આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, એપ્રીલ 2026
3069 |
૭ પદયાત્રીઓનાં કમકમાટીભર્યા મોત
ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા ૭ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. આ પદયાત્રીઓ રાજકોટના ગઢકા ગામે આવેલા મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. મૃતકોમાં ૫ મહિલાઓ અને ૨ પુરુષોનો સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલકે અંદાજે ૧૦ જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પદયાત્રામાં નીકળેલા શ્રદ્ધાળુઓ સાથે થયેલી આ દુર્ઘટનાએ હાઈવે સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.સંઘ બહુચરાજી તરફ જવા નીકળ્યો હતો આ ઘટનામાં રાજકોટથી ભરવાડ સમાજનો પગપાળા સંઘ લખતરના છારદ ગામ પાસેથી નાઈટ હોલ્ડ માટે જઈ રહ્યો હતો, ત્યારે મધ્ય રાત્રે રસ્તામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો, ત્યારે એનાથી સાઈડમાં આવીને આગળ જઈ રહેલા લોકો પર પાછળથી આવતી ટ્રક ફરી વળતા છ પદયાત્રીઓ અને રસ્તામાં ટ્રકનું ટાયર બદલી રહેલા યુવાન પર બેકાબુ ટ્રક ફરી વળતા કુલ સાત લોકોના મોત નીપજ્યા હતા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યા છે. અને અકસ્માત સર્જનારા ટ્રક ચાલક આદિત્ય રમેશભાઈ ગોકનીયાને પકડી લેવામાં આવ્યો છે, જે લખતર તાલુકાના ઝામર ગામનો જ છે અને આ ટ્રક રાજકોટથી લખતર તરફ આવી રહી હતી. પાંચ મહિલા અને બે પુરુષના મોત સંઘ લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રી રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા. આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ ૭ લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
3069 |
રાજુલાથી લઈ છેક સાવરકુંડલા સુધી ભૂકંપનો આચંકો અનુભવાયો
ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલ કોસ્ટલ વિસ્તારમાં મધરાતે અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રાત્રે આશરે ૨:૨૪ વાગ્યે થયેલા આ ઝટકાથી લોકો ઊંઘમાંથી જાગી બહાર નીકળી આવ્યા હતા. વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા ૩.૭ નોંધાઈ હતી, જે મધ્યમ સ્તરની ગણાય છે, છતાં તેની અસર અનેક વિસ્તારોમાં અનુભવાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવાનજીક નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.આ આંચકાનો પ્રભાવ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ સહિત કોસ્ટલ બેલ્ટના વિસ્તારોમાં જાેવા મળ્યો હતો. ઉપરાંત ખાંભા અને સાવરકુંડલા સુધી પણ ઝટકાનો અહેસાસ થયો હતો.ખાસ કરીને રાજુલા શહેરમાં કેટલાક મકાનોમાં નાની તિરાડો પડ્યાના અહેવાલો મળ્યા છે. કેટલીક જગ્યાએ ભૂકંપના ક્ષણોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જમીન હલતી દેખાય છે અને લોકો ગભરાઈને બહાર નીકળતા જાેવા મળે છે. હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી, જે રાહતની વાત છે. છતાં, સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
3861 |
પૂર્વ મેયરની ફરી નારાજગીએ ચર્ચા જગાવી
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાવનગર ભાજપનો આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે ટિકિટની રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ મેયર ભરત બારડ સાથે થયેલી ખેંચતાણ અને તેમને કાર્યાલયમાંથી બહાર કાઢવાની ઘટનાએ રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે. એક તરફ શિસ્તના પાઠ ભણાવતી પાર્ટીમાં ધોળા દિવસે પૂર્વ મેયરનું અપમાન થયાના વીડિયો વાયરલ થયા છે, તો બીજી તરફ ખુદ ભરત બારડે આક્ષેપોને ફગાવી પક્ષભક્તિનો રાગ આલાપ્યો છે. મળતી માહિતી મુજબ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે પૂર્વ મેયર ભરત બારડ પોતાની વાત રજૂ કરવા શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેઓ શહેર પ્રમુખ કુમાર શાહને મળવા માંગતા હતા, પરંતુ તેમને ચેમ્બરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. કાર્યાલયની બહાર નીકળતી વખતે ભરત બારડ અત્યંત ક્રોધમાં જાેવા મળ્યા હતા. પાર્કિંગમાં પોતાનું સ્કૂટર લેતી વખતે તેમણે હાજર લોકો સમક્ષ બળાપો કાઢતા કહ્યું હતું કે, “પાર્ટી કોઈના બાપની નથી, અમે મહેનત કરીને આ પાર્ટી બનાવી છે.” આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસારિત થતા શહેર ભાજપના સંગઠનમાં સોપો પડી ગયો છે. નવાઈની વાત એ છે કે, આટલી મોટી ઘટના અને વીડિયો પુરાવા હોવા છતાં, બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં ભરત બારડે નવો જ વળાંક લીધો હતો. તેમણે જણાવ્યું કે, “મારી સાથે કોઈ ગેરવર્તન થયું નથી, હું માત્ર ચા પીને બહાર આવ્યો છું. બાવડું પકડીને બહાર કાઢવાની વાત માત્ર અફવા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
5841 |
ભાજપે ૯૦થી વધુ મુસ્લિમોને ટિકિટ આપી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં મુસ્લિમોનો વિરોધ કરતાં ભાજપના મોવડી મંડળ દ્વારા આ ચૂંટણીઓમાં વલણ બદલ્યું છે. એટલું જ નહીં, ભાજપ દ્વારા લાંબા સમય બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મુસ્લિમોને છૂટા હાથે ટિકિટોનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૫૦ જેટલા મુસ્લિમોને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા અંતિમ સમયે વિવિધ જિલ્લાઓની જિલ્લા, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓની બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા લાંબા સમય બાદ મુસ્લિમ સમાજને ટિકિટો ફાળવણીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા વિવિધ જિલ્લાઓની જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓ માટેના ઉમેદવારો જાહેર કરાયા છે. તેમાં ૯૦થી વધુ મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા મુસ્લિમોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લા પંચાયતમાં ભિરડીયારા બેઠક પર અબ્દુલ્લા બુઢા જત, દયાપાર બેઠક પર આઇશબાઇ મોડ સુમારા અને દિનારા બેઠક પરથી જનતબાઈ રસુલ સમાને ટિકિટ આપી છે. તો ભચાઉ તાલુકા પંચાયતમાં લાકડિયા-૧ માં સાદીક સુલેમાન રાઉમા, ભુજ તા. પં.માં ધ્રોલાણા બેઠક પર મેમૂનતબાઈ ઈસાક સામા, દિનારા બેઠક પર સલમા વાયદના સમા, જુણા બેઠક પર સોયાબ સુલેમાન સમાં ખારી બેઠક પર લતીફ ભિલાલ ઠેબા, રતાડિયા બેઠક પર પરવેઝ ઇશાક સમા અને સરાડા બેઠક પર હાજિયાણી અબ્દુલ જતને ટિકિટ આપી છે. નખત્રાણા તાલુકા પંચાયતમાં મથલ બેઠક પર ઇલિયસ આદમ પિંઝારા, અબડાસા તાલુકા પંચાયતમાં બેર મોટી બેઠક પર હારુનઅલી મામદ હાલેપોત્રા, ખીરસરા (કો) બેઠક પરથી સાફિના અબ્દુલ્લા સુમારા, નલિયા-૨ બેઠક પરથી સેઝાન ઇરફાન મોકરશીને સુથરી બેઠક પરથી તૌસિફ મામદ સંગારને ટિકિટ અપાઈ છે. મુંદ્રા તાલુકા પંચાયતમાં ભદ્રેશ્વર બેઠક અપ્રથિ અફ્સાના ઓસમાણ કુંગાડાને, નાના કપાયા બેઠક પરથી સદદમ હુસેન સતાર તુર્કને, લખપત તાલુકા પંચાયતમાં બરન્દા બેઠક પરથી હુસેન સુલેમાન પઢિયારને, દોલતપર બેઠક પરથી હવાબાઈ આરબ જતને, ધડૂલી બેઠક પરથી ફાતેમાબાઈ અબ્દુલ્લા જતને, માતાના મઢ બેઠક પરથી ઓસમાણ ઉમરભાઈ રાયમાને, મીંઢિયાળી બેઠક પરથી અબ્દુલ કરીમ કાસમને, નારાયણ સરોવર બેઠક પરથી મેરિયાબાઈ ઉમરભાઈ જતને ટિકિટ આપી છે. તો માંડવી નગરપાલિકામાં વિવિધ વોર્ડમાં ૬ મુસ્લિમોને ટિકિટ આપી છે, જ્યારે ભુજ નગરપાલિકામાં વિવિધ વોર્ડમાં ૭ મુસ્લિમને ટિકિટ આપી છે. જ્યારે અંજાર નગરપાલિકામાં બે, મુંદ્રા-બારોઈ ન્બગરપાલિકામાં ચાર મુસ્લિમને અને નખત્રાણા નગરપાલિકામાં બે મુસ્લિમને ટિકિટ આપી છે. આમ કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા મુસ્લિમોને ટિકિટ આપી છે. આવી જ રીતે ગોંડલ નગરપાલિકામાં ૩, ધોળકા નગરપાલિકામાં ૮, વિરમગામ નગરપાલિકામાં ૩, કલોલ નગરપાલિકામાં ૨, સિદ્ધપુર નપામાં ૪, દાહોદ નગરપાલિકામાં ૮ આમ અત્યાર સુધીમાં જાહેર થયેલી યાદી મુજબ ભાજપ દ્વારા કુલ ૯૨થી વધુ મુસ્લિમોને ટિકિટ ફાળવવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, એપ્રીલ 2026
3267 |
નૌશાદ સોલંકીની હાજરીમાં કોળી સમાજના ૫૨ ગામોના આગેવાનો કોંગ્રેસમાં જાેડાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે. જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો, તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકો, ૪ નગરપાલિકાઓ અને એક મહાનગરપાલિકા માટે ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા કડક નિયમો બનાવતા જૂના કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઈ છે. બીજી તરફ કોંગ્રેસમાં ભાજપના ત્રણ ટર્મના આગેવાનો જાેડાતા રાજકીય ગરમાવો વઘ્યો છે. ભાજપ દ્વારા તાજેતરમાં ટિકિટ વિતરણ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ ન આપવાનો, ત્રણ ટર્મ પૂર્ણ કરેલા ઉમેદવારોને ફરી તક ન આપવાનો અને સંગઠનમાં કાર્યરત પદાધિકારીઓના સગા-સ્નેહીજનોને પણ ટિકિટ ન આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ નિયમોને કારણે વર્ષોથી ભાજપમાં સક્રિય રહેલા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. લીંબડી અને ચૂડા વિસ્તારમાં કોળી સમાજના વર્ષોથી ભાજપ સાથે જાેડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે. આ વિસ્તારના ૫૨ ગામોના આગેવાન તરીકેની છાપ ધરાવતા તેજાભાઈ મેટાલીયાએ જણાવ્યું હતું કે, “ભાજપ છેલ્લા આઠથી દસ વર્ષથી જૂના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યો છે અને નવા ચહેરાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ અવગણનાથી નારાજ થઈ અમે કોંગ્રેસમાં જાેડાવાનું નક્કી કર્યું છે.” તેમણે આગામી ચૂંટણીઓમાં પરિણામલક્ષી કામગીરી કરવાની ખાતરી પણ આપી હતી.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, એપ્રીલ 2026
2178 |
ગુજરાતમાં મતદાન પહેલા જ જીત! ભાજપની બિનહરીફ સ્ટ્રેટેજી કે લોકશાહી પર સવાલ?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીતતા રાજકીય ગરમાવો વધ્યો છે. મહેસાણા, બનાસકાંઠા અને નવસારી સહિતના વિસ્તારોમાં વિપક્ષના ઉમેદવારોના ફોર્મ રદ થવા, ટેકેદારો પાછા ફરવા અને ઉમેદવારો ગાયબ થવાના બનાવો સામે આવ્યા છે. વિપક્ષ દ્વારા સત્તાના દુરુપયોગના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જ્યારે ભાજપ આને જનવિશ્વાસ અને વિકાસનો પરિણામ ગણાવી રહ્યું છે. આ પરિસ્થિતિને લઈને લોકશાહી પ્રક્રિયા અને મતદારોના અધિકારો પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
15, એપ્રીલ 2026
3069 |
વડોદરા |
વોર્ડ નં-૧૧ના કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા થતાં ખળભળાટ : ફોન પણ બંધ
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં કેટલાક વોર્ડના ઉમેદવારો બિનહરીફ થાય તે માટે કોંગ્રેસના કેટલાક ઉમેદવારો પર તેમના સ્વજનો પર દબાણ થઈ રહ્યાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા જ કરવામાં આવ્યો હતો. ત્યારે વોર્ડ નં-૧૧માં કોંગ્રેસના ઓબીસી બેઠકના ઉમેદવાર ગઈકાલે સાંજથી સંપર્ક વિહોણા હોવાની વિગતો સામે આવતા ખળભળાટ મચ્યો છે. આવતિકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે દબાણના કારણે તેઓ સંપર્ક વિહોણા થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસ કર્યો છે. આ સિવાય અન્ય ચાર ઉમેદવારો પર પણ ગત રાત્રે ફોન કરીને દબાણ લાવવા પ્રયાસ કરાયો હતો. પરંતુ અમે ચારે ઉમેદવારોને સુરક્ષીત સ્થળે લઈ ગયા હોવાનું કોંગ્રેસના પ્રમુખે કહ્યું હતુ.વોર્ડ નં-૧૧ના કોંગ્રેસના ઓબીસી બેઠક પર ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ સંપર્ક વિહોણા થતા રાજકિય મોરચે અનેક તર્ક વિતર્ક સાથે ખળભળાટ મચ્યો છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જાેષીએ કહ્યું હતુ કે, ગઈકાલે સાંજે તેમનો સંપર્ક થયો હતો. ત્યારે તેમણે તેમના ધરે પ્રજાપતિ નામના કોઈ વ્યક્તી અને પોલીસવાળા આવ્યા હતા. અને ફોર્મ વિશે પુછ્યું હતુ. ત્યારે તેમને વોર્ડ પ્રમુખને મોકલુ છુ તેમ કહ્યું હતુ. પરંતુ ત્યારબાદ તેમનો ફોન સ્વીચઓફ છે. અને તેમના ધરને પણ તાળુ છે.તેમનો હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી. તેમણે ભાજપવાળા લઈ ગયા હોવાની શક્યતા સાથે આક્ષેપ કરતા કહ્યું હતુ કે, જ્યારથી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમારા અન્ય ત્રણથી ચાર ઉમેદવારોનો પણ સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમે તેમને સુરક્ષીત સ્થળે ખસેડ્યા હોવાનું કહ્યું હતુ. ઉલ્લેખનિય છે કે, વોર્ડ નં-૧૧માં ઓબીસી અનામત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિની સામે ભાજપાના ઉમેદવાર ઉપેન્દ્ર ( વિષ્ણુ ) પ્રજાપતિ ચૂંટણી મેદાનમાં છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
15, એપ્રીલ 2026
2376 |
વડોદરા |
ભાજપે વિવિધ વોર્ડમાં શરૂ કરેલા ચૂંટણી કાર્યાલયો ખાલીખમ: માહોલ જામતો નથી!
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં પૂર્વે ભાજપા દ્વારા તમામ ૧૯ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કર્યા છે. જાેકે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ તમામ વોર્ડમાં ભાજપા અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. સવાર સાંજ ફેરણી સાથે વોર્ડના વિવિધ વિસ્તારોમાં જઈને મતદારોનો સંપર્ક કરી રહ્યા છે. પરંતુ ભાજપા દ્વારા વિવિધ વોર્ડમાં શરૂ કરવામાં આવેલા ચૂંટણી કાર્યાલયોમાંં દિવસના તો ઠીક પરંતુ રાત્રીના સમયે પણ અગાઉની ચૂંટણીમાં જે કાર્યકરો, નેતાઓની ભીડ જામેલી જાેવા મળતી હતી. તે હજુ જાેવા મળતી નથી. જ્યારે હજુ સુધી સામાન્ય લોકોને પણ ચૂંટણીમાં રસ દેખાતો નથી.વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની આગામી તા.૨૬મી એપ્રિલે ચૂંટણી યોજાનાર છે. ત્યારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા બાદ તમામ વોર્ડમાં ચૂંટણી પ્રચારનો જાેરશોરથી પ્રારંભ થયો છે.સામાન્ય રીતે ભાજપાના ઉમેદવારોની ફેરણીમાં મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકરોનો જમાવડો જાેવા મળે છે. પરંતુ હાલમાં હજુ સુધી ચૂંટણીનો માહોલ જામેલો જાેવા મળતો નથી.ભાજપાના કાર્યાલયો સામાન્ય રીતે ચૂંટણીમાં કાર્યકરોના ટોળાથી ધમધમતા હોય છે. પરંતુ આ વખતે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ કાર્યકરો, કપાયેલા દાવેદારોમાં અને કેટલાક વોર્ડ સંગઠનના હોદ્દેદારોમાં નારાજગીના કારણે નિષ્ક્રિય થતાં કાર્યાલયો દિવસના ખાલી જાેવા મળી રહ્યા છે. જાેકે, કેટલાક કાર્યાલયો પર તો દિવસના સમયે તાળા જાેવા મળ્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
15, એપ્રીલ 2026
2574 |
વડોદરા |
લોકોએ ધેરાવો કરીને કહ્યું, તમને ખબર છે અમે કેવામાં રહીએ છીએ?
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર દરમિયાન વોર્ડ નંબર ૧૨માં સમાવિષ્ટ વિશ્વામિત્રી કાલીદાસ ચાલીઓમાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતુ. ડ્રનેજ અને અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને મુદ્દે રહીશોએ ઉમેદવારોનો ધેરાવો કર્યો હતો. રહીશોએ કહ્યું હતુ કે, તમને ખબર છે અમે કેવામં રહીયે છે? ઉમેદવારો માટે મતદારોની નારાજગી દૂર કરવી પડકારરૂપ બની રહી છે.વોર્ડ નંબર ૧૨ના ભાજપના ઉમેદવારો સ્મિત અરદેશણા, શકુંતલાબેન વસાવા, રીટા સિંઘ અને સમીર વાઘેલા જ્યારે વિશ્વામિત્રી કાલિદાસ ચાલ અને પરમારની ચાલમાં પ્રચાર માટે પહોંચ્યા ત્યારે રહીશોએ સમસ્યાઓ અંગે રોષ ઠાલવ્યો હતો આક્રોશ સાથે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમારે આવામાં રહેવાનું?, બોલો કામ કરવાની બાહેંધરી આપો છો.અમે કેવામાં રહે છીએ, તમને ખબર છે? બરાબર છે ભાઈ કોઈ નેતા કામ કરતા નથી. તેવા સવાલો સાથે ઉમેદવોરો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.. આ દરમિયાન ભાજપના કાર્યકરો અને વીડિયો ઉતારનાર રહીશો વચ્ચે દલીલો પણ થઈ હતી, જેમાં ભાજપનો એક કાર્યકર વીડીયો ઉતારવાની ના પાડતા. કેમ વીડિયો નહીં ઉતારવાનો? તેમ કહ્યું હતુ.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
15, એપ્રીલ 2026
2277 |
વડોદરા |
વોર્ડ-૨માં છાણી એકતા નગર અને વોર્ડ-૬ સુમેરુ ડૂપ્લેક્સમાં ચૂંટણી બહિષ્કારના બેનર
વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોએ વિવિધ વોર્ડમાં ચૂંટણી પ્રચાર જાેર શોરથી શરૂ કર્યો છે. ત્યારે છાણી જકાતનાકા પાસે વોર્ડ નંબર ૨માં આવેલ એકતા નગરના રહીશો રોષે ભરાયા છે. સ્થાનિક રહીશોએ કહ્યુ હતુ કે, એકતા નગરમાં ડ્રેનેજ મીશ્રીત ગંદુ અને ડહોળુ પાણી આવે છે. આ અંગે પાલિકા તંત્ર સમક્ષ રજૂઆતો કરાઈ હતી છતાં પણ કોઈ આવ્યુ ન હતુ. અને પાણીની પાઇપો લીક થતી હોવાનું બહાનું બતાવ્યું હતું. એકતા નગર વિસ્તારને કેટલાક કાઉન્સિલરોએ દત્તક લીધો છે. પરંતુ માત્ર કાગળ પર દત્તક લીધુ છે કોઈ કામ કરતા નથી. સ્થાનિકોએ આક્ષેપ કરતા એમપણ કહ્યું હતુ કે, ક્યારેય આ વિસ્તારની મુલાકાત લીધી નથી. હવે જ્યારે પાલિકાની ચૂંટણીઓ આવી છે. ત્યારે ઉમેદવારો ફરી વોટ માંગવા દેખાઈ રહ્યા છે. પરંતુ સ્થાનિક રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે સોસાયટીમાં બોર્ડ લગાડ્યા છે. એકતા નગર વિસ્તારમાં અંદાજિત ૩૦૦૦ જેટલા મતદારો હોવાથી તમામ ઉમેદવારો આ વિસ્તારમાં મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે.ન્યુ વીઆઈપી રોડ વોર્ડ-૬માં આવતા સુમેરૂ ડુપ્લેક્સના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનરો લગાડ્યા છે. જેમાં જણાવ્યું હતું કે, જે તે વખતે અગાઉના કોર્પોરેટરો સ્થાનિકોની પાયાની મુખ્ય સુવિધાઓ આપવામાં નિષ્ફળ નિવડયા છે. વારંવાર રજૂઆત છતાં પણ આંખ આડા કાન કોર્પોરેટરોએ કર્યા હતા. સ્થાનિક સુવિધાઓ આપવામાં પણ વામણા પુરવાર થયા છે. રહીશોએ આક્ષેપ કરતા કહ્યું કે, કોર્પોરેટરો વિસ્તારમાં પાંચ વર્ષમાં ક્યારેય ફરક્યા નથી કે કોઈપણ મુશ્કેલીમાં દેખાયા નથી. વારંવાર ધક્કા ખાવા છતાં પણ પ્રોપર્ટી કાર્ડ નિકળ્યા નઓથી. પ્રાથમિક સુવિધાનો અભાવ છે. જેમાં સૌથી અગત્યના અત્યંત ઓછા પ્રેસર થી અને ગંદા પાણીની સમસ્યા દૂર કરી અને પ્રેશરથી પૂરતા પ્રમાણમાં પાણી આપવાની રહીશોએ કરેલી માંગ પણ સ્થાનિક કોર્પોરેટરોએ ધ્યાને લીધી નથી. સ્વચ્છતાની વાતો પોકળ સાબિત થઈ છે. આવું ગંદકીનું સામ્રાજ્યથી દૂર કરી ગાર્ડનની અનામત ખુલ્લી જગ્યામાં ગાર્ડન બનાવવાની માંગ પણ પૂરી કરી શક્યા નથી. જેથી કામ નહી તો વોટ નહીના ઉલ્લેખ સાથે ચૂંટણી બહિષ્કારના બેનર લગાડ્યા છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, એપ્રીલ 2026
2178 |
ઢોસાના ખીરાથી શંકાસ્પદ મોત બાદ વેપારીઓ ટેન્શનમાં
શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીના મોત મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે, છતાં મોત પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરિવારનો આરોપ છે કે, તેમના વિસ્તારમાં આઇઓસી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરુ ખરીદ્યું હતું. જાેકે, હજુ સુધી પૂરવાર થયું નથી કે ખરેખર મોત પાછળનું કારણ ખીરું હતું કે બીજું જ કંઇક છે? આ શંકાકુશંકા વચ્ચે ડેરી માલિકની સ્થિતિ શું છે અને તેના ધંધા પર શું અસર પડી છે, તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઘનશ્યામ ડેરીના માલિક વિપુલ પટેલનો સંપર્ક કર્યો અને આ આક્ષેપિત ઘટના બાદ તેમના ધંધા પર શું અસર પડી છે તે જાણવા પ્રયાસ કર્યો છે. આ ઘટના આશરે ૧૦-૧૧ દિવસ પહેલા પ્રકાશમાં આવી હતી, ત્યારે ઘનશ્યાન ડેરીમાં માત્ર ખીરાનું વેચાણ જ સો-સવા સો કીલોગ્રામથી વધુ હતું. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, આ ડેરી ખીરા માટે સમગ્ર વિસ્તારમાં કેટલી જાણીતી હશે. પરંતુ હાલ ડેરી માલિકે ખીરાનું વેચાણ બંધ કર્યું છે.વિપુલ પટેલે જણાવ્યું કે, “આ ઘટનાની અસર મારા ધંધાની સાથે માનસ પર પણ પડી છે. હું માનસિક રીતે ભાંગી પડ્યો છે. આટલું જ નહીં, રોજનું સો-સવા સો કિલો જેટલું ખીરાનું વેચાણ થતું હતું. પરંતુ આ ચર્ચાસ્પદ ઘટનાને કારણે હાલ તો ખીરાનું વેચાણ સાવ બંધ જ કરી દીધું છે. જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી તો વેચાણ બંધ જ કર્યું છે. આટલું જ નહીં, તમામ ડેરી પ્રોડક્ટ વેચવાનું બંધ કરી દીધું છે. માત્ર બેકરી પ્રોડક્ટનું જ વેચાણ ચાલુ રાખ્યું છે.” નોંધનીય છે કે, આ ઘટના સામે આવતાં પોલીસને ટીમ દ્વારા ડેરીમાં તપાસ કરવામાં આવી હતી. સાથે જ ડેરીમાંથી એફએસએલ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. પરંતુ ડેરી માલિકે દાવો કર્યો હતો કે કોઇપણ ગ્રાહકની ફરિયાદ આવી નથી. પોલીસે પણ આ ડેરીમાંથી ખીરું ખરીદનારા અન્ય ગ્રાહકોની પૂછપરછ કરી હતી. પરિવારનો આક્ષેપ છે કે ૧લી એપ્રિલના દિવસે વિમલ પ્રજાપતિ નામનો યુવક આઇઓસી રોડ પર આવેલ ઘનશ્યામ ડેરીમાંથી ખીરુ ખરીદ્યું હતું. જે ખીરામાંથી ઢોંસા બનાવી તેણે ઢોસા ખાધા હતા. જાે કે બીજે દિવસે તેની તબિયત લથડી હતી. તો બીજી તરફ બીજા દિવસે આ જ ખીરામાંથી ઢોંસા બનાવી વિમલની પત્ની અને ૩.૫ વર્ષની દીકરીએ પણ ઢોંસા ખાધા હતા. ત્યારબાદ તેમની પણ તબિયત લથડી હતી. આમ એક જ પરિવારની બે દીકરીઓ અને પતિ પત્નીની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ૪થી એપ્રિલના દિવસે ૨.૫માસની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. અને ૫મી એપ્રિલના દિવસે ૩.૫ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે વિમલ અને તેની પત્નીની પણ તબિયત લથડી હતી. બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ૩.૫ વર્ષની બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પેનલ પીએમ કરાવ્યું છે. જ્યારે હકીકતમાં આ બંને બાળકીના મૃત્યુ કેવી રીતે નીપજ્યાં છે તે અંગેનું કારણ જાણવા માટે પોલીસે એફએસએલની પણ મદદ લીધી છે. એફએસએલની ટીમે પણ ડેરી પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. વિમલના પરિવારજનોનો આક્ષેપ છે કે, ખીરામાંથી બનાવેલ ઢોંસા ખાધા બાદ આ બનાવ બનવા પામ્યો છે. જ્યારે ડેરીના માલિકનું કહેવું હતું કે વિમલભાઈ ૧લી તારીખે ખીરું લેવા માટે આવ્યા હતા. તેમના પત્ની ૩જી તારીખે આવીને ખીરુ પરત કરી ગયા અને ખીરુ ખાવાથી તેમની તબિયત લથડી હોવાની જાણ કરી હતી. ત્યારબાદ ડેરીના માલિકે અન્ય જે ગ્રાહકોએ ખીરુ ખરીદ્યું હતું તેમાંથી અનેક લોકો પાસેથી પણ જાણકારી મેળવી હતી. પરંતુ તેઓને કોઈ આડઅસર થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. ડેરીના માલિક દ્વારા વિમલના પત્નીએ પરત કરેલું ખીરું પણ સાચવીને રાખેલું છે. જે પોલીસ, એફએસએલ કે અન્ય કોઈપણ વિભાગની કામગીરીમાં સંપૂર્ણ સાથ સહકાર આપવા માટે તૈયાર છે. તેઓ ડેરીમાં રોજ સવા સો કિલો જેટલું ખીરુ તૈયાર કરીને વેચે છે. આ કેસમાં વિમલ અને ભાવનાના બ્લડ રિપોર્ટમાં તેમના શરીરમાંથી ઝિંક અને એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ જેવા તત્વોની હાજરી મળી આવી હતી. જે ઘરમાં ઘઉંને લાંબા સમયથી ટકાવી રાખવા માટે જંતુનાશક દવા તરીકે વપરાય છે અને આ દવાના ટીકડા પણ ઘરની તપાસમાં મળી આવ્યા હતા. આ તથ્યના કારણે પણ ભાવેશ પણ શંકાના ઘેરામાં છે. જાેકે હાલ સુધીની પૂછપરછમાં આ તથ્ય મામલે પણ કોઈ પુરાવા અને નિષ્કર્ષ નીકળી શક્યો નથી. પૂછપરછ બાદ પણ બાળકીઓનાં મોત કયા કારણથી થયા તે અંગે પોલીસ કોઈ નક્કર પુરાવા કે તથ્યો સુધી પહોંચી શકી નથી. બાળકીઓના મોત માટે કોને જવાબદાર ગણવા તે અંગે પોલીસ હજી અસમંજસમાં છે. હવે પોલીસ એફએસએલ રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિશેરાના રિપોર્ટની રાહ જાેઈ રહી છે. આ તમામ રિપોર્ટ આવતા કેટલો સમય લાગી શકે તે અંગે કહેવું મુશ્કેલ છે. પોલીસના દાવા પ્રમાણે, આ રિપોર્ટ એકથી બે દિવસમાં આવી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, એપ્રીલ 2026
1782 |
પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની સક્રિય ભાગીદારીથી વિકસિત ભારતનું નિર્માણ: સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ટાગોર હોલ ખાતે ‘સ્ત્રી શક્તિ’ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ‘બિઝનેસ વુમન કમિટી’ના સંયુક્ત ઉપક્રમે ‘નારી શક્તિ વંદન સંમેલન’યોજાયું હતું. નારી શક્તિ વંદન સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સંસદમાં રજૂ થનાર ‘નારી શક્તિ વંદન બિલ’ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ ભારતની આવનારી પેઢીઓ આ ઐતિહાસિક ર્નિણય માટે કાયમ આભારી રહેશે.નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠાના સરહદી ગામડાઓની બહેનો આજે બનાસ ડેરીના માધ્યમથી પશુપાલન ક્ષેત્રે અદભૂત નેતૃત્વ પૂરું પાડી રહી છે, જે તેમના આત્મવિશ્વાસનું પ્રતીક છે. મેનેજમેન્ટના પાઠ શીખવા માટે કોઈ યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી, એક માતા જે રીતે આખા પરિવારને એક રાખે છે અને ઘરનું સંચાલન કરે છે તે વિશ્વના શ્રેષ્ઠ મેનેજમેન્ટ ક્લાસ સમાન છે. તેમણે બહેનોને આહવાન કર્યું હતું કે તમે ઘર, બિઝનેસ, મેડિકલ કે પોલિટિકલ, ગમે તે ફિલ્ડમાં હોવ, તમારી લીડરશીપ મજબૂત બનાવો. રાજનીતિ એ લોકોના દુ:ખ દૂર કરવાનું અને સેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે, જેમાં મહિલાઓની ભાગીદારી અનિવાર્ય છે. નારી શક્તિ વંદન બિલ પાસ થવાની સાથે જ દેશની કરોડો મહિલાઓનો અવાજ વધુ બુલંદ થશે અને આવતીકાલનો સૂર્યોદય મહિલા સશક્તિકરણ માટે નવી આશા લઈને આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, એપ્રીલ 2026
1782 |
અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી
અમદાવાદની જાણીતી એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ગત રાત્રે સ્લેબ પડ્યો હતો. હોસ્ટેલના બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક ધરાશાઇ થયો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ હોસ્ટેલની બિલ્ડીંગ જર્જરિત હોવાનો આક્ષેપ કર્યો છે. પંલગ પર બેઠેલા વિદ્યાર્થી પર સ્લેબ અચાનક જ તૂટી પડ્યો હોસ્ટેલના બ્લોક મ્માં રૂમ નંબર ૨૦૪માં આ ઘટના બની હતી. આ રૂમમાં ૨ બેડ હતા, જેમાં વિદ્યાર્થીઓ બેઠા હતા ત્યારે અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીના પીઠ પર ઈજા પહોંચી હતી. જે બાદ તાત્કાલિક વિદ્યાર્થીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, એપ્રીલ 2026
1782 |
સાબરમતી નદી હવે કોરી કટ દેખાશે!
અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી હવે કોરી કટ જાેવા મળશે. વાસણા બેરેજના ૧૮ દરવાજાનું ચોમાસા પહેલાં રિપેરિંગ કામ તેમજ જર્જરિત સુભાષબ્રિજને તોડવા નદીમાંથી પાણી ખાલી કરવામાં આવ્યું છે. ૧૫ એપ્રિલથી ૧૫ જુન સુધી સાબરમતી નદીને ખાલી રાખવામાં આવનાર છે. માહિતી મુજબ, ડેમ સેફ્ટી અંતર્ગત ચાલુ વર્ષે કરવામાં આવેલા પ્રિ-મોન્સૂન ઇન્સ્પેક્શન દરમિયાન નિષ્ણાતો દ્વારા બેરેજની સુરક્ષા સુનિશ્ચિત કરવા ૧૮ નવા દરવાજા બનાવવાની ભલામણ કરવામાં આવી હતી. બે મહિના જેટલા સમયમાં સુભાષબ્રિજને પણ રિપેર કરી દેવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન બાદ બ્રિજનું સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી શરૂ કરી દેવાશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, એપ્રીલ 2026
2475 |
અમદાવાદ એરપોર્ટ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે અમદાવાદ એરપોર્ટ પર પધાર્યાં ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી પ્રફુલ પાનશેરિયા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે.એલ.એન રાવ, એર માર્શલ મહેતાબસિંહ દેશવાલ, જીઓસી ગૌરવ બગ્ગા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક તથા અમદાવાદ કલેકટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ રાષ્ટ્રપતિનું અભિવાદન કરી તેમને આવકાર્યાં હતાં.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, એપ્રીલ 2026
1683 |
ગોરાટમંદિર સામે વિધર્મીઓનાં કોમ્પ્લેક્સને અશાંતધારામાં આપેલી મંજૂરી ભારે પડી જશે
અશાંતધારા વિસ્તારમાં વિધર્મીઓને મિલકત તબદિલીની પરવાનગી આપવામાં આચરવામાં આવેલાં ભ્રષ્ટાચારનો પડઘો ભાજપનાં જ ધારાસભ્ય અરવિંદ રાણાએ વિધાનસભામાં પાડ્યો હતો હવે મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ મુદ્દો ગોરાટ વિસ્તારનાં લોકો ભાજપને ભારે પાડે તેવી સંભાવના દેખાઇ રહી છે. ગોરાટ વિસ્તારનાં લોકોએ ભાજપ નેતાગીરી પાસે ટિકિટ માગી હતી પરંતુ તેમની અવગણના કરવામાં આવતાં ગોરાટ મંદિરનાં ખજાનચી તરૂણ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જે પાછી ખેંચી લેવા માટે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ભારે દબાણ કર્યું હતું પરંતુ તેમનું દબાણ કામ લાગ્યું ન હતું. આજે ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાનાં અંતિમ દિવસે તરૂણ પટેલે ઉમેદવારી જારી રાખતાં વોર્ડ નંબર-૧૧ અડાજણ-ગોરાટમાં ભાજપની પેનલ તૂટવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.ગોરાટ વિસ્તારમાં હનુમાન મંદિર સામે જ વિધર્મીઓનું સાત બિલ્ડિંગનું મોટુ કોમ્પ્લેક્સ તૈયાર થઇ રહ્યું છે. અશાંતધારા કાયદા અંતર્ગત મિલકત તબદિલીની અરજી કલેક્ટર કચેરીને મળી ત્યારે ગોરાટ વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓનાં રહિશો, ગોરાટ હનુમાન મંદિરનાં ટ્રસ્ટીઓએ લેખિત અને મૌખિક વિરોધ નોંધાવ્યો હતો. લોકોનાં વિરોધ છતાં પોલીસ તેમજ કલેક્ટર કચેરીનાં અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરીને મિલકત તબદિલીને મંજૂરી આપી દીધી હતી. તે સમયે સ્થાનિક હિન્દુ લોકોએ ધારાસભ્ય પૂર્ણેશ મોદી સમક્ષ પણ રજૂઆતો કરી હતી પરંતુ તેમણે લોકોની રજૂઆતોનો ઉચ્ચ સ્તરે પડઘો પાડ્યો ન હતો. મહાનગર પાલિકાની ચૂંટણીમાં પણ ગોરાટ વિસ્તારનાં લોકોએ ટિકિટ માગી હતી પરંતુ પૂર્ણેશ મોદીની જીદ્દ સામે ભાજપ મોવડી મંડળ ઝૂકી ગયું અને ગોરાટ વિસ્તારનાં એક પણ વ્યક્તિને ટિકિટ આપી ન હતી અને વોર્ડનાં રહિશ નથી તેવા આયાતી ઉમેદવાર પરિમલ ચાસિયાને પૂર્ણેશ મોદીનાં દબાણથી ટિકિટ આપી હતી. ભાજપ મોવડીમંડળનાં ર્નિણય સામે ગોરાટ હનુમાન મંદિરનાં ખજાનચી તરૂણ અશ્વિન પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ગોરાટ વિસ્તારનાં લોકોએ જણાવ્યું હતું કે, આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનાં અંતિમ દિવસે ફોર્મ પાછુ ખેંચી લેવા માટે તરૂણ પટેલ ઉપર ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ખુબ દબાણ કર્યું હતું પરંતુ તરૂણ પટેલ મક્કમ રહ્યાં હતાં. ગોરાટ વિસ્તારમાં ૪૦થી ૫૦ હજારથી વધુ હિન્દુ વસતી છે અને ગોરાટ મંદિરની આસપાસ જ હજારો લોકો રહે છે જેથી ચૂંટણીમાં ભાજપને ભારે પડી જશે. ભાજપનાં કાર્યકરો આવશે તો પણ તેમનો બહિષ્કાર કરવામાં આવશે તેમ આ વિસ્તારનાં રહિશ આસિત ગાંધીએ જણાવ્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, એપ્રીલ 2026
2079 |
ભાજપનાં ગઢ ગણાતાં વેસુ-ભરથાણામાં પ્રચાર માટે ગયેલા ભાજપનાં નેતાઓને લોકોએ હાંકી કાઢ્યાં
મનપાની ચૂંટણીમાં ભાજપનાં ગઢ એવા રાંદેર-અઠવા ઝોનમાં પણ ભાજપને પ્રચાર દરમિયાન મતદારોનાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ નંબર ૨૨માં પુર્વ ધારાસભ્ય સાથે ભાજપના ઉમેદવારો પ્રચાર માટે ગયા હતા જ્યાં એક સોસાયટીના રહીશોએ તેમની પાસે કામગીરીનો હિસાબ માગ્યો હતો. છેલ્લા ૨૦ વર્ષથી ખોબે ખોબે મત આપે છે પણ સોસાયટીને સુવિધા અપાતી નથી અને જે સુવિધા છે તે છીનવી લેવામાં આવી છે. તેવો આક્ષેપ કરી ઉમેદવારોને મતદારોએ મુંઝવી દીધા હતાં. એવું કહીને સોસાયટીનાં ગેટ પર જ ઉમેદવારોને રોકી દીધા હતા અને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કારની ચીમકી પણ આપી હતી.અઠવા ઝોનમાં ભાજપના ગઢ એવા વોર્ડ નં-૨૨માં આવેલા આર્શીવાદ વિલાના ગેટ પર જ મતદાન બહિષ્કાર સહિત ઉમેદવારોએ પ્રવેશવું નહી તેવા બોર્ડ લાગ્યા છે. ગઈકાલે ભાજપના ઉમેદવારો પુર્વ ધારાસભ્ય સાથે પ્રચાર માટે સોસાયટીમાં ગયા હતા. જ્યાં તેઓને કડવો અનુભવ થયો હતો. ગેટ પર જ સોસાયટીનાં રહીશોએ ભાજપનાં નેતાઓ પાસે કામગીરીનો હિસાબ માગ્યો હતો. ૨૫૦૦ રહેવાસીઓ ધરાવતી આ સોસાયટી છેલ્લા ૨૦ વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી છે. ડ્રેનેજ સિવાય કોઇ મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. ટી.પી. સ્કીમમાં ફેરફારોને કારણે સોસાયટીનાં મંજૂર રોડ પણ ખાનગી ફાઇનલ પ્લોટમાં ફેરવાયા હોવાની વાત સોસાયટીનાં રહીશોએ કરી છે. સોસાયટીનાં રહીશો કહે છે, છેલ્લા ૨૦ વર્ષથી એકતરફી અને ખોબે ખોબા આપેલા મતોનાં બદલામાં ટી.પી. સ્કીમમાં અન્યાય કરી સોસાયટીને માત્ર ખોટા વચનો આપવામાં આવ્યા છે અને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી. સોસાયટી દ્વારા વર્ષ-૨૦૧૧માં આઇસીના નાણાં રૂપે ૯૬ લાખ રૂપિયા જમા કરાવાયા હતા. આમ છતાં અત્યાર સુધી માત્ર પાણીની સુવિધા મળી શકી છે. તેથી ગેટ પર બેનરમાં લખ્યું છે બેનર પર લખાયું ખોટા વાયદા આપનારા રાજકીય પક્ષો કે ઉમેદવારોએ સોસાયટીમાં પ્રવેશવું નહીં. દર વખતે ચૂંટણીમાં મળતા ખોટા વાયદાથી સોસાયટીના રહીશો કંટાળી ગયા છે અને આગામી ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો ર્નિણય કર્યો છે. જેના કારણે ગઈકાલે છેલ્લા ૨૦ વર્ષમાં આ સોસાયટીને પાલિકાએ વેરો વસુલ કર્યો છે પરંતુ કઈ સુવિધા આપી તેનો હિસાબ માગી ભાજપનાં ઉમેદવાર-નેતાઓને સોસાયટીમાં પ્રચાર કરવા દીધો ન હતો અને પરત મોકલી આપ્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, એપ્રીલ 2026
1782 |
સુરત મનપાનાં ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે ૪૮૩ ઉમેદવારો મેદાનમાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. સુરતના ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે હવે કુલ ૪૮૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારોના ફોર્મ ચકાસણી અને નામ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ૧૬ ઉમેદવારોએ નામાંકનપત્રો પરત ખેંચ્યા હતા. જેમાં કોંગ્રેસના બે ઉમેદવારમાં વોર્ડ ૧૮ લિંબાયત-પરવટ-કુંભારિયાના સંજય રામાનંદી અને વોર્ડ નંબર ૧ જંહાગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડના ઉમેદવાર બોની પટેલનો સમાવેશ થાય છેસુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને લઈને રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણીનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ બન્યું છે.શહેરના કુલ ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે હવે કુલ ૪૮૩ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જાેવા મળશે. શરૂઆતમાં ૧૦૫૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ચકાસણી પ્રક્રિયા દરમિયાન ૫૬૧ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. અંતિમ દિવસે વધુ ૧૬ ઉમેદવારોએ પોતાના નામાંકનપત્રો પરત ખેંચતા હવે મેદાનમાં રહેલા ઉમેદવારોની સંખ્યા ૪૮૩ પર આવી પહોંચી છે. ફોર્મ પરત ખેંચનારામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. વોર્ડ નંબર ૧૮ (લિંબાયત-પરવટ-કુંભારિયા)માંથી સંજય રામાનંદી અને વોર્ડ નંબર ૧ (જહાંગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ)માંથી બોની પટેલે ઉમેદવારી પાછી ખેંચી હતી. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં ત્રિપક્ષીય સ્પર્ધા ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીના પરિણામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.આગામી ૨૬ એપ્રિલના રોજ મતદાન યોજાશે, જેમાં શહેરના લાખો મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. ભારતનું ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા મુજબ વહીવટી તંત્ર દ્વારા મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેની કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને વહીવટી તંત્ર સતર્ક છે. ઉમેદવારોની આખરી યાદી જાહેર થતા હવે તમામ ૩૦ વોર્ડમાં ચૂંટણી પ્રચાર વધુ વેગવાન બનવાની શક્યતા છે. મુખ્ય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ઘરઘર પ્રચાર, સભાઓ અને રોડ શો દ્વારા મતદારોને આકર્ષવાના પ્રયાસો કરશે. આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ, વિકાસના પ્રશ્નો અને નાગરિક સુવિધાઓ મુખ્ય એજન્ડા બની શકે છે. પરિણામે, આવનારી ચૂંટણી શહેરના રાજકીય દિશાને નક્કી કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફૉર્મ ચકસણી બાદ વોર્ડ નં. ૧૨ (નાણાવટ - સૈયદપુરા - કુબેરનગર - મહિધરપુરા) કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું ફાર્મ રદ થયું છે. ઉમેદવાર ભુપેન્દ્ર પટેલ ફોર્મ નંબર પાંચમાં કોંગ્રેસ પાર્ટીનું નામ લખવાનું જ ભૂલી ગયા હતા. આ ઉપરાંત વોર્ડ નંબર ૧૮માં અપક્ષ ઉમેદવાર નરેન્દ્રસિંગ ચૌધરીનું ફાર્મ રદ થતાં ભાજપના ષડયંત્રનો આક્ષેપ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.આ ઉપરાંત વોર્ડ નં.૨૧માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દક્ષાબેન ભાવસારે ઉમેદવારી પત્રક સાથે નમુના નં.૨૩ મુજબનું સોગંદનામું રજુ કર્યુ ન હતું. તેથી તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. જ્યારે વોર્ડ નં.૨૦માંથી ગિરીશભાઈ ચૌધરી અને વોર્ડ નં.૨૮માંથી આમ આદમી પાર્ટીના જ ગીતાબેન બલદાણીયાનું ફોર્મ રદ થયું હતું. આમ મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. સુરત શહેરમાં આજે રાજકીય વાતાવરણ ગરમાયું હતું, જ્યારે સુરત કલેક્ટર કચેરીમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પાંચમા માળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. ઘટનાસ્થળે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સ્થિતિ ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, એપ્રીલ 2026
2178 |
પ્રેમલગ્નનાં બે જ વર્ષમાં પત્નીનાં ત્રાસથી કંટાળી યુવકે રેલવે ટ્રેક પર આપઘાત કર્યો
પ્રેમલગ્નનાં બે જ વર્ષમાં લડાઈ ઝઘડો કરવા માંડેલી પત્નીનાં ત્રાસથી કંટાળી યુવકે ટ્રેન તળે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ઉત્તરપ્રદેશનાં પ્રતાપગઢ જિલ્લાનાં વતની મોતીલાલ અલગુરામ ગૌતમનાં દિકરા નિખિલનો તેમના ગામની જ રહેવાસી સુહાની સ્વામીનાથ ગૌતમ સાથે પ્રેમ સંબંધ હતો. તેઓ લગ્ન કરવા માંગતાં હતાં પરંતુ એક જ ગામના રહેવાસી હોય સુહાનીનો પરિવાર આ માટે તૈયાર થયો ન હતો. જાે કે, સુહાનીએ નિખિલ સાથે લગ્ન નહીં કરાવાય તો આપઘાત કરી લઇશ એવી ચીમકી આપી હતી. જેના પગલે નિખિલના પરિવારે તેઓના લગ્ન પાંચમી મે, ૨૦૨૪નાં રોજ કરાવી દીધા હતા. મંદિરમાં લગ્નના પંદરેક દિવસ બાદ નિખિલ અને સુહાની સુરત આવી ગયા હતા. તેમણે લીંબાયત વિસ્તારમાં મકાન ભાડે રાખ્યું હતું. ઓગસ્ટ-૨૦૨૫માં મોતીલાલ તેમની પત્ની સાથે દિકરા નિખિલના ઘરે રહેવા આવ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૬થી મોતીલાલને દિકરા નિખિલ સાથે વાતચીત બંધ થઇ ગઇ હતી. પૂત્રવધુ સુહાનીને કોલ કરાતો તો તે સીધા જવાબ આપતી ન હતી. તે એવું કહેવા માંડી હતી કે, નિખિલનું પ્રીતિ નામની છોકરી સાથે ચક્કર ચાલે છે, તે ક્યાંક ચાલ્યો ગયો છે. સુહાનીએ સસરાને જણાવ્યું હતું કે, નિખિલ ઘરે આવ્યો નથી એટલે તેના લાપતાં થવા અંગે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. આ વાત બાદ સુહાનીએ સસરાનો નંબર બ્લોક કરી દેતાં તેઓ કોલ કરી શકતા ન હતા.દિકરો લાપતા થતાં ચિંતાતુર બનેલા મોતીલાલ સુરત આવ્યા અને પૂત્રવધુ સુહાની સામે તપાસ માટે લિંબાયત પોલીસ મથકમાં અરજી આપી હતી. બે મહિના બાદ તેઓ પોતાની અરજી અંગે તપાસ કરવા લિંબાયત પોલીસ સ્ટેશન ગયા ત્યારે એવું કહેવાયું કે, તમારા દીકરા જેવા કોઈ વ્યક્તિની લાશ મળી છે, તમે કતારગામ પોલીસ સ્ટેશન જાઓ. કતારગામ પહોંચેલા મોતીલાલને રેલવે ટ્રેક પરથી મળેલી યુવકની લાશનો ફોટો બતાવતાં તે નિખિલ જ હોવાનું કન્ફર્મ થયું હતું. પોલીસે નિખિલના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઇડ નોટ મોતીલાલને બતાવી હતી. અંગ્રેજીમાં લખાયેલી આ નોટમાં સુહાનીના કારણે આપઘાત કરૂ છું એ મતલબનું લખાણ હતું. જેથી અવાર નવાર ઝઘડા કરી ત્રાસ આપતી વહું સુહાનીના કારણે નિખિલે આપઘાત કરવા મજબૂર બન્યાનું જણાતાં મોતીલાલે તેણી વિરૂદ્ધ કતારગામ પોલીસ મથકમાં આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો..
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, એપ્રીલ 2026
1782 |
સસ્તામાં એર ટિકિટ આપવાની વાતમાં ફસાવીને બેંગલુરુનાં તબીબનું ૨૨.૨૫ કરોડનું ચીટિંગ
સસ્તા દરે એર ટિકિટ આપવાની ઓનલાઇન જાહેરાત કરી બેંગ્લુરૂમાં ટ્રાવેલ એજન્સી ચલાવતા ડોક્ટર અને તેના ભાગીદારે ૨૨.૨૫ કરોડનું ફ્રોડ કર્યુ હતું. ઉત્રાણ વિસ્તારનાં ટ્રાવેલ એજન્ટ દ્વારા ૮.૧૭ લાખનાં ફ્રોડ અંગે નોંધાવેલી ફરિયાદમાં સાયબર સેલે ડોક્ટર હુમાયુ કબીરની ધરપકડ કરી છે.મળતી માહિતી અનુસાર નવસારીનાં વિજલપોરનાં રહેવાસી નીતીન ડાહ્યાભાઈ મકવાણા સુરતના ઉત્રાણ વિસ્તારમાં સિલ્વર ટ્રેડ સેન્ટરમાં એડવાન્સ હોલીડેઝ નામથી ટ્રાવેલ એજન્સી ચલાવે છે. તેઓ ગ્રાહકો માટે જુદી જુદી વેબસાઇટનાં માધ્યમથી એર ટિકિટ તથા હોટેલ બુકિંગનું કામ પણ કરે છે. તેમની ઓફિસમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતાં કરણ પરીયાએ તેમને જણાવ્યું હતું કે, મારી પાસે એક એવા વ્યક્તિનો કોન્ટેક્ટ છે કે જે અન્ય વેબસાઈટની સરખામણીએ ઓછા રૂપિયામાં એર ટિકિટ બુક કરી આપે છે. મકવાણાએ માર્કેટ કરતાં ઓછા ભાવે ટિકિટ મળતી હોય તો આપણને અને ગ્રાહકને પણ ફાયદો થશે એમ કહેતા કરણે મુસ્તફિઝુર રહેમાન તથા હુમાયુ કબીરની બેંગ્લુરૂ ખાતે ફાયટ ફ્લ્યુ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અંગે વાત કરી હતી. ત્યારબાદ કરણે આ કંપનીમાંથી ઓનલાઇન ૪૫ ટિકિટ બુક કરાવી હતી. જેમાં તેમણે ૮,૧૭,૫૫૦ રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું હતું. આ પેમેન્ટ સામે મોકલાયેલી એર ટિકિટ ખોટી નીકળતા મકવાણાએ પૈસા પરત માંગ્યા હતાં. જેમાં મુસ્તફિઝુર અને હુમાયું એ માત્ર ૫૦ હજાર પાછા આપી બીજા ૭,૬૭,૫૫૦ રૂપિયાનું ચીટિંગ કર્યું હતું. મકવાણાએ આ મામલે ફરિયાદ આપતા સાયબર સેલે બેંક એકાઉન્ટ નંબરનાં આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં મળેલી માહિતીનાં આધારે બેંગ્લુરૂ જઇ હુમાયું કબીર અબ્દુલ રજાકની ધરપકડ કરી હતી. હુમાયુ બીએએમએસ ડોક્ટર છે અને કામ ટિકિટ બુકિંગનું કરે છે. તેણે મુસ્તફિઝુર રહેમાન સાથે મળી ટ્રાવેલ એજન્સી શરૂ કરી હતી. જાે કે, તેઓ જેન્યુઇન ધંધો કરવાની જગ્યાએ ઓનલાઇન ટિકિટ બુકિંગનાં નામે ફ્રોડ કરવા માંડ્યા હતાં. આ બંને જણા સસ્તા દરે ટિકિટની ઓફર કરી દેશભરનાં ટ્રાવેલ એજન્ટને ફસાવતા હતા. હુમાયુની તપાસ દરમિયાન તેઓ દ્વારા આ ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા હતાં એ ૨૯ બેન્ક એકાઉન્ટની માહિતી મળી હતી. આ બેંક એકાઉન્ટ નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટિંગ પોર્ટલ ઉપર ચેક કરાયા તો તેની સામે જુદા જુદા રાજ્યોમાં ૨૩ ફરિયાદ નોંધાયાનું બહાર આવ્યું હતું. આ ફરિયાદ અનુસાર તેઓએ ૨૨.૨૫ કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યાનો પર્દાફાશ થયો છે. મકવાણાની એડવાન્સ હોલીડેઝ પાસે પૈસા લેવાયા હતાં એ એકાઉન્ટ સામે ૭.૨૦ કરોડના ફ્રોડની ૮ ફરિયાદો નોંધાયાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે હુમાયુ પાસે માહિતી મેળવી તેના ભાગીદાર મુસ્તફિઝુર રહેમાન ની શોધખોળ હાથ ધરી છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...