પાટણ સમાચાર
-
લંડનમાં અભ્યાસ માટે ગયેલા ચાણસ્માના રણાસણ ગામના મીત પટેલે આત્મહત્યા કરી
- 23, નવેમ્બર 2023 01:30 AM
- 1658 comments
- 4606 Views
અમદાવાદ વિદેશમાં યુવકોને અભ્યાસ અર્થે મોકલતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામનો ૨૩ વર્ષીય યુવક મીત પટેલ લંડન અભ્યાસ અર્થે ગયો હતો. પરંતુ કોઈ કારણોસર આપઘાત કર્યો હતો. યુવકનું શંકાસ્પદ મોતની જાણ પરિવારને થતા પરિવાર પર આભ ફાટ્યું છે. ખેડૂત પુત્ર મિત પ્રવીણભાઈ પટેલ (ઉંમર.૨૩)નો પાંચ દિવસથી સંપર્ક તૂટ્યો હતો. ત્યારબાદ એકાએક મીતના શંકાસ્પદ મોતની જાણ થતાં પરિવાર ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે, મીત પટેલે લંડનમાં આપઘાત પહેલા એક ઓડિયો બનાવ્યો હતો. જેમાં મીત પટેલે પોતે ફસાયો હોવાનો દાવો કર્યો હતો. મીતે આપઘાત પહેલા માતા-પિતાની માફી માંગી હતી. મીત પટેલે કહ્યું હતું કે, મમ્મી પપ્પા મેં તમારા ૧૫ લાખ બગાડ્યા મને માફ કરજાે. મીતે વધુમાં જણાવ્યું હતું કે, હું અહીં ફસાઈ ગયો છું. મારી પાસે કોઈ રસ્તો નથી. ઉલ્લેખનીય છે કે, કેનેડાથી અમેરિકા જવાનો પ્રયાસ કરતા લોકોની સંખ્યા વધી છે. ૨૦૨૨થી આ પ્રમાણ વધ્યું છે. ૨૦૨૨થી કેનેડાથી અમેરિકા જનારા લોકોની સંખ્યામાં ૮ ગણો વધારો થયો છે. ૨૦૨૨માં ૬ હજાર ૪૦૦થી વધુ લોકો ક્યુબેક કે ઓન્ટારિયો થઈ ન્યૂયોર્ક ગયા હતા. કેનેડામાં હિમવર્ષાનો માહોલ હોય ત્યારે એજન્ટ મેક્સિકોથી ઘૂસણખોરી કરાવે છે. મેક્સિકો-અમેરિકા વચ્ચે ટ્રમ્પ વોલ બની છે જ્યાંથી લોકો અમેરિકામાં ઘૂસે છે.વધુ વાંચો -
કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ
- 09, જુન 2023 11:46 PM
- 2598 comments
- 4229 Views
વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ.. ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.વધુ વાંચો -
મુસ્લિમો અંગેનું નિવેદન ઃ ચંદનજી સામે ચૂંટણી પંચમાં ભાજપની ફરિયાદ
- 21, નવેમ્બર 2022 01:30 AM
- 1131 comments
- 3792 Views
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ સિધ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના વિડીયોના ટિ્વટના આરોપનો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ સિધ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનાં વિડીયોના ટિ્વટનો મામલે ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આ મારો વિડીયો જૂનો અને એડિટ કરેલો છે. મુખ્યમંત્રીએ મારા વિડીયો ટિ્વટ કરવાની જગ્યાએ મોરબી હોનારત, સિદ્ધપુર મા સરકારી કોલેજ નથી, રોજગારી નથી તેનું કેમ ટ્વીટ કરતા નથી. હિંદુ ધર્મ, મુસ્લિમ ધર્મ સાથે અથડાય એ માટે આવા વિડીયો ટિ્વટ કરવામાં આવે છે. આવા વિડીયો ટિ્વટ કરવાથી ગુજરાતની જનતા માફ નહીં કરે. જનતા ચૂંટણીમાં જવાબ આપશે. આ વિડિઓ જિલ્લા પંચાયતની ચૂંટણીના સમયનો આ વિડિઓ છે. તેમ જણાવ્યું હતું. ત્યારે હાલતો ટ્વીટ વિડિઓ મામલે સિદ્ધપુરનું રાજકારણ ગરમાઈ ગયું છે. ઝ્રસ્એ ટિ્વટ કરેલા વીડિયો અંગે સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, બે સમાજ વચ્ચે ઝઘડા કરાવવા માટે આ વીડિયો વાયરલ કરાયો છે. હારનો ડર હોવાના કારણે મારો વીડિયો વાયરલ કરાયો છે. આ વીડિયો જિલ્લા પંચાયતની ચૂંટણી સમયનો છે. ચંદનજી ઠાકોરે રાજ્ય સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સિદ્ધપુરની સરસ્વતી નદીમાં કેમ પાણી નાખતા નથી? સિદ્ધપુરમાં કેમ એક પણ કોલેજ બનાવાઈ નથી? મોરબીના હોનારત મામલે કેમ ટિ્વટ ન કરાયું? સતત વધતી મોંઘવારી પર કેમ ટિ્વટ કરતા નથી? કોંગ્રેસના સિદ્ધપુરથી ઉમેદવાર ચંદનજી ઠાકોરનો મુસ્લિમો અંગેના નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસ ઉમેદવારના શબ્દોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શરમજનક શબ્દો ગણાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. કોંગ્રેસને ખબર હોવી જાેઈએ કે તેને હારથી કોઈ નહીં બચાવી શકે. સિદ્ધપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકારે જે નિવેદન આપ્યુ તે વાયરલ થયુ છે. તેમણે કહ્યું હતું કે, ‘આપણે તેમને કંઈક નવું કરવા માટે વોટ આપ્યો હતો, પરંતુ તેમણે વોટ આપીને છેતરાયા છીએ, કોઈએ એકને છેતર્યો હોય તો ઠીક છે, પરંતુ તેમણે આખા દેશને ખાડામાં નાખી દીધો છે. દેશને કોઈ જ બચાવી શકે છે તો માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે અને કોંગ્રેસ પાર્ટી જાે કોઈ બચાવી શકે તો તે મુસ્લિમ પાર્ટી બચાવી શકે છે. હું આનું એક જ ઉદાહરણ આપું, એનઆરસીના મુદ્દે મારા સોનિયા ગાંધી, મારા રાહુલ ગાંધી અને મારી પ્રિયંકા ગાંધી, ૧૮ પ્રકારના પક્ષો હતા, પરંતુ એક પક્ષે મુસ્લિમ સમાજ માટે આજીજી કરી નથી તે મુસ્લિમ સમાજની તરફેણમાં નથી. આ એક માત્ર પક્ષ છે જે તમારા માર્ગે ચાલે છે, તમારું રક્ષણ કરે છે, સમગ્ર દેશમાં તમારા સમુદાયનું રક્ષણ કરે છે. આ ભારતીય જનતા પાર્ટીએ તમને ખલેલ પહોંચાડવાનું કામ કર્યું. ટ્રીપલ તલાકનો મુદ્દો ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા, ટ્રિપલ તલાક હટાવ્યો. કોંગ્રેસની સરકારમાં કમિટીને હજ પર જવા માટે સબસિડી મળતી હતી, ભારતીય જનતા પાર્ટીની ગડબડને કારણે આ સબસિડી જતી રહી. લઘુમતી સંસ્થાઓને પણ સબસિડી આપવામાં આવતી હતી જે છોકરાઓને ભણાવવા મળી હતી જે પણ બંધ કરી દીધી.ચંદનજી ઠાકોર સામે ભાજપની પાટણ ચૂંટણી અધિકારીને ફરિયાદ ચંદનજી ઠાકોરના મુસ્લિમો અંગેના નિવેદનનો વિડિયો વાઇરલ થયાં બાદ હવે ભાજપ એક્શ’માં આવ્યુ છે. જે અંતર્ગત હવે ભારતીય જનતા પાર્ટીને સિધ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે આચારંસંહિતા ભંગની ફરિયાદ કરી છે. પાટણ કલેક્ટર અને જીલ્લા ચૂંટણી અધિકારીને એક ફરિયાદ કરતો પત્ર પાઠવ્યો છે જેમાં તમામ પુરાવાઓ રજૂક્યા છે તેમજ આ ઉમેદાર સામે પગલાં લેવાની માંગણી કરી.વધુ વાંચો -
ઊંઝા ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે ધારાસભ્ય બાબુ જમના પટેલની વરણી
- 03, જાન્યુઆરી 2022 01:30 AM
- 169 comments
- 8360 Views
ગાંધીનગર, મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આજે ઉમિયાધામ માતાજી ટ્રસ્ટના નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે અમદાવાદ જિલ્લાના દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. કડવા પાટીદારોના આસ્થાના ધામ એવા મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે આજે બપોર બાદ ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં નવા પ્રમુખની વરણી અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં પ્રમુખની મુદત પૂર્ણ થતા આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં નવા પ્રમુખ તરીકે દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની પ્રમુખ પદ માટે વરણી કરવામાં આવી હતી. ઉમિયા માતાજી કારોબારી ટ્રસ્ટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. ઊંઝા ઉમિયાધામએ ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર વિશ્વના કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે.વધુ વાંચો -
વડગામના પૂર્વ ધારાસભ્ય મણીભાઇ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
- 28, નવેમ્બર 2021 01:30 AM
- 6414 comments
- 3058 Views
વડગામ, વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષનો સમય છે પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શમવાનું નામ લઇ રહ્યો નથી. હવે વડગામ બેઠક પરના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ રાજીનામુ ધરી દીધું છે. મણીભાઈ વાઘેલાએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં પાર્ટી પર સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરી કહેવાતા દલિત નેતાઓને પ્રોત્સાહન આપી પક્ષમાં પ્રવેશ આપીને ગુજરાતના જૂના પીઢ નેતાઓનું સ્વમાન હણાય તેવા પ્રયત્નો કરવાના આરોપ લગાવ્યા છે. તેમણે પાર્ટીના સક્રિય કાર્યકરપદેથી અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. તેઓ છેલ્લા ૩૦ થી ૪૦ વર્ષોથી પાર્ટીમાં કાર્યરત છે. ૨૦૧૨ ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના કેબિનેટ મંત્રીને હરાવીને જીત મેળવી હતી. તેમણે કહ્યું કે, સત્તાધારી પાર્ટી દ્વારા અનેક પ્રલોભનો આપવામાં આવ્યા છતાં અમે અડીખમ રહ્યા હતા.તેમના કહેવા અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડે દિલ્હી બોલાવીને વડગામ બેઠક માટે પક્ષનો મેન્ડેટ આપવાનું વચન આપ્યું હતું પરંતુ ૨૦૧૭ ની ચૂંટણીમાં પાર્ટીએ એ વચન પાળ્યું ન હતું અને તેમને બેઠક ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. અહીં નોંધવું જાેઈએ કે ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીએ વડગામ બેઠક પરથી ચૂંટણી લડી હતી.કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉભો ન રાખી તેમને બહારથી સમર્થન પૂરું પાડ્યું હતું. આ બેઠક મણીભાઇ વાઘેલાએ ખાલી કરી હતી. જાેકે, તેમણે નામ લીધા વગર કહ્યું કે, ભડકાઉ ભાષણ આપીને દલિત નેતા તરીકે ઉભરી આવવાની ક્ષમતા મારામાં પણ છે પરંતુ મારી વિચારધારા પ્રમાણે પાર્ટી કોઈ કોમ કે જાતિની હોય શકે નહીં. ઉપરાંત તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખની અનઆવડત અને અપરિપક્વ ર્નિણયો અને હાલની પાર્ટીની નીતિ, વિચારધારા અને નાના કાર્યકરોની ઉપેક્ષાને પગલે તેમણે પાર્ટી છોડવાની ફરજ પડી છે.વધુ વાંચો -
‘જૈન ધર્મમાં ત્યાગના સંસ્કારથી મેં પણ એક જ ઘામાં મુખ્યમંત્રીપદ છોડી દીધું’ રૂપાણી
- 15, નવેમ્બર 2021 01:30 AM
- 3650 comments
- 5709 Views
પાટણ, પાટણના પંચાસરા જૈન દેરાસર પાસે આવેલા ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય જયંતસેન સુરીજી મહારાજના શિષ્ય મુનિરાજ ચારિત્ર્ય રત્ન વિજયજીની નિશ્રામાં રવિવારે હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ સહિત ૪૫ ગ્રંથોનું ચાંદીની મુદ્રાથી પૂજન કરવામાં આવ્યું હતું. સવારે સિદ્ધહેમ ગ્રંથની હાથીની અંબાડી પર યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ‘જૈન ધર્મમાં નાની ઉંમરમાં ત્યાગના સંસ્કાર આપવામાં આવે છે. જેથી મે પણ એક જ ઘામાં મુખ્યમંત્રી છોડી દીધું’. પાટણના સંઘના ઉપક્રમે સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવંતો છેલ્લા ત્રણ વર્ષથી પાટણ નગરે ધાર્મિક અધ્યયન કરી રહ્યા હતા. જેની અનુમોદના અર્થે સંઘ દ્વારા બે દિવસીય જ્ઞાનોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રિસ્તુતિક ઉપાશ્રય ખાતેથી સિદ્ધહેમ ગ્રંથ તેમના કરકમળમાં લઈને મહોત્સવ સ્થળે પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જૈન ધર્મમાં સાધુ-સાધ્વીજી તેમના શરીરની પરવા કર્યા વગર ભગવાન મહાવીરના ઉપદેશને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. જૈન ધર્મમાં નાનપણથી ત્યાગ કરવાના સંસ્કાર આપવામાં આવે છે અને તેના લીધે જ મેં પણ મુખ્યમંત્રી પદ છોડી દીધું હતું. ત્યાગ એ સંસ્કૃતિનો ભાગ છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જૈન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વાઘજી વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે જ્ઞાન પૂજા કરવામાં આવી હતી. મુનિરાજ ચારિત્ર રત્ન વિજયજી અને નિપુણરત્ન વિજયજી આદિ સાધુ-સાધ્વી આદિ ઠાણા ૩૪ના સાનિધ્યમાં પંચાસરા જૈન દેરાસર પાસે આવેલા સિદ્ધહેમ જ્ઞાનપીઠના માધ્યમથી વિશાળ રંગમંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. રંગમંડપના મધ્યમાં રંગબેરંગી રંગોળીથી સજ્જ સ્ટેજ બનાવી તેના પર ધાર્મિક ગ્રંથો સ્થાપિત કરીને ચાંદીની મુદ્રાઓથી પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૈન સાધુ ભગવતોને ધાર્મિક અધ્યયન કરાવનાર પંડિત ચંદ્રકાંતભાઈ સંઘવી આદિ પંડિતોનું બહુમાન કરાયું હતું. આ પ્રસંગે જૈનસમાજના લોકો ભાજપના અગ્રણી કે.સી. પટેલ દશરથજી ઠાકોર કિશોર મહેશ્વરી ધીરુભાઈ શાહ શૈલેષભાઇ શાહ વગેરે હાજર રહ્યા હતા.વધુ વાંચો -
યુવતીનું મોઢું કાળું કરવા સાથે મૂંડન કરી વસાહતમાં ફેરવી
- 13, નવેમ્બર 2021 01:30 AM
- 4527 comments
- 9084 Views
પાટણ, પાટણ જિલ્લાના હારીજમાં પ્રેમ કરવાની જાણે કે યુવતી ભૂલ કરી બેઠી હોય તેમ તાલિબાની સજા યુવતીને આપવામાં આવી હોવાનો વીડિયો ફરતો થયો છે. વીડિયોમાં જે હદે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જાેઇને એક સમયે આપણું હૃદય પણ કંપી ઉઠે. પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું, માથે મુંડન કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી હતી. જે વીડિયો વાઈરલ થયા છે, એ ઘટના પાંચ દિવસ પહેલા બની હોવાનું જાણવા મળ્યું છે. હારીજની વાદી વસાહતમાં રહેતી એક યુવતીને પ્રેમ થઇ ગયો હતો. યુવતીને ખબર હતી કે સમાજ તેના પ્રેમને સ્વીકારશે નહીં જેથી તેણે સમાજના નિયમોને નેવે મૂકીને પ્રેમી સાથે ભાગવાનો ર્નિણય કર્યો હતો. યુવતી પ્રેમી સાથે ભાગવામાં સફળ રહી હતી પરંતુ યુવતીના આ પગલાની જાણ વસાહતને થતાં યુવતીને પકડીને વસાહતમાં લાવવામાં આવી હતી. યુવતીએ વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતા સમાજના આગેવાનોએ સમાજની દીકરીને આકરી સજા આપવાનો ર્નિણય કર્યો હતો. યુવતીને વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાથી સમાજના આગેવાનોએ તેને તાલિબાની સજા ફટકારી હતી. યુવતીના માથે મૂંડન કરવામાં આવ્યું હતું. કલાડીથી તેનુ મોઢું કાળું કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મુકવામાં આવ્યા હતા. આટલેથી ન અટકતા યુવતીના હાથ બાંધી, માથા પર ગરમ દેવતા મુકીને આખી વસાહતમાં ફેરવવામાં આવી હતી. તાલિબાની સજા અપાઈ એ સમયે યુવતી સતત કરગરતી રહી, રડતી રહી પરંતુ સમાજના આગેવાનો કે ઉપસ્થિત કોઇનું હૃદય પીગળ્યું ન હતું. યુવતીને આપવામા આવેલી આ સજાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. હારીજના આ વાઇરલ વીડિયો અંગે હારીજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બાબતની તેમને જાણ નથી. આવો કોઇ વાઈરલ થયેલો વીડિયો તેમની પાસે આવ્યો નથી. આ મામલે પોલીસમાં કોઇપણ પ્રકારની રજૂઆત કે ફરિયાદ મળી ન હોવાનું તેમણે જણાવ્યું નથી.આ અગાઉ દાહોદમાં મહિલાને રસ્તામાં ૨૦ ફૂટ ઢસડી-ઢસડીને મારી હતી ૧૭ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ એક વીડિયો ફરતો થયો હતો. જેમાં દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જાેડે કેમ બોલાચાલી રાખી છે એમ કહી મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો. પોતાના જ પરિવારના ૪ જેટલા ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ રોડ પર ઢસડી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાં હતા.વધુ વાંચો -
ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ સામે લોકાયુક્તની કાર્યવાહીના પગલે નિવૃત કરાશે
- 31, ઓક્ટોબર 2021 01:30 AM
- 4889 comments
- 3022 Views
પાટણ, ગુજરાત યુનિર્સિટીના પૂર્વ કુલપતિ ડો.આદેશપાલ સામે કાર્યવાહી કરવા મામલે કારોબારીની ખાસ બેઠક મળી હતી. ડો.આદેશપાલ સામે લોકાયુક્તે કાર્યવાહીના આદેશ કર્યા છે. ઉત્તર ગુજરાત યુનિ. ખાતે કારોબારી બેઠક મળી હતી. જેમાં તા. ૧-૧૧-૨૦૨૧થી ડૉ.આદેશપાલને ફરજિયાત નિવૃત કરવાનો સર્વાનુમતે ર્નિણય કરવામાં આવ્યો છે. ડો.આદેશપાલને સજાના ભાગરૂપે કારોબારીએ ર્નિણય લીધો હતો. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.આદેશપાલ દ્વારા ગુજરાત યુનિમાં ભૂતપૂર્વ કુલપતિ સમય ગાળા દરમિયાન નિયમ વિરુદ્ધ નાણાકીય વ્યવહારો કરી એક કરોડથી વધુ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ લાગતા શિક્ષણ વિભાગે લોકાયુક્તમાં તપાસ આપતા લોકાયુક્ત દ્વારા તપાસના અંતે તેમને દોષિત ઠેરવ્યાં હતા. આ બાબતે કાર્યવાહી કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને આદેશ કરવામાં આવતા આદેશ અનુસંધાને શનિવારે ઇસી બેઠકમાં પ્રોફેસરને સ્વૈચ્છિક કાયમી નિવૃત્તિ માટે આદેશ કરવાનો ઠરાવ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતા યુનિવર્સિટીમાં ખળભળાટ મચ્યો હતો. યુનિવર્સિટીમાં ફરજ બજાવતા પ્રોફેસર ડૉ.આદેશપાલે ૨૦૧૧ માં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં લાઈબ્રેરી સહિતના વિવિધ કામોમાં ચુકવણું નિયમ મુજબ ના કરી રૂપિયા ૧.૭૦ કરોડના નાણાકીય ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠયા હતા. આ બાબતે શિક્ષણ વિભાગે જ લોકાયુક્તમાં ફરિયાદ કરતા તપાસના અંતે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.લોકાયુક્તના એહવાલ અનુસંધાને રાજ્ય શિક્ષણ વિભાગના નાયબ સચિવ મૌલિક શાહ દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને ૧૪ ઓક્ટોમ્બરના રોજ પત્ર લખી લોકાયુક્તના અહેવાલ અનુસાર ડૉ.આદેશપાલ હાલ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હોય કુલપતિ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને શનિવારે કુલપતિ જે. જે. વોરાની અધ્યક્ષતામાં કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં સરકારની સૂચના મુજબ શિક્ષાત્મક પગલાં લેવાના ભાગ રૂપે તમામ સભ્યોના સર્વેનું મતે પ્રોફેસરને કાયમી ૧ ,૧૧ ,૨૦૨૧ થી જ ફરજીયાત નિવૃત્તિ લઈ લેવા માટે હુકમ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ઇસી સભ્ય શૈલેષ પટેલ , સ્નેહલ પટેલ,દિલીપ ચૌધરી, સહિતના સભ્યો હાજર રહ્યા હતા. પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે રાજ્યપાલ દેવવ્રત આચાર્યને ઉદેશીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું છે કે, સરકારે પૂર્વ કુલપતિ ડૉ. આદેશપાલને લોકાયુકતમાં દોષિત જાહેર થ્આવકાર દાયક છે,વધુ વાંચો -
પાટણમાં રસી લેનાર લાભાર્થીનો લકી ડ્રો પ્રમાણે તેલ અપાશે
- 27, ઓક્ટોબર 2021 03:03 PM
- 3218 comments
- 3891 Views
પાટણ-પાટણ શહેરમાં કોરોનાની રસી લેનારને એક લીટર તેલ અપાતું હોવાની વાત શહેરમાં પ્રસરતા વેક્સિન લેવામાં બાકી રહેલા લોકોમાં ઉત્સાહ જાગ્યો છે અને આજના મોંઘવારીના સમયમાં મોંઘાભાવે વેચાતું તેલ મફતમાં અપાતું હોવાનું જાણીને રસી લેવામાં આળસ કરી રહેલા લોકો આવા પ્રોત્સાહનથી વેક્સિન લેવા પ્રેરાઈ રહ્યા હોવાનુ જાેવા મળી રહ્યું છે. જેમાં પ્રથમ દિવસે ૧૫ લાભાર્થીને એક લીટર તેલ આપવામાં આવ્યું હતુંવૈશ્વિક કોરોના મહામારી સામેની લડતના ભાગરૂપે સરકાર દ્વારા દેશના તમામ નાગરિકોને વિનામૂલ્યે કોરોના પ્રતિરોધક વેક્સિન મળી રહે તેવું આયોજન અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ છતાં ઘણા લોકો વિવિધ પ્રકારના કારણોસર રસી લેવા માટે આગળ આવી રહ્યા નથી. ત્યારે કોરોનાની આ રસીથી કોઈપણ પુખ્તવયના નાગરિક બાકી રહી ન જાય એ માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર પણ સક્રિય અને પ્રયત્નશીલ રહ્યું છે અને તેના ભાગરૂપે હવે રસી લેવામાં બાકી રહેલા લોકો વેક્સિન લેવા માટે ઉત્સાહથી આગળ આવે તે માટે તેમને પ્રોત્સાહન મળે તે હેતુથી રસીનો પહેલો કે બીજાે ડોઝ લેનાર લાભાર્થીને લક્કી ડ્રો કુપન આપીને એ જ દિવસે તેનો ડ્રો કરી રોજ રસી લેનાર ૧૦૦ લાભાર્થીઓ પૈકી ૨૦ લાભાર્થીઓને એક એક લીટર ખાદ્યતેલની બોટલ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સાંજે પાટણ તાલુકા હેલ્થ કચેરીના ટીએચઓ ડો. ગૌરાંગ પરમારની સુચના માર્ગદર્શન મુજબ કચેરીના સુપરવાઇઝર દિનેશ પટેલ અને મેહુલ કતપરા દ્વારા કોરોનાની રસી લેવા આવેલ લાભાર્થીઓને લક્કી ડ્રો સિસ્ટમરૂપે એક એક લીટર તેલની બોટલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય વિભાગના કર્મચારી મેહુલ કતપરાએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં કોરોના રસીકરણ અભિયાનને વેગ મળે અને કોઈ વ્યક્તિ રસીથી વંચિત ન રહી જાય તે માટે બાકી રહી ગયેલા તમામ લોકો રસી લેવા પ્રોત્સાહિત થાય તે હેતુથી પાટણના જાણીતા બિલ્ડર બેબાશેઠ અને એનજીઓના સહયોગથી કોરોના રસી લેવા આવનાર લાભાર્થીઓને લકી ડ્રો કરીને એક અઠવાડિયા સુધી દરરોજ ૨૦ લાભાર્થીને એક લીટર તેલની બોટલ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પાટણ શહેરના સિવિલ હોસ્પિટલ, બગવાડા દરવાજા અને વિ.કે.ભુલા હાઈસ્કૂલ પાસેના રસીકરણ કેન્દ્ર ખાતે જે કોઈ નાગરિક કોરોનાની રસી મુકાવશે તેમને લકી ડ્રોની કુપન આપવામાં આવશે અને આવા ૧૦૦ લાભાર્થીઓ પૈકી દરરોજ ૨૦ કુપનનો લકી ડ્રો યોજવામાં આવશે અને તેના વિજેતાઓને એક લીટર તેલની બોટલ આપવામાં આવશે.વધુ વાંચો -
રાધનપુરમાં શસ્ત્ર પૂજનમાં હાજર પૂર્વ ધારાસભ્યનું હવામાં ફાયરિંગ
- 16, ઓક્ટોબર 2021 01:30 AM
- 1007 comments
- 855 Views
રાધનપુર,સમીના વરાણા ખાતે શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર દ્વારા બંદૂકમાંથી ફાયરિંગ કરતાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બન્યું હતું.ફાયરિંગ આ મામલે પોલીસે વિડિયો મેળવીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. વરાણા ખાતે શુક્રવારે વિજયાદશમી નિમિત્તે રવિભાણ આશ્રમ ખાતે રાધનપુર વિધાનસભા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શસ્ત્ર પૂજા બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર સાથે અન્ય વ્યક્તિ બંદૂક વડે હવામાં ગોળીનું ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.શક્તિ પ્રદર્શન માટે ફાયરિંગ કરવું ગેરકાયદેસર હોય પૂર્વ ધારાસભ્યના ફાયરિંગના વીડિયોને લઈ ચકચાર મચતાં પોલીસે ફાયરિંગ મામલે તપાસ શરૂ કરી હતી. એસ.ઓ.જી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે વીડિયોમાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હોય ધારાસભ્યની પૂછપરછ કરી તપાસ કરવામાં આવશે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ