ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, જુન 2026 2178   |  
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં આગામી ૬ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જાેવા મળશે. હવામાન વિભાગ અનુસાર, આગામી ૧૬ થી ૧૯ જૂન દરમિયાન રાજ્યના ૧૧ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં આગામી ૧૪-૧૫ જૂના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને ૧૫ જૂને છોટાઉદેપુર, નર્મદા વરસાદની શક્યતા છે. આગામી ૧૬ થી ૧૯ જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું. જેમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જાેવા મળ્યો ન હતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું હતું.  ગઈકાલે(૧૨ જૂન) અમદાવાદ ખાતે રાજ્યનું સૌથી વધુ ૪૨.૭ તાપમાન નોંધાયું હતું. જાે કે, આગામી ૨૪ કલાકમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને મહત્તમ તાપમાન ૪૨°ઝ્ર ની આસપાસ રહેવાની સંભાવના છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, જુન 2026 2178   |  
ગીર સોમનાથમાં ૩૧૦ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ :પાંચ આરોપી ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતેથી આશરે ૩૧૦ કરોડ રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ અંતર્ગત સમન્વય પોર્ટલની મદદથી ઓનલાઈન ઠગાઈ માટે પોતાના બેંક ખાતા ભાડે આપતી ટોળકીને ઝડપી પાડી છે.જૂનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. ઝણકાત અને તેમની ટીમે સૌપ્રથમ એક આરોપીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ અને ડિજિટલ પુરાવાના આધારે અલગ-અલગ ટીમો બનાવીને વેરાવળ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાંથી વધુ ૪ આરોપીઓ દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં આકાશ ભરતકુમાર પાલા, હિરેન રાજગોર, આશુતોષ ઠાકર (દેવભૂમિ દ્વારકા), અજય દાફડા (રાજકોટ) અને દીપકગીરી અપરનાથી (વેરાવળ) નો સમાવેશ થાય છે.પોલીસ તપાસ દરમિયાન બે ચોક્કસ બેંક ખાતાઓ પર શંકા ગઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આ ખાતાધારકો માત્ર કમિશન મેળવવાની લાલચે સાયબર ઠગોને પોતાના ખાતા વાપરવા આપતા હતા.આ સમગ્ર કૌભાંડમાં બેંક ઓફ ઇન્ડિયા અને કેનરા બેંકના ખાતાઓ મુખ્ય કેન્દ્ર સાબિત થયા છે. બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં પોર્ટલ પર ૧૯૩ ફરિયાદો લિંક થયેલી હતી, જેમાં ૨૮૨ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળ્યા હતા. જ્યારે કેનરા બેંકના એક ખાતામાં ૯૭ ફરિયાદો સાથે ૩૭ કરોડના શંકાસ્પદ વ્યવહારો નોંધાયા હતા. આમ બે જ ખાતાઓ મારફતે કુલ ૩૧૦ કરોડથી વધુની રકમની હેરફેર થઈ હતી.પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે આ નેટવર્ક દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં રહેતા આશરે ૨૯૦ જેટલા નિર્દાેષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. રોકાણના નામે ઊંચા વળતરની લાલચ, વિવિધ ઓનલાઈન ટાસ્ક અને અન્ય સાયબર કરતૂતો કરીને મેળવેલી કરોડોની રકમ આ ભાડે રાખેલા મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, જુન 2026 2079   |  
જામનગર મનપાનો અંધેર વહીવટ: હજુ ઉદ્ઘાટન પણ નથી થયું ને કરોડોના પ્રોજેક્ટ પર જેસીબી ફર્યુ

 છોટા કાશી ગણાતા જામનગર શહેરમાંથી વહીવટી તંત્રની એક ગંભીર બેદરકારી અને નબળા આયોજનનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વોર્ડ નંબર-૨ વિસ્તારમાં કરોડો રૂપિયાના અંધાધૂંધ ખર્ચે તૈયાર કરાયેલા એક હાઈ-પ્રોફાઈલ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ (સૌંદર્યીકરણ) ને લઈને મોટો વિવાદ છેડાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે હજુ સુધી આ કરોડોના પ્રોજેક્ટનું સત્તાવાર ઉદ્ઘાટન કે લોકાર્પણ પણ થયું નથી, ત્યાં જ મનપા દ્વારા ફરીથી જેસીબી ઉતારીને તોડફોડ અને ખોદકામ શરૂ કરી દેવાતા પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. નવા બનેલા આ પ્રોજેક્ટના લોકેશન પર અચાનક જેસીબી મશીનો ધણધણવા લાગતા આસપાસના રસ્તાઓ ફરીથી બિસ્માર બન્યા છે, જેને પગલે સ્થાનિક નાગરિકોમાં મનપા તંત્ર વિરુદ્ધ ભારે રોષ જાેવા મળી રહ્યો છે. પ્રજા હવે એવો વેધક સવાલ પૂછી રહી છે કે જાે આ રસ્તા અને પ્રોજેક્ટની નીચે ભૂગર્ભ ગટર લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, ગેસ લાઈન કે વીજળીના કેબલ ફિટ કરવાના બાકી જ હતા, તો કરોડો રૂપિયા વાપરીને ઉપર બ્યુટિફિકેશનનું કામ પૂરું કેમ કરી દેવાયું? કામ શરૂ કરતાં પહેલાં એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પ્રોપર સર્વેક્ષણ કે નકશાનું આયોજન કેમ કરવામાં આવ્યું નહીં? આ ગંભીર બેદરકારી સામે અવાજ ઉઠાવતા વોર્ડ નંબર-૨ના સામાજિક આગેવાન હનીફ હસન મલેકે જામનગર મહાનગરપાલિકાના વહીવટ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે જામનગરમાં કોઈપણ પ્રકારના પ્લાનિંગ વગર ઉતાવળે કામો હાથ ધરવામાં આવે છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, જુન 2026 2079   |  
બંધ બારણે મળેલી બેઠકમાં હર્ષ સંઘવી અને નરેશ પટેલે અડધો કલાક ગુફ્તેગુ કરી

રાજકોટના પ્રવાસે ગયેલા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ખોડલધામ-કાગવડના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને જઈને તેમની સાથે બેઠક કરી હતી. રાજકોટમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે થયેલી મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે અને અનેક જાતના તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે. જાે કે, મુલાકાત બાદ નરેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, આ માત્ર સામાજિક મુલાકાત હતી. અન્ય કોઈ રાજકીય ચર્ચા થઈ નથી.ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ૨૦૨૭ને આડે હવે દોઢ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. તેવા સંજાેગોમાં આજે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટના પ્રવાસે ગયા હતા. રાજકોટના પ્રવાસ દરમિયાન રેલવે ઓવરબ્રિજના લોકાર્પણનો સરકારી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. નરેશ પટેલના નિવાસસ્થાને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે બંધ બારણે બેઠક યોજાઇ હતી. જેને લઈને ગુજરાતના રાજકીય વર્તુળોમાં નવી અનેક જાતની ચર્ચાઓ અને તર્ક-વિતર્કોને જન્મ આપ્યો છે. વિધાનસભાની ૨૦૨૭ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બંને દિગ્ગજાેની મુલાકાતથી રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજકોટ પ્રવાસ દરમિયાન ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં બંને વચ્ચે લગભગ અડધો કલાક જેટલો સમય સુધી બંધ બારણે મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ખાસ કરીને તાજેતરમાં નરેશ પટેલે ખોડલધામની જવાબદારીઓમાંથી સેવામુક્ત થવાની જાહેરાત કરી હોવાને કારણે આ મુલાકાત વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજકોટમાં ઉપમુખ્યમંત્રી અને ખોડલધામના ચેરમેન વચ્ચેની મુલાકાતને લઈને રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્યમાં નવા રાજકીય સમીકરણોની ધરી રચાઈ શકે છે. આ સંજાેગોમાં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચેની બંધ બારણે થયેલી મુલાકાતને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જાે કે, આ બેઠક પૂર્ણ થયા બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મીડિયા સમક્ષ આવીને આ મુલાકાતને સંપૂર્ણપણે સામાજિક ગણાવી છે. નરેશ પટેલે મુલાકાત અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી મારા ઘરે આવ્યા હતા. આ માત્ર સામાજિક મુલાકાત હતી. અન્ય કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. માત્ર સામાજિક મુદ્દાઓ પર જ વાતચીત થઈ હતી. નરેશ પટેલના આ નિવેદન બાદ પણ રાજકીય વર્તુળોમાં અનેકવિધ ચર્ચાઓ તેજ બની છે. કારણ કે ભૂતકાળમાં પણ વિધાનસભાની ચૂંટણી પૂર્વે નરેશ પટેલનું નામ સક્રિય રાજકારણ સાથે અનેક વખત જાેડાતું રહ્યું છે. તેથી બંને વચ્ચેની આ મુલાકાત સામાન્ય હતી કે તેના પાછળ કોઈ રાજકીય સંકેત છુપાયેલો છે, તે તો સમય જ બતાવશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, જુન 2026 3564   |  
જામનગરની હસતી રમતી આનંદીનું હાર્ટ એટેકથી મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું

જામનગરથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. જામનગરના ચાંદી બજારમાં રહેતી ૧૪ વર્ષની આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આનંદી રાજકોટ તેના મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી અને ગઈકાલે અન્ય બાળકો સાથે રમતી વખતે તે અચાનક જમીન પર ઢળી પડી હતી. જે બાદ હોસ્પિટલ ખાતે તેને લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી અનુસાર, જામનગરના ચાંદી બજારમાં રહેતા રાજેશભાઈ મોદીની લાડકવાયી દીકરી આનંદી મોદી (ઉં.વ ૧૪) રાજકોટ પોતાના મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી. ગઈકાલે આનંદી મામાના પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગઈ હતી અને જમીને અન્ય બાળકો સાથે રમવા ગઈ હતી. રમતા-રમતા આનંદી અચાનક જમીન પર ઢળી પડી હતી. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે ડોક્ટર્સની ટીમે આનંદીની તપાસ શરૂ કરી હતી, જે બાદ ડોક્ટર્સે આનંદીને મૃત જાહેર કરી હતી. ડોક્ટર્સની પ્રાથમિક તપાસમાં આનંદીનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. આનંદીના મૃત્યુના સમાચાર સાંભળી પરિવારજનો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. આનંદીના મામા ગોપાલભાઈએ કહ્યું કે, ‘અત્યારે પવિત્ર પરસોત્તમ મહિનો ચાલી રહ્યો હોવાથી અમે બધી બહેનોનો અને ભાઈ પરિવારનો જમણવાર રાખ્યો હતો. સદભાવના વૃદ્ધાશ્રમમાં પહેલા બધા વૃદ્ધોને જમાડ્યા પછી અનંતા રિસોર્ટ ખાતે અમારા પરિવારનો જમણવાર હતો, ત્યાં અમે પહોંચ્યા હતા. જમીને અમે બધા બેઠાં હતા, છોકરાઓ રમતા હતા. આ દરમિયાન આનંદી રમતા-રમતા ઢળી પડી હતી, જેથી અમે તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા.


મધ્ય ગુજરાત વધુ વાંચો

લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, જુન 2026 4653   |  
નડિયાદ જમીન દફતર કચેરીનો લાયસન્સ સર્વેયર ૯૦ હજારની લાંચ લેતાં ઝડપાયો

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સરકારી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નડિયાદ ખાતે આવેલ જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દ્વારા જમીનની હિસ્સા માપણીની કામગીરી વ્યવસ્થિત પૂરી કરવા અને કોઇ વાંધા વચકા ન નીકળે ના મુદ્દે અરજદાર પાસેથી ૯૦ હજાર ની લાંચ ની માંગણી કરતાં અરજદારે એસીબીને જાણ કરતાં નડિયાદ બસ સ્ટેન્ડ નજીક છટકું ગોઠવી એસીબીએ સર્વેયર ને લાંચ ની રકમ લેતાં રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર નડિયાદ ખાતે આવેલ જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દિલીપસિંહ ચૌહાણે જમીનની માપણી ની કામગીરી પૂર્ણ કરવા અને ભવિષ્યમાં કોઈ વાંધા વચકા ન નીકળે તેવા આશયથી અરજદાર પાસે ૯૦ હજાર ની લાંચ ની માંગણી કરતાં અરજદારે એસીબીને જાણ કરતાં એસીબીએ છટકું ગોઠવી નડિયાદ બસ સ્ટેન્ડ નજીક નાણાં લેતાં દિલીપસિંહ ચૌહાણને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, જુન 2026 5544   |  
સરકાર સામે પ્રજાનો મોરચો : સારસા ગામ બંધ

પેટ્રોલ ના વધતા જતા ભાવવધારા ના કારણે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ માં ઇથેનોલ મિશ્રણ માટે મંજૂરી આપતાં ના પગલે કેન્દ્ર ના જ ઉચ્ચ નેતાની પડદા પાછળ ભાગીદારી ના સંદેહ વ્યક્ત થતાં આણંદના સારસા ખાતે ફળદ્રુપ જમીન પર ઇથેનોલ ઉત્પાદન માટે ફેક્ટરી પ્રસ્થાપિત કરવાના આયોજન કરાતાં સ્થાનિક શાસકીય નેતાઓ ની પણ મૂકસંમતીના પગલે સારસા ખાતે વિરોધના સૂર ઉઠતાં આજે કૈવલવાડી સારસા ખાતે ખાસ ગ્રામસભા યોજાઇ હતી.જયા સર્વાનુમતે સ્થાનિકો દ્વારા સતકૈવલ સંસ્થા ના અવિચલદાસ મહારાજ સહિતના દ્વારા વિરોધ વ્યક્ત કરતાં આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મિતેષ તથા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ વચ્ચે શાબ્દિક પ્રહારો થતાં વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે ગ્રામસભામાં ઉગ્ર વિરોધ વ્યક્ત થતાં ગ્રામ સરપંચ દ્વારા ઇથેનોલ ફેક્ટરીની મંજૂરી માટે નો ઠરાવ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર પેટ્રોલ ના વધતાં જતાં ભાવવધારા ના પગલે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કરવાની મંજૂરી આપતાં આણંદ નજીકના સારસા ખાતેના સીટી સર્વેનં ૧૩૮૩/૧ તથા બ્લોક સર્વેનં ૧૩૬૫-૧૩૬૯-૧૩૭૦/૧ વાળી ફળદ્રુપ જમીન પર ઇથેનોલ ફેક્ટરી પ્રસ્થાપિત કરવાની મંજૂરી આપતાં સ્થાનિક સ્તરે વિરોધ ઉઠતાં આજે સારસા કૈવલવાડી ખાતે ખાસ સાધારણ ગ્રામસભા યોજવામાં આવી હતી.જેમા ઇથેનોલ ફેક્ટરી મુદ્દે વિરોધ વ્યક્ત કરી સતકૈવલ સંસ્થા ના અવિચલદાસ મહારાજ પણ વિરોધમાં જાેડાઇ આ પ્રકારના પ્લાન્ટ ઉભા થશે તો પર્યાવરણ ને તથા ખેતી ને નુકસાન થશે ના સંદેહ વ્યક્ત કરી જન આરોગ્ય સાથે ચેડાં થશેનો મત વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે ઉઠેલ વિરોધ પગલે આ મુદ્દે સરકારમાં રજૂઆત કરી યોગ્ય ઉકેલ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.જયારે પંથકના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલે આક્રમક વલણ અપનાવી સાંસદ સહિત સ્થાનિક વહીવટીતંત્ર ને આડેહાથ લઇ લોકોના આરોગ્ય અને જનજીવન સાથે ચેડાં કરવાનું સરકાર બંધ કરે.મોધવારીના માર મારતી સરકાર દ્વારા હવે ખેડૂતો ની જમીન ને આ પ્રકારના ઉદ્યોગ ઉભા કરી ખેતીને નુકસાન થાય અને ખેડૂતો દેવાદાર બની રહે તેવા પ્રયાસો સાંખી લેવામાં નહીં આવે નું જણાવતાં આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ અને જયંત પટેલ વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે ગ્રામસભામાં ઉગ્ર વિરોધ વ્યક્ત થતાં ગ્રામ પંચાયત સરપંચ દ્વારા ફેક્ટરી ને મંજૂરી આપતાં ઠરાવ રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અત્રે ઇથેનોલ ઉત્પાદન ફેક્ટરી પ્રસ્થાપિત કરવામાં કેન્દ્રના ઉચ્ચ નેતા ની પડદા પાછળ ભાગીદારી હોય સ્થાનિક શાસકીય નેતાઓ દ્વારા ચૂપકીદી સેવવામાં આવી રહ્યા ની ચર્ચા જાેવા મળી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 9702   |  
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.  સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ.   ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે.  PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો.   અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 8019   |  
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ

વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે.    સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, જુન 2026 2277   |  
અસામાજિક તત્વોનો રંજાડ : ઘરનો દરવાજાે ખખડાવી મહિલાને મારી નાખવાની ધમકી

શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સિંધી કોલોનીમાં મધરાતે હંગામો થયો હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. ઘર પાસે આવી જાેરજાેરથી દરવાજાે ખખડાવી ગાળાગાળી કરવા બદલ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવની વિગત એવી છે કે, સરદારનગરમાં શાંતિપ્રકાશ હોસ્પિટલ પાસે રહેતા ૨૧ વર્ષીય મહિલાએ ગત ૧૩ જૂન, ૨૦૨૬ના રોજ રાત્રે બે વાગ્યાના સુમારે પરિવાર સાથે ઘરે આરામ કરી રહ્યા હતા. આ સમયે કુબેરનગરનો આકાશ જગદીશભાઈ મીઢાણી અને હાંસોલનો જયેશ જયંતિભાઈ રાઠવા અન્ય બે સાગરીતો જય પંજવાણી તથા સંજય વાસનાણી સાથે ત્યાં પહોંચ્યા હતા. આ શખ્સોએ ફરિયાદીના ઘરનો લોખંડનો ગેટ જાેરજાેરથી ખખડાવવાનું શરૂ કરતા પરિવારના તમામ સભ્યો જાગી ગયા હતા અને ફફડી ઉઠ્યા હતા.જ્યારે મહિલાએ બહાર આવી પૂછપરછ કરી કે “તમે આટલી રાત્રે કેમ અમારા ઘરે આવ્યા છો અને દરવાજાે કેમ ખખડાવો છો?”, ત્યારે આરોપી જયેશ રાઠવા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. એટલું જ નહીં, આ શખ્સોએ ફરિયાદી અને તેના પરિવારને જાહેરમાં અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અંતે પરિસ્થિતિ વણસતા મહિલાએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી મદદ માંગી હતી. પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચતા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, જુન 2026 2673   |  
નરોડામાં સામાન્ય તકરારમાં પડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ, વૃદ્ધ મહિલાને ઈજા

શહેરના નરોડા વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે સામાન્ય બાબતે તકરાર થવી હવે સામાન્ય બની ગઈ છે, પરંતુ કુશ ઇન્ટરસીટીમાં બાઈક ચાલુ કરવાના મામલે થયેલી લડાઈએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બાઈકમાંથી નીકળતા ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની રજૂઆત કરવા ગયેલા વૃદ્ધ દંપતી પર પાડોશીએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નરોડા પોલીસ મથકે નોંધાઈ છે. નરોડામાં મુક્તિધામ પાસે આવેલી કુશ ઇન્ટરસીટીમાં રહેતા ૬૯ વર્ષીય ધનલક્ષ્મીબેન પટેલે ફરિયાદ નોંધાવી છે કે ગત ૫ જૂનના રોજ સવારે તેમના પાડોશી જગદીશભાઈ કનુભાઈ સોલંકીએ પોતાનું બાઈક ચાલુ કર્યું હતું. બાઈકનો ધુમાડો ધનલક્ષ્મીબેનના ઘર તરફ આવતો હોવાથી તેમના પતિ કરશનભાઈએ પાડોશીને વિનંતી કરી હતી કે, “તમારા બાઈકમાંથી નીકળતા ધુમાડાના કારણે મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તેથી બાઈક થોડું આગળ લો”.આ સાંભળતા જ આરોપી જગદીશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા. ઉશ્કેરાટમાં આવી તેમણે નજીકમાં પડેલો ટાઈલ્સનો એક ટુકડો ઉપાડ્યો હતો અને કરશનભાઈને મારવા દોડ્યા હતા. આ સમયે પતિને બચાવવા વચ્ચે પડેલા ધનલક્ષ્મીબેનને ડાબા હાથની આંગળીના ટેરવા પર ટાઈલ્સનો ટુકડો વાગતા લોહીલુહાણ ઈજા થઈ હતી. હુમલાખોર પાડોશીએ જતાં-જતાં ધમકી પણ આપી હતી કે, “જાે હવે પછી મારું નામ લેશો તો તમને જાનથી મારી નાખીશ”.બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડ્યો હતો. આખરે આ મામલે નરોડા પોલીસે જગદીશ સોલંકી વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૧૧૫(૨) અને ૩૫૧(૩) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, જુન 2026 2673   |  
કપાતર પુત્રનો ત્રાસ, વૃદ્ધ માતાને પટ્ટા વડે ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપી

શહેરના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં પારિવારિક હિંસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પુત્રએ પોતાની જ જનેતા પર હિંસક હુમલો કરી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ મામલે સેટેલાઇટ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો એવી છે કે, ફરિયાદી મહિલા (ઉં.વ. ૨૯), જેઓ હાલ રેલવે ક્રોસિંગ પાસે રહી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, તેમણે તેમના સગા ભાઈ જગદીશ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ ૧૩ જૂન ૨૦૨૬ના રોજ મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. મહિલાને જાણવા મળ્યું હતું કે તેમનો ભાઈ જગદીશ, સેટેલાઇટના રાજવન નગર વિભાગ-૧ માં આવેલી તેમની માતા ભાનુબેનની ઓરડીએ જઈને ભારે ધમાલ કરી રહ્યો છે.આવેશમાં આવી ગયેલા આરોપી જગદીશે તેની માતા સાથે ઉગ્ર બોલાચાલી કરી બીભત્સ ગાળો ભાંડી હતી. ત્યારબાદ તેણે પિત્તો ગુમાવી પોતાની કમરનો પટ્ટો કાઢીને વૃદ્ધ માતાને બેરહેમીથી માર માર્યો હતો અને ગડદાપાટુનો પણ પ્રહાર કર્યો હતો. આરોપીએ તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આ હુમલાની જાણ થતા જ બહેને તુરંત ૧૧૨ નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી હતી, જેના પગલે સેટેલાઇટ પોલીસની ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી.સેટેલાઇટ પોલીસે આ મામલે જગદીશ જયેશભાઈ મકવાણા વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી) અને ૩૫૧(૩) હેઠળ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, જુન 2026 2871   |  
શહેરના ઓઢવમાં કંપની નજીક આગ લાગતા કચરાના ઢગલામાંથી લાશ મળી

મોટાભાગે ઉદ્યોગોથી ધમધમતા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના સામે આવી છે. ઓઢવમાં આવેલી એક કંપનીની બિલકુલ નજીક કચરાના એક વિશાળ ઢગલામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જાેકે, અસલી આંચકો ત્યારે લાગ્યો જ્યારે ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો અને કચરો હટાવતા અંદરથી એક યુવકનો ભડથું થઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાને પગલે ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી જી તપાસ હાથ ધરી હતી. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી જય કેમિકલ કંપની નજીક કચરાના ઢગલામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. કચરાના મોટા ઢગલામાં આગ લાગવાને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જાેવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગની ઘટના બાદ સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કચરાના ઢગલામાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ મળી આવતા ફાયર વિભાગે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજાે લઈને ઓળખની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ પ્રતાપ ઠાકોર તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. જાેકે તે કચરાના ઢગલા પાસે કેવી રીતે પહોંચ્યો અને આગની ઘટનામાં તેનું મોત કેવી રીતે થયું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ શકી નથી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, જુન 2026 2277   |  
પાનના ગલ્લામાંથી ૬૦ હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે એકને ક્રાઈમ બ્રાંચે ઝડપ્યો

શહેર ક્રાઈમ બ્રાન્ચે શાહીબાગ વિસ્તારમાં આવેલા એક પાનના પાર્લર પર દરોડો પાડીને ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે સંગ્રહ કરી રાખેલી વિદેશી બ્રાન્ડની પ્રતિબંધિત ઈ-સિગારેટનો(૬૦ હજાર) મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફના માણસો ઇ-સિગારેટ તથા વિદેશી તમાકુના ગેરકાયદે વેચાણને શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે શાહીબાગ, શનિદેવ મંદિર પાસે, લાડલાપીરની ચાલીની સામે આવેલા “ભગવતી પાન પાર્લર” નામના ગલ્લામાં ગેરકાયદેસર રીતે ઈ-સિગારેટનો સંગ્રહ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને સાંજના સમયે આ સ્થળે દરોડો પાડ્યો હતો. પાનના ગલ્લામાં તપાસ કરતા ત્યાં હાજર ગલ્લાના માલિક પરાગ કાંતીલાલ બોડાણા (મારવાડી) (ઉં.વ. ૪૫, મૂળ રહે. રાજસ્થાન)ની અટકાયત કરવામાં આવી હતી. ગલ્લાની જડતી લેતા અંદરથી જુદી-જુદી કંપનીની વિદેશી બનાવટની ઈ-સિગારેટ મળી આવી હતી. આરોપી પાસે આ પ્રતિબંધિત વસ્તુઓ રાખવા કે વેચવા અંગેનું કોઈ પાસ કે પરમિટ નહોતું. અલગ-અલગ ફ્લેવરની કુલ ૩૦ નંગ ઈ-સિગારેટ (કિંમત રૂ. ૬૦ હજાર)નો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી પરાગ બોડાણાએ કબૂલાત કરી હતી કે તે પોતાના આર્થિક ફાયદા માટે આ ઈ-સિગારેટનો જથ્થો મોહંમદભાઈ (રહે. મુંબઈ) નામના વ્યક્તિ પાસેથી કુરિયર દ્વારા મંગાવતો હતો અને અહીં છૂટક વેચાણ કરતો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચેની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ‘ધી પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનીક સીગારેટ્સ એક્ટ-૨૦૧૯’ ની કલમ ૭ અને ૮ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, જુન 2026 2376   |  
કંપનીમાં કન્ફર્મેશન વિના નોકરીનાં નામે રાંદેરનાં યુવકને પોલેન્ડ મોકલી દેવાયો

રાંદેર રામનગર રંગઅવધૂત સોસાયટીમાં રહેતાં સંદીપ વાઘમોડે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનો નાનો ભાઈ કપિલ વર્ષ ૨૦૧૮માં તેઓ અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે રૃત્વન એપાર્ટમેન્ટમાં આવેલી ઓટો પાર્ટ્સની દુકાનમાં કામ કરતો હતો. જ્યાં ગાડીના કામકાજ માટે આવેલા નિલેશ સોલંકી સાથે તેને ઓળખાણ થઇ હતી. એ સમયે નિલેશે તે ગલ્ફ તથા પોલેન્ડ કન્ટ્રીનું વર્ક વિઝા અપાવવાનું કામકાજ કરતો હોવાનું જણાવ્યું હતું.કપિલે તેને પોલેન્ડ કન્ટ્રીમાં મારા જવા બાબતેની વાતચીત કરી હતી. નિલેશે ૪.૧૦ લાખ રૂપિયા ફી જણાવી પાંચેક મહિનામાં કામ કરી આપવાની તૈયારી બતાવી હતી. તેણે ૩.૧૦ લાખ એડવાન્સ અને બાકીના પૈસા પોલેન્ડમાં કામે લાગ્યા બાદ આપવા આપવા જણાવ્યું હતું. જેથી સંદીપ વાઘમોડેને પોલેન્ડ મોકલવા માટેનું કામ સપ્ટેમ્બર ૨૦૧૯માં અપાયું હતું. નિલેશ સોલંકીને સંદીપે ટુકડે ટુક્ડે રોકડા ૨,૧૩,૫૦૦ રૂપિયા આપ્યા હતાં. વિઝા એપોઇન્ટમેન્ટની તારીખ લેવાના નામે ૬૦ હજાર, એર ટીકીટના ૭૦ હજાર, વિઝા ફી પેટે ૫૦ હજાર અને ટ્રાવેલીંગ પરચૂરણ ખર્ચના ૭૦ હજાર મળીને કુલ ૨,૫૦ લાખ રૂપિયા લીધા હતાં.૪,૬૩,૫૦૦ રૂપિયા ખર્ચ કરીને સંદીપ વાઘમોડે પોલેન્ડ દેશના એરપોર્ટ પર પહોંચ્યા હતાં. જ્યાં એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓ સંદીપને રોકી તેમને જે કંપનીમાં નોકરીનું કહી મોકલાયા ત્યાં એ અંગે તપાસ કરી હતી. જાે કે, જાેબ લેટર આપનાર કંપનીમાં સંદીપના આવવા અંગે જાણ કરવામાં આવી ન હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે નિલેશ સોલંકીને જાણ કરાતાં તેણે પરત આવી જાઓ, જે ખર્ચ થયો એ હું ચૂકવી દઇશ એમ કહેતાં સંદીપ પરત આવી ગયો હતો. ત્યારબાદ નિલેશે ૧.૮૦ લાખ ચૂકવ્યા હતાં, જ્યારે બાકીના ર,૮૩,૫૦૦ રૂપિયા બાબતે તેણે વાયદાનો વેપાર કરતા આખરે સંદીપે વિશ્વાસઘાત છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, જુન 2026 2277   |  
૧૫ જૂન પછી સુરતની ટેક્સ્ટાઈલ માર્કેટોમાં શ્રાવણથી દિવાળી સુધીનાં તહેવારો માટે ખરીદીની આશા

છેલ્લા દોઢેક વર્ષથી મંદીનાં માહોલમાંથી પસાર થઈ રહેલા સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગ માટે હવે રાહતનાં સંકેતો દેખાવા લાગ્યા છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉત્પાદકોમાં એવી આશા વ્યક્ત થઈ રહી છે કે આગામી ૧૫ જૂન બાદ દેશભરની કપડામંડીઓમાંથી નવી ખરીદી શરૂ થશે અને શ્રાવણ મહિનાથી લઈને દિવાળી સુધીનાં તહેવારોને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં ઓર્ડરો સુરત તરફ આવશે. હાલમાં સેમ્પલિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી સપ્તાહથી તહેવારોની ખરીદી માટે રીટેઇલ વેપારીઓનું સુરતમાં આગમન શરૂ થાય તેવા વર્તારા છે.ટેક્સ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એજન્ટ મનોહરલાલ શર્મા કહે છે કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં આવેલી કપડામંડીઓમાં રહેલો વધારાનો સ્ટોક ધીમે ધીમે વેચાઈ ગયો છે. પરિણામે હવે રિટેલ વેપારીઓ અને હોલસેલ ડીલરો પાસે નવા સીઝન માટે પૂરતો સ્ટોક ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં તેઓ ફરીથી સુરતના બજારમાંથી ખરીદી શરૂ કરે તેવી શક્યતા વધી રહી છે. પાંડેસરામાં પ્રોસેસિંગ હાઉસ ચલાવતા મિતુલ મહેતાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શ્રાવણ મહિનો શરૂ થતાં જ ધાર્મિક પ્રસંગો, લગ્નસરા અને તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને સાડી, ડ્રેસ મટીરિયલ્સ, સુટિંગ-શર્ટિંગ ફેબ્રિક, લેડીઝ વેર, કિડ્સ વેર અને ધોતી સહિતના ઉત્પાદનોની માંગમાં વધારો જાેવા મળે છે. આ વર્ષે પણ સમાન પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે. હાલમાં સુરતની વિવિધ ટેક્સ્ટાઈલ માર્કેટોમાં દેશભરના વેપારીઓ દ્વારા સેમ્પલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. વેપારીઓ નવી ડિઝાઇનો, કલર કોમ્બિનેશન અને તહેવારોને અનુરૂપ કલેક્શનની પસંદગી કરી રહ્યા છે. આ સેમ્પલિંગ આગામી દિવસોમાં વાસ્તવિક ઓર્ડરોમાં પરિવર્તિત થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, જુન 2026 2376   |  
કાંઠા સુગરના કરોડોના કૌભાંડમાં ભાજપના નેતાઓની ધરપકડ કર્યા વિના ચાર્જશીટ

ઓલપાડની કાંઠા સુગરમાં કરોડોનાં કૌભાંડ કેસમાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. કરોડો રૂપિયાનાં કૌભાંડમાં ત્રણ આરોપીની ધરપકડ કરનાર ઓલપાડ પોલીસે બિન્દાસ્ત ફરી રહેલાં કાંઠા સુગરનાં પૂર્વ ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતનાં ભાજપનાં નેતાઓ અને અગ્રણીઓની ધરપકડ કર્યા વિના કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેતાં પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનાં ઉપરી અધિકારીઓની નીતિ રીતિ ઉપર શંકાની સોય તકાઇ રહી છે અને તેની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.પૂર્વ ધારાસભ્ય, પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ ઝોન સમિતિના પ્રમુખ અને હાલના ભાજપના ચૂંટાયેલા તાલુકા પંચાયતનાં સભ્ય તેમજ પૂર્વ તાલુકા પંચાયતનાં સભ્યોનાં નામોનો ચાર્જશીટમાં પણ ઉલ્લેખ કરાયો છે. જાે કે, ભાજપનાં નેતાઓ હોવાથી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી તેવા આક્ષેપો થઇ રહ્યાં છે. આ કેસમાં તપાસની પારદર્શિતા અને પોલીસની નિષ્પક્ષતા અંગે પણ પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. જાે તપાસમાં પૂરતા પુરાવાનાં આધારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય તો ત્યારબાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કેમ આગળ વધી રહી નથી? પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી દર્શન નાયકે પત્રકારો સાથે વાતચીત દરમિયાન પુરાવા સાથે માહિતી આપતા જણાવ્યું કે, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલ કાંઠા સુગર સંબંધિત કેસમાં આઇપીસી ની કલમ ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા ૧૨૦(મ્) જેવી ગંભીર કલમો કે જેમાં ૧૦ વર્ષ સુધીની સજાને પાત્ર કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કલમો વિશ્વાસઘાત, છેતરપિંડી, ખોટા દસ્તાવેજાેની બનાવટ અને ગુનાહિત ષડયંત્ર જેવા ગંભીર આરોપોને આવરી લે છે. આરોપો એટલા ગંભીર હોવા છતાં આરોપીઓની ધરપકડ કર્યા વિના પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે કારણ કે જે આરોપીઓ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે જાેડાયેલા છે. આરોપીઓ પૈકી ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ ધારાસભ્ય અને હાલનાં તાલુકા પંચાયતનાં સભ્ય પણ છે. એક બાજુ ગૃહ મંત્રી અને સરકારના મંત્રીઓ ખોટું કરનાર એક પણને છોડવામાં આવશે નહીં. યુપી અને બિહારથી આરોપીઓને પકડીને લાવવામાં આવે છે, પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી સાથે સકંલાયેલ આરોપીઓ ખુલ્લેઆમ ઓલપાડમાં ફરતા હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી રહી નથી. વોન્ટેડ જાહેર કરેલા આરોપીઓમાં પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલ, ભાજપ અગ્રણી બાલુ ખુશાલ પટેલ, હાલનાં ઓલપાડ તાલુકા પંચાયત સભ્ય ધર્મેશ ઈશ્વર પટેલ, સુડાના પૂર્વ ચેરમેન ભૂપેન્દ્રસિંહ સોલંકી, અટોદરા ગામના સરપંચ નઝીર ગુલામ મુસ્તફા, તાલુકા પંચાયતનાં ભાજપનાં પૂર્વ સભ્યો સન્મુખ પટેલ અને ભાવના મુકેશભાઈ પટેલ સામેલ છે. આરોપી ધર્મેશ પટેલ અને સરપંચ નઝીર મુસ્તફા અવારનવાર તાલુકા પંચાયતમાં આવતા હોય છે. તાલુકા પંચાયત ઓલપાડ પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલ છે તેમ છતાં પોલીસ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. શ્રી કાંઠા વિભાગ સહકારિ ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, સરસ ગામનાં સભાસદ બ્રિજેશભાઈ ઉર્ફે વિરલભાઈ ગુણવંતભાઈ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે વિગતો મુજબ, મંડળીનાં તત્કાલીન એમ.ડી. પ્રદીપકુમાર ગૌતમભાઈ પંડ્યા, ગોડાઉન કીપર પ્રદીપકુમાર ભગુભાઈ પટેલ અને પીપલ્સ બેંકનાં મેનેજર જતીન ઈશ્વરભાઈ નાયકે ગુનાહિત કાવતરું રચીને ખાંડનો ખોટો સ્ટોક બતાવી મંડળીનાં નામે કરોડો રૂપિયાની લોન મેળવી હતી. ગોડાઉનમાં જ્યારે માત્ર ૪,૦૨૨ ક્વિન્ટલ ખાંડ હતી ત્યારે ચોપડે ૫૯,૪૦૨ ક્વિન્ટલ સ્ટોક બતાવીને પીપલ્સ બેંકમાંથી કુલ ૧૫.૬૫ કરોડની લોન મેળવીને છેતરપિંડી આચરી છે. સભાસદ બ્રિજેશ પટેલની ફરિયાદનાં આ કેસમાં પોલીસ દ્વારા તત્કાલિન એમ.ડી. પ્રદિપ પંડ્યા, પ્રદિપ પટેલ અને જતીન નાયકની ધરપકડ કરવામાં આવી હતી.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુન 2026 2772   |  
સ્પોન્સર્ડ ડીમોલિશનને કાયદેસરતાનું સ્વરૂપ આપવાનાં ર્નિલજ્જ પ્રયાસો બાદ મ્યુનિસિપલ કમિશનરનો યુ ટર્ન

મ્યુનિસિપલ કમિશનરનાં નબળાં હૃદયે વિવાદનો ભાર નહીં ઝીલતાં ૧૨ વર્ષે બાવો બોલે કહેવતને દિવસોમાં ફેરવીને માત્ર ૧૨ દિવસમાં નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશનનાં કૌભાંડ ઉપર સત્તાવાર મ્હોર મારતો ખુલાસો કરી નાંખ્યો. વિવાદની વિગતો ગાંધીનગર અને દિલ્હી દરબાર સુધી પહોંચતાં કમિશનરે એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયકનાં ખભે બંદૂક મૂકીને ફોડી તો નાંખી પણ માત્ર પાંચ કલાકમાં જ વિવાદની આગ જંગલની આગ જેમ ફરી વળતાં કમિશનર એમ.નાગરાજને યુ ટર્ન લઇને ડીમોલિશન કોણે કર્યું તેની ખબર જ નહીં હોવાનું નિવેદન આપીને એડિશનલ સિટી ઇજનેરને ખોટા ઠેરવતાં વધુ એક વિવાદે જન્મ લીધો છે. આશિષ નાયકે કમિશનરનાં આદેશથી જ ડીમોલિશનની કાર્યવાહી કાયદેસર નિયમાનુસાર કરવામાં આવી હોવાનું કહ્યું પરંતુ પાંચ કલાકમાં એવું તો શું બની ગયું, કોનો ફોન આવ્યો, કોનો આદેશ આવ્યો કે કમિશનરે શિર્ષાસન કરવાની ફરજ પડી. બિલ્ડરનાં લાભ માટે કરવામાં આવેલાં ડીમોલિશનનાં કૌભાંડને કાયદેસરતાનું સ્વરૂપ આપી સુરત મહાનગર પાલિકાની ટીમે જ કાર્યવાહી કરી હોવાની જાહેરાત કરીને ૧૨ દિવસથી સળગતો મામલો શાંત પાડવાનાં કરેલાં ર્નિલજ્જ પ્રયાસો કમિશનરનાં નિવેદન પછી એળે ગયાં હોવાનું સ્પષ્ટપણે જણાય છે.નાસિરનગરનું ડીમોલિશન થયું તેનાં ૧૧ દિવસ સુધી મ્યુનિસિપલ કમિશનર કે તેમનાં અધિકારીએ જવાબદારી માથે લીધી નહીં અને મોઢુ છુપાવતા ફરતાં હતાં અને અચાનક ૧૨માં દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવાને બદલે માત્ર એડિશનલ સિટી ઇજનેરનો વિડિયો જાહેર કરી મનપા ટીમે કાર્યવાહી કરી હોવાનું સ્વીકાર્યું તે સંદેહજનક તો છે જ. મનપાની ટીમ ડીમાર્કેશન અને રસ્તો ખુલ્લો કરવા ગઇ હતી અને તે બાબતની કાર્યવાહી કાયદાનુસાર, નિયમાનુસાર મનપાનાં હકમાં કરવામાં કરવામાં આવી હતી અને તે સંપૂર્ણ અધિકૃત હતી. એ કંઇ ભૂતિયા ડીમોલિશન ન્હોતું પરંતુ કાયદાકીય પ્રક્રિયાનાં ભાગરૂપે થયેલી કાર્યવાહી હોવાનો સત્તાવાર ખુલાસો એડિશનલ સિટી ઇજનેરે તો કર્યો પરંતુ જેને માટે ઝૂંપડા તોડી પડાયા તે ગેરકાયદે બાંધકામ તોડવાની હિંમત નથી દાખવાઇ તેને કારણે સમગ્ર પ્રકરણમાં શાહમૃગ નીતિ અખત્યાર કરી બેઠેલાં મ્યુનિસિપલ કમિશનરની ઇમેજ વધુ ખરડાઇ છે. આમ તો શહેરમાં હજારો ગેરકાયદે બાંધકામો ઉભાં થઇ ગયા છે તે તોડવાની હિંમત એક પણ કમિશનરે આજ દિન સુધી દાખવી નથી પરંતુ બિલ્ડરનાં લાભમાં ગરીબોનાં ઝૂંપડા તોડવામાં સ્હેજપણ વિલંબ દાખવ્યો નથી ત્યારે આ ઝૂંપડાઓની બાજુમાં બિલ્ડર બાંધી રહ્યો છે તે ગેરકાયદે બાંધકામ તોડવાની હિંમત કમિશનર એમ.નાગરાજન દાખવીને ઇમેજ સુધારે તે ઇચ્છનીય છે. હવે વાત રહી તપાસ સમિતિની, કમિશનરે નાસિરનગરનાં ડીમોલિશનમાં કંઇક ખોટુ થયું હોવાનાં વિવાદને પગલે તપાસ સમિતિ બનાવી દીધી પણ સેન્ટ્રલ ઝોનનાં વડા આશિષ નાયકે તો ડીમોલિશન મનપાનું હતું અને તે કાયદેસર હતું તેમ કહીને વટાણાં વેરી નાંખ્યા તો ખુદ કમિશનરે ડીમોલિશન મનપાએ નહીં કહ્યું હોવાનું કહીને રહસ્ય વધારે ઘેરૂ બનાવ્યું છે ત્યારે હવે તપાસ સમિતિ શેની તપાસ કરશે તે સવાલ ઉભો છે. સમગ્ર પ્રકરણમાં એક વાત ચોક્કસ બહાર આવી છે કે, પોલીસની જેમ મહાનગર પાલિકાનાં અધિકારીઓ પણ માલેતુજારો માટે જ કામ કરે છે. અહિંયા વાત માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ભ્રષ્ટ અધિકારીઓ પુરતી સીમિત નથી, પોલીસ તંત્રનાં અધિકારીઓ પણ ભ્રષ્ટાચારી રીતરસમો અપનાવવામાં માહિર છે. નાસિરનગરનાં ૧૦૦થી વધારે ગરીબ પરિવારોને ચોમાસા ટાંકણે બેઘર કરવામાં શહેર પોલીસ તંત્રનાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં નાયબ કમિશનર નકુમ, પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા અને તેમની ટીમે ભજવેલી ભૂમિકા શંકાથી પર નથી જ. માત્ર નાસિરનગરનાં સાત અસામાજિક તત્વોની યાદી જાહેર કરવાથી એસ.ઓ.જી.નાં પાપ ધોવાઇ નથી જવાના. પાંચ કલાક સુધી ડીમોલિશનની કામગીરીને પ્રોટેક્શન કેમ આપ્યું તે સવાલ પોલીસ કમિશનર અને રાજ્ય સરકારે પુછવો જાેઇએ.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution