નર્મદા સમાચાર
-
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 5807 comments
- 5439 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
મુખ્યમંત્રીના રૂટના રસ્તા બંધ કરાતાં ઠેર-ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં ઃ લોકો અટવાયાં
- 13, ઓક્ટોબર 2022 01:15 AM
- 4446 comments
- 1925 Views
વડોદરા, તા.૭સંસ્કારી અને ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા ગણેશજીના દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે વિવિઘ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીના દર્શન કર્યા હતા.જ્યારે બીજી તરફ મુખ્યમંત્રીના આગમનને લઈને પોલીસ દ્વારા જેતે વિસ્તારોના રસ્તાઓ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. તેમજ પરીવાર સાથે દર્શનાર્થે નિકળેલા લોકો અચવાઈ ગયા હતા. ગણેશોત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી વિવિધ પંડાલોમાં બિરાજમાન શ્રીજીના દર્શન કર્યા હતા.તેઓ સાથે પ્રદેશ ભાજપા મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ,કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યના બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ મેયર કેયુર રોકડિયા તથા ધારાસભ્યો કાઉન્સિલરો તેમજ શહેરના હોદ્દેદારો,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે વર્ષો ની પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રીઓ વડોદરાના ગણેશ ઉત્સવમાં ગણેશજી ના દર્શન માટે અચૂક હાજરી આપે છે આજે વડોદરા શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્ર ભુપેન્દ્ર પટેલ ખાસ દર્શન માટે આવ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા શ્રીજીના દર્શન કર્યા હતા. જાેકે, મુખ્યમંત્રીનો કાફલો જેજે રૂટ પરથી પસાર થઈને જે ગણેશજીના પંડાલ માં જવાનો હતો જે માર્ગ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા સાથે પરીવારના સભ્યો સાથે ગણેશજીના દર્શનાર્થે નિકળેલા લોકો અટવાઈ ગયા હતા.મુખ્યમંત્રીએ હરણી રોડ, નવા બજાર, દાંડિયા બજાર એસવીપીસી ટ્રસ્ટ ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રજીને સુવર્ણ માળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ બગીખાના, વારસિયા રીંગ રોડ માંજલપુર , ઇલોરા પાર્ક તથા સુભાનપુરા હાઈ ટેન્શન વિસ્તારમાં સ્થાપના કરાયેલા ગણેશજીના દર્શન કર્યા હતા.વધુ વાંચો -
નર્મદા ડેમની જળ સપાટી વધતા પૂરનો ખતરો
- 17, ઓગ્સ્ટ 2022 01:15 AM
- 7767 comments
- 7882 Views
રાજપીપળા,તા.૧૬સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૪.૭૭ મીટરે નોંધાઈ છે.ઉપરવાસના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે ૩.૪૩ લાખથી પણ વધુ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઈ રહી છે.ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે ડેમના ૨૩ દરવાજા ૨.૯૦ મીટર સુધી ખોલી આશરે ૪.૫ લાખ ક્યુસેક અને ભૂગર્ભ જળવિદ્યુત મથકમાંથી વિજ ઉત્પાદન બાદ છોડાઈ રહેલા પાણી સહિત કુલ-૪.૯૫ લાખ ક્યુસેક પાણીનો જથ્થો નદીમાં છોડાઇ રહ્યો છે.હાલ નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.નર્મદા ડેમ પર મધ્યપ્રદેશથી પાણીની આવકનું કારણ મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર તવા હોસંગાબાદ ઇન્દિરા સાગર ,ઓમકારેશ્વર તમામ ડેમો ભરાઈ ગયા છે, સાથે સાથે વરસાદ પડે છે એના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની આવક વધી રહી છે.નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચવામાં ૪ મીટર બાકી છે.બીજી તરફ પાણીની આવક સતત થતી હોવાના કારણે ૨૪ કલાક વીજ મથક ચાલે છે જેના કારણે અત્યાર સુધીમાં ૧૦૦ કરોડથી પણ વધારે રૂપિયાની વીજળી પેદા થઈ ગઈ છે, મુખ્ય કેનાલની અંદર ૨૦ હજાર ક્યુસેક પાણી સીધું રાજ્યના અનેક વિસ્તારમાં સિંચાઈ અને પીવા માટે આપવામાં આવી રહ્યું છે.સતત પાણીની આવક વધવાના કારણે જે ભરૂચ નર્મદા નદી વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવે છે ખાસ કરીને જે ગામની વાત કરીએ તો નર્મદા ભરૂચ અને વડોદરાના ૬૭ જેટલાં ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ જીવંત જથ્થો ૪૫૦૨.૫૦ મિલીયન ક્યુબીક મીટર છે.મધ્ય પ્રદેશમાં ભોપાલ, નર્મદા પુરમ, જબલપુર, ગુના, શીવપુરી, સાગર જિલ્લાઓમા સતત વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી શકે છે.વધુ વાંચો -
જિલ્લાના બાકી ગામોમાં વીજ પુરવઠો ઝડપભેર પુનઃ સ્થાપિત કરવામાં આવશે ઃ મુખ્યમંત્રી
- 13, જુલાઈ 2022 01:15 AM
- 7383 comments
- 1711 Views
બોડેલી, તા.૧૨મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત બોડેલી વિસ્તારની મુલાકાત મંગળવારે લીધી હતી. મુખ્યમંત્રી વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા વગેરે અંગે વિગતો મેળવી હતી.ભૂપેન્દ્ર પટેલે બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળીને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી હતી.મુખ્યમંત્રીએ શિરોલાવાલા હાઈસ્કુલ ખાતેના આશ્રયસ્થાનમાં આશરો લઈ રહેલા અસરગ્રસ્ત લોકોની પણ મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી અને સરકાર તેમની પડખે છે તેવો સધિયારો આપ્યો હતો. શિરોલાવાલા હાઈસ્કુલ ખાતે મુખ્યમંત્રી વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાને પણ મળ્યા હતા. વિરોધપક્ષના નેતાએ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વેરેલા વિનાશની વિગતો મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને મદદરૂપ થવાની હૈયાધારણા આપી પૂર અસરગ્રસ્તોને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ જરૂરી તમામ સહાય સમયમર્યાદામાં ચુકવવામાં આવશે તેમ ઉમેર્યું હતું રાચરચીલું પાણીમાં તણાઇ જતાં લોકોને મુશ્કેલી બોડેલી ઃ મુખ્યમંત્રી વરસાદ થી થયેલા નુકસાન વર્ધમાન નગર ,રજા નગર અને શિરોલાવાલા હાઈસ્કૂલની મુલાકાંતે પહોંચ્યા હતા.પાણી ઓસરરતા લોકોની હાલત કફોડી અનાજ, કપડા ઘરનું રાચ રચીલુ પાણી મા તણાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છેવધુ વાંચો -
રોડના રૂા.૧૩૦ કરોડના કામોમાં રીંગ ટેન્ડર મંજૂર કરાવવા માટે રૂા.૩,૦૦,૦૦,૦૦૦ નું સેટિંગ
- 13, જાન્યુઆરી 2022 01:15 AM
- 6138 comments
- 5173 Views
લોકસત્તા વિશેષ, તા.૧૨ લાંબા સમયથી રગસીયા ગાડાની જેમ ચાલતા શહેરના વિકાસ માટે ખાલી તિજાેરી કારણભૂત માનવામાં આવે છે. ત્યારે કોર્પોરેશનની ખાલી તિજાેરી પર ધાડ પાડવા માટે કોર્પોરેશનના રોડના કોન્ટ્રાકટરોએ શહેર ભાજપ સંગઠનના એક વરિષ્ઠ નેતાના આશિર્વાદથી રીંગ કરવાનો કારસો રચ્યો છે. જેમાં રૃપિયા ૧૩૦ કરોડના કામો ભરવા માટે ક્વોલીફાઈડ થતા તમામ કોન્ટ્રાકટરોએ પોતપોતાના કામો વહેચી લીધા હતા. રૃપિયા ૧૩૦ કરોડના કામો કોઈ પણ જાતના વિઘ્ન વગર આવતીકાલે સ્થાયી સમિતિની બેઠકમાં મંજુર થઈ જાય તે માટે રૃપિયા ૩ કરોડની કટકી આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આટલી જંગી રકમ આપી આવતીકાલે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં નિર્વિધ્ન ટેન્ડર મંજુર કરવાનો કારસો રચાયો હોવાનું સામે આવ્યું છે. લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરમાં રસ્તાઓને કારપેટ અને સિલકોટ કરવા માટે રસ્તા શાખા દ્વારા ઝોન મુજબ નવા કામોના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ ટેન્ડરમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં આગામી એક વર્ષ દરમ્યાન રસ્તાને કારપેટ સિલકોટ કરવા માટે આશરે રૃપિયા ૧૩૦ કરોડના જુદા જુદા ટેન્ડર જાહેર કરાયા હતા. જેમાં રોડ પ્રોજેક્ટ શાખા મારફતે થનાર રસ્તા અને ઝોન કક્ષાએ થનાર રસ્તાના જુદા જુદા વાર્ષિક ઈજારા જાહેર કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે તંદુરસ્ત સ્પર્ધા થઈ સારી ગુણવતાના કામો થાય તે રીતે ટેન્ડર પ્રક્રિયા કરવાની રહેતી હોય છે. પરંતું કોર્પોરેશનમાં વર્ષોથી ઉધઈની જેમ કાર્યરત કોન્ટ્રાકટરોએ રીંગ બનાવી તમામ કામોની આંતરીક વહેંચણી કરી લીધી હતી. જે કામોમાં કોર્પોરેશનની તિજાેરીને સ્પર્ધાત્મકતાનો લાભ મળે તે મુજબ ટેન્ડર ભરવાના બદલે રીંગ કરી એક સરખા ભાવે ટેન્ડરો ભરવામાં આવ્યા છે. જેમાં દરેક કોન્ટ્રાકટરે એક એક ઝોન વહેંચી લીધો છે. કોર્પોરેશનના નિયમો વિરૃધ્ધ રીંગ કરીને ભરવામાં આવેલા ટેન્ડર મંજુર કરવા માટે કોઈ વિધ્ન ન આવે તે માટે કોન્ટ્રાકટરોએ રાજકીય આકાઓને વિશ્વાસમાં લઈ આશરે રૃપિયા ૩ કરોડ જેટલી જંગી રકમની વહેંચણી કરવાનું નક્કી કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં વાર્ષિક ઈજારામાં જેમ જેમ ગ્રાંટની ફાળવણી થશે તેમ તેમ તબક્કાવાર આ કટકીના રૃપિયા આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આવતીકાલે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં આ તમામ કામો કોઈ પણ વિવાદ વગર મંજુર થઈ જાય તે માટે તમામ રાજકીય વિરોધીઓને એક માળામાં પોરવી દેવામાં આવ્યા હોવાનુ પણ કહેવાય છે. ત્યારે આટલી જંગી ગોઠવણ સાથેના ટેન્ડર અંગે સ્થાયી સમિતિ શું ર્નિણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. રાજકીય દબાણ હોવાનું ટેન્ડર કમિટીની બેઠકમાં કોને કહ્યું? ટેન્ડર પ્રક્રિયામાં સ્થાયી સમિતિ સમક્ષ ટેન્ડર મોકલતા પૂર્વે તેને અધિકારીઓની બનેલી ટેન્ડર કમિટિમાં રજુ કરવામાં આવે છે. આ કમિટિમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટેન્ડરની સમીક્ષા કરી તેના ભાવ અંગે એક તુલનાત્મક અભિપ્રયા નક્કી કરવામાં આવતો હોય છે. રોડના રૃપિયા ૧૩૦ કરોડના ટેન્ડર માટે મળેલી ટેન્ડર કમિટીની બેઠકમાં રજુ થયેલ તુલનાત્મક પત્રકની વિસંગતતા અંગે એક અધિકારી દ્વારા ટકોર કરવામાં આવી હતી. પરંતું આ સમયે અન્ય એક ઉચ્ચ અધિકારી દ્વારા ટેન્ડર મંજુર કરવા માટે રાજકીય દબાણ હોવાનું કહ્યું હતું. જેના કારણે ટેન્ડર કમિટિએ ચૂપચાપ મંજુરીનો અભિપ્રાય આપી દીધો હતો. અલ્પેશ લીમ્બાચિયા થકી એક જૂથને મનાવાયું કોર્પોરેશનમાં ચાલતી જુથબંધી વર્તમાન બોર્ડમાં તેની ચરમસીમાએ જાેવા મળે છે. આ જુથબંધીના ખેલમાં સંગઠન જુથ સામે કોર્પોરેશનમાં પદાધિકારીઓના જુથમાંથી સ્થાયી સમિતિમાં અલ્પેશ લિંબાચીયા હાજર રહેતા હોય છે. ત્યારે રોડના ટેન્ડરમાં આખો ખેલ પાર પાડવા માટે કોન્ટ્રાકટરોએ અલ્પેશ લિંમ્બાચીયા સાથે પણ બેઠક કરી હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છેકે અલ્પેશ લિમ્બાચીયાએ મેયરને મનવવા માટેના પ્રયાસ કર્યા હોવાનું પણ કહેવાય છે. સ્થાયી અધ્યક્ષ સાથે અલગમાં ખાનગી મુલાકાત? રોડના કોન્ટ્રાકટરોએ કરેલી રીંગની વાત બહાર આવી જતાં તેના ઘેરા પ્રત્યાધાતો પડ્યા હતા. જેમાં તમામને મળીને ટેન્ડર મંજુર કરવા માટે કાલાવાલા કરતી રોડ કોન્ટ્રાકટરોની ગેંગ સ્થાયી અધ્યક્ષને મળવા માટે નહતી પહોંચી. પરંતું કોઈ ઠેકાણે સ્થાયી અધ્યક્ષ નારાજ હોવાનો સંદેશો વહેતો થતાં તમામ રોડ કોન્ટ્રાકટરો પુછડી દબાવીને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી આવ્યું હોવાનું કહેવાય છે. પોતાને કોન્ટ્રાકટરોનો ડોન સમજતો દત્તુ કોણ? કોર્પોરેશન સહિત તમામ સરકારી વિભાગોમાં પોતાને રોડ કોન્ટ્રાકટરની દુનિયાના ડોન તરીકે ઓળખાવતા દત્તુની ભૂમિકા પણ મોટી હોવાનું કહેવાય છે. દત્તુ નામનો કોન્ટ્રાકટર રાજકીય આકાઓની આડમાં અધિકારીઓને ધમકાવવામાં પણ પાછી પાણી નથી કરતો. એટલું જ નહીં પોતાનું ધાર્યુ કામ નહીં કરનાર અધિકારીને ભ્રષ્ટાચારી ચિતરી તેની બદલી કરવા માટે પણ આ ભાઈ જાણીતા છે. ત્યારે કોર્પોરેશન અને શહેર ભાજપની નેતાગીરી થોડાક રૃપિયા માટે આવા કોન્ટ્રાકટરોને ત્યાં ગીરવે મુકાઈ હોય તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે. કમલમ્ બનાવવા માટે ૨ ટકાની કટકીનો ખેલ ઊંધો પડ્યો?શહેર ભાજપનું કાયમી કાર્યાલય બનાવવા માટે સંગઠનની વર્તમાન ટીમ સતત પ્રયત્ન કરી રહી છે. જે માટે જરૂરી આર્થિક ભંડોળ એકત્રિત કરવા માટે કોર્પોરેશનના કોન્ટ્રાકટરો પાસે મોટી નજર રાખવામાં આવતી હોય છે. ખાસ કરીને કોર્પોરેશનમાં થતા કામોમાં ૧ ટકો પાર્ટી ફંડ માટે લેવાની પ્રથા ભાજપમાં વર્ષોથી ચાલતી આવે છે. પરંતું રૃપિયા ૧૩૦ કરોડન રોડના કામોમાં રીંગ કરાવી તેમાં ૨ ટકો કમલમ માટે લેવા માટે ભાજપના એક મોટા નેતાએ વચન આપ્યું હતું. એટેલેક રૃપિયા ૨.૬૦ કરોડ કમલમ માટે લેવાનું નક્કી થયું હતું. પરંતું સંગઠનની ગોઠવણ કોર્પોરેશનમાં સંગઠન વિરોધી જુથના ધ્યાને આવતા તેઓએ ટેન્ડરનો ખેલ ઉંધો પાડવા માટેનો તખ્તો તૈયાર કર્યો હતો. જેના કારણે કોન્ટ્રાકટરોને અન્ય જુથ સાથે પણ સમાંતર બેઠક કરવાની ફરજ પડી હોવાનું કોર્પોરેશનમાં ચર્ચાઈ રહ્યું છે.વધુ વાંચો -
કુલ ૨૩૪ હોમગાર્ડસની ભરતી માટે ૨૬૯૮ યુવાનો રાત્રે ૩ વાગ્યાથી લાઈનમાં ઉભા રહ્યાં
- 29, નવેમ્બર 2021 01:30 AM
- 1435 comments
- 9494 Views
રાજપીપળા, ગુજરાતમાં હાલ ભરતીની મોસમ ચાલી રહી છે. ગુજરાતમાં એલઆરડી, જીઆરડી, પીએસઆઈની પરીક્ષા માટે યંગસ્ટર્સ તૈયારી કરી રહ્યાં છે. નર્મદા જિલ્લામાં હોમગાર્ડની ભરતી ચાલી રહી છે. સરકારની નોકરી મેળવવાની આશાએ વહેલી રાત્રે ૩ વાગ્યાથી યુવકો લાઈનમાં ઉભા રહી પોતાનો નંબર આવે તેની રાહ જાેઈ રહ્યા હતા. નર્મદા જિલ્લામાં અત્યારે હોમગાર્ડની ભરતી ચાલી રહી છે. જેમાં રવિવારના રોજ મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ઉમટી પડ્યા છે. આ માટે યંગસ્ટર્સ મધ્યરાત્રે ૩.૦૦ વાગ્યાથી લાઈનમાં ઉભા રહેલા જાેવા મળ્યા હતા. હોમગાર્ડની નોકરી એવી હોય છે કે જેમાં કાયમી પગાર નથી હોતો. માત્ર માનદવેતન હોય છે. છતાં પણ તેની ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. જે બતાવે છે કે સરકારી નોકરીમાં દિવસેને દિવસે લોકોનો રસ વધી રહ્યો છે. નર્મદા જિલ્લામાં રાજપીપળામાં ૧૨૫ જગ્યા માટે ૧૨૫૮, મહિલાની ૨૦ જગ્યા માટે ૩૮૦ અને કેવડિયા ૮૯ની જગ્યા માટે ૧૦૬૦ અને મહિલાની ૧૮ જગ્યા સામે ૩૩૩ ઉમેદવારી નોંધાવી છે. જેની ભરતી પ્રકિયા ચાલુ છે. મોટી સંખ્યામાં ઉમેદવારોની ભરતી ચાલી રહી છે ત્યારે કેવડીયા એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતેની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં આજે દોડ તેમજ છાતીનું માપ અને તમામ કસોટી લેવામાં આવી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં ઉમટેલા ઉમેદવારો બતાવે છે કે ગુજરાતમાં કારમી મોંઘવારીના કારણે સાથે-સાથે બેરોજગારી પણ મોટા પ્રમાણમાં જાેવા મળી રહી છે.વધુ વાંચો -
બે બેંકના સત્તાધીશોએ એકાઉન્ટ સ્થગિત કરવામાં મોડું કરતા લાખો રૂપિયા અન્ય બેંકમાં ટ્રાન્સફર
- 18, નવેમ્બર 2021 01:30 AM
- 4257 comments
- 3329 Views
રાજપીપળા, એક સમયની પ્રતિષ્ઠિત ભરૂચ જિલ્લા આદિવાસી સેવાસંઘ નામની સંસ્થાના સ્થાપક-સંચાલકના નિધન બાદ પોલુ ભાળી ગયેલી સ્થાપિત તત્ત્વોની એક ટોળકીએ સંસ્થા પર ગેરકાયદે કબજાે જમાવી છેલ્લાં ૧પ વર્ષથી વધુના સમય દરમિયાન આચરેલી મનાતી ફોજદારી ગુનાહિત જેવી અનેક આર્થિક અને વહીવટી ગેરરીતિઓ અંગે સુરત સંયુક્ત ચેરિટી કમિશનરમાં મૂળ સંચાલકોના કુટુંબીએ ફરિયાદ કરતાં ઉપરોકત સંસ્થાના તમામ બેન્ક ખાતાઓ તત્કાળ સ્થગિત કરવાનો આદેશ કરાયો હતો. જાે કે, સંયુકક્ત ચેરિટી કમિશનરની કચેરીના કોઈ ‘ફુટેલા’ કર્મચારી અથવા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ બરોડાના કોઈ સ્થાપિત ટોળકીના મળતિયા કર્મચારીએ બેન્ક ખાતાઓ સ્થગિત કરવાનો હુકમ દબાવી રાખ્યો હોવાની આશંકા વચ્ચે આજે એક ચોંકાવનારી માહિતી સપાટી પર આવી છે. જેમાં ઉપરોક્ત સ્થાપિત ટોળકીએ એસબીઆઈના સંસ્થાના ખાતામાંથી લાખો રૂપિયા અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરી દીધા છે. એટલું જ નહિ, બેન્ક અધિકારીને આ અંગે પૂછાતાં તેઓ આ બાબતે સ્થાપિત ટોળકીના પક્ષકારની ભૂમિકા ભજવતા હોય એમ કહ્યું કે, હું ગ્રાહકના ખાતાની માહિતી ન આપી શકું. ખેર! લાંબો સમય રાજકારણમાંથી હદ પાર રહ્યા બાદ ફરી એક ઉચ્ચ કોંગ્રેસી નેતા સાથે ‘ગોઠવણ’ દ્વારા પરત સક્રિય રાજકારણમાં પ્રવેશેલા કહેવાતા દિગ્ગજ કોંગ્રેસી નેતા અને તેમના મળતિયાઓએ આ સંસ્થામાં આચરેલી મનાતી ગુનાહિત ગેરરીતિઓ જેવી જ અન્ય અનેક સંસ્થાઓ-યોજનાઓમાં આચરેલી ગેરરીતિઓ આગામી દિવસોમાં રાફડો ફાટી બહાર આવશે એની ઘડીઓ ગણાઈ રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત સંયુક્ત ચેરિટી કમિશનરે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘના બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના રાજપીપળા શાખાના બેન્ક એકાઉન્ટ સ્થગિત કરવાનો આદેશ કરતા ખળભળાટ મચ્યો હતો.જાે કે સુરત સંયુક્ત ચેરિટી કમિશનરનો ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘના બેન્ક એકાઉન્ટ સ્થગિત કરવાનો હુકમ છતાં બેંકે એકાઉન્ટ સ્થગિત કરવામાં મોડુ કર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.ત્યારે બેંકની આ નીતિ સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.આ બાબતે રાજપીપળા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરે સૌરભ શર્માએ જણાવ્યું હતું કે હું મીડિયા સમક્ષ ગ્રાહકની કોઈ પણ માહિતી જાહેર કરી શકતો નથી.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત સંયુક્ત ચેરિટી કમિશનરે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘના ટ્રસ્ટીઓ અને રાજપીપળાની બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘના એકાઉન્ટ સ્થગિત કરવાનો લેખિત હુકમ આર.પી.એ.ડી દ્વારા મોકલાયો હતો.મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘને ૩/૧૧/૨૦૨૧ અને રાજપીપળાની બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને એ ઓર્ડર પોસ્ટ દ્વારા ૬/૧૧/૨૦૨૧ ના રોજ મળી પણ ગયો હતો.તે છતાં બેંકના અધિકારીઓ એવું રટણ કરી રહ્યા હતા કે એકાઉન્ટ સ્થગિત કરવાનો ઓર્ડર અમને મળ્યો જ નથી.એ તમામની વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની મોટી રકમ ઉપાડી રાજપીપળાની યુનિયન બેંકમાં ટ્રાન્સફર કરાઈ હોવાની માહિતી મળી રહી છે.જાે બેંક દ્વારા યોગ્ય સમયે એકાઉન્ટ સ્થગિત કરાયા હોત તો રકમ ટ્રાન્સફર થવાના ચાન્સ શક્યતાઓ રહેતી જ નહીં.હવે અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું આ બન્ને બેંકોએ જાણી જાેઈએ એકાઉન્ટ સ્થગિત નહિ કર્યા હોય, ઓર્ડર નહિ મળ્યા હોવાનો માત્ર ડોળ રચતી હશે?જાે કે આ બાબતે ભરૂચ જિલ્લા આદીવાસી સેવા સંઘ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર વિરાજબા જાડેજાએ જણાવ્યું હતું કે હું રાજપીપળાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આ બાબતે તપાસ કરવા ગઈ તો બેંક મેનેજરે મને જણાવ્યું કે હું રજા પર હતો.જ્યારે એમના એક સહ કર્મીએ જણાવ્યું કે ઓર્ડરમાં શુ કહેવા માંગે છે એનો અમને ખ્યાલ ન્હોતો આવતો.બેંકે મારી સાથે વાત થયા બાદ એમના વકીલને બોલાવી તાત્કાલિક અસરથી એકાઉન્ટ સ્થગિત કર્યા હતા.ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘને પણ ૩/૧૧/૨૦૨૧ ના રોજ ઓર્ડર મળી ગયા છતાં એમણે સ્ટેટ બેંકમાં કેમ ચેક નાખ્યા? બન્ને બેંકોએ અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘે સુરત સંયુક્ત ચેરિટી કમિશનના આદેશની અવગણના કરી છે જેથી એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા હું રજુઆત કરીશ.ભરૂચ જિલ્લા આદીવાસી સેવા સંઘે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી મોટી રકમ ઉપાડી રાજપીપળાની યુનિયન બેંકમાં ટ્રાન્સફર કરી છે.એ એકાઉન્ટ વર્ષોથી બંધ છે તો અચાનક કેમ એ એકાઉન્ટ ફરીથી શરૂ કરવાની જરૂરિયાત ઉભી થઈ હશે?વધુ વાંચો -
આઈ.એ.એસ અને આઈ.પી.એસની પરીક્ષામાં ગુજરાતના ગણ્યા ગાંઠ્યા
- 23, ઓક્ટોબર 2021 01:30 AM
- 3455 comments
- 2772 Views
રાજપીપળા, રાજપીપળા નજીક આવેલ ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમની અંદાજે ૧૪ કરોડની કિંમતનું ૧૬ કીમી સુધીની કરજણ સિંચાઈની કેનાલના રીનોરવેશનનું ખાત મુહૂર્ત સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કેનાલ રીપેર થયા બાદ નાંદોદ તાલુકાના ૧૦ અને ગરુડેશ્વર તાલુકાના ૧૯ મળી કુલ ૨૯ ગામોની ૩૫૭૯ હેક્ટર પિયત વિસ્તારને લાભ થશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કેનાલ રીપેરીંગની કામગિરી નબળી થઈ હતી, એ દરમિયાન સ્થાનિક ગ્રામજનોએ કામગીરી અટકાવી હોબાળો મચાવ્યો હતો.ત્યારે હવે પછી થનારી કેનાલ રીપેરીંગની કામગીરીમાં ગુણવતા જળવાય છે કે કેમ એ જાેવું રહ્યુ. આ કેનાલના ખાત મુહૂર્ત પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે અગાઉના વર્ષો પહેલા કરોડોના ખર્ચે કેનાલ રીપેરીંગનું કામ પેપર પર થયું હતું.કેનાલમાં પાણી છોડાયાની સાથે જ કેનાલનું ધોવાણ ગયું હતું.અગાઉની વખતમાં કેનાલ રીપેરીંગનું કામ ગુણવતા વગરનું થયું છે.વાલિયા, ઝઘડિયામાં જ્યાં પણ કોન્ટ્રાકટના કામો થાય ત્યાં અમુક આગેવાનો પેહલા જ ટકાવારી લેવા માટે પહોંચી જાય છે.એમ કહે છે કે પેહલા અમારી ટકાવારી આપો પછી જ કામ ચાલુ કરો.ત્યારે કોન્ટ્રાક્ટરો પણ નુકશાનીના બીકે આગેવાનો સાથે સહમત થાય છે એટલે જ તકલાદી કામ થાય છે.મારે અહિયાના આગેવાનોને કેહવું છે કે ખેડૂત લક્ષી કામ છે એ ગુણવતા યુક્ત થાય છે કે નહીં એની પર ધ્યાન આપો.નાની મોટી ફરિયાદ હોય તો કામગીરી અટકાવવાની જગ્યાએ યોગ્ય જગ્યાએ રજૂઆત કરો, પણ કોઈ પણ જાતનું નુકશાન ન કરો.આ કેનાલ રીપેરીંગની કામગીરી યોગ્ય રીતે થાય છે કે નહીં એ માટે હું કામમાં સ્થળે આંટો મારવાનો જ છું. ગુજરાતમાં આઈ.એ.એસ અને આઈ.પી.એસ ની પરીક્ષામાં ગણ્યા ગાંઠ્યા ગુજરાતના લોકો પાસ થયા છે, બિહારના લોકો પાસ થયા છે.મનસુખ વસાવાએ જણાવ્યું કે કહ્યું કે ગુજરાતનું શિક્ષણ નબળું છે નબળું છે અને નબળું જ છે.લોકો કહે છે કે મનસુખ વસાવા સરકારની ટીકા કરે છે પણ હું સરકારની ટીકા ટિપ્પણી નથી કરતો હું સરકારનો એક ભાગ છું, જે હકીકત છે તે કહેવી પડે સેન્ટ્રલ લેવલની કોઈ પણ પરીક્ષામાં ટ્રાઇબલ પટ્ટીના યુવાનો કોઈ પાસ થાય છે ખરા?વધુ વાંચો -
PM મોદીના આગમનને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો 28 ઓક્ટોબરથી 5 દિવસ માટે બંધ રહેશે
- 18, ઓક્ટોબર 2021 10:45 AM
- 2840 comments
- 8712 Views
નર્મદા-ગુજરાતમાં નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સામાન્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ પર ઉજવણી માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે, 31 ઓક્ટોબરે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવશે. મળતી માહિતી મુજબ 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચશે અને 30 ઓક્ટોબરના સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે અને કેવડિયામાં રાત્રી રોકાણ કરશે. સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડીયા પહોંચે છે. આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય પ્રવાસીઓ માટે બંધ હોવાની માહિતી સ્ટેચ્યુના ચીફ એડમિનિસ્ટ્રેટરની ઓફિસ દ્વારા સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે. નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે, તેને લગતા અન્ય આકર્ષણો પણ 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સામાન્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે. ગયા વર્ષે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. 31 ઓક્ટોબર 2013 ના રોજ સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશાળ પ્રતિમાના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. ગયા વર્ષે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.વધુ વાંચો -
વડાપ્રધાને હીરો, હીરોઇન અને જજાેને પણ ઝાડુ પકડાવી દીધા મનસુખ વસાવા
- 03, ઓક્ટોબર 2021 01:30 AM
- 591 comments
- 2727 Views
રાજપીપળા, ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે મળેલી ભાજપની બેઠકમાં જણાવ્યું હતું કે જે લોકો પાર્ટીમાં કામ ન કરતા હોય એમને કાઢી મુકો. નર્મદા જિલ્લામાં ગુજરાત સરકારના મંત્રી પૂર્ણશ મોદીની યોજાનારી જન આશીર્વાદ યાત્રાના આયોજન સંદર્ભે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે એક બેઠક મળી હતી, જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવ, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશા વસાવા, રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. એ બેઠકમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સીધે સીધું એમ જણાવી દીધું હતું કે જે લોકો પાર્ટીમાં કામ ન કરતા હોય તેમને પાર્ટીમાંથી કાઢી મુકવા જાેઈએ ભલે એ મોટો ચમરબંધી કેમ ન હોય.મનસુખ વસાવાએ મીઠી ટકોર કરી હતી કે પીએમ મોદીએ હીરો, હીરોઇન અને જજાેને પણ ઝાડુ પકડાવી દીધા છે, એમણે કહ્યુ કે ઝાડુ એટલે બીજું કશું નહીં પણ સમજતા સ્વચ્છતા માટે પકડાવ્યું છે.પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા હોઈ એને ઉમર સાથે કોઈ લેવા દેવા નથી.પાર્ટીમાં કામ કરનારા લોકો પણ છે અને તેને તોડી પાડનારા લોકો પણ છે તેનું ધ્યાન આપવું પડશે.જંગલ માંથી જે લોકો ઝાડ કાપી જાય છે તેમની સામે હું કડક રીતે કામ લેવાનો છું.પૈસા કમાવવાના ઘણા રસ્તા છે વૃક્ષો કાપીને જે લોકો પૈસા કમાઈ છે તે સુખી નથી થયા.નર્મદા નદીને શુધ્ધ કરવાનું કામ ભાજપના કાર્યકર્તાઓનું છે અને એના માટે અમે એક અભિયાન ચલાવવાના છે.વધુ વાંચો -
કરજણ ડેમના ૯ ગેટ ખોલી ૧.૫૪ લાખ ક્યુસેક પાણી છોડાયું પાંચ ગામો એલર્ટ
- 30, સપ્ટેમ્બર 2021 01:30 AM
- 749 comments
- 8922 Views
રાજપીપળા નર્મદા જિલ્લામાં કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૯૫ ટકાથી વધુ વરસાદ નોંધાયેલ છે, કરજણ જળાશયમાંથી અંદાજે ૧.૬૧ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૯ ગેટ ૩ મીટર ઉંચા ખોલીને ૧.૫૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ૨૯ મી સપ્ટેમ્બરે બપોરે ૧૨ વાગ્યાની સ્થિતિએ કરજણ જળાશયની સપાટી ૧૧૫.૩૦ મીટર છે જ્યારે જળાશયમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૯૭.૨૮ ટકા, પાણીની આવક ૨૧,૪૧૮ ક્યુસેક અને રેડીયલ ગેટ નંબર ૨,૪,૬ અને ૮ એમ કુલ ૪ ગેટ ૧.૪ મીટર ખુલ્લા રાખીને કરજણ જળાશયમાંથી ૩૧,૫૬૮ ક્યુસેક તેમજ હાઇડ્રોપાવર સ્ટેશનથી ૩૫૦ ક્યુસેક સહિત કુલ ૩૧,૯૧૮ ક્યુસેક પાણીનું રૂલ લેવલ ૧૧૪.૯૫ મીટર જાળવવા સારૂ છોડવામાં આવી રહેલ છે. કરજણ જળાશયમાંથી સરેરાશ ૩૫૦ ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહના જાવકથી પ્રતિ દિન ૭૨ હજાર યુનિટ વિજ ઉત્પાદનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોવાની સાથે ચાલુ વર્ષે અંદાજે ૧૦ થી વધુ વખત ઓપરેશન કરવામાં આવ્યું છે. કરજણ બંધમાંથી છોડવામાં આવતા આ પાણી પ્રવાહને લીધે નિચવાસમાં આવેલ નદીના કાંઠાના રાજપીપલા શહેર સહિતના સંબંધિત ગામો ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછાના લોકો/રહીશોને નદી કિનારાથી દૂર રહેવા સાવચેત રહેવા જણાવાયું હતું.વધુ વાંચો -
નર્મદા જિલ્લામાં જળ બંબાકાર,હજારો એકર કેળના પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત દયનીય
- 29, સપ્ટેમ્બર 2021 04:04 PM
- 6531 comments
- 4000 Views
નર્મદા -નર્મદા જિલ્લામાં 28 મી સપ્ટેમ્બરે એક જ રાતમાં ધોધમાર વરસાદ પડતાં જળ બંબાકારની સ્થિતિ પેદા થઈ હતી.કરજણ ડેમના ઉપરવાસ ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે કરજણ ડેમમાં પાણીની વિપુલ આવક થઈ રહી હતી, જેથી કરજણ ડેમનું રુલ લેવલ જાળવવા માટે તંત્રએ 29 મી સપ્ટેમ્બરે 9 ગેટ ખોલી 1.60 લાખ ક્યુસેક પાણી છોડતા નીચાણવાળા વિસ્તારના ગામોના ખેતરોમાં પાણી ભરાયા હતા, અમુક ખેતરોમાં પાણી ઓસરી ગયા હતા જ્યારે અમુક ખેતરોમાં પાણી ઓસર્યા નથી. કરજણ ડેમ માંથી છોડાયેલા પાણીના ધસમસતા પ્રવાહને લીધે રાજપીપળાના કરજણ ઓવારે નવો બનાવાયેલા રામગઢ બ્રિજના ત્રીજા પિલ્લરમાં નુકશાન થયું હતું તો બીજી બાજુ ત્યાં નજીકમાં જ રાજપીપળા અને રામગઢને જોડતું નાળુ પણ તૂટી ગયું હતું, જ્યારે પાણીના પ્રવાહને લીધે તલકેશ્વર મહાદેવ મંદિરની દીવાલો પણ ધરાસાઈ થઈ હતી જોકે મંદીરના પૂજારી સહીત એમના પરિવારને હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા. બીજી બાજુ કરજણ ડેમ માંથી છોડાયેલું પાણી આસપાસના નાંદોદ તાલુકાના 5 થી 10 ગામના ખેતરમાં ઘુસી જતા હજારો એકર કેળનો પાક નષ્ટ થયો હતો, જેને પગલે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.ખેડૂતોનું કેહવું છે કે અગાઉની ચોમાસાની સીઝનમાં કરજણ ડેમનું પાણી ખેતરમાં ભરાઈ જતા એ નુકશાની વળતર હજુ સુધી મળી નથી તો આ વખતની નુકશાનીનું વળતર ક્યારે મળશે.નાંદોદ તાલુકાના ખેડૂતોએ રોષે ભરાઈ જણાવ્યું હતું કે કરજણ ડેમના અધિકારીઓ અચાનક વધુ પાણી છોડે અને તરત પાણી બંધ કરી દે છે, અધિકારીઓના આવા મનસ્વી વહીવટને લીધે કાંઠા વિસ્તારના ગામોના ખેતરમાં પાણી ભરાઈ જતા પાકને નુકશાન થાય છે.હાલમાં અમારા ખેતરની ફેન્સીગ તૂટી ગઈ છે, મોટરો બળી ગઈ છે અને સિંચાઈનો સામાન તણાઈ ગયો છે.જેથી મનસ્વી વહીવટ કરતા કરજણ ડેમના અધિકારીઓને છુટા કરી અમારી નુકશાનીનું યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે.વધુ વાંચો -
નર્મદાના કરજણ ડેમના 9 ગેટ ખોલી 1.54 લાખ ક્યુસેક પાણી છોડાયું, નીચાંણ વિસ્તારમાં આટલા ગામો એલર્ટ
- 29, સપ્ટેમ્બર 2021 03:34 PM
- 844 comments
- 7504 Views
નર્મદા-નર્મદા જિલ્લામાં જીતગઢ ગામ નજીક આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં 95 ટકાથી વધુ વરસાદ નોંધાયેલ છે, જેથી 29 મી સપ્ટેમ્બરે સવારે 7 વાગે કરજણ જળાશયની સપાટી 115.30 મીટર નોંધાઇ હતી.કરજણ જળાશયમાંથી અંદાજે 1.61 લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે 9 ગેટ 3 મીટર ઉંચા ખોલીને 1.54 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ 29 મી સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાની સ્થિતિએ કરજણ જળાશયની સપાટી 115.30 મીટર છે જ્યારે જળાશયમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 97.28 ટકા, પાણીની આવક 21,418 ક્યુસેક અને રેડીયલ ગેટ નંબર 2,4,6 અને 8 એમ કુલ 4 ગેટ 1.4 મીટર ખુલ્લા રાખીને કરજણ જળાશયમાંથી 31,568 ક્યુસેક તેમજ હાઇડ્રોપાવર સ્ટેશનથી 350 ક્યુસેક સહિત કુલ 31,918 ક્યુસેક પાણીનું રૂલ લેવલ 114.95 મીટર જાળવવા સારૂ છોડવામાં આવી રહેલ છે.કરજણ બંધના 2 પેનસ્ટોક આધારિત સ્મોલ હાઈડ્રોપાવર સ્ટેશન 3 મેગાવોટની ક્ષમતા ધરાવે છે.કરજણ જળાશયમાંથી સરેરાશ 350 ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહના જાવકથી પ્રતિ દિન 72 હજાર યુનિટ વિજ ઉત્પાદનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોવાની સાથે ચાલુ વર્ષે અંદાજે 10 થી વધુ વખત ઓપરેશન કરવામાં આવ્યું છે. કરજણ બંધમાંથી છોડવામાં આવતા આ પાણી પ્રવાહને લીધે નિચવાસમાં આવેલ કરજણ નદીના કાંઠાના રાજપીપલા શહેર સહિતના સંબંધિત ગામો ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછાના લોકો/રહીશોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને દૂર રાખવા સાવચેત રહેવા તંત્ર દ્વારા જણાવાયું હતું.વધુ વાંચો -
રાજપીપળા શહેરમાં બે મહિનામાં 40 જેવા ડેન્ગ્યુના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું
- 28, સપ્ટેમ્બર 2021 04:16 PM
- 3933 comments
- 3774 Views
રાજપીપળા-રાજપીપળા શહેરમાં છેલ્લા બે મહિનામાં 40 જેટવા ડેન્ગ્યુના પોઝિટિવ કેસો સામે આવતા લોકોમાં ફફડાટ મચ્યો છે તો બીજી બાજુ આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.રાજપીપળા શહેરના તમામ ખાનગી દવાખાનાઓમાં હાલ શરદી, ખાંસી અને તાવના દર્દીઓ સારવાર મારે આવી રહ્યાં છે ત્યારે કોરોના સંક્રમણ ઓછું થતા ડેંગ્યુ જેવા રોગે ફરી પાછુ માથું ઉચકયું છે. રાજપીપળા શહેરમાં ડેંગ્યુના કેસો સામે આવતા આરોગ્ય વિભાગે સર્વે સહિતની કામગીરી શરૂ કરી છે.હાલ ચોમાસાની સિઝનમા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોએ માથું ઊંચક્યું છે જેમાં રાજપીપળા શહેરમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અંદાજે 40 જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસો નોંધાયા હોય આરોગ્ય વિભાગની ટિમો જે તે વિસ્તરાઓમાં સર્વેની કામગીરી કરી રહી છે.જોકે ખાસ ફોગીંગની તાતી જરૂરિયાત હોય પરંતુ આરોગ્ય વિભાગ પાસે ફોગીંગ મશીનો બગડેલા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.હાલ આરોગ્ય વિભાગે રાજપીપળા નગરપાલિકાને લેખિત જાણ કરી પાલીકાના મશીનો દ્વારા ફોગીંગ કરવા જણાવ્યું છે.હવે રાજપીપળા શહેરમાં ફોગીંગની કામગીરી ક્યારે થશે એ જોવું રહ્યું. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ રીતે સીઝનમાંજ આરોગ્ય વિભાગના ફોગીંગ મશીનો બગડ્યા હતા ત્યારે સિઝન પહેલા એ કેમ રીપેર ના કરાયા કે નવા મશીનોનું આયોજન કરવામાં આવ્યું નહિ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.જો કે આ બાબતે રાજપીપળા પાલિકાના મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ માંથી ફોગીંગ મશીન માટે લેટર આવ્યો હતો અમારા દ્વારા ફોગીંગની કામગીરી ચાલુ જ છે.વધુ વાંચો -
અહિંયા ફાયર સેફટી સર્ટીના અભાવે 3 શાળાઓ સીલ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું
- 14, સપ્ટેમ્બર 2021 04:57 PM
- 8773 comments
- 9512 Views
રાજપીપળા- કોરોનાનું સંક્રમણ ઓછું થતા ગુજરાત સરકારે કોરોના ગાઈડલાઈન સાથે ધોરણ 6 થી 12 ની શાળાઓ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.કોરોનાને લીધે છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ હતી ત્યારે માંડ શાળાઓ શરૂ થઈ છે એવામાં સરકારે ફાયર સેફટી સર્ટિફિકેટ ન લેનાર શાળાઓ બંધ કરવાના આદેશ આપતા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ફરી પ્રશ્નાર્થ સર્જાયો છે. રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાએ પાલિકા ટીમના સભ્યો સાથે જેણે ફાયર સેફટીનું સર્ટિફિકેટ ન લીધું હોય એવી રાજપીપળાની મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપળા સરકારી હાઈ સ્કૂલ, નવદુર્ગા હાઈસ્કૂલને અચાનક સિલ મારતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૂંઝવણમાં મુકાયા હતા.આગામી 18 તારીખથી શાળાઓમાં પ્રથમ એકમ કસોટી શરૂ થઈ રહી છે અને શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે.રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાએ જણાવ્યું હતું કે સુરત નગરપાલિકા પ્રાદેશિક કમિશનરની સૂચનાથી અમે આ કામગીરી કરી છે, જેની શાળાનું બિલ્ડીંગ 9 મીટરથી ઊંચું છે અને ફાયર સેફટી સર્ટિફિકેટ નથી લીધું એવી શાળાઓને અમે સીલ માર્યું છે.આગામી સમયમાં હોસ્પિટલો અને કોમ્પ્લેક્ષોને પણ નોટિસ અપાશે. આ બાબતે નવદુર્ગા હાઈસ્કૂલના આચાર્ય રીનાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે 9 મીટર કરતા ઓછી ઊંચાઈ હોય એમણે ફાયર સેફટી સર્ટીની જરૂર નથી હોતી પણ સરકારને સેલ્ફ ડિકલેરેશન કરવું પડે છે એવો સરકારનો પરિપત્ર છે અમે એ નિયમમાં ફિટ બેસીએ છીએ અમારી પાસે પૂરતા પુરાવા છે.તે છતાં અમારી શાળાને સીલ માર્યું.અનિશ્ચિય સમય સુધી સ્કૂલ બંધનો આદેશ છે બીજી બાજુ 18 મીથી શાળામાં એકમ કસોટી શરૂ થાય છે તો વિદ્યાર્થીઓના અભ્યાસને ખલેલ પહોંચશે એનો જવાબદાર કોણ. નવદુર્ગા શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારી શાળામાં ફાયર સેફટીની બધી સુવિધાઓ હોવા છતાં પાલિકાએ અમારી શાળાને સીલ માર્યું છે.સિલેબસ અધૂરો છે, અમારો અભ્યાસ અધૂરો રહેશે તો એનો જવાબદાર કોણ, હમણાં જ સ્કૂલો શરૂ થઈ પરીક્ષાઓ પણ નજીક છે તો અમારે ભણવું કેવી રીતે.વધુ વાંચો -
ગુજરાતની જીવા દોરી નર્મદા ડેમની જળ સપાટીમાં 22 સેમીનો વધારો
- 14, સપ્ટેમ્બર 2021 03:23 PM
- 1992 comments
- 4580 Views
નર્મદા-ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં 22 સે.મી.નો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 23,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 120.45 મીટરે પહોંચી છે. સાવચેતીરૂપે ડેમના પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યાં છે. નર્મદા ડેમમાં હાલ 4999.53 MCM લાઈવ સ્ટોરેજ છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા દિવસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં સામાન્ય રીતે સરેરશ દરરોજ સપાટીમાં પાંચ સેન્ટિમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. અને, જો ઉપરવાસમાં સતત વરસાદ વરસશે તો ડેમની જળસપાટીમાં હજી પણ વધારો થઇ શકે છે.ગતવર્ષ કરતા નર્મદા ડેમની સપાટી હજુ પણ 17 મીટર જેટલી ઓછી છે. હાલ નર્મદા ડેમની સપાટી 120.45 મીટરે પહોંચી છે. તેમજ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાથી આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચશે કે નહીં તે ચિંતાનો વિષય છે. તેમજ જો નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નહિ થાય તો આગામી દિવસો ગુજરાત માટે પાણીને લઇને કપરા બની શકે છે. જો કે સારા વરસાદને કારણે રાજ્યના અન્ય ડેમોમાં ભરપુર માત્રામાં નવા નીર આવ્યાં છે એ રાહતના સમાચાર છે.વધુ વાંચો -
SOUના મેનેજર અને અધિક કલેકટર ડો. સંજય જોષીની મસુરી ખાતે IAS ટ્રેનિંગ એકેડેમીમાં આ પદ માટે કરાઈ નિમણુક
- 14, સપ્ટેમ્બર 2021 01:57 PM
- 4951 comments
- 6339 Views
ગાંધીનગરઃ-ગુજરાત સરકારના અધિક કલેકટર ડો. સંજય જોષીની ભારત સરકારની લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન મસુરી ઉત્તરાખંડ ખાતે ભારત સરકારના વિવિધ સેવાઓના અધિકારીઓની તાલીમ માટે પ્રોફેસર તરીકે નિમણૂક થયેલ છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના વતની એવા ડો. જોશી એન્જિનિયરિંગની ડિગ્રી ઉપરાંત સોશ્યોલોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા ક્ષેત્રમાં ડિગ્રીઓ ધરાવે છે અને વલ્લભભાઈ પટેલ ના જીવન ઉપર phd પણ મેળવેલ છે. કચ્છના ભૂકંપ સમયે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના પ્રોગ્રામ મેનેજર તરીકે જવાબદારી નિભાવનાર સંજય જોશીએ જીએસડીએમએ તથા GIDM માં પણ ડાયરેક્ટર તરીકે સેવાઓ આપેલ છે. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ દાંતા તાલુકામાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર શ્રી સંજય જોષી ગુજરાત વહીવટી સેવાના પ્રથમ અધિકારી છે કે જેમને આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની તાલીમી સંસ્થા માં કામ કરવાની તક પ્રાપ્ત થઈ હોય.વધુ વાંચો -
રાજ્યમાં અછતના એંધાણ વચ્ચે નર્મદા ડેમની સપાટીમાં એક મીટરનો નોંધપાત્ર વધારો
- 08, સપ્ટેમ્બર 2021 03:26 PM
- 6406 comments
- 2719 Views
અમદાવાદ-રાજ્યમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ હજુ પણ સીઝનનો સારો વરસાદ પડ્યો નથી, ત્યારે રાજ્યમાં દુષ્કાળના ડાકલા વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં 1 મીટરનો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરવાસમાંથી 74846 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી વધી છે. હાલ નર્મદા ડેમની સપાટી 118.41 મીટર થઈ છે. મધ્ય પ્રદેશના કેચમેંટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નર્મદા ડેમમાં હાલ 4690 MCM કુલ સ્ટોરેજ છે.વધુ વાંચો -
ગુજરાત 12માં ડિફેન્સ એક્સપો-2022નું યજમાન રાજ્ય બનશે
- 02, સપ્ટેમ્બર 2021 06:54 PM
- 4222 comments
- 3789 Views
નર્મદા-ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતા ડિફેન્સ એક્સપોના ૨૦૨૨માં યોજાનારા ૧રમાં સંસ્કરણનું યજમાન ગુજરાત બનશે. આગામી ૨૦૨૨માં તા. ૧૦ થી ૧૩ માર્ચ દરમ્યાન સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગ દ્વારા આ પ્રદર્શની ગાંધીનગરમાં યોજાશે. ગુજરાતમાં વિશાળ પાયા પર યોજાનારા આ ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના સુગ્રથિત આયોજન અંગેની સમીક્ષા બેઠક કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ધામ કેવડીયામાં યોજવામાં આવી હતી. આ ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના આયોજનમાં રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ અને સુવિધાઓ અંગેના એમ.ઓ.યુ પણ સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગના સંયુકત સચિવશ્રી અને ગુજરાતના ઊદ્યોગ કમિશનરે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને સંરક્ષણ મંત્રીના માર્ગદર્શનથી આવા ડિફેન્સ એક્સપો દેશના જુદા જુદા રાજ્યોમાં યોજવાની જે પહેલ થઇ છે તે સરાહનીય છે. તેમણે આગામી ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના આયોજન માટે ગુજરાતની પસંદગી કરવા માટે પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીનો હ્દયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. વિજય રૂપાણીએ સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતા આવા ડિફેન્સ એક્સપોના માધ્યમથી વધુ વેગવાન બની રહી છે તેમ પણ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ વિશ્વાસ દર્શાવ્યો કે ગુજરાત જે રીતે વાયબ્રન્ટ સમિટના સફળ આયોજનથી વિશ્વના નિવેશકો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તે જ પરિપાટીએ ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના આયોજનથી ડિફેન્સ સેકટરમાં પણ દેશમાં સૌથી વધુ રોકાણો મેળવનારૂં રાજ્ય બનશે. તેમણે જણાવ્યું કે, ગુજરાતે પોતાની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલિસી બનાવી છે. એટલું જ નહિ, આ પોલિસી અંતર્ગત ડિફેન્સ ઇક્વીપમેન્ટ પ્રોડકશન એકમો માટે જમીન ખરીદીમાં સ્ટેમ્પ ડયુટીથી મુક્તિ, ઉત્પાદન શરૂ થયાના પાંચ વર્ષ સુધી ઇલેકટ્રીસિટી ડયૂટીથી માફી જેવા પ્રોત્સાહનો પણ ગુજરાતમાં આપવામાં આવે છે.વધુ વાંચો -
2022 ચૂંટણની રણનીતિ ઘડવા દિલ્હીથી કાફલો ગુજરાતમાં, વિપક્ષ પર સાધ્યો નિશાનો
- 02, સપ્ટેમ્બર 2021 01:40 PM
- 4331 comments
- 361 Views
અમદાવાદ-વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલા વિવિધ વિકાસ કામો તથા પ્રોજેક્ટ અંગે મહાનુભાવોને માહિતગાર કરવામાં આવ્યા હતા. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, " આજે સમગ્ર ભારતમાં આતંકવાદ નથી એ પ્રધાનમંત્રી નરેન્દ્રને આભારી છે. ગુજરાતમાં ભાજપાનાં કાર્યકરો એ સી આર પાટીલના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપ્યોગથી વધુ મજબૂત બની છે. વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે ખરેખર ભાજપ પ્રજા નો વિશ્વાસ જીતવાની જમીન છે". તેમણે આગણ જણાવ્યું હતું કે, "2 વર્ષમાં ભારતે 17 હજાર કરોડની નિકાસ કરી છે.થોડા સમયમાં ભારત હથિયારોના ઉત્પાદનમાં પણ સંપૂર્ણ સ્વાવલંબી બનશે. કોઈ પણ બાબત નો વિરોધ કરવોએ શબ્દનો પર્યાય છે રાહુલ ગાંધી. 2022માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેની રણનિતી ઘડવ માટે દિલ્હીથી રાજનાથ સિંહ સાથે કાફલો આજે ગુજરાત આવ્યો હતો. રાજનાથ સિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.વધુ વાંચો -
કેવડિયા કોલોની ખાતે પ્રદેશ ભાજપની ત્રિ-દિવસીય પ્રથમ પેપરલેસ બેઠક: રક્ષામંત્રી રાજનાથસિંહ રહેશે ઉપસ્થિત
- 01, સપ્ટેમ્બર 2021 01:37 PM
- 8863 comments
- 5666 Views
અમદાવાદ- કેવડિયા કોલોની ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં પ્રદેશ ભાજપની ત્રિ-દિવસીય કારોબારી બેઠક મળશે. જેમાં કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોષ, દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરા, મનસુખ માંડવીયા, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ પ્રભારી સુધીર ગુપ્તા, ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો સહિત અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહેશે. કોરોના મહામારીમાં 2 વર્ષ બાદ મળનારી આ વખતની ફીઝીકલ બેઠક ડીઝીટલ રહેશે, એટલે કે પેપર લેસ બેઠક કરવામાં આવશે. આ માટે 588 જેટલા હોદ્દેદારોને ટેબ્લેટ વિતરણ કરાયું છે. આ હોદ્દેદારો ટેબ્લેટથી બેઠકમાં કામ કરશે. ટેબ્લેટમાં તમામ માહિતીઓ રાખવામાં આવી છે. જેનું માર્ગદર્શન પ્રદેશ આઇટી વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું. ટેબ્લેટમાં મહાનુભાવોનુ જીવન ચરિત્ર , અલગ-અલગ સરકારી યોજનાઓ પેજ સમિતિની વિગતો નાખવામાં આવી છે. કેવડિયા કોલોની ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં પ્રદેશ ભાજપની ત્રિ-દિવસીય કારોબારી બેઠક મળશે. ત્યારે આ બેઠક કેવડિયા ખાતે યોજાશે. જેને લઇને તમામ સભ્યો ટ્રેન મારફતે કેવડિયા ખાતે પહોંચશે. જ્યારે આ વખતની ફીઝીકલ બેઠક ડીઝીટલ રહેશે. આ માટે 588 જેટલા હોદ્દેદારોને ટેબ્લેટ વિતરણ કરાયું છે. ભાજપના હોદ્દેદારો સહિત અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહેશે.વધુ વાંચો -
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર સ્મારક નથી તે વિશ્વની સૌથી યુવાન લોકશાહી માટે નાગરિકતાનાં માર્ગનો પ્રેરણાસ્ત્રોત છે: સ્મૃતિ ઈરાની
- 31, ઓગ્સ્ટ 2021 02:17 PM
- 9755 comments
- 3120 Views
નર્મદા-કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પી હતી. સરદાર સાહેબને ભાવાંજલિ આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક સરદાર સાહેબને અનુસરવાની પ્રેરણા લેશે ત્યારે મજબૂત,સંવેદનસભર અને ધબકતા રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ થશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર સ્મારક નથી તે વિશ્વની સૌથી યુવાન લોકશાહી માટે નાગરિકતાનાં માર્ગનો પ્રેરણાસ્ત્રોત છે, તેની છત્રછાયામાં મુક્તિ અને ગર્વની અનુભૂતિ થાય છે,એકતામાં શ્રેષ્ઠતાનું તે સાચા અર્થમાં ઉત્તમ પ્રતિક છે.સરદાર સાહેબને મારી હાર્દિક વંદના. શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. મંત્રીની મુલાકાત દરમ્યાન કેન્દ્રીય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા,ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયા સાથે જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા વિશે જનસંપર્ક અધિકારીરાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી અને સ્થાનિકોને રોજગારી બાબતે વાકેફ પણ કર્યા હતા.વધુ વાંચો -
કેવિડીયામાં 2 થશે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી, બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઈરાની કરશે કોન્ફરન્સનું ઉદ્ઘાટન
- 27, ઓગ્સ્ટ 2021 02:21 PM
- 8895 comments
- 3211 Views
ગાંધીનગર- કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે આગામી તારીખ 30 તથા 31 ઓગસ્ટ-2021, બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રધાનો, સચિવ ભાગ લઈ વિવિધ મિશન આધારિત વિચાર-વિમર્શ કરશે. આ બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસ તારીખ 30 ઓગસ્ટ-2021ના રોજ વિવિધ રાજ્યોના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રધાનો તથા સચિવ કક્ષાના અધિકારીઓ વિશ્વની 182 મીટર સૌથી ઊંચી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. કોન્ફરન્સના બીજા દિવસ તારીખ 31 ઓગસ્ટ-2021ના રોજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા આ પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મિશન પોષણ 2.0, મિશન વાત્સલ્ય તથા મિશન શક્તિ જેવાં વિવિધ વિષય પર પ્રેઝન્ટેશન કરાશે. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે આગામી તારીખ 30 તથા 31 ઓગસ્ટ-2021, બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.વધુ વાંચો -
PM નરેન્દ્ર મોદી લઈ શકે છે કેવડિયાની મુલાકાત? ગંગા જેવો ઘાટ કેવડીયામાં બનાવવામાં આવશે
- 23, ઓગ્સ્ટ 2021 03:28 PM
- 5793 comments
- 1736 Views
અમદાવાદ-વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે. પીએમ મોદીના જન્મદિવસે કેવડિયામાં નર્મદા મૈયાની મહાઆરતી થાય તેવી શક્યતા છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નર્મદા ઘાટ પર વડા પ્રધાન મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. નર્મદા મૈયાની આરતી માટે તંત્ર સજ્જહરિદ્વાર અને વારાણસી જેવી આરતી નર્મદા ઘાટ પર રોજ કરવામાં આવશે. આ આરતી કેવી રીતે થાય છે. તે જોવા માટે કેવડિયાના અધિકારીઓ વારાણસી જઇ આવ્યા હતા. નર્મદા મૈયાની આરતી માટે હાલ તંત્ર એકદમ સજ્જ થઇ ગયું છે. કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનીને તૈયાર છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ આ વિસ્તારનો પ્રવાસન તરીકે વિકાસ થઈ રહ્યો છે અને અનેક પ્રકલ્પનો લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. વડાપ્રધાન મોદીના સૂચનાથી સરકાર આ વિસ્તારનો ધાર્મિક સ્થળ તરીકે પણ વિકાસ કરવાનું આયોજનના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે.મોદી અવારનવાર કેવડિયાની મુલાકાત લે છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી મોદી કેવડિયાની નિયમીત મુલાકાત લેતા આવ્યા છે અને વડાપ્રધાન બન્યા બાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું અને તેઓ અવારનવાર કેવડિયા ખાતે આવતા રહે છે. 31 ઓક્ટોબર-2018માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ મોદી અનેક વખત કેવડિયા આવી ચૂક્યા છે.વધુ વાંચો -
ફિલ્મ સ્ટાર મિલિંદ સોમન મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “રન ફોર યુનિટી” કરશે, જાણો કેમ
- 19, ઓગ્સ્ટ 2021 02:59 PM
- 1923 comments
- 6285 Views
નર્મદા-સમગ્ર ભારતને એકતાંતણે જોડનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ભારતની એકતાનું પ્રતિક બની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં આહવાનથી રાષ્ટ્રીય એકતા દિવસનાં રોજ દર વર્ષે રન ફોર યુનિટીનું આયોજન સમગ્ર ભારતમાં થાય છે, પ્રધાનમંત્રીનાં આહવાનથી પ્રેરીત થઇને પ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર મિલિંદ સોમન એકતાના સંદેશ સાથે શિવાજી પાર્ક, મુંબઇથી 8 દિવસમાં 450 કિલોમીટરનું અંતર દોડીને કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચશે.વલસાડથી નર્મદા જીલ્લા સુધી દરેક જીલ્લા કલેકટર મિલિંદ સોમનનું સ્વાગત કર્યું છે.નર્મદા જિલ્લા વહીવટીતંત્ર પણ જિલ્લાનાં પ્રતાપનગર ખાતે સ્વાગત કરશે. મિલિંદ સોમન એક વરીષ્ઠ ફિલ્મ કલાકાર છે અને દેશભક્તિથી ભરપુર અનેક ફિલ્મોમાં મહત્વની ભુમિકા ભજવી છે આ સાથે તેઓ પ્રધાનમંત્રીશ્રીનાં સ્વપ્ન “ફીટ ઇન્ડીયા” અને “સ્વસ્થ ભારત”નાં સંદેશને ભારતમાં ફેલાવી રહ્યા છે. મિલિંદ સોમન તેમનાં પત્ની અને 8 સભ્યોની ટીમ સાથે ગત તા.15 ઓગસ્ટથી શિવાજી પાર્ક,મુંબઇથી પ્રતિદિન 50 કીલોમીટર દોડ શરૂ કરી છે અને આગામી તા. 22/08/2021નાં રોજ સંજે 04:00 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. યાત્રા દરમ્યાન વલસાડથી નર્મદા જિલ્લા સુધી દરેક જીલ્લાની બોર્ડર પર જીલ્લા વહીવટીતંત્ર મિલિંદ સોમનનું સ્વાગત કરશે. નર્મદા જીલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. તે પ્રમાણે પ્રતાપનગરથી કેવડીયા સુધી અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવશે.વધુ વાંચો -
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર FM રેડિયો સ્ટેશનનું સોફ્ટ લોન્ચિંગ: આદિવાસીઓ બન્યા રેડિયો જોકી
- 16, ઓગ્સ્ટ 2021 05:19 PM
- 4364 comments
- 2573 Views
નર્મદા-સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દેશના 75 માં સ્વાતંત્ર પર્વ 15 મી ઓગષ્ટ 2021 ના રોજ FM રેડિયો સ્ટેશનનું સોફ્ટ લોન્ચિંગ કરાયું હતું.હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 15 થી 20 કિમીના એરિયામાં રેડિયોની 90 FM ની ફ્રિકવંસી પર " હેલ્લો હું છું કેવડિયાની દીકરી, આપ સાંભળી રહ્યા છો રેડિયો યુનિટી 90 FM એક ભારત શ્રેષ્ઠ ભારત" યુનિટી રેડિયો સ્ટેશન પર 90 FM ની ફ્રિકવંસી પર સવારે 8 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત વિવિધ વાતો, વિવિધ ઘટનાઓ કે જે અત્યાર સુધી કોઈએ જાણી નહિ હોય કે કોઈએ સાંભળી નહિ હોય એ વાતો કરવામાં આવશે.યુનિટી રેડિયો સ્ટેશનમાં રેકોર્ડિંગ, ઓન એર સ્ટુડિયો, બેક અપ રેકોર્ડિંગ સ્ટુડિયો, ગ્રુપ રેકોર્ડિંગ સ્ટુડિયો અને પ્રોડક્ટશન સ્ટુડિયોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે છેલ્લી વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવ્યા ત્યારે એમણે એક મિટિંગમાં ત્યાં એક રેડિયો સ્ટેશન ચાલુ કરવાની સૂચના આપી હતી.એ સૂચના મુજબ કોરોના કાળના 6 મહિનાના ટૂંકા ગાળામા અન્ય ખાનગી રેડિયો સ્ટેશન કરતા ઊંચી ગુણવતા વાળુ રેડિયો સ્ટેશન બનાવવામાં આવ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ રેડિયો જોકી બન્યા છે.રેડિયો જોકી માટે સોફ્ટવેર અને હાર્ડવેર સાથે કેવી રીતે કામ કરવું એની એમને સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. રેડિયો જોકી ડો.નીલમ તડવી, ગુરુશરણ તડવી, ગંગાબેન તડવી, હેતલ પટેલ અને સમાબેન દ્વારા સવારે 8 થી રાત્રીના 8 વાગ્યા દરમિયાન યુનિટી રેડિયો પર ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઈંગ્લીશ એમ 4 ભાષાઓમાં રેડિયો સ્ટેશન પર વાર્તાલાપ થશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા વિવિધ VIP, VVIP ગેસ્ટ સાથે વાર્તાલાપની સાથે સાથે પ્રવાસીઓના જન્મ દિવસની ઉજવણીની સાથે સાથે દેશ ભક્તિ તથા લોકોને ઉત્સાહ આવે એવા ગીતો પણ યુનિટી રેડિયો સ્ટેશન પર પ્રસારિત કરાશે. એક આદિવાસી રેડિયો જોકી બની શકે એવું મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન્હોતું: ડો.નીલમ તડવી, રેડિયો જોકી યુનિટી રેડિયો સ્ટેશન પર રેડિયો જોકી તરીકે ફરજ બજાવી રહેલા ફિઝિયોથેરાપીસ્ટ ડો.નીલમ તડવી જણાવે છે કે અંતરિયાળ વિસ્તારનો એક આદીવાસી રેડિયો જોકી બને અને આદીવાસીના અવાજનો વિશ્વ નોંધ લેશે એવું મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન્હોતું.આજે મારો અવાજ રેડિયોના માધ્યમથી લોકો અને ખાસ કરીને મારા સમાજના લોકો સાંભળે એ મારા માટે ખૂબ સારી બાબત કહેવાય.વધુ વાંચો -
તહેવારોને ધ્યનમાં રાખી પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે ખુલ્લુ
- 11, ઓગ્સ્ટ 2021 06:39 PM
- 5207 comments
- 895 Views
નર્મદા-સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પતેતી અને જન્માષ્ટમી પર્વે સોમવારે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇ સોમવારે SOU ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના બદલે મંગળવારે તમામ સ્થળો બંધ રહેશે. SOU સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પર્યટન સ્થળો એ 16 ઓગસ્ટ સોમવાર પતેતી પર્વે પ્રવાસીઓને પ્રવેશ અપાશે. જ્યારે 17 ઓગસ્ટ મંગળવારનાં રોજ તમામ સ્થળોએ રજા રહેશે. એવી જ રીતે આગામી 30 ઓગસ્ટ સોમવારનાં રોજ જન્માષ્ટમી પર્વે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને મુખ્ય વહીવટદાર કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો છે. SOU ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.પતેતી અને જન્માષ્ટમી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવે છે. તેનાં બદલે 17 અને 31 ઓગસ્ટ મંગળવાર નાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય સ્થળોએ જાહેર રજા રહેશે.વધુ વાંચો -
ગુજરાતમાં વહેલી ચૂંટણી અંગે કોઈ વાત નથી, પરંતુ સમયસર રાજ્યમાં ચૂંટણી યોજશે: CM વિજય રૂપાણી
- 09, ઓગ્સ્ટ 2021 04:05 PM
- 6473 comments
- 5952 Views
નર્મદા- રાજપીપળાના જીતનગર ખાતે આજે 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં 341 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા બિરસા મુંડા યુનિવર્સિટીના બિલ્ડિંગનું મુખ્યપ્રધાને ખાતમુહૂર્ત કર્યું હતું. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ઉજવણી કરે છે અને કોંગ્રેસ વિરોધ કરે છે. કોંગ્રેસના વિરોધની કોઈએ નોંધ લીધી નથી. આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કોંગ્રેસ આદિવાસીઓનો વિરોધ કરે છે. કોંગ્રેસનો વિરોધ ફક્ત મીડિયામાં દેખાઈ રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી ડોકટરો હડતાલ પર ઉતર્યા છે, ત્યારે ડોકટરોની હડતાળ અંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અત્યારે કોરોનાના દર્દીઓ નથી, કોરોના નથી તો બોન્ડમાંથી મુક્તિ હોવી જોઇએ તેમજ કોરોના નથી તો ડોક્ટરોએ નિયમોનું પાલન કરવું જોઈએ, પરંતુ ડોકટરોને હડતાલ પાછી ખેચવા મુખ્યપ્રધાને વિનંતી પણ કરી હતી. રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પાંચ વર્ષની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો.વધુ વાંચો -
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 4 સેમીનો ઘટાડો નોંધાયો, મહત્તમ સપાટી 138.68 મીટર
- 02, ઓગ્સ્ટ 2021 01:42 PM
- 8299 comments
- 407 Views
નર્મદા-ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે 23,035 ક્યુસેક પાણીની આવક થઈ હતી.જ્યારે પાણીની જાવક 8,980 ક્યુસેક જેટલી નોંધાય છે.જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 4 સેમીનો ઘટાડો થયો છે.ઉલ્લેખનીય છે કે,નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.આગામી 5 દિવસ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી પરંતુ આજે એટલે બીજી ઓગસ્ટે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર રહી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે.વિભાગની આગાહી પ્રમાણે 5 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 35.48 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં જુલાઈ મહિના દરમિયાન સરેરાશ 6.92 ઈંચ વરસાદ રાજ્યમાં થયો છે.વધુ વાંચો -
નર્મદે સર્વ દેઃ ડેમની જળસપાટી વધીને 116.32 મીટરે પહોંચી
- 27, જુલાઈ 2021 08:06 PM
- 9626 comments
- 7073 Views
નર્મદા-સમગ્ર રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે નદી અને ચેકડેમ ઓવરફ્લો બન્યા છે, ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે તો ડેમમાં પણ જળસપાટી વધી છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાની પણ જળસપાટીમાં વધારો જાેવા મળી રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી હાલ વધીને ૧૧૬.૩૨ મીટરે પહોંચી ગઈ છે. જાે કે એક જ દિવસમાં ડેમની જળ સપાટીમાં ૨૧ સેમીનો વધોર નોંધાયો છે. જાે કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ૪૨૭૪ ક્યુસેક પાણીની આવાક થઈ રહી છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી ૪૨૭૪ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. સાવર્ત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે.વધુ વાંચો -
નર્મદા ડેમની સપાટી વધીને 115.37 મીટર પર પહોંચી
- 26, જુલાઈ 2021 08:05 PM
- 9820 comments
- 1619 Views
નર્મદા-ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના ૨૯ ડેમની સપાટીમાં વધારો થયો છે. દમણ ગંગા ડેમના ૨ ગેટ ખોલવા પડ્યા હતા. નર્મદા ડેમમાં એક દિવસમાં ૧૦ સે.મીનો વધારો થયો છે. વરસાદને કારણે ૨૨,૭૭૨ ક્યુસેક પાણીની આવક થતા સપાટી ૧૧૫.૩૭ મીટર પર પહોચી છે. નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતા પાણીની આવકમાં વધારો થયો છે, જેની સામે કેનાલમાં ૪૨૩૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. રાજ્યના ઉકાઇ, વાત્રક, મેશ્વો, વણાંકબોરી, પાનમ, કડાણા, કરજણસુખી, દાંતિવાડા સહિતના ડેમમાં વરસાદને પગલે પાણીની આવક વધી છે.વધુ વાંચો -
સરદાર સરોવર ડેમ થકી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
- 23, જુલાઈ 2021 03:34 PM
- 1653 comments
- 4771 Views
રાજપીપળા સરદાર સરોવર નર્મદા ડેમ થકી મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીનો કેવડિયા પોલીસ અને એસઆરપી ગ્રુપ-18 ની ટીમ દ્વારા પર્દાફાશ કરાયો છે, પેટ્રોલિંગ દરમિયાન નર્મદા ડેમના તળાવ માર્ગે મહારાષ્ટ્ર માંથી લવાઈ રહેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમનો વાઈટલ ઈન્સ્ટોલેશન "એ" કેટરગરીમાં સમાવેશ થાય છે.એસ.આર.પી ગ્રુપ-18 ના ઈન્ચાર્જ કમાન્ડન્ટ ચિરાગ પટેલે સરદાર સરોવર નર્મદા ડેમની ચુસ્ત સુરક્ષા કરવા એસ.આર.પી જવાનોને સૂચના આપી છે.એસ.આર.પી અ.હે.કો રાજપાલસિંહ રાઓલ, કેવડિયા પોલીસ મથકના અ.હે.કો ધવલ પટેલ તથા ડેમ સુરક્ષાના અ.હે.કો પ્રવીણભાઈ કાળાભાઈ સરકારી બોટમાં ડેમના પાછળના ભાગે પેટ્રોલિંગમાં હતા.દરમિયાન મહારાષ્ટ્ર તરફથી ઝેર ગામના કિનારા તરફ એક લાલ બોટ આવી રહી હતી, શંકા જતા બોટને ઉભી રાખવા પોલિસ કર્મીઓએ જણાવતા બોટ ચાલક બોટને ડુંગરના કિનારે ચાલુ રાખી ફરાર થઈ ગયો હતો.તપાસ દરમિયાન પોલીસે વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ તથા બોટ મળી કુલ 2,97,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી ફરાર બોટ ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.વધુ વાંચો -
સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ અનુંભવાયો
- 08, જુલાઈ 2021 05:29 PM
- 7858 comments
- 7960 Views
કેવડિયા-સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ અનુભવો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી દૂર, ભૂકંપની ડેપ્થ 18.1 કિ.મી ભૂકંપ 6.5 ની તીવ્રતાનો હોય, કેન્દ્ર બિંદુ 12 કિમીની ત્રિજ્યમાં હોય તો પણ નર્મદા ડેમ સુરક્ષિત રહે એવું ડેમનું બાંધ કામ કરવામાં આવ્યું છે.રાજપીપળા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ કેવડિયા ખાતે 1.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમને આ ભૂકંપના આંચકાની કોઈ અસર થઈ નથી. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ મુજબ 08/07/2021 ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી. નોંધાયું હતું અને ભૂકંપની ડેપ્થ 18.1 કિ.મી હતી. જો 6.5 ની તીવ્રતા માટે અને ભૂકંપનું કેન્દ્ર સરદાર સરોવર ડેમથી 12 કિ.મી.ની ત્રિજ્યામાં હોય તો પણ સરદાર સરોવર નર્મદા ડેમ સલામત રહે એવું સરદાર સરોવર નર્મદા ડેમનું બાંધકામ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામમાં પણ આ જ ધારા ધોરણ અપનાવાયું છે.હાલની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઈ વિપરીત અસર અનુભવાઈ નથી.વધુ વાંચો -
સર્વેમાં અડચણ કરનાર સામે ફરિયાદ
- 06, જુલાઈ 2021 01:30 AM
- 7391 comments
- 2081 Views
રાજપીપળા, આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીમાં સમાવિષ્ટ ૧૯ જેટલા ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ ગરુડેશ્વર ટી.ડી.ઓ એ આ સર્વે કામગીરીમાં અડચણ ઉભી કરનાર બી.ટી.પી આગેવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગરુડેશ્વર ટી.ડી.ઓ એ.વી.ડાંગીએ ફરિયાદમાં જણાવ્યું છે કે વનબંધુ કન્યાણ યોજના-૨ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ સુધીની જાેગવાઇ હેઠળ આદીવાસી વિસ્તાર ધરાવતા જીલ્લામાં કુંટુબ સર્વે અને ગામ સર્વેની કામગીરી ચાલુ છે.સોશીયલ મીડીયા પર સર્વેની કામગીરીને લઇ ખોટા મેસેજ ફરતા થયા છે.જે મેસેજમા લખેલું છે કે ૧૯ ગામનો સર્વે ચાલુ છે, ૧૯ ગામના દરેક વ્યક્તીને આધારકાર્ડ અને ઘરના કેટલા સભ્યો છે.એની માહીતી પુછવામા આવી રહી છે.આ દરેક ગામના વ્યક્તીને ઘરઘંટી, મશીનની સહાય માટે પુછવામાં આવી રહ્યુ છે.આ લાલચમાં આવુ નહી કેમ કે સત્તામંડળનો સર્વે કરી રહ્યા છે અને જમીનનો પણ તો પહેલા દરેક ગામના નવજુવાન જાગે.આ લાલચ આપી જમીન લુંટવાના ઇરાદાથી કામ ચાલુ છે.આપણા વિસ્તારના પ્રશ્નો લઇને ઘણા સમયથી નિરાકરણ નહી આવી રહ્યું ત્યાં તો ૧૯ ગામ થઇ ગયા.જેથી ૬ ગામોમાં જ તકલીફ થઇ રહી છે તે ૧૯ ગામોની પણ થવાની છે.આમ પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે. આમ આપનો વિકાસ સંવિધાનીક હક અધિકાર સાથે કરવું જરૂરી છે. દલાલી થી નહીં જ, જેથી આ ગામોમાં જે પણ કોઇ ભાઇ-બહેન ખરેખર ગામ માટે વિકાસ માંગતા હોઇ તે દરેક ગામમાંથી ૨-૩ વ્યક્તી આપણો સંપર્ક નંબર સેન્ડ કરે.હવે આ મેસેજ નર્મદા જિલ્લા બી.ટી.પી આગેવાન આશીષ કંચન તડવીના (રહે.પટેલ ફળીયુ કોઠી કેવડીયા કોલોની) મોબાઈલ પરથી વાયરલ થયો હોવાનું તપાસ કેવડિયા પોલીસે આશિષ તડવી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.સરદાર સરોવર ડેમના રિવર બેડ પાવર હાઉસ બંધ કરવાની ફરજ પડી રાજપીપળા, સતત પાણીના વપરાશના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે ઉપરાંત હજુય જુલાઈ મહિનો શરૂ થયો પણ ઉપરવાસમાં વરસાદ કઈ ખાસ પડી રહ્યો નથી.આ વર્ષે જુલાઈ મહિનાની શરૂઆત થઇ ગઈ પણ હજુ ઉપરવાસમાં મધ્યપ્રદેશના વિસ્તારમાં જાેઈએ તેટલો વરસાદ પડી રહ્યો નથી. હાલની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એક મહિનામાં ૧૦ મીટર કરતાં પણ નીચે જતી રહી છે અને પાણીની આવક ઘટવાના કારણે નર્મદા ડેમના ૧૨૦૦ મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા રીવરબેડ પાવર હાઉસના તમામ યુનિટો બંધ કરી વીજ ઉત્પાદન કરતાં બંધ કરી દેવાની ફરજ પડી.નર્મદા ડેમની જળ સપાટી ૧૧૩.૦૮ મીટર સુધી નીચે જતી રહી. આ મહિનાની અંદર સામાન્ય રીતે ચોમાસુ જામી જતું હોય છે અને ડેમમાં પાણીની આવક થતી હોય છે.પરંતુ આ વખતે ચોમાસુ લંબાઈ ગયું છે.સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ન પડતા પાણીની આવક સતત ઘટી રહી છે.૨૫૦ મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા કેનાલ હેડ પાવર હાઉસના ૫૦ યુનિટીની ક્ષમતા ધરાવતા માત્ર ૨ યુનિટી જ ચલાવવામાં આવી રહ્યા છે.જેટલા સરેરાશ ચલાવવામાં આવે છે જેમાંથી પાણી ડિસ્ચાર્જ થાય છે અને હાલમાં પાણીની જરૂરિયાત છે એના કારણે મુખ્ય કેનાલમાંથી ૭૫૫૦ ક્યુસેક પાણી છોડીને રાજ્યના અનેક વિસ્તારોમાં આપવામાં આવી રહ્યું છે.વધુ વાંચો -
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ૯.૬૮ મીટરનો ઘટાડો
- 02, જુલાઈ 2021 01:30 AM
- 1749 comments
- 1722 Views
રાજપીપળા, સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથકો મથકો સતત ચાલુ રહેતા એક મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૯.૬૮ મીટર ઘટી ગઈ છે. સતત પાણીના વપરાશના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે ઉપરાંત હજુય જુલાઈ મહિનો શરૂ થયો પણ ઉપરવાસમાં વરસાદ કઈ ખાસ પડી રહ્યો નથી.આ વર્ષે જુલાઈ મહિનાની શરૂઆત થઇ ગઇ પણ હજુ જાેઈએ તેટલો વરસાદ નથી પડતો ઉપરવાસમાં મધ્યપ્રદેશના વિસ્તારમાં જ્યારે બીજી તરફ ચોમાસાને ધ્યાનમાં રાખીને સરદાર સરોવર નર્મદા ડેમના ૧૨૦૦ મેગાવોટના રીવર બેડ પાવર હાઉસના વીજ મથકોને સતત ચલાવવામાં આવતા પાણીના વપરાશના કારણે નર્મદા ડેમની જળ સપાટી ૧ જૂનના રોજ ૧૨૩.૩૮ મીટર હતી જે ૧ જુલાઈના રોજ એક ૧૧૩.૭૦ મીટર થઈ જતા મહિનામાં પણ ૯.૬૮ મીટરની ઘટાડો જાેવા મળી રહ્યો છે.વધુ વાંચો -
આદિવાસીઓની જમીન અન્ય ખરીદી શકશે નહીં
- 28, જુન 2021 12:00 AM
- 2342 comments
- 613 Views
રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં એક તરફ બાજુ ૬ ગામ કેવડિયા-કોઠી, લીમડી, ગોરા, નવાગામ, વાગડીયા અને ગોરા ગામમાં લોકો પોતાની વિવિધ માંગોને લઈ વિરોધ કરી રહ્યાં છે.તો બીજી બાજુ “વાગડીયા” ગામ લોકોએ જ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બોર્ડ લગાવ્યું છે કે આદિવાસીઓ હિંદુ નથી, બંધારણ ન માનનાર દેશદ્રોહી છે.ભાજપ સાંસદ મનસુખ વસાવા એમ કહી રહ્યા છે કે આદિવાસીઓ આદિ અનાદિ કાળથી હિંદુઓ છે ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કે જ્યાં વિશ્વના પ્રવાસીઓ આવે છે એ વિસ્તારમાં આ બોર્ડ વાગતા ખડભળાટ મચ્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વાગડીયા ગામ લોકોએ બંધારણની જાેગવાઈઓ નહિ માનનાર દેશદ્રોહી છે એવું બોર્ડ મારી દીધું છે.એક તરફ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ૬ ગામના પ્રશ્નો હલ કરવા તરફ આગળ વધી રહી છે તો બીજી બાજુ વાગડીયા ગામ લોકોએ આ બોર્ડ મારી દીધું છે.વાગડીયા ગામમાં આગેવાન શૈલેષ તડવીએ જણાવ્યું હતું કે અમારું ગામ અનુસૂચિ ૫ વિસ્તારમાં આવે છે.રૂઢી ચુસ્ત કાયદા મુજબ અમને જીવન જીવવાનો અધિકાર છે.અમે સંવિધાન અને પ્રકૃતિ બચાવવા અને અમારી રૂઢી પરંપરા જળવાઈ એ માટે આ બોર્ડ માર્યું છે. આદિજાતિ વિસ્તારમાં જળ, જંગલ, જમીનના માલિક આદીવાસી છે અને શાસન છે.રૂઢીવાદી ગ્રામસભાનો પ્રભાવ અને ગ્રામસભાના કાયદા, ર્નિણયો લાગુ થશે.અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં સામાન્ય કાયદાઓ લાગુ થશે નહિ.અનુસૂચિ ક્ષેત્રમાં ગ્રામસભાની પરવાનગી વગર બીન આદિજાતી વ્યક્તિ ઘુસી શકશે નહીં.અનુસૂચિ વિસ્તારમાં ગ્રામસભાની મંજૂરી વગર ખનન નહિ થઈ શકે, કારણ ખનનની માલિકી હક આદિવાસીઓનો છે. અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં આદિવાસીઓની જમીન ગૈર આદિવાસી ખરીદી શકશે નહીં.છે.અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં આદિવાસીઓનું પ્રશાસન અને નિયંત્રણ રહેશે.અનુસૂચિત વિસ્તારમાં નગરપાલિકા અને નગરનિગમ અસંવૈધાનિક છે.આ અનુચ્છેદ નહીં માનનાર દેશદ્રોહી ગણાશે.અનુસુચિત આદિજાતિ વિસ્તારમાં સ્થાનિક નોકરીઓમાં આદિવાસીઓની સંખ્યા ૧૦૦% અનામત રહેશે.આ અધિનિયમ અનુસાર આદીવાસી રિત રિવાજ અન્ય ધર્મોથી અલગ છે, માટે આદીવાસી હિંદુ નથી.વધુ વાંચો -
નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ 2.8 કરોડનું વીજ ઉત્પાદન
- 08, જુન 2021 07:00 PM
- 7288 comments
- 2098 Views
નર્મદા-નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી તા.૨જી જૂન, ૨૦૨૧ના રોજ સવારે ૮=૦૦ કલાકે ૧૨૩.૦૧ મીટર નોંધાયેલી હતી. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૫,૪૬૩ મિલિયન ક્યુબિક મીટર નોંધાઇ છે. હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે, જેને લીધે જળ સપાટીમાં આશરે ૨૦ થી ૨૫ સે.મી. નો ઘટાડો નોંધાઇ રહ્યો છે. સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૫ મીટરે હતી. હાલમાં છેલ્લા એકાદ સપ્તાહથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દરરોજ સરેરાશ ૭૮ કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂ.૨.૮ કરોડની કિંમતની ૧.૪૦ કરોડ યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૨ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસના હાલ ૩ જેટલા યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત છે અને દરરોજ સરેરાશ રૂ.૫૦ લાખની કિંમતનુ ૨૫ લાખ યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૧૫,૫૦૦ ક્યુસેક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે.વધુ વાંચો -
કેવડિયા ટેન્ટ સીટી ૨ના સંચાલકોને આજે ફરીથી રૂબરૂ હાજર થવા ફરમાન
- 07, જુન 2021 01:30 AM
- 3634 comments
- 6184 Views
રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-૨ ને ગરુડેશ્વર મામલતદારે અન અધિકૃત બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારતા ખળભળાટ મચ્યો હતો.વધુમાં ફોજદારી કાર્યવાહી કેમ ન કરવી એ માટે જરૂરી આધાર પૂરાવા સહિત સ્પષ્ટતા કરવા ૦૭/૦૬/૨૦૨૧ ના રોજ ૧૧-૦૦ કલાકે ગરૂડેશ્વર મામલતદાર સમક્ષ હાજર થવાનું ફરમાન કરાયું હતું.કેવડીયામાં અમદાવાદની મે. પ્રવેગ કોમ્યુનીકેશન લી. દ્વારા ટેન્ટસીટી-૨ માં ગેરકાયદેસર બાંધકામ અંગે ગરૂડેશ્વર મામલતદારની કારણદર્શક નોટીસથી જરૂરી આધાર-પુરાવા રજુ કરવા જણાવેલ હોવા છતાં કોઈ દસ્તાવેજી આધાર-પૂરાવા રજુ કરવાના બદલે તા.૦૩/૦૬/૨૦૨૧ નાં પત્રથી આધાર-પુરાવા વગરની અસંબધ્ધ વિગતો રજુ કરેલ હોવાથી મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી.નો જવાબ ગરુડેશ્વર મામલતદારે અસ્વીકાર્ય રાખ્યો છે.જાે પ્રવેગ કોમ્યુનીકેશન્સ લીમીટેડ નિયત મુદતે હાજર ન રહી યોગ્ય ખુલાસો રજુ ન થયેથી કે યોગ્ય પુરાવા રજુ ન થયેથી કારણદર્શક નોટીસમાં જણાવ્યા મુજબની કાર્યવાહી કરવામાં આવશે એમ ગરૂડેશ્વર મામલતદારે જણાવ્યું હતું. તા.૨ જી જૂન, ૨૦૨૧ ની કારણદર્શક નોટીસમાં જણાવેલ તારીખ અને સમયે ટીસીજીએલ સાથે થયેલ તમામ પત્ર વ્યવહારની નકલો, ટેન્ટસીટી-૨ બાંધકામ માટે મંજૂર કરાયેલ નકશા તથા આધાર-પુરાવાની નકલો તથા મુદ્દાસર લેખીત જવાબ સાથે રૂબરૂ હાજર રહેવાની સૂચના સાથે તાકીદ કરવામાં આવી છે. મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. દ્વારા ટેન્ટસીટી-૨ નાં નિર્માણ માટે મોજે.લીમડી તા.ગરૂડેશ્વર નાં સર્વે નં.૬૪ ની હે.૫-૭૬-૨૮ આરેચોમી (નર્મદા યોજના) અને સર્વે નં.૬૦ ની હે.૨-૮૯-૨૩ ચોમી સરકારી ખરાબાની જમીન મળી કુલ હે.૭-૫૬-૫૧ ચોમી જમીનનો ઉપયોગ કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવતાં ૦૨/૦૬/૨૦૨૧ ની નોટીસથી અનધિકૃત દબાણ દૂર કરવા તથા આ બાબતે તા.૦૭/૦૬/૨૦૨૧ નાં રોજ ગરૂડેશ્વર મામલતદા સમક્ષ રૂબરૂ હાજર થવાનું ફરમાન કરાયું હતું.વધુ વાંચો -
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ગોરા આદર્શ વસાહત મુદ્દે તંત્ર અને આદિવાસીઓ સામ સામે
- 07, જુન 2021 01:30 AM
- 5209 comments
- 9327 Views
રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા કોલોની પાસે બની રહેલા “ગોરા આદર્શ વસાહત” મુદ્દે સ્થાનિક આદિવાસીઓ અને અધિકારીઓ સામ સામે આવી ગયા છે.નર્મદા નિગમના અધિકારીઓ એમ કહે છે કે ૧૯૬૧-૬૨ દરમ્યાન પ્રાંત અધિકારી રાજપીપળા દ્રારા જમીનો સંપાદિત થયેલ છે.૨૦૧૯ માં ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી નંબર–૧૩૦/૨૦૧૯ થી દાવો કરવામાં આવ્યો હતો કે જમીન સંપાદન બદલ હજી અસરગ્રસ્તોને વળતર ચૂકવાયેલ નથી.જેની સામે નર્મદા નિગમ દ્રારા હાઇકોર્ટ સામે યોગ્ય આધાર સાથે વળતર ચુકવ્યા બદલના પુરાવા રજૂ કરાયા હતા.પુરાવાની સમીક્ષા બાદ હાઇકોર્ટે જાહેર હિતની અરજી ફગાવી હતી.હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, આ ચુકાદા બાદ પણ જાે કોઈ ખાતેદાર અથવા તેના વારસદારને વળતર ન મળ્યા બાબત અસંતોષ હોય તો આ અંગે હાઇકોર્ટમાં વ્યક્તિગત પિટિશન કરી શકે છે પણ હજી સુધી આ પ્રકારની કોઈ પણ પિટિશન આ વિસ્તારમાંથી થયેલ નથી. નર્મદા નિગમ દ્રારા રોજગારી પૂરી પાડવામાં આવેલ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે જેથી સ્થાનિકોને રોજગારી આપી શકાય.૬ ગામ આદર્શ વસાહતમાં ૧૨૫ ચો.મી ના બાંધકામ વાળુ ૧ મકાન એક જ પરીવારને આપવામાં આવ્યું છે, આજુ બાજુમાં બાંધકામ સિવાયની જગ્યા તેઓની માલીકીની જ છે અને આ જગ્યા પશુઓ બાંધી શકાય છે. વાગડિયા ગામનાં સરપંચ પોતે એક જવાબદાર પ્રતિનિધિ છે તેઓ પોતે મગનભાઇ ગોવિંદભાઈનાં વારસદાર છે.સરપંચનાં પિતા વિઠ્ઠલભાઈ મગનભાઇ તડવી અને કાકા મનુભાઈ મગનભાઇ તડવીએ ગત તા. ૨૦/૦૯/૨૦૧૭ નાં રોજ સરકાર તરફથી આપવામાં આવેલ પેકેજ સ્વીકારતી એફિડેવિટ એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ,ગરૂડેશ્વર સમક્ષ કરેલ છે અને તેમાં જણાવેલ છે કે આ સંમતી અમોએ સંપૂર્ણ શુદ્ધ બુદ્ધિથી, સભાન અવસ્થામાં, બિનકેફી હાલતમાં કોઈ પણ જાતના દાબ દબાણ વગર લખી આપેલ છે.વધુ વાંચો -
કેવડીયાને ઈલેક્ટ્રિક વેહિકલ સીટી તરીકે વિકસિત કરાશે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વડાપ્રધાનની જાહેરાતઃબેટરી સંચાલિત બસો દોડાવવામાં આવશે
- 06, જુન 2021 01:30 AM
- 7821 comments
- 7033 Views
રાજપીપળા, વડાપ્રધાન મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સીટી તરીકે વિકસીત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી છે.કેવડીયા ખાતે નિર્માણ પામેલી વિશ્વની સોથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ હતો.તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાત મુહૂર્ત કર્યું હતું. હાલમાં જ કેવડિયા ખાતે દેશનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનનું પણ નિર્માણ થયું છે.નર્મદા જિલ્લાને ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાય છે.ઘનઘોર જંગલોથી ઘેરાયેલો નર્મદા જિલ્લો પ્રવાસીઓની પેહલી પસંદગી બન્યો હતો.નર્મદા જિલ્લાનું વાતાવરણ પ્રદુષણ રહિત રહે અને લીલોતરી બરકરાર રહે એ માટે નર્મદા જિલ્લામાં મોટા મોટા ઉદ્યોગો ન સ્થાપવા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ર્નિણય કર્યો હતો.નર્મદા જિલ્લો નરેન્દ્ર મોદીનું પસંદગીનું સ્થળ હતું, તેઓ અવાર નવાર અહીંયા આવતા જ રહેતા હતા. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લો જ્યારે વિશ્વના નકશામાં અંકિત થયો છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક ર્નિણય લીધો છે.કેવડીયાને ઈલેક્ટ્રિક વેહિકલ સીટી તરીકે વિકસીત કરવાની જાહેરાત મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે કરી છે.નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવિષ્યમાં કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સીટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે.ભવિષ્યમાં કેવડીયામાં બેટરી સંચાલિત બસો, ટુ વિલર અને ફોર વિલર જ ચાલશે એના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે એમ વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.વધુ વાંચો -
સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાને ઈલેક્ટ્રિક વેહિકલ સીટી તરીકે વિકસીત કરાશે: PM મોદીની જાહેરાત
- 05, જુન 2021 04:33 PM
- 5613 comments
- 2185 Views
અમદાવાદ-PM મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સીટી તરીકે વિકસીત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી છે.કેવડીયા ખાતે નિર્માણ પામેલી વિશ્વની સોથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ હતો.તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાત મુહૂર્ત કર્યું હતું.હાલમાં જ કેવડિયા ખાતે દેશનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનનું પણ નિર્માણ થયું છે. નર્મદા જિલ્લાને ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાય છે.ઘનઘોર જંગલોથી ઘેરાયેલો નર્મદા જિલ્લો પ્રવાસીઓની પેહલી પસંદગી બન્યો હતો.નર્મદા જિલ્લાનું વાતાવરણ પ્રદુષણ રહિત રહે અને લીલોતરી બરકરાર રહે એ માટે નર્મદા જિલ્લામાં મોટા મોટા ઉદ્યોગો ન સ્થાપવા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો હતો.નર્મદા જિલ્લો નરેન્દ્ર મોદીનું પસંદગીનું સ્થળ હતું, તેઓ અવાર નવાર અહીંયા આવતા જ રહેતા હતા. તો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લો જ્યારે વિશ્વના નકશામાં અંકિત થયો છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક નિર્ણય લીધો છે.કેવડીયાને ઈલેક્ટ્રિક વેહિકલ સીટી તરીકે વિકસીત કરવાની જાહેરાત મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે કરી છે.નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવિષ્યમાં કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સીટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે.ભવિષ્યમાં કેવડીયામાં બેટરી સંચાલિત બસો, ટુ વિલર અને ફોર વિલર જ ચાલશે એના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે એમ વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.વધુ વાંચો -
નર્મદામાં ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતા આઠ મુન્નાભાઈ પકડાયા
- 05, જુન 2021 01:30 AM
- 9507 comments
- 820 Views
રાજપીપળા, નર્મદા જિલ્લામાં કોરોના કાળ દરમિયાન ઝોલા છાપ ડોક્ટરો લોકોની સારવાર કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઊઠી હતી.ફરિયાદને આધારે નર્મદા પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સરકારી ડોક્ટરોને સાથે રાખી ૮ જેટલા ઝોલા છાપ ડોકટરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.નર્મદા પોલીસે ૮ ઝોલા છાપ તબીબો પાસેથી ૪,૫૫,૫૭૦ રૂપિયાનો સારવારને લાગતો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે તિલકવાડાના અગર ગામમાં ૧૦ પાસ ઝોલા છાપ તબીબ લોકોની સારવાર કરી રહ્યો હતો.નર્મદા જિલ્લામા કોરોના કેહેર વચ્ચે નર્મદા જિલ્લા પોલિસ અને આરોગ્ય વિભાગે સંયુકત રીતે રાજપીપલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા તેમજ હોમીયોપેથી સર્ટી આધારે એલોપેથીક સારવાર કરતાબોગસ તબીબો ઝડપી પડતા ખડખડાટ મચી ગયો છે.નર્મદાની એલસીબી પોલીસે ૪, એસઓજી પોલીસે ૧, તિલકવાડા પોલીસે ૧ અને આમલેથા પોલીસે ૨ મળી મળી કૂલ ૮ બોગસ તબીબો નર્મદા જિલ્લા માંથી ઝડપાયા છેક્યા ક્યા બોગસ તબીબો ઝડપાયા(૧) દિનેશ રઘુનાથ અધિકારીને ૧૯,૯૧૮ રૂપિયાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા (રહે.અગર તા.તિલકવાડા જિ.નર્મદા)(૨) રાજકુમાર સુધીર રાવલને ૨૪,૧૯૩ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા (રહે.લાછરસ તા.નાંદોદ) (૩) પ્રશાંત ચન્દ્રકાંત પટેલને ૧,૮૫,૫૧૪ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા (રહે.રાજપીપળા)(૪) સંજય કુમાર કાર્તિકચંન્દ્ર સીલને ૪૨,૦૦૪.૪૪ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા ( સાગબારા, રોજદેવ ગામ)(૫) ડો.મહેન્દ્રભાઇ ગણેશભાઇ મહાજનને ૬૪,૭૦૧ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા (રહે.સેલંબા, ખોચરપાડા રોડ) (૬) સુભાષચંદ્ર સનાતન મલીકને ૩૭,૪૬૬ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા ( રહે.દેવલીયા ચોકડી તા.તિલકવાડા)(૭) રમાકાંન્ત ચોધરીને ૫૫,૯૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.(હાલ રહે. પ્રતાપનગર તા.નાંદોદ)(૮) યશ સુબોદચંદ્ર દેસાઇને ૨૫,૮૨૪.૭૪ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.( પ્રતાપનગર, તા.નાંદોદ) નેત્રંગમાં બે ઝોલાછાપ ડોક્ટર સાણસામાં નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર થવા ગામના સ્ટેશન ફળીયામાં અને નેત્રંગ ચાર રસ્તા ઉપર ઝોલાછાપ બે ડોક્ટરો ગેરકાયદેસર દવાખાનું ચલાવી દદીઁઓને દવા અને ઇન્જેક્શન આપી સારવાર કરતા હોવાની બાતમી મળતાં નેત્રંગ પોલીસે બંદોબસ્ત સાથે તપાસ હાથધરી હતી. બંને ઇસમો પાસે દવાખાનુ ચલાવવા માટે સરકાર માન્ય ડિગ્રી અને સર્ટીફીકેટ ન હતું, છતાં પણ ગેરકાયદેસર રીતે દદીઁઓની સારવાર કરતાં હોવાનું માલુમ પડતા પોલીસે કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી. ઝોલાછાપ ડૉકટરો પાસેથી ઇન્જેક્શન, દવા અને રૂ.૧૦૭૦ નો મુદ્દામાલ કબ્જે કરી બંને ડૉક્ટરો વિરુદ્ધ ગુનો નોંધી જેલભેગા કરતા ગેરકાયદેસર દવાખાનું ચલાવતા ઝોલાછાપ ડૉકટરોમાં ભયનો માહોલ છવાયો છે. પકડાયેલ ડોક્ટર(૧) ચિત્તરંજન દિનાનાથ મંડલ ઉ.૬૬ રહે.થવા સ્ટેશન ફળીયું, તા.નેત્રંગ, જી.ભરૂચ (૨) પિયુષ વિનોદભાઈ સરકાર ઉ.૪૪ રહે.જવાહર બજાર, નેત્રંગ તા.નેત્રંગ જી.ભરૂચનો સમાવેશ થાય છે.વધુ વાંચો -
ચોમાસા પહેલા સરદાર સરોવર ડેમ ખાતે પ્રિ મોન્સૂન કામગીરોનો પ્રારંભ: આ વર્ષે પણ ડેમ છલોછલ ભરાશે
- 02, જુન 2021 05:32 PM
- 2981 comments
- 5981 Views
રાજપીપળા- સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પ્રિમોન્સૂન કામગીરી ચાલુ થઈ ગઈ છે.આ વર્ષે પણ નર્મદા બંધ પોતાની 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી ભરવાની શક્યતાઓને કારણે નિગમ દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.હાલ નર્મદા બંધના ઉપર વાસમાંથી 13,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, હાલ બંધની જળસપાટી 123 મીટર છે. સરોવરમાં પણ 1900 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે.જો વરસાદ ઓછો પડે તો પણ ગુજરાત રાજ્યને પીવાનું પાણી પુરુ પાડવા નર્મદા બંધ સક્ષમ છે. જોકે ચોમાસુ આગામી દિવસોમાં શરૂ થશે એટલે એ પહેલા નર્મદા બંધના 30 રેડિયલ ગેટ માંથી 30X30 ના મીટરના 23 ગેટ અને 30X 26 મીટરના 7 ગેટનુંસર્વીસિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે.એ તમામ ગેટ સરળતાથી અપ ડાઉન થાય કોઈ ઇમર્જન્સીમાં ગેટ ખોલવાનો વારો, ઓટોમેટિક ગેટ ખુલી શકે એ માટે ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં 30 માંથી 23 ગેટનું કાર્ડિયલ કમ્પોઉન્ડ લિકવીડ દ્વારા સર્વિસિંગ પુર્ણ કરવામાં આવ્યું છે.સાથે જે સરદાર સરોવર નર્મદા ડેમની દીવાલોને સ્પેશિયલ એપોક્ષી લિયર કલર કરવામાં આવી રહ્યો છે.જેથી વધુ પ્રમાણમાં ઉપરવાસ માંથી પાણી આવે તો પણ દીવાલોને કોઈ અસર કે હાનિ ન પહોંચે.જોકે આ કામ દર વર્ષે મેં અને જૂન માસમાં કરવામાં આવે છે.વધુ વાંચો -
ડેડિયાપાડા અંતરિયાળ વિસ્તારમાં આરોગ્યલક્ષી કામોને મંજુરી અપાઈ
- 31, મે 2021 01:30 AM
- 6672 comments
- 1280 Views
રાજપીપલા, નર્મદા જિલ્લામાં કોરોનાની સંભવત ત્રીજી લહેરને અનુલક્ષીને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુ ખાબડે ડેડિયાપાડા તાલુકાની આરોગ્યલક્ષી સુવિધાઓને પ્રાધાન્ય આપીને ૨ કરોડની તમામ ગ્રાન્ટનો આરોગ્યલક્ષી સુવિધાઓ વિકસાવવાના કામોમાં ઉપયોગ કરવા માટે મંજુરીની મહોર મારી છે. ડેડિયાપાડા તાલુકાના કુલ-૦૮ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સેન્ટ્રલી ઓક્સિજન લાઇનથી સજજ કરવાનું આયોજન ઘડી કઢાયુ છે.તેની સાથો સાથ દરેક ને ૫-(પાંચ) જમ્બો ઓક્સિજન સિલિન્ડર લેખે કુલ-૪૦ સિલિન્ડર ફાળવવામાં આવશે.હાલમાં તમામ ઁઉપલબ્ધ ૬ બેડની સુવિધામાં વધુ ૬ બેડનો વધારો કરીને તે બમણી કરાશે, જેમાં ૬ બેડ કોવિડ માટે અને ૬ બેડ નોન કોવિડ માટે ઉપયોગમાં લેવાશે. અને તેના માટે ૦૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ૪૦ નવા પલંગ અને દરદીઓના સામાન માટે ૪૦ નવા બેડ સાઇડ-ડ્રોવરની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. તેવી જ રીતે સારવાર માટે દાખલ થયેલ દરદીઓ માટે પ્રત્યેક આરોગ્ય કેન્દ્ર ખાતે-૨ (બે) મલ્ટીપારા મોનીટર લેખે ઉકત તમામ ૦૮ આરોગ્ય કેન્દ્રોમાં કુલ-૧૬ મલ્ટીપારા મોનીટરની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ મલ્ટીપારા મોનીટરની સહાયથી દરદીનું પલ્સ, ટેમ્પરેચર વગેરેની વિગતો આ મોનીટર લાઇવ દર્શાવશે, જે દરદીઓની ઝડપી સારવારમાં સહાયરૂપ થશે.વધુ વાંચો -
રાજપીપળા પાલિકાના વહીવટની તમામ સત્તા પ્રમુખના હાથમાં
- 27, મે 2021 01:30 AM
- 6288 comments
- 6299 Views
રાજપીપળા, રાજપીપળા પાલિકામાં ૨૭/૦૪/૨૦૨૧ મળેલી સામાન્ય સભામાં પાલિકાના વહિવટી ર્નિણયની તમામ સત્તા સર્વાનુમત્તે વાદ વિવાદ વગર પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલને સોંપાઈ છે.રાજપીપળા પાલિકાના ચૂંટાયેલા ૨૧ સભ્યોની હાજરીમાં વિવિધ સમિતિઓની રચના પણ કરાઈ હતી અને પ્રમુખને તમામ સત્તાઓ સોંપવાનો ર્નિણય પણ કરાયો હતો.નર્મદા જિલ્લામાં કોરોના કેહેર વધી રહ્યો છે.વારંવાર મિટિંગ બોલાવવી પડે એટલે કોરોના સંક્રમણનો પણ ખતરો વધે છે એ માટે કોરોના સંક્રમણ અટકે અને વિકાસના કામમાં સમય ન બગડે એ માટે રાજપીપળા પાલિકામાં મળેલી સામાન્ય સભામાં પાલિકા વહિવટીને લગતા તમામ ર્નિણયો લેવાની તમામ સત્તા સભ્યોએ પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલને સોંપી છે.રાજપીપળા પાલિકા વોર્ડ ૫ સભ્ય પ્રજ્ઞેશ રામી, વોર્ડ ૪ સભ્ય ગિરિરાજ સિંહ ખેર અને વોર્ડ ૭ સભ્ય અમિષાબેન વસાવાએ જણાવ્યું હતું કે પાલિકાના પ્રમુખે અમને એવી ખાતરી આપી છે કે ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કોઈ ર્નિણય નહિ કરાય.દરેક વોર્ડના સભ્યને એમના વિસ્તારના પ્રશ્નો અને કામો બાબતે પૂછવામાં આવશે અને પછી જ જે તે ર્નિણય લેવાશે.રાજપીપળા પાલિકાની સામાન્ય સાધારણ સભામાં એક મહત્વનો ર્નિણય પાલીકા કર્મીઓ માટે પણ લેવાયો હતો.રાજપીપળા પાલિકા કર્મીઓ કોરોના પોઝોટિવ થાય તો એ કર્મીએ પોઝિટિવ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.ત્યારબાદ સારવાર અર્થે જેટલો સમય ગેરહાજર રહે અથવા મહત્તમ ૧૪ દિવસ બે માંથી જે ઓછું હશે એ મુજબ પાલિકા પગાર દ્વારા પગાર ચૂકવાશે.વધુ વાંચો -
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો, આગામી આટલા પાણીની સમસ્યા નહિં સર્જાય
- 25, મે 2021 03:18 PM
- 8253 comments
- 6108 Views
નર્મદા-ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના નીરની સપાટી ઉપરવાસથી પાણીની આવક વધતાં ઉંચી આવી છે. હાલ નર્મદાની સપાટી 125 મીટરને પાર કરતાં આગામી સમયમાં બે વર્ષ માટે પાણીની સમસ્યા નિવારી શકાશે. ગુજરાતમાં નર્મદા યોજના પાણીની સમસ્યા નિવારવામાં આગામી સમયમાં લાભદાયી પુરવાર થઇ શકે છે. નર્મદાડેમમાં આજની સ્થિતિએ 2124 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે. જળસપાટીની દ્રષ્ટિએ જોતાં નર્મદાની સપાટી 125 મીટરે પહોંચી છે. ઉપરવાસથી પાણીનો પ્રવાહ ગુજરાતને સતત મળતો રહેતાં આ વર્ષે ગુજરાતને પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં. હાલ દૈનિક 10 હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદામાંથી ખેડૂતોને આપવામાં આવે છે. છતાં આજની સ્થિતિએ 2 હજાર 124 મિલિયન ક્યુબીકમીટર જથ્થો સંગ્રહિત રહેતાં ખેડૂતોને પણ પૂરતો પાણીનો જથ્થો મળી રહેશે. ચોમાસાની વાત કરીએ તો ચોમાસુ પણ સારૂં રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં સરેરાશ 34 ઇંચની જરૂરિયાત મુજબ થાય તો ચોમાસુ લાભદાયી પુરવાર થઇ શકે છે. બીજીબાજુ નર્મદા ડેમમાં પણ પૂરતો જથ્થો સંગ્રહિત હોવાથી આગામી બે વર્ષ માટે પાણીની સમસ્યા રહે નહીં તે મુજબનું આયોજન થશે , જે ગુજરાત માટે લાભદાયી પુરવાર થશે.વધુ વાંચો -
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ૧૨૫ મીટરને પાર
- 25, મે 2021 01:30 AM
- 7819 comments
- 9807 Views
રાજપીપળા, સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો ચોમાસા પહેલા ૨૧૨૪ મિલીયન ક્યુબીક મીટર જમા છે.ત્યારે ચોમાસુ લંબાઈ તો પણ ગુજરાતમાં પાણીની કોઈ સમસ્યા નહિ રહે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૫ મીટર પાર કરી ગઈ છે.સરદાર સરોવર ડેમમાં પાણીની આવકના પગલે હાલમાં સરકારે કરેલા આયોજન મુજબ ગુજરાતના ખેડૂતો માટે ૧૦૦૦૦ ક્યૂસેક જેટલું પાણી મુખ્ય કેનાલમાંથી છોડવામાં આવે છે.મે મહિનો પૂરો થવા આવ્યો છતાં પણ હજુ પણ નર્મદા ડેમમાં પાણીનો જથ્થો ૨૧૨૪ મિલીયન ક્યુબીક મીટર છે જે બતાવે છે કે ગત વર્ષનું ચોમાસું સારું રહ્યું હતું જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ હતી.હાલમાં પણ પાણીનો જથ્થો વિપુલ પ્રમાણમાં છે અને ગુજરાતને ભાગે આવતું પાણી ઉપરવાસમાંથી ધીરે ધીરે છોડાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ચોમાસું ખૂબ સારું રહ્યું હતું જેના કારણે નર્મદા ઘાટીમાં ભરપૂર પાણી આવ્યું હતું.પાણીનો સ્ટોરેજ પણ ભરપૂર છે ત્યારે જાે ચોમાસું લંબાય તો પણ ગુજરાતને કોઈ પણ તકલીફ નહી પડે.હાલમાં નર્મદા ડેમમાંથી જરૂરિયાત પ્રમાણે જે પાણીનો જથ્થો છે કે ધીરે ધીરે છોડાઈ રહ્યો છે અને તળાવો નદીઓ વગેરે ભરવામાં આવી રહ્યા છે.ત્યારે આ વર્ષે ચોમાસુ લંબાય તો પણ ગુજરાતને કોઇ પણ તકલીફ ન પડે તેવું સ્પષ્ટ દેખાતાં હાલમાં નર્મદા ડેમનું પાણી કેનાલ મારફતે છોડવામાં આવે છે. નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન છે. નર્મદા ડેમમાં પાણી આવવાથી ખેડૂતોને સિંચાઇ માટે પુરતું પાણી આપી શકાશે. ખેડૂતોને ઉનાળામાં પાણી અને વીજળીની તકલીફ પડતી હોય છે. સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૨૫ મીટરને પાર જતાં ખેડૂતોની સિંચાઇની મુશ્કેલીનું નિરાકરણ હાલ પુરતું આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે.વધુ વાંચો -
તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર
- 19, મે 2021 05:00 PM
- 880 comments
- 5677 Views
અમદાવાદ-તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.વધુ વાંચો -
ગુજરાતને ફરી પાટા પર લાવવા સરકારની કવાયત શરૂ, ક્યાં કેટલું નુકસાન? સર્વેની કામગીરી શરૂ
- 19, મે 2021 04:49 PM
- 7767 comments
- 8172 Views
ગાંધીનગર-કોરોનાના ભયાનક મારનો સામનો કરી રહેલા ગુજરાતથી કુદરત જાણે કે રુઠી હોય તેવી રીતે 'તાઉતે' નામનું મહાભયાનક વાવાઝોડું આવી પડતાં સરકાર તેમજ લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. બે દિવસ સુધી ખૌફના મંજર ઉભા કરીને વાવાઝોડું હવે પસાર થઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા પણ વાવાઝોડાને કારણે ક્યાં કેટલું નુક્સાન થયું છે તેના સર્વે સહિતની કામગીરી 'બંબાટ' શરૂ કરી દેવામાં આવી છે. એકંદરે રાજ્યને ફરી 'ધબકતું' કરવા માટે સરકારે મથામણ શરૂ કરી દીધી છે. વાવાઝોડાએ જે-જે જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે તે જિલ્લાઓને બે દિવસની અંદર 'બેઠા' કરી દેવા સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વાવાઝોડાએ ખાસ કરીને ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું હોય તેનો સર્વે કરવા પર સરકાર પ્રાથમિકતા આપી રહી છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં ઝુંપડા અને કાચા મકાનો તૂટી પડ્યા છે ત્યાં તાકિદે કેશડોલ્સ ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવા સરકારે આદેશ આપ્યો છે. પત્રકાર પરિષદને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વાવાઝોડાએ ગુજરાતમાં 13 લોકોનો ભોગ લીધો છે. આગોતરા આયોજન, આગમચેની, સહિયારા અને સક્રિય પ્રયત્નો તેમજ લોકોના સહકારથી ગુજરાત વાવાઝોડારૂપી આફતમાંથી હેમખેમ બહાર આવી ગયું છે. વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના સર્વેક્ષણની કામગીરી શરૂકરી દેવાઈ છે. પ્રાથમિક તબક્મે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. જે જિલ્લાઓમાં વિશે નુકસાન થયું છે ત્યાં પાડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગરીમાં સામેલ કરવામાં આવ્યા છે જેથી કામગીરીમાં ઝડપ આવી શકે. યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારા-ધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રાહતની વાત એ છે કે એક પણ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને વાવાઝોડાને કારણે કોઈ તકલીફ પડ નથી. રાજ્યમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી અને તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો આમ છતાં તંત્રની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે ક્યાંય વીજ સપ્લાયને લઈને સમસ્યા સર્જાવા પામી નથી. વાવાઝોડાની સૌથી વધુ અસર ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં જોવા મળી છે તેથી સરકાર દ્વારા આ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરીને વિસ્તૃત વિગતો મેળવવામાં આવી રહી છે.વધુ વાંચો -
ગુજરાતમાં તોઉ તે વાવાઝોડાનું વિનાશકારી તાંડવ, 188 તાલુકામાં ધોધમાર વરસાદ, 3 નાં મોત
- 18, મે 2021 02:27 PM
- 7659 comments
- 9417 Views
અમદાવાદ-'તાઉ'તે વાવાઝોડું ગઈ કાલે રાત્રે રાજ્યમાં ઉના અને ભાવનગરમાં ટકરાયા પછી ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદના અહેવાલ છે. 'તાઉ'તે' વાવાઝોડાને પગલે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં પવન સાથે નવ ઈંચ વરસાદ પડ્યો હતો, જેમાંથી સાત ઇંચ વરસાદ તો માત્ર વહેલી સવારે 4થી 6 કલાકની વચ્ચે નોંધાયો છે. જ્યારે ગીર ગઢડામાં પણ સાત 7 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના ઉંમરગામમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજયમાં કુલ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે ભારે પવનને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રનાં 1000 ગામોમાં વીજપુરવઠો ઠપ થયો હતો.110 તાલુકામાં એક મિ.મીથી છ ઇંચ વરસાદ નોંધાયો હતો. હજુ ગુજરાત માટે 24 કલાક ભારે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે વાવાઝોડું ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે. આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહાર ના નીકળવાના જિલ્લા કલેકટરે તાકીદ કરી છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ