નર્મદા સમાચાર
-
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ
- 08, માર્ચ 2021 03:06 PM
- 1872 comments
- 7169 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ઉનાળાની એન્ટ્રીઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો
- 08, માર્ચ 2021 02:31 PM
- 7356 comments
- 5906 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.વધુ વાંચો -
જૂઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસેના ડુંગરાળ પ્રદેશમાં આગ કેવી રીતે લાગી
- 08, માર્ચ 2021 09:12 AM
- 2246 comments
- 1870 Views
અમદાવાદ-ગુજરાતનાં ગૌરવ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. સમગ્ર દેશનાં વીઆઇપી અને તમામ રાજનેતાઓ આવી રહ્યા છે. તેવામાં અહીં સિક્યોરિટી અને સમગ્ર મેનેજમેન્ટ સ્ટાફ પણ સ્ટેન્ડ ટુ રહે છે. વીઆઇપીઓની સતત આવન જાવનના કારણે સ્થાનિક પોલીસ પણ સતત સ્ટેન્ડ ટુ રહે છે. જાે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનાં ડુંગરમાં આગ લાગી છે. જેના કારણે સમગ્ર જિલ્લા તંત્ર દોડતું થયું છે. નર્મદા ડેમનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસેના ડુંગરમાં આગના પગલે પોલીસ દોડતી થઇ છે. નર્મદા ડેમ સરદાર સરોવરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓને ફાયર વિભાગનો સ્ટાફ આગને કાબુમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. હાલ ફાયર ફાઇટરને સ્ટેચ્યુના કર્મચારીઓ આગને કાબુમાં લેવા પ્રયાસો કરી રહ્યા છે. જાે કે સુકા ઘાસમાં આગ લાગી હોવાનાં આગ પર કાબુ મેળવવો મુશ્કેલ છે. તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંગે ફાયરના અધિકારીઓએ જણાવ્યું કે, રોડ લેવલ થી ૨૦૦ ફૂટ ઉંચા ડુંગરમાં આગ લાગી હોવાથી તંત્રને આગ પર કાબુ મેળવવામાં થોડી તકલીફ ઉઠાવી રહી છે. આગ કેવી રીતે લાગી તે અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ ઉપરાંત સુકા ઘાસમાં આગ લાગી હોવાનાં કારણે તેને કાબુ કરવી મુશ્કેલ છે. જાે કે બીજી રાહતની વાત છે કે, ઘાસમાં આગ લાગી હોવાનાં કારણે તે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નહીવત્ત છે. જાે કે સ્થાનિક અધિકારીઓના અનુસાર કેટલીક વખત પોતાની બાધા પુરૂ કરવા માટે આદિવાસીઓ દ્વારા ડુંગર પર આગ લગાવાતી હોય છે. તેવામાં આ આગ લગાવવામાં આવી હોય તેવી પણ શક્યતા છે.વધુ વાંચો -
કયા વિખ્યાત ઉદ્યોગપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોઈને પ્રભાવિત થઈ ગયા
- 07, માર્ચ 2021 09:57 AM
- 5073 comments
- 2615 Views
રાજપીપળા-સ્ટીલ કિંગ તરીકે જાણીતા ઉદ્યોગપત લક્ષ્મી મિત્તલ શુક્રવારે કેવડીયા કોલોની ખાતે આવ્યા હતા અને તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જાેયા બાદ પોતાના અનુભવો વિષે લખ્યું હતું કે, મે કેવડિયા જઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણો જાેયા છે. ખુબ જ અદભૂત, અવિસ્મરણીય અને અકલ્પનીય છે, તેમણે વધુમાં લખ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શી, દ્રઢ નેતૃત્વ, વિશાળ વિચારનું પ્રતિબિંબ કેવડિયામાં દરેક ક્ષણે જાેવા મળે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મને લાગતું જ નથી કે, આપણી માતૃભૂમિ ભારતમાં છું. હું વિચારમાં પડી ગયો કે, કેવી રીતે થોડા સમયમાં વડાપ્રધાને અહીંની કાયાપલટ કરી નાખી. કેવડિયા ભારત દેશનું ગૌરવ છે. કેવડિયા એ વાતનું જીવતું જાગતું પ્રતીક છે કે, એક મજબૂત હાથોમાં ભારતનું ભવિષ્ય સુરક્ષિત છે. અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલને કોટી કોટી નમન...શત શત પ્રણામ... અત્રે ઉલખનિય છે કે, હવે મોટા ઉદ્યોગપતિઓની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેની મુલાકાતો વધી રહી છે. આ પહેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મુલાકાત લીધી હતી અને હવે લક્ષ્મી મિત્તલે પણ મુલાકાત લીધી છે, જેથી આ મોટા ઉદ્યોગપતિઓની નજર કેવડિયા વિસ્તારમાં હોવાથી રોકાણ કરે તેવી શક્યતા છે અને તેઓ કેવડિયામાં વૈભવી હોટલો બનાવી શકે એવી શક્યતાઓ સેવાઇ રહી છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ