આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, જાન્યુઆરી 2026
2475 |
મહાશિવરાત્રિ મેળા માટે સરકાર સંપૂર્ણ સજજ સાધુઓની રવેડીનો રૂટ વધારાયો : હર્ષ સંઘવી
ગાંધીનગર, આગામી મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાનારા ભવનાથ મહાદેવના ઐતિહાસિક મેળાને લઈ રાજ્ય સરકાર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના અંતર્ગત ઉપમુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સાધુ સંતો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાધુ-સંતોના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનથી ગુજરાતનાં સૌથી મોટા ધાર્મિક મેળાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના દર્શન માટે દર વર્ષે અનેક વર્ષોથી દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને આ વર્ષે વ્યવસ્થાઓને વધુ મજબૂત અને આધુનિક બનાવવામાં આવી છે. બેઠકમાં મુખ્યત્વે શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવિધા અને સરળ અવરજવર માટે શું વધુ સારું કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે મેળાના રૂટમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં નાગા સાધુઓની રવેડી (યાત્રા)ના રુટ વિસ્તારમાં અંદાજે ૫૦૦ મીટરનો રૂટ વધારવામાં આવ્યો છે, જેથી ભીડનું સંચાલન સરળ બને અને દર્શનાર્થીઓને કોઈ અસુવિધા ન થાય. આ સાથે સરકાર દ્વારા વધારાની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહાશિવરાત્રિના ભવનાથના મેળાની સુરક્ષા વ્યવસ્થા અંગે ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષે આશરે ૧૬૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરાતા હતા, જ્યારે આ વર્ષે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ૨૯૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, ભીડ વ્યવસ્થાપન અને સેવાકાર્ય માટે ૧૦૦૦થી વધુ સ્વયંસેવકો પણ ખડેપગે કાર્યરત રહેશે. મેળામાં આવનાર સંતો અને ભક્તોની રહેવા-જમવાની વ્યવસ્થાઓ અંગે પણ વિશેષ આયોજન કરાયું છે. આશરે ૩૦૦ જેટલા ઉતારાઓમાં જમવાની વ્યવસ્થા કરાઇ છે. સાથે જ, પીવાના પાણીની નવી અને પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ સમયે પાણીની અછત ન સર્જાય.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જાન્યુઆરી 2026
6336 |
બગદાણા કેસમાં માયાભાઈના પુત્ર જયરાજની ધરપકડ
ભાવનગર ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને ફરી એકવાર પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું. આજે (૨૪મી જાન્યુઆરી) સમન્સને પગલે જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો હતો. જાેકે, જયરાજ આહીરની પૂછપરછ બાદ તેની ધરપકડ કરાઈ છે.બગદાણાના કોળી અગ્રણી પર થયેલા હુમલાની કડીઓ મેળવવા માટે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અગાઉ પણ જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે આજે ફરીથી તેને રેન્જ આઈજીની કચેરીમાં બોલાવવા આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આ હુમલાની ઘટનામાં સંડોવાયેલો હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાને લઈ આજે જયરાજ આહીરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો. કચેરીએ હાજર થતા પહેલા જયરાજે જણાવ્યું હતું કે, ‘મને ન્યાયતંત્ર અને કાયદા પર પૂરો ભરોસો છે. તપાસમાં જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું સંપૂર્ણ સહયોગ આપીશ. કાયદાકીય જે પણ ર્નિણય આવશે તે મને શિરોમાન્ય રહેશે.’ બગદાણા હુમલા કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ટીમની તપાસમાં પ્રથમ કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જાન્યુઆરી 2026
3960 |
ફોરેન્સિક- પીએમ અને બનાવની પ્રાથમિક તપાસ બાદ મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ
અમદાવાદ, અમદાવાદમાં યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગોહિલના મોત મામલે ફોરેન્સિક, પીએમ અને બનાવની પ્રાથમિક તપાસ બાદ કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યશરાજસિંહ ગોહિલે જ કોઈ અગમ્ય કારણોસર પત્ની પર ફાયરિંગ કરી હત્યા નીપજાવ્યાનો અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો. એસીપી જયેશ બ્રહ્મભટે ફરિયાદી બનીને હત્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી.મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ તપાસવામાં આવ્યો હતો ત્યારે મોતનું કારણ માથામાં વાગેલી ગોળીના કારણે શોક અને હેમરેજ થયું હોવાનું સામે આવ્યું હતું.પોલીસ તપાસમાં એ પણ નોંધ્યું હતું કે આ રિવોલ્વર આકસ્મિક રીતે ચાલે અને ફાયરિંગ થાય એેવું શક્ય ન હતું, કારણ કે રિવોલ્વરના ટ્રિગર ઉપર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વાપર્યા વિના દબાવી શકાય નહી, જેથી યશરાજસિંહે જ પત્ની રાજેશ્વરીને જાનથી મારી નાખવાના ઇરાદે રિવોલ્વરથી માથામાં ગોળી મારી હત્યા કરી હતી. યશરાજસિંહે પોતે પણ પોતાના માથાના ભાગે ગોળી મારીને આપઘાત કર્યો.યશ કુમાર સિંહે તેમની પત્ની રાજેશ્વરીબાને જાનથી મારી નાંખવાના ઇરાદે તેમની લાયસન્સ વાળી રાઉન્ડ ભરેલી રિવોલ્વરના ટ્રીગર ઉપર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વાપરીને ટ્રીગર દબાવી રાજેશ્વરીબાના માથાના પાછળના ભાગે પોતાની રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી ગોળી મારી રાજેશ્વરીબાની હત્યા કરી હોય ત્યારબાદ યશકુમાર સિંહે ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવતા ૧૦૮ના કર્મચારીએ રાજેશ્વરીબાને મૃત જાહેર કરતાં તેઓએ પોતાની જાતે પોતાની રિવોલ્વરમાંથી પોતાના માથાના ભાગે એક ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ રિવોલ્વરમાં ફકત ૨ જ રાઉન્ડ થતા જે બંન્ને રાઉન્ડનો ફાયરીંગમાં ઉપયોગ થયો હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું. ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા દ્ગઇૈં એપાર્ટમેન્ટમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગોહિલનું મોત થયું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જાન્યુઆરી 2026
3564 |
અમદાવાદમાં લગ્નની લાલચ આપી કૌટુંબિક ભાઈએ જ બળાત્કાર કર્યો
અમદાવાદ, સુરેન્દ્રનગરમાં રહેતી ૨૧ વર્ષની યુવતી અભ્યાસ માટે નવરંગપુરા વિસ્તારમાં કેટલાક સમયથી રહેતી હતી. યુવતી ગત વર્ષે જ્યારે ઘરે ગઈ હતી ત્યારે યુવતીના મમ્મીના માસીના દીકરાનો દીકરો જય યુવતીના ઘરે રહેતો હતો. યુવતી જ્યારે અમદાવાદ પરત આવી ત્યારે જયે યુવતીને ફોન કરવાનું શરૂ કર્યું હતું. યુવતી સાથે અવારનવાર વાતચીત કરીને જયે કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે જ લગ્ન કરીશ. જેથી યુવતી જયની વાતોમાં આવી ગઈ હતી. ૧૧ ઓગસ્ટના રોજ યુવતીનો જન્મદિવસ હોવાથી તેને મળવા જય અમદાવાદ આવ્યો હતો. ઓગસ્ટ,સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં જય અવારનવાર અમદાવાદ આવતો હતો. આ દરમિયાન જયે યુવતીને નવરંગપુરાની એક હોટલમાં લઈ જઈને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા.થોડા સમયમાં યુવતી તેના ઘરે જતી રહી હતી. યુવતી ઘરે ગઈ ત્યારે તેને જાણ થઈ હતી કે જયની રાજકોટમાં કોઈ છોકરી સાથે સગાઈ થઈ ગઈ છે. જેથી યુવતીએ જયને ફોન કર્યો ત્યારે જયે કહ્યું હતું કે આ વાત ભૂલી જા. આ અંગે યુવતીએ તેના મમ્મી પપ્પા અને મામાને વાતચીત કરી હતી. જે બાદ યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જય વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, જાન્યુઆરી 2026
5841 |
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા
રાજકોટ, રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામથી એક મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ખોડલધામ ખાતે આયોજિત ‘કન્વીનર મીટ ૨૦૨૬’ દરમિયાન સંસ્થાના ચેરમેન નરેશ પટેલે આ મહત્વની જાહેરાત કરી હતી. ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ તરીકે હવે અનાર પટેલના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય અનાર પટેલ હવે ખોડલધામના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કરશે. ખોડલધામ ખાતે યોજાયેલા કન્વીનર મીટમાં સંબોધન કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ખોડલધામના સંગઠનને લગતી તમામ ગતિવિધિઓ અને વહીવટી કામકાજમાં અનાર પટેલ મુખ્ય ભૂમિકા ભજવશે. આ નિમણૂકથી સંગઠનમાં મહિલાઓ અને યુવાનોની ભાગીદારી વધશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. અનાર પટેલ અગાઉ પણ અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જાેડાયેલા રહ્યા છે, ત્યારે હવે ખોડલધામ જેવા મોટા સંગઠનની કમાન તેમના હાથમાં આવતા સંગઠનને નવી ઊંચાઈ મળશે તેવું મનાઈ રહ્યું છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, જાન્યુઆરી 2026
2277 |
૨૬૬૬ ગ્રા. પં.ઘર કમ તલાટી આવાસોનું મુખ્યમંત્રીના હસ્તે ભાદરણથી ઈ-ખાતમુહૂર્ત
ગાંધીનગર,આણંદ, રાજ્યની ૨૬૬૬ ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ત્મનિભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, વડાપ્રધાને ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધીનો આપેલો સેચ્યુરેશન એપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયત ઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી ર્નિણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના આ ૨૬૬૬ ગામોમાં કુલ રૂ. ૬૬૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસને પરિણામે ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ સરકારી સેવાઓ સરળતાએ ઉપલબદ્ધ થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ અવસરેતેમણે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્યવ્યાપી લોંચિંગ પણ પંચાયત મંત્રી રૂષિકેશ પટેલ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં કર્યુ હતુ. આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, રાજ્યના ૧૧૪ તાલુકા મથકના એવા ગામો જે તાલુકા મથક છે પરંતુ નગરપાલિકા નથી તેને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ના પ્રથમ તબક્કામાં આવરી લઈને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઈટ, ઈ-ગ્રામ, કોમ્યુનિટી હોલ સહિતની શહેરી સમકક્ષ આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, શહેરો પરનું ભારણ ઓછું થાય અને શહેરો જેવી જ સુવિધાઓ ગામોમાં મળે તેવા આશયથી આગામી સમયમાં રાજ્યમાં ૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ અંતર્ગત આવરી લેવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. આના પરિણામે ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટશે તથા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો વડાપ્રધાને આપેલો મંત્ર સમગ્ર અને સંતુલિત વિકાસથી સાકાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, પાણી સંરક્ષણ માટે “કેચ ધ રેન” અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે વિશેષ પ્રયત્નો હાથ ધરાઈ છે. દરેક ધારાસભ્યને રૂ. ૫૦ લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવી છે. જેથી સ્થાનિક સ્તરે રિચાર્જિંગ વ્યવસ્થાઓ ઉભી કરી શકાય. પંચાયત અને ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રૂ. ૬૬૩ કરોડના ખર્ચે સમગ્ર રાજ્યમાં ૨૬૬૬ ગ્રામ પંચાયત ભવનોનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે, જેનાથી ગુજરાતના ગામડાઓના વિકાસ માટે નવી દિશા મળશે. આ પ્રસંગે રમણ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યની ૨૬૬૬ નવી ગ્રામ પંચાયતોના ઈ-ખાતમુહૂર્ત અને ૧૧૪ ગામોમાં ‘‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’’ના લોન્ચિંગ સાથે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો સરકારનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. તેમણે ભાદરણ જેવા પ્રજાભિમુખ વહીવટ ધરાવતા ગામની પસંદગી કરવા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, જાન્યુઆરી 2026
6138 |
રાજપીપળાના બંધ મકાનમાંથી ૪૦ વાઘનાં ચામડાં ,૧૩૩ નખ મળ્યાં
રાજપીપળા, એક તરફ ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થતી જાય છે ત્યારે બીજી બાજુ નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના એક રૂમ માંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘનું ચામડું મળી આવતા રાજપીપળા વન વિભાગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આટલી મોટી સંખ્યામાં વાઘનું ચામડું મળી આવ્યું હોય એવો ગુજરાતમાં કદાચ પ્રથમ કિસ્સો હશે.આ ચામડું વાઘનું છે કે નકલી છે એની તપાસ માટે રાજપીપળા વન વિભાગે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.રાજપીપળા રેન્જ વન વિભાગના આર.એફ.ઓ જીગ્નેશ સોનીના જણાવ્યા મુજબ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.એ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમ માંથી ખરાબ વાસ આવતી હોવાનું એમના ધ્યાને આવ્યું હતું.એ દરમિયાન વર્ષો જૂની એક પતરાની પેટીમાં કોઈ વન્ય પ્રાણીનું ચામડું હોવાનું જાણતા જ એ મંદિરના ટ્રસ્ટીઓએ રાજપીપળા વન વિભાગના આર.એફ.ઓ જા જીગ્નેશ સોનીને જાણ કરી હતી.જે બાદ અમે અમારી ટીમ સાથે ત્યાં પહોચી તપાસ હાથ ધરતા પેટીમાં શંકાસ્પદ વાઘનું ચામડું તથા નખ હોવાનું અમને જાણવા મળ્યું હતું.બાદ સરકારી પંચોની હાજરીમાં તમામ શંકાસ્પદ વાઘના ચામડાને વન વિભાગની કચેરીએ લાવ્યા હતા.ખરાઈ કર્યા બાદ એ ચામડું શંકાસ્પદ રીતે વાઘનું હોવાનું અમને જણાઈ આવ્યું હતું.આ ચામડું તથા નખ વાઘના જ છે કે નકલી છે એની તપાસ માટે અમે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. આર.એફ.ઓ જીગ્નેશ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે અમને તપાસ દરમિયાન ૩૭ જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી ૪૦ થી વધુ ચામડા તથા ૧૩૩ જેટલા નખ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ ૧૭૨ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે.ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે તો બીજી બાજુ પ્રથમ દૃષ્ટિએ આ વન્ય પ્રાણીની તસ્કરી પણ હોઈ શકે, મહારાજનો ૧૯૨૬ માં જન્મ થયો હતો આજથી લગભગ ૫ મહિના પેહલા ૯૫ વર્ષની ઉંમરે નિધન થયું છે.વન્ય પ્રાણીના આ ચામડા અને નખ એમની જ રૂમ માંથી મળી આવ્યા છે.આ ચામડા મળ્યા એ પેટીમાંથી ૧૯૯૨ ના વર્ષનું ન્યૂઝ પેપર મળી આવ્યું છે એટલે આ ચામડા લગભગ ૩૩ વર્ષથી તો મહારાજ પાસે જ હશે એવો અંદાજ મારી શકાય.જાે એફ.એસ.એલ ની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ કોણ જાેડાયેલું હતું એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, જાન્યુઆરી 2026
4158 |
આણંદમાં સરદાર બાગ નજીકથી એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઇ
આણંદ, વિદ્યાનગરની શાશ્વત નગરીની ઓળખને નશાના રવાડે ચઢાવવાના ખેલ રચાતાં હોય તેમ ગત મોડી સાંજે આણંદ એસઓજી દ્વારા બાતમીના આધારે શહેરના નવા બસમથક નજીકના સરદાર બાગ પાસેથી એમપીની મહિલાની ૧૧૬.૨૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે આણંદ ખાતે નશીલા પદાર્થ મંગાવનાર કોણની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર વિદ્યાધામની ઓળખ બનેલ આણંદ, વિદ્યાનગરની વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં સ્થાનિક, પ્રાંતિય તથા પરપ્રાંતીય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવતાં હોય તેમને નશાના રવાડે ચઢાવવાના ખેલ રચવામાં આવ્યા હોય તેમ ગત મોડી સાંજે શહેરના નવા બસમથક નજીકના સરદાર બાગ પાસે એક મહિલા નશીલા પદાર્થની ડિલિવરી આપનાર હોવાની બાતમી આણંદ એસઓજીને મળતા એસઓજી દ્વારા સ્થળ પર પહોંચી રતલામ થી નશીલા પદાર્થ લઇ બસ મારફત જાંબુઆ જીલ્લાના બેડાવા ગામની આવેલ મહિલા મંજુ જગદીશ ભુરીયાને ત્રણ લાખ ઉપરાંતની કિંમતના ૧૧૬.૨૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે પોલીસ દ્વારા મહિલાની પૂછપરછ કરતાં નશીલા પદાર્થ રતલામના નારાયણ નામના શખ્સ પાસેથી લાવી આણંદ આપવાનું જણાવતાં આણંદનો માલ લેવા આવનાર શખ્સ કોણ?ની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, જાન્યુઆરી 2026
4257 |
બનાસકાંઠા - દાહોદનું પાણી પીવાલાયક નહિ હોવાનો સરકારી અહેવાલમાં ખુલાસો
ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણીના લીધે ગાંધીનગર અને અમદાવાદ મોટા પ્રમાણમાં બીમાર પડ્યા છે. જેમાં મોટા ભાગે બાળકો છે. જ્યારે બાલાસિનોરમાં દૂષિત પાણીથી કેટલાક દિવસો અગાઉ નાગરિકો કમળાગ્રસ્ત થયા હતા. આ સંજાેગોમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્રના જલ શક્તિ મંત્રાલયના આહેવાલના આંકડા રજૂ કરીને ગુજરાતના કયા જિલ્લાનું પાણી કેટલું પીવાલાયક છે તે બતાવ્યું છે. આ આંકડા અત્યંત ચોંકાવનારા છે. કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયના અહેવાલના આંકડા અનુસાર, જળશક્તિ મંત્રાલયના ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ રિપોર્ટ મુજબ ગુજરાતમાં માત્ર ૪૭.૩%ના ઘરે ગુણવત્તાયુક્ત પાણી નળથી પહોંચે છે જ્યારે સમગ્ર દેશમાં ૭૬% ઘરો સુધી ગુણવત્તાયુક્ત પાણી નળ દ્વારા પહોંચે છે. વર્ષ ૨૦૨૨ સુધીના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની માહિતી મુજબ વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં ૩૦માં ક્રમે છે. ડિસોલ્વેડ ઓક્સિજન, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, પીએચ અને કોલિફોર્મ બેક્ટેરિયા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને વોટર ક્વોલિટી ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તિસગઢ જેવા રાજ્યોથી પણ ગુજરાત વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં પાછળ છે. સમગ્ર દેશની વોટર ક્વોલિટી ઈન્ડેક્સની સરેરાશ ૭૩.૮% જ્યારે ગુજરાતનો ઈન્ડેક્સ ૬૩% છે. જળ શક્તિ મંત્રાલયના અહેવાલ ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ મુજબ જિલ્લા પ્રમાણે પીવા લાયક પાણીની સપ્લાયના આંકડા ચોકાવનારા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૩૧.૯% ઘરો અને આર્થિક પાટનગર અમદાવાદમાં ૪૬.૧% ઘરોમાં જ પીવાલાયક પાણી આવે છે. એટલું જ નહીં, આ અહેવાલ મુજબ દાહોદ અને બનાસકાંઠામાં ૦.૦% ઘરોમાં પીવાલાયક એટલે કે પોટેબલ વોટર આવે છે. મહીસાગરમાં ૧૬%, નર્મદામાં ૧૫.૪%, ગીર સોમનાથમાં ૧૧.૭% દેવભૂમિ દ્વારકા માં ૧૭.૨% ઘરોમાં પીવા લાયક પાણી મળે છે. જ્યારે રાજકોટની જનતાને ૧૬.૨% અને સુરતના લોકોને ૪૭.૨% લોકોને ત્યાં પીવાલાયક પાણી નળથી મળે છે. અહેવાલ મુજબ જૂના ૩૩ પૈકી ૧૯ જિલ્લામાં નળ થકી ૫૦% થી ઓછા લોકોને ગુણવત્તાયુક્ત પીવાલાયક પાણી મળે છે.જિલ્લાનું નામ ટકાવારી અમદાવાદ ૪૬.૧% બનાસકાંઠા ૦.૦% ભરૂચ ૮.૫% ભાવનગર ૧૪.૭% દાહોદ ૦.૦% ડાંગ ૪૦.૧% દેવભૂમિ દ્વારકા ૧૭.૨% ગાંધીનગર ૩૧.૯% ગીર સોમનાથ ૧૧.૭% મહિસાગર ૧૬.૦% મોરબી ૪૦.૬% નર્મદા ૧૫.૪% નવસારી ૪૭.૮% પંચમહાલ ૩૯.૨% રાજકોટ ૧૬.૨% સાબરકાંઠા ૧૭.૪% સુરત ૪૭.૨%
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, જાન્યુઆરી 2026
4554 |
'સ્માર્ટ' વડોદરાના પશ્ચિમ ઝોનમાં ડ્રેનેજ-રોડના અધૂરા કામો
વડોદરામાં ચાલી રહેલ પશ્વિમ ઝોનનાં કામોની વિભાગ મુજબ વાત કરીએ તો રોડ વિભાગના નવા અને જુના રોડ ના ૨૯ કામો ચાલી રહ્યા છે પાણી પુરવઠા વિભાગનાં ૯ કામો ચાલી રહ્યા છે ડ્રેનેજ વિભાગના ૮ કામો ચાલી રહ્યા છે
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, જાન્યુઆરી 2026
2178 |
બાવળા પાસે અકસ્માત, ૧૦થી વધુ ઇજાગ્રસ્ત
અમદાવાદ, અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર રામનગર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી કંપનીની લક્ઝરી બસ અને બોલેરો પીકઅપ વચ્ચે થયેલી ટક્કરમાં ૧૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. મળતી માહિતી મુજબ, બોલેરો પીકઅપમાં સવાર લોકો બાવળામાં માતાજીનો માંડવો પતાવી ભાવનગર તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રામનગર પાસે રોડ પર યુ-ટર્ન લઈ રહેલી લક્ઝરી બસ સાથે બોલેરો પીકઅપ ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી અને ઘાયલ થયેલા તમામ લોકોને બાવળા ઝ્રૐઝ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઇજાગ્રસ્તો પૈકી જે વ્યક્તિઓની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા.ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બાવળા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં લક્ઝરી બસના ચાલકે અચાનક યુ-ટર્ન લેતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું.ધોલેરાના હેબતપુર પાટિયા પાસે કાર અકસ્માત ધોલેરાના હેબતપુર પાટિયા નજીક ઇકો કાર અને હ્યુન્ડાઈ અમેઝ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઇકો કારમાં સવાર છ લોકોમાંથી ત્રણને ગંભીર ઇજાઓ થઈ હતી.ઇકો કાર ઢાળ ચડી રહી હતી તે સમયે અમદાવાદ તરફથી આવી રહેલી હ્યુન્ડાઈ અમેઝ કાર સાથે અથડાઈ હતી.ઇજાગ્રસ્તોને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સ્થળે ઢાળ પરથી રોડ ઉપર ચડતી વખતે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, જાન્યુઆરી 2026
2079 |
૪ ફેબ્રુઆરી સુધી શાહિબાગ અંડરપાસ રાત્રે ૧૧થી સવારે ૦૬ વાગ્યા સુધી બંધ રહેશે
અમદાવાદ, શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે શાહિબાગ અંડરપાસ ૨૩ જાન્યુઆરીએ રાત્રે ૮ વાગ્યાથી ૨૮ જાન્યુઆરીની રાત્રે ૧૨ વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો. હવે ફરીવાર આ અંડરપાસને બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શુક્રવારથી આગામી ૪ ફેબ્રુઆરી સુધી આ અંડરપાસ રાત્રે ૧૧થી સવારે ૦૬ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. અંડરપાસ બંધ કરવાનો ર્નિણય લેવાની સાથે વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે બુલેટ ટ્રેનની કામગીરીને કારણે શાહિબાગ અંડરપાસ ફરીવાર વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે. આજથી આગામી ૪ ફેબ્રુઆરી સુધી રાત્રે ૧૧થી સવારે ૦૬ વાગ્યા સુધી આ અંડર પાસ બંધ રાખવામાં આવશે. વાહન ચાલકોને કોઈ તકલીફ ના પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટની પણ તૈયારી કરવામાં આવી છે.દિલ્હી દરવાજા તથા સુભાષબ્રીજ ઉપરથી આવતો ટ્રાફિક કે જેને એરપોર્ટ-ગાંધીનગર તરફ જવું છે તે વાહનો સુભાષબ્રીજના છેડે શિલાલેખ ફ્લેટ થઇ રિવરફ્રન્ટનો ઉપયોગ કરી રિવરફ્રન્ટ માર્ગ ડફનાળા થઇ એરપોર્ટ તેમજ ગાંધીનગર તરફ જઇ શકાશે.એરપોર્ટ-ગાંધીનગર તરફથી આવતો ટ્રાફિક ડફનાળા રિવરફ્રન્ટનો ઉપયોગ કરી અલગ-અલગ માર્ગે જઇ શકાશે. તેમજ અસારવા,ગીરધરનગર, દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જવું હોય તો શાહીબાગ થઇ મહાપ્રજ્ઞજી બ્રીજનો ઉપયોગ કરી મુખ્ય માર્ગો તરફ જઇ શકાશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, જાન્યુઆરી 2026
2277 |
અમદાવાદમાં ચાકુના ઘા મારી યુવકની હત્યા
અમદાવાદ, અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી, જેમાં સરખેજ ફતેહવાડી કેનાલ ઇઝ્રઝ્ર રોડ પર આવેલી હમીદાનગર સોસાયટીમાં રહેતા આમિર મુકીમ નામની વ્યક્તિની હત્યા કરવામાં આવી. ચાકુના ઘા મારી યુવકની પતાવી દીધો. બાળકને મારવાનો પૂર્વ પતિને કોઈએ મેસેજ કર્યો ને બબાલ થઈ હતી. અફસાના બાનુના પૂર્વ પતિ દ્વારા હાલના પતિની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું.આમિર મુકીમ શેખની તેના ઘરની બહાર જ હત્યા કરવામાં આવી. સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપી ઝડપી પાડ્યો. એમ ડિવિઝન એસીપી એ.બી. વાણંદે જણાવ્યું હતું કે, સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ફતેવાડી વિસ્તારમાં પોલીસને મારામારી થઈ હોવાનો ફોન આવ્યો હતો. જેથી પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે એક આરોપી ભાગવા જતો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો. ઇઝ્રઝ્ર રોડ પર હમીદાનગર આવેલું છે ત્યાં આમિર મુકીમ શેખ ત્યાં રહેતો હતો. તેને બીજા લગ્ન કર્યા છે અને તેની વાઇફ છે તેના અગાઉના પતિથી ૬ બાળક છે. ૨૦૨૦થી તેઓ સાથે રહેતા હતા.આરોપી અને મૃતકનો અગાઉ કોઈ ગુનાહીત ઇતિહાસ નથી.વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૨૦માં પૂર્વ પતિ સાથે અલગ થઈને મહિલા તેના બીજા પતિ સાથે રહેતી હતી. પૂર્વ પતિથી આરોપીના ૬ બાળક છે. આરોપીને ખબર પડી કે આમિર મુકીમ શેખ તેના બાળકને મારે છે જેથી તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આરોપી અને મૃતક વચ્ચે ઘર આગળ જ મારામારી થઈ હતી. જેથી આરોપીએ છરી વડે હુમલો કરતા આમિર મુકીમ શેખનું મોત થઈ ગયું હતું.જુહાપુરામાં છરી વડે હુમલો અમદાવાદ શહેરમાં ફરી એક વખત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા.જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં જાહેરમાં એક શખસ છરી વડે એક વ્યક્તિ સાથે મારામારી કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વાઇરલ વીડિયોમાં પોલીસને પડકાર ફેંકતો હોય તેમ એક શખસ હાથમાં છરી લઈને ટ્રાફિકની વચ્ચે અન્ય વ્યક્તિ પર હુમલો કરી રહ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, જાન્યુઆરી 2026
2079 |
ગાંધીનગરના બિલ્ડરપુત્રની આત્મહત્યા કેસમાં ૪ માંથી ૧ ઝડપાયો
ગાંધીનગર, ગાંધીનગર કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા ૨૫ વર્ષીય ઋષભ પટેલની આત્મહત્યા કેસમાં ચાર શખસ સામે ફરિયાદ નોંધાઈ છે. ઇન્ફોસિટી પોલીસ મથક મૃતકના પિતા પ્રવીણભાઈએ દાખલ કરેલી ફરિયાદમાં ચાર શખસોનો નામજાેગ ઉલ્લેખ છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ મૃતક ઋષભના સસરાના ઓળખીતા છે અને પૈસાની લેવડ દેવડમાં બે ત્રણ મહિનાથી માનસિક અને શારીરિક હેરાનગતિ કરાતા ઋષભે અંતિમ પગલું ભર્યું હતું. ચાર આરોપીઓમાંથી એક મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસે મહિપાલસિંહ નામના એકની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવાની કવાયત તેજ કરી છે. ગાંધીનગર શહેર નજીક આવેલા સુઘડ ખાતે શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલના લગ્ન ગત ૧૨ જાન્યુઆરીના રોજ થયા હતા. ૨૫ જાન્યુઆરીના રોજ તે સાઇટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો અને જાેકે તે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ઋષભનો ક્યાંય પતો લાગ્યો ન હતો. આ દરમિયાનમાં ૨૬ જાન્યુઆરીના રોજ યુવકની કાર રાયપુર નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની અંદર તપાસ કરતા પરિવારને દાગીના મોબાઈલ અને રોકડ રકમની સાથે અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી. ૨૮ જાન્યુઆરી યુવકનો મૃતદેહ ઘરથી ૩૯ કિલોમીટર દૂર કડી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. લગ્ન જીવનના ૧૩ જ દિવસમાં જુવાનધોધ યુવકનું મોત થતાં પરિવાર આધાતમાં સરી પડ્યો છે. ‘હું પટેલ રૂષભ પ્રવિણભાઈ આજે તારીખ ૨૫ જાન્યુઆરીના ૬.૨૦ વાગે મારા હોશો હવાસમાં ગાંધીનગર...જણાવું છું કે, કલ્પેશભાઈ (તલાટી) (૨હેઠાણ- ધ નેકસ્ટ, કેરાહેજા રોડ તથા મુખ્ય માણસ મનિષ સ્પલેન્ડર (નાના ચિલોડા શીખર બંગ્લોઝ) તથા ક્રિઝાલ બેવરલી તથા મહિપાલ બેવરલી. આ દરેક વસ્તુમાં હુ કંટાળ્યો છું, છેલ્લા છ દિવસથી મને માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યો છે. આમાં મુખ્ય માણસ કલ્પેશભાઈ (તલાટી) તથા મનિષભાઈ સ્પલેન્ડરે મને ધાક ધમકી આપી ઢોર માર માર્યો હોવાથી હું આ પગલું ભરૂં છુ. આ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થવી જાેઈએ અને આ લોકોને આજીવન સજા થાય તેવી કોશિશ થવી જાેઇએ. કેમ કે હું મારૂ જીવન વગર વાંકે પુરૂં કર્યું છે અને આ મારી આટલી ખરાબ દુવા લાગશે કે તમારી સાત પેઢી પર સુખ નહી જાેવે અને આ લોકોને બહુ જ ખરાબ હાલત થવી જાેઇએ. હેલી બેટા (પત્ની) ખુશ રહેજે મને તારાજ માણસોએ મરવા માટે મજબૂર કર્યો છે એમને સજા અપાવજે. કલ્પેશભાઈ (તલાટી)એ અત્યાર સુધી શાંતિથી વાત પતાવી હોત તો અત્યારે બધુ પતી ગયું હોત. પરંતુ એમને મનિષભાઈ સ્પલેન્ડરને શું ક૨વા વચ્ચે લાવવા પડે? મને બજાર વચ્ચે માર્યો છે તો મને કોઇ વ્યવહારીક અધિકારીઆનો પી.એસ.આઈ, પી.આઈ હશે તો આમને બધાને બજાર વચ્ચે મારવામાં આવે તો મારી આત્માને શાંતિ મળશે. કેમ કે આ બધા ચિલોડામાં રહીને આજ ધંધો કરે છે. સારા માણસ છોકરાને જાેઈને બસ મારી નાખવાની ધમકી આપે છે જેથી હુ કંટાળી આ પગલું ભરૂં છું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, જાન્યુઆરી 2026
990 |
કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટમાં બોમ્બ અને હાઇજેકની ધમકી મળતાં ઈમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ, કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ચિઠ્ઠી મળતા મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સુરક્ષાના કારણોસર વિમાનને તાત્કાલિક અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરી ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે તે સમયે ભારે અફરાતફરી મચી ગઈ જ્યારે કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. સુરક્ષાના કારણોસર પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (છ્ઝ્ર) નો સંપર્ક સાધ્યો અને ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.ફ્લાઇટના સુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનને રન-વેથી દૂર આઈસોલેશન બે માં લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ કુવૈતથી ઉપડીને દિલ્હી જઈ રહી હતી. વિમાનમાં કુલ ૧૮૦ મુસાફરો સવાર હતા. ફ્લાઇટમાં બોમ્બ હોવાનો સંદેશ મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતીતમામ ૧૮૦ મુસાફરોનું પર્સનલ ચેકિંગ કરવામાં આવ્યું અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વિમાનમાં રહેલા તમામ સામાનને બહાર કાઢીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા આખું વિમાન ફંફોસી મારવામાં આવ્યું હતું જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તેને નિષ્ક્રિય કરી શકાય.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
20, જાન્યુઆરી 2026
5742 |
Surat ના textile industry પર 500% US tariff નો ઘાત – અસ્તિત્વની લડાઈ !!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, જાન્યુઆરી 2026
3267 |
નાના વરાછામાં રામજી મંદિર પાછળ તાપીમાં ફેંકાયેલું બાળકનું ભ્રૂણ મળ્યું
સુરત, નાના વરાછા રામજી મંદિર પાછળ તાપીમાંથી બાળકનું ભ્રૂણ મળતાં ચકચાર મચી હતી. નદીકાંઠે ટેમ્પો ધોતા યુવકે પાણીમાં તરતાં ભ્રૂણ અંગે જાણ કરતાં પોલીસે સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરી હતી. કાપોદ્રા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર નાના વરાછમાં તપોવન સ્કુલ પાસે ગાયત્રી નગરમાં રહેતા જીગ્નેશ સુરેશભાઈ ખાણીયા ટેમ્પો ચલાવે છે. સુરેન્દ્ર નગરનાં ચુડા ગામના વતની જીગ્નેશ ૧૬મી તારીખે સવારે તેમનો જીજે ૦૫ સીવાય ૪૧૦૬ નંબરનો ટેમ્પો લઇ નાના વરાછા રામજી મંદિર પાછળ તાપી કિનારે ગયા હતાં. તેઓ અહીં તાપીમાંથી પાણી લઇ ટેમ્પો ધોવા માંડ્યા હતાં. આ દરમિયાન પાણીમાં તરતુ ભ્રૂણ જાેવા મળ્યું હતું. નદીનાં પ્રવાહમાં તરતુ ભ્રૂણ જાેઇ ચોંકી ઉઠેલા જીગ્નેશ ખાણીયાએ તુરંત ઓવારાની સફાઇ કરતાં પાલિકા કર્મચારી હિતેષ સોલંકી તથા રાજુભાઇ સોલંકીને જાણ કરી હતી. જાેતજાેતામાં ત્યાં લોકટોળું એકઠું થયું અને પોલીસ કંટ્રોલને કોલ કરાયો હતો. કોલ મળતાં પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. પોલીસે ભ્રૂણ અંગે આવશ્યક કાર્યવાહી કરી તેને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યું હતું. સાથે જ જન્મ છૂપાવવાના ઇરાદે અધૂરા માસે જન્મેલું કે ગર્ભપાત કરાયેલું ભ્રૂણ તાપી નદીમાં ફેંકી દેનાર અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, જાન્યુઆરી 2026
6534 |
ઉઠમણાંનાં ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી કરોડોનાં કાપડ ખરીદીનાં કૌભાંડનો સૂત્રધાર ઝડપાયો
સુરત, ઉઠમણું કરવાના ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી મોટાપાયે કાપડ ખરીદી બોગસ ચેક પધરાવવાનાં કૌભાંડમાં સૂત્રધાર એવા અજય તોલાનીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઉધના અમન સોસાયટીમાં રહેતા રજા અલી હુસેન સોલંકી આર.જે.એન્ટરપ્રાઇઝ નામથી પીવીસી બેગ મેન્યુફેક્ચરિંગ નો ધંધો કરે છે. સોલંકીના ધ્યાન પર એવી વાત આવી હતી કે, તેમની પેઢીનાં જીએસટી નંબર પર એવા બિલ નોંધાયા છે કે જેમની ખરીદી તેમણે કરી ન હતી. તેમણે સી એ વિનય કનોડીયા પાસે જીએસટી પોર્ટલ પર ચેક કરાવતા શ્રી કુબેરજી એમ્પાયર કો-ઓપરેટિવ કોમર્શિયલનું બીલ અપલોડ થયેલા દેખાતું હતું. કુબેરજી માર્કેટ પહોંચેલા રાજાઅલીને તેમની પેઢીનાં નામનું બોર્ડ અને જીએસટી નંબર દેખાયા હતા. વિશાલ સુરેશ ગુપ્તાની માલિકીની જણાવાયેલી આર જે એન્ટરપ્રાઇઝ પેઢીમાં જઇ સોલંકીએ તપાસ કરાતાં મેનેજ૨ રાશીદ શેખ અને કર્મચારી ક્રિષ્ના મળ્યા હતાં. તેઓએ તેમને વિશાલ ગુપ્તા અને હિતેષ વાઘાસિયા એ નોકરીએ રાખ્યાનું જણાવ્યું હતું, જેથી રાજાઅલીએ પોલીસ બોલાવી હતી. સારોલી પોલીસે માર્કેટ પહોંચી વિશાલની પૂછપરછ કરતાં તેણે દુકાન ભાડે આપી હોવાનું જણાવ્યું હતું. ભાડા કરારમાં આર.જે.એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર રાજેશ જેઠવાણીનાં આધાર કાર્ડ તથા પાનકાર્ડની ઝેરોક્ષ હતી. રાજેશ જેઠવાણીએ તેનું નામ સરનામું અને રાજાઅલીનો પાન નંબર લખી આ બોગસ પાનકાર્ડ બનાવ્યાનું ધ્યાને આવ્યું હતું. જેના કારણે વિશાલ ગુપ્તાને સારોલી પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જાે કે ત્યાં યોગ્ય કાર્યવાહી નહીં કરાતાં પોલીસ કમિશનરને રજૂઆત કરાઇ હતી. પોલીસ કમિશનર ગહલૌતની સૂચનાથી ઇકો સેલના ઇન્સ્પેક્ટર સોલંકીએ તપાસ આરંભી હતી. જેમાં રાજાઅલી ની આર જે એન્ટરપ્રાઇઝ પેઢીના જીએસટી નંબરનો દુરુપયોગ કરી વિશાલ સુરેશ કુમાર ગુપ્તા, સારોલીની અવધ માર્કેટમાં ૧૦૧૫-૧૦૧૬ નંબરની દુકાન ધરાવનાર વ્યક્તિ, મેનેજર રાશીખ શેખ, આર જે એન્ટરપ્રાઇઝ નો કર્મચારી ક્રિષ્ના સુરેશ, કાપડ દલાલ હીતેષ વઘાસીયા, કાપડ દલાલ મયંક જૈન, શુભમ અગ્રવાલ અને પંકજ માલ મંગાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ સામે રાજાઅલીની ફરિયાદ લઇ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉઠમણાંનાં ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી મોટાપાયે માલ ખરીદનારી આ ટોળકીના કૌભાંડની તપાસ ઇન્સ્પેક્ટર જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં નવેમ્બર ૨૦૨૪માં પંકજ ઉર્ફે સંજય ઉઘવદાસ માખીજા તથા દીપક શંકરલાલ ચેતુમલ ચંદાણીની ધરપકડ કરાઇ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે દીપકે કૌભાંડી અજય તોલાણીના કહેવાથી દુકાન ભાડે રાખી અને પેઢીના બોગસ ડોક્યુમેન્ટથી એક્સિસ બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. તેમણે આર.જે.એન્ટરપ્રાઇઝ નામથી બોગસ ભાડા કરાર જ નહોતો બનાવ્યો પરંતુ બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યા હતાં. તેઓએ મુંબઈના વેપારીઓ પાસેથી બે કરોડથી વધુંનો માલ ખોલાવી પેઢીના નામે ખોલાવાયેલા બોગ એકાઉન્ટમાંથી ચેક પણ આપ્યા હતા. આ હકીકત બહાર આવતાં પોલીસે અજય તોલાણીની તલાશ શરૂ કરી હતી. જાે કે, તે મળી નહીં આવતાં તેની સામે કોર્ટમાંથી ધરપકડ વોરંટ પણ મેળવાયું હતું. ભાઠેના રામદેવ નગર ખાતેનું મકાન ખાલી કરી નાસતાં ફરતાં કાપડ દલાલ અજય રમેશલાલ તોલાની (રહે.એફ/૭૦૨ પેલેડીયમ રેસીડેન્સી, ન્યુ અલથાણ રોડ)ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, જાન્યુઆરી 2026
2772 |
૧૦.૭ તોલા સોનાનાં દાગીના ચોરી જનારા ૧૫૦ સીસી કેમેરાથી પગેરૂ દાબીને પકડાયાં
સુરત રિક્ષામાં મુસાફરી કરતી મહિલાના હાથમાંથી ૧૦.૭ તોલા સોનાનાં દાગીના તથા રોકડ ભરેલી બેગ આંચકી ફરાર થઇ જનારા બદમાશોને પોલીસે ૧૫૦ સીસી કેમેરા થકી પગેરૂ દાબીને દબોચી લીધા છે. આ બે બદમાશોએ મહારાષ્ટ્રનાં જલગાંવ ખાતેની જ્વેલરી શોપમાં વેચેલા ૬૪ ગ્રામ સોનાનાં દાગીના કબજે લેવાયા હતાં. સ્તાનની સ્વપ્ન સૃષ્ટિ રેસિડેન્સીમાં આલોક ઓમપ્રકાશ રાય ગત ૧૩મી જાન્યુઆરીએ તેમની પત્નિ સાથે રીક્ષામાં બેસી રેલ્વે સ્ટેશનથી ભેસ્તાન આવી રહ્યા હતાં. દરમિયાન સિદ્ધાર્થનગરથી નવસારી તરફ જતા રોડ પર આવેલ નવજીવન હોન્ડા શો રૂમ પાસે બે અજાણ્યા ઇસમોએ મોપેડ ઉપર પાછળથી આવી આલોકની પત્નીના હાથમાથી પર્સ ખેંચી નાસી છૂટયા હતા. ઝૂંટવી જવાયેલા પર્સની અંદર ૧૦૭ ગ્રામ સોનાનાં દાગીના, ચાંદીનો સિક્કો તથા રોકડા ૧૫,૦૦૦ હતાં. દસેક લાખ કિંમતની મતા ભરેલું પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયેલા બાઇકર્સ અંગે ફરિયાદ મળતાં ભેસ્તાન પોલીસે તુરંત સીસી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી. સર્વેલેન્સ સ્ટાફની અલગ અલગ ટીમોએ ઘટના સ્થળથી લઈ આરોપીઓ જે જે રસ્તાઓ ઉપર ગુનાને અંજામ આપી ભાગ્યા હતા તે દિશામાં લગભગ ૧૫૦ જેટલા સીસી કેમેરા ચેક કર્યા હતાં.જેમાં મળેલી માહિતીના આધારે સ્નેચિંગ કરનારા મોઇન ઉર્ફે બોબડા સરવરખાન પઠાણ અને ખાલીદ ઉર્ફે ભાંજા સાજીદ સૈયદને ઝડપી પાડયા હતા. તેમણે એવી કબૂલાત કરી હતી કે, સોનાના દાગીના લઈને મહારાષ્ટ્રના જલગાવ ખાતે ગયા હતા. જયાં પોતાના ઓળખીતા વ્યક્તિને સાથે લઇ પોતે ધંધામાં નુકસાની આવી ગઈ હોવાનું જુઠાણું ચલાવી નંદુરબારકર શરાફ નામની જવેલર્સ શોપમાં વેચી માર્યા હતા. પોલીસે જ્વેલરને હકીકત જણાવી ૬૪ ગ્રામ દાગીના રીકવર કર્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, જાન્યુઆરી 2026
4356 |
આવાસ યોજનાના નામે ૫૦ વ્યક્તિઓ સાથે ૬૦.૨૧ લાખનું ફ્રોડ કરનાર દિલ્હીથી ઝડપાયો
સુરત, પ્રધાનમંત્રી આવાસ, મુખ્યમંત્રી આવાસ યોજના અને પંડિત દિનદયાળ નગર યોજનામાં કોઈ પણ પ્રકારનાં ડ્રો વગર મકાન અને દુકાન અપાવવાની વાતમાં ફસાવી ૫૦ વ્યક્તિ પાસેથી ૬૦ લાખ રૂપિયા લઇ ભાગેલા ચીટરને ઇકો સેલે દિલ્હીથી ઝડપી પાડ્યો છે. પાલનપુર જકાતનાકા પાસે સંત તુકારામ સોસાયટીમાં રહેતા નૈનેશ વિનોદભાઈ ચોટલીયા કડિયા કામ કરે છે. નૈનેશ હાર્ડવેરનાં ધંધા માટે ઉગત ભેસાણ રોડ, જહાંગીરાબાદ ખાતે દુકાનની શોધખોળ કરતો હતો. આ દરમિયાન જુલાઇ ૨૦૨૪માં સોસાયટીમાં રહેતા ભારતીબેન મારફત તેમની મુલાકાત મયંક સંજય મિશ્રા સાથે થઇ હતી. સુરત મનપામાં નોકરી કરતો હોવાનું જણાવી મિશ્રાએ કહ્યું હતું કે, સરકાર દ્વારા ઉગત ભેસાણ રોડ મેડીકલ કોલેજની બાજુમાં, પાલનપુર જકાતનાકા કેનાલ રોડ અને અમરોલી છાપરાભાઠા ખાતે સુમન સાધના આવાસ યોજનામાં ફ્લેટો તથા દુકાનો બનાવ્યા છે. આ યોજનામાં એક ડ્રો થઈ ગયો છે અને હજી બે ડ્રો કરવાના બાકી છે. જે બે ડ્રો કરવાની કામગીરી મારા હાથમાં છે. જાે તમે દુકાન કે ફ્લેટ લેવા માંગતા હોવ તો મને જણાવજાે. જેથી નૈનેશે જહાંગીરાબાદ ખાતે આવેલા પંડિત દિનદયાળ નગર વાળા આવાસમાં કોર્નરની બે દુકાન ખરીદવાની તૈયારી બતાવી હતી. જેથી મયંક મિશ્રાએ ઓળખ અને રહેઠાણના પુરાવા સાથે એડવાન્સ પેટે ૮૦,૦૦૦ રૂપિયા લીધા હતા. ત્યારબાદ મિશ્રાએ તમારા કોઇ માણસને દુકાન કે ફ્લેટ અપાવશો તો તમને છેલ્લા હપ્તામાં ફાયદો કરાવી આપીશ એમ કહી કમિશનની લાલચ આપી હતી. જેથી નૈનેશે આ મયંક મિશ્રા મારફત ૪૪ પરિચિત, મિત્રો પાસે ફ્લેટ અને દુકાન બુક કરાવડાવ્યા હતાં. તેઓ પાસે બે હપ્તા વસૂલ કર્યા બાદ મિશ્રાએ તેમના કોલ રીસીવ કરવાના બંધ કરી દીધા હતા. નૈનેશ ચોટલિયાને જાણવા મળ્યું કે, ધર્મેશ ગીરીશચંદ્ર ટંકારીયા, લાલબહાદુર રાજવંશી ચૌહાણ અમે રાજેન્દ્ર સુંદરદાસ પારવાની પાસેથી પણ રૂપિયા લઇ ફ્લેટ તથા દુકાનના બોગસ એલોટમેન્ટ લેટર પણ આપ્યા હતાં. આ રીતે મહાનગર પાલિકાના કર્મચારી તરીકે ૬૦.૨૧ લાખ રૂપિયા પડાવી ફરાર થઈ ગયેલા મયંક મિશ્રા સામે નૈનેશે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્પેક્ટર કે. વી. બારીયાએ મયંક મિશ્રાને દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાંથી દબોચી લીધો હતો.યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતો હોવાનું જણાવીને કરોલબાગ પીજીમાં રહેતો હતો મયંક મિશ્રા ખૂબ શાતીર દિમાગનો ક્રિમિનલ બની ચૂક્યો છે. બોગસ લાયસન્સ, માર્કશીટ અને એલસી બનાવવાનાં રેકેટમાં ઝડપાઈ ચૂકેલો મયંક આઠ મહિના જેલમાં રહ્યો હતો. ત્યારબાદ તેણે ૬૦ લાખનો વધું એક કાંડ કર્યો હતો. દુકાન મકાનના નામે ચીટીંગ કરી મયંક દિલ્હી ભાગી ગયો હતો. જ્યાં તેણે કરોલબાગ વિસ્તારની પીજીમાં આશરો લીધો હતો. મહિને ૧૦ હજાર ભાડેથી રહેતા મયંકે પોતે યુપીએસસીની તૈયારી કરતો હોવાની વાત ફેલાવી રાખી હતી. તે આખો દિવસ બહાર ફરવા સાથે વર્કઆઉટ પણ કરતો હોય તેની પર કોઈને શંકા ગઇ ન હતી. સુરત ઇકો સેલ તેને શોધતી કરોલબાગ પહોંચી ત્યારે તેની સાથે રહેતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યાં હતાં. સ્થાનિક વિદ્યાર્થીઓની મદદથી જ પોલીસ મયંકને પકડી શકી હતી.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...