ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 4257   |  
ભાવનગરના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમમાં મોટી તકનીકી ઘટના સામે આવી છે. ડેમના ૧૫ નંબરના ગેટને સંચાલિત કરતો મુખ્ય વાયર (રેસો) તૂટી જતાં ગેટ નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ અનિયંત્રિત રીતે નદીમાં છોડાવા લાગ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.માહિતી અનુસાર, ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે ગેટમાં ખામી સર્જાતા તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. ગેટને થયેલા નુકસાનને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.જિલ્લા પ્રશાસને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ સહિત શિહોર તાલુકાના ભાણગઢ ગામના લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે.વહીવટીતંત્રે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પૂર જાેવા, ફોટા કે સેલ્ફી લેવા માટે નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 3960   |  
બાળકને ગિરનારની સીડીઓ પરથી સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષ મળ્યા

વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કરી તેને સીડીઓ પરથી જ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. પરિવારજનો અને યાત્રિકોની નજર સામે બનેલી આ ઘટનાએ ભય અને અરેરાટીનો માહોલ સર્જ્યો હતો. બાદમાં વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ કલાકો સુધી શોધખોળ કર્યા બાદ જંગલમાંથી બાળકના અવશેષો કબજે લીધા હતા.છેલ્લા ૨૫ દિવસમાં માણસ પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું સામે આવતા ગિરનાર સહિત સિંહોના રહેણાંક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.પરિવારની આંખો સામે સિંહ બાળકને ખેંચી ગયોમહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. પરિવાર વહેલી સવારે દર્શન માટે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. ગેટથી અંદાજે ૫૦ જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળ ચાલતા બાળક મયુરસિંહ પર ઝંપલાવ્યું હતું.બાળક પોતાના કાકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો, પરંતુ સિંહ હુમલો કરીને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. વન રાજ્યમંત્રી પ્રવીણ માળી : ગિરનારમાં માનવ પર સિંહના હુમલાની પ્રથમ ઘટના ગિરનાર પર્વત પર ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની આ પ્રથમ ઘટના છે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.વનમંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ શંકાસ્પદ સિંહોને બેભાન કરીને પકડી લેવામાં આવ્યા છે.હાલ ત્રણેય સિંહોને વૈજ્ઞાનિક અને પશુચિકિત્સકીય તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.પ્રવીણ માળીએ સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોના વર્તનમાં આવી રહેલા ફેરફારોનું વૈજ્ઞાનિક કારણ જાણવા માટે વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને વિશેષ અભ્યાસ સોંપવામાં આવ્યો છે.સિંહોની પ્રકૃતિમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, માનવ વસાહતો તરફ તેમની અવરજવર શા માટે વધી રહી છે અને હુમલાઓ પાછળના કારણો શું છે, તે મુદ્દાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે..


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 5445   |  
અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે; ૩ મહિનામાં કામગીરીનો પ્રારંભ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના હાઈવે અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી વધુ નાણાં મેળવવા રાજ્ય સરકારને તાત્કાલિક દરખાસ્ત મોકલવા અનુરોધ કર્યો હતો.અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ-વે હવે ૮ લેન થશે ૯૩ કિલોમીટરના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વેને ચારમાંથી ૮ લેઈનમાં પરિવર્તિત કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડતરીએ મંજૂરી આપી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે ગુજરાતની આ માંગણી પરત્વે ર્નિણય કરીને વર્ષ ૨૦૨૭માં જ વિસ્તરણનું કાર્ય શરૂ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતનું જમીન સંપાદન મોડલ દેશ માટે ઉદાહરણ ડીપીઆર તૈયાર થતી વખતે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનને સરળ બનાવવા બિનખેતી મંજૂરીની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત મોડલની નીતિન ગડકરીએ પ્રશંસા કરી અને તેને સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય ગણાવ્યું. રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને શક્ય હોય ત્યાં સુધી કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરીને અન્યત્ર રોપવાની સૂચના આપવામાં આવી જેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 5049   |  
વીજપોલ વળતર મામલે સરકારને ખેડૂતોની ‘રાજસ્થાન જેવું ૪ ગણું વળતર નહીં મળે તો વીજ થાંભલા ઉખેડી નાખીશું’

મોરબીના જેતપર ગામેથી આંદોલન પાર્ટ ૩ માટેનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાંથી ખેડૂત આગેવાનો અને સરપંચોને બુધવારે રેટ બોલાવવામાં આવ્યા હતા અને તેઓની સાથે આંદોલન પાર્ટ ૩ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખેડૂતોના ખેતરમાં ઊભા કરવામાં આવતા વીજ થાંભલા સામે જાે પૂરતું વળતર કાપવામાં ન આવે તો થાંભલાને ઉખેડી નાખવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે.દરમ્યાન ગુરુવારે રાતે જે ૧૨ જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી તેમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદર, ભરુચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થતો હતા. આ બેઠકમાં આવેલા ખેડૂતોએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે જાે ખેડૂતોને તેમની જમીનમાં નાખવામાં આવતા વીજપોલ સામે પૂરતું વળતર નહીં આપવામાં આવે તો હાલમાં ખેડૂતો સરકારને હટાવવા માટે એકત્રિત થયા નથી પરંતુ વળતર નહીં મળે તો ભાજપ વિરોધી મતદાન કરતા પણ ખેડૂતો અચકાશે નહીં અને આગામી સમયમાં આંદોલન પાર્ટ ૩ શરૂ થશે તે પૂરા આક્રોશ સાથે હશે અને તેના માટેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે. તાજેતરમાં સરકાર દ્વારા વીજ કંપનીના વીજ પોલ અને કોરિડોર માટે વળતરનો જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેને ૧૨ જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ લોલીપોપ સમાન ગણાવ્યો છે અને જે રીતે રાજસ્થાનમાં સરકાર ચાર ગણું વળતર ચૂકવે છે તેવી જ રીતે ગુજરાતમાં ખેડૂતોને પણ ચાર ગણું વળતર જાેઈએ અને તે નહીં મળે તો ખેડૂતોના ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ તેવી ચેતવણી આપવામાં આવી છે. આમ છેલ્લા બે દિવસમાં ગુજરાતના ૨૪ જેટલા જિલ્લામાંથી ખેડૂત આગેવાનો જેતપર ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા અને તેઓએ પોતાના સૂચન આપ્યા હતા. હવે આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત લેવલે ખેડૂતોની સમિતિઓ બનાવવામાં આવશે અને ત્યાર બાદ આયોજન પૂર્વક વળતર મેળવવા આંદોલન પાર્ટ ૩ શરૂ કરવામાં આવશે તેવી માહિતી આંદોલન સમિતિના સભ્યએ આપી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 2970   |  
ગૅમઝોન અગ્નિકાંડમાં ૬ અધિકારી કાયમી ઘરભેગા

રાજકોટમાં ૨૦૨૪માં થયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ૬ અધિકારી કાયમી ઘરભેગા કરી દેવાયા છે. ગુજરાત હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો આધારે સુનાવણી શરૂ કરી હતી. જેમાં આજની સુનાવમીમાં હાઈકોર્ટમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. મનપાએ કહ્યું છે કે, સમગ્ર કેસની તપાસમાં મનપાના જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે.રાજકોટ મનપાએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે, ગેમઝોન અગ્નિકાંડની બાદ જે તપાસ કરવામાં આવી છે તેમાં જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરાઈ છે. આ અધિકારીઓને સિવિલ સર્વિસ નિયમો હેઠળ સજા ફટકારાઈ છે. અન્ય એક અધિકારીને સેવામાંથી દૂર કરવામાં આવ્યો છે. જ્યારે વર્ગ એકના વરિષ્ઠ અધિકારી સામે સજાની કાર્યવાહી કરાઈ છે. સુઓ મોટો પીટીશનમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં રાજકોટ મનપા ફાયર ઓફિસર રોહિત વિગોરા, ટીપી વિભાગના અધિકારી ગૌતમ જાેશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, ઇલેશ ખેર અને રાજેશ મકવાણાને ડિસમિસ કરવામાં આવ્યા છે. જ્યારે ચીફ ટીપીઓ મનસુખ સાગઠિયા અગાઉથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ ગયાં છે. મનપાના તત્કાલિન ચીફ ફાયર ઓફિસ ઈલેશ ખેર, તત્કાલિન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જાેશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા અધિકારીને ડિસમિસ કરી દેવાયા છે. જ્યારે તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા ખાતાકીય તપાસના અનુસંધાને આ ‘ડિસ્મિસલ ફોર સર્વિસ‘ કરવામાં આવ્યા છે. ખાતાકીય તપાસમાં તમામ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખાતાકીય તપાસમાં તમામ અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે અને આ ગંભીર બેદરકારીના કારણે જ તેમની સામે કડક કાર્યવાહી કરી ડિસમિસ કરવામાં આવ્યા છે. ૨૭ લોકોના મોત થયા અને તેમની પાછળ આ જ બધા અધિકારીઓ જવાબદાર હોવાનું કમિશનરની તપાસમાં સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. ડિસમિસ કરી દેવાયા મનપાના તત્કાલિન ચીફ ફાયર ઓફિસ ઈલેશ ખેર, તત્કાલિન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જાેશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા અધિકારીને ડિસમિસ કરી દેવાયા છે. જ્યારે તત્કાલિન ્ર્ઁં મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવવામાં આવ્યા. મનસુખ સાગઠિયાને પ્રોવિઝનલ પેન્શન ચૂકવાશે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા નિવૃત્તિવય વટાવી જતાં તેનું રજાનું રોકડ રૂપાંતર સસ્પેન્ડ કરી માત્ર પ્રોવિઝનલ પેન્શન ચુકવવા ર્નિણય કરાયો છે. હવે કોઈ અધિકારીને સરકારી લાભ મળશે નહીં : બાર એસો.ના પૂર્વ ઉપપ્રમુખ સિનિયર એડવોકેટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, કડક કાર્યવાહી કરવામાં આવતા હવે તેમને એક પણ પ્રકારના સરકારી લાભો મળી શકશે નહીં. પરંતુ હવે આ તમામ અધિકારીઓને મળવા પાત્ર થતી રકમ સરકાર દ્વારા મૃતકોમાં પરિવારજનોને અપાય તો તેમને સાચો ન્યાય મળ્યો કહેવાય.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, જુલાઈ 2026 1584   |  
દીવ-દમણ ફરીને પરત ફરેલા ઓડના યુવાનનું શંકાસ્પદ મોત :હત્યાની આશંકા

દિવ-દમણ ખાતે ફરી પરત ફરેલા ઓડના યુવકનું શંકાસ્પદ મોત થતાં, પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જાે કે પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મૃતદેહનો પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવવાની તજવીજ હાથ ઘરી છે. પીએમ રીપોર્ટમાં મોતનું સાચુ કારણ ઉજાગર થશે તેમ જાણવા મળે. પ્રાપ્ત વિગત અનુસાર અહિમા ગામે રહેતો દેવેન્દ્રસિંહ તખતસિંહ ચૌહાણ (ઉ. વ. ૩૯)ગઈકાલે વહેલી સવારના સુમારે કારમાં તેના મિત્રો સાથે દિવ- દમણ ફરવા માટે ગયો હતો. ત્યાં મોજમસ્તી કરીને રાત્રીના સુમારે પરત ફર્યા હતા. દરમ્યાન દેવેન્દ્રસિંહના ઘરની નજીક આવેલી દુકાનના ખાટલામાંથી આજે વહેલી સવારના સુમારે દેવેન્દ્રસિંહની લાશ મળી આવી હતી. પિતરાઈ ભાઈએ જાેતા જ તેણે તુરંત જ ઘરના સભ્યો અને ૧૦૮ મોબાઈલ વાન-પોલીસને જાણ કરતાં તેઓ આવી પહોંચ્યા હતા. તપાસ કરતા દેવેન્દ્રસિંહ મૃત્યુ પામ્યો હતો. જેથી પરિવારજનો ઓડ આઉટ પોસ્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને દેવેન્દ્રસિંહની હત્યા કર્યા બાદ લાશને ખાટલામાં સુવડાવી હોવાના આક્ષેપ કર્યો હતો. તેની જીભ પણ થોડી બહાર નીકળી ગયેલી મળી આવી છે. જેને લઈને પોલીસે લાશને પીએમ માટે ઓડના સીએચસી સેન્ટર ખાતે મોકલી આપી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, જુલાઈ 2026 2079   |  
ડાકોરમાં યોજાઈ ભગવાન રણછોડરાયજીની ૨૫૪મી ભવ્ય રથયાત્રા

શ્રદ્ધા અને ભક્તિના ઘોડાપૂર સમાન અષાઢી ઉત્સવોની શરૂઆત થઈ ચૂકી છે. સામાન્ય રીતે સમગ્ર દેશમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજાતી હોય છે, પરંતુ ગુજરાતના જગવિખ્યાત યાત્રાધામ ડાકોરમાં એક અનોખી પરંપરા જોવા મળે છે. ડાકોરના ઠાકોરજી એટલે કે રાજા રણછોડરાયના મંદિરમાં તિથિ નહીં પણ નક્ષત્રના આધારે રથયાત્રા યોજાય છે. આજે અષાઢી એકમ અને પુષ્ય નક્ષત્રના આ પાવન સંયોગે ડાકોર મંદિરમાંથી ભગવાન રણછોડરાયજીના બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજની ૨૫૪મી ભવ્ય રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે. ચાંદીના રથમાં સવાર થઈને કાળિયા ઠાકોર આજે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે ડાકોર નગરી 'જય રણછોડ, માખણચોર'ના નારાથી ગુંજી ઉઠી છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
12, જુલાઈ 2026 3267   |  
વડોદરા રથયાત્રાનો ઇતિહાસ શું છે? | Shree Nityanand Ramdas Swami Ji સાથે ખાસ મુલાકાત | ISKCON વડોદરા Exclusive Podcast

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે લોકસત્તા જનસત્તા દ્વારા ઇસ્કોન વડોદરાના મુખ્ય પૂજારી શ્રી નિત્યાનંદ રામદાસ સ્વામીજી સાથે ખાસ મુલાકાત યોજાઈ. આ મુલાકાત દરમિયાન તેમણે વડોદરાની રથયાત્રાનો ઇતિહાસ, તેની વિશેષ પરંપરાઓ, 16 જુલાઈની રથયાત્રાની તૈયારીઓ તેમજ ભક્તો માટેના મહત્વપૂર્ણ સંદેશ અંગે માહિતી આપી. રથયાત્રા સાથે જોડાયેલી અનેક રસપ્રદ અને ઓછી જાણીતી વાતો પણ તેમણે શેર કરી. આ વિશેષ મુલાકાતનો સંપૂર્ણ વીડિયો લોકસત્તા જનસત્તાના YouTube ચેનલ પર ઉપલબ્ધ છે.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 2574   |  
ભવિષ્યમાં હવે વાહનો માટે માત્ર E20 પેટ્રોલનો જ વિકલ્પ મળશે

જો તમે પણ પેટ્રોલ કાર કે ટુ-વ્હીલર ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. દેશભરમાં અત્યારે E20 પેટ્રોલ એટલે કે ૨૦ ટકા ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલનો ઉપયોગ વધી રહ્યો છે. પરંતુ, તેના ઉપયોગથી વાહનો ખરાબ થવાના દાવાઓ થઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ગાડીઓ બગડવાના સમાચાર તદ્દન ખોટા છે અને આ એક સુનિયોજિત નેરેટિવ છે. તેમણે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે E20 ફ્યુઅલના કારણે બંધ પડી હોય તેવી એક પણ કાર બતાવો. સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે આગામી સમયમાં E20 પેટ્રોલ જ શુદ્ધ પેટ્રોલ તરીકે મળશે અને આ સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોય, તેમજ આ ઇંધણ સસ્તું પણ નહીં થાય. બીજી તરફ વડોદરાના ઓટો ફોરમેનો અને ગેરેજ એક્સપર્ટ્સનો દાવો છે કે E20 ઇંધણના કારણે ગાડીઓના એન્જિન પંપ વારંવાર બગડી રહ્યા છે અને વાહનોની એવરેજમાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેઓ E20 ઇંધણના ઉપયોગને લઈને શું કહી રહ્યા છે, આવો જોઈએ આ વિગતવાર અહેવાલમાં..


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, જુલાઈ 2026 2376   |  
દરિયાપુરમાં બહેનના પ્રેમસંબંધની ના પાડવા ગયેલા ભાઈ પર હિચકારો હુમલો

શહેરના દરીયાપુર વિસ્તારમાં બહેન સાથે પ્રેમસંબંધ ન રાખવા માટે સમજાવવા ગયેલા એક યુવક પર પરિણીત પ્રેમીએ ઉશ્કેરાઈ જઈને જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ચાની કીટલી પર જાહેરમાં થયેલા આ ઝઘડામાં ઉશ્કેરાયેલા શખ્સે ચા બનાવવાનું હાથાવાળું લોખંડનું ટમરેલ (તપેલી) યુવકના માથામાં બંને બાજુ ફટકારી દેતાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. આ અંગે દરીયાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દરીયાપુર પ્રેમ દરવાજા પાસે રહેતા ૩૫ વર્ષીય રમેશભાઈ (ઓળખ છુપાવા નામ બદલ્યું છે) છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની ૨૬ વર્ષીય છૂટાછેડા લીધેલી બહેન ચાંદની હાલ પરિવાર સાથે જ રહે છે. દરમિયાન, તેમના જ વિસ્તારમાં રહેતા પરિણીત ગૌરાંગ જાેષી નામના શખ્સને ચાંદની સાથે પ્રેમસંબંધ હતો. ગૌરાંગ પરિણીત હોવા છતાં સંબંધ રાખતો હોવાથી રમેશભાઈ તેને વારંવાર સમજાવતા હતા.બુધવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ રમેશભાઈ ભંડેરી પોળના નાકે આવેલી ‘કિષ્ના ટી સ્ટોલ’ નામની ચાની કીટલી પર ગયા હતા. ત્યાં ગૌરાંગ હાજર હોવાથી રમેશભાઈએ તેને ફરીથી ટોક્યો હતો અને જણાવ્યું હતું કે, “તારા લગ્ન થઈ ગયા છે, છતાં તું કેમ માનતો નથી? જાે હવે તું મારી બહેનથી દૂર નહીં રહે તો હું તારા ઘરે જઈને તારા માતા-પિતાને બધી વાત કહી દઈશ.” આ સાંભળતા જ ગૌરાંગ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડી ઝઘડો કરવા લાગ્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા ગૌરાંગે રમેશભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ કીટલી પર પડેલું ચા બનાવવાનું હાથાવાળું ભારે ટમરેલ ઉપાડી રમેશભાઈના માથામાં જમણી અને ડાબી બાજુ એમ બે ઘા ઝીંકી દીધા હતા. માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગતા રમેશભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમરાણ સાંભળીને તેમનો નાનો ભાઈ કૌશિક દોડી આવ્યો હતો અને ગૌરાંગના ચુંગાલમાંથી ભાઈને છોડાવ્યો હતો, ત્યારબાદ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, જુલાઈ 2026 1584   |  
સેટ અપ પહેલાં શિક્ષકોના બીજા બદલી કેમ્પનું આયોજન

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ફેર બદલી કેમ્પના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે મુખ્ય શિક્ષકોના બદલી કેમ્પ માટેનું આયોજન ન કરવામાં આવતા મુખ્ય શિક્ષકોને ભારે અન્યાય થઇ રહ્યો હોવાની લાગણી પ્રસરી છે. એટલું જ નહિ, આ મામલે શિક્ષક સંઘના આગેવાનોની નિષ્ક્રિય ભૂમિકા સામે પણ મુખ્ય શિક્ષકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.રાજ્યના શિક્ષણ વિભાગના પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આજે તા. ૧૬-૦૭-૨૦૨૬ના રોજ પરિપત્ર જાહેર કરીને શિક્ષકોની જિલ્લા ફેર બદલી કેમ્પના બીજા તબક્કાનું આયોજન કરવાની સૂચના અપાઈ છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના સંયુક્ત શિક્ષણ નિયામકની ઈ-સહીથી રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને મોકલાયેલા પત્રમાં જણાવ્યું છે કે, અત્રેની કચેરીના સંદર્ભ-૧ અને ૨ ના પત્રથી જિલ્લા ફેર બદલી (ઓફલાઈન-ઓનલાઈન) કેમ્પનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત જિલ્લા બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થઇ ગઈ છે. જાે કે, પ્રાથમિક શિક્ષક સાથે સંકળાયેલા માન્ય સંઘો દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા તા. ૧૧-૦૫-૨૦૨૩ના ઠરાવથી પ્રસિદ્ધ બદલી નિયમોમાં પ્રકરણ-એલ (૮)માં થયેલ જાેગવાઈ ‘જગ્યા ખાલી રહે તો બીજા તબક્કો કરી પ્રવરતા યાદીમાં ઉપલબ્ધ શિક્ષકોને જ જિલ્લાફેરની તમામ જગ્યાઓ ભરાઈ જાય ત્યાં સુધી બોલાવી શકાશે’ મુજબ જિલ્લા/નગર શિક્ષણ સમિતિઓમાં જિલ્લાફેર બદલી માટેના રજિસ્ટર પડતર છે, તેવા જિલ્લા/નગર શિક્ષણ સમિતિઓમાં જિલ્લાફેર બદલી કેમ્પનો બીજાે તબક્કો આયોજિત કરવા જણાવાયું છે. આ પરિપત્રમાં જણાવ્યા મુજબ આગામી તા. ૨૪-૦૭-૨૦૨૬ના રોજ જિલ્લાફેર બદલી કેમ્પ (બીજાે તબક્કો) યોજાશે. જિલ્લાફેર બદલી કેમ્પ (ઓફલાઈન-ઓનલાઈન) બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ખાલી રહેલ જગ્યા પર કચેરીના સંદર્ભ-૧ અને ૨ ના પત્રથી આપેલી સૂચનાઓને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવાની રહેશે. આ માટે આ જિલ્લાફેર બદલી કેમ્પ(ઓફલાઈન) કેમ્પના બીજા તબક્કાની જાણ તમામ સંબંધિત અરજદાર શિક્ષકોને કરવાની રહેશે. રાજ્યમાં સેટ અપ પહેલા જ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા શિક્ષક સંઘોની માંગણીઓને અનુસરી શિક્ષકોની જિલ્લાફેર બદલી કેમ્પનો બીજાે તબક્કો યોજી રહી છે. ત્યારે બીજી તરફ પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો માટેની બદલી કેમ્પ યોજવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. જેના કારણે મુખ્ય શિક્ષકોમાં ભારે નારાજગી પ્રસરી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા મુખ્ય શિક્ષકોની અવગણના કરવામાં આવી રહી છે. જેના કારણે મુખ્ય શિક્ષકોમાં તેમને અન્યાય થઇ રહ્યો હોવાથી ભારે નારાજગી પ્રસરી રહી છે. રાજ્યની પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલી કેમ્પ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઠાગાઠૈયા થઇ રહ્યા છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા દ્વારા રસ લઈને મુખ્ય શિક્ષકોને થઇ રહેલા અન્યાય અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, જુલાઈ 2026 1881   |  
ખાસ અદાલતોમાંથી ચેક બાઉન્સના ખાનગી કેસો રેગ્યુલર કોર્ટમાં ટ્રાન્સફર : સીજેએમનો ર્નિણય

સિટીની નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ (ચેક બાઉન્સ)ની સ્પેશિયલ કોર્ટાેમાં કેસોના અસાધારણ ભરાવા અને લાંબી પેન્ડન્સીનો ઉકેલ લાવવા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. એચ. ખંભાળિયા દ્વારા એક મહત્વપૂર્ણ અને વહીવટી ફેરફાર કરતો ઓફિસ ઓર્ડર જાહેર કરાયો છે. ૧લી ઓગસ્ટ ૨૦૨૬થી ચેક બાઉન્સના તમામ ખાનગી કેસો (પ્રાઇવેટ કમ્પ્લેઇન્ટ્સ) સ્પેશિયલ કોર્ટમાંથી પાછા ખેંચીને ઘીકાંટા સ્થિત સંબંધિત રેગ્યુલર ક્રિમિનલ કોર્ટાેમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કરાયો છે. જાેકે, બેંકો અને નાણાકીય સંસ્થાઓના કેસો યથાવત્ રીતે સ્પેશિયલ કોર્ટમાં જ ચાલશે. ઓફિસ ઓર્ડર અનુસાર, ચેક બાઉન્સના કેસો માટે કાર્યરત સ્પેશિયલ કોર્ટ નંબર ૨૭થી ૫૪ પાસે અત્યાર સુધી સંસ્થાગત અને ખાનગી એમ બંને પ્રકારની ફરિયાદો ચાલતી હતી. બેંકો અને મોટી ફાઇનાન્સ કંપનીઓના કેસોની સંખ્યા કરોડોમાં હોવાથી ખાનગી ફરિયાદોના નિકાલમાં વિલંબ થતો હતો. ન્યાયિક સંસાધનોનો યોગ્ય ઉપયોગ થાય અને કેસોનો ઝડપી નિકાલ આવે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૩(૨) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને ઝ્રત્નસ્એ આ મોટો ર્નિણય લીધો છે. આ અંગે અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન દ્વારા ગત ૩૦ જૂને એક ઠરાવ પસાર કરાયો હતો. નવા આદેશ મુજબ, ૧લી ઓગસ્ટ ૨૦૨૬થી ચેક બાઉન્સની કોઈપણ નવી ખાનગી ફરિયાદ સ્પેશિયલ કોર્ટમાં સ્વીકારવામાં આવશે નહીં.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, જુલાઈ 2026 1782   |  
એરપોર્ટ પર મહિલા પાસેથી લાખોનું સોનુ ઝડપાયું

૧૬મી જુલાઇના રોજ, અબુ-ધાબીથી ફ્લાઇટ નંબર ૩ન્૧૧૧ દ્વારા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરેલી એક મહિલા મુસાફરને અમદાવાદ કસ્ટમ્સના ‘એર ઇન્ટેલિજન્સ યુનિટ’ એ અટકાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જકાતની ચોરી કરવાના હેતુથી આ મહિલાએ પોતાના બુરખામાં ૨૪ કેરેટ સોનાના બે ‘ટીટી બાર’ છુપાવ્યા હતા, જેનું વજન ૨૩૩ ગ્રામ અને બજાર કિંમત ૩૪,૨૯,૨૧૬ રૂપિયા છે. ‘કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨’ હેઠળ આ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ સોનાના મૂળ સ્ત્રોત અને તે કોને પહોંચાડવાનું હતું તે અંગે અત્યારે સઘન તપાસ ચાલી રહી છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી તાજેતરમાં જ સોનું લઇને બે વ્યક્તિ નીકળી ગયા હતા. આ બંનેને અસલી પોલીસે અપહરણ કરીને લૂંટી લીધાં હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. કેમ કે કસ્ટમ્સના નાક નીચેથી આ બંને લોકો કેવી રીતે સોનું લઇને નીકળી ગયા તે મુદ્દે પ્રશ્નો ઊભાં થઈ રહ્યા છે છે. તેમાંય વળી લૂંટાયેલાં બંને મુસાફરોએ જાે કે સોનું ખરીદી અંગેનું બિલ પાછળથી રજૂ કરીશું તેવું પોલીસને જણાવીને ફરિયાદ નોંધાવી છે. પરંતુ તે લોકોએ કસ્ટમ્સ સત્તાવાળાઓ સમક્ષ સોનુ લઇને આવ્યા અંગેની જાહેરાત કરી હતી કે નહીં તે તપાસનો વિષય છે. આ વિવાદ વચ્ચે આજે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અબુધાબીથી ફલાઇટમાં આવેલાં મુસાફર પાસેથી ૩૪ લાખથી વધુ કિંમતના ૨૪ કેરેટ સોનાના બાર કે જેનું વજન ૨૩૩ ગ્રામનો જથ્થો પકડી પાડયો છે.અમદાવાદ કસ્ટમ્સ તરફથી પેસેન્જર પ્રોફાઇલિંગ બનાવવામાં આવે છે. આ પ્રોફાઇલિંગમાં મુસાફર કયારે કયારે અને કેટલી વાર ફલાઇટમાં પ્રવાસ કર્યો તેની વિગતો તૈયાર કરી છે. વારંવાર અવરજવર કરનારાની પ્રોફાઇલીંગના આધારે તપાસ કરવામાં આવે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, જુલાઈ 2026 1881   |  
ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં રથયાત્રા સંપન્ન

ઈડર, અરવલ્લી, ધનસુરા, અંબાજી તા.૧૬ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં આજે શ્રીજીની શાહી સવારી નગરચર્યાએ નીકળી હતી.સાબરકાંઠા,અરવલ્લી,બનાસકાંઠા,મહેસાણાપટણ અને વાવ-થરાદ જિલ્લાના શહેરો અને નગરોમાં પુર્ણ ભક્તિભાવ સાથે ભવ્ય રથયાત્રા નીકળી હતી.આજે સમગ્ર દેશમાં અષાઢી બીજની ઉજવણી થઈ રહી છે ત્યારે પાલનપુરમાં પણ ૫૫મી જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. શહેરના મોટા રામજી મંદિર ખાતેથી શરૂ થયેલી આ રથયાત્રા ૧૪ કિલોમીટરના રૂટ પર પરિક્રમા કરીને મોડી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી.જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ભક્તો દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.શ્રીરામ સેવા સમિતિ દ્વારા દર્શનાર્થીઓને મગ અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો છે.રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ૫ પીઆઈ, ૧૨ પીએસઆઈ અને ૩૦૦ જેટલા પોલીસ જવાનો ખડેપગે તૈનાત રખાયા હતા. સંવેદનશીલ વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થતી હોવાથી એલસીબીની ટીમો પણ સતર્ક રાખવામાં આવી હતી.સમગ્ર રથયાત્રા પર નજર રાખવા માટે માઉન્ટેડ પોલીસ, બોડીવોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. અંબાજીમાં ભગવાન જગન્નાથજીની ૩૪મી રથયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી હતી. અષાઢી બીજના પાવન પર્વે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભક્તિ, આસ્થા અને ધાર્મિક ઉત્સાહનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર અને ઐતિહાસિક નગરી ઇડર તેમજ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા,ધનસુરા સહિતના મુખ્ય શહેરોમાં આજે મંદિર ચાલે નગર ભણી...ના ગગનભેદી નાદ સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા અને ભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પણ ઠાકોરજીએ પરંપરાગત ચાંદીના રથમાં બિરાજમાન થઈને મંદિર પરિસરમાં ભક્તોને રથ પ્રદક્ષિણા દ્વારા દર્શન આપ્યા હતા. પોલીસ પ્રશાસન દ્વારા ડ્રોન કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જગન્નાથ ધામ દ્વારા અષાઢી બીજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સતત બીજું વર્ષ છે જ્યારે આ રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રાનો પ્રારંભ ગોકુલનગર રેલવે ફાટક પાસેથી થયો હતો. જગન્નાથ ધામ, રામનગર, ખેડ તસિયારોડ ખાતેથી ગુરુવારે સવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વાજતે ગાજતે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. પૂજન-અર્ચન અને આરતી બાદ પહિન્દ વિધિ સંપન્ન થઈ હતી.પહિન્દ વિધિ બાદ ‘જય જગન્નાથ’ના નાદ સાથે રથ નગરચર્યાએ નીકળ્યો હતો. ભગવાનના ભક્તો, જેમાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, તેમણે માનવ સાંકળ બનાવી રથને ખેંચી ધન્યતા અનુભવી હતી. ખેડબ્રહ્મા શહેરમાં ગામ વિસ્તારમાં આવેલ રાધાકષ્ણ મંદિરથી હર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંતર્ગત આજે ૩૩ મી રથયાત્રા ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં દબદબાભેર યોજાઈ હતી. વહેલી સવારથી ખેડબ્રહ્મા તથા આસપાસના લોકો ઠાકોર મંદિરે આવી ગયા હતા અને ભગવાનની પૂજા અર્ચના પ્રસાદીનો લાભ લીધો હતો.ભગવાન જગન્નાથની ધનસુરા મુકામે રથયાત્રાનો પ્રારંભ ધનસુરા રામજી મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યો હતો.ધનસુરા રામજી મંદિરથી ચાર રસ્તા ત્યાંથી ધનસુરા કોલેજ રોડ તરફ જઈને લાખણેચી માતાના મઢ રબારીવાસ ધનસુરા વિસામો કરીને મામેરુ એકતા મિત્ર મંડળ તરફથી ભરવામાં આવ્યું હતું.આ રથયાત્રામાં ધનસુરા ના હજારો માઈ ભક્તો જાેડાયા હતા અને ભગવાનની ભક્તિમાં લીન થયા હતા અને ધનસુરા ચાર રસ્તા માઈ મંડળ દ્વારા લીંબુપાણીની સુંદર વ્યવસ્થા દરેક માઈભક્ત માટે કરવામાં આવી હતી.મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં અષાઢી સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, જુલાઈ 2026 1782   |  
વલસાડ, નવસારી,બીલીમોરામાં ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને બલરામ નગરચર્યાએ નીકળ્યાં

વલસાડનાં છીપવાડ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી જ્યારે, બીલીમોરામાં દ્વારકાધીશ મંદિરેથી પારંપરિક ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. અષાઢી બીજે શણગારેલા રથમાં સવાર થઈને ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યાં હતાં. રાજમાર્ગો ઉપર રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રાને લઈ નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ રથની દોરી ખેંચી ધન્યતા અનુભવી હતી. અને સમગ્ર માર્ગો જય જગન્નાથના જયઘોષથી ગુંજી ઉઠ્યાં હતાં.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, જુલાઈ 2026 1980   |  
પફ્ર્યુમના વેપારી પાસેથી ખંડણી વસૂલવા જૂના કર્મચારીએ જ મિત્રોને મોકલ્યા હતા

પાલનપોર ગૌરવપથ પર પરફ્યુમની દુકાન ધરાવતાં યુવકને ચપ્પુ બતાવી ૧૦ લાખની ખંડણી માંગનારા બે યુવકો તથા તેમને મોકલનાર યુવકને પાલ પોલીસે વેશપલટો કરી ઝડપી પાડ્યા હતા. પાલ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર બી. એ. ભટ્ટના જણાવ્યા અનુસાર, પાલનપોર ગૌરવપથ પર આવેલા આબોરા કોમ્પ્લેક્સમાં જૈમીન ડોબરિયા ‘ટીએમ પરફ્યુમ‘ નામની દુકાન ચલાવે છે. જૈમીન ૯ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૨થી ૨:૩૦ વાગ્યાના સુમારે પોતાની દુકાનમાંથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સ્પ્લેન્ડર બાઇક પર બે અજાણ્યા ઇસમો ત્રાટક્યા હતા. બાઇક ચાલકે જૈમીનને તેનું નામ પૂછ્યું હતું.જૈમીને પોતાનું નામ આપતા જ બાઇક પાછળ બેઠેલો ઇસમ નીચે ઉતરી ગયો હતો અને જૈમીનનો કાંઠલો (ગળું) પકડી લીધો હતો. બાઇક ચાલકે તેના સાગરીતને આદેશ આપ્યો કે, "તું પતાવીને બહાર આવી જા," અને પોતે બાઇક લઈને થોડો આગળ નીકળી ગયો હતો. એ યુવકને જૈમીનને ગળેથી પકડીને ઢીકા-મુક્કીનો માર માર્યો હતો. સાતે જ તેને ધમકાવતા "૧૦ લાખ રૂપિયા દે દે, યશને તેરા ગેમ બજા ડાલેગે એવી મકી આપી હતી. સાથે જ તેણે જૈમીનને ધારદાર ચપ્પુ બતાવી અપહરણનો પ્રયાસ કર્યો હતો. ભરબપોરે રસ્તા પર આ માથાકૂટ દરમિયાન જૈમીન ડોબરિયાએ બૂમ-બરાડા પાડવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી ગભરાઇ ગયેલા એ યુવકો સ્પ્લેન્ડર બાઇક પર ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી જૈમીન એટલો બધો ડરી ગયો હતો કે તે સીધો ઘરે જતો રહ્યો. પરિવાર સાથે ચર્ચા કરી બે દિવસ બાદ તેણે પોલીસ ફરિયાદ આપી હતી.  પોલીસે આ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક ગુના વાળી જગ્યાએ જઈ સીસી કેમેરા ફૂટેજ તપાસ્યા હતાં. જેમાં ખુલાસો થયો કે એ યુવકો છેલ્લા બે દિવસથી વેપારીની રેકી કરી રહ્યા હતા. પોલીસે ફૂટેજમાં દેખાતા ચહેરાઓ અને બાઇકના નંબરના આધારે તપાસ તેજ કરી અને આરોપીઓના રહેઠાણ શોધી કાઢ્યા. સર્વેલન્સ સ્ટાફના શૈલેષભાઇ, વેલાભાઇ તથા હિતેન્દ્રસિંહે દેવ અનિલભાઇ પટેલ (રહે.બાપ્સ હોસ્પિટલ પાસે અડાજણ) તથા યશ દિનેશભાઇ ગલચર (બોરડી શેરી સૈયરપુરા પંપીંગ સ્ટેશન પાસે) ને ઝડપી લેવાયા હતાં. તેમની પૂછપરછમાં યશ રાજેશભાઇ બારૈયા (ઓરોવીલ સોસાયટી, ઉમા ભવનની ગલીમાં ભટાર રોડ) ના કહેવાથી તેઓ ૧૦ લાખ વસૂલવા ગયા હોવાનું બહાર આવતાં પોલીસે બારૈયાને પણ દબોચી લીધો હતો. બારૈયાની તપાસમાં તે અગાઉ ડોબરીયાની પફ્ર્યુમ ની દુકાનમાં નોકરી કરતો હતો. પગાર બાબતે માથાકૂટ થતાં તેણે કામ છોડી દીધું હતું. બાદમાં બાકી પગાર વસૂલવા માટે તેણે મિત્રોને ધાક ધમકી આપવા મોકલ્યાનું બહાર આવ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, જુલાઈ 2026 1881   |  
પરવાના વગર ચાલતી ડુપ્લિકેટ ફ્રૂટ બિયર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, રૂા.૧.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસની ટીમે બાતમીના આધારે કામરેજ તાલુકાના ધાતવા ગામે એક ઘરની પાછળ રેડ કરીને ગેરકાયદેસર રીતે ચાલતી નોન-આલ્કોહોલિક ફૂટ બીયર બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. ફૂડ લાયસન્સની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં આ પ્રવૃત્તિ ધમધમી રહી હતી, જેથી ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પર પહોંચીને કુલ રૂપિયા ૧,૭૮,૧૧૦ નો મુદ્દામાલ સીઝ કર્યો છે.એલ.સી.બી. પી.એસ.આઈ. એ.એન. ચૌહાણ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, ધાતવા ગામના લીંબડી ફળિયામાં રહેતા ધનાલાલ ગુર્જર નામના ઈસમે પોતાના ઘરની પાછળના ભાગે આવેલા વાડામાં પતરાંનો શેડ બનાવ્યો છે. ત્યાં ડુપ્લીકેટ બીયરનું ઉત્પાદન કરીને તેનો જથ્થો ઘરમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ૧૩ જુલાઈના રોજ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે, ફૂડ લાયસન્સની વેલિડિટી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં આ ગેરકાયદે ઉત્પાદન ચાલુ હતું. પોલીસે ઘટનાસ્થળેથી રૂપિયા ૧૭,૫૨૦ ની કિંમતની નોન-આલ્કોહોલિક ફૂટ બીયરની ૫૮૪ નંગ બોટલો તેમજ રૂપિયા ૯૭,૫૦૦ ની કિંમતની બીયર બનાવવાની મશીનરી જપ્ત કરી હતી. આ ઉપરાંત, ત્યાંથી એક્સપાયર થઈ ગયેલા નોન-આલ્કોહોલિક એનર્જી ડ્રીન્ક્સ અને કાર્બોનેટેડ સોડાનો ૫૫૨ નંગ જથ્થો કિંમત રૂપિયા ૬૩,૩૬૦ પણ મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સુરત ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા આ તમામ મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે કામરેજ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુનો નોંધીને એલ.સી.બી.ના પી.એસ.આઈ એ.એન. ચૌહાણ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, જુલાઈ 2026 2277   |  
આરટીઓની બોગસ રસીદો બનાવનારા ૩ એજન્ટો સામે ગુનો દાખલ

સુરત ગ્રામ્યના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે સરકારી નાણાંની ઉચાપત અને છેતરપિંડીનું એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. વાહન ચેકિંગ દરમિયાન જપ્ત કરાયેલા વાહનોને મુક્ત કરાવવાના બહાને સુરત આર.ટી.ઓ.નાં નામે નકલી દંડની રસીદો બનાવતું એક મોટું નેટવર્ક ઝડપાયું છે. આ સમગ્ર મામલે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પી.આઈ. વી.એ. દેસાઈનાં માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મહિપાલ વસાવા દ્વારા ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.આ કૌભાંડ છેલ્લાં આશરે બે વર્ષથી ચાલી રહ્યું હતું. મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જમા થયેલા વાહનોને છોડાવવા માટે રજૂ કરાયેલી રસીદો પરના ક્યૂઆર કોડ સ્કેન કરવામાં આવ્યા હતા. આ સ્કેનિંગ દરમિયાન કોઈપણ પ્રકારની ડિજિટલ રસીદ ન ખુલતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ જ્યારે આર.ટી.ઓ. કચેરીના સત્તાવાર રેકોર્ડ સાથે તેની ખરાઈ કરવામાં આવી, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, વાહન માલિકો પાસેથી ઉઘરાવવામાં આવેલો એક પણ રૂપિયો સરકારી ખાતામાં જમા થયો ન હતો અને આ તમામ રસીદો નકલી હતી. આ ગુનામાં સુરતના ત્રણ મુખ્ય એજન્ટો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં મોહસીન રેડીમની (રહે. લિંબાયત), અકબર શેખ (રહે. લિંબાયત) અને સુનીલ શર્મા (રહે. અમરોલી) નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓએ વાહન માલિકોનો સંપર્ક કરી આર.ટી.ઓ. કચેરીમાં સેટિંગ કરાવી આપવાની ખાતરી આપી હતી. તેમણે કુલ ૬૦ જેટલા વાહનોના કિસ્સામાં વાહન માલિકો પાસેથી રૂ. ૫,૧૮,૫૦૦ મેળવી લીધા હતા. ત્યારબાદ સુરત આર.ટી.ઓ. કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓના નામના બોગસ સહી-સિક્કા લગાડી નકલી રસીદો તૈયાર કરી આપી હતી.ભોગ બનનાર વાહન માલિકોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓ દસ્તાન રેસિડેન્સીમાં રહેતા દિનેશ પાંડે નામના મધ્યસ્થી મારફતે આ એજન્ટોના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓએ સરકારી દંડની રકમ પોતાની પાસે રાખી લઈ વાહન માલિકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને આ નકલી રસીદોનો સાચા તરીકે ઉપયોગ કરી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાંથી વાહનો પણ છોડાવી લીધા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, જુલાઈ 2026 2277   |  
પતિનાં મિત્રએ અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માગતાં પરિણીતાએ ઝેર પીધું

પતિના મિત્રએ અશ્લીલ વીડિયો ઉતાર્યા બાદ બ્લેકમેઇલ કરી પૈસાની માગણી કરવા સાથે શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણાતાએ ઝેર ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર કાપોદ્રામાં રચના સર્કલ પાસે ચૌહાણ પરિવાર રહે છે. ભાવનગરના પાલીતાણા તાલુકાનો વતની એવા આ ચૌહાણ પરિવારની સૌથી નાની દીકરી લતા (નામ બદલ્યું છે)ના લગ્ન કાપોદ્રામાં જ રહેતાં મકવાણા પરિવારમાં થયા હતાં. ફેબ્રુઆરી ૨૦૨૫માં લગ્ન બાદ લતાં સાસરે રહેવા ગઇ હતી. ગત ૯મી જુલાઇએ એકતા તેના ભાઈ તુષારના ઘરે રહેવા આવી હતી.આ દરમિયાન લતા થોડી ઉદાસ અને ટેન્શનમાં રહેતી હોય તેવું જણાતા તુષારે એ અંદે પૂછ્યું હતું. લતાએ ભાઇને જણાવ્યું હતું કે, તેણીના પતિના મિત્ર રામ ગોહિલ તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતો હોય તે અવાર નવાર અમારા ઘરે આવતો હતો. ચારેક મહિના પહેલા રામ અચાનક ઘરમાં આવી ગયો ત્યારે તે બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. રામ ગોહિલે તેણીનો નગ્ન અવસ્થામાં વીડિયો ઉતાર્યો અને ફોટા પણ પાડ્યા હતાં. રામે આ ફોટા અને વીડિયો તેને મોકલી બ્લેકમેઇલ કરી પૈસાની માંગણી કરી રહ્યો છે. લતાએ તેના ભાઇને એમ પણ જણાવ્યું કે, મેં રામ ગોહિલને પૈસા નહીં હોવાનું કહ્યું તો તેણે મને માર માર્યો હતો. સાથે જ આ વીડિયો અને ફોટા મારા પતિને મોકલી દેશે એવી ધમકી પણ આપી રહ્યો છે. બે મહિના પહેલા લતાનો આખો પરિવાર રામ ગોહિલના ફાર્મ હાઉસમાં ગયો હબતો. જ્યાં પણ રામ ગોહિલે પૈસાની માંગણી કરી ગુસ્સે ભરાઇ તેણીનું માથુ દીવાલમાં ભટકાવ્યું હતું. વીસેક દિવસ પહેલા લતા સ્નેહમુદ્રા સોસાયટી પાસે શ્રીરામ મોબાઈલ વાળા કોમ્પલેક્ષમાં કામ પર ગયેલી ત્યારે રામ ત્યાં આવી ગયો હતો. રામ ગોહિલે કારખાનામાં લતા સાથે માથાકૂટ કરી લાફો મારી દીધો હતી. બાથરૂમમાં સ્નાન કરી વેળા ઉતારી લીધેલા નગ્ન વીડિયોનાં આધારે રામ ગોહિલ બ્લેકમેઇલ કરી પૈસાની માગણી સાથે મારઝૂડ કરી રહ્યો હોવાનું બહેન લતાએ જણાવતાં તુષારે આ બાબતે મોટાભાઇ સાથે વાત કરી હતી. મોટાભાઇએ બનેવીને કોલ કરી મળવા બોલાવ્યા અને પછી તેમના મિત્ર રામ ગોહિલની સમગ્ર કરતૂત જણાવી હતી. જેથી બનેવીએ આપણે રામ ગોહિલનાં મોટાભાઇને મળી તેને સમજાવીએ એમ કહ્યું હતું. ૧૧મી જુલાઇએ લતાના બે ભાઈ અને પતિ રામ ગોહિલના મોટાભાઇ ઉમેશને મળ્યા હતાં. તેમણે રામે ઉતારેલા વીડિયો, બ્લેકમેઇલિંગ, મારઝૂડ અને પૈસાની માગણી અંગે વાત કરી હતી. આ સાંભળી ઉમેશે રામને બોલાવ્યો અને વાતચીત કરતાં તેણે હવે પછી લતાને હેરાન પરેશાન નહીં કરૂ આવે ખાતરી આપી હતી. સાથે જ ઉમેશે પણ રામની બાંહેધરી લઇ તેનો મોબાઈલ ફોર્મેટ મારી વીડિયો ડિલીટ કરી નાંખીશ એમ કહ્યું હતું. લતાના સાસરિયા અને રામ ગોહિલ એક જ ગામના વતની હોય સમાધાનથી મામલો આટોપી લેવાયો હતો. જાે કે, ત્યારબાદ પણ લતા ટેન્શનમાં જ રહેતી હતી. આવી મનોસ્થિતિમાં તેણીએ ૧૩મી જુલાઇએ કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જેના પગલે ભાઈ તુષારે કાપોદ્રા પોલીસનો સંપર્ક સાધી માધુ ગોહિલ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution