ગીર સોમનાથ સમાચાર
-
આજકાલ અખંડ ભારતને જાેડવાની ફેશન ચાલે છે રાજનાથ સિંહ
- 18, એપ્રીલ 2023 01:30 AM
- 3360 comments
- 5144 Views
ગીર સોમનાથ, ભારત સરકાર દ્વારા વિસ્થાપિત થયેલા તમિલ સૌરાષ્ટ્ર વાસીયો ફરી સૌરાષ્ટ્રમાં આવે અને ગુજરાતીઓ સાથે લાગણીઓ, સંસ્કૃતિ, રિવાજાેનું આદન પ્રદાન થાય તેમજ ભારતના દરેક નાગરિકો એકબીજા સાથે જાેડાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ ખાતે દસ દિવસીય સૌરાષ્ટ્ર તામિલ સંગલ કાર્યકમનું આયોજન કર્યું છે. જેમાં કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાહુલ ગાંધી પર આડકતરા પ્રહાર કરતા કહ્યું હતું કે, અખંડ ભારતને જાેડવાની આજકાલ ફેશન ચાલે છે, જે લોકોથી કઈ થઈ શકતું નથી તે ભારત જાેડવા નીકળી પડ્યા છે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, તેલંગાણા તેમજ પુડુચેરીના ગવર્નર તમિલીસાઈ સોંદરરાજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો સૌરાષ્ટ્રમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવી પ્રજાના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલો અને ગુજરાતીઓ સાથે વાતચીત કર્યા બાદ લોકો મન મૂકીને નાચ્યા હતા. તો તમિલ લોકો શાસ્ત્રીય નૂત્ય સાથે તાલ મીલાવતા હતા અને ગૂજરાતીઓ મન મોર બની થનગાટ કરે, ગીત પર ઝુમી ઊઠ્યા હતા. રાજનાથ સિંહે જાહેર જનતાને સંબોધતા કહ્યું હતું કે, તમારી ઉપસ્થિતિ જ બતાવે છે આપણી સાંસ્કૃતિક જડો અટલી ઊંડી અને મજબૂત છે. કે, મોટામાં મોટી આંધી પણ તેને હલાવી પણ શકશે નહીં. પરંતુ આવા અખંડ, અતૂટ અને બેજાેડ ભારતને પણ જાેડવાની આજકાલ એક ફેસન ચાલી પડી છે. જે લોકો કંઈ કરી નથી શકતા તે ભારત જાેડવા નીકળી પડ્યા છે. પણ ભારત કહી રહ્યું છે કે, હું અખંડ છું,હું ક્યારેય તૂટ્યો જ નથી. ત્યારે આ લોકો કહે છે ના અમે તને જાેડીને જ રહીશુ અને આવી વાતો આજકાલથી નહીં લાંબા સમયથી થઈ રહી છે. તેવો આડકતરો કટાક્ષ કરતાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી. ભૂપેન્દ્ર પટેલે જન સંબોધતા કહ્યું કે, આજે આ ઉત્સવ દ્વારા રાષ્ટ્રીય ભવનાનો પાયો નાખવાનો છે. જયારે સૌરાષ્ટ્ર તમિલ સાહિત્યને લઈ મુખ્યમંત્રી એ કહ્યું, મને કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના કેટલાક લોકોએ આ અંગેનું સાહિત્ય સાચવ્યું છે. તે અમને આપજાે અમે તેના પર પુસ્તક બનાવી પ્રકાશિત કરીશું. તેમજ ઉચિત સન્માન પણ કરીશું. તામિલનાડુમાં રાજ્યના પ્રવાસન અને ઉદ્યોગ વિભાગ દ્વારા પણ વિશેષ કાર્યક્રમો યોજાશે. દેશમાં જ્યારે મોગ્લોનું સામ્રાજ્ય હતું. તે સમયે સૌરાષ્ટ્રમાંથી હજારો લોકો પલાયન કરી દક્ષિણ ભારતમાં વસ્યા હતા. જેના કારણે આજે ભારત સરકાર દ્વારા વિસ્થાપિત થયેલા આ તમિલ સૌરાષ્ટ્ર વાસીયો ફરી સૌરાષ્ટ્રમાં આવે અને ગુજરાતીઓ સાથે લાગણીઓ, સંસ્કૃતિ, રિવાજાેનું આદન પ્રદાન થાય તેમજ ભારતના દરેક નાગરિકો એકબીજા સાથે જાેડાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ ખાતે દસ દિવસીય સૌરાષ્ટ્ર તામિલ સંગલ કાર્યકમનું આયોજન કર્યું છે. જેમાં ટ્રેન મારફતે ૩૦૦થી વધુ તમિલ સોરાષ્ટ્રિયન લોકો અહીંના મહેમાન બન્યા છે અને ગુજરાતીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક સાંસ્કૃતિક સંબંધોને ભવ્ય રીતે ઉજાગર અને વધુ મજબૂત કરવા સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં યોજાઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં સહભાગી થવા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. આ નિમિત્તે ઉદ્ઘાટન અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, તેલંગાણા તેમજ પૂડુચેરીના ગવર્નર તમિલીસાઈ સોંદરરાજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરમાં આ દર્શન મુલાકાત પ્રસંગે નવસારી સાંસદ સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, જિલ્લા કલેકટર, સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, ટ્રસ્ટી પી.કે.લહેરી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આગામી ૨૬ એપ્રિલે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યકમમાં ભાગ લેશે.વધુ વાંચો -
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 2816 comments
- 974 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
ઉના અને નવાબંદર મરીન પોલીસે ૪૯ લાખના દારૂનો નાશ કર્યો
- 05, માર્ચ 2023 01:30 AM
- 3466 comments
- 3287 Views
ઉના અને નવાબંદર મરીન પોલીસે છેલ્લા એક વર્ષમાં ઝડપી પાડેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ત્યાંના અધિકારીની હાજરીમાં કરવામાં આવી હતી. ઉના ગીરગઢડા રોડ પર આવેલ ફેક્ટરી ગ્રાઉન્ડમાં દારૂના જથ્થા પર રોલર મશીન ફેરવી તમામ દારૂની બોટલોનો નાશ કરવામાં આવી હતી. ઉના પોલીસ દ્વારા ૩૦૦૩૭ બોટલ નંગ દારૂ પકડવામાં આવ્યો હતો. જેની કિંમત રૂ. ૪૪ લાખ ૩૫ હજાર ૧૧૬ હતી. જ્યારે નવાબંદર મરીન પોલીસે છેલ્લા એક વર્ષમાં ૪૭૭૧ બોટલ નંગ દારૂ ઝડપી પાડ્યો હતો. જેની કિંમત રૂ. ૪ લાખ ૬૭ હજાર ૨૦ છે. કુલ મળીને ૪૯ લાખ ૨ હજાર ૧૩૬ ના દારૂના જથ્થા પર રોલર મશીન ફેરવવામાં આવ્યું હતું. આ દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો.નારી ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બેને પોલીસે દબોચી લીધાં ભાવનગર ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગત રાત્રીના રોજ પેટ્રોલીંગ દરમિયાન નારી ચોકડી પાસેથી રાજસ્થાનથી ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં લઈ જવાતો પરપ્રાંતિય ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે આ દારૂની ખેપ લઈને આવી રહેલા ખેપીયાને તથા ડિલિવરી લેવા આવેલા બુટલેગરને પોલીસે ઝડપી લીધા હતા અને સાત બુટલેગરો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વરતેજ પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ નારી ચોકડી પાસે પેટ્રોલીંગમા હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ધોલેરા તરફથી આવી રહેલા એક ટ્રકમાં પરપ્રાંતિય દારૂનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો છે જે હકીકત આધારે ટીમ વોચમા હતી. ત્યારે બાતમીદારોએ કહેલ તે ટ્રક પસાર થતાં તેને અટકાવતા ડ્રાઈવર સીટની બાજુમાં બેસેલ શખ્સ નીચે ઉતરી ફરાર થઈ ગયો હતો. જાેકે, ડ્રાઈવર સહિત બે શખ્સો કેબીનમાંથી મળી આવ્યાં હતા. ચાલક તથા અન્ય શખ્સની પ્રાથમિક પુછપરછ સાથે ટ્રકની તલાશી લેતાં ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં પરપ્રાંતિય દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂના જથ્થા અંગે ડ્રાઈવર તથા સાથે રહેલ શખ્સ પાસે દસ્તાવેજ-પરમિટ માંગતા બંને શખ્સો યોગ્ય ખુલાસો ન કરી શકતા બંને શખ્સોને ટ્રક, ચોખા દારૂ સહિતના મુદ્દામાલ સાથે પોલીસ મથકે લાવી પુછતાછ હાથ ધરતા ઝડપાયેલ શખ્સોએ પોતાના નામ-સરનામાં સાથે આ શરાબનો જથ્થો મંગાવનાર બુટલેગરો સહિતની કબૂલાત આપી હતી.વધુ વાંચો -
શિવાલયોમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજ્યો
- 19, ફેબ્રુઆરી 2023 01:30 AM
- 4479 comments
- 261 Views
સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ધ્વજા પૂજન કરી અને શિવરાત્રિ મહોત્સવનો મંગલ પ્રારંભ કરાયો હતો. આજે સોમનાથ તીર્થમાં સમગ્ર દેશભરમાંથી તેમજ અનેક ભાવિકો વિદેશોમાંથી પણ સોમનાથ પહોંચ્યા હતા. સવારે ચાર વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી ભાવિક હાથમાં બીલીપત્ર અને પુષ્પો લઈ લાંબી કટારોમાં ઊભા હતા અને ક્યારેય ભગવાન સોમનાથ મહાદેવના દર્શન થાય તેની રાહમાં હતા. સમગ્ર સોમનાથ તીર્થ આજે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી રહ્યું છે. ગીર સોમનાથમાં મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યું હતું. તો સોમનાથ મંદિરને વિવિધ રંગબેરંગી ફૂલોના દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યું છે. વહેલી સવારે સોમનાથ દાદાના મંદિરમાં આરતીનો લાભ લેવા ભાવિકો દર્શને મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. મંદિરમાં ભક્તોની લાંબી કતાર સાથે ભારે ભીડ જાેવા મળી હતી. તો આજે સોમનાથ મંદિરે અનેકવિધ અગ્રણીઓ સાધુ સંતો તેમજ લાખોની માત્રામાં ભાવિક ભક્તો પણ સોમનાથમાં ઉમટશે. આમ સતત ૪૨ કલાક સુધી સોમનાથ તીર્થ હરણના નાદથી ગુંજતું રહેશે.મુકેશ અંબાણી અને પુત્ર આકાશ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ ના દર્શન કર્યા મહાશિવરાત્રીના પાવન પર્વ પર મુકેશ અંબાણી તેમજ પુત્ર આકાશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને કર્યા હતા. સાથે તેઓએ જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા ના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો. તેમજ મુકેશ અંબાણી દ્વારા સોમનાથ ટ્રસ્ટને ૧.૫૧ કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાની ઉજવણી ભવનાથ મહાદેવ મંદિર એક પ્રાચીન મહાદેવનું મંદિર છે. ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું, તે ગુજરાતના સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક છે અને જૂનાગઢમાં શ્રદ્ધાળુઓ નું આસ્થાનું કેન્દ્ર છે .માત્ર શિવરાત્રી પર જ નહિ પરંતુ ૩૬૫ દિવસ આ મંદિરમાં ભક્તો ભવનાથ મહાદેવના દર્શને આવી ધન્યતા અનુભવે છે ત્યારે શિવરાત્રી ના મેળો હાલ જામ્યો છે ત્યારે લોકો બહોળી સંખ્યા માં મહાદેવના દર્શને ઉમટી પડ્યા હતા હર હર મહાદેવના નાથ સાથે અલગ અલગ અખાડાના રથો બેન્ડ,વાજા, ઢોલ,શરણાઈના સૂર ભક્તિભાવ સાથે નીકળશે ત્યારે લાખોના અવિરત પ્રવાહ થી યોજાતા શિવરાત્રી મેળામાં હર હર મહાદેવના નાથ સાથે આખરી કલાકો તરફ જઈ રહ્યું છે .ત્યારે વહીવટી તંત્ર પોલીસ તંત્ર પણ રવેડી ને લઇ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેળાને આખરી ઉપ આપી રહ્યા છે. જામનગરના શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે. ત્યારે આજે મહાશિવરાત્રિના પાવનકારી પર્વને લઈને ભોળાનાથને રીઝવવા માટે શિવભક્તો જુદા જુદા શિવ મંદિરોમાં ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવના નાદ સાથે રુદ્ર અભિષેક, જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી હતી. ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો. છોટી કાશીનું બિરુદ પામેલા જામનગર શહેરમાં અનેક પુરાણા પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર ભીડભંજન મહાદેવ મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ઓમકાલેશ્વર મહાદેવ વેદનાથ મહાદેવ, નર્મેશ્વર મહાદેવ, ગૌરીશંકર મહાદેવ સહિતના અનેક શિવાલયોમાં આજે મહાશિવરાત્રિના પાવનકારી પર્વને લઈને શિવ ભક્તો દર્શન માટે લાંબી કતારો લગાવી હતી અને શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરી હતી તેમજ સમગ્ર શહેરમાં શિવમય વાતાવરણ પર જાેવા મળ્યું હતું. પંચેશ્વર ટાવર સિધ્ધનાથ મહાદેવ મંદિરના દ્વારે ભગવાન શિવજીના મહાપ્રસાદ એવા ભાંગના વિતરણ માટેના કેન્દ્રો પણ ઊભા થયા હતા ત્યાં ભક્તો ભાવિકો કે પ્રસાદ લેવા માટે કતારો લાગી હતી. જામનગર શહેરમાં પ્રતિવર્ષ શિવરાત્રીના પાવનકારી પર્વને લઈને શોભા યાત્રા નીકળે છે જે પરંપરા મુજબ આ વખતે પણ ૪૨મી શોભા યાત્રા સાંજે યોજાશે. ભુજમાં શિવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી વિશાળ શોભાયાત્રાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું ભગવાન ભોળાનાથના પર્વ મહા શિવરાત્રિની સમગ્ર કચ્છમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ભાવિકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ભુજ શહેરમાં સમસ્ત સનાતન હિન્દૂ સમાજ દ્વારા આ પ્રસંગે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ટ્રેકટર, ટ્રેલર અને જીપ સહિતના ૩૦થી વધુ વાહનો શણગાર સાથે જાેડાયા હતા. જેમાં ભક્તો ધાર્મિક ગિતો પર ઝૂમતા જાેવા મળ્યા હતા. તો મોટેરા સાથે નાના બાળકો પણ શીવમગ્ન બન્યા હતા. બાળ શંકર બનેલા શિવજી સાથે લોકોએ સેલ્ફી લેવાનો આંનદ માણ્યો હતો. શહેરના પારેશ્વર ચોકથી પ્રસ્થાન પામેલી શૉભાયાત્રા જ્યુબિલિ સર્કલ થઈ ધીંગેશ્વર મહાદેવ મંદિરે સમાપન થઈ હતી. આ પ્રસંગે રામ મંદિર સામે હમીસર તળાવ કિનારે આયોજિત જમણવારનો અંદાજિત ૧૫ હજાર લોકોએ લાભ લીધો હતો. બીજી તરફ હાટકેશ્વર મંદિર , ધીંગેશ્વર મંદિર સહિતના શિવમંદિરોમાં શિવલિંગના દર્શન માટે ભાવિક ભક્તોની કતારો જાેવા મળી હતી. આજે શિવરાત્રિના મહા પર્વે સમગ્ર કચ્છના શિવ મંદિરો હર હર ભોલેના નાદથી ગાજી ઉઠ્યા હતા. ઢોલ-નગારાના તાલે મહાદેવની શોભાયાત્રામાં કાઠિયાવાડી પરિધાનમાં યુવાનોએ ગરબાની રમઝટ બોલાવી આજે મહાશિવરાત્રિ છે, ત્યારે રાજકોટ જિલ્લાના સૌથી મોટા મહાદેવ મંદિર ઘેલા સોમનાથમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ ઘેલા સોમનાથ દાદાના દર્શન કરવા ભાવિકો ઉમટી રહ્યા છે. તેમજ દર્શન માટે મંદિરમાં ભાવિકોની લાંબી લાઈન જાેવા મળી રહી છે. ઢોલ-નગારાના તાલે ઘેલા સોમનાથ દાદાની શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં યુવાનોએ કાઠિયાવાડી પરિધાનમાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. મહાસતી મીનળદેવી દ્વારા ૧૫મી સદીને સ્થાપિત પવિત્ર ઘેલા નદીના કિનારે આવેલ અને ભારતની બાર જ્યોતિર્લિંગ જેટલું જ મહત્વ ધરાવતી ઘેલાસોમનાથ મહાદેવની સુપ્રસિદ્ધ શિવલિંગનું અનેરૂ મહત્વ છે. આજે સવારના ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. તેમજ ઘેલાસોમનાથ દાદાના ભક્તોને સવારના છથી સવારના ૧૦ કલાક સુધી રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘેલા સોમનાથની નજીક આવેલ સોમપીપળીયા ગામથી ભગવાનની શોભાયાત્રા યોજાઈ હતી. રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રામાં સામાજિક, રાજકીય અને રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા. તેમજ બપોરના ૧૨ઃ૩૦ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. ભાવનગરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું દેવોનાં દેવ મહાદેવને પ્રસન્ન કરવાના પર્વ મહાશિવરાત્રિની આજે સમગ્ર ગોહિલવાડમાં ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રિ અન્વયે શહેર-જિલ્લામાં આવેલા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. ભાવેણાનું આસ્થાનું પ્રતિક એવું મંદિર એટલે ‘તખ્તેશ્વર મહાદેવ’. આ મંદિર ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર છે. જે સંપૂર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવવામાં આવેલું છે. આજે મહાશિવરાત્રિ નિમિતે આ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભાવનગર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં આવેલા શિવ વિહાર ટ્રસ્ટના ભગવાનેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રિ નિમિતે ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી, જ્યાં ભક્તોએ મહાદેવની દુધના અભિષેક સાથે પૂજા કરી હતી. ઉપરાંત આજે પ્રસાદી રૂપે દરેક શિવાલયોમાં ભાંગની પ્રસાદી પણ આપવામાં આવી હતી. મહાશિવરાત્રિ પર્વની ભાવનગર શહેર-જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે, શિવ ભક્તો વહેલી સવારથી મોડી રાત સુધી શિવાલયોમાં ભીડ જમાવી મહાદેવની પૂજા અર્ચના કરશે. ભોળાનાથને પ્રિય ભાંગનો પ્રસાદ ચડાવાશે. સાથે જ અલગ અલગ પદાર્થોનો અભિષેક કરી સુરક્ષાની કામનાઓ કરાશે. શહેરમાં આવેલા પ્રાચિન શિવાલયો જેમાં જશોનાથ મહાદેવ, તખ્તેશ્ર્વર મહાદેવ, ગંગનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં શિવભક્તોનો મેળો જામશે. શહેરમાં આવેલા શિવ મંદિરોને સુંદર શણગાર તથા રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યાં છે. ઉપરાંત જિલ્લાના ઐતિહાસિક મહત્વ ધરાવતા નિષ્કલંક, ગોપનાથ, સિહોર ગૌવતમેશ્ર્વર સહિતના શિવાલયમાં ભક્તો ઉમટી પડવાની પુરેપુરી શક્યતા જાેવાઈ રહી છે. શ્રધ્ધાળુઓ આજે ઉપવાસ રાખી ફળાહારમાં શક્કરીયા, સામો, રાજગરો, બટેટા, સાબુદાણા તથા ફળફળાદિ આરોગી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે. અનેક શિવાલયોમાં હોમાત્મક લઘુરૂદ્ર, સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજના દિવસે શિવજીની ત્રણ પ્રહરની મહાપૂજાનું વિશેષ મહાત્મ્ય શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. આથી આધિ-વ્યાધિ, ઉપાધિમાંથી અને સાંસારિક વિટંબણાઓમાંથી મુક્ત થવા જીવ શિવના શરણે જશે. ભોળાનાથના દર્શન માટે ભક્તો ઊમટ્યાં દેવાધિદેવ મહાદેવની આરાધનાના પર્વ મહાશિવરાત્રિની આજે શહેરભરનાં શિવાલયોમાં ભાવ, ભક્તિ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં શિવાલયોએ આજે અનેરો શણગાર સર્જ્યો હતો તેમજ પરોઢથી ચાર પ્રહરની પૂજા-વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો. લઘુરૂદ્ર યજ્ઞ, રૂદ્રાભિષેક, રૂદ્રી પાઠ, શિવમહિમ્ન શ્રોત, શિવશૃંગાર, મધ્યાહ્ન તથા સંધ્યાકાળે મહાઆરતી, બપોરના સમયે બટુકભોજન, ફરાળી પ્રસાદ વિતરણ, ભાંગ વિતરણ અને ચાર પ્રહરની પૂજા સાથે શહેરના પ્રત્યેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગૂંજી ઊઠ્યા હતા. મહાશિવરાત્રિ નિમિત્તે પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ, કોઠી કમ્પાઉન્ડમાં આવેલા કોટેશ્વર મહાદેવ, એરપોર્ટ ફાટક પાસેના મહાકાલેશ્વર મહાદેવ, કાશી-વિશ્વનાથ મહાદેવ, જંકશન પ્લોટમાં ગીતા વિદ્યાલય, રણછોડદાસ બાપુ આશ્રમ સહિત સર્વત્ર ભક્તોની ભીડ ઊમટી હતી. આજી નદીના મધ્યમાં બિરાજતા રામનાથ મહાદેવને મનાવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોય એ પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. સવારે અભિષેક, પૂજન, મહાઆરતી, ભાંગ વિતરણ તથા પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મહંત કપિલગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું. ભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ પર દૂધ, દહીં, ઘી, ગંગાજળ, નાગકેસર સહિતનાં દૃવ્યોથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરી રહ્યા છે.વધુ વાંચો -
ભાવનગર-સોમનાથ હાઈવેની નેશનલ એવોર્ડ વિજેતા તસવીર
- 22, જાન્યુઆરી 2023 01:30 AM
- 4684 comments
- 9199 Views
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા-દિલ્હી દ્વારા ભારતના નેશનલ હાઈવેની ડિજિટલ ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં “કેમેરાની આંખે નેશનલ હાઈવે”નું આયોજન કરવામાં આવેલ. જેમાં ભાવનગરના ધવલ અમૂલ પરમારને ભાવનગર- સોમનાથ હાઈવેના ફોટોગ્રાફ્સને રૂપિયા ૧૦,૦૦૦નું ઇનામ મળેલ છે.વધુ વાંચો -
સોમનાથ બાયપાસ હાઈવે પર કારને ટ્રકે અડફેટે લીધી કારચાલકનો બચાવ
- 20, જાન્યુઆરી 2023 01:30 AM
- 8853 comments
- 9632 Views
વેરાવળ, વેરાવળ-સોમનાથ બાયપાસ હાઈવે ઉપર પુરપાટ આવતા ટ્રકે આગળ જઈ રહેલી બ્રેઝા કારને અડફેટે લઈ બુકડો બોલાવી દીધો હતો. આ કાર ચલાવી રહેલા વિસાવદરના વેપારીને ફ્રેકચરની ગંભીર ઈજાઓ પહોંચતા સીવીલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જાેકે ઘટનાસ્થળે ટ્રક અને બ્રીજની દિવાલ વચ્ચે બુકડો બોલી ગયેલી બ્રીઝા કારના દૃશ્યો નિહાળી સૌ કોઈ અકસ્માત કારમાં સવાર લોકોનું મૃત્યુ થયું હોવાનો અંદાજ લગાવી રહ્યાં હતા, પરંતુ રામ રાખે તેને કોણ ચાખે તે કહેવતને સાર્થક કરતા આ અકસ્માતમાં સદનસીબે વેપારીનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત અંગે પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ચારેક વાગ્યા આસપાસ લગ્ન પ્રસંગ પતાવીને વિસાવદરના વેપારી શ્યામદાસ મથુરાદાસ ચોટાઈ પોતાની મારૂતિ બ્રેઝા કારમાં પરત ઘર તરફ જઈ રહ્યાં હતા. ત્યારે સોમનાથ બાયપાસ હાઈવે પર હોટલ એસ્ટોરિયા સામે બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી તે સમયે પાછળથી પુરપાટ આવતા ટ્રકે વેપારીની કારને પાછળથી જાેરદાર ટક્કર મારી અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેના પગલે રાહદારીઓ એકત્ર થવા લાગતા ટ્રકનો ચાલક ટ્રક રેઢો મુકી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ટ્રકે બ્રેઝા કારને પાછળથી અડફેટે લીધી હોવાથી બ્રીજની દિવાલ અને ટ્રકની વચ્ચે કાર સેન્ડવીચની માફક ફસાઈ જતા બુકડો બોલી ગયો હતો. આ સમયે કાર ચલાવી રહેલા વેપારી શ્યામદાસ ચોટાઈ પણ ફસાયેલા હોય જેઓને રાહદારી લોકોએ બહાર કાઢીને સારવાર અર્થે સીવીલ હોસ્પીટલએ લઈ ગયા હતા.વધુ વાંચો -
ગર્લફ્રેન્ડનું સપનું પૂરું કરવા ‘ઓસ્ટ્રેલિયન વરરાજા’ ગીર સોમનાથ આવ્યા, ગરબે ઘૂમ્યો વિદેશી પરિવાર
- 17, જાન્યુઆરી 2023 11:17 PM
- 6331 comments
- 3724 Views
ગીરસોમનાથ,તા.૧૭વિશ્વમાં પ્રખ્યાત સાસણ ગીરના રિસોર્ટમાં હિન્દુ રીતિરિવાજ મુજબ મૂળ ગુજરાતી દ્ગઇૈં દીકરીના ઓસ્ટ્રેલિયન યુવક સાથે અનોખા લગ્ન થયાં હતાં. નવદંપતી બંને ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ હોવા છતાં દુલ્હનના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા અર્થે બંને પરિવારો સાત સમંદર પાર કરી સાસણ ગીરમાં લગ્ન કરવા અર્થે આવ્યા હતા. આ લગ્ન સમારોહમાં ઓસ્ટ્રેલિયન દુલ્હો ઘોડા પર ચડવાની સાથે રાસે રમ્યો, પીઠી ચોળાવવાની સાથે રંગેચંગે સાત ફેરા ફરીને લગ્નગ્રંથિના બંધનમાં જાેડાયો હતો. હિન્દુ સંસ્કૃતિમાં લગ્નના બંધનને પવિત્ર ગણવાની સાથે ઉત્સાહથી પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મૂળ ગુજરાતી એવા જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામના રહીશ દિગેનભાઈ નાગર કે જેઓ પરિવાર સાથે ઘણાં વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે. ત્યારે દિગેનભાઈની પુત્રી કે જેનું નામ “નમી” છે તેનું સગપણ ઓસ્ટ્રેલિયાના યુવક “ટોબન” સાથે નક્કી થતાં બંને પરિવારોમાં સગાઈની ખુશી હતી. સગપણ બાદ દીકરીના પિતા દિગેનભાઈ નાગરે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે, અમે મૂળ ગુજરાતી છીએ. આ પ્રસંગને લઈ રીતિરિવાજ મુજબ દીકરીના પરિવાર દ્વારા ઓસ્ટ્રેલિયન વરરાજાનાં પરિવારજનોને કંકોત્રી લખી જાન લઈને આવવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને લઈ તા.૧૪મી જાન્યુઆરીના રોજ સાત સમંદર પારથી પરણવા માટે ઓસ્ટ્રેલિયન વરરાજા સહિત ૨૦ જેટલાં તેનાં પરિવારજનો મહેમાનો સાથેની જાન લઈને સાસણ ગીરમાં આવેલા રિસોર્ટમાં આવી પહોંચ્યા હતા. ત્યારે અહીં તમામનું હિન્દુ સંસ્કૃતિની અતિથિ દેવો ભવઃની ભાવનાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.ઓસ્ટ્રેલિયાથી આવેલી જાનના જાનૈયાઓ જેઓ ગુજરાતી ભાષા અને હિન્દુ લગ્નવિધિ જાણતા કે સમજતા ન હતા, પરંતુ બે દિવસ સુધી ચાલેલા લગ્ન પ્રસંગના તમામ સમારોહમાં ઉત્સાહભેર દીકરીનાં પરિવારજનોની માફક જ રીતિરિવાજ પરંપરાને જરૂર અનુસર્યા હતાં.વધુ વાંચો -
સિંહ પરિવાર લટાર મારતા હોવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ
- 11, ડિસેમ્બર 2022 01:30 AM
- 3443 comments
- 8651 Views
દ્રોણેશ્વર નજીક એક સાથે પાંચ સિંહ પરિવાર મોડી રાત્રિના સમયે ખોડલ ફાર્મની બહારના ભાગે આવેલા રસ્તા ઉપરથી એક પછી એક પસાર થઈ રહ્યાં હતા. ત્યારે આ સિંહ પરિવાર લટાર મારતા હોવાની સમગ્ર ઘટના ફાર્મ બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જાેકે ગીર નજીક આ વિસ્તાર આવેલો હોય જેથી અવાર નવાર શિકારની શોધમાં આવી ચડતા હોય છે અને ગામની સીમ વિસ્તારમાં જઈ પશુના મારણ કરી મિજબાની માણી વહેલી સવારે ચાલ્યાં જતાં હોય છે.વધુ વાંચો -
ડોળાસા પ્રા. આરોગ્ય કેન્દ્રમાં લાખોની દવા કચરામાં
- 11, ડિસેમ્બર 2022 01:30 AM
- 1072 comments
- 9183 Views
ગીરસોમનાથ, સરકારી તંત્રની નિંભરતાનું એક વરવુ ઉદાહરણ સામે આવ્યું છે જેને કારણે સરકારમાં બધુ લોલમલોલ ચાલે છે તેની લોકોને પ્રતિતી થઇ રહી છે. ગીરસોમનાથ જીલ્લાનું આરોગ્ય તંત્ર કેટલું નઘરોળ છે તેનું ડોળાસામાંથી ઉદાહરણ મળ્યુ છે. અહીં લાખો રૂપિયાની મોંઘીદાટ દવાઓ એક્સાપયર થઇ ગઇ છે. જ્યારે લોકોને દવા માટે વલખાં મારવા પડે છેત્યાં ડોળાસામાં શરદી, ખાંસી ,તાવ સહિતની દવાઓની તારીખ જતી રહેતા હવે તેને ફેંકવા સિવાય કોઇ ઓવારો નથી. ત્યારે સમગ્ર ઘટના એવી છે કે કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બે વર્ષ પૂર્વે સાડા ત્રણ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરી કાર્યરત કર્યું છે, પરંતુ આ સીએચસીમાં સુવિધાના નામે મીડું છે. જે અંગેની આજે રજૂઆત કરવા ગામના આગેવાનો ગયા હતા. તે સમયે કેન્દ્રના ઉપરના ભાગે તપાસ કરતા પાંચ રૂમમાં મુદત વિતી ગયેલી દવાઓનો બહુ મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવવા આવતા દર્દીઓને નિઃશુલ્ક આપવાની થતી સરકારી દવાઓ આપવામાં આવી જ ન હોવાનો સવાલ આગેવાનોએ ઉઠાવ્યો હતો. ડોળાસાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલીક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી તેની જાણકારી મેળવવા અર્થે માજી સરપંચ જેઠા મોરી, પંચાયતના સદસ્ય કાદુ ડોડીયા, કિશન સંઘના અગ્રણી વિજય પરમાર સહિતના કેન્દ્રએ ગયા હતા. જ્યાં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સાથે કેન્દ્રના ઉપરના ભાગે નિરીક્ષણ અર્થે ગયા હતા. જ્યાં બંધ રૂમોમાં તપાસ કરતા જે નજારો જાેવા મળ્યો તે નિહાળીને સૌની આંખો પહોળી થઈ ગઈ હતી. કેન્દ્રના ઉપરના માળના પાંચ રૂમમાં દવાઓનો મોટો જથ્થો પડ્યો હતો. જેની બારીકાઇથી તપાસ કરતા જાેવા મળ્યું હતું કે, આ તમામ દવાઓની મુદત વિતી ગયેલી જાેવા મળી હતી. એક્સપાયરી થયેલી દવાઓનો જથ્થો લાખોની હોવાનું આગેવાનોએ જણાવ્યું હતુ. તંત્રની બેદરકારીના કારણે ગરીબ અને મધ્યમ દર્દીઓને આપવાની થતી દવાઓ આપ્યા વગર જ પડતર રહી છે. સરકારે માનવ કલ્યાણ અર્થે દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાંથી જ કિંમતી દવાઓ મફત મળી રહે તે માટે જરૂરીયાત મુજબની દવાઓનો જથ્થો ફાળવણી કરતી હોય છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, ડોળાસાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આટલો મોટો દવાનો જથ્થા ઉપયોગ વગર કેમ પડ્યો રહ્યો ? આના માટે કોણ જવાબદાર છે ? તેવા સવાલો આગેવાનોએ ઉઠાવી તપાસ કરવા માંગણી કરી હતી. આ મામલો સામે આવતા ચકચાર પ્રસરી ગઈ છે. જ્યારે આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રોયનો સંપર્ક કરતા તેઓ ડોળાસા આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી દવાનો મોટો જથ્થો હોવા અંગે અજાણ હોવાનું જણાવ્યું હતુ. આ મામલે તેઓ તપાસ કરાવશે ત્યાર બાદ જ કઈ કહી શકીશ તેમ જણાવ્યું હતુ.જ્યારે ગામમાં દવાઓની બૂમો પડવા માંડી ત્યારે ગામલોકોને શંકા ગઇ હતી જેને કારણે ગામના જાગૃત લોકોએ આરોગ્ય કેન્દ્રની તપાસ કરી હતી જેને કારણે ભોંડો ફટ્યો હતો. જાે ગામલોકોને શઁકા ન જાત અને તેમણે તપાસ ન કરી હોતતો હજુ આ ભાંડો ફૂટ્યો ન હોત.આ ડોળાસાનું ઉદાહરણ છે ત્યારે આવી કેટલાંય ગામડાઓના સરકારી દવાખાનાઓમાં આવી હાલત હશે તેવી કલ્પના જ કરવી રહી. રાજ્યનું આરોગ્ય તંત્ર સબસલામતી ઘૂણી ઘખાવે છેત્યારે ડોળાસાના ઉદાહરણ પરથી ધડો લઇને અન્ય આવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,પેટા આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવશે કે નહીં તે સવા લાખનો સવાલ ઉભો થાય છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર અગાઉ પીએમ મોદીના જય સોમનાથ
- 21, નવેમ્બર 2022 01:30 AM
- 4800 comments
- 9143 Views
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી એક એવા સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે પહોંચી ભગવાન ભોલેનાથની પૂર્ણ ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરી હતી. તેમણે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અભિષેક કર્યો હતો. તેમજ પૂજા અર્ચનાામાં લીન થયા હતા. તેમણે ભગવાન ભોલાનાથ પાસે ગુજરાતમાં શાંતિ સમૃદ્ધિ અને વિકાસની યાચના કરી હતી. તેઓ હવાઈ માર્ગે ઉતર્યા હતા. જ્યાં સોમનાથ મંદિર ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં અનેક લોકો નરેન્દ્ર મોદીની રાહ જાેઈને ઉભા હતા. આ તમામ લોકોનું નરેન્દ્ર મોદીએ હાથ ઉંચા કરીને અભિવાન કર્યું હતું. ત્યારબાદ તેમણે સૌરાષ્ટ્ર ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો હતો.વધુ વાંચો -
કોડીનારના આલીદર ગામે વીજ કરંટ લાગતા સિંહણનું મોત થયું
- 17, નવેમ્બર 2022 01:30 AM
- 874 comments
- 3756 Views
ગીર સોમનાથ, ગીર સોમનાથના કોડીનારના આલીદર ગામે વીજ કરંટ લાગતા સિંહણનું મોત થયુ હતું. વીજ ટ્રાન્સફોર્મર માંથી ગેરકાયદે લાંબી વીજલાઈન ખેંચીને પાવર ચોરી કરતા વાયરને અડી જતાં સિંહણનું મોત થયુ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું. રાત્રી દરમ્યાન સિંહણ ને વિજકંરટ લાગતા મોત થયુહોવાનું પ્રાથમિક તપાસમા ખુલ્યુ હતું. મૃતક સિંહણના અગ્નિ સંસ્કાર કરી નાખી સમગ્ર બનાવ ઉપર ઢાંકપિછી કરવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ લગાવાઇ રહ્યો છે. આ સમગ્ર મામલે વન વિભાગે સઘન તપાસ કરી શરૂ કરી તપાસ શરુ કરી હતી. જેને કારણે ગામમાં પણ સોંપો પડી ગયો હતો. સિંહણના મોતના પગલે હવે વન વિભાગ તલસ્પર્શી તપાસ કરી રહ્યું છે જેને કારણે આવુ કૃત્ય કરનારાઓમા ફફડાટ ફેલાઇ ગયો હતો. વન વિભાગે અને ડોગ સ્કોડ અને એફ.એસ.એલ.ની લીધી મદદ હતી.વધુ વાંચો -
૫૧૦૦૦ રુદ્રાક્ષથી આદિ જ્યોતિર્લિંગ દેવાધિદેવને રુદ્રાક્ષનો શૃંગાર
- 23, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 9385 comments
- 2952 Views
૫૧૦૦૦ રુદ્રાક્ષથી આદિ જ્યોતિર્લિંગ દેવાધિદેવને રુદ્રાક્ષનો શૃંગાર કહેવાય છે કે ભગવાન શિવને રુદ્રાક્ષ અતિ પ્રિય છે, રૂદ્રાક્ષની ઉત્પત્તિ ની વાર્તા પણ ખુબ રોચક છે, એક સમયે ભગવાન શિવે હજાર વર્ષ સુધી સમાધિ લીધી હતી. સમાધિમાંથી જાગીને જ્યારે તેમનું મન બહારની દુનિયામાં આવ્યું, ત્યારે જગતના કલ્યાણ ની ઈચ્છા ધરાવતા મહાદેવ આંખો બંધ કરી દીધી. ત્યારે તેની આંખમાંથી પાણી નું ટીપુ પૃથ્વી પર પડ્યું. તેમાંથી રુદ્રાક્ષના વૃક્ષ નો જન્મ થયો અને તે શિવની ઈચ્છાથી ભક્તોના લાભાર્થે આખા દેશમાં ફેલાઈ ગયા. તે વૃક્ષો પર જે ફળ આવે છે તે રુદ્રાક્ષ છે.જે પાપોનો નાશ કરનાર, પુણ્ય કરનાર, રોગનો નાશ કરનાર, સિદ્ધિકાર અને મોક્ષનો ઉપભોગ કરનાર છે. રુદ્રાક્ષ ફળદાયી છે, જે અષ્ટિને દૂર કરીને શાંતિ આપનાર છે. આજે ૫૧૦૦૦ થી વધુ રુદ્રાક્ષ થી આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથજીને વિશેષ શૃંગારીત કરવામાં આવેલ હતા.વધુ વાંચો -
સોમનાથ મંદિરના પરિસરમાં તિરંગાના ત્રિપુંડ
- 15, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 3087 comments
- 9436 Views
સમગ્ર દેશની સાથે સાથે સૌરાષ્ટ્રભરના તીર્થસ્થાનો, પર્યટન સ્થળો તિરંગાના રંગે રંગાઈ ગયા છે. ત્યારે કચ્છના ઐતિહાસિક કાળા ડુંગર પર વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. લાંબી આ તિરંગા યાત્રામાં અનેક લોકો જાેડાયા હતા. એમ લાગતું હતું કે, કચ્છનો આ ડુંગર જાણે તિરંગાથી સજી ઉઠ્યો છે. બીજી તરફ દ્વાદશ જ્યોર્તિલિંગનું એક સોમનાથ તીર્થ સ્થાન પણ તિરંગામાં ફેરવાઈ ગયું છે. તિરંગાની લાઈટીંગ સાથે આ મંદિર શોભી ઉઠ્યું હતું. સોમનાથ મંદિરના પરિસરમાં તિરંગાના ત્રિપુંડ કપાળ ઉપર કરવામાં આવી રહ્યા હતા. સોમનાથના દર્શને આવી રહેલા હજારો યાત્રાળુઓ પણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. સોમનાથનો નજારો અકલ્પનીય અને અદુભુત હતો.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતૂર
- 14, જુલાઈ 2022 01:30 AM
- 1335 comments
- 9117 Views
ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના અને ગીર જંગલ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ઠંડા પવન સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જે સવારથી પણ ધીમી ધારે વરસી રહ્યો છે. જિલ્લામાં રાત્રિથી લઈ સવાર સુધીમાં સૌથી વધુ ગીર-ગઢડામાં ૫ ઈંચ તથા બાકીના પાંચેય તાલુકામાં સરેરાશ ૨થી ૩ ઈંચ વરસાદ વરસી ગયો છે. આજના ભારે વરસાદને પગલે ગીર-ગઢડાની રૂપેણ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતાં ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જાેડતા અનેક રસ્તાઓ અને પુલો પર પૂરના પાણી ફરી વળેલા નજરે પડ્યા છે. તો જિલ્લાના ડેમોમાં પણ ધીમી ધારે નવા નીરની આવક જાેવા મળી રહી છે. ગઈકાલથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવવાની સાથે ઘટાટોપ વાદળો બંધાયાં બાદ છએય તાલુકાઓમાં ક્રમશઃ વારાફરતી ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ થયો હતો. આખી રાત દરમિયાન ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ અવિરત વરસ્યા બાદ સવારથી પણ સૂર્ય નારાયણની ગેરહાજરી વચ્ચે મેઘાવી માહોલમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગતરાત્રિના ધીમી ધારે વરસ્યા બાદ વહેલી સવારના પાંચેક વાગ્યાથી ગીર-ગઢડા શહેર-પંથકમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જેમાં રાત્રિના એકાદ ઈંચ બાદ સવારે ચાર કલાકમાં વધુ ૪ ઈંચ વરસાદ ખાબકી જતાં પંથકમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના પગલે ગીર-ગઢડા પંથકની નાની-મોટી તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હોય એમ બર કાંઠે વહેતી જાેવા મળતી હતી. પંથકની મછુન્દ્રી, સાંગવાડી, સાહી અને રૂપેણ જેવી મુખ્ય નદીઓમાં ઘોડાપૂર આવેલું નજરે પડતું હતું. આ નદીઓમાં આવેલા પૂરના પાણી પંથકના ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જાેડતા માર્ગો અને તેના પુલો પર ફરી વળતાં વાહનવ્યવહાર અમુક સમય માટે બાધિત થયો હતો, જેમાં ગીર-ગઢડાથી હરમડિયા અને ઘોકડવાને જાેડતા બન્ને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં બેએક કલાક સુધી વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ માર્ગે પર ઠેરઠેર ધસમસતા વરસાદી પાણી વહેતા જાેવા મળી રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને હવામાન વિભાગે હજુ પણ ગુજરાતમાં બે દિવસની ધોધમાર વરસાદની આગાહી આપી છે. ચારે બાજુ હજુ પાણી ઉતર્યુ નથી એ વચ્ચે ભારે વરસાદની આગાહીથી તંત્રપણ સતર્ક બની ગયુ છે.ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જાેવા મળતાં પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. રાજકોટ શહેરમાં ગઈકાલે ભારે વરસાદને પગલે ચારેબાજુ પાણી જ પાણી ભરાઈ ગયા હતા.એ સમયે પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી. જ્યાં શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં. આથી વાહનચાલકોમાં મુશ્કેલી જાેવા મળી હતી. આ અંગે આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ અમે શહેરના લગભગ તમામ રાજમાર્ગ અને મુખ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા ઝ્રઝ્ર્ફ નેટવર્કનો ઉપયોગ રસ્તાના ખાડાઓ શોધવા માટે કરી રહ્યા છીએ. અને ખાડા શોધીને તેને બુરવાની સૂચના પણ મે ત્રણે ઝોનના સીટી ઇજનેરોને આપી દીધી છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ગઈકાલથી જ તમામ ઇજનેરોને પોતપોતાના ઝોન અને વોર્ડમાં ઝ્રઝ્ર્ફમાંથી નિહાળીને ખાડા બુરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મેટલ, મોરમ જે પ્રકારે ખાડા બુરાતા હોય તે કેમેરામાંથી જાેઇને તુરંત સુચના આપવા અને વાહન ચાલકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે બાબત ધ્યાને રાખવા સૂચનાઓ જાહેર કરી હતી.રાજકોટના વીરપુર-જસદણમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસતા પાણીપાણી રાજકોટ, રાજકોટના. વીરપુર અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો. જસદણ અને આટકોટમાં સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. તેમજ ખેતરો પણ પાણી પાણી થયા છે. જયારે રાજકોટ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં વરસાદી ઝાપટા અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વીરપુર સહિત પીઠડીયા,મેવાસા,જેપુર, હરિપર,ઉમરાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ઉપલેટા તાલુકાના સાજડીયારી ગામ પાસેથી પસાર થતા પૂલની એક સાઈડમાં ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે. વોકળામાં પાણીની પુષ્કળ આવકને લઈ અને પૂલના એક સાઈડનું ધોવાણ થયું છે. જેને કારણે પૂલનો અમુક ભાગ ધરાશાયી થયો છે. હાલ સાજડીયારીથી ટીબડી જવા માટેના વાહન ચાલકો હેરાન થયા છે. ગત વર્ષે પણ આ પુલના ભાગનું થયું હતું ધોવાણ તેવી પણ વિગતો સામે આવી છે. એ સમયે ઇદ્ગમ્ વિભાગ દ્વારા માત્ર માટી નાખીને કામચલાઉ રીપેરીંગ કરવામાં આવ્યું હતું. હાલ વરસાદી વાતાવરણ છે. જાે ધોધમાર વરસાદ પડશે તો દુર્ઘટના સર્જાય શકે છે. હાલ વરસાદને પગલે શહેરના માંડાડુંગર વિસ્તારમાંથી એક અજગર મળી આવ્યો હતો. જેનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.જામનગર-દ્વારકામાં સાડાચાર ઇંચ વરસાદ વરસ્યો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં એક ઇંચથી લઈ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈ રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. બીજી તરફ ભારે વરસાદની આગાહીના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં એનડીઆરએફની એક-એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા વરસાદના સતાવાર આંકડાઓ જાેઈએ તો આજે સવારે પૂર્ણ થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીયામાં ૨ ઇંચ, કલ્યાણપુરમાં ૧ ઇંચ, ભાણવડ અને દ્વારકામાં પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર જિલ્લામાં તાલુકા મથકે વાત કરવામાં આવે તો કાલાવડમાં સવા ઇંચ, જામજાેધપુરમાં અડધો ઇંચ, જામનગર શહેરમાં ૨ ઇંચ, જાેડીયામાં સાડા ચાર ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.વધુ વાંચો -
ધોરાજીના ઐતિહાસિક ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો
- 10, જુલાઈ 2022 01:30 AM
- 5015 comments
- 2786 Views
રાજકોટ, રાજકોટ જિલ્લામાં છેલ્લા ૫ દિવસથી મેઘરાજા વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યા છે. અનરાધાર વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. આવું જ કુદરતી સૌંદર્ય ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પણ જાેવા મળ્યું છે. ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. આથી અદભૂત દૃશ્યો સર્જાયા છે. તેમજ વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ્મ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે. આ ધોધનો અદભૂત નજારો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે. થોડા દિવસ પહેલા પણ ધોરાજીમાં ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જાેવા મળી રહ્યો છે. ઓસમ ડુંગર પ્રવાસીઓ માટે પ્રવાસન ક્ષેત્રે પ્રખ્યાત બની રહ્યો છે. આ ઓસમ ડુંગર ઉપર તહેવારોની સીઝનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ઓસમ ડુંગર ધોરાજી હિમાચલ પ્રદેશ જેવી હરિયાળીનો નજારો જાેઇને પર્યટકો પ્રફૂલ્લિત બની જાય છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, હિડંબાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ, સહિતના જૈન ધર્મની આસ્થાસમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે. ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જાેવા મળે છે. ભીમ અને હિડંબા અહીં સાથે રહ્યા હતા. ઓમ આકારનો પર્વત દેખાતાં ઓમ સમ= ઓસમ પર્વત નામ પડ્યું હતું. ભાદરવી અમાસે આ ડુંગર પર ભવ્ય લોકમેળો ભરાઇ છે. જેમાં સોળેકળાએ ખીલેલી પ્રકૃતિની સુંદરતા પ્રકૃતિપ્રેમીઓ મનભરીને માણે છે.ગીર સોમનાથના સુત્રાપાડામાં ચાર દિવસથી અનરાધાર વરસાદથી બ્રિજ ધોવાઇ ગયો ગીર - સોમનાથ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગીર-સોમનાથના સુત્રાપાડામાં અનારાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. આ ઉપરાંત અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. આ દરમિયાન અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. બીજી તરફ ખેરા અને વસાવડ ગામ વચ્ચે વાડી વિસ્તારમાં ભારે વરસાદથી એક બ્રિજ ધોવાયો છે. આ બ્રિજ પરથી ખેડૂતો અવરજવર કરતા હતા. ખેરા અને વસાવડ ગામનો જાેડતો બ્રિજ ધોવાઈ ગયાની માહિતી મળી છે. બ્રિજ ધોવાઈ ગયાનો આખો બનાવ ખેડૂતો પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો છે. આ દ્રશ્યોમાં જાેઈ શકાય છે કે આખો બ્રિજ પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ રહ્યો છે. ભારે વરસાદને પગલે જામકંડોરણાનો ફોફળ-૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. ફોફળ ડેમમાં ૧૧ ફૂટ નવા નીરની આવક થઈ છે. જેના પગલે ડેમની સપાટ ગઈકાલે ૨૩ ફૂટે પહોંચી હતી. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. દુધીવદર, ઇશ્વરીયા, તરવડા અને વેગડી ગામના લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. જામકંડોરણા પંથકમાં સાડા ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડતા દુધીવદર ગામ ખાતે આવેલો ફોફળ-૧ ડેમ હાલ ભરાયો છે. આ ડેમની કુલ સપાટી ૮૧.૭૫ મીટર છે. ડેમની ગુરુવારની સપાટી ૮૦.૨૯ મીટર હતી. બીજી તરફ ધોરાજીના ભૂખી ગામ ખાતે આવેલો ભાદર-૨ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેના પગલે ૩૭ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. ભાદર -૨ ડેમની જળ સપાટી ૫૩.૧ મીટર છે, જ્યારે જળાશયની હાલની સપાટી ૫૧.૧ મીટરે પહોંચી છે. ડેમમાં ૬,૭૧૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી વધતા ધોરાજી તાલુકાના ૪ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ભોળા, ભોળગામડા, છાડવાવદર, સુપેડી ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉપલેટાના ૧૫ ગામ, કુતિયાણાના ૧૦ ગામ અને પોરબંદરના ૪ ગામને એલર્ટ કરાયા છે. ખાલી પડેલા તમામ ડેમો,તળાવો,નદીઓ ઓગની જતા પાણી ગામો અને ખેતરોમાં ઘુસતા હાલાકી કચ્છ પશ્ચિમ કચ્છમાં છેલ્લા ૪ દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે.જેના કારણે ખાલી પડેલા તમામ ડેમો,તળાવો,નદીઓ ઓગની જતા પાણી ગામો અને ખેતરોમાં ઘુસી રહ્યું છે .સતત વરસાદના કારણે ખેતરો પણ તળાવમાં ફેરવાઈ ગયા છે.છેલ્લા ચાર જ દિવસમાં લખપત,અબડાસા,નખત્રાણા અને માંડવી-મુન્દ્રામાં સાંબેલાધાર મેઘો વરસ્યો હોવાથી અહીં તરોમાં ઉભા પાકને નુકશાન થવા પામ્યું છે.વાવણી કરેલો પાક ધોવાઈ જવા સાથે ખેતરોના બંધારા પણ તૂટી ગયા છે જેથી સરકાર દ્વારા સહાય આપવામાં આવે તે જરૂરી છે.. અબડાસા અને લખપતને જાેડતા માર્ગ પર પાણી ફરી વળ્યા..રામપર નજીક આવેલ મીઠી ડેમ ઓવરફ્લો થતાં રામપર નદીના પાણી બે કાંઠે વહ્યા હતા જ્યારે અબડાસા અને લખપતને જાેડતો માર્ગ થયો બંધ થતાં સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ...થઇ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. બાલાગામ ઘેડમાં ઓઝત નદીનો પાળો તૂટતા હજારો વિઘા જમીન પાણીમાં કેશોદ પંથકના બામણાસા ધેડ અને બાલાગામ ખાતે આવેલ ઓઝત નદીમાં ઉપરવાસમાં પડેલાં વરસાદી પાણીની આવક થતાં ખેડુતોએ પાણી રોકતાં બનાવેલાં માટીના પાળા તૂટી પડતાં હજારો વીધા જમીન પાણીમાં ગરકાવ થઈ હતી. જેથી મગફળીને નુકસાન થયું હતું. આ અંગેની મળતી વિગત મુજબ ઘેડ પંથકની ઓઝત નદી સાંકળી બનતાં તેમજ નાના વોકળા પેશકદમી કરી બંધ કરાતાં વારંવાર પાળા તુટવાની ઘટના બને છે.છેલ્લા ૩ વર્ષમાં બામણાસા ગામે પાળો તૂટવાથી મોટા પાયે ખેડૂતોની જમીનનું ધોવાણ તેમજ મગફળીના પાકને નુકશાન થઈ રહ્યું છે. એવી જ રીતે બે વર્ષ પહેલાં ૮૦ મીટર તૂટેલો પાળો તંત્રએ આરસીસીથી બનાવી આપ્યો તો ગત વર્ષે તેની બાજુમાં આવેલ પાળો તૂટ્યો હતો. આ પાળાને પાકો બનાવવા તંત્રએ સહાય મંજૂર કરી પણ સમયસર પાળો બનાવવા ઉણું ઉતર્યું જેને લઈ ખેડૂતે હજારો ખેડૂતોની ચિંતા કરી સરકારી વાહનનો ઉપયોગ કરી માટીનો કાચો પાળો બનાવી નાખ્યો હતો. નદી વળાંક લેતી હોય પાળાની નીચે પોલાણ સર્જાતાં પાળો તૂટી ગયો હતો. આ ઘટનાથી આખું ચોમાસું જ્યાં સુધી નદીમાં પાણીની આવક રહેશે ત્યાં સુધી બામણાસા ગામ કેશોદ તાલુકાથી વિખુંટુ રહેશે. અને હજારો વીધામાં વાવેતર કરાયેલ મગફળી નિષ્ફળ જશે.વધુ વાંચો -
સુત્રાપાડામાં ૧૩ અને કોડીનારમાં ૯ ઈંચ વરસાદ
- 07, જુલાઈ 2022 01:30 AM
- 1336 comments
- 8276 Views
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું. એમાં સુત્રાપાડામાં નવ કલાકમાં ૧૩ ઇંચ, કોડીનારમાં નવ કલાકમાં ૧૧ ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્યવહાર ખોરવાઇ જતાં બંન્ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે. રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગીર સોમનાથના દરિયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગત રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. આ ત્રણેય તાલુકામાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુત્રાપાડામાં રાત્રિના શરૂ થયેલી મેઘસવારીએ સવારે પણ ચાલુ રહી હતી. સૂત્રાપાડામાં ૩૦૨મિમી (૧૨ ઇંચ), કોડીનારમાં ૨૭૯ મિમી (૧૧ ઇંચ) અને વેરાવળમાં ૧૨૪ મિમી (૫ ઇંચ) વરસાદ વરસાવી દીધો હતો. એને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદને પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુત્રાપાડા શહેર-પંથકમાં ગત રાત્રિના અઢી વાગ્યા આસપાસ મેઘરાજાએ પધરામણી કર્યા બાદ વહેલી સવારે સાત વાગ્યા સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતું. આમ, સાત કલાકમાં ૧૨ ઇંચ જેવો વરસાદ વરસી જતાં શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યું હતું, ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જાેવા મળતો હતો. પંથકના મટાણા સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાનાં દૃશ્યો સામે આવ્યાં છે. મટાણા ગામને જાેડતા બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તા-શેરીઓમાં નદી વહેતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતનાં ગામોની શેરીમાં નદી વહેતી થતાં બેટમાં ફેરવાયા જેવો નજારો જાેવા મળતો હતો. સુત્રાપાડાનો વાડી વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુત્રાપાડા તાલુકાનાં અન્ય ગામોને જાેડતા ઉંબરી સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા બંધ થઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કોડીનાર પંથકમાં પણ ગત રાત્રિથી જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જે સવારે પણ અવિરત ચાલુ હતા. એને લીધે કોડીનાર શહેર-પંથકમાં ૧૧ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જળમગ્ન જેવી સ્થિતિ અનેક જગ્યાએ જાેવા મળી હતી. કોડીનાર શહેરની અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો પંથકના દરિયાકાંઠાના મૂળ દ્વારકા, માલાશ્રમ સહિતનાં ગામોની અંદર નદીઓ વહેતી થઇ હતી. તો અનેક લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો પરેશાન થયાં હતાં. ભારે વરસાદને પગલે કોડીનાર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ જળમગ્ન જેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે.દ્વારકામાં ભારે વરસાદથી જગત મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવાઈ દ્વારકામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં ૬.૬ ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે સમગ્ર દ્વારકા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. જેને કારણે દ્વારકામાં જગત મંદિરનાં શિખરે અડધી કાઠીએ ધજા ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લીધો હતો. વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધજા ફરકાવાશે. કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદથી પાણી પાણી બની ગયુ છે. તો દ્વારકામાં ૪ અને ખંભાળિયામાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. મૂશળધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. દ્વારકામાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા થયા છે. રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. સાની નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. લોકો જીવના જાેખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે. ભારે વરસાદથી જિલ્લાના નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. તો બીજી તરફ સીમાની કાલાવડથી બારા તરફ જતાં માર્ગ પર પુલ પર પાણી ફરી વળતા લોકોને જીવના જાેખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે. દ્વારકામાં જગત મંદિરનાં શિખરે ધજા અડધી કાઠીએ ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લેવાયો છે. ખરાબ હવામાન, વરસાદની આગાહીને પગલે વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી ધજા અડધી કાઠીએ ફરકાવાશે. મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં સતત ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. જેના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર પર ફરકાવવામાં આવતી ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જામનગર જામનગર જિલ્લા અને શહેરમાં મેઘરાજાએ વ્હેલી સવારથી ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું. સતત વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે જામનગરને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા દેધનાધન વરસાદ વરસાવી રહ્યા છે. સૌથી વધારે પડાણા ગામમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જામનગર સહિત રાજ્યભરમાં વરસાદની આગાહીની પગલે વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને જિલ્લાને મેઘરાજાએ મુકામ બનાવ્યો છે. તેમજ ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગ વાદળો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બાળકોએ વરસાદમાં નાહવાની મોજ માણી હતી. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. જામનગર જિલ્લા અને શહેરમાં વહેલી સવારથી જ સતત વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારી એવી મેઘમહેર જાેવા મળી રહી છે.જામનગરમાં મકાનની અગાસી પર વિજળી પડી જામનગરના ગુલાબનગર વિસ્તાર નજીક મોહનનગરમાં આવેલા આવાસના ૧૨ નંબરના બિલ્ડીંગની અગાસીના ખૂણા પર વીજળી પડતાં બિલ્ડીંગનો ખૂણો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ ત્યાં વસવાટ કરતા સેંકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. જામનગરના ગુલાબ નગર નજીક મોહનનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ નું નિર્માણ કરાયું છે. જેમાં ૧૨ નંબરની બિલ્ડીંગની અગાસીના એક ખૂણા પર આજે ભારે વરસાદની સાથે વિજળી પડી હતી. જે વીજળીના કારણે બિલ્ડીંગનો અગાસીના ખૂણાનો કેટલોક હિસ્સો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે બિલ્ડીંગમાં વસવાટ કરતા અનેક લોકો પોતાના ઘરમાં જ હતા, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી. પરંતુ સેકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. હજુ પણ વરસાદી વાતાવરણ ચાલુ હોવાથી અન્ય સ્થાનિકોમાં ભયનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે.વધુ વાંચો -
પ્રેમથી વંચિત બાળકોનો માતાઓને કબ્જાે અપાવી બે તૂટતા ઘર બચાવતી અભયમ્ની ટીમ
- 24, મે 2022 01:30 AM
- 7830 comments
- 4053 Views
વેરાવળ, વેરાવળ શહેર અને પંથકના બે જુદા જુદા કિસ્સાઓમાં માસુમ બાળકોને પોતાની પાસે રાખી પતિ સહિતના સાસરીયાઓ દ્વારા ઘરની બહાર કાઢી મુકવામાં આવી હતી. આ બંન્ને કિસ્સામાં ૧૮૧ અભયમ ટીમએ મદદે આવી માતૃત્વના પ્રેમથી વંચિત બાળકોને તેમની માતાઓને કબ્જાે અપાવવાની સાથે સમાધાન કરાવી તુટતી ગૃહસ્થી બચાવવાની ઉમદા ફરજ નિભાવી છે. આમ વેરાવળ સોમનાથના ૧૮૧ અભયમ સેવાના સ્ટાફએ ફરજ નિષ્ઠાથી મહિલાઓની જરૂરિયાત સમયે મદદ કરી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં રહેતા એક પરિવારમાં પતિ દ્વારા બાળક સાથે પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મુકી હતી. જે અંગે પીડિતાના ભાઈએ ૧૮૧ અભ્યમ સેવા પાસે મદદ માંગી હતી. જેને લઈ અભ્યમ ટીમના કાઉન્સિલર ભારતી પરમાર, મહિલા પોલીસ અલ્પા ડોડીયા, પાઇલોટ અલ્પેશ બામણીયા ત્વરીત સ્થળ પર પહોંચી ગયા હતા. પીડિતાનું કાઉન્સલીંગ અને તેના ભાઈ સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે, પરિણીતા માનસિક રીતે થોડી નબળી હોય અને તેણીને બે સંતાનો છે. તેમનો પતિ અવાર નવાર માર મારતો તેમજ ઘરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પુરી પાડતો ન હતો. છેલ્લે પતિ દ્વારા માર મારી એક દોઢ વર્ષના બાળકને પોતાની પાસે રાખી ઘરેથી કાઢી મુકેલ હતી. બાદમાં પતિને બોલાવી કાયદાકીય માર્ગદર્શન આપવાની સાથે સમજાવી સમાધાન કરાવતા તે સાથે રાખવા તૈયાર થઈ ગયો હતો. બાદમાં પહેલા બાળકનો કબ્જાે માતાને અપાવેલ બાદમાં બંન્નેને ઘરે મોકલ્યા હતા.જ્યારે બીજા કિસ્સામાં વેરાવળ તાલુકાના એક ગામમાંથી પરિણીતાએ અભ્યમ સેવા પાસે મદદ માંગી હતી. જેના આધારે ૧૮૧ ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ત્યાં પરિણીતાનું કાઉન્સેલિંગ કરતા આ મહિલાના છ વર્ષ પૂર્વે લગ્ન કરી સાસરે આવી હતી અને બે સંતાનો છે. પરંતુ તેના સાસુ, નણંદ દ્વારા મહિલાના પતિના કાન ભંભેરણી કરી ઝઘડા કરાવતા હોવાથી થોડો સમય પહેલા પરિવારથી અલગ રહેવા જતા રહ્યા હતા. તેમ છતાં પણ પતિ, સાસુ, નણંદ દ્વારા મહિલાને વારંવાર માનસિક શારિરીક ત્રાસ આપી રહેલ હતા. બેએક દિવસ પહેલા મહિલા સાથે ત્રણેયએ મારકૂટ કરી બે વર્ષના બાળકને જબરજસ્તી લઈ ઘરની બહાર કાઢી મુકી હતી. જે વિગતના આધારે ૧૮૧ ના સ્ટાફએ પતિ, સાસુ અને નણંદને કાયદાકીય માહિતી આપી સમજાવ્યા હતા. બાદમાં સમાજના આગેવાનોની હાજરીમાં બંન્ને પક્ષોને સામસામે બેસાડી નાના મોટા ઝઘડા થતા એવા પ્રશ્નોનું વાતચીતથી નિરાકરણ લાવી સમાધાન કરાવ્યુ હતુ. બાદમાં સાસરિયાઓ પાસેથી બે વર્ષના બાળકનો કબ્જાે માતાને અપાવી ભવિષ્યમાં ફરી કોઈ માનસિક શારિરીક ત્રાસ નહીં આપે તેવી લેખિત બાંહેધરી લઇ સુખદ સમાધાન કરાવેલ હતુ. આમ, ૧૮૧ અભ્યમ ટીમે કરેલ કામગીરીએ બે માસુમ બાળકોને માતૃત્વનો પ્રેમ અપાવવાની સાથે તુટતા ઘર બચાવ્યા છે.વધુ વાંચો -
તાલાલા ગીરમાંથી વધુ ૧૧૦૦ બોક્સ બ્રિટનની બજારમાં રવાના કરાયા
- 20, મે 2022 01:30 AM
- 9151 comments
- 1297 Views
તાલાલા, તાલાલા ગીર પંથકનું અમૃત ફળ ખુશ્બુદાર કેસર કેરી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગીર પંથકની કેસર કેરી સ્થાનીક બજાર ઉપરાંત હવે દેશના સીમાડા ઓળંગી યુ.કે. (ઇંગ્લેન્ડ)ની બજારમાં ખુશ્બુ પ્રસરાવી રહી છે. જાે કે ચાલુ વર્ષે ગીર પંથકમાં કેસર કેરીનો પાક ૩૦ ટકા જેવો હોવાથી ઓછા પ્રમાણમાં નિકાસ થશે પરંતુ આગામી વર્ષોમાં કેસર કેરી વિદેશીઓના મોઢે વળગી જવાથી તાલાલા ગીર પંથક કેરી માટે વિદેશો માટે પણ હબ બનશે તેવી ધારણા સેવાઇ રહી છે. તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડ સંચાલિત મેંગો પેક હાઉસના સંચાલકોના જણાવ્યા પ્રમાણે યાર્ડના અધતન મેંગો પેક હાઉસમાં ગ્રેડિંગ, વોશિંગ, હોટ વોટર અને પ્રિ-કુલીંગ, રાયપનીંગ કરી ત્રણ કિલોના આકર્ષક બોકસમાં તૈયાર કરવામાં આવી રહેલ કેસર કેરીના ૧૧૦૦ જેટલા બોકસ તાલાલા ગીરથી ખાસ વાહન મારફતે અમદાવાદ પહોંચેલ હતા. ત્યાંથી એરલાઇન્સ મારફત યુ.કે. (ઇંગ્લેન્ડ) મોકલવા રવાના કરવામાં આવેલ છે. આ બોકસ બે દિવસ બાદ (શુક્રવારે) યુ.કે. પહોચ્યા બાદ ત્યાંની બજારોમાં જાેવા મળશે. આ દરમ્યાન કેસર કેરી તેના ઓરીજનલ સ્વાદમાં ખાવાલાયક પણ તૈયાર થઈ જશે. એક ડઝન (૧૨ નંગ) ની ભરતી વાળુ ત્રણ કિલોનું એક બોકસ ૧૮ પાઉન્ડમાં(રૂ.૧૭૬૪ ભારતીય ચલણ)માં યુ.કે.ની બજારમાં વેંચાણ થશે. તાલાલા મેંગો પેક હાઉસમાંથી આ વર્ષે ત્રણ વખત માં ૧૩૫૦ બોકસ એટલે કે ૪ ટન કેસર કેરી અત્યાર સુધીમાં રવાના થઇ છે. આજે ચોથી વખત એકી સાથે કેસર કેરીના ૧૧૦૦ જેટલા બોકસ રવાના થયા છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત મેંગો પેક હાઉસમાંથી ગત વર્ષે યુ.કે. ઉપરાંત સિંગાપુર, ઈટલી, ગલ્ફ કન્ટ્રીમાં ૧૪૨ ટન કેસર કેરી મોકલવામાં આવી હતી. જેની સામે આ વર્ષે કેસર કેરીની સીઝન મોડી હોવાથી તેમજ કેરીનો પાક પણ આંબા ઉપર માત્ર ૩૦ ટકા આવ્યો હોવાના કારણે આ વર્ષે મેંગો પેક હાઉસમાંથી ૧૨૦ ટન કેસર કેરીની નિકાસ થવાની ધારણા છે.વધુ વાંચો -
તાલાલામાં બુકાનીધારી શખ્સે ઘરમાં ઘુસી મહિલા અને પુત્રી પર જીવલેણ હુમલો કર્યો
- 17, મે 2022 01:30 AM
- 7240 comments
- 3630 Views
ગીરસોમનાથ, તાલાલા શહેરમાં નરસિંહ ટેકરી વિસ્તારમાં બુકાનીધારી શખ્સે ઘરમાં ઘુસી જઈ માં-દિકરીને છરી મારી જીવલેણ હુમલો કર્યો હતો. નરસિંહ ટેકરી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર ગૌશાળા પાસે રહેતા લોહાણા યોગેશકુમાર રસીકલાલ તન્નાના ઘરમાં ઘૂસી ગયેલા બુકાનીધારી શખ્સે રસોઈ કરતી મહિલા અને તેની પુત્રી ઉપર છરીથી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. બંન્નેને પ્રાથમીક સારવાર બાદ વેરાવળ સિવીલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ જીવલેણ હુમલા પાછળનું કારણ અંગે કોઈ વિગતો સામે ન આવતા પોલીસ પણ ચકરાવે ચડી છે. આ ચકચારી ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના નરસિંહ ટેકરી વિસ્તારમાં રહેતા હેમાંગીબેન યોગેશભાઈ તન્ના ગઈકાલે સમી સાંજે રસોઈ બનાવી રહ્યા હતા અને તેમની પુત્રી હીના જમી રહી હતી. એ સમયે અચાનક મોઢે રૂમાલ બાંધેલ અને માથા ઉપર ટોપી પહેરી એક શખ્સ લૂંટ કરવાના ઈરાદા સાથે ઘરમાં ઘૂસી જતા તેને જાેઈ બચાવો... બચાવો...ની રાડો પાડતા બુકાનીધારી શખ્સે માતા-પુત્રી બંન્નેના ડાબા હાથ તથા મોંઢા ઉપર છરીના ઘા મારી મકાનની પાછળની વંડી ટપી ગૌશાળા તરફ નાસી ગયો હતો. આ ઘટનાને લઈ પાડોશીઓએ બંન્નેને બાજુની પ્રાઈવેટ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વેરાવળ સિવિલમાં રીફર કર્યા હતા. બુકાનીધારી શખ્સે કરેલા હુમલાથી હેમાંગીબેનને હાથમાં નવ ટાંકા તથા શરીરના ભાગે છબરડાની ઇજા તથા તેમની પુત્રી હીનાબેનને હાથમાં નવ અને હોંઠ ઉપર એક ટાંકા જેવી ઇજાની સારવાર આપી હતી.વધુ વાંચો -
ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં બે ડાલામથ્થા સિંહોએ પશુનો શિકાર કર્યો
- 08, મે 2022 01:30 AM
- 1458 comments
- 1924 Views
જૂનાગઢ,ગીર જંગલની બોર્ડર આસપાસના ગ્રામ્યમાં બે સિંહો પશુનું મારણ કરી સાથે લઈ જતા હોવાના દ્રશ્યો રાહદારી ચાલકના કેમેરામાં કેદ થયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં દેખાતો વિસ્તાર ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલ આસપાસના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખોરાકની શોધમાં સિંહ સહિતના વન્યપ્રાણીઓ જંગલ બહાર ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે. ત્યારે રાત્રીના સમયે બે ડાલામથ્થા સિંહોએ રસ્તાની સાઈડમાં પશુનો શિકાર કર્યો હતો. જે બાદ એક સિંહ મૃત પશુને મોઢામાં લઈ જંગલ તરફ ચાલીને જઈ રહ્યો હતો. આ સમયે બીજાે સિંહ પાછળ દોડીને જઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના રસ્તા પરથી પસાર થઈ રહેલા કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. આ વીડિયો કયા ગામનો છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ સિંહોને તેમજ વિસ્તાર જાેઇને આ વીડિયો ગીર જંગલના બોર્ડર આસપાસના કોઈ ગ્રામ્ય વિસ્તારનો હોવાનું જાણકારો અનુમાન વ્યક્ત કરી રહ્યા છે. ગરમીમાં લોકો તો ઠીક વન્યપ્રાણીઓ પણ ત્રાસી ગયા છે. આ સીઝનમાં જંગલમાં પાણી અને ખોરાક સરળતાથી મળતો ન હોવાથી સિંહ, દિપડા જેવા વન્યપ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં જંગલ બહારની માનવ વસતી વાળા વિસ્તારોમાં આવી ચડતા જાેવા મળે છે.વધુ વાંચો -
વેરાવળમાં બાળકો છાંયા માટે મકાન આગળ બેઠાં અને દીવાલ ધરાશાય થતાં એકનું મોત
- 07, મે 2022 01:30 AM
- 2830 comments
- 312 Views
વેરાવળ, બે દિવસ પહેલાં વેરાવળ શહેરના ભિડિયા વિસ્તારમાં બંધ મકાનની દીવાલ ધસી પડતાં ત્યાં રમી રહેલાં ત્રણ બાળક ઉપર કાટમાળ પડ્યાની ઘટના બની હતી. આ કરુણ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હતું અને બે બાળક ગંભીર રીતે ઘવાયાં હતાં, વેરાવળના ભિડિયા વિસ્તારમાં દરિયાકાંઠા સામે આવેલાં રહેણાક મકાનો વચ્ચેના ચોકમાં અમુક બાળકો બપોરના સમયે રમી રહ્યાં હતાં. એ સમયે અચાનક જ ચોકમાં આવેલા એક જૂનવાણી બંધ મકાનના રવેશની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ દીવાલના મલબા નીચે ત્યાં રમી રહેલાં પૈકીનાં ત્રણ બાળકો દબાઈ ગયાં હતાં. આ દીવાલ ધરાશાયી થવાના અવાજને પગલે આસપાસમાં રહેતા લોકોએ દોડીને બહાર આવી ત્રણ જેટલાં બાળકોને બહાર કાઢી તરત સારવાર અર્થે બિરલા હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.વધુ વાંચો -
હવે સોમનાથ મંદિરના પૂજારીઓ વ્યવહારિક કામોમાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરશે
- 03, મે 2022 01:30 AM
- 1557 comments
- 9062 Views
સોમનાથ સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો માટે સંસ્કૃત સંભાષણ વર્ગ શરૂ કરાયા.. દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ થશે, સોમનાથ મહાદેવની આરાધના કરતા પૂજારીઓ હવે વ્યવહારિક કામોમાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરશે.. સાથે જ દેશ-વિદેશથી આવતા ભાવિકોને સંસ્કૃત ભાષામાં સોમનાથ અને પ્રભાસ ક્ષેત્ર નો ઈતિહાસ તથા મંદિરના સ્થાપત્યની વિશેષતા જણાવાશે..વિશ્વના કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશના કરોડો ભાવિકો પ્રતિવર્ષ આવતા હોય છે. સોમનાથને અર્વાચીન ભારત નું વિકાસનું પ્રમાણ બિંદુ માનવામાં આવે છે. ત્યારે સંસ્કૃત ભાષાના વ્યવહારિક ઉપયોગમાં પુનઃ ઉત્થાન અને સુદ્રઢીકરણ માટે પણ સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર બન્યું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડ માં સંસ્કૃત અને સંસ્કૃતિ ના સંવર્ધન માટે જે ઉલ્લેખ છે, તદ્ અનુસાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી,વેરાવળમાં થાય તે માટે વેરાવળ માં રાજેન્દ્ર પેલેસ તરીકે ઓળખાતી ખુબજ કીમતી ૧૭ એકર જમીન તેમજ જમીન પર આવેલ રાજેન્દ્ર પેલેસના મકાનને રૂ.૫૦ લાખના ખર્ચે રીનોવેટ કરી સંસ્કૃત યુનિવર્સિટી બનાવવા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ હતી, સોમનાથ ખાતે સંસ્કૃત યુનિવર્સીટી ની ઘોષણા અને લોકાર્પણ વર્ષ ૨૦૦૭ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના વરદ હસ્તે થયેલુ હતું. ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી જે ડી પરમાર સાહેબે કાર્યક્રમમાં આ બાબતનો ઉલ્લેખ કરેલ હતો. સાથે જ પ્રતિવર્ષ સંસ્કૃત માટે સંશોધન કરતા તજજ્ઞો વિદ્દવતજનો ને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વાર સોમનાથ ચંદ્રક થી સન્માનીત કરવામાં આવે છે, ત્યારે સંસ્કૃત ના સંવર્ધન માટે એક પ્રગતીશીલ દિશામાં પ્રયાણ થયુ છે, અને સોમનાથ માં આવતા સંસ્કૃત ભાષા થી યાત્રિઓ નુ સ્વાગત કરવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણ નું ૧૫ દિવસીય પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું છે. ૭૦ અધ્યેતા માટે સવાર અને સાંજ ના સમયે ૨ વર્ગો યોજવામાં આવશે. જેના થકી સોમનાથ મંદિરના વ્યવહારની ભાષા તરીકે સંસ્કૃત નો ઉપયોગ શરૂ થશે દેશ-વિદેશના આવતા યાત્રિકો સાથે સોમનાથ ટ્રસ્ટ ના પુજારી શુદ્ધ સંસ્કૃત ની અંદર સંભાષણ કરશે સંસ્કૃત ભાષાની સરળતા અને મધુરતાને સોમનાથ ગર્ભગૃહ થી વિશ્વ ફલક પર ફરીથી ઉજાગર કરવા સોમનાથ ટ્રસ્ટે ઉત્તમ વિચારને અનુકરણમાં મૂક્યો છે. સોમનાથ ટ્રસ્ટ ના યાત્રી સુવિધા ભવનના ઓડિટોરિયમ ખાતે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત દિગ્દર્શક અને અભિનેતા ચંદ્રપ્રકાશ દ્વિવેદી ના હસ્તે સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનવર્સિટી ના કાર્યકારી કુલપતિશ્રી, અધિકારીશ્રીઓ ની ઉપસ્થિતિમાં આ પ્રશિક્ષણ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં ઉદઘાટક અને ભારતીય ચલચિત્ર માં અપાર ખ્યાતિ મેળવનાર ચાણક્ય ધારાવાહિકના નિર્માતા અને ચાણક્ય નું પાત્ર ભજવનાર અભિનેતા પદ્મ ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ સંસ્કૃત પ્રત્યાયનના આ વિચારનું અભિનંદન કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા એ આપણી સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિનું તમામ જ્ઞાન સંસ્કૃત માં વસેલું છે. સંસ્કૃત દૂર જવા નો અર્થ એ છે કે આપણે આપણું સમગ્ર જ્ઞાન ગુમાવશું. સંસ્કૃત ભાષા પોતે શક્તિશાળી છે જનસમાજને સંસ્કૃત ભાષા ની જરૂર છે નહીં કે સંસ્કૃત ભાષાને બોલનારાની. ત્યારે સોમનાથ મંદિરના પૂજારી ગણ અને ઋષિકુમારો માટે સંસ્કૃત સંભાષણ વર્ગના ઉદેશ્ય અંગે તેઓએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.વધુ વાંચો -
તાલાલામાં તીવ્રતાનો આંચકો ધાવા ગીર સહિતના ગામોમાં સૌથી વધુ અસર
- 03, મે 2022 01:30 AM
- 3936 comments
- 4900 Views
ગીર સોમનાથ, તાલાલા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે ૬ વાગ્યે અને ૫૮ મિનિટે તાલાલાની ધરતીમાં ધ્રુજારી થઈ હતી. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ અનુસાર ૪.૦ રિક્ટર સ્કેલ પર ભૂકંપ નોંધાયો છે. ભૂકંપના આંચકાથી ભરઊંઘમાં રહેલા લોકો સફાળા જાગ્યા હતા, અને ઘરની બહાર દોડી આવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકા સામાન્ય છે. ત્યારે વધુ એકવાર તલાલામાં અનુભવાયો હતો. તાલાલાથી ૧૩ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતં. તાલાલાનાં ધાવા ગીર સહિતના ગામોની અંદર ભૂકંપની સૌથી વધારે અસર અનુભવાઇ છે. તલાલાની સાથે જૂનાગઢના દેવળિયામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે ૬.૫૫ વાગ્યા આસપાસ આવેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જાેકે, નુકસાન થયું હોવાના હજુ સુધી કોઈ સમાચાર નથી.વધુ વાંચો -
અમેરિકન એલિઝાબેથ અને તલાલાના બળદવે ભેટારીયા જીવનસાથી બન્યાં
- 26, એપ્રીલ 2022 01:30 AM
- 7713 comments
- 4908 Views
ગીરસોમનાથ, તાલાલા ગીર પંથકના યુવાનને પ્રથમ અમેરીકા સ્થિત યુવતી સાથે ફ્રેન્ડશીપ થયા પછી વર્ચ્યુઅલી વાતચીતોમાં બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં અને બાદમાં દાંપત્ય જીવનમાં પરીણમી છે. અમેરીકાની યુવતી એલિઝાબેથે ગીરના યુવકના પ્રેમમાં પડ્યા બાદ હિન્દુ વિધિ-રિવાજ મુજબ લગ્ન કરવા તાજેતરમાં અહિં આવી મહેંદી રચી લગ્ન પણ કર્યા છે.તાલાલા ગીરમાં રહેતા યુવક બલદેવ ભેટારીયા આહિરે ફેસબુક સાઇટ થકી અમેરિકા સ્થતિ યુવતી સાથે તાજેતરમાં લગ્ન કર્યા છે.તેમણે બીએસસી અને બાદમાં લંડન જઇને એમબીએનો અભ્યાસ કર્યો છે. ૨૦૧૪માં લંડનથી પરત સ્વદેશ આવ્યા બાદ તેઓ અહિં જાેબ કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે. તેમણે ૨૦૧૯ની સાલમાં ફેસબુક સાઇટ પર સર્ચ દરમિયાન અમેરિકા સ્થતિ એલીઝાબેથ નામની યુવતિને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. જે ઘણા દિવસો બાદ રીકવેસ્ટ એકસેપ્ટ થતાં તેમણે મેસેન્જરમાં મેસેજ કર્યો હતો, ત્યારબાદ પ્રેમ વિકસ્યો હતો.બલદેવે વધુમાં જણાવ્યું હતું કે બાદમાં તેઓ બંનેએ પોત પોતાના પરીવારજનોને વાત કરી હતી. ત્યારબાદ એક વખત એલીઝાબેથએ તેના ભાઇ અને બહેન સાથે બલદેવની વાત કરાવી હતી જે સકારાત્મક રહી હોવાથી તેણીના પરીવારજનો પ્રભાવિત થયા હતા. બાદમાં એલિઝાબેથે તેમની સાથે લગ્ન કરવાનું નક્કી કરી અત્રે ભારત આવવાની વાત કરી હતી. જેને તેમણે સ્વીકારતાં પ્રથમ નિયમ મુજબ તેઓ બંનેએ સિવીલ મેરેજ કર્યા હતા. બાદમાં એલિઝાબેથે ત્યાં આવી હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવાની આગ્રહભરી વિનંતી કરી હતી. જેને પણ સહજતાથી સ્વીકારી તેમણે ગીર ખાતે થોડા સમય પૂર્વે તેઓ બંનેએ હિન્દુ સંસ્કૃતિ મુજબ વિધિ-વિધાનથી લગ્ન કર્યા હતા.વધુ વાંચો -
મુંબઇના સ્વીમરે સમુદ્ર માર્ગે સોમનાથને શીશ ઝુકાવ્યું
- 12, માર્ચ 2022 01:30 AM
- 4083 comments
- 2513 Views
સોમનાથ, સ્વીમીંગમાં અનેક રેકોર્ડ સ્થાપીત કરનાર મુંબઈના મેરેથોન સ્વીમર પ્રભાત રાજુ કોળીએ ગીર સોમનાથના ઘામળેજ બંદરથી દરીયાઇ માર્ગે ૧૬ નોટિકલ માઈલનું અંતર માત્ર ૫ કલાકમાં કાપીને રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે આ સ્વીમરે સોમનાથ ચોપાટીએ પહોંચી મહાદેવને શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. સોમનાથ ચોપાટીએ પહોંચતા જ સાંસદ તથા સ્થાનીક ભિડીયા કોળી સમાજના આગેવાનોએ સ્વીમરનું સ્વાગત કર્યુ હતું.દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે અલગ અલગ રીતે લોકો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં કોઈ પગપાળા કરીને આવે તો કોઇ દંડવત કરીને મહાદેવને શીશ ઝુકાવી દર્શન કરતા હોય છે. પરંતુ મુંબઈના સ્વીમર પ્રભાત રાજુએ સ્વીમીંગ કરીને મહાદેવને શીશ ઝુકાવ્યું હતું. મહારાષ્ટ્રના મુંબઇના રહેવાસી માછીમાર કોળી સમાજના મેરેથોન ઓપન વોટર સ્વીમર પ્રભાત રાજુ સ્વીંમીગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કર્યા બાદ તેનું તથા પિતાનું સમુદ્ર માર્ગે સોમનાથ આવી મહાદેવના દર્શન કરવાનું સપનુ સેવ્યું હતું જે તેણે આજે પુરૂ કરી બતાવ્યું છે. ગીર સોમનાથ જિલ્લા સુત્રાપાડાના ધામળેજ બંદરેથી પ્રભાત કોળીએ વ્હેલીસવારે ૫ વાગ્યે દરીયામાં કુદીને દરીયાઇ મોજા સાથે બાથ ભિડીને સ્વીમીંગ કરતા કરતા ૧૬ નોટિકલ માઈલનું અંતર કાપી સોમનાથ ચોપાટીએ પહોચ્યો હતો. તેની સાથે અન્ય એક યુવાન નિહાર પાટીલે ૨૧ કીમીનું અંતર કાપી સોમનાથ પહોચ્યો હતો.સાંસદ રાજેશ ચુડાસમા સહિત ભિડીયા કોળી સમાજ અને વેરાવળ ખારવા સમાજના જગદીશ ફોફંડી, લખમણ ભેંસલા તથા અગ્રણીઓએ સ્વીમર પ્રભાતનું હારતોરા સાથે સન્માન કરી પ્રોત્સાહન આપ્યુ હતું. બાદમાં પ્રભાત રાજુએ મંદિરે જઇ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આજે તેનું તથા પિતાનું સપનું પુરૂ કરવા પ્રભાતે દરીયાઇ માર્ગ ૧૬ નોટિકલ માઈલ ૫ કલાકમાં કાપી સોમનાથ ચોપાટીએ પહોચ્યો હતો. અત્યાર સુધીમાં સ્વીમર પ્રભાત રાજુએ વર્લ્ડ ઓપન વોટર સ્વીમીંગ એસોસીએશન કેલિફોર્નિયા, યુ.એસ.એ. દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ૬ મોટી ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. જેમાંથી ૩ વિશ્વ રેકોર્ડ પણ તેણે પોતાના નામે અંકિત કર્યા છે. ભારતભરમાંથી પ્રભાત રાજુ કોળી એક માત્ર એવો તરવૈયો છે કે જેણે ઓપન વોટર સ્વીમીંગનો કેપ લોંગ ડિસ્ટન્સ સ્વીમીંગ એસોસીએશન સાઉથ આફ્રિકા દ્વારા સૂવર્ણપદક પ્રાપ્ત કરેલ છે. એશિયા ખંડનો સૌથી નાની ઉંમરનો ટ્રીપલ તાજ મેળવનારો તરવૈયો છે. તેણે જર્સી આઇલેન્ડ અને ઓનાકાયા એયરલેન્ડથી મેઈનલેન્ડ સાંટા બાર્બરા સુધી તરવામાં સફળતા મેળવી છે. પ્રભાત રાજુ કોળી લીમકા બુક અને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાની પ્રતિભા અંકિત કરાવી ચુકયો છે. ત્યારે આ તમામ સિદ્ધિઓ બાદ પ્રભાતના પિતા અને પ્રભાતનું સપનું હતું કે, પ્રભાત સોમનાથ મહાદેવના દર્શન સમુદ્ર માર્ગે આવી કરે તે પણ આજે કરી બતાવ્યુ છે.વધુ વાંચો -
ગીર સોમનાથમાં ૧૧ લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ
- 07, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 4052 comments
- 4858 Views
સોમનાથ, દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીના માર્ગદર્શન નીચે ગીર સોમનાથ જિલ્લાનાં ૩૫૨ ગામ માં ૧૧ લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને પગભર અને જિલ્લાને રળિયામણો કરવા માટેના મહા અભિયાનની ભારતભરમાં અને દેશ-વિદેશમાં જાણકારી મળી રહે તે માટેની તા. ૫/૨/૨૦૨૨ ને શનિવાર ને વસંતપંચમી ના દિવસે સોમનાથ ટ્રસ્ટ ના સોશિયલ મીડિયા ઉપર આ અંગે ની માહિતી પોસ્ટ શેર કરવામાં આવી. સોમનાથ ટ્રસ્ટ ના ૧૧ લાખ વૃક્ષારોપણ ના મહાસંકલ્પ ને સાકાર કરવા માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તેમજ માધવ સ્મારક સમિતિ -જુનાગઢ ના સહયોગથી જિલ્લાના ૩૫૨ ગામમાં દરેક ખેડૂત ખાતેદાર પાસે ફળાઉ વૃક્ષો નું ફોર્મ ભરવામાં આવ્યા છે,આ દરેક ખેડૂતને દસ ફળાઉ વૃક્ષોનું વિનામૂલ્યે આવનારા સમયમાં વિતરણ કરવામાં આવશે ગિર સોમનાથ જિલ્લાના તાલુકા-મંડળ અને ગ્રામ્ય સુધીના માધવ સ્મારક સમિતિ-જૂનાગઢ ના કાર્યકર્તાઓના સમયદાનથી અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા તાલુકા સંયોજક તરીકે ફરજ બજાવી ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ કરેલ છે, જ્યારે શહેરી વિસ્તારમાં કિરીટ ભીમાણી સાથે સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા ફોર્મ વિતરણની કામગીરી ચાલુ છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૧૧ લાખ વૃક્ષો ની ખરીદી માટે અલગ-અલગ નર્સરીઓ અને વિભાગો સાથે સંકલન કરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે,જિલ્લા વહીવટીતંત્ર ગુજરાત સરકાર અને વનવિભાગ દ્વારા પણ પૂરતો સહકાર આપવામાં આવી રહ્યો છે, સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ પણ આ મહાસંકલ્પ ને લઈને ખૂબ ઉત્સાહિત છે, આ સંપૂર્ણ કાર્યક્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરીપી.કે.લહેરીસાહેબ ના માર્ગદર્શન અને સુચનાઓ થી આ વૃક્ષારોપણ અંગેની કામગીરી કરી રહી છે , કમિટીઓ ના માધ્યમથી આ મહા અભિયાન સાકાર થાય એ માટે આ વૃક્ષારોપણની કામગીરી ના અધ્યક્ષ તરીકે ડો.યશોધર ભટ્ટ, કુંતલ સંઘવી,નિવૃત્ત ડીસીએફ સુરેશ જાની, દિલીપ ચાવડા અને કિશોર ડાંગર કામગીરી આગળ વધારી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ ના દરેક તાલુકા અને ગામડાઓમાં નર્સરીઓની સ્થાપના થાય તેવુ ભગીરથ કાર્ય પણ નિવૃત્ત ડીસીએફ સુરેશભાઈ જાનીના સંપુર્ણ માર્ગદર્શન નીચે કૃષિ અને પશુપાલન સંભાળતા કૌશિક સોલંકી કાર્ય કરી રહ્યા છે. જેથી સ્થાનિક લોકોને વ્યાજબી ભાવે રોપા ઉપલબ્ધ થાય. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાઉતે વાવાઝોડા સમયે પણ સારી ક્વોલિટી ના પતરા, નળીયા,પાણીના ટાંકા અને ફૂડ પેકેટ વિતરણ ની કામગીરી માધવ સ્મારક સમિતિ જુનાગઢ ના કાર્યકર્તાઓ ના સમયદાન થી કરવામાં આવી હતી તેમજ સોમનાથ ટ્રસ્ટ પોતાના કર્મચારીઓના ઉત્સાહથી કોરોના મહામારી માં ઓક્સિજન પ્લાન્ટ,જરૂરિયાત મુજબ ફૂડપેકેટ, ભોજન, કેર સેન્ટર વગેરેની પણ સેવા આપવામાં અગ્રેસર રહ્યું છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ ની વેબસાઈટ, ફેસબુક, ટ્વીટર, હું, ઈન્સ્ટાગ્રામ ઉપર થી આ વૃક્ષારોપણ ના મહા અભિયાન ની માહિતી મેળવીને ઓનલાઇન અનુદાન આપી શકો છો, આપ પણ આ મહા અભિયાન માં એક વૃક્ષ દીઠ ૧૦૦ રૂપિયા થી લઈને યથાયોગ્ય અનુદાન આપી ગીર સોમનાથ જિલ્લાને હરિયાળો બનાવવામાં સોશિયલ મીડિયાની પોસ્ટ આપના ગ્રુપમાં શેર કરી શકો છો, ત્યારે સૌ સાથે મળી ગીર સોમનાથ જિલ્લાને હરિયાળો બનાવવામાં સહયોગ આપી ગીર સોમનાથને દેશના હરિયાળા જિલ્લા તરીકે પ્રસ્થાપિત કરવા સમગ્ર દેશ હરીયાળો બને તેમજ બાગાયત થકી ખેડૂતો સમૃદ્ધ બને, ફળાઉ ઝાડ ના માધ્યમથી પશુ-પંખી ને આહાર મળી રહે,પવિત્ર વૃક્ષોની માવજત થી વાતાવરણ શુદ્ધ રહે તેવો સંકલ્પ કરી સોમનાથ ટ્રસ્ટના મહા સંકલ્પમાં સહભાગી બનીએ.વધુ વાંચો -
ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે
- 20, જાન્યુઆરી 2022 01:30 AM
- 6170 comments
- 3438 Views
ગાંધીનગર, રાજ્યભરમાં કોરોના પ્રોટોકોલની સાથે ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે. આ વખતે ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગીર સોમનાથ ખાતે ધ્વજવંદન કરશે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે સરકારે કોરોના પ્રોટોકોલ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાનો ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી ગીર સોમનાથમાં હાજર રહેશે તો અન્ય મંત્રીઓ પણ જુદા-જુદા જિલ્લામાં હાજર રહેવાના છે. કોરોનાને લીધે સિમિત લોકોની હાજરીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે.કયા મંત્રી કયા જિલ્લામાં ધ્વજવંદન કરશે રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં, જીતુ વાઘાણી રાજકોટમાં, ઋષિકેશ પટેલ અમદાવાદમાં, પુરણેશ મોદી બનાસકાંઠામાં, રાઘવજી પટેલ પોરબંદરમાં, કનુભાઇ દેસાઇ સુરતમાં, કિરીટસિંહ રાણા ભાવનગરમાં, નરેશ પટેલ વલસાડમાં, પ્રદીપ પરમાર વડોદરામાં,અર્જુન સિંહ ચૌહાણ પંચમહાલમાં. રાજયકક્ષાના મંત્રીઓ આ જિલ્લામાં ધ્વજવંદન કરશે હર્ષ સંઘવી ગાંધીનગરમાં, જગદીશ પંચાલ મહેસાણામાં, બ્રિજેશ મેરજા જામનગરમાં, જીતુ ચૌધરી નવસારીમાં, મનીષા વકીલ ખેડામાં, મુકેશ પટેલ તાપીમાં, નિમિષાબેન સુથાર છોટાઉદેપુરમાં, અરવિંદ રૈયાણી જૂનાગઢમાં, કુબેર ડીંડોર સાબરકાંઠામાં, કીર્તિસિંહ વાઘેલા કચ્છમાં, ગજેન્દ્રસિંહ પરમાર ભરૂચમાં, આરસી મકવાણા અમરેલીમાં, વિનોદ મોરડીયા બોટાદમાં, દેવા માલમ સુરેન્દ્રનગરમાં ધ્વજવંદન કરશે.વધુ વાંચો -
પાકિસ્તાનની જેલમાં બંધ ગીર સોમનાથ જિલ્લાના માછીમારનું મોત
- 18, જાન્યુઆરી 2022 01:30 AM
- 7711 comments
- 9157 Views
ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદરના માછીમારનું પાકિસ્તાન જેલમાં શંકાસ્પદ મૃત્યુ નીપજ્યાના સમાચાર અત્રે આવતા તેના પરિવાર સહિત માછીમાર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક માછીમાર એક વર્ષથી પાકિસ્તાન જેલમાં બંદીવાન હતો. તેના મૃતદેહને લેવા ફિશરીઝ વિભાગની ટીમ વાઘા બોર્ડર પહોચી છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદરના જેન્તી કરશન સોલંકી નામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ નીપજયુ છે. આ માછીમાર ગત વર્ષે પોરબંદરની રસુલ સાગર નામની ફિશિંગ બોટમાં માછીમારી માટે ગયેલ હતો. બોટ અને તેમાં રહેલા માછીમારોનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અપહરણ કરાયેલ હતુ. બાદ છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન જેલમાં બંધક હતો. જાે કે, માછીમાર જેન્તી સોલંકીના મોતનું કારણ હજુ અકબંધ છે.સંભવતઃ આજે મૃતક માછીમાર નો મૃતદેહ વાઘા બોર્ડરે ભારતને સોંપશે. જેથી સ્થાનીક ફિશરીઝ વિભાગની ટીમ વાઘા પહોંચી હોય ત્યાંથી મૃતક માછીમારના મૃતદેહનો કબજાે સંભાળી સુત્રાપાડા ખાતે લઈ આવશે.વધુમાં મૃતક માછીમાર જેન્તી કરશન સોલંકી મૂળ સંઘ પ્રદેશ દિવના વણાંકબારાનો છે અને હાલ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સાસરે પરિવાર સાથે રહેતો હતો. જેન્તી કરશન સોલંકીનું પાકિસ્તાન ની જેલમાં શંકાસ્પદ મૃત્યુના સમાચાર મળતાં પરિવાર ઉપર આભ તુટી પડ્યુ હોય તેમ બધા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.વધુ વાંચો -
વેરાવળ ચોપાટી ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા મેરેથોન કે કોરોના દોડ?
- 10, જાન્યુઆરી 2022 01:30 AM
- 2874 comments
- 8947 Views
વેરાવળ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોરોનાની સ્થિતિને જાેતા પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યાં છે, તેમજ અનેક મોટા સરકારી કાર્યક્રમો પણ રદ કરાયા છે. આવામાં નેતાઓ કેમ સુધરતા નથી. હજી પણ નેતાઓ જનમેદની એકઠી કરીને લોકોનો જીવ જાેખમમાં મૂકી રહ્યાં છે. ગીર સોમનાથના વેરાવળમાં કોરોનાની દોડનો વીડિયો સામે આવ્યો છે. વેરાવળ ખાતે મેરેથોન દોડ યોજાઈ હતી, જેમાં હજારો લોકો જાેડાયા હતા. પરંતુ નિયમોનો સત્યાનાશ કરીને મેરેથોન દોડ યોજાઈ હતી. હકીકત તો એ છે કે, સાસંદ રાજેશ ચુડાસમાની હાજરીમાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા.રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આવામાં સાવધાની રાખવી જરૂરી છે. સરકાર ખુદ લોકોની સાવધાની રાખવાની સલાહ આપે છે, પરંતુ સરકારના નેતાઓ જ આ નિયમો ભૂલી જાય છે. વેરાવળની ચોપાટી ખાતે મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા આ મેરેથોન દોડનું આયોજન કરાયુ હતું. જેમાં હજારો સંખ્યામાં સ્પર્ધકો ઉમટી પડ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે, આ મેરેથોન દોડનો પ્રારંભ સાંસદ રાજેશ ચુડાસમાએ કરાવ્યો હતો.એક તરફ રાજ્યમાં કોરોનાના દૈનિક ૫ હજાર કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે, તેવામાં આવા દ્રશ્યોને લીધે અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ દોડમાં ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ સ્પર્ધકો જાેડાયા હતા. હજારોની સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને વડીલો આ દોડમાં જાેડાયા હતા. જેમનું સ્વાસ્થય જાેખમમાં મૂકાયુ હતું. ખુદ સાંસદ નિયમોના ધજાગરા ઉડતા પોતાની આંખે જાેતા રહ્યા, પણ તેમણે કોઈ પગલા ન લીધા. નિયમોનો સત્યાનાશ કરીને મેરેથોન દોડ યોજાઈ હતી. સાસંદ રાજેશ ચુડાસમાની હાજરીમાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા. વેરાવળ ખાતે યોજાયેલા મેરેથોન બાદ શરૂ થયેલ વિવાદ બાદ પણ વેરાવળ ચોપાટી ખાતે હજારોની સંખ્યામાં સ્પર્ધકો અને આયોજકોનું સેલિબ્રેશન ચાલુ રહ્યુ હતું. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ચારેતરફ ઉડતા જાેવા મળ્યાં.વધુ વાંચો -
ગીર સોમનાથ જિલ્લાના આદર્શ ગામ બાદલપરામાં છઠ્ઠીવાર મહિલાઓનું શાસન
- 06, ડિસેમ્બર 2021 01:30 AM
- 8274 comments
- 7790 Views
ગીરસોમનાથ, બાદલપરા ગામ સૌરાષ્ટ્ર અને ગુજરાત નું પ્રથમ ગામ હશે કે જ્યાં સતત છઠી ટર્મ પણ સમરસ મહિલા બોડી સાથે મહિલાઓ નું શાશન સ્થપાયું છે. અમર શહીદ ધાનાબાપા બારડ, રાજ્ય ના માજી મંત્રી અને પૂર્વ સાંસદ દિવંગત જશુભાઈ બારડ અને વર્તમાન ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ ના માદરે વતન એવું બાદલપરા ગામ અન્ય ગ્રામપંચાયતો માટે પ્રેરણાદાયી બન્યું છે. સામાજિક અને સર્વાંગી વિકાસ ના પર્યાય એવા બાદલપરા ગામ માં મહિલાઓ ને દરેક ક્ષેત્રે પ્રાધાન્ય પૂરું પાડવા ની નેમ સાથે બાદલપરા ગામ માં સ્ત્રી અનામત ના હોવા છતાં મહિલાઓ ને જ ૨૦ વર્ષ થી ગ્રામપંચાયત માં સતાનું સુકાન સોંપવા માં આવે છે. અને ગ્રામજનો દ્વારા સર્વાનુમતે જ્યારે સંપૂર્ણ વિશ્વાસ સાથે મહિલાઓ ને સતા સ્થાને બેસાડે છે ત્યારે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની બાદલપરા ગામ ને અત્યાધુનિક સુવિધાઓ થી સજ્જ ગામ બનાવવા માં સફળ રહી છે. આદર્શ સાથે આધુનિક બાદલપરા ગામ સંપૂર્ણ સીસીટીવી, માઇક સિસ્ટમ, ઘરે ઘરે નલ સુવિધા થી સજ્જ બન્યું છે. બાદલપરા ગામ માં આ વખતે અનુસૂચિત અનામત હોય જેથી ગામના અનુસૂચિત સમુદાય માંથી મુક્તાબેન વાળા ની સરપંચ તેમજ અન્ય તમામ મહિલા સદસ્યો ની બિનહરીફ વરણી સાથે છઠી ટર્મ પણ સમરસ મહિલા બોડી બની છે. છેલ્લી પાંચ ટર્મ માં એટલે કે વિસ વર્ષ માં મહિલા શાશન માં બાદલપરા ગામ અનેક એવોર્ડ થી વિજેતા બન્યું છે. ગામ ની સમરસ મહિલા સરપંચ બોડી ગામ ના વિકાસ ને વધુ વેગવંતો બનાવવા અને ગૃહિણીઓ પર ગ્રામજનોએ મુકેલ વિશ્વાસ ને પરિપૂર્ણ કરવા કટિબદ્ધતા દાખવી છે.બાદલપરા ગામની છઠી સમરસ મહિલા બોડી ૧) વાળા મુક્તાબેન મનસુખભાઇ ( સરપંચ ), ૨) કછોટ પુરીબેન વિજયભાઈ ( ઉપસરપંચ), ૩) બારડ નયનાબેન રામભાઈ (સદસ્ય), ૪) ચાવડા કોમલબેન કિશોરભાઈ (સદસ્ય), ૫) પંપાણીયા રમાબેન માંડણભાઈ (સદસ્ય), ૬) બારડ રાજીબેન રમેશભાઈ સોલંકી અર્ચનાબેન નરેન્દ્રભાઈ (સદસ્ય), ૭) સોલંકી મંજુબેન દેવસીભાઈ (સદસ્ય)વધુ વાંચો -
ખેડૂતો માટે જાહેર કરાયેલા રાહત બજેટમાં ગીર સોમનાથનો સમાવેશ કરવા ધારાસભ્યાની માંગણી
- 05, ડિસેમ્બર 2021 01:30 AM
- 1733 comments
- 9511 Views
ગીર સોમનાથ તાજેતરમાં અમુક જિલ્લાયમાં થયેલા કમોસમી વરસાદથી પાકોને થયેલી નુકસાનીનું વળતર ખેડૂતોને આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦૫ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં નુકસાની પહોંચી હોવા છતાં ગીર સોમનાથ જિલ્લાપનો સમાવેશ ન કરાતાં પંથકના લોકને અન્યાથયની લાગણી થઈ હતી. જેથી આ રાહત પેકેજમાં ગીર સોમનાથનો સમાવેશ કરવા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યણમંત્રી અને કૃષી મંત્રીને લેખિત રજૂઆત કરી હતી.તેમજ છેલ્લાન ત્રણેક દિવસથી સોમનાથ પંથકમાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઘઉં, ચણા, તુવેર જેવા પાકોને ભારે નુકસાન થયુ હતું. જેના અંગે સત્વેરે સર્વે કરાવી યોગ્યડ વળતર આપવાની માંગણીને લઇ સોમનાથના ધારાસભ્યાએ રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, થોડા સમય પૂર્વે રાજ્યના અમુક જિલ્લાસઓમાં થયેલા કમોસમી વરસાદના લીઘે ખેતરોમાં રહેલા પાકોને ભારે નુકસાન થયું હતું. જેન અંગે સરકારે સર્વે કરાવી ખેડુતોને થયેલી નુકસાનીનું વળતર ચુકવવા માટે રૂ. ૧૦૫ કરોડનું રાહત પેકેજ બજેટ જાહેર કર્યુ છે. આ બજેટમાં ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો ન હોવાથી તેમના જિલ્લારના ખેડૂતોના પાકોને કમોસમી વરસાદના લીધે નુકસાન થયુ હોવા છતાં વળતરરૂપી લાભ મળી શકે તેમ નથી. ત્યા રે આ રાહત પેકેજનો લાભ સોમનાથ જિલ્લાાના ખેડૂતોને મળે તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યએ માંગણી કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વેરાવળ-સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે ૯૦ ટકા ખેડૂતો ખેતી કરે છે. પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવતા છેલ્લા ત્રણેક દિવસથી કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના લીધે પંથકના ખેડૂતો દ્વારા મોંઘા બિયારણો લઈ પોતાના ખેતરોમાં ઘઉં, ચણા, તુવેર, જીરા જેવા પાકોના કરેલા વાવેતરને અતિભારે નુકશાન પહોચ્યું છે. આ અગાઉ પણ ચોમાસાની સીઝનના અંતમાં પડેલ અતિભારે વરસાદના લીધે સોમનાથ પંથકના ખેડૂતોના પાકો-ખેતરોને ભારે નુકશાન થયું હતું. સોમનાથના ખેડૂતો ચાલુ વર્ષે એક પણ સીઝનમાં સારો પાક મેળવી શકયા નથી. જેના લીધે પંથકના ખેડૂતોની હાલત કથળી ગઇ હોય તેમ પાયમાલીના આરે પહોંચી ગયા છે. જે વિગતોને ધ્યાને રાખી સોમનાથ પંથકમાં વરસેલા કમોસમી વરસાદના લીધે થયેલા નુકસાન અંગે તાત્કાલીક ધોરણે સર્વે કરાવી ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી. જાે આમ નહીં થાય તો આગામી સીઝનમાં પંથકના ખેડૂતો પાકોનું વાવેતર કરી શકશે નહીં. જેથી ધારાસભ્યની આ રજૂઆતના સંદર્ભે તેમણે સત્વીરે ર્નિણય કરી ખેડૂતોને રાહતરૂપી મદદ આપવાની માંગણી કરી હતી.વધુ વાંચો -
પાંચ માછીમારો સાથે ફાયબર બોટ લાપતા
- 05, ડિસેમ્બર 2021 01:30 AM
- 6067 comments
- 9463 Views
ગીર સોમનાથ એક ડિસેમ્બરથી હવામાનમાં આવેલો પલટો અને બાદમાં દરિયાના કાંઠાના વિસ્તાપરોમાં ફુંકાયેલ તોફાની પવનમાં ગીર સોમનાથ જિલ્લા ના નવાબંદરમાં ભારે તારાજી સર્જાઇ હતી. આ તોફાની પવનમાં તા.૩૦ના રોજ દરિયામાં માછીમારી કરવા ગયેલા પાંચ માછીમારો સાથેની વેરાવળની ફાયબર બોટ (હોડી) લાપતા બની છે. આ અંગે બોટ એસો. દ્રારા ગઇકાલે તંત્રને જાણ કરાઇ હોવાથી કોસ્ટવગાર્ડ સહિતની એજન્સી)એ હેલીકોપ્ટારર અને શીપ દ્રારા દરીયામાં શોઘખોળ હાથ ધરી છે. જાેકે. દરિયામાં લાપતા ફાયબર બોટોનો ત્રણ દિવસ વિતવા છતાં પતો ન લાગતા માછીમારોના પરીવારો ચિંતિત બન્યા. છે.એક ડિસેમ્બરે રાત્રિના ગીર સોમનાથના નવાબંદર સહિતના વિસ્તા રમાં ભારે પવન ફુંકાયો હતો. જેમાં નવાબંદરમાં ભારે ખાનાખારાબી સર્જતા અનેક બોટો અને માછીમારો લાપતા બનેલા હોવાથી શોધખોળ હજુ ચાલુ છે. પાંચ દિવસ પૂર્વે વેરાવળ બંદરમાંથી માછીમારી કરવા માટે દરિયામાં પાંચ માછીમારો સાથે ગયેલી ફાયબર બોટ (હોડી) લાપતા બની છે. આ અંગે પ્રાપ્તથ વિગતો મુજબ પાંચ દિવસ પૂર્વે તા.૩૦ના રોજ વેરાવળના જમનાબેન ચુનીલાલ વણીકની માલિકીની “સિધ્ધિ વિનાયક” નામની ઓબીએમ ફાયબર બોટમાં રાઘવ વેલજી ચોરવાડી, કાલીદાસ કરશન વણીક, મોહન હરજી ચોરવાડી, ચુનીલાલ ધનજી ભેંસલા, કાલીદાસ દેવજી કોટીયા નામના પાંચ માછીમારો સાથે માછીમારી કરવા માટે વેરાવળ બંદરેથી દરિયામાં ગઇ હતી. જે બોટ આજદીન સુઘી પરત ન આવતા લાપતા બની છે. જે અંગે સારગપુત્ર ફાઉન્ડેાશન ખારવા લોઘિ સમાજ સમાજ દ્રારા ગઇકાલે તંત્રને લેખિત જાણ કરવામાં આવતા કોસ્ટનગાર્ડએ શોઘખોળ શરૂ કરી છે. આ અંગે સાગરપુત્ર ફાઉન્ડે શન બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલે જણાવ્યું હતું કે, ફાયબર બોટમાં ત્રણેક દિવસ સુધી દરિયામાં રહી માછીમારી કરી શકે તેટલુ રાશન-પાણી હોય છે. જે મુજબ જ લાપતા બનેલી સિધ્ધિ વિનાયક ફાયબર બોટ ગત તા.૩૦ ના રોજ દરિયામાં ગયા બાદ તા.૩ સુધીમાં પરત આવી જવી જાેઇએ જે ન આવી હોવાથી તંત્રને જાણ કરી છે. બે દિવસ અગાઉ લાપતા થયેલી બોટનું છેલ્લુંય લોકેશન વેરાવળથી ચોરવાડની વચ્ચેેના દરીયામાં બતાવતુ હતુ. ત્યાારબાદ દરીયામાં ફુંકાયેલ ભારે તોફાની પવનમાં ફાયબર બોટ લાપતા બની હોઇ શકે છે. હાલ કોસ્ટાગાર્ડનું હેલીકોપ્ટસર અને શીપ ગઇકાલે બપોરથી શોધખોળ કરી રહ્યાં છે.વધુ વાંચો -
ઉનાના નવાબંદર પર તોફાનમાં લાપત્તા થયેલા વધુ એક માછીમારનો મૃતદેહ મળ્યો સાંસદનું સ્થળ નિરીક્ષણ
- 04, ડિસેમ્બર 2021 01:30 AM
- 3564 comments
- 5218 Views
જૂનાગઢ, ગીર સોમનાથના ઉનાના નવાબંદરમાં બે દિવસ પૂર્વે રાત્રીના ફુંકાયેલ તોફાની પવનના લીઘે સર્જાયેલ તારાજીમાં લાપતા ૭ માછીમારોની શોઘખોળમાં વઘુ એક માછીમારોનો મૃતદેહ આજે સવારે તંત્રની ટીમને મળી આવ્યો છે. જેથી આ તારાજીની ઘટનામાં કુલ બે માછીમારોના મૃતદેહો અત્યામર સુઘીમાં મળી આવ્યાર છે. હજુ પણ લાપતા ૬ જેટલા માછીમારોની શોઘખોળ એનડીઆરએફ, કોસ્ટ્ગાર્ડ, નેવી અને મરીન પોલીસની સંયુકત ટીમ કરી રહી છે.ઘટનાને લઇ ગઇકાલથી જ તંત્રએ કોસ્ટ ગાર્ડના હેલીકોપ્ટમર અને વેસલ બોટ તથા નેવીના ચોપર પ્લેમન મારફત રેસ્કનયુ ઓપરેશન કરી લાપતા બોટો અને માછીમારોની શોઘવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં ચાર માછીમારોને જીવિત બચાવી લીઘેલ જયારે જળસમાઘિ લીઘે પાંચ બોટોનો કાટમાળી તંત્રની ટીમને મળી આવ્યોવ હતો. જયારે ગઇકાલે મોડીસાંજે લાપતા ૮ માછીમારોની શોઘખોળ દરમ્યાન શોહીલ રહેમાન શેખ (ઉ.વ.૨૨) નામના માછીમારનો મૃતદેહ મળી આવેલ હતો. ગઇકાલે મોડીસાંજે ૨૫ સભ્યો ની એનડીઆરએફની ટીમ નવાબંદર પહોંચી હતી. એનડીઆરએફ, કોસ્ટા ગાર્ડ, નેવી, મરીન પોલીસની સંયુકત ટીમોએ હેલીકોપ્ટીર, વેસલ હોડી અને બોટો મારફત લાપતા ૭ માછીમારો તથા પાંચ બોટોની રાતભર શોઘખોળ કરી હતી. જેમાં વ્હેકલીસવારે નવાબંદરના માછીમાર રામુભાઇ દેવાભાઇ બાંભણીયા (ઉ.વ.૪૪)નો મૃતદેહ બંદરમાં જેટી પાસેથી ટીમને આવેલ હતો. જેથી મૃતદેહને પીએેમ અર્થે ઉના સરકારી હોસ્પીાટલએ ખસેડવામાં આવેલ છે. જયારે નવાબંદરમાં થયેલ તારાજીના કારણે ફીશીગ બોટો, માછીમારોને અને બંદરને થયેલ નુકસાનીની વિગતો એકત્ર કરવા માટે ફીશરીઝ વિભાગની ટીમએ પણ મુલાકાત લઇ કાર્યવાહી હાથ ઘરી હોવાનું જાણવા મળેલ છે. સવારે સાંસદ રાજેશભાઇ ચુડાસમા નવાબંદરમાં સર્જાયેલ તબાહીની પરિસ્યિવાતિનો તાગ મેળવવા નવાબંદર પહોચ્યાસ હતા. જયાં સાંસદે બંદરના અસરગ્રસ્ત્ વિસ્તાનરોનું રૂબરૂ સ્થતળ નિરીક્ષણ કર્યુ હતુ. નવાબંદરના માછીમાર સમાજના આગેવાનોને મળી નુકસાનીની વિગતો જાણી સરકાર તરફથી પુરી સહાય અપાવવાનું આશ્વાસન આપ્યુો હતુ.વધુ વાંચો -
વેરાવળથી હેલિકોપ્ટરમાં જાન લઈ વરરાજાઓ તાલાલા પરણવા પહોંચ્યા
- 04, ડિસેમ્બર 2021 01:30 AM
- 760 comments
- 805 Views
જૂનાગઢ, ગીર સોમનાથના વેરાવળ પંથકમાં આહીર સમાજના આગેવાનના બે પુત્રનો રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં બન્ને વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈ પરણવા પહોંચ્યા હતા. ગીર સોમનાથમાં હેલિકોપ્ટરમાં જાન આવી હોય એવો આ પ્રથમ કિસ્સો હતો, જેમાં વેરાવળ તાલુકામાંથી વરરાજાની જાન ઊપડી તાલાલા તાલુકામાં ઉતરાણ કરી માંડવે પહોંચી હતી. જિલ્લા મથક વેરાવળ તાલુકાના આજાેઠા ગામે રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો. એમાં આજાેઠા ગામના આહીર સમાજના અગ્રણી નાથુ સોલંકીના બે પુત્રનો શાહી લગ્નોત્સવ ઊજવાયો હતો. બન્ને વરરાજાની જાને આજાેઠાથી હેલિકોપ્ટર મારફત પાડોશી તાલાલા ગીરના ઘૂસિયા ગામમાં શૈક્ષણિક સંકુલના ગ્રાઉન્ડમાં ઉતરાણ કર્યું હતું. ત્યાં બન્ને વરરાજા જાન સાથે ધાવા ગીર ગામે લગ્નસ્થળે પહોંચ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં હેલિકોપ્ટરમાં વરરાજા પરણવા આવ્યા હોય એવો આ પ્રથમ કિસ્સો હતો. આ રજવાડી લગ્નોત્સવમાં સામેલ થયેલા આહીર સમાજના પરિવારો પારંપરિક પહેરવેશ સાથે મંગલ પરિણયમાં સહભાગી થયા હતા. જ્યારે રાસ-ગરબાની રમઝટમાં ગમન સાંથલ, ગીતા રબારી, જિજ્ઞેશ કવિરાજ, દિવ્યા ચૌધરી, ઉર્વશી રાદડિયા, નારાયણ ઠાકર સહિતના ખ્યાતનામ કલાકારોએ રંગત જમાવી હતી. આ લગ્નોત્સવમાં હેલિકોપ્ટરમાં વરરાજાના પ્રયાણને લઈ લોકોમાં અનેરો રોમાંચ જાેવા મળ્યો હતો. રજવાડી ઠાઠ સાથેની જાનને જાેવા હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્રામજનોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં હેલિકોપ્ટરમાં જાન જાેડાતાં નાનાં ભૂલકાંમાં અનેરો રોમાંચ જાેવા મળ્યો હતો.વધુ વાંચો -
દિલ્હીનો વિકલાંગ યુવક ૨૦ વર્ષ બાદ સોમનાથથી મળ્યો
- 28, નવેમ્બર 2021 01:30 AM
- 8749 comments
- 2119 Views
ઉપલેટા, સોમનાથ તીર્થંમાં સેવા કરતી નીરાધાર નો આધાર સંસ્થાએ દિલ્હીથી ૨૦ વર્ષ પેહલા ગુમ થયેલા કટકનાં માનસિક વિકલાંગ યુવકનું પરિવાર સાથે કરાવ્યું મિલન, પરિવારનું ભાઇ સાથે મિલન થતા ત્યાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. મૂળ કટકનો ૨૦ વર્ષ પહેલાં દિલ્હીથી ગુમ થયેલ માનસિક વિકલાંગ યુવક રાજેશ ત્યારે સોમનાથની સેવાભાવી સંસ્થાએ મેલીધેલી હાલતમાં મળી આવેલ યુવકની સારસંભાળ કરીને તેને આશરો આપ્યો હતો. જાેકે ત્યારબાદ તેનો વિસ્તાર જાણીને ત્યાંની પોલીસ સાથે સંપર્ક કરીને યુવકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. બાળપણથી ક્રિકેટમાં કુશળ રાજેશ યુવા અવસ્થામાં આવતા માનસિક મંદતાથી પીડાતો હતો. જ્યારે દિલ્હી ખાતે તે પોતાના ભાઈને મળવા ગયો ત્યારે તે દિલ્હીથી ગુમ થયો હતો. પરિવારે તમામ જગ્યાએ શોધખોળ અને પોલીસ ફરિયાદ કરવા છતાં પણ રાજેશનો કોઈ અતોપતો નહોતો મળતો. જાેકે આખરે ૨૦ વર્ષનો સમયગાળો વીત્યા બાદ જાણે કે પરિવારે રાજેશનાં જીવિત હોવાની આશા ગુમાવી દીધી હતી, પણ નિયતીને કંઇ અન્ય જ મંજૂર હતું. રાજેશ શર્માનાં પરિવારને સુખદ આશ્ચર્યમાં ત્યારે મુક્યા જ્યારે સોમનાથની સેવાભાવી સંસ્થાએ રાજેશના પરિવારનો પોલીસ મારફતે સંપર્ક કર્યો અને રાજેશ સોમનાથમાં હોવાની જાણ કરી. રાજેશ શર્માનાં ભાઇ ઉમેશ શર્મા અને બહેન કુસુમ શર્માએ કહ્યું કે, જ્યારે અમને રાજેશ અંગે સમાચાર મળ્યાં ત્યારે અમારા પરિવારનીખુશીનો પાર ન રહ્યો અને રાજેશ ના ભાઈ બહેન રાજેશ ને લેવા સોમનાથ પહોંચ્યા. નિરાધારનો આધાર' આશ્રમ આ પ્રકારનાં માનસિક દિવ્યાંગોની સેવા છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે. સોમનાથ પશ્ચિમ રેલવેનું અંતિમ સ્ટેશન હોય ટ્રેનમાં બેસેલા માનસિક દિવ્યાંગ લોકો છેલ્લે સોમનાથનાં રસ્તાઓ પર ફરતા જાેવા મળે છે. ત્યારે આ સંસ્થા આવા માનસિક દિવ્યાંગોને શોધીને પરિવાર સાથે મિલન કરાવે છે. આશ્રમનાં વોલેન્ટિયર જનક પારેખનાં જણાવ્યાં પ્રમાણે, રાજેશ ૨ મહિના પેહલા આ સંસ્થાને મળ્યો હતો ત્યારે તેને વ્યવસ્થિત સ્થિતિમાં લાવીને તેના શહેર અને જિલ્લાનું સરનામું મેળવીને પોલીસ મારફતે સંસ્થાએ યુવકને પરિવાર સાથે મેળવ્યો હતો.વધુ વાંચો -
કાર્તિકી પૂર્ણિમાએ સોમનાથ મંદિરમાં ભગવાન શિવ અને ચંદ્રનો અદભૂત નજારો
- 19, નવેમ્બર 2021 01:30 AM
- 2630 comments
- 1580 Views
વેરાવળ, ગત વર્ષે કોરોના મહામારીને કારણે મેળાનું આયોજન રદ્દ કરાયુ હતુ. બાદમાં હાલ દેવદિવાળી પર્વ નજીક આવી રહ્યુ હોવાથી ચાલુ વર્ષે પ્રખ્યાદત કાર્તીકી પૂર્ણિોમાના મેળાનું આયોજન થશે કે કેમ તે અંગે લોકો અને વેપારીઓ ઉત્સાસુકતાથી જાણવા માંગતા હતા. દરમિયાન આજે સોમનાથ ટ્રસ્ટેઉ ચાલુ વર્ષે સરકારની મેળા યોજવાની કોઇ ગાઇડલાઇન ન હોવાથી અને સોમનાથના મેળામાં લાખોની સંખ્યાટમાં લોકો ઉમટતા હોવાથી લોકોની સુખાકારીને ધ્યાને રાખી ચાલુ વર્ષે કાર્તીકી પૂર્ણીમાના મેળાનું આયોજન ન કરવાનો ર્નિણય કર્યો છે.કાર્તીકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિરમાં નિત્યપક્રમ મુજબ મધ્યરાત્રીએ વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી થશે. આ મહાપુજાના સમયે મધ્યરાત્રીએ ૧૨ વાગ્યે સોમનાથ મંદિરના શિખર પર સાક્ષાત ચંદ્ર દેવ બિરાજમાન થશે તેવી ખગોળીય દ્રષ્ટીએ અલોકિક ઘટના સર્જાશે. જેના દર્શન કરવા દુર દુરથી ભાવિકો સોમનાથ મંદિરએ પહોંચે છે. સોમનાથ મંદિરએ થતી વિશેષ પૂજા અર્ચના અને મહાત્મ્ય વિષે સોમનાથ ટ્રસ્ટના અધિકારી વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રભાસક્ષેત્રમાં કાર્તિકી પૂર્ણિમાનુ વિશેષ માહાત્મ્ય રહેલું છે. કારણ કે, કાર્તીકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ ભગવાન શિવ ચંદ્રને મસ્તક પર ધારણ કરે છે. શિવ, ચંદ્રશેખર અને સોમેશ્વર નામથી પૂજાય એ દિવસ પણ કાર્તિકી પૂર્ણિમાનો હોવાથી ધાર્મિક દ્રષ્ટીએ તેનું મહાત્મય છે. દર વર્ષે કાર્તીકી પૂર્ણિમાની મધ્યરાત્રીના ૧૨ વાગ્યે સોમનાથ મંદિરના શિખર પર ચંદ્ર પોતે સ્થાન લે છે, તેનો અલોકીક નજારો નિહાળવા મોટીસંખ્યામાં ભાવિકો સોમનાથ મંદિરએ આવે છે. આ દિવસે મધ્યરાત્રીએ સોમનાથ મહાદેવને મહાઆરતી પણ કરવામાં આવે છે. જેનો લ્હાવો લેવા દર વર્ષે અનેક ભક્તો આવે છે. જે મુજબ આજે રાત્રીના ૧૦ઃ૪૫ વાગ્યે મહાપુજન અને ૧૨ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. સોમનાથ મંદિર રાત્રીના ૧ વાગ્યા સુધી ભાવિકો દર્શન કરી શકે તે માટે ખુલ્લુ રહેશે. નોંધનીય છે કે, સોમનાથ સાંનિધ્યે કાર્તીકી પૂર્ણિ માનું અનેરૂ મહાત્મઆય છે. છેલ્લાા સાત દાયકાથી દર વર્ષે દેવદિવાળીના પર્વે બાદ કાર્તીકી પૂર્ણીમાના દિવસ સુઘી સોમનાથ સાંનિધ્યે પાંચ દિવસીય લોકમેળાનું મંદિર ટ્રસ્ટા દ્રારા આયોજન કરાય છે.વધુ વાંચો -
ગીર- સોમનાથના ૨૦ માછીમારો વતન પરત ફર્યા ઃપરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા
- 19, નવેમ્બર 2021 01:30 AM
- 2332 comments
- 4087 Views
જૂનાગઢ, પાકિસ્તાન દ્વારા પોતાની જેલમાં બંધ ૨૦ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવતા તમામ માછીમારો વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. જેઓ ગુરૂવારના રોજ માદરે વતન વેરાવળ આવી પહોંચ્યા હતા. બે-ત્રણ વર્ષ સુધી પરિવારથી દૂર રહેલા માછીમારોને જાેતા જ તેના પરિવારજનો તેઓનો ભેટી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. માછીમારોએ લાંબો સમય જેલમાં રહ્યા બાદ માદરે વતન પરત ફર્યાનો આનંદ વ્યકત કર્યો હતો. પાકિસ્તાની જેલમાં બંધ પોતાના સાથીઓને વહેલીતકે મુક્ત કરાવવાની માગ પણ કરી હતી. પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય માછીમારો પૈકીના ૨૦ માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામા આવ્યા હતા. આ તમામ માછીમારોની વાઘા-અટારી બોર્ડર પર ભારતને સોંપણી કરવામા આવી હતી. ભારત પરત ફર્યા બાદ ફિશરિઝ વિભાગના માધ્યમથી આ તમામ માછીમારો આજે માદરે વતન વેરાવળ પરત પહોંચ્યા હતા. જે ૨૦ માછીમારો પરત ફર્યા છે તેમાં ૧૯ ગીર સોમનાથના અને ૧ પોરબંદરનો રહેવાસી છે. નવાબંદરનો એક માછીમાર ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતો. જ્યારે બાકીના માછીમાર બેથી ચાર વર્ષ સુધી પાકિસ્તાની જેલમાં બંધ હતા. પાકિસ્તાની મરીન દ્વારા ગીર સોમનાથના માછીમારોનું અપહરણ કરાયા બાદ કોઈ બે વર્ષથી તો કોઈ ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતું. તમામના પરિવારજનો પોતાના પરિજન પાકિસ્તાનની જેલમાંથી પરત આવે તેની રાહ જાેઈ રહ્યા હતા. ગુરૂવારના રોજ ૨૦ માછીમારો વેરાવળ પરત ફરતા જ તેના પરિવારજનો પોતાના સ્વજનને ભેટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જેના કારણે સ્થળ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.સૌ કોઈની આંખો ભીની થઈ ગઇ હતી. ગીર સોમનાથના ૧૯ અને પોરબંદર જિલ્લાનો ૧ માછીમાર પાકિસ્તાની જેલમાં યાતના ભોગવી માદરે વતન પરત ફરતા તેમના અને તેમના પરિવારજનોમાં આનંદ જાેવા મળતો હતો. પરંતુ, જે માછીમારો પરત ફર્યા છે તેઓને દુઃખ એ વાતનું છે કે, હજી પણ તેના ૫૮૦ જેટલા સાથીઓ પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે.વધુ વાંચો -
શરદ પૂનમે સોમનાથમાં લોકો સફેદ વસ્ત્રો પહેરે છે, આ છે તેનું ધાર્મિક મહત્વ
- 20, ઓક્ટોબર 2021 03:35 PM
- 642 comments
- 6169 Views
સોમનાથ-શરદ પૂનમની રાતનું ભારતમાં અનેરું મહત્વ છે. શરદ પૂનમએ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે, ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય છે. આસો સુદ - પૂનમ આવે છે ત્યારે ચંદ્ર સંપૂર્ણ રીતે ખીલી ઉઠે છે. તેનો પ્રકાશ શીતળ લાગે છે. આકાશ નિર્મળ હોય છે. શ્વેત ચાંદની રેલાતી હોય છે. આ શરદ્ પૂર્ણિમાને માણેકઠારી પૂનમ પણ કહેવાય છે. શરદ્ પૂર્ણિમાને દિવસે ભગવાનને દૂધ-પૌહાની પ્રસાદી ધરાવવાની પરંપરા છે, અને લોકો દૂધ-પૌંઆનો પ્રસાદ જમીને ખુશાલી વ્યક્ત કરે છે. શરદ પૂર્ણિમાએ ગોપીઓ પણ રાસનું અલૌકિક સુખ માણવા વ્રજ છોડીને વૃંદાવનમાં આવી ગઈ હતી. આપેલ વચનને પૂર્ણ કરવા અને ગોપીઓને સુખ આપવા માટે શ્રીકૃષ્ણે શરદ પૂર્ણિમાની રાત્રિએ યમુનાના કાંઠે બંસરીના સૂર એવા તો વહેતા મૂક્યા કે, તેમાં ગોપીઓ દેહભાન ભૂલી પ્રેમમાં ઘેલી બની ગઈ છે. રાસમંડળના મધ્યમાં રાધાને પોતાની પડખે રાખી એક ગોપી અને એક કૃષ્ણ એ રીતે ભગવાને અનેકરૂપો ધારણ કર્યાં. ગોપીઓને મહારાસનું દિવ્ય સુખ આપ્યું.સોમનાથમાં શરદપૂર્ણિમાનો સ્પેશિયલ ડ્રેસકોડ વર્ષોથી નક્કી છે. શરદ પૂનમની રાત્રે લોકો દર્શન કરવા જાય ત્યારે સફેદ વસ્ત્રોમાં સજ્જ જોવા મળે છે, ભગવાનને દૂધ-પૌહાની પ્રસાદી ધરાવવાની પરંપરા છે. શરદપૂર્ણિમાની રાત્રીએ ચાંદનીની શીતળતા માટે સફેદ કપડા પહેરવાનું મહાત્મ્ય છે. પુરુષો સફેદ ઝભ્ભા-કૂર્તા કે સફેદ પેન્ટ-શર્ટ અને મહિલાઓ સફેદ ચમકદાર સાડી પહેરે છે. શરદ પૂનમએ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે, ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય છે , ત્યારે ચંદ્રની શીતળતા શરીરને સીધી રીતે સ્પર્શી શકે તેથી લોકો શ્વેત વસ્ત્રો પહેર છે!વધુ વાંચો -
માછીમારોને છોડાવવા સમાજની મહિલાઓ મેદાનમાં આંદોલનની ચીમકી
- 12, ઓક્ટોબર 2021 01:30 AM
- 8887 comments
- 8255 Views
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના ૩૫૦ થી વધુ પાક જેલમાં કેદ માછીમારોને છોડાવવા મહિલાઓ આવી મેદાને છે. મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ સુત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું હતું. ટુંક સમયમાં પાક જેલમાંથી કેદ માછીમારોને છોડાવવા નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.આજે મોટી સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મામલતદાર કચેરી આગળ પાકિસ્તાન જેલમાં કેદ માછીમાર પરિવારની મહિલાઓ રોષ સાથે એકઠી થઈ હતી. સુત્રોચાર સાથે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. માછીમાર પરિવારની મહિલાઓનું કહેવું છે કે છેલ્લા ૪ -૪ વર્ષથી પાકિસ્તાન જેલમાં તેમના ઘરના મોભીઓ સબડી રહ્યા છે. તેમછતાં સરકાર તેમને છોડાવવા માટે પ્રયત્ન કરતી નથી. કોરોના બાદ તો પત્ર વ્યવહાર અને ટેલિફોનિક વાતો પણ બંધ થઈ છે. મહિલાઓનો આક્ષેપ છે કે માછીમારોને પાક જેલમાંથી છોડાવવા પ્રત્યે સરકાર ઉદાસીન દાખવી રહી છે. કોરોના કાળ દરમિયાન વિદેશમાં વસતા ભારતીયો પોતાના પતન પરત આવી શકે તો અમારા પરિજનો કેમ નહિ. અને એટલે જ આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ રોષ સાથે પાક વિરુદ્ધ અને ‘મોદી સરકાર મદદ કરો’ ના સુત્રોચાર કરી કોડીનાર મામલતદારને આવેદન આપી રજુઆત કરી હતી. અને ટુક સમયમાં માછીમારોને છોડાવવા સરકાર પ્રયત્ન નહિ કરે તો આંદોલન પણ કરવા પડશે તો કરીશ.બીજી તરફ માછીમાર પરિવારની મહિલાઓ આક્રોશ પણ યોગ્ય તેવું લાગી રહ્યું કારણ કે પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના ૫૦૦ થી વધુ માછીમારો પૈકી અનેક માછીમારો બે-બે વર્ષ થયા છે. તો અનેક ને ૩ -૪ વર્ષ જેવો સમય થવા છતાં પાક જેલમાંથી મુક્તિ ન મળતા હવે માછીમારોના પરિજનો પ્રતીક્ષા ખોટી હોવી તેવું પણ લાગી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાન જેલમાં પોતાના પરિજનો કેદ હોવાને લઇ અનેક પરિવારો મુશ્કેલીમાં પણ મુકાયા છે. ઘણા લોકોના ઘરમાં બીમારીએ ભરડો લીધો છે. ઘણાને પોતાના બાળકોના અભ્યાસને લઈ ચિંતા છે. પોતાના ઘરના મોભીના વિરહમાં નાના ભૂલકાઓ સહિત વૃધ્ધો પણ ચિંતામાં મુકાયા છે કે ક્યારે પોતાનો સંતાન પાક જેલ માંથી મુક્ત થઈ ઘરે આવશે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી પાંચ સૌથી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. જેમાંથી ૩૫૦ તો માત્ર ગીર સોમનાથ જિલ્લાના જ છે. છેલ્લા ઘણા સમયથી અનેકવાર રજુઆત કરવા છતાં માછીમારો ન છુટતા મહિલાઓમાં રોષ સાથે વેદના જાેવા મળી હતી.વધુ વાંચો -
લાયક હશે તેવા જ ઉમેદવારોને પક્ષમાંથી ટિકિટ આપશે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ
- 10, ઓક્ટોબર 2021 01:30 AM
- 1078 comments
- 2971 Views
સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના કાર્યાલયનું ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટિલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રથમ જ્યોતિર્લીગ સોમનાથ સાંનિધ્યમાં દેશનું પ્રથમ કમળ આકારનું જિલ્લા સંગઠનનું કાર્યાલય બનાવવાનો ર્નિણય કરાયો છે. આ કાર્યાલયને ગીર સોમનાથ ભાજપ દ્વારા સોમ કમલમ નામ આપવામાં આવ્યુ છે. સીઆર પાટિલે આ દરમિયાન ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીને લઇને સૂચક નિવેદન કર્યુ હતુ. સીઆર પાટિલે કહ્યુ કે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં લાયક ઉમેદવારને જ ભાજપ ટિકિટ આપશે, સગાવાદ નહી ચાલે. આ વખતે કોઇ પોતાના સબંધોના આધાર પર ટીકીટ લઇ આવે તો તે વાત ભૂલી જજાે.ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે વધુમાં જણાવ્યું કે, હવે સચિવાલયમાં કોઇ રોકશે નહી કે તમારી સાથે કોઇ ઉદ્ધતાઇ પણ નહી થાય. સાથે જ કોઇ પ્રશ્ન હોય તો ગાંધીનગરની મુલાકાત લેવા જણાવ્યુ હતુ. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ બેઠક જીતવાના દ્રઢ નિર્ધાર કરી કામે લાગી જવા કાર્યકરોને આહવાન કર્યુ હતુ. સીઆર પાટિલે કહ્યુ કે, મુખ્યમંત્રી અને આખી સરકાર બદલાવ્યા બાદ હવે નાના કાર્યકર્તાને પણ ટિકિટ મળવાની ઉજળી તક સાથે આશા બંધાઇ છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોઇ લાગવગ ચાલશે નહી. આ વખતે કોઇ પોતાના સબંધોના આધાર પર ટિકિટ લઇ આવે તો તે વાત ભૂલી જજાે, જેને પાર્ટી કાર્યકર્તાઓનો સપોર્ટ અને લોકોમાં સારી ઇમેજ હશે તેવા લોકોને ટિકિટ આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, દિલ્લીના લોટસ ટેમ્પલ જેવી જ ડિઝાઇન સાથે બનનાર આ સોમ કમલમ કાર્યાલય તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન હશે. જેમાં ૪૦૦ અને ૧૫૦ લોકોની ક્ષમતા ધરાવતા ૨ ઓડીટોરીય હોલ સાથે કોન્ફરન્સરૂમ, ધારાસભ્ય, સાંસદ સહિતનાની જુદી જુદી કેબીનો, મીટીગ હોલ, કીચન, સ્ટોરરૂમ, પાર્કીગ સહિતની સુવિધા હશે.વધુ વાંચો -
'ગુલાબ' વાવાઝોડની અસરના પગલે ગીર સોમનાથના છ તાલુકામાં સાર્વત્રીક વરસાદ
- 28, સપ્ટેમ્બર 2021 11:56 AM
- 769 comments
- 5030 Views
ગીર સોમનાથ-ગુલાબ વાવાઝોડની ગીર સોમનાથ જિલ્લા અને ગીર જંગલમાં સોમવારે બપોર બાદ અસર વર્તાયેલ જોવા મળી રહી છે. જિલ્લાના છ તાલુકાઓમાં સરેરાશ 1 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે, ત્યારે ધોધમાર વરસાદના પગલે જિલ્લાના હિરણ-2, શિંગોડા, રાવલ ડેમના દરવાજા ખોલવા પડેલા હતા, જ્યારે દ્રોણેશ્વર ચેકડેમ ઓવરફ્લો થયેલા, ત્યારે સરસ્વતી નદીમાં પૂર આવતા તેના પટમાં આવેલા પ્રખ્યાત પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર ફરી જળમગ્ન થયુ હતુ, જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની શેરી-રસ્તાઓ પર વરસાદી પાણીની નદી વહેતી થયેલી જોવા મળતી હતી. ત્યારે સરસ્વતી સહિતની અનેક પૂર આવ્યા હતા.સોમવારે બપોરે બાદ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હોય તેમ આકાશમાં થોડા સમયમાં જ ઘટાટોપ કાળા ડીંબાગ વાદળોનું સામ્રજ્ય છવાય ગયુ હતુ. ગાજવીજ સાથે મેઘરાજાએ પઘરામણી કરી હેત વરસાવવાનું શરૂ કરેલું હતુ. આ મેઘસવારી સાંજ સુધી ધીમી ધારે અવિરત ચાલુ રહી હતી.સમગ્ર જિલ્લામાં સાર્વત્રીક વરસાદ વરસવાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો શહેરી વિસ્તારમાં રસ્તાઓ પર અને ગ્રામ્ય વિસ્તારમાં શેરીઓમાં વરસાદી પાણીની નદી વહેતી જોવા મળી હતી. જ્યારે ગીર જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળેલું છે. કેમ કે, ગીર જંગલની બોર્ડરના ગામોના નદી-નાળાઓમાં એકાએક મબલખ પાણીની ધીગી આવક જોવા મળી હતી.ઉપરવાસની સાથે જિલ્લામાં બપોરના સમયગાળામાં વરસેલા ધોધમાર વરસાદના પગલે જિલ્લાના સૌથી મોટા હિરણ-2 ડેમના બે દરવાજા 0.15 સેમી ખોલવા પડયા હતા, જ્યારે ઉના તાલુકામાં આવેલા રાવલ ડેમમાં વરસાદી પાણીની ભરપુર આવકના પગલે 2 દરવાજા એક-એક ફૂટ ખોલાવામાં આવ્યા હતા, જ્યારે કોડીનાર પંથકમાં આવેલા શિંગોડા ડેમમાં વરસાદી પાણીની ભારે આવકના પગલે ડેમના 2 દરવાજા ખોલાવા પડ્યા હતા, જેમાં એક દરવાજો 0.15 મીટર અને બીજો દરવાજો 0.60 મીટર ખોલાવામાં આવ્યો છે.વધુ વાંચો -
ગુજરાતના આ પંથકમાં 3.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી આવ્યા
- 21, સપ્ટેમ્બર 2021 03:40 PM
- 7730 comments
- 6839 Views
રાજકોટ-આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમરેલી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં આંચકાઓનો અનુભવ થયો હતો. ઘૂઘવાણા, બોરાળા, હનુમાનપર,પચપચીયા,ખાડાધાર સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચઓ અનુભવાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2.30 વાગ્યાના સુમારે અનુભાવાયેલ ધરતીકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાઈ હતી. જોકે અચાનક ભુકંપના આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.વધુ વાંચો -
શ્રાવણમાં સોમનાથમાં દાતાઓ વરસ્યા, ટ્રસ્ટને મળ્યું આટલા કરોડનું દાન
- 15, સપ્ટેમ્બર 2021 11:48 AM
- 8369 comments
- 5441 Views
સોમનાથ-જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતુ. કોરોના મહામારીમાં લાંબા સમયથી ઘરોમાં રહ્યા બાદ પરિવારો સોમનાથ આવ્યા હતા. જેથી સોમનાથ તીર્થની અર્થવ્યવસ્થામાં નવું ચેતન આવ્યું છે. તો શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ દાતાઓ દ્વારા ૬૬ સોનાના કળશ પણ મળ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૦૦ જેટલા કળશ મંદિર પર ચડ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોના મહામારીના કેસ ઘટતાની સાથે બાર જ્યોતિર્લિંગ પૈકીના સોમનાથમાં ભાવિકો ઉમટી પડ્યા હતા. જયારે સોમનાથ મંદીર શ્રાવણ માસે દર્શન માટે ખુલ્યું અને ભાવિકોને આરતીમાં પ્રવેશ બંધ હતો તેમ છતાં રાજ્ય અને દેશભરમાંથી ભારે માત્રામાં ભાવિકો, પ્રવાસીઓ સૌરાષ્ટ્ર તરફ આવ્યાં હતાં. માત્ર એક શ્રાવણ માસમાં જ સોમનાથ મંદિરે મહાદેવના દર્શન કરવા માટે ૮ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા. તો છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા કોરોના મહામારીના કારણે સોમનાથ ટ્રસ્ટને પણ નહિવત આવક થઈ હતી. જેની સામે મહામારી બાદ એક નવી ચેતનાનો સંચાર થયો છે અને ૮ લાખથી વધુ ભાવિકો સોમનાથ આવ્યા ત્યારે સોમનાથમાં દાન પુણ્ય અને અન્ય આવકમાં પણ ભુતકાળ કરતા અનેક ગણી આવકમાં વધારો થયો છે અને ટ્રસ્ટને ૮ કરોડ જેટલી આવક પણ થઈ છે. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલીત વિવિધ અતિથિગૃહો કે જેમાં વ્યાજબી ભાવે ઉત્તમ સુવિધાઓ મળે છે અને જમવા માટે પૌષ્ટિક ગુજરાતી થાળી, તેમજ નવો વોક વે, મ્યુઝિયમ સહિતની આવકમાં ઘરખમ વધારો થયો છે. જયારે ૪૦૩ જેટલા ધ્વજા રોહણ, ૭૪ સવાલક્ષ બીલ્વપુજાઓ, ગોલખપેટી માં ૧.૭૬ કરોડ, વિવિધ પુજાઓના ૧.૫ કરોડ, પ્રસાદીની આવક ૨.૬૫ કરોડ થઈ છે. અને ૫૦ લાખનું દાન મળ્યું છે. જયારે નવા બનેલા વોક વેની આવક ૧.૫ કરોડ, ભોજનાલયોમાં ૭૮ લાખ, ગેસ્ટ હાઉસમાં ૯૪ લાખની આવક થઈ છે. તો મંદિર પર ૬૬ સોનાના કળશોનું પણ દાન મળ્યું છે. જાેકે આમ જાેઈએ તો ગતવર્ષે કોરોના મહામારીના કારણે દેશભરમાં મંદિરો સહિત પ્રયટક સ્થળો પર પ્રતિબંધ હતો અને લાંબા સમય ગાળા દરમિયાન ચાલે લોકડાઉનના કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. જાેકે ગતવર્ષે પણ કોરોનાની ગાઈડલાઈન પાલન સાથે સોમનાથ મંદિરમાં લોકોને પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ લોકો જ કોરોનાને કારણે ઘરમાં રહી સુરક્ષિત રહેવા ઇચ્છતા હોય તેમ ગતવર્ષે શ્રાવણ માસમાં માત્ર ૧.૮૦ લાખ ભાવિકો જ સોમનાથના દર્શને આવ્યા હતા અને સોમનાથ ટ્રસ્ટને માત્ર ૨.૫ કરોડની જ આવક થઈ હતી. જાેકે ચાલુ વર્ષે કોરોનાનો થોડો ભય ઓછો થતા આવક અને યાત્રિકો બન્નેમાં વધારો થયો છે. જાેકે આવકની સામે ચાલુ વર્ષે શ્રાવણ માસમાં સોમનાથ ટ્રસ્ટને યાત્રી સુવિધાઓમાં ૫ કરોડનો ખર્ચ પણ થયો છે.વધુ વાંચો -
શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને જન્માષ્ટમીના પાવન અવસરે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ
- 30, ઓગ્સ્ટ 2021 11:54 AM
- 5997 comments
- 1244 Views
અમદાવાદ-શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને સોમવારે મહાદેવના દર્શન કરવાનો ખાસ વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળતું હોય છે ત્યારે આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને જન્માષ્ટમી ના પાવન પર્વ ધાર્મિક સુમેળભર્યા અવસરે દેશ અને દુનિયાના શિવ ભક્તોએ સોમનાથ મહાદેવના દરબારમાં હાજરી આપી ને પવિત્ર શ્રાવણ માસ ના સોમવારે શિવ કૃપા પ્રાપ્ત કરી હતી. જેમ જેમ શ્રાવણ માસ તેના અંતિમ ચરણ તરફ આગળ વધતો જાય છે તેમ તેમ શિવ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જાણે કે તલપાપડ બનતા હોય તે પ્રકારે ખુબ મોટી સંખ્યામાં આવ્યા હતા. આજે પવિત્ર શ્રાવણ મહિનો ચોથો સોમવાર અને જન્માષ્ટમીનો પાવન અવસર છે આ પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તોએ હાજરી આપી હતી. વહેલી સવારથી જ મહાદેવના દર્શન કરીને શિવ ભક્તોએ શ્રાવણ માસના સોમવારને સાથે જન્માષ્ટમીના તહેવારની પણ ઉજવણી કરી હતી. આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર હોવાને કારણે પણ શિવ ભક્તોમાં શિવ મહિમા અને દર્શનને લઈને ભારે ઉમળકો જોવા મળી રહ્યો હતો.વધુ વાંચો -
CM રૂપાણીએ પરિવાર સાથે સોમનાથદાદાના કર્યા દર્શન, જળાભિષેક કરીને જાણો શું કરી પ્રાર્થનના
- 20, ઓગ્સ્ટ 2021 03:14 PM
- 4389 comments
- 4271 Views
ગીર સોમનાથ-મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સોમનાથમાં નવનિર્મિત ચાર પ્રકલ્પના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી મુખ્યપ્રધાન રૂપાણીએ આજે વહેલી સવારે તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે સોમનાથ મહાદેવના દર્શન અભિષેક અને પૂજા કરીને આજે લોકાર્પણ થવા જઇ રહેલા તમામ પ્રકલ્પોને ભવ્યાતિભવ્ય સફળતા મળે તેવી સોમનાથદાદાના ચરણોમાં પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ તેમની પત્ની સાથે સોમનાથ મહાદેવ પર જળાભિષેક કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. ત્યારબાદ મુખ્યમંત્રી રૂપાણી પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યાં હતાં અને સોમનાથના સુવર્ણ ઇતિહાસમાં ચાર પ્રકલ્પના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. સીએમ રૂપાણી આજે સોમનાથના ચાર પ્રકલ્પનું લોકાર્પણ કરવા માટે સોમનાથ આવ્યાં હતાં. મુખ્યમંત્રી રૂપાણીએ તેમના ધર્મપત્ની અંજલિબેન સાથે સોમનાથ મહાદેવને અભિષેક કર્યો હતો અને આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે તેમાં ભવ્યાતિભવ્ય સફળતા મળે તેવી સોમનાથદાદાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.વધુ વાંચો -
વડાપ્રધાન મોદી દ્વારા સોમનાથમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ
- 20, ઓગ્સ્ટ 2021 11:55 AM
- 8935 comments
- 6022 Views
ગીર સોમનાથ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 20 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સોમનાથ 'સમુદ્ર દર્શન' વોક-વે, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને જીર્ણોદ્ધાર કરેલા અહલ્યાબાઈ હોલકર મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તેઓ સોમનાથ મંદિર પરિસરમાં 22 કરોડના ખર્ચે નિર્માણ થનારા પાર્વતી મંદિરનું ભૂમિપૂજન કરાશે. અહિલ્યાબાઈ હોલકર જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે અને તે મુખ્ય મંદિરની વિરુદ્ધની દિશામાં આવેલું છે. તેના નવીનીકરણ પર લગભગ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. લગભગ એક કિલોમીટર લાંબા 'સમુદ્ર દર્શન' ફુટ પાથના નિર્માણ પાછળ લગભગ 47 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભગવાન સોમનાથના દર્શન કરવા પહોંચેલા યાત્રાળુઓ છૂટથી સમુદ્ર તટનો આનંદ માણી શકશે હરી ફરી શકશે સાથે જ મંદિરના અદભૂત નજરાનો લ્હાવો પણ લઈ શકશે. સોમનાથ પ્રદર્શન કેન્દ્ર સોમનાથ મંદિરના પરિસરમાં સ્થિત પ્રવાસી સુવિધા કેન્દ્ર નજીક આવેલું છે. આ પ્રદર્શન કેન્દ્રમાં સોમનાથના ઇતિહાસને લગતી ઘણી પ્રતિકૃતિઓ ત્યાં રાખવામાં આવી છે.વધુ વાંચો -
સોમનાથ મંદિરની વધશે ભવ્યતાઃ PM મોદી 5 અલગ અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે
- 19, ઓગ્સ્ટ 2021 10:28 AM
- 3783 comments
- 5002 Views
ગીર સોમનાથ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 20 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સોમનાથ 'સમુદ્ર દર્શન' વોક-વે, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને જીર્ણોદ્ધાર કરેલા અહલ્યાબાઈ હોલકર મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તેઓ સોમનાથ મંદિર પરિસરમાં 22 કરોડના ખર્ચે નિર્માણ થનારા પાર્વતી મંદિરનું ભૂમિપૂજન કરાશે. અહિલ્યાબાઈ હોલકર જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે અને તે મુખ્ય મંદિરની વિરુદ્ધની દિશામાં આવેલું છે. તેના નવીનીકરણ પર લગભગ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. લગભગ એક કિલોમીટર લાંબા 'સમુદ્ર દર્શન' ફુટ પાથના નિર્માણ પાછળ લગભગ 47 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભગવાન સોમનાથના દર્શન કરવા પહોંચેલા યાત્રાળુઓ છૂટથી સમુદ્ર તટનો આનંદ માણી શકશે હરી ફરી શકશે સાથે જ મંદિરના અદભૂત નજરાનો લ્હાવો પણ લઈ શકશે. સોમનાથ પ્રદર્શન કેન્દ્ર સોમનાથ મંદિરના પરિસરમાં સ્થિત પ્રવાસી સુવિધા કેન્દ્ર નજીક આવેલું છે. આ પ્રદર્શન કેન્દ્રમાં સોમનાથના ઇતિહાસને લગતી ઘણી પ્રતિકૃતિઓ ત્યાં રાખવામાં આવી છે.વધુ વાંચો -
World Lion Day : સૌ પ્રથમ વર્ષ 1911 મા જૂનાગઢ નવાબે ગીરના સિંહોને કર્યા સંરક્ષિત અને આજે સંખ્યા 600 પાર પહોંચી
- 10, ઓગ્સ્ટ 2021 02:33 PM
- 5486 comments
- 7248 Views
રાજકોટ-એશિયાનું ગૌરવ અના જૂનાગઢની શાન એશીયેટીક લાયનની આગવી પ્રતિભા અંકીત કરતા વિશ્વ સિંહ દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે.સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ઘન માટે લોકોમાં જાગૃતિ અને સિંહનાં સંરક્ષણ અને સંવર્ઘનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. એશિયાનું એક માત્ર ગુજરાતના ગીરમાં જોવા મળતા સિંહોનું સામ્રાજ્ય ભારતના અનેક રાજ્યોની સાથે અન્ય દેશોમાં પણ જોવા મળતું હતું, પરંતુ કાળક્રમે સિંહોના નૈસર્ગિક કુદરતી અને લોકો દ્વારા નુકશાન થતા સિંહ આજે માત્ર ગુજરાત અને ગીરના જંગલમાં જોવા મળે છે,ગુજરાત અને ભારત સિવાય વર્ષો પહેલા જંગલના રાજા સિંહ મેસોપોટેમીયા,અરેબિયા અને પર્શિયા જેવા દેશોમાં પણ જોવા મળતા હતા,પરંતુ સિંહોના અકાળે શિકાર અને તેના રહેઠાણો નષ્ટ થવાને કારણે જંગલના રાજા સિંહ એશિયામાં એક માત્ર ગુજરાત ગીરમાં જોવા મળી રહ્યા છે.સિંહોનું એકમાત્ર નિવાસ્થાન 'ગીર' ગીરમાં જોવા મળતા જંગલના રાજા સિંહનું વર્ચસ્વ ભારત સહિત વિશ્વના કેટલાક દેશોમાં જોવા મળતું હતું,પરંતુ જંગલના રાજાની ડણક જાણે કે કેટલાક રાજ્ય અને દેશના લોકોને જાણે આંખમાં કણાની જેમ ખૂંચતી હોય તે પ્રકારે સિંહોના પ્રાકૃતિક નિવાસ્થાનોને ખૂબ મોટું નુકશાન કરીને સિંહોના શિકાર જેવા શોખ પાડીને જંગલના રાજા સમા જાજરમાન પ્રાણી સિંહ કાળક્રમે નષ્ટ થયા અને આજે એકમાત્ર એશિયામાં અને તે પણ ગુજરાતના ગીરમાં જોવા મળી રહ્યા છે. જંગલના રાજાને સંભાળવાનું અભિમાન આજે ગુજરાતની સાથે ગીર લઈ રહ્યું છે.તેની પાછળની મહેનતના કારણે ગીરના જંગલોમાં સિંહ મુક્ત મને ફૂલ્યા ફાલ્યા રહે છે. ગીરનાં સાવજોની સંખ્યામાં વધારો એશિયા સહીત વિશ્વના અરેબિયા, પર્શિયા અને મોસોપોટેમીયા દેશોમાં સિંહ કાળક્રમે આજે લુપ્ત બન્યા છે,પરંતુ જંગલના રાજાને સાચવવાનું અભિમાન આજે ગીર લઈ રહ્યું છે, વર્ષ 1884માં સૌરાષ્ટ્રની બહાર એકમાત્ર સિંહની હાજરી નોંધાય હતી, વર્ષ 1963માં ગિરનાર વિસ્તારમાં અંતિમ વખત સિંહ જોવા મળ્યો હતો, પરંતુ આજે સિંહોના સંવર્ધન અને તેની સલામતી ખુબજ મજબૂત થતાં ગિરનાર વિસ્તારમાં પણ આજે 20 કરતા વધુ વનરાજો જોવા મળી રહ્યા છે.જૂનાગઢમાં વર્ષ 1911માં નવાબે સતત ઘટતી જતી સિંહોની સંતતિને લઈને સિંહોના શિકાર પર પ્રતિબંધ લાગાવ્યોઅને પકડાયેલા પ્રત્યેક વ્યક્તિને મરણતુલ્ય સજા આપવાનું નક્કી કર્યું, ત્યારથી ગીરમાં સિંહોને જાણે કે મોકલું મેદાન મળ્યું હોય તે પ્રકારે સિંહોની સંતતિ સતત વધતી રહી છે. જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર મુક્યો પ્રતિબંધ નવાબી કાળમાં સિંહોનો શિકાર થતો હતો, જેના કારણે જંગલના રાજાની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો અને જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર પ્રતિબંધ મૂકીને આ પ્રકારની ગેર કાનૂની ગતિવિધિમાં સામેલ સૌ કોઈને આકરી સજા ફટકારવાનો નિર્ણય કર્યો હતો.આ કારણે ગીરના સિંહોની સંતતિ સલામત રહી અને આજે સમગ્ર એશિયામાં 600 કરતા વધુ સિંહો એકમાત્ર ગીરના જંગલમાં જોવા મળે છે. સતત ઘટતી જતી સિંહોની સંખ્યા અને સિંહોની સુરક્ષાને લઈને નવાબ બાદ રાજ્યના વનવિભાગે કેટલાક સચોટ અને પરિણામલક્ષી કાર્યક્રમો ઘ્વારા આજે ગીરમાંથી સિંહોને લુપ્ત થતા અટકાવી દીધા છે. જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓની સંખ્યામાં ઘટાડોસમય બદલવાની સાથે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને માનવ બળે સિંહના શિકાર અને તેની પજવણીની ઘટનાઓ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો છે. વન વિભાગના કર્મચારી અને અધિકારીઓને સિંહોની સુરક્ષા માટે હથિયાર સહિત આધુનિક કહી શકાય તેવાત વાયરલેસ ટેકનોલોજી સભર વાહનો, સિંહોને રેડિયો કોલર, CCTV કેમેરા અને 24 કલાક સતત જંગલના એક એક રસ્તા પર નજર રાખતા વન વિભાગના કાર્યનિષ્ઠ કર્મચારીઓને કારણે 2008 બાદ સિંહોના શિકારની એક પણ ઘટના કે ગતિવિધિ સામે આવી નથી. આગામી દિવસોમાં વન વિભાગ ટેકનોલોજીના સહારે સિંહોની સુરક્ષાને લઇને વધુ કેટલાક પગલાં ઉઠાવવા જઈ રહી છે, જેને કારણે જંગલના રાજા સિંહની સુરક્ષા વધુ ચોક્કસ બની શકશે. સાસણ નજીક પણ સિંહોની સુરક્ષા અને તેની ગતિવિધિ પર 24 કલાક નજર રહી શકે તેમજ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર થતા પ્રવેશને રોકી શકાય તે માટે કંટ્રોલ યુનિટની પણ સ્થાપના કરવામાં આવી છે. જેના થકી જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર વ્યક્તિઓની સંખ્યામાં પણ ખુબજ ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે તમામ લોકોને અભિનંદન આપ્યાવિશ્વ સિંહ દિવસ નિમિત્તે તમામ લોકોને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, "સિંહ જાજરમાન અને હિંમતવાન છે. ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે. વિશ્વ સિંહ દિવસ પર, હું સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી એવા તમામ લોકોને અભિનંદન આપું છું. તમને જાણીને આનંદ થશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સિંહની વસ્તીમાં સતત વધારો થયો છે. ”વધુ વાંચો -
ડોક્ટર્સ હડતાળ છોડી નિયત સ્થળે હાજર થાય પછી જ સરકાર વાત કરશેઃ નીતિન પટેલ
- 10, ઓગ્સ્ટ 2021 02:07 PM
- 221 comments
- 6147 Views
ગીર સોમનાથ-રાજ્યના નાયબ મુખ્યમંત્રી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે મંદિરમાં દર્શન પણ કર્યા હતા. તો બીજી તરફ તેમણે અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડોક્ટર્સ હડતાળ છોડે અને નિયત સ્થળે હાજર થાય પછી જ સરકાર તેમની સાથે વાતચીત કરશે. અને ડોક્ટર બની ગયા પછી રેસિડેન્ટ ડોક્ટર્સે હોસ્ટેલમાં રોકાવવાનો કોઈ હક નથી. આ સાથે જ નાયબ મુખ્યપ્રધાને તબીબોના આ હડતાળને ગેરવ્યાજબી અને અયોગ્ય જણાવી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એક વખત સરકારી મેડિકલ કોલેજમાંથી અભ્યાસ પૂરો કરીને ડોકટર બની ગયા બાદ એ ભૂતપૂર્વ વિદ્યાર્થીને હોસ્ટેલમાં રહેવાનો અધિકાર નથી. તેમ જ સરકારી કોલેજમાં મેડિકલ અભ્યાસમાં ભરતી વખતે બોન્ડ સાઈન થયેલ હોય છે, જેમાં વ્યક્તિ કાં તો સરકારના આરોગ્ય વિભાગ વતી હેલ્થ સેન્ટરમાં 1 વર્ષ નોકરી કરશે અથવા 10 લાખ રૂપિયાના બોન્ડ જમા કરાવશે. નાયબ મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, રેસિડેન્ટ ડોકટર્સ આ શરતનો ભંગ કરીને ગેરવ્યાજબી હડતાળ કરી રહ્યા છે. આ મુદ્દે સરકાર જરા પણ નમતું જોખવાની નથી. કોરોના કાળમાં સેવા કર્યા બાદ હવે ડોકટર્સે પોતાને નિયત કરેલા હેલ્થ સેન્ટર્સ પર હાજર થવું જ પડશે. અને ત્યારબાદ શક્ય બદલી સરકાર કરી આપશે ત્યારે રેસિડેન્ટ ડોકટરો અને સરકાર વચ્ચે ચાલતો વિવાદ હજુ વધુ ભડકતો દેખાઈ રહ્યો છે. આમ, તબીબો અને સરકાર વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં નાયબ મુખ્યપ્રધાનના નિવેદન બાદ ફરી આ મામલો વધુ ગરમાયો છે.વધુ વાંચો -
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, ભક્તોએ કોવિડના નિયમોનું કરવુ પડશે પાલન
- 09, ઓગ્સ્ટ 2021 12:02 PM
- 7954 comments
- 8870 Views
ગીર સોમનાથ-આજથી હિંદુઓનાં પવિત્ર અને પાવન ગણાતા એવા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે શ્રાવણ માસનાં પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં મહાદેવનાં દર્શાનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આપને જણાવી દઇએ કેે, બાર જ્યોતિર્લિંગ પૈકીનાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ જયોતિર્લિંગનાં દર્શનાર્થે આજે સવારતી ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાવિકોએ સોમનાથ દાદાનાં દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. અહી ભક્તો વિવિધ સ્લોટમાં દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામા આવી છે. હાલમાં કોરોનાવાયરસ મહામારીનાં કહેરનાં કારણે ભક્તોએ કોવિડનાં નિયમોનું પાલન કરવુ પડશે. તમામ ભક્તોએે અહી માસ્ક પહેરવુ જરૂરી છે. આજથી પ્રારંભ થયેલા પવિત્ર શ્રાવણ મહિનાનાં પહેલા દિવસે બીલેશ્વર મહાદેવ ખાતે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે. અહી શ્રદ્ધાળુઓએ વહેલી સવારથી જ દર્શન માટેે આવી ગયા છે. જો કે અહી કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી તમામ ભક્તોને માસ્ક પહેરવુ ફરજીયાત કહેવામાં આવ્યુ છે. પવિત્ર શ્રાવણ માસ પૂર્વેે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ