ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 2376   |  
૧૫૦૦ રૂપિયા બાબતે મિત્ર સાથે કરેલી માથાકૂટ બાબતે ચપ્પુનાં ઘા મારી કિશોરની ઘાતકી હત્યા

પૈસા બાબતે મિત્ર સાથે માથાકૂટ કરનારને સમજાવવા તેના ઘરે ગયેલા કિશોરને છાતીમાં ચપ્પુનો ઘા ઝીંકી હત્યા કરાયાનો બનાવ પાંડેસરામાં બન્યો હતો.  પોલીસ પાસે મળતી માહિતી અનુસાર હરિઓમનગરમાં સંતોષ રામગોપાલ ગુપ્તા તેના પરિવાર સાથે રહે છે. મધ્યપ્રદેશનાં રિવા જિલ્લાનો વતની સંતોષ દેવકીનંદન સ્કુલ પાસે નાસ્તાની લારી ચલાવે છે. તેમને સંતાનમાં બે દિકરા અને બે દીકરી છે. ત્રણ નંબરનો દિકરો દેવા ગુપ્તા પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલી બી. જી. મિશ્રા સ્કુલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. ૨૦મી તારીખે સાંજે સાડા ચારેક વાગ્યાનાં અરસામાં દેવાનો મિત્ર સાહિલ પત્રકાર કોલોની પાસે શેરડીનો રસ પીતા હતા. એ સમયે હેપ્પીનો પરિચિત આદર્શ ઉર્ફે બટકો ત્યાં આવ્યો હતો. તેણે મને તને તેરેનામ ચોકડી પર છોડી દો એમ રહેતા હેપ્પીએ હા પાડી હતી. એ સમયે હેપ્પીના મોટર સાયકલ આદર્શે હંકારી અને અને તેઓને ડિ માર્ટની સામે આવેલા નાકોડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે લઈ ગયો હતો. જ્યાં આદર્શના અન્ય મિત્રો પણ હાજર હતાં.ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આદર્શે તેના મિત્રોને કહ્યું હતું કે આ હેપ્પી મારા પૈસા આપતો નથી, જેથી તેના મિત્રો હેપ્પીને પૈસા પરત કરવા કહી ધાક ધમકી આપવા માંડ્યા હતાં. દરમિયાન આદર્શે મોટર સાયકલની ચાવી લઇ લીધી હતી. લાંબી માથાકૂટ બાદ આદર્શે ચાવી પરત કરતાં હેપ્પી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં રાત્રે સાડા દસેક વાગ્યાનાં અરસામાં હેપ્પી, દેવા અને અરવિંદ હાઉસિંગમાં આવેલી વિધાયક નામની ચાની દુકાન પર બેઠા હતાં. એ સમયે હેપ્પીએ દેવાને બપોરે આદર્શ સાથે થયેલી માથાકૂટની વાત કરી હતી. આ સાંભળી દેવાએ આપણે આદર્શના ઘરે જઈ તેના માતા પિતાને જાણ કરીએ એમ કહ્યું અને પછી ત્રણેય જણા આદર્શના ઘરે ગયા હતાં. ઘરે ટેરેસ પર સૂતેલા આદર્શ અને તેની માતાને આ મિત્રોએ જગાડ્યા હતાં. તેઓને નીચે લાવી હેપ્પીએ તેની સાથે બનેલા બનાવ બનાવ અંગે માતાને વાત કરવા માંડી હતી. આ દરમિયાન આદર્શ બટકો ગુસ્સે ભરાયો અને ગાળા ગાળી કરવા માંડ્યો હતો. હેપ્પી અને દેવાએ લડાઈ ઝઘડો નહીં કરી શાંતિથી વાત કરવા કહ્યું હતું.જાે કે, આદર્શે હેપ્પી અને દેવાને ઢીકમુક્કીનો માર મારવા માંડ્યો તો તેની માતાએ વચ્ચે પડી છોડાવ્યા હતાં. એવામાં આદર્શ ઘરમાં દોડી ગયો અને ચપ્પુ જેનું તિક્ષ્ણ હથિયાર લાવી દેવાને છાતીના ભાગે ઘા મારી દીધો હતો. દેવો લોહીલુહાણ થઇ જતાં આદર્શ અને તેની માતા ઘરમાં જતાં રહ્યા અને દરવાજાે બંધ કરી દીધો હતો. જ્યારે હેપ્પી અને અરવિંદ મોટર સાયકલ પર બેસાડી દેવા ને સિવિલ લઇ ગયા હતાં. જ્યાં તબીબોએ ગંભીર અવસ્થામાં તેની સારવાર શરૂ કરી હતી. દરમિયાન હુમલાની જાણ થતાં દેવાના માતા-પિતા સિવિલ દોડી આવ્યા હતાં. તેઓ તેને વધું સારવાર માટે યુનિક હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 1782   |  
રાજકોટમાં સગીરા પર ગેંગરેપના કેસમાં બે સગીર સહિત પાંચ આરોપી ઝડપાયા

રાજકોટમાં રહેતી એક ૧૪ વર્ષની સગીરા સાથે થયેલ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે તેની સગીર વયની સહેલી અને એક સગીર આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર ત્રણ શખસોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ એસીપી વી.બી. જાડેજાના જણાવ્યા અનુસાર સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધી એક સગીર, તેમજ ફરિયાદીની સગીર વયની સહેલી ઉપરાંત અન્ય ત્રણ આરોપી મિહિર કુગશીયા, ધવલ રાઠોડ, અને સાહિલ ઉર્ફે ઝેરીની ધરપકડ કરી બાકીના ફરાર ૩ આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા તપાસના કામે આરોપીઓ દ્વારા જે કારમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે સ્વીફ્ટ કાર પણ કબજે કરવામાં આવી છે. પકડાયેલ આરોપી પૈકી ધવલ રાઠોડ ટ્રાફિક શાખામાં વોર્ડન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે મિહિર કુગશીયા અગાઉ ૬ વખત નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. આ વખતે પણ આરોપીએ બસપોર્ટ નજીક સગીરાને હોટલમાં લઈ જઈ પોતાની ઓળખ પોલીસ તરીકે જ આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 1881   |  
ઈંધણ સાથે હવે ખાદ્યતેલના પણ ભાવ વધ્યાં, ડબ્બે ૧૦ રૂપિયાનો વધારો

જનતા પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. વાસ્તવમાં મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડતી અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્યતેલોના ભાવમાં પણ સતત વધારો જાેવા મળી રહ્યો છે. રાજકોટના તેલ બજારમાં આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે, જેના કારણે ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે. બજારના વેપારીઓના જણાવ્યા મુજબ, સિંગતેલના ડબ્બામાં આજે વધુ રૂ.૧૦નો વધારો થતાં ભાવ રૂ.૨૮૦૦ સુધી પહોંચી ગયો છે. સાથે જ અન્ય ખાદ્યતેલોમાં પણ તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. કપાસિયા તેલનો ડબ્બો રૂ.૨૬૬૦ સુધી પહોંચી ગયો છે, જ્યારે પામોલીન તેલમાં પણ સતત વધારો ચાલુ રહેતાં તેના ભાવ રૂ.૨૪૧૫ની આસપાસ પહોંચ્યા છે. આ તરફ વેપારીઓનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતા અને સપ્લાયમાં આવેલી અડચણો આ ભાવવધારા માટે મુખ્ય કારણ બની રહી છે. ખાસ કરીને યુધ્ધ વિસ્તારમાં વધેલા તણાવ અને દરિયાઈ માર્ગોમાં આવેલી મુશ્કેલીઓના કારણે આયાતી માલની અવરજવર પ્રભાવિત થઈ રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 1683   |  
વેરાવળમાં ધોળા દિવસે જાહેરમાં માથામાં ગોળી મારી યુવકની હત્યા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આવેલી સ્કૂલ પાસે મૌલાના સહિત ચાર લોકોએ તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી મારી હત્યા કરાઇ હતી.તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની ઉર્ફે જાવેદ વાંદરી અને તેમના ભત્રીજાને આજે બપોરે સોમનાથ ટોકીઝ નજીક ગોળી મારવામાં આવી હતી. આ હુમલો કરીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલામાં માથામાં ગોળી વાગતા જાવેદ તાજવાની લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા જ્યારે સાથી ભત્રીજાે પણ ઈજાગ્રસ્ત થયો છે.ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તાજવાનીને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને જાેતા વધુ સારવાર અર્થે જુનાગઢ ખાતે રિફર કરાયા હતા જ્યાં મોડી રાત્રે જાવેદ તાજવાનીનું મોત નીપજ્યું હતું. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, ત્યાંથી એક મોપેડ અને એક બાઈક મળી આવ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 2178   |  
ડીઝલની અછત: ખાનગી બસોના રૂટમાં ધરખમ ઘટાડો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઘર્ષણની સ્થિતિની ગુજરાતને અસર પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ડીઝલની અછત વર્તાઈ રહી છે. ગઈકાલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા ઉપમુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. જાે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન થાય તો રાજ્યમાં ૧૨ લાખ ટ્રકોના પૈડાં થંભી જશે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં ખાનગી બસ ઓપરેટરો (ટ્રાવેલ્સ)ને પણ હાલત ખરાબ થતી જાેવા મળી રહી છે. ડીઝલની અછતના કરને રાજ્યના અનેક ખાનગી બસ સંચાલકો દ્વારા બસોના રૂટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જેના કારણે સૌરાષ્ટ્રના અનેક ખાનગી બસ ઓપરેટરો દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા રૂટો પર બસોની સંખ્યામાં ઘટાડો કરી દેવાયો છે. અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ અને વૈશ્વિક સંકટની સ્થિતિને જાેતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલમાં અછત વર્તાઈ રહી છે જેના કારણે રાજ્યના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યના ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે, હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ કફોડી બની છે. હાઈવેના મોટાભાગના પેટ્રોલપંપો જાણે બંધ અવસ્થામાં છે જ્યાં પાટિયા લાગ્યાં છેકે, ડીઝલનો જથ્થો નથી. ડીઝલ માટે ટ્રકચાલકોને આમથી તેમ ભટકવું પડે છે. મહત્ત્વની વાત તો એ છે કે, પેટ્રોલ પંપો પર મર્યાદિત લિટર જ ડીઝલ આપવામાં આવે છે જેથી દૂરના અંતરમાં જતાં ટ્રકચાલકો અટવાઈ જાય તેવી સ્થિતિ પરિણમી છે. ડીઝલ વિના માલસામાનની હેરફેર કરતા ટ્રકચાલકો અટવાઈ પડયા છે. અપૂરતા ડીઝલને લીધે માલસામાનની સમયસર ડિલિવરી પણ થઇ શકતી નથી પરિણામે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વ્યાપક અસર પહોંચી છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી સ્થિતિ થઈ છે. ત્યારે રાજ્યના અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા ગઈકાલે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, એક તરફ મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ડીઝલની અછતને પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગે તેવી સ્થિતિમાં મુકાઈ ગયો છે. જાે આ પરિસ્થિતિ યથાવત્ રહી તો, ગુજરાતમાં ૧૨ લાખ ટ્રકોના પૈડા થંભી જશે તેવી સ્થિતિનું નિર્માણ થાય તે દૂર નથી. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ થશે તો લાખો લોકોની રોજીરોટી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ટ્રકોની અવરજવર અટકશે તો શાકભાજીથી માંડીને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચે તેમ છે. આ જાેતાં ઈધણની અછત દૂર કરવા અને મંદીમાં રહેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવા માટે તાકીદે રજૂઆત કરવામાં આવી છે.કચ્છ સહિત હાઈવે પર ટ્રકોની લાંબી કતારો રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત ગંભીર બની રહી છે જેના કારણે કચ્છ સહિત વિવિધ હાઈવે પર ટ્રકોની લાંબી કતારો જાેવા મળી રહી છે અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ રહી છે. ટ્રાન્સપોર્ટ સંગઠનોનું કહેવું છે કે ટ્રક ચાલકોને કલાકો સુધી ઈંધણ માટે રાહ જાેવી પડે છે, જેના કારણે માલ પરિવહન અને વેપાર-ઉદ્યોગ પર સીધી અસર થઈ રહી છે.અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનના અધ્યક્ષ વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે હાલની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પુરવઠા મંત્રીનું ધ્યાન દોરાયું છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત વધુ ગંભીર છે. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં સરકાર સમક્ષ સત્તાવાર રજૂઆત કરીને તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવશે.કચ્છ સહિત રાજ્યના ટ્રાન્સપોર્ટ સંગઠનોની ગાંધીધામ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ર્નિણય લેવાયો કે જાે ટૂંક સમયમાં ડીઝલ સપ્લાય સામાન્ય નહીં બને તો ૧ જૂન, ૨૦૨૬થી તમામ ટ્રાન્સપોર્ટ વાહનો અને મશીનરી સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે. સ ઓઈલ કંપનીઓ અને વહીવટી તંત્ર સાથે તાત્કાલિક બેઠક કરવાની પણ માંગ ઉઠી છે.ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ હરીશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે કલેક્ટરને રજૂઆત બાદ અમને ૨ દિવસમાં જવાબ આપવાની ખાતરી આપવામાં આવી છે. કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરીને ઉકેલ લાવવાની વાત થઈ છે. હાલ અમને માત્ર ૫૦ લિટર ડીઝલ આપવામાં આવે છે, જ્યારે ઓછામાં ઓછું ૨૦૦ લિટર મળવું જાેઈએ. અડધો દિવસ તો ડીઝલ માટેની લાઈનમાં જ નીકળી જાય છે અને લાઈનમાં ઊભા રહીએ ત્યારે પણ ડીઝલ બળી જાય છે.તેમણે વધુમાં જણાવ્યું કે હાલ ૫૦ ટકા ગાડીઓ બંધ જેવી સ્થિતિમાં છે. પહેલા એક દિવસમાં બે ટ્રિપ થતી હતી, હવે બે દિવસમાં એક ટ્રિપ પણ થઈ શકતી નથી. ડ્રાઈવરો પણ કંટાળી રહ્યા છે. જાે સ્થિતિ નહીં સુધરે તો સમગ્ર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઠપ થઈ જશે.ડીઝલની અછતને કારણે કચ્છના પોર્ટ વિસ્તારમાં પણ ચિંતા વધી રહી છે. ટ્રાન્સપોર્ટ સંગઠનોએ ચેતવણી આપી છે કે જાે ટૂંક સમયમાં ડીઝલ પુરવઠો સામાન્ય નહીં બને તો કચ્છ જિલ્લાના તમામ પોર્ટ પર ટ્રક મારફતે થતું લોડિંગ અને અનલોડિંગ કાર્ય બંધ કરી દેવામાં આવશે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેના કારણે માલવાહક વાહનોના સંચાલન પર ગંભીર અસર થઈ રહી છે.ડીઝલની અછત ઉપરાંત ટ્રાન્સપોર્ટરોમાં ઓનલાઈન ચલણની વધતી સંખ્યા, ગાંધીધામમાં યોજાયેલી બેઠકમાં આ તમામ મુદ્દાઓને લઈને આગામી આંદોલનની રણનીતિ અંગે ચર્ચા થઈ.અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી બળવંતસિંહ ચૌધરીએ જણાવ્યું કે છેલ્લા બે દિવસથી ડીઝલની ભારે અછત છે.સરકારના ઇંધણની અછત નહીંના દાવા સામે સવાલ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પૂરતો જથ્થો હોવાનો ભલે દાવો કરવામાં આવે પણ ગુજરાતમાં ડિઝલની અછતની સમસ્યા વધુને વધુ વકરી રહી છે જેના લીધે ટ્રાન્સપોર્ટરોને મોટા આર્થિક નુકસાન થાય તેવી ભીતિ છે.રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. સાથે સાથે ડીઝલની સર્જાયેલી અછતને કારણે વાહન વ્યવહાર પર અસર જાેવા મળી રહી છે. ખાનગી બસોની સેવાઓ ખોરંભે પડી રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ન મળવાથી રાજ્યના ખાનગી બસ સંચાલકો (ટ્રાવેલ્સ ઓપરેટરો)ની બસ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. આ સ્થિતિના કારણે અનેક ખાનગી બસ સંચાલકો (ટ્રાવેલ્સ ઓપરેટરો) એ બસોના રૂટ ઘટાડી દીધાં છે. એવી માહિતી પણ સામે આવી છે કે, ખાનગી બસોના સંચાલનમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ખાનગી બસ સંચાલકોનું કહેવું છે કે, ડીઝલના અપૂરતા જથ્થા અને પુરવઠામાં અનિયમિતતાને લીધે ખાનગી લક્ઝરી બસો દોડાવવી ઘણી મુશ્કેલ બની રહી છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 6237   |  
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.  સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ.   ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે.  PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો.   અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 5247   |  
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ

વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે.    સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, મે 2026 6930   |  
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 5247   |  
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 8118   |  
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે. 


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 2376   |  
૧૫૦૦ રૂપિયા બાબતે મિત્ર સાથે કરેલી માથાકૂટ બાબતે ચપ્પુનાં ઘા મારી કિશોરની ઘાતકી હત્યા

પૈસા બાબતે મિત્ર સાથે માથાકૂટ કરનારને સમજાવવા તેના ઘરે ગયેલા કિશોરને છાતીમાં ચપ્પુનો ઘા ઝીંકી હત્યા કરાયાનો બનાવ પાંડેસરામાં બન્યો હતો.  પોલીસ પાસે મળતી માહિતી અનુસાર હરિઓમનગરમાં સંતોષ રામગોપાલ ગુપ્તા તેના પરિવાર સાથે રહે છે. મધ્યપ્રદેશનાં રિવા જિલ્લાનો વતની સંતોષ દેવકીનંદન સ્કુલ પાસે નાસ્તાની લારી ચલાવે છે. તેમને સંતાનમાં બે દિકરા અને બે દીકરી છે. ત્રણ નંબરનો દિકરો દેવા ગુપ્તા પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલી બી. જી. મિશ્રા સ્કુલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. ૨૦મી તારીખે સાંજે સાડા ચારેક વાગ્યાનાં અરસામાં દેવાનો મિત્ર સાહિલ પત્રકાર કોલોની પાસે શેરડીનો રસ પીતા હતા. એ સમયે હેપ્પીનો પરિચિત આદર્શ ઉર્ફે બટકો ત્યાં આવ્યો હતો. તેણે મને તને તેરેનામ ચોકડી પર છોડી દો એમ રહેતા હેપ્પીએ હા પાડી હતી. એ સમયે હેપ્પીના મોટર સાયકલ આદર્શે હંકારી અને અને તેઓને ડિ માર્ટની સામે આવેલા નાકોડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે લઈ ગયો હતો. જ્યાં આદર્શના અન્ય મિત્રો પણ હાજર હતાં.ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આદર્શે તેના મિત્રોને કહ્યું હતું કે આ હેપ્પી મારા પૈસા આપતો નથી, જેથી તેના મિત્રો હેપ્પીને પૈસા પરત કરવા કહી ધાક ધમકી આપવા માંડ્યા હતાં. દરમિયાન આદર્શે મોટર સાયકલની ચાવી લઇ લીધી હતી. લાંબી માથાકૂટ બાદ આદર્શે ચાવી પરત કરતાં હેપ્પી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં રાત્રે સાડા દસેક વાગ્યાનાં અરસામાં હેપ્પી, દેવા અને અરવિંદ હાઉસિંગમાં આવેલી વિધાયક નામની ચાની દુકાન પર બેઠા હતાં. એ સમયે હેપ્પીએ દેવાને બપોરે આદર્શ સાથે થયેલી માથાકૂટની વાત કરી હતી. આ સાંભળી દેવાએ આપણે આદર્શના ઘરે જઈ તેના માતા પિતાને જાણ કરીએ એમ કહ્યું અને પછી ત્રણેય જણા આદર્શના ઘરે ગયા હતાં. ઘરે ટેરેસ પર સૂતેલા આદર્શ અને તેની માતાને આ મિત્રોએ જગાડ્યા હતાં. તેઓને નીચે લાવી હેપ્પીએ તેની સાથે બનેલા બનાવ બનાવ અંગે માતાને વાત કરવા માંડી હતી. આ દરમિયાન આદર્શ બટકો ગુસ્સે ભરાયો અને ગાળા ગાળી કરવા માંડ્યો હતો. હેપ્પી અને દેવાએ લડાઈ ઝઘડો નહીં કરી શાંતિથી વાત કરવા કહ્યું હતું.જાે કે, આદર્શે હેપ્પી અને દેવાને ઢીકમુક્કીનો માર મારવા માંડ્યો તો તેની માતાએ વચ્ચે પડી છોડાવ્યા હતાં. એવામાં આદર્શ ઘરમાં દોડી ગયો અને ચપ્પુ જેનું તિક્ષ્ણ હથિયાર લાવી દેવાને છાતીના ભાગે ઘા મારી દીધો હતો. દેવો લોહીલુહાણ થઇ જતાં આદર્શ અને તેની માતા ઘરમાં જતાં રહ્યા અને દરવાજાે બંધ કરી દીધો હતો. જ્યારે હેપ્પી અને અરવિંદ મોટર સાયકલ પર બેસાડી દેવા ને સિવિલ લઇ ગયા હતાં. જ્યાં તબીબોએ ગંભીર અવસ્થામાં તેની સારવાર શરૂ કરી હતી. દરમિયાન હુમલાની જાણ થતાં દેવાના માતા-પિતા સિવિલ દોડી આવ્યા હતાં. તેઓ તેને વધું સારવાર માટે યુનિક હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 1782   |  
નિકોલમાં ડિલિવરી બોયને સાતમા માળે મોકલી રિક્ષામાંથી ૯ ગેસ સિલિન્ડરની ચોરી

શહેરના નિકોલ વિસ્તારમાં એક ગેસ ડિલિવરી કરવાવાળા યુવક સાથે મોડી રાત્રે વિચિત્ર રીતે ઠગાઈ અને ચોરીનો મામલો સામે આવ્યો છે. મદદ માંગવાના બહાને એક અજાણ્યો શખ્સ યુવકને બિલ્ડિંગના સાતમા માળે મોકલી દીધો અને નીચે પાર્ક કરેલી રિક્ષામાંથી ૮,૦૦૦ રૂપિયાથી વધુની કિંમતના ૯ ડોમેસ્ટિક ન્ઁય્ ગેસ સિલિન્ડર ચોરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ઓઢવના રહેવાસી ૨૩ વર્ષીય ભરત પરમારે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કઠવાડા નજીક આવેલી એક ગેસ એજન્સીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો ભરત ૧૮ મેની રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યે કૃષ્ણનગરના સીતારામ ચોક પાસે પોતાની લોડિંગ રિક્ષાનું પંચર કરાવી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યો માણસ તેમની પાસે આવ્યો અને જણાવ્યું કે, તેને રસોઈ બનાવવા માટે તાત્કાલિક ગેસ સિલિન્ડરની જરૂર છે અને તે બીજા દિવસે સિલિન્ડર પરત કરી દેશે. ભરતે વ્યક્તિ પર વિશ્વાસ કરી લીધો અને તેને પોતાની રિક્ષામાં બેસાડી દીધો.બંને રાત્રે બાર વાગ્યાની આસપાસ નિકોલના અટલ એપાર્ટમેન્ટ પહોંચ્યા અને બ્લોક નંબર ૧૩ નીચે રિક્ષા પાર્ક કરી. અજાણ્યા શખ્સે ભરતને કહ્યું કે, તેનો ફ્લેટ સાતમા માળે છે અને તે લોક છે, તેથી તે નીચેથી ચાવી લઈને આવે છે ત્યાં સુધી તેઓ સાતમા માળે જઈને ઊભો રહે. ભરત સાતમા માળે ગયો અને આશરે ૧૫ થી ૨૦ મિનિટ સુધી ચાવીની રાહ જાેઈ. પરંતુ જ્યારે કોઈ ન આવ્યું ત્યારે તેઓ નીચે પરત ફર્યો. નીચે આવીને જાેયું તો રિક્ષામાંથી ભારત ગેસના ૯ સિલિન્ડર ગાયબ હતા અને પેલો અજાણ્યો માણસ પણ ત્યાં નહોતો.ભરતને સમજતા વાર ન લાગી કે, તે ઠગાઈનો ભોગ બન્યો છે. ચોરાયેલા ૯ સિલિન્ડરમાંથી પ્રત્યેકની કિંમત ૯૨૦ રૂપિયા હતી, જે મુજબ કુલ ૮,૨૮૦ રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ભરતે સિલિન્ડરના અસલી બિલ સાથે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 2475   |  
કાલુપુરની આગંડિયા પેઢીમાંથી ચોરી કરેલા ૮૦ લાખના દાગીના વેચવા આવેલા બે ઝડપાયાં

શહેરના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક જાણીતી આંગળિયા પેઢીમાં મોટી ચોરીની ઘટના સામે આવી હતી. રતનપોળ સ્થિત પેઢીમાં કામ કરતો એક કર્મચારી ભુજ ખાતે ડિલિવરી આપવા માટે સોંપાયેલા સોના, ચાંદી અને ડાયમંડના કરોડોના કિંમતી દાગીના લઈને રસ્તામાંથી જ ફરાર થઈ ગયો હતો. આ મામલે ઝોન-૩ એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને મુદ્દામાલ સગેવગે કરવા આવેલા બે સાગરીતોને ૮૦ લાખ રૂપિયાના દાગીના સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. રતનપોળની આંગળિયા પેઢીમાં કામ કરતા જીગરસિંહ વિહોલ નામના કર્મચારીને ગત છઠ્ઠી મેના રોજ સોના, ચાંદી અને ડાયમંડના કિંમતી દાગીનાની ભુજ ખાતે સેફ ડિલિવરી કરવાની જવાબદારી સોંપાઈ હતી. જાેકે, જીગર નિયત સ્થળે પહોંચ્યો જ નહોતો અને રસ્તામાંથી જ કિંમતી દાગીના લઈને ગાયબ થઈ ગયો હતો. કર્મચારીનો કોઈ પતો ન લાગતાં આખરે આંગળિયા પેઢીના સંચાલકોએ ગત ૧૧મી મેના રોજ કાલુપુર પોલીસ મથકે ચોરીની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.ડી ડિવિઝનના એસીપી જીતેન્દ્ર ચૌધરીના જણાવ્યાનુસાર, પકડાયેલા આરોપીઓ અગાઉ સિંગાપોર રહી ચૂક્યા છે. હાલ તેઓ બેરોજગાર હોવાથી મોજશોખ કરવા અને ફરી વિદેશ પ્રવાસ માટે મોટી રકમ ભેગી કરવા ઝડપી પૈસા કમાવવાનો આ શોર્ટકટ અપનાવ્યો હતો.આ ચોરીનું સંપૂર્ણ પ્લાનિંગ મુખ્ય આરોપી જીગરસિંહ અને તેને સાત દિવસ પહેલા જ આંગળિયા પેઢીમાં નોકરી પર રખાવનાર ગુનાઈત ઈતિહાસ ધરાવતા વિપુલ ઠાકોરે કર્યું હતું. યોજના મુજબ, જીગર પેઢીમાંથી કરોડોનો સામાન સેરવીને સીધો સુરેન્દ્રનગર પહોંચ્યો હતો, જ્યાં તેણે પોતાના સાથીદાર અજય અને દીપક રાવળ સાથે મુલાકાત કરી હતી. અજય અને દીપકને આ ચોરીના દાગીના વેચીને રોકડા રૂપિયા કરવાની જવાબદારી સોંપાઈ હતી. નવાઈની વાત એ છે કે, તેઓ આ ચોરીનો માલ વેચવા માટે ફરી રતનપોળની જ એક જ્વેલર્સની દુકાને આવ્યા હતા.આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક છટકું ગોઠવ્યું હતું અને વોચ રાખીને અજયજી મથુરજી ઠાકોર તથા દીપકભાઈ રાવળને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલો અંદાજે ૮૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે. જાેકે, આ કેસના મુખ્ય સૂત્રધાર એવા આંગળિયા પેઢીના કર્મચારી જીગરસિંહ વિહોલ અને વિપુલ ઠાકોર હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડી પાડવા માટે કાલુપુર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 1683   |  
આત્મરક્ષણ શીખવવાના બહાને વિશ્વાસઘાતી શિક્ષક પ્રત્યે નરમ વલણ દાખવી શકાય નહીં : કોર્ટ

 શહેરના રામોલ વિસ્તારમાં આવેલી એકલવ્ય વિદ્યા વિહાર સ્કૂલમાં માસૂમ વિદ્યાર્થિનીઓનું માનસિક શોષણ કરવાના ચકચારી કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ પોક્સો જજ અસ્મિકાબેન ભૂપેન્દ્રકુમાર ભટ્ટે પદ અને સત્તાનો દુરુપયોગ કરનાર ૨૦ વર્ષીય કરાટે ટીચર ચક્રેશ ઉર્ફે આર્યા દુબેને ગુનેગાર ઠરાવીને ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫ હજારના દંડની સજા ફટકારી છે. અદાલતે દંડની રકમમાંથી રૂ. ૨૪ હજાર તમામ પીડિત બાળકીઓ વચ્ચે વળતર પેટે સરખે ભાગે વહેંચવાનો આદેશ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, આત્મરક્ષણ શીખવવાના બહાને પવિત્ર વિશ્વાસનો ભંગ કરનાર શિક્ષક પ્રત્યે નરમ વલણ દાખવી શકાય નહીં. નવેમ્બર ૨૦૨૩માં દિવાળીના તહેવારો પહેલાં રામોલની એકલવ્ય સ્કૂલમાં આરોપી ચક્રેશ દુબે વિદ્યાર્થિનીઓને કરાટે ક્લાસના બહાને સ્કૂલના બેઝમેન્ટમાં લઈ જતો હતો. ત્યાં કરાટેની ટ્રેનિંગ આપવાને બદલે તે પોતાના મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલુ કરીને અથવા ગેલેરીમાંથી માસૂમ બાળાઓને અત્યંત અશ્લીલ અને આપત્તિજનક પોર્નોગ્રાફિક વીડિયો તથા ફોટા બતાવતો હતો. આટલું જ નહીં, નરાધમ શિક્ષક બાળકીઓને ધમકી આપતો હતો કે જાે આ વાત તેઓ કોઈને પણ અથવા ઘરે માતા-પિતાને કહેશે, તો તેમને કરાટે ક્લાસમાંથી કાઢી મૂકશે અને સ્કૂલમાંથી પણ કઢાવી મૂકવામાં આવશે.આ માનસિક ત્રાસ અને ભયના ઓથાર હેઠળ જીવતી ધો.૫માં ભણતી કેટલીક વિદ્યાર્થિનીઓએ અપ્રતિમ હિંમત દાખવી હતી. બાળકીઓએ આ અંગે તેમના ક્લાસ ટીચર ઉષાબેન શર્માને સમગ્ર આપવીતી કહી સંભળાવી હતી. શિક્ષિકાએ તુરંત સ્કૂલ મેનેજમેન્ટને જાણ કરી અને મામલો વાલીઓ સુધી પહોંચ્યો હતો. ૮ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ઉશ્કેરાયેલા વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલે દોડી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ પીડિતાની માતાની ફરિયાદના આધારે રામોલ પોલીસે ગુનો નોંધી નરાધમ શિક્ષકની ધરપકડ કરી હતી. અદાલતમાં કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ કે.જી. જૈને રજૂઆતો કરી હતી. સરકારી પક્ષે કોર્ટ સમક્ષ ૧૮ સાક્ષીઓ અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આ ઉપરાંત હ્લજીન્ના રિપોર્ટમાં પણ આરોપીના મોબાઈલની મેમરીમાંથી ૧૫૪ જેટલા અશ્લીલ ફોટા મળી આવ્યા હતા, જે કોર્ટમાં મુખ્ય પુરાવો બન્યા હતા. સરકારી વકીલે સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને મહત્તમ સજા કરવાની માગ કરી હતી.શિક્ષકનું કામ નૈતિક વિકાસનું છે, નુકસાન પહોંચાડવાનું નહી : અદાલત સ્પેશિયલ પોક્સો કોર્ટે ચુકાદો આપતા ગંભીર નોંધ લીધી હતી કે, “શિક્ષકનું કામ બાળકોને સુરક્ષા આપવાનું અને તેમનો નૈતિક વિકાસ કરવાનું હોય છે, નહીં કે તેમની માનસિકતાને નુકસાન પહોંચાડવાનું. કરાટે જેવા આત્મરક્ષણના ક્લાસમાં શિક્ષકે પવિત્ર વિશ્વાસનો ભંગ કર્યો છે, જેને જરાય હળવાશથી લઈ શકાય નહીં.” આ સાથે જ કોર્ટે ન્યાયના હિતમાં પીડિત બાળકીઓની બહાદુરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 1683   |  
આકાશા એરના કર્મચારીઓએ જ ૨.૫૮ કરોડના સોનાની લૂંટનું કાવતરું રચ્યું હતું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટાઇટન કંપનીનું કરોડોનું સોનું ચોરી થવાની ઘટનામાં એરપોર્ટ પોલીસે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. આકાશા એરલાઈન્સના જ કર્મચારીઓએ અન્ય સાગરીતો સાથે મળીને આ આખી લૂંટનું કાવતરું ઘડ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં એરલાઇન્સના સ્ટાફ અને સોનીઓ સહિત કુલ ૮ રીઢા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ૧.૭૨ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં મોટી સફળતા મેળવી છે. ઘટનાની વિગતો એવી છે કે, ગત તા. ૧૭/૪/૨૦૨૬ના રોજ ટાઇટન કંપનીના ઓર્ડર મુજબ આર.બી.ઝેડ જ્વેલર્સ દ્વારા સોનાના દાગીનાનું પાર્સલ સિક્વલ લોજિસ્ટિક કંપનીને આપવામાં આવ્યું હતું. આ પાર્સલનું વજન ૧૩ કિલો હતું, જેમાં ૨.૧૦૭ કિલોગ્રામ સોનું હતું જેની કિંમત રૂ. ૨,૫૮,૧૦,૭૬૪ થવા જતી હતી. તા. ૧૮/૦૪/૨૦૨૬ના રોજ આ પાર્સલ આકાશા એર દ્વારા અમદાવાદથી બેંગ્લોર મોકલવાનું હતું, પરંતુ તે ગંતવ્ય સ્થાને પહોંચ્યું જ નહોતું અને કંપની સાથે વિશ્વાસઘાત થયો હતો.અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એરપોર્ટ પીઆઈ અને તેમની ટીમે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે લૂંટની આખી ‘મોડસ ઓપરેન્ડી’નો પર્દાફાશ કર્યો હતો.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 1584   |  
મનપાનાં ભેસ્તાન એબીસી સેન્ટરમાં કોન્ટ્રાક્ટરના ધાંધિયાથી શ્વાનનાં ખસીકરણનાં ઓપરેશન બંધ

સુરત શહેરમાં ડોગ બાઇટનાં કિસ્સા વધતાં જાય છે, ગઇકાલે બુધવારે પણ લિંબાયત અને પીપોદરામાં બે માસુમ બાળકો ઉપર રખડતાં શ્વાનો દ્વારા હુમલો કરવાનાં બનાવો બન્યાં હતાં. રખડતાં શ્વાનોની વસતીને નિયંત્રણમાં લેવા માટે મહાનગર પાલિકા દ્વારા ખસીકરણનાં ઓપરેશન કરાવવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટર એજન્સીનાં સંચાલકોનાં ધાંધિયાને કારણે છેલ્લા બે દિવસથી ભેસ્તાન સ્થિત એબીસી સેન્ટર ખાતે શ્વાનોનાં ખસીકરણનાં ઓપરેશન બંધ થઇ ગયાં છે. એબીસી સેન્ટર ખાતે લાલિયાવાડી ચલાવનાર કોન્ટ્રાક્ટર એજન્સીનાં સંચાલકોને મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ નોટિસ ફટકારી લાલિયાવાડી બંધ કરી દેવા તાકિદ કરી છે.રખડતાં શ્વાનો માટે સુપ્રીમ કોર્ટે આપેલાં ચૂકાદા પછી જીવદયા પ્રેમીઓમાં ચિંતા ફેલાઇ ગઇ છે ત્યારે બીજી તરફ શહેરી વિસ્તારોમાં ડોગ બાઇટનાં વધતાં જતાં કિસ્સાઓથી વહિવટી સત્તાધીશો સક્રિય બન્યાં છે. સુરત શહેરમાં વર્ષ ૨૦૨૪માં ડોગબાઇટનાં ૩૪,૪૧૮ અને વર્ષ ૨૦૨૫માં ૩૯,૪૩૨ કેસ નોંધાયા હતાં જ્યારે પ્રવર્તમાન વર્ષે માત્ર સાડાચાર મહિનામાં જ ડોગબાઇટનાં ૧૮,૧૪૩ કેસ નોંધાયા છે તેની સામે વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૭,૮૭૦ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૯૫૮૫ શ્વાનોનાં ખસીકરણનાં ઓપરેશન કરવામાં આવ્યા હતાં. પ્રવર્તમાન વર્ષે ચાર મહિનામાં ૧૬૮૪ શ્વાનોનાં ઓપરેશન કરવામાં આવ્યાં છે. સુરત મહાનગર પાલિકાએ શ્વાનોનાં ખસીકરણ માટે વેટ સોસાયટી ફોર એનિમલ વેલફેર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે પરંતુ એજન્સીનાં સંચાલકની બેદરકારી અને લાલિયાવાડીને કારણે ખસીકરણ અભિયાન નિષ્ફળ રહેતાં લોકો દ્વારા મહાનગર પાલિકાનાં સત્તાધીશો ઉપર પસ્તાળ પાડવામાં આવી રહી છે. ખસીકરણનાં ઓપરેશન માટે ચાર તબીબોની સેવા લેવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટરે તબીબોને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પગાર નહીં ચૂકવતાં ચારેય તબીબોએ છેલ્લા બે દિવસથી શ્વાનોનાં ઓપરેશન કરવાનાં બંધ કરી દીધાં છે. ઓપરેશન બંધ થઇ જતાં શહેરમાંથી શ્વાનોને પકડીને એબીસી સેન્ટર ખાતે લાવવાની કામગીરી પણ ઠપ થઇ ગઇ છે. કોન્ટ્રાક્ટરની ડોગકેચર ટીમ દ્વારા નાની ઉંમરનાં શ્વાન તેમજ ડીસ્ટેમ્પર જેવા જીવલેણ રોગ ધરાવતા શ્વાન ઓપરેશન માટે પકડીને સેન્ટર ખાતે લાવવામાં આવતાં હોવાની વાતનો ભંડાફોડ આજે થયો હતો. એબીસી કમિટીનાં સભ્યોની મુલાકાત વખતે નાની ઉંમરનાં ત્રણ શ્વાન અને ડીસ્ટેમ્પર રોગ ધરાવતો શ્વાન સેન્ટર ખાતે મળી આવતાં ડોગકેચર ટીમને સખ્ત શબ્દોમાં તાકિદ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા ડોગકેચર ટીમને પણ નિયમિત રીતે પગાર નહીં અપાતો હોવાની ફરિયાદ ઉઠી છે. તમામ લાલિયાવાડી અંગે કોન્ટ્રાક્ટર એજન્સીને આરોગ્ય અધિકારીએ નોટિસ ફટકારી કામગીરીમાં તાત્કાલિક સુધારો લાવવા તાકિદ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 1683   |  
ડુમસનાં કીડીયા બેટ ઉપર ગેરકાયદે ઝીંગાતળાવો વચ્ચેથી ૩૨૦૦ લિટર ડીઝલ પોલીસે જપ્ત કર્યું

ડુમસમાં કીડીયા બેટ પર ગેરકાયદે ઝીંગાતળાવો વચ્ચે ગેરકાયદે સંગ્રહ કરાયેલું ૨.૪૦ લાખ રૂપિયા કિંમતનું ૩૨૦૦ લિટર ડીઝલ ભરેલા ૧૬ બેરલ પોલીસે શોધી કાઢ્યા હતાં. ૬ બેરલ ડીઝલ રાખનાર મહેશ પટેલની ધરપકડ કરાઈ હતી જ્યારે ૧૦ બેરલ સંતાડી રાખનારા મોનિલ પટેલને વોન્ટેડ જાહેર કરાયો હતો. ડુમસ પોલીસ પાસે મળથી માહિતી અનુસાર ઇન્સપેક્ટર એમ. વી. પટેલને એવી માહિતી મળી હતી કે, તાપી નદીની વચ્ચે આવેલા કીડીયા બેટ ઉપર અમુક વ્યક્તિઓએ ઝીંગા ફાર્મિંગનાં તળાવો પાસે ડીઝલ જેવું ભેળસેળ યુક્ત જ્વલનશીલ પ્રવાહી ગેરકાયદે મેળવી સંગ્રહ કરીને સંતાડી રાખ્યું છે. ખાનગી રાહે તપાસ બાદ પોલીસ ગંગાબા ઓવારાથી નીકળી તાપી નદીમાં પશ્ચિમ દિશા તરફ કીડીયા બેટ પહોંચી હતી જ્યાં ઝીંગા તળાવ પાસે મળેલા મહેશ અમૃતભાઈ પટેલ (રહે, કાપડીયા બાગ સોસાયટી, ઝુમખા માતાના મંદિરની પાછળ, સુલતાનાબાદ ગામ) ની પૂછપરછ કરાઇ હતી. મહેશનાં કબજાવાળા તળાવ પાસે ઝાડી ઝાખરામાં કેટલાક લીલા તથા ભૂરા રંગનાં પ્લાસ્ટિકનાં ૦૬ બેરલો મળ્યા હતાં. ૯૦ હજાર કિંમતનું ૧૨૦૦ લિટર ડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી ભરેલા બેરલ કબજે લેવાયા હતાં. મહેશ પટેલને સાથે રાખી અન્ય વ્યક્તિઓનાં ઝીંગા તળાવોની આસપાસ પણ તપાસ કરાઇ હતી. જેમાં મજુરોનાં રહેણાંક માટે મોનીલ રસીકભાઈ પટેલ (રહે. રાઘવસાથ ફળીયુ, ભીમપોર ગામ) દ્વારા બનાવાયેલો શેડ મળ્યો હતો. આ પતરાની શેડની બાજુમાં ઝાડી-ઝાંખરાવાળી જગ્યાએથી ૧૦ બેરેલ મળી આવ્યા હતાં. આ બેરલમાંથી ૧.૫૦ લાખ રૂપિયા જેટલી કિંમતનું ૨૦૦૦ લિટર ડીઝલ જેવું પ્રવાહી મળી આવ્યું હતું. કીડીયા બેટથી ઝડપાયેલો મહેશ પટેલ ડિઝલનો જથ્થો કોની પાસે લાવ્યો હતો એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 1683   |  
લેબગ્રોન ડાયમંડની નિકાસે નેચરલ ડાયમંડને પછાડી રેકોર્ડ સજ્ર્યો

દાયકાઓથી નેચરલ ડાયમંડનાં સહારે વિકસેલા સુરત-મુંબઇનાં હીરા બજારનો સિનારિયો લેબગ્રોન ડાયમંડનાં કારોબારે બદલી નાંખ્યો છે. ઇતિહાસમાં પહેલી વખત પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસ પોલિશ્ડ નેચરલ ડાયમંડ કરતાં વધુ નોંધાઈ છે. કટ એન્ડ પોલિશ્ડનો વિશ્વનો સૌથી મોટો હીરાઉદ્યોગ જ્યાં વિકસ્યો છે ત્યાં છેલ્લા ત્રણેક વર્ષથી લાખો રત્નકલાકારોની રોજગારી લેબગ્રોન ડાયમંડને કારણે ટકી રહી છે પરંતુ, હવે તો સમગ્ર હીરા ઉદ્યોગ પણ લેબગ્રોન ડાયમંડનાં સહારે આગેકૂચ કરી રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે.હીરા ઝવેરાતની નિકાસના સત્તાવાર સરકારી આંકડા અનુસાર વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પોલિશ્ડ નેચરલ ડાયમંડની નિકાસ ૧૬ લાખ કેરેટ રહી જ્યારે પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસ ૧૮.૮૦ લાખ કેરેટ સુધી પહોંચી ગઈ છે. આવું અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત થયું છે. હજુ બરાબર દસ વર્ષ પહેલા ૨૦૧૫-૧૬નાં વર્ષમાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડે નિકાસમાં પા-પા પગલી ભરી હતી અને એ વર્ષે માંડ ૧૦ હજાર કેરેટ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસ થઇ છે, અને આજે બરાબર ૧૦ વર્ષ પછી પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની કુલ નિકાસ ૧૮.૮૦ લાખ કેરેટની થઇ છે. માર્કેટની સાઇઝ પ્રમાણે જાેવામાં આવે તો પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ, પોલિશ્ડ નેચરલ ડાયમંડથી ઘણાં અંશે આગળ નીકળી ચૂક્યા છે. હીરા બજાર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છેકે પોલિશ્ડ લેબગ્રોન અને પોલિશ્ડ રફ ડાયમંડ્સની નિકાસના આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક ગ્રાહકો હવે વધુ સસ્તા, પર્યાવરણમૈત્રી અને ટેક્નોલોજી આધારિત હીરા તરફ વળી રહ્યા છે. હીરા ઉદ્યોગનાં અગ્રણી દિનેશ નાવડીયાનું કહેવું છે કે સુરત આજે ભારતનું સૌથી મોટું લેબગ્રોન ડાયમંડ પ્રોડ્યુસ કરતું શહેર બની ગયું છે. શહેરમાં સેંકડો યુનિટ્સમાં ઝ્રફડ્ઢ ટેક્નોલોજી દ્વારા લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન થઈ રહ્યું છે. એની સાથે ચીનથી એચ.પી.એચ.ટી. રફ ડાયમંડ્સની ઇન્વેન્ટરી પણ મોટી સંખ્યામાં સુરત-મુંબઇમાં આયાત થાય છે અને એ મોટા ભાગે સુરતમાં જ કટ એન્ડ પોલિશ્ડ થવા માટે સુરતમાં ઠલવાય છે. સુરતથી પોલિશ્ડ ડાયમંડ તેમજ પોલિશ્ડ ડાયમંડ સ્ટડેડ જ્વેલરી અમેરિકા, યુરોપ અને મધ્યપૂર્વનાં બજારોમાં લેબગ્રોન જ્વેલરીની વધતી માગને કારણે સુરતનાં ઉત્પાદકોને નવી તકો મળી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, મે 2026 3465   |  
મહોલ્લામાં ઝઘડો કરવા અંગે ટોકતાં યુવકને ચપ્પુનાં ઘા ઝીંકી દીધા

સામાન્ય બોલાચાલીમાં યુવક ઉપર ઘાતકી હુમલો કરવાનો વધુ એક બનાવ ઉધના વિસ્તારમાં બન્યો હતો. હત્યા, હત્યાનાં પ્રયાસની ઘટનામાં હુમલાખોરોને પકડવામાં ફાંફાં મારી રહેલી ઉધના પોલીસને પડકાર ફેંકતાં હોય એમ મફતનગરનાં માથાભારે યુવકો સ્થાનિક રહેવાસીને છાતી અને પીઠ પર ઘા મારી ફરાર થઇ ગયા હતાં. પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ઉધના ખાતે મફતનગરમાં વસવાટ કરતા ૩૧ વર્ષીય વસંત અશોક ઈન્દવે મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ મધ્ય પ્રદેશનાં ખેતિયાનાં વતની વસંત ઇન્દવેને આ વિસ્તારમાં જ રહેતા જીગર વસાવા, ધ્રુવ ઉર્ફે ઢુલી અને મુકેશ નામના યુવકો સાથે કેટલાક સમયથી માથાકૂટ ચાલતી આવી છે. મહોલ્લામાં અવાર નવાર ઝઘડો કરવા અંગે ટોકનાર વસંતને તેઓએ દાઢમાં રાખ્યો હતો. આ ઉપરાંત વસંતે થોડા સમય પૂર્વે જીગર વસાવા પાસે બાઈક માંગતા તે બાબતે પણ ઝઘડો થયો હતો. આ અદાવતમાં ગત ૧૮મી તારીખે રાત્રે ૯ વાગ્યાની આસપાસ મહોલ્લાની પાછળ ખાડી પાસે લઘુશંકા કરીને વસંત ઈન્દવે ઘર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન જીગર, ધ્રુવ અને મુકેશે ત્યાં જઈ ચઢ્યા હતાં. તેમણે ઇન્દવેને ઘેરી લઇ ગાળાગાળી કરીને તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. પીઠ તથા છાતીનાં ભાગે ઘા માર્યા બાદ એ ત્રણેય ઈન્દવેને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતાં. હતી. સમગ્ર ઘટના અંગે હુમલાનો ભોગ બનેલા વસંત ઈન્દવે દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, મે 2026 2772   |  
એમેઝોનનાં પાર્સલ ડિલિવર કરતી કંપનીનાં કર્મચારીઓ દ્વારા ૧૭ લાખની ઉચાપત કરાઇ

સચીનમાં લાજપોર ખાતે આવેલ ડિલિવરી કંપનીમાં નોકરી કરતાં પાંચ કર્મચારીઓએ પાર્સલનાં ઓર્ડરમાં અદલાબદલી કરી ૧૭.૪૫ લાખ રૂપિયાની ઉચાપત કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર એમેઝોન ઉપર ગ્રાહકો દ્વારા કરાતાં ઓર્ડરની ડિલિવરી કરતી આઈડેન્ટિફાઈ પ્લસ ડીલીવરી સર્વીસ પ્રા.લી. કંપની સચિનનાં લાજપોર ખાતે કાર્યરત છે. વિશ્વકર્મા કોમ્પલેક્ષમાં તેની ઓફિસ છે. કંપનીનાં ગુડગાંવ સ્થિત હેડક્વાર્ટરમાં પ્રદીપ બીરેન્દ્રસિંહ યાદવ સીકયોરિટી હેડ તરીકે નોકરી કરે છે. કંપનીની સચિન સ્થિત શાખામાં કલસ્ટર મેનેજર તરીકે સૂર્યપ્રકાશ રામાનંદ પ્રજાપતિ (રહે, મારૂતી નગર વિજલપુર નવસારી), હબ ઇન્ચાર્જ તરીકે કપીલકુમાર કનૈયા મહતો (રહે, ગજાનંદ કોમ્પલેક્ષ સ્ટેશન રોડ સચિન) કામ કરે છે. આ બંને દ્વારા પાર્સલ ડિલિવરી કરવા માટે એજન્ટ નિમણુંક કરવામાં આવે છે. જેમાં ટીમ લીડર તરીકે અભિનંદન અશોકકુમાર તિવારી (રહે, અંબીકાનગર શિવ દ્રષ્ટિ રેસિડેન્સી પાસે પારડી કણદે) જ્યારે એજન્ટ તરીકે નઝીમ નઇમ પટેલ (રહે, ડુંભાલ ટેનામેન્ટ), મનીષ વસંતભાઇ જગતાપ (રહે, સુડા સહકા૨ રેસિડેન્સી કુંભારીયા) તથા હબ સ્ટાફ તેમજ અન્ય ડિલિવરી એજન્ટ તરીકે કુલ-૨૦ માણસો નોકરી કરે છે. દરમિયાન એમેઝોન કંપની તરફથી એવી ફરિયાદ મળી હતી કે, કેન્સલ થયેલા પાર્સલની અંદરનો સામાન બદલી નાંખી ડમી પાર્સલ પરત મોકલવામાં આવી રહ્યાં છે. જેથી આઈડેન્ટિફાઈ પ્લસ ડિલિવરી સર્વીસ પ્રા.લી. કંપની તરફથી તપાસ શરૂ કરાઇ હતી. જેમાં પાર્સલનાં સામાનમાં ઘાલમેલ ઉપરાંત કેશ ઓન ડિલિવરીનાં પાર્સલમાં રોકડનો ગફલો પણ બહાર આવ્યો હતો. ટોટલ હિસાબમાં કુલ ૧૭,૪૫,૫૩૦ રૂપિયા કિંમતનો ગોટાળો બહાર આવતાં પ્રદીપ યાદવે આ કાંડ કરનારા કલસ્ટર મેનેજર સૂર્યપ્રકાશ રામાનંદ પ્રજાપતિ, હબ ઇન્ચાર્જ કપિલ કનૈયા મહંતો, ટીમ લીડર તરીકે અભિનંદન અશોકકુમાર તિવારી તથા ડીલીવરી નઝીમ નઇમ પટેલ અને મનીષ વસંતભાઇ જગતાપ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution