આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, જુલાઈ 2026
1881 |
ગામોના ગામો બેટમાં ફેરવાયા, દ્વારકા સોમનાથ હાઇ-વે વરસાદથી ધોવાયો
સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમરેલી, જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. નદીઓમાં ઘોડાપૂર અને દરિયામાં તોફાની મોજાંઓને કારણે વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ભારે વરસાદના તાંડવ વચ્ચે દ્વારકા-સોમનાથ હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ ઉપરાંત માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા છે. અમરેલીના જાફરાબાદ દરિયાકિનારે ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયામાં જાેરદાર કરંટ જાેવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળતા હોવાથી તકેદારીના ભાગરૂપે બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૭૦૦થી વધુ બોટોને કિનારે લાંગરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને દરિયાકિનારાથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. રેડ એલર્ટના પગલે સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. અમરેલીના દરિયાકાંઠામાં ભારે કરંટ જાેવા મળી રહ્યો છે. દરિયાની સ્થિતિ અને તોફાની પવનની ગતિને ધ્યાનમાં રાખીને જાફરાબાદ બંદર પર સાવચેતીના ભાગરૂપે ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જ્યાં અત્યારે ૧૦ ફૂટથી પણ વધુ ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. તંત્ર દ્વારા અગમચેતી વાપરીને ૭૦૦થી વધુ બોટોને કિનારે લાવી સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે, જેમાંથી ૩૦૦ જેટલી બોટોને ક્રેન વડે જમીન પર ઉપર ચડાવી દેવાઈ છે અને બાકીની બોટો જેટી પર વ્યવસ્થિત રીતે બાંધી દેવાઈ છે. જુનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદના કારણે નોળી નદી ગાંડીતૂર બની છે. નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે સોમનાથ–પોરબંદર નેશનલ હાઈવે પર ૪૦ ફૂટનું મોટું ધોવાણ થયું છે. હાઈવેનો એક ભાગ ધસી પડતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. તંત્ર દ્વારા સલામતી માટે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને મુસાફરોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ અને ભીમોરા ગામે મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે. લાઠ ગામમાં માત્ર બે કલાકમાં ૭ ઇંચ વરસાદ પડતા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે ઉપલેટાથી લાઠ, ભીમોરા, મજેઠી અને તલંગણા તરફ જતા રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તા પર ચાલી રહેલા કામના ડાઈવર્ઝનનું ધોવાણ થતાં લાઠ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મુસાફરોથી ભરેલી એક એસ.ટી. બસ પણ રસ્તા પર પડેલા મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. ઉપલેટામાં વરસાદી પાણીના નિકાલના અભાવે ખેડૂતો પાયમાલ થયા છે.અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો અમદાવાદ શહેરમાં પણ સવારથી અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદ વરસ્યો હતો. શહેરમાં સુભાષબ્રિજ, માધુપુરા, શાહીબાગ, દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વાડજ, ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ સહિતના વિસ્તોરોમાં હળવો વરસાદ વરસ્યો હતો ૨-૩ દિવસથી વરસાદી માહોલ જામ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં છેલ્લા ૨-૩ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારના અમુક ભાગો અને પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેને કારણે મહત્તમ તાપમાનમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૨થી ૪ ડિગ્રીનો ઘટાડો જાેવા મળ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, જુલાઈ 2026
2574 |
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા: માળિયા હાટીના અને માંગરોળમાં ૧૨-૧૨ ઇંચ વરસાદ ખાબકતાં ઘોડાપુર
રાજ્યમાં ચોમાસામાં જાેરદાર બેટિંગ કરતાં ડાંગ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધોધમાર વરસ્યા છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા મુજબ અનેક તાલુકાઓમાં અતિભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓમાં નવા નીરની આવક અને જનજીવન પર અસર જાેવા મળી રહી છે.જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ૨૯૬ મીમી, માંગરોળમાં ૨૯૫ મીમી ,જૂનાગઢના મેંદરડામાં ૨૪૫ મીમી ,કેશોદમાં ૨૪૧ મીમી વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં ૧૯૧ મીમી, તાપીના વ્યારામાં ૧૭૨ મીમી અને નવસારીના ખેરગામમાં ૧૫૪ મીમી વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૧૪૧ મીમી, બીજી તરફ છેલ્લા ગુરુવારે સવારે ૬ થી શુક્રવારે સવારે ૬ સુધી કલાકના વરસાદના આંકડા મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રભુત્વ જાેવા મળ્યું છે. જૂનાગઢના માંગરોળમાં ૩૨૧ મીમી,ગીર સોમનાથના સુત્રાપાડામાં ૩૧૪ મીમી, કેશોદમાં ૨૭૮ મીમી, પાટણ-વેરાવળમાં ૨૫૬ મીમી, માળિયા હાટીનામાં ૨૩૨ મીમી, માણાવદરમાં ૨૩૦ મીમી તથા મહેસાણાના કડીમાં ૨૨૫ મીમી વરસાદ નોંધાયો હતો. જામજાેધપુરમાં ૧૭૯ મીમી અને કોડીનારમાં ૧૫૨ મીમી વરસાદ નોંધાયો હતો. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. સુરત શહેરમાં ૨૫ મીમી, અમદાવાદના ધંધૂકામાં ૩૬ મીમી, વડોદરાના ડભોઈમાં ૨૬ મીમી, ગાંધીનગરના દહેગામમાં ૧૮ મીમી તથા મહેસાણાના કડીમાં ૧૮ મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
02, જુલાઈ 2026
2772 |
ધમાકેદાર એન્ટ્રી:ગીર સોમનાથમાં સાંબેલાધાર
રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સૌરાષ્ટ્ર જળબંબાકાર બની ગયું છે.ગુજરાતમાં જૂન મહિનો વરસાદની દ્રષ્ટિએ નિરાશાજનક રહ્યા બાદ, જુલાઈ મહિનાના પ્રારંભે જ મેઘરાજાએ મેઘાની તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. રાજ્યના ૧૦૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૦૭ તાલુકમાં વરસાદ નોંધાયો છે, આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી, જેમાં ખાસ કરીને સુત્રાપાડા, ઉના અને કોડીનારમાં મુશળધાર વરસાદ નોંધાયો છે.સૌથી વધુ સુત્રાપાડામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે, જેમાંથી સવારે ૪થી ૭ વાગ્યા સુધીના માત્ર ૩ કલાકમાં જ ૪ ઇંચ અને સવારે ૬થી ૮ના બે કલાકમાં ૨ ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા છે. ઉના શહેરમાં પણ સવારે ૬થી ૮ વાગ્યા સુધીના બે કલાકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ૧ ઇંચથી વધુ ધોધમાર વરસાદ વરસી જતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વહેલી સવારથી જ લોકજીવન તેમજ અવરજવર નહિવત્ થઈ ગઈ છે. આ ઉપરાંત, કોડીનાર તાલુકામાં પણ સવારે ૬થી ૮ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વ્યાપક વરસાદ નોંધાયો છે, જેના પગલે સમગ્ર પંથકના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે. સુત્રાપાડામાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં સવારના માત્ર ૩ કલાકમાં જ ૪ ઇંચ વરસાદ પડતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. આ ઉપરાંત ઉના અને કોડીનાર પંથકમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં ૭ ઇંચથી વધુ અને કેશોદમાં ૫.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો સુરત (પલસાણા)માં ૮ ઇંચ, બારડોલીમાં ૮ ઇંચ, ઉમરગામમાં ૮ ઇંચ, મહુવામાં ૭.૭૫ ઇંચ, માળિયાહાટીનામાં ૭ ઇંચથી વધુ અને વાપીમાં ૭.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે રાજુલાની રાયડી નદીમાં ઘોડાપૂર આવવાની ઘટના પણ સામે આવી છે, જેમાં ૩૫ બકરા તણાયા હતા અને મહિલાઓનો જીવ મુશ્કેલીમાં મુકાયો હતો, જેમને સ્થાનિકોએ બચાવી લીધા હતા. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ૫ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે. આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પવનની ગતિ ૪૦થી ૫૦ કિમીની રહેશે અને વીજળી પડવાની શક્યતા પણ રહેશે. રાજ્યમાં અત્યારે ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લૉ પ્રેશર એરિયા સર્જાવાને કારણે રાજ્યમાં વરસાદનું જાેર વધ્યું છે. રાજ્યના ૪ જિલ્લામાં રેડ એલર્ટ અને ૫ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આગામી ૫ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના ૪ જિલ્લામાં રેડ એલર્ટ અને ૫ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવન અને વીજળી પડવાની શક્યતા હોવાથી નાગરિકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના મતે, રાજ્યમાં અત્યારે ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લૉ પ્રેશર એરિયા જેવી સિસ્ટમો સક્રિય થવાને કારણે વરસાદનું જાેર વધ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
01, જુલાઈ 2026
2475 |
૧૯ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલરોને ૨૦ વર્ષની સખત કેદની સજા
ભારતના દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું નશીલું ઝેર ઘુસાડવાનો નાપાક પ્રયાસ કરનારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક પર ભુજની સ્પેશિયલ કોર્ટે લાલઆંખ કરી છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કુલ ૫૭૫ કરોડ રૂપિયાની કિંમતનો હેરોઇનનો જથ્થો ઘુસાડવાના ત્રણ અલગ-અલગ મોટા ગુનાઓમાં સંડોવાયેલા ૧૮ પાકિસ્તાની અને ૧ અફઘાની નાગરિક સહિત કુલ ૧૯ આરોપીઓને ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નામદાર કોર્ટના જજ વી.એ.બુધ્ધે ચુકાદો આપતાં ગંભીર નોંધ કરી હતી કે, આરોપીઓનું આ કૃત્ય દેશની આંતરિક સુરક્ષાને સીધી અસર કરે છે અને ભારતના યુવાનોને નશાના ગંભીર વ્યસનમાં ધકેલીને રાષ્ટ્રના ઢાંચાને નબળો પાડવાનું એક સુનિયોજિત કાવતરું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આરોપીઓ કોઈ પણ પ્રકારની નરમાશને પાત્ર નથી. સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે તમામ ૧૯ આરોપીઓને કડક સજા સંભળાવી છે, જેમાં એનડીપીએસ એક્ટની કલમ ૮(સી) ના ગુનામાં તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને પ્રત્યેક આરોપીને ૨,૦૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, એનડીપીએસ એક્ટની કલમ ૨૩(સી) ના ગુનામાં પણ તકસીરવાન ઠેરવી અન્ય ૨૦ વર્ષની સખત કેદ અને પ્રત્યેક આરોપીને ૨,૦૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ કોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો છે કે આ બંને કલમો હેઠળની સજાઓ આરોપીઓએ એક પછી એક (અલગ-અલગ) ભોગવવાની રહેશે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને મજબૂત સાક્ષીઓ તપાસ્યા હતા અને ધારદાર કાનૂની દલીલો રજૂ કરી હતી.જખૌ દરિયામાંથી રૂા.૧૭૫ કરોડનું હેરોઇન ઝડપાયું (૦૬/૦૧/૨૦૨૦) આ કેસની વિગત મુજબ, એટીએસ ગુજરાતને મળેલી ખાનગી માહિતીના આધારે પાકિસ્તાનના કાપર ક્રીકથી આવતી બોટને જખૌના દરિયામાં એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજી ભુજની સંયુક્ત ટીમે આંતરી હતી. બોટમાંથી ૩૫,૦૫૫ ગ્રામ (આશરે ૩૫ કિલો) હેરોઇન જપ્ત કરાયું હતું, જેની કિંમત ૧૭૫ કરોડ રૂપિયા હતી. આ ઓપરેશનમાં પાકિસ્તાની આરોપીઓ ઇસ્માઇલ મોહમદ જામ (ઉં.વ. ૫૦), અનીશ ઇશા ભટી (ઉં.વ. ૩૦), અબુબકર હાસમ કુંગરા (ઉં.વ. ૭૦) અને અશરફ ઉસ્માન ભટી (ઉં.વ. ૪૨) ને ઝડપી લેવાયા હતા. આ કેસમાં તપાસ અધિકારી એટીએસના પીઆઈ આઇ.આર.જાડેજાએ ગુનો નોંધ્યો હતો અને તપાસ બાદ પીઆઈ ડી.બી.બસીયાએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. હૈદરી પોર્ટથી આવેલું રૂા.૧૫૦ કરોડનું હેરોઇન પકડાયું બીજા ગુનામાં પાકિસ્તાનના હૈદરી પોર્ટથી બોટ મારફતે જખૌના દરિયામાં ડ્રગ્સની ડિલિવરી થવાની બાતમીના આધારે ફરી એકવાર એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજી ભુજે સંયુક્ત રેડ કરીને શંકાસ્પદ બોટ ઝડપી પાડી હતી. તેમાંથી ૩૦ કિલો હેરોઇન જપ્ત કરાયું હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત ૧૫૦ કરોડ રૂપિયા થાય છે. આ કેસમાં એટીએસના પીઆઈ વી.બી. પટેલે ગુનો નોંધ્યો હતો અને તપાસના અંતે પીઆઈ વાય.એમ.ગોહીલે ચાર્જશીટ ફાઇલ કરી હતી. અફઘાની કનેક્શન સાથે રૂા.૨૫૦ કરોડનું હેરોઇન જપ્ત ત્રીજા મોટા ઓપરેશન દરમિયાન પાકિસ્તાનના હૈદરી પોર્ટથી જખૌના દરિયામાં ઘુસાડાતો ડ્રગ્સનો વધુ એક મસમોટો જથ્થો સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશનમાં ઝડપી લીધો હતો. આ તપાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલતાં એક અફઘાની નાગરિકની પણ ધરપકડ કરાઈ હતી. જહાજમાંથી ૫૦ કિલો હેરોઇન મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ૨૫૦ કરોડ રૂપિયા થાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, જુન 2026
3465 |
રાજકોટ, સુરત, અમદાવાદ માટે નવી ટાઉન પ્લાનિંગ યોજનાઓ મંજૂર કરાઇ
રાજ્યના ત્રણ મોટા શહેરો રાજકોટ, સુરત અને અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ યોજનાઓને રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, જેનાથી આ વિસ્તારોમાં વિકાસની નવી તકો સર્જાશે. શહેરી વિકાસ વિભાગે આ અંગેની સત્તાવાર અધિસૂચનાઓ જાહેર કરી છે. સરકારની મુખ્ય મંજૂરીઓમાં સૌથી વધુ લાભ રાજકોટ શહેરને મળ્યો છે. રાજકોટની ટાઉન પ્લાનિંગ યોજના નંબર ૫૭ અને ૫૮ ઉપરાંત વાજડી ગઢ વિસ્તારની ટાઉન પ્લાનિંગ યોજના નંબર ૮૦ ને પણ મંજૂરી આપવામાં આવી છે. રાજકોટના વિસ્તરણ અને આયોજનબદ્ધ વિકાસ માટે આ ર્નિણય મહત્વપૂર્ણ ગણાય છે.સુરત શહેર માટે પણ મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. સુરતની ટાઉન પ્લાનિંગ યોજના નંબર ૬૮ ને રાજ્ય સરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. સુરત શહેર ઝડપથી વિકસતું હોવાથી આ યોજનાના અમલીકરણથી આસપાસના વિસ્તારોમાં રોડ, પાણી તથા ગટર જેવી પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે.અમદાવાદ શહેર માટે પણ સારા સમાચાર આવ્યા છે. અમદાવાદના ખોરજ-ત્રાગડ વિસ્તારની ફાઇનલ ટાઉન પ્લાનિંગ યોજના નંબર ૪૦૯ ને પણ મંજૂરી આપવામાં આવી છે.શહેરી વિકાસ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે આ મંજૂરીઓથી શહેરોમાં સુવ્યવસ્થિત વિકાસ થશે અને નાગરિકોને આધુનિક સુવિધાઓ મળી રહેશે.રાજકોટ માટે મંજૂર થયેલી યોજનાઓ શહેરના વિસ્તાર અને વસતીના દૃષ્ટિકોણે મહત્વ ધરાવે છે. ્ઁ યોજના નંબર ૫૭ અને ૫૮ ઉપરાંત વાજડી ગઢ વિસ્તારની યોજના નંબર ૮૦ને મંજૂરી મળવાથી સ્થાનિક વિકાસના નવા માર્ગો ખુલશે. સુરત માટે ્ઁ યોજના નંબર ૬૮ મહત્વપૂર્ણ છે, કારણ કે સુરત શહેરમાં સતત વસતી અને ઉદ્યોગિક વૃદ્ધિ થઈ રહી છે.અમદાવાદના ખોરજ-ત્રાગડ વિસ્તાર માટે ્ઁ યોજના નંબર ૪૦૯ની મંજૂરીથી શહેરના આ ભાગમાં સુવ્યવસ્થિત વિકાસની શક્યતાઓ વધશે. શહેરી વિકાસ વિભાગે જણાવ્યું છે કે આ યોજનાઓ અમલમાં આવ્યા બાદ રોડ, પાણી, ગટર જેવી પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે.આ તાજેતરના ર્નિણયો રાજ્યના ત્રણ મોટા શહેરોમાં સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ વિકાસ તરફ મહત્વપૂર્ણ પગલાં છે. સરકાર દ્વારા આપવામાં આવેલી ્ઁ યોજનાઓની મંજૂરીથી સ્થાનિક નાગરિકોને આધુનિક સુવિધાઓ અને વધુ સારી જીવનશૈલીની આશા છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
02, જુલાઈ 2026
2574 |
નડિયાદના પરિવારનું અમેરિકામાં ગૂંગળામણથી મોત
રોજીરોટી કમાવવા અને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે વિદેશની ધરતી પર ગયેલા નડિયાદના એક હસતા-રમતા સુથાર પરિવાર પર વજ્રઘાત થયો છે. અમેરિકાના વુસ્ટર ખાતે રહેતા મૂળ નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના ભીષણ આગના કારણે ગૂંગળામણ થવાથી કરુણ મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે વુસ્ટર અને નડિયાદ ખાતે રહેતા તેમના સગા-સંબંધીઓ તેમજ સ્થાનિક ભારતીય સમુદાયમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ નડિયાદના વતની અને છેલ્લા બે વર્ષથી અમેરિકાના વુસ્ટર ખાતે સ્થાયી થયેલા સુથાર પરિવારના સભ્યો હિતેશભાઈ, તેમના પત્ની હિનાબેન અને પુત્રી ઈશાની વુસ્ટર ખાતે આવેલી ‘ઇકોનો લોજ’ માં રહેતા હતા. દરમિયાન આ લોજમાં અચાનક કોઈ કારણોસર ભયાનક આગ ફાટી નીકળી હતી. આગની લપેટો આખા બિલ્ડિંગમાં ઝડપથી ફેલાઈ જતાં ચારેય તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગની ભયાનકતા જાેઈને પોતાનો જીવ બચાવવા માટે હિતેશભાઈ, હિનાબેન અને દીકરી ઈશાનીએ રૂમના બાથરૂમમાં આશરો લીધો હતો અને અંદરથી દરવાજાે બંધ કરી દીધો હતો. જાે કે, આ ર્નિણય તેમના માટે કાળ સાબિત થયો હતો. લોજમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડની ટીમને તેના પર કાબૂ મેળવવામાં ઘણો સમય લાગી ગયો હતો. આ દરમિયાન આગનો ઝેરી અને ઘટ્ટ ધુમાડો બાથરૂમની અંદર સુધી પહોંચી ગયો હતો. લાંબા સમય સુધી ધુમાડાની વચ્ચે ફસાયેલા રહેવાના કારણે શ્વાસ રુંધાવાથી (ગૂંગળામણ થવાથી) ત્રણેય સભ્યોના બાથરૂમની અંદર જ કરુણ મોત નીપજ્યા હતા. આગ ઓલવાયા બાદ જ્યારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે બાથરૂમમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. વિદેશની ધરતી પર માત્ર બે જ વર્ષમાં આખો પરિવાર હોમાઈ જતાં નડિયાદમાં રહેતા તેમના સ્નેહીજનો આઘાતમાં ડૂબી ગયા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
02, જુલાઈ 2026
3366 |
35 વર્ષ પછી વિજ્ઞાન જાથા બંધ! આખરે જયંત પંડ્યાએ કેમ લીધો આ આકરો નિર્ણય? | Gujarat News
ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી અંધશ્રદ્ધા સામે જનજાગૃતિ ફેલાવતી ભારત જન વિજ્ઞાન જાથા હવે પોતાની પ્રવૃત્તિઓ બંધ કરવા જઈ રહી છે. સંસ્થાના સ્થાપક જયંત પંડ્યાએ વધતી ઉંમર, સતત મળતી ધમકીઓ, શારીરિક જોખમ અને પરિવારની શાંતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.જયંત પંડ્યાના આ નિર્ણયથી રેશનાલિસ્ટ અને વૈજ્ઞાનિક વર્તુળોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે મેદાનમાં કામગીરી ભલે બંધ થશે, પરંતુ વૈજ્ઞાનિક અભિગમ અને લોકજાગૃતિ માટેનું વૈચારિક કાર્ય તેઓ આગળ પણ ચાલુ રાખશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, જુન 2026
3267 |
પરવટપાટિયાની ખાનગી હોસ્પિટલમાં નર્સનો ફાંસો ખાઈ આપઘાત
સુરત શહેરનાં પરવટપાટિયા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી ૨૪ વર્ષીય નર્સે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. જાેકે નર્સેના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર પરવટપાટિયા વિસ્તારની ખંડેલવાલ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ૨૪ વર્ષીય મંજુલા પારુભાઈ રાઠવા નર્સ તરીકે ફરજ બજાવતી હતી. મુળ છોટા ઉદેપુરની મંજુલા રાઠવાનાં લગ્ન ત્રણ વર્ષ પૂર્વે જ થયાં હતાં અને હાલમાં તેના પતિ સહિત માતા પિતા પણ વતનમાં જ વસવાટ કરી રહ્યા છે. જ્યારે મંજુલા રાઠવા હોસ્પિટલમાં જ ફાળવવામાં આવેલ રૂમમાં રહેતી હતી. અલબત્ત, ગત રાત્રિનાં સમયગાળા દરમિયાન મંજુરા રાઠવાએ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે મંજુલા રાઠવાની બાજુનાં રૂમમાં રહેતી અન્ય સહકર્મી જ્યારે વોશરૂમ જવા માટે ઉઠી ત્યારે તેણે મંજુલા રાઠવાનો મૃતદેહ પંખા સાથે લટકતો જાેયો હતો. ઘટના અંગે હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ મૃતક મંજુલા રાઠવાની આપઘાતનું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
28, જુન 2026
3267 |
વડોદરા પોલો ક્લબની આજે હાઈ વોલ્ટેજ ચૂંટણી
વડોદરા પોલો ક્લબની આજે હાઈ વોલ્ટેજ ચૂંટણીચૂંટણીમાં ડેમોક્રેસી અને એસીઈ ગ્રુપ વચ્ચે જામશે જંગ૧૮ ઉમેદવારોનું ભાવી આજે મતપેટીમાં થશે સીલપોલો ક્લબના ૩૨૦૦થી વધુ મતદારો કરશે મતદાનબપોરે મતદાન પૂર્ણ થયા બાદ સાંજે પરિણામ જાહેર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, જુન 2026
3960 |
જમીન કૌભાંડમાં આણંદ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ સસ્પેન્ડ
અમદાવાદ રેન્જ આઇજી દ્વારા આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇને પેટલાદ તાલુકાના પાળજની જમીન મેટર સંદર્ભમાં સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે બેડામાં ચાલતી ચણભણ મુજબ જમીન કે અન્ય કોઇ મસમોટા તગડા વહીવટી ખેલ ના પગલે કાર્યવાહી?ની સાથે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ભલભલા ના પગ નીચેથી ધરતી સરકેની શક્યતા જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇ બી.એમ.માળીએ એસઓજીમા ફરજ બજાવતા સમયે પેટલાદ તાલુકાના પાળજ ખાતે જમીનમાં બોગસ વારસાઇના આધારે અમદાવાદના ભેરૂલાલ લાલચંદ ચોપરા અને પ્રિતમલાલ ચોપરા ના પાળજ ગામની સીમમાં આવેલ ખડા ગામની મહિલા અને પરિવારજનોની જમીનમાં નામો દાખલ કરાવતા તેઓની ઉંમર ૫૦ની છતાં ૨૦થી૨૨ વર્ષની બતાવી ખેડૂત બની બાવળા તાલુકાની ખેતીલાયક જમીન ખરીદતાં આ મુદ્દે પેટલાદ પોલીસ મથકે પીઆઇ પી.એમ.માળીએ જાતે ફરિયાદી બની અમદાવાદના બંને ભાઈઓ તથા ખડા ગામના પીનલ પટેલ, જયેન્દ્ર પટેલ, શારદાબેન પટેલ, વકીલ કનુભાઇ મકવાણા, સહિત અન્ય વિરુદ્ધ બોગસ દસ્તાવેજ તથા છેતરપિંડી નો ગુનો દાખલ કરાવ્યો હતો.જે બાદ એક આરોપી જયેન્દ્ર પટેલે એસઓજી કચેરી આપધાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામતાં સમગ્ર મામલો રેન્જ આઇજી રાધવેન્દ્ર વત્સ પાસે પહોંચતા તપાસ હાથ ધરી એલસીબી પીઆઇ માળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જાેકે સમગ્ર મામલે પીઆઇ પરની કાર્યવાહી ફક્ત જમીન મામલે કે અન્ય કોઇ મસમોટા વહીવટી ખેલ ના પગલે?ની ચણભણ થતાં તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ભલભલા ના પગ નીચેથી ધરતી સરકેની શક્યતા જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.ફોટો ટોપી: તંત્ર માટે બોડી બામણીનુ ખેતર બનેલ આણંદ પંથકમાં, હેડીન્ગ: પેટલાદના પાળજ ની જમીન મામલે રેન્જ આઇજી દ્વારા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ ને સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ, પેટા: જમીન કે અન્ય કોઇ મસમોટા વહીવટી ખેલ રચાયા ના પગલે કાર્યવાહી?બેડામાં ચણભણ, તટસ્થ તપાસ થાય તો ભલભલા ના પગ નીચે રેલો આવે ની સંભાવના, આણંદ પંથક સરકારી તંત્ર માટે મલાઇ વહીવટ રળવાનુ બોડી બામણીનુ ખેતર બની રહ્યું હોય તેમ અમદાવાદ રેન્જ આઇજી દ્વારા આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇને પેટલાદ તાલુકાના પાળજની જમીન મેટર સંદર્ભમાં સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે બેડામાં ચાલતી ચણભણ મુજબ જમીન કે અન્ય કોઇ મસમોટા તગડા વહીવટી ખેલ ના પગલે કાર્યવાહી?ની સાથે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ભલભલા ના પગ નીચેથી ધરતી સરકેની શક્યતા જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇ બી.એમ.માળીએ એસઓજીમા ફરજ બજાવતા સમયે પેટલાદ તાલુકાના પાળજ ખાતે જમીનમાં બોગસ વારસાઇના આધારે અમદાવાદના ભેરૂલાલ લાલચંદ ચોપરા અને પ્રિતમલાલ ચોપરા ના પાળજ ગામની સીમમાં આવેલ ખડા ગામની મહિલા અને પરિવારજનોની જમીનમાં નામો દાખલ કરાવતા તેઓની ઉંમર ૫૦ની છતાં ૨૦થી૨૨ વર્ષની બતાવી ખેડૂત બની બાવળા તાલુકાની ખેતીલાયક જમીન ખરીદતાં આ મુદ્દે પેટલાદ પોલીસ મથકે પીઆઇ પી.એમ.માળીએ જાતે ફરિયાદી બની અમદાવાદના બંને ભાઈઓ તથા ખડા ગામના પીનલ પટેલ, જયેન્દ્ર પટેલ, શારદાબેન પટેલ, વકીલ કનુભાઇ મકવાણા, સહિત અન્ય વિરુદ્ધ બોગસ દસ્તાવેજ તથા છેતરપિંડી નો ગુનો દાખલ કરાવ્યો હતો.જે બાદ એક આરોપી જયેન્દ્ર પટેલે એસઓજી કચેરી આપધાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામતાં સમગ્ર મામલો રેન્જ આઇજી રાધવેન્દ્ર વત્સ પાસે પહોંચતા તપાસ હાથ ધરી એલસીબી પીઆઇ માળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અપ્રમાણસર મિલકતોની તપાસ થશે ? આણંદ એલસીબી માં ફરજ બજાવતા પીઆઇ માળીને ગતમોડી સાંજે અમદાવાદ રેન્જ આઇજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતાં બેડામાં ચકચાર મચી જવા પામ્યા બાદ સસ્પેન્ડેડ પીઆઇ ની જર જમીન સહિતની મિલ્કત ની તપાસ હાથ ધરાશે?ના સવાલ ઉઠતાં જાે તપાસમાં અપ્રમાણસર મિલકતો બહાર આવે તો એસીબીનો સિકંજાે કસાવાની સંભાવના પણ જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, જુલાઈ 2026
1782 |
‘ઓપરેશન મ્યૂલ હન્ટ-૨’: કમિશન લેતી ટોળકીના ત્રણ સાગરિતોની ધરપકડ કરાઇ
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં સાયબર ક્રાઈમના નાણાં સગેવગે કરવા માટે ભાડેથી બેંક એકાઉન્ટ (મ્યુલ એકાઉન્ટ) પૂરા પાડતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. રખિયાલ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ-૨’ અંતર્ગત કાર્યવાહી કરીને સાયબર ઠગાઈના નાણાં પોતાના ખાતામાં મેળવીને કમિશન લેતી ટોળકીના ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.આર. સોલંકીએ આ મામલે ગુનો દાખલ કરાવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રખિયાલના અજીતમીલ ચાર રસ્તા પાસે રહેતા ૨૦ વર્ષીય મોહમ્મદ કૈફ મુસ્તાકભાઈ મન્સૂરીના કોટક મહિન્દ્રા બેંકના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો થયા છે.આ બેંક ખાતામાં માત્ર ૩૦ જૂન ૨૦૨૫ના એક જ દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાંથી છેતરપિંડીના નાણાં જમા થયા હતા. જેમાં મહારાષ્ટ્રના જીતુર પ્રભણી ખાતેથી ૨,૨૩,૫૦૦, પશ્ચિમ બંગાળના કોલકાતાથી ૧,૧૧,૭૫૦, મહારાષ્ટ્રના નાસિકથી ૨,૦૦,૦૦૦, કર્ણાટકના મૈસુરુથી ૭૫,૦૦૦ અને ગુજરાતના સુરત ખાતેથી ૫૦,૦૦૦ મળી કુલ સાત લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સાયબર ગઠિયાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ અને ટેલિગ્રામ પર ‘ટાસ્ક ફ્રોડ’ અને ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ’ની લાલચ આપીને લોકોને છેતરતા હતા. આ ગુનાઈત નાણાં મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવા માટે આરોપી મોહમ્મદ કૈફ, અફઝલ પીરમોહમ્મદ મન્સૂરી અને વસી મોબીન ઉર્ફે અનુલેભાઈ શેખે પોતાનું બેંક એકાઉન્ટ અને એટીએમ કાર્ડ ભાડે આપ્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, જુલાઈ 2026
2178 |
યુવક ઉપર લોખંડના પાઈપથી ૧૫ ફટકા માર્યાં
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રાધે ચેમ્બરના પાર્કિંગમાં એક યુવક પર જાહેરમાં બેફામ હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આસપાસ મોટી સંખ્યામાં લોકોનું ટોળું હાજર હોવા છતાં, એક શખસે સની નામના યુવકને પકડી રાખ્યો હતો અને યુવતીના પૂર્વ પ્રેમીએ લોખંડની પાઈપથી ર્નિદયતાથી હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્ત સનીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનો ડર ઓછો થયો હોય તેમ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.હુમલા પાછળ પ્રેમ સંબંધની અદાવત હોવાનું સામે આવ્યું છે. વસ્ત્રાલમાં રહેતો સની પાડોશમાં રહેતી એક યુવતી સાથે છેલ્લા એક મહિનાથી પ્રેમ સંબંધમાં છે અને બંનેના લગ્નની વાતચીત ચાલી રહી છે. જાે કે, પાંચ વર્ષ પહેલાં આ યુવતી કીર્તિ પરમાર નામના યુવકના સંપર્કમાં હતી અને તેની સાથે લગ્ન કરવાની હતી, પરંતુ કોઈ કારણોસર યુવતીએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. આ અદાવત મનમાં રાખીને કીર્તિ પરમારે આ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. ઘટના બન્યાના દિવસે સન્નીની પ્રેમિકાએ ફોન કરીને તેના મિત્રના ત્યાં જમવા જવાનું છે તેમ કહ્યું હતું. જેથી રાત્રે વસ્ત્રાલના રાધે ચેમ્બરના પાર્કિંગમાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ સિંગરવા ખાતે જમવા માટે ગયા હતા. તેઓ જમીને પરત આવ્યા હતા અને રાધે ચેમ્બરના પાર્કિંગમાંથી એકટીવા લેવા જતા અચાનક જ યુવતીનો પૂર્વ પ્રેમી કિર્તી પરમાર અને બીજા બે શખસ આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તું કેમ આ યુવતી સાથે વાતચીત કરે છે અને મારામારી કરી હતી.એક યુવકએ સન્નીને પકડી રાખ્યો હતો અને યુવતીનો પૂર્વ પ્રેમી કિર્તી હાથમાં લોખંડની પાઈપથી માર મારવા લાગ્યો હતો. જાેરદાર રીતે લોખંડની પાઈપના ૧૦થી ૧૫ ફટકા હાથ અને પગમાં માર્યાં હતા. એટલું જ નહીં જાે હવે વાતચીત કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. લોકો ઉભા હોવા છતાં પણ લોખંડની સ્ટીકથી બેફામ માર માર્યો હતો. યુવકને એકટીવા પાસે પણ રાખી માર્યો હતો. માર માર્યા બાદ ત્રણે જતા રહ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને લોકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રામોલ પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, જુલાઈ 2026
1980 |
રથયાત્રા પૂર્વે ઇસનપુર પોલીસે અસામાજિક તત્વો અને ગુનેગારો પર નજર રાખવા કોમ્બિંગ કર્યુ
અમદાવાદમાં આગામી રથયાત્રાના પવિત્ર તહેવારને લઈને શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના બાદ અસામાજિક તત્વો અને ગુનેગારો પર નજર રાખવા માટે ખાસ કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ૩ જુલાઈના રોજ મોડી રાત્રે પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો અને સઘન તપાસ હાથ ધરી હતી. ઇસનપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તા. ૦૩/૦૭/૨૦૨૬ના રોજ સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા દરમિયાન આ કામગીરી કરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં ૧ પોલીસ ઇન્સ્પેક્ટર, ૪ પી.એસ.આઈ. અને ૩૧ જેટલા પોલીસ કર્મચારીઓએ જાેડાઈને વિસ્તારને ખૂંદી વળ્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં છરી અને ચપ્પા જેવા ઘાતક હથિયારો સાથે ૩ શખ્સોને બી.એન.એસ. કલમ ૧૭૦ મુજબ ઝડપી પાડવામાં આવ્યા હતા.તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ૧૧ હિસ્ટ્રીશીટર અને ૧૭ એમ.સી.આર. આરોપીઓની હાજરી ચેક કરી હતી. આ ઉપરાંત, તડીપાર કરાયેલા ૪ શખ્સો અને ૧૫ લિસ્ટેડ બુટલેગરો પર પણ કડક નજર રાખવામાં આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન ૭૦ વાહનોની તપાસ કરી ૬ ચાલકોને મેમો આપી ૪,૫૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. નશાની હાલતમાં વાહન ચલાવનાર એક વ્યક્તિ સામે એમ.વી. એક્ટ ૧૮૫ હેઠળ ગુનો નોંધાયો હતો.પોલીસે માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ વિસ્તારના ૬ હોટલ-ઢાબા, ૩ અવાવરૂ જગ્યાઓ અને ભીડભાડવાળા વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. રથયાત્રા પૂર્વે ઇસનપુર પોલીસની આ આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે તહેવારની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, જુલાઈ 2026
1881 |
અનુપમ સિંહ ગેહલોતે પો.કમિ.નો ચાર્જ સંભાળ્યો
અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે.નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે.રાજ્યના ડીજીપી અને અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી.એસ મલિકે વિધિવત રીતે અનુપમસિંહ ગહેલોતને અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ સોંપ્યો હતો.વડોદરા, રાજકોટ, સુરત અને હવે અમદાવાદમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનાર બીજા અધિકારી હશે. આ પ્રસંગે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પ્રોટોકોલ મુજબ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અગાઉ તેઓ સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે. જે બાદ પોલીસ કમિશનરે અધિકારીઓ સાથે એક બેઠક પણ કરી હતી.પોલીસ કમિશનરે ગુનેગારોને ચેતવણી આપતા કહ્યું કે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે અમદાવાદ શહેરની એક જૂની અને આગવી ઓળખ છે, રાજધાનીથી સૌથી નજીક અને રાજ્યનું સૌથી મોટું શહેર છે.અમદાવાદમાં પોલીસ માટે ઘણા પડકારો છે.અમદાવાદમાં કાયદો વ્યવસ્થા ખૂબ જ સારી રીતે જળવાઈ રહી છે.વર્ષોથી અમદાવાદ પોલીસે કરેલા કામને આગળ વધારવાના છે. હાલ ચાર્જ લીધા બાદ સૌથી મહત્વનું કામ રથયાત્રાનું છે જે અમદાવાદમાં સૌથી મોટો તહેવાર છે.જે બાદ અમદાવાદ માટેના પડકારોમાં એક વિકસતા અમદાવાદમાં ટ્રાફિક મોટો પડકાર છે.આ ઉપરાંત આગામી સમયમાં કોમનવેલ્થ અને અન્ય ગેમ્સ અમદાવાદમાં રમાવાની છે જેમાં ટ્રાફિકને લઈને કામ કરવામાં આવશે કાયદો વ્યવસ્થા જળવાય તે મહત્વની વાત છે.પોલીસ સામાન્ય નાગરિકો માટે કામ કરશે.જે પણ વ્યક્તિ નાગરિકોને હેરાન કરશે અને તેની નોંધ પોલીસ ચોપડે ના થઈ હોય છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જાે કોઈ પોલીસનું પણ નાગરિકો માટેનું વાણી વર્તન યોગ્ય ન હોય તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે.અમદાવાદ શહેર ખૂબ જ મોટું છે શહેરમાં નાગરિકોને પ્રશ્નોનું નિવારણ પોલીસ સ્ટેશનથી થઈ જાય તે ધ્યાન રાખવામાં આવશે.કોઈપણ નાગરિકને કમિશનર કચેરી ફરિયાદ લઈને આવવું ન પડે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે. ગુનેગારો માટે ચેતવણી સમજે કે અપીલ પરંતુ કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, જુલાઈ 2026
1782 |
ગુજરાત પોલીસ ટેકનિકલ કેડરની ૯૫૦ જગ્યાઓ માટે ૨૩મીએ પરીક્ષા
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ટેકનિકલ કેડરની ૯૫૦ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી છે જે ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રવિવારે રાજ્યભરના નિર્ધારિત કેન્દ્રો પર યોજાશે.આ ભરતી અભિયાન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ૧૭૨, ટેકનિકલ ઓપરેટરની ૬૯૮, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની ૩૫ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિકની ૪૫ જગ્યાઓનો સમાવેશ થાય છે. કુલ ૯૫૦ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. બોર્ડે જાહેર કર્યું છે કે પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર, સમય, કોલ લેટર તથા અન્ય જરૂરી સૂચનાઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર અલગથી જાહેર કરવામાં આવશે. ભરતી પ્રક્રિયાની પ્રથમ તબક્કા તરીકે ૨૩ ઓગસ્ટે લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ જાહેર કરાયેલી ભરતીની જાેગવાઈઓ મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને સૂચના આપી છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર પ્રસિદ્ધ થતી તમામ સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરે. બોર્ડે વધુમાં ઉમેર્યું છે કે ઉમેદવારોને પરીક્ષા સંબંધિત તમામ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ પર નિયમિતપણે નજર રાખવી જરૂરી છે. ઉમેદવારો માટે તમામ સૂચનાઓ અને કોલ લેટર સમયસર વેબસાઇટ પર મુકવામાં આવશે અધિકારીઓએ જણાવ્યું.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, જુલાઈ 2026
2178 |
લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદીઓની મુલાકાત તથા બેરેક ફાળવણીમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખૂલી
લાજપોર સેન્ટ્રલ જેલ ભ્રષ્ટાચારનો અખાડો બની ચૂકી છે. અહીં કેદીઓની બેરેક ફાળવણી, ખાન-પાન અને મુલાકાત સુધી પૈસાની બોલબાલા છે. ભ્રષ્ટાચાર જાણે અહીં શિષ્ટાચાર હની ગયો છે. ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ બે મહિના અગાઉ જેલની ભ્રષ્ટ સીસ્ટમનો તેમાં સંડોવાયેલા અધિકારી અને કેદીઓના નામે જાેગ પર્દાફાશ કર્યો હતો. હવે એસીબીએ સેન્ટ્રલ જેલ બહાર છટકું ગોઠવી કેદીઓની મુલાકાત માટે સંબંધીઓ પાસે ૫૦૦ રૂપિયા લાંચ વસૂલતાં પન્ટરને ઝડપી પાડ્યો હતો.લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓને મળવા આવતા મુલાકાતીઓ પાસેથી નિયમ મુજબની નોંધણી કે મુલાકાતી ફોર્મ ભર્યા વગર જ ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા પડાવી બારોબાર મુલાકાત કરાવવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે. આ અંગે વ્યાપક ફરિયાદો ઉઠતાં એસીબીના સુરત એકમના મદદનીશ નિયામક આર. આર.ચૌધરીનાં સુપરવિઝન હેઠળ પીઆઈ એસ. ડી. ધોબીએ ડીકોય એટલે કે છટકાનું આયોજન કર્યું હતું. આ પ્લાન મુજબ, એ.સી.બી.ની ટીમે એક જાગૃત નાગરિકને તરીકે તૈયાર કરી લાજપોર જેલના મુલાકાતી રૂમમાં મોકલ્યો હતો. જ્યાં હાજર વચેટિયા પ્રતિક કૈલાશ સસાને (રહે, કેશવ નગર, ભેસ્તાન)ને ફોર્મ વગર મુલાકાત કરાવવા માટે ૫૦૦ લાંચ માંગી હતી. ડીકોયર પાસે પન્ટરે લાંચ પેટે પૈસા લેતાં જ ચાંપતી નજર રાખી બેસેલી એ.સી.બી.ની ટીમે તેને દબોચી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જેલમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે વખતોવખત જેલવાસ ભોગવતા રહેલા માથાભારે શિવા ઝાલાએ બે મહિના અગાઉ જ પર્દાફાશ કર્યો હતો. ડ્રગ્સના કેસમાં જામીન ઉપર છૂટેલા શિવાએ વાયરલ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, નવા કેદીઓને હાઈ સિક્યોરિટી ઝોનમાં મુકીને તેમની પાસે તોડ કરવામાં આવતો હોય છે. ખૈની, વિવરીયા અને ગઢવી તથા પાકા કામના કેદી ઉજેફાનો ઉલ્લેખ કરતાં તેણે વધુમાં કહ્યું હતું કે, ૨૮ કેદીને બદલે એક જ બેરેકમાં ૪૫ કેદીઓને ઠુંસવામાં આવતાં હોય છે અને ત્યાંથી નિકળવા માટે પણ રૂપિયાની વસુલાત કરવામાં આવતી હોય છે. આ સિવાય મોબાઈલ પર વાત કરવાથી માંડીને વીડિયો કોન્ફરન્સ માટે પણ ૫૦૦ રૂપિયા સુધીનો વ્યવહાર કરવો પડતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સિવાય જેલમાં તમાકુ, ગુટખા, ગાંજાે અને ડ્રગ્સ પણ રૂપિયા ખર્ચ કરતાં મળી જાય છે. જેલ કર્મચારી અને કેદીઓ ચોક્કસ એકાઉન્ટ અને યુપીઆઇ આઈડી માં પૈસા ટ્રાન્સફર કરાવતા હોવાનું પણ તેણે જણાવ્યું હતું. જાે કે, આ આક્ષેપોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ચોથા જ દિવસે શહેર પોલીસે શિવા સામે ખંડણીના ત્રણ ગુના નોંધી દીધા હતાં.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, જુલાઈ 2026
2376 |
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપીમાં પાણીની આવક વધતાં કોઝ-વે ઓવરફ્લો
ઉકાઇડેમનાં ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ વરસતાં તાપી નદીમાં પાણીની આવક વધી ગઇ છે, તાપી બે કાંઠે વહેતી થવા સાથે કોઝ-વે ઓવરફ્લો થતાં નયનરમ્ય નજારો જાેવા મળ્યો હતો. કોઝ-વે ઓવરફ્લો થતાં શુક્રવારે મોડીસાંજથી જ વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, જુલાઈ 2026
1782 |
રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો, અધિકારીઓ સામે પગલાં લો
સુરતનાં ધારાસભ્યોએ ચોમાસાની મુખ્ય સમસ્યા સમાન રસ્તાનાં ખાડાં, ભૂવા, ટ્રેન્ચ બેસી જવાનાં તેમજ રસ્તા તૂટી જવાનાં બનાવો અંગે મહાનગર પાલિકાની સંકલન બેઠકમાં ઉગ્ર રજૂઆતો કરીને સાચા અર્થમાં પ્રજાનાં પ્રતિનિધિ હોવાની ફરજ બજાવી હતી. સુરત મહાનગર પાલિકાનાં અધિકારીઓ અને ધારાસભ્યો, સંસદસભ્યોની સંકલન બેઠકમાં આજે સંદિપ દેસાઇ, કુમાર કાનાણી અને મનુ ફોગવા સહિતનાં ધારાસભ્યોએ તૂટેલાં રસ્તાઓ, ટ્રેન્ચ બેસી જવાનાં બનાવોમાં જવાબદાર રોડ કોન્ટ્રાક્ટરો તેમજ મહાનગર પાલિકાનાં અધિકારીઓ સામે પગલાં લેવાં ઉપરાંત કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની ભારપૂર્વક રજૂઆતો કરી હતી.સુરત મહાનગર પાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનાં રસ્તાઓ કાર્પેટ-રીકાર્પેટ કરે છે જેમાં મુખ્યત્વે ૧૦થી ૧૨ મોટા રોડકોન્ટ્રાક્ટરો ટેન્ડર મેળવીને કામ કરતાં હોય છે. ડીસ્કાઉન્ટેડ રેટથી રસ્તાનાં કોન્ટ્રાક્ટ મેળવનાર કોન્ટ્રાક્ટરોની કામગીરી એટલી હદે નબળી હોય છે અને રોડ મટીરિયલ પણ હલકી ગુણવત્તાનું હોય છે કે, નવો બનાવેલો રસ્તો પ્રથમ ચોમાસાનો માર પણ સહન કરી શકતો નથી. ડીફેક્ટ લાયેબિલિટી પીરિયડમાં રસ્તાઓ તૂટી જવાનાં બનાવો બન્યાં છે. બે વર્ષમાં આવા કુલ ૪૭ રસ્તાઓ તૂટી ગયાં હતાં. ગત વર્ષે ૧૦ કોન્ટ્રાક્ટરોને કુલ ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકારીને કમિશનરે સંતોષ માનતાં કોન્ટ્રાક્ટરોને ફાવતું મળી ગયું હતું. આજ દિન સુધી નબળી કામગીરી કરનાર એક પણ રોડ કોન્ટ્રાક્ટરને મ્યુનિસિપલ કમિશનરે બ્લેકલિસ્ટ કર્યો નથી. પરંતુ આજે સંકલન બેઠકમાં ધારાસભ્યોએ નબળી ગુણવત્તાવાળા રોડ બનાવનાર, પાણી-ગટરનાં કામો પછી ટ્રેન્ચ બેસી જાય તેવી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની અને મહાનગર પાલિકાનાં અધિકારીની જવાબદારી ફિકસ કરવાની રજૂઆત મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજનને કરી હતી. ધારાસભ્ય સંગીતા પાટિલે પણ વરસાદમાં રસ્તા તૂટવાની સર્જાતી સમસ્યાનું તાકિદે નિરાકરણ લાવવા કમિશનરને કહ્યું હતું તે અંગે કમિશનરે પણ બાંયધરી આપી હતી. તો સાંસદ પરભુ વસાવાએ પણ પહેલાં વરસાદમાં રસ્તા તૂટવાનાં તથા ભૂવા પડવાનાં બનાવો ના બને તે માટે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમનાં મતવિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી ડોર ટુ ડોરની કચરાગાડી કચરો લેવા નહીં આવતી હોવાની પણ રજૂઆત કરી હતી. ગેરકાયદે બાંધકામ મુદ્દે પગલાં નહીં લો તો ઉપવાસ પર બેસવાની ચીમકી આપી કુમાર કાનાણીનું સંકલન બેઠકમાંથી વોકઆઉટ સુરત મહાનગરપાલિકાની ધારાસભ્યોની મળેલી સંકલન બેઠકમાં વરાછા વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ગેરકાયદે બાંધકામ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવા સાથે ઉપવાસ પર બેસી જવાની ચીમકી આપી સંકલન બેઠકમાંથી વોકઆઉટ કરીને નીકળી ગયા હતા. જાે કે ૧૫ મિનિટ સુધી અધિકારીઓએ કરેલાં મનામણાંનાં ડ્રામા બાદ કુમાર કાનાણી ફરીથી સંકલન બેઠકમાં બેઠાં ખરાં પરંતુ ગેરકાયદે બાંધકામ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવા સાથે અધિકારીઓને આડે હાથ લીધાં હતાં. સુરત મહાનગર પાલિકાની ધારાસભ્યો સાથેની માસિક સંકલન બેઠક બપોરે ૧૨:૦૦ વાગે મળી હતી. જેમાં એક સાંસદ તથા અન્ય સાત ધારાસભ્યો હાજર રહ્યાં હતા. આ સંકલન બેઠકમાં વરાછા વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ગેરકાયદે બાંધકામ મુદ્દે ભારે ધમાલ મચાવી હતી. કુમાર કાનાણીએ રજૂઆત કરી હતી કે વરાછા સહિત અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે. રેસિડેન્શિયલ વિસ્તારોમાં ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિઓ ધમધમી રહી છે અને આ મામલે પાલિકાનાં અધિકારીઓ પણ ખોટા જવાબો આપે છે. તેમણે એકદમ ઉશ્કેરાઈને રજૂઆત કરી હતી કે જાે દર વખતે સંકલન બેઠકમાં આ જ રીતે વારંવાર રજૂઆતો કરવાની હોય તો અમારી રજૂઆતનો કોઈ મતલબ રહેતો નથી. અધિકારીઓ પણ અમને ગાંઠતા નથી. જાે ગેરકાયદે બાંધકામ મુદ્દે કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું ઉપવાસ પર બેસી જાઉ છું તેમ કહીને કુમાર કાનાણીએ સંકલન બેઠકમાંથી વોકઆઉટ કરી બહાર નીકળી ગયા હતા. જેના કારણે સંકલન બેઠકમાં ભારે ધમાલ મચી જવા પામી હતી. તાત્કાલિક પાલિકાનાં ડેપ્યુટી કમિશનર સહિતનાં પાંચ અધિકારીઓએ સભાની બહાર નીકળી ૧૫ મિનિટ સુધી કુમાર કાનાણીને મનામણાં કરતાં ફરીથી તેઓ સભામાં બેઠા હતા. જાે કે તેમણે ફરીથી રજૂઆત કરતા જણાવ્યું હતું કે નાના વરાછા વિસ્તારમાં ગામતળમાં આવેલ સરકારી જમીનમાં ગેરકાયદે બાંગ્લાદેશી વસાહત બની ગઈ છે. જેથી તેમની સામે પણ કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત શહેરનાં સણીયા હેમાદ વિસ્તારમાં ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીયલમાં પણ અનેક મિલકતોમાં ગેરકાયદે બાંધકામ થયું છે અને કોટેજ ઇન્ડસ્ટ્રીયલના નામે પણ ગેરકાયદે બાંધકામ થયું છે જેની સામે પણ પગલાં લેવાની માગ કરી હતી.નાસિરનગરમાં કોઈ અધિકારી સામે એફઆઈઆર કેમ નહીં : વિનુ મોરડીયા નાસિરનગરનાં ગેરકાયદે ડીમોલિશનનો મુદ્દો આજની સંકલન બેઠકમાં પણ ઉઠ્યો હતો. એકતરફ હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાધીશો તેમજ પોલીસ કમિશનરનાં વલણ સામે આકરૂ વલણ દાખવ્યું છે ત્યારે ભાજપનાં જ બે ધારાસભ્યો કુમાર કાનાણી અને વિનુ મોરડિયાએ નાસિરનગર મુદ્દે ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનરને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. બહુચર્ચિત નાસિરનગર મુદ્દે પણ સંકલન બેઠકમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનરને આડેહાથ લીધાં હતાં. તેમણે કમિશનરને સંબોધીને કહ્યું હતું કે શહેરમાં નાસિરનગરમાં આટલું મોટું ડીમોલિશન થઈ જાય અને તમે એવો જવાબ આપો કે અમને ખબર નથી તે કેવી રીતે ચાલે? તેમની વાતમાં સૂર પુરાવતા ધારાસભ્ય વિનુ મોરડીયાએ પણ જણાવ્યું હતું કે નાસિરનગરમાં કેટલાય લોકો ઘર વગરનાં થઇ ગયા અને અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કરવાથી શું થાય? હજી સુધી આ મામલે કેમ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી તેવો વેધક સવાલ વિનુ મોરડિયાએ કરીને ફરી એકવાર રાજકારણમાં ગરમાટો લાવવાનો પ્રયાસ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપનાં જ મોટામાથાએ નાસિરનગરનાં ડીમોલિશનની સોપારી લીધી હતી અને ડીમોલિશન થયું તે પછી વિનુ મોરડિયાએ સવાલો ઉઠાવ્યાં હતાં પરંતુ કોઇ કારણસર તેમણે પોતાની શાબ્દિક તલવાર મ્યાન કરી દેતાં તેમનાં વલણ અંગે પણ અટકળો થઇ રહી હતી પરંતુ આજે સંકલન બેઠકમાં ફરી વિનુ મોરડિયાએ તલવાર ખેંચતાં ભાજપનું આંતરિક રાજકારણ ગયમાયું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, જુલાઈ 2026
1881 |
અમલસાડમાં જાણીતી બેકરીના પરિવારની પુત્રવધૂનો લગ્નના એક જ વર્ષમાં ગળાફાંસો ખાઈ આપઘાત
અમલસાડમાં જાણીતી બેકરી ધરાવતા પરિવારની પુત્રવધુએ લગ્નનાં એક જ વર્ષમાં પોતાના સાસરે પંખા સાથે ઓઢણી બાંધી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી હતી. આ સાથે જ, પિયરપક્ષે મૃતદેહનો કબ્જો લેતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. મળતી માહિતી મુજબ, વલસાડ, ધરમપુરનાં તીસ્કરી તલાટ ગામના દોણી ફળીયામાં રહેતી નિમિશા પટેલ (કુકણા) નાં લગ્ન અમલસાડ પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતા સંદીપ રમેશભાઈ પટેલ (કુકણા) સાથે એકાદ વર્ષ અગાઉ થયા હતા. દરમિયાન, બુધવાર સાંજે નિમિશાએ કોઈક અગમ્ય કારણસર સાસરીનાં ઘરે પહેલા માળે સિલિંગ પંખા સાથે ઓઢણી બાંધી જીવન ટૂંકાવી દીધું હતું. તે દરમિયાન પતિ સંદીપ પટેલે બેકરી ઉપરથી ફોન કર્યા હતા. જે ન ઉપાડતા સંદીપ ત્વરિત ઘરે પહોંચ્યો હતો. અને ઉપરના માળે તપાસ કરતા પત્ની પંખે લટકતી જોવા મળી હતી. જેને ઉતારી નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જતા ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર મામલે મૃતકનાં ભાઈએ ગણદેવી પોલીસને જાણ કરતા ગણદેવી પીએસઆઇ કે.આર. નાયકાએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન, પિયરપક્ષે મૃતદેહનો કબ્જો લીધો હતો. જેને કારણે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, જુલાઈ 2026
2376 |
શહેરના રસ્તાઓની હાલત અંગે આજની સંકલન બેઠકમાં પસ્તાળ પાડીને ધારાસભ્યો ખરેખર પ્રજાના પ્રતિનિધિ બનશે ?
ચોમાસુ આવે અને શહેરનાં રસ્તાઓ ચંદ્રની ધરતી જેવાં બની જાય તેવાં દ્રશ્યો સુરતીઓ માટે હવે સામાન્ય બની ગયાં છે. દર વર્ષે પ્રીમોન્સૂન એક્ટિવિટીનાં નામે કાગળ ઉપર કામગીરી દર્શાવવામાં આવે અને ખરેખર ચોમાસુ શરૂ થાય એટલે પાણી ભરાવાથી માંડી રસ્તા તૂટવા, ભૂવા પડવા તેમજ ટ્રેન્ચ બેસી જવાનાં બનાવો બને છે. આ વર્ષે ચોમાસુ શરૂ થયાનાં ૪૮ કલાકમાં જ સુરત શહેરમાં ૧૪ સ્થળે ટ્રેન્ચ બેસી જવાનાં તેમજ ભૂવા પડવાનાં બનાવો બનતા શહેરીજનોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. ડ્રેનેજ, પાણી અને રોડની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરોની નબળી કામગીરી અને મહાનગર પાલિકાનાં અધિકારીઓનાં નબળા સુપરવિઝનને કારણે જ ટ્રેન્ચ બેસી જવાનાં કે ભૂવા પડવાનાં બનાવ બને છે અને કરોડો રૂપિયાનો ટેક્સ ભરતાં શહેરીજનોએ સહન કરવું પડી રહ્યું છે ત્યારે આવતીકાલે મહાનગર પાલિકાની મુખ્યકચેરી ખાતે મળનારી સંકલન બેઠકમાં ધારાસભ્યો અને સંસદસભ્ય ખરેખર પ્રજાનાં પ્રતિનિધિ બનીને મનપા તંત્ર ઉપર પસ્તાળ પાડશે કે પછી મૌન ધારણ કરશે તેની ઉપર લોકોની નજર છે.સુરત શહેરમાં વર્ષ ૨૦૨૪ અને વર્ષ ૨૦૨૫માં ડીફેક્ટ લાયેબિલિટી પીરિયડનાં ૪૭ રસ્તા તૂટ્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીએલપીનાં રસ્તા તૂટ્યાં હોય તો તેવા કિસ્સામાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો તેમ છતાં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ૧૦ કોન્ટ્રાક્ટરોને માત્ર ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકારીને સંતોષ માન્યો હતો. પાંચ કોન્ટ્રાક્ટરો એવા છે કે સતત બે વર્ષ તેમણે બનાવેલાં રોડ ડીફેક્ટ લાયેબિલિટી પીરિયડ દરમિયાન તૂટ્યાં છે છતાં આ પાંચેય કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા ન હતાં. આ વર્ષે તો પરિસ્થિતિ અત્યંત ખરાબ હોય તેવું જણાઇ રહ્યું છે. રસ્તા તો તૂટ્યાં જ છે સાથો સાથ પાણી અને ડ્રેનેજનાં કામો થયાં બાદ રોડ બનાવી દેવાયો હોય ત્યાં ચોમાસાની શરૂઆતમાં જ ટ્રેન્ચ બેસી જવાનાં તેમજ ભૂવા પડવાનાં ૧૪ બનાવો બન્યાં છે. ગુજરાતનાં આર્થિક પાટનગર ગણાતાં સુરત શહેરની અવદશા અંગે પીએમઓ અને સીએમઓ તરફથી ઠપકો મળતાં મહાનગર પાલિકાનું વહિવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. મ્યુનિસિપલ કમિશનરે પણ અધિકારીઓને લબડધક્કે લઇ તાત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યો હતો. ૧૪ કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ કોઇને બ્લેકલિસ્ટ કરવાની હિંમત કમિશનરે દાખવી નથી.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...