આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, મે 2026
2574 |
ધોલેરા અને સુરતમાં ૪,૦૦૦ કરોડના સેમી કન્ડક્ટર પ્લાન્ટને કેન્દ્રની મંજૂરી
કેન્દ્ર સરકારે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાતમાં બે નવા સેમીકન્ડક્ટર એકમો સ્થાપવાની મંજૂરી આપી દીધી છે. આ પગલું માત્ર ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ નેક્સ્ટ જનરેશન ડિસ્પ્લે ટેકનોલોજી અને ચિપ પેકેજિંગમાં ભારતની હાજરી વૈશ્વિક સ્તરે નોંધાવશે. આ બંને પ્રોજેક્ટ્સમાં આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકાર અત્યાર સુધીમાં કુલ ૧૦ સેમીકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી આપી ચૂકી છે, જેમાંથી માઈક્રોન ટેકનોલોજી અને કેન્સ ટેકનોલોજી જેવી દિગ્ગજ કંપનીઓના પ્લાન્ટમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. સરકારે ગુજરાતના ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડની ૩,૦૬૮ કરોડ રૂપિયાના રોકાણવાળી ‘ઇન્ટિગ્રેટેડ કમ્પાઉન્ડ સેમીકન્ડક્ટર અને એડવાન્સ્ડ પેકેજિંગ’ સુવિધાને મંજૂરી આપી છે. આ યુનિટ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે કારણ કે તે ગેલિયમ નાઇટ્રાઇડ વેફર્સનું ઉત્પાદન કરશે, જે મિની અને માઇક્રો ન્ઈડ્ઢ ડિસ્પ્લેનો મુખ્ય હિસ્સો છે. તેની વાર્ષિક ક્ષમતા ૭૨,૦૦૦ ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ અને ૨૪,૦૦૦ સેટ ઇય્મ્ ય્ટ્ઠદ્ગ વેફર્સની હશે. આ પ્રોજેક્ટથી અંદાજે ૧,૬૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે. આ એકમ ભારતનું પ્રથમ માઇક્રો ન્ઈડ્ઢ ફેબ્રિકેશન યુનિટ હશે, જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદેશ મંત્રાલયનું વ્યૂહાત્મક સમર્થન પણ સામેલ છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડના આ પ્રોજેક્ટને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે આને એક વ્યૂહાત્મક દાવ ગણાવ્યો છે. હાલમાં વૈશ્વિક ડિસ્પ્લે ઇન્ડસ્ટ્રી એક મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. દાયકાઓ સુધી જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયાએ ન્ઝ્રડ્ઢ બજાર પર રાજ કર્યું, પરંતુ તાજેતરના વર્ષોમાં ચીને ભારે રોકાણના દમ પર આ ક્ષેત્રમાં પોતાની પકડ જમાવી લીધી છે. ગુજરાતના જ સુરત શહેરમાં સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક ઓએસએટી સુવિધાને કેબિનેટે લીલી ઝંડી આપી છે. ૮૬૮ કરોડ રૂપિયાના રોકાણથી બનનારું આ યુનિટ સેમીકન્ડક્ટર વેલ્યુ ચેઇનની એક મહત્વપૂર્ણ કડી છે. અહીં ‘લીડ ફ્રેમ’ અને ‘વાયર-બોન્ડ’ પેકેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચિપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ કરવામાં આવશે. આ યુનિટ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઓટોમોટિવ સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરશે. તેની વાર્ષિક ક્ષમતા ૬૭૩ મિલિયન સ્મોલ આઉટલાઇન ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને ૩૬૦ મિલિયન ટ્રાન્ઝિસ્ટર આઉટલાઇન પેકેજ તૈયાર કરવાની હશે. આ પ્લાન્ટથી અંદાજે ૬૩૦ લોકોને રોજગારી મળશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, મે 2026
3564 |
પોરબંદરમાં ૧૨ વર્ષના કિશોરે ૪ વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચર્યું
ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. શહેરના ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પાડોશમાં રહેતા માત્ર ૧૨ વર્ષના એક સગીરે ૪ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આ શરમજનક કિસ્સો ત્યારે બન્યો જ્યારે ભોગ બનનાર ૪ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન પાડોશમાં જ રહેતો ૧૨ વર્ષનો કિશોર બાળકીને રમાડવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. બાળકીની માસૂમિયતનો લાભ ઉઠાવી કિશોરે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની ઉંમર ૧૨ વર્ષની છે અને તે ભોગ બનનાર બાળકીના પાડોશમાં રહે છે. જ્યારે ભોગ બનનાર બાળકીની ઉંમર ૪ થી ૫ વર્ષની હોવાનું મનાય છે. પ્રાથમિક વિગતો મુજબ, સગીરે બાળકી પર બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની તબિયત અચાનક લથડતા અને શારીરિક તકલીફ જણાતા પરિવારે પૂછપરછ કરી હતી, જેમાં આ ભયાનક સત્ય બહાર આવ્યું હતું. બાળકીના પરિવારજનોએ આ મામલે તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. કમલાબાગ પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધી છે. બાળકીની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક મેડિકલ પરીક્ષણ અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોપી પોતે સગીર વયનો હોવાથી પોલીસ દ્વારા ‘જુવેનાઈલ જસ્ટિસ એક્ટ’ (બાલ સંરક્ષણ ધારો) મુજબ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને તમામ પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી તેજ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, મે 2026
3069 |
જામનગર કોર્ટે ગોસાબારા આરડીએકસ કેસમાં ૧૨ આરોપીઓને કસૂરવાર જાહેર કર્યા
વર્ષો જૂના અને સમગ્ર દેશને હચમચાવી દેનારા પોરબંદરના ગોસાબારા આરડીએકસ લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ૧૯૯૩ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટનું જે કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હતું, તેના વિસ્ફોટકો જે દરિયાઈ માર્ગે ભારત આવ્યા હતા તે કેસમાં કોર્ટે ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદો આતંકવાદ વિરુદ્ધ ભારતની કાયદાકીય લડાઈમાં એક મોટી જીત સમાન છે. જાન્યુઆરી ૧૯૯૩માં મુંબઈ વિસ્ફોટોના થોડા સમય પહેલા પાકિસ્તાનના કરાચીથી દરિયાઈ માર્ગે હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો ગુજરાત મોકલવામાં આવ્યો હતો. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણના ઈશારે પોરબંદરના ગોસાબારા દરિયાકિનારે આ ઘાતક સામાન ઉતારવામાં આવ્યો હતો. જેમાં આરડીએકસ એકે-૪૭ રાઈફલ્સ અને હેન્ડ ગ્રેનેડ્સનો સમાવેશ થતો હતો. આ જ વિસ્ફોટકોનો ઉપયોગ બાદમાં મુંબઈને લોહીલુહાણ કરવા માટે કરવામાં આવ્યો હતો.લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ આજે ન્યાય મળ્યો છે. કેસની ગંભીરતા આ આંકડાઓ પરથી સમજી શકાય છે: કુલ આરોપીઓ: ૪૬,કેસ દરમિયાન મૃત્યુ પામેલા આરોપીઓ: ૧૧,ડિસ્ચાર્જ થયેલા આરોપીઓ: ૦૬, સુનાવણીનો સામનો કરનાર આરોપીઓ: ૨૯,કોર્ટે દોષિત ઠેરવેલા આરોપીઓ: ૧૨ કોર્ટે જે ૧૨ આરોપીઓને આ ગુનામાં સામેલ ગણ્યા છે તેમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આદમ વાઘેર, અહેમદ ઇસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ લાખાણી (મેમણ), ઈફતેખાર અન્સારી, મહમદ અયુબ અન્સારી (અયુબ ટકલો), લખમણ હરદાસ આહીર, સલીમ કતા, મમુમિંયા ઉર્ફે પંજૂમિંયા સૈયદ બુખારી, ઇસ્તીયાક અહેમદ અન્સારી અને કાદીર અહેમદ શેખનો સમાવેશ થાય છે. તપાસમાં ખુલાસો થયો હતો કે આ વિસ્ફોટક સામગ્રી દાઉદ ઈબ્રાહિમ અને મુસ્તફા ડોસા દ્વારા પાકિસ્તાની બોટમાં મોકલવામાં આવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
2772 |
ભાવનગરમાં હેરાનગતિને કારણે યુવકે સળગી જઈને આપઘાત કર્યાે
ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં સાસરિયાઓના કથિત ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. યુવકે જ્વલનશીલ પ્રવાહી છાંટી પોતાની જાતને આગ ચાંપી દીધી હતી, જેમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. સારવાર દરમિયાન બે દિવસ બાદ હોસ્પિટલમાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં યુવક તડફડાટ વચ્ચે આત્યંતિક પગલું ભરી રહ્યો હોવાનું નજરે પડે છે, જેને જાેઈ લોકોમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ છે.મૃતકના ભાઈ રાજેન્દ્ર રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારના જણાવ્યા મુજબ, યુવકને તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા લાંબા સમયથી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સતત હેરાનગતિને કારણે યુવકને આ આપઘાતનું પગલું ભરવા માટે મજબૂર થવું પડ્યું હોવાનું તેઓએ આક્ષેપ કર્યો છે. પરિવારે આરોપીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે, આરોપીઓને દાખલારૂપ સજા મળવી જાેઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
01, મે 2026
3465 |
મુંદ્રા બંદરે સિંગાપોરથી આવેલું નકલી સિગારેટનું કન્ટેનર ઝડપાયું
ગુજરાતના મુંદ્રા બંદરેથી ફરી એકવાર મોટા પાયે થતી દાણચોરીનો પર્દાફાશ થયો છે. ડ્ઢઇૈં (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) એ એક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને સિંગાપોરથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે ૧૯.૮૭ કરોડની કિંમતની નકલી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કન્ટેનર માટે કોઈ પણ સત્તાવાર ‘બિલ ઓફ એન્ટ્રી’ રજૂ કરવામાં આવી નહોતી. દસ્તાવેજાેના અભાવે શંકા જતાં જ્યારે કન્ટેનરની તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી કુલ ૮૨,૮૦,૦૦૦ નકલી સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. ડ્ઢઇૈં એ આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને કસ્ટમ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સિંગાપોર જેવા દેશમાંથી આટલી મોટી માત્રામાં નકલી સિગારેટનો જથ્થો મુંદ્રા પોર્ટ પર ઉતરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ ડ્ઢઇૈં એ સિગારેટના આ જથ્થાને કોણે મંગાવ્યો હતો અને તે ક્યાં મોકલવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, મે 2026
2574 |
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા
ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
2772 |
વડોદરાની MSUમાં 'મોદીતત્ત્વ' અને 'RSS' ભણાવાશે? વિદ્યાર્થીઓ માટે ફાયદો કે રાજકારણ?
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નવા ‘Sociology of Patriotism’ કોર્સને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. આ કોર્સમાં ‘Modi Tatva’ અને RSS ની વિચારધારાનો સમાવેશ થવાથી શિક્ષણમાં રાજકીય પ્રભાવ અંગે સવાલો ઉઠ્યા છે. યુનિવર્સિટીનું કહેવું છે કે આ અભ્યાસક્રમ રાષ્ટ્રવાદ અને સામાજિક સમજ વધારવા માટે છે, જ્યારે વિરોધ પક્ષ અને વિદ્યાર્થી સંગઠનો તેને પ્રોપેગેન્ડા ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ કોર્સ વિદ્યાર્થીઓ માટે કેટલો ફાયદાકારક સાબિત થાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, એપ્રીલ 2026
4653 |
ભરૂચ લાફાકાંડ: ચૈતર વસાવાએ કેમ માર્યો લાફો? સચ્ચાઈ આવી સામે!
ભરૂચ જિલ્લામાં ઝઘડિયા GIDC વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ બાદ ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. પીડિત પરિવારો વળતર અને ન્યાયની માંગ સાથે એકત્ર થયા હતા. આ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર હાજર એક યુવાન સાથે તેમની બોલાચાલી થઈ અને મામલો લાફાકાંડ સુધી પહોંચી ગયો. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઘટનાને લઈને વિવિધ આક્ષેપો સામે આવી રહ્યા છે, જોકે સત્તાવાર રીતે હજી સુધી પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, એપ્રીલ 2026
4752 |
ગ્રામ પંચાયત ભવન બનાવવા હોય તો ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રાન્ટ ફાળવાશે
ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ નું ગ્રાન્ટ ફાળવણી પર વિવાદિત નિવેદન બાદ મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી દ્વારા જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નું નિર્માણ તથા ૨૧ લાખ ગ્રાન્ટ ફાળવાશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે. શુ ચૂંટણી પંચ પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર સત્તા પક્ષ દ્વારા યેનકેન પ્રકારે પણ સત્તા હસ્તે કરવા વિવિધ હથકંડા અપનાવવામાં આવતાં હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેફામ વાણી વિલાસ કરી ધાકધમકી નું વાતાવરણ ઉભું કરી મતદારો પર હાવી થવાના પ્રયાસ કરતાં હોય ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ મિતેષ પટેલે ગ્રાન્ટ ફાળવણી ના મુદ્દે વિવાદિત નિવેદન કર્યાબાદ વધુ એક ભાજપ નેતા મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ સ્વરાજકીય સંસ્થા ના ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર સમયે વાણી વિલાસ કરતાં હોય તેમ જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નિર્માણ તથા ૨૧ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ચર્ચાની એરણે ચઢવા પામતાં રાજકારણ ગરમાતા શું ચૂંટણી આયોગ આ મુદ્દે પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
22, એપ્રીલ 2026
6039 |
વડોદરા |
યુસુફ પઠાણના સસરા અને તેમના સાળાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણના સસરાની તેમના પુત્ર અને અન્ય એક સંબંધી સાથે ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે બે દિવસ પહેલા, ભાયખલા વિસ્તારમાં એક વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે વ્યક્તિની કાર ખાડામાંથી પસાર થઈ હતી અને તેમાંથી એક પર પાણી છાંટા પડ્યા હતા. ભાયખલા પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસી યુસુફ ખાન શનિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાંથી પાણીના છાંટા પડ્યા અને શોએબ ખાન પર પડ્યા. યુસુફ ખાને પોલીસને જણાવ્યું કે તેણે કાર રોકી અને તરત જ માફી માંગી, પરંતુ શોએબે તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને વાંસની લાકડીથી કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ શોએબે યુસુફ ખાન પર હુમલો કર્યો, જેમાં તેમને ઈજા થઈ.ઘરે પાછા ફર્યા પછી, યુસુફ ખાનના પરિવારે તેને પોલીસ પાસે જવાની સલાહ આપી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં, તેમનો સામનો ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) સાથે થયો, જેણે તેના પુત્ર ઉમરશાદ ખાન, શોએબ અને અન્ય આરોપી શાહબાઝ પઠાણ સાથે મળીને દલીલ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ, ખાલિદ, ઉમરશાદ, શોએબ અને શાહબાઝે યુસુફ ખાન અને તેના સંબંધીઓ પર વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, મે 2026
2673 |
ગિફ્ટ સિટીની આડમાં ૪૦૦ કરોડથી વધુ રૂપિયાના સ્કેમનો પર્દાફાશ
ગુજરાતમાં ગિફ્ટ સિટીની આડમાં કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. આ કૌભાંડમાં શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણ કરવાની લાલચ અને ઊંચા વળતરનું વચન આપીને રોકાણકારોને કરોડો રૂપિયામાં નવડાવ્યા છે. આના પગલે ગિફ્ટ સિટીમાં કંપનીની ઓફિસની બહાર રોકાણકારોએ હોબાળો મચાવતા ન્યાયની માંગણી સાથે ઉહાપોહ કર્યો હતો. તેના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. આ બનાવના પગલે ડભોડા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને પીડિતો પાસેથી ફરિયાદો નોંધાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે અને કંપનીના મેનેજરોની શોધખોળ શરૂ કરી છે. પ્રારંભિક અંદાજ મુજબ, આ કૌભાંડની રકમ નોંધપાત્ર છે. એવી આશંકા છે કે આ યોજના દ્વારા ૩૩,૦૦૦ થી વધુ ગ્રાહકો છેતરાયા છે, અને કૌભાંડની રકમ ૪૦૦ કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. કેટલાક રોકાણકારોએ ૫ લાખથી ૩ કરોડ સુધીના નુકસાનની ફરિયાદ કરી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મોટી પોલીસ ફોર્સ તાત્કાલિક ય્ૈંહ્લ્ સિટી દોડી ગઈ હતી. ડભોડા પોલીસ સ્ટેશનના પીઆઈ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે રોકાણકારોએ આરોપ લગાવ્યો છે કે તેમને તેમના પૈસા (વળતર) મળ્યા નથી. તેમણે આ મામલે અરજી દાખલ કરી છે, અને તપાસ શરૂ કરવામાં આવી છે. તેમને ટેરાબાઇટ ડેટા સ્પેસ ખરીદવા માટે રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. આ કંપનીએ રોકાણકારોને એક આકર્ષક યોજના ઓફર કરી હતી જેમાં ટેરાબાઇટ ડેટા સ્પેસ ખરીદવામાં રોકાણ કરવા પર ૫ ટકા માસિક વળતર (વળતર)નું વચન આપવામાં આવ્યું હતું. શરૂઆતના તબક્કામાં, કંપનીએ સમયસર ચુકવણી કરીને રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો. હરિયાણા અને ગોવા સહિત અનેક રાજ્યોના રોકાણકારોએ રોકાણ કર્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, મે 2026
2475 |
છૂટા પૈસાની ઝંઝટ ખતમ, એસ.ટી. બસોમાં ડિજિટલ મોડનો દબદબો
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મુસાફરો માટે પેમેન્ટ માટે અનૂકૂળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની બસોમાં પ્રવાસ કરતા મુસાફરો માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો જબરદસ્ત વ્યાપ વધી રહ્યો છે. આકંડાઓ તેની સાબિતી પુરે છે. હાલમાં, નિગમની દૈનિક આવકમાં લગભગ ૩૦ ટકા આવક કેશલેસ માધ્યમોથી થાય છે. અમદાવાદનાં રહેવાસી મનીષ ઘાંચીએ તાજેતરમાં જીએસઆરટીસીની પ્રીમિયમ બસમાં વડોદરા જવા માટે મુસાફરી કરી હતી. રોકડ કે છુટા પૈસાની ચિંતા કર્યા વગર તેમણે કન્ડક્ટર દ્વારા તરત જ જનરેટ કરાયેલા ઊઇ કોડને સ્કેન કરીને ટિકિટનું પેમેન્ટ કર્યુ. જીએસઆરટીસીની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે.મારા જેવા હજ્જારો લોકો નિયમિત રીતે માત્ર ડિજિટલ પેમેન્ટનો જ ઉપયોગ કરે છે. તેમના માટે આ વ્યવસ્થા અત્યંત સુવિધાજનક છે,” મનીષ ઘાંચીએ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની પ્રસંશા કરતા જણાવ્યું. રાજ્યભરમાં હવે હજારો મુસાફરોને મુસાફરી દરમિયાન રોકડ રાખવાની જરૂર રહેતી નથી. જીએસઆરટીસી હવે યુપીઆઇ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઇલ આધારિત ઓનલાઇન પેમેન્ટ સહિતના અનેક ડિજિટલ વિકલ્પો દ્વારા ટિકિટ ચુકવણીની સુવિધા આપે છે. એટલુ જ નહીં. ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વધતા ઉપયોગથી નિગમની કાર્યક્ષમતા અને પારદર્શક્તામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં ૮,૦૦૦થી વધુ બસોમાં પ્રવાસ કરતા મુસાફરો વિવિધ ડિજિટલ માધ્યમોથી પેમેન્ટ કરી શકે છે. આ પહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના વ્યાપક પ્રયાસોને સાર્થક સાબિત કરે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અંતરિયાળ વિસ્તારોમાં બસની સુવિધા વધારવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને દૈનિક મુસાફરોની સંખ્યા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સરેરાશ ૨૭ લાખ મુસાફરો નિગમની બસોમાં પ્રવાસ કરે છે અને અંદાજે રોજ રૂ. ૧૨ કરોડની આવક થાય છે. તેમાંની લગભગ ૩૦ ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે. દૈનિક ડિજિટલ કલેક્શન છેલ્લા એખ વર્ષમાં લગભગ રૂ. ૧ કરોડથી વધીને હાલમાં રૂ. ૨ કરોડથી વધુ થઈ ગયું છે અને સતત વધી રહ્યું છે. અમે કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યા છીએ અને આ પહેલ ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેનો ભાગ છે,” નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નિગમ દ્વારા વિદ્યાર્થીઓનાં પાસ માટેની ચુકવણી પણ ડિજિટલ કરી છે, જેનાથી ડિજિટલ આવકમાં વધારો થયો છે. આગામી સમયમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધુ વધારવાનું આયોજન હાથ ધર્યુ છે. આગામી મહિનાઓમાં અમે ડિજિટલ પેમેન્ટનો હિસ્સો ૬૦થી ૭૦ ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખીએ છીએ. આ માટે કોમર્શિયલ સેવાઓ અને પેસેન્જર પાસ સિસ્ટમમાં પણ આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાવીશુ,” નિગમનાં ઉચ્ચ અધિકારીએ જણાવ્યું. ઉલ્લેખનીય છે કે જીએસઆરટીસીમાં થતા કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં લગભગ ૮૫ ટકા હિસ્સો યુપીઆઇનો છે. આ આંકડો દર્શાવે છે કે, ગુજરાતભરમાં યુપીઆઇનો વ્યાપ કેટલો વધ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, મે 2026
2574 |
ધોલેરા અને સુરતમાં ૪,૦૦૦ કરોડના સેમી કન્ડક્ટર પ્લાન્ટને કેન્દ્રની મંજૂરી
કેન્દ્ર સરકારે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાતમાં બે નવા સેમીકન્ડક્ટર એકમો સ્થાપવાની મંજૂરી આપી દીધી છે. આ પગલું માત્ર ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ નેક્સ્ટ જનરેશન ડિસ્પ્લે ટેકનોલોજી અને ચિપ પેકેજિંગમાં ભારતની હાજરી વૈશ્વિક સ્તરે નોંધાવશે. આ બંને પ્રોજેક્ટ્સમાં આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકાર અત્યાર સુધીમાં કુલ ૧૦ સેમીકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી આપી ચૂકી છે, જેમાંથી માઈક્રોન ટેકનોલોજી અને કેન્સ ટેકનોલોજી જેવી દિગ્ગજ કંપનીઓના પ્લાન્ટમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. સરકારે ગુજરાતના ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડની ૩,૦૬૮ કરોડ રૂપિયાના રોકાણવાળી ‘ઇન્ટિગ્રેટેડ કમ્પાઉન્ડ સેમીકન્ડક્ટર અને એડવાન્સ્ડ પેકેજિંગ’ સુવિધાને મંજૂરી આપી છે. આ યુનિટ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે કારણ કે તે ગેલિયમ નાઇટ્રાઇડ વેફર્સનું ઉત્પાદન કરશે, જે મિની અને માઇક્રો ન્ઈડ્ઢ ડિસ્પ્લેનો મુખ્ય હિસ્સો છે. તેની વાર્ષિક ક્ષમતા ૭૨,૦૦૦ ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ અને ૨૪,૦૦૦ સેટ ઇય્મ્ ય્ટ્ઠદ્ગ વેફર્સની હશે. આ પ્રોજેક્ટથી અંદાજે ૧,૬૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે. આ એકમ ભારતનું પ્રથમ માઇક્રો ન્ઈડ્ઢ ફેબ્રિકેશન યુનિટ હશે, જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદેશ મંત્રાલયનું વ્યૂહાત્મક સમર્થન પણ સામેલ છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડના આ પ્રોજેક્ટને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે આને એક વ્યૂહાત્મક દાવ ગણાવ્યો છે. હાલમાં વૈશ્વિક ડિસ્પ્લે ઇન્ડસ્ટ્રી એક મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. દાયકાઓ સુધી જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયાએ ન્ઝ્રડ્ઢ બજાર પર રાજ કર્યું, પરંતુ તાજેતરના વર્ષોમાં ચીને ભારે રોકાણના દમ પર આ ક્ષેત્રમાં પોતાની પકડ જમાવી લીધી છે. ગુજરાતના જ સુરત શહેરમાં સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક ઓએસએટી સુવિધાને કેબિનેટે લીલી ઝંડી આપી છે. ૮૬૮ કરોડ રૂપિયાના રોકાણથી બનનારું આ યુનિટ સેમીકન્ડક્ટર વેલ્યુ ચેઇનની એક મહત્વપૂર્ણ કડી છે. અહીં ‘લીડ ફ્રેમ’ અને ‘વાયર-બોન્ડ’ પેકેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચિપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ કરવામાં આવશે. આ યુનિટ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઓટોમોટિવ સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરશે. તેની વાર્ષિક ક્ષમતા ૬૭૩ મિલિયન સ્મોલ આઉટલાઇન ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને ૩૬૦ મિલિયન ટ્રાન્ઝિસ્ટર આઉટલાઇન પેકેજ તૈયાર કરવાની હશે. આ પ્લાન્ટથી અંદાજે ૬૩૦ લોકોને રોજગારી મળશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, મે 2026
2277 |
અમદાવાદ શહેર ૭૯.૯૯ : ગ્રામ્ય ૮૨.૫૨ ટકા પરિણામ
ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જાેવા મળી છે. આ વર્ષે ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં રાજ્યનું અત્યાર સુધીનું સૌથી ઊંચું ૮૩.૮૬ ટકા પરિણામ નોંધાયું છે. પરિણામમાં આ વર્ષે પણ દીકરીઓએ બાજી મારી છે. અમદાવાદમાં સારા પરિણામને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ એકબીજાનું મોઢું મીઠું કરાવી અને ગરબા રમીને હર્ષોલ્લાસ મનાવ્યો હતો. અમદાવાદ શહેરમાં ૪૬,૬૬૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો અમદાવાદ ગ્રામ્યમાં ૩૯,૩૬૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વખતે અમદાવાદ શહેરનું ધોરણ ૧૦નું ૭૯.૯૯ ટકા પરિણામ આવ્યું હતું. અમદાવાદ ગ્રામ્યનું ૮૨.૫૨ ટકા પરિણામ આવ્યું છે. જાે કે આ વખતે અમદાવાદ ગ્રામ્યનું પરિણામ ઘટ્યું છે. અમદાવાદ શહેરમાં છ૧ ગ્રેડ મેળવનાર ૧૭૫૫ વિદ્યાર્થીઓ અને ગ્રામ્યમાં ૧૭૮૦ વિદ્યાર્થીઓએ છ૧ ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદ શહેરમાં ૦ ટકા પરિણામ લાવનાર ત્રણ શાળા, ૧૦૦ ટકા પરિણામવાળી ૨૮ શાળા, ૩૦ ટકા કરતા ઓછા પરિણામવાળી ૧૯ શાળા હોવાનું સામે આવ્યું છે. તો અમદાવાદ ગ્રામ્યમાં ૦ ટકા પરિણામવાળી ૧; ૧૦૦ ટકા પરિણામવાળી ૬૬ અને ૩૦ ટકા કરતા ઓછી પરિણામવાળી ૪ શાળા છે.એન્જિનિયરિંગ કરવું છે: પ્રિન્સ મારું નામ પ્રિન્સ અમૃતપુરી ગોસ્વામી છે. ૧૦માની પરીક્ષામાં મારે ૫૬૭ માર્ક્સ સાથે ૯૪.૫૦% આવ્યા છે. હું સવારે ૭ વાગ્યાથી લઈને રાતના ૧૦ વાગ્યા સુધી મહેનત કરતો હતો; સવારે થીયરીના વિષયો વાંચતો અને રાત્રે ઊંઘ ના આવે એટલે ગણિતના ન્યુમેરિકલ સોલ્વ કરતો હતો. મારા પપ્પા ગાર્મેન્ટમાં જાેબ કરે છે અને મમ્મી છૂટક મજૂરી કરે છે. હવે મારે સાયન્સ સ્ટ્રીમ લઈને એન્જિનિયરિંગ કરવું છે અને ક્વોન્ટમ ફિઝિક્સ તથા ક્વોન્ટમ મિકેનિક્સમાં રિસર્ચ કરવું છે. કોમર્સ કરી પછી આગળ વધીશ: વિધિ મારું નામ લોધા વિધિ છે, મારે ૮૯% આવ્યા છે અને હું છ૧ ગ્રેડ લાવવામાં ખાલી ત્રણ માર્ક માટે રહી ગઈ છું. હું બે-ત્રણ કલાક મહેનત કરીને બધા પેપરો સોલ્વ કરતી હતી. મારા પપ્પા સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટીમાં જાેબ કરતા હતા અને મમ્મી હાઉસવાઈફ છે, જેમણે મારા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે અને મારું પરિણામ જાેઈને તેઓ ખૂબ જ ખુશ છે. ભવિષ્યમાં હું કોમર્સમાં એવી ફિલ્ડ લેવા માંગુ છું જેથી હું મારા મમ્મી-પપ્પાને મદદરૂપ થઈ શકું. આઈપીએસ બનવા માગું છે: રિદ્ધિ મારું નામ રિદ્ધિ છે અને મારે ૮૫% આવ્યા છે. હું સવારે ૪ વાગ્યે ઉઠીને ૭ વાગ્યા સુધી વાંચતી હતી અને એક્ઝામ સમયે મેં ખૂબ પ્રિપેરેશન કરી હતી. હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું; મારા પપ્પા સિક્યુરિટી ગાર્ડ છે અને મમ્મી વન વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર છે. મારી મમ્મીનું સપનું આઈપીએસ બનવાનું હતું જે પૂરું ના થઈ શક્યું, તેથી હવે હું કોમર્સ સ્ટ્રીમમાં આગળ વધીને આઈપીએસ બનીને એમનું સપનું પૂરું કરવા માંગુ છું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, મે 2026
2178 |
અમદાવાદ એનઆઈએ કોર્ટમાં આઈએસઆઈએસસંગઠનમાં જાેડાયેલા ત્રણ આરોપીઓ સામે ચાર્જશીટ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ એક મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કરતા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ સાથે જાેડાયેલા ત્રણ આરોપીઓ સામે અમદાવાદ સ્થિત સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં જાહેર સ્થળોએ નિર્દોષ લોકોને નિશાન બનાવી ઝેર આપવાના ગંભીર ઈરાદા સામે આવ્યા છે. આરોપીઓમાં હૈદરાબાદના ડો. સૈયદ અહેમદ મોહિયુદ્દીન અને ઉત્તર પ્રદેશના આઝાદ તથા મોહમ્મદ સુહેલનો સમાવેશ થાય છે. તેમના વિરુદ્ધ યુએપીએ,બીએનએસ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયો છે.તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ એરંડાના બીજમાંથી અત્યંત ઘાતક જૈવિક ઝેર બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત કેમિકલ તરીકે ઓળખાય છે. આ માટે હૈદરાબાદમાં એક ગુપ્ત પ્રયોગશાળા પણ તૈયાર કરવામાં આવી હતી.એનઆઇએના અનુસાર, આ કાવતરું વિદેશમાં બેઠેલા આઇએસઆઇએસ હેન્ડલર્સના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું. આરોપીઓએ યુવાનોને કટ્ટરપંથી બનાવી ભરતી કરવાનું, ભંડોળ એકત્ર કરવાનું અને ગેરકાયદેસર હથિયારો એકત્રિત કરવાનું કામ કર્યું હતું.આ કેસ મૂળ ગુજરાત એટીએસ દ્વારા નવેમ્બર ૨૦૨૫માં નોંધાયો હતો. એટીએસએ પહેલા ડો. મોહિયુદ્દીનને ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો હતો, જ્યાંથી ગેરકાયદેસર હથિયારો અને શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. બાદમાં અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આઝાદ અને સુહેલે રાજસ્થાનમાંથી ડેડ-ડ્રોપ પદ્ધતિ દ્વારા હથિયારો અને નાણાં મેળવ્યા હતા અને તે ગુજરાતમાં પહોંચાડ્યા હતા.ખાસ વાત એ પણ સામે આવી છે કે આઇએસઆઇએસ હેન્ડલરે મોહિયુદ્દીનને દક્ષિણ એશિયાનો “અમિર” બનાવવાનો લાલચ આપ્યો હતો. આ લાલચના કારણે તે આતંકી પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય બન્યો હતો. સુહેલ આ સમગ્ર નેટવર્કમાં મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરતો હતો, જે ભરતી, ભંડોળ અને હથિયારોના સંચાલનમાં સંકળાયેલો હતો. હાલમાં, આ કેસની તપાસ હજુ ચાલુ છે અને એનઆઇએ અન્ય સંડોવાયેલા લોકોની શોધમાં છે. આ દરમિયાન, અહેમદ મોહિયુદ્દીનને સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેના પર અન્ય કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ઈજા પહોંચી હતી.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, મે 2026
3366 |
પત્નીને તરછોડી જર્મની રહેતા પતિને માસિક ૨૫ હજાર ભરણપોષણ ચુકવવા હુકમ
વિદેશ સ્થાયી થઈને પત્નીને ભારતમાં નિરાધાર હાલતમાં છોડી જતા એનઆરઆઈ પતિને શબક શીખવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જર્મનીમાં રહેતા પતિએ સુરતમાં રહેતી પત્નીને માસિક રૂા.૨૫ હજાર ભરણપોષણ ચુકવવાનો ફેમિલી કોર્ટે હુકમ કર્યો છે. દીકરીને વિદેશ મોકલવાની ઘેલછાનો છેદ ઉડાડતાં આ કેસની વિગત એવી છે કે, શહેરનાં વેડરોડ વિસ્તારમાં રહેતી સીમા (નામ બદલેલ છે)ના વર્ષ-૨૦૧૫ માં સુરતના અડાજણના વતની અને હાલ બર્લીન (જર્મની) માં સ્થાયી થયેલા રાહુલ (નામ બદલેલ છે) સાથે લગ્ન થયાં હતાં. વિદેશ સ્થાયી થવાના સપનાઓ બતાવી રાહુલના પરિવારે સીમાનાં લગ્ન કરાવ્યાં હતાં. જો કે ૨ વર્ષ વિદેશ (જર્મની)માં રાખ્યા બાદ રાહુલે સીમાને તરછોડી દીધી હતી. જેથી તેણીએ અત્રેની ફેમીલી કોર્ટમાં એડવોકેટ અશ્વિન જે.જોગડિયા મારફતે ભરણપોષણ મેળવવા કેસ કર્યો હતો. જેમાં પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, શરૂઆતમાં પતિ લગ્ન કરીને વિદેશ જતો રહ્યો હતો. જ્યારે તેણીને સાસુ-સસરા સાથે અડાજણમાં રાખવામાં હતી. ત્યારબાદ વર્ષ-૨૦૧૬ ના અંતમાં પતિ તેણીને જર્મની લઈ ગયો હતો. જ્યાં પતિ મોડી રાત્રે પાર્ટી કરીને ઘરે આવતો તથા વાપરવા પૈસા પણ આપતો ન હતો અને પૈસા માંગે કે કોઈ ફરિયાદ કરે તો ભારત મોકલી આપવાની ધમકી આપતો હતો. દરમિયાન સીમાએ ફેમિલી કોર્ટમાં કેસ કરતાં પતિ એક પણ વખત કોર્ટમાં હાજર રહ્યો ન હતો, અને સમગ્ર કેસ એક તરફી ચાલીને પુરો થયો હતો. પત્ની દ્વારા પતિના દસ વર્ષના ભારતનાં ઈન્કમટેક્ષ પેપર્સ અને પાસપોર્ટ સહિતની વિગત કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. બીજી બાજુ પતિએ પત્નીની સામે જર્મનીમાં છુટાછેડાનો કેસ કર્યો હતો અને તેની નોટિસ પત્નીને મોકલી હતી. જે નકલ પણ ફેમિલી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે પુરાવાઓ માન્ય રાખી પતિને માસિક રૂા.૨૫૦૦૦ ભરણ પોષણ પત્નીને ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો. વધુમાં એડવોકેટ જોગડિયાની રજૂઆત ધ્યાને લઈને કોર્ટે ટાંક્યું હતું કે "સામાવાળા જર્મની, બલિર્નમાં કમાણી કરે છે અને જર્મનીની કરન્સી એક યુરોની ભારતીય ચલણ મુજબ ૧૧૦ રૂપિયા જેટલી થાય. જે ધ્યાને લેતા સામાવાળા ભારતીય ચલણ મુજબ ઓછામાં ઓછી માસિક રૂા. ૧ લાખથી વધુની કમાણી કરવા સમર્થ હોવાનુ સ્પષ્ટ રીતે સ્વીકારી શકાય તેવા સંજોગો છે." આ ચુકાદો પત્નીને તરછોડી દેતા અને વિદેશમાં રહેતા પતિઓ માટે લાલબત્તી સમાન હોવાનુ અરજદારનાં વકીલે જણાવ્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, મે 2026
3069 |
નાની બહેનનાં એડમિશન માટે ગયેલી મોટી બહેને પોતાનો જીવ ગુમાવ્યો
સુરત શહેરનાં લસકાણા વિસ્તારમાં હૃદયવિદારક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં નાની બહેનનાં એડમિશન માટે ગયેલી બીબીએની વિર્દ્યાથિનીનું એસટી બસ અડફટે મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વતની અને હાલ સુરત નજીક વેલંજા સ્થિત શેખપુર ગામની હરિદર્શન સોસાયટીમાં રહેતા કેતનભાઈ સોલંકી હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને બે પુત્રીઓ છે. મૃતક ૨૦ વર્ષીય સ્વાતિ સોલંકી વિશ્વભારતી ગર્લ્સ કોલેજમાં બીબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી તેજસ્વી વિર્દ્યાથિની હતી. તેની નાની બહેન ૧૬ વર્ષીય સુહાની તાજેતરમાં સીબીએસસી ધોરણ-૧૦ પાસ કરી ધોરણ-૧૧ કોમર્સમાં પ્રવેશ લેવા તૈયારી કરી રહી હતી. ગઈકાલે બપોરના સમયે સ્વાતિ પોતાની નાની બહેન સુહાનીને મોપેડ પર બેસાડી તેના એડમિશન માટે જે.બી. ડાયમંડ સ્કૂલ ખાતે લઈ ગઈ હતી. ત્યાં સુહાનીને સ્કૂલમાં ઉતારી સ્વાતિ કોઈ વ્યક્તિગત કામસર મોપેડ લઈને પરત નીકળી હતી. દરમિયાન લસકાણા નજીક સાગવાડી વિસ્તારમાં પહોંચતા જ એક એસટી બસનાં ચાલકે બેદરકારીપૂર્વકને મોપેડ ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં સ્વાતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે જ ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી અને તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ફરજ પરનાં તબીબે તપાસ બાદ સ્વાતિને મૃત જાહેર કરી હતી. યુવતીના અચાનક નિધનથી પરિવાર પર આફત તૂટી પડી છે. એક તરફ નાની બહેનનાં ભવિષ્ય માટે એડમિશન પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જ મોટી બહેનનાં મોતનાં સમાચાર સાંભળતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અકસ્માત બનાવ અંગે લસકાણા પોલીસે એસટી બસનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, મે 2026
3465 |
ઓલપાડની સિટી સર્વે કચેરીનો શિરસ્તેદાર ૩૦૦૦ રૂપિયાની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો
ઓલપાડ સિટી સર્વે કચેરીનાં શિરસ્તેદાર એટલે કે મુખ્ય કારકૂનને ત્રણ હજાર રૂપિયા લાંચ લેતાં એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પ્રોપર્ટીકાર્ડમાં નામ ચઢાવવાની અરજી દીઠ ૧૦૦૦ રૂપિયા લાંચ માંગતો હોવાની વકીલ તરફથી ફરિયાદ મળતા એસીબીએ ગોઠવેલા છટકામાં તે આબાદ ફસાયો હતો. એન્ટિ કરપ્શન બ્યુરોનાં મદદનીશ નિયામક આર. આર. ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રેવન્યુ પ્રેક્ટિસ કરતા એક વકીલ તરફથી એવી ફરિયાદ મળી હતી કે, ઓલપાડ સિટી સર્વે કચેરીમાં શિરસ્તેદાર તરીકે ફરજ બજાવતો નિલેશ બાલુભાઇ પાંડવ કાયદેસરનું તેમની ફરજ હેઠળ આવતું કામ પણ લાંચ લીધા વિના કરતા નથી. વકીલને તેમના અસીલ તરફથી પ્રોપર્ટીકાર્ડમાં નામ ચઢાવવા માટે ત્રણ અરજીઓ આ સિટી સર્વે કચેરીમાં આપી છે. આ અરજી સાથે આવશ્યક એવા તમામ ડોક્યુમેન્ટ રજુ કરવામાં આવ્યા છતાં કચેરીનાં મુખ્ય કારકુન નિલેશ પાંડવે આગળની પ્રોસીજર કરી ન હતી.અરજી અંગે ઇન્ક્વાયરી કરવા ગયા તો પાંડવે તેમની પાસે લાંચની માંગણી કરી હતી. અરજી દીઠ હજાર રૂપિયા આપો તો કામ થઈ જશે એવા મતલબની વાત કરી પાંડવે આડકતરી રીતે પૈસા નહીં તો કામ નહીં એવી ચીમકી આપી હતી. અસીલનું કામ અટવાતું હોવા સાથે લાંચ આપવા નહીં માંગતાં હોવાની રજૂઆત પણ વકીલે કરી હતી. જેથી તેમની ફરિયાદ લેવા સાથે શિરસ્તેદાર પાંડવ સાથે લાંચની રકમ અને કામ બાબતે વકીલને વાતચીત પણ કરાવાઇ હતી. જેમાં પાંડવે સિટી સર્વે કચેરીમાં આવવા કહેતાં વકીલ સાથે એસીબીની ટીમ પણ ત્યાં પહોંચી હતી. સિટી સર્વે કચેરીમાં પહોંચેલા વકીલને પાંડવે સુપરિન્ટેન્ડેન્ટની ચેમ્બરની બહાર ખુલ્લા પેસેજમાં બોલાવ્યો હતો. અહીં મળેલા પાંડવે વકીલ પાસે લાંચ પેટે ત્રણ હજાર રૂપિયા લેતા જ એસીબીએ તેને ઘેરી લીધો હતો. લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપાયેલા નિલેશ પાંડવની ઇન્સ્પેક્ટર આર. કે. સોલંકીએ ધરપકડ કરી વધું તપાસ આરંભી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, મે 2026
3168 |
પશ્ચિમ બંગાળની શાળાઓમાં શૂઝ સપ્લાયનું ટેન્ડર પાસ થયાનો બોગસ ઓર્ડર મોકલાવી ૬.૯૯ કરોડનું ચીટિંગ
પશ્ચિમ બંગાળની શાળાનાં વિદ્યાર્થીઓ માટે શૂઝ સપ્લાય કરવાનું ૩૬ કરોડનું ટેન્ડર પાસ કરાવી આપ્યાનું કહી સુરત મનપાની શિક્ષણ સમિતિનાં પૂર્વ સભ્ય કિશોર વાઘેલા સહિતની ટોળકીએ વેપારી સાથે ૬.૯૯ કરોડનું ચીટિંગ કર્યું હતું. આ ટોળકીએ ટેન્ડર મંજુર કરાવ્યાના કમિશન પેટે ૨.૪૯ કરોડ પડાવ્યાં જ્યારે ૪.૫૦ કરોડનાં એક લાખ જાેડી શૂઝ પણ મેળવી લીધા હતાં. આર્થિક ગુના નિવારણ શાખા પાસે મળતી માહિતી અનુસાર મોટાવરાછામાં યમુના ચોક પાસે ક્રિષ્ના ટાઉનશીપમાં પ્રવીણ ભગવાનભાઈ ધડુક તેમના પરિવાર સાથે રહે છે. પ્રવિણ ડ્રીમલેન્ડ શૂઝ નામથી સરકારી અર્ધ સરકારી શાળા, કચેરીઓમાં શૂઝ સપ્લાય કરે છે. તેમણે વર્ષ ૨૦૧૩-૧૪માં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં શૂઝ સપ્લાય કર્યા હતાં. એ સમયે શિક્ષણ સમિતિનાં ખરીદ સમિતિનાં કન્વીનર કિશોર વાઘેલા સાથે તેમનો પરિચય થયો હતો.ફેબ્રુઆરી ૨૦૨૩માં વાઘેલાએ પ્રવિણભાઇ ધડુકને તેમના ઘરે બોલાવ્યા હતાં. જ્યાં વાઘેલાએ ધડુકની ઓળખાણ સીમીસ સુબ્રમણ્યમ નોચીલ સાથે કરાવી હતી. ધડુકને એવું કહેવાયું હતું કે, સીમીસનાં પશ્ચિમ બંગાળ સરકારમાં સારા એવા કોન્ટેક્ટ છે. અધિકારીઓ સાથે તેમની ઉઠક બેઠક હોય ત્યાંની શાળાઓમાં શૂઝ સપ્લાયનો ઓર્ડર તમને અપાવી શકે એમ છે. સારુ અને મોટુ કામ મળે એમ હોય ધકુડે હા પાડી હતી. ત્યારબાદ વાઘેલા અને સીમીસે ધડુકને એવું કહ્યું હતું કે, આનંદધારા પ્રોજેક્ટ હેઠળ વેસ્ટ બંગાળ સ્ટેટ રૂરલ લાઇવલીહુડ મિશન નામથી સરકારી શુઝનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડર ૩૬ કરોડનું છે. ટેન્ડરને લગતુ કામ જેમની પાસે છે એ અધિકારીઓ સાથે મારે સેટિંગ છે. તમે આ ટેન્કર લેશો તો ઘણો આર્થિક લાભ થશે. જુના સંબંધનાં કારણે તેમની વાતમાં આવી ગયેલા ધડુકે ટેન્ડરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.થોડા સમય બાદ સીમીસ નોચીલે સાયન સેન, સુભાશીષસિંગ, ઇન્દ્રજીત સેનગુપ્તા તથા સંજીવ ભાઇ વિગેરે સાથે ધડુકને વાતચીત કરાવી હતી. બાદમાં તેઓએ ધડુકને તમારું ટેન્ડર પાસ થઇ ગયું હોવાનું કહેવા સાથે એના ડોક્યુમેન્ટ પણ મોકલ્યા હતાં. ટેન્ડર પાસ થતાં ધડુકે જુદી જુદી સાઇઝનાં શૂઝ તૈયાર કરાવવા વર્ક ઓર્ડર પણ આપી દીધો હતો. બીજી તરફ કિશોર વાઘેલા એન્ડ કંપનીએ ટેન્ડર પાસ કરાવી આપ્યું એ બદલ કમિશન પેટે ધડુક પાસેથી ૨.૪૦ કરોડ રૂપિયા લઇ લીધા હતાં. સાથે જ ધડુકે વેસ્ટ બંગાળ સ્ટેટ રૂરલ લાઇવલીહુડ મિશન હેઠળ ૧,૦૦,૦૦૮ જાેડી શૂઝ બંગાળ મોકલી પણ આપ્યા હતાં. ૪.૫૦ કરોડનાં શૂઝ મોકલ્યા છતાં ધડુકને બંગાળ સરકાર તરફથી પેમેન્ટ પેટે એક રૂપિયો પણ અપાયો ન હતો. ટેન્ડર અપાવી શૂઝ મેળવનારાઓ સાથે આ અંગે વાત કરાઇ તો તેમણે સરકારી કામ છે, થોડી વાર તો લાગશે જ એમ કહી ઉડાઉ જવાબ આપ્યો હતો. આનાથી શંકા જતાં ધડુકે બંગાળ સરકારમાં તપાસ કરાવી હતી. જેમાં સરકારે આવું કોઈ ટેન્ડર બહાર પાડ્યું નથી એવો જવાબ આવતા ધડુક ચોંકી ઉઠ્યા હતાં. બાદમાં તેઓએ પોલીસનો સંપર્ક સાધી ચીટિંગ કરનારી કિશોર વાઘેલા એન્ડ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે કિશોરકુમાર રામુભાઈ વાઘેલા (ઉ.વ.૫૫ રહે-એ/૧૩, ભાગ્યનગર સોસાયટી, ભિક્ષુક ગૃહ પાસે, રામનગર, રાંદેર સુરત. વતન-જાળીયા, તા.પાલીતાણા, જિ.ભાવનગર) તથા મૂળ કેરળનાં વતની એવા સીમીસ સુબ્રમણ્યમ નોચીલ (ઉ.વ.-૫૦ રહે.-ડી/૩૩, શાંતિવન રેસીડેન્સી, ડીંડોલી ખરવાસા રોડ, ડીંડોલી)ની ધરપકડ કરી છે. ધડુકને કોલકાતા લઇ જઇ અધિકારીઓ સાથે મીટિંગ કરાવી ૧૬% કમિશન નક્કી કર્યું હતું વીર નર્મદ યુનિવર્સિટીમાં સીન્ડિકેટ સભ્ય પણ રહી ચૂકેલા કિશોર વાઘેલાએ ભાગીદાર તરીકે ઓળખાણ કરાવી હતી એ સીમીસ નોચીલ ટેન્ડરના કામ માટે ધડુકને કોલકત્તા પણ લઇ ગયો હતો. ૬ માર્ચ, ૨૦૨૩ના રોજ કોલકત્તામાં ધકુડને અધિકારીઓનાં લાયઝનિંગ પર્સન તરીકે સાયન સેન સાથે મૂલાકાત કરાવાઇ હતી. સાયન સેન તેમને આનંદઘારા, વેસ્ટ બંગાળ સ્ટેટ રૂરલ લાઇવલીહુડ મિશનની ઓફિસે લઇ ગયો હતો. જ્યાં સુભાષીષ સિંઘની ઓળખાણ ગવર્મેન્ટ સંબંધિત વિભાગનાં મુખ્ય અધિકારી તરીકેની કરાવાઇ હતી. તેમની સાથે ટેન્ડર સંબંધે વાત કરી ધડુક પરત આવી ગયા હતાં. ત્યારપછી ૧૫મી માર્ચે ફરી તેમનો કોલકાતા બોલાવ્યા હતાં. એ સમયે ટેન્ડર, સપ્લાય તથા કમિશન બાબતે વાત કરાઇ હતી. જેમાં તેઓએ ટેન્ડરની કુલ કિંમતના ૧૬% કમિશન પેટે આંગડિયા મારફતે ઇન્દ્રજીતને ચૂકવવા કહેવાયું હતું. જેમાં ૮% કમિશન વર્કઓર્ડર આપતી વખતે તેમજ બાકીના ૮% ઓર્ડરના નાણાં આવ્યેથી ચૂકવવાનું નક્કી કરાયું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, મે 2026
3168 |
ધો. ૧૨ સાયન્સ અને કોમર્સનાં પરિણામોમાં સુરત ફરી અજેય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ ધો.૧૨ સાયન્સ અને કોમર્સ વિભાગની ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી પરીક્ષાનાં પરિણામો એક સાથે ઓનલાઇન પ્લેટફોર્મ પરથી જાહેર કર્યા હતા. દેશના જ નહીં પણ એશિયાનાં સૌથી ફાસ્ટેટ ગ્રોઇંગ બિઝનેસ સિટી તરીકે જાણીતા સુરત શહેરનાં વિદ્યાર્થીઓએ સાયન્સ અને કોમર્સ બંનેનાં પરિણામોમાં મેદાન માર્યું છે. સાયન્સ અને કોમર્સ બંનેમાં સુરત શહેર જિલ્લાનું પરિણામ સ્ટેટ એવરેજથી વધુ હોવા ઉપરાંત સાયન્સ અને કોમર્સ બંનેમાં એ-વન ગ્રેડ, ટોપર્સ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ સુરતની સંખ્યા આખા રાજ્યનાં તમામ જિલ્લાઓ કરતાં વધુ છે. એથી વિશેષ સાયન્સમાં એ ગ્રુપ, બી ગ્રુપ અને કોમર્સ ત્રણેયમાં સ્ટેટ ટોપર વિદ્યાર્થીઓ પણ સુરતનાં જ છે. આમ, આજનાં પરિણામમાં સમગ્ર રાજ્યમાં સુરત શહેર જિલ્લાના વિદ્યાર્થીઓએ મેળવેલા પરિણામોની ચર્ચા સાવર્ત્રિક રીતે સાંભળવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં પણ સુરતનાં વિદ્યાર્થીઓએ સાયન્સ અને કોમર્સમાં મેળવેલા ઝળહળતાં પરિણામો અંગે સફળ વિદ્યાર્થીઓની જુદી જુદી સ્ટોરીઓ ભારે વાઇરલ થવા પામી છે.ગઇ તા.૨૬ ફેબ્રુઆરીથી તા.૧૬મી માર્ચ દરમિયાન લેવામાં આવેલી ગુજરાત બોર્ડની ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા. ધો.૧૨ સાયન્સનું સમગ્ર રાજ્યનું ઓવરઓલ પરિણામ ૮૪.૩૩ ટકા આવ્યું છે જ્યારે સુરત શહેર જિલ્લાનાં પરિણામ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનાં સાતેય જિલ્લાનાં પરિણામની વાત કરીએ તો સુરત શહેર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૭.૨૬ ટકા, નવસારીનું ૭૯ ટકા, તાપી જિલ્લાનું ૭૦.૭૨ ટકા, નર્મદા જિલ્લાનું ૮૪.૯૫ ટકા, વલસાડ જિલ્લાનું ૭૪.૫૧ ટકા, ભરૂચ જિલ્લાનું ૮૦.૫૯ ટકા અને ડાંગ જિલ્લાનું પરિણામ ૮૯.૭૧ ટકા જેટલું આવ્યું છે.સુરત શહેર જિલ્લાનાં ડીટેઇલ પરિણામ પર નજર કરીએ તો કૂલ ૧૫૭૯૮ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી ૪૫૯ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કર્યું છે. સુરત જિલ્લા કરતા વધુ એ-વન ગ્રેડ પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા બીજા કોઇ જિલ્લામાં નથી. આખા રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૫૭૬ છે, જેમાંથી ૪૫૯ વિદ્યાર્થીઓ તો એકલા સુરત શહેર જિલ્લાના જ છે. આમ ઓવરઓલ પરિણામ અને વ્યક્તિગત પરિણામોમાં પણ સુરત શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ મેદાન મારી ગયા છે. સુરત શહેર જિલ્લામાંથી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ ૧૫૭૯૮ છે. જેમાંથી આજે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩૭૮૬ છે, જે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે. એવી જ રીતે સુરત શહેર જિલ્લામાંથી નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૩૧ છે, જે પણ સમગ્ર રાજ્યનાં તમામ જિલ્લાઓ કરતા વધુ છે. સુરત શહેર જિલ્લાનાં પરિણામમાં સૌથી વધુ ધ્યાનાકર્ષક બાબત એ પણ સપાટી પર આવી છે કે સુરત શહેરમાં આવતા કુંભારિયા પરીક્ષા કેન્દ્રનું પરિણામ ગુજરાતનાં વિજ્ઞાન પ્રવાહનાં તમામ પરીક્ષા કેન્દ્રો કરતા સૌથી વધુ છે. કુંભારીયા પરીક્ષા કેન્દ્રનું પરિણામ ૯૮.૬૨ ટકા છે. આ પરીક્ષા કેન્દ્રમાંથી કુલ ૪૩૪ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત ૬ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને ૪૨૮ વિદ્યાર્થીઓનું પરીણામ પાસ આવ્યું છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના પરીણામની કેટલીક વિશેષ બાબતો પર નજર કરીએ તો સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિક્સ અને બીજા નંબરે કેમેસ્ટ્રી વિષયમાં સૌથી વધુ નાપાસ થયા છે. રાજ્યમાંથી કુલ ૧૧૦૯૯૦ વિદ્યાર્થીઓએ ફિઝિક્સની પરીક્ષા આપી હતી, જેમાંથી ૯૪૬૪૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે ૧૬૩૪૭ વિદ્યાર્થીઓને ફિઝિક્સમાં નાપાસ પરીણામ મળ્યું છે. એવી જ રીતે કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧૦૯૭૬ હતી, જેમાંથી આજે ૯૫૩૭૫ વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રીમાં પાસ જાહેર થયા છે જ્યારે ૧૫૬૦૧ વિદ્યાર્થીઓનું પરીણામ નાપાસ આવ્યું છે. હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ, મરાઠી ફર્સ્ટ લેંગ્વેજ, ઉર્દૂ ફર્સ્ટ લેંગ્વેજ અને ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ આ ચાર ભાષાના વિષયોના પરીણામ ૧૦૦ ટકા આવ્યા છે, એકપણ વિદ્યાર્થી ઉપરોક્ત ચાર વિષયમાં નાપાસ થયા નથી. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.૧૨ સામાન્ય પ્રવાહ (કોમર્સ-આર્ટસ)નું ૯૨.૭૧ ટકા જેટલું જંગી અને વિક્રમી પરિણામ જાહેર કર્યું હતું. સુરત અને દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓ પૈકી ૬ જિલ્લાઓનું પરિણામ રાજ્યની એવરેજ કરતા પણ વધુ આવ્યું છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ગણાતા ડાંગનું ધો.૧૨નું પરિણામ ૯૮.૮૮ ટકા જેટલું જંગી આવ્યું છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આખા રાજ્યમાં અધધ ૭૪૪૬ વિદ્યાર્થીઓને એ-વન રેન્કમાં પરીણામ આપવામાં આવ્યું છે. આ સંખ્યામાં એકલા સુરત જિલ્લાના વિદ્યાર્થીઓની સંખ્યા જ ૨૦૮૩ છે. સુરત સિવાય રાજકોટ જિલ્લાને બાદ કરતા અન્ય કોઇ જિલ્લામાં ચાર આંકડામાં એ-વન રેન્કર વિદ્યાર્થીઓની સંખ્યા નથી આવી શકી. આમ વિજ્ઞાન પ્રવાહની જેમ જ સામાન્ય પ્રવાહનાં પરિણામોમાં જ સુરતનું પરિણામ આખા રાજ્યમાં સુરતનો ડંકો વગાડનારું છે.સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં પરિણામ પર નજર કરીએ તો સુરતનું ઓવરઓલ પરિણામ ૯૩.૪૬ ટકા, ભરૂચનું પરિણામ ૯૩.૩૭ ટકા, ડાંગ જિલ્લાનું પરિણામ ૯૭.૮૮ ટકા, વલસાડનું પરિણામ ૯૦.૩૯ ટકા, નવસારીનું પરિણામ ૯૫.૧૩ ટકા, નર્મદા જિલ્લાનું પરિણામ ૯૪.૧૭ ટકા અને તાપી જિલ્લાનું પરિણામ ૯૫.૮૯ ટકા આવ્યું છે. સુરત શહેરનાં પરિણામ પર નજર કરીએ તો કુલ ૪૭૦૯૧ વિદ્યાર્થીઓએ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૪૦૦૯ વિદ્યાર્થીઓ આજે પાસ જાહેર થયા છે જ્યારે ૩૨૨૬ વિદ્યાર્થીઓનું પરિણામ નાપાસમાં જાહેર થયું છે. એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓને ટોપર્સ, રેન્કર્સ તરીકે ઓળખવામાં આવે છે. આખા રાજ્યમાં એ-વન ગ્રેડનું પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા સુરતમાં ૨૦૮૩ નોંધાઇ છે. એ-વન ગ્રેડર્સની સંખ્યામાં સુરત પછી બીજા ક્રમે રાજકોટમાં ૧૧૮૪ની છે. આમ સુરત અને રાજકોટ વચ્ચે જ ૮૦૦ વિદ્યાર્થીઓનો તફાવત છે. ધો.૧૨ કોમર્સનાં ૯૨ ટકા જેટલા જંગી પરિણામને જાેતા શહેરની અનેક સ્કુલોનાં આચાર્યો, ટ્રસ્ટીઓ બોલી ઉઠ્યા હતા કે જે વિદ્યાર્થીઓની પાસ થવાની કોઇ શક્યતા ન હતી, તેવા વિદ્યાર્થીઓ પણ ૫૫-૬૦ ટકા માર્કસ સાથે પાસ થઇ ગયા છે, તેનો મતલબ એ ગણાવી શકાય કે પરિણામો બિલકુલ ઉદાર હાથે આપવામાં આવ્યા છે. સુરતની આશાદીપ સ્કુલની વિદ્યાર્થિની અક્ષરા સુતરીયા ધો.૧૨ કોમર્સમાં સમગ્ર ગુજરાતની ટોપર બની ગુજરાત બોર્ડે આજે જાહેર કરેલા ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં પરિણામોમાં સુરતનાં નાના વરાછા સ્થિત આશાદીપ સ્કુલની વિદ્યાર્થિની અક્ષરા સુતરીયાએ ગુજરાત ફર્સ્ટનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અક્ષરા સુતરીયા નામની વિદ્યાર્થિનીએ આજે ધો.૧૨ કોમર્સમાં ૭૦૦માંથી ૬૮૭ માર્ક મેળવીને ગુજરાત બોર્ડના અત્યાર સુધીનાં ઇતિહાસમાં સૌથી વધુ ગુણ સાથે પાસ થવાનો રેકોર્ડ સર્જ્યો હોવાની માહિતી આશાદીપ સ્કુલનાં સંચાલક મહેશ રામાણીએ આપી હતી. જ્યારે અક્ષરા અને તેના માતાપિતાને આ બાબતની જાણકારી આપવામાં આવી ત્યારે તેમની ખુશીનો પાર રહ્યો ન હતો. અક્ષરા સુતરીયાએ આજે ધો.૧૨ સાયન્સમાં કુલ ૯૮.૧૪ ટકા જેટલું જંગી પરિણામ મેળવ્યું છે અને હવે એ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપીને સરકારી અધિકારી બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે આગળ વધશે એમ તેણે જણાવ્યું હતું.અક્ષરાનાં પિતા અનિલભાઇ એમ્બ્રોઇડરીનાં કારખાનામાં કામ કરી રહ્યા છે અને તેઓ વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. આજે પરિણામ બાદ અક્ષરા સુતરીયાએ જણાવ્યું કે તેની આ સફળતામાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનાં સંચાલકો અને શિક્ષકોનો સિંહફાળો રહ્યો છે. માતા વિકલાંગ, ભાઇ બહેનોને આંખે ૨૪-૨૪ નંબર, ઘરકામની બધી જવાબદારી છતાં એ-વન રેન્ક લઇ આવી નિશા ગઢીયાઆશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરીને આજે ૭૦૦માંથી ૬૮૫ માર્ક હાંસલ કરીને એ-વન ગ્રેડનું પરિણામ લાવનાર વિદ્યાર્થિની નિશા ગઢીયાની પરિસ્થિતિ સાંભળીને ભલભલાનું હ્રદય દ્વવી ઉઠશે. આ વિદ્યાર્થિની સ્કુલમાં અભ્યાસની સાથે પોતાના ઘરના બધા જ ઘરકામની જવાબદારી સંભાળે છે. કેમ કે નિશાની માતા વિકલાંબ છે અને તેને બે નાના ભાઇબહેનો છે જેમને આંખે ૨૪-૨૪ નંબર છે. આવી સ્થિતિમાં મોટાભાગનું ઘરકામ, રસોઇ સમેત નિશાએ સંભાળવું પડતું હતું. આમ છતાં નિશાએ પોતાના અભ્યાસ પર પોતાના વર્કલોડની સહેજ પણ અસર થવા દીધી ન હતી. અત્યંત ગરીબ પરીવારમાંથી આવતી નિશાના પિતા વરાછા રોડના બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકો માટેના રેડીમેઇડ કપડાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોતાની આ પ્રકારની નાજૂક આર્થિક સ્થિતિની કોઇપણ પરવાહ કર્યા વગર નિશા ગઢીયા મન લગાડીને અભ્યાસ કરી રહી છે. આજે પરિણામ બાદ નિશાએ પત્રકારોને જણાવ્યું કે તે હવે સી.એ. બનવા માગે છે અને સી.એ.નો અભ્યાસ શરૂ કરી દીધો છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનાં મહેશ રામાણીએ જણાવ્યું કે તેઓ ગરીબ વર્ગનાં વિદ્યાર્થીને જ્યાં સુધી અભ્યાસ કરવા ઇચ્છશે ત્યાં સુધી તેમને સહાયભૂત થશે.પાલિકા સંચાલિત સુમન હાયર સેકન્ડરીમાં સાયન્સનું પરિણામ ૧૦૦ ટકા અને કોમર્સનું પરિણામ ૯૮.૪૮ ટકા, ૧૦૨ વિદ્યાર્થીનાં એ-૧ ગ્રેડ સુરત મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વિસ્તારનાં બાળકો માટે સુરત શહેરમાં સુમન હાયર સેકન્ડરી સ્કુલોમાં સામાન્ય પ્રવાહનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ દરમિયાન લેવાયેલી ગુજરાત બોર્ડની એચ.એસ.સી સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સુમન હાઇસ્કુલોનું પરિણામ ૯૮.૪૮ ટકા તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. સુમન હાઇસ્કુલ નંબર ૨ (વરાછા), સુમન હાઇસ્કુલ નંબર ૩ (કતારગામ), સુમન હાઇસ્કુલ નંબર ૫ (લિંબાયત), સુમન હાઇસ્કુલ નંબર ૬ (પાંડેસરા), સુમન હાઇસ્કુલ નંબર ૦૯ (કાપોદ્રા), સુમન હાઇસ્કુલ નંબર ૧૦ (લિંબાયત), સુમન હાઇસ્કુલ નંબર ૧૮ (પુણાગામ), સુમન હાઇસ્કુલ નંબર ૧૯ (ઉત્રાણ)નું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. તમામ સુમન હાઇસ્કુલો ખાતે કુલ-૧૦૨ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યા છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...