ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 1881   |  
જૂનાગઢના ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે ધર્મસભા અને રેલી યોજવામાં આવી

જૂનાગઢ ખાતે આવેલ ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે આજે વિશાળ ધર્મસભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. ગિરનારની પવિત્રતા અને પરંપરાગત વારસાને જાળવવા માટે સૌએ એકસ્વરે અવાજ ઉઠાવ્યો અને વહીવટી તંત્ર સામે પોતાની ચિંતા વ્યક્ત કરી. આ સભાની ખાસ વાત એ રહી કે, અલગ-અલગ અખાડા અને સંપ્રદાયોના સંતોએ પોતાના મતભેદોને બાજુએ રાખીને એક મંચ પર આવી એકતાનું પ્રદર્શન કર્યું. કાર્યક્રમ દરમિયાન ગિરનાર ક્ષેત્રમાં થતી કથિત અતિક્રમણ પ્રવૃત્તિઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને તેના વિરુદ્ધ પગલાં લેવા માંગણી કરવામાં આવી. આ પ્રસંગે ગિરનારના રક્ષણ માટે એક સંગઠિત સમિતિ રચવાનો ર્નિણય લેવાયો. સાથે જ, સંબંધિત સત્તાધિકારીઓને રજૂઆત કરી એક મહિનાની અંદર યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. જાે સમયસર નિરાકરણ નહીં આવે તો આગળ વધુ આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી. સંતોએ પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો. તેમના કહેવા મુજબ, ગિરનાર આસપાસના જંગલ વિસ્તારમાં કેટલીક જગ્યાએ નિયમોના ઉલ્લંઘન સાથે બાંધકામ થઈ રહ્યું છે, જેને અટકાવવાની જરૂર છે.દુર્લભ અને ઔષધિય વૃક્ષોની સુરક્ષા તથા કુદરતી સંપત્તિને જાળવી રાખવાની માંગ પણ ઉઠાવવામાં આવી. આ ઉપરાંત, ગિરનાર વિસ્તારમાં નવી બાંધકામ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ, બિનઅધિકૃત રચનાઓ દૂર કરવી અને પવિત્ર સ્થળોની મૂળ સ્થિતિ જાળવી રાખવા માટે યોગ્ય પગલાં લેવા કહેવામાં આવ્યું. ધાર્મિક સ્થળો સાથે જાેડાયેલી સંસ્થાઓને આવતી મુશ્કેલીઓ દૂર કરવા અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી. શ્રદ્ધાળુઓ માટે પાણી, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો. તેમજ, ગિરનાર સાથે જાેડાયેલા ધાર્મિક મેળાઓને વિશેષ માન્યતા આપવા અને વધુ સગવડો ઊભી કરવાની માંગ કરવામાં આવી. આ કાર્યક્રમને સ્થાનિક વેપારીઓએ પણ સમર્થન આપ્યું હતું. અંતે, સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જાે સરકાર દ્વારા યોગ્ય અને સમયસર પગલાં નહીં લેવાય, તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, એપ્રીલ 2026 2376   |  
ચૂંટણીમાં વિશ્વાસ તૂટ્યો તો મારા ઘરના દરવાજા બંધ થશે : બારડ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષિત કરવા યેનકેન પ્રકારના પ્રયાસો રાજનેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગિર સોમનાથ જિલ્લાના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે. જાેકે ભગવાન બારડના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના એક નિવેદનથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સૂત્રાપાડા નજીક ગોરખમઢીમાં યોજાયેલી ભાજપની સભા દરમિયાન તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે મતદાતાઓને સ્પષ્ટ શબ્દોમાં સંદેશો આપ્યો હતો કે, મતદાન સમયે વિશ્વાસ જાળવવો ખૂબ જરૂરી છે. ધારાસભ્ય ભગવાન બારડે સભા દરમિયાન જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે છે. તેમના નિવેદનનો સાર એવો હતો કે, મતદાન સમયે કોઈ ગેરસમજ અથવા “ભૂલ” ન થવી જાેઈએ, કારણ કે તે વિશ્વાસને અસર કરી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ સમાજના સમર્થન પર આધાર રાખીને રાજકીય ર્નિણય લે છે, તેથી આ સંબંધ મજબૂત રહેવું જરૂરી છે. આ સાથે તેમણે આહીર સમાજના લોકોને મતદાનમાં ભૂલ ન કરવા કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઇ જશે. ભરોસો તોડનાર વ્યક્તિને હું નહીં સ્વીકારું, અમે તમારા વતી કોઈકને ભરોસો આપીને બેઠા છીએ એટલે તમારો અને મારો વિશ્વાસ ન તૂટે એનું ધ્યાન રાખજાે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 3069   |  
ઉત્તરપ્રદેશથી ૧૦૦૦થી વધુ શ્રદ્ધાળુ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરશે

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત ૧૦૦૦ વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ચંદન તિલક અને ઉપવસ્ત્ર અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોને સન્માનપૂર્વક દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રત્યેક ભક્ત માટે જલાભિષેકની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોમનાથ મહાદેવના અલૌકિક દર્શન અને જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. પધારેલા ભક્તોને ભગવાન સોમનાથની સાયંકાળની આરતીના સુંદર દર્શન થઈ શકે તે હેતુથી, મંદિર પરિસરમાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયનમાં વિશાળ ન્ઈડ્ઢ સ્ક્રીન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભક્તોએ શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી નિમિત્તે તૈયાર કરાયેલ વિશેષ ગીત અને ડોક્યુમેન્ટ્રી નિહાળી હતી. શ્રી સોમનાથ મંદિરનો યુગ-યુગાંતરનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવતો ૩ડ્ઢ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને સૌ ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 2772   |  
ધ્રાંગધ્રામાં ‘બલિ’ માટે તાંત્રિક મહિલાએ બાળકનો જીવ લીધાની આશંકા, લોકોમાં આક્રોશ

ધ્રાંગધ્રા શહેરમાં એક અત્યંત હૃદયવિદારક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માત્ર ચાર વર્ષના નિર્દોષ બાળકની ર્નિમમ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનામાં અંધશ્રદ્ધા અને તાંત્રિક પ્રથાઓનો ભયાનક ચહેરો બહાર આવ્યો છે. બાળક કાર્તિકના રહસ્યમય મૃત્યુ પાછળ તાંત્રિક વિધિઓ અને ખોટા ધાર્મિક દાવાઓ જવાબદાર હોવાની શંકાએ સમાજને હચમચાવી દીધો છે. આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે અંધવિશ્વાસ કેટલો ખતરનાક બની શકે છે. મૃતક બાળક કાર્તિકના પિતા ફારુકભાઈ બળદેવભાઈ એછવાડિયા અને તેમના પરિવારને પહેલેથી ચાર દીકરીઓ હતી. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા આ પરિવારે પડોશમાં રહેતા રેહાનાબેન પર વિશ્વાસ કર્યો હતો. આ મહિલા પોતાને માતાજીના ભુવા તરીકે ઓળખાવતી હતી અને તેણે પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે ‘બાધા’ આપવાનો દાવો કર્યો હતો. સમય જતાં ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પરિવારમાં પુત્રનો જન્મ થયો. જેને કાર્તિક નામ આપવામાં આવ્યું. જાેકે બાળકના જન્મ બાદ તાંત્રિક મહિલાએ પશુ બલિ આપવાની માંગણી કરી હતી. જેને બાળકની માતાએ સ્પષ્ટપણે નકારી કાઢી હતી. આ મુદ્દે થયેલા વિવાદ પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. ૪ એપ્રિલના રોજ કાર્તિક પોતાના ઘરની નજીક રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો. પરિવારે તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી. પરંતુ કોઈ સફળતા મળી નહોતી. થોડા સમય બાદ શંકાસ્પદ પરિસ્થિતિઓ વચ્ચે તાંત્રિક મહિલાના ઘરમાં આવેલા પાણીના ટાંકામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી અને પરિવાર તેમજ સ્થાનિકોમાં ભારે દુ:ખ અને રોષ ફેલાયો. આશ્ચર્યજનક રીતે શરૂઆતમાં પરિવારે કોઈ કાયદેસર કાર્યવાહી કર્યા વિના જ બાળકના મૃતદેહને દફનાવી દીધો હતો. પરંતુ સમય જતાં હત્યાની શંકા વધુ મજબૂત બનતા લગભગ ૧૨ દિવસ બાદ ધ્રાંગધ્રા પોલીસ પાસે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને મૃતદેહને કબરમાંથી બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો. તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા આરોપી તાંત્રિક મહિલા સામે હત્યા, કાળા જાદુ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો અને તેની ધરપકડ કરવામાં આવી. આ ઘટના માત્ર એક ગુનાહિત કૃત્ય નથી. પરંતુ સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. અંધશ્રદ્ધા અને ખોટા ધાર્મિક દાવાઓના નામે લોકો કેવી રીતે ભ્રમિત થાય છે અને તેનો અંત કેટલો ભયાનક બની શકે છે. તે આ બનાવે સ્પષ્ટ કર્યું છે. નિર્દોષ બાળકની હત્યાએ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને લોકો હવે આવા તાંત્રિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ કેસ સમાજને જાગૃત રહેવા અને વૈજ્ઞાનિક વિચારધારા અપનાવવાની જરૂરિયાત તરફ સંકેત આપે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 5148   |  
ચૂંટણી પહેલાં નણંદ નયનાબા અને ભાભી રીવાબા વચ્ચે શુભેચ્છાના નામે મ્હેણાટોણાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આખા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચારની સાથે સાથે એકબીજાના ઉમેદવારોને વાકબાણોથી પાડવાનું પણ કામ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં બહુચર્ચિત સૌરાષ્ટ્રના નણંદ ભાભીની જાેડી ફરી ચર્ચામાં આવી છે. નયનાબા અને રિવાબાએ એકબીજાને શુભેચ્છાની સાથે મ્હેણા ટોણા પણ માર્યા હતાક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાએ પોતાના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી હતી. જાેકે, આ મુદ્દો હાલ ચર્ચાનું કારણ બન્યો છે. નયનાબા જાડેજાએ ભાભીએ આપેલી શુભેચ્છા અંગે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના જે કોઈ વ્યક્તિઓ મને શુભેચ્છા પાઠવી રહ્યા છે તેમનો આભાર. રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ સાથે જાેડાયેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છાઓ પાઠવી હતી. શુભેચ્છાની સાથે તેમણે ભાજપની જીતનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ચૂંટણી લડનાર દરેકને મારી શુભેચ્છાઓ છે, પરંતુ મને ભાજપના કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે. આગામી ૨૮ તારીખે જ્યારે પરિણામ આવશે, ત્યારે જીત તો ભારતીય જનતા પાર્ટીની જ થશે.” રીવાબાની આવી શુભેચ્છા પર નયનાબા જાડેજાએ હસતાં હસતાં પ્રતિક્રિયા આપી હતી. નયનાબાએ આ અંગે જણાવ્યું હતું કે, “શુભેચ્છા આપવા બદલ હું તેમનો આભાર માનું છું, પરંતુ આ જે નિવેદનો છે તે તેમનો ‘ઓવર કોન્ફિડન્સ‘ છે એટલે એ લોકો કોઈ સેટિંગ કરવાના લાગે છે. 


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 1980   |  
ગ્રામ પંચાયત ભવન બનાવવા હોય તો ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રાન્ટ ફાળવાશે

ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ નું ગ્રાન્ટ ફાળવણી પર વિવાદિત નિવેદન બાદ મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી દ્વારા જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નું નિર્માણ તથા ૨૧ લાખ ગ્રાન્ટ ફાળવાશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે. શુ ચૂંટણી પંચ પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર સત્તા પક્ષ દ્વારા યેનકેન પ્રકારે પણ સત્તા હસ્તે કરવા વિવિધ હથકંડા અપનાવવામાં આવતાં હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેફામ વાણી વિલાસ કરી ધાકધમકી નું વાતાવરણ ઉભું કરી મતદારો પર હાવી થવાના પ્રયાસ કરતાં હોય ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ મિતેષ પટેલે ગ્રાન્ટ ફાળવણી ના મુદ્દે વિવાદિત નિવેદન કર્યાબાદ વધુ એક ભાજપ નેતા મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ સ્વરાજકીય સંસ્થા ના ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર સમયે વાણી વિલાસ કરતાં હોય તેમ જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નિર્માણ તથા ૨૧ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ચર્ચાની એરણે ચઢવા પામતાં રાજકારણ ગરમાતા શું ચૂંટણી આયોગ આ મુદ્દે પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2970   |   વડોદરા   |  
યુસુફ પઠાણના સસરા અને તેમના સાળાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણના સસરાની તેમના પુત્ર અને અન્ય એક સંબંધી સાથે ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે બે દિવસ પહેલા, ભાયખલા વિસ્તારમાં એક વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે વ્યક્તિની કાર ખાડામાંથી પસાર થઈ હતી અને તેમાંથી એક પર પાણી છાંટા પડ્યા હતા. ભાયખલા પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસી યુસુફ ખાન શનિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાંથી પાણીના છાંટા પડ્યા અને શોએબ ખાન પર પડ્યા. યુસુફ ખાને પોલીસને જણાવ્યું કે તેણે કાર રોકી અને તરત જ માફી માંગી, પરંતુ શોએબે તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને વાંસની લાકડીથી કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ શોએબે યુસુફ ખાન પર હુમલો કર્યો, જેમાં તેમને ઈજા થઈ.ઘરે પાછા ફર્યા પછી, યુસુફ ખાનના પરિવારે તેને પોલીસ પાસે જવાની સલાહ આપી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં, તેમનો સામનો ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) સાથે થયો, જેણે તેના પુત્ર ઉમરશાદ ખાન, શોએબ અને અન્ય આરોપી શાહબાઝ પઠાણ સાથે મળીને દલીલ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ, ખાલિદ, ઉમરશાદ, શોએબ અને શાહબાઝે યુસુફ ખાન અને તેના સંબંધીઓ પર વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 3168   |   વડોદરા   |  
જમ્યાં બાદ ૪૦૦થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ગઈકાલ સોમવારે રાત્રે ભોજન સમારંભ બાદ ભોજન આરોગનાર ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલાઓને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદમાં એક તરફ લગ્નસરાની મોસમ પુર બહારમાં ખીલી છે. અને ઠેર ઠેર લગ્ન પ્રસંગોના જમણવાર યોજાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આગ ઓકતી ગરમીએ તોબા પોકારાવી દીધા છે. અને આવી આગ ઝરતી ગરમીમાં તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેત રહેવા માટે લોકોને કરવામાં આવતી અપીલ વચ્ચે ગરબાડાના અભલોડ ગામે એક લગ્ન પ્રસંગના યોજાયેલ જમણવારમાં ભોજન કર્યા બાદ ૪૦૦ થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં રીતસર દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના બાદ તાત્કાલિક ધોરણે ખોરાકી ઝેરની અસર પામેલા તમામ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ, તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતાં. જ્યારે ૨૦૦થી વધુ લોકોને ગામમાં જ સ્થાનિક ડોક્ટરો દ્વારા તેમજ ગામના સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગરબાડા તાલુકાના અભલોડ ગામના ગામતળ ફળિયામાંય રહેતા ભરતભાઈ રાઠોડના નાના છોકરાના લગ્ન હોવાથી લગ્નમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવારમાં દાળ, ભાત, પૂરી, શાક, પાપડ, કેરીનો રસ તેમજ પનીરનું શાક વગેરે વ્યંજનો બનાવવામાં આવ્યા હતા. જે ખાધા બાદ ૪૦૦ થી વધુ એટલે કે ૭૦% લોકોને ખોરાકની ઝેરની અસર થઈ હતી. સાંજના છ વાગ્યાથી શરૂ થયેલા જમણવારમાં ભોજન આરોગ્ય બાદ રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ તમામ લોકોને એક પછી એકને ખોરાકી ઝેરની અસર વર્તાતા ગામમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી તમામ અસરગ્રસ્ત લોકોને ૧૦૮ ઇમરજન્સી વાન તથા ખાનગી વાહનો તેમજ જેને જે મળે તે સાધનમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા હતા.૫૦થી વધુ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ૧૫૦થી વધુ લોકોને દાહોદની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર હશે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય અંદાજે ૨૦૦ જેટલા લોકોને ગામમાં જ હાજર પાંચ થી છ ડૉક્ટરો તેમજ પીએસસી સેન્ટરના ડોક્ટરોને બોલાવી હળ પર જ સારવાર આપવાની ગોઠવણ કરવાની ફરજ પડી હતી. આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી જેથી તંત્રએ હાશકારો લીધો છે. કેટલાકને ખોરાકી ઝેરની ગંભીર અસર થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૈકી કેટલાકને આજે સવારે રજા આપી દેવામાં આવી હોવાનું જ્યારે કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ખોરાકી ઝેરની અસર થઈ હોવાની જાણ થતા જ ફૂડ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ સફાળું જાગી ઉઠ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2772   |   વડોદરા   |  
મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે ઓનલાઇન ઈન્જેક્શન વેચતા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી

વડોદરા ખોરક અને ઔષધ નિયમન તંત્રની ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા ગત તા.૨૨મી ડિસેમ્બરના રોજ હાથ ધરાયેલી તપાસમાં રાજ્યમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વડોદરાના દિવાળીપુરા, આર.કે પ્લાઝા સ્થિત હેક્સપ્રેસ હેલ્થકેર કન્સ્યુમર લી,ની શંકાસ્પદ ભૂમિકા જણાતા તેની તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં સારાભાઈ રોડ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે આવેલ એટલાન્ટીસ કોમ્પલ્ક્સમાં આવેલ મેડીકેમેન્ટ સોલ્યુશન પ્રા.લી. નામના મેડીકલ સ્ટોરનું નામ પ્રકાશમાં આવ્યુ હતુ.આ મેડીકલ સ્ટોર દ્વારા મેદસ્વીતા ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા મોન્જારો ક્વીકપેન નામના ઈન્જેક્શનનું વેબસાઈટ પર ભ્રામક જાહેરાતો દ્વારા ગેરકાયદસર રીતે વેચાણ કરવામાં આવતુ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.ત્યારે તંત્રના અધિકારીઓ બનાવટી ગ્રાહક બનીને ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. જેમાં દવા-ઈન્જેક્શન ભરેલુ પાર્સલ, પોસ્ટ મારફતે મળતા જેનુ પંચનામું કરીને કાર્યવાહી કરાઈ હતી. સંસ્થાઓ અને સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા મેળાપીપણુ રચીને ડોક્ટરની સલાહ કે માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન ઓર્ડર મેળવીનેે દર્દીની શારીરીક સ્થિતિની તપાસ કર્યા વગર સીધાજ ધરના સરનામે આ દવાઓ કુરીયર દ્વારા મોલલવામાં આવતી હતી. પ્રક્રિયામાં દવાની ગંભીર આડઅસરો છુપાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતા હતા. તંત્ર દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટના ભંગ બદ્દલ મે.સ. મોડીકેમેન્ટ સોલ્યુશન્સ પ્રા. લી.નું લાયસન્સ તાત્કાલીક કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું હતુ.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2871   |   વડોદરા   |  
જનતાનું કામ હોય તો આચારસંહિતા નડે, તો શું આને કોઈ નિયમ નથી નડતા?

વડોદરા શહેર, જેને આપણે સંસ્કારી નગરી કહીએ છીએ, ત્યાં અત્યારે જે દ્રશ્યો જાેવા મળી રહ્યા છે તે સંસ્કારિતા નહીં પણ ‘સત્તાની ર્નિલજ્જતા’ના દર્શન કરાવે છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, આચારસંહિતાનો અમલ ચાલુ છે, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી)ના તંત્ર માટે આ આચારસંહિતા માત્ર જનતાના કામો રોકવા માટેનું એક બહાનું બની ગઈ છે. જ્યારે સામાન્ય નાગરિક પોતાની ગલીના ખાડા, ગંદા પાણી કે ઉભરાતી ગટરની ફરિયાદ લઈને જાય છે, ત્યારે તંત્ર ‘આચારસંહિતા નડે છે’ કહીને તેને મોઢા પર જવાબ આપી દે છે. પરંતુ, શું આ આચારસંહિતા મેયર અને ડેપ્યુટી મેયરની આલીશાન ચેમ્બરોના રંગરોગાન માટે નથી નડતી?ગુજરાત રાજ્યની જનતા જે પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરે છે, તે નાણાંનો ઉપયોગ અત્યારે જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે સત્તાના સિંહાસનોને ચમકાવવા માટે થઈ રહ્યો છે. મેયર અને ડેપ્યુટી મેયરની ચેમ્બરોથી લઈને સભાખંડ સુધી જે રીતે ફર્નિચર રિપેરિંગ અને પેઇન્ટિંગનું ‘યુદ્ધના ધોરણે’ કામ ચાલી રહ્યું છે, તે જાેઈને સવાલ થાય છે કે શું આ કોર્પોરેશન છે કે કોઈ નેતાના ઘરનો પ્રસંગ? જે ઝડપ અત્યારે સભાખંડને ‘લવિંગિયા’ જેવો લુક આપવામાં બતાવવામાં આવી રહી છે, જાે તેની દસ ટકા ઝડપ પણ શહેરના ફતેગંજ, કારેલીબાગ, રાવપુરા, અલકાપુરી કે માંજલપુરના રસ્તાઓ ઠીક કરવામાં બતાવી હોત, તો આજે જનતાએ આક્રોશ ન ઠાલવવો પડત. તંત્રની બેવડી નીતિ જુઓ, નવા રસ્તા બનાવવા હોય, પાણીની લાઈન નાખવી હોય કે સ્ટ્રીટ લાઈટ રિપેર કરવી હોય તો આચારસંહિતાનો કાયદો વચમાં આવે છે. પણ જ્યારે નવી ચૂંટાનારી બોડીના સ્વાગત માટે લાલ જાજમ બિછાવવાની હોય અને એર-કન્ડિશન્ડ ચેમ્બરોને ચકચકાટ કરવાની હોય, ત્યારે કોઈ કાયદો નડતો નથી. આને જ કહેવાય ‘લોકોને ઉલ્લૂ બનાવવાની કળા’. વડોદરા તંત્ર અત્યારે એવા બાપની ભૂમિકા ભજવી રહ્યું છે જેની પાસે દીકરીના લગ્નની તૈયારી માટે તો લાખો રૂપિયા છે, પણ આખા વર્ષ દરમિયાન ઘરના રાશન માટે પૈસા નહોતા. કોણ મેયર બનશે અને કોણ સત્તા પર બેસશે તે તો મતપેટીઓ નક્કી કરશે, પણ તંત્રએ તો ‘વર વગર જાન’ જાેડી દીધી છે. જનતા પૂછી રહી છે કે- શું નવી ચેમ્બરોમાં બેસવાથી વડોદરાના દૂષિત પાણીની સમસ્યા ઉકેલાઈ જશે? શું મોંઘા ફર્નિચર પર બેસનારા નેતાઓ રસ્તા પરના જીવલેણ ખાડાઓ જાેઈ શકશે? શું રંગરોગાન કરેલી દીવાલોની પાછળ જનતાની ચીસો દબાઈ જશે? વડોદરા મહાનગર પાલિકાનું આ વલણ અત્યંત નિંદનીય છે. એક તરફ શહેર સ્માર્ટ સિટીના નામે માત્ર કાગળ પર ચમકી રહ્યું છે અને બીજી તરફ વાસ્તવિકતામાં ગટર અને ગંદકીના ગંજ છે. જનતાના ટેક્સના નાણાં આ રીતે ધુમાડો કરવા માટે નથી.સત્તાના નશામાં ચૂર નેતાઓ અને તેમના ઈશારે નાચતું તંત્ર એ ભૂલી ગયું છે કે આ આલીશાન ચેમ્બરો જનતાની ભીખ નથી, પણ જનતાની સેવા માટેની અમાનત છે. જાે નવી બોડીના સ્વાગત માટે આટલો ઉત્સાહ હોય, તો ચૂંટાયા પછી પ્રજાનાં કામો માટે આનાથી બમણો ઉત્સાહ હોવો જાેઈએ. વડોદરાના નાગરિકોએ હવે સવાલ પૂછવાની જરૂર છે- જાે અમારી ગલીનો રસ્તો આચારસંહિતામાં નથી બનતો, તો તમારી ચેમ્બરની દીવાલ પર રંગ કેમ ચડે છે? તંત્રના આ ભ્રષ્ટ અને પક્ષપાતી વલણના કપડાં અત્યારે વડોદરાની શેરીઓમાં ઉતરી રહ્યા છે. જાે દીવાલો જ ચમકાવવી હોય તો ઓફિસની નહીં, જનતાના જીવનની ચમકાવો. બાકી આ ‘ચકચકાટ’ ચૂંટણીના પરિણામો પછી ફીકો પડી જશે એ નક્કી છે. જનતાના ખિસ્સા ખાલી કરીને નેતાઓના ઠાઠ વધારતા તંત્રને શરમ આવવી જાેઈએ. આચારસંહિતા નિયમ છે, અન્યાય કરવાનું લાયસન્સ નથી!


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 1881   |  
નર્સિંગની બીજા વર્ષની વિદ્યાર્થિનીનો આપઘાત

મહેસાણા-વિસનગર રોડ પર આવેલી જાણીતી મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં આજે એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. બીએસસી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર કેમ્પસ અને શિક્ષણ જગતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની વિગત મુજબ, હોસ્ટેલના રૂમમાં અસ્મિતા પટેલ નામની વિદ્યાર્થીની એકલી હતી ત્યારે તેણે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તે બીએસસીના નર્સિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ ઘટના હોસ્ટેલના રૂમ નંબર છ ૨૦૮માં બની હતી. હોસ્ટેલનો સફાઈ કામદાર જ્યારે રૂમ સાફ કરવા પહોંચ્યો અને અંદરથી કોઈ પ્રતિસાદ ન મળ્યો, ત્યારે શંકા જતાં દરવાજાે તોડવામાં આવ્યો હતો. અંદર યુવતીનો મૃતદેહ લટકતી હાલતમાં જાેઈ સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. નવસારીમાં રહેતા પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ ઘેરા શોક સાથે મહેસાણા આવવા રવાના થયા છે. પરીક્ષા પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ વિદ્યાર્થિનીએ આટલું આકરું પગલું કેમ ભર્યું તે હજુ રહસ્ય છે. પોલીસ હાલ આત્મહત્યા પાછળનું કારણ જાણવા ઝીણવટભરી તપાસ કરી રહી છે.હોસ્ટેલ સંચાલકોની પણ પૂછપરછ કરી છે : ડીવાયએસપી મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું કે, તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાસ્થળને કોર્ડન કરી ઇન્વેસ્ટીગેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, દસ્તાવેજાે, કોલેજના ચોપડા, નોટ્સ વગેરે કબજે કર્યું છે. દીકરીએ શા કારણે આ આત્યંતિક પગલું ભર્યું છે તેેનું કારણ જાણવા પોલીસ તપાસ હાથ ધરી છે. તેના માતા-પિતા અને તેના સગા-સંબંધીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. હોસ્ટેલ સંચાલકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 2475   |  
લોકશાહી કે પક્ષશાહી? : જનતા પર ઠોકી બેસાડાતા ‘ઉમેદવારો’

ભારતીય લોકશાહીના મંદિરમાં અત્યારે એક એવી પરંપરા ઘર કરી ગઈ છે જ્યાં ‘ભક્ત’ (મતદાર) પાસે પૂજારી (ઉમેદવાર) પસંદ કરવાની કોઈ સત્તા નથી. રાજકીય પક્ષોના હાઈકમાન્ડ એસી ચેમ્બરમાં બેસીને જે નામ નક્કી કરે, તેને જનતાએ સ્વીકારી લેવા પડે છે. આ વ્યવસ્થા લોકશાહી નથી, પણ ‘સંગઠિત પક્ષશાહી’ છે. જનતાના ખભા પર બંદૂક ફોડીને પોતાના મળતિયાઓને સત્તાના સિંહાસન સુધી પહોંચાડવાનું જે વ્યવસ્થિત કૌભાંડ ચાલે છે, તેના પર હવે ગંભીર ચિંતન અને પ્રહાર કરવાની જરૂર છે.કોઈપણ પક્ષ જ્યારે ટિકિટ આપે છે, ત્યારે તેનો માપદંડ ‘ઉમેદવારની સેવાની ભાવના’ નહીં, પણ તેની ‘ચૂંટણી જીતવાની ક્ષમતા’ (ઉૈહટ્ઠહ્વૈઙ્મૈંઅ) હોય છે. આ ક્ષમતામાં બાહુબળ અને ધનબળનો સમાવેશ થાય છે. પરિણામે, જે-તે વિસ્તારની જનતા જે વ્યક્તિને ધિક્કારતી હોય, કે જેની છબી ખરડાયેલી હોય, તેને જ પક્ષો ટિકિટ આપીને જનતા સામે ધરી દે છે. મતદાર પાસે વિકલ્પ શું છે? કાં તો ‘એ’ પક્ષનો ખરાબ માણસ અથવા ‘બી’ પક્ષનો ખરાબ માણસ. આ સ્થિતિમાં મતદાર ‘સૌથી ઓછો ખરાબ’ માણસ શોધવા મજબૂર બને છે. શું આને જ આપણે શ્રેષ્ઠ લોકશાહી કહીશું? ખરેખર તો ઉમેદવાર પસંદ કરવાની સત્તા રાજકીય પક્ષોના પ્રદેશ પ્રમુખો પાસે નહીં, પણ જે-તે વિસ્તારની જનતા પાસે હોવી જાેઈએ. જાે લોકશાહીને શુદ્ધ કરવી હોય તો ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પ્રજાથી, પ્રજા દ્વારા અને પ્રજા માટે હોવી જાેઈએ તેમ જાગૃત જનતા માનવા લાગી છે.જાે આવી પારદર્શક પદ્ધતિ અમલમાં આવે, તો રાજકીય અખાડામાં ગુંડાઓ અને ભ્રષ્ટાચારીઓને બદલે શિક્ષિત, સામાજિક કાર્યકરો અને સજ્જન માણસોનો પ્રવેશ થાય. અત્યારે તો સજ્જન માણસ પક્ષની ટિકિટની લાઈનમાં ઊભા રહેતા પણ શરમાય છે, કારણ કે ત્યાં યોગ્યતા કરતાં ‘જી હજૂરી’ ની કિંમત વધુ છે. ચૂંટણી વિભાગ માત્ર મતદાનની ટકાવારી વધારવા માટે કરોડો રૂપિયાના હોર્ડિંગ્સ મારે છે, પણ શું ક્યારેય વિચાર્યું છે કે લોકો મતદાન કરવા કેમ નથી આવતા? કારણ કે તેમને ખબર છે કે સામે ઊભેલા ઉમેદવારોમાંથી કોઈ તેમનો અવાજ સાંભળવાનું નથી. તંત્રએ એવી વ્યવસ્થા કેમ ન ઊભી કરી કે જેમાં જનતા પોતે ઉમેદવારના નામ સૂચવી શકે? બિનહરીફ જાહેર થવાની પ્રક્રિયા પણ અત્યારે એક મજાક બની ગઈ છે. જાે કોઈ વ્યક્તિ ઉપર મુજબની પ્રક્રિયાથી (જનતા દ્વારા) પસંદ થઈને આવે, તો તેને જ બિનહરીફ જાહેર કરવો જાેઈએ. તેના બદલે અત્યારે તો સત્તાના જાેરે વિરોધ પક્ષના ફોર્મ રદ કરાવીને કે ખેંચાવીને ‘બનાવટી બિનહરીફ’ પેદા કરવામાં આવે છે. આ લોકશાહીના નામે ચાલતી સરમુખત્યારશાહી છે. રાજકીય પક્ષોએ સમજી લેવું જાેઈએ કે જનતા હવે જાગૃત થઈ રહી છે. તમે ટિકિટ આપીને કોઈને પણ ‘ઠોકી બેસાડશો’ અને જનતા ચૂપચાપ સ્વીકારી લેશે એ દિવસો હવે ગયા. જાે પક્ષો જનતાની પસંદગીને માન નહીં આપે, તો એક દિવસ જનતા તમામ પક્ષોને નકારીને ‘નોટા’ (ર્દ્ગં્છ) ના જાેરે સત્તાના પાયા હચમચાવી નાખશે. ચૂંટણી પંચે અને સરકારે હવે ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયામાં જનતાનો સીધો હસ્તક્ષેપ કેવી રીતે વધારી શકાય. જ્યાં સુધી જનતા દ્વારા પસંદ કરાયેલો સજ્જન માણસ ચૂંટણી મેદાનમાં નહીં ઉતરે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદનો અંત આવવો અશક્ય છે. લોકશાહી ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે ‘મતદાર’ માત્ર વોટ આપનાર મશીન નહીં, પણ ‘ઉમેદવાર’ નક્કી કરનાર નિર્ધાયક બનશે. તંત્ર અને પક્ષો માટે આ છેલ્લી ચેતવણી છે, જનતાના ધૈર્યની કસોટી કરવાનું બંધ કરો અને સત્તાનો અખાડો સજ્જન માણસો માટે ખુલ્લો કરો, નહીં તો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જનતા રસ્તા પર ઉતરે છે ત્યારે મોટા મોટા ગઢ ધરાશાયી થઈ જાય છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 2178   |  
રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે પ્રચાર પડઘમ શાંત થયા

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને લઈને આજે સાંજથી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. જેના અંતર્ગત હવે રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો જાહેર પ્રચાર નહીં કરી શકે. જાે કે ખાનગી બેઠકો તેમજ ખાટલા બેઠકો દ્વારા પોતાનો પ્રચાર શરૂ કરશે. જ્યારે ચૂંટણી તંત્ર દ્વારા જાહેર સ્થળો પર લગાવેલી પ્રચાર સામગ્રીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ સેમિફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેના અંતર્ગત રાજ્યની ૧૫ મહાનગરપાલિકા, ૮૦ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી ઉપરાંત ૧૧ નગરપાલિકાઓની ૧૩ બેઠકોની પેટા ચૂંટણી અંતર્ગત આગામી તા. ૨૬ એપ્રિલના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ચૂંટણી પંચના નિયમોનુસાર મતદાનની પ્રક્રિયાના ૪૮ કલાક અગાઉ રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા કરવામાં આવતો પ્રચાર આજે સાંજથી બંધ થઈ ગયો છે. ચૂંટણી પ્રચારની સમય અવધિ પૂર્ણ થઈ જવાથી હવે રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો હવે કોઈ પણ પ્રકારનો જાહેર પ્રચાર કરી શકશે નહીં. ચૂંટણી પંચના નિયમો મુજબ પ્રચાર સમય અવધિ પૂર્ણ થયા પછી તમામ ઉમેદવારોએ શાંતિ જાળવવાની રહેશે. હવે મતદાનની પ્રક્રિયા સુધી ઉમેદવારો દ્વારા મતદારોને પ્રભાવિત કરવા માટે કોઈ જાહેર સભા, રેલી સહિતના જાહેર કાર્યક્રમો યોજી શકશે નહીં. જાે કે, ઉમેદવારો દ્વારા બંધ બારણે ગુપ્ત બેઠકો કે ખાટલા બેઠકો થકી પ્રચારની કામગીરી શરૂ કરવામાં આવશે. ચૂંટણી પ્રચારની સમય અવધિ પૂર્ણ થઈ જતાં હવે ચૂંટણી પંચ દ્વારા હવે જાહેર સ્થળો પર રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા લગાવાયેલી પ્રચાર સામગ્રીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં ઉમેદવારો દ્વારા વિવિધ સ્થળોએ લગાવાયેલા બેનરો, પોસ્ટરો, લખાણોને દૂર કરવામાં આવશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 2574   |  
મુખ્યમંત્રીનો અમદાવાદમાં રોડ શો યોજ્યો

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કર્ણાવતી મહાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં રોડ-શો યોજાયો હતો. કાર્યકરોની અદભૂત ઊર્જા અને ઉમંગ તેમજ વિશાળ જનસમર્થન સાથે રોડ-શોનો શ્યામ શિખર ચાર રસ્તાથી પ્રારંભ થયો હતો. ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર એપ્રોચ, લીલાનગર, ખોડિયાર નગર રોડ, ૮૦ ફૂટ રોડ બેટી બચાવો સર્કલ થઈ ૮૦ ફૂટ રોડ ખોડિયાર મંદિર ખાતે આ ભવ્યાતિભવ્ય રોડ-શોનું સમાપન થયું હતું. આ રોડ-શો બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર અને વિરાટનગર વિસ્તાર માથી પસાર થયો હતો. રોડ-શો ના સમગ્ર રૂટ દરમિયાન યુવાઓ, મહિલાઓ અને વડીલો સહિત સૌ નાગરિકોએ પુષ્પવર્ષા કરી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આવકાર્યા હતાં. ભાજપાના કેસરિયા ધ્વજ, કેસરી ખેસ તેમજ ભાજપાના પ્રચાર ગીત તથા દેશભક્તિના ગીતો, વંદે માતરમ્ અને ભારતમાતા કી જયના નારાની ગુંજ અને ઢોલ નગારાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ઉર્જામય બન્યું હતું અને જાણે કેસરિયો સાગર સર્જાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. મુખ્યમંત્રી તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષએ સૌ નાગરિકોનું અભિવાદન ઝીલી ભાજપાને અભૂતપૂર્વ સમર્થન દર્શાવવા બદલ આભાર વ્યકત કર્યો હતો. રોડ-શો દરમિયાન પ્રજામાં જાેવા મળેલ ઉત્સાહ અને સ્વયંભૂ સમર્થન આવનારી ચૂંટણીમાં ભાજપાના જંગી વિજયની સાક્ષી પૂરી રહ્યો હતો.કોંગ્રેસની પણ બાપુનગરમાં રેલી કોંગ્રેસ દ્વારા આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં રેલી અને મોટી સભા કરવાના બદલે ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો હતો. ઉમેદવારો મતદારોને આકર્ષવા મતદારોના ઘરે જઈને તેમની સમસ્યાનો નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી. પરંતુ અંતિમ ઘડીએ મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ રેલી યોજી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજપના ઉમેદવારો માટે જે જગ્યાએ રોડ શો કર્યો હતો તે જ રૂટ પર બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ રેલી યોજી હતી. જાે કે રેલી દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો આમને સામને આવી જતા કાર્યકર્તાઓએ ઉગ્ર નારેબાજી પણ કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 1881   |  
હવે ગુનાહિત ઇતિહાસ વાળી વ્યક્તિ એજન્ટ બની શકશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અંતર્ગત આગામી તા. ૨૬ એપ્રિલના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. જાે કે તે અગાઉ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ ર્નિણય લેવાયો છે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મતદાન એજન્ટોની નિમણૂક સંબંધિત અગાઉની જાેગવાઈમાં ફેરફાર કરીને નવી ગાઈડલાઇન જાહેર કરાઇ છે. અગાઉ ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિને મતદાન એજન્ટ તરીકે નિમવા પર પ્રતિબંધ હતો. પરંતુ હવે ચૂંટણીપંચે આ જાેગવાઈ રદ કરીને નવી છૂટછાટ આપી છે, જેનાથી ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો પણ મતદાન એજન્ટ તરીકે નિયુક્ત થઈ શકશે. આ ર્નિણય બાદ રાજકીય વર્તુળોમાં અને જનતા વચ્ચે ભારે ચર્ચા શરૂ થઈ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની યોજાનારી ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મતદાનની પ્રક્રિયા સમયે રાજકીય પક્ષો દ્વારા કરાતી મતદાન એજન્ટોની નિમણૂક સંબંધિત અગાઉની જાેગવાઈમાં ફેરફાર કરીને નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. રાજયમાં અગાઉ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા મતદાન એજન્ટોની નિમણૂક કરવામાં આવતી હોય છે. તેમાં રાજ્ય ચૂંટણી પંચની એક એવી જાેગવાઈ હતી કે, કોઈ પણ રાજકીય પક્ષ મતદાનના દિવસે મતદાન મથક પર મતદાન એજન્ટોની નિમણૂક કરવામાં આવતી હતી. જાે કે, કોઈ પણ રાજકીય પક્ષ મતદાન એજન્ટ તરીકે કોઈપણ ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિને મતદાન એજન્ટ તરીકે નિયુક્ત કરવા પર પ્રતિબંધ હતો. જાે કે, આ નિયમ કે જાેગવાઈનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનિયતા જાળવવાનો હતો. જાે કે, રાજ્ય ચૂંટણી પંચના સચિવ રાજદેવસિંહ જી. ગોહિલ દ્વારા ગઇકાલે તા. ૨૩-૦૪-૨૦૨૬ના રોજ એક સૂચના પ્રસિદ્ધ કરીને શહેર/જિલ્લા મ્યુનિસિપલ/ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તમામને ઉલ્લેખીને એક પત્ર મોકલાયો છે. જેમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી-મતદાન એજનત અને મતગણતરી એજન્ટની નિમણૂક બાબતે જણાવાયું છે. જેમાં રાજ્ય ચૂંટણી પંચના સચિવે જણાવ્યું છે કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોજવામાં આવતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે ઉમેદવાર વતી મતદાન મથકે/મતગણતરી કેન્દ્રમાં હાજર રહેવા ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટે માટેડન એજન્ટ/મતગણતરી એજન્ટની નિમણૂક અંગે વિસ્તૃત સૂચનાઓના સંદર્ભના આયો૦ગણા પરિપત્રથી આપવામાં આવેલી છે. આ સંબંધમાં મતદાન એજન્ટ/ મતગણતરી એજન્ટની નિમણૂક અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય, મધ્યસત્ર કે પેટા ચૂંટણીઓ માટે નિયુક્ત થનાર મતદાન એજન્ટ તે જ મતદાન મથક અથવા વધુમાં વધુ પાડોશી મતદાન મથકના મતદાર અને સામાન્ય રીતે નિવાસી હોય તેવા સ્થાનિક વ્યક્તિને મતદાન એજન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવે તે અપેક્ષિત અને ઇચ્છનીય છે. આ મુજબ મતદાન એજન્ટોની નિમણૂક કરવામાં કોઈપણ મુશ્કેલી કિસ્સામાં હવે નગરપાલિકા/મહાનગરપાલિકાની ચૂંટણી માટે જે તે નગરપાલિકા/મહાનગરપાલિકાના જે તે વોર્ડના કોઈ પણ વોર્ડના કોઈપણ મતદાર મંડળના કોઈપણ મતદારની મતદાન એજન્ટ તરીકે નિમણૂક કરી શકાશે. જ્યારે તાલુકા/જિલ્લા પંચાયત માટે જે તે પંચાયતના જે તે મતદાર મંડળના કોઈપણ મતદારની મતદાન એજન્ટ તરીકે નિમણૂક કરી શકાશે. તે જ પ્રમાણે મતગણતરી એજન્ટ નગરપાલિકા/મહાનગરપાલિકાના કિસ્સામાં ચૂંટણી હેઠળના જે તે વોર્ડની મતદાર હોવો જાેઈશે. તાલુકા/જિલ્લા પંચાયતની ચૂંટણીના કિસ્સામાં જે તે મતદાર મંડળનો મતદાર હોવો જાેઈએ. વધુમાં સંદર્ભના આયોગના પરિપત્રની ‘નિયુક્તિ કરવામાં આવનાર ચૂંટણી એજન્ટ/ મતદાર એજન્ટ/ મતગણતરી એજન્ટ પર કોઈપણ જાતનો ગુનો નોંધાયેલ ન હોવો જાેઈએ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ન હોવો જાેઈએ.’ની જાેગવાઈ આથી રદ આવે છે. મતદાન એજન્ટ/મતગણતરી એજન્ટની નિમણૂક, લાયકાત, ગેરલાયકાતો અંગેની સંદર્ભના પરિપત્રની અન્ય સૂચનાઓ યથાવત રહેશે.અગાઉનો નિયમ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા-વિશ્વસનિયતા જાળવવાનો હતો ઉલ્લેખનીય છે કે, અગાઉ, ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓને મતદાન એજન્ટ તરીકે નિમવા પર પ્રતિબંધ હતો. આ નિયમનો હેતુ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવાનો હતો. પરંતુ હવે ચૂંટણીપંચે આ જાેગવાઈ રદ કરીને નવી છૂટછાટ આપી છે, જેના કારણે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો પણ મતદાન એજન્ટ તરીકે નિયુક્ત થઈ શકશે. રાજકીય વર્તુળોમાં અને નાગરિકોમાં ભારે ચર્ચા શરૂ રાજ્ય ચૂંટણી પંચના આ ર્નિણયથી રાજકીય વર્તુળોમાં અને નાગરિકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો માને છે કે આ પગલું ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર અસર કરી શકે છે, જ્યારે અન્ય લોકોનો દાવો છે કે દરેક નાગરિકને સમાન તક આપવી જાેઈએ, ભલે તેમનો ભૂતકાળ જેવો હોય. ચૂંટણી પંચ ભાજપનું એજન્ટ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા સમયે રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત કરાતા મતદાન એજન્ટો ગુનાહિત ધરાવતા હોય તે પણ મતદાન એજન્ટ બની શકશે તેવો રાજ્ય ચૂંટણી પંચે સુધારો કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા કરાયેલા આ સુધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે. કોંગ્રેસનાં મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ ચૂંટણી પંચના આ નિયમનો ભારે વિરોધ નોંધાવ્યો છે. તેમણે રાજ્ય ચૂંટણી પંચને ભાજપનું એજન્ટ કહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ભાજપે અનેક કાવતરા ઘડયા છે. ભાજપે અગાઉ પોલીસ, એલસીબી, એસઓજીને કામે લગાડ્યું હતું. અમારી વારંવાર રજૂઆત છતાં ચૂંટણીપંચે કોઈ પગલા લીધા ન હતા. નિયમોમાં ફેરફારને કારણે ડર અને ભય વગર મતદાન નહીં થઈ શકે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 1782   |  
વર્ષ અગાઉ ઘરેથી ભાગ્યા બાદ પ્રેમી સાથે મૈત્રી કરારમાં રહેતી યુવતીએ ફાંસો ખાધો

એક વર્ષ અગાઉ મહારાષ્ટ્રનાં ધુલિયાથી પ્રેમી સાથે ભાગીને મૈત્રી કરાર કરી સુરતમાં રહેતી યુવતીએ આપઘાત કરી લીધો હતો. માતા બોલાવતી ન હતી અને સાસુ સપોર્ટ કરતી ન હતી. જયારે પ્રેમી બીજા અફેરની શંકા રાખી ત્રાસ ગુજારતો હોય હતાશ થઇને યુવતીએ આત્યંતિક પગલું ભરી લીધું હતું. વરાછા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના વતની શિવાજી સંતોષભાઇ માળીની ફોઇ અરૂણા વાઘની દીકરી વૈશાલીને ડોંગર રામકૃષ્ણ પાટીલ સાથે પ્રેમ સંબંધ હતો. એક વર્ષ પહેલા વૈશાલી આ ડોંગર પાટીલ સાથે ભાગી ગઇ હતી. ત્યારબાદ તેઓ મૈત્રી કરાર કરીને સુરતમાં વરાછા વિસ્તારના કાળીદાસ નગરમાં રહેવા માંડ્યા હતાં.ગત ૨૨મી એપ્રિલે શિવાજી તેની ફોઇ અરૂણા વાધના ઘરે હતો ત્યારે તેમને વૈશાલીએ સુરતમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા હતાં. આ વાત જાણતાં જ તેઓ સુરત આવી ગયા હતાં. તેમણે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વૈશાલી મૈત્રી કરાર કરીને ડોંગર રામકૃષ્ણ પાટીલ સાથે રહેતી હતી. તે ડોંગરને વેડુ નામથી બોલાવતી હતી. વૈશાલીનાં પિતા બાર વર્ષ પહેલા અવસાન પામ્યા હોય સમાજ અને ગામનાં રીતિ રીવાજ મુજબ વીર બેસાડવાની વિધિ ૨૨ એપ્રિલ ૨૦૨૬નાં રોજ રાખવામાં આવી હતી. આ વિધિમાં વૈશાલીને બોલાવાઇ ન હતી. ત્યારબાદ અખાત્રીજનો તહેવાર આવ્યો હતો. વૈશાલીએ અખાત્રીજ કરવા પિયર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પતિ ડોંગર ઉર્ફે વેડુએ તને તારી માતા બોલાવતી નથી તો પછી શા માટે ત્યાં જવા માંગે છે એમ કહી ના પાડી દીધી હતી. ઉપરાંત વૈશાલીનું અન્ય કોઇ સાથે અફેર હોવાની શંકા રાખીનવે ડોંગર ઉર્ફે વેડુ અવાર નવાર ઝઘડા કરતો હતો. વૈશાલીએ પરિવારની વિરૂધ્ધ ડોંગર સાથે ભાગી મૈત્રી કરાર કરી રહેતી હોવાથી તે ઘરે જઇ શકતી ન હતી. વૈશાલીની સાસુ પણ તેની સાથે સારા સંબંધ રાખતી ન હતી. કોઇની સાથે વાતચીત કરી વેદના જણાવી શકે એવી સ્થિતિમાં નહીં રહેલી વૈશાલી હતાશ થઇ ભાંગી પડેલી વૈશાલીએ આપઘાત જેવું આત્યંતિક પગલુ ભરવા મજબુર બની હતી. શિવાજી માળીએ આ મામલે બનેવી ડોંગર ઉર્ફે વેડુ પાટીલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 1881   |  
ખાનગી સ્કૂલોમાં કમિશનની રમત પર રોક, મોંઘાં પાઠ્યપુસ્તકો પર પ્રતિબંધ

દેશમાં કોઇપણ રાજ્યમાં કોઇપણ બોર્ડ સંચાલિત ગમે તેવી ચમરબંધ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલોમાં ધો.૧થી ૮ સુધી ફરજિયાત પણે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા પુસ્તકો કરવામાં આવેલા સત્તાવાર પાઠ્ય પુસ્તકોથી જ શિક્ષણ કાર્ય કરાવવાનું રહેશે. આગામી જૂન મહિનાથી શરૂ થનારા શૈક્ષણિક વર્ષથી જ આ નિયમ લાગૂ કરવાનો રહેશે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને કરેલી આ પ્રકારની દરમિયાનગીરીને કારણે પ્રાઇવેટ સ્કુલોના ધંધાદારી સંચાલકોની કમિશનની આવક પર રોક લાગી જશે. કેટલીક પ્રાઇવેટ સ્કુલો મોંઘાદાટ પ્રાઇવેટ પબ્લિશર્સના પુસ્તકોની ખરીદી વાલીઓ પાસે ફરજિયાત કરાવડાવે છે જેમાંથી તેમને જંગી રકમનું કમિશન મળી રહે છે. પણ હવે પ્રાઇવેટ સ્કુલોના શાળા સંચાલકોએ આ પ્રેક્ટીસ બંધ કરી દેવી પડશે.નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને સ્પષ્ટ કર્યું છે કે સરકારી કે પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકો સાથે શૈક્ષણિક ભેદભાવ સહન કરવામાં આવશે નહીં. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ દ્વારા તેયાર કરવામાં આવેલાં પુસ્તકો જ પહેલા ધોરણથી લઇને આઠમા ધોરણ સુધી ફરજિયાત ભણાવવામાં આવશે. દેશભરમાંથી ફરિયાદો બાદ પ્રિયાંક કાનૂંગોની આગેવાની હેઠળની બેન્ચે તમામ રાજ્ય સરકારો અને શિક્ષણ મંત્રાલયને નોટિસ ફટકારી છે, જેમાં ૩૦ દિવસની અંદર રિપોર્ટ માગવામાં આવ્યો છે. નમો ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને આધારે કમિશને આ કાર્યવાહી કરી છે. ઘણી વાર એવું જાેવા મળે છે કે પ્રાઇવેટ સ્કૂલો ઇરાદાપૂર્વક ખાનગી પ્રકાશકોનાં પુસ્તકોનો ઉપયોગ કરે છે જે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ કરતાં દસગણાં મોંઘાં હોય છે. હવે કમિશને ફરજિયાત કર્યું છે કે ફક્ત નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ અથવા સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ નાં પુસ્તકો જ આઠમા ધોરણ સુધી ભણાવવામાં આવે. આમ હવે વાલીઓએ પુસ્તકો પર હજારો રૂપિયા ખર્ચવાની જરૂર રહેશે નહીં. કમિશને શિક્ષણ મંત્રાલયને એ પણ પૂછ્યું છે કે આઠમાં ધોરણ સુધીનો અભ્યાસક્રમ નિર્ધારિત સરકારી ધોરણોથી કેમ અલગ છે? સ્કૂલો હવે મનસ્વી પુસ્તકો લાદી શકશે નહીં. ૩૦ દિવસની અંદર દરેક સ્કૂલનું ઓડિટ કરવામાં આવશે. જાે કોઈ પણ સ્કૂલમાં નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સિવાયનાં પુસ્તકો મળી આવશે તો સ્કૂલે એનો જવાબ આપવો પડશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 1980   |  
પરેશ પટેલે દલા તરવાડીની જેમ ફાળવેલાં પ્લોટો અંગે વરાછાનાં લોકો દ્વારા ઉમેદવારોને આકરાં સવાલો

સુરત મહાનગરપાલિકામાં બહુમતિનાં જાેરે ભાજપ શાસકોએ લીધેલા કેટલાક ર્નિણયો ચૂંટણી સમયે પક્ષ માટે આફત સાબિત થઈ રહ્યા છે. તત્કાલીન સ્થાયી સમિતિ અધ્યક્ષ અને હાલનાં શહેર પ્રમુખે ભાજપનાં કાર્યકરો અને પક્ષપલ્ટુઓનાં લાભાર્થે પાલિકાનાં પ્લોટોની લહાણી કરી હતી. જે હવે આસપાસનાં રહીશો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. આ પ્લોટોમાં ફૂડ કોર્ટ, ગેરેજ અને ગોડાઉન કાર્યરત હોવાથી સ્થાનિકો પરેશાન છે. જેનો રોષ ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોએ સહન કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મોટા વરાછામાં લોકો આ પ્લોટો ક્યારે ખાલી કરાવશો, તેનો હિસાબ માંગીને ઉમેદવારોને ઘેરી રહ્યાં છે.સુરત પાલિકાની ગત ચૂંટણીમાં ભાજપને ૯૩ બેઠકો મળી હોવા છતાં, પક્ષે ‘આપ‘નાં ૧૨ કોર્પોરેટરોને ભાજપમાં ભેળવ્યા હતા. પાલિકામાં પ્રચંડ બહુમતીને કારણે તત્કાલીન સ્થાયી સમિતિનાં અધ્યક્ષ પરેશ પટેલે ભાજપનાં કાર્યકરો અને પક્ષપલ્ટુઓને રાજી રાખવા સંખ્યાબંધ પ્લોટોની લહાણી કરી હતી. ભાજપનાં કાર્યકરોને પાલિકાનાં પ્લોટ નજીવા ભાડે ફાળવી દેવાયા હતાં, જ્યાં શેડ ઊભા કરીને ફૂડ ઝોન તથા અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓ માટે પેટાભાડે આપી દેવાયા છે. મોટાભાગનાં ફૂડ ઝોન રહેણાંક વિસ્તારમાં હોવાથી અને મોડી રાત સુધી ધમધમતા હોવાથી સ્થાનિકો માટે ન્યુસન્સ બનવા સાથે માથાનો દુખાવો બની ગયા છે. આ મુદ્દે સ્થાનીકો દ્વારા મનપા કચેરી અને શાસકો સામે અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. હવે જ્યારે મોટા વરાછા વિસ્તારમાં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે જઈ રહ્યા છે, ત્યારે લોકો પ્લોટના કારણે પડતી મુશ્કેલીઓની ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે અને પ્લોટની ફાળવણી રદ થશે કે નહીં તેવા અણીયારા પ્રશ્નો પૂછી રહ્યા છે. ઉમેદવારો પાસે આનો કોઈ સ્પષ્ટ જવાબ ન હોવાથી તેમની હાલત કફોડી થઈ રહી છે. ભાજપ શાસકોએ બહુમતિનાં જાેરે ‘દલા તરવાડી‘ જેવો વહિવટ કરી શહેરની અનેક રહેણાંક સોસાયટીઓમાં પ્લોટ ફાળવીને લોકો માટે આફત ઊભી કરી દીધી છે. હવે સંગઠનમાં અનુભવનો અભાવ અને નબળી ટીમના કારણે ઉમેદવારો મતદારોના પ્રશ્નો સામે લાચાર જણાતા હોવાથી મૌન સેવી રહ્યા છે.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 2079   |  
સુરત ભાજપ શહેર સંગઠનની નિષ્ફળતાએ આમ આદમી પાર્ટી માટે રસ્તો સરળ કરી આપ્યો

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં વર્ષ ૨૦૨૧નું પુનરાવર્તન થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે તે વાતની પ્રતીતિ ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં રોડ-શો અને જાહેરસભા પછી થવા લાગી છે. સુરત ભાજપનાં નેતાઓની જુથબંધીએ કેડરબેઝ પાર્ટીની શિસ્ત અને સંગઠનનાં લીરેલીરાં કરી મૂકતાં મોવડીમંડળ પણ વિચારમગ્ન બની ગયું છે. જે વરાછા, કતારગામ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો ભાજપ નેતાઓની સભામાં ઉમટી પડતાં હોય છે તે વિસ્તારમાં મુખ્યમંત્રીની હાજરી હોવા છતાં રોડ-શો અને જાહેરસભાનો ફિયાસ્કો થાય તે ભાજપ માટે ચિંતાજનક બાબત છે. ખંડણીખોર ચિરાગ ગોટીનાં પોલીસે કાઢેલાં વરઘોડામાં જેટલી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં તેનાથી અડધાં લોકો પણ મુખ્યમંત્રીનાં કાર્યક્રમમાં નહીં આવતાં સુરત ભાજપ સંગઠનનું પાણી તો મપાઇ જ ગયું સાથે સાથે જુથબંધી પણ ઉઘાડી પડી ગઇ અને આમ આદમી પાર્ટી માટે રસ્તો સરળ કરી આપ્યો હોય તેવો માહોલ સર્જાયો છે.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદારો સાથે ભાજપને નાડી અને નાભિનો સંબંધ હોવાનું છાતી ઠોકીને કહ્યું તેનાં કલાકોમાં જ પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં મુખ્યમંત્રીનાં કાર્યક્રમનો ફિયાસ્કો થતાં પ્રદેશ નેતાઓએ પણ પાટીદારોને અને પાટીદાર નેતાઓને ટેઇકન ફોર ગ્રાન્ટેડ ગણવાની કરેલી ભૂલ ભારે પડી રહી હોય તેમ જણાય છે. પાટીદારોમાં અસંતોષ તો છે પરંતુ એ અસંતોષની આગને ઓલવવાને બદલે એને સળગતી રાખવાનું કામ સુરત શહેર ભાજપ સંગઠને કર્યું છે. સંગઠનનાં અનુભવ વિના માત્ર સી.આર.પાટિલની વફાદારીને કારણે શહેર પ્રમુખ પદે ઠઠાડી બેસાડાયેલાં પરેશ પટેલનું સંગઠન ઉપર કોઇ જ પ્રભુત્વ નથી તે વાતની સાબિતી મુખ્યમંત્રીનાં કાર્યક્રમની નિષ્ફળતાએ આપી દેતાં ગુસ્સે ભરાયેલાં શહેરનાં એક ધારાસભ્યે તો પાર્ટીઓફિસે પહોંચીને તડાફડી કરી દેતાં મામલો મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી ચૂક્યો છે. ભાજપની જુથબંધીની આગને બે મોટા નેતાઓની અહમની લડાઇએ હવા આપી છે. આંગળી પકડીને ઉપર આવેલાં નેતાએ ગુરૂની જ અવગણનાં કરતાં વાત ચૂંટણીની હાર-જીત કરતાં એકબીજાનાં જુથને પછાડવા સુધી પહોંચી ચૂકી હોવાથી ચૂંટણીનાં બે દિવસ પહેલાં જ જે ડેમેજ થયું છે તેને કંટ્રોલ કરવું અઘરૂ થઇ પડ્યું છે જેની કિંમત ભાજપ ફરી એકવાર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ચૂકવશે તે નક્કી મનાય છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને ગત ટર્મમાં મળેલી ૨૭ બેઠકો જળવાઇ રહે તે બાબતે સી.આર.પાટિલે આપેલી ચેલેન્જ બળતામાં ઘીનું કામ કરી ગઇ હોવાથી આમ આદમી પાર્ટીનું કામ આ વખતની ચૂંટણીમાં સરળ બનાવી દીધું હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે. પાટીદાર સમાજ ઉપરાંત સિંધી સમાજ, બ્રાહ્મણ સમાજ, આહિર સમાજ, પ્રજાપતિ સમાજ અને મુળ સુરતીઓમાં પણ પ્રતિનિધિત્વ મામલે અસંતોષની લાગણી પ્રવર્તી રહી હોવાથી ભાજપ માટે તો એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. પાટીદાર પ્રભાવિત વિસ્તાર ઉપરાંત અલથાણ, બમરોલી, ગોરાટ, અડાજણ, રાંદેર, ઉધના, લિંબાયત સહિતનાં વિસ્તારોમાં ભાજપનાં ઉમેદવારોને પ્રચાર કરતાં અટકાવવાનાં કિસ્સાઓ બન્યાં છે તે જાેતાં આ વખતે પરિવર્તન છે કે પુનરાવર્તન તે કળવું મુશ્કેલ જરૂર છે પરંતુ એક વાત ચોક્કસ કે ભાજપ નેતાગીરીને સબક જરૂરથી મળશે. પરિસ્થિતિ એ સર્જાઇ છે કે, ટીકિટ વહેંચણીમાં પરિવારવાદ અને પી.એ.વાદ ચલાવનાર ભાજપ નેતાઓ પાર્ટીમાં વજન જાળવી રાખવા પોતપોતાનાં ઉમેદવારોને જીતાડવા કમર કસી રહ્યાં છે જેનાથી પેનલ તૂટવાની શક્યતાઓ પણ વધી ગઇ છે જે આમ આદમી પાર્ટી માટે તો બગાસુ ખાવા જતાં પતાસુ મળવા જેવું થશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution