આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
26, એપ્રીલ 2026
4554 |
રિવાબા જાડેજા, નેહા સુથાર, માયાભાઈની દીકરી સોનલ ડેર, અંકિતા પરમારે વોટિંગ કર્યું
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને મતદાન યોજાયું હતું ખાસ વાત એ છે કે આ વખતે તમામ મનપા, નગરપાલિકા અને પંચાયતોનું મતદાન એક જ દિવસે યોજાયું છે. જ્યારે અગાઉ અલગ અલગ દિવસોમાં મતદાન થતું હતું. આ ચૂંટણીને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે રાજ્યની ૧૭માંથી ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનો, ૩૪ જિલ્લા પંચાયત, ૨૬૦ તાલુકા પંચાયત અને ૮૪ નગરપાલિકાઓમાં મતદાન થયું મતદાન દરમિયાન કેટલાક વિસ્તારોમાં ટેકનિકલ સમસ્યાઓ પણ સામે આવી છે. ભરૂચમાં લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી હતી. જ્યારે જામનગરમાં ઈવીએમ મશીન ખોટકાતા લગભગ એક કલાક મોડું મતદાન શરૂ થયું હતું. છતાં પણ મતદારોમાં ઉત્સાહ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ૧૦૦ વર્ષના વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતા, તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે એક વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. આ ઘટનાઓ લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે. ચૂંટણીમાં અનેક જાણીતા ચહેરાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જાણીતા લોકગાયિકા રાજલ બારોટ પણ મતદાન માટે પહોંચ્યા હતા. તો સાંસદ ગેનીબેન ઠાકોરએ અબાસણા ગામે મતદાન કર્યું હતું. તો સાથે વડોદરાના જાણીતા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારે મતદાન કર્યું હતું.અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે ભાજપ ઉમેદવાર સોનલ ડેરએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરને ભાજપે ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ટિકિટ આપી છે. મતદાન કર્યા બાદ તેમણે મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહી મજબૂત બનાવવા સૌએ આગળ આવવું જાેઈએ એવો સંદેશ આપ્યો હતો. સાથે જ તેમણે આ બેઠક પર પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. જામનગરમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ૫માં આવેલી સત્ય સાંઈ સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તેમણે સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે મતદારો માટે સુવિધાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે. સાથે જ તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી. મહેસાણા જિલ્લામાં ભાજપ ઉમેદવાર નેહા સુથારએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી તેઓ ભાજપના ઉમેદવાર છે અને તેમણે સરદાર ગામે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ નેહા સુથારે જંગી મતોથી જીત મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગુજરાતની જાણીતી ગાયિકા અને કલાકાર તરીકે ઓળખાતી નેહા સુથારની ઉમેદવારીને લઈને વિસ્તારમાં ખાસ ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
26, એપ્રીલ 2026
3465 |
રાજકોટમાં હંગામો થયો,કોંગ્રેસ ઉમેદવાર સહિત ૨૦ની અટકાયત કરવામાં આવાી
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવા બદલ વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત ૨૦ જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે. આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે મળતી માહિતી મુજબ, રાજકોટના વોર્ડ નંબર ૧૫માં જ્યારે મતદાન પ્રક્રિયા પૂરજાેશમાં ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી અને તેમના સમર્થકો મતદાન મથકની આસપાસ હોવાનું માલૂમ પડ્યું હતું. ચૂંટણી પંચના નિયમો મુજબ, મતદાન મથકની ૧૦૦ મીટરની અંદર કોઈપણ પ્રકારનો પ્રચાર કે જનસંપર્ક કરી શકાતો નથી. આરોપ છે કે આ લોકો નિયમ વિરુદ્ધ જઈને મતદારોને રીઝવવાનો કે પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મકબુલ દાવદાણી અને તેમની સાથેના અન્ય ૨૦ જેટલા સમર્થકોની અટકાયત કરી તેમને થોરાળા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મતદાન મથક પર શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.લગ્નપ્રસંગ જેમ ઢોલ-શરણાઈ સાથે ગ્રામજનો મત આપવા નીકળ્યા હાલ લોકશાહીના મહાપર્વ નિમિત્તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ૨૬મી એપ્રિલે આખા ગુજરાતમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે એક અત્યંત પ્રેરણાદાયક અને અનોખો નજારો રજૂ કર્યો છે. સામાન્ય રીતે ચૂંટણી એટલે વ્યૂહરચના અને રાજકીય ગરમાવો માનવામાં આવે છે, પરંતુ મોટા આંકડિયાના ગ્રામજનોએ તેને ખરા અર્થમાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણી તરીકે સ્થાપિત કરી છે. ગામમાં વહેલી સવારથી જ વાતાવરણ કોઈ લગ્નપ્રસંગ કે મોટા મહોત્સવ જેવું જ સર્જાયું હતું. આ અનોખી ઉજવણીની વિશેષતા એ હતી કે મતદારો માત્ર મતદાન મથક સુધી ચાલીને જવાને બદલે ઢોલ અને શરણાઈના તાલે મધુર સૂરો વચ્ચે મતદાન કરવા નીકળ્યા હતા. ઢોલના ધબકારે ગ્રામજનોમાં એક નવો જ જાેશ ભરી દીધો હતો અને દરેકના મુખ પર લોકશાહીના આ પર્વ માટેનો ગર્વ જાેવા મળતો હતો. શરણાઈના મંગલ સૂર વચ્ચે જ્યારે ગ્રામજનો સમૂહમાં મતદાન કરવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં ઊભેલા અન્ય લોકો પણ આ અનેરા ઉત્સાહમાં જાેડાયા વગર રહી શક્યા નહોતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, એપ્રીલ 2026
3663 |
જૂનાગઢના ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે ધર્મસભા અને રેલી યોજવામાં આવી
જૂનાગઢ ખાતે આવેલ ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે આજે વિશાળ ધર્મસભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. ગિરનારની પવિત્રતા અને પરંપરાગત વારસાને જાળવવા માટે સૌએ એકસ્વરે અવાજ ઉઠાવ્યો અને વહીવટી તંત્ર સામે પોતાની ચિંતા વ્યક્ત કરી. આ સભાની ખાસ વાત એ રહી કે, અલગ-અલગ અખાડા અને સંપ્રદાયોના સંતોએ પોતાના મતભેદોને બાજુએ રાખીને એક મંચ પર આવી એકતાનું પ્રદર્શન કર્યું. કાર્યક્રમ દરમિયાન ગિરનાર ક્ષેત્રમાં થતી કથિત અતિક્રમણ પ્રવૃત્તિઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને તેના વિરુદ્ધ પગલાં લેવા માંગણી કરવામાં આવી. આ પ્રસંગે ગિરનારના રક્ષણ માટે એક સંગઠિત સમિતિ રચવાનો ર્નિણય લેવાયો. સાથે જ, સંબંધિત સત્તાધિકારીઓને રજૂઆત કરી એક મહિનાની અંદર યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. જાે સમયસર નિરાકરણ નહીં આવે તો આગળ વધુ આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી. સંતોએ પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો. તેમના કહેવા મુજબ, ગિરનાર આસપાસના જંગલ વિસ્તારમાં કેટલીક જગ્યાએ નિયમોના ઉલ્લંઘન સાથે બાંધકામ થઈ રહ્યું છે, જેને અટકાવવાની જરૂર છે.દુર્લભ અને ઔષધિય વૃક્ષોની સુરક્ષા તથા કુદરતી સંપત્તિને જાળવી રાખવાની માંગ પણ ઉઠાવવામાં આવી. આ ઉપરાંત, ગિરનાર વિસ્તારમાં નવી બાંધકામ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ, બિનઅધિકૃત રચનાઓ દૂર કરવી અને પવિત્ર સ્થળોની મૂળ સ્થિતિ જાળવી રાખવા માટે યોગ્ય પગલાં લેવા કહેવામાં આવ્યું. ધાર્મિક સ્થળો સાથે જાેડાયેલી સંસ્થાઓને આવતી મુશ્કેલીઓ દૂર કરવા અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી. શ્રદ્ધાળુઓ માટે પાણી, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો. તેમજ, ગિરનાર સાથે જાેડાયેલા ધાર્મિક મેળાઓને વિશેષ માન્યતા આપવા અને વધુ સગવડો ઊભી કરવાની માંગ કરવામાં આવી. આ કાર્યક્રમને સ્થાનિક વેપારીઓએ પણ સમર્થન આપ્યું હતું. અંતે, સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જાે સરકાર દ્વારા યોગ્ય અને સમયસર પગલાં નહીં લેવાય, તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, એપ્રીલ 2026
4158 |
ચૂંટણીમાં વિશ્વાસ તૂટ્યો તો મારા ઘરના દરવાજા બંધ થશે : બારડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષિત કરવા યેનકેન પ્રકારના પ્રયાસો રાજનેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગિર સોમનાથ જિલ્લાના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે. જાેકે ભગવાન બારડના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના એક નિવેદનથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સૂત્રાપાડા નજીક ગોરખમઢીમાં યોજાયેલી ભાજપની સભા દરમિયાન તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે મતદાતાઓને સ્પષ્ટ શબ્દોમાં સંદેશો આપ્યો હતો કે, મતદાન સમયે વિશ્વાસ જાળવવો ખૂબ જરૂરી છે. ધારાસભ્ય ભગવાન બારડે સભા દરમિયાન જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે છે. તેમના નિવેદનનો સાર એવો હતો કે, મતદાન સમયે કોઈ ગેરસમજ અથવા “ભૂલ” ન થવી જાેઈએ, કારણ કે તે વિશ્વાસને અસર કરી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ સમાજના સમર્થન પર આધાર રાખીને રાજકીય ર્નિણય લે છે, તેથી આ સંબંધ મજબૂત રહેવું જરૂરી છે. આ સાથે તેમણે આહીર સમાજના લોકોને મતદાનમાં ભૂલ ન કરવા કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઇ જશે. ભરોસો તોડનાર વ્યક્તિને હું નહીં સ્વીકારું, અમે તમારા વતી કોઈકને ભરોસો આપીને બેઠા છીએ એટલે તમારો અને મારો વિશ્વાસ ન તૂટે એનું ધ્યાન રાખજાે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, એપ્રીલ 2026
4455 |
ઉત્તરપ્રદેશથી ૧૦૦૦થી વધુ શ્રદ્ધાળુ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરશે
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત ૧૦૦૦ વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ચંદન તિલક અને ઉપવસ્ત્ર અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોને સન્માનપૂર્વક દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રત્યેક ભક્ત માટે જલાભિષેકની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોમનાથ મહાદેવના અલૌકિક દર્શન અને જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. પધારેલા ભક્તોને ભગવાન સોમનાથની સાયંકાળની આરતીના સુંદર દર્શન થઈ શકે તે હેતુથી, મંદિર પરિસરમાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયનમાં વિશાળ ન્ઈડ્ઢ સ્ક્રીન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભક્તોએ શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી નિમિત્તે તૈયાર કરાયેલ વિશેષ ગીત અને ડોક્યુમેન્ટ્રી નિહાળી હતી. શ્રી સોમનાથ મંદિરનો યુગ-યુગાંતરનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવતો ૩ડ્ઢ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને સૌ ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, એપ્રીલ 2026
3168 |
ભરૂચ લાફાકાંડ: ચૈતર વસાવાએ કેમ માર્યો લાફો? સચ્ચાઈ આવી સામે!
ભરૂચ જિલ્લામાં ઝઘડિયા GIDC વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ બાદ ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. પીડિત પરિવારો વળતર અને ન્યાયની માંગ સાથે એકત્ર થયા હતા. આ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર હાજર એક યુવાન સાથે તેમની બોલાચાલી થઈ અને મામલો લાફાકાંડ સુધી પહોંચી ગયો. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઘટનાને લઈને વિવિધ આક્ષેપો સામે આવી રહ્યા છે, જોકે સત્તાવાર રીતે હજી સુધી પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, એપ્રીલ 2026
4059 |
ગ્રામ પંચાયત ભવન બનાવવા હોય તો ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રાન્ટ ફાળવાશે
ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ નું ગ્રાન્ટ ફાળવણી પર વિવાદિત નિવેદન બાદ મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી દ્વારા જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નું નિર્માણ તથા ૨૧ લાખ ગ્રાન્ટ ફાળવાશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે. શુ ચૂંટણી પંચ પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર સત્તા પક્ષ દ્વારા યેનકેન પ્રકારે પણ સત્તા હસ્તે કરવા વિવિધ હથકંડા અપનાવવામાં આવતાં હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેફામ વાણી વિલાસ કરી ધાકધમકી નું વાતાવરણ ઉભું કરી મતદારો પર હાવી થવાના પ્રયાસ કરતાં હોય ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ મિતેષ પટેલે ગ્રાન્ટ ફાળવણી ના મુદ્દે વિવાદિત નિવેદન કર્યાબાદ વધુ એક ભાજપ નેતા મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ સ્વરાજકીય સંસ્થા ના ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર સમયે વાણી વિલાસ કરતાં હોય તેમ જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નિર્માણ તથા ૨૧ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ચર્ચાની એરણે ચઢવા પામતાં રાજકારણ ગરમાતા શું ચૂંટણી આયોગ આ મુદ્દે પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
22, એપ્રીલ 2026
4752 |
વડોદરા |
યુસુફ પઠાણના સસરા અને તેમના સાળાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણના સસરાની તેમના પુત્ર અને અન્ય એક સંબંધી સાથે ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે બે દિવસ પહેલા, ભાયખલા વિસ્તારમાં એક વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે વ્યક્તિની કાર ખાડામાંથી પસાર થઈ હતી અને તેમાંથી એક પર પાણી છાંટા પડ્યા હતા. ભાયખલા પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસી યુસુફ ખાન શનિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાંથી પાણીના છાંટા પડ્યા અને શોએબ ખાન પર પડ્યા. યુસુફ ખાને પોલીસને જણાવ્યું કે તેણે કાર રોકી અને તરત જ માફી માંગી, પરંતુ શોએબે તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને વાંસની લાકડીથી કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ શોએબે યુસુફ ખાન પર હુમલો કર્યો, જેમાં તેમને ઈજા થઈ.ઘરે પાછા ફર્યા પછી, યુસુફ ખાનના પરિવારે તેને પોલીસ પાસે જવાની સલાહ આપી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં, તેમનો સામનો ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) સાથે થયો, જેણે તેના પુત્ર ઉમરશાદ ખાન, શોએબ અને અન્ય આરોપી શાહબાઝ પઠાણ સાથે મળીને દલીલ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ, ખાલિદ, ઉમરશાદ, શોએબ અને શાહબાઝે યુસુફ ખાન અને તેના સંબંધીઓ પર વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, એપ્રીલ 2026
4950 |
વડોદરા |
જમ્યાં બાદ ૪૦૦થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ગઈકાલ સોમવારે રાત્રે ભોજન સમારંભ બાદ ભોજન આરોગનાર ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલાઓને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદમાં એક તરફ લગ્નસરાની મોસમ પુર બહારમાં ખીલી છે. અને ઠેર ઠેર લગ્ન પ્રસંગોના જમણવાર યોજાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આગ ઓકતી ગરમીએ તોબા પોકારાવી દીધા છે. અને આવી આગ ઝરતી ગરમીમાં તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેત રહેવા માટે લોકોને કરવામાં આવતી અપીલ વચ્ચે ગરબાડાના અભલોડ ગામે એક લગ્ન પ્રસંગના યોજાયેલ જમણવારમાં ભોજન કર્યા બાદ ૪૦૦ થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં રીતસર દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના બાદ તાત્કાલિક ધોરણે ખોરાકી ઝેરની અસર પામેલા તમામ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ, તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતાં. જ્યારે ૨૦૦થી વધુ લોકોને ગામમાં જ સ્થાનિક ડોક્ટરો દ્વારા તેમજ ગામના સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગરબાડા તાલુકાના અભલોડ ગામના ગામતળ ફળિયામાંય રહેતા ભરતભાઈ રાઠોડના નાના છોકરાના લગ્ન હોવાથી લગ્નમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવારમાં દાળ, ભાત, પૂરી, શાક, પાપડ, કેરીનો રસ તેમજ પનીરનું શાક વગેરે વ્યંજનો બનાવવામાં આવ્યા હતા. જે ખાધા બાદ ૪૦૦ થી વધુ એટલે કે ૭૦% લોકોને ખોરાકની ઝેરની અસર થઈ હતી. સાંજના છ વાગ્યાથી શરૂ થયેલા જમણવારમાં ભોજન આરોગ્ય બાદ રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ તમામ લોકોને એક પછી એકને ખોરાકી ઝેરની અસર વર્તાતા ગામમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી તમામ અસરગ્રસ્ત લોકોને ૧૦૮ ઇમરજન્સી વાન તથા ખાનગી વાહનો તેમજ જેને જે મળે તે સાધનમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા હતા.૫૦થી વધુ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ૧૫૦થી વધુ લોકોને દાહોદની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર હશે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય અંદાજે ૨૦૦ જેટલા લોકોને ગામમાં જ હાજર પાંચ થી છ ડૉક્ટરો તેમજ પીએસસી સેન્ટરના ડોક્ટરોને બોલાવી હળ પર જ સારવાર આપવાની ગોઠવણ કરવાની ફરજ પડી હતી. આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી જેથી તંત્રએ હાશકારો લીધો છે. કેટલાકને ખોરાકી ઝેરની ગંભીર અસર થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૈકી કેટલાકને આજે સવારે રજા આપી દેવામાં આવી હોવાનું જ્યારે કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ખોરાકી ઝેરની અસર થઈ હોવાની જાણ થતા જ ફૂડ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ સફાળું જાગી ઉઠ્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
22, એપ્રીલ 2026
4554 |
વડોદરા |
મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે ઓનલાઇન ઈન્જેક્શન વેચતા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી
વડોદરા ખોરક અને ઔષધ નિયમન તંત્રની ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા ગત તા.૨૨મી ડિસેમ્બરના રોજ હાથ ધરાયેલી તપાસમાં રાજ્યમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વડોદરાના દિવાળીપુરા, આર.કે પ્લાઝા સ્થિત હેક્સપ્રેસ હેલ્થકેર કન્સ્યુમર લી,ની શંકાસ્પદ ભૂમિકા જણાતા તેની તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં સારાભાઈ રોડ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે આવેલ એટલાન્ટીસ કોમ્પલ્ક્સમાં આવેલ મેડીકેમેન્ટ સોલ્યુશન પ્રા.લી. નામના મેડીકલ સ્ટોરનું નામ પ્રકાશમાં આવ્યુ હતુ.આ મેડીકલ સ્ટોર દ્વારા મેદસ્વીતા ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા મોન્જારો ક્વીકપેન નામના ઈન્જેક્શનનું વેબસાઈટ પર ભ્રામક જાહેરાતો દ્વારા ગેરકાયદસર રીતે વેચાણ કરવામાં આવતુ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.ત્યારે તંત્રના અધિકારીઓ બનાવટી ગ્રાહક બનીને ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. જેમાં દવા-ઈન્જેક્શન ભરેલુ પાર્સલ, પોસ્ટ મારફતે મળતા જેનુ પંચનામું કરીને કાર્યવાહી કરાઈ હતી. સંસ્થાઓ અને સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા મેળાપીપણુ રચીને ડોક્ટરની સલાહ કે માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન ઓર્ડર મેળવીનેે દર્દીની શારીરીક સ્થિતિની તપાસ કર્યા વગર સીધાજ ધરના સરનામે આ દવાઓ કુરીયર દ્વારા મોલલવામાં આવતી હતી. પ્રક્રિયામાં દવાની ગંભીર આડઅસરો છુપાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતા હતા. તંત્ર દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટના ભંગ બદ્દલ મે.સ. મોડીકેમેન્ટ સોલ્યુશન્સ પ્રા. લી.નું લાયસન્સ તાત્કાલીક કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું હતુ.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, એપ્રીલ 2026
1980 |
ચૂટાયેલા કોર્પોરેટરોએ સેક્રેટરી ઓફિસમાં સર્ટિફિકેટ જમા કરાવ્યા, સુવિધાઓ - ભથ્થાની માહિતી મેળવી
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં વિજયી થયા બાદ હવે નવા જનપ્રતિનિધિઓએ શહેરના વિકાસની ધુરા સંભાળવા માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે. આજે વિજેતા ઉમેદવારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સેક્રેટરી ઓફિસમાં પોતપોતાના વિજયી ઉમેદવારીના સર્ટિફિકેટ જમા કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હવે ટૂંક સમયમાં જ છસ્ઝ્ર તરફથી તમામ ૧૯૨ કાઉન્સિલરોને સત્તાવાર આઈડેન્ટિટી કાર્ડ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. આગામી પાંચ વર્ષની ટર્મ માટે ભાજપના ૧૬૦ અને કોંગ્રેસના ૩૨ કોર્પોરેટરો મળીને કુલ ૧૯૨ સભ્યોની ટીમ શહેરના પ્રશ્નો અને વિકાસ કામો માટે કાર્યરત થશે. મનપાના વહીવટમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને કોર્પોરેશન તરફથી અનેક સુવિધાઓ અને ભથ્થાઓ પણ મળવાપાત્ર થશે. જે મુજબ, દરેક કોર્પોરેટરને ટેકનોલોજીથી સજ્જ કરવા માટે એક લેપટોપ અને એક પ્રિન્ટર આપવામાં આવશે. આ ઉપરાંત, મોબાઈલ ઈન્સ્ટ્રૂમેન્ટ પેટે રૂ. ૧૨,૦૦૦ની રકમ, દર મહિને મોબાઈલ બિલનું વળતર, મનપાની વિવિધ કમિટી અને બોર્ડની બેઠકોમાં હાજરી આપવા બદલ નિયત ભથ્થા તેમજ મેડિકલ સારવાર માટે હોસ્પિટલ રીએમ્બર્સમેન્ટની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓનો મુખ્ય હેતુ કોર્પોરેટરો પોતાના વિસ્તારના પ્રશ્નોનું ડિજિટલ રીતે નિવારણ લાવી શકે અને જનતા સાથે સતત સંપર્કમાં રહી શકે તેવો છે. વહીવટી પ્રક્રિયા મુજબ, ચૂંટણીમાં જીતેલા તમામ ઉમેદવારોના નામનું સત્તાવાર નોટિફિકેશન રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાને મોકલવામાં આવશે. આ ગેઝેટ નોટિફિકેશન મળ્યા બાદ, મનપા કમિશનર દ્વારા પ્રથમ બોર્ડની બેઠક બોલાવવામાં આવશે. આ પ્રથમ બોર્ડની બેઠક અત્યંત મહત્વની રહેશે, કારણ કે તે દિવસે અમદાવાદને તેના નવા મેયર અને ડેપ્યુટી મેયર મળશે. આ ઉપરાંત, આ જ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યો અને ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આમ, પ્રથમ બોર્ડની બેઠક સાથે જ અમદાવાદના નવા શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વિધિવત રીતે કાર્યભાર સંભાળશે અને શહેરના વિકાસની નવી સફર શરૂ થશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, એપ્રીલ 2026
2475 |
મૃતક મહિલાનો આભાસ થતા તાંત્રિક વિધિ કરાવવા ગયા ને હત્યાનો ભેદ ઉકેલાયો
અમદાવાદ શહેરમાં વટવાના કુતુબનગર વિસ્તારમાં ચાલી રહેલી ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન દાયકાઓ જૂનું રહસ્ય ફરી સપાટી પર આવ્યું છે. ૧૯૯૨માં થયેલી ફરઝાના ઉર્ફે શબનમની હત્યાના કેસને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યંત અસામાન્ય અને રસપ્રદ સંજાેગોમાં સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો છે. પીડિતાના મૃતદેહનો શંકાસ્પદ હત્યારા શમશુદ્દીનના જ ઘરમાં આવેલા કૂવામાં ગુપ્ત રીતે નિકાલ કરવામાં આવ્યો હતો, જેના કારણે આ ગુનો વર્ષો સુધી છુપાયેલો રહ્યો. પ્રાથમિક તપાસ મુજબ આ ઘટના પાછળ વ્યક્તિગત સંબંધ અને તણાવ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. આ ચોંકાવનારા કેસમાં સૌથી રસપ્રદ એ છે કે, વર્ષો જૂનો કેસ ફરી કેવી રીતે ખુલ્યો. પરિવારના સભ્યોને કથિત રીતે મૃતક (ફરઝાના)નો વારંવાર આભાસ (ભ્રમણા) થવા લાગ્યો, જેના કારણે તેઓમાં ભય અને માનસિક તણાવ ખૂબ વધી ગયો. આ ડરમાંથી રાહત મેળવવાના પ્રયાસરૂપે, તેઓએ તાંત્રિક વિધિઓ અને ઉપાયોનો સહારો લીધો, જે દરમિયાન આ ગુનાને લગતી મહત્વપૂર્ણ માહિતી બહાર આવી. આ અસામાન્ય માહિતીના આધારે ઝડપથી કાર્યવાહી કરીને, ક્રાઇમ બ્રાન્ચે એક સઘન તપાસ શરૂ કરી. આ તપાસ આખરે મૃતદેહના અવશેષોની શોધ અને લાંબા સમયથી દબાયેલા આ ગુનાના પર્દાફાશ તરફ દોરી ગઈ. આ ઘટના અસામાન્ય સ્ત્રોતોમાંથી પણ સાવચેતીપૂર્વક ગુપ્ત માહિતી એકત્રિત કરવાનું મહત્વ દર્શાવે છે. હાલમાં વટવાના કુતુબનગર ચોક ખાતે મૃતદેહને જમીનમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.આ કેસમાં ફરઝાના ઉર્ફે શબનમ જીવિત ન હોવાથી તપાસ વધુ જટિલ બની છે. છતાં, પોલીસે તે સમયના સંભવિત સાક્ષીઓ અને સહાય કરનાર વ્યક્તિઓ સુધી પહોંચવાની પ્રક્રિયા તેજ કરી છે. પરિવારના કેટલાક સભ્યો દ્વારા અસામાન્ય અનુભવો અને માનસિક તણાવની વાતો સામે આવતાં, અંતે મામલો પોલીસ સુધી પહોંચ્યો અને જૂના કેસની ફરી તપાસ શરૂ થઈ છે. જાે માનવીય અવશેષો મળી આવે તો તેની ફોરેન્સિક અને ડ્ઢદ્ગછ તપાસ દ્વારા ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, એપ્રીલ 2026
2277 |
રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓએ મોંઘવારી ભથ્થું વધારવાની માગણી
ગુજરાતમાં શિક્ષકો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહિ, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે ર્નિણય લેવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. ગુજરાતમાં શિક્ષકો અને કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારવામાં આવે તે માટેની માંગણી ફરી એક વખત ઉઠવા પામી છે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવીને શિક્ષકો અને કર્મચારીઓને કેન્દ્ર સરકારની તાજેતરમાં કરાયેલી જાહેરાત મુજબ ૨ ટકા મોંઘવારી ભથ્થા (ડીએ)ના વધારાનો લાભ આપવાની માંગણી કરવામાં આવી છે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પત્રમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે ૨ ટકા મોંઘવારી ભથ્થું વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેના કારણે ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને શિક્ષકોને પણ આ મોંઘવારી ભથ્થાના વધારાની અપેક્ષા છે. દિવસે દિવસે વધતી જતી મોંઘવારી, રોજિંદા જીવનના વધતા જતા ખર્ચા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં વધતા જતા ભારને ધ્યાનમાં રાખીને આ વધારો કરવામાં આવે તે ઘણું જરૂરી છે તેવો દાવો પણ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યો છે. મહાસંઘના આગેવાનો દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, રાજ્યના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જાેઈ રહ્યા છે. તો આ અંગે સરકાર દ્વારા સમયસર ર્નિણય લેવામાં આવે તો કર્મચારીઓમાં સંતોષ વધશે અને સરકાર પ્રત્યેની વિશ્વાસ વધુ મજબૂત થશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, એપ્રીલ 2026
2475 |
મુખ્યમંત્રીએ ત્વરિત નિવારણ માટે અધિકારીઓને આદેશ આપ્યા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી પ્રચંડ બહુમતી બાદ, રાજ્ય સરકાર હવે ‘સેવા અને સુશાસન’ના મંત્ર સાથે પ્રજાના પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કટિબદ્ધ છે. ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધીના તમામ પ્રજાલક્ષી પ્રશ્નો અને ફરિયાદોનું ઝડપથી નિવારણ લાવવા મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સ્પષ્ટ આદેશો આપ્યા છે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું.પ્રવક્તા મંત્રીએ મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી એ આપેલા આદેશો અંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર જે ભરોસો મૂક્યો છે, તેને રાજ્ય સરકાર પોતાની નૈતિક જવાબદારી ગણે છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મુખ્યમંત્રી, મંત્રી ઓ અને જનપ્રતિનિધિઓએ રાજ્યના ખૂણે-ખૂણે વ્યાપક લોકસંપર્ક કર્યો હતો. આ સંપર્ક દરમિયાન જનતા દ્વારા અનેક પ્રકારની સ્થાનિક સમસ્યાઓ, વહીવટી પ્રશ્નો અને નવી અપેક્ષાઓ સરકારના ધ્યાને મૂકવામાં આવી છે. નાગરિકોની આ ફરિયાદો અને પ્રશ્નોના ત્વરિત અને અસરકારક નિરાકરણ માટે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને વિશેષ સૂચનાઓ આપી છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર માટે સત્તા એ માત્ર જનતાની સેવા કરવાનું સાધન છે. જનતાએ જે અપાર વિશ્વાસ અને બહુમતી આપી છે, તેના બદલામાં સરકાર વધુ સુવિધા અને પારદર્શક વહીવટ આપવા કટિબદ્ધ છે. ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે, પરંતુ હવેનો સમય પ્રજાની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો છે.પ્રવક્તા મંત્રી એ જણાવ્યું હતું કે, રાજ્યથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી મળેલી ફરિયાદોનું લિસ્ટ બનાવી, તેના ત્વરિત નિવારણ માટે એક્શન પ્લાન તૈયાર કરવા મુખ્યમંત્રીીએ ઉચ્ચ અધિકારીઓને આદેશ આપ્યા છે.મુખ્યમંત્રી ના નેતૃત્વમાં આગામી દિવસોમાં રાજ્યના દરેક ખૂણે વિકાસના કામોમાં ગતિ આવશે. વિજયના ઉત્સાહને સેવામાં પરિવર્તિત કરીને નાગરિકોની નાની-મોટી તમામ મુશ્કેલીઓનો અંત લાવવા સરકાર આગામી દિવસોમાં વધુ વેગથી કાર્ય કરશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, એપ્રીલ 2026
2178 |
આધાર આધારિત પ્રમાણીકરણથી પારદર્શિતા અને સરળતા વધશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. હવે સૌથી વધુ વપરાતી ૨૦ સરકારી સેવાઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આધાર આધારિત પ્રમાણીકરણ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત વહીવટી સુધારણા આયોગ-ય્છઇઝ્રની ભલામણને અનુસરીને આવકના દાખલા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ સહિતની ટોપ-૨૦ સેવાઓ હવે પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ માટે આધાર આધારિત પ્રમાણીકરણ ફરજિયાત રહેશે.મંત્રીએ જણાવ્યું કે આ ર્નિણયથી રાજ્ય સરકારની સેવાઓમાં પારદર્શિતા અને ચોકસાઈ વધશે. સરકારનો હેતુ એ છે કે, યોજનાઓનો લાભ માત્ર પાત્ર અને સાચા લાભાર્થીઓને જ મળે. તેમણે ઉમેર્યું કે આધાર પ્રમાણીકરણથી ડુપ્લીકેશન અટકશે અને વ્યવસ્થા વધુ વિશ્વસનીય બનશે. અરજદારની પૂર્વ સંમતિ મેળવવી આવશ્યક રહેશે.મહત્વનું એ છે કે એકવાર આધાર પ્રમાણીકરણ સફળતાપૂર્વક થઈ ગયા પછી નાગરિકોને ઓળખ અથવા રહેઠાણના પુરાવા માટે અન્ય દસ્તાવેજાે આપવાની જરૂર નહીં રહે. આથી અરજી પ્રક્રિયા અત્યંત સરળ અને પેપરલેસ બનશે.આધાર પ્રમાણીકરણ માટે બે વિકલ્પ રહેશે – એક વખતનો પાસવર્ડ (ર્ં્ઁ) આધારિત અથવા બાયોમેટ્રિક આધારિત, જ્યાં સુવિધા ઉપલબ્ધ હોય. જાે કોઈ નાગરિક પાસે આધાર કાર્ડ ન હોય અથવા ટેકનિકલ કારણોસર પ્રમાણીકરણ નિષ્ફળ જાય તો પણ સેવાથી વંચિત રાખવામાં આવશે નહીં. આવા કિસ્સામાં અન્ય ઓળખ પુરાવા દ્વારા સેવા આપવામાં આવશે. ડેટા સુરક્ષાને લઇને પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે સુરક્ષા માટે સિસ્ટમમાં સંપૂર્ણ આધાર નંબર નહીં બતાવવામાં આવે, માત્ર છેલ્લાં ૪ આંકડા એટલે કે સ્ટ્ઠજાીઙ્ઘ છટ્ઠઙ્ઘરટ્ઠટ્ઠિ જ દેખાશે. રાજ્ય સરકારના આ પગલાથી નાગરિકોને ઝડપી, પારદર્શક અને સરળ સરકારી સેવાઓ મળશે, તેમજ યોગ્ય લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચાડવામાં મદદ મળશે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, એપ્રીલ 2026
2673 |
સુરતનાં મેયર બનવા માટે પાટીદાર અને સુરતી મહિલાઓ વચ્ચે સ્પર્ધા
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં વિજય મેળવ્યાનો ઉન્માદ હજુ તો શમ્યો નથી ત્યાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને પક્ષ નેતા પદ મેળવવા માટે કોર્પોરેટરોએ એડીચોટીનું જાેર લગાવવા માંડ્યું છે. જેનાં જાેર ઉપર ટીકિટ મેળવીને ચૂંટાયા છે તે ગોડફાધરો સમક્ષ પદ મેળવવા કોર્પોરેટરો ફરી એકવાર ખોળો પાથરી રહ્યાં છે. આ વખતે પ્રથમ ટર્મ માટે સામાન્ય વર્ગ મહિલા માટે મેયર પદ અનામત હોવાથી ભાજપ મોવડી મંડળ પણ જ્ઞાતિ-જાતિ, વિસ્તાર અને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પસંદગી કરે તેમ મનાય છે.પાટીદાર અનામત આંદોલન પછી વર્ષ ૨૦૧૫માં યોજાયેલી ચૂંટણીમાં પોલીસ દમનને કારણે ભાજપથી વિમુખ થયેલાં પાટીદારોએ ૩૬ બેઠકો કોંગ્રેસને ધરી દીધી હતી, ત્યારબાદ વર્ષ ૨૦૨૧માં કોંગ્રેસથી ધરાયેલાં પાટીદારોએ આમ આદમી પાર્ટી તરફ ઝોક આપીને ૨૭ બેઠકો આપીને ભાજપને નિરાશ કર્યો હતો. હવે વરાછા વિસ્તારનાં પાટીદારોએ પૂરા ૧૦ વર્ષ પછી ફરી ભાજપનો હાથ પકડ્યો હોવાથી ચાર મુખ્ય પદ આપવામાં પાટીદારોને પ્રાધાન્ય આપવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે તે જાેતા કાવ્યા અલ્પેશ કથિરિયાનું પલડું ભારે હોવાનું કહેવાય છે, બીજીતરફ મેયરપદ સુરતીને ફાળવવાની વાત આવે તો ઉર્વશી પટેલ, પ્રતિભા દેસાઇ અને નેન્સી શાહનાં નામોની પણ જાેરશોરથી ચર્ચા થઇ રહી છે. એકાદ બે વખતનાં અપવાદ સિવાય મેયર પદ અને સ્થાયી સમિતિ અધ્યક્ષ પદ સૌરાષ્ટ્રીયન અને સુરતીઓ વચ્ચે વહેંચાતા આવ્યાં છે. કાવ્યા કથિરિયા કનકપુર-કનસાડ નગરપાલિકામાં ઉપપ્રમુખ પદે રહી ચૂક્યા હોવાથી તેમને શાસનનો અનુભવ છે તો અલ્પેશ કથિરિયાનું વજન પાટીદારોમાં વધ્યું હોવાથી પાટીદાર સમાજને રીઝવવાનાં ભાગરૂપે પણ કાવ્યા અલ્પેશ કથિરિયાની પસંદગી થઇ શકે છે. પરંતુ જાે સુરતીમાંથી પસંદગી કરવાની હોય તો ઉત્તર ગુજરાતનાં અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રીનાં પરિવાર સાથે સંકળાયેલાં ઉર્વશી પટેલ ઉપરાંત પ્રતિભા દેસાઇ અને નેન્સી શાહ વચ્ચે સ્પર્ધા થવાની સંભાવના સેવાઇ રહી છે. જાે આ ત્રણ મહિલામાંથી મેયર પદ માટે પસંદગી થાય તો સ્થાયી સમિતિ અધ્યક્ષ પદ માટે સૌરાષ્ટ્રવાસી દક્ષેશ માવાણી મજબુત દાવેદાર માનવામાં આવે છે. પરંતુ પાટીદાર સમાજનાં મહિલા મેયર બને તો પછી દક્ષેશ માવાણીનું પત્તુ કપાઇ જાય અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલ જુથનાં હિમાંશુ રાઉલજી, વ્રજેશ ઉનડકટ, રાજન પટેલ અને અમિતસિંગ રાજપુત વચ્ચે સ્પર્ધા થશે. નાયબ મુખ્યમંત્રીની મજબુત રાજકીય સ્થિતિ જાેતાં તેમનાં જુથનાં કોર્પોરેટરને ૧૧,૦૦૦ કરોડનો વહિવટ કરવાનો લાભ મળશે તેમ મનાય છે. બીજી એકવાત એ પણ ચર્ચાય છે કે સૌરાષ્ટ્રવાસી કોર્પોરેટરને ભુતકાળની જેમ ડેપ્યુટી મેયર પદ આપીને સંતોષી દેવામાં આવે તો મેયર પદ તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષ પદ હર્ષ સંઘવી અને સી.આર.પાટિલ જુથ વચ્ચે વહેંચીને અસંતોષ દુર કરી શકાય તેવું પણ માનવામાં આવે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, એપ્રીલ 2026
2772 |
સુરતીઓ ૫૭.૬૮ લાખ મત આપી શકે તેમ હતાં પણ ૮.૩૯ લાખ મત ઓછા આપ્યાં
મંગળવારે, તા.૨૮મી એપ્રિલે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાનાં અંતિમ તબક્કામાં મતગણનાની કામગીરી આટોપાઇ એ પછી રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા મતદાનનાં સત્તાવાર આંકડાનું એનાલીસીસ કરતા સુરતમાં મોટાપાયે ક્રોસ વોટિંગ જેને વહિવટી ભાષામાં અપૂર્ણ મતદાન થયું હોવાનું ઉજાગર થયું છે. સુરત મહાનગરપાલિકામાં એક વોર્ડમાં કુલ ૪ બેઠકોનું સ્ટ્રક્ચર છે એ હિસાબે દરેક મતદાર વધુમાં વધુ ચાર વોટ આપી શકે તેમ હતા. તા.૨૬મી એપ્રિલે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ અને મતદાનનાં આંકડા જાહેર કરવામાં આવ્યા ત્યારે સુરત શહેરમાંથી કુલ ૧૪,૪૨,૦૬૨ મતદારોએ મતદાન કર્યું હોવાનું ચૂંટણી પંચનાં ચોપડે નોંધાયું હતું. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી મતદાન કરનારા મતદારોની સંખ્યા, પોસ્ટલ બેલેટથી મતદાન કરનારા મતદારોની સંખ્યાનો સરવાળો કરીને તેમાંથી નોટામાં નોંધાયેલા મતોની સંખ્યાની બાદબાકી કરવામાં આવે ત્યારે સુરતમાં ૧૪,૪૨,૦૬૨ મતદારોએ મતદાન કર્યું હોવાનો સત્તાવાર આંકડો જાહેર થયો છે.આ ૧૪.૪૨ લાખ ઉપરાંત મતદારો ચાર મત લેખે ૫૭,૬૮,૨૪૮ મત આપી શકે તેમ હતાં પરંતુ, ગઇકાલે તા.૨૮મી એપ્રિલે સાંજે જ્યારે મતગણતરીની પ્રક્રિયાને પૂર્ણ જાહેર કરવામાં આવી ત્યારે સુરત મહાનગરાપાલિકાનાં ૩૦ વોર્ડ મળીને કુલ મતોની સંખ્યા ૪૯,૨૮,૩૨૨ હોવાનું જાહેર થયું હતું. આમ સુરતી મતદારોએ ૮,૩૯,૯૨૬ મતો ઓછા આપ્યા હોવાની વિગતો સપાટી પર આવતાં જ અનેક અધિકારીઓ અને મતગણતરીની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓનાં ભવાં ચઢી ગયાં હતાં કેમ કે મોટા પાયે ક્રોસ વોટિંગ થયું હોવાનું સૌથી પહેલા તેઓ પામી ગયા હતાં. આનો અર્થ એ થયો કે એટલાં મતદારોએ ક્યાં તો એક જ મત આપ્યો, ક્યાં તો બે મત આપ્યાં ક્યાં તો ત્રણ મત આપ્યા હતાં એટલે કે પેનલ તોડવાનો પ્રયાસ થયો હતો. સુરત મહાનગરપાલિકામાં ૨૮ વોર્ડમાં બધી જ બેઠકો જીતી લાવેલા ભાજપનાં અનેક નેતાઓ એ વાતથી હેરાનીમાં મૂકાયા હતા કે તેમની અનેક વોર્ડની પેનલમાં જીતેલા ઉમેદવારોની જીતની ભીંતરમાં પણ મતોનું માર્જિન ૨૦૦-૫૦૦ નહીં પણ ૪-૫ હજારથી વધુ હતું. આવું ત્યારે જ સંભવી શકે જ્યારે મતદારોએ પોતાને મળેલા તમામ મતોનો ઉપયોગ ન કર્યો હોય અને સેંકડો મતદારોએ ક્યાં તો સિંગલ વોટીંગ, ક્યાં તો ડબલ વોટિંગ અગર તો ત્રણ મતો આપ્યા હોઇ શકે, જાણકારો ત્યાં સુધી કહે છે કે અનેક મતદારોએ બે અગર તો ત્રણ રાજકીય પક્ષોના જુદા જુદા ઉમેદવારોને પણ વોટ આપીને ક્રોસ વોટિંગ કર્યું હોઇ શકે. એ વાત તો ઇવીએમમાં અકળ બની ગઇ છે પરંતુ, એ વાત નક્કી છે કે ગઇ તા.૨૬મી એપ્રિલે મતદાન કરનારા ૧૪.૬૬ લાખ સુરતી મતદારોએ પોતાને મળેલા તમામ મતોની જગ્યાએ ૧૪.૫૬ ટકા મતો ઓછા આપ્યા છે એટલે કે ચાર મતનો અધિકાર હોવા છતાં ઓછા મત આપ્યાં છે. જાણકારોનું કહેવું છે કે ટેકનિકલી ૧૪.૫૬% મતોનો ઘટાડો એ ક્રોસ વોટિંગ અથવા અધૂરા મતદાનની સંભાવના દર્શાવે છે. સભ્ય ભાષામાં કહેવું હોય તો સુરતી મતદારોએ અપૂર્ણ મતદાન કર્યું હોય તેવું કહેવાય. જાે આ મતો વિરોધ પક્ષનાં ફાળે ગયા હોય તો જ તેને ચોક્કસ ‘ક્રોસ વોટિંગ’ ગણી શકાય અન્યથા તેને ‘વોટ વેસ્ટેજ’ ગણવામાં આવે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, એપ્રીલ 2026
2574 |
વેસુનાં એસએમસી આવાસમાં ક્રિકેટ રમતાં યુવકો ઉપર ચપ્પુ-કુહાડીથી હુમલો કરાયો
વેસુમાં જલારામ મંદિર પાસે આવેલા આવાસમાં મધરાતે ટપોરી ટોળકીએ આતંક મચાવ્યો હતો. સુલતાનને શોધવા આવેલા બદમાશોએ સ્થાનિક રહેવાસીઓ સાથે ઝઘડો કરી ત્યાં ક્રિકેટ રમતાં ત્રણ યુવકોને ચાકુના ઘા ઝીંકી દીધા હતાં. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વેસુમાં જલારામ મંદિર પાસે આવેલા એસએમસી આવાસમાં શનિ ધર્માભાઇ ગૌસ્વામી તેમના પરિવાર સાથે રહે છે. ટેમ્પો ડ્રાઇવિંગ કરતા શનિ ગૌસ્વામી ગત ૨૭મી તારીખે રાત્રે બાર વાગ્યાની આસપાસ આવાસમાં રહેતાં યુવકો સાથે ક્રિકેટ રમી રહ્યા હતાં. દરમિયાન એસ.ડી.જૈન કોલેજ તરફથી અંશ ઉર્ફે બાબુ ઉપાધ્યાય, પંકજ ઉર્ફે પંકયા સૈદાણે તથા આશુ ઉર્ફે ગુલ્લુ બિહારી વિગેરે મોપેડ તથા બાઇક પર આવ્યા હતાં. આ ટોળકીએ આવાસમાં આવી સુલતાન કહા હૈ એમ પૂછ્યું હતું. સુલતાન અંગે પૂછપરછ કરવા સાથે તેઓએ આવાસના છોકરા સાથે વાદ વિવાદ પણ શરૂ કર્યો હતો. આવાસના રહેવાસીઓએ દાદાગીરી કરતી ટોળકી સાથે માથાકૂટ કરવા માંડી હતી. શોરબકોર શરૂ થતાં આવાસની બહાર ક્રિકેટ રમી રહેલા યુવકો અંદર દોડી ગયા હતાં. તેમણે જાેયું તો સંતોષ આનંદભાઇ જગદેવના પગમાં ચપ્પના ઘા મરાયા હતાં. પંકજ ઉફે પંકયા સૈદાણે, અંશ ઉર્ફે બાબુ ઉપાધ્યાય તથા આશુ ઉર્ફે ગુલ્લુ બિહારી ચપ્પુ લઇને ધાક ધમકી આપતાં દેખાયા હતાં.આ માથાભારે યુવકો આવાસના રહેવાસીઓ સામે છુટ્ટા હાથે ચપ્પુ ફેરવતાં ફેરવતાં દોડાદોડી કરતા હતાં. તેમણે સનીનાં ભાઇ બોબી ધર્મા ગૌસ્વામીને પકડી લીધો હતો. કોઇ કારણ વિના તેને પણ ચપ્પુનાં ઘા મારવામાં આવ્યા હતાં. આ જાેઈ સની તેને બચાવવા દોડ્યો હતો. જેમાં બદમાશ ટોળકીનાં પ્રથમ નામના યુવકે તેની પાસેની લોખંડની કુહાડીથી પગમાં ઘા મારી દીધો હતો. આ હુમલાને કારણે મધરાતે આવાસમાં આતંકનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ હુમલાખોરોને ઘેરી લીધા હતાં. જાે કે આ દરમિયાન હુમલાખોર ટોળકીના અન્ય સાગરિતો તરુણ પાનપાટીલ, મયુર બાવિસ્કર, તુષાર ઉર્ફે તુતલી અને રાકેશ મોહીતે ઉર્ફે બાલો વિગેરે ત્યાં આવી ચઢ્યા હતાં. આ ટોળકીએ આવાસના રહેવાસીઓ સાથે મારામારી કરી અને હુમલાખોર સાથીદારોને ભગાવી ગયાં હતાં. તેઓ ગયા બાદ હુમલામાં ઘવાયેલા સંતોષ જગદેવ, બોબી અને સનીને મૈત્રી હોસ્પિટલ લઇ જવાયા હતાં. જ્યાં તબીબોએ બોબીને જાેતા તેના છાતીનાં ભાગે, ૫ગમાં તથા પીઠનાં ભાગે અને હાથની આંગળીમાં ચપ્પુ વાગ્યાં હતાં. એટલું જ નહીં ડાબા હાથમા મરાયેલા ઉંડા ઘા ના કારણે ચાકુ ફસાઇ ગયુ હતું. તબીબોએ સારવાર શરૂ કરી દરમિયાન ઘટનાની જાણ થતાં વેસુ પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો. પોલીસે સની ગૌસ્વામીની ફરિયાદ લઇ હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, એપ્રીલ 2026
2673 |
સ્ટેટ બેંકમાં ૫૦ લાખની લૂંટ: સરથાણા અને કઠોરમાં ફેંકી દેવાયેલા બે મોબાઇલ મળ્યાં
લંબેહનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંકમાં બેખૌફપણે લૂંટ કરનાર બદમાશ ટોળકીને મોબાઇલ સર્વેલન્સ અને સીસી કમેરા ફૂટેજનાં આધારે ટ્રેસ કરવા પોલીસ કવાયત કરી રહી છે. ટેકનિકલ સર્વેલન્સથી મળેલી માહિતીના આધારે વેલંજા, કઠોર અને સાયણ પંથકમાં ક્રાઇમબ્રાન્ચની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે. વરાછામાં લંબેહનુમાન રોડ ઉપર એફિલ ટાવરની બાજુમાં શક્તિ ટાવરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા કાર્યરત છે. ૨૭મી એપ્રિલ, સોમવારે બપોરે એકથી બે વાગ્યા સુધી છ લૂંટારુઓએ બેન્કમાં આતંક મચાવ્યો હતો. પિસ્ટલની અણીએ બેન્કનાં સર્વિસ મેનેજર કિરણ પ્રકાશ ભોગે, કેશિયર અનિલ રાઠોડ, જુનિયર એસોસીએટ કાર્તિક પ્રજાપતિ ઉપરાંત ક્રેડિટકાર્ડનું કામ કરતી રિદ્ધિ અને પ્યુન ગૌરવ ચૌધરી તથા એ.ટી.એમ.નો ગાર્ડ ગજેન્દ્ર પાટીલ ઉપરાંત બીજા છથી સાત ગાહકોને ધમકાવી રોકડા ૫૦ લાખની લૂંટ કરવામાં આવી હતી. આ ટોળકીને સીસીટીવી ફૂટેજને આધારે ટ્રેક કરતા તેઓ ત્રણ બાઈક પર કતારગામ તરફથી આવતા હોવાનું તથા સરથાણા શ્યામધામથી વાલક જંક્શન થઈ ઉમરા વેલંજા તરફ જતાં ટ્રેક થયા હતા. આ ત્રણ બાઈક પર તેમનો સાતમો સાગરીત પણ પોલીસને જાેવા મળ્યો હતો.લૂંટારુઓએ બેંકમાં ઘૂસતાં જ કર્મચારીઓ ઉપરાંત ગ્રાહકોના મોબાઇલ ઝૂંટવી લીધા હતા. કોઈ કોલ કે મેસેજ ન કરે એની તકેદારી રાખતા લઇ લેવાયેલા મોબાઇલ ફોન લૂંટાઓ તેમની સાથે લઇ ગયા હતા. આ ફોનથી પોલીસ પોતાના સુધી પહોંચી શકે એવું જાણતા આ બદમાશોએ આ ફોન અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. લૂંટારૂઓએ ફેંકેલો પહેલો ફોન સવા બે વાગ્યે એક રાહદારીને શ્યામધામ પાસેથી મળ્યો હતો. જે તેણે લસકાણા પોલીસને આપતાં પોલીસ ધારવા કરતા ઝડપથી લૂંટારુઓને ટ્રેક કરવામાં સફળ રહી હતી. છેલ્લો ફોન કઠોર પાસેથી મળ્યો હતો. જેથી લૂંટારુઓ હાઇવે થઇ આગળ વધી ગયા હોવાનું જતાવી શકાય. લૂંટારુઓ વેલંજા અને ગ્રામ્ય વિસ્તારમાં છુપાયા હોવાની શંકા સાથે ત્યાં સર્ચનો દાયરો વધાર્યો હતો. સીસી કેમેરા ફૂટેજ તથા મોબાઇલ સર્વેલન્સથી પોલીસ આ લૂંટારૂ ટોળકીને ટ્રેસ કરવા કવાયત કરી રહી છે. જાે કે, ત્રીજા દિવસે પણ તેમાં કોઇ સફળતા મળી ન હોવાનું કહેવાય છે. પોલીસ અધિકારીઓએ અમને કેટલીક મહત્વની લીડ મળી છે, જેના આધારે તપાસ કરાઇ છે. ટેકનીકલ સર્વેલન્સથી મળેલી માહિતીના આધારે વેલંજા, કઠોર અને સાયણ પંથકમાં ક્રાઇમબ્રાન્ચની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે. ટૂંક સમયમાં અમે લૂંટારૂઓને ઝડપી પાડીશું એવું જણાવી રહ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, એપ્રીલ 2026
2178 |
ખાડી-તળાવોની સફાઇનાં વીડિયો ફોટોગ્રાફ સાથે પ્રેઝન્ટેશન કરવા કમિશનરનો આદેશ
ખાડીપૂરથી ત્રાહિમામ શહેરીજનોને આ વર્ષે ખાડીપૂરથી મુક્તિ અપાવવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજન આગોતરૂ આયોજન કરી રહ્યાં છે. શહેરની વિવિધ ખાડીઓ અને તળાવોમાંથી ઉલેચાતા કચરાનાં વિડિયો તેમજ ફોટોગ્રાફ સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કરવા તેમજ શહેરમાં જ્યાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય તે તમામ સ્પોટનાં ફોટો રજૂ કરવા તમામ ઝોનલચીફને આદેશ કર્યો છે. સુરત શહેરમાં દર વર્ષે ખાડીપુર આવતું હોવાને કારણે ખાડીપૂરનો ભોગ બનતા લોકોમાં સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જાેવા મળે છે. જાેકે આ વર્ષે ખાડી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને પહેલેથી જ તૈયારીઓ કરી દીધી છે. આજે પણ મ્યુનિસિપલ કમિશનરે પ્રિમોન્સૂન કામગીરી માટે લીધેલી મિટિગમાં અધિકારીઓને ઉધડો લીધો હતો અને આગામી દિવસોમાં ખાડી સફાઈ મુદ્દે ફોટો અને વિડીયો સાથે રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે.સુરત શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી દર વર્ષે ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામે છે. જેના કારણે ખાસ કરીને વરાછા ઝોન, સરથાણા ઝોન, લિંબાયત ઝોન અને ઉધના ઝોન વિસ્તારમાં તેની અસર જાેવા મળે છે. આ તમામ વિસ્તારમાં અંદાજિત દસ લાખથી પણ વધારે વસ્તીને ખાડી પૂરની અસર થતી હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગત વર્ષે દસ દિવસ સુધી ખાડી પૂરની અસર રહી હતી. જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકોને આર્થિક નુકસાન થયું હતું. સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને આ વર્ષે એક મહિના પહેલા જ પ્રીમોનની કામગીરીની શરૂઆત કરાવી દીધી છે. તેઓએ ખાસ કરીને ખાડી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તેના માટે સખ્ત કામગીરીના આદેશ પણ આપ્યા છે. આજે પણ મ્યુ. કમિશનર એમ નાગરાજને તમામ અધિકારીઓ સાથે પ્રીમોન્સૂન કામગીરીની મીટીંગ લીધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં આ વર્ષે ખાડી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે ડ્રીઝિંગ ની કામગીરી વધુ સખતાઈથી કરવામાં આવે. એટલું જ નહીં પરંતુ જે પણ કામગીરી કરવામાં આવે તેના ફોટો અને વિડીયો સાથેનો રિપોર્ટ પણ રજુ કરવા માટે જણાવ્યું છે. જે પણ ઝોન વિસ્તારમાં ખાડી આવતી હોય તે ઝોનના ડેપ્યુટી કમિશનરને ખાડીમાં સાફસફાઈના સ્થળ પર ફરજીયાત વિઝીટ લેવા માટે પણ આદેશ આપ્યો છે. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ ઝોન વિસ્તારમાં આવેલા તળાવોની ઊંડાઈ વધારી શકાય તે માટેનું આયોજન કરવા માટે પણ સૂચના આપી છે. વધુમાં શહેરના કયા કયા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે તેની યાદીઓ આપવા સાથે આ સ્થળો માટે અત્યાર સુધી પાલિકા દ્વારા શું કામગીરી કરવામાં આવી, આગામી સમયમાં શું કામગીરી કરી શકાય તેનો રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...