ગાંધીનગર સમાચાર

  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અંબાજીમાં હવે મોહનથાળ સાથે ચીકીનો પ્રસાદ અપાશે

    ગાંધીનગર, તા. ૧૪સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરમાં વર્ષોથી પરંપરાગત રીતે પ્રસાદ તરીકે અપાતાં મોહનથાળને બંધ કરીને રાતોરાત ચીકીની પ્રસાદ તરીકે આપવાનો વિવાદાસ્પદ ર્નિણય કરાયો હતો. જેના કારણે રાજયભરના માઈ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચતા ઠેર ઠેર વિરોધ શરૂ થયા હતા. અંબાજી મંદિરના પરંપરાગત પ્રસાદ મોહનથાળને બંધ કરીને તેના સ્થાને ચીકીનો પ્રસાદ શરૂ કરવા સામે માઈ ભક્તો અને ભાવિકોમાં રોષની લાગણી લાગણી પ્રસરી હતી. માઈ ભક્તો અને ભાવિકોનો રોષ જાેઈને આજે સરકાર હરકતમાં આવી હતી અને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મોહનથાળના પ્રસાદને ફરીથી ચાલુ કરવાની તેમજ ચીકીનો પ્રસાદ પણ સાથોસાથ ચાલુ રખાશે તેવી જાહેરાત કરાઈ હતી. આમ રાજ્ય સરકાર લોકજુવાળ સામે ઝૂકી હતી તેમ છતાં મોહનથાળની સાથોસાથ સરકાર દ્વારા ચીકીના પ્રસાદને ચાલુ રાખીને પોતાની ટંગડી ઊંચી રાખવાનો પ્રયાસ કરાયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીના મંદિરમાં ટ્રસ્ટ દ્વારા રાતોરાત ર્નિણય કરીને ગત તા.૪ માર્ચથી માતાજીનાં પ્રસાદ તરીકે અપાતાં મોહનથાળ બંધ કરી દેવાયો હતો અને તેના સ્થાને ચીકીને પ્રસાદ તરીકે આપવાની શરૂઆત કરી દેવાઈ હતી. જેના કારણે માઈ ભક્તો, ભાવિકો, શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, મંદિરના ભટ્ટજી, દાંતાના મહારાજથી લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના ર્નિણયનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મોહનથાળ બંધ કરવાના ર્નિણયના વિરોધમાં માઈ ભક્તો, ભાવિકોની સાથોસાથ હિન્દુ સંગઠનો અને સંતો-મહંતો પણ મેદાને ઉતર્યા હતા. મોહનથાળના પ્રસાદ મામલે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા જણાવાયું હતું કે, સરકાર આવા નવા નવા અખતરાઓ કેમ કરે છે? અને હિન્દૂ લોકોની ધાર્મિક ભાવના સાથે કેમ ખિલવાડ કરે છે. હિન્દુઓની પરંપરાઓ સાથે ખિલવાડ કરવો એ યોગ્ય નથી. ભાવિક-ભક્તોનીની ભાવનાઓને દુભાવાય છે, તેને ચલાવી લેવાશે નહીં. જ્યારે આ મામલે અખિલ ભારતીય સંત સમિતિ અને બનાસ શરદર્શન વિરથન સેવા મંડળના સંતો દ્વારા અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદના મામલે મેદાને ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજયમાં તેમજ વિધાનસભામાં અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદને બંધ કરવાના ર્નિણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના રાજયભરમાં ઘેરા પડઘા પડ્યા છે. આ વિવાદના ઘેરા પ્રત્યાઘાતના પગલે આજે ગાંધીનગર ખાતે અંબાજી મંદિરના વહીવટદારોને બોલાવીને સરકાર દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સરકારે અંબાજી મંદિરના પ્રસાદમાં મોહનથાળની સાથે ચીકી અને માવા સુખડીને પણ ઘૂસાડી દેવામાં આવી છે. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને ચીકીની સાથોસાથ યથાવત રાખવાની જાહેરાત કરી હતી. પ્રવકતા મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યુ હતું કે, કેટલાક ભક્તોની ફરિયાદ હતી કે, મોહનથાળમાં ફૂગ આવતી હતી, તે લાંબો સમય રહેતો નથી. જેના કારણે ચીકીને પ્રસાદ તરીકે શરૂ કરાઈ હતી. પરંતુ ભાવિક ભક્તોના વિરોધ બાદ હવે મોહનથાળનો પારંપરિક પ્રસાદ ચાલુ જ રહેશે. જાે કે, મોહનથાળની ગુણવત્તામાં સુધારો કરવામા આવશે તેમ પણ પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું. એટલું જ નહીં તેમણે જણાવ્યુ હતું કે. અંબાજી મંદિર દ્વારા પ્રસાદમાં મોહનથાળ અને ચીકીની સાથે જ વધારામાં માવા સુખડીનો પ્રસાદ પણ ઉમેરવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ક્ષ્જસ્ટિસ્ટ ઝવેરી કમિશનના રિપોર્ટ આવ્યા બાદ ઝડપથી ચૂંટણી યોજવા સરકારનું આયોજન

    ગાંધીનગર, તા.૧૪સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જસ્ટિસ ઝવેરી આયોગ દ્વારા તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા તેનો ઝડપથી અમલ થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત સંદર્ભે સુપ્રિમ કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૦ માં ચુકાદો અપાયો હતો કે, જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે તે રાજ્યો ઓબીસીની વસ્તી આધારિત અનામત માટેની વ્યવસ્થાની જાેગવાઈ કરવામાં આવે. તેમ છતાં આ ચુકાદાના ૧૦ વર્ષ સુધી ગુજરાત સરકાર દ્વારા તેના પ્રત્યે કોઈ લક્ષ અપાયું ન હતું. પરંતુ ફરી વર્ષ ૨૦૨૧માં જ્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા ફરીથી વસ્તી આધારિત અનામત માટેની વ્યવસ્થા કરવા અંગેના આદેશ કર્યા ત્યારે સરકારે તેનો અમલ કરવાના બદલે જુલાઈ-૨૦૨૨માં જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષસ્થાને સમર્થિત આયોગની રચના કરવામાં આવી હતી. આ આયોગને તમામ બાબતોનો અભ્યાસ કરીને ૯૦ દિવસમાં રિપોર્ટ આપવા રજૂ કરવા જણાવાયું હતું. પરંતુ આજે આઠ મહિના વીતી ગયા છતાં જસ્ટિસ ઝવેરી આયોગ દ્વારા રિપોર્ટ અપાયો નથી તે અંગે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયોગની મુદતને આગામી તા. ૨૧ ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે. ત્યારે જસ્ટિસ ઝવેરી આયોગ તેનો રિપોર્ટ સરકારને સોંપ્યા બાદ સરકાર દ્વારા તેનો ઝડપથી અમલ થાય તેવું આયોજન કરવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભાજપે સ્થાનિક સ્વરાજમાં ઓ.બી.સી અનામત ખતમ કરી

    ગાંધીનગર તા.૧૪ભારતીય જનતા પાર્ટીના શાસન અને નીતિરીતિના કારણે આજે ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વચેટિયાઓ અને વહીવટદારોનું શાસન પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે તેવો આરોપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ કર્યો છે. એટલું જ નહીં, ગુજરાતમાં ૫૨ ટકા વસ્તી ઓબીસી સમાજની છે અને જે ૧૦ ટકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત મળતી હતી તેને ભાજપે ખતમ કરી નાખી છે તેમ તેમ જણાવીને વધુમાં કહ્યું કે, જસ્ટિસ ઝવેરી આયોગ દ્વારા ૯૦ દિવસમાં રિપોર્ટ આપવાનો હતો પરંતુ આજે આઠ મહિના થઈ ગયા છે, છતાં હજુ સુધી તેનો રિપોર્ટ ન આવતા તેની મુદતમાં સરકાર દ્વારા વધારો કરાયો છે. જાે આ મુદત લંબાશે તો ૭૧૦૦થી વધુ ગ્રામ પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો, ૭૮ નગરપાલિકાઓ સહિતની સંસ્થાઓમાં વહીવટદારોનું શાસન આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ રિપોર્ટના આધારે ઓબીસી સમાજને અનામત માટેની જાેગવાઇ કરાશે. આજે ૯૦ દિવસને બદલે લગભગ ૮ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે છતાં રિપોર્ટ સબમિટ થયા નથી. ૧૦ ફેબ્રુઆરીએ આયોગની મુદત પૂર્ણ થતી હતી ત્યારે તેની ફરી મુદત વધારો કરાયો છે. ગુજરાતમાં જે મોટા પ્રમાણમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અનેક જગ્યાઓ જે ચૂંટણીઓ હતી તે પણ થઈ શકતી નથી. લગભગ ૨,૫૦૦ જેટલી ગ્રામપંચાયતોમાં ગત ડિસેમ્બર મહિનાની આસપાસ જ વહીવટદારો નિમાય ચૂક્યા છે. ત્યારે હજુ પણ રિપોર્ટના વિલંબના કારણે ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બાકીની ગ્રામ પંચાયતોની ચૂંટણી ડ્યુ છે તે તમામ જગ્યાઓએ પણ વહીવટદારો મૂકવા ફરજિયાત બનશે. પંચાયત ધારો કાયદાની જાેગવાઇ મુજબ લાંબો સમય વહીવટદારો મૂકી શકાતા નથી. ચૂંટાયેલી પાંખ દ્વારા જ વહીવટ થવો જાેઈએ તે કાયદાથી પ્રસ્થાપિત છે તેમ છતાં પણ સરકાર ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિ કે પાંખના બંધારણીય અધિકાર છીનવીને પોતાના ઇશારે, પોતાની મરજી મુજબ ચાલતા હોય તેવા વહીવટદારોથી શાસન ચલાવવાની માનસિકતાથી કામ કરે છે. રાજયમાં ૭૧૦૦ ગ્રામ પંચાયતો, બે જિલ્લા પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો અને ૭૫ નગરપાલિકામાં ચૂંટણી ડ્યુ છે ઃ ચાવડા આગામી દિવસોમાં ગુજરાતમાં ૭,૧૦૦ કરતા વધુ ગ્રામપંચાયતોમાં વહીવટદારો વહીવટ કરશે. તો આગામી દિવસોમાં રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો, ૭૨ નગરપાલિકાઓની ચૂંટણી ડ્યુ છે. જ્યારે ત્રણ નગરપાલિકાઓને વિસર્જિત કરાઈ છે. આ તમામ સંસ્થાઓમાં સમયસર ચૂંટણી ન યોજાય તો આ તમામ સંસ્થાઓમાં વહીવટદારોનું શાસન આવી શકે છે. ઓબીસી અનામત માટેના સમર્પિત આયોગની મુદત લંબાવીને ૧૨માર્ચ સુધીની કરાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત નક્કી કરવા માટે રચાયેલા જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને રચાયેલા સમર્પિત આયોગની મુદતને ૨૦ દિવસ વધારીને આગામી તા. ૧૨ માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ ચૂંટણીઓમાં વસ્તી આધારિત ઓબીસી અનામત નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરાયો હતો. સરકાર દ્વારા જુલાઈ-૨૦૨૨માં વસ્તી આધારિત ઓબીસી અનામત નક્કી કરવા માટે જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને આયોગને ૯૦ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જાે કે આયોગની મુદતમાં સમયાંતરે વધારો કરીને તા. ૨૦ ફેબ્રુઆરીના રોજ રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું હતું. પરંતુ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજે એક સુધારા ઠરાવ કરીને સમર્પિત આયોગની અહેવાલ/ ભલામણ સોંપવાની મુદત તા. ૨૦-૦૨-૨૩ હતી તેને લંબાવી છે. હવે આયોગ દ્વારા અહેવાલ/ભલામણ સોંપવાની મુદતને આગામી તા. ૧૨-૦૩-૨-૨૩ સુધી લંબાવવામાં આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પાટનગર ગાંધીનગરમાં વેલેન્ટાઈન ડેનો બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો

    ગાંધીનગર, તા.૧૪રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે તા. ૧૪ મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેનો બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયો હતો. તા. ૧૪ મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસને પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવી છે. પરંતુ ગાંધીનગરમાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલેન્ટાઈન ડેનો વિરોધ કરાયો હતો. ગાંધીનગરમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બજરંગદળના કાર્યકરો હાથમાં ડંડા લઈને પહોંચ્યા હતા અને પ્રેમી યુગલોને ભગાડ્યા હતા. ગાર્ડનમાં પહોંચેલા બજરંગદળના કાર્યકરોએ ‘જય શ્રી રામ‘ના નારા લગાવ્યા હતા. કેટલાક લોકો બજરંગદળના કાર્યકરોથી એટલા ડરી ગયા હતા કે તેઓ ગાર્ડનમાંથી ભાગ્યા હતા. જેના કારણે બજરંગ દળના કાર્યકરો પણ હાથમાં દંડા લઈને પાછળ દોડ્યા હતા. બજરંગદળના કાર્યકરોર સમગ્ર ગાર્ડનમાં ફરીને યુવાનોને પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવાની સલાહો આપી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ડિજિટલ ગુજરાતનું સર્વર બંધ થતાં પંચાયતોની ઓનલાઈન કામગીરી ખોરવાઈ

    ગાંધીનગર,તા.૧૭રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાતની વાતો કરવામાં આવી રહી છે, તેની વચ્ચે રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લામાં ડિજિટલ ગુજરાતની વેબસાઈટનું સર્વર ડાઉન થઈ ગયું હતું. જેના કારણે જિલ્લાની પંચાયતોમાં ચાલતી વિવિધ ઓનલાઈન કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે પંચાયતોમાં વિવિધ કામ સબબ આવેલા અરજદારોના કામો ન થતાં ભારે નારાજગી ફેલાઈ હતી. ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાત વેબસાઇટનું સર્વર આજે સવારથી ડાઉન થઈ ગયું હતું. સવારના ૧૦ વાગ્યાથી ડિજિટલ ગુજરાત વેબસાઇટનું સર્વર ડાઉન થઈ જવાના કારણે ગાંધીનગર જિલ્લાની તમામ પંચાયતોમાં ઓનલાઈન કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. ડિજિટલ ગુજરાતનું સર્વર સાંજે પાંચ વાગ્યા સુધી શરૂ થયું ન હતું. જેના કારણે પંચાયતોમાં રેશન કાર્ડ, જન્મ અને મરણના દાખલા, આવકના દાખલા સહિતના કામ લઈને આવેલા અરજદારો આખો દિવસ બેસવા છતાં તેમના કામો થયા ન હતા. જેના કારણે અરજદારોમાં ભારે નારાજગી પ્રસરી ગઈ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    પેન્શન,મેડિકલ સુવિધા સહિતના મુદ્દે વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરાઈ

    ગાંધીનગર,તા.૧૭ રાજ્યના વિવિધ સરકારી કર્મીઓ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગણીઓ કરવામાં આવી રહી છે, તેની વચ્ચે હવે રાજ્યના પૂર્વ ધારાસભ્યોએ તેમને પેન્શન સહિતની સુવિધાઓ આપવામાં આવે તેવી વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરાઈ હતી. જે અંગે વિધાનસભા અધ્યક્ષ દ્વારા એક્સ એમએલએ કાઉન્સિલના સભ્યોએ સાથે મળીને તેનો ઉકેલ લાવવા જણાવ્યું હોવાનું કાઉન્સિલના મહામંત્રી ભીખાભાઈ રબારીએ જણાવ્યું હતું. જ્યારે બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય અને કાઉન્સિલના સભ્ય ભરત બારોટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પૂર્વ ધારાસભ્યોના પેન્શન મામલે યોગ્ય ર્નિણય નહીં લે તો આગામી સમયમાં એક્સ એમએલએ કાઉન્સિલ દ્વારા કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાતના પૂર્વ ધારાસભ્યોના સંગઠન એક્સ એમએલએ કાઉન્સિલની આજે ગાંધીનગર ખાતે કારોબારી અને સામાન્ય સભા મળી હતી. જેમાં પૂર્વ ધારાસભ્યોને અન્ય રાજયોની જેમ પેન્શન અપાય તે મુદ્દે ચર્ચા કરાઈ હતી. એક્સ એમએલએ કાઉન્સિલ દ્વારા અગાઉ પેન્શન બાબતે અનેકવાર રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. આજની બેઠકમાં પણ અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળે તે બાબતે ચર્ચા થઈ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગેરકાયદે બાંધકામો ફી ભરી કાયદેસર કરાશે મંત્રી

    ગાંધીનગર, રાજ્યની વિવિધ જીઆઇડીસીઓમાં ઔદ્યોગિક એકમો દ્વારા કરાયેલા બિનઅધિકૃત બાંધકામને કાયદેસરતા બક્ષવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી નીતિ જાહેર કરવામાં આવી છે. જેના અંતર્ગત રાજ્યની જીઆઇડીસીમાં થયેલા બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો ર્નિણય કરાયો છે. જેમાં ૫૦ ચો.મી.થી લઈને ૩૦૦ચો.મી.થી વધુ કદના બાંધકામો નિયત દર લઈ કાયદેસરતા આપવામાં આવશે. રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જીઆઈડીસીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે. જેમાં ૫૦ ચો.મી.થી લઈને ૩૦૦ચો.મી.થી વધુ કદના બાંધકામોને નિયત દર (ઇમ્પેક્ટ ફી) લઈને તેને નિયમિત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન રાજ્યની જીઆઇડીસીઓમાં ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા કરાયેલા બિનઅધિકૃત બાંધકામોને કાયદેસરતા આપવા રાજ્ય સરકારે નવી નીતિ અમલી બનાવી છે. આ નીતિની ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે,પીએમ નરેન્દ્ર મોદીના “આત્મ ર્નિભર ભારત”ના સપનાને સાકાર કરવા ગુજરાતે પણ “આત્મ ર્નિભર ગુજરાત” થકી “આત્મ-ર્નિભર ભારત”ના નિર્માણનું સપનું સેવ્યું છે. જેને સાકાર કરવામાં આ ર્નિણય મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાત આજે પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં મોખરે રહ્યું છે, જેના પરિણામે રોલ મોડલ ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારો આજે મીટ માંડીને બેઠા છે. જે માત્રને માત્ર રાજ્ય સરકારની પારદર્શી અને ટેકનોસેવી નીતિઓને પરિણામે શક્ય બન્યું છે. રાજયમાં આવા ઉદ્યોગો થકી સ્થાનિક રોજગારીનું વધુને વધુ સર્જન થાય એ આશયથી આ નીતિ અમલી કરાશે. રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જીઆઇડીસીની રચના કરાઇ હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જીઆઇડીસી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામ્યા છે. આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. જેથી આ બાબતો ધ્યાને લઇને જીઆઇડીસી દ્વારા આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો ર્નિણય કરાયો છે, જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે. જીઆઇડીસીએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પુષ્કળ તકો આપી મહત્વની ભૂમિકા અદા કરી છે. ગુજરાતમાં હાલમાં ૨૨૦ કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે. જેમાં ૭૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, આ તમામને આ નીતિનો લાભ મળશે. રાજપૂતે જણાવ્યું હતું કે, આ નવી નીતિના અમલથી જીઆઈડીસીમાં ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મી થી વધુ કદના બિનઅધિકૃત બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ દર રહેણાંક માટે અમલી રહેશે, જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે. આ નીતિ અંતર્ગત રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના ૫૦% સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. તેમજ વપરાશમાં ફેરફાર (ઝ્રરટ્ઠહખ્તી ર્ક ેજી) તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જાેગવાઇ રખાઈ નથી. આ ઉપરાંત રહેણાંક વપરાશ માટે ખૂટતાં પાર્કિગ માટે જે તે વસાહતના ફાળવણી દરના ૧૫% તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના ૩૦%ના દરે દંડ વસૂલવામાં આવશે. રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી-જીડીસીઆર-૨૦૧૭ના ડી-૯ વર્ગ મુજબ મળતાં મહત્તમ એફએસઆઇથી ૫૦% વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે ૩૩% વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જાેગવાઇ પણ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ ૧૯૬૨માં જીઆઇડીસીની સ્થાપના થયા પછી અત્યાર સુધી ગુજરાત રાજયના ઔદ્યોગિક વિકાસમાં જીઆઇડીસીનો મહત્વનો ફાળો રહ્યો છે. આજે ગુજરાત કેમિકલ, પેટ્રોકેમિકલ, ઓટો, ફાર્માશ્યુટીકલ, એન્જીનિયરિંગ, ટેક્ષટાઇલ અને જવેલરી જેવા ઉદ્યોગોમાં બીજા રાજયોની સરખામણીમાં આગળ છે. ત્યારે આવા ઉદ્યોગકારો માટે આ નવી નીતિ પ્રેરક બળ પુરૂ પાડશે.જાેખમી અને હાનિકારક ઉદ્યોગો માટે આ નીતિ લાગુ નહીં પડે ઉદ્યોગ મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નવી જાહેર કરાયેલી આ નીતિ (જાેગવાઇઓ) જાેખમી અને હાનિકારક  ઉદ્યોગોને લાગુ પડશે નહિ. એટલું જ નહીં, પ્લોટની બહાર કરાયેલા કોઇ પણ પ્રકારના બિનઅધિકૃત બાંધકામને પણ નિયમિત કરવામાં આવશે નહીં. ચાર મહિનામાં અરજી કરવાની રહેશે તેમણે જણાવ્યું હતું કે, અરજદાર દ્વારા નિયત નમૂનામાં અને નિયત પદ્ધતિથી આ નીતિના પરિપત્ર થયાના ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે. આ વિનિયમો કાયમી નથી તથા આ પરિપત્રની તારીખથી અગાઉ કરેલા બાંધકામ ઉપર જ લાગુ પડશે. કેટલા બાંધકામ માટે કેટલી ફી ભરવી પડશે રાજપૂતે નિયત કરાયેલા દરોની વિગતો કહ્યું હતું કે, કુલ બાંધકામ ૫૦ ચો.મી. સુધીનું બાંધકામ નિયત કરવા માટે રૂા.૩૦૦૦ની ફી ભરવાની રહેશે. એ જ રીતે કુલ બાંધકામ ૫૦ ચો.મી.થી વધુ અને ૧૦૦ ચો.મી. સુધી હોય તો રૂા. ૩૦૦૦ વત્તા વધારાના રૂા.૩૦૦૦/, કુલ બાંધકામ ૧૦૦ ચો.મી.થી વધુ અને ૨૦૦ ચો.મી સુધી હોય તો રૂા.૬૦૦૦/ પ્લસ વધારાના રૂા.૬૦૦૦/, જાે કુલ બાંધકામ ૨૦૦ ચો.મી.થી વધુ અને ૩૦૦ ચો.મી સુધી હોય તો રૂા. ૧૨૦૦૦/ પ્લસ વધારાના રૂા.૬૦૦૦/ ભરવાના રહેશે. તેમજ કુલ બાંધકામ ૩૦૦ ચો.મી.થી વધુ માટે રૂા.૧૮૦૦૦/ પ્લસ વધારાના રૂા.૧૫૦/ પ્રતિ ચો.મી. લેખે ૩૦૦ ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અડાલજ નજીક સ્પીડ બ્રેકર ઉપર બાઈક કુદતા રાણીપના બે પિતરાઈએ જીવ ગુમાવ્યા

    ગાંધીનગર, ગાંધીનગરના ઉવારસદ - વાવોલ હાઇવે પર બમ્પ કૂદીને બાઈક તળાવના ગરનાળા સાથેની આર.સી.સીની પાળીએ અથડાતાં બાઈક સવાર ત્રણ પિતરાઈ ભાઈઓ પૈકી બેનાં ગંભીર ઈજાઓ થવાથી કરૂણ મોત નિપજ્યા છે. આ અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદના રાણીપ મુખીવાસમાં રહેતો કેયૂર ઉર્ફે કુલદીપ અંબાલાલ વાઘેલા (ઠાકોર) ગઇ કાલ રાત્રીના આશરે સાડા દશેક વાગ્યાની આસપાસ તેના કુટુંબી ભાઇઓ વિશાલ જશુભાઇ ઠાકોર(ઉ. વ. ૨૪)તથા જય મહેશકુમાર ઠાકોર (ઉ.વ. ૨૦) સાથે ઉવારસદ ગામે લીલી વાડી જાેગણી માતાના મંદિરે દર્શન કરવા માટે બાઈક ઉપર નીકળ્યા હતા. એ વખતે બાઈક વિશાલ ચલાવતો હતો. એ દરમ્યાન ત્રણેય રાણીપ થઇ ચાંદખેડા થઇ અડાલજ થઇ ઉવારસદ - વાવોલ હાઇવે રોડ તરફ જઇ રહ્યા હતા. ત્યારે ઉવારસદ તળાવ સામે આવેલ ગરનાળા પહેલા બમ્પ આવતા વિશાલ ઠાકોરે બાઇકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં કારણે બાઈક રોડની બાજુમાં ગરનાળાની સાથે બનાવેલ આર.સી.સી.ની પાળી સાથે અથડાયુ હતું. આ અકસ્માત થતાં જ ત્રણેય જણાં બાઈક સાથે ફેંકાઈને રોડ ઉપર પટકાયા હતા. જેમાં વિશાલ અર્ધ બેભાન થઈ ગયો હતો જયારે જય બેભાન હાલતમાં રોડ પર પડ્યો હતો. જ્યારે કેયૂરને શરીરે સામાન્ય ઈજાઓ થવા પામી હતી. આ દરમ્યાન કોઈ રાહદારીએ ફોન કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ગઈ હતી. અને તપાસીને જયને મૃત જાહેર કર્યો હતો. બાદમાં કેયૂર અને વિશાલને ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિશાલને પણ મૃત જાહેર કર્યો હતો. અને કેયૂરને પ્રાથમિક સારવાર આપી રજા આપી દીધી હતી. આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ પહોંચી ગઈ હતી. અને બંને મૃતકના પોસ્ટ મોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    લ્યો બોલો ! ગાંધીનગર મનપાના સેનિટેશન અધિકારી તેમના સાહેબને પણ ગણકારતા નથી

    ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સફાઈ માટે મહિને કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. શહેરના નવા-જૂના વિસ્તારમાં આંતરિક રસ્તા, કોમનપ્લોટ્‌સ સહિતના મુખ્ય રસ્તાઓ સહિત તમામ વિસ્તારની દૈનિક સફાઈ માટે તંત્ર દ્વારા એજન્સીઓને કામ સોંપેેલું છે. જાેકે શહેરના મુખ્ય માર્ગોને બાદ કરતાં અનેક સ્થળે સફાઈ બાબતે ધાંધિયા ચાલતા હોય છે. ત્યારે આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શહેરની સફાઈ અને સેનિટેશનની કામગીરીને નિરિક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રૂબરૂ મુલાકાતોના દોર શરૂ કરાયો હતો. થોડા દિવસ પહેલાં જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો. વાવોલ, કોલવડા, પેથાપુર સહિતના વિસ્તારમાં ગયેલા કમિશનરને કચરો દેખાયો હતો. જેને પગલે કમિશનર દ્વારા સેનિટેશનના અધિકારીઓ અને એજન્સીના માણસોને બોલાવીને ઉધડો લીધો હોવાનું કહેવાય છે. જેમાં કમિશનર દ્વારા શહેરની સફાઈ બાબતે ચાલતી લાલિયાવાડી ચલાવી નહીં હોવાનું કહીં દેવાયું હતું. જાેકે મ્યુનિસિપલ કમિશનરના રાઉન્ડ અને ઉધડા બાદ પણ શહેરની સફાઈમાં ધાંધિયા ચાલુ જ છે. જેમાં વાવોલ અને કોલવડાના અનેક વિસ્તારમાં હજુ પૂરેપૂરી સફાઈ થઈ નથી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ૩૨ હજાર પ્રા. શાળામાં માસ્ક પહેરવાનો મૌખિક આદેશ

    ગાંધીનગર, કોરોનાના ઉત્પતિ દેશ ચીનમાં ફરી વખત કોરોનાએ માથું ઊંચક્યું છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈને સરકાર દ્વારા પગલાં ભરવાનું આરંભી રાજ્યની ૩૨ હજારથી વધુ પ્રા.શાળાઓમાં વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા માટે મૌખિક સૂચનાઓ અપાઈ છે. જાે કે આ અંગે સરકાર દ્વારા કોઈ લેખિતમાં પરિપત્ર કે સૂચના અપાઈ ન હોવાનું શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યુ હતું.ચીન, બ્રાઝિલ સહિતના ૧૦ જેટલા દેશોમાં કોરોનાનું ફરી સંક્રમણ જાેવા મળ્યું છે, તેને અનુલક્ષીને સરકાર પણ સાવચેત થઈ ગઈ છે. સરકાર દ્વારા નાગરિકોને કેન્દ્ર સરકારની કોરોનાની માર્ગદર્શિકાને અનુસરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ નાગરિકોએ પણ પોતપોતાની રીતે સ્વૈચ્છિક રીતે ફરીથી માસ્ક પહેરવાનું શરૂ કરી દેવાયું છે. ત્યારે શાળાએ જતાં બાળકો કોરોનાના સંક્રમણમાં ન સપડાય તે માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કાર્યવાહી આરંભી દીધી છે. સરકાર દ્વારા રાજ્યની ૩૨ હજારથી વધુ પ્રાથમિક શાળાઓમાં કોરોનાની માર્ગદર્શિકાને અનુસરવા માટેના મૌખિક આદેશો કરાયા છે. જેમાં આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોરોનાની માર્ગદર્શિકાને અનુસરવા માટે વિવિધ જિલ્લાઓના શિક્ષણાધિકારીઓ દ્વારા તેમના જિલ્લાની શાળાઓને સૂચનાઓ અપાઈ છે. જેમાં શાળાઓને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની મૌખિક સૂચનાની સાથોસાથ શાળાઓમાં બાળકોની ૫૦ ટકા સંખ્યા રાખવાની પણ ભલામણ કરાઇ છે. શિક્ષણ વિભાગે કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી ઃ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર રાજ્યની ૩૨ હજાર પ્રાથમિક શાળાઓમાં કોરોનાનિ માર્ગદર્શિકાનું પાલન કરાવવા અંગેની સૂચનાઓ અંગે રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર સાથે વાત કરતાં જનસત્તા લોકસત્તાને જણાવ્યુ હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા કોઈ શાળાઓને માસ્ક ફરજિયાત કે શાળાઓમાં ૫૦ ટકા બાળકોની હાજરી અંગે કોઈ પરિપત્ર કરાયો નથી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે આરોગ્ય વિભાગે સૂચના આપી છે. તેનું પાલન કરાવવા માટે જે તે જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરાયો હશે તે મુજબ સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં અમલ કરાવશે. માર્ગદર્શિકાના પાલન માટે શિક્ષણ વિભાગની જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના શિક્ષણાધિકારી દ્વારા આ માર્ગદર્શિકાનું પાલન કરાવવા માટે પરિપત્ર કરાશે શાળાઓમાં માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરાવાશે રાજ્યની ૩૨ હજાર પ્રાથમિક શાળાઓમાં કોરોના માર્ગદર્શિકાનું પાલન કરાવાશે શાળાઓમાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરે, ટોળાં એકઠાં ન થાય તે માટે શાળાઓને ધ્યાન આપવા ડીઈઓની સૂચના
    વધુ વાંચો
  • ગુજરાત

    ૧૮૧ના શપથ  રામ અને બંધારણના નામે સોગંદવિધિ

    ગાંધીનગર, વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ સભ્યોની આજે ગાંધીનગર ખાતે શપથ વિધિ યોજાઈ હતી. આ શપથ વિધિ કાર્યક્રમમાં રાજ્યના તમામ ૧૮૨ સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. ચૂંટાયેલા તમામ ધારાસભ્યોએ પોતાની આગવી શૈલીમાં ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ૧૫ મી વિધાનસભાનું પ્રથમ સત્ર આવતી કાલે એક દિવસનું સત્ર મળશે. આ સત્રની પ્રથમ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાઘ્યક્ષની ચૂંટણી યોજાશે, જ્યારે બીજી બેઠકમાં રાજ્યપાલ દ્વારા સંબોધન કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં રાજ્યમાં ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના વિધયક ૨૦૨૨ને પસાર કરવામાં આવશે. આજે સવારે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને શપથ લેવડાવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી. વિધાનસભાના પ્રોટેમ્પ્ટ સ્પીકર તરીકે યોગેશ પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ તેમણે વિધાનસભા ખાતે તમામે તમામ ૧૮૧ ધારાસભ્યોને ધારાસભ્ય પદના શપથ લેવરાવ્યા હતા. જેમાં ભાજપના ૧૫૬ સભ્યએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. જ્યારે કોંગ્રેસના ૧૭ સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. તો આમ આદમી પાર્ટીના ૫ અને અપક્ષના ૩ ધારાસભ્યએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા.રામ અને બંધારણના સોંગધ ખાઈને શપથ લેવાયા ચૂંટાયેલા તમામ સભ્યના શપથ વિધિ સમારોહમાં પંચમહાલની કાલોલ બેઠકના ભાજપના ચૂંટાયેલા સભ્ય ફતેસિંહ ચૌહાણ ચર્ચામાં રહ્યા હતા. રાજ્યના ચૂંટાયેલા તમામ સભ્યોએ ઈશ્વરના સોંગધ લઈને શપથ લીધા હતા. જાે કે, કાલોલના ચૂંટાયેલા સભ્ય ફતેસિંહ ચૌહાણે રામના નામે સોંગધ લીધા હતા. આમ વિધાનસભામાં ફરી રામના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે બાબત ચર્ચાનો મુદ્દો બન્યો હતો. તો વડગામ બેઠક પરથી વિજેતા થયેલા કોંગ્રેસના જિગ્નેશ મેવાણીએ બંધારણના સોંગધ ખાઈને શપથ લીધા હતા. ૧૧ સભ્યોએ સંસ્કૃતમાં શપથ લીધા વિધાનસભામાં આજે શપથવિધિ દરમિયાન ૧૧ એવા સભ્ય હતા કે, જેમને સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. જેમાં ૯ પુરુષ સભ્યએ ધારાસભ્યના શપથ લીધા હતા અને ૨ મહિલા સભ્યએ સંસ્કૃત ભાષામાં ધારાસભ્યના શપથ લીધા હતા. જેમણે ગુજરાતીના સ્થાને સંસ્કૃતમાં શપથ લેવાનું યોગ્ય માન્યું હતું. તેમાં દર્શિતા શાહ, દર્શના દેશમુખ, અનિરુદ્ધ દવે, અનિકેત ઠાકર, કિરીટ પટેલ, અમિત ઠાકર, દિનેશ કુશવાહ, અર્જુન મોઢવાડિયા, પદ્યુમન વાજા, શંભુનાથ ટુંડિયા અને કનેયાલાલ કિશોરીએ સંસ્કૃતમાં શપથ લીધા હતા. પૂર્ણેશ મોદીએ હિન્દીમાં શપથ લીધા આજે વિધાનસભામાં પૂર્ણેશ મોદીએ ધારાસભ્ય પદના શપથ ગુજરાતી ભાષાના સ્થાને હિન્દી ભાષામાં શપથ લીધા હતાં. આમ પણ પૂર્ણેશ મોદી હિન્દી ભાષાને વધુ પ્રાધાન્ય આપે છે. અગાઉ પણ વિધાનસભામાં પૂર્ણેશ મોદીએ અનેક વાર હિન્દી ભાષામાં નિવેદનો કર્યા હતા. પૂર્ણેશ મોદીએ વિધાનસભામાં પોતાની વાતને હિન્દીમાં રજૂ કરી હતી. આજે શપથ વિધિમાં પણ હિન્દી ભાષાને મહત્વ આપીને હિન્દીમાં જ શપથ લેવાનું પસંદ કર્યું હતું. શંકર ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી વિધાનસભાના અધ્યક્ષ પદ માટે શંકર ચૌધરીને ભાજપના ઉમેદવાર જાહેર કરાયા છે. ત્યારે શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના શપથ લીધા બાદ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેમણે અધ્યક્ષ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક ૧૫૬ બેઠકો મેળવી છે. ત્યારે આવતીકાલે ૧૫ મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળી રહ્યું છે. જેના અંતર્ગત આજે વિધાનસભાના પ્રોટેમ્પ્ટ સ્પીકર યોગેશ પટેલ દ્વારા બાકીના તમામ ૧૮૧ ધારાસભ્યોને ધારાસભ્યપદના શપથ લેવડાવ્યા હતા. ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ પદના ઉમેદવાર એવા શંકર ચૌધરી આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. જ્યાં થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ભાજપ પક્ષના પ્રાથમિક સભ્ય પદ પરથી પોતાનું રાજીનામું આપ્યું હતું.શંકર ચૌધરીએ કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પોતાનું રાજીનામું આપ્યું હતું. આ અવસરે પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતી શિયાળ,પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર તેમજ પ્રદેશના મહામંત્રીઓ, હોદ્દેદારો તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યા બાદ શંકર ચૌધરીએ પક્ષ-સરકારના અગ્રણીઓની હાજરીમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    કોરોના બાદ પ્રથમ વખત રાજ્યના ચાર શહેરોમાં પતંગોત્સવનું આયોજન

    ગાંધીનગર, કોરોનાની મહામારીના કાળ બાદ પ્રથમ વખત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ચાર શહેરોમાં પતંગ મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-૨૦૨૩ આગામી તા. ૮ જાન્યુઆરીથી લઈને તા. ૧૪ જાન્યુઆરી દરમિયાન યોજાશે. જેમાં દેશના વિવિધ રાજયોના પતંગબાજાે ઉપરાંત વિદેશી પતંગબાજાે પણ ભાગ લેશે. બે વર્ષ બાદ યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને લઈને રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક બેઠકો મેળવીને ફરી એક વખત સત્તા સંભાળી છે ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પ્રથમ કોરોના બાદ રાજયમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આગામી તા. ૮ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન રાજયમાં પતંગોત્સવ યોજાશે. આ પતંગોત્સવ રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં યોજવામાં આવશે. જેમાં અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાના પતંગોત્સવનું સાબરમતી રિવરફ્રન્ટ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવ આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે રાજકોટ અને સુરતમાં પણ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગની બેઠકમાં રાજયમાં આ વર્ષે પતંગોત્સવનું આયોજન કરવા અંગે ચર્ચા-વિચારણા કરાઇ હતી. જેમાં આ વર્ષે યોજાનાર પતંગોત્સવમાં ભાગ લેવા માટે દુનિયાના ૭૦ દેશોને આમંત્રણ આપવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતની દરીયાઈ પટ્ટીમાં ૨૨ મરિન પોલીસ સ્ટેશન

    હર્ષજિત જાની, દેશના સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં અન્ય રાજયોની સરખામણીમાં ઓછા મરીન સ્ટેશન પોલીસ સ્ટેશન છે. જ્યારે દરિયા કિનારાના પેટ્રોલિંગ માટેની નિયત કરાયેલી બોટની સંખ્યા કરતાં બે બોટ ઓછી છે, તેમાં પણ ૨૫ ટકા જેટલી બોટ સતત મેઈન્ટેનન્સમાં રહેતી હોય છે. સરકાર દ્વારા નિયત કરાયેલા સ્ટાફની સામે ૨૦૦ કર્મીઓની હજુ પણ ઘટ જાેવા મળી રહી છે. જેના કારણે દરિયા કિનારાની સુરક્ષામાં કચાશ રહેતી હોવાની વિગતો સામે આવી છે. દેશમાં સૌથી વધુ લાંબો ૧૬૦૦ કિલોમીટરનો વિશાળ દરિયાકિનારો ગુજરાત પાસે છે. આ ૧૬૦૦ કિલોમીટરના વિશાળ દરિયા કિનારાની સુરક્ષા માટે ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત મરિન સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી)ની રચના કરવામાં આવી છે. જેના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કાંઠાની સુરક્ષાને લઈને ૨૨ મરીન પોલીસ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. આ ૨૨ મરિન પોલીસની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા હાલમાં ૯૦૦ પોલીસ કર્મીઓનો સ્ટાફ તહેનાત કરાયો છે. આ ઉપરાંત દરિયાઈ વિસ્તારના પેટ્રોલિંગ માટે નિયત કરાયેલી ૩૧ બોટની સામે ૨૯ બોટની ફાળવણી કરાયેલી છે. આ બોટોને ચલાવવા માટે સરકાર દ્વારા ૧૧૭ ક્રૂ મેમ્બરની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારાની સુરક્ષા માટે ૨૯ બોટ દ્વારા પોલીસ તંત્રના ૯૦૦ કર્મીઓ ઉપરાંત ૧૧૭ ક્રૂ મેમ્બર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.ગુજરાતનાં દરિયા કિનારાની સુરક્ષા માટે ગુજરાત મરિન સ્ટેટ રિઝર્વ પોલીસ દ્વારા નિયત કરાયેલી ૩૧ બોટની સામે હાલમાં માત્ર ૨૯ બોટ ઉપલબ્ધ છે. આ તમામ ૨૯ બોટ અંદાજિત દસ વર્ષ એટલે કે, એક દાયકા કરતાં જૂની છે. આ તમામ બોટમાંથી સતત આઠથી દસ બોટ મેઈન્ટેન્સ (રિપેરિંગ) માટે રહેતી હોય છે. જેના કારણે રાજ્યના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાના પેટ્રોલિંગ માટે મરિન પોલીસ પાસે ફક્ત ૧૮થી ૧૯ બોટ જ ઉપલબ્ધ હોય છે. જેના કારણે કેટલાક મરિન પોલીસ સ્ટેશન પાસે ત્રણ ત્રણ મહિના સુધી એક પણ બોટ ઉપલબ્ધ રહેતી ન હોવાનું પણ જાણવા મળ્યું છે. દેશના વિવિધ રાજ્યોના દરિયા કિનારાના વિસ્તાર અને તેની સુરક્ષા માટેના સંબધિત રાજ્યઓમાં પોલીસ સ્ટેશનની સંખ્યા તેની માહિતી આ મુજબ છે. જેમાં સૌથી વધુ લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે. પરંતુ દરિયા કિનારાના ક્ષેત્રને જાેતાં સૌથી ઓછા પોલીસ સ્ટેશન ગુજરાતમાં જાેવા મળી રહ્યા છે. જેમાં ગુજરાતમાં ૧૬૦૦ કિલોમીટર દરિયા કિનારા માટે ૨૨ પોલીસ સ્ટેશન, કર્ણાટકમાં ૩૨૦ કિલોમીટર દરિયા કિનારા માટે ૬૨ પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્રમાં ૭૨૦ કિલોમીટર દરિયા કિનારા સામે ૪૪ પોલીસ સ્ટેશન છે. તો તામિલનાડુમાં ૧૦૭૬ કિલોમીટરના દરિયા કિનારા સામે ૪૨ પોલીસ સ્ટેશન, ઓડિસામાં ૪૮૫ કિલોમીટર દરિયા કિનારા સામે ૧૮ પોલીસ સ્ટેશન અને કેરલમાં ૫૮૦ કિલોમીટર દરિયા કિનારા સામે ૧૮ પોલીસ સ્ટેશન કાર્યરત હોવાની વિગતો મળી છે.મરિન પોલીસ પાસેની તમામ ૨૯ બોટનું રજિસ્ટ્રેશન થયેલું છે ડીઆઈજી નિલેષ જાજડિયા ગુજરાત મરિન પોલીસ (કોસ્ટલ સિક્યુરિટી)ના ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી) નિલેષ જાજડિયાએ જણાવ્યુ હતું કે, રાજયના દરિયાકિનારાની સુરક્ષા માટે ૨૨ મરિન પોલીસમાં ૯૦૦થી વધુ પોલીસ કર્મીનો સ્ટાફ કાર્યરત છે. જ્યારે મરિન પોલીસ પાસે ૨૯ બોટ કાર્યરત છે, આ તમામ બોટનું રજિસ્ટ્રેશન કરાવાયેલું છે. મરિન પોલીસની બોટ પૈકીની સરેરાશ ૨૫ ટકા જેટલી બોટ રિપેરિંગ માટે રહેતી હોય છે. ડીઆઈજી નિલેષ જાજડિયાએ વધુમાં જણાવ્યુ હતું કે, મરિન પોલીસ પાસે ૯૦૦ પોલીસ કર્મીઓ ઉપરાંત બોટ ચલાવવા માટે અગાઉ ફક્ત ૬૦ જ ક્રૂ મેમ્બર હતા, જે વધીને હવે ૧૧૭ ક્રૂ મેમ્બર કાર્યરત છે. મરિન પોલીસની કામગીરી ગુજરાત મરિન સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી) ખાસ કરીને જ્યારે મરીન પોલીસ દરિયામાં પેટ્રોલિંગમાં વ્યસ્ત હોય એવી કટોકટીની સ્થિતિમાં પોતાની કામગીરી કરી રહી છે. મરિન એસઆરપીને આઠ જૂથમાં વહેંચવામાં આવી છે. જેનું નેતૃત્વ ડીઆઈજી રેન્કના અધિકારી મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર તરીકેનું પદ સંભાળી રહ્યા છે. તેને પોલીસ અધિક્ષક દ્વારા મદદ કરાય છે, જેનું પદ મરિન સેક્ટર કમાન્ડર તરીકે છે અને ત્યારબાદ ડેપ્યુટીઓ મરિન સેક્ટર લીડર તરીકે કાર્યરત છે. તેમની નીચે આઠ પોલીસ ઇન્સ્પેક્ટર છે, દરેક જૂથનું નેતૃત્વ કરે છે. દરેક જૂથમાં પાંચ એકમો છે, જેનું નેતૃત્વ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી કરી રહ્યા છે. તેમની નીચે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ મરિન કમાન્ડો તરીકે કાર્ય કરી રહ્યા છે. વિવિધ એજન્સીઓ દ્વારા દરિયાઇ વિસ્તારનું પેટ્રોલિંગ કરાય છે દરિયા કિનારાની સુરક્ષા માટે સરકાર દ્વારા વિવિધ એજન્સીઓના પેટ્રોલિંગ માટેની સીમા નક્કી કરવામાં આવી છે. જેમાં કિનારાથી ૧૦ કિમી સુધીના વિસ્તારમાં મરિન પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. જ્યારે દરિયા કિનારાથી ૧૦ કિમી દૂરથી ૫૦ કિમી સુધીના વિસ્તારમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવે છે. જ્યારે દરિયા કિનારાથી ૫૦ કિમી દૂરથી આંતરરાષ્ટ્રીય જળ સીમા સુધીના પેટ્રોલિંગની કામગીરી ઇન્ડિયન નેવી દ્વારા કરવામાં આવે છે. દરિયા કિનારો પોલીસ સ્ટેશન ગુજરાત ૧૬૦૦ કિમી ૨૨ કર્ણાટક ૩૨૦ કિમી ૬૨ મહારાષ્ટ્ર ૭૨૦ કિમી ૪૪ તામિલનાડુ ૧૦૭૬ કિમી ૪૨ ઓડિસા ૪૮૫ કિમી ૧૮ કેરલ ૫૮૦ કિમી ૧૮
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજ્યભરમાં બિલાવલ ભુટ્ટોનો ભાજપ દ્વારા વિરોધ

    ગાંધીનગર, પાકિસ્તાનના વિદેશી મંત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં વાંધાજનક ટિપ્પણીનો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. જે અન્વયે આજે સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર, પૂતળા દહન અને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા. ભાજપના પ્રદેશ સહિતના હોદ્દેદારો, અગ્રણીઓ, ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ, સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ પાકિસ્તાન વિદેશ મંત્રીની ટિપ્પણી અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનની હાલત ભિખારી કરતાં વધુ ખરાબ છે.પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કરેલી ટીપ્પણીને લઈને આજે સમગ્ર રાજયભરમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આ ટીપ્પણીને લઈને આજે ગુજરાતભરમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરાયા હતા. આ મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સોશિયલ મીડિયા ટિ્‌વટર પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, પાકિસ્તાનની હાલત ભીખારી કરતાં પણ ખરાબ છે, તેમાં તે આવી ગયું છે. વિદેશોમાં પોતાના વિદેશ મંત્રાલયો પણ વેચી રહ્યું છે. પોતાના દેશના ગધેડાઓને વેચીને ગુજરાન ચલાવવાના પ્રયાસો કરી રહ્યા છે. એ જ બતાવે છે કે તેની આર્થિક સ્થિતિ કેટલી બધી નબળી છે. અને તેના કારણો એ છે કે, આંતકવાદીઓને પ્રોત્સાહિત કરવા, તેમને આશરો આપવો. પાટિલે ટિ્‌વટર દ્વારા વધુમાં જણાવ્યુ હતું કે, પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટો આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એલફેલ બોલવાનાં પ્રયાસો કરે છે. જેને કારણે લોકોને પાકિસ્તાન પ્રત્યે તિરસ્કારની ભાવના આવે છે. આતંકવાદીઓને આશરો આપી-પ્રોત્સાહિત કરી સાપને ઘરમાં પાળવાનો ડંખ પાકિસ્તાનને લાગ્યો છે. આપણાં દેશની સંસ્કૃતિ કહે છે કે આપણો પડોશી દેશ મજબૂત હોવો જાેઇએ. પણ કમનસીબે આપણો પડોશી દેશ આતંકવાદીઓને પ્રોત્સાહિત કરતો અને આર્થિક રીતે ક્ષિણ સ્થિતિમાં મૂકાયેલો દેશ છે. જેના કારણે હું પાકિસ્તાનના વિદેશ મંત્રી વિષે કઈ વિશેષ કહેવા માંગતો નથી. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં ભાજપના કાર્યકરો દ્વારા આજે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટોનો વિરોધ કરાયો હતો. જેમાં અમદાવાદ શહેરના આરટીઓ સર્કલ ખાતે ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ અને અમિત શાહ તેમજ પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતાં. ભાજપ નેતાઓ અને આગેવાનો દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. આ ઉપરાંત રાજકોટમાં શહેર ભાજપ દ્વારા બિલાવલ ભૂટ્ટોનું પૂતળા દહન પણ કરાયું હતું. ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું. પાકિસ્તાની વિદેશ મંત્રીની ટિપ્પણીના વિરોધમાં રાજયપાલને આવેદન અપાયું આજ રોજ ગાંધીનગર શહેર ભાજપ- યુવા મોરચા દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા યુનાઈટેડ નેશન્સ સિક્યોલિટી કાઉન્સીલ માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરાયો હતો. તેના વિરોધમાં ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ, ગાંધીનગર મેયર હીતેશ મકવાણા, ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, શહેર મહામંત્રી ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રી રજની પટેલ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ, મેયર હિતેશ મકવાણા, શહેર પ્રમુખ રૂચીર ભટ્ટ, મહામંત્રી ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો દ્વારા આજે રાજ્યપાલને મળીને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કરાયો હતો. ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા પથિકાશ્રમ પાસે ભુટ્ટોના પુતળાનું દહન કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિષે પાકિસ્તાની વિદેશ મંત્રી દ્વારા કરાયેલી હિન ટિપ્પણીના વિરોધમાં ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. તેમજ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પણ અપાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરાયેલી હિન ટિપ્પણીના વિરોધમાં ગાંધીનગર જિલ્લા ભાજપા દ્વારા આજે ગાંધીનગરના પથિકાશ્રમ પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં પાકિસ્તાનના વિરોધમાં વિવિધ સૂત્રોચાર અને પ્લેકાર્ડ દર્શાવી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલ પટેલ, મહામંત્રી રાજુ પટેલ સહિત જિલ્લા તેમજ મંડલ ભાજપા સંગઠનના હોદેદારો અને કાર્યકર્તાઓ જાેડાયા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે અપશબ્દો બોલી અપમાન કર્યું છે. કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરી, પૂતળા દહન કરવામાં આવ્યું તથા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    અડાલજના બંગલામાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત

    ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે પૂર્વ બાતમીના આધારે અડાલજ બાલાપીર દરગાહની સામે આવેલા વૈભવી બંગલામાં દરોડો પાડીને વિપુલ માત્રામાં વિદેશી દારૂની પેટીઓનો જથ્થો ઝડપી પાડવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે ચૂંટણી ટાણે મતદારોને રીઝવવા માટે કોઈ રાજકીય પાર્ટીના ઈશારે અત્રેના બંગલામાં દારૂ ઉતારવામાં આવ્યો હોવાનો પોલીસ બેડામાં ગણગણાટ પણ શરૂ થવા માંડ્યો છે. તો હાલમાં પોલીસ દારૂના જથ્થાની ગણતરીમાં જાેતરાઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પાંચમી ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ રોકવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ - ૧ ની ટીમના પીઆઈ દિવાનસિંહ વાળા ટીમ સાથે અડાલજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે, અડાલજ બાલાપીર દરગાહની સામે આવેલા એક વૈભવી બંગલામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. એલસીબીની ટીમે આયોજન પૂર્વક બાતમી વાળા બંગલામાં દરોડો પાડયો હતો. જ્યાં અંદરનું દ્રશ્ય જાેઈ એલસીબીની ટીમ ચોંકી ઉઠી હતી. કેમ કે રૂમમાં વિદેશી દારૃની પેટીઓનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો. હાલમાં એલસીબીની ટીમે દારૂની પેટીઓની ગણતરી શરૂ કરી છે. કહેવાઈ રહ્યું છે કે અંદાજીત ૪૮૦ જેટલી પેટીમાં વિદેશી દારૃના કવાર્ટર છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડાની કાર્યવાહી ચાલુ છે. એકવાર ગણતરી થઈ ગયા પછી પેટીઓનો ચોક્ક્‌સ આંકડો જાણવા મળશે. જાે કે પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ કોઈ રાજકીય પાર્ટીએ મતદારોને રીઝવવા માટે દારૂનો વિપુલ માત્રામાં જથ્થો ઉતાર્યો હોવો જાેઈએ. ત્યારે બંગલામાંથી આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતા અડાલજ પીઆઈ સામે પણ કડક પગલાં લેવાય તેવું નકારી શકાય એમ નથી. આ અંગે એલસીબીનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બંગલો વિશાલ પ્રમોદભાઈ પટેલનો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉપરાંત સિદ્ધાર્થ સુરેશભાઈ પટેલની પણ સંડોવણી બહાર આવી છે. જેને અડાલજ ખાતે અંબિકા ટાયરની દુકાન હોવાની વિગતો મળી છે. બંને આરોપીઓ વોન્ટેડ છે. ત્યારે સિદ્ધાર્થ એક રાજકીય પાર્ટીના ઉમેદવાર સાથે સારો એવો ઘરોબો ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અમરેલીમાં અચરજ પમાડે તેવી રાજકીય ઘટના બની

    ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અમરેલીમાં એક અચરજ પમાડે તેવી રાજકીય બની હતી. જેમાં કોંગ્રેસના નેતા અને અમરેલી બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી આજે ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા હતા અને ભાજપના નેતાઓ સાથે ચાની ચૂસકી લગાવી હતી. જાે કે આ ઘટનાએ નાગરિકોનું દિલ જીતી લીધું હતું. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અમરેલીમાં એક રાજકીય ઘટના બની હતી, ખેલદિલીની ભાવનાને ઉજાગર કરતી આ ઘટનાએ લોકોનું દિલ જીતી લીધું છે. સૌરાષ્ટ્રની અમરેલી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, ભાજપમાંથી કૌશિક વેકરિયા અને આમ આદમી પાર્ટી-’આપ’માંથી રવિ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે એટલે કે મંગળવારે કોંગ્રેસના નેતા અને ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક અમરેલી ભાજપના કાર્યાલય પહોંચી ગયા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાવણના નામે રાજ્યમાં રાજકીય રમખાણ

    ગાંધીનગર ગુજરાતમાં જેમ જેમ ચૂંટણીનો માહોલ જામતો જાય છે, તેમ તેમ રાજકીય નેતાઓ દ્વારા કરાયેલા નિવેદનો પણ લોકોમાં ચર્ચાસ્પદ બની રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં છવાઈ જવા નેતાઓ કે ઉમેદવારો મર્યાદા વટાવી જતા હોય છે અને હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલું નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યો ગયો છે. આ અંગે ભાજપ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ ગુજરાતની ચૂંટણીનું દબાણ સહન કરી શકતા નથી. તેમજ આ નિવેદનથી પીએમનું નહીં ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન છે તેવું જણાવાયું છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચાલતા પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિવેદન આપ્યું છે. સોમવારે અમદાવાદમાં એક જાહેરસભા દરમિયાન ખડગેએ કહ્યું હતું કે, ‘શું મોદી પાસે રાવણની જેમ ૧૦૦ મોઢાં છે? મને સમજાતું નથી.’ જ્યારે આ અગાઉ ગત રવિવારે સુરત ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન એક જાહેરસભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પોતાને અસ્પૃશ્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુઠ્ઠાણાંના સરદાર ગણાવ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે સાંજે બહેરામપુરા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા. જેમાં ખડગેએ જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી દરેક સમયે પોતાના વિશે વાતો કરે છે. દરેક મુદ્દા પર તેઓ કહે છે કે મોદીનો દેખાવ જાેઈને મત આપો. લોકો તમારો ચહેરો કેટલી વાર જુએ? કાઉન્સિલરની ચૂંટણીમાં જુઓ તમારો ચહેરો, ધારાસભ્ય (વિધાનસભા)ની ચૂંટણીમાં જુઓ તમારો ચહેરો, સાંસદ (લોકસભા)ની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જુઓ. દરેક જગ્યાએ તમારો ચહેરો જુઓ, તમારા કેટલા ચહેરા છે, શું તમારી પાસે રાવણ જેવા ૧૦૦ ચહેરા છે? કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, પીએમ મોદી કામ પર કેમ કંઈ બોલતા નથી. ભાજપમાં માત્ર જુમલા જ છે. આ જુમલા એવી રીતે બોલે છે કે જે જૂઠાણાંની ઉપર જ છે. તેઓ માત્ર જૂઠું બોલે છે. કહેવામાં આવ્યું હતું કે, વાર્ષિક ૨ કરોડ નોકરીઓ આપવામાં આવશે. ગુજરાતમાં કોઈને રોજગારી મળી? મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીને ઉદઘાટન કરવાની આદત છે. કોઈએ કંઈ પણ તૈયાર કર્યું હોય તો ચૂનો, કલર લગાવીને તેનું ઉદઘાટન કરે છે. ત્યારે તેઓ કહે છે કે, આ મારું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ આ અગાઉ રવિવારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીને જુઠ્ઠાણાના સરદાર ગણાવ્યા હતા. ખડગેએ જણાવ્યું હતું કે, મોદી પોતાને ગરીબ કહીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે. તેઓ પોતાની જાતને ગરીબ કહે છે, પણ હું તો અછૂત છું, મારી સાથે તો કોઈ ચા પણ પીતું નથી. ખડગે ચૂંટણીનું દબાણ સહન નથી કરી શકતા  માલવિયા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પીએમ મોદી અંગે કરેલા નિવેદન અંગે ભાજપ દ્વારા વળતો પ્રહાર કરાયો હતો. જે અંગે ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું દબાણ સહન કરી શકતા નથી. જેના કારણે આવા નિવેદનો કરી રહ્યા છે. ગુજરાત અને દેશનું અપમાન  સંબિત પાત્રા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પીએમ મોદી પરના નિવેદન અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં પાત્રાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘રાવણ’ કહેવા એ ઘોર અપમાન છે. સૌ પ્રથમ કોંગ્રેસના ચીફ હતા ત્યારે સોનિયા ગાંધીએ મોદીને ‘મોતના સોદાગર’ કહ્યા હતા. છેવટે આ લોકોને શું મળે છે? કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમને ‘રાવણ’ કહ્યા છે. આવી ભાષાનો ઉપયોગ કોંગ્રેસ તેની માનસિકતાને દર્શાવે છે. આ માત્ર મોદીજીનું જ નહીં, પરંતુ ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન છે. આ માત્ર ખડગેનું નિવેદન નથી, સોનિયા અને રાહુલનું પણ નિવેદન છે તેમ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    કેન્દ્રીય સુરક્ષા દળોની ૬૦૦થી વધુ કંપનીઓ સ્ટેન્ડ ટુ

    ગાંધીનગર,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ એકશનમાં આવી ગયુ છે. સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા બળના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય સુરક્ષા બળોની ૬૦૦થી વધુ કંપનીઓ ખડેપગે રાખવામાં આવી છે. હજુ ચૂંટણી સુધીમાં વધુ ૧૦૦ કંપનીઓ આવશે. તો ગુજરાતમાં સર્વેલન્સ-સ્કવૉડના ૪૨ હજારથી વધુ જવાનો મુકાયા છે. ચૂંટણીમાં સંવેદનશીલ કેન્દ્રો પર જવાનો ફરજ બજાવશે. ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ થાય ત્યાં સુધી સર્વેલન્સની કામગીરી કરશે. મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણીપંચ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બંને તબક્કાની ચૂંટણીમાં ૧૬ હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ છે. ૨૦૨૨માં ૫૧,૭૮૨ મથકોમાંથી ૧૬ હજારથી વધુ સંવેદનશીલ જાહેર કરાયા છે.સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મથકોમાં પેરામીલીટ્રી ફોર્સ તહેનાત કરાશે. સંવેદનશીલ મથકો પર પોલીસ અને પેરામીલીટ્રી ફોર્સના જવાનો તહેનાત રહેશે. પ્રથમ તબક્કામાં ૮૯ અને બીજા તબક્કામાં ૯૩ બેઠકોની ચૂંટણી યોજાશે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ૧ હજાર ૫૧૮ મતદાન મથકો વધ્યા છે. ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી ૮ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં ૮૯ બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર મતદાન થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આપ જાેરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે. જાે કે આ તમામમાં ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ પુરતો સમય આપવાનો ર્નિણય લીધો છે. વડાપ્રધાન ગુજરાતમાં ૨૫ રેલી કરીને પ્રચાર કરવાના છે, તેમની રેલીઓ માટેના આયોજન થઇ ગયા છે. કાર્યક્રમ માટેની તૈયારીઓ પણ પૂરજાેશમાં ચાલી રહી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભાજપએ મોંઘવારીનો ‘મ’ ગાયબ કર્યો  શર્મા

    ગાંધીનગર, ગુજરાતની સાડા છ કરોડની જનતાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓને પૂરી કરવા કોંગ્રેસ દ્વારા જન ઘોષણા પત્ર જાહેર કર્યું છે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ ભાજપના સંકલ્પ પત્રને દગા પત્ર ગણાવ્યું હતું. ભાજપના સંકલ્પ પત્રમાંથી મોંઘવારીનો ‘મ‘ ગાયબ થઈ ગયો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા અપાયેલા વચનોને સરકાર બનતાની સાથે પૂરા કરવામાં આવશે. કોંગ્રેસે છેલ્લા છ મહિનાથી લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નોથી માહિતગાર થઈને ૫૦ લાખ કોલ્સ, ૭ લાખ પ્રતિભાવો, ૧૦ હજાર ઈન્ટરવ્યૂ, ૧૮૨ મતવિસ્તારમાં, ૫૦૦૦ ગામડાઓ આવરીને ૬૫ લાખ જનતા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાઈને ગુજરાતની ૬.૫ કરોડની જનતાની ઈચ્છા અને આકાંશાઓને સંતોષવા માટે “જન ઘોષણા પત્ર - ૨૦૨૨” રજૂ કર્યું છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પરિવર્તનના ઉત્સવમાં સહભાગી સૌ ગુજરાતીઓને “જન ઘોષણા પત્ર - ૨૦૨૨” ના દરેક વચનોને ફળીભૂત કરવા કટિબદ્ધ છે. ગુજરાતની ઈકોનોમી એક ટ્રીલિયન ડોલરની વાત કરનારા લોકોને એક ટ્રીલિયન પાછળ કેટલા શૂન્ય હોય તે પણ નથી. 
    વધુ વાંચો
  • ગુજરાત

    મહિલાઓ અને ગરીબો માટે ભાજપા દ્વારા વચનોની લ્હાણી

    ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આજે ગાંધીનગર સ્થિત પાર્ટી કાર્યાલય કમલમમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ગુજરાત જીતી લેવા ભાજપ, કોંગ્રેસ અને આપ ચૂંટણી રણે ચડી છે. ત્રણેય પાર્ટીઓ દ્વારા હાલમાં આખા ગુજરાતમાં ધમધોકાર પ્રચાર કરાઈ રહ્યો છે. આ દરમિયાન ભાજપે સૌથી પહેલા તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ભાજપે ચૂંટણી ઢંઢેરાને સંકલ્પ પત્ર એવું નામ આપ્યું છે. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા અને સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ગાંધીનગર સ્થિત પાર્ટી કાર્યાલય કમલમમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. સંકલ્પ પત્ર ૨૦૨૨માં ભાજપે ખેતી, આરોગ્ય, યુવા રોજગારી પર વિશેષ ધ્યાન આપવાની જાહેરાત કરી છે. આ સંકલ્પ પત્ર અનુસાર, પાંચ વર્ષમાં ૨૦ લાખ યુવાનોને રોજગારી આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત ભાજપ કૃષિ ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓ માટે ૧૦ હજાર કરોડના બજેટ ફાળવવાનો પણ સંકલ્પ કર્યો છે. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં મહિલા અને છોકરીઓને લઈને પણ એક મોટી જાહેરાત કરી છે. ભાજપે કહ્યું કે જાે તે સત્તા પર આવશે તો વરિષ્ઠ મહિલાઓને બસમાં મફત મુસાફરીની સુવિધા આપશે. છોકરીઓ માટે એક મહત્વની જાહેરાત કરતા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું કે, કેજીથી પીજી સુધી છોકરીઓને મફત શિક્ષણ આપવાનું પણ અમારુ વચન છે. ભાજપે પાંચ વર્ષમાં મહિલાઓ માટે ૧ લાખથી વધુ નોકરીઓનુ પણ વચન આપ્યું છે.ભાજપના સંકલ્પ પત્રની મહત્વપૂર્ણ વાત • ખેતી, આરોગ્ય, યુવા રોજગારી પર વિશેષ ધ્યાન અપાયું • પાંચ વર્ષમાં ૨૦ લાખ યુવાનોને રોજગારી અપાશે • કૃષિ ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓ માટે ૧૦ હજાર કરોડના બજેટનો સંકલ્પ • ખેડ઼ૂત મંડળીઓ, છઁસ્ઝ્ર ને મજબૂત કરવી, કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો સંકલ્પ • સિંચાઈના નટવર્કને મજબૂત કરવા ૨૫ હજાર કરોડના બજેટનો સંકલ્પ • અગ્રેસર એગ્રીકલ્ચર, અગ્રેસર યુવા, અગ્રેસર આરોગ્ય, અગ્રેસર સમરસ વિકાસ ભાજપનો સંકલ્પ • વરિષ્ઠ મહિલાઓ માટે બસની મફત મુસાફરી • સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ગ્રીડ હાઈવે બનાવવાનું વચન • ગરીબોને ૪ વખત ખાદ્ય તેલ અપાશે • આયુષ્યમાન ભારત યોજનાની સહાય પાંચ લાખથી વધારીને ૧૦ લાખ કરવાનું વચન • ગૌશાળા માટે ૫૦૦ કરોડનુ વધારાનું બજેટ • દ્વારકામાં આધ્યાત્મિક કેન્દ્ર બનાવવાનું વચન • કેજીથી પીજી સુધી છોકરીઓને મફત શિક્ષણ • શ્રમિકોને ૨ લાખ રૂપિયાની લોન અપાશે • યુનિફોર્મ સિવિલ કોડ માટે બનાવેલ કમિટીની ભલામણો લાગુ કરાશે • કટ્ટરવાદને દૂર કરવા માટે સ્પેશ્યલ સેલ બનાવવામાં આવશે • જાહેર સંપત્તિને અસામાજિક તત્વો દ્વારા નુકસાન કરાશે તો તેમના સામે એક્શન લેવા માટે કાયદો બનાવામાં આવશે • ગુજરાતને ૧ ટ્રિલિયન ઈકોનોમી બનાવવામાં આવશે. ગુજરાતમાં ૧૬૩૦ કિમી લાંબો પરિક્રમા પથ બનાવવામાં આવશે • ગુજરાતની ધરતી પર જ ઓલિમ્પિક્સ થાય તે માટે વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે • દ્વારકામાં શ્રીકૃષ્ણની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવશે, ખાસ ગેલેરી પણ બનાવવામાં આવશે • દ્ભય્થી લઈને ઁય્ સુધી દીકરીઓને મફત શિક્ષણ અપાશે, ૯થી ૧૨ની વિદ્યાર્થિનીઓને સાઇકલ અપાશે, ૧ લાખ સરકારી નોકરી મહિલાઓને અપાશે. • આર્થિક રીતે પછાત બહેનોને ઈ-સ્કૂટર અપાશે • વ્હાલી દીકરી યોજના હેઠળ ૧.૫ લાખની સહાય અપાશે • સિનિયર સીટીઝન મહિલાઓ ફ્રીમાં બસ મુસાફરી કરી શકશે • આદિવાસીના સામાજિક આર્થિક વિકાસ માટે વનબંધુ યોજના હેઠળ ૧ લાખ કરોડનો ખર્ચ કરાશે • સિવિલ ૈએવિએશનમાં ર્દ્ગં.૧ આપણું ગુજરાત બનશે, સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ એરપોર્ટને કાયર્ન્વિત કરાશે • ૮૦,૦૦૦ કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરૂ કરાશે • ૧,૦૦૦ કરોડથી વધુના ખર્ચે પોલીસ ફોર્સનું આધુનિકીકરણ કરવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ચુંટણીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ મતદાન કર્યું

    ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ શાહીબાગ ખાતે મતદાન કર્યું હતું. ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ખડે પગે રહેનારા પોલીસ કર્મીઓ માટે ચૂંટણી પંચે બેલેટ પેપરથી મતદાન કરાવવાની સુવિધા ઉભી કરી છે જેને કારણે ચૂંટણી ફરજ દરમિયાન પોલીસ કર્મી પણ મતદાનથી વંચિત ન રહે તે માટે આજે પોલીસ કર્મીઓએ શાહીબાગ ખાતે પોતાનો મત આપ્યો હતો. અન્ય સ્થળોએ પણ તેની સુવિધા કરવામાં આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગિફ્ટ સિટીનો પાયો નાખ્યો ત્યારે મજાક કરનાર ચૂપ  મોદી

    ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં એટલો વિકાસ થયો છે કે, શહેર અને ગામડાને જુદું ન પાડી શકાય. આગામી દિવસોમાં ગાંધીનગર અને દહેગામ ટ્‌વીન સિટી બનશે, તેમજ ગાંધીનગર અને કલોલ પણ ટ્‌વીન સિટી બનશે. જેના કારણે દહેગામ, ગાંધીનગર અને કલોલનો ત્રિકોણ સમગ્ર દેશમાં વિકાસના નામે ઓળખાશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના દહેગામ ખાતે જનસભાને સંબોધતા જણાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે, ગિફ્ટ સિટીનો પાયો નાખ્યો ત્યારે કોંગ્રેસીઓ મારી મજાક ઉડાવતા હતા. હવે તેમની બધાની બોલતી બંધ થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગાંધીનગરના દહેગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું હતું કે, દહેગામને અભિનંદન આપવા આવ્યો છું. ભર બપોરે આટલી મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને વટ પાડી દીધો છે.પીએમ મોદીએ કહ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષના આ અમૃતકાળમાં પહેલી ચૂંટણી છે. આ ચૂંટણી આગામી પાંચ વર્ષ માટેની ચૂંટણી નથી, પરંતુ આગામી ૨૫ વર્ષ પછીનું ગુજરાત કેવું હશે? તેના માટેની છે. સમૃદ્ધ દેશોના માપદંડોમાં ગુજરાત આગળ હોય તેના માટે આપણે કામ કરવાનું છે. મોદીએ કહ્યું હતું કે, આજે ગુજરાતે જે ૨૦ વર્ષમાં જે કર્યું છે, તેમાં આત્મસાદ કરી મૂળભૂત વિકાસ કરી અગ્રણી રાજ્ય તરીકે ઉભું થયું છે. પહેલી વખત મુખ્યમંત્રી બન્યો ત્યારે લોકોએ સાંજે વાળું સમયે વીજળી માટે માંગણી કરી હતી. આજે સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વીજળી મળે છે. ઘરે ઘરે નળથી જળ અને સિંચાઇ માટે પાણી પોહચાડ્યું છે. સુજલામ સુફલામ ઉપરાંત દેશભરમાં અમૃત સરોવર બનાવી રહ્યા છીએ. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા આજે ૫માં ક્રમે છે, મને દિલ્હી મોકલ્યો ત્યારે ભારત ૧૦ નંબર પર હતું. ૨૫૦ વર્ષ જેમણે આપણી ઉપર રાજ કર્યું તેમને પાછળ છોડ્યા તેનો આનંદ છે, પણ હવે અર્થવ્યવસ્થામાં એકથી ત્રણમાં પહોંચવાનું છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગાંધીનગર અને દહેગામ ટ્‌વીન સિટી હશે. ગાંધીનગર અને કલોલ પણ ટ્‌વીન સિટી બનશે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જે કોઈ નોકરી માટે આવશે તે રહેવા માટે દહેગામ અને કલોલમાં જ રહેવા આવશે. આમ ગાંધીનગર, દહેગામ, ગાંધીનગર અને કલોલ આ ત્રિકોણ દેશભરમાં વિકાસના નામે ઓળખાશે.ગાંધીનગર જિલ્લામાં શહેર અને ગામડાને જુદા ન પાડી શકાય એટલો વિકાસ થયો છે. મારી એક વાત લખી રાખજાે કે, હવે એ દિવસ દૂર નહીં હોય જ્યારે ગાંધીનગર અને દહેગામ ટિ્‌વન સિટી હશે અને ગાંધીનગર અને કલોલ પણ ટિ્‌વન સિટી હશે અને સ્થિતિ એવી હશે કે દહેગામ, કલોલ અને ગાંધીનગર આ ત્રિકોણ આખા ગુજરાતની આર્થિક ગતિવિધીને દોડાવનારું મોટું કેન્દ્ર બની જશે. આગામી સમયમાં ધોલેરામાં વિમાન બનશે  વડાપ્રધાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દરેક પાર્ટી ચૂંટણીમાં જીતવા માટે પ્રચાર કરી રહી છે. ભાજપના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે.ગુજરાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દરેક પાર્ટી ચૂંટણીમાં જીતવા માટે પ્રચાર કરી રહી છે. ભાજપના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી પણ હાલ ગુજરાતના પ્રવાસે આવેલા છે. તેમણે બાવળામાં ભાષણ આપતી વખતે જણાવ્યં કે ધોલેરામાં આગામી સમયમાં વિમાનો બનશે. વધુમાં તેમણે જણાવ્ચું કે, ગુજરાતના વિકાસ માટે તમારે ભાજપને જીતાડવાની છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘આગમી સમયમાં સુરેન્દ્રનગર સુધી ઔદ્યોગિક પટ્ટો બની જશે. આ સાથે સાથે ધોલેરા હિન્દુસ્તાનનું ધમધમતું કેન્દ્ર બની જશે.’ બાવળામાં ભાષણ આપતી વખતે પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે સાથે તેમણે ભાજપની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની પણ વાત કરી હતી. ભાજપના નેતાઓ દ્વારા અત્યારે ભારે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી પણ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    કમલમ્‌માં પીએમ, સીએમ, અને સીઆરની ગુફતેગુ

    ગાંધીનગર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગુજરાત આવેલા પીએમ મોદીએ રાજભવન જતાં પૂર્વે અચાનક પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમની મુલાકાત લઈને સીએમ. પ્રદેશ પ્રમુખ સહિતના પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. કમલમ ખાતેની અચાનક મુલાકાતમાં પક્ષના નેતાઓ સાથે વિધાનસભાની ચૂંટણીની પ્રવર્તમાન સ્થિતિને લઈને નવી રણનીતિ સંદર્ભે ચર્ચા કરી હતી. મોદી ગયા બાદ કમલમ ખાતે સીએમ, પ્રદેશ પ્રમુખ અને ગૃહ રાજ્ય મંત્રીએ પણ બેઠક યોજી હતી.ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અન્ય રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રિય મંત્રીઓએ પ્રચાર અર્થે ગુજરાતમાં ધામા નાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગઇકાલે ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. ગઇકાલે દક્ષિણ ગુજરાતના વાપીમાં રોડ શો કર્યા બાદ આજે સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવના દર્શન કરીને વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જન સભાને સંબોધી હતી. પીએમ મોદી બોટાદથી અમદાવાદ એરપોર્ટ આવીને ગાંધીનગર રાજભવન ખાતે જવાના હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ ભવન જતાં પૂર્વે અમદાવાદ એરપોર્ટથી સીધા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી સંગઠન રત્નાકર પાંડે, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિતના પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં વિધનસભાની ચૂંટણીને લઈને પક્ષની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમજ હાલના સંજાેગોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની નવી રણનીતિ અંગે ચર્ચા કરી હતી.પીએમ નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભા સંબોધ્યા બાદ ઓચિંતાની બેઠક માટે ગાંધીનગર કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના આગમન અગાઉ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મોટા નેતાઓ કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. સાત બળવાખોરો ભાજપમાંથી સસ્પેન્ડ ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં શિસ્ત બદ્ધ ગણાતી ભાજપના જ સાત આગેવાનો અને પૂર્વ ધારાસભ્યોએ બંડ પોકાર્યું હતું. અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જે અંગે પક્ષ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં સાત નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આટલા વર્ષો બાદ ભાજપમાં વિરોધનો સૂર જાેવા મળ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત અનેક આગેવાનો અને પૂર્વ ધારાસભ્યોને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી ન હતી. પાર્ટી દ્વારા ટિકિટ ન મળતાં ભાજપના આગેવાનો અને પૂર્વ ધારાસભ્યોમાં નારાજગી પ્રસરી હતી.જેના કારણે અનેક સ્થળોએ ભાજપમાં વિરોધનાં સૂર ઉઠવા પામ્યા હતા. આ નારાજ આગેવાનો અને પૂર્વ ધારાસભ્યો પૈકીનાં સાત જેટલાએ પક્ષથી નારાજ થઈને બળવાખોર બન્યા હતા. એટલું જ નહીં, પક્ષના ઉમેદવારની સામે જ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા ખાતેથી કરણ બારૈયાએ, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ બેઠક પરથી ઉદય શાહ, જૂનાગઢ જિલ્લાની કેશોદ બેઠક પરથી અરવિંદ લાડાણીએ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બેઠક પરથી છત્રસિંહ ગુંજારિયાએ, રાજકોટ જિલ્લાની રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભરત ચાવડાએ, નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પરથી હર્ષદ વસાવાએ અને વલસાડ જિલ્લાની પારડી બેઠક પરથી કેતન પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોધાવીને પક્ષની શિસ્તના ધજિયા ઉડાડયા હતા. જેના કારણે પક્ષના મોવડીમંડળ દ્વારા તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી. જેના અંતર્ગત આજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા આ તમામ નેતાઓ અને પૂર્વ ધારાસભ્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા બળવો કરનારા આ તમામ બંડખોર નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વિધાનસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધી આજે ગુજરાતમાં

    ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં તેઓ દક્ષિણ ગુજરાતનાં સુરત જિલ્લાના મહુવા ખાતે અને સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને નેતા રાહુલ ગાંધી હાલમાં ‘ભારત જાેડો યાત્રા’ અંતર્ગત દક્ષિણ ભારતથી શરૂ કરેલી પદ યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે. ત્યારે રાહુલ ગાંધી આવતીકાલે ‘ભારત જાેડો યાત્રા’માંથી વિરામ લઈને આવતી કાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે જનસભાનું આયોજન કરાયું છે. જેમાં રાહુલ ગાંધી સૌપ્રથમ સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામ પાસે પાંચ કાકડા ખાતે બપોરે એક કલાકે જનસભાને સંબોધન કરશે. ત્યાર બાદ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાન ખાતે એક જનસભાને સંબોધન કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના પ્રચાર માટે ગાંધી પરિવારમાંથી રાહુલ ગાંધી સૌપ્રથમ ગુજરાત આવી રહ્યા છે.કોંગ્રેસમાં કકળાટ વિરોધીઓએ કમાની સ્ટાઇલમાં ખેડાવાલાનો ફોટો શેર કર્યો અમદાવાદ અમદાવાદની જમાલપુર ખાડીયા વિધાનસભા પરથી કોંગ્રેસે ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપી છે. પરંતુ આ બેઠક પરથી શાહનવાઝ શેખે પણ ટિકિટ માંગી હતી. શાહનવાઝ માટે યુથ કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ ઓફિસમાં વિરોધ પણ કર્યો હતો છતાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપતા શાહનવાઝ જૂથના કાર્યકરોએ સોશિયલ મીડિયામાં કમાના નામનું ગ્રૂપ બનાવ્યું છે. જેમાં ઇમરાન ખેડાવાલાનો ફોટો રાખવામાં આવ્યો છે. જમાલપુર ખાડીયા વિધાનસભા પરથી શાહનવાઝને ટિકિટ ના મળતા જ તેમના જૂથના કાર્યકરોએ અગાઉથી જ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં પ્રચાર કરવાનું નક્કી કર્યું હતું. તે મુજબ હવે સોશિયલ મીડિયામાં પણ ઇમરાન ખેડવાલા વિરુદ્ધમાં પ્રચાર શરૂ કર્યા છે. વોટ્‌સએપમાં એક ગ્રૂપ બનાવ્યું છે. આ ગ્રુપનું નામ કમાને ગાંડો કરવાનો છે રાખવામાં આવ્યું છે. તથા ગ્રુપના પ્રોફાઈલ ફોટોમાં ઇમરાન ખેડાવાલાનો ફોટો રાખવામાં આવ્યો છે. આ ગ્રુપમાં શાહનવાઝ જૂથના કાર્યકરોએ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધ ટિપ્પણી શરૂ કરી છે. ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં મેસેજ કરવામાં આવી રહ્યા છે. આ ગ્રૂપ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં જ પ્રચાર કરવા માત્ર બનાવવામાં આવ્યું હોવાથી ગ્રુપમાં માત્ર ઇમરાન ખેડાવાલાના વિરોધીઓને જ રાખવામાં આવ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    મુસ્લિમો અંગેનું નિવેદન ઃ ચંદનજી સામે ચૂંટણી પંચમાં ભાજપની ફરિયાદ

    ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ સિધ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના વિડીયોના ટિ્‌વટના આરોપનો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ સિધ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનાં વિડીયોના ટિ્‌વટનો મામલે ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આ મારો વિડીયો જૂનો અને એડિટ કરેલો છે. મુખ્યમંત્રીએ મારા વિડીયો ટિ્‌વટ કરવાની જગ્યાએ મોરબી હોનારત, સિદ્ધપુર મા સરકારી કોલેજ નથી, રોજગારી નથી તેનું કેમ ટ્‌વીટ કરતા નથી. હિંદુ ધર્મ, મુસ્લિમ ધર્મ સાથે અથડાય એ માટે આવા વિડીયો ટિ્‌વટ કરવામાં આવે છે. આવા વિડીયો ટિ્‌વટ કરવાથી ગુજરાતની જનતા માફ નહીં કરે. જનતા ચૂંટણીમાં જવાબ આપશે. આ વિડિઓ જિલ્લા પંચાયતની ચૂંટણીના સમયનો આ વિડિઓ છે. તેમ જણાવ્યું હતું. ત્યારે હાલતો ટ્‌વીટ વિડિઓ મામલે સિદ્ધપુરનું રાજકારણ ગરમાઈ ગયું છે. ઝ્રસ્એ ટિ્‌વટ કરેલા વીડિયો અંગે સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, બે સમાજ વચ્ચે ઝઘડા કરાવવા માટે આ વીડિયો વાયરલ કરાયો છે. હારનો ડર હોવાના કારણે મારો વીડિયો વાયરલ કરાયો છે. આ વીડિયો જિલ્લા પંચાયતની ચૂંટણી સમયનો છે. ચંદનજી ઠાકોરે રાજ્ય સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સિદ્ધપુરની સરસ્વતી નદીમાં કેમ પાણી નાખતા નથી? સિદ્ધપુરમાં કેમ એક પણ કોલેજ બનાવાઈ નથી? મોરબીના હોનારત મામલે કેમ ટિ્‌વટ ન કરાયું? સતત વધતી મોંઘવારી પર કેમ ટિ્‌વટ કરતા નથી? કોંગ્રેસના સિદ્ધપુરથી ઉમેદવાર ચંદનજી ઠાકોરનો મુસ્લિમો અંગેના નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસ ઉમેદવારના શબ્દોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શરમજનક શબ્દો ગણાવ્યા છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે, હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. કોંગ્રેસને ખબર હોવી જાેઈએ કે તેને હારથી કોઈ નહીં બચાવી શકે. સિદ્ધપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકારે જે નિવેદન આપ્યુ તે વાયરલ થયુ છે. તેમણે કહ્યું હતું કે, ‘આપણે તેમને કંઈક નવું કરવા માટે વોટ આપ્યો હતો, પરંતુ તેમણે વોટ આપીને છેતરાયા છીએ, કોઈએ એકને છેતર્યો હોય તો ઠીક છે, પરંતુ તેમણે આખા દેશને ખાડામાં નાખી દીધો છે. દેશને કોઈ જ બચાવી શકે છે તો માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે અને કોંગ્રેસ પાર્ટી જાે કોઈ બચાવી શકે તો તે મુસ્લિમ પાર્ટી બચાવી શકે છે. હું આનું એક જ ઉદાહરણ આપું, એનઆરસીના મુદ્દે મારા સોનિયા ગાંધી, મારા રાહુલ ગાંધી અને મારી પ્રિયંકા ગાંધી, ૧૮ પ્રકારના પક્ષો હતા, પરંતુ એક પક્ષે મુસ્લિમ સમાજ માટે આજીજી કરી નથી તે મુસ્લિમ સમાજની તરફેણમાં નથી. આ એક માત્ર પક્ષ છે જે તમારા માર્ગે ચાલે છે, તમારું રક્ષણ કરે છે, સમગ્ર દેશમાં તમારા સમુદાયનું રક્ષણ કરે છે. આ ભારતીય જનતા પાર્ટીએ તમને ખલેલ પહોંચાડવાનું કામ કર્યું. ટ્રીપલ તલાકનો મુદ્દો ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા, ટ્રિપલ તલાક હટાવ્યો. કોંગ્રેસની સરકારમાં કમિટીને હજ પર જવા માટે સબસિડી મળતી હતી, ભારતીય જનતા પાર્ટીની ગડબડને કારણે આ સબસિડી જતી રહી. લઘુમતી સંસ્થાઓને પણ સબસિડી આપવામાં આવતી હતી જે છોકરાઓને ભણાવવા મળી હતી જે પણ બંધ કરી દીધી.ચંદનજી ઠાકોર સામે ભાજપની પાટણ ચૂંટણી અધિકારીને ફરિયાદ ચંદનજી ઠાકોરના મુસ્લિમો અંગેના નિવેદનનો વિડિયો વાઇરલ થયાં બાદ હવે ભાજપ એક્શ’માં આવ્યુ છે. જે અંતર્ગત હવે ભારતીય જનતા પાર્ટીને સિધ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે આચારંસંહિતા ભંગની ફરિયાદ કરી છે. પાટણ કલેક્ટર અને જીલ્લા ચૂંટણી અધિકારીને એક ફરિયાદ કરતો પત્ર પાઠવ્યો છે જેમાં તમામ પુરાવાઓ રજૂક્યા છે તેમજ આ ઉમેદાર સામે પગલાં લેવાની માંગણી કરી.
    વધુ વાંચો
  • ગુજરાત

    સૌરાષ્ટ્ર અને કચ્છની ૫૪ બેઠકો પર ત્રિકોણિયો જંગ ખેલાશે

    અમદાવાદ, વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ફટકો પડ્યો હતો, તે બેઠકો ૨૦૨૨માં પરત મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાેકે, આ વર્ષે આમ આદમી પાર્ટી જે જાેશ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે તેને જાેતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રિકોણિયો જંગ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. જે બેઠકો ભાજપે ગુમાવી છે તેને ફરી પ્રાપ્ત કરવા માટે આ ચૂંટણીમાં મહેનત કરવામાં આવી છે અને ઉમેદવારોની પસંદગીમાં પણ મહત્વની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પહેલા તબક્કામાં ૮૯ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે રસાકસી જાેવા મળી શકે છે. જાેકે, ચૂંટણીમાં શું થાય છે તે તો પરિણામના દિવસે જ ખબર પડી શકે છે. આ વર્ષે ભાજપે પોતાના સિનિયર નેતાઓને ઘરે બેસાડીને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપી છે ત્યારે અંદરો-અંદર અસંતોષની લાગણી સાથે એવી દલીલ થઈ રહી છે કે આ પ્રયોગ કરાયો છે તેની સામે સ્થાનિક કાર્યકરોમાં નિરાશા છે. જાેકે, આ નિરાશા કેવી છે અને કેટલી છે તે આગામી ૮ ડિસેમ્બરે બહાર આવી જશે. આ વખતે ૨૦૧૭ની જેમ ભાજપ સામે પાટીદાર, ઓબીસી જેવા આંદોલનો નથી પરંતુ એન્ટી-ઈન્કમ્બની અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જાેકે, ભાજપને વિશ્વાસ છે કે લોકો પાર્ટીના કામોથી ખુશ છે અને મતદારો ફરી એકવાર ગુજરાતમાં કમળ ખીલવશે.હાઇપ્રોફાઇલ ઉમેદવારોના ફોર્મ ભરાવવા નેતાઓ પહોંચ્યા સૌરાષ્ટ્રભરમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. આજે ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી જેને કારણે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા હતા. ભાજપ ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો કે જેમને પાર્ટીએ મેન્ડેટ આપી દીધો હતો તેમણે ફોર્મ ભરી દીધા હતા જ્યારે પાર્ટીઓએ ટિકિટ ન આપતાં કેટલાંક દિગ્ગજ નેતાઓએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી આ ઉપરાંત છેલ્લી ઘડીએ પાર્ટીની અદલબદલ પણ જાેવા મળી હતી. સૌરાષ્ટ્રમાં જે હાઇપ્રોફાઇલ બેઠકો હતી તેમાં નેતાઓની હાજરી નજેર પડી હતી જેમાં જામનગરની બેઠક પરથી રિવાબા સાથે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ ઉપસ્થિત હતાં. તો વળી આપના ઇશુદાન ગઢવી અને આપના મુખ્યમંત્રી પદના ચહેરાએ પણ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ખંભાળિયામાં ફોર્મ ભર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવી અનિરૂધ્ધ અને અબસાડામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહને ફોર્મ ભરાવીને જાહેર સભા યોજી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો

    ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોમાં અવર જવર ચાલી રહી છે, તેમાં ખાસ કરીને કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાવાનો સિલસિલો વધી ગયો છે. આજે કોંગ્રેસના વધુ એક નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો છે. પૂર્વ ધારાસભ્ય બારિયાએ પણ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને વિકાસની રાજનીતિ નો રાગ આલાપ્યો હતો.કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જાેડાયા છે. પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા મહેન્દ્રસિંહ બારિયાએ આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જાેડાઈને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. મહેન્દ્રસિંહ બારિયા તેમના સમર્થકો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપમાં જાેડાયા હતા. આ અવસરે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે તેમને કેસરિયો ખેસ અને કેસરી ટોપી પહેરાવીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું હતું. પ્રાંતિજન પૂર્વ ધારાસભ્ય બારિયા સાથે હડમતીયા, ઉંછા, છાડરદા ગ્રામ પંચાયત સહિત વિવિધ ગામના સરપંચો, કોંગ્રેસના આગેવાન, સહકારી આગેવાનો પણ પણ ભાજપમાં જાેડાયા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    સરકારે ખાતા પરત લીધા બાદ બંને મંત્રીઓની ચેમ્બરમાં સોપો પડી ગયો

    ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના બે મંત્રીઓ પાસેથી મહત્વના ખાતાને પરત ખેંચી લેવાયા બાદ આજે સચિવાલયમાં આ બંને મંત્રીઓની ચેમ્બરમાં સોંપો પડી ગયેલો જાેવા મળ્યો હતો. એટલું જ નહીં, આ બંને મંત્રીઓની તક્તીમાંથી પરત ખેંચી લેવાયા વિભાગના નામ પણ હટાવી દેવાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમના મંત્રીમંડળના બે સિનિયર મંત્રીઓ પાસેથી મહત્વના વિભાગ છીનવી લેવાની ઘટના શનિવારે બની હતી. આ ઘટના બાદ સચિવાલયમાં આજે પ્રથમ સોમવાર હતો. સામાન્ય રીતે સ્વર્ણિમ સંકુલ ૧ ખાતે સૌથી વધારે ભીડનો જમાવડો આ બંને સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને ત્યાં જાેવા મળતો હતો. સપ્તાહના પ્રારંભમાં સોમવાર હોય કે મંગળવાર, નાગરિકોની મુલાકાતના સમયે આ બંને મંત્રીઓની ચેમ્બરમાં ઊભા રહેવાની પણ જગ્યા મળી શકતી ન હતી. કારણ કે, આ બંને સિનિયર મંત્રીઓ પાસે એવા વિભાગ હતા, જે સીધા જ નાગરિકોને સ્પર્શતા મહત્વના વિભાગો હતા. જાે કે, ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોઈ અગમ્ય કારણોસર આ બંને મંત્રી પાસેથી તેમના મહત્વના એવા વિભાગ છિનવી લેવાયા બાદ આજે સોમવારે આ બંને મંત્રીઓની ચેમ્બરમાં સોંપો પડી ગયેલો જાેવા મળ્યો હતો. આ બંને મંત્રીઓની ચેમ્બર અને ઓફિસ નાગરિકોની ભીડથી ઉભરાતી હતી, તે ચેમ્બરમાં આજે કોઈ પ્રજાજન જાેવા મળતો ન હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    આખરે સરકારે પૂર્વ સૈનિકોની પાંચ માગણીનો સ્વિકાર કર્યો

    ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા ૧૪ માંગણીઓ સાથે આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોના સંગઠનની મુખ્ય પાંચ માંગણીઓને ગ્રાહ્ય રાખી છે. રાજ્યના પૂર્વ સૈનિકો છેલ્લા ઘણાં સમયથી પડતર માંગણીઓ મામલે રજૂઆત કરી રહ્યા હતા. આખરે આજે પૂર્વ સૈનિકો અને તેમના સમર્થકો સફેદ કપડામાં સહપરિવાર ગાંધીનગર પહોંચ્યા હતા અને મોટા પાયે આંદોલનના મંડાણ કર્યા હતા. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તેમની પાંચ માંગણીઓને માન્ય રાખી છે. ગુજરાત પૂર્વ સૈનિક મહામંડળ દ્વારા છેલ્લાં કેટલાક સમયથી વિવિધ ૧૪ માંગણીઓને લઈને રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રી જવાન રાહત ભંડોળમાંથી જે વિવિધ સહાયો ચુકવવામાં આવે છે તેની રકમમાં માતબર વધારો કરવાનો ર્નિણય લીધો છે. આ અંગે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા ર્નિણયની વિગતો આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શહીદ થનારા જવાનોના કુટુંબીજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવોની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજ્ય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે. જેમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજ્ય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-૧ અને ૨ માટે ૧ ટકા, વર્ગ-૩ માટે ૧૦ ટકા અને વર્ગ-૪ માટે ૨૦ ટકા અપાય છે. જ્યારે જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે ૧૬ એકર જમીન સાંથણીથી અપાય છે. સંઘવી જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે પાંચ માંગણીઓનો સ્વીકાર કરાયો છે, તેમાં શહીદ જવાનના પરિવારને ૧ કરોડની સહાય આપવી, શહીદ જવાનાના બાળકોને રૂ. ૫ હજાર શિક્ષણ સહાય આપવી, શહીદ જવાનના માતા-પિતાને માસિક રૂ. ૫ હજારની સહાય આપવી, અપંગ જવાનના કિસ્સામાં ૨.૫ લાખની આર્થિક સહાય અથવા મહિને ૫ હજારની સહાય આપવી તેમજ અપરણિત શહીદ જવાનના કિસ્સામાં માતા-પિતાને રૂ. ૫ લાખની સહાય આપવી તે મગણીઓનો સ્વીકાર કરાયો છે.માજી સૈનિકોની ૧૪ પડતર માંગણીઓ  શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા ૧ કરોડની સહાય શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા વર્ગ-૧ અને વર્ગ-૪ સુધીની નિમણૂક વખતે અનામતનો ચુસ્ત અમલ માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન રહેણાંક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જાેગવાઈ સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જાેગવાઈ હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ લેવા કાર્યવાહી માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ ગુજરાત સરકારી સેવામાં ૫ વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવી
    વધુ વાંચો
  • ગુજરાત

    ડ્રોન ટેકનોલોજીનો લાભ ખેડૂતો તેમજ છેવાડાના માનવીને મળી રહે તે પ્રાથમિકતા  સીએમ

    ગાંધીનગર, ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ લાભ ખેડૂતો તેમજ છેવાડાના સામાન્ય માનવીને મળી રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે તેમ જીએનએલયુ ગાંધીનગર ખાતે સ્કૂલ ઓફ ડ્રોનનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. એટલું જ નહીં, રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ લાભાર્થીના ઘર સુધી પહોંચાડવા ડ્રોન ટેકનોલોજી આશીર્વાદ રૂપ નીવડશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. સામાન્ય માનવી ડ્રોનનો ઉપયોગ કરી શકે તેવા હેતુથી વડાપ્રધાન દ્વારા ડ્રોનના નિયમોમાં સુધારા કરાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જીએનએલયુ ગાંધીનગર ખાતે આજે કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત ‘સ્કૂલ ઓફ ડ્રોન’નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીના માર્ગદર્શન થકી ગુજરાત, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, ઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત સરકારની પ્રજા કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના માનવી-લાભાર્થી સુધી પહોંચાડવા ડ્રોન ટેકનોલોજી સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે.ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે તિરંગો લહેરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જાેડાઇને ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે ૧૦૦ ફૂટના ધ્વજદંડ પર ૩૦ઠ૨૦ નો વિશાળ તિરંગો લહેરાવ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    પૂર્વ ડે. સીએમ નીતિન પટેલને ગાયે પાડી દીધાં

    કડી , પંદરમી ઓગસ્ટને હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે. ત્યારે રાજ્યમાં ઠેર ઠેર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આ રીતે તિરંગા રેલી યોજાઈ ગઈ છે અને હજુ પણ ઉજવણી ચાલી રહી છે. ત્યારે મહેસાણાના કડી વિસ્તારમાં પણ આ રીતે તિરંગા રેલી યોજાઈ હતી. આ તિરંગા રેલીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આ સિવાય મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા હતા. આ તિરંગા રેલી દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જે બાદ નીતિન પટેલને ઢીંચણમાં ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સરવાર માટે હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની વિગતો એવી છે કે, રાજ્યમાં ઠેર ઠેર હાલ તિરંગા રેલીનું આયોજન થઈ રહ્યુ છે. બીજી તરફ, ઘર ઘર તિરંગા અભિયાન પણ ચાલી રહ્યું છે અને પંદરમી ઓગસ્ટને હવે ગણતરીના જ કલાકો બચ્યા છે. ત્યારે રાજ્યમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી હાલથી જ શરુ થઈ ચૂકી છે. આ દરમિયાન મહેસાણાના કડી વિસ્તારમાં પણ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તિરંગા રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી કરણપુર શાક માર્કેટ પાસે પહોંચી હતી. ત્યારે અહીં કેટલીક રખડતી ગાયો પણ નજરે પડી હતી. જેમાંથી એક રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જે બાદ તેઓને પગના ઢીંચણમાં ઈજા પહોંચી હતી. એ પછી તાત્કાલિક ધોરણે નીતિન પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, નીતિન પટેલની અધ્યક્ષતામાં કડીમાં આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને સાથે કેટલાંક રાજકીય નેતાઓનો પણ હતા. ત્યારે આ તિરંગા રેલી કરણપુર શાક માર્કેટ પાસેથી પસાર થઈ હતી. એ દરમિયાન અહીં રસ્તે રઝળતી એક ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જે બાદ અહીં સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી. થોડી વાર માટે તિરંગા રેલી સ્થગિત થઈ ગઈ હતી. જાે કે, ગાયે અડફેટે લેતા નીતિન પટેલને પગના ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી. એટલે તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જાે કે, ઈજાગ્રસ્ત નીતિન પટેલને કડીથી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત કેવી છે એ રિપોર્ટ હજુ સુધી સામે આવ્યો નથી. પણ તેમની તબિયત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, હોસ્પિટલમાં તેઓને સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. ગાયો રસ્તામાં કેમ આવી ? સાગર રબારી મહેસાણાના કડીમાં તિરંગા યાત્રા દરમિયાન રેલીમાં ધસી આવેલી ગાયે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને અડફેટે લઈને ઇજા પહોંચાડી હતી. જે અંગે આમ આદમી પાર્ટી-’આપ’ના પ્રદેશ ઉપપ્રમુખ અને બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગર રબારીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગાયો રસ્તા ઉપર કેમ આવી? તે અંગે ફોડ પાડતા ભાજપ પર પ્રહાર કર્યા હતા કે, ગાયોના ગૌચરને ભાજપના કોર્પોરેટ મિત્રો ખાઈ ગયા છે. જેથી ગાયોને આમ તેમ ભટકવું પડે છે. નીતિન પટેલને ગાયે અડફેટે લેતાં સરકાર પર અનેક કટાક્ષ થયાં કડીમાં તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પડી ગયા હતા જેને કારણે તેમને હવે આરામ કરવાનું કહ્યું હતું. પરંતુ જેના આ સમાચાર આવ્યાં તેની સાથે જ વિરોધીઓએ ભાજપ સરકાર પર નિશાન તાક્યુ હતું તેમજ પસ્તાળ પાડી હતી. આ ઉપરાંત અનેક કટાક્ષ પણ શરૂ થઇ ગયા હતાં. જેમાં નીતિન પટેલ પર પડતા પર પાટુ અને પાર્ટીએ તો ન છોડ્યા પણ ગાયે પણ અડફેટે લીધા તેવા અનેક કટાક્ષ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સૌથી મોટી વાતતો એ હતી કે સોશિયલ મિડિયા પર અલગ અલગ મીમ તૈયાર થઇને ફરતા થઇ ગયાં હતાં. જાેકે લોકોએ એ વાતનો હાશકારો વ્યક્ત કર્યો હતો કે નિતીન પટલને ગંભીર ઇજા થઇ નથી. રાજકીય કદ વેતરાઇ ગયા બાદ હાંસિયામા ધકેલાઇ ગયેલા નિતીન પટેલની દશા બેઠી છે તેવી પણ તેમના હરિફો ચર્ચા કરતા નજરે ચઢ્યા હતાં.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગણવેશ, બૂટ, સ્ટેશનરી, પુસ્તકોને ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી ખરીદવાનું દબાણ ન કરે  વાઘાણી

    ગાંધીનગર, રાજ્યમાં જે કોઈ ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા માટે દબાણ કરતી હશે તેવી શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરાશે તેમજ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ-વાલીઓના હિતમાં બિન અનુદાનિત ખાનગી શાળા સામે દંડનીય કાર્યવાહીથી લઇને શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીની જાેગવાઈ કરાઈ છે. શિક્ષણ મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જાે કોઈ પાંચ કે તેથી વધુ વખત અનિયમિતતા આચરે તો તેવા કિસ્સામાં શાળા, સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના હિતમાં બિન અનુદાનિત ખાનગી શાળા સામે કડક વલણ અપનાવી દંડનીય કાર્યવાહીથી લઇને શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીની જાેગવાઇઓ કરવામાં આવી હોવાનું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ છે. શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહીની જાેગવાઈ કરવામાં આવશે. એટલુ જ નહિ, અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે પહેલી વખતમાં રૂ. ૧૦ હજાર અને ત્યારબાદના અનિયમિતતાના દરેક કિસ્સામાં રૂ. ૨૫ હજાર દંડ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા જાેગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પાંચ કે તેથી વધુ વખત અનિયમિતતા આચરે તો તેવા કિસ્સામાં શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    બ્રિટિશ ડેપ્યુટી કમિશનનું પ્રતિનિધિમંડળ ‘નોલેજ કોરિડોર’થી પ્રભાવિત

    બ્રિટિશ ડેપ્યુટી કમિશનનું પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિધ્ધિઓથી અને “નોલેજ કોરિડોર” તરીકે ગુજરાતે પોતાની ઉભી કરેલી આગવી ઓળખથી પ્રભાવિત થયું હતું. બ્રિટિશ ડેપ્યુટી કમિશનના પ્રતિનિધિમંડળે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે બેઠક પણ કરી હતી. જેમાં ગુજરાતના સ્પેશ્યલાઇઝ્‌ડ યુનિવર્સિટી કોન્સેપ્ટથી ેંદ્ભનુ પ્રતિનિધીમંડળ પ્રભાવિત થયું હતું. “ઇન્ડિયા - યુકે ટુગેધર- હાયર એજ્યુકેશન કોલોબ્રેશન” કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી ડૉ. કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં વિદ્યા સમિક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે બ્રિટિશ ડેપ્યુટી કમિશનના પ્રતિનિધિમંડળ સાથે રાઉન્ડ ટેબલ મંત્રણા પણ યોજાઈ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ૨૦ ટકા અનામતના મુદ્દે ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન

    ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે રાજ્યના વિવિધ જ્ઞાતિસમાજાે દ્વારા સમાજને અન્યાય થયાની રજૂઆતો સરકાર સુધી પહોંચાડી રહ્યાં છે. આ સંજાેગોમાં ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશન દ્વારા પણ આજે ૨૦ ટકા અનામત સહિત ચાર માંગણીઓ સાથે રાજ્યના પાટનગર ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. જાે આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ અપાઈ છે. ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી વર્ષ આવે ત્યારે ત્યારે રાજનીતિ સાથે જ્ઞાતિવાદનો મુદ્દો પણ ઊખલીને પણ સામે આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ છ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે થોડા દિવસો અગાઉ રાજ્યના ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે, ઠાકોર અને કોળી સમાજને ગુજરાચમાં વસ્તી પ્રમાણે ૨૦ ટકા જેટલી અનામત આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. જાે કે, આ બાબતે રાજ્ય સરકાર તરફથી સકારાત્મક અભિગમ નહીં અપનાવવામાં આવ્યો ન હતો. જેના કારણે આજે ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશનના નેજાં હેઠળ બન્ને સમાજ દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશનના અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું કે, ગુજરાત રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજની વસ્તી ૪૦ % છે. આઝાદીના ૭૦ વર્ષ પછી પણ સમાજની આર્થિક સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિમાં કોઇ સુધારો થઈ શક્યો નથી. આ સમાજ જાેડે વેપાર ધંધા નોકરી કે રોજગાર ના કોઈ સ્રોત ન હોવાથી આજે સમસ્ત ઠાકોર અને કોળી સમાજ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર કરી રહ્યો છે. અગ્રણીઓએ વધુમાં જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા સમયથી સમસ્ત ઠાકોર અને કોળી સમાજ પોતાની માંગણીને લઇ સરકાર સમક્ષ રજૂઆત કરી ન્યાયની માંગ કરી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે સમસ્ત ઠાકોર અને કોળી સમાજે એકતા મિશન આજે ધરણાં ઉપર બેઠા છે. જેમાં અમારી મુખ્ય ચાર માગણીઓ છે. જે મુજબ ઠાકોર અને કોળી સમાજને વસતીના ધોરણે અનામત મળે અથવા ૨૦ ટકા અનામત મળે. બીજી માંગણી છે ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં ૧૫૦૦ કરોડની ગ્રાન્ટ મળે, દરેક જિલ્લામાં આદર્શ નિવાસી શાળા અને હોસ્ટેલ બને, જાતિ આધારિત વસતિ ગણતરી થાય તેવી માંગ છે. જાે આગળના સમયમાં માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ રાષ્ટ્રીય મેંગો મહોત્સવને ખૂલ્લો મૂક્યો

    ગાંધીનગર,ગાંધીનગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત રાષ્ટ્રીય મેંગો મહોત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂલ્લો મૂક્યો હતો. જ્યારે શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યુ હતું કે, એગ્રીકલ્ચર ટૂરિઝમને વિકસાવવા માટે સરકાર કટિબદ્ધ છે. સેક્ટર-૧૧ ના રામકથા મેદાનમાં તા. ૨૭ થી ૨૯ મે દરમિયાન આયોજિત ત્રિદિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ આ મહોત્સવમાં સહભાગી થઈ રહેલા અલગ અલગ રાજ્યોના કેરીના ઉત્પાદકો અને વિક્રેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ તેમણે આ ઉત્પાદકો અને વિક્રેતાઓના સ્ટોલની મુલાકાત લઈને કેરીની જાત અને વાવેતરથી લઈને ઉત્પાદન અને વેચાણ સુધીની વિગતો જાણવામાં રસ દર્શાવ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    આજે સીએમ દ્વારા રાષ્ટ્રીય મેંગો મહોત્સવને ખૂલ્લો મુકાશે

    ગાંધીનગર, ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખૂલ્લો મૂકવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા ઉદઘાટન કરાયા બાદ ત્રણ દિવસ સુધી જાહેર જનતા માટે ખૂલ્લો રહેશે. જેમાં નાગરિકો કેરીઓની વિવિધ વેરાઈટીઓને જાેઈ શકશે અને ખરીદી પણ શકશે તેમ પ્રવાસન વિભાગના એમડી. આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું.ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા ગાંધીનગર, અમદાવાદ સહીત રાજ્યના વિવિધ સ્થળોએ દર વર્ષે મેંગો મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા આ વર્ષે પ્રથમ વખત રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તા. ૨૭ થી ૨૯ મે એટલે કે ત્રણ દિવસ દરમિયાન પાટનગર ગાંધીનગરના સેક્ટર-૧૧ ના રામકથા મેદાન ખાતે “રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨”નું આયોજન કરાયું છે. આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તા.૨૭ મી મે,ને શુક્રવારના રોજ સવારે ૮ કલાકે ઉદઘાટન કરવામાં આવશે. આ અવસરે પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદી અને પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી પણ ઉપસ્થિત રહેશે. આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવ અંગે કમિશનર ઓફ ટૂરિઝમ અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું આયોજન કરાયું છે. આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં દેશના વિવિધ ૧૫ રાજ્યોમાં ઉત્પાદિત થતી કેરીની વિવિધ ૨૦૦ જેટલી કેરીની વેરાઈટીને રજૂ કરવામાં આવશે. આ મહોત્સવમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અન તમિલનાડુ સહીત ૧૫ રાજ્યોમાંથી વિવિધ પ્રકારની કેરી ઉત્પાદિત કરતા ખેડૂતો જુદી જુદી ૨૦૦ પ્રકારની કેરીની વેરાઈટીને રજૂ કરશે.જેમાં ગુજરાતની કેસર, હાફુસ, રાજાપુરી, જામદર, તોતાપુરી, નીલમ, દશેરી અને લંગડો કેરીનું તેમજ પંજાબની ચૌસા અને માલદા, હરિયાણાની ફઝલી, રાજસ્થાનની બોમ્બે ગ્રીન, મહારાષ્ટ્રની પાયરી, કર્ણાટકની બંગનાપલ્લી અને મુળગોઆ, આંધ્રપ્રદેશની સુવર્ણરેખા, મધ્યપ્રદેશની ફાઝી, પશ્ચિમ બંગાળની ગુલાબ ખસ અને હિમ સાગર, બિહારની કિસન ભોગ અને જરદાલુ જેવી અનેક પ્રકારની કેરીના પ્રદર્શન સહ વેચાણના સ્ટોલ્સ પણ લગાવવામાં આવ્યા છે. મહોત્સવના ઉદઘાટન બાદ આ સ્ટોલને જાહેર જનતા માટે ખૂલ્લાં મુકવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વરસાદની સંભવિત સ્થિતિને પહોંચી વળવા તંત્રને સાબદા રહેવા મુખ્ય સચિવે અનુરોધ કર્યો

    ગાંધીનગર, રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજજ છે. રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિઓને પહોચી વળવા સંપૂર્ણ તકેદારીપૂર્વક તૈયારીઓ કરવા વહીવટી તંત્રને રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર દ્વારા આજે અનુરોધ કરાયો હતો. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રિમોન્સૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે સાવચેતીપૂર્વક સઘન આયોજન કરવુ પડશે. બેઠકમાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા અંગે એક્શન પ્લાન રજૂ કર્યા હતા. જે અંગે મુખ્ય સચિવે જરૂરી સૂચનો કરી જણાવ્યું હતું કે, ભૂતકાળના અનુભવના આધારે આપત્તિ સમયે જે કંઈ પણ તકલીફ પડી હોય તેના નિરાકરણ માટે પૂરતી કાળજી રાખવી, જિલ્લા ડિઝાસ્ટર પ્લાન વાસ્તવિકતા અને તથ્યોના આધારિત સચોટ બનાવવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પૂર અને અન્ય વિકટ પરિસ્થિતિમાં રિસ્પોન્સ ટાઈમ ઘટે અને લોકોને ત્વરિત મદદ થાય તે અંગે વ્યૂહાત્મક યોજના બનાવવાની સૂચનાઓ પણ આપી હતી. મુખ્ય સચિવે ઉમેર્યું કે, રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વરસાદ સહિત અન્ય કામગીરીના ડેટા કલેકશન અંગેના રિપોર્ટનું ખાસ ફોર્મેટ બનાવવું, જેથી તમામ વિભાગોના ડેટા એક સમાન ફોર્મેટમાં આવે અને ડેટા કલેકશનમાં સુસંગતતા જળવાઈ રહે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવ્યાનુસાર આ વર્ષે દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરાઈ છે. જેમાં કેરળમાં વરસાદ પડશે તે પછીના ૪૮ કલાકમાં ગુજરાતમાં વરસાદની સંભાવના અંગેની આગાહી કરાશે. આ માટે હવામાન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. જયારે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પી. સ્વરૂપે સંભવિત વરસાદની પરિસ્થિતિમાં પૂર અને વાવાઝોડામાં રાહતની કામગીરી દરમિયાન વિવિધ વિભાગો અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાયેલી તૈયારીઓની વિગતો રજૂ કરી હતી. તેમજ પૂર-વાવાઝોડા સમયે સાવચેતીરૂપે રાખવાની કાળજી અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    મુન્દ્રા પોર્ટ પરથી ૫૦ કિલો ડ્રગ્સ ઝડપાયું  ઉડતા ગુજરાત ?

    મુન્દ્રા, કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે એક ઈમ્પોર્ટ કરવામાં આવેલા કન્ટેનરમાંથી ૫૦ કિગ્રા કરતાં પણ વધારે વજનનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું છે. મુન્દ્રા પોર્ટ ખાતે ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે એક કન્ટેનર અટકાવીને તેની તપાસ હાથ ધરી હતી. કન્ટેનરમાં મીઠું હોવાનું ડિક્લેરેશન ધરાવતા આ કન્સાઈનમેન્ટમાંથી ૫૦ કિગ્રા કરતાં વધારે વજન ધરાવતો સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ કન્ટેનર ઈરાનથી વાયા દુબઈ થઈને મુન્દ્રા પહોંચ્યું હતું અને ડ્રગ્સના સેમ્પલને નાર્કોટિક્સ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. તપાસ બાદ તે હેરોઈન છે કે અન્ય કોઈ ડ્રગ તે અંગેનો ખુલાસો થઈ શકશે. આ સાથે જ કન્ટેનરમાં રહેલા સમગ્ર જથ્થાની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી એમડી ડ્રગ્સ મળ્યું જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી ડીસીપી ઝોન ૧ સ્ક્વોડ અને લોકલ પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક યુવતીને ઝડપી હતી. પોલીસ તપાસમાં યુવતીએ એક યુવકનું નામ આપ્યાની વિગતો ખુલી છે. ડ્રગ્સ સાથે પકડાયેલી યુવતી ગોતા વિસ્તારમાં રહેતી હોવાની વિગતો પોલીસને મળી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. ડીસીપી ઝોન ૧ લવીના સિંહાના સ્ક્વોડને બાતમી મળી હતી કે, ગોતા ચાંદલોડિયા ખાતે રહેતી યુવતી એમડી ડ્રગ્સ સાથે જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી પસાર થવાની છે. બાતમીના આધારે ઝોન ૧ સ્કોડે અને વસ્ત્રાપુર પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની યુવતી પસાર થતા મહિલા પોલીસે તેને ચેક કરી હતી. યુવતી પાસેથી ૪ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ડ્રગ્સ સાથે મળી આવેલી જ્યોતિકા દીપકભાઈ ઉપાધ્યાય રહે, શિવ કેદાર ફ્લેટ, ચાંદલોડિયા-ગોતાની ધરપકડ કરી હતી.બીએસએફની ટીમે હરામી નાળા પાસેથી બે પાકિસ્તાનીને ચાર ફિશિંગ બોટો સાથે ઝડપ્યાં ગાંધીનગર, ગુજરાતના કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર અને ચર્ચાસ્પદ એવા હરામીનાળા વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ બે પાકિસ્તાની માછીમારને ઝડપી લીધા હતા. જયારે ચાર પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવતા બીએસએફના જવાનોએ ચાર બોટને કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતનો કચ્છ જિલ્લો પાડોશી દેશ પાકિસ્તાનની દરિયાઈ તેમજ જમીની સરહદની સાથે જાેડાયેલો છે. કચ્છ જિલ્લાનો દરિયાઈ સીમા વાળો હરામીનાળા અને ક્રિક વિસ્તાર કાદવ અને કીચડ વાળો હોવા છતાં પાકિસ્તાની માછીમારો માછીમારી કરવા માટે આ વિસ્તારમાં ઘૂસી આવે છે. આથી આ વિસ્તારમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ) ના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ દરમિયાનમાં સીમા સુરક્ષા દળના જવાનોની ટીમ આજે સવારે હરામી નાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ક્ષેતિજ ચેનલ પાસે કેટલીક પાકિસ્તાની માછીમારી બોટની હરકત જાેવામાં આવી હતી. જેથી સીમા સુરક્ષા દળના જવાનોની ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસનો ખરાબ રીતે પરાજય થશેઃ પ્રશાંત કિશોરનો દાવો

    ગાંધીનગર, ગુજરાતમાં ત્રણ દાયકાથી કોંગ્રેસ સત્તાથી વિમુખ છે, તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી પક્ષના એક પછી એક નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ચિંતિત છે. ત્યારે રાજકીય રણનીતિના ચાણક્ય ગણાતા એવા પ્રશાંત કિશોરે એવું નિવેદન કર્યું છે કે, જેના કારણે કોંગ્રેસની ચિંતામાં વધારો કર્યો છે. પ્રશાંત કિશોર એવો દાવો કર્યો છે કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થશે. પ્રશાંત કિશોરની આવી અવળવાણીથી કોંગ્રેસની ચિંતામાં વધારો થશે. ગુજરાતમાં ત્રણ દાયકા જેવા લાંબા સમયથી સત્તાથી વિમુખ રહેલી કોંગ્રેસ માટે ખરાબ દિવસો પૂરા થવાનું નામ જ નથી લેતાં તેવું જાેવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પક્ષના એક પછી એક મોટા માથા ગણાતા એવા નેતાઓ કોંગ્રેસનો હાથ અને સાથ છોડી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે મોટો ઘા સહન કર્યા બાદ પાટીદારોમાં સારી એવી પકડ ધરાવતા યુવા નેતા અને પ્રદેશના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે બુધવારે પક્ષમાં પણ રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જાેડાય તેવી સંભાવના ઘણી ઓછી જાેવા મળી રહી છે. આ ઉપરાંત હજુ વધુ પાંચ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડવાની વેતરણમાં હોવાનું સૂત્રોએ કહી રહ્યા છે. આ સંજાેગોમાં કોંગ્રેસ અગાઉથી જ ભારે દબાણનો સામનો કરી રહી છે. ત્યારે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે એક નિવેદન કરીને કોંગ્રેસની ચિંતામાં અને મુશ્કેલીમાં ભારે વધારો કર્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    હાર્દિકે કોંગ્રેસને ગુજરાત વિરોધી ચિતરવી યોગ્ય નથી  જિજ્ઞેશ મેવાણી

    ગાંધીનગર, ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડતા સમયે પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સામે ચિકન સેન્ડવિચના આક્ષેપો કર્યા હતા. જેને લઈને કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણીએ વળતો જવાબ આપ્યો છે. મેવાણીએ કહ્યું હતું કે, સરકારે મોટું મન રાખીને પાટીદારોને અનામત આપ્યું છે તેવું કહેનાર હાર્દિક એ વાત ભૂલી ગયો છે કે, આ અનામત માટે પાટીદાર સમાજના ૧૪ યુવાનો ગુમાવ્યા છે. કોંગ્રેસે સૌથી નાની વયમાં હાર્દિકને કાર્યકારી પ્રમુખ જેવો હોદ્દો આપ્યો હતો છતાં તે કહે છે કે કોંગ્રેસને ગુજરાત વિરોધી કે દેશદ્રોહી ચીતરવી યોગ્ય નથી. મેવાણીએ પત્રકાર પરિષદ યોજીને હાર્દિક પટેલે કોંગ્રેસ પર કરેલા નિવેદનો સામે સવાલ ઉઠાવ્યા હતા. મેવાણીએ જણાવ્યુ હતું કે, જાે તેણે પક્ષ છોડવો જ હતો, તો તે ગરીમાપૂર્વક રાજીનામું આપી શકે તેમ હતો, તેમાં વળી ચિકન સેન્ડવિચને વચ્ચે લાવવાની ક્યાં જરુર હતી? મેવાણીએ વધુમાં કહ્યું હતું કે, સરકારે મોટું મન રાખીને પાટીદારોને અનામત આપ્યું તેવું કહેનારો હાર્દિક એ વાત ભૂલી રહ્યો છે કે, તેના માટે પાટીદારોએ પોતાના ૧૪ યુવાનોને ગુમાવ્યા છે. માતા-બહેનોએ પોલીસના ડંડા ખાધા અને ભર તડકામાં લોકોએ કેવી રેલીઓ કરી હતી. મેવાણીએ કહ્યું હતું કે, પક્ષ સામે કોઈ વાંધો થયો હોઈ શકે, પરંતુ કોંગ્રેસને ગુજરાત વિરોધી કે દેશદ્રોહી ચિતરવી યોગ્ય નથી. હાર્દિકને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની સાથે સ્ટાર કેમ્પેઈનર બનાવી હેલિકોપ્ટર આપી રાજ્યોમાં પ્રચારની જવાબદારી સોંપી. એકાદ નાની માગણી ના સંતોષાય અને પક્ષ છોડવો જ હોય તો પ્રેમથી છોડી શકાય તેમ હતો. અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસ છોડી હતી, પરંતુ તેમણે ગરીમાપૂર્ણ રીતે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું અને અયોગ્ય ભાષાનો ઉપયોગ પણ નથી કર્યો.કોંગ્રેસ વિરોધી નિવેદન કરશે તો હાર્દિકનો વિરોધ કરાશે  વાઘેલા ગાંધીનગર, હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ અને રાષ્ટ્રીય નેતૃત્વ પર અનેક સવાલો ઉભા કર્યા હતા. જે અંગે ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ હાર્દિક પટેલને કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નિવેદનો ન કરવા માટેની ચીમકી આપી છે. જાે હાર્દિક આવા નિવેદનો કરશે તો તેનો વિરોધ કરાશે તેવી યુવક કોંગ્રેસ પ્રમુખે ચીમકી આપી છે. કોંગ્રેસમાંથી હાર્દિક પટેલે રાજીનામા આપ્યા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.જાેકે પાંચ વર્ષ બાદ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે પ્રેસ કોંફરન્સ કરીને કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ સામે અનેક સવાલો ઉભા કર્યા હતા. જે અંગે ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ હાર્દિક પટેલને ચીમકી આપી છે. વાઘેલાએ કહ્યું છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ આ અંગે કોઇપણ નિવેદન કરતાં પહેલા વિચારીને બોલે. જાે કોંગ્રેસ પક્ષ અને નેતાઓ વિશે એલફેલ નિવેદન કરશે તો હાર્દિક પટેલનો કોંગ્રેસ જાહેરમાં વિરોધ કરશે. ૨૦૧૭માં હાર્દિક ભાજપ વિરુદ્ધ વિચારધારાના કારણે કોંગ્રેસમાં જાેડાયો હતો તો પાંચ વર્ષ બાદ એવું શું થયું? કે હાર્દિકની વિચારધારા બદલાઈ ગઈ. વિશ્વનાથ સિંહ વાઘેલાએ હાર્દિકના આક્ષેપ અંગે કહ્યું કે, રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ દરમિયાન ક્યારેય ચિકન સેન્ડવીચ મંગાવી નથી. હાર્દિકે કરેલા નિવેદનો તથ્યહીન છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સીબીઆઇના દરોડા  આઇએએસ કે.રાજેશની ધરપકડ

    ગાંધીનગર, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના જાેઇન્ટ સેક્રેટરી કે. રાજેશ સામે જે તે સમયે હથિયારના લાઇસન્સ આપવામાં તેમજ જમીનના મામલામાં નાણાંકીય વ્યવહારો કર્યા હોવાની ફરિયાદના આધારે ગુરુવારે મોડી રાત્રે દિલ્હીથી સીબીઆઇની ટીમ ત્રાટકી હતી. જેમાં ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત અને તેમના વતન આંધ્રપ્રદેશ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. આ આરોપો અંતર્ગત દિલ્હી સીબીઆઇમાં થયેલી ફરિયાદના આધારે કે. રાજેશની ધરપકડની સાથે સુરતના વચેટિયા એવા એક વ્યક્તિની પણ ધરપકડ કરાઇ છે. સીબીઆઇના અધિકારીઓની ટીમે ગુરુવારે મોડી રાત્રે ગુજરાત કેડરના આઇએએસ અધિકારી કન્કીપતિ રાજેશના નિવાસસ્થાન, ઓફિસ તેમજ તેમના વતન આંધ્રપ્રદેશ ખાતે દરોડા પાડવામાં આવ્યા છે. વિવિધ વ્યક્તિઓને હથિયારના લાઈસન્સ આપવામાં અનિયમિતતાના મામલે આ દરોડા પડાયા હોવાનું એજન્સીના સૂત્રોએ જણાવ્યુ હતું. કન્કીપતિ રાજેશ ગુજરાત કેડરના વર્ષ ૨૦૧૧ની બેચના અધિકારી છે. હાલમાં તેઓ સામાન્ય વહીવટ વિભાગ (જીએડી)માં જાેઇન્ટ સેક્રેટરી તરીકે કાર્યરત છે. ગુજરાત કેડરના વર્ષ-૨૦૧૧ની બેચના આઇએએસ અધિકારી કે. રાજેશના ત્યાં દિલ્હી સીબીઆઇની ટીમે ગત મોડી રાત્રિના દરોડા પાડ્યા હતા. મૂળ આંધ્રપ્રદેશના વતની એવા આઇએએસ અધિકારીને ત્યાં સીબીઆઇના દરોડા પાડતા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ભારે હલચલ મચી જવા પામી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કે. રાજેશ પર કથિત જમીન કૌભાંડ, બંદૂક લાઇસન્સ કેસમાં લાંચ લેવાના આરોપ છે. આ આઇએએસ અધિકારી વિરુદ્ધ દિલ્હી સીબીઆઇમાં એફઆઇઆર નોંધાઈ હતી. જેના અંતર્ગત દિલ્હી સીબીઆઇની ટીમ દ્વારા કે. રાજેશ દ્વારા ફરજ બજાવવામાં આવી હતી તે સ્થળો ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત અધિકારીના વતન રાજ્ય આંધ્રપ્રદેશના નિવાસસ્થાને પણ સીબીઆઇ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સીબીઆઈના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ મામલમાં સુરત સ્થિત કાપડના વેપારીને પણ એજન્સીના અધિકારીઓ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે, “અમે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સાથે ગુનાહિત કાવતરું અને પુરાવાનો નાશ કરવાના આરોપો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. કારણ કે, પોલીસ દ્વારા હથિયાર લાઇસન્સ આપવા માટે નકારાત્મક રિપોર્ટ આપ્યો હોવા છતાં તેમણે વિવિધ લોકોને લાઇસન્સ પૂરા પાડ્યા હતા.” તેમ પણ સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, રાજેશે કથિત રીતે વિવિધ અરજદારો પાસેથી અન્ય તરફેણ પણ માંગી હતી. કે. રાજેશ સામે ગત જાન્યુઆરી ૨૦૨૧માં કથિત ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા હતા. જ્યારે અમદાવાદનાં એક વેપારીએ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)માં ફરિયાદ નોંધાવી હતી કે, કન્કીપતિ રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર આઇએએસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે હથિયારનું લાઇસન્સ આપવા માટે અરજદાર પાસેથી પાંચ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ ઉપરાંત ફેબ્રુઆરી-૨૦૨૧માં કે, રાજેશ વિરુદ્ધ સમાન પ્રકારની અન્ય બે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સૌરાષ્ટ્રની બે વ્યક્તિ પાસેથી રૂપિયા પાંચ લાખનો ચેક અને રૂપિયા ૩૨ લાખ રોકડા માગ્યા હતા. જ્યારે ગત તા. ૫ માર્ચના રોજ સૌરાષ્ટ્રના એક ખેડૂત દ્વારા એસીબીમાં અરજી કરાઇ હતી કે, બાબુએ તેને હથિયારનું લાઇસન્સ આપવાના બદલામાં ત્રણ લિટર મસાજ તેલ અને રૂ. પાંચ લાખની માંગણી કરી હતી. જેના અંતર્ગત એસીબી દ્વારા તપાસ ઉપરાંત નિવૃત્ત એસીએસ કક્ષાના અધિકારી દ્વારા તેમની સામે ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવી હતી. કે. રાજેશ ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો બાદ તેમની રાજ્યના ગૃહ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે બદલી કરવામાં આવી હતી. અને ત્યાર બાદ એક અઠવાડિયામાંજ એટલે કે, જૂન-૨૦૨૧માં તેમને ત્યાંથી ખસેડીને સામાન્ય વહીવટ વિભાગ માં મૂકી દેવાયા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજ્યના ચાર નગરમાં પાણી પુરવઠા માટે ૪૫.૦૯ કરોડના કામોને મંજૂરી

    ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક જ દિવસમાં ૪ નગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૪૫.૦૯ કરોડના પાણી પુરવઠા યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં માંગરોળ, વંથલી, ઓખા અને માણાવદર નગરોને આ મંજૂરીનો સીધો જ લાભ મળશે. આ સાથે રાજ્યના નગરોમાં પીવાનું પૂરતું પાણી નાગરિકોને પહોંચાડવાની મુખ્યમંત્રીએપ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમિતપણે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા જનહિતકારી હેતુ સાથે ચાર નગરોમાં પાણી પુરવઠા યોજનાના કુલ રૂ. ૪૫.૦૯ કરોડના કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંગરોળ, વંથલી, ઓખા અને માણાવદર નગરપાલિકામાં પાણી પુરવઠાના વિવિધ કામો મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીએ આ નગરોમાં હાલના બેઇઝ ઇયર મુજબ આગામી ર૦પ૧-પર ના વર્ષની અંદાજિત વસ્તીની પાણી જરૂરિયાત ધ્યાને રાખીને પાણી પુરવઠાની આ યોજનાઓ માટેની ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તોને અનુમતિ આપી છે.  મુખ્યમંત્રી સમક્ષ જે ચાર નગરો માટે પાણી પુરવઠા યોજનાના કામોની દરખાસ્ત રજૂ કરાઈ હતી. તેમાં માંગરોળ માટે રૂ. રર.૬૪ કરોડ, વંથલી માટે રૂ. ૭.ર૧ કરોડ, ઓખા માટે રૂ. પ.૬૯ કરોડ અને માણાવદર માટે રૂ. ૯.પપ કરોડના કામોનો સમાવેશ કરાયો છે. આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે હવે આ ચાર નગરપાલિકાઓમાં પાણી પુરવઠાના કામો અન્વયે રાઈઝિંગ મેઇન, ગ્રેવીટી મેઇન, વિતરણ વ્યવસ્થા, વોટર સંપ, પંપ હાઉસ, પમ્પીંગ મશીનરી, ભૂગર્ભ સંપના કામો તેમજ ફિલ્ટર પ્લાન્ટ, હાઉસ કનેકશન અને સ્ટોરેજ કામોનું આયોજન હાથ ધરાશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પ્રદેશ કોંગ્રેસ માત્ર ૫-૭ વ્યક્તિ ચલાવે છે  હાર્દિક

    ગાંધીનગર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને સભ્યપદેથી હાર્દિક પટેલે રાજીનામું આપીને પક્ષને રામ રામ કર્યા પછી આજે તેણે કોંગ્રેસની પોલ ખોલી હતી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસને માત્ર પાંચથી સાત વ્યક્તિ ચલાવી રહ્યા છે. આ વ્યક્તિઓ દિલ્હીના નેતાઓ સુધી સાચી વાતને નહીં પહોંચાડવાનું કામ કરતા હોવાનો આક્ષેપ પણ હાર્દિકે કર્યો હતો. આ સાથે હાર્દિક પટેલે પોતાની સાથે થયેલા અન્યાય અને પક્ષમાં તેની કદર ન થતી હોવાનું પણ જણાવ્યું હતું.આ ઉપરાંત હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પડેલી વિકેટોનો પણ ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસે ચિંતન નહિ ચિંતા કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. માત્ર હાર્દિક પટેલ નહીં પરંતુ હાર્દિક જેવા ઘણાં નેતાઓ કોંગ્રેસમાં છે કે જેમની સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું પણ હાર્દિકે જણાવ્યું હતું. હાર્દિક પટેલે પીએમ નરેન્દ્ર મોદી, ગુજરાતની ભાજપ સરકારના સારા કામ, ગુજરાતીઓ સાથે થયેલા અન્યાય સહિતના મુદ્દાઓને રજૂ કર્યા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે હાર્દિકે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો, અને વારંવાર પોતાને દુઃખ થયું હોવાનું, દુઃખ સાથે કહેવું પડે છે તેવો ઉલ્લેખ કરીને વિવિધ મુદ્દાઓને રજૂ કર્યા હતા. હાર્દિક પટેલે ગઈકાલના રાજીનામાની વાત કરીને કહ્યું હતું કે, ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ખુલ્લા મનથી, ખુલ્લા હૃદયથી આપની સાથે ચર્ચા કરવા આવ્યો છું. ૨૦૧૫માં જયારે આંદોલનની શરુઆત કરી અને ત્યારથી ૨૦૧૯ સુધી મન ચોખ્ખું રાખીને ગુજરાતના લોકોના અધિકાર માટે કામ કર્યું હતું. સરકારના વિરુદ્ધમાં જનતાના અધિકાર માટે લડ્યા હતા, યુવાનોની ભાવનાને જાેડીને સવર્ણ સમાજને ૧૦ ટકા અનામત આપવાનું કામ કર્યું હતું. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સત્તા અને પદ વગર કામ થઈ ન શકતું હોય તો સ્વાભાવિક છે કે રાજકારણમાં જવું જાેઈએ અને આ જ હેતું સાથે હું કોંગ્રેસમાં જાેડાયો હતો. કોંગ્રેસમાં જાેડાયો ત્યારે સપનું હતું કે, જે હિત સાથે જે સપના સાથે કોંગ્રેસમાં આવ્યો છું, તે ગુજરાતના લોકોની વાત આક્રમકતા સાથે કરી શકીશ. ૨૦૧૭ અને ૨૦૧૫ની ચૂંટણીમાં વિપક્ષ હોય તો કંઈક થઈ શકે તેવા અવાજ સાથે અમે કોંગ્રેસને ફાયદો કરાવ્યો હતો. ગુજરાતનું સારું થાય તે જ ભાવના સાથે ૨૦૧૯માં હું કોંગ્રેસમાં જાેડાયો હતો. ૨૦૧૯થી ૨૦૨૨ સુધીના આ ત્રણ વર્ષના સમયગાળાની અંદર કોંગ્રેસને જાણી સમજી ત્યારે ખબર પડી કે, કોંગ્રેસની અંદર સૌથી મોટું જાતિવાદનું રાજકારણ છે. કાર્યકારી પ્રમુખની જવાબદારી માત્ર શોભાના ગાંઠીયા જેવી હોય છે. અન્ય રાજ્યોમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખને જવાબદારીઓ સોંપાય છે, પરંતુ ગુજરાતમાં મને બે વર્ષ સુધી કોઈ જવાબદારી સોંપી ન હતી. જ્યારે એક મહિનાથી કોંગ્રેસમાં થતી વિપરિત પરિસ્થિતિ અંગે મીડિયા સામે ખુલીને વાત મૂકી ત્યારે જે વખાણ કરતા હતા તે પાંચ થી છ નેતાઓ પોતાની મનમરજીથી મીડિયામાં આવીને ચર્ચા વિચારણા કરતા હતા. હાર્દિકે પોતાની નારાજગી અંગે કહ્યું હતું કે, ગુજરાતમાં માત્ર હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ નથી. ગુજરાતમાં ઘણાં યુવાનો અને ધારાસભ્ય અને નેતાઓ છે કે જેમનો માત્ર ઉપયોગ કરાય છે અને કામ પતી જાય પછી ફેંકી દેવાય છે. આ જ રીતે ભૂતકાળમાં ચીમનભાઈને પણ હટાવી દેવાયા હતા. વિઠ્ઠલ રાદડિયાને પણ હટાવી દેવાયા હતા. ૨૦૧૨ની ચૂંટણીમાં નરહરી અમિનને પણ આ જ રીતે હટાવી દેવાયા હતા. જ્યારે કોઈ પાટીદાર કે કોઈ નેતા મજબૂત બનીને કોંગ્રેસનું કામ કરે ત્યારે પક્ષના નેતાઓ દ્વારા તેમને હટાવી દેવાનું કામ કરાય છે. કોંગ્રેસ પક્ષ પરિવારની આસપાસ ફરતી હોવાનું કહીને હાર્દિકે કહ્યું કે, જ્યારે જ્યારે મે કોંગ્રેસમાં સાચી વાત કહેવાનો પ્રયાસ કર્યો ત્યારે માત્રને માત્ર પાર્ટીના લોકોએ બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગાંધીનગરમાં જન્મેલા દિલીપ ચૌહાણ ન્યૂયોર્કના મેયરના કાર્યાલયમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત

    ગાંધીનગર, ગાંધીનગરમાં જન્મેલા દિલીપ ચૌહાણને હાલમાં જ ન્યૂયોર્કના મેયર એરિક એડમન્સના ઈન્ટરનેશનલ અફેર્સની ઓફિસમાં ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવેશન માટેના ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂકથી ભારતીય- અમેરિકન કોમ્યુનિટીમાં ખુશીનો માહોલ છે. ઓગસ્ટ ૨૦૧૭માં દિલીપ ચૌહાણને નાઉસી કાન્ટીમાં લઘુમતી બાબતોના ડેપ્યુટી કમ્પ્ટ્રોલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દિલીપ ચૌહાણ ૧૯૯૯માં અમેરિકામાં સ્થાયી થયા હતા. એક સમયે ચૌહાણે બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે કામ કરવાનું કર્યું હતું અને ૨૦૧૫માં કમ્પ્ટ્રોલરની ઓફિસમાં તેઓ સાઉથ અને ઈસ્ટ એશિયાના કોમ્યુનિટી અફેર્સના ડિરેક્ટર તરીકે જાેડાયા હતા. ૨૦૧૭ની શરૂઆતથી તેમણે કમ્પ્ટ્રોલરના સીનિયર એડવાઈઝર તરીકે સેવા આપી હતી. લઘુમતી બાબતોના ડેપ્યુટી કમ્પ્ટ્રોલર તરીકે સેવા આપ્યા બાદ, દિલીપ ચૌહાણે બ્રૂકલીનના રાષ્ટ્રપતિની ઓફિસમાં સાઉથઈસ્ટ અને એશિયન અફેર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે, દિલીપ ચૌહાણે બ્રૂકલિનમાં દક્ષિણ અને એશિયન સમુદાયને સશક્ત બનાવવા માટે સખત મહેનત કરી હતી. તેમ ન્યૂયોર્કના મેયરની ઓફિશિયલ વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે. તેમણે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા ઉપલબ્ધ સંશાધનો પ્રત્યેની જાગૃકતા વધારીને આ કર્યું અને તેમના નેતૃત્વ હેઠળ તેમણે આ સમુદાય અને બરહ રાષ્ટ્રપતિની ઓફિસમાં મજબૂત સંબંધ બનાવવામાં મદદ કરી હતી. વર્ષ ૨૦૧૭માં આપેલા ઈન્ટરવ્યૂમાં, ચૌહાણે કહ્યું હતું કે, કોર્પોરેટ ક્ષેત્રમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અનુભવ્યું હતું કે મુખ્ય કોર્પોરેટ ક્ષેત્ર અને સાઉથ એશિયન કોમ્યુનિટી વચ્ચેનું કનેક્શન તૂટી ગયું છે.રજૂઆતો દ્વારા મેં મારી ભૂમિકાનો ઉપયોગ ગવર્મેન્ટ બ્યૂરોક્રસીને નેવિગેટ કરવા માટે બિઝનેઝની તકોને વધારવા અને નાગરિક જાેડાણને પ્રોત્સાહિત કરવા માટે કર્યો હતો. તેમ ચૌહાણે કહ્યું હતું. કમ્પ્ટ્રોલર ઓફિસમાં તેમણે વંશીય લઘુમતી જૂથોને સરકારી કોન્ટ્રાક્ટ અને અન્ય વ્યવસાયિક તકો અપાવવામાં મદદ કરી હતી. જ્યારે નાઉસી કાઉન્ટીમાં લઘુમતી બાબતોના ડેપ્યુટી કમ્પ્ટ્રોલર તરીકે પસંદગી કરવામાં આવી ત્યારે ચૌહાણે સ્વામિનારાયણ સમુદાયના પવિત્ર ગ્રંથ વચનામૃત પર હાથ મૂકીને પદ માટે શપથ લીધા હતા.ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચરલની ડિગ્રી ધરાવનારા દિલીપ ચૌહાણ એ સફળ આંત્રપ્રિન્યોર અને એક સન્માનિત અધિકારીનું અનોખું મિશ્રણ છે.તેમ મેયરની ઓફિશિયલ વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અર્જુન મોઢવાડિયાએ હાર્દિક પટેલ લક્ષ્મણ રેખા ઓળંગતા હોવાનું નિવેદન આપ્યું

    અમદાવાદ એક તરફ એવા સમાચાર આવે છે કે ઉદયપુરમાં ચાલતી કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી માટેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. જેના આધારે કોંગ્રેસ ભાજપ સામે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં અત્યારે વિખવાદ ચાલી રહ્યા છે. અત્યારે સૌથી ચર્ચાસ્પદ નામ હાર્દિક પટેલનું છે. અત્યાર સુધી અટકળો ચાલતી હતી કે હાર્દિક કોંગ્રેસથી નારાજ છે. જાે કે હવે તો તેમણે પોતે આ અંગં સ્વીકાર્યુ છે. આવી સ્થિતિમાં હવે ગુજરાત કોંગ્રેસના અન્ય નેતાઓની આ અંગે પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ માટે વારંવાર મીડિયામાં નિવેદન કરી નુકશાન પહોંચાડનારા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પર કોંગ્રેસના નેતાઓનો ગુસ્સો બહાર આવી રહ્યો છે. ચિંતન શિબિરમાં પરત ફરેલા ગુજરાત કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખે હાર્દિક પટેલ અંગે તીખી પ્રતિક્રિયા આપી છે. અર્જુન મોઢવાડિયાએ હાર્દિક લક્ષ્મણ રેખા ઓળંગતા હોવાની અને ભરતસિંહ સોલંકીએ હાર્દિક બધા કરતા મોટો નેતા બની ગયો હોવાનો કટાક્ષ કર્યો હતો.ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ આ વિશે વાત કરતા લક્ષ્મણ રેખા યાદ અપાવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષમાં કોઇને રેલી કરવાની, કાર્યક્રમ કરવાની, પ્રેસ કોન્ફરન્સ કરવાની અને આગળ આવી જવાબદારી લવાની કોઇ ના પાડતું નથી. માટે તમામ લોકોએ લક્ષ્મણ રેખામાં રહેવું જાેઇએ. કોઇ વારંવાર લક્ષ્મણ રેખા ઓળંગે તેનો અર્થ એ થાય છે કે તેમને કામ કરવું નથી. હાર્દિકને જે જવાબદારી મળી છે તે નિભાવવી જાેઇએ અને લાખો કાર્યકર્તાઓની અપેક્ષા પૂરી કરવી જાેઇએ. તેના બદલે કોઇ વારંવાર પાર્ટીને કે કાર્યકર્તાઓને જવાબદાર ઠેરવે તે વાત ક્યારેય સ્વીકારી ના શકાય.તેમણે આગળ કહ્યું કે કોંગ્રેસ પક્ષ દરેકને સુધારવાનો મોકો આપે છે, પણ લક્ષ્મણ રેખામા ના રહે તો પક્ષ કાર્યવાહી કરે છે. કોંગ્રેસ કામ કરવા કે આગેવાની કરવા માટે કોઈ રોક્તું નથી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ધો.૧૦ અને ૧૨ની સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થવાનો ફેક પરિપત્ર વાયરલ

    ગાંધીનગર, ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થસે તેવો એક પરિપત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જાેકે આ પરિપત્ર વાઇરલ થતાં શિક્ષણ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવતા આ પરિપત્ર ફેક છે અને આ પરિપત્ર વાઇરલ થતાં શિક્ષણ બોર્ડ દ્વારા પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે. શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પરિપત્ર કોઈ વ્યક્તિ દ્વારા વાઇરલ કરવામાં આવ્યો છે અને આ શાળાઓ અને વિધાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. જાેકે આ વ્યકતી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જૂન મહિના ના પહેલા વીકમાં જાહેર કરવામાં આવે તેવી શ્ક્યતાઓ છે હજી પરિણામ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પરિણામ કઈ તારીખે જાહેર થશે તેની તારીખો જાહેર કરવામાં આવશે. અત્યારે હાલ ધોરણ ૧૨ સાયન્સ અને ગુજકેટ નું પરિણામ જાહેર થયું છે. બોર્ડના સચિવ એ વધુમાં જણાવ્યુ હતું કે કોઈ પણ શાળા કે વિધાર્થીઓને આ પરિપત્રથી ગેરમાર્ગે દોરવું નહીં.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભાજપે વિધાનસભા ચૂંટણીનો રોડમૅપ તૈયાર કર્યોઃ મોંઘવારી અને બેરોજગારી મુદ્દે ચર્ચા

    ગાંધીનગર, કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ચિંતન શિબિર કરી રહ્યાં છે. જાે કે કોંગ્રેસની ચિંતનશિબિર તેમના પડકારોને લઇને છે જ્યારે ભાજપની શિબિર તેમની આગામી રણનીતિને લઇને છે. કોંગ્રેસ તેનો પંજાે ફરી મજબૂત કરવા મથી રહ્યું છે. ભાજપ તેમના વિજયરથને આગળ ધપાવવા ચિંતન કરી રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી આર પાટીલ સહિતના ૪૦ સભ્યો સાથે મળેલી બેઠકમાં સરકાર અને સંગઠનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ચૂંટણી પૂર્વે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને જન જન સુધી લઈ જવા નીર્ધાર કરાયો હતો.કેમ્પઈન અંગે પણ ચર્ચા કરવામા આવી હતી મોંઘવારી- બેરોજગારી સહિતના મુદ્દાઓ વચ્ચે એન્ટી ઇન્કમબંસી પણ મુદ્દો છે ત્યારે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ અને ચૂંટણી વ્યૂહરચના અંગે વિગતે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં કોંગ્રેસ અને આપ પક્ષની સક્રિયતા અંગે ચર્ચાઓ થઈ હતી. સામાજિક આગેવાન નરેશ પટેલ જ્યાં સુધી રાજકીય ર્નિણય ના લે ત્યાં સુધી કોઈ ભાજપ હોદ્દેદારોએ તેમના વિશે ના બોલવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ભાજપ દ્વારા મંગાવેલા બોર્ડ નિગમના નામો અતર્ગત પણ બેઠકમાં વિચાર- વિમર્શ થાય તેવી પણ માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. ભાજપની બે દિવસીય ચિંતન શિબિર બેઠક પૂર્ણ થયા બાદ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે આ શિબિરમાં સરકારી યોજનાની સમીક્ષા કરવામાં આવી છે. તેમજ ચૂંટણીઓના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિપક્ષના અપપ્રચારને ટાળી શકાય તે માટે ચર્ચા કરવામા આવી છે.પાર્ટીના મોરચાના ટાસ્ક નક્કી કરવામાં આવ્યા છે. હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્વીઓ જનતા સુધી લઇ જવાશે. લોકોને યોજનાઓનો લાભ મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે.તેમજ વધુમાં કહ્યું કે લોકો સુધી પહોંચી શકાયે તે માટે કાર્યક્રમોનું આયોજન કરવામા આવશે. અને સરકારી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. ચિંતન શિબિર બાદ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ૨૦૨૨ ચૂંટણી માટેની યોજનાઓ અંગે ચિંતન કર્યું, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. 
    વધુ વાંચો
  • ગુજરાત

    દહેગામની ઝાક જીઆઇડીસી માંથી ડુપ્લીકેટ ઈનો બનાવવાની ફેક્ટરી ઝડપાઈ ૪૫.૭૩ લાખનો મુદામાલ જપ્ત

    ગાંધીનગર, દહેગામની ઝાક જીઆઇડીસીમાં ગ્લેક્ષો કંપની લિમિટેડ કંપની જીએસકે (ઈનો) બનાવતી કંપની તરફથી મળેલી ફરિયાદના આધારે સીઆઇડી ક્રાઇમ દ્વારા દરોડો પાડીને ડુપ્લીકેટ ઈનો બનાવતી ફેકટરી ઝડપી પાડી કોપી રાઈટ એક્ટ હેઠળ ગેલેક્સી ગ્રુપના માલિક મીનેશ શાહ તેમજ તેના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી ૪૫.૭૩ લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિવિધ બ્રાન્ડેડ કંપનીના કોપી રાઈટ હક્કોનું કામ કરતી દિલ્હીની નેત્રીકા કન્સલ્ટિંગ એન્ડ ઈન્વેસ્ટીગેશન કંપનીનાં અમદાવાદ રહેતા ફિલ્ડ ઓફિસર ચિરાગ પંચાલ પાસે ગ્લેક્ષો ગ્રુપ લિમિટેડની જીએસકે ઈનો કોપીરાઈટ હકોની ઓથોરિટી છે. જે અન્વયે તેમણે કરેલી કોપીરાઈટ એક્ટ ભંગની ફરિયાદના આધારે આજે દહેગામ ઝાક જીઆઇડીસીમાં આવેલ સુપ્રીમ - ૧ પ્લોટ નંબર ૨૭ માં ધમધમતી ઉક્ત કંપનીના નામે ડુપ્લીકેટ ઈનો બનાવતી ફેકટરી સીઆઇડી ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમની ટીમ સાથે ચિરાગ પંચાલ સહિત તેમની કંપનીના માણસો પણ જાેડાયા હતા. આ રેડ દરમ્યાન ફેકટરી પર પ્રેમનારાયણ ઉર્ફે રાજુ દિલબહાદુર શ્રેષ્ઠ(રહે. મહેન્દ્ર મિલ સ્ટાફ ક્વાર્ટર્સ, કલોલ) મળી આવ્યો હતો. જેની પૂછતાંછ માં ફેક્ટરીનો માલિક અમદાવાદના મીનેશ શાહની હોવાનું બહાર આવ્યું હતું. જેને પણ ફેકટરી ઉપર બોલાવવા માટે ફોન કરવામાં આવતાં મીનેશ શાહ ફોન ઉપાડતો ન હતો. આ ફેક્ટરી આહુજા ગુરુબક્ષ પાસેથી ભાડે લેવામાં આવી હોવાની હકીકત પણ બહાર આવ્યું છે. બાદમાં સીઆઇડી ક્રાઇમ સહીતના ઉક્ત કંપનીના ઓથોરાઇઝ્‌ડ માણસોની હાજરીમાં ફેકટરીની તમામ મશીનરી, ઈનોનાં પાઉચનો ડુપ્લીકેટ જથ્થો જપ્ત કરી લેવાયો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગાંધીનગરમાં રખડતાં કૂતરાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં

    ગાંધીનગર,ગાંધીનગર કોર્પોરેશન તંત્ર દ્વારા કૂતરાની વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે ખસીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ મનપા તિજાેરી ઉપર પાડવામાં આવી રહ્યો છે. તેમ છતાં ગાંધીનગર શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી દિન પ્રતિદિન કૂતરાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ ચૂક્યો છે. શહેરમાં જાહેર-આંતરિક માર્ગો સિવાય મોટાભાગના દરેક ચોક વિસ્તારમાં ૮ થી ૧૦ કૂતરા જાેવા મળી રહ્યા છે. એકસાથે મોટી સંખ્યામાં કૂતરાની વસ્તી વધી જવાથી નાગરિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પરિસ્થિતિ એવી વિકટ બની છે કે વસાહતીઓને એક ચોકઠામાંથી બીજા ચોકઠામાંથી જવું પણ મુશ્કેલ બની ગયું છે. રખડતા કૂતરાં આખી રાત ભસ્યા કરે તેમજ નાગરિકોની પાછળ પડતાં હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. સેક્ટર - ૨/સી વિસ્તારની જ વાત કરીએ તો અત્રેના વિસ્તારમાં ૨૦૦થી વધુ કૂતરાની સંખ્યા થઈ ગઈ છે. જ્યારે સેક્ટર - ૭ માં પણ આજ સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ૧૫ દિવસમાં આ વિસ્તારમાં છ લોકો રખડતાં કૂતરાનો શિકાર બની ચૂક્યા છે. અત્રેના વિસ્તારમાં રહેતાં રાજુભાઈ રાજગોર રસ્તેથી પસાર રહ્યા હતા ત્યારે કૂતરાંએ અચાનક આવીને બચકું ભરી લેતાં તેમને સિવિલમાં દોડવું પડયું હતું. કોર્પોરેશન તંત્ર દ્વારા અહીં કૂતરા પકડવાની દોડધામ કરવામાં પણ આવી હતી. જાેકે, સ્થાનિક વસાહતીએ વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ પણ અહીં રહેતી વૃદ્ધ મહિલાને કૂતરાઓએ ઘેરી લઈ આખા શરીરે બચકા ભરી લેતાં વસાહતીઓ દોડ્યા હતા. જેનાં કારણે મહિલાનો જીવ તો બચી ગયો હતો. પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી.રખડતા ઢોરની સાથોસાથ કૂતરાંઓનો ત્રાસ પણ વધી રહ્યો છે. ગાંધીનગરના આંતરિક માર્ગો લગભગ દરેક ચોકમાં કૂતરાનો ત્રાસ વધી ગયો હોવા છતાં કોર્પોરેશન તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. છેલ્લા પંદર દિવસમાં જ સેકટર - ૭ વિસ્તારમાં રખડતાં કૂતરાએ છ લોકોને બચકા ભરી લીધા હોવાનું જાણવા મળ્યું છે.
    વધુ વાંચો