આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, જુન 2026
1782 |
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા માટે રાજ્યના ખેડૂતોને સરકારે આમંત્રણ આપ્યું
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા મોરબીના ખેડૂતોને સરકારે આમંત્રણ આપ્યું છે. સરકારે ટૂંક સમયમાં ખેડૂતોની માંગણીના ઉકેલ માટે બાંહેધરી આપી હતી. મળતી જાણકારી અનુસાર, મોરબી જિલ્લામાં ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાના મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં આખરે સરકાર નમતું જાેખવા તૈયાર થઈ છે. આ સંવેદનશીલ પ્રશ્નનો ઝડપી અને સકારાત્મક નિકાલ લાવવા માટે સરકારે ખેડૂત સમિતિના સભ્યોને ઉચ્ચસ્તરીય કમિટી સાથે ચર્ચા કરવા સત્તાવાર આમંત્રણ આપ્યું છે. ઊર્જા વિભાગના પત્રના આધારે કલેક્ટરે આ જાહેરાત કરી છે, જેમાં સરકારે ખેડૂતોની તમામ ૬ મુખ્ય માંગણીઓ મુદ્દે સવિસ્તાર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. ખેડૂતોની અનુકૂળતા મુજબ આ બેઠક મોરબી કલેક્ટર ઓફિસ અથવા ગાંધીનગર ખાતે યોજવામાં આવશે. આ વિવાદ અંગે મોરબી કલેક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, સરકારના વિવિધ સરકારી ઠરાવોનો આધાર લઈને એક ચોક્કસ મુસદો (ડ્રાફ્ટ) તૈયાર કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોના પ્રશ્નોનો કાયદાકીય અને ન્યાયિક ઉકેલ લાવી શકાય. સરકાર આ સમસ્યાના કાયમી નિકાલ માટે અત્યંત તત્પર છે. વધુમાં ખેડૂતોનો આક્રોશ શાંત પાડતા કલેક્ટરે મોટો દાવો કર્યો છે કે, જ્યાં સુધી આ વિવાદનો સત્તાવાર ઉકેલ નહીં આવે ત્યાં સુધી વર્તમાન સંજાેગોમાં ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાની તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. સરકાર દ્વારા ટૂંક સમયમાં જ ખેડૂતોની તમામ માંગણીઓ સંતોષવા માટે ખાતરી આપવામાં આવી છે. વહીવટી તંત્રના આ હકારાત્મક વલણ અને મંત્રણાના આમંત્રણને પગલે ખેડૂતોમાં પણ આશાની કિરણ જાગી છે. આગામી દિવસોમાં યોજાનારી આ હાઈ-લેવલ બેઠક પર સૌની નજર મંડાયેલી રહેશે. ઊર્જા વિભાગના પત્રના આધારે મોરબીના કલેકટરે ચર્ચા માટે ખેડૂતોને આમંત્રણ આપ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, જુન 2026
2079 |
અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં અલગ-અલગ જગ્યાએથી કુલ ૩ સિંહબાળના મોત થતાં ખળભળાટ
ગુજરાત એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન હોવા માટે સમગ્ર વિશ્વમાં ગર્વ અનુભવે છે, તે આજે વન્યજીવ સંરક્ષણને લઈને એક મોટા વિરોધાભાસનો સામનો કરી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર કચ્છના બન્ની વિસ્તારમાં આફ્રિકન ચિત્તાઓને વસાવવાની મહત્વાકાંક્ષી યોજના પર કામ કરી રહી છે, તો બીજી તરફ અમરેલી જિલ્લામાં સિંહબાળોના થતા રહસ્યમય અને ચોંકાવનારા મોત વહીવટીતંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.તાજેતરમાં અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ સિંહબાળોના મોતની ઘટનાએ સમગ્ર રાજ્યના વનવિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. દલખાણીયાના રેવન્યુ વિસ્તારમાં એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મોત શંકાસ્પદ જણાતા હત્યાની આશંકા પણ સેવાઈ રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે સ્થાનિક આરએફઓએ આ ગંભીર બાબતને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉપરી અધિકારીઓ સુધી વાત પહોંચતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એવી પણ શક્યતા છે કે કોઈ આ સિંહબાળના મૃતદેહને ત્યાં ફેંકી ગયું હોય. બગસરા તાલુકાના હામાપુર ગામે બેથી ત્રણ દિવસના એક સિંહબાળનું મોત થયું, જ્યારે પાણીયા રેન્જમાં ઇન્ફાઇટ (આંતરિક ઝઘડા) દરમિયાન એક સિંહબાળનું મોત થયું. એક જ દિવસમાં ત્રણ સિંહબાળોના મોત એ દર્શાવે છે કે સિંહોની સુરક્ષા વ્યવસ્થામાં ક્યાંકને ક્યાંક ગંભીર ક્ષતિઓ રહી ગઈ છે. જ્યારે સિંહબાળોના મૃત્યુથી વનવિભાગ પર દબાણ છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં ચિત્તા લાવવાની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓને વસાવવા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં કેન્યાથી બે નર અને બે માદા ચિત્તા લાવવામાં આવશે. ત્યારબાદ એક વર્ષમાં કુલ ૧૨ ચિત્તાઓને બન્નીમાં લાવવાનું લક્ષ્ય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, જુન 2026
4059 |
પાંચ બુકાનીધારી શખ્સોએ વૃદ્ધને બંધક બનાવી રોકડ, દાગીનાની લૂંટ ચલાવી
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં કરોડો રૂપિયાની લૂંટની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મોડી રાત્રે અજાણ્યા બુકાનીધારીઓએ એક વૃદ્ધને બંધક બનાવી કરોડો રૂપિયાની રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે લગભગ એક વાગ્યાના સમયે ફિલ્મી ઢબે કરોડો રૂપિયાની લૂંટની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ પાંચથી વધુ બુકાનીધારીઓએ જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી તેમના રહેઠાણમાં ત્રાટકી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ અંદાજે ૨ કરોડ ૪૭ લાખ રૂપિયાની રોકડ તેમજ ૫થી વધુ તોલા સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે. જીતેન્દ્રસિંહ જાડેજા ખેતી, પેટ્રોલ પંપ અને પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી રહી છે કે તેમની પાસે જમીન વેચાણના રૂપિયા રાખેલા હતા, તેની જાણ હાવાથી કોણ જાણ ભેદુએ તેને નિશાન બનાવી લૂંટને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્યના એસપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે અલગ-અલગ ટીમોની રચના કરીને લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ આસપાસના વિસ્તારના ફૂટેજના આધારે તપાસ આગળ વધારી રહી છે અને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. શાપર-વેરાવળમાં બનેલી આ કરોડોની લૂંટની ઘટનામાં પોલીસને ઝ્રઝ્ર્ફ સહિતના મહત્વના પુરાવા મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે જાેવાનું રહેશે કે પોલીસ આરોપીઓને કેટલા સમયમાં ઝડપી પાડવામાં અને મુદ્દામાલને રિકવર કરાવવામાં સફળ થાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુન 2026
2277 |
૬ મેડિકલ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરાયા
ભાવનગરની સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગ કેસમાં એન્ટી રેગિંગ કમિટીએ કડક કાર્યવાહી કરતાં ૬ વિદ્યાર્થીઓને દોષિત જાહેર કર્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ૬ મહિનાથી લઈને ૨ વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક તેમજ હોસ્પિટલની પ્રવૃત્તિઓથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. કોલેજ તંત્ર દ્વારા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ મામલે મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહે જણાવ્યું કે, એન્ટી રેગિંગ કમિટીની બેઠક લગભગ સાડા આઠ કલાક સુધી ચાલી હતી. બેઠક દરમિયાન પીડિત વિદ્યાર્થીઓ, આરોપી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફના નિવેદનો લેવામાં આવ્યા હતા. બંને પક્ષને પોતાની રજૂઆત માટે ત્રણ વખત તક આપવામાં આવી હતી જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ સામે અન્યાય ન થાય.તપાસ દરમિયાન પ્રાપ્ત થયેલા નિવેદનો અને દસ્તાવેજી પુરાવાના આધારે કમિટીએ ૬ વિદ્યાર્થીઓને રેગિંગ માટે જવાબદાર ઠેરવ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીને ૨ વર્ષ, ત્રણ વિદ્યાર્થીઓને ૧ વર્ષ અને બે વિદ્યાર્થીઓને ૬ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન દરમિયાન તેઓ કોઈ શૈક્ષણિક, ક્લિનિકલ અથવા હોસ્પિટલ સંબંધિત પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના ૧૩ જુનિયર વિદ્યાર્થીઓએ ૬ સિનિયર વિદ્યાર્થીઓ સામે લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસેથી પૈસા પડાવતા હતા, તેમને મુર્ગા બનાવતા હતા અને વિવિધ પ્રકારનો માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. પીડિત વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા લાંબા સમય સુધી અમાનવીય વર્તન કરવામાં આવતું હતું. જેમાં પૈસાની માંગણી, દારૂની બોટલો મંગાવવી, જમવા અને આરામનો સમય ન આપવો, કલાકો સુધી ઉભા રાખવા અને અન્ય પ્રકારની કઠોર સજાઓ આપવાનો સમાવેશ થતો હતો. આ ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીઓએ અંતે કોલેજ તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ભાવનગર મેડિકલ કોલેજમાં અગાઉ પણ રેગિંગના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. માર્ચ ૨૦૨૫માં પણ કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ સામે જુનિયર વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને ધમકી આપવાના આરોપો લાગ્યા હતા. ઉપરાંત વર્ષ ૨૦૨૩માં પણ એક રેસિડેન્ટ ડોક્ટર સામે જુનિયર વિદ્યાર્થીના શોષણનો ગંભીર કેસ નોંધાયો હતો. તાજેતરમાં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં પણ રેગિંગનો મામલો સામે આવ્યો હતો, જેમાં ત્રણ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓને પગલે રાજ્યની મેડિકલ કોલેજાેમાં એન્ટી રેગિંગ નિયમોના કડક અમલની માંગ ઉઠી રહી છે.ભાવનગરના આ કેસમાં હવે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે અને દોષિત વિદ્યાર્થીઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુન 2026
4059 |
ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી રૂપિયા ૧.૧૧ કરોડનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો સીઝ
રાજકોટના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ ગોંડલની મે. સત્યમ મસાલા, ભીમવાડી ખાતે દરોડા પાડી ૧,૧૧,૦૪,૨૦૫ રૂપિયાનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો સીઝ કર્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે ચકાસણી અભિયાન હાથ ધરાયું છે.તપાસ દરમિયાન પેઢીમાંથી કુલ ચાર પ્રકારના ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમાં ધાણા પાઉડર અને કોર્ન પાઉડરના કુલ ૬,૭૬૬ કિલોગ્રામ જથ્થો, જેની કિંમત ૮,૨૨,૬૨૦ રૂપિયા થાય છે, સીઝ કરવામાં આવ્યો.આ ઉપરાંત મરચું પાઉડર અને હળદર પાઉડરના કુલ ૨૮,૬૭૧ કિલોગ્રામ જથ્થો, જેની કિંમત ૧,૦૨,૮૧,૫૮૫ રૂપિયા થાય છે, પણ સીઝ કરવામાં આવ્યો. આ રીતે કુલ ૩૫,૫૨૭ કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો, જેની અંદાજિત કિંમત ૧,૧૧,૦૪,૨૦૫ રૂપિયા થાય છે, સીઝ કરવામાં આવ્યા છે. તમામ નમૂનાઓ ગુણવત્તા ચકાસણી માટે માન્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. પ્રયોગશાળાના અહેવાલના આધારે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું, રાજ્ય સરકાર જન આરોગ્ય સાથે સંકળાયેલા મુદ્દાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્યને જાેખમમાં મૂકતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જન આરોગ્યના હિતમાં આવા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ચકાસણી અભિયાનને વધુ સઘન બનાવવામાં આવી રહ્યું છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
28, જુન 2026
1980 |
વડોદરા પોલો ક્લબની આજે હાઈ વોલ્ટેજ ચૂંટણી
વડોદરા પોલો ક્લબની આજે હાઈ વોલ્ટેજ ચૂંટણીચૂંટણીમાં ડેમોક્રેસી અને એસીઈ ગ્રુપ વચ્ચે જામશે જંગ૧૮ ઉમેદવારોનું ભાવી આજે મતપેટીમાં થશે સીલપોલો ક્લબના ૩૨૦૦થી વધુ મતદારો કરશે મતદાનબપોરે મતદાન પૂર્ણ થયા બાદ સાંજે પરિણામ જાહેર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, જુન 2026
2475 |
જમીન કૌભાંડમાં આણંદ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ સસ્પેન્ડ
અમદાવાદ રેન્જ આઇજી દ્વારા આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇને પેટલાદ તાલુકાના પાળજની જમીન મેટર સંદર્ભમાં સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે બેડામાં ચાલતી ચણભણ મુજબ જમીન કે અન્ય કોઇ મસમોટા તગડા વહીવટી ખેલ ના પગલે કાર્યવાહી?ની સાથે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ભલભલા ના પગ નીચેથી ધરતી સરકેની શક્યતા જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇ બી.એમ.માળીએ એસઓજીમા ફરજ બજાવતા સમયે પેટલાદ તાલુકાના પાળજ ખાતે જમીનમાં બોગસ વારસાઇના આધારે અમદાવાદના ભેરૂલાલ લાલચંદ ચોપરા અને પ્રિતમલાલ ચોપરા ના પાળજ ગામની સીમમાં આવેલ ખડા ગામની મહિલા અને પરિવારજનોની જમીનમાં નામો દાખલ કરાવતા તેઓની ઉંમર ૫૦ની છતાં ૨૦થી૨૨ વર્ષની બતાવી ખેડૂત બની બાવળા તાલુકાની ખેતીલાયક જમીન ખરીદતાં આ મુદ્દે પેટલાદ પોલીસ મથકે પીઆઇ પી.એમ.માળીએ જાતે ફરિયાદી બની અમદાવાદના બંને ભાઈઓ તથા ખડા ગામના પીનલ પટેલ, જયેન્દ્ર પટેલ, શારદાબેન પટેલ, વકીલ કનુભાઇ મકવાણા, સહિત અન્ય વિરુદ્ધ બોગસ દસ્તાવેજ તથા છેતરપિંડી નો ગુનો દાખલ કરાવ્યો હતો.જે બાદ એક આરોપી જયેન્દ્ર પટેલે એસઓજી કચેરી આપધાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામતાં સમગ્ર મામલો રેન્જ આઇજી રાધવેન્દ્ર વત્સ પાસે પહોંચતા તપાસ હાથ ધરી એલસીબી પીઆઇ માળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જાેકે સમગ્ર મામલે પીઆઇ પરની કાર્યવાહી ફક્ત જમીન મામલે કે અન્ય કોઇ મસમોટા વહીવટી ખેલ ના પગલે?ની ચણભણ થતાં તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ભલભલા ના પગ નીચેથી ધરતી સરકેની શક્યતા જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.ફોટો ટોપી: તંત્ર માટે બોડી બામણીનુ ખેતર બનેલ આણંદ પંથકમાં, હેડીન્ગ: પેટલાદના પાળજ ની જમીન મામલે રેન્જ આઇજી દ્વારા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ ને સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ, પેટા: જમીન કે અન્ય કોઇ મસમોટા વહીવટી ખેલ રચાયા ના પગલે કાર્યવાહી?બેડામાં ચણભણ, તટસ્થ તપાસ થાય તો ભલભલા ના પગ નીચે રેલો આવે ની સંભાવના, આણંદ પંથક સરકારી તંત્ર માટે મલાઇ વહીવટ રળવાનુ બોડી બામણીનુ ખેતર બની રહ્યું હોય તેમ અમદાવાદ રેન્જ આઇજી દ્વારા આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇને પેટલાદ તાલુકાના પાળજની જમીન મેટર સંદર્ભમાં સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે બેડામાં ચાલતી ચણભણ મુજબ જમીન કે અન્ય કોઇ મસમોટા તગડા વહીવટી ખેલ ના પગલે કાર્યવાહી?ની સાથે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ભલભલા ના પગ નીચેથી ધરતી સરકેની શક્યતા જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇ બી.એમ.માળીએ એસઓજીમા ફરજ બજાવતા સમયે પેટલાદ તાલુકાના પાળજ ખાતે જમીનમાં બોગસ વારસાઇના આધારે અમદાવાદના ભેરૂલાલ લાલચંદ ચોપરા અને પ્રિતમલાલ ચોપરા ના પાળજ ગામની સીમમાં આવેલ ખડા ગામની મહિલા અને પરિવારજનોની જમીનમાં નામો દાખલ કરાવતા તેઓની ઉંમર ૫૦ની છતાં ૨૦થી૨૨ વર્ષની બતાવી ખેડૂત બની બાવળા તાલુકાની ખેતીલાયક જમીન ખરીદતાં આ મુદ્દે પેટલાદ પોલીસ મથકે પીઆઇ પી.એમ.માળીએ જાતે ફરિયાદી બની અમદાવાદના બંને ભાઈઓ તથા ખડા ગામના પીનલ પટેલ, જયેન્દ્ર પટેલ, શારદાબેન પટેલ, વકીલ કનુભાઇ મકવાણા, સહિત અન્ય વિરુદ્ધ બોગસ દસ્તાવેજ તથા છેતરપિંડી નો ગુનો દાખલ કરાવ્યો હતો.જે બાદ એક આરોપી જયેન્દ્ર પટેલે એસઓજી કચેરી આપધાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામતાં સમગ્ર મામલો રેન્જ આઇજી રાધવેન્દ્ર વત્સ પાસે પહોંચતા તપાસ હાથ ધરી એલસીબી પીઆઇ માળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અપ્રમાણસર મિલકતોની તપાસ થશે ? આણંદ એલસીબી માં ફરજ બજાવતા પીઆઇ માળીને ગતમોડી સાંજે અમદાવાદ રેન્જ આઇજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતાં બેડામાં ચકચાર મચી જવા પામ્યા બાદ સસ્પેન્ડેડ પીઆઇ ની જર જમીન સહિતની મિલ્કત ની તપાસ હાથ ધરાશે?ના સવાલ ઉઠતાં જાે તપાસમાં અપ્રમાણસર મિલકતો બહાર આવે તો એસીબીનો સિકંજાે કસાવાની સંભાવના પણ જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, જુન 2026
2079 |
વડોદરામાં તસ્કરોને નથી રહ્યો પોલીસનો સહેજ ભય
દાંડિયા બજાર જેવા ભરચક વિસ્તારમાં થઈ ચોરી કોપર વાયરો ચોરવા આખો ફૂટપાથ ખોદી નાખ્યો અંદાજે ૧૫૦ મીટર જેટલો આખો ફૂટપાથ ખોદાયો બીએસએનએલ કંપનીની લાઈનના કોપર વાયરો કાપી ગયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુન 2026
2178 |
દોષિત જાહેર થયેલા આપના ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થવાની શક્યતા વધી ગઇ
નર્મદા સેશન કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને આપવામાં આવેલી સજાનો ઓર્ડર ગુજરાત વિધાનસભા સુધી પહોંચ્યો છે. કોર્ટના આદેશના આધારે હવે તેમના ધારાસભ્ય પદ અંગે ર્નિણય પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે. આ સાથે લીગલ ડીપાર્ટમેન્ટ દ્વારા પણ વિધાનસભાને સંબંધિત દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ કોર્ટના ઓર્ડર અને લીગલ ડીપાર્ટમેન્ટની દરખાસ્તના આધારે વિધાનસભા દ્વારા કાયદાકીય જાેગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર મામલાનું કાયદાકીય રીતે નિરીક્ષણ કર્યા બાદ યોગ્ય ર્નિણય લેવામાં આવી શકે છે.જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ કોઈ પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિને બે વર્ષ કે તેથી વધુ સમયની સજા ફટકારવામાં આવે તો તેની સભ્યતા રદ થવાની જાેગવાઈ છે. ચૈતર વસાવાના કેસમાં પણ આ જાેગવાઈ લાગુ પડી શકે છે જેના કારણે તેમના ધારાસભ્ય પદ અંગેનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.વિધાનસભા સમક્ષ કોર્ટનો ઓર્ડર અને લીગલ ડીપાર્ટમેન્ટની દરખાસ્ત રજૂ થયા બાદ હવે સંબંધિત કાયદાકીય પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ચૈતર વસાવાના ધારાસભ્ય પદ અંગે અંતિમ ર્નિણય લેવામાં આવશે.હાલ સમગ્ર મામલે રાજકીય અને કાયદાકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. વિધાનસભા દ્વારા લેવામાં આવનારા ર્નિણય પર સૌની નજર મંડાઈ છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જુન 2026
2178 |
લખનૌ અગ્નિકાંડ બાદ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં
લખનૌ અગ્નિકાંડ બાદ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાંફાયર બ્રિગેડે શહેરમાં ચેકિંગ માટે બનાવી ૭ વિશેષ ટીમોટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલો અને સ્કૂલોમાં કરાયું ચેકિંગનિયમિત ચેકિંગ કરવા ચીફ ફાયર ઓફિસરની કડક સૂચના
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, જુન 2026
1881 |
ગાંધીનગરમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કર્યો, જેમાં રાજ્યના ૦ થી ૫ વર્ષના ૮૩.૪૯ લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે.આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગે ૩૨,૯૯૭ પોલિયો બુથની વ્યવસ્થા કરી છે અને ૬,૫૯૯ સુપરવાઇઝર્સના માર્ગદર્શન હેઠળ ૬૫,૯૯૪ આરોગ્ય ટીમો બાળકોને ટીપાં પીવડાવશે. ૨૮ જૂનના રવિવારને પોલિયો રવિવાર તરીકે ઉજવવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બાળકોને પોલિયો રસીના ટીપાં પીવડાવી અભિયાનની શરુઆત કરી હતી.આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, આરોગ્ય અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર ડો. રતનકવર ગઢવી તેમજ ભૂલકાઓના માતા-પિતા અને આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે ૨૯ અને ૩૦ જૂનના દિવસોમાં આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ જઈને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવશે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર બાળ લકવા નાબૂદી અભિયાન હેઠળ દરેક બાળકને રસીના ટીપાં આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, જુન 2026
1683 |
રાજ્યના પાટનગરમાં જ વિકાસના નામે વૃક્ષોનું નિકંદન
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રિય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ તેમના ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળી લોકસભા બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ પાટનગર ગાંધીનગરમાં જ વિકાસના કામોને લઈને ૪૫ વર્ષ જૂના ૩૦૦૦ સહિત ૮૮૩૩ વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું છે. જ્યારે આ વૃક્ષના ઉછેર પેટે વન વિભાગ દ્વારા સંબંધિત સંસ્થાઓ પાસેથી રૂ. ૨.૪૮ કરોડથી વધુ રકમની વસૂલાત કરવામાં આવી છે. આખી દુનિયા આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો ભયાનક સામનો કરી રહી છે, ત્યારે હવામાન અનિયમિતતાની સમસ્યાઓથી બચવા માટે પર્યાવરણનું સંરક્ષણ કરવું એ આજની પ્રાથમિકતા બની ગઈ છે. પરંતુ વિકાસની હરણફાળમાં આજે ગુજરાતમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ વૃક્ષના જતન માટે વૃક્ષારોપણની વાતો કરવામાં આવી રહી છે. આ સંજાેગોમાં ગાંધીનગર વન વિભાગ હેઠળ જ છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ વિકાસના કામોના નામે સત્તાવાર રીતે ૮૮૩૩ વૃક્ષો અને ૩૧૮૪ રોપાઓને દૂર કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. ગાંધીનગર વન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ વિકાસના કામો માટે જે ૮૮૩૩ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. તેમાંથી ૧૪૦૦ વૃક્ષો ૪૫ વર્ષ જૂના અને ૧૫૦૦ વૃક્ષો ૪૦ વર્ષ જૂના હતા. ગાંધીનગર વન વિભાગની માહિતી મુજબ ૮૮૩૩ વૃક્ષો અને ૩૧૮૪ રોપાઓને દૂર કરવા માટે વન વિભાગ દ્વારા સંબંધિત સંસ્થાઓ પાસેથી આ વૃક્ષોના ઉછેર પેટે કુલ મળીને રૂ. ૨,૪૮,૪૦,૮૪૪/ની રકમ વસૂલવામાં આવી હતી. ગાંધીનગર વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૫ સંસ્થાઓને ૩૭૪૫ વૃક્ષો અને ૩૦૫૦ રોપાઓને વિવિધ વિકાસની કામગીરી હેઠળ દૂર કરવાની મંજૂરી અપાઈ હતી. જે બદલ વન વિભાગ દ્વારા રૂ. ૮૭,૫૮,૭૬૮/ની રકમ વસૂલવામાં આવી હતી. આવી જ રીતે વર્ષ ૨૦૨૪-૨૫માં આઠ સંસ્થાને ૪૬૦ વૃક્ષો અને ૧૩૪ રોપા દૂર કરવા માટેની મંજૂરી અપાઈ હતી. જેના બદલ ગાંધીનગર વન વિભાગ દ્વારા આ સંસ્થાઓ પાસેથી કુલ મળીને રૂ. ૧૩,૪૭,૧૦૪/ની રકમ વસૂલવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં ગાંધીનગર વન વિભાગ દ્વારા ૧૦ સંસ્થાઓને ૩૮૧૯ વૃક્ષોને દૂર કરવા માટેની મંજૂરી અપાઈ હતી. જે બદલ ગાંધીનગર વન વિભાગ દ્વારા આ સંસ્થાઓ પાસેથી કુલ મળીને રૂ. ૧,૨૨,૪૭,૩૮૯/ની રકમ વસૂલવામાં આવી હતી.દહેગામ-ચિલોડા રોડ માટે ૪૫ વર્ષ જૂના ૧૪૦૦ વૃક્ષ કપાયા ગાંધીનગર જિલ્લાના દહેગામથી ચિલોડા વચ્ચેના રોડને પહોળો કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત ૧૪૦૦ વૃક્ષોને દૂર કરવા માટેની મંજૂરી મેળવવામાં આવી હતી. આ તમામ ૧૪૦૦ વૃક્ષોનું વાવેતર વર્ષ ૧૯૭૮-૭૯ દરમિયાન કરવામાં આવ્યું હતું. આશરે ૪૫ વર્ષ જૂના ૧૪૦૦ વૃક્ષને દૂર કરવા બદલ તેના ઉછેર માટે રૂ.૪૬,૧૩,૪૭૮/ની રકમ વન વિભાગ દ્વારા વસૂલવામાં આવી હતી. કલોલ-સાણંદ રોડને પહોળો કરવા ૪૦ વર્ષ જૂના ૧૪૪૦ વૃક્ષોનું નિકંદન કઢાયું ગાંધીનગર જિલ્લાના કલોલથી બોરીસણા, શેરીસા, મોટી ભોયણ, રણછોડપુરા, ચિખણા થઈ સાણંદ સુધીનો રોડ પહોળો કરવા માટે ૧૪૪૦ વૃક્ષને દૂર કરવા માટે વન વિભાગની મંજૂરી માંગવામાં આવી હતી. આ રોડને પહોળો કરવા માટે હટાવવામાં આવનાર ૧૪૪૦ વૃક્ષોનું વર્ષ ૧૯૮૦-૮૧માં વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોને કાપવા માટે વન વિભાગ દ્વારા રૂ. ૩૭,૪૯,૬૫૭/ની રકમ વસૂલવામાં આવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, જુન 2026
1782 |
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા માટે રાજ્યના ખેડૂતોને સરકારે આમંત્રણ આપ્યું
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા મોરબીના ખેડૂતોને સરકારે આમંત્રણ આપ્યું છે. સરકારે ટૂંક સમયમાં ખેડૂતોની માંગણીના ઉકેલ માટે બાંહેધરી આપી હતી. મળતી જાણકારી અનુસાર, મોરબી જિલ્લામાં ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાના મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં આખરે સરકાર નમતું જાેખવા તૈયાર થઈ છે. આ સંવેદનશીલ પ્રશ્નનો ઝડપી અને સકારાત્મક નિકાલ લાવવા માટે સરકારે ખેડૂત સમિતિના સભ્યોને ઉચ્ચસ્તરીય કમિટી સાથે ચર્ચા કરવા સત્તાવાર આમંત્રણ આપ્યું છે. ઊર્જા વિભાગના પત્રના આધારે કલેક્ટરે આ જાહેરાત કરી છે, જેમાં સરકારે ખેડૂતોની તમામ ૬ મુખ્ય માંગણીઓ મુદ્દે સવિસ્તાર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. ખેડૂતોની અનુકૂળતા મુજબ આ બેઠક મોરબી કલેક્ટર ઓફિસ અથવા ગાંધીનગર ખાતે યોજવામાં આવશે. આ વિવાદ અંગે મોરબી કલેક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, સરકારના વિવિધ સરકારી ઠરાવોનો આધાર લઈને એક ચોક્કસ મુસદો (ડ્રાફ્ટ) તૈયાર કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોના પ્રશ્નોનો કાયદાકીય અને ન્યાયિક ઉકેલ લાવી શકાય. સરકાર આ સમસ્યાના કાયમી નિકાલ માટે અત્યંત તત્પર છે. વધુમાં ખેડૂતોનો આક્રોશ શાંત પાડતા કલેક્ટરે મોટો દાવો કર્યો છે કે, જ્યાં સુધી આ વિવાદનો સત્તાવાર ઉકેલ નહીં આવે ત્યાં સુધી વર્તમાન સંજાેગોમાં ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાની તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. સરકાર દ્વારા ટૂંક સમયમાં જ ખેડૂતોની તમામ માંગણીઓ સંતોષવા માટે ખાતરી આપવામાં આવી છે. વહીવટી તંત્રના આ હકારાત્મક વલણ અને મંત્રણાના આમંત્રણને પગલે ખેડૂતોમાં પણ આશાની કિરણ જાગી છે. આગામી દિવસોમાં યોજાનારી આ હાઈ-લેવલ બેઠક પર સૌની નજર મંડાયેલી રહેશે. ઊર્જા વિભાગના પત્રના આધારે મોરબીના કલેકટરે ચર્ચા માટે ખેડૂતોને આમંત્રણ આપ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, જુન 2026
1782 |
કોસ્ટગાર્ડ જવાને પોતાની જાતે ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
ગાંધીનગરના સેક્ટર-૧માં આવેલા ગાયત્રી મંદિર પાસે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઓફિસર્સ મેસમાં રવિવારે સવારે ૪૩ વર્ષીય કોસ્ટ ગાર્ડે અગમ્ય કારણોસર રાઈફલ વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં જવાનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તેમને અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આત્મહત્યાનો પ્રયાસ કરનાર જવાનની ઓળખ ૪૩ વર્ષીય હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે.જેઓ ગાંધીનગર નજીક આવેલા લેકાવાડા ગામના વતની છે. હસમુખભાઈ સેક્ટર-૧ ગાયત્રી મંદિર પાસે આવેલી કોસ્ટ ગાર્ડની ઓફિસ ખાતે સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત હતા. રવિવારે સવારે તેઓ પોતાની ફરજ પર હાજર હતા.તે દરમિયાન આ ઘટના ઘટી છે. તેમનું પોસ્ટિંગ લેકાવાડા કોસ્ટ ગાર્ડ ખાતે હતું અને મેસમાં નાસ્તો કરવા આવ્યા હતા. કોસ્ટ ગાર્ડ જેવી સંવેદનશીલ સરકારી ઓફિસના મેસમાં જવાને ફાયરિંગ કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી અને એફએસએલની ટીમને બોલાવી હતી. એફએસએલ ટીમ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા અને લોહીના નમૂનાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જવાન હસમુખભાઈના પરિવારજનોને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, જુન 2026
2376 |
ગાંધીનગર શહેરમાં હવે પીએમ ઇ બસ દોડશે
ગાંધીનગર સેક્ટર ૧૭ ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પીએમ ઈ બસોનું લોકાર્પણ કર્યુ હતું આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન રાજ્યના મુખ્ય સચિવ એમ કે દાસ , સહિત આરોગ્ય વિભાગ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન,ભાજપ શહેર અધ્યક્ષ આશિષભાઈ દવે મહાનગરપાલિકા કમિશનર, કલેક્ટર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા .ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્થાપિત ગાંધીનગર ગ્રીનલાઇન ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ અંતર્ગત શહેરમાં આધુનિક અને પર્યાવરણમૈત્રી ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટેની વહીવટી, ટેકનિકલ અને ઓપરેશનલ તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે.ભારત સરકારના ગૃહ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલી પીએમ ઈ બસ સેવા સ્કીમ હેઠળ ગાંધીનગર શહેરને કુલ ૧૦૦ ઇલેક્ટ્રિક મિડી બસોની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ શહેરના નાગરિકોને આધુનિક, સુરક્ષિત, આરામદાયક અને પ્રદૂષણમુક્ત જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશનલ કિલોમીટર દીઠ સબસિડી પણ આપવામાં આવશે.બસોના સંચાલન માટે સરગાસણ ખાતે આધુનિક ચાર્જિંગ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપરેશનલ પ્લાનિંગ અને ટેકનિકલ વ્યવસ્થાઓની કામગીરી અંતિમ તબક્કામાં છે. પ્રથમ તબક્કામાં ૪૦ ઇલેક્ટ્રિક બસોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. બસોનું રજીસ્ટ્રેશન, ડ્રાઇવર તથા ટેકનિકલ સ્ટાફની નિમણૂક પણ પૂર્ણ થઈ ચૂકી છે. મુસાફરો માટે ડિજિટલ ભાડા વસૂલાતની સુવિધા ઉપલબ્ધ કરાવવા એજન્સી તરીકે પસંદ કરવામાં આવી છે. ઈટીએમ મશીન ઇન્ટિગ્રેશન, કંડક્ટર સ્ટાફની ભરતી અને તાલીમની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. કુલ ૧૫ મુખ્ય રૂટો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં સરગાસણ, પથિકાશ્રમ, ધમાસણ, ટીટોડા, કલોલ, કડી-છત્રાલ ક્રોસિંગ, ચાંદખેડા, આઈટીઆઈ ગાંધીનગર, ડાભોડા, ચિલોડા, દહેગામ, નરદીપુર, જૂનું અને નવું સચિવાલય, રાંધેજા ગામ તેમજ રિસર્ચ સેન્ટર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં વધુ અસરકારક જાહેર પરિવહન વ્યવસ્થા માટે કોમપ્રિહેંસીવ મોબિલિટી પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નાગરિકોને પરવડે તેવા દરે ભાડું નક્કી કરવામાં આવ્યું છે. પ્રસ્તાવિત ભાડું ન્યૂનતમ ૫થી મહત્તમ ૩૦ સુધી રહેશે.વૃક્ષારોપણ કોઈ એક રાજકીય પક્ષનું અભિયાન નથી દરેક નાગરિકનું સામાજિક ઉત્તરદાયિત્વ : અમિત શાહ સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે, હવામાન અનિયમિતતાની સમસ્યાઓથી બચવા પર્યાવરણનું સંરક્ષણ આપણું પ્રાથમિક કર્તવ્ય બની જાય છે તેમ કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. વૃક્ષારોપણ એ કોઈ એક રાજકીય પક્ષનું અભિયાન નથી દરેક નાગરિકનું ઉત્તરદાયિત્વ છે તેમ પણ તેમણે ગાંધીનગર લોકસભા-હરિયાળી લોકસભા’ અંતર્ગત યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું. “ગાંધીનગર લોકસભા - હરિયાળી લોકસભા” ઉપક્રમે સામૂહિક વૃક્ષારોપણ અભિયાન અંગે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં એક સંગઠનાત્મક બેઠક અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી “ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા” અભિયાન ચાલી રહ્યું છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, જુન 2026
2673 |
ભેસ્તાન બ્રિજ પર માતા-પુત્રીને કચડી મારનાર ડમ્પરચાલક-માલિક ઝડપાયા
સુરત શહેરમાં ગઈકાલે સવારે ભેસ્તાન બ્રિજ પર માતા-પુત્રીને કચડી મરનાર ડમ્પર ચાલક અને માલિકની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે સવારે ભેસ્તાન આવાસમાં રહેતા અઝફલઉદ્દીન શેખની ૨૨ વર્ષીય પત્ની રૂકસાર અને બે વર્ષીય પુત્રી જૈનબ અને ચાર વર્ષીય પુત્રી સાથે મોપેડ પર પોતાના ભાઈ ઈમરાન સાથે ઉનથી ભેસ્તાન આવાસ પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ભેસ્તાન બિજ ચઢતી વખતે બેફામ દોડી રહેલા ડમ્પરે મોપેડને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાળમુખા ડમ્પરના ચાલકે મોપેડને ટક્કર મારતાં રૂકસાર સૈયદ અને પુત્રી જૈનબનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે રૂકસારના ભાઈ સહિત અન્ય એક પુત્રીને સામાન્ય ઈજા પહોંચી હતી. સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ટીમ સ્થળ પર પહોંચી હતી અને રૂકસાર અને જૈનબને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ માતા-પુત્રીને મૃત જાહેર કરતાં પરિવારના માથે આભ તૂટી પડયું હતું. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા ડમ્પરચાલક આશિષ પ્રેમશંકર દુબે (ઉ.વ.૩૨, રહે. ગોડાદરા આસપાસ) અને ડમ્પર માલિક મ્પરના માલિક હીરાલાલ પાટીલ સામે ગુનો નોંધી તપાસ હાથધરી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક આશિષ પ્રેમશંકર દુબેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે આજરોજ ડમ્પરના માલિક હીરાલાલ પાટીલની પણ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છેકે જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી ડમ્પર ચાલકની સાથે ડમ્પર માલિકની સામે પણ ફરિયાદ નોંધ તેને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, જુન 2026
1782 |
સચિનમાં કિશોરીએ ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી પંચવટી નગર સોસાયટીમાં ૧૭ વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના વતની પરશુરામ નિષાદ સચિન પંચવટીનગરમાં પરિવાર સાથે રહે છે. તેમને પરિવારમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. બંને પતિ-પત્ની મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની જ્યોતિનામની પુત્રીએ ગત સાંજે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કિશોરીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી વધુ તપાસ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, જુન 2026
1782 |
પાંડેસરામાં છાપરું તોડીને દુકાનમાં ઘૂસેલો તસ્કર ૭.૪૨ લાખનાં દાગીના ચોરી ગયો
રાત્રિના સમયે બંધ દુકાનો અને મકાનોને ટાર્ગેટ કરતી ગેંગે આ વખતે પાંડેસરા વિસ્તારમાં તરખાટ મચાવ્યો છે. ગીતા નગર ખાતે આવેલી ક્રિષ્ના જ્વેલર્સ નામની દુકાનને નિશાન બનાવી તસ્કરો ૭.૪૨ લાખના ચાંદીના દાગીના ચોરી કરી રફુચક્કર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પાંડેસરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર કે. ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, તેરેનામ રોડ પર ક્રિષ્ના જ્વેલર્સ નામની ચાંદીના દાગીના અને મૂતિર્ઓની એક દુકાન આવેલી છે. આ દુકાનના માલિક મનોજભાઈ સોની છે. ચોરીની ઘટના રાત્રિના આશરે ૨ વાગ્યાના અરસામાં બની હતી. અવાજ ન થાય તે રીતે તસ્કરોએ જ્વેલર્સની દુકાનની ઉપરની છતનું પતરૂ કાપ્યું હતું અને ત્યાંથી દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ દુકાનમાં ડિસ્પ્લેમાં રખાયેલા ચાંદીના દાગીના ચોરી લીધા હતા. દુકાનમાં એક લોકર કહો કે નાની તિજોરી પણ છે. આ તિજોરી ખોલવા પણ તસ્કરે પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થયો ન હતો. તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસે દુકાન તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્વેલર્સની આ દુકાન પતરાના શેડ વાળી હોવાથી, ચોર ઈસમે દુકાનની ઉપરના પતરાને કોઈ કાતર અથવા અન્ય હથિયાર વડે કાપ્યા હતા. ત્યારબાદ તે પતરાં તોડીને દુકાનની અંદર પ્રવેશ્યો હતો અને અંદર રાખેલા ચાંદીના અલગ-અલગ દાગીના તેમજ મૂતિર્ઓની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. દુકાનદાર દ્વારા પહેલા જણાવાયું હતું કે, ૩૦ કિલોથી વધું ચાંદીના ઘરેણાંની ચોરી થઈ છે. જ્યારે તેની પાસે બિલ અને હિસાબ મંગાયો તો તે ૪ કિલો ૯૦૦ ગ્રામ જ નીકળી હતી. બિલ અને હિસાબ અનુસાર પોલીસે ૭.૪૨ લાખનાં મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.ક્રિષ્ના જ્વેલર્સને ચોથી વખત તસ્કર દ્વારા નિશાન બનાવાઇ દુકાનદાર મનોજ ભગવાનદાસ સોનીના જણાવ્યા અનુસાર, આ દુકાનમાં છ મહિના પહેલાં પણ તસ્કરો દ્વારા ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, તે સમયે માલિક કે જાગૃત નાગરિકો સમયસર ત્યાં પહોંચી જતાં તસ્કરો પોતાનો મનસૂબો પાર પાડી શક્યા ન હતા અને નાસી છૂટ્યા હતા. તે પૂર્વે વર્ષ ૨૦૨૩ કે ૨૦૨૪માં ચોમાસા દરમિયાન દુકાનનું શટર ઊંચું કરીને ચોરી કરવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારબાદ ડિસેમ્બર ૨૦૨૫માં શિયાળાની ઋતુમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો. આમ, મારી દુકાનમાં ચોરી કરવાનો આ ચોથો પ્રયાસ હતો, જેમાં આ વખતે ચોરો સફળ રહ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, જુન 2026
2277 |
નાસિરનગરના સ્પોન્સર્ડ ડિમોલિશન મામલે આજે હાઇકોર્ટમાં મહાનગરપાલિકાની અગ્નિપરીક્ષા
રાષ્ટ્રીય સ્તર સુધી બહુ ગાજેલાં નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશનમાં હાઇકોર્ટે પૂછેલાં ચોટદાર સવાલોને પગલે હતપ્રભ બની ગયેલાં મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ ત્રણ દિવસ સુધી વકીલો સાથે લાંબી ચર્ચા કર્યા બાદ બેથી ત્રણ એફિડેવિટ સાથે હાઇકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળે છે. હાઇકોર્ટે ગુરૂવારે જે રીતે સવાલો પૂછ્યાં હતાં તે જોતાં મહાનગર પાલિકાનાં અધિકારીઓ તેમજ વકીલો માટે બચાવ કરવાનું એટલું સરળ બને તેવું લાગતું નથી અને એટલે જ આવતીકાલની સુનાવણી ઉપર પોલીસતંત્ર, મહાનગર પાલિકા તંત્ર, બિલ્ડર, ટોરેન્ટ પાવર કંપની તેમજ નાસિરનગરનાં અસરગ્રસ્તોની નજર રહેશે.નાસિરનગરમાં બિલ્ડરનાં લાભાર્થે કરવામાં આવેલાં સ્પોન્સર્ડ ડીમોલિશનમાં મહાનગર પાલિકાનાં અધિકારીઓ સાથે સાથે પોલીસતંત્રની ખાસકરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપી નકુમની ભૂમિકા શંકાનાં દાયરામાં આવી હતી. ડીસીપી નકુમ પીઆઇ સોનારા સહિત આખી ફોજને ડીમોલિશન સ્થળે લઇ ગયાં હતાં અને ધાકધમકીનું વાતાવરણ સજ્ર્યુ હોવાનો આરોપ અસરગ્રસ્તોએ લગાવ્યો હતો. હાઇકોર્ટે ડીસીપી નકુમની સ્થળ ઉપર હાજરી બાબતે ખાસ નોંધ લઇને તેમની હાજરી સત્તાવાર હતી કે બીનસત્તાવાર હતી તેનો ખુલાસો કરવા જણાવ્યું છે. જો ડીસીપી નકુમની હાજરી સત્તાવાર હોય તો વાંધો નથી પરંતુ જો તેઓ બીનસત્તાવાર ડીમોલિશન સ્થળે ગયા હોય તો એફિડેવિટ સાથે હાઇકોર્ટમાં હાજરી આપે તેવી ટીપ્પણી હાઇકોર્ટે કરી હતી. સુરત શહેર પોલીસતંત્રનું નાક બચાવવું હોય તો પોલીસ કમિશનરે ડીસીપી નકુમનો બચાવ કરવો જ પડે તેવી સ્થિતિનું નિર્માણ થતાં સત્તાવાર રીતે નકુમ નાસિરનગર ગયા હોવાનું પ્રતિપાદિત કરીને પોલીસ કમિશનર પોતાના અધિકારીને ક્લીનચિટ આપે તેવી શક્યતા વર્તાઇ રહી છે. બીજીતરફ મ્યુનિસિપલ કમિશનર માટે બચાવ કરવો એટલો સરળ નથી એટલે જ જાણીતા સીનિયર વકિલોની સલાહ લેવામાં આવી રહી છે અને તેમની સલાહને આધારે કમિશનર પોતાની તેમજ કાર્યપાલક ઇજનેર જીવણ રામજીવાલાની એફિડેવિટ તૈયાર કરાવી રહ્યાં છે. મહાનગર પાલિકાનાં અધિકારીઓની ટીમ છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ અને સુરત વચ્ચે આંટાફેરા મારી રહી છે. હાઇકોર્ટે અસરગ્રસ્તોનાં શેલ્ટર માટે કરેલી ટીપ્પણી અનુસાર ભરીમાતા કોમ્યુનિટી હોલમાં આશ્રય આપી દેવામાં આવ્યો હોવાથી તે મુદ્દો મહાનગર પાલિકા દ્વારા રજૂ કરીને હાઇકોર્ટની સહાનુભૂતિ જીતવાનો પ્રયાસ કરવામાં આવે તેવું મનાય છે. જો કે, કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ સહિતનાં અન્ય અધિકારીઓ કઇ હેસિયતથી નાસિરનગરમાં ડીમોલિશન વખતે ગયાં હતાં તેવા હાઇકોર્ટનાં સવાલનો મહાનગર પાલિકા શું જવાબ આપે છે, કમિશનર તેમની એફિડેવિટમાં કેવું વલણ અખત્યાર કરે છે તે મહત્વનું બની રહેશે. પહેલાં ડીમોલિશન કોણે કર્યું તેની ખબર નથી અને ત્યારપછી ડીમોલિશન મહાનગર પાલિકાની ટીમે જ કર્યું હોવાની કબુલાત કરનાર મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને બદલેલાં નિવેદનોની હાઇકોર્ટ કેવી નોંધ લે છે તે પણ જોવાનું મહત્વનું રહેશે. ભરીમાતા કોમ્યુનિટી હોલમાં અસરગ્રસ્તો સિવાયનાં પણ ઘૂસી ગયાં હાઇકોર્ટે અપનાવેલાં કડક વલણને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને નાસિરનગરમાં જેમનાં કાચા-પાકા મકાનો તૂટી ગયાં છે તે અસરગ્રસ્તો માટે ભરીમાતા ખાતે આવેલાં કોમ્યુનિટી હોલમાં આશ્રય આપવાની વ્યવસ્થા કરી છે. અસરગ્રસ્તો માટે લાઇટ, પાણી, આરોગ્ય ઉપરાંત બે ટાઇમ ફુડપેકેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનગર પાલિકાનાં અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં અસરગ્રસ્તો ઉપરાંત અન્ય કેટલાક લોકો પરિવાર સાથે કોમ્યુનિટી હોલમાં રહેવા આવી ગયા છે તે ખોટુ છે પરંતુ મામલો એટલો સંવેદનશીલ છે કે, જે લોકો અસરગ્રસ્ત નથી તેમને ત્યાંથી હાંકી કાઢવામાં આવે તો બીજો વિવાદ ઉભો થવાની સંભાવના છે જેથી હાઇકોર્ટની સુનાવણી પછી આવા લોકોને કોમ્યુનિટી હોલમાંથી બહાર કાઢવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, જુન 2026
2079 |
ભેસ્તાન બ્રિજ પર માતેલા સાંઢની જેમાં દોડતા ડમ્પરે માતા-પુત્રીને કચડી મારતાં અરેરાટી
સુરત શહેરમાં ભારે વાહનોની બેદરકાર દોડધામ વચ્ચે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. મોપેડ પર સવાર એક મહિલા, તેના ભાઈ અને બે માસૂમ બાળકીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે બેફામ ઝડપે આવી રહેલા ડમ્પરે મોપેડને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલા અને તેની એક બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે મોપેડ ચલાવી રહેલા મહિલાના ભાઈ અને બીજી બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ૮ વાગ્યાની આસપાસ ભેસ્તાન આવાસ ખાતે રહેતા ઈમરાન સૈયદની ૨૨ વર્ષીય પત્ની રૂકસાર અને બે વર્ષીય પુત્રી જૈનબ અને ચાર વર્ષીય પુત્રી સાથે મોપેડ પર પોતાનાં ભાઈ સાથે ઉનથી ભેસ્તાન આવાસ ખાતે પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ભેસ્તાન બ્રિજ ચઢતી વખતે બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે મોપેડને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાળમૂખા ડમ્પરના ચાલકે મોપેડને ટક્કર મારતાં રૂકસાર સૈયદ અને પુત્રી જૈનબનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રૂકસારનાં ભાઈ સહિત અન્ય એક પુત્રીને સામાન્ય ઈજા પહોંચી હતી. સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતાં રૂકસાર અને જૈનબને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબોએ માતા-પુત્રીને મૃત જાહેર કરતાં પરિવારનાં માથે આભ તુટી પડ્યું હતું. બીજી તરફ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ડમ્પર ચાલક વિરૂદ્ધ ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા ડમ્પર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે સર્જાયેલા ગોઝારા અકસ્માતની જાણ ઈમરાન સૈયદને થતાં જ તેઓનાં માથે આભ તુટી પડ્યું હતું. ઘરથી થોડા અંતર દુર જ સર્જાયેલા આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું પણ ઘટના સ્થળે ઘસી ગયું હતું. ટેમ્પો ચાલક તરીકે કામ કરતાં ઈમરાન સૈયદ સહિત પરિવારજનોનાં હૈયાફાટ રૂદનથી આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. વધુ પ્રાપ્ત માહિતી અનુસાર ભેસ્તાન આવાસ ખાતે રહેતા અને ટેમ્પો ચાલક તરીકે કામ કરતાં ઈમરાન સૈયદ ગત રોજ મોર્હરમનો તહેવાર હોવાને કારણે પત્ની અને બંને પુત્રીઓને ઉન ખાતે તેમના પિયર મુકવા ગયા હતા. જ્યાં રૂકસાર અને બંને પુત્રીએ આખી રાત નાના-નાનીનાં ઘરે ધમાલ મસ્તી કરી હતી અને તેઓને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આ તેમની અંતિમ રાત્રિ સાબિત થશે. વહેલી સવારે ઈમરાન સૈયદે પોતાની પત્ની સાથે વાત કરીને તેમને ઘરે આવવા માટે જણાવ્યું હતું. જેને પગલે રૂકસાર અને બંને બાળકીઓને મોપેડ પર પોતાનાં ભાઈ સાથે ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતમાં રૂકસારનાં ભાઈ અને એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ રૂકસાર અને માસુમ પુત્રી જૈનબનાં મોતને પગલે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. મંત્રી અને માલેતુજારોને નડે નહીં ત્યાં સુધી માતેલા સાંઢ માફક દોડતાં ડમ્પરો સામે કોઈ કાર્યવાહી નહીં શહેરમાં ડમ્પરો કાળમુખા થઇ બેફામપણે ફરી રહ્યા છે. અકસ્માતોની વણઝાર ના પગલે ડમ્પરો સહિતના ભારે વાહનો ઉપર શહેરમાં પીક અવર્સ દરમિયાન પ્રતિબંધ પણ મૂકાયો છે. સવારે આઠ થી બપોરે એક અને સાંડે પાંચ થી રાત્રે દસ વાગ્યા સુધી ડમ્પર સહિતના ભારે વાહનો શહેરના રસ્તા ઉપર ચલાવવા એ ફોજદારી ગુનો બનો છે. જાે કે, ટ્રાફિક પોલીસની મહેરબાની કહો કે રહેમ નજર હેઠળ પ્રતિબંધિત સમયમાં પણ ડમ્પરો શહેરમાં ફરતાં નહીં પણ માતેલા સાંઢ માફક બેફામપણે દોડતા જાેવા મળે છે. જ્યારે પણ મોટી દુર્ઘટના કહો કે જાનહાની થાય ત્યારે તંત્ર સફાળું જાગી જાહેરનામાના અમલ માટે કડકાઇ દાખવે છે. જાે કે, બે ત્રણ દિવસમાં સ્થિતિ ફરી જૈસે થે એવી બની જાય છે. રસ્તા રસ્તાઓ પર લોહી રેલાવતાં આ ડમ્પરો જ્યાં સુધી કોઇ મોટી ટોપી ને નડે નહીં ત્યાં સુધી કાર્યવાહી કરાતી નથી. આરોગ્ય અને શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનસેરિયાની કાર ઉપર ડમ્પરમાંથી માટી ઉડે તો આખુ પોલીસ તંત્ર રોડ ઉપર ઉતરી પડે, બે દિવસમાં પચાસ જેટલા ડમ્પરો સામે કાર્યવાહી પણ કરી દે છે. રાજકીય આકાઓને ખુશ કરવા તલપાપડ રહેતી આ પોલીસ માટે નિર્દોષ નાગરિકોને રોજબરોજ નડતી મુશ્કેલી, માથે ભમતુ મોત અને કમનસીબે લોહી રેલાવું સામાન્ય વાત બની રહે છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...