આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, એપ્રીલ 2026
2178 |
નૌશાદ સોલંકીની હાજરીમાં કોળી સમાજના ૫૨ ગામોના આગેવાનો કોંગ્રેસમાં જાેડાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે. જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો, તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકો, ૪ નગરપાલિકાઓ અને એક મહાનગરપાલિકા માટે ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા કડક નિયમો બનાવતા જૂના કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઈ છે. બીજી તરફ કોંગ્રેસમાં ભાજપના ત્રણ ટર્મના આગેવાનો જાેડાતા રાજકીય ગરમાવો વઘ્યો છે. ભાજપ દ્વારા તાજેતરમાં ટિકિટ વિતરણ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ ન આપવાનો, ત્રણ ટર્મ પૂર્ણ કરેલા ઉમેદવારોને ફરી તક ન આપવાનો અને સંગઠનમાં કાર્યરત પદાધિકારીઓના સગા-સ્નેહીજનોને પણ ટિકિટ ન આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ નિયમોને કારણે વર્ષોથી ભાજપમાં સક્રિય રહેલા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. લીંબડી અને ચૂડા વિસ્તારમાં કોળી સમાજના વર્ષોથી ભાજપ સાથે જાેડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે. આ વિસ્તારના ૫૨ ગામોના આગેવાન તરીકેની છાપ ધરાવતા તેજાભાઈ મેટાલીયાએ જણાવ્યું હતું કે, “ભાજપ છેલ્લા આઠથી દસ વર્ષથી જૂના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યો છે અને નવા ચહેરાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ અવગણનાથી નારાજ થઈ અમે કોંગ્રેસમાં જાેડાવાનું નક્કી કર્યું છે.” તેમણે આગામી ચૂંટણીઓમાં પરિણામલક્ષી કામગીરી કરવાની ખાતરી પણ આપી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, એપ્રીલ 2026
1485 |
આખરે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયો ધારણ કરી લીધો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ધમાલ વચ્ચે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયા કર્યા છે. રાજુ કરપડા પોતાના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ઝંપલાવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ફેબ્રુઆરી મહિનામાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજુ કરપડાએ પાર્ટી છોડતા ભારે ચર્ચા જાગી હતી. રાજુ કરપડા સાથે તેમના ૫૦ થી વધુ સમર્થકોએ પણ આમ આદમી સાથે છેડો ફાડ્યો હતો. તેના બાદ તેમના કોંગ્રેસમાં જાેડવાની વાત વહેતી થઈ હતી. મારા મિત્રએ કેસરિયો ધારણ કર્યો છે, અમે કહ્યું હતું કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થયો : પ્રવીણ રામરાજુ કરપડા ભાજપમાં જાેડાયા મુદ્દે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે મારા પરમ મિત્ર ભાજપમાં જાેડાઈ રહ્યા છે, એટલે કે કેસરીયો ધારણ કરી રહ્યા છે. અમે તો ડે વનથી આ વાત કહી રહ્યા છીએ કે જેલમાં જ આ ખેડૂત આંદોલનનો સોદો થઈ ગયો હતો અને ખેડૂતો સાથે વિશ્વાસઘાતની શરૂઆત ત્યાંથી જ થઈ ગઈ હતી. છતાં પણ મારા પરમ મિત્ર અનેક વખત અલગ અલગ આક્ષેપો કરતા રહ્યા, પરંતુ આજે જ્યારે તેઓ કેસરીયો ધારણ કરી રહ્યા છે ત્યારે તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થાય છે. ગુજરાતના ખેડૂતોને પણ આજે આ વાતની પ્રતીતિ થશે કે આમ આદમી પાર્ટી પર થયેલા આક્ષેપો ખોટા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, એપ્રીલ 2026
1881 |
અમરેલી જિલ્લામાં ચાર જ કલાકમાં ૭ આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં ફરી એકવાર ધરા ધ્રૂજી ઉઠી છે. ખાસ કરીને મીતીયાળા પંથકમાં માત્ર ૪ કલાકના ટૂંકા ગાળામાં ભૂકંપના ૭ આંચકા અનુભવાતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગત રાત્રિથી આજે સવારના ૮ વાગ્યા સુધીમાં મીતીયાળા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. આ ધ્રુજારીની અસર મીતીયાળા ઉપરાંત ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સુધી જાેવા મળી હતી. વારંવાર આવતા આ આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ગત રાત્રિના સમયથી શરૂ થયેલા ભૂકંપના આંચકાઓએ મીતીયાળા અને આસપાસના ગામોમાં લોકોની ઊંઘ હરામ કરી નાંખી હતી. અમરેલી જિલ્લાના મીતીયાળા, ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સુધી આ આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના આંચકાઓની વિગતવાર માહિતી પર નજર કરીએ તો સવાર ૪.૧૫ મિનિટે ૧.૮ ની તીવ્રતાનો આંચકો, ત્યારબાદ ૪.૧૬ મિનિટે ૨.૩ ની તીવ્રતાનો આંચકો, ૪.૨૪ કલાકે ૧.૦ ની તીવ્રતાનો આંચકો, ૪.૫૭ મિનિટે ૧.૪ ની તીવ્રતાનો આંચકો, ૭ કલાકે ૨.૨ ની તીવ્રતાનો આંચકો આવ્યો, ૭.૧૫ મિનિટે ૩.૫૮ ની તીવ્રતાને આંચકો આવ્યો અને ૭.૫૧ મિનિટે ૧.૫ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસમોલોજી વિભાગ દ્વારા આ આંચકાઓની પુષ્ટિ કરવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે ૪૩ કિલોમીટર દૂર નોંધાયું છે. સવારે ૭:૧૫ વાગ્યે અનુભવાયેલો ૩.૫૮ ની તીવ્રતાનો આંચકો પ્રમાણમાં જાેરદાર હોવાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
3465 |
મોરબીના માળીયા નગરપાલિકાની ૨૪ બેઠકો માટે એક પણ ભાજપ દાવેદાર સામે આવ્યો નથી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થતા જ હાલ ગુજરાતમાં ભારે રાજકિય ગરમાયો જામ્યો છે. રાજ્યભરમાં હાલ ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતની વિવિધ પાર્ટીઓ વિવિધ જગ્યાએ પાલિકા, મહાનગરપાલિકા, તાલુકા તથા જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોનો ભરતી મેળો એટલે કે સેન્સ પ્રક્રિયા હાથ ધરી ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી છે. આ સમયે ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટા ભાગના શહેરોમાં ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જાેકે આવા સમયે ગુજરાતમાં આ એક જગ્યાએ સ્થિતિ એકદમ ઉલટી સર્જાઈ છે અને ભાજપને અહીં પોતાનો મુરતિયો દીવો લઇને શોધવા નીકળવું પડે તેવું જાણવા મળી રહ્યું છે. વિગતવાર વાત કરીએ તો, આ ચૂંટણીઓમાં મોરબી જિલ્લા માળીયા નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે. જે માટે ભાજપ દ્વારા યોજવામાં આવેલ સેન્સ પ્રક્રિયામાં એક પણ દાવેદાર દાવેદારી ન કરવા આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતભરમાં ભાજપ તરફથી ચૂંટણી લડવા લોકોની પડા પડી જાેવા મળી રહી છે, પરંતુ મોરબીના માળીયામાં ભાજપને એક પણ ઉમેદવાર મળ્યો નથી. જેથી ભાજપને અહીં એક ઉમેદવાર પણ શોધવો મોટી ચેલેન્જ સમાન સાબિત થઈ રહ્યો છે. આ તરફ અમદાવાદ મહાનગર પાલિકા ચૂંટણી માટે ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો સામે અંદાજે ભાજપમાં ૨૩૬૪ લોકોએ દાવેદારી નોંધાવી છે, તો અમરેલીમાં પણ ૧૬૮૦ કાર્યકરોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી સાથે જ ગુજરાતના મોટા ભાગના શહેર તથા જીલ્લાઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાજપમાંથી ચૂંટણી લડવાની ઈચ્ચા વ્યક્ત કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
3267 |
ભાવનગર શહેરમાં આચારસંહિતા ભંગની સૌ પ્રથમ ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનું રણશિંગુ ફૂકાઈ ચૂક્યું છે, ત્યારે રાજયમાં સૌ પ્રથમ આચારસંહિતા ભંગની ફરિયાદ ભાવનગરમાં નોંધાવાઇ છે. ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસનાં દાવેદાર દ્વારા ચૂંટણી તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સેમિફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં ૧૫ મહાપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો, ૮૪ નગરપાલિકાઓ અને ૨૮૦ તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજયમાં આચારસંહિતા અમલી બની ગઈ છે. ત્યારે ગુજરાતમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ ભાવનગર ખાતે નોંધાવાઇ છે. જેમાં ભાવનગરના ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩માં કોંગ્રેસનાં દાવેદાર એવા કલ્પેશ પટેલ દ્વારા સુભાષનગર ચોકમાં જૈન દેરાસર પાસે લાગેલા એક એલઇડી સ્કીન પર ભાવનગર મહાપાલિકા દ્વારા વિકાસ કાર્યોના વીડિયોની જાહેરાત ચાલતી હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે કોંગ્રેસનાં કાર્યકર અને ઘોઘાસર્કલ વોર્ડના દાવેદાર એવા કલ્પેશ પટેલ દ્વારા મીડિયાને જણાવાયું હતું કે, મારા વિસ્તાર એવા ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩માં આવેલા સુભાષનગર ચોકમાં આવેલા જૈન દેરાસર પાસે લાગેલી એલઇડી સ્ક્રીન પર ભાવનગર મહાપાલિકાએ કરેલા કામો, ખાતમુહૂર્ત કરેલા કામોના વીડિયોની જાહેરાત ચાલી રહી છે. જેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના નેતાઓના ફોટાઓ સાથેની વીડિયો જાહેરાત ચાલી રહી છે. જે એક આદર્શ સામાન્ય આચારસંહિતા ભંગ સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર મહાપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, અને આચારસંહિતા અમલી બની છે. ત્યારે આ બાબતથી આચારસંહિતાનો ભંગ થતો હોવાનું સ્પષ્ટ જણાય છે. જેથી આજે મે ચૂંટણી તંત્ર સમક્ષ આચારસંહિતા ભંગ માટેની ફરિયાદ નોંધાવી છે. આ માટે જે કોઈ જવાબદાર હોય તેવા અધિકારી હોય તેની સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
09, એપ્રીલ 2026
2673 |
વડોદરા |
વડોદરા મહાનગરપાલિકાના ૩ વૉર્ડમાં આપ અને કોંગ્રેસના ૮ ઉમેદવારોએ ઝંપલાવ્યું
વડોદરા જિલ્લાની વિવિધ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત,નગર પાલિકા અને મહાપાલિકાની ચૂંટણી માટે ગુરૂવારે કુલ ૨૨ જણાંએ ઉમેદવારી કરી હતી જયારે વડોદરા મહાનગર પાલિકાના ત્રણ વોર્ડમાં આપ અને કોંગ્રેસના ૮ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી,આ સાથેે તેમણે સોગંદનામું પણ રજૂ કર્યું હતુંચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે,જાહેર કાર્યક્રમ મુજબ વડોદરા જિલ્લામાં આવતી વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓ અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર છે.ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત તરીકે પાદરા, કરજણ, શિનોર, સાવલી, ડભોઇ, ડેસર, વડોદરા અને વાઘોડિયા તાલુકાઓનો સમાવેશ થાય છે. તેમજ નગરપાલિકા તરીકે ડભોઈ, પાદરા, સાવલી અને વાઘોડિયાની ચૂંટણી યોજાશે.આ લોકશાહી પર્વ માટે જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તા. ૦૯/૦૪/૨૦૨૬ સુધીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરાઈને પરત કરવામાં આવ્યા છે, જેના આધારે ચૂંટણીમાં રસપ્રદ જંગ જાેવા મળવાની સંભાવના છે. વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નં-૧૬માં આપ વતી હીતેશ પરમાર અને પીંકી ધીરજ લાલે અને કોંગ્રેસ વતી જગદીશ મકવાણાએ ઉમેદવારી કરી છે,વોર્ડ-૧૮માં આપ વતી વિનય સુભાષ ચવાણે બે ફોર્મ ભર્યા છે. અને ભરતભાઈ રોહિતે ઝંપલાવ્યું છે.જયારે વોર્ડ નં-૧૯માં આપ વતી જ્ઞાનદીપક શર્મા અને અક્ષયસિંહ જાદવે ઉમેદવારી કરી છે.ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે મતદાન તથા મતગણતરીના દિવસે ફરજ બજાવનાર કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ તાલીમ સત્રોમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફને ઈવીએમ મશીનના બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટના જાેડાણ, મોક પોલ પ્રક્રિયા, મશીનની સીલિંગ તથા ટેકનિકલ ખામીઓના નિવારણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન કર્મચારીઓએ ઈવીએમની કાર્યપદ્ધતિને પ્રત્યક્ષ રીતે સમજવાનો અવસર મેળવ્યો હતો.જિલ્લાના વિવિધ જાહેર સ્થળો તથા મતદાન મથકો પર મતદારોમાં જાગૃતિ લાવવા માટે પણ પ્રયાસો હાથ ધરાયા છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક વોર્ડમાં ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે, જેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી (છછઁ) અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જાેવા મળી રહી છે. ચૂંટણી નજીક આવતા રાજકીય ગરમાવો વધતો જાેવા મળી રહ્યો છે.આવતી ૨૬મી એપ્રિલે યોજાનારી આ ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર તથા રાજકીય પક્ષો બંને સજ્જ બન્યા છે અને સમગ્ર જિલ્લામાં લોકશાહીના આ મહાપર્વને લઈને ઉત્સાહનો માહોલ છવાયો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
09, એપ્રીલ 2026
1980 |
વડોદરા |
વ્યાજખોરોના ત્રાસથી કલકત્તા કાર એસેસરીઝના વેપારીનો આપઘાત
વડોદરા શહેરમાં વ્યાજખોરોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા ‘કલકત્તા કાર એસેસરીઝ’ના ૪૭ વર્ષીય વેપારી નિતિન હસમુખલાલ શાહએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને પોતાની જ દુકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.આ ઘટનાને પગલે વેપારી આલમ અને મૃતકના પરિવારમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો મુજબ, નિતિનભાઈ છેલ્લા ઘણા સમયથી કેટલાક વ્યાજખોરોના દબાણ હેઠળ હતા. પરિવારનો આક્ષેપ છે કે મુખ્ય આરોપી ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ વારસાઈ દેવાના બહાને જૂના ચેકોનો દુરુપયોગ કરી ધાકધમકી આપતો હતો. આ ઉપરાંત, અન્ય આરોપીઓ રાજુભાઈ પટેલ અને રોહન પટેલ પાસે દુકાનની ઓરિજિનલ ફાઈલો હોવાનું જાણવા મળ્યું છે: મૃતકના ભાઈએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આરોપીઓ દુકાનની મૂળ ફાઈલો દબાવીને બેઠા છે અને વેપારીને પોતાની મિલકત વેચવા દેતા નહોતા. તેમજ ત્રણેય વ્યાજખોર ક્યારેક ૫૦ લાખ, તો ક્યારેક ૧ કરોડ કે સવા કરોડની ઉઘરાણી બતાવી માનસિક ત્રાસ આપતા હતા. વધુમાં તેમને મિલકત આપી દીધી હોવા છતાં વ્યાજખોરો વ્યાજનું વ્યાજ ગણીને હજુ પણ લાખોની માંગણી કરી રહ્યા હતા. અને વેપારીના પત્નીના નામના ચેકો પણ આરોપીઓ પાસે છે, જેના આધારે તેઓ ખોટા કેસો કરીને હેરાન કરતા હતા. આપઘાતની ઘટના બાદ પરિવારે પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. મૃતકના ભાઈએ પોલીસ કમિશનરને નમ્ર વિનંતી કરી છે કે આ ત્રણેય જવાબદાર શખ્સો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી પઠાણી ઉઘરાણી અને મિલકતો પચાવી પાડવાની આ મોડસ ઓપરેન્ડીએ એક નિર્દોષ વેપારીનો ભોગ લીધો છે. “જાે મિલકત આપી દીધી હોય તો પણ વ્યાજખોરો કેમ ધરાતા નથી? મારા ભાઈને આત્મહત્યા કરવા મજબૂર કરનારા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા જાેઈએ.” હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાેકે, વ્યાજખોરીના આ દૈત્યને ડામવા માટે પોલીસ કેટલી સખ્તાઈ દાખવે છે તે જાેવું રહ્યું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
09, એપ્રીલ 2026
1881 |
વડોદરા |
બેંક ઑફ બરોડાના નિવૃત્ત મેનેજરને દોઢ કલાક વીડિયોકૉલ પર રાખીને ૧૮.૯૫ લાખની ઠગાઈ
શહેરના વાઘોડિયારોડ પર રહેતા બેંક ઓફ બરોડાના નિવૃત્ત મેનેજરને ત્રણ માસ અગાઉ ઠગ ટોળકીએ બેંક ઓફ બરોડાના એચઆર ડિપાર્ટમેન્ટના કર્મચારીના નામે ફોન કરીને બેંકના નિવૃત્ત કર્મચારીઓ માટે સ્કીમના કાર્ડ કાઢ્યા છે તેવી વાત કરીને દોઢ કલાક સુધી વીડિયોકોલ કરીને નિવૃત્ત મેનેજર અને તેમના પત્નીની ૧૧ એફડી પર ૧૮.૯૫ લાખની લોન લઈ લોનના નાણાં ઉપાડી લઈ ઠગાઈ કરી હતી.વાઘોડિયારોડ પર નિલેશ પાર્ક સોસાયટીમાં રહેતા ૭૨ વર્ષીય ભુપેશચંદ્ર પિનાકીનપ્રસાદ દવેએ શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘હંુ મારા પરિવાર સાથે રહુ છું અને ગત ૨૦૧૩માં બેન્ક ઓફ બરોડામાંથી મેનેજરના પદે રિટાયર્ડ થઈ હાલમાં નિવૃત્ત જીવન ગુજારુ છું. ગત ૧૭મી જાન્યુઆરીના બપોરે હું દાંડિયાબજારથી મારા ઘરે જતો હતો તે સમયે મારા મોબાઈલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો અને કોલ કરનારે જણાવ્યું હતું કે હું બેંક ઓફ બરોડાની હેડઓફિસ અલકાપુરીથી એચઆર ડિપાર્ટમેન્ટમાંથી બોલુ છું. તેણે મને રિટાયર્ડ કર્મચારીઓ માટેની સ્કીમની વિગતો મોકલવાનું કહીને બોબ એચઆરએમએસ વેરીફિકેશન. એપીક ગ્રુપ લીંક ટાસ્ક અર્નીંગ લીંક નામની એપીકે ફાઈલ વોટ્સએપ પર મોકલી હતી. આ એપીકે ફાઈલ ઓપન કરતાં તેમાં બેંક ઓફ બરોડા પેન્શન કાર્ડ વગેરે લખેલું હતું અને ત્યારબાદ વોટ્સએપ કોલ કટ થયો હતો. ત્યારબાદ ફરીથી આ જ નંબર પર વીડિયોકોલ આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે મોબાઈલ ફોન કટ ના કરતા. મને ફોન ચાલુ રાખવાનું કહીને ચાલુ ફોન ઉપર મારુ નામ સરનામાની વિગતો એપીકે ફાઈલમાં આવેલા ફોર્મમાં ભરી હતી અને ફોન દોઢેક કલાક ચાલ્યો હતો અને આ દરમિયાન મારો ફોન અન્ય નંબર પર ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોન કટ થતાં જ મને મારા બેંક ખાતામાંથી પૈસા કપાયેલાના ઓટીપીના નોટીફિકેશન આવવાની શરૂઆત થઈ હતી જેથી મને ખબર પડી હતી કે મારા તેમજ મારી પત્નીના બેંક ખાતામાંથી નાણાં ઉપાડવામાં આવ્યા છે. ત્યારબ૬ાદ મે મારા બેંક ખાતાઓનું ઓનલાઈન સ્ટેટસ જાેતા તેમાં ૧૦ ટ્રાન્જેકશન દ્વારા અમારી ૧૧ ફીક્સ ડિપોઝીટ પર લોન લઈને ગઠિયાએ કુલ ૧૮,૯૫,૨૨૮ રૂપિયા ટ્રાન્સફર કરીને ઉપાડી લઈ છેતરપિંડી કરી છે.’ આ ફરિયાદના પગલે પોલીસે નિવૃત્ત મેનેજર સાથે ઠગાઈ કરનાર મોબાઈલ ફોન નંબરધારક અને નાણાં ટ્રાન્સફર થયેલા એકાઉન્ટ ધારક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
09, એપ્રીલ 2026
2079 |
વડોદરા |
ભાજપે જિલ્લા પંચાયતમાં માત્ર બે ઉમેદવારોને રિપીટ કર્યા
વડોદરા શહેરની સાથે જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપાની ઉમેદવારી મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. ત્યારે આજે ભાજપા દ્વારા વડોદરા જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયત અને ચાર નગર પાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જાેકે, જિલ્લા પંચાયતમાં ભાજપા દ્વારા બે મહિલા સભ્યોની રીપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલીક બેઠકો પર પતીની જગ્યાએ પત્ની કે પૂત્રને ટીકીટ ફાળવવામાં આવી છે.જ્યારે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અંકિતા પરમારને પોર બેઠક પરથી ટીકીટ ફાળવવામાં આવી છે.વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો પૈકીની મોટાભાગની બેઠકો પર અનામત બેઠકોની ફાળવણીમાં ફેરફાર થયો છે. ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે અનામત બેઠકો બદલાવા છતાં ભાજપા દ્વારા હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયામાં દાવેદારોના રાફડો ફાટ્યો હતો. સેન્સ પ્રક્રિયા બાદ સંકલનની બેઠક મળી હતી. જેમાં બેઠક દીઠ ત્રણ ત્રણના નામોની પેનલ બનાવાઈ હતી. જ્યારે તાલુકા પંચાયત અને નગર પાલિકામાં પણ વોર્ડ દીઠ ત્રણ ત્રણના નામો સાથેની પેનલ બનાવાઈ હતી. ત્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ આજે પ્રદેશ ભાજપા દ્વારા વડોદરા જિલ્લા પંચાયત, જિલ્લાની ૮ તાલુકા પંચાયત અને ડભોઈ, પાદરા, સાવલી અને નવી બનેલી વાધોડિયા નગર પાલિકાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ડેસર અને શેરખી બેઠકના ગત ટર્મના મહિલા સભ્યોને રીપીટ કરવામાં આવ્યા હતા.જ્યારે ડભોઈની સીમળીયા બેઠક પર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અશ્વિન વકીલના પૂત્ર હર્ષિલ અશ્વિન પટેલની ટીકીટ આપી છે.જ્યારે પોર બેઠક પર વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અંકિતા પરમારને જ્યારે અનગઢ બેઠક પર વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી પ્રમુખ બિરેન પટેલને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે ભાજપા છોડીને કોંગ્રેસમાં ગયા બાદ માત્ર ૨૪ કલાકમાં ફરી ભાજપામાં પરત ફરનારા સોખડા બેઠક પર પૂર્વ સભ્ય કીરણ રાઠોડના પત્નીને ભાજપ દ્વારા ટીકીટ આપવામાં આવી છે.જાેકે, કેટલીક બેઠકો પર ટીકીટની ફાળવણી બાદ નારાજગી હોવાનું ભાજપા વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
09, એપ્રીલ 2026
1980 |
વડોદરા |
જે તે વોર્ડમાં રહેતા જ ઉમેદવારી કરી શકશે તેવા પડીકાએ કેટલાંકની ચિંતા વધારી!
વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપા દ્વારા જેતે વોર્ડમાં રહેતા તેજ વોર્ડમાં ઉમેદવારી કરી શકશે તેવા પડીકા વહેતા થતાં પોતાના વોર્ડની જગ્યાએ બીજા વોર્ડમાં દાવેદારી કરનારની ચીંતા વધારી છે. જાેકે, ગત બોર્ડમાં કેટલાક કાઉન્સિલરો જે વોર્ડમાં રહે છે. તે વોર્ડની સ્થાને નજિકના વોર્ડમાંથી જીત્યા હતા. જ્યારે મેયર પદના કેટલાક દાવેદારોએ પણ તેમના વોર્ડની જગ્યાએ જ્યા એસસી અનામત છે. તે વોર્ડમાં દાવેદારી કરી છે. જાેકે, ભાજપામાં ચાલતી ચર્ચા અને વહેતા થયેલા પડીકા મુજબ જાે અન્ય વોર્ડમાં રહેતા અને બીજા વોર્ડમાં દાવેદારી કરનારાઓમાં વોર્ડ-૪માં દાવેદારી કરનારા પૂૂર્વ કાઉન્સિલર અજીત દદીચ વોર્ડ-૬મા રહે છે. જ્યારે વોર્ડ ૫ના પૂર્વ કાઉન્સિલર નૈતિક શાહ વોર્ડ-૧૫માં રહે છે. જ્યારે ગત ટર્મના વોર્ડ-૬ના કાઉન્સિલર ડો. શિતલ મિસ્ત્રી વોર્ડ-૫માં રહે છે. તો વોર્ડ નં-૮માં રહેતા રાજેશ પ્રજાપતિ અને વિષ્ણુ પ્રજાપતિએ વોર્ડ-૯ અને ૧૧માં દાવેદારી કરી હોવાનું જાણવા મળે છે. જાે આ ક્રાઈટેરીયા હોયતો વોર્ડ-૧૫માં જેમનુ નામ ચર્ચાઈ રહ્યુ છે. તે અલ્પેશ લિંબાચીયાને ફરી વોર્ડ-૧૯મા જવુ પડે. ત્યારે વોર્ડ-૧૯માં ધારાસભ્ય યોગેશ પટેલ ચલાવશે કે કેમ? તે અંગે સવાલ છે. ઉપરાંત વોર્ડ-૧૬ના પૂર્વ કાઉન્સિલર ધનશ્યામ સોલંકીએ પણ વોર્ડ-૧૮મા દાવેદારી કરી હોવાનું જાણવા મળે છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, એપ્રીલ 2026
1584 |
શેરબજારમાં રોકાણ કરાવી ઊંચો નફો અપાવવાની લાલચમાં વેપારી સાથે એક કરોડની ઠગાઈ આચરી
અમદાવાદ શહેરમાં શેરબજારમાં રોકાણ કરાવી ઊંચો નફો અપાવવાની લાલચમાં વેપારી સાથે ૧.૦૭ કરોડ રૂપિયાની છેતરપિંડી થયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઠગે કંપની ઊભી કરાવવાનાં નામે અને મોતીલાલ ઓસવાલ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં રોકાણ કરાવવાનાં બહાને વેપારી પાસેથી રૂપિયા ૧.૩૮ કરોડ પડાવ્યા હતા. જાેકે, ઠગે બાદમાં તપાસમાં પોલ ખુલતા ૨૬.૪૯ લાખ રૂપિયા પરત આપી દીધા હતા. બાદમાં ઠગાઈ થઈ હોવાનું સામે આવતા ભોગ બનેલા વેપારીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ કરનાર સામે ફરિયાદ નોંધાવી છે. નારોલમાં રહેતા નિતિન સિંઘ નામના વેપારીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મિહિર પરીખ, ધારા પરીખ, ગીતા પરીખ (તમામ રહે, ઈન્સેપ્ટમ બિલ્ડિંગ, સેટેલાઈટ) અને હેમરાજસિંહ રાણા (રહે, ખોડીયારનગર) વિરૂદ્ધ ૧.૦૭ કરોડ રૂપિયા પડાવ્યાની ફરિયાદ કરી છે. આ કંપનીના માલિક વિવેક અગ્રવાલ અને તેની પત્નિ શ્રુતિ અગ્રવાલ છે. વિવેક અને શ્રુતિ સાથે યુવકે પત્ની, માતા અને પરિચિત સાથે મળીને ચીટિંગ આચર્યુ છે, જેના વતી નિતિન સિંગે ફરિયાદ કરી છે. આર્કેડિયર ઈન્ટરનેશનલ કંપનીના કર્મચારીઓના જુના વિમા ઉતારવા માટે અલગ-અલગ ફાયનાન્સિયલ કંપનીઓ સાથે કરાર કરતા હોય છે. જે અનુસંધાને એમ.પી.ગ્રુપ ઓફ કંપનીના ભાગીદાર મિહિર પરીખ સાથે ૮ વર્ષ પહેલા નિતિનની ઓળખાણ થઈ હતી. મિહિર ઈન્સ્યોરન્સ તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું કામ કરે છે અને ટુર્સ એન્ડ ટ્રાવેલન્સનો પણ વ્યવસાય કરે છે. વિવેક અગ્રવાલે તેમના પોતાના નામથી તેમજ પરિવારના સભ્યોના નામથી મિહિર પાસે અલગ-અલગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરાવ્યુ હતું. રોકાણ દરમિયાન ઠગ મિહિરે વિવેકને જણાવ્યુ હતું કે, આ મ્યુચ્યુઅલ ફંડ ઉપર તમને લોન પણ મળશે, તમારે જરૂરીયાત હોય ત્યારે આ લોન વાપરી શકો છો. વિવેક સહિતના લોકોએ મિહિરની વાત પર વિશ્વાસ રાખ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, એપ્રીલ 2026
1782 |
બાળકીઓના માબાપના લોહીમાં ઊંઘની દવા મળી
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ચર્ચિત કિસ્સામાં હાલ એક મોટો વળાંક આવ્યો છે. ચાંદખેડામાં બે બાળકીઓના મોત મામલે ખબર સામે આવી છે. આ ઘટનામાં માતા-પિતાના બ્લડ સેમ્પલમાંથી ઊંઘની દવાની હાજરી મળી આવતા કેસ એક નવા વળાંક પર આવીને ઉભો રહ્યો છે. માતા-પિતાના બ્લડ સેમ્પલમાં સામાન્ય પ્રમાણમાં ઊંઘની દવાની હાજરી મળી છે, જેના કારણે બાળકોમાં આ જ દવાની હાજરી મળે છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હાલ દરેક પહેલીઓ પર તપાસ કરી રહી છે, જેના કારણે ઘટનામાં કોઈ કાચું ના કપાય. બ્લડ સેમ્પલમાં મળેલી ઊંઘની દવાની હાજરી કઈ રીતે મળે છે તેને લઇને વધુ તપાસ શરૂ કરાઈ છે. જે એફએસએલ રિપોર્ટ બાદ જ મોત અંગે સત્ય બહાર આવશે. બીજી બાજુ, પોલીસે માતા-પિતાના નિવેદન નોંધ્યા હતા, જેમાં બન્ને જણાં એક જ રટણ કરી રહ્યા છે કે ખીરુંમાંથી ઢોસા બનાવી ખાદ્યા બાદ બન્ને બાળકીઓના મોત થયા છે. બન્ને બાળકીઓના મૉત બાદ માતા-પિતાની પણ તબિયત બગડી હતી, જેઓની તબિયત તો હાલ હોસ્પિટલમાં સુધારા પર છે. જાેકે, તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેના કારણે સાચું કારણ જાણી શકાય. માતા-પિતાના લોહીના સેમ્પલમાં સામાન્ય પ્રમાણમાં ઊંઘની દવાની હાજરી જાેવા મળી છે, જેના કારણે પોલીસને ક્યાંકને ક્યાંક શંકા ઉદ્દભવી છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું બાળકીઓના શરીરમાં પણ આ જ દવાની હાજરી હતી? પરંતુ બાળકોના રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે માતા-પિતાના શરીરમાં ઊંઘની દવા કઈ રીતે પહોંચી અને શું આ દવાના કારણે જ બન્ને બાળકોના મોત નિપજ્યા છે કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસ ક્યાંક કાચું ના કપાય તેના કારણે ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. પરિવાર વારંવાર જણાવી રહ્યો છે કે ઘરે લાવેલા ખીરું ખાધા બાદ આખી રાત પરિવારની તબિયત બગડી હતી. માતા-પિતાનું અનુમાન છે કે કદાચ ખીરામાં ગરોળી જેવું કોઈ ઝેરી જંતુ પડ્યું હોવાને કારણે આ ઘટના બની હોય. પોલીસે હવે માતા-પિતાના નિવેદન બાદ એફએસએલરિપોર્ટનો સહારો લીધો છે. ખીરું વેચનાર દુકાનદાર પાસેથી જે અન્ય ગ્રાહકોએ ખીરું લીધું હતું, તેમના પણ નિવેદન લેવામાં આવ્યા છે, પરંતુ અન્ય કોઈ ગ્રાહકને આવી તકલીફ થઈ હોવાનું સામે આવ્યું નથી. હાલમાં ચાંદખેડા પોલીસ અને ફોરેન્સિક એક્સપર્ટ્સ આ તમામ દિશામાં તપાસ કરી રહ્યા છે.એફએસએલનો ફાઈનલ રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્યમય મોત પરથી પડદો ઊંચકાશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, એપ્રીલ 2026
1485 |
અમદાવાદમાં એએમટીએસ બસની ટક્કરથી યુવતીઓ કાળનો કોળિયો બનતા રહી ગઈ
અમદાવાદમાં શાહઆલમ ટોલનાકા પાસે સાંજે ૮ એપ્રિલે એએમટીએસબસે એક્ટિવા સવાર બે યુવતીની અડફેટે લીધી હતી. પૂર ઝડપે આવતી એએમટીએસ બસને જાેઈને એક્ટિવા સવાર યુવતીનાં મોંઢામાંથી ચીસ નીકળી ગઈ હતી. અકસ્માતમાં બસના આગળના ભાગે એક્ટિવા ફસાઈ જતાં યુવતીઓ પર ટાયર ફરતા-ફરતા રહી ગયું હતું. જાેકે, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા રોંગ સાઈડે વાહન ચલાવવું કેટલું જાેખમીભર્યુ છે તેનો કડવો અનુભવ થયો હતો. ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અગાઉ ગોતામાં એએમટીએસ બસે સ્કૂલવાન સહિત ૩ વાહનોને અડફેટે લીધા, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. સદનસીબે વાનમાં બાળકો નહોતા. બેફામ દોડતી બસો અને રોંગ સાઈડે આવતા જતા વાહનચાલકોને પોતાની બેદરકારીભર્યુ વાહન ચલાવવાથી કરૂણ દુર્ઘટના સર્જાતી હોય છે. જેનો ઘણી વખત અંદાજ પણ હોતો નથી. કેટલાક કિસ્સામાં રોંગ સાઈડે ચાલતા લોકો પણ અકસ્માતનો ભોગ બનતા હોય છે તેવા પણ સીસીટીવી સામે આવ્યા છે. થોડા મહિના પહેલા શહેરનાં ઠક્કરનગર ચાર રસ્તા પાસે એએમટીએસ બસની અડફેટે ૬૮ વર્ષની વૃદ્ધ મહિલાનું મોત થતા ચકચાર મચી ગઈ હતી. ઘટના સર્જાતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઠક્કરનગર ચાર રસ્તા તથા તેની આસપાસના સીસીટીવી ચકાસવાની કામગીરી શરૂ કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, એપ્રીલ 2026
1782 |
દેત્રોજ :ફૂડ પોઈઝનિંગથી ૬૦ લોકોની તબિયત લથડી
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં યોજાયેલા એક પારિવારિક અને ધાર્મિક કાર્યક્રમમાં નાસ્તો કર્યા બાદ અચાનક જ મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડવા માંડી હતી. આશરે ૬૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અસરગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકના કડી શહેરની ભાગ્યોદય હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડવાની ફરજ પડી હતી. માહિતી અનુસાર, રાજપુરા ગામમાં એક પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગા-સંબંધીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગમાં આવેલા મહેમાનો માટે નાસ્તામાં સેવ-ખમણી રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં હાજર લોકોએ આ સેવ-ખમણી ખાધાના થોડા જ સમય બાદ એક પછી એક લોકોને પેટમાં દુખાવો, ઉબકા આવવા, ઉલટી થવી અને ઝાડા થઈ જવાની ફરિયાદો શરૂ થઈ ગઈ હતી. જાેતજાેતામાં ૬૦થી વધુ લોકો આ જ પ્રકારની સમસ્યાથી પીડાવા લાગ્યા હતા. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોમાં આ લક્ષણો જાેવા મળતા ગામમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે તમામ દર્દીઓને તબીબી સારવાર માટે કડી શહેર તરફ રવાના કરવામાં આવ્યા હતા. કડીની ભાગ્યોદય હોસ્પિટલ તેમજ આસપાસની અન્ય ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. એકસાથે આટલા બધા દર્દીઓ હોસ્પિટલમાં પહોંચતા મેડિકલ સ્ટાફ પણ સતર્ક થઈ ગયો હતો અને તાત્કાલિક ધોરણે સારવારનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હતો. કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં રાત્રિ ફરજ બજાવતા આરએમઓ ડૉ. કેવિન નાઈએ આ ઘટના અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે દેત્રોજ તાલુકાના રાજપુરા ગામથી ફૂડ પોઈઝનિંગના અંદાજે ૪૦થી ૫૦ જેટલા કેસ અમારી હોસ્પિટલમાં આવ્યા છે. આ તમામ લોકોને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી છે અને હાલ તમામ દર્દીઓને દાખલ કરી દેવામાં આવ્યા છે. દર્દીઓની હાલની સ્થિતિ અને લક્ષણો વિશે વાત કરતા ડૉ. કેવિને ઉમેર્યું હતું કે, “અત્યારે તમામ દર્દીઓની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને કોઈ પણ દર્દીની હાલત ગંભીર નથી. અમને જાણવા મળ્યું છે કે ગામમાં કોઈ ધાર્મિક ફેમિલી ફંક્શન હતું જેમાં સેવ-ખમણી ખાધા બાદ આ તકલીફ શરૂ થઈ હતી. દર્દીઓને મુખ્યત્વે ઝાડા, ઉલટી (વોમિટિંગ) અને પેટમાં સખત દુખાવાની સૌથી વધુ ફરિયાદો હતી. યોગ્ય સમયે મેડિકલ સહાય મળી જવાથી મોટી જાનહાનિ કે ગંભીર સ્થિતિ ટળી ગઈ છે.” રાજપુરા ગામમાં આટલા મોટા પાયે ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતાં જ દેત્રોજ તાલુકાનું આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગામની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત, ભોજનમાં વપરાયેલી સામગ્રી અને પાણીના સેમ્પલ લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે જેથી ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણી શકાય. હાલમાં તમામ દર્દીઓ ખતરાની બહાર હોવાથી તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉનાળાની શરૂઆત સાથે જ ખાદ્યપદાર્થો જલ્દી બગડી જવાની શક્યતાઓ રહેલી હોય છે, ત્યારે આવા મોટા આયોજનોમાં ભોજનની ગુણવત્તા બાબતે વિશેષ તકેદારી રાખવી અત્યંત જરૂરી બની જાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, એપ્રીલ 2026
1485 |
આખરે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયો ધારણ કરી લીધો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ધમાલ વચ્ચે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયા કર્યા છે. રાજુ કરપડા પોતાના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ઝંપલાવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ફેબ્રુઆરી મહિનામાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજુ કરપડાએ પાર્ટી છોડતા ભારે ચર્ચા જાગી હતી. રાજુ કરપડા સાથે તેમના ૫૦ થી વધુ સમર્થકોએ પણ આમ આદમી સાથે છેડો ફાડ્યો હતો. તેના બાદ તેમના કોંગ્રેસમાં જાેડવાની વાત વહેતી થઈ હતી. મારા મિત્રએ કેસરિયો ધારણ કર્યો છે, અમે કહ્યું હતું કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થયો : પ્રવીણ રામરાજુ કરપડા ભાજપમાં જાેડાયા મુદ્દે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે મારા પરમ મિત્ર ભાજપમાં જાેડાઈ રહ્યા છે, એટલે કે કેસરીયો ધારણ કરી રહ્યા છે. અમે તો ડે વનથી આ વાત કહી રહ્યા છીએ કે જેલમાં જ આ ખેડૂત આંદોલનનો સોદો થઈ ગયો હતો અને ખેડૂતો સાથે વિશ્વાસઘાતની શરૂઆત ત્યાંથી જ થઈ ગઈ હતી. છતાં પણ મારા પરમ મિત્ર અનેક વખત અલગ અલગ આક્ષેપો કરતા રહ્યા, પરંતુ આજે જ્યારે તેઓ કેસરીયો ધારણ કરી રહ્યા છે ત્યારે તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થાય છે. ગુજરાતના ખેડૂતોને પણ આજે આ વાતની પ્રતીતિ થશે કે આમ આદમી પાર્ટી પર થયેલા આક્ષેપો ખોટા હતા.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
10, એપ્રીલ 2026
990 |
સુરત |
સરકાર હસ્તક થયેલી જમીન મુક્ત કરાવવાની વાતમાં ફસાવી વેપારી સાથે ૧.૦૫ કરોડની ઠગાઇ
જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સરકાર હસ્તક થઇ ગયેલી જમીન છૂટી કરાવી આપવાની વાતમાં ભોળવી ગાંધીનગરનાં ગઠિયાએ કતારગામનાં વેપારીને ૧.૦૫ કરોડનો ચુનો ચોપડ્યો હતો.અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનાં સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર કતારગામમાં સિલ્વર સ્ટોન હીલ્સ એપાર્ટમેન્ટમાં રમેશ જાદવભાઇ કળથીયા તેમના પરિવાર સાથે રહે છે. રમેશ કળથીયાની ફુલપાડામાં બ્લોક/સર્વે નંબર.૧૧૦/૧ પૈકી ૧/૨ થી નોંધાયેલી જુની શરતની જમીન છે. ટીપી સ્કીમ નંબર ૧૫ના ફાઇનલ પ્લોટ ૮૨ વાળી ૫૫૬૪ ચોરસ મીટર જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ખાલસા થઇ એટલે કે સરકાર હસ્તક જતી રહી છે. ફૂલપાડામાં ગૌ શાલા સર્કલખી ધરમ નગર રોડ ઉપર જય યોગેશ્વર સોસાયટી પાસે આવેલી અને શ્રીસરકાર થઇ ગયેલી આ જમીન મુક્ત કરાવવા માટે રમેશ કળથીયા ગાંધીનગર સચિવાલયનાં આંટાફેરા કરતાં હતાં. આ દરમિયાન તેમની મુલાકાત ગાંડાભાઇ કચરાભાઇ પ્રજાપતિ (રહે, ૪૯૮/૧,સેક્ટર-૧૨/બી, ગાંધીનગર, સેક્ટર-૧૬ ગાંધીનગર) સાથે થઇ હતી. મે, ૨૦૧૯માં મળેલા ગાંડાભાઇએ તેમનું મહેસુલ વિભાગમાં સારુ નેટવર્ક છે, તેઓ લાયઝનિંગનાં મોટા કામ કરે છે. અધિકારી અને મંત્રીઓ સાથે ઘરોબો હોવાથી બધા કામ પાર પાડી દઉ છું એમ કહી રમેશ કળથીયા ઉપર પ્રભાવ પાડ્યો હતો. ગાંડાભાઇની વાતમાં આવી ગયેલા કળથીયાએ તેને ટોચ મર્યાદા ધારા હેઠળ હસ્તક ગયેલી પોતાની જમીન કાયદેસર છૂટી કરાવી આપવા કહ્યું હતું. પ્રજાપતિએ ૫૬૬૪ ચોરસ મીટર જમીન ફરી તમારા નામે કરી આપીશ એમ કહી તેના દસ્તાવેજાે મેળવી લીધા હતાં. બાદમાં કામ ચાલુ થઈ ગયાનું કહી કચેરીઓમાં વ્યવહાર કરવાના નામે કળથીયા પાસે ૧.૦૫ કરોડ રૂપિયા માંગ્યા હતાં. આટલી મોટી રકમ આપવામાં કચવાટ અનુભવતાં કળથીયાને ભરોસામાં લેવા માટે ગાંડાભાઇ પ્રજાપતિએ લખાણ કરી આપવાની તૈયારી બતાવી હતી. જમીન સંપાદન મુક્ત ન થાય તો રૂપિયા પરત કરવાની બાંહેધરીનું લખાણ પણ પ્રજાપતિએ આપતા કળથીયાએ તેને પૈસા આપી દીધા હતાં. સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં આ બધા વ્યવહાર થઈ ગયા હતાં. ચાર વર્ષ વિત્યા છતાં પ્રજાપતિએ જમીનનું કામ કરી આપ્યું ન હતું. વાત આગળ વધતી ન હોવાથી કળથીયાએ તેમની પાસે પૈસા પરત માંગ્યા હતાં. બાંહેધરી અનુસાર પૈસા પરત કરવાની જગ્યાએ ગાંડાભાઇએ પહેલા બહાના બાજી કરી સમય પસાર કર્યો અને પછી પૈસા આપી દઉ છું એવા વાયદા કર્યે રાખ્યા હતાં. આવામાં બીજા ત્રણ વીતી જવા છતાં ન તો જમીનનું કામ થયું કે ન પૈસા પરત કરાયા. આવા સંજાેગોમાં રમેશ કળથીયાએ પ્રજાપતિ સામે વિશ્વાસઘાત છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
10, એપ્રીલ 2026
990 |
સુરત |
આસ્થા હોમ્સ ગ્રૂપનાં બિલ્ડર લક્ષ્મીદાસ વેકરીયા દ્વારા જમીન વેચાણમાં રૂ. ૩.૫૦ કરોડનું ચીટિંગ
આસ્થા હોમ્સ નામથી કન્સ્ટ્રક્શનનું કામ કરતાં બહુચર્ચિત બિલ્ડર લક્ષ્મીદાસ વેકરિયાએ સણિયા હેમાદની જમીનનાં વેચાણમાં ચીટિંગ કર્યાની ફરિયાદ સારોલી પોલીસ મથકમાં નોંધાઇ છે.સુમુલડેરી રોડ ઉપર રોયલ પાર્ક સોસાયટીમાં રહેતાં વિરેન જયંતિભાઇ અજુડીયા જમીન લે-વેચ તથા કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. જમીન દલાલીનું કામ કરતાં વ્રજલાલ બાલુભાઈ વેકરીયા સાથે અજુડીયાને ઘણાં સમયથી ઓળખ પરિચય હતો. અજુડીયા વ્રજલાલ થકી તેમના ભાઈ લક્ષ્મીદાસ વેકરીયા સાથે સંપર્કમાં આવ્યા હતાં. લક્ષ્મીદાસ વેકરીયાએ અજુડીયાને જણાવ્યું હતું કે, તેમની સણીયા હેમાદમાં આવેલી બ્લોક નં.૧૭૨/અ, રે.સર્વ નં.૧૫૫ પૈકીની જુની શરતની ૪૫૫૩ ચોરસ મીટર જમીનનો અમુક હિસ્સો વેચાણ આપવાનો છે. ડેવલપિંગ એરિયા હોવાથી વિરેને તેમના કાકા વિઠ્ઠલભાઈ તથા મિત્ર સાગર ભાયાણીને આ બાબતે વાત કરી હતી. બાદમાં તેઓએ ભાગીદારીમાં હિસ્સો રાખવા સંમત થયા હતાં. ૧૯મી ઓક્ટોબર ૨૦૧૬નાં રોજ તેઓએ આ જમીનમાં ૩૩.૮૫% હિસ્સો એટલે કે ૧૫૪૧ ચોરસ મીટરનો ભાગ ૩.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જેમાં ૩,૪૨,૦૦,૦૦૦ રૂપિયા રોકડા અને ચાર લાખ ચેકથી અપાયા હતાં. પેમેન્ટ ચૂકવ્યા બાદ વેકરિયાને એ હિસ્સાનો વેચાણ દસ્તાવેજ કરી આપવા કહેવાયું હતું. જેમાં તેમણે બહાનાબાજી કરી સમય પસાર કરવા માંડતાં અજુડીયાને શંકા ગઇ હતી. તેઓએ તપાસ કરાવતાં જાણવા મળ્યું કે, લક્ષ્મીદાસ વેકરીયાએ ૧૬ જુન, ૨૦૨૦ના રોજ ધનપાલભાઈ મનુભાઈ શાહ નામના વ્યકતીને આખી જમીન વેચી રજીસ્ટર્ડ સાટખત પણ કરી આપ્યો છે. આ મામલે વેકરિયાને પૂછવામાં આવતાં તેમણે મારે નાણાંની જરૂર હોવાથી ધનપાલ શાહ પાસે પૈસા લીધા છે, જેની સામે સિક્યુરીટી પેટે સાટાખત કરી આપ્યો છે, જમીન વેચી નથી એવો ખુલાસો કર્યો હતો. સાથે જ આઠ માસમાં સાટાખત રદ કરાવી તમને દસ્તાવેજ કરી આપીશ એવો વાયદો પણ કર્યો અને બાંહેધરીનું નોટરાઇઝ લખાણ પણ કરી આપ્યું હતું. આ સમય વિત્યા છતાં વેકરિયાએ ધનપાલ મનુભાઈ શાહને કરી આપેલ સાટાખત રદ કરાવી અજુડીયાને દસ્તાવેદ કરી આપ્યો ન હતો. ત્યારબાદ માર્ચ ૨૦૨૫માં અજુડીયાએ રેવન્યુ રેકર્ડની નકલો કઢાવતાં એવું જાણવા મળ્યું કે, માર્ચ ૨૦૨૫માં લક્ષ્મીદાસના કુલમુખત્યાર તરીકે તેના ભાઇ વ્રજલાલે જનક બાલુભાઇ ભાલાળા તથા રાજેન્દ્ર મનુભાઈ કાકડીયાનાં નામે એ જમીનનો દસ્તાવેજ કરી દીધો છે. પોતે ખરીદી હતી એ જમીનનો માલિક લક્ષ્મીદાસે ધનપાલ શાહને સાટાખત કરી આપ્યો જ્યારે પાવરદાર તરીકે તેના ભાઈ વ્રજલાલે ભાલાળા અને કાકડીયાને દસ્તાવેજ કરી આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાનું જાણવા મળતા વિરેન અજુવડીયાએ તેમની સામે સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
શિક્ષણ
10, એપ્રીલ 2026
2079 |
સુરત |
સેન્ટ્રલ બોર્ડનો ર્નિણય: ધોરણ ૬થી ૧૦નાં વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે
નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સૂચિત કરાયા અનુસાર દેશનાં સૌથી મોટા એજ્યુકેશનલ બોર્ડ (સીબીએસઇ)એ ૨૦૨૬-૨૭નાં નવા શૈક્ષણિક વર્ષથી ધો.૬નાં વિદ્યાર્થીઓને બે નહીં પણ ત્રણ ભાષા ફરજિયાત ભણાવવા માટેનો ર્નિણય જાહેર કર્યો છે અને સેન્ટ્રલ બોર્ડની આખા દેશની શાળાઓનાં આચાર્યોને આ ર્નિણયનો આગામી સાત દિવસથી જ અમલ કરવા માટે સૂચના આપી છે. પહેલી ભાષા અંગ્રેજી, દ્વિતીય ભાષા હિન્દી અને ત્રીજી ભાષા તરીકે જે પ્રાદેશિક ભાષા બોલાતી હોય તે શીખવાડવામાં આવશે. ગુજરાતમાં ત્રીજી ભાષા તરીકે ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવાશે જે ધો.૬થી રોટેશન અનુસાર ધો.૧૦ સુધી લાગૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને માધ્યમિક સ્તરે ત્રણમાંથી કોઇ બે ભાષાની પસંદગીનો વિકલ્પ પણ આપવામાં આવશે.‘નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન ૨૦૨૩‘પર આધારિત આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભાષાકીય કૌશલ્ય, સાંસ્કૃતિક સમજ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર અભ્યાસક્રમ હજુ ઉપલબ્ધ ન હોવા છતાં, શિક્ષણ કાર્ય તાત્કાલિક શરૂ કરવું ફરજિયાત છે. શાળાઓને સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી પાઠ્યપુસ્તકો જાહેર ના થાય ત્યાં સુધી સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અભ્યાસ સામગ્રીનો ઉપયોગ કરીને ભણાવવાનું શરૂ કરી દેવું. આ માટે શાળાઓએ પસંદ કરેલી ભાષાની વિગતો પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે અને પ્રાદેશિક કચેરીઓને પણ આ અંગે જાણ કરવાની રહેશે. ત્રિભાષા(ઇ૩) મોડેલ મુજબ, ધોરણ ૬થી ૧૦નાં વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે. આ મોડેલની સૌથી મહત્ત્વની શરત એ છે કે પસંદ કરવામાં આવેલી ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય મૂળની હોવી જાેઈએ, જ્યારે ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી અથવા કોઈપણ વિદેશી ભાષાની પસંદગી કરી શકાશે. આ નવી શિક્ષણ પદ્ધતિને તબક્કાવાર રીતે લાગુ કરીને વર્ષ ૨૦૩૧ની બોર્ડ પરીક્ષા સુધીમાં સંપૂર્ણપણે પ્રભાવી બનાવવાની યોજના છે. આ ર્નિણયથી વિદ્યાર્થીઓમાં બહુભાષાવાદ અને વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યેનો આદર વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
1980 |
સુરત |
ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ઉપર ધૂમાડાને કંટ્રોલ કરવા બાયોક્લુમ અને ફોમ મટિરિયલનો ડ્રોન દ્વારા છંટકાવ કરવાનાં પ્રયોગો
સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ ટૂંકસમયમાં જ સુરતની મુલાકાત લેવાની છે ત્યારે ખજાેદ ડિસ્પોઝલ સાઇટની આગ અને ધૂમાડો સુરત મહાનગર પાલિકાનાં માર્ક્સ કાપી શકે તેમ છે, એક તરફ સ્વચ્છતાનો એવોર્ડ છીનવાઇ જવાનો ડર અને બીજીતરફ દિપલી, ખજાેદ સહિતનાં ગામોમાં રહેતાં લોકોમાં વધતાં જતાં રોષને જાેતાં સત્તાધીશોએ વિવાદને ટાળવા ધૂમાડાને કાબુમાં લેવા જુદા જુદા પ્રયોગો હાથ ધર્યાં છે.ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં ગાંધીનગર સ્થિત મેમ્બર સેક્રેટરી ડી.એમ. ઠાકરે દંડ ફટકારવાની ચીમકી આપ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર વધારે ગંભીર બન્યાં છે. કમિશનરે આજે ગુરૂવારે ઉચ્ચાધિકારીઓની તાકિદની મીટિંગ બોલાવીને ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે ધૂમાડાને કેવી રીતે કાબુમાં લેવો તે બાબતે વિશદ ચર્ચા કરી હતી. અમદાવાદ ખાતેનાં બાયોકલ્ચર એક્સપર્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા રેનેઝાઇમ નામના બાયોક્લુમ ધૂમાડા ઉપર છંટકાવ કરવામાં આવે તો ઘન કચરામાંથી ઉત્પન્ન થતા મિથેન ગેસ અને આગ ઉપર કાબુ મેળવી શકાય તેમ હોવાનું અધિકારીઓ દ્વારા જણાવાયું હતું. અમદાવાદનાં કન્સલ્ટન્ટને ગુરૂવારે ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે લઇ જઇને બાયોક્લુમનો છંટકાવ કરાવી ચકાસણી કરાવી હતી. આ ઉપરાંત ફોમ મટીરિયલથી પણ ધૂમાડા ઉપર કાબુ મેળવી શકાય તેમ હોવાથી તેનું પણ પરિક્ષણ આજે કરવામાં આવ્યું હતું. બાયોક્લુમ અને ફોમ મટીરિયલને ડ્રોનનો ઉપયોગ કરીને સ્પ્રિંકલ કરી જે વિસ્તારમાં આગ લાગી હોય કે ધૂમાડો નીકળતો હોય તે વિસ્તારમાં છંટકાવ કરીને આગ અને ધૂમાડાને કાબુમાં લઇ શકાય તેવું પરિક્ષણમાં જણાતા તે દિશામાં કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મહાનગર પાલિકાનાં અધિકારીઓએ જણાવ્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
10, એપ્રીલ 2026
990 |
સુરત |
શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપમાં સત્તાવાર યાદી જાહેર નહીં થઇ હોવા છતાં ગોડફાધરોએ પોતાનાં ચેલકાંઓને કન્ફર્મેશન આપી દીધાં
સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવાનું ભાજપ મોવડીમંડળ માટે પણ એટલું સરળ રહ્યું ન હતું. છેલ્લા ૨૪ કલાકથી ટિકીટવાંચ્છુઓ અને તેમનાં સમર્થકો, પરિવારજનો આતુરતાપૂર્વક રાહ જાેઇ રહ્યાં હતાં પરંતુ ગાંધીનગરથી કોઇ સમાચાર સત્તાવારરીતે જાહેર નહીં કરતાં આતુરતા વધી ગઇ હતી. શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપ મોવડીમંડળ દ્વારા આજે ગુરૂવારે મોડી સાંજ સુધી ઉમેદવારોની કોઇ જ સત્તાવાર યાદી જાહેર કરી ન હતી તેમ છતાં ગોડફાધરોએ પોતપોતાનાં ચેલકાંઓને કન્ફર્મેશન આપી દીધાં હતાં. મળતી માહિતી મુજબ ૧૨૦ બેઠક પૈકી ૪૫ જેટલાં ઉમેદવારોને તેમનાં ગોડફાધરોએ ટિકીટનું કન્ફર્મેશન આપી દેતાં આ ૪૫ ઉમેદવારોએ પોતાનાં સમર્થકો સાથે તૈયારીઓ શરૂ કરી દીધી હતી.ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં સમગ્ર રાજયની મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પાર પાડવામાં આવી છે. છેલ્લા બે દિવસથી આ કવાયત કરવામાં આવી રહી છે જેમાં પંચાયતો અને નગરપાલિકાઓનાં ઉમેદવારો અંગે ગઇકાલે બુધવારે વિગતવાર મનોમંથન કરવામાં આવ્યાં બાદ આજે ગુરૂવારે મહાનગર પાલિકાઓનાં ઉમેદવારોની પસંદગીની વૈતરણી પાર પાડવાની કામગીરી મોવડીમંડળ દ્વારા કરવામાં આવી હતી. સુરત મહાનગર પાલિકાની ૧૨૦ બેઠકો માટે સાંજનો સમય ફાળવવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્યો અને સંગઠનનાં પદાધિકારીઓનાં મંતવ્યો પણ લેવામાં આવ્યાં હતાં. સુરતમાં જ્ઞાતિ-જાતિ, વિસ્તાર, પ્રાન્તવાદને ધ્યાનમાં રાખીને પસંદગી કરવાનો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો હતો પરંતુ ખાસકરીને પૂર્વ પ્રદેશ પ્રમુખ-કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલ જુથ, પૂર્ણેશ મોદી જુથ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જુથનાં ઉમેદવારો માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભારે ખેંચતાણ થઇ હોવાનું જાણવા મળે છે. ત્રણ વર્ષની ટર્મ અને ૬૦ વર્ષની ઉંમરનાં ક્રાઇટેરિયાને કારણે કેટલાક પૂર્વ કોર્પોરેટરો રીપિટ થઇ શકે તેમ નથી એટલે તેમની ટિકીટ કપાઇ જવાની છે તો બીજીતરફ અનામત બેઠકોને કારણે પણ કેટલાક મહત્વકાંક્ષી પૂર્વ કોર્પોરેટરોની ફરી ચૂંટણી લડવાની મહેચ્છા પરિપૂર્ણ થઇ શકે તેમ નથી. અનામતને કારણે બીજા વોર્ડમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવતાં કેટલાક પૂર્વ કોર્પોરેટરોએ ઘણું લોબિંગ કર્યું છે પરંતુ ભાજપ મોવડી મંડળે આવી પ્રથાને પ્રાધાન્ય નહીં આપવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન ધરાવતાં કેટલાક ગોડફાધરોએ પોતાનાં ચેલકાંઓને કન્ફર્મેશન આપી દેતાં ૪૫ જેટલાં ઉમેદવારોએ સમર્થકોને પણ જાણ કરીને ચૂંટણી લડવાની જાેશભેર તૈયારીઓ કરી દીધી છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...