ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2871   |  
ઉત્તરપ્રદેશથી ૧૦૦૦થી વધુ શ્રદ્ધાળુ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરશે

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત ૧૦૦૦ વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ચંદન તિલક અને ઉપવસ્ત્ર અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોને સન્માનપૂર્વક દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રત્યેક ભક્ત માટે જલાભિષેકની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોમનાથ મહાદેવના અલૌકિક દર્શન અને જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. પધારેલા ભક્તોને ભગવાન સોમનાથની સાયંકાળની આરતીના સુંદર દર્શન થઈ શકે તે હેતુથી, મંદિર પરિસરમાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયનમાં વિશાળ ન્ઈડ્ઢ સ્ક્રીન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભક્તોએ શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી નિમિત્તે તૈયાર કરાયેલ વિશેષ ગીત અને ડોક્યુમેન્ટ્રી નિહાળી હતી. શ્રી સોમનાથ મંદિરનો યુગ-યુગાંતરનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવતો ૩ડ્ઢ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને સૌ ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 2673   |  
ધ્રાંગધ્રામાં ‘બલિ’ માટે તાંત્રિક મહિલાએ બાળકનો જીવ લીધાની આશંકા, લોકોમાં આક્રોશ

ધ્રાંગધ્રા શહેરમાં એક અત્યંત હૃદયવિદારક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માત્ર ચાર વર્ષના નિર્દોષ બાળકની ર્નિમમ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનામાં અંધશ્રદ્ધા અને તાંત્રિક પ્રથાઓનો ભયાનક ચહેરો બહાર આવ્યો છે. બાળક કાર્તિકના રહસ્યમય મૃત્યુ પાછળ તાંત્રિક વિધિઓ અને ખોટા ધાર્મિક દાવાઓ જવાબદાર હોવાની શંકાએ સમાજને હચમચાવી દીધો છે. આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે અંધવિશ્વાસ કેટલો ખતરનાક બની શકે છે. મૃતક બાળક કાર્તિકના પિતા ફારુકભાઈ બળદેવભાઈ એછવાડિયા અને તેમના પરિવારને પહેલેથી ચાર દીકરીઓ હતી. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા આ પરિવારે પડોશમાં રહેતા રેહાનાબેન પર વિશ્વાસ કર્યો હતો. આ મહિલા પોતાને માતાજીના ભુવા તરીકે ઓળખાવતી હતી અને તેણે પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે ‘બાધા’ આપવાનો દાવો કર્યો હતો. સમય જતાં ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પરિવારમાં પુત્રનો જન્મ થયો. જેને કાર્તિક નામ આપવામાં આવ્યું. જાેકે બાળકના જન્મ બાદ તાંત્રિક મહિલાએ પશુ બલિ આપવાની માંગણી કરી હતી. જેને બાળકની માતાએ સ્પષ્ટપણે નકારી કાઢી હતી. આ મુદ્દે થયેલા વિવાદ પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. ૪ એપ્રિલના રોજ કાર્તિક પોતાના ઘરની નજીક રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો. પરિવારે તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી. પરંતુ કોઈ સફળતા મળી નહોતી. થોડા સમય બાદ શંકાસ્પદ પરિસ્થિતિઓ વચ્ચે તાંત્રિક મહિલાના ઘરમાં આવેલા પાણીના ટાંકામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી અને પરિવાર તેમજ સ્થાનિકોમાં ભારે દુ:ખ અને રોષ ફેલાયો. આશ્ચર્યજનક રીતે શરૂઆતમાં પરિવારે કોઈ કાયદેસર કાર્યવાહી કર્યા વિના જ બાળકના મૃતદેહને દફનાવી દીધો હતો. પરંતુ સમય જતાં હત્યાની શંકા વધુ મજબૂત બનતા લગભગ ૧૨ દિવસ બાદ ધ્રાંગધ્રા પોલીસ પાસે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને મૃતદેહને કબરમાંથી બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો. તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા આરોપી તાંત્રિક મહિલા સામે હત્યા, કાળા જાદુ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો અને તેની ધરપકડ કરવામાં આવી. આ ઘટના માત્ર એક ગુનાહિત કૃત્ય નથી. પરંતુ સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. અંધશ્રદ્ધા અને ખોટા ધાર્મિક દાવાઓના નામે લોકો કેવી રીતે ભ્રમિત થાય છે અને તેનો અંત કેટલો ભયાનક બની શકે છે. તે આ બનાવે સ્પષ્ટ કર્યું છે. નિર્દોષ બાળકની હત્યાએ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને લોકો હવે આવા તાંત્રિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ કેસ સમાજને જાગૃત રહેવા અને વૈજ્ઞાનિક વિચારધારા અપનાવવાની જરૂરિયાત તરફ સંકેત આપે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 3762   |  
ચૂંટણી પહેલાં નણંદ નયનાબા અને ભાભી રીવાબા વચ્ચે શુભેચ્છાના નામે મ્હેણાટોણાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આખા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચારની સાથે સાથે એકબીજાના ઉમેદવારોને વાકબાણોથી પાડવાનું પણ કામ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં બહુચર્ચિત સૌરાષ્ટ્રના નણંદ ભાભીની જાેડી ફરી ચર્ચામાં આવી છે. નયનાબા અને રિવાબાએ એકબીજાને શુભેચ્છાની સાથે મ્હેણા ટોણા પણ માર્યા હતાક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાએ પોતાના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી હતી. જાેકે, આ મુદ્દો હાલ ચર્ચાનું કારણ બન્યો છે. નયનાબા જાડેજાએ ભાભીએ આપેલી શુભેચ્છા અંગે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના જે કોઈ વ્યક્તિઓ મને શુભેચ્છા પાઠવી રહ્યા છે તેમનો આભાર. રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ સાથે જાેડાયેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છાઓ પાઠવી હતી. શુભેચ્છાની સાથે તેમણે ભાજપની જીતનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ચૂંટણી લડનાર દરેકને મારી શુભેચ્છાઓ છે, પરંતુ મને ભાજપના કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે. આગામી ૨૮ તારીખે જ્યારે પરિણામ આવશે, ત્યારે જીત તો ભારતીય જનતા પાર્ટીની જ થશે.” રીવાબાની આવી શુભેચ્છા પર નયનાબા જાડેજાએ હસતાં હસતાં પ્રતિક્રિયા આપી હતી. નયનાબાએ આ અંગે જણાવ્યું હતું કે, “શુભેચ્છા આપવા બદલ હું તેમનો આભાર માનું છું, પરંતુ આ જે નિવેદનો છે તે તેમનો ‘ઓવર કોન્ફિડન્સ‘ છે એટલે એ લોકો કોઈ સેટિંગ કરવાના લાગે છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
19, એપ્રીલ 2026 2673   |  
જૂનાગઢના શીલ પોલીસ સ્ટેશનના પકડાયેલા આરોપી પાસેથી બેંકની ૨૫ પાસબૂક જપ્ત

અમદાવાદના મેમનગરમાંથી જૂનાગઢનો શીલ પોલીસ સ્ટેશનના સાયબર છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતો ફરતો આરોપી કેવિન દેકીવાડીયાને ર્જીંય્ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી કેવિન દેકીવાડીયા, જે મૂળ જૂનાગઢના ઝાંઝરડા રોડનો રહેવાસી છે, તે અમદાવાદના મેમનગર સ્થિત નિલમણી સોસાયટીના ઓક્સફોર્ડ ટાવરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. આ બાતમીના આધારે ર્જીંય્ની ટીમે દરોડો પાડીને તેની અટકાયત કરી હતી. આરોપી પાસેથી જુદીજુદી બેંકોની ૨૫ પાસબુકો, ૪૩ જેટલા એટીએમ કાર્ડ્સ, ૨૩ સીમકાર્ડ અને ૫ મોબાઈલ ફોન મળી આવ્યા છે.આટલી મોટી સંખ્યામાં પાસબુક અને એટીએમ કાર્ડ મળી આવતા પોલીસને આશંકા છે કે આ એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો ભાગ હોઈ શકે છે. હાલમાં આ તમામ મુદ્દામાલ બાબતે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગથી જાણવાજાેગ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આટલા બધા બેંક એકાઉન્ટ્સ અને સીમકાર્ડનો ઉપયોગ કોના નામે અને કઈ રીતે કરતો હતો. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, એપ્રીલ 2026 3564   |  
લીંબડીમાં મધરાત્રે મકાનમાં આગ લગતા ૨ વ્યક્તિના મોત, એક સારવાર હેઠળ, આગ લાગવાનું કારણ અકબંધ

લીંબડી શહેરમાં મોડી રાત્રે બનેલી આગની ઘટનામાં ૨ લોકોના કરૂણ મોત થયા છે. વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલ વોરા સોસાયટીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી, જેમાં બે લોકોનાં દુ:ખદ મોત નિપજ્યાં છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ રાત્રિના સમયે આગ લાગી તે વખતે મકાનમાં કુલ ત્રણ લોકો હાજર હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેઓ બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. દુર્ભાગ્યે એક મહિલા અને એક પુરુષ આગની ઝપેટમાં આવી જતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ત્રીજા વ્યક્તિને બચાવ ટીમે સમયસર બહાર કાઢી લીધો હતો અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે મકાનમાં લગાવવામાં આવેલ એર કન્ડીશનર (એ.સી.)માં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. જાેકે, આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે ભારે મહેનત કરવી પડી હતી, કારણ કે મકાનના અંદરના ભાગમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટના બાદ સ્થાનિક રાજકીય આગેવાનો અને ધારાસભ્ય પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પીડિત પરિવારને સાંત્વના આપી હતી.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2772   |   વડોદરા   |  
યુસુફ પઠાણના સસરા અને તેમના સાળાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણના સસરાની તેમના પુત્ર અને અન્ય એક સંબંધી સાથે ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે બે દિવસ પહેલા, ભાયખલા વિસ્તારમાં એક વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે વ્યક્તિની કાર ખાડામાંથી પસાર થઈ હતી અને તેમાંથી એક પર પાણી છાંટા પડ્યા હતા. ભાયખલા પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસી યુસુફ ખાન શનિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાંથી પાણીના છાંટા પડ્યા અને શોએબ ખાન પર પડ્યા. યુસુફ ખાને પોલીસને જણાવ્યું કે તેણે કાર રોકી અને તરત જ માફી માંગી, પરંતુ શોએબે તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને વાંસની લાકડીથી કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ શોએબે યુસુફ ખાન પર હુમલો કર્યો, જેમાં તેમને ઈજા થઈ.ઘરે પાછા ફર્યા પછી, યુસુફ ખાનના પરિવારે તેને પોલીસ પાસે જવાની સલાહ આપી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં, તેમનો સામનો ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) સાથે થયો, જેણે તેના પુત્ર ઉમરશાદ ખાન, શોએબ અને અન્ય આરોપી શાહબાઝ પઠાણ સાથે મળીને દલીલ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ, ખાલિદ, ઉમરશાદ, શોએબ અને શાહબાઝે યુસુફ ખાન અને તેના સંબંધીઓ પર વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2772   |   વડોદરા   |  
જમ્યાં બાદ ૪૦૦થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ગઈકાલ સોમવારે રાત્રે ભોજન સમારંભ બાદ ભોજન આરોગનાર ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલાઓને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદમાં એક તરફ લગ્નસરાની મોસમ પુર બહારમાં ખીલી છે. અને ઠેર ઠેર લગ્ન પ્રસંગોના જમણવાર યોજાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આગ ઓકતી ગરમીએ તોબા પોકારાવી દીધા છે. અને આવી આગ ઝરતી ગરમીમાં તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેત રહેવા માટે લોકોને કરવામાં આવતી અપીલ વચ્ચે ગરબાડાના અભલોડ ગામે એક લગ્ન પ્રસંગના યોજાયેલ જમણવારમાં ભોજન કર્યા બાદ ૪૦૦ થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં રીતસર દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના બાદ તાત્કાલિક ધોરણે ખોરાકી ઝેરની અસર પામેલા તમામ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ, તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતાં. જ્યારે ૨૦૦થી વધુ લોકોને ગામમાં જ સ્થાનિક ડોક્ટરો દ્વારા તેમજ ગામના સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગરબાડા તાલુકાના અભલોડ ગામના ગામતળ ફળિયામાંય રહેતા ભરતભાઈ રાઠોડના નાના છોકરાના લગ્ન હોવાથી લગ્નમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવારમાં દાળ, ભાત, પૂરી, શાક, પાપડ, કેરીનો રસ તેમજ પનીરનું શાક વગેરે વ્યંજનો બનાવવામાં આવ્યા હતા. જે ખાધા બાદ ૪૦૦ થી વધુ એટલે કે ૭૦% લોકોને ખોરાકની ઝેરની અસર થઈ હતી. સાંજના છ વાગ્યાથી શરૂ થયેલા જમણવારમાં ભોજન આરોગ્ય બાદ રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ તમામ લોકોને એક પછી એકને ખોરાકી ઝેરની અસર વર્તાતા ગામમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી તમામ અસરગ્રસ્ત લોકોને ૧૦૮ ઇમરજન્સી વાન તથા ખાનગી વાહનો તેમજ જેને જે મળે તે સાધનમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા હતા.૫૦થી વધુ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ૧૫૦થી વધુ લોકોને દાહોદની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર હશે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય અંદાજે ૨૦૦ જેટલા લોકોને ગામમાં જ હાજર પાંચ થી છ ડૉક્ટરો તેમજ પીએસસી સેન્ટરના ડોક્ટરોને બોલાવી હળ પર જ સારવાર આપવાની ગોઠવણ કરવાની ફરજ પડી હતી. આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી જેથી તંત્રએ હાશકારો લીધો છે. કેટલાકને ખોરાકી ઝેરની ગંભીર અસર થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૈકી કેટલાકને આજે સવારે રજા આપી દેવામાં આવી હોવાનું જ્યારે કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ખોરાકી ઝેરની અસર થઈ હોવાની જાણ થતા જ ફૂડ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ સફાળું જાગી ઉઠ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2574   |   વડોદરા   |  
મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે ઓનલાઇન ઈન્જેક્શન વેચતા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી

વડોદરા ખોરક અને ઔષધ નિયમન તંત્રની ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા ગત તા.૨૨મી ડિસેમ્બરના રોજ હાથ ધરાયેલી તપાસમાં રાજ્યમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વડોદરાના દિવાળીપુરા, આર.કે પ્લાઝા સ્થિત હેક્સપ્રેસ હેલ્થકેર કન્સ્યુમર લી,ની શંકાસ્પદ ભૂમિકા જણાતા તેની તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં સારાભાઈ રોડ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે આવેલ એટલાન્ટીસ કોમ્પલ્ક્સમાં આવેલ મેડીકેમેન્ટ સોલ્યુશન પ્રા.લી. નામના મેડીકલ સ્ટોરનું નામ પ્રકાશમાં આવ્યુ હતુ.આ મેડીકલ સ્ટોર દ્વારા મેદસ્વીતા ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા મોન્જારો ક્વીકપેન નામના ઈન્જેક્શનનું વેબસાઈટ પર ભ્રામક જાહેરાતો દ્વારા ગેરકાયદસર રીતે વેચાણ કરવામાં આવતુ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.ત્યારે તંત્રના અધિકારીઓ બનાવટી ગ્રાહક બનીને ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. જેમાં દવા-ઈન્જેક્શન ભરેલુ પાર્સલ, પોસ્ટ મારફતે મળતા જેનુ પંચનામું કરીને કાર્યવાહી કરાઈ હતી. સંસ્થાઓ અને સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા મેળાપીપણુ રચીને ડોક્ટરની સલાહ કે માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન ઓર્ડર મેળવીનેે દર્દીની શારીરીક સ્થિતિની તપાસ કર્યા વગર સીધાજ ધરના સરનામે આ દવાઓ કુરીયર દ્વારા મોલલવામાં આવતી હતી. પ્રક્રિયામાં દવાની ગંભીર આડઅસરો છુપાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતા હતા. તંત્ર દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટના ભંગ બદ્દલ મે.સ. મોડીકેમેન્ટ સોલ્યુશન્સ પ્રા. લી.નું લાયસન્સ તાત્કાલીક કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું હતુ.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2574   |   વડોદરા   |  
જનતાનું કામ હોય તો આચારસંહિતા નડે, તો શું આને કોઈ નિયમ નથી નડતા?

વડોદરા શહેર, જેને આપણે સંસ્કારી નગરી કહીએ છીએ, ત્યાં અત્યારે જે દ્રશ્યો જાેવા મળી રહ્યા છે તે સંસ્કારિતા નહીં પણ ‘સત્તાની ર્નિલજ્જતા’ના દર્શન કરાવે છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, આચારસંહિતાનો અમલ ચાલુ છે, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી)ના તંત્ર માટે આ આચારસંહિતા માત્ર જનતાના કામો રોકવા માટેનું એક બહાનું બની ગઈ છે. જ્યારે સામાન્ય નાગરિક પોતાની ગલીના ખાડા, ગંદા પાણી કે ઉભરાતી ગટરની ફરિયાદ લઈને જાય છે, ત્યારે તંત્ર ‘આચારસંહિતા નડે છે’ કહીને તેને મોઢા પર જવાબ આપી દે છે. પરંતુ, શું આ આચારસંહિતા મેયર અને ડેપ્યુટી મેયરની આલીશાન ચેમ્બરોના રંગરોગાન માટે નથી નડતી?ગુજરાત રાજ્યની જનતા જે પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરે છે, તે નાણાંનો ઉપયોગ અત્યારે જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે સત્તાના સિંહાસનોને ચમકાવવા માટે થઈ રહ્યો છે. મેયર અને ડેપ્યુટી મેયરની ચેમ્બરોથી લઈને સભાખંડ સુધી જે રીતે ફર્નિચર રિપેરિંગ અને પેઇન્ટિંગનું ‘યુદ્ધના ધોરણે’ કામ ચાલી રહ્યું છે, તે જાેઈને સવાલ થાય છે કે શું આ કોર્પોરેશન છે કે કોઈ નેતાના ઘરનો પ્રસંગ? જે ઝડપ અત્યારે સભાખંડને ‘લવિંગિયા’ જેવો લુક આપવામાં બતાવવામાં આવી રહી છે, જાે તેની દસ ટકા ઝડપ પણ શહેરના ફતેગંજ, કારેલીબાગ, રાવપુરા, અલકાપુરી કે માંજલપુરના રસ્તાઓ ઠીક કરવામાં બતાવી હોત, તો આજે જનતાએ આક્રોશ ન ઠાલવવો પડત. તંત્રની બેવડી નીતિ જુઓ, નવા રસ્તા બનાવવા હોય, પાણીની લાઈન નાખવી હોય કે સ્ટ્રીટ લાઈટ રિપેર કરવી હોય તો આચારસંહિતાનો કાયદો વચમાં આવે છે. પણ જ્યારે નવી ચૂંટાનારી બોડીના સ્વાગત માટે લાલ જાજમ બિછાવવાની હોય અને એર-કન્ડિશન્ડ ચેમ્બરોને ચકચકાટ કરવાની હોય, ત્યારે કોઈ કાયદો નડતો નથી. આને જ કહેવાય ‘લોકોને ઉલ્લૂ બનાવવાની કળા’. વડોદરા તંત્ર અત્યારે એવા બાપની ભૂમિકા ભજવી રહ્યું છે જેની પાસે દીકરીના લગ્નની તૈયારી માટે તો લાખો રૂપિયા છે, પણ આખા વર્ષ દરમિયાન ઘરના રાશન માટે પૈસા નહોતા. કોણ મેયર બનશે અને કોણ સત્તા પર બેસશે તે તો મતપેટીઓ નક્કી કરશે, પણ તંત્રએ તો ‘વર વગર જાન’ જાેડી દીધી છે. જનતા પૂછી રહી છે કે- શું નવી ચેમ્બરોમાં બેસવાથી વડોદરાના દૂષિત પાણીની સમસ્યા ઉકેલાઈ જશે? શું મોંઘા ફર્નિચર પર બેસનારા નેતાઓ રસ્તા પરના જીવલેણ ખાડાઓ જાેઈ શકશે? શું રંગરોગાન કરેલી દીવાલોની પાછળ જનતાની ચીસો દબાઈ જશે? વડોદરા મહાનગર પાલિકાનું આ વલણ અત્યંત નિંદનીય છે. એક તરફ શહેર સ્માર્ટ સિટીના નામે માત્ર કાગળ પર ચમકી રહ્યું છે અને બીજી તરફ વાસ્તવિકતામાં ગટર અને ગંદકીના ગંજ છે. જનતાના ટેક્સના નાણાં આ રીતે ધુમાડો કરવા માટે નથી.સત્તાના નશામાં ચૂર નેતાઓ અને તેમના ઈશારે નાચતું તંત્ર એ ભૂલી ગયું છે કે આ આલીશાન ચેમ્બરો જનતાની ભીખ નથી, પણ જનતાની સેવા માટેની અમાનત છે. જાે નવી બોડીના સ્વાગત માટે આટલો ઉત્સાહ હોય, તો ચૂંટાયા પછી પ્રજાનાં કામો માટે આનાથી બમણો ઉત્સાહ હોવો જાેઈએ. વડોદરાના નાગરિકોએ હવે સવાલ પૂછવાની જરૂર છે- જાે અમારી ગલીનો રસ્તો આચારસંહિતામાં નથી બનતો, તો તમારી ચેમ્બરની દીવાલ પર રંગ કેમ ચડે છે? તંત્રના આ ભ્રષ્ટ અને પક્ષપાતી વલણના કપડાં અત્યારે વડોદરાની શેરીઓમાં ઉતરી રહ્યા છે. જાે દીવાલો જ ચમકાવવી હોય તો ઓફિસની નહીં, જનતાના જીવનની ચમકાવો. બાકી આ ‘ચકચકાટ’ ચૂંટણીના પરિણામો પછી ફીકો પડી જશે એ નક્કી છે. જનતાના ખિસ્સા ખાલી કરીને નેતાઓના ઠાઠ વધારતા તંત્રને શરમ આવવી જાેઈએ. આચારસંહિતા નિયમ છે, અન્યાય કરવાનું લાયસન્સ નથી!


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2673   |   વડોદરા   |  
વોર્ડ-૭માં રજૂઆત કરતાં અટકાવવા ઢોલ વગાડ્યા!

વડોદરા શહેરના કારેલીબાગ વોર્ડ નં-૭માં આવેલી આનંદનગર સોસાયટીમાં પ્રચાર માટે ગયેલા ભાજપાના ઉમેદવારોને એક સિનિયર સીટીઝન દ્વારા વરસાદી ગટર, રોડ સહિતના પ્રશ્નોની રજૂઆત કરતા હતા. દરમિયાન તેમનો અવાજ સંભળાય નહી તે માટે ફેરણીમાં ઉપસ્થિત કાર્યકરોએ ભારત માતાકી જયના સૂત્રોચ્ચાર કરીને ઢોલ વગાડવાની શરૂઆત કરાવીને લોકોનો અવાજ દબાણવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ સ્થાનિક રહીશોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી.વોર્ડ નં-૭માં ભાજપાના ઉમેદવારો કારલીબાગ આનંદનગરમાં પ્રચાર માટે ગયા હતા. દરમિયાન એક સિનિયર સીટીઝન દ્વારા તેમના વિસ્તારમાં વરસાદી લાઈન અને રોડ સહિતના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યાં હતા. ત્યારે ફેરણીમાં ઉપસ્થિત કાર્યકરોએ તુરંત ભારત માતાકી જયના સૂત્રોચ્ચાર કરીને ઢોલ નગારા વગાડવાની શરૂઆત કરાવીને નાગરિકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારની મહિલાએ કહ્યું હતુ કે, અમારી સોસાયટીમાં ૧૦ વર્ષથી ભાજપા આવે છે. અને હાથ જાેડ છે. રોડ, ડ્રેનેજની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ગત પૂરમાં અમને ભારે નુકસાન થયું કોઈ જાેવા માટે આવ્યા ન હતા. અને આજે જ્યારે રજૂઆત કરતા હતા ત્યારે ઢોલ વગાડીને ્વાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહ્યું હતુ.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 3267   |  
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની ટ્રેક સિસ્ટમનો ઉપયોગ થશે

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની શિંકાનસેન ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. ત્ન-સ્લેબ બેલેસ્ટલેસ આધારિત ટ્રેક સિસ્ટમનો ભારતમાં પ્રથમ વખત ઉપયોગ થશે. ગુજરાતમાં સુરત નજીક કિમ અને આણંદ ખાતે બે આધુનિક ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે. ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગનાં કારખાનાઓ ઉચ્ચ ગુણવત્તાવાળા કાંક્રીટ સ્લેબને ચોક્કસ માપદંડ સાથે તૈયાર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, કારખાનાઓમાં બનેલા ટ્રેક સ્લેબને સ્ટેકિંગ વિસ્તારમાં સંગ્રહિત કરવામાં આવે છે. બાદમાં ટ્રેલરો દ્વારા ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ સુધી પહોંચાડવામાં આવે છે, જે જમીન તેમજ વાયાડક્ટ પર ટ્રેક સ્લેબ, મશીનરી અને સાધનોના સંચાલન માટે આધારરૂપ બને છે. ટ્રેક નિર્માણ માટે રેલ, ટ્રેક સ્લેબ, મશીનરી અને સાધનો માટે કન્સ્ટ્રક્શન બેઝ સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલમાં ૧૦ ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ કાર્યરત છે. જેમાંથી ૪ સુરત–બિલીમોરા–વાપી વિભાગ વચ્ચે અને ૬ વડોદરા–આણંદ–અમદાવાદ વિભાગ વચ્ચે આવેલા છે. ટ્રેક સ્થાપન પ્રક્રિયા સંપૂર્ણપણે આધુનિક મશીનરી દ્વારા જાપાનની બાંધકામ પદ્ધતિઓ મુજબ ડિઝાઇન કરવામાં આવી છે. ૨૫ મીટર લાંબી ૬૦ કિલોગ્રામ રેલને ફ્લેશ બટ વેલ્ડિંગ મશીન દ્વારા જાેડીને ૨૦૦ મીટર લાંબા પેનલ બનાવવામાં આવે છે, જે ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ પર વાયાડક્ટ ઉપર તૈયાર થાય છે. ૩૨૦ કિમી પ્રતિ કલાકની ગતિએ હાઇ-સ્પીડ ટ્રેન સંચાલન માટે યોગ્ય બનાવવા માટે, રેલ વેલ્ડિંગ શરૂ કરતાં પહેલાં કડક પરીક્ષણ અને મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 3069   |  
સેશન્સ કોર્ટનો ચૂકાદો : સામૂહિક દુષ્કર્મના ત્રણ આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ

માનવજાતને હચમચાવી દેનારા સામૂહિક દુષ્કર્મના કેસમાં કલોલની સ્પેશિયલ પોક્સો કોર્ટે અત્યંત કડક વલણ અપનાવી ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યાે છે. ૪થા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપૂત દ્વારા આ કેસના ત્રણેય આરોપીઓને તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં જ વિતાવવા પડે તે પ્રકારની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદાએ ગુનેગારોમાં કાયદાનો ફફડાટ પેદા કરવાની સાથે સમાજમાં ન્યાયતંત્રની સર્વાેપરિતા સાબિત કરી છે.ચોંકાવનારા કેસની વિગત મુજબ, વર્ષ ૨૦૧૮માં સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં એક સગીરા પર થયેલા અત્યાચારના સંદર્ભમાં ગુનો દાખલ થયો હતો. જેમાં આરોપી વિપુલ અમરતજી ઠાકોરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લલચાવી-ફોસલાવી બાઈક પર તેનું અપહરણ કરી મિત્રના ખેતરમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યાે હતો. ત્યારબાદ તે પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી અડધી રાત્રે શેરીસા કેનાલ પર અસહાય હાલતમાં મૂકીને નાસી છૂટ્યો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા અન્ય આરોપીઓ અરવિંદ મેલાજી ઠાકોર અને બળદેવજી ઉર્ફે પપ્પુ ઠાકોરે મદદ કરવાને બદલે સગીરાની લાચારીનો લાભ લીધો હતો અને વારાફરતી સગીરા પર હેવાનીયતભર્યું સામુહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ કેસ કલોલની પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીગ્નેશ એચ. જાેશીએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, ભોગ બનનાર સગીર વયની હોવા છતાં આરોપીઓએ તેના ભોળપણનો જે રીતે ગેરલાભ લીધો છે તે સમાજ માટે કલંક સમાન છે. કોઈપણ સ્ત્રી માટે આવું નરકાગાર જેવું કૃત્ય આજીવન દુ:સ્વપ્ન બની જાય છે. જ્યારે આરોપીઓ સ્ત્રીની વેદના અને ચીસો સાંભળીને પણ ન અટક્યા હોય, ત્યારે તેમને સમાજમાં રહેવાનો કોઈ અધિકાર નથી અને તેઓ માત્ર કઠોર સજાને જ પાત્ર છે. ન્યાયાધીશે ચુકાદાના પ્રારંભે સંસ્કૃત શ્લોક ટાંકીને દંડ શાસ્ત્રની મહત્તા સમજાવી હતી. તેમણે અવલોકન કર્યું હતું કે, દુષ્ટ અને ધૂર્ત લોકોને શિક્ષા આપવી એ જ ધર્મનો અસલી પ્રચાર છે. આ કેસમાં કોર્ટે આરોપી નંબર-૨ અરવિંદ અને આરોપી નંબર-૩ બળદેવજી તેમજ પ્રથમ આરોપી અરવિંદને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને આજીવન એટલે કે છેલ્લા શ્વાસ સુધીના કારાવાસની સજા અને પ્રત્યેકને રૂ.૫૦ હજારનો દંડ ફટકાર્યાે છે. ઉલ્લેખનિય છે કે, ચુકાદા સમયે આરોપી અરવિંદ ફરાર હતો અને જામીન મેળવી નાસી ગયો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2772   |  
મહિલાને ચોરીના સોનાના દાગીના સાથે પકડી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદના વિવેકાનંદર નગર સ્થિત ગઈ તા.૧૯/૦૪/૨૦૨૬ લાલગેબી આશ્રમ રામપીરના મંદીર ખાતે દર્શન કરવા આવેલ મહીલાના ગલા માંથી ભીડનો લાભ લઇ સોનાની પેન્ડલ સાથેની ચેઇન ચોરી થવા બાબતે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતોય જેના આધારે પેટ્રોલીંગ દરમ્યાન મહીલા-સીમા રોહીત કરબે ઉ.વ.૩૦ રહે.ઓ/૩૦૨ મહાલક્ષ્મીનગર પાસે અમરાવાડી અમદાવાદ શહેરને જમાલપુર બ્રિજ નીચેથી ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ સોનાની પેન્ડલ સાથેની ચેઇન કિમત રૂપિયા-૧,૪૨,૯૫૦/- ની કબ્જે કરી મહીલાને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ગુનાના કામે સોપવા તજવીજ કરેલ છે. આરોપી પાસેથી સોનાની પેન્ડલ સાથેની ચેઇન કિમત રૂપિયા-૧,૪૨,૯૫૦/ જપ્ત કરવામાં આવેલ છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2772   |  
સ્ટોર મેનેજરે લાખોની ઉચાપત કરી હોવાની ફરિયાદ, મોંઘોદાટ મોબાઇલ પણ ગુમ થયા

અમદાવાદના પાલડીમાં આવેલી ખાનગી ટેલિકોમ કંપનીમાં સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવતા શખસે કંપની સાથે લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. કંપનીના ઇન્ટરનલ ઓડિટમાં નાણાકીય અનિયમિતતાઓ અને સ્ટોકમાંથી કિંમતી મોબાઈલ ગાયબ હોવાનું બહાર આવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ફરિયાદ મુજબ, આરોપી વરુણ ચંદુભાઈ ગજેરા ખાનગી ટેલિકોમમાં સ્ટોર મેનેજર તરીકે કાર્યરત હતો અને રોકડ વ્યવહારો તેમજ વેચાણની જવાબદારી સંભાળતો હતો. ગત ૨૮ જાન્યુઆરીના રોજ કંપનીના ઝોનલ સેલ્સ મેનેજર દ્વારા સ્ટોરનું ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં મસમોટી ગેરરીતિઓ પકડાઈ હતી.તપાસમાં બહાર છે કે, મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક એસેસરીઝના વેચાણ પેટે મળેલા રૂ.૪.૯૧ લાખ નિયમ મુજબ બીજા દિવસે કંપનીના ખાતામાં જમા કરાવવાના હતા, પરંતુ વરુણે આ રકમ જમા કરાવી નહોતી. આ ઉપરાંત, કંપનીના ઇન્ટરનલ ટ્રાન્સફરના ૫૦,૦૦૦ રૂપિયા પણ સગેવગે કરવામાં આવ્યા હોવાનું ઓડિટમાં જણાયું હતું. સ્ટોકની તપાસ દરમિયાન પણ ૮૩ હજારની કિંમતનો એક સ્માર્ટફોન પણ ગાયબ હતો. રેકોર્ડ પર આ ફોન સ્ટોકમાં હોવાનું બતાવવામાં આવતું હતું, પરંતુ પ્રત્યક્ષ તપાસમાં તે મળ્યો નહોતો. આમ, કુલ મળીને રૂ.૬.૨૪ લાખની માતબર રકમ અને માલસામાનની ઉચાપત સામે આવી છે.કંપનીના ફાઈનાન્સ પ્રોફેશનલ મુકેશકુમાર મોહનદાસે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી વરુણ પાસે ઉચાપત કરેલા નાણાં અને ગુમ થયેલા ફોન વિશે ખુલાસો માંગવામાં આવ્યો હતો, પરંતુ તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો અને નાણાં પરત કર્યા ન હતા. આખરે કંપનીએ કાયદેસરના પગલાં ભરી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી ઓડિટર અને અન્ય સ્ટાફના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2673   |  
પોતાને ભુવા તરીકે ઓળખાવતા ઢોંગીને અમદાવાદ શહેર એલસીબી ઝોન-૭એ ઝડપ્યો

અમદાવાદ શહેરની એલસીબી ઝોન-૭ પોલીસે ભુવા તરીકેની ઓળખ આપી નિર્દોષ મહિલાઓને શિકાર બનાવતા ઢોંગીની ધરપકડ કરી છે. આધ્યાત્મિક શક્તિના બહાને છેતરપિંડી કરતા આ શખ્સ પાસેથી પોલીસે પોણા બે લાખના સોનાના દાગીના જપ્ત કર્યા છે. અમદાવાદ ઝોન-૭ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને મુકેશનાથ નટવરનાથ ચૌહાણ (૨૭ વર્ષ, રહે. દહેગામ) નામના શખશને ઝડપી પાડ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી બનાસકાંઠાના પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ હતો. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છેતરપિંડીની ઘટનામાં પણ તે નાસતો ફરતો હતો. અગાઉ તેની સામે અમદાવાદના વાસણા અને રામોલ પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે.ઠગ ભુવો મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. રસ્તા પર એકલી જતી મહિલાઓને રોકીને વાતચીત શરૂ કરતો. પોતે આધ્યાત્મિક શક્તિ ધરાવે છે અને ભુવો છે તેવો ડોળ કરી મહિલાઓને વાતોમાં ભોળવતો. મહિલાઓને વિધિ કે ભક્તિના નામે ડર બતાવી તેમનો વિશ્વાસ જીતતો હતો. છેતરીને મહિલાઓ પાસેથી સોનાના દાગીના ઉતરાવી લેતો અને પળવારમાં ફરાર થઈ જતો. ધરપકડ બાદ પોલીસે આરોપી પાસેથી રૂ. ૧,૭૫,૦૦૦ની કિંમતની સોનાની કાન સેર સાથેની બે બુટ્ટીઓ રિકવર કરી છે. આ ધરપકડ સાથે પોલીસે પાલનપુર અને રાજકોટના બે વણઉકેલ્યા (અનડિટેક્ટ) ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે રસ્તા પર કોઈ અજાણ્યા વ્યક્તિની આવી વાતોમાં આવીને કિંમતી દાગીના કે રોકડ ગુમાવવી નહીં અને શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2376   |  
દમણમાં થ્રી સ્ટાર હોટેલ સાથેનાં પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનાર બે વેપારી સાથે ૧.૨૬ કરોડનું ફ્રોડ

બમરોલી રોડ, ઓપેરા હાઉસની બાજુમાં કિરણ મોટર્સની ઉપર ઓફિસ ધરાવતા બિલ્ડર ભરત ભારવાનીએ દમણના કથીરીયાના ગામે સ્કાય ડેક નામનો પ્રોજેક્ટ મુક્યો હતો. બુકિંગના નામે પૈસા લેનારા બિલ્ડરે રોકાણકારો સાથે કરોડોનું ચીટિંગ કર્યું હતું. ખટોદરા પોલીસ મથકના સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પીપલોદમાં જીમખાના રોડ ઉપર ઝીંઝર હોટેલ પાસે ચેવલી બંગલોમાં અરવિંદ નટવરલાલ ચેવલી તેમના પરિવાર સાથે રહે છે. ટેક્સટાઇલનો વેપાર કરતાં અરવિંદ ચેવલીને કન્સ્ટ્રક્શનનાં ધંધા સાથે સંકળાયેલા ભરત મોહનદાસ ભારવાની (ઉર્ફે ભરત સિંધી), (રહે. મોનાલીસા પાર્ક, સિટી લાઇટ રોડ, અને વિજય હરેન્દ્રલાલ મહેતા (રહે, નીતા સોસાયટી,તાડવાડી રાંદેર રોડ) સાથે ઓળખ પરિચય હતો. નવા બમરોલી રોડ ઉપર ઓપેરા હાઉસની બાજુમા કિરણ મોટર્સની ઉપર આવેલી ઓફિસમાં થયેલી મિટીંગમાં ભરત ભારવાનીએ જણાવ્યું હતું કે, તેમણે દમણ ખાતે એક સાઇડ ચાલુ કરી છે. થ્રી સ્ટાર હોટેલ અને ફ્લેટ સહિત ૧૧ માળના આ પ્રોજેક્ટમાં સસ્તા ભાવે મકાન આપવાના હોય તમો કોઈ ઇન્વેસ્ટ કરવા ઇચ્છતા હોય તો જણાવજો. ભરતની આ વાતમાં ચેવલીએ રસ દાખવ્યો હતો. ત્યારબાદ બિલ્ડર ભરતનાં કહેવાથી દમણનાં કથીરીયા ગામે સર્વે નંબર- ૭૭/૧(૪) તથા સર્વે નંબર-૭૭/૧(૫) થી નોંધાયેલી જમીન ઉપર બાંધવામાં આવનારા “સ્કાય ડે”નામની બિલ્ડિંગમાં ચેવલી અને તેના મિત્રએ ફ્લેટ બુક કરાવ્યા હતાં. ચેવલી અને મહેતાએ ૦૩ જુલાઇ, ૨૦૧૭થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન ફ્લેટનાં કુલ ૧,૨૫,૬૪,૦૦૦ રૂપિયા વસૂલી લીધા હતા. બિલ્ડરે પૈસા લઇ કબજા રસીદ તો બનાવી આપી પરંતુ પ્રોજેક્ટ પુરો કરી ફ્લેટનો કબજો સોંપ્યો ન હતો. એટલું જ નહીં એ ફ્લેટ ફરી અન્યોને વેચી દસ્તાવેજ પણ કરી આપ્યાનું ચેવલીને જાણવા મળ્યું હતું. આ રીતે વિશ્વાસઘાત છેતરપિંડી કરનારા બિલ્ડર ભરત મોહન ભારવાની અને દલાલ વિજય હરેન્દ્રલાલ મહેતા સામે ચેવલીએ ફરિયાદ નોંધાવી હતી.વિશ્વાસઘાત છેતરપિંડીના સાત ગુનાઓ અને ચેક રિટર્નના ૩૫ કેસ નોંધાયેલા છે થ્રી સ્ટાટ હોટેલ સાથે અપાર્ટમેન્ટનું આયોજન મૂકી બુકિંગના નામે ફ્રોડ કરનારા બિલ્ડર ભરત ભરવાનીની આર્થિક ગુના નિવારણ શાખાના સબ ઇન્સપેક્ટર જે. આર. પવારે ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન એવી વાત બહાર આવી છે કે, ભરત મોટી માયા છે. તેની સામે વિશ્વાસઘાત છેતરપિંડીના ખટોદરા, સચિન અને અઠવાલાઇન્સ પોલીસ મથકમાં સાત ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. અઠવાલાઇન્સ પોલીસે બિલ્ડરની પાસા હેઠળ અટકાયત પણ કરી છે. આ ઉપરાંત ભરત સામે ચેક રિટર્નના ૩૫ જેટલા કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2277   |  
પાંડેસરાની દુકાનનાં ફેક દસ્તાવેજથી લેવાયેલા પીઓએસ મશીનથી લાખોનું સાયબર ફ્રોડ કરાયું

જુદી જુદી દુકાનોનાં ફોટા પાડી તેના નામે ફેક ઉદ્યમ સટિર્ફિકેટ મેળવ્યા બાદ તેના થકી બેંકમાંથી પીઓએસ મશીન મેળવી સાયબર ફ્રોડ માટે ઉપયોગ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પાંડેસરાના હરિઓમ નગરમાં રહેતાં મહેશસિંગ ભવરસિંગ રાજપુરોહિત રાજસ્થાનના પાલી જિલ્લાના વતની છે. તેઓ પાંડેસરા હાઉસિંગમાં જલારામ નગરમાં સિદ્ધિ વિનાયક નોવેલ્ટી નામથી દુકાન ધરાવે છે. આ દુકાન માટે તેઓએ માર્ચ ૨૦૨૩માં ઉદ્યમ સટિર્ફિકેટ પણ મેળવ્યું હતું. મહેશસિંગની આ દુકાનના નામે બોગસ ઉધ્યમ સટિર્ફિકેટ બનાવી તથા તથા દુકાનના ફોટાનો દુરુપયોગ કરી તેના નામે એક્સિસ બેન્કમાંથી પીઓએસ મશીન લેવાયું હતું. ગ્રાહકો પાસે કોઈ પણ પ્રકારના કાર્ડ અથવા ડિજિટલ માધ્યમથી પેમેન્ટ સ્વિકારવા ઉપયોગમાં લેવાતાં આ પીઓએસ એટલે કે પોઇન્ટ ઓફ સેલીંગ મશીનનો સાયબર ફ્રોડમાં ઉપયોગ કરાયો હતો.આ બાબત ધ્યાને આવતાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં મહેશસિંગના નામે આ પીઓએસ મશીન મંથન સુરેશભાઇ કુકડીયા (રહે.સી-૧૧૦૧, એપલ હેવન, શ્રી ફાર્મ પાસે, મોટા વરાછા) દ્વારા લેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ફેક ડોક્યુમેન્ટથી થર્ડ પાર્ટીનાં નામે પીઓએસ મશીન લઇ સાયબર ફ્રોડ કરનારા કુકડીયા ઉપરાંત પ્રિયાંશુ વિપુલભાઇ જેઠાલાલ મહેતા (રહે, શુભમ એવન્યુ, અબ્રામા રોડ, મોટા વરાછા સુરત શહેર, વતન- કાળીયાબીડ, વીરાણી સર્કલ, તા-જી.ભાવનગર) તથા ઉદય જયંતીભાઇ ઠાકરશીભાઇ ધડુક (રહે, એલીગંજા હોમ્સ, ખોલવાડ રોડ, લસકાણા, સુરત. વતન- દાતરડી, તા.રાજુલા, જી.અમરેલી) ની ધરપકડ કરી હતી. તપાસમાં એવી વાત બહાર આવી હતી કે, મંથન સુરેશભાઇ કુકડીયાએ સિધ્ધિ વિનાયક નોવેલ્ટી દુકાનના નામે ખોટી રીતે એક્સિસ બેન્કનું પીઓએસ મશીન મેળવી ઉદય ધડુકને આપ્યું હતું. ઉદયે આ મશીન હરિણાયાના સાયબર માફિયાને પહોંચાડ્યું હતું. આ મશીન સાથે મંથન કુકડીયાનું યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાનું એકાઉન્ટ એટેચ હતું. જેથી આ મશીનથી કરાયેલા ફ્રોડના ૨,૨૧,૩૪૫ રૂપિયા મંથનના એકાઉન્ટમાં આવ્યા હતાં. આ હેરાફેરીમાં દસ ટકા લેખે ૨૦ હજાર રૂપિયા કમિશન મંથનને મળ્યું હતું. જ્યારે ઉદય ધડુકે મંથનના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા તથા સીડીએમ મશીન થકી અન્ય એકાઉન્ટમાં જમા કરાવવાનું કામ પ્રિયાંશુ મહેતાને આપ્યું હતું. એકાઉન્ટમાંથી વિડ્રો કરાયેલા રૂપિયામાંથી પ્રિયાંશુને ૨૫ અને ઉદય કોટકને ૨૫ હજાર રૂપિયા કમિશન મળ્યું હતું. હવે પોલીસ પીઓએસ મશીનથી સાયબર ફ્રોડ કરનારા તથા ઉદય ધડુકે જેના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા હતાં એની શોધખોળ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2277   |  
પગાર ઘટાડ્યાં હોવાથી હીરા ઉદ્યોગપતિઓએ રત્નકલાકારોને અપીલ કરવાનો ઇન્કાર કરતાં ભાજપ નેતાગીરીમાં ચિંતા

સુરતનાં વરાછા, કતારગામ વિસ્તારમાં ૭-૮ મોટી હીરાની ફેક્ટરીઓ છે કે જ્યાં ૧૦ હજારથી લઇને ૨૨ હજાર જેટલા રત્નકલાકારો એક જ છત નીચે એટલે કે એક જ ફેક્ટરીમાં કાર્યરત છે. અત્યાર સુધી આ રીતે હજારો રત્નકલાકારો તેમના માલિક ઉદ્યોગપતિઓ કહે ત્યાં વોટ કરતા હતા પરંતુ, આ વખતે રત્નકલાકારોને સૂર અને તેવર બદલાયા છે એટલે ઉદ્યોગપતિઓ પણ તેમની પાસે વોટ માગવા આવતા ઉમેદવારોને રોકડું પરખાવી રહ્યાં છે કે આ વખતે રત્નકલાકારોને તેવર બદલાયા છે અને અમે જેની તરફેણ કરીશું સંભવ છે કે રત્નકલાકારો તેની વિરુદ્ધમાં જ વોટ કરશે.શહેરનાં જાણીતા ઉદ્યોગપતિ કહે છે કે હીરા કટિંગ પોલિશિંગની વિશ્વની સૌથી મોટી ફેક્ટરીઓ સુરતનાં વરાછા, કતારગામ વિસ્તારમાં વિકસેલી છે. આ ૭-૮ મોટી ફેક્ટરીઓમાં રત્નકલાકારો એટલી મોટી સંખ્યામાં કામ કરે છે કે તેઓ આ વખતની ચૂંટણીમાં વરાછા કતારગામના અનેક વોર્ડના ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી કરશે. આ રત્નકલાકારો કોની તરફેણમાં મતદાન કરશે એ નિશ્ચિત નથી. અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે રત્નકલાકારો ભાજપની તરફેણમાં મતદાન કરતા હતા એટલે ભાજપના ઉમેદવારો વિજેતા બનતા આવ્યા છે પરંતુ, પાલિકાની ગઇ ચૂંટણીની મતગણતરી બાદ એક બે નહીં પણ ૨૭ સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા બનીને આવ્યા એ પછી સિનારીયો બદલાય ગયો છે અને હવે આ વખતે ઉદ્યોગપતિઓની વિરોધમાં એટલા માટે રત્નકલાકારો આવ્યા છે કે છેલ્લા બે વર્ષથી મંદીનો માહોલ હતો અને ઉદ્યોગપતિઓએ વર્ષોથી તેમની ફેક્ટરીમાં કામ કરતા રત્નકલાકારોને ટેકો આપવાની વાત તો દૂર રહી પરંતુ, પગાર ઘટાડી નાંખ્યા હતા, જેને લઇને રત્નકલાકારોમાં ઉદ્યોગપતિઓ પ્રત્યે ભારે રોષ વ્યાપી ગયો છે. ભાજપ સાથે સંકળાયેલા એક મોટા ઉદ્યોગપતિનાં કારખાના હજારોની સંખ્યામાં રત્નકલાકારો કાર્યરત છે અને એવા અણસાર મળી રહ્યા છે કે તેમને ત્યાં કામ કરતા મોટા ભાગના રત્નકલાકારોમાં આ વખતે ભાજપ વિરોધી વાતાવરણ જાેવા મળી રહ્યું છે અને આ ઉદ્યોગપતિ સહેજ પણ જાેખમ લેવા માંગતા નથી એટલે તેઓ પોતાને ત્યાં કામ કરતા રત્નકલાકારોને મત આપવા માટે એક અપીલ પણ કરવા રાજી નથી. વરાછા, કતારગામમાં જે તે વોર્ડનાં ભાજપનાં ઉમેદવારોની જીતાડવાની, ચૂંટણીની જવાબદારી ધરાવતા અનેક મોટા નેતાઓ, ઉમેદવારો પણ મોટા ઉદ્યોગપતિઓની મુલાકાત લઇ આવ્યા છે, આ તમામ મોટા ઉદ્યોગપતિઓએ સ્પષ્ટ કહ્યું છે કે આ વખતે રત્નકલાકારોનું રીએક્શન વિરુદ્ધમાં આવી શકે છે એટલે મત માટે અપીલ કરવામાં મામલો બગડી જવાની પણ દહેશત છે. હીરા ઉદ્યોગકારોની કબૂલાતથી ઉભી થયેલી સ્થિતિ સ્પષ્ટ કરે છે કે રત્નકલાકારોનાં તેવર બદલાયેલા છે અને તેને કારણે ઉમેદવારોની સાથે સાથે ભાજપ નેતાગીરીમાં પણ ગભરાટ મચી ગયો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2178   |  
મહિલાને ધક્કો મારીને હિંસક ‘નારીવંદના’ દર્શાવી ધારાસભ્ય અને ચારેય ઉમેદવારોએ ઘરમાં પૂરાઇ રહેવું પડ્યું, પોલીસ રક્ષણમાં બહાર કાઢવા પડ્યાં

ગોરાટ હનુમાન મંદિર પાસે જ વિધર્મીઓનાં કોમ્પ્લેક્સને ભ્રષ્ટાચાર આચરીને આપવામાં આવેલી મંજૂરીમાં ભાજપ નેતાઓનાં હાથ ખરડાયેલાં છે તેવો આક્રોશ આ વિસ્તારનાં હિન્દુ રહિશોએ ઠાલવ્યો છે. હિન્દુ રહિશો ખાસ કરીને મહિલાઓમાં પ્રસરેલાં રોષને પામી ગયેલાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને ભાજપનાં ઉમેદવારો ગોરાટ વિસ્તારમાં પ્રચાર માટે રીતસરની આજીજી કરવી પડી છે. ગઇકાલે મંગળવારે રણચંડી બનેલી સ્થાનિક મહિલાઓએ ઘેરો ઘાલતાં પૂર્ણેશ મોદી તેમજ ભાજપનાં ચારેય ઉમેદવારોએ પરિમલ ચાસિયાનાં ઘરમાં પૂરાઇ રહેવું પડ્યું હતું અને આખરે પોલીસ રક્ષણ હેઠળ બહાર કાઢવા પડ્યાં હતાં. સ્થાનિક હિન્દુ રહિશો ખાસકરીને મહિલાઓનો આક્રોશ જાેઇને ભાજપ નેતાગીરીમાં સોંપો પડી ગયો છે અને કોઇપણ સંજાેગોમાં ગોરાટ હનુમાન મંદિર આસપાસનાં રહિશોને મનાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે. બીજીતરફ મંગળવારની ઘટના બાબતે ભાજપનાં નેતાઓ તેમજ ઉમેદવારો ગોરાટ હનુમાન મંદિરે આવીને જાહેરમાં માફી માગે તેવો આગ્રહ સ્થાનિક રહિશો રાખી રહ્યાં છે. ગોરાટ વિસ્તારની મહિલાઓએ આજે બુધવારે ગઈકાલની ઘટના સંદર્ભમાં જાેઈન્ટ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી.ગોરાટ હનુમાન મંદિર નજીક વિધર્મીઓનાં કોમ્પ્લેક્સ બાબતે સ્થાનિક હિન્દુ રહિશો છેલ્લા એક-દોઢ વર્ષથી આંદોલન ચલાવી રહ્યાં છે, ભાજપનાં પૂર્ણેશ મોદી સહિત અન્ય નેતાઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે પરંતુ હિન્દુઓનું દર્દ સાંભળીને તેનું નિરાકરણ નહીં લાવવામાં આવતાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં હવે સ્થાનિક રહિશોએ અપક્ષ તરીકે પોતાનો ઉમેદવાર તરૂણ પટેલને ઉભો કરી ભાજપ નેતાગીરી સામે લડી લેવાનું નક્કી કર્યું છે. ગોરાટ હનુમાન મંદિરનાં ખજાનચી તરૂણ પટેલ સામે હર્ષ મહેતા સામાન્ય બેઠકનાં ઉમેદવાર હોવાથી કાંટે કી ટક્કર માનવામાં આવે છે.ભાજપમાં પણ હર્ષ મહેતા મુદ્દે બે જુથ સામ સામે આવી ગયાં છે જેમાં એક જુથ દ્વારા હર્ષ મહેતાની બદનામી થાય તે માટે સક્રિય પ્રયાસો કરવામાં આવતાં તે બાબતે નેતાગીરી સમક્ષ ફરિયાદો પણ થઇ છે. ગઇકાલે મંગળવારે હર્ષ મહેતા અન્ય સ્થળે પ્રચારમાં હતાં અને ગોરાટ મંદિર વિસ્તારમાં લોકોનો વિરોધ થશે તેવું જાણવા છતાં હર્ષ મહેતાને ઇરાદાપૂર્વક ત્યાં બોલાવવામાં આવ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ગોરાટ વિસ્તારમાં પૂર્ણેશ મોદી અને ભાજપનાં નેતાઓ માટે સોસાયટીનાં ગેટ મહિલાઓએ બંધ કર્યાં હતાં પરંતુ ભાજપનાં ઉમેદવાર પરિમલ ચાસિયાનાં ભાઇ તેમજ અન્ય કાર્યકરોએ બળજબરીપૂર્વક ગેટ ખોલી ગાળાગાળી કર્યા બાદ એક મહિલાને ધક્કો મારી હડસેલી હતી જેથી લોકોમાં ભારે રોષ ફેલાઇ ગયો હતો.



© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution