ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, જુન 2026 3168   |  
જામનગરની હસતી રમતી આનંદીનું હાર્ટ એટેકથી મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું

જામનગરથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. જામનગરના ચાંદી બજારમાં રહેતી ૧૪ વર્ષની આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આનંદી રાજકોટ તેના મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી અને ગઈકાલે અન્ય બાળકો સાથે રમતી વખતે તે અચાનક જમીન પર ઢળી પડી હતી. જે બાદ હોસ્પિટલ ખાતે તેને લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી અનુસાર, જામનગરના ચાંદી બજારમાં રહેતા રાજેશભાઈ મોદીની લાડકવાયી દીકરી આનંદી મોદી (ઉં.વ ૧૪) રાજકોટ પોતાના મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી. ગઈકાલે આનંદી મામાના પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગઈ હતી અને જમીને અન્ય બાળકો સાથે રમવા ગઈ હતી. રમતા-રમતા આનંદી અચાનક જમીન પર ઢળી પડી હતી. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે ડોક્ટર્સની ટીમે આનંદીની તપાસ શરૂ કરી હતી, જે બાદ ડોક્ટર્સે આનંદીને મૃત જાહેર કરી હતી. ડોક્ટર્સની પ્રાથમિક તપાસમાં આનંદીનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. આનંદીના મૃત્યુના સમાચાર સાંભળી પરિવારજનો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. આનંદીના મામા ગોપાલભાઈએ કહ્યું કે, ‘અત્યારે પવિત્ર પરસોત્તમ મહિનો ચાલી રહ્યો હોવાથી અમે બધી બહેનોનો અને ભાઈ પરિવારનો જમણવાર રાખ્યો હતો. સદભાવના વૃદ્ધાશ્રમમાં પહેલા બધા વૃદ્ધોને જમાડ્યા પછી અનંતા રિસોર્ટ ખાતે અમારા પરિવારનો જમણવાર હતો, ત્યાં અમે પહોંચ્યા હતા. જમીને અમે બધા બેઠાં હતા, છોકરાઓ રમતા હતા. આ દરમિયાન આનંદી રમતા-રમતા ઢળી પડી હતી, જેથી અમે તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, જુન 2026 6039   |  
મુન્દ્રા બંદરે એટીએસની ટીમે પાકિસ્તાનથી આવેલા જહાજને રોકી સઘન ચકાસણી કરી

કચ્છના મુન્દ્રા બંદરે એટીએસની ટીમે જહાજની તપાસ હાથ ધરી છે અને પાકિસ્તાનથી આવેલા જહાજને રોકી સઘન ચકાસણી શરૂ કરવામાં આવી છે. જહાજ મુન્દ્રાથી મુંબઈના નવાશેવ બંદર જવાનું હતું. અને જહાજમાં કોઈ શંકાસ્પદ સામગ્રી હોવાની આશંકાના કારણે ગુજરાત એટીએસએ તપાસનો દોર શરૂ કર્યો છે. હાલામાં તો ગુજરાત એટીએસ જ તપાસ કરી રહી છે, તો અન્ય કોઈ એજન્સી તપાસ નથી કરી રહ્યું.આ સમગ્ર ઘટનાને લઈ વાત કરીએ તો ગુજરાત એટીએસ સિવાય અન્ય કોઈ એજન્સી આ મામલે તપાસ કરી રહ્યું નથી. એટીએસ દ્વારા સ્વતંત્ર રીતે તપાસ હાથ ધરાઈ છે અને સમગ્ર ઘટનાને લઈને બંદર વિસ્તારમાં ચર્ચાનો માહોલ છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ ગુપ્ત માહિતીના આધારે સક્રિય બની છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાનો ખુલાસો થશે. હાલમાં ગુજરાત એટીએસ તરફથી પણ કોઈ માહિતી સામે આવી નથી કે જહાજમાં શું છે અને કેમ રોકવામાં આવ્યું છે.ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં મુન્દ્રા દરિયાકાંઠેથી રૂ. ૧,૧૮૦ કરોડની કિંમતનું ૧૧૮.૯૭ કિલો કોકેઈન ઝડપાયું છે. બ્રાઝિલથી પાકિસ્તાન થઈને આવેલી આ ડ્રગ્સની ડિલિવરી દિલ્હી થવાની હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આશરે રૂ. ૧,૧૮૦ કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે, વિદેશથી આવી રહેલા એક મોટા જહાજમાં કરોડોનું ડ્રગ્સ છુપાવવામાં આવ્યું છે. આ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટ સાથે એટીએસની ટીમ મુન્દ્રાના દરિયામાં પહોંચી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
31, મે 2026 4950   |  
ચોરવાડના ખેત મજૂરની દીકરીએ એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સમાં રજત ચંદ્રક જીત્યો

ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય, શિસ્ત અને અથાક મહેનતથી સામાન્ય પરિવારમાંથી આવતી પ્રતિભાઓ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર સફળતા હાંસલ કરી શકે છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની ૧૯ વર્ષીય કાજલે રવિવારે હોંગકોંગમાં યોજાયેલી ૨૨મી એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૪ટ૧૦૦ મીટર રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતા કાજલે ટીમને ૪૫.૦૫ સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી હતી. આ પ્રદર્શન સાથે ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો હતો અને અંડર-૨૦ વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. ભારતીય ટીમે અગાઉનો ૪૫.૦૮ સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને પોતાની ઝડપ, ટીમવર્ક અને બેટન એક્સચેન્જની શ્રેષ્ઠતા દર્શાવી હતી. હોંગકોંગમાં જીતેલો રજત ચંદ્રક કાજલની સિદ્ધિઓની યાદીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો છે. આ અગાઉ તેણે ૨૦૨૫માં રાંચીમાં યોજાયેલી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૪ટ૧૦૦ મીટર રિલે માં પણ રજત ચંદ્રક જીત્યો હતો. ઉપરાંત, ૬૦ મીટર સ્પર્ધામાં અંડર-૨૦ વર્ગનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ તેના નામે છે. આ વર્ષના માર્ચ મહિનામાં ભુવનેશ્વરમાં યોજાયેલી પ્રથમ ઇન્ડોર ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલે ૬૦ મીટર દોડમાં ૭.૫૦ સેકન્ડનો સમય નોંધાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. આ સિદ્ધિએ તેને ભારતની સૌથી પ્રતિભાશાળી યુવા સ્પ્રિન્ટર્સમાં સ્થાન અપાવ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, મે 2026 4653   |  
રાજકોટમાં નેહલ શુક્લ, ભાવનગરમાં ઉષા તલરેજાનીની મેયરપદે વરણી કરાઇ

રાજ્યમાં ૧૫ મહાપાલિકાઓની ગત મહિને સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ તમામ મનપામાં ભાજપે બહુમતી સાથે સત્તાના સૂત્રો હાંસલ કર્યા હતા. ૧૫ મનપાની ચૂંટણીઓના પરિણામ જાહેર થયાના એક મહિના બાદ આ તમામ મનપામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણૂક માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૨૬ જૂનના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, જામનગર, મોરબી, પોરબંદર, નડિયાદ અને મહેસાણા એમ કુલ આઠ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરી દેવામાં આવી હતી . ત્યારબાદ આજે બાકીની ૬ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેના અંતર્ગત રાજકોટ મહાપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની પસંદગી કરાઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાની વરણી કરવામાં આવી છે. તો દંડક તરીકે સંજયસિંહ રાણા અને પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદ મનપામાં નવા પદાધિકારીઓની વરણી કરાઈ છે. જેમાં મેયર તરીકે દિપિકાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની નિમણૂક કરાઈ છે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારને તેમજ દંડક તરીકે હીરલ શાહની વરણી કરવામાં આવી છે. તો વડોદરા મનપામાં ભાજપે મહિલાને નેતૃત્વ સોંપ્યું છે. જેમાં ગીતા મકવાણાને મેયર તરીકેની જવાબદારી સોંપી છે. આ સાથે જ, આદિત્ય પટેલને ડેપ્યુટી મેયરની વર્ષાબેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે ભાવનગર મનપામાં પણ ભાજપે મહિલા નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. ભાવનગરના નવા મેયર તરીકે સિંધી સમાજના ઉષાબેન તલરેજાને જવાબદારી સોંપી છે, તો ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાની નિમણૂક કરાઈ છે. જ્યારે પક્ષના નેતા તરીકે લાલભા વાળાને તો દંડક તરીકે રિંકુબેન માંગુકિયાને જવાબદારી સોંપવામાં આવી છે. વાપી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર તરીકે દક્ષા પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિષ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. તો પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલ અને દંડક તરીકે સુનિતા તિવારીને નિયુક્ત કરાયા છે. તો સુરત મનપામાં મેયર તરીકે માયા માવાણીની તો ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની નિમણૂક કરાઈ છે તો પક્ષના નેતા તરીકે અલ્પા મહેતા અને દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની વરણી કરાઈ છે. જ્યારે સુરેન્દ્રનગર મનપામાં પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરી છે તો ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેરી તો પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણિયાને જવાબદારી સોંપી છે. આમ, ૨૬ મેના રોજ અમદાવાદ, જામનગર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, નવસારી, પોરબંદર અને મહેસાણા સહિત કુલ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે હોદ્દેદારોના નામ જાહેર થયા પછી, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, વલસાડ-વાપી અને સુરેન્દ્રનગર માટે નવા હોદ્દેદારોના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે.



મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, જુન 2026 4356   |  
નડિયાદ જમીન દફતર કચેરીનો લાયસન્સ સર્વેયર ૯૦ હજારની લાંચ લેતાં ઝડપાયો

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સરકારી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નડિયાદ ખાતે આવેલ જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દ્વારા જમીનની હિસ્સા માપણીની કામગીરી વ્યવસ્થિત પૂરી કરવા અને કોઇ વાંધા વચકા ન નીકળે ના મુદ્દે અરજદાર પાસેથી ૯૦ હજાર ની લાંચ ની માંગણી કરતાં અરજદારે એસીબીને જાણ કરતાં નડિયાદ બસ સ્ટેન્ડ નજીક છટકું ગોઠવી એસીબીએ સર્વેયર ને લાંચ ની રકમ લેતાં રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર નડિયાદ ખાતે આવેલ જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દિલીપસિંહ ચૌહાણે જમીનની માપણી ની કામગીરી પૂર્ણ કરવા અને ભવિષ્યમાં કોઈ વાંધા વચકા ન નીકળે તેવા આશયથી અરજદાર પાસે ૯૦ હજાર ની લાંચ ની માંગણી કરતાં અરજદારે એસીબીને જાણ કરતાં એસીબીએ છટકું ગોઠવી નડિયાદ બસ સ્ટેન્ડ નજીક નાણાં લેતાં દિલીપસિંહ ચૌહાણને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, જુન 2026 3960   |  
સરકાર સામે પ્રજાનો મોરચો : સારસા ગામ બંધ

પેટ્રોલ ના વધતા જતા ભાવવધારા ના કારણે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ માં ઇથેનોલ મિશ્રણ માટે મંજૂરી આપતાં ના પગલે કેન્દ્ર ના જ ઉચ્ચ નેતાની પડદા પાછળ ભાગીદારી ના સંદેહ વ્યક્ત થતાં આણંદના સારસા ખાતે ફળદ્રુપ જમીન પર ઇથેનોલ ઉત્પાદન માટે ફેક્ટરી પ્રસ્થાપિત કરવાના આયોજન કરાતાં સ્થાનિક શાસકીય નેતાઓ ની પણ મૂકસંમતીના પગલે સારસા ખાતે વિરોધના સૂર ઉઠતાં આજે કૈવલવાડી સારસા ખાતે ખાસ ગ્રામસભા યોજાઇ હતી.જયા સર્વાનુમતે સ્થાનિકો દ્વારા સતકૈવલ સંસ્થા ના અવિચલદાસ મહારાજ સહિતના દ્વારા વિરોધ વ્યક્ત કરતાં આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મિતેષ તથા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ વચ્ચે શાબ્દિક પ્રહારો થતાં વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે ગ્રામસભામાં ઉગ્ર વિરોધ વ્યક્ત થતાં ગ્રામ સરપંચ દ્વારા ઇથેનોલ ફેક્ટરીની મંજૂરી માટે નો ઠરાવ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર પેટ્રોલ ના વધતાં જતાં ભાવવધારા ના પગલે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કરવાની મંજૂરી આપતાં આણંદ નજીકના સારસા ખાતેના સીટી સર્વેનં ૧૩૮૩/૧ તથા બ્લોક સર્વેનં ૧૩૬૫-૧૩૬૯-૧૩૭૦/૧ વાળી ફળદ્રુપ જમીન પર ઇથેનોલ ફેક્ટરી પ્રસ્થાપિત કરવાની મંજૂરી આપતાં સ્થાનિક સ્તરે વિરોધ ઉઠતાં આજે સારસા કૈવલવાડી ખાતે ખાસ સાધારણ ગ્રામસભા યોજવામાં આવી હતી.જેમા ઇથેનોલ ફેક્ટરી મુદ્દે વિરોધ વ્યક્ત કરી સતકૈવલ સંસ્થા ના અવિચલદાસ મહારાજ પણ વિરોધમાં જાેડાઇ આ પ્રકારના પ્લાન્ટ ઉભા થશે તો પર્યાવરણ ને તથા ખેતી ને નુકસાન થશે ના સંદેહ વ્યક્ત કરી જન આરોગ્ય સાથે ચેડાં થશેનો મત વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે ઉઠેલ વિરોધ પગલે આ મુદ્દે સરકારમાં રજૂઆત કરી યોગ્ય ઉકેલ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.જયારે પંથકના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલે આક્રમક વલણ અપનાવી સાંસદ સહિત સ્થાનિક વહીવટીતંત્ર ને આડેહાથ લઇ લોકોના આરોગ્ય અને જનજીવન સાથે ચેડાં કરવાનું સરકાર બંધ કરે.મોધવારીના માર મારતી સરકાર દ્વારા હવે ખેડૂતો ની જમીન ને આ પ્રકારના ઉદ્યોગ ઉભા કરી ખેતીને નુકસાન થાય અને ખેડૂતો દેવાદાર બની રહે તેવા પ્રયાસો સાંખી લેવામાં નહીં આવે નું જણાવતાં આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ અને જયંત પટેલ વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે ગ્રામસભામાં ઉગ્ર વિરોધ વ્યક્ત થતાં ગ્રામ પંચાયત સરપંચ દ્વારા ફેક્ટરી ને મંજૂરી આપતાં ઠરાવ રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અત્રે ઇથેનોલ ઉત્પાદન ફેક્ટરી પ્રસ્થાપિત કરવામાં કેન્દ્રના ઉચ્ચ નેતા ની પડદા પાછળ ભાગીદારી હોય સ્થાનિક શાસકીય નેતાઓ દ્વારા ચૂપકીદી સેવવામાં આવી રહ્યા ની ચર્ચા જાેવા મળી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 9504   |  
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.  સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ.   ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે.  PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો.   અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 7722   |  
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ

વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે.    સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, મે 2026 10098   |  
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુન 2026 2277   |  
સીએમ ઓફિસ, એએમસી અને આરએસએસકચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી

આજે અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.બ્લાસ્ટની ધમકીના મેઈલ મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.બ્લાસ્ટની ધમકીના મેઈલ મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી.સ્વર્ણિમ સંકુલ-૪માં મુખ્યમંત્રીનું કાર્યાલય આવેલું છે.બીજી તરફ અમદાવાદમાં મહાનગર પાલિકાની કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસે ત્યાં પણ તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં બોમ્બની ધમકી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં કોઈજ શંકાસ્પદ ચીજ નહીં મળતાં હાશકારો અનુભવાયો છે. અજાણ્યા ઈમેલ આઈડી પરથી ધમકીનો મેઈલ આવ્યો હતો. સીએમ ઓફિસને બપોરે ૧.૧૧ વાગ્યે ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ઉપરાંત આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીઓ મળતાં જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડતેમજ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ છતાં ધમકીને ગંભીરતાથી લઈ સુરક્ષા તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ બંને ઘટનાને લઈને રાજ્યના પોલીસ વડા જી.એસ. મલીકે કહ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બની ધમકી અંગેના બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં સાયબર સેલમાં ગુનો નોંધાયો છે અને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધમકી આપનારા અજાણ્યા લોકોએ વીપીએનનો ઉપયોગ કરી ઇમેલ કર્યો હતો. ખાલિસ્તાની પેટર્ન પર તપાસ ચાલુ કરવામાં આવી છે.પોલીસની તપાસ પૂર્ણ થતાં હાશકારો અમદાવાદમાં પણ દાણાપીઠ એએમસી કચેરીને બોમ્બથી ઉડાવાની ધમકી મળતાં પોલીસે તપાસ કરી હતી. પોલીસની તપાસમાં કોઈ જ સંદિગ્ધ વસ્તુ નહીં મળતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કારંજ પોલીસના ઈમેલ પર ધમકીનો મેઈલ આવ્યા બાદ સ્થાનિક પોલીસની ટીમે તપાસ કરી હતી. કોર્પોરેશન ઓફિસને બપોરે ૩ વાગ્યે બ્લાસ્ટની ધમકી મળતાં જ સમગ્ર પરિસર ખાલી કરાવાયું હતું. પોલીસની તપાસ પૂર્ણ થતાં હાશકારો અનુભવાયો હતો. શહેરની સ્પોર્ટસ ક્લબ પર દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે ધમકીનો ભેદ ઉકેલાયો અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબ પર ૧ જૂને લશ્કરે તોઈબાના આતંકી હુમલાની ધમકી આપતી ચિઠ્ઠીનો ભેદ નારણપુરા પોલીસે ઉકેલી નાખ્યો છે, જેની પાછળ સુરતના વેપારીના એક ૧૨ વર્ષના દીકરાનું કારસ્તાન હોવાનું સામે આવ્યું છે. સુરતના કાપડના વેપારીનો પરિવાર ક્લબના રૂમમાં રોકાયો હતો, જ્યાં તેમના ૧૨ વર્ષના દીકરાએ ‘ધુરંધર’ મૂવી જાેયા બાદ મજાક ખાતર પેન્સિલથી અંગ્રેજીમાં દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે ધમકીભરી ચિઠ્ઠી લખી હતી.બાળકે આ ચિઠ્ઠી લોકરમાં મૂકી દીધી હતી અને લોકર લોક થઈ જતાં તે અંદર જ રહી ગઈ હતી, ત્યારબાદમાં હાઉસકીપિંગ સ્ટાફને મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. સીસીટીવી ફૂટેજ અને લોકરના ડિજિટલ લોગની તપાસના આધારે પોલીસે સુરતના આ વેપારી પરિવાર સુધી પહોંચીને પૂછપરછ કરતાં બાળકે આ કારસ્તાન કર્યું હોવાનું કબૂલાત કરી છે. બોમ્બની ધમકી ભર્યા ઇમેલ અંગે માહિતી આપતા ગુજરાત સરકારના રાજ્યમંત્રી પ્રવણી માળીએ જણાવ્યું હતું કે કોઇક અજાણ્યા ઇમેલ પરથી સીએમઓ અને એમએમસીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીને ૧૨ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા સમયે કોઇએ જાણી જાેઇને આવું કૃત્ય કર્યું હોય તેવું લાગી રહ્યું છે. જેને ગુજરાતની શાંતિ સારી ન લાગતી હોય જે ગુજરાતની શાંતિ ડહોળવા ઇચ્છતુ હોય એણે જ આવ્યું કામ કર્યું હોય. હાલ સુરક્ષાને લઇને તમામ પગલા અને તપાસ કરાઈ રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુન 2026 2277   |  
રાજ્યભરના ૧૨૩ ગામ ટેન્કરને સહારે

રાજ્યમાં આ વર્ષે ઉનાળાની આકરી ગરમી સાથે પાણીની સમસ્યા પણ ગંભીર બની રહી છે. વધતા તાપમાન અને ઘટતા ભૂગર્ભ જળસ્તરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાઈ છે. પરિસ્થિતિ એવી બની છે કે છેલ્લા બે દિવસમાં રાજ્યના ૭ જિલ્લાઓના ૧૨૩ ગામોમાં લોકોને પીવાનું પાણી પહોંચાડવા માટે વહીવટી તંત્રને ટેન્કરોનો સહારો લેવો પડ્યો છે. પાણી પુરવઠા વિભાગના આંકડા મુજબ પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગામોમાં પાણી પહોંચાડવા માટે કુલ ૯૬ ટેન્કરો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં ૭ સરકારી અને ૮૯ ખાનગી ટેન્કરોનો સમાવેશ થાય છે. છેલ્લા બે દિવસ દરમિયાન આ ટેન્કરો દ્વારા ૩૬૯ ફેરા મારવામાં આવ્યા છે અને હજારો લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. પાણીની સૌથી વધુ ગંભીર સ્થિતિ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા તાલુકામાં જાેવા મળી રહી છે. અહીં પાણી પહોંચાડવા માટે સૌથી વધુ ફેરા મારવામાં આવ્યા છે. આ ઉપરાંત કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર અને પાલીતાણા સહિતના વિસ્તારોમાં પણ પાણીની અછતને પહોંચી વળવા તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં જળાશયોની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં પાણીનો સંગ્રહ પ્રમાણમાં ઓછો નોંધાઈ રહ્યો છે. કચ્છમાં જળાશયોની ભરાવ ક્ષમતા ૩૦ ટકાથી પણ ઓછી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ પાણીનો જથ્થો મર્યાદિત રહ્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ પ્રમાણમાં સારી હોવા છતાં પાણીના સંચાલન પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુન 2026 2277   |  
માતંગી ડેરી એન્ડ પ્રોડકટ્સ ફેક્ટરી સીલ

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે અમદાવાદમાં શંકાસ્પદ ડુપ્લિકેટ ઘીના મામલે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં ત્રણ સ્થળેથી ૪,૮૫૦ કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરી રૂ. ૩૧.૮૧ લાખનો જથ્થો સીઝ કર્યો હતો. આ દરોડા બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદના કઠવાડામાં આવેલી માતંગી ડેરી એન્ડ પ્રોડક્ટ્સ નામની ફેકટરી પર દરોડા પાડયા હતા. જેમાં લાયસન્સ વિના બનાવાતા શંકાસ્પદ ૪૫૨ લીટર ઘી નો રૂ. ૨.૮૫ લાખનો જથ્થો જપ્ત કરીને ફેકટરીને સીલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ‘ નીતિ હેઠળ સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શન અને આદેશોના અનુસંધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે ગાંધીનગર સ્થિત ફ્લાઈંગ સ્ક્વોડે અમદાવાદ શહેરના કઠવાડામાં આવેલી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ ખાતે અચાનક તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન ભેળસેળની પ્રબળ શંકા, અત્યંત ઓછો વેચાણ ભાવ, જરૂરી ખરીદ-વેચાણના દસ્તાવેજાેની ગેરહાજરી તથા માન્ય ફૂડ લાયસન્સના અભાવને ધ્યાનમાં રાખી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ દરોડામાં ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા સ્થળ પરથી અંદાજિત રૂ. ૨.૮૫ લાખની કિંમતનો ૪૫૨ લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો અને સમગ્ર ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે સંચાલકો જરૂરી લાયસન્સ વિના ઉત્પાદન કરી રહ્યા હતા તેમજ અન્ય ફર્મના નામે ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ વૈજ્ઞાનિક પૃથક્કરણ અને વિશ્લેષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. ટેસ્ટના અહેવાલ પ્રાપ્ત થયા બાદ જવાબદારો સામે કાયદાની કડક જાેગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જનઆરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને ભેળસેળિયા તત્વો સામે આવી કડક તથા શિક્ષાત્મક કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત ચાલુ રહેશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુન 2026 2277   |  
એરપોર્ટ મેટ્રો રૂટને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી

અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ જેવા રમતોત્સવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના કોટેશ્વર રોડથી અમદાવાદ એરપોર્ટ સુધીના ફેઝ-૨(એ) રૂટને બહાલી આપવામાં આવી છે. રૂ.૨,૧૬૮.૦૪ કરોડના ખર્ચે તૈયાર થનાર આ મેટ્રો રૂટ ૬.૦૩ કિમીનો રહેશે અને ચાર એલિવેટેડ અને એક અન્ડર ગ્રાઉન્ડ સહીત કુલ પાંચ સ્ટેશન બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના કોટેશ્વર રોડથી અમદાવાદ એરપોર્ટ સુધીના ફેઝ ૨(એ) ને મંજૂરી આપી દીધી છે. આ રૂટમાં ૪ એલિવેટેડ અને ૧ અંડરગ્રાઉન્ડ સહિત કુલ ૫ સ્ટેશનો સાથે ૬.૦૩૨ કિમીની લંબાઈનો કોરિડોર ધરાવે છે. ફેઝ ૨(એ) કાર્યરત થયા બાદ અમદાવાદ-ગાંધીનગર પાસે ૭૭.૬૩ કિમીનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ ૨(એ) કોરિડોરમાં સ્ટેશનોના નામ - આશ્રમ (આસારામ આશ્રમ) રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ છે. આ પ્રોજેક્ટ માટે આઈડીસી (બાંધકામ દરમિયાન વ્યાજ) સહિતનો કુલ પૂર્ણતા ખર્ચ રૂપિયા ૨,૧૬૮.૦૪ કરોડ થશે તેવો અંદાજ રખાયો છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ ૨(એ)માં આશરે ૬.૦૩૨ કિમીના નવા મેટ્રો કોરિડોરનો ઉદ્દેશ્ય એરપોર્ટ સુધી અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરીને અને હાલમાં કાર્યક્ષમ પરિવહન સુવિધાનો અભાવ ધરાવતા મુખ્ય રહેણાંક અને વ્યાપારી વિસ્તારોને જાેડીને જાહેર પરિવહનને નોંધપાત્ર રીતે વધારવાનો છે. આ તબક્કાનો ઉદ્દેશ્ય હાલના અમદાવાદ-ગાંધીનગર કોરિડોર સાથે રહેણાંક અને વ્યાપારી હબ સહિતના મુખ્ય વિસ્તારોને સીમલેસ રીતે સંકલિત કરવાનો છે. વધુમાં, વર્લ્ડ પોલીસ ગેમ્સ ૨૦૨૯ અને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ માટે આસપાસના વિસ્તારમાં રમતગમતની સુવિધાઓ પણ વિકસાવવામાં આવે તેવી શક્યતા છે. આ મહત્વપૂર્ણ વિસ્તારોને મેટ્રો નેટવર્ક સાથે જાેડીને, ફેઝ ૨(એ) માત્ર કનેક્ટિવિટીમાં જ વધારો નહીં કરે પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ, પ્રવાસન અને સ્થાનિક રહેવાસીઓ તેમજ મુલાકાતીઓ બંને માટે શહેરી ગતિશીલતાને સરળ બનાવશે. અમદાવાદ મેટ્રો ફેઝ ૨ (એ) બાંધકામ પ્રવૃત્તિના મહત્તમ કામગીરીના સમયગાળા દરમિયાન આશરે ૨,૦૦૦ વ્યક્તિઓ માટે રોજગારી જનરેટ કરશે અને સિસ્ટમની કામગીરી અને જાળવણી દરમિયાન ૫૦૦ વ્યક્તિઓ કામ કરે તેવી શક્યતા છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફેઝ ૨(એ) શહેર માટે એક પરિવર્તનકારી વિકાસ સાબિત થવા માટે તૈયાર છે. તે ઉન્નત કનેક્ટિવિટી, ટ્રાફિકની ઓછી ગીચતા, પર્યાવરણીય લાભો, આર્થિક વૃદ્ધિ અને જીવનની બહેતર ગુણવત્તા પ્રદાન કરવાનું વચન આપે છે. મુખ્ય શહેરી પડકારોનો સામનો કરીને અને ભવિષ્યના વિસ્તરણ માટે પાયો પૂરો પાડીને, ફેઝ ૨(એ) શહેરના વિકાસના માર્ગ અને ટકાઉપણુંને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.ટ્રાફિકની ગીચતામાં ઘટાડો : મેટ્રો રેલ એક કાર્યક્ષમ વૈકલ્પિક માર્ગ પરિવહન તરીકે અને એરપોર્ટ સુધી મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ તરીકે ફેઝ ૨(એ) સાથે, અમદાવાદની અંદર ખાસ કરીને પ્રભાવશાળી સાબિત થશે. રોડ ટ્રાફિક માં ઘટાડો થવાથી વાહનોની અવરજવર સરળ બની શકે છે, મુસાફરીના સમયમાં ઘટાડો થઈ શકે છે, એકંદર માર્ગ સુરક્ષામાં વધારો થઈ શકે છે. પર્યાવરણીય લાભો : અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ ૨(એ) ના ઉમેરાવાથી અને અમદાવાદ અને ગાંધીનગર શહેરોમાં એકંદર મેટ્રો રેલ નેટવર્કમાં વધારો થવાથી, પરંપરાગત અશ્મિભૂત બળતણ આધારિત પરિવહનની તુલનામાં કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આર્થિક વૃદ્ધિ : મુસાફરીના સમયમાં ઘટાડો અને એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને બસ ડેપો જેવા શહેરના વિવિધ ભાગોમાં સુધારેલી પહોંચ વ્યક્તિઓને તેમના કાર્યસ્થળો અને ગંતવ્ય સ્થાનો પર વધુ કાર્યક્ષમ રીતે પહોંચવાની મંજૂરી આપીને ઉત્પાદકતામાં વધારો કરી શકે છે. ઉપરાંત, ઉન્નત કનેક્ટિવિટી સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહિત કરી શકે છે, ખાસ કરીને નવા મેટ્રો સ્ટેશનો નજીકના વિસ્તારોમાં, જે અગાઉ ઓછા સુલભ પ્રદેશોમાં રોકાણ અને વિકાસને પણ આકર્ષિત કરી શકે છે. સામાજિક પ્રભાવ: અમદાવાદમાં ફેઝ ૨(એ) મેટ્રો રેલ નેટવર્કનું વિસ્તરણ જાહેર પરિવહન સુધી વધુ સમાન પહોંચ પ્રદાન કરશે, જે વિવિધ સામાજિક-આર્થિક જૂથોને લાભ આપશે અને પરિવહન અસમાનતા ઘટાડશે, જે મુસાફરીનો સમય ઘટાડીને અને આવશ્યક સેવાઓ સુધીની પહોંચમાં સુધારો કરીને ઉચ્ચ જીવન ધોરણમાં યોગદાન આપશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુન 2026 2079   |  
ટેક્સ અમે ભરીએ, જવાબદારી કોણ લેશે? AMCની નોટિસથી અમદાવાદમાં બબાલ!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચોમાસા દરમિયાન અન્ડરપાસના ઉપયોગ અંગે જાહેર કરાયેલી નોટિસે ભારે વિવાદ ઉભો કર્યો છે. નોટિસમાં જણાવાયું છે કે અન્ડરપાસમાં અકસ્માત કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોર્પોરેશનની રહેશે નહીં. આ મુદ્દે નાગરિકો, કાયદાના નિષ્ણાતો અને રાજકીય આગેવાનો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.વિરોધ પક્ષે AMCની પ્રી-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ ઉઠાવ્યા છે, જ્યારે કાયદાના જાણકારોનું માનવું છે કે જાહેર સુવિધાઓની સુરક્ષા અને જાળવણીની જવાબદારી તંત્રની જ હોય છે. વધતા વિવાદ વચ્ચે AMCના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે નોટિસનો હેતુ માત્ર નાગરિકોમાં જાગૃતિ લાવવાનો હતો.આ સમગ્ર મામલાએ અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર લોગિંગ અને તંત્રની જવાબદારી અંગે નવી ચર્ચા શરૂ કરી છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુન 2026 2178   |  
રીઢા ગુનેગારો રહેતાં હોવાનું જણાવી નાસિરનગરનાં ડિમોલિશનને યોગ્ય ઠેરવવાં એસઓજીનો પ્રયાસ

નાસિરનગરમાં સાત ગુનેગારોનાં ઘર હોવાથી સો ઘરનાં ડીમોલિશનમાં પોતાની હાજરી હોવાનું જસ્ટીફાય કરવા એસઓજીએ હવાતિયા શરૂ કર્યા છે. પોલીસ અધિકારીઓ ત્રણ દિવસથી ઓફિસમાં દેખાયા નથી, જ્યારે કર્મચારીઓને પણ દસ-બાર દિવસ સુધી કોઇ મોટી કામગીરી નહીં કરવા બંધ મોઢે સૂચના આપી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. વેડરોડનાં નાસિરનગર ડીમોલિશનનો વિવાદ વકરી રહ્યો છે. સો જેટલા પરિવારોનાં માથેથી કલાકોની અંદર છત છીનવી લેવાના અમાનીય કૃત્યમાં પાલિકા અને પોલીસ અધિકારીઓનો પગ કુંડાળામાં પડ્યો છે. પાલિકાના અધિકારીઓ ડીમોલિશન અમે કર્યું નથી એમ કહી પોતાની ચામડી બચાવી રહ્યા છે ત્યારે પોલીસ અને તેમાંય એસઓજીની ત્યાં હાજરી સૌથી આશ્ચર્યજનક હોવાનું ચર્ચાઇ રહ્યું છે. રીલ્સ બનાવવામાં ઉસ્તાદ અને ખડેપગે રહેતાં એસઓજીનાં અધિકારીઓએ ત્રીસમી તારીખે કરાયેલાં ડીમોલિશન દરમિયાન તેમનો વીડિયો કોઇ ઉતારે નહીં એની વિશેષ તકેદારી રાખી હતી. સ્થાનિક ટીવી ચેનલવાળા શૂટિંગ કરવા ગયા ત્યારે અધિકારીઓએ તેમને રીતસર તગેડી મૂક્યા હતાં.ડીમોલિશનનો વિવાદ વાયા ગાંધીનગર છેક દિલ્હી પહોંચી ચૂક્યો છે ત્યારે હવે એસઓજીનાં અધિકારીઓ દ્વારા પચાસ કર્મચારીઓ સાથેની ડીમોલિશન સ્થળે હાજરી જસ્ટિફાય કરવા હવાતિયા શરૂ કરાયા છે. એસઓજી તરફથી પ્રેસનોટમાં એવું જણાવાયું છે કે, ડીમોલિશન કરાયું એ નાસિરનગરમાં સાત ગુનેગારો રહેતા હતાં. આ ગુનેગારોમાં સમીર માંડવો અને મોહસીન કાલિયો ગુનાખોરીમાં સક્રિય હતાં. સમીરખાન ઉર્ફે સમીર માંડવા સલીમ પઠાણ વિરુદ્ધ હત્યાની કોશિષ, પ્રોહિબિશન અને તડીપાર ભંગ સહિતનાં કુલ ૮ ગુનાઓ નોંધાયેલા છે. આ જ રીતે મોહસીનખાન ઉર્ફે કાલિયો પઠાણ, ઝુબેરખાન હારૂનખાન પઠાણ, બાનુબેન લાકડાવાલા, સદ્દામ કલન શાહ, તૈયબ અજીઝ શેખ, આસીફ અબ્દુલરઝાક શેખ વિગેરેનાં નામ સાથે ગુનાઓની યાદી પણ એસઓજી દ્વારા આપવામાં આવી છે. આ અખબારી યાદી સાથે એસઓજી દ્વારા એવું કહેવાનો પ્રયાસ કરાયો છે કે, નાસિરનગરનું ડીમોલિશન યોગ્ય છે, આ ગુનેગારો હોવાથી એસઓજીની આખી ફોજ સો ઘર તોડાયા ત્યાં સુધી ત્યાં ખડે પગે રહી હતી. ડીમોલિશનનાં વિવાદનો રેલો પોતાના પગ પળે એવા એ પહેલા પાળ બાંધવા એઓજીએ કરેલો આ પ્રયાસ હવે તેના જ ગળાનો ગાળિયો બની ન જાય તો જ નવાઈ એવું જાણકારો કહી રહ્યા છે. અઢી વર્ષ પહેલાં ઝૂપડાં ખાલી કરાવાયા ત્યારે પણ એસઓજીનું જ પ્રોટેક્શન હતું પાલિયા પરિવારની માલિકીની તાપી તટે આવેલી આ જમીન ઉપર ચારેક દાયકાથી કાચા પાકા મકાનો છે. જીલાની બ્રિજ બન્યા બાદ આ જમીન સોનાની લગડી જેવી થઇ જતાં બિલ્ડરોને લાળ ટપકવા માંડી હતી. જાે કે, પાલિયા પરિવારની શોર્ટ ટર્મ પેમેન્ટ કન્ડિશનને કારણે કોઈ હાથ નાંખી શક્યું ન હતું. એવામાં પોલિટિકલ પાવરમાં આવી ગયેલા બગદાણા અને લખાણીએ આ ફાઇલ હાથ પર લઇ લીધી હતી. તેઓએ ફાસ્ટ પેમન્ટનાં વાયદે સોદો કર્યો અને પછી એ જમીન પરથી મકાનો હટાવવા માંડ્યા હતા. અઢી વર્ષ અગાઉ પણ આ સ્થળે મોટું ડીમોલિશન થયું હતું. જાે કે એ સમયે પાલિકા નહીં પણ પોલીસ સૂત્રધાર હતી. આ જ એસઓજીની ફોજે એક અઠવાડિયા સુધી નાસિરનગરમાં કેમ્પ કરી મકાનો ખાલી કરાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. એ સમયે બિલ્ડરોએ પોલીસની ધાક હેઠળ કબજેદારોને થોડું થોડું વળતર ચૂક્યું હોય કોઇ મોટો વિવાદ થયો ન હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુન 2026 2277   |  
અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી વિના તપાસ સમિતિ રચીને સ્પોન્સર્ડ ડિમોલિશનનાં કૌભાંડનું ફિંડલું વાળવાની યોજના

ભાજપનાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનુ મોરડિયાનાં આક્રામક વલણને કારણે ભાજપનાં જ બે મોટા નેતા વચ્ચેની ખુલ્લી લડાઇ બહાર આવતાં નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશનનાં પડઘાં ગાંધીનગર સુધી તો પડ્યાં જ છે પરંતુ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દિલ્હી દરબારમાં હાજરી આપવા ગયા હોવાથી હાઇકમાન્ડ સુધી પણ વાત પહોંચે તેવી શક્યતા છે. ભાજપનાં બે મોટા નેતા વચ્ચેની લડાઇમાં મહાનગર પાલિકા અને પોલીસ તંત્રનાં અધિકારીઓનો ભોગ લેવાય તેવી પણ સંભાવના સેવાઇ રહી છે.નાસિરનગર પાસે હાઇરાઇઝ બિલ્ડિંગનો પ્રોજેક્ટ કરી રહેલાં બિલ્ડરે ૧૨ મીટર જગ્યા રસ્તા માટે મહાનગર પાલિકાને આપી દેતાં તેમાં નડતરરૂપ આવાસો તોડી પાડવાનો તખ્તો ગોઠવાયો હતો. જ્યાં સુધી શરતો પૂરી ના કરે ત્યાં સુધી બિલ્ડરને બાંધકામની રજાચિઠ્ઠી આપવાનો મહાનગર પાલિકાનાં અધિકારીઓએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હોવા છતાં રજાચિઠ્ઠી વિના પણ બિલ્ડરે હિંમતભેર હાઇરાઇઝ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ કરી દીધું હતું. સૂચિત રસ્તાની લાઇનદોરીનાં ડીમાર્કેશન તેમજ નડતરરૂપ આવાસોનાં રહિશોને નોટિસની કામગીરી ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા કરવાની રહે છે તેમ છતાં સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક ઇજનેર જીવણરામજીવાલા તેમજ રોડ વિભાગનાં કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને અન્ય અધિકારીઓની ટીમે પોતાની સત્તા બહાર જઇ ડીમોલિશનની કામગીરીમાં ભૂંડી ભૂમિકા ભજવી હતી. માત્ર મહાનગર પાલિકાનાં અધિકારીઓ જ નહીં પરંતુ પોલીસ તંત્રનાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં નાયબ કમિશનર નકુમ, પીઆઇ અતુલ સોનારા સહિતની આખી ફોજ ખડે પગે ઉભા રહીને ડીમોલિશનની કામગીરીને પ્રોટેક્શન પુરૂ પાડ્યું હતું જે પોલીસ તંત્ર માટે પણ શરમજનક બાબત બની રહી છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજનને સમગ્ર બનાવ અંગે તપાસ કરવા સુચના આપી શાસકોની કોઇ જ ભૂમિકા નહીં હોવાનું પ્રતિપાદિત કર્યું તો બીજીતરફ મંગળવારે કોંગ્રેસનાં ઉગ્ર વલણ બાદ કમિશનરે પણ મોડીસાંજે છ સભ્યોની તપાસ સમિતિ રચીને હાલ તુર્ત તો મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. તપાસ સમિતિ રચાયા બાદ ક્યા તો તપાસ પૂરી થતી નથી ક્યા તો તેનો અહેવાલ જાહેર થતો નથી એટલે જ મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને તપાસ સમિતિની રચના કરીને સમગ્ર ડીમોલિશન કૌભાંડનું ફિંડલું જ વાળી દીધું હોવાની ચર્ચા અધિકારીઓમાં થઇ રહી છે. બાકી જીવણરામજીવાલા અને સુજલ પ્રજાપતિ સહિતની ટીમની ઘટનાસ્થળે હાજરી હોવાનાં પુરતાં પુરાવા છે ત્યારે તેમને સસ્પેન્ડ કરીને પણ તપાસ સમિતિની રચના કરી શકાઇ હોત. દરમિયાન કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, ડીમોલિશન પહેલાં સેન્ટ્રલ ઝોનનાં લાઇટ વિભાગનાં સુપરવાઇઝર શૈલેષ સેલરે ટોરન્ટ પાવર કંપનીમાં નાસિરનગર વિસ્તારમાં પાવરકટ કરવા ઓનલાઇન જાણ કરી હતી. શૈલેષ સેલરે કયા ઉપરી અધિકારીની સુચનાને આધારે ટોરન્ટ પાવર કંપનીને જાણ કરી હતી તે પણ તપાસનો વિષય છે. શૈલેષ સેલરની કામગીરીથી ડીમોલિશનમાં સુરત મહાનગર પાલિકાનો હાથ હોવાનું સાબિત થાય છે. મનપાની સમિતિ તો ઠીક પરંતુ ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા ડિમોલિશનની તપાસ થવી જાેઇએ: વિનુ મોરડિયા, ધારાસભ્ય નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશન બાબતે આક્રામક વલણ અખત્યાર કરનાર વિનુ મોરડિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, નાસિરનગરમાં દાદા(મુખ્યમંત્રી)નું બુલડોઝર નથી ચાલ્યું. જેણે ડીમોલિશન કર્યું છે તે અંગતરીતે કર્યું છે જેથી ડીમોલિશન કોણે કર્યું, કોની નીગરાનીમાં થયું, કોના માર્ગદર્શનમાં થયું, કોની સુચનાથી થયું તે તપાસનો વિષય છે. મનપાની સમિતિ તો ઠીક પરંતુ ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા આ શંકાસ્પદ ડીમોલિશનની તપાસ થવી જાેઇએ જેથી સત્ય બહાર આવે. સ્પોન્સર્ડ ડીમોલિશન અંગે ગાંધીનગર સુધી વાત કરી છે. કોના ફાયદા માટે ડીમોલિશન થયું તેની તપાસ થવી જરૂરી છે. કાર્યપાલક ઇજનેરો ડીમોલિશનમાં ગયા હતાં એટલે મનપાની તપાસ સમિતિ દ્વારા તેમની સામે પગલાં લેવાય તેવું મને જણાતું નથી. ખાનગી જગ્યામાં સરકાર કે મહાનગર પાલિકા ક્યારેય ડીમોલિશન કરતાં નથી. પોલીસ અને મનપાનાં અધિકારીઓ વ્યક્તિગતરીતે ડીમોલિશન માટે ગયા છે, સરકાર કોઇને છોડશે નહીં. રાતોરાત સેંકડો લોકોનાં માથેથી છત છીનવી લેવા અંગે તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આ ડીમોલિશનને અમાનવીય અને ગેરકાયદે ગણાવ્યું છે. ખાનગી પ્લોટમાં પાલિકા ડીમોલિશન કરતી નથી તો ત્યાં પોલીસ બંદોબસ્ત મેળવવાનો સવાલ જ ક્યાં આવે. આ ડીમોલિશનમાં પોલીસ તેમજ મનપાનાં તમામ અધિકારીઓ વ્યક્તિગત હિત માટે કે કોઈનું હિત સાચવવા ગયાં હતાં. આ અધિકારીઓ વ્યક્તિગત રીતે કસુરવાર જ નહીં ગુનેગાર પણ કહી શકાય એમ છે. ખજાેદનાં કરોડોનાં કચરાકૌભાંડની તપાસ બે મીટિંગ બાદ અભેરાઇએ ચઢાવી દેવાઇ શહેરમાંથી દરરોજ નીકળતાં હજારો ટન ઘનકચરાને વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરીને નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ વાપીની સી.ડી.ટ્રાન્સ્પોર્ટ એજન્સીને આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર નુરૂદ્દિન અને તેના મળતિયાઓએ પ્રોસેસિંગ કર્યા વિના બારોબાર કચરાનો નિકાલ કર્યો હતો. મહુવા તાલુકનાં કાંકરિયા ગામમાં કચરો ઠાલવનાર કોન્ટ્રાકટર સાથે મનપાનાં અધિકારીઓની સંડોવણીનાં આક્ષેપ થતાં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તપાસ સમિતિની રચના કરી હતી. ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવનાં અધ્યક્ષસ્થાને બનાવાયેલી સમિતિની બે મીટિંગ મળી ત્યારબાદ કોઇ તપાસ થઇ નહીં અને દિનેશ ગુરવની બદલી થતાં કરોડો રૂપિયાનાં કૌભાંડનાં તપાસની ફાઇલ અભેરાઇએ ચઢાવી દેવામાં આવી હોય તેવું જણાઇ રહ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, જુન 2026 3564   |  
ઇંટાળવાની જમીનનાં સોદામાં ખેડૂતો દ્વારા રૂંગટા ડેવલપર્સ સાથે ૧.૨૭ કરોડનું ચીટિંગ

પલસાણા તાલુકાનાં ઇંટાળવા ગામે આવેલી જમીનનાં સોદામાં રૂંગટા ડેવલપર્સ સાથે ૧.૨૭ કરોડનું ફ્રોડ થયું હતું. અવેજ લીધા બાદ આ જમીનનો અન્યને રજિસ્ટર્ડ સાટાખત કરી અપાતાં માલિકો અને દલાલ સામે ગુનો નોંધાયો હતો. ઇકો સેલે દલાલ ઇલ્યાસ કાકુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આર્થિક ગુના નિવારણ શાખા પાસે મળતી માહિતી અનુસાર રૂંગટા ડેવલપર્સનાં અનિલ સત્યનારાયણ રૂંગટા વ્યવસાયે બિલ્ડર છે. વેસુ વીઆઇપી રોડ ઉપર રૂંગટા શોપિંગ સેન્ટરમાં રૂંગટા ડેવલપર્સ નામે તેમની ઓફિસ છે. વર્ષ ૨૦૧૧માં જમીન દલાલીનું કામ કરતો ઇલ્યાસ અબ્દુલ કાકા (રહે, ગામ-ઇટાળવા તા.પલસાણા) રૂંગટાની ઓફિસે ગયો હતો. ઇલ્યાસે તેની પાસે ઇટાળવા ગામની જમીન વેચાણ માટે આવી હોવાનું જણાવ્યું હતું. જમીન માલિકો બે બ્લોક વેચાણ કરવા માંગતા હોવાનું જણાવી તેણે ડોક્યુમેન્ટ આપ્યા હતા. જેથી રૂંગટાએ દલાલ ઇલ્યાસ કાકુ મારફત એપ્રિલ-૨૦૨૧માં મીટિંગ કરી હતી.જેમાં બ્લોક નં.૧૫૭ વાળી જમીનનો ૩,૭૧,૭૦,૦૦૦ તથા બ્લોક નં.૨૦૯ વાળી જમીનનો ૩,૩૦,૦૦,૦૦૦ અવેજ નક્કી કરી સોદો કરાયો હતો. સોદો થતાં બન્ને જમીનના ટોકન પેટે રોકડા ૨૦ લાખ રૂપિયા જુન ૨૦૨૧માં દલાલ ઇલ્યાસ અબ્દુલ કાકા રૂબરૂ જમીન માલિક યાહ્યા મહમુદ પટેલે અપાયા હતાં. ત્યારબાદ તેઓએ જુન ૨૦૨૩ સુધીમાં ચેકથી ૧,૨૮,૨૪,૮૦૦ તથા રોકડેથી ૩,૨૮,૬૦,૪૬૪ મળી કુલ ૪,૫૬,૮૫,૨૬૪ રૂપિયા ચૂકવી આપ્યા હતાં.  ઇટાળવા ગામના સરવે નંબર ૧૯૦, ૧૯૧ બ્લોક નંબર- ૨૦૯ વાળી જમીનના અવેજ પેટે ૩,૩૦ કરોડ જમા ગણી જાન્યુઆરી-૨૦૨૩માં વેચાણ દસ્તાવેજ કરી અપાયો હતો. જ્યારે બ્લોક નં. ૧૫૭ વાળી જમીન પેટે ૧,૨૬,૮૫,૨૬૪ રૂપિયા ચૂકવાયા હતાં. રૂંગટા તરફથી બાકીનાં ૨,૪૪, ૮૪,૭૩૬ રૂપિયા ચૂકવવાની તૈયારી દર્શાવી દસ્તાવેજ કરી આપવા દલાલ ઇલ્યાસ અબ્દુલ કાકા તથા જમીન માલીક યાહયા મહમુદ પટેલને અવાર નવાર કહ્યું હતું. જાે કે, તેઓએ જુદા જુદા બહાને સમય પસાર કર્યે રાખ્યો હતો. રૂગટાએ બ્લોક નં.૧૫૭ વાળી જમીનની સોદા ચિઠ્ઠી તથા અવેજ પેટે ૧,૨૬,૮૫,૨૬૪ રૂપિયા ચૂકવાયા ત્યારે હાજર અને રસીદોમાં સાક્ષી તરીકે સહી કરનાર દલાલ ઇલ્યાસ અબ્દુલ કાકાને આ અંગે વાત કરી દસ્તાવેજ કરાવી આપવા કહ્યું હતું. જાે કે, કાકાએ પણ મે કોઈ સહી કરી નથી એમ કહી હાથ ઉંચા કરી દીધા હતાં. જેથી અનિલ રૂંગટા તરફથી આ મામલે સંજય ઓમપ્રકાશ ભાઉવાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે (૧) મહમુદ ઇબ્રાહિમ પટેલ (૨) યાહયા મહમુદ પટેલ (૩) ઉમર મહમુદ પટેલ (૪) સુલેમાન ઇબ્રાહીમ પટેલ (૫) ફરીદા તે અબદુલ્હે પટેલની પુત્રી (૬) નશીમા તે અબદુલ્હે પટેલની પુત્રી (૭) યાસ્મીન અબદુલ્હે પટેલ (૮) મોહમ્મદ ઇકબાલ અબદુલ્હે પટેલ (૯) રશીદા અબદુલ્હે પટેલ (૧૦) ઝેબન ઇસ્માઇલ પટેલ (૧૧) અહમદ ઇસ્માઇલ પટેલ (૧૨) તાહેરાબીબી તે ઇસ્માઇલ પટેલની પુત્રી તથા મહમદની પત્ની (૧૩) યુસુફ ઇસ્માઇલ પટેલ (૧૪) નફીસા તે ઇસ્માઈલ પટેલની પુત્રી તથા અફઝલની પત્ની (૧૫) તુનુસ મહમુદ પટેલ (૧૬) ઇલ્યાસ અબ્દુલ કાકુ(દલાલ) સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી. ૧.૨૭ કરોડ અવેજ લીધું એ જમીનનો માત્ર ૧૦ લાખમાં અન્યને સાટાખત કરી આપ્યો ઇકો સેલે તપાસ હાથ ધરતાં એવું બહાર આવ્યું હતું કે, જમીન માલિકોને હાથ પર રાખી દલાલ ઇલ્યાસ અબ્દુલ કાકાએ મોટો ખેલ કર્યો હતો. બ્લોક નંબર ૧૫૭ વાળી જમીન પેટે રૂંગટા પાસે ૧,૨૬,૮૫,૨૬૪ રૂપિયા લેવાયા હોવા છતાં તેનો બીજે સોદો કરી નાંખ્યો હતો. માલિક સાથે મળી આ જમીન અબુબકર સુલેમાન પટેલને વેચી દેવાઇ હતી. એટલું જ નહીં ૧૦ લાખ રૂપિયા અવેજ લીધાનો ઉલ્લેખ કરી ૧૪ ઓકટોબર, ૨૦૨૫ ના રોજ પલસાણા સબ રજિસ્ટ્રાર ખાતે સાટાખત રજિસ્ટર પણ કરાવ્યો હતો. આ વાત બહાર આવતા ઇકો સેલે વોચ ગોઠવી ઇલ્યાસ અબ્દુલ કાકુ (રહે, નાનું ફળીયુ, ગામ-સામરોદ તા.પલસાણા જી-સુરત)ની ધરપકડ કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, જુન 2026 3465   |  
ઉધનાનાં યુવકે પત્નીને રંજાડી રહેલા લંપટની માથું છૂંદી ર્નિમમ હત્યા કરી

સિંગણપોરમાં ડબલ મર્ડર બાદ સચિન મગદલ્લા હાઈવે પર વધુ એક હત્યાની ઘટનાએ શહેર પોલીસનાં અધિકારીઓને દોડતા કરી દીધાં હતાં. પત્નીની છેડતી કરવા મામલે અદાવત રાખી પથ્થરથી માથું છૂંદી રિક્ષાચાલકની ર્નિમમ હત્યા કરાઇ હતી. અલથાણ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ પાંડેસરા, તેરેનામ ચોકડી, જયગુરુદેવ સોસાયટીમાં રાહુલસિંહ રાજપુત તેના પરિવાર સાથે રહે છે. ૨૭ વર્ષીય રાહુલ ઓટો રિક્ષા ભાડે ફેરવવા સાથે કેટરિંગમાં પણ કામ કરતો હતો. કેટરિંગના કામ માટે પિંકી રાજીવકુમાર ઠાકુરને અવાર નવાર રાહુલને મળવાનું થતું હતું. પિંકી ઘણી વખત રાહુલની રિક્ષામાં મુસાફરી કરતી હતી. જે દરમિયાન રાહુલે આ પરિણીતા પર દાનત બગાડી હતી. પિંકી જ્યાં કામ કરતાં જાય ત્યાં રાહુલ પહોંચી જતો હતો. સતત પીછો કરી સંબંધ રાખવા માટે તે દાબ દબાણ પણ કરવા માંડ્યો હતો. પિંકીએ પોતે પરિણીત હોવાનું જણાવી તેને આવા સંબંધમાં કોઇ રસ નથી એવી સ્પષ્ટ વાત કરી હતી. આમ છતાં રાહુલે તેણીનો પીછો છોડ્યો ન હતો. તે ધીરે ધીરે ધમકી આપવા માંડ્યો હતો. બે દિવસ પહેલા પણ મહિલા ઉધના હરિનગર પાસે હતી ત્યારે રાહુલસિંહ ત્યાં પહોંચી ગયો હતો. જેથી પિંકીએ તેના પતિ રાજીવકુમાર સતિષસિંહ ઠાકુર (રહે,ઉધના હરિનગર-૩ )ને ફોન કરી બોલાવી લીધો હતો. એ સમયે રાજીવે રાહુલને ઠપકો આપતાં તેઓ વચ્ચે તકરાર પણ થઇ હતી. આવામાં સાતમી તારીખે સાંજે પિંકી મગદલ્લા હાઇવે પાસે રાજહંસ સિમ્ફોનીયામાં તેનું કામ પતાવી ઘરે જવા નીકળી હતી. અહીં રાહુલે ફરી તેણીને આંતરી અને રિક્ષામાં બેસી સાથે આવવા કહ્યું હતું. પિંકીએ ના પાડી તો રાહુલ ધાક ધમકી આપી બળજબરી કરવા માંડ્યો હતો. જેથી તેણીએ ફરી પોતાના પતિ રાજીવને કોલ કર્યો હતો. રાજીવ સી.બી. પટેલ ગ્રાઉન્ડની બાજુમાં ખુલ્લા નાળાની પાસે મંગલમ હાઇટ્સ તરફ જતાં કાચા રસ્તા પર પહોંચી ગયો હતો. અહીં રાજીવ અને રાહુલ વચ્ચે ફરી માથાકૂટ થઇ હતી. જેમાં રાહુલસિંહે પત્ની વિશે અપશબ્દો બોલી ધમકી આપી હતી. જેથી આવેશમાં આવી ગયેલા રાજીવે રોડ પરથી પથ્થર ઉઠાવી રાહુલના માથે ઉપરા છાપરી ઘા મારી દીધા હતાં. માથું છૂંદાઇ જતાં રાહુલનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા અલથાણ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. બનાવ અંગે પોલીસે મૃતક રાહુલસિંહનાં ભાઈ અશોક સભાજીતસિંહ રાજપૂત (રહે, સુખી નગર, બમરોલી રોડ, પાંડેસરા)ની ફરિયાદ લઈ તપાસ હાથ ધરતાં પોલીસે રાજીવકુમાર ઠાકુરની ધરપકડ પણ કરી લીધી હતી. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, જુન 2026 3267   |  
નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશન અંગે હાઇકોર્ટમાં રિટ: બચેલાં ઝૂંપડાનાં ડીમોલિશન સામે સ્ટેની માગ

નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશનનો વિવાદ રાજ્યની વડી અદાલત સુધી પહોંચ્યો છે. નાસિરનગરમાં રહેતાં એક રહિશે રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં નાયબ પોલીસ કમિશનરને પક્ષકાર બનાવી બાકીનાં ઝૂંપડાનાં ડીમોલિશન સામે સ્ટે આપવાની દાદ માગતી રિટ આજે હાઇકોર્ટમાં કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રનાં મેળાપીપણામાં જ ગેરકાયદે ડીમોલિશન કરવામાં આવતાં ૧૫૦ પરિવારો બેઘર બની ગયાં હોવાનો સીધો આરોપ રિટ પીટિશનમાં કરવામાં આવ્યો છે.વેડદરવાજા સ્થિત નાસિરનગરમાં ૩૫ વર્ષથી રહેતાં શેખ હુસેન અજીજે પોતાના ધારાશાસ્ત્રી ઝમીર શેખ મારફતે હાઇકોર્ટમાં આજે રિટ કરી હતી. રિટમાં શેખ હુસેને જણાવ્યું છે કે, સાડા ત્રણ દાયકાથી પરિવાર સાથે નાસિરનગરમાં રહે છે અને મહાનગર પાલિકાનો મિલકતવેરો પણ ભરે છે. તાજેતરમાં જ પોલીસની મોટી ટીમ સાથે આવેલાં મહાનગર પાલિકાનાં અધિકારીઓએ કોઇ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના કે આગોતરી જાણ કર્યા વિના ડીમોલિશન કરી ૧૫૦ મકાનો તોડી પાડી રહિશોને બેઘર કરી મૂક્યાં છે. બાકી બચેલાં મકાનોનાં રહિશોને તેમના આવાસો ખાલી કરવા માટે પોલીસે ધમકી આપી હતી. ધારાશાસ્ત્રી ઝમીર શેખે જણાવ્યું હતું કે, રિટ દાખલ થઇ ગઇ છે. મહાનગર પાલિકાનાં સત્તાધીશો બાકીનાં આવાસો ખાલી કરાવે કે ડીમોલિશન કરે તે સામે તેમનાં અસીલે સ્ટે આપવા દાદ માગી છે. આ ઉપરાંત સુરતની કોર્ટમાં પણ જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી બાબતે તેઓ ફરિયાદ કરવાના છે. સ્પોન્સર્ડ ડીમોલિશનમાં સંડોવાયેલાં અધિકારીઓને સસ્પેન્ડ કરવા માગણી નાસિરનગર વસાહતનાં મકાનોનું ડીમોલિશન તદ્દન ગેરકાયદે અને સ્પોન્સર્ડ છે. પોલીસ બંદોબસ્ત સાથે મહાનગર પાલિકાનાં સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક ઇજનેર જયંગ જીવણરામજીવાલા, ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર નરેશ ગલચર, મોનિક ગઢિયા, જેનિશ પટેલ તેમજ આરડીડી વિભાગનાં કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ સહિતનાં અધિકારીઓએ ગેરકાયદે ડીમોલિશન કરીને લોકોને બેઘર કરી દીધા છે. બિલ્ડરનાં લાભ માટે કરવામાં આવેલાં સ્પોન્સર્ડ ડીમોલિશનની ગેરકાયદે કામગીરીમાં સંડોવાયેલાં અધિકારીઓને તત્કાળ સસ્પેન્ડ કરવાની માગણી સાથેનો પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે. - અસલમ સાયકલવાલા, પૂર્વ કોર્પોરેટર નાસિરનગરનાં ડીમોલિશનને પગલે ભાજપનાં બે મોટા નેતા સામ સામે આવી ગયાં વેડદરવાજા, નાસિરનગરમાં કરવામાં આવેલાં સ્પોન્સર્ડ ડીમોલિશનનો ભેદ ધીરે ધીરે ખુલી રહ્યો છે. બિલ્ડર સાથે નીકટનાં સંબંધો ધરાવતાં ભાજપનાં એક મોટા નેતાનાં ઇશારે જ મહાનગર પાલિકા તેમજ પોલીસ તંત્રનાં અધિકારીઓએ નાસિરનગરમાં હાજરી આપી અને ડીમોલિશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેની દરકાર રાખી હતી. મોટા નેતાનાં હરિફ જુથનાં નેતાએ પણ મોકો મળતાં ડીમોલિશનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં બાદ નાસિરનગરનાં ડીમોલિશનની વાત ગાંધીનગરનાં દરબાર પછી હવે હાઇકોર્ટ સુધી પહોંચતાં મહાનગર પાલિકા તેમજ પોલીસતંત્રનાં અધિકારીઓ માટે મામલો પેચીદો બની ગયો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution