આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
2178 |
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ, ૪નાં મોત,૧૦ ઘાયલ
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટતાં થયેલી અથડામણમાં ૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૧૦ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બુધવારની મોડી રાત્રે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આશરે ૨:૩૦ વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જાેતજાેતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ ઘટનામાં ૪ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં ૧૦ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
2277 |
સૌરાષ્ટ્ર અને વડોદરાના નામો નક્કી :ટૂંક સમયમાં જાહેરાત કરાશ
ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પછી બીજાે તબક્કો શરૂ થયો હતો જેમાં સૌરાષ્ટ્રના મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામ પર ચર્ચા કરવામાં આવી. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની સંસ્થાઓમાં હોદ્દેદારોના નામોને લઈને ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે દિવસથી ચાલી રહેલી બેઠકના પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર ઝોનના નામો નક્કી કરવામાં આવ્યા હતા. બીજા દિવસે મળેલી બેઠકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના નામો પર ચર્ચા કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જિલ્લા પંચાયત અને વડોદરા તાલુકા પંચાયતના નામોને લઈને પણ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે.આ બેઠકમાં સંગઠનાત્મક સંતુલન, જાતિ સમીકરણ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને વરિષ્ઠ-નવોદિત નેતાઓ વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકાયો છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં કાર્યક્ષમ અને સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને તક આપવા માટે ચર્ચા કરવામાં આવી છે. સૂત્રો મુજબ, મોટાભાગના પદો માટે સહમતી બની છે અને અંતિમ યાદી ટોચના નેતૃત્વને મોકલાશે. ત્યારબાદ જ આખરી ર્નિણય લેવામાં આવશે. આગામી ૧૯ તારીખે મોટાભાગની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામોની જાહેરાત થવાની શક્યતા છે. પ્રદેશ કક્ષાએ નક્કી થયેલા નામો જે તે જિલ્લાની સામાન્ય સભામાં જાહેર કરાશે. આ નામો પ્રદેશના પ્રતિનિધિ દ્વારા બંધ કવરમાં લઈ જવામાં આવશે અને સામાન્ય સભામાં જ ખુલશે.આ પ્રક્રિયામાં ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી રહી છે. દરેક વિસ્તારમાં યોગ્ય પ્રતિનિધિત્વ અને મજબૂત ટીમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નામોની જાહેરાત ટૂંક સમયમાં થશે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ ૧૫, ૧૬ અને ૧૭ તારીખે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બોર્ડ દ્વારા નક્કી થયેલા નામો ઉચ્ચ કક્ષાએ મોકલાશે અને ત્યારબાદ જાહેરાત થશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, મે 2026
2871 |
કેન્દ્રએ અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિએ આજે રેલ મંત્રાલયની અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંદાજે રૂપિયા ૨૦,૬૬૭ કરોડના ખર્ચવાળી આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેની પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બનશે. લગભગ ૧૩૪ કિલોમીટર લાંબી આ નવી રેલવે લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન આવનારા ધોલેરા એરપોર્ટ તેમજ લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને આધુનિક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને ધોલેરા વચ્ચેના પ્રવાસ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેના કારણે મુસાફરો માટે દૈનિક આવાગમન તથા એક જ દિવસે આવવા-જવાની સુવિધા વધુ સરળ અને આરામદાયક બનશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, “અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતના રેલવે ઇતિહાસમાં નવી શરૂઆત છે. આ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ‘ન્યૂ ઈન્ડિયા’ની આધુનિક, ઝડપી અને આર્ત્મનિભર પરિવહન વ્યવસ્થાનું પ્રતિક છે. સ્વદેશી ટેકનોલોજી આધારિત આ પ્રોજેક્ટ આગામી વર્ષોમાં દેશભરમાં સેમી હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણનો આધાર બનશે.” અમદાવાદ મંડળના ડ્ઢઇસ્ વેદ પ્રકાશે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે. “આ પ્રોજેક્ટ અમદાવાદ અને ધોલેરા વિસ્તારને વિશ્વસ્તરીય રેલ કનેક્ટિવિટી આપશે. તેના દ્વારા મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક મુસાફરીની સુવિધા મળશે તેમજ વિસ્તારમાં રોજગાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને પણ મોટો લાભ થશે. આ પ્રોજેક્ટથી ધોલેરા અને અમદાવાદ વચ્ચેનું અંતર ૧ કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકશે અને ધોલેરા સીધું અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ કોરિડોર સાથે જાેડાઈ જશે.” આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો હેતુ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતાને મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટથી આશરે ૨૮૪ ગામો અને લગભગ ૫ લાખ વસ્તીને સીધો લાભ મળશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, મે 2026
4059 |
મનાલી-બેલા હાઈવે પર કાર ખાઈમાં ખાબકતા ભાવનગરના ૬ ના કરુણ મોત
હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર માટે પ્રવાસ કાળ બનીને ત્રાટક્યો છે. મનાલી નજીક છાબા જિલ્લામાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજના અગ્રણી લલિતભાઈ ફતનાની સહિત પરિવારના ૬ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ભાવનગર પહોંચતા સમગ્ર સિંધી સમાજ સહિત શહેરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના સિંધી સમાજના જાણીતા અગ્રણી લલિતભાઈ ફતનાની તેમના પરિવાર સાથે મનાલીના પ્રવાસે ગયા હતા. ગત રોજ મનાલીથી બેલા તરફ જતી વખતે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર ૨૮ પર તેમનું વાહન ચાલકે અચાનક કાબૂ ગુમાવતા રસ્તા પરથી નીચે ઉતરી સીધું ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. વાહન ખાઈમાં પડતા જ જાેરદાર ધડાકો થયો હતો અને અંદર સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં પરિવારના મોભી લલિતભાઈ ફતનાની, તેમના પત્ની સોનિયાબેન, દીકરી કાજલબેન, જમાઈ પ્રિયંકભાઈ ભોપાણી અને માસૂમ પૌત્ર દિવ્યાંશુનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકસાથે પાંચ સભ્યોના મોતના સમાચારથી ફતનાની પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૪ સભ્યોમાં મયંકભાઈ લલિતભાઈ ફતનાની, તેમના પત્ની ફોરમબેન ફતનાની, પુત્ર જિયાંશ અને અન્ય એક બાળકી પ્રિયાંશી ભોપાણીનો સમાવેશ થાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, મે 2026
3366 |
સોમનાથનું પુન:નિર્માણ ભારતની ચેતનાનો ઉદઘોષ : મોદી
‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ ખાતે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણના ૭૫ વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ- ૨૦૨૬’માં આજે સહભાગી થયા હતા. આ અવસરે વડાપ્રધાનના હસ્તે સ્મારક ડાક ટિકિટ અને ૭૫ રૂપિયાના સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૭૫ વર્ષ પહેલા આજના દિવસે થયેલી સોમનાથની પુન:સ્થાપના એ સાધારણ અવસર ન હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો પણ ૧૯૫૧માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈપણ રાષ્ટ્ર લાંબા સમય સુધી ત્યારે જ મજબૂત રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જાેડાયેલું રહે. સોમનાથ મંદિરનું પુન:નિર્માણ થયું અને દેશે સદીઓના કલંકને ધોઈ નાખ્યો તેમ જણાવી આ ૭૫ વર્ષની યાત્રાને નવી ઊંચાઈ સોમનાથ દાદાના આશીર્વાદથી આપવી છે તેવો સંકલ્પ પણ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે ૫૦૦થી વધુ રજવાડાઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુન: નિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે, ભારત માત્ર આઝાદ જ નથી થયું પણ પ્રાચીન ગૌરવને પુન: હાંસલ કરવાના માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે ૭૫ વર્ષની ઉજવણીના આ અવસરે જાેવા મળે છે કે, વિનાશમાં સર્જનનો સંકલ્પ સોમનાથ મંદિરે ચરિતાર્થ કર્યો છે. અસત પર સતનો વિજય પ્રભાસ ક્ષેત્રે વારંવાર કર્યો છે. મંદિર પુન: નિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રના કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. સોમનાથનો અર્થ આપતા તેમણે કહ્યું હતું કે, જેના નામમાં જ સોમ એટલે કે અમૃત છે, તેને કોણ નષ્ટ કરી શકે. આ ભારતનું એવું અવિનાશી સ્વરૂપ છે, જેને સદીઓના કુત્સિત પ્રયાસો હરાવી, મિટાવી શક્યા નથી. સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, સોમનાથ અમૃત મહોત્સવ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ બની રહેશે.ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન : મોદી વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન છે. તેઓએ ભીમદેવ પ્રથમ, રાજા ભોજ, કુમારપાળ, રા ખેંગાર સહિતનાઓનો ઉલ્લેખ કરી સોમનાથ મંદિરના પુન:નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને તેમની સાથે કનૈયાલાલ મુનશી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, જામ સાહેબને પણ આ અવસરે યાદ કરી તેમના યોગદાનને પ્રેરણાદાયી ગણાવ્યું હતું. સોમનાથ માટે શહાદત વહોરનાર વીર હમીરસિંહ ગોહિલ અને વેગડા ભીલને યાદ કરી સોમનાથ મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર અહલ્યાબાઈ હોલકર, વડોદરાના ગાયકવાડ સહિતની વિભૂતિઓએ સોમનાથ દાદાની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું તેમ જણાવ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમની સાથે સાથે.. વડાપ્રધાનુ સ્ટેજ પર આગમન થતાજ ઉપસ્થિત જનમેદનીએ જય સોમનાથ મંદિર અંકિત ધ્વજા પતાકા લહેરાવી અભિવાદન કર્યું હતું. વડાપ્રધાનનું સોમનાથની પ્રતિકૃતિ રૂપે મંદિરની છબી, સિંહનું પોટ્રેટ તેમજ કળશની ભેટ આપવામાં આવી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાન ને ડમરુ અર્પણ કર્યુ પ્રધાનમંત્રીએ પોસ્ટ વિભાગ દ્વારા ૭૫ વર્ષ પ્રાણ પ્રતિષ્ઠા સ્વાભિમાન પર્વ અવસર નિમિત્તે બહાર પાડેલી ટિકિટનું વિમોચન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૫ રૂપિયાનો સોમનાથ મંદિરની પ્રતિકૃતિ ધરાવતો સિક્કાનું પણ અનાવરણ કર્યું વડાપ્રધાનનો ઉદબોધનના પ્રારંભે ‘જય સોમનાથ જય સોમનાથ’ અને હર હર મહાદેવનો જય ઘોષ બોલાવ્યો હતો. વડાપ્રધાનએ આજના જ દિવસે ૧૧ મે ૧૯૯૮ ના રોજ પોખરણ ખાતે કરવામાં આવેલ અણુ પરિક્ષણને ખાસ યાદ કર્યુ સભામાં કેસરિયા સાફાએ રંગ જમાવ્યો. ૭૦૦ થી વધુ મહિલાઓ, પુરુષોએ માથા પર સેફરોન કલરનો સાફો અને ગળામાં કેસરી ખેસ રાખી સભામાં ઉપસ્થિતિ સૂર્યકિરણની આકાશી સલામી અને પુષ્પવર્ષાથી સોમનાથનું નભ ગુંજી ઉઠ્યું ભારતીય સંસ્કૃતિના તેજ અને અસ્મિતાના પ્રતીક સમાન ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’ ઉજવાઈ રહ્યો છે. સોમનાથ મંદિરના પુન: નિર્માણની વિરાસતના ૭૫ વર્ષની આ ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી આજે પ્રભાસ પાટણની પવિત્ર ધરા પર પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન વેળાએ વીર હમીરજી સર્કલ પાસે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે ભારતની વિવિધ સંસ્કૃતિઓની ઝાંખી પ્રસ્તુત કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પથ પર વડાપ્રધાને સોમનાથની થીમ પર બનેલા આકર્ષક રેત શિલ્પને નિહાળ્યું હતું. ૭૫ ઢોલીઓ સાથે નાસિકના ઢોલ અને તૂતીના નાદ વચ્ચે પરંપરાગત પરિધાનમાં સજ્જ ૧૦૦ જેટલી બાળાઓ અને કન્યાઓએ માથે અમૃત કળશ ધારણ કરી વડાપ્રધાનને હરખભેર આવકાર્યા હતા. મંદિર પરિસરમાં પ્રવેશતા પૂર્વે પીએમ મોદીએ અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના પુન:નિર્માણના સ્વપ્નદ્રષ્ટા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દિગ્વિજય દ્વાર પાસે ઋષિકુમારોના શંખ અને ડમરુના નાદ વચ્ચે ખાસ ‘બેલ વોક’ પરથી પસાર થઈ વડાપ્રધાન નિજ મંદિરમાં પ્રવેશ્યા હતા, જ્યાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરી દેશની પ્રગતિ અને જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
5148 |
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું. સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ. ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે. PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
4455 |
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ
વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
5742 |
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, મે 2026
4158 |
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, મે 2026
6039 |
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા
ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
1980 |
અમદાવાદ મનપામાં કાર પુલિંગનો અમલ કરાયો: જાહેર પરિવહનના ઉપયોગની સૂચના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર પુલિંગનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પરિપત્ર કરી જણાવ્યું હતું કે, જે કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઓફિસના કમ્પાઉન્ડમાં અથવા નજીકની મ્યુનિસિપલ ઓફીસમા ફરજ બજાવતા હોય અને ઓફીસ આવવા જવા માટે કારનો ઉપયોગ કરતા હોય તો તેઓએ તેમની રહેઠાણની નજીક રહેતા કર્મચારીઓ સાથે ઓફીસ આવવા જવા માટે કાર પુલીંગ કરીને આવવાનુ રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓએ એએમટીએસ, બીઆરટીએસ, મેટ્રો જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહતમ ઉપયોગ કરવા પણ જણાવવામાં આવ્યું છે.ફિલ્ડ વિઝીટમાં પણ કાર પુલિંગ અને ટુ વ્હીલર શેરિંગ જે અધિકારીઓને ફીલ્ડ વિઝીટમાં જવાનુ હોય તેમણે સાથી અધિકારી-કર્મચારીઓ સાથે કાર પુલિંગ કરીને કે ટુ વ્હીલર શેરીંગ કરીને ફિલ્ડ વિઝીટમાં જવાનુ રહેશે. જે કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઓફિસના કમ્પાઉન્ડમાં અથવા નજીકની મ્યુનિસિપલ ઓફીસમા ફરજ બજાવતા હોય અને ઓફીસ આવવા જવા માટે ટુ વ્હીલરનો ઉપયોગ કરતા હોય તો તેઓએ તેમની રહેઠાણની નજીક રહેતા કર્મચારીઓ સાથે ઓફીસ આવવા જવા માટે ટુ વ્હીલર શેરીગ કરીને આવવા જવાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
1980 |
સ્થાનિક ચૂંટણીમાં કારમા પરાજય બાદ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા નિરાશાજનક પરિણામો બાદ હવે પક્ષમાં આંતરિક હલચલ તેજ બની ગઈ છે. તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ઘણા વિસ્તારોમાં કારમો પરાજય સહન કરવો પડ્યો છે. પરિણામે હવે પક્ષની અંદર આત્મમંથન સાથે જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરી છેલ્લા બે દિવસથી દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બેઠક માટે પ્રયત્નશીલ હોવાનું જાણવા મળી રહ્યું છે. જાેકે કોંગ્રેસ હાઈકમાન્ડ હાલ કેરળના મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયામાં વ્યસ્ત હોવાથી ગુજરાતના મુદ્દે ચર્ચા મુલતવી રહી હતી. હવે ગુરુવાર બાદ ગુજરાત કોંગ્રેસના પરાજય અને આગામી વ્યૂહરચના અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખો, નિરીક્ષકો અને પ્રભારીઓ પાસેથી ચૂંટણી અંગેના અહેવાલ મંગાવવામાં આવ્યા હતા. આ અહેવાલોમાં પરાજય માટે અનેક કારણો સામે આવ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
1782 |
ધો. ૧૦-૧૨ની માર્કશીટમાં ત્રણ મોટા ફેરફાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામો જાહેર કર્યા છે, પરંતુ વિદ્યાર્થીઓને માર્કશીટ મેળવવામાં હજુ અંદાજે એક અઠવાડિયાનો સમય લાગશે. આ વર્ષે માર્કશીટમાં ત્રણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં માર્કશીટની સાઇઝ, ઊઇ કોડ અને નામ દર્શાવવાની પદ્ધતિનો સમાવેશ થાય છે.આ વર્ષથી માર્કશીટમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે માર્કશીટ સીબીએસઈ બોર્ડની જેમ આધુનિક ડિઝાઇનમાં આપવામાં આવશે.” અત્યાર સુધી માર્કશીટમાં સુરક્ષા માટે હોલોગ્રામનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે તેની જગ્યાએ ઊઇ કોડ મૂકવામાં આવશે. આથી માર્કશીટની વિગતો સરળતાથી ચકાસી શકાશે અને નકલી માર્કશીટ બનાવવાની શક્યતા ઘટશે. ડિજિટલ વેરિફિકેશન પણ વધુ સરળ બનશે.વિદ્યાર્થીના નામ દર્શાવવાની પદ્ધતિમાં પણ બદલાવ આવ્યો છે. અગાઉ માર્કશીટમાં પહેલા અટક અને પછી નામ લખાતું હતું, હવે પહેલા વિદ્યાર્થીનું નામ અને પછી અટક લખાશે. આ પદ્ધતિ સીબીએસઈ બોર્ડમાં પહેલેથી અમલમાં છે. વધુમાં, નામ, પિતાનું નામ અને અટક અલગથી મથાળું તરીકે લખાશે અને તેની નીચે વિદ્યાર્થીની વિગત આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, નામ: એબીસી, પિતાનું નામ: એકસવાયઝેડ , અટક: ઓપીકયુ . આ બદલાવથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં બહારના રાજ્ય કે દેશમાં અભ્યાસ કે અન્ય કામ માટે નામની ઓળખ સરળ રહેશે.માર્કશીટ અને સર્ટિફિકેટના ડુપ્લીકેશનને અટકાવવા માટે અગાઉ પીળા કલરની લેમિનેશન સિક્યોરિટી ફિલ્મ વપરાતી હતી, જે ફક્ત ગુજરાત બોર્ડમાં જ અમલમાં હતી. આ સિસ્ટમને કેનેડા સહિતના દેશોના ડેલીગેટ્સે પણ વખાણી હતી. તેમ છતાં, તાજેતરમાં બોર્ડે હોલોગ્રામ દૂર કરવાનો ર્નિણય લીધો છે, જેના કારણે વિવિધ તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે, નવી ડિઝાઇનવાળી માર્કશીટ ટૂંક સમયમાં વિતરણ માટે તૈયાર થશે. ડિજિટલ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા આ ફેરફારો વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે. નવા ફેરફારોના અમલથી માર્કશીટ વધુ સુરક્ષિત અને આધુનિક બનશે.માર્કશીટનું વિતરણ ટૂંક સમયમાં શરૂ થશે અને વિદ્યાર્થીઓને નવી ડિઝાઇનનો અનુભવ મળશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
2178 |
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ, ૪નાં મોત,૧૦ ઘાયલ
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટતાં થયેલી અથડામણમાં ૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૧૦ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બુધવારની મોડી રાત્રે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આશરે ૨:૩૦ વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જાેતજાેતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ ઘટનામાં ૪ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં ૧૦ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
2277 |
સૌરાષ્ટ્ર અને વડોદરાના નામો નક્કી :ટૂંક સમયમાં જાહેરાત કરાશ
ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પછી બીજાે તબક્કો શરૂ થયો હતો જેમાં સૌરાષ્ટ્રના મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામ પર ચર્ચા કરવામાં આવી. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની સંસ્થાઓમાં હોદ્દેદારોના નામોને લઈને ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે દિવસથી ચાલી રહેલી બેઠકના પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર ઝોનના નામો નક્કી કરવામાં આવ્યા હતા. બીજા દિવસે મળેલી બેઠકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના નામો પર ચર્ચા કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જિલ્લા પંચાયત અને વડોદરા તાલુકા પંચાયતના નામોને લઈને પણ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે.આ બેઠકમાં સંગઠનાત્મક સંતુલન, જાતિ સમીકરણ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને વરિષ્ઠ-નવોદિત નેતાઓ વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકાયો છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં કાર્યક્ષમ અને સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને તક આપવા માટે ચર્ચા કરવામાં આવી છે. સૂત્રો મુજબ, મોટાભાગના પદો માટે સહમતી બની છે અને અંતિમ યાદી ટોચના નેતૃત્વને મોકલાશે. ત્યારબાદ જ આખરી ર્નિણય લેવામાં આવશે. આગામી ૧૯ તારીખે મોટાભાગની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામોની જાહેરાત થવાની શક્યતા છે. પ્રદેશ કક્ષાએ નક્કી થયેલા નામો જે તે જિલ્લાની સામાન્ય સભામાં જાહેર કરાશે. આ નામો પ્રદેશના પ્રતિનિધિ દ્વારા બંધ કવરમાં લઈ જવામાં આવશે અને સામાન્ય સભામાં જ ખુલશે.આ પ્રક્રિયામાં ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી રહી છે. દરેક વિસ્તારમાં યોગ્ય પ્રતિનિધિત્વ અને મજબૂત ટીમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નામોની જાહેરાત ટૂંક સમયમાં થશે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ ૧૫, ૧૬ અને ૧૭ તારીખે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બોર્ડ દ્વારા નક્કી થયેલા નામો ઉચ્ચ કક્ષાએ મોકલાશે અને ત્યારબાદ જાહેરાત થશે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
2376 |
ડ્રીમ સિટીથી અલથાણ પછી હવે અડાજણમાં મેટ્રોરેલની ટ્રાયલ રન
મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં ડ્રીમસિટીથી અલથાણ રૂટ ઉપર મેટ્રોરેલની ટ્રાયલ રન લેવાયા બાદ ગુરૂવારે શહેરનાં અડાજણ વિસ્તારમાં પથરાયેલાં નેટવર્ક ઉપર મેટ્રોરેલની ટ્રાયલરન લેવામાં આવી હતી જેને પગલે લોકોમાં ઝડપથી મેટ્રોરેલ શરૂ થવાની આશા જાગી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
1881 |
પાંચ વર્ષની બાળકીને સતત ૧૬ કલાક ૨૫૦ કેમેરા તપાસી શોધી કાઢી
સચિન જીઆઇડીસીનાં રાધે નગર વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકી લાપતા થઈ હતી. મોડી સાંજે બાળકી ગુમ થયાની વાતને પોલીસે ગંભીરતાથી લઇ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, સતત ૧૬ કલાક સુધી ૨૫૦ કેમેરા તપાસવા સાથે ૪૦૦થી વધુ વ્યક્તિની પુછપરછ કરી બાળકીને સહીસલામત શોધી કાઢવામાં આવી હતી. સચિન જીઆઇડીસી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ગોપાલ નગર પાસે રાધે રેસિડેન્સીમાં રહેતા પિન્કુ ગોડ તેના પરિવાર સાથે રહે છે. કારખાનામાં કામ કરતા પિન્કુ ગૌડને પાંચ વર્ષની દીકરી છે. ગત ૧૨મી તારીખે મોડી સાંજે ગૌડની પત્ની આ બાળકીને લઇ ઘર નજીક ભરાતાં મંગળવારી બજારમાં ગઈ હતી. જ્યાં ભારે ભીડ ભાડ હોય બાળકીને હાથ છૂટી ગયો અને તે લાપતા થઈ ગઈ હતી. શોધખોળ છતાં બાળકીનો અતો પતો નહીં લાગતો ગૌડ દંપતી ગભરાયું અને પોલીસ સ્ટેશન દોડી ગયું હતું, રાત્રિનો સમય અને બાળકીનો મામલો હોય ઇન્સપેક્ટર કુલદીપસિંહ ગોહિલે તુરંત સર્વેલન્સ સ્ટાફને એકઠો કર્યો હતો. ગોહિલે અલગ અલગ પાંચ ટુકડીઓ બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી હતી. બાળકીની સુરક્ષાનો પ્રશ્ન હોય તપાસમાં કોઈ કચાશ ન રહે એની તકેદારી રાખતા ગોહિલે ઉપરી અધિકારીઓ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચને પણ જાણ કરી હતી.ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તુરંત સચિન જીઆઇડીસી ગઇ અને બાળકીની શોધખોળમાં જોતરાઇ હતી. સમય વિતતો ગયો તેમ તેમ પોલીસની ટીમ પણ વધારવામાં આવી હતી. દસેક ટીમો બની અને ગોપાલ નગર તથા આસપાસના સામાજિક આગેવાનો, વેપારીઓ અને વોટ્સઅપ ગ્રુપમાં બાળકીના ફોટોગ્રાફ્સ તેમજ વર્ણન મોકલી સઘન શોધખોળ શરૂ કરી હતી. સાથે જ બાળકી વિખૂટી પડી હતી એ સ્થળથી આશરે ૨૫૦થી વધુ સીસી ટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ફૂટેજથી તપાસની દિશા મળી હતી. જે દિશામાં બાળકી ગઇ એ વિસ્તારના ૪૦૦થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. સતત ૧૬ કલાક સુધી પોલીસે તપાસ જારી રાખી હતી. આ જહેમત બાદ પોલીસની ટીમે ગભેણી રોડ પર આવેલી મનોજ પ્રતાપસિંગ શાળા પાસેથી બાળકીને સુરક્ષિત શોધી કાઢવામાં આવી હતી. આ સફળ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ રામશરણ દયાનંદ, નાનસિંગ વાલસિંગ, ભરતકુમાર અમૃતલાલ અને મયુરદાન અમીરદાનની મહત્વની ભૂમિકા રહી હતી. પોતાની માસુમ બાળકી હેમખેમ પરત મળતા માતા-પિતાએ આનંદના આંસુ સાથે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
2277 |
શહેરનાં પાંચ વેપારીઓ સાથે હૈદરાબાદની પેઢી દ્વારા રૂપિયા ૧.૮૩ કરોડનું ચીટિંગ
શહેરનાં પાંચ વેપારીઓ પાસેથી કાપડ ખરીદીમાં ૧.૮૩ કરોડનું ચીટિંગ કરનાર હૈદરાબાદની પેઢી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આર્થિક ગુના નિવારણ શાખા પાસે મળતી માહિતી અનુસાર રાંદેર રોડ ઉપર મલબાર હીર એપાર્ટમેન્ટમાં રહેતા ઇકરામ મોહમદ નુર કુરેશી કાપડનો વેપાર કરે છે. ન્યુ દિલ્હીનાં વતની ઇકરામ ફાલસાવાડી પાસે કુબેરજી ટેક્સ્ટાઇલ પાર્કમાં ઝારા શૂટ નામથી દુકાન ધરાવે છે. તેઓ માર્કેટનાં અલગ અલગ વિવર્સ, વેપારીઓ પાસે ડાઇડ કાપડ ખરીદી તેમાં એમ્બ્રોડરી તથા હેન્ડ વર્કનું કામ કરાવી લેડીઝ શુટ કાપડનો માલ તૈયાર કરાવે છે. સુરેશ શંભુભાઇ ધોળીયા (રહે. હીરાબાગ) ઇકરામ કુરેશીને મળવા ગયા હતાં. તેણે હું ઘણા વર્ષોથી સુરત ટેક્સ્ટાઇલ માર્કેટમાં સ્મિત ફેશનનાં નામથી કાપડ વેચાણ સાથે દલાલીનું કામ કરતો આવ્યો છું. મારી પાસે અલગ અલગ રાજ્યોના મોટા વેપારીઓ અને પેઢીઓ છે. તમે મારા હસ્તક તેમને માલ આપશો તો ૬૦ દિવસમાં પેમેન્ટની જવાબદારી મારી રહેશે એવી વાત કરી હતી. ત્યારબાદ ધોળીયા એક વેપારી મોહમદ ગોસ ખાન વાળાને લઇ ઇકરામ પાસે ગયો હતો. મોહમદ ગોસ ખાને તેઓ હૈદરાબાદમાં સેફેરોન ડિઝાઇનર નામથી વેપાર ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. મોહમદ ગોસ ખાને સમયસર પેમેન્ટ આપવાનું તથા દલાલ સુરેશભાઇ ધોળીયાએ પમેન્ટની જવાબદારી લીધી હોય ઇકરામ તેમને માલ આપવા તૈયાર થયા હતાં. પ્રથમ એક બે ઓર્ડરમાં સમય મર્યાદામાં પેમેન્ટ ચૂકવી તેણે વિશ્વાસ ભરોસો બેસાડ્યો હતો.ત્યારબાદ તેઓએ ૫૧, ૦૭, ૭૫૭ રૂપિયા કિંમતનો લેડીસ શૂટ કાપડ ખરીદ્યું હતું. પહેલા વાયદા કર્યા બાદ મોહમ્મદ ગોસ ખાને કોલ રિસિવ કરવાના પણ બંધ કર્યા હતાં. જેઈ ઇકરામે હૈદરાબાદના અન્ય વેપારીઓ હસ્તક તેના વેપારી મોહમદ ગોસ ખાનનો સંપર્ક કરતાં તેણે મે, ૨૦૨૫ સુધીમાં પેમેન્ટ કરીશ એવો એગ્રીમેન્ટ કરી આપવા સાથે ૧૦ ચેક પણ લખી આપ્યા હતાં. જાે કે, નિયત તારીખે ચેક બેંકમાં ડિપોઝીટ કરાયા તો તે રિટર્ન થયા હતાં. દલાલ સુરેશ ધોળીયાનો સંપર્ક કરાયો તે વેપારીને આગળથી પેમેન્ટ આવ્યું નથી એવા ઉડાઉ જવાબ આપ્યા હતાં. માર્કેટમાં તપાસ કરાતાં દલાલ સુરેશ ધોળીયાએ જાના કોટન્સનાં જયેશકુમાર મનોહરલાલ ચાંદવાની પાસે ૧૬,૧૫,૫૭૮નો માલ, અલખ શૂટ્સના મેહુલ ભરતભાઇ પટેલ પાસે ૩૪,૭૯,૭૪૮ રૂપિયાનો, ડીપ્સી ટ્રેન્ડ્ઝનાં અમિત ઘિસુલાલ રાંકા પાસેથી ૨૭,૪૮,૪૯૧ કિંમતનો તથા મધુરમ શૂટસમાંથી ૫૩,૪૧, ૯૪૩ મળી કુલ ૧,૩૧,૮૫,૭૬૦ કિંમતનો માલ હૈદરાબાદના વેપારી મોહમદ ગોસ ખાનને ઉધારમાં વૈચાણ કરાવી પેમેન્ટ કરાવ્યું ન હોવાનું બહાર આવ્યું હતું. આ રીતે કુલ ૧.૮૩ કરોડનું ફ્રોડ કરનારા દલાલ અને વેપારી સામે ઇકરામ કુરેશીએ ફરિયાદ આપી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
1881 |
રી-નીટથી પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસનાં સંચાલકોને તડાકો, બેફામ ફી વસૂલાત
કેટલાક કૌભાંડીઓએ આચરેલા કૌભાંડને કારણે સમગ્ર દેશનાં ૨૩ લાખ વિદ્યાર્થીઓએ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ નીટ-યુજી ૨૦૨૬ પરીક્ષા ફરીથી આપવાની નોબત આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની પરેશાની આટલેથી અટકતી નથી. હવે જ્યાં સુધી રી-નીટ નહીં થાય ત્યાં સુધી કોચિંગ આપવાના બહાને પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસોએ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી બેફામ ફી વસૂલવા માંડી છે. કેટલાક ધંધાદારી કોચિંગ ક્લાસીસે ભ્રામક જાહેરાતો કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ફસાવવાની તરકીબ શરૂ કરી છે. કેટલાક કોચિંગ ક્લાસીસો ઓછી ફી ની જાહેરાતો કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓને ક્લાસીસ પર તેડાવી રહ્યા છે અને બાદમાં યેનકેન પ્રકારને સમજાવીને વધુ મહેનતના નામે રૂ.૧૫ હજારથી રૂ.૨૫ હજાર જેવી રી-નીટ કોચિંગની ફી વસૂલાત શરી કરી હોવાની માહિતી મળી છે.સુરતમાંથી ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ નીટ-યુજીની પરીક્ષા આપી હતી. હવે તા.૩ મે એ લેવાયેલી નીટની પરીક્ષા રદ થઇ ચૂકી છે અને નવેસરથી નીટ-યુજી પરીક્ષા આપવાની હોઇ, વિદ્યાર્થીઓ તૈયારી કરવી પડશે, એવી જાહેરાતો કોચિંગ ક્લાસીસોએ સોશિયલ મીડિયામાં મોટાપાયે આપીને વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલાતનો અફલાતૂન રસ્તો શોધી કાઢ્યો છે. એક વાલીએ સોશિયલ મીડિયામાં આ પ્રવૃતિને વખોડતા લખ્યું છે કે વિદ્યાર્થીઓ કે વાલીઓનો શું વાંક કે તેમણે હવે બીનજરૂરી રીતે નીટ કોચિંગનાં રૂપિયા આપવા પડી રહ્યા છે. દેખાદેખીનો માહોલ એવો છે કે જાે કોઇ વિદ્યાર્થી રી-નીટનું કોચિંગ નહીં લે તો પાછળ રહી જશે તેવી પણ જાહેરાતોથી વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. બીજી તરફ કેટલીક સ્કુલોએ પોતાના વિદ્યાર્થીઓને રી-નીટ પરીક્ષા માટેનું કોચિંગ બિલકુલ ફ્રી ઓફ ચાર્જ આપવાનું શરૂ પણ કરી દીધું છે. આ બે પરિસ્થિતિ વચ્ચે હવે વાલીઓ અને વિદ્યાર્થીઓને રેગ્યુલર સ્કુલો અને પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસો વચ્ચેનો તફાવત સમજાઇ રહ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
2178 |
આતંકવાદીઓ દ્વારા ઉપયોગની આશંકાએ જુના વાહન અને મોબાઇલ વેચનારાઓ હવે પોલીસની રડારમાં
ધાડ, લૂંટ, અપહરણ, ખંડણી જેવા ગુનાઓ ઉપરાંત દેશદ્રોહી અને આતંકી પ્રવૃત્તિમાં દુરુપયોગની શક્યતાને લઇ જુના મોબાઇલ ફોન તથા વાહનો વેચનારાઓનો ડેટાબેઝ તૈયાર કરવા પોલીસ તંત્ર કામે લાગ્યું છે. એટીએસ દ્વારા કરાયેલા આદેશના પગલે સુરત સહિત તમામ શહેરોની એસઓજી હવે સેકન્ડ હેન્ડ વ્હીકલ્સ અને સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા લોકોનો તથા મોબાઇલ શોપના માલિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માંડી હતી. આ ધંધાર્થીઓને તમામ પ્રકારના વાહનોના તથા મોબાઇલ ફોનના ખરીદ વેચાણ તથા જુના અને નવા માલિકના ફોટો આઇડી સાથે રજીસ્ટર નિભાવવા તાકીદ પણ કરવામાં આવી રહી છે.ગત નવેમ્બર મહિનામાં દિલ્હી ખાતે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાર્કિંગ લોટ પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં ૧૫ લોકોનાં મોત અને ૨૦થી વધુ ઘાયલ થયા હતા. બોમ્બ બ્લાસ્ટ બાદ પોલીસ તુરંત પગેરુ દાબી ન શકે એ માટે જુની પુરાણી આઈ ટ્વેન્ટી કાર ખરીદી તેનો ઉપયોગ કરાયો હતો. બે ત્રણ માલિકો બદલાઈ ગયા પરંતુ તેના રજિસ્ટ્રેશન રેકર્ડમાં કોઇ નામ ફેર કરાયા ન હોવાથી એ કાર અંગે માહિતી મેળવવામાં પોલીસને ઘણો સમય લાગ્યો હતો. તપાસકર્તા એજન્સી દ્વારા સંખ્યાબંધ ડોક્ટરોની ધરપકડ સાથે કરાયેલી પૂછપરછમાં આતંકવાદીઓ દ્વારા જુના વાહનોનો ઉપયોગ કરી એલઇડી સીરિયલ બ્લાસ્ટ, આત્મઘાતી હુમલો, લોન વુલ્ફ એટેક વિગેરે યોજના બનાવી ચૂક્યા હોવાના ચોંકાવનારા ખુલાસા થયા હતાં. આતંકવાદીઓની આ મોડસ ઓપરેન્ડીને પોલીસે ગંભીરતાંથી લીધી હતી. રાજ્યના આતંકવાદ વિરોધી દળ એટલે કે એટીએસ દ્વારા તમામ શહેર અને જિલ્લા એસઓજીનાં આ સેકન્ડ હેન્ડ વ્હીકલ વેચાણ કરનારાઓના ડેટાબેઝ તૈયાર કરવા કામે લગાવી હતી. આ જ રીતે સેકન્ટ હેન્ડ હેન્ડ મોબાઇલ અને પ્રિએક્ટિવ સીમકાર્ડના ઉપયોગ બાબતે પણ ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. આતંકી ગતિવિધિ જ નહીં ધાડ, લૂંટ, અપહરણ, ખંડણી જેવા ગુનાઓમાં પણ જુના વાહનો અને મોબાઇલ ફોનનો ઉપયોગ કરાતો આવ્યો છે. આવી ગંભીર ઘટનાઓ રોકવા તથા ઘટે તો ત્વરિત કાર્યવાહી થઇ શકે એ માટે જુના વાહનો અને મોબાઇલના ખરીદ વેચાણનો ડેટા કામ આવે એમ હોવાથી એ દિશામાં એટીએસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે.એટીએસની સૂચના અનુસાર એસઓજી જુના વાહનો અને મોબાઇલનો વેપાર કરનારાઓને શોધવાના કામે લાગી છે. પોલીસ સ્ટેશન પ્રમાણે આ કામગીરી શરૂ કરાઇ છે. વાહનોની લે-વેચ કરનારાઓ તથા મોબાઇલની દુકાનોનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે. સાથે જ તેઓ જેમની પાસેથી વાહન કે મોબાઇલ ખરીદે અને જેમને વેચાય એ વ્યક્તિનાં ફોટો આઇડી સાથેના રેકર્ડ મેઇન્ટેઇન કરવા તાકિદ કરાઈ રહી છે. વાહનોનાં ખરીદ વેચાણના કિસ્સામાં માલિક બદલાય એટલે તુરંત ખરીદ કરનારના નામે તે તબદિલ થઇ જાય, આરટીઓ રેકર્ડ ઉપર તેનું નામ ચઢાવી દેવાય એની તકેદારી રાખવા પણ આ ડીલર્સ કહો કે દુકાનદારોને કહેવાય રહ્યું છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...