ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
12, જુન 2025 3267   |  
અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ: રૂપાણી સહિત ૨૪૧નાં મોત

વડોદરા/અમદાવાદ: ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટથી બ્રિટનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભર્યાના માત્ર બે મિનિટમાં રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાનમાં બે પાયલટ, ૧૦ ક્રૂ મેમ્બર અને ૨૩૦ મુસાફરો સવાર હતા. સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી. વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી કેટલાક સ્થાનિક લોકોના પણ મૃત્યુ થયા હશે.અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ ભારતીય સશસ્ત્ર દળોની ટીમોને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે મોકલાઈ હતી. ઉપરાંત, પ્રારંભિક રાહત કામગીરી માટે સશસ્ત્ર દળો સાથે એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. માહિતી અનુસાર ટેકઓફ થયા બાદ પ્લેનના ટાયર ઈન્સર્ટ ન થતા દુર્ઘટના સર્જાઈ હતી. વિમાન સૌપ્રથમ એક એવી બિલ્ડિંગ સાથે અથડાયું હતું જ્યાં મેસ ચાલતી હતી. જે ટક્કર એટલી જાેરદાર હતી કે, પ્લેનની ટેઈલના બે ટુકડા થઈ ગયા હતા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું હતું, જ્યાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ આવેલી હતી. અથડામણ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએ થઈ હતી, જેનાથી બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતુ. આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા. આ ઘટનાને નજરે જાેનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેક્યો હતો. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, મૃતકના નજીકના સગા ડીએનએ સેમ્પલ આપી શકે તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કસોટી ભવનમાં સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. ઉલ્લેખનીય છેકે, ૧૯મી ઓક્ટોબર ૧૯૮૮ના રોજ અમદાવાદથી બે કિમી દૂર ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ ક્રેશ થઈ હતી. જેમા સવાર ૧૩૫ પૈકી ૧૩૩ના મોત થયા હતા.


12, જુન 2025 1980   |   શહેરા   |  
શહેરા તાલુકામાસરપંચ પદના ૮૦ અને સભ્ય પદના ૩૩૭ ઉમેદવારો ચુંટણી મેદાનમાં

શહેરા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થતા ૨૪ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ૩ ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી ૨૨ જૂન ના રોજ યોજાનાર છે. કુલ ૨૭ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના ૮૦ ઉમેદવારો અને સભ્ય પદના ૩૩૭ ઉમેદવારો ચુંટણી મેદાનમાં હોવા સાથે જ્યારે બિન હરીફ સરપંચ પદના ૮ ઉમેદવાર અને ૧૨૪ વોર્ડ સભ્યો થયા હતા.અને સાત ગ્રામ પંચાયત સમરસ થઈ હતી... પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૧૧ ગ્રામ પંચાયતોની પેટા ચુંટણી માટે સરપંચ પદના કુલ ૧૩૨ ફોર્મ અને સભ્ય પદ માટે કુલ ૪૯૯ ફોર્મ ભરાયા હતા,જેમાં ફોર્મ ચકાસણીના દિવસે સરપંચ પદના ૪ ફોર્મ અને સભ્ય પદના ૯ ફોર્મ અમાન્ય થયા હતા,જ્યારે ફોર્મ પરત ખેંચવાના દિવસે સરપંચ પદના ૪૪ અને સભ્ય પદના ૨૭ ફોર્મ પરત ખેંચાયા હતા,જેને લઈને સરપંચ પદના ૮ ઉમેદવારો જ્યારે ૧૨૪ વોર્ડ સભ્યો બિનહરીફ થયા હતા,જેમાં યોજાનાર પેટા ચુંટણીમાં સરપંચના ૧ ઉમેદવાર અને સભ્ય પદના ૩ ઉમેદવારનો સમાવેશ થાય છે,સાથેસાથે સમરસ થયેલ ૭ ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્ય પદના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.જાેકે યોજાનાર ૪૨ ગ્રામ પંચાયતોમાંથી પેટા ચુંટણીમાં સમાવિષ્ટ ૧૧ ગ્રામ પંચાયત પૈકી ખાંટના મુવાડા વોર્ડ નં.૭, ગોકળપુરા વોર્ડ નં.૧, પોયડા વોર્ડ નં.૮ અને વાડી ગ્રામ પંચાયતમાં વોર્ડ નં.૭ ની પણ ચુંટણી થવાની હતી પરંતુ આ ચાર ગ્રામ પંચાયતોમાં વોર્ડ સભ્યોની પેટા ચુંટણી માટે એક પણ ફોર્મ નહીં ભરાયા હોવાની સાથે ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચાયા બાદ સરપંચ અને સભ્ય પદના ઉમેદવારો બિનહરીફ થતાં ૨૪ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ૩ ગ્રામ પંચાયતોની પેટા ચુંટણી મળી કુલ ૨૭ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના ૮૦ ઉમેદવારો અને સભ્ય પદના ૩૩૭ ઉમેદવારો ચુંટણી મેદાનમાં રહેતા ગ્રામ પંચાયતોની ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.જાેકે યોજાનાર ૨૪ ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી પૈકી ધરોલાખુર્દ અને ખરોલી ગ્રામ પંચાયતમાં તમામ ૮ વોર્ડ બિનહરીફ થતાં માત્ર સરપંચ પદની ચુંટણી યોજવાની છે,જ્યારે નાંદરવા,રેણાં અને વાઘજીપુર આ ૩ ગ્રામ પંચાયતોની પેટા ચુંટણીમાં પણ માત્ર સરપંચ પદની ચુંટણી યોજાવાની છે.ત્યારે હવે ગ્રામ પંચાયતોની ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થતાં ચુંટણી મેદાનમાં રહેલા સરપંચ અને સભ્ય પદના ઉમેદવારો પોતાની જીત હાંસલ કરવા માટે ચુંટણી પ્રચારમાં લાગી ગયા છે. કઈ ગ્રામ પંચાયતમાં કેટલા વોર્ડ સભ્યો બિનહરીફ બિનહરીફ થયા. ધારાપુર-૪ વોર્ડ, ગુણેલી-૨ વોર્ડ, ખરોલી-૮ વોર્ડ, સંભાલી-૪ વોર્ડ, ગ.બા.ના મુવાડા-૨ વોર્ડ, ઝોઝ-૩ વોર્ડ, વિજાપુર-૭ વોર્ડ, ચોપડાખુર્દ-૧ વોર્ડ, ધાયકા-૧ વોર્ડ, છાણીપ-૩ વોર્ડ, છાયણા-૧ વોર્ડ, સરાડીયા-૧ વોર્ડ, નાડા-૨, બોરીયાવી-૧ વોર્ડ, ખાંડા-૩ વોર્ડ, ભીમથલ-૭ વોર્ડ, ધરોલાખુર્દ-૮ વોર્ડ, ધમાઈ-૫ વોર્ડ, ડેમલી-૨ વોર્ડ, મહેલાણ (પેટા) - ૧ વોર્ડ, છોગાળા (પેટા) -૧ વોર્ડ, જા.બા.ના મુવાડા (પેટા) -૧ વોર્ડ, નવાગામ-૮ વોર્ડ, હોસેલાવ-૮ વોર્ડ, ભોટવા-૮ વોર્ડ, નવા ભુણીદ્રા-૮ વોર્ડ, વક્તાપુરા-૮ વોર્ડ, સગરાડા-૮ વોર્ડ, જાેધપુર- ૮વોર્ડ.)


12, જુન 2025 1980   |   જામનગર   |  
જામનગરમાં બે પોલીસકર્મી અને SOG કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

જામનગરના સમર્પણ સર્કલ નજીક પંચાયત કાફે રેસ્ટોરન્ટ પાસે એસીબી (એન્ટિ કરપ્શન બ્યુરો) દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં રૂ. ૧,૦૦,૦૦૦ ની લાંચ લેતા SOG ના કોન્સ્ટેબલ રવિભાઈ ગોવિંદભાઈ શર્મા ઝડપાઈ ગયા છે. આ લાંચ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ઉદ્યોગનગર પોલીસ ચોકીના પોલીસ કોન્સ્ટેબલ ધમભાઈ બટુકભાઈ મોરી અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.ડી. ગોહિલ વતી સ્વીકારવામાં આવી હતી.ફરિયાદી વિરુદ્ધ જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ઉદ્યોગનગર પોલીસ ચોકીમાં અગાઉ છેતરપિંડી અંગેની અરજી થઈ હતી. ભવિષ્યમાં કોઈ નવી અરજી આવશે તો જાણ કરવા અને હેરાનગતિ ન થાય તે માટે આરોપી રવિભાઈ શર્માએ ફરિયાદીને કોન્સ્ટેબલ ધમભાઈ બટુકભાઈ મોરી અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.ડી. ગોહિલને રૂબરૂ મળીને 'કાંઈક વહીવટ' કરી દેવાનું જણાવ્યું હતું. ફરિયાદી જ્યારે આરોપી ધમભાઈ મોરીને મળ્યા ત્યારે તેમણે ફરિયાદી પાસેથી રૂ. ૫૦,૦૦૦ની લાંચની માંગણી કરી અને આ રકમ આરોપી સબ-ઇન્સ્પેક્ટર આર.ડી. ગોહિલને આપી દેવા જણાવ્યું. ત્યારબાદ, આરોપી રવિભાઈ શર્માએ ફરિયાદીને પોલીસ ચોકીએ રૂબરૂ બોલાવીને આર.ડી. ગોહિલની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી. આ વાતચીત દરમિયાન આર.ડી. ગોહિલ વતી રૂ. ૫૦,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી, જેને આરોપી સબ-ઇન્સ્પેક્ટર આર.ડી. ગોહિલે સહમતિ આપી હતી. આમ કુલ રૂ. ૧,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે ૧૧ જૂન, ૨૦૨૫ ના રોજ જામનગર ખાતે સમર્પણ સર્કલ, જકાતનાકા રોડ પર આવેલ પંચાયત કાફે રેસ્ટોરન્ટની બાજુમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન રવિભાઈ શર્માએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, કોન્સ્ટેબલ ધમભાઈ બટુકભાઈ મોરી અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.ડી. ગોહિલ વતી લાંચની રકમ રૂ. ૧,૦૦,૦૦૦ ફરિયાદી પાસેથી માંગી, સ્વીકારી અને ગુનાહિત ગેરવર્તણૂક કરી. ઘટનાસ્થળેથી આરોપી કોન્સ્ટેબલ રવિભાઈ ગોવિંદભાઈ શર્મા ઝડપાઈ ગયો હતો. જોકે, આરોપી ધમભાઈ મોરી અને આરોપી આર.ડી. ગોહિલ સ્થળ પરથી મળી આવ્યા નથી. આ ટ્રેપ ઓપરેશન રાજકોટ એસીબી એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણી અને જામનગર એસીબી સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક જે.એમ. આલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રણેય આરોપીઓએ એકબીજાને મદદગારી કરી પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.


11, જુન 2025 1584   |  
મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબેને 75 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો

તલગાજરડા નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા  આજે સવારે નવ વાગ્યે સમાધિ અપાઈગુજરાતના સુપ્રસિદ્ધ કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની  નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું ૭૯ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગઈકાલે મોડી રાત્રે ૧.૩૦ વાગ્યે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી ધાર્મિક અને સામાજિક જગતમાં શોકનો માહોલ છવાયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદાબેન થોડા સમયથી બિમાર હતા અને છેલ્લા બે દિવસથી તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો. તેમના પાર્થિવદેહને આજે સવારે ૯ વાગ્યે તલગાજરડાના નિવાસસ્થાને જ સમાધિ આપવામાં આવી હતી. તલગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ પાળીને શોક વ્યક્ત કર્યો હતો.મોરારિબાપુ સાથે નર્મદાબાના લગ્ન વણોટ ગામે થયા હતા. નર્મદાબેન હંમેશા મોરારિબાપુના ધાર્મિક કાર્યોમાં પડછાયાની જેમ સાથ આપતા હતા અને તેમની સાદગીભરી જીવનશૈલી માટે જાણીતા હતા. તેમના નિધનથી મોરારિબાપુ અને હરિયાણી પરિવાર શોકસાગરમાં ગરકાવ થયો છે.


10, જુન 2025 1980   |   રાજકોટ   |  
મોંઘવારી એરિયર્સની રકમ પાસ કરવા બે લાખની લાંચ લેતા કલાર્ક અને ટ્રસ્ટી ઝડપાયા

રાજકોટની ગાયત્રી હાઇસ્કૂલના નિવૃત શિક્ષક પાસેથી 12.15 લાખની લાંચ માંગી હતીરાજકોટના લોધીકા તાલુકાના પાળ ગામે આવેલ ગાયત્રી હાઇસ્કૂલના કલાર્ક ધર્મેન્દ્ર ખીરા અને ટ્રસ્ટી ગુણવંતરાય ખીરા એસીબાના હાથે બે લાખની લાંચ લેતા ઝડપાયા છે. આરોપીઓએ હાઇસ્કૂલના નિવૃત શિક્ષક પાસેથી મોંઘવારી એરીયર્સ સહિતની ૧૨.15 લાખની રકમ પાસ કરાવવા બે લાંખની લાંચ માંગી હતી જે આપતા સમયે બંન્ને આ!પીઓ વાણિયાવાડી વિસ્તારમાંથી રંગે હાથે ઝડપાઇ ગયા હતા. આરોપીઓની ધરપકડ કરી એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાળ ગામ ખાતે ગાયત્રી હાઈસ્કૂલ આવેલી છે. આ હાઈસ્કૂલમાં ફરજ બજાવી નિવૃત થયેલા એક શિક્ષકે તેઓના મોંધવારીના 53% મુજબ એરીયર્સ બીલની રકમ તથા રજા રોકડ રૂપાંત્તરની રકમ મળી કુલ આશરે રૂ.12,15,000ની રકમ પોતાની ઝડપથી મળે તે હેતુથી હાઇસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્રભાઇ ભાનુશંકરભાઇ ખીરા અને ટ્રસ્ટી ગુણવંતરાય ચુનીલાલ ખીરાને મળી રજૂઆત કરી હતી. જેની સામે આરોપીઓ દ્વારા નિવૃત શિક્ષક પાસેથી રૂ.3 લાખની માંગણી કરી હતી અને બાદમાં રકઝકના અંતે રૂપિયા 2 લાખ આપવા નક્કી કરાયું હતું અને આ રકમ આરોપીઓ દ્વારા તેમને ઘરે આપી જવા માટે કહ્યું હતું. નિવૃત શિક્ષક પોતાના હક્કના રૂપિયા લેવા માટે લાંચની રકમ આપવા માંગતા ન હતા, જેથી તેમને એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં ટ્રેપ ગોઠવવા નક્કી કર્યું હતું. આરોપીઓએ લાંચની રકમ ઘરે આપવા માટે કહ્યું હોવાથી ફરિયાદી નિવૃત શિક્ષક રૂપિયા 2 લાખની રકમ લઇ આરોપીના ઘરે રાજકોટમાં વાણીયાવાડી વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં આરોપી ગુણવંતરાય ચુનીલાલ ખીરા (ઉ.વ.74) પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી રૂ.2 લાખની ગેરકાયદેસર લાંચની રકમ માંગી આરોપી ધર્મેન્દ્રભાઇ ભાનુશંકરભાઇ ખીરા (ઉ.વ.55)ની હાજરીમાં સ્વીકારી હતી જેથી તુરંત એસીબીએ બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
14, જુન 2025 1782   |   વડોદરા   |  
પ્લેન ક્રેશ : મૃતકો માટે વડોદરામાં બની રહ્યા છે ક્રોફિન

અમદાવાદમાં સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે વડોદરામાં ક્રોફિન બોક્સ બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી વડોદરાના ફતેગંજ કબ્રસ્તાન પરિસરમાં જોરાઈશોથી ચાલી રહી છે.એર ઇન્ડિયા દ્વારા આ દુર્ઘટનાના મૃતકો માટે કુલ ૧૦૦ ક્રોફિન બોક્સની માગણી કરવામાં આવી છે. વડોદરાથી આજે સાંજ સુધીમાં ૫૦ ક્રોફિન બોક્સ તૈયાર કરીને મોકલવામાં આવશે, જેથી મૃતદેહોને તેમના વતન સુધી સન્માનપૂર્વક પહોંચાડી શકાય. વર્ષોથી ક્રોફિન બોક્સ બનાવતા બોબીભાઈનું પણ આ કરુણ ઘટનાથી હૃદય દ્રવી ઉઠ્યું છે. તેઓ અને ખ્રિસ્તી સમુદાય દ્વારા આ મુશ્કેલ સમયમાં માનવતાની સેવા રૂપે આ ક્રોફિન બોક્સ બનાવવાની સેવા આપવામાં આવી રહી છે. આ ક્રોફિન બોક્સ, ખાસ કરીને જ્યારે મૃતદેહોની ઓળખ અને પરિવહન એક પડકાર હોય, ત્યારે અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


14, જુન 2025 1584   |   વડોદરા   |  
વડોદરાના મંજુસરની પી.આઇ. પોલીબ્લેન્ઝ કંપનીમાં ભીષણ આગ

વેરહાઉસ ખાક, ફાયરની પાંચ ટીમો ઘટનાસ્થળેવડોદરાના મંજુસર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પી.આઇ. પોલીબ્લેન્ઝ નામની, પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આજે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી વિકરાળ છે કે એક કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તે હજુ બેકાબૂ બની રહી છે. આ ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આગની લપેટો એટલી ભયંકર છે કે કંપનીનું આખું વેરહાઉસ બળીને ખાક થઈ ગયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. દૂર-દૂર સુધી આગના ગોટેગોટા અને ધુમાડાના ગુડગુડાટ જોવા મળી રહ્યા છે. સ્થાનિક ધનંજયભાઈ, જેમણે સૌપ્રથમ આગ જોઈને ફાયર વિભાગને જાણ કરી, તેમણે જણાવ્યું કે તેમને લાગી રહ્યું છે કે બાજુના ખેતરમાં કોઈએ કચરો સળગાવ્યો હતો અને તેના કારણે આ આગ પ્રસરતી કંપની સુધી પહોંચી છે. આગની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે. હાલમાં ફાયર વિભાગની પાંચ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જેમાં ઈઆરસી ફાયર, ટી.પી. ૧૩ અને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમો સામેલ છે. આ ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ આગની તીવ્રતાને કારણે હજુ સુધી સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકાયું નથી. સદનસીબે, હાલ સુધીમાં આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, જે એક રાહતની વાત છે. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સ્થિતિ પર નજર રાખી રહી છે. આગનું ચોક્કસ કારણ અને નુકસાનનો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી. ફાયર વિભાગની ટીમો હાલ પણ આગ બુઝાવવા કાર્યરત છે.


14, જુન 2025 1485   |   વડોદરા   |  
વડોદરાની પોલિબેન્ડ કંપનીમાં ભીષણ આગ

૧ કલાકથી વધુ સમયથી આગ બેકાબૂ, ફાયરની પાંચ ટીમો ઘટનાસ્થળેવડોદરાના મંજુસર વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના દાણા બનાવતી પોલિબેન્ડ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી વિકરાળ હતી કે વડોદરા ફાયર વિભાગની ઈઆરસી ફાયર, ટીપી ૧૩ અને પાણીગેટ ફાયર સ્ટેશન સહિતની પાંચથી વધુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. આગ લાગ્યા બાદ એક કલાકથી વધુ સમય વિતી ગયો છે અને હજુ સુધી આગ બેકાબૂ છે. આગની જ્વાળાઓ દૂરથી પણ દેખાઈ રહી છે. હાલમાં સુધીમાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી, જે રાહતની વાત છે. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે. રેસ્ક્યુ અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની હોવાથી આગ વધુ વિકરાળ બની હોવાનું અનુમાન છે.


14, જુન 2025 1386   |   વડોદરા   |  
RTO : ૨૦ વર્ષથી ટેક્સ ન ભરનારા ૨૪ વાહનોની ટૂંક સમયમાં હરાજી થશે

વડોદરા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) ખાતે છેલ્લા ઘણા સમયથી ટેક્સની ભરપાઈ ન કરનારા વાહનો ખૂબ જ જર્જરિત સ્થિતિમાં પડ્યા છે. આ વાહનો RTO કમ્પાઉન્ડમાં જગ્યા તો રોકે છે, પરંતુ સરકારનો ટેક્સ છેલ્લા ૨૦ વર્ષથી ભર્યો નથી. આવા ૨૪ જેટલા મોટા વાહનોની હરાજી અંગેની અપસેટ વેલ્યુ જાહેર કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની હરાજી થશે. આ વાહનોમાં વર્ષ ૨૦૦૧ થી લઈ વર્ષ ૨૦૧૬ સુધીના વાહનોનો સમાવેશ થાય છે.RTO દ્વારા કરાયેલી કાર્યવાહી વડોદરા RTO વિભાગમાં છેલ્લા ૨૫ વર્ષથી જૂના એવા વાહનો છે, જેમણે ટેક્સની ભરપાઈ કરી નથી. આવા વાહનો સામે RTO વિભાગ દ્વારા સમયસર ટેક્સ ન ભરનારા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજ દિન સુધી ટેક્સ ન ભરાતા, સંબંધિત વિભાગ દ્વારા મિલકત પર બોજો દાખલ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. આવા વાહન માલિકોને નોટિસ પણ આપવામાં આવી છે. હરાજીનો હેતુ આ એવા વાહનો છે કે જેઓનો RTO વિભાગે ટેક્સ ભરપાઈ ન થવાને કારણે જપ્ત કર્યા છે. વર્ષો સુધી વાહન માલિકો આ ટેક્સની ભરપાઈ કરતા નથી, ત્યારે આ વાહનો એક તો RTO પરિસરમાં વર્ષોથી જગ્યા રોકી રહ્યા છે, અને સાથે સરકારના ટેક્સના પૈસા પણ આવતા નથી. જેથી તેઓ સામે કાર્યવાહીના ભાગ રૂપે હરાજી કરી તેના ટેક્સની રકમ વસૂલવામાં આવશે. ત્યારબાદ પણ જો આ વાહનના ટેક્સની રકમ વધુ હશે, તો એવા માલિકોની મિલકત પર બોજો દાખલ કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા અને ફાયદા વડોદરા RTO વિભાગ દ્વારા હાલમાં કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં વર્ષ ૨૦૦૧ થી લઈ વર્ષ ૨૦૧૬ સુધીના ૨૪ જેટલા વાહનોની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં અપસેટ પ્રાઈઝ ₹૪૦,૦૦૦ થી લઈ ₹૨,૧૫,૦૦૦ સુધી રાખવામાં આવી છે, જેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં જો આ વાહનોની જાહેર હરાજી થઈ જશે તો RTO પરિસરમાં ખુલ્લી જગ્યા થશે અને સરકારના ટેક્સના નાણા પરત મળશે, તો સરકારને પણ બાકી નાણાની રકમ મળે તો બોજો ઓછો થઈ શકે છે.


13, જુન 2025 1584   |  
આણંદના હાલાણી પરિવારના ૩ સભ્યોને દીકરાને મળવા જતી વખતે કાળ ભેટ્યો

આણંદ, આણંદના પુત્રને મળવા માટે હાલાણી પરિવારના માતાપિતા અને કાકી લંડન જવા નીકળ્યા હતા. જયાં પ્લેન ક્રેશ થતાં ત્રણે દર્ઘટનાનો ભોગ બન્યા હતા. આણંદ શહેરના જાણીતા બિલ્ડર રાજુભાઇ હાલાણીના ભાઇ બદરૂદીન હસનઅલી હાલાણી, યાસ્મીન બદરૂદીન હાલાણી, મલેકબેન રજબઅલી હાલાણી લંડન ખાતે રહેતા દિકરાને મળવા માટે ગુરૂવારે સવારે ત્રણેય નીકળ્યા હતા. તેઓને મુકવા માટે ગાડી લઇને નીકળ્યા હતા. જાે કે પરિવારમાં તમામ લોકો બહાર રહે છે. જ્યારે ભાઇનો પરિવાર વેપાર સાથે સંકળાયેલો છે. ઘટનાના પગલે સલાટીયાપુરા વિસ્તારમાં આવેલા તેમના મકાન બંધ હોવા છતાં સગાસંબંધીઓ દોડી આવ્યાં હતા. તેમજ રાજુભાઇ હાલાણી આ બનાવની જાણ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા. આખો પરિવાર શોકમાં હોવાથી કંઇ કહેવા તૈયાર ન હતા. જ્યારે આણંદના ડો હિમાંશુ વસંતલાલ શેઠ પણ લંડન કામ અર્થે જવા નીકળ્યા હતા. જાે કે તેમનો પરિવાર અમદાવાદ હોવાથી કોઇ માહિતી મળી નથી


ઉત્તર ગુજરાત વધુ વાંચો

14, જુન 2025 1683   |   અમદાવાદ   |  
પ્લેન ક્રેશ : ૪૮ કલાક બાદ પ્રથમ મૃતદેહ સોંપાયો

ગત ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ ઘટનાના ૪૮ કલાકમાં એટલે કે ૧૪ જૂન, ૨૦૨૫ ના રોજ બપોરે ૩ વાગ્યે DNA મેચ થતા પહેલી ડેડબોડી પરિવારજનોને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ ૧૨૦૦ બેડ હોસ્પિટલના ગેટ પરથી ડેડબોડી લઇ એમ્બ્યુલન્સ બહાર નીકળી હતી. સિવિલ હોસ્પિટલ બહાર ૧૯૨ એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય રાખી અને ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટે લાવવામાં આવેલી અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગ ઉપર વિમાનની ટેલ અથડાઈ હતી. જે ટેલમાંથી આજે સવારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ સાધનોની મદદથી પ્લેનનો કાટમાળ કાપી અને એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે જે એર હોસ્ટેસનો હોવાની શક્યતા છે. અમદાવાદ ફાયર બ્રિગેડનો એક કર્મચારી મહા મહેનતે અંદર સુધી ગયો હતો અને તેને સાધનોથી આગળનો ભાગ કાપ્યો હતો. ત્યારબાદ દોરડા વડે તેને બાંધી અને થોડો ખેંચવામાં આવ્યો હતો જે બાદ મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બિલ્ડીંગના ધાબા ઉપરથી મૃતદેહ કાઢવામાં આવ્યું હતું અને જેને એક કપડામાં બાંધી અને ત્યારબાદ તેને દોરડા વડે નીચે ઉતારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે, ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ બપોરે ૧:૩૮ વાગ્યે ૪૦ થી ૪૨ ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-૧૭૧ ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ ૧:૪૦ વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડમાં પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ક્રૂ-મેમ્બર્સ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ ૨૪૨ મુસાફરો હતા. જેમાં ૧૬૯ ભારતીય, ૫૩ બ્રિટિશ, ૭ પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના ૧૨ ક્રૂ-મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ-મેમ્બર અને પ્રવાસીઓ મળીને ૨૪૧નાં મોત થયા છે. જ્યારે ડોકટર્સની હોસ્ટેલ અને આસપાસના વિસ્તારમાં હાજર રહેલા અન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા.


14, જુન 2025 1683   |   અમદાવાદ   |  
પ્લેન ક્રેશ : IMAએ BJ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે ટાટા સન્સને સહાય પત્ર લખ્યો

૧૨ જૂનના રોજ અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં BJ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને થયેલી ગંભીર ઇજાઓ અને મોતના પગલે, ભારતીય તબીબી સંઘ (IMA) - ગુજરાત રાજ્ય શાખાએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખીને આર્થિક સહાય અને જરૂરી મદદ માટે વિનંતી કરી છે.IMA ગુજરાત શાખાએ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારોને એર ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા ₹૧ કરોડના વળતર અને BJ મેડિકલ કોલેજ હોસ્ટેલના નવીનીકરણ માટે આપવામાં આવેલી સહાય બદલ ટાટા ગ્રૂપનો આભાર વ્યક્ત કર્યો છે. IMA એ પોતાના પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, "અમે વિનંતી કરીએ છીએ કે આ વિમાન દુર્ઘટના વખતે હોસ્ટેલમાં હાજર મેડિકલના વિદ્યાર્થીઓ જે ઇજાગ્રસ્ત થયા છે અથવા જેમણે જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારજનોને પણ નાણાકીય સહાય અને જરૂરી મદદ પૂરી પાડવામાં આવે. આ વિદ્યાર્થીઓ માત્ર દુર્ઘટનાનો ભોગ બન્યા નથી, પરંતુ તેઓ આપણા ભવિષ્યની હેલ્થકેર સિસ્ટમનો પાયો હતા. તેમના પરિવારોજનોને તાત્કાલિક ધોરણે પણ સહાય જાહેર કરવામાં આવે." નોંધનીય છે કે, એર ઇન્ડિયા ટાટા ગ્રૂપની માલિકીની છે. ટાટા ગ્રૂપે અગાઉ જાહેરાત કરી હતી કે અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹૧ કરોડની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, ટાટા ગ્રૂપ ઇજાગ્રસ્ત મુસાફરોની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે અને તેમને દરેક જરૂરી તબીબી સુવિધા પૂરી પાડશે. ટાટા ગ્રૂપે અમદાવાદમાં BJ મેડિકલ કોલેજના હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ મદદ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, અને જણાવ્યું છે કે તેઓ આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે મજબૂત રીતે ઊભા છે. ૧૨ જૂન (ગુરુવાર) ના રોજ બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ ઍરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ટેક ઑફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું. આ વિમાનમાં ૨૪૨ લોકો સવાર હતા, જેમાં બે પાયલોટ સહિત ૧૨ ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ કરુણ અકસ્માતમાં ૨૪૧ લોકોના મોત નીપજ્યા છે.


14, જુન 2025 1485   |   અમદાવાદ   |  
પ્લેન ક્રેશ : વિમાનના ટેલના ભાગેથી વધુ એક મૃતદેહ મળ્યો

મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો, DNA ટેસ્ટિંગ યુદ્ધના ધોરણેઅમદાવાદ વિમાન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં હાલમાં પણ DNA ટેસ્ટિંગ કર્યા બાદ મૃતકોના મૃતદેહો પીડિત પરિવારોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન એક અહેવાલ એવા સામે આવ્યા છે કે વિમાનનો કાટમાળ હટાવતી વખતે ટેલના ભાગમાંથી વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મૃતદેહ વિમાનમાં ફસાયેલી એર હોસ્ટેસનો હોઈ શકે છે. જોકે કાટમાળ હટાવતી ટીમને જેવો જ આ મૃતદેહ મળ્યો કે તેને તરત જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં હાલમાં ૨૬૫ જેટલા લોકોના મૃતદેહો આવી ચૂક્યા છે જેઓ વિમાન દુર્ઘટનાને કારણે મૃત્યુ પામ્યા છે. આ લોકોમાંથી ઘણાના મૃતદેહોની એવી હાલત થઇ ચૂકી છે જેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. જેના લીધે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે, જેથી કરીને પીડિત પરિવારોને તેમના પ્રિયજનોના દેહ સોંપી શકાય. નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (NAL) ના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સાલિગ્રામ જે. મુરલીધરે આ અકસ્માત પાછળ એક સંભવિત કારણ મગજમાં આવી રહ્યું હોવાનું જણાવ્યું છે. તે ઇંધણમાં ભેળસેળનું છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક પ્રાથમિક અનુમાન છે અને તેની પુષ્ટિ તપાસ બાદ જ થશે. મુરલીધરે વધુમાં કહ્યું કે, 'જો ઇંધણમાં ભેળસેળ હશે, તો તેનાથી ઇંધણને પૂરતી તાકાત નહીં મળે. જેના કારણે વિમાન યોગ્ય રીતે ઉડી શક્યું નહીં.' આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.


13, જુન 2025 1485   |  
મેઘરજના ઢેકવા ગામેથી પાદરમહુડી ગામનો બોગસ તબીબ ઝડપાયો

મોડાસા, અરવલ્લી એસઓજીએ મેઘરજના ઢેકવાથી મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં મેઘરજના પાદર મહુડીના શખ્સને ઝડપી પાડ્યો હતો. એસઓજીએ રૂ.૫૦૯૬ની એલોપેથીક દવાઓનો જથ્થો અને મેડિકલ સાધનો કબજે લઈ ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીનો સ્ટાફ તાલુકાના ઇસરી પંથકમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એસઓજીને માહિતી મળી હતી કે ઢેકવામાં ડિગ્રી વગર એલોપેથીક દવાઓથી અને ઇન્જેક્શન વગર સારવાર કરતો અને કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથીક દવાઓનો ઉપયોગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો શંકરભાઈ દિનેશભાઈ મનાત ગેરકાયદે પ્રેક્ટિસ કરી રહ્યો હોવાની માહિતીના આધારે એસઓજીએ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહેલા શંકરભાઈ દિનેશભાઈ મનાત રહે. પાદર મહુડી તા. મેઘરજને ઝડપી પાડ્યો હતો. એસઓજીએ સ્થળ પરથી રૂ. ૫૦૯૬ની એલોપેથીક દવાઓનો જથ્થો અને મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ કબજે લઈ આરોપી વિરુદ્ધ ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
13, જુન 2025 1980   |  
લંડનથી વિમાન ઉપડ્યું ત્યારથી જ કેટલીક ખામી હોવાનો સુરતની મહિલાનો ગંભીર આક્ષેપ

સુરત, અમદાવાદમાં બનેલી પ્લેનક્રેશની દુર્ઘટનાને પગલે સમગ્ર દેશમાં દુ:ખની કાલીમા છવાઈ જવા પામી છે. જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું તે વિમાનમાં જ લંડનથી અમદાવાદ આવેલી સુરતની હીના કાલરિયાએ વિમાનમાં રહેલી ખામીઓ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. હીનાએ જણાવ્યું હતું કે લંડનથી નીકળેલી આ ફ્લાઈટમાં પહેલેથી જ ઘણી બધી તકનિકી ખામીઓ હતી. જેથી આ ફ્લાઈટ અમદાવાદ પહોંચાડશે કે કેમ તેવી પણ મનમાં અટકળો હતી. પરંતુ તેઓ અમદાવાદ એરપોર્ટની બહાર નીકળ્યાં અને થોડીવારમાં જ આ દુર્ઘટના બનતા તેઓએ પોતાનો બચાવ થતાં ભગવાનનો આભાર માન્યો હતો અને સાથે આ સમગ્ર ઘટના ખૂબ દુ:ખદ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.સુરત શહેરમાં સરથાણા વિસ્તારમાં વ્રજરાજ રેસિડેન્સીમાં રહેતા સુરેશભાઇ કાલરિયાનો દીકરો લંડન તેની પત્ની સાથે વસવાટ કરે છે. જેથી ગત તારીખ ૧૮/૪/૨૦૨૫નાં રોજ સુરેશભાઈની પત્ની હીનાબેન દીકરાને અને વહુને મળવા માટે લંડન ગયા હતા. જ્યાંથી તેઓ લંડનનાં ગેટવીક એરપોર્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદ આવ્યા હતા. હીનાબેને ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે જ્યારે લંડનથી પ્લેન ટેક ઓફ કરતું હતું ત્યારે જ પ્લેનની અંદર સીટ પરની ડિસ્પ્લે બંધ હતી. જેથી તેઓએ એર હોસ્ટેસને ડિસ્પ્લે બાબતે રજૂઆત કરતા તેઓએ ટેકનિકલી ખામી હોવાને કારણે ડિસ્પ્લે બંધ છે તેમ કહી તમારે મોબાઈલ ફોનમાં જે જાેવું હોય તે જાેઈ શકશો તેવું જણાવ્યું હતું. ટેક ઓફ વખતે એસી પણ બંધ હતું. જેથી આ મામલે પણ તેઓએ ફરિયાદ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એસટી બસમાં બેઠાં હોઈએ અને રસ્તામાં ખાડા હોય અને જેમ ખટખટ અવાજ આવતો હોય તેવો આ પ્લેનમાં અવાજ આવતો હતો.


13, જુન 2025 1782   |  
તામિલનાડુ મર્કન્ટાઇલ બેંકનાં ૧.૬૩ કરોડનાં લોન કૌભાંડમાં સૂત્રધાર કાનપરીયા ઝડપાયો

સુરત, તામિલનાડુ મર્કન્ટાઇલ બેંકનાં મેનેજર પ્રભાકર કાલીઅપ્પા નાડાર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, બોગસ પેઢીઓ ઉભી કરનારાઓ, તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક, રીંગરોડ શાખા, સુરતનાં બેંક મેનેજર આર. સુંદર, ગેરેન્ટર અને વેલ્યુઅરે ભેગા મળી લોન કૌભાંડ આચર્યું હતું. લોનનાં રૂપિયા ધંધા માટે લીધા હોવાનું દર્શાવીને તેઓએ વાસ્તવમાં કોઈ ધંધો નહીં હોવા છતાં બોગસ પેઢીઓ ઉભી કરી હતી. આ બોગસ પેઢીઓનાં નામે લોન લઈ મોર્ગેજમાં મૂકેલી પ્રોપર્ટીની વેલ્યુ ઓછી હોવા છતાં ઊંચી કિંમતનાં ખોટા વેલ્યુ રીપોર્ટ બનાવી તેને સાચા તરીકે રજૂ કર્યા હતા. આ લોનનાં રૂપિયાનો ઉપયોગ પોતાના અંગત ખર્ચમાં કરીને બેંકને કુલ ૧૬,૩૮,૦૦,૦૦૦નું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ કૌભાંડમાં અશોક કાળુભાઇ કાનપરીયાએ ‘મેરીલ એન્ટરપ્રાઇઝ‘ નામની બોગસ પેઢી ઉભી કરી બેંક ખાતુ ખોલાવી, તમિલનાડુ બેંકમાં પેઢીનાં ધંધાની જગ્યા ખોટી દર્શાવીને ૧ કરોડની કેશ ક્રેડિટ લોન લીધી હતી. યાર્ન ટ્રેડિંગનો ધંધો ન કરતા હોવા છતાં બોગસ જગ્યા અને બોગસ સ્ટોક સ્ટેટમેન્ટ બનાવી રજૂ કર્યા હતા. આ ઉપરાંત, લોન માટે બેંકમાં મોર્ગેજ મૂકેલી મિલકતોનું ઓવર વેલ્યુએશન કરાવ્યું હતું. અશોક કાનપરીયાએ પોતાની પત્ની શીતલ (જાનુ એન્ટરપ્રાઈઝનાં પ્રોપરાઇટર)ના નામે ૧ કરોડની અને તેના ભાઈ સંજય (સિદ્ધાર્થ ફેશનના પ્રોપરાઇટર)નાં નામે ૭૫ લાખની લોન લીધી હતી. પોલીસે અશોક કાનપરીયાની ધરપકડ કરી હતી. અશોક પહેલા આ કૌભાંડમાં તેની પત્ની, ભાઇ સહિતનાં સગા સંબંધીઓ મળી ૨૮ વ્યક્તિની ધરપકડ થઇ ચૂકી છે.


12, જુન 2025 1782   |  
મહેન્દ્ર રામોલિયાએ જ જીઆઇડીસીમાં એન.એ. ચાર્જમાં વધારો કરાયો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું

સુરત, બે દિવસ અગાઉ સચિન જીઆઇડીસીમાં બની બેઠેલા આગેવાન મહેન્દ્ર રામોલિયાએ એવું નર્યું જુઠ્ઠાણું ચલાવીને સચિનના ઉદ્યોગકારોને ઉશ્કેરીને આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો કે જીઆઇડીસીએ એન.એ. ચાર્જમાં ધરખમ વધારો કર્યો છે, જે વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો સચિનના ઉદ્યોગકારો આંદોલન શરૂ કરશે. આજે જીઆઇડીસીના રિજિયોનલ મેનેજર કુલદિપસિંહે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સચીન જીઆઇડીસીમાં એન.એ. ચાર્જમાં કોઇપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. હકીકતમાં જે એન.એ. બિલ વધારે આવ્યા છે એ પાછલી બાકી એરિયર્સની રકમની રીકવરીના છે, એન.એ. ચાર્જમાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. ઉદ્યોગકારોને બિનજરૂરી રીતે ઉશ્કેરવામાં આવી રહ્યા હોવાની કેફિયત ખુદ જીઆઇડીસીના રિજિયોનલ મેનેજર કુલદિપસિંહે કરતા સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ઉપદ્રવ ફેલાવવાનો સતત પ્રયાસ કરી રહેલા મહેન્દ્ર રામોલિયા ઉર્ફે દાઢીએ ચલાવેલું જુઠ્ઠાણું સમગ્ર જીઆઇડીસીનાં ઉદ્યોગકારોમાં ઉઘાડું પડી ગયું હતું. સચિન જીઆઇડીસીમાં છેલ્લા બે વર્ષથી સત્તાવિહોણા બનેલા મહેન્દ્ર રામોલિયા એક પછી એક વિવાદોમાં સપડાય રહ્યા છે પણ આ વખતે તેઓ સચિનના ઉદ્યોગકારોને ઉશ્કેરીને આંદોલન કરવાના એવા વિવાદમાં સપડાયા છે કે હવે તેમની સામે ફોજદારી રાહે પગલાં ભરાય તેવો સંગીન વિવાદ ખડો થઇ ગયો છે. મહેન્દ્ર રામોલિયાએ બે દિવસ પહેલા એવી વાત ફેલાવી હતી કે જીઆઇડીસીએ એન.એ. ચાર્જમાં ધરખમ વધારો કર્યો છે જે અન્યાયી બાબત છે. કોઇપણ જાતની જાત તપાસ વગર જીઆઇડીસી વિરુદ્ધ આંદોલનના બણગાં ફૂંકનારા મહેન્દ્ર રામોલિયાની આજે જીઆઇડીસીના કુલદીપસિંહે હવા કાઢી નાંખી હતી. સચિન ખાતે આજે જીઆઇડીસીના કુલદિપસિંહે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સચિન જીઆઇડીસી કુલ પાંચ ગામતળના વિસ્તારોમાંથી બની છે. જેમાં તલંગપુર, ગભેણી, ઉંબેર, સચિન અને ઉનનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૬થી ૨૦૨૦ સુધી ગભેણીના તલાટી દ્વારા અને ૨૦૨૧થી ૨૦૨૪ સુધી તલંગપોરના તલાટી દ્વારા એન.એ. ચાર્જીસના માગણા કરવામાં આવ્યા નહીં અને એ આ સમયગાળાનો એન.એ. ચાર્જ વસૂલી શકાયો નહતો. જેથી કરીને એન.એ. મહેસૂલ ઘટી ગયા હતા. હવે જ્યારે ગભેણી અને તલંગપોર બન્નેના બાકી એન.એ. ચાર્જ એટલે કે એરિયર્સની રીવકરી કાઢવામાં આવી તો સ્વાભાવિક છે કે એન.એ. ચાર્જ વધે. જીઆઇડીસીના રિજિયોનલ મેનેજર કુલદિપસિંહે સ્પષ્ટ કહ્યું કે એન.એ. ચાર્જમાં કોઇપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી અને આવી વાતો ભ્રામક રીતે ફેલાવવામાં આવી છે. પ્લોટધારકોએ વાત સમજે કે અગાઉ જે એન.એ. ચાર્જ વસૂલાયો નથી તેનું બાકી એરીયર્સ છે અને તેની રીકવરી કરવામાં આવી છે. આગામી વર્ષે એન.એ. ચાર્જ રૂટિન ગણતરી અનુસાર વસૂલ કરવામાં આવશે. આ એક રૂટીન પ્રક્રિયા છે તેમાં વિવાદ કરવાની કોઇ જરૂરીયાત નથી.પ્લોટધારકોને પેનલ્ટીમાંથી બચાવવા જીઆઇડીસીએ એડવાન્સમાં રૂ.૧.૩૨ કરોડ ભરી દીધાં હતાં જીઆઇડીસીના રિજિયોનલ મેનેજર કુલદિપસિંહે જણાવ્યું હતું કે સચિન જીઆઇડીસીના પ્લોટ ધારકો જો એન.એ. ચાર્જ ભરવામાં વિલંબ કરે તો તેમને પેનલ્ટી પેટે તગડી રકમ ભરવાની થાય. આવી સ્થિતિમાં જીઆઈડીસીએ ગભેણી અને તલંગપોર એમ બે ગામડાઓના જે એરીયર્સ બાકી હતા તેના પેટે રૂ.૧.૩૨ લાખની રકમ સુરત કલેક્ટરેટમાં એડવાન્સમાં ભરી દીધા હતા. જેથી કરીને પ્લોટ ધારકોને પેનલ્ટી ન લાગે.


12, જુન 2025 1584   |  
સુરતના ૫ાંચ સહિત દ.ગુજ.નાં ૧૨ કમનસીબ યાત્રીઓ વિમાનમાં સવાર હતાં

સુરત, અમદાવાદ વિમાની મથકથી થોડા અંતરે જ બી.જે.મેડિકલ કોલેજ પરિસરમાં ક્રેશ થયેલા વિમાનમાં સુરતના બે પરિવારોનાં કુલ ૫ સભ્યો તેમજ દક્ષિણ ગુજરાતનાં છેવાડે આવેલા વાપીનાં એક જ પરિવારનાં૩ સભ્યો મળીને દક્ષિણ ગુજરાતનાં ૧૨ કમનસીબ યાત્રીઓ મુસાફરી કરી રહ્યાનાં સમાચારોએ સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને સ્તબ્ધ બનાવી દીધાં હતાં. બપોરે પોણા બે વાગ્યાથી સોશિયલ મીડિયા પર અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરીને બે જ મિનિટમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાનાં વિમાનની દુર્ઘટનાની ખબરો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઇ હતી. જોતજોતામાં સોશિયલ મીડિયાનાં તમામ પ્લેટ ફોર્મ પર અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનનાં વિડીયો અને ફોટા ભારે વાઇરલ થયા હતા. સુરતનાં બે પરિવારો પણ આ વિમાનમાં સવાર હતાં જેમાં સુરતનાં રામપુરા સ્થિત મુસ્લિમ પરિવારનાં લંડનમાં સ્થાયી થયેલા પુત્ર, પુત્ર વધુ અને પૌત્રનો સમાવેશ થાય છે. એવી જ રીતે સુરતના જાણીતા સર્જન ડો. હિતેષ શાહ અને તેમના પત્ની અમિતા પણ આ જ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવાની વિગતો જાણવા મળી હતી. જ્યારે વાપીમાં વકફ બોર્ડનાં પૂર્વ સભ્ય અને છેલ્લા થોડા સમયથી ગાંધીનગર શીફ્ટ થયેલા બદરુદ્દીન હાલાણી, તેમના પત્ની અને તેમના એક સ્નેહી પણ વિમાનમાં સવાર હતા. તદઉપરાંત સુરત જિલ્લાના કોસંબાના તરસાડી ગામના વતની અને ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુનસિંહ વાંસદિયા અને તેમના પત્ની પણ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં હોવાની માહિતી મોડી સાંજે મળી હતી.કામરેજના ઉંભેળ ગામની વિભૂતિ અતુલકુમાર પટેલ પણ વિમાનમાં હતી. પૂણા વિસ્તારમાં આવેલી માતૃશકિત સોસાયટીમાં રહેતા અંકિત ભગવાનભાઈ ચોડવડિયા પણ નોકરી માટે લંડનની ફ્લાઈટમાં બેઠાં હતા. જાે કે, રાત સુધી સુરતનાં આ યાત્રીઓના કોઇ સગડ મળ્યા ન હતા. તમામ પરિવારનાં નજીકના સગાને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર પહોંચવા માટેના સંદેશાઓ આપવામાં આવ્યાં હતાં. અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના મેડીકોલ કોલેજની હોસ્ટેલમાં હાજર કેટલાક તબીબોનો બચાવ પણ થવા પામ્યો છે. જેમાં સુરત શહેરના જાણીતા યુરોલોજિસ્ટ ડોક્ટર કપિલ ઠક્કરના પુત્ર દિવ્યમ સહિત સુરતના પાર્થ અને દીપ નામના તબીબી વિદ્યાર્થીઓનો બચાવ થયો છે. આ ત્રણેય તબીબી વિદ્યાર્થીઓ અતુલ્ય મેસ સામેની મેસમાં પહેલા માળે હાજર હતા. આ દરમિયાન અચાનક ધડાકો થતા જ આ ત્રણેય કૂદીને નીકળી ગયા હતા. જેથી ત્રણેય તબીબી વિદ્યાર્થીઓનો બચાવ થયો છે.કોસંબા તરસાડીનાં ક્ષત્રિય સમાજનાં અગ્રણી દંપતી લંડન પુત્રીને મળવા જતાં હતાં અમદાવાદમાં એર ઈન્ડિયાની એઆઈ ૧૭૧ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સુરત જિલ્લાનાં કોસંબા તરસાડીનાં દંપતીનું અકાળે મોત નીપજતાં પરિવાર સમેત સમગ્ર કોસંબા પંથકમાં આક્રંદ સાથે શોકની કાલિમા છવાય ગઇ છે. અર્જુનસિંહ વાંસદિયા દંપતી લંડન ખાતે સ્થાયી થયેલી તેમની પુત્રી અને જમાઈને ત્યાં જવા માટે અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં બેઠા હતા. આ પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી અર્જુનિસંહના પરીવારજનોને મળતા કેટલાક સભ્યો તાત્કાલિક અમદાવાદ રવાના થયા હતા જ્યારે સમગ્ર પરિવારમાં ભારે આક્રંદ વ્યાપી ગયો હતો. મોડી સાંજે મળતી માહિતી મુજબ કોસંબા તરસાડીનાં અર્જુનસિંહ ઉદયસિંહ વાંસદિયા અને તેમનાં ધર્મપત્ની દિવ્યાબેન અર્જુનસિંહ વાંસદિયાનું આ ઘટનામાં અવસાન થયું હતું. કોસંબાનાં ક્ષત્રિય સમાજનાં અગ્રણી આગેવાન દંપત્તિએ જાન ગુમાવ્યાનાં સાંભળતા જ કોસંબા તરસાડી પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બકરી ઈદ મનાવવા લંડનથી આવેલાં નાનાબાવા પરિવારનો માળો વિખેરાઇ ગયો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુરતના રામપુરા છડાઓલ મના એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ બ્રિટિશ નાગરિક અકીલ અબ્દુલ્લા નાનાબાવા તેમના પત્ની અને દીકરી ઘવાયા છે.તેઓને અમદાવાદ સિવિલમાં લઈ જવાયા છે.અકીલ પિતા અબ્દુલ્લા નાનાબાવા ને મળવા પત્ની દીકરી સાથે વેકેશન માણવા સુરત આવ્યો હતો.પરિવાર અમદાવાદ સિવિલ જવા રવાના થયો. થોડા દિવસ અગાઉ બકરી ઈદ હતી. ત્યારે બકરી ઈદ મનાવવા માટે સુરતના રામપુરા વિસ્તારમાં રહેતા અને લંડનમાં વસવાટ માટે ગયેલા અકીલ તથા તેમના પત્ની હનાબેન અને દીકરી સારા આવ્યા હતાં. જેઓ બકરી ઈદની ઉજવણી કર્યા બાદ ફરી લંડન જઈ રહ્યાં હતાં. આ દરમિયાન પ્લેનમાં દુર્ઘટના થઈ હતી. ત્યારે આ પરિવાર પણ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હોવાનું તેમના નજીકના સંબંધીઓએ જણાવ્યું હતું. અકીલના પિતાને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી ફોન કોલ આવ્યો હતો અને તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પહોંચવા માટે જણાવવામાં આવતા પરીવાર પર આભ ફાટ્યું હતું. કોલ કરનારે અન્ય કોઇ માહિતી આપી ન હતી, ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર પહોંચવા જણાવ્યું હતું. સુરતથી સમગ્ર પરીવાર અમદાવાદ જવા માટે રવાના થઇ ચૂક્યા છે.ઉલ્લેખનીય છે કે અકીલભાઈ નાનાબાવા લોખાત હોસ્પિટલના ટ્રસ્ટી અનવર નાનાબાવાના ભત્રીજા થાય છે. વકફ બોર્ડનાં પૂર્વ સભ્ય વાપીનાં બદરૂદ્દિન હાલાણી, તેમના પત્ની અને એક સ્નેહીનાં કોઇ સગડ નથી મળ્યાં અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા વાપીના મુસ્લિમ અગ્રણી અને વકફ બોર્ડની પ્રવૃતિ સાથે વર્ષોથી સક્રિય રીતે સંકળાયેલા બદરુદ્ધીન હાલાણી, તેમના ધર્મપત્ની અને તેમના એક સ્નેહી પણ મુસાફરોના લિસ્ટમાં સામેલ છે. તેઓ લંડન તેમના પરીવારના અન્ય સભ્યોના મળવા માટે જઇ રહ્યા હતા. પ્લેન ક્રેશ થયા બાદ વાપીમાં બદરુદ્ધીન હાલાણીના નજીકના સગાને વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર મળ્યા હતા જેને પગલે સમગ્ર વાપીમાં આઘાતની લાગણી પ્રવર્તી ઉઠી હતી. મળતી માહિતી મુજબ બદરુદ્દીન હાલાણી છેલ્લા ઘણા વખતથી ગાંધીનગર શીફ્ટ થયા હતા પરંતુ, તેમનો વાપી સાથે નાતો અકબંધ રહ્યો હતો.  સુરતનાં સફળ સર્જન ડો.હિતેશ શાહ સારવાર માટે પત્ની ડો. અમિતા સાથે લંડન જઇ રહ્યાં હતાં અડાજણ પાટીયા ખાતે સુગમ સોસાયટીમાં સ્મિત સજિર્કલ હોસ્પિટલથી જાણીતા ડો. હિતેશ શાહ તેમના પત્ની અમિતાબેન સાથે લંડન જઈ રહ્યાં હતાં. તેઓ આજે બપોરે અમદાવાદથી લંડન જવા ઉપડેલી એર ઇન્ડિયાની ૧૭૧ ફ્લાઇટમાં જ સવાર હતા. ડો. હિતેશ શાહની કોઇ બીમારીની સારવાર લંડનમાં ચાલી રહી હતી. જેથી તેઓ પત્ની સારવાર માટે લંડન જઈ રહ્યાં હતાં. ડો. હિતેશ શાહની સુગમ સોસાયટી સ્થિત સ્મીત હોસ્પિટલ જે હાલમાં બંધ થઇ ચૂકી છે એ સોસાયટીના રહેવાસીઓ ઉપરાંત તેની બાજુમાં આવેલી સૂર્યપૂર સોસાયટી કે જેમાં ડો. હિતેશ શાહ રહેતા હતા એ સોસાયટીના રહેવાસીઓમાં આજે ભારે ગમગીની છવાય ગયેલી જોવા મળી હતી. સુરતના તબીબી આલમમાં પણ ડો. હિતેશ શાહ અને તેમના પત્ની ક્રેશ થયેલા પ્લેનમાં મુસાફર તરીકે સવાર હોવાના સમાચાર વહેતા થતાં તબીબી આલમમાં પણ ભારે આઘાતજનક સ્થિતિ પ્રવર્તતી જોવા મળી હતી. જોકે, મોડી સાંજ સુધી અમદાવાદથી અન્ય કોઇ સમાચાર મળ્યા નહતા. એરપોર્ટ પર ચેકિંગ કર્યા બાદ અમીતા શાહે પોતાની અંગત મિત્ર અને સાઈકિયાટ્રીસ્ટ ડો. આરતી મહેતા સાથે ફોન પર વાત કરી હતી. પોતે ચેકિંગ કરી લીધું અને થોડી વારમાં પ્લેનમાં ર્બોડિંગ કરશે તેવો મેસેજ આરતીબેને મિત્ર ડો. આરતી મહેતાને આપ્યો હતો. ડો. આરતી મહેતાએ મિડીયાકર્મીને ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, ડો. હિતેશ શાહ સુરતનાં તબીબી જગતનું ખૂબ જ રિસ્પેક્ટેડ નામ છે. તેમના પરિવારમાં બે દીકરા સ્મિત અને સ્નેહ છે. બંને દીકરાઓ લંડનમાં સેટલ થયા છે. ડો. હિતેશ શાહની બહેનનો ૭૦મો બર્થ ડે હોય તેના સેલિબ્રેશન માટે દંપતી લંડન જઈ રહ્યું હતું.


12, જુન 2025 1089   |  
ભારતમાં વિમાન દુર્ઘટનાનો શું ઇતિહાસ..1988માં પણ અમદાવાદમાં ક્રેશ થયું હતું વિમાન..!

અમદાવાદમાં પ્લેન ક્રેશની ભયાવહ અને હદ્યદ્રાવક ધટના બની છે. ગમખ્વાર પ્લેન ક્રેશની કાળજું કંપાનવારી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. વીડિયો અને ફોટો પરથી જ ખ્યાલ આવે છે કે આ અકસ્માત કેટલો ગોઝારો અને ભીષણ હશે. એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર એરપોર્ટ પરથી ટેકઓફ થતાની સાથે જ થોડીક જ સેકન્ડ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અમદાવાદમાં બનેલી આ ઘટનાએ ફરી ભારતમાં વિમાનોની સુરક્ષા પર સવાલ ઉભી કરી દીધા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, સૌથી વધુ ઘટના ટેકઓફ અને લેન્ડિંગ વખતે બને છે. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution