ગાંધીનગર સમાચાર
-
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 11,411 હિટ એન્ડ રનના બનાવો બન્યા
- 08, માર્ચ 2021 07:35 PM
- 3395 comments
- 565 Views
ગાંધીનગર-ગુજરાતમાં માર્ગ અકસ્માત અને તેના લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ગુજરાત પોલીસ રાજ્યમાં વાહન અકસ્માતોને રોકવામાં નિષ્ફળ રહી છે. તેના કારણે ગુજરાતમાં હિટ એન્ડ રન અર્થાત અકસ્માત કરીને ભાગી છુટવાની ઘટનાઓ વધી છે, આ પ્રકારના અકસ્માતોમાં દરરોજ સરેરાશ ત્રણથી વધુ નાગરિકોના મોત થઈ રહ્યા છે. પાંચ વર્ષમાં ગુજરાતમાં ૧૧ હજાર ૪૧૧ હિટ એન્ડ રનના પોલીસ કેસ નોંધાયા છે, જેના અડધો અડધ કેસમાં ૫૫૭૦ આરોપી વાહન ચાલકો, માલિકોને પોલીસ હજી સુધી પકડી શકી નથી. વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે ગુજરાતમાં આત્મઘાતી સાબિત થઈ રહેલી ટ્રાફિક નિયમન વ્યવસ્થા સંદર્ભે સવાલ પુછયો હતો. જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લેખિતમાં સ્વિકાર્યુ હતું કે વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન ગુજરાતમાં કુલ ૧૧ હજાર ૪૧૧ હિટ એન્ડ રનના બનાવો બન્યા છે. ગૃહમંત્રીએ રજુ કરેલી આંકડાકિય વિગતો મુજબ પાંચ વર્ષમાં અકસ્માત સર્જીને ભાગી છુટવાના બનાવોમાં ૬૭૨૭ નાગરિકોના મૃત્યુ થયા છે. જ્યારે ૬૪૨૯ નાગરિકો ઘાયલ થયા હતા. ગુજરાતમાં સૌથી વધુ ફ્લાય ઓવર બ્રિજ અને ટ્રાફિક નિયમન માટે શ્રેષ્ઠતમ સીસીટીવી નેટવર્ક છે તેવા સુરત શહેર સમેત જિલ્લામાં જ પાંચ વર્ષમાં હિટ એન્ડ રનમાં સૌથી વધુ ૧૨૫૪ નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરત શહેર અને જિલ્લાની પોલીસ અકસ્માતો કરીને છુમંતર થયેલા ૧૬૪૨ આરોપીઓને પકડી પણ શકી નથી. સુરત બાદ હિટ એન્ડ રનમાં સૌથી વધુ અમદાવાદમાં ૯૪૫ નાગરિકોના મોત થયા છે. માર્ગ અકસ્માત અને તેના લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭ દરમિયાન ૧૮ હજાર ૮૧ માર્ગ અકસ્માત થયા હતા અને જેમાંથી ૭૨૮૯ વ્યક્તિનાં મોત થયાં હતાં. આમ, ભારતમાં સૌથી વધુ માર્ગ અકસ્માત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ૧૦મા ક્રમે છે.ગુજરાતમાં હિટ એન્ડ રનને લીધે અકસ્માતના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો થયો છે.વધુ વાંચો -
વિધાનસભા સત્રમાં ખુલાસોઃ રાજ્યમાં 71 IAS અને 50 IPSની જગ્યાઓ ખાલી
- 08, માર્ચ 2021 06:52 PM
- 1598 comments
- 1920 Views
ગાંધીનગર-નોકરીઓ ખુબ જ ઓછા લોકોને મળી છે. તેવામાં આજે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે, ગુજરાતમાં ૭૧ આઈએએસ, ૫૦ આઈપીએસની જગ્યાઓ ખાલી છે. ૨૩ આઈએએસ, ૨૦ આઈપીએસ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. સચિવાલયમાં ઉપસચિવ વર્ગ – ૧ની ૯૩ જગ્યા ખાલી છે. સેક્શન અધિકારી વર્ગ – ૨ની ૧૦૭ જગ્યા ખાલી છે. વહીવટી અનુકુળતાએ જગ્યા ભરાશે તેવું સરકારે જણાવ્યું છે. રાજ્ય પોલીસ દળમાં બે વર્ષમાં ૧૧૦૦૦થી વધુની ભરતી કરી છે. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના પ્રશ્નના લેખિત જવાબમાં સામાન્ય વહીવટ વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૭૧ આઈએએસ અધિકારીઓની ખાલી જગ્યા હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યમાં ૩૧૩ આઈએએસ અધિકારીઓની કુલ જગ્યાઓ મંજૂર થયેલી છે તેમાંથી ૭૧ જગ્યા ખાલી પડી છે. ૨૩ આઇએસ અધિકારીઓ દિલ્હીમાં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા છે. આ ઉપરાંત વહીવટી વિભાગે જણાવ્યું કે સચિવાલયમાં ઉપસચિવ વર્ગ ૧ની ૯૩ જગ્યો ખાલી છે. કુલ જગ્યાના ૫૦% જગ્યાઓ ખાલી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. કુલ ૧૮૬ જગ્યાઓ પૈકી માત્ર ૯૩ જગ્યો ભરાયેલ છે. સેક્શન અધિકારી વર્ગ ૨ ના મંજુર મહેકમના ૧૦૭ જગ્યાઓ ખાલી છે. કુલ ૫૩૫ જગ્યાઓના મહેકમ સામે ૧૦૭ જગ્યાઓ ખાલી છે. વહીવટી અનુકુળતાએ જગ્યાઓ ભરવા સરકારનો જવાબ છે. કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાના પ્રશ્નમા સરકારનો લેખિતમાં જવાબમાં રાજ્યમાં હજુ પણ ૫૦ આઈપીએસની ઘટ છે. હયાત અધિકારીઓ પૈકી ૨૦ અધિકારીઓ દિલ્હીમાં ડેપ્યુટેશન પર છે. રાજ્યમા કુલ ૨૦૮ આઈપીએસ અધિકારીઓનુ મહેકમ છે. હાલ ૧૫૮ જગ્યાઓ ભરાયેલ છે. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના સવાલમા સરકારનો જવાબ હતો કે રાજ્યમાં પોલીસ દળમાં છેલ્લા બે વર્ષમાં સીધી ભરતીમાં ૧૧૦૦૦થી વધુ કર્મચારીઓ અધિકારીઓની સીધી ભરતી કરી છે. બિનહથિયાર નાયબ પોલીસ અધિક્ષકમાં ૪ની ભરતી કરી છે. બિન હથિયાર પોલીસ ઇન્સ્પેકટરમાં ૧૨૨ની ભરતી કરી છે. બિનહથિયાર પોલીસ કોન્સ્ટેબલમાં ૩૯૮૦ની ભરતી કરી છે. હથિયારી પોલીસ કોન્સ્ટબલમાં ૭૫૪૬ની ભરતી કરી છે.વધુ વાંચો -
મહિલા દિન નિમિત્તે ગાંધીનગરમાં યોજાયો કાર્યક્રમ, રાજ્યની મહિલાઓને સમાન તક: CM
- 08, માર્ચ 2021 04:27 PM
- 8405 comments
- 5283 Views
ગાંધીનગર- આજે 8 માર્ચે મહિલા દિન નિમિત્તે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મહિલા દિનની ઉજવણી નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને રાજ્યકક્ષાના મહિલા પ્રધાન વિભાવરીબેન દવે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજના અંતર્ગત 22 કરોડ રૂપિયાનો ચેક પણ LICને અર્પણ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં મહિલાઓના સમાન તક આપવામાં આવી રહી છે. સરકારી નોકરીમાં પણ 33 ટકા રિઝર્વેશન મહિલાઓના નામે રાખવામાં આવી છે. તમામ જગ્યા ઉપર મહિલાઓને સમાન તક આપવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું કે, ગુજરાત રાજ્યમાં મહિલાઓને સમાન તક આપવામાં આવી રહી છે, જેથી મહિલાઓ બહાર નીકળીને પોતાનો મળતી તકનો લાભ ઉઠાવે અને જો મહિલાઓ બહાર નહીં નિકળે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાનું જે સ્વપ્ન છે તે પરિપુર્ણ ન થઈ શકે. ગુજરાતની તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાને મળેલી તમામ તકનો લાભ લેવા માટે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલાઓને નિવેદન કર્યું હતું. તેમજ કહ્યું કે, રાજ્ય સરકાર મહિલા માટે અનેક યોજનાઓની જાહેરાત કરે છે તો મહિલાઓ આ તમામ યોજનાઓનો લાભ લે.વધુ વાંચો -
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: CM વિજય રૂપાણીએ શુભેચ્છા પાઠવતા જાણો શું કહ્યું..
- 08, માર્ચ 2021 03:38 PM
- 2748 comments
- 4916 Views
ગાંધીનગર-રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં નારીને પૂજનીય ગણવામાં આવી છે. દરેક ક્ષેત્રે મહિલાઓ ભાગીદાર બને છે. આ સાથે જ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અલગ બનાવવામાં આવ્યો છે. તાજતેર માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીના પરિણામો આવ્યા જેમાં 50 % થી વધારે મહિલાની જીત થઈ છે.આંગણવાડીમાં કામકર્તા બહેનો પગાર મોડા થતા હતા હવે પગાર ( DBT ) સીધા ખાતા માં જમા થશે.ભય ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે.અનેક મહિલા ઉતકર્ષ ની યોજના રાજ્ય સરકારે અમલી બનાવી છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ