આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, ફેબ્રુઆરી 2026
2475 |
સોમનાથનો ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકાસ થશે: યાત્રાધામ વિકાસ માટે ૫૫૦ કરોડ :
ગાંધીનગર, ગુજરાત યાત્રાધામના વિકાસ માટે બજેટમાં કરોડોની જાેગવાઇ કરાઇ છે. અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ.૫૫ કરોડ જાેગવાઇ કરાઇ છે. બીચ ટુરિઝમ માટે પણ બજેટમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે. સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે રૂ.૬૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો બનાવવાની પણ જાહેરાત કરાઇ છે. જેના માટે રૂ.૪૪૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતની વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ એક આગવી ઓળખ ઉભી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે, સોમનાથમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવા ૪૪૭ કરોડની ફાળવણી કરાઇ છે. સમગ્ર ભારતવર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ ૧ હજાર વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાના કારણે આજે પણ ગર્વભેર અડીખમ ઊભું રહ્યું છે. આ અવસરને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલ “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરાશે. ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણના કેન્દ્ર બન્યાં છે. ઁસ્ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભારતની પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું “નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્યુઝિયમ” લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે એક હજાર ટુરિસ્ટ ગાઇડને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. ઉપરોક્ત આયોજનો માટે કુલ રૂ.૯૫ કરોડની જાેગવાઇ. રાજ્યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે “વેડ ઇન ગુજરાત કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડિંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે. પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અને માઁ નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ.૫૫ કરોડની જાેગવાઇ કરી હતી. સોમનાથ અને શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આકર્ષક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યાં છે. વિસાવડા-પોરબંદર ખાતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા કુલ રૂ.૬૦ કરોડની ફાળવણી. રાજ્યના પવિત્ર યાત્રાધામ સોમનાથ અને અંબાજી ખાતે આઇકોનિક બસ સ્ટેશન તેમજ અન્ય સ્થળોએ બસ સ્ટેશન બનાવવામાં આવશે અને સોમનાથ મુકામે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબના ધોરણે અદ્યતન સુવિધા ધરાવતું બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવશે. જેના માટે ૪૪૭ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, ફેબ્રુઆરી 2026
1782 |
ગાંધીધામમાં ૧૮૨ કરોડના મસમોટા આંતરરાજ્ય સાયબર ફ્રોડનો પર્દાફાશ
કચ્છ, કચ્છના ગાંધીધામમાં એક સામાન્ય અરજીની તપાસ દરમિયાન સાયબર પોલીસે ૧૮૨ કરોડ રૂપિયાના મસમોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યાે છે. ભાડે આપેલી દુકાનમાં સોફાનું ભાડું ના ચૂકવાતા, દુકાન માલિકે પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે તપાસ શરૂ થઈ હતી, જે અંતે દેશવ્યાપી સાયબર કૌભાંડ નેટવર્ક સામે આવ્યું! આ કૌભાંડમાં ગરીબ અને અલ્પશિક્ષિત લોકોના દસ્તાવેજાેનો દુરુપયોગ કરી બોગસ પેઢીઓ ઊભી કરવામાં આવી હતી અને તેના નામે કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.દુકાન માલિકે પોલીસને જણાવ્યા અનુસાર, તેમણે પોતાની ખાલી દુકાન ભાડે આપવા માટે એક દલાલને ચાવી આપી હતી. દરમિયાન એક મંડપ ડેકોરેટર દ્વારા જાણવા મળ્યું હતું કે, દુકાન ભાડે રાખનાર શખ્સે મંડપ વાળા પાસેથી સોફા સેટ ભાડે લીધા હતા અને તેનું ભાડું ચૂકવ્યું નથી અને ફોન બંધ કરી દીધો છે. દુકાન માલિકે વધુ તપાસ કરતા, દુકાનમાં એક કુરિયર આવ્યું હતું, જેમાં નવા બેંક ખાતાની કિટ હતી. આ બાબતે શંકા જતાં તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.પોલીસે સાહિલ દિનેશભાઈ શર્મા નામના દલાલની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે તેના મિત્ર યશ મૂલચંદભાઈ ભાટીયા (રહે. આદિપુર) ને દુકાનની ચાવી આપી હતી. પોલીસે યશ ભાટીયાના મોબાઈલની તપાસ કરતા વિજય રાણા નામના શખ્સ સાથેની ચેટમાંથી અનેક બેંક ખાતાઓની વિગતો મળી આવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે ‘ગ્લોબલ સોલ્ટ’ નામની બોગસ કંપની બનાવી તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવાયું હતું.આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર યશ ભાટીયા અને ગાંધીધામના ટેક્સ કન્સલ્ટન્ટ અલ્પેશ સુરેશભાઈ લુહાર સહિત કુલ આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકી રાપર, આડેસર, માધાપર અને ગાંધીધામ વિસ્તારના ગરીબ લોકોને વિશ્વાસમાં લઈ, તેમના દસ્તાવેજાે મેળવી ઉદ્યમ પોર્ટલ પર ખોટું રજિસ્ટ્રેશન કરાવતી હતી. ત્યારબાદ વિજય રાણા મારફતે વિવિધ ખાનગી બેંકોમાં ૮૧ જેટલા ખાતા ખોલાવવામાં આવ્યા હતા.સાયબર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ૮૧ ખાતાઓમાં કુલ ૧૮૨ કરોડ ૩૭ લાખ ૬૮ હજાર ૮૬૨ રૂપિયા જમા થયા હતા. જે પૈકી ૭૪ બેંક ખાતાઓમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં સાયબર ળોડની ફરિયાદો પણ નોંધાયેલી છે. આ ગેંગ બેંક ખાતા ખોલાવી સાયબર ફ્રોડ કરતી ટોળકીઓને ભાડે આપતી હતી અને તેના બદલામાં કમિશન મેળવતી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, ફેબ્રુઆરી 2026
2574 |
સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર ખેતીની જમીન વેચાણ માટે કડક કાયદો, ૩ મહિનામાં જમીન પરત નહીં તો શ્રીસરકાર થશે
અમદાવાદ, ગુજરાત વિધાનસભાએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતીની જમીનોના ગેરકાયદેસર વેચાણ અને તબદીલીને રોકવા માટે મહત્વપૂર્ણ વિધેયક પસાર કર્યું છે.આ વિધેયક સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહિવટ પતાવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૯માં સુધારા સૂચવે છે. આ સુધારાથી બિનખેડૂત વ્યક્તિઓ અથવા સંસ્થાઓને વેચાયેલી જમીન માત્ર ત્રણ મહિનામાં મૂળ ખેડૂતને પરત મળી શકશે અથવા સરકાર તેને પોતાના કબજામાં લઈ શકશે. આ કાયદાનો અમલ ૫ ડિસેમ્બર, ૨૦૧૫થી પાછલી અસરથી થશે. આ વિધેયકમાં કલમ-૭૫ અને ૭૫છમાં સુધારા કરવામાં આવ્યા છે, જેમાં જાે ખેતીની જમીન બિનખેડૂત વ્યક્તિ, ગેરકાયદેસર કબ્જેદાર અથવા ઉદ્યોગોને વેચાઈ હોય, તો જિલ્લા કલેક્ટર સ્વમેળે અથવા હિતસંબંધ ધરાવતી વ્યક્તિની અરજીના આધારે તપાસ કરી શકશે. આ સિવાય તબદીલી ગેરકાયદેસર જણાય તો કલેક્ટર ત્રણ મહિનાની અંદર જમીન વેચનારને પરત કરવાનો આદેશ આપશે. જાે પરત ન કરાય તો જમીન તમામ બોજા વિના સરકારમાં નિહિત થશે અને તેને પડતર જમીન તરીકે વાપરી શકાશે.ગેરકાયદેસર ભોગવટો ધરાવતી વ્યક્તિ અથવા સંસ્થાને પ્રવર્તમાન જંત્રી કિંમતની ત્રણ ગણી (૩૦૦ ટકા) રકમનો દંડ વસૂલાશે. આ દંડ એક મહિનામાં ભરવાનો રહેશે.જાે જમીનમાં બિનખેતી અથવા કલમ-૫૪નો ભંગ થયો હોય, તો સરકાર જમીનને પોતાના હસ્તક લઈ શકશે અને તેનો ઉપયોગ શાળા, હોસ્પિટલ, રસ્તા જેવા જાહેર હિતના કાર્યો માટે કરી શકશે. આ સુધારા દ્વારા રાજ્યમાં ગણોત વહિવટ અને જમીન કાયદાઓમાં એકસૂત્રતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ વિધેયક રજૂ કરતાં જણાવ્યું કે, “કોર્ટ કેસ અને મહેસૂલી લિટિગેશનને કારણે કાયદાની કલમ-૭૫માં સુધારાની જરૂર જણાઈ છે.ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અલગ-અલગ કાયદા હતા, જેમાંથી સૌરાષ્ટ્રના કાયદાને સુધારવું બાકી હતું.”વિધાનસભામાં વિધેયક પર ચર્ચા દરમિયાન વિપક્ષ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે આ વિધેયકને ચોક્કસ ઉદ્યોગોના લાભ માટે લાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, “આ સુધારા ઉદ્યોગોને મદદ કરવા માટે છે.” જવાબમાં મંત્રી મહિડાએ બચાવ કરતાં કહ્યું કે, આ વિધેયક કાયદાઓમાં એકરૂપતા લાવવા માટે છે અને ખેડૂતોના હિતને સુરક્ષિત કરશે.વિપક્ષી ધારાસભ્યોએ ૧૯૪૯ના કાયદા હેઠળ કેટલી જમીનોમાં બિનખેડૂતને તબદીલી થઈ છે તેની વિગતો અને આંકડાકીય માહિતી જાહેર કરવાની માંગ કરી હતી. જાેકે, મંત્રીએ આ અંગે કોઈ વિગતો આપી નહીં.ચર્ચાના અંતે વિધેયક બહુમતીના જાેરે પસાર થયું છે. રાજ્યપાલની મંજૂરી બાદ તેનો અમલ થશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, ફેબ્રુઆરી 2026
3465 |
જામનગરની હોટલમાં પોલીસના દરોડા ૮૩ લાખના ડ્રગ્સ સાથે ૪ તસ્કર ઝડપાયા
જામનગર, ગુજરાતમાં નશાના કાળા કારોબારને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં છે. જામનગર જિલ્લાના મોટી ખાવડી વિસ્તારમાં એસઓજીએ એક મોટા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પંજાબથી આવેલા ૪ શખ્સોને રૂ. ૮૩.૬૦ લાખની કિંમતના હેરોઈન સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન હેઠળ એસઓજીની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે, પોલીસે મોટી ખાવડી ગામે આવેલી હોટલ ૬૬૬ ના રૂમ નંબર ૨૦૨ માં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રૂમમાં હાજર ૪ શખ્સો પાસેથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજી સ્ટાફે પંજાબના વતની એવા ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે રૂ. ૮૩.૬૦ લાખની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતું ૪૧૮ ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે ડ્રગ્સની સાથે ૭ મોબાઈલ ફોન, રોકડ રકમ અને ડિજિટલ વજન કાંટો મળીને કુલ રૂ. ૮૪,૧૪,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એસઓજી દ્વારા આ મામલે પંજાબના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વિશાલસિંગ જસબીરસિંઘ મટુ, હરપ્રીતસિંગ તેજાસિંઘ મજવી, બિક્રમજીતસિંગ અમરજીતસિંઘ મરવી અને જગદિપસિંગ લખબિરસિંઘ ખેહરાનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હેરોઈનનો જથ્થો અમૃતસર (પંજાબ) ના ફિલિપ્સ ઉર્ફે ફૌજી નામના શખ્સે મોકલ્યો હતો. જામનગર પોલીસે મુખ્ય સપ્લાયર ફૌજીને ફરાર જાહેર કરી તેને પકડવા માટે તપાસનો દોર પંજાબ સુધી લંબાવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ મેઘપર પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, ફેબ્રુઆરી 2026
4851 |
રાજકોટ ભાજપમાં ભડકો : કોર્પોરેટર ડો.નેહલ શુક્લને બરતરફ કરવા પત્ર
ગાંધીનગર રાજકોટ ભાજપમાં ચાલી રહેલો આંતરિક જૂથવાદ હવે ખૂલીને બહાર આવી ગયો છે. ભાજપ શાસિત રાજકોટ મહાપાલિકામાં ભાજપના જ કોર્પોરેટરને બરતરફ કરવા માટે મ્યુનિ. કમિશનરને પત્ર દરખાસ્ત મૂકવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સત્તાધારી ભાજપમાં ચાલી રહેલો આંતરિક જૂથવાદ ખૂલીને સામે આવી ગયો છે. રાજકોટ મહાપાલિકાની ચૂંટણી ટર્મ પૂરી થવાના એક મહિના અગાઉ જ ભાજપમાં સત્તાધારી જૂથને ભીડવનાર કોર્પોરેટર ડો. નેહલ શુક્લને કોર્પોરેટર પદેથી બરતરફ કરવા માટે પક્ષના જ વિરોધી જૂથ દ્વારા ખેલ પાડવામાં આવ્યો છે. જેમાં ભાજપના જ રાજમાં ભાજપના કોર્પોરેટરને ત્રણ જનરલ બોર્ડમાં હાજર રહ્યા ન હોવાનું કહી બરતરફ કરવાની દરખાસ્ત કરવામાં આવતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૭ના ભાજપના કોર્પોરેટર ડૉ. નેહલ શુકલ સતત ત્રણ વખત ગેરહાજર રહેતા નિયમ મુજબ તેઓની સામે બરતરફની કાર્યવાહી કરવા ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયાએ મ્યુનિ.કમિશનરને પત્ર લખી માર્ગદર્શન માંગ્યું છે. તેઓ આગામી બોર્ડમાં હાજર રહી શકે કે કેમ? તેમજ કોર્પોરેટર પદેથી હટાવી શકાય કે કેમ? આ અભિપ્રાય માંગવામાં આવતા રાજકોટનું રાજકારણ ગરમાયુ છે. નગરસેવક નેહલ શુકલ ગત તા.૨૦-૯-૨૦૨૫, તા.૨૦-૧૧-૨૦૨૫ અને ૨૦-૧-૨૦૨૬ના જનરલ બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા. હવે તેમને ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયા દ્વારા બરતરફ કરવાની કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટ મહાપાલિકાની સામાન્ય ચૂંટણી અગાઉ એટલે કે, ટર્મ પૂર્ણ થવામાં માત્ર એકાદ મહિનાનો સમયગાળો બાકી છે તેવા સમયે આ મામલે શહેરી વિકાસ વિભાગનું કમિશનર દ્વારા માર્ગદર્શન માંગવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે. જાેકે આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે મીડિયાને જણાવ્યું હતું કે, નેહલ શુક્લ અમારા સિનિયર કોર્પોરેટર છે. ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા મને જાણ કરવામાં આવી છે કે, નેહલ શુક્લ ત્રણ બોર્ડમાં ગેરહાજર છે. મેં સામાન્ય સભા (જનરલ બોર્ડ)ની બુક જાેઇ તેમાં એક બોર્ડમાં નેહલ શુક્લએ રજા રિપોર્ટ મૂકેલો છે. જેથી હું એવું માનુ છું કે તેઓ બરતરફ ન થઇ શકે. ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટ મનપાના ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયા દ્વારા દાવો કરાયો છે કે, રજા રિપોર્ટ હોવા છતાં તેઓ ત્રણ બોર્ડમાં હાજર ન હોય તો બરતરફ થઇ શકે છે. આ અંગે ભાજપ દ્વારા પણ લીગલ અભિપ્રાય લેવામાં આવશે. ભાજપમાં કોઇ જૂથવાદ નથી. નેહલ શુક્લ અમારા કોર્પોરેટર છે. અમે તમામ કોર્પોરેટરો નેહલભાઇ સાથે છીએ. જ્યારે આ મામલે કોર્પોરેટર ડૉ. નેહલ શુકલે અધિકારી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, બીપીએમસી એક્ટ અને જીપીએમસી એક્ટમાં જે લખેલું છે તેનો ખોટો અર્થઘટન કરવામાં આવ્યું છે. નેહલ શુકલે જણાવ્યું હતું કે, ઈશ્વર નો હું આભાર માનું છું કે મને સારા કામ કરવા માટે નિમિત્ત બનાવવામાં આવે છે. અધિકારીઓ બીપીએમસી એક્ટ અને જીપીએમસી એકટનો અર્થઘટન ખોટો કરી રહ્યા છે. કોર્પોરેશનની મિટિંગનો અર્થ કોર્પોરેશનની બેઠક થાય છે. એકાંતમાં ક્યાંય જનરલ બોર્ડ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી. નિયમ મુજબ હું સ્ટેન્ડિંગ કમિટીની બેઠકોમાં હાજર રહ્યો છું. ઇન્ચાર્જ સેક્રેટરીએ પોતાની સેફ સાઈડ અને કોઈની સલાહ લીધા વગર જ કમિશનરને પત્ર લખ્યો હશે. બીપીએમસી એકટના પ્રથમ પેઇજમાં લખવામાં આવ્યું છે કે સળંગ છ મહિના ગેરહાજર હોય તો પણ રજા રિપોર્ટ મૂકેલો હોય તો બરતરફ ન થઈ શકે. હું મારી સમજણ મુજબ પ્રશ્નો ઉઠાવતો રહ્યો છું. ઉઠાવતો રહીશ. વિવાદના બીજ અગાઉ રોપાઈ ચૂક્યા હતામહાપાલિકાના સુત્રોના જણાવ્યા પ્રમાણે નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર વચ્ચે વિવાદના બીજ પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટ મામલે રોપાયા હતા. પે એન્ડ પાર્કિંગમાં મહાપાલિકા દ્વારા કરવામાં આવતા આડેધડ ઉઘરાણા મામલે નેહલ શુક્લએ એવું જણાવ્યું હતું કે, આ તમામના પૈસા હું જ ભરી આપીશ. આ ઉઘરાણા બંધ કરો..! ભાજપ શાસિત મહાપાલિકામાં ભાજપના જ કોર્પોરેટર દ્વારા સરેઆમ વિરોધના પગલે તેઓની સામે વિરોધી જૂથ દ્વારા હવે દાવ લેવાનું શરૂ કર્યું છે. ભાજપ દ્વારા આ જૂથવાદ નો અંત નહિ લાવવામાં આવે તો ચૂંટણી પરિણામો પર તેની અસર જાેવા મળે તો પણ નવાઈ નહિ.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગવર્મેન્ટ
20, ફેબ્રુઆરી 2026
1683 |
વડોદરા |
સયાજી હોસ્પિટલમાં NABH ટીમનું નિરીક્ષણ, ટીમ પહોંચે તે પહેલા જ તંત્ર દ્વારા 'સફાઈ અભિયાન' અને બોર્ડ લગાવવાની કામગીરી તેજ
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી સયાજી હોસ્પિટલમાં સુવિધાઓ અને સારવારના સ્તરને ચકાસવા માટે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ (NABH) ની ટીમ આવી પહોંચી છે. આગામી ત્રણ દિવસ સુધી આ ટીમ હોસ્પિટલના વિવિધ વિભાગોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે.બગીમાં બેસીને કેમ્પસનું નિરીક્ષણઆજે પ્રારંભિક તબક્કે સુપ્રિટેન્ડન્ટ ઓફિસ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ ત્રણ સભ્યોની આ ઉચ્ચસ્તરીય ટીમે સયાજી હોસ્પિટલ પરિસરમાં બગીમાં બેસીને રાઉન્ડ માર્યો હતો અને પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલના વહીવટી તંત્ર સાથે બંધ બારણે બેઠક પણ યોજવામાં આવી હતી.તંત્રની દોડધામ: ટીમ આવે તે પહેલા જ કામગીરી પૂર્ણ કરવા મથામણNABHની ટીમ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં પહોંચે તે પહેલા જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. હોસ્પિટલની દીવાલોની સફાઈ, ખૂણે-ખૂણે સ્વચ્છતા અને 'વર્ક ઇન પ્રોગ્રેસ' ના બોર્ડ લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. ખાસ કરીને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા હોસ્પિટલ પરિસરને ચકચકાટ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.કઈ બાબતો પર રહેશે ટીમની નજર?આગામી ત્રણ દિવસ દરમિયાન NABH ના ધોરણો મુજબ નીચે મુજબની બાબતોનું નિરીક્ષણ કરવામાં આવશે:દર્દીઓને અપાતી ક્લિનિકલ સારવારની પ્રક્રિયા.દર્દીઓના મેડિકલ રેકોર્ડ અને ડોક્યુમેન્ટેશનની ચોકસાઈ.હોસ્પિટલની સ્વચ્છતા અને સ્ટાફની વ્યવસ્થા.દર્દીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા.સાઇન બોર્ડ અને વહીવટી વ્યવસ્થા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ફેબ્રુઆરી 2026
2178 |
વડોદરામાં કોંગ્રેસ નેતાની અનોખી સ્કીમ: '1 કિમીનો ખાડા વગરનો રોડ બતાવો અને 1 હજાર લઈ જાઓ
વડોદરા: શહેરમાં બિસ્માર રસ્તાઓની સમસ્યા હવે રાજકીય આંદોલનનું રૂપ ધારણ કરી રહી છે. વડોદરાના વોર્ડ નંબર 12માં કોંગ્રેસના નેતા રાકેશ ઠાકોરે શાસક પક્ષ અને તંત્રની કામગીરી સામે અનોખો વિરોધ નોંધાવતા એક ઇનામી સ્કીમ જાહેર કરી છે. પોતાની કાર પર બેનરો લગાવીને તેઓ રસ્તા શોધવા નીકળ્યા છે, જેણે આખા શહેરમાં ચર્ચા જગાવી છે.શું છે આ '1 હજારનું ઇનામ' આપતી સ્કીમ?કોંગ્રેસના વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે જાહેરાત કરી છે કે જો કોઈ વ્યક્તિ તેમના વોર્ડમાં સળંગ 1 થી 1.5 કિલોમીટર સુધીનો એવો રસ્તો બતાવે જેમાં એક પણ ખાડો, પેચવર્ક કે થીંગડું ન હોય, તો તેને સ્થળ પર જ 1,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, "મને કોર્પોરેશનના કામ પર એટલો ભરોસો છે કે મારે આ ઇનામ કોઈને આપવું જ નહીં પડે, કારણ કે આખા વિસ્તારમાં એક પણ રસ્તો સાજો નથી."'વાહનચાલકોના કમરના મણકા હલી જાય છે'રાકેશ ઠાકોરે રસ્તાઓની દયનીય સ્થિતિ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ગાય સર્કલ જેવા મુખ્ય માર્ગો પર એટલા બધા ખાડા અને પેચવર્ક છે કે વાહનચાલકોને કમર અને મણકાની ગંભીર બીમારીઓ થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, "શહેરમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ટીમો જે હોટલોમાં રોકાય છે, તેની બહાર પણ ખાડાઓનું સામ્રાજ્ય છે, જે વડોદરાની આબરૂના લીરેલીરા ઉડાડી રહ્યું છે."જનતાને જાગૃત થવા અપીલતંત્રને રસ્તા અને ગટરની સમસ્યાઓ વહેલી તકે ઉકેલવા વિનંતી કરવાની સાથે તેમણે વોર્ડ નંબર 12 ના રહીશોને પણ જાગૃત થવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી જનતા મૂંગા મોઢે સહન કરશે ત્યાં સુધી સ્થિતિ સુધરશે નહીં. આગામી સમયમાં ચૂંટણીમાં યોગ્ય જવાબ આપવાની તૈયારી રાખવા પણ તેમણે લોકોને જણાવ્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, ફેબ્રુઆરી 2026
1980 |
વડોદરાના યુવાનો માટે સુવર્ણ તક: તરસાલી અને રેસકોર્સમાં બે દિવસીય મેગા ભરતી મેળો, 140+ જગ્યાઓ માટે સીધા ઇન્ટરવ્યૂ
વડોદરાના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે રોજગારીની નવી તકોના દ્વાર ખુલ્યા છે. મદદનીશ રોજગાર નિયામક કચેરી દ્વારા આગામી 20 અને 21 ફેબ્રુઆરી 2026ના રોજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ભવ્ય ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાની ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં, એટલે કે ઉમેદવારો નિઃશુલ્ક આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.તરસાલી ITI ખાતે ટેકનિકલ ભરતીભરતી પ્રક્રિયાના પ્રથમ દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીએ સવારે 10:00 વાગ્યે તરસાલી આઈટીઆઈ કેમ્પસ ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે. આ મેળામાં ખાસ કરીને HSC, આઈટીઆઈના તમામ ટ્રેડ અને ડિપ્લોમા મિકેનિકલ ધરાવતા 18 થી 35 વર્ષના પુરુષ ઉમેદવારો માટે 120થી વધુ જગ્યાઓ ઉપલબ્ધ છે. ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થશે.રેસકોર્સમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે ઇન્ટરવ્યૂબીજા દિવસે એટલે કે 21 ફેબ્રુઆરીએ રેસકોર્સ સર્કલ સ્થિત જોયાલુક્કાસ ઇન્ડિયા લિમિટેડ ખાતે સવારે 10:00 વાગ્યે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અહીં સેલ્સ એક્ઝિક્યુટિવની 20 જગ્યાઓ માટે 12 પાસ, ડિપ્લોમા કે ગ્રેજ્યુએશન ધરાવતા 18 થી 25 વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ પોસ્ટ માટે મહિલાઓની ઊંચાઈ 5.4 અને પુરુષોની ઊંચાઈ 5.8 હોવી ફરજિયાત છે.યોજનાઓની જાણકારી અને જરૂરી દસ્તાવેજોભરતી મેળામાં માત્ર નોકરી જ નહીં, પરંતુ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે PMVBRY, સ્વરોજગાર લોન અને વિદેશમાં સુરક્ષિત રોજગાર અંગે પણ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના 3 બાયોડેટા (Resume) સાથે નિયત સમયે અને સ્થળે હાજર રહેવું. વધુમાં, અનુબંધમ અને NCS પોર્ટલ પર નોંધણી અંગેની વિગતો પણ સ્થળ પર પૂરી પાડવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, ફેબ્રુઆરી 2026
1980 |
વડોદરા |
લાલબાગ ટાંકી હેઠળના વિસ્તારોમાં શુક્ર-શનિ પાણી કાપની જાહેરાત
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની નવી પાઇપલાઇનો નાખવાની અને મુખ્ય ટાંકીઓ સાથે નવા જોડાણ કરવાની કામગીરી વેગીલી બનાવવામાં આવી છે. આ વિકાસલક્ષી કામગીરીના ભાગરૂપે, આગામી શુક્રવારના રોજ માંજલપુર વિસ્તારમાં રિપેરિંગ અને જોડાણનું મહત્વનું કામ હાથ ધરવામાં આવશે. આ ટેકનિકલ કામગીરીને કારણે લાલબાગ ટાંકી પર નિર્ભર અંદાજે 50,000 થી વધુ નાગરિકોને મર્યાદિત સમય માટે અને ઓછા દબાણથી પાણી મળવાની શક્યતા છે, જેનાથી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.પાલિકાના પાણી પુરવઠા શાખાના જણાવ્યા અનુસાર, માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે 500 મી.મી.ની એચ.એસ. ફીડર નલિકાના જોડાણની કામગીરી 20 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ કરવામાં આવશે. આ કામગીરીને કારણે લાલબાગ ટાંકી હેઠળ આવતા નવાપુરા, બગીખાના, માંજલપુરનો કેટલોક ભાગ, પોલો ગ્રાઉન્ડ અને પ્રતાપનગર જેવા વિસ્તારોમાં પાણી વિતરણ પર અસર પડશે. ખાસ કરીને 20 ફેબ્રુઆરી (શુક્રવાર) સાંજે અને 21 ફેબ્રુઆરી (શનિવાર) સવારે પાણીનું વિતરણ નિયત સમય કરતા મોડું થશે અને પાણીનો ફોર્સ પણ ઓછો રહેશે.ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પાણીના આ કાપને કારણે નાગરિકોને હાલાકી ન પડે તે માટે પાલિકા દ્વારા અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા અપીલ કરવામાં આવી છે. વડોદરાના અનેક વિસ્તારોમાં પહેલેથી જ ઓછું અને ગંદુ પાણી આવવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે આ મેન્ટેનન્સ કામગીરીને પગલે સર્જાનારી સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગવર્મેન્ટ
19, ફેબ્રુઆરી 2026
1980 |
ગુજરાત બજેટ 2026 : યુવા, અન્નદાતા અને નારીશક્તિ માટે ભુપેન્દ્ર સરકારની મોટી ભેટ !!
ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું વર્ષ 2026-27નું બજેટ રાજ્યના સર્વાંગી વિકાસ માટે 'GYAN' (ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ) સ્તંભો પર આધારિત છે. આ બજેટમાં યુવા શક્તિને પ્રાધાન્ય આપતા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અને નમો ગુજરાત કૌશલ્ય મિશન દ્વારા શિક્ષણ અને રોજગારલક્ષી કૌશલ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત હજારો વિદ્યાર્થીઓને આર્થિક સહાય અને આધુનિક તાલીમ મળશે. અન્નદાતા એટલે કે ખેડૂતો માટે ટેકનોલોજી આધારિત ખેતી અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે જંગી જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સિંચાઈની સગવડો વધારવા અને પશુપાલકો માટે ગૌમાતા પોષણ યોજના જેવી મહત્વની પહેલોનો સમાવેશ થાય છે. ખાસ કરીને નારીશક્તિ માટે નમો લક્ષ્મી યોજના દ્વારા દીકરીઓના શિક્ષણને સુનિશ્ચિત કરવા અને ગંગા સ્વરૂપા બહેનોની આર્થિક સુરક્ષા માટે મોટા પાયે ફંડ ફાળવાયું છે. આ સાથે જ, રાજ્યમાં આરોગ્ય સેવાઓના વિસ્તરણ માટે સરકારી હોસ્પિટલોમાં મફત IVF સુવિધા અને આવાસ યોજનાઓ દ્વારા સામાન્ય માનવીના જીવનસ્તરને ઊંચું લાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. એકંદરે, આ બજેટ કોઈ પણ નવા કરવેરા વગર માળખાકીય સુવિધાઓ, પર્યટન અને સામાજિક કલ્યાણને સંતુલિત કરી 'વિકસિત ગુજરાત'ના વિઝનને સાકાર કરવા તરફ મક્કમ ડગલું માંડે છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ફેબ્રુઆરી 2026
1881 |
અમદાવાદ |
હોળી-ધૂળેટીના તહેવાર માટે GSRTCની 1300 વધારાની બસો દોડશે: 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી 7500 ટ્રિપ્સનું આયોજન
હોળી અને ધૂળેટીના રંગોત્સવને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ પરિવહન આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 સુધી રાજ્યભરમાં 1300 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે અને કુલ 7500 ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવશે. ખાસ કરીને તહેવારો દરમિયાન વતન પરત ફરતા મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવાયો છે.મુખ્ય રૂટો અને વધારાની બસોની વિગતઆ વર્ષે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા મુખ્ય શહેરોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટા ઉદેપુર તરફ જવા માટે વિશેષ બસો દોડશે. મુસાફરોની માંગ અને બુકિંગની સ્થિતિને આધારે નિગમ દ્વારા જરૂર જણાય ત્યાં વધુ ટ્રિપ્સ પણ ઉમેરવામાં આવશે. ખાસ કરીને પંચમહાલ અને છોટા ઉદેપુર જેવા વિસ્તારોમાં નોકરી કે વ્યવસાય કરતા લોકો મોટી સંખ્યામાં વતન પરત ફરતા હોવાથી પરિવહન પરના ભારને ઘટાડવા આ આયોજન હાથ ધરાયું છે.ધાર્મિક સ્થળો માટે વિશેષ વ્યવસ્થાહોળીના અવસરે ડાકોર અને દ્વારકા જેવા પવિત્ર ધામોની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ધાર્મિક સ્થળો માટે નિગમ દ્વારા 450 જેટલી બસો ફાળવવામાં આવી છે, જે આશરે 3500 ટ્રિપ્સનું સંચાલન કરશે. આ સુવિધાને કારણે શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન માટે પહોંચી શકશે અને તહેવાર દરમિયાન ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે.એડવાન્સ બુકિંગ અને મુસાફર સુવિધામુસાફરોની સુવિધા માટે નિગમ દ્વારા ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે. મુસાફરો GSRTCની સત્તાવાર વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા એડવાન્સ તેમજ કરંટ બુકિંગ કરાવી શકશે. છેલ્લી ઘડીએ થતી ભીડ અને અવ્યવસ્થા ટાળવા માટે મુસાફરોને અગાઉથી ટિકિટ બુક કરાવવા અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ ડેપો અને નિયંત્રણ કક્ષાઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે જેથી મુસાફરોને સુરક્ષિત અને સમયસર સેવા મળી રહે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, ફેબ્રુઆરી 2026
2475 |
સોમનાથનો ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકાસ થશે: યાત્રાધામ વિકાસ માટે ૫૫૦ કરોડ :
ગાંધીનગર, ગુજરાત યાત્રાધામના વિકાસ માટે બજેટમાં કરોડોની જાેગવાઇ કરાઇ છે. અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ.૫૫ કરોડ જાેગવાઇ કરાઇ છે. બીચ ટુરિઝમ માટે પણ બજેટમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે. સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે રૂ.૬૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો બનાવવાની પણ જાહેરાત કરાઇ છે. જેના માટે રૂ.૪૪૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતની વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ એક આગવી ઓળખ ઉભી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે, સોમનાથમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવા ૪૪૭ કરોડની ફાળવણી કરાઇ છે. સમગ્ર ભારતવર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ ૧ હજાર વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાના કારણે આજે પણ ગર્વભેર અડીખમ ઊભું રહ્યું છે. આ અવસરને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલ “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરાશે. ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણના કેન્દ્ર બન્યાં છે. ઁસ્ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભારતની પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું “નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્યુઝિયમ” લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે એક હજાર ટુરિસ્ટ ગાઇડને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. ઉપરોક્ત આયોજનો માટે કુલ રૂ.૯૫ કરોડની જાેગવાઇ. રાજ્યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે “વેડ ઇન ગુજરાત કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડિંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે. પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અને માઁ નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ.૫૫ કરોડની જાેગવાઇ કરી હતી. સોમનાથ અને શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આકર્ષક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યાં છે. વિસાવડા-પોરબંદર ખાતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા કુલ રૂ.૬૦ કરોડની ફાળવણી. રાજ્યના પવિત્ર યાત્રાધામ સોમનાથ અને અંબાજી ખાતે આઇકોનિક બસ સ્ટેશન તેમજ અન્ય સ્થળોએ બસ સ્ટેશન બનાવવામાં આવશે અને સોમનાથ મુકામે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબના ધોરણે અદ્યતન સુવિધા ધરાવતું બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવશે. જેના માટે ૪૪૭ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, ફેબ્રુઆરી 2026
1485 |
ગુજરાતની પ્રજાને આશા અને અપેક્ષા હતી, તેવું બજેટમાં કંઈ થયું નથી : ચાવડા
ગાંધીનગર, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યા બાદ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રાજ્ય સરકારે ૪,૦૮,૦૫૩ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. કુલ ૮ ટકા વધારા સાથે જીએસટી કરદાતાની સંખ્યા ૧૩.૬૯ લાખ થઈ છે. વર્ષ ૨૦૨૬-૨૭ માં અંદાજ અનુસારની પુરાંત ૧૧૮૪ કરોડ હતી. ઈલેક્ટ્રિક વાહનોમાં ૫ ટકા સુધી રિબેટ આપવાથી ૨૧૦ કરોડ નાગરિકોને રાહત મળશે. રાજ્યનું એકંદર ઉપાડ ૩ ટકા સામે ૧.૨૭ ટકા છે. ગુજરાતને લોન માટે કોઈ પરવાનગીની જરૂર નથી. ગુજરાતનું દેવું લિમિટમાં છે. ગુજરાતનું ૧૪.૬૫ ટકા દેવું છે જે મર્યાદિત છે. જે દેવું લીધું છે એ ખૂબ જ સસ્તુ ૫.૫ ટકા દરે દેવું છે. નેશનલ જીડીપીમાં ગુજરાતનું ભાગીદારી છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં ૨,૩૧,૫૮૪ આવક હતી. વર્ષ ૨૦૨૩-૨૪ માં ૩,૦૦,૯૫૭ માથાદીઠ આવક નોંધાઈ છે. ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ થયું. નાણામંત્રી કનુ દેસાઈએ ૪ લાખ ૦૮ હજાર ૫૩ કરોડનું અને ૯૭૪ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યુ, આ બજેટમાં યુવાનો માટે ભરતીને લગતા બે ર્નિણય લેવામાં આવ્યા છે જેમાં ડાયલ ૧૧૨ જનરક્ષક માટે ૩ હજાર જગ્યા તેમજ મહેસૂલી કચેરીઓ ખાતે ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જાે કે બજેટ બાદ કોંગ્રેસે બજેટને ઝીરો માર્ક આપી સવાલ ઉઠાવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે, વિકસિત ભારતને ધ્યાને રાખી બજેટ રજૂ કરાયું છે અને ગુજરાતનું દેવું પણ લિમિટમાં છે, ગુજરાતનું ૧૪.૬૫ ટકા દેવું છે, જે મર્યાદિત હોવાનું કનુ દેસાઈએ જણાવ્યું. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતની પ્રજાને આશા અને અપેક્ષા હતી, તેવું કઈ થયું નથી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, ફેબ્રુઆરી 2026
2574 |
સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર ખેતીની જમીન વેચાણ માટે કડક કાયદો, ૩ મહિનામાં જમીન પરત નહીં તો શ્રીસરકાર થશે
અમદાવાદ, ગુજરાત વિધાનસભાએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતીની જમીનોના ગેરકાયદેસર વેચાણ અને તબદીલીને રોકવા માટે મહત્વપૂર્ણ વિધેયક પસાર કર્યું છે.આ વિધેયક સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહિવટ પતાવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૯માં સુધારા સૂચવે છે. આ સુધારાથી બિનખેડૂત વ્યક્તિઓ અથવા સંસ્થાઓને વેચાયેલી જમીન માત્ર ત્રણ મહિનામાં મૂળ ખેડૂતને પરત મળી શકશે અથવા સરકાર તેને પોતાના કબજામાં લઈ શકશે. આ કાયદાનો અમલ ૫ ડિસેમ્બર, ૨૦૧૫થી પાછલી અસરથી થશે. આ વિધેયકમાં કલમ-૭૫ અને ૭૫છમાં સુધારા કરવામાં આવ્યા છે, જેમાં જાે ખેતીની જમીન બિનખેડૂત વ્યક્તિ, ગેરકાયદેસર કબ્જેદાર અથવા ઉદ્યોગોને વેચાઈ હોય, તો જિલ્લા કલેક્ટર સ્વમેળે અથવા હિતસંબંધ ધરાવતી વ્યક્તિની અરજીના આધારે તપાસ કરી શકશે. આ સિવાય તબદીલી ગેરકાયદેસર જણાય તો કલેક્ટર ત્રણ મહિનાની અંદર જમીન વેચનારને પરત કરવાનો આદેશ આપશે. જાે પરત ન કરાય તો જમીન તમામ બોજા વિના સરકારમાં નિહિત થશે અને તેને પડતર જમીન તરીકે વાપરી શકાશે.ગેરકાયદેસર ભોગવટો ધરાવતી વ્યક્તિ અથવા સંસ્થાને પ્રવર્તમાન જંત્રી કિંમતની ત્રણ ગણી (૩૦૦ ટકા) રકમનો દંડ વસૂલાશે. આ દંડ એક મહિનામાં ભરવાનો રહેશે.જાે જમીનમાં બિનખેતી અથવા કલમ-૫૪નો ભંગ થયો હોય, તો સરકાર જમીનને પોતાના હસ્તક લઈ શકશે અને તેનો ઉપયોગ શાળા, હોસ્પિટલ, રસ્તા જેવા જાહેર હિતના કાર્યો માટે કરી શકશે. આ સુધારા દ્વારા રાજ્યમાં ગણોત વહિવટ અને જમીન કાયદાઓમાં એકસૂત્રતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ વિધેયક રજૂ કરતાં જણાવ્યું કે, “કોર્ટ કેસ અને મહેસૂલી લિટિગેશનને કારણે કાયદાની કલમ-૭૫માં સુધારાની જરૂર જણાઈ છે.ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અલગ-અલગ કાયદા હતા, જેમાંથી સૌરાષ્ટ્રના કાયદાને સુધારવું બાકી હતું.”વિધાનસભામાં વિધેયક પર ચર્ચા દરમિયાન વિપક્ષ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે આ વિધેયકને ચોક્કસ ઉદ્યોગોના લાભ માટે લાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, “આ સુધારા ઉદ્યોગોને મદદ કરવા માટે છે.” જવાબમાં મંત્રી મહિડાએ બચાવ કરતાં કહ્યું કે, આ વિધેયક કાયદાઓમાં એકરૂપતા લાવવા માટે છે અને ખેડૂતોના હિતને સુરક્ષિત કરશે.વિપક્ષી ધારાસભ્યોએ ૧૯૪૯ના કાયદા હેઠળ કેટલી જમીનોમાં બિનખેડૂતને તબદીલી થઈ છે તેની વિગતો અને આંકડાકીય માહિતી જાહેર કરવાની માંગ કરી હતી. જાેકે, મંત્રીએ આ અંગે કોઈ વિગતો આપી નહીં.ચર્ચાના અંતે વિધેયક બહુમતીના જાેરે પસાર થયું છે. રાજ્યપાલની મંજૂરી બાદ તેનો અમલ થશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, ફેબ્રુઆરી 2026
1683 |
હવે,અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’
ગાંધીનગર, ગુજરાત હવે માત્ર વેપાર અને ઉદ્યોગનું જ કેન્દ્ર નથી રહ્યું, પરંતુ વિશ્વના રમતગમત નકશા પર પણ પોતાની અમીટ છાપ છોડવા તૈયાર છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની ગુજરાતને મળતા રાજ્યની વૈશ્વિક પ્રતિષ્ઠામાં મોટો ઉછાળો આવ્યો છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવાની મહારાહ નક્કી કરવામાં આવી છે. સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ૧૨૭૮ કરોડની માતબર રકમની જાેગવાઈ કરવામાં આવી છે. આ ભંડોળનો મુખ્ય હેતુ અમદાવાદને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ હબ બનાવવાનો છે, જેથી ભવિષ્યમાં ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓ માટે પણ શહેર સજ્જ રહે. વિધાનસભામાં નાણાંમંત્રીએ રજુ કરેલા બજેટમાં જણાવ્યું છે કે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી’ બનાવવા માટેના આયોજનમાં નીચેની બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમોનું નિર્માણ કરવામાં આવશે. રમતવીરો અને પ્રેક્ષકોની સુવિધા માટે આધુનિક મેટ્રો રેલ અને બસ ટ્રાન્સપોર્ટ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. રસ્તાઓનું નવીનીકરણ, લાઈટિંગ અને પ્રવાસન સ્થળોના વિકાસ સાથે શહેરનો કાયાકલ્પ થશે. કોમનવેલ્થ ગેમ્સ માત્ર રમતગમત પૂરતી સીમિત નથી, પરંતુ તે ગુજરાતના અર્થતંત્રને નવી ગતિ આપશે. બાંધકામ, હોસ્પિટાલિટી (હોટેલ), ટ્રાન્સપોર્ટ અને સેવા ક્ષેત્રમાં હજારો નવી નોકરીઓનું સર્જન થશે. વૈશ્વિક સ્તરે પ્રચાર થવાથી વિદેશી રોકાણકારો માટે ગુજરાત આકર્ષણનું કેન્દ્ર બનશે. રમતગમત પ્રેમીઓ અને પ્રવાસીઓના આગમનથી રાજ્યના પર્યટન ઉદ્યોગને મોટો વેગ મળશે. આ પ્રોજેક્ટથી નિર્મિત થનારી સુવિધાઓ માત્ર રમતગમત પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તે આવનારી પેઢીઓ માટે લાંબાગાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાબિત થશે.” નોંધનીય છે કે, ૧૨૭૮ કરોડના આ પ્રોજેક્ટ સાથે અમદાવાદ હવે વૈશ્વિક સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરી આવશે. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ ના આયોજનથી ગુજરાતની ગરિમા વિશ્વસ્તરે વધશે અને રાજ્યના યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પોતાના જ આંગણે મળશે.અમદાવાદમાં કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ૫૦૦ કરોડની ફાળવણી અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ૫૦૦ કરોડની જાેગવાઈ.ઇન્સ્ટિલટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે ૧૮૬ કરોડની જાેગવાઇ. યુ.એન.મહેતા ઇન્સ્ટિ ટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે ૧૬૭ કરોડની જાેગવાઇ. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિોટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે ૧૫૩ કરોડની જાેગવાઇ. અમદાવાદ ખાતે ન્યુરો, ઓર્થો, સ્પોર્ટસ ઇન્જરી રીહેબીલીટેશન સેન્ટર, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિ ટ્યૂટ ખાતે ચાલતી ફિઝિયોથેરાપી, ઓર્થોટીક અને પ્રોસ્થેટીક, ઓકયુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી કોલેજાે તેમજ હોસ્ટેલ માટે ૫૮ કરોડની જાેગવાઇ. અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્ટેલ અને મેસના મકાન માટે ૩૫ કરોડની જાેગવાઇ. ધોલેરા સર પ્રોજેક્ટના ફેઝ-૧ હેઠળ લોજિસ્ટિક એન્ડ ટ્રંક ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે ૬૧૦ કરોડની ફાળવણી આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે તેમાં ધોલેરા અને સાણંદનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ધોલેરાને ગ્રીન ફિલ્ડ શહેર બનાવવા માટે પહેલ કરી હતી, ત્યારે હવે તેમાં વૃધ્ધી જાેવા મળી રહી છે. આજે રાજ્યના બજેટમાં સાણંદ અને ધોલેરાનો ઉલ્લેખ કરીને સેમીકોન હબ ગુજરાતને બનાવવા અને રાજ્યમાં ચીપનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.ખાસ કરીને ધોલેરા અને સાણંદમાં બની રહેલી ચીપ ફેક્ટરીને ભારતની સેમીકોન આર્ત્મનિભરતાનો મુખ્ય આધારસ્તંભ બનાવવા માટે ૬૧૦ કરોડની જાેગવાઈ કરી છે, તેમાં સરકાર દ્વારા ધોલેરા સર પ્રોજેક્ટના ફેઝ-૧ હેઠળ લોજિસ્ટિક એન્ડ ટ્રંક ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટના અમલી કરણ માટે ધોલેરા એરપોર્ટ, નવા રોડ રસ્તાઓ, પાણી અને વેસ્ટવોટર ટ્રીટમેન્ટ, અંડરગ્રાઉન્ડ વીજળીનું વિતરણ અને સ્માર્ટ આઇસીટી સુવિધાઓ વિકસાવવા માટે ૬૧૦ કરોડની જાહેરાત બજેટમાં કરવીમાં આવી છે. જેથી ધોલેરા ભવિષ્યના ઉદ્યોગ, નવીનતા અને રોજગારીનું વૈશ્વિક હબ બને. ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવા ૧૦૦ કરોડ શૈક્ષણિક માળખાકીય વિકાસને વધુ મજબૂત બનાવવા માટે ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવા ૧૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે આદિજાતિ વિસ્તારોના ૧૫ તાલુકાઓમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” માટે ૨૫૦ કરોડ ફાળવીને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે રસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.યુવાનોના કૌશલ્ય વિકાસ અને રોજગારી માટે “નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન” માટે ૨૨૬ કરોડ અને “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” હેઠળ તાલીમાર્થીઓને માસિક સહાય આપવા ૮૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત સંશોધન અને નવીનતા પ્રોત્સાહન માટે એલડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા ૫૧ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સરકારના નવા બજેટમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્રને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે. રાજ્યની કુલ વસ્તીમાં ૩૬ ટકા કરતાં વધુ યુવાનોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અંદાજે ૯૭ લાખ વિદ્યાર્થીઓ માટે કુલ ૫૯૬૭ કરોડની શિષ્યવૃત્તિ જાેગવાઈ જાહેર કરવામાં આવી છે. ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય આપવામાં આવશે. સાથે જ કુમાર વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા ૨.૫૦ લાખથી વધારીને ૬ લાખ કરવામાં આવી છે, જેથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળી શકે. આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા લગભગ ૨.૭૭ લાખ વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ૨૧૬૦માંથી વધારી ૨૫૦૦ કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં આધુનિક સુવિધાઓ સાથે વધુ ૯૨૬ પી.એમ. શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે. “એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્ય”ના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-૧૦ સુધી સંકલિત શાળાઓ વિકસાવવા ૧૨૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.નર્મદાના પાણીને ઉ. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાળવા સુજલામ સુફલામ સહિત ૩ યોજના માટે ૩૦૦૦ કરોડથી વધુની ફાળવણી નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે ૪૭૩ કરોડ તથા કચ્છની યોજના માટે ૧૩૩૩ કરોડ એમ કુલ ૩૦૪૩ કરોડની જાેગવાઇ. - હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ૧૪૨૦ કરોડની જાેગવાઇ.ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા માટે મોટા ચેકડેમ-વિયર બાંધવા ૮૯૬ કરોડની જાેગવાઇ.- ડેમ સેફ્ટી માટે ૬૯૩ કરોડની જાેગવાઇ.- સાબરમતી નદી પર કુલ ૧૪ વિયર-બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ થયેલ છે, બાકી રહેતા કામો પૂર્ણ કરવા ૬૨૪ કરોડની જાેગવાઇ.- આદિજાતિ વિસ્તારમાં ઉદ્વહન સિંચાઇ યોજના માટે ૪૮૫ કરોડની જાેગવાઇ. અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં(ફેઝ-૨) સિંચાઈ સુવિધા વધારવા માટે ૬૦૦ કરોડની જાેગવાઇ.- સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર તાલુકાના ભાસ્કરપુરા ગામ તળાવથી ધોલેરા એસઆઇઆર વિસ્તારને પાઇપલાઇન દ્વારા ૧૦૦ એમએલડી પાણી પૂરું પાડવા માટે ૩૦૦ કરોડની જાેગવાઇ.,- કચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે ૨૩૦ કરોડની જાેગવાઇ.- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ૧૧ ગામોના કમાન્ડ વિસ્તાર બહારના વિસ્તાર માટે સિંચાઇ ઉદ્વહન પાઈપ પ્રોજેક્ટ માટે ૮૦ કરોડની જાેગવાઇ. પાણી પુરવઠા પ્રભાગ માટે ૬૯૮૪ કરોડની જાેગવાઇ.વાવ-થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારીત ૨૪૦ ગામો માટેની સુધારણા યોજના માટે ૩૪૬ કરોડના કામો માટે જાેગવાઇ.- બનાસકાંઠા જિલ્લામાં ધરોઇ જળાશય આધારીત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે ૧૫૩ કરોડના કામો પ્રગતિ હેઠળ.- સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, ફેબ્રુઆરી 2026
2673 |
આતંકી ફૈજાનનો સાતની હત્યાના પ્લાનનો ઘટસ્ફોટ
અમદાવાદ, ગુજરાત એટીએસે વલસાડમાંથી પકડેલા આતંકીની પૂછપરછમાં મોટા ખુલાસા થવા પામ્યા છે. આતંકીના ટાર્ગેટમાં ૭ વ્યક્તિ હતા. જેની માર્ચમાં હત્યા કરવાનો પ્લાન હતા. આતંકી ફૈજાન રેકી કર્યા બાદ ૭ વ્યક્તિઓની હત્યા કરવાનો હતો. જે વ્યક્તિની સુરક્ષામાં કચાશ હોય તેમની પહેલા હત્યા કરવાનો હતો. મોહમ્મદ પયગંબર વિરૂદ્ધ નિવેદનો આપનાર ૭ લોકો ટાર્ગેટમાં હતા. રવિવારે આતંકી ફૈઝાનના રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે. ગુજરાત એટીએસની પૂછપરછમાં હજુ મોટા ખુલાસા થઈ શકે છે. ગુજરાત છ્જી દ્વારા પકડાયેલા આતંકવાદી ફૈઝાન શેખના ખતરનાક મનસૂબાઓ અંગે મોટા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ફૈઝાન શેખે દિલ્હીના ૭ યુવકોની હત્યાનો ષડ્યંત્ર રચ્યો હતો. આ યુવકો પર પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કર્યાનો આરોપ લગાવી તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.છ્જીના સૂત્રો મુજબ ફૈઝાન શેખ સોશિયલ મીડિયા મારફતે યુવકોના નામ અને વિગતો એકત્ર કરી રહ્યો હતો અને તેમના નામોની પોસ્ટ પણ કરવામાં આવી હતી. આ પોસ્ટ્સ દ્વારા અન્ય લોકોને ઉશ્કેરવાની કોશિશ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેનાં નામો ટાર્ગેટ તરીકે સામે આવ્યા છે તેમાં અભિષેક પાંડે, દક્ષ ચૌધરી, ગૌરવ રાજપૂત, ડોક્ટર પ્રકાશ, યુધી રાણા, અકકુ પંડિત અને વિકરાતનો સમાવેશ થાય છે. આ તમામ યુવકો દિલ્હીમાં રહેતા હોવાનું છ્જીએ જણાવ્યું છે. મામલો ગંભીર બનતા ગુજરાત છ્જીએ તાત્કાલિક કાર્યવાહી કરી અને દિલ્હીની સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સાધી આ ૭ યુવકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પગલાં લીધા છે. સાથે જ ફૈઝાન શેખ સાથે અન્ય કોઈ વ્યક્તિ કે સંગઠન સંકળાયેલું છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, ફેબ્રુઆરી 2026
4059 |
એએમસીનું અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રાફ્ટ બજેટ
અમદાવાદ, ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું અમદાવાદ શહેર ધીમે ધીમે વિસ્તરીને આજે ૪૮૦ ચોરસ કિમીથી વધારે વિસ્તારમાં ફેલાઈ ગયું છે. શહેરમાં વસતીનો આંકડો એકાદ કરોડ આસપાસ પહોંચી ગયો ગયો હોવાનો અંદાજ છે. અમદાવાદના ૧૭,૦૧૮ કરોડનું ડ્રાફ્ટ બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જાેગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી. જેથી ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે. હવે વૈશ્વિક ફલક પર ઉભરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફ્ટ બજેટ ૪ ફેબ્રુઆરીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે બજેટનું કદ રૂ. ૧૭૦૧૮ કરોડનું છે, જે ભારતના કેટલાક નાના રાજ્યોના કુલ બજેટ કરતા પણ વધુ છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે બજેટનું કદ ૧૪૦૦૧ કરોડનું હતું. અમદાવાદના ૧૭,૦૧૮ કરોડનું ડ્રાફ્ટ બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જાેગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી. જેથી ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે. ચાલુ વર્ષે બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માટે ૬ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: ૫ મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ,બોપલ રીંગરોડથી ઘુમા સુધી,નહેરુનગરથી શિવરંજની,સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરીડોર, પાંચ રેલવે ઓવરબ્રિજ કરવામાં આવશે આ ઉપરાંત ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત આગામી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની હોવાથી કમિશનર દ્વારા રજૂ કરવામાં આવનારા ડ્રાફ્ટ બજેટમાં કોઈ નવા વેરા ઝીંકવામાં આવ્યા નથી. જેના કારણે બજેટમાં લોકપ્રિય જાહેરાતો પર વધુ ભાર મૂકવામાં આવી છે. ૨૦૨૬-૨૭ના બજેટમાં જે જાેવા મળશે તેમાં એઆઇ ટેકનોલોજી આધારિત સેવાનો વ્યાપ વધશે.,ચૂંટણી વર્ષ હોવાથી નવા વેરા ઉમેરાશે નહીં.,પીપીપી અને સસ્ટેઈનેબલ પ્રોજેક્ટ પર ભાર મુકાશે,રેવન્યુ વધારવાનો અભિગમ દાખવાશે,મ્યુનિ. આર્ત્મનિભરતા દાખવી પોતાના પૈસે પ્રોજેક્ટ બનાવશે અમદાવાદ મ્યુનિ.બજેટમાં શહેરને આધુનિક અને ‘સ્માર્ટ’ બનાવવા માટે ખાસ જાેગવાઈઓ જાેવા મળી શકે છે. વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં ઓલમ્પિકના આયોજનને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી રકમ ફાળવવામાં આવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ સેવાઓને વધુ ઝડપી બનાવવા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે છૈં આધારિત પ્રોજેક્ટ્સની જાહેરાત થઈ શકે છે. આ સિવાય સતત વધતા ટ્રાફિકને નિવારવા માટે નવા ફ્લાયઓવર, અંડરપાસ અને આઈકોનિક રોડ પ્રોજેક્ટ્સ પર ભાર મુકાશે. શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે ‘ગ્રીન કવર’ વધારવા અને ડાર્ક ઝોન વિસ્તારમાં પરકોલેટિંગ વેલ (જળસંચય) માટે વિશેષ જાેગવાઈની શક્યતા છે. ગત વર્ષના બજેટમાં ઘણી મહત્વકાંક્ષી જાહેરાતો કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક પ્રોજેક્ટ્સ હજુ પણ અમલીકરણની રાહ જાેઈ રહ્યા છે. જેમાં સિંધુભવન રોડ પર રૂ. ૪૭૦ કરોડનું સિટી સ્ક્વેર. સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર સાઈડ ડાઈનિંગ અને એક્ઝીબિશન સેન્ટર. રૂ. ૧૪૦ કરોડના ખર્ચે નારોલથી નરોડાનો આઈકોનિક રોડ અને ગોતા-ગોધાવી કેનાલનું રિડેવલપમેન્ટ (રૂ. ૧૭૦ કરોડ)નું કામ હજુ થઈ શક્યા નથી, એટલે કે હજું કાગળ પર છે.૨૦૨૫-૨૬ના બજેટના કાગળ પર જ રહેલા કેટલાક કામ જાેઇએ તો - તળાવોના વિસ્થાપિતો માટે ૪૦૦૦ આવાસ રૂ.૬૦૦ કરોડ,-જળસંચય માટે ૧૦૦૦ પરકોલેટિંગ વેલ રૂ.૭૮ કરોડ,- સિંધુભવન રોડ પર સિટીસ્કવેર રૂ.૪૭૦ કરોડ,-સાયન્સ એન્ડ ફ્યુચર મ્યુઝિયમ રૂ. ૭૦ કરોડ,સાત આઈકોનિક રોડ રૂ.૪૧૮ કરોડ,-ઝોન દીઠ એક કોમર્શિયલ સ્ટ્રીટ-કલ્ચરલ કોર્નર રૂ. ૫૦ કરોડ,- નારોલથી નરોડા સુધી આઈકોનિક રોડ રૂ. ૧૪૦ કરોડ,- રિવરફ્રન્ટ પર એક્ઝીબિશન સેન્ટર રૂ.પ૦ કરોડ,- ચાર સ્થળે ઈન્ટિગ્રેટેડ કોમર્શિયલ સ્ટ્રીટ રૂ. ,૮૫ કરોડ,-નેહરૂ-એલિસ બ્રિજ વચ્ચે રિવર સાઈડ ડાઈનિંગ રૂ. ૫૦ કરોડ,- વિન્ડ અને સોલાર પાવર પ્લાન્ટ રૂ. ૧૮૧ કરોડ,-એઆઈ આધારિત મ્યુનિ. સેવાઓ રૂ.૩૪ કરોડ,ગોતા-ગોધાવી કેનાલ રિડેવલપમેન્ટ રૂ.૧૭૦ કરોડ -શાહીબાગ અન્ડરપાસ રિકન્સ્ટ્રક્શન રૂ. ૩૦ કરોડ, સ્ટેન્ડિંગ કમિટી તેમાં જરૂરી સુધારા-વધારા કરીને મંજૂરી આપશેએમ.જે.લાયબ્રેરીનું ૧૮.૩૬ કરોડનું બજેટ : ૫૦ લાખના ખર્ચે ઓડિટોરિયમ સુવિધાસભર બનાવાશે અમદાવાદની એમ.જે.લાયબ્રેરીનું વર્ષ ૨૦૨૬-૨૭નું ૧૮.૩૬ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ૧૭.૧ કરોડના બજેટમાં ૧.૩૫ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. બજેટમાં ૫૦ લાખના ખર્ચે એમજે ઓડિટોરિયમ સુવિધાસભર બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. શાખા પુસ્તકાલય-હિમ્મતલાલ પાર્કમાં રીનોવેશન કરવા ૨૫ લાખનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય બજેટમાં સાહિત્યપ્રેમી નગરજનો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમ કરવા માટે ૨૦ લાખનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની ઐતિહાસિક શેઠ મા.જે. પુસ્તકાલયમાં મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં આજરોજ મળેલ અંદાજપત્રની ખાસ સભામાં ગ્રંથપાલ ડૉ. બિપીન મોદીએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૧૭ કરોડ ૦૧ લાખ ૬ હજારના રજૂ કરેલ ડ્રાફ્ટ અંદાજપત્રમાં શેઠ મા.જે.પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળના સભ્ય દ્વારા અમદાવાદ મહાનગરના વિદ્યાર્થીઓ તેમજ સાહિત્યપ્રેમી કલારસિકોને ઉપયોગી થવાના હેતુ રાખવામાં આવ્યું હતું. શેઠ મા. જે. પુસ્તકાલયમાં ૧૫૦ બેઠક ક્ષમતા ધરાવતું વાતાનુકૂલિત ઓડિટોરીયમ આવેલ છે. તેમાં વર્ષ દરમ્યાન શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સદર ઓડિટોરીયમમાં પ્રવર્તમાન સાઉન્ડ સીસ્ટમ આઉટડેટેડ થઈ ગયેલ હોવાથી નવીન ટેકનોલોજી આધારીત ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ, વિવિધ પ્રકારની એલ.ઈ.ડી. લાઈટ સીસ્ટમ, એલ.ઈ.ડી. સ્ક્રીન, આધુનિક સંસાધનો વસાવવાનું તેમજ મંચસ્થ મહાનુભાવો અને શ્રોતાગણ માટે આરામદાયક બેઠક વ્યવસ્થા સાથે ઓડિટોરીયમ સુવિધાસભર કરવાનું આયોજન. શેઠ મા.જે. પુસ્તકાલયના એન્ટ્રસમાં આવેલ ઘુમ્મટમાં ગ્લાસ મોજેકથી મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ ઉપસાવવાનું આયોજન,શેઠ મા. જે. પુસ્તકાલયએ જયપુરી સ્થાપત્ય ધરાવતું હેરિટેજ ભવન છે. પૂજય મહાત્મા ગાંધીજીના કરકમલોથી વર્ષ ૧૯૩૩માં પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ, જયારે વર્ષ ૧૯૩૮માં સરદાર વલ્લભભાઈ પટેલના વરદ્દહસ્તે જાહેર જનતાના લાભાર્થે ખૂલ્લું મૂકવામાં આવેલ છે. આ બન્ને વિરલ મહાનુભાવોની યાદમાં શેઠ મા. જે. પુસ્તકાલયના એન્ટ્રસમાં આવેલ ઘુમ્મટમાં ગ્લાસ મોજેકથી તેઓની પ્રતિકૃતિ ઉપસાવવાનું આયોજન. પુસ્તકાલયમાં ત્રણ પાળીમાં અધિકારીઓ/કર્મચારીઓ ફરજ બજાવે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
20, જાન્યુઆરી 2026
7821 |
Surat ના textile industry પર 500% US tariff નો ઘાત – અસ્તિત્વની લડાઈ !!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, જાન્યુઆરી 2026
4950 |
નાના વરાછામાં રામજી મંદિર પાછળ તાપીમાં ફેંકાયેલું બાળકનું ભ્રૂણ મળ્યું
સુરત, નાના વરાછા રામજી મંદિર પાછળ તાપીમાંથી બાળકનું ભ્રૂણ મળતાં ચકચાર મચી હતી. નદીકાંઠે ટેમ્પો ધોતા યુવકે પાણીમાં તરતાં ભ્રૂણ અંગે જાણ કરતાં પોલીસે સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરી હતી. કાપોદ્રા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર નાના વરાછમાં તપોવન સ્કુલ પાસે ગાયત્રી નગરમાં રહેતા જીગ્નેશ સુરેશભાઈ ખાણીયા ટેમ્પો ચલાવે છે. સુરેન્દ્ર નગરનાં ચુડા ગામના વતની જીગ્નેશ ૧૬મી તારીખે સવારે તેમનો જીજે ૦૫ સીવાય ૪૧૦૬ નંબરનો ટેમ્પો લઇ નાના વરાછા રામજી મંદિર પાછળ તાપી કિનારે ગયા હતાં. તેઓ અહીં તાપીમાંથી પાણી લઇ ટેમ્પો ધોવા માંડ્યા હતાં. આ દરમિયાન પાણીમાં તરતુ ભ્રૂણ જાેવા મળ્યું હતું. નદીનાં પ્રવાહમાં તરતુ ભ્રૂણ જાેઇ ચોંકી ઉઠેલા જીગ્નેશ ખાણીયાએ તુરંત ઓવારાની સફાઇ કરતાં પાલિકા કર્મચારી હિતેષ સોલંકી તથા રાજુભાઇ સોલંકીને જાણ કરી હતી. જાેતજાેતામાં ત્યાં લોકટોળું એકઠું થયું અને પોલીસ કંટ્રોલને કોલ કરાયો હતો. કોલ મળતાં પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. પોલીસે ભ્રૂણ અંગે આવશ્યક કાર્યવાહી કરી તેને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યું હતું. સાથે જ જન્મ છૂપાવવાના ઇરાદે અધૂરા માસે જન્મેલું કે ગર્ભપાત કરાયેલું ભ્રૂણ તાપી નદીમાં ફેંકી દેનાર અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, જાન્યુઆરી 2026
8019 |
ઉઠમણાંનાં ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી કરોડોનાં કાપડ ખરીદીનાં કૌભાંડનો સૂત્રધાર ઝડપાયો
સુરત, ઉઠમણું કરવાના ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી મોટાપાયે કાપડ ખરીદી બોગસ ચેક પધરાવવાનાં કૌભાંડમાં સૂત્રધાર એવા અજય તોલાનીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઉધના અમન સોસાયટીમાં રહેતા રજા અલી હુસેન સોલંકી આર.જે.એન્ટરપ્રાઇઝ નામથી પીવીસી બેગ મેન્યુફેક્ચરિંગ નો ધંધો કરે છે. સોલંકીના ધ્યાન પર એવી વાત આવી હતી કે, તેમની પેઢીનાં જીએસટી નંબર પર એવા બિલ નોંધાયા છે કે જેમની ખરીદી તેમણે કરી ન હતી. તેમણે સી એ વિનય કનોડીયા પાસે જીએસટી પોર્ટલ પર ચેક કરાવતા શ્રી કુબેરજી એમ્પાયર કો-ઓપરેટિવ કોમર્શિયલનું બીલ અપલોડ થયેલા દેખાતું હતું. કુબેરજી માર્કેટ પહોંચેલા રાજાઅલીને તેમની પેઢીનાં નામનું બોર્ડ અને જીએસટી નંબર દેખાયા હતા. વિશાલ સુરેશ ગુપ્તાની માલિકીની જણાવાયેલી આર જે એન્ટરપ્રાઇઝ પેઢીમાં જઇ સોલંકીએ તપાસ કરાતાં મેનેજ૨ રાશીદ શેખ અને કર્મચારી ક્રિષ્ના મળ્યા હતાં. તેઓએ તેમને વિશાલ ગુપ્તા અને હિતેષ વાઘાસિયા એ નોકરીએ રાખ્યાનું જણાવ્યું હતું, જેથી રાજાઅલીએ પોલીસ બોલાવી હતી. સારોલી પોલીસે માર્કેટ પહોંચી વિશાલની પૂછપરછ કરતાં તેણે દુકાન ભાડે આપી હોવાનું જણાવ્યું હતું. ભાડા કરારમાં આર.જે.એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર રાજેશ જેઠવાણીનાં આધાર કાર્ડ તથા પાનકાર્ડની ઝેરોક્ષ હતી. રાજેશ જેઠવાણીએ તેનું નામ સરનામું અને રાજાઅલીનો પાન નંબર લખી આ બોગસ પાનકાર્ડ બનાવ્યાનું ધ્યાને આવ્યું હતું. જેના કારણે વિશાલ ગુપ્તાને સારોલી પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જાે કે ત્યાં યોગ્ય કાર્યવાહી નહીં કરાતાં પોલીસ કમિશનરને રજૂઆત કરાઇ હતી. પોલીસ કમિશનર ગહલૌતની સૂચનાથી ઇકો સેલના ઇન્સ્પેક્ટર સોલંકીએ તપાસ આરંભી હતી. જેમાં રાજાઅલી ની આર જે એન્ટરપ્રાઇઝ પેઢીના જીએસટી નંબરનો દુરુપયોગ કરી વિશાલ સુરેશ કુમાર ગુપ્તા, સારોલીની અવધ માર્કેટમાં ૧૦૧૫-૧૦૧૬ નંબરની દુકાન ધરાવનાર વ્યક્તિ, મેનેજર રાશીખ શેખ, આર જે એન્ટરપ્રાઇઝ નો કર્મચારી ક્રિષ્ના સુરેશ, કાપડ દલાલ હીતેષ વઘાસીયા, કાપડ દલાલ મયંક જૈન, શુભમ અગ્રવાલ અને પંકજ માલ મંગાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ સામે રાજાઅલીની ફરિયાદ લઇ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉઠમણાંનાં ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી મોટાપાયે માલ ખરીદનારી આ ટોળકીના કૌભાંડની તપાસ ઇન્સ્પેક્ટર જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં નવેમ્બર ૨૦૨૪માં પંકજ ઉર્ફે સંજય ઉઘવદાસ માખીજા તથા દીપક શંકરલાલ ચેતુમલ ચંદાણીની ધરપકડ કરાઇ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે દીપકે કૌભાંડી અજય તોલાણીના કહેવાથી દુકાન ભાડે રાખી અને પેઢીના બોગસ ડોક્યુમેન્ટથી એક્સિસ બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. તેમણે આર.જે.એન્ટરપ્રાઇઝ નામથી બોગસ ભાડા કરાર જ નહોતો બનાવ્યો પરંતુ બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યા હતાં. તેઓએ મુંબઈના વેપારીઓ પાસેથી બે કરોડથી વધુંનો માલ ખોલાવી પેઢીના નામે ખોલાવાયેલા બોગ એકાઉન્ટમાંથી ચેક પણ આપ્યા હતા. આ હકીકત બહાર આવતાં પોલીસે અજય તોલાણીની તલાશ શરૂ કરી હતી. જાે કે, તે મળી નહીં આવતાં તેની સામે કોર્ટમાંથી ધરપકડ વોરંટ પણ મેળવાયું હતું. ભાઠેના રામદેવ નગર ખાતેનું મકાન ખાલી કરી નાસતાં ફરતાં કાપડ દલાલ અજય રમેશલાલ તોલાની (રહે.એફ/૭૦૨ પેલેડીયમ રેસીડેન્સી, ન્યુ અલથાણ રોડ)ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...