગ્રેસે પણ મુખ્યમંત્રી ક્ષત્રિય ઠાકોર સમાજનો હોવો જાેઇએ તેવી માંગને સમર્થન જાહેર કર્યું હતું. સરસ્વતી તાલુકાના વડુ ગામ ખાતે આજે વિજયા દશમી પ્રસંગે ઠાકોર સમાજ દ્વારા સહસ્ત્ર પૂજન તેમજ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહિત કોગ્રેસના આગેવાનો તેમજ ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં પ્રથમ સહસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આગામી ૨૦૨૨ માં મુખ્યમંત્રી ક્ષત્રિય ઠાકોર સમાજનો હોવો જાેઈએ તેવો હુંકાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ઉપસ્થિત ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય હંમેશા શક્તિને નમતો આવ્યો છે. વિજયા દશમી એક એવો તહેવાર છે. જેમાં અસત્ય સામે સત્યનો વિજય થયો હતો. દેશમાં જે પ્રકારે અસત્યની સરકાર ચાલી રહી છે તેની સામે વિજય મેળવવા ભેગા થયા છીએ. દેશમાં ચાલી રહેલ મોંઘવારી, બેરોજગારી મામલે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ સત્તાનું હરણ કરી લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે. લોકોને શારીરિક, આર્થિક રીતે નબળા પડવાનું કામ આ સરકાર કરી રહી છે.ભારતીય જનતા પાર્ટીને પરાજય આપવા માટે ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે તેમ જણાવ્યુ હતું. કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત ની રાજનીતિ પર સામાન્ય જનનું શાસન આવે ગુજરાતમાં સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આગામી ૨૦૨૨ માં ગુજરાતમાં સામાન્ય જનની સત્તા આવે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે ન માત્ર ક્ષત્રિય ઠાકોર સમાજ પરંતુ સમાજના દરેક તબક્કાએ સમજવાની જરૂર છે અને આ સરમુખતિયાર સરકારે ઉખાડી ફેંકવાની જરૂર છે.વધુ વાંચો -
જીપચાલકે યુવતી અને વૃદ્ધને કચડ્યા અકસ્માત બાદ ચાલક ફરાર
- 15, ઓક્ટોબર 2021 01:30 AM
- 4701 comments
- 4909 Views
પાટણ, પાટણ શહેરમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના બની છે. શહેરના જીમખાનાથી અનાવાડા રોડ પર પૂરઝડપે આવી રહેલી જીપે બે લોકોને કચડીને મોતને ઘાટ ઉતાર્યાં છે. ધસસમતી આવતી એક ખુલ્લી જીપ ઝૂપડપટ્ટીમાં ધસી ગઈ હતી. જેમાં જીપે પહેલા કપડાં ધોતી યુવતીને કચડી, પછી ખાટલામાં સૂતેલા વૃદ્ધને કચડ્યા હતા. બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પહોંચી હતી. પાટણ શહેરના અનાવાડા રોડ પર આજે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. શહેરના અનાવાડા રોડ પર આવેલ ઝૂપડપટ્ટીમાં રહેતો એક પરિવાર તેનો ભોગ બન્યો છે. આજે સવારે પરિવારના કેટલાક સદસ્યો ઘરની બહાર બેસ્યા હતા. તે દરમ્યાન અનાવાડા રોડ પરથી અચાનક પૂરઝડપે ખુલ્લી જીપ આવી ચઢી હતી. જીપના ચાલકે ગફલત ભરી રીતે જીપ હંકારીને તેને ઝૂપડપટ્ટી વિસ્તારના એક રહેણાંક મકાનમાં ઘુસાવી હતી. આ સમયે ઘરની બહાર બેઠેલ પરિવારના બે સભ્યોને જીપે અડફેટે લીધી હતી. જીપની ટક્કરથી કપડા ધોતી યુવતી ઘવાઈ હતી, તો સાથે જ ઘરની બહાર ખાટલા પર સૂતા વૃદ્ધ પણ અડફેટે આવ્યા હતા. બંને જીપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ જતા ઇજાગ્રસ્ત બે વ્યક્તિને તાત્કાલિક પાટણ સિવિલ અને ત્યાર બાદ ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં બંને વ્યક્તિના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે. મૃતકોમાં સહિસ્તા દાદામિયાં સૈયદ (ઉં.વ ૨૦) અનેદિલાવર ભાઈ રશીલ બલોચ (ઉં.વ ૬૦)નો સમાવેશ થાય છે.જાેકે, જીપનો ચાલક ઘટના સ્થળે જ જીપ મૂકીને ભાગી ગયો હતો. ગમખ્વાર અકસ્માતને પગલે એક મકાનને પણ ભારે નુકસાની થઈ હતી.વધુ વાંચો -
હદ છે આ તો!આટલી નિર્દરતા?11 વર્ષની બાળકીનાં હાથ ગરમ તેલમાં બોળ્યા અને કારણ માત્ર આટલું જ....
- 23, સપ્ટેમ્બર 2021 03:37 PM
- 3200 comments
- 3540 Views
પાટણ-સાચ્ચે માનવતા મરી પરવારી છે.આપણે ત્યાં રોજ નવા નવા કિસ્સા સામે આવે છે.પણ વાત સાંભળીને તમારા રૂવાડા ઉભા થઇ જશે.11 વર્ષની માસૂમ બાળકીના હાથ ગરમ તેલામાં નાખી દીધા.અને કારણ માત્ર આ હતુ...વાત પાટણની છે. પાડોશી મહિલાએ ૧૧ વર્ષની બાળકીના હાથ ઉકળતા તેલમાં નાખી દીધા, જે બાદ ગંભીર હાલતમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.પાટણ સાંતલપુર ગામે ચરિત્ર અંગેની વાતને લઈ મહિલા ઉશ્કેરાઈ જતા મહિલાએ ૧૧ વર્ષની માસુમ બાળકીના હાથ ગરમ ઉકળતા તેલમાં નાખી દેતા બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી જે બાદ પરિવારજનોએ તાત્કાલિક બાળકીને સારવાર અર્થે ખસેડી હતી અને પાડોશી મહિલા સામે પણ પરિવારજનો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે જો કે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી મહિલા સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
પાટણમાં ફાયર NOC ન લેનાર શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી હોસ્પિટલોના પાણી અને ગટર જોડાણ કપાયા
- 17, સપ્ટેમ્બર 2021 04:11 PM
- 1858 comments
- 9930 Views
પાટણ-રાજ્યમાં આગની દુર્ઘટનાઓમાં મોતની ઘટનાઓ રોકવા માટે રાજ્યના અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ 2013 મુજબ શાળા અને હોસ્પિટલોમાં ફરજિયાત ફાયર સેફ્ટીની સુવિધા રાખવા અને એન.ઓ.સી લેવા માટેના આદેશો કરવામાં આવેલા હોય પાટણ નગરપાલિકા દ્વારા સર્વે બાદ ફાયર સેફ્ટીની સુવિધા વગરના શહેરની હોસ્પિટલો અને સ્કૂલોને ફાયરસેફ્ટીની એનોસી લેવા માટે નોટિસો આપવામાં આવી હતી. આ ચાર હોસ્પિટલો અને 16 શૈક્ષણિક સંસ્થાના સંચાલકો દ્વારા ફાયર NOC લેવામાં ન આવતા નગરપાલિકા દ્વારા નગરપાલિકા દ્વારા 7 શાળાઓ, 4છાત્રાલય, બે સરકારી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, બે પુસ્તકાલયો, એક સામાજિક સંસ્થા તથા એક સરકારી હોસ્પિટલ અને ત્રણ ખાનગી હોસ્પિટલો મળી કુલ 20 ની યાદી તૈયાર કરી આ સંસ્થાઓના નળ અને ગટર જોડાણ કાપવા માટે પાલિકાએ બે અલગ અલગ ટીમો બનાવી જોડાણો કાપવાની કામગીરી હાથ ધરી છે.વધુ વાંચો -
કોંગ્રેસ MLA કિરીટ પટેલે શિક્ષણમંત્રી લખ્યો પત્ર, સરકાર શિક્ષકો સાથે અન્યાય કરતી હોવાનો કર્યો આક્ષેપ
- 07, સપ્ટેમ્બર 2021 12:51 PM
- 4189 comments
- 3644 Views
અમદાવાદ-શિક્ષકોના કામના કલાકો વધારવા મુદ્દે પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહને પત્ર લખ્યો છે. રાજ્યમાં શિક્ષકો અને શિક્ષણ વિભાગ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.તેવામાં શિક્ષકોના કામના કલાક વધારીને 8 કલાક કરી દેવાયો છે.પાટણમાં આ મુદ્દે વિરોધ શરૂ થયો છે.પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દે શિક્ષણપ્રધાનને પત્ર લખ્યો છે.કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે કે સરકાર શિક્ષકો સાથે અન્યાય કરી રહી છે.એક તરફ સરકાર શિક્ષકને ભગવાન પછીનો દરજ્જો આપે છે.જ્યારે બીજીતરફ શિક્ષકોને અન્યાય કરવામાં આવે છે.જો સરકાર શિક્ષકો મુદ્દે યોગ્ય નિર્ણય નહીં કરે તો તેઓ શિક્ષકોને સાથે રાખીને આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે શિક્ષકોનો કામનો સમય સવારે 9.30થી સાંજે 5.30 કરી દેવાયો છે. આ પહેલા શિક્ષકોના કામનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો હતો.રાજ્યમાં સરકારે વિવિધ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા શાળાઓમાં 6 ને બદલે 8 કલાક હાજર રહેવાનો આદેશ કર્યો છે, અને આ આદેશ પાછળ રાઈટ ટુ એજ્યુકેશન 2009 ની જોગવાઈનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. સરકારના આ આદેશ ને પગલે હવે શિક્ષકોએ સોમવારથી શુક્રવાર 8 કલાક અને શનિવારે 5 કલાક એમ અઠવાડિયાના કુલ 45 કલાક શાળામાં હાજર રહેવા કહ્યું છે.વધુ વાંચો -
ભક્તો ચિંતીત,ત્રીજી લહેરના ભય વચ્ચે શું ભાદરવી પૂનમની ઉજવણી થશે?
- 04, સપ્ટેમ્બર 2021 03:29 PM
- 4092 comments
- 7689 Views
પાટણ-પાટણ સહિત જિલ્લામાંથી ૬૧ પગપાળા સંઘો મૈયાના દર્શનાર્થે જતા હતા. જાેકે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ મીની કુંભ મેળો યોજાશે કે કેમ તે અંગે હજુ કોઇ ર્નિણય સરકાર દ્વારા જાહેર કરાયો નથી. જેને લઇ શ્રદ્ધાળુઓ અસમંજસમાં મુકાયા છે. માઇભકતો હાલ પોતાની અનુકુળતાએ અંબાજી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. આજે પાટણ શહેરના દ્વારકેશ મિત્ર મંડળ સંઘ માતાજીના રથ સાથે ૩૦ જેટલા પદયાત્રીઓ પગપાળા સંઘે મૈયાના જ્યધોષ સાથે અંબાજી યાત્રાધામ ખાતે પ્રસ્થાન કર્યું હતું. આમ આગામી ભાદરવી પૂનમના મેળા પૂર્વે હજારો શ્રધ્ધાળુ, માઇભકતો અને પગપાળા સંઘો ધીમા પગલે અંબાના ધામે જઈ રહ્યા છે.પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શકિતપીઠ ખાતે છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણની પરિસ્થિતિને પગલે સાત દિવસીય મીનીકુંભ મેળો સ્થગીત કરી દેવામાં આવ્યો હતો. જાેકે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ મીની કુંભ મેળો યોજાશે કે કેમ તે અંગે હજુ કોઇ ર્નિણય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયો નથી. જેને લઇ શ્રધ્ધાળુઓ અસમંજસમાં મુકાયા છે. ત્યારે ચાલું વર્ષે પાટણ પંથકમાંથી એકલ-દોકલ પગપાળા સંઘો મૈયાના ધામ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. ભારત વર્ષનાં ૫૧ શકિતપીઠોમાં જેની ગણના થાય છે, એવા અરવલ્લીની ગીરીકંદરાઓમાં બીરાજમાન આદ્યશકિતના ધામ સાથે કરોડો શ્રધ્ધાળુઓની આસ્થા જાેડાયેલી છે. પ્રતિવર્ષે ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી યાત્રાધામ અંબાજી ખાતે મીની મહાકુંભ મેળો યોજાય છે. જ્યાં સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી હજારો શ્રધ્ધાળુઓ અને પગપાળા યાત્રા સંઘો મૈયાના જ્ય ધોષ સાથે માના આશીર્વાદ મેળવે છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ છેલ્લા બે વર્ષથી અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમનો મેળો સ્થગીત કરી દેવામાં આવ્યો હતો. જાેકે, માઇભકતોની આસ્થા આજેપણ અકબંધ જાેવા મળી રહી છે. હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતિ થાળે પડતા પાટણ સહિત આસપાસના પંથકમાંથી શ્રધ્ધાળુ, માઇભક્તો મૈયાને શીશ નમાવા પગપાળા અંબાજી ધામ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. આગામી ૩ સપ્ટેમ્બરથી પાટણ સહિત આસપાસના પંથકમાંથી એકલ-દોકલ યુવાનો સહિત અનેક શ્રધ્ધાળુઓ મૈયાના દર્શનાર્થે જશે. છેલ્લા ઘણા વર્ષોથી રથ સાથે સંઘ લઇને જતા પાટણ ઝીણીપોળના સર્કિટ હાઉસ ગ્રુપના ૩૫ યુવકો આ વખતે ૫૨ ગજની ધજા સાથે શનિવારે સાયકલ પર સવાર થઇ માં અંબાના ધામમાં પ્રસ્થાન કરશે. તો સાથે સાથે ગુર્જરવાડા, નાગરલીમડી, બળીયાપાડા સહિતના સંઘના યુવાનો પોતાની અનુકૂળતાએ માં ના ધામ તરફ પ્રસ્થાન કરશે.વધુ વાંચો -
પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને કોર્પોરેટર વચ્ચે મારામારી, દર્શયો CCTVમાં કેદ
- 07, ઓગ્સ્ટ 2021 11:44 AM
- 359 comments
- 1222 Views
પાટણ- નગરપાલિકાના વૉર્ડ નંબર 10 ના નગર સેવક મહંમદ હુસેન ફારુકી શુક્રવારે પોતાના વિસ્તારના પ્રજાલક્ષી કામો અર્થે ચીફ ઓફિસરની ચેમ્બરમાં ગયા હતા પરંતુ તેઓ હાજર ન હોવાથી બાંધકામ શાખામાં ગયા હતા. જ્યાં ચીફ ઓફિસર અને કોર્પોરેટર બન્ને વચ્ચે કામને લઇ શાબ્દિક બોલાચાલી થઇ હતી. જેમાં વાત વણસતા મામલો ઉગ્ર બન્યો હતો અને બન્ને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જે દ્રશ્યો જોઈ અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વચ્ચે પડી બન્નેને અલગ કરી શાંત પાડ્યા હતા. સત્તાધારી ભાજપ પક્ષના નગર સેવકે નગરપાલિકામાં આવી ચીફ ઓફિસર સાથે કરેલી આ દબંગગીરી અન્ય કોર્પોરેટરો અને કર્મચારીઓમાં ભારે ચર્ચાનો વિષય બની છે. પાટણ નગરપાલિકા માં પ્રજાલક્ષી કામ અર્થે ગયેલા વૉર્ડ નંબર 10 ના કોર્પોરેટર અને ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ બન્ને વચ્ચે છૂટા હાથની મારામારી થતાં ભારે હડકંપ મચી હતી. સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરને પ્રજાલક્ષી કામ મામલે ચીફ ઓફિસર સામે ઉગ્ર બનવું પડ્યું હોય તેવા બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.વધુ વાંચો -
પાટણ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદઃ ઠેર-ઠેર પાણી ભરાયા
- 12, જુલાઈ 2021 06:46 PM
- 1653 comments
- 967 Views
પાટણ-પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ રવિવારે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે મુરઝાઈ ગયેલા પાકોમાં પ્રાણ ફૂંકાયા હતા, જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે જિલ્લામાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો પાટણમાં માત્ર એક જ કલાકમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વીજળી પડવાના કારણે શહેરની ત્રણ જેટલી સોસાયટીમાં શોર્ટ સર્કિટ થવાથી વીજ ઉપકરણો બળી ગયાની ઘટના બની છે. જ્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. પાટણમાં મોડી રાત્રે એકાએક વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળી પડવાથી વાળીનાથ ચોક વિસ્તારની ત્રણ સોસાયટીઓમાં વીજ ઉપકરણો બળી ગયા હતા. જ્યારે સુભાષ ચોક ખાતે આવેલી પંક્ચરની દુકાનનું છાપરુ તૂટી ગયું હતું. સૃષ્ટિ હોમ્સ સોસાયટીના કેટલાક ઘરોમાં પંખા, ટીવી, ફ્રીજ સહિતના વીજ ઉપકરણોને ભારે નુકસાન પહોંચ્યું છે. આસપાસની સોસાયટીઓમાં પણ નુકસાન થયું હોવાના અહેવાલ સાપડી રહ્યાં છે. સૃષ્ટિ હોમ્સ સોસાયટીના રહેવાસી ભાઈલાલ પટેલે જણાવ્યું છેકે, એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો અને થોડાવીરમાં વીજળીના એવા કડાકા થયા જે અત્યારસુધી જાેયા ન હતા. મારા ઘરમાં ધાબા પર વીજળી ત્રાટકી અને ઘરમાં ઉતરી હતી. ઘરના પંખા, ફ્રીજ, ટીવી સહિત બધું જ બળી ગયું છે. ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં પાટણ ,રાધનપુર, શંખેશ્વર, સિદ્ધપુર, સાંતલપુર, ચાણસ્મા, હારીજ, સમી, સરસ્વતી, વિસ્તારોમાં વરસાદ પડયો હતો. જેને લઇ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. અગાઉ પડેલા સારા વરસાદને લઇ મોટાભાગના ખેડૂતોએ વરસાદી ખેતી કરી હતી, પરંતુ બાદમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતા જાેવા મળી હતી. દિવસભરના ભારે ઉકળાટ બાદ પાટણ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જાેવા મળી છે. બીટીકપાસ ,રજકાબાજરી, મગ,અડદ, જુવાર સહિતના પાકોમાં પ્રાણ ફૂંકાયા છે.વધુ વાંચો -
ભારત-પાક. સરહદ પરના ઝીરો પોઇન્ટ ખાતે સુવિધાઓ વિકસાવાશે વિજય રૂપાણી
- 18, જુન 2021 01:30 AM
- 5796 comments
- 694 Views
વડગામ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારત -પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે ‘સીમાદર્શન અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના હાથ ધરાઇ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ કામોની નિરીક્ષણ મૂલાકાત નડાબેટ જઇને કરી હતી પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરૂવારે સવારે નડાબેટ પહોચ્યા હતા જ્યાં તેઓએ નડેશ્વરી માતાના દર્શન-પૂજન કરી તેમની મૂલાકાતનો પ્રારંભ કર્યો હતો.સીમાદર્શનનો આ પ્રોજેકટ સમગ્રતયા અંદાજિત ૧૨૫ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે. આગામી ૧૫ ઓગસ્ટ પહેલા પૂર્ણ થવાનો અંદાજ છે. ગુજરાત પ્રવાસન નિગમે નડેશ્વરી માતાના મંદિર પાસે વિસામોની કામગીરી પૂર્ણ કરી છે. નડેશ્વરી મંદિરથી સીમાદર્શન માટેના ઝીરો પોઇન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંકશન પાસે વિવિધ યાત્રી સુવિધાના કામો અલગ-અલગ ચાર ફેઇઝમાં હાથ ધરાઇ રહ્યા છે. મુખ્યમંત્રીએ આ કામોમાં ફેઇઝ-૧ના કામો જે અંદાજે રૂ. ૨૩ કરોડના ખર્ચે પૂર્ણતાને આરે છે તે કામો અને યાત્રી સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ કરી સંપૂર્ણ વિગતો મેળવી હતી.મુખ્યમંત્રીએ પ્રવાસન મંત્રી સાથે બીજા ફેઇઝના કુલ ૩૨ કરોડના ખર્ચે નિર્માણાધિન વિકાસ કામોનું પણ નિરીક્ષણ કર્યુ હતું.આ બીજા ફેઇઝના કામોમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એકઝીબીશન સેન્ટર અને સરહદ સલામતીની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેઇટના કામો હાલ ચાલી રહ્યા છે. મુખ્યમંત્રીએ મૂલાકાત દરમ્યાન પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નડાબેટ સીમાદર્શન કાર્યક્રમ બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતને આગવું સ્થાન અપાવશે.આ સ્થળની મૂલાકાતે આવનારા પ્રવાસીઓ આપણા સુરક્ષાબળોની જવાંમર્દી, રાષ્ટ્રપ્રેમ ભાવનાના ઇતિહાસથી ગૌરવાન્વિત થશે. પ્રવાસન પ્રવૃત્તિ વધતાં રોજગારીની તકોનું પણ સર્જન થશે.વધુ વાંચો -
ગાડીની સીટ નીચેથી રૂા.૪.૫ કરોડ મળ્યા
- 24, મે 2021 01:30 AM
- 2697 comments
- 3846 Views
અરવલ્લી, કોરોના લોકડાઉન દરમિયાન ડુંગરપુર જિલ્લામાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ગુજરાતની સીમા પર એક કાર પકડી હતી, જેમાંથી સાડા ચાર કરોડ રૂપિયા મળી આવ્યા છે. આ કાર દિલ્હીથી ગુજરાત જઈ રહી હતી. સરહદ પર સર્ચ દરમિયાન કારની સીટ નીચે છુપાયેલા નોટોના બંડલ જાેઇને પોલીસકર્મીઓના હોશ ઉડી ગયા હતા. પોલીસે કારમાં સવાર બે લોકોની અટકાયત કરી છે.જિલ્લાના બિછીવાડા પોલીસે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતની બોર્ડર રતનપુર ખાતે નાકાબંધી દરમિયાન પોલીસે કારમાંથી સાડા ચાર કરોડની રોકડ રકમ મળી. પોલીસ અધિકારી મનોજ સમરીયાના જણાવ્યા અનુસાર, સરહદ પર પોલીસે પકડેલા બંને લોકો ગુજરાતના છે. આરોપી રણજીત રાજપૂત પાટણનો રહેવાસી છે, જ્યારે નીતિન પટેલ ઉંઝાનો રહેવાસી છે. આ બંને મોટી રકમ લઈને ગુજરાત જઇ રહ્યા હતા અને દિલ્હીથી કાર લઇને આવી રહ્યા હતા.સમરીયાના જણાવ્યા મુજબ, આ કેસ હવાલાના વ્યવસાય સાથે સંબંધિત હોવાનું જણાય છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. બિછીવાડા પોલીસ અધિકારી રિઝવાન ખાને જણાવ્યું કે, રતનપુર બોર્ડર પર ઉદેપુરથી આવી રહેલી એક કારને અટકાવી તલાશી લેતાં સીટોની નીચે બનેલા ગુપ્ત ખાનામાં નોટોનાં બંડલ દેખાયાં હતાં. જ્યારે કાર ચાલકોની રોકડ અંગે પુછપરછ કરવામાં આવી હતી ત્યારે તેમની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ પછી પોલીસે નોટોથી ભરેલી કાર કબજે કરી બંનેની અટકાયત કરી હતી. પોલીસે કબજે કરેલી કાર અને આરોપીઓની સાથે પોલીસ મથકે પહોંચી હતી અને નોટોની ગણતરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, કારમાંથી ૪ કરોડ ૪૯ લાખ ૯૯ હજાર ૫૦૦ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે.વધુ વાંચો -
ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાએ કર્યો વિનાશ, કોરોડોનું નુકસાન, મૃત્યુઆંક 45 પર પહોંચ્યો
- 19, મે 2021 02:47 PM
- 2008 comments
- 2349 Views
અમદાવાદ- ગુજરાતમાં એક દિવસની તારાજી સર્જીને રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે. પરંતુ ગુજરાતમાં પાછળ કોરોડનું નુકસાન અને અનેક લોકોનો ભોગ લેતું ગયું છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં મૃત્યું આંક ધીમે ધીમે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 45 લોકોના મોતના સમચારા મળી રહ્યા છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે. અમરેલીમાં 15 મોત થયા છે. જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 લોકોનાં મોત થયા છે. ભાવનગરમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત થયા છે. ગીર સોમનાથમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી 1 મોત થયા છે. અમદાવાદમાં કુલ 5 મોત થયા છે. જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1નું મોત થયું છે. ખેડામાં 2ના મોત થયા છે જેમા વીજ કરંટથી બંન્નેના મોત થયા છે. આણંદમાં 1 મૃત્યુ વીજ કરંટથી, વડોદરામાં 1 મૃત્યું ટાવર પડી જવાથી, સુરતમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી, વલસાડમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, રાજકોટમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, નવસારીમાં 1 મૃત્યુ છત પડવાથી, પંચમહાલમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી થયું છે.આ વાવાઝોડાથી સૌથી વધારે નુકશાન ખેડૂતોને થયું છે. બાગાયતી પાકના ખેડૂતોને તો રોવાનો વારો આવ્યો જ છે, સાથે ઉભો પાક લોકોનો વાવાઝોડામાં નષ્ટ થઈ ગયો છે. હવે વાવાઝોડાની આફત ધીમે ધીમે ઓછી થઈ રહી છે, ત્યારે સરકાર આવતીકાલથી નુકશાનીનો સર્વે હાથ ધરશે, તથા રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે તેવી સરકારે ખાતરી આપી છે. વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. આ વાવાઝોડાને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આજે રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. ગુજરાતમાં આ વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે.વધુ વાંચો -
તાઉ તે વાવાઝોડુ અમદાવાદમાં તારાજી બાદ હવે ઉત્તર ગુજરાતમાં પહોંચશે, લોકોનું સ્થળાંતર
- 18, મે 2021 07:14 PM
- 367 comments
- 4922 Views
અમદાવાદ-અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડની અસર જોવા મળી છે. વાવાઝોડું બપોરના 12 વાગ્યા પછી અમદાવાદ જિલ્લાને સ્પર્શી શકે છે. જેથી અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં મોટી તારાજી સર્જાઈ છે. તાઉ-તેએ સૌરાષ્ટ્રને ધમરોળતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ કેરીના પાકને મોટું નુકસાન થયું છે. જેથી ખેડૂતોની ચિંતા પણ વધી છે.અમદાવાદ શહેર અને જિલ્લામાં તાઉ'તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે આગામી 6થી 8 કલાક મહત્વના છે. શહેરમાં અત્યારે 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ અમદાવાદીઓ અને જિલ્લાના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી તેમજ કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના બની છે. અમદાવાદ કલેક્ટરના જણાવ્યા મુજબ 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.વધુ વાંચો -
ગુજરાતમાં તોઉ તે વાવાઝોડાનું વિનાશકારી તાંડવ, 188 તાલુકામાં ધોધમાર વરસાદ, 3 નાં મોત
- 18, મે 2021 02:27 PM
- 3859 comments
- 2050 Views
અમદાવાદ-'તાઉ'તે વાવાઝોડું ગઈ કાલે રાત્રે રાજ્યમાં ઉના અને ભાવનગરમાં ટકરાયા પછી ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદના અહેવાલ છે. 'તાઉ'તે' વાવાઝોડાને પગલે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં પવન સાથે નવ ઈંચ વરસાદ પડ્યો હતો, જેમાંથી સાત ઇંચ વરસાદ તો માત્ર વહેલી સવારે 4થી 6 કલાકની વચ્ચે નોંધાયો છે. જ્યારે ગીર ગઢડામાં પણ સાત 7 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના ઉંમરગામમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજયમાં કુલ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે ભારે પવનને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રનાં 1000 ગામોમાં વીજપુરવઠો ઠપ થયો હતો.110 તાલુકામાં એક મિ.મીથી છ ઇંચ વરસાદ નોંધાયો હતો. હજુ ગુજરાત માટે 24 કલાક ભારે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે વાવાઝોડું ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે. આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહાર ના નીકળવાના જિલ્લા કલેકટરે તાકીદ કરી છે.વધુ વાંચો -
ગુજરાતમાં અનોખી પહેલ, અહિંયા 1 રૂપિયામાં મળશે શબવાહિની
- 04, મે 2021 04:13 PM
- 159 comments
- 4488 Views
અમદાવાદ-કોરોનાના વધતા કહેર વચ્ચે પાટણ પાલિકા દ્વારા, એક મહત્વનો નિર્ણય લેવાયો છે. પાટણ પાલિકા દ્વારા રૂપિયા 1 ના ટોકનમાં શબવાહિની આપવાનો નિર્ણય કરાયો છે. પાટણ પાલિકાની આ શબવાહિની કોવિડમાં મૃત્યુ પામ્યા હોય, તેમના સ્વજનોને આપવામાં આવશે. કોવિડમાં મૃત્યુ પામનાર પરિવારના સ્વજન, પાલિકામાં આવી નોંધણી કરાવીને, માત્ર 1 રૂપિયાના ટોકનમાં શબવાહિની મેળવી શકશે. જો દર્દીનુ મોત થાય તો તેમની અંતિમ વિધિ માટે, ક્યાં લઈ જવા અને કેવી રીતે લઈ જવા તે મોટી મુશ્કેલી પરિવારો માટે ઉભી થતી હોય છે. આ મામલે પાટણ પાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મૃતદેહના કોવિડની ગાઈડ લાઈન મુજબ, સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાશે. તે માટે મૃતકના પરિવારજનોએ માત્ર પાલિકામાં નોંધણી કરાવવાની રહેશે.વધુ વાંચો -
સ્મશાન ગૃહોને વન વિભાગ પુરતાં પ્રમાણમાં જલાઉ લાકડાં આપે ધારાસભ્ય કિરીટ પટેલ
- 27, એપ્રીલ 2021 01:30 AM
- 1727 comments
- 9242 Views
ગાંધીનગર ગુજરાતમાં કોરોનાના કારણે રોજેરોજ નવા કેસો અને મૃત્યુઆંકમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. જેના કારણે અનેક સ્મશાન ગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાકડાંનો જથ્થો ખૂટી પડે છે. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના વન મંત્રી ગણપત વસાવાને ઈમેઈલ દ્વારા પત્ર લખ્યો છે. જેમાં વન વિભાગ પાસે પડેલા જલાઉ લાકડાંના જથ્થાને નજીકના સ્મશાન ગૃહોમાં વ્યાજબી ભાવે આપવા રજૂઆત કરી છે. ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે, જેના કારણે રાજ્યમાં સતત કોરોનાના નવા કેસો અને કોરોનાથી થતાં મૃત્યુઆંકમાં રોજેરોજ ધરખમ વધારો નોંધાય રહ્યો છે. જેના કારણે ગુજરાતના વિવિધ સ્મશાનગૃહો મૃતદેહોથી ઉભરાઈ રહ્યા છે. એટલું જ નહી અનેક સ્મશાનોમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાકડાઓ પણ ખૂટી પડ્યા છે. ત્યારે આ સંજાેગોમાં કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યનાં વનમંત્રી ગણપત વસાવાને ઈમેલથી પત્ર પાઠવીને રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પડેલા જલાઉ લાકડાનો જથ્થો સ્મશાન ગૃહોમાં ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી છે. કિરીટ પટેલે વધુમાં જણાવ્યું છે કે, કોરોનાની મહામારીમાં રાજ્યના વિવિધ સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાકડાં ખૂટી પડ્યા છે. જાે વન વિભાગ દ્વારા મોટા સ્મશાનોમાં આવા લાકડા વ્યાજબી ભાવે આપવામાં આવે તો મૃતદેહોના અંતિમ સંસ્કારમાં કોઈ તકલીફ ન પડે.તેમણે વધુમાં જણાવ્યું છે કે, જીવનનો છેલ્લો મુકામ કહી શકાય એવા સ્મશાન ગૃહો આજે લાશોથી ઉભરાઇ રહ્યા છે. દુઃખની વાત છે કે ગુજરાતમાં લોકોએ આજે આ દિવસ જાેવાનો વારો આવ્યો છે. તેમણે રાજ્યના વન મંત્રી ગણપત વસાવાને વિનંતી પણ કરી છે કે, જલાઉ લાકડાનો જથ્થો નજીકના મોટા સ્મશાનગૃહોને વ્યાજબી ભાવે પૂરો પાડવામાં આવે છે.વધુ વાંચો -
ગુજરાતના આ ધારાસભ્યએ ઇન્જેકશન માટે ગ્રાંટમાંથી 10 લાખ ફાળવ્યા
- 24, એપ્રીલ 2021 03:48 PM
- 8220 comments
- 5759 Views
પાટણ-કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે કોસોના ભારણના લીધે રેમડેસિવિર ઇન્જેકશનની અછત વર્તાઇ રહી છે ત્યારે પાટણના ધારાસભ્ય ડૉકટર કિરીટ પટેલે ઘારાપુર સિવિલ હોસ્પિટલ અને પાટણ સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેકશન માટે પોતાની ગ્રાંટમાંથી 10 લાખ ફાળવ્યા છે. પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે આ મહામારી સામે લડવા માટે ઇન્દેકશની અછત વર્તાઇ રહી છે. કોરોના સંક્રમણના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે અને કોરોના દર્દીઓની હાલત અતિ ગંભીર છે. પાટણ સિવિલ હોસ્પિટલ અને ઘારાપુર હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેકશન માટે પાંચ પાંચ લાખ ધારાસભ્યે ગ્રાંટમાંથી આપ્યા છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ ગ્રાંટની ફાળવળી અંગેની જાણ જિલ્લા આયોજન અધિકારીને કરી છે કોરોના મહામારીમાં ગ્રાંટનો સદઉપયોગ થયો છે.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
- 10, એપ્રીલ 2021 03:37 PM
- 9776 comments
- 2922 Views
વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ
- 10, એપ્રીલ 2021 03:13 PM
- 669 comments
- 2976 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ
- 08, એપ્રીલ 2021 03:03 PM
- 6362 comments
- 2428 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ
- 07, એપ્રીલ 2021 03:05 PM
- 2906 comments
- 552 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ
- 06, એપ્રીલ 2021 02:45 PM
- 5973 comments
- 6899 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં આગ ઝરતી ગરમી, કામ સિવાય જો બહાર ગયા તો થશે આવા હાલ
- 06, એપ્રીલ 2021 02:30 PM
- 8141 comments
- 6233 Views
અમદાવાદ-રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે મોટા આગાહી કરી છે. જે મુજબ આગામી બે દિવસ અમદાવાદમાં યલો અલર્ટ રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. કાળઝાળ ગરમી માટે અમદાવાદવાસીઓએ તૈયાર રહેવું પડશે. બે ત્રણ દિવસથી અમદાવાદમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ૩ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ આ તાપમાનમાં વધારો થશે. ૮ અને ૯ એપ્રિલના ગીર સોમનાથ, પોરબંદર માં હિટવેવની આગાહી છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન ૪૨ ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે.ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. તેની સાથે ગરમીનું પ્રભુત્વ પણ લોકોને અસર કરી રહ્યું છે. કોરોના સંક્રમણની સાથે ગરમી વધવાથી લોકોમાં વધુ ભય ફેલાયો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ રાજકોએ ઓરેન્જ એલર્ટ રહેશે તેવી આગાહી કરી છે. છેલ્લા બે ત્રણ દિવસથી શહેરમાં વહેલી સવારે ઠંડી અને બપોરે હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે. તે ઉપરાંત રાજકોટમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ગરમીમાં લૂ લાગવા (હીટ વેવ)ના બનાવો પણ બનતા હોય છે જેથી આવા બનાવો ના બને તે માટે શુ તકેદારી રાખવી તે અંગેની પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવતી હોય છે. ગરમીમાં ત્રણ એલર્ટ હોય છે જેમાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટનો સમાવેશ થાય છે. આ ત્રણે એલર્ટમાં ગરમીનો પારો કેટલો હોય તે પણ સુનિશ્ચિત કરાયુ છે. સામાન્ય સંજાેગોમાં ગરમીની સીઝનમાં ત્રણ પ્રકારના એલર્ટો જાહેર થતા હોય છે. જેમાં ૪૧.૧ ડિગ્રી સેન્ટીગ્રેડથી ૪૩ ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી હોય ત્યારે યલો એલર્ટ જાહેર કરાય છે. આ ઉપરાંત બીજુ એલર્ટ ઓરેન્જ એલર્ટ કહેવાય છે. આ એલર્ટ ૪૩.૧થી ૪૪.૯ ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી હોય ત્યારે જાહેર થાય છે. ત્રીજું રેડ એલર્ટ છે. જે ૪૫ ડિગ્રીથી વધારે તાપમાન માટે જાહેર કરવામાં આવે છે.વધુ વાંચો -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ
- 05, એપ્રીલ 2021 02:51 PM
- 8021 comments
- 9695 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
કોરોનાને પગલે રાજ્યની આ યુનિવર્સિટીની પરીક્ષાઓ મૌકુફ રહી
- 20, માર્ચ 2021 10:27 AM
- 7101 comments
- 3817 Views
પાટણ-પાટણ યુનિવર્સિટી દ્વારા માર્ચ એપ્રિલમાં યોજાનારી પરીક્ષાઓે લઈ મહત્વનો ર્નિણય કરવામા આવ્યો છે. આગામી ૩૧ માર્ચ અને ૬ એપ્રિલથી શરૂ થતી સ્નાતક ગ્રેજયુએટ કક્ષાની ઓફલાઈન પરીક્ષાઓ કોરોના સંક્રમણ પરિસ્થિતિને ધ્યાને લઈ મોકુફ રાખવામા આવી છે. સમગ્ર દેશ સહિત રાજયભરમાં કોરોના સંક્રમણના અજગરી ભરડાનો સેકન્ડ વેવ શીખરોને આંબી રહયો છે . ચૂંટણીની સભાઓ , જાહેર રેલીઓ , અને અમદાવાદ ખાતે યોજાયેલ એક દિવસીય વન - ડે મેચ બાદ કોરોના સંકમણના કેસોમાં ઉત્તરોત્તર વધારો થતાં સરકારે ઓચિંતા મહત્વના ર્નિણયો કર્યા છે. એક વર્ષ બાદ શરુ થયેલી યુનિવર્સિટી અને કોલેજ કક્ષાની ઓફલાઈન પરીક્ષાઓ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈ હાલ પુરતી મોકૂફ રાખવાનો સરકારે ર્નિણય જાહેર કર્યો છે. જે અનુસંધાને પાટણ યુનિવર્સિટી દ્વારા આગામી ૩૧ મી માર્ચ અને ૬ એપ્રીલથી યોજાનાર સ્નાતક ગ્રેજયુએટ કક્ષાના વિવિધ અભ્યાસક્રમો જેવા કે , બી.એ. , બી.એસસી . , એલ.એલ.બી. , બી.એ.બી.એડ. , નર્સિંગ , સહિતની તમામ પરીક્ષાઓ મોકુફ રાખવામા આવી છે. આ અંગે પાટણ યુનિવર્સિટીના કુલપતિએ માહિતી આપતા જણાવ્યું હતું કે , સરકારની સૂચના મુજબ આગામી સમયમાં યોજાનાર પરીક્ષાઓ હાલ પુરતી સ્થગીત કરી દેવામાં આવી છે અને સરકાર દ્વારા જાહેરાત કરાયા બાદ આ પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ
- 16, માર્ચ 2021 03:11 PM
- 390 comments
- 9699 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ખાનગીકરણ વિરૂદ્ધ આજે બેંક કર્મચારીઓ હડતાળ પર, કરોડોનું ટ્રાન્ઝેક્શન અટવાયું
- 15, માર્ચ 2021 04:13 PM
- 7564 comments
- 2298 Views
અમદાવાદ-બેંકોના ખાનગીકરણના વિરોધને લઈને આજથી બેંક કર્મચારીઓ દ્વારા બે દિવસની હડતાળ પાડવામાં આવી છે. આ બે બેન્કોના ખાનગીકરણની જાહેરાત થતા યુનાઈડેટ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. આ હડતાળમાં સુરતના બેન્ક કર્મચારીઓ પણ જોડાવવાના છે. જેમાં 15 હજાર જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. દ. ગુજરાતમાં ખાનગી અને કો.ઓપ. મળી કુલ 45 બેન્ક રહેલી છે. ખાનગી અને કો.ઓપ બેન્કોની કુલ 75પ શાખા આવેલી છે. નેશનલાઈઝ 11 બેન્કોને 250 શાખા આવેલી છે. બે દિવસની હડતાળમાં માત્ર સુરતમાં 600 કરોડનું ટ્રાન્ઝેક્શન અટવાશે. બેંકોના ખાનગીકરણ ના વિરોધમાં હડતાળ કરવામાં આવી છે. બેન્કોના ખાનગીકરણથી જનતાની ડિપોઝિટ પર જોખમનો દાવો કરવામા આવ્યો છે. છેલ્લા 4 વર્ષમાં સરકારે 14 બેંકોનુ વિલીનીકરણ કર્યું છે. 9 બેન્ક કર્મચારી યુનિયનો હડતાળમાં જોડાવવાને છે. બેન્ક કર્મીઓ એન્ટિકોપોર્ટેટાઇઝેશન ડે તરીકે ઉજવવાના છે. સરકારી બેન્કોના ખાનગીકરણના નિર્ણયથી સરકારી બેન્કોના કર્મચારીઓમાં એ ભય પેસી ગયો છે કે, બેન્ક પ્રાઈવેટના હાથમાં જતી રહેશે તો તેમના રોજગાર પર સંકટ આવી શકે છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 810 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,78,207 કેસ
- 15, માર્ચ 2021 02:49 PM
- 2049 comments
- 7831 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 810 થી વધુ નોંધાયા છે. જેની સામે 586 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4424 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 810 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,78,207 થયો છે. તેની સામે 2,69,361 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4422 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4422 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 54 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4368 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,361 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4424 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 700 પોઝીટીવ કેસ, કુલ 2,75,907 કેસ
- 12, માર્ચ 2021 03:01 PM
- 7121 comments
- 5808 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 700 થી વધુ નોંધાયા છે. જેની સામે 451 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 700 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,907 થયો છે. તેની સામે 2,67,701 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3788 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3788 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 49 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3739 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,701 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે કોરોના થી કોઈ મૃત્યુ નોંધાયા નથી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 675 પોઝીટીવ કેસ, કુલ 2,75,197 કેસ
- 11, માર્ચ 2021 02:50 PM
- 9782 comments
- 7181 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 675 થી વધુ નોંધાયા છે. જેની સામે 484 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 675 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,197 થયો છે. તેની સામે 2,67,250 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3529 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3529 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 47 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3482 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,250 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 581 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,74,522 કેસ
- 10, માર્ચ 2021 03:40 PM
- 297 comments
- 1510 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 581 થી વધુ નોંધાયા છે. જેની સામે 453 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 581 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,74,522 થયો છે. તેની સામે 2,66,766 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3338 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3338 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 43 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3295 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,766 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 555 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,941 કેસ
- 09, માર્ચ 2021 03:07 PM
- 6423 comments
- 8417 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 555 થી વધુ નોંધાયા છે. જેની સામે 482 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4416 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 555 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,941 થયો છે. તેની સામે 2,66,313 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3212 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3212 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 41 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3171 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,313 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4416 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
શેકાવા માટે તૈયાર રહેજો: ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચશે
- 09, માર્ચ 2021 02:13 PM
- 7170 comments
- 6199 Views
ગાંધીનગર-રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડીગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ, રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યનાં શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો ૩૭.૫ ડીગ્રીએ પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો ૩૬.૮ ડીગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં ૩૬.૪ ડીગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૩૬.૭ ડીગ્રી, વડોદરામાં ૩૬.૬ ડીગ્રી, સુરતમાં ૩૫.૫ ડીગ્રી, અમરેલીમાં ૩૭.૮ ડીગ્રી, ભાવનગરમાં ૩૫.૨ ડીગ્રી, રાજકોટમાં ૩૭.૬ ડીગ્રી સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડીગ્રી, મહુવામાં ૩૫.૬ ડીગ્રી, કેશોદમાં ૩૫.૨ ડીગ્રી, ભુજમાં ૩૫ ડીગ્રી નોંધાયું હતું. માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતનાં શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ
- 08, માર્ચ 2021 03:06 PM
- 1339 comments
- 7739 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ઉનાળાની એન્ટ્રીઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો
- 08, માર્ચ 2021 02:31 PM
- 9076 comments
- 7601 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.વધુ વાંચો -
શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો મળશે લાભ, શિક્ષણમંત્રી ચુડાસમાએ ગૃહમાં કરી જાહેરાત
- 05, માર્ચ 2021 03:53 PM
- 168 comments
- 1983 Views
ગાંધીનગર-રાજ્યમાં આવેલી યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો લાભ આપવાનું ગૃહમાં શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારના અ નિર્ણયથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. રાજ્યમાં આવેલી યુનિવર્સીટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા તેઓની પડતર માંગણીઓને લઈને અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકા તેમજ જીલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના પરિણામ આવી ગયા બાદ વિધાનસભા સત્ર શરુ થતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જાહેરાત કરી હતી. ત્યારે તા.1-1-૨૦૧૬ થી કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવાનું સરકારે નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કર્મચારીઓને એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા ટૂંક સમયમાં આપવામાં આવશે. જેથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં ખુશી વ્યાપી જવા પામી હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 480 પોઝીટીવ કેસ, કુલ 2,71,725 કેસ
- 05, માર્ચ 2021 03:48 PM
- 8053 comments
- 6042 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 480 થી વધુ નોંધાયા છે. જેની સામે 369 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 480 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,725 થયો છે. તેની સામે 2,64,564 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2749 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2749 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 40 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2709 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,564 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 400 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,71,245 કેસ
- 04, માર્ચ 2021 03:43 PM
- 8782 comments
- 6194 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 400 થી વધુ નોંધાયા છે. જેની સામે 358 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 400 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,245 થયો છે. તેની સામે 2,64,195 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2638 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2638 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 39 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2599 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,195 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દી નું મૃત્યુ નોંધાયુ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 454 પોઝીટીવ કેસ, કુલ 2,70,770 કેસ
- 03, માર્ચ 2021 02:38 PM
- 2275 comments
- 6803 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 454 થી વધુ નોંધાયા છે. જેની સામે 361 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 454 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,770 થયો છે. તેની સામે 2,63,837 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2522 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2522 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 37 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2485 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,63,837 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ELECTION 2021: 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ
- 02, માર્ચ 2021 03:33 PM
- 5890 comments
- 9277 Views
અમદાવાદ-ગુજરાતની રાજકોટ સહિત 31 જિલ્લા પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મતગણતરી યોજાઇ રહી છે તેમાં 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ હોવાના પ્રારંભીક સંકેતો સાંપડયા છે. સૌરાષ્ટ્રની 8 સહિત ગુજરાતની 28 જિલ્લા પંચાયતોમાં ભાજપના બહુમતી ઉમેદવારો જીતના માર્ગે હોવાથી ભાજપનું શાસન આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. 2015ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને માત્ર 7 જિલ્લા પંચાયતોમાં સત્તા મળી હતી. તેના બદલે આ વખતે બહુમતી જિલ્લા પંચાયતો પર ભાજપનો કબ્જો આવવાના એંધાણ પ્રારંભીક ટ્રેન્ડમાં મળી રહ્યા છે. સમગ્ર 31 જિલ્લા પંચાયતોમાં 74 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ ગઇ છે ત્યારે કોંગ્રેસને માત્ર 15 બેઠકો જ મળી છે. તાલુકા પંચાયતોમાં 358 બેઠકોમાં ભાજપના ઉમેદવારોને સરસાઇ હતી. જયારે કોંગ્રેસના ફાળે 94 બેઠકો હતી. નગરપાલિકામાં આ બેઠકો અનુક્રમે 238 અને 60 હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 427 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,70,316 કેસ
- 02, માર્ચ 2021 03:27 PM
- 620 comments
- 6180 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 427 થી વધુ નોંધાયા છે. જેની સામે 360 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 427 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,316 થયો છે. તેની સામે 2,64,476 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,316 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2429 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,316 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2429 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 35 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2394 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,476 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા કમલમ્ ખાતે વિજયોત્સવ
- 02, માર્ચ 2021 03:01 PM
- 8976 comments
- 8084 Views
ગાંધીનગર-પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા ભાજપમાં આનંદ છવાયો છે. ગાંધીનગર ખાતે ભાજપના કાર્યાલય કમલમ પર વિજયોત્સવ મનાવવામાં આવ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રુપાણીની હાજરીમાં ભાજપના કાર્યલય પર કાર્યકર્તાઓએ વિજય મનાવ્યો. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યલય કમલમ્ પર જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો. મહાપાલિકા બાદ પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે જે રીતે કેસરીયો લહેરાવી દીધો છે અને મોટા ભાગની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તથા મહાપાલિકાઓમાં ભાજપ સત્તા પર આવશે તે નિશ્ર્ચિત બન્યુ છે. તેથી આ ભવ્ય વિજયની ઉજવણી કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહી જીતની ખુશીનો વિજયોત્સવ મનાવ્યો હતો.વધુ વાંચો -
ગુજરાતમાં BJPનાં સારા દેખાવ બાદ CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પહોચ્યા કમલમ
- 02, માર્ચ 2021 02:20 PM
- 8379 comments
- 1025 Views
ગાંધીનગર-ભાજપ માટે આ વખતની તાલુકા, જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણી પ્રતિષ્ઠા સભર બનીને રહી ગઈ હતી. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતગણતરીનાં પ્રારંભ સાથે જ ભાજપે સપાટો બોલાવીને જિલ્લા પંચાયતની 31 સીટ પૈકી 30 પર , 231 પૈકી 158 તાલુકા પંચાયત, નગર પાલિકામાં 81 પૈકી 67 બેઠક પર આગળ નિકળી ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે મનપાની ચૂંટણીની સરખામણીએ ગામડાઓની ચૂંટણીમાં સારૂ એવું મતદાન થયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતમાં 65 ટકા મતદાન, તો પાલિકા માટે 55 ટકા સરેરાશ મતદાન થયું હતું. જોકે ગત્ત ચૂંટણીની ટકાવારી કરતા આ મતદાન ઓછું છે પરંતુ મનપાની સરખામણીએ વધુ નોંધાયેલું મતદાન ભાજપ પક્ષને ફળતું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ ભાજપે સારૂ પ્રદ્શન કરતા હાર્દિક પટેલ સહિત કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની હવા નિકળી ગઈ છે. આ વર્ષે ખેડુતોનું આંદોલન, છેલ્લા સમયે ખાતરનો કોંગ્રેસે ઉભો કરેલો મુદ્દો પણ ચાલ્યો નોહતો તો મોંઘવારીમો મુદ્દો કોંગ્રેસ ફરી એકવાર વટાવી નોહતી શકી. શહેરી વિસ્તારો બાદ હેવ ગ્રામ્ય સ્તરે પણ ભાજપે ક્લીન સ્વીપ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આવનારી વિધાનસભાની ચૂંટણી માટેનાં પગથિયું ગણાતા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં મેળવેલા વિજયને વધાવી લેવા ટૂંક સમયમાં કમલમ કાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોચશે અને સાથે જ ભાજપ વિજયોત્સવની શરૂઆત પણ કરી દેશે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ