ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 1881   |  
સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે, જ્યારે અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ભર ઉનાળે આવેલા આ માવઠાના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે કેરી, ઘઉં અને મકાઈ જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ અને તેજ પવનની આગાહી કરી છે, જેના કારણે ગરમીમાંથી લોકોને થોડી રાહત મળશે પણ ખેડૂતો માટે આ આફત બની શકે છે. અમરેલીનાં સાવરકુંડલા પંથકમાં અસહ્ય ગરમી અને બફારા પછી અચાનક વાતાવરણ બદલાયું હતું. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે જાબાળ, બાઢડા, મોટા ઝીંઝુડા, ધજડી, સાકરપરા અને અભરામપરામાં અચાનક જ વરસાદી છાંટા પડ્યા હતા. ઉનાળાની આકરી ગરમી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદથી સામાન્ય લોકોને ગરમીથી થોડી રાહત તો મળી છે, પણ આંબાના પાક (કેરી) ને ભારે નુકસાન જવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 2673   |  
ભાવનગર ફ્લાઈટ કનેક્ટિવિટીથી હવાઈ માર્ગે દેશ અને દુનિયા સાથે જાેડાશે: કે. રામમોહન

ભાવનગર એરપોર્ટ ખાતેથી આજથી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુએ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને આ પ્રથમ ફ્લાઈટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું વોટર સેલ્યુટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલ પંડ્યા અને ગૌતમ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને વખતોવખત ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા ભાવનગરને એર કનેક્ટિવિટી ફાળવવા માટેની દરખાસ્તો મળતી રહી હતી. જેના અનુસંધાને આજરોજ ભાવનગર થી નવી મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થઈ રહ્યો છે જે બદલ ભાવનગરની જનતાને અભિનંદન. વધુમાં તેમણે કહ્યું કે ભાવનગરથી નવી મુંબઈની કનેક્ટિવિટી એ માત્ર લોકલ કનેક્ટિવિટી નથી પરંતુ આ એર કનેક્ટિવિટીથી ભાવનગર દેશ અને દુનિયા સાથે જાેડાઈ રહ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 2178   |  
અમદાવાદના એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે

અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ રાજકોટ ખાતે કહ્યું હતું.. આજે ૨૯ માર્ચના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક સાથે દેશના ૫૭ એરપોર્ટ પર અલગ-અલગ સુવિધાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ સાથે રાજકોટનાં ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું છે. સવારે ભાવનગર ખાતે ઈન્ડિગોની નવી મુંબઈની ફલાઈટને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ તેઓ રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. ઉડાન યાત્રી કાફે ખુલવાથી હવે એરપોર્ટ પર મુસાફરોને રૂ.૧૦માં ચા અને રૂ.૨૦માં કોફી મળી રહેશે. આ દરમિયાન રામમોહન નાયડુએ મહત્વના મુદ્દાઓને લઈ કહ્યું કે, રાજકોટમાં વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ, એર કાર્ગો ટર્મિનલ શરૂ થશે. દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ, ૨૦૦ હેલિપેડ બનશે. યુદ્ધ વચ્ચે ગલ્ફ દેશોમાંથી ૫ લાખ લોકોને ભારત પરત લાવ્યા છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યુ હતુ કે, રાજકોટ સહિત દેશના ૫૭ એરપોર્ટ ઉપર અલગ-અલગ નાગરિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશમાં ૧૧ એરપોર્ટ પર ઉડાન કાફે, ૮ જગ્યાએ ડ્ઢય્ યાત્રા, ૫૦ જગ્યાએ વાઈફાઇ ફેસેલિટિ, ૧૧ અવસર આઉટલેટ, ૧૦ કિડઝ પ્લે ઝોન, ૧૬ ફ્લાયબ્રેરિઝ અને ૮ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કનું પણ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યુ હતુ કે, રાજકોટ સહિત દેશના ૫૭ એરપોર્ટ ઉપર અલગ-અલગ નાગરિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશમાં ૧૧ એરપોર્ટ પર ઉડાન કાફે, ૮ જગ્યાએ ડ્ઢય્ યાત્રા, ૫૦ જગ્યાએ વાઈફાઇ ફેસેલિટિ, ૧૧ અવસર આઉટલેટ, ૧૦ કિડઝ પ્લે ઝોન, ૧૬ ફ્લાયબ્રેરિઝ અને ૮ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કનું પણ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 1980   |  
ઐતિહાસિક સફળતા: એક દાયકા બાદ કચ્છમાં ઘોરાડના બચ્ચાનો જન્મ થયો

ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ સફળતા મળી છે. કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ -ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતાં કહ્યું કે, ગુજરાત વન વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાસિલ કરી છે. આ સફળતા બદલ કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પર્યાવરણ મંત્રાલય, ગુજરાત, રાજસ્થાન અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસોને બિરદાવીને એક્સ પર માહિતી આપીને અભિનંદન પાઠવ્યા હતા. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો જણાવતાં કહ્યું હતું કે, આ સફળતા પાછળ ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ‘ નામની અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૧માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘોરાડ પક્ષીઓના કુદરતી રહેઠાણોના સંરક્ષણ માટે રજૂ કરવામાં આવેલા વિઝનને અનુરૂપ વર્ષ ૨૦૧૬માં ‘પ્રોજેક્ટ જીઆઇબી શરૂ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના સેમ અને રામદેવરા ખાતે સ્થાપિત બ્રીડિંગ સેન્ટરોમાં પક્ષીઓની સંખ્યા વધીને હવે ૭૩ સુધી પહોંચી છે. રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લેવામાં આવ્યું. પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં આ ઈંડાને ૧૯ કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. તા. ૨૨ માર્ચના રોજ કચ્છની માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને બદલે આ ફલિત ઈંડું મૂકવામાં આવ્યું. માદા ઘોરાડ દ્વારા આ ઈંડાનું કુદરતી રીતે સેવન કરવામાં આવ્યું અને તા. ૨૬ માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો. હાલમાં ફિલ્ડ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને તેના બચ્ચાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો, વન વિભાગના અધિકારીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે આ એક ગર્વની ક્ષણ છે, જે ભારતના વન્યજીવ પર્યાવરણ જતન સંકલ્પને વધુ દૃઢ બનાવે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 2079   |  
કેસર કેરીનું બજારમાં આગમન: પણ આ વર્ષે રસનો આસ્વાદ મોંઘો બનશે

ગત વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીના ભાવમાં ૨૦ ટકાનો નોંધપાત્રો વધારો થયો છે. અમદાવાદના નરોડા ફ્રૂટ બજારમાં રત્નાગિરિ કેસર કેરીના ભાવ ૩૦૦થી ૪૦૦ રૂપિયા છે તો તો ઉના,તલાળાની કેસર કેરીના ૨૦૦-૨૫૦ રૂપિા પ્રતિ કિલો ભાવ બોલાઇ રહ્યો છે. નોંઘનિય છે કે માવઠાના અને મીની વાવાઝોડાના કારણે કાચી કેરી ખરી ગઇ હોવાથી ઘણું નુકસાન થયું છે. હજુ પણ આગામી દિવસોમાં માવઠાનું જાેખમ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગે ૨૯થી ૩૧ માર્ચ સુધી ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં ૨૯ માર્ચથી વાતાવરણમાં પલટો આવશે. આના કારણે ફરી કેરીના પાકને પારાવાર નુકસાન થાય તેવી ભિતી સેવાઇ રહી છે. જેના કારણે કેરીના ભાવ વધી પણ શકે છે. નોંધનિય છે કે, ગીર સોમનાથના કેસર કેરીના ગઢ ગણાતા તાલાલામાં જાેરદાર પવન અને માવઠાથી ભારે નુકસાન. પવનના કારણે આંબા પરથી મોટા પ્રમાણમાં કાચી કેરી (ખાખડી) જમીન પર ખરી પડી હતી.બગીચાઓમાં ભેજ વધતા ફળમાખી, મધિયો અને થ્રિપ્સ જેવા રોગોનો ઉપદ્રવ વધ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં, જે કેસર કેરીના ગઢ તરીકે આખી દુનિયામાં ઓળખાય છે, ત્યાં થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદ (માવઠા) અને જાેરદાર પવનને કારણે બાગાયતી ખેડૂતોને મોટો ઝાટકો લાગ્યો છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
30, માર્ચ 2026 1881   |  
ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું!

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગામી 20 દિવસ માટે રાજ્યમાં કમોસમી વરસાદ, તોફાની પવન અને વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે અને ખેડૂતો તથા નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 2079   |  
હરણી ભીડભંજન મંદિરનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ

આગામી ૨ એપ્રિલના રોજ હનુમાન જયંતી છે, ત્યારે વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ ભીડ ભંજન હનુમાન મંદિર ભારતનું પહેલુ હનુમાન મંદિર હોવાનો દાવો મંદિરના મહંતે કર્યો છે. આ માટે તેઓએ સતત ૭ વર્ષ સુધી રામચરિત માનસ અને સ્કંદપુરાણ સહિતના ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આજે ૨૯ માર્ચે મંદિરના મહંત હર્ષદગિરી ગોસ્વામીએ ભીડ ભંજન હનુમાન મંદિર ભારતનું પહેલુ હનુમાન મંદિર હોવાની જાહેરાત કરી છે.સ્કંદપુરાણનાવ વિશ્વામિત્ર મહાત્મ્યમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોના જેષ્ઠ ભ્રાતા યુદ્ધીષ્ઠિર વચ્ચેના સંવાદમાં વડોદરાના હરણી સ્થિત હનુમાનજીની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રામચરિત માનસના બાલકાંડમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સાથે ભગવાન રામજીની આજ્ઞાથી હનુમાનજી અહીં બિરાજ્યા હોવાનું પણ મહંતે જણાવ્યું છે. હરણી રોડ પર આવેલ ભીડ ભંજન હનુમાનજી મંદિરના મહંત હર્ષદગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ભારતનું સૌપ્રથમ મંદિર હોવાની જાહેરાત હું પુરાણો અને શાસ્ત્રોના મત મુજબ કરી રહ્યો છું. ૭ વર્ષના અભ્યાસ પછી આ સિદ્ધ થયું છે. ભારતભરમાં હનુમાનજીના અનેક નાના-મોટા મંદિરો છે અને દરેકની પોતાની વિશેષતા અને પૂજનીયતા છે. પરંતુ હરણીમાં બિરાજમાન આ ‘ભીડભંજન હનુમાનજી’ કંઈક અલગ છે. શિવના અગિયારે-અગિયાર રુદ્ર જેમાં સમાયેલા હોય અને અગિયાર રુદ્રના ઈશ્વર તરીકે જાે કોઈ બિરાજમાન હોય, તો આ ભારતનું પહેલું મંદિર છે મદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવે છે અથવા તે સ્વયંભૂ હોય છે, પરંતુ અહીં તો રામજીની આજ્ઞાનું પાલન કરીને હનુમાનજી અહીં સ્થાપિત થયા છે. રામચરિત માનસમાં પણ તેનો ઉલ્લેખ છે. “સિર ધરિ આયસુ કરિહુ તુમ્હારા, પરમ ધર્મ યહ નાથ હમારા”. જ્યારે હનુમાનજીએ રામજીની આજ્ઞા સ્વીકારી ત્યારે તેમની મુદ્રા કેવી હતી? એક હાથ મસ્તક પર અને એક હૃદય પર આ એ જ મુદ્રામાં બિરાજમાન મનુષ્ય રૂપી હનુમાનજી છે. ભગવાન શિવના મૂળ સ્વરૂપનો શ્રૃંગાર મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર અમારી ખુશી વ્યક્ત કરવા માટે અમે ભગવાન શિવના મૂળ સ્વરૂપનો શૃંગાર તૈયાર કરાવ્યો છે. આ કાપડના વસ્ત્રો નથી, પણ ડાયમંડ અને જડતરથી બનેલો દિવ્ય શૃંગાર છે. ભક્તોનો ભાવ એટલો મોટો છે કે તેની કિંમત તો નાની લાગે. આ શૃંગાર રાજકોટમાં અમિતભાઈ અને પ્રદીપભાઈ સોની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 2079   |   વડોદરા   |  
માંજલપુરનો યુવાન લાંછનપુરમાં ડૂબી જતાં લાપતા

સાવલી તાલુકાના લાંછનપુરા ગામે મહિસાનગર નદીમાં ચાર મિત્રો સાથે નહાવા ગયેલો યુવક પાણીમાં તણાઈ જતાં ચકચાર મચી ગઇ હતી,તેને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.જાે કે મોડી સાંજ સુધી તેનો મૃતદેહ મળ્યો ન હતો.સાવલી તાલુકા ના લાછનપુરા ગામે પસાર થતી મહીસાગર નદી માં વડોદરા થી ચાર મિત્રો સાથે આવેલો યુવક નાહવા પડતા પાણી માં ગરકાવ થઈ તણાઈ ગયો હતો બનાવની જાણ સાવલી પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી યુવકની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે , પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાવલી તાલુકાના લાંછનપુરા ગામે તેવામાં આજરોજ બપોરના સમયે સંતોષ ડી. કોકરે ઉમર આશરે ૨૦ રહે માંજલપુર અલવાનાકા વડોદરા પોતાના ચારથી પાંચ મિત્રો સાથે નાહવા આવ્યો હતો અને મહિસાગર નદીમાં તણાયો હતો.પોતાના ચાર મિત્રો સાથે નદીમાં નહાવા આવ્યો હતો અને ન્હાતી વેળાએ ઊંડા પાણીના પ્રવાહમાં ગરકાવ થયો હતો બનાવના પગલે સાથી મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તણાઈ ગયેલા યુવકની શોધખોળ આદરી હતી અને ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ડુબેલા યુવાન ની શોધખોળ શરૂ કરી હતી અને સમગ્ર નદીમાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું આ લખાય છે ત્યાં સુધી હજી સુધી યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી પ્રાથમિક વિગતો મુજબ યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને નવલખી મેદાન પર રમીને સાવલી ખાતે મહીસાગર નદીમાં નાહવા આવ્યા હતા અને આ બનાવ બન્યો હતો પ્રાથમિક વિગતો મુજબ મૃતક સહિત બે ભાઈ અને એક બહેન પરિવારના સભ્યોમાં છે તેવામાં બનાવની જાણ પરિવાર ચિંતામાં ગરકાઈ ગયું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 2574   |   વડોદરા   |  
વિદ્યાર્થિનીના એલસીમાં ફેરફાર કરનાર વિબગ્યોર સ્કૂલના સંચાલક સામે ફરિયાદ

માતા-પિતા વચ્ચે ચાલતા વિવાદના કારણે હાલમાં માતા સાથે રહેતી વિબગ્યોર સ્કુલની બે વિદ્યાર્થિનીઓના તેઓના પિતાની જાણ બહાર સ્કુલની એલસીમાં પિતાનું નામ કાઢી નાખી તેમાં માતાની અટક લખી હતી. આ મુદ્દે પિતાએ સ્કુલ સંચાલકો સામે વાંધો લઈ પોતાની બંને પુત્રીના એલસીમાં પિતાનું નામ અને અટક લખવા માટે જાણ કરી હતી પરંતું સ્કુલ સંચાલકોએ પિતાની વાતને નહી ગણકારતા આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પિતાની લડતના અંતે કોર્ટે સ્કુલ સંચાલકની ગેરરીતીને ધ્યાને લેતા આ બનાવની પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો જે બાદ પિતાએ વિબગ્યોર સ્કુલના મુખ્ય સંચાલક અને બંને પુત્રીઓની માતા વિરુધ્ધ અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.મુળ દિલ્હીના વતની અને હાલમાં ગોત્રી વિસ્તારના પ્રિન્સ વિલામાં રહેતા ૪૪ વર્ષીય અભિષેક અશોકકુમાર મિશ્રાએ અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘ ગત ૨૪-૦૧-૨૦૧૧માં મારુ શહેરના ફતેગંજ વિસ્તારની જયેશ કોલોનીમાં રહેતી અંકિતા ઘનશ્યામલાલ ચૈાહાણ સાથે લગ્ન થયું હતું અને તેના થકી અમારી શગુન અને શુભ નામે બે પુત્રીઓ છે. ગત ૧૪-૦૧-૨૦૧૫ના રોજ મારી પત્ની ગુડગાંવથી મહેસાણા ખાતે દુધસાગર ડેરીના વિપુલ ચૈાધરી સાથે રહેવા માટે જતી રહી હતી. મારી બંને પુત્રીઓના જન્મ દાખલામાં તેમજ પાસપોર્ટ અને સ્કુલમાં દાખલ કરતા તેઓના પિતા તરીકે મારુ નામ અને અટક લખાવી હતી પરંતું ત્યારબાદ અંકિતા મારી સાથે ના શોભે તેવો વ્યવહાર કરી ઘરસંસારનો ત્યાગ કરી સ્વચ્છંદી રીતે જીવન જીવવા માટે મારી મરજી વિરુધ્ધ બંને પુત્રીઓને તેની સાથે મહેસાણ ખાતે લઈ ગઈ હતી. તેણે મહેસાણા સ્કુલમાં બંને પુત્રીઓને દાખલ કરી તે વખતે તેઓના નામ પાછળ મારુ નામ અટક હતી. જાેકે ત્યારબાદ અંકિતાએ બંને પુત્રીઓને મહેસાણાની ડિવાઈન ચાઈલ્ડ સ્કુલમાંથી મને જાણ કર્યા બાદ એલસી કઢાવીને વડોદરામાં બિલ રોડ પર આવેલી વિગ્બયોર સ્કુલમાં એડમિશન લીધું હતું અને તે સમયે તેણે બંને પુત્રીના અસલ નામમાં ચેડા કરી શગુન ચૈાહાણ અને શુભ ચૈાહાણ કરાવી દીધું છે. અંકિતાએ કોર્ટ હુકમ વિના કે ગુજરાત ગેઝેટમાં અરજી કર્યા વિના ગેરકાયદે ખોટા કાગળો ઉભા કર્યા છે. મારી પત્ની અંકિતા પોતાનું અને બંને પુત્રીઓના નામો જ્યારે મનફાવે ત્યારે ચૈાહાણ કરે છઅને જયારે પૈસા પડાવવા હોય ત્યારે મિશ્રા કરે છે. મહેસાણાની સ્કુલની એલસીમાં મારી બંને પુુત્રીઓના નામ શગુન અભિષેક મિશ્રા અને શુભ અભિષેક મિશ્રા હોવા છતાં વિબગ્યોર સ્કુલના પ્રિન્સિપાલે મારી બંને પુત્રીઓને એડમિશન આપતી વખતે વ્યકિતગત અને ભ્રષ્ટ ફાયદાના લીધે ગેરકાયદે દસ્તાવેજાેમાં ખોટી નોંધ કરી છે અને પુત્રીઓને ખોટા નામથી સ્કુલમાં દાખલ કરી મારી પિતા તરીકેની ઓળખાણ છુપાવવા માટે કાવત્રુ ઘડ્યું છે. આ મુદ્દે મે વિબગ્યોર સ્કુલના માલિક રૂસ્તમ કેરાવાલાનો સંપર્ક કર્યો હતો અને સ્કુલના મેનેજમેન્ટને આ મુદ્દે ફરિયાદ કરી હતી જેમાં પ્રિન્સિપાલ અને કર્મચારીઓએ મારી બંને પુત્રીઓના નામના રેકોર્ડ ઠીક કરીને મને કોપી આપી દેશે તેમ જણાવ્યું હતું. અંકિતા મિશ્રાએ બદઈરાદાપુર્વક વિબગ્યોર સ્કુલના માલિક, પ્રિન્સિપાલ અને કર્મચારીઓ સાથે મળીને છેતરપિંડી કરીને ખોટા કાગળો ઉભા કર્યા છે કારણકે અંકિતા ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલી છે. ’ વ્યથિત પિતાની ઉક્ત ફરિયાદના પગલે પોલીસે કોર્ટ આદેશ બાદ ગઈ કાલે અંકિતા અભિષેક મિશ્રા (હાલ રહે. એલ એન્ડ ટી રહેણાંક વસાહત, મગદલ્લા સુરત) અને વિબગ્યોર સ્કુલના સંચાલક રૂસ્તમ કેરાવાલા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 1782   |   વડોદરા   |  
કોંકણ રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૧૧૦ યુવકો સાથે ૫૮.૯૮ લાખની ઠગાઈ

કોંકણ રેલવે કોર્પોરેશન લી.માં કાયમી નોકરી અપાવવાના બહાને રેલવે કર્મચારી સહિતની ટોળકીએ ૧૧૦ યુવકો પાસેથી ૫૮.૯૮ લાખ જેટલી માતબર રકમ પડાવ્યા બાદ તેઓને બોગસ ઓફર લેટર આપી અને ભાંડો ફુટવા છતા નાણાં પરત નહી આપી ઠગાઈ કરતા સમગ્ર બનાવની મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.ડભોઈરોડ પર વૈષ્ણવ કુટિર સોસાયટીમાં રહેતા સુનિલ કામડીને તેમના પાડોશી ચિરંજીવ ખરાડીએ ગત નવેમ્બર-૨૦૨૫માં જાણ કરી હતી કે પ્રતાપનગર ડીઆરએમ ખાતે આવેલા વર્કશોપમાં આકાશ સંજય ચૈાહાણ (ચિરાયુનગર સોસાયટી, દંતેશ્વર) કોંકણ રેલવે કોર્પોરેશન લી.ના કોન્ટ્રાક્ટમાં સુપરવાઈઝર છે અને હાલ કોંકણ રેલવેમાં કોન્ટ્રાક્ટમાં ભરતી ચાલું છે અને જેથી તમારે નોકરી કરવી હોય તો કહેજાે આકાશ મારી ઘરે આવવાનો છે તમે તેને મળી લેજાે.  ત્યારબાદ ગત ૧લી નવેમ્બરે બપોરે સુનિલની સોસાયટીમાં આવેલા આકાશે સુનિલને પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ ખાતે વર્કશોપમાં કોંકણ રેલવે કોર્પો. લી.માં ભરતીનો ઓફર લેટર બતાવી જણાવ્યું હતું કે રેલવે વર્કશોપમાં કોંકણ રેલવેમાં કોન્ટ્રાક્ટમાં નોકરી માટે કોંકણ રેલવેના અધિકારી પવાર સાહેબને ૫૦ હજાર આપવા પડશે. સુનિલે તેની હાં પાડી ૫૦ હજાર આપ્યા હતા જે બાદ તેને ૧૦મી નવેમ્બરે ડીઆરએમ ઓફિસ પ્રતાપનગર ખાતે વર્કશોપમાં બોલાવી જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં ચાલતી કામગીરીની વિઝીટ કરવાનું કામ સોંપાયું હતુ. આ ફરજ દરમિયાન સુનિલને જાણ થઈ હતી કે તેના જેવા અન્ય ૧૦૯ યુવકોને પણ આકાશે કોન્ટ્રાકટ પર નોકરીએ રાખી કુલ ૫૮.૯૮ લાખ રૂપિયા લીધા છે. આકાશે કોંકણ રેલવેના મોટા સાહેબ સીસીટીવી કેમેરામાં જાેઈને હાજરી પુરે છે તેમ જણાવ્યું હતું પરંતુ ઓફર લેટર, આઈડી કાર્ડ આપ્યા નહોંતા. એટલુ જ નહી તેણે કોંકણ રેલવે કોર્પો.લી.ના સ્ટેમ્પ પેપર પર બોગસ ઓફર લેટર આપ્યા હતા પરંતું બે મહિના સુધી પગાર આપ્યો નહોંતો. આ ઓફર લેટર બોગસ હોવાની જાણ થતાં તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ નોકરી માટે આપેલા નાણાની પરત માગણી કરી હતી પરંતું તેમને નાણાં પાછા મળ્યા નહોંતા. આ બનાવની સુનિલે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આકાશ ચૈાહાણ અને પવાર સાહેબ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 1782   |  
આપ નેતાએ પોતાની જ કંપનીની મહિલાનું અપહરણ કરી માર માર્યો: પોલીસે અટકાયત કરી

ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલ સામે ગંભીર ગુનો નોંધાતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. હસમુખ પટેલની પોતાની જ કંપનીમાં કામ કરતી એક મહિલાએ તેમના વિરુદ્ધ અપહરણ અને શારીરિક હુમલાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે ગાંધીનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હસમુખ પટેલની અટકાયત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર મહિલા હસમુખ પટેલની કંપનીમાં ઓડિટ અને હિસાબોનું કામ સંભાળતી હતી. પોલીસ ફરિયાદ મુજબ, છેલ્લા કેટલાક સમયથી કંપનીના ઓડિટ અને હિસાબોના કામ બાબતે બંને વચ્ચે મનદુ:ખ ચાલી રહ્યું હતું. આ હિસાબી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હસમુખ પટેલે મહિલાને પાઠ ભણાવવા માટે તેનું અપહરણ કરી માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં માત્ર હસમુખ પટેલ જ નહીં, પરંતુ તેમના પરિવારના સભ્યોની સંડોવણી પણ સામે આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હસમુખ પટેલની સાથે તેમના ભાઈ હિમાંશુ પટેલ અને અન્ય બે મહિલાઓએ પણ આ ગુનામાં સાથ આપ્યો હતો. પોલીસે હસમુખ પટેલ ઉપરાંત આ તમામ લોકો સામે મેળાપીપણું કરીને અપહરણ અને મારામારી કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. મહિલા કર્મચારીની ફરિયાદ મળતા જ ગાંધીનગર પોલીસ હરકતમાં આવી છે અને હાઈપ્રોફાઈલ નેતા સામે કડક વલણ અપનાવ્યું છે. હાલ પોલીસે હસમુખ પટેલની ધરપકડ કરી આગળની પૂછપરછ શરૂ કરી છે, જ્યારે અન્ય સહ-આરોપીઓની શોધખોળ અને આ ઘટના પાછળના વધુ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી પણ તેજ બનાવી દેવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 1980   |  
દાવતે ઇસ્લામી દ્વારા અમદાવાદમાં હજ તરબિયત ઈજતેમાઅ યોજાયો

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા દાવતે ઈસ્લામી ઈન્ડિયા દ્વારા રવિવાર ના રોજ મદની મર્કઝ ફૈઝાને મદિના મિરઝાપુર અહમદાબાદ ખાતે હજ તરબિયત ઈજતેમાઅ યોજવામાં આવ્યો હતો. અત્રે પુરુષોને તાલીમબદ્ધ મુબલ્લીગો દ્વારા હજના તમામ અરકાન થીયરી અને પ્રેક્ટીકલ સાથે સમજાવવામાં આવ્યા હતા તથા મદીના શરીફની હાજરી કઈ રીતે કરવી અને કઈ રીતે અદબ જાળવવો તેની સમજણ આપવામાં આવી હતી. એજ રીતે બહેનો માટે આવો જ હજ તરબિયત ઈજતેમાઅ શનિવારના રોજ મિરઝાપુર કુરેશ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલા આલેમા દ્વારા જરૂરી સમજણ આપવામાં આવી હતી. આ બંને સ્થળે હજ અને ઉમરાહ પર જનારા ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 2079   |  
અમદાવાદમાં લારીચાલકે નાસ્તાના પૈસા માંગતા હુમલો :સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

અમદાવાદના મણિનગર રેલ્વે સ્ટેશન પાસે રાત્રે ૩ વાગ્યાની આસપાસ એક ઈડલીની લારી પર નાસ્તો કર્યા પછી પૈસા માગતા લારીચાલક સાથે અજાણ્યા શખ્સોની દાદાગીરી થતાં વિવાદ વકર્યો હતો. આ વિવાદ ઝડપથી છુટ્ટા હાથની મારામારીમાં ફેરવાઈ ગયો, જેમાં લારીચાલક અભયસિંહ પરમાર અને તેને બચાવવા આવેલા યુવક દ્રષ્ટાંત મોદીને ગડદા-પાટુ, પાઇપ અને ઢોરમાર માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને પોલીસે મારામારીમાં વપરાયેલી રિક્ષા કબજે કરી લીધી છે, જ્યારે આરોપીઓ હજુ ફરાર છે. મણિનગર પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો તેજ કર્યા છે. શહેરના મણિનગર રેલ્વે સ્ટેશનની સામે એએમટીએસ બસ સ્ટેન્ડ નજીક તેના મિત્ર અભયસિંહ પરમારની ઈડલીની લારી આવેલી છે ત્યાં રાત્રે ૩:૦૦ વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. બે અજાણ્યા શખસો તેની લારી ઉપર નાસ્તો કરી અને ઉભા થતાં અભયસિંહે પૈસા માંગ્યા હતા. જેથી, પૈસા આપવાની બંનેએ ના પાડી હતી અને ગાળા ગાળી કરવા લાગ્યા હતા. તેઓને ગાળો બોલવાની ના પાડતા તેમાંથી એક શખ્સે ફોન કર્યો હતો. બે શખ્સો આવ્યા હતા અને લારી ઉપર કારીગરને માર મારવા લાગ્યા હતા. બીજા અજાણ્યા શખસો આવ્યા હતા અને અભયસિંહને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. રિક્ષા લઈને આવેલા શખ્સોએ મારામારી કરી હતી. લોકોના ટોળા રોડ ઉપર એકત્રિત થઈ ગયા હતા. અભયસિંહને બચાવવા માટે વચ્ચે પડેલા દ્રષ્ટાંતને પણ પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. બંને ઇજાગ્રસ્ત મિત્રોને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 1683   |  
પીજીમાં જઇને પત્નીને માર મારતા પતિ અને તેની પ્રેમિકા સામે ફરિયાદ દાખલ

અમદાવાદના આંબાવાડીમાં છુટાછેડાના કેસને કારણએ પતિથી અલગ રહેતી પત્નીને પતિ અને પતિની પ્રેમિકાએ ભેગા મળીને મારી હતી . અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાબતની મહિલાએ ગુજરાતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખાનગી કંપનીમાં નોકરી કરતાં પીજીમાં રહેતા પ્રિયંકા પરીખે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના લગ્ન ૨૦૧૧માં સમાજના રીત રિવાજ મુજબ વિશાલ પરીખ સાથે થયા હતા. બંનેને બે બાળક પણ છે જે હાલમાં વિશાલ અને તેના પરિવાર સાથે રહે છે. વિશાલને છેલ્લા ૧૨ વર્ષથી વેજલપુરમાં રહેતી કિંજલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. પ્રિયંકા છેલ્લા ઘણા સમયથી પતિ વિશાલથી અલગ રહે છે અને બંનેનો છૂટાછેડાનો કેસ પણ ચાલુ છે. તેમના પીજીમાં પતિ અને તેની પ્રેમિકા પહોંચી હતી અને ઘરે કેમ આવતી નથીતેમ કહીને મારવાનું શરુ કર્યુ હતું..જાેકે પ્રિયંકાબેને બૂમાબૂમ કરતાં તેની મિત્ર આવી જતા બંને ફરાર થઇ ગયા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 1980   |  
ડિજિટલ ગુજરાતના દાવાઓ સામે કોંગ્રેસે અનેક સવાલો ઉભા કર્યા

ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતા “ડિજિટલ ગુજરાત”ના મોટા-મોટા દાવાઓ સામે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ગંભીર સવાલો ઉઠાવતા રાજ્યની શિક્ષણ પ્રણાલી પર પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના આ આધુનિક યુગમાં પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટ આજે પણ દાયકાઓ જૂના ફોર્મેટમાં જ આપવામાં આવી રહી છે. હેમાંગ રાવલે આ પરિસ્થિતિને “વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો સંસ્થાગત અન્યાય” ગણાવીને સરકારની નીતિ અને ઈચ્છાશક્તિ પર પ્રશ્નચિહ્ન મૂક્યું છે. તેમના મતે, જ્યારે દેશના અન્ય રાજ્યો બ્લોકચેન, ઊઇ કોડ, ડિજિટલ સિગ્નેચર  જેવી આધુનિક ટેક્નોલોજી અપનાવીને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી રહ્યા છે, ત્યારે ગુજરાત બોર્ડ હજુ પણ પેપર આધારિત જૂની અને અસુરક્ષિત પ્રણાલીમાં અટવાયેલું છે. હેમાંગ રાવલે અન્ય રાજ્યો સાથે તુલના કરતા જણાવ્યું કે, કર્ણાટક બોર્ડમાં બ્લોકચેન સિસ્ટમ દ્વારા ડેટા સુરક્ષિત કરવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્ર બોર્ડ ડિજિટલ સિગ્નેચર અને ઊઇ કોડ દ્વારા સેકન્ડોમાં ઓનલાઇન વેરિફિકેશનની સુવિધા આપે છે. સીબીએસઈ અને એનઆઈઓએસ જેવા બોર્ડ ડીજીલોકર ઇન્ટિગ્રેશન સાથે વૈશ્વિક સ્વીકૃતિ ધરાવે છે, પરંતુ ગુજરાત બોર્ડની માર્કશીટમાં હજુ પણ વિદ્યાર્થીનો ફોટો, ઊઇ કોડ, જન્મ તારીખ કે માતાના નામનો અભાવ જાેવા મળે છે. આ ટેકનોલોજીકલ પછાતપણાના કારણે રાજ્યના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કે નોકરી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં લાંબો સમય લાગે છે અને ઘણીવાર ફેક માર્કશીટ કે ડોક્યુમેન્ટ ફ્રોડની સંભાવનાઓ પણ વધી જાય છે. ડિજિટલ સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને અનાવશ્યક સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે અને આર્થિક બોજ સહન કરવો પડે છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 1089   |  
યાર્ન અને કોલસાનાં ભડકે બળતાં ભાવોની સમસ્યાઓનું કોઇ સમાધાન નહીં

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રવિવારે સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને એકત્રિત કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઉદ્યોગોને શું તકલીફો પડી રહી છે એનું નિરાકરણ લાવી આપવા માટે કવાયત હાથ ધરી. મિટીંગ પૂર્ણ થઇ ત્યારે સુરતના ઉદ્યોગકારોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાણે ઓન ધ સ્પોટ પ્રશ્નો ઉકેલી નાંખ્યા એવી વાહવાહી કરતા વિડીયો સોશ્યલ મિડીયામાં ફરતા કર્યા જેનાથી ટેક્સ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ભાગના લોકોને આશ્ચર્ય થયું કેમકે કાપડ ઉદ્યોગને સ્પર્શતી બે મોટી સમસ્યાનું તો કોઇ સમાધાન સધાયું જ નથી. મિટીંગ પછી ઉદ્યોગકારોએ મને-કમને પણ વાહવાહી કરતાં નિવેદનો આપવા પડ્યા હતા.કોલસાની સમસ્યાનું નક્કર કોઈ નિરાકરણ નહીં કોલસાનાં ભડકે બળતા ભાવો અંગે શું ર્નિણય લેવાયો એ અંગે સરકારી પ્રેસનોટમાં કોઇ જ ફોડ પાડવામાં આવ્યો ન હતો. સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને કોલસાના ભડકે બળતા ભાવોને કારણે સપ્તાહમાં બે દિવસ મિલો બંધ રાખવાનો ર્નિણય અમલમાં મૂકી દીધો છે. મિટીંગમાં પ્રોસેસર્સ એશોસીએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારીયા એટલું બોલ્યા કે કોલસાના ભાવો અંગે સરકારી અધિકારીઓ સાથે મિટીંગ થઇ છે પરંતુ, એ મિટીંગ પછી ટેક્ષટાઇલ પ્રોસેસર્સ કે મિલોના સંચાલકોને ક્યાંથી કોલસો મળશે, કેટલા ભાવે કોલસો મળશે, ક્યારે કોલસો મળશે, કેવી રીતે મળશે એ અંગેની કોઇ જ જાણકારી માહિતી ખાતાની કે સરકારી પ્રેસનોટમાં આપવામાં આવી ન હતી. યાર્નનાં બેફામ ભાવ વધારા અંગે કોઈ ચર્ચા પણ નહીં પશ્ચિમ એશિયામાં ઇરાન વિરુદ્ધ અમેરીકા-ઇઝરાયેલ વચ્ચે જેવું યુદ્ધ ફાટી નીકળ્યું તેના ત્રીજા જ દિવસે શહેરના યાર્ન ઉત્પાદકો, યાર્ન વિતરકોએ પોલીએસ્ટર, નાયલોન અને વિસ્કોસ યાર્નના ભાવોમાં તોતિંગ વધારો કરી દીધો. આખા દેશમાં સૌથી મોટો વીવીંગ ઉદ્યોગ સુરતનો છે અને તેની મુખ્ય સમસ્યા યાર્નના ભડકે બળતા ભાવોની છે. આ સમસ્યા અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવેલી બેઠકમાં કોઇ ચર્ચા જ ન થઇ અને ઉદ્યોગકારોએ પણ કોઇ ચર્ચા કરી નહીં. જે લોકો યાર્નના ઉત્પાદકો છે એ પણ સુરતના જ છે અને કોઇપણ જાતની મિકેનિઝમ વગર યાર્ન ઉત્પાદકોએ કુત્રિમ રીતે અછત ઉભી કરીને યાર્નના ભાવો મનસ્વી રીતે વધારી દીધા છે. મધર યાર્નના ઉત્પાદકોએ તો મનસ્વી રીતે ૧૦મી માર્ચ પહેલા જેમણે એડવાન્સ ઓર્ડરો આપી દીધા હતા તેમના ઓર્ડરોને પણ ગેરકાનૂની રીતે હોલ્ડ પર મૂકી દીધા છે. રાજ્ય સરકાર ઇચ્છે તો અનેક મુદ્દાઓ પર બ્લેકમાર્કેટિંગના કેસ સ્પીનર્સ કે યાર્ન વિતરકો પર કરી શકે તેવા સંગીન કારણો છે. પરંતુ, આ મુદ્દા પર હર્ષ સંઘવીની બેઠકમાં કોઇ જ ચર્ચા થઇ ન હતી જેને કારણે સુરતના વીવીંગ ઉદ્યોગકારોમાં આ મિટીંગ અંગે અનેક ખરીખોટી ચર્ચાઓને સ્થાન મળ્યું હતું. ૫ કિલોનાં સિલિન્ડરની વ્યવસ્થા કરાશે પણ કોણ વિતરણ કરશે, કોને અપાશે, કેવી રીતે અપાશે, ક્યાંથી અપાશે એની હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી ત્રીજાે મહત્વનો મુદ્દો એ છે કે સુરતમાંથી વતન વાપસી કરી રહેલા પરપ્રાંતિય શ્રમજીવીઓને સુરતમાં રસોઇ બનાવવામાં પડી રહેલી ઇંધણની સમસ્યા નિવારવા માટે ૫ કિલોના ગેસ સિલિન્ડર આપવાની ઘોષણા થઇ અને એ અંગે મોટા ઉપાડે જાહેરાત પણ કરવામાં આવી છે. ગેસ સિલિન્ડર એવી વસ્તુ છે કે જેના ઇનવર્ડ અને આઉટવર્ડ રજિસ્ટર નિભાવવા પડે છે. શ્રમજીવીઓને કેવી રીતે સિલિન્ડર આપવામાં આવશે, તેનું વિતરણ કોણ કરશે, ક્યારથી સિલિન્ડર વિતરણ કરાશે એ અંગે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આવી સ્થિતિમા મિલ માલિકો કે કારખાનેદારો પોતાના શ્રમજીવીઓને શું જવાબ આપવો એ અંગે માથું ખંજવાળતા જાેવા મળ્યા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 2673   |  
મનપાની ચૂંટણી પૂર્વે સુરતમાં મેટ્રો રેલની પ્રથમવાર ટ્રાયલ રન

સુરત શહેરના લોકો છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સુરત શહેરમાં આગામી નજીકના દિવસોમાં મેટ્રો ટ્રેનની ઝડપ જાેવા મળે તેવી શક્યતા છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ હવે હકીકત બનવા તરફ એક મોટું પગલું આગળ વધી રહ્યો છે. સુરત મેટ્રોમાં ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના ૮.૫ કિ.મી.ના વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સાથે સાથે આ લંબાઈમાં ટ્રેનનું ટ્રાયલ શરૂ કરાયું છે. આ ટ્રાયલ સાથે શહેરને આધુનિક, ઝડપી અને સુવિધાસભર જાહેર પરિવહન વ્યવસ્થા મળવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે એક તરફ પાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે જ મેટ્રોનું પ્રથમ ટ્રાયલના કારણે લોકોમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીના પડઘમ પણ વાગી ગયા છે. ભાજપ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનું પ્રભુત્વ જમાવવા એનકેન પ્રયાસો કરશે. જાેકે ભાજપ સુરત શહેરના વિકાસ અને મહત્વના પ્રોજેક્ટો શહેરીજનો બતાવી પોતાનો પ્રચાર, પ્રસાર કરશે. ગત તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૨૧થી મેટ્રો રેલની કામગીરીના શ્રીગણેશ થયા હતા. ૪૦.૪૫ કિમીના બે રૂટ પર તબક્કાવાર મેટ્રો રેલ દોડશે. જેમાં ડ્રીમ સિટીથી સરથાણા (ડાયમંડ કોરિડોર) અને સારોલીથી ભેંસાણ (ટેક્સટાઈલ કોરિડોર) છે. ૫ વર્ષથી મેટ્રોની ચાલી રહેલી કામગીરીને કારણે શહેરીજનો હવે હાય તોબા પોકારી ઊઠ્યા છે. મેટ્રોના કારણે લોકોને અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે, અનેક લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે હવે આ પ્રોજેક્ટ શરૂ થાય તેની શહેરીજનો કાગડોળે રાહ જાેઈ રહ્યા છે. જેથી આ સમસ્યાનો કોઈ અંત આવે, પરંતુ મેટ્રોના સત્તાધીશોના જણાવ્યા અનુસાર જૂન ૨૦૨૬ સુધીમાં મેટ્રો ફુલફ્લેઝમાં શરૂ થઈ જશે તેમ જણાવ્યું છે. આ તારીખ બાદ મેટ્રોના શુભારંભ માટે નવી કોઈ તારીખ ના આવે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે. સુરત મેટ્રો ટ્રેનના ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના ૮.૫ કિ.મી.ના વાયડક્ટનું કાર્ય પૂર્ણ થયું છે. સાથે સાથે આ રૂટમાં ટ્રેનની ટ્રાયલ પણ શરૂ કરવામાં આવી છે. જ્યારે ટ્રેક બિછાવવાનું તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આમ હવે સુરતીઓને ટૂંક સમયમાં મેટ્રો મળી જશે. મેટ્રોના કુલ સાત સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ પૂર્ણ થયું છે અને એન્ટ્રી એક્ઝિટ સ્ટ્રક્ચર તથા ફિનિશિંગના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થયેલી છે. આ ટ્રાયલમાં ટ્રેન રન આશરે ૫૦૦ કલાકનો કરવામાં આવતો હોય છે અને તેની સર્વે ચકાસણી કરવાની હોય છે. જેની આજના ટ્રાયલ રનથી શરૂઆત થઈ છે. ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના ૮.૫ કિલોમીટર લાંબા વાયડક્ટનું કામ પૂર્ણ થતાં સુરત મેટ્રો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ર્નિણય પર પહોંચી ગયો છે. સુરતમાં આજે ૮.૫ કિલોમીટર લાંબા વાયડક્ટ રૂટ પર ટ્રાયલ રન પુરો થતા સુરતમાં ઝડપી મેટ્રો દોડતી જાેવા મળે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. જેના કારણે સુરતીઓમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ૫૦૦ કલાકની કડક ટેક્નિકલ અને સલામતી ચકાસણી થયા બાદ સુરતવાસીઓને આધુનિક, ઝડપી અને સુવિધાસભર મેટ્રો સફરની ભેટ મળવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.સુરતની મેટ્રો ડ્રાઈવરલેસ ટ્રેન ઓપરેશન સિસ્ટમથી ચાલશે સુરત મેટ્રો ટ્રેનની વિશેષતાએ છે કે, દરેક ટ્રેન ૩ કોચની બનેલી હશે. ટેકનોલોજી એવી છે કે આ ડ્રાઈવરલેસ ટ્રેન ઓપરેશન સિસ્ટમથી ચાલશે અને તેની સ્પીડ પ્રતિ કલાક ૮૦ કિ.મી.ની હશે. તમામ ટ્રેનો સીસીટીવી કેમેરા, ફાયર ડિટેક્શન સિસ્ટમ અને રિયલ-ટાઇમ મોનિટરિંગ ટેકનોલોજીથી સજ્જ હશે. સુરત મેટ્રો રેલના કોચ ગુજરાત અને સુરતની સંસ્કૃતિ અને સુરતની ઓળખ સમાન ઉદ્યોગોને ધ્યાને રાખીને ઇન્ટિરિયર કરવામાં આવનાર છે. ડાયમંડ શેપ, ગરબા, ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ વગેરેની થીમ સાંકળી લેવાય તેવું આયોજન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 2079   |  
બળાત્કાર - લૂંટના ત્રણ કેસમાં ૨૬ વર્ષથી વોન્ટેડ બદમાશ કર્ણાટક બોર્ડરથી પકડાયો

પરવત પાટિયા વિસ્તારમાં ૨૬ વર્ષ અગાઉ બનેલા બળાત્કાર અને લૂંટના ત્રણ ગુનામાં વોન્ટેડ એવા બદમાશને લિંબાયત પોલીસ મહારાષ્ટ્ર અને કર્ણાટક બોર્ડરે આવેલા જંગલ વિસ્તારમાંથી પકડી લાવી છે. ડીસીપી કાનન દેસાઇએ જણાવ્યું હતું કે, લિંબાયત પોલીસ સ્ટેશનમાં ઓગષ્ટ ૨૦૨૩માં બળાત્કાર અને લૂંટનો ગુનો નોંધાયો હતો. પરવત પાટિયા વિસ્તારના ખેતરમાં રહેતા શ્રમજીવી પરિવારને બદમાશોએ નિશાન બનાવ્યું હતું. પુરુષને માર મારી મહિલા પર બળાત્કાર ગુજારી ચાર બદમાશોએ રોકડ, ચાંદીના સાંકળા, સોનાની ટીચણી, નથણી વિગેરેની લૂંટ ચલાવી હતી. આ કેસમાં પોલીસે બે લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતાં. જેમની તપાસમાં વર્ષ ૨૦૦૦-૦૧માં થયેલી લૂંટના બીજા બે ગુનાઓ પણ ડિટેક્ટ થયા હતાં. લૂંટ બળાત્કારના ગુનામાં સુનુલ ઝૂંબર કાળે (રહે, સાંગલી, મહારાષ્ટ્ર)નું નામ પણ ખુલ્યુ હતું, જે તે સમયે પોલીસે તેના વતન સહિતના સ્થળોએ તપાસ કરી પરંતુ તે મળ્યો ન હતો. ૭૦ મુજબ પકડ વોરંટ મેળવી વોન્ટેડ જાહેર કરાયેલા સુનિલના માથે ૪૫ હજારનું ઇનામ પણ જાહેર કરાયું હતું. આટલા પ્રયત્નો છતાં ૨૬ વર્ષથી નહીં પકડાયેલા સુનિલને શોધી કાઢવા માટે લિંબાયત પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના કોન્સટેબલ સાજણ કાનાભાઇ તથા યુવરાજસિંહ રાજુભાઇ એ કવાયત શરૂ કરી હતી. આ બંને પીએસઆઇ ચૌધરી સાથે મહારાષ્ટ્રના સાંગલી જીલ્લાના પાચવા મૈલ ખાતે પહોંચ્યા હતાં. તેમણે વેશ પલટો કરી સ્થાનિક રહેવાસીઓમાં ભળી જઈ સુનિલ અંગે માહિતી મેળવી હતી. જેમાં તે કર્ણાટક બોર્ડર પાસે આવેલ સાંગલી જીલ્લાના જંગલ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આ પોલીસ કર્મચારીઓ વેશ પલટો કરી પાંચ દિવસ મહારાષ્ટ્ર અને કર્ણાટક બોર્ડરના ગામડાઓમાં ફર્યા હતાં. જ્યાં સતત વોચમાં રહયા અને આખરે સુનિલને ઝડપી પાડવામાં સફળતાં મેળવી હતી. આ કેસમાં રોહિત શ્યામરાવ ભોસલે રહે, ૪૨૫, આંનદનગર સો.નવાગામ ડીડોલી સુરત મુળ. સુપાગામ તા.બારામતી પુણે મહારાષ્ટ્ર) હજી નાસતો ફરતો હોવાનું જાણવા મળે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 2178   |  
યાર્નના ભડકે બળતાં ભાવ અને લેબર શોર્ટેજનાં મુદ્દે સુરતનો વણાટ ઉદ્યોગ આજે રણનીતિ નક્કી કરશે

દૈનિક ૬ કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતા સુરતના વણાટ (વીવીંગ) ઉદ્યોગની એક મહત્વપૂર્ણ મિટિંગ આજે સાંજે ૪થી ૬ દરમિયાન ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસીએશનના નેજા હેઠળ મળી રહી છે. આ મિટીંગ એટલા માટે મહત્વપૂર્ણ પુરવાર થશે કે પશ્ચિમ એશિયામાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધને કારણે સુરતના વણાટ ઉદ્યોગને સૌથી માઠી અસર પહોંચી છે અને એક મહિના લંગડાય રહેલા વીવીંગ ઉદ્યોગે હવે પછી શું કરવું એ અંગેનો ર્નિણય આજે મળનારી બેઠકમાં લેવાશે, જે સુરતમાં હજારો વીવીંગ કારખાનેદારો માટે ભાવિ રણનીતિ હશે. ફોગવાના પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે યુદ્ધ ફાટી નીકળ્યું તેના ત્રીજા જ દિવસથી નાયલોન, પોલિએસ્ટર, વિસ્કોસ યાર્નના ભાવોમાં વધારો કરવામાં આવ્યો અને એ એટલી હદે કે જેમ જેમ ક્રુડના ભાવ વધે તેમ તેમ સ્થાનિક બજારમાં યાર્નના ભાવ વધારી દેવામાં આવ્યા છે. આજે સરેરાશ ૪૦ ટકા જેટલા યાર્નના ભાવ વધી ગયા છે. વીવીંગ કારખાનેદારો માટે યાર્ન મુખ્ય રો મટિરિયલ છે અને તેમાંથી જ ગ્રે કાપડ કે ફિનિશ્ડ કાપડનું ઉત્પાદન થાય છે. યાર્નના અસહ્ય ભાવ વધારાની સમસ્યા વકરવાની સાથે શ્રમજીવીની અછતનો મુદ્દો પણ વીવીંગ ઉદ્યોગ માટે હવે વિકરાળ બન્યો છે. લેબર શોર્ટેજને કારણે મોટા ભાગના કારખાનાઓમાં નાઇટ શીફ્ટમાં ઉત્પાદન બંધ થઇ ચૂક્યું છે. આ બે મુદ્દાઓ પર શું કરવું એ અંગે વિતેલા સપ્તાહે ફોગવાએ કારખાનેદાર સભ્યો પાસેથી સેન્સ મગાવ્યો હતો અને એ સેન્સ મેળવવાની પ્રક્રિયામાં ૮૫ ટકા કારખાનેદારોએ ઉત્પાદન કાપ કરીને થોડા દિવસ ઉદ્યોગને રેસ્ટ આપવાના સૂચનો કર્યા છે. ફોગવા પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાએ જણાવ્યું કે આવતીકાલ સોમવાર તા.૩૦મી માર્ચે સાંજે ૪થી ૬ વાગ્યા દરમિયાન રઘુવીર સ્કાર્લેટ માર્કેટ, ડીએમડી રોડ, સારોલી મુકામે ફોગવાની આગેવાની હેઠળ વીવીંગ કારખાનેદારોની મિટીંગ યોજાઇ રહી છે જેમાં ફેડરેશન ઓફ ગુજરાત વિવર વેલ્ફર અસ્સોશિયેશન, રેપિયર જેકાડ વિવર એસોસિએશન, સુરત એરજેટ વિવર એસોસિએશન, વોટરજેટ વિવર્સ એસોસિએશન, લસકાણા વિવર એસોસિએશન, કિમ પીપોદરા વિવર્સ એસોસિએશન, બમરોલી વિવર્સ એસોસિએશન, પાંડેસરા વિવર્સ એસોસિએશન, જોળવા વિવર્સ એસોસિએશન, સચિન હોજીવલા એસોસિએશન, પરબ-ઉભેલ વિવર એસોસિએશન, સાયણ વિવર એસોસિએશન સહિત અન્ય સંગઠનોના અંદાજે ૪૦૦૦ થી વધુ વિવીંગ કારખાનેદારો એકત્રિત થઇને ભાવીિ રણનીતિ નક્કી કરશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 1782   |   સુરત   |  
લીંબાયતમાં બળાત્કારનાં આરોપી આસારામની શોભાયાત્રા નીકળી, ભગવાન સાથે સરખામણી કરાતાં વિવાદ

બળાત્કાર જેવા ગંભીર ગુનામાં સજા ભોગવી રહેલા આરોપી આસારામ બાપુને હાલમાં જામીન પર બહાર રાખવામાં આવ્યા છે. જાેકે તેઓ બહાર આવતાની સાથે જ શહેરમાં વિવાદાસ્પદ કાર્યક્રમો પણ થઇ રહ્યા છે. થોડા સમય પહેલા જ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ આસારામના ફોટા મૂકી તેમની આરતી કરવામાં આવતા વિવાદ ઉભો થયો હતો. ત્યાં આજે લીંબાયત વિસ્તારમાં તેમની શોભા યાત્રાને કારણે વધુ એક વિવાદ ઉભો થવા પામ્યો છે. આગામી તારીખ ૮ એપ્રિલના રોજ બળાત્કારના આરોપી આસારામનો જન્મદિવસ હોવાથી ભક્તો દ્વારા લિંબાયત વિસ્તારમાં નીલગીરી સર્કલ પાસે આવેલ સંજયનગર પાસેથી તેમની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ભક્તોએ આસારામના ફોટા સાથે ભગવાન શ્રીરામ તથા હનુમાનજી સહિત અન્ય ભગવાનના ફોટાઓ સાથે રાખીને આસારામની સરખામણી ભગવાન સાથે કરતા વિવાદ ઊભો થવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિડીયો વાયરલ થતાં અન્ય લોકોની લાગણી દુભાય છે અને શોભાયાત્રા કાઢનાર તથા બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપીને ભગવાન સાથે સરખામણી કરનાર લોકો સામે સખ્ત કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution