ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
06, મે 2026 3267   |  
ધોલેરા અને સુરતમાં ૪,૦૦૦ કરોડના સેમી કન્ડક્ટર પ્લાન્ટને કેન્દ્રની મંજૂરી

કેન્દ્ર સરકારે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાતમાં બે નવા સેમીકન્ડક્ટર એકમો સ્થાપવાની મંજૂરી આપી દીધી છે. આ પગલું માત્ર ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ નેક્સ્ટ જનરેશન ડિસ્પ્લે ટેકનોલોજી અને ચિપ પેકેજિંગમાં ભારતની હાજરી વૈશ્વિક સ્તરે નોંધાવશે. આ બંને પ્રોજેક્ટ્સમાં આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકાર અત્યાર સુધીમાં કુલ ૧૦ સેમીકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી આપી ચૂકી છે, જેમાંથી માઈક્રોન ટેકનોલોજી અને કેન્સ ટેકનોલોજી જેવી દિગ્ગજ કંપનીઓના પ્લાન્ટમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. સરકારે ગુજરાતના ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડની ૩,૦૬૮ કરોડ રૂપિયાના રોકાણવાળી ‘ઇન્ટિગ્રેટેડ કમ્પાઉન્ડ સેમીકન્ડક્ટર અને એડવાન્સ્ડ પેકેજિંગ’ સુવિધાને મંજૂરી આપી છે. આ યુનિટ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે કારણ કે તે ગેલિયમ નાઇટ્રાઇડ વેફર્સનું ઉત્પાદન કરશે, જે મિની અને માઇક્રો ન્ઈડ્ઢ ડિસ્પ્લેનો મુખ્ય હિસ્સો છે. તેની વાર્ષિક ક્ષમતા ૭૨,૦૦૦ ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ અને ૨૪,૦૦૦ સેટ ઇય્મ્ ય્ટ્ઠદ્ગ વેફર્સની હશે. આ પ્રોજેક્ટથી અંદાજે ૧,૬૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે. આ એકમ ભારતનું પ્રથમ માઇક્રો ન્ઈડ્ઢ ફેબ્રિકેશન યુનિટ હશે, જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદેશ મંત્રાલયનું વ્યૂહાત્મક સમર્થન પણ સામેલ છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડના આ પ્રોજેક્ટને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે આને એક વ્યૂહાત્મક દાવ ગણાવ્યો છે. હાલમાં વૈશ્વિક ડિસ્પ્લે ઇન્ડસ્ટ્રી એક મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. દાયકાઓ સુધી જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયાએ ન્ઝ્રડ્ઢ બજાર પર રાજ કર્યું, પરંતુ તાજેતરના વર્ષોમાં ચીને ભારે રોકાણના દમ પર આ ક્ષેત્રમાં પોતાની પકડ જમાવી લીધી છે. ગુજરાતના જ સુરત શહેરમાં સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક ઓએસએટી સુવિધાને કેબિનેટે લીલી ઝંડી આપી છે. ૮૬૮ કરોડ રૂપિયાના રોકાણથી બનનારું આ યુનિટ સેમીકન્ડક્ટર વેલ્યુ ચેઇનની એક મહત્વપૂર્ણ કડી છે. અહીં ‘લીડ ફ્રેમ’ અને ‘વાયર-બોન્ડ’ પેકેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચિપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ કરવામાં આવશે. આ યુનિટ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઓટોમોટિવ સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરશે. તેની વાર્ષિક ક્ષમતા ૬૭૩ મિલિયન સ્મોલ આઉટલાઇન ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને ૩૬૦ મિલિયન ટ્રાન્ઝિસ્ટર આઉટલાઇન પેકેજ તૈયાર કરવાની હશે. આ પ્લાન્ટથી અંદાજે ૬૩૦ લોકોને રોજગારી મળશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, મે 2026 3663   |  
પોરબંદરમાં ૧૨ વર્ષના કિશોરે ૪ વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચર્યું

ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. શહેરના ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પાડોશમાં રહેતા માત્ર ૧૨ વર્ષના એક સગીરે ૪ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આ શરમજનક કિસ્સો ત્યારે બન્યો જ્યારે ભોગ બનનાર ૪ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન પાડોશમાં જ રહેતો ૧૨ વર્ષનો કિશોર બાળકીને રમાડવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. બાળકીની માસૂમિયતનો લાભ ઉઠાવી કિશોરે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની ઉંમર ૧૨ વર્ષની છે અને તે ભોગ બનનાર બાળકીના પાડોશમાં રહે છે. જ્યારે ભોગ બનનાર બાળકીની ઉંમર ૪ થી ૫ વર્ષની હોવાનું મનાય છે. પ્રાથમિક વિગતો મુજબ, સગીરે બાળકી પર બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની તબિયત અચાનક લથડતા અને શારીરિક તકલીફ જણાતા પરિવારે પૂછપરછ કરી હતી, જેમાં આ ભયાનક સત્ય બહાર આવ્યું હતું. બાળકીના પરિવારજનોએ આ મામલે તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. કમલાબાગ પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધી છે. બાળકીની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક મેડિકલ પરીક્ષણ અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોપી પોતે સગીર વયનો હોવાથી પોલીસ દ્વારા ‘જુવેનાઈલ જસ્ટિસ એક્ટ’ (બાલ સંરક્ષણ ધારો) મુજબ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને તમામ પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી તેજ કરી છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 3465   |  
જામનગર કોર્ટે ગોસાબારા આરડીએકસ કેસમાં ૧૨ આરોપીઓને કસૂરવાર જાહેર કર્યા

વર્ષો જૂના અને સમગ્ર દેશને હચમચાવી દેનારા પોરબંદરના ગોસાબારા આરડીએકસ લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ૧૯૯૩ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટનું જે કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હતું, તેના વિસ્ફોટકો જે દરિયાઈ માર્ગે ભારત આવ્યા હતા તે કેસમાં કોર્ટે ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદો આતંકવાદ વિરુદ્ધ ભારતની કાયદાકીય લડાઈમાં એક મોટી જીત સમાન છે. જાન્યુઆરી ૧૯૯૩માં મુંબઈ વિસ્ફોટોના થોડા સમય પહેલા પાકિસ્તાનના કરાચીથી દરિયાઈ માર્ગે હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો ગુજરાત મોકલવામાં આવ્યો હતો. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણના ઈશારે પોરબંદરના ગોસાબારા દરિયાકિનારે આ ઘાતક સામાન ઉતારવામાં આવ્યો હતો. જેમાં આરડીએકસ એકે-૪૭ રાઈફલ્સ અને હેન્ડ ગ્રેનેડ્સનો સમાવેશ થતો હતો. આ જ વિસ્ફોટકોનો ઉપયોગ બાદમાં મુંબઈને લોહીલુહાણ કરવા માટે કરવામાં આવ્યો હતો.લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ આજે ન્યાય મળ્યો છે. કેસની ગંભીરતા આ આંકડાઓ પરથી સમજી શકાય છે: કુલ આરોપીઓ: ૪૬,કેસ દરમિયાન મૃત્યુ પામેલા આરોપીઓ: ૧૧,ડિસ્ચાર્જ થયેલા આરોપીઓ: ૦૬, સુનાવણીનો સામનો કરનાર આરોપીઓ: ૨૯,કોર્ટે દોષિત ઠેરવેલા આરોપીઓ: ૧૨ કોર્ટે જે ૧૨ આરોપીઓને આ ગુનામાં સામેલ ગણ્યા છે તેમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આદમ વાઘેર, અહેમદ ઇસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ લાખાણી (મેમણ), ઈફતેખાર અન્સારી, મહમદ અયુબ અન્સારી (અયુબ ટકલો), લખમણ હરદાસ આહીર, સલીમ કતા, મમુમિંયા ઉર્ફે પંજૂમિંયા સૈયદ બુખારી, ઇસ્તીયાક અહેમદ અન્સારી અને કાદીર અહેમદ શેખનો સમાવેશ થાય છે. તપાસમાં ખુલાસો થયો હતો કે આ વિસ્ફોટક સામગ્રી દાઉદ ઈબ્રાહિમ અને મુસ્તફા ડોસા દ્વારા પાકિસ્તાની બોટમાં મોકલવામાં આવી હતી. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, મે 2026 2871   |  
ભાવનગરમાં હેરાનગતિને કારણે યુવકે સળગી જઈને આપઘાત કર્યાે

ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં સાસરિયાઓના કથિત ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. યુવકે જ્વલનશીલ પ્રવાહી છાંટી પોતાની જાતને આગ ચાંપી દીધી હતી, જેમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. સારવાર દરમિયાન બે દિવસ બાદ હોસ્પિટલમાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું.  આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં યુવક તડફડાટ વચ્ચે આત્યંતિક પગલું ભરી રહ્યો હોવાનું નજરે પડે છે, જેને જાેઈ લોકોમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ છે.મૃતકના ભાઈ રાજેન્દ્ર રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારના જણાવ્યા મુજબ, યુવકને તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા લાંબા સમયથી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સતત હેરાનગતિને કારણે યુવકને આ આપઘાતનું પગલું ભરવા માટે મજબૂર થવું પડ્યું હોવાનું તેઓએ આક્ષેપ કર્યો છે. પરિવારે આરોપીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે, આરોપીઓને દાખલારૂપ સજા મળવી જાેઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, મે 2026 3663   |  
મુંદ્રા બંદરે સિંગાપોરથી આવેલું નકલી સિગારેટનું કન્ટેનર ઝડપાયું

ગુજરાતના મુંદ્રા બંદરેથી ફરી એકવાર મોટા પાયે થતી દાણચોરીનો પર્દાફાશ થયો છે. ડ્ઢઇૈં (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) એ એક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને સિંગાપોરથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે ૧૯.૮૭ કરોડની કિંમતની નકલી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કન્ટેનર માટે કોઈ પણ સત્તાવાર ‘બિલ ઓફ એન્ટ્રી’ રજૂ કરવામાં આવી નહોતી. દસ્તાવેજાેના અભાવે શંકા જતાં જ્યારે કન્ટેનરની તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી કુલ ૮૨,૮૦,૦૦૦ નકલી સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. ડ્ઢઇૈં એ આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને કસ્ટમ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સિંગાપોર જેવા દેશમાંથી આટલી મોટી માત્રામાં નકલી સિગારેટનો જથ્થો મુંદ્રા પોર્ટ પર ઉતરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ ડ્ઢઇૈં એ સિગારેટના આ જથ્થાને કોણે મંગાવ્યો હતો અને તે ક્યાં મોકલવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 2178   |  
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 2772   |  
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે. 



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, એપ્રીલ 2026 4752   |  
ભરૂચ લાફાકાંડ: ચૈતર વસાવાએ કેમ માર્યો લાફો? સચ્ચાઈ આવી સામે!

ભરૂચ જિલ્લામાં ઝઘડિયા GIDC વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ બાદ ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. પીડિત પરિવારો વળતર અને ન્યાયની માંગ સાથે એકત્ર થયા હતા. આ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર હાજર એક યુવાન સાથે તેમની બોલાચાલી થઈ અને મામલો લાફાકાંડ સુધી પહોંચી ગયો. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઘટનાને લઈને વિવિધ આક્ષેપો સામે આવી રહ્યા છે, જોકે સત્તાવાર રીતે હજી સુધી પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 4950   |  
ગ્રામ પંચાયત ભવન બનાવવા હોય તો ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રાન્ટ ફાળવાશે

ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ નું ગ્રાન્ટ ફાળવણી પર વિવાદિત નિવેદન બાદ મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી દ્વારા જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નું નિર્માણ તથા ૨૧ લાખ ગ્રાન્ટ ફાળવાશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે. શુ ચૂંટણી પંચ પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર સત્તા પક્ષ દ્વારા યેનકેન પ્રકારે પણ સત્તા હસ્તે કરવા વિવિધ હથકંડા અપનાવવામાં આવતાં હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેફામ વાણી વિલાસ કરી ધાકધમકી નું વાતાવરણ ઉભું કરી મતદારો પર હાવી થવાના પ્રયાસ કરતાં હોય ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ મિતેષ પટેલે ગ્રાન્ટ ફાળવણી ના મુદ્દે વિવાદિત નિવેદન કર્યાબાદ વધુ એક ભાજપ નેતા મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ સ્વરાજકીય સંસ્થા ના ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર સમયે વાણી વિલાસ કરતાં હોય તેમ જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નિર્માણ તથા ૨૧ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ચર્ચાની એરણે ચઢવા પામતાં રાજકારણ ગરમાતા શું ચૂંટણી આયોગ આ મુદ્દે પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 2178   |  
૧ વર્ષમાં ૪૦ લાખથી વધુને ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો

અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોની વધતી જતી ઘટનાઓ ચિંતાજનક સ્તરે પહોંચી છે. વધતા માર્ગ અકસ્માતો, બ્લેક સ્પોટ ગણાતા એક્સિડેન્ટ ઝોનની વાસ્તવિક સ્થિતિ હવે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. શહેરમાં દર વર્ષે હજારો અકસ્માતો થાય છે અને અનેક લોકોના મોત થાય છે, છતાં કાયદાનું પાલન કરવામાં લોકો હજુ ઘણા પાછળ હોવાનું જણાઈ આવે છે. છેલ્લા ૧ વર્ષમાં ૪૦ લાખથી વધુ અમદાવાદીઓ સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો આપવામાં આવ્યો છે.ટ્રાફિક પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર સૌથી વધુ સિગ્નલ તોડવાના કેસોમાં વધારો જાેવા મળ્યો છે. ત્યારબાદ ગેરકાયદે પાર્કિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, હેલ્મેટ વિના ફરતા વાહનચાલકો ટ્રાફિકનાં નિયમોનો ભંગ કર્યાનું આંકડાકીય માહિતીથી સ્પષ્ટ થાય છે. અમદાવાદ શહેરમાં પોલીસ અને એએમસી દ્વારા વિવિધ વિસ્તારોને “એક્સિડેન્ટ ઝોન” અથવા “બ્લેક સ્પોટ” તરીકે ઓળખવામાં આવ્યા છે, જ્યાં વારંવાર અકસ્માતો સર્જાય છે. ખાસ ઈસ્કોન રોડ, પીરાણા રોડ, નરોડા, નારોલ, ઓઢવ સહિત અનેક વિસ્તારો અકસ્માતો ઝોનમાં આવે છે. ટ્રાફિક સૂત્રો મુજબ અમદાવાદ શહેરમાં વર્ષ ૨૧-૨૨-૨૩માં ૨૯ બ્લેક સ્પોટ્સ, વર્ષ ૨૩-૨૪માં ૨૮ બ્લેક સ્પોટ્સ, વર્ષ ૨૪-૨૫માં ૨૬ બ્લેક સ્પોટ્સ નોંધાયા છે. અમદાવાદમાં વર્ષ ૨૩-૨૪-૨૫માં ૨૬ બ્લેક સ્પોટ્સ જૂના વાડજ સર્કલ, વિજય ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા થી રાજીવ ગાંધી ભવન (ગીતા મંદિર બસ સ્ટેન્ડ), નહેરૂ બ્રિજથી સીદ્દી સૈયદ મસ્જિદ, ઠક્કરનગર ચાર રસ્તા, નરોડા પાટિયા, અદાણી સર્કલ થી રામોલ ટોલનાકું, સીટીએમ ચાર રસ્તા, ઓઢવ રિંગ રોડ, રબારી કોલોની ચાર રસ્તાથી અજય ટેના છસ્જી બસ સ્ટેન્ડ, જશોદાનગર ચાર રસ્તા, રોપડા ચાર રસ્તા, પીરાણા ચાર રસ્તા, પીરાણા-પીપળજ રોડ, નારોલ સર્કલ (ફ્લાયઓવર અને પોલીસ સ્ટેશન સહિત), લાંભા (ભમ્મરિયા કૂવા, આકૃતિ ટાઉનશીપ), જુહાપુરા ચાર રસ્તા થી વિશાલા સર્કલ, શાંતિપુરા ચાર રસ્તા, બોપલ વકીલ સાહેબ બ્રિજ, વિશાલા સર્કલ થી શાસ્ત્રી બ્રિજ, આંબલી બસ સ્ટેન્ડ, નરિમાનપુરા થી સરખેજ ઢોળકા સર્કલ, પકવાન જંક્શન થી થલતેજ અંડરપાસની શરૂઆતમાં, ઈસ્કોન રોડ, રૂસ્ઝ્રછ ક્લબ થી દિવ્ય ભાસ્કર ઓફિસ, ઉજાલા સર્કલ (ગીતા મંદિર બસ સ્ટેશન) નોંધાયા છે. ટ્રાફિકનું ભારે દબાણ, ઓવરસ્પીડિંગ, ખામીયુક્ત રોડ ડિઝાઇન અને વાહનચાલકો દ્વારા નિયમોના ઉલ્લંઘનને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવે છે. વર્ષ ૨૦૨૫માં ૪૩૬ ફેટલ (જીવલેણ), ૮૧૨ ગંભીર, ૧૭૯ સામાન્ય, ૨૭૯ (નોન-ઈન્જરી) નુકસાનનાં ગુના નોંધાયા હતા. જેમાં ૪૪૫નાં મૃત્યુ થયા હતા, ૯૪૪ને ગંભીર ઈજા પહોંચવી, ૪૦૦ને સામાન્ય ઈજા સહિત ૧૭૮૯ લોકો વાહન અકસ્માતનો ભોગ બન્યા હતા. વર્ષ ૨૦૨૬માં જાન્યુઆરીમાં ફેટલ, ગંભીર, સામાન્ય અને નોન-ઈન્જરી (નુકસાન)નાં ૧૩૩ ગુના, ફેબ્રુઆરીમાં ૧૫૨, માર્ચમાં ૧૭૦, એપ્રિલમાં ૧૫૨ ગુના સહિત ૬૦૭ અકસ્માતનાં ગુના નોંધાયા છે. જ્યારે જાન્યુઆરીમાં અકસ્માતથી મોત નિપજવુ, ગંભીર ઈજા પહોંચવી કે સામાન્ય ઈજા થઈ હોય તેવા ૧૨૮ ગુના નોંધાયા હતા. ફેબ્રુઆરીમાં ૧૫૭, માર્ચમાં ૧૯૧, એપ્રિલમાં ૧૫૦ સહિત ૬૨૬ લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં છેલ્લા ૧ વર્ષમાં ટ્રાફિક ઈ-ચલણ ૧૫ જેટલા ગુનાઓનો ભંગ કરવા બદલ ૪૦ લાખથી વધુ લોકોને ૨૬૦ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. અકસ્માત ઝોન વિસ્તારોમાં સ્પીડ બ્રેકર, રંબલ સ્ટ્રીપ, ટ્રાફિક સિગ્નલ, ઝેબ્રા ક્રોસિંગ, રિફ્લેક્ટિવ સાઈનેજ, પોલીસ પેટ્રોલિંગ અને ઝ્રઝ્ર્ફ મોનિટરિંગથી અકસ્માતોને નિવારવા પગલા લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં પોલીસ અને પ્રશાસને હજુ અસરકારક પગલાં ભરવાની જરૂર છે. નોંધાયેલા કેસો વસૂલાયેલી રકમ સિગ્નલ તોડવા ૬૩૮૪૮ ૩૭૦૮૬૦૦૦ ગેરકાયદે પાર્કિંગ ૫૩૫૨૫૮ ૩૪૬૪૭૩૦૦૦ રોંગ સાઈડ ડ્રાઈવિંગ ૧૮૬૦૧૮ ૩૭૩૯૪૬૫૦૦ હેલ્મેટ વિના ૨૭૨૨૬૬૨ ૧૩૬૧૩૩૧૦૦૦ મર્યાદિત સીટ થી વધુ લોકોને બેસાડવા ૨૧૬૫૧ ૧૨૯૯૯૫૦૦ સીટબેલ્ટ વગરના ૭૯૪૩૩ ૩૯૭૧૬૫૦૦ મોબાઈલનો ઉપયોગ કરવો ૨૦૨૮૯ ૧૦૩૫૭૫૦૦ ઓવરસ્પીડ ૭૬૬૮૧ ૧૭૯૩૬૪૫૦૦ ડાર્ક ફિલ્મ ૨૫૮૪૭ ૧૫૬૯૪૦૦૦ ૨ વ્હીલર પર ૩ને બેસાડવા ૩૦૩૧૬ ૩૦૩૧૬૦૦ લાયસન્સ વિના ૨૭૪૪૩ ૬૦૮૫૧૦૦૦ વીમા કે પરમિટ વગરના વાહન ૧૦૯૯૦૧ ૯૦૨૨૨૦૦૦ ૧૮ થી નીચેના (વાહન ચલાવવુ) ૪ ૧૦૦૦૦ ફેન્સી નંબર પ્લેટ ૪૨૬૫૮ ૧૫૨૩૫૮૦૦ અન્ય ગુના ૭૪૫૫૮ ૫૭૪૭૪૪૦૦ ટોટલ ૪૦૧૬૫૬૭ ૨૬૦૩૭૯૩૩૦૦ બ્લેક સ્પોટ્સ એટલે શું? રોડ પર બ્લેક સ્પોટ એ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે કે મુખ્ય જિલ્લા માર્ગ તેજમ અન્ય રસ્તાઓનો લગભગ ૫૦૦ મીટરનો વિસ્તાર જેમાં છેલ્લા ૩ કેલેન્ડર વર્ષ દરમિયાન ૫ માર્ગ અકસ્માતો (ત્રણ વર્ષમાં મળીને મૃત્યુ કે ગંભીર ઇજાઓ) થયા છે અથવા છેલ્લા ૩ કેલેન્ડર વર્ષો (૨૦૨૩-૨૪-૨૫) દરમિયાન ૧૦ કે તેથી વધુ મૃત્યુ (ત્રણ વર્ષમાં મળીને) થયા છે. કુલ મળીને ૫ કે વધુ ગંભીર માર્ગ અકસ્માતો અથવા ૧૦ કે વધુ મૃત્યુ થયા હોય. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 2376   |  
ટ્રાફિકમાં ફરજ બજાવતા ટીઆરબી જવાને યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યું

અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતી અને સલૂન મેનેજર તરીકે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ઇનકાર કરનાર ટીઆરબી જવાન વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી કલ્પેશ બૈસાણેએ યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હોવા છતાં લગ્ન કરવાની ના પાડતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર યુવતી નવરંગપુરાના એક સલૂનમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ત્રણ વર્ષ પહેલાં વાસણા પોલીસ સ્ટેશન ખાતે તેની મુલાકાત ટીઆરબી જવાન કલ્પેશ બૈસાણે સાથે થઈ હતી. આ મુલાકાત બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ અને વાતચીત શરૂ થઈ હતી, જે ધીરે ધીરે પ્રેમસંબંધમાં પરિણમી હતી. પ્રેમસંબંધ દરમિયાન આરોપી કલ્પેશે યુવતીને લગ્નનો વાયદો આપ્યો હતો. વસ્ત્રાપુર વિસ્તારની એક હોટલમાં મુલાકાત વખતે લગ્નનું વચન આપી તેણે યુવતી સાથે પ્રથમવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. બંનેએ કાયદેસર રીતે મૈત્રી કરાર પણ કર્યા હતા. આરોપી અવારનવાર યુવતીના ઘરે જતો અને ત્યાં રાત્રિ રોકાણ પણ કરતો હતો. છેલ્લા બે મહિનાથી યુવતી જ્યારે પણ લગ્નની વાત કરતી, ત્યારે આરોપી કલ્પેશ કોઈને કોઈ બહાના હેઠળ વાત ટાળી દેતો હતો. એક અઠવાડિયા પહેલા યુવતીએ લગ્ન માટે દબાણ કરતા કલ્પેશે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પોતાની સાથે થયેલા વિશ્વાસઘાત બાદ યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ન્યાયની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આરોપી કલ્પેશ બૈસાણેની ધરપકડ કરી છે. આરોપી હાલ ટ્રાફિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટીઆરબી તરીકે ફરજ બજાવે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 2376   |  
નિયમનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ થશે

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા હોળી ચકલા - ચમનપુરા વિસ્તારમાં માંસ, માછલી, ચિકન અને મટન જેવા નોનવેજ ચીજ વસ્તુઓના વેચાણ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાે કોઈપણ વ્યક્તિ અસારવાના ચમનપુરા અને હોળી ચકલા વિસ્તારમાં નોનવેજનું વેચાણ કરશે તો તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. હોળી ચકલા અને ચમનપુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં નોનવેજનું વેચાણ થાય છે અને એરપોર્ટથી નજીકનો વિસ્તાર આવેલો છે ત્યારે કોઈપણ પ્લેન ઉડતી વખતે બર્ડ હિટ થવાની સંભાવના રહેલી છે જેના પગલે આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, હોળી ચકલા અને ચમનપુરા વિસ્તાર અમદાવાદ એરપોર્ટની નજીક આવેલો વિસ્તાર છે. એરપોર્ટ પર અસારવા અને કોતરપુર એમ બે તરફથી પ્લેન આવતા હોય છે ત્યારે એરપોર્ટ એન્વાયરમેન્ટ કમિટી દ્વારા એરપોર્ટની નજીકના વિસ્તારમાં પ્લેનની સુરક્ષા માટે બર્ડ હીટનો પ્રશ્ન ઊભો ન થાય તેના માટે થઈ સૂચન કરવામાં આવ્યું હતું જેના પગલે અસારવાના ચમનપુરા અને હોળી ચકલા વિસ્તારમાં જ્યાં ફીશ માર્કેટ તેમજ નોનવેજનું વેચાણ થાય છે તેના ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અસારવાના ચમનપુરા અને હોળી ચકલા વિસ્તારમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધના જાહેર નોટિસના બેનર લગાવી દીધા છે. બેનરમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર જનતાને જણાવવાનું કે હોળી ચકલા-સમનપુરા વિસ્તારમાં ફીશ-ચીકન તથા મીટ નું વેચાણ થતું હોવાથી સમડી, ગીધ જેવા પક્ષીઓ વિપુલ પ્રમાણમાં ત્યાં ઉડે છે, જેના લીધે પ્લેન સાથે બર્ડ હિટીંગ થવાની શક્યતાં વધી જાય છે. આ જગ્યા પ્લેનના ટેક ઓફ વે તથા લેન્ડીંગ વે હોવાથી ધ ભારતીય વાયુયાન વિધેયક-૨૦૨૪ની કલમ ૨૫ (૨) તથા ધ એસ્ક્રાફટ રુલ્સ-૧૯૩૭ ના રૂલ્સ ૯૧ મુજબ એરોડ્રામ સંદર્ભ બિંદુથી ૧૦ કિ.મી.ત્રિજયામાં અહીં કોઈ હોનારત ના થાય તે માટે આ જગ્યાં હોળી ચકલા-ચમનપુરા વિસ્તારમાં કીશ તથા મીટનું વેચાણ કરતાં વેન્ડર્સ તથા દુકાનદારોને અહીં વેચાણ કરવા દેવા પર સ્પષ્ટ-પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે. જાે તેમ કરવામાં કસૂર થશે, તો આપના વિરુધ્ધ ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૨૫(બી) હેઠળ ૩ વર્ષ સુધીની સખત કેદની સજા તથા રૂ.૧૦ હજારનો દંડ થશે.અસારવા વિસ્તારમાં હોળી ચકલા અને ચમનપુરા જે ચામુંડા બ્રિજનો વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં બકરા બજાર અને ફિશ માર્કેટ ભરાય છે જેના કારણે થઈને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પક્ષી - સમડીઓ ઉડતી હોય છે. ઘણી વખત વાહનચાલકોને પણ હેરાનગતિ થતી હોય છે એટલી મોટી પ્રમાણમાં પક્ષીઓ ઉડતા હોય છે ત્યારે હવે આ વિસ્તારમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 2277   |  
નારણપુરામાં એએમટીએસ બસની બ્રેક ફેલ થતાં અકસ્માત

શહેરના નારણપુરા વિસ્તારમાં નિકેતન સોસાયટી પાસે એએમટીએસબસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને બે બાઈકને બસે ટક્કર મારી હતી. જ્યારે બાઈક ચાલકને સામાન્ય ઇજા થઈ હતી. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. સ્થાનિક લોકોએ ડ્રાઇવરને પકડી લીધો હતો અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડ્રાઇવર નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો જાે કે સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.મળતી માહિતી મુજબ એએમટીએસ બસની લાલ દરવાજાથી લાલ દરવાજાની ૪૦૦ નંબરની સર્ક્યુલર રૂટની બસ નારણપુરા ચાર રસ્તાથી આગળ નિકેતન સોસાયટી પાસે જઈ રહી હતી. દરમિયાનમાં બસની બ્રેક ફેલ થતા બાઈક અને કારની પાછળ બસ અથડાતા કાર અને બાઈકને જાેરદાર ટક્કર મારી હતી. જેના કારણે થઈને બાઈક ચાલક નીચે પડી ગયો હતો.અકસ્માતમાં બાઈક ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. એએમટીએસના એક્સિડન્ટ ઇન્સ્પેક્ટર સ્થળ પર પહોંચ્યા હતા. આદિનાથ બલ્ક કેરિયર્સ લી પ્રાઇવેટ ઓપરેટરની ટેકનિકલ ટીમ સ્થળ પર આવી ગઈ હતી.એએમટીએસ તંત્રના જણાવ્યા મુજબ બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો અને તેમાં ત્રણ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. ડ્રાઇવરને પોલીસ સ્ટેશન ખાતે હાજર કરી દેવામાં આવ્યો છે. ડ્રાઇવરનું નામ ભુખણસિંહ છે. રોડ ક્રોસ કરતા યુવકને ટ્રકે ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત સરખેજ વિસ્તારમાં રત્નકર બિલ્ડરની કોલોનીમાં મૂળ રાજસ્થાનના દિનેશ કોટેડ તેમના મોટાભાઈ સુખદેવભાઈ કોટેડ અને પરિવાર સાથે રહે છે. ગઈકાલે ૬ મેના રોજ રાત્રે ૯:૩૦ વાગ્યાની આજુબાજુ દિનેશભાઈ તેમના ઘરે હાજર હતા. ત્યારે તેમની ભાભીનો ફોન આવ્યો હતો કે બોપલ બ્રિજ પાસે તેમના ભાઈનો અકસ્માત થયો છે. જેથી તેઓ બોપલ બ્રિજ પાસે પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થયેલું હતું. ટોળામાં તેમના ભાઈનો દીકરો રાહુલ હાજર હતો.રાહુલને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે સુખદેવ રિક્ષામાં ચાંગોદરથી બોપલ બ્રિજ સુધી આવ્યો હતો ત્યારે તેને લેવા માટે આવ્યા હતા. બોપલ બ્રિજના છેડે સરસ્વતી હોસ્પિટલ તરફ તેમણે રિક્ષા ઉભી રખાવી હતી. જે બાદ રોડ ક્રોસ કરીને આવતા હતા ત્યારે ટ્રક ચાલકે સુખદેવભાઈને જાેરદાર ટક્કર મારી હતી. આ સમયે ઘટના સ્થળ પર જ સુખદેવભાઈનું મોત થઈ ગયું હતું. જ્યારે ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજ ઉપરથી પટકાયો, સારવાર દરમિયાન મોત અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજની પાળી સાથે અથડાઈ બ્રિજ પરથી નીચે પટકાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સંજય મકવાણા નામના બાઇક ચાલકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જાે કે સારવાર દરમિયાન મોત થયું હતું.બાઇક ચાલક ન્યુ રાણીપથી બલોલનગર તરફ બાઇક ચાલક જઈ રહ્યો હતો ત્યારે બલોલ નગર બ્રિજ ઉપર ઝડપના કારણે બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યાર બાદ નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ ઇજાને કારણે ખૂબ જ લોહી નીકળવા લાગ્યું હતું. બ્રિજ પર થતા અકસ્માતથી સ્થાનિકો પણ પરેશાન થયા છે.બ્રિજ ઉપર જાેખમી વળાંકના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે.થોડા સમય અગાઉ પણ આ જ બ્રિજ ઉપર આ પ્રકારના એ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક બ્રિજ પરથી નીચે પટકાતા સ્થળ પર મોત થયું હતું. બ્રિજ ઉપર સુરક્ષા વ્યવસ્થા માટે ટ્રાફિક વિભાગ દ્વારા એએમસીને જાણ કરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 2178   |  
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 2376   |  
બે પતિએ તરછોડ્યા બાદ પાડોશીનાં પ્રેમમાં પણ દગો મળતાં યુવતીએ ફાંસો ખાધો

 પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સિંગણપોરનાં તળાવ ફળિયામાં જયેશ ચંદુભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. આ પટેલ પરિવારનાં સામે બારણે કેયુર સંજય મોદી તેની રત્ની અનમોલ સાથે રહે છે. જયેશભાઇએ તેમની દીકરી મોનિકાનાં લગ્ન વર્ષ ૨૦૦૯માં કિંજલ નટવરલાલ પટેલ સાથે કરાવ્યા હતાં. તેમને દાંપત્ય જીવનમાં એક દિકરો થયો હતો. ત્યારબાદ મોનિકા અને કિંજલ વચ્ચે અણબનાવ બનતાં તેઓ ૨૦૧૪માં છૂટા પડ્યા હતાં. મોનિકા તેના દિકરાને લઇ પિયર રહેવા આવી ગઇ હતી.મોનિકાએ થોડા સમય બાદ બ્રિજેશ યશવંતભાઇ પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતાં. તેમાં ઓક્ટોબર ૨૦૧૮માં તેણીને એક દીકરી થઇ હતી. મોનિકાને બ્રિજેશ સાથે પણ ખટરાગ સર્જાયો હતો. જેથી દોઢેક વર્ષથી તે ફરી પિયર આવી માતા-પિતા સાથે રહેવા માંડી હતી. દરમિયાન ફેબ્રુઆરી ૨૦૨૬માં પાડોશી કેયુરની પત્ની અનમોલ મોદીએ જયેશભાઇને કોલ કર્યો હતો. તેણીએ કહ્યું કે, તમારી દીકરી મોનિકાને મારા પતિ કેયુર સાથે પ્રેમ સંબંધ છે, જાે કે તેણીએ આ અંગે કોઇ પુરાવા આપ્યા ન હતાં. અનમોલનાં આ કોલ બાદ જયેશ પટેલ કેયુર મોદીને ભરીમાતા મંદિરે મળ્યા હતાં. કેયુરનાં મોટા પપ્પા ધનસુખ મોદીની હાજરીમાં જયેશ પટેલે કેયુરને મોનિકા સાથેનાં સંબંધ અંગે પૂછ્યું હતું. તેણે આવું કંઇ નથી એમ કહી વાત પુરી કરી હતી. પિતાએ મોનિકાને પણ આ મામલે પૂછ્યું તો તેણીએ આવું કંઇ નથી એમ કહ્યું હતું. આ વાતને અઠવાડિયું વિત્યા બાદ ૧૯મી તારીખે સવારે મોનિકાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મોનિકાનાં અંતિમ સંસ્કાર અને મરણોત્તર વિધિ પુરી થયા બાદ પત્ની કલા તથા દીકરી પિંકીએ જયેશભાઇને જણાવ્યું હતું કે, નાની દીકરી ચૈતાલીને પ્રસુતિ માટે હર્ષ હોસ્પિટલ દાખલ કરાઇ હતી ત્યારે ૧૩ ફેબ્રુઆરીએ મોનિકા જમવાનું આપવા ગઇ હતી. એ સમયે ત્યાં અનમોલ મોદી પણ હતી. અનમોલે એ સમયે મોનિકા સાથે ઝઘડો કર્યો અને પછી માર મારવા માંડ્યો હતો. મોનિકા જેમ તેમ કરી બચીને ત્યાંથી ભાગી હતી. તે પછી ૧૪મી તારીખે અનમોલ મોદીએ ફરી મોનિકાને કોલ કરી મળવા બોલાવી અને ઝઘડો કર્યો હતો. તેણીએ એવી ધમકી આપી હતી કે, તારી દીકરી ફિઓનાની કસ્ટડી તેના પિતાને અપાવી દઈશ, તારા પપ્પાને બધી વાત જણાવી દઇશ. કાકી પિન્કીએ પૂછ્યું તો મોનિકાએ જણાવ્યું હતું કે, અનમોલ અને કેયુર વચ્ચેનાં પ્રોબ્લેમ મને પરેશાન કરે છે. મેં મારૂ બધું સોનું અને પૈસા કેયૂરને કેસ પૂરો કરવા આપ્યા છે, કેયુરે છૂટાછેડા લઈ મને તથા મારા છોકરા-છોકરીને સાથે રાખશે એમ કીધું છે. આ બધી વાત કેયુરની પત્નીને ખબર પડી જતાં કેયુરે મને દગો આપ્યો છે, હવે તે કહે છે કે તારે મરવું હોય મરી જા મારે શું ? અને મારી સાથે જે થયુ તે તું ભૂલી જા. હું હવે અનમોલ ને છોડવાનો નથી. આ વાત બાદ મોનિકાએ આપઘાત કરી લીધો હતો. આ તથ્ય બહાર આવતાં જયેશ પટેલે કેયુર સંજય મોદી અને તેની પત્ની અનમોલ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 2277   |  
વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ બચાઓ અભિયાનની શરૂઆત

કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસના સંગઠન મજબૂત બનાવવા સંગઠન સૃજન અભિયાનની ગુજરાત રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નક્કી કરવામાં આવેલ જિલ્લા અને શહેરનાં પ્રમુખો દ્વારા જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષનાં ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા જેથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપેક્ષા કરતા વિપરિત પરિણામ આવતા અને કોંગ્રેસને મળેલી નિરાશાજનક હાર માટે જવાબદાર પદાધિકારીઓને ઓળખી કાઢવા અને પાર્ટીનાં સંગઠનને મજબૂત કરવા માટે કોંગ્રેસનાં ચિંતિત આગેવાનોએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સુરત સર્કિટ હાઉસ ખાતે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીનાં વરિષ્ઠ નેતા ગૌરવ પંડ્યાની આગેવાની હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગમાં વિસ્તૃત ચર્ચા બાદ એકમતે ર્નિણય લેવામાં આવ્યો કે,સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ બચાઓ અભિયાન શરૂ કરવામાં આવશે.આ અભિયાન અંતર્ગત દિલ્હી સ્થિત એઆઇસીસીની ઓફિસ ખાતે ધરણાં ધરવાનું તેમજ ઝોન વાઇસ સંમેલનોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પ્રથમ સંમેલન દક્ષિણ ગુજરાતમાં અને ત્યારબાદ ઉત્તરગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્યગુજરાત અને છેલ્લું સંમેલન અમદાવાદ ખાતે યોજવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. મીટિંગમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે, "સારો તે કામનો નહીં પણ મારો તે સારો"ની નીતિ અને કેટલાક જિલ્લા તથા શહેર પ્રમુખોની કથિત ભાજપ સાથેની સોદેબાજીને કારણે પાર્ટી સંગઠન વિસર્જનના પથ પર જઈ રહ્યું છે. આ અભિયાન દ્વારા આવા તત્વોને ઓળખીને પાર્ટીને પુન:સ્થાપિત કરવામાં આવશે અને કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને આત્મવિશ્વાસ જગાડવામાં આવશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 2178   |  
૨૫ ટકા નફો આપવાના વાયદે કંપનીમાં રોકાણ કરાવી સંબંધીઓ દ્વારા જ ૪.૭૬ કરોડની છેતરપિંડી

બાય ઇન્ડિયા નામની પોતાની કંપનીમાં રોકાણ કરવાથી ૨૫ ટકા નફો આપીશું એમ કહી ૪.૭૬ કરોડનું ફ્રોડ કરનારા દારૂકા પિતા-પૂત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. સિટીલાઇટ રોડ ઉપર અણુવ્રત દ્વાર પાસે સૂર્યદર્શન એપાર્ટમેન્ટમાં સંજય મહાવીરપ્રસાદ મુરારકા તેમના પરિવાર સાથે રહે છે. તેમના દૂરનાં સંબંધી પરવીન પશુપતિ દારૂકા તથા હર્ષ પરવીન દારૂકા એ વર્ષ ૨૦૧૫-૨૦૧૬ માં “બાય ઇન્ડિયા’ નામની ફેકટરી ચાલુ કરેલ હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં પરવીન દારૂકાએ સંજય મુરારકાનાં ઘરે જઇ તેમની કંપનીમાં રોકાણ અંગે વાત કરી હતી. તમે જે રોકાણ કરશો તેની ઉપર ૨૫% નફો ચુકવવાનો વિશ્વાસ તથા ભરોસો તેણે આપ્યો હતો. આ મીટિંગમાં હાજર હર્ષ દારૂકા એ પણ ઉંચા વળતરનું પ્રલોભનો આપ્યું હતું. જુના સંબંધ હોય સંજય મુરારકાએ તેમની વાતમાં ભરોસો મૂક્યો અને ૨૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે તેઓએ માર્ચ-૨૦૨૫ સુધીમાં નફા સાથે ૭૬,૨૯,૩૯૫ રૂપિયા ચૂકવવાનો વાયદો કર્યો હતો. આ ઉપરાંત સંજય મુરારકાએ તેમની પત્ની સીમાનાં એકાઉન્ટમાંથી ૬૦ લાખ રૂપિયા પરવીન પશુપિત દારૂકા ને રોકાણ પેટે આપ્યા હતાં. જેમાં ૨૫ ટકા લેખે માર્ચ-૨૦૨૫ સુધી ૨.૨૯ કરોડ રૂપિયા તેમણે આપવાના થતાં હતાં. આ ઉપરાંત સંજય મુરારકાએ તેમની દીકરી મેઘના પાસે પણ ૨૦ લાખનું રોકાણ કરાવ્યું હતું. જેની સામે દારૂકા પિતા-પૂત્રએ ૭૬,૨૯,૩૯૫ રૂપિયા આપવાના હતાં.ધંધામાં મૂડી તરીકે આ રોકાણ લીધા હાદ પરવીન અને હર્ષ દારૂકાએ વળતર રૂપે એકપણ રૂપિયો મુરારકા પરિવારને ચૂકવ્યો ન હતો. પૈસાની માંગણી કરાઇ તો આ પિતા-પૂત્રએ એક સાથે બધો હિસાબ કિતાબ સમજી લઈશું એમ કહી સમય પસાર કર્યો હતો. બાદમાં તેઓએ કંપનીમાં જીએસટીનો ઇશ્યુ થયો છે એમ કહી બીજા ૪૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. પૈસા નહીં મળે તો ધંધામાં મોટી મુશ્કેલી સર્જાશે એમ કહી જી.એસ.ટી. ની સમસ્યા માંથી નિકળી તમારા તમામ નાણાં ચૂકવી દઈશું એવો વિશ્વા સ ભરોસો તેઓએ આપ્યો હતો. જેથી મુરારકાએ સને-૨૦૨૧માં રોકડા ૪૫ લાખ રૂપિયા તેમને આપ્યા હતાં. ત્યારપછી વર્ષ ૨૦૨૪માં પશુપતિ દારૂકા અને તેમનો દિકરા હર્ષ સાથે મશીનરી ખરીદવા માટે અરજન્ટ જરૂર હોવાનું કહી ૩૫ લાખ રૂપિયા લઇ ગયા હતાં. આ રીતે સપ્ટેમ્બર ૨૦૧૮થી માર્ચ ૨૦૨૧ સુધીમાં મુરારકા પરિવાર પાસે પિતા પૂત્રએ ધંધામાં એક કરોડ રોકાણ લીધું અને માર્ચ ૨૦૨૫ સુધી કુલ ૩,૮૧,૪૬,૯૭૫ રૂપિયા ચૂકવવાનો વાયદો કર્યો, જ્યારે રોકડા ૮૦ લાખ મળી કુલ ૪,૭૬,૫૩,૦૦૦ રૂપિયા તેઓએ આપવાના થતાં હતાં. આ અંગે લખાણ તો તેઓએ કરી આપ્યું પંરતુ પૈસા ચૂકવ્યા ન હતાં. જેથી સંજય મુરારકાએ અલથાણમાં માન સરોવર બંગલો પાસે મીરા હોમ્સમાં રહેતાં પરવીન અને હર્ષ દારૂકા સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, મે 2026 3465   |  
પત્નીને તરછોડી જર્મની રહેતા પતિને માસિક ૨૫ હજાર ભરણપોષણ ચુકવવા હુકમ

વિદેશ સ્થાયી થઈને પત્નીને ભારતમાં નિરાધાર હાલતમાં છોડી જતા એનઆરઆઈ પતિને શબક શીખવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જર્મનીમાં રહેતા પતિએ સુરતમાં રહેતી પત્નીને માસિક રૂા.૨૫ હજાર ભરણપોષણ ચુકવવાનો ફેમિલી કોર્ટે હુકમ કર્યો છે. દીકરીને વિદેશ મોકલવાની ઘેલછાનો છેદ ઉડાડતાં આ કેસની વિગત એવી છે કે, શહેરનાં વેડરોડ વિસ્તારમાં રહેતી સીમા (નામ બદલેલ છે)ના વર્ષ-૨૦૧૫ માં સુરતના અડાજણના વતની અને હાલ બર્લીન (જર્મની) માં સ્થાયી થયેલા રાહુલ (નામ બદલેલ છે) સાથે લગ્ન થયાં હતાં. વિદેશ સ્થાયી થવાના સપનાઓ બતાવી રાહુલના પરિવારે સીમાનાં લગ્ન કરાવ્યાં હતાં. જો કે ૨ વર્ષ વિદેશ (જર્મની)માં રાખ્યા બાદ રાહુલે સીમાને તરછોડી દીધી હતી. જેથી તેણીએ અત્રેની ફેમીલી કોર્ટમાં એડવોકેટ અશ્વિન જે.જોગડિયા મારફતે ભરણપોષણ મેળવવા કેસ કર્યો હતો. જેમાં પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, શરૂઆતમાં પતિ લગ્ન કરીને વિદેશ જતો રહ્યો હતો. જ્યારે તેણીને સાસુ-સસરા સાથે અડાજણમાં રાખવામાં હતી. ત્યારબાદ વર્ષ-૨૦૧૬ ના અંતમાં પતિ તેણીને જર્મની લઈ ગયો હતો. જ્યાં પતિ મોડી રાત્રે પાર્ટી કરીને ઘરે આવતો તથા વાપરવા પૈસા પણ આપતો ન હતો અને પૈસા માંગે કે કોઈ ફરિયાદ કરે તો ભારત મોકલી આપવાની ધમકી આપતો હતો. દરમિયાન સીમાએ ફેમિલી કોર્ટમાં કેસ કરતાં પતિ એક પણ વખત કોર્ટમાં હાજર રહ્યો ન હતો, અને સમગ્ર કેસ એક તરફી ચાલીને પુરો થયો હતો. પત્ની દ્વારા પતિના દસ વર્ષના ભારતનાં ઈન્કમટેક્ષ પેપર્સ અને પાસપોર્ટ સહિતની વિગત કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. બીજી બાજુ પતિએ પત્નીની સામે જર્મનીમાં છુટાછેડાનો કેસ કર્યો હતો અને તેની નોટિસ પત્નીને મોકલી હતી. જે નકલ પણ ફેમિલી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે પુરાવાઓ માન્ય રાખી પતિને માસિક રૂા.૨૫૦૦૦ ભરણ પોષણ પત્નીને ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો. વધુમાં એડવોકેટ જોગડિયાની રજૂઆત ધ્યાને લઈને કોર્ટે ટાંક્યું હતું કે "સામાવાળા જર્મની, બલિર્નમાં કમાણી કરે છે અને જર્મનીની કરન્સી એક યુરોની ભારતીય ચલણ મુજબ ૧૧૦ રૂપિયા જેટલી થાય. જે ધ્યાને લેતા સામાવાળા ભારતીય ચલણ મુજબ ઓછામાં ઓછી માસિક રૂા. ૧ લાખથી વધુની કમાણી કરવા સમર્થ હોવાનુ સ્પષ્ટ રીતે સ્વીકારી શકાય તેવા સંજોગો છે." આ ચુકાદો પત્નીને તરછોડી દેતા અને વિદેશમાં રહેતા પતિઓ માટે લાલબત્તી સમાન હોવાનુ અરજદારનાં વકીલે જણાવ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, મે 2026 3168   |  
નાની બહેનનાં એડમિશન માટે ગયેલી મોટી બહેને પોતાનો જીવ ગુમાવ્યો

સુરત શહેરનાં લસકાણા વિસ્તારમાં હૃદયવિદારક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં નાની બહેનનાં એડમિશન માટે ગયેલી બીબીએની વિર્દ્યાથિનીનું એસટી બસ અડફટે મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વતની અને હાલ સુરત નજીક વેલંજા સ્થિત શેખપુર ગામની હરિદર્શન સોસાયટીમાં રહેતા કેતનભાઈ સોલંકી હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને બે પુત્રીઓ છે. મૃતક ૨૦ વર્ષીય સ્વાતિ સોલંકી વિશ્વભારતી ગર્લ્સ કોલેજમાં બીબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી તેજસ્વી વિર્દ્યાથિની હતી. તેની નાની બહેન ૧૬ વર્ષીય સુહાની તાજેતરમાં સીબીએસસી ધોરણ-૧૦ પાસ કરી ધોરણ-૧૧ કોમર્સમાં પ્રવેશ લેવા તૈયારી કરી રહી હતી. ગઈકાલે બપોરના સમયે સ્વાતિ પોતાની નાની બહેન સુહાનીને મોપેડ પર બેસાડી તેના એડમિશન માટે જે.બી. ડાયમંડ સ્કૂલ ખાતે લઈ ગઈ હતી. ત્યાં સુહાનીને સ્કૂલમાં ઉતારી સ્વાતિ કોઈ વ્યક્તિગત કામસર મોપેડ લઈને પરત નીકળી હતી. દરમિયાન લસકાણા નજીક સાગવાડી વિસ્તારમાં પહોંચતા જ એક એસટી બસનાં ચાલકે બેદરકારીપૂર્વકને મોપેડ ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં સ્વાતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે જ ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી અને તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ફરજ પરનાં તબીબે તપાસ બાદ સ્વાતિને મૃત જાહેર કરી હતી. યુવતીના અચાનક નિધનથી પરિવાર પર આફત તૂટી પડી છે. એક તરફ નાની બહેનનાં ભવિષ્ય માટે એડમિશન પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જ મોટી બહેનનાં મોતનાં સમાચાર સાંભળતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અકસ્માત બનાવ અંગે લસકાણા પોલીસે એસટી બસનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution