ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 2475   |  
ધ્રાંગધ્રામાં ‘બલિ’ માટે તાંત્રિક મહિલાએ બાળકનો જીવ લીધાની આશંકા, લોકોમાં આક્રોશ

ધ્રાંગધ્રા શહેરમાં એક અત્યંત હૃદયવિદારક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માત્ર ચાર વર્ષના નિર્દોષ બાળકની ર્નિમમ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનામાં અંધશ્રદ્ધા અને તાંત્રિક પ્રથાઓનો ભયાનક ચહેરો બહાર આવ્યો છે. બાળક કાર્તિકના રહસ્યમય મૃત્યુ પાછળ તાંત્રિક વિધિઓ અને ખોટા ધાર્મિક દાવાઓ જવાબદાર હોવાની શંકાએ સમાજને હચમચાવી દીધો છે. આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે અંધવિશ્વાસ કેટલો ખતરનાક બની શકે છે. મૃતક બાળક કાર્તિકના પિતા ફારુકભાઈ બળદેવભાઈ એછવાડિયા અને તેમના પરિવારને પહેલેથી ચાર દીકરીઓ હતી. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા આ પરિવારે પડોશમાં રહેતા રેહાનાબેન પર વિશ્વાસ કર્યો હતો. આ મહિલા પોતાને માતાજીના ભુવા તરીકે ઓળખાવતી હતી અને તેણે પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે ‘બાધા’ આપવાનો દાવો કર્યો હતો. સમય જતાં ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પરિવારમાં પુત્રનો જન્મ થયો. જેને કાર્તિક નામ આપવામાં આવ્યું. જાેકે બાળકના જન્મ બાદ તાંત્રિક મહિલાએ પશુ બલિ આપવાની માંગણી કરી હતી. જેને બાળકની માતાએ સ્પષ્ટપણે નકારી કાઢી હતી. આ મુદ્દે થયેલા વિવાદ પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. ૪ એપ્રિલના રોજ કાર્તિક પોતાના ઘરની નજીક રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો. પરિવારે તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી. પરંતુ કોઈ સફળતા મળી નહોતી. થોડા સમય બાદ શંકાસ્પદ પરિસ્થિતિઓ વચ્ચે તાંત્રિક મહિલાના ઘરમાં આવેલા પાણીના ટાંકામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી અને પરિવાર તેમજ સ્થાનિકોમાં ભારે દુ:ખ અને રોષ ફેલાયો. આશ્ચર્યજનક રીતે શરૂઆતમાં પરિવારે કોઈ કાયદેસર કાર્યવાહી કર્યા વિના જ બાળકના મૃતદેહને દફનાવી દીધો હતો. પરંતુ સમય જતાં હત્યાની શંકા વધુ મજબૂત બનતા લગભગ ૧૨ દિવસ બાદ ધ્રાંગધ્રા પોલીસ પાસે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને મૃતદેહને કબરમાંથી બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો. તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા આરોપી તાંત્રિક મહિલા સામે હત્યા, કાળા જાદુ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો અને તેની ધરપકડ કરવામાં આવી. આ ઘટના માત્ર એક ગુનાહિત કૃત્ય નથી. પરંતુ સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. અંધશ્રદ્ધા અને ખોટા ધાર્મિક દાવાઓના નામે લોકો કેવી રીતે ભ્રમિત થાય છે અને તેનો અંત કેટલો ભયાનક બની શકે છે. તે આ બનાવે સ્પષ્ટ કર્યું છે. નિર્દોષ બાળકની હત્યાએ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને લોકો હવે આવા તાંત્રિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ કેસ સમાજને જાગૃત રહેવા અને વૈજ્ઞાનિક વિચારધારા અપનાવવાની જરૂરિયાત તરફ સંકેત આપે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 2376   |  
ચૂંટણી પહેલાં નણંદ નયનાબા અને ભાભી રીવાબા વચ્ચે શુભેચ્છાના નામે મ્હેણાટોણાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આખા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચારની સાથે સાથે એકબીજાના ઉમેદવારોને વાકબાણોથી પાડવાનું પણ કામ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં બહુચર્ચિત સૌરાષ્ટ્રના નણંદ ભાભીની જાેડી ફરી ચર્ચામાં આવી છે. નયનાબા અને રિવાબાએ એકબીજાને શુભેચ્છાની સાથે મ્હેણા ટોણા પણ માર્યા હતાક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાએ પોતાના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી હતી. જાેકે, આ મુદ્દો હાલ ચર્ચાનું કારણ બન્યો છે. નયનાબા જાડેજાએ ભાભીએ આપેલી શુભેચ્છા અંગે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના જે કોઈ વ્યક્તિઓ મને શુભેચ્છા પાઠવી રહ્યા છે તેમનો આભાર. રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ સાથે જાેડાયેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છાઓ પાઠવી હતી. શુભેચ્છાની સાથે તેમણે ભાજપની જીતનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ચૂંટણી લડનાર દરેકને મારી શુભેચ્છાઓ છે, પરંતુ મને ભાજપના કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે. આગામી ૨૮ તારીખે જ્યારે પરિણામ આવશે, ત્યારે જીત તો ભારતીય જનતા પાર્ટીની જ થશે.” રીવાબાની આવી શુભેચ્છા પર નયનાબા જાડેજાએ હસતાં હસતાં પ્રતિક્રિયા આપી હતી. નયનાબાએ આ અંગે જણાવ્યું હતું કે, “શુભેચ્છા આપવા બદલ હું તેમનો આભાર માનું છું, પરંતુ આ જે નિવેદનો છે તે તેમનો ‘ઓવર કોન્ફિડન્સ‘ છે એટલે એ લોકો કોઈ સેટિંગ કરવાના લાગે છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
19, એપ્રીલ 2026 2574   |  
જૂનાગઢના શીલ પોલીસ સ્ટેશનના પકડાયેલા આરોપી પાસેથી બેંકની ૨૫ પાસબૂક જપ્ત

અમદાવાદના મેમનગરમાંથી જૂનાગઢનો શીલ પોલીસ સ્ટેશનના સાયબર છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતો ફરતો આરોપી કેવિન દેકીવાડીયાને ર્જીંય્ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી કેવિન દેકીવાડીયા, જે મૂળ જૂનાગઢના ઝાંઝરડા રોડનો રહેવાસી છે, તે અમદાવાદના મેમનગર સ્થિત નિલમણી સોસાયટીના ઓક્સફોર્ડ ટાવરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. આ બાતમીના આધારે ર્જીંય્ની ટીમે દરોડો પાડીને તેની અટકાયત કરી હતી. આરોપી પાસેથી જુદીજુદી બેંકોની ૨૫ પાસબુકો, ૪૩ જેટલા એટીએમ કાર્ડ્સ, ૨૩ સીમકાર્ડ અને ૫ મોબાઈલ ફોન મળી આવ્યા છે.આટલી મોટી સંખ્યામાં પાસબુક અને એટીએમ કાર્ડ મળી આવતા પોલીસને આશંકા છે કે આ એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો ભાગ હોઈ શકે છે. હાલમાં આ તમામ મુદ્દામાલ બાબતે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગથી જાણવાજાેગ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આટલા બધા બેંક એકાઉન્ટ્સ અને સીમકાર્ડનો ઉપયોગ કોના નામે અને કઈ રીતે કરતો હતો. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, એપ્રીલ 2026 3465   |  
લીંબડીમાં મધરાત્રે મકાનમાં આગ લગતા ૨ વ્યક્તિના મોત, એક સારવાર હેઠળ, આગ લાગવાનું કારણ અકબંધ

લીંબડી શહેરમાં મોડી રાત્રે બનેલી આગની ઘટનામાં ૨ લોકોના કરૂણ મોત થયા છે. વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલ વોરા સોસાયટીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી, જેમાં બે લોકોનાં દુ:ખદ મોત નિપજ્યાં છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ રાત્રિના સમયે આગ લાગી તે વખતે મકાનમાં કુલ ત્રણ લોકો હાજર હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેઓ બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. દુર્ભાગ્યે એક મહિલા અને એક પુરુષ આગની ઝપેટમાં આવી જતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ત્રીજા વ્યક્તિને બચાવ ટીમે સમયસર બહાર કાઢી લીધો હતો અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે મકાનમાં લગાવવામાં આવેલ એર કન્ડીશનર (એ.સી.)માં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. જાેકે, આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે ભારે મહેનત કરવી પડી હતી, કારણ કે મકાનના અંદરના ભાગમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટના બાદ સ્થાનિક રાજકીય આગેવાનો અને ધારાસભ્ય પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પીડિત પરિવારને સાંત્વના આપી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, એપ્રીલ 2026 4158   |  
૭ પદયાત્રીઓનાં કમકમાટીભર્યા મોત

ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા ૭ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. આ પદયાત્રીઓ રાજકોટના ગઢકા ગામે આવેલા મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. મૃતકોમાં ૫ મહિલાઓ અને ૨ પુરુષોનો સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલકે અંદાજે ૧૦ જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પદયાત્રામાં નીકળેલા શ્રદ્ધાળુઓ સાથે થયેલી આ દુર્ઘટનાએ હાઈવે સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.સંઘ બહુચરાજી તરફ જવા નીકળ્યો હતો આ ઘટનામાં રાજકોટથી ભરવાડ સમાજનો પગપાળા સંઘ લખતરના છારદ ગામ પાસેથી નાઈટ હોલ્ડ માટે જઈ રહ્યો હતો, ત્યારે મધ્ય રાત્રે રસ્તામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો, ત્યારે એનાથી સાઈડમાં આવીને આગળ જઈ રહેલા લોકો પર પાછળથી આવતી ટ્રક ફરી વળતા છ પદયાત્રીઓ અને રસ્તામાં ટ્રકનું ટાયર બદલી રહેલા યુવાન પર બેકાબુ ટ્રક ફરી વળતા કુલ સાત લોકોના મોત નીપજ્યા હતા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યા છે. અને અકસ્માત સર્જનારા ટ્રક ચાલક આદિત્ય રમેશભાઈ ગોકનીયાને પકડી લેવામાં આવ્યો છે, જે લખતર તાલુકાના ઝામર ગામનો જ છે અને આ ટ્રક રાજકોટથી લખતર તરફ આવી રહી હતી. પાંચ મહિલા અને બે પુરુષના મોત સંઘ લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રી રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા. આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ ૭ લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, એપ્રીલ 2026 3069   |  
સગીરા પર ત્રણ વર્ષ સુધી સામૂહિક દુષ્કર્મ

સમગ્ર રાજ્યને હચમચાવી નાંખે તેવો કિસ્સો ખેડામાં બહાર આવ્યો છે. એક સગીરાને ત્રણ ત્રણ વર્ષ સુધી પીંખવામાં આવી હતી.. અનેક જગ્યાએ લઇ જઇને તેની ઉપર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો. એક મુસ્લિમ યુવકના પ્રેમમાં પડેલી સગીરાને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય તે તેને ત્રણ ત્રણ વર્ષ સુધી નરકની યાતના ભોગવવી પડેશે... એક નહીં પણ નવ નવ નરાધમોએ આ યુવતીને જુદાં જુદાં સ્થળે બોલાવીને તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું હાલમાં સગીરાનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે અને તેને આઘાતમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જાેકે સગીરાના હાલત અત્યંત દયનિય હોવાનું જાણવા મળે છે. હાલમાં તો આ તમામ નરાધમો જેલના સળિયાની પાછળ છે પરંતુ તેમના કરતૂતોએ સમાજને હચમચાવી નાં!ખ્યો છે. ફક્ત ખેડા જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ખેડા તાલુકામાં નવ મુસ્લિમ યુવકો દ્વારા ૧૭ વર્ષીય સગીરાને ત્રણ વર્ષ સુધી સતત પીખવામાં આવી હતી. જાેકે આ ઇસમોનો ત્રાસ વધતાં કંટાળેલી સગીરાએ સમગ્ર બાબતે પોતાની માતાને જાણ કરતા મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ દ્વારા આરોપીઓની અટક કરવામાં આવી હતી. શનિવારે તમામ આરોપીઓને રિ- કન્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખેડામાં રહેતા પરિવારની ૧૭ વર્ષની દીકરીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ સ્થાનિક ૮ મુસ્લિમ યુવકો દ્વારા ૩ વર્ષથી તેની ઉપર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. નરાધમો રોજેરોજ દીકરીને પીંખતા હતા. અલગ અલગ જગ્યાએ લઇ જઇને દીકરી પર દુષ્કર્મ આચરનાર ઇસમોએ શાળામાં ચાલતાં મધ્યાહન ભોજનના શેડમાં લઇ જઇને પણ દીકરીનું શિયળ લૂંટ્યું હતું. આ અતિ સંવેદનશીલ ઘટના ધ્યાને આવતાં જ પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને તેમને શનિવારે રિ-કન્સ્ટ્રક્શન માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકઠાં થયા હતા. હાલમાં આ મામલે ખેડા ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપી પરવેઝખાન અનવરખાન ઉર્ફે મુનાવરખાન પઠાણ (ઉ.વ.૨૩) - માહિરખાન યાકુબખાન પઠાણ (સિપાઈ) (ઉં.વ. ૨૪) - ફૈઝાનખાન ઝહીરખાન પઠાણ (ઉં. વ. ૨૩) - તૌફિકખાન ઉર્ફે તૌસીકખાન હુસેનખાન પઠાણ (સિપાઈ) (ઉં. વ. ૨૩) - અયાનખાન લીયાકતખાન પઠાણ (સિપાઈ) (ઉ.વ.૧૯) - મોઈન ખાન ફિરોઝ ખાન પઠાણ (સિપાઈ) (ઉં.વ. ૨૨) - મારૂફખાન ઉર્ફે નુરાની મુબારકખાન પઠાણ (ઉ.વ.૨૫) - સલમાનખાન આરીફખાન પઠાણ (ઉ.વ.૨૬) - સાહીલ લીયાકતખાન ઉર્ફે દાઉદ પઠાણ (પકડવાનો બાકી)


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 4455   |   વડોદરા   |  
વડોદરામાં શિસ્તબદ્ધ પક્ષના લીરેલીરા ઉડાડતા ‘ગદ્દારો’ સામે પગલાં કેમ નહીં?

વડોદરામાં સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે જે સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે, તે માત્ર એક મેસેજ નથી, પણ ભાજપના આંતરિક સડાની ‘એક્સ-રે રિપોર્ટ’ છે. આશ્ચર્યની વાત એ છે કે, વિપક્ષને મજબૂત કરવાની અને સત્તાપક્ષને હરાવવાની અપીલ કોઈ વિરોધ પક્ષના નેતાએ નહીં, પણ ભાજપના જ ‘કૃપાપાત્ર’ અને સરકાર નિયુક્ત સેનેટ સભ્ય જિગ્નેશ શાહે કરી છે. જે પક્ષે તેમને ઓળખ આપી, તે જ પક્ષ વિરુદ્ધ ઝેર ઓકીને ‘લોકશાહી બચાવો’ના નામે જનતાને ઉશ્કેરવી એ રાજકીય ગંદકીની પરાકાષ્ઠા છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ રીતે જ ધમકી અને પૈસાના જાેરે લોકોને ચૂંટણી લડતાં બંધ કરાવી દેવાશે તો લોકશાહી માટે ભવિષ્ય ઉજળું નથી. વડોદરાની જનતાને નમ્ર અપીલ વિરોધપક્ષ મજબૂત કરશો તો જ તમારો અવાજ સંભળાશે. આ છેલ્લી ચૂંટણી છે, જાે વિરોધપક્ષ મજબૂત નહીં બન્યો તો આવનારી ચૂંટણીમાં સત્તાપક્ષ સામે કોઈ ઊભું રહેવા તૈયાર નહીં થાય. એ દિવસે આપ સૌ ખુબ પસ્તાશો. વડોદરાની જનતાને વિનંતી- ‘બે મત સત્તાપક્ષને અને બે મત વિપક્ષને આપો.’ આ કેવા પ્રકારની રાજકીય નૈતિકતા છે? ટિકિટ ન મળતાં અથવા અંગત સ્વાર્થ ન સંતોષાતા ‘જૂના જાેગીઓ’ જ્યારે પક્ષ સામે તલવારો કાઢે છે, ત્યારે સાબિત થાય છે કે તેમને લોકશાહી કે જનતાના અવાજ સાથે કોઈ લેવા-દેવા નથી, તેમને માત્ર પોતાની ખુરશીમાં રસ છે. વડોદરાની જનતાને ભ્રમિત કરવાનો આ પ્રયાસ શરમજનક છે. જે ભાજપના શાસનમાં સેનેટ સભ્ય પદ ભોગવે છે, તે જ કયા મોઢે સત્તાપક્ષ સામે મત આપવાની અપીલ કરી શકે? સંસ્કારી નગરી વડોદરામાં ભાજપના નામે જે ખેલ ખેલાઈ રહ્યો છે, તે શરમજનક જ નહીં પણ સંઘર્ષના પાયા પર ઊભેલા આ પક્ષ માટે આત્મઘાતી છે. જિગ્નેશ શાહ જેવા, જેમને પક્ષે વડોદરાની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સેનેટ સભ્ય જેવું પ્રતિષ્ઠિત પદ આપ્યું, તે જ આજે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ વિપક્ષને મત આપવાની ભલામણો કરી રહ્યા છે. આ કોઈ લોકશાહી બચાવવાની લડાઈ નથી, આ તો ‘થાળીમાં ખાઈને એમાં જ છેદ’ કરવાની હલકી માનસિકતા છે. પરંતુ સવાલ એ છે કે, આટલો મોટો ઘા થયા છતાં સંગઠન હજુ સુધી પાટાપિંડી કેમ નથી કરી રહ્યું? વડોદરા ભાજપનું વર્તમાન સંગઠન અને પદાધિકારીઓ શા માટે મૌન સેવીને બેઠા છે? શું જિગ્નેશ શાહ પર જે ‘ચાર હાથ’ હોવાની ચર્ચા છે, તે હાથ સંગઠનના ગળા સુધી પહોંચી ગયા છે? પક્ષ વિરુદ્ધ પ્રચાર કરવો અને વિરોધપક્ષને મજબૂત કરવાની અપીલ કરવી એ ભાજપના બંધારણ મુજબ ‘ગંભીર શિસ્તભંગ’ છે. તેમ છતાં, હજુ સુધી આવાં લોકોને પક્ષમાંથી હાંકી કાઢવાની હિંમત કેમ નથી બતાવાઈ? શું સંગઠન પોતે જ આ ‘વિભિષણ’ ગેંગનો હિસ્સો છે? આ મૌન પ્રતીક છે કે વડોદરા ભાજપમાં શિસ્તના નામે હવે માત્ર મીંડું રહ્યું છે. એક તરફ પક્ષનો પાયાનો કાર્યકર તડકામાં ઘર-ઘર ફરીને ભાજપનો પ્રચાર કરે છે અને બીજી તરફ પક્ષના જ હોદ્દેદારો પક્ષને હરાવવાના ફતવા બહાર પાડે છે. આ ‘જૂના જાેગીઓ’ને પક્ષે બધું જ આપ્યું, પણ જ્યારે ટિકિટની વાત આવી કે સત્તામાં થોડી કાપલી પડી, એટલે તુરંત જ પોતાનો અસલી રંગ બતાવી દીધો. સંગઠનના નેતાઓને શરમ આવવી જાેઈએ કે જેમના ઈશારે આ મેસેજ સર્ક્યુલેટ થઈ રહ્યા છે, તેમને પક્ષના કાર્યક્રમોમાં હજુ પણ સ્ટેજ પર સ્થાન કેમ મળે છે? શું ભાજપને હવે વડોદરામાં ગદ્દારોના સહારે ચાલવાની આદત પડી ગઈ છે? જિગ્નેશ શાહ તો માત્ર એક મહોરું છે, પણ ભાજપમાં આવા અનેક અદ્રશ્ય વિભિષણો ફરી રહ્યા છે, જે વડોદરા ભાજપની ‘લંકા’ સળગાવવા માટે તૈયાર બેઠા છે. જાે આજે આ એક વિભિષણની શિખામણ કાપવામાં નહીં આવે, તો કાલે બીજા દસ ઊભા થશે. સંગઠનના કૃપાપાત્ર બનેલા આ ગદ્દારો પક્ષને તોડવા માટે વિરોધપક્ષ સાથે પણ અંદરખાને ગઠબંધન કરી રહ્યા છે. વડોદરાની જનતા અને કાર્યકરોમાં એવો મેસેજ જઈ રહ્યો છે કે ભાજપમાં ‘ગુંડાશાહી’ અને ‘ગદ્દારી’ કરનારાઓનું જ ચલણ છે, કારણ કે તેમની સામે પગલાં લેવાની સત્તાધીશોમાં ત્રેવડ નથી. વડોદરા ભાજપમાં રંધાઈ રહેલી રાજકીય ખીચડી હવે શિસ્તના તપેલામાંથી બહાર ઉભરાઈ રહી છે. સત્તાના નશામાં ચૂર શાસકો અને પક્ષમાં રહીને જ પક્ષના મૂળિયાં ખોદનારા ‘વિભિષણો’એ વડોદરાની જનતાને મૂર્ખ બનાવવાનું શરૂ કર્યું છે. વડોદરા ભાજપના નેતાઓ સાંભળી લે, જાે આ વખતે આ ગદ્દારોને જડબાતોડ જવાબ ન મળ્યો અને તેમને પક્ષના દરવાજાની બહાર ન ફેંકાયા, તો આવનારી ચૂંટણીમાં જનતા તમને જે સબક શીખવશે તે કાયમ માટે યાદ રહી જશે. મૌન તોડો અથવા ખુરશી ખાલી કરો, વડોદરા ભાજપને ‘નમાલા’ સંગઠનની જરૂર નથી, મજબૂત અને શિસ્તબદ્ધ નેતૃત્વની જરૂર છે. જિગ્નેશ શાહ જેવા જ્યારે ખુલ્લેઆમ પક્ષ વિરુદ્ધ પ્રચાર કરે અને સંગઠન ‘મૌન’ સેવીને બેસી રહે, ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. શું વર્તમાન સંગઠન એટલું લાચાર છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પગલાં લેવાની હિંમત નથી? કે પછી આ આખી રમત કોઈ મોટા માથાઓના ઈશારે રમાઈ રહી છે? વડોદરા ભાજપ હંમેશાથી ‘ઝઘડાની લેબ’ ગણાય છે, પણ હવે આ લેબમાં લોકશાહીના મૂલ્યોની એસિડ ટેસ્ટ થઈ રહી છે. સંગઠનના પૂર્વ પદાધિકારીઓ જ્યારે ‘વિભિષણ’ બનીને પક્ષને તોડવા નીકળે, ત્યારે સમજવું કે ભાજપને હરાવવા માટે વિપક્ષની જરૂર નથી, તેના ‘ઘરના ઘાતકીઓ’ જ કાફી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 3069   |   વડોદરા   |  
૪ સંતાન સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ સંતાનનાં મોત

વડભેડ ગામના રહેવાસી ચંપાબેન બિંદેશભાઈ નામની મહિલાએ ઘરકંકાસમાં પોતાના ચાર બાળકો સાથે ગામના એક કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટના સમયે ત્યાંથી પસાર થતી એક સ્થાનિક મહિલાની નજર પડતા તેણે તાત્કાલિક ગામના આગેવાન દીપસિંહભાઈ મૂળાભાઈ રાઠોડને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતા જાેઈ દીપસિંહભાઈએ તુરંત જ બાજુના ગામના સંજયભાઈ નામના યુવકને ફોન કરીને બોલાવ્યા હતા. સંજયભાઈએ કોઈપણ ક્ષણનો વિલંબ કર્યા વગર કૂવામાં કૂદીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. તેમણે ભારે જહેમત બાદ માતા ચંપાબેન અને એક બાળકીને જીવિત બહાર કાઢ્યા હતા.ગામમાંથી એક મહિલાએ જાણ કરી કે ચંપાબેન બાળકો સાથે કૂવામાં કૂદ્યા છે. મેં તરત જ સંજયભાઈને જાણ કરી, જેમણે જીવના જાેખમે માતા અને એક દીકરીને બચાવી લીધા. પરંતુ અન્ય ત્રણ બાળકોને બચાવી શકાયા નથીઅન્ય ત્રણ બાળકોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાેકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે ત્રણ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોમાં પુત્રી પ્રિયંકા (૧૨ વર્ષ),પુત્ર ગિરિરાજ (૫ વર્ષ),પુત્ર રાજવીર (૨ વર્ષ)નો સમાવેશ થાય છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 3267   |   વડોદરા   |  
પક્ષના ઉમેદવાર સામે ઉમેદવારી કરનાર ભાજપના ૧૧ બળવાખોરને સસ્પેન્ડ કરાયા

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની ચૂંટણીમાં ભાજપાની ટીકીટ માટે દાવેદારી કરનાર કેટલાક અગ્રણઈઓ અને કાર્યકરોને ટીકીટ નહી મળતા નારાજગી વ્યક્ત કરીને અપક્ષ કે અન્ય પક્ષ માંથી વિવિધ સ્થળે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ભાજપા દ્વારા હવે કાર્યવાહી કરતા પક્ષના સત્તાવાર ઉમેદવારની સામે ચૂંટણી જંગમાં ઝંપલાવનારા ૧૧ને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં પાદરા નગર પાલિકા વોર્ડ -૩માં કોંગ્રેસ માંથી ઉમેદવારી કરનાર નગર ભાજપાના મંત્રી નરસિંહભાઈ પટેલ, વાધોડિયા નગર પાલિકા વોર્ડ-૫માં અપક્ષ ઉમેદવારી કરનાર સક્રિય કાર્યકર વિશાલ પરીખ, રવાલ તાલુકા પંચાયતમાં ઉમેદવારી કરનાર સક્રિય કાર્યકર જ્ઞાનશરણ પટેલ, વાધોડિયા જરોદ તાલુકા પંચાયતની બેઠક પર પત્નીને ચૂંટણી લડાવનાર જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચો આઈટી સેલના જયેશભાઈ રબારી, સાવલી નગરના યુવા મોરચાના ઉપ પ્રમુખ આકાશ પટેલ, સાવલીનગર પાલિકામાં વોર્ડ-૨માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપા યુવા મોરચાના કારોબારી સભ્ય નિલેશભાઈ પરમાર, વડોદરા પોર જિલ્લા પંચાયની બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા નયનાબેન પરમાર, જિલ્લા પંચાયતની પોર બેઠક પર તેમની પત્નીને ચૂંટણી લડાવનારા રાજુભાઈ પરમાર, ડભોઈ નગરના વોર્ડ-૬માં અપક્ષ ઉમેદવારી કરનાર સમીરભાઈ પટેલ, વોર્ડ-૫માં ઉમેેદવારી નોંધાવનારા સલીમભાઈ ધાંચી, અને કરજણ વેમાર તાલુકા પંચાયતમાં ઉમેદવારી નોંધાવનાર રાકેશભાઈ પટેલને પક્ષમાંથી ૫ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આમ ભાજપા દ્વારા ટીકીટ નહી મળતા કોંગ્રેસ કે અન્ય પક્ષ અથવા અપક્ષ ઉમેદવારી નોંધાવનારા જિલ્લાના ૧૧ અગ્રણીઓ અને કાર્યકરો સામે કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 2871   |   વડોદરા   |  
વડોદરા કૉર્પોરેશનની ૭૪ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો મેદાનમાં

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના દિવસે ભાજપ-કોંગ્રેસની તેમજ આપ અને અપક્ષસહિત કેટલાક ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચતા હવે ૧૯ વોર્ડની ૭૪ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યાં છે જેમાં સૌથી ઓછા ૮ ઉમેદવારો વોર્ડ નં.૧૧માં અને સૌથી વધુ ૧૯ ઉમેદવારો વોર્ડ નં.૧૨માં ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના બે ઉમેદવારોએ તેમના ફોેર્મ પરત ખેચતા વોર્ડ નં-૧૧ની અને વોર્ડ નં-૨ની એકએક બેઠક બિનહરીફ થતા હવે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ૭૬ પૈકી ૭૪ બેઠકો પર ચૂંટણી યોજાશે.વડોદરા કોર્પોરેશનના ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે આગામી ૨૪મી એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ તબક્કામાં ૪૭૩ ઉમેદવારીપત્રો ભરાયા હતા. ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન ૨૦૬ ફોર્મ ચકાસણી દરમિયાન અમાન્ય ઠર્યા હતા. જ્યારે ગઈકાલે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લા દિવસે કોંગ્રેસના બે સહિત ૭ જેટલા ઉમેદવારોએ તેમના ફોર્મ પરત ખેચ્યા હતા.. ત્યારે ૧૯ વોર્ડની ૭૬ પૈકી બે વોર્ડની એકએક બેઠક બિનહરીફ જાહેર થતાં હવે ૭૪ બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ૨૫૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. જેમાં સૌથી વધુ ૧૯ ઉમેદવારો વોર્ડ નં.૧૨ અને સૌથી ઓછા ૮ ઉમેદવારો વોર્ડ નં.૧૧માં છે. આમ દરેક વોર્ડમાં ઉમેદવારો કેટલા છે તેની સ્પષ્ટતા સાથે તમામ ઉમેદવારોને ઉમેદવારી ક્રમાંક તેમજ અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવતાભાજપ-કોંગ્રેસ, અન્ય પક્ષો તેમજ અપક્ષો પ્રચાર ઝુંબેશ વધુ તેજ બનાવાઈ છે.ઉલ્લેખનીય છે કે, તા.૨૪મીએ સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે. જેથી પ્રચાર માટે હવે ૯ દિવસનો જ સમય રહ્યો છે. જાેકે, એકાદ-બે વોર્ડ ને બાદ કરતા મોટાભાગના વોર્ડમાં કોંગ્રેસમાં અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 2376   |  
નાગરિકોના હિતમાં કોઈપણ બિલો રજૂ કરાય કોંગ્રેસે હંમેશા વિરોધ કર્યો છે: દર્શનાબેન વાઘેલા

દેશની મહિલાઓને આજે આઝાદીના આઠ દાયકા પછી પણ સંસદમાં ઉચિત સ્થાન ન મળતાં કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો. ભાજપે આજે પ્રેસ કોન્ફરન્સ કરી એનડીએની સરકાર દ્વારા બહેનો-મહિલાઓની અપેક્ષા પરિપૂર્ણ કરવામાં આવશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ કોંગ્રેસ તેમજ તેમના સાથી પક્ષોએ આ મહિલા આરક્ષણ બિલના વિરોધમાં મતદાન કરીને બિલ પાસ થવા ના દીધું અને મહિલાઓની આશા અને અપેક્ષા પર પાણી ફેરવી દીધું હતુ. પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ચૂંટણી સંચાલનના ઇન્ચાર્જ ગોરધન ઝડફીયાએ વધુમાં જણાવ્યુ કે, આપણા બંધારણના આમુખમાં પણ લખેલું છે કે કોઈપણ જ્ઞાતિ, જાતિ કે કોઇપણ ભેદ તથા લિંગભેદ વગર સૌને સમાન અધિકાર મળશે છતાં આઝાદીના આઠ-આઠ દાયકા પછી પણ જેમાં સૌથી વધુ સત્તા સ્થાને એક જ પરિવારના લોકો અને કોંગ્રેસ પાર્ટી રહી છે. તેઓએ બંધારણના આમુખને પણ લાગુ ન કર્યો. વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આપણી જવાબદારી છે કે, જે આપણા સંવિધાનમાં લખાયેલું છે જેને આપણે લાગુ કરીએ અને તેનો પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો. વર્ષ ૨૦૨૩માં જે બિલ લાવ્યા હતા તેમાં ડી-લિમિટેશન સાથેનું તે બિલ હતું અને ભવિષ્યમાં ડી-લિમિટેશન સાથે સંશોધન કરીને લાગુ કરવાની બાબત હતી તે સમયે કોંગ્રેસે તેને ટેકો આપ્યો હતો. પરંતુ માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં કોંગ્રેસનું ચરિત્ર બદલાઈ ગયું કે કોંગ્રેસે આ બિલને પાસ કરવામાં રોડા નાખ્યા. દેશની બહેનોને વંચિત રાખવાનું પાપ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો કરી રહ્યા છે અને સંસદ ભવનની બહાર આવીને કોંગ્રેસ મગરના આંસુ સારે છે. રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે ૧૭મી તારીખે સંસદ ભવનમાં જે ચર્ચા ચાલતી હતી તેની પર દેશની ૭૦ કરોડ જેટલી બહેનોની નજર હતી, કોંગ્રેસ પાર્ટી અને તેમના સાથીઓએ આ ૭૦ કરોડ મહિલાઓના સપનાઓને ચકનાચૂર કરીને તોડી નાખ્યા છે વિધાનસભા તેમજ લોકસભામાં ૩૩ ટકાની મહિલાઓની જન ભાગીદારીનું બિલ ભાજપા અને એનડીએ સરકાર દ્વારા મૂકવામાં આવ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 2277   |  
ડિજિટલ યુગમાં ગ્રાહકો ગેસ બુકિંગની લાઈનમાં ઊભા રહેવા મજબૂર

ગેસની ખરેખર અછત છે કે ઈચ્છાપૂર્વક ભીડ ભેગી કરવાનો બદઈરાદો? ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને લઈ ઉઠેલી ગેસ પુરવઠાની માગ પર સરકારે ગેસ-ઈંધણનો પુરતો પુરવઠો હોવાનું જણાવી લોકોને ગેસ બુકિંગ કે પેટ્રોલ-ડીઝલ માટે પંપ પર લાઈન લગાવવાથી મુક્તિ આપી છે, તો અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલ કોઠી મહોલ્લો વીજળી ઘર પાછળ સીદી સૈયદની જાળી સામે વિહાર એન્ટરપ્રાઇઝ એજન્સીમાં જ કેમ ગેસ બુકિંગ માટે લાંબી ભીડ જાેવા મળે છે? કેમ ૪૨ ડિગ્રી ગરમીમાં લોકોએ કલાકો સુધી રાહ જાેવા મજબૂર બનાવવામાં આવે છે? બીજા સ્થળો પર ગેસ બુકિંગ તુરંત થઈ જાય છે તો અહીં ઈચ્છાપૂર્વક ભીડ ભેગી કરવામાં આવી રહ્યાનું સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 2376   |  
બેફામ બીએમડબલ્યુ : નિકોલમાં બેકાબૂ કારચાલકે બસ સ્ટોપનો કચ્ચરઘાણ કાઢ્યો

શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર બેફામ ડ્રાઇવિંગને કારણે ભયાનક અકસ્માત સર્જાયો છે. નિકોલના ભક્તિનગર બસ સ્ટેન્ડ પાસે આજે એક લક્ઝુરિયસ કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રિક્ષા સાથે અથડાઈને સીધી બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી. મળતી માહિતી મુજબ, નિકોલના ભક્તિનગર બસ સ્ટેશન પાસે રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ હતી, ત્યારે એક કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. કારની ગતિ એટલી વધારે હતી કે ચાલકે અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. બેફામ બનેલી આ કારે રસ્તા પરથી પસાર થતી એક રિક્ષાને જાેરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષા ફંગોળાઈ ગઈ હતી અને કાર રસ્તાની બાજુમાં આવેલા બસ સ્ટેન્ડના લોખંડના સ્ટ્રક્ચરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતનો અવાજ એટલો હતો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા. કાર અથડાવાને કારણે બસ સ્ટેન્ડના પતરાં અને લોખંડના એન્ગલો વળી ગયા હતા. કારના આગળના ભાગનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે ઘટના સમયે બસ સ્ટેન્ડમાં મુસાફરોની સંખ્યા ઓછી હતી, અન્યથા મોટી જાનહાનિ થઈ શકી હોત. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરો અને કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ નિકોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે કે અકસ્માત સમયે ચાલક નશાની હાલતમાં હતો કે ગાડીમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. સ્થાનિક લોકોમાં પૂર્વ અમદાવાદના રહેણાંક વિસ્તારોમાં વધતા જતા સ્પીડિંગ અને સ્ટંટના કિસ્સાઓ સામે ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 2277   |  
લેંડ ગ્રેબિંગના કેસમાં ત્રણને જેલમાં મોકલવાના મામલે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાશે

બે નિર્દોષ નાગરિકોને ગુના વગર અઢી મહિના સુધી જેલના સળીયા ગણાવનારા અધિકારીઓ સામે સરકાર કડક કાર્યવાહી કરશે . રાજ્યના મુખ્ય સચિવે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરી ખાતરી આપી છે કે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ કેસની વિગત મુજબ જમીન કબજા સંબંધિત એક વિવાદ જે દીવાની હતો, તેમાં કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટીએ કાયદાની સીમા ઓળંગીને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ, ૨૦૨૦ હેઠળ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ ભૂલના કારણે બે વ્યક્તિઓને અંદાજે ૭૫ દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. હાઇકોર્ટે આ ઘટનાને બંધારણના આર્ટિકલ ૨૧ (વ્યક્તિગત સ્વતંત્રતા)નો ભંગ લેખાવ્યો હતો અધિકારીઓની ભૂલનો ભોગ બનેલા બંને વ્યક્તિઓને ૩ સપ્તાહમાં કુલ રૂ. ૧૦ લાખનું વળતર ચૂકવી દેવામાં આવશે. હાઇકોર્ટના આદેશ મુજબ, આ વળતરની રકમ સરકારી તિજાેરીમાંથી નહીં, પરંતુ જે તે જવાબદાર અધિકારીઓના અંગત પગાર કે ખિસ્સામાંથી વસૂલવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ કેસમાં બેદરકારી દાખવનાર બંને અધિકારીઓ સામે કડક ખાતાકીય તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં સિવિલ મેટરમાં લેન્ડ ગ્રેબિંગના કાયદાનો આ રીતે દુરુપયોગ ન થાય તે માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ નવો પરિપત્ર જાહેર કરશે. ચીફ જસ્ટિસની ખંડપીઠે આ મામલે સખત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જે લોકો ન્યાયની આશામાં પોતાની જ જમીન માટે લડતા હોય તેમને જેલમાં ધકેલી દેવા એ તંત્રની મોટી નિષ્ફળતા છે. અગાઉ સરકારે આ મામલે બિનશરતી માફી માંગી હતી, પરંતુ કોર્ટની કડકાઈ બાદ હવે જવાબદારી નક્કી કરવા માટે સોગંદનામું કરવામાં આવ્યું છે.આ કિસ્સો રાજ્યના વહીવટી તંત્ર માટે એક દાખલો બેસાડનારો સાબિત થશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 2277   |  
ગાંધીનગર ખાતે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને આડે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહીની આખરી તૈયારીઓને ઓપ અપાઈ રહયો છે. જેના અંતર્ગત ગાંધીનગરમાં ઈવીએમ મશીનને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને મતદાનની પ્રકિયા માટે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. આગામી રવિવારે યોજાનારી આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મહત્વપૂર્ણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ તેમજ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને તેજ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે માટે દરેક સ્તરે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. મતદાન મથકોની વ્યવસ્થા, સુરક્ષા, સ્ટાફની નિમણૂક સહિતની કામગીરીઓ સાથે સાથે ટેક્નિકલ તૈયારીઓ પર પણ ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. જેથી મતદાન સમયે મતદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે.ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ મશીનોને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. ગાંધીનગરના સેક્ટર ૧૬ ખાતે ઈવીએમ મશીનો સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કંટ્રોલ યુનિટ સાથે મશીનોને યોગ્ય રીતે સીલ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને વિશ્વસનીય રહે તે માટે ઓબ્ઝર્વર દ્વારા તેની સમીક્ષા પણ કરવામાં આવી છે. ઈવીએમ મશીનોની સીલિંગની પ્રક્રિયા પૂરી થયા બાદ આ મશીનોને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવશે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
19, એપ્રીલ 2026 3168   |  
શેરબજાર અને લફરાબાજીમાં બે કરોડ ફૂંકી દેનારે રૂપિયા માટે પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો

બળાત્કારનાં આરોપી અને શેરબજારમાં બે કરોડનું દેવું કરી ચૂકેલા પતિએ પૈસા માટે ગુજારેલા શારીરિક માનસિક અત્યાચારથી ત્રાસેલી પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર અલથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર શીખીન હાઇટ્સમાં રહેતાં બજાજ પરિવારની દીકરી શિલ્પાનાં લગ્ન જાન્યુઆરી ૨૦૧૩માં મુંબઇ ખાતે રહેતાં પવનકુમાર જુનજુનવાલાનાં પૂત્ર યશ સાથે કરવામાં આવ્યા હતાં. લગ્નનાં ચાર પાંચ મહિનામાં જ શિલ્પાને એવી જાણ થઇ હતી કે તેનો પતિ યશ વર્ષા નામની યુવતી સાથે ફરે છે. યશનાં મોબાઇલમાં પણ વર્ષા સાથેની ચેટ જોવા મળતાં શિલ્પાએ તેને આ અંગે પૂછ્યું હતું. ત્યારબાદ યશે શિલ્પા સાથે લડાઈ ઝઘડો કરવા માંડ્યો હતો. સમય જતાં શિલ્પાને ખબર પડી કે યશને માત્ર વર્ષા જ નહીં ઘણી છોકરીઓ સાથે સંબંધ છે. પાંચ સાત મહિને તેની ફ્રેન્ડ બદલાતી રહેતી હતી.વર્ષા બાદ નીતુ અને દેવા સાથેની ચેટ અને કોલ શિલ્પાની જાણમાં આવ્યા હતાં. અન્ય યુવતીઓ સાથેનાં સંબંધો મામલે શિલ્પા અને યશ વચ્ચે માથાકૂટ ચાલતી રહેતી હતી. દંપતી વચ્ચે એવો ખટરાગ સર્જાયો કે તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ રહ્યાં ન હતાં. પરિવારમાં બાળકો અંગે ચર્ચા થવા માંડતા યશે લીલાવતી હોસ્પિટલમાં ઈન્ટ્રાઉટેરાઇન ઇન્સેમિશનથી શિલ્પાને ગર્ભવતી કરી અને તેણીએ વર્ષ ૨૦૧૭માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારપછી ૨૦૧૮માં યશને શેર બજારનાં ધંધામાં નુકશાની થવા માંડી હતી. જેથી તેણે શિલ્પાનાં ઘરેણાં ગીરવે રખાવી પૈસા લીધા હતા. ઘરેણાંથી આવેલા પૈસામાં પણ યશનું દેવું ભરપાઈ નહીં થતાં તેણે શિલ્પાને ફ્રેન્ડ સર્કલમાંથી પૈસા લાવવા કહી શારીરિક માનસિક ત્રાસ આપવા માંડ્યો હતો. જેથી શિલ્પાએ તેના મિત્રો શનિ શાહ પાસે ૧૦ લાખ તથા ભાવિન કાનાબારી પાસે ૧૦ લાખ રૂપિયા લઇ યશને આપ્યા હતાં. આ પૈસાથી કરેલા ધંધામાં પણ યશને નુકશાન થયું હતું. જેથી ૨૦૨૨માં તેણે શિલ્પાનાં ઘરેણાં વેચી નાંખ્યા હતા.આવા સંજોગોમાં જાન્યુઆરી ૨૦૨૪માં કોઇ યુવતીએ યશ સામે મલાડ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. ફરિયાદ કરનાર યુવતીને ૮૦ લાખ રૂપિયા આપી યશે કેસનો નિકાલ કર્યો હતો. આ રૂપિયા માટે યશે ઘર માર્ગેજ મૂકી લોન લીધી હતી. પછી એ લોનનાં હપ્તા ભરવા વ્યાજે પૈસા લીધા અને પછી વ્યાજ ભરવા બીજા પાસે વ્યાજે રૂપિયા લાવ્યો હતો. આ રીતે યશ બે કરોડનાં દેવામાં ઉતરી ગયો હતો. દેવું ભરપાઈ કરવાનું દબાણ આવતા તે શિલ્પા પાસે રૂપિયા માગી મારઝૂડ કરવા માંડ્યો હતો. જુલાઇ ૨૦૨૫માં શિલ્પાનાં ભાઈ, માતા અને મામાને બોલાવી યશે ફરી રૂપિયાની માંગણી કરી હતી. તેમની હાજરીમાં પણ યશે પત્ની પર હાથ ઉપાડ્યો હતો. એ સમયે તેણીનાં મામા નવીન કેડીયાએ યશને ૧.૭૦ લાખ આપ્યા હતાં. ત્યારબાદ પણ મારઝૂડ કરતાં રહેતાં યશે ૧૦મી તારીખે જો તુ કાલે રૂપિયા નહીં આપે તો જોઈ લેજે તારા શું હાલ કરુ છું, તને જીવવા જેવી નહીં રહેવા દઉં એવી ધમકી આપી હતી. જેથી શિલ્પા તેની બે દીકરીઓને લઇ સુરત પિયર આવી ગઇ હતી. બાદમાં અહીં તેણીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
19, એપ્રીલ 2026 3168   |  
સુરતમાંથી હજારો કામદારોની હિજરત, પોલીસનો લાઠીચાર્જ: રાજકીય પક્ષોમાં ચિંતા

ગઇ તા.૨૮મી ફેબ્રુઆરીનાં રોજ અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ઇરાન પર કરાયેલા હુમલાના ત્રીજા જ દિવસથી સુરતમાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગકારો અને કામદારોની પરેશાની શરૂ થઇ ગઇ હતી. સ્પીનરો દ્વારા યાર્નના ભાવોને મનસ્વી રીતે અસામાન્ય રીતે વધારી દેવામાં આવ્યા અને બીજી તરફ કામદારોને ગેસ સિલિન્ડર મળવાનું બંધ થયું. યાર્નનાં ભાવ મોંઘા થઇ જતા કાપડ ઉદ્યોગમાં કામકાજ ઘટી ગયું અને આજે સાવ ૫૦ ટકા પર સીમિત થઇ ગયું એટલે શ્રમજીવીઓની રોજગારી આપોઆપ ઘટી ગઇ છે અને બીજી તરફ શ્રમજીવીઓને ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા. આ અંગે સ્થાનિક ઉદ્યોગકારોએ સરકારનાં મંત્રીઓની મીટિંગોમાં સમસ્યા ઉજાગર કરવાની કોશિષ કરી તો તેમના મોઢાં સીવી દેવાયા હતા. ઉદ્યોગકારોને રીતસર કહી દેવામાં આવ્યું કે ગમે તેટલી મુશ્કેલી હોય થોડા દિવસોમાં પૂરી થઇ જશે. પરંતુ, આ મુશ્કેલી પૂરી થવાની જગ્યાએ વકરી ગઇ અને રોજગારી અને ગેસ સિલિન્ડર નહીં મળે તેવી શંકા વાસ્તવિકતામાં તબદિલ થતી જોવા મળતા શ્રમજીવીઓ દિન પ્રતિદિન સુરત છોડીને વતન ભેગા થવા માંડ્યા.મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં આજે ઉધના સ્ટેશન પર વતન જવા માટે ટ્રેનની વાટ જોતા હજારો શ્રમજીવીઓ માત્ર બે ટ્રેન હોવાથી બેકાબૂ બન્યાં હતાં. ખોરાક-પાણી વિના કલાકોથી ઉધના સ્ટેશને ટ્રેનની વાટ જોઇને બેઠેલાં હજારો શ્રમજીવીઓની ધીરજ ખૂટી પડતાં ટ્રેનમાં બેસવા પડાપડી થઇ હતી, ભીડને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ધક્કામુક્કીમાં ત્રણેક શ્રમજીવી બેભાન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. કાપડ ઉદ્યોગકારો કહે છે કે આવી ઘટના નિવારી શકાઇ હોત જો માર્ચ મહિનામાં ઉદ્યોગકારોએ કરેલી રજૂઆતો પર ધ્યાન આપીને પ્રશ્નો ઉકેલી શકાયા હોત. આજની ઘટના પછી શ્રમિકોમાં વતન વાપસીનાં વિચારો વધુ દૃઢ બન્યા હોવાનું તેમની વાતો પરથી જણાય રહ્યું છે. સ્થાનિક ઉદ્યોગકારો સરકાર સામે કોઇ જ મુશ્કેલી કે રજૂઆતો કરી શકતા નથી અને જે લોકો આવી રજૂઆતો કરે છે તેમની સામે અનેક પ્રકારની સરકારી કાર્યવાહીની તલવાર લટકે છે એટલે કોઇ બોલવા તૈયાર થતું નથી. પરંતુ, આજે જે થયું છે તેનાથી ઉદ્યોગને મોટું નુકસાન પહોંચશે તેવી દહેશત જરૂર વ્યક્ત કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં ઉત્પાદન સાવ ઘટી ગયું છે તેની પાછળ રહેલા કારણો જાણીને તેમાં રાહત આપવાની કોશિષ કરવી જોઇએ નહીં કે હિજરતને દબાવી રાખવા માટે પ્રયાસો કરવા જોઇએ. જો સરકારે સ્પીનર્સને કાબૂમાં લઇને તેમના દ્વારા મનસ્વી રીતે વધારી દેવાયેલા યાર્નના ભાવને સિમીત રાખ્યા હોત તો ટેક્ષટાઇલ ઉદ્યોગમાં ઉત્પાદન કાપ ઓછો મૂકાયો હોત અને તેની સીધી અસર શ્રમિકોની રોજગારી પર વર્તાઇ હોત. શ્રમિકો બે બાજુએથી ઘેરાયેલા છે. એક તો રોજગારી પહેલા જેવી નથી કેમકે ઉદ્યોગમાં જ ઉત્પાદન ઘટીને ૫૦ ટકા થઇ ગયું છે. અને બીજી બાજુ સિલિન્ડરની અછત છે એટલે રાંધવાની સમસ્યા. આ બંનેમાંથી સરકારી અધિકારીઓ એકાદ સમસ્યા પણ ઉકેલી શક્યા હોત તો આજે શ્રમજીવીઓ સાથે ઉધના રેલવે સ્ટેશને જે ઘટના બની તે કદાચ નિવારી શકાઇ હોત.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 2277   |   સુરત   |  
વરાછા-કતારગામમાં ભાજપનાં ઉમેદવારોને મતદારોનો સોંસરવો સવાલ: ૨૫ હજાર રત્નકલાકારોની અરજી ફગાવી કેમ દીધી?

સુરત મહાનગરપાલિકાની આગામી તા.૨૬મી એપ્રિલે યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને હાલ પ્રચાર પૂરજાેશમાં શરૂ થઇ ચૂક્યો છે અને સુરતની ચૂંટણીમાં ગળાકાપ સ્પર્ધા જાે કોઇ વિસ્તારમાં થઇ રહી હોય તો એ વરાછા, કતારગામ વિસ્તારમાં થઇ રહી છે. આ એવો વિસ્તાર છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ભારે હુંસાતુંસી ભર્યો માહોલ જાેવા મળી રહ્યો છે. આ એવો વિસ્તાર છે કે જ્યાંની બહુલ વસતી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને હીરા ઉદ્યોગની વાત આવે ત્યારે મંદી અને બેરોજગાર રત્નકલાકારોની રાહત યોજનામાં રાજ્ય સરકારે રીજેક્ટ કરેલા ૨૫ હજાર અરજીઓનો મુદ્દો અવશ્ય ચર્ચાય. વરાછા, કતારગામમાં હાલ ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે જઇ રહેલી ભાજપાના ઉમેદવારો સમક્ષ સામાન્ય મતદારો અને રત્નકલાકારો મોઢામોઢ એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યારે મંદીગ્રસ્ત હીરા ઉદ્યોગમાં જ્યારે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ સારી ન હતી અને એ સમયે રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત યોજના સ્વરૂપે તેમના બાળકોની એક વર્ષની સહાય ફી ચૂકવી હતી એ યોજનામાં ૨૫ હજાર જેટલા રત્નકલાકારોનાં ૩૦ હજાર જેટલા બાળકોની ફી માટેની અરજીઓ રીજેક્ટ કરવામાં આવી ત્યારે ભાજપનાં કોર્પોરેટરો કે નેતાઓ ક્યાં ગયા હતા?છેલ્લા બે દિવસથી વરાછા, કતારગામમાં આ મુદ્દો અને તેના પર સવાલો ઉઠાવીને મતદારો અને રત્નકલાકારો ભાજપનાં ઉમેદવારોની કસોટી કરી રહ્યા છે. વરાછાનાં એક વોર્ડમાં તો રત્નકલાકારોએ ભાજપનાં ઉમેદવારોને ઘેરીને પ્રશ્નોનો એવો મારો ચલાવ્યો કે ભાજપનાં ચારેય ઉમેદવારો ગેંગેંફેંફે થઇ ગયા હતાં. તેમની પાસે કોઇ જવાબ ન હતો. એક ઉમેદવારે તો ત્યાં સુધી કહ્યું કે બેરોજગાર રત્નકલાકાર રાહત યોજના અંગે તેમની પાસે કોઇ જ જાણકારી નથી. આવું કહેતા જ પરિસ્થિતિ વધુ વણસી ગઇ હતી અને એ પછી તો સોસાયટીઓની મહિલાઓએ પણ ઉમેદવારોને મીટિંગ છોડી જવા માટે ભારે પસ્તાળ પાડી હતી. એવું નથી કે વરાછાનાં એક જ વોર્ડમાં બેરોજગાર રત્નકલાકાર રાહત યોજનાનાં રીજેક્ટ થયેલા ફોર્મનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે, ભાજપનાં ચૂંટણી કાર્યાલયોની મીટિંગોમાં પણ આ મુદ્દો ખૂબ ગાજી રહ્યો છે અને પ્રચાર માટે સોસાયટીઓ, સમાજાે અને મતદારો પાસે જતા કાર્યકર્તાઓને રત્નકલાકારો આ મુદ્દે સવાલો પૂછીને રીતસર ભીડાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો પણ પોતાની જાહેરસભાઓમાં આ મુદ્દો ઉઠાવીને ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી રહ્યાં છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 2970   |   સુરત   |  
અડાજણમાં માતા સાથે નાનાનાં ઘરે રહેતાં આઠ વર્ષનાં બાળકનું કાકાએ અપહરણ કર્યું

જાણીતા બિલ્ડર એવા કાકા સસરાને ઓફિસ ગર્લ સાથે અનૈતિક સંબંધ હોવાનું કહી બ્લેકમેલ કરવાના કેસમાં જેલવાસ ભોગવી ચૂકેલા જય ડાંગરનાં પૂત્રનું અપહરણ થયું હોવાનો બનાવ બન્યો હતો. જયની ખરાબ ચાલ ચલગતને કારણે પત્ની દિકરાને લઇ પિયર જતી રહી હોય તોનો ભાઇ જ માસૂમને ઉપાડી ગયાનું તપાસમાં બહાર આવ્યું છે.અડાજણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સૌરભ પોલીસ ચોકી પાસે આવેલા મણીભદ્ર વ્યુ એપાર્ટમેન્મટમાં પારૂલ જય ડાંગર તેના આઠ વર્ષનાં દિકરા યક્ષ સાથે રહે છે. જુનાગઢની માણાવદર તાલુકાની વતની પારૂલનાં લગ્ન વર્ષ ૨૦૧૪માં જય કરશનભાઇ ડાંગર સાથે થયા હતાં. ચાર વર્ષનાં દાંપત્ય જીવન બાદ ૨૦૧૮માં તેમને દિકરા યશનો જન્મ થયો હતો. જે હાલ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. છેલ્લા એકાદ વર્ષથી જય ડાંગરની ચાલ ચલગત બદલાઇ ગઇ હતી. તે પત્ની પારૂલનાં કુટુંબ વિશે એલફેલ બોલી ઝઘડો કરવા માંડ્યો હતો. ખરાબ વાણી અને વર્તનથી કંટાળેલી પારૂલ પૂત્રને લઇ જયથી અલગ પિયરમાં રહેવા માંડી હતી. ગત ૧૫મી એપ્રિલે સાંજે યશ એપાર્ટમેન્ટનાં ગાર્ડનમાં દાદી શાંતુબેનની દેખરેખ હેઠળ રમી રહ્યો હતો. દરમિયાન એક કાર એપાર્ટમેન્ટમાં આવી અને તેમાંથી ઉતરેલો યુવક યક્ષને પોતાની સાથે લઇ જતો રહ્યો હતો. આસપાસ તપાસ કરવા છતાં યક્ષ નહીં મળતાં પારૂલ તેના પિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અપહરણની ફરિયાદ મળતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં યક્ષને લઇ જનાર યુવક તથા ગાડીની ઓળખ કરવા માટે આસપાસના સીસી કેમેરા ચેક કરાયા હતાં. જેમાં યક્ષને લઇ જનાર તેના કાકા હોવાનું જણાય આવ્યું હતું. તપાસ દરમિયાન યક્ષને જુનાગઢ લઇ જવાયો હોવાનું પણ જાણવા મળતાં પોલીસે એ દિશામાં તપાસ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જય ડાંગર સામે ગત નવેમ્બર મહિનામાં કાકા સસરા વરજાંગ રાણાને બ્લેકમેલ કરી ખંડણી માંગવા અંગે ગુનો નોંધાયો હતો. બિલ્ડર વરજાંગ દિવાળીના દિવસોમાં કર્મચારી સાથે ઓફિસમાં હતા ત્યારે જય ડાંગર તેમના મિત્રો સાથે ધસી ગયો હતો. કાકા સસરા વરજાંગ જીલરીયા સાથે જય ડાંગરે ગાળ ગલોચ કરવા માંડી હતી. જય અને તેના મિત્રોએ રાણા તથા યુવતીને ઢીક મુક્કીનો માર પણ માર્યો હતો. જય ડાંગરે યુવતીને ડરાવી ધમકાવી રાણા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી કેસમાં ફસાવી દેવા કહ્યું હતું. બાદમાં સમાધાન પેટે ૧૦ કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી. યુવતીએ આપેલી ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી જય ડાંગરની ધરપકડ પણ કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 3465   |   સુરત   |  
ભાણેજની સગાઈ મુદ્દે જમાઈ જમ બન્યો કેરોસીન છાંટી સાસુને આગ ચાંપી દીધી

પૂછ્યા વિના ભાણીનાં લગ્ન નક્કી કરી નાંખવાની અદાવત રાખી માસાએ કેરોસીન છાંટી સાસુને આગ ચાંપી દીધી હતી. બચાવવા ગયેલા ભાણેજનાં શરીરે પણ કેરોસીન છાંટી આગ ચાંપવાનો પ્રયાસ કરાયો હતો.પાંડેસરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ભીડભંજન વિસ્તારના શ્રીરામ નગરમાં આશાબેન સુનિલભાઇ જાદવ તેમના સંતાનો સાથે રહે છે. પતિનું વર્ષ ૨૦૨૧માં નિધન થયા બાદ આશાબેન જુદી જુદી જગ્યાએ સાફ સફાઇનું કામ કરી ત્રણ સંતાનોનું ગુજરાત ચલાવે છે. તેણીની માતા રત્ના સોનવણેએ ૨૧ વર્ષીય દીકરી રોહિણીની સગાઇ પુનિતનગરમાં રહેતાં ભગવાન ભદાણેનાં દિકરા દશરથ સાથે નક્કી કરી હતી. ૨૩મી માર્ચે સગાઇ થાય એ પહેલા આશાની મોટી બહેન સંગીતા (રહે, કર્મયોગી સોસાયટી, વિભાગ-૦૨, પાંડેસરા)નાં પતિ મનોહર મહાજનને માથાકૂટ કરી હતી. રોહિણીની સગાઇ મારા સંબંધી સાથે કરાવાઇ નથી અને આ સંબંધ અંગે મને પૂછ્યું પણ નહીં. તારી માતાનાં કહેવાથી આ સગાઇ નક્કી થઇ ગઇ હોય આપણે ત્યાં જવું નથી એમ કહી એનું કહેવા માંડ્યું હતું. સગાઈનાં દિવસે આશાએ મોટા દિકરા જ્ઞાનેશ્વરને બહેન સંગીતાનાં ઘરે મોકલ્યો હતો. જ્ઞાનેશ્વર સાથે માસા મનોહરે ઝઘડો કર્યો પરંતુ સંગીતાને તેની સાથે મોકલી હતી. ૨૩મી અપ્રિલે પાંડેસરા પુનિતનગર ખાતે લગ્નનું નક્કી કરવા સાથે સગાઈ પ્રસંગ પુરો થયો હતો. ત્યારબાદ મનોહર અવાર નવાર સંગીતા સાથે ઝઘડો કરી ધમકી આપતો રહ્યો હતો કે, તારી બહેનની દિકરીનાં લગ્નમાં તારી માતા અને તારા સગા-સબંધીઓને સળગાવી દઈશ. સંગીતાએ બહેન આશાને આ વાત કરી હતી, જાે કે બનેવી ગુસ્સામાં હોય આવું બોલતા હશે એવું વિચારી તેમણે વાતને ગંભીરતાથી લીધી ન હતી. દરમિયાન પંદરમી તારીખે સવારે ઘરનાં ઓટલે બેસી શાકભાજી સમારતી માતા રત્નાએ અચાનક બૂમાબૂમ કરવા માંડી હતી. જે સાંભળી અંદરથી આશા દોડી આવી હતી. તેણીએ જાેયું તો માતાનાં શરીરે આગ લાગી હતી અને ત્યાં બનેવી મનોહર સળગતું લાકડું લઇને ઉભો હતો. તેની પાસે જ્વલનશીલ પ્રવાહી ભરેલી બોટલ પણ હતી. આશાએ બૂમ પાડતાં તેમનો દિકરો હરિશ જાદવે પાણી નાંખી આગ ઓલવી હતી. આ જાેઇ મનોહરે હરિશ ઉપર પણ કેરોસીન ફેંક્યું અને પછી સળગતાં લાકડાથી આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, હરિશે પ્રતિકાર કર્યો એટલે મનોહર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલી રત્ના સોનવણેને સારવાર માટે નવી સિવિલ લઇ જવાયા હતાં. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ મથકનાં ઇન્સ્પેક્ટર કે. ડી. જાડેજા સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતાં. હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધવા સાથે તેમણે મનોહરની શોધખોળ હાથ ધરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution