આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જાન્યુઆરી 2026
3069 |
બગદાણા કેસમાં માયાભાઈના પુત્ર જયરાજની ધરપકડ
ભાવનગર ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને ફરી એકવાર પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું. આજે (૨૪મી જાન્યુઆરી) સમન્સને પગલે જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો હતો. જાેકે, જયરાજ આહીરની પૂછપરછ બાદ તેની ધરપકડ કરાઈ છે.બગદાણાના કોળી અગ્રણી પર થયેલા હુમલાની કડીઓ મેળવવા માટે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અગાઉ પણ જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે આજે ફરીથી તેને રેન્જ આઈજીની કચેરીમાં બોલાવવા આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આ હુમલાની ઘટનામાં સંડોવાયેલો હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાને લઈ આજે જયરાજ આહીરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો. કચેરીએ હાજર થતા પહેલા જયરાજે જણાવ્યું હતું કે, ‘મને ન્યાયતંત્ર અને કાયદા પર પૂરો ભરોસો છે. તપાસમાં જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું સંપૂર્ણ સહયોગ આપીશ. કાયદાકીય જે પણ ર્નિણય આવશે તે મને શિરોમાન્ય રહેશે.’ બગદાણા હુમલા કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ટીમની તપાસમાં પ્રથમ કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જાન્યુઆરી 2026
2178 |
ફોરેન્સિક- પીએમ અને બનાવની પ્રાથમિક તપાસ બાદ મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ
અમદાવાદ, અમદાવાદમાં યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગોહિલના મોત મામલે ફોરેન્સિક, પીએમ અને બનાવની પ્રાથમિક તપાસ બાદ કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યશરાજસિંહ ગોહિલે જ કોઈ અગમ્ય કારણોસર પત્ની પર ફાયરિંગ કરી હત્યા નીપજાવ્યાનો અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો. એસીપી જયેશ બ્રહ્મભટે ફરિયાદી બનીને હત્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી.મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ તપાસવામાં આવ્યો હતો ત્યારે મોતનું કારણ માથામાં વાગેલી ગોળીના કારણે શોક અને હેમરેજ થયું હોવાનું સામે આવ્યું હતું.પોલીસ તપાસમાં એ પણ નોંધ્યું હતું કે આ રિવોલ્વર આકસ્મિક રીતે ચાલે અને ફાયરિંગ થાય એેવું શક્ય ન હતું, કારણ કે રિવોલ્વરના ટ્રિગર ઉપર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વાપર્યા વિના દબાવી શકાય નહી, જેથી યશરાજસિંહે જ પત્ની રાજેશ્વરીને જાનથી મારી નાખવાના ઇરાદે રિવોલ્વરથી માથામાં ગોળી મારી હત્યા કરી હતી. યશરાજસિંહે પોતે પણ પોતાના માથાના ભાગે ગોળી મારીને આપઘાત કર્યો.યશ કુમાર સિંહે તેમની પત્ની રાજેશ્વરીબાને જાનથી મારી નાંખવાના ઇરાદે તેમની લાયસન્સ વાળી રાઉન્ડ ભરેલી રિવોલ્વરના ટ્રીગર ઉપર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વાપરીને ટ્રીગર દબાવી રાજેશ્વરીબાના માથાના પાછળના ભાગે પોતાની રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી ગોળી મારી રાજેશ્વરીબાની હત્યા કરી હોય ત્યારબાદ યશકુમાર સિંહે ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવતા ૧૦૮ના કર્મચારીએ રાજેશ્વરીબાને મૃત જાહેર કરતાં તેઓએ પોતાની જાતે પોતાની રિવોલ્વરમાંથી પોતાના માથાના ભાગે એક ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ રિવોલ્વરમાં ફકત ૨ જ રાઉન્ડ થતા જે બંન્ને રાઉન્ડનો ફાયરીંગમાં ઉપયોગ થયો હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું. ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા દ્ગઇૈં એપાર્ટમેન્ટમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગોહિલનું મોત થયું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જાન્યુઆરી 2026
1584 |
અમદાવાદમાં લગ્નની લાલચ આપી કૌટુંબિક ભાઈએ જ બળાત્કાર કર્યો
અમદાવાદ, સુરેન્દ્રનગરમાં રહેતી ૨૧ વર્ષની યુવતી અભ્યાસ માટે નવરંગપુરા વિસ્તારમાં કેટલાક સમયથી રહેતી હતી. યુવતી ગત વર્ષે જ્યારે ઘરે ગઈ હતી ત્યારે યુવતીના મમ્મીના માસીના દીકરાનો દીકરો જય યુવતીના ઘરે રહેતો હતો. યુવતી જ્યારે અમદાવાદ પરત આવી ત્યારે જયે યુવતીને ફોન કરવાનું શરૂ કર્યું હતું. યુવતી સાથે અવારનવાર વાતચીત કરીને જયે કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે જ લગ્ન કરીશ. જેથી યુવતી જયની વાતોમાં આવી ગઈ હતી. ૧૧ ઓગસ્ટના રોજ યુવતીનો જન્મદિવસ હોવાથી તેને મળવા જય અમદાવાદ આવ્યો હતો. ઓગસ્ટ,સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં જય અવારનવાર અમદાવાદ આવતો હતો. આ દરમિયાન જયે યુવતીને નવરંગપુરાની એક હોટલમાં લઈ જઈને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા.થોડા સમયમાં યુવતી તેના ઘરે જતી રહી હતી. યુવતી ઘરે ગઈ ત્યારે તેને જાણ થઈ હતી કે જયની રાજકોટમાં કોઈ છોકરી સાથે સગાઈ થઈ ગઈ છે. જેથી યુવતીએ જયને ફોન કર્યો ત્યારે જયે કહ્યું હતું કે આ વાત ભૂલી જા. આ અંગે યુવતીએ તેના મમ્મી પપ્પા અને મામાને વાતચીત કરી હતી. જે બાદ યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જય વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, જાન્યુઆરી 2026
3663 |
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા
રાજકોટ, રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામથી એક મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ખોડલધામ ખાતે આયોજિત ‘કન્વીનર મીટ ૨૦૨૬’ દરમિયાન સંસ્થાના ચેરમેન નરેશ પટેલે આ મહત્વની જાહેરાત કરી હતી. ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ તરીકે હવે અનાર પટેલના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય અનાર પટેલ હવે ખોડલધામના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કરશે. ખોડલધામ ખાતે યોજાયેલા કન્વીનર મીટમાં સંબોધન કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ખોડલધામના સંગઠનને લગતી તમામ ગતિવિધિઓ અને વહીવટી કામકાજમાં અનાર પટેલ મુખ્ય ભૂમિકા ભજવશે. આ નિમણૂકથી સંગઠનમાં મહિલાઓ અને યુવાનોની ભાગીદારી વધશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. અનાર પટેલ અગાઉ પણ અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જાેડાયેલા રહ્યા છે, ત્યારે હવે ખોડલધામ જેવા મોટા સંગઠનની કમાન તેમના હાથમાં આવતા સંગઠનને નવી ઊંચાઈ મળશે તેવું મનાઈ રહ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જાન્યુઆરી 2026
3762 |
ગુજરાતનું આ નાનકડું શહેર! ભૂકંપ ઝોન-૫માં આવેલા કચ્છની ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઈ
કચ્છ, કચ્છ-સૌરાષ્ટ્ર હાલ ભૂકંપની સળગતી ધરા પર બેઠું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું એક શહેર એવું છે, જેની ધરતી સતત ભૂકંપના આંચકાથી ડચકા ખાઈ રહી છે. છેલ્લા ૧૯ દિવસમાં ઉપલેટા-મધ્યમમાં ૨૧ ભરતીકંપના આંચકા નોંધાયા છે. સૌથી વધુ ઉપલેટા, ભાયા, પોરબંદર, તાલાલા, અમરેલી, ભાવનગર પંથકમાં આંચકા આવ્યા છે. જેની તીવ્રતા ૨.૫ થી ૩.૬ સુધીની નોંધાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ફોલ્ટ લાઈન સક્રિય થઇ તેના કારણે આંચકા આવી રહ્યાં છે. કચ્છમાં ૧૭ જાન્યુઆરી રાત્રે ૧:૨૨ વાગ્યે ખાવડા પાસે ભૂકંપ આવ્યો હતા. આ કારણે લોકોમાં ભય ફેલાયો હતો, પરંતુ કોઈ જાનમાલનું નુકસાન નથી થયું. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર-કચ્છની ધરા સતત ધ્રુજી રહી છે. જે ૨૦૦૧ ના વિનાશકારી ભૂકંપની યાદ અપાવી રહી છે. ૨૦૦૧ ભૂકંપની ૨૫મી વર્ષગાંઠ પહેલાં ધરા સતતત ધ્રુજવાનું શું સંકેત અને કારણ હોઈ શકે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ૭.૭ તીવ્રતાના વિનાશક ભૂકંપની યાદમાં, છેલ્લા દિવસોમાં કચ્છમાં વારંવાર હળવા આંચકા નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં ૮-૯ જાન્યુઆરીએ ૨૧ આંચકા આવ્યા હતા. જે ઉપલેટા, ધોરાજી, પોરબંદર, અમરેલી વિસ્તારમાં આવ્યા છે. ૧૬-૨૪ કલાકમાં ૨૧ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા ૨.૫થી ૩.૮ છે. આ કારણે લોકો ઘરેથી બહાર નીકળ્યા હતા. છેલ્લા ૧૦ દિવસમાં ૨૫ થી વધુ આંચકા નોંધાયા છે. આનું કારણ જાણીએ તો, સૌરાષ્ટ્ર-કચ્છમાં ડિસેમ્બરથી સતત ભૂગર્ભીય હલચલ થઈ રહી છે. રાપર, ભચાઉ, ધોળાવીરા પાસે પણ આંચકા નોંધાયા છે આનું સૌથી મોટું કારણ એ છે કે, ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઈ છે. જાેકે, નિષ્ણાતોના અનુસાર, હળવા આંચકાથી ગભરાવાની જરૂર નથી! નિષ્ણાતો કહે છે કે ૨-૪ તીવ્રતાના આંચકા ઊર્જા નિકાલની પ્રક્રિયા છે, પરંતુ વારંવાર આવતા લોકોમાં ફાળ પડી છે. પોરબંદર, અમરેલી, તાલાલા, ભાવનગરમાં અસર વધુ વર્તાઈ છે! છેલ્લા ૧૯ દિવસમાં આ વિસ્તારોમાં સૌથી વધુ આંચકા આવ્યા છે. જેની ઊંડાઈ ૨૦-૩૦ કિમી અને તીવ્રતા ૩.૦-૩.૬ ની છે. પરંતું કોઈ મોટું નુકસાન નથી. આઈએસઆરના ઈન્ચાર્જ ડિરેક્ટર ડો.સંતોષ કુમારે જણાવ્યું કે, રાજકોટના ઉપલેટાના લોકોને પણ રાહત થઈ છે. ઉપલેટા આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકામાં હાલ ઘટાડો થયો છે. ઉપલેટા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા બાબતે એક ટીમ મોકલાઈ છે. ભૂકંપના કારણો અને તેનાથી ડર ન રાખવા ગ્રામજનોને અવગત કરાયા છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, જાન્યુઆરી 2026
4950 |
રાજપીપળાના બંધ મકાનમાંથી ૪૦ વાઘનાં ચામડાં ,૧૩૩ નખ મળ્યાં
રાજપીપળા, એક તરફ ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થતી જાય છે ત્યારે બીજી બાજુ નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના એક રૂમ માંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘનું ચામડું મળી આવતા રાજપીપળા વન વિભાગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આટલી મોટી સંખ્યામાં વાઘનું ચામડું મળી આવ્યું હોય એવો ગુજરાતમાં કદાચ પ્રથમ કિસ્સો હશે.આ ચામડું વાઘનું છે કે નકલી છે એની તપાસ માટે રાજપીપળા વન વિભાગે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.રાજપીપળા રેન્જ વન વિભાગના આર.એફ.ઓ જીગ્નેશ સોનીના જણાવ્યા મુજબ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.એ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમ માંથી ખરાબ વાસ આવતી હોવાનું એમના ધ્યાને આવ્યું હતું.એ દરમિયાન વર્ષો જૂની એક પતરાની પેટીમાં કોઈ વન્ય પ્રાણીનું ચામડું હોવાનું જાણતા જ એ મંદિરના ટ્રસ્ટીઓએ રાજપીપળા વન વિભાગના આર.એફ.ઓ જા જીગ્નેશ સોનીને જાણ કરી હતી.જે બાદ અમે અમારી ટીમ સાથે ત્યાં પહોચી તપાસ હાથ ધરતા પેટીમાં શંકાસ્પદ વાઘનું ચામડું તથા નખ હોવાનું અમને જાણવા મળ્યું હતું.બાદ સરકારી પંચોની હાજરીમાં તમામ શંકાસ્પદ વાઘના ચામડાને વન વિભાગની કચેરીએ લાવ્યા હતા.ખરાઈ કર્યા બાદ એ ચામડું શંકાસ્પદ રીતે વાઘનું હોવાનું અમને જણાઈ આવ્યું હતું.આ ચામડું તથા નખ વાઘના જ છે કે નકલી છે એની તપાસ માટે અમે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. આર.એફ.ઓ જીગ્નેશ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે અમને તપાસ દરમિયાન ૩૭ જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી ૪૦ થી વધુ ચામડા તથા ૧૩૩ જેટલા નખ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ ૧૭૨ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે.ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે તો બીજી બાજુ પ્રથમ દૃષ્ટિએ આ વન્ય પ્રાણીની તસ્કરી પણ હોઈ શકે, મહારાજનો ૧૯૨૬ માં જન્મ થયો હતો આજથી લગભગ ૫ મહિના પેહલા ૯૫ વર્ષની ઉંમરે નિધન થયું છે.વન્ય પ્રાણીના આ ચામડા અને નખ એમની જ રૂમ માંથી મળી આવ્યા છે.આ ચામડા મળ્યા એ પેટીમાંથી ૧૯૯૨ ના વર્ષનું ન્યૂઝ પેપર મળી આવ્યું છે એટલે આ ચામડા લગભગ ૩૩ વર્ષથી તો મહારાજ પાસે જ હશે એવો અંદાજ મારી શકાય.જાે એફ.એસ.એલ ની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ કોણ જાેડાયેલું હતું એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, જાન્યુઆરી 2026
3267 |
આણંદમાં સરદાર બાગ નજીકથી એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઇ
આણંદ, વિદ્યાનગરની શાશ્વત નગરીની ઓળખને નશાના રવાડે ચઢાવવાના ખેલ રચાતાં હોય તેમ ગત મોડી સાંજે આણંદ એસઓજી દ્વારા બાતમીના આધારે શહેરના નવા બસમથક નજીકના સરદાર બાગ પાસેથી એમપીની મહિલાની ૧૧૬.૨૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે આણંદ ખાતે નશીલા પદાર્થ મંગાવનાર કોણની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર વિદ્યાધામની ઓળખ બનેલ આણંદ, વિદ્યાનગરની વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં સ્થાનિક, પ્રાંતિય તથા પરપ્રાંતીય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવતાં હોય તેમને નશાના રવાડે ચઢાવવાના ખેલ રચવામાં આવ્યા હોય તેમ ગત મોડી સાંજે શહેરના નવા બસમથક નજીકના સરદાર બાગ પાસે એક મહિલા નશીલા પદાર્થની ડિલિવરી આપનાર હોવાની બાતમી આણંદ એસઓજીને મળતા એસઓજી દ્વારા સ્થળ પર પહોંચી રતલામ થી નશીલા પદાર્થ લઇ બસ મારફત જાંબુઆ જીલ્લાના બેડાવા ગામની આવેલ મહિલા મંજુ જગદીશ ભુરીયાને ત્રણ લાખ ઉપરાંતની કિંમતના ૧૧૬.૨૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે પોલીસ દ્વારા મહિલાની પૂછપરછ કરતાં નશીલા પદાર્થ રતલામના નારાયણ નામના શખ્સ પાસેથી લાવી આણંદ આપવાનું જણાવતાં આણંદનો માલ લેવા આવનાર શખ્સ કોણ?ની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, જાન્યુઆરી 2026
3564 |
બનાસકાંઠા - દાહોદનું પાણી પીવાલાયક નહિ હોવાનો સરકારી અહેવાલમાં ખુલાસો
ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણીના લીધે ગાંધીનગર અને અમદાવાદ મોટા પ્રમાણમાં બીમાર પડ્યા છે. જેમાં મોટા ભાગે બાળકો છે. જ્યારે બાલાસિનોરમાં દૂષિત પાણીથી કેટલાક દિવસો અગાઉ નાગરિકો કમળાગ્રસ્ત થયા હતા. આ સંજાેગોમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્રના જલ શક્તિ મંત્રાલયના આહેવાલના આંકડા રજૂ કરીને ગુજરાતના કયા જિલ્લાનું પાણી કેટલું પીવાલાયક છે તે બતાવ્યું છે. આ આંકડા અત્યંત ચોંકાવનારા છે. કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયના અહેવાલના આંકડા અનુસાર, જળશક્તિ મંત્રાલયના ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ રિપોર્ટ મુજબ ગુજરાતમાં માત્ર ૪૭.૩%ના ઘરે ગુણવત્તાયુક્ત પાણી નળથી પહોંચે છે જ્યારે સમગ્ર દેશમાં ૭૬% ઘરો સુધી ગુણવત્તાયુક્ત પાણી નળ દ્વારા પહોંચે છે. વર્ષ ૨૦૨૨ સુધીના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની માહિતી મુજબ વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં ૩૦માં ક્રમે છે. ડિસોલ્વેડ ઓક્સિજન, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, પીએચ અને કોલિફોર્મ બેક્ટેરિયા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને વોટર ક્વોલિટી ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તિસગઢ જેવા રાજ્યોથી પણ ગુજરાત વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં પાછળ છે. સમગ્ર દેશની વોટર ક્વોલિટી ઈન્ડેક્સની સરેરાશ ૭૩.૮% જ્યારે ગુજરાતનો ઈન્ડેક્સ ૬૩% છે. જળ શક્તિ મંત્રાલયના અહેવાલ ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ મુજબ જિલ્લા પ્રમાણે પીવા લાયક પાણીની સપ્લાયના આંકડા ચોકાવનારા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૩૧.૯% ઘરો અને આર્થિક પાટનગર અમદાવાદમાં ૪૬.૧% ઘરોમાં જ પીવાલાયક પાણી આવે છે. એટલું જ નહીં, આ અહેવાલ મુજબ દાહોદ અને બનાસકાંઠામાં ૦.૦% ઘરોમાં પીવાલાયક એટલે કે પોટેબલ વોટર આવે છે. મહીસાગરમાં ૧૬%, નર્મદામાં ૧૫.૪%, ગીર સોમનાથમાં ૧૧.૭% દેવભૂમિ દ્વારકા માં ૧૭.૨% ઘરોમાં પીવા લાયક પાણી મળે છે. જ્યારે રાજકોટની જનતાને ૧૬.૨% અને સુરતના લોકોને ૪૭.૨% લોકોને ત્યાં પીવાલાયક પાણી નળથી મળે છે. અહેવાલ મુજબ જૂના ૩૩ પૈકી ૧૯ જિલ્લામાં નળ થકી ૫૦% થી ઓછા લોકોને ગુણવત્તાયુક્ત પીવાલાયક પાણી મળે છે.જિલ્લાનું નામ ટકાવારી અમદાવાદ ૪૬.૧% બનાસકાંઠા ૦.૦% ભરૂચ ૮.૫% ભાવનગર ૧૪.૭% દાહોદ ૦.૦% ડાંગ ૪૦.૧% દેવભૂમિ દ્વારકા ૧૭.૨% ગાંધીનગર ૩૧.૯% ગીર સોમનાથ ૧૧.૭% મહિસાગર ૧૬.૦% મોરબી ૪૦.૬% નર્મદા ૧૫.૪% નવસારી ૪૭.૮% પંચમહાલ ૩૯.૨% રાજકોટ ૧૬.૨% સાબરકાંઠા ૧૭.૪% સુરત ૪૭.૨%
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, જાન્યુઆરી 2026
3861 |
'સ્માર્ટ' વડોદરાના પશ્ચિમ ઝોનમાં ડ્રેનેજ-રોડના અધૂરા કામો
વડોદરામાં ચાલી રહેલ પશ્વિમ ઝોનનાં કામોની વિભાગ મુજબ વાત કરીએ તો રોડ વિભાગના નવા અને જુના રોડ ના ૨૯ કામો ચાલી રહ્યા છે પાણી પુરવઠા વિભાગનાં ૯ કામો ચાલી રહ્યા છે ડ્રેનેજ વિભાગના ૮ કામો ચાલી રહ્યા છે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
02, જાન્યુઆરી 2026
10197 |
VFF એ રચ્યો ઇતિહાસ : Vadodara માં પહેલીવાર સૌથી મોટી DJ party થઈ !!
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જાન્યુઆરી 2026
1980 |
વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિજનોના ખાતામાં ૧-૧ કરોડ આવ્યાની માહિતી
અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોના ખાતામાં ૧-૧ કરોડ રૂપિયા જેટલી રકમ આવ્યાની માહિતી સામે આવી છે. જેના પરથી એવો દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદ પ્લેન ક્રેશ પીડિતોને વળતર મળવાનું શરૂ થઇ ગયું છે. જાેકે આ મામલે રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે એર ઈન્ડિયાને પણ ૧૧૨૫ કરોડ રૂપિયા જેટલી રકમ મળી હોવાની ચર્ચા છે. અમદાવાદ-લંડન ગેટવિક ફ્લાઇટ એર ઇન્ડિયા દ્વારા બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરનો ઉપયોગ કરીને સંચાલિત હતી, તે અમદાવાદમાં ઉડાન ભર્યાના થોડા જ સમયમાં ક્રેશ થઈ ગઈ હતી, જેમાં ૨૪૧ મુસાફરો સહિત ૨૬૦ લોકો મૃત્યુ પામ્યા હતા. વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. ત્યારે હવે વૈશ્વિક રિઇન્શ્યોરર્સ અને ભારતીય જનરલ વીમા કંપનીઓએ ૧૨ જૂનના રોજ અમદાવાદમાં થયેલા ડ્રીમલાઇનર દુર્ઘટનામાં હલ અને એન્જિનના નુકસાન માટે વીમા દાવા તરીકે એર ઇન્ડિયાને લગભગ રૂ. ૧,૧૨૫ કરોડ ચૂકવ્યા છે. તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરોના સંબંધીઓને વળતર તરીકે ઇં૨૫ મિલિયન (રૂ. ૨૨૫ કરોડ) આપવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જાન્યુઆરી 2026
1881 |
મતદારોના નામ કાપવાના ષડયંત્ર મામલે આમ આદમી પાર્ટીની ઇલેક્શન કમિશનમાં રજૂઆત
અમદાવાદ, અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના લીગલ સેલ પ્રદેશ અધ્યક્ષ પ્રણવ ઠક્કર, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ, તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ નિતિન બરોટ, જીતુ ઉપાધ્યાય, પીયુષભાઈ, રાકેશ મહેરિયા અને મેહુલ શ્રીમાળી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ તકે પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની ટીમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખાતે રજૂઆત કરવા ગયા હતા. જે અંગે તમામ સંબંધિત અધિકારીઓને ઇમેલ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે તેમજ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે. અમારી મુખ્ય માંગ એ છે કે ફોર્મ નં. ૭ જે રાજકીય વોલન્ટિયર્સ દ્વારા ભરવામાં આવ્યા છે, તે અમને તાત્કાલિક આપવામાં આવે જેથી તેની યોગ્ય રીતે ચકાસણી કરી શકાય. હાલમાં જે રીતે મોટા પાયે મતદારોના નામ કાઢવા માટે ફોર્મ નં. ૭ની અરજીઓ કરવામાં આવી રહી છે, તે શંકાસ્પદ છે. કેટલાક ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ પક્ષના મત કાપવાનો ષડયંત્રપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે અમારે પાસે પુરાવાઓ ઉપલબ્ધ છે અને હજુ વધુ પુરાવાઓ એકત્ર થઈ રહ્યા છે. પ્રણવ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે જાે આટલા મોટા પ્રમાણમાં એટલે કે સાડા નવ લાખ જેટલી ફોર્મ નં. ૭ની અરજીઓ આવે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જાન્યુઆરી 2026
2178 |
ફોરેન્સિક- પીએમ અને બનાવની પ્રાથમિક તપાસ બાદ મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ
અમદાવાદ, અમદાવાદમાં યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગોહિલના મોત મામલે ફોરેન્સિક, પીએમ અને બનાવની પ્રાથમિક તપાસ બાદ કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યશરાજસિંહ ગોહિલે જ કોઈ અગમ્ય કારણોસર પત્ની પર ફાયરિંગ કરી હત્યા નીપજાવ્યાનો અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો. એસીપી જયેશ બ્રહ્મભટે ફરિયાદી બનીને હત્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી.મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ તપાસવામાં આવ્યો હતો ત્યારે મોતનું કારણ માથામાં વાગેલી ગોળીના કારણે શોક અને હેમરેજ થયું હોવાનું સામે આવ્યું હતું.પોલીસ તપાસમાં એ પણ નોંધ્યું હતું કે આ રિવોલ્વર આકસ્મિક રીતે ચાલે અને ફાયરિંગ થાય એેવું શક્ય ન હતું, કારણ કે રિવોલ્વરના ટ્રિગર ઉપર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વાપર્યા વિના દબાવી શકાય નહી, જેથી યશરાજસિંહે જ પત્ની રાજેશ્વરીને જાનથી મારી નાખવાના ઇરાદે રિવોલ્વરથી માથામાં ગોળી મારી હત્યા કરી હતી. યશરાજસિંહે પોતે પણ પોતાના માથાના ભાગે ગોળી મારીને આપઘાત કર્યો.યશ કુમાર સિંહે તેમની પત્ની રાજેશ્વરીબાને જાનથી મારી નાંખવાના ઇરાદે તેમની લાયસન્સ વાળી રાઉન્ડ ભરેલી રિવોલ્વરના ટ્રીગર ઉપર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વાપરીને ટ્રીગર દબાવી રાજેશ્વરીબાના માથાના પાછળના ભાગે પોતાની રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી ગોળી મારી રાજેશ્વરીબાની હત્યા કરી હોય ત્યારબાદ યશકુમાર સિંહે ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવતા ૧૦૮ના કર્મચારીએ રાજેશ્વરીબાને મૃત જાહેર કરતાં તેઓએ પોતાની જાતે પોતાની રિવોલ્વરમાંથી પોતાના માથાના ભાગે એક ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ રિવોલ્વરમાં ફકત ૨ જ રાઉન્ડ થતા જે બંન્ને રાઉન્ડનો ફાયરીંગમાં ઉપયોગ થયો હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું. ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા દ્ગઇૈં એપાર્ટમેન્ટમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગોહિલનું મોત થયું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જાન્યુઆરી 2026
1782 |
બનાસકાંઠામાં ઈકબાલગઢ નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માત, ૬નાં સ્થળ પર મોત
બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ઈકબાલગઢ નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. બેફામ ગતિએ દોડતી અને રોંગ સાઈડમાં આવતી ટ્રકે ઈનોવા કારને ટક્કર મારતા કારમાં સવાર ૬ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજતાં પંથકમાં અરેરાટી મચી ગઈ છે. જ્યારે અન્ય ૩ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે જેસીબીની મદદ લઈ કારના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અમીરગઢ પોલીસે આ મામલે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, અમીરગઢના ઈકબાલગઢ હાઈવે પરથી પસાર થતી ઈનોવા કારને સામેથી કાળ બનીને રોંગ સાઈડ આવતી ટ્રકે અડફેટે લીધી હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર પાંચ લોકોનાં સ્થળ પર જ શ્વાસ થંભી ગયા હતા. અકસ્માત થતાં રસ્તે પસાર થતાં લોકો અને દોડી આવ્યા હતા અને અમીરગઢ પોલીસ, એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય ૩ વ્યક્તિઓને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ અમીરગઢ પોલીસનો કાફલો હાઈવે પર પહોંચી ગયો હતો. હાઈવે પર ટ્રાફિકને પણ પૂર્વવત્ કરી દેવાયો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જાન્યુઆરી 2026
1683 |
રાજ્યમાં ૧.૭૩ કરોડ મતદારોનો ડેટા મેચ ન થતાં ચૂંટણી તંત્રની નોટિસ
ગાંધીનગર, ગુજરાતમાં બહાર પડેલી ડ્રાફ્ટ મતદાર યાદીના રિવિઝન બાદ ચૂંટણી તંત્ર સામે મોટો પડકાર ઉભો થયો છે. રાજ્યમાં જાહેર કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ કુલ ૪.૩૪ કરોડ મતદારોમાંથી અંદાજે ૧.૭૩ કરોડ મતદારોનો ડેટા અગાઉની મતદાર યાદી સાથે મેચ ન થતાં ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં ડેટા મિસમેચ થવાને કારણે મતદાર યાદીની વિશ્વસનીયતા અને પ્રક્રિયાની પારદર્શકતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ચૂંટણી વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, આ મતદારોના નામ, ઉંમર, સરનામા સહિતની વિગતો વર્ષ ૨૦૦૨ની જૂની મતદાર યાદી સાથે મેળ ખાતી નથી. આ કારણે સંબંધિત મતદારોને બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) મારફતે નોટિસ પાઠવીને પંચ સમક્ષ રૂબરૂ હાજર થવા સૂચના આપવામાં આવી છે. રાજ્યભરમાં લાખો મતદારોને નોટિસ મળતા રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા તેજ બની છે. ચૂંટણી વિભાગના સૂત્રો જણાવે છે કે આ ખામીઓને “લોજિકલ ડિસ્ક્રિપન્સી” અને “નો મેપિંગ” તરીકે ગણવામાં આવી છે. જૂની મતદાર યાદીમાં અનેક કિસ્સાઓમાં ટેક્નિકલ અને માનવ ભૂલો સામે આવી છે. ક્યાંક ઘર નંબરને ભૂલથી મતદારની ઉંમર તરીકે નોંધવામાં આવ્યો હતો, તો ક્યાંક નામની સ્પેલિંગમાં તફાવત, સરનામામાં ખામી કે અધૂરી માહિતીના કારણે ડેટા મેચ થયો નથી. આ ભૂલો મોટા ભાગે મતદારોની નહીં પરંતુ અગાઉની ડેટા એન્ટ્રી પ્રક્રિયાની હોવાનું અધિકારીઓ માની રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, અગાઉ ચૂંટણી પંચની સ્પષ્ટ સૂચના હતી કે જેમણે પોતાના દસ્તાવેજાે બીએલઓ, ઇઆરઓ કે એઇઆરઓને આપી દીધા છે, તેમને ફરીથી નોટિસ આપવાની નથી. તેમ છતાં રાજ્યના અનેક વિસ્તારોમાંથી આવા મતદારોને પણ નોટિસ મળ્યાની ફરિયાદો સામે આવી છે. મતદારોનું કહેવું છે કે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફરીથી હાજર થવાની ફરજ પડતા ગેરસમજ અને અસંતોષ ફેલાયો છે. ચૂંટણી તંત્રનું કહેવું છે કે આ ખામીઓ મતદારોની ભૂલ નથી, પરંતુ મતદાર યાદીની શુદ્ધતા અને સચોટતા જાળવવા માટે રૂબરૂ ચકાસણી જરૂરી બની છે. અધિકારીઓ મુજબ જાે આ તબક્કે ચકાસણી ન કરવામાં આવે તો ભવિષ્યમાં મતાધિકાર સંબંધિત વિવાદો ઊભા થઈ શકે છે. મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું હતું કે ડ્રાફ્ટ મતદાર યાદી બાદ મોટા પ્રમાણમાં દાવા અને વાંધાઓ પ્રાપ્ત થયા છે. તેમના જણાવ્યા અનુસાર, નામ ઉમેરવા માટે કુલ ૬.૫૪ લાખ ફોર્મ નંબર ૬ અને ૬છ મળ્યા છે. જ્યારે નામ ડિલીટ કરવા માટે ૧૨.૬૪ લાખ ફોર્મ નંબર ૭છ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત નામમાં સુધારણા અથવા સ્થળાંતર માટે કુલ ૫.૦૪ લાખ ફોર્મ નંબર ૮ મળ્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે ૩૦ જાન્યુઆરી સુધી મતદારો દાવા-વાંધા રજૂ કરી શકશે. તમામ અરજીઓની વિગતવાર ચકાસણી બાદ જ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ચૂંટણી વિભાગે મતદારોને અપીલ કરી છે કે નોટિસ મળ્યા બાદ ગભરાયા વિના જરૂરી દસ્તાવેજાે સાથે સમયસર હાજર રહે, જેથી તેમનો મતાધિકાર સુરક્ષિત રહી શકે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
20, જાન્યુઆરી 2026
4950 |
Surat ના textile industry પર 500% US tariff નો ઘાત – અસ્તિત્વની લડાઈ !!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, જાન્યુઆરી 2026
2376 |
નાના વરાછામાં રામજી મંદિર પાછળ તાપીમાં ફેંકાયેલું બાળકનું ભ્રૂણ મળ્યું
સુરત, નાના વરાછા રામજી મંદિર પાછળ તાપીમાંથી બાળકનું ભ્રૂણ મળતાં ચકચાર મચી હતી. નદીકાંઠે ટેમ્પો ધોતા યુવકે પાણીમાં તરતાં ભ્રૂણ અંગે જાણ કરતાં પોલીસે સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરી હતી. કાપોદ્રા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર નાના વરાછમાં તપોવન સ્કુલ પાસે ગાયત્રી નગરમાં રહેતા જીગ્નેશ સુરેશભાઈ ખાણીયા ટેમ્પો ચલાવે છે. સુરેન્દ્ર નગરનાં ચુડા ગામના વતની જીગ્નેશ ૧૬મી તારીખે સવારે તેમનો જીજે ૦૫ સીવાય ૪૧૦૬ નંબરનો ટેમ્પો લઇ નાના વરાછા રામજી મંદિર પાછળ તાપી કિનારે ગયા હતાં. તેઓ અહીં તાપીમાંથી પાણી લઇ ટેમ્પો ધોવા માંડ્યા હતાં. આ દરમિયાન પાણીમાં તરતુ ભ્રૂણ જાેવા મળ્યું હતું. નદીનાં પ્રવાહમાં તરતુ ભ્રૂણ જાેઇ ચોંકી ઉઠેલા જીગ્નેશ ખાણીયાએ તુરંત ઓવારાની સફાઇ કરતાં પાલિકા કર્મચારી હિતેષ સોલંકી તથા રાજુભાઇ સોલંકીને જાણ કરી હતી. જાેતજાેતામાં ત્યાં લોકટોળું એકઠું થયું અને પોલીસ કંટ્રોલને કોલ કરાયો હતો. કોલ મળતાં પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. પોલીસે ભ્રૂણ અંગે આવશ્યક કાર્યવાહી કરી તેને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યું હતું. સાથે જ જન્મ છૂપાવવાના ઇરાદે અધૂરા માસે જન્મેલું કે ગર્ભપાત કરાયેલું ભ્રૂણ તાપી નદીમાં ફેંકી દેનાર અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, જાન્યુઆરી 2026
4752 |
ઉઠમણાંનાં ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી કરોડોનાં કાપડ ખરીદીનાં કૌભાંડનો સૂત્રધાર ઝડપાયો
સુરત, ઉઠમણું કરવાના ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી મોટાપાયે કાપડ ખરીદી બોગસ ચેક પધરાવવાનાં કૌભાંડમાં સૂત્રધાર એવા અજય તોલાનીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઉધના અમન સોસાયટીમાં રહેતા રજા અલી હુસેન સોલંકી આર.જે.એન્ટરપ્રાઇઝ નામથી પીવીસી બેગ મેન્યુફેક્ચરિંગ નો ધંધો કરે છે. સોલંકીના ધ્યાન પર એવી વાત આવી હતી કે, તેમની પેઢીનાં જીએસટી નંબર પર એવા બિલ નોંધાયા છે કે જેમની ખરીદી તેમણે કરી ન હતી. તેમણે સી એ વિનય કનોડીયા પાસે જીએસટી પોર્ટલ પર ચેક કરાવતા શ્રી કુબેરજી એમ્પાયર કો-ઓપરેટિવ કોમર્શિયલનું બીલ અપલોડ થયેલા દેખાતું હતું. કુબેરજી માર્કેટ પહોંચેલા રાજાઅલીને તેમની પેઢીનાં નામનું બોર્ડ અને જીએસટી નંબર દેખાયા હતા. વિશાલ સુરેશ ગુપ્તાની માલિકીની જણાવાયેલી આર જે એન્ટરપ્રાઇઝ પેઢીમાં જઇ સોલંકીએ તપાસ કરાતાં મેનેજ૨ રાશીદ શેખ અને કર્મચારી ક્રિષ્ના મળ્યા હતાં. તેઓએ તેમને વિશાલ ગુપ્તા અને હિતેષ વાઘાસિયા એ નોકરીએ રાખ્યાનું જણાવ્યું હતું, જેથી રાજાઅલીએ પોલીસ બોલાવી હતી. સારોલી પોલીસે માર્કેટ પહોંચી વિશાલની પૂછપરછ કરતાં તેણે દુકાન ભાડે આપી હોવાનું જણાવ્યું હતું. ભાડા કરારમાં આર.જે.એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર રાજેશ જેઠવાણીનાં આધાર કાર્ડ તથા પાનકાર્ડની ઝેરોક્ષ હતી. રાજેશ જેઠવાણીએ તેનું નામ સરનામું અને રાજાઅલીનો પાન નંબર લખી આ બોગસ પાનકાર્ડ બનાવ્યાનું ધ્યાને આવ્યું હતું. જેના કારણે વિશાલ ગુપ્તાને સારોલી પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જાે કે ત્યાં યોગ્ય કાર્યવાહી નહીં કરાતાં પોલીસ કમિશનરને રજૂઆત કરાઇ હતી. પોલીસ કમિશનર ગહલૌતની સૂચનાથી ઇકો સેલના ઇન્સ્પેક્ટર સોલંકીએ તપાસ આરંભી હતી. જેમાં રાજાઅલી ની આર જે એન્ટરપ્રાઇઝ પેઢીના જીએસટી નંબરનો દુરુપયોગ કરી વિશાલ સુરેશ કુમાર ગુપ્તા, સારોલીની અવધ માર્કેટમાં ૧૦૧૫-૧૦૧૬ નંબરની દુકાન ધરાવનાર વ્યક્તિ, મેનેજર રાશીખ શેખ, આર જે એન્ટરપ્રાઇઝ નો કર્મચારી ક્રિષ્ના સુરેશ, કાપડ દલાલ હીતેષ વઘાસીયા, કાપડ દલાલ મયંક જૈન, શુભમ અગ્રવાલ અને પંકજ માલ મંગાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ સામે રાજાઅલીની ફરિયાદ લઇ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉઠમણાંનાં ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી મોટાપાયે માલ ખરીદનારી આ ટોળકીના કૌભાંડની તપાસ ઇન્સ્પેક્ટર જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં નવેમ્બર ૨૦૨૪માં પંકજ ઉર્ફે સંજય ઉઘવદાસ માખીજા તથા દીપક શંકરલાલ ચેતુમલ ચંદાણીની ધરપકડ કરાઇ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે દીપકે કૌભાંડી અજય તોલાણીના કહેવાથી દુકાન ભાડે રાખી અને પેઢીના બોગસ ડોક્યુમેન્ટથી એક્સિસ બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. તેમણે આર.જે.એન્ટરપ્રાઇઝ નામથી બોગસ ભાડા કરાર જ નહોતો બનાવ્યો પરંતુ બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યા હતાં. તેઓએ મુંબઈના વેપારીઓ પાસેથી બે કરોડથી વધુંનો માલ ખોલાવી પેઢીના નામે ખોલાવાયેલા બોગ એકાઉન્ટમાંથી ચેક પણ આપ્યા હતા. આ હકીકત બહાર આવતાં પોલીસે અજય તોલાણીની તલાશ શરૂ કરી હતી. જાે કે, તે મળી નહીં આવતાં તેની સામે કોર્ટમાંથી ધરપકડ વોરંટ પણ મેળવાયું હતું. ભાઠેના રામદેવ નગર ખાતેનું મકાન ખાલી કરી નાસતાં ફરતાં કાપડ દલાલ અજય રમેશલાલ તોલાની (રહે.એફ/૭૦૨ પેલેડીયમ રેસીડેન્સી, ન્યુ અલથાણ રોડ)ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, જાન્યુઆરી 2026
2178 |
૧૦.૭ તોલા સોનાનાં દાગીના ચોરી જનારા ૧૫૦ સીસી કેમેરાથી પગેરૂ દાબીને પકડાયાં
સુરત રિક્ષામાં મુસાફરી કરતી મહિલાના હાથમાંથી ૧૦.૭ તોલા સોનાનાં દાગીના તથા રોકડ ભરેલી બેગ આંચકી ફરાર થઇ જનારા બદમાશોને પોલીસે ૧૫૦ સીસી કેમેરા થકી પગેરૂ દાબીને દબોચી લીધા છે. આ બે બદમાશોએ મહારાષ્ટ્રનાં જલગાંવ ખાતેની જ્વેલરી શોપમાં વેચેલા ૬૪ ગ્રામ સોનાનાં દાગીના કબજે લેવાયા હતાં. સ્તાનની સ્વપ્ન સૃષ્ટિ રેસિડેન્સીમાં આલોક ઓમપ્રકાશ રાય ગત ૧૩મી જાન્યુઆરીએ તેમની પત્નિ સાથે રીક્ષામાં બેસી રેલ્વે સ્ટેશનથી ભેસ્તાન આવી રહ્યા હતાં. દરમિયાન સિદ્ધાર્થનગરથી નવસારી તરફ જતા રોડ પર આવેલ નવજીવન હોન્ડા શો રૂમ પાસે બે અજાણ્યા ઇસમોએ મોપેડ ઉપર પાછળથી આવી આલોકની પત્નીના હાથમાથી પર્સ ખેંચી નાસી છૂટયા હતા. ઝૂંટવી જવાયેલા પર્સની અંદર ૧૦૭ ગ્રામ સોનાનાં દાગીના, ચાંદીનો સિક્કો તથા રોકડા ૧૫,૦૦૦ હતાં. દસેક લાખ કિંમતની મતા ભરેલું પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયેલા બાઇકર્સ અંગે ફરિયાદ મળતાં ભેસ્તાન પોલીસે તુરંત સીસી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી. સર્વેલેન્સ સ્ટાફની અલગ અલગ ટીમોએ ઘટના સ્થળથી લઈ આરોપીઓ જે જે રસ્તાઓ ઉપર ગુનાને અંજામ આપી ભાગ્યા હતા તે દિશામાં લગભગ ૧૫૦ જેટલા સીસી કેમેરા ચેક કર્યા હતાં.જેમાં મળેલી માહિતીના આધારે સ્નેચિંગ કરનારા મોઇન ઉર્ફે બોબડા સરવરખાન પઠાણ અને ખાલીદ ઉર્ફે ભાંજા સાજીદ સૈયદને ઝડપી પાડયા હતા. તેમણે એવી કબૂલાત કરી હતી કે, સોનાના દાગીના લઈને મહારાષ્ટ્રના જલગાવ ખાતે ગયા હતા. જયાં પોતાના ઓળખીતા વ્યક્તિને સાથે લઇ પોતે ધંધામાં નુકસાની આવી ગઈ હોવાનું જુઠાણું ચલાવી નંદુરબારકર શરાફ નામની જવેલર્સ શોપમાં વેચી માર્યા હતા. પોલીસે જ્વેલરને હકીકત જણાવી ૬૪ ગ્રામ દાગીના રીકવર કર્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, જાન્યુઆરી 2026
2871 |
આવાસ યોજનાના નામે ૫૦ વ્યક્તિઓ સાથે ૬૦.૨૧ લાખનું ફ્રોડ કરનાર દિલ્હીથી ઝડપાયો
સુરત, પ્રધાનમંત્રી આવાસ, મુખ્યમંત્રી આવાસ યોજના અને પંડિત દિનદયાળ નગર યોજનામાં કોઈ પણ પ્રકારનાં ડ્રો વગર મકાન અને દુકાન અપાવવાની વાતમાં ફસાવી ૫૦ વ્યક્તિ પાસેથી ૬૦ લાખ રૂપિયા લઇ ભાગેલા ચીટરને ઇકો સેલે દિલ્હીથી ઝડપી પાડ્યો છે. પાલનપુર જકાતનાકા પાસે સંત તુકારામ સોસાયટીમાં રહેતા નૈનેશ વિનોદભાઈ ચોટલીયા કડિયા કામ કરે છે. નૈનેશ હાર્ડવેરનાં ધંધા માટે ઉગત ભેસાણ રોડ, જહાંગીરાબાદ ખાતે દુકાનની શોધખોળ કરતો હતો. આ દરમિયાન જુલાઇ ૨૦૨૪માં સોસાયટીમાં રહેતા ભારતીબેન મારફત તેમની મુલાકાત મયંક સંજય મિશ્રા સાથે થઇ હતી. સુરત મનપામાં નોકરી કરતો હોવાનું જણાવી મિશ્રાએ કહ્યું હતું કે, સરકાર દ્વારા ઉગત ભેસાણ રોડ મેડીકલ કોલેજની બાજુમાં, પાલનપુર જકાતનાકા કેનાલ રોડ અને અમરોલી છાપરાભાઠા ખાતે સુમન સાધના આવાસ યોજનામાં ફ્લેટો તથા દુકાનો બનાવ્યા છે. આ યોજનામાં એક ડ્રો થઈ ગયો છે અને હજી બે ડ્રો કરવાના બાકી છે. જે બે ડ્રો કરવાની કામગીરી મારા હાથમાં છે. જાે તમે દુકાન કે ફ્લેટ લેવા માંગતા હોવ તો મને જણાવજાે. જેથી નૈનેશે જહાંગીરાબાદ ખાતે આવેલા પંડિત દિનદયાળ નગર વાળા આવાસમાં કોર્નરની બે દુકાન ખરીદવાની તૈયારી બતાવી હતી. જેથી મયંક મિશ્રાએ ઓળખ અને રહેઠાણના પુરાવા સાથે એડવાન્સ પેટે ૮૦,૦૦૦ રૂપિયા લીધા હતા. ત્યારબાદ મિશ્રાએ તમારા કોઇ માણસને દુકાન કે ફ્લેટ અપાવશો તો તમને છેલ્લા હપ્તામાં ફાયદો કરાવી આપીશ એમ કહી કમિશનની લાલચ આપી હતી. જેથી નૈનેશે આ મયંક મિશ્રા મારફત ૪૪ પરિચિત, મિત્રો પાસે ફ્લેટ અને દુકાન બુક કરાવડાવ્યા હતાં. તેઓ પાસે બે હપ્તા વસૂલ કર્યા બાદ મિશ્રાએ તેમના કોલ રીસીવ કરવાના બંધ કરી દીધા હતા. નૈનેશ ચોટલિયાને જાણવા મળ્યું કે, ધર્મેશ ગીરીશચંદ્ર ટંકારીયા, લાલબહાદુર રાજવંશી ચૌહાણ અમે રાજેન્દ્ર સુંદરદાસ પારવાની પાસેથી પણ રૂપિયા લઇ ફ્લેટ તથા દુકાનના બોગસ એલોટમેન્ટ લેટર પણ આપ્યા હતાં. આ રીતે મહાનગર પાલિકાના કર્મચારી તરીકે ૬૦.૨૧ લાખ રૂપિયા પડાવી ફરાર થઈ ગયેલા મયંક મિશ્રા સામે નૈનેશે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્પેક્ટર કે. વી. બારીયાએ મયંક મિશ્રાને દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાંથી દબોચી લીધો હતો.યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતો હોવાનું જણાવીને કરોલબાગ પીજીમાં રહેતો હતો મયંક મિશ્રા ખૂબ શાતીર દિમાગનો ક્રિમિનલ બની ચૂક્યો છે. બોગસ લાયસન્સ, માર્કશીટ અને એલસી બનાવવાનાં રેકેટમાં ઝડપાઈ ચૂકેલો મયંક આઠ મહિના જેલમાં રહ્યો હતો. ત્યારબાદ તેણે ૬૦ લાખનો વધું એક કાંડ કર્યો હતો. દુકાન મકાનના નામે ચીટીંગ કરી મયંક દિલ્હી ભાગી ગયો હતો. જ્યાં તેણે કરોલબાગ વિસ્તારની પીજીમાં આશરો લીધો હતો. મહિને ૧૦ હજાર ભાડેથી રહેતા મયંકે પોતે યુપીએસસીની તૈયારી કરતો હોવાની વાત ફેલાવી રાખી હતી. તે આખો દિવસ બહાર ફરવા સાથે વર્કઆઉટ પણ કરતો હોય તેની પર કોઈને શંકા ગઇ ન હતી. સુરત ઇકો સેલ તેને શોધતી કરોલબાગ પહોંચી ત્યારે તેની સાથે રહેતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યાં હતાં. સ્થાનિક વિદ્યાર્થીઓની મદદથી જ પોલીસ મયંકને પકડી શકી હતી.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...