આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, મે 2026
3069 |
ચોરવાડના ખેત મજૂરની દીકરીએ એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સમાં રજત ચંદ્રક જીત્યો
ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય, શિસ્ત અને અથાક મહેનતથી સામાન્ય પરિવારમાંથી આવતી પ્રતિભાઓ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર સફળતા હાંસલ કરી શકે છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની ૧૯ વર્ષીય કાજલે રવિવારે હોંગકોંગમાં યોજાયેલી ૨૨મી એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૪ટ૧૦૦ મીટર રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતા કાજલે ટીમને ૪૫.૦૫ સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી હતી. આ પ્રદર્શન સાથે ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો હતો અને અંડર-૨૦ વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. ભારતીય ટીમે અગાઉનો ૪૫.૦૮ સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને પોતાની ઝડપ, ટીમવર્ક અને બેટન એક્સચેન્જની શ્રેષ્ઠતા દર્શાવી હતી. હોંગકોંગમાં જીતેલો રજત ચંદ્રક કાજલની સિદ્ધિઓની યાદીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો છે. આ અગાઉ તેણે ૨૦૨૫માં રાંચીમાં યોજાયેલી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૪ટ૧૦૦ મીટર રિલે માં પણ રજત ચંદ્રક જીત્યો હતો. ઉપરાંત, ૬૦ મીટર સ્પર્ધામાં અંડર-૨૦ વર્ગનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ તેના નામે છે. આ વર્ષના માર્ચ મહિનામાં ભુવનેશ્વરમાં યોજાયેલી પ્રથમ ઇન્ડોર ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલે ૬૦ મીટર દોડમાં ૭.૫૦ સેકન્ડનો સમય નોંધાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. આ સિદ્ધિએ તેને ભારતની સૌથી પ્રતિભાશાળી યુવા સ્પ્રિન્ટર્સમાં સ્થાન અપાવ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, મે 2026
3366 |
રાજકોટમાં નેહલ શુક્લ, ભાવનગરમાં ઉષા તલરેજાનીની મેયરપદે વરણી કરાઇ
રાજ્યમાં ૧૫ મહાપાલિકાઓની ગત મહિને સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ તમામ મનપામાં ભાજપે બહુમતી સાથે સત્તાના સૂત્રો હાંસલ કર્યા હતા. ૧૫ મનપાની ચૂંટણીઓના પરિણામ જાહેર થયાના એક મહિના બાદ આ તમામ મનપામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણૂક માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૨૬ જૂનના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, જામનગર, મોરબી, પોરબંદર, નડિયાદ અને મહેસાણા એમ કુલ આઠ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરી દેવામાં આવી હતી . ત્યારબાદ આજે બાકીની ૬ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેના અંતર્ગત રાજકોટ મહાપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની પસંદગી કરાઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાની વરણી કરવામાં આવી છે. તો દંડક તરીકે સંજયસિંહ રાણા અને પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદ મનપામાં નવા પદાધિકારીઓની વરણી કરાઈ છે. જેમાં મેયર તરીકે દિપિકાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની નિમણૂક કરાઈ છે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારને તેમજ દંડક તરીકે હીરલ શાહની વરણી કરવામાં આવી છે. તો વડોદરા મનપામાં ભાજપે મહિલાને નેતૃત્વ સોંપ્યું છે. જેમાં ગીતા મકવાણાને મેયર તરીકેની જવાબદારી સોંપી છે. આ સાથે જ, આદિત્ય પટેલને ડેપ્યુટી મેયરની વર્ષાબેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે ભાવનગર મનપામાં પણ ભાજપે મહિલા નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. ભાવનગરના નવા મેયર તરીકે સિંધી સમાજના ઉષાબેન તલરેજાને જવાબદારી સોંપી છે, તો ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાની નિમણૂક કરાઈ છે. જ્યારે પક્ષના નેતા તરીકે લાલભા વાળાને તો દંડક તરીકે રિંકુબેન માંગુકિયાને જવાબદારી સોંપવામાં આવી છે. વાપી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર તરીકે દક્ષા પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિષ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. તો પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલ અને દંડક તરીકે સુનિતા તિવારીને નિયુક્ત કરાયા છે. તો સુરત મનપામાં મેયર તરીકે માયા માવાણીની તો ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની નિમણૂક કરાઈ છે તો પક્ષના નેતા તરીકે અલ્પા મહેતા અને દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની વરણી કરાઈ છે. જ્યારે સુરેન્દ્રનગર મનપામાં પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરી છે તો ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેરી તો પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણિયાને જવાબદારી સોંપી છે. આમ, ૨૬ મેના રોજ અમદાવાદ, જામનગર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, નવસારી, પોરબંદર અને મહેસાણા સહિત કુલ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે હોદ્દેદારોના નામ જાહેર થયા પછી, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, વલસાડ-વાપી અને સુરેન્દ્રનગર માટે નવા હોદ્દેદારોના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
26, મે 2026
3366 |
રાજકોટ TRP અગ્નિકાંડના 2 વર્ષ બાદ પણ ન્યાય નહીં? 27 મોતનો જવાબદાર કોણ ?
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ થયા છતાં પીડિત પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. 25 મે 2024ના રોજ બનેલી આ ભયાનક દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. તપાસમાં ફાયર સેફ્ટી અને મંજૂરીમાં મોટી બેદરકારી સામે આવી હતી. બીજી તરફ, આરોપીઓ જામીન પર બહાર આવતા પીડિત પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ કેસની ટ્રાયલ ચાલી રહી છે, પરંતુ પરિવારોનું કહેવું છે કે ન્યાયની પ્રક્રિયા ખૂબ ધીમી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, મે 2026
2871 |
રાજકોટના ગોંડલ નજીક બસ પલટી, બે મહિલાના મોત, ૫ાંચની હાલત નાજુક
રાજકોટના ગોંડલ નજીક સોમવારે વહેલી સવારે એક અત્યંત કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો છે. પુરષોત્તમ માસના પવિત્ર અવસરે ધાર્મિક પ્રવાસે નીકળેલા શ્રદ્ધાળુઓની એક ખાનગી બસ પલટી મારી જતાં પરિવારના બે મહિલા સભ્યો (સાસુ-વહુ) ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ભયાનક દુર્ઘટનામાં બસમાં સવાર અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમાંથી પાંચ લોકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે એક ખાનગી બસ બગદાણા, ઊંચા કોટડા, રાજપરા અને ભગુડા જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે ઉપડી હતી. તમામ પવિત્ર ધામોના દર્શન કરીને પરત ફરી રહેલી આ બસ સોમવારે પરોઢિયે આશરે ૪:૩૦ વાગ્યે વોરા કોટડાથી બાંદરા જવાના સિંગલ પટ્ટી રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા એક ટ્રકને જગ્યા આપવા માટે બસ ચાલકે વાહનને રિવર્સમાં લીધું હતું. સિંગલ રોડ હોવાના કારણે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા જ બસ રોડ કિનારે આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી.અકસ્માત સમયે બસમાં માસૂમ બાળકો, મહિલાઓ અને વયસ્ક શ્રદ્ધાળુઓ સહિત કુલ ૬૨ મુસાફરો સવાર હતા. વહેલી સવારના અંધકારમાં અચાનક બસ પલટી જતાં મુસાફરોની ચીસાચીસથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના સ્થાનિક યુવાનો અને સેવાભાવી સંસ્થાઓ તાત્કાલિક બચાવ રાહત માટે દોડી આવ્યા હતા અને બસના કાચ તોડીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.ઇમરજન્સી સેવાઓ અને પોલીસ પ્રશાસન પણ ત્વરિત એક્શનમાં આવ્યું હતું. ૧૦૮ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સો મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ ૫ દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, મે 2026
4752 |
૧૫૦૦ રૂપિયા બાબતે મિત્ર સાથે કરેલી માથાકૂટ બાબતે ચપ્પુનાં ઘા મારી કિશોરની ઘાતકી હત્યા
પૈસા બાબતે મિત્ર સાથે માથાકૂટ કરનારને સમજાવવા તેના ઘરે ગયેલા કિશોરને છાતીમાં ચપ્પુનો ઘા ઝીંકી હત્યા કરાયાનો બનાવ પાંડેસરામાં બન્યો હતો. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર હરિઓમનગરમાં સંતોષ રામગોપાલ ગુપ્તા તેના પરિવાર સાથે રહે છે. મધ્યપ્રદેશનાં રિવા જિલ્લાનો વતની સંતોષ દેવકીનંદન સ્કુલ પાસે નાસ્તાની લારી ચલાવે છે. તેમને સંતાનમાં બે દિકરા અને બે દીકરી છે. ત્રણ નંબરનો દિકરો દેવા ગુપ્તા પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલી બી. જી. મિશ્રા સ્કુલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. ૨૦મી તારીખે સાંજે સાડા ચારેક વાગ્યાનાં અરસામાં દેવાનો મિત્ર સાહિલ પત્રકાર કોલોની પાસે શેરડીનો રસ પીતા હતા. એ સમયે હેપ્પીનો પરિચિત આદર્શ ઉર્ફે બટકો ત્યાં આવ્યો હતો. તેણે મને તને તેરેનામ ચોકડી પર છોડી દો એમ રહેતા હેપ્પીએ હા પાડી હતી. એ સમયે હેપ્પીના મોટર સાયકલ આદર્શે હંકારી અને અને તેઓને ડિ માર્ટની સામે આવેલા નાકોડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે લઈ ગયો હતો. જ્યાં આદર્શના અન્ય મિત્રો પણ હાજર હતાં.ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આદર્શે તેના મિત્રોને કહ્યું હતું કે આ હેપ્પી મારા પૈસા આપતો નથી, જેથી તેના મિત્રો હેપ્પીને પૈસા પરત કરવા કહી ધાક ધમકી આપવા માંડ્યા હતાં. દરમિયાન આદર્શે મોટર સાયકલની ચાવી લઇ લીધી હતી. લાંબી માથાકૂટ બાદ આદર્શે ચાવી પરત કરતાં હેપ્પી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં રાત્રે સાડા દસેક વાગ્યાનાં અરસામાં હેપ્પી, દેવા અને અરવિંદ હાઉસિંગમાં આવેલી વિધાયક નામની ચાની દુકાન પર બેઠા હતાં. એ સમયે હેપ્પીએ દેવાને બપોરે આદર્શ સાથે થયેલી માથાકૂટની વાત કરી હતી. આ સાંભળી દેવાએ આપણે આદર્શના ઘરે જઈ તેના માતા પિતાને જાણ કરીએ એમ કહ્યું અને પછી ત્રણેય જણા આદર્શના ઘરે ગયા હતાં. ઘરે ટેરેસ પર સૂતેલા આદર્શ અને તેની માતાને આ મિત્રોએ જગાડ્યા હતાં. તેઓને નીચે લાવી હેપ્પીએ તેની સાથે બનેલા બનાવ બનાવ અંગે માતાને વાત કરવા માંડી હતી. આ દરમિયાન આદર્શ બટકો ગુસ્સે ભરાયો અને ગાળા ગાળી કરવા માંડ્યો હતો. હેપ્પી અને દેવાએ લડાઈ ઝઘડો નહીં કરી શાંતિથી વાત કરવા કહ્યું હતું.જાે કે, આદર્શે હેપ્પી અને દેવાને ઢીકમુક્કીનો માર મારવા માંડ્યો તો તેની માતાએ વચ્ચે પડી છોડાવ્યા હતાં. એવામાં આદર્શ ઘરમાં દોડી ગયો અને ચપ્પુ જેનું તિક્ષ્ણ હથિયાર લાવી દેવાને છાતીના ભાગે ઘા મારી દીધો હતો. દેવો લોહીલુહાણ થઇ જતાં આદર્શ અને તેની માતા ઘરમાં જતાં રહ્યા અને દરવાજાે બંધ કરી દીધો હતો. જ્યારે હેપ્પી અને અરવિંદ મોટર સાયકલ પર બેસાડી દેવા ને સિવિલ લઇ ગયા હતાં. જ્યાં તબીબોએ ગંભીર અવસ્થામાં તેની સારવાર શરૂ કરી હતી. દરમિયાન હુમલાની જાણ થતાં દેવાના માતા-પિતા સિવિલ દોડી આવ્યા હતાં. તેઓ તેને વધું સારવાર માટે યુનિક હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
8019 |
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું. સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ. ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે. PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
6831 |
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ
વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
8712 |
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, મે 2026
6435 |
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, મે 2026
11286 |
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા
ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, મે 2026
3069 |
જુહાપુરામાં રિક્ષા ખસેડવાની તકરારમાં બે પડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ
શહેરના વેજલપુર પોલીસ મથકની હદમાં આવેલા સંકલિતનગર વિસ્તારમાં રિક્ષા હટાવવા જેવી સામાન્ય બાબતે બે પાડોશી જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે થયેલી આ તકરારમાં લોખંડની પાઇપ અને લાકડાના દંડા વડે હુમલો કરવામાં આવતા બંને પક્ષે ગંભીર ઇજાઓ પહોંચી છે, જેના પગલે વેજલપુર પોલીસે સામસામે ફરિયાદો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.પ્રથમ ફરિયાદમાં મોહમ્મદ આરીફ શેખે જણાવ્યું હતું કે, તેમના ઘર પાસે પાર્ક કરેલી રિક્ષા હટાવવાનું કહેતા અરમાન ચૌહાણ અને તેના પિતા સલીમ ચૌહાણ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાટમાં આવીને સલીમ ચૌહાણે લોખંડની પાઇપ વડે આરીફના ભાઈ અબ્દુલ કરીમના માથામાં ગંભીર ઘા માર્યો હતો, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. આ હુમલામાં અસ્ફાનખાન પઠાણ અને અલ્ફિયાખાન પઠાણે પણ જાેડાઈને પરિવારના સભ્યોને ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.બીજી તરફ, અરમાન સલીમભાઈ ચૌહાણે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, રિક્ષા હટાવવાની વાત પર મોહમ્મદ આરીફ અને તેના પરિવારે અચાનક ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. આ ઝઘડામાં કરીમ શેખે ક્યાંકથી લાકડાનો દંડો લઈ આવી અરમાનના માથાના ભાગે ફટકાર્યો હતો, જેનાથી તેને માથામાં ઈજાઓ થઈ હતી.આ તકરારમાં આરીફના પિતા કેયુમભાઈ અને માતા ખાતુનબીબીએ પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે.આ હિંસક ઘટના બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વેજલપુર પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૨૯૬(બી) અને ૫૪ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ વી. જે. કામળિયાએ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, મે 2026
2772 |
ગાંધીનગરમાં ૧૦ ડમ્પર સાથે ૩ કરોડ રૂપિયાની રેતી જપ્ત કરી
ગાંધીનગર ખાણ ખનીજ વિભાગે બિનઅધિકૃત રેતીના ખનન અને વહન વિરુદ્ધ વિશેષ ડ્રાઈવ ચલાવી ૧૦ ડમ્પર ઝડપ્યા અને ૩ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ડ્રાઈવ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ યોજાઈ હતી. ખાણ ખનીજ વિભાગની ટીમે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી હતી. ઝડપાયેલા ડમ્પરમાંથી ૫ ડમ્પર રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રેતી વહન કરતા હતા, જ્યારે અન્ય ૫ ડમ્પર રોયલ્ટી પાસની મર્યાદા કરતાં વધુ ઓવરલોડ રેતી સાથે ઝડપાયા હતા. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા ડમ્પર ભાટ-નાના ચિલોડા રોડ, લીમ્બડીયા ગામ, લવારપુર-વલાદ રોડ, વૈષ્ણોદેવી સર્કલ રોડ અને ખડાત-મહુડી રોડ પરથી ઝડપાયા છે. ઓવરલોડ રેતી સાથે ઝડપાયેલા ડમ્પર ધણપ ચેકપોસ્ટ, સરગાસણ સર્કલ, અડાલજ-ઝુંડાલ રોડ, વાવોલ પાસેના લીલા હોટલ રોડ અને ખોડીયાર–વૈષ્ણોદેવી રોડ પરથી ઝડપી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ ઉમેર્યું કે, આ પ્રકારની આકસ્મિક ચેકિંગ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.કલેક્ટર રવીન્દ્ર ખતાલેના નેતૃત્વમાં તંત્રે ગેરકાયદેસર ખનન અને ખનિજ માફિયાઓ સામે કડક પગલાં ભર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઝુંબેશથી નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.તંત્રના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં પણ આવા ચેકિંગ અભિયાન ચાલુ રાખી જિલ્લામાં ખનિજના ગેરકાયદેસર પ્રવાહ પર અંકુશ લાવવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, મે 2026
2871 |
૧૦ દુકાનો સીલ, ૧.૪૯ લાખનો દંડ વસૂલાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જાહેર માર્ગો પર ગંદકી કરતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રવિવારે હાથ ધરાયેલી સઘન તપાસમાં અનેક જાણીતા એકમો પર તવાઈ બોલાવવામાં આવી હતી. સોલિડ વેસ્ટ વિભાગની ટીમોએ ઘાટલોડિયા અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં કુલ ૧૩૫ જેટલા એકમોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી જાહેર માર્ગો પર ન્યૂસન્સ કરતા, ડસ્ટબિન ન રાખતા અને પ્લાસ્ટિકના નિયમોનો ભંગ કરતા ૧૧૨ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોર્પોરેશને ૯ કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું અને કુલ રૂ. ૧,૪૯,૬૦૦નો વહીવટી દંડ વસૂલ્યો હતો. તંત્ર દ્વારા નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ ઘાટલોડિયા અને બોડકદેવના કુલ ૧૦ એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ઘાટલોડિયાના ગજાનંદ એલ્યુમિનિયમ, રિધમ પાન પાર્લર, લેમન ટી કોફી સ્ટોર, અનિતા કોર, કે.ડી. ગૃહ ઉદ્યોગ અને વિશ્વકર્મા ગ્રેનાઈટનો સમાવેશ થાય છે. જ્યારે બોડકદેવ વિસ્તારમાં ટેસ્ટ ઓફ એગ, હારી ઓમ છોલે પૂરી, સ્વિગી ઈન્સ્ટા માર્ટ અને કૃષ્ણા ડીલક્સ પાન પાર્લર સામે સીલિંગની કાર્યવાહી કરાઈ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરીજનોના સ્વાસ્થ્ય અને જાહેર આરોગ્યના હિતમાં આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ખાસ સવાર અને સાંજની સ્ક્વોડ કાર્યરત કરવામાં આવી છે. જે વેપારીઓ જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, મે 2026
2970 |
રાજ્યના૩.૭૪ લાખથી વધુ નાગરિકોએ સ્વ-ગણતરી ફોર્મ ભર્યા
ગુજરાતમાં ‘વસ્તી ગણતરી: જનગણના-૨૦૨૭’નો શુભારંભ ૧ જૂન, ૨૦૨૬થી થશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે અને સમગ્ર રાજ્યમાં ૩૦ જૂન, ૨૦૨૬ સુધી ઘર-યાદી અને મકાનોની ગણતરી ચાલશે.વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ જણાવ્યું હતું કે આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા સહિત કુલ ૩૩ પ્રશ્નો પૂછાશે. “સરકાર તમામ નાગરિકોને સહભાગી થવા અનુરોધ કરે છે,” તેમણે જણાવ્યું.બીજા તબક્કામાં ૯ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ દરમિયાન વસ્તીની ગણતરી અને જાતિ ગણતરી હાથ ધરાશે. આ તબક્કા દરમિયાન દેશભરમાં વસ્તી અને જાતિ ગણતરીની કામગીરી પૂર્ણ થશે.ગુજરાતમાં ૧૭ મે, ૨૦૨૬થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો છે. ૩૦ મે, ૨૦૨૬ સુધીમાં ૩.૭૪ લાખથી વધુ નાગરિકોએ સ્વ-ગણતરી માટે ફોર્મ ભર્યા છે, જેમાંથી ૩.૩૦ લાખની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ૪૪ હજાર ફોર્મ પ્રક્રિયામાં છે. આ અભિયાન રાજ્યના તમામ જિલ્લાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગામડાઓમાં યોજાશે. કુલ ૧,૧૦,૫૯૮ હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ, ૧,૦૯,૦૩૮ ગણતરીદારો અને ૧૮,૨૫૪ સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. ગણતરીદારો, સુપરવાઇઝર અને અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, મે 2026
3069 |
ચોરવાડના ખેત મજૂરની દીકરીએ એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સમાં રજત ચંદ્રક જીત્યો
ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય, શિસ્ત અને અથાક મહેનતથી સામાન્ય પરિવારમાંથી આવતી પ્રતિભાઓ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર સફળતા હાંસલ કરી શકે છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની ૧૯ વર્ષીય કાજલે રવિવારે હોંગકોંગમાં યોજાયેલી ૨૨મી એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૪ટ૧૦૦ મીટર રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતા કાજલે ટીમને ૪૫.૦૫ સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી હતી. આ પ્રદર્શન સાથે ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો હતો અને અંડર-૨૦ વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. ભારતીય ટીમે અગાઉનો ૪૫.૦૮ સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને પોતાની ઝડપ, ટીમવર્ક અને બેટન એક્સચેન્જની શ્રેષ્ઠતા દર્શાવી હતી. હોંગકોંગમાં જીતેલો રજત ચંદ્રક કાજલની સિદ્ધિઓની યાદીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો છે. આ અગાઉ તેણે ૨૦૨૫માં રાંચીમાં યોજાયેલી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૪ટ૧૦૦ મીટર રિલે માં પણ રજત ચંદ્રક જીત્યો હતો. ઉપરાંત, ૬૦ મીટર સ્પર્ધામાં અંડર-૨૦ વર્ગનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ તેના નામે છે. આ વર્ષના માર્ચ મહિનામાં ભુવનેશ્વરમાં યોજાયેલી પ્રથમ ઇન્ડોર ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલે ૬૦ મીટર દોડમાં ૭.૫૦ સેકન્ડનો સમય નોંધાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. આ સિદ્ધિએ તેને ભારતની સૌથી પ્રતિભાશાળી યુવા સ્પ્રિન્ટર્સમાં સ્થાન અપાવ્યું છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, મે 2026
2376 |
આયાતી સોલાર પેનલ નાખનારને સબસિડીનો લાભ નહીં મળે
દેશમાં સૌર ઊર્જા ક્ષેત્રને વધુ આર્ત્મનિભર અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારના નવી અને રિન્યુએબલ એનર્જી મંત્રાલય દ્વારા આવતીકાલ તા.૧ જૂન ૨૦૨૬થી એપ્રુવ્ડ લિસ્ટ ઓફ મોડેલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સનો અમલ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. હવે સરકારી યોજનાઓ, નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ સહિતના મોટા ભાગના સોલાર પ્રોજેક્ટ્સમાં વપરાતા સોલાર મોડ્યુલ્સમાં માત્ર એપ્રુવ્ડ લિસ્ટ ઓફ મોડેલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સમાં સમાવિષ્ટ સેલ્સનો જ ઉપયોગ કરી શકાશે. જાણકારોનું કહેવું છે કે દેશમાં જ્યાં સૌથી વધુ સંખ્યામાં રૂફટોપ સોલાર પ્લાન્ટ લાગી ચૂક્યા છે એ સુરતમાં આ ફેરફારની ઝાઝી અસર વર્તાશે.એપ્રુવ્ડ લિસ્ટ ઓફ મોડેલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સમાં તમામ ભારતીય ઉત્પાદકો જ છે, હવે આયાતી સોલાર પેનલનો ઉપયોગ કરી શકાશે નહીં. આયાતી સોલાર પેનલ નાંખનારને કેન્દ્ર સરકાર સબસિડીને પાત્ર પણ ગણશે નહીં.રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનમાં દેશનું અગ્રણી શહેર ગણાતા સુરતમાં આ ર્નિણયની અસર સીધી જોવા મળશે. અત્યાર સુધી અનેક કંપનીઓ વિદેશોમાં, મોટા ભાગે ચીનમાં જ ઉત્પાદિત સેલ્સથી બનેલા મોડ્યુલ્સ તેમજ પેનલ્સનો ઉપયોગ કરતી હતી, પરંતુ હવે સરકાર દ્વારા મંજૂર ઉત્પાદકોના સેલ્સ જ વાપરવાના રહેશે. કેન્દ્ર સરકારે જે ઉત્પાદકો મંજૂર કર્યા છે એ યાદીમાં માત્રને માત્ર ભારતીય ઉત્પાદકોનો જ સમાવેશ થાય છે. આ ર્નિણયની જાહેરાત ડિસેમ્બર ૨૦૨૪માં કરી દેવામાં આવી હતી. એ સમયે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગુણવત્તા, લાંબા ગાળાની કાર્યક્ષમતા અને ઊર્જા સુરક્ષા વધશે, પરંતુ શરૂઆતમાં ખર્ચમાં વધારો અને સપ્લાય સંબંધિત પડકારો પણ ઉભા થઈ શકે છે. સુરતમાં હજારો રહેણાંક, કોમશિર્યલ અને ઔદ્યોગિક રૂફટોપ સોલાર પ્રોજેક્ટ્સ કાર્યરત છે. સ્થાનિક એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીઓનું માનવું છે કે નવા નિયમથી બજારમાં નીચી ગુણવત્તાવાળા મોડ્યુલ્સ અને સસ્તા આયાતી સેલ્સનો પ્રવેશ ઘટશે. બીજી તરફ, ગ્રાહકોને અગાઉની સરખામણીએ પ્રતિ કિલોવોટ ખર્ચમાં થોડો વધારો સહન કરવો પડી શકે છે. તાજેતરમાં ઉદ્યોગ સંસ્થાઓ દ્વારા સમયમર્યાદા વધારવાની માંગ કરવામાં આવી હતી, ૧ જૂન ૨૦૨૬ની સમયમર્યાદા યથાવત રહેશે અને માત્ર ખાસ કેસોમાં જ રાહત આપવામાં આવશે.સોલારમાં દેશી બનાવટની પેનલોનાં ફરજિયાત વપરાશની નેગેટિવ ઇફેક્ટ જાણકારોનું કહેવું છે કે આવતીકાલ તા.૧લી જૂન ૨૦૨૬થી ભારતમાં સોલાર પાવર સીસ્ટમ વિકસાવવા માટે સેલ્સ કે પેનલ કોઇપણ ચીજવસ્તુઓ માન્ય ઉત્પાદક અને માન્ય મોડેલ, એટલે કે ડોમેસ્ટિક ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓનો જ ફરજિયાત વપરાશ કરવાનો રહેશે. આ કારણથી પ્રોજેક્ટ કોસ્ટ વધી શકે છે. સ્થાનિક સેલ્સની કિંમત આયાતી વિકલ્પોની સરખામણીએ વધુ હોવાની ફરીયાદો કેન્દ્ર સરકારને કરી દેવામાં આવી છે. એવી જ રીતે જે રીતે સુરત, ગુજરાતમાં લોકો ધડાધડ સોલાર સીસ્ટમ વિકસાવી રહ્યાં છે એ જોતા બજારમાં માગ વધતાં અમુક સમય માટે સેલ્સની ઉપલબ્ધતા મર્યાદિત રહી શકે છે. નાના ઇપીસી કોન્ટ્રાક્ટરોને સ્ટોક મેનેજમેન્ટ અને પ્રોક્યોરમેન્ટ ખર્ચ વધવાથી નાના ખેલાડીઓને મુશ્કેલી પડી શકે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, મે 2026
2673 |
ટ્રસ્ટનાં ખાતામાં વ્હાઇટનાં ૪ કરોડ દાન આપી સામે બ્લેકમાં રોકડા ૨ કરોડ લેવાના સોદામાં ફ્રોડ
કડોદરા સ્થિત માઉન્ટ લીટેરા ઝી સ્કુલના ટ્રસ્ટીને ૦૪ કરોડ રૂપિયા દાન આપવાની વાતમાં ફસાવી મુંબઇના ગઠિયાએ આંગડિયા મારફત બે કરોડ રૂપિયા પડાવી ચીટિંગ કર્યું હતું. મળતી માહિતી અનુસાર પલસાણા બલેશ્વર સ્થિત અવધ સાંગ્રીલામાં રહેતાં રાજીવ રાજેન્દ્ર સિંઘ કડોદરા ડાયમંડ સિટી સ્થિત માઉન્ટ લીટેરા ઝી સ્કુલના ટ્રસ્ટી છે. તેઓ સ્કુલમાં પ્રોગામિંગ તથા ટ્રસ્ટનાં એકાઉન્ટ સંભાળે છે. આઠેક મહિના અગાઉ આ સ્કુલમાં વુમન્સ ડેના ફંક્શનમાં સ્પીચ આપવા માટે બારડોલીના દીપિકાબેન આવ્યા હતાં. એ સમયે રાજીવ સિંઘ એ તેણીને ટ્રસ્ટમાં દાન આપે એવી કોઇ વ્યક્તિ હોય તો જણાવજો એમ કહ્યું હતું.બાદમાં ૧૪ મે, ૨૦૨૬ના રોજ દીપિકાબેને રાજીવને કોલ કરી જણાવ્યું હતું કે, તમારી સ્કુલમાં દાન આપી શકે એવી એક કંપની મારા કોન્ટેક્ટમાં છે. જે તમારી સ્કુલના ટ્રસ્ટના ખાતામાં આરટીજીએસથી ૦૪ કરોડ રૂપિયા દાન આપશે પરંતુ તમારે તેમને રોકડા ૦૨ કરોડ પરત કરવા પડશે. અને આ કામમાં મદદ કરવા વાળાને તમારે કમીશન પણ આપવું પડશે. સ્કુલમાં મદદ થાય એમ હોવાથી રાજીવે હા પાડવા સાથે ચાલીસ લાખ રૂપિયા કમિશનર આપવાની તૈયારી પણ દર્શાવી હતી. તેણે દીપિકાબેનને ટ્રસ્ટના એકાઉન્ટની ડીટેલ્સ આપી હતી. ત્યારપછી ૨૧ મે, ૨૦૨૬ના રોડ દીપિકાએ કોલ કરી કંપનીના માણસો તમને મળવા માંગે છે એમ કહયું અને તેઓ રાંદેર રોડ ઉપર શેલ્બી હોસ્પિટલ પાસે મળ્યા હતાં. દીપિકાએ પોતાની સાથે આવેલા ચાર વ્યક્તિની ઓળખ વિકાસ વસાવા, અશ્વિનભાઈ, વિનોદભાઈ પટેલ અને કિરીટ આર. આટોદરીયા તરીકે આપી હતી. તેણીએ કહ્યું કે સ્કુલમાં દાનના રૂપિયા આપના૨ કંપની તરફથી અટદોરીયા મળવા આવ્યા છે. વાતચીતમાં વિકાસ વસાવા અને કિરીટ અટોદરીયાએ તેમના મોબાઈલ નંબર રાજીવને આપ્યા હતાં. બીજા દિવસે ૨૨મી તારીખે બપોરે દીપિકાએ રાજીવ સિંઘને મહિધરપુરા ભવાની મંદિર ચાર રસ્તા પાસે આવેલી આંગડિયા પેઢી પટેલ મુકેશ કુમાર એન્ડ કું ખાતે આવવા જણાવ્યું હતું. રાજીવ ત્યાં પહોંચ્યા ત્યારે કરાવવા કહ્યું છે. વિકાસ વસાવા, અશ્વિનભાઈ, વિનોદભાઈ પટેલ, કિરીટભાઈ તથા દીપિકાબેન હાજર હતાં. દરમિયાન ત્યાં આકાશ ધ્યાનેશ્વર નામનો વ્યક્તિ કિરીટ અટોદરીયાને મળવા આવ્યો હતો. આકાશે જણાવ્યું હતું કે, હું ટેરા આઇટી કંપની તથા બેરા ટીલડા ઇન્સ્ટ્રુમેન્ટ પ્રા.લી. કંપનીના પી.આર.ઓ. છું અને તમે મને આંગડિયા પેઢીથી રોકડા રૂપિયા મોકલાવશો તે પછી હું તમારા ટ્રસ્ટમાં દાનની રકમ ટ્રાન્સફર કરીશ. તેણે ૨૩ અને ૨૪મી તારીખે કંપની બંધ રહેનાર હોવાથી ૨૫મી તારીખે રોકડ ટ્રાન્સફર કરવા ભેગા થઈશું એવું જણાવ્યું અને બધા છૂટા પડ્યા હતાં. પછી ૨૫મી તારીખે સવારે રાજીવનાં અમદાવાદ રહેતાં મિત્ર ચિરાગ પટેલે ૦૨ કરોડ રૂપિયા એચ.આર. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી થકી મોકલ્યા હતાં. જે લેવા રાજીવ સાથે કિરીટ અટોદરિયા પણ ગયો હતો. રોકડ મેળવ્યા બાદ કિરીટે જણાવ્યું હતું કે, આકાશ ધ્યાનેશ્વરને બે કરોડ રૂપિયા પટેલ મુકેશ કુમાર એન્ડ કું (આંગડીયા પેઢી) મારફતે મુંબઇ મોકલવાના છે. આ આંગડિયાની ઓફિસ નજીકમાં જ હોય તેઓ તુરંત ત્યાં પહોંચ્યા હતાં. રાજીવે પટેલ મુકેશ કુમાર એન્ડ કું આંગડિયા પેઢીમાં બેસેલા કર્મચારીઓને આપ્યા હતાં. કિરીટભાઇએ આ બધા રૂપિયા મુંબઇ ખાતે મોકલી આપવાની વાત કરી હતી. જેથી આંગડિયાના કર્મચારીએ ટોકન પેટે ૧૦ રૂપિયાની નોટ આપી મુંબઈ ખાતેની બ્રાન્ચમાં આ નોટ આપ્યેથી બે કરોડ મળી જશે એવું કહ્યું હતું. ટોકન પેટે અપાયેલી આ નોટનો ફોટો કિરીટે મુંબઇ આકાશને વોટ્સએપ થી મોકલી આપ્યો હતો. એટલામાં દિપાલી, વિકાસ વસાવા, અશ્વિન, વિનોદ પટેલ પણ ત્યાં આવી ગયા હતાં. આ બધા ટ્રસ્ટનાં એકાઉન્ટમાં ૦૪ કરોડ રૂપિયા આવે એની રાહ જોવા માંડ્યા હતાં. લાંબા સમય સુધી રૂપિયા મળવા અંગે કોલ નહીં આવતાં કિરીટે સામેથી આકાશને કોલ કર્યો હતો. જેમાં તે બહાનાબાજી કરવા માંડ્યો હતો. બીજા દિવસે પણ ન તો ટ્રસ્ટના એકાઉન્ટમાં પૈસા આવ્યા કે ન આકાશે સીધો જવાબ આપ્યો, જેથી રાજીવ સિંઘને તેમની સાથે ચીટીંગ કરાયાનો અહેસાસ થયો અને મહિધરપુરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.રાજીવ સિંઘે બે કરોડ રૂપિયા જમા કરાવ્યા બાદ તુરંત આંગડિયા પેઢીનું શટર પાડી દેવાયું મુંબઈમાં પૈસા મળવા અંગે આકાશ ધ્યાનેશ્વરે કન્ફર્મેશન નહીં આપતાં ગભરાયેલા રાજીવ સીંઘે મહિધરપુરા ભવાની મંદિર પાસે આવેલી પટેલ મુકેશ કુમાર એન્ડ કું આંગડીયા પેઢીનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો. જોકે, આ પેઢીનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. તેઓ સાંજે તપાસ કરવા ગયા ત્યારે ઓફિસ તો ખુલ્લી હતી, પરંતુ તેમાં કોઈ મળ્યું ન હતું. ઘણો સમય રાહ જોવા છતાં આંગડિયામાં કોઈ નહીં આવતાં રાજીવ ત્યાં હાજર દીપિકાબેન, વિકાસ વસાવા, અશ્વિન, વિનોદ પટેલ અને કિરીટ અટોદરિયા સાથે કડોદરા સ્થિત ઓફિસે ગયા હતાં. બાદ બીજા દિવસે પણ ટ્રસ્ટનાં એકાઉન્ટમાં રૂપિયા નહીં આવતાં રાજીવ આંગડિયા પેઢીમાં તપાસ કરવા ગયા હતાં. જો કે, ત્યાં તાળુ મારેલું અને મોબાઇલ ફોન બંધ આવતો હતો. રાજીવ બાદ અટોદરીયાએ પણ આકાશને કોલ કર્યા પરંતુ તેણે રૂપિયા અંગે સીધી વાત કરી ન હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, મે 2026
3465 |
ભારતીય ટેક્સ્ટાઇલ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન બનાવી શકે છે: ટેક્સ્ટાઇલ કમિશનર
ભારત સરકારનાં ટેક્સ્ટાઇલ કમિશનર વૃંદા મનોહર દેસાઈએ સુરતની વિવિધ ટેક્સ્ટાઇલ સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી હતી. તેમણે ફેરડીલ ઇન્ટિગ્રેટેડ ટેક્સ્ટાઇલ પાર્ક, ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ સેન્ટર, સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન ઓડિટોરિયમ, તથા પાંડેસરા જીઆડીસી ખાતે આવેલી ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ યુનિટ્સ અને કોમન ઇફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું. ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને મજબૂત બનાવવા, સ્કિલ ડેવલપમેન્ટ, ઉદ્યોગસાહસિકતા પ્રોત્સાહન, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ અને ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરવાનાં હેતુસર તેમણે મુલાકત લીધી હતી.ફેરડીલ ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્ક ખાતે ટેક્સ્ટાઇલ કમિશનરે ટેક્નિકલ ટેક્સ્ટાઇલ્સ, અદ્યતન વીવિંગ ટેક્નોલોજી, પ્રીવીવિંગ સુવિધાઓ, વર્કર્સ હોસ્ટેલ, કોમન ફેસિલિટી સેન્ટર અને કોમન ઇફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ સુવિધાઓનું અવલોકન કરી ટેક્સ્ટાઇલ વેસ્ટ મેનેજમેન્ટ, રીસાયક્લિંગ અને સક્ર્યુલર ઇકોનોમી આધારિત ઉદ્યોગ વિકાસનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. ડીસેન્ટ્રલાઇઝ્ડ પાવરલૂમ અને કમ્પ્યુટરાઇઝ્ડ એમ્બ્રોઇડરી સેક્ટરને આપવામાં આવતી તાલીમ, ટેસ્ટિંગ, ઇ-કોમર્સ ઓનર્બોડિંગ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ સેવાઓની પ્રશંસા કરી તેમણે તાલીમાર્થીઓ અને યુવા ઉદ્યોગસાહસિકોને સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પોતાના સફળતા કિસ્સાઓને પ્રોત્સાહિત કરવાની સલાહ આપી.ટેક્સ્ટાઇલ કમિશનર વૃંદા દેસાઈએ સંબોધનમાં વ્યૂહરચનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વૈશ્વિક બજારમાં ભારત માટે વિશાળ તકો ઊભી થઈ રહી છે અને ભારતીય ટેક્સ્ટાઇલ ઉદ્યોગ ગુણવત્તા, નવીનતા, સસ્ટેનેબિલિટી અને કોસ્ટ કોમ્પીટિટિવનેસનાં આધાર પર વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન બનાવી શકે છે. તેમણે તાજેતરનાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનાં કારણે યુરોપિયન યુનિયન, યુનાઇટેડ કિંગડમ અને ન્યુઝીલેન્ડ જેવા બજારોમાં વધતી નિકાસ તકોનો લાભ લેવા માટે ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કર્યા. તેમણે સરકારની યોજનાઓને માત્ર સબસિડી સુધી મર્યાદિત ન રાખતા, ઉદ્યોગ વિકાસ, આધુનિકીકરણ અને ક્ષમતા વૃદ્ધિનાં સાધન તરીકે ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, મે 2026
3069 |
જિ.પં.નાં ૪૬ કર્મચારી પાસે ૬૨,૫૦૦ રૂપિયા લાંચ માગનાર મહિલા ક્લાર્ક અને પુત્રની ધરપકડ
જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના ૩૩ કર્મચારીઓ પાસે ટીએ બીલ પાસ કરવા ૪૯,૫૦૦ તથા ૧૩ કર્મચારીઓનાં એલટીસી બિલ પાસ કરવા માટે ૧૩ હજાર મળી કુલ ૬૨,૫૦૦ રૂપિયા લાંચ માગનાર સીનિયર એકાઉન્ટ ક્લાર્ક અને લાંચની રકમનાં હપ્તા પેટે ૩૦ હજાર રૂપિયા લેતા તેણીનાં દિકરાને એસીબીએ ઝડપી પાડ્યા હતાં. એન્ટિ કરપ્શન બ્યુરો પાસે મળતી માહિતી અનુસાર જહાંગીરાબાદમાં ભેંસાણ રોડ ઉપર ઓમકાર હાઇટ્સમાં રહેતાં રૂપલ પરેશકુમાર ટેલર સુરત જિલ્લા પંચાયતમાં ખેતીવાડી શાખામાં સીનિયર એકાઉન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. જિલ્લા પંચયાકના કર્મચારીઓના ટીએ-ડીએ બિલ પાસ કરવા તથા એલટીસી મંજુર કરવવાનું તેણીનાં કાર્યક્ષેત્રમાં આવે છે. ૪૫ વર્ષીય રૂપલ ટેલરે તેની ફરજમાં આવતું અને સાથી કર્મચારીઓના હીતનું કામ કરવા માટે લાંચની માંગણી કરી હતી.ટીએ બીલ પાસ કરવા માટે કર્મચારી દીઠ તેણીએ ૧૫,૦૦૦ રૂપિયા ડીમાન્ડ કરવા માંડી હતી. જેના કારણે ૩૩ કર્મચારીઓના બીલ અટવાયા હતાં. ૩૩ કર્મચારીઓ ૧૫,૦૦૦ રૂપિયા લેખે ૪૯,૫૦૦ રૂપિયા આપે તો જ ટીએ બિલ પાસ થાય એવી સ્થિતિ રૂપલ ટેલરે ઉભી કરી દીધી હતી. આ ઉપરાંત કર્મચારીઓને પ્રવાસ માટે સરકાર તરફથી અપાતા લાભો એટલે કે લીવ ટ્રાવેલ એલાઉન્સ પાસ કરવા માટે પણ ટેલરે લાંચ માંગી હતી. કર્મચારી દીઠ ૧૦૦૦ રૂપિયાની ડીમાન્ડ તેણી દ્વારા કરાઇ હતી. જેમાં ૧૩ કર્મચારીઓનાં એલટીસી અટકી પડી હતી. કુલ ૬૨,૫૦૦ રૂપિયા લાંચ આપવામાં આવે તો જ ૪૬ કર્મચારીઓનાં બીલ પાસ કરીશ એવી ડીમાન્ડ ટેલરે કરી હતી. કર્મચારીઓ તેમના હક્કનાં, કાયદેસરનાં નાણાં મેળવવા માટે લાંચ આપવા માગતા ના હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. મદદનીશ નિયામક આર. આર. ચૌધરીએ કર્મચારીઓને સાંભળી તેમની ફરિયાદ લીધી હતી. સાથે જ ઇન્સપેક્ટર કલ્પેશ ધડુકને છટકાનું આયોજન કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.કલ્પેશ ધડુકે કર્મચારી પાસે રૂપલ ટેલરને કોલ કરાવ્યા હતાં. તેણીએ વ્યવહાર પુરો કરો એટલે કે લાંચ આપો એટલે તમારૂ કામ થઇ જશે એ મતલબની વાતો કરી હતી. જેમાં કર્મચારીઓ હાલ ૩૦ હજારની વ્યવસ્થા થઇ છે, એ આપી દઇએ, બાકીના પછી સમજી લઇશું એમ કહ્યું હતું. રૂપલ ટેલરે આ વાત માન્ય રાખી અને લાંચના ૩૦ હજાર લઇ ઉગત ભેંસાણ રોડ સ્થિત ઓમકાર હાઇટ્સ આવવા કહયું હતું. જ્યાં કર્મચારીની સાથે એસીબીની ટીમ પણ પહોંચી હતી. ઓમકાર હાઇટ્સ પાસે લાંચની રકમ લેવા રૂપલ પટેલનો ૧૯ વર્ષનો દિકરો ઝીલ ટેલર આવ્યો હતો. માતા સાથે વાત કરી જીલે લાંચની રકમ સ્વીકારી એટલે એસીબીએ તેને દબોચી લીધો હતો. ઝીલ પકડાયા બાદ એસીબીની ટીમે રૂપલ ટેલરનાં ઘરે છાપો મારી તેણીની પણ ધરપકડ કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, મે 2026
3069 |
પ્રેમલગ્ન કરી લેનાર પુત્રીને માનતા પુરી કરવાના બહાને બોલાવી અપહરણ કર્યું
પોતાની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર પુત્રીનું માતા-પિતાએ સગા સંબંધીની મદદથી અપહરણ કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સિંગણપોર પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વરાછામાં લંબેહનુમાન રોડ ઉપર સૈફ સોસાયટીમાં ઋષિ રાજેશભાઇ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. સુરેન્દ્રનગરનાં લીમડી તાલુકાનો વતની ઋષિ પટેલ વીડિયો એડિટર તરીકે કામ કરે છે. ઋષિને કતારગામનાં આંબાતલાવડી વિસ્તારમાં આવેલા સન્ડે એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતી કેના સુતરીયા સાથે પ્રેમ સંબંધ હતો. ઋષિ અને કેના લગ્ન કરવાનો ર્નિણય કર્યો હતો. પરંતુ કેનાના પરિજનોને આ સંબંધ સ્વીકાર્ય ન હતો.આવા સંજોગોમાં પરિવારની મરજી વિરૂદ્ધ ઋષિ અને કેના સુતરીયાએ તા. ૬ મે, ૨૦૨૬નાં રોજ પ્રેમલગ્ન કરી લીધા હતાં. લગ્ન બાદ વિવાદ થયો અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ઋષિ અને કેના ૨૫મી તારીખે કતારગામ પોલીસ મથકમાં હાજર પણ થયા હતાં. બંને પુખ્તવયનાં હોવા ઉપરાંત કેનાએ પતિ ઋષિ સાથે રહેવાનો ર્નિણય જાહેર કર્યો હતો. કતારગામ પોલીસે બંનેનાં નિવેદન નોધી કેનાને પતિ સાથે મોકલી આપી હતી. આ ઘટનાનાં બે દિવસ બાદ એટલે કે ૨૭ તારીખે કેનાની ફોઇ મીનાબેન, દાદા-દાદી તથા તેનો નાનો ભાઇ માનવ તેણીનાં ઘરે બેસવા ગયા હતાં. તેઓએ ઋષિએ જણાવ્યું હતું કે, કેનાની માતાએ માનતા રાખી છે કે, કેના ઘરે આવે ત્યારપછી જ તે જળપાન કરશે. જેથી તમે આવતીકાલે કેનાને લઇ અમારા ઘરે આવો. કેનાને લઇ આવવા આગ્રહ કરી તેઓ જતાં રહ્યા હતાં. બાદમાં ૨૮મી તારીખે સવારે સાડા નવેક વાગ્યે ઋષિ તેની પત્ની કેના, માતા-પિતા અને પિતાનાં મિત્ર જંયતિભાઇ રાદડીયા સાથે કાકા સસરા આશિષ કરશનભાઈ સુતરીયાના ઘરે પ્રિઝમ લકઝરીયા, હાથી મંદિરની બાજુમાં, કતારગામ ખાતે ગયા હતાં. બાદમાં કેનાનાં માતા-પિતા આશિષભાઇનાં સામેના મકાનમાં રહેતા તેમના પડોશીના ઘરે દિવાબત્તી કરવા માટે લઇ ગયા હતાં. જ્યાંથી કેના અને ઋષિ બહાર નીકળ્યા એટલે સુતરીયા દંપતીએ દીકરી કેનાને બળજબરીથી ખેંચી લીફટ તરફ ધસડવા માંડ્યા હતાં. ઋષિએ રોકવાનો પ્રયાસ કર્યો તો કેનાના માતા-પિતા તથા અન્યોએ તેની સાથે ઝપાઝપી કરી, ધક્કો મારી પાડી દીધો હતો. તેઓ કેનાને તેની મરજી વિરુદ્ધ અપહરણ કરી લઇ ગયા હતાં. ત્યારબાદ ઋષિને આશિષ સુતરીયાના ઘરમાં ખેંચી જવાયો હતો. તેનો મોબાઈલ છીનવી લીધા બાદ માર મારવા અને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ હતી. માહોલ ગરમાતા ઋષિની માતાએ કેનાની ફોઇને આજીજી કરતા છેવટે તેઓને મુક્ત કરાયા હતાં. સાસરીયાઓની ચૂંગાલમાંથી છૂટેલો ઋષિ પોલીસ મથકને પહોંચ્યો અને પત્ની કેના પટેલનાં અપહરણ અંગે ગુનો નોંધાવ્યો હતો.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...