ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
28, એપ્રીલ 2025
સિંગણપોરનાં સિવિલ એન્જિનિયર અને વરાછાનાં રત્નકલાકારનું બેભાન થયા બાદ મોત

સુરત,  મૂળ અમરેલી સાવરકુંડલાના વતની અને હાલમાં સિંગણપોરની દેવ રેસિડેન્સીમાં રહેતા ૨૯ વર્ષીય ચિરાગ ગોવર્ધન પરમાર સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. તેમના પરિવારમાં પત્ની અને પુત્ર છે. ચિરાગભાઈ ગઇકાલે તેઓ પોતાના ઘરમાં એકાએક બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે વધુ તપાસ સીંગણપોર પોલીસ કરી રહી છે. બીજા બનાવમાં મોર ભાવનગરનાં વતની અને હાલમાં વરાછા વિસ્તારમાં આવેલા રવિપાર્ક સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય હેમંત ગોવર્ધન ડાભી રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારમાં પત્ની અને પુત્રીનું ગુજરાન ચલાવતા હતા. હેમંત ડાભી ગઈકાલે બપોરે વરાછા કુબેરનગર ખાતે દાંતનાં દવાખાનામાં પત્નીને સારવાર અપાવવા માટે ગયા હતા. દરમિયાન દાંતના દવાખાનામાં એકાએક હેમંત ડાભી બેભાન થઈ ઢળી પડ્યાં હતાં. જેથી પરિવારજનો તેમને ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે હેમંતભાઈને મૃત જાહેર કર્યા હતા. અંગે વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે.


28, એપ્રીલ 2025
સોમનાથ મંદિર ફરતે દબાણ રોકવા ૬ ફૂટની દીવાલ પૂરતી છે: સુપ્રીમ કોર્ટ

અમદાવાદ ગીરમાં સોમનાથ મંદિર નજીક અતિક્રમણ અટકાવવા માટે ગુજરાત સરકાર મંદિર પરિસરની ફરતે દીવાલ બનાવી રહી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ દીવાલની ઊંચાઈ ૫-૬ ફૂટ હોવી જાેઈએ. આ નિર્દેશ જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આપ્યો છે. એક વ્યક્તિએ આ દીવાલ સામે અરજી દાખલ કરી છે અને કહ્યું છે કે આ દીવાલ એવી રીતે બનાવવામાં આવી રહી છે કે કોઈ અંદર પ્રવેશી ન શકે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજદારના દાવાઓનો વિરોધ કરતાં કહ્યુંકે, અધિકારીઓ હંમેશાં કમ્પાઉન્ડ વોલ બનાવીને સરકારી જમીનનું રક્ષણ કરી શકે છે. આના પર જસ્ટિસ ગવઈએ કહ્યું, ‘૧૨ ફૂટની દીવાલ ના બનાવો. જાે તમે એનું રક્ષણ કરી રહ્યા છો તો પાંચ ફૂટ, છ ફૂટની દીવાલ પૂરતી છે.’ મહેતાએ કહ્યું હતું કે અરજી દાખલ કરનારી વ્યક્તિએ ૧૨ ફૂટની દીવાલ અંગે મૌખિક દાવો કર્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, ‘અમે કિલ્લો એટલા માટે નથી બનાવી રહ્યા કે જેથી કોઈ પ્રવેશ ન કરી શકે. આ અતિક્રમણ અટકાવવા માટે છે.’ બેન્ચે કહ્યું, ‘તમે ૧૨ ફૂટ ઊંચી કમ્પાઉન્ડ વોલ કેમ બનાવવા માગો છો? એને પાંચ કે છ ફૂટ ઊંચી બનાવો.’ જસ્ટિસ ગવઈએ મહેતાને આ સંદર્ભમાં સંબંધિત કલેક્ટરને સૂચનાઓ આપવા કહ્યું. મહેતાએ ખાતરી આપી, ‘હું સૂચનાઓ આપીશ.’ અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ રજૂઆત કરી હતી કે અધિકારીઓ પરિસરને દીવાલ બનાવીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહેતાએ હેગડેના દાવાઓને નકારી કાઢ્યા અને આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આપેલા તેમના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કર્યો. ૩૧ જાન્યુઆરીના રોજ મહેતાએ ‘સ્પષ્ટ નિવેદન’ આપ્યું હતું કે અતિક્રમણ કરાયેલી જમીન પર હિન્દુ ધાર્મિક વિધિઓ સહિત કોઈપણ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવી રહી નથી. સોમવારે તેમણે કહ્યું હતું કે પરિસ્થિતિ એવી જ રહી છે. તેમણે કહ્યું- ‘અમે ફક્ત અતિક્રમણ અટકાવવા માટે કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા છીએ.’ હેગડેએ કહ્યું હતું કે અધિકારીઓ ૧૨ ફૂટ ઊંચી દીવાલ બનાવી રહ્યા હતા અને અરજદારને ખબર નહોતી કે અંદર શું થઈ રહ્યું છે. બેન્ચે કહ્યું, ‘તમને ખબર કેમ નથી? ડ્રોન હવે દરેક જગ્યાએ ઉપલબ્ધ છે,’ આ પછી હેગડેએ કહ્યું, ‘એવું લાગે છે કે તમે ચીનની મહાન દીવાલ બનાવી છે અને કહી રહ્યા છો કે અમે એનું રક્ષણ કરી રહ્યા છીએ.’ મહેતાએ જવાબ આપ્યો, ‘આ ચીનની મહાન દીવાલ નથી. આપણે સનસનાટીભરી ન બનાવવી જાેઈએ.’ અરજદારે કહ્યું કે સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવી જાેઈએ. ત્યાર બાદ બેન્ચે સુનાવણી ૨૦ મે સુધી મુલતવી રાખી. સુપ્રીમ કોર્ટે હેગડેને કહ્યું કે જાે અધિકારીઓએ અન્ય કોઈ બાંધકામ કર્યું હોય તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે. ૩૧ જાન્યુઆરીના રોજ સર્વોચ્ચ અદાલતે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં તોડી પાડવામાં આવેલી દરગાહ (મુસ્લિમ ધર્મસ્થાન) પર ૧ ફેબ્રુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી ‘ઉર્સ’ ઉત્સવ યોજવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. બેન્ચે મહેતાની રજૂઆતની નોંધ લીધી કે સરકારી જમીન પર મંદિરો સહિત તમામ અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં. સુપ્રીમ કોર્ટની પૂર્વ પરવાનગી વિના જિલ્લામાં રહેણાક અને ધાર્મિક બાંધકામો તોડી પાડવા બદલ ગુજરાત સત્તાવાળાઓ સામે ૨૮ સપ્ટેમ્બરના રોજ અવમાનનાની અરજી દાખલ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે એની તોડી પાડવાની કાર્યવાહીને યોગ્ય ઠેરવીને કહ્યું કે એ જાહેર જમીન પરના અતિક્રમણ દૂર કરવા માટે ચાલુ ઝુંબેશ હતી. મુસ્લિમ ધાર્મિક સ્થાપત્યોને તોડી પાડવા પર યથાસ્થિતિ જાળવવાનો ઇનકાર કરનારા ગુજરાત હાઇકોર્ટના આદેશ સામેની અરજી પર બેન્ચ સુનાવણી કરી રહી હતી. ગયા વર્ષે ૪ ઓક્ટોબરના રોજ સર્વોચ્ચ અદાલતે અધિકારીઓને ચેતવણી આપી હતી કે જાે તેઓ આવી કાર્યવાહી સામેના તેના આદેશનો અનાદર કરતા જાેવા મળશે તો તેઓ તેમને બાંધકામો પુન:સ્થાપિત કરવા કહેશે, પરંતુ તેમણે તોડી પાડવા પર યથાસ્થિતિનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. ગયા વર્ષે ૧૭ સપ્ટેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલતે કેટલાંક રાજ્યો દ્વારા તોડી પાડવા સંબંધિત અન્ય એક કેસમાં ગુનાના આરોપી વ્યક્તિઓ સહિતની મિલકતોના તોડી પાડવા પર રોક લગાવી દીધી હતી અને કહ્યું હતું કે ગેરકાયદે તોડી પાડવાનો એકપણ કેસ બંધારણના ‘મૂળભૂત સિદ્ધાંતો’ના વિરુદ્ધ છે. જાેકે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે તેનો આદેશ જાહેર રસ્તાઓ, ફૂટપાથ, રેલવેલાઇન અથવા જળ સંસ્થાઓ જેવા જાહેર સ્થળોએ અનધિકૃત બાંધકામોને લાગુ પડતો નથી.


28, એપ્રીલ 2025 ગાંધીનગર   |  
ચાર મહાનગરમાં સાંજે ૬થી રાતના ૧૨ સુધીમાં સવા બે મહિનામાં ૫૫૨૯ ગુના

રાજ્ય પોલીસ દ્વારા મહાનગરોમાં વિશેષ ઝુંબેશ ચલાવામાં આવી હતીઅમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં સાંજે ૬ વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધી દારૂ-જુગારને લગતા મહત્તમ ગુનાઓ નોંધાય છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસે શરૂ કરેલી વિશેષ ઝુંબેશમાં સવા બે મહિનામાં ચાર મહાનગરોના ૩૩ અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યાના સમયગાળામાં પોલીસે ૫૫૨૯ ગુના નોંધ્યા છે. જેમાં દારૂ પીને વાહન ચલાવવાના ગુનાનો પણ સમાવેશ થાય છે. વડોદરા શહેરના ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૪૬૧ ગુના નોંધાયા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના ૩૩ અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઈવનિંગ પોલીસિંગ સંદર્ભે શરીર સંબંધી ગુનાઓને નિયંત્રિત કરવા માટે શરીર સંબંધી ત્રાસ રોકવા અભિયાન ચલાવ્યું હતું. જેના ફેબ્રુઆરીથી ૨૪ એપ્રિલ સુધીના પ્રોજેક્ટ દરમિયાન સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યાના સમયગાળામાં પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ-૧૩૫ હેઠળ કામગીરી કરીને સૌથી વધુ ગુના દાખલ કર્યા છે. જેમાં સુરત શહેરના ૯ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ૩૦૦૧ ગુના, વડોદરા શહેરના ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૪૬૧ ગુના, રાજકોટ શહેરના ૫ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ૫૫૨ ગુના નોંધાયા છે. અમદાવાદ શહેરના ૧૨ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૫૧૫ ગુના નોંધાયા હતા. રાજ્યના ૨૫ ટકા શરીર સંબંધી ગુના ચાર મહાનગરોમાં નોંધાતા હોવાનું તારણ અમદાવાદમાં ઇવનિંગ પોલીસિંગમાં દારૂ પીને વાહન ચલાવવાના ૩૨૩, દારૂ પીવા અંગે ૩૬૦, દારૂ રાખવાના ૪૮૭ ગુના નોંધાયા હતા. રાજ્યના ૨૫ ટકા શરીર સંબંધી ગુના ચાર મહાનગરમાં બનતા હોવાનું તારણ છે. પોલીસે ઇ-ગુજકોપ ડેટાના વિશ્લેષણ દ્વારા ચાર મહાનગરોમાં શરીર સંબંધી ગુનાના હોટ સ્પોટ નિયત કર્યા હતા. તેમાં જણાયું હતું કે, રાજ્યમાં બનતા શરીર સંબંધી ગુનાઓમાંથી ૨૫ ટકા ગુના ચાર મહાનગરોમાં અને તેમાંથી ૪૫ ટકા ગુના સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યાના સમયગાળામાં બન્યા છે. તેને ધ્યાનમાં રાખીને શસ્ત્ર પ્રોજેક્ટ હેઠળ વિશેષ ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, અને નાકાબંધી દ્વારા કાયદાકીય કાર્યવાહી કરાઇ હતી.


27, એપ્રીલ 2025 વડોદરા   |  
હવે 24 કલાકમાં ગમે ત્યારે 1 ગ્રામથી 20 ગ્રામ સોનાની ખરીદી કરી શકાશે

ગુજરાતના પ્રથમ ગોલ્ડ ATMનો સુરતમાં પ્રારંભ600 કિલોના મશીનમાં જડબેસલાક સુરક્ષાઅત્યાર સુધી તમે પૈસાના કે મિનરલ વોટરના ATM મશીન જોયા હશે. પરંતુ, હવે ગુજરાતમાં GOLD એટીએમ પણ આવી ચૂક્યું છે. રાજ્યમાં સૌ પ્રથમ સુરતમાં ગોલ્ડ ATM મૂકવામાં આવ્યું છે. જેમાં લોકો 24 કલાકમાં ગમે ત્યારે સોના કે ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. આ ગોલ્ડ ATMની મદદથી લોકો 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. ગુજરાતામં પ્રથમવાર શરૂ થયેલું આ ગોલ્ડ ATM કઈ રીતે કામ કરશે અને તેની સુરક્ષાના ફિચર કેવા છે તેની આગળ વાત કરીએ. હવે જ્વેલરી શોરૂમ ઓપન હશે તો જ ગોલ્ડ કે ચાંદી ખરીદી શકાશે એવું નથી પરંતુ જે રીતે બેંક બંધ થઈ ગયા બાદ પણ એટીએમ મશીન ની મદદથી રૂપિયા ગ્રાહકો મેળવી શકતા હતા તેવી જ રીતે હવે ગોલ્ડ એકથી એમ થકી 24 કલાક ગમે ત્યારે ગોલ્ડ અને ચાંદી ખરીદી શકાશે. ગોલ્ડસિક્કા કંપની સાથે મળીને આ ગોલ્ડ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનાથી વ્યક્તિ કોઈ પણ ડિજિટલ ટ્રાન્જેકશનથી સોનુ અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે. 'ગોલ્ડસિક્કા'ના ચીફ ગવર્નન્સ ઓફિસર પ્રતાપભાઈએ જણાવ્યું કે અમે હૈદ્રાબાદમાં સૌથી પહેલું ગોલ્ડ એટીએમ મશીન મૂક્યું છે. આ મશીનમાં એક ગ્રામથી લઈને 20 ગ્રામ સુધીના અલગ અલગ સોનાની ખરીદી શકે છે. દક્ષિણ ગુજરાતમાંથી પહેલી વખત સુરતમાં અમે આવ્યા છીએ. આ મશીનનું વજન 600 કિલો જેટલું છે એમાં અલગ અલગ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ જ્યારે પણ ભાવમાં ફેરફાર થાય છે તેનું સીધું એટીએમની સ્ક્રીન ઉપર દેખાશે. આ એટીએમ મશીન એ રીતે બનાવવામાં આવ્યું છે કે એમાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરીંગ થઈ શકશે નહીં. અમે અદાણીના તમામ દેશના એરપોર્ટ ઉપર આ ગોલ્ડ એટીએમ મશીન તેમજ અન્ય એરપોર્ટ ઉપર પણ મશીન ગોઠવવા માટેનું આયોજન કરી રહ્યા છે દેશના તિરુપત્તિ બાલાજી તેમજ અન્ય જે મોટા મંદિરો છે તેમાં પણ આ અમે લોકો મશીન મુકવા જઈ રહ્યા છે. મારા પિતાજીનું સપનું પૂરું કર્યું છે- દિપક ચોકસી ડી ખુશાલ દાસ જ્વેલર્સના માલિક દિપક ચોકસીએ જણાવ્યું કે મારા પિતાનું સપનું હતું કે લોકો ખૂબ સરળતાથી સોના અને ચાંદી ખરીદી શકે. ઘણી વખત લોકો વિવિધ પ્રસંગોમાં સોના અને ચાંદીના સિક્કાની ભેટ તરીકે આપતા હોય છે. પરંતુ, ક્યારે રાત્રિના સમયે કે વહેલી સવારે સોનીની દુકાનો બંધ હોય તો તેની ખરીદી કરી શકતા નથી હોતા. પરંતુ હવે આ મર્યાદા પણ દૂર થઈ જશે કારણ કે અમે જે પ્રકારે એટીએમ ગોઠવી રહ્યા છે તેને કારણે 24 કલાકમાં વ્યક્તિ પોતાની રીતે સોનુ અને ચાંદી ખરીદી શકશે. એટીએમ કાર્ડ તેમજ અન્ય ડિજિટલ કાર્ડ કે યુપીઆઈ થકી આ ખરીદી સરળતાથી કરી શકાશે આવનાર પેઢી માટે પણ હવે આ ખૂબ જ સરળ રહેશે કારણ કે ડિજિટલ યુગમાં હવે આવી અનેક નવી બાબતો ગ્રાહકો માટે વધુ સરળતા આપનારી રહેશે. અખાત્રીજ હોય કે ગુરુ પુષ્ય નક્ષત્ર હોય આવા દિવસે ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે. ત્યારે લોકો સરળતાથી ખરીદી શકશે. હવે દરરોજ 100 રૂપિયાનું સોનું પણ ખરીદી શકાશે! ડિજિટલ ગોલ્ડ એપ બનાવી છે. જેમાં તમે ગમે તેટલી રકમમાં ખરીદી શકશો. રોજ તમે 100નું પણ ગોલ્ડ લઈ શકો છો. એ ગોલ્ડ એટીએમમાં એકગ્રામ સુધી ભેગા થયા બાદ તમે એની જોડે પણ અમારી પાસેથી ખરીદી શકો છો. અને તમારા વોલેટમાં પણ તમે એ સોનુ રાખવા માંગતા હોવ તો એક આખો ડેટા તમારી પાસે રહેશે. ડી ખુશાલદાસ જ્વેલર્સ એપ શરૂ કરવામાં આવી રહી છે. આ એપ થકી જ તમે ખૂબ ઓછામાં ઓછા રૂપિયાથી પણ ખરીદી શકાશે. તમારા બજેટ પ્રમાણે નાનામાં નાની રકમથી પણ તમે ખરીદી કરી શકશો.


27, એપ્રીલ 2025
ગોંડલમાં અલ્પેશ કથિરિયાની કાર ઉપર હુમલો 

ગણેશ  જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચ્યા હતા. જ્યાં સુધી અમે ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે : અલ્પેશ કથીરિયા સામાજિક અને રાજકીય ઘમાસાણ જોર પકડ્યું છે. પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાની કાર ઉપર ગોંડલમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાયો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી બંને વચ્ચે વાક્યુદ્ધ ચાલી  રહ્યું છે જેને આજે અલગ જ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ  પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન તેમણે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા છે.અલ્પેશ કથિરિયાએ આ વિરોધ અને હુમલા વિશે વાત કરતાં કહ્યું કે, 'જ્યાં સુધી અમે ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવવા ન જોઈએ. આવે તો હુમલા કરવાના. તેના માણસો, ગાડી અને પરિવારને નુકસાન કરવાનું. ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિઓના ઈશારે નચાવવામાં આવી રહી છે.'  રાજકોટના ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી ગણેશ જાડેજા (ગોંડલ) અને અલ્પેશ કથિરિયા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાયો આવ્યો છે. ત્યારે MLA પુત્ર ગણેશ જાડેજા બે દિવસ પહેલાં આડકતરી રીતે અલ્પેશ કથીરિયા અને વરૂણ પટેલને ગોંડલ આવવાની વાત કરી હતી. જેને લઈને હવે અલ્પેશ કથીરિયા ચેલેન્જ સ્વીકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે “ગોંડલ, સ્વાગતની કરો તૈયારી...” આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ.' આજે અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાતે પહોંચ્યા છે. બે દિવસ પહેલાં સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ જાડેજાએ ચીમકી ઉચ્ચારતો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ પડકાર આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલ માટે હતો.  ગણેશ ગોંડલે કહ્યું હતું કે હું અને અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં જ રહીએ છીએ. માનું ધાવણ ધાવ્યાં હો તો આવી જાઓ મેદાનમાં. મારી ગાડી 2 વાગે ગોંડલમાં જોવા મળશે. જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પણ પકડીને બતાવો, હું વાવાઝોડાની જેમ ન આવું તો કહેજો... 200 કિલોમીટર દૂરથી વીડિયો બનાવીને રમત ન રમશો. આ કાર્યક્રમમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા, વરૂણ પટેલ, મેહુલ બોઘરા અને જિગીશા પટેલ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. 


મધ્ય ગુજરાત વધુ વાંચો
29, એપ્રીલ 2025 બોડેલી   |  
છોટાઉદેપુર વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા

છોટાઉદેપુર વન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ઉનાળા દરમિયાન વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ઉનાળા સીઝન દરમિયાન વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જુદા જુદા વિસ્તારમાં પાણીની કુંડી ભરી જંગલ વિસ્તાર માંજ પાણી મળી રહે તેના માટે પાણી ભરવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુર રેન્જમાં એક નવતર પ્રયોગ ગઝલર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ચોમાસાનું પાણી સંગ્રહ કરી ઉનાળામાં જયાં ટેન્કર પહોચી ના શકે એવા વિસ્તારમાં બનાવી પાણીનો ઉપયોગ ઉનાળામાં કરવામાં આવે છે. અને પીવા વન્ય પ્રાણીઓ આવે છે. તેને ખાતરી કરવા ટ્રેપ કેમેરા લગાવી અને ચકાસણી કરવામાં આવે છે. વન વિભાગ દ્વારા ગરમીમાં સતત પાણી ભરવામાં આવી રહ્યું છે. એમ છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજનભાઈ રાઠવાએ જણાવ્યું છે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ઉનાળા દરમિયાન વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.


29, એપ્રીલ 2025 શહેરા   |  
પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં શહેરાના બજારો બંધ

શહેરામાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓ એ સ્વૈછિક ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. હિંદુ મુસ્લિમ વિસ્તારના નાના-મોટા ધંધો કરતા વેપારીઓએ દુકાનો બંધ રાખીને આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપવા સરકારને અપીલ કરી હતી.જ્યારે સર્વ સમાજ અને તાલુકા ભાજપ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કરતા ૨૭ લોકોના મોત થયા હતા. આતંકવાદી હુમલાને લઈને ગુજરાતભરમાં ઠેર-ઠેર ઉગ્ર આક્રોશભર્યું વાતાવરણ જાેવા મળ્યું છે. જ્યારે પંચમહાલના શહેરામાં પણ આ બનેલી દુ:ખદ ઘટનાને લઈને નગરના તમામ વ્યાપારીઓએ પોતાના ધંધા રોજગાર મંગળવારના રોજ બંધ રાખ્યા હતા. નગરના અણિયાદ ચોકડી વિસ્તાર, પરવડી વિસ્તાર, સિંધી માર્કેટ,મેઇન બજાર , હુસેની ચોક , બસ સ્ટેશન વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં દુકાનો સજ્જડ બંધ જાેવા મળી રહી હતી. આ બનેલી દુ:ખદ ઘટનાને લઈને હિંદુ મુસ્લિમ વિસ્તારના તમામ વ્યાપારીઓએ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખીને સરકાર કડક પગલાં લઈ દેશમાં આતંક ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી હતી. જાેકે આતંકવાદી હુમલાની ઘટનાને લઈને બજારો સંપૂર્ણ બંધ રહેતા લોકોની અવર-જવર ઓછી જાેવા મળી હતી,જ્યારે તાલુકા ભાજપ અને સર્વ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ જેમાં આતંકવાદીઓ સામે અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનની સામે કાર્યવાહીની માંગ કરી હતી,મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત સૌ એ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી ને મૂર્તકો માટે બે મિનિટનુ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.નગર વિસ્તારના સંપૂર્ણ બજારો બંધ રહેવા સાથે લોકોનો ભારે આક્રોશ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને જાેવા મળી રહ્યો હતો. નગરના મહત્વના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


29, એપ્રીલ 2025 શહેરા   |  
શહેરામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદનો વિરોધ

શહેરામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મસ્જીદની બહાર ભારતીય એકતા ઝીંદાબાદ,આતંકવાદ મુર્દાબાદ જેવા પ્લે કાર્ડ અને બેનરો સાથે એકત્ર થઈ આતંકવાદનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સમગ્ર દેશભરમાં આતંકવાદ સામે રોષ જાેવા મળી રહ્યો છે,ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં પણ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો,શહેરામાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો,યુવાનો અને બાળકોએ બપોરની નમાઝ બાદ ભારતીય એકતા ઝીંદાબાદ,આતંકવાદ મુર્દાબાદ,આતંકવાદી કો ઘર મેં ઘુસ કર મારો જેવા વિવિધ બેનરો અને પ્લે કાર્ડ સાથે મસ્જીદની બહાર એકત્ર થઈ આંતકવાદનો વિરોધ નોંધાવ્યો હતો,સાથે જ હુમલો કરનારાઓને સખતમાં સખત સજા કરવામાં આવે અને ફરીવાર આવું કૃત્ય ન કરે તેવા પગલાં લેવાની માંગ કરાઈ હતી.આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી


29, એપ્રીલ 2025 દાહોદ   |  
ઝાલોદ ઝલાઈ માતાના મંદિર પાછળ કપચીના ઢગલાને કારણે મોટરસાયકલ પરથી પડેલા ચાલકનું સ્થળ પર જ મોત..

રાત્રિના સમયે ઝાલોદ ઝલાઈ માતાના મંદિર પાછળ નવા બનતા નાળા પાસે પૂરપાટ દોડી આવતી મોટર સાયકલ રોડની સાઈડ પર કરેલ કપચીના ઢગલા પર ચડી જતા ચાલકે મોટરસાયકલના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સાથે નીચે પટકાતા શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના ખરસાણા ગામના તળાવ ફળિયામાં રહેતા ૨૬ વર્ષીય રવિન્દ્રભાઈ પુંજાભાઈ બરજાેડ ગત તારીખ ૨૫-૪-૨૦૨૫ ના રોજ રાત્રિના સમયે તેના કબજાની જી.જે. ૨૦બીજે-૦૬૦૨ નંબરની મોટરસાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી ઝાલોદ ઝલાઈ માતાના મંદિર પાછળ નવા બનતા નાળા પાસે રોડની સાઈડમાં કરેલ કપચીના ઢગલા પર મોટરસાયકલ ચડાવી દેતા ચાલક રવિન્દ્રભાઈ બરજાેડે મોટરસાયકલ ના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સાથે કપચીના ઢગલામાં જ નીચે પડતા તેને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. બીજે દિવસે સવારે ઘટનાની જાણ થતા મરણ જનાર રવીન્દ્રભાઈ બરજાેડના પિતા પુંજાભાઈ તેરસિંગભાઈ બરજાેડે આ સંબંધે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઝાલોદ પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


29, એપ્રીલ 2025 બોડેલી   |  
બોડેલી તાલુકામાં પરપ્રાંતિય લોકોને પોલીસ મથકે બોલાવી ડોક્યુમેન્ટનું વેરિફિકેશન

કાશ્મીરના પહેલગામમાં આતંકી ઘટના બાદ પોલીસ વિભાગે લાલ આંખ કરી છે બોડેલી પોલીસ દ્વારા નગર સહીત સમગ્ર તાલુકામાં વસવાટ કરતા પરપ્રાંતિય લોકોને પોલીસ મથકે બોલાવી તેઓના જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કરી વેરિફિકેશન કરવામાં આવ્યા છે કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટનામાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ ઘટના બાદ સરકાર સતત એક્શન મોડમાં જાેવા મળી રહી છે સાથે સાથે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે રાજ્યની પોલીસે લાલ આંખ કરી છે ત્યારે બોડેલી સહીત સમગ્ર તાલુકામાં રહેતા પરપ્રાંતિય પરિવારની પોલીસે તપાસ હાથ ધરી છે બોડેલી સહીત સમગ્ર તાલુકામાં રહેતા પરપ્રસંતીય લોકોને પોલીસ મથકે બોલાવી તેઓના જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવાની કામગીરી પોલીસે કરી છે આજે અંદાજે ૧૪ કેટલા પરપ્રસંતીય લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા છે બોડેલી પોલીસે સમગ્ર તાલુકામાં બાંગ્લાદેશી લોકો છે કે કેમ તે દિશામાં પણ સઘન તપાસ હાથ ધરી છે હાલ આ કામગીરી ચાલી રહી છે ત્યારે કોઈ શંકાસ્પદ અથવા ગેરકાયદેસર વ્યક્તિ સામે આવ્યું નથી, સાથે આ સમગ્ર પ્રક્રિયામાં પોલીસની અન્ય એજન્સી પણ તપાસમાં જાેડાઈ તેવી વિગત સૂત્રો તરફથી મળી છે


ઉત્તર ગુજરાત વધુ વાંચો
29, એપ્રીલ 2025 પાલનપુર   |  
શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર તા.૩૦/૦૪/૨૦૨૫ વૈશાખ સુદ-૩ (ત્રીજ) થી તા.૨૬/૦૬/૨૦૨૫ ને અષાઢ સુદ-૧ (એકમ) સુધી માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં આરતી સવારે ૦૭:૦૦ થી ૦૭:૩૦, દર્શન સવારે ૦૭:૩૦ થી ૧૦:૪૫, રાજભોગ આરતી ૧૨:૩૦ થી ૧:૦૦, દર્શન બપોર ૦૧:૦૦ થી ૦૪:૩૦, આરતી સાંજે ૦૭:૦૦ થી ૦૭:૩૦, દર્શન સાંજે ૦૭:૩૦ થી ૦૯:૦૦ વાગ્યા સુધીનો સમય રહેશે. તા.૩૦/૦૪/૨૦૨૫ થી તા.૨૬/૦૬/૨૦૨૫ સુધી માતાજીનો અન્નકુટ થઈ શકશે નહિ. મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરાઈ છે.


29, એપ્રીલ 2025 અમદાવાદ   |  
અમદાવાદના ચંડોળામાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન

40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરનો ખડકલો ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાતઅમદાવાદના ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે. છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. જેના ઉપર હાલમાં બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે. એવામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જોકે, હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની આજે સુનાવણી હાથ ધરાશે.અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવાર રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ટ્રકો ગોઠવી દેવામાં આવ્યા હતા. અહીં ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવાયો છે. ચંડોળામાં અત્યાર સુધી 500 જેટલા મકાનો અને ઝૂપડાં ધ્વસ્ત કરાયા છે. ત્યારે લલ્લા બિહાર નામનો વ્યક્તિ ખૂબ ચર્ચામાં છે.લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2 હજાર વાર જગ્યા ખુલ્લી કરીને તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે.  ફાર્મ હાઉસ રૂમ, કિચન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, ફુવારા, મીની સ્વિમિંગ પુલ, હીંચકા અને AC સહિતની સુવિધાઓથી સજ્જ હતું. લલ્લા બિહારી ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો કરતો અને ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો પુરો પાડતો હતો. બિહાર પશ્વિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. તે વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા લેતો હતો અને જગ્યા ભાડે આપતો હતો. એટલું ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી આપતો હોવાના આરોપ છે. ત્યારે પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી લીધી છે. હાલ બંનેને ક્રાઇમ બ્રાન્ચ લઇ જવામાં આવ્યા છે. હાલ ડિમોલિશનના આ મુદ્દે 18 જેટલાં અરજદારોએ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. જોકે, અરજીમાં ડિમોલિશન મુદ્દે અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તેમજ નિયમો વિરૂદ્ધ ડિમોલિશનની કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં રહેતા લોકો બાંગ્લાદેશી નથી અને ખોટી રીતે અમારા મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે.  આ સિવાય કોઈ ગેરકાયદે વિદેશી છે કે, નહીં તેનો નિર્ણય ફોરેન ટ્રિબ્યૂનલ નક્કી કરે. તેથી તેની સામે કાર્યવાહીના ભાગરૂપે ગેરકાયદે રીતે ઘર તોડી ન શકાય. અમને ન તો કોઈ નોટિસ મળી છે અને ન તો પુનર્વસનની કોઈ વાત કરવામાં આવી છે. 


29, એપ્રીલ 2025 ગાંધીનગર   |  
બોર્ડની પરીક્ષાનું પરિણામ 4 મે પછી જાહેર થાય તેવી સંભાવના 

પરીક્ષાઓ વહેલી લેવાઈ પરંતુ પરિણામમાં વિલંબ નીટની પરીક્ષાના કારણે પરિણામ પાછા ઠેલાયા ધો. 10 અને 12 ની પરીક્ષા વહેલી લેવામાં આવી હતી જેથી પરિણામ વહેલું આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી હતી. પરંતુ હાલમાં પરિણામ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે જેનું કારણ નીટની પરીક્ષા હોવાનું જાણવા મળી રહ્યું છે. નીટની પરીક્ષા લેવાયા બાદ પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પ્રથમવાર ફેબ્રુઆરીમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ કરાઈ હતી અને વહેલી પરીક્ષા લેવાઈ હતી પરંતુ તેમ છતાં બોર્ડનું પરિણામ હજુ સુધી જાહેર થઈ શકયુ નથી. 12 સાયન્સની પરીક્ષા 10 માર્ચે પુરી થઈ ગઈ હતી છતાં પરિણામ જાહેર થયુ નથી ત્યારે મળતી માહિતી મુજબ નીટને લઈને બોર્ડ દ્વારા હવે ચોથી બાદ પરિણામ જાહેર કરાય તેવી શક્યતા છે.ધો.12 સાયન્સ પછીના મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશ માટે  આગામી ચોથી એપ્રિલે દેશભરમાં નીટ (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) લેવામા આવનાર છે ત્યારે હાલ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ નીટની છેલ્લી ઘડીની તૈયારીમાં લાગ્યા છે. હવે આ સંજાગોમાં ધો.12 સાયન્સની બોર્ડ પરીક્ષાનું અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવે તો વિદ્યાર્થીઓની નીટ પરીક્ષામાં અસર થઈ શકે છે અને મેડિકલ પ્રવેશ સંપૂર્ણ રીતે નીટના આધારે જ થાય છે ત્યારે વિદ્યાર્થીઓ નીટ પહેલા બોર્ડના પરિણામથી તણાવમાં ન આવે અને નીટ પરીક્ષા ન બગડે તે માટે હવે 12 સાયન્સનું બોર્ડ પરિણામ ચોથી બાદ એટલે કે નીટ પરીક્ષા બાદ જાહેર થવાની શક્યતા છે. આ વર્ષે પ્રથમવાર ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ ગઈ હતી અને ગત વર્ષ કરતા 13 દિવસ વહેલી હતી જેથી બોર્ડનું પરિણામ એપ્રિલ અંત સુધીમાં જાહેર થાય તેવુ આયોજન હતું. ઉપરાંત ધો.10 અને 12 સાયન્સની પરીક્ષા તો 10 માર્ચે જ પુરી થઈ ગઈ હતી જેથી એપ્રિલ અંત સુધીમાં જાહેર થઈ શકે તેમ હતું.


28, એપ્રીલ 2025
ખાડિયાની પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

અમદાવાદ સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી લેતા પતિ સહિત ૫ લોકો વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઘરકામની નાની નાની બાબતોમાં સાસરિયા ત્રાસ આપતા પરિણીતાએ એક વીડિયો બનાવી સમાજના વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતી પરિણીતાએ ૨૭મી એપ્રિલના દિવસે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જાન્યુઆરી ૨૦૨૨માં પરિણીતાના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ ખાડિયાના ભરત નામના યુવક સાથે થયા હતાં. બીજી તરફ તેના ભાઈના લગ્ન તેની નણંદ સાથે થયા હતાં. લગ્નના ત્રણેક માસ બાદ જ્યારે પરિણીતા પિયરમાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે તેનો પતિ અવાર નવાર કહે છે કે તું મને ગમતી નથી, પરંતુ મારા મા બાપના કહેવાથી મેં તારી સાથે લગ્ન કરેલ છે. આમ તે અવાર નવાર બોલાચાલી ઝઘડો કરે છે. જ્યારે તેના સાસુ, જેઠ, દિયર પણ ઘરની સાફ સફાઈ બાબતે જેમતેમ બોલીને મ્હેણાં ટોણા મારે છે.પરિણીતાના માતા તેને સમજાવીને સાસરીમાં મોકલી હતી. ધનતેરસના દિવસે તેના સાસરિયાએ તેની સાથે જમવાનું બનાવવા બાબતે બોલાચાલી કરી હતી. દિવાળીના દિવસે તેનો પતિ તેને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સામાજિક રીતે સમાધાન કરીને પરિણીતાને સાસરીમાં મોકલી હતી. જાેકે બાદમાં સાસરિયા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાં. પરિણીતાએ તેના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે તેના ભાભી બે ચાર દિવસ પહેલા ઘરે આવ્યા હતાં અને કહ્યું હતું કે જાે તારે મારા ભાઈ સાથે છૂટાછેડા લેવા હોય તો એક બાળક જણી આપ પછી તને છૂટાછેડા મળશે.


28, એપ્રીલ 2025
ગોમતીપુરમાં ગુંડાઓએ તલવારથી આતંક મચાવ્યો

અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્ત્વોનો આતંક જાેવા મળ્યો છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં જ્યુસની લારી ચલાવતા વેપારી પર તલવાર સાથે હુમલો કર્યો હતો. અસામાજિક તત્ત્વોએ જાહેરમાં આતંક મચાવ્યા બાદ અમદાવાદ પોલીસ સામે સવાલ ઉભા થયા છે. અમદાવાદ પોલીસને ચેલેન્જ ફેંકતા હોય તેમ અસામાજિક તત્ત્વો જાહેરમાં તલવાર અને લાકડા લઇને આતંક મચાવતા જાેવા મળ્યા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં જાહેર રોડ પર જ્યુસના વેપારીની લારીમાં તલવાર વડે કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. યુવકે ઉછીના રૂપિયા નહીં આપતા અસામાજિક તત્ત્વો તલવાર લઇને આવ્યા હતા અને રૂપિયા ના આપનાર યુવકના ભાઇની જ્યુસની લારીમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હતી. ગોમતીપુર વિસ્તારમાં આવેલા ચારતોડા કબ્રસ્તાનની સામે સૈયદ રીયાઝ હુસેનની ચાલીમાં રહેતા ગુલામસાબીર શેખે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સલમાન ઉર્ફે કાલીયા (રહે, કસાઇની ચાલી, ગોમતીપુર), અરબાઝ હૂસૈન શેખ, સોહેલ ઉર્ફે કટેલી (રહે, રેશમ પુજારીની ચાલી, ગોમતીપુર) સહિત ચારથી વધુ લોકો વિરૂદ્ધ લૂંટ, હુમલો તેમજ તોડફોડની ફરિયાદ કરી છે. અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં જ કેટલીક એવી ઘટનાઓ બની છે જેને લઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં બનેલી કેટલીક ઘટનાઓએ અમદાવાદ પોલીસ સામે સવાલ ઉભા કર્યા છે.અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં શાશ્વત સોસાયટી નજીક ૧૫થી ૨૦ લોકોના ટોળાએ જાહેરમાં લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવ્યો હતો. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી અને ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ ઘટનાનો મુખ્ય આરોપી હજુ સુધી પોલીસ પકડમાં આવ્યો નથી.શહેરના જુહાપુરા વિસ્તારમાં છરી અને લાકડીઓ વડે અસામાજિક તત્ત્વોનો મારામારી કરતો વીડિયો વાયરલ થયો હતો જેનાથી રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.ખોખરા વિસ્તારમાં એક પ્રેમ પ્રકરણને લઈને બે શખ્સોએ યુવકના ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી. આ ઘટનાના   ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં આરોપીઓની હરકતો દેખાઈ હતી.અમદાવાદ પૂર્વના અજીત મિલ પાસેની એક સોસાયટીમાં અસામાજિક ટોળાએ તલવાર, ધોકા અને પથ્થરો વડે પરિવાર પર હુમલો કર્યો હતો, જેનાથી આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.ઓઢવ વિસ્તારમાં ઈસ્ટરના દિવસે ચર્ચ પર હુમલો થયો હતો, જેમાં બજરંગ દળ અને ફૐઁના કેટલાક લોકો લાકડીઓ, છરીઓ અને લોખંડના કડા સાથે પ્રાર્થના સભામાં ઘૂસી ગયા હતા અને મહિલાઓ તથા બાળકોને ધમકાવ્યા હતા.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
28, એપ્રીલ 2025
સિંગણપોરનાં સિવિલ એન્જિનિયર અને વરાછાનાં રત્નકલાકારનું બેભાન થયા બાદ મોત

સુરત,  મૂળ અમરેલી સાવરકુંડલાના વતની અને હાલમાં સિંગણપોરની દેવ રેસિડેન્સીમાં રહેતા ૨૯ વર્ષીય ચિરાગ ગોવર્ધન પરમાર સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. તેમના પરિવારમાં પત્ની અને પુત્ર છે. ચિરાગભાઈ ગઇકાલે તેઓ પોતાના ઘરમાં એકાએક બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે વધુ તપાસ સીંગણપોર પોલીસ કરી રહી છે. બીજા બનાવમાં મોર ભાવનગરનાં વતની અને હાલમાં વરાછા વિસ્તારમાં આવેલા રવિપાર્ક સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય હેમંત ગોવર્ધન ડાભી રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારમાં પત્ની અને પુત્રીનું ગુજરાન ચલાવતા હતા. હેમંત ડાભી ગઈકાલે બપોરે વરાછા કુબેરનગર ખાતે દાંતનાં દવાખાનામાં પત્નીને સારવાર અપાવવા માટે ગયા હતા. દરમિયાન દાંતના દવાખાનામાં એકાએક હેમંત ડાભી બેભાન થઈ ઢળી પડ્યાં હતાં. જેથી પરિવારજનો તેમને ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે હેમંતભાઈને મૃત જાહેર કર્યા હતા. અંગે વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે.


28, એપ્રીલ 2025
સુરતમાં વધુ એક બાળકનું ઝાડા-ઊલટીથી મોત

સુરત, સુરત શહેરનાં પાંડેસરા ખાતે રહેતા શ્રમજીવી પરિવારના બાળકનું બે દિવસ ઝાડા-ઊલટી બાદ મોત નીપજ્યું હતું. મૂળ ઓરિસ્સાના વતની અને હાલમાં પાંડેસરા વિસ્તારમાં આવેલ આશાપુરી સોસાયટીમાં રહેતા હિના ગોડ મજૂરી કામ કરી પરિવારમાં પત્ની અને બે સંતાનનું ગુજરાન ચલાવે છે. હિનાભાઈના બે સંતાન પૈકી પુત્ર ૧૧ વર્ષીય બાદલને બે દિવસથી ઝાડા અને ઊલટી થઈ રહ્યા હતા. જેથી પરિવારજનોએ ઘર નજીકથી દવા લાવી તેને પીવડાવી હતી. દરમિયાન ગઈકાલે બપોરે તેની તબિયત વધુ લથડતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે વધુ તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.


28, એપ્રીલ 2025
આર્થિક સંકડામણથી કંટાળી રત્નકલાકારનો ફાંસો ખાઈ આપઘાત

સુરત, સુરત શહેરના કતારગામ ખાતે રહેતા પરમાર પરિવારના સભ્ય રત્નકલાકારનો ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવાને આર્થિક સંકડામણના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મૂળ ભાવનગર ના વતની અને હાલમાં કતારગામ વિસ્તારમાં આવેલી નારાયણ નગરમાં રહેતા ૩૯ વર્ષીય ભગવાન છગન પરમાર એકલો રહેતો હતો. રત્નકલાકાર તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ભગવાને રવિવારે બપોરે ઘરના પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ભગવાન કાયમ પડોશીઓને કહેતો હતો કે હીરામાં બહુ મંદી છે બહુ મંદી છે. હાલ તો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ભગવાને આર્થિક સંકડામણ ના કારણે આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. અંગે વધુ તપાસ કતારગામ પોલીસ કરી રહી છે.પાંડેસરામાં સગી બે બહેને દવાનો ઓવરડોઝ લઇ આપઘાતનો પ્રયાસ કર્યો સુરત શહેરનાં પાંડેસરા વિસ્તારમાં ધોરણ ૭માં અભ્યાસ કરતી બે સગી બહેનને દવાનો ઓવરડોઝ ગળી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરી છે. પિતાના અવસાનના એક માસ બાદ બંને દીકરીના આપઘાતના પ્રયાસથી ચકચાર મચી છે. બંને બહેનોએ કયા કારણસર આ પગલું ભર્યું તે અંગે રહસ્ય ઘેરાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મિલન પોઈન્ટ પાસે આવેલા જય અંગે નગરમાં રહેતી ૧૪ વર્ષીય મુસ્કાન લક્ષ્મીકાન્ત મિશ્રા અને ૧૩ વર્ષની તેની નાની બહેન અંકિતાએ ગઈકાલે બપોરે પોતાના ઘરમાં કોઈ દવાના ઓવરડોઝ ગળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બહેનોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં બંને બહેનોને વધુ સારવાર માટે એફ-ડી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર મુસ્કાન અને અંકિતા મૂળ યુપીની વતની છે, અને હાલમાં પાંડેસરાની જ સરકારી શાળામાં ધોરણ ૭માં અભ્યાસ કરે છે. તેણીના પિતાનું એક માસ પહેલા જ બીમારીના કારણે અવસાન થયું હતું અને બંને બહેનો પોતાની અન્ય ખોલી (રૂમ) ભાડે આપી પોતાનું ગુજરાન ચલાવે છે. બંને બહેનોએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે રહસ્ય સર્જાયું છે. આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે પાંડેસરા પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ આરંભી છે.એમ્બ્રોડરીનાં વેપારીનાં વૃદ્ધ માતાનો ગૃહ ક્લેશથી કંટાળી આપઘાતસુરત શહેરમાં આવેલા સરથાણા વિસ્તારમાં રહેતા એમ્બ્રોડરી વેપારીના વૃદ્ધ માતાએ ઝેર ગટગટાવી લેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. વૃદ્ધાએ ગૃહ કલેશથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. સ્મીમેરમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લામાં આવેલા તારાજ ગામના વતની વૃધ્ધા ગૌરીબેન નરશીભાઈ બેલડીયા હાલમાં સુરત શહેરમાં આવેલા સરથાણા વિસ્તારમાં આવેલી ખોડલ છાયા સોસાયટીમાં પુત્ર સાથે રહેતા હતા. તેમનો પુત્ર એમ્બ્રોડરીનું ખાતું ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારે ગૌરીબેને પોતાના ઘરમાં ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પરિવારજનો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. શનિવારે સાંજે ગૌરીબેન નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગૌરીબેને ગૃહ ક્લેશથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે.


28, એપ્રીલ 2025 ગાંધીનગર   |  
ચાર મહાનગરમાં સાંજે ૬થી રાતના ૧૨ સુધીમાં સવા બે મહિનામાં ૫૫૨૯ ગુના

રાજ્ય પોલીસ દ્વારા મહાનગરોમાં વિશેષ ઝુંબેશ ચલાવામાં આવી હતીઅમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં સાંજે ૬ વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધી દારૂ-જુગારને લગતા મહત્તમ ગુનાઓ નોંધાય છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસે શરૂ કરેલી વિશેષ ઝુંબેશમાં સવા બે મહિનામાં ચાર મહાનગરોના ૩૩ અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યાના સમયગાળામાં પોલીસે ૫૫૨૯ ગુના નોંધ્યા છે. જેમાં દારૂ પીને વાહન ચલાવવાના ગુનાનો પણ સમાવેશ થાય છે. વડોદરા શહેરના ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૪૬૧ ગુના નોંધાયા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના ૩૩ અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઈવનિંગ પોલીસિંગ સંદર્ભે શરીર સંબંધી ગુનાઓને નિયંત્રિત કરવા માટે શરીર સંબંધી ત્રાસ રોકવા અભિયાન ચલાવ્યું હતું. જેના ફેબ્રુઆરીથી ૨૪ એપ્રિલ સુધીના પ્રોજેક્ટ દરમિયાન સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યાના સમયગાળામાં પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ-૧૩૫ હેઠળ કામગીરી કરીને સૌથી વધુ ગુના દાખલ કર્યા છે. જેમાં સુરત શહેરના ૯ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ૩૦૦૧ ગુના, વડોદરા શહેરના ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૪૬૧ ગુના, રાજકોટ શહેરના ૫ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ૫૫૨ ગુના નોંધાયા છે. અમદાવાદ શહેરના ૧૨ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૫૧૫ ગુના નોંધાયા હતા. રાજ્યના ૨૫ ટકા શરીર સંબંધી ગુના ચાર મહાનગરોમાં નોંધાતા હોવાનું તારણ અમદાવાદમાં ઇવનિંગ પોલીસિંગમાં દારૂ પીને વાહન ચલાવવાના ૩૨૩, દારૂ પીવા અંગે ૩૬૦, દારૂ રાખવાના ૪૮૭ ગુના નોંધાયા હતા. રાજ્યના ૨૫ ટકા શરીર સંબંધી ગુના ચાર મહાનગરમાં બનતા હોવાનું તારણ છે. પોલીસે ઇ-ગુજકોપ ડેટાના વિશ્લેષણ દ્વારા ચાર મહાનગરોમાં શરીર સંબંધી ગુનાના હોટ સ્પોટ નિયત કર્યા હતા. તેમાં જણાયું હતું કે, રાજ્યમાં બનતા શરીર સંબંધી ગુનાઓમાંથી ૨૫ ટકા ગુના ચાર મહાનગરોમાં અને તેમાંથી ૪૫ ટકા ગુના સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યાના સમયગાળામાં બન્યા છે. તેને ધ્યાનમાં રાખીને શસ્ત્ર પ્રોજેક્ટ હેઠળ વિશેષ ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, અને નાકાબંધી દ્વારા કાયદાકીય કાર્યવાહી કરાઇ હતી.


27, એપ્રીલ 2025
ઘરનાં પહેલાં માળની ગેલેરીમાંથી નીચે પટકાતાં બાળકીનું મોત

સુરત મૂળ ઉત્તર પ્રદેશ ફતેપુર ના વતની અને હાલમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી તુલસીધામ સોસાયટીમાં રહેતા રાતુશકુમાર યાદવ ધાગા કટીંગ નું કામ કરી પરિવારમાં પત્ની અને બે સંતાનનું ગુજરાન ચલાવે છે. રાતુશકુમાર ના બે સંતાન પૈકી ત્રણ વર્ષીય પુત્રી અંજલી ૧૨ એપ્રિલના રોજ બપોરે માતા સાથે ઘરે જમીને ઊભી થઈ હતી. એ વેળા માતા હાથ ધોવા માટે બાથરૂમ પાસે ગઈ હતી. તે દરમિયાન અંજલિ રમતા રમતા ઘરની ગેલેરીનાં પહેલા માળેથી નીચે પટકાઈ હતી. જેથી પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અંજલિનું શુક્રવારે બપોરે મોત નીપજ્યું હતું.આ અંગે વધુ તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution