ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, મે 2026 1485   |  
કેન્દ્રએ અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિએ આજે રેલ મંત્રાલયની અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંદાજે રૂપિયા ૨૦,૬૬૭ કરોડના ખર્ચવાળી આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેની પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બનશે. લગભગ ૧૩૪ કિલોમીટર લાંબી આ નવી રેલવે લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન  આવનારા ધોલેરા એરપોર્ટ તેમજ લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને આધુનિક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને ધોલેરા વચ્ચેના પ્રવાસ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેના કારણે મુસાફરો માટે દૈનિક આવાગમન તથા એક જ દિવસે આવવા-જવાની સુવિધા વધુ સરળ અને આરામદાયક બનશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, “અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતના રેલવે ઇતિહાસમાં નવી શરૂઆત છે. આ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ‘ન્યૂ ઈન્ડિયા’ની આધુનિક, ઝડપી અને આર્ત્મનિભર પરિવહન વ્યવસ્થાનું પ્રતિક છે. સ્વદેશી ટેકનોલોજી આધારિત આ પ્રોજેક્ટ આગામી વર્ષોમાં દેશભરમાં સેમી હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણનો આધાર બનશે.” અમદાવાદ મંડળના ડ્ઢઇસ્ વેદ પ્રકાશે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે. “આ પ્રોજેક્ટ અમદાવાદ અને ધોલેરા વિસ્તારને વિશ્વસ્તરીય રેલ કનેક્ટિવિટી આપશે. તેના દ્વારા મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક મુસાફરીની સુવિધા મળશે તેમજ વિસ્તારમાં રોજગાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને પણ મોટો લાભ થશે. આ પ્રોજેક્ટથી ધોલેરા અને અમદાવાદ વચ્ચેનું અંતર ૧ કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકશે અને ધોલેરા સીધું અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ કોરિડોર સાથે જાેડાઈ જશે.” આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો હેતુ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતાને મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટથી આશરે ૨૮૪ ગામો અને લગભગ ૫ લાખ વસ્તીને સીધો લાભ મળશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 4059   |  
મનાલી-બેલા હાઈવે પર કાર ખાઈમાં ખાબકતા ભાવનગરના ૬ ના કરુણ મોત

હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર માટે પ્રવાસ કાળ બનીને ત્રાટક્યો છે. મનાલી નજીક છાબા જિલ્લામાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજના અગ્રણી લલિતભાઈ ફતનાની સહિત પરિવારના ૬ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ભાવનગર પહોંચતા સમગ્ર સિંધી સમાજ સહિત શહેરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના સિંધી સમાજના જાણીતા અગ્રણી લલિતભાઈ ફતનાની તેમના પરિવાર સાથે મનાલીના પ્રવાસે ગયા હતા. ગત રોજ મનાલીથી બેલા તરફ જતી વખતે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર ૨૮ પર તેમનું વાહન ચાલકે અચાનક કાબૂ ગુમાવતા રસ્તા પરથી નીચે ઉતરી સીધું ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. વાહન ખાઈમાં પડતા જ જાેરદાર ધડાકો થયો હતો અને અંદર સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં પરિવારના મોભી લલિતભાઈ ફતનાની, તેમના પત્ની સોનિયાબેન, દીકરી કાજલબેન, જમાઈ પ્રિયંકભાઈ ભોપાણી અને માસૂમ પૌત્ર દિવ્યાંશુનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકસાથે પાંચ સભ્યોના મોતના સમાચારથી ફતનાની પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૪ સભ્યોમાં મયંકભાઈ લલિતભાઈ ફતનાની, તેમના પત્ની ફોરમબેન ફતનાની, પુત્ર જિયાંશ અને અન્ય એક બાળકી પ્રિયાંશી ભોપાણીનો સમાવેશ થાય છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 3168   |  
સોમનાથનું પુન:નિર્માણ ભારતની ચેતનાનો ઉદઘોષ : મોદી

‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ ખાતે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણના ૭૫ વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ- ૨૦૨૬’માં આજે સહભાગી થયા હતા. આ અવસરે વડાપ્રધાનના હસ્તે સ્મારક ડાક ટિકિટ અને ૭૫ રૂપિયાના સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૭૫ વર્ષ પહેલા આજના દિવસે થયેલી સોમનાથની પુન:સ્થાપના એ સાધારણ અવસર ન હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો પણ ૧૯૫૧માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈપણ રાષ્ટ્ર લાંબા સમય સુધી ત્યારે જ મજબૂત રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જાેડાયેલું રહે. સોમનાથ મંદિરનું પુન:નિર્માણ થયું અને દેશે સદીઓના કલંકને ધોઈ નાખ્યો તેમ જણાવી આ ૭૫ વર્ષની યાત્રાને નવી ઊંચાઈ સોમનાથ દાદાના આશીર્વાદથી આપવી છે તેવો સંકલ્પ પણ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે ૫૦૦થી વધુ રજવાડાઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુન: નિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે, ભારત માત્ર આઝાદ જ નથી થયું પણ પ્રાચીન ગૌરવને પુન: હાંસલ કરવાના માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે ૭૫ વર્ષની ઉજવણીના આ અવસરે જાેવા મળે છે કે, વિનાશમાં સર્જનનો સંકલ્પ સોમનાથ મંદિરે ચરિતાર્થ કર્યો છે. અસત પર સતનો વિજય પ્રભાસ ક્ષેત્રે વારંવાર કર્યો છે. મંદિર પુન: નિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રના કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. સોમનાથનો અર્થ આપતા તેમણે કહ્યું હતું કે, જેના નામમાં જ સોમ એટલે કે અમૃત છે, તેને કોણ નષ્ટ કરી શકે. આ ભારતનું એવું અવિનાશી સ્વરૂપ છે, જેને સદીઓના કુત્સિત પ્રયાસો હરાવી, મિટાવી શક્યા નથી. સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, સોમનાથ અમૃત મહોત્સવ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ બની રહેશે.ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન : મોદી વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન છે. તેઓએ ભીમદેવ પ્રથમ, રાજા ભોજ, કુમારપાળ, રા ખેંગાર સહિતનાઓનો ઉલ્લેખ કરી સોમનાથ મંદિરના પુન:નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને તેમની સાથે કનૈયાલાલ મુનશી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, જામ સાહેબને પણ આ અવસરે યાદ કરી તેમના યોગદાનને પ્રેરણાદાયી ગણાવ્યું હતું. સોમનાથ માટે શહાદત વહોરનાર વીર હમીરસિંહ ગોહિલ અને વેગડા ભીલને યાદ કરી સોમનાથ મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર અહલ્યાબાઈ હોલકર, વડોદરાના ગાયકવાડ સહિતની વિભૂતિઓએ સોમનાથ દાદાની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું તેમ જણાવ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમની સાથે સાથે.. વડાપ્રધાનુ સ્ટેજ પર આગમન થતાજ ઉપસ્થિત જનમેદનીએ જય સોમનાથ મંદિર અંકિત ધ્વજા પતાકા લહેરાવી અભિવાદન કર્યું હતું. વડાપ્રધાનનું સોમનાથની પ્રતિકૃતિ રૂપે મંદિરની છબી, સિંહનું પોટ્રેટ તેમજ કળશની ભેટ આપવામાં આવી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાન ને ડમરુ અર્પણ કર્યુ પ્રધાનમંત્રીએ પોસ્ટ વિભાગ દ્વારા ૭૫ વર્ષ પ્રાણ પ્રતિષ્ઠા સ્વાભિમાન પર્વ અવસર નિમિત્તે બહાર પાડેલી ટિકિટનું વિમોચન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૫ રૂપિયાનો સોમનાથ મંદિરની પ્રતિકૃતિ ધરાવતો સિક્કાનું પણ અનાવરણ કર્યું વડાપ્રધાનનો ઉદબોધનના પ્રારંભે ‘જય સોમનાથ જય સોમનાથ’ અને હર હર મહાદેવનો જય ઘોષ બોલાવ્યો હતો. વડાપ્રધાનએ આજના જ દિવસે ૧૧ મે ૧૯૯૮ ના રોજ પોખરણ ખાતે કરવામાં આવેલ અણુ પરિક્ષણને ખાસ યાદ કર્યુ સભામાં કેસરિયા સાફાએ રંગ જમાવ્યો. ૭૦૦ થી વધુ મહિલાઓ, પુરુષોએ માથા પર સેફરોન કલરનો સાફો અને ગળામાં કેસરી ખેસ રાખી સભામાં ઉપસ્થિતિ સૂર્યકિરણની આકાશી સલામી અને પુષ્પવર્ષાથી સોમનાથનું નભ ગુંજી ઉઠ્યું ભારતીય સંસ્કૃતિના તેજ અને અસ્મિતાના પ્રતીક સમાન ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’ ઉજવાઈ રહ્યો છે. સોમનાથ મંદિરના પુન: નિર્માણની વિરાસતના ૭૫ વર્ષની આ ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી આજે પ્રભાસ પાટણની પવિત્ર ધરા પર પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન વેળાએ વીર હમીરજી સર્કલ પાસે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે ભારતની વિવિધ સંસ્કૃતિઓની ઝાંખી પ્રસ્તુત કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પથ પર વડાપ્રધાને સોમનાથની થીમ પર બનેલા આકર્ષક રેત શિલ્પને નિહાળ્યું હતું. ૭૫ ઢોલીઓ સાથે નાસિકના ઢોલ અને તૂતીના નાદ વચ્ચે પરંપરાગત પરિધાનમાં સજ્જ ૧૦૦ જેટલી બાળાઓ અને કન્યાઓએ માથે અમૃત કળશ ધારણ કરી વડાપ્રધાનને હરખભેર આવકાર્યા હતા. મંદિર પરિસરમાં પ્રવેશતા પૂર્વે પીએમ મોદીએ અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના પુન:નિર્માણના સ્વપ્નદ્રષ્ટા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દિગ્વિજય દ્વાર પાસે ઋષિકુમારોના શંખ અને ડમરુના નાદ વચ્ચે ખાસ ‘બેલ વોક’ પરથી પસાર થઈ વડાપ્રધાન નિજ મંદિરમાં પ્રવેશ્યા હતા, જ્યાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરી દેશની પ્રગતિ અને જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, મે 2026 3366   |  
સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા આજે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક એર શો

સોમનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા જે મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જાેઈને હાજર લોકો દંગ રહી ગયા હતા અને હર્ષનાદ સાથે એરફોર્સના પાયલટને વધાવી લીધા હતા.ભારતીય વાયુસેનાના એમ્બેસેડર તરીકે ઓળખાતી સૂર્યકિરણ ટીમ લાલ અને સફેદ રંગના હોક એમ.કે.-૧૩૨ જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં વિવિધ સિંક્રનાઈઝ્ડ ફોર્મેશન અને સાહસિક દાવપેચ રજૂ કરશે. આ એરોબેટિક શો અંદાજે ૧૫ મિનિટ સુધી ચાલશે, જેમાં પાઈલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાડવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરીને આ ટીમ માત્ર ૧૮ મિનિટમાં સોમનાથના આકાશમાં પહોંચશે. જામનગરથી સોમનાથનું હવાઈ અંતર અંદાજે ૧૮૨ કિમી જેટલું છે. ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં ૧૩ કુશળ પાઈલટોની ટીમ આ પ્રદર્શન કરશે. આ પ્રદર્શનના સુરક્ષિત સંચાલન માટે જામનગર એરફોર્સ સ્ટેશનના ૨૫થી ૩૦ એર વોરિયર્સની ટીમ મેદાનમાં તૈનાત રહેશે. આ ટીમ દ્વારા ફ્લાયપાસ્ટ કંટ્રોલ, એવિએશન સેફ્ટી, બર્ડ હેઝાર્ડ કંટ્રોલ, હવામાન વિભાગ અને સિગ્નલ કમ્યુનિકેશનની જવાબદારી સંભાળવામાં આવશે. વર્ષ ૧૯૯૬માં સ્થપાયેલી સૂર્યકિરણ ટીમ અત્યાર સુધીમાં ભારતમાં ૮૦૦થી વધુ એર ડિસ્પ્લે કરી ચૂકી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
06, મે 2026 4554   |  
ધોલેરા અને સુરતમાં ૪,૦૦૦ કરોડના સેમી કન્ડક્ટર પ્લાન્ટને કેન્દ્રની મંજૂરી

કેન્દ્ર સરકારે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાતમાં બે નવા સેમીકન્ડક્ટર એકમો સ્થાપવાની મંજૂરી આપી દીધી છે. આ પગલું માત્ર ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ નેક્સ્ટ જનરેશન ડિસ્પ્લે ટેકનોલોજી અને ચિપ પેકેજિંગમાં ભારતની હાજરી વૈશ્વિક સ્તરે નોંધાવશે. આ બંને પ્રોજેક્ટ્સમાં આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકાર અત્યાર સુધીમાં કુલ ૧૦ સેમીકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી આપી ચૂકી છે, જેમાંથી માઈક્રોન ટેકનોલોજી અને કેન્સ ટેકનોલોજી જેવી દિગ્ગજ કંપનીઓના પ્લાન્ટમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. સરકારે ગુજરાતના ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડની ૩,૦૬૮ કરોડ રૂપિયાના રોકાણવાળી ‘ઇન્ટિગ્રેટેડ કમ્પાઉન્ડ સેમીકન્ડક્ટર અને એડવાન્સ્ડ પેકેજિંગ’ સુવિધાને મંજૂરી આપી છે. આ યુનિટ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે કારણ કે તે ગેલિયમ નાઇટ્રાઇડ વેફર્સનું ઉત્પાદન કરશે, જે મિની અને માઇક્રો ન્ઈડ્ઢ ડિસ્પ્લેનો મુખ્ય હિસ્સો છે. તેની વાર્ષિક ક્ષમતા ૭૨,૦૦૦ ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ અને ૨૪,૦૦૦ સેટ ઇય્મ્ ય્ટ્ઠદ્ગ વેફર્સની હશે. આ પ્રોજેક્ટથી અંદાજે ૧,૬૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે. આ એકમ ભારતનું પ્રથમ માઇક્રો ન્ઈડ્ઢ ફેબ્રિકેશન યુનિટ હશે, જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદેશ મંત્રાલયનું વ્યૂહાત્મક સમર્થન પણ સામેલ છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડના આ પ્રોજેક્ટને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે આને એક વ્યૂહાત્મક દાવ ગણાવ્યો છે. હાલમાં વૈશ્વિક ડિસ્પ્લે ઇન્ડસ્ટ્રી એક મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. દાયકાઓ સુધી જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયાએ ન્ઝ્રડ્ઢ બજાર પર રાજ કર્યું, પરંતુ તાજેતરના વર્ષોમાં ચીને ભારે રોકાણના દમ પર આ ક્ષેત્રમાં પોતાની પકડ જમાવી લીધી છે. ગુજરાતના જ સુરત શહેરમાં સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક ઓએસએટી સુવિધાને કેબિનેટે લીલી ઝંડી આપી છે. ૮૬૮ કરોડ રૂપિયાના રોકાણથી બનનારું આ યુનિટ સેમીકન્ડક્ટર વેલ્યુ ચેઇનની એક મહત્વપૂર્ણ કડી છે. અહીં ‘લીડ ફ્રેમ’ અને ‘વાયર-બોન્ડ’ પેકેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચિપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ કરવામાં આવશે. આ યુનિટ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઓટોમોટિવ સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરશે. તેની વાર્ષિક ક્ષમતા ૬૭૩ મિલિયન સ્મોલ આઉટલાઇન ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને ૩૬૦ મિલિયન ટ્રાન્ઝિસ્ટર આઉટલાઇન પેકેજ તૈયાર કરવાની હશે. આ પ્લાન્ટથી અંદાજે ૬૩૦ લોકોને રોજગારી મળશે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 5049   |  
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.  સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ.   ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે.  PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો.   અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 4356   |  
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ

વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે.    સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, મે 2026 5544   |  
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 4158   |  
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 5940   |  
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે. 


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, મે 2026 1683   |  
કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડની ૬૪ દિવસે ધરપકડ

લૉ ગાર્ડન ખાતેની જીએલએસ કોલેજ પાસે શાહીબાગના કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્રએ વિદ્યાર્થીઓને ધમકી આપીને હથિયારથી થાર ગાડીમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટના બાદ સીસીટીવી આધારે નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યો હતો. ગત તા.૯ માર્ચે બનેલા આ બનાવ બાદ આદિત્યસિંહ તેના સાગરિતો સાથે ભાગી ગયો હતો. જે બાદ ઝોન-૧ એલસીબીએ ૬૪ દિવસ બાદ આરોપી આદિત્યસિંહની ગાંધીનગર પીડીપીયુ કેમ્પસ બહારથી ધરપકડ કરી છે. ઓઢવમાં રહેતો સુજલ ભરવાડ જીએલએસ કોલેજમાં અભ્યાસ કરે છે. તા.૯ માર્ચે તે એટીકેટીનું ફોર્મ ભરવા ગયો હતો ત્યારે તે તેના મિત્રો સાથે કોલેજ નજીક ઊભો હતો. તે જ સમયે અસારવાના કુખ્યાત બૂટેલગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય તેના અન્ય બે મિત્રો સાથે ફોર્ચ્યુનર કાર લઈને ત્યાંથી પસાર થતો હતો. તે વખતે સુજલ અને આદિત્યની એકબીજા પર નજર પડી હતી. જે બાદ આદિત્ય તેના સાગરિતો સાથે કાર લઇને આવ્યો અને સુજલ પાસે આવીને તું કેમ મારી સામે જાેવે છે તેમ કહીને બોલાચાલી કરી હતી. આદિત્યએ બીભત્સ શબ્દો બોલતા સુજલે ગાળો બોલવાની ના પાડતા મામલો વધુ બિચક્યો હતો. આદિત્ય સહિત ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે થાર કાર તોડીને હુમલો કર્યો હતો.સમગ્ર બનાવનો વીડિયો વાયરલ થતા નવરંગપુરા પોલીસે આદિત્ય સહિત ૩ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. આ બનાવના ૬૪ દિવસ બાદ આરોપી ગાંધીનગર પીડીપીયુ રોડ પરથી નીકળવાનો હોવાની બાતમી મળતા જ ઝોન-૧ એલીસીબીની ટીમે આરોપી આદિત્યસિંહ રાઠોડની ધરપકડ કરી છે. પોલીસે પંચનામાની કાર્યવાહી વખતે મોટો કાફલો સાથે રાખ્યો હતો. કિશોર લંગડાની સાથે તેનો પૌત્ર પણ ગુનાખોરી તરફ આગળ વધી રહ્યો છે. તેણે અકસ્માત કર્યો હતો, હથિયારો સાથે રિલ્સ બનાવી લોકોમાં ભય ફેલાવ્યો હતો અને જીએલએસ કોલેજ પાસે વિદ્યાર્થીઓને ધમકાવ્યા હતા. જેથી આદિત્યની સાન ઠેકાણે લાવવી જરૂરી હોવા છતાં પોલીસે તેને પાઠ ન ભણાવતા રિકન્સ્ટ્રક્શન દરમિયાન બિન્દાસ્ત ચાલતો નજરે પડ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, મે 2026 1584   |  
ઈ-મેઇલમાં મોબાઈલ નંબર બદલીને બિભત્સ ગ્રૂપોમાં મહિલાને એડ કરી હતી

શહેરના નરોડા વિસ્તારમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં જાણીતા બિલ્ડર વિકેન નારણભાઈ પ્રજાપતિ સામે પોલીસે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. આરોપ છે કે, બિલ્ડરે પાડોશમાં રહેતી એક પરિણીતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરીને તેને બિભત્સ પ્રકારના સોશિયલ મીડિયા ગ્રુપોમાં એડ કરી હોવાનો આરોપ લાગેલો છે. મળતી માહિતી મુજબ, નરોડામાં રહેતી ૩૭ વર્ષીય પરિણીતાને ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન એક અજાણ્યા ઈ-મેઈલ પરથી સંદેશો મળ્યો હતો. આ સંદેશામાં તેમના પગમાં થયેલા ફ્રેક્ચર અંગે પૂછપરછ કરવામાં આવી હતી. મહિલાને આશ્ચર્ય થયું કારણ કે, ફ્રેક્ચર અંગેની જાણ ખૂબ જ મર્યાદિત લોકો સુધી હતી. શંકા જતાં મહિલાએ પોતાના ગૂગલ એકાઉન્ટના સેટિંગ્સ તપાસ્યા હતા, જેમાં પર્સનલ ઇન્ફોર્મેશનમાં એક અજાણ્યો મોબાઈલ નંબર એડ થયેલો જાેવા મળ્યો હતો. તપાસ કરતાં આ નંબર તેમના જ કુટુંબી અને પાડોશી બિલ્ડર વિકેન પ્રજાપતિનો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ મેટ્રોકોર્ટમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૭૮(૨) તેમજ આઈટી એક્ટની કલમ ૬૬(સી), ૬૬(ડી) અને ૬૭ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસ ચાર્જશીટ મુજબ, આરોપીએ મહિલાના ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ ચોરી કરીને તેના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લોગ-ઈન કર્યું હતું. ત્યારબાદ મમ્મી બ્રેસ્ટફીડિંગ ગ્રુપ અને ા બીભત્સ ગ્રુપોમાં મહિલાને એડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે, આરોપી સેમસંગ ગેલેકસી એસ૨૫ અલ્ટ્રાજેવા મોંઘા મોબાઈલનો ઉપયોગ કરીને મહિલાની ડિજિટલ રીતે જાસૂસી કરતો હતો. પોલીસે તપાસ દરમ્યાન એવું પણ બહાર આવ્યું છે કે, આરોપીએ અન્ય ૧૬ જેટલી મહિલાઓના પણ બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હોવાની આશંકા છે. હાલ કોર્ટમાં પોલીસે ચાર્જશીટમાં ૧૩ જેટલા સાક્ષીઓના નિવેદનો અને એફએસએલના રિપોર્ટને મુખ્ય પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૪માં પણ આરોપી વિરુદ્ધ આવી હરકતોના આક્ષેપ થયા હતા, પરંતુ કૌટુંબિક સંબંધોને કારણે મામલો સમાધાનથી થાળે પડ્યો હતો


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, મે 2026 1584   |  
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં લગ્ન સમારંભ હિંસક ઘટનામાં ફેરવાયો

અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં લગ્ન સમારંભ હિંસક બની ગયાની ઘટના બનવા પામી છે. ભોજનમાં પીરસાયેલા પુલાવ અને મેનૂને લઈને શરૂ થયેલી સામાન્ય બોલાચાલી જાેતજાેતામાં ઉગ્ર બની જતા બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી. ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. માહિતી અનુસાર, કુબેરનગર વિસ્તારમાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન જમણવાર ચાલી રહ્યો હતો ત્યારે વર અને કન્યા પક્ષ વચ્ચે ભોજનની ગુણવત્તા અને મેનૂ અંગે બોલાચાલી શરૂ થઈ હતી. શરૂઆતમાં મામલો શાંત પડી ગયો હતો, પરંતુ મોડી રાત્રે ફરી વિવાદ વકરતાં બંને પક્ષ સામસામે આવી ગયા હતા. મહેમાનોની હાજરીમાં જ લગ્ન મંડપમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કન્યા પક્ષ તરફથી કશિશ કછવાયાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, વરરાજા સાગર, તેનો ભાઈ અમૃત અને તેમના મિત્રોએ ફરી ઝઘડો શરૂ કરી કન્યાના પિતા પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. વચ્ચે બચાવ કરવા આવેલા પરિવારજનોને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ મારામારી દરમિયાન સોનાના દાગીનાની ચોરી થયાનો પણ આરોપ મૂકાયો છે. બીજી બાજુ, વર પક્ષના મિત્ર આકાશસિંહ પરિહારે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, વિવાદની શરૂઆત કન્યાના ભાઈ રીતિકે “મેનૂમાં બિરયાની કેમ નથી?” તે મુદ્દે હંગામો મચાવતાં થઈ હતી. ત્યારબાદ કન્યાના પિતા અને ભાઈએ રસોડામાં વપરાતા લોખંડના ઝારા અને તાવેતા વડે હુમલો કર્યો હતો, જેમાં વર પક્ષના કેટલાક લોકોને માથા અને ખભાના ભાગે ઈજાઓ પહોંચી હતી. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, મે 2026 1584   |  
ચાર કેદીઓનો જેલ સહાયક પર હુમલો

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેલના ‘છોટા ચક્કર’ વોર્ડમાં ફરજ બજાવતા જેલ સહાયક ભરતભાઈ ચાવડા પર ચાર કેદીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલો મામલો જાેતજાેતામાં હિંસક સ્વરૂપ ધારણ કરતાં જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. માહિતી મુજબ, ભરતભાઈ ચાવડા પોતાની નિયમિત ફરજ દરમિયાન વોર્ડમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન ચાર કેદીઓ ઉગ્ર રીતે અપશબ્દો બોલી રહ્યા હતા. જેલના નિયમોનો ભંગ થતો જાેઈ ભરતભાઈએ કેદીઓને અપશબ્દો બોલવાની મનાઈ કરતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપ છે કે કેદીઓએ ગાર્ડન વિસ્તારમાં પડેલા ઈંટના ટુકડા ઉઠાવી ભરતભાઈના માથાના ભાગે હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.ઘટના બાદ અન્ય જેલ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત ભરતભાઈને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હુમલા બાદ પણ આરોપી કેદીઓએ પોલીસ સ્ટાફને ખુલ્લેઆમ “બહાર જાેઈ લેવાની” ધમકીઓ આપી હોવાનો આક્ષેપ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સંગ્રામસિંહ શીકરવાર, સનિપ ઉર્ફે સની પટણી, લખમણ ઉર્ફે પોપટ હડિયોલ અને અંકિત લોધી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાણીપ પોલીસ સ્ટેશન દ્વારા ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરીથી સાબરમતી જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા, જેલમાં કેદીઓની વધતી બેફામ હરકતો અને પોલીસ સ્ટાફની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને જેલની અંદર જ કેદીઓ દ્વારા જેલ કર્મચારી પર હુમલો થવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા સામે સવાલો ઊભા કર્યા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, મે 2026 198   |  
બદલીનો ગંજીપો: સરકારે ૭૨ આઈએએસ અધિકારીઓની સાગમટે બદલી કરી

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે આજે છ ડઝન એટલે કે ૭૨ સનદી (આઇએએસ) અધિકારીઓની સાગમટે બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે તેમજ નવી નિમણૂકો પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, રાજયમાં નવરચિત નવ મહાપાલિકામાંથી ૮માં કાયમી મ્યુનિ. કમિશનરોની નિમણૂક કરાઇ છે. આ સાથે ગાંધીનગરના મ્યુનિ. કમિશનર જે. એન વાઘેલાની બદલી કરીને ગીર સોમનાથના કલેકટર બનાવાયા છે. તો અમદાવાદના કલેકટર સુજીત કુમારની બદલી કરીને રાજ્ય કરના વિશેષ આયુક્ત (કમિશનર) તરીકે નિયુક્ત કરાયા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થવાની સાથે જ રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં સનદી (આઇએએસ) અધિકારીઓની સાગમટે બદલીઓનો ઘાણવો કાઢ્યો છે. જેમાં રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે બુધવારે વહેલી સવારે એક સાથે રાજ્યના છ ડઝન એટલે કે, ૭૨ સનદી અધિકારીઓની બદલીઓનો આદેશ પ્રસિદ્ધ કર્યો છે. આ આદેશ મુજબ રાજ્યભરમાં કુલ ૭૨ સનદી અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે.આ બદલીઓમાં અનેક જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને વિવિધ સરકારી કોર્પોરેશનોના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સરકારી આદેશને વહીવટી તંત્રમાં મોટા ફેરબદલ તરીકે જાેવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દોઢ વર્ષ પહેલા નવી રચાયેલી મહાનગરપાલિકામાં મ્યુનિ. કમિશનરોની કામચલાઉ બદલી કરાઇ હતી. હવે આ નવી નવ મહાનગરપાલિકામાંથી આઠમા નવા મ્યુનિ. કમિશનર ચાર્જ સંભાળ્યા પછી પ્રથમ વખત મેયર અને અન્ય પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આજે કરાયેલી બદલીઓ પછી બે દિવસમાં નવી મનપાઓમાં નવા મ્યુનિ. કમિશનરો ચાર્જ સંભાળશે તે પછી જ નવી ચૂંટાયેલી પાંખની જાહેરાત કરવામાં આવશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરાયેલી બદલીઓમાં જામનગર મ્યુનિ. કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીની ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે બદલી કરાઇ છે. તો અમદાવાદ કલેક્ટર સુજીતકુમારને રાજ્ય કર વિભાગના વિશેષ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે અમદાવાદ કલેકટર તરીકે વલસાડના કલેકટર ભવ્ય વર્માને નિયુક્ત કરાયા છે. સુરતના કલેક્ટર ડો. સૌરભ પારધીને નાગરિક પુરવઠા વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે, જ્યારે ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. ગાંધીનગરના મ્યુનિ. કમિશનર જે. એન વાઘેલાની બદલી કરીને ગીર સોમનાથના કલેકટર બનાવાયા છે. તો તેમના સ્થાને વાવ-થરાદના કલેકટર જે. એસ. પ્રજાપતિને ગાંધીનગરના મ્યુનિ. કમિશનર બનાવાયા છે. વધુમાં, નર્મદા-રાજપીપળાના કલેક્ટર સંજય મોદીની બદલી કરીને તેમને ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિવાસી શૈક્ષણિક સંસ્થાઓ સોસાયટી આ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. મોરબીના કલેક્ટર કિરણ ઝવેરીને નડિયાદ મ્યુનિ. કોર્પોરેશનના કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. સ્થાનિક સ્વરાજ્ય અને વિકાસ પ્રોજેક્ટ્સને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારે તાજેતરમાં વહીવટી માળખામાં આ મોટા ફેરફારો કર્યા હોવાનું માનવામાં આવે છે. વિવિધ વિભાગોની કામગીરીમાં સાતત્ય સુનિશ્ચિત કરવા માટે ઘણા અધિકારીઓને વધારાના ચાર્જ પણ સોંપવામાં આવ્યા છે. આઇએએસ અધિકારીઓની બદલી ફક્ત એક નિયમિત વહીવટી ફેરફાર નથી; સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પછી તેને સરકારની નવી વહીવટી વ્યવસ્થા તરીકે જાેવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા ઘણા કલેક્ટરોને બઢતી આપવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી તેમની બદલીઓ મુલતવી રાખવામાં આવી હતી.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, મે 2026 792   |  
પૂણાની છ ફેક્ટરીમાં ઉદયપુર પોલીસનાં દરોડા મજૂરી માટે રખાયેલાં ૯૧ બાળકોને મુક્ત કરાવાયાં

શહેરનાં પૂણા વિસ્તારમાં આવેલી ટેક્સ્ટાઈલ માર્કેટમાં ચાલતા બાળ મજૂરીનાં એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ઉદયપુર પોલીસની માનવ તસ્કરી વિરોધી યુનિટ અને રાજ્ય બાળ આયોગની ટીમે અલગ-અલગ ફેક્ટરીમાં દરોડો પાડી ૯૧ આદિવાસી બાળકોને રેસ્ક્યુ કર્યા છે. ઉદયપુર જિલ્લાનાં આદિવાસી વિસ્તારોનાં બાળકોને મહિનાને માત્ર ૫ થી ૮ હજાર રૂપિયા મજૂરી ચૂકવી શોષણ કરાતું હતું. મળતી માહિતી અનુસાર રાજસ્થાનનાં ઉદયપુર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને એવી માહિતી મળી હતી કે, અંતરિયાળ ગામોમાંથી આદિવાસી પરિવારના બાળકોને સારા વળતર અને વેતનની લાલચ આપી સુરત લઇ જવાય છે. જ્યાં તેમને કાપડનાં કારખાના કહો કે ફેક્ટરીમાં ગોંધી રાખી કાળી મજુરી કરાવાય છે. ત્યારબાદ છેલ્લા એક મહિનાથી આ ટીમો આદિવાસી બાળકોને મજૂરીએ ધકેલવાના નેટવર્ક પર નજર રાખવામાં આવી હતી. પુરતી ખાતરી તપાસ બાદ ઉદયપુરથી ૨૦ સભ્યની ટીમ સુરત આવી પહોંચી હતી. પુણા પોલીસને સાથે રાખી આ ટીમે સીતારામ સોસાયટી, મુક્તિધામ સોસાયટી સહિત અંદાજે ૬ જેટલા લોકેશન પર એકસાથે દરોડા પાડી ૯૧ જેટલા બાળકોને રેસ્ક્યુ કરાયા હતાં. રેસ્ક્યુ કરવામાં આવેલા બાળકોની ઉંમર માત્ર ૭ થી ૧૪ વર્ષની વચ્ચે છે. આ માસૂમ બાળકોને સુરતના ટેક્સ્ટાઈલ માર્કેટ સાથે જોડાયેલી નાના યુનિટોમાં કામે રાખવામાં આવ્યા હતા. કેટલાક બાળકો સાડીઓમાં દોરા કાપવાનું તો કેટલાક બાળકો પાસે જોખમી મશીનો પર કામ લેવાતું હતું. બાળકોને આખો દિવસ કાળી મજૂરી કરાવાતી હતી અને તનતોડ મહેનત સામે તેમનો વેતનનાં નામે દર મહિને માત્ર ૫ હજારથી ૮ હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ગરીબીનો લાભ ઉઠાવીને એજન્ટો આ બાળકોને થોડા મહિના પહેલાં જ સુરત લાવ્યા હતા.બહારથી તાળાબંધ કરીને ઇમારતોમાં કામ કરાવાતું હતું ગાયત્રી સેવા સંસ્થાનનાં ડિરેક્ટર ડો. શૈલેન્દ્ર પંડ્યાનાં જણાવ્યા અનુસાર, બાળકોને એવી ઇમારતોમાં રાખવામાં આવતા હતા જે બહારથી બંધ રહેતી હતી. વહેલી સવારે બાળકોને અંદર લઈ જવામાં આવતા અને ત્યારબાદ આખો દિવસ બહારથી તાળું મારી દેવામાં આવતું હતું. સાંજે ૭ વાગ્યા પછી જ દરવાજા ખોલવામાં આવતા હતા. તેમણે જણાવ્યું કે, અમે જ્યારે અંદર પ્રવેશ કર્યો ત્યારે માત્ર ૭ થી ૮ વર્ષની ઉંમરનાં બાળકો કામ કરતા જોવા મળ્યા હતા. તેઓ ડરેલા, ગભરાયેલા અને સતત ૧૨ કલાકથી વધુ સમય સુધી કામ કરવાના કારણે અત્યંત થાકેલા લાગતા હતા. ડો. પંડ્યાએ વધુમાં કહ્યું કે, એક નાનું બાળક શર્ટ વગર ઊભું હતું અને બીજા બાળકો પાછળ છુપાઈને પૂછતું હતું કે કોઈ તેને પહેરવા માટે કપડા આપી શકે છે કે નહીં. બાળકોની સ્થિતિ અત્યંત દયનીય હતી. માનવ વેચાણ અને બાળમજૂરી સંગઠિત ગુનાહિત નેટવર્ક જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રનનાં નેશનલ કન્વીનર રવિ કાંતે જણાવ્યું હતું કે, આ સમગ્ર બચાવ કામગીરી દર્શાવે છે કે માનવ વેચાણ અને બાળમજૂરી આજે પણ રાજ્યો વચ્ચે સંગઠિત અને ઊંડે સુધી ફેલાયેલું ગુનાહિત નેટવર્ક છે. ખાસ કરીને આદિવાસી અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને ખોટા વચનો આપીને ફસાવવામાં આવે છે અને પછી તેમને શોષણભરી પરિસ્થિતિમાં ધકેલી દેવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઘટના વધુ મજબૂત આંતરરાજ્ય સમન્વય, સપ્લાય ચેઇન પર સતત દેખરેખ અને માનવ વેચાણકારો, માલિકો તથા તમામ મધ્યસ્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, મે 2026 1287   |  
આરોપીઓનાં વરઘોડા કાઢવા, જાહેરમાં સરભરા કરવાના રાજકીય ઇશારે શરૂ થયેલા તાયફાને ડીજીપીનું રેડ સિગ્નલ

રાજકીય ઇચ્છાશક્તિ પુરી કરવા માટે પોલીસ કાયદાને નેવે મૂકવા માંડી છે. ગૃહમંત્રીનો પડ્યો બોલ ઝીલીને આરોપીઓનાં વરઘોડા કાઢવા, જાહેરમાં સરભરા કરવી એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. રાજકીય આકાઓને ખુશ રાખવા માટે ખડેપગે તત્પર રહેતા અધિકારીઓ ગુનો કરનારને કાયદાનું ભાન કરાવવાના નામે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનાં આદેશોનું છડેચોક ઉલ્લંઘન કરવા માંડ્યા છે. જો કે, માતર તાલુકાનાં કેસમાં કોર્ટે આરોપીઓને થાંભલા સાથે બાંધી માર મારનારાઓ સામે કેસ ચલાવવાનો આદેશ આપતાં ઉચ્ચ અધિકારીઓને ફરી કાયદો યાદ આવ્યો છે. રાજ્યના પોલીસ વડાએ આરોપીઓનાં વરઘોડા કાઢવા, જાહેરમાં ફજેતો કરવો, હાથ જોડી, કાન પકડી માફી મગાવવી, જાહેરમાં લાકડીથી ફટકારવા જેવી હરકતો કરવાથી દૂર રહેવાની તાકિદ કરતો પરિપત્ર જાહેર કર્યો છે.રાજ્યનાં પોલીસ મહાનિર્દેશક ડો. કે. એલ. એન. રાવ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં આરોપીઓની ધરપકડ, કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન અને કોર્ટમાં રજુ કરવા સુધી કંઇ કંઇ કાયદાકીય જોગવાઇનું ચુસ્તપણે પાલન કરવું એનો ઉલ્લેખ કરાયો છે. રાવે તાકીદ કરી છે કે કોઈપણ આરોપી જયારે પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તપાસનાં કામે પંચનામા કરતી વખતે, બનાવનું રીકન્સ્ટ્રક્શન કરતી વખતે, સહ આરોપીઓની તપાસ કરતી વખતે કે કોઇપણ કારણોસર તેને બહાર લઇ જવાનો થાય ત્યારે તેના આત્મ ગૌરવનું હનન ના થાય એ સુનિશ્ચિત કરવું. રાવે સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટનાં સંદર્ભ ટાંકીને એવી તાકિદ કરી છે કે, આરોપીઓ પાસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવવી, આરોપીને ઘુંટણીએ ચલાવવો, જાહેરમાં લાત મારવી કે લાકડીથી મારવો, આરોપીને જાહેરમાં હાથ જોડાવી, કાન પકડાવી માફી મગાવવી, આરોપીને જાહેરમાં મુર્ગો બનાવવો વગેરે હરકતો કહો કે વર્તન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. આરોપીઓને હાથકડી પહેરાવીને તથા દોરડાથી બાંધી જાહેરમાં લઇ જઇ સરઘસ કાઢવાનાં કારણે અને જાહેરમાં જનતાની સામે દેખાવો કરવા અંગેનાં બનાવોને લીધે ગુજરાત પોલીસની છબી ખરડાઇ છે. એટલું જ નહીં આવા અમાનવીય વર્તનથી પોલીસની સારી કામગીરી ઢંકાઈ જાય છે તથા જાહેર જનતામાં ગુજરાત પોલીસની છાપ ખરાબ ઉભી થાય છે. તેથી, ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેમજ આરોપીઓ સાથે અમાનવીય વર્તન ન કરવામાં આવે તેની તકેદારી રાખવી. હાઇકોર્ટે ૨૦૧૯માં આપેલા ચૂકાદામાં આરોપીઓ સાથે વ્યવહાર અંગે સ્પષ્ટ સૂચના અપાઈ હતી કોઈ પણ ગુનામાં આરોપીઓની ધરપકડ બાદ પોલીસે આરોપીઓ સાથે કેવું વર્તન કરવું એનો સ્પષ્ટ ઉલ્લેખ કાયદામાં છે. આરોપીઓને જાહેરમાં માર મારવો કે કોઈપણ રીતે અપમાનિત કરવાનો કોઈ હક્ક કે અધિકાર પોલીસને નથી. સત્તાનો દુરુપયોગ કરી પોલીસ દ્વારા કરાતી ગેરકાનૂની હરકતો અને ભૌતિક વિજયભાઇ ભટ્ટે વર્ષ ૨૦૧૮માં હાઇકોર્ટમાં પીટિશન દાખલ કરી હતી. જેમાં ૯ મે, ૨૦૧૯નાં રોજ હાઇકોર્ટે ચૂકાદો આપતાં જણાવ્યું હતું કે, આરોપીને અટક કરતી વખતે તેને જાહેરમાં પરેડ કરાવવી નહીં. આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લઇ જતા તેમજ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે હિંસાત્મક ટોળાઓથી બચાવવો જોઇએ. આરોપી સાથે કોઈ ગેરવર્તણૂંક કરવી નહી. આરોપીનું આત્મસન્માન જળવાય તે રીતે તેની સાથે વ્યવહાર કરવો જોઇએ.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 2970   |  
મનપા સત્તાધીશો કોન્ટ્રાક્ટર સી.ડી.ટ્રાન્સ્પોર્ટ ઉપર મહેરબાન: કાંકરિયા ગામથી પુરેપુરો કચરો નહીં લાવવા છતાં કરોડો રૂપિયાની ચૂકવણી કરી દીધી

સુરત શહેરમાંથી જનરેટ થતાં કચરાનું સો ટકા વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરીને નિકાલ કરવાની શરતે ઇજારો મેળવનાર સી.ડી.ટ્રાન્સ્પોર્ટનાં સંચાલક નુરૂદ્દિનનાં કૌભાંડને કારણે સ્વચ્છતામાં દેશભરમાં નંબર-૧ મેળવ્યા પછી પણ સુરત શહેરની આબરૂ કલંકિત થઇ હતી. લોકસત્તા-જનસત્તાએ પ્રસિદ્ધ કરેલાં અહેવાલો બાદ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની તાત્કાલિક અસરથી થયેલી બદલી પાછળનાં કારણો પૈકીનું એક કારણ પણ ખજાેદનું કચરા કૌભાંડ માનવામાં આવે છે. કોન્ટ્રાક્ટર સી.ડી.ટ્રાન્સ્પોર્ટનાં સંચાલક દ્વારા ખજાેદનો પ્રોસેસિંગ કર્યા વિનાનો સેંકડો ટન કચરો મહુવા તાલુકાનાં કાંકરિયા ગામમાં ઠાલવીને નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પકડાઇ જતાં મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ કાંકરિયા ગામમાં ઠાલવેલો તમામ કચરો પાછો ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે લાવવાનો આદેશ તો આપ્યો પરંતુ નુરૂદ્દિને થોડો કચરો પરત લાવ્યા બાદ બાકીનો કચરો કાંકરિયા ગામમાં જ રહેવા દીધો હતો જેમાં ગઇકાલે રાત્રે આગ લાગી હતી. ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે બે વખત આગ લાગ્યા બાદ હવે કાંકરિયા ગામનાં કચરામાં આગ લાગી તે બાબત સંયોગ નથી પરંતુ ઇરાદાપૂર્વકનો પ્રયોગ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કાંકરિયા ગામમાં ઠાલવેલો કચરો પ્રોસેસિંગ કર્યા વિનાનો હોવાથી તેને પર્યાવરણ અને માણસો, પશુઓ માટે જાેખમી ગણીને પાછો ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે લાવવાનો આદેશ હોવા છતાં સેંકડો ટન કચરો પાછો નહીં લાવનાર કોન્ટ્રાક્ટર નુરૂદ્દિનને કરોડો રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે. સમગ્ર મામલો મુખ્યમંત્રીનાં દરબાર સુધી પહોંચ્યો હોવા છતાં કરોડો રૂપિયાની ચૂકવણી કરી દેવાતાં સુરત મહાનગર પાલિકાનાં સત્તાધીશોની નીતિ અંગે ભારે આશ્ચર્ય સર્જાયું છે.કોન્ટ્રાક્ટર સી.ડી.ટ્રાન્સ્પોર્ટનાં સંચાલક નુરૂદ્દિને સુરત જિલ્લાનાં મહુવા તાલુકાનાં કાંકરિયા ગામમાં મહંમદ રસિદ સીદાતની જમીન ઉપર સેંકડો ટન કચરો ઠાલવતાં સરપંચે ફરિયાદ કરતાં મહુવા પોલીસે ગુનો પણ નોંધ્યો હતો. મહુવા મામલતદારે જીપીસીબીનાં અધિકારીઓને પણ નિયમાનુસાર કાર્યવાહી કરવા લેખિત જાણ કરી હતી. પોલીસે જમીન માલિક મહંમદ સિદાત સહિત બે વ્યક્તિની ધરપકડ કરી હતી પરંતુ કૌભાંડનાં મુખ્ય સુત્રધાર મનાતા નુરૂદ્દિન અને તેનાં પુત્ર સમશુદ્દિન સામે આજ દિન સુધી કોઇ જ કાર્યવાહી મહુવા પોલીસે કરી નથી. એફ.આઇ.આર.માં નામ નહીં હોવાથી ધરપકડ કરાઇ નહીં હોવાનું ગાણું મહુવા પોલીસ ગાઇ રહી છે જ્યારે બીજીતરફ સુરત મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ કાંકરિયા ગામે કચરો ઠાલવવા બદલ નુરૂદ્દિનને લાખો રૂપિયાનો દંડ ફટકારીને તેની ભૂમિકા સ્પષ્ટ કરી હતી પરંતુ મહુવા પોલીસને નુરૂદ્દિન કે લાખા ઉર્ફે લક્ષ્મણ ભરવાડની સંડોવણી હોવાનું લાગતું નથી. કોન્ટ્રાક્ટર નુરૂદ્દિને કાંકરિયા ગામેથી સેંકડો ટન કચરો નહીં ઉઠાવતાં પાંચ મહિનાથી કચરો ત્યાંજ પડી રહ્યો હતો અને ગઇકાલે રવિવારે રાત્રે અચાનક કચરામાં આગ લાગી હતી.ફાયર બ્રિગેડનાં લાશ્કરોએ આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતાં પરંતુ આજે પણ આગ કાબુમાં આવી ન હતી. કાંકરિયા ગામનાં કચરામાં આગ લાગ્યાનાં બનાવ પછી આજે સોમવારે બપોરે બે વાગ્યાની આસપાસ ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે ફરી આગ લાગતાં આશ્ચર્ય સર્જાયું હતું.કાંકરિયા ગામ અને ખજાેદ ડિસ્પોઝલ સાઇટ એમ બંને સ્થળે કચરામાં આગ લાગે તે સંયોગ નહીં પરંતુ ઇરાદાપૂર્વકનો પ્રયોગ હોવાનું માનવામાં આવી રહ્યું છે જેથી તપાસ જરૂરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 3663   |  
વડાપ્રધાન મોદીની સોનું નહીં ખરીદવાની અપીલ પછી સુરતનાં ઝવેરાત ઉદ્યોગમાં ફફડાટ, બજારોમાં સન્નાટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હૈદરાબાદમાં એક જાહેર સભા દરમિયાન દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા માટે કરેલી ભાવુક અપીલની સીધી અસર દેશના આર્થિક પાટનગર ગણાતા સુરતનાં ઝવેરાત બજાર પર જાેવા મળી રહી છે. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ અને વિદેશી હૂંડિયાણની બચત કરવાના આશયથી કરવામાં આવેલી આ અપીલને કારણે ઝવેરાત કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો છે, જ્યારે સુરતના સ્થાનિક બજારોમાં વેપારીઓ અને ગ્રાહકો બંને મૂંઝવણમાં મુકાયા છે.સુરતના હીરા ઝવેરાત ઉદ્યોગમાં પીએમની અપીલ અગાઉથી જ કિંમતી ધાતુઓના ઊંચા ભાવને કારણે ૬૦% જેટલી મંદીનો સામનો કરી રહેલો સુરતનો ઝવેરાત ઉદ્યોગ હવે વધુ મુશ્કેલીમાં મુકાય તેવી દહેશત વર્તાય રહી છે. ઝવેરાત સંગઠનોના આગેવાનોએ તાત્કાલિક કોઇ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે પરંતુ, સ્થાનિક આગેવાનોએ મુંબઇના ઝવેરી બજારના આગેવાનો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પીએમની અપીલને કારણે ઉધોગ પર થનારી સંભવિત અસરોની રજૂઆતો કરવા માટે મુંબઇથી મોટા ઝવેરાત ઉદ્યોગકારોનું એક ડેલિગેશન ટૂંકસમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવા જઇ રહ્યું છે એવી વિગતો જાણવા મળી છે. સુરતમાં હીરા ઝવેરાત ઉદ્યોગના સંગઠનોના આગેવાનો વધુમાં ખુલીને કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.સુરત જેવા શહેરોમાં લગ્નસરા દરમિયાન કરોડો રૂપિયાનું સોનું વેચાય છે. આ અપીલને કારણે લોકો સોનાને બદલે હવે ડાયમંડ અથવા આર્ટિફિશિયલ જ્વેલરી તરફ વળી શકે છે અથવા તો જૂનું સોનું ઓગાળીને નવા દાગીના બનાવવાનો ટ્રેન્ડ વધશે, જેનાથી નવા સોનાની માગ ઘટશે તેવી ચર્ચાઓ આગેવાનો કરી રહ્યા છે. સુરતનાં ચોટાબજાર અને ભાગળ જેવા વિસ્તારોમાં ઝવેરીઓનાં શોરૂમમાં આજે સવારથી જ ગ્રાહકોની પાંખી હાજરી જાેવા મળી હતી. પીએમની અપીલ બાદ ગ્રાહકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે સોનાની ખરીદી અત્યારે જાેખમી હોઈ શકે છે અથવા તો ભવિષ્યમાં સરકાર કોઈ કડક નિયમો લાવી શકે છે લગ્નસરાની મોસમ હોવા છતાં પીએમ મોદીએ કરેલી અપીલને કારણે લોકો ખરીદી ટાળે તેવી શક્યતાઓ જાેવા મળી રહી છે.સામાન્ય રીતે નાનામાં નાના ટેક્સ મુદ્દે પણ અવાજ ઉઠાવતા ઝવેરી સંગઠનો આ મામલે મૌન સેવી રહ્યાં છે. બેરોજગારી અને સ્થળાંતરની સમસ્યા સંભવી શકે ઝવેરીબજારનાં સૂત્રો જણાવે છે કે સુરતમાં હજારો બંગાળી અને સ્થાનિક કારીગરો સોનાનાં દાગીના બનાવવાનું કામ કરે છે. જાે ગ્રાહકો એક વર્ષ સુધી ખરીદી બંધ કરે, તો આ કારીગરો પાસે કામ નહીં રહે. સ્જીસ્ઈસેક્ટરનાં નાના વર્કશોપ બંધ થવાની નોબત આવી શકે છે. એવી જ રીતે કામનાં અભાવે કુશળ કારીગરો અન્ય વ્યવસાયો તરફ વળે અથવા વતનમાં પરત ફરે તેવી શક્યતા છે, જે ભવિષ્યમાં ઉદ્યોગ માટે ‘સ્કિલ્ડ લેબર‘ની અછત સર્જી શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 3168   |  
તરૂણની સરાજાહેર ઘાતકી હત્યા કરીને ભાગનાર ટપોરીએ પોલીસને ચપ્પુ મારતાં લિંબાયત પોલીસે પગમાં ગોળી મારી

શહેરનાં લિંબાયત વિસ્તારમાં રવિવારે રાત્રે સરાજાહેર હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. મોબાઇલ રીપેરિંગનું કામ શીખતાં તરૂણને આ વિસ્તારનાં ટપોરીએ છાતીનાં ભાગે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરી ભાગેલા આ ટપોરીને પકડવા ગયેલા લિંબાયત પોલીસ ઉપર પણ તેણે હુમલો કર્યો હતો. એક કોન્સ્ટેબલને ચાકુનો ઘા મરાતાં ઇન્સ્પેક્ટર ચૌહાણે ફાયરિંગ કર્યું હતું. પગનાં ભાગે ગોળી વાગતાં એ બદમાશને ગંભીર ઇજા પહોંચી હતી.લિંબાયત પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા આસ્તિકનગરમાં સુનિતા જગદીશ પવાર તેના બે દિકરાઓ ૧૯ વર્ષીય આદિત્ય અને ૧૭ વર્ષ ૧૧ મહિના ઉંમરનો અનુરાગ ઉર્ફે રાજ સાથે રહે છે. અનુરાગ મહારાણા ચોક પાસે આવેલા તનિષ્ક મોબાઇલ નામની દુકાનમાં મોબાઇલ રિપેરીંગનું કામ શીખતો હતો. રવિવારે રાત્રે અનુરાગ અને તેની સાથે કામ કરતો ગોપાલ રાઠી બાઈક ઉપર દુકાનનું પેમેન્ટ લેવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન લિંબાયતનાં જુના કંઠી મહારાજ મંદિરથી રામમંદિર ચાર રસ્તા તરફ રાજ જનરલ સ્ટોર નામની દુકાન સામે ડિવાઇડર નજીક મોટર સાયકલ સાથે ઉભા રહ્યા હતાં. અહીં રાહુલ જાેગી રોંગ સાઇડથી આવ્યો હતો. તેણે ટક્કર લાગવા જેવી સામાન્ય બાબતે તેને ગાળો આપવા લાગ્યો હતો. રાજે તેને ગાળો આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને પોતાની કમરના ભાગે રાખેલો ચપ્પુ કાઢીને અનુરાગ ઉર્ફે રાજની છાતી ઉપર બે ઘા ઝીંક્યા હતાં. રાજે સ્વબચાવ માટે પ્રયાસ કર્યો તો આંગળી ઉપર પણ ઈજા પહોંચી હતી. ઊંડા ઘાને પગલે અનુરાગ પવાર લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા જ રાજનાં મામા ગણેશ પરદેશી સહિત પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોહીનાં ખાબોચિયામાં પડેલા અનુરાગને સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલ અને પછી સ્મીમેર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો. બીજી તરફ હત્યાની ખબર મળતાં લિંબાયત પોલીસ મથકનાં ઇન્સ્પેક્ટર ડી. ડી. ચૌહાણ સ્ટાફ સાથે ત્યાં ધસી ગયા હતાં. હુમલાખોરની સ્થાનિક ટપોરી રાહુલ જાેગી હોવાનું જાણવા મળતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. દરમિયાન રાહુલ જાેગીને મીઠીખાડીમાં પાણીની ટાકી પાસે હોવાની બાતમી મળતા પોલીસની ટીમ ત્યાં પહોંચી અને તેને ઘેરી લીધો હતો. રાહુલે ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસ કર્મચારી ઉપર ચાકુથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મુકેશ રવિન્દ્ર બુગાલને ઈજાઓ પહોંચી હતી. રાહુલ જીવલેણ હુમલો કરી શકે એમ હોય ઇન્સ્પેક્ટર ચૌહાણે તેને સરેન્ડર થવાની ચેતવણી આપવા સાથે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાે કે, રાહુલ તાબે ન થતાં તેની તરફ પણ ગોળીબાર કરાયો હતો. આ ગોળી તેના જમણાં પગે પીંડીનાં ભાગે વાગી હતી. ઇજાગ્રસ્ત પોલીસકર્મી અને હત્યારા રાહુલ જાેગીને સારવાર માટે ખસેડાયા હતાં.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution