આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, એપ્રીલ 2026
1485 |
અમરેલી જિલ્લામાં ચાર જ કલાકમાં ૭ આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં ફરી એકવાર ધરા ધ્રૂજી ઉઠી છે. ખાસ કરીને મીતીયાળા પંથકમાં માત્ર ૪ કલાકના ટૂંકા ગાળામાં ભૂકંપના ૭ આંચકા અનુભવાતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગત રાત્રિથી આજે સવારના ૮ વાગ્યા સુધીમાં મીતીયાળા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. આ ધ્રુજારીની અસર મીતીયાળા ઉપરાંત ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સુધી જાેવા મળી હતી. વારંવાર આવતા આ આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ગત રાત્રિના સમયથી શરૂ થયેલા ભૂકંપના આંચકાઓએ મીતીયાળા અને આસપાસના ગામોમાં લોકોની ઊંઘ હરામ કરી નાંખી હતી. અમરેલી જિલ્લાના મીતીયાળા, ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સુધી આ આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના આંચકાઓની વિગતવાર માહિતી પર નજર કરીએ તો સવાર ૪.૧૫ મિનિટે ૧.૮ ની તીવ્રતાનો આંચકો, ત્યારબાદ ૪.૧૬ મિનિટે ૨.૩ ની તીવ્રતાનો આંચકો, ૪.૨૪ કલાકે ૧.૦ ની તીવ્રતાનો આંચકો, ૪.૫૭ મિનિટે ૧.૪ ની તીવ્રતાનો આંચકો, ૭ કલાકે ૨.૨ ની તીવ્રતાનો આંચકો આવ્યો, ૭.૧૫ મિનિટે ૩.૫૮ ની તીવ્રતાને આંચકો આવ્યો અને ૭.૫૧ મિનિટે ૧.૫ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસમોલોજી વિભાગ દ્વારા આ આંચકાઓની પુષ્ટિ કરવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે ૪૩ કિલોમીટર દૂર નોંધાયું છે. સવારે ૭:૧૫ વાગ્યે અનુભવાયેલો ૩.૫૮ ની તીવ્રતાનો આંચકો પ્રમાણમાં જાેરદાર હોવાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
3069 |
મોરબીના માળીયા નગરપાલિકાની ૨૪ બેઠકો માટે એક પણ ભાજપ દાવેદાર સામે આવ્યો નથી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થતા જ હાલ ગુજરાતમાં ભારે રાજકિય ગરમાયો જામ્યો છે. રાજ્યભરમાં હાલ ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતની વિવિધ પાર્ટીઓ વિવિધ જગ્યાએ પાલિકા, મહાનગરપાલિકા, તાલુકા તથા જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોનો ભરતી મેળો એટલે કે સેન્સ પ્રક્રિયા હાથ ધરી ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી છે. આ સમયે ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટા ભાગના શહેરોમાં ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જાેકે આવા સમયે ગુજરાતમાં આ એક જગ્યાએ સ્થિતિ એકદમ ઉલટી સર્જાઈ છે અને ભાજપને અહીં પોતાનો મુરતિયો દીવો લઇને શોધવા નીકળવું પડે તેવું જાણવા મળી રહ્યું છે. વિગતવાર વાત કરીએ તો, આ ચૂંટણીઓમાં મોરબી જિલ્લા માળીયા નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે. જે માટે ભાજપ દ્વારા યોજવામાં આવેલ સેન્સ પ્રક્રિયામાં એક પણ દાવેદાર દાવેદારી ન કરવા આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતભરમાં ભાજપ તરફથી ચૂંટણી લડવા લોકોની પડા પડી જાેવા મળી રહી છે, પરંતુ મોરબીના માળીયામાં ભાજપને એક પણ ઉમેદવાર મળ્યો નથી. જેથી ભાજપને અહીં એક ઉમેદવાર પણ શોધવો મોટી ચેલેન્જ સમાન સાબિત થઈ રહ્યો છે. આ તરફ અમદાવાદ મહાનગર પાલિકા ચૂંટણી માટે ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો સામે અંદાજે ભાજપમાં ૨૩૬૪ લોકોએ દાવેદારી નોંધાવી છે, તો અમરેલીમાં પણ ૧૬૮૦ કાર્યકરોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી સાથે જ ગુજરાતના મોટા ભાગના શહેર તથા જીલ્લાઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાજપમાંથી ચૂંટણી લડવાની ઈચ્ચા વ્યક્ત કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
3168 |
ભાવનગર શહેરમાં આચારસંહિતા ભંગની સૌ પ્રથમ ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનું રણશિંગુ ફૂકાઈ ચૂક્યું છે, ત્યારે રાજયમાં સૌ પ્રથમ આચારસંહિતા ભંગની ફરિયાદ ભાવનગરમાં નોંધાવાઇ છે. ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસનાં દાવેદાર દ્વારા ચૂંટણી તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સેમિફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં ૧૫ મહાપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો, ૮૪ નગરપાલિકાઓ અને ૨૮૦ તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજયમાં આચારસંહિતા અમલી બની ગઈ છે. ત્યારે ગુજરાતમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ ભાવનગર ખાતે નોંધાવાઇ છે. જેમાં ભાવનગરના ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩માં કોંગ્રેસનાં દાવેદાર એવા કલ્પેશ પટેલ દ્વારા સુભાષનગર ચોકમાં જૈન દેરાસર પાસે લાગેલા એક એલઇડી સ્કીન પર ભાવનગર મહાપાલિકા દ્વારા વિકાસ કાર્યોના વીડિયોની જાહેરાત ચાલતી હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે કોંગ્રેસનાં કાર્યકર અને ઘોઘાસર્કલ વોર્ડના દાવેદાર એવા કલ્પેશ પટેલ દ્વારા મીડિયાને જણાવાયું હતું કે, મારા વિસ્તાર એવા ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩માં આવેલા સુભાષનગર ચોકમાં આવેલા જૈન દેરાસર પાસે લાગેલી એલઇડી સ્ક્રીન પર ભાવનગર મહાપાલિકાએ કરેલા કામો, ખાતમુહૂર્ત કરેલા કામોના વીડિયોની જાહેરાત ચાલી રહી છે. જેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના નેતાઓના ફોટાઓ સાથેની વીડિયો જાહેરાત ચાલી રહી છે. જે એક આદર્શ સામાન્ય આચારસંહિતા ભંગ સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર મહાપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, અને આચારસંહિતા અમલી બની છે. ત્યારે આ બાબતથી આચારસંહિતાનો ભંગ થતો હોવાનું સ્પષ્ટ જણાય છે. જેથી આજે મે ચૂંટણી તંત્ર સમક્ષ આચારસંહિતા ભંગ માટેની ફરિયાદ નોંધાવી છે. આ માટે જે કોઈ જવાબદાર હોય તેવા અધિકારી હોય તેની સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, એપ્રીલ 2026
2673 |
એસીબીએ સીપીડબ્લ્યુડીના મદદનીશ ઇજનેરને ૪.૫૨ લાખની લાંચ લેતા ઝડપ્યો
જામનગરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી સરકારી તંત્રમાં ચાલી રહેલી લાંચપ્રથા સામે કડક કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીના (વર્ગ-૨)ને ૪.૫૨ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સીપીડબ્લ્યુડી કચેરીમાં ટ્રેપ એસીબીએ ગોઠવી આરોપીને પૈસા લેતા રંગેહાથ ઝડપી પાડ્યો. મળતી માહિતી મુજબ, આ કેસમાં ફરિયાદીના મિત્રને જામનગર જિલ્લાના લાખાબાવડ ગામ નજીક હાઈવે પર આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તથા ડબ્લ્યુએચઓના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ બનેલા રિસર્ચ સેન્ટરમાં ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના મોજપ ગામે આવેલા બીએસએફ મરીન તાલીમ કેન્દ્રમાં પણ ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ સોંપાયું હતું. આ બંને કામગીરીના બિલ મંજૂર કરવા માટે આરોપી મદદનીશ ઇજનેર વિજયકુમાર મીનાએ ફરિયાદીના મિત્ર પાસે રૂબરૂમાં ૪.૫૨ લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીના મિત્રએ લાંચ આપવાનો ઇનકાર કરતા સમગ્ર મામલો એસીબી સુધી પહોંચ્યો હતો. બાદમાં એસીબીએ ટ્રેપ ગોઠવી આરોપીની ચેમ્બરમાં જ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને લાંચની રકમ સ્વીકારી હતી. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદીના મિત્ર સાથે મોબાઇલ ફોન પર પણ લાંચની રકમ મળ્યાની કબૂલાત કરી હતી. એસીબીની ટીમે સ્થળ પર જ આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ૪.૫૨ લાખની લાંચની રકમ જપ્ત કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
02, એપ્રીલ 2026
3168 |
દ્વારકામાં કડાકા-ભડાકા સાથે ચોમાસા જેવો વરસાદ, રસ્તાઓ પર પાણી-પાણી
રાજ્યના હવામાનમાં પલટાની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઇ છે. કમોસમી વરસાદથી રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે હજુ પણ કાળા ડિબાંગ વાદળો જાેવા મળી રહ્યા છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઇ છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લાનું વાતાવરણ વાદળછાયું જાેવા મળ્યું હતું. અચાનક આવેલા વાતાવરણમાં આ પલટાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. તો બીજી તરફ શિયાળુ પાક પણ ખેતરમાં ખુલ્લો પડેલો છે, ત્યારે કમોસમી વરસાદને કારણે રવિ પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. ૩ એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આજે અને તે પછીના બે દિવસ એમ કુલ ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહીની સાથે ગાજવીજ અને પવનની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
07, એપ્રીલ 2026
2178 |
વડોદરા |
સ્ટેશન વિસ્તારની ખાનગી હોટેલના રૂમમાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત
વડોદરા શહેરના હાર્દ સમાન સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં પંચમહાલના ૨૭ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જનમહેલ સ્થિત ‘સાંઈ કૃપા’ હોટેલના રૂમ નંબર ૩૦૬માં યુવકનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં યુવકે મહિલાના દુપટ્ટાનો ગાળિયો બનાવી આપઘાત કર્યો હોવાનું સામે આવતા આ મામલે અનેક રહસ્યો સર્જાયા છે.મળતી માહિતી મુજબ, મૃતક યુવક ગત સોમવારે સવારે ૮ વાગ્યે પોતાની મોટર સાઈકલ લઈને હોટેલમાં રોકાયો હતો. હોટેલના રજિસ્ટર અને આધાર કાર્ડના આધારે તેની ઓળખ જયેન્દ્રકુમાર કમલસિંહ લુહાર (રહે. લુહાર ફળિયું, વિજાપુર ગામ, જિલ્લો પંચમહાલ) તરીકે થઈ છે. જયેન્દ્રકુમારે હોટેલમાં ચેક-ઈન કર્યા બાદ તે રૂમની બહાર નીકળ્યો ન હતો. નિર્ધારિત સમય વીતવા છતાં રૂમ ન ખૂલતા હોટેલ સ્ટાફને શંકા ગઈ હતી. વારંવાર દરવાજાે ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા આખરે દરવાજાે તોડી તપાસ કરવામાં આવી હતી, જ્યાં યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. સયાજીગંજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૃતક યુવકના પાકીટ અને બેગની તલાશી લેતા તેમાંથી તેના પોતાના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ ઉપરાંત એક યુવતીનું પણ ચૂંટણી કાર્ડ મળી આવ્યું છે. આ સાથે જ યુવકે આપઘાત માટે મહિલાના દુપટ્ટાનો ઉપયોગ કર્યો હોવાથી આ સમગ્ર મામલો પ્રેમપ્રકરણ કે અન્ય કોઈ ગંભીર વિવાદ તરફ ઈશારો કરી રહ્યો હોય તેમ જણાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
07, એપ્રીલ 2026
2277 |
વડોદરા |
૯ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર યુવકને ૨૦ વર્ષની કેદ
સયાજીગંજ વિસ્તારમાં છ વર્ષ અગાઉ ઘર પાસે પાણી ભરવા માટે ગયેલી નવ વર્ષની બાળકીનો હાથ પકડીને પોતાના ઘરના બાથરૂમમાં લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારનાર યુવકને અત્રેની અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી ૫૦ હજાર દંડ ભરવાનો આદેશ કર્યો હતો.છ વર્ષ અગાઉ માતા-પિતા અને ત્રણ ભાઈબહેન સાથે સયાજીગંજ વિસ્તારમાં રહેતી અને ધો.૩માં અભ્યાસ કરતી નવ વર્ષની બાળકી ગત ૧૮-૧૦-૨૦૨૦ના સવારે અગિયાર વાગે ઘડો લઈને તેના ઘર પાસે આવેલા નળમાંથી પાણી ભરવા માટે ગઈ હતી. આ દરમિયાન ત્યાં રહેતો ૨૧ વર્ષીય અજય ઉર્ફ આકાશ દિનેશભાઈ રોકડે (રણજીતનગર, પરશુરામ ભટ્ટો, સયાજીગંજ) બાળકીનો હાથ પકડીને તેના ઘરના બાથરૂમમાં લઈ ગયો હતો અને તેણે માસુમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો.બીજીતરફ બાળકી ઘરે પરત નહી આવતા તેની કાકીએ તપાસ કરી હતી અને બાળકીને આકાશ સાથે તેના બાથરૂમમાં જાેતાં તેણે આકાશને ઠપકો આપ્યો હતો અને બાળકીને ઘરે લઈ ગઈ હતી. ઘરે આવેલી બાળકીએ તેના પર આકાશે બાથરૂમમાં બળાત્કાર ગુજાર્યો હોવાની જાણ કરતાં બાળકીની માતાએ આ બનાવની સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે આકાશ વિરુધ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ કેસ અત્રેની એડી. સેશન્સ જજ ચિરાગ એમ.પવારની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી આકાશ રોકડેને તકસીરવાન ઠેરવીને પોક્સોના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી ૫૦ હજાર રૂપિયા દંડ ભરવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે બળાત્કારનો ભોગ બનેલી બાળકીને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ બે લાખ રૂપિયાનું વળતર ચુકવવા માટે લીગલ ઓથોરિટી સર્વિસને હુકમ કર્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, એપ્રીલ 2026
2574 |
વડોદરા |
ગાયો પકડવાને બદલે પાલિકાની ઢોર પાર્ટીના કર્મચારીઓ ક્રિકેટ રમવા લાગ્યા
વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને નિર્દોષ નાગરિકો પશુઓની અડફેટે આવી રહ્યા છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઢોર પાર્ટીની એક શરમજનક બેદરકારી સામે આવી છે. શહેરના જામ્બુવા વિસ્તાર પાસે આવેલા એક ખુલ્લા મેદાનમાં પાલિકાની ઢોર પાર્ટીના કર્મચારીઓ ઓન-ડ્યુટી હોવા છતાં રખડતા પશુઓને પકડવાને બદલે ક્રિકેટ રમતા નજરે પડ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, ઢોર ડબ્બા શાખાની ગાડી અને લશ્કર સાથેના કર્મચારીઓ જામ્બુવા પાસેના મેદાનમાં બિન્દાસપણે બેટિંગ-બોલિંગ કરતા જાેવા મળ્યા હતા. એક તરફ શહેરના રાજમાર્ગો પર પશુઓના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહે છે, ત્યારે બીજી તરફ પ્રજાના ટેક્સના પૈસે પગાર લેતા આ કર્મચારીઓ ફરજના સમયે રમત-ગમતમાં મશગૂલ હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નાગરિકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જાે ઢોર પાર્ટી આ રીતે ‘ઓન ડ્યુટી’ પિકનિક મનાવશે, તો શહેરને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ ક્યારે મળશે? આ ગંભીર શિસ્તભંગ બદલ ઉચ્ચ અધિકારીઓ આ કર્મચારીઓ સામે કેવા પગલાં ભરે છે, તે જાેવું રહ્યું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
07, એપ્રીલ 2026
2673 |
વડોદરા |
વેમાલીના પૂર્વ સરપંચ તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જાેડાયા
ચૂંટણી પૂર્વે વિવિધ એકપક્ષ છોડીને બીજા પક્ષમાં જાેડાવવાની શરૂઆત થઈ છે. ત્યારે વડોદરાના વેમાલી ગામના પૂર્વ સરપંચ તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જાેડાયા હતા તેઓ ૩૫ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા. તેમણે આજે કોંગ્રેસનો ખેસધારણ કર્યો હતો.કોંગ્રેસમાં જાેડાનાર વેમાલીના પૂર્વ સરપંચ નીલેશ પટેલે જણાવ્યું હતું કે, હું ૩૫ વર્ષથી ભાજપનો સૈનિક રહ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટાયા બાદ વર્તમાન શાસકોને ધુરા સોંપી ત્યાર બાદ આ લોકોએ વિકાસને વિનાશમાં પરિવર્તિત કરી દીધો છે. અમારા વિસ્તારમાં પાણી માટે અનેક રજૂઆત કરી છે છતાં પણ શાસકો દ્વારા કોઈ ધ્યાન અપાતું નથી. અમદાવાદના પૂર્વ મેયર હિંમત પટેલે કોંગ્રેસમાં જાેડાનાર તમામ કાર્યકરોને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. વેમાલી ગામના પૂર્વ સરપંચ નિલેશ પટેલે જાે કોંગ્રેસ ટિકિટ આપે તો કોર્પોરેશનની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, એપ્રીલ 2026
2178 |
વડોદરા |
વડોદરામાં સાંજે વાતાવરણમાં અચાનક પલટો : પવન સાથે માવઠુ થતાં ઠંડક પ્રસરી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે વડોદરામાં સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. તેજ ગતીએ પવન છુટતા ધુળની ડમરી ઉડવાની સાથે માવઠુ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જાેકે, ઉનાળાની ઋતુમાં ફરી વડોદરા શહેર અને જિલ્લામાં માવઠુ થતા ખેડૂતો ચીંતાતુર બન્યા હતા.હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા, ઉત્તર ગુજરાત અને વડોદરા, ભરૂચમાં છૂટાછવાયા હળવાથી માધ્યમ વરસાદની શક્યતા વ્યક કરી હતી. જેમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે બપોરના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળીયા વાતાવરણ વચ્ચે સાંજ થતા ૧૬ કી.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધુળની ડમરી ઉડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જાેકે, ગણતરીના સમયમાંજ પવન સાથે માવઠુ થતા લારી, પથારાવાળાઓમાં દોડધામ મચી હતી. જાેકે, છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને ઉકળાટમાં માવઠુ થતા રાહત મળી હતી. જ્યારે બીજી તરફ માવઠાના કારણે ખેડૂતો ચીંતાતૂર બન્યા હતા.હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આજે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીના ધટાડા સાથે ૩૩.૪ ડીગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતુ. જ્યારે લધુત્તમ તાપમાન ૨૪.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયુ હતુ. સવારે હવામા ભેજનું પ્રમાણ ૬૯ ટકા જે સાંજે ૫૫ ટકા અને હવાનું દબાણ ૧૦૦૬ મિલિબાર્સ અને દક્ષિણ-પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિ કલાકના ૧૬ કી.મી. નોંધાઈ હતી.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, એપ્રીલ 2026
1782 |
એસઆઈઆરનાં જારી નવા લિસ્ટમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ
એસઆઈઆરનાં નવા લિસ્ટમાં કેટલાક મતદારોનાં નામ ગાયબ થઈ જતા ઉમેદવારોમાં હતાશા જાેવા મળી હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામને લઈને બેઠકો કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ સહપ્રભારી બી. વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષની સાથે બેઠક મળી હતી. જેમાં નિર્વિવાદિત ઉમેદવારના નામ પર ચર્ચા કરી તેની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. મોટાભાગે આ યાદીમાં એવી બેઠક અને ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે જેને લઈને કોઈ વિવાદ સર્જાય નહીં, પરંતુ તેમ છતાં એક-બે બેઠક પર સ્થાનિક કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કરી ઉમેદવાર બદલવા માગ કરી હતી. જેને શાંત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે કોંગ્રેસની પહેલી યાદીમાં કોર્પોરેશનની ચૂંટણી માટે ૩૨ વોર્ડમાં ઉમેદવારના નામની જાહેરાત કરાઈ હતી. ૧૨ વોર્ડમાં કુલ ૯૨ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. ૩ ઉમેદવારોના નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. માહિતી મુજબ, નવરંગપુરા, ચાંદલોડિયા, ઈન્દ્રપુરી વોર્ડના નામ યાદીમાંથી ગાયબ થઈ જતા ઉમેદવારોમાં ખુશી રોષમાં ફેરવાઈ હતી. આ ૩ ઉમેદવારો હવે ચૂંટણી નહીં લડી શકે તેમજ વોટિંગ પણ નહીં કરી શકે. એક મતદારે જણાવ્યું કે તેમનું નામ વિધાનસભાની યાદીમાં છે પણ મહાનગરપાલિકાની યાદીમાં નથી. પાર્ટીએ ટિકિટ આપી તો પણ ચૂંટણી લડી નહીં શકીએ. માહિતી મુજબ ઉમેદવારો હવે યાદીમાં નામનો સમાવેશ કરવા કોર્ટનાં પગથિયા ચડશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, એપ્રીલ 2026
1287 |
શહેરમાં ૨૪૪ કિલો શંકાસ્પદ પનીર જપ્ત, અનેક ડેરી સીલ
અમદાવાદમાં શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય એકમો સામે એએમસીના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.તાજેતરમાં કરાયેલી તપાસ દરમિયાન પનીરના નામે એનાલોગ પનીર વાપરવા અને અસ્વચ્છતાના મામલે બે જાણીતા ખાણી-પીણીના એકમોને સીલ કરવામાં આવ્યા છે. સાથે જ કુલ ૨૪૪ કિલોગ્રામ શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. એએમસીની ટીમે ગોતા વિસ્તારમાં આવેલી શ્રીકૃષ્ણા ડેરીમાંથી ૧૪૦ કિલોગ્રામ અને નરોડા વિસ્તારમાં આવેલી રાધે ડેરીમાંથી ૧૦૪ કિલોગ્રામ શંકાસ્પદ પનીર જપ્ત કર્યું છે. આ તમામ જથ્થાના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.તપાસ દરમિયાન વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ભૈરવનાથ પંજાબી તડકામાં ફૂડ લાઈસન્સ ન હોવાનું સામે આવ્યું. વધુમાં, મેનુમાં પનીર દર્શાવીને એનાલોગ પીરસવામાં આવતું હોવાનું જણાતા આ એકમને જાહેર આરોગ્યના હિતમાં સીલ કરવામાં આવ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલા પંજાબ દી મહેક ખાતે રસોડામાં ભારે ગંદકી અને જીવાતો મળી આવતા તેને પણ તાત્કાલિક સીલ કરવામાં આવ્યું છે.એએમસી ફૂડ વિભાગે છેલ્લા પાંચ શહેરના વિવિધ ઝોનમાં કુલ ૪૫૨ ખાદ્ય એકમોની તપાસ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, એપ્રીલ 2026
1188 |
શહેરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૬૭ ૫ીઆઈની બદલી અને ૫૪ ૫ીઆઈને પોસ્ટિંગ
અમદાવાદમાં ૬૭ ૫ીઆઈની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવી છે. શહેરમાં ફરજ બજાવતા ૧૩ ૫ીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે બહારથી આવેલા ૫૪ ૫ીઆઈને પોસ્ટિંગ આપ્યું છે. અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ માટે વગદાર અને વહીવટદારોની ગોઠવણ ચાલી રહી છે, પરંતુ હવે તેના પર બ્રેક લાગી છે. બદલી સાથે અમદાવાદ આવેલા પીઆઇની તેમની ભૂતકાળની કામગીરી, ઇનામ, વર્તણૂંક અને સીઆર જાેઈને પોસ્ટિંગ આપવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે. જેને પગલે બદલીની કામગીરી સંપૂર્ણ નિષ્પક્ષ રીતે થશે. કમિશનર ઓફિસના સ્પષ્ટ વલણને લઈને પોતાના અધિકારીઓને પોસ્ટિંગ કરાવવા માટે વહીવટદારો અને વગદારોએ કમિશનર કચેરીએ ફોન કરવાનું ટાળ્યું છે. અગાઉ વિવાદમાં આવેલા પીઆઇને સાઇડ પોસ્ટિંગ આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કે પોસ્ટિંગ આપવામાં આવે, ત્યારે વચેટિયાની ભૂમિકા મુખ્ય રહેતી હતી તેમ અંદરનાં સૂત્રોનું માનવું છે. જે તે વિસ્તારના વગદાર માણસો પોતાની પસંદગીના ૫ીઆઈને પોતાના વિસ્તારમાં પોસ્ટિંગ અપાવે એટલે તેનું વર્ચસ્વ વધતું જાય. જે તે પોલીસ મથકમાં ચોક્કસ કર્મચારીઓ અનિવાર્ય બની ગયા હતા અને તેમનું વર્ચસ્વ વધતાં ૩ વર્ષ કે તેથી વધારે સમયથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓની બદલીઓ કરી દેવામાં આવી હતી. બદલી બાદ અમદાવાદ શહેરના નારોલ, નરોડા, વટવા, માધવપુરા, બોડકદેવ, નવરંગપુરા, વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતના પોલીસ સ્ટેશન ઊંચાઈ પીઆઇથી ચાલી રહ્યા છે, જ્યાં ટૂંક સમયમાં પોસ્ટિંગ આપવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, એપ્રીલ 2026
1881 |
ઢોંસા ખાનાર વિમલ પ્રજાપતિની બાળકીઓના મોતનું રહસ્ય ઘેરાયું
અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાના કારણે બે બાળકીના મોત બાદ તપાસનો ધમધમાટ ઝડપી કરી દેવામાં આવ્યો છે. મૃતદેહ બહાર કઢાયા બાદ મૃતક બાળકીઓના ઘરમાંથી હ્લજીન્એ રજેરજની માહિતી એકત્રિત કરી હતી. ઘરનો સામાન તપાસ્ટો હતો તેમજ ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ તપાસ માટે પોતાની પાસે લીધી હતી. આ ઉપરાંત માતા-પિતાના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. જ્યારે ડોક્ટરે પોલીસને બાળકીના ફીડીંગ અંગે આપેલી હકીકતથી સમગ્ર કેસમાં નવો વળાંક પણ આવી શકે છે. ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં ૩ મહિનાની રાહા અને ૪ વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર હ્લજીન્ની ટીમે સેમ્પલ લીધા હતા. આ મામલે ન્ ડિવિઝન છઝ્રઁ ડી.વી રાણાએ આપેલી માહિતી અનુસાર બાળકીઓના મૃતદેહ બહાર કાઢીને પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. ઘનશ્યામ ડેરીમાંથી બીજા ગ્રાહકોએ ખીરું ખરીદી હોય તેમનો સંપર્ક કરી તેમનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે. ડેરીમાંથી ખીરૂ ખરીદરનાર અન્ય ગ્રાહકોને ફૂડ પોઈઝિંગ થયું નથી. જેથી વિમલ પ્રજાપતિની બાળકીઓના મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, એપ્રીલ 2026
1683 |
કોન્સ્ટેબલને ઢોરમાર મારનારની ધરપકડ કરાઇ
અમદાવાદમાં હવે અસામાજીક તત્વો એટલા બેફામ બની ગયા છે કે પોલીસ પણ સલામત નથી. અમદાવાદના મેઘાણીનગરના પોલીસ કોન્સ્ટેબલ જયેશ વસાવા ઉપર હુમલો કરવામાં આવ્યો છે.. માથાભારે જીતેન્દ્રસિંહ જાડેજા શખ્સને અગાઉ ગાર્ડનમાં બેસવા મામલે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને શખ્સે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. જે અંગે શહેરકોટડા પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આ કેસની વિગતો અનુસાર નરોડા વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતા અને મુળ નર્મદાના ઢોલાર ગામના વતની જયેશ વસવાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં વિરૂદ્ધ હત્યાની કોશિષ, એટ્રોસિટીની ફરિયાદ કરી છે. જયેશ વસાવા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. ગત સોમવારના રોજ મેઘાણીનગરની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગાર્ડનમાં બેઠેલા જીતેન્દ્રસિંહ જાડેજાની હરકતો શંકાસ્પદ લાગતા તેની પાસે જઇને પૂછપરછ કરી હતી આ દરમિયાન જીતેન્દ્રસિંહે જયેશ વસાવાએ બોલાચાલી કરીહતી. ત્યારે બાદ તેને પોલીસ સ્ટેશન લઇજવાયો હતો ને ત્યારબાદ વાતચિત કરીને જવા દેવાયો હતો . એક દિવસ બાદ કોન્સ્ટેબલ જયેશ નોકરી હોટેલમાં જઈને જયેશે જમવાનું પાર્સલ કરાવતા હતા તે દરમિયાન જીતેન્દ્રસિંહે બેફામ બોલીને જયેસ વસાવાને માર માર્યો હતો, જેને કારણે જયેશ વસાવાને સારવાર માટેહોસ્પિટલ લઇ જવાયો હતો. આ મામલે પોલીસે જીતેન્દ્રસિંહ સામે એટ્રોસિટી, હત્યાની કોશિષ જેવા ગુના નોંધીને તેની ધરપકડ કરી હતી.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, એપ્રીલ 2026
2277 |
ખડસુપા પાસે પતિ સાથે ગેસ સિલિન્ડર લેવા જતી પત્નીનું ઘટનાસ્થળે મોત
નેશનલ હાઈવે નંબર ૪૮ પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે નવસારીના ખડસુપા ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા એક ટેમ્પો ચાલકે મોટરસાઈકલ પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ૪૭ વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ટેમ્પો ચાલક પોતાનું વાહન છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી ડ્રાઈવરને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, નવસારીના સરપોર ગામના વતની ગીતાબેન ખાલપ હળપતિ (ઉં.વ. ૪૭) અને તેમના પતિ આજે સવારે પોતાના ગામથી બાઈક પર ગેસનો સિલિન્ડર ભરાવવા માટે નવસારી શહેર તરફ આવી રહ્યા હતા. દરમિયાન ખડસુપા ગામ પાસે નેશનલ હાઈવે ૪૮ પર એક ટેમ્પો ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે ગીતાબેન રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, અકસ્માત સર્જી ટેમ્પો ચાલક પકડાઈ જવાની બીકે પોતાનો ટેમ્પો ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. રિવારમાં શોકની લાગણી સરપોર ગામના દંપતી સાથે બનેલી આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. નવસારી ગ્રામ્ય પોલીસે આ મામલે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર ડ્રાઈવરને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, એપ્રીલ 2026
1782 |
બીલીમોરામાં જ્વેલર ઉપર ફાયરિંગ કરનાર ત્રણેય લૂંટારૂઓને ગણતરીનાં કલાકોમાં વલસાડથી દબોચી લીધાં
નવસારી જિલ્લાના બીલીમોરાના ગૌહરબાગ વિસ્તારમાં આવેલી ચંચલ જ્વેલર્સ શોપના માલિક અશોક કટારિયા પોતાની દુકાને હાજર હતા, ત્યારે બે અજાણ્યા ઈસમોએ પિસ્તોલ સાથે ધસી આવી તેમને ધમકાવ્યા હતા. લૂંટારુઓએ હિન્દી અને ગુજરાતી ભાષામાં વાત કરી ઘરેણાં થેલીમાં ભરી દેવા દબાણ કર્યું હતું. આ દરમિયાન અશોક કટારિયાએ હિંમત દાખવી બૂમાબૂમ કરતા લૂંટારુઓએ તેમની સાથે ઝપાઝપી શરૂ કરી હતી અને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. દરમિયાન, એક ગોળી અશોકભાઈને દાઢી અને ખભાના ભાગે વાગવા છતાં તેમણે પાસે રહેલી લાકડાંની હોકી વડે હુમલાખોરોનો પ્રતિકાર કર્યો હતો. ફાયરિંગને પગલે લોકોના ટોળાં એકઠાં થઈ જવાની બીકે લૂંટારુઓ લૂંટ કર્યા વગર જ પોતાની કારમાં બેસી ચીખલી તરફ ભાગી છૂટ્યા હતા. નવસારી જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આરોપીઓને ઝડપી પાડવા માટે આશરે ૧૫ ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરી હતી. નવસારી એલસીબીના સિનિયર પી.આઇ. વી.જે. જાડેજા અને તેમની ટીમ તથા એસઓજી અને અન્ય સ્થાનિક પોલીસની ટીમો સક્રિય થઈ હતી. પોલીસે તાત્કાલિક નાકાબંધી ગોઠવી અને ૩૦૦થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી હતી. કાર કયા માર્ગે આવી હતી અને ચીખલી તરફ ગઈ તે જાણવા સેંકડો સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. લૂંટારુઓએ ચીખલી-વાંસદા રોડ પર હંસ ક્વોરી નજીક અવાવરું સ્થળે પોતાની કાર છુપાવી દીધી હતી. બાદમાં કપડાં બદલી તેઓ પગપાળા હાઈવે પર પહોંચી બસ મારફતે વલસાડ ભાગી ગયા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે કાર સુધી પહોંચી હતી. કારની નંબર પ્લેટ ગાયબ હતી, પરંતુ એફએસએલની મદદથી કાર ખોલતા તેમાં લૂંટ દરમિયાન પહેરેલા કપડાં મળી આવ્યા હતા. કારની માલિકીની તપાસ કરતાં તે વલસાડના ઉમંગ વાછાણીનાં નામે નોંધાયેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે માત્ર સાત કલાકમાં જ ત્રણેય આરોપીઓને વલસાડમાંથી ઝડપી પાડ્યા હતા. મુખ્ય સૂત્રધાર ઉમંગ દિલીપભાઈ વાછાણી (રહે, ભાનુવીલા એપાર્ટમેન્ટ, તીથલ રોડ વલસાડ), બીજો આરોપી મનોજ ઉર્ફે આકાશ રાજુભાઈ સૂર્યવંશી (રહે. આકાશ ગંગા એપાર્ટમેન્ટ, હાલર રોડ, વલસાડ) અને ત્રીજો સાગરીત રજનીકાંત ઉર્ફે રાજુ શશીકાંત મકવાણા (રહે. સરદાર હાઉસ, તીથલ રોડ, વલસાડ) નો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ રિવોલ્વર રસ્તામાં ક્યાંક ફેંકી હોવાની માહિતી આપી હતી.આરોપીઓએ કોલેજનાં અભ્યાસ દરમિયાન જ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો પોલીસે આ ઘટનામાં વલસાડના ઉમંગ ઉર્ફે દિલીપ વાછાણી, મનોજ ઉર્ફે આકાશ સૂર્યવંશી અને રજનીકાંત ઉર્ફે રાજુ મકવાણાની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી ઉમંગ વાછાણી (ઉં.વ. ૨૫) રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે, જેની સામે અમદાવાદના યુનિવસિર્ટી, વાડજ, નવરંગપુરા, સેટેલાઈટ, ઘાટલોડિયા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં લૂંટ અને ચોરીના કુલ ૧૧ જેટલા ગુનાઓ અગાઉ નોંધાઈ ચુક્યા છે. વર્ષ ૨૦૨૩માં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ આરોપીઓએ કોલેજકાળ દરમિયાન જ ગુનાખોરીના માર્ગે ડગ માંડ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, એપ્રીલ 2026
2475 |
છેલ્લાં ૨૫ વર્ષથી નાસતા ફરતા ડબલ મર્ડર અને ધાડનાં મુખ્ય આરોપીને તાપી પોલીસે યુપીથી ઝડપી પાડ્યો
તાપી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંચ અને પેરોલ-ફર્લો સ્ક્વોર્ડે છેલ્લાં ૨૫ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા મોસ્ટ વોન્ટેડ આરોપી ગીરીશચંન્દ્ર ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રાને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. મળેલી વિગત મુજબ, માર્ચ ૨૦૦૦ ના વર્ષમાં વાલોડ પોલીસ સ્ટેશનની હદમાં એક ધાડ અને ખૂનનો ગુનો નોંધાયો હતો. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરૂં રચીને કીમ ચાર રસ્તાથી યાર્ન ભરેલી ટ્રકમાં મુસાફર તરીકે બેઠાં હતા. વાલોડ નજીક ટ્રક ઊભી રખાવી, ડ્રાઈવર પરસરામ યાદવ અને ક્લીનર નનકન યાદવની કેબલ વડે ગળા ફાંસો આપી ર્નિમમ હત્યા કરી હતી. આરોપીઓએ પુરાવાનો નાશ કરવા ક્લીનરના માથા પર ટ્રકનું વ્હીલ ફેરવી દીધું હતું અને ૭ લાખના યાર્નની લૂંટ ચલાવી ટ્રક બિનવારસી છોડી નાસી છૂટ્યા હતા. આ ગુનામાં અગાઉ પાંચ શખ્સો પકડાયા હતા, પરંતુ મુખ્ય આરોપી ગીરીશ મિશ્રા પોલીસ પકડથી દૂર હતો. તે પકડાઈ જવાની બીકે મોબાઈલનો ઉપયોગ ટાળતો હતો અને વેશ પલટો કરી પોતાની ઓળખ છુપાવી અલગ-અલગ જગ્યાએ રહેતો હતો. તાપી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારીઓએ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી સચોટ બાતમી મેળવી હતી. તાપી પોલીસની એક ટીમે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કુંડા ખાતે દરોડો પાડી આરોપીને તેના વતનમાંથી દબોચી લીધો હતો. આમ, ૨૫ વર્ષ જૂના આ અનડિટેક્ટ ગુનાના આરોપીને પકડી પાડી તાપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, એપ્રીલ 2026
2574 |
મુંબઈથી આવતાં ખંભાતનાં દાઉદી વ્હોરા પરિવારની કાર ટેમ્પો પાછળ ઘૂસી જતા ૪નાં મોત
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી પસાર થતા નવનિમિર્ત મુંબઈ-અમદાવાદ ભારતમાલા પ્રોજેક્ટ એક્સપ્રેસ વે પર ગત મોડીરાત્રે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સર્જાઈ હતી. દસ્તાન ગામની સીમમાં ટાયર ફાટવાને કારણે પ્રથમ લેન પર જ ઊભેલા એક ટેમ્પોની પાછળ પૂરઝડપે આવી રહેલી ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ઈકો કારમાં સવાર ખંભાતના વ્હોરા પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. ટેમ્પો ચાલકે વાહન રસ્તાની વચ્ચે ઊભુ રાખવા છતાં કોઈ સિગ્નલ કે ઈન્ડિકેટર ચાલુ ન રાખતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના ખંભાતના કાદરપુર મહોલ્લામાં રહેતા એડનવાળા પરિવારના સભ્યો મુનિરાની સારવાર માટે ઈકો કાર લઈને મુંબઈ ગયા હતા. મંગળવારે રાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં તેઓ મુંબઈથી એક્સપ્રેસ વે પર ખંભાત તરફ પરત ફરી રહ્યાં હતાં. દરમિયાન દસ્તાન ગામની સીમ પાસે રોડ પર ઊભેલો ટેમ્પો મોતના સાધન સમાન સાબિત થયો હતો. મૃતકોમાં ૩૯ વર્ષીય હાફેજા એડનવાળા, ૪૫ વર્ષીય મુર્તુઝા યુસુફ અલી, ૪૮ વર્ષીય મુર્તુઝા જોએબ અને ૪૬ વર્ષીય મુનિરાનો સમાવેશ થાય છે. અકસ્માત સર્જનાર ટેમ્પાનું આગળનું ટાયર ફાટતાં તે ફર્સ્ટ લેન પર જ બ્રેકડાઉન થયો હતો. જોકે, ટેમ્પો ચાલકે સુરક્ષાના નિયમોને નેવે મુકીને ટેમ્પોને સાઈડમાં લેવાને બદલે રસ્તા પર જ છોડી દીધો હતો. રાત્રિના અંધકારમાં ટેમ્પોની પાર્કિંગ લાઈટ કે કોઈ સુરક્ષા ચિહ્ન ન હોવાને કારણે ઈકો કારના ચાલકને ટેમ્પો દેખાયો ન હતો અને જોતજોતામાં હસતો-ખેલતો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો. પલસાણા પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
08, એપ્રીલ 2026
2079 |
ખજાેદ ડિસ્પોઝલ સાઇટનાં ધૂમાડાથી ત્રાસી ઉઠેલાં સ્થાનિક રહીશોએ કચરાની ટ્રકો અટકાવતાં પોલીસ બોલાવવી પડી
સુરત મહાનગર પાલિકાની ખજાેદ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ ખાતે આગનો ધૂમાડો કાબુમાં નહીં આવતાં આસપાસનાં ગામોનાં રહિશોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. દિપલી, ખજાેદ સહિતનાં ગામોનાં લોકોએ ગઇકાલે મંગળવારે રાત્રે ડિસ્પોઝલ સાઇટ ખાતે કચરાની ટ્રકો અટકાવતાં મામલો ગરમાયો હતો જાે કે, પોલીસનો કાફલો પહોંચી જતાં પરિસ્થતિ વણસી ન હતી. કચરાનાં ઝેરી કચરાને કારણે સ્વાસ્થ્ય સામે જાેખમ ઉભું થઇ રહ્યું હોવાથી ગામલોકો આંદોલન કરવાનાં મૂડમાં આવી ગયાં છે પરંતુ મહાનગર પાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં હોવાથી ભાજપનાં નેતાઓ પણ લોકોનાં મનમાં ફેલાઇ રહેલી આક્રોશની આગને ઠારવાનાં પ્રયાસો કરી રહ્યાં છે. ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે વારંવાર લાગતી આગ અને ધૂમાડાની સમસ્યાથી સ્થાનિક રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે પરંતુ આ સમસ્યા સુરત મહાનગર પાલિકાનાં સત્તાધીશો માટે કાબુ બહાર હોવાનું જણાઇ રહ્યું છે. કચરાને સો ટકા પ્રોસેસિંગ કરીને નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ લેનાર સી.ડી.ટ્રાન્સ્પોર્ટનો માલિક નુરૂદ્દિન વાપીનો ભાજપનો નેતા હોવાથી સુરત મહાનગરપાલિકાનાં વહિવટી સત્તાધીશો તેની વિરૂદ્ધ આકરાં પગલાં લેતાં ખચકાઇ રહ્યાં છે. માત્ર નોટિસ-નોટિસનાં ખેલમાં અત્યારસુધી નુરૂદ્દિનને ૬૦થી વધારે નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ તેને બ્લેકલિસ્ટ કરવા કે પોલીસ ફરિયાદ નોંધાવવા જેવાં કડક પગલાં લેતાં કમિશનર અને ડેપ્યુટી કમિશનરનાં હાથ ધ્રુજી રહ્યાં છે. તાજેતરમાં નુરૂદ્દિનને અઢી કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ તેણે દંડ ભરવાનો સાફ ઇન્કાર કરી દીધો તેમ છતાં કમિશનરે વળતી કોઇ જ કાર્યવાહી કરી નથી. કચરાનાં ઢગલાંમાં આગને કારણે મોટાપ્રમાણમાં ધૂમાડો નીકળતો હોવાથી હવામાં પ્રદુષણની માત્રા બગડી રહી છે, લોકોનાં ઘરોમાં પણ ધૂમાડો પ્રસરી રહ્યો હોવાથી લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે જેની પ્રતીતિ ગઇકાલે મંગળવારે રાત્રે મહાનગર પાલિકાનાં અધિકારીઓને થઇ હતી. દિપલી અને ખજાેદ સહિત આસપાસનાં ગામોનાં ૨૦૦ જેટલાં લોકોનું ટોળું ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે ધસી ગયું હતું અને શહેરમાંથી કચરો ભરીને ડિસ્પોઝલ સાઇટમાં જતી ટ્રકોને અટકાવી હતી. લોકોનો આક્રોશ જાેતાં મહાનગર પાલિકાનાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ લાચારીભરી સ્થિતિમાં મૂકાઇ ગઇ હતી પરંતુ વાતાવરણ વધારે બગડે નહીં તે માટે તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો આવી ગયો અને લોકોને વિખેરી નાખતાં કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.આગને કાબૂમાં લેવા કેટલી ટ્રકો ભરીને માટી નખાઇ તેનો અધિકારીઓ પાસે હિસાબ જ નથી ખજાેદ ખાતે તાજેતરમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા માટે મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ ટ્રકો ભરી ભરીને માટી કચરા ઉપર નખાવી હતી. આગ લાગે નહીં તે માટે જીપીસીબીએ સૂચવેલાં પગલાં લેવામાં બેદરકારી રાખનાર અધિકારીઓએ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તેવો ઘાટ ઘડીને તમામ ઝોન વિસ્તારમાંથી ટ્રકોમાં મોટા જથ્થામાં માટી એકત્ર કરીને ટ્રકોમાં લાવી જ્યાં આગ લાગી હતી તે ૨૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં કચરા ઉપર ઠાલવીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, કેટલી ટ્રકો ભરીને માટી નખાઇ તેનો હિસાબ આપવા અધિકારીઓ તૈયાર નથી. ટ્રકો ભરી ભરીને માટી નાખવાનો ખર્ચ મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ ઇજારદાર સી.ડી.ટ્રાન્સ્પોર્ટનાં નુરૂદ્દિન પાસેથી વસુલ કર્યો કે પછી શહેરીજનોનાં પરસેવાની કમાણીનાં રૂપિયામાંથી ચૂકવવામાં આવ્યાં તેની પણ વિગતો આપવાની અધિકારીઓની તૈયારી નથી.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...