આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, જુન 2026
2574 |
મુન્દ્રા બંદરે એટીએસની ટીમે પાકિસ્તાનથી આવેલા જહાજને રોકી સઘન ચકાસણી કરી
કચ્છના મુન્દ્રા બંદરે એટીએસની ટીમે જહાજની તપાસ હાથ ધરી છે અને પાકિસ્તાનથી આવેલા જહાજને રોકી સઘન ચકાસણી શરૂ કરવામાં આવી છે. જહાજ મુન્દ્રાથી મુંબઈના નવાશેવ બંદર જવાનું હતું. અને જહાજમાં કોઈ શંકાસ્પદ સામગ્રી હોવાની આશંકાના કારણે ગુજરાત એટીએસએ તપાસનો દોર શરૂ કર્યો છે. હાલામાં તો ગુજરાત એટીએસ જ તપાસ કરી રહી છે, તો અન્ય કોઈ એજન્સી તપાસ નથી કરી રહ્યું.આ સમગ્ર ઘટનાને લઈ વાત કરીએ તો ગુજરાત એટીએસ સિવાય અન્ય કોઈ એજન્સી આ મામલે તપાસ કરી રહ્યું નથી. એટીએસ દ્વારા સ્વતંત્ર રીતે તપાસ હાથ ધરાઈ છે અને સમગ્ર ઘટનાને લઈને બંદર વિસ્તારમાં ચર્ચાનો માહોલ છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ ગુપ્ત માહિતીના આધારે સક્રિય બની છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાનો ખુલાસો થશે. હાલમાં ગુજરાત એટીએસ તરફથી પણ કોઈ માહિતી સામે આવી નથી કે જહાજમાં શું છે અને કેમ રોકવામાં આવ્યું છે.ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં મુન્દ્રા દરિયાકાંઠેથી રૂ. ૧,૧૮૦ કરોડની કિંમતનું ૧૧૮.૯૭ કિલો કોકેઈન ઝડપાયું છે. બ્રાઝિલથી પાકિસ્તાન થઈને આવેલી આ ડ્રગ્સની ડિલિવરી દિલ્હી થવાની હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આશરે રૂ. ૧,૧૮૦ કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે, વિદેશથી આવી રહેલા એક મોટા જહાજમાં કરોડોનું ડ્રગ્સ છુપાવવામાં આવ્યું છે. આ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટ સાથે એટીએસની ટીમ મુન્દ્રાના દરિયામાં પહોંચી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, મે 2026
3960 |
ચોરવાડના ખેત મજૂરની દીકરીએ એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સમાં રજત ચંદ્રક જીત્યો
ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય, શિસ્ત અને અથાક મહેનતથી સામાન્ય પરિવારમાંથી આવતી પ્રતિભાઓ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર સફળતા હાંસલ કરી શકે છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની ૧૯ વર્ષીય કાજલે રવિવારે હોંગકોંગમાં યોજાયેલી ૨૨મી એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૪ટ૧૦૦ મીટર રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતા કાજલે ટીમને ૪૫.૦૫ સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી હતી. આ પ્રદર્શન સાથે ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો હતો અને અંડર-૨૦ વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. ભારતીય ટીમે અગાઉનો ૪૫.૦૮ સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને પોતાની ઝડપ, ટીમવર્ક અને બેટન એક્સચેન્જની શ્રેષ્ઠતા દર્શાવી હતી. હોંગકોંગમાં જીતેલો રજત ચંદ્રક કાજલની સિદ્ધિઓની યાદીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો છે. આ અગાઉ તેણે ૨૦૨૫માં રાંચીમાં યોજાયેલી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૪ટ૧૦૦ મીટર રિલે માં પણ રજત ચંદ્રક જીત્યો હતો. ઉપરાંત, ૬૦ મીટર સ્પર્ધામાં અંડર-૨૦ વર્ગનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ તેના નામે છે. આ વર્ષના માર્ચ મહિનામાં ભુવનેશ્વરમાં યોજાયેલી પ્રથમ ઇન્ડોર ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલે ૬૦ મીટર દોડમાં ૭.૫૦ સેકન્ડનો સમય નોંધાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. આ સિદ્ધિએ તેને ભારતની સૌથી પ્રતિભાશાળી યુવા સ્પ્રિન્ટર્સમાં સ્થાન અપાવ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, મે 2026
4356 |
રાજકોટમાં નેહલ શુક્લ, ભાવનગરમાં ઉષા તલરેજાનીની મેયરપદે વરણી કરાઇ
રાજ્યમાં ૧૫ મહાપાલિકાઓની ગત મહિને સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ તમામ મનપામાં ભાજપે બહુમતી સાથે સત્તાના સૂત્રો હાંસલ કર્યા હતા. ૧૫ મનપાની ચૂંટણીઓના પરિણામ જાહેર થયાના એક મહિના બાદ આ તમામ મનપામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણૂક માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૨૬ જૂનના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, જામનગર, મોરબી, પોરબંદર, નડિયાદ અને મહેસાણા એમ કુલ આઠ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરી દેવામાં આવી હતી . ત્યારબાદ આજે બાકીની ૬ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેના અંતર્ગત રાજકોટ મહાપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની પસંદગી કરાઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાની વરણી કરવામાં આવી છે. તો દંડક તરીકે સંજયસિંહ રાણા અને પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદ મનપામાં નવા પદાધિકારીઓની વરણી કરાઈ છે. જેમાં મેયર તરીકે દિપિકાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની નિમણૂક કરાઈ છે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારને તેમજ દંડક તરીકે હીરલ શાહની વરણી કરવામાં આવી છે. તો વડોદરા મનપામાં ભાજપે મહિલાને નેતૃત્વ સોંપ્યું છે. જેમાં ગીતા મકવાણાને મેયર તરીકેની જવાબદારી સોંપી છે. આ સાથે જ, આદિત્ય પટેલને ડેપ્યુટી મેયરની વર્ષાબેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે ભાવનગર મનપામાં પણ ભાજપે મહિલા નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. ભાવનગરના નવા મેયર તરીકે સિંધી સમાજના ઉષાબેન તલરેજાને જવાબદારી સોંપી છે, તો ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાની નિમણૂક કરાઈ છે. જ્યારે પક્ષના નેતા તરીકે લાલભા વાળાને તો દંડક તરીકે રિંકુબેન માંગુકિયાને જવાબદારી સોંપવામાં આવી છે. વાપી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર તરીકે દક્ષા પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિષ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. તો પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલ અને દંડક તરીકે સુનિતા તિવારીને નિયુક્ત કરાયા છે. તો સુરત મનપામાં મેયર તરીકે માયા માવાણીની તો ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની નિમણૂક કરાઈ છે તો પક્ષના નેતા તરીકે અલ્પા મહેતા અને દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની વરણી કરાઈ છે. જ્યારે સુરેન્દ્રનગર મનપામાં પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરી છે તો ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેરી તો પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણિયાને જવાબદારી સોંપી છે. આમ, ૨૬ મેના રોજ અમદાવાદ, જામનગર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, નવસારી, પોરબંદર અને મહેસાણા સહિત કુલ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે હોદ્દેદારોના નામ જાહેર થયા પછી, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, વલસાડ-વાપી અને સુરેન્દ્રનગર માટે નવા હોદ્દેદારોના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
26, મે 2026
4158 |
રાજકોટ TRP અગ્નિકાંડના 2 વર્ષ બાદ પણ ન્યાય નહીં? 27 મોતનો જવાબદાર કોણ ?
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ થયા છતાં પીડિત પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. 25 મે 2024ના રોજ બનેલી આ ભયાનક દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. તપાસમાં ફાયર સેફ્ટી અને મંજૂરીમાં મોટી બેદરકારી સામે આવી હતી. બીજી તરફ, આરોપીઓ જામીન પર બહાર આવતા પીડિત પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ કેસની ટ્રાયલ ચાલી રહી છે, પરંતુ પરિવારોનું કહેવું છે કે ન્યાયની પ્રક્રિયા ખૂબ ધીમી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, મે 2026
3663 |
રાજકોટના ગોંડલ નજીક બસ પલટી, બે મહિલાના મોત, ૫ાંચની હાલત નાજુક
રાજકોટના ગોંડલ નજીક સોમવારે વહેલી સવારે એક અત્યંત કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો છે. પુરષોત્તમ માસના પવિત્ર અવસરે ધાર્મિક પ્રવાસે નીકળેલા શ્રદ્ધાળુઓની એક ખાનગી બસ પલટી મારી જતાં પરિવારના બે મહિલા સભ્યો (સાસુ-વહુ) ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ભયાનક દુર્ઘટનામાં બસમાં સવાર અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમાંથી પાંચ લોકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે એક ખાનગી બસ બગદાણા, ઊંચા કોટડા, રાજપરા અને ભગુડા જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે ઉપડી હતી. તમામ પવિત્ર ધામોના દર્શન કરીને પરત ફરી રહેલી આ બસ સોમવારે પરોઢિયે આશરે ૪:૩૦ વાગ્યે વોરા કોટડાથી બાંદરા જવાના સિંગલ પટ્ટી રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા એક ટ્રકને જગ્યા આપવા માટે બસ ચાલકે વાહનને રિવર્સમાં લીધું હતું. સિંગલ રોડ હોવાના કારણે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા જ બસ રોડ કિનારે આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી.અકસ્માત સમયે બસમાં માસૂમ બાળકો, મહિલાઓ અને વયસ્ક શ્રદ્ધાળુઓ સહિત કુલ ૬૨ મુસાફરો સવાર હતા. વહેલી સવારના અંધકારમાં અચાનક બસ પલટી જતાં મુસાફરોની ચીસાચીસથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના સ્થાનિક યુવાનો અને સેવાભાવી સંસ્થાઓ તાત્કાલિક બચાવ રાહત માટે દોડી આવ્યા હતા અને બસના કાચ તોડીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.ઇમરજન્સી સેવાઓ અને પોલીસ પ્રશાસન પણ ત્વરિત એક્શનમાં આવ્યું હતું. ૧૦૮ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સો મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ ૫ દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, જુન 2026
3465 |
નડિયાદ જમીન દફતર કચેરીનો લાયસન્સ સર્વેયર ૯૦ હજારની લાંચ લેતાં ઝડપાયો
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સરકારી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નડિયાદ ખાતે આવેલ જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દ્વારા જમીનની હિસ્સા માપણીની કામગીરી વ્યવસ્થિત પૂરી કરવા અને કોઇ વાંધા વચકા ન નીકળે ના મુદ્દે અરજદાર પાસેથી ૯૦ હજાર ની લાંચ ની માંગણી કરતાં અરજદારે એસીબીને જાણ કરતાં નડિયાદ બસ સ્ટેન્ડ નજીક છટકું ગોઠવી એસીબીએ સર્વેયર ને લાંચ ની રકમ લેતાં રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર નડિયાદ ખાતે આવેલ જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દિલીપસિંહ ચૌહાણે જમીનની માપણી ની કામગીરી પૂર્ણ કરવા અને ભવિષ્યમાં કોઈ વાંધા વચકા ન નીકળે તેવા આશયથી અરજદાર પાસે ૯૦ હજાર ની લાંચ ની માંગણી કરતાં અરજદારે એસીબીને જાણ કરતાં એસીબીએ છટકું ગોઠવી નડિયાદ બસ સ્ટેન્ડ નજીક નાણાં લેતાં દિલીપસિંહ ચૌહાણને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, જુન 2026
2673 |
સરકાર સામે પ્રજાનો મોરચો : સારસા ગામ બંધ
પેટ્રોલ ના વધતા જતા ભાવવધારા ના કારણે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ માં ઇથેનોલ મિશ્રણ માટે મંજૂરી આપતાં ના પગલે કેન્દ્ર ના જ ઉચ્ચ નેતાની પડદા પાછળ ભાગીદારી ના સંદેહ વ્યક્ત થતાં આણંદના સારસા ખાતે ફળદ્રુપ જમીન પર ઇથેનોલ ઉત્પાદન માટે ફેક્ટરી પ્રસ્થાપિત કરવાના આયોજન કરાતાં સ્થાનિક શાસકીય નેતાઓ ની પણ મૂકસંમતીના પગલે સારસા ખાતે વિરોધના સૂર ઉઠતાં આજે કૈવલવાડી સારસા ખાતે ખાસ ગ્રામસભા યોજાઇ હતી.જયા સર્વાનુમતે સ્થાનિકો દ્વારા સતકૈવલ સંસ્થા ના અવિચલદાસ મહારાજ સહિતના દ્વારા વિરોધ વ્યક્ત કરતાં આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મિતેષ તથા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ વચ્ચે શાબ્દિક પ્રહારો થતાં વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે ગ્રામસભામાં ઉગ્ર વિરોધ વ્યક્ત થતાં ગ્રામ સરપંચ દ્વારા ઇથેનોલ ફેક્ટરીની મંજૂરી માટે નો ઠરાવ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર પેટ્રોલ ના વધતાં જતાં ભાવવધારા ના પગલે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કરવાની મંજૂરી આપતાં આણંદ નજીકના સારસા ખાતેના સીટી સર્વેનં ૧૩૮૩/૧ તથા બ્લોક સર્વેનં ૧૩૬૫-૧૩૬૯-૧૩૭૦/૧ વાળી ફળદ્રુપ જમીન પર ઇથેનોલ ફેક્ટરી પ્રસ્થાપિત કરવાની મંજૂરી આપતાં સ્થાનિક સ્તરે વિરોધ ઉઠતાં આજે સારસા કૈવલવાડી ખાતે ખાસ સાધારણ ગ્રામસભા યોજવામાં આવી હતી.જેમા ઇથેનોલ ફેક્ટરી મુદ્દે વિરોધ વ્યક્ત કરી સતકૈવલ સંસ્થા ના અવિચલદાસ મહારાજ પણ વિરોધમાં જાેડાઇ આ પ્રકારના પ્લાન્ટ ઉભા થશે તો પર્યાવરણ ને તથા ખેતી ને નુકસાન થશે ના સંદેહ વ્યક્ત કરી જન આરોગ્ય સાથે ચેડાં થશેનો મત વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે ઉઠેલ વિરોધ પગલે આ મુદ્દે સરકારમાં રજૂઆત કરી યોગ્ય ઉકેલ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.જયારે પંથકના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલે આક્રમક વલણ અપનાવી સાંસદ સહિત સ્થાનિક વહીવટીતંત્ર ને આડેહાથ લઇ લોકોના આરોગ્ય અને જનજીવન સાથે ચેડાં કરવાનું સરકાર બંધ કરે.મોધવારીના માર મારતી સરકાર દ્વારા હવે ખેડૂતો ની જમીન ને આ પ્રકારના ઉદ્યોગ ઉભા કરી ખેતીને નુકસાન થાય અને ખેડૂતો દેવાદાર બની રહે તેવા પ્રયાસો સાંખી લેવામાં નહીં આવે નું જણાવતાં આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ અને જયંત પટેલ વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે ગ્રામસભામાં ઉગ્ર વિરોધ વ્યક્ત થતાં ગ્રામ પંચાયત સરપંચ દ્વારા ફેક્ટરી ને મંજૂરી આપતાં ઠરાવ રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અત્રે ઇથેનોલ ઉત્પાદન ફેક્ટરી પ્રસ્થાપિત કરવામાં કેન્દ્રના ઉચ્ચ નેતા ની પડદા પાછળ ભાગીદારી હોય સ્થાનિક શાસકીય નેતાઓ દ્વારા ચૂપકીદી સેવવામાં આવી રહ્યા ની ચર્ચા જાેવા મળી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
8811 |
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું. સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ. ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે. PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
7326 |
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ
વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
9702 |
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, જુન 2026
3267 |
ભાજપના ચાર ઉમેદવારો ફોર્મ ભરશે
ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં રાજ્યસભા માટેના ઉમેદવારો અને પાર્ટીના ધારાસભ્યો વચ્ચે પરિચય તથા સંકલન માટે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.આ બેઠક દરમિયાન રાજ્યસભાના ઉમેદવારોને ધારાસભ્યો સાથે પરિચિત કરાવવામાં આવ્યા હતા. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા તેમજ આગામી કાર્યક્રમોની વિગતવાર માહિતી પણ ઉમેદવારો અને ધારાસભ્યોને આપવામાં આવી હતી. પક્ષના નેતાઓએ ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા,સંગઠન મહામંત્રી અને પ્રદેશના હોદ્દેદારો મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ બેઠકમાં રાજ્ય સભાના ૪ ઉમેદવારો રાજુભાઈ શુક્લા,મુકેશભાઈ રાઠવા,માનસિંહ પરમાર,જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના તમામ ધારાસભ્યોને સોમવારે સાંજ સુધી ગાંધીનગરમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે. આ સૂચનાથી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં સંકલિત અને એકજૂથ કામગીરી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ બેઠકને રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ભાજપની વ્યૂહાત્મક તૈયારીનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહી છે. ઉમેદવારોને ધારાસભ્યો સાથે સીધો સંપર્ક અને સંવાદ સાધવા માટે આ પ્રકારની બેઠકનું આયોજન કરાયું હોવાનો પક્ષના નેતાઓએ ઉલ્લેખ કર્યો હતો.મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં ઉમેદવારો અને ધારાસભ્યો વચ્ચે ચર્ચા અને માર્ગદર્શનના સત્રો યોજાયા હતા. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા પણ રજૂ કરવામાં આવી. પક્ષના નેતાઓએ ધારાસભ્યોને ચૂંટણી સંદર્ભે જરૂરી સૂચનાઓ આપી અને દરેક તબક્કે એકજૂથ કામગીરી રાખવા માટે અનુરોધ કર્યો. રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ધારાસભ્યોને ગાંધીનગરમાં જ રહેવા સૂચના આપવી, પાર્ટીની સંયોજિત અને વ્યૂહાત્મક તૈયારીની સાક્ષી છે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી સંબંધિત કાર્યક્રમો માટે વધુ માર્ગદર્શન આપવામાં આવશે.આ બેઠકથી સ્પષ્ટ થાય છે કે ભાજપ રાજ્યસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધી રહી છે અને ઉમેદવારો તથા ધારાસભ્યો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. વિજય મુર્હૂતમાં પોતાની ઉમેદવારી નોંધાવશે રાજ્યસભાના ચારે ઉમેદવારો આજ રોજ વિજય મુર્હૂતની અંદર પોતાની ઉમેદવારી નોંધાવશે. ભાજપ પાસે વિધાનસભાની અંદર બહુમતી હોવાને કારણે ૪ સીટ પર ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે. રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાના કારણે કોઈ અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવે તો ઉમેદવારો બિનહરીફ થઈ જશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, જુન 2026
2475 |
પાલડી બસ સ્ટેન્ડ પાસે રિક્ષાચાલકે અન્ય પર લોખંડની પાઇપથી હુમલો કરતા લોહીલુહાણ
અમદાવાદના પાલડી વિસ્તારમાં રિક્ષાચાલકો વચ્ચે પેસેન્જર બેસાડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પાલડી બસ સ્ટેન્ડ સામેના રિક્ષા પાર્કિંગમાં એક રિક્ષાચાલકે સાથી ચાલક પર લોખંડની પાઇપ વડે હિંસક હુમલો કર્યો હોવાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બનાવની વિગત એવી છે કે, ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષીય રિક્ષાચાલક અબ્દુલ મજીદ મોહમ્મદ હુસૈન શેખ શનિવારે સાંજે પાલડી બસ સ્ટેન્ડ પાસે રિક્ષા પાર્કિંગમાં ઉભા હતા. આ દરમિયાન અલ્કેશ ભરતભાઈ ચુનારા નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. બપોરના સમયે પેસેન્જર બેસાડવા બાબતે અબ્દુલભાઈએ તેને ગાળો ન બોલવા સમજાવ્યો હતો, જેની અદાવત રાખી અલ્કેશે અચાનક લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો.અલ્કેશે લોખંડની પાઇપ વડે અબ્દુલભાઈના માથા પર જાેરદાર પ્રહાર કરતા તેમને ગંભીર ઈજા થઈ હતી અને માથામાં સાત ટાંકા લેવા પડ્યા હતા. આ હિંસક હુમલામાં વૃદ્ધ રિક્ષાચાલકનો જમણો હાથ પણ ફેક્ચર થયો હતો અને ડાબી આંખ નીચે પણ ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં અબ્દુલભાઈને તાત્કાલિક વી.એસ. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ મામલે પાલડી પોલીસે આરોપી અલ્કેશ ચુનારા વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, જુન 2026
2970 |
ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ બે ભાઈ સહિત ત્રણનું વટવા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
વટવા વિસ્તારના બે જાેડિયા ભાઈઓ અને તેમનો એક મિત્ર કોઈને જણાવ્યા વગર સાયકલ સાથે મુંબઈ ફરવા નીકળી પડતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. મુંબઈના જુહુ અને બાંદ્રામાં સાયકલ સવારી કરી જ્યારે તેઓ વડોદરા પરત ફર્યા, ત્યારે ૪૦૦ જેટલા ઝ્રઝ્ર્ફ કેમેરાની મદદથી પોલીસે તેમને શોધી કાઢ્યા હતા. અંતે માતા-પિતા સાથેના મિલન સમયે પોલીસ સ્ટેશનમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વટવા વિસ્તારમાં ૧૨ વર્ષના બે સગા જાેડીયા ભાઈઓ અને ૧૮ વર્ષનો યુવક રહે છે. ત્રણેય ૨૯ મેના રોજ તેમના મિત્રના જન્મદિવસની ઉજવણીમાં ભેગા થયા હતા. બર્થ ડે પાર્ટી દરમિયાન આ ત્રણેય મિત્રોએ બહાર ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો.૩૧ મેના રોજ બપોરે વટવા વિસ્તારમાંથી આ ત્રણેય ભેગા મળીને નીકળી ગયા હતા. બે ભાઈઓ અને યુવક ઘરે ન હોવાની જાણ માતા-પિતાને થતા તેઓ પોલીસ પાસે પહોંચ્યા હતા ને પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.ત્રણેય મિત્રો પોતાની સાયકલો લઈને વટવા રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાંથી સાયકલ સાથે જ ટ્રેનમાં બેસીને તેઓ પહેલા વડોદરા (બાજવા) સ્ટેશને ગયા હતા. રાતનો સમય થયો હોવાથી તેઓ રાત્રે જ રેલવે સ્ટેશન પર સુઈ ગયા હતા અને પછી મુંબઈ જવાની ટ્રેનમાં તેઓ બેસી ગયા હતા. ટ્રેનમાં સાયકલ પોતાની સાથે જ રાખી હતી.મુંબઈમાં બે દિવસ રોકાયા હતા. સાયકલ પોતાની સાથે જ હતી અને સાયકલ ઉપર તેઓ જુહુ ચોપાટી, બાંદ્રા અને અન્ય જાેવાલાયક સ્થળોએ ગયા હતા. વટવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા બાળકો પોતાના ઘરેથી નીકળ્યા ત્યારબાદ રોડ પરના અને અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. રેલવે સ્ટેશન પરના સીસીટીવી ફૂટેજ જ્યારે તપાસવામાં આવ્યા ત્યારે પોલીસને રેલવે સ્ટેશન પર સાયકલ લઈને જતા જાેવા મળ્યા હતા. જેથી ટ્રેનમાં બેસી અને ગયા હોવાની શંકા ગઈ હતી અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. વટવા પોલીસે ઘટનાની ગંભીરતા જાેઈ અલગ-અલગ ટીમો બનાવી હતી. મુંબઈ સુધીના રેલ્વે સ્ટેશનો અને મોટા શહેરોમાં બાળકોના ફોટા સોશિયલ મીડિયા અને લોકલ પોલીસમાં વહેતા કરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, જુન 2026
2178 |
તલવારો લઇને નીકળેલા અસામાજિક તત્વોથી ગભરાટ
અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં અસામાજિક તત્વોની બેફામ હરકત સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. કાર એસેસરીઝની દુકાન નજીક બનેલી આ ઘટનામાં ચાર શખ્સો રિક્ષામાં તલવાર લઈને પહોંચ્યા હતા અને એક યુવકને ખુલ્લેઆમ ધમકી આપતા વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ, મીઠાખળી વિસ્તારમાં આવેલી પ્રમુખ મોટર્સ નામની સંસ્થામાં નોકરી કરતા એક યુવકને નિશાન બનાવી આ ઘટના અંજામ આપવામાં આવી હતી. ચારેય શખ્સો રિક્ષામાં સવાર થઈ સ્થળ પર પહોંચ્યા હતા અને હાથમાં તલવાર જેવા ઘાતક હથિયારો લઈને કર્મચારીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને કારણે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર મામલો અંગત અદાવત સાથે જાેડાયેલો હોઈ શકે છે. અગાઉના કોઈ વિવાદ કે વ્યક્તિગત મતભેદના કારણે કર્મચારીને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.જાેકે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોવાની ચર્ચા ચાલી રહી છે. જેના કારણે વિસ્તારના રહેવાસીઓ અને વેપારીઓએ પોલીસ સમક્ષ કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે જાહેરમાં હથિયારો સાથે આવીને ધમકી આપવાની ઘટના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.ઘટનાની જાણ થતાં પોલીસ પણ હરકતમાં આવી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને તેમની હિલચાલ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે ફરિયાદ અને પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં અસામાજિક તત્વોની વધતી દાદાગીરી અને જાહેર સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે. સ્થાનિકોએ આવા તત્વો સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, જુન 2026
2970 |
કેમિકલ ફેકટરીમાં આગ : એકનું મોત, બે ગંભીર
અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા નરોડા જીઆઈડીસીમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. નરોડા જીઆઈડીસી ફેઝ-૩ માં અર્બુદા કાંટા નજીક આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી છે. કેમિકલનો જથ્થો હોવાને કારણે આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની ગંભીરતાને જાેતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે. નરોડા જીઆઈડીસીવિસ્તારમાં ફેઝ ૩માં આવેલી એક કેમિકલની કંપનીમાં આગ લાગી હતી.જેમાં બોઈલરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો છે.બ્લાસ્ટ થયો હોવાના કારણે ૩ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. જેમને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ ત્યાં નજીકમાં પડેલા એક ટ્રકમાં પણ આગ લાગી ગઈ હતી જેમાં પણ પાણીનો મારો ચલાવી આગના કાબુમાં લેવામાં આવી હતી.આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે.કયા કારણોસર અને કયા કેમિકલમાં આગ લાગેલી હતી તે સમગ્ર મામલે એફએસએલની મદદથી તપાસ કરવામાં આવશે.ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવા માટે એફએસએલ અને પોલીસની મદદ લેવામાં આવી છે. ફાયર ઓફિસર જે.એસ.ગઢવીએ જણાવ્યું હતું કે નરોડા જીઆઇડીસીમાં કેમિકલ ટેન્કમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો.ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં એક હાઈડ્રોજન ટેંક હતી. જેમાં હાઇડ્રોજન ભરેલું હતું અને આગ લાગી હતી.ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી છે.હાલમાં પોલીસ, ફાયરબ્રિગેડ અને જીપીસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઝોન ૪ ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે નરોડા જીઆઇડીસી વિસ્તારમાં ઇન્ટરમિડીયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કોઈ રિએક્શનના કારણે બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. ત્રણ લોકોને ઈજા થઈ હતી.જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે,જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ છે. કંપની દ્વારા ક્યાં બેદરકારી દાખવવામાં આવી છે તે અંગેની તપાસ કરવામાં આવશે.ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીબી વગેરેની ટીમ દ્વારા તપાસ કરી રિપોર્ટ આપવામાં આવશે.તેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, જુન 2026
2475 |
માવો આપવાની ના પાડનાર પર હુમલો કરવા આવેલી ટોળકીનાં બે યુવકોને તેમના જ ચપ્પુથી રહેંસી નાખ્યાં
૨૦૨૪માં સુરત દેશનાં મેટ્રો સિટીમાં સૌથી સલામત શહેર હતું એવી ગુલબાંગો પોકારવામાં વ્યસ્ત રહેલી સુરત પોલીસને બદમાશો સીધો પડકાર ફેંકતા જાેવા મળી રહ્યાં છે. શહેરનાં સિંગણપોર વિસ્તારમાં પોલીસની હાક અને ધારનાં લીરેલીરાં ઉડાવતાં બદમાશો વચ્ચે થયેલા ડખામાં બે યુવકોનાં મોત નીપજ્યાં હતા. પાનનાં ગલ્લે માવો લેવા જેવી બાબતે થયેલી બેવડી હત્યાના આ બનાવે શહેરમાં ભારે ચકચાર મચાવી છે, જ્યારે પોલીસ ઠંડા કલેજે બે હુમલાખોરોને ગણતરીના કલાકમાં પકડી લેવાયા જ્યારે અન્યોની શોધખોળ ચાલુ છે એમ કહી પોતાની પીઠ થબથબાવતી જાેવા મળી હતી.લિંબાયતના સંજયનગરમાં રહેતો ૩૦ વર્ષીય હર્ષલ અધિકાર પાટીલ અને વેડ રોડ બાપા સીતારામ ચોક ખાતે રહેતો ૨૫ વર્ષીય ભટુ વનરાજભાઈ માળી વચ્ચે સારી મિત્રતા હતી. બંને માથાભારે પ્રકૃતિના હોવા સાથે મોડી રાત સુધી ભટકવાના આદિ હતા. શનિવારે મધરાત બાદ એટલે દોઢેક વાગ્યે હર્ષલ અને ભટુ તેમના અન્ય ત્રણ મિત્રો સાથે ડભોલી ગામ બજરંગ નગર પાસે મોગલ ટી સ્ટોલ ગયા હતા. અહીં બહાર બેસેલા દુકાનદારને તેઓએ માવો જાેઇએ છે એમ કહ્યું હતું. દુકાનદારે ગલ્લો બંધ કરી દીધો છે એમ કહી માવો આપવાનો ઇનકાર કર્યો હતો. જાે કે, હર્ષિલ અને ભટુને દુકાનની અંદર ચાર યુવકો બેસીને કેરમ રમતાં જાેવા મળ્યા હતા. આથી તેઓએ દુકાનદારને બળબજરીથી અંદર લઇ ગયા અને તેની સાથે લડાઈ ઝગડો કરી માવો લીધો હતો. આ દરમિયાન કેરમ રમતાં યુવકો સાથે પણ તેમને માથાકૂટ થઇ હતી. જાે કે એ સમયે હર્ષિલ, ભટુ અને તેમની સાથેના ચાર યુવકો ત્યાંથી નીકળી ગયા હતા. આ ટોળકી સિંગણપોરથી નીકળી રાંદેર પહોંચી હતી. જ્યાં તેઓએ માવો નહીં આપી માથાકૂટ કરનારાઓને સબક શીખવાડવાનું નક્કી કર્યું અને ક્યાંકથી ચાકુ મેળવ્યા હતાં. હથિયાર લઇ આ ટોળકી ફરી સિંગણપોર મોગલ ટી સ્ટોલ આવી હતી. આ યુવકોએ ત્યાં બેસી કેરમ રમતા સ્થાનિક યુવકો સાથે ફરી ઝઘડો કર્યો અને તેઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ દરમિયાન હર્ષિલ પાટીલે ચાકુ કાઢી હુમલાનો પ્રયાસ કર્યો પરંતુ સામેથી પ્રતિકાર કરાયો હતો. જેમાં હર્ષલના ચાકુથી તેને જ ઘા ઝીંકી દેવાયા હતાં. આવું જ કંઇ ભટુ માળી સાથે પણ થયું. તેને પણ હુમલા દરમિયાન ગંભીર ઇજા પહોંચી હતી. ઊંડો ઘા વાગવાથી વધુ રક્ત સ્ત્રાવ થતાં હર્ષિલ પાટીલનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જ્યારે ભટુ માળીએ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પિન્કેશ, તેજસ, અક્ષય અને રાહુલે અમને બોલાવ્યા બાદ અચાનક હુમલો કરી દીધો હર્ષલ અને ભટુના મિત્રો મિહિર રાઠોડ તથા ક્રિષ્ના મહાડીકની પોલીસે ઘટના અંગે પૂછપરછ કરી હતી. તેઓએ એવું જણાવ્યું હતું કે, અમે તથા હર્ષલ અને ભટુ માળી એક સ્પલેન્ડર તથા બર્ગમેન મોપેડ ઉપર આશરે સાડા બારેક વાગ્યે ડભોલી બી.આર.ટી.એસ. ગોગા મહારાજના મંદિરની આગળ મો ગલ ટી ખાતેથી પસાર થતા હતા. તે દરમિયાન આ મોગલ દુકાનવાળો બહાર બેસેલો હતો, જ્યારે દુકાન નું શટર બંધ હતું. અમે તેને ચા પાન મસાલો આપવા કહેતાં તેણે ના પાડી હતી. દુકાન ખોલવા બાબતે તેની સાથે અમારી રકઝક થઇ હતી. દરમિયાન દુકાનમા અંદર બેઠેલો પિન્કેશ, તેજસ ઉર્ફે કલ્લુ, અક્ષય મોરે તથા રાહુલ સાથે અમારે સામસામે જાેવા બાબતે બો લાચાલી ઝઘડો થયો હતો. ત્યારબાદ અમે બધા ડભોલી ચાર રસ્તા તરફ નીકળી ગયા હતાં. જયાંથી અમે પરત રાંદેર તરફ જવા માટે નીકળ્યા ત્યારે દોઢેક વાગ્યા હતાં. જે દરમિયાન બજરંગ નગર સોસાયટી સામે બી.આર.ટી.એસ. રોડ પાસેથી પસાર થતી વેળા એ ચાર જણા મળ્યા હતાં. તેઓએ બુમ પાડી અમારી બાઇક ઉભી રખાવી હતી. હર્ષિલ અને ભટુ સાથે અમે બધા એ ચાર જણા સાથે વાત કરવા ગયા હતા. વાતચીત દરમિયાન તેઓ અમારા પર એકદમ ઉશ્કેરાઈ જઇ ઉગ્ર ઝઘડો કરવા માંડ્યા હતા. તેમણે હર્ષલ પાટીલ તથા ભટુ માળીને ચપ્પુના ઘા મારી જીવલેણ ઇજા પહોંચાડી અને પછી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ મિહીર રાઠોડે પોલીસ અને ૧૦૮ માં કોલ કર્યો હતો. એબ્યુલન્સ આવતા હર્ષલ અને ભટુને સ્મીમેર લઇ જવાયા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, જુન 2026
2475 |
વરાછાનાં રતિ જવેલર્સમાં ટેન્ક સફાઇ દરમિયાન ચાર કર્મચારીનાં ગુંગળામણથી મોત
સુરત શહેરનાં વરાછા વિસ્તારમાં પોદાર આર્કેડ પાસે આવેલ જવેલર્સનાં માલિકની બેદરકારીનાં કારણે ચાર ચાર જિંદગી હોમાઈ ગઈ હતી. સોનાનાં દાગીના મેન્યુફેક્ચરિંગનું કામ કરતા રતિ જ્વેલર્સનાં માલિકે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં સાફ સફાઈ કરવા માટે ત્રણ યુવાનોને સવારે કોઈ પણ પ્રકારનાં સેફટી સાધનો વિના અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં ઉતાર્યા હતા. જાે કે તેમાં કેમિકલોથી ઉત્પન્ન થયેલા ઝેરી ગેસની અસર ત્રણેય કામદારોને થઇ હતી, આ સમયે જવેલર્સનાં મેનેજર-સુપરવાઈઝર ત્રણેયને બચાવવા માટે ટેન્કમાં ઉતરતાં તે પણ ગુંગળાઈ જતા ચારેયનાં કરુણ મોત નીપજ્યા હતાં. બનાવની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ચારેય વ્યક્તિઓને બહાર કાઢી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ ફરજ પરનાં તબીબોએ ચારેય વ્યક્તિઓને મૃત જાહેર કર્યા છે.વરાછાનાં ખાંડબજાર વિસ્તારમાં પોદાર આર્કેડ પાસે આવેલા રતિ હાઉસમાં રતિ જ્વેલર્સ નામની પેઢી આવેલી છે. આ પેઢીમાં સોનાનાં દાગીના ગાળવાનું તથા મેન્યુફેક્ચરિંગ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. કંપનીમાં કામ કરતા કર્મચારીઓ જ્યારે નોકરી પૂર્ણ કરે ત્યારે તેમના હાથ, પગ તથા માથાનાં વાળમાં જે પણ સોનુ ચોંટી ગયું હોય તેના માટે હાથ પગ ધોવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોય છે. આ પાણી કંપની દ્વારા બેઝમેન્ટની અંદર એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં જમા થાય છે. જેમાં આ પાણીનો છ મહિના સુધી સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ સમય જતા આ ટાંકીના પાણીનો નિકાલ કરી તળિયે બેસી ગયેલું સોનું એકત્ર કરવામાં આવે છે. આજે સવારે પણ કંપનીનાં માલિકો દ્વારા કંપનીનાં મેનેજર કમ સુપરવાઇઝર નિલેશ વિઠ્ઠલભાઈ સાવલિયા (રહે. રામકૃષ્ણ સોસાયટી બહાદુર ચોક મોટા વરાછા) અને તેમની સાથે વેડ રોડ પર રૂપલ સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષીય યોગેશ નાનાજીભાઈ જાદવ તથા અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ પર પંચશીલનગરમાં રહેતા ૨૫ વર્ષીય વિજય ભીખાભાઈ આહિરે અને પંચશીલ નગરમાં જ રહેતા ૨૪ વર્ષીય વિકાસ સંતોષભાઈ સોનવણેને કોઈપણ પ્રકારની સેફટીનાં સાધનો વગર જ ઈ્ઁ પ્લાન્ટની ટાંકી સાફ કરવા માટે કામ સોંપવામાં આવ્યું હતું. જેથી યોગેશ, વિજય અને વિકાસ ત્રણેય ટેન્કની અંદર ઓક્સિજન માસ્ક તેમજ સેફટીનાં સાધનો વગર જ સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા. ટેન્કમાં પાણી સાથે મિશ્રિત કેમિકલને કારણે ઝેરી ગેસ ઉત્પન્ન થયો હોવાથી એક પછી એક ત્રણેય યુવકો અંદર જ ગુંગળાઇ જવાથી બેભાન થઈ ગયાં હતાં જેની મેનેજર નિલેશ સાવલિયાને જાણ થતા તે પણ ત્રણેયને બચાવવા ટેન્કમાં ઉતર્યા પરંતુ ઝેરી ગેસને કારણે તે પણ ગૂંગળાઈ જતાં બેભાન થઈ ગયા હતા. બનાવને પગલે સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવતા અશ્વિનકુમાર ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડનાં જવાનો ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. લાશ્કરોએ ચારેય વ્યક્તિઓને બેભાન અવસ્થામાં બહાર કાઢી ઇમરજન્સી એમ્બ્યુલન્સ ૧૦૮ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરનાં તબીબોએ ચારેય વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગર પાલિકા દ્વારા ગટર કે આવા પ્લાન્ટમાં સફાઇ કરવા બાબતે ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યાં હતાં અને તેમનું લિસ્ટ મનપાની વેબસાઇટ ઉપર મુકી છે. એટલું જ નહીં આ સર્ટિફાઇડ માણસો દ્વારા જ આ પ્રકારની જાેખમી સફાઇ કરાવવાનો આગ્રહ મહાનગર પાલિકા દ્વારા સેવવામાં આવ્યો છે. ફાયર વિભાગને કંટ્રોલમાં ખોટી માહિતી આપવામાં આવી રતિ હાઉસમાં રતિ જ્વેલર્સનાં માલિકો દ્વારા ટાંકી સાફ કરવા માટે ત્રણ યુવાનોને અંદર ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ મેનેજર પણ ટાંકીમાં જતાં ચારેય વ્યક્તિઓ અંદર જ ગૂંગળાઈ ગયા હતા પરંતુ ફાયર બ્રિગેડ કંટ્રોલ વિભાગને કોલ કરનાર વ્યક્તિએ એક વ્યક્તિ પાણીનાં ખાડાની અંદર પડી ગયો હોવાનો કોલ આપ્યો હતો. જેથી શરૂઆતનાં તબક્કામાં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા માત્ર અશ્વનિકુમાર ફાયર સ્ટેશનથી ટીમ મોકલવામાં આવી હતી પરંતુ ત્યારબાદ માલુમ પડ્યું હતું કે ટાંકીની અંદર કુલ ચાર વ્યક્તિઓ ગૂંગળાઈ ગયા છે. જેથી તાત્કાલિક અન્ય ફાયર સ્ટેશનમાંથી પણ ટીમ ઘટના સ્થળે ખડકી દેવામાં આવી હતી અને ચારેય યુવકોને બેભાન અવસ્થામાં બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. પોસ્ટમોર્ટમ વિભાગ ખાતે ચારેય પરિવારોનું હૈયાફાટ રૂદન ટાંકી સાફ કરવા જતા બનેલી દુર્ઘટનામાં એક સાથે ચાર ચાર વ્યક્તિઓની જિંદગી હોમાઈ જતા તમામનાં મૃતદેહને સ્મીમેર હોસ્પિટલનાં પોસ્ટ મોર્ટમ રૂમ પર પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. બનાવની જાણ થતા એક પછી એક એમ કુલ ચારેય મૃતકોનાં પરિવારજનો ત્યાં ભેગા થઈ જતા તમામ પરિવારોએ હૈયાફાટ રૂદન કર્યું હતું જેના કારણે સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. ચાર યુવકોનાં મૃત્યુ અંગે ગુનાઇત બેદરકારી બાબતે ગુનો દાખલ કરવા પોલીસની તજવીજ રતિ જ્વેલર્સમાં ટેન્કની સાફ સફાઇ કરવા ઉતરેલાં ચાર યુવકોનાં મૃત્યુની ઘટનામાં પોલીસ અધિકારીઓએ જ્વેલર્સ હાઉસની રૂબરૂ મુલાકાત લઇને બારીકાઇપૂર્વક નિરિક્ષણ કર્યું હતું. પરિવારજનોએ પણ માલિકો વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની ઉગ્ર માગ કરી હતી. પોલીસે સમગ્ર બનાવનો ઘટનાક્રમ ધ્યાનમાં લઇને ગુનાઇત બેદરકારી બાબતે ગુનો દાખલ કરવાની તજવીજ મોડી સાંજે હાથ ધરી હતી. ઓક્સિજન માસ્ક સહિતનાં સલામતિનાં સાધનો આપવાની જવાબદારી કોની હતી તે બાબતે કોઇ ફોડ પાડ્યો ન હતો. ચાર યુવાનોનાં મોતની ઘટના બાબતે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, જુન 2026
2772 |
સબ્લિમેશન ડિજિટલ પ્રિન્ટિંગ મજૂરીનાં દર ૮૦ ટકા ઘટી જતાં ઇન્ડસ્ટ્રીઝ સંકટમાં
સુરતમાં કોઇપણ પ્રકારનાં ફેબ્રિક કે ગારમેન્ટ પર સબ્લિમેશન ડિજિટલ પ્રિન્ટીંગની મશીનરી વિકસાવનારા સેંકડો ઉદ્યોગપતિઓ કફોડી સ્થિતિમાં મૂકાઇ ગયા છે. સબ્લિમેશન ડિજિટલ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં બે વર્ષ અગાઉ પ્રિન્ટિંગનો દર પ્રતિ મીટર રૂ.૨૬/૨૫ હતો, જે મંદીના કારણે તૂટીને આજે ૧૪/૧૫ સુધી પહોંચી ગયો છે. મજૂરીના દરમાં ૭૫થી ૮૦ ટકા ઘટાડો થઇ જતા સેંકડો કારખાનેદારોએ સંગઠન બનાવીને ભાવ તોડીને કામ નહીં કરવા માટે કટીબદ્ધ થયા છે.સુરત સબ્લિમેશન ડિજિટલ પ્રિન્ટિંગ એસોસીએશનનાં આગેવાનોએ જણાવ્યું કે સબ્લિમેશન ડિજિટલ પ્રિન્ટિંગ નવી ટેક્નોલોજી છે જે કોઇપણ પ્રકારના ફેબ્રિક કે ગારમેન્ટ પર ચોક્કસ પ્રકારની શ્યાહી તેમજ હીટીંગની મદદથી કોઇપણ ડિઝાઇન કે ગ્રાફિક પ્રિન્ટ કરી શકે છે. કારખાનેદારોએ લાખો રૂપિયાની મશીનરી પોતાના કારખાનાઓમાં વિકસાવી છે. સબ્લિમેશન ડિજિટલ પ્રિન્ટિંગ ચમકદાર, પાકા કલરવાળું અને લાંબો સમય ચાલે તેવું પ્રિન્ટિંગ હોય છે. બે વર્ષ પહેલા સબ્લિમેશન ડિજિટલ પ્રિન્ટિંગનો પ્રતિ મીટરનો ભાવ રૂ.૨૬ સુધી હતો, પરંતુ, કારખાનેદારોમાં એકતા ન હોઇ ભાવ તોડી તોડીને આજે પ્રતિ મીટરે રૂ.૧૪/૧૫ પર પહોંચી ગયા છે, જેના કારણે જે કારખાનેદારો લોન પર મશીન લાવ્યા છે તેમના લોનનાં હપ્તા પણ ભરી શકાય તેવી સ્થિતિ નથી. આવી સ્થિતિમાં તમામ કારખાનેદારોને એકત્રિત થઇને સંગઠન દ્વારા નિયત કરાયેલા ભાવ કરતા ઓછી કિંમતે કામ નહીં કરવા માટે દરેક કારખાનેદારોને સમજાવવામાં આવી રહ્યા છે. પર્યાવરણનાં સ્લોગન સાથેનાં બેનરો અને નાના છોડ સાથે લોકો સભામાં આવ્યાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વડાપ્રધાન દ્વારા દેશના લોકોને પર્યાવરણ બચાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આજે પણ તેમના પ્રોગ્રામમાં પર્યાવરણ મહત્વનો મુદ્દો રહ્યો હતો. ઈન્ડોર સ્ટેડિયમમાં ઉમટી પડેલી જનમેદની પોતાની સાથે અલગ અલગ પર્યાવરણના બેનરો તથા સ્લોગન સાથેના બેનરો બનાવીને લાવ્યા હતા તો કેટલાક લોકો પોતાની સાથે નાનો છોડ લઈને સભામાં આવ્યા હતા. વડાપ્રધાને પણ આખરે આ બેનરોની નિંદ્ય લીધી હતી અને તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન આ વાતની નોંધ લેતા લોકોમાં જોશ જોવા મળ્યો હતો. પ્લાસ્ટિકમુક્ત ગ્રીન પ્રોટોકોલ અને પર્યાવરણ થીમ ઉપર બનેલાં હેન્ડમેઈડ બેકડ્રોપ જાેઇ વડાપ્રધાન ખુશ વડાપ્રધાનના સુરતના ખાસ પ્રોગ્રામ માટે યુનિ.ના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ અથાગ મહેનતથી પ્લાસ્ટિકમુક્ત ગ્રીન પ્રોટોકોલ અને પર્યાવરણ થીમ ઉપર હેન્ડમેઈટ બેકડ્રોપ બનાવ્યું હતું. જેની વડાપ્રધાને નોંધ લઇ સ્ટેજ પર ખુરશી પર જ પાછળ ફરીને નિહાળ્યું હતું. યુનિવર્સીટીના ફાઈ આર્ટ્સ વિભાગના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકમુક્ત ગ્રીન પ્રોટોકોલ અને પર્યાવરણ થીમ ઉપર ૪૮/૧૪ ફૂટનું ભવ્ય હેન્ડમેઈડ બેકડ્રોપ બનાવ્યું હતું. જેમાં પરંપરાગત બાંધણી, અખરજ પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ અને આભલા વર્કના ઉપયોગથી બનાવવામાં આવ્યું હતું. લોકોનો ઘસારો વધી જતા ડી બ્લોક પર એન્ટ્રી અટકાવતાં લોકોનો હોબાળો વડાપ્રધાનના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઇન્ડોર સ્ટેડિયમની સંખ્યા કરતાં પણ લોકો વધી જતા લોકોએ બહાર ઉભો રહેવાનો વારો આવ્યો હતો. જો કે આ સમયગાળા દરમિયાન ડી બ્લોક પર લોકોએ અંદર ઘૂસવા માટે ધક્કામુક્કી કરી હતી. જેથી પોલીસે ડી બ્લોકની એન્ટ્રી બંધ કરી દેતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે ત્યારબાદ ફરીથી પોલીસે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી લોકોને એન્ટ્રી આપી હતી. જોકે અંદર ભીડ વધી જતા અને જગ્યા ખૂટી પડતા લોકો ઇન્ડોર સ્ટેડિયમની અંદર ચાલવાના દાદરોમાં બેસી ગયા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, જુન 2026
2871 |
સુરત એક શહેર નહીં, સ્પિરિટ છે: વડાપ્રધાન
સુરત આવેલાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર ઉત્રાણ કરીને સીધા જ હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો કંપનીની મુલાકાત લીધી હતી અને એ પછી તેઓ સીધા જ શહેરનાં ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા સમારોહમાં પહોંચ્યા હતાં જ્યાં તેમણે સુરત શહેરને એક શહેર નહીં પણ સ્પીરીટ ગણાવતા સભામાં ઉપસ્થિત સુરતીઓ ઝૂમી ઉઠ્યાં હતાં. વડાપ્રધાને ૧૮,૦૦૦ કરોડથી પણ વધારે વિકાસકામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સુરતીઓને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુરત એક શહેર નથી પણ એક સ્પીરીટ છે, પર્યાવરણ દિવસે આજે અનેક લોકો પર્યાવરણ જાગૃતિનાં બેનરો લઇને પહોંચ્યા છે, જે ૧૫,૦૦૦ પરિવારોએ આ કામ કર્યું છે, તેમને અભિનંદન આપું છું. તેમણે આજે પર્યાવરણ જાગૃતિનાં સૂત્રો, સ્લોગનો, બેનરો લઇને પહોંચેલા લોકોનો નિર્દેશ કરતા કહ્યું કે સુરતીઓએ મને અણમોલ ભેટ સુરતે આપી છે, અનેક રીતે મૂલ્યવાન ભેટ, એક લાખ લોકોએ પાંચ દિવસ સફાઇ અભિયાન ચલાવ્યું, મારા માટે આ મોટામાં મોટી ભેટ છે, જેના માટે આખા સુરતનો હૃદયથી આભાર માનું છું. સ્વાગતમાં કચરાની અણમોલ ભેટ સુરતે મને આપી છે. સ્વચ્છતાને સંસ્કાર બનાવવા છે. એક લાખ લોકોનાં પરિવારનું સ્વચ્છતા અભિયાનમાં જાેડાવવું એ માત્ર અભિયાન નથી પરંતુ સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે, સુરતનાં સૌ સાથીઓ અભિનંદનનાં અધિકારી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી પહેલી વખત ગુજરાત આવ્યા છે, ભાજપને પ્રચંડ બહુમતી અપાવનારા લોકો જેમાં સુરત સહિત આખા ગુજરાતના લોકો છે એ તમામને અભિનંદન આપતા કહ્યું કે અઢી દશકથી વધુનો સમય થઇ ગયો, ભાજપને નિરંતર આશીર્વાદ આપી રહ્યાં છો, સમયની સાથે આ આશીર્વાદ વધી રહ્યાં છે. હાલમાં જ જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂરી થઇ, જેમાં ગુજરાતનાં લોકોએ ભાજપને એટલું વ્યાપક સમર્થન આપ્યું કે બધા જૂના રેકોર્ડ તૂટી ગયા. તેમણે કહ્યું, આજે હું ખુશ છું કે મારા રેકોર્ડ પણ તોડી નાંખ્યા. પોતાના સંસ્મરણો વાગોળતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાજનીતિમાં બહુ વિલંબથી આવ્યો, ૧૯૮૭માં રાજનીતિમાં આવ્યો, એ સમયે પહેલી ચૂંટણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીમાં વિજય થયો, ત્યારથી લઇને આજ સુધી વિજયયાત્રા અવિરત ચાલી રહી છે. દુનિયાના લોકતાંત્રિક સમાજમાં એવું ઓછું જાેવા મળે છે કે કોઇ એક પક્ષને લાંબા સમય સુધી જનતા જનાર્દનનાં આશીર્વાદ સતત મળે. સુરત અને નવસારીનાં ચૂંટાયેલા લોકો પહોંચ્યા છે, તમામને અભિનંદન પાઠવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણે યાદ રાખવાનું છે કે લોકોએ આપણને સમર્થન આપ્યું છે, આ પ્રચંડ વિજય સેવાનાં ક્ષેત્રને વધુ વિસ્તારવા માટે આપ્યું છે. આપણે બધાએ હજુ વધુ પરિશ્રમ કરવાનો છે. આપણો સંકલ્પ વિકસિત ગુજરાત, વિકસિત ભારતને સિદ્ધ કરવાનો છે. સુરત એક શહેર નહીં સુરત એક સ્પીરીટ છે એટલા માટે જ કહું છું, ભારતમાં જે શહેર સતત સ્વચ્છતાનાં એવોર્ડ જીતતું આવે છે એ ક્યારેય અટકતું નથી, એ આજે પણ સફાઇ અભિયાન સતત જારી રાખે છે એટલે જ કહું છું કે સુરત એક સ્પીરીટ છે. વિકસિત ગુજરાતનો સંકલ્પ દેશના દરેક ગામ, જિલ્લા શહેરને વિકસિત કરે એ માટે છે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા અગ્રિમ છે. તેમણે કહ્યું કે આજે પાંચ જૂન પર્યાવરણ દિવસ છે, આ અવસરે દેશનાં સૌથી સ્વચ્છ શહેરમાં એક, સુરતમાં છું. આનાથી મોટી ગર્વની વાત શું હોઇ શકે, આ એ જ સુરત છે જે પ્લેગ ગ્રસ્ત હતું અને આજે એ સ્વચ્છતા માટે પ્રતિષ્ઠિત છે. અઢી દસકથી પ્રયાસો થયા, સામૂહિક યોગદાનથી આ શક્ય બન્યું. સુરતનાં તમામ લોકોને, મારા વહાલા સુરતીઓને ખૂબ-ખૂબ અભિનંદન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતીઓને સંબોધતા કહ્યુંકે, સમગ્ર દુનિયા ગ્રીન ફ્યુચર તરફ સાવધાનીપૂર્વક ધીરે ધીરે આગળ વધી રહી છે. ભારત પણ ગ્રીનગ્રોથ ઉપર વધુ કામ કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં ગુજરાતે વર્ષો પહેલાથી પ્રયાસો કરવાનું શરૂ કરી દીધું હતું. ગુજરાતે આ શતાબ્દીના આરંભે જ ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ બનાવી દીધો હતો. આવી વ્યવસ્થા વિકસાવનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. ગુજરાતનાં પાટણનાં ચારણકા ગામમાં પહેલો સોલાર પાર્ક બનાવાયો હતો. એ એક તીર્થ ક્ષેત્ર બની ગયું હતું. જેણે સમગ્ર દેશને પ્રેરણા આપી છે. લોકોએ સમયે સોલાર પાર્ક જાેવા માટે દૂર દૂરથી પહોંચતા હતા. આજે પ્રકૃતિની સાથે પ્રગતિનો મંત્ર એટલે કે ઇકોનોમી પણ અને ઇકોલોજીનો મંત્ર જરૂરી છે. પહેલા કહ્યું હતું કે આ દશકો દુનિયા માટે આપદા માટે જાણીતું બન્યું છે. કોરોના જેવી વિપત્તિઓ આવી, વિશ્વમાં યુદ્ધનો માહોલ અને હવે ઉર્જા સંકટ જેણે પૂરી દુનિયાને પ્રભાવિત કરી, વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે દુનિયામાં પેટ્રોલની કિંમતોમાં સતત વધારો થયો પણ મને સંતોષ છે કે સંયુક્ત પ્રયાસોથી ભારત આવા દરેક સંકટોનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે. આપણે આ સંકટ પર પણ વિજય મેળવીશું. આમાં પણ ગુજરાતની મોટી ભૂમિકા છે. ભારતનો નાગરિક સપનાઓ, સંકલ્પોથી ભરેલો છે. જ્યારે દેશની જનશક્તિ સંકલ્પિત છે એ જ ભારતની તાકાત છે. આવો આપણે વિકસિત ભારતનાં નિર્માણને એક સાથે પ્રયાસો કરીને આગળ વધીએ. છેલ્લું નિવેદન કરીને વડાપ્રધાને પોતાના વક્તવ્યનું સમાપન કર્યું હતું. કોંગ્રેસ અરાજકતા અને અનિશ્ચિતતામાં અવસર શોધે છે પરંતુ દેશનાં લોકોએ તેને જાકારો આપ્યો છે હાલમાં થયેલી બંગાળની ચૂંટણીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચૂંટણી પછી હરકોઇ બંગાળની જ ચર્ચા કરી રહ્યા છે. ભાજપ અને એનડીએ ને મોટો જનાદેશ મળ્યો. દેશ અરાજકતા, અનિશ્ચિતતા અને નિરાશાને પસંદ નથી કરતો એ જ સંદેશો દરેક ચૂંટણી પછી મળે છે. કોંગ્રેસ છેલ્લા ૧૨ વર્ષોમાં અરાજકતા અને અનિશ્ચિતતા ફેલાવીને પોતાના માટે અવસર શોધી રહી છે, પણ દેશની જનતા દરેક વખતે તેમને જડબેસલાક જવાબ આપી રહી છે. જ્યાં જ્યાં કોંગ્રેસની સરકારો છે ત્યાંની જનતા કોંગ્રેસથી તંગ આવી ગઇ છે. હિમાચલની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો, એ પહેલા હરિયાણા અને પંજાબની જનતાએ કોંગ્રેસને અરીસો બતાવી દીધો છે. કોંગ્રેસની અરાજકતામાં તક શોધવાની રાજનીતિને લોકોએ જાકાર આપ્યો છે. અને આ જ કારણ છે કે કર્ણાટકમાં કોંગ્રેસે મુખ્યમંત્રી બદલવા પડ્યા છે. ભારત નકારાત્મકતાથી આગળ નીકળી ગયેલો દેશ છે. પેટ્રોલ-ડીઝલ અમે બચાવીશું: વડાપ્રધાન મોદીજી, તમારી સુરક્ષામાં કોઇ ઘટાડો નહીં કરતાં: હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "વડાપ્રધાન જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે તેઓ ક્યારેય ખાલી હાથે આવતા નથી. તેઓ હંમેશા ગુજરાતની ઝોળી વિકાસના નવા પ્રોજેક્ટો, નવી યોજનાઓ અને જનહિતના કાર્યોની ભેટોથી ભરી દે છે.‘વડાપ્રધાનનાં માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત વિકાસ, સુશાસન, ઉદ્યોગ, રોકાણ અને જનકલ્યાણના ક્ષેત્રોમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે, જેના પરિણામે રાજ્યને રાષ્ટ્રીય સ્તરે અનેક સન્માનો પ્રાપ્ત થયા છે.તાજેતરમાં ગુજરાતને મળેલા પાંચ પ્રતિષ્ઠિત એવોર્ડનો ઉલ્લેખ કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ સન્માન માત્ર સરકારની સિદ્ધિ નથી, પરંતુ રાજ્યની જનતા, અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત મહેનતનું પરિણામ છે. સંબોધન દરમિયાન હર્ષ સંઘવીએ જમ્મુ-કાશ્મીર સાથે જાેડાયેલા ઐતિહાસિક ર્નિણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કલમ ૩૭૦ નાબૂદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવી છે.આ ર્નિણયથી જમ્મુ-કાશ્મીરને દેશની મુખ્ય વિકાસધારા સાથે વધુ અસરકારક રીતે જાેડવામાં મદદ મળી છે. હર્ષ સંધવીએ પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીની સુરક્ષા અંગે પણ જણાવ્યું હતું, તેમણે એવું કયું હતું કે પેટ્રોલ-ડીઝલ અમે બચાવીશું તમે સુરક્ષામાં ઘટાડો ન કરો. તેમણે વધુમાં જણાવ્યું કે ૫૦ કરોડથી વધુ લોકોના જનધન ખાતાઓ ખોલીને તેમને બેંકિંગ વ્યવસ્થા સાથે જાેડવામાં આવ્યા છે. ઉપરાંત, કરોડો પરિવારોને ઉજ્જ્વલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે, જ્યારે ૮૦ કરોડથી વધુ લાભાર્થીઓ સુધી મફત અનાજ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજનાઓએ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનાં જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો લાવ્યો છે. કાર્યક્રમના અંતે હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત અને દેશ વિકાસના નવા શિખરો સર કરશે. તેમણે જણાવ્યું કે આજે સુરતમાંથી શરૂ થયેલી વિકાસયાત્રા આગામી વર્ષોમાં ગુજરાતને વધુ સમૃદ્ધ, આધુનિક અને આર્ત્મનિભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વડાપ્રધાન મોદીએ ક્લાયમેન્ટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી: ભૂપેન્દ્ર પટેલ સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ જનતાનો આભાર વ્યક્ત કરીને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ પોતાના સંબોધન કરતા મુખ્યમંત્રીએ હળવા અંદાજમાં જણાવ્યું હતું કે, ‘હર્ષભાઈએ આજે સેન્ચુરી ફટકારી છે.’ તેમની આ પ્રશંસા રાજ્ય સરકારની સક્રિયતા અને સફળતા દર્શાવે છે. એેમના નેતૃત્વમાં ભારતની પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધી છે. વિશ્વમાં હાલ જે સ્થિતિ ઉદભવી છે તેમાં પણ ૧૪૦ કરોડ દેશવાસીઓને ભરોસો અને વિશ્વાસ છે કે મોદી સાહેબ છે તો આપણે સુરક્ષિત છીએ. પીએમએ બે પગલાં આગળ વિચારીને કલાયમેન્ટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે.ભવિષ્યમાં ભલે પાણી બાબતે યુદ્ધ થાય પણ પાણી માટે વડા પ્રધાનને કમર કસી છે: સી. આર પીએમ મોદીના કાર્યક્રમને લઈ કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીનું આ સુરત ઉપર ખૂબ મોટું ઋણ છે. તાપી નદીને સ્વચ્છ કરવા માટે ૨૦૧૯માં તેમણે નવસો કરોડ મંજૂર કર્યા હતા. સમગ્ર દેશમાં સુરત એક માત્ર એવું શહેર છે. જેને વસતિ વધે અને પાણી માટે આવનારા ૫૦ વર્ષ સુધીની તૈયારી કરી છેઆજે દેશને ૧૮ હજાર કરોડની ભેટ મળવા જઈ રહી છે. નરેન્દ્ર મોદીના આહવાનને લોકો સમર્થન કરી રહ્યા છે. દેશમાં ઉદભવેલી પરિસ્થિતિનો સામનો કરવા દેશના લોકો એકત્રિત થઈ રહ્યા છે. આજે વૈશ્વિક પરિસ્થિતિને લોકો સમજતા થયા છે. દેશમાં વૈશ્વિક યુધ્ધ અંગે વડા પ્રધાનને સંબોધતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં ભલે પાણી બાબતે યુધ્ધ થાય પણ પાણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કમર કસી છે, જેથી હું તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, જુન 2026
3762 |
ઉધના ઝોનનો આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદી ૪૫ હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપાયો
મહાનગર પાલિકાનાં અધિકારીઓ લાંચ લેતાં ઝડપાઇ ચૂક્યા હોવા છતાં લાંચ લેવાની વૃત્તિ ઓછી થતી હોય તેવું જણાતું નથી. લિંબાયત ઝોનનાં ઝોનલ ઓફિસર ગણેશવાલા લાંચ લેતા ઝડપાયા પછી હવે ઉધના ઝોનનાં આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદી આજે ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીનાં અધિકારીઓનાં હાથે ઝડપાઇ ગયો હતો. ઉધના ઝોન વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન નાંખવાનું કામ કરનાર કોન્ટ્રાક્ટરે બિલનાં નાણાં મંજૂર કરવા ઘણાં ધક્કા ખાધા હતાં. આખરે કોન્ટ્રાક્ટરે આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદીનો સંપર્ક સાધી બિલ મંજૂર કરવા વિનંતી કરતા જીજ્ઞેશ મોદીએ ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી પરંતુ રકઝકને અંતે ૪૫,૦૦૦ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી કર્યું હતું. જાેકે, ઈજારદારને રૂપિયા આપવાનું મંજૂર ન હોવાથી તેમણે એસીબી પોલીસનો સહારો લીધો હતો અને એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી આખરે એસીબી પોલીસે લાંચીયા અધિકારીને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. ઉધના ઝોન ઓફિસના ગેટની બહાર જમણી બાજુ રોડ ઉપર જીજ્ઞેશ મોદીએ લાંચની રકમ આપવા માટે જણાવ્યું હતું. જેથી ઈજારદાર પૈસા લઈને જગ્યા પર પહોંચ્યો હતો અને જીજ્ઞેશ મોદીએ ત્યાં આવી લાંચની રકમ સ્વીકારી હતી. આ સાથે જ એસીબી પોલીસે તેમને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.ઉલ્લેખનીય છે કે, હાલમાં રૂપિયા ૪૫ હજારની લાંચ લેતાં ઝડપાયેલો જીજ્ઞેશ મોદી અગાઉ પણ એસીબી પોલીસના હાથમાં પકડાઈ ચૂક્યો છે. વર્ષ ૨૦૨૧માં તે રાંદેર ઝોનમાં આસિસ્ટન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ડ્રેનેજનું જાેડાણની મંજૂરીની કાર્યવાહી માટે રૂપિયા ૧૫ હજારની લાંચ લીધી હતી. આ સમયે પણ ભ્રષ્ટ અધિકારી જીજ્ઞેશ મોદી એસીબીના છટકામાં ભેરવાઈ ગયો હતો. આજે ફરી એકવાર એસીબીના હાથમાં રંગેહાથ ઝડપાતા કોર્પોરેશનમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...