આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુન 2026
792 |
૬ મેડિકલ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરાયા
ભાવનગરની સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગ કેસમાં એન્ટી રેગિંગ કમિટીએ કડક કાર્યવાહી કરતાં ૬ વિદ્યાર્થીઓને દોષિત જાહેર કર્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ૬ મહિનાથી લઈને ૨ વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક તેમજ હોસ્પિટલની પ્રવૃત્તિઓથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. કોલેજ તંત્ર દ્વારા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ મામલે મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહે જણાવ્યું કે, એન્ટી રેગિંગ કમિટીની બેઠક લગભગ સાડા આઠ કલાક સુધી ચાલી હતી. બેઠક દરમિયાન પીડિત વિદ્યાર્થીઓ, આરોપી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફના નિવેદનો લેવામાં આવ્યા હતા. બંને પક્ષને પોતાની રજૂઆત માટે ત્રણ વખત તક આપવામાં આવી હતી જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ સામે અન્યાય ન થાય.તપાસ દરમિયાન પ્રાપ્ત થયેલા નિવેદનો અને દસ્તાવેજી પુરાવાના આધારે કમિટીએ ૬ વિદ્યાર્થીઓને રેગિંગ માટે જવાબદાર ઠેરવ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીને ૨ વર્ષ, ત્રણ વિદ્યાર્થીઓને ૧ વર્ષ અને બે વિદ્યાર્થીઓને ૬ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન દરમિયાન તેઓ કોઈ શૈક્ષણિક, ક્લિનિકલ અથવા હોસ્પિટલ સંબંધિત પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના ૧૩ જુનિયર વિદ્યાર્થીઓએ ૬ સિનિયર વિદ્યાર્થીઓ સામે લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસેથી પૈસા પડાવતા હતા, તેમને મુર્ગા બનાવતા હતા અને વિવિધ પ્રકારનો માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. પીડિત વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા લાંબા સમય સુધી અમાનવીય વર્તન કરવામાં આવતું હતું. જેમાં પૈસાની માંગણી, દારૂની બોટલો મંગાવવી, જમવા અને આરામનો સમય ન આપવો, કલાકો સુધી ઉભા રાખવા અને અન્ય પ્રકારની કઠોર સજાઓ આપવાનો સમાવેશ થતો હતો. આ ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીઓએ અંતે કોલેજ તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ભાવનગર મેડિકલ કોલેજમાં અગાઉ પણ રેગિંગના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. માર્ચ ૨૦૨૫માં પણ કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ સામે જુનિયર વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને ધમકી આપવાના આરોપો લાગ્યા હતા. ઉપરાંત વર્ષ ૨૦૨૩માં પણ એક રેસિડેન્ટ ડોક્ટર સામે જુનિયર વિદ્યાર્થીના શોષણનો ગંભીર કેસ નોંધાયો હતો. તાજેતરમાં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં પણ રેગિંગનો મામલો સામે આવ્યો હતો, જેમાં ત્રણ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓને પગલે રાજ્યની મેડિકલ કોલેજાેમાં એન્ટી રેગિંગ નિયમોના કડક અમલની માંગ ઉઠી રહી છે.ભાવનગરના આ કેસમાં હવે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે અને દોષિત વિદ્યાર્થીઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુન 2026
2376 |
ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી રૂપિયા ૧.૧૧ કરોડનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો સીઝ
રાજકોટના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ ગોંડલની મે. સત્યમ મસાલા, ભીમવાડી ખાતે દરોડા પાડી ૧,૧૧,૦૪,૨૦૫ રૂપિયાનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો સીઝ કર્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે ચકાસણી અભિયાન હાથ ધરાયું છે.તપાસ દરમિયાન પેઢીમાંથી કુલ ચાર પ્રકારના ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમાં ધાણા પાઉડર અને કોર્ન પાઉડરના કુલ ૬,૭૬૬ કિલોગ્રામ જથ્થો, જેની કિંમત ૮,૨૨,૬૨૦ રૂપિયા થાય છે, સીઝ કરવામાં આવ્યો.આ ઉપરાંત મરચું પાઉડર અને હળદર પાઉડરના કુલ ૨૮,૬૭૧ કિલોગ્રામ જથ્થો, જેની કિંમત ૧,૦૨,૮૧,૫૮૫ રૂપિયા થાય છે, પણ સીઝ કરવામાં આવ્યો. આ રીતે કુલ ૩૫,૫૨૭ કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો, જેની અંદાજિત કિંમત ૧,૧૧,૦૪,૨૦૫ રૂપિયા થાય છે, સીઝ કરવામાં આવ્યા છે. તમામ નમૂનાઓ ગુણવત્તા ચકાસણી માટે માન્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. પ્રયોગશાળાના અહેવાલના આધારે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું, રાજ્ય સરકાર જન આરોગ્ય સાથે સંકળાયેલા મુદ્દાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્યને જાેખમમાં મૂકતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જન આરોગ્યના હિતમાં આવા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ચકાસણી અભિયાનને વધુ સઘન બનાવવામાં આવી રહ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુન 2026
2475 |
રાજ્યમાં ચોમાસા પહેલાં જ દેમાર વરસાદ
ગુજરાતથી ચોમાસું તો હજી દૂર છે. ત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ ૧૪૭ મિલીમીટર (૫.૭૯ ઈંચ) વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું હતું. નોંધનીય છે કે, ગુજરાતમાં ૨૪ કલાકમાં ૬૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ગરમીથી મોટી રાહત મળી છે. મળતા આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૫.૭૯ ઇંચ વરસાદ નોંધાયો હતો. બાલાસિનોર બાદ અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. અરવલ્લીના ભિલોડામાં ૭૫ મીમી (૨.૯૫ ઈંચ) અને ધનસુરામાં ૬૬ મીમી (૨.૬૦ ઈંચ) વરસાદ નોંધાયો છે. સાથંબા અને બાયડમાં પણ ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણાના સતલાસણા તાલુકામાં ૭૩ મીમી (૨.૮૭ ઈંચ) અને ખેરાલુમાં ૨૦ મીમી વરસાદ પડ્યો છે.મધ્ય ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લાના અનેક તાલુકાઓમાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના ગળતેશ્વરમાં ૫૭ મીમી (૨.૨૪ ઈંચ) અને કપડવંજમાં ૫૫ મીમી (૨.૧૭ ઈંચ) વરસાદ વરસ્યો છે. કઠલાલ, નડિયાદ અને મહુધામાં પણ અડધાથી ૧ ઈંચ વરસાદ રહ્યો છે. દેસર તાલુકામાં ૫૩ મીમી (૨.૦૯ ઈંચ) વરસાદ નોંધાયો છે.પંચમહાલના ઘોઘંબામાં ૫૨ મીમી (૨.૦૫ ઈંચ) અને જાંબુઘોડામાં ૫૧ મીમી (૨.૦૧ ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે ગોધરામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે છોટાઉદેપુરના કદવાલમાં ૪૯ મીમી (૧.૯૩ ઈંચ) વરસાદ સાથે નોંધપાત્ર ભીનાશ જાેવા મળી છે. બનાસકાંઠાના પાલનપુરમાં ૨૩ મીમી (૦.૯૧ ઈંચ), દાંતામાં ૮ મીમી અને અમીરગઢમાં ૭ મીમી વરસાદ થયો છે. આણંદ અને દાહોદના ઉમરેઠમાં ૧૯ મીમી અને દેવગઢબારિયામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં આગાહી ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલા જ બુધવાર રાતથી જ વરસાદનું જાેરદાર આગમન થયું છે. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ છવાશે તેમ જણાવ્યું છે. રાજ્યમાં ચોમાસું તો હજી દૂર છે પરંતુ તે પહેલાના પ્રિમોન્સૂન વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગુજરાતમાં ૧૮મી જૂન અને ૧૯મી જૂને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી જાેઈએ. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, ૧૯મી જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કે, કચ્છ, પાટણ, દ્વારકા, પોરબંદરમાં જ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૧૯મી જૂનના રોજ એટલે કે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુન 2026
3267 |
ભાવનગર મેડિકલ કોલેજમાં ૧૩ વિદ્યાર્થીઓ સાથે રેગીંગની ફરિયાદ
ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી રેગીંગની ઘટના સામે આવી છે, જેના પગલે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લીધા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સંબંધિત સત્તાધિકારીઓને સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ માટે સૂચના આપી છે.આ ઘટનામાં ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના ૬ વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના ૧૩ વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરી હોવાના આક્ષેપો નોંધાયા છે. રાજ્ય સરકારે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરાવી છે.મેડિકલ કોલેજના ડીન અને એન્ટી-રેગીંગ કમિટીને સમગ્ર હકીકતની વિગતો સરકાર સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓની સુરક્ષા, માન-મર્યાદા અને શૈક્ષણિક હિતોના રક્ષણ માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં ભયમુક્ત, સુરક્ષિત અને સંસ્કારપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે રેગીંગ જેવી અમાનવીય, અસંવેદનશીલ અને અસ્વીકાર્ય પ્રવૃત્તિઓ માટે રાજ્યમાં કોઈ સ્થાન નથી. તપાસમાં જે કોઈ દોષિત જણાશે તેમની સામે કાયદાકીય જાેગવાઈઓ મુજબ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રેગીંગ જેવી પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે. તાત્કાલિક તપાસના આદેશ બાદ મેડિકલ કોલેજના પ્રશાસન અને એન્ટી-રેગીંગ કમિટીએ કાર્યવાહી શરૂ કરી છે. વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓને દાબી ન શકાય અને દરેક ફરિયાદની તથ્યાધારિત તપાસ કરાશે તેવો સરકારનો દૃઢ નિર્ધાર છે. હાલમાં તપાસ ચાલી રહી છે અને તપાસનો વિગતવાર અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરાશે. રાજ્ય સરકાર દ્વારા દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે.વિદ્યાર્થીઓ રેગીંગ જેવા દૂષણથી દૂર રહે તે જરૂરી: આરોગ્ય મંત્રી અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને પગલે ઓર્થોપેડિક વિભાગના ત્રણ વિદ્યાર્થીઓને ૬ મહિનાથી ૧ વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું છે. એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ આ પગલાં લેવામાં આવ્યા છે.આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રેગિંગની ફરિયાદને સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ જાળવવાનો અમારો સંકલ્પ છે પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓએ રેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જાેઈએ.એન્ટી રેગિંગ કમિટીએ સમગ્ર મામલે વિગતવાર તપાસ કરી હતી. તપાસના આધારે ઓર્થોપેડિક વિભાગના ત્રણ વિદ્યાર્થીઓ સામે ૬ મહિનાથી ૧ વર્ષ સુધીની સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, જુન 2026
6237 |
ભૂજના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમાર
કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલા માધાપરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન આયોજિત બટુક ભોજનમાં ફૂડ પોઇઝનિંગ જેવી ઘટના સામે આવતા ભારે દોડધામ મચી ગઈ હતી. છાશ પીધા બાદ ૪૫થી વધુ બાળકોની તબિયત એકાએક બગડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. મળતી માહિતી અનુસાર, માધાપરના ઐશ્વર્યા નગર વિસ્તારમાં સ્થિત એક મંદિરમાં અધિક માસની પૂર્ણાહુતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો માટે બાલ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારના ૫૦થી વધુ બાળકો જાેડાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ભોજન દરમિયાન પીરસવામાં આવેલી છાશ પીધાના થોડા સમય બાદ બાળકોને પેટમાં દુ:ખાવો, ઉલ્ટી, ચક્કર અને ઝાડા જેવી તકલીફો શરૂ થઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં બાળકો બીમાર પડતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને વાલીઓએ તાત્કાલિક આયોજકોને જાણ કરી હતી, જેના પગલે બાળકોને હોસ્પિટલ પહોંચાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે છાશ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ દહીં લાંબા સમય સુધી યોગ્ય ઠંડક વિના રાખવામાં આવ્યું હોઈ શકે છે. ઉનાળાની ગરમી અને ભેજવાળા વાતાવરણના કારણે દહીં બગડી ગયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાે કે ઘટનાના ચોક્કસ કારણ અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ અસરગ્રસ્ત બાળકોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ઇમરજન્સી સારવાર શરૂ કરવામાં આવી હતી અને બાળરોગ નિષ્ણાતોની વિશેષ ટીમને તૈનાત કરવામાં આવી હતી.હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર સમયસર સારવાર મળી જતા હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે અને કોઈ ગંભીર જાેખમ હોવાનું સામે આવ્યું નથી.ઘટનાને લઈને આરોગ્ય વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા પણ જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે. ભોજનમાં ઉપયોગમાં લેવાયેલા ખાદ્યપદાર્થોના નમૂનાઓની તપાસ કરીને ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવશે.આ ઘટના બાદ સ્થાનિક સ્તરે ધાર્મિક અને સામૂહિક કાર્યક્રમોમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા અને સુરક્ષા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુન 2026
2475 |
રાજ્યમાં ચોમાસા પહેલાં જ દેમાર વરસાદ
ગુજરાતથી ચોમાસું તો હજી દૂર છે. ત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ ૧૪૭ મિલીમીટર (૫.૭૯ ઈંચ) વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું હતું. નોંધનીય છે કે, ગુજરાતમાં ૨૪ કલાકમાં ૬૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ગરમીથી મોટી રાહત મળી છે. મળતા આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૫.૭૯ ઇંચ વરસાદ નોંધાયો હતો. બાલાસિનોર બાદ અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. અરવલ્લીના ભિલોડામાં ૭૫ મીમી (૨.૯૫ ઈંચ) અને ધનસુરામાં ૬૬ મીમી (૨.૬૦ ઈંચ) વરસાદ નોંધાયો છે. સાથંબા અને બાયડમાં પણ ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણાના સતલાસણા તાલુકામાં ૭૩ મીમી (૨.૮૭ ઈંચ) અને ખેરાલુમાં ૨૦ મીમી વરસાદ પડ્યો છે.મધ્ય ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લાના અનેક તાલુકાઓમાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના ગળતેશ્વરમાં ૫૭ મીમી (૨.૨૪ ઈંચ) અને કપડવંજમાં ૫૫ મીમી (૨.૧૭ ઈંચ) વરસાદ વરસ્યો છે. કઠલાલ, નડિયાદ અને મહુધામાં પણ અડધાથી ૧ ઈંચ વરસાદ રહ્યો છે. દેસર તાલુકામાં ૫૩ મીમી (૨.૦૯ ઈંચ) વરસાદ નોંધાયો છે.પંચમહાલના ઘોઘંબામાં ૫૨ મીમી (૨.૦૫ ઈંચ) અને જાંબુઘોડામાં ૫૧ મીમી (૨.૦૧ ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે ગોધરામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે છોટાઉદેપુરના કદવાલમાં ૪૯ મીમી (૧.૯૩ ઈંચ) વરસાદ સાથે નોંધપાત્ર ભીનાશ જાેવા મળી છે. બનાસકાંઠાના પાલનપુરમાં ૨૩ મીમી (૦.૯૧ ઈંચ), દાંતામાં ૮ મીમી અને અમીરગઢમાં ૭ મીમી વરસાદ થયો છે. આણંદ અને દાહોદના ઉમરેઠમાં ૧૯ મીમી અને દેવગઢબારિયામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં આગાહી ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલા જ બુધવાર રાતથી જ વરસાદનું જાેરદાર આગમન થયું છે. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ છવાશે તેમ જણાવ્યું છે. રાજ્યમાં ચોમાસું તો હજી દૂર છે પરંતુ તે પહેલાના પ્રિમોન્સૂન વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગુજરાતમાં ૧૮મી જૂન અને ૧૯મી જૂને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી જાેઈએ. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, ૧૯મી જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કે, કચ્છ, પાટણ, દ્વારકા, પોરબંદરમાં જ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૧૯મી જૂનના રોજ એટલે કે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, જુન 2026
2574 |
કુણધા ગામે રસ્તાના અભાવે પથ્થર પર પ્રસૂતિની નોબત
સ્થાનિક નેતાઓની સ્વવિકાસની નીતિ-રીતિને પાપે વિકાસની મોટી મોટી વાતો વચ્ચે આજે પણ અંતરિયાળ અને અનેક ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિકતા કાળજુ કંપાવી દે તેવી છે. રસ્તાની સુવિધા ન હોવાને કારણે એક સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવી કેટલી મુશ્કેલ બને છે. તેનો જીવતો જાગતો વિડીયો સામે આવ્યો છે. રાત્રિના અંધકારમાં પથ્થર અને માટીવાળા દુર્ગમ રસ્તા પર એક એક લાચાર અને બેબસ માતાએ ખુલ્લા આકાશ નીચે બાળકને જન્મ આપવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કુણધા ગામમાં એક સગર્ભા મહિલાને અચાનક ઉપડેલી પ્રસુતિની પીડા બાદ પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. અને ૧૦૮ ઈમરજન્સી વાન બોલાવી હતી પરંતુ ગામ સુધી પહોંચવાનો રસ્તો પાકો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ સમયસર સ્થળ પર પહોંચી શકી ન હતી. જ્યારે બીજી તરફ અસહ્ય પ્રસવ પીડાથી કણસતી મહિલાને હોસ્પિટલ સુધી લઈ જવી અશક્ય બનતા આખરે રસ્તાની સાઈડમાં પથ્થરો અને માટીની વચ્ચે જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. આ અંગે આશા વર્કર મીનાબેન જણાવ્યું કે,’અમારી બહેનોની પ્રસુતિ આવા પથ્થરોમાં થાય છે. જ્યાં ચાલવાનો રસ્તો પણ મળતો નથી. અમારે વોટ આપવાના પણ આવી કોઈ પાયાની સુવિધા મળતી નથી. સ્થિતિની ગંભીરતા સમજીને ૧૦૮ ના ઇમર્જન્સી મેડિકલ ટેકનિશિયન અને પાયલોટ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તેમણે અંધારામાં મોબાઇલની ફ્લેશલાઈટના અજવાળે પથ્થરો પર જ મેડિકલ પ્રોટોકોલ મુજબ પ્રસુતિની આગળની પ્રક્રિયા (નાળ કાપવી અને પ્રાથમિક સારવાર) ખૂબ જ કુશળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ૧૦૮ ની ટીમની આ પ્રશંસનીય કામગીરી ને કારણે માતા અને નવજાત શિશુ બંને હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જાેવા મળી રહ્યો છે. આઝાદીના સાડા સાત દાયકા પછી પણ સગર્ભા બહેનોને પાકા રસ્તા કે સ્વાસ્થ્ય સેવા કેમ નથી મળતી? શું અંતરિયાળ વિસ્તારમાં લોકો માત્ર વોટ આપવા પૂરતા જ સીમિત છે? સ્થાનિકો હવે માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ વિસ્તારમાં પાકા રસ્તા બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય સગર્ભાને આવી કપરી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું ન પડે.જિલ્લાના વિકાસ પુરુષ કહેવાતા સાંસદના વિસ્તારના વિકાસની વાતોમાં સત્યતા કેટલી ? કેટલીક ટર્મથી ધારાસભ્ય પદે અને મંત્રી પદે રહી ચૂકેલા અને કેટલીક ટર્મથી સાંસદ પદુ ભોગવી રહેલા અને જેઓના હૈયે જિલ્લાનો વિકાસ વસેલો છે તેવા દાહોદના સાંસદના માદરે વતન નજીકના અંતરિયાળ વિસ્તારના ગામમાં પાકા રસ્તાની સુવિધાને મામલે દીવા તળે અંધારા જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. વિકાસની યોજનાઓના કાર્યક્રમોમાં હંમેશા વ્યસ્ત રહેતા સાંસદથી પોતાના આ અંતરિયાળ વિસ્તારના કુણધા ગામમાં પાકા રસ્તાની સુવિધા પ્રદાન કરવાનું કેવી રીતે વિસરાઈ ગયું તે ખરેખર આશ્ચર્ય ઉપજાવે છે. છેલ્લી બે ટર્મથી તો તેઓના લઘુબંધુ જ આ વિસ્તારનું ધારાસભ્ય પદુ ભોગવી રહ્યા છે. તેમ છતાં તેઓ પણ પોતાના મત વિસ્તારના અંતરિયાળ ગામમાં પાકા રસ્તાની સુવિધા પ્રદાન કરવામાં વામણા પુરવાર થયા હોય તેમ લાગી રહ્યું છે. પોતાના જ મત વિસ્તારમાં પાકા રસ્તાના અભાવે ગામ સુધી ૧૦૮ ઈમરજન્સી વાન આવી ન શકવાને કારણે એક મહિલાને રાત્રિના અંધકારથી ઘેરાયેલા એક દુર્ગમ રસ્તા પર પથ્થરોની વચ્ચે બાળકને જન્મ આપવા મજબૂર થવું પડે તે ગંભીર બાબત સરકારના વિકાસ અંગેના મોટા મોટા દાવાઓની પોકળતાને છતી કરતી જાેવા મળી રહી છે. આ છે. જિલ્લાના વિકાસની વરવી વાસ્તવિકતા!!!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, જુન 2026
6534 |
ગુજરાતના ઉંબરે આવીને કેમ અટકી ગયું ચોમાસું? IMDનો મોટો ખુલાસો!
ગુજરાતમાં ચોમાસાની પ્રગતિ હાલ ધીમી પડી ગઈ છે. હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ગરમી અને બફારાનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 18 જૂન પછી ચોમાસું ફરી ગતિ પકડી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, જુન 2026
5841 |
નડિયાદ જમીન દફતર કચેરીનો લાયસન્સ સર્વેયર ૯૦ હજારની લાંચ લેતાં ઝડપાયો
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સરકારી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નડિયાદ ખાતે આવેલ જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દ્વારા જમીનની હિસ્સા માપણીની કામગીરી વ્યવસ્થિત પૂરી કરવા અને કોઇ વાંધા વચકા ન નીકળે ના મુદ્દે અરજદાર પાસેથી ૯૦ હજાર ની લાંચ ની માંગણી કરતાં અરજદારે એસીબીને જાણ કરતાં નડિયાદ બસ સ્ટેન્ડ નજીક છટકું ગોઠવી એસીબીએ સર્વેયર ને લાંચ ની રકમ લેતાં રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર નડિયાદ ખાતે આવેલ જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દિલીપસિંહ ચૌહાણે જમીનની માપણી ની કામગીરી પૂર્ણ કરવા અને ભવિષ્યમાં કોઈ વાંધા વચકા ન નીકળે તેવા આશયથી અરજદાર પાસે ૯૦ હજાર ની લાંચ ની માંગણી કરતાં અરજદારે એસીબીને જાણ કરતાં એસીબીએ છટકું ગોઠવી નડિયાદ બસ સ્ટેન્ડ નજીક નાણાં લેતાં દિલીપસિંહ ચૌહાણને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, જુન 2026
6633 |
સરકાર સામે પ્રજાનો મોરચો : સારસા ગામ બંધ
પેટ્રોલ ના વધતા જતા ભાવવધારા ના કારણે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ માં ઇથેનોલ મિશ્રણ માટે મંજૂરી આપતાં ના પગલે કેન્દ્ર ના જ ઉચ્ચ નેતાની પડદા પાછળ ભાગીદારી ના સંદેહ વ્યક્ત થતાં આણંદના સારસા ખાતે ફળદ્રુપ જમીન પર ઇથેનોલ ઉત્પાદન માટે ફેક્ટરી પ્રસ્થાપિત કરવાના આયોજન કરાતાં સ્થાનિક શાસકીય નેતાઓ ની પણ મૂકસંમતીના પગલે સારસા ખાતે વિરોધના સૂર ઉઠતાં આજે કૈવલવાડી સારસા ખાતે ખાસ ગ્રામસભા યોજાઇ હતી.જયા સર્વાનુમતે સ્થાનિકો દ્વારા સતકૈવલ સંસ્થા ના અવિચલદાસ મહારાજ સહિતના દ્વારા વિરોધ વ્યક્ત કરતાં આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મિતેષ તથા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ વચ્ચે શાબ્દિક પ્રહારો થતાં વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે ગ્રામસભામાં ઉગ્ર વિરોધ વ્યક્ત થતાં ગ્રામ સરપંચ દ્વારા ઇથેનોલ ફેક્ટરીની મંજૂરી માટે નો ઠરાવ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર પેટ્રોલ ના વધતાં જતાં ભાવવધારા ના પગલે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કરવાની મંજૂરી આપતાં આણંદ નજીકના સારસા ખાતેના સીટી સર્વેનં ૧૩૮૩/૧ તથા બ્લોક સર્વેનં ૧૩૬૫-૧૩૬૯-૧૩૭૦/૧ વાળી ફળદ્રુપ જમીન પર ઇથેનોલ ફેક્ટરી પ્રસ્થાપિત કરવાની મંજૂરી આપતાં સ્થાનિક સ્તરે વિરોધ ઉઠતાં આજે સારસા કૈવલવાડી ખાતે ખાસ સાધારણ ગ્રામસભા યોજવામાં આવી હતી.જેમા ઇથેનોલ ફેક્ટરી મુદ્દે વિરોધ વ્યક્ત કરી સતકૈવલ સંસ્થા ના અવિચલદાસ મહારાજ પણ વિરોધમાં જાેડાઇ આ પ્રકારના પ્લાન્ટ ઉભા થશે તો પર્યાવરણ ને તથા ખેતી ને નુકસાન થશે ના સંદેહ વ્યક્ત કરી જન આરોગ્ય સાથે ચેડાં થશેનો મત વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે ઉઠેલ વિરોધ પગલે આ મુદ્દે સરકારમાં રજૂઆત કરી યોગ્ય ઉકેલ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.જયારે પંથકના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલે આક્રમક વલણ અપનાવી સાંસદ સહિત સ્થાનિક વહીવટીતંત્ર ને આડેહાથ લઇ લોકોના આરોગ્ય અને જનજીવન સાથે ચેડાં કરવાનું સરકાર બંધ કરે.મોધવારીના માર મારતી સરકાર દ્વારા હવે ખેડૂતો ની જમીન ને આ પ્રકારના ઉદ્યોગ ઉભા કરી ખેતીને નુકસાન થાય અને ખેડૂતો દેવાદાર બની રહે તેવા પ્રયાસો સાંખી લેવામાં નહીં આવે નું જણાવતાં આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ અને જયંત પટેલ વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે ગ્રામસભામાં ઉગ્ર વિરોધ વ્યક્ત થતાં ગ્રામ પંચાયત સરપંચ દ્વારા ફેક્ટરી ને મંજૂરી આપતાં ઠરાવ રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અત્રે ઇથેનોલ ઉત્પાદન ફેક્ટરી પ્રસ્થાપિત કરવામાં કેન્દ્રના ઉચ્ચ નેતા ની પડદા પાછળ ભાગીદારી હોય સ્થાનિક શાસકીય નેતાઓ દ્વારા ચૂપકીદી સેવવામાં આવી રહ્યા ની ચર્ચા જાેવા મળી હતી.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુન 2026
2376 |
પથ્થરકુવા જ્યોતિસંઘ સંસ્થામાં જ પતિએ પત્નીને કુહાડી ઝીંકી દીધી
અમદાવાદના પથ્થરકુવા સ્થિત જ્યોતિસંઘમાં બાળકોની કસ્ટડીના વિવાદમાં એક પતિએ પોતાની પત્ની પર કુહાડીથી હુમલો કર્યો છે. કાઉન્સેલિંગ સત્ર દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ પત્નીના પગમાં ઘા ઝીંકી દીધા હતા અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ગંભીર ઘટના અંગે કારંજ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે. અસારવા ખાતે રહેતા ૩૨ વર્ષીય પત્ની રાવળે તેના પતિ વિજય રાવળ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ‘બાળકોની કસ્ટડી મેળવવાની બાબતે ઉશ્કેરાયેલા મારા પતિએ સંસ્થાની ઓફિસમાં જ મારા પર કુહાડી વડે હુમલો કર્યો હતો.’ ૧૮મી જૂનના રોજ સંસ્થામાં બંને વચ્ચે બાળકોની કસ્ટડી અંગે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે પત્નીએ માતા તરીકે બાળકો પર પોતાનો હક હોવાનો દાવો કર્યો હતો. આ સાંભળીને વિજય રોષે ભરાઈ ગયા હતા અને બહારથી એક કુહાડી લાવીને પત્નીના જમણા પગના ભાગે ઝીંકી દીધી હતી. ઘટનાના પગલે બુમાબુમ થતાં સંસ્થાના કર્મચારીઓ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેથી હુમલાખોર પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આ ઘટના પાછળનું મુખ્ય કારણ પારિવારિક વિખવાદ હોવાનું જાણવા મળ્યું છે. પતિની સતત હેરાનગતિ અને શક-વહેમના સ્વભાવથી કંટાળીને પત્ની છેલ્લા ત્રણ મહિનાથી ઘર છોડીને પોતાના મિત્ર અજય સાથે અસારવા ખાતે રહે છે. તેના ૧૪ વર્ષના પુત્ર અને ૧૨ વર્ષની પુત્રી પિતા પાસે હતા, જેનો કબજાે મેળવવા માટે તેમણે ગત પાંચમી મેના રોજ જ્યોતિસંઘમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણીની મુદત દરમિયાન જ પતિએ ઉશ્કેરાઈને આ પગલું ભર્યું હતું. હાલમાં ઈજાગ્રસ્ત દક્ષાબેનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભોગ બનનાર પત્નીની ફરિયાદના આધારે પોલીસે ફરાર પતિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુન 2026
2178 |
બાંગ્લાદેશી યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવનારા ૩ નરાધમોને સખત કેદની સજા
અમદાવાદના નિકોલ પોલીસ મથકે ૨૦૨૩માં નોંધાયેલા માનવ તસ્કરી અને દુષ્કર્મના કેસમાં અદાલતે કડક વલણ અપનાવ્યું છે. મૂળ બાંગ્લાદેશના અને અમદાવાદમાં રહેતા આરોપીઓ સામે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. સરકારી વકીલની દલીલો, ૨૪ સાક્ષીઓ અને ૪૫ પુરાવાઓને ધ્યાને રાખીને, અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે બાબુ અબુલહસન મુંજલ અને શાહીદુલ શેખને ૪ વર્ષ, તેમજ જાેસીમ શેખને ૭ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. બાંગ્લાદેશી અને પુણેની દ્ગય્ર્ંની માહિતીના આધારે ૪ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ અમદાવાદ એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને નિકોલ પોલીસે નિકોલના લાલકૃષ્ણ એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને ત્રણ બાંગ્લાદેશી યુવતીઓને મુક્ત કરાવી હતી. આ મહિલાઓને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરાવી ભારત લાવીને દેહવ્યાપારના ધંધામાં ધકેલવામાં આવી હતી.પ્રથમ ભોગ બનનાર જેની આશરે ઉમર ૧૮ વર્ષ હતી, તેને તેના સાવકા પિતાએ બાંગ્લાદેશમાં આરોપી જાેસીમ સાથે લગ્ન કરાવી દીધા હતા, જે તેને ગેરકાયદે ભારતમાં લાવી વસ્ત્રાલ ખાતે આરોપી શાહીદુલના ઘરે મૂકી ગયો હતો, જ્યાં તેની પાસે પરાણે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. બાદમાં તે નિકોલ ખાતે ભાગેડું આરોપી કામરુલ, નિર્દોષ છૂટેલ સીમા અને આરોપી બાબુના સંપર્કમાં આવી હતી. બીજી ભોગ બનનાર યુવતી ૨૦ વર્ષની હતી. જેને અન્ય મહિલા હૈદરાબાદથી લાવી હતી અને બાદમાં તે નિકોલ ખાતે દેહવ્યાપારના નેટવર્કમાં ફસાઈ હતી. ત્રીજી ભોગ બનનાર ૩૨ વર્ષીય પરણિત મહિલા છે, જેને પાર્લરના કામની લાલચ આપીને લાવવામાં આવી હતી. કોર્ટે પોક્સોની ધારા સંદર્ભે નોંધ્યું હતું કે, પ્રથમ ભોગ બનનારની ઉંમર અંગે કોઈ સત્તાવાર સરકારી દસ્તાવેજ કે બાંગ્લાદેશી બર્થ સર્ટિફિકેટ રજૂ કરાયું નહોતું. મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનમાં તેણે પોતાની ઉંમર ૧૯ વર્ષ જણાવી હતી અને ઈમેલમાં ૧૮ વર્ષ દર્શાવી હતી. તબીબી ઓસિફિકેશન ટેસ્ટ પણ અનિર્ણાયક હતો. તેથી કોર્ટે પ્રથમ ભોગ બનનારને સગીર નહીં માનતા, પરિણામે આ કેસમાં પોક્સો એક્ટ લાગુ પડતો નથી. ભોગ બનનાર એક અને બેના મૌખિક પુરાવાઓ વિશ્વાસપાત્ર જણાયા હતા કે, તેઓ મજબૂરી અને આર્થિક લાચારીના કારણે આ નેટવર્કમાં ફસાયા હતા. જ્યારે ભોગ બનનાર ત્રણ એટલે કે ૩૨ વર્ષીય યુવતી કોર્ટ સમક્ષ ફરી ગયેલી જાહેર થઈ હતી અને તેણે કોઈ ખોટું કામ થયું હોવાનો ઇનકાર કર્યો હતો. પંચ સાક્ષીઓ હોસ્ટાઈલ થયા હતા, સામાજિક કાર્યકરો અને પોલીસ અધિકારીઓની જુબાનીથી દરોડા અને બચાવ કામગીરી સાબિત થઈ હતી. પોલીસ તપાસમાં ઘણી ખામીઓ સામે આવી હતી જેમ કે, વિડીયોગ્રાફી ન કરવી, ફોનના કોલ ડિટેઈલ રેકોર્ડ ન મેળવવા અને બાંગ્લાદેશ એમ્બેસીનો સંપર્ક ન કરવો. આરોપીઓ ઉપર દુષ્કર્મનો ગુન્હો સાબિત થઈ શક્યો નહોતો, પરંતુ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની કેટલીક કલમો અંતર્ગત ગુન્હો સાબિત થયો હતો. જ્યારે ચોથા આરોપી જાેશીમ ઉપર હ્યુમન ટ્રાફિકિંગનો ગુન્હો પણ સાબિત થયો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુન 2026
2376 |
અમદાવાદના ધોળકા નજીક ગંભીર ‘હિટ એન્ડ રન’ : અકસ્માતમાં બે મોત
અમદાવાદના ધોળકા પાસે રામપુર ગામના પાટીયા નજીક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહનની ટક્કરે બે બાઈક સવારના ઘટના સ્થળે મોત થયું છે. ધોળકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. ધોળકાના રામપુર ગામના પાટીયા નજીક એક બેફામ સ્પીડે આવી રહેલા અજાણ્યા વાહને બાઈક સવારોને અડફેટે લેતા ગંભીર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે. આ ગોઝારા અકસ્માતમાં બે નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, રામપુર ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહેલા બે બાઈક સવારોને બેફામ અને ગફલતભરી રીતે વાહન હંકારી કોઈ અજાણ્યા વાહન ચાલકે જાેરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને બાઈક સવારો રોડ પર પટકાયા હતા. જે કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ગંભીર ઈજાના કારણે તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અકસ્માતની જાણ થતાં જ ધોળકા ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક અને તેના વાહનની ઓળખ કરવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવા સહિતની તપાસ તેજ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુન 2026
2178 |
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં વિકરાળ આગ સાથે બ્લાસ્ટ
અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે ગો ગેસ નામની એજંસીમાં ગેસના બાટલામાં લીકેજ હોવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગ્યા બાદ બ્લાસ્ટ પણ થયો હતો. જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેવામાં આવી છે. આગ લાગી તે ગો ગેસ નામની ગેસની એજન્સી હતી અને તેની બાજુમાં ટ્રાવેલ્સની પણ ઓફિસ આવેલી હતી. જેમાં બેથી ત્રણ લોકો હતા તેઓ તાત્કાલિક દોડીને ગયા હતા અને તેમની બાજુની દુકાનમાં પણ નાનું મોટું નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ શહેરના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવનની સામે આવેલી એક ગેસની એજન્સીમાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસનો બાટલો લીકેજ થયો હોવાના કારણે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ત્રણથી વધારે ગાડીઓ સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લઈ લીધી છે. ગેસની એજન્સી હોવાના કારણે કોમર્શિયલ અને રહેણાંક એમ બંને ઉપયોગના ૬૦થી ૭૦ જેટલા બાટલા હોવાનું સામે આવ્યું છે. જે તમામ બાટલાઓ ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે અને તેના પર પાણી છાંટવામાં આવ્યું છે. આસ્ટોડિયા દરવાજાથી ગીતામંદિર બસ સ્ટેન્ડ તરફ જવાના રોડ ઉપર આવેલી ગેસ એજન્સીમાં આગ લાગતા આસ્ટોડીયા તરફથી બસ સ્ટેન્ડ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને આગ એટલી વિકરાળ સ્વરૂપે લાગી હતી કે લોકો રોડ ઉપરથી દૂર થઈ ગયા હતા. ગેસના બાટલા ફાટ્યા હોવાના કારણે આગ લાગી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા સંપૂર્ણપણે રોડ બંધ કરાવીને બાટલા બહાર કાઢી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ગેસ એજન્સીના આકાશ ભાવસાર સહિતના બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ દ્વારા આગ કેવી રીતે લાગી અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમ જ ગેસ એજન્સી પાસે લાઇસન્સ તેમજ કોઈ મંજૂરી હતી કે કેમ તે અંગેની પૂછપરછ કરી માહિતી મેળવી હતી. મેયર હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, ગીતામંદિર આરોગ્ય ભવનની સામે આવેલી ગેસ એજન્સીમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.નાનો ગેસનો બાટલો ફાટવાના કારણે આગ લાગેલી હતી ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું કે કેમ તે અંગે ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. ચીફ ફાયર ઓફિસર એ કે ડોંગરે જણાવ્યું હતું કે, સાંજે ૪.૪૦ વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. બે લોકોને ઈજા થઈ જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એલપીજી ગેસના કોમર્શિયલ અને ઘરેલુ બાટલા હતા જેમાં આગ લાગી હતી. બાજુમાં આવેલી એક દુકાનમાં પણ મોટા પ્રમાણમાં બાટલા રાખવામાં આવેલા હતા જે તમામ બાટલાઓને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. અંદાજે ૧૧૦ જેટલા બાટલાઓ મળી આવ્યા છે. ગેસ રીફીલિંગ અને સ્ટોરેજ રાખેલું અહીંયા જાેવા મળ્યું છે. ફાયર બ્રિગેડના નિયમ મુજબ એજન્સીમાં ભરેલા બાટલા હોવા જાેઈએ નહીં પરંતુ અહીંયા ભરેલા બાટલા હતા અને સ્ટોરેજ પણ દૂર રાખવાનું હોય છે પરંતુ એક જ દુકાનમાં સ્ટોરેજ રાખવામાં આવ્યું હતું. ઝોન ૬ ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ગેસ એજન્સીના માલિક સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આગ લાગવા અંગેનું કારણ જાણવા એફએસએલની મદદ લેવામાં આવી છે. પોલીસ ફાયર બ્રિગેડ અને ઇલેક્ટ્રીક વિભાગ સાથે મળી અને સંપૂર્ણપણે તપાસ કરશે. અત્યારે હાલમાં જાણવા જાેગ લઈ અને તપાસ કરવામાં આવશે. ખરેખર આગ કેવી રીતે લાગી હતી. ઇલેક્ટ્રીક સર્ટિ હતું કે અન્ય કોઈ કારણ હતું વગેરે અંગે તપાસ કરવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુન 2026
1980 |
ગુજરાતના ઉદ્યોગોને ૧૫૬૭ કરોડની સહાય મંજૂર : હર્ષ સંઘવીએ બેઠકમાં મોટો ર્નિણય લીધો
ગુજરાત સરકારે રાજ્યની ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળની ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ ૧,૫૬૭.૧૮ કરોડના રોકાણ ધરાવતા ૧૫ મોટા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર કરી છે. આ રોકાણોથી રાજ્યમાં અંદાજે ૧,૨૩૮ રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. આ મંજૂરીઓ યોજનાના અંતર્ગત મોટા ઉદ્યોગોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપતી સમિતિની બેઠકમાં આપવામાં આવી હતી. આ બેઠક નાયબ મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ગુજરાતને ભારત તેમજ વૈશ્વિક સ્તરે સૌથી આકર્ષક રોકાણ સ્થળોમાં સ્થાન અપાવવાના હેતુથી રાજ્યની ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ ગુજરાતમાં સ્થાપના કરતા પાત્ર ઉદ્યોગોને નેટ એસજીએસટી સહાય આપવામાં આવે છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજીકલ ઇનોવેશન અને મોટા પાયે ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ અત્યાર સુધી રાજ્યમાં કુલ ૧,૪૮,૩૩૬.૩૫ કરોડનું રોકાણ આકર્ષવામાં આવ્યું છે અને આશરે ૧,૬૫,૦૫૩ સીધી રોજગારીનું સર્જન થયું છે. ઉપરાંત, આ યોજનાએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસને પણ વેગ આપ્યો છે, જેના પરિણામે ગુજરાતમાં ઔદ્યોગિક ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે. તાજેતરની સમિતિ બેઠકમાં મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં ભરૂચ જિલ્લામાં કેમિકલ્સ ક્ષેત્રમાં ૯૯૯.૮૨ કરોડના રોકાણને સહાય માટે મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ૭૫.૭૨ કરોડ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ૪૪.૫૬ કરોડના રોકાણ ધરાવતા પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, ગાંધીનગર જિલ્લામાં ટેક્સટાઇલ ક્ષેત્રના ૧૩ કરોડના પ્રોજેક્ટને પણ પ્રોત્સાહન સહાય માટે મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ કમિશનર સ્વરૂપ પી., રોજગાર અને તાલીમ નિયામક સ્તુતિ ચારણ, ઉદ્યોગ અને ખાણ વિભાગના સંયુક્ત સચિવ ભક્તિ શામળ, વન અને પર્યાવરણ વિભાગના ડાયરેક્ટર દીપાલી ટાંક તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી ગૌરાંગ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુન 2026
2475 |
રાજ્યમાં ચોમાસા પહેલાં જ દેમાર વરસાદ
ગુજરાતથી ચોમાસું તો હજી દૂર છે. ત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ ૧૪૭ મિલીમીટર (૫.૭૯ ઈંચ) વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું હતું. નોંધનીય છે કે, ગુજરાતમાં ૨૪ કલાકમાં ૬૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ગરમીથી મોટી રાહત મળી છે. મળતા આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૫.૭૯ ઇંચ વરસાદ નોંધાયો હતો. બાલાસિનોર બાદ અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. અરવલ્લીના ભિલોડામાં ૭૫ મીમી (૨.૯૫ ઈંચ) અને ધનસુરામાં ૬૬ મીમી (૨.૬૦ ઈંચ) વરસાદ નોંધાયો છે. સાથંબા અને બાયડમાં પણ ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણાના સતલાસણા તાલુકામાં ૭૩ મીમી (૨.૮૭ ઈંચ) અને ખેરાલુમાં ૨૦ મીમી વરસાદ પડ્યો છે.મધ્ય ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લાના અનેક તાલુકાઓમાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના ગળતેશ્વરમાં ૫૭ મીમી (૨.૨૪ ઈંચ) અને કપડવંજમાં ૫૫ મીમી (૨.૧૭ ઈંચ) વરસાદ વરસ્યો છે. કઠલાલ, નડિયાદ અને મહુધામાં પણ અડધાથી ૧ ઈંચ વરસાદ રહ્યો છે. દેસર તાલુકામાં ૫૩ મીમી (૨.૦૯ ઈંચ) વરસાદ નોંધાયો છે.પંચમહાલના ઘોઘંબામાં ૫૨ મીમી (૨.૦૫ ઈંચ) અને જાંબુઘોડામાં ૫૧ મીમી (૨.૦૧ ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે ગોધરામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે છોટાઉદેપુરના કદવાલમાં ૪૯ મીમી (૧.૯૩ ઈંચ) વરસાદ સાથે નોંધપાત્ર ભીનાશ જાેવા મળી છે. બનાસકાંઠાના પાલનપુરમાં ૨૩ મીમી (૦.૯૧ ઈંચ), દાંતામાં ૮ મીમી અને અમીરગઢમાં ૭ મીમી વરસાદ થયો છે. આણંદ અને દાહોદના ઉમરેઠમાં ૧૯ મીમી અને દેવગઢબારિયામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં આગાહી ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલા જ બુધવાર રાતથી જ વરસાદનું જાેરદાર આગમન થયું છે. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ છવાશે તેમ જણાવ્યું છે. રાજ્યમાં ચોમાસું તો હજી દૂર છે પરંતુ તે પહેલાના પ્રિમોન્સૂન વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગુજરાતમાં ૧૮મી જૂન અને ૧૯મી જૂને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી જાેઈએ. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, ૧૯મી જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કે, કચ્છ, પાટણ, દ્વારકા, પોરબંદરમાં જ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૧૯મી જૂનના રોજ એટલે કે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, જુન 2026
2079 |
નાસિર નગરના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા વિના બેઘર કરવા યોગ્ય નથી, માનવીય દૃષ્ટિકોણથી પણ તે ગંભીર મુદ્દો છે : કેન્દ્રીય રાજ્યમંત્રી
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ સુરત સરકીટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતે અમેરિકા, યુરોપિયન દેશો, ઇઝરાયેલ અને ફ્રાન્સ જેવા અગ્રણી દેશો સાથે મહત્વપૂર્ણ વેપાર કરારો કર્યા છે. વિદેશી રોકાણો દ્વારા દેશની ઇકોનોમી મજબૂત બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર સમાજનાં છેવાડાનાં માનવી, દલિતો, પછાત વર્ગો અને દિવ્યાંગજનોનાં સશક્તિકરણ માટે કટિબદ્ધ છે.દેશમાં ૫૮ કરોડથી વધુ જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. મુદ્રા યોજનામાં ૫૭ કરોડ લોકોને લોન સહાય અપાઈ છે. આયુષ્માન ભારત યોજનામાં ૬૦ કરોડથી વધુ લોકોને રૂ.૫ લાખનું આરોગ્ય કવચ અપાયું છે. પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો ૧૧ કરોડ લોકો લાભ મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૪ કરોડથી વધુ આવાસો બનાવ્યા છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ ૧૨ કરોડથી વધુ પરિવારો માટે શૌચાલય નિર્માણ કરાયા છે. ગુજરાતનાં પનોતા પુત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને ખૂબ જ મજબૂત નેતાઓ છે. હું પણ તેમની સાથે મજબૂતીથી ઊભો છું. અમારી સરકાર વાસ્તવિક સ્તરે જનતા માટે કામ કરી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું. નાસિરનગર ડીમોલિશન બાબતે રામદાસ આઠવલેએ જણાવ્યું કે, કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિકોએ પોતાની મહેનત અને પરિશ્રમથી શહેરોને વિકાસની દિશામાં આગળ વધાર્યા છે. આજે જે ગગનચુંબી ઇમારતો નજરે પડે છે, તેના નિર્માણમાં શ્રમિક વર્ગનું અમૂલ્ય યોગદાન રહેલું છે તેથી આવા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના બેઘર કરવું યોગ્ય નથી અને માનવતાના દૃષ્ટિકોણથી પણ તે ગંભીર મુદ્દો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, જુન 2026
2475 |
સુરત મહાનગર પાલિકાનાં મુખ્ય વહીવટી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ધમાચકડી
ખાલીસ્તાન નેશનલ આર્મીનાં નામે બોમ્બ બ્લાસ્ટનાં ધમકીભર્યા ઇમેલ આવતાં રાજ્યનાં મહાનગરોની પોલીસ દોડતી થઇ ગઇ હતી. સુરત ઉપરાંત વડોદરા, ભાવનગર અને જામનગર મહાનગર પાલિકામાં કમિશનર અને મેયરનાં અધિકૃત આઇડી પર ઉઘડતી કચેરીને એલઇડી કાર બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઈ-મેઇલ મળ્યો હતો. બ્લાસ્ટની ધમકીભર્યા મેઇલ અંગે જાણ કરાતાં પોલીસ અધિકારીઓએ સ્નીફર ડોગ-બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે દોડી જઇ તપાસ આખી કચેરીમાં સઘન સર્ચ કર્યું હતું.પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ખાલિસ્તાન નેશનલ આર્મી એન્જિનિયર ગુરનખ સિંહ (રૂકન શાહવાલા) અને ડો. ગુરનીવૈરસિંહ (ખાન રાજદા) નામથી મેયર અને કમિશનરની આઇડી ઉપર મેલ કરાયા હતાં. જેમાં બોમ્બ ધમાકા એલઇડી કાર એવું લખાયું હતું. સાથે જ મેયર ઓફિસમાં ૩-૧૧ કલાક એવો ટાઈમ લખાયો હતો. મેયર, કમિશનર સૌને એક સલાહ, કોઇ ઓફિસ ના જશો એવી સલાહ પણ અપાઇ હતી. આ મેઇલ અંગે પાલિકા તરફથી જાણ કરવામાં આવતાં લાલગેટ પોલીસ ઉપરાંત એસઓજીના કાફલો ત્યાં પહોંચી ગયો હતો. પેનિક ના ફેલાય એ રીતે પાલિકાની કચેરી ખાલી કરાવવા સાતે બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોડની ટીમ સાથે સઘન ચેકિંગ શરૂ કરાયું હતું. બીજી તરફ સુરક્ષાનાં ભાગરૂપે તમામ કર્મચારીઓને પણ કચેરીની બહાર જવા માટે જણાવવામાં આવ્યું હતું અને મુખ્ય વહિવટીભવનનાં ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ગેટની બહાર મહાનગર પાલિકાનાં માર્શલોની સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. એસીપી આર.આર.આહિર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે ૧૧ વાગ્યાની આસપાસ મેયર ઓફિસમાં ઈમેલ આવ્યો હતો. જે અંગે પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે ઘસી ગયો હતો. હાલમાં ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા મુખ્ય વહિવટી ભવન ખાતે આવેલ તમામ કચેરીઓ, પાર્કિંગ સહિતનાં વિસ્તારોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. જાે કે, કોઈપણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ નહીં મળી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. જ્યારે સુરત સાયબર સેલ દ્વારા પણ જે આઈડી પરથી ઈમેલ મોકલવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનર તો કચેરીમાં હાજર ન હતાં પરંતુ ધમકીને પગલે મહાનગર પાલિકાનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ મુગલસરાઇ સંકુલની બહાર નીકળી ગયાં હતાં. ૨૦૨૩માં હરદીપ નિઝ્ઝરનાં હત્યાનો બદલો લેવાની ધમકી ગુજરાત બોલેગા ખાલિસ્તાન એવા ઉચ્ચારણ સાથે મેઇલ કરનારે ૨૦૨૩માં ૧૮મી જુનનાં રોજ કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંઘ નિઝ્ઝરની શહીદીનો બદલો લેવા માટે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી. સાથે જ નિઝ્ઝરની હત્યાનો બદલો લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ બોમ્બ બ્લાસ્ટમાં હત્યા કરવાની પણ ખાલિસ્તાન નેશનલ આર્મીનાં નામે એન્જિનિયર ગુરનખ સિંહ (રુકન શાહવાલા) દ્વારા ધમકી આપવામાં આવી હતી. હોમ મિનિસ્ટર અમિત શાહની ઓફિસે ૧૮ જુનથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે બોમ્બ ધમાકો અથવા હ્યુમન બ્લાસ્ટ ધમકી સાથે ‘પંજાબી નિશાના અમિત શાહ, હિન્દુ અત્તવાદી, શહીદ નિજ્જર દા બદલા’અમિત શાહનું ધમાકા વીચ ટુકડે ટુકડે કરકે’ લખાયું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, જુન 2026
6930 |
પ્રેમી સાથે મળી પતિને બીજા માળેથી નીચે ફેંક્યો, જીવતો રહ્યો તો કટરથી ગળું કાપીને મારી નાંખ્યો
વેડરોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિને બીજા માળેથી નીચે ફેંક્યા બાદ ગળું કાપી હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા પરિણીતાએ કરેલાં ભરપૂર પ્રયાસ ઉપર પોસ્ટમોર્ટમ રીપોર્ટે પાણી ફેરવી દીધું હતું. ચોકબજાર પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વેડરોડ પર રહેમતનગરમાં રહેતાં ૪૨ વર્ષીય જન્મેજય તીર્થ રાય ગત આઠમી તારીખે મળસ્કે મકાનનાં બીજા માળેથી પડી જતાં મૃત્યુ પામ્યા હતાં. જન્મેજય રાયની પત્ની ચાંદની દ્વારા આવી જાણ કરવામાં આવતાં પીએસઆઇ જે. આર. તિવારીએ સ્થળ પર દોડી જઇ તપાસ આરંભી હતી. સ્થળ પર જરૂરી કાર્યવાહી આટોપી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર ખસેડાયો હતો. પોસ્ટમોર્ટમ કરનાર સ્મીમેરનાં તબીબોએ મૃતદેહનું નિરિક્ષણ કરતાં ગળાનાં ભાગે ઘા દેખાયો હતો. પોસ્ટમોર્ટમમાં ગળાનાં ભાગે ઇજાનાં કારણે થયેલા રક્તસ્ત્રાવ તથા માથામાં માર વાગતાં મગજમાં થયેલા રક્તસ્ત્રાવનાં કારણે રાયનું મોત થયાનું બહાર આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રીપોર્ટનાં કારણે બનાવ અંગે અપાયેલી માહિતી સામે શંકા ઉભી થઇ હતી. જેથી પોલીસે આસપાસનાં સીસી કેમેરા ફૂટેજ મેળવી તપાસ આરંભી હતી. જેમાં જન્મેજયનાં ઘરની આસપાસ બનાવના સમયે એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. આ બાબતે રાયની પત્ની ચાંદનીને બોલાવી ઉલટ તપાસ શરૂ કરાઇ હતી. જેમાં તેણીએ એવી કબૂલાત કરી હતી કે, સીસી કેમેરામાં દેખાતાં યુવકનું નામ શુલભસિંહ બહાદૂરસિંહ છે. રહેમતનગરમાં જ રહે છે. ચાંદનીએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ છ વર્ષ પહેલા ફૂલવાડી ખાતે ભાડેથી રહેતાં હતા ત્યારે તેમની રૂમની સામે આ શુલભસિંહ તેના મિત્રો સાથે રહેતો હતો. એ સમયથી તેઓ એકબીજાને ઓળખે છે. બે વર્ષ પહેલા તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ સંબંધ ગાઢ બનતાં તેઓએ સાથે રહેવા જન્મેજયનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું. દરમિયાન સાતમી તારીખે રાત્રે આ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ જન્મેજય સૂઈ જતાં એકાદ વાગ્યે ચાંદનીએ પ્રેમી શુલભસિંગને કોલ કરી ઘરે બોલાવ્યો હતો. બાદમાં તેઓએ જન્મેજયને ઉંચકી રૂમની બહાર દાદર પાસે લાવ્યા અને ગેલેરીમાંથી નીચે ફેંકી દીધો હતો. ત્યારબાદ આશરે વીસેક મિનિટ પછી ચાંદની દાદર પાસેથી ગેલેરીમાંથી નીચે ગઇ અને ચેક કર્યું તો જન્મેજય શ્વાસ લેતો હતો. આ જોઇ ગભરાયેલી ચાંદની શુલભસિંહનાં ઘરે દોડી ગઇ હતી. મારો પતિ હજી જીવે છે. તે જીવી જશે તો આપણે ફસાઈ જઇશું. આ વાત સાંભળી શુલભસિંહ તેણી સાથે ગયો અને ધાગા કટીંગની બ્લેડથી જન્મેજયનાં ગળા પર બે કટ મારી દીધા હતા. ગળુ કપાઇ જતા લોહી વહેવા લાગ્યું અને તરફડીયા ખાતા તેણે દમ તોડી દીધો હતો. જન્મેજયને મોતને ઘાટ ઉતારી ચાંદની અને શુલભ પોતપોતાના ઘરે જઈ સૂઈ ગયા હતાં. બાદમાં ચાંદનીએ મળસ્કે પતિ અકસ્માતે નીચે પડી મૃત્યુ પામ્યા હોવાની કાગારોળ મચાવી હતી. તપાસમાં આ હકીકત બહાર આવતાં ચાંદની અને શુલભસિંહ સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. પાડોશીનાં પ્રેમમાં ઓળઘોળ થયેલી ચાંદનીએ છ મહિના પ્લાનિંગ કરી પતિને પતાવી દીધો પોલીસની પૂછપરછમાં ચાંદનીએ તેણે કરેલા જધન્ય કૃત્યને જસ્ટિફાય કરવાનો પણ ભરપૂર પ્રયાસ કર્યો હતો. તેણીએ એવું કહ્યું કે, જન્મેજય રાયે તેણીને રાખી એ પહેલા તેના એક લગ્ન થઈ ચૂક્યા હતા. જો કે, તેણે આ વાત છૂપાવી રાખી હતી. પતિ કામધંધો કરતો પરંતુ તેણીને પૈસા આપતો ન હતો. અવારનવાર ઝઘડા અને મારપીટ કરતો હતો. પતિનાં આવા વર્તનથી તે કંટાળી હતી એવામાં તેને શુલભસિંહનો ભેટો થઇ ગયો હતો. તેણીને શુલભસિંહ પાસે માનસિક હૂંફ મળવા સાથે શારીરિક જરૂરિયાત પુરી થવા માંડી હતી. પતિ દ્વારા કરાતી મારપીટની વાત ચાંદનીએ પ્રેમી શુલભસિંગને કરતાં તેણે તેને વચ્ચેથી હટાવી દેવા કહ્યું હતું. બાદમાં તેઓ છ મહિનાથી જન્મેજયની હત્યા માટે પ્લાનિંગ કરતા હતા. જન્મેજય ઉંઘે પછી ઉઠતો નથી એવું જાણતી ચાંદનીએ તેને ઊંઘમાં જ પતાવી દેવાની વાત કરી હતી. જન્મેજય ઉંઘે પછી ઘરમાં કોઈ આવે તો તેની તેને જાણ થાય છે કે નહીં એ ચકાસવા ચાંદનીએ ઘણાં પ્રયોગ કરી જોયા હતા. જન્મેજયની ઉંઘ ઉડતી ન હોવાનું કન્ફર્મ કર્યા બાદ તેણીએ પ્રેમીને બોલાવી પતિને બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, જુન 2026
5544 |
જીવતાં જ્વાળામુખી જેવા ૨૬૨ ટેમ્પરરી સ્ટ્રક્ચરોને નોટિસ ફટકારાઇ
યાર્ન અને ફર્નિચર જેવાં સળગી ઉઠે તેવાં મટીરિયલ્સનાં ગોડાઉન ઉભાં કરી જીવતાં જ્વાળામુખી બનાવી દેવામાં આવેલાં ટેમ્પરરી સ્ટ્રક્ચરો સામે લોકસત્તા-જનસત્તાએ ઉપાડેલી ઝૂંબેશને મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને પ્રતિસાદ આપતાં ફાયર વિભાગ દ્વારા ૨૬૨ ટેમ્પરરી સ્ટ્રક્ચરોને નોટિસો ફટકારવામાં આવી છે. સરકારની નીતિ અને મહાનગર પાલિકાની એસ.ઓ.પી. વિરૂદ્ધ ધમધમતાં ટેમ્પરરી સ્ટ્રક્ચરો સામે તમામ ઝોનનાં અધિકારીઓ તેમજ ફાયર વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યાં હતાં પરંતુ કમિશનરે કડકાઇ અખત્યાર કરતાં આખરે આજે ૨૬૨ ટેમ્પરરી સ્ટ્રક્ચરોને નોટિસ ઇશ્યુ કરી ત્રણ દિવસમાં જ ફાયર સેફ્ટી નિયમોનો અમલ કરવા જણાવી દેવાયું છે.સુરત મહાનગર પાલિકાનાં તમામ ઝોનનાં અધિકારીઓની મહેરબાનીથી ટેમ્પરરી સ્ટ્રક્ચરોનાં નામે ગોડાઉનો ધમધમી રહ્યાં છે. મોટાભાગનાં ટેમ્પરરી સ્ટ્રક્ચરોનાં માલિકો વેરો પણ ભરતાં નથી પરંતુ મહાનગર પાલિકાનાં અધિકારીઓનાં ખીસ્સા જરૂર ભરતાં હોવાથી અત્યારસુધી કોઇ જ પગલાં લેવાયા નથી. મ્યુનિસિપલ કમિશનરે તાજેતરમાં જ હેલ્થ એન્જિનિયરિંગની મીટિંગમાં તમામ ઝોનનાં વડા તેમજ ફાયર વિભાગનાં અધિકારીને કડક શબ્દોમાં સુચના આપતાં ટેમ્પરરી સ્ટ્રક્ચરો બાબતે સર્વે કરવામાં આવ્યો હતો. કમિશનરે તો દરેક ઝોનમાં ૧૦૦-૧૦૦ ટેમ્પરરી સ્ટ્રક્ચરોની યાદી સુપ્રત કરવા તમામ ઝોનલચીફને આદેશ આપ્યો હતો પરંતુ એટલી સંખ્યામાં યાદી સુપ્રત કરાઇ નથી. જાે કે, ૪૭૫ જેટલાં ટેમ્પરરી સ્ટ્રક્ચરોની યાદી આપવામાં આવી હતી તેમાં ૨૬૨ ટેમ્પરરી સ્ટ્રક્ચરોને ફાયર વિભાગ દ્વારા આજે નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં જ ફાયર વિભાગનું એન.ઓ.સી. મેળવી લેવા જણાવી દેવાયું હતું. મોટા મોટા ગોડાઉન બનાવી દેવાયેલાં ટેમ્પરરી સ્ટ્રક્ચરોમાં ફાયર સેફ્ટીની સુવિધા ચકાસવાની જવાબદારી ફાયર વિભાગની હોવા છતાં અત્યારસુધી આ તમામ ટેમ્પરરી સ્ટ્રક્ચરોની વિઝિટ કરી ચકાસણી કરવાની તસ્દી ફાયર વિભાગનાં અધિકારીઓએ લીધી નથી તે સાબિત થઇ જાય છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન વિસ્તારમાંથી ફાયર બ્રિગેડ વિભાગને આપવામાં આવેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરના લિસ્ટ બાદ ફાયર બ્રિગડ વિભાગ દ્વારા તમામને નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં સરથાણા ઝોન વિસ્તારમાં સૌથી વધુ ૧૨૦ ટેમ્પરરી સ્ટ્રક્ચર પૈકી ૪૦ ને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે આગળની કાર્યવાહી ચાલુ છે. આ સિવાય વરાછા ઝોન વિસ્તારમાં ૯૫ ટેમ્પરરી સ્ટ્રકચરો પૈકી ૮૩ ને નોટિસ ફટકારવામાં આવી છે. અઠવા ઝોનમાં ૬૦ ટેમ્પરરી સ્ટ્રક્ચર પૈકી ૪૬ ને નોટિસ આપવામાં આવી છે. જોકે કામગીરી દરમિયાન ૬૦ પૈકી પાંચ ટેમ્પરરી સ્ટ્રક્ચર કાયમ માટે બંધ થઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે. આ સિવાય લીંબાયત ઝોન વિસ્તારમાં ૩૨ ટેમ્પરરી સ્ટ્રકર પૈકી ૧૯ ને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત છ વ્યક્તિને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ ની નોટિસ પણ આપવામાં આવી છે. જોકે ૩૨ પૈકી કુલ ૧૧ ટેમ્પરરી સ્ટ્રકરો કાયમી માટે બંધ થઈ ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ સિવાય ઉધના ઝોન એ વિસ્તારમાં કુલ ૧૩ ટેમ્પલ સ્ટ્રક્ચરો પૈકી ૧૦ ને નોટિસ ફટકારવામાં આવી છે અને આ તમામને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ ની નોટિસ પણ ફટકારવામાં આવી છે. જોકે અન્ય ત્રણ ટેમ્પરરી સ્ટ્રકરો કાયમી માટે બંધ થઈ ગયા છે. ઉધના ઝોન વિસ્તાર બી માં ૪૭ પૈકી ૩૬ ને નોટિસ આપવામાં આવી છે. રાંદેર ઝોન વિસ્તારમાં ૧૪ પૈકી ૧૩ ને નોટિસ ફટકારવામાં આવી છે અને આ તમામને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ થી નોટિસ પણ આપવામાં આવી છે. કતારગામ ઝોન વિસ્તારમાં ૧૫ પૈકી તમામને નોટિસ ફટકારવા સાથે છ અને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ ની નોટિસ આપવામાં આવી છે. આમ સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને કુલ ૯ ઝોનમાંથી ૩૯૬ ટેમ્પરરી સ્ટ્રક્ચર નું લિસ્ટ મળ્યું હતું. જેમાં ૨૬૨ અને નોટિસ ફટકારવામાં આવી છે અને ૩૫ ને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ ની નોટિસ પણ કરવામાં આવી છે. જ્યારે અન્ય ટેમ્પરરી સ્ટ્રક્ચરોની સ્થળ તપાસની કામગીરી અને નોટિસની કામગીરી હજુ યથાવત છે મેળા, સર્કસ, પ્રદર્શની, પંડાળ અને ફિશરિઝ સંબંધિત એક્ટિવિટી માટે જ પરવાનગી અપાય રાજ્ય સરકારે ટેમ્પરરી સ્ટ્રક્ચરો માટે નીતિ-નિયમો બનાવ્યાં છે તેમજ સુરત મહાનગર પાલિકાએ પણ એસ.ઓ.પી. બનાવી છે જે મુજબ માત્ર મેળા, સર્કસ, પ્રદર્શની, પંડાળ અને ફિશરિઝની એક્ટિવિટી માટે જ ટેમ્પરરી સ્ટ્રક્ચર અંગે પરવાનગી આપવાની જાેગવાઇ કરવામાં આવી છે. પ્રથમ છ મહિના માટે અને ત્યારપછી તેને છ-છ મહિના કરીને મહત્તમ ત્રણ વર્ષ માટે એક્સ્ટેન્શન આપવાની જાેગવાઇ છે. જાે કે, સુરત શહેરમાં પુણા-કુંભારિયા સહિતનાં વિસ્તારોમાં ઘણાં લાંબા સમયથી ટેમ્પરરી સ્ટ્રક્ચરોનાં નામે વેપારીઓએ વેપાર-ધંધા માટે મોટા મોટા ગોડાઉનો બનાવી દીધાં છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...