ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, જુન 2026 2574   |  
પાંચ બુકાનીધારી શખ્સોએ વૃદ્ધને બંધક બનાવી રોકડ, દાગીનાની લૂંટ ચલાવી

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં કરોડો રૂપિયાની લૂંટની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મોડી રાત્રે અજાણ્યા બુકાનીધારીઓએ એક વૃદ્ધને બંધક બનાવી કરોડો રૂપિયાની રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે લગભગ એક વાગ્યાના સમયે ફિલ્મી ઢબે કરોડો રૂપિયાની લૂંટની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ પાંચથી વધુ બુકાનીધારીઓએ જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી તેમના રહેઠાણમાં ત્રાટકી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ અંદાજે ૨ કરોડ ૪૭ લાખ રૂપિયાની રોકડ તેમજ ૫થી વધુ તોલા સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે. જીતેન્દ્રસિંહ જાડેજા ખેતી, પેટ્રોલ પંપ અને પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી રહી છે કે તેમની પાસે જમીન વેચાણના રૂપિયા રાખેલા હતા, તેની જાણ હાવાથી કોણ જાણ ભેદુએ તેને નિશાન બનાવી લૂંટને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્યના એસપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે અલગ-અલગ ટીમોની રચના કરીને લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ આસપાસના વિસ્તારના ફૂટેજના આધારે તપાસ આગળ વધારી રહી છે અને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. શાપર-વેરાવળમાં બનેલી આ કરોડોની લૂંટની ઘટનામાં પોલીસને ઝ્રઝ્ર્ફ સહિતના મહત્વના પુરાવા મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે જાેવાનું રહેશે કે પોલીસ આરોપીઓને કેટલા સમયમાં ઝડપી પાડવામાં અને મુદ્દામાલને રિકવર કરાવવામાં સફળ થાય છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
19, જુન 2026 1188   |  
૬ મેડિકલ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરાયા

ભાવનગરની સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગ કેસમાં એન્ટી રેગિંગ કમિટીએ કડક કાર્યવાહી કરતાં ૬ વિદ્યાર્થીઓને દોષિત જાહેર કર્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ૬ મહિનાથી લઈને ૨ વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક તેમજ હોસ્પિટલની પ્રવૃત્તિઓથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. કોલેજ તંત્ર દ્વારા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ મામલે મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહે જણાવ્યું કે, એન્ટી રેગિંગ કમિટીની બેઠક લગભગ સાડા આઠ કલાક સુધી ચાલી હતી. બેઠક દરમિયાન પીડિત વિદ્યાર્થીઓ, આરોપી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફના નિવેદનો લેવામાં આવ્યા હતા. બંને પક્ષને પોતાની રજૂઆત માટે ત્રણ વખત તક આપવામાં આવી હતી જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ સામે અન્યાય ન થાય.તપાસ દરમિયાન પ્રાપ્ત થયેલા નિવેદનો અને દસ્તાવેજી પુરાવાના આધારે કમિટીએ ૬ વિદ્યાર્થીઓને રેગિંગ માટે જવાબદાર ઠેરવ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીને ૨ વર્ષ, ત્રણ વિદ્યાર્થીઓને ૧ વર્ષ અને બે વિદ્યાર્થીઓને ૬ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન દરમિયાન તેઓ કોઈ શૈક્ષણિક, ક્લિનિકલ અથવા હોસ્પિટલ સંબંધિત પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના ૧૩ જુનિયર વિદ્યાર્થીઓએ ૬ સિનિયર વિદ્યાર્થીઓ સામે લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસેથી પૈસા પડાવતા હતા, તેમને મુર્ગા બનાવતા હતા અને વિવિધ પ્રકારનો માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. પીડિત વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા લાંબા સમય સુધી અમાનવીય વર્તન કરવામાં આવતું હતું. જેમાં પૈસાની માંગણી, દારૂની બોટલો મંગાવવી, જમવા અને આરામનો સમય ન આપવો, કલાકો સુધી ઉભા રાખવા અને અન્ય પ્રકારની કઠોર સજાઓ આપવાનો સમાવેશ થતો હતો. આ ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીઓએ અંતે કોલેજ તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ભાવનગર મેડિકલ કોલેજમાં અગાઉ પણ રેગિંગના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. માર્ચ ૨૦૨૫માં પણ કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ સામે જુનિયર વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને ધમકી આપવાના આરોપો લાગ્યા હતા. ઉપરાંત વર્ષ ૨૦૨૩માં પણ એક રેસિડેન્ટ ડોક્ટર સામે જુનિયર વિદ્યાર્થીના શોષણનો ગંભીર કેસ નોંધાયો હતો. તાજેતરમાં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં પણ રેગિંગનો મામલો સામે આવ્યો હતો, જેમાં ત્રણ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓને પગલે રાજ્યની મેડિકલ કોલેજાેમાં એન્ટી રેગિંગ નિયમોના કડક અમલની માંગ ઉઠી રહી છે.ભાવનગરના આ કેસમાં હવે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે અને દોષિત વિદ્યાર્થીઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, જુન 2026 3069   |  
ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી રૂપિયા ૧.૧૧ કરોડનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો સીઝ

રાજકોટના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ ગોંડલની મે. સત્યમ મસાલા, ભીમવાડી ખાતે દરોડા પાડી ૧,૧૧,૦૪,૨૦૫ રૂપિયાનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો સીઝ કર્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે ચકાસણી અભિયાન હાથ ધરાયું છે.તપાસ દરમિયાન પેઢીમાંથી કુલ ચાર પ્રકારના ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમાં ધાણા પાઉડર અને કોર્ન પાઉડરના કુલ ૬,૭૬૬ કિલોગ્રામ જથ્થો, જેની કિંમત ૮,૨૨,૬૨૦ રૂપિયા થાય છે, સીઝ કરવામાં આવ્યો.આ ઉપરાંત મરચું પાઉડર અને હળદર પાઉડરના કુલ ૨૮,૬૭૧ કિલોગ્રામ જથ્થો, જેની કિંમત ૧,૦૨,૮૧,૫૮૫ રૂપિયા થાય છે, પણ સીઝ કરવામાં આવ્યો. આ રીતે કુલ ૩૫,૫૨૭ કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો, જેની અંદાજિત કિંમત ૧,૧૧,૦૪,૨૦૫ રૂપિયા થાય છે, સીઝ કરવામાં આવ્યા છે. તમામ નમૂનાઓ ગુણવત્તા ચકાસણી માટે માન્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. પ્રયોગશાળાના અહેવાલના આધારે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું, રાજ્ય સરકાર જન આરોગ્ય સાથે સંકળાયેલા મુદ્દાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્યને જાેખમમાં મૂકતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જન આરોગ્યના હિતમાં આવા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ચકાસણી અભિયાનને વધુ સઘન બનાવવામાં આવી રહ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, જુન 2026 2673   |  
રાજ્યમાં ચોમાસા પહેલાં જ દેમાર વરસાદ

ગુજરાતથી ચોમાસું તો હજી દૂર છે. ત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ ૧૪૭ મિલીમીટર (૫.૭૯ ઈંચ) વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું હતું. નોંધનીય છે કે, ગુજરાતમાં ૨૪ કલાકમાં ૬૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ગરમીથી મોટી રાહત મળી છે. મળતા આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૫.૭૯ ઇંચ વરસાદ નોંધાયો હતો. બાલાસિનોર બાદ અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. અરવલ્લીના ભિલોડામાં ૭૫ મીમી (૨.૯૫ ઈંચ) અને ધનસુરામાં ૬૬ મીમી (૨.૬૦ ઈંચ) વરસાદ નોંધાયો છે. સાથંબા અને બાયડમાં પણ ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણાના સતલાસણા તાલુકામાં ૭૩ મીમી (૨.૮૭ ઈંચ) અને ખેરાલુમાં ૨૦ મીમી વરસાદ પડ્યો છે.મધ્ય ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લાના અનેક તાલુકાઓમાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના ગળતેશ્વરમાં ૫૭ મીમી (૨.૨૪ ઈંચ) અને કપડવંજમાં ૫૫ મીમી (૨.૧૭ ઈંચ) વરસાદ વરસ્યો છે. કઠલાલ, નડિયાદ અને મહુધામાં પણ અડધાથી ૧ ઈંચ વરસાદ રહ્યો છે. દેસર તાલુકામાં ૫૩ મીમી (૨.૦૯ ઈંચ) વરસાદ નોંધાયો છે.પંચમહાલના ઘોઘંબામાં ૫૨ મીમી (૨.૦૫ ઈંચ) અને જાંબુઘોડામાં ૫૧ મીમી (૨.૦૧ ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે ગોધરામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે છોટાઉદેપુરના કદવાલમાં ૪૯ મીમી (૧.૯૩ ઈંચ) વરસાદ સાથે નોંધપાત્ર ભીનાશ જાેવા મળી છે. બનાસકાંઠાના પાલનપુરમાં ૨૩ મીમી (૦.૯૧ ઈંચ), દાંતામાં ૮ મીમી અને અમીરગઢમાં ૭ મીમી વરસાદ થયો છે. આણંદ અને દાહોદના ઉમરેઠમાં ૧૯ મીમી અને દેવગઢબારિયામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં આગાહી ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલા જ બુધવાર રાતથી જ વરસાદનું જાેરદાર આગમન થયું છે. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ છવાશે તેમ જણાવ્યું છે. રાજ્યમાં ચોમાસું તો હજી દૂર છે પરંતુ તે પહેલાના પ્રિમોન્સૂન વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગુજરાતમાં ૧૮મી જૂન અને ૧૯મી જૂને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી જાેઈએ. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, ૧૯મી જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કે, કચ્છ, પાટણ, દ્વારકા, પોરબંદરમાં જ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૧૯મી જૂનના રોજ એટલે કે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, જુન 2026 3465   |  
ભાવનગર મેડિકલ કોલેજમાં ૧૩ વિદ્યાર્થીઓ સાથે રેગીંગની ફરિયાદ

ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી રેગીંગની ઘટના સામે આવી છે, જેના પગલે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લીધા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સંબંધિત સત્તાધિકારીઓને સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ માટે સૂચના આપી છે.આ ઘટનામાં ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના ૬ વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના ૧૩ વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરી હોવાના આક્ષેપો નોંધાયા છે. રાજ્ય સરકારે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરાવી છે.મેડિકલ કોલેજના ડીન અને એન્ટી-રેગીંગ કમિટીને સમગ્ર હકીકતની વિગતો સરકાર સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓની સુરક્ષા, માન-મર્યાદા અને શૈક્ષણિક હિતોના રક્ષણ માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં ભયમુક્ત, સુરક્ષિત અને સંસ્કારપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે રેગીંગ જેવી અમાનવીય, અસંવેદનશીલ અને અસ્વીકાર્ય પ્રવૃત્તિઓ માટે રાજ્યમાં કોઈ સ્થાન નથી. તપાસમાં જે કોઈ દોષિત જણાશે તેમની સામે કાયદાકીય જાેગવાઈઓ મુજબ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રેગીંગ જેવી પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે. તાત્કાલિક તપાસના આદેશ બાદ મેડિકલ કોલેજના પ્રશાસન અને એન્ટી-રેગીંગ કમિટીએ કાર્યવાહી શરૂ કરી છે. વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓને દાબી ન શકાય અને દરેક ફરિયાદની તથ્યાધારિત તપાસ કરાશે તેવો સરકારનો દૃઢ નિર્ધાર છે. હાલમાં તપાસ ચાલી રહી છે અને તપાસનો વિગતવાર અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરાશે. રાજ્ય સરકાર દ્વારા દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે.વિદ્યાર્થીઓ રેગીંગ જેવા દૂષણથી દૂર રહે તે જરૂરી: આરોગ્ય મંત્રી અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને પગલે ઓર્થોપેડિક વિભાગના ત્રણ વિદ્યાર્થીઓને ૬ મહિનાથી ૧ વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું છે. એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ આ પગલાં લેવામાં આવ્યા છે.આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રેગિંગની ફરિયાદને સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ જાળવવાનો અમારો સંકલ્પ છે પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓએ રેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જાેઈએ.એન્ટી રેગિંગ કમિટીએ સમગ્ર મામલે વિગતવાર તપાસ કરી હતી. તપાસના આધારે ઓર્થોપેડિક વિભાગના ત્રણ વિદ્યાર્થીઓ સામે ૬ મહિનાથી ૧ વર્ષ સુધીની સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવશે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, જુન 2026 2475   |  
ખેડા જિલ્લાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ રામ ભરોસે

ગળતેશ્વર અને ઠાસરા તાલુકા સહિત ખેડા જિલ્લામાં સરકારી પ્રાથમિક શિક્ષણનું સ્તર તળિયે બેસી ગયું છે. નિયમોને ઘોળીને પી જનારા કેટલાક શિક્ષકો, આચાર્યો અને ફરજ પ્રત્યે ઘોર બેદરકારી દાખવતા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની કથીત જુગલબંદીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. તંત્રની આ ઘોર નિષ્ક્રિયતા સામે વાલીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.હાલ શાળાઓનો સવારનો સમય ૭ થી ૧૨ વાગ્યાનો હોવા છતાં, કેટલાક ગુલ્લીબાજ શિક્ષકો પોતાના ઘરેથી જ આરામથી ૭ વાગ્યે નીકળે છે. શાળાના સમયે વર્ગખંડમાં હોવાના બદલે આ શિક્ષકો રસ્તા પર મુસાફરી કરતા જાેવા મળે છે. નિયમિતતા અને સમયપાલનના પાઠ ભણાવતા ગુરુજીઓ પોતે જ ક્યારેય સમયસર શાળાએ પહોંચતા નથી.સરકારી શાળાઓની આ બરબાદી અને મુઠ્ઠીભર શિક્ષકોની કામચોરીને કારણે ગરીબ વાલીઓ પેટ કાપીને પણ પોતાના બાળકોને મોંઘીદાટ ખાનગી શાળાઓમાં  મોકલવા મજબૂર બન્યા છે. સરકારી શિક્ષણ તંત્રની આ લાપરવાહી ગરીબોના શિક્ષણના અધિકાર પર સીધો પ્રહાર છે. જાે વહેલી તકે આ ગુલ્લીબાજ શિક્ષકો અને આંખ આડા કાન કરતા અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં નહીં લેવાય, તો સરકારી શિક્ષણનું સ્તર તળીયે જવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે તાલુકા અધિકારીની ચાપલુસી કરીને કેટલાક તત્વો શિક્ષણના પવિત્ર વ્યવસાયને કલંકિત કરીને ખાનગી અને ગેરકાયદેસર સ્ટેશનરીના કાળા કારોબાર ધમધમાવી રહ્યા છે.ઉપરાંત કોર્ટ કેસ ચાલુ હોવા છતાં આવા કેટલાક એચ.ટાટ આચાર્યોને બીટ કેળવણી નિરીક્ષકનો ચાર્જ કેવી રીતે સોંપી દેવાયો? તેવો સવાલ જિલ્લાભરના શિક્ષક આલમમાં ઉઠી રહ્યો છે.ડીપીઈઓ પણ અંધારામાં : ઓચિંતી તપાસના નામે ‘મીંડું’ આ આખા ગોરખધંધા અને આળસથી કેટલાક તાલુકાના સંપૂર્ણ ટીપીઈઓ સંપૂર્ણ વાકેફ હોવા છતાં, કયા ‘વહીવટ’ના કારણે આંખ આડા કાન કરી રહ્યા છે તે તપાસનો વિષય છે. બીજી તરફ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાણે કે ગાઢ નિદ્રામાં હોય તેમ ક્યારેય ઠાસરા-ગળતેશ્વર સહિતના તાલુકાઓની શાળાઓમાં ઓચિંતી મુલાકાત લેવાની તસ્દી લેતા ન હોય તેવી હાલત છે. માત્ર તાલુકાના કામચોર અધિકારીઓના ભરોસે ‘સબ સલામત’ના કાગળો પર સહીઓ કરતા રહ્યાની ચર્ચાઓ ચાલી રહી છે. ૬૦-૭૦ કિમીનું અપ-ડાઉન : હેડક્વાર્ટર છોડી શહેરોની મોહમાયા! નિયમ મુજબ દરેક આચાર્ય અને શિક્ષકે પોતાના ફરજની જગ્યાએ એટલે કે હેડક્વાર્ટર ઉપર રહેવાનું હોય છે. પરંતુ આ સરકારી બાબુઓ નિયમોને ઘોળીને પી ગયા છે. આરામદાયક શહેરી જીવન જીવવા માટે તેઓ ૬૦ થી ૭૦ કિલોમીટર દૂરથી અપ-ડાઉન કરે છે. રોજની આ લાંબી મુસાફરીના કારણે તેઓ શાળાએ પહોંચતા સુધીમાં જ ‘ઊર્જા વિહીન’ (થાકેલા) થઈ જાય છે, પરિણામે બાળકોને ભણાવવામાં તેમને કોઈ રસ રહેતો ન હોય તેવી ફરિયાદો વાલીઓમાં પણ ઉઠી રહી છે. બીઆરસી, સીઆરસી અને ટીપીઈઓની શંકાસ્પદ ભૂમિકા: માત્ર નોટિસોનો ડોળ! શાળાઓની દેખરેખ રાખવાની જેમની મુખ્ય જવાબદારી છે તેવા સીઆરસી, બીઆરસી, બીટ કેળવણી નિરીક્ષકો અને ટીપીઈઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવી હાલત જાેવા મળે છે.કેટલાક ઇનચાર્જ બીટ નિરીક્ષક પોતાની મૂળ શાળાને ભગવાન ભરોસે મૂકીને, પોતાની કામગીરી બતાવવા ખાતર અન્ય શાળાઓમાં નોટિસો ફાડવાનો ડોળ કરતા હોવાની ચર્ચા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, જુન 2026 2673   |  
રાજ્યમાં ચોમાસા પહેલાં જ દેમાર વરસાદ

ગુજરાતથી ચોમાસું તો હજી દૂર છે. ત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ ૧૪૭ મિલીમીટર (૫.૭૯ ઈંચ) વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું હતું. નોંધનીય છે કે, ગુજરાતમાં ૨૪ કલાકમાં ૬૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ગરમીથી મોટી રાહત મળી છે. મળતા આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૫.૭૯ ઇંચ વરસાદ નોંધાયો હતો. બાલાસિનોર બાદ અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. અરવલ્લીના ભિલોડામાં ૭૫ મીમી (૨.૯૫ ઈંચ) અને ધનસુરામાં ૬૬ મીમી (૨.૬૦ ઈંચ) વરસાદ નોંધાયો છે. સાથંબા અને બાયડમાં પણ ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણાના સતલાસણા તાલુકામાં ૭૩ મીમી (૨.૮૭ ઈંચ) અને ખેરાલુમાં ૨૦ મીમી વરસાદ પડ્યો છે.મધ્ય ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લાના અનેક તાલુકાઓમાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના ગળતેશ્વરમાં ૫૭ મીમી (૨.૨૪ ઈંચ) અને કપડવંજમાં ૫૫ મીમી (૨.૧૭ ઈંચ) વરસાદ વરસ્યો છે. કઠલાલ, નડિયાદ અને મહુધામાં પણ અડધાથી ૧ ઈંચ વરસાદ રહ્યો છે. દેસર તાલુકામાં ૫૩ મીમી (૨.૦૯ ઈંચ) વરસાદ નોંધાયો છે.પંચમહાલના ઘોઘંબામાં ૫૨ મીમી (૨.૦૫ ઈંચ) અને જાંબુઘોડામાં ૫૧ મીમી (૨.૦૧ ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે ગોધરામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે છોટાઉદેપુરના કદવાલમાં ૪૯ મીમી (૧.૯૩ ઈંચ) વરસાદ સાથે નોંધપાત્ર ભીનાશ જાેવા મળી છે. બનાસકાંઠાના પાલનપુરમાં ૨૩ મીમી (૦.૯૧ ઈંચ), દાંતામાં ૮ મીમી અને અમીરગઢમાં ૭ મીમી વરસાદ થયો છે. આણંદ અને દાહોદના ઉમરેઠમાં ૧૯ મીમી અને દેવગઢબારિયામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં આગાહી ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલા જ બુધવાર રાતથી જ વરસાદનું જાેરદાર આગમન થયું છે. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ છવાશે તેમ જણાવ્યું છે. રાજ્યમાં ચોમાસું તો હજી દૂર છે પરંતુ તે પહેલાના પ્રિમોન્સૂન વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગુજરાતમાં ૧૮મી જૂન અને ૧૯મી જૂને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી જાેઈએ. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, ૧૯મી જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કે, કચ્છ, પાટણ, દ્વારકા, પોરબંદરમાં જ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૧૯મી જૂનના રોજ એટલે કે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, જુન 2026 2772   |  
કુણધા ગામે રસ્તાના અભાવે પથ્થર પર પ્રસૂતિની નોબત

સ્થાનિક નેતાઓની સ્વવિકાસની નીતિ-રીતિને પાપે વિકાસની મોટી મોટી વાતો વચ્ચે આજે પણ અંતરિયાળ અને અનેક ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિકતા કાળજુ કંપાવી દે તેવી છે. રસ્તાની સુવિધા ન હોવાને કારણે એક સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવી કેટલી મુશ્કેલ બને છે. તેનો જીવતો જાગતો વિડીયો સામે આવ્યો છે. રાત્રિના અંધકારમાં પથ્થર અને માટીવાળા દુર્ગમ રસ્તા પર એક એક લાચાર અને બેબસ માતાએ ખુલ્લા આકાશ નીચે બાળકને જન્મ આપવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કુણધા ગામમાં એક સગર્ભા મહિલાને અચાનક ઉપડેલી પ્રસુતિની પીડા બાદ પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. અને ૧૦૮ ઈમરજન્સી વાન બોલાવી હતી પરંતુ ગામ સુધી પહોંચવાનો રસ્તો પાકો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ સમયસર સ્થળ પર પહોંચી શકી ન હતી. જ્યારે બીજી તરફ અસહ્ય પ્રસવ પીડાથી કણસતી મહિલાને હોસ્પિટલ સુધી લઈ જવી અશક્ય બનતા આખરે રસ્તાની સાઈડમાં પથ્થરો અને માટીની વચ્ચે જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. આ અંગે આશા વર્કર મીનાબેન જણાવ્યું કે,’અમારી બહેનોની પ્રસુતિ આવા પથ્થરોમાં થાય છે. જ્યાં ચાલવાનો રસ્તો પણ મળતો નથી. અમારે વોટ આપવાના પણ આવી કોઈ પાયાની સુવિધા મળતી નથી. સ્થિતિની ગંભીરતા સમજીને ૧૦૮ ના ઇમર્જન્સી મેડિકલ ટેકનિશિયન અને પાયલોટ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તેમણે અંધારામાં મોબાઇલની ફ્લેશલાઈટના અજવાળે પથ્થરો પર જ મેડિકલ પ્રોટોકોલ મુજબ પ્રસુતિની આગળની પ્રક્રિયા (નાળ કાપવી અને પ્રાથમિક સારવાર) ખૂબ જ કુશળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ૧૦૮ ની ટીમની આ પ્રશંસનીય કામગીરી ને કારણે માતા અને નવજાત શિશુ બંને હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જાેવા મળી રહ્યો છે. આઝાદીના સાડા સાત દાયકા પછી પણ સગર્ભા બહેનોને પાકા રસ્તા કે સ્વાસ્થ્ય સેવા કેમ નથી મળતી? શું અંતરિયાળ વિસ્તારમાં લોકો માત્ર વોટ આપવા પૂરતા જ સીમિત છે? સ્થાનિકો હવે માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ વિસ્તારમાં પાકા રસ્તા બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય સગર્ભાને આવી કપરી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું ન પડે.જિલ્લાના વિકાસ પુરુષ કહેવાતા સાંસદના વિસ્તારના વિકાસની વાતોમાં સત્યતા કેટલી ? કેટલીક ટર્મથી ધારાસભ્ય પદે અને મંત્રી પદે રહી ચૂકેલા અને કેટલીક ટર્મથી સાંસદ પદુ ભોગવી રહેલા અને જેઓના હૈયે જિલ્લાનો વિકાસ વસેલો છે તેવા દાહોદના સાંસદના માદરે વતન નજીકના અંતરિયાળ વિસ્તારના ગામમાં પાકા રસ્તાની સુવિધાને મામલે દીવા તળે અંધારા જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. વિકાસની યોજનાઓના કાર્યક્રમોમાં હંમેશા વ્યસ્ત રહેતા સાંસદથી પોતાના આ અંતરિયાળ વિસ્તારના કુણધા ગામમાં પાકા રસ્તાની સુવિધા પ્રદાન કરવાનું કેવી રીતે વિસરાઈ ગયું તે ખરેખર આશ્ચર્ય ઉપજાવે છે. છેલ્લી બે ટર્મથી તો તેઓના લઘુબંધુ જ આ વિસ્તારનું ધારાસભ્ય પદુ ભોગવી રહ્યા છે. તેમ છતાં તેઓ પણ પોતાના મત વિસ્તારના અંતરિયાળ ગામમાં પાકા રસ્તાની સુવિધા પ્રદાન કરવામાં વામણા પુરવાર થયા હોય તેમ લાગી રહ્યું છે. પોતાના જ મત વિસ્તારમાં પાકા રસ્તાના અભાવે ગામ સુધી ૧૦૮ ઈમરજન્સી વાન આવી ન શકવાને કારણે એક મહિલાને રાત્રિના અંધકારથી ઘેરાયેલા એક દુર્ગમ રસ્તા પર પથ્થરોની વચ્ચે બાળકને જન્મ આપવા મજબૂર થવું પડે તે ગંભીર બાબત સરકારના વિકાસ અંગેના મોટા મોટા દાવાઓની પોકળતાને છતી કરતી જાેવા મળી રહી છે. આ છે. જિલ્લાના વિકાસની વરવી વાસ્તવિકતા!!!



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, જુન 2026 6039   |  
નડિયાદ જમીન દફતર કચેરીનો લાયસન્સ સર્વેયર ૯૦ હજારની લાંચ લેતાં ઝડપાયો

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સરકારી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નડિયાદ ખાતે આવેલ જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દ્વારા જમીનની હિસ્સા માપણીની કામગીરી વ્યવસ્થિત પૂરી કરવા અને કોઇ વાંધા વચકા ન નીકળે ના મુદ્દે અરજદાર પાસેથી ૯૦ હજાર ની લાંચ ની માંગણી કરતાં અરજદારે એસીબીને જાણ કરતાં નડિયાદ બસ સ્ટેન્ડ નજીક છટકું ગોઠવી એસીબીએ સર્વેયર ને લાંચ ની રકમ લેતાં રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર નડિયાદ ખાતે આવેલ જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દિલીપસિંહ ચૌહાણે જમીનની માપણી ની કામગીરી પૂર્ણ કરવા અને ભવિષ્યમાં કોઈ વાંધા વચકા ન નીકળે તેવા આશયથી અરજદાર પાસે ૯૦ હજાર ની લાંચ ની માંગણી કરતાં અરજદારે એસીબીને જાણ કરતાં એસીબીએ છટકું ગોઠવી નડિયાદ બસ સ્ટેન્ડ નજીક નાણાં લેતાં દિલીપસિંહ ચૌહાણને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુન 2026 1584   |  
રાજ્ય સરકારનો પૂર્વ અગ્નિવીરો માટે ૨૦ ટકા અનામતનો ર્નિણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ અગ્નિવીરોને પોલીસ, એસ.આર.પી., જેલ અને વન વિભાગની વર્ગ-૩ સીધી ભરતીમાં ૨૦ ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. આ ર્નિણયથી પૂર્વ અગ્નિવીરોને સરકારી નોકરીની તક વધશે.રાજ્ય સરકારના ર્નિણય અનુસાર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.ના પ્લાટૂન કમાન્ડર અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને અનામત મળશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અગ્નિવીર સ્કીમના પૂર્વ સભ્યોને રાજ્યના વિવિધ વિભાગોમાં સીધી ભરતીમાં વિશેષ લાભ મળશે.આ ઉપરાંત જેલ વિભાગની જેલર ગ્રુપ-૨ અને જેલ સીપાઈની ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ મળશે. વન વિભાગના વનરક્ષક વર્ગ-૩ તથા વન પાલ વર્ગ-૩ સંવર્ગોની સીધી ભરતીમાં પણ ૨૦ ટકા અનામતનો લાભ આપવામાં આવશે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આવી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીમાંથી પૂર્વ અગ્નિવીરોને મુક્તિ આપવામાં આવશે. એટલે કે તેઓને શારીરિક કસોટી આપવાની ફરજ નહીં રહે. ઉપરાંત નિયત ઉપલી વય મર્યાદામાં ત્રણ વર્ષ સુધીની છૂટછાટ પણ આપવામાં આવશે.અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના સભ્યોને નિયત ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ સુધીની મુક્તિ આપવાના પણ મુખ્યમંત્રીએ દિશાનિર્દેશો આપ્યા છે. રાજ્ય સરકારના આ ર્નિણયથી મોટી સંખ્યામાં પૂર્વ અગ્નિવીરોને રોજગારીના નવા અવસરો મળશે.સરકારના આ પગલાથી સુરક્ષા અને વન વિભાગોમાં દેશસેવાની અનુભવી યુવાનોને સ્થાન મળશે. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું કે અગ્નિવીરોના અનુભવનો લાભ રાજ્યની સુરક્ષા અને વન સંરક્ષણ માટે ઉપયોગી થશે.આ ર્નિણયથી રાજ્યના યુવાનોમાં આત્મવિશ્વાસ વધશે અને સરકારી સેવાઓમાં દેશસેવાના અનુભવનો ઉપયોગ થશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુન 2026 1782   |  
હવે રિક્ષાની મુસાફરી પણ મોંઘી: પાંચ રૂપિયાનો વધારો

અમદાવાદમાં વધતા ઝ્રદ્ગય્ના ભાવને પગલે રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગાંધીનગર સ્થિત ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં રિક્ષા ભાડામાં વધારો કરવા અંગે ર્નિણય લેવામાં આવ્યો છે.હવે રિક્ષાનું મિનિમમ ભાડું ૨૦ રૂપિયાથી વધારીને ૨૫ રૂપિયા કરવામાં આવ્યું છે. અગાઉ પ્રતિ કિલોમીટરે ૧૫ રૂપિયા લેવામાં આવતા હતા જેમાં પણ ૫ રૂપિયાનો વધારો કરીને હવે ૨૦ રૂપિયા લેવામાં આવશે. અંદાજે ત્રણ વર્ષ પછી રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કરવાની મંજૂરી મળી છે.છેલ્લા બે મહિનામાં ઝ્રદ્ગય્ના ભાવમાં ૬ રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે ઝ્રદ્ગય્ના ભાવ ૮૮ રૂપિયાથી વધુ થયા છે. આ વધારા બાદ રિક્ષા ચાલકોની મુશ્કેલી વધી હતી, કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો. અનેક વખત રિક્ષા ચાલકોએ વાહન વ્યવહાર કમિશનરને ભાડામાં વધારો કરવા રજૂઆત કરી હતી.ભાડામાં વધારો કરવાની માંગણી સાથે રિક્ષા ચાલક એકતા યુનિયને રિક્ષા ચાલકોને વધારા સાથેનું ભાડું વસૂલવાની છૂટ આપી હતી.યુનિયને સરકારને રજુઆત કરી હતી કે એક કિલોમીટરના ભાડા ૨૦ રૂપિયા અને મિનિમમ ભાડું ૫૦ રૂપિયા સુધી કરવાની મંજૂરી આપવામાં આવે. ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીએ રિક્ષા ચાલક એકતા યુનિયન સહિત વિવિધ સંગઠનો અને નિષ્ણાંતો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ટ્રાન્સપોર્ટ કમિશનર, અમદાવાદ ઇ્ર્ં અધિકારી, રિક્ષા ચાલક વેલફેર એસોસિયેશનના પ્રમુખ અને સ્માર્ટ સિટી ડ્રાઇવર યુનિયનના પ્રમુખે હાજરી આપી હતી. બેઠકમાં સર્વસંમતિથી ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. યુનિયને રજૂ કરેલી બે માંગણીઓમાંથી માત્ર એક જ માંગણી સ્વીકારવામાં આવી છે, જેમાં મિનિમમ ભાડું ૨૫ રૂપિયા અને પ્રતિ કિલોમીટરે ૨૦ રૂપિયા વસૂલવાની છૂટ આપવામાં આવી છે. ભાડામાં વધારો રિક્ષા ચાલકોની જરૂરીયાત હતી યુનિયનના પ્રતિનિધિએ જણાવ્યું હતું.આ ર્નિણયથી રિક્ષા ચાલકોને વધતા ઈંધણ ખર્ચ સામે રાહત મળશે. આગામી સમયમાં સરકાર દ્વારા મિનિમમ ભાડું ૫૦ રૂપિયા કરવાની માંગણી અંગે પણ વિચારણા કરવામાં આવશે તેવી રજૂઆત કરવામાં આવી છે. ભાવવધારો અમને માન્ય: રિક્ષાચાલક એસોસિએશન રીક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ રાજશિલકે જણાવ્યું હતું કે અમારા દ્વારા ૩૦ રૂપિયા સુધીની માંગ કરવામાં આવી હતી પરંતુ હાલ જે પ્રમાણે મોંઘવારી અને યુદ્ધની પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને પાંચ રૂપિયાનો વધારો જે અમને આપ્યો છે તે અમે માન્ય રાખ્યો છે. આગામી સમયમાં સત્તાવાર નોટિફિકેશન જાહેર થશે ત્યારબાદ અમારા દ્વારા આ વધારો લેવામાં આવશે પરંતુ હાલ તો આ બેઠકની અંદર ૨૫ રૂપિયા ભાડું કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે જેને લઈને રીક્ષા ચાલકોમાં પણ ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છેલ્લા ચાર વર્ષથી કોઈ પણ પ્રકારનો ઉભાડા નો વધારો કરવામાં આવ્યો ન હતો. રિક્ષા ભાડામાં વધારો, મિનિમમ ભાડું ૨૫ રૂપિયા રિક્ષા ચાલકોની રજૂઆત અને વધતા સીએનજી ભાવને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા રિક્ષા ભાડામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી એક કિલોમીટર દીઠ ૧૫ રૂપિયા ભાડું લેવાતું હતું, જેમાં હવે પાંચ રૂપિયાનો વધારો કરીને ૨૦ રૂપિયા સુધી ભાડું વસૂલવાની છૂટ આપવામાં આવી છે.રિક્ષા ચાલકો તરફથી મિનિમમ ભાડું ૫૦ રૂપિયા કરવાની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હાલ મિનિમમ ભાડું ૨૦ રૂપિયા હતું તેને વધારીને ૨૫ રૂપિયા સુધી લેવાની મંજૂરી આપવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુન 2026 1980   |  
આજથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી રથયાત્રાનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવેલા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ૨૪મી કડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા. ૨૩ જૂનથી ૨૫ જૂન, ગુરૂવાર સુધી યોજાશે. શાળા પ્રવેશોત્સવના પ્રણેતા અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતન વડનગરની જે શાળામાંથી શિક્ષણ મેળવેલું તે બી.એન. હાઈસ્કૂલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૪માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરશે. વડનગરમાં આંગણવાડીમાં બે ભૂલકાંઓ સહિત બાલવાટિકાથી ધોરણ-૧૧ સુધીના ૩૮૯ વિદ્યાર્થીઓનો મુખ્યમંત્રી શાળા પ્રવેશ કરાવશે. ૨૦૦૩ના વર્ષથી શરૂ થયેલા શિક્ષણ સેવા યાત્રાના આ ૨૪માં વર્ષના ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સમાં રાજ્યની ૩૮૪૦૦ શાળામાં કુલ મળીને ૨૮ લાખ ૫૮ હજાર જેટલા બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવશે. તદનુસાર, જે બાળકોની ઉંમર ૧ જૂનના રોજ પાંચ વર્ષથી વધુ અને ૬ વર્ષ કરતા ઓછી હશે તેને બાલવાટિકામાં અને જે બાળકની ઉંમર ૧ જૂનના રોજ ૬ વર્ષથી વધુ અને ૭ વર્ષ કરતા ઓછી હશે તેને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-૮ પાસ કરનાર બાળકોને ધોરણ-૯ માં અને ધોરણ-૧૦ પાસ કરનાર બાળકોને ધોરણ-૧૧ માં પ્રવેશ અપાશે. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીએ, આઈએએસ, આઈપીએસ, આઈએએફ અધિકારીઓ, સચિવાલયના અધિકારીઓ સહિત ૪૬૫ જેટલા મહાનુભાવો પ્રવેશોત્સવ કાર્યર્ક્મમાં સહભાગી થઈને શાળાએ શાળાએ જઇ બાળકોને પ્રવેશ અપાવશે. આ શાળાપ્રવેશોત્સવ દરમિયાન મહાનુભાવો શાળાઓની શૈક્ષણિક સિધ્ધિઓ, ભૌતીક સુવિધાઓ અને અન્ય ઉપલબ્ધીઓની સમિક્ષા શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી) સાથે બેસીને કરશે. સમગ્ર રાજ્યમાં આ શાળા પ્રવેશોત્સવમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (એએમસી), વાલીઓ અને ગ્રામજનોની જન ભાગીદારીથી બાળકોનું શાળા નામાંકન ઉત્સવમય અને પ્રેરક બનશે.શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ઉપમુખ્યમંત્રી સંઘવી અડાલજ કુમાર શાળામાં બાળકોને પ્રવેશ અપાવશે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યવ્યાપી “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ” દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અપાશે. ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવમાં આવતીકાલે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર જિલ્લાના અડાલજની કુમાર પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ અપાવશે. અડાલજ ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યત્વે માણેકબા કૃષિ વિદ્યાલય, અડાલજ કુમાર પ્રાથમિક શાળા અને અડાલજ કન્યા પ્રાથમિક શાળાના આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧ તેમજ ધોરણ-૯ અને ૧૧ ના નવા પ્રવેશ મેળવતા બાળકોને શૈક્ષણિક કીટ આપીને આવકારવામાં આવશે. ઉપમુખ્યમંત્રીના હસ્તે ભૂલકાઓનું નામાંકન કરાવીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રવેશોત્સવ ખાલી એક દિવસનો કાર્યક્રમ બનીને રહી ગયો: ડો. કરન બારોટ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તારીખ ૨૩, ૨૪ અને ૨૫ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે. ધોરણ એકમાં બાળકને એડમિશન અપાવીને તેના ફોટા, વિડિયો અને રીલ બનાવીને વાયરલ કરવામાં આવે છે પરંતુ એ જ બાળકો ધોરણ ૧૦ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ લઈને પહોંચે છે કે નહીં, શું એની દેખરેખ સરકાર દ્વારા રાખવામાં આવે છે કે નહીં, આ ખૂબ મોટો પ્રશ્ન છે. કારણ કે તમે પ્રવેશ તો અપાવો છો, પરંતુ સારા શિક્ષણની ગુણવત્તા, નિયમિત હાજરી, સારુ પરિણામ, શાળામાં સારા ઓરડા, શિક્ષકો છે કે નહીં, શૌચાલય છે કે નહીં, એની દેખરેખ સરકાર રાખતી નથી. પ્રવેશોત્સવ ખાલી એક દિવસનો કાર્યક્રમ બનીને રહી ગયો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુન 2026 1782   |  
ગુજરાતમાં જળસંકટ જળાશયોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક

રાજ્યમાં ખેંચાતા વરસાદના કારણે ૨૦૬ જળાશયો માં માત્ર ૩૭ ટકા પાણીનો જથ્થો છે,જેમાંથી ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો માં ૪૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો માં ૫૨ ટકા પાણી ઉપલબ્ધ છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જળાશયો માં પાણીની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. કચ્છના ૨૦ જળાશયો માં માત્ર ૨૭ ટકા પાણીનો જથ્થો છે, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયો માં પણ માત્ર ૨૭ ટકા પાણી જ બચ્યું છે. દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો માં ૩૪ ટકા પાણીનો જથ્થો છે.ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ ૬૫ ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં સરદાર સરોવર સહિત કુલ ૨૦૭ જળાશયો માં ૪૭.૫૦ ટકા જળસંગ્રહ નોંધાયો છે. દેવભૂમી દ્વારકા, સુરત અને નવસારી જેવા જિલ્લાઓમાં પાણીની સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં બે ટકા કરતા પણ ઓછો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. જામનગરમાં ૮ ટકા અને જૂનાગઢમાં ૧૪ ટકા પાણીનો જથ્થો છે.રાજ્યના ૧૩ જળાશયો એવા છે જેમાં ૨૫ ટકા કરતા પણ ઓછો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આપેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો સંગ્રહ ઓછો છે, ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ વધુ ગંભીર છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જળાશયો માં અન્ય વિસ્તારમાંથી વધુ પાણી બચ્યું છે. સરદાર સરોવર ડેમમાં પૂરતો જથ્થો હોવા છતાં અન્ય વિસ્તારોમાં પાણીની અછતની સ્થિતિ સામે આવી રહી છે.જળાશયો માં પાણીની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને, રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાણી બચત અને વ્યવસ્થાપન માટે તંત્રે ખાસ આયોજન કરવાની જરૂરિયાત છે. આપેલા આંકડાઓ મુજબ આગામી સમયમાં વરસાદ ન પડે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.મધ્ય ગુજરાતમાં સૌથી વધુ જળસંગ્રહ મધ્ય ગુજરાતના ડેમોમાં રાજ્યમાં સૌથી વધુ ૫૨.૬૨ ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. છોટાઉદેપુરના સુખી ડેમમાં ૭૩.૧૪ ટકા ભરાવ છે, જે રાજ્યના મોટા ડેમોમાં અગ્રેસર છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ૪૯.૪૪ ટકા અને પાનમ ડેમમાં ૫૫.૯૭ ટકા ભરાવ છે. પંચમહાલના દેવ ડેમમાં ૬૦.૧૮ ટકા સંગ્રહ નોંધાયો છે. વિભાગે સુખી ડેમને ‘વોર્નિંગ’ કેટેગરીમાં મૂક્યો છે. દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૩૪.૭૯ ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. રાજ્યના સૌથી મોટા જળાશયોમાંના એક ઉકાઈ ડેમમાં હાલમાં ૨,૬૧૧.૦૩ સ્ઝ્રસ્ પાણી છે, જે કુલ ક્ષમતાના ૩૫.૨૨ ટકા છે. કરજણ ડેમમાં ૪૨.૩૭ ટકા અને દમણગંગા ડેમમાં ૨૬.૯૬ ટકા સંગ્રહ નોંધાયો છે. નવસારી જિલ્લાના ઝુજ ડેમમાં ૧.૭૨ ટકા અને કેલિયા ડેમમાં ૧.૮૩ ટકા જળસંગ્રહ નોંધાતા સ્થિતિ ચિંતાજનક છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં માત્ર ૨૭.૨૧ ટકા જળસંગ્રહ નોંધાયો છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં ૪૮.૩૦ ટકા, રાજકોટના ભાદર ડેમમાં ૧૮.૧૧ ટકા, મોરબીના મચ્છુ-૨ ડેમમાં ૨૫.૦૬ ટકા અને મચ્છુ-૧ ડેમમાં ૨૩.૩૪ ટકા સંગ્રહ નોંધાયો છે. રાજકોટના આજી-૨ ડેમમાં ૭૬.૧૯ ટકા સંગ્રહ હોવાથી તેને વોર્નિંગ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. ચોમાસાની એન્ટ્રી: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ભાવનગર સૌથી વધુ વરસાદરાજ્યમાં સતાવાર ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. અલનોની અસર કારણે વરસાદની ગતિ ધીમી જાેવિ મળતી હતી પરંતુ રાજ્યમાં સોમવારે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો.સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ દક્ષિણ ગુજરાત નર્મદા અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.સૌથી વધુ વરસાદ ભાવનગર તાલુકામાં ૪૭ મિમી વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન બપોર બાદ શરૂ થયેલા વરસાદે શહેર અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી દીધી હતી. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૪૫ મિમી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ૩૯ મિમી વરસાદ નોંધાયો હતો.તાપી જિલ્લાના ઉકાઈ વિસ્તારમાં ૩૨ મિમી વરસાદ વરસ્યો હતો જ્યારે વલસાડ તાલુકામાં ૩૦ મિમી વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના વરસાદી પટ્ટામાં આવેલા સુરતના અરેઠમાં ૨૬ મિમી ,અંબિકા વિસ્તારમાં ૨૫ મિમી ,સોનગઢમાં ૨૦ મિમી અને વઘઈમાં ૧૯ મિમી વરસાદ નોંધાયો હતો.વરસાદના કારણે ખેડૂતો માટે સારા સમાચાર જાેવા મળ્યા છે .ખેતરોમાં વાવણી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે અને જળાશયો તથા નદીઓમાં પણ નવા પાણીની આવક શરૂ થઈ છે. હવામાન વિભાગે આગામી ૨૪થી ૪૮ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, જુન 2026 2772   |  
પોલીસે બે સ્નેચર્સની ધરપકડ કરીને ચેઈન સ્નેચિંગના ૬ મોટા ગુનાઓનો ભેદ ઉકેલ્યો

લોકલ ક્રાઇમ બ્રાન્ચ (ઝોન-૧) એ વહેલી સવારે મંદિર કે દેરાસરમાં દર્શન કરીને પાછા ફરતા લોકોને લૂંટતી એક રીઢા ગુનેગારોની ટોળકીને ઝડપી પાડી છે. બે સ્નેચર્સની ધરપકડ સાથે ચેઈન સ્નેચિંગના ૬ મોટા બનાવોનો ભેદ ઉકેલાયો છે, જ્યારે ચોરાયેલ સોનું ખરીદનાર એક ફરાર મહિલાની શોધખોળ હાલ ચાલી રહી છે. આઠમી મે ૨૦૨૬ના રોજ સવારે મીઠાખળી જૈન દેરાસરથી દર્શન કરીને ઘરે પરત ફરી રહેલી એક મહિલાને વૈદેહી એપાર્ટમેન્ટ નજીક બાઇક સવાર બે બદમાશોએ આંતરી હતી. બાઇક પાછળ બેઠેલા શખસે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકી લીધી હતી અને બંને ફરાર થઈ ગયા હતા. શહેરમાં વહેલી સવારે વધતા સ્નેચિંગના બનાવોને ગંભીરતાથી લઈને ન્ઝ્રમ્ ઝોન-૧ની ટીમે આ મામલે સઘન તપાસ શરૂ કરી હતી. આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોના ૫૦૦થી વધુ સીસીટીવી (ઝ્રઝ્ર્ફ) કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજ પરથી કડી મળી હતી કે સ્નેચિંગ કર્યા બાદ શંકાસ્પદો પાલડી અને નારાયણ નગર વિસ્તાર તરફ ભાગી રહ્યા છે. પોલીસ ટીમે આ વિસ્તારમાં આશરે ૧૦ દિવસ સુધી સતત વોચ ગોઠવી, દેખરેખ રાખી હતી. આખરે ચોક્કસ બાતમી મળતા જ પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા હતા.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ૪૪ વર્ષીય પંકજ શંકરલાલ પરમાર જે મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની છે અને ઉદયપુર ૩૮ વર્ષીય લક્ષ્મણસિંહ ચૌહાણ તરીકે થઈ છે. નાના ચિલોડાની રહેવાસી આશાબહેન ઠક્કરને પણ વોન્ટેડ આરોપી જાહેર કરી છે. આ મહિલા પર આરોપ છે કે તે આ લૂંટારુઓ પાસેથી ચોરીના સોનાના દાગીના સસ્તા ભાવે ખરીદતી હતી. પોલીસ હાલ તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુન 2026 1782   |  
નેચરલ રફ ડાયમંડ્સની ડીટીસીના સાઇટ હોલ્ડર્સની સંખ્યા ૬૯ ઘટાડીને ૪૫ કરી દેવાશે

ખાણોમાંથી નીકળતા નેચરલ રફ ડાયમંડનું ટ્રેડિંગ કરતી ડી-બિયર્સ કંપનીની ડાયમંડ ટ્રેડિંગ કંપનીની નવી એગ્રિમેન્ટ સાઇકલ આગામી તા.૧લી જુલાઇ ૨૦૨૬થી શરૂ થઇ રહી છે. ડી-બિયર્સ કંપનીએ ડીટીસી સાઇટ હોલ્ડર્સની સંખ્યામાં ૩૦ ટકાનો ધરખમ ઘટાડો કર્યો હોવાની માહિતી સાંપડી છે. વૈશ્વિક સ્તરે સાઇટ હોલ્ડર્સની સંખ્યા ૬૯થી ઘટાડીને આશરે ૪૫ કરી દેવામાં આવી છે. આ ઐતિહાસિક ફેરફારની સુરતના હીરા ઉદ્યોગ પર દ્વિપક્ષીય અસર જાેવા મળી રહી છે. નવી એગ્રિમેન્ટ સાઇકલના અમલીકરણ બાદ પરંપરાગત રફ-પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગ હબ ગણાતા ન્યૂયોર્ક અને ઇઝરાયેલમાં સાઇટ હોલ્ડર્સની સંખ્યા નહિવત થઈ જશે. છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૧થી ૨૦૨૬ વચ્ચે) ડીટીસી (ડી-બિયર્સ)ના સાઇટ હોલ્ડર્સની સંખ્યામાં આ ઘટાડો ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. કંપનીએ તાજેતરમાં જ તેના સત્તાવાર ખરીદદારોની યાદીમાં આશરે ૩૦%થી વધુનો મોટો કાપ મૂક્યો છે. આ કંપનીના ઇતિહાસમાં એક જ ચક્રમાં કરવામાં આવેલો સૌથી મોટો ઘટાડો છે.ડી-બિયર્સે પોતાની ડીટીસી સાઇટની યાદીમાં કરેલા આ વૈશ્વિક કાપ વચ્ચે પણ ભારતમાં ખાસ કરીને સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગનું પ્રભુત્વ જળવાયેલું રહ્યું છે, કારણ કે આ નવી યાદીમાં ભારતમાંથી જૂની એક પણ કંપનીને બાકાત કરવામાં આવી નથી પરંતુ, નવી કંપની ઉમેરવામાં જરૂર આવી હોવાનું સ્થાનિક હીરા ઉદ્યોગમાંથી જાણવા મળે છે. ડી બિયર્સ ના સાઇટ હોલ્ડર કરારની સામાન્ય મુદત ૩ થી ૫ વર્ષની (નવા નિયમો મુજબ ૩ વર્ષની ફિક્સ મુદત) હોય છે. ૨૦૨૧માં થયેલા કરારો મૂળ ડિસેમ્બર ૨૦૨૩માં પુરા થવાના હતા, પરંતુ વૈશ્વિક બજારની મંદી અને અનિશ્ચિતતાને કારણે કંપનીએ તેને અલગ-અલગ તબક્કે લંબાવીને આગામી તા.૩૦ જૂન ૨૦૨૬ સુધી નિશ્ચિત કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ તા.૧ જુલાઈ ૨૦૨૬થી શરૂ થનારા નવા કરાર ચક્રમાં કંપનીએ સપ્લાય સિક્યોરિટી અને ટ્રેડિંગ માટે તદ્દન નવા અને કડક નિયમો લાગુ કર્યા છે. મળતી માહિતી મુજબ કંપનીએ રફ હીરાના ખરીદદારો માટે સપ્લાય અને પેમેન્ટના નિયમો વધુ કડક બનાવ્યા છે, જેથી નબળા અને બિન-નિયમિત ટ્રેડર્સ આપોઆપ લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. કુદરતી હીરાની માંગમાં વૈશ્વિક ઘટાડો થયો છે અને છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં કુદરતી (દ્ગટ્ઠંેટ્ઠિઙ્મ) હીરાની માંગ સતત ઘટી રહી છે. આના કારણે બજારમાં રફ હીરાનો મોટો સ્ટોક જમા થઈ ગયો છે, જેથી ઉત્પાદનમાં પણ ઘટાડો કરવો પડ્યો છે. ડી બિયર્સ કંપની કરારના નિયમો મુજબ સત્તાવાર રીતે કઈ ૨૦ કંપનીઓ લિસ્ટમાંથી બહાર થઈ છે તેનું નામ જાહેર કરતી નથી, પરંતુ ઉદ્યોગના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે બિન-નિયમિત ખરીદી કરતી અને આર્થિક મુશ્કેલી ભોગવતી નાની કંપનીઓના કરાર રીન્યુ કરાયા નથી.ડીટીસી સાઇટ હોલ્ડરોની સંખ્યા કેમ ઘટાડવી પડી ડી-બિયર્સ કંપનીએ રફ ડાયમંડના વેચાણ માટેની ડીટીસી સાઇટ હોલ્ડર્સની સંખ્યામાં કરેલા ધરખમ ઘટાડા માટે કે કેટલાક કારણોને ધ્યાનમાં લીધા છે. જેમાં વૈશ્વિક સ્તરે નેચરલ ડાયમંડમાં ઘટી ગયેલી ઘરાકી ઉપરાંત લેબગ્રોન ડાયમંડની વધતી જતી સ્પર્ધાને જવાબદાર માનવામાં આવે છે. તાજેતરમાં અમેરીકામાં સંપન્ન થયેલી જેસીકે જ્વેલરી શૉમાં કંપનીએ ભાવિ રણનીતિમાં ગ્રાહકોની સંખ્યા પર નહીં પરંતુ, ગ્રાહકોની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રીત કરવાની નીતિ પર ધ્યાન આપવાનું જણાવ્યું હતું. કંપની માત્ર એવા જ ખરીદદારો રાખવા માંગે છે જે આર્થિક રીતે મજબૂત હોય અને મુશ્કેલ સમયમાં પણ નિયમિત ખરીદી કરી શકે. ડાયમંડ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નાની અને મધ્યમ કંપનીઓ સંકોચાઈ રહી છે અથવા આઉટસોર્સિંગ પર ર્નિભર થઈ છે. બજારનો મોટો હિસ્સો માત્ર ગણતરીની મોટી અને સ્થાપિત કંપનીઓ પાસે જઈ રહ્યો છે. સુરતના હીરા ઉદ્યોગમાં આ અસર જરૂર વર્તાશે ડીટીસીએ પોતાના સાઇટ હોલ્ડર્સની યાદીમાં ૩૦ ટકાનો ધરખમ ઘટાડો કરતા સુરતના હીરા ઉદ્યોગમાં કાર્યરત નાના અને મધ્યમ એકમો પર દબાણ જરૂર આવશે એવું ઉદ્યોગકારોનું માનવું છે. ડીટીસી સાઇટ હોલ્ડર્સનું લિસ્ટ નાનું થવાને કારણે હવે માત્ર મોટી અને આર્થિક રીતે સક્ષમ કંપનીઓને જ સીધા હીરા મળશે. સુરતના નાના કારખાનાઓ (જેઓ ઓપન માર્કેટ કે બ્રોકર્સ પાસેથી રફ ખરીદતા હતા) માટે રફ હીરા મેળવવાનું કામ વધુ મોંઘું અને મુશ્કેલ બનશે. ડી બિયર્સ હવે લાંબા ગાળાના મજબૂત ભાગીદારો ઈચ્છે છે. આના કારણે સુરતની કંપનીઓએ હીરાના કટિંગ, પોલિશિંગ અને ટ્રેસેબિલિટી (હીરા ક્યાંથી આવ્યો તેની વિગત) માટે અદ્યતન ટેકનોલોજીમાં રોકાણ વધારવું પડશે. ડીટીસી સાઇટ હોલ્ડર કંપનીએ વર્ષે કમસેકમ રૂ.૧૨૫ કરોડનાં હીરા ફરજિયાત ખરીદવા પડશે ડી-બિયર્સે ડીટીસી સાઇટ હોલ્ડર્સ માટે જારી કરેલા નવા સપ્લાય એગ્રીમેન્ટ હેઠળ ડી બિયર્સે હીરા ઉદ્યોગપતિઓ માટે આકરા નિયમો નક્કી કર્યા છે. જેમાં સાઇટ હોલ્ડર કંપની માટે વાર્ષિક લઘુત્તમ ખરીદીની મર્યાદા નક્કી કરી છે. નવા નિયમો અનુસાર, યાદીમાં ટકી રહેવા માટે સાઇટ હોલ્ડરે વાર્ષિક ઓછામાં ઓછા ૧.૫ કરોડ ડોલર (આશરે રૂ.૧૨૫ કરોડથી વધુ)ના નેચરલ રફ હીરા ખરીદવા ફરજિયાત છે. જે કંપનીઓ નિયમિત આ ક્વોટા પૂરો નહીં કરે, તેમનો કરાર રદ થઈ જશે. ડી બિયર્સે ખરીદદારોને ત્રણ સ્પષ્ટ કેટેગરીમાં વહેંચ્યા છે - મેન્યુફેક્ચરર્સ (ઉત્પાદકો), ડીલર્સ (વેપારીઓ) અને રીટેલર્સ (વિક્રેતાઓ). દરેક કેટેગરીને તેમની ક્ષમતા અને જરૂરિયાત મુજબના જ ચોક્કસ રફ હીરા ફાળવવામાં આવે છે. તમામ સાઇટ હોલ્ડર્સે ડી બિયર્સના બેસ્ટ પ્રેક્ટીસ મેન્યુઅલ ૨૦૨૬ ના કડક માપદંડોનું પાલન કરવું પડશે. આ હેઠળ બાળમજૂરી વિરોધ, પર્યાવરણ સુરક્ષા, નાણાકીય પારદર્શિતા અને નૈતિક વેપારના કાયદાઓનો સમાવેશ થાય છે. જાે કોઈ પણ સભ્ય આમાં નિષ્ફળ જશે, તો સપ્લાય તાત્કાલિક અટકાવી દેવાશે. નવી શરતો મુજબ, માત્ર લિસ્ટમાં નામ રાખવા ખાતર સાઇટ હોલ્ડર બની શકાશે નહીં. કંપની જે માલ ઓફર કરે, તેમાંથી નિર્ધારિત જથ્થો નિયમિત ખરીદવો જ પડશે. જે કંપનીઓ માલ નહોતી ઉપાડતી તેમને આ નવા કરારમાં સીધી જ બહાર કરી દેવાઈ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુન 2026 2079   |  
ગર્લફ્રેન્ડ બાબતે મિત્રને થયેલા ઝઘડામાં ફાયરિંગ પ્રકરણે ડિસમીસ્ડ પોલીસ કોન્સટેબલની ધરપકડ

ગોડદારામાં મહાદેવ નગર પાછળ ગાયત્રી નગરમાં રેહતાં સંગ્રામ મેલાભાઈ ભરવાડને તેના મિત્ર ઉદય થકી વર્ષા પાંડે નામની છોકરી સાથે સંપર્ક થયો હતો. નિયોલ પાસે અંબાબા કોલેજમા ભણતી વર્ષાને ત્યાં દેવ સોલંકી નામના છોકરા સાથે મિત્રતા થઇ હતી. વર્ષા આ દેવ સાથે ફોન પર વાતો કરતી હોવાથી સંગ્રામને માઠું લાગ્યું હતું, તેણે આ બંને સાથે ઝધડો પણ કર્યો હતો.દરમિયાન ૧૦મી માર્ચ ૨૦૨૪ના રોજ સાડા અગિયારેક વાગ્યે સંગ્રામ તેના મિત્ર મિત વર્મા સાથે નિયોલ અંબાબા કોલેજમાં અભ્યાસ કરતા માસીના દિકરા વિપુલને મળવા ગયો હતો. એ સમયે દેવ સોલંકી અને તેનો મિત્ર જાેગો દેખાતાં સંગ્રામે તેને બોલાવ્યા હતાં. સંગ્રામે માથાકૂટ કરી પરંતુ દેવના મિત્ર જાેગાએ કમરમાંથી તમંચો કાઢતાં તેમણે ભાગવું પડ્યું હતું. ત્યારબાદ સાડા બારેક વાગ્યાની આસપાસ જાેગાએ સંગ્રામને કોલ કરી ભરત કેન્સર હોસ્પિટલ પાસે મળવા બોલાવ્યો હતો. સંગ્રામ તેના નાના ભાઇ ગોપાલ તથા મારા મિત્રો મુકેશ આહીરે, બાબુલાલ, સોનુ એમ પાંચ જણા લોખંડના પાઇપ અને લાકડાના ફટકા લઇ સ્વીફ્ટમાં અને બીજા બે મિત્ર મિત વર્મા તથા અમિત ક્રિષ્નાભાઇ શુક્લા મોટર સાયકલ પર ત્યાં પહોંચ્યા હતાં. ભરત કેન્સર હોસ્પિટલના ગેટ પાસે ઉભા રહેલા દેવ સોલંકી તેના મિત્રો જાેગા અને સુરેશ સાથે સંગ્રામ ગેંગને મારામારી થઇ હતી. જેમા જાેગાએ તમંચો કાઢી ફાયરિંગ કરતાં સંગ્રામ અને તેના મિત્રો ભાગી ગયા હતાં. આ હુમલામાં સંગ્રામના ભાઈ ગોપાલને માથામાં ઇજા પહોંચી હતી. સંગ્રામે આપેલી ફરિયાદના આધારે સારોલી પોલીસે ગુનો નોંધી દેવાંશુ સિંહ ઉર્ફે દેવ શ્યામ સિંહ સોલંકી (રહે, સરિતા વિહાર સોસાયટી, આઈ માતા ચોક, પુણા) અને પછી અન્યોની ધરપકડ કરી હતી. આ કેસમાં સુરેશ છાબા ફરાર થઇ ગયો હતો. ત્રણ વર્ષથી નાસતા ફરતા સુરેશ હરીરામ છાબા (વતન- જાટ કોલોની, નાગોર પોલીસ લાઈનની પાછળ, નાગોર શહેર, રાજસ્થાન) ને ક્રાઇમ બ્રાન્ચ ભુવનેશ્વરથી શોધી લાવી છે. સુરેશ ૨૦૨૮માં રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જાેડાયો હતો. જાે કે, સતત ગેરહાજરી અને ગેરવર્તણુંકના કારણે તેને ૨૦૨૦માં ફરજમાંથી બરતરફ કરી દેવાયો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુન 2026 1881   |  
સરથાણાની હોટલમાં પ્રેમી યુગલે ઝેર ગટગટાવ્યું યુવતીનું મોત, યુવકની હાલત ગંભીર

સરથાણામાં બાપાસીતારામ ચોક નજીક આવેલી સિલ્વર બિઝનેસ હબની લા મરીના હોટેલમાં પ્રેમી યુગલે ઝેર ગટગટાવી લીધુ હતું. ૨૩ વર્ષીય યુવતીનું કરુણ મોત નીપજ્યું છે, પોલીસે મૃતક યુવતીની ઓળખ ૨૩ વર્ષીય માનસી હસમુખ ઉમરેટીયા (રહે. શિવધારા માનસરોવર, યોગીચોક, સરથાણા તથા મૂળ વતન ગીગાસણ, તા. ધારી, જી. અમરેલી) તરીકે કરી છે. જ્યારે સારવાર હેઠળ રહેલા યુવકનું નામ ૨૩ વર્ષીય અભય રામજી ત્રાડા (રહે.રૂક્ષ્મણી સોસાયટી, નાના વરાછા) હોવાનું જાણવા મળ્યું છે. બંને એકબીજાના પ્રેમમાં હતા અને અગાઉ કોર્ટ મેરેજ પણ કરી ચૂક્યા હતા. શરૂઆતમાં બંનેના સંબંધ અંગે પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ બાદમાં બંને પરિવારો રાજી થઈ ગયા હતા. પરિવારની સંમતિથી બંનેની સગાઈ પણ કરવામાં આવી હતી અને દિવાળી બાદ સામાજિક રીતિ-રિવાજ મુજબ લગ્ન યોજાવાના હતા. છતાં, લા મરીના હોટેલના રૂમમાં બંનેએ ઝેરી દવા પી લેતાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માનસીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અભયની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે બંનેના લગ્ન ટૂંક સમયમાં થવાના હતા. તેમ છતાં તેઓએ આટલું આકરું પગલું શા માટે ભર્યું તે હજી રહસ્ય બની રહ્યું છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવક ભાનમાં આવ્યા બાદ અને પરિવારજનોની પૂછપરછ પૂર્ણ થયા પછી સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, જુન 2026 2376   |  
ડીજે સાથેની ત્રણ મહિનાની ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડશિપમાં ડિંડોલીની કિશોરી બે મહિનાની ગર્ભવતી બની

ડીજે તરીકે કામ કરતાં યુવકે સોશિયલ મીડિયાના તામજામથી ડિંડોલીની કિશોરીને આંજી દીધી હતી. ઇન્સ્ટાગ્રામ થકી થયેલી મિત્રતા ઇન્સ્ટન્ટ લવ અને પછી સેક્સ સુધી પહોંચી ગઇ હતી. ત્રણ મહિના સુધી અવારનવાર કિશોરીનાં ઘરે જઇ શરીર સંબંધ બાંધવાને કારણે તેણી ગર્ભવતી બની ગઇ હતી. નવ અઠવાડિયાની ગર્ભાવસ્થાને કારણે શારીરિક તકલીફો શરૂ થતાં મામલો બહાર આવ્યો અને પોલીસ સુધી પહોંચ્યો હતો. નવાગામ વિસ્તારમાં ઉત્તર ભારતીય પટેલ પરિવાર રહે છે. આ પરિવારમાં ૧૬ વર્ષની દીકરી સુહાની ( નામ બદલ્યું છે) છે. સુહાનીને લિંબાયત, નીલગીરી વિસ્તારની શ્રી કૃપા સોસાયટીમાં રહેતાં રાજન ઉર્ફે રાજા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઇ હતી. ડીજે તરીકે કામ કરતાં રાજને સોશિયલ મીડિયા ઉપરનાં પોતાના તામજામથી કિશોરીને આંજી દીધી હતી. તેઓ વચ્ચેની આ ઇન્સ્ટા ફ્રેન્ડશીપ ઇન્સ્ટન્ટ લવ અફેરમાં પરિણમી હતી. ઓનલાઈન ચેટિંગ બાદ શરૂ થયેલી મુલાકાતોમાં રાજને આ કિશોરીને કહ્યામાં કરી દીધી હતી.સુહાની ડીજે રાજન રાજાથી એટલી પ્રભાવિત થઇ ગઇ હતી કે પોતાના ઘરે કોઇ ના હોય ત્યારે તેને બોલાવવા માંડી હતી. કિશોરીની પરિપક્વતા કહો કે સારા નરસાની સમજણનાં અભાવનો રાજને ભરપુર ગેરલાભ ઉઠાવવા માંડ્યો હતો. તે કિશોરીને જાતીય આવેગમાં તાણી હવસ સંતોષવા માંડ્યો હતો. અવાર નવાર શરીર સંબંધોના પગલે કિશોરેને ગર્ભ રહી ગયો હતો. તેણીએ આ વાત ઘરે કોઇને કરી ન હતી. જો કે, આઠમા નવમાં અઠવાડિયે તેણીને ગર્ભાવસ્થા અનુરૂપ શારીરિક તકલીફો શરૂ થઈ હતી. જેના કારણે પરિવારના ધ્યાને આ વાત ગઇ હતી. ડોક્ટર પાસે કરાવેયાલી તપાસમાં નવ મહિનાની ગર્ભાવસ્થા કન્ફર્મ થઇ હતી. બાદમાં કરાયેલી પૂછપરછમાં કિશોરીએ રાજન રાજા સાથેના સંબંધો અંગે ખુલાસો કર્યો હતો. દીકરી સગીરવયની હોવાથી માતા-પિતા પોલીસમાં પહોંચ્યા અને તેનું જાતીય શોષણ કરી ગર્ભવતી બનાવી દેનાર રાજન શિવકુમાર રાય સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, જુન 2026 2673   |  
૨૫૦ કરોડની પ્રોજેક્ટ લોન આપવાનું કહીને ગઠિયાઓએ ફી પેટે ૧.૧૧ કરોડ પડાવી લીધાં

૨૫૦ કરોડની પ્રોજેક્ટ લોન આપવા કહી ફી પેટે ૧.૧૧ કરોડ રૂપિયા લઇ હાથ ઉંચા કરી દેનારા બે ગઠિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ઓલપાડના સાંધીએર ગામે રહેતાં ભૌતિક રમેશભાઈ મણવર બિલ્ડરો સાથે સંપર્કમાં રહી કમિશનથી ફ્લેટ વેચાણનું કામ કરે છે. જુનાગઢનાં માણાવદર તાલુકાના વતની ભૌતિક મણવરે ચારેક વર્ષ પહેલા કોસાડ રોડ ઉપર ઓમકાર એવન્યુ નામની બાંધકામ સાઇટનાં મકાન વેચાણ બાબતે સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કર્યું હતું. જે દરમિયાન તેની સાથે દીપક પરષોત્તમ મંગે સંપર્કમાં આવ્યો હતો.બાદમાં ભૌતિક મણવરે વેસુ વીઆઇપી રોડ ઉપર ખાટુ શ્યામ મંદિર સામે રૂંગટા શોપિંગમાં રીયાલીટી ૩૬૦ ડિગ્રી નામથી બ્રોકર તરીકેની ઓફિસ શરૂ કરી હતી. જ્યાં આ દીપક તેના દિકરા ભરત અને ભાઈ કિશોર મંગે સાથે આવતો રહ્યો હતો. આ ત્રણ જણાએ એવી વાત કરી હતી કે, તેઓ મુંબઇમાં રી-ડેવલોપિંગના સારા પ્રોજેક્ટ કરી રહ્યાં છે. દરમિયાન જુન ૨૦૨૪માં દીપક, ભરત અને કિશોર મંગે ફરી ભૌતિકને મળ્યા હતાં. તેમણે કહ્યું કે, અમે કતારગામ, નાનપુરા તથા અડાજણ અને વેસુમાં જગ્યા જોઈ છે, ત્યાં હાઇરાઇઝ બિલ્ડિંગ પ્રોજેક્ટ ચાલુ કરવા અઢીસો કરોડ રૂપિયાની લોન જોઇએ છે. પ્રોજેક્ટ લોન અપાવી શકે એવા કોઈ વ્યક્તિનો પરિચય હોય તો જણાવવા કહ્યું હોય ભૌતિકે તેના ઓળખીતા દલાલ કાનજી કાબાભાઈ સુતરીયાનો સંપર્ક કર્યો હતો. આ કાનજી સુરતીયા ચીખલી ખાતે જમીન લે-વેચનું કામ કરતા કલ્પેશ રમણભાઇ પટેલ મારફત ભગવાન પાટીલને ભૌતિકની ઓફિસે લઇ આવ્યો હતો. ભૌતિકે ૨૫૦ કરોડની પ્રોજેક્ટ લોન બાબતે વાતચીત કરતાં આ ભગવાન પાટીલે જણાવેલ કે હું લોન એજન્ટ છું, મારા સાહેબ પંકજ ભાવસાર કે જે અમદાવાદ ખાતે ફાયનાન્સર છે. તેમની સાથે વાતચીત કરાવી દઈશ. આ મીટિંગનાં અઠવાડિયા પછી ભગવાન પાટીલ પંકજ ભાવસારને લઇ ભૌતિકની ઓફિસે ગયો હતો. એ સમયે દીપક, કિશોર અને ભરત મંગે પણ ત્યાં હાજર હતાં. પંકજ ભાવસારે તેમને જણાવેલ કે હું ફાયનાન્સ કરવાનું કામ કરૂ છું એમ કહી પ્રોજેક્ટની જગ્યા બતાવવા કહ્યું હતું. જેથી તેઓએ ભગવાન પાટીલ તથા પંકજ ભાવસારને કતારગામ, નાનપુરા તથા અડાજણ અને વેસુ સ્થિત જગ્યા બતાવી હતી. જગ્યા જોયા બાદ પંકજ ભાવસારે ૨૫૦ કરોડની લોન આપીશ એમ કહી એ માટેની પ્રોસેસ સમજાવી હતી. જેમાં તેણે અઢીસો કરોડની લોનની ૦.૭૫ પૈસા લેખે ૧,૧૧,૦૦,૦૦૦ રૂપિયા ફી પહેલા આપવી પડશે એમ કહ્યું હતું. તેઓ જતાં રહ્યા બાદ દીપક મંગેએ ભૌતિકને જણાવ્યું હતું કે, આ લોન પાસ થઇ જશે તો માર્કેટીંગ તથા સેલીંગનું કામ કાજ તમારે સંભાળવાનું રહેશે. સાથે જ આ પ્રોજેક્ટમાં જે ફાયદો થશે તેમાં તમને ૧૦% ભાગ પણ આપીશું. ત્યારબાદ દીપક મંગે એ તેના સીએ ગોરધનભાઇ ગોધાણી મારફત દ્રીશા ડેવલોપર્સ નામથી લોનના કાગળો તૈયાર કરાવ્યા હતાં. આ ફાઇલ લઇ ભૌતિકે ભગવાન પાટીલને આપી હતી. લોન માટે ફી પેટે ૧.૧૧ કરોડ રૂપિયા આપવાની વાત આવી ત્યારે મંગે એ ભૌતિકને કહ્યું કે, તેમનું મુંબઇમાં ઘણું પેમેન્ટ અટવાયેલું છે. હાલ તમે આ પૈસાની વ્યવસ્થા કરી દો. લોન પાસ થશે પછી આપણે હિસાબ સમજી લઈશું. પ્રોજેક્ટમાં ૧૦ ટકાની ભાગીદારી અને ફ્લેટ વેચાણનું કમિશન મળવાનું હોય ભૌતિકે હા પાડી અને પછી પંકજ ભાવસારનાં જણાવ્યા મુજબ સરથાણા જકાતનાકા પાસે રોયલ આર્કેટમાં આવેલ પીએમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી માંથી ૨૯ જુનથી ૨ ઓગસ્ટ સુધીમાં કુલ ૧.૧૧ કરોડ રૂપિયા જુદા જુદા વ્યક્તિને જુદા જુદા શહેરમાં મોકલી આપ્યા હતાં. ત્યારબાદ પંકજ ભાવસારે તેમના વાયદા અનુસાર લોન આપી ન હતી. આ બાબતે તેઓએ વાત કરવાનું ટાળવા માંડતાં વચ્ચે રહેલા ભગવાન પાટીલનો સંપર્ક કરાયો હતો. ભગવાન પાટીલે વાયદાઓ કરી એક વર્ષ જેટલો સમય વિતાવી દીધો હતો. ભગવાન ઉર્ફે ભિકેન સુખલાલ પાટીલ (રહે, પ્લોટ નં ૧૯૮ પંચદેવ બંગ્લોઝ ગોકુલધામ સોસાયટી સામે, ખરવાસા રોડ, ડિંડોલી) અને પંકજ ભાવસારે લોનનાં નામે ચીટિંગ કર્યાનો અહેસાસ થતાં ભૌતિકે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution