ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, મે 2026 3366   |  
રાજકોટમાં મધરાતે મંદિરો પર બુલડોઝર કાર્યવાહી

રાજકોટ શહેરમાં ૧૪ મેની મોડીરાત્રે મહાનગરપાલિકા દ્વારા રસ્તા અને ટ્રાફિકને અડચણરૂપ ગણાતા ધાર્મિક દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૧૨ જેટલા નાના મંદિરો અને ધાર્મિક માળખાઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી રાત્રિના સમયે કરવામાં આવતા અનેક વિસ્તારોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. મવડી ચોક નજીક આવેલા કેસરિયા હનુમાન મંદિરને તોડવાની કાર્યવાહી શરૂ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. લોકોએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી અને મંદિર બચાવવાની માંગ કરી હતી. સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે વહેલી સવારે સુધી ચર્ચા અને રકઝક ચાલતી રહી હતી. સ્થાનિકોએ મંદિરને સંપૂર્ણ તોડવા સામે વિરોધ નોંધાવતા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બાદમાં મંદિર સંચાલકો દ્વારા આગામી ૪૮ કલાકમાં મંદિરનું માળખું નાનું કરવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ મંદિરને બદલે રસ્તા પર આવેલા ઓટલા અને આસપાસના ભાગોને બુલડોઝરથી દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ કેટલાક સ્થાનિકોમાં નારાજગી પણ જાેવા મળી હતી. લોકોનું કહેવું હતું કે ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ર્નિણય લેવો જાેઈએ. કેટલાક લોકોએ સત્તાધારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ સામે પણ પ્રશ્નો ઊભા કર્યા હતા. મહાનગરપાલિકાની ટીમ સાથે પોલીસ, ફાયર વિભાગ પીવીસીલ અને અન્ય વિભાગોના કર્મચારીઓ પણ જાેડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે માલવિયાનગર વિસ્તારમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી વહેલી સવારે સુધી ચાલી હતી. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, મે 2026 2871   |  
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ, ૪નાં મોત,૧૦ ઘાયલ

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટતાં થયેલી અથડામણમાં ૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૧૦ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બુધવારની મોડી રાત્રે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આશરે ૨:૩૦ વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જાેતજાેતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ ઘટનામાં ૪ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં ૧૦ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, મે 2026 2772   |  
સૌરાષ્ટ્ર અને વડોદરાના નામો નક્કી :ટૂંક સમયમાં જાહેરાત કરાશ

ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પછી બીજાે તબક્કો શરૂ થયો હતો જેમાં સૌરાષ્ટ્રના મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામ પર ચર્ચા કરવામાં આવી. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની સંસ્થાઓમાં હોદ્દેદારોના નામોને લઈને ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે દિવસથી ચાલી રહેલી બેઠકના પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર ઝોનના નામો નક્કી કરવામાં આવ્યા હતા. બીજા દિવસે મળેલી બેઠકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના નામો પર ચર્ચા કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જિલ્લા પંચાયત અને વડોદરા તાલુકા પંચાયતના નામોને લઈને પણ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે.આ બેઠકમાં સંગઠનાત્મક સંતુલન, જાતિ સમીકરણ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને વરિષ્ઠ-નવોદિત નેતાઓ વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકાયો છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં કાર્યક્ષમ અને સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને તક આપવા માટે ચર્ચા કરવામાં આવી છે. સૂત્રો મુજબ, મોટાભાગના પદો માટે સહમતી બની છે અને અંતિમ યાદી ટોચના નેતૃત્વને મોકલાશે. ત્યારબાદ જ આખરી ર્નિણય લેવામાં આવશે. આગામી ૧૯ તારીખે મોટાભાગની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામોની જાહેરાત થવાની શક્યતા છે. પ્રદેશ કક્ષાએ નક્કી થયેલા નામો જે તે જિલ્લાની સામાન્ય સભામાં જાહેર કરાશે. આ નામો પ્રદેશના પ્રતિનિધિ દ્વારા બંધ કવરમાં લઈ જવામાં આવશે અને સામાન્ય સભામાં જ ખુલશે.આ પ્રક્રિયામાં ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી રહી છે. દરેક વિસ્તારમાં યોગ્ય પ્રતિનિધિત્વ અને મજબૂત ટીમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નામોની જાહેરાત ટૂંક સમયમાં થશે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ ૧૫, ૧૬ અને ૧૭ તારીખે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બોર્ડ દ્વારા નક્કી થયેલા નામો ઉચ્ચ કક્ષાએ મોકલાશે અને ત્યારબાદ જાહેરાત થશે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, મે 2026 3267   |  
કેન્દ્રએ અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિએ આજે રેલ મંત્રાલયની અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંદાજે રૂપિયા ૨૦,૬૬૭ કરોડના ખર્ચવાળી આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેની પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બનશે. લગભગ ૧૩૪ કિલોમીટર લાંબી આ નવી રેલવે લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન  આવનારા ધોલેરા એરપોર્ટ તેમજ લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને આધુનિક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને ધોલેરા વચ્ચેના પ્રવાસ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેના કારણે મુસાફરો માટે દૈનિક આવાગમન તથા એક જ દિવસે આવવા-જવાની સુવિધા વધુ સરળ અને આરામદાયક બનશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, “અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતના રેલવે ઇતિહાસમાં નવી શરૂઆત છે. આ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ‘ન્યૂ ઈન્ડિયા’ની આધુનિક, ઝડપી અને આર્ત્મનિભર પરિવહન વ્યવસ્થાનું પ્રતિક છે. સ્વદેશી ટેકનોલોજી આધારિત આ પ્રોજેક્ટ આગામી વર્ષોમાં દેશભરમાં સેમી હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણનો આધાર બનશે.” અમદાવાદ મંડળના ડ્ઢઇસ્ વેદ પ્રકાશે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે. “આ પ્રોજેક્ટ અમદાવાદ અને ધોલેરા વિસ્તારને વિશ્વસ્તરીય રેલ કનેક્ટિવિટી આપશે. તેના દ્વારા મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક મુસાફરીની સુવિધા મળશે તેમજ વિસ્તારમાં રોજગાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને પણ મોટો લાભ થશે. આ પ્રોજેક્ટથી ધોલેરા અને અમદાવાદ વચ્ચેનું અંતર ૧ કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકશે અને ધોલેરા સીધું અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ કોરિડોર સાથે જાેડાઈ જશે.” આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો હેતુ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતાને મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટથી આશરે ૨૮૪ ગામો અને લગભગ ૫ લાખ વસ્તીને સીધો લાભ મળશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 4455   |  
મનાલી-બેલા હાઈવે પર કાર ખાઈમાં ખાબકતા ભાવનગરના ૬ ના કરુણ મોત

હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર માટે પ્રવાસ કાળ બનીને ત્રાટક્યો છે. મનાલી નજીક છાબા જિલ્લામાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજના અગ્રણી લલિતભાઈ ફતનાની સહિત પરિવારના ૬ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ભાવનગર પહોંચતા સમગ્ર સિંધી સમાજ સહિત શહેરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના સિંધી સમાજના જાણીતા અગ્રણી લલિતભાઈ ફતનાની તેમના પરિવાર સાથે મનાલીના પ્રવાસે ગયા હતા. ગત રોજ મનાલીથી બેલા તરફ જતી વખતે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર ૨૮ પર તેમનું વાહન ચાલકે અચાનક કાબૂ ગુમાવતા રસ્તા પરથી નીચે ઉતરી સીધું ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. વાહન ખાઈમાં પડતા જ જાેરદાર ધડાકો થયો હતો અને અંદર સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં પરિવારના મોભી લલિતભાઈ ફતનાની, તેમના પત્ની સોનિયાબેન, દીકરી કાજલબેન, જમાઈ પ્રિયંકભાઈ ભોપાણી અને માસૂમ પૌત્ર દિવ્યાંશુનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકસાથે પાંચ સભ્યોના મોતના સમાચારથી ફતનાની પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૪ સભ્યોમાં મયંકભાઈ લલિતભાઈ ફતનાની, તેમના પત્ની ફોરમબેન ફતનાની, પુત્ર જિયાંશ અને અન્ય એક બાળકી પ્રિયાંશી ભોપાણીનો સમાવેશ થાય છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 6237   |  
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.  સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ.   ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે.  PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો.   અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 5148   |  
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ

વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે.    સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, મે 2026 6831   |  
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 5247   |  
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 7821   |  
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે. 


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, મે 2026 990   |  
વેજલપુર કતલખાના કેસમાં આરોપીનું રહસ્યમય મોત, પત્નીએ આપેલી દવા બાદ તબિયત લથડી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સોનલ સિનેમા પાસે ખુલ્લા મેદાનમાં ઝડપાયેલા ગેરકાયદેસર કતલખાનાના મામલામાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસના ઝડપાયેલા વોન્ટેડ આરોપી ઝહીરઉદ્દીન ઉર્ફે ‘ઝહીર ડબ્બો’નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસ સ્ટેશનમાં પત્નીએ આપેલી દવા ગળ્યા બાદ આરોપીની તબિયત અચાનક લથડી હતી, જેને પગલે રહસ્ય વધુ ઘેરાયું છે અને વેજલપુર પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ, વેજલપુર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ૫૨૦ કિલો પશુમાંસ, જીવતા વાછરડા અને વાહનો સહિત કુલ ૪.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મુસ્તાક મલારીવાલા સહિત ત્રણની ધરપકડ કરાઈ હતી, જ્યારે ઝહીર ડબ્બો ફરાર હતો. પોલીસે વોન્ટેડ ઝહીરની ધરપકડ કર્યા બાદ તેની તબિયત લથડી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશનમાં તેની પત્નીએ તેને કેટલીક દવાઓ આપી હતી. દવા ગળ્યાના ગણતરીના સમયમાં જ ઝહીરની હાલત ગંભીર બની ગઈ હતી. તેને તાત્કાલિક જીફઁ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, મે 2026 1287   |  
ગોમતીપુરમાં નજીવી બાબતની બોલાચાલીમાં બે સગા ભાઈનો વેપારી અને તેના પરિવાર પર હુમલો

શહેરના ગોમતીપુર વિસ્તારમાં નજીવી બાબતમાં બોલાચાલી થયા બાદ બે સગા ભાઈઓએ વેપારી અને તેના પરિવાર પર હિંસક હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. દુકાને ઉભા રહી જાેરજાેરથી બૂમો પાડી વસ્તુ માંગવા બાબતે શાંતિ રાખવાનું કહેતા ઉશ્કેરાયેલા ગ્રાહકે તેના ભાઈ સાથે મળીને વેપારીને માથામાં ખાટલાની લાકડાની ઈસ ફટકારી દીધી હતી. આ લોહિયાળ સંઘર્ષમાં ગંભીર રીતે ઘવાયેલા વેપારીને માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા છે. ગોમતીપુર પોલીસે આ અંગે બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોમતીપુર વિક્રમ મીલની સામે પઠાણની ચાલીમાં રહેતા ૩૬ વર્ષીય ધર્મેશકુમાર નટવરલાલ પટણી ઘર આગળ જ કરીયાણાની દુકાન ચલાવે છે. ગત ૧૯ મેના રોજ સાંજે તેઓ પત્ની સાથે બહાર ગયા હતા ત્યારે દુકાન પર તેમના પિતા હાજર હતા. આ દરમિયાન ચાલીમાં જ રહેતો રાહુલ પુનમભાઇ પટણી નામનો યુવક વસ્તુ લેવા આવ્યો હતો. તે દુકાને ઊભા રહીને જાેર-જાેરથી બૂમો પાડી વસ્તુ માંગતો હોવાથી વેપારીના પિતાએ તેને શાંતિથી વસ્તુ માંગવા જણાવ્યું હતું. આ સાંભળતા જ રાહુલ ગુસ્સે ભરાયો હતો અને વૃદ્ધ સાથે ઝપાઝપી કરીને ભાગી ગયો હતો. વેપારી ધર્મેશકુમાર જ્યારે ઘરે પરત ફર્યા અને આ અંગે રાહુલના નાના ભાઈ નિખીલ પટણી સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે નિખીલ પણ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભંડવા લાગ્યો હતો. એટલામાં રાહુલ પણ ત્યાં દોડી આવ્યો હતો અને પાડોશીના ઘર આગળ પડેલી સાયકલ ઉપાડીને વેપારી પર ફેંકી દીધી હતી. આટલેથી ન અટકતા રાહુલે ક્યાંકથી ખાટલાની લાકડાની ઈસ લાવીને ધર્મેશકુમારના માથાના જમણી બાજુના ભાગે જાેરદાર ફટકો મારી દીધો હતો.આ હુમલો જાેઈને વેપારીના પત્ની રીટાબહેન, માતા સવિતાબેન તથા પિતા નટવરભાઈ વચ્ચે છોડાવવા પડતા બંને આરોપીઓએ તેમની સાથે પણ મારપીટ અને ઝપાઝપી કરી હતી. બૂમાબૂમ થતાં આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને વેપારીને વધુ મારમાંથી બચાવ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, મે 2026 1386   |  
નારણપુરાની જ્વેલર્સ શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાએ ૧.૫૦ લાખનું સોનાનું કડું ચોર્યુ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક ગઠિયાએ વેપારીની નજર ચૂકવી રૂ૧,૫૦,૦૦૦ની કિંમતનું સોનાનું કડું ચોરી લીધું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેપારી દાગીના લેવા અંદર ગયા ત્યારે ડિસ્પ્લેમાં વજન કાંટા પર મૂકેલું કડું લઈને ગઠિયો વેપારીની નજર સામે જ ભાગી છૂટ્યો હતો. જ્યાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો છે. ઘાટલોડિયામાં રહેતા અને નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે જ્વેલર્સની દુકાન ચલાવતા ૪૮ વર્ષીય કેતનકુમાર રમણલાલ પટેલે આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરની મોડસ ઓપરેન્ડી એકદમ ફિલ્મી હતી. ૭ અને ૮ મેએ આ અજાણ્યો શખ્સ સોનાની વીંટી અને ચેઇન ખરીદવાના બહાને દુકાને આવ્યો હતો. વેપારીનો વિશ્વાસ જીતવા ઓનલાઈન પેમેન્ટ કરવાના બહાને બેંક ડિટેલ્સ પણ લઈ ગયો હતો. ૧૪મે બપોરે ૦૧.૨૧ વાગ્યે તે ત્રીજી વખત મોકો જાેઈને દુકાને આવ્યો. તેણે પહેલાં જાેયેલી વીંટી બતાવવા કહ્યું અને પછી સોનાની ચેઇન જાેવાની માંગણી કરી.જ્યારે દુકાનદાર કેતનભાઈ ચેઇન લેવા માટે પાછળ સેફ લોકર તરફ વળ્યા, ત્યારે આ શખ્સે મોકાનો ફાયદો ઉઠાવ્યો હતો. વજન કાંટાની ડિસ્પ્લે પર એક મહિલા ગ્રાહકે રિપેરિંગ માટે આપેલું ૧૧.૨૩૦ ગ્રામ વજનનું (કિંમત આશરે રૂ. ૧,૫૦,૦૦૦) સોનાનું કડું પડ્યું હતું, જે ચોરે સેકન્ડોમાં ગજવે નાખી દીધું હતું. વેપારી પાછળ દોડ્યા પણ ચોર ભાગી છૂટ્યો હતો. ચોર કડું લઈને જેવો દુકાનની બહાર ભાગ્યો કે તરત જ કેતનભાઈને ખબર પડી ગઈ હતી. તેઓ ચોર-ચોરની બૂમો પાડી તેની પાછળ દોડ્યા, પરંતુ ચોર ચાલાકીપૂર્વક રોડ ક્રોસ કરીને પલ્લવ ચાર રસ્તા તરફ ભાગવામાં સફળ રહ્યો હતો.આ ઘટના ૧૪ મેના રોજ બની હતી, પરંતુ ફરિયાદી કેતનભાઈના વતનમાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓ ત્યાં ગયા હતા. પ્રસંગ પતાવીને પરત ફર્યા બાદ તેમણે ૧૯મેના રોજ સાંજે ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ઘાટલોડિયા પોલીસે જણાવ્યું કે, ચોરી કર્યા બાદ આ શખ્સ સીધો રાજકોટ ભાગી ગયો હતો. જાેકે, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, મે 2026 1386   |  
આંગડિયા પેઢીમાંથી નાણાં ઉપાડી મિત્રની ગાડીમાં પાણીપુરી ખાવાનું વેપારીને ત્રણ લાખમાં પડ્યું

આંગડિયા પેઢીમાંથી નાણાં ઉપાડી મિત્રની ગાડીમાં પાણીપુરી ખાવા રોકાવું વેપારીને ભારે પડ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો મણિનગરના રામ બાગ વિસ્તારમાં બન્યો છે. જેમાં પકોડી ખાવા માટે રામબાગ ચાર રસ્તા પાસે આવેલી સરદાર પટેલ હોસ્પિટલની ગલીમાં પાર્ક કરેલી એક મહિન્દ્રા થાર ગાડીનો કાચ તોડી અજાણ્યો પલ્સર મોટરસાઇકલ સવાર તસ્કર રૂ. ૩,૧૮,૫૦૦ની રોકડ રકમ ભરેલી થેલી ચોરીને રફુચક્કર થઈ ગયો છે. આ અંગે મણિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇસનપુર વિસ્તારમાં રહેતા અને છત્તીસગઢ (રાયપુર) ખાતે પ્લાસ્ટિકનો વ્યવસાય કરતા વેપારી બ્રિજેશભાઈ રસિકભાઈ ઠક્કર ગત ૧૩ મેના રોજ નારોલ સ્થિત એક આંગડિયા પેઢીમાંથી રૂ. ૩,૧૮,૫૦૦ રોકડા લઈને નીકળ્યા હતા. તેઓ પોતાના મિત્ર મોન્ટુભાઈની થાર ગાડી લઈને મણિનગર રામબાગ તરફ આવ્યા હતા. સાંજે ૪:૩૦ વાગ્યાની આસપાસ સરદાર પટેલ હોસ્પિટલની ગલીમાં ગાડી રોડ પર પાર્ક કરી તેઓ નજીકની લારી પર પાણીપુરી ખાવા ગયા હતા. માત્ર ૧૫ જ મિનિટમાં જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે ગાડીની ડ્રાઈવર સાઈડની બાજુનો કાચ તૂટેલો હતો અને સીટ પર રાખેલી ગુલાબી રંગની પ્લાસ્ટિકની થેલી, જેમાં રોકડા રૂપિયા હતા, તે ગાયબ હતી. ભોગ બનનાર વેપારીના જણાવ્યા મુજબ, કોઈ અજાણ્યો શખ્સ પલ્સર મોટરસાઇકલ પર આવ્યો હતો અને ક્ષણભરમાં ગાડીનો કાચ તોડી નુકસાન કરીને ચોરી કરી નાસી ગયો હતો.કારચાલક મહિલા ડોક્ટરની નજર ચૂકવી આઈફોનની ચોરી ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા દીપાબેન જાેષી ગત રવિવારે સાંજે પોતાની કાર લઈને હાંસોલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન હાંસોલ તલાવડી પાસે એક અજાણી હુન્ડઈ કારમાં આવેલા ત્રણ ઈસમો અને એક બાળકે તેમની ગાડીને પાછળથી સામાન્ય ટચ કરી હતી. ગાડી અટકાવીને આરોપીઓએ હિન્દીમાં નુકસાનીના પૈસા માંગવા બાબતે બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. મહિલા ડોક્ટરે પોલીસને ફોન કરવાની વાત કરતા જ તમામ આરોપીઓ કાર લઈને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જાેકે, બાદમાં દીપાબેહેનને જાણ થઈ કે તકરાર દરમિયાન આરોપીઓ તેમની કારના ખુલ્લા કાચમાંથી સીટ પર રાખેલો આશરે ૮૪,૦૦૦ ની કિંમતનો આઈફોન ૧૫ નજર ચૂકવીને ચોરી ગયા છે. આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, મે 2026 1485   |  
શાહીબાગ વિસ્તારમાં કૌટુંબિક ઝઘડો લોહિયાળ બન્યો : રિક્ષાચાલક પર મારક હથિયારોથી હુમલો

શહેરના શાહીબાગ વિસ્તારમાં કૌટુંબિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ચકચારી લોહિયાળ હુમલાની ઘટના સામે આવી છે. પુત્રવધૂને બદનામ કેમ કરો છો તેમ કહી વેવાઈ પક્ષના ચાર સભ્યોએ એક રિક્ષાચાલક આધેડ પર જાહેર રોડ પર લોખંડની પાઇપ અને ચપ્પુ જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. હુમલામાં લોહીલુહાણ થયેલા આધેડને સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. શાહીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અસારવા ગ્રીન સીટી સોસાયટી સામે આવેલી મોતીલાલ લલ્લુભાઈની ચાલીમાં રહેતા ૫૬ વર્ષીય મુકેશભાઈ ચમનભાઈ પટણી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ ૨૦૨૧માં તેમના મોટા પુત્ર અવિનાશના લગ્ન ચમનપુરા વિસ્તારમાં રહેતા રાજુભાઈ નથ્થુભાઈ પટણીની પુત્રી રેશમા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન રેશમાને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં પતિએ ઠપકો આપ્યો હતો. આ બાબતને લઈને દોઢ વર્ષ પહેલાં તેના પિતા રાજુભાઈ પુત્રીને પોતાના ઘરે લઈ ગયા હતા. મુકેશભાઈએ સમાજના માણસો મારફતે પુત્રવધૂને પરત લાવવા અનેક પ્રયાસો કર્યા, પરંતુ વેવાઈએ “તમે મારી દીકરીને બદનામ કરો છો” તેમ કહી અવારનવાર ઝઘડા કર્યા હતા. ગઈકાલે ૧૯ મેની રાત્રે પોણા આઠ વાગ્યે મુકેશભાઈ ઘરેથી અસારવા સંતોષી માતાના મંદિર પાસે ચાઈનીઝ લેવા નીકળ્યા હતા. રાત્રે આઠેક વાગ્યે તેઓ કડિયાની ચાલી પાસેના ત્રણ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે જ તેમના વેવાઈ રાજુભાઈ પટણી, વેવાણ જ્યોત્સનાબેન, વેવાઈનો સાળો રાકેશ ગોવિંદભાઈ પટણી અને પુત્ર સુમીત પટણી ત્યાં ધસી આવ્યા હતા. “અમારી દીકરીને કેમ બદનામ કરો છો?” તેમ કહી ચારેય જણાએ મુકેશભાઈ સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન ઉશ્કેરાયેલી વેવાણ જ્યોત્સનાબેન ક્યાંકથી લોખંડની પાઇપ લાવી મુકેશભાઈના માથામાં ફટકારી દીધી હતી. જ્યારે તેમના ભાઈ રાકેશે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી મુકેશભાઈના ડાબા પડખામાં, જમણા હાથની બગલમાં તેમજ પીઠના ભાગે ઉપરાછાપરી ઝીંકી દીધું હતું. હુમલાને પગલે બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી ચારેય હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં આધેડને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ પહોંચાડાયા હતા.આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, મે 2026 1188   |  
મહોલ્લામાં ઝઘડો કરવા અંગે ટોકતાં યુવકને ચપ્પુનાં ઘા ઝીંકી દીધા

સામાન્ય બોલાચાલીમાં યુવક ઉપર ઘાતકી હુમલો કરવાનો વધુ એક બનાવ ઉધના વિસ્તારમાં બન્યો હતો. હત્યા, હત્યાનાં પ્રયાસની ઘટનામાં હુમલાખોરોને પકડવામાં ફાંફાં મારી રહેલી ઉધના પોલીસને પડકાર ફેંકતાં હોય એમ મફતનગરનાં માથાભારે યુવકો સ્થાનિક રહેવાસીને છાતી અને પીઠ પર ઘા મારી ફરાર થઇ ગયા હતાં. પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ઉધના ખાતે મફતનગરમાં વસવાટ કરતા ૩૧ વર્ષીય વસંત અશોક ઈન્દવે મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ મધ્ય પ્રદેશનાં ખેતિયાનાં વતની વસંત ઇન્દવેને આ વિસ્તારમાં જ રહેતા જીગર વસાવા, ધ્રુવ ઉર્ફે ઢુલી અને મુકેશ નામના યુવકો સાથે કેટલાક સમયથી માથાકૂટ ચાલતી આવી છે. મહોલ્લામાં અવાર નવાર ઝઘડો કરવા અંગે ટોકનાર વસંતને તેઓએ દાઢમાં રાખ્યો હતો. આ ઉપરાંત વસંતે થોડા સમય પૂર્વે જીગર વસાવા પાસે બાઈક માંગતા તે બાબતે પણ ઝઘડો થયો હતો. આ અદાવતમાં ગત ૧૮મી તારીખે રાત્રે ૯ વાગ્યાની આસપાસ મહોલ્લાની પાછળ ખાડી પાસે લઘુશંકા કરીને વસંત ઈન્દવે ઘર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન જીગર, ધ્રુવ અને મુકેશે ત્યાં જઈ ચઢ્યા હતાં. તેમણે ઇન્દવેને ઘેરી લઇ ગાળાગાળી કરીને તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. પીઠ તથા છાતીનાં ભાગે ઘા માર્યા બાદ એ ત્રણેય ઈન્દવેને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતાં. હતી. સમગ્ર ઘટના અંગે હુમલાનો ભોગ બનેલા વસંત ઈન્દવે દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, મે 2026 891   |  
એમેઝોનનાં પાર્સલ ડિલિવર કરતી કંપનીનાં કર્મચારીઓ દ્વારા ૧૭ લાખની ઉચાપત કરાઇ

સચીનમાં લાજપોર ખાતે આવેલ ડિલિવરી કંપનીમાં નોકરી કરતાં પાંચ કર્મચારીઓએ પાર્સલનાં ઓર્ડરમાં અદલાબદલી કરી ૧૭.૪૫ લાખ રૂપિયાની ઉચાપત કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર એમેઝોન ઉપર ગ્રાહકો દ્વારા કરાતાં ઓર્ડરની ડિલિવરી કરતી આઈડેન્ટિફાઈ પ્લસ ડીલીવરી સર્વીસ પ્રા.લી. કંપની સચિનનાં લાજપોર ખાતે કાર્યરત છે. વિશ્વકર્મા કોમ્પલેક્ષમાં તેની ઓફિસ છે. કંપનીનાં ગુડગાંવ સ્થિત હેડક્વાર્ટરમાં પ્રદીપ બીરેન્દ્રસિંહ યાદવ સીકયોરિટી હેડ તરીકે નોકરી કરે છે. કંપનીની સચિન સ્થિત શાખામાં કલસ્ટર મેનેજર તરીકે સૂર્યપ્રકાશ રામાનંદ પ્રજાપતિ (રહે, મારૂતી નગર વિજલપુર નવસારી), હબ ઇન્ચાર્જ તરીકે કપીલકુમાર કનૈયા મહતો (રહે, ગજાનંદ કોમ્પલેક્ષ સ્ટેશન રોડ સચિન) કામ કરે છે. આ બંને દ્વારા પાર્સલ ડિલિવરી કરવા માટે એજન્ટ નિમણુંક કરવામાં આવે છે. જેમાં ટીમ લીડર તરીકે અભિનંદન અશોકકુમાર તિવારી (રહે, અંબીકાનગર શિવ દ્રષ્ટિ રેસિડેન્સી પાસે પારડી કણદે) જ્યારે એજન્ટ તરીકે નઝીમ નઇમ પટેલ (રહે, ડુંભાલ ટેનામેન્ટ), મનીષ વસંતભાઇ જગતાપ (રહે, સુડા સહકા૨ રેસિડેન્સી કુંભારીયા) તથા હબ સ્ટાફ તેમજ અન્ય ડિલિવરી એજન્ટ તરીકે કુલ-૨૦ માણસો નોકરી કરે છે. દરમિયાન એમેઝોન કંપની તરફથી એવી ફરિયાદ મળી હતી કે, કેન્સલ થયેલા પાર્સલની અંદરનો સામાન બદલી નાંખી ડમી પાર્સલ પરત મોકલવામાં આવી રહ્યાં છે. જેથી આઈડેન્ટિફાઈ પ્લસ ડિલિવરી સર્વીસ પ્રા.લી. કંપની તરફથી તપાસ શરૂ કરાઇ હતી. જેમાં પાર્સલનાં સામાનમાં ઘાલમેલ ઉપરાંત કેશ ઓન ડિલિવરીનાં પાર્સલમાં રોકડનો ગફલો પણ બહાર આવ્યો હતો. ટોટલ હિસાબમાં કુલ ૧૭,૪૫,૫૩૦ રૂપિયા કિંમતનો ગોટાળો બહાર આવતાં પ્રદીપ યાદવે આ કાંડ કરનારા કલસ્ટર મેનેજર સૂર્યપ્રકાશ રામાનંદ પ્રજાપતિ, હબ ઇન્ચાર્જ કપિલ કનૈયા મહંતો, ટીમ લીડર તરીકે અભિનંદન અશોકકુમાર તિવારી તથા ડીલીવરી નઝીમ નઇમ પટેલ અને મનીષ વસંતભાઇ જગતાપ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, મે 2026 1386   |  
૧૬ વ્યક્તિનાં યુકે અને કેનેડાનાં વર્ક પરમિટ વિઝા કરાવી આપવા કહીને ૧૦.૭૮ લાખ પડાવી લીધા

વર્ક પરમીટ વિઝાનું કામ કરતી યુવતીને ફેસબુક પર મોહાલી અને દિલ્હીના ચીટરનો ભેટો થઈ ગયો હતો. ૧૬ વ્યક્તિનાં વિઝાનું કામ કરાવી આપવાનું કહી એ બંનેએ યુવતી પાસે ૧૦.૭૮ લાખ પડાવી લીધા હતાં. પાલનપુર કેનાલ રોડ ઉપર નક્ષત્ર સોલીટેર એપાર્ટમેન્ટમાં રહેતી મમતા વાઘેલા પાસપોર્ટ અને વિઝાનું કામ કરે છે. ફેસબુક પર સેન્ટીફ ગૃપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામની આઇડી જોવા મળી હતી. તેઓ પણ વિઝા તથા ઇમિગ્રેશનના કામ કરતા હોય મમતા વાઘેલાએ તેમની સાથે વાત કરી હતી. આ કંપનીની આરતી શર્માએ કહ્યું હતું કે, અમે હાલ કેનેડા છીએ, અમારી ઓફિસ મોહાલી ખાતે આવેલી છે. આ વાત થઇ ત્યારે મમતા વાઘેલા પાસે ચાહી પટેલ અને પાર્થ પટેલના કેનેડાના વર્ક પરમિટ વિઝાનું કામ હતું, જેથી આ કામ તેમણે આરતી શર્માને સોંપ્યું હતું. શર્માએ રજીસ્ટ્રેશન ફી પેટે ૯,૯૯૯ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં. ત્યારબાદ તેઓએ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ પાર્થ પટેલ તથા ચાહી પાર્થ પટેલનાં વીનપેક કંપનીના એપોઈમેન્ટ લેટર મોકલ્યા હતાં. ઝડપથી કામ થયું હોય મમતા વાઘેલાએ બીજા ક્લાઇન્ટ હેમાલી જરીવાલા, ભારતી કબરી, દિપક સીંગ, અભીષેક મેહતા, ધર્મેન્દ્રસિંહ ચંપાવત, ભાવીન અમીન,સાવનકુમા૨ કનૈયાલાલ પટેલ, વિનય મોરડીયા, યાગ્નીક સવાણી, પાર્થ પટેલ, જૈનમકુમાર શાહ, કેતનકુમાર કાપડીયા, તન્વી મુલચંદાની, મીલન સારુંગનાં કેનેડાના વર્ક પરમિટ વિઝાનું કામ પણ આરતી શર્માને આપ્યું હતું. તમામના ડોક્યુમેન્ટ વોટ્સએપ ઉપર આરતી શર્માને મોકલી દેવાયા હતાં. ફાઇલ ચેક કરી તેણીએ તમારું કામ થઇ જશે તમારે આગળ ની પ્રોસેસ કરવા માટે ક્લાયન્ટ દીઠ ૫૨,૦૦૦ એમ્બેસીની ફી તથા ૫૦૦૦ રજીસ્ટ્રેશન ફી ભરવા કહ્યું હતું. જેથી મમતાએ કુલ ૬,૯૨,૦૦૦ રૂપિયા તેને ટ્રાન્સફર કર્યા હતાં. ત્યારબાદ આરતીએ ચાર ક્લાયન્ટને વીનપેક, અન્ય ચારને ટર્નર તથા બે જણાને હેમ્પ્ટન બાય હિલ્ટોન કંપનીના લેટર ઓફ એસેપ્ટન્સ મોકલ્યા હતાં. ત્યારબાદ આરતી શર્માને વિઝાના એગ્રીમેન્ટ તથા એલ.એમ.આઈ.એ. લેટર માટેની વાત કરતાં તેણે બહાનાબાજી કરવા માંડી હતી. ત્રણ મહિના સુધી કામ નહીં થયું અને આરતીનો ફોન પણ બંધ થઇ ગયો હતો. મમતાએ તેના પાર્ટનર ભીમસિંહ રાઠોડને તપાસ માટે મોહાલી મોકલતાં આરતીએ જણાવેલા સરનામે કોઈ ઓફિસ મળી ન હતી. આરતી શર્માને કામ આપવા દરમિયાન મમતા વાઘેલાને ફેસબુક પર વિઝા અને ઇમિગ્રેશનનું કામ કરતાં સંજયસિંહની આઇડી જોવા મળી હતી. પ્રિતમપુરા, નોર્થ દિલ્હીમાં ઓફિસ ધરાવતા હોવાનું કહી સંજયસિંહ ર્ગુષિન્દરસિંહે જણાવ્યું હતું કે, અમારી સાથે કામ કરશો તો વિઝા મળી ગયા બાદ પેમેન્ટ આપવાનું રહેશે. જેથી મમતા કામ કરવા તૈયાર થઇ હતી. તેણીએ જાનવિકા હાદિર્ક ગોપાણી તથા કેતન રામભાઈ મોઢવાડીયાનું યુકેનાં વિઝાનું કામ સંજયસિંહને આપ્યું હતું. ત્યારબાદ સંજયસિંહે એવું કહ્યું હતું કે બંનેનાં ફોર્મ સાથે મારા એકાઉન્ટમાંથી પૈસા ભર્યા હતાં. પરંતુ તે રીજેક્ટ થાય છે જેથી તમો તમારા બંને ક્લાઈન્ટને મારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહો. તેણે ઘણી ટેકનિકલ સમસ્યા જણાવતાં મમતાએ તેને ૩,૭૬,૩૦૦ રૂપિયા ટ્રાન્સફર આપ્યા હતાં. ત્યારબાદ સંજયસિંહે વધુ પૈસાની માંગણી કરવા માંડતાં મમતાએ ના પાડી દીધી અને પછી સંજયસિંહે ફોન બંધ કરી દીધો હતો. જેથી મમતાએ ઓનલાઇન ફ્રોડ કરનાર આરતી શર્મા અને સંજયસિંહ સામે ફરિયાદ આપી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, મે 2026 1386   |  
સાત વર્ષથી લિવ ઈનમાં રહેતી પ્રજ્ઞાચક્ષુ મહિલાની પ્રેમી સામે યૌનશોષણની ફરિયાદ

સાત વર્ષથી ચાર દીકરીઓ સાથે જેનું ભરણ પોષણ કરતો હતો એની સામે જ પ્રજ્ઞાચક્ષુ મહિલાએ યૌન શોષણ અને સોશિયલ મીડિયામાં બદનામ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવકની ધરપકડ તો કરી પરંતુ સામા પક્ષે મહિલાએ મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહીનો ઇનકાર કરી દેતાં પોલીસ વિમાસણમાં મુકાઈ ગઇ હતી. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર રાજસ્થાનની વતની ૪૭ વર્ષીય હીના તેલી( નામ બદલ્યું છે) છેલ્લા કેટલાક વખતથી ચાર પુત્રીઓ સાથે લસકાણા વિસ્તારમાં રહે છે. હીનાખાતુનને એક આંખે અંધાપો અને બીજી આંખે પણ આછુ પાતળું જ દેખાય છે. પ્રજ્ઞાચક્ષુ કહી શકાય એવી હીનાનો પતિ પણ વિકલાંગ છે. અમદાવાદ રહેતો પતિ સાર સંભાળ રાખતો ન હોય હીના તેણીના ઘર નજીક રહેતા હમ વતની વિજય શર્મા સાથે રીલેશનશીપમાં આવી હતી. રાજસ્થાનના ધોલપુરના વતની વિજય શર્મા રિક્ષા ચાલક છે. તે હીના સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેવા માંડ્યો હતો. હીના ઉપરાંત તેની ચાર દીકરીઓનું ભરણપોષણ પણ વિજય કરતો હતો. ગત માર્ચ મહિનામાં આ હીનાખાતુન વતન રાજસ્થાન ગઇ હતી. દરમિયાન વિજય શર્માને હીનાની ચાર પુત્રી પૈકી એકને ચાલ ચલગતને લઈ ઇશ્યુ થયો હતો. સમજાવવા છતાં એ તરૂણી માની ન હતી. છેવટે વિજયે આ અંગે હીનાને વાત કરી હતી. તેણે હીનાને દીકરીની ચિંતા કરી સુરત આવી જવા દબાણ કર્યું હતું.દીકરીની વાતને લઇ બંને વચ્ચે ઝઘડો થયો હતો. હીનાએ વાત નહીં માનતા વિજય રોષે ભરાયો હતો. તેણે હીનાની દીકરી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટીપ્પણી કરી દીધી હતી. જેમાં વિજયના પાંચ ભાઈઓ અને પિતાએ પણ કોમેન્ટનો મારો ચલાવ્યો હતો. આ જાેઈ હીના રાજસ્થાનના ધોલપુરના પોલીસ મથકે પહોંચી હતી અને પ્રેમી વિજય વિરુદ્ધ યૌનશોષણની ફરિયાદ નોંધાવી હતી. રાજસ્થાનથી આ ફરિયાદ તપાસ માટે લસકાણા પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવી હતી. ફરિયાદ સાથે હીનાખુતાન પણ સુરત આવી પહોંચી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઝાલાએ વિજય શર્માની ધરપકડ કરી હતી. બીજી તરફ યૌન શોષણની ફરિયાદ હોવાથી પોલીસે હીનાને મેડિકલ ટેસ્ટ માટે બોલાવી હતી. જાે કે, હીનાએ મેડિકલ તપાસ કરાવવાનો ઈનકાર કરી દેતાં મામલો ગૂંચવાયો હતો. રિક્ષા ચાલક વિજય શર્માની મન: સ્થિતિ પણ નબળી લાગતાં કાર્યવાહી મામલે પોલીસ વિમાસણમાં મૂકાઇ હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, મે 2026 1386   |  
રૂપિયો ગગડતાં આયાત થતી હીરા અને ટેક્સ્ટાઈલ મશીનરી મોંઘાદાટ

અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાનાં આજે સતત નવમાં દિવસે થયેલા ધોવાણ બાદ રૂપિયા પ્રતિ ડોલર રૂ.૯૬.૮૭ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા, ક્રૂડ ઓઇલનાં વધતાં ભાવ, વિદેશી રોકાણકારોની વેચવાલી અને અમેરિકન ફેડરલ રિઝર્વની કડક નીતિને કારણે રૂપિયામાં દબાણ વધી રહ્યું છે. તેનો સીધો પ્રભાવ સુરતનાં હીરા-ટેક્સ્ટાઈલ આયાતકારો, વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વિદેશ પ્રવાસીઓ અને એનઆરઆઈ ટ્રાન્ઝેક્શન પર જાેવા મળી રહ્યો છે. ટેક્સ્ટાઈલ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા વિનિત મોહને જણાવ્યું હતું કે, સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં અનેક ઉત્પાદકો દ્વારા મોટા પ્રમાણમાં કેમિકલ, મશીનરી અને યાર્ન આયાત થાય છે. છેલ્લા ચારેક મહિનાથી રૂપિયા સામે અમેરિકન ડોલર મોંઘો થતાં આયાત ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે પ્રોસેસ હાઉસ અને વીવિંગ યુનિટ્સ પર ઉત્પાદન ખર્ચનું ભારણ વધી રહ્યું છે. વિદેશોમાં પેમેન્ટ મહદઅંશે અમેરિકન ડોલરથી જ કરવું પડે છે, જેને કારણે ખર્ચા અતિશય વધી ગયા છે.ટેક્સ્ટાઈલની જેમ હીરાઉદ્યોગ પણ ડોલર સામે ગગડેલાં રૂપિયાને કારણે પરેશાન છે. રફ ડાયમંડની આયાત કરતા હીરાભાઇ પટેલનું કહેવું છે કે, હીરાઉદ્યોગમાં રફ ડાયમંડ્સની ખરીદી ડોલરમાં થતી હોવાથી નાના અને મધ્યમ સાઇઝનાં ડાયમંડ યુનિટ્સ માટે વર્કિંગ કેપિટલ મેનેજ કરવી મુશ્કેલ બની રહી છે. કાચા હીરાની ખરીદી હજારો, લાખો કેરેટમાં થતી હોય છે અને તેનું પેમેન્ટ કરોડોમાં થાય છે ત્યારે ડોલર સામે રૂપિયો ૫ કે ૧૦ પૈસા ધોવાય તો પણ લાખો રૂપિયાનો વધારો ચૂકવવો પડે છે, પણ પ્રવર્તમાન મે મહિનામાં જ ડોલર સામે રૂપિયો ૪ રૂપિયા સુધી ગગડી ગયો છે જેને કારણે હીરાની આયાત બીનજરૂરી રીતે ખર્ચાળ બની ગઇ છે. વિદેશમાં અભ્યાસ કરતા સંતાનોનાં પરિવારજનોની સૌથી કફોડી સ્થિતિ ડોલર સામે સતત ગગડી રહેલા રૂપિયાને કારણે જે પરિવારોએ એક મર્યાદિત બજેટ સેટ કરીને અગર તો બેંક લોન લઇને વિદ્યાર્થીઓને વિદેશ ભણવા માટે મોકલ્યા છે એવા પરિવારોનું બજેટ છેલ્લા છ મહિનામાં ખોરવાઇ ગયું છે અને કલ્પના ના કરી હોય તેટલા વધારાના રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. વિદેશમાં અભ્યાસ કરતા સુરતનાં વિદ્યાર્થીઓ માટે પણ સ્થિતિ ચિંતાજનક બની છે. અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે ફી, હોસ્ટેલ અને જીવન જરૂરી ખર્ચ રૂપિયા મુજબ વધુ મોંઘા બન્યા છે. છેલ્લા એક મહિનામાં જ પ્રતિ ૧૦ હજાર ડોલરની ફીમાં અંદાજે રૂ.૪૦ હજારથી વધુનો વધારાનો બોજ વિદ્યાર્થીઓના પરિવાર પર આવ્યો હોવાનું એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ જણાવે છે. ૨૫ લાખની ફીએ સીધો અઢી લાખ રૂપિયા વધારે ચુકવવાની નોબત આવી છે. ફોરેન ટૂરમાં ૭૫ ટકા સુધી ઘટાડો સુરતના જાણીતા ટ્રાવેલ એજન્ટ નિલય શર્માનું કહેવું છે કે સુરતથી વિદેશ જનારા લોકોની સરેરાશ સંખ્યા ૭૫ ટકા સુધી ઘટી ગઇ છે. સુરતથી દુબઇ, શારજાહની ફ્લાઇટ ગયા ફેબ્રુઆરીથી બંધ છે, તદુપરાંત વિમાની ટિકીટો મોંઘી થઇ ગઇ છે અને હવે તો ડોલર પણ રૂ.૯૭ સુધી પહોંચી ચૂક્યો છે. ઉનાળુ વેકેશનમાં જુદા જુદા વિદેશી ડેસ્ટિનેશન પર જનારા લોકોની સંખ્યા સુરતમાંથી ઘણી હોય છે. પરંતુ, હાલની સ્થિતિને કારણે તેમાં ૭૫ ટકા સુધીનો ઘટાડો થઇ ચૂક્યો છે. હવે ધનાઢ્ય પરીવારો વિદેશ ટ્રાવેલિંગ કરી શકે છે, મિડલ ક્લાસ, હાયર મિડલ ક્લાસના પરીવારો વિદેશ જવાનું ટાળી રહ્યા છે. વિદેશ પ્રવાસનું આયોજન કરનારાઓ માટે એર ટિકિટ, હોટેલ બુકિંગ અને ફોરેક્સ ખર્ચમાં વધારો નોંધાયો છે. સુરતમાંથી દુબઈ, સિંગાપુર અને યુરોપ જતાં પ્રવાસીઓએ બજેટ ફરી ગોઠવવાનું શરૂ કર્યું છે. અનેક એરલાઈન્સોએ તેમની ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફ્લાઈટ મોટી સંખ્યામાં રદ્દ કરી દીધી છે. તેને કારણે પણ મુસાફરી ઘટી જવા પામી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution