આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, એપ્રીલ 2026
2673 |
૭ પદયાત્રીઓનાં કમકમાટીભર્યા મોત
ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા ૭ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. આ પદયાત્રીઓ રાજકોટના ગઢકા ગામે આવેલા મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. મૃતકોમાં ૫ મહિલાઓ અને ૨ પુરુષોનો સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલકે અંદાજે ૧૦ જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પદયાત્રામાં નીકળેલા શ્રદ્ધાળુઓ સાથે થયેલી આ દુર્ઘટનાએ હાઈવે સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.સંઘ બહુચરાજી તરફ જવા નીકળ્યો હતો આ ઘટનામાં રાજકોટથી ભરવાડ સમાજનો પગપાળા સંઘ લખતરના છારદ ગામ પાસેથી નાઈટ હોલ્ડ માટે જઈ રહ્યો હતો, ત્યારે મધ્ય રાત્રે રસ્તામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો, ત્યારે એનાથી સાઈડમાં આવીને આગળ જઈ રહેલા લોકો પર પાછળથી આવતી ટ્રક ફરી વળતા છ પદયાત્રીઓ અને રસ્તામાં ટ્રકનું ટાયર બદલી રહેલા યુવાન પર બેકાબુ ટ્રક ફરી વળતા કુલ સાત લોકોના મોત નીપજ્યા હતા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યા છે. અને અકસ્માત સર્જનારા ટ્રક ચાલક આદિત્ય રમેશભાઈ ગોકનીયાને પકડી લેવામાં આવ્યો છે, જે લખતર તાલુકાના ઝામર ગામનો જ છે અને આ ટ્રક રાજકોટથી લખતર તરફ આવી રહી હતી. પાંચ મહિલા અને બે પુરુષના મોત સંઘ લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રી રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા. આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ ૭ લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
2673 |
રાજુલાથી લઈ છેક સાવરકુંડલા સુધી ભૂકંપનો આચંકો અનુભવાયો
ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલ કોસ્ટલ વિસ્તારમાં મધરાતે અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રાત્રે આશરે ૨:૨૪ વાગ્યે થયેલા આ ઝટકાથી લોકો ઊંઘમાંથી જાગી બહાર નીકળી આવ્યા હતા. વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા ૩.૭ નોંધાઈ હતી, જે મધ્યમ સ્તરની ગણાય છે, છતાં તેની અસર અનેક વિસ્તારોમાં અનુભવાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવાનજીક નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.આ આંચકાનો પ્રભાવ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ સહિત કોસ્ટલ બેલ્ટના વિસ્તારોમાં જાેવા મળ્યો હતો. ઉપરાંત ખાંભા અને સાવરકુંડલા સુધી પણ ઝટકાનો અહેસાસ થયો હતો.ખાસ કરીને રાજુલા શહેરમાં કેટલાક મકાનોમાં નાની તિરાડો પડ્યાના અહેવાલો મળ્યા છે. કેટલીક જગ્યાએ ભૂકંપના ક્ષણોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જમીન હલતી દેખાય છે અને લોકો ગભરાઈને બહાર નીકળતા જાેવા મળે છે. હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી, જે રાહતની વાત છે. છતાં, સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
3762 |
પૂર્વ મેયરની ફરી નારાજગીએ ચર્ચા જગાવી
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાવનગર ભાજપનો આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે ટિકિટની રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ મેયર ભરત બારડ સાથે થયેલી ખેંચતાણ અને તેમને કાર્યાલયમાંથી બહાર કાઢવાની ઘટનાએ રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે. એક તરફ શિસ્તના પાઠ ભણાવતી પાર્ટીમાં ધોળા દિવસે પૂર્વ મેયરનું અપમાન થયાના વીડિયો વાયરલ થયા છે, તો બીજી તરફ ખુદ ભરત બારડે આક્ષેપોને ફગાવી પક્ષભક્તિનો રાગ આલાપ્યો છે. મળતી માહિતી મુજબ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે પૂર્વ મેયર ભરત બારડ પોતાની વાત રજૂ કરવા શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેઓ શહેર પ્રમુખ કુમાર શાહને મળવા માંગતા હતા, પરંતુ તેમને ચેમ્બરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. કાર્યાલયની બહાર નીકળતી વખતે ભરત બારડ અત્યંત ક્રોધમાં જાેવા મળ્યા હતા. પાર્કિંગમાં પોતાનું સ્કૂટર લેતી વખતે તેમણે હાજર લોકો સમક્ષ બળાપો કાઢતા કહ્યું હતું કે, “પાર્ટી કોઈના બાપની નથી, અમે મહેનત કરીને આ પાર્ટી બનાવી છે.” આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસારિત થતા શહેર ભાજપના સંગઠનમાં સોપો પડી ગયો છે. નવાઈની વાત એ છે કે, આટલી મોટી ઘટના અને વીડિયો પુરાવા હોવા છતાં, બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં ભરત બારડે નવો જ વળાંક લીધો હતો. તેમણે જણાવ્યું કે, “મારી સાથે કોઈ ગેરવર્તન થયું નથી, હું માત્ર ચા પીને બહાર આવ્યો છું. બાવડું પકડીને બહાર કાઢવાની વાત માત્ર અફવા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
4851 |
ભાજપે ૯૦થી વધુ મુસ્લિમોને ટિકિટ આપી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં મુસ્લિમોનો વિરોધ કરતાં ભાજપના મોવડી મંડળ દ્વારા આ ચૂંટણીઓમાં વલણ બદલ્યું છે. એટલું જ નહીં, ભાજપ દ્વારા લાંબા સમય બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મુસ્લિમોને છૂટા હાથે ટિકિટોનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૫૦ જેટલા મુસ્લિમોને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા અંતિમ સમયે વિવિધ જિલ્લાઓની જિલ્લા, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓની બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા લાંબા સમય બાદ મુસ્લિમ સમાજને ટિકિટો ફાળવણીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા વિવિધ જિલ્લાઓની જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓ માટેના ઉમેદવારો જાહેર કરાયા છે. તેમાં ૯૦થી વધુ મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા મુસ્લિમોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લા પંચાયતમાં ભિરડીયારા બેઠક પર અબ્દુલ્લા બુઢા જત, દયાપાર બેઠક પર આઇશબાઇ મોડ સુમારા અને દિનારા બેઠક પરથી જનતબાઈ રસુલ સમાને ટિકિટ આપી છે. તો ભચાઉ તાલુકા પંચાયતમાં લાકડિયા-૧ માં સાદીક સુલેમાન રાઉમા, ભુજ તા. પં.માં ધ્રોલાણા બેઠક પર મેમૂનતબાઈ ઈસાક સામા, દિનારા બેઠક પર સલમા વાયદના સમા, જુણા બેઠક પર સોયાબ સુલેમાન સમાં ખારી બેઠક પર લતીફ ભિલાલ ઠેબા, રતાડિયા બેઠક પર પરવેઝ ઇશાક સમા અને સરાડા બેઠક પર હાજિયાણી અબ્દુલ જતને ટિકિટ આપી છે. નખત્રાણા તાલુકા પંચાયતમાં મથલ બેઠક પર ઇલિયસ આદમ પિંઝારા, અબડાસા તાલુકા પંચાયતમાં બેર મોટી બેઠક પર હારુનઅલી મામદ હાલેપોત્રા, ખીરસરા (કો) બેઠક પરથી સાફિના અબ્દુલ્લા સુમારા, નલિયા-૨ બેઠક પરથી સેઝાન ઇરફાન મોકરશીને સુથરી બેઠક પરથી તૌસિફ મામદ સંગારને ટિકિટ અપાઈ છે. મુંદ્રા તાલુકા પંચાયતમાં ભદ્રેશ્વર બેઠક અપ્રથિ અફ્સાના ઓસમાણ કુંગાડાને, નાના કપાયા બેઠક પરથી સદદમ હુસેન સતાર તુર્કને, લખપત તાલુકા પંચાયતમાં બરન્દા બેઠક પરથી હુસેન સુલેમાન પઢિયારને, દોલતપર બેઠક પરથી હવાબાઈ આરબ જતને, ધડૂલી બેઠક પરથી ફાતેમાબાઈ અબ્દુલ્લા જતને, માતાના મઢ બેઠક પરથી ઓસમાણ ઉમરભાઈ રાયમાને, મીંઢિયાળી બેઠક પરથી અબ્દુલ કરીમ કાસમને, નારાયણ સરોવર બેઠક પરથી મેરિયાબાઈ ઉમરભાઈ જતને ટિકિટ આપી છે. તો માંડવી નગરપાલિકામાં વિવિધ વોર્ડમાં ૬ મુસ્લિમોને ટિકિટ આપી છે, જ્યારે ભુજ નગરપાલિકામાં વિવિધ વોર્ડમાં ૭ મુસ્લિમને ટિકિટ આપી છે. જ્યારે અંજાર નગરપાલિકામાં બે, મુંદ્રા-બારોઈ ન્બગરપાલિકામાં ચાર મુસ્લિમને અને નખત્રાણા નગરપાલિકામાં બે મુસ્લિમને ટિકિટ આપી છે. આમ કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા મુસ્લિમોને ટિકિટ આપી છે. આવી જ રીતે ગોંડલ નગરપાલિકામાં ૩, ધોળકા નગરપાલિકામાં ૮, વિરમગામ નગરપાલિકામાં ૩, કલોલ નગરપાલિકામાં ૨, સિદ્ધપુર નપામાં ૪, દાહોદ નગરપાલિકામાં ૮ આમ અત્યાર સુધીમાં જાહેર થયેલી યાદી મુજબ ભાજપ દ્વારા કુલ ૯૨થી વધુ મુસ્લિમોને ટિકિટ ફાળવવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, એપ્રીલ 2026
3069 |
નૌશાદ સોલંકીની હાજરીમાં કોળી સમાજના ૫૨ ગામોના આગેવાનો કોંગ્રેસમાં જાેડાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે. જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો, તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકો, ૪ નગરપાલિકાઓ અને એક મહાનગરપાલિકા માટે ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા કડક નિયમો બનાવતા જૂના કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઈ છે. બીજી તરફ કોંગ્રેસમાં ભાજપના ત્રણ ટર્મના આગેવાનો જાેડાતા રાજકીય ગરમાવો વઘ્યો છે. ભાજપ દ્વારા તાજેતરમાં ટિકિટ વિતરણ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ ન આપવાનો, ત્રણ ટર્મ પૂર્ણ કરેલા ઉમેદવારોને ફરી તક ન આપવાનો અને સંગઠનમાં કાર્યરત પદાધિકારીઓના સગા-સ્નેહીજનોને પણ ટિકિટ ન આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ નિયમોને કારણે વર્ષોથી ભાજપમાં સક્રિય રહેલા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. લીંબડી અને ચૂડા વિસ્તારમાં કોળી સમાજના વર્ષોથી ભાજપ સાથે જાેડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે. આ વિસ્તારના ૫૨ ગામોના આગેવાન તરીકેની છાપ ધરાવતા તેજાભાઈ મેટાલીયાએ જણાવ્યું હતું કે, “ભાજપ છેલ્લા આઠથી દસ વર્ષથી જૂના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યો છે અને નવા ચહેરાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ અવગણનાથી નારાજ થઈ અમે કોંગ્રેસમાં જાેડાવાનું નક્કી કર્યું છે.” તેમણે આગામી ચૂંટણીઓમાં પરિણામલક્ષી કામગીરી કરવાની ખાતરી પણ આપી હતી.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
14, એપ્રીલ 2026
2376 |
વડોદરા |
વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો પર ૯૫ ઉમેદવાર મેદાનમાં
વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો પૈકી ગત ટર્મમાં ભાજપાએ ૨૭ બેઠકો જ્યારે કોંગ્રેસે ૭ બેઠકો જીતી હતી. પરંતુ કોંગ્રેસના બે સભ્યો ભાજપામાં જાેડાતા કોંગ્રેસની સભ્ય સંખ્યા ૫ રહી હતી. વડોદરા કોર્પોરેશની સાથે યોજાનારી વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ ૧૩૪ ફોર્મ ભરાયા હતા. આજે ઉમેદવારીપત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૯ ફોર્મ અધુરી વિગતો કે, સમર્થકોની સંખ્યા સહિત મુદ્દે રદ્દ થયા હતા. જ્યારે ૯૫ ફોર્મ માન્ય રહ્યા હતા.જાેકે, મોટાભાગની બેઠકો પર કોંગ્રેસ અને ભાજપા વચ્ચે સીધો મુકાબલો જામશે. ત્યારે જિલ્લા પંચાયતની અનેક બેઠકો પર મુકાબલો રસાકસીભર્યો રહે તેવી શક્યતા છે. જાેકે, ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન વડોદરા જિલ્લા પંચાયતની વાધોડિયા તાલુકાની ગુતાલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નાનાભાઈ ચંપકભાઈ વસાવાનું ફોર્મ રદ્દ થતા ભાજપાએ ચૂંટણી પૂર્વેજ ખાતુ ખોલાવ્યુ છે. આ બેઠક પર ભાજપાના ઉમેદવાર વિશાલકુમાર ભીખાભાઈ વસાવા બિનહરીફ થયા છે. ઉલ્લેખનિય છે કે, વડોદરા જિલ્લા પંચાયતની ૮ તાલુકાની ૩૪ બેઠકોમાં સર્વાધિક ૭ બેઠકો વડોદરા તાલુકામાં છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
14, એપ્રીલ 2026
2376 |
વડોદરા |
પૂર્વ કાઉન્સિલરો, હોદ્દેદારો નિષ્ક્રિય : ફેરણીમાં પાંખી હાજરી
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની આગામી તા.૨૬મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે નિશ્ચિત જિત મેળવી કાઉન્સિલર બનાવા માટે ટીકીટ મેળવવા દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે દરેક વોર્ડ દીઠ સરેરાશ ૪૦ થી ૧૦૦થી વધુએ ભાજપાની ટીકીટ મેળવવા માટે દાવેદારી કરી હતી. જાેકે, ભાજપાની યાદી જાહેર કરાતા ગત ટર્મના ૧૬ અને તે પૂર્વ ૭ કાઉન્સિલરોને ટીકીટ આપવામાં આવી હતી. જ્યારે ૫૩ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું હતુ. જાેકે, ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ ભાજપાના અગ્રણીઓ અને દાવેદારોમાં નારાજગી જાેવા મળી રહી છે. ત્યારે ભાજપા દ્વારા વોર્ડમાં શરૂ કરાયેલી ચૂંટણી કાર્યાલયો પર અને ફેરણીમાં પણ કાર્યકરો, વોર્ડ સંગઠન અને પૂર્વ કાઉન્સિલરોની ગેરહાજરી કેટલાક સ્થલે જાેવા મળી રહી છે.સામાન્ય રીતે ચૂંટણી હોય ત્યારે વિશેષ કરીને ભાજપાના ચૂંટણી કાર્યાલયો મોડી રાત સુધી અગ્રણીઓ, કાર્યકરો, વોર્ડના હોદ્દેદારોની ભીડ જામેલી જાેવા મળતી હોય છે. જાેકે, આ વખતે ઉમેદવારોના નામો જાહેર થાય તે પૂર્વે ભાજપા દ્વારા વડોદરા કોર્પોરેશનના તમામ ૧૯ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કરી દીધા હતી. આ કાર્યાલયો પર ઉમેદવારોના નામો જાહેર થાય તે પૂર્વે દાવેદારો, વોર્ડ સંગઠનના હોદ્દેદારો સહિતની ભારે ભીડ જાેવા મળી હતી. પરંતુ ઉમેદવારોના નામોની યાદી જાહેર થતા કેટલાક વોર્ડમાં વિરોધ સાથે રજૂઆત શહેર ભાજપાના પ્રમુખને કરવામાં આવી હતી. પરંતુ કેટલાક વોર્ડમાં જે દાવેદારો કપાઈ ગયા તે અને તેમના સમર્થકો નિષ્ક્રિય થયેલા હાલ જાેવા મળી રહ્યા છે. ભાજપા દ્વારા બુથ લેવલ, પેજ કમિટી સહિતનું મજબુત સંગઠન છે. ત્યારે ઉમેદવારોના નામોની જાહેરાત બાદ નારાજગી સાથે કેટલાક અગ્રણીઓ, કાર્યકરો નિષ્ક્રિય થઈ જતા ચૂંટણી પ્રચાર માટે શરૂ થયેલી ફેરણીઓમાં કાર્યકરોની સંખ્યા જાેતા સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જ્યારે કેટલાક વોર્ડમાં કપાઈ ગયેલા પૂર્વ કાઉન્સિલરોની પણ ગેરહાજરી જાેવા મળી રહી છે. જ્યારે રાત્રીના સમયે દરેક વોર્ડમાં શરૂ કરવામાં આવેલી ચૂંટણી ઓફિસોમાં પણ અગાઉની ચૂંટણીઓમાં જે કાર્યકરોની ભીજ જામેલી જાેવા મળતી હતી. તેટલી ભીડ જામેલી જાેવા મળતી નથી. જાેકે, નારાજ કાર્યકરોને ધારાસભ્યો,ભાજપાના અગ્રણીઓ દ્વારા મનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ નારાજ કાર્યકરો માની રહ્યા નથી. ત્યારે કેટલાક વોર્ડમાં કાર્યકરોની નારાજગીને લઈ નિષ્ક્રિયતાના કારણે પરીણામોમાં તેની અસર જણાય તેવી ચર્ચા ભાજપાના કાર્યકરોમાં થઈ રહી છે. જાેકે, સર્વાધિક કાર્યકરો ધરાવતી પાર્ટી ભાજપા દ્વારા ચૂંટણીમાં ગત ટર્મ કરતા વધુ બેઠકો જીતવા માટે એડીચોટીનું જાેર લગાડવામાં આવ્યું છે. પરંતુ હજુ ચૂંટણીને લઈ લોકોમાં અત્યારસુધી કોઈ રસ જાેવા મળી રહ્યો નથી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
14, એપ્રીલ 2026
2277 |
વડોદરા |
કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાઈ રહ્યાનો આક્ષેપ
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ફોર્મ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના એક ઉમેદવારને બાદ કરતા તમામ રાજકિય પક્ષોના ફોર્મ માન્ય રહ્યા હતા. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસના પ્રભારીએ કહ્યુ હતુ કે, અમને ખબર હતી કે, મજબુત પેનલ છે. એટલે કંઈક કરશે. પરંતુ ડમી ઉમેદવાર હતા. તે પેનલમાં નવા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતુ કે, બે ત્રણ જગ્યાએ કોંગ્રેસના ઉમેદવાર, ટેકેદાર કે તેમના સબંધીઓ પર દબાણ કરીને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાઈ રહ્યાનું પણ કહ્યું હતુ. પરંતુ કોંગ્રેસના તમામ ૭૬ ઉમેદવારો સક્ષમ રીતે ચૂંટણી લડશે અને જીતશે.વડોદરા શહેર કોંગ્રેસના પ્રભારી બિમલ શાહે જણાવ્યું હતુ કે, વોર્ડ-૧૫ના કોંગ્રેસના ઉમેદવારનું પુરવણી મતદાર યાદીમાં નામ આવશે તેમ કહ્યું હતુ. પરંતુ પુરવણી યાદી જાહેર ના કરાઈ. અમને કાંઈક કરશે ખબર હતી. એટલે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યું હતું. તેમણે કહ્યુ કે, ભાજપામાં ભડકો સૌને ખબર છે. મુખ્યમંત્રી વડોદરા આવ્યા ત્યારે ત્યારે પણ તેમણે કહ્યું કે, વડોદરામાં વિકાસ થયો નથી. ત્યારે હાલમાંજ પૂર્વ મંત્રી અને વડોદરામાં સૌથી સૌમ્ય ઈમેજ છે તેવા વરીષ્ટ આગેવાન લાખાવાલાએ પણ કંટાળીને વડોદરામાં વિકાસ થયો નથી. ભ્રષ્ટાચાર થયો છે. તેમ કહ્યુ. થોડા દિવસો પૂર્વે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પણ મેય અને ચેરમેનની પસંદગીમાં નવાને નિમાયા, એમા ધારાસભ્ય સહિતની મંજૂરી લેવામાં નહી આવી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
14, એપ્રીલ 2026
2178 |
વડોદરા |
દાહોદની જિ.પં. બેઠક પર ગજબ થયું! ભરતસિંહ વાખળાએ પહેલાં આપ, પછી કોંગ્રેસ ને હવે ભાજપથી ઉમેદવારી નોંધાવી
દાહોદના ધાનપુરમાં આવેલી પીપેરો જિલ્લા પંચાયત બેઠક પર એક અકલ્પનીય રાજકીય કિસ્સો સામે આવ્યો છે. અહીં ભરતસિંહ વાખળા નામના ઉમેદવારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષોના સત્તાવાર મેન્ડેટ સાથે ફોર્મ ભરીને ભારે ચર્ચા જગાવી છે. આ મુદ્દો અત્યારે માત્ર દાહોદ માટે જ નહીં પણ ટોક ઓફ ધ સ્ટેટ બની ગયો છે.ભરતસિંહ વાખળાની આ રણનીતિ પાછળ અત્યંત ચતુરાઈભર્યું આયોજન જાેવા મળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. કોંગ્રેસ છોડીને ‘આપ’માં જાેડાયેલા ભરતસિંહે પહેલા આમ આદમી પાર્ટીનો મેન્ડેટ મેળવ્યો, ત્યારબાદ કોંગ્રેસને વિશ્વાસમાં લઈને તેમનો પણ મેન્ડેટ મેળવી લીધો. જાેકે, સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે છેલ્લી ઘડીએ તેઓ ભાજપમાં ભળી ગયા અને ત્યાંથી પણ સત્તાવાર મેન્ડેટ મેળવવામાં સફળ રહ્યા. આમ, સ્થાનિક રાજકીય સમીકરણોનો લાભ ઉઠાવી ભરતસિંહ ટેકનિકલી એકસાથે ત્રણેય પક્ષોના પ્રતિનિધિ બની બેઠા છે, જેણે વહીવટી તંત્રને મૂંઝવણમાં મૂકી દીધું છે. પીપેરો બેઠક ભાજપના દિગ્ગજ નેતા બચુ ખાબડનો ગઢ હોવા છતાં, પક્ષે તેમના જ જૂના હરીફ ભરતસિંહ વાખળાને મેન્ડેટ આપતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. અગાઉ મનરેગા કૌભાંડ મુદ્દે બચુભાઈના પરિવાર સામે મોરચો માંડનાર અને ૨૦૨૨ની ચૂંટણીમાં ‘આપ’ તરફથી તેમને કાંટાની ટક્કર આપનાર ભરતસિંહને ભાજપે ટિકિટ આપતા, પક્ષની આંતરિક રણનીતિ સામે સવાલો ઉભા થયા છે. શું ભાજપ બચુભાઈના વિકલ્પ તરીકે ભરતસિંહને તૈયાર કરી રહ્યું છે કે પછી ભરતસિંહની સ્થાનિક પકડને કારણે પક્ષે આ ર્નિણય લેવો પડ્યો, તે ચર્ચાએ ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
14, એપ્રીલ 2026
2079 |
વડોદરા |
મતદારયાદીમાં નામ નહીં હોવાથી વૉર્ડ-૧૫ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ચકાસણી દરમિયાન વોર્ડ નંબર ૧૫માં કોંગ્રેસના સત્તાવાર ઉમેવદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહી હોવાથી ટેન્કિકલ કારણોસર ફોર્મ રદ્દ કરતા તેમના સ્થાને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનારા હિતેશ માછીનું ફોર્મ માન્ય રહેતા હવે આ વોર્ડમાં કોંગ્રેસની પેનલમાંથી હિતેશ માછી નવા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આમ ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થતામોટો ફટકો પડ્યો છે.વોર્ડ નં-૧૫ના કોંગ્રેસની પેનલના સસ્તાવાર ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ થતા કોંગ્રેસના વોર્ડ-૧૫ની પેનલના ઉમેદવાર આશિષ જાેશી સહિતે વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષ ભાજપ પર મિલીભગતનો આક્ષેપ લગાવ્યો હતો. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એસઆઈઆર પ્રક્રિયા બાદ નામ ઉમેરવા માટે છેલ્લા ૧૫ દિવસથી ચૂંટણી અધિકારી અને ડે.મ્યુનિ. કમિશનરને વારંવાર રજૂઆત કરવા છતાં નામ ઉમેરાયું નથી. મતદાર યાદીની પુરવણી-૨ જાહેર ન થતા માત્ર રાજેન્દ્ર બારોટ જ નહીં, પરંતુ અન્ય ૨૫૦૦ થી ૩૦૦૦ મતદારો પણ મતાધિકારથી વંચિત રહેશે. કોંગ્રેસને અગાઉથી જ ફોર્મ રદ થવાની આશંકા હોવાથી તેમણે સાવચેતીના ભાગરૂપે મજબૂત ડમી ઉમેદવારનુ ફોર્મ ભર્યુ હતુ. જ્યારે ઓબીસી અનામત બેઠક પરથી ફોર્મ ભરનાર રાજેન્દ્ર બારોટે આક્રોશ સાથેજણાવ્યું કે, સત્તા પક્ષ તેમનાથી ડરી ગયો હોવાથી આ પ્રકારના કાવાદાવા કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, ભલે હું ચૂંટણી નહીં લડી શકું, પરંતુ હવે અમે એકથઈને ભાજપને હરાવીશું. મારા સ્થાને આવેલા હિતેશ માછીને જીતાડવાની જવાબદારી અમારી છે. મળતી વિગતો મુજબ નવા જાહેર થયેલા ઉમેદવાર હિતેશ માછી અગાઉ ભાજપમાં સક્રિય હતા અને વોર્ડ ૫ તથા ૧૫ માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ પણ લીધો હતો. ભાજપમાં ટિકિટ ન મળતા તેઓ આશિષ જાેષીના સમર્થનમાં કોંગ્રેસમાં જાેડાયા હતા. ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ હવે તેઓ હવે મુખ્ય ઉમેદવાર બની ગયા છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, એપ્રીલ 2026
2178 |
અમદાવાદ એરપોર્ટ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે અમદાવાદ એરપોર્ટ પર પધાર્યાં ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી પ્રફુલ પાનશેરિયા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે.એલ.એન રાવ, એર માર્શલ મહેતાબસિંહ દેશવાલ, જીઓસી ગૌરવ બગ્ગા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક તથા અમદાવાદ કલેકટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ રાષ્ટ્રપતિનું અભિવાદન કરી તેમને આવકાર્યાં હતાં.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, એપ્રીલ 2026
1980 |
રાજ્યમાં ૧૦,૦૦૫ બેઠકો માટે ૩૯,૩૮૬ ઉમેદવારી પત્રો ભરાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે ચૂંટણી જંગ વધુ રોમાંચક બન્યો છે. આજે રાજ્યભરમાં ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે આવતીકાલે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી રાજકીય પક્ષો પોતાના સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે.રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠકો માટે કુલ ૩૯,૩૮૬ ઉમેદવારી પત્રો ભરાયા છે. આ આંકડા દર્શાવે છે કે, સરેરાશ એક બેઠક દીઠ ચાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જે ચૂંટણીમાં તીવ્ર સ્પર્ધાનું સંકેત આપે છે. ચૂંટણી આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યની ૧૫ મહાનગરપાલિકાની ૧,૦૪૪ બેઠકો માટે ૫,૯૮૪ ઉમેદવારી પત્રો ભરાયા છે. તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ ૧૯૨ બેઠકો માટે ૧,૫૫૩ ફોર્મ નોંધાયા છે, જ્યારે સુરતમાં ૧૨૦ બેઠકો માટે ૧,૦૫૯ ઉમેદવારી પત્રો ભરાયા છે. આ બંને શહેરોમાં રાજકીય રસાકસી વધુ તેજ બનવાની શક્યતા છે. નગરપાલિકાઓમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળ્યો છે. ૮૪ નગરપાલિકાની ૨,૬૨૪ બેઠકો માટે કુલ ૭,૮૧૮ ફોર્મ ભરાયા છે. ઉપરાંત ૧૧ નગરપાલિકાની ૧૩ બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણીમાં ૧૪૦ ઉમેદવારી પત્રો જમા થયા છે. પંચાયત સ્તરે સૌથી વધુ પ્રતિસ્પર્ધા જાેવા મળી રહી છે. ૩૪ જિલ્લા પંચાયતની ૧,૦૯૦ બેઠકો માટે ૪,૯૦૬ ફોર્મ ભરાયા છે, જ્યારે ૨૬૦ તાલુકા પંચાયતની ૫,૨૩૪ બેઠકો માટે સૌથી વધુ ૨૦,૬૩૮ ઉમેદવારી પત્રો નોંધાયા છે. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ છે. ચૂંટણી પંચના નિયમો મુજબ, આજે તમામ ઉમેદવારી પત્રોની સ્ક્રૂટિની હાથ ધરાશે. આ દરમિયાન ઉમેદવારોના દસ્તાવેજાેની ચકાસણી કરીને યોગ્યતા નિર્ધારિત કરવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી અનેક સ્થળોએ રાજકીય દબાણ, સમજુતી અને સમીકરણો ગોઠવાતાં જાેવા મળશે. ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે કેટલાં ઉમેદવારો મેદાનમાં રહેશે અને કેટલાંક બેઠકો બિનહરીફ જાહેર થશે. હાલ તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે જાેરશોરથી તૈયારી કરી રહ્યા છે. આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનશે. સ્થાનિક મુદ્દાઓ, વિકાસના પ્રશ્નો અને જ્ઞાતિ આધારિત સમીકરણો ચૂંટણીના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે. આ ચૂંટણી માત્ર સત્તા મેળવવાનો જંગ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે રાજકીય પ્રભાવ અને નેતૃત્વની કસોટી પણ માનવામાં આવી રહી છે. અંતે જનતા કોને પસંદ કરે છે અને કોના માથે જીતનો તાજ ચઢે છે તે પરિણામના દિવસે જ સ્પષ્ટ થશે. રાજ્યના પોલીસ વડા ગગનદીપ ગંભીરએ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ જાહેર કર્યો છે. આ અંગે સત્તાવાર પરિપત્ર જારી કરીને રાજ્ય પોલીસ મથક દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે તમામ કર્મચારીઓ ફરજ પર હાજર રહેવું ફરજિયાત રહેશે. હાલ રજા પર રહેલા પોલીસ કર્મચારીઓને પણ તાત્કાલિક ફરજ પર પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે. પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, આ આદેશનું પાલન નહીં કરનાર કર્મચારીઓ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી પોલીસ માટે પ્રાથમિકતા છે, તેથી કોઈપણ પ્રકારની ઢીલ સહન નહીં કરવામાં આવે. માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય સરકારી વિભાગોમાં પણ રજાઓ અંગે કડક નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. વિવિધ પક્ષોના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે અને પ્રચાર જાેરશોરથી ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર તંત્રને સજ્જ રાખવામાં આવ્યું છે. પોલીસ તથા વહીવટી તંત્રને ૨૪ કલાક એલર્ટ પર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવશે અને જરૂર મુજબ વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, એપ્રીલ 2026
2178 |
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટૂંક સમયમાં સ્માર્ટ ઈ-બસ સેવા શરૂ થશે
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પાટનગરના નાગરિકો માટે અત્યાધુનિક અને પર્યાવરણલક્ષી પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી રચાયેલી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (એસપીવી) કંપની ‘ગાંધીનગર ગ્રીનલાઇન ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ’ની પ્રથમ બોર્ડ મીટિંગ ગત તા. ૦૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં શહેરની સિટી બસ સેવાને વેગ આપવા માટે મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાની માલિકીની આ જાહેર કંપનીને તા. ૧૪/૦૩/૨૦૨૬ ના રોજ ઇનકોર્પોરેટેડ કરવામાં આવી હતી. આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીનગર શહેરમાં સ્માર્ટ ઈ-બસ સેવાનું કાર્યક્ષમ સંચાલન, નિયમિત જાળવણી અને પ્રોજેક્ટનું સુચારુ અમલીકરણ સુનિશ્ચિત કરવાનો છે.આ પ્રથમ બોર્ડ બેઠક દરમિયાન સિટી બસ સેવાને વહેલી તકે કાયાર્ન્વિત કરવાના ભાગરૂપે ‘ફેર કલેક્શન એજન્સી’ અને ‘પ્રોજેક્ટ મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઈડર’ (પીએમએસપી) માટેની નિર્ધારિત એજન્સીઓની નિયુક્તિને મંજૂરી આપવામાં આવી છે. આ એજન્સીઓની નિમણૂક થવાથી બસ સેવાના આયોજન અને ભાડા ઉઘરાવવાની પ્રક્રિયામાં પારદર્શિતા અને આધુનિકતા આવશે. ગાંધીનગર શહેરના નાગરિકોને પ્રદૂષણમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાસભર જાહેર ઈ-બસ પરિવહન સેવા પૂરી પાડવા માટે તંત્ર સજ્જ છે અને ટૂંક સમયમાં જ આ સ્માર્ટ ઈ-બસો શહેરના માર્ગો પર દોડતી થશે. આ પ્રોજેક્ટથી રાજધાનીની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે અને પર્યાવરણ જાળવણીમાં પણ મદદ મળશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, એપ્રીલ 2026
1980 |
૭૭ કરોડના સાયબર ફ્રોડમાં ૧૬ ઝડપાયા
ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (સાયબર ક્રાઈમ સેલ)ને રાજ્યમાં ચાલી રહેલા સાયબર ફ્રોડના દેશવ્યાપી એક વિશાળ નેટવર્કને તોડી પાડવામાં મોટી સફળતા મળી છે. કુલ ૩૫૦થી વધુ ફરિયાદોની તપાસ બાદ પોલીસ દ્વારા ૧૬ આરોપીને ઝડપીને રૂ. ૭૭ કરોડના જંગી સાયબર ફ્રોડ કાંડનો પર્દાફાશ કરાયો છે. આ ગેંગ ખાસ કરીને મ્યુલ એકાઉન્ટ્સ (ભાડાના ખાતા) એકત્રિત કરી લોકો સાથે ડિજિટલ અરેસ્ટ અને ગેમિંગ ફ્રોડ દ્વારા ઠગાઈ આચરતી હતી. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી વિવેક ભેડાના માર્ગદર્શન હેઠળ ત્રણ ટીમોએ ગુજરાત અને ગોવામાં દરોડા પાડીને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (સાયબર ક્રાઇમ પોલીસ) દ્વારા આ ઓપરેશન પાર પાડવા માટે વ્યૂહાત્મક રીતે જુદી જુદી ત્રણ ટીમો બનાવી હતી. આ ટીમો દ્વારા વડોદરા, પાલનપુર અને ગોવા એમ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન કુલ ૧૬ આરોપીઓની ધરપકડ કરાઈ છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમની તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગના સભ્યો ગોવા બેસીને મ્યુલ એકાઉન્ટ્સ ઓપરેટ કરતા હતા. જેથી પોલીસની પકડથી બચી શકાય. આ સમગ્ર સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર જીતુ ઠક્કર હોવાનું સામે આવ્યું છે, જેની પોલીસે ધરપકડ કરી લીધી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા વડોદરાથી મહેશ જાેશી, જીગર સોલંકી અને પ્રકાશ જાેશીને તો પાલનપુરથી મેહુલ સોલંકી અને મિત રતિભાઈ શ્રીમાળીને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસ મુજબ, આ ટોળકી દ્વારા સમગ્ર દેશમાં અંદાજે ૩૭૫ જેટલા સાયબર ક્રાઇમ આચરી કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાનું અનુમાન છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમના દરોડા દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી ટેકનોલોજી અને બેંકિંગ ક્ષેત્રના પુરાવાનો મોટો જથ્થો મળી આવ્યો છે. જપ્ત કરાયેલા સાધનોમાં ૧૫ લેપટોપ, ૮૭ મોબાઈલ ફોન, ૧૧૫ ડેબિટ કાર્ડ, ૮૨ પાસબુક, ૧૫ ચેકબુક, ૨ પેન ડ્રાઈવ અને ૨ રાઉટર જેવા સાધનોનો ઉપયોગ ગુનાખોરીમાં કરાતો હતો, જેને પોલીસે કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપશે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત અત્યાધુનિક હતી. તેઓ નિર્દોષ લોકોને ‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપીને અથવા ઓનલાઇન ગેમિંગના બહાને નાણાં પડાવતા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, એપ્રીલ 2026
1980 |
ચૂંટણી ટાણે જ રામોલમાંથી એક કરોડનો વિદેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રામોલ ટોલ નાકા પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી છે. એક કરોડ રૂપિયાનો દારૂ ખેડાના બૂટલેગરોએ મગાવ્યો હતો. રાજસ્થાનના સપ્લાયરે પંજાબના પટિયાલાથી આ ટ્રકમાં વિદેશી દારૂની ૧૯,૮૪૮ બોટલો ભરાવી હતી. ટ્રક ગુજરાત બોર્ડરમાં પ્રવેશી છેક રામોલ પહોંચી ગયા બાદ ઝડપાઈ છે. હાલ પોલીસે ટ્રકના ડ્રાઇવરને ઝડપી લીધો છે. દારૂનો જથ્થો ખેડાના બૂટલેગરે મગાવ્યો હોવાનું ખૂલ્યું છે.હાલ પોલીસે ખેડાના બૂટલેગર સહિત પાંચ લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. રિંગ રોડ પરના અને છેવાડાના પોલીસ મથકોની હદમાંથી દરરોજ દારૂ ભરેલા ટ્રક અને ટેન્કર બેરોકટોક પસાર થઈ રહ્યા છે ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલના મયૂર ચાવડાની ટીમને બાતમી મળી હતી કે દારૂ ભરેલી ટ્રક રામોલ ટોલ નાકા પાસેથી પસાર થઈ રહી છે. જેને પગલે જીસ્ઝ્રના આર.કે. કરમટા અને પી.પી. બ્રહ્મભટ્ટની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રામોલ ટોલ નાકા પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. તપાસ કરતાં ટ્રકમાંથી ૧.૦૬ કરોડના વિદેશી દારૂની ૧૯,૮૪૮ બોટલો મળી હતી. પોલીસે આ દારૂ અને ટ્રક મળી કુલ ૧.૩૪ કરોડનો મુદ્દામાલ કબજે લીધો હતો. ટ્રક ચાલક ચુનારામ ઉર્ફે સુનિલ (રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દારૂનો જથ્થો ખેડાના બૂટલેગરે મંગાવ્યો હતો અને રાજસ્થાનના બારમેરના સપ્લાયર દેદારામ જાટે પંજાબના પટીયાલાથી ટ્રકમાં દારૂનો જથ્થો ભરાવી રવાના કર્યો હતો.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
14, એપ્રીલ 2026
3069 |
સુરત |
ચોરીની શંકાથી બે યુવકોને દોરડાથી બાંધીને ફટકાર્યા, ર્નિવસ્ત્ર કરી વીડિયો ઉતારી ૯૩ હજાર લૂંટી લીધા
માર્કેટમાંથી કાપડનાં તાકા ચોરી કરતાં હોવાની શંકા રાખી ટેમ્પો ચાલક અને તેના મિત્રને પાર્કિંગમાં ગોંધી ઢોર માર માર્યા બાદ ર્નિવસ્ત્ર કરી વીડિયો ઉતારાયા હતાં. ચોરી કરતા હોવાના કોઇ પુરાવા નહીં હોવા છતાં અમાનુષી અત્યાચાર ગુજાર્યા બાદ ટેમ્પોચાલકનાં મિત્ર પાસે રોકડા ૨૬ હજાર લૂંટવા સાથે ગળે ચાકુ મૂકી તેના મોબાઇલમાંથી ૭૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતાં.મળતી માહિતી અનુસાર નવાગામ ડિંડોલીની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતાં સૂર્યકાંત દોંદુ પાટીલ તેના બનેવી સમાધાન પાટીલ સાથે માર્કેટમાં ટેમ્પો ભાડેથી ફેરલી છે. તેઓ અલગ અલગ માર્કેટમાં કાપડના તાકાની ડિલીવરી કરતાં આવ્યા છે. ૧૧મી એપ્રિલે સવારે આઠેક વાગ્યે સૂર્યકાંત ટેમ્પો લઇ માલની ડિલિવરી કરવા માર્કેટમાં ગયો હતો. બપોરે એકાદ વાગ્યે તે ડીએમડી માર્કેટમાં કાપડના તાકા નાંખી ત્યાંથી સંસ્કૃતિ માર્કેટ સામે આવેલા રાધાક્રિષ્ના પાર્કિંગમાં પહોંચ્યો હતો. તેણે પાર્કિંગમાં હાજર બુધારામને માલની ડિલિવરી કરી ચલણ લઇ લીધું હતું. અહીં બુધારામે એક તાકો ઓછો હોવાનું જણાવ્યું હતું. સૂર્યકાંતે મૈને હિસાબ કર કે માલ ડાલા હૈ, આપ ફીર સે ચેક કરો એમ કહેતાં બુધારામે તેના ઓળખીતા શેઠી રામભાઇ, રાજેશકુમાર અને વિનોદને માર્કેટમાંથી બોલાવ્યા હતાં. આ ત્રણ જણા રાધાક્રિષ્ના પાર્કિંગમાં આવ્યા એટલે તેમણે ભેગા મળી સૂર્યકાંતને તુ હી માલ ચોરી કરતા હોય એમ કહી ગાળો ભાંડી માર મારવા માંડ્યો હતો. ઢીક મુક્કી અને લાતોથી માર માર્યા બાદ આ ચાર જણાએ સૂર્યકાંતને દોરી વડે બાંધી પતરાના શેડ નીચે બેસાડી દીધો હતો. બાદમાં શેઠીરામ તથા બુધારામે સૂર્યકાંતનાં કપડા કાઢી નાંખ્યા હતાં. ર્નિવસ્ત્ર કરી મોબાઇલ ફોનમાં તેનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ આ ટોળકીએ "તુ રોજ માલ ચોરી કરતા હૈ ઔર માર્કેટમાં કહા બેચતા હૈ? વો આદમી કે પાસ હમે લે કે ચલ. નહી તો હમ તુજે આજ છોડેંગે નહી ઔર જાન સે માર દેંગે."કહીને ધમકાવ્યો હતો. આ સાથે શેઠીરામ સૂર્યકાંતનો મોબાઇલ આંચકી લઇ તેનાથી તેના મિત્ર અનિકેતને કોલ ડીએમડી માર્કેટ બોલાવ્યો હતો. દરમિયાન સૂર્યકાંતે કપડા પહેરી ભાગવાની કોશિશ કરી હતી. જાે કે ટોળકીએ તેને ફરીથી પકડી લીધો અને મોઢું દબાવી બળજબરીથી ટેમ્પોમાં બેસાડી ડીએમડી માર્કેટ લઇ ગયા હતાં. સૂર્યકાંતનાં મોબાઈલથી કોલ કરાયો હોય તેનો મિત્ર અનિકેત પણ મોપેડ લઇ ડીએમડી પહોંચ્યો હતો. ચાર જણાએ તેને પણ પકડી લઇ તુ ચોરી કા માલ બેચતા હૈ એમ કહી ગાળાગાળી કરવા માંડી હતી. સાથે જ તેને પણ બળજબરીથી ટેમ્પોમાં બેસાડ્યો અને ફરીથી રાધા ક્રિષ્ના પાર્કિંગ લઇ આવ્યા હતાં. અહીં સૂર્યકાંત અને અનિકેતને દોરીથી બાંધી દઇ ઢોર માર મરાયો હતો. બુધારામ અને શેઠીરામ દંડા અને ચપ્પુ લઇને આવ્યા બંનેને ફટકાર્યા હતાં. સાથે જ બુધારામએ અનિકેતના ખિસ્સામાં હાથ નાંખી રોકડા રૂપિયા ૨૩,૦૦૦ અને મોબાઇળ ફોન બળજબરીથી કાઢી લીધા હતાં. ત્યારબાદ શેઠીરામે અનિકેતના ગળા પર ચાકુ મૂકી મોબાઇલમાં ફોન પે એપ્લિકેશન ખોલાવી હતી. ફોન પેનો પાસવર્ડ જાણી તેઓએ બે અલગ અલગ સ્કેનરમાં ૪૦ અને ૩૦ મળી કુલ ૭૦ હજાર ટ્રાન્સફર કરી લીધા હતાં.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
14, એપ્રીલ 2026
2772 |
સુરત |
પુણામાં શાંતિનિકેતન સોસાયટીમાં પણ રાજકીય પાર્ટીઓને પ્રવેશ પર પ્રતિબંધ
શહેરના પુણા વિસ્તારમાં આવેલ શાંતિનિકેતન સોસાયટીમાં પણ સ્થાનિક લોકો દ્વારા બેનરો લગાવવામાં આવ્યા હતા. તેઓએ બેનરોમાં ચોખ્ખું જણાવી દીધું હતું કે કોઈપણ પક્ષના કાર્યકર્તાઓ કે ઉમેદવારોએ પોતાના ફાયદા માટે વાયદાનો વેપાર કરવા અમારી સોસાયટીમાં આવવું નહીં. આ મામલે સોસાયટીના રહીશ સુરેશ સુહાગિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે વાયદાઓ કરવા આવે છે.રેસિડેન્સિય સોસાયટીઓમાં ઇન્ડ્રસ્ટીયલ કામો ચાલુ થઇ ગયા છે. જેના કારણે અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. વર્ષ ૨૦૧૫માં આ વિસ્તારમાં સાયકલ સ્ટેન્ડ ચાલુ થયા એ પણ બંધ થઇ ગયા. બે શાંતિકુઝ હતા એ પણ બંધ થઇ ગયા. અમારા વિસ્તારમાં આવેલ સુમન શાળામાં અમુક ક્લાસ પણ બંધ થઇ ગયા. સુવિધા વધવાના બદલે ઘટતી જાય છે. સ્માર્ટ સિટીની અને સ્વચ્છતામાં નંબર-૧ની વાત કરીયે પણ પ્લાસ્ટિક વેસ્ટ કોઈ નિકાલ આવતો નથી. આખા રસ્તા પર પ્લાસ્ટિક વેસ્ટના કચરાના ઢગલા જાેવા મળે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, એપ્રીલ 2026
2970 |
સુરત |
વરાછામાં ઉમેદવારોની પસંદગીનો અસંતોષ ખાળવા મોટા સૌરાષ્ટ્રવાસી નેતાઓને મેદાનમાં ઉતારવાની યોજના
૧૦મી એપ્રિલે મોડી રાતે સુરત મહાનગરપાલિકાનાં ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી ભાજપમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી જ્યાં પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહી છે એવા વિસ્તારમાં ભાજપને આ વખતે પણ નુકસાન ન જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને ઉમેદવારોની પસંદગી બાબતે જે અસંતોષ વ્યાપી ઉઠ્યો છે તેને ખાળવા માટે ભાજપે ડેમેજ કન્ટ્રોલનું કામ ભાજપનાં સૌરાષ્ટ્રનાં મોટા નેતાઓને સોંપવાનું શરૂ કર્યું છે આગામી દિવસોમાં સ્ટાર પ્રચારકો કરતા વધુ સંખ્યામાં ભાજપનાં સૌરાષ્ટ્રવાસી નેતાઓ જેમાં પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, જીતુ વાઘાણી જેવા નેતાઓને જાહેરસભાઓની સાથે શેરીઓમાં પણ મોકલવાની વ્યૂહનીતિ અપનાવાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.સુરત મહાનગરપાલિકાની ગઇ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આશ્ચર્યજનક રીતે જ ભાજપનો ગઢ ગણાતા સુરતના બહુલ સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં મોટું ગાબડું પાડીને વરાછા, કતારગામમાં કુલ ૨૭ સીટો કબજે કરી લીધી હતી. આ વખતે પણ ગોપાલ ઇટાલિયાના કારણે આમ આદમી પાર્ટી વરાછા, કતારગામ ઉપરાંત ઉધના અને લિંબાયત જેવા વિસ્તારમાં પોતાનું ગ્રાઉન્ડ મજબૂત કરી રહી છે અને એવા રિપોર્ટ પણ ભાજપને મળ્યા છે કે લિંબાયત, ઉધના જેવા વિસ્તારોમાં આમ આદમી પાર્ટી ખાતુ ખોલાવી શકે છે. આવી સ્થિતિને કારણે ભાજપના મોવડીઓએ હવે સોશિયલ મીડિયાથી લઇને પોતાના સ્થાનિક બુદ્ધિજીવીઓનાં સહારે રિવર્સ પોલિટિકલ એન્જિનિયરિંગ શરૂ કર્યું છે. રિવર્સ પોલિટિકલ એન્જિનિયરિંગમાં જે પણ કોઇ પોસ્ટ કે ઇશ્યુ કે જે ભાજપ વિરોધી જણાતી હોય તેના મૂળ સુધી પહોંચીને પોસ્ટિંગ કરનાર વ્યક્તિ પાસે જ તેનાથી વિપરિત પોસ્ટ મૂકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ વરાછાનાં અનેક વોર્ડમાં આ વખતે ભાજપનાં કાર્યકરોમાં જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અનેક પાયાનાં કાર્યકરોને કાપીને એવા ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે જેઓ ક્યાંકને ક્યાંક કોઇક વિવાદમાં અગાઉ ફસાઇ ચૂક્યા છે. અત્યાર સુધી એવું હતું કે મતદારોમાં ખાસ કરીને યુવાઓમાં આમ આદમી પાર્ટી તરફી ઝુકાવ જાેવા મળતો હતો પરંતુ, આ વખતે તો છેલ્લા બે દિવસમાં જ ભાળી લેવાયું છે કે ભાજપના કાર્યકર્તાઓમાં જ નિરુત્સાહ વ્યાપી ગયો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઢોલ, નગારે, વાજગે ગાજતે સરઘસ કાઢીને જે રીતે ઉમેદવારી પત્ર ભર્યા એની સરખામણીઓ ભાજપાના વરાછા, કતારગામ વિસ્તારના ઉમેદવારોનો ઉમેદવારીપત્ર ભરવાનો શો સાવ ફિક્કો ફિક્કો રહ્યો કેમકે કાર્યકર્તાઓને બોલાવવા છતાં તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા. બે જ દિવસમાં ભાજપાના કાર્યકર્તાઓમાં જુસ્સો નથી તેવું ખાળી લેવાયું અને હવે આ ડેમેજ કન્ટ્રોલ કરવા માટે ભાજપના પ્રદેશ મોવડીઓએ સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવા માટે વ્યૂહનીતિ બનાવી હોવાનું જાણવા મળે છે. વરાછા ભાજપના નેતાઓ તો ચૂંટણી જાહેર થઇ ત્યારથી એવી માગણી કરી રહ્યા છે કે વરાછા, કતારગામ, પૂણા કુંભારીયામાં આમ આદમી પાર્ટીને રોકવી હોય તો ભાજપના સ્ટાર પ્રચારકો કરતા પુરુષોત્તમ રુપાલા કે મનસુખ માંડવીયાને નિયમિત રીતે સભાઓ યોજવા, મીટિંગો લેવા માટે બોલાવવામાં આવે જેથી કરીને કાર્યકર્તાઓમાં જાેમ અને ઉત્સાહ વધારી શકાય. હવે તો બે સપ્તાહમાં જ ચૂંટણી છે ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં ભાજપનાં મોટા સૌરાષ્ટ્રવાસી નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
14, એપ્રીલ 2026
1188 |
સુરત |
સાયણ બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવાર અને જિલ્લાનાં નેતાઓ ભાજપનાં હાથે વેચાઇ ગયાં
ગુજરાતમાં પોતાના વજૂદ માટે ફાંફાં મારી રહેલાં કોંગ્રેસનાં નેતાઓએ પોતાના પક્ષને મજબુત કરવાને બદલે વધારે નબળો પાડી રહ્યાં હોવાની સાબિતી આજે સુરત જિલ્લામાં જાેવા મળી હતી. સુરત જિલ્લાની સાયણ બેઠક ઉપર મજબુત ઉમેદવાર મનાતા દર્શન નાયકને ટિકિટ નહીં આપવા માટે ભાજપ સાથે સેટિંગનો ખેલવામાં આવેલો ખેલ આજે ખુલ્લો પડી ગયો હતો. પૂર્વ મંત્રી મુકેશ પટેલનાં અંગત ગણાતા બ્રિજેશ પટેલને મતદાન પહેલાં જ વિજયી બનાવવાનાં પોલિટિકલ સેટિંગનો પર્દાફાશ થયો છે. ભાજપનાં બ્રિજેશ પટેલ સામે પડેલાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશ પટેલે પોતાનું ફોર્મ પાછુ ખેંચી લેતાં ભાજપનાં ઉમેદવાર મુકેશ પટેલની જીત લગભગ બીનહરિફ જેવી જ બની રહી છે. કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશ પટેલને સેટિંગનો ખેલ પાર પાડવામાં એટલી બધી ઉતાવળ હતી કે ઉમેદવારી પાછી ખેંચવાની ડેડલાઇન બુધવારની હોવા છતાં તેનાં બે દિવસ પહેલાં આજે સોમવારે જ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશ પટેલ ભાજપ સાથે સંકળાયેલા હતાં, પૂર્વ મંત્રી મુકેશ પટેલનાં તમામ કાર્યક્રમોમાં તેની ઉપસ્થિતિ રહેતી હતી, ઉમેદવારી પત્ર ભર્યું તેનાં ગણતરીનાં દિવસો સુધી તો તે કોંગ્રેસનાં સક્રિય કાર્યકર પણ ન હતાં તેમ છતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ કોંગ્રેસ મોવડી મંડળનાં ઇશારે મુકેશ પટેલને મેન્ડેટ આપ્યો હતો. સાયણ પંથકમાં સામાજિક અને રાજકીય વજન ધરાવતાં દર્શન નાયકનું નામ જાેરશોરથી સંભળાતું હતું પરંતુ દર્શન નાયક રાજકીય દ્રષ્ટિએ વધારે મજબૂત બને નહીં તેવી દ્વેષભાવના રાખનાર મોવડી મંડળે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી સાથે મળીને ભાજપ સાથે સેટિંગનો ખેલ ખેલ્યો હતો જેમાં આજે તેમને સંપૂર્ણ સફળતા મળી હતી. સુરત જિલ્લા પંચાયતની અતિ મહત્વની મનાતી સાયણ બેઠક ઉપર આમ આદમી પાર્ટીનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશ પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતાં કોંગ્રેસ ભાજપનાં હાથે વેચાઇ ગઇ હોવાની લાગણી અને આક્રોશ સાયણ પંથકનાં લોકોએ વ્યક્ત કર્યાં હતાં. મેન્ડેટની જવાબદારી જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરી, મહામંત્રી સ્નેહલ શાહ, મહામંત્રી શાહબુદ્દિન મલેક, મહામંત્રી ભગવાન ભરવાડ, પૂર્વ પ્રમુખ મનહર પટેલ અને પૂર્વ પ્રમુખ જગદીશ પટેલને સોંપવામાં આવ્યું હતું તેમની સાથે ભાવિન ચૌધરી પણ હતાં અને તમામે સેટિંગ કરતાં મેન્ડેટનો ભવાડો થતાં કાર્યકરોમાં પણ રોષ ફેલાયો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
14, એપ્રીલ 2026
1188 |
સુરત |
પાટીદારો અને કોળીપટેલ કાર્યકરોનો આક્રોશ ખાળવા ભાજપ નેતાગીરી સક્રિય
સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટની ફાળવણીઓ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોએ ફોર્મ પણ ભરી જમા કરાવી દીધા છે. જાેકે શહેરના કેટલાક વિસ્તારોમાં ભાજપ સામે કાર્યકરો અને સ્થાનિકોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર ૨૭ (ડિંડોલી) વિસ્તારમાં ટિકિટ ફાળવણીને લઈને ભારતીય જનતા પાર્ટી સામે સ્થાનિક સ્તરે મોટો બળવો જાેવા મળી રહ્યો છે. છેલ્લા દોઢ દાયકાથી પક્ષને વફાદાર રહેલા પાટીદારો અને ઉત્તર ગુજરાતનાં રહીશોએ મોટી સંખ્યામાં ભેગા થઇ રાત્રે મીટિંગ કરીને આ વખતે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર કરી ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા હાકલ કરી હતી. બીજીતરફ રાંદેર-અડાજણ વિસ્તારમાંથી કોળીપટેલ જ્ઞાતિનાં કાર્યકરને ટિકિટ નહીં આપવામાં આવતાં ઉશ્કેરાયેલાં કોળીપટેલોએ રવિવારે રાત્રે અડાજણ, મધુવન સર્કલ ખાતે ધારાસભ્યની હાજરીમાં ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરી સુત્રોચ્ચાર પોકાર્યા હતાં. ચૂંટણીટાંણે પાટીદારો અને કોળીપટેલોમાં વ્યાપેલાં આક્રોશને ખાળવા ભાજપ નેતાગીરી સક્રિય બની ગઇ છે.સુરત શહેરમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ડિંડોલી વિસ્તારની ભૌગોલિક અને સામાજિક રચના પર નજર કરીએ તો અહીં છેલ્લા ૧૫ વર્ષથી પાટીદાર સમાજ અને ઉત્તર ગુજરાતના લોકો સ્થાયી થયા છે. આ મધ્યમવર્ગીય અને શ્રમિક વર્ગના મતદારો હંમેશા ભાજપની મજબૂત વોટબેંક રહ્યા છે. જાેકે, સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જ્યારે સત્તા અને પ્રતિનિધિત્વની વાત આવે છે, ત્યારે પક્ષ દ્વારા આ વિસ્તારના મૂળ અને સક્રિય કાર્યકરોની અવગણના કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે ડિંડોલી વિસ્તારમાં પાટીદાર અને ઉત્તર ગુજરાત સમાજના અગ્રણીઓની એક વિશાળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સભામાં જે પ્રકારનો આક્રોશ જાેવા મળ્યો તે જાેતા એવું લાગે છે કે ભાજપ માટે આ ગઢ સાચવવો હવે મુશ્કેલ બનશે. સ્થાનિક અગ્રણીઓની મળેલી મીટિંગ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, અમે વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડ્યો છે પરંતુ, જ્યારે અમારા વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવાની વાત આવી ત્યારે હાઈકમાન્ડે ફરી એકવાર બહારના અથવા માનીતા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે. આ વખતે ડિંડોલી વિસ્તારમાંથી અનેક શિક્ષિત અને ઉત્સાહી પાટીદાર યુવાનોએ પક્ષ પાસે ટિકિટની માંગણી કરી હતી. આ યુવાનોનું માનવું હતું કે તેઓ વિસ્તારની સમસ્યાઓથી વાકેફ છે અને નવી પેઢીના મતદારો સાથે સીધો સંપર્ક ધરાવે છે. જાેકે, પક્ષના યાદી જાહેર થયા બાદ એક પણ સ્થાનિક પાટીદાર યુવાનનું નામ ન આવતા યુવા પાંખમાં સોપો પડી ગયો છે. વધુમાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અહીંયા જે કોર્પોરેટરો હતા, એ આ વિસ્તારના તો છે જ નહીં અને છતાં ચૂંટાઈને પછી પાંચ વર્ષ સુધી અહીંયા કોઈ જાેવા માટે આવતું નથી એટલે કોર્પોરેટરો અહીંયા સંતોષકારક સેવા બજાવી શકતા નથી.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...