ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 2178   |  
જૂનાગઢના ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે ધર્મસભા અને રેલી યોજવામાં આવી

જૂનાગઢ ખાતે આવેલ ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે આજે વિશાળ ધર્મસભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. ગિરનારની પવિત્રતા અને પરંપરાગત વારસાને જાળવવા માટે સૌએ એકસ્વરે અવાજ ઉઠાવ્યો અને વહીવટી તંત્ર સામે પોતાની ચિંતા વ્યક્ત કરી. આ સભાની ખાસ વાત એ રહી કે, અલગ-અલગ અખાડા અને સંપ્રદાયોના સંતોએ પોતાના મતભેદોને બાજુએ રાખીને એક મંચ પર આવી એકતાનું પ્રદર્શન કર્યું. કાર્યક્રમ દરમિયાન ગિરનાર ક્ષેત્રમાં થતી કથિત અતિક્રમણ પ્રવૃત્તિઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને તેના વિરુદ્ધ પગલાં લેવા માંગણી કરવામાં આવી. આ પ્રસંગે ગિરનારના રક્ષણ માટે એક સંગઠિત સમિતિ રચવાનો ર્નિણય લેવાયો. સાથે જ, સંબંધિત સત્તાધિકારીઓને રજૂઆત કરી એક મહિનાની અંદર યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. જાે સમયસર નિરાકરણ નહીં આવે તો આગળ વધુ આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી. સંતોએ પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો. તેમના કહેવા મુજબ, ગિરનાર આસપાસના જંગલ વિસ્તારમાં કેટલીક જગ્યાએ નિયમોના ઉલ્લંઘન સાથે બાંધકામ થઈ રહ્યું છે, જેને અટકાવવાની જરૂર છે.દુર્લભ અને ઔષધિય વૃક્ષોની સુરક્ષા તથા કુદરતી સંપત્તિને જાળવી રાખવાની માંગ પણ ઉઠાવવામાં આવી. આ ઉપરાંત, ગિરનાર વિસ્તારમાં નવી બાંધકામ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ, બિનઅધિકૃત રચનાઓ દૂર કરવી અને પવિત્ર સ્થળોની મૂળ સ્થિતિ જાળવી રાખવા માટે યોગ્ય પગલાં લેવા કહેવામાં આવ્યું. ધાર્મિક સ્થળો સાથે જાેડાયેલી સંસ્થાઓને આવતી મુશ્કેલીઓ દૂર કરવા અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી. શ્રદ્ધાળુઓ માટે પાણી, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો. તેમજ, ગિરનાર સાથે જાેડાયેલા ધાર્મિક મેળાઓને વિશેષ માન્યતા આપવા અને વધુ સગવડો ઊભી કરવાની માંગ કરવામાં આવી. આ કાર્યક્રમને સ્થાનિક વેપારીઓએ પણ સમર્થન આપ્યું હતું. અંતે, સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જાે સરકાર દ્વારા યોગ્ય અને સમયસર પગલાં નહીં લેવાય, તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, એપ્રીલ 2026 2574   |  
ચૂંટણીમાં વિશ્વાસ તૂટ્યો તો મારા ઘરના દરવાજા બંધ થશે : બારડ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષિત કરવા યેનકેન પ્રકારના પ્રયાસો રાજનેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગિર સોમનાથ જિલ્લાના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે. જાેકે ભગવાન બારડના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના એક નિવેદનથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સૂત્રાપાડા નજીક ગોરખમઢીમાં યોજાયેલી ભાજપની સભા દરમિયાન તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે મતદાતાઓને સ્પષ્ટ શબ્દોમાં સંદેશો આપ્યો હતો કે, મતદાન સમયે વિશ્વાસ જાળવવો ખૂબ જરૂરી છે. ધારાસભ્ય ભગવાન બારડે સભા દરમિયાન જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે છે. તેમના નિવેદનનો સાર એવો હતો કે, મતદાન સમયે કોઈ ગેરસમજ અથવા “ભૂલ” ન થવી જાેઈએ, કારણ કે તે વિશ્વાસને અસર કરી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ સમાજના સમર્થન પર આધાર રાખીને રાજકીય ર્નિણય લે છે, તેથી આ સંબંધ મજબૂત રહેવું જરૂરી છે. આ સાથે તેમણે આહીર સમાજના લોકોને મતદાનમાં ભૂલ ન કરવા કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઇ જશે. ભરોસો તોડનાર વ્યક્તિને હું નહીં સ્વીકારું, અમે તમારા વતી કોઈકને ભરોસો આપીને બેઠા છીએ એટલે તમારો અને મારો વિશ્વાસ ન તૂટે એનું ધ્યાન રાખજાે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 3168   |  
ઉત્તરપ્રદેશથી ૧૦૦૦થી વધુ શ્રદ્ધાળુ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરશે

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત ૧૦૦૦ વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ચંદન તિલક અને ઉપવસ્ત્ર અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોને સન્માનપૂર્વક દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રત્યેક ભક્ત માટે જલાભિષેકની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોમનાથ મહાદેવના અલૌકિક દર્શન અને જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. પધારેલા ભક્તોને ભગવાન સોમનાથની સાયંકાળની આરતીના સુંદર દર્શન થઈ શકે તે હેતુથી, મંદિર પરિસરમાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયનમાં વિશાળ ન્ઈડ્ઢ સ્ક્રીન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભક્તોએ શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી નિમિત્તે તૈયાર કરાયેલ વિશેષ ગીત અને ડોક્યુમેન્ટ્રી નિહાળી હતી. શ્રી સોમનાથ મંદિરનો યુગ-યુગાંતરનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવતો ૩ડ્ઢ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને સૌ ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 2871   |  
ધ્રાંગધ્રામાં ‘બલિ’ માટે તાંત્રિક મહિલાએ બાળકનો જીવ લીધાની આશંકા, લોકોમાં આક્રોશ

ધ્રાંગધ્રા શહેરમાં એક અત્યંત હૃદયવિદારક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માત્ર ચાર વર્ષના નિર્દોષ બાળકની ર્નિમમ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનામાં અંધશ્રદ્ધા અને તાંત્રિક પ્રથાઓનો ભયાનક ચહેરો બહાર આવ્યો છે. બાળક કાર્તિકના રહસ્યમય મૃત્યુ પાછળ તાંત્રિક વિધિઓ અને ખોટા ધાર્મિક દાવાઓ જવાબદાર હોવાની શંકાએ સમાજને હચમચાવી દીધો છે. આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે અંધવિશ્વાસ કેટલો ખતરનાક બની શકે છે. મૃતક બાળક કાર્તિકના પિતા ફારુકભાઈ બળદેવભાઈ એછવાડિયા અને તેમના પરિવારને પહેલેથી ચાર દીકરીઓ હતી. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા આ પરિવારે પડોશમાં રહેતા રેહાનાબેન પર વિશ્વાસ કર્યો હતો. આ મહિલા પોતાને માતાજીના ભુવા તરીકે ઓળખાવતી હતી અને તેણે પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે ‘બાધા’ આપવાનો દાવો કર્યો હતો. સમય જતાં ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પરિવારમાં પુત્રનો જન્મ થયો. જેને કાર્તિક નામ આપવામાં આવ્યું. જાેકે બાળકના જન્મ બાદ તાંત્રિક મહિલાએ પશુ બલિ આપવાની માંગણી કરી હતી. જેને બાળકની માતાએ સ્પષ્ટપણે નકારી કાઢી હતી. આ મુદ્દે થયેલા વિવાદ પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. ૪ એપ્રિલના રોજ કાર્તિક પોતાના ઘરની નજીક રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો. પરિવારે તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી. પરંતુ કોઈ સફળતા મળી નહોતી. થોડા સમય બાદ શંકાસ્પદ પરિસ્થિતિઓ વચ્ચે તાંત્રિક મહિલાના ઘરમાં આવેલા પાણીના ટાંકામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી અને પરિવાર તેમજ સ્થાનિકોમાં ભારે દુ:ખ અને રોષ ફેલાયો. આશ્ચર્યજનક રીતે શરૂઆતમાં પરિવારે કોઈ કાયદેસર કાર્યવાહી કર્યા વિના જ બાળકના મૃતદેહને દફનાવી દીધો હતો. પરંતુ સમય જતાં હત્યાની શંકા વધુ મજબૂત બનતા લગભગ ૧૨ દિવસ બાદ ધ્રાંગધ્રા પોલીસ પાસે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને મૃતદેહને કબરમાંથી બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો. તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા આરોપી તાંત્રિક મહિલા સામે હત્યા, કાળા જાદુ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો અને તેની ધરપકડ કરવામાં આવી. આ ઘટના માત્ર એક ગુનાહિત કૃત્ય નથી. પરંતુ સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. અંધશ્રદ્ધા અને ખોટા ધાર્મિક દાવાઓના નામે લોકો કેવી રીતે ભ્રમિત થાય છે અને તેનો અંત કેટલો ભયાનક બની શકે છે. તે આ બનાવે સ્પષ્ટ કર્યું છે. નિર્દોષ બાળકની હત્યાએ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને લોકો હવે આવા તાંત્રિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ કેસ સમાજને જાગૃત રહેવા અને વૈજ્ઞાનિક વિચારધારા અપનાવવાની જરૂરિયાત તરફ સંકેત આપે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 6435   |  
ચૂંટણી પહેલાં નણંદ નયનાબા અને ભાભી રીવાબા વચ્ચે શુભેચ્છાના નામે મ્હેણાટોણાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આખા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચારની સાથે સાથે એકબીજાના ઉમેદવારોને વાકબાણોથી પાડવાનું પણ કામ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં બહુચર્ચિત સૌરાષ્ટ્રના નણંદ ભાભીની જાેડી ફરી ચર્ચામાં આવી છે. નયનાબા અને રિવાબાએ એકબીજાને શુભેચ્છાની સાથે મ્હેણા ટોણા પણ માર્યા હતાક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાએ પોતાના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી હતી. જાેકે, આ મુદ્દો હાલ ચર્ચાનું કારણ બન્યો છે. નયનાબા જાડેજાએ ભાભીએ આપેલી શુભેચ્છા અંગે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના જે કોઈ વ્યક્તિઓ મને શુભેચ્છા પાઠવી રહ્યા છે તેમનો આભાર. રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ સાથે જાેડાયેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છાઓ પાઠવી હતી. શુભેચ્છાની સાથે તેમણે ભાજપની જીતનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ચૂંટણી લડનાર દરેકને મારી શુભેચ્છાઓ છે, પરંતુ મને ભાજપના કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે. આગામી ૨૮ તારીખે જ્યારે પરિણામ આવશે, ત્યારે જીત તો ભારતીય જનતા પાર્ટીની જ થશે.” રીવાબાની આવી શુભેચ્છા પર નયનાબા જાડેજાએ હસતાં હસતાં પ્રતિક્રિયા આપી હતી. નયનાબાએ આ અંગે જણાવ્યું હતું કે, “શુભેચ્છા આપવા બદલ હું તેમનો આભાર માનું છું, પરંતુ આ જે નિવેદનો છે તે તેમનો ‘ઓવર કોન્ફિડન્સ‘ છે એટલે એ લોકો કોઈ સેટિંગ કરવાના લાગે છે. 


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 2673   |  
ગ્રામ પંચાયત ભવન બનાવવા હોય તો ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રાન્ટ ફાળવાશે

ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ નું ગ્રાન્ટ ફાળવણી પર વિવાદિત નિવેદન બાદ મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી દ્વારા જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નું નિર્માણ તથા ૨૧ લાખ ગ્રાન્ટ ફાળવાશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે. શુ ચૂંટણી પંચ પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર સત્તા પક્ષ દ્વારા યેનકેન પ્રકારે પણ સત્તા હસ્તે કરવા વિવિધ હથકંડા અપનાવવામાં આવતાં હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેફામ વાણી વિલાસ કરી ધાકધમકી નું વાતાવરણ ઉભું કરી મતદારો પર હાવી થવાના પ્રયાસ કરતાં હોય ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ મિતેષ પટેલે ગ્રાન્ટ ફાળવણી ના મુદ્દે વિવાદિત નિવેદન કર્યાબાદ વધુ એક ભાજપ નેતા મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ સ્વરાજકીય સંસ્થા ના ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર સમયે વાણી વિલાસ કરતાં હોય તેમ જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નિર્માણ તથા ૨૧ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ચર્ચાની એરણે ચઢવા પામતાં રાજકારણ ગરમાતા શું ચૂંટણી આયોગ આ મુદ્દે પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 3168   |   વડોદરા   |  
યુસુફ પઠાણના સસરા અને તેમના સાળાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણના સસરાની તેમના પુત્ર અને અન્ય એક સંબંધી સાથે ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે બે દિવસ પહેલા, ભાયખલા વિસ્તારમાં એક વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે વ્યક્તિની કાર ખાડામાંથી પસાર થઈ હતી અને તેમાંથી એક પર પાણી છાંટા પડ્યા હતા. ભાયખલા પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસી યુસુફ ખાન શનિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાંથી પાણીના છાંટા પડ્યા અને શોએબ ખાન પર પડ્યા. યુસુફ ખાને પોલીસને જણાવ્યું કે તેણે કાર રોકી અને તરત જ માફી માંગી, પરંતુ શોએબે તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને વાંસની લાકડીથી કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ શોએબે યુસુફ ખાન પર હુમલો કર્યો, જેમાં તેમને ઈજા થઈ.ઘરે પાછા ફર્યા પછી, યુસુફ ખાનના પરિવારે તેને પોલીસ પાસે જવાની સલાહ આપી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં, તેમનો સામનો ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) સાથે થયો, જેણે તેના પુત્ર ઉમરશાદ ખાન, શોએબ અને અન્ય આરોપી શાહબાઝ પઠાણ સાથે મળીને દલીલ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ, ખાલિદ, ઉમરશાદ, શોએબ અને શાહબાઝે યુસુફ ખાન અને તેના સંબંધીઓ પર વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 3564   |   વડોદરા   |  
જમ્યાં બાદ ૪૦૦થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ગઈકાલ સોમવારે રાત્રે ભોજન સમારંભ બાદ ભોજન આરોગનાર ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલાઓને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદમાં એક તરફ લગ્નસરાની મોસમ પુર બહારમાં ખીલી છે. અને ઠેર ઠેર લગ્ન પ્રસંગોના જમણવાર યોજાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આગ ઓકતી ગરમીએ તોબા પોકારાવી દીધા છે. અને આવી આગ ઝરતી ગરમીમાં તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેત રહેવા માટે લોકોને કરવામાં આવતી અપીલ વચ્ચે ગરબાડાના અભલોડ ગામે એક લગ્ન પ્રસંગના યોજાયેલ જમણવારમાં ભોજન કર્યા બાદ ૪૦૦ થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં રીતસર દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના બાદ તાત્કાલિક ધોરણે ખોરાકી ઝેરની અસર પામેલા તમામ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ, તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતાં. જ્યારે ૨૦૦થી વધુ લોકોને ગામમાં જ સ્થાનિક ડોક્ટરો દ્વારા તેમજ ગામના સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગરબાડા તાલુકાના અભલોડ ગામના ગામતળ ફળિયામાંય રહેતા ભરતભાઈ રાઠોડના નાના છોકરાના લગ્ન હોવાથી લગ્નમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવારમાં દાળ, ભાત, પૂરી, શાક, પાપડ, કેરીનો રસ તેમજ પનીરનું શાક વગેરે વ્યંજનો બનાવવામાં આવ્યા હતા. જે ખાધા બાદ ૪૦૦ થી વધુ એટલે કે ૭૦% લોકોને ખોરાકની ઝેરની અસર થઈ હતી. સાંજના છ વાગ્યાથી શરૂ થયેલા જમણવારમાં ભોજન આરોગ્ય બાદ રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ તમામ લોકોને એક પછી એકને ખોરાકી ઝેરની અસર વર્તાતા ગામમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી તમામ અસરગ્રસ્ત લોકોને ૧૦૮ ઇમરજન્સી વાન તથા ખાનગી વાહનો તેમજ જેને જે મળે તે સાધનમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા હતા.૫૦થી વધુ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ૧૫૦થી વધુ લોકોને દાહોદની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર હશે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય અંદાજે ૨૦૦ જેટલા લોકોને ગામમાં જ હાજર પાંચ થી છ ડૉક્ટરો તેમજ પીએસસી સેન્ટરના ડોક્ટરોને બોલાવી હળ પર જ સારવાર આપવાની ગોઠવણ કરવાની ફરજ પડી હતી. આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી જેથી તંત્રએ હાશકારો લીધો છે. કેટલાકને ખોરાકી ઝેરની ગંભીર અસર થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૈકી કેટલાકને આજે સવારે રજા આપી દેવામાં આવી હોવાનું જ્યારે કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ખોરાકી ઝેરની અસર થઈ હોવાની જાણ થતા જ ફૂડ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ સફાળું જાગી ઉઠ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2970   |   વડોદરા   |  
મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે ઓનલાઇન ઈન્જેક્શન વેચતા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી

વડોદરા ખોરક અને ઔષધ નિયમન તંત્રની ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા ગત તા.૨૨મી ડિસેમ્બરના રોજ હાથ ધરાયેલી તપાસમાં રાજ્યમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વડોદરાના દિવાળીપુરા, આર.કે પ્લાઝા સ્થિત હેક્સપ્રેસ હેલ્થકેર કન્સ્યુમર લી,ની શંકાસ્પદ ભૂમિકા જણાતા તેની તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં સારાભાઈ રોડ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે આવેલ એટલાન્ટીસ કોમ્પલ્ક્સમાં આવેલ મેડીકેમેન્ટ સોલ્યુશન પ્રા.લી. નામના મેડીકલ સ્ટોરનું નામ પ્રકાશમાં આવ્યુ હતુ.આ મેડીકલ સ્ટોર દ્વારા મેદસ્વીતા ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા મોન્જારો ક્વીકપેન નામના ઈન્જેક્શનનું વેબસાઈટ પર ભ્રામક જાહેરાતો દ્વારા ગેરકાયદસર રીતે વેચાણ કરવામાં આવતુ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.ત્યારે તંત્રના અધિકારીઓ બનાવટી ગ્રાહક બનીને ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. જેમાં દવા-ઈન્જેક્શન ભરેલુ પાર્સલ, પોસ્ટ મારફતે મળતા જેનુ પંચનામું કરીને કાર્યવાહી કરાઈ હતી. સંસ્થાઓ અને સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા મેળાપીપણુ રચીને ડોક્ટરની સલાહ કે માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન ઓર્ડર મેળવીનેે દર્દીની શારીરીક સ્થિતિની તપાસ કર્યા વગર સીધાજ ધરના સરનામે આ દવાઓ કુરીયર દ્વારા મોલલવામાં આવતી હતી. પ્રક્રિયામાં દવાની ગંભીર આડઅસરો છુપાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતા હતા. તંત્ર દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટના ભંગ બદ્દલ મે.સ. મોડીકેમેન્ટ સોલ્યુશન્સ પ્રા. લી.નું લાયસન્સ તાત્કાલીક કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું હતુ.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 3267   |   વડોદરા   |  
જનતાનું કામ હોય તો આચારસંહિતા નડે, તો શું આને કોઈ નિયમ નથી નડતા?

વડોદરા શહેર, જેને આપણે સંસ્કારી નગરી કહીએ છીએ, ત્યાં અત્યારે જે દ્રશ્યો જાેવા મળી રહ્યા છે તે સંસ્કારિતા નહીં પણ ‘સત્તાની ર્નિલજ્જતા’ના દર્શન કરાવે છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, આચારસંહિતાનો અમલ ચાલુ છે, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી)ના તંત્ર માટે આ આચારસંહિતા માત્ર જનતાના કામો રોકવા માટેનું એક બહાનું બની ગઈ છે. જ્યારે સામાન્ય નાગરિક પોતાની ગલીના ખાડા, ગંદા પાણી કે ઉભરાતી ગટરની ફરિયાદ લઈને જાય છે, ત્યારે તંત્ર ‘આચારસંહિતા નડે છે’ કહીને તેને મોઢા પર જવાબ આપી દે છે. પરંતુ, શું આ આચારસંહિતા મેયર અને ડેપ્યુટી મેયરની આલીશાન ચેમ્બરોના રંગરોગાન માટે નથી નડતી?ગુજરાત રાજ્યની જનતા જે પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરે છે, તે નાણાંનો ઉપયોગ અત્યારે જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે સત્તાના સિંહાસનોને ચમકાવવા માટે થઈ રહ્યો છે. મેયર અને ડેપ્યુટી મેયરની ચેમ્બરોથી લઈને સભાખંડ સુધી જે રીતે ફર્નિચર રિપેરિંગ અને પેઇન્ટિંગનું ‘યુદ્ધના ધોરણે’ કામ ચાલી રહ્યું છે, તે જાેઈને સવાલ થાય છે કે શું આ કોર્પોરેશન છે કે કોઈ નેતાના ઘરનો પ્રસંગ? જે ઝડપ અત્યારે સભાખંડને ‘લવિંગિયા’ જેવો લુક આપવામાં બતાવવામાં આવી રહી છે, જાે તેની દસ ટકા ઝડપ પણ શહેરના ફતેગંજ, કારેલીબાગ, રાવપુરા, અલકાપુરી કે માંજલપુરના રસ્તાઓ ઠીક કરવામાં બતાવી હોત, તો આજે જનતાએ આક્રોશ ન ઠાલવવો પડત. તંત્રની બેવડી નીતિ જુઓ, નવા રસ્તા બનાવવા હોય, પાણીની લાઈન નાખવી હોય કે સ્ટ્રીટ લાઈટ રિપેર કરવી હોય તો આચારસંહિતાનો કાયદો વચમાં આવે છે. પણ જ્યારે નવી ચૂંટાનારી બોડીના સ્વાગત માટે લાલ જાજમ બિછાવવાની હોય અને એર-કન્ડિશન્ડ ચેમ્બરોને ચકચકાટ કરવાની હોય, ત્યારે કોઈ કાયદો નડતો નથી. આને જ કહેવાય ‘લોકોને ઉલ્લૂ બનાવવાની કળા’. વડોદરા તંત્ર અત્યારે એવા બાપની ભૂમિકા ભજવી રહ્યું છે જેની પાસે દીકરીના લગ્નની તૈયારી માટે તો લાખો રૂપિયા છે, પણ આખા વર્ષ દરમિયાન ઘરના રાશન માટે પૈસા નહોતા. કોણ મેયર બનશે અને કોણ સત્તા પર બેસશે તે તો મતપેટીઓ નક્કી કરશે, પણ તંત્રએ તો ‘વર વગર જાન’ જાેડી દીધી છે. જનતા પૂછી રહી છે કે- શું નવી ચેમ્બરોમાં બેસવાથી વડોદરાના દૂષિત પાણીની સમસ્યા ઉકેલાઈ જશે? શું મોંઘા ફર્નિચર પર બેસનારા નેતાઓ રસ્તા પરના જીવલેણ ખાડાઓ જાેઈ શકશે? શું રંગરોગાન કરેલી દીવાલોની પાછળ જનતાની ચીસો દબાઈ જશે? વડોદરા મહાનગર પાલિકાનું આ વલણ અત્યંત નિંદનીય છે. એક તરફ શહેર સ્માર્ટ સિટીના નામે માત્ર કાગળ પર ચમકી રહ્યું છે અને બીજી તરફ વાસ્તવિકતામાં ગટર અને ગંદકીના ગંજ છે. જનતાના ટેક્સના નાણાં આ રીતે ધુમાડો કરવા માટે નથી.સત્તાના નશામાં ચૂર નેતાઓ અને તેમના ઈશારે નાચતું તંત્ર એ ભૂલી ગયું છે કે આ આલીશાન ચેમ્બરો જનતાની ભીખ નથી, પણ જનતાની સેવા માટેની અમાનત છે. જાે નવી બોડીના સ્વાગત માટે આટલો ઉત્સાહ હોય, તો ચૂંટાયા પછી પ્રજાનાં કામો માટે આનાથી બમણો ઉત્સાહ હોવો જાેઈએ. વડોદરાના નાગરિકોએ હવે સવાલ પૂછવાની જરૂર છે- જાે અમારી ગલીનો રસ્તો આચારસંહિતામાં નથી બનતો, તો તમારી ચેમ્બરની દીવાલ પર રંગ કેમ ચડે છે? તંત્રના આ ભ્રષ્ટ અને પક્ષપાતી વલણના કપડાં અત્યારે વડોદરાની શેરીઓમાં ઉતરી રહ્યા છે. જાે દીવાલો જ ચમકાવવી હોય તો ઓફિસની નહીં, જનતાના જીવનની ચમકાવો. બાકી આ ‘ચકચકાટ’ ચૂંટણીના પરિણામો પછી ફીકો પડી જશે એ નક્કી છે. જનતાના ખિસ્સા ખાલી કરીને નેતાઓના ઠાઠ વધારતા તંત્રને શરમ આવવી જાેઈએ. આચારસંહિતા નિયમ છે, અન્યાય કરવાનું લાયસન્સ નથી!


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
25, એપ્રીલ 2026 2178   |  
લૂંટના ઈરાદે વૃદ્ધને લસ્સીમાં નશીલો પદાર્થ પીવડાવતાં મોત : આરોપી મહિલાની ધરપકડ

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. એક મહિલાએ રસ્તો ભૂલી હોવાનું નાટક કરી વૃદ્ધ દંપતીનો વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવી હતી. આ ઝેરી પદાર્થની અસરને કારણે ૮૧ વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નિપજ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં આરોપી મહિલાની ધરપકડ કરી છે. દરિયાપુરમાં રહેતા અબ્દુલભાઈ સિપાઈ અને તેમના પત્ની ઘરે એકલા હતા, ત્યારે લતા ઉર્ફે ગુલાબ ચૌહાણ નામની મહિલા તેમના ઘરે પહોંચી હતી. મહિલાએ પોતે ખોવાઈ ગઈ હોવાનું કહી દંપતી પાસે મદદ માંગી હતી. દંપતીએ દયા ખાઈને તેને ઘરમાં બેસાડી ત્યારે મહિલાએ લસ્સી પીવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે પોતે બહારથી લસ્સી લાવી હતી, જેમાં અગાઉથી જ નશીલો પદાર્થ ભેળવેલો હતો. લસ્સી પીતા જ દંપતી બેભાન થઈ ગયું હતું, જેનો લાભ ઉઠાવી લતા ₹૪૦,૦૦૦ની લૂંટ કરી ફરાર થઈ ગઈ હતી.નશીલી લસ્સી પીવાને કારણે ૮૧ વર્ષીય અબ્દુલભાઈની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે દરિયાપુર પોલીસે સઅપરાધ મનુષ્ય વધ અને લૂંટનો ગુનો નોંધી તપાસ તેજ કરી હતી.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.બી. પટેલની ટીમે બાતમીના આધારે લતા ચૌહાણની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી લતા વિરુદ્ધ છેલ્લા ૭ વર્ષમાં જુગાર સહિતના ૯ ગુના નોંધાયેલા છે. તેનો પતિ પણ હત્યાના ગુનામાં જેલમાં છે. આરોપી મહિલા માત્ર ૧૫ દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવી હતી. લતાને જુગાર રમવાની લત છે. જુગારના દેવા ભરવા અને વધુ પૈસા મેળવવા માટે તેણે આ ઘાતકી પ્લાન બનાવ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે આરોપી મહિલાનો કબજાે દરિયાપુર પોલીસને સોંપ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
25, એપ્રીલ 2026 2277   |  
ટીવીની આડમાં લઈ જવાતા દારૂ સહિત ૮૮ લાખના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવરની ધરપકડ

અમદાવાદ પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના ચિલોડાથી દહેગામ ચાર રસ્તા તરફ જતા ગામઠી રેસ્ટોરન્ટ પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો છે. પોલીસે રૂ.૬૭.૫૭ લાખના દારૂ અને બિયરના જથ્થા સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા ચંદીગઢથી ટીવીની ખોટી બિલ્ટી બનાવી તેની આડમાં દારૂનો જથ્થો નડિયાદ ખાતે લઈ જવામાં આવતો હતો. ત્યારે નરોડામાંથી પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી કાર્યવાહી કરી છે. પીસીબી સ્ક્વોડના પીઆઈ જે.પી.જાડેજાની ટીમને બાતમી મળી હતી કે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાનાચિલોડાથી દહેગામ તરફ જવાના રિંગ રોડ ઉપરથી દારૂ ભરેલી એક ટ્રક પસાર થવાની છે. જેના આધારે ટીમે ગામઠી રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાનમાં બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને રોકી હતી. સૌ પ્રથમ પોલીસે ડ્રાઇવરને પૂછતા તેણે ટ્રકમાં ટીવી ભરેલા હોવાનું કહ્યું હતું અને ટીવીની બતાવી હતી. પરંતુ ચોક્કસ બાતમી હોવાના પગલે પોલીસે જ્યારે ટ્રક ખોલીને જાેયું તો તેમાંથી વિદેશી દારૂ અને બીયર ભરેલા બોક્સ મળી આવ્યા હતા. પોલીસને ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયરનો જથ્થો કુલ બોટલો નંગ ૨૫,૬૦૮ કિંમત રૂપિયા ૬૭,૫૭,૪૮૮/- ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરતા તેનું નામ કમલસિંગ ભાનીસિંગ યાદવ (ઉ.વ.૪૬ રહે.સરકારી સ્કુલની પાસે નવો પ્લોટ ગામ, બહેરોડ જિ.અલવર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ટ્રક ડ્રાઇવર કબૂલ્યુ કે, ચંદીગઢ ખાતેથી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપ્યો હતો અને નડિયાદ ખાતે લઈ જવા માટે કહ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૮૭,૬૭,૯૨૮/-નો મુદ્દામાલ કબજે કરી સ્થળ ઉપરથી ટ્રક ડ્રાઇવરને પકડી હરિયાણાના બેશક ચંદીગઢથી દારૂ ભરી આપનાર અને નડિયાદ ખાતે દારૂ મંગાવનાર સહિત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
25, એપ્રીલ 2026 2277   |  
અમદાવાદ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ પતિના ત્રાસથી પત્નીએ આપઘાત કર્યો

અમદાવાદના વાસણા વિસ્તારમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પત્નીએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પતિ અવારનવાર ઝઘડા કરી મારઝુડ કરતો હતો. તેમજ પુત્રની બીમારીનો રિપોર્ટ સારો ન આવતાં પતિએ પત્નીને ઉંઘની ગોળીઓ આપી સૂવડાવી હતી.૧૪ એપ્રિલે પતિ સાથે ઝઘડો થતાં વીડિયો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ પોલીસ કોન્સ્ટેબલ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.મૂળ રાજસ્થાનના ૩૫ વર્ષીય ગીતાબેનના લગ્ન ૨૦૧૩માં પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પુરોહિત સાથે થયા હતા. ૧૫ એપ્રિલે અર્જુનસિંહે તેના સાળાને ફોન કરીને જણાવ્યું હતું કે, દીકરાનો મેડિકલ રિપોર્ટ સારો ન આવતા ગીતા પરેશાન છે અને તે ઉંઘની ગોળીઓ લઈને સૂઈ ગઈ છે. જાેકે, વીડિયો કોલમાં ગીતાબેન અર્ધબેભાન જણાતા ભાઈ તાત્કાલિક ઘરે નીકળ્યા હતા. આ દરમિયાન જેઠે ગીતાબેને આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને લાશની વીડિયોગ્રાફી સાથે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ દરમિયાન અર્જૂનસિંહના ભત્રીજાએ બનાવના દિવસે સવારે કાકા-કાકીનો ઝઘડો થયાની માહિતી મૃતકના ભાઈને આપી હતી. મૃતકના ઘરમાં તપાસમાં એક ચીઠ્ઠી મળી હતી જેમાં લખ્યું હતું કે, ભાઈને બોલા થા બચ્ચોં કે સામને દેખ લે... અબ બચ્ચે ભી ધોખા દે રહે હૈ. મૈં ઉનકા દુ:ખ નહીં દેખ પા રહી હું. પાગલ હો ગઈ હું.મૃતક મહિલાને અગાઉ પણ પતિ સાથે અનેક વાર ઝઘડા થયા હોવાથી બે-ત્રણ વખત પિયર ગઈ હતી. ૧૪ એપ્રિલે ઝઘડો થતાં વીડિયો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે મૃતકના ભાઈએ અર્જુનસિંહ પુરોહિત સામે વાસણા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
25, એપ્રીલ 2026 1980   |  
ચૂંટણીને લઈને અમદાવાદમાં ૧૦૦% મતદાન માટે વેપારી મંડળો મેદાનમાં

અમદાવાદ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીને લઈને શહેરમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારા મતદાનમાં મહત્તમ લોકો ભાગ લે તે હેતુથી શહેરના પ્રતિષ્ઠિત વેપારી એસોસિએશનો મેદાને આવ્યા છે. ‘પહેલા મતદાન, પછી વેપાર’ના મંત્ર સાથે વિવિધ સંગઠનોએ પોતાના સભ્યો અને ગ્રાહકોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. અમદાવાદના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણાતા અનેક મહાજનોએ આ વખતે ૧૦૦ ટકા મતદાનનું લક્ષ્ય રાખ્યું છે. કાપડ બજારના હજારો વેપારીઓને પરિવાર સાથે મતદાન કરવા પ્રોત્સાહિત કરાયા છે. ઝવેરી બજારના વેપારીઓએ પણ લોકશાહીના આ પર્વમાં જાેડાવાનો સંકલ્પ કર્યો છે. વિવિધ નાના-મોટા વ્યાપારી એકમોને મતદાનના દિવસે વિશેષ છૂટછાટ અને જાગૃતિ ફેલાવવા સૂચના આપી છે. વેપારી એસોસિએશનો દ્વારા સોશિયલ મીડિયા ગ્રુપ્સ, પોસ્ટર્સ અને બેનરો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. અનેક સંગઠનોએ એવો પણ સુર વ્યક્ત કર્યો છે કે, શહેરના વિકાસ માટે જાગૃત નાગરિક તરીકે મત આપવો એ આપણી પવિત્ર ફરજ છે. વેપારીઓના આ પ્રોત્સાહક અભિગમને કારણે મતદાનની ટકાવારીમાં મોટો ઉછાળો આવવાની વહીવટી તંત્રને આશા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
25, એપ્રીલ 2026 1980   |  
આજે અમદાવાદમાં ૪૨૫૭ બૂથ ઉપર મતદાન

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી છે. તેનું પરિણામ ૨૮ એપ્રિલના રોજ જાહેર થવાનું છે. ત્યારે વહીવટી તંત્ર છેલ્લી ઘડીની ચૂંટણી વ્યવસ્થાઓમાં વ્યસ્ત છે. જીલ્લાના જુદા જુદા ડિસ્પેચ સેન્ટરો ઉપરથી મતદાન મથકોએ પહોંચાડવામાં આવ્યા . રાજ્ય ચૂંટણી પંચના આંકડા અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૧૯.૬૭ લાખ જેટલા પુરુષ મતદારો અને ૧૮.૩૩ લાખ જેટલી મહિલા મતદારો આમ કુલ ૩૮ લાખ જેટલા મતદારો મતદાન કરવાના છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૪૮ વોર્ડ માટે ૬૫૨ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર ઓફિસથી પ્રાપ્ત થતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૪૨૫૭ બુથ ઉપર મતદાનનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ૯૭૭૮ બેલેટ યુનિટ અને ૪૮૮૮ કંટ્રોલ યુનિટ ઉપયોગમાં લેવાશે.અમદાવાદમાં ૧૬ જગ્યાએથી ઈફસ્ ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે. પોલિંગ સ્ટાફને ઈફસ્, સ્ટેશનરી અને ચૂંટણી સાહિત્ય આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતેની મતદાન મથક પરના પોલિંગ સ્ટાફના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જે દરમિયાન પોલિંગ સ્ટાફને ઈફસ્, સ્ટેશનરી અને ચૂંટણી સાહિત્ય આપવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં ૬૫૦૦થી વધુ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં ૨૭ હજાર ચૂંટણી સ્ટાફ, અઢી હજાર મદદગાર સ્ટાફ ચૂંટણી દરમિયાન ફરજ બજાવશે.ગરમીના કારણે મતદાન કેન્દ્રો તથા મત ગણતરી કેન્દ્રો પર આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના અપાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ફર્સ્ટ એઈડ કીટ જેમાં ૧૧ વસ્તુઓનો સમાવેશ થાય છે, ડોક્ટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા તેમજ ગરમીને લઈ પાણી અને ર્ંઇજી ઉપલબ્ધ કરાવવામા આવશે. આરોગ્ય વિભાગ દ્વારા મોબાઈલ મેડિકલ ટીમ પણ બનાવવામાં આવશે. જ્યાં તાપ હશે ત્યાં શેડ બનાવી ઠંડક ઉભી કરવામાં આવશે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 2277   |  
વર્ષ અગાઉ ઘરેથી ભાગ્યા બાદ પ્રેમી સાથે મૈત્રી કરારમાં રહેતી યુવતીએ ફાંસો ખાધો

એક વર્ષ અગાઉ મહારાષ્ટ્રનાં ધુલિયાથી પ્રેમી સાથે ભાગીને મૈત્રી કરાર કરી સુરતમાં રહેતી યુવતીએ આપઘાત કરી લીધો હતો. માતા બોલાવતી ન હતી અને સાસુ સપોર્ટ કરતી ન હતી. જયારે પ્રેમી બીજા અફેરની શંકા રાખી ત્રાસ ગુજારતો હોય હતાશ થઇને યુવતીએ આત્યંતિક પગલું ભરી લીધું હતું. વરાછા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના વતની શિવાજી સંતોષભાઇ માળીની ફોઇ અરૂણા વાઘની દીકરી વૈશાલીને ડોંગર રામકૃષ્ણ પાટીલ સાથે પ્રેમ સંબંધ હતો. એક વર્ષ પહેલા વૈશાલી આ ડોંગર પાટીલ સાથે ભાગી ગઇ હતી. ત્યારબાદ તેઓ મૈત્રી કરાર કરીને સુરતમાં વરાછા વિસ્તારના કાળીદાસ નગરમાં રહેવા માંડ્યા હતાં.ગત ૨૨મી એપ્રિલે શિવાજી તેની ફોઇ અરૂણા વાધના ઘરે હતો ત્યારે તેમને વૈશાલીએ સુરતમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા હતાં. આ વાત જાણતાં જ તેઓ સુરત આવી ગયા હતાં. તેમણે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વૈશાલી મૈત્રી કરાર કરીને ડોંગર રામકૃષ્ણ પાટીલ સાથે રહેતી હતી. તે ડોંગરને વેડુ નામથી બોલાવતી હતી. વૈશાલીનાં પિતા બાર વર્ષ પહેલા અવસાન પામ્યા હોય સમાજ અને ગામનાં રીતિ રીવાજ મુજબ વીર બેસાડવાની વિધિ ૨૨ એપ્રિલ ૨૦૨૬નાં રોજ રાખવામાં આવી હતી. આ વિધિમાં વૈશાલીને બોલાવાઇ ન હતી. ત્યારબાદ અખાત્રીજનો તહેવાર આવ્યો હતો. વૈશાલીએ અખાત્રીજ કરવા પિયર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પતિ ડોંગર ઉર્ફે વેડુએ તને તારી માતા બોલાવતી નથી તો પછી શા માટે ત્યાં જવા માંગે છે એમ કહી ના પાડી દીધી હતી. ઉપરાંત વૈશાલીનું અન્ય કોઇ સાથે અફેર હોવાની શંકા રાખીનવે ડોંગર ઉર્ફે વેડુ અવાર નવાર ઝઘડા કરતો હતો. વૈશાલીએ પરિવારની વિરૂધ્ધ ડોંગર સાથે ભાગી મૈત્રી કરાર કરી રહેતી હોવાથી તે ઘરે જઇ શકતી ન હતી. વૈશાલીની સાસુ પણ તેની સાથે સારા સંબંધ રાખતી ન હતી. કોઇની સાથે વાતચીત કરી વેદના જણાવી શકે એવી સ્થિતિમાં નહીં રહેલી વૈશાલી હતાશ થઇ ભાંગી પડેલી વૈશાલીએ આપઘાત જેવું આત્યંતિક પગલુ ભરવા મજબુર બની હતી. શિવાજી માળીએ આ મામલે બનેવી ડોંગર ઉર્ફે વેડુ પાટીલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 2277   |  
ખાનગી સ્કૂલોમાં કમિશનની રમત પર રોક, મોંઘાં પાઠ્યપુસ્તકો પર પ્રતિબંધ

દેશમાં કોઇપણ રાજ્યમાં કોઇપણ બોર્ડ સંચાલિત ગમે તેવી ચમરબંધ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલોમાં ધો.૧થી ૮ સુધી ફરજિયાત પણે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા પુસ્તકો કરવામાં આવેલા સત્તાવાર પાઠ્ય પુસ્તકોથી જ શિક્ષણ કાર્ય કરાવવાનું રહેશે. આગામી જૂન મહિનાથી શરૂ થનારા શૈક્ષણિક વર્ષથી જ આ નિયમ લાગૂ કરવાનો રહેશે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને કરેલી આ પ્રકારની દરમિયાનગીરીને કારણે પ્રાઇવેટ સ્કુલોના ધંધાદારી સંચાલકોની કમિશનની આવક પર રોક લાગી જશે. કેટલીક પ્રાઇવેટ સ્કુલો મોંઘાદાટ પ્રાઇવેટ પબ્લિશર્સના પુસ્તકોની ખરીદી વાલીઓ પાસે ફરજિયાત કરાવડાવે છે જેમાંથી તેમને જંગી રકમનું કમિશન મળી રહે છે. પણ હવે પ્રાઇવેટ સ્કુલોના શાળા સંચાલકોએ આ પ્રેક્ટીસ બંધ કરી દેવી પડશે.નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને સ્પષ્ટ કર્યું છે કે સરકારી કે પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકો સાથે શૈક્ષણિક ભેદભાવ સહન કરવામાં આવશે નહીં. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ દ્વારા તેયાર કરવામાં આવેલાં પુસ્તકો જ પહેલા ધોરણથી લઇને આઠમા ધોરણ સુધી ફરજિયાત ભણાવવામાં આવશે. દેશભરમાંથી ફરિયાદો બાદ પ્રિયાંક કાનૂંગોની આગેવાની હેઠળની બેન્ચે તમામ રાજ્ય સરકારો અને શિક્ષણ મંત્રાલયને નોટિસ ફટકારી છે, જેમાં ૩૦ દિવસની અંદર રિપોર્ટ માગવામાં આવ્યો છે. નમો ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને આધારે કમિશને આ કાર્યવાહી કરી છે. ઘણી વાર એવું જાેવા મળે છે કે પ્રાઇવેટ સ્કૂલો ઇરાદાપૂર્વક ખાનગી પ્રકાશકોનાં પુસ્તકોનો ઉપયોગ કરે છે જે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ કરતાં દસગણાં મોંઘાં હોય છે. હવે કમિશને ફરજિયાત કર્યું છે કે ફક્ત નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ અથવા સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ નાં પુસ્તકો જ આઠમા ધોરણ સુધી ભણાવવામાં આવે. આમ હવે વાલીઓએ પુસ્તકો પર હજારો રૂપિયા ખર્ચવાની જરૂર રહેશે નહીં. કમિશને શિક્ષણ મંત્રાલયને એ પણ પૂછ્યું છે કે આઠમાં ધોરણ સુધીનો અભ્યાસક્રમ નિર્ધારિત સરકારી ધોરણોથી કેમ અલગ છે? સ્કૂલો હવે મનસ્વી પુસ્તકો લાદી શકશે નહીં. ૩૦ દિવસની અંદર દરેક સ્કૂલનું ઓડિટ કરવામાં આવશે. જાે કોઈ પણ સ્કૂલમાં નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સિવાયનાં પુસ્તકો મળી આવશે તો સ્કૂલે એનો જવાબ આપવો પડશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 2475   |  
પરેશ પટેલે દલા તરવાડીની જેમ ફાળવેલાં પ્લોટો અંગે વરાછાનાં લોકો દ્વારા ઉમેદવારોને આકરાં સવાલો

સુરત મહાનગરપાલિકામાં બહુમતિનાં જાેરે ભાજપ શાસકોએ લીધેલા કેટલાક ર્નિણયો ચૂંટણી સમયે પક્ષ માટે આફત સાબિત થઈ રહ્યા છે. તત્કાલીન સ્થાયી સમિતિ અધ્યક્ષ અને હાલનાં શહેર પ્રમુખે ભાજપનાં કાર્યકરો અને પક્ષપલ્ટુઓનાં લાભાર્થે પાલિકાનાં પ્લોટોની લહાણી કરી હતી. જે હવે આસપાસનાં રહીશો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. આ પ્લોટોમાં ફૂડ કોર્ટ, ગેરેજ અને ગોડાઉન કાર્યરત હોવાથી સ્થાનિકો પરેશાન છે. જેનો રોષ ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોએ સહન કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મોટા વરાછામાં લોકો આ પ્લોટો ક્યારે ખાલી કરાવશો, તેનો હિસાબ માંગીને ઉમેદવારોને ઘેરી રહ્યાં છે.સુરત પાલિકાની ગત ચૂંટણીમાં ભાજપને ૯૩ બેઠકો મળી હોવા છતાં, પક્ષે ‘આપ‘નાં ૧૨ કોર્પોરેટરોને ભાજપમાં ભેળવ્યા હતા. પાલિકામાં પ્રચંડ બહુમતીને કારણે તત્કાલીન સ્થાયી સમિતિનાં અધ્યક્ષ પરેશ પટેલે ભાજપનાં કાર્યકરો અને પક્ષપલ્ટુઓને રાજી રાખવા સંખ્યાબંધ પ્લોટોની લહાણી કરી હતી. ભાજપનાં કાર્યકરોને પાલિકાનાં પ્લોટ નજીવા ભાડે ફાળવી દેવાયા હતાં, જ્યાં શેડ ઊભા કરીને ફૂડ ઝોન તથા અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓ માટે પેટાભાડે આપી દેવાયા છે. મોટાભાગનાં ફૂડ ઝોન રહેણાંક વિસ્તારમાં હોવાથી અને મોડી રાત સુધી ધમધમતા હોવાથી સ્થાનિકો માટે ન્યુસન્સ બનવા સાથે માથાનો દુખાવો બની ગયા છે. આ મુદ્દે સ્થાનીકો દ્વારા મનપા કચેરી અને શાસકો સામે અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. હવે જ્યારે મોટા વરાછા વિસ્તારમાં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે જઈ રહ્યા છે, ત્યારે લોકો પ્લોટના કારણે પડતી મુશ્કેલીઓની ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે અને પ્લોટની ફાળવણી રદ થશે કે નહીં તેવા અણીયારા પ્રશ્નો પૂછી રહ્યા છે. ઉમેદવારો પાસે આનો કોઈ સ્પષ્ટ જવાબ ન હોવાથી તેમની હાલત કફોડી થઈ રહી છે. ભાજપ શાસકોએ બહુમતિનાં જાેરે ‘દલા તરવાડી‘ જેવો વહિવટ કરી શહેરની અનેક રહેણાંક સોસાયટીઓમાં પ્લોટ ફાળવીને લોકો માટે આફત ઊભી કરી દીધી છે. હવે સંગઠનમાં અનુભવનો અભાવ અને નબળી ટીમના કારણે ઉમેદવારો મતદારોના પ્રશ્નો સામે લાચાર જણાતા હોવાથી મૌન સેવી રહ્યા છે.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 2574   |  
સુરત ભાજપ શહેર સંગઠનની નિષ્ફળતાએ આમ આદમી પાર્ટી માટે રસ્તો સરળ કરી આપ્યો

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં વર્ષ ૨૦૨૧નું પુનરાવર્તન થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે તે વાતની પ્રતીતિ ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં રોડ-શો અને જાહેરસભા પછી થવા લાગી છે. સુરત ભાજપનાં નેતાઓની જુથબંધીએ કેડરબેઝ પાર્ટીની શિસ્ત અને સંગઠનનાં લીરેલીરાં કરી મૂકતાં મોવડીમંડળ પણ વિચારમગ્ન બની ગયું છે. જે વરાછા, કતારગામ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો ભાજપ નેતાઓની સભામાં ઉમટી પડતાં હોય છે તે વિસ્તારમાં મુખ્યમંત્રીની હાજરી હોવા છતાં રોડ-શો અને જાહેરસભાનો ફિયાસ્કો થાય તે ભાજપ માટે ચિંતાજનક બાબત છે. ખંડણીખોર ચિરાગ ગોટીનાં પોલીસે કાઢેલાં વરઘોડામાં જેટલી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં તેનાથી અડધાં લોકો પણ મુખ્યમંત્રીનાં કાર્યક્રમમાં નહીં આવતાં સુરત ભાજપ સંગઠનનું પાણી તો મપાઇ જ ગયું સાથે સાથે જુથબંધી પણ ઉઘાડી પડી ગઇ અને આમ આદમી પાર્ટી માટે રસ્તો સરળ કરી આપ્યો હોય તેવો માહોલ સર્જાયો છે.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદારો સાથે ભાજપને નાડી અને નાભિનો સંબંધ હોવાનું છાતી ઠોકીને કહ્યું તેનાં કલાકોમાં જ પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં મુખ્યમંત્રીનાં કાર્યક્રમનો ફિયાસ્કો થતાં પ્રદેશ નેતાઓએ પણ પાટીદારોને અને પાટીદાર નેતાઓને ટેઇકન ફોર ગ્રાન્ટેડ ગણવાની કરેલી ભૂલ ભારે પડી રહી હોય તેમ જણાય છે. પાટીદારોમાં અસંતોષ તો છે પરંતુ એ અસંતોષની આગને ઓલવવાને બદલે એને સળગતી રાખવાનું કામ સુરત શહેર ભાજપ સંગઠને કર્યું છે. સંગઠનનાં અનુભવ વિના માત્ર સી.આર.પાટિલની વફાદારીને કારણે શહેર પ્રમુખ પદે ઠઠાડી બેસાડાયેલાં પરેશ પટેલનું સંગઠન ઉપર કોઇ જ પ્રભુત્વ નથી તે વાતની સાબિતી મુખ્યમંત્રીનાં કાર્યક્રમની નિષ્ફળતાએ આપી દેતાં ગુસ્સે ભરાયેલાં શહેરનાં એક ધારાસભ્યે તો પાર્ટીઓફિસે પહોંચીને તડાફડી કરી દેતાં મામલો મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી ચૂક્યો છે. ભાજપની જુથબંધીની આગને બે મોટા નેતાઓની અહમની લડાઇએ હવા આપી છે. આંગળી પકડીને ઉપર આવેલાં નેતાએ ગુરૂની જ અવગણનાં કરતાં વાત ચૂંટણીની હાર-જીત કરતાં એકબીજાનાં જુથને પછાડવા સુધી પહોંચી ચૂકી હોવાથી ચૂંટણીનાં બે દિવસ પહેલાં જ જે ડેમેજ થયું છે તેને કંટ્રોલ કરવું અઘરૂ થઇ પડ્યું છે જેની કિંમત ભાજપ ફરી એકવાર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ચૂકવશે તે નક્કી મનાય છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને ગત ટર્મમાં મળેલી ૨૭ બેઠકો જળવાઇ રહે તે બાબતે સી.આર.પાટિલે આપેલી ચેલેન્જ બળતામાં ઘીનું કામ કરી ગઇ હોવાથી આમ આદમી પાર્ટીનું કામ આ વખતની ચૂંટણીમાં સરળ બનાવી દીધું હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે. પાટીદાર સમાજ ઉપરાંત સિંધી સમાજ, બ્રાહ્મણ સમાજ, આહિર સમાજ, પ્રજાપતિ સમાજ અને મુળ સુરતીઓમાં પણ પ્રતિનિધિત્વ મામલે અસંતોષની લાગણી પ્રવર્તી રહી હોવાથી ભાજપ માટે તો એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. પાટીદાર પ્રભાવિત વિસ્તાર ઉપરાંત અલથાણ, બમરોલી, ગોરાટ, અડાજણ, રાંદેર, ઉધના, લિંબાયત સહિતનાં વિસ્તારોમાં ભાજપનાં ઉમેદવારોને પ્રચાર કરતાં અટકાવવાનાં કિસ્સાઓ બન્યાં છે તે જાેતાં આ વખતે પરિવર્તન છે કે પુનરાવર્તન તે કળવું મુશ્કેલ જરૂર છે પરંતુ એક વાત ચોક્કસ કે ભાજપ નેતાગીરીને સબક જરૂરથી મળશે. પરિસ્થિતિ એ સર્જાઇ છે કે, ટીકિટ વહેંચણીમાં પરિવારવાદ અને પી.એ.વાદ ચલાવનાર ભાજપ નેતાઓ પાર્ટીમાં વજન જાળવી રાખવા પોતપોતાનાં ઉમેદવારોને જીતાડવા કમર કસી રહ્યાં છે જેનાથી પેનલ તૂટવાની શક્યતાઓ પણ વધી ગઇ છે જે આમ આદમી પાર્ટી માટે તો બગાસુ ખાવા જતાં પતાસુ મળવા જેવું થશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution