આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, જુન 2026
5643 |
ભૂજના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમાર
કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલા માધાપરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન આયોજિત બટુક ભોજનમાં ફૂડ પોઇઝનિંગ જેવી ઘટના સામે આવતા ભારે દોડધામ મચી ગઈ હતી. છાશ પીધા બાદ ૪૫થી વધુ બાળકોની તબિયત એકાએક બગડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. મળતી માહિતી અનુસાર, માધાપરના ઐશ્વર્યા નગર વિસ્તારમાં સ્થિત એક મંદિરમાં અધિક માસની પૂર્ણાહુતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો માટે બાલ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારના ૫૦થી વધુ બાળકો જાેડાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ભોજન દરમિયાન પીરસવામાં આવેલી છાશ પીધાના થોડા સમય બાદ બાળકોને પેટમાં દુ:ખાવો, ઉલ્ટી, ચક્કર અને ઝાડા જેવી તકલીફો શરૂ થઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં બાળકો બીમાર પડતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને વાલીઓએ તાત્કાલિક આયોજકોને જાણ કરી હતી, જેના પગલે બાળકોને હોસ્પિટલ પહોંચાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે છાશ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ દહીં લાંબા સમય સુધી યોગ્ય ઠંડક વિના રાખવામાં આવ્યું હોઈ શકે છે. ઉનાળાની ગરમી અને ભેજવાળા વાતાવરણના કારણે દહીં બગડી ગયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાે કે ઘટનાના ચોક્કસ કારણ અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ અસરગ્રસ્ત બાળકોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ઇમરજન્સી સારવાર શરૂ કરવામાં આવી હતી અને બાળરોગ નિષ્ણાતોની વિશેષ ટીમને તૈનાત કરવામાં આવી હતી.હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર સમયસર સારવાર મળી જતા હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે અને કોઈ ગંભીર જાેખમ હોવાનું સામે આવ્યું નથી.ઘટનાને લઈને આરોગ્ય વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા પણ જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે. ભોજનમાં ઉપયોગમાં લેવાયેલા ખાદ્યપદાર્થોના નમૂનાઓની તપાસ કરીને ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવશે.આ ઘટના બાદ સ્થાનિક સ્તરે ધાર્મિક અને સામૂહિક કાર્યક્રમોમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા અને સુરક્ષા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, જુન 2026
5742 |
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં આગામી ૬ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જાેવા મળશે. હવામાન વિભાગ અનુસાર, આગામી ૧૬ થી ૧૯ જૂન દરમિયાન રાજ્યના ૧૧ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં આગામી ૧૪-૧૫ જૂના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને ૧૫ જૂને છોટાઉદેપુર, નર્મદા વરસાદની શક્યતા છે. આગામી ૧૬ થી ૧૯ જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું. જેમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જાેવા મળ્યો ન હતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું હતું. ગઈકાલે(૧૨ જૂન) અમદાવાદ ખાતે રાજ્યનું સૌથી વધુ ૪૨.૭ તાપમાન નોંધાયું હતું. જાે કે, આગામી ૨૪ કલાકમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને મહત્તમ તાપમાન ૪૨°ઝ્ર ની આસપાસ રહેવાની સંભાવના છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, જુન 2026
5643 |
ગીર સોમનાથમાં ૩૧૦ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ :પાંચ આરોપી ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતેથી આશરે ૩૧૦ કરોડ રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ અંતર્ગત સમન્વય પોર્ટલની મદદથી ઓનલાઈન ઠગાઈ માટે પોતાના બેંક ખાતા ભાડે આપતી ટોળકીને ઝડપી પાડી છે.જૂનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. ઝણકાત અને તેમની ટીમે સૌપ્રથમ એક આરોપીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ અને ડિજિટલ પુરાવાના આધારે અલગ-અલગ ટીમો બનાવીને વેરાવળ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાંથી વધુ ૪ આરોપીઓ દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં આકાશ ભરતકુમાર પાલા, હિરેન રાજગોર, આશુતોષ ઠાકર (દેવભૂમિ દ્વારકા), અજય દાફડા (રાજકોટ) અને દીપકગીરી અપરનાથી (વેરાવળ) નો સમાવેશ થાય છે.પોલીસ તપાસ દરમિયાન બે ચોક્કસ બેંક ખાતાઓ પર શંકા ગઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આ ખાતાધારકો માત્ર કમિશન મેળવવાની લાલચે સાયબર ઠગોને પોતાના ખાતા વાપરવા આપતા હતા.આ સમગ્ર કૌભાંડમાં બેંક ઓફ ઇન્ડિયા અને કેનરા બેંકના ખાતાઓ મુખ્ય કેન્દ્ર સાબિત થયા છે. બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં પોર્ટલ પર ૧૯૩ ફરિયાદો લિંક થયેલી હતી, જેમાં ૨૮૨ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળ્યા હતા. જ્યારે કેનરા બેંકના એક ખાતામાં ૯૭ ફરિયાદો સાથે ૩૭ કરોડના શંકાસ્પદ વ્યવહારો નોંધાયા હતા. આમ બે જ ખાતાઓ મારફતે કુલ ૩૧૦ કરોડથી વધુની રકમની હેરફેર થઈ હતી.પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે આ નેટવર્ક દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં રહેતા આશરે ૨૯૦ જેટલા નિર્દાેષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. રોકાણના નામે ઊંચા વળતરની લાલચ, વિવિધ ઓનલાઈન ટાસ્ક અને અન્ય સાયબર કરતૂતો કરીને મેળવેલી કરોડોની રકમ આ ભાડે રાખેલા મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, જુન 2026
5346 |
જામનગર મનપાનો અંધેર વહીવટ: હજુ ઉદ્ઘાટન પણ નથી થયું ને કરોડોના પ્રોજેક્ટ પર જેસીબી ફર્યુ
છોટા કાશી ગણાતા જામનગર શહેરમાંથી વહીવટી તંત્રની એક ગંભીર બેદરકારી અને નબળા આયોજનનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વોર્ડ નંબર-૨ વિસ્તારમાં કરોડો રૂપિયાના અંધાધૂંધ ખર્ચે તૈયાર કરાયેલા એક હાઈ-પ્રોફાઈલ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ (સૌંદર્યીકરણ) ને લઈને મોટો વિવાદ છેડાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે હજુ સુધી આ કરોડોના પ્રોજેક્ટનું સત્તાવાર ઉદ્ઘાટન કે લોકાર્પણ પણ થયું નથી, ત્યાં જ મનપા દ્વારા ફરીથી જેસીબી ઉતારીને તોડફોડ અને ખોદકામ શરૂ કરી દેવાતા પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. નવા બનેલા આ પ્રોજેક્ટના લોકેશન પર અચાનક જેસીબી મશીનો ધણધણવા લાગતા આસપાસના રસ્તાઓ ફરીથી બિસ્માર બન્યા છે, જેને પગલે સ્થાનિક નાગરિકોમાં મનપા તંત્ર વિરુદ્ધ ભારે રોષ જાેવા મળી રહ્યો છે. પ્રજા હવે એવો વેધક સવાલ પૂછી રહી છે કે જાે આ રસ્તા અને પ્રોજેક્ટની નીચે ભૂગર્ભ ગટર લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, ગેસ લાઈન કે વીજળીના કેબલ ફિટ કરવાના બાકી જ હતા, તો કરોડો રૂપિયા વાપરીને ઉપર બ્યુટિફિકેશનનું કામ પૂરું કેમ કરી દેવાયું? કામ શરૂ કરતાં પહેલાં એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પ્રોપર સર્વેક્ષણ કે નકશાનું આયોજન કેમ કરવામાં આવ્યું નહીં? આ ગંભીર બેદરકારી સામે અવાજ ઉઠાવતા વોર્ડ નંબર-૨ના સામાજિક આગેવાન હનીફ હસન મલેકે જામનગર મહાનગરપાલિકાના વહીવટ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે જામનગરમાં કોઈપણ પ્રકારના પ્લાનિંગ વગર ઉતાવળે કામો હાથ ધરવામાં આવે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, જુન 2026
5643 |
બંધ બારણે મળેલી બેઠકમાં હર્ષ સંઘવી અને નરેશ પટેલે અડધો કલાક ગુફ્તેગુ કરી
રાજકોટના પ્રવાસે ગયેલા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ખોડલધામ-કાગવડના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને જઈને તેમની સાથે બેઠક કરી હતી. રાજકોટમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે થયેલી મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે અને અનેક જાતના તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે. જાે કે, મુલાકાત બાદ નરેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, આ માત્ર સામાજિક મુલાકાત હતી. અન્ય કોઈ રાજકીય ચર્ચા થઈ નથી.ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ૨૦૨૭ને આડે હવે દોઢ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. તેવા સંજાેગોમાં આજે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટના પ્રવાસે ગયા હતા. રાજકોટના પ્રવાસ દરમિયાન રેલવે ઓવરબ્રિજના લોકાર્પણનો સરકારી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. નરેશ પટેલના નિવાસસ્થાને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે બંધ બારણે બેઠક યોજાઇ હતી. જેને લઈને ગુજરાતના રાજકીય વર્તુળોમાં નવી અનેક જાતની ચર્ચાઓ અને તર્ક-વિતર્કોને જન્મ આપ્યો છે. વિધાનસભાની ૨૦૨૭ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બંને દિગ્ગજાેની મુલાકાતથી રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજકોટ પ્રવાસ દરમિયાન ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં બંને વચ્ચે લગભગ અડધો કલાક જેટલો સમય સુધી બંધ બારણે મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ખાસ કરીને તાજેતરમાં નરેશ પટેલે ખોડલધામની જવાબદારીઓમાંથી સેવામુક્ત થવાની જાહેરાત કરી હોવાને કારણે આ મુલાકાત વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજકોટમાં ઉપમુખ્યમંત્રી અને ખોડલધામના ચેરમેન વચ્ચેની મુલાકાતને લઈને રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્યમાં નવા રાજકીય સમીકરણોની ધરી રચાઈ શકે છે. આ સંજાેગોમાં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચેની બંધ બારણે થયેલી મુલાકાતને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જાે કે, આ બેઠક પૂર્ણ થયા બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મીડિયા સમક્ષ આવીને આ મુલાકાતને સંપૂર્ણપણે સામાજિક ગણાવી છે. નરેશ પટેલે મુલાકાત અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી મારા ઘરે આવ્યા હતા. આ માત્ર સામાજિક મુલાકાત હતી. અન્ય કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. માત્ર સામાજિક મુદ્દાઓ પર જ વાતચીત થઈ હતી. નરેશ પટેલના આ નિવેદન બાદ પણ રાજકીય વર્તુળોમાં અનેકવિધ ચર્ચાઓ તેજ બની છે. કારણ કે ભૂતકાળમાં પણ વિધાનસભાની ચૂંટણી પૂર્વે નરેશ પટેલનું નામ સક્રિય રાજકારણ સાથે અનેક વખત જાેડાતું રહ્યું છે. તેથી બંને વચ્ચેની આ મુલાકાત સામાન્ય હતી કે તેના પાછળ કોઈ રાજકીય સંકેત છુપાયેલો છે, તે તો સમય જ બતાવશે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, જુન 2026
6138 |
ગુજરાતના ઉંબરે આવીને કેમ અટકી ગયું ચોમાસું? IMDનો મોટો ખુલાસો!
ગુજરાતમાં ચોમાસાની પ્રગતિ હાલ ધીમી પડી ગઈ છે. હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ગરમી અને બફારાનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 18 જૂન પછી ચોમાસું ફરી ગતિ પકડી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, જુન 2026
5346 |
નડિયાદ જમીન દફતર કચેરીનો લાયસન્સ સર્વેયર ૯૦ હજારની લાંચ લેતાં ઝડપાયો
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સરકારી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નડિયાદ ખાતે આવેલ જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દ્વારા જમીનની હિસ્સા માપણીની કામગીરી વ્યવસ્થિત પૂરી કરવા અને કોઇ વાંધા વચકા ન નીકળે ના મુદ્દે અરજદાર પાસેથી ૯૦ હજાર ની લાંચ ની માંગણી કરતાં અરજદારે એસીબીને જાણ કરતાં નડિયાદ બસ સ્ટેન્ડ નજીક છટકું ગોઠવી એસીબીએ સર્વેયર ને લાંચ ની રકમ લેતાં રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર નડિયાદ ખાતે આવેલ જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દિલીપસિંહ ચૌહાણે જમીનની માપણી ની કામગીરી પૂર્ણ કરવા અને ભવિષ્યમાં કોઈ વાંધા વચકા ન નીકળે તેવા આશયથી અરજદાર પાસે ૯૦ હજાર ની લાંચ ની માંગણી કરતાં અરજદારે એસીબીને જાણ કરતાં એસીબીએ છટકું ગોઠવી નડિયાદ બસ સ્ટેન્ડ નજીક નાણાં લેતાં દિલીપસિંહ ચૌહાણને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, જુન 2026
6039 |
સરકાર સામે પ્રજાનો મોરચો : સારસા ગામ બંધ
પેટ્રોલ ના વધતા જતા ભાવવધારા ના કારણે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ માં ઇથેનોલ મિશ્રણ માટે મંજૂરી આપતાં ના પગલે કેન્દ્ર ના જ ઉચ્ચ નેતાની પડદા પાછળ ભાગીદારી ના સંદેહ વ્યક્ત થતાં આણંદના સારસા ખાતે ફળદ્રુપ જમીન પર ઇથેનોલ ઉત્પાદન માટે ફેક્ટરી પ્રસ્થાપિત કરવાના આયોજન કરાતાં સ્થાનિક શાસકીય નેતાઓ ની પણ મૂકસંમતીના પગલે સારસા ખાતે વિરોધના સૂર ઉઠતાં આજે કૈવલવાડી સારસા ખાતે ખાસ ગ્રામસભા યોજાઇ હતી.જયા સર્વાનુમતે સ્થાનિકો દ્વારા સતકૈવલ સંસ્થા ના અવિચલદાસ મહારાજ સહિતના દ્વારા વિરોધ વ્યક્ત કરતાં આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મિતેષ તથા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ વચ્ચે શાબ્દિક પ્રહારો થતાં વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે ગ્રામસભામાં ઉગ્ર વિરોધ વ્યક્ત થતાં ગ્રામ સરપંચ દ્વારા ઇથેનોલ ફેક્ટરીની મંજૂરી માટે નો ઠરાવ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર પેટ્રોલ ના વધતાં જતાં ભાવવધારા ના પગલે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કરવાની મંજૂરી આપતાં આણંદ નજીકના સારસા ખાતેના સીટી સર્વેનં ૧૩૮૩/૧ તથા બ્લોક સર્વેનં ૧૩૬૫-૧૩૬૯-૧૩૭૦/૧ વાળી ફળદ્રુપ જમીન પર ઇથેનોલ ફેક્ટરી પ્રસ્થાપિત કરવાની મંજૂરી આપતાં સ્થાનિક સ્તરે વિરોધ ઉઠતાં આજે સારસા કૈવલવાડી ખાતે ખાસ સાધારણ ગ્રામસભા યોજવામાં આવી હતી.જેમા ઇથેનોલ ફેક્ટરી મુદ્દે વિરોધ વ્યક્ત કરી સતકૈવલ સંસ્થા ના અવિચલદાસ મહારાજ પણ વિરોધમાં જાેડાઇ આ પ્રકારના પ્લાન્ટ ઉભા થશે તો પર્યાવરણ ને તથા ખેતી ને નુકસાન થશે ના સંદેહ વ્યક્ત કરી જન આરોગ્ય સાથે ચેડાં થશેનો મત વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે ઉઠેલ વિરોધ પગલે આ મુદ્દે સરકારમાં રજૂઆત કરી યોગ્ય ઉકેલ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.જયારે પંથકના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલે આક્રમક વલણ અપનાવી સાંસદ સહિત સ્થાનિક વહીવટીતંત્ર ને આડેહાથ લઇ લોકોના આરોગ્ય અને જનજીવન સાથે ચેડાં કરવાનું સરકાર બંધ કરે.મોધવારીના માર મારતી સરકાર દ્વારા હવે ખેડૂતો ની જમીન ને આ પ્રકારના ઉદ્યોગ ઉભા કરી ખેતીને નુકસાન થાય અને ખેડૂતો દેવાદાર બની રહે તેવા પ્રયાસો સાંખી લેવામાં નહીં આવે નું જણાવતાં આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ અને જયંત પટેલ વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે ગ્રામસભામાં ઉગ્ર વિરોધ વ્યક્ત થતાં ગ્રામ પંચાયત સરપંચ દ્વારા ફેક્ટરી ને મંજૂરી આપતાં ઠરાવ રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અત્રે ઇથેનોલ ઉત્પાદન ફેક્ટરી પ્રસ્થાપિત કરવામાં કેન્દ્રના ઉચ્ચ નેતા ની પડદા પાછળ ભાગીદારી હોય સ્થાનિક શાસકીય નેતાઓ દ્વારા ચૂપકીદી સેવવામાં આવી રહ્યા ની ચર્ચા જાેવા મળી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
10494 |
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું. સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ. ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે. PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
8910 |
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ
વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, જુન 2026
6336 |
કોર્ટે ટ્રાફિક કોન્સ્ટેબલને વાહનચાલક તરફ નોટપેડ ફેંકીને ચાલકને ઈજા પહોંચાડવા બદલ દોષિત ઠેરવ્યા
અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે નિવૃત્ત ટ્રાફિક કોન્સ્ટેબલ લાલજી મકવાણાને ટ્રાફિક ચેકિંગ દરમિયાન મોટરસાયકલ ચાલક તરફ નોટપેડ ફેંકીને ચાલકને ઈજા પહોંચાડવા બદલ દોષિત ઠેરવ્યા છે. જાે કે વિવિધ રાહત આપનારા પરિબળોને ધ્યાનમાં રાખીને, કોર્ટે તેમને જેલની સજામાંથી રાહત આપી છે અને પ્રોબેશનનો લાભ આપ્યો છે. પરંતુ ૩૦ હજારનું વળતર ફરિયાદીને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. આ રૂપિયા કોર્ટમાં જમા કરાવવાના રહેશે. આ ઘટના ૧૯ નવેમ્બર, ૨૦૦૭ની છે, જ્યારે ટ્રાફિક કોન્સ્ટેબલ શિવરંજની ચાર રસ્તા પર ફરજ બજાવતા હતા. એક ટુ વ્હીલર ચાલક પોતાની બહેનને પાછળ બેસાડીને મોટરસાયકલ લઈને ચાર રસ્તા પાસે આવ્યા હતા. બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું ન હતું. પ્રોશિક્યુશનના જણાવ્યા અનુસાર ટ્રાફિક કોન્સ્ટેબલે બાઇક ચાલકને ઊભા રહેવાનો ઈશારો કર્યો હતો. જ્યારે તેમને લાગ્યું કે ચાલક ઊભો નહીં રહે, ત્યારે તેમણે પોતાની પાસે રહેલું નોટપેડ તેની તરફ ફેંક્યું હતું.આ નોટપેડ બાઇક ચાલકના મોઢા પર વાગ્યું હતું. જેના કારણે મોટરસાયકલ ચાલકે સંતુલન ગુમાવ્યું અને બંને સવારો રોડ પર પડી ગયા. ચાલકના ચશ્મા તૂટી ગયા અને તેની આંખમાં ઈજા થઈ હતી. ફરજ પરના અન્ય એક પોલીસકર્મી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.બીજા દિવસે બાઇક ચાલકે કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ચાર્જશીટ ફાઇલ થઈ અને ટ્રાયલ ચાલ્યા બાદ કોર્ટે ટ્રાફિક કોન્સ્ટેબલને બાઇક ચાલક પર હુમલો કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. કોન્સ્ટેબલે કોર્ટ સમક્ષ નરમ વલણ અપનાવવા અને જેલની સજાને બદલે વળતર ચૂકવવાનો આદેશ કરવા વિનંતી કરી હતી.એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આ વિનંતીનો સ્વીકાર કરાયો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે ઘટના સમયની આરોપીની ઉંમર તેમજ તેમની વર્તમાન ઉંમર, તેમનો વ્યવસાય, કૌટુંબિક જવાબદારીઓ, કેસના સંજાેગો, ગુનાનું સ્વરૂપ અને તેમના ભવિષ્યની સંભાવનાઓ પર દોષિત ઠરવાની અસરોને ધ્યાનમાં લેતા, કોર્ટ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ, ૧૯૫૮ ની કલમોનો લાભ આપવો યોગ્ય માને છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, જુન 2026
5841 |
બિલ્ડર રમણ પટેલની સજા મોકૂફી અને ચૂકાદાના અમલ પર મનાઇહુકમ માટેની અરજી કોર્ટે ફગાવી
પોપ્યુલર બિલ્ડર રમણ પટેલને સાણંદની અદાલતે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના કેસમાં ૪ વર્ષની જેલ અને ૧.૪૦ લાખનો દંડ ફટકાર્યો હતો. આ સજા સામે મનાઈહુકમ મેળવવા તેમણે અમદાવાદ સેશન્સ કોર્ટ અને ત્યારબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ બંને અદાલતોએ તેમની જામીન અને સજા મોકૂફ રાખવાની માંગણી ફગાવી દીધી છે. મૂળ પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સામે સાણંદ પોલીસ મથકે ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૧૨૦મ્ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ ફરિયાદીની સાણંદના ચેખલા ગામ ખાતે આવેલ પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ બનાવીને જુદી-જુદી કંપનીઓને નામે કરી દીધો હતો. ખરેખર આ પ્રકારની જમીનનો દસ્તાવેજ થઈ શકે નહીં.વળી નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા આરોપીએ સાણંદ મામલતદારનો બનાવટી હુકમ તૈયાર કર્યો હતો,જેને દસ્તાવેજમાં મૂકવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે જે ૫૨ કંપનીઓના નામે દસ્તાવેજ કરવામાં આવ્યા છે. તેમાંથી ૪૧ કંપનીઓના સરનામા આરોપીઓના ઘરના સરનામે રજીસ્ટર છે. આ કાવતરું ૧૯૯૬માં ઘડવામાં આવ્યું હતું.હાઈકોર્ટમાં અરજદારના વકીલે જણાવ્યું હતું કે આરોપી ડિસેમ્બર, ૨૦૨૩થી જેલમાં છે અને સજાનો મોટો ભાગ ભોગવી ચૂક્યા છે. પ્રોસિક્યુશને જે મામલતદારના કથિત બનાવટી હુકમનો આધાર લીધો છે, તે મૂળ હુકમ અદાલત સમક્ષ રજૂ જ કરી શકાયો નથી. જમીન માલિકે વેચાણ દસ્તાવેજ પર પોતે સહી કરી હોવાથી આમાં કોઈ બનાવટનો ગુનો બનતો નથી. આરોપી વૃદ્ધ અને બીમાર હોવાથી સજા મોકૂફ થવી જાેઈએ.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, જુન 2026
5445 |
નીટ પરીક્ષામાં ગેરરીતિ-છેતરપિંડીનો પર્દાફાશ
શહેર ક્રાઈમ બ્રાંચે નીટ પેપર લીક મામલામાં રાજસ્થાનથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે નીટની પરીક્ષાના રિફંડ મામલે ફ્રોડ કરતા આરોપીની પણ બિહારથી ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમે કુલ બે રાજસ્થાનથી અને એક બિહારથી એમ કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનથી પકડાયેલા બે આરોપી ટેલિગ્રામ પર ચેનલ ચલાવી નીટનું પેપર વેચતા હતા. બિહારથી પકડાયેલો આરોપી નીટના રિફંડના નામે છેતરપિંડી કરતો હતો. દેશભરમાં ચાલી રહેલા નીટ પેપર લીક વિવાદનો ગેરકાયદે ફાયદો ઉઠાવવા માટે અમુક સાયબર ગુનેગારો સક્રિય થયા હોવાની ચોક્કસ બાતમી અમદાવાદ સાયબર ક્રાઇમને મળી હતી. તપાસમાં સામે આવ્યું કે, બે આરોપી ટેલિગ્રામ પર અલગ-અલગ ચેનલો બનાવી નીટના પેપર વેચે છે, જેને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ ટેલિગ્રામ પર નીટના પેપર વેચવા અંગેનો મેસેજ મુકતા હતા. જે બાદ જેને ખરીદવું હોય તે આરોપીઓને મેસેજ કરતા હતા અને આરોપી લાખો રૂપિયા લઈને પેપર અને આન્સર કી આપતા હતા. જાેકે, આરોપીઓ કોઈ જુના પેપર કે ખોટા પેપર વેચીને ફ્રોડ કરતા હતા. બંને આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરતો હતો. વિદ્યાર્થીઓના આઇડી અને પાસવર્ડ સાથે ચેડા કરીને તેઓની સાથે ફ્રોડ કરતો હતો, જેની સાયબર ક્રાઈમે બિહારથી ધરપકડ કરી છે. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીએ પેપર લીક નથી કર્યા. ૪૪ વેબસાઇટ અને ૮ ટેલિગ્રામ ચેનલ ચલાવતા હતા. આરોપીઓએ ટેલિગ્રામ મારફતે જાહેરાત કરી હતી કે તેમની પાસે રીનીટનું પેપર છે. આરોપીઓએ ચેનલ અને ગ્રુપ ચલાવતા હતા. જેમાં મેસેજ નાખતા હતા. આરોપીઓ મેસેજ નાખે તે બાદ આરોપીઓના જ માણસો ગ્રુપમાં એડવાન્સ પૈસા આપ્યાના સ્ક્રીન શોટ નાખી આભારનો મેસેજ કરતા હતા. જેનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓને વિશ્વાસ આવે. આરોપીના માણસો જ ગ્રુપમાં લખતા હતા કે તમે ગત વર્ષે જે પેપર આપ્યું હતું તેમાંથી ૭૦ થી ૮૦ ટકા પેપર આવ્યું હતું. વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ મેસેજ જાેઈને ગ્રુપમાં વિશ્વાસ કરીને નીટનું પેપર ખરીદવા આરોપીનો સંપર્ક કર્યો હતો. લગભગ ૧ હજારથી વધુ લોકોએ નીટનું પેપર લેવા આરોપીને પૈસા આપ્યા છે. આરોપીના બેંક એકાઉન્ટમાંથી ૧.૫૦ કરોડના ટ્રાન્જેક્શન મળ્યા છે. સાયબર ક્રાઈમે આ અંગે ગુનો નોંધી સુમેર સિંગ મીણા અને આકાશ મીણા નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી.બંને રાજસ્થાનના રહેવાસી છે. તેના મોબાઈલમાંથી ૮ ટેલિગ્રામ ચેનલ મળી આવી હતી, જે આરોપીઓ જ ચલાવતા હતા. આરોપીઓ પેપર આપવાના બદલે પાસેથી ૧૫ હજારથી ૮૦ હજાર વસુલતા હતા. પૈસા મેળવવા ગેમિંગના બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. બેંક એકાઉન્ટમાં એક દિવસમાં પૈસા આવ્યા બાદ એકાઉન્ટ વાપરવાનું બંધ કરી દેતા હતા. આરોપીએ નીટની પરીક્ષાના નામે પૈસા મેળવ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ત્રીજા આરોપી નવીન યાદવનો રોલ ૨૧ જૂને લેવાયેલા અને લીક થયેલા નીટ પેપર કેસમાં સંડોવાયેલો છે. નીટની પરીક્ષા કેન્સલ થતા રિફંડની રકમ આરોપીએ બરોબર પોતાના ખાતામાં મેળવી હતી. આ રિફંડની રકમ મેળવવા દ્ગ્છની વેબસાઇટમાં પાસવર્ડ ફોરગેટ કરતો જે બાદ સિક્યુરિટી પ્રશ્નો જે એકદમ સરળ હતા તેના જવાબ આપી આઇડી પાસવર્ડ બદલીને ૧૭૦૦ રૂપિયા પોતાના ખાતામાં મેળવી લેતા હતા. ૧૫૦ વિદ્યાર્થીઓના રિફંડના પૈસા નવીન યાદવે મેળવી લીધા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, જુન 2026
5544 |
લોકોએ હજી અઠવાડિયા જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે
રાજ્યમાં હાલમાં ૨૨ જૂન સુધી ચોમાસાની આશા નહીવત્ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધ્યું હોવા છતાં હજી પણ ગુજરાત સુધી પહોંચતા આ આખુ અઠવાડિયુ ખમૈયા કરે તેવી પ્રબળ સંભાવના છે. ગુજરાત તરફ આગળ વધવાની તેની ગતિ હાલમાં ધીમી પડી છે. આના લીધે રાજ્યમાં ગરમી અને ઉકળાટથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. લોકોએ હજી અઠવાડિયા જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે તેમ હવામાન ખાતુ કહે છે. રાજ્યમાં સરેરાશ તાપમાન ૩૯થી ૪૧ ડિગ્રીની વચ્ચે રહેશે. અમદાવાદમાં ૪૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં ૩૮.૬, સુરતમાં ૩૫.૨, રાજકોટમાં ૩૯.૭, અમરેલીમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગરમાં સૌથી વધુ ૪૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં હાલમાં ઉપરના વાતાવરણમાં સૂકા અને ગરમ ઉત્તર-પશ્ચિમી પવનો સક્રિય હોવાના કારણે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોને મોટો અવરોધ નડી રહ્યો છે. તેના લીધે રાજ્યમાં ચોમાસાની આગેકૂચમાં વિલંબ સર્જાયો છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પ્રતિ કલાક ૫૦થી ૫૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. તેની સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ૨૦થી ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે ઉત્તર-મધ્ય ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહેવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦થી ૪૨ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, જુન 2026
5544 |
ગાંધીનગર કૂચ કરી રહેલી ટ્રેક્ટર રેલીને અટકાવતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી ખેડૂત અધિકારો માટે કોંગ્રેસે ટ્રેક્ટર રેલી યોજી હતી.જેમાં ૨૦થી વધુ ખેડૂત સંગઠનો જાેડાયા હતા. સરકાર સમક્ષ ૫ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાન સુધી પહોંચી હતી.જ્યાં પોલીસ અને ખેડૂતોએ સામસામે ટકરાવ અનુભવ્યો હતો.પોલીસે રેલીને ગાંધીનગર જવાની મંજૂરી ન આપતાં રસ્તા પર ત્નઝ્રમ્ આડું મૂકી ટ્રેક્ટર રેલી અટકાવી હતી. ખેડૂતોએ પણ ટ્રેક્ટર આડા મૂકી રસ્તા બંધ કરી દીધા, જેના કારણે ઓગણજ ટોલ ટેક્સથી વૈષ્ણોદેવી સર્કલ તરફનો રિંગ રોડ વાહન વ્યવહાર માટે થોડા સમય માટે બંધ કરવો પડ્યો હતો. આ ઘટનામાં ખેડૂતો બે ભાગે વિભાજીત થઈ ગયા હતા. એક જૂથ ટ્રેક્ટરથી આગળ ન જઈ શકતાં પગપાળા ગાંધીનગર તરફ નીકળી પડ્યું હતું, જ્યારે અન્ય ખેડૂતોએ સભા સ્થળે જવાનું પસંદ કર્યું હતું. સભા દરમિયાન અમિત ચાવડા સભા કર્યા વિના જ નીકળી ગયા હતા. કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ સમિતિ સાથે બીજા કોઈએ આવવું હોય તો રસ્તા રોકવા માટે આવી જાય. ૧૨માં દિવસે સરકાર નહીં માને તો તેમનું બારમું કરી નાખીશું.આ ઘટનામાં કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી ન મળતાં ખેડૂતોમાં અસંતોષ જાેવા મળ્યો હતો. પોલીસ અને ખેડૂત વચ્ચેના ઘર્ષણને પગલે રિંગ રોડ પર ટ્રાફિક અવરોધ સર્જાયો હતો. હવે ૩૦ તારીખે રાજ્યના દરેક જિલ્લામાં ચક્કાજામની ચીમકી ઉચ્ચારાતા સરકારની પ્રતિસાદી કાર્યવાહી પર સૌની નજર છે.ખેડૂતોને અમદાવાદ રવાના કરાયા ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં આવેલા ખેડૂતોને ગાંધીનગરમાં પ્રવેશ કરતા પહેલા જ અમદાવાદ તરફ રવાના કરી દેવામાં આવ્યા હતા. આ તમામ ખેડૂતો ટ્રેક્ટર મારફતે સભાસ્થળે પહોંચ્યા હતા.પોલીસ દ્વારા સભાસ્થળથી ગાંધીનગર તરફ ખેડૂતો આગળ વધે તે પહેલા જ તેમને અટકાવી દેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ખેડૂતોના આગે કૂચને નિયંત્રિત કરવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી. ત્યાં આગળ ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષની ઘટનાઓ પણ જાેવા મળી હતી. કેટલાક ખેડૂતો સભાસ્થળ પર પહોંચ્યા બાદ પણ આગળ વધવાનો પ્રયાસ કરતા, પોલીસે તેમને અટકાવ્યા હતા.ખાસ કરીને, ચિલોડાના ખેડૂતોને ગાંધીનગરમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી અને તેમને સીધા અમદાવાદ તરફ દોરી દેવામાં આવ્યા હતા. આ સમયે ખેડૂતો ટ્રેક્ટર પર સવાર હતા અને તેમના વિરોધને લઇને સભાસ્થળે એકઠા થયા હતા. પોલીસના પગલાંને કારણે, સભાસ્થળથી ગાંધીનગર તરફ ખેડૂતોની આગે કૂચ અટકાવી દેવામાં આવી હતી. કોંગ્રેસ પર આરોપ: અમારે કોઈ આંદોલન હાઈજેક કરવાની જરૂરત નથી: ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં વીજલાઈનો નાખવામાં આવી રહી છે. જે મુદ્દે અમે જેતપુર ગામે ગયા હતા અને ત્યાં ખેડૂતોની માંગ હતી કે અમે ટ્રેક્ટર રેલીમાં જાેડાઈએ અને અમે પણ કહ્યું કે ખેડૂતનો મુદ્દો અને ખેડૂતનું કામ હોય તો અમે પણ જાેડાઈશું અને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાઓ પણ જાેડાશે. પણ જ્યારે ખેડૂતના નામે અમુક લોકો અને અમુક પોલિટિકલ પાર્ટીઓ પોતે કોઈના ઈશારે રાજકારણ કરે અને નિવેદનો કરે ત્યારે દુ:ખ થાય છે. તો આજે હું આ રેલીમાં નથી જાેડાઈ શકતો એનું મને દુ:ખ છે અને હું માફી ચાહું છું પરંતુ આમ આદમી પાર્ટી સાથે જાેડાયેલા ખેડૂતો આ ટ્રેક્ટર રેલીમાં ચોક્કસ જાેડાશે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, જુન 2026
6534 |
પ્રેમી સાથે મળી પતિને બીજા માળેથી નીચે ફેંક્યો, જીવતો રહ્યો તો કટરથી ગળું કાપીને મારી નાંખ્યો
વેડરોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિને બીજા માળેથી નીચે ફેંક્યા બાદ ગળું કાપી હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા પરિણીતાએ કરેલાં ભરપૂર પ્રયાસ ઉપર પોસ્ટમોર્ટમ રીપોર્ટે પાણી ફેરવી દીધું હતું. ચોકબજાર પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વેડરોડ પર રહેમતનગરમાં રહેતાં ૪૨ વર્ષીય જન્મેજય તીર્થ રાય ગત આઠમી તારીખે મળસ્કે મકાનનાં બીજા માળેથી પડી જતાં મૃત્યુ પામ્યા હતાં. જન્મેજય રાયની પત્ની ચાંદની દ્વારા આવી જાણ કરવામાં આવતાં પીએસઆઇ જે. આર. તિવારીએ સ્થળ પર દોડી જઇ તપાસ આરંભી હતી. સ્થળ પર જરૂરી કાર્યવાહી આટોપી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર ખસેડાયો હતો. પોસ્ટમોર્ટમ કરનાર સ્મીમેરનાં તબીબોએ મૃતદેહનું નિરિક્ષણ કરતાં ગળાનાં ભાગે ઘા દેખાયો હતો. પોસ્ટમોર્ટમમાં ગળાનાં ભાગે ઇજાનાં કારણે થયેલા રક્તસ્ત્રાવ તથા માથામાં માર વાગતાં મગજમાં થયેલા રક્તસ્ત્રાવનાં કારણે રાયનું મોત થયાનું બહાર આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રીપોર્ટનાં કારણે બનાવ અંગે અપાયેલી માહિતી સામે શંકા ઉભી થઇ હતી. જેથી પોલીસે આસપાસનાં સીસી કેમેરા ફૂટેજ મેળવી તપાસ આરંભી હતી. જેમાં જન્મેજયનાં ઘરની આસપાસ બનાવના સમયે એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. આ બાબતે રાયની પત્ની ચાંદનીને બોલાવી ઉલટ તપાસ શરૂ કરાઇ હતી. જેમાં તેણીએ એવી કબૂલાત કરી હતી કે, સીસી કેમેરામાં દેખાતાં યુવકનું નામ શુલભસિંહ બહાદૂરસિંહ છે. રહેમતનગરમાં જ રહે છે. ચાંદનીએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ છ વર્ષ પહેલા ફૂલવાડી ખાતે ભાડેથી રહેતાં હતા ત્યારે તેમની રૂમની સામે આ શુલભસિંહ તેના મિત્રો સાથે રહેતો હતો. એ સમયથી તેઓ એકબીજાને ઓળખે છે. બે વર્ષ પહેલા તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ સંબંધ ગાઢ બનતાં તેઓએ સાથે રહેવા જન્મેજયનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું. દરમિયાન સાતમી તારીખે રાત્રે આ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ જન્મેજય સૂઈ જતાં એકાદ વાગ્યે ચાંદનીએ પ્રેમી શુલભસિંગને કોલ કરી ઘરે બોલાવ્યો હતો. બાદમાં તેઓએ જન્મેજયને ઉંચકી રૂમની બહાર દાદર પાસે લાવ્યા અને ગેલેરીમાંથી નીચે ફેંકી દીધો હતો. ત્યારબાદ આશરે વીસેક મિનિટ પછી ચાંદની દાદર પાસેથી ગેલેરીમાંથી નીચે ગઇ અને ચેક કર્યું તો જન્મેજય શ્વાસ લેતો હતો. આ જોઇ ગભરાયેલી ચાંદની શુલભસિંહનાં ઘરે દોડી ગઇ હતી. મારો પતિ હજી જીવે છે. તે જીવી જશે તો આપણે ફસાઈ જઇશું. આ વાત સાંભળી શુલભસિંહ તેણી સાથે ગયો અને ધાગા કટીંગની બ્લેડથી જન્મેજયનાં ગળા પર બે કટ મારી દીધા હતા. ગળુ કપાઇ જતા લોહી વહેવા લાગ્યું અને તરફડીયા ખાતા તેણે દમ તોડી દીધો હતો. જન્મેજયને મોતને ઘાટ ઉતારી ચાંદની અને શુલભ પોતપોતાના ઘરે જઈ સૂઈ ગયા હતાં. બાદમાં ચાંદનીએ મળસ્કે પતિ અકસ્માતે નીચે પડી મૃત્યુ પામ્યા હોવાની કાગારોળ મચાવી હતી. તપાસમાં આ હકીકત બહાર આવતાં ચાંદની અને શુલભસિંહ સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. પાડોશીનાં પ્રેમમાં ઓળઘોળ થયેલી ચાંદનીએ છ મહિના પ્લાનિંગ કરી પતિને પતાવી દીધો પોલીસની પૂછપરછમાં ચાંદનીએ તેણે કરેલા જધન્ય કૃત્યને જસ્ટિફાય કરવાનો પણ ભરપૂર પ્રયાસ કર્યો હતો. તેણીએ એવું કહ્યું કે, જન્મેજય રાયે તેણીને રાખી એ પહેલા તેના એક લગ્ન થઈ ચૂક્યા હતા. જો કે, તેણે આ વાત છૂપાવી રાખી હતી. પતિ કામધંધો કરતો પરંતુ તેણીને પૈસા આપતો ન હતો. અવારનવાર ઝઘડા અને મારપીટ કરતો હતો. પતિનાં આવા વર્તનથી તે કંટાળી હતી એવામાં તેને શુલભસિંહનો ભેટો થઇ ગયો હતો. તેણીને શુલભસિંહ પાસે માનસિક હૂંફ મળવા સાથે શારીરિક જરૂરિયાત પુરી થવા માંડી હતી. પતિ દ્વારા કરાતી મારપીટની વાત ચાંદનીએ પ્રેમી શુલભસિંગને કરતાં તેણે તેને વચ્ચેથી હટાવી દેવા કહ્યું હતું. બાદમાં તેઓ છ મહિનાથી જન્મેજયની હત્યા માટે પ્લાનિંગ કરતા હતા. જન્મેજય ઉંઘે પછી ઉઠતો નથી એવું જાણતી ચાંદનીએ તેને ઊંઘમાં જ પતાવી દેવાની વાત કરી હતી. જન્મેજય ઉંઘે પછી ઘરમાં કોઈ આવે તો તેની તેને જાણ થાય છે કે નહીં એ ચકાસવા ચાંદનીએ ઘણાં પ્રયોગ કરી જોયા હતા. જન્મેજયની ઉંઘ ઉડતી ન હોવાનું કન્ફર્મ કર્યા બાદ તેણીએ પ્રેમીને બોલાવી પતિને બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, જુન 2026
5148 |
જીવતાં જ્વાળામુખી જેવા ૨૬૨ ટેમ્પરરી સ્ટ્રક્ચરોને નોટિસ ફટકારાઇ
યાર્ન અને ફર્નિચર જેવાં સળગી ઉઠે તેવાં મટીરિયલ્સનાં ગોડાઉન ઉભાં કરી જીવતાં જ્વાળામુખી બનાવી દેવામાં આવેલાં ટેમ્પરરી સ્ટ્રક્ચરો સામે લોકસત્તા-જનસત્તાએ ઉપાડેલી ઝૂંબેશને મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને પ્રતિસાદ આપતાં ફાયર વિભાગ દ્વારા ૨૬૨ ટેમ્પરરી સ્ટ્રક્ચરોને નોટિસો ફટકારવામાં આવી છે. સરકારની નીતિ અને મહાનગર પાલિકાની એસ.ઓ.પી. વિરૂદ્ધ ધમધમતાં ટેમ્પરરી સ્ટ્રક્ચરો સામે તમામ ઝોનનાં અધિકારીઓ તેમજ ફાયર વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યાં હતાં પરંતુ કમિશનરે કડકાઇ અખત્યાર કરતાં આખરે આજે ૨૬૨ ટેમ્પરરી સ્ટ્રક્ચરોને નોટિસ ઇશ્યુ કરી ત્રણ દિવસમાં જ ફાયર સેફ્ટી નિયમોનો અમલ કરવા જણાવી દેવાયું છે.સુરત મહાનગર પાલિકાનાં તમામ ઝોનનાં અધિકારીઓની મહેરબાનીથી ટેમ્પરરી સ્ટ્રક્ચરોનાં નામે ગોડાઉનો ધમધમી રહ્યાં છે. મોટાભાગનાં ટેમ્પરરી સ્ટ્રક્ચરોનાં માલિકો વેરો પણ ભરતાં નથી પરંતુ મહાનગર પાલિકાનાં અધિકારીઓનાં ખીસ્સા જરૂર ભરતાં હોવાથી અત્યારસુધી કોઇ જ પગલાં લેવાયા નથી. મ્યુનિસિપલ કમિશનરે તાજેતરમાં જ હેલ્થ એન્જિનિયરિંગની મીટિંગમાં તમામ ઝોનનાં વડા તેમજ ફાયર વિભાગનાં અધિકારીને કડક શબ્દોમાં સુચના આપતાં ટેમ્પરરી સ્ટ્રક્ચરો બાબતે સર્વે કરવામાં આવ્યો હતો. કમિશનરે તો દરેક ઝોનમાં ૧૦૦-૧૦૦ ટેમ્પરરી સ્ટ્રક્ચરોની યાદી સુપ્રત કરવા તમામ ઝોનલચીફને આદેશ આપ્યો હતો પરંતુ એટલી સંખ્યામાં યાદી સુપ્રત કરાઇ નથી. જાે કે, ૪૭૫ જેટલાં ટેમ્પરરી સ્ટ્રક્ચરોની યાદી આપવામાં આવી હતી તેમાં ૨૬૨ ટેમ્પરરી સ્ટ્રક્ચરોને ફાયર વિભાગ દ્વારા આજે નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં જ ફાયર વિભાગનું એન.ઓ.સી. મેળવી લેવા જણાવી દેવાયું હતું. મોટા મોટા ગોડાઉન બનાવી દેવાયેલાં ટેમ્પરરી સ્ટ્રક્ચરોમાં ફાયર સેફ્ટીની સુવિધા ચકાસવાની જવાબદારી ફાયર વિભાગની હોવા છતાં અત્યારસુધી આ તમામ ટેમ્પરરી સ્ટ્રક્ચરોની વિઝિટ કરી ચકાસણી કરવાની તસ્દી ફાયર વિભાગનાં અધિકારીઓએ લીધી નથી તે સાબિત થઇ જાય છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન વિસ્તારમાંથી ફાયર બ્રિગેડ વિભાગને આપવામાં આવેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરના લિસ્ટ બાદ ફાયર બ્રિગડ વિભાગ દ્વારા તમામને નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં સરથાણા ઝોન વિસ્તારમાં સૌથી વધુ ૧૨૦ ટેમ્પરરી સ્ટ્રક્ચર પૈકી ૪૦ ને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે આગળની કાર્યવાહી ચાલુ છે. આ સિવાય વરાછા ઝોન વિસ્તારમાં ૯૫ ટેમ્પરરી સ્ટ્રકચરો પૈકી ૮૩ ને નોટિસ ફટકારવામાં આવી છે. અઠવા ઝોનમાં ૬૦ ટેમ્પરરી સ્ટ્રક્ચર પૈકી ૪૬ ને નોટિસ આપવામાં આવી છે. જોકે કામગીરી દરમિયાન ૬૦ પૈકી પાંચ ટેમ્પરરી સ્ટ્રક્ચર કાયમ માટે બંધ થઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે. આ સિવાય લીંબાયત ઝોન વિસ્તારમાં ૩૨ ટેમ્પરરી સ્ટ્રકર પૈકી ૧૯ ને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત છ વ્યક્તિને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ ની નોટિસ પણ આપવામાં આવી છે. જોકે ૩૨ પૈકી કુલ ૧૧ ટેમ્પરરી સ્ટ્રકરો કાયમી માટે બંધ થઈ ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ સિવાય ઉધના ઝોન એ વિસ્તારમાં કુલ ૧૩ ટેમ્પલ સ્ટ્રક્ચરો પૈકી ૧૦ ને નોટિસ ફટકારવામાં આવી છે અને આ તમામને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ ની નોટિસ પણ ફટકારવામાં આવી છે. જોકે અન્ય ત્રણ ટેમ્પરરી સ્ટ્રકરો કાયમી માટે બંધ થઈ ગયા છે. ઉધના ઝોન વિસ્તાર બી માં ૪૭ પૈકી ૩૬ ને નોટિસ આપવામાં આવી છે. રાંદેર ઝોન વિસ્તારમાં ૧૪ પૈકી ૧૩ ને નોટિસ ફટકારવામાં આવી છે અને આ તમામને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ થી નોટિસ પણ આપવામાં આવી છે. કતારગામ ઝોન વિસ્તારમાં ૧૫ પૈકી તમામને નોટિસ ફટકારવા સાથે છ અને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ ની નોટિસ આપવામાં આવી છે. આમ સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને કુલ ૯ ઝોનમાંથી ૩૯૬ ટેમ્પરરી સ્ટ્રક્ચર નું લિસ્ટ મળ્યું હતું. જેમાં ૨૬૨ અને નોટિસ ફટકારવામાં આવી છે અને ૩૫ ને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ ની નોટિસ પણ કરવામાં આવી છે. જ્યારે અન્ય ટેમ્પરરી સ્ટ્રક્ચરોની સ્થળ તપાસની કામગીરી અને નોટિસની કામગીરી હજુ યથાવત છે મેળા, સર્કસ, પ્રદર્શની, પંડાળ અને ફિશરિઝ સંબંધિત એક્ટિવિટી માટે જ પરવાનગી અપાય રાજ્ય સરકારે ટેમ્પરરી સ્ટ્રક્ચરો માટે નીતિ-નિયમો બનાવ્યાં છે તેમજ સુરત મહાનગર પાલિકાએ પણ એસ.ઓ.પી. બનાવી છે જે મુજબ માત્ર મેળા, સર્કસ, પ્રદર્શની, પંડાળ અને ફિશરિઝની એક્ટિવિટી માટે જ ટેમ્પરરી સ્ટ્રક્ચર અંગે પરવાનગી આપવાની જાેગવાઇ કરવામાં આવી છે. પ્રથમ છ મહિના માટે અને ત્યારપછી તેને છ-છ મહિના કરીને મહત્તમ ત્રણ વર્ષ માટે એક્સ્ટેન્શન આપવાની જાેગવાઇ છે. જાે કે, સુરત શહેરમાં પુણા-કુંભારિયા સહિતનાં વિસ્તારોમાં ઘણાં લાંબા સમયથી ટેમ્પરરી સ્ટ્રક્ચરોનાં નામે વેપારીઓએ વેપાર-ધંધા માટે મોટા મોટા ગોડાઉનો બનાવી દીધાં છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, જુન 2026
5643 |
દ.ગુ.ના આદિવાસી અને પછાત તાલુકાઓમાં કારખાના સ્થાપનારને જંગી લાભ મળશે
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ અંતર્ગત રાજ્યનાં ઔદ્યોગિક રીતે પછાત અને વિકાસશીલ તાલુકાઓમાં નવા રોકાણને આકર્ષવા માટે વિશેષ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નર્મદા, નવસારી, વલસાડ અને સુરત જિલ્લાનાં પૂર્વ પટ્ટીનાં અનેક તાલુકાઓમાં મૂડીરોકાણ એટલે કે મેન્યુફેક્ચરિંગ યુનિટ વિકસાવનારા ઉદ્યોગપતિઓને નવી ઔદ્યોગિક નીતિમાં સૌથી મોટો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે પ્લાન્ટ, મશીનરીમાં થનારા મૂડીરોકાણ પર ૩૫ ટકા સુધી, લોનનાં વ્યાજમાં ૭ ટકા સુધીની સબસિડી તેમજ વીજદરમાં પ્રતિ યુનિટે રૂ.૨ સુધીની રાહતો આપવાની જાેગવાઇ કરવામાં આવી છે.રાજ્ય સરકારે દરેક જિલ્લાઓનાં તાલુકાઓને અલગ-અલગ ત્રણ કેટેગરીમાં વહેંચીને પ્રોત્સાહનો નક્કી કર્યા છે. દક્ષિણ ગુજરાતમાં સુરતના ઉમરપાડા અને મહુવા એ બે તાલુકાઓ એ કેટેગરીમાં જ્યારે માંડવી અને બારડોલી તાલુકાઓ બી કેટેગરીમાં સમાવિષ્ટ છે. ઔદ્યોગિક રીતે પછાત ગણાતા કેટેગરી-છમાં સમાવિષ્ટ તાલુકાઓમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ સ્કેલનાં સ્જીસ્ઈ એકમોને ૩૫ ટકા કેપિટલ સબસિડી, ટર્મ લોન પર ૭ ટકા વ્યાજ સહાય અને પાંચ વર્ષ સુધી પ્રતિ યુનિટ રૂ.૨ની વીજદર સહાય મળશે. જ્યારે કેટેગરી-મ્ તાલુકાઓમાં ૨૫ ટકા કેપિટલ સબસિડી, ૭ ટકા વ્યાજ સહાય અને પ્રતિ યુનિટ રૂ.૧ની વીજદર સહાય મળશે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ લાભ ડાંગ જિલ્લાનાં તમામ તાલુકાઓ, તાપીનાં પાંચ તાલુકાઓ, નર્મદાનાં ચાર તાલુકાઓ, વલસાડનાં કપરાડા-ધરમપુર તથા સુરત જિલ્લાનાં ઉમરપાડા અને મહુવાને મળવાનો છે. નવી ઔદ્યોગિક નીતિનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર હવે પહેલેથી વિકસિત સુરત-વાપી-અંકલેશ્વર જેવા ઔદ્યોગિક પટ્ટા કરતાં આદિવાસી, સરહદી અને ઔદ્યોગિક રીતે પછાત વિસ્તારોમાં રોકાણ ખેંચવા પર ભાર મૂકી રહી છે. ૩૫ ટકા સુધીની કેપિટલ સબસિડી, ૭ ટકા વ્યાજ સહાય અને વીજદર રાહતને કારણે આગામી વર્ષોમાં ડાંગ, તાપી, નર્મદા, કપરાડા, ધરમપુર, ઉમરપાડા અને મહુવા જેવા તાલુકાઓ દક્ષિણ ગુજરાતના નવા ઔદ્યોગિક હોટસ્પોટ તરીકે ઉભરી શકે છે. નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસને મોટા શહેરોમાં સીમિત રાખવાને બદલે તેને રાજ્યના પછાત વિસ્તારો સુધી પહોંચાડવાનો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. સુરત જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારને વિશેષ પ્રોત્સાહન સુરત જિલ્લો રાજ્યનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર હોવા છતાં જિલ્લાના પૂર્વ અને આદિવાસી વિસ્તારોને નવી નીતિમાં ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. ઉમરપાડા અને મહુવા તાલુકાને કેટેગરી-છમાં સમાવાયા હોવાથી અહીં ઉદ્યોગ સ્થાપનાર સ્જીસ્ઈ એકમોને મહત્તમ લાભ મળશે. જ્યારે માંડવી અને બારડોલી તાલુકાઓને કેટેગરી-મ્માં રાખવામાં આવ્યા છે. બીજી તરફ કામરેજ, પલસાણા, ચોર્યાસી, ઓલપાડ અને સુરત શહેર જેવા પહેલેથી વિકસિત ઔદ્યોગિક વિસ્તારોને વિશેષ સબસિડી આપવામાં આવી નથી. એટલે હવે શહેરી વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં આર્થિક પ્રોત્સાહન નહીં મળે. આદિવાસી અને પછાત ગણાતા તાપી અને ડાંગ આર્થિક રોકાણનાં નવા કેન્દ્ર બનશે તાપી જિલ્લામાં કુકરમુંડા, ઉચ્છલ, નિઝર, ડોલવણ અને સોનગઢ તાલુકાઓને કેટેગરી-છમાં સ્થાન મળ્યું છે. આ તાલુકાઓમાં નવા ઉદ્યોગકારોને ૩૫ ટકા સુધીની કેપિટલ સબસિડી અને ૭ ટકા વ્યાજ સહાય તેમજ વીજદરમાં પ્રતિ યુનિટે રૂ.૨ની રાહત મળશે. વાલોડ તાલુકો કેટેગરી-મ્માં છે, જ્યારે વ્યારા તાલુકો વિકસિત કેટેગરીમાં સામેલ છે. ડાંગ જિલ્લાનો સૌથી મોટો લાભ એ છે કે જિલ્લાના તમામ તાલુકાઓ-આહવા, વઘઈ અને સુબીર-કેટેગરી-છમાં સમાવાયા છે. રાજ્ય સરકારનો આ ર્નિણય આદિવાસી પટ્ટામાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. નર્મદા અને વલસાડનાં આદિવાસી વિસ્તારોને ફાયદો નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, ડેડીયાપાડા, તિલકવાડા અને સાગબારા તાલુકાઓને કેટેગરી-છમાં સમાવાયા છે. જ્યારે નાંદોદ તાલુકો કેટેગરી-મ્માં છે. સરદાર સરોવર આસપાસના વિસ્તારોમાં આ પ્રોત્સાહનોના કારણે કૃષિ આધારિત, ફૂડ પ્રોસેસિંગ અને વનઉત્પાદન આધારિત ઉદ્યોગો વિકસે તેવી શક્યતા છે. વલસાડ જિલ્લામાં કપરાડા અને ધરમપુર તાલુકાઓને મહત્તમ લાભ મળશે. બીજી તરફ વાપી, પારડી, વલસાડ અને ઉમરગામ જેવા વિકસિત ઔદ્યોગિક વિસ્તારોને વિશેષ સહાય મળવાની નથી. નવસારી જિલ્લામાં ખેરગામને સૌથી વધુ લાભ નવસારી જિલ્લામાં ખેરગામ તાલુકો કેટેગરી-છમાં હોવાથી તેને સૌથી વધુ પ્રોત્સાહન મળશે. જ્યારે બાંસદા, ચીખલી, જલાલપોર અને ગણદેવી તાલુકાઓ કેટેગરી-મ્માં સમાવાયા છે. નવસારી શહેર અને આસપાસનાં વિકસિત વિસ્તારોને આ વિશેષ સહાયનો લાભ મળશે નહીં.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, જુન 2026
6534 |
કંપનીમાં કન્ફર્મેશન વિના નોકરીનાં નામે રાંદેરનાં યુવકને પોલેન્ડ મોકલી દેવાયો
રાંદેર રામનગર રંગઅવધૂત સોસાયટીમાં રહેતાં સંદીપ વાઘમોડે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનો નાનો ભાઈ કપિલ વર્ષ ૨૦૧૮માં તેઓ અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે રૃત્વન એપાર્ટમેન્ટમાં આવેલી ઓટો પાર્ટ્સની દુકાનમાં કામ કરતો હતો. જ્યાં ગાડીના કામકાજ માટે આવેલા નિલેશ સોલંકી સાથે તેને ઓળખાણ થઇ હતી. એ સમયે નિલેશે તે ગલ્ફ તથા પોલેન્ડ કન્ટ્રીનું વર્ક વિઝા અપાવવાનું કામકાજ કરતો હોવાનું જણાવ્યું હતું.કપિલે તેને પોલેન્ડ કન્ટ્રીમાં મારા જવા બાબતેની વાતચીત કરી હતી. નિલેશે ૪.૧૦ લાખ રૂપિયા ફી જણાવી પાંચેક મહિનામાં કામ કરી આપવાની તૈયારી બતાવી હતી. તેણે ૩.૧૦ લાખ એડવાન્સ અને બાકીના પૈસા પોલેન્ડમાં કામે લાગ્યા બાદ આપવા આપવા જણાવ્યું હતું. જેથી સંદીપ વાઘમોડેને પોલેન્ડ મોકલવા માટેનું કામ સપ્ટેમ્બર ૨૦૧૯માં અપાયું હતું. નિલેશ સોલંકીને સંદીપે ટુકડે ટુક્ડે રોકડા ૨,૧૩,૫૦૦ રૂપિયા આપ્યા હતાં. વિઝા એપોઇન્ટમેન્ટની તારીખ લેવાના નામે ૬૦ હજાર, એર ટીકીટના ૭૦ હજાર, વિઝા ફી પેટે ૫૦ હજાર અને ટ્રાવેલીંગ પરચૂરણ ખર્ચના ૭૦ હજાર મળીને કુલ ૨,૫૦ લાખ રૂપિયા લીધા હતાં.૪,૬૩,૫૦૦ રૂપિયા ખર્ચ કરીને સંદીપ વાઘમોડે પોલેન્ડ દેશના એરપોર્ટ પર પહોંચ્યા હતાં. જ્યાં એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓ સંદીપને રોકી તેમને જે કંપનીમાં નોકરીનું કહી મોકલાયા ત્યાં એ અંગે તપાસ કરી હતી. જાે કે, જાેબ લેટર આપનાર કંપનીમાં સંદીપના આવવા અંગે જાણ કરવામાં આવી ન હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે નિલેશ સોલંકીને જાણ કરાતાં તેણે પરત આવી જાઓ, જે ખર્ચ થયો એ હું ચૂકવી દઇશ એમ કહેતાં સંદીપ પરત આવી ગયો હતો. ત્યારબાદ નિલેશે ૧.૮૦ લાખ ચૂકવ્યા હતાં, જ્યારે બાકીના ર,૮૩,૫૦૦ રૂપિયા બાબતે તેણે વાયદાનો વેપાર કરતા આખરે સંદીપે વિશ્વાસઘાત છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, જુન 2026
6138 |
૧૫ જૂન પછી સુરતની ટેક્સ્ટાઈલ માર્કેટોમાં શ્રાવણથી દિવાળી સુધીનાં તહેવારો માટે ખરીદીની આશા
છેલ્લા દોઢેક વર્ષથી મંદીનાં માહોલમાંથી પસાર થઈ રહેલા સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગ માટે હવે રાહતનાં સંકેતો દેખાવા લાગ્યા છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉત્પાદકોમાં એવી આશા વ્યક્ત થઈ રહી છે કે આગામી ૧૫ જૂન બાદ દેશભરની કપડામંડીઓમાંથી નવી ખરીદી શરૂ થશે અને શ્રાવણ મહિનાથી લઈને દિવાળી સુધીનાં તહેવારોને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં ઓર્ડરો સુરત તરફ આવશે. હાલમાં સેમ્પલિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી સપ્તાહથી તહેવારોની ખરીદી માટે રીટેઇલ વેપારીઓનું સુરતમાં આગમન શરૂ થાય તેવા વર્તારા છે.ટેક્સ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એજન્ટ મનોહરલાલ શર્મા કહે છે કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં આવેલી કપડામંડીઓમાં રહેલો વધારાનો સ્ટોક ધીમે ધીમે વેચાઈ ગયો છે. પરિણામે હવે રિટેલ વેપારીઓ અને હોલસેલ ડીલરો પાસે નવા સીઝન માટે પૂરતો સ્ટોક ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં તેઓ ફરીથી સુરતના બજારમાંથી ખરીદી શરૂ કરે તેવી શક્યતા વધી રહી છે. પાંડેસરામાં પ્રોસેસિંગ હાઉસ ચલાવતા મિતુલ મહેતાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શ્રાવણ મહિનો શરૂ થતાં જ ધાર્મિક પ્રસંગો, લગ્નસરા અને તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને સાડી, ડ્રેસ મટીરિયલ્સ, સુટિંગ-શર્ટિંગ ફેબ્રિક, લેડીઝ વેર, કિડ્સ વેર અને ધોતી સહિતના ઉત્પાદનોની માંગમાં વધારો જાેવા મળે છે. આ વર્ષે પણ સમાન પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે. હાલમાં સુરતની વિવિધ ટેક્સ્ટાઈલ માર્કેટોમાં દેશભરના વેપારીઓ દ્વારા સેમ્પલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. વેપારીઓ નવી ડિઝાઇનો, કલર કોમ્બિનેશન અને તહેવારોને અનુરૂપ કલેક્શનની પસંદગી કરી રહ્યા છે. આ સેમ્પલિંગ આગામી દિવસોમાં વાસ્તવિક ઓર્ડરોમાં પરિવર્તિત થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...