ગાંધીનગર સમાચાર

  • ક્રાઈમ વોચ

    કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ

    વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ..  ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અંબાજીમાં હવે મોહનથાળ સાથે ચીકીનો પ્રસાદ અપાશે

    ગાંધીનગર, તા. ૧૪સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરમાં વર્ષોથી પરંપરાગત રીતે પ્રસાદ તરીકે અપાતાં મોહનથાળને બંધ કરીને રાતોરાત ચીકીની પ્રસાદ તરીકે આપવાનો વિવાદાસ્પદ ર્નિણય કરાયો હતો. જેના કારણે રાજયભરના માઈ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચતા ઠેર ઠેર વિરોધ શરૂ થયા હતા. અંબાજી મંદિરના પરંપરાગત પ્રસાદ મોહનથાળને બંધ કરીને તેના સ્થાને ચીકીનો પ્રસાદ શરૂ કરવા સામે માઈ ભક્તો અને ભાવિકોમાં રોષની લાગણી લાગણી પ્રસરી હતી. માઈ ભક્તો અને ભાવિકોનો રોષ જાેઈને આજે સરકાર હરકતમાં આવી હતી અને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મોહનથાળના પ્રસાદને ફરીથી ચાલુ કરવાની તેમજ ચીકીનો પ્રસાદ પણ સાથોસાથ ચાલુ રખાશે તેવી જાહેરાત કરાઈ હતી. આમ રાજ્ય સરકાર લોકજુવાળ સામે ઝૂકી હતી તેમ છતાં મોહનથાળની સાથોસાથ સરકાર દ્વારા ચીકીના પ્રસાદને ચાલુ રાખીને પોતાની ટંગડી ઊંચી રાખવાનો પ્રયાસ કરાયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીના મંદિરમાં ટ્રસ્ટ દ્વારા રાતોરાત ર્નિણય કરીને ગત તા.૪ માર્ચથી માતાજીનાં પ્રસાદ તરીકે અપાતાં મોહનથાળ બંધ કરી દેવાયો હતો અને તેના સ્થાને ચીકીને પ્રસાદ તરીકે આપવાની શરૂઆત કરી દેવાઈ હતી. જેના કારણે માઈ ભક્તો, ભાવિકો, શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, મંદિરના ભટ્ટજી, દાંતાના મહારાજથી લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના ર્નિણયનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મોહનથાળ બંધ કરવાના ર્નિણયના વિરોધમાં માઈ ભક્તો, ભાવિકોની સાથોસાથ હિન્દુ સંગઠનો અને સંતો-મહંતો પણ મેદાને ઉતર્યા હતા. મોહનથાળના પ્રસાદ મામલે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા જણાવાયું હતું કે, સરકાર આવા નવા નવા અખતરાઓ કેમ કરે છે? અને હિન્દૂ લોકોની ધાર્મિક ભાવના સાથે કેમ ખિલવાડ કરે છે. હિન્દુઓની પરંપરાઓ સાથે ખિલવાડ કરવો એ યોગ્ય નથી. ભાવિક-ભક્તોનીની ભાવનાઓને દુભાવાય છે, તેને ચલાવી લેવાશે નહીં. જ્યારે આ મામલે અખિલ ભારતીય સંત સમિતિ અને બનાસ શરદર્શન વિરથન સેવા મંડળના સંતો દ્વારા અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદના મામલે મેદાને ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજયમાં તેમજ વિધાનસભામાં અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદને બંધ કરવાના ર્નિણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના રાજયભરમાં ઘેરા પડઘા પડ્યા છે. આ વિવાદના ઘેરા પ્રત્યાઘાતના પગલે આજે ગાંધીનગર ખાતે અંબાજી મંદિરના વહીવટદારોને બોલાવીને સરકાર દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સરકારે અંબાજી મંદિરના પ્રસાદમાં મોહનથાળની સાથે ચીકી અને માવા સુખડીને પણ ઘૂસાડી દેવામાં આવી છે. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને ચીકીની સાથોસાથ યથાવત રાખવાની જાહેરાત કરી હતી. પ્રવકતા મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યુ હતું કે, કેટલાક ભક્તોની ફરિયાદ હતી કે, મોહનથાળમાં ફૂગ આવતી હતી, તે લાંબો સમય રહેતો નથી. જેના કારણે ચીકીને પ્રસાદ તરીકે શરૂ કરાઈ હતી. પરંતુ ભાવિક ભક્તોના વિરોધ બાદ હવે મોહનથાળનો પારંપરિક પ્રસાદ ચાલુ જ રહેશે. જાે કે, મોહનથાળની ગુણવત્તામાં સુધારો કરવામા આવશે તેમ પણ પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું. એટલું જ નહીં તેમણે જણાવ્યુ હતું કે. અંબાજી મંદિર દ્વારા પ્રસાદમાં મોહનથાળ અને ચીકીની સાથે જ વધારામાં માવા સુખડીનો પ્રસાદ પણ ઉમેરવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ક્ષ્જસ્ટિસ્ટ ઝવેરી કમિશનના રિપોર્ટ આવ્યા બાદ ઝડપથી ચૂંટણી યોજવા સરકારનું આયોજન

    ગાંધીનગર, તા.૧૪સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જસ્ટિસ ઝવેરી આયોગ દ્વારા તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા તેનો ઝડપથી અમલ થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત સંદર્ભે સુપ્રિમ કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૦ માં ચુકાદો અપાયો હતો કે, જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે તે રાજ્યો ઓબીસીની વસ્તી આધારિત અનામત માટેની વ્યવસ્થાની જાેગવાઈ કરવામાં આવે. તેમ છતાં આ ચુકાદાના ૧૦ વર્ષ સુધી ગુજરાત સરકાર દ્વારા તેના પ્રત્યે કોઈ લક્ષ અપાયું ન હતું. પરંતુ ફરી વર્ષ ૨૦૨૧માં જ્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા ફરીથી વસ્તી આધારિત અનામત માટેની વ્યવસ્થા કરવા અંગેના આદેશ કર્યા ત્યારે સરકારે તેનો અમલ કરવાના બદલે જુલાઈ-૨૦૨૨માં જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષસ્થાને સમર્થિત આયોગની રચના કરવામાં આવી હતી. આ આયોગને તમામ બાબતોનો અભ્યાસ કરીને ૯૦ દિવસમાં રિપોર્ટ આપવા રજૂ કરવા જણાવાયું હતું. પરંતુ આજે આઠ મહિના વીતી ગયા છતાં જસ્ટિસ ઝવેરી આયોગ દ્વારા રિપોર્ટ અપાયો નથી તે અંગે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયોગની મુદતને આગામી તા. ૨૧ ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે. ત્યારે જસ્ટિસ ઝવેરી આયોગ તેનો રિપોર્ટ સરકારને સોંપ્યા બાદ સરકાર દ્વારા તેનો ઝડપથી અમલ થાય તેવું આયોજન કરવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભાજપે સ્થાનિક સ્વરાજમાં ઓ.બી.સી અનામત ખતમ કરી

    ગાંધીનગર તા.૧૪ભારતીય જનતા પાર્ટીના શાસન અને નીતિરીતિના કારણે આજે ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વચેટિયાઓ અને વહીવટદારોનું શાસન પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે તેવો આરોપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ કર્યો છે. એટલું જ નહીં, ગુજરાતમાં ૫૨ ટકા વસ્તી ઓબીસી સમાજની છે અને જે ૧૦ ટકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત મળતી હતી તેને ભાજપે ખતમ કરી નાખી છે તેમ તેમ જણાવીને વધુમાં કહ્યું કે, જસ્ટિસ ઝવેરી આયોગ દ્વારા ૯૦ દિવસમાં રિપોર્ટ આપવાનો હતો પરંતુ આજે આઠ મહિના થઈ ગયા છે, છતાં હજુ સુધી તેનો રિપોર્ટ ન આવતા તેની મુદતમાં સરકાર દ્વારા વધારો કરાયો છે. જાે આ મુદત લંબાશે તો ૭૧૦૦થી વધુ ગ્રામ પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો, ૭૮ નગરપાલિકાઓ સહિતની સંસ્થાઓમાં વહીવટદારોનું શાસન આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ રિપોર્ટના આધારે ઓબીસી સમાજને અનામત માટેની જાેગવાઇ કરાશે. આજે ૯૦ દિવસને બદલે લગભગ ૮ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે છતાં રિપોર્ટ સબમિટ થયા નથી. ૧૦ ફેબ્રુઆરીએ આયોગની મુદત પૂર્ણ થતી હતી ત્યારે તેની ફરી મુદત વધારો કરાયો છે. ગુજરાતમાં જે મોટા પ્રમાણમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અનેક જગ્યાઓ જે ચૂંટણીઓ હતી તે પણ થઈ શકતી નથી. લગભગ ૨,૫૦૦ જેટલી ગ્રામપંચાયતોમાં ગત ડિસેમ્બર મહિનાની આસપાસ જ વહીવટદારો નિમાય ચૂક્યા છે. ત્યારે હજુ પણ રિપોર્ટના વિલંબના કારણે ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બાકીની ગ્રામ પંચાયતોની ચૂંટણી ડ્યુ છે તે તમામ જગ્યાઓએ પણ વહીવટદારો મૂકવા ફરજિયાત બનશે. પંચાયત ધારો કાયદાની જાેગવાઇ મુજબ લાંબો સમય વહીવટદારો મૂકી શકાતા નથી. ચૂંટાયેલી પાંખ દ્વારા જ વહીવટ થવો જાેઈએ તે કાયદાથી પ્રસ્થાપિત છે તેમ છતાં પણ સરકાર ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિ કે પાંખના બંધારણીય અધિકાર છીનવીને પોતાના ઇશારે, પોતાની મરજી મુજબ ચાલતા હોય તેવા વહીવટદારોથી શાસન ચલાવવાની માનસિકતાથી કામ કરે છે. રાજયમાં ૭૧૦૦ ગ્રામ પંચાયતો, બે જિલ્લા પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો અને ૭૫ નગરપાલિકામાં ચૂંટણી ડ્યુ છે ઃ ચાવડા આગામી દિવસોમાં ગુજરાતમાં ૭,૧૦૦ કરતા વધુ ગ્રામપંચાયતોમાં વહીવટદારો વહીવટ કરશે. તો આગામી દિવસોમાં રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો, ૭૨ નગરપાલિકાઓની ચૂંટણી ડ્યુ છે. જ્યારે ત્રણ નગરપાલિકાઓને વિસર્જિત કરાઈ છે. આ તમામ સંસ્થાઓમાં સમયસર ચૂંટણી ન યોજાય તો આ તમામ સંસ્થાઓમાં વહીવટદારોનું શાસન આવી શકે છે. ઓબીસી અનામત માટેના સમર્પિત આયોગની મુદત લંબાવીને ૧૨માર્ચ સુધીની કરાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત નક્કી કરવા માટે રચાયેલા જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને રચાયેલા સમર્પિત આયોગની મુદતને ૨૦ દિવસ વધારીને આગામી તા. ૧૨ માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ ચૂંટણીઓમાં વસ્તી આધારિત ઓબીસી અનામત નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરાયો હતો. સરકાર દ્વારા જુલાઈ-૨૦૨૨માં વસ્તી આધારિત ઓબીસી અનામત નક્કી કરવા માટે જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને આયોગને ૯૦ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જાે કે આયોગની મુદતમાં સમયાંતરે વધારો કરીને તા. ૨૦ ફેબ્રુઆરીના રોજ રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું હતું. પરંતુ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજે એક સુધારા ઠરાવ કરીને સમર્પિત આયોગની અહેવાલ/ ભલામણ સોંપવાની મુદત તા. ૨૦-૦૨-૨૩ હતી તેને લંબાવી છે. હવે આયોગ દ્વારા અહેવાલ/ભલામણ સોંપવાની મુદતને આગામી તા. ૧૨-૦૩-૨-૨૩ સુધી લંબાવવામાં આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પાટનગર ગાંધીનગરમાં વેલેન્ટાઈન ડેનો બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો

    ગાંધીનગર, તા.૧૪રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે તા. ૧૪ મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેનો બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયો હતો. તા. ૧૪ મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસને પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવી છે. પરંતુ ગાંધીનગરમાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલેન્ટાઈન ડેનો વિરોધ કરાયો હતો. ગાંધીનગરમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બજરંગદળના કાર્યકરો હાથમાં ડંડા લઈને પહોંચ્યા હતા અને પ્રેમી યુગલોને ભગાડ્યા હતા. ગાર્ડનમાં પહોંચેલા બજરંગદળના કાર્યકરોએ ‘જય શ્રી રામ‘ના નારા લગાવ્યા હતા. કેટલાક લોકો બજરંગદળના કાર્યકરોથી એટલા ડરી ગયા હતા કે તેઓ ગાર્ડનમાંથી ભાગ્યા હતા. જેના કારણે બજરંગ દળના કાર્યકરો પણ હાથમાં દંડા લઈને પાછળ દોડ્યા હતા. બજરંગદળના કાર્યકરોર સમગ્ર ગાર્ડનમાં ફરીને યુવાનોને પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવાની સલાહો આપી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ડિજિટલ ગુજરાતનું સર્વર બંધ થતાં પંચાયતોની ઓનલાઈન કામગીરી ખોરવાઈ

    ગાંધીનગર,તા.૧૭રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાતની વાતો કરવામાં આવી રહી છે, તેની વચ્ચે રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લામાં ડિજિટલ ગુજરાતની વેબસાઈટનું સર્વર ડાઉન થઈ ગયું હતું. જેના કારણે જિલ્લાની પંચાયતોમાં ચાલતી વિવિધ ઓનલાઈન કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે પંચાયતોમાં વિવિધ કામ સબબ આવેલા અરજદારોના કામો ન થતાં ભારે નારાજગી ફેલાઈ હતી. ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાત વેબસાઇટનું સર્વર આજે સવારથી ડાઉન થઈ ગયું હતું. સવારના ૧૦ વાગ્યાથી ડિજિટલ ગુજરાત વેબસાઇટનું સર્વર ડાઉન થઈ જવાના કારણે ગાંધીનગર જિલ્લાની તમામ પંચાયતોમાં ઓનલાઈન કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. ડિજિટલ ગુજરાતનું સર્વર સાંજે પાંચ વાગ્યા સુધી શરૂ થયું ન હતું. જેના કારણે પંચાયતોમાં રેશન કાર્ડ, જન્મ અને મરણના દાખલા, આવકના દાખલા સહિતના કામ લઈને આવેલા અરજદારો આખો દિવસ બેસવા છતાં તેમના કામો થયા ન હતા. જેના કારણે અરજદારોમાં ભારે નારાજગી પ્રસરી ગઈ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    પેન્શન,મેડિકલ સુવિધા સહિતના મુદ્દે વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરાઈ

    ગાંધીનગર,તા.૧૭ રાજ્યના વિવિધ સરકારી કર્મીઓ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગણીઓ કરવામાં આવી રહી છે, તેની વચ્ચે હવે રાજ્યના પૂર્વ ધારાસભ્યોએ તેમને પેન્શન સહિતની સુવિધાઓ આપવામાં આવે તેવી વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરાઈ હતી. જે અંગે વિધાનસભા અધ્યક્ષ દ્વારા એક્સ એમએલએ કાઉન્સિલના સભ્યોએ સાથે મળીને તેનો ઉકેલ લાવવા જણાવ્યું હોવાનું કાઉન્સિલના મહામંત્રી ભીખાભાઈ રબારીએ જણાવ્યું હતું. જ્યારે બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય અને કાઉન્સિલના સભ્ય ભરત બારોટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પૂર્વ ધારાસભ્યોના પેન્શન મામલે યોગ્ય ર્નિણય નહીં લે તો આગામી સમયમાં એક્સ એમએલએ કાઉન્સિલ દ્વારા કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાતના પૂર્વ ધારાસભ્યોના સંગઠન એક્સ એમએલએ કાઉન્સિલની આજે ગાંધીનગર ખાતે કારોબારી અને સામાન્ય સભા મળી હતી. જેમાં પૂર્વ ધારાસભ્યોને અન્ય રાજયોની જેમ પેન્શન અપાય તે મુદ્દે ચર્ચા કરાઈ હતી. એક્સ એમએલએ કાઉન્સિલ દ્વારા અગાઉ પેન્શન બાબતે અનેકવાર રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. આજની બેઠકમાં પણ અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળે તે બાબતે ચર્ચા થઈ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગેરકાયદે બાંધકામો ફી ભરી કાયદેસર કરાશે મંત્રી

    ગાંધીનગર, રાજ્યની વિવિધ જીઆઇડીસીઓમાં ઔદ્યોગિક એકમો દ્વારા કરાયેલા બિનઅધિકૃત બાંધકામને કાયદેસરતા બક્ષવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી નીતિ જાહેર કરવામાં આવી છે. જેના અંતર્ગત રાજ્યની જીઆઇડીસીમાં થયેલા બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો ર્નિણય કરાયો છે. જેમાં ૫૦ ચો.મી.થી લઈને ૩૦૦ચો.મી.થી વધુ કદના બાંધકામો નિયત દર લઈ કાયદેસરતા આપવામાં આવશે. રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જીઆઈડીસીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે. જેમાં ૫૦ ચો.મી.થી લઈને ૩૦૦ચો.મી.થી વધુ કદના બાંધકામોને નિયત દર (ઇમ્પેક્ટ ફી) લઈને તેને નિયમિત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન રાજ્યની જીઆઇડીસીઓમાં ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા કરાયેલા બિનઅધિકૃત બાંધકામોને કાયદેસરતા આપવા રાજ્ય સરકારે નવી નીતિ અમલી બનાવી છે. આ નીતિની ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે,પીએમ નરેન્દ્ર મોદીના “આત્મ ર્નિભર ભારત”ના સપનાને સાકાર કરવા ગુજરાતે પણ “આત્મ ર્નિભર ગુજરાત” થકી “આત્મ-ર્નિભર ભારત”ના નિર્માણનું સપનું સેવ્યું છે. જેને સાકાર કરવામાં આ ર્નિણય મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાત આજે પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં મોખરે રહ્યું છે, જેના પરિણામે રોલ મોડલ ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારો આજે મીટ માંડીને બેઠા છે. જે માત્રને માત્ર રાજ્ય સરકારની પારદર્શી અને ટેકનોસેવી નીતિઓને પરિણામે શક્ય બન્યું છે. રાજયમાં આવા ઉદ્યોગો થકી સ્થાનિક રોજગારીનું વધુને વધુ સર્જન થાય એ આશયથી આ નીતિ અમલી કરાશે. રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જીઆઇડીસીની રચના કરાઇ હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જીઆઇડીસી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામ્યા છે. આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. જેથી આ બાબતો ધ્યાને લઇને જીઆઇડીસી દ્વારા આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો ર્નિણય કરાયો છે, જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે. જીઆઇડીસીએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પુષ્કળ તકો આપી મહત્વની ભૂમિકા અદા કરી છે. ગુજરાતમાં હાલમાં ૨૨૦ કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે. જેમાં ૭૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, આ તમામને આ નીતિનો લાભ મળશે. રાજપૂતે જણાવ્યું હતું કે, આ નવી નીતિના અમલથી જીઆઈડીસીમાં ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મી થી વધુ કદના બિનઅધિકૃત બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ દર રહેણાંક માટે અમલી રહેશે, જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે. આ નીતિ અંતર્ગત રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના ૫૦% સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. તેમજ વપરાશમાં ફેરફાર (ઝ્રરટ્ઠહખ્તી ર્ક ેજી) તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જાેગવાઇ રખાઈ નથી. આ ઉપરાંત રહેણાંક વપરાશ માટે ખૂટતાં પાર્કિગ માટે જે તે વસાહતના ફાળવણી દરના ૧૫% તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના ૩૦%ના દરે દંડ વસૂલવામાં આવશે. રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી-જીડીસીઆર-૨૦૧૭ના ડી-૯ વર્ગ મુજબ મળતાં મહત્તમ એફએસઆઇથી ૫૦% વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે ૩૩% વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જાેગવાઇ પણ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ ૧૯૬૨માં જીઆઇડીસીની સ્થાપના થયા પછી અત્યાર સુધી ગુજરાત રાજયના ઔદ્યોગિક વિકાસમાં જીઆઇડીસીનો મહત્વનો ફાળો રહ્યો છે. આજે ગુજરાત કેમિકલ, પેટ્રોકેમિકલ, ઓટો, ફાર્માશ્યુટીકલ, એન્જીનિયરિંગ, ટેક્ષટાઇલ અને જવેલરી જેવા ઉદ્યોગોમાં બીજા રાજયોની સરખામણીમાં આગળ છે. ત્યારે આવા ઉદ્યોગકારો માટે આ નવી નીતિ પ્રેરક બળ પુરૂ પાડશે.જાેખમી અને હાનિકારક ઉદ્યોગો માટે આ નીતિ લાગુ નહીં પડે ઉદ્યોગ મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નવી જાહેર કરાયેલી આ નીતિ (જાેગવાઇઓ) જાેખમી અને હાનિકારક  ઉદ્યોગોને લાગુ પડશે નહિ. એટલું જ નહીં, પ્લોટની બહાર કરાયેલા કોઇ પણ પ્રકારના બિનઅધિકૃત બાંધકામને પણ નિયમિત કરવામાં આવશે નહીં. ચાર મહિનામાં અરજી કરવાની રહેશે તેમણે જણાવ્યું હતું કે, અરજદાર દ્વારા નિયત નમૂનામાં અને નિયત પદ્ધતિથી આ નીતિના પરિપત્ર થયાના ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે. આ વિનિયમો કાયમી નથી તથા આ પરિપત્રની તારીખથી અગાઉ કરેલા બાંધકામ ઉપર જ લાગુ પડશે. કેટલા બાંધકામ માટે કેટલી ફી ભરવી પડશે રાજપૂતે નિયત કરાયેલા દરોની વિગતો કહ્યું હતું કે, કુલ બાંધકામ ૫૦ ચો.મી. સુધીનું બાંધકામ નિયત કરવા માટે રૂા.૩૦૦૦ની ફી ભરવાની રહેશે. એ જ રીતે કુલ બાંધકામ ૫૦ ચો.મી.થી વધુ અને ૧૦૦ ચો.મી. સુધી હોય તો રૂા. ૩૦૦૦ વત્તા વધારાના રૂા.૩૦૦૦/, કુલ બાંધકામ ૧૦૦ ચો.મી.થી વધુ અને ૨૦૦ ચો.મી સુધી હોય તો રૂા.૬૦૦૦/ પ્લસ વધારાના રૂા.૬૦૦૦/, જાે કુલ બાંધકામ ૨૦૦ ચો.મી.થી વધુ અને ૩૦૦ ચો.મી સુધી હોય તો રૂા. ૧૨૦૦૦/ પ્લસ વધારાના રૂા.૬૦૦૦/ ભરવાના રહેશે. તેમજ કુલ બાંધકામ ૩૦૦ ચો.મી.થી વધુ માટે રૂા.૧૮૦૦૦/ પ્લસ વધારાના રૂા.૧૫૦/ પ્રતિ ચો.મી. લેખે ૩૦૦ ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અડાલજ નજીક સ્પીડ બ્રેકર ઉપર બાઈક કુદતા રાણીપના બે પિતરાઈએ જીવ ગુમાવ્યા

    ગાંધીનગર, ગાંધીનગરના ઉવારસદ - વાવોલ હાઇવે પર બમ્પ કૂદીને બાઈક તળાવના ગરનાળા સાથેની આર.સી.સીની પાળીએ અથડાતાં બાઈક સવાર ત્રણ પિતરાઈ ભાઈઓ પૈકી બેનાં ગંભીર ઈજાઓ થવાથી કરૂણ મોત નિપજ્યા છે. આ અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદના રાણીપ મુખીવાસમાં રહેતો કેયૂર ઉર્ફે કુલદીપ અંબાલાલ વાઘેલા (ઠાકોર) ગઇ કાલ રાત્રીના આશરે સાડા દશેક વાગ્યાની આસપાસ તેના કુટુંબી ભાઇઓ વિશાલ જશુભાઇ ઠાકોર(ઉ. વ. ૨૪)તથા જય મહેશકુમાર ઠાકોર (ઉ.વ. ૨૦) સાથે ઉવારસદ ગામે લીલી વાડી જાેગણી માતાના મંદિરે દર્શન કરવા માટે બાઈક ઉપર નીકળ્યા હતા. એ વખતે બાઈક વિશાલ ચલાવતો હતો. એ દરમ્યાન ત્રણેય રાણીપ થઇ ચાંદખેડા થઇ અડાલજ થઇ ઉવારસદ - વાવોલ હાઇવે રોડ તરફ જઇ રહ્યા હતા. ત્યારે ઉવારસદ તળાવ સામે આવેલ ગરનાળા પહેલા બમ્પ આવતા વિશાલ ઠાકોરે બાઇકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં કારણે બાઈક રોડની બાજુમાં ગરનાળાની સાથે બનાવેલ આર.સી.સી.ની પાળી સાથે અથડાયુ હતું. આ અકસ્માત થતાં જ ત્રણેય જણાં બાઈક સાથે ફેંકાઈને રોડ ઉપર પટકાયા હતા. જેમાં વિશાલ અર્ધ બેભાન થઈ ગયો હતો જયારે જય બેભાન હાલતમાં રોડ પર પડ્યો હતો. જ્યારે કેયૂરને શરીરે સામાન્ય ઈજાઓ થવા પામી હતી. આ દરમ્યાન કોઈ રાહદારીએ ફોન કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ગઈ હતી. અને તપાસીને જયને મૃત જાહેર કર્યો હતો. બાદમાં કેયૂર અને વિશાલને ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિશાલને પણ મૃત જાહેર કર્યો હતો. અને કેયૂરને પ્રાથમિક સારવાર આપી રજા આપી દીધી હતી. આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ પહોંચી ગઈ હતી. અને બંને મૃતકના પોસ્ટ મોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.
    વધુ વાંચો