આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, માર્ચ 2026
2376 |
સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે, જ્યારે અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ભર ઉનાળે આવેલા આ માવઠાના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે કેરી, ઘઉં અને મકાઈ જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ અને તેજ પવનની આગાહી કરી છે, જેના કારણે ગરમીમાંથી લોકોને થોડી રાહત મળશે પણ ખેડૂતો માટે આ આફત બની શકે છે. અમરેલીનાં સાવરકુંડલા પંથકમાં અસહ્ય ગરમી અને બફારા પછી અચાનક વાતાવરણ બદલાયું હતું. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે જાબાળ, બાઢડા, મોટા ઝીંઝુડા, ધજડી, સાકરપરા અને અભરામપરામાં અચાનક જ વરસાદી છાંટા પડ્યા હતા. ઉનાળાની આકરી ગરમી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદથી સામાન્ય લોકોને ગરમીથી થોડી રાહત તો મળી છે, પણ આંબાના પાક (કેરી) ને ભારે નુકસાન જવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, માર્ચ 2026
3069 |
ભાવનગર ફ્લાઈટ કનેક્ટિવિટીથી હવાઈ માર્ગે દેશ અને દુનિયા સાથે જાેડાશે: કે. રામમોહન
ભાવનગર એરપોર્ટ ખાતેથી આજથી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુએ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને આ પ્રથમ ફ્લાઈટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું વોટર સેલ્યુટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલ પંડ્યા અને ગૌતમ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને વખતોવખત ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા ભાવનગરને એર કનેક્ટિવિટી ફાળવવા માટેની દરખાસ્તો મળતી રહી હતી. જેના અનુસંધાને આજરોજ ભાવનગર થી નવી મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થઈ રહ્યો છે જે બદલ ભાવનગરની જનતાને અભિનંદન. વધુમાં તેમણે કહ્યું કે ભાવનગરથી નવી મુંબઈની કનેક્ટિવિટી એ માત્ર લોકલ કનેક્ટિવિટી નથી પરંતુ આ એર કનેક્ટિવિટીથી ભાવનગર દેશ અને દુનિયા સાથે જાેડાઈ રહ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, માર્ચ 2026
2574 |
અમદાવાદના એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે
અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ રાજકોટ ખાતે કહ્યું હતું.. આજે ૨૯ માર્ચના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક સાથે દેશના ૫૭ એરપોર્ટ પર અલગ-અલગ સુવિધાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ સાથે રાજકોટનાં ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું છે. સવારે ભાવનગર ખાતે ઈન્ડિગોની નવી મુંબઈની ફલાઈટને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ તેઓ રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. ઉડાન યાત્રી કાફે ખુલવાથી હવે એરપોર્ટ પર મુસાફરોને રૂ.૧૦માં ચા અને રૂ.૨૦માં કોફી મળી રહેશે. આ દરમિયાન રામમોહન નાયડુએ મહત્વના મુદ્દાઓને લઈ કહ્યું કે, રાજકોટમાં વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ, એર કાર્ગો ટર્મિનલ શરૂ થશે. દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ, ૨૦૦ હેલિપેડ બનશે. યુદ્ધ વચ્ચે ગલ્ફ દેશોમાંથી ૫ લાખ લોકોને ભારત પરત લાવ્યા છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યુ હતુ કે, રાજકોટ સહિત દેશના ૫૭ એરપોર્ટ ઉપર અલગ-અલગ નાગરિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશમાં ૧૧ એરપોર્ટ પર ઉડાન કાફે, ૮ જગ્યાએ ડ્ઢય્ યાત્રા, ૫૦ જગ્યાએ વાઈફાઇ ફેસેલિટિ, ૧૧ અવસર આઉટલેટ, ૧૦ કિડઝ પ્લે ઝોન, ૧૬ ફ્લાયબ્રેરિઝ અને ૮ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કનું પણ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યુ હતુ કે, રાજકોટ સહિત દેશના ૫૭ એરપોર્ટ ઉપર અલગ-અલગ નાગરિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશમાં ૧૧ એરપોર્ટ પર ઉડાન કાફે, ૮ જગ્યાએ ડ્ઢય્ યાત્રા, ૫૦ જગ્યાએ વાઈફાઇ ફેસેલિટિ, ૧૧ અવસર આઉટલેટ, ૧૦ કિડઝ પ્લે ઝોન, ૧૬ ફ્લાયબ્રેરિઝ અને ૮ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કનું પણ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, માર્ચ 2026
2079 |
ઐતિહાસિક સફળતા: એક દાયકા બાદ કચ્છમાં ઘોરાડના બચ્ચાનો જન્મ થયો
ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ સફળતા મળી છે. કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ -ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતાં કહ્યું કે, ગુજરાત વન વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાસિલ કરી છે. આ સફળતા બદલ કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પર્યાવરણ મંત્રાલય, ગુજરાત, રાજસ્થાન અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસોને બિરદાવીને એક્સ પર માહિતી આપીને અભિનંદન પાઠવ્યા હતા. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો જણાવતાં કહ્યું હતું કે, આ સફળતા પાછળ ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ‘ નામની અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૧માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘોરાડ પક્ષીઓના કુદરતી રહેઠાણોના સંરક્ષણ માટે રજૂ કરવામાં આવેલા વિઝનને અનુરૂપ વર્ષ ૨૦૧૬માં ‘પ્રોજેક્ટ જીઆઇબી શરૂ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના સેમ અને રામદેવરા ખાતે સ્થાપિત બ્રીડિંગ સેન્ટરોમાં પક્ષીઓની સંખ્યા વધીને હવે ૭૩ સુધી પહોંચી છે. રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લેવામાં આવ્યું. પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં આ ઈંડાને ૧૯ કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. તા. ૨૨ માર્ચના રોજ કચ્છની માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને બદલે આ ફલિત ઈંડું મૂકવામાં આવ્યું. માદા ઘોરાડ દ્વારા આ ઈંડાનું કુદરતી રીતે સેવન કરવામાં આવ્યું અને તા. ૨૬ માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો. હાલમાં ફિલ્ડ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને તેના બચ્ચાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો, વન વિભાગના અધિકારીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે આ એક ગર્વની ક્ષણ છે, જે ભારતના વન્યજીવ પર્યાવરણ જતન સંકલ્પને વધુ દૃઢ બનાવે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, માર્ચ 2026
2178 |
કેસર કેરીનું બજારમાં આગમન: પણ આ વર્ષે રસનો આસ્વાદ મોંઘો બનશે
ગત વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીના ભાવમાં ૨૦ ટકાનો નોંધપાત્રો વધારો થયો છે. અમદાવાદના નરોડા ફ્રૂટ બજારમાં રત્નાગિરિ કેસર કેરીના ભાવ ૩૦૦થી ૪૦૦ રૂપિયા છે તો તો ઉના,તલાળાની કેસર કેરીના ૨૦૦-૨૫૦ રૂપિા પ્રતિ કિલો ભાવ બોલાઇ રહ્યો છે. નોંઘનિય છે કે માવઠાના અને મીની વાવાઝોડાના કારણે કાચી કેરી ખરી ગઇ હોવાથી ઘણું નુકસાન થયું છે. હજુ પણ આગામી દિવસોમાં માવઠાનું જાેખમ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગે ૨૯થી ૩૧ માર્ચ સુધી ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં ૨૯ માર્ચથી વાતાવરણમાં પલટો આવશે. આના કારણે ફરી કેરીના પાકને પારાવાર નુકસાન થાય તેવી ભિતી સેવાઇ રહી છે. જેના કારણે કેરીના ભાવ વધી પણ શકે છે. નોંધનિય છે કે, ગીર સોમનાથના કેસર કેરીના ગઢ ગણાતા તાલાલામાં જાેરદાર પવન અને માવઠાથી ભારે નુકસાન. પવનના કારણે આંબા પરથી મોટા પ્રમાણમાં કાચી કેરી (ખાખડી) જમીન પર ખરી પડી હતી.બગીચાઓમાં ભેજ વધતા ફળમાખી, મધિયો અને થ્રિપ્સ જેવા રોગોનો ઉપદ્રવ વધ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં, જે કેસર કેરીના ગઢ તરીકે આખી દુનિયામાં ઓળખાય છે, ત્યાં થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદ (માવઠા) અને જાેરદાર પવનને કારણે બાગાયતી ખેડૂતોને મોટો ઝાટકો લાગ્યો છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, માર્ચ 2026
2871 |
પાદરા નગરમાં ઘરેલુ ઝઘડામાં પત્ની અને સાસરિયાં દ્વારા પતિનું દિલધડક અપહરણ
પાદરામાં છેલ્લા બે વર્ષથી પત્ની સાથે ચાલતાં ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિ સાથેની તકરારને લીધે પત્ની અને તેના પિયરીયાઓએ પાદરાથી પતિનું કારમાં અપહરણ કરીને મારતાં મારતાં ધોળકા લઇ ગયા હતા જયાં તે છટકીને ગમેતેમ વડોદરા પહોંચ્યો હતો અને પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.૯ મહિલા સહિત ૧૦ સામે અપહરણ સહિતનો ગુનો દાખલ કરાયો છે.પાદરા પોલીસ મુજબ, પાદરા ટાઉનમાં રહેતા ૩૩ વર્ષીય પ્રકાશભાઈ પ્રતાપભાઈ દેવીપુજકે જણાવ્યું કે તેઓ છેલ્લા સાત વર્ષથી પાદરા ખાતે ટેમ્પો ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે.પત્ની સીમાબેન સાથે છેલ્લા બે વર્ષથી અણબનાવ ચાલી રહ્યો હતો અને તે પોતાના પિયર ધોળકા ખાતે રહે છે. તા. ૨૭ માર્ચ ૨૦૨૬ના રોજ બપોરના સમયે પ્રકાશ દેવીપુજક પોતાના ઘરે હતા ત્યારે અચાનક દરવાજા પર ખખડાટ થયો હતો દરવાજાે ખોલતા કોઈ દેખાયું નહીં, પરંતુ ઉપર દાદર પર તેમની પત્ની જાેવા મળી. ત્યારબાદ પત્ની સાથે આવેલી છ મહિલાઓએ બળજબરીથી ઘરમાં ઘુસી જઈ ઝઘડો કર્યો અને ગાળો બોલી મારવાનું શરૂ કર્યું હતું.આ પછી પત્ની સહિત તમામ મહિલાઓએ તેમને ગડદા-પાટુનો માર માર્યો અને પછી બળજબરીથી બીજા માળેથી નીચે ઘસડીને ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ ગયા હતા ત્યારબાદ એક ઈકો કાર મંગાવી તેમને તેમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પ્રકાશેવિરોધ કરતાં મહિલાઓમાંથી એકે તેમની આંખોમાં સુકા મરચાની ભુકી નાખી દીધી, જેના કારણે તેમને તાત્કાલિક આંખો બંધ થઇ ગઇ હતી અને તીવ્ર બળતરા થવા લાગી હતી.આરોપ છે કે ત્યારબાદ તેમને જબરદસ્તી ગાડીમાં બેસાડી ધોળકા લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરીથી તેમની પર હુમલો થયો હતો. પત્ની સીમાબેને પણ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અન્ય વ્યક્તિ સાથે રહેવાની વાત કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, માર્ચ 2026
2079 |
ગોત્રી વિસ્તારમાં નશામાં ધૂત થઈને બાઈકચાલકે કારને ટક્કર મારી
શહેરના નીલાંબર સર્કલ અને સયાજીગંજ વિસ્તારમાં બે બાઇક અકસ્માતની ઘટનાઓ બની હતી. જેમાં ગોત્રી વિસ્તારમાં નશામાં ધૂત થઈને બાઈક ચાલકે કારને ટક્કર મારી હતી. જેમાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો. બીજી તરફ પંડ્યા બ્રિજથી વડોદરા રેલવે સ્ટેશનના રોડ પર બાઈક ચાલક સ્લીપ ખાઇ હતી, જેમાં બાઈકચાલક ઇજાગ્રસ્ત થયો હતો.શહેરના નીલામ્બર સર્કલ પાસે બની હતી, જ્યાં નશામાં ધૂત બાઇકચાલકે કારને ટક્કર મારી હતી. આ બનાવ બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી બાઇક કબ્જે લીધી હતી. બાઇક ચાલક આકાશ અશ્વિનકુમાર ત્રિવેદી (રહે. વાસણા ભાયલી રોડ) હોવાનું બહાર આવ્યું હતું. તેની બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરતાં દારૂના નશામાં હતો. ગોત્રી પોલીસે આરોપી સામે દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, મુજમહુડા વિસ્તારમાં રહેતા કિશનભાઈ બુધાભાઈ માળીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના સાળા લાલાભાઈ કાળીદાસ માળીનો પંડ્યા બ્રિજ નજીક અકસ્માત થયો હતો. લાલાભાઈ પોતાની બાઇક પર પંડ્યા બ્રિજથી બસ સ્ટેશન તરફ જતા હતા ત્યારે ગફલતભરી અને પૂરઝડપે વાહન ચલાવતા વાહન પરનો કાબૂ ગુમાવી બાઈક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ આઇસીયુ વોર્ડમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, માર્ચ 2026
2277 |
પ્રતાપનગર વિસ્તારમાં પાલિકાનું રેતી ભરેલું ટ્રેક્ટર ભૂવામાં ફસાયું
શહેરના મોટા ભાગના તમામ રોડ રસ્તા પાલિકાના તત્કાલીન પદાધિકારીઓના આદેશથી કોન્ટ્રાક્ટરો દ્વારા ખોદી નંખાયા છે. આવા ખોદાયેલા રોડની જે તે કામગીરી પૂરી થતાં ખોદાયેલા રસ્તા યોગ્ય પુરાણ નહીં કરી આડેધડ રીતે ખાડા પુરી દેવાયા બાદ બનાવવામાં આવેલા રોડ પર ગમે ત્યારે ભુવા પડી જતા હોય છે. પ્રતાપ નગર બાવરી કુંભારવાડા વિસ્તારમાંથી પાલિકાનું ટ્રેક્ટર રેતી ભરીને જતા ભારે વજનના કારણે રસ્તા વચ્ચે અચાનક પડેલા ભુવામાં પાલિકા તંત્રની પોલ ખુલ્લી પડી હતી.ઉલ્લેખનીય છે કે પ્રતાપ નગર બાવરી કુંભારવાડામાં છેલ્લા બે મહિનામાં ત્રણ વાર રસ્તા બનાવવામાં આવ્યા હતા. તાજેતરની ત્રાહિમામ ગરમીમાં મોટાભાગના તમામ રોડ રસ્તા ભ્રષ્ટાચારી ડામરથી પીગળતા હોવાના કારણે રોડ રસ્તા પરથી વાહન ચલાવવું મુશ્કેલ બને છે. પ્રતાપ નગર બાવરી કુંભારવાડામાંથી વીએમસી (વડોદરા મહાનગર કોર્પોરેશન)ના એક ટ્રેક્ટર રેતી ભરીને ચાલક જઈ રહ્યો હતો. દરમિયાન રોડ રસ્તા વચ્ચેથી પસાર થતા જ યોગ્ય પુરાણ નહીં થયેલા રોડ પર ટ્રેક્ટરના ભારે વજનના કારણે અચાનક ભુવો પડી જતા ટ્રેક્ટરનું ટ્રેલર રેતી ભરેલી હાલતમાં ભુવામાં ખૂપી ગયું હતું. પરિણામે વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોનું કહેવું હતું કે પાલિકા તંત્રના ભ્રષ્ટાચાર ના કારણે જ પાલિકાનું જ ટ્રેક્ટર ભુવામાં ફસાયુ હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, માર્ચ 2026
2673 |
દિવાળીપુરામાં વૃદ્ધને ૨૦ ફૂટ ઢસડી કાર ડિવાઈડર પર ચઢી ગઈ, વીડિયો વાયરલ
શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રાજીવનગર પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એક કારના ચાલકે રિવર્સ લેતી વખતે સ્ટીટરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા એક સાયકલ સવાર વૃદ્ધ કારની ઝપેટમાં લઈ ૨૦ ફૂટથી વધુ ઢસડ્યા હતાં. સાથે જ કાર ડિવાઈડર પર પણ ચડી ગઈ હતી. આ અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના નજીકમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.શહેરના દિવાળીપુરા વિસ્તારમાંથી એક સિનિયર સિટીઝન રોડ પરથી સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે એક કારચાલક પોતાની કારને રિવર્સમાં લઈ રહ્યો હતો. રિવર્સમાં લેતી વખતે કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેને પગલે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ઘટનાના પગલે માર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સ્થાનિકોની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણ થતાં જ અકોટા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અકોટા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. વી. બલદાણીયાએ જણાવ્યું હતું કે, અકસ્માતની જાણ થતા અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે, અમારી ટીમ હોસ્પિટલમાં પણ ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
શિક્ષણ
30, માર્ચ 2026
2376 |
ગાજરાવાડીની આંગણવાડી અસામાજિક તત્ત્વોનો અડ્ડો
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના ગાજરાવાડી વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન પાસે આવેલી પાલિકાની આંગણવાડી હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. નાના બાળકો જ્યાં પાયાનું શિક્ષણ મેળવવા આવે છે, તે સ્થળ હવે નશાખોરો અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભય જાેવા મળી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ આંગણવાડીની આસપાસ અને પરિસરમાં અસામાજિક તત્વો દિવસ-રાત જમાવડો કરે છે. આ તત્વો દ્વારા આંગણવાડીના કમ્પાઉન્ડમાં નશાની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેના પુરાવા તરીકે દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થોના અવશેષો અવારનવાર મળી આવે છે. રાત્રિના સમયે આ સ્થળ અંધકારનો લાભ લઈને ગુનાહિત માનસ ધરાવતા લોકો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. આ પરિસ્થિતિને કારણે આંગણવાડીમાં આવતા નાના બાળકો અને ત્યાં ફરજ બજાવતી મહિલા કાર્યકરોની સુરક્ષા જાેખમાઈ છે. બાળકોના વાલીઓ પણ હવે પોતાના સંતાનોને આંગણવાડી મોકલતા ડર અનુભવી રહ્યા છે. આંગણવાડીની દિવાલો પર અશ્લીલ લખાણો લખવા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ પણ અવારનવાર બને છે. સ્થાનિક રહીશોની માંગ છે કે પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે અને પાલિકા તંત્ર આંગણવાડીની ફરતે મજબૂત ફેન્સિંગ કે સીસીટીવી કેમેરા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવે. જાે વહેલી તકે આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ મોટી અપ્રિય ઘટના બની શકે છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, માર્ચ 2026
1980 |
અમદાવાદના ચૂંટણી ગણિતમાં મોટા ફેરફારની સંભાવના
અમદાવાદમાં તાજેતરમાં અપડેટ થયેલી વોટર લિસ્ટમાં નવા નાગરિકોના નામ ઉમેરાતા સ્થાનિક રાજકારણમાં નવી ચહલપહલ શરૂ થઈ છે. ખાસ કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા અને હવે ભારતીય નાગરિક બનેલા લોકો મતદાર તરીકે જાેડાતા ચૂંટણીના ગણિતમાં ફેરફારની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ત્યારે આ વર્ષે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી અમદાવાદ વસેલા ૧૪૬૧ ભારતીય નાગરિકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચૂંટણીપંચે ૧ એપ્રિલનાં રોજ ફાયનલ યાદી પ્રસિદ્ધ કરવાની રહેશે. વર્ષ ૨૦૦૨ પછી ૨૦૨૫માં સર કામગીરી થતાં લાખો મતદારોનાં નામોમાં મોટો ફેરફાર થયો છે. વર્ષ ૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં શહેરના ૪૮ વોર્ડમાં કુલ ૨૪૧૪૨૫૬ પુરુષ અને ૨૨૧૦૨૧૪ મહિલા મતદારો તેમજ ૧૬૮ અન્ય મતદારો મળી કુલ ૪૬૨૪૬૩૮ મતદાર હતા. વર્ષ-૨૦૨૬ની મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ ૨૩ માર્ચના રોજ જે વોર્ડ વાઈસ મતદાતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ૮ લાખથી વધુ મતદારોનો ઘટાડો જાેવા મળ્યો છે. જૂના મતદારો ૪૬.૨૪ લાખ,ડ્રાફ્ટમાં ૩૮ લાખ મતદારો નોંધાયા હતા. ત્યારે ૧૭ થી ૧૮ ટકા મતદારો ઘટી જતા રાજકીય પક્ષોને ચૂંટણી લડવામાં ઘણી મહેનત કરવી પડશે તેમ જણાઈ રહ્યું છે. શહેરમાં ૪૮ વોર્ડમાંથી ૪૫ વોર્ડમાં મતદારો ઘટ્યા છે, જ્યારે ૩ વોર્ડમાં સંખ્યા વધી છે. ખાસ કરીને સૌથી વધુ નવરંગપુરા વોર્ડમાં ૩૦૦૦૦ જેટલા મતદારો ઘટ્યા છે. ત્યારે મતદાર લિસ્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી અહીં વસેલા ૧૪૬૧ જેટલા ભારતીય નાગરિકો આ વર્ષે ચૂંટણીમાં મતદાનનો ઉપયોગ કરી પોતાની પસંદગીના ઉમેદવારને ચૂંટવામાં મહત્વનો ભાગ ભજવશે. અમદાવાદમાં વર્ષ ૨૦૧૭માં ૧૮૭, ૨૦૧૮માં ૨૫૬, ૨૦૧૯માં ૨૦૫, ૨૦૨૦માં ૬૫, ૨૦૨૧માં ૨૧૨, ૨૦૨૨માં ૧૧૦, ૨૦૨૩માં ૧૧૪, ૧૬-૩-૨૦૨૪માં ૧૮, ૧૧-૧૨-૨૦૨૪ સુધીમાં ૫૫, ૨૦૨૫માં ૭૩ લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર મળતા મત આપી શકશે. સરકારનાં ૨૦૧૬ અને ૨૦૧૮નાં ગેઝેટથી ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, કચ્છ જિલ્લાના કલેક્ટરને અફગાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો લઘુમતી સમુદાય જેવા કે, હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા કાયદો ૧૯૫૫ મુજબ ૧૪૬૧ લોકોને નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. વોટર લિસ્ટમાં ભારતીય નાગરિકોનો ઉમેરો થતાં કેટલાક વોર્ડમાં મતદારોનું બેલેન્સ બદલાઈ શકે છે. જ્યાં માર્જિનથી હાર-જીત નક્કી થાય છે ત્યાં અસર વધુ દેખાશે તેવી શક્યતા છે. રાજકીય પક્ષો તેમને નવી વોટ બેંક તરીકે જાેઈ શકે છે. ખાસ કરીને ચૂંટણી કેમ્પેઈન, સંપર્ક સાધવો તેમજ પ્રભાવ વધારવાનો હોય. અમદાવાદમાં નવા નાગરિકોના વોટર લિસ્ટમાં સમાવેશથી ચૂંટણીનું ગણિત માત્ર સંખ્યામાં નહીં પરંતુ નેરેટિવમાં પણ બદલાઈ રહ્યું છે. આવનારી ચૂંટણીમાં આ ફેક્ટર કેટલો અસરકારક સાબિત થશે તે જાેવું મહત્વપૂર્ણ રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, માર્ચ 2026
1881 |
અમદાવાદ-ગાંધીનગર રૂટ પર મેટ્રો સેવાઓ રદ રહેશે
આજે અમદાવાદ-ગાંધીનગર રૂટ પર મેટ્રો સેવાઓ કોટેશ્વર રોડથી જી.એન.એલ.યુ. વચ્ચે સવારે ૦૯:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે નહીં. એ.પી.એમ.સી. માટે ગિફ્ટ સિટીથી મેટ્રો સેવા રદ કરવામાં આવશે. એ.પી.એમ.સી. માટે ગિફ્ટ સિટીથી સવારે ૧૦:૧૮ની પ્રસ્થાન સમયની મેટ્રો સેવા રદ કરવામાં આવશે. અમદાવાદ-ગાંધીનગર રૂટ પર મેટ્રો સેવાઓ ઇન્ફોસિટીથી મહાત્મા મંદિર સેક્શન વચ્ચે સવારે ૧૧:૩૦ થી ૧૨:૧૫ વાગ્યા સુધી કાર્યરત રહેશે નહીં. એ.પી.એમ.સી. માટે મહાત્મા મંદિરથી સવારે ૧૧:૩૮ની અને બપોરે ૧૨:૦૩ પ્રસ્થાન સમયની મેટ્રો સેવાઓ રદ કરવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, માર્ચ 2026
1980 |
અમદાવાદ શહેરના અર્બન હેલ્થ સેન્ટરોમાં હીટવેવના દર્દીઓ માટે ખાસ બેડ રિઝર્વ કરાયા
શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સંભવિત હીટવેવની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શહેરના અર્બન હેલ્થ સેન્ટર તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે હીટ ઈલનેસ એટલે કે ગરમીથી થતી બીમારીઓ માટે ખાસ અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તંત્ર દ્વારા લેવાયેલા ર્નિણય મુજબ, ગરમીથી અસરગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે દરેક હેલ્થ સેન્ટરમાં ખાસ બેડ રિઝર્વ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. ગરમીનો પ્રકોપ વધતા લૂ લાગવા કે ડિહાઈડ્રેશનની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યા વધી શકે છે. જેને જાેતા છસ્ઝ્ર દ્વારા તમામ સેન્ટરો પર જરૂરી દવાઓ, ઇન્જેક્શન અને પૂરતા પ્રમાણમાં ઓઆરએસના પેકેટનો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવાયો છે. ખાસ કરીને હીટ સ્ટ્રોકના કિસ્સામાં દર્દીના શરીરનું તાપમાન તાત્કાલિક નીચું લાવવા માટે આઈસપેકની વિશેષ સુવિધા પણ કેન્દ્રો પર કાર્યરત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ સ્ટાફને પણ એલર્ટ રહેવા અને ગરમીના લક્ષણો ધરાવતા દર્દીઓને પ્રાથમિકતા આપી ત્વરિત સારવાર પૂરી પાડવા આદેશ અપાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ સજ્જતાને કારણે ગરમીના કપરા દિવસો દરમિયાન શહેરીજનોને સ્થાનિક સ્તરે જ તબીબી સહાય મળી રહેશે અને મોટા હોસ્પિટલો પરનું ભારણ ઘટશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, માર્ચ 2026
1980 |
બાળકોની બોલાચાલીમાં વાલીઓ કુદી પડતા મારામારી : મહિલાની છેડતી કરી હોવાના આક્ષેપો
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ગત રાત્રે બાળકો ક્રિકેટ રમતા હતા તેમાંથી થયેલા ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.. નજીવી બાબત એટલી ઉગ્ર બની ગઇ હતી કે તેમાં વાલીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં મોટાઓ કૂદી પડતા મામલો બિચક્યો હતો. આ ઘટનામાં એક પક્ષે બહારથી હથિયારધારી માણસો બોલાવી સોસાયટીમાં મારામારી અને મહિલાની છેડતી કરી હોવાના ગંભીર આક્ષેપો થયા છે.મળતી માહિતી અનુસાર, આંનંદનગર વિસ્તારમાં સ્કારલેટ સોસાયટીમાં રાત્રે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. સોસાયટીના રહીશ કુણાલ શાહ બાળકોને છોડાવવા ગયા હતા, તે દરમિયાન અન્ય એક વ્યક્તિ કૃણાલસિંહ ચુડાસમા ત્યાં આવી પહોંચ્યા હતા. બાળકોની વાતને લઈને બંને વાલીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે જાેતજાેતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. ભોગ બનનાર કુણાલ શાહના જણાવ્યાનુસાર, સામેના પક્ષે બહારથી લુખ્ખા તત્વોને બોલાવ્યા હતા. આ શખસો દારૂ પીધેલી હાલતમાં અને હથિયારો સાથે સોસાયટીમાં ધસી આવ્યા હતા. આક્ષેપ છે કે તેમણે સોસાયટીમાં તોડફોડ કરી હતી અને કુણાલભાઈની પત્નીના પેટના ભાગે પણ માર માર્યો હતો. વધુમાં, હુમલાખોરોએ સોસાયટીની એક યુવતી સાથે અડપલાં કરી છેડતી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતા જ આનંદનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સોસાયટીના સીસીટીવી (ઝ્રઝ્ર્ફ) ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. આનંદનગર પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. જાેકે, બંને પક્ષોએ પરસ્પર સમજૂતી સાધીને સમાધાન કરી લીધું હોવાનું પણ સામે આવ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, માર્ચ 2026
1782 |
નર્મદા કેનાલામાં ડૂબી જતા ચાર યુવકના મોત
ગાંધીનગર જિલ્લાની નર્મદાની મુખ્ય કેનાલ ફરી એકવાર કાળમુખી બની છે. એક દિવસમાં જ કેનાલમાં ડૂબવાથી મોતના મામલે બે અલગ-અલગ બનાવોમાં કુલ ચાર યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એક ભાઈને ડૂબતો જાેઈ તેને બચાવવા જતાં બીજાે ભાઈ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બે યુવકોના મૃતદેહ હાથ લાગ્યા છે, જ્યારે અન્ય બેની શોધખોળ ચાલી રહી છે. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાથપગ ધોવા જતાં પગ લપસ્યો ને ડૂબ્યા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ બનાવ લીંબડીયા અને કરાઈ વચ્ચે વલાદ પાસે બન્યો હતો. મૂળ ધોલેરાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સુનિલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા કેનાલ કાંઠે ગયા હતા. આ દરમિયાન હાથપગ ધોવા જતાં એક યુવકનો પગ લપસી ગયો હતો. તેને ડૂબતો જાેઈ બીજાે યુવક બચાવવા માટે પાણીમાં પડ્યો હતો. એક ભાઈની લાશ મળીને એકની શોધખોળ પરંતુ પાણીના જાેરદાર પ્રવાહમાં બંને યુવકો લાપતા થઈ ગયા હતા. ફાયર તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં સુનિલ આંબલીયાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે રોશનની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. ભાઈને ડૂબતો જાેઈ બચાવવા જતાં બીજાે ભાઈ પણ પાણીમાં ગરકાવ બીજી ઘટના દહેગામ નરોડા હાઈવે પર રાયપુર નજીક બની હતી. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો નિખિલ જયંતિભાઈ વાઘેલા કોઈ કારણસર પરિવારથી રિસાઈને ઘરેથી નીકળી ગયો હતો અને રાયપુર પાસેની કેનાલમાં ઝંપલાવી દીધું હતું. તેને રોકવા અને બચાવવા પાછળ આવેલો તેનો ભાઈ પણ તેને બચાવવા કેનાલમાં પડ્યો હતો. નિખિલ વાઘેલાની લાશ શોધી કાઢી જ્યારે એકનો પત્તો લાગ્યો નથી જાેતજાેતામાં બંને ભાઈઓ આંખના પલકારે પાણીમાં અદ્રશ્ય થઈ ગયા હતા. આ મામલે ફાયર બ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી નિખિલ વાઘેલાની લાશ શોધી કાઢી છે, જ્યારે તેના ભાઈનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, માર્ચ 2026
2079 |
સુરત |
ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ૧૦ ઉમેદવારીપત્રો રદ
આગામી તા.૨૬મી એપ્રિલે યોજાનારી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્રની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૧૦ ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની કુલ ૭૨ બેઠકો માટે ૧૬૪ ઉમેદવારીપત્રો ભરાયા હતા. આજે સાંજે મેનેજિંગ કમિટીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી રહેલી ઇલેક્શન કમિટીની મિટીંગ યોજાઇ હતી. જેમાં દરેકે દરેક ઉમેદવારીપત્રની ચકાસણી કરવામાં આવી હતી. ઉમેદવારીપત્રની ચકાસણી દરમિયાન લાઇફ મેમ્બર કેટેગરીમાં કુલ ૮ ઉમેદવારોના ફોર્મ તેમજ ગોલ્ડ મેમ્બર કેટેગરીમાં એક અને ચીફ પેટ્રન કેટેગરીમાં એક એમ કુલ ૧૦ ઉમેદવારોના ઉમેદવારીપત્રોને જુદાજુદા ટેકનિકલ કારણોસર રિજેક્ટ કરવાનો ર્નિણય ચૂંટણી કમિટીએ લીધો હતો. જે ફોર્મ રદ થયા છે એમાં કેટલાક ઉમેદવારોને નિયમ મુજબ ચેમ્બર ઓફ કોમર્સમાં મેમ્બર બન્યાને બે વર્ષ પૂર્ણ થયા નથી આમ છતાં ઉમેદવારી કરી છે એ કારણોસર તો કેટલાક ફોર્મમાં ઉમેદવારો તેમજ તેમના ટેકેદારોએ સહીઓ ખોટી કરી હોવાથી તેમના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, માર્ચ 2026
1287 |
સુરત |
વિદેશી કરન્સીઓ સામે રૂપિયાનાં ધોવાણે ફોરેન સ્ટડી માટે જનારાઓનું બજેટ ખોરવી નાખ્યું
પશ્ચિમ એશિયામાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ભારતમાં ઉદ્યોગ, વેપાર, ધંધાને તો સમસ્યાઓ નડી રહી છે પરંતુ, સૌથી મોટો આર્થિક ફટકો વિદેશ અભ્યાસ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ તેમજ આ વર્ષે વિદેશ અભ્યાસ માટેની પ્રક્રિયા કરી રહેલા સેંકડો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની આર્થિક સ્થિતિને લાગ્યો છે. આજે બજાર બંધ થયું ત્યારે અમેરીકન ડોલર સામે રૂપિયો ૯૫.૨૨ની ઐતિહાસિક સ્તરની નીચલી સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો. છેલ્લા એક જ મહિનામાં અમેરીકન ડોલર સહિતની વિદેશી કરન્સીઓ સામે રૂપિયો તૂટતાં વિદેશ અભ્યાસ કરી રહેલા અને હવે પછી વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની ફીમાં તોતિંગ વધારો ચૂકવવાની નોબત આવી છે.ફોરેન સ્ટડી કન્સલ્ટન્સ પૂજા શાહ કહે છે કે આગામી સપ્ટેમ્બર ઇન્ટેકમાં વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની પ્રક્રિયા ગત ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. એ સમયે અમેરીકન ડોલર, કેનેડીયન ડોલર, યુરો કે ઓસ્ટ્રેલિયન ડોલર સ્ટેડી અને સ્ટેબલ હતા. એ સમયે વિદેશ જનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને જે એસ્ટીમેટ આપવામાં આવ્યા હતા એ હવે માર્ચ એન્ડમાં બદલાય ગયા છે. જેમને વાર્ષિક રૂ.૩૫ લાખનો અંદાજ આપ્યો હતો એ સીધા રૂ.૪૦ લાખ અને જેમને રૂ.૫૦ લાખનો એસ્ટીમેટ આપ્યો હતો તેમના સીધા રૂ.૫૬ લાખ જેટલો થઇ ગયા છે. અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી મુસિબતમાં આવી ગયા છે. અનેક વાલીઓની એજ્યુકેશન લોન અગાઉના એસ્ટીમેટ મુજબ મંજૂર થઇ ચૂકી છે હવે તેમણે વધારાની રકમ ઘરની બચતમાંથી કાઢીને આપવી પડે તેવી નોબત આવી ગઇ છે. એવી જ રીતે ગયા વર્ષે કેનેડા અભ્યાસ કરવા માટે ગયેલી વિદ્યાર્થિની ઝીલ પટેલના પિતા રાકેશ પટેલ કહે છે કે સપ્ટેમ્બર ૨૦૨૫માં દિકરી કેનેડા ગઇ હતી ત્યારે કેનેડીયન ડોલરનો ભાવ હતો રૂ.૫૮ પ્રતિ કેનેડીયન ડોલર. આજે ૩૦મી માર્ચે કેનેડીયન ડોલરનો ભાવ રૂ.૬૭.૯૫ છે. કેનેડામાં ૪ જ મહિનામાં સેમેસ્ટર બદલાય જાય છે અને બે સેમેસ્ટર ૮ મહિનામાં પૂરા થઇ જતા હવે ફી ભરવાની આવી છે. ગયા વર્ષે જે ફી હતી એ જ ભરવાની છે પરંતુ, હવે તેમાં મારે ૧૫ ટકા વધારે રકમ ભરવી પડશે કેમકે રૂપિયા સામે કેનેડીયન ડોલર વધી ગયો છે. વિદેશી કરન્સીઓ સામે રૂપિયાનાં ધોવાણે ફોરેન સ્ટડી માટે જનારાઓનું બજેટ ખોરવી નાખ્યું સુરત, તા.૩૦ પશ્ચિમ એશિયામાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ભારતમાં ઉદ્યોગ, વેપાર, ધંધાને તો સમસ્યાઓ નડી રહી છે પરંતુ, સૌથી મોટો આર્થિક ફટકો વિદેશ અભ્યાસ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ તેમજ આ વર્ષે વિદેશ અભ્યાસ માટેની પ્રક્રિયા કરી રહેલા સેંકડો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની આર્થિક સ્થિતિને લાગ્યો છે. આજે બજાર બંધ થયું ત્યારે અમેરીકન ડોલર સામે રૂપિયો ૯૫.૨૨ની ઐતિહાસિક સ્તરની નીચલી સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો. છેલ્લા એક જ મહિનામાં અમેરીકન ડોલર સહિતની વિદેશી કરન્સીઓ સામે રૂપિયો તૂટતાં વિદેશ અભ્યાસ કરી રહેલા અને હવે પછી વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની ફીમાં તોતિંગ વધારો ચૂકવવાની નોબત આવી છે. ફોરેન સ્ટડી કન્સલ્ટન્સ પૂજા શાહ કહે છે કે આગામી સપ્ટેમ્બર ઇન્ટેકમાં વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની પ્રક્રિયા ગત ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. એ સમયે અમેરીકન ડોલર, કેનેડીયન ડોલર, યુરો કે ઓસ્ટ્રેલિયન ડોલર સ્ટેડી અને સ્ટેબલ હતા. એ સમયે વિદેશ જનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને જે એસ્ટીમેટ આપવામાં આવ્યા હતા એ હવે માર્ચ એન્ડમાં બદલાય ગયા છે. જેમને વાર્ષિક રૂ.૩૫ લાખનો અંદાજ આપ્યો હતો એ સીધા રૂ.૪૦ લાખ અને જેમને રૂ.૫૦ લાખનો એસ્ટીમેટ આપ્યો હતો તેમના સીધા રૂ.૫૬ લાખ જેટલો થઇ ગયા છે. અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી મુસિબતમાં આવી ગયા છે. અનેક વાલીઓની એજ્યુકેશન લોન અગાઉના એસ્ટીમેટ મુજબ મંજૂર થઇ ચૂકી છે હવે તેમણે વધારાની રકમ ઘરની બચતમાંથી કાઢીને આપવી પડે તેવી નોબત આવી ગઇ છે. એવી જ રીતે ગયા વર્ષે કેનેડા અભ્યાસ કરવા માટે ગયેલી વિદ્યાર્થિની ઝીલ પટેલના પિતા રાકેશ પટેલ કહે છે કે સપ્ટેમ્બર ૨૦૨૫માં દિકરી કેનેડા ગઇ હતી ત્યારે કેનેડીયન ડોલરનો ભાવ હતો રૂ.૫૮ પ્રતિ કેનેડીયન ડોલર. આજે ૩૦મી માર્ચે કેનેડીયન ડોલરનો ભાવ રૂ.૬૭.૯૫ છે. કેનેડામાં ૪ જ મહિનામાં સેમેસ્ટર બદલાય જાય છે અને બે સેમેસ્ટર ૮ મહિનામાં પૂરા થઇ જતા હવે ફી ભરવાની આવી છે. ગયા વર્ષે જે ફી હતી એ જ ભરવાની છે પરંતુ, હવે તેમાં મારે ૧૫ ટકા વધારે રકમ ભરવી પડશે કેમકે રૂપિયા સામે કેનેડીયન ડોલર વધી ગયો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ધાર્મિક
30, માર્ચ 2026
891 |
સુરત |
વ્હોરા સમાજનાં ધર્મગુરુ સૈયદના દીદાર માટે સુરત સ્ટેશન પર ભીડ
દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરતમાં વસતા દાઉદી વ્હોરા સમાજના પુરૂષો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં સુરત રેલવે સ્ટેશન ખાતે રીઝર્વેશન સેન્ટર ખાતે સુરત જમાત દ્વારા દીદાર માટે આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેન નિર્ધારિત સમય કરતાં મોડી આવતા લોકોમાં ઉત્સુકતા જાેવા મળી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
30, માર્ચ 2026
2178 |
સુરત |
વેડરોડનાં યુવકને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનાં નકલી પીએસઆઇ પાસે NIAનું આઇકાર્ડ મળ્યું
વેડરોડના યુવકને ફિમેલ સર્વિસ પુરી પાડવાના નામે હનીટ્રેપમાં ફસાવી પાંચ લાખ રૂપિયા માંગનાર ટોળકીના સૂત્રધાર પાસેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પીએસાઇ તરીકેનો ફેક આઇકાર્ડ મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.મળતી માહિતી અનુસાર વેડરોડ ઉપર હરેકૃષ્ણ સોસાયટીમાં રહરેતો ૩૬ વર્ષીય આશિષ અરવિંદભાઇ ગાંગણીએ પેઇડ સેક્સ માટે પાર્ટનર શોધવા સુલેખાકોમ નામની વેબસાઇટ પર સર્ચ કર્યું હતું. જયાંથી સંપર્કમાં આવેલા રમેશ પાલે મોકલેલા લોકેશનના આધારે આશિષ ૨૮મી તારીખે સાંજે પાર્લે પોઇન્ટ સરગમ શોપિંગ સેન્ટર પાછળ સુર્યમંજરી એપાર્ટમેન્ટના ૨૦૩ નંબરના ફ્લેટમાં પહોંચ્યો હતો. અહીં તેણે રાજવી નામની મહિલાને ૧૦૦૦ રૂપિયા ચૂકવ્યા એટલે તેને એક યુવતી સાથે રૂમમાં મોકલાયો હતો. પ્રિન્સી નામ જણાવનાર યુવતી સાથે શરીર સુખ માણવા આશિષ રૂમમાં ગયો ત્યાં જ ત્રણ વ્યક્તિ અંદર ધસી આવી હતી. જેમાં એક જણાએ તેની ઓળખ પીએસઆઇ તરીકે આપી અને ગાંગાણીનો કોલર પકડી લાફા ઝીંકી દીધા હતાં. આ ત્રણ જણાએ આશિષને બળાત્કારનો કેસ કરી જેલમાં ધકેલી દેવા તથા મીડિયા બોલાવી બદનામ કરવાની ધમકી આપી હતી. બાદમાં આ ટોળકીએ આશિષ પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. બદમાશ ટોળકી આશિષ પાસે પૈસા કઢાવવા ધાકધમકી આપી રહી હતી ત્યારે જ માહિતી મળતાં ઉમરા પોલીસ ત્યાં ત્રાટકી હતી. આ કાંડમાં નકલી પીએસાઇ બનેલા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા (રહે, ડાયાપાર્ક સોસાયટી, માતાવાડી વરાછા), રાઈટર તરીકે ઓળખ આપનાર પિયુષ હસમુખભાઇ ગોસ્વામી (રહે, રોયલ પાર્ક સોસાયટી, યોગીચોક, પૂણાગામ) તથા કોન્સ્ટેબલ તરીકે ઓળખ આપનાર ખેતારામ હડમતારામ પરમાર (રહે, સ્તુતિ આઇકોન, પાલનપોર) અસલી પોલીસને જાેતા જ રેબઝેબ થઇ ગયા હતાં. આ ત્રણ ઉપરાંત પોલીસે રાજવી હિરેનભાઇ દેવગાણીયા (રહે, સર્જન પેલેસ, ભરીમાતા રોડ, ચોક બજાર) તેમજ શરીર સુખ માટે રૂમમાં લઇ જનાર પ્રાંજલી ઉર્ફે પ્રિન્સી આદિત્ય પ્રતાપસિંગ રાજપૂત (રહે, ઘર ૬૭ બાવનગાળા સારોલી સુરત)ની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આકાશ વાઘેલા પાસેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પીએસઆઇ તરીકેનું નકલી આઈડી કાર્ડ મળી આવ્યું છે. આ કાર્ડમાં આશિષનો ફોટો અને નામ યુવરાજસિંહ જાડેજા લખવામાં આવ્યું હતું. કાર્ડની ઇશ્યુ ડેટ ૧૪ માર્ચ,૨૦૧૮ અને જન્મ તારીખ ૧૦ જાન્યુઆરી,૧૯૯૨ લખેલી છે. હનીટ્રેપમાં ફસાવાયેલા યુવકોને આ કાર્ડ બતાવી કેસની ધમકી અપાતી હતી. હનીટ્રેપમાં ફસાયેલા ચારેય સામે અગાઉ જુદા જુદા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પિયુષ ગૌસ્વામી તો અમદાવાદના નરોડા પોલીસ મથકમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનામાં વોન્ટેડ નીકળ્યો હતો. આશિષ વાઘેલાએ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી ડુપ્લીકેટ આઈકાર્ડ ક્યાંથી તથા કોની પાસે બનાવડાવ્યું હતું તેમજ આ ડુપ્લીકેટ કાર્ડનો તેને ક્યાં ક્યાં ઉપયોગ કર્યો તેની તપાસ માટે પોલીસે એક દિવસનાં રિમાન્ડ મેળવ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
30, માર્ચ 2026
792 |
સુરત |
ફ્રૂટની લારી ચલાવતાં યુવકનાં દુષ્કર્મનાં પગલે ગર્ભવતી બનેલી તરૂણીએ બાળકને જન્મ આપ્યો
૧૫ વર્ષની કિશોરીને પ્રેમની વાતો બહેકાવી, ફોસલાવી ફરવાના બહાને બહાર લઇ ગયા બાદ નશીલો પદાર્થ પીવડાવી દુષ્કર્મ કરાયું હતું. જાતીય શોષણના કારણે કિશોરી ગર્ભવતી બની ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો હતો. એ સમયે યુવકે લગ્ન કરવાની વાતે મામલો થાળે પાડી દેનારા યુવક બાદમાં ફરાર થઇ જતાં બાળકની માતા બનેલી તરૂણી તરફથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.અડાજણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતાં ઉત્તર ભારતીય પરિવારની તરૂણી ઝલક (નામ બદલ્યું છે) કટલરી સ્ટોરમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતી હતી. વર્ષ ૨૦૨૫ના જુન-જુલાઈ મહિનામાં ઝલકને કટલરી સ્ટોર પાસે ફ્રૂટની લારી ચલાવતાં અર્પિત ગુપ્તા સાથે મુલાકાત થઇ હતી. આ મુલાકાત બાદ પરિચય થયો અને ધીરે ધીરે પ્રેમમાં પરિણમ્યો હતો. અર્પિતની પ્રેમ અને લગ્નની વાતોમાં આવી ઝલકે તેની સાથે સંબંધ વધાર્યા હતાં. ઝલકને વિશ્વાસમાં લીધા બાદ અર્પિત તેણીને બહાર ફરવા લઇ જવા માંડ્યો હતો. દરમિયાન એક રાત્રે તે ઝલકને પાલનપોર કેનાલ રોડ લઇ ગયો હતો. જ્યાં વાતો કરવા દરમિયાન અર્પિતે તેણીને ઠંડુ પીણું પીવડાવ્યું હતું. પીણું પીધાના થોડા સમયમાં જ ઝલક હોશકોશ ગુમાવી બેઠી હતી. અર્ધબેભાન જેવી અવસ્થામાં અર્પિતે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અર્પિત અવાર નવાર આવું કરવા માંડ્યો હતો. ક્યારેક બહેલાવી, ફોસલાવીને તો ક્યારેક ડરાવી-ધમકાવી બાંધવામાં આવેલા શરીર સંબંધના પગલે ઝલક ગર્ભવતી બની ગઇ હતી. તેણીએ આ અંગે અર્પિતને વાત કરી તે તેણે આ વાત કોઇને કરી તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી. ગભરાઇ ગયેલી ઝલકે મોઢું બંધ રાખ્યું હતું. જાે કે, થોડા સમયમાં જ ગર્ભાવસ્થા અનુસારના શારીરિક બદલાવો સાથે તેણીને તકલીફ થવા માંડી હતી. જેથી વાત પરિવારના ધ્યાને આવી ગઇ હતી. એ સમયે ઉદભવેલી સ્થિતિમાં અર્પિતે લગ્નના વાયદા કરી સમય પસાર કર્યે રાખ્યો હતો. તરૂણીને પ્રસૂતીનો સમય આવ્યો ત્યારે લગ્નની ના પાડી તે ફરાર થઇ ગયો હતો. આવી સ્થિતિમાં ત્રણ દિવસ પહેલા ઝલકે બાળકને જન્મ આપ્યો છે. સગીર વયે માતા બનેલી દીકરીની સ્થિતિ જાેઈ માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસે મામલાની ગંભીરતા ધ્યાને રાખી તુરંત તપાસ હાથ ધરતાં અર્પિત ગુપ્તાને ઝડપી પણ પાડ્યો હતો.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...