ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, જુલાઈ 2026 1485   |  
૧૯ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલરોને ૨૦ વર્ષની સખત કેદની સજા

ભારતના દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું નશીલું ઝેર ઘુસાડવાનો નાપાક પ્રયાસ કરનારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક પર ભુજની સ્પેશિયલ કોર્ટે લાલઆંખ કરી છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કુલ ૫૭૫ કરોડ રૂપિયાની કિંમતનો હેરોઇનનો જથ્થો ઘુસાડવાના ત્રણ અલગ-અલગ મોટા ગુનાઓમાં સંડોવાયેલા ૧૮ પાકિસ્તાની અને ૧ અફઘાની નાગરિક સહિત કુલ ૧૯ આરોપીઓને ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નામદાર કોર્ટના જજ વી.એ.બુધ્ધે ચુકાદો આપતાં ગંભીર નોંધ કરી હતી કે, આરોપીઓનું આ કૃત્ય દેશની આંતરિક સુરક્ષાને સીધી અસર કરે છે અને ભારતના યુવાનોને નશાના ગંભીર વ્યસનમાં ધકેલીને રાષ્ટ્રના ઢાંચાને નબળો પાડવાનું એક સુનિયોજિત કાવતરું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આરોપીઓ કોઈ પણ પ્રકારની નરમાશને પાત્ર નથી. સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે તમામ ૧૯ આરોપીઓને કડક સજા સંભળાવી છે, જેમાં એનડીપીએસ એક્ટની કલમ ૮(સી) ના ગુનામાં તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને પ્રત્યેક આરોપીને ૨,૦૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, એનડીપીએસ એક્ટની કલમ ૨૩(સી) ના ગુનામાં પણ તકસીરવાન ઠેરવી અન્ય ૨૦ વર્ષની સખત કેદ અને પ્રત્યેક આરોપીને ૨,૦૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ કોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો છે કે આ બંને કલમો હેઠળની સજાઓ આરોપીઓએ એક પછી એક (અલગ-અલગ) ભોગવવાની રહેશે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને મજબૂત સાક્ષીઓ તપાસ્યા હતા અને ધારદાર કાનૂની દલીલો રજૂ કરી હતી.જખૌ દરિયામાંથી રૂા.૧૭૫ કરોડનું હેરોઇન ઝડપાયું (૦૬/૦૧/૨૦૨૦) આ કેસની વિગત મુજબ, એટીએસ ગુજરાતને મળેલી ખાનગી માહિતીના આધારે પાકિસ્તાનના કાપર ક્રીકથી આવતી બોટને જખૌના દરિયામાં એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજી ભુજની સંયુક્ત ટીમે આંતરી હતી. બોટમાંથી ૩૫,૦૫૫ ગ્રામ (આશરે ૩૫ કિલો) હેરોઇન જપ્ત કરાયું હતું, જેની કિંમત ૧૭૫ કરોડ રૂપિયા હતી. આ ઓપરેશનમાં પાકિસ્તાની આરોપીઓ ઇસ્માઇલ મોહમદ જામ (ઉં.વ. ૫૦), અનીશ ઇશા ભટી (ઉં.વ. ૩૦), અબુબકર હાસમ કુંગરા (ઉં.વ. ૭૦) અને અશરફ ઉસ્માન ભટી (ઉં.વ. ૪૨) ને ઝડપી લેવાયા હતા. આ કેસમાં તપાસ અધિકારી એટીએસના પીઆઈ આઇ.આર.જાડેજાએ ગુનો નોંધ્યો હતો અને તપાસ બાદ પીઆઈ ડી.બી.બસીયાએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. હૈદરી પોર્ટથી આવેલું રૂા.૧૫૦ કરોડનું હેરોઇન પકડાયું બીજા ગુનામાં પાકિસ્તાનના હૈદરી પોર્ટથી બોટ મારફતે જખૌના દરિયામાં ડ્રગ્સની ડિલિવરી થવાની બાતમીના આધારે ફરી એકવાર એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજી ભુજે સંયુક્ત રેડ કરીને શંકાસ્પદ બોટ ઝડપી પાડી હતી. તેમાંથી ૩૦ કિલો હેરોઇન જપ્ત કરાયું હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત ૧૫૦ કરોડ રૂપિયા થાય છે. આ કેસમાં એટીએસના પીઆઈ વી.બી. પટેલે ગુનો નોંધ્યો હતો અને તપાસના અંતે પીઆઈ વાય.એમ.ગોહીલે ચાર્જશીટ ફાઇલ કરી હતી. અફઘાની કનેક્શન સાથે રૂા.૨૫૦ કરોડનું હેરોઇન જપ્ત ત્રીજા મોટા ઓપરેશન દરમિયાન પાકિસ્તાનના હૈદરી પોર્ટથી જખૌના દરિયામાં ઘુસાડાતો ડ્રગ્સનો વધુ એક મસમોટો જથ્થો સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશનમાં ઝડપી લીધો હતો. આ તપાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલતાં એક અફઘાની નાગરિકની પણ ધરપકડ કરાઈ હતી. જહાજમાંથી ૫૦ કિલો હેરોઇન મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ૨૫૦ કરોડ રૂપિયા થાય છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુન 2026 2277   |  
રાજકોટ, સુરત, અમદાવાદ માટે નવી ટાઉન પ્લાનિંગ યોજનાઓ મંજૂર કરાઇ

રાજ્યના ત્રણ મોટા શહેરો રાજકોટ, સુરત અને અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ યોજનાઓને રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, જેનાથી આ વિસ્તારોમાં વિકાસની નવી તકો સર્જાશે. શહેરી વિકાસ વિભાગે આ અંગેની સત્તાવાર અધિસૂચનાઓ જાહેર કરી છે. સરકારની મુખ્ય મંજૂરીઓમાં સૌથી વધુ લાભ રાજકોટ શહેરને મળ્યો છે. રાજકોટની ટાઉન પ્લાનિંગ યોજના નંબર ૫૭ અને ૫૮ ઉપરાંત વાજડી ગઢ વિસ્તારની ટાઉન પ્લાનિંગ યોજના નંબર ૮૦ ને પણ મંજૂરી આપવામાં આવી છે. રાજકોટના વિસ્તરણ અને આયોજનબદ્ધ વિકાસ માટે આ ર્નિણય મહત્વપૂર્ણ ગણાય છે.સુરત શહેર માટે પણ મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. સુરતની ટાઉન પ્લાનિંગ યોજના નંબર ૬૮ ને રાજ્ય સરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. સુરત શહેર ઝડપથી વિકસતું હોવાથી આ યોજનાના અમલીકરણથી આસપાસના વિસ્તારોમાં રોડ, પાણી તથા ગટર જેવી પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે.અમદાવાદ શહેર માટે પણ સારા સમાચાર આવ્યા છે. અમદાવાદના ખોરજ-ત્રાગડ વિસ્તારની ફાઇનલ ટાઉન પ્લાનિંગ યોજના નંબર ૪૦૯ ને પણ મંજૂરી આપવામાં આવી છે.શહેરી વિકાસ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે આ મંજૂરીઓથી શહેરોમાં સુવ્યવસ્થિત વિકાસ થશે અને નાગરિકોને આધુનિક સુવિધાઓ મળી રહેશે.રાજકોટ માટે મંજૂર થયેલી યોજનાઓ શહેરના વિસ્તાર અને વસતીના દૃષ્ટિકોણે મહત્વ ધરાવે છે. ્ઁ યોજના નંબર ૫૭ અને ૫૮ ઉપરાંત વાજડી ગઢ વિસ્તારની યોજના નંબર ૮૦ને મંજૂરી મળવાથી સ્થાનિક વિકાસના નવા માર્ગો ખુલશે. સુરત માટે ્ઁ યોજના નંબર ૬૮ મહત્વપૂર્ણ છે, કારણ કે સુરત શહેરમાં સતત વસતી અને ઉદ્યોગિક વૃદ્ધિ થઈ રહી છે.અમદાવાદના ખોરજ-ત્રાગડ વિસ્તાર માટે ્ઁ યોજના નંબર ૪૦૯ની મંજૂરીથી શહેરના આ ભાગમાં સુવ્યવસ્થિત વિકાસની શક્યતાઓ વધશે. શહેરી વિકાસ વિભાગે જણાવ્યું છે કે આ યોજનાઓ અમલમાં આવ્યા બાદ રોડ, પાણી, ગટર જેવી પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે.આ તાજેતરના ર્નિણયો રાજ્યના ત્રણ મોટા શહેરોમાં સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ વિકાસ તરફ મહત્વપૂર્ણ પગલાં છે. સરકાર દ્વારા આપવામાં આવેલી ્ઁ યોજનાઓની મંજૂરીથી સ્થાનિક નાગરિકોને આધુનિક સુવિધાઓ અને વધુ સારી જીવનશૈલીની આશા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુન 2026 2079   |  
ખેડૂતોના વિવિધ પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવો: કિસાન સંઘ

ભારતીય કિસાન સંઘની પ્રદેશ કારોબારી ગાંધીનગરમાં યોજાઇ હતી. ગાંધીનગર બલરામ ભવન સ્થિત કિસાન સંઘ કાર્યાલયમાં આ બેઠક મળી હતી. બેઠકમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી સ્થિતિ તેમજ વીજપોલ ને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલન સહિતના ખેડૂતોને લગતા મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કારોબારી બેઠક બાદ કિસાન સંઘએ ખેડૂત મહિલાઓ પર લાઠી ચાર્જની ઘટનાને દૂર ભાગ્ય પૂર્ણ ગણાવી હતી સાથે જ જેતપુરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો કિસાના સંધે આરોપ પણ લગાવ્યો હતો કે કેટલાક સંગઠનો ખેડૂતોના નામે રાજકારણ કરી રહ્યા છે. કિસાન સંઘે એવી માંગ પણ કરી છે કે વીજ પોલ વળતરના મામલે ખેડૂતોને પોસાય તે પ્રકારની ચોક્કસ નીતિ નિર્ધારિત કરવી જાેઈએ.એવી ચિમકી પણ ઉચ્ચારી હતી કે ખેડૂતો જાે રોડ પર આવી જશે તો સરકારની મુશ્કેલી વધી જશે. ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશે રાજ્યના ખેડૂતોને હાલ વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી સરકારને ખેડૂતોના હિતમાં તાત્કાલિક અને યોગ્ય ર્નિણય લેવા અપીલ કરી છે. સંઘનું કહેવું છે કે ખેડૂતોની આવક, ઉત્પાદન ખર્ચ, કુદરતી આફતો અને બજાર વ્યવસ્થાથી સંબંધિત અનેક પ્રશ્નો લાંબા સમયથી ઉકેલની રાહ જાેઈ રહ્યા છે. સંઘે રજૂઆતમાં જણાવ્યું છે કે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નીચે મુજબના મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જેમાં જણાવાયું છે કે નવીન રાસાયણિક ખાતરના વિતરણમાં રહેલી મુશ્કેલીઓ દૂર કરી પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે.વરસાદ ખેંચાવાની સ્થિતિમાં નવીન પાક બચાવવા માટે અસરકારક આયોજન કરવામાં આવે. બિયારણ વિતરણની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે જી.એમ. પાકો પર સંપૂર્ણ પ્રતિબંધની નીતિ યથાવત રાખી ગેરકાયદે બીજના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.વન્ય પ્રાણીઓના વધતા ઉપદ્રવથી ખેડૂતોના પાકને થતા નુકસાનથી બચાવવા યોગ્ય નીતિ અમલમાં મુકવામાં આવે.નર્મદા ઉપરાંત સિંચાઈના પાણીની લાંબા ગાળાની વ્યવસ્થા માટે વ્યાપક આયોજન કરવામાં આવે. જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન ભારતીય કિસાન સંઘ સાથે થયેલી ચર્ચાઓમાં આપવામાં આવેલા આશ્વાસનોનો તાત્કાલિક અમલ કરવામાં આવે.બટાકા સહિતના પાકોના ઉત્પાદકોને યોગ્ય ભાવ મળે તે માટે સરકાર જરૂરી પગલાં ભરે તે જરૂરી છે ભારતીય કિસાન સંઘે જણાવ્યું છે કે ખેડૂતોના પ્રશ્નોના સમયસર ઉકેલથી કૃષિ ક્ષેત્રને મજબૂતી મળશે અને રાજ્યના ખેડૂતોને રાહત મળશે. સંઘે સરકારને ખેડૂતોના હિતમાં સંવેદનશીલ અભિગમ અપનાવી વહેલી તકે ર્નિણયો લેવા અપીલ કરી છે. કોંગ્રેસ પક્ષ હમેંશા ખેડૂતોના સમર્થનમાં : ડો.તૃષાર ચૌધરી વિધાનસભામાં વિપક્ષી દળ કોંગ્રેસે ખેડૂતોના હિત માટે સરકાર સામે લેખિત રજૂઆત કરી છે. વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા ડો તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓને બેફામ છૂટ અપાઈ રહી છે અને ખેડૂતોની જમીનમાં પોલીસ બંદોબસ્ત સાથે જબરદસ્તી વીજપોલ લગાવવામાં આવી રહ્યા છે.કોંગ્રેસ પક્ષે ખેડૂતોના હિત માટે સરકારને સ્પષ્ટ રીતે રજૂઆત કરી છે. ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે ઉભો છે.તેમણે જણાવ્યું કે રાજ્યપાલ કક્ષાએ પણ કોંગ્રેસ પક્ષનું એક ડેલિગેશન રજૂઆત કરવા જશે. ખાનગી કંપનીઓને મળતી છૂટ અને ખેડૂતોની જમીન પર થતી કાર્યવાહી સામે અમે સરકારને લેખિતમાં રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે ખેડૂતોના હિત માટે તમામ સંસ્થાઓમાં અવાજ ઉઠાવવામાં આવશે. હાલના પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ ખેડૂતોના પ્રશ્નો અંગે સક્રિય છે. રાજ્યપાલ સમક્ષ રજૂઆત બાદ આગામી પગલાં અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા ર્નિણય લેવાશે. વીજ થાંભલાંનું નિરાકરણ લાવવા ઇટાલીયાનો મુખ્યમંત્રીને પત્ર વીજળીના થાંભલા મુદ્દે ન્યાયની માંગણી કરી રહેલા હિન્દુ ખેડૂતોને મળીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, હાલમાં પ્રાઇવેટ વીજળી કંપનીઓના થાંભલાઓ ખેતરમાં નાખવામાં આવે છે, તે મુદ્દે ગુજરાતભરના અનેક ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. મોરબીના જેતપર ગામે છેલ્લા ૧૨ દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે અને શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે. આ સિવાય કોંઢ ગામે, સાણંદના ડરણમાં, વઢવાણના નગરામાં, કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતો આ વીજળીના થાંભલાઓના મુદ્દે સરકારની નીતિઓનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે. શાંતિપૂર્ણ રીતે ઉપવાસ કરનારા મોરબીના ખેડૂતોને સરકારે મળવા બોલાવ્યા નથી કે ખેડૂતોની સાથે વાત કરવાનો સરકારે પ્રયત્ન પણ કર્યો નથી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, જુન 2026 2079   |  
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા માટે રાજ્યના ખેડૂતોને સરકારે આમંત્રણ આપ્યું

વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા મોરબીના ખેડૂતોને સરકારે આમંત્રણ આપ્યું છે. સરકારે ટૂંક સમયમાં ખેડૂતોની માંગણીના ઉકેલ માટે બાંહેધરી આપી હતી. મળતી જાણકારી અનુસાર, મોરબી જિલ્લામાં ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાના મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં આખરે સરકાર નમતું જાેખવા તૈયાર થઈ છે. આ સંવેદનશીલ પ્રશ્નનો ઝડપી અને સકારાત્મક નિકાલ લાવવા માટે સરકારે ખેડૂત સમિતિના સભ્યોને ઉચ્ચસ્તરીય કમિટી સાથે ચર્ચા કરવા સત્તાવાર આમંત્રણ આપ્યું છે. ઊર્જા વિભાગના પત્રના આધારે કલેક્ટરે આ જાહેરાત કરી છે, જેમાં સરકારે ખેડૂતોની તમામ ૬ મુખ્ય માંગણીઓ મુદ્દે સવિસ્તાર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. ખેડૂતોની અનુકૂળતા મુજબ આ બેઠક મોરબી કલેક્ટર ઓફિસ અથવા ગાંધીનગર ખાતે યોજવામાં આવશે. આ વિવાદ અંગે મોરબી કલેક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, સરકારના વિવિધ સરકારી ઠરાવોનો આધાર લઈને એક ચોક્કસ મુસદો (ડ્રાફ્ટ) તૈયાર કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોના પ્રશ્નોનો કાયદાકીય અને ન્યાયિક ઉકેલ લાવી શકાય. સરકાર આ સમસ્યાના કાયમી નિકાલ માટે અત્યંત તત્પર છે. વધુમાં ખેડૂતોનો આક્રોશ શાંત પાડતા કલેક્ટરે મોટો દાવો કર્યો છે કે, જ્યાં સુધી આ વિવાદનો સત્તાવાર ઉકેલ નહીં આવે ત્યાં સુધી વર્તમાન સંજાેગોમાં ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાની તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. સરકાર દ્વારા ટૂંક સમયમાં જ ખેડૂતોની તમામ માંગણીઓ સંતોષવા માટે ખાતરી આપવામાં આવી છે. વહીવટી તંત્રના આ હકારાત્મક વલણ અને મંત્રણાના આમંત્રણને પગલે ખેડૂતોમાં પણ આશાની કિરણ જાગી છે. આગામી દિવસોમાં યોજાનારી આ હાઈ-લેવલ બેઠક પર સૌની નજર મંડાયેલી રહેશે. ઊર્જા વિભાગના પત્રના આધારે મોરબીના કલેકટરે ચર્ચા માટે ખેડૂતોને આમંત્રણ આપ્યું છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
27, જુન 2026 2475   |  
અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં અલગ-અલગ જગ્યાએથી કુલ ૩ સિંહબાળના મોત થતાં ખળભળાટ

ગુજરાત એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન હોવા માટે સમગ્ર વિશ્વમાં ગર્વ અનુભવે છે, તે આજે વન્યજીવ સંરક્ષણને લઈને એક મોટા વિરોધાભાસનો સામનો કરી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર કચ્છના બન્ની વિસ્તારમાં આફ્રિકન ચિત્તાઓને વસાવવાની મહત્વાકાંક્ષી યોજના પર કામ કરી રહી છે, તો બીજી તરફ અમરેલી જિલ્લામાં સિંહબાળોના થતા રહસ્યમય અને ચોંકાવનારા મોત વહીવટીતંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.તાજેતરમાં અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ સિંહબાળોના મોતની ઘટનાએ સમગ્ર રાજ્યના વનવિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. દલખાણીયાના રેવન્યુ વિસ્તારમાં એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મોત શંકાસ્પદ જણાતા હત્યાની આશંકા પણ સેવાઈ રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે સ્થાનિક આરએફઓએ આ ગંભીર બાબતને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉપરી અધિકારીઓ સુધી વાત પહોંચતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એવી પણ શક્યતા છે કે કોઈ આ સિંહબાળના મૃતદેહને ત્યાં ફેંકી ગયું હોય. બગસરા તાલુકાના હામાપુર ગામે બેથી ત્રણ દિવસના એક સિંહબાળનું મોત થયું, જ્યારે પાણીયા રેન્જમાં ઇન્ફાઇટ (આંતરિક ઝઘડા) દરમિયાન એક સિંહબાળનું મોત થયું. એક જ દિવસમાં ત્રણ સિંહબાળોના મોત એ દર્શાવે છે કે સિંહોની સુરક્ષા વ્યવસ્થામાં ક્યાંકને ક્યાંક ગંભીર ક્ષતિઓ રહી ગઈ છે. જ્યારે સિંહબાળોના મૃત્યુથી વનવિભાગ પર દબાણ છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં ચિત્તા લાવવાની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓને વસાવવા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં કેન્યાથી બે નર અને બે માદા ચિત્તા લાવવામાં આવશે. ત્યારબાદ એક વર્ષમાં કુલ ૧૨ ચિત્તાઓને બન્નીમાં લાવવાનું લક્ષ્ય છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુન 2026 2079   |  
પરવટપાટિયાની ખાનગી હોસ્પિટલમાં નર્સનો ફાંસો ખાઈ આપઘાત

સુરત શહેરનાં પરવટપાટિયા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી ૨૪ વર્ષીય નર્સે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. જાેકે નર્સેના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર પરવટપાટિયા વિસ્તારની ખંડેલવાલ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ૨૪ વર્ષીય મંજુલા પારુભાઈ રાઠવા નર્સ તરીકે ફરજ બજાવતી હતી. મુળ છોટા ઉદેપુરની મંજુલા રાઠવાનાં લગ્ન ત્રણ વર્ષ પૂર્વે જ થયાં હતાં અને હાલમાં તેના પતિ સહિત માતા પિતા પણ વતનમાં જ વસવાટ કરી રહ્યા છે. જ્યારે મંજુલા રાઠવા હોસ્પિટલમાં જ ફાળવવામાં આવેલ રૂમમાં રહેતી હતી. અલબત્ત, ગત રાત્રિનાં સમયગાળા દરમિયાન મંજુરા રાઠવાએ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે મંજુલા રાઠવાની બાજુનાં રૂમમાં રહેતી અન્ય સહકર્મી જ્યારે વોશરૂમ જવા માટે ઉઠી ત્યારે તેણે મંજુલા રાઠવાનો મૃતદેહ પંખા સાથે લટકતો જાેયો હતો. ઘટના અંગે હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ મૃતક મંજુલા રાઠવાની આપઘાતનું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
27, જુન 2026 2970   |  
જમીન કૌભાંડમાં આણંદ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ સસ્પેન્ડ

 અમદાવાદ રેન્જ આઇજી દ્વારા આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇને પેટલાદ તાલુકાના પાળજની જમીન મેટર સંદર્ભમાં સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે બેડામાં ચાલતી ચણભણ મુજબ જમીન કે અન્ય કોઇ મસમોટા તગડા વહીવટી ખેલ ના પગલે કાર્યવાહી?ની સાથે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ભલભલા ના પગ નીચેથી ધરતી સરકેની શક્યતા જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇ બી.એમ.માળીએ એસઓજીમા ફરજ બજાવતા સમયે પેટલાદ તાલુકાના પાળજ ખાતે જમીનમાં બોગસ વારસાઇના આધારે અમદાવાદના ભેરૂલાલ લાલચંદ ચોપરા અને પ્રિતમલાલ ચોપરા ના પાળજ ગામની સીમમાં આવેલ ખડા ગામની મહિલા અને પરિવારજનોની જમીનમાં નામો દાખલ કરાવતા તેઓની ઉંમર ૫૦ની છતાં ૨૦થી૨૨ વર્ષની બતાવી ખેડૂત બની બાવળા તાલુકાની ખેતીલાયક જમીન ખરીદતાં આ મુદ્દે પેટલાદ પોલીસ મથકે પીઆઇ પી.એમ.માળીએ જાતે ફરિયાદી બની અમદાવાદના બંને ભાઈઓ તથા ખડા ગામના પીનલ પટેલ, જયેન્દ્ર પટેલ, શારદાબેન પટેલ, વકીલ કનુભાઇ મકવાણા, સહિત અન્ય વિરુદ્ધ બોગસ દસ્તાવેજ તથા છેતરપિંડી નો ગુનો દાખલ કરાવ્યો હતો.જે બાદ એક આરોપી જયેન્દ્ર પટેલે એસઓજી કચેરી આપધાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામતાં સમગ્ર મામલો રેન્જ આઇજી રાધવેન્દ્ર વત્સ પાસે પહોંચતા તપાસ હાથ ધરી એલસીબી પીઆઇ માળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જાેકે સમગ્ર મામલે પીઆઇ પરની કાર્યવાહી ફક્ત જમીન મામલે કે અન્ય કોઇ મસમોટા વહીવટી ખેલ ના પગલે?ની ચણભણ થતાં તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ભલભલા ના પગ નીચેથી ધરતી સરકેની શક્યતા જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.ફોટો ટોપી: તંત્ર માટે બોડી બામણીનુ ખેતર બનેલ આણંદ પંથકમાં, હેડીન્ગ: પેટલાદના પાળજ ની જમીન મામલે રેન્જ આઇજી દ્વારા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ ને સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ, પેટા: જમીન કે અન્ય કોઇ મસમોટા વહીવટી ખેલ રચાયા ના પગલે કાર્યવાહી?બેડામાં ચણભણ, તટસ્થ તપાસ થાય તો ભલભલા ના પગ નીચે રેલો આવે ની સંભાવના, આણંદ પંથક સરકારી તંત્ર માટે મલાઇ વહીવટ રળવાનુ બોડી બામણીનુ ખેતર બની રહ્યું હોય તેમ અમદાવાદ રેન્જ આઇજી દ્વારા આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇને પેટલાદ તાલુકાના પાળજની જમીન મેટર સંદર્ભમાં સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે બેડામાં ચાલતી ચણભણ મુજબ જમીન કે અન્ય કોઇ મસમોટા તગડા વહીવટી ખેલ ના પગલે કાર્યવાહી?ની સાથે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ભલભલા ના પગ નીચેથી ધરતી સરકેની શક્યતા જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇ બી.એમ.માળીએ એસઓજીમા ફરજ બજાવતા સમયે પેટલાદ તાલુકાના પાળજ ખાતે જમીનમાં બોગસ વારસાઇના આધારે અમદાવાદના ભેરૂલાલ લાલચંદ ચોપરા અને પ્રિતમલાલ ચોપરા ના પાળજ ગામની સીમમાં આવેલ ખડા ગામની મહિલા અને પરિવારજનોની જમીનમાં નામો દાખલ કરાવતા તેઓની ઉંમર ૫૦ની છતાં ૨૦થી૨૨ વર્ષની બતાવી ખેડૂત બની બાવળા તાલુકાની ખેતીલાયક જમીન ખરીદતાં આ મુદ્દે પેટલાદ પોલીસ મથકે પીઆઇ પી.એમ.માળીએ જાતે ફરિયાદી બની અમદાવાદના બંને ભાઈઓ તથા ખડા ગામના પીનલ પટેલ, જયેન્દ્ર પટેલ, શારદાબેન પટેલ, વકીલ કનુભાઇ મકવાણા, સહિત અન્ય વિરુદ્ધ બોગસ દસ્તાવેજ તથા છેતરપિંડી નો ગુનો દાખલ કરાવ્યો હતો.જે બાદ એક આરોપી જયેન્દ્ર પટેલે એસઓજી કચેરી આપધાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામતાં સમગ્ર મામલો રેન્જ આઇજી રાધવેન્દ્ર વત્સ પાસે પહોંચતા તપાસ હાથ ધરી એલસીબી પીઆઇ માળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અપ્રમાણસર મિલકતોની તપાસ થશે ? આણંદ એલસીબી માં ફરજ બજાવતા પીઆઇ માળીને ગતમોડી સાંજે અમદાવાદ રેન્જ આઇજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતાં બેડામાં ચકચાર મચી જવા પામ્યા બાદ સસ્પેન્ડેડ પીઆઇ ની જર જમીન સહિતની મિલ્કત ની તપાસ હાથ ધરાશે?ના સવાલ ઉઠતાં જાે તપાસમાં અપ્રમાણસર મિલકતો બહાર આવે તો એસીબીનો સિકંજાે કસાવાની સંભાવના પણ જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
25, જુન 2026 2574   |  
દોષિત જાહેર થયેલા આપના ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થવાની શક્યતા વધી ગઇ

નર્મદા સેશન કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને આપવામાં આવેલી સજાનો ઓર્ડર ગુજરાત વિધાનસભા સુધી પહોંચ્યો છે. કોર્ટના આદેશના આધારે હવે તેમના ધારાસભ્ય પદ અંગે ર્નિણય પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે. આ સાથે લીગલ ડીપાર્ટમેન્ટ દ્વારા પણ વિધાનસભાને સંબંધિત દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ કોર્ટના ઓર્ડર અને લીગલ ડીપાર્ટમેન્ટની દરખાસ્તના આધારે વિધાનસભા દ્વારા કાયદાકીય જાેગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર મામલાનું કાયદાકીય રીતે નિરીક્ષણ કર્યા બાદ યોગ્ય ર્નિણય લેવામાં આવી શકે છે.જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ કોઈ પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિને બે વર્ષ કે તેથી વધુ સમયની સજા ફટકારવામાં આવે તો તેની સભ્યતા રદ થવાની જાેગવાઈ છે. ચૈતર વસાવાના કેસમાં પણ આ જાેગવાઈ લાગુ પડી શકે છે જેના કારણે તેમના ધારાસભ્ય પદ અંગેનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.વિધાનસભા સમક્ષ કોર્ટનો ઓર્ડર અને લીગલ ડીપાર્ટમેન્ટની દરખાસ્ત રજૂ થયા બાદ હવે સંબંધિત કાયદાકીય પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ચૈતર વસાવાના ધારાસભ્ય પદ અંગે અંતિમ ર્નિણય લેવામાં આવશે.હાલ સમગ્ર મામલે રાજકીય અને કાયદાકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. વિધાનસભા દ્વારા લેવામાં આવનારા ર્નિણય પર સૌની નજર મંડાઈ છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, જુલાઈ 2026 1584   |  
નારોલ રોડ નજીક ટુ વ્હીલરચાલકનું ડમ્પરની ટક્કર ઘટનાસ્થળે જ મોત

અમદાવાદ શહેરના વિશાલાથી નારોલ તરફ જતા રોડ પર અકસ્માત થયો હતો. જેમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લઈને જઈ રહેલા કિશોરને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર વાગતા કિશોરને ગંભીર ઇજા થવાના કારણે મોત થયું હતું . અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.જાેકે ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પીપળજમાં રહેતો કિશોર તેના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર ટ્યુશન જવા નીકળ્યો હતો. પીરાણા પાસે આવેલી દેવ હોટલ નજીક ફૂલ સ્પીડમાં આવતા ડમ્પર ચાલકે તેને ટક્કર મારી હતી. જેમાં કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન કિશોરનું મોત થઈ ગયું હતું.આસપાસના લોકોએ જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, જુલાઈ 2026 1683   |  
શહેરમાં વહેલ માછલીની ઊલટી વેચવા આવેલા ત્રણ વિદ્યાર્થીની ધરપકડ કરાઇ

અમદાવાદના સરખેજમાં એમ્બરગ્રીસ(વ્હેલ માછલીની ઉલ્ટી)વેચવા આવેલા ત્રણ વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી હતી. મોરબીના વ્યક્તિએ આપેલી ૧.૮૨ કરોડની એમ્બરગ્રીસ સાથે ૩ વિદ્યાર્થીઓ સરખેજ રીંગ રોડ પર ઊભા હતા, ત્યારે ઝોન ૭ એલસીબીએ ત્રણેયને ઝડપી લીધા હતા. પકડાયેલા ત્રણેય આરોપીઓ બીએ, એલ એલ બીઅને બીકોમના વિદ્યાર્થીઓ છે. ઝોન ૭ એલસીબી ટીમને બાતમી મળી હતી જેના આધારે સરખેજ એસ.પી રીંગ રોડ પર સનાથલ બ્રીજની નીચે વિશ્વરાજસિંહ ચુડાસમા, દર્શન સભાદ અને વીરપલસિંહ રાઠોડ નામના ત્રણ યુવકો ઊભા હતા, તેની અટકાયત કરવામાં આવી હતી. ત્રણેયની તપાસ કરતા તેમની પાસેથી બેગમાંથી એમ્બરગ્રીસ મળી આવી હતી. ત્રણેય યુવકો ૧.૮૨ કિલો એમ્બરગ્રીસનો જથ્થો જેની કીમત ૧.૮૨ કરોડ છે જે કોઈને વેચવા ઊભા હતા.જાેકે યુવકો આ જથ્થો વેચે તે અગાઉ જ પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, પકડાયેલા ત્રણેય આરોપીઓ ઉચ્ચ શૈક્ષણિક બેકગ્રાઉન્ડ ધરાવે છે. જેમાં વીરપાલસિંહ રાઠોડ (બી.કોમ.) ચાંદખેડામાં પાન પાર્લર ચલાવે છે, અને તેમની જ દુકાને દર્શન સાબડ (બી.એ. થર્ડ યર) કામ કરતો હતો. આ સિવાય લીંબડીના રહેવાસી વિશ્વરાજ ચુડાસમા એલ.એલ.બી.નો અભ્યાસ કરે છે અને તે આ બંનેનો મિત્ર હોવાથી ત્રણેય એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દર્શન સાબડના ખેતરમાં કામ કરતા એક મજૂર મારફતે આ ત્રણેય યુવકો મોરબીના હસમુખ પટેલ નામના વ્યક્તિના સંપર્કમાં આવીને જથ્થો વેચવા માટે લાવ્યા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, જુલાઈ 2026 1584   |  
નવો બ્રિજ બનાવવા સુભાષબ્રિજના ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન

શહેરના સુભાષબ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાની કામગીરી અંતર્ગત બ્રિજના નદીના પટમાં આવેલા ૩ સ્પાનનું ડિમોલિશન સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. ડિમોલિશન દરમિયાન સમગ્ર સ્પાનને અત્યંત સાવચેતીપૂર્વક તોડીને નિયંત્રિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા મશીનરી નો ઉપયોગ કરી અને સાવચેતી પૂર્વક અત્યારે બ્રિજની કામગીરી અંતર્ગત પાન ઉતારી લેવામાં આવ્યા છે. બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા સંપૂર્ણપણે પિલ્લર સાથે સુભાષ બ્રિજનું ડિમોલેશન કરવા અંગેનો રિપોર્ટ આપ્યા બાદ બ્રિજની ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બ્રિજ પર આવેલા સ્પાનને ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. ડિમોલિશન દરમિયાન બ્રિજના સમગ્ર વિસ્તારને સંપૂર્ણપણે બેરિકેડિંગ કરીને પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ કામગીરી સાથે જૂના સુભાષ બ્રિજના કુલ ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ થઈ ચૂક્યું છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, જુલાઈ 2026 1683   |  
રાજ્યની અંદાજે ૪,૭૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે એલઈડી લેબ સ્થાપિત કરાશે

ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યની અંદાજે ૪,૭૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે એલબીડી લેબ સ્થાપિત કરવામાં આવશે. આ અંગે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા તમામ જિલ્લાઓને સત્તાવાર સૂચનાઓ મોકલવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આધુનિક અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. એલબીડી લેબ દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી અભ્યાસ કરવાની વધુ સારી તક મળશે, જેના કારણે શિક્ષણ વધુ રસપ્રદ અને અસરકારક બનશે. ગુજરાતની સરકારી શાળાઓને વધુ આધુનિક બનાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મોટો અને મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ, રાજ્યની આશરે ૪,૭૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં એલબીડી લેબ શરૂ કરવામાં આવશે. ડિજિટલ માધ્યમો દ્વારા શિક્ષણ આપવાના હેતુથી લેવાયેલા આ ર્નિણય અંગે તમામ જિલ્લાના સત્તાધિકારીઓને સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવી છે. યોજનાના ભાગરૂપે ટીસીઆઇએલ દ્વારા લેબની સ્થાપના, જાળવણી તેમજ શિક્ષકોને જરૂરી તાલીમ આપવામાં આવશે. જેથી શિક્ષકો પણ નવી ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓને લેબ સ્થાપન માટે જરૂરી માળખાકીય સુવિધાઓ તૈયાર રાખવા પણ સૂચના આપવામાં આવી છે. લેબમાં વિવિધ વિષયો સંબંધિત ડિજિટલ અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે વિદ્યાર્થીઓના જ્ઞાન અને સમજણમાં વધારો કરશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, જુલાઈ 2026 1584   |  
યુપીએસસીની તૈયારી કરતા ઉમેદવારોને હવે દર મહિને રૂપિયા ૪૦૦૦ મળશે

ગુજરાત સરકાર દ્વારા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા, અમદાવાદ અને તેના પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારો માટે સ્ટાઈપેન્ડ તેમજ પરીક્ષાના વિવિધ તબક્કે મળતી પ્રોત્સાહન સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે આ અંગેનો સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. નવા નિયમો મુજબ, સ્પીપામાં પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને દર મહિને રૂ. ૪,૦૦૦નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ સહાય વધુમાં વધુ સાત મહિના અથવા યુપીએસસી પ્રિલિમ પરીક્ષા યોજાય ત્યાં સુધી મળશે. પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ. ૩૫,૦૦૦ અને યુવતીઓને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. જાેકે, સ્પીપાના વિદ્યાર્થીઓને અગાઉ ચૂકવાયેલ સ્ટાઈપેન્ડની રકમ બાદ કરીને બાકીની સહાય ચૂકવાશે. મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ. ૪૫,૦૦૦ અને યુવતીઓને રૂ. ૫૫,૦૦૦ની પ્રોત્સાહન રકમ મળશે. જ્યારે સિવિલ સર્વિસીઝની આખરી પસંદગીમાં સ્થાન મેળવનાર ગુજરાતના યુવકોને રૂ. ૭૫,૦૦૦ અને યુવતીઓને રૂ. ૧ લાખની સહાય આપવામાં આવશે. આ રીતે સમગ્ર પ્રક્રિયામાં સફળ યુવકને કુલ રૂ. ૧.૫૫ લાખ અને યુવતીને રૂ. ૨.૦૫ લાખ સુધીની સહાય પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં અભ્યાસ અથવા નોકરી કરતા બિન-ડોમિસાઇલ ઉમેદવારો માટે પણ ખાસ જાેગવાઈ કરવામાં આવી છે. સ્પીપાના પર્સનાલિટી ટેસ્ટ તાલીમ વર્ગમાં જાેડાયેલા આવા ઉમેદવારોની આખરી પસંદગી થાય તો યુવકોને રૂ. ૨૫,૦૦૦ અને યુવતીઓને રૂ. ૩૫,૦૦૦ની પ્રોત્સાહક સહાય મળશે. નાણા વિભાગની સંમતિ બાદ સામાન્ય વહીવટ વિભાગે આ સુધારેલા દરોને મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ ર્નિણયથી યુપીએસસીજેવી પ્રતિષ્ઠિત પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આર્થિક બળ મળશે અને ગુજરાતમાંથી વધુ ઉમેદવારો સિવિલ સર્વિસમાં સ્થાન મેળવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, જુલાઈ 2026 1485   |  
ઉધના અને લિંબાયતમાં રસ્તો બેસી જતાં એસટી બસ અને સ્કૂલવાન ફસાઈ ગઇ

સ્માર્ટ સિટી સુરતમાં પહેલા જ વરસાદમાં રસ્તાઓએ સુરત મહાનગર પાલિકાનાટ ભ્રષ્ટાચારને ઉઘાડો પાડ્યો છે. મોટાવરાછા બાદ આજે સવારે ઉધના બસ સ્ટેન્ડ ખાતે એસટી બસ ખાડામાં ફસાઈ ગઇ હતી. જ્યારે લિંબાયતમાં વહેલી સવારે વિદ્યાર્થીઓને લઈને શાળાએ જઈ રહેલ સ્કુલવાન ખાડામાં ફસાઈ જતાં વિદ્યાર્થીઓનાં જીવ તાળવે ચોંટ્યા હતા. આ બંને ઘટનાઓને પગલે અધિકારીઓ દોડતા થઈ ગયાં હતાં. કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવતાં રસ્તાની ગુણવત્તા અંગે મહાનગર પાલિકાનાં અધિકારીઓ વધુ એક વખત ઉઘાડા પડ્યાં છે.ગત રોજ મોટા વરાછામાં ૪૦૦ ફુટનાં રસ્તાનું ધોવાણ થયું હતું. આજે ઉધના ખાતે આવેલ બસ સ્ટેન્ડ પાસે જ થોડા સમય પૂર્વે ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાે કે, આ કામગીરી બાદ રસ્તાનું બરાબર પુરાણ કરવામાં આવ્યું ન હતું અને હાલમાં પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આ સ્થિતિમાં વરસાદનાં આગમન સાથે જ આજે સવારે રસ્તામાં મસમોટો ભુવો પડી જવા પામ્યો હતો. જેને પગલે એસટી બસ ફસાઈ જવા પામી હતી. બસની આગળનું ટાયર ખાડામાં ફસાઈ જતાં લોકો પણ ઘટના સ્થળે ઘસી આવ્યા હતા. દુર્ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોમાં એક તબક્કે અફરાતફરી મચી જવા પામી હતી. ચાલક દ્વારા બસને ખાડામાંથી બહાર કાઢવા માટેની જહેમત હાથ ધરવામાં આવી હતી જાે કે, ભારે પ્રયાસો વચ્ચે પણ બસ બહાર ન નીકળતાં અંતે મુસાફરોને અન્ય એસટી બસમાં રવાના કરવામાં આવ્યા હતા. આ સિવાય આજે લિંબાયત ગરનાળા તરફ જતાં રસ્તા પરથી પસાર થઈ રહેલ એક સ્કુલ વાન ખાડામાં ખાબકતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સ્કુલ વાનમાં સવાર વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. જાે કે, ઘટના સ્થળે પહોંચેલા સ્થાનિકોએ તાત્કાલિક વાનમાંથી વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢ્યા બાદ વાનને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. એક જ દિવસમાં આ પ્રકારની બે ઘટનાઓને પગલે સુરત મહાનગર પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની વધુ એક વખત પોલી ખુલી જવા પામી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, જુલાઈ 2026 1584   |  
મ્યુ.કમિશનર અને પોલીસ કમિશનર ધૃતરાષ્ટ્ર બન્યાં હતાં પણ સરકાર ભિષ્મ પિતામહની જેમ કેમ ચૂપચાપ જાેતી રહી

રાજ્યની વડી અદાલતે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરનું શાબ્દિક વસ્ત્રાહરણ કરતાં નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશનકાંડની સ્ક્રીપ્ટમાં પડદા પાછળ રહેલાં રાજકીય કલાકારે ભજવેલી ભૂમિકા હવે બંને અધિકારીઓને ભારે પડી રહી હોવાનું લાગી રહ્યું છે. બિલ્ડરનાં લાભાર્થે રાજકીય કલાકારનાં ઇશારે સ્ક્રીપ્ટ અનુસાર પોતાનાં પાત્રો ભજવનાર મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજન અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતને હાઇકોર્ટનાં ચોટદાર જવાબો આપતાં રીતસર ફાંફાં પડી રહ્યાં છે. સુરત શહેરમાં ૧૦૦ ગરીબ પરિવારો પાંચ કલાકમાં બેઘર બની ગયાં અને બંને સીનિયર સનદી અધિકારીઓ સમગ્ર ઘટનાથી બેખબર હતાં તે વાત કોઇ મૂર્ખ વ્યક્તિ જ માની શકે. નાસિરનગરનાં લાચાર પરિવારો આક્રંદ કરતાં હતાં પરંતુ આક્રંદ કરી રહેલાં પરિવારોનાં ચહેરાં ધૃતરાષ્ટ્ર બનેલાં આ બંને અધિકારીઓને દેખાયા જ નહીં કે તેમની ચીસો પણ તેમનાં કાનો સુધી પહોંચી શકી નહીં. આશ્ચર્યની વાત તો એ છે કે, મ્યુ.કમિશનર અને પોલીસ કમિશનર તો બિલ્ડરે આપેલી પટ્ટી આંખો ઉપર પહેરીને ધૃતરાષ્ટ્ર બની બેઠાં હતાં પરંતુ આટઆટલી કાગારોળ મચી, મામલો છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યો હતો તેમ છતાં રાજ્ય સરકારે એક મહિના સુધી આ ગેરકાયદે ડીમોલિશનનું કોઇ જ કોગ્નિજન્સ લીધું નહીં અને ભિષ્મ પિતામહની જેમ ચુપચાપ તમાશો જાેયા કર્યો.જે રીતરસમો અજમાવીને જે સંજાેગોમાં ગરીબોને બેઘર કરવામાં આવ્યાં તે અત્યંત શરમજનક બાબત છે, હાઇકોર્ટમાં મહાનગર પાલિકા અને પોલીસતંત્રનાં વકિલો ભલે એમ કહે કે ડીમોલિશનની અમને ખબર નથી, ડીમોલિશન માટે કોઇ હુકમ કરાયો ન હતો કે માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ગયાં હતાં પરંતુ મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ કમિશનર આ ગેરકાયદે ડીમોલિશનકાંડની જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી. બંને સીનિયર સનદી અધિકારીઓનાં પગ કુંડાળામાં પડી ગયાં છે, બંનેનાં હાથ ખરડાયેલાં છે, જાે એમ ના હોય તો એક મહિના સુધી એક પણ અધિકારી સામે કેમ કોઇ કાર્યવાહી કરી નહીં. મ્યુનિસિપલ કમિશનર તપાસ સમિતિ પાછળ પોતાની જાતને છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે તો પોલીસ કમિશનર ડીસીપી નકુમને બચાવવા બધું કરી છૂટ્યાં છે. બિલ્ડરે આ જ વસાહતનાં અન્ય લોકોને ભૂતકાળમાં દબાણ લાવીને ઓછુ વળતર ચૂકવીને મકાનો તોડાવી નાંખ્યાં હતાં ત્યારે પણ નકુમની હાજરી જાેવા મળી હતી. આ વખતે સાવ નજીવું વળતર ચૂકવવા માટે બિલ્ડરે ડીમોલિશનની સોપારી આપી જેમાં બખેડો થતાં બિલ્ડર તો ફસાયા સાથો સાથ મ્યુનિસિપલ કમિશનર, અને પોલીસ કમિશનરને પણ ભેખડે ભેરવ્યાં છે. હાઇકોર્ટે તટસ્થ વલણ અને કડકાઇ બતાવતાં નાગરાજન અને ગહલૌતની હાલત માં મને કોઠીમાંથી કાઢ જેવી બની જતાં કાયદાની છટકબારીઓ શોધીને એફિડેવિટમાં તે મુજબનું બચાવનામુ પેશ કરવા દોડાદોડ કરી મૂકી છે. એક મહિના સુધી પલાંઠી વાળીને બેસી રહેલાં નાગરાજનનાં આદેશથી તપાસ સમિતિએ મંગળવારે નોનસ્ટોપ સુનાવણી કરીને અધિકારીઓ અને કર્મચારીઓનાં નિવેદનો લઇ તપાસ પૂર્ણ કરી રીપોર્ટ આપતાં કમિશનરે સુજલ પ્રજાપતિ અને જીવનરામજીવાલા સહિત પાંચને સસ્પેન્ડ કરવાનો દેખાડો કર્યો. માત્ર હાઇકોર્ટની ખફગીમાંથી બચવા માટે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો સગવડિયો વહિવટી ધર્મ મ્યુનિસિપલ કમિશનરે બજાવ્યો નહીં તો ખજાેદ કચરાકાંડમાં તપાસ સમિતિનું સુરસુરિયું ક્યારે થઇ ગયું તેની પણ ખબર પડી નથી અને ગોટાલાવાડી-ભેસ્તાન આવાસનો રીપોર્ટ ક્યારે કચરાટોપલીમાં ફેંકી દેવામાં આવ્યો તેની પણ કોઇને જાણ નથી. નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશને એક વાત તો સાબિત કરી આપી કે સુરતમાં કાયદાનું નહીં પરંતુ મહાનગર પાલિકા તેમજ પોલીસનાં સોપારીબાજ તંત્ર અને માલેતુજારોનું જંગલરાજ ચાલે છે. ડીમોલિશન ગેરકાયદે કરાયું છે, બિલ્ડરનાં મેળાપીપણામાં પોલીસે ભૂંડી ભૂમિકા ભજવીને ગુનાઇત પ્રવૃત્તિને સપોર્ટ આપ્યો છે અને ડીમોલિશનનો હુકમ કરાયો ન હતો તો મહાનગર પાલિકાનાં અધિકારીઓની ફોજ સ્થળ ઉપર શું કરતી હતી તેવી હાઇકોર્ટની છોતરાંફાડ ટીપ્પણી પછી સરકારે પો. કમિશનરની બદલી કરી પણ મ્યુ. કમિશનરને સુરતથી નહીં હટાવે તો સરકારની નિયત સામે પણ શંકા જઇ શકે છે. માલેતુજારો વિરૂદ્ધ ગુના દાખલ નહીં કરનારી સુરત પોલીસે નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશનની ગુનાઇત પ્રવૃત્તિમાં બિલ્ડરનાં લાભાર્થે પ્રોેએક્ટિવ ભૂમિકા ભજવીને સોપારીબાજ પોલીસની ઇમેજ વધારે મજબુત બનાવી હોવાનું વધુ એકવાર ફલિત થયું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, જુલાઈ 2026 2673   |  
નાસિરનગરના સ્પોન્સર્ડ ડીમોલિશનમાં સુજલ પ્રજાપતિ જીવન રામજીવાલા સહિત પાંચને સસ્પેન્ડ કરાયા

રાજકીયનેતાનાં ઇશારે નાસિરનગરમાં કરાયેલાં સ્પોન્સર્ડ ડીમોલિશનકાંડમાં હાઇકોર્ટનાં આકરાં તેવર જાેતાં મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને વિલંબથી પરંતુ અપેક્ષામુજબ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ, સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક ઇજનેર જયાંગ જીવનરામજીવાલા, ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા તેમજ જુનિયર ઇજનેર નરેશ ગલચરને આજે સસ્પેન્ડ કરી દેતાં મહાનગર પાલિકનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ભારે ચકચાર સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. બાયસ તપાસ સમિતિનાં બાયસ તપાસ રીપોર્ટને આધારે મ્યુનિસિપલ કમિશનરે હાઇકોર્ટમાં પોતાના બચાવ માટે સસ્પેન્શનની તલવાર ઉગામવાની ફરજ પડી છે.સ્પોન્સર્ડ ડીમોલિશનનાં ૯ દિવસ પછી મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરનાં અધ્યક્ષસ્થાને છ સભ્યોની તપાસ સમિતિ નીમી હતી જેમાં ડેપ્યુટી કમિશનર મનિષ ડોક્ટર, એડિશનલ સિટી ઇજનેર મહેશ ચાવડા, કાર્યપાલક ઇજનેર કે.એલ.વસાવા, આર.ડી.ગાંજાવાલા અને ડેપ્યુટી ઇજનેર મોહસિન કાગજીનો સમાવેશ કર્યો હતો. સેન્ટ્રલ ઝોનનાં વડા આશિષ નાયક રજા ઉપર હોવાથી ઝોનનો હવાલો મહેશ ચાવડા પાસે હતો અને તેમના હવાલાનાં કાર્યકાળ દરમિયાન જ તા.૩૦મેનાં રોજ ગેરકાયદે ડીમોલિશન થયું હતું. બિલ્ડરનાં લાભાર્થે, બિલ્ડરનાં મેળાપીપણામાં થયેલાં ડીમોલિશનનો ભારે હોબાળો થયો અને સમગ્ર કૌભાંડનો રેલો ગાંધીનગર થઇને દિલ્હી દરબાર સુધી પહોંચ્યો હતો. કૌભાંડની ગંભીરતા જાણવા છતાં મ્યુનિસિપલ કમિશનરે તપાસ સમિતિમાં ડીમોલિશન વખતે સેન્ટ્રલ ઝોનનાં વડાનો હવાલો સંભાળનાર મહેશ ચાવડાનો સમાવેશ કર્યો હતો. જેમનાં કાર્યકાળમાં ગેરકાયદે ડીમોલિશન થયું અને જે અધિકારી શંકાનાં દાયરામાં હોય, શંકાસ્પદ આરોપીનાં પિંજરામાં હોય તે અધિકારીને જ તપાસ સમિતિનાં સભ્ય બનાવી દેવાય તો તે સમિતિ તદ્દન બાયસ જ ગણી શકાય અને આવી બાયસ તપાસ સમિતિનો તપાસ રીપોર્ટ પણ બાયસ જ કહેવાય. મ્યુનિસિપલ કમિશનરની મન્શા જ પ્રમાણિક ન હતી તે વાત ઉપરોક્ત સમગ્ર ગતિવિધિથી પ્રમાણિત થાય છે. ગેરકાયદે ડીમોલિશન માટે જેટલો દોષ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને જીવન રામજીવાલા અને અન્ય અધિકારીઓનો છે તેટલો જ દોષ એડિશનલ સિટી ઇજનેર મહેશ ચાવડાનો પણ ગણી જ શકાય. સેન્ટ્રલ ઝોનનાં ઇન્ચાર્જ વડા તરીકે તેમની જાણ બહાર અધિકારીો અને કર્મચારીઓની ફોજ આટલું મોટું ડીમોલિશન કરવા જાય તે વાત કોઇ પણ સંજાેગોમાં માની શકાય તેમ નથી.મ્યુનિસિપલ કમિશનરે મહેશ ચાવડાને શિક્ષાત્મક પગલાંનાં દાયરાની બહાર રાખીને પ્રમાણિકતાનો છેદ ઉડાવી દીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરનાં અધ્યક્ષસ્થાને કાર્યરત બનેલી તપાસ સમિતિએ આજે પોતાનો રીપોર્ટ કમિશનરને સુપ્રત કર્યો હતો જેમાં સમિતિએ ડીટેઇલ ખાતાકીય તપાસની ભલામણ કરી છે. સુજલ પ્રજાપતિ અને જીવનરામજીવાલા સહિતનાં પાંચેય ઇજનેરો નાસિરનગરમાં ડીમોલિશન સમયે ઉપસ્થિત હોવાનાં પુરાવા ધ્યાને લીધાં છે પરંતુ આ પાંચેય ઇજનેરોની ડીમોલિશનમાં શું ભૂમિકા હતી તે હજુ સ્પષ્ટ થયું નથી તદ્દઉપરાંત કેટલાક દસ્તાવેજાે પણ મીસિંગ હોવાનું તપાસ સમિતિનાં રીપોર્ટમાં જણાવાયું છે જેથી ખાતાકીય તપાસને બાધ્ય બને નહીં, પુરાવાનો નાશ થાય નહીં તે બાબતોને ધ્યાનમાં લઇને આ રીપોર્ટને આધારે કમિશનરે પાંચેય ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી છે જેમાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર તેમજ ટોરેન્ટ પાવર કંપની તરફથી એફિડેવિટ રજૂ કરવામાં આવનાર છે. આ એફિડેવિટ પછી હાઇકોર્ટ કેવું વલણ અખત્યાર કરે છે તેની ઉપર તમામની નજર છે. ગેરકાયદે ડીમોલિશનકાંડનાં વિવાદને પગલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની બદલી બિલ્ડરનાં લાભાર્થે નાસિરનગરનાં ડીમોલિશનમાં પ્રોએક્ટિવ ભૂમિકા ભજવનાર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપી રાજદિપસિંહ નકુમ, પી.આઇ. સોનારાની ગુનાઈત કામગીરીનું કોગ્નિજન્સ નહીં લેનાર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની સરકારે આજે બદલી કરી છે. નાસિરનગર સ્પોન્સર્ડ ડીમોલિશન અંગે સુરત પોલીસ તેમાં પણ ખાસકરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપી નકુમે ભજવેલાં રોલની ખુબ ટીકા થઈ છે. હાઈકોર્ટે પણ ઉચ્ચ પોલીસ અધિકારીની કામગીરીને ગુનાઈત કૃત્યને સપોર્ટ કરવા જેવી ગણાવીને સુરત પોલીસની આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી નવી એફિડેવિટ ફાઈલ કરવા જણાવ્યું હતું. આવતીકાલે ગુરૂવારે હાઈકોર્ટમાં સુનાવણી છે અને પોલીસ કમિશનર તરફે નવી એફિડેવિટ ફાઈલ કરવાની છે તે પહેલાં જ સરકારે કમિશનર અનુપમસિંહ ગહલૌતની અમદાવાદ શહેરનાં કમિશનર તરીકે બદલી કરવાનો હુકમ કર્યો છે. પોલીસ કમિશનરની તો બદલી થઈ, હવે મ્યુનિસિપલ કમિશનર અંગે અટકળો થઈ રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુન 2026 1881   |  
તાવ અને કમળાની બીમારીથી ધોરણ-૧નાં વિદ્યાર્થીનું મોત

શહેરનાં ડિંડોલીનાં નવાગામ વિસ્તારમાં રહેતા ૭ વર્ષીય વિધાર્થીનું લાંબા સમયથી સખત તાવ અને બાદમાં કમળાની બીમારીથી મોત થયું હતું પુત્રનાં મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવાગામ ડીંડોલી ખાતે ઉમિયા નગરમાં રહેતો ૭ વર્ષીય દુર્ગેશ નિમ્બા પાટીલગત રાત્રે ઘરે અચાનક બેભાન થઇ ગયો હતો.પિતા નિમ્બા પાટીલ તેને સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબો તેને મૃત જાહેર કર્યો હતો. દુર્ગેશ છેલ્લા ૧૦થી ૧૫ દિવસથી સખત તાવથી પીડાઈ રહ્યો હતો. શરૂઆતમાં તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. જાેકે ઘરે આવ્યા બાદ ફરી તાવ શરૂ થયો હતો અને કમળો પણ થયો હતો જેથી રાત્રે તે બેભાન થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.દુર્ગેશ નવાગામની સરકારી શાળામાં ધોરણ-૧માં અભ્યાસ કરતો હતો. પરિવારમાં એક ભાઈ છે. તેના પિતા કાપડ માર્કેટમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. માસૂમ બાળકનાં નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુન 2026 2079   |  
પરવટપાટિયાની ખાનગી હોસ્પિટલમાં નર્સનો ફાંસો ખાઈ આપઘાત

સુરત શહેરનાં પરવટપાટિયા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી ૨૪ વર્ષીય નર્સે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. જાેકે નર્સેના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર પરવટપાટિયા વિસ્તારની ખંડેલવાલ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ૨૪ વર્ષીય મંજુલા પારુભાઈ રાઠવા નર્સ તરીકે ફરજ બજાવતી હતી. મુળ છોટા ઉદેપુરની મંજુલા રાઠવાનાં લગ્ન ત્રણ વર્ષ પૂર્વે જ થયાં હતાં અને હાલમાં તેના પતિ સહિત માતા પિતા પણ વતનમાં જ વસવાટ કરી રહ્યા છે. જ્યારે મંજુલા રાઠવા હોસ્પિટલમાં જ ફાળવવામાં આવેલ રૂમમાં રહેતી હતી. અલબત્ત, ગત રાત્રિનાં સમયગાળા દરમિયાન મંજુરા રાઠવાએ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે મંજુલા રાઠવાની બાજુનાં રૂમમાં રહેતી અન્ય સહકર્મી જ્યારે વોશરૂમ જવા માટે ઉઠી ત્યારે તેણે મંજુલા રાઠવાનો મૃતદેહ પંખા સાથે લટકતો જાેયો હતો. ઘટના અંગે હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ મૃતક મંજુલા રાઠવાની આપઘાતનું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution