આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
26, ફેબ્રુઆરી 2026
3861 |
અન્ન પાકતી ધરતી પર અફીણનું વાવેતર? નશાના નેટવર્કને તોડવામાં ગૃહ વિભાગને જાણો કેવી રીતે મળી મોટી સફળતા!
કચ્છની રણધરતી પર જ્યાં અન્ન પાકવું જોઈએ ત્યાં અફીણ અને ગાંજાની ગેરકાયદેસર ખેતીનો મોટો ભંડાફોડ થયો છે. રાપર તાલુકાના ભીમાસર ગામની સીમમાં ભુજ બોર્ડર રેન્જ સાયબર સેલ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત દરોડો પાડીને અંદાજે 2 એકર જમીન પર થયેલા અફીણ (પોસ્ટ ડોડા) અને ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં નશીલા છોડ જપ્ત કર્યા છે અને 3 આરોપીઓને ઝડપી જેલહવાલે કર્યા છે.રાજ્યમાં વધતા નશાના કારોબાર સામે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. Harsh Sanghavi એ વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નશામુક્ત ગુજરાત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય નશા રેકેટ સામે સતત અભિયાન ચાલી રહ્યું છે. ઓડિશાના પાંડી બ્રધર્સ સહિત નશા માફિયા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કચ્છ જેવા સરહદી જિલ્લામાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસે મોટી સફળતા મેળવી છે. હવે તપાસ ચાલી રહી છે કે આ નશીલા પદાર્થોનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું હતું અને તેનો સપ્લાય કયા વિસ્તારોમાં થવાનો હતો.નશા યુવાનોના ભવિષ્યને બરબાદ કરે છે. સમાજ અને દેશના હિત માટે નશાથી દૂર રહેવું એ જ સાચો રસ્તો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ફેબ્રુઆરી 2026
3564 |
એક કેસમાં જામીન, અન્ય બે ગુનામાં કાર્યવાહી
જૂનાગઢ, જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે ભગવા ધારણ કરી, પોલીસ સાથે ગેરવર્તન કરવાના આરોપ અને ૨૦ લાખની ખંડણીના આરોપમાં ગઇકાલે ૨૨ ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જૂનાગઢ લાવી તેનું મેડિકલ ચેકઅપ કરી આજે ૨૩ ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે દરમિયાન તે મીડિયાના કેમેરાને જાેતાં જ મગરમચ્છના આસું વહાવવા લાગી હતી. કીર્તિ પટેલ સામે ૨૦ લાખ રૂપિયાની ખંડણી માંગવા અને ધમકી આપવાના આરોપ બાદ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે ધરપકડ બાદ આજે તેને જૂનાગઢ સેશન્સ કોર્ટમાં રજૂ કરાઈ હતી. કોર્ટ દ્વારા કીર્તિ પટેલને ૨૦ લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં જામીન મળ્યા છે. જાેકે, અન્ય બે ગુનામાં જૂનાગઢ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કીર્તિ પટેલ પર ઁજીૈંને ફરજ રૂકાવટ અને ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ હેઠળ કેસ નોંધાયેલા છે. જે મામલે વધુ તપાસ શરૂ કરી દેવાઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં બેફામ નિવેદનો અને રૌફ જમાવતી કીર્તિ પટેલ ઢીબીઢબ પડી ગઈ હતી. કોર્ટ પરિસરમાં પોલીસની વાનમાંથી બહાર નીકળતા જે તે મીડિયા સમક્ષ આજીજી કરવા લાગી હતી. અને રડતાં રડતાં કહ્યું હતું કે, ‘તમે મને એમ ખેંચી ના શકો, મીડિયા હાજર રહે અને યોગ્ય ન્યાય કરે, મારા પર લાગેલા આરોપો ખોટા છે, મને ન્યાય મળવો જાેઈએ’, આ બાદ પોલીસે તેને બોલવાથી અટકાવી દીધી હતી, કોર્ટની અંદર લઈ ગઈ હતી. પાંચ દિવસના રિમાન્ડ મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. ભવનાથના મેળાથી શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા તેને બહાર કાઢવા ઈન્દ્રભારથીએ અધિકારીઓને રજૂઆત કરી હતી. બાદમાં તેને બહાર કાઢવામાં આવી ત્યારે કીર્તિએ મહિલા પીઆઈ સાથે ગેરવર્તુણક કરી ફરજમાં રૂકાવટ કરી હોવાનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ પ્રભાસ-પાટણના નિરાલી ખોડિયાર આશ્રમના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ આપતા કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં બીજાે ગુનો દાખલ થયો હતો. આ તમામ ઘટનાક્રમ વચ્ચે તે ઈન્દ્રભારતી સામે ગંભીર આરોપ લગાવતા વીડિયો જાહેર કરતી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ફેબ્રુઆરી 2026
3861 |
રાજકોટના જંગલેશ્વરમાં આજે સૌરાષ્ટ્રની મોટી ડિમોલિશન કામગીરી : જાણો સમગ્ર ડીટેલ !!
આજથી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 830 મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. રવિવારે લગભગ એક હજાર સુરક્ષાકર્મીઓએ જંગલેશ્વર વિસ્તારમાં પગપાળા ફ્લૅગમાર્ચ કર્યું હતું. એ પહેલાં સ્વૈચ્છાએ ઘર ખાલી કરી દેવા તથા સામાન બહાર કાઢી લેવા તંત્ર દ્વારા રહીશોને સમજાવવામાં આવ્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ફેબ્રુઆરી 2026
4158 |
રાજકોટના જંગલેશ્વરમાં લોકો જાતે જ પોતાના મકાનો કેમ તોડી રહ્યા છે ?
રાજકોટના જંગલેશ્વરમાં લોકો જાતે જ પોતાના મકાનો કેમ તોડી રહ્યા છે ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, ફેબ્રુઆરી 2026
5346 |
સોમનાથનો ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકાસ થશે: યાત્રાધામ વિકાસ માટે ૫૫૦ કરોડ :
ગાંધીનગર, ગુજરાત યાત્રાધામના વિકાસ માટે બજેટમાં કરોડોની જાેગવાઇ કરાઇ છે. અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ.૫૫ કરોડ જાેગવાઇ કરાઇ છે. બીચ ટુરિઝમ માટે પણ બજેટમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે. સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે રૂ.૬૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો બનાવવાની પણ જાહેરાત કરાઇ છે. જેના માટે રૂ.૪૪૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતની વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ એક આગવી ઓળખ ઉભી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે, સોમનાથમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવા ૪૪૭ કરોડની ફાળવણી કરાઇ છે. સમગ્ર ભારતવર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ ૧ હજાર વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાના કારણે આજે પણ ગર્વભેર અડીખમ ઊભું રહ્યું છે. આ અવસરને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલ “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરાશે. ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણના કેન્દ્ર બન્યાં છે. ઁસ્ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભારતની પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું “નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્યુઝિયમ” લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે એક હજાર ટુરિસ્ટ ગાઇડને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. ઉપરોક્ત આયોજનો માટે કુલ રૂ.૯૫ કરોડની જાેગવાઇ. રાજ્યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે “વેડ ઇન ગુજરાત કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડિંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે. પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અને માઁ નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ.૫૫ કરોડની જાેગવાઇ કરી હતી. સોમનાથ અને શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આકર્ષક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યાં છે. વિસાવડા-પોરબંદર ખાતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા કુલ રૂ.૬૦ કરોડની ફાળવણી. રાજ્યના પવિત્ર યાત્રાધામ સોમનાથ અને અંબાજી ખાતે આઇકોનિક બસ સ્ટેશન તેમજ અન્ય સ્થળોએ બસ સ્ટેશન બનાવવામાં આવશે અને સોમનાથ મુકામે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબના ધોરણે અદ્યતન સુવિધા ધરાવતું બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવશે. જેના માટે ૪૪૭ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ફેબ્રુઆરી 2026
2376 |
હથોડીથી માથુ છૂંદી પત્નીની હત્યા કરનાર વૃદ્ધ એન્જિનિયર ઝડપાયો
સુરત, અડાજણનાં સન રેસિડન્સીમાં ભરબપોરે હથોડાથી માથું છૂંદી પત્નીની હત્યા કરનાર વૃધ્ધની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર આનંદ મહલ રોડ ઉપર સન રેસિડેન્સીમાં ૬૪ વર્ષી દિનેશ પરસોત્તમ પટેલ સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. આણંદના વિદ્યાનગરના વતની દિનેશભાઇને સંતાનમાં બે દિકરા કૃણાલ અને વિદિત છે. શુક્રવારે બપોરે દિનેશભાઈએ તેમના ૫૪ વર્ષીય પત્ની તૃપ્તિબેનને ઊંઘમાં માથામાં હથોડાથી ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ દિનેશ પટેલે મોટા પુત્ર કૃણાલને કોલ કરી મેં તારી માને પતાવી દીધી છે એમ કહ્યુ હતું. ત્યારબાદ દિનેશ પટેલે કોલ રિસિવ કર્યા ન હતાં. પિતાના આ કોલ બાદ કૃણાલે તેના ભાઈ વિદિતને ફોન કર્યો અને બંને ઘરે પહોંચ્યા હતાં. વિદિતે ઘરે પહોંચી દરવાજાે ખોલતા માતાની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. જેને પગલે અડાજણ પોલીસમાં જાણ કરાઈ હતી. ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે કૃણાલની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. પત્નીની હત્યા કરી ફરાર થઇ ગયેલા દિનેશ પટેલને શોધી કાઢવા પોલીસે તેમનો મોબાઇલ ફોન ટ્રેસ કરવા માંડ્યો હતો. જેમાં મોડી રાત્રે તેનું લોકેશન ડુમસ રોડ વીઆર મોલ આસપાસનું આવ્યું હતું. જેથી પોલીસે એ વિસ્તારમાં તપાસ કરી દિનેશ પટેલને પકડી પાડયો હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં દંપત્તિ વચ્ચે નાની-નાની વાતે ઝઘડા થતા હતા. કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી દીધી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ફેબ્રુઆરી 2026
3861 |
VMC સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ રજૂ કર્યું પાલિકાનું સરવૈયું
VMC સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ રજૂ કર્યું પાલિકાનું સરવૈયું મારા કાર્યકાળ દરમિયાન VMCના ત્રણ બજેટ રજૂ કરવાની તક મળી : ચેરમેન ગત વર્ષ દરમિયાન વડોદરા પાલિકા દ્વારા અંદાજે રૂ.1550 કરોડના ચૂકવણા કરાયા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નદીની જળવહન ક્ષમતામાં 40 થી 50 ટાકનો વધારો થયો જરૂરિયાતોને ધ્યાને રાખી પીવાના પાણીના નવા સ્ત્રોતો ઊભા કરવાનું આયોજન વડોદરા સાચા અર્થમાં ગ્રીન બને તે માટે વૃક્ષારોપણનું ખાસ આયોજન વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષમાં 1.28 લાખ વૃક્ષોનું કરાયું છે વાવેતર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ફેબ્રુઆરી 2026
4950 |
Saurashtra Gujarat માં ખેતીની જમીન અને કાયદાની કસોટી,Saurashtra Gharkhed વટહુકમમાં ઐતિહાસિક ફેરફાર !
આ વિધેયક દ્વારા સરકારે સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ,1949ની કલમ 75 અને 75Aમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો છે.હવે આ સુધારો મંજૂરી માટે ગુજરાતના રાજ્યપાલને મોકલી આપવામાં આવશે અને જો તેને મંજૂરી મળી જશે તો તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.ત્યાર બાદ સરકાર આ સુધારાઓનું અમલીકરણ કઈ રીતે કરવું તેના નિયમ ઘડશે અને તેને જાહેર કરશે એટલે રીતે કલમ 75 અને 75Aમાં સુધારા અમલી બનશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગવર્મેન્ટ
20, ફેબ્રુઆરી 2026
6831 |
વડોદરા |
સયાજી હોસ્પિટલમાં NABH ટીમનું નિરીક્ષણ, ટીમ પહોંચે તે પહેલા જ તંત્ર દ્વારા 'સફાઈ અભિયાન' અને બોર્ડ લગાવવાની કામગીરી તેજ
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી સયાજી હોસ્પિટલમાં સુવિધાઓ અને સારવારના સ્તરને ચકાસવા માટે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ (NABH) ની ટીમ આવી પહોંચી છે. આગામી ત્રણ દિવસ સુધી આ ટીમ હોસ્પિટલના વિવિધ વિભાગોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે.બગીમાં બેસીને કેમ્પસનું નિરીક્ષણઆજે પ્રારંભિક તબક્કે સુપ્રિટેન્ડન્ટ ઓફિસ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ ત્રણ સભ્યોની આ ઉચ્ચસ્તરીય ટીમે સયાજી હોસ્પિટલ પરિસરમાં બગીમાં બેસીને રાઉન્ડ માર્યો હતો અને પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલના વહીવટી તંત્ર સાથે બંધ બારણે બેઠક પણ યોજવામાં આવી હતી.તંત્રની દોડધામ: ટીમ આવે તે પહેલા જ કામગીરી પૂર્ણ કરવા મથામણNABHની ટીમ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં પહોંચે તે પહેલા જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. હોસ્પિટલની દીવાલોની સફાઈ, ખૂણે-ખૂણે સ્વચ્છતા અને 'વર્ક ઇન પ્રોગ્રેસ' ના બોર્ડ લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. ખાસ કરીને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા હોસ્પિટલ પરિસરને ચકચકાટ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.કઈ બાબતો પર રહેશે ટીમની નજર?આગામી ત્રણ દિવસ દરમિયાન NABH ના ધોરણો મુજબ નીચે મુજબની બાબતોનું નિરીક્ષણ કરવામાં આવશે:દર્દીઓને અપાતી ક્લિનિકલ સારવારની પ્રક્રિયા.દર્દીઓના મેડિકલ રેકોર્ડ અને ડોક્યુમેન્ટેશનની ચોકસાઈ.હોસ્પિટલની સ્વચ્છતા અને સ્ટાફની વ્યવસ્થા.દર્દીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા.સાઇન બોર્ડ અને વહીવટી વ્યવસ્થા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ફેબ્રુઆરી 2026
4356 |
વડોદરામાં કોંગ્રેસ નેતાની અનોખી સ્કીમ: '1 કિમીનો ખાડા વગરનો રોડ બતાવો અને 1 હજાર લઈ જાઓ
વડોદરા: શહેરમાં બિસ્માર રસ્તાઓની સમસ્યા હવે રાજકીય આંદોલનનું રૂપ ધારણ કરી રહી છે. વડોદરાના વોર્ડ નંબર 12માં કોંગ્રેસના નેતા રાકેશ ઠાકોરે શાસક પક્ષ અને તંત્રની કામગીરી સામે અનોખો વિરોધ નોંધાવતા એક ઇનામી સ્કીમ જાહેર કરી છે. પોતાની કાર પર બેનરો લગાવીને તેઓ રસ્તા શોધવા નીકળ્યા છે, જેણે આખા શહેરમાં ચર્ચા જગાવી છે.શું છે આ '1 હજારનું ઇનામ' આપતી સ્કીમ?કોંગ્રેસના વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે જાહેરાત કરી છે કે જો કોઈ વ્યક્તિ તેમના વોર્ડમાં સળંગ 1 થી 1.5 કિલોમીટર સુધીનો એવો રસ્તો બતાવે જેમાં એક પણ ખાડો, પેચવર્ક કે થીંગડું ન હોય, તો તેને સ્થળ પર જ 1,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, "મને કોર્પોરેશનના કામ પર એટલો ભરોસો છે કે મારે આ ઇનામ કોઈને આપવું જ નહીં પડે, કારણ કે આખા વિસ્તારમાં એક પણ રસ્તો સાજો નથી."'વાહનચાલકોના કમરના મણકા હલી જાય છે'રાકેશ ઠાકોરે રસ્તાઓની દયનીય સ્થિતિ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ગાય સર્કલ જેવા મુખ્ય માર્ગો પર એટલા બધા ખાડા અને પેચવર્ક છે કે વાહનચાલકોને કમર અને મણકાની ગંભીર બીમારીઓ થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, "શહેરમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ટીમો જે હોટલોમાં રોકાય છે, તેની બહાર પણ ખાડાઓનું સામ્રાજ્ય છે, જે વડોદરાની આબરૂના લીરેલીરા ઉડાડી રહ્યું છે."જનતાને જાગૃત થવા અપીલતંત્રને રસ્તા અને ગટરની સમસ્યાઓ વહેલી તકે ઉકેલવા વિનંતી કરવાની સાથે તેમણે વોર્ડ નંબર 12 ના રહીશોને પણ જાગૃત થવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી જનતા મૂંગા મોઢે સહન કરશે ત્યાં સુધી સ્થિતિ સુધરશે નહીં. આગામી સમયમાં ચૂંટણીમાં યોગ્ય જવાબ આપવાની તૈયારી રાખવા પણ તેમણે લોકોને જણાવ્યું હતું.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, માર્ચ 2026
1980 |
Ahmedabad ઝૂલતા મિનારાનો ભેદ ખુલશે? એક હલાવો તો બીજો કેમ ધ્રુજે!
ગુજરાતમાં આવેલું અમદાવાદ શહેર... આ નામ બોલતાં જ એક એવી નગરી આંખો સામે તરંગે છે જ્યાં ઇતિહાસ શ્વાસ લે છે, જ્યાં દરેક પોળ, દરેક દરવાજો, દરેક મસ્જિદ અને દરેક મંદિર કોઈને કોઈ રહસ્ય પોતાની અંદર છુપાવીને બેઠું છે, જ્યાં સમય માત્ર પસાર થતો નથી પરંતુ પથ્થરોમાં કોતરાઈને અમર થઈ જાય છે, જ્યાં સંસ્કૃતિઓએ એકબીજાને ટકરાઈ નથી પરંતુ એકબીજામાં ઓગળી ગઈ છે, જ્યાં વેપાર, કલાપ્રેમ, શૌર્ય અને આધ્યાત્મિકતા એક સાથે વિકાસ પામ્યા છે, અને જ્યાં 8 જુલાઈ 2017ના રોજ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસા શહેરનો દરજ્જો મળ્યા પછી વિશ્વના નકશા પર તેની ગૌરવગાથા વધુ તેજસ્વી બની ગઈ છે, આ જ શહેરના હૃદયમાં, કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ, સારંગપુર દરવાજા સામે ઊભું છે એક એવું સ્થાપત્ય જે આજ સુધી વૈજ્ઞાનિકો, ઇજનેરો, આર્કિટેક્ટ્સ અને ઇતિહાસકારોને મૂંઝવણમાં મૂકે છે, તે છે ઝૂલતા મિનારા.જેને વિશ્વભરમાં "શેકિંગ મિનારેટ્સ" તરીકે ઓળખવામાં આવે છે, અને કેટલાક મી. અહેવાલો માંથી એવી માહિતી સામે આવી રહી છે કે, આનો સત્તાવાર ઐતિહાસિક સંદર્ભ સીદી બશીરની મસ્જિદ સાથે જોડાયેલો છે, મુખ્યત્વે સારંગપુરના સીદી બશીરની મસ્જિદના મિનારા આ 'ઝૂલતા મિનારા' તરીકે જગવિખ્યાત છે. 15મી સદીના ગુજરાત સુલતાનતના સમયમાં નિર્મિત આ મસ્જિદના બાકીના ભાગો આજે ખંડેરરૂપ છે, પરંતુ તેના બે મિનારા હજુ પણ સમયને પડકાર આપતા ઊભા છે, આશરે 70થી 80 ફૂટ ઊંચાઈ ધરાવતા આ મિનારાઓમાં ત્રણ માળ છે, દરેક માળ પર ગેલેરી છે, અને સૌથી અજાયબ બાબત એ છે કે જો એક મિનારાને હળવેથી હલાવવામાં આવે તો થોડા સેકન્ડોમાં જ બીજો મિનારો પણ ધ્રુજવા લાગે છે, જ્યારે વચ્ચેનો જોડાણભાગ લગભગ સ્થિર રહે છે, તો આ કેવી રીતે શક્ય છે? શું આ કોઈ ગુપ્ત ઇજનેરી કૌશલ્ય છે? શું આ પથ્થરોની રચનામાં રહેલું વૈજ્ઞાનિક ચમત્કાર છે, કે પછી કોઈ એવી પરંપરાગત બુદ્ધિનું પરિણામ છે ? જેનો રેકોર્ડ ઇતિહાસે સાચવી રાખ્યો નથી, જોકે, રસપ્રદ બાબત તે છે કે, આ મિનારા ક્યારે અને કોણે બનાવ્યા તેની કહાણી પર પણ બે મત છે. સીદી બશીરની મસ્જિદ પાછળ શું છે કહાણી?1879માં પ્રકાશિત 'ગૅઝેટિયર ઑફ ધ બૉમ્બે પ્રેસિડેન્સી વૉલ્યુમ 4'માં દર્શાવેલ માહિતી અનુસાર, આ મસ્જિદની ઉંમર શંકાસ્પદ છે. આ ગૅઝેટિયરમાં લખેલું છે કે, આ ઝૂલતા મિનારા એટલે સીદી બશીરની મસ્જિદ કોણે બનાવી તેની પર બે નામ સામે આવે છે. જેમાં પ્રથમ ખ્યાલ છે કે, સીદી બશીર (ઝૂલતા મિનારા)ની મસ્જિદ સુલતાન અહમદ પહેલાના દરબારી સીદી બશીર દ્વારા બનાવવામાં આવી હતી, જેની કબર પણ ત્યાં જ છે; ત્યારે આ દસ્તાવેજ તે પણ કહે છે. અને તેમાં લખ્યું છે કે, ઉપરાંત તેવું પણ માનવામાં આવે છે કે, આ મસ્જિદ મહમૂદ બેગડાના ઉમરાવોમાંના એક મલિક સારંગ દ્વારા બનાવવામાં આવી હતી. જોકે, આ ઐતિહાસિક મતભેદો આજે પણ ચર્ચાનો વિષય છે, પરંતુ જે નિશ્ચિત છે તે છે આ મિનારાઓની અનોખી રચના, રેતીયા પથ્થરથી બનેલા આ મિનારાઓમાં હિંદુ અને ઇસ્લામિક કળાશૈલીનું અદ્ભુત સંમિશ્રણ જોવા મળે છે, કોતરાયેલા ફૂલોના નમૂનાઓ, જાળીદાર ડિઝાઇન, અને ટોડલાં જે રાજસ્થાની ગુર્જર શૈલીની અસર દર્શાવે છે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ફેબ્રુઆરી 2026
2178 |
અસારવાથી ઊપડતી ઉત્તર ભારતની તમામ ટ્રેનો મુસાફરોથી ખીચોખીચ ભરેલી જાેવા મળી
ઈડર. હોળીના તહેવારને લઈને ઉત્તર ભારતના લોકો હોળી મનાવવા માદરે વતન જતા હોવાથી અસારવા-આગ્રા કેન્ટ હોળી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરોનો ભારે ઘસારો જાેવા મળ્યો હતો હિંમતનગર રેલવે સ્ટેશન પર પહોંચેલી આ ટ્રેનમાં સીટ ન મળતા મુસાફરોને કોચના ફ્લોર પર અને દરવાજા પાસે બેસવાની ફરજ પડી હોવાનું જાણવા મળે છે. હિંમતનગર રેલવે સ્ટેશન પર આગ્રા કેન્ટ હોળી સ્પેશિયલ ટ્રેન આવી પહોંચી ત્યારે તે ખીચોખીચ ભરેલી હતી જ્યારે હિંમતનગરથી જ આ ટ્રેનમાં બેસવા માટે આશરે ૩૦૦ જેટલી ટિકિટોનું વેચાણ થયું હતું ભારે ભીડને કારણે મુસાફરોને કોચમાં પ્રવેશતા જ નીચે બેસવાનો વારો આવ્યો હતો જ્યારે કેટલાક મુસાફરો દરવાજામાં પણ બેઠેલા જાેવા મળ્યા હતા હિંમતનગર રેલવે સ્ટેશન પર માત્ર આગ્રા કેન્ટ ટ્રેન જ નહીં પરંતુ અન્ય ટ્રેનોમાં પણ મુસાફરોનો ઘસારો વધુ જાેવા મળ્યો હતો અસારવા-ઈન્દોર, અસારવા-આગ્રા કેન્ટ અને ચિત્તોડગઢ-અસારવા મેમુ ટ્રેનોના ક્રોસિંગ દરમિયાન સાંજે ૪ થી ૪:૪૫ વાગ્યાની વચ્ચે સ્ટેશન પર ભારે ભીડ જાેવા મળી હતી આ ત્રણેય ટ્રેનોમાં અંદાજે ૫૦૦ થી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું. અસારવા-આગ્રા કેન્ટ હોળી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરોનો ભારે ધસારો જાેવા મળ્યો હતો. હિંમતનગર રેલવે સ્ટેશન પર પહોંચેલી આ ટ્રેનમાં સીટ ન મળતા મુસાફરોને કોચના ફ્લોર પર અને દરવાજા પાસે બેસવાની ફરજ પડી હતી. હોળીના તહેવારને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. આજે સાંજે હિંમતનગર રેલવે સ્ટેશન પર આગ્રા કેન્ટ ટ્રેન પહોંચી ત્યારે તે સંપૂર્ણ ભરેલી હતી. હિંમતનગરથી જ આ ટ્રેનમાં બેસવા માટે આશરે ૩૦૦ જેટલી ટિકિટોનું વેચાણ થયું હતું. ભારે ભીડને કારણે મુસાફરોને કોચમાં પ્રવેશતા જ નીચે બેસવું પડ્યું હતું, જ્યારે કેટલાક મુસાફરો દરવાજામાં પણ બેઠેલા જાેવા મળ્યા હતા. હિંમતનગર રેલવે સ્ટેશન પર માત્ર આગ્રા કેન્ટ ટ્રેન જ નહીં, પરંતુ અન્ય ટ્રેનોમાં પણ મુસાફરોનો ધસારો જાેવા મળ્યો હતો. અસારવા-ઇન્દોર, અસારવા-આગ્રા કેન્ટ અને ચિત્તોડગઢ-અસારવા મેમુ ટ્રેનોના ક્રોસિંગ દરમિયાન સાંજે ૪ થી ૪.૪૫ વાગ્યાની વચ્ચે સ્ટેશન પર ભારે ભીડ હતી. આ ત્રણેય ટ્રેનોમાં અંદાજે ૫૦૦ થી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ફેબ્રુઆરી 2026
2178 |
નકલી દૂધ કૌભાંડની નિષ્પક્ષ તપાસની માગ ઉઠી
મોડાસા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલા નકલી દૂધના કારોબાર મુદ્દે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણ પટેલ અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામ સોલંકીએ મોડાસા ખાતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં આગેવાનોએ જણાવ્યું હતું કે અરવલ્લી અને સાબરકાંઠામાં નકલી દૂધનો કારોબાર ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. કેટલાય સામાજિક આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક અને સ્પષ્ટ કાર્યવાહી જાેવા મળી નથી. આ મામલે ખાસ કરીને સાબર ડેરી દ્વારા સૂચક મૌન ધારણ કરવામાં આવ્યું હોવું નવાઈજનક અને શંકાસ્પદ હોવાનું જણાવ્યું હતું. પશુપાલકો અને ગ્રાહકો બંનેના હિતોને અસર કરતી આ ગંભીર બાબતમાં સંબંધિત સંસ્થાઓ અને તંત્રની નિષ્ક્રિયતા લોકોમાં અનેક સવાલો ઉભા કરે છે. જિલ્લાઓમાં નકલી દૂધ ઠલવાઈ રહ્યું હોય અને તેનો ખુલ્લેઆમ વેચાણ થતું હોય તો તે આરોગ્ય માટે ઘાતક અને અત્યંત દુ:ખદ બાબત છે. ભાજપના નેતાઓ પણ આ મુદ્દે મૌન સાધી રહ્યા હોવાનું જણાવતાં કોંગ્રેસ આગેવાનોએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું આ મુદ્દે રાજકીય દબાણ હેઠળ સત્ય દબાવાઈ રહ્યું છે? કોંગ્રેસ દ્વારા આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવાની, દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની તથા નકલી દૂધના કારોબારને તાત્કાલિક બંધ કરાવવાની જાેરદાર માંગ કરવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું કે નકલી દૂધનો કારોબાર બંધ થવો જાેઈએ અને દોષિતો સામે પગલાં ભરવા જાેઈએ. ભાજપની સરકાર પગલાં લેવા આગળ આવવું જાેઈએ. અરૂણ પટેલ, રામ સોલંકી, રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પુવાર તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. અંતમાં કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે જાે તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો જિલ્લાકક્ષાએ જનઆંદોલન અને ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.સાબરડેરીમાં નકલી દૂધ મામલે ડિરેક્ટરો વચ્ચે ઘર્ષણ મામલે ઝઘડાની અદાવતમાં સમર્થક ઉપર હુમલાની ઘટના સામે આવતાં ચકચારસાબરડેરીમાં નકલી દૂધ મામલે ડિરેક્ટરો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ અદાવતમાં મોડાસામાં ડિરેક્ટરોના સમર્થકોમાં હુમલાની ઘટના સામે આવતાં ચકચાર મચી છે. આ ઘટનામાં ડિરેક્ટરના સમર્થકને ઇજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટના અંગે અત્યાર સુધીમાં કોઈ પણ પોલીસ ફરિયાદ કરાઇ ન હતી અને બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. બીજી બાજુ ડિરેક્ટરો વચ્ચે નકલી દૂધ મામલે થયેલા ઝઘડામાં હવે સમર્થકો વચ્ચે ઝઘડાના મંડાણ શરૂ થયા છે. મોડાસામાં તાલુકા સંઘ પાસે સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે થયેલી તકરારના મામલે ડિરેક્ટરની ઓફિસ પાસે તેમના ટેકેદાર પર હુમલો કરાતાં સહકારી માળખામાં ખળભળાટ મચી ગયો હતો. ઈજાગ્રસ્ત થયેલ ટેકેદારને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. સાબર ડેરીમાં થયેલી તકરારની અદાવતમાં ડિરેક્ટરના પરિવારની દીકરીને હેરાનગતિ બાદ મામલો બિચક્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, ફેબ્રુઆરી 2026
3168 |
શિક્ષણાધિકારીનો નિરીક્ષકને તપાસ કરવા આદેશ
અમદાવાદ, સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા વધુ વસૂલેલી ૨ કરોડ જેટલી ફી વિદ્યાર્થીઓને પરત આપવામાં આવી છે કે નહીં? તેની તપાસ કરવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના આપી છે એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી દીધી હતી. જે બાદ એફઆરસીએ ફીમાં ઘટાડો કર્યો હતો, જેથી વિદ્યાર્થીઓ પાસેથી વધુ વસૂલેલી ફી પરત આપવા માટે હ્લઇઝ્ર કમિટીએ સૂચના આપી છે. જાેકે, હજુ સુધી વિદ્યાર્થીઓને ફી પરત આપવામાં ન આવી હોવાની વાલીઓએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષણ નિરીક્ષકને તપાસ કરી રિપોર્ટ આપવા માટે સૂચના આપી છે. સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા ધોરણ ૧ થી ૮ની ફી માટે અમદાવાદ ઝોનની કમિટી સમક્ષ દરખાસ્ત કરી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ માટે કમિટી સમક્ષ ૩૯,૩૫૯ની ફી માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જાે કે અમદાવાદ ઝોનની હ્લઇઝ્ર કમિટીએ ૩૩ ટકાનો કાપ મૂકીને ૨૬,૨૫૦ રૂપિયા ફાઈનલ ફી મંજૂર કરવામાં આવી હતી. તેમ છતાં સ્કૂલોએ મંજૂર કરેલી ફી કરતા દરખાસ્ત કરેલી ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી હતી. તે બાદ સ્કૂલએ રિવિઝન કમિટીમાં અરજી કરી હતી, પરંતુ રિવિઝન કમિટી દ્વારા સ્કૂલની અરજી ફગાવી દીધી હતી. તેમજ સ્કૂલને હ્લઇઝ્રના આદેશનું પાલન કરવા પણ સૂચના આપી હતી. તેમજ ૨ કરોડ જેટલી વધારાની ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવી છે, તે ૧૫ દિવસમાં વાલીઓને પરત કરવા માટે આદેશ કર્યો હતો. તેમજ વાલીઓને ફી પરત કરી તેના પુરાવા એફઆરસીમાં જમા કરાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. પરંતુ સ્કૂલે આદેશોનું પાલન ન કર્યું હોવાની વાલીઓએ ડ્ઢઈર્ંને રજૂઆત કરી હતી. જેથી હવે શિક્ષક નિરીક્ષક સ્કૂલ ફી પરત કરી છે કે નહીં તેની તપાસ કરી રિપોર્ટ સબમિટ કરશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, ફેબ્રુઆરી 2026
2574 |
મ્યુનિસિપલ કોર્પોરેશન સરકારી કાર્યક્રમોમાં પાણીના જગ પાછળ ૫૦ લાખનો ધુમાડો કરશે
અમદાવાદ, અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જ્યારે નાગરિકો સ્વચ્છ અને પૂરતા પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારી કાર્યક્રમોમાં પાણીના જગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવાનો વિવાદાસ્પદ ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં શુક્રવારે મળેલી હેલ્થ કમિટીની બેઠકમાં એક મહત્વની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. જેમાં હેલ્થ ઓફિસર તેજસ શાહના જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા યોજાતા વિવિધ સરકારી કાર્યક્રમોમાં આવતા લોકો માટે પીવાના પાણીના જગ પૂરા પાડવા પાછળ અંદાજિત વાર્ષિક રૂ. ૫૦ લાખનો ખર્ચ કરવામાં આવશે. જે કાર્યક્રમોમાં ૧૦૦થી વધુ પાણીના જગની જરૂરિયાત હોય, ત્યાં આ સુવિધા પૂરી પાડવા માટેના કોન્ટ્રાક્ટને મંજૂરી અપાઈ છે. અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે માત્ર પાણીના જગ પૂરા પાડવા માટે જ વર્ષે અંદાજિત રૂ.૫૦ લાખ ફાળવવામાં આવ્યા છે. આ ર્નિણય સત્તાવાર રીતે શુક્રવારની બેઠકમાં લેવામાં આવ્યો છે. ત્યારે આ ર્નિણયથી સ્થાનિક જનતામાં સવાલો ઊભા થઈ રહ્યા છે કે એક તરફ શહેરના પૂર્વ અને અન્ય વિસ્તારોમાં પ્રદૂષિત પાણી અને ઓછા પ્રેશરની ફરિયાદોનો ઉઠી રહી છે ત્યારે તંત્ર દ્વારા જનતાના ટેક્સના પૈસાનો ઉપયોગ સરકારી મેળાવડાઓમાં પાણી પાછળ કરવામાં આવતા ચર્ચાઓ જાગી છે. લોકોમાં ગણગણાટ છે કે તંત્રને સામાન્ય જનતાના નળમાં આવતા પાણી કરતા સરકારી કાર્યક્રમોના જગમાં વધુ રસ હોય તેમ લાગે છે. ત્યારે મનપામાં કાર્યકમોમાં પાણીમાં જગ માટે અંદાજિત રૂપિયા ૫૦ લાખનો ખર્ચ કરશે તેવી જાહેરાત કરવામાં આવી.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ફેબ્રુઆરી 2026
3168 |
સારોલીનાં વેપારી પાસેથી કાપડ ખરીદ્યા બાદ કોલકાતાનાં દુકાનદારનું રૂ. ૧૬ લાખનું ફ્રોડ
સુરત, સારાલીની શ્યામ સંગીની માર્કેટમાં દુકાન ધરાવતાં રાજસ્થાની વેપારી પાસેથી કાપડ ખરીદીમાં કોલકાતાનાં દુકાનદારે ૧૬.૨૧ લાખનું ચીટિંગ કર્યું હતું. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વેસુ ભરથાણાના રામેશ્વર પેલેસમાં રહેતા નવરતન તુલસીરામ બૈદ કાપડનો ધંધો કરે છે. રાજસ્થાનનાં ચુરુ જિલ્લાના વતની નવરતન બૈજ સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં શ્રી જય અંબે ટેક્સ્ટાઈલ નામથી પેઢી ધરાવે છે. તેઓ અલગ અલગ રાજ્યોનાં વેપારીઓ સાથે દલાલ હસ્તક વેપાર કરતાં આવ્યા છે. દને માર્કેટમાં દલાલીનું કામ કરતાં અને હમ વતની નિરંજન રાઠી સાથે વ્યક્તિગત પરિચય અને ધંધાકીય સંબંધ હતાં. ઓક્ટોબર ૨૦૨૧માં નિરંજન રાઠી બૈદની દુકાને ગયા અને કહ્યું હતું કે, કોલકોત્તાના મોટા વેપારીઓ મારા હસ્તક કાપડની ખરીદી કરે છે. તમે મારા હસ્તક તેમની સાથે વેપાર કરશો તો સારો નફો મળશે, એ વેપારીઓ પાસેથી પેમેન્ટની જવાબદાર મારી રહેશે. જુના સંબંધ હોવાથી દલાલ નિરંજન રાઠીની વાતમાં ભરોસો મૂકી બૈદ ધંધા માટે તૈયાર થયા હતાં. બાદમાં નિરંજને કોલકાતામાં રિદ્ધિ સિદ્ધિ ટેક્સ્ટાઇલ નામથી ધંધો કરતાં વિજય અગ્રવાલ સાથે બૈદને વાત કરાવી હતી. પમેન્ટનો ભરોસો મળતાં નિરંજનની એક ટકો દલાલી નક્કી કરી નવરતને તેના કહેવા અનુસાર માલ મોકલવા માંડ્યો હતો. વિજય અગ્રવાલને ૩૦ નવેમ્બર ૨૦૨૧ થઈ ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાંકુલ ૨,૨૧,૦૦,૪૯૭ કિંમતનું નેટિંગ કાપડ મોકલવામાં આવ્યું હતું. જેમા અગ્રવાલે ૨,૦૪,૭૯,૫૦૫ રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું હતું, જ્યારે બાકીનાં ૧૬, ૨૦,૯૯૨ રૂપિયા મુદ્દા વાયદાનો વેપાર કરાયો હતો. અનેક વખત ઉઘરાણી છતાં ન તો વેપારીએ પેમેન્ટ કર્યું કે ના દલાલે કરાવ્યું. જેથી નવરતને આ બંને સામે સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ફેબ્રુઆરી 2026
2376 |
હથોડીથી માથુ છૂંદી પત્નીની હત્યા કરનાર વૃદ્ધ એન્જિનિયર ઝડપાયો
સુરત, અડાજણનાં સન રેસિડન્સીમાં ભરબપોરે હથોડાથી માથું છૂંદી પત્નીની હત્યા કરનાર વૃધ્ધની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર આનંદ મહલ રોડ ઉપર સન રેસિડેન્સીમાં ૬૪ વર્ષી દિનેશ પરસોત્તમ પટેલ સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. આણંદના વિદ્યાનગરના વતની દિનેશભાઇને સંતાનમાં બે દિકરા કૃણાલ અને વિદિત છે. શુક્રવારે બપોરે દિનેશભાઈએ તેમના ૫૪ વર્ષીય પત્ની તૃપ્તિબેનને ઊંઘમાં માથામાં હથોડાથી ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ દિનેશ પટેલે મોટા પુત્ર કૃણાલને કોલ કરી મેં તારી માને પતાવી દીધી છે એમ કહ્યુ હતું. ત્યારબાદ દિનેશ પટેલે કોલ રિસિવ કર્યા ન હતાં. પિતાના આ કોલ બાદ કૃણાલે તેના ભાઈ વિદિતને ફોન કર્યો અને બંને ઘરે પહોંચ્યા હતાં. વિદિતે ઘરે પહોંચી દરવાજાે ખોલતા માતાની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. જેને પગલે અડાજણ પોલીસમાં જાણ કરાઈ હતી. ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે કૃણાલની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. પત્નીની હત્યા કરી ફરાર થઇ ગયેલા દિનેશ પટેલને શોધી કાઢવા પોલીસે તેમનો મોબાઇલ ફોન ટ્રેસ કરવા માંડ્યો હતો. જેમાં મોડી રાત્રે તેનું લોકેશન ડુમસ રોડ વીઆર મોલ આસપાસનું આવ્યું હતું. જેથી પોલીસે એ વિસ્તારમાં તપાસ કરી દિનેશ પટેલને પકડી પાડયો હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં દંપત્તિ વચ્ચે નાની-નાની વાતે ઝઘડા થતા હતા. કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી દીધી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ફેબ્રુઆરી 2026
2970 |
હોળી-ધૂળેટી પર્વે વતન જવા પરપ્રાંતીયોની લાંબી કતાર
હોળીના પાવન પર્વ નિમિત્તે સુરતથી વતન જતા મુસાફરોનો ધસારો વધી રહ્યો છે. પશ્ચિમ રેલવેના સુરત અને ઉધના સ્ટેશન દ્વારા વ્યાપક તૈયારીઓ કરી છે. જેમાં ડબલ હોલ્ડિંગ એરિયા ઊભો કરી દેવામાં આવ્યો છે. આ સાથે બે દિવસમાં ૨૦ ટ્રેન દોડાવવામાં આવશે તથા જેમાં છથી વધુ અને સ્પેશિયલ અનરિઝર્વડ ટ્રેન દોડાવવામાં આવશે. આ સાથે પાંચ ટ્રેનમાં ડબ્બાઓ પણ જનરલ કરી દેવામાં આવ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ફેબ્રુઆરી 2026
2475 |
શંકાશીલ પતિ સાથે ઝઘડા બાદ પરિણીતાનો આપઘાત
સુરત, સુરત શહેરમાં આવેલા યોગીચોક વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાએ ઝેર ગટગટાવી આપઘાત કરી લીધો હતો. પત્નીને આડા સંબંધ હોવાની જાણ પતિને થતા બંને વચ્ચે થયેલા ઝઘડાનું માઠું લગાડી પત્નીએ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. યોગી ચોક વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટી વિભાગ-૨માં રહેતા અતુલકુમાર કાછડીયા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. અતુલકુમારે પાંચ વર્ષ પહેલા પૂનમ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. અતુલકુમારને પત્નીનાં આડા સંબંધ હોવાની જાણ થતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે વાતનું માઠું લગાડી ગઈકાલે રાત્રે પૂનમને ઘરમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત થયું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ફેબ્રુઆરી 2026
3069 |
દીકરાનાં અપમૃત્યુ બાદ તેના નામે ખોટું વીલ બનાવી મિલકતો વેચી વીમા પોલિસીનાં લાખો રૂપિયા પડાવી લીધાં
સુરત, આત્મહત્યા કરનાર યુવકનાં નામની મિલકતો તથા વીમા પોલિસીનાં રૂપિયા પડાવી લેવા પુત્રવધુનાં નામે બોગસ એકાઉન્ટ ખોલાવી, ખોટી સહીઓ કરનારા લખાણી પરિવાર સાથે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. ખોટું વસીયતનામું ઉભુ કરવા સહિતનાં ષડયંત્ર રચીને પૂત્રવધુનાં હક્કનાં ૨.૭૨ કરોડ રૂપિયા ચાઉં કરી જવાયાનો આરોપ આ પરિવાર ઉપર મૂકાયો છે. ઉત્રાણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર લંબેહનુમાન રોડ ઉપર લક્ષ્મીનગરમાં ૪૧ વર્ષીય હિરલબેન તેમના માતા-પિતા સાથે રહે છે. તેણીના લગ્ન ૨૫ નવેમ્બર ૨૦૦૭ના રોજ જયેશ રાણાભાઇ લખાણી સાથે થયા હતાં. દાંપત્ય જીવનમાં તેમને એક દિકરો થયો હતો. તીર્થ હાલ ૧૭ વર્ષનો છે. જયેશ લખાણી જમીન લે-વેચ અને ફાયનાન્સનું કામ પિતા રાણાભાઇ અને નાનાભાઇ મયુર સાથે કરતા હતાં. દરમિયાન ગત ૨૦ ડિસેમ્બર ૨૦૨૧ના રોડ જયેશ લખાણીએ સરથાણા જકાતનાકા પાસે રાઇઝન પ્લાઝામાં આવેલા ઓફિસમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પતિએ ભરેલા આત્યંતિક પગલાનાં કારણે હિરલ આઘાતમાં સરી પડી હતી. આ દરમિયાન દિયર મયુરે તેણી પાસેથી જયેશની ત્રણ વીમા પોલિસીનાં કાગળ મેળવી લીધા હતાં. બાદમાં સસરા અને દિયરે તેણીને કહ્યું હતું કે, જયેશે મૃત્યુ પહેલા વસીયતનામું બનાવ્યું હતું. ત્યારબાદ કાકા સસરા જીગ્નેશ કુરજીભાઇ લખાણી તેણીને સહ રજીસ્ટ્રાર કચેરીમાં સહી કરવાની છે એમ કહીને લઇ ગયા હતાં. જ્યાં જયેશ કરી ગયો છે એવું જણાવાયું હતું એ વીલની નોંધણી કરાવાઇ હતી. બાદમાં આ વીલના આધારે મોટા વરાછાના રીવરવ્યુ હાઇટ્સ બિલ્ડીંગમાં આવેલા ૩૦૧ નંબરના ફ્લેટનો દસ્તાવેજ સાસુ કંચનબેન લકાણીના નામે તથા મોટા વરાછા ટીપી-૧૮, બ્લોક નંબર-૦૫ માં આવેલ મિલકતનો દસ્તાવેજ કાકા સસરા રમેશ કુરજીભાઇ લકાણીનાં નામે કરી દેવાયો હતો. આ દરમિયાન પિયર રહેવા જતી રહેલી હિરલબેનને સીએ મનીષ જાજુએ કોલ કરીને જણાવ્યું હતું કે, જયેશભાઇનાં વીમા ક્લેઇમનાં રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા થઈ ગયા છે. જેથી હિરલે આ અંગે દિયર મયુરને પૂછતાં તેણે એવું કહ્યું કે, તમને વીમાની રકમમાં કોઇ ભાગ મળશે નહી. પતિના અકાળે અવસાન અને પછી મિલકતનાં ડખાથી માનસિક હતાશામાં સરી પડેલી હિરલબેને સાઇકીયાટ્રીસ્ટ પાસે સારવાર શરૂ કરાવવી પડી હતી. માનસિક રાહત થતાં હિરલે પતિની મિલકત અને વીમાના પૈસા અંગે સસરા રાણાભાઇને પૂછ્યું તો તેમણે અમારા ઘરમાં માથુ મારવાની જરૂર નથી, તને કશું આપવાનું થતું નથી એમ કહ્યું હતું. સાસરીયાઓનો આ વ્યવહાર શંકાસ્પદ લાગતા હિરલે જયેશે લખેલા વસીયતનામાની નિષ્ણાંતો પાસે તપાસ કરાવી હતી. જેમાં અગાઉ જયેશે કરેલા દસ્તાવેજાે અને વસિયત ઉપર લગાવાયેલું અંગૂઠાનું નિશાન મેચ કરાયું હતું. આ તપાસમાં વસિયત ઉપર હતું એ અંગૂઠાનું નિશાન જયેશનું ન હોવાનું બહાર આવ્યું હતું. હિરલનાં એકાઉન્ટમાં જમા થયેલા જયેશની વીમા પોલિસીનાં ૨.૨૯ કરોડ રૂપિયા હિરલનાં એકાઉન્ટમાં જમા થયા હતાં. આ રકમ તેણીની જાણ બહાર આરટીજીએસ થકી સાસુ સસરાનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાઇ હતી. જયેશના નામે હતી એ મિલકત વેચવાથી મળેલા ૪૩.૪૦ લાખ રૂપિયા પણ તેઓએ હિરલનાં નામે ધ ફાઇનાન્સીયલ કો.ઓ. બેંક લી. માં ખોલાવેલા બોગસ એકાઉન્ટ મારફતે ગજવે ઘાલ્યા હતાં. આ રીતે પતિનાં મોત બાદ પોતાના હક્કનાં ૨.૭૨ કરોડ ચાઉં કરી જનાર સાસરીયાઓ સામે હિરલ લખાણીએ પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...