ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, ફેબ્રુઆરી 2026 2079   |  
પાકિસ્તાનની જેલમાં બંધ બિમાર ગુજરાતી માછીમારે દમ તોડ્યો

જુનાગઢ પાકિસ્તાનના કરાચીની જેલમાં રહેલા ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બામણીયા અચાનક બીમાર થતા તેને પાકિસ્તાનની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ગત ૧૬મી જાન્યુઆરીના દિવસે તેમનું અવસાન થયું હતું. ગંભીર હાલતમાં કરાચી જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા માછીમાર ભગાભાઈ સાથે માનવ અધિકારોનું હનન થાય તે પ્રકારે હોસ્પિટલના પલંગ પર લોખંડની બેડીઓ સાથે બાંધીને સારવાર કરવામાં આવતી હોય તેવો વીડિયો સામે આવ્યો છે, જેને લઈને માછીમારોમા પાકિસ્તાન સામે રોષ જાેવા મળી રહ્યો છે. પાછલા કેટલાક વર્ષથી ભારતીય માછીમારો માટે પાકિસ્તાનની જેલ મોતની જેલ બની રહી છે, જેલમાં રહેલા ભારતના માછીમારો બીમાર થતાં સારવારની કોઈ યોગ્ય સુવિધા ન હોવાને કારણે અત્યાર સુધી અનેક માછીમારોએ પોતાનો જીવ પાકિસ્તાનની જેલ અને હોસ્પિટલમાં ગુમાવ્યો છે. જેમાં વધુ એક હતભાગી માછીમાર તરીકે ૩૮ વર્ષના ભગાભાઈ બામણીયાનું નામ પણ ઉમેરાયું છે. ઉના તાલુકાના ચીખલી ગામના ભગાભાઈ બામણીયા નામના માછીમાર કરાચીની જેલમાં બંધ હતા, ત્યારે અચાનક બીમાર પડતા તેમને પાકિસ્તાનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ૧૬મી જાન્યુઆરીના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. કરાચીની જેલમાં રહેલા ભારતના બંધક માછીમારો બીમાર પડવાની સ્થિતિમાં તેમને કરાચીની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જ્યાં ભગાભાઈ બામણીયા જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, ત્યારે તેમને પગમાં લોખંડની બેડી સાથે હોસ્પિટલના પલંગ સાથે બાંધવામાં આવ્યા હતા. આ પ્રકારનો અમાનવીય વ્યવહાર અને માનવ અધિકારોનું ઉલ્લંઘન પાકિસ્તાનના સત્તાધીશો કરી રહ્યા હોવાનો સીધો આરોપ સમુદ્ર સુરક્ષા શ્રમિક સંઘના પ્રમુખ અને માછીમારોની સમસ્યા સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે વાતચીતનું માધ્યમ બનેલા બાલુભાઈ સોચાએ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
30, જાન્યુઆરી 2026 2871   |  
મહાશિવરાત્રિ મેળા માટે સરકાર સંપૂર્ણ સજજ સાધુઓની રવેડીનો રૂટ વધારાયો : હર્ષ સંઘવી

ગાંધીનગર, આગામી મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાનારા ભવનાથ મહાદેવના ઐતિહાસિક મેળાને લઈ રાજ્ય સરકાર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના અંતર્ગત ઉપમુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સાધુ સંતો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાધુ-સંતોના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનથી ગુજરાતનાં સૌથી મોટા ધાર્મિક મેળાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના દર્શન માટે દર વર્ષે અનેક વર્ષોથી દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને આ વર્ષે વ્યવસ્થાઓને વધુ મજબૂત અને આધુનિક બનાવવામાં આવી છે. બેઠકમાં મુખ્યત્વે શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવિધા અને સરળ અવરજવર માટે શું વધુ સારું કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે મેળાના રૂટમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં નાગા સાધુઓની રવેડી (યાત્રા)ના રુટ વિસ્તારમાં અંદાજે ૫૦૦ મીટરનો રૂટ વધારવામાં આવ્યો છે, જેથી ભીડનું સંચાલન સરળ બને અને દર્શનાર્થીઓને કોઈ અસુવિધા ન થાય. આ સાથે સરકાર દ્વારા વધારાની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહાશિવરાત્રિના ભવનાથના મેળાની સુરક્ષા વ્યવસ્થા અંગે ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષે આશરે ૧૬૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરાતા હતા, જ્યારે આ વર્ષે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ૨૯૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, ભીડ વ્યવસ્થાપન અને સેવાકાર્ય માટે ૧૦૦૦થી વધુ સ્વયંસેવકો પણ ખડેપગે કાર્યરત રહેશે. મેળામાં આવનાર સંતો અને ભક્તોની રહેવા-જમવાની વ્યવસ્થાઓ અંગે પણ વિશેષ આયોજન કરાયું છે. આશરે ૩૦૦ જેટલા ઉતારાઓમાં જમવાની વ્યવસ્થા કરાઇ છે. સાથે જ, પીવાના પાણીની નવી અને પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ સમયે પાણીની અછત ન સર્જાય.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, જાન્યુઆરી 2026 6633   |  
બગદાણા કેસમાં માયાભાઈના પુત્ર જયરાજની ધરપકડ

ભાવનગર ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને ફરી એકવાર પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું. આજે (૨૪મી જાન્યુઆરી) સમન્સને પગલે જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો હતો. જાેકે,  જયરાજ આહીરની પૂછપરછ બાદ તેની ધરપકડ કરાઈ છે.બગદાણાના કોળી અગ્રણી પર થયેલા હુમલાની કડીઓ મેળવવા માટે  ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અગાઉ પણ જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે આજે ફરીથી તેને રેન્જ આઈજીની કચેરીમાં બોલાવવા આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આ હુમલાની ઘટનામાં સંડોવાયેલો હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાને લઈ આજે જયરાજ આહીરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો. કચેરીએ હાજર થતા પહેલા જયરાજે જણાવ્યું હતું કે, ‘મને ન્યાયતંત્ર અને કાયદા પર પૂરો ભરોસો છે. તપાસમાં જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું સંપૂર્ણ સહયોગ આપીશ. કાયદાકીય જે પણ ર્નિણય આવશે તે મને શિરોમાન્ય રહેશે.’ બગદાણા હુમલા કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી.  ટીમની તપાસમાં પ્રથમ કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, જાન્યુઆરી 2026 4455   |  
ફોરેન્સિક- પીએમ અને બનાવની પ્રાથમિક તપાસ બાદ મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ

અમદાવાદ, અમદાવાદમાં યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગોહિલના મોત મામલે ફોરેન્સિક, પીએમ અને બનાવની પ્રાથમિક તપાસ બાદ કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યશરાજસિંહ ગોહિલે જ કોઈ અગમ્ય કારણોસર પત્ની પર ફાયરિંગ કરી હત્યા નીપજાવ્યાનો અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો. એસીપી જયેશ બ્રહ્મભટે ફરિયાદી બનીને હત્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી.મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ તપાસવામાં આવ્યો હતો ત્યારે મોતનું કારણ માથામાં વાગેલી ગોળીના કારણે શોક અને હેમરેજ થયું હોવાનું સામે આવ્યું હતું.પોલીસ તપાસમાં એ પણ નોંધ્યું હતું કે આ રિવોલ્વર આકસ્મિક રીતે ચાલે અને ફાયરિંગ થાય એેવું શક્ય ન હતું, કારણ કે રિવોલ્વરના ટ્રિગર ઉપર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વાપર્યા વિના દબાવી શકાય નહી, જેથી યશરાજસિંહે જ પત્ની રાજેશ્વરીને જાનથી મારી નાખવાના ઇરાદે રિવોલ્વરથી માથામાં ગોળી મારી હત્યા કરી હતી. યશરાજસિંહે પોતે પણ પોતાના માથાના ભાગે ગોળી મારીને આપઘાત કર્યો.યશ કુમાર સિંહે તેમની પત્ની રાજેશ્વરીબાને જાનથી મારી નાંખવાના ઇરાદે તેમની લાયસન્સ વાળી રાઉન્ડ ભરેલી રિવોલ્વરના ટ્રીગર ઉપર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વાપરીને ટ્રીગર દબાવી રાજેશ્વરીબાના માથાના પાછળના ભાગે પોતાની રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી ગોળી મારી રાજેશ્વરીબાની હત્યા કરી હોય ત્યારબાદ યશકુમાર સિંહે ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવતા ૧૦૮ના કર્મચારીએ રાજેશ્વરીબાને મૃત જાહેર કરતાં તેઓએ પોતાની જાતે પોતાની રિવોલ્વરમાંથી પોતાના માથાના ભાગે એક ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ રિવોલ્વરમાં ફકત ૨ જ રાઉન્ડ થતા જે બંન્ને રાઉન્ડનો ફાયરીંગમાં ઉપયોગ થયો હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું. ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા દ્ગઇૈં એપાર્ટમેન્ટમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગોહિલનું મોત થયું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, જાન્યુઆરી 2026 3861   |  
અમદાવાદમાં લગ્નની લાલચ આપી કૌટુંબિક ભાઈએ જ બળાત્કાર કર્યો

અમદાવાદ, સુરેન્દ્રનગરમાં રહેતી ૨૧ વર્ષની યુવતી અભ્યાસ માટે નવરંગપુરા વિસ્તારમાં કેટલાક સમયથી રહેતી હતી. યુવતી ગત વર્ષે જ્યારે ઘરે ગઈ હતી ત્યારે યુવતીના મમ્મીના માસીના દીકરાનો દીકરો જય યુવતીના ઘરે રહેતો હતો. યુવતી જ્યારે અમદાવાદ પરત આવી ત્યારે જયે યુવતીને ફોન કરવાનું શરૂ કર્યું હતું. યુવતી સાથે અવારનવાર વાતચીત કરીને જયે કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે જ લગ્ન કરીશ. જેથી યુવતી જયની વાતોમાં આવી ગઈ હતી. ૧૧ ઓગસ્ટના રોજ યુવતીનો જન્મદિવસ હોવાથી તેને મળવા જય અમદાવાદ આવ્યો હતો. ઓગસ્ટ,સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં જય અવારનવાર અમદાવાદ આવતો હતો. આ દરમિયાન જયે યુવતીને નવરંગપુરાની એક હોટલમાં લઈ જઈને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા.થોડા સમયમાં યુવતી તેના ઘરે જતી રહી હતી. યુવતી ઘરે ગઈ ત્યારે તેને જાણ થઈ હતી કે જયની રાજકોટમાં કોઈ છોકરી સાથે સગાઈ થઈ ગઈ છે. જેથી યુવતીએ જયને ફોન કર્યો ત્યારે જયે કહ્યું હતું કે આ વાત ભૂલી જા. આ અંગે યુવતીએ તેના મમ્મી પપ્પા અને મામાને વાતચીત કરી હતી. જે બાદ યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જય વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
30, જાન્યુઆરી 2026 2772   |  
૨૬૬૬ ગ્રા. પં.ઘર કમ તલાટી આવાસોનું મુખ્યમંત્રીના હસ્તે ભાદરણથી ઈ-ખાતમુહૂર્ત

ગાંધીનગર,આણંદ, રાજ્યની ૨૬૬૬ ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ત્મનિભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે.  તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, વડાપ્રધાને ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધીનો આપેલો સેચ્યુરેશન એપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયત ઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી ર્નિણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના આ ૨૬૬૬ ગામોમાં કુલ રૂ. ૬૬૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસને પરિણામે ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ સરકારી સેવાઓ સરળતાએ ઉપલબદ્ધ થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ અવસરેતેમણે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્યવ્યાપી લોંચિંગ પણ પંચાયત મંત્રી રૂષિકેશ પટેલ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં કર્યુ હતુ. આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, રાજ્યના ૧૧૪ તાલુકા મથકના એવા ગામો જે તાલુકા મથક છે પરંતુ નગરપાલિકા નથી તેને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ના પ્રથમ તબક્કામાં આવરી લઈને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઈટ, ઈ-ગ્રામ, કોમ્યુનિટી હોલ સહિતની શહેરી સમકક્ષ આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, શહેરો પરનું ભારણ ઓછું થાય અને શહેરો જેવી જ સુવિધાઓ ગામોમાં મળે તેવા આશયથી આગામી સમયમાં રાજ્યમાં ૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ અંતર્ગત આવરી લેવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. આના પરિણામે ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટશે તથા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો વડાપ્રધાને આપેલો મંત્ર સમગ્ર અને સંતુલિત વિકાસથી સાકાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, પાણી સંરક્ષણ માટે “કેચ ધ રેન” અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે વિશેષ પ્રયત્નો હાથ ધરાઈ છે. દરેક ધારાસભ્યને રૂ. ૫૦ લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવી છે. જેથી સ્થાનિક સ્તરે રિચાર્જિંગ વ્યવસ્થાઓ ઉભી કરી શકાય. પંચાયત અને ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રૂ. ૬૬૩ કરોડના ખર્ચે સમગ્ર રાજ્યમાં ૨૬૬૬ ગ્રામ પંચાયત ભવનોનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે, જેનાથી ગુજરાતના ગામડાઓના વિકાસ માટે નવી દિશા મળશે. આ પ્રસંગે રમણ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યની ૨૬૬૬ નવી ગ્રામ પંચાયતોના ઈ-ખાતમુહૂર્ત અને ૧૧૪ ગામોમાં ‘‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’’ના લોન્ચિંગ સાથે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો સરકારનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. તેમણે ભાદરણ જેવા પ્રજાભિમુખ વહીવટ ધરાવતા ગામની પસંદગી કરવા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, જાન્યુઆરી 2026 6336   |  
રાજપીપળાના બંધ મકાનમાંથી ૪૦ વાઘનાં ચામડાં ,૧૩૩ નખ મળ્યાં

રાજપીપળા, એક તરફ ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થતી જાય છે ત્યારે બીજી બાજુ નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના એક રૂમ માંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘનું ચામડું મળી આવતા રાજપીપળા વન વિભાગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આટલી મોટી સંખ્યામાં વાઘનું ચામડું મળી આવ્યું હોય એવો ગુજરાતમાં કદાચ પ્રથમ કિસ્સો હશે.આ ચામડું વાઘનું છે કે નકલી છે એની તપાસ માટે રાજપીપળા વન વિભાગે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.રાજપીપળા રેન્જ વન વિભાગના આર.એફ.ઓ જીગ્નેશ સોનીના જણાવ્યા મુજબ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.એ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમ માંથી ખરાબ વાસ આવતી હોવાનું એમના ધ્યાને આવ્યું હતું.એ દરમિયાન વર્ષો જૂની એક પતરાની પેટીમાં કોઈ વન્ય પ્રાણીનું ચામડું હોવાનું જાણતા જ એ મંદિરના ટ્રસ્ટીઓએ રાજપીપળા વન વિભાગના આર.એફ.ઓ જા જીગ્નેશ સોનીને જાણ કરી હતી.જે બાદ અમે અમારી ટીમ સાથે ત્યાં પહોચી તપાસ હાથ ધરતા પેટીમાં શંકાસ્પદ વાઘનું ચામડું તથા નખ હોવાનું અમને જાણવા મળ્યું હતું.બાદ સરકારી પંચોની હાજરીમાં તમામ શંકાસ્પદ વાઘના ચામડાને વન વિભાગની કચેરીએ લાવ્યા હતા.ખરાઈ કર્યા બાદ એ ચામડું શંકાસ્પદ રીતે વાઘનું હોવાનું અમને જણાઈ આવ્યું હતું.આ ચામડું તથા નખ વાઘના જ છે કે નકલી છે એની તપાસ માટે અમે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. આર.એફ.ઓ જીગ્નેશ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે અમને તપાસ દરમિયાન ૩૭ જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી ૪૦ થી વધુ ચામડા તથા ૧૩૩ જેટલા નખ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ ૧૭૨ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે.ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે તો બીજી બાજુ પ્રથમ દૃષ્ટિએ આ વન્ય પ્રાણીની તસ્કરી પણ હોઈ શકે, મહારાજનો ૧૯૨૬ માં જન્મ થયો હતો આજથી લગભગ ૫ મહિના પેહલા ૯૫ વર્ષની ઉંમરે નિધન થયું છે.વન્ય પ્રાણીના આ ચામડા અને નખ એમની જ રૂમ માંથી મળી આવ્યા છે.આ ચામડા મળ્યા એ પેટીમાંથી ૧૯૯૨ ના વર્ષનું ન્યૂઝ પેપર મળી આવ્યું છે એટલે આ ચામડા લગભગ ૩૩ વર્ષથી તો મહારાજ પાસે જ હશે એવો અંદાજ મારી શકાય.જાે એફ.એસ.એલ ની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ કોણ જાેડાયેલું હતું એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, જાન્યુઆરી 2026 4158   |  
આણંદમાં સરદાર બાગ નજીકથી એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઇ

આણંદ, વિદ્યાનગરની શાશ્વત નગરીની ઓળખને નશાના રવાડે ચઢાવવાના ખેલ રચાતાં હોય તેમ ગત મોડી સાંજે આણંદ એસઓજી દ્વારા બાતમીના આધારે શહેરના નવા બસમથક નજીકના સરદાર બાગ પાસેથી એમપીની મહિલાની ૧૧૬.૨૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે આણંદ ખાતે નશીલા પદાર્થ મંગાવનાર કોણની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર વિદ્યાધામની ઓળખ બનેલ આણંદ, વિદ્યાનગરની વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં સ્થાનિક, પ્રાંતિય તથા પરપ્રાંતીય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવતાં હોય તેમને નશાના રવાડે ચઢાવવાના ખેલ રચવામાં આવ્યા હોય તેમ ગત મોડી સાંજે શહેરના નવા બસમથક નજીકના સરદાર બાગ પાસે એક મહિલા નશીલા પદાર્થની ડિલિવરી આપનાર હોવાની બાતમી આણંદ એસઓજીને મળતા એસઓજી દ્વારા સ્થળ પર પહોંચી રતલામ થી નશીલા પદાર્થ લઇ બસ મારફત જાંબુઆ જીલ્લાના બેડાવા ગામની આવેલ મહિલા મંજુ જગદીશ ભુરીયાને ત્રણ લાખ ઉપરાંતની કિંમતના ૧૧૬.૨૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે પોલીસ દ્વારા મહિલાની પૂછપરછ કરતાં નશીલા પદાર્થ રતલામના નારાયણ નામના શખ્સ પાસેથી લાવી આણંદ આપવાનું જણાવતાં આણંદનો માલ લેવા આવનાર શખ્સ કોણ?ની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, જાન્યુઆરી 2026 4554   |  
બનાસકાંઠા - દાહોદનું પાણી પીવાલાયક નહિ હોવાનો સરકારી અહેવાલમાં ખુલાસો

ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણીના લીધે ગાંધીનગર અને અમદાવાદ મોટા પ્રમાણમાં બીમાર પડ્યા છે. જેમાં મોટા ભાગે બાળકો છે. જ્યારે બાલાસિનોરમાં દૂષિત પાણીથી કેટલાક દિવસો અગાઉ નાગરિકો કમળાગ્રસ્ત થયા હતા. આ સંજાેગોમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્રના જલ શક્તિ મંત્રાલયના આહેવાલના આંકડા રજૂ કરીને ગુજરાતના કયા જિલ્લાનું પાણી કેટલું પીવાલાયક છે તે બતાવ્યું છે. આ આંકડા અત્યંત ચોંકાવનારા છે. કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયના અહેવાલના આંકડા અનુસાર, જળશક્તિ મંત્રાલયના ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ રિપોર્ટ મુજબ ગુજરાતમાં માત્ર ૪૭.૩%ના ઘરે ગુણવત્તાયુક્ત પાણી નળથી પહોંચે છે જ્યારે સમગ્ર દેશમાં ૭૬% ઘરો સુધી ગુણવત્તાયુક્ત પાણી નળ દ્વારા પહોંચે છે. વર્ષ ૨૦૨૨ સુધીના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની માહિતી મુજબ વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં ૩૦માં ક્રમે છે. ડિસોલ્વેડ ઓક્સિજન, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, પીએચ અને કોલિફોર્મ બેક્ટેરિયા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને વોટર ક્વોલિટી ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તિસગઢ જેવા રાજ્યોથી પણ ગુજરાત વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં પાછળ છે. સમગ્ર દેશની વોટર ક્વોલિટી ઈન્ડેક્સની સરેરાશ ૭૩.૮% જ્યારે ગુજરાતનો ઈન્ડેક્સ ૬૩% છે. જળ શક્તિ મંત્રાલયના અહેવાલ ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ મુજબ જિલ્લા પ્રમાણે પીવા લાયક પાણીની સપ્લાયના આંકડા ચોકાવનારા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૩૧.૯% ઘરો અને આર્થિક પાટનગર અમદાવાદમાં ૪૬.૧% ઘરોમાં જ પીવાલાયક પાણી આવે છે. એટલું જ નહીં, આ અહેવાલ મુજબ દાહોદ અને બનાસકાંઠામાં ૦.૦% ઘરોમાં પીવાલાયક એટલે કે પોટેબલ વોટર આવે છે. મહીસાગરમાં ૧૬%, નર્મદામાં ૧૫.૪%, ગીર સોમનાથમાં ૧૧.૭% દેવભૂમિ દ્વારકા માં ૧૭.૨% ઘરોમાં પીવા લાયક પાણી મળે છે. જ્યારે રાજકોટની જનતાને ૧૬.૨% અને સુરતના લોકોને ૪૭.૨% લોકોને ત્યાં પીવાલાયક પાણી નળથી મળે છે. અહેવાલ મુજબ જૂના ૩૩ પૈકી ૧૯ જિલ્લામાં નળ થકી ૫૦% થી ઓછા લોકોને ગુણવત્તાયુક્ત પીવાલાયક પાણી મળે છે.જિલ્લાનું નામ ટકાવારી અમદાવાદ ૪૬.૧% બનાસકાંઠા ૦.૦% ભરૂચ ૮.૫% ભાવનગર ૧૪.૭% દાહોદ ૦.૦% ડાંગ ૪૦.૧% દેવભૂમિ દ્વારકા ૧૭.૨% ગાંધીનગર ૩૧.૯% ગીર સોમનાથ ૧૧.૭% મહિસાગર ૧૬.૦% મોરબી ૪૦.૬% નર્મદા ૧૫.૪% નવસારી ૪૭.૮% પંચમહાલ ૩૯.૨% રાજકોટ ૧૬.૨% સાબરકાંઠા ૧૭.૪% સુરત ૪૭.૨%



ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, ફેબ્રુઆરી 2026 594   |  
હવે ઈ-રજિસ્ટ્રેશન કરવા માટે દરેક દસ્તાવેજ દીઠ પ્રોસેસિંગ ફ્રી વસૂલાશે

ગાંધીનગર, ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુદ્રઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં વધી રહેલા ઇ-રજિસ્ટ્રેશન ના વધતાં જતાં વ્યાપને ધ્યાનમાં રાખીને મહેસૂલ વિભાગ દ્વારા હવે દરેક દસ્તાવેજ દીઠ પ્રોસેસિંગ ફી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા અત્યાર સુધી ઇ-રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફીના માળખામાં કેટલાક ફેરફારો વિચારાધીન હતા. પરંતુ હવે મહેસૂલ વિભાગ દ્વારા આ બાબતની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે, હવે રાજયમાં ઇ-રજિસ્ટ્રેશન દ્વારા નોંધણી કરાવવામાં આવતા દરેક દસ્તાવેજ પર હવેથી પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે. મહેસૂલ વિભાગ દ્વારા લેવાયેલા ર્નિણય અનુસાર હવેથી ઈ-રજિસ્ટ્રેશન દ્વારા નોંધણી કરવામાં આવતા પ્રત્યેક દસ્તાવેજ દીઠ ૧૦૦ રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે ચૂકવવાના રહેશે. આ ફીનો મુખ્ય હેતુ ઓનલાઇન રજિસ્ટ્રેશન પોર્ટલની જાળવણી અને ટેકનિકલ સુવિધાઓને વધુ સુગમ, સરળ અને બહેતર બનાવવાનો છે. મહેસૂલ વિભાગના આ ર્નિણય અંતર્ગત હવેથી રાજયમાં કોઈ પણ મિલકતની ખરીદી, વેચાણ કે અન્ય કરારોના ઓનલાઇન રજિસ્ટ્રેશન સમયે હવે અરજદારે નિયત સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ઉપરાંત આ ૧૦૦ રૂપિયાની વધારાની પ્રોસેસિંગ ફી ભરવી પડશે. જાેકે, આ રકમ ઘણી નજીવી અને મામૂલી હોવાથી સામાન્ય જનતા પર કોઈ મોટો આર્થિક બોજ પડશે નહીં, પરંતુ મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી દૃષ્ટિએ આ એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, ફેબ્રુઆરી 2026 1089   |  
૧ એપ્રિલથી જાતિ, આવક સહિતના ૧૮ પ્રમાણપત્ર ઓનલાઈન મળશે

ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા લાખો પરિવારોને સીધો ફાયદો મળે તેવો એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જાતિ અને આવકના દાખલા સહિતના ૧૮ જેટલા પ્રમાણપત્રો હવે ઓનલાઇન મળી શકશે તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે. રાજયમાં શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થતાંની સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને જાતિ અને આવકના દાખલા સહિત વિવિધ ૧૮ જેટલા પ્રમાણપત્રોની જરૂરિયાત પડતી હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓએ આવક અને જાતિના દાખલા સહિતના વિવિધ પ્રમાણપત્રો માટે વિવિધ સરકારી કચેરીઓની દોડધામ કરવી પડતી હોય છે. જેના કારણે આવી સરકારી કચેરીઓમાં જાતિ અને આવકના દાખલા સહિતના વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટે લાંબી લાઈનો લગતી હતી. નિયત સમયમાં આવા પ્રમાણપત્રો વિદ્યાર્થીઓ અને વાલીઓને સમયસર ન મળવાના કારણે વિદ્યાર્થીઓના પ્રવેશ ઉપર પ્રશ્નાર્થ પણ મુકાઇ હતો અને વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો હતો. આ તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અધિકારીઓને સૂચના આપી છે કે, આ સમગ્ર કામગીરી કેવી રીતે ઓનલાઈન અને ફેસલેસ બને તે સુનિશ્ચિત કરવામાં આવે. આ કામગીરી ઓનલાઈન થાય તો રાજ્યના અંદાજિત ૭૫ થી ૮૦ લાખ પરિવારોને આ સુવિધાનો સીધો ફાયદો થશે અને તેમણે વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે અને કચેરીઓમાં લાંબી લાઈનો પણ નહીં લાગે. જેના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૧ એપ્રિલથી રાજયમાં જાતિ અને આવક દાખલા સહિત વિવિધ યોજનાઓ માટે જરૂરી એવા ૧૮ પ્રકારના પ્રમાણપત્રો ઓનલાઈન મળતા શરૂ થઈ જશે તેવી માહિતી રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ આપી હતી.આ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલી શરૂ કરાશેગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જેના અંતર્ગત આ સુજલામ સુફલામ અભિયાન આગામી તા. ૨૧ ફેબ્રુઆરીથી રાજયમાં શરૂ કરવામાં આવશે તેમ સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. જેના અંતર્ગત મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૮ વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે. આ અભિયાન હેઠળ વરસાદ વહેલો આવે તો તે પહેલા પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવો ઊંડા કરવાની કામગીરીની દર વર્ષ કરતાં આ વર્ષે વહેલી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી તા. ૩ માર્ચના રોજ રોજ હોળીનું પર્વ છે, જેથી શ્રમિકો તહેવારને લઈને વતન જતાં હોવાથી કામગીરીમાં વિલંબ ન થાય તે માટે પણ આ અભિયાન વહેલા શરૂ કરવાનો ર્નિણય લેવાયો છે.કિસાન પોર્ટલમાં ખેડૂત નોંધણીના મામલે ગુજરાત દેશમાં ચોથા સ્થાનેભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ (ખેડૂત નોંધણી કાર્યક્રમ) અંતર્ગત પી.એમ.કિસાનમાં ૮૮ ટકા ખેડૂતોના કેવાયસી અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજિસ્ટ્રેશન (નોંધણી) ની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલમાં ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે તેમ ખેડૂત નોંધણી અંતર્ગત પી.એમ. કિસાન પોર્ટલ અંગે માહિતી આપતા સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૫૯ લાખ લાભાર્થીઓએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે. જેના પરિણામે ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ રૂ.૨૦૬ કરોડની સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ પણ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, ફેબ્રુઆરી 2026 2475   |  
ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદના યુવકને ડિજિટલ ધરપકડ કરી સાયબર ઠગોએ રૂા. ૪૮ લાખ પડાવ્યા

અમદાવાદ આજના સમયમાં સાયબર ગુનેગારો સાત સમંદર પાર બેઠેલા લોકો પર પણ તરાપ મારી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા એક ભારતીય યુવકને સાયબર ઠગોએ પોતાનો શિકાર બનાવી ‘ડિજિટલ એરેસ્ટ’ કર્યો હતો. ઠગોએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને ઝ્રમ્ૈંના અધિકારી તરીકે આપી હતી અને યુવકને ડરાવ્યો હતો કે તેના બેંક એકાઉન્ટ દ્વારા મોટા પાયે મની લોન્ડરિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે. ધરપકડ અને કાનૂની કાર્યવાહીના ડર હેઠળ, યુવકે પોતાની મહેનતની કમાણીમાંથી કુલ રૂ.૪૮ લાખ ગુનેગારોએ અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. અમદાવાદમાં રહેતા યુવકના પિતાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના નારણપુરા મીરા અંબિકા રોડ પર રહેતા વૃદ્ધના બે દીકરા છે.મોટો દીકરો ઓસ્ટ્રેલિયામાં એડીલેડ રહે છે,જ્યારે નાનો દીકરો સિડનીમાં રહે છે. ૨૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સિડનીમાં રહેતા દીકરાને ભારતીય નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાનું જણાવી યુવકના મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટના આધારે કરોડો રૂપિયાનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા છે અને તેમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ સંકળાયેલી છે હોવાનું કહી યુવકને ડરાવ્યો હતો. યુવકને વીડિયો કોલ પર હાજર રાખીને સતત નજર હેઠળ રાખ્યો હતો. તેને કેમેરા સામે જ રહેવા, કોઈને મળવાનું નહીં અને કોઈ સાથે વાતચીત નહીં કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સહકાર નહીં આપે તો ઓસ્ટ્રેલિયાની સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરાવવાની અને ભારત આવશે ત્યારે એરપોર્ટ પરથી જ પકડાઈ જવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ દબાણને કારણે યુવક માનસિક રીતે ડરી ગયો હતો.ગઠિયાઓએ યુવકને સિડનીમાં નવો મોબાઈલ અને નવું સિમકાર્ડ લેવા પણ મજબૂર કર્યો હતો. એટલું જ નહીં, તેના મોબાઈલ અને લેપટોપના ૈંઁ એડ્રેસ મેળવી લઈને તેના ફોન અને લેપટોપ પર કાબૂ મેળવી લીધો હતો. તપાસના નામે તેની તમામ બેન્ક વિગતો મેળવી લેવામાં આવી અને ઓસ્ટ્રેલિયામાં આવેલા તેના એકાઉન્ટમાંથી ૨૫,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર, એટલે કે અંદાજે ૧૪ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. નારણપુરા ખાતેની એક્સિસ બેન્કમાં રહેલી યુવકની ૩૪ લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પણ તોડાવીને ગઠિયાઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.સાયબર ગઠિયાઓ યુવકને ખાતરી આપતા હતા કે તપાસ પૂર્ણ થયા બાદ તમામ રકમ પરત આપવામાં આવશે, પરંતુ હકીકતમાં આ એક મોટી ઠગાઈ હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, ફેબ્રુઆરી 2026 2178   |  
બાળકોની લે વેચ કરનારા નેટવર્કનો મુખ્ય સપ્લાયર યુનુસને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો

અમદાવાદ અમદાવાદ શહેરમાં બાળ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ કરતા ક્રાઈમબ્રાંચને સફળતા મળી છે.શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોધાયેલા ગુનાની ઊંડી તપાસ દરમિયાન ક્રાઈમબ્રાંચે આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી યુનુસખાન ઉર્ફે યુનીસખાનની બનાસકાંઠા જિલ્લામાંથી ધરપકડ કરી છે.અગાઉ આ જ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમની પૂછપરછમાં યુનુસનું નામ ખુલ્યું હતું.બાતમી અને ટેકનીકલી સર્વેલન્સના આધારે ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો છે.જેના કારણે બાળ તસ્કરીના આંતરરાજ્ય કનેક્શન હોવાની આશંકાઓ પણ પ્રબળ બની છે. આરોપીને રિમાન્ડ માટે મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે આરોપીને સાતમી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે. ક્રાઇમબ્રાન્ચે બનાસકાંઠાના પાલનપુરથી મુખ્ય આરોપી યુનિસખાન ઉર્ફે યુનુસને ઝડપી પાડ્યો છે. જે બાદ તેને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી યુનુસ આ બાળકને ગોવિંદભાઈ નામના વ્યક્તિ પાસેથી હિંમતનગર પાસે અંદાજે ૩,૬૦,૦૦૦માં ખરીદીને લાવ્યો હતો. અગાઉ કાલુપુર વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસ સક્રિય બની હતી અને તપાસના તાર છેક બનાસકાંઠા સુધી લંબાયા હતા. હાલમાં પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને ગોવિંદભાઈ નામના શખ્સે આ બાળક ક્યાંથી મેળવ્યું હતું.પોલીસે કેસની વિગતો અંગે માહિતી આપતા કહ્યું છે કે, ‘યુનુસ નવજાત શિશુ બનાસકાંઠાના દાંતા વિસ્તારમાંથી લાવ્યો હતો, હાલ ક્રાઈમ બ્રાન્ચે બાળક કઈ મહિલા પાસેથી અને કયા સંજાેગોમાં મેળવ્યું હતું તે અંગે પૂછપરછ કરી રહી છે. આરોપીએ નવજાત શિશુને હૈદરાબાદમાં વેચાણ માટે વચેટિયાઓને સોંપ્યું હતું, જે આંતરરાજ્ય તસ્કરી નેટવર્કની સંડોવણી તરફ ઈશારો કરે છે. આ કેસમાં અગાઉ, ક્રાઇમ બ્રાન્ચે વંદના જીગરભાઈ પંચાલ, રોશન ઉર્ફે સજ્જન મહાવીરપ્રસાદ અગ્રવાલ અને સુમિત યાદવ સહિત ટ્રાફિકિંગ નેટવર્કના અન્ય કથિત સભ્યોની ધરપકડ કરી હતી. પોલીસ માને છે કે આ ધરપકડોથી ગેંગની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવામાં મદદ મળી છે, જે કથિત રીતે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના આંતરિક ભાગોમાંથી નવજાત શિશુઓ મેળવતા હતા અને ગેરકાયદેસર દત્તક લેવા અથવા વેચાણ માટે અન્ય રાજ્યોમાં તસ્કરી કરતાં હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, ફેબ્રુઆરી 2026 1980   |  
રૂા.૧.૫૨ કરોડના સોનાની દાણચોરીનું હવાલાથી પેમેન્ટ

અમદાવાદ, ટુર એન્ડ ટ્રાવેલ્સની આડમાં થતા કરોડો રૂપિયાના સોનાની દાણચોરી કૌભાંડનો હાલ અમદાવાદ એરપોર્ટ પર ભાંડાફોડ થયો છે. આ મામલે અમદાવાદ એરપોર્ટ પર હાલ ૪ મહિલાઓની અટકાયત કરાઈ છે, જેઓની પૂછપરછમાં આ કૌભાંડમાં મદીનાથી ૧.૫૨ કરોડની ગોલ્ડ ચેન ગુજરાત પહોંચી હોવાનું અને તેનું પેમેન્ટ બનાસકાંઠાથી હવાલા નેટવર્કના માધ્યમથી થયું હોવાનું ચોંકાવનારું તથ્ય સામે આવી રહ્યું છે. આ સમગ્ર દાણચોરીના કેસની મળતી માહિતી મુજબ, એક ફેબ્રુઆરીના રોજ જેદ્દાહથી અકાસા એરની ફ્લાઈટ નંબર કયુપી ૫૬૪ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. મુસાફરોના સામાનના એક્સ-રે સ્કેનિંગ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને શંકાસ્પદ લાગ્યું હતું. શંકાના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમે મહિલા મુસાફરોને અટકાવી તેમની સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહિલાઓ પાસેથી સોનાની સાત ચેઈન અને સાત સોનાની બંગડીઓ મળી આવી હતી. આ અંગેની તપાસ કરતા મોટી માહિતી સામે આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, કસ્ટમ્સ અધિકારીઓની નજરથી બચવા માટે સોનાના આ દાગીનાઓ પર રોડિયમનું કોટિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જ્યારે તેની ચોકસાઈ કરી ત્યારે ૯૪૫.૫૭ ગ્રામ વજનનું સોનું હોવાનું જણાયું હતું. જેની બજાર કિંમત ૧.૫૨ કરોડ રૂપિયા થાય છે. બાદમાં તેમની એરપોર્ટ પર જ તાત્કાલિક ધોરણે અટકાયત કરી તેમની કડકાઈથી પૂછપરછ હાથ ધરાઈ હતી, ત્યારે તેમની પૂછપરછમાં આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને તેઓએ આ ગોલ્ડ ચેન ક્યાંથી આવી તે અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. મહિલાઓની ત્યારે પૂછપરછ કરાઈ ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ સોનું તેમની સાથે મુસાફરી કરી રહેલા એક ટ્રાવેલ એજન્ટે આપ્યું હતું. એરપોર્ટ પર પકડેલા આ આરોપીઓની પૂછપરછ કરતા તેમને કબૂલ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલી આ રૂ. ૧.૫૨ કરોડની ગોલ્ડ ચેન મોહમ્મદ અશરફ નામના વ્યક્તિને ખાડી દેશ (ગલ્ફ કન્ટ્રી) સાઉદી અરેબિયાના મદીના શહેર ખાતેથી જિયાઉદ્દીન નામના શખ્શે આપી હતી. બાદમાં આ ગોલ્ડનું પેમેન્ટ બનાસકાંઠાના પાલનપુરથી હવાલા નેટવર્કના માધ્યમથી થયું હતું. આટલું જ નહીં, મદીનાથી આવેલી રૂ. ૧.૫૨ કરોડની ગોલ્ડ ચેનના કેસમાં મોહમ્મદ અશરફ નામના વ્યક્તિ બનાસકાંઠાના પાલનપુરની અલ મદીના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે જાેડાયેલો હોવાનું પણ આ કેસની તપાસમાં સામે આવ્યું છે. ત્યારે પકડાયેલી મહિલાઓને આધારે આ મસમોટા કૌભાંડનો ખુલાસો થતા હાલ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, ફેબ્રુઆરી 2026 2277   |  
એએમસીનું અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રાફ્ટ બજેટ

અમદાવાદ, ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું અમદાવાદ શહેર ધીમે ધીમે વિસ્તરીને આજે ૪૮૦ ચોરસ કિમીથી વધારે વિસ્તારમાં ફેલાઈ ગયું છે. શહેરમાં વસતીનો આંકડો એકાદ કરોડ આસપાસ પહોંચી ગયો ગયો હોવાનો અંદાજ છે. અમદાવાદના ૧૭,૦૧૮ કરોડનું ડ્રાફ્ટ બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જાેગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી. જેથી ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે. હવે વૈશ્વિક ફલક પર ઉભરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફ્ટ બજેટ ૪ ફેબ્રુઆરીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે બજેટનું કદ રૂ. ૧૭૦૧૮ કરોડનું છે, જે ભારતના કેટલાક નાના રાજ્યોના કુલ બજેટ કરતા પણ વધુ છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે બજેટનું કદ ૧૪૦૦૧ કરોડનું હતું. અમદાવાદના ૧૭,૦૧૮ કરોડનું ડ્રાફ્ટ બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જાેગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી. જેથી ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે. ચાલુ વર્ષે બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માટે ૬ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: ૫ મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ,બોપલ રીંગરોડથી ઘુમા સુધી,નહેરુનગરથી શિવરંજની,સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરીડોર, પાંચ રેલવે ઓવરબ્રિજ કરવામાં આવશે આ ઉપરાંત ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત આગામી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની હોવાથી કમિશનર દ્વારા રજૂ કરવામાં આવનારા ડ્રાફ્ટ બજેટમાં કોઈ નવા વેરા ઝીંકવામાં આવ્યા નથી. જેના કારણે બજેટમાં લોકપ્રિય જાહેરાતો પર વધુ ભાર મૂકવામાં આવી છે. ૨૦૨૬-૨૭ના બજેટમાં જે જાેવા મળશે તેમાં એઆઇ ટેકનોલોજી આધારિત સેવાનો વ્યાપ વધશે.,ચૂંટણી વર્ષ હોવાથી નવા વેરા ઉમેરાશે નહીં.,પીપીપી અને સસ્ટેઈનેબલ પ્રોજેક્ટ પર ભાર મુકાશે,રેવન્યુ વધારવાનો અભિગમ દાખવાશે,મ્યુનિ. આર્ત્મનિભરતા દાખવી પોતાના પૈસે પ્રોજેક્ટ બનાવશે અમદાવાદ મ્યુનિ.બજેટમાં શહેરને આધુનિક અને ‘સ્માર્ટ’ બનાવવા માટે ખાસ જાેગવાઈઓ જાેવા મળી શકે છે. વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં ઓલમ્પિકના આયોજનને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી રકમ ફાળવવામાં આવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ સેવાઓને વધુ ઝડપી બનાવવા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે છૈં આધારિત પ્રોજેક્ટ્સની જાહેરાત થઈ શકે છે. આ સિવાય સતત વધતા ટ્રાફિકને નિવારવા માટે નવા ફ્લાયઓવર, અંડરપાસ અને આઈકોનિક રોડ પ્રોજેક્ટ્સ પર ભાર મુકાશે. શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે ‘ગ્રીન કવર’ વધારવા અને ડાર્ક ઝોન વિસ્તારમાં પરકોલેટિંગ વેલ (જળસંચય) માટે વિશેષ જાેગવાઈની શક્યતા છે. ગત વર્ષના બજેટમાં ઘણી મહત્વકાંક્ષી જાહેરાતો કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક પ્રોજેક્ટ્સ હજુ પણ અમલીકરણની રાહ જાેઈ રહ્યા છે. જેમાં સિંધુભવન રોડ પર રૂ. ૪૭૦ કરોડનું સિટી સ્ક્વેર. સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર સાઈડ ડાઈનિંગ અને એક્ઝીબિશન સેન્ટર. રૂ. ૧૪૦ કરોડના ખર્ચે નારોલથી નરોડાનો આઈકોનિક રોડ અને ગોતા-ગોધાવી કેનાલનું રિડેવલપમેન્ટ (રૂ. ૧૭૦ કરોડ)નું કામ હજુ થઈ શક્યા નથી, એટલે કે હજું કાગળ પર છે.૨૦૨૫-૨૬ના બજેટના કાગળ પર જ રહેલા કેટલાક કામ જાેઇએ તો - તળાવોના વિસ્થાપિતો માટે ૪૦૦૦ આવાસ રૂ.૬૦૦ કરોડ,-જળસંચય માટે ૧૦૦૦ પરકોલેટિંગ વેલ રૂ.૭૮ કરોડ,- સિંધુભવન રોડ પર સિટીસ્કવેર રૂ.૪૭૦ કરોડ,-સાયન્સ એન્ડ ફ્યુચર મ્યુઝિયમ રૂ. ૭૦ કરોડ,સાત આઈકોનિક રોડ રૂ.૪૧૮ કરોડ,-ઝોન દીઠ એક કોમર્શિયલ સ્ટ્રીટ-કલ્ચરલ કોર્નર રૂ. ૫૦ કરોડ,- નારોલથી નરોડા સુધી આઈકોનિક રોડ રૂ. ૧૪૦ કરોડ,- રિવરફ્રન્ટ પર એક્ઝીબિશન સેન્ટર રૂ.પ૦ કરોડ,- ચાર સ્થળે ઈન્ટિગ્રેટેડ કોમર્શિયલ સ્ટ્રીટ રૂ. ,૮૫ કરોડ,-નેહરૂ-એલિસ બ્રિજ વચ્ચે રિવર સાઈડ ડાઈનિંગ રૂ. ૫૦ કરોડ,- વિન્ડ અને સોલાર પાવર પ્લાન્ટ રૂ. ૧૮૧ કરોડ,-એઆઈ આધારિત મ્યુનિ. સેવાઓ રૂ.૩૪ કરોડ,ગોતા-ગોધાવી કેનાલ રિડેવલપમેન્ટ રૂ.૧૭૦ કરોડ -શાહીબાગ અન્ડરપાસ રિકન્સ્ટ્રક્શન રૂ. ૩૦ કરોડ, સ્ટેન્ડિંગ કમિટી તેમાં જરૂરી સુધારા-વધારા કરીને મંજૂરી આપશેએમ.જે.લાયબ્રેરીનું ૧૮.૩૬ કરોડનું બજેટ : ૫૦ લાખના ખર્ચે ઓડિટોરિયમ સુવિધાસભર બનાવાશે અમદાવાદની એમ.જે.લાયબ્રેરીનું વર્ષ ૨૦૨૬-૨૭નું ૧૮.૩૬ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ૧૭.૧ કરોડના બજેટમાં ૧.૩૫ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. બજેટમાં ૫૦ લાખના ખર્ચે એમજે ઓડિટોરિયમ સુવિધાસભર બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. શાખા પુસ્તકાલય-હિમ્મતલાલ પાર્કમાં રીનોવેશન કરવા ૨૫ લાખનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય બજેટમાં સાહિત્યપ્રેમી નગરજનો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમ કરવા માટે ૨૦ લાખનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની ઐતિહાસિક શેઠ મા.જે. પુસ્તકાલયમાં મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં આજરોજ મળેલ અંદાજપત્રની ખાસ સભામાં ગ્રંથપાલ ડૉ. બિપીન મોદીએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૧૭ કરોડ ૦૧ લાખ ૬ હજારના રજૂ કરેલ ડ્રાફ્ટ અંદાજપત્રમાં શેઠ મા.જે.પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળના સભ્ય દ્વારા અમદાવાદ મહાનગરના વિદ્યાર્થીઓ તેમજ સાહિત્યપ્રેમી કલારસિકોને ઉપયોગી થવાના હેતુ રાખવામાં આવ્યું હતું. શેઠ મા. જે. પુસ્તકાલયમાં ૧૫૦ બેઠક ક્ષમતા ધરાવતું વાતાનુકૂલિત ઓડિટોરીયમ આવેલ છે. તેમાં વર્ષ દરમ્યાન શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સદર ઓડિટોરીયમમાં પ્રવર્તમાન સાઉન્ડ સીસ્ટમ આઉટડેટેડ થઈ ગયેલ હોવાથી નવીન ટેકનોલોજી આધારીત ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ, વિવિધ પ્રકારની એલ.ઈ.ડી. લાઈટ સીસ્ટમ, એલ.ઈ.ડી. સ્ક્રીન, આધુનિક સંસાધનો વસાવવાનું તેમજ મંચસ્થ મહાનુભાવો અને શ્રોતાગણ માટે આરામદાયક બેઠક વ્યવસ્થા સાથે ઓડિટોરીયમ સુવિધાસભર કરવાનું આયોજન. શેઠ મા.જે. પુસ્તકાલયના એન્ટ્રસમાં આવેલ ઘુમ્મટમાં ગ્લાસ મોજેકથી મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ ઉપસાવવાનું આયોજન,શેઠ મા. જે. પુસ્તકાલયએ જયપુરી સ્થાપત્ય ધરાવતું હેરિટેજ ભવન છે. પૂજય મહાત્મા ગાંધીજીના કરકમલોથી વર્ષ ૧૯૩૩માં પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ, જયારે વર્ષ ૧૯૩૮માં સરદાર વલ્લભભાઈ પટેલના વરદ્દહસ્તે જાહેર જનતાના લાભાર્થે ખૂલ્લું મૂકવામાં આવેલ છે. આ બન્ને વિરલ મહાનુભાવોની યાદમાં શેઠ મા. જે. પુસ્તકાલયના એન્ટ્રસમાં આવેલ ઘુમ્મટમાં ગ્લાસ મોજેકથી તેઓની પ્રતિકૃતિ ઉપસાવવાનું આયોજન. પુસ્તકાલયમાં ત્રણ પાળીમાં અધિકારીઓ/કર્મચારીઓ ફરજ બજાવે છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, જાન્યુઆરી 2026 5841   |  
Surat ના textile industry પર 500% US tariff નો ઘાત – અસ્તિત્વની લડાઈ !!

લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, જાન્યુઆરી 2026 3564   |  
નાના વરાછામાં રામજી મંદિર પાછળ તાપીમાં ફેંકાયેલું બાળકનું ભ્રૂણ મળ્યું

સુરત,  નાના વરાછા રામજી મંદિર પાછળ તાપીમાંથી બાળકનું ભ્રૂણ મળતાં ચકચાર મચી હતી. નદીકાંઠે ટેમ્પો ધોતા યુવકે પાણીમાં તરતાં ભ્રૂણ અંગે જાણ કરતાં પોલીસે સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરી હતી. કાપોદ્રા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર નાના વરાછમાં તપોવન સ્કુલ પાસે ગાયત્રી નગરમાં રહેતા જીગ્નેશ સુરેશભાઈ ખાણીયા ટેમ્પો ચલાવે છે. સુરેન્દ્ર નગરનાં ચુડા ગામના વતની જીગ્નેશ ૧૬મી તારીખે સવારે તેમનો જીજે ૦૫ સીવાય ૪૧૦૬ નંબરનો ટેમ્પો લઇ નાના વરાછા રામજી મંદિર પાછળ તાપી કિનારે ગયા હતાં. તેઓ અહીં તાપીમાંથી પાણી લઇ ટેમ્પો ધોવા માંડ્યા હતાં. આ દરમિયાન પાણીમાં તરતુ ભ્રૂણ જાેવા મળ્યું હતું. નદીનાં પ્રવાહમાં તરતુ ભ્રૂણ જાેઇ ચોંકી ઉઠેલા જીગ્નેશ ખાણીયાએ તુરંત ઓવારાની સફાઇ કરતાં પાલિકા કર્મચારી હિતેષ સોલંકી તથા રાજુભાઇ સોલંકીને જાણ કરી હતી. જાેતજાેતામાં ત્યાં લોકટોળું એકઠું થયું અને પોલીસ કંટ્રોલને કોલ કરાયો હતો. કોલ મળતાં પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. પોલીસે ભ્રૂણ અંગે આવશ્યક કાર્યવાહી કરી તેને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યું હતું. સાથે જ જન્મ છૂપાવવાના ઇરાદે અધૂરા માસે જન્મેલું કે ગર્ભપાત કરાયેલું ભ્રૂણ તાપી નદીમાં ફેંકી દેનાર અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, જાન્યુઆરી 2026 6831   |  
ઉઠમણાંનાં ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી કરોડોનાં કાપડ ખરીદીનાં કૌભાંડનો સૂત્રધાર ઝડપાયો

સુરત,  ઉઠમણું કરવાના ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી મોટાપાયે કાપડ ખરીદી બોગસ ચેક પધરાવવાનાં કૌભાંડમાં સૂત્રધાર એવા અજય તોલાનીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઉધના અમન સોસાયટીમાં રહેતા રજા અલી હુસેન સોલંકી આર.જે.એન્ટરપ્રાઇઝ નામથી પીવીસી બેગ મેન્યુફેક્ચરિંગ નો ધંધો કરે છે. સોલંકીના ધ્યાન પર એવી વાત આવી હતી કે, તેમની પેઢીનાં જીએસટી નંબર પર એવા બિલ નોંધાયા છે કે જેમની ખરીદી તેમણે કરી ન હતી. તેમણે સી એ વિનય કનોડીયા પાસે જીએસટી પોર્ટલ પર ચેક કરાવતા શ્રી કુબેરજી એમ્પાયર કો-ઓપરેટિવ કોમર્શિયલનું બીલ અપલોડ થયેલા દેખાતું હતું. કુબેરજી માર્કેટ પહોંચેલા રાજાઅલીને તેમની પેઢીનાં નામનું બોર્ડ અને જીએસટી નંબર દેખાયા હતા. વિશાલ સુરેશ ગુપ્તાની માલિકીની જણાવાયેલી આર જે એન્ટરપ્રાઇઝ પેઢીમાં જઇ સોલંકીએ તપાસ કરાતાં મેનેજ૨ રાશીદ શેખ અને કર્મચારી ક્રિષ્ના મળ્યા હતાં. તેઓએ તેમને વિશાલ ગુપ્તા અને હિતેષ વાઘાસિયા એ નોકરીએ રાખ્યાનું જણાવ્યું હતું, જેથી રાજાઅલીએ પોલીસ બોલાવી હતી. સારોલી પોલીસે માર્કેટ પહોંચી વિશાલની પૂછપરછ કરતાં તેણે દુકાન ભાડે આપી હોવાનું જણાવ્યું હતું. ભાડા કરારમાં આર.જે.એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર રાજેશ જેઠવાણીનાં આધાર કાર્ડ તથા પાનકાર્ડની ઝેરોક્ષ હતી. રાજેશ જેઠવાણીએ તેનું નામ સરનામું અને રાજાઅલીનો પાન નંબર લખી આ બોગસ પાનકાર્ડ બનાવ્યાનું ધ્યાને આવ્યું હતું. જેના કારણે વિશાલ ગુપ્તાને સારોલી પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જાે કે ત્યાં યોગ્ય કાર્યવાહી નહીં કરાતાં પોલીસ કમિશનરને રજૂઆત કરાઇ હતી. પોલીસ કમિશનર ગહલૌતની સૂચનાથી ઇકો સેલના ઇન્સ્પેક્ટર સોલંકીએ તપાસ આરંભી હતી. જેમાં રાજાઅલી ની આર જે એન્ટરપ્રાઇઝ પેઢીના જીએસટી નંબરનો દુરુપયોગ કરી વિશાલ સુરેશ કુમાર ગુપ્તા, સારોલીની અવધ માર્કેટમાં ૧૦૧૫-૧૦૧૬ નંબરની દુકાન ધરાવનાર વ્યક્તિ, મેનેજર રાશીખ શેખ, આર જે એન્ટરપ્રાઇઝ નો કર્મચારી ક્રિષ્ના સુરેશ, કાપડ દલાલ હીતેષ વઘાસીયા, કાપડ દલાલ મયંક જૈન, શુભમ અગ્રવાલ અને પંકજ માલ મંગાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ સામે રાજાઅલીની ફરિયાદ લઇ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉઠમણાંનાં ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી મોટાપાયે માલ ખરીદનારી આ ટોળકીના કૌભાંડની તપાસ ઇન્સ્પેક્ટર જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં નવેમ્બર ૨૦૨૪માં પંકજ ઉર્ફે સંજય ઉઘવદાસ માખીજા તથા દીપક શંકરલાલ ચેતુમલ ચંદાણીની ધરપકડ કરાઇ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે દીપકે કૌભાંડી અજય તોલાણીના કહેવાથી દુકાન ભાડે રાખી અને પેઢીના બોગસ ડોક્યુમેન્ટથી એક્સિસ બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. તેમણે આર.જે.એન્ટરપ્રાઇઝ નામથી બોગસ ભાડા કરાર જ નહોતો બનાવ્યો પરંતુ બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યા હતાં. તેઓએ મુંબઈના વેપારીઓ પાસેથી બે કરોડથી વધુંનો માલ ખોલાવી પેઢીના નામે ખોલાવાયેલા બોગ એકાઉન્ટમાંથી ચેક પણ આપ્યા હતા. આ હકીકત બહાર આવતાં પોલીસે અજય તોલાણીની તલાશ શરૂ કરી હતી. જાે કે, તે મળી નહીં આવતાં તેની સામે કોર્ટમાંથી ધરપકડ વોરંટ પણ મેળવાયું હતું. ભાઠેના રામદેવ નગર ખાતેનું મકાન ખાલી કરી નાસતાં ફરતાં કાપડ દલાલ અજય રમેશલાલ તોલાની (રહે.એફ/૭૦૨ પેલેડીયમ રેસીડેન્સી, ન્યુ અલથાણ રોડ)ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, જાન્યુઆરી 2026 3465   |  
૧૦.૭ તોલા સોનાનાં દાગીના ચોરી જનારા ૧૫૦ સીસી કેમેરાથી પગેરૂ દાબીને પકડાયાં

સુરત રિક્ષામાં મુસાફરી કરતી મહિલાના હાથમાંથી ૧૦.૭ તોલા સોનાનાં દાગીના તથા રોકડ ભરેલી બેગ આંચકી ફરાર થઇ જનારા બદમાશોને પોલીસે ૧૫૦ સીસી કેમેરા થકી પગેરૂ દાબીને દબોચી લીધા છે. આ બે બદમાશોએ મહારાષ્ટ્રનાં જલગાંવ ખાતેની જ્વેલરી શોપમાં વેચેલા ૬૪ ગ્રામ સોનાનાં દાગીના કબજે લેવાયા હતાં. સ્તાનની સ્વપ્ન સૃષ્ટિ રેસિડેન્સીમાં આલોક ઓમપ્રકાશ રાય ગત ૧૩મી જાન્યુઆરીએ તેમની પત્નિ સાથે રીક્ષામાં બેસી રેલ્વે સ્ટેશનથી ભેસ્તાન આવી રહ્યા હતાં. દરમિયાન સિદ્ધાર્થનગરથી નવસારી તરફ જતા રોડ પર આવેલ નવજીવન હોન્ડા શો રૂમ પાસે બે અજાણ્યા ઇસમોએ મોપેડ ઉપર પાછળથી આવી આલોકની પત્નીના હાથમાથી પર્સ ખેંચી નાસી છૂટયા હતા. ઝૂંટવી જવાયેલા પર્સની અંદર ૧૦૭ ગ્રામ સોનાનાં દાગીના, ચાંદીનો સિક્કો તથા રોકડા ૧૫,૦૦૦ હતાં. દસેક લાખ કિંમતની મતા ભરેલું પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયેલા બાઇકર્સ અંગે ફરિયાદ મળતાં ભેસ્તાન પોલીસે તુરંત સીસી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી. સર્વેલેન્સ સ્ટાફની અલગ અલગ ટીમોએ ઘટના સ્થળથી લઈ આરોપીઓ જે જે રસ્તાઓ ઉપર ગુનાને અંજામ આપી ભાગ્યા હતા તે દિશામાં લગભગ ૧૫૦ જેટલા સીસી કેમેરા ચેક કર્યા હતાં.જેમાં મળેલી માહિતીના આધારે સ્નેચિંગ કરનારા મોઇન ઉર્ફે બોબડા સરવરખાન પઠાણ અને ખાલીદ ઉર્ફે ભાંજા સાજીદ સૈયદને ઝડપી પાડયા હતા. તેમણે એવી કબૂલાત કરી હતી કે, સોનાના દાગીના લઈને મહારાષ્ટ્રના જલગાવ ખાતે ગયા હતા. જયાં પોતાના ઓળખીતા વ્યક્તિને સાથે લઇ પોતે ધંધામાં નુકસાની આવી ગઈ હોવાનું જુઠાણું ચલાવી નંદુરબારકર શરાફ નામની જવેલર્સ શોપમાં વેચી માર્યા હતા. પોલીસે જ્વેલરને હકીકત જણાવી ૬૪ ગ્રામ દાગીના રીકવર કર્યા હતા.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution