ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
31, મે 2026 3564   |  
ચોરવાડના ખેત મજૂરની દીકરીએ એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સમાં રજત ચંદ્રક જીત્યો

ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય, શિસ્ત અને અથાક મહેનતથી સામાન્ય પરિવારમાંથી આવતી પ્રતિભાઓ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર સફળતા હાંસલ કરી શકે છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની ૧૯ વર્ષીય કાજલે રવિવારે હોંગકોંગમાં યોજાયેલી ૨૨મી એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૪ટ૧૦૦ મીટર રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતા કાજલે ટીમને ૪૫.૦૫ સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી હતી. આ પ્રદર્શન સાથે ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો હતો અને અંડર-૨૦ વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. ભારતીય ટીમે અગાઉનો ૪૫.૦૮ સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને પોતાની ઝડપ, ટીમવર્ક અને બેટન એક્સચેન્જની શ્રેષ્ઠતા દર્શાવી હતી. હોંગકોંગમાં જીતેલો રજત ચંદ્રક કાજલની સિદ્ધિઓની યાદીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો છે. આ અગાઉ તેણે ૨૦૨૫માં રાંચીમાં યોજાયેલી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૪ટ૧૦૦ મીટર રિલે માં પણ રજત ચંદ્રક જીત્યો હતો. ઉપરાંત, ૬૦ મીટર સ્પર્ધામાં અંડર-૨૦ વર્ગનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ તેના નામે છે. આ વર્ષના માર્ચ મહિનામાં ભુવનેશ્વરમાં યોજાયેલી પ્રથમ ઇન્ડોર ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલે ૬૦ મીટર દોડમાં ૭.૫૦ સેકન્ડનો સમય નોંધાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. આ સિદ્ધિએ તેને ભારતની સૌથી પ્રતિભાશાળી યુવા સ્પ્રિન્ટર્સમાં સ્થાન અપાવ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, મે 2026 3960   |  
રાજકોટમાં નેહલ શુક્લ, ભાવનગરમાં ઉષા તલરેજાનીની મેયરપદે વરણી કરાઇ

રાજ્યમાં ૧૫ મહાપાલિકાઓની ગત મહિને સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ તમામ મનપામાં ભાજપે બહુમતી સાથે સત્તાના સૂત્રો હાંસલ કર્યા હતા. ૧૫ મનપાની ચૂંટણીઓના પરિણામ જાહેર થયાના એક મહિના બાદ આ તમામ મનપામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણૂક માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૨૬ જૂનના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, જામનગર, મોરબી, પોરબંદર, નડિયાદ અને મહેસાણા એમ કુલ આઠ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરી દેવામાં આવી હતી . ત્યારબાદ આજે બાકીની ૬ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેના અંતર્ગત રાજકોટ મહાપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની પસંદગી કરાઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાની વરણી કરવામાં આવી છે. તો દંડક તરીકે સંજયસિંહ રાણા અને પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદ મનપામાં નવા પદાધિકારીઓની વરણી કરાઈ છે. જેમાં મેયર તરીકે દિપિકાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની નિમણૂક કરાઈ છે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારને તેમજ દંડક તરીકે હીરલ શાહની વરણી કરવામાં આવી છે. તો વડોદરા મનપામાં ભાજપે મહિલાને નેતૃત્વ સોંપ્યું છે. જેમાં ગીતા મકવાણાને મેયર તરીકેની જવાબદારી સોંપી છે. આ સાથે જ, આદિત્ય પટેલને ડેપ્યુટી મેયરની વર્ષાબેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે ભાવનગર મનપામાં પણ ભાજપે મહિલા નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. ભાવનગરના નવા મેયર તરીકે સિંધી સમાજના ઉષાબેન તલરેજાને જવાબદારી સોંપી છે, તો ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાની નિમણૂક કરાઈ છે. જ્યારે પક્ષના નેતા તરીકે લાલભા વાળાને તો દંડક તરીકે રિંકુબેન માંગુકિયાને જવાબદારી સોંપવામાં આવી છે. વાપી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર તરીકે દક્ષા પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિષ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. તો પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલ અને દંડક તરીકે સુનિતા તિવારીને નિયુક્ત કરાયા છે. તો સુરત મનપામાં મેયર તરીકે માયા માવાણીની તો ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની નિમણૂક કરાઈ છે તો પક્ષના નેતા તરીકે અલ્પા મહેતા અને દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની વરણી કરાઈ છે. જ્યારે સુરેન્દ્રનગર મનપામાં પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરી છે તો ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેરી તો પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણિયાને જવાબદારી સોંપી છે. આમ, ૨૬ મેના રોજ અમદાવાદ, જામનગર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, નવસારી, પોરબંદર અને મહેસાણા સહિત કુલ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે હોદ્દેદારોના નામ જાહેર થયા પછી, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, વલસાડ-વાપી અને સુરેન્દ્રનગર માટે નવા હોદ્દેદારોના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
25, મે 2026 3069   |  
રાજકોટના ગોંડલ નજીક બસ પલટી, બે મહિલાના મોત, ૫ાંચની હાલત નાજુક

રાજકોટના ગોંડલ નજીક સોમવારે વહેલી સવારે એક અત્યંત કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો છે. પુરષોત્તમ માસના પવિત્ર અવસરે ધાર્મિક પ્રવાસે નીકળેલા શ્રદ્ધાળુઓની એક ખાનગી બસ પલટી મારી જતાં પરિવારના બે મહિલા સભ્યો (સાસુ-વહુ) ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ભયાનક દુર્ઘટનામાં બસમાં સવાર અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમાંથી પાંચ લોકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે એક ખાનગી બસ બગદાણા, ઊંચા કોટડા, રાજપરા અને ભગુડા જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે ઉપડી હતી. તમામ પવિત્ર ધામોના દર્શન કરીને પરત ફરી રહેલી આ બસ સોમવારે પરોઢિયે આશરે ૪:૩૦ વાગ્યે વોરા કોટડાથી બાંદરા જવાના સિંગલ પટ્ટી રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા એક ટ્રકને જગ્યા આપવા માટે બસ ચાલકે વાહનને રિવર્સમાં લીધું હતું. સિંગલ રોડ હોવાના કારણે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા જ બસ રોડ કિનારે આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી.અકસ્માત સમયે બસમાં માસૂમ બાળકો, મહિલાઓ અને વયસ્ક શ્રદ્ધાળુઓ સહિત કુલ ૬૨ મુસાફરો સવાર હતા. વહેલી સવારના અંધકારમાં અચાનક બસ પલટી જતાં મુસાફરોની ચીસાચીસથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના સ્થાનિક યુવાનો અને સેવાભાવી સંસ્થાઓ તાત્કાલિક બચાવ રાહત માટે દોડી આવ્યા હતા અને બસના કાચ તોડીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.ઇમરજન્સી સેવાઓ અને પોલીસ પ્રશાસન પણ ત્વરિત એક્શનમાં આવ્યું હતું. ૧૦૮ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સો મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ ૫ દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 5049   |  
૧૫૦૦ રૂપિયા બાબતે મિત્ર સાથે કરેલી માથાકૂટ બાબતે ચપ્પુનાં ઘા મારી કિશોરની ઘાતકી હત્યા

પૈસા બાબતે મિત્ર સાથે માથાકૂટ કરનારને સમજાવવા તેના ઘરે ગયેલા કિશોરને છાતીમાં ચપ્પુનો ઘા ઝીંકી હત્યા કરાયાનો બનાવ પાંડેસરામાં બન્યો હતો.  પોલીસ પાસે મળતી માહિતી અનુસાર હરિઓમનગરમાં સંતોષ રામગોપાલ ગુપ્તા તેના પરિવાર સાથે રહે છે. મધ્યપ્રદેશનાં રિવા જિલ્લાનો વતની સંતોષ દેવકીનંદન સ્કુલ પાસે નાસ્તાની લારી ચલાવે છે. તેમને સંતાનમાં બે દિકરા અને બે દીકરી છે. ત્રણ નંબરનો દિકરો દેવા ગુપ્તા પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલી બી. જી. મિશ્રા સ્કુલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. ૨૦મી તારીખે સાંજે સાડા ચારેક વાગ્યાનાં અરસામાં દેવાનો મિત્ર સાહિલ પત્રકાર કોલોની પાસે શેરડીનો રસ પીતા હતા. એ સમયે હેપ્પીનો પરિચિત આદર્શ ઉર્ફે બટકો ત્યાં આવ્યો હતો. તેણે મને તને તેરેનામ ચોકડી પર છોડી દો એમ રહેતા હેપ્પીએ હા પાડી હતી. એ સમયે હેપ્પીના મોટર સાયકલ આદર્શે હંકારી અને અને તેઓને ડિ માર્ટની સામે આવેલા નાકોડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે લઈ ગયો હતો. જ્યાં આદર્શના અન્ય મિત્રો પણ હાજર હતાં.ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આદર્શે તેના મિત્રોને કહ્યું હતું કે આ હેપ્પી મારા પૈસા આપતો નથી, જેથી તેના મિત્રો હેપ્પીને પૈસા પરત કરવા કહી ધાક ધમકી આપવા માંડ્યા હતાં. દરમિયાન આદર્શે મોટર સાયકલની ચાવી લઇ લીધી હતી. લાંબી માથાકૂટ બાદ આદર્શે ચાવી પરત કરતાં હેપ્પી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં રાત્રે સાડા દસેક વાગ્યાનાં અરસામાં હેપ્પી, દેવા અને અરવિંદ હાઉસિંગમાં આવેલી વિધાયક નામની ચાની દુકાન પર બેઠા હતાં. એ સમયે હેપ્પીએ દેવાને બપોરે આદર્શ સાથે થયેલી માથાકૂટની વાત કરી હતી. આ સાંભળી દેવાએ આપણે આદર્શના ઘરે જઈ તેના માતા પિતાને જાણ કરીએ એમ કહ્યું અને પછી ત્રણેય જણા આદર્શના ઘરે ગયા હતાં. ઘરે ટેરેસ પર સૂતેલા આદર્શ અને તેની માતાને આ મિત્રોએ જગાડ્યા હતાં. તેઓને નીચે લાવી હેપ્પીએ તેની સાથે બનેલા બનાવ બનાવ અંગે માતાને વાત કરવા માંડી હતી. આ દરમિયાન આદર્શ બટકો ગુસ્સે ભરાયો અને ગાળા ગાળી કરવા માંડ્યો હતો. હેપ્પી અને દેવાએ લડાઈ ઝઘડો નહીં કરી શાંતિથી વાત કરવા કહ્યું હતું.જાે કે, આદર્શે હેપ્પી અને દેવાને ઢીકમુક્કીનો માર મારવા માંડ્યો તો તેની માતાએ વચ્ચે પડી છોડાવ્યા હતાં. એવામાં આદર્શ ઘરમાં દોડી ગયો અને ચપ્પુ જેનું તિક્ષ્ણ હથિયાર લાવી દેવાને છાતીના ભાગે ઘા મારી દીધો હતો. દેવો લોહીલુહાણ થઇ જતાં આદર્શ અને તેની માતા ઘરમાં જતાં રહ્યા અને દરવાજાે બંધ કરી દીધો હતો. જ્યારે હેપ્પી અને અરવિંદ મોટર સાયકલ પર બેસાડી દેવા ને સિવિલ લઇ ગયા હતાં. જ્યાં તબીબોએ ગંભીર અવસ્થામાં તેની સારવાર શરૂ કરી હતી. દરમિયાન હુમલાની જાણ થતાં દેવાના માતા-પિતા સિવિલ દોડી આવ્યા હતાં. તેઓ તેને વધું સારવાર માટે યુનિક હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 8415   |  
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.  સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ.   ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે.  PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો.   અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 6930   |  
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ

વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે.    સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, મે 2026 9009   |  
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 6633   |  
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 11583   |  
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે. 


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, જુન 2026 2376   |  
નકલી સહી અને બનાવટી એમઓયુના આધારે જમીન હડપવાનો પ્રયાસ

શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી કોટેશ્વરની કરોડો રૂપિયાની કિંમતની કિંમતી જમીન પચાવી પાડવા માટે એક ૭૭ વર્ષીય વૃદ્ધે ખતરનાક ખેલ ખેલ્યો હોવાની ઘટના સામે આવી છે. જમીનના અસલી માલિકની જાણ બહાર તેમની જ નકલી સહીઓ કરી નોટરાઈઝડ દસ્તાવેજાે ઉભા કરી જમીન પચાવવાના આ જમીન કૌભાંડમાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો એવી છે કે, નિકોલ વિસ્તારમાં રોયલ રેસીડેન્સીમાં રહેતા ૪૦ વર્ષીય વેપારી દાદુદાન નટવરદાન ગઢવીએ કોટેશ્વરના નવા સર્વે નંબર ૨૩૪/૩૪ વાળી અંદાજે ૧૪,૫૯૯ ચોરસ મીટર જમીન મૂળ ખેડૂત વારસદારો પાસેથી કાયદેસર પાવર ઓફ એટર્ની અને વેચાણ દસ્તાવેજ દ્વારા ખરીદી હતી. આ જમીન પર તેઓનો કાયદેસરનો કબજાે હતો અને જમીનના ટાઈટલ ક્લિયર કરવાની પ્રક્રિયા ગતિમાં હતી.દરમિયાન, ગત તારીખ ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૨/૦૫/૨૦૨૬ ના સમયગાળા દરમિયાન નિકોલના શ્રીરામ ટેનામેન્ટમાં રહેતા ૭૭ વર્ષીય પ્રતીકકુમાર મહેન્દ્રભાઈ પ્રજાપતિએ આ જમીન પચાવી પાડવાના બદઈરાદે મોટું કાવતરું રચ્યું હતું. આરોપી પ્રતીકકુમારે ફરિયાદી દાદુદાન ગઢવીની જાણ બહાર તેમની નકલી સહીઓ કરી એક ‘મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ‘ તૈયાર કર્યું હતું. આ બનાવટી સ્ર્ેં ને સાચું ઠેરવવા માટે તેને નોટરાઈઝડ પણ કરાવાયું હતું.આરોપીએ આ નકલી એમઓયુના આધારે જમીન બજારમાં વેચવા માટે મૂકી દઈ ફરિયાદીની માલિકીની જમીનના ટાઈટલને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, જુન 2026 2475   |  
કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માતમાં મહિલાનું મોત

અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલના અંબિકા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ૩ જૂનના વહેલી સવારે બાઈક પર સવાર મહિલાનું ટ્રક નીચે આવી જવાથી ઘટનાસ્થળે જ મોત થયું છે. પોલીસે ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પેસેન્જર બેસાડવાની ઉતાવળમાં એક રીક્ષા ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવી રહેલા બાઈકચાલકનું સંતુલન બગડ્યું હતું. બાઈક પાછળ બેસેલી મહિલા રોડ પર પટકાઈ ગઈ હતી અને પાછળથી ઝડપે આવી રહેલી ટ્રકનું ટાયર તેમના પર ફરી વળતાં ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ કલોલ પોલીસ તુરંત પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.અંબિકા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વહેલી સવારથી જ પેસેન્જર રીક્ષાઓ, ઈકો વાહનો અને ખાનગી વાહનો ગેરકાયદેસર રીતે ઉભા રહેતા હોવાથી મુખ્ય હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અહીં વારંવાર થતા ટ્રાફિકને કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વિસ્તારમાં અગાઉ પણ ગંભીર અકસ્માતો સર્જાયા છે. ટ્રાફિકની સમસ્યા માટે ગુજરાત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ અને સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. રોડની બંને બાજુએ પેસેન્જર રીક્ષાઓ અને લારી-ગલ્લાના દબાણને કારણે ટ્રાફિક વધુ વિકરાળ બન્યો છે. હાઈવે પર ઠેર-ઠેર રોડ સેફ્ટીની ખામીઓ અને રસ્તાની ખરાબ હાલત પણ અકસ્માતના કારણોમાં સામેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, જુન 2026 2772   |  
હિલોલ ગામમાં પીવાના પાણીની લાઇનમાં મરેલો ઉંદર મળ્યો

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હિલોલ ગામમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં એક મોટો મરેલો ઉંદર ફસાયેલો મળ્યો છે, જેને લીધે છેલ્લા બે થી ચાર દિવસથી ગામમાં પાણી ધીમું આવવાની ફરિયાદો મળી રહી હતી.ગામના વિવિધ વિસ્તારોમાં પાણીનો ફોર્સ ઘટી જતાં સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયતને જાણ કરી હતી. પંચાયતે તપાસ હાથ ધરી ત્યારે મુખ્ય લાઇનમાં મરેલો ઉંદર ફસાયેલો હોવાનું ખુલ્યું હતું. સરપંચ મહોબતસિંહ સોલંકીએ જણાવ્યું કે ગામ લોકોની ફરિયાદ બાદ પંચાયતે મુખ્ય લાઇન તપાસી હતી. તપાસ દરમિયાન પીવાના પાણીની મુખ્ય પાઇપમાં એક મોટો મરેલો ઉંદર અટકેલો મળ્યો, જેના કારણે પાણીનો રસ્તો બંધ થયો હતો.આ ઘટનાને પગલે ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થયા છે. લોકોમાં ચર્ચા છે કે પાણીની લાઇન અને તેની સફાઈ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગ્રામજનોનું કહેવું છે કે પાણીની લાઇનની નિયમિત તપાસ થવી જાેઈએ. જાે તપાસ થતી હોત તો આ ન બન્યું હોત એવા પ્રતિભાવો મળી રહ્યા છે.પંચાયતે તરત જ પગલાં લઈ પાઇપલાઇનમાંથી મરેલા ઉંદરને દૂર કરી લાઇનની સફાઈ શરૂ કરી છે. સરપંચે જણાવ્યું કે પંચાયતે તે ઉંદરને બહાર કાઢીને પાઇપ સાફ કરવાનું કામ શરૂ કર્યું છે. ઘટનાના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં લાઇનમાંથી ઉંદર કાઢવાની પ્રક્રિયા સ્પષ્ટ રીતે જાેવા મળે છે.પાણી પુરવઠાની વ્યવસ્થામાં આવી ઘટના સામે આવતા ગ્રામજનોમાં પાણીની ગુણવત્તા અને આરોગ્ય સુરક્ષા અંગે ચિંતાઓ વધી છે. લોકોની માંગ છે કે આવી ઘટના પુનરાવૃત્તિ ન થાય એ માટે પાણીની લાઇનની નિયમિત તપાસ અને યોગ્ય જાળવણી જરૂરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, જુન 2026 2178   |  
કાલુપુરની હોટલમાંથી યુવક અને યુવતી ૧૦.૨૯ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયાં

અમદાવાદ શહેરમાં ડ્રગ્સના વધતા દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ એક્શન મોડમાં છે. તેવામાં કાલુપુર વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે. કાલુપુર રેલવે સ્ટેશનની નજીક ઝકરીયા મસ્જિદની બિલકુલ સામે આવેલી ‘સન્ની હોટલ’ના રૂમ નંબર ૧૦૯માં નશીલા પદાર્થ એમ.ડી. ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાની બાતમીના આધારે  પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે એક મહિલા અને એક પુરુષને લાખોની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર,સબ ઇન્સ્પેક્ટર વી.એ. રાઠોડ અને તેમની ટીમને ખાનગી રાહે એવી ચોક્કસ બાતમી મળી હતી કે દરિયાપુર વિસ્તારનો શખ્સ મોહમ્મદ સાદિક અને તેની સાથે એક મહિલા હોટલમાં માદક પદાર્થ સાથે રોકાયા છે. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળની ટીમના સ્ટાફે ગત મંગળવારે રાત્રે સન્ની હોટલને ઘેરો ઘાલ્યો હતો. હોટલના રૂમ નંબર ૧૦૯નો દરવાજાે ખખડાવતા જ અંદરથી મોહમ્મદ સાદિક ઉર્ફે કાલુ રિયાઝહુસેન અરબ (ઉં.વ. ૩૭, રહે. દરિયાપુર) અને સીમા દિલીપભાઈ હરજાણી (ઉં.વ. ૨૨, રહે. કુબેરનગર) મળી આવ્યા હતા.પોલીસે બે સરકારી પંચોની હાજરીમાં આ બંનેની તલાશી લેતા તેમની પાસેથી પ્લાસ્ટિકની ઝીપ લોકવાળી પારદર્શક થેલીઓ મળી આવી હતી, જેમાં નશીલો પાવડર ભરેલો હતો. એફ.એસ.એલ. અધિકારીને સ્થળ પર બોલાવી પદાર્થનું પરીક્ષણ કરાવતા તે ઘાતક ‘મેફેડ્રોન ડ્રગ્સ‘ હોવાનું સ્પષ્ટ થયું હતું. તપાસ દરમિયાન મોહમ્મદ સાદિક પાસેથી ૮.૮૬ ગ્રામ જેની કિંમત રૂ. ૮૮,૬૦૦ અને સીમા હરજાણી પાસેથી ૧.૪૩ ગ્રામ જેની કિંમત રૂ. ૧૪,૩૦૦ એમ કુલ ૧૦.૨૯ ગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું હતું. આ ઉપરાંત આરોપીઓ પાસેથી બે સ્માર્ટફોન, ૬,૩૩૦ રૂપિયાની રોકડ રકમ અને ડ્રગ્સનું વજન કરવા માટે વપરાતો એક નાનો ઇલેક્ટ્રિક કાંટો પણ મળી આવ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, જુન 2026 2178   |  
એકસાથે ૫૦૦ લોકો બીમાર પડતાં હડકંપ

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં પ્રદૂષિત પાણીના કારણે ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નર્મદાના પીવાના પાણી સાથે ડ્રેનેજનું ગંદુ પાણી મિક્સ થવાથી છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટી અને પેટ સંબંધિત બીમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. માહિતી મુજબ, આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા ૫૦૦થી વધુ લોકો આ બીમારીનો ભોગ બન્યા છે. છેલ્લા ત્રણ દિવસથી અનેક પરિવારોમાં એક પછી એક લોકો બીમાર પડી રહ્યા છે, જેના કારણે સમગ્ર સોસાયટીમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે પ્રદૂષિત પાણી અંગે અગાઉ પણ અનેક વખત સંબંધિત વિભાગોને રજૂઆતો કરવામાં આવી હતી. છતાં સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નહોતા. સ્થાનિકોનું કહેવું છે કે તંત્રની નિષ્ક્રિયતા અને અધિકારીઓની આળસવૃત્તિને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજનું પાણી ભળી જવાના કારણે પાણી પ્રદૂષિત બન્યું હતું. આ પાણીનો ઉપયોગ કરનાર અનેક લોકોમાં ઝાડા, ઉલ્ટી, પેટમાં દુખાવો અને અન્ય આરોગ્ય સમસ્યાઓ જાેવા મળી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં આ સમસ્યાની અસર વધુ જાેવા મળી હોવાનું જણાવવામાં આવ્યું છે. સ્થિતિ ગંભીર બનતા અને મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું. છસ્ઝ્રની મેડિકલ ટીમ તાત્કાલિક આકાંક્ષા એપાર્ટમેન્ટ ખાતે પહોંચી હતી અને આરોગ્ય સંબંધિત તપાસ શરૂ કરી હતી. ટીમ દ્વારા દર્દીઓની સ્થિતિ, પાણીના નમૂનાઓ અને રોગચાળાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.સ્થાનિક લોકોનો આરોપ છે કે પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદો લાંબા સમયથી કરવામાં આવી રહી હતી, પરંતુ અધિકારીઓએ સમયસર ધ્યાન આપ્યું નહોતું. જેના કારણે આજે સેકડો લોકો બીમાર બનવાની પરિસ્થિતિ સર્જાઈ છે. રહેવાસીઓએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી અને સંબંધિત વિભાગોને તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. સાથે જ અસરગ્રસ્ત લોકોને જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી. એએમસી દ્વારા પાણીની લાઇનો, ડ્રેનેજ કનેક્શન અને અન્ય ટેકનિકલ ખામીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રદૂષણનું ચોક્કસ કારણ શોધવા માટે પાણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. સ્થાનિકોમાં હાલ પણ ભય અને અસંતોષનો માહોલ છે. લોકોનું કહેવું છે કે જાે સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર ન પડ્યા હોત. હવે તમામની નજર તંત્ર દ્વારા લેવામાં આવનારા પગલાં અને તપાસના પરિણામો પર છે. આ સમગ્ર ઘટનાએ શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા અને નાગરિક સુવિધાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તંત્ર માટે હવે માત્ર સારવાર પૂરતી નહીં પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે કાયમી ઉકેલ લાવવો પણ એટલો જ જરૂરી બન્યો છે


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, જુન 2026 3366   |  
ઉધના ઝોનનો આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદી ૪૫ હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપાયો

મહાનગર પાલિકાનાં અધિકારીઓ લાંચ લેતાં ઝડપાઇ ચૂક્યા હોવા છતાં લાંચ લેવાની વૃત્તિ ઓછી થતી હોય તેવું જણાતું નથી. લિંબાયત ઝોનનાં ઝોનલ ઓફિસર ગણેશવાલા લાંચ લેતા ઝડપાયા પછી હવે ઉધના ઝોનનાં આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદી આજે ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીનાં અધિકારીઓનાં હાથે ઝડપાઇ ગયો હતો. ઉધના ઝોન વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન નાંખવાનું કામ કરનાર કોન્ટ્રાક્ટરે બિલનાં નાણાં મંજૂર કરવા ઘણાં ધક્કા ખાધા હતાં. આખરે કોન્ટ્રાક્ટરે આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદીનો સંપર્ક સાધી બિલ મંજૂર કરવા વિનંતી કરતા જીજ્ઞેશ મોદીએ ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી પરંતુ રકઝકને અંતે ૪૫,૦૦૦ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી કર્યું હતું. જાેકે, ઈજારદારને રૂપિયા આપવાનું મંજૂર ન હોવાથી તેમણે એસીબી પોલીસનો સહારો લીધો હતો અને એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી આખરે એસીબી પોલીસે લાંચીયા અધિકારીને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. ઉધના ઝોન ઓફિસના ગેટની બહાર જમણી બાજુ રોડ ઉપર જીજ્ઞેશ મોદીએ લાંચની રકમ આપવા માટે જણાવ્યું હતું. જેથી ઈજારદાર પૈસા લઈને જગ્યા પર પહોંચ્યો હતો અને જીજ્ઞેશ મોદીએ ત્યાં આવી લાંચની રકમ સ્વીકારી હતી. આ સાથે જ એસીબી પોલીસે તેમને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.ઉલ્લેખનીય છે કે, હાલમાં રૂપિયા ૪૫ હજારની લાંચ લેતાં ઝડપાયેલો જીજ્ઞેશ મોદી અગાઉ પણ એસીબી પોલીસના હાથમાં પકડાઈ ચૂક્યો છે. વર્ષ ૨૦૨૧માં તે રાંદેર ઝોનમાં આસિસ્ટન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ડ્રેનેજનું જાેડાણની મંજૂરીની કાર્યવાહી માટે રૂપિયા ૧૫ હજારની લાંચ લીધી હતી. આ સમયે પણ ભ્રષ્ટ અધિકારી જીજ્ઞેશ મોદી એસીબીના છટકામાં ભેરવાઈ ગયો હતો. આજે ફરી એકવાર એસીબીના હાથમાં રંગેહાથ ઝડપાતા કોર્પોરેશનમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, જુન 2026 2475   |  
એક વર્ષ પહેલાં ૫૫૧ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કર્યાં પછી સુરત પોલીસ ઉંઘતી હતી ?

આરોગ્ય રાજ્યમંત્રીનાં કાફલા ઉપર ડમ્પરમાંથી માટી પડી અને મંત્રી ગુસ્સે ભરાતાં સુરત પોલીસે એક દિવસ માટે સંખ્યાબંધ હેવીવ્હીકલ્સ પકડીને સપાટો બોલાવી દીધો પણ બીજા દિવસથી જ સુરત શહેરમાં ફરી ડમ્પર સહિતનાં હેવીવ્હીકલ્સ બિન્દાસ્ત દોડતાં થઇ ગયાં છે. સરકારમાંથી ફરમાન આવ્યું અને પોલીસે ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હન્ટ માટે ત્રણ દિવસનું અભિયાન આદર્યું, હજી આ અભિયાન સંપૂર્ણપણે પુરૂ નથી થયું ત્યાં સરકારનું નવું ફરમાન આવ્યું અને પોલીસે બાંગ્લાદેશીઓને શોધવા સર્ચ ઓપરેશન આદરી ૨૬૧ શકમંદ બાંગ્લાદેશીઓને રાઉન્ડ અપ કર્યા છે. સાચુ કહું તો, સુરત પોલીસની કામગીરી આરંભે શૂરા જેવી તો છે જ સાથો સાથ પોલીસ અધિકારીઓનો અભિગમ પણ શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો જ અનુભવાયો છે.જ્યારે જ્યારે સરકાર એટલે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આદેશ આપવામાં આવે એટલે બે-ચાર દિવસ કે વધુમાં વધુ એક પખવાડિયા સુધી પોલીસનું અભિયાન ચાલે ત્યારપછી ફુગ્ગામાંથી હવા નીકળે તેમ કામગીરી ઢીલી પડી જતી જાેવા મળી છે. વ્યાજખોર સામેની ઝૂંબેશ હોય, ડ્રગ વિરોધી અભિયાન હોય કે ગુંડાતત્વોને શોધી શોધીને તેમની સામે કાર્યવાહી કરવાની કામગીરી હોય, સુરત પોલીસે આરંભમાં જાેર બતાવીને વાહવાહી મેળવી લીધાં પછી તે ઝૂંબેશ કે અભિયાનને પડતું મૂકવામાં સ્હેજપણ વાર નથી લગાવી. સુરત શહેરમાં વસતાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ અંગે ગત વર્ષે જૂન મહિનામાં જ સમગ્ર શહેરમાં સર્ચ ઓપરેશન આદરીને ૫૫૧ ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કર્યા હતાં. આખું શહેર ધમરોળી નાંખવામાં આવ્યું અને જેટલાં હતાં તે તમામ બાંગ્લાદેશીઓને વીણી વીણીને ડીપોર્ટ કરી દેવાયાં હોવાની જાહેરાત કરાઇ હતી. હવે એક વર્ષ પછી કેન્દ્રીય ગૃહમંત્રીએ હુંકાર કર્યો એટલે ફરી બાંગ્લાદેશીઓને પકડવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું. એક વર્ષ પહેલાં શહેરનો ખુણે ખુણો ફંફોસીને જેટલાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ હતાં તેમને ડીપોર્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો તો પછી એક વર્ષ પછી ફરી ૨૬૧ શંકાસ્પદ સાથે ૮૪ ગેરકાયદે બાંગ્લાદેશી સુરતમાં મળી આવ્યાં છે તો તેમણે સુરતમાં ઘૂસણખોરી કેવી રીતે કરી, કયા છીંડા સુરતમાં છે તે મહત્વનો સવાલ અહીંયા ઉપસ્થિત થાય છે. આ બધાં મુદ્દા ઉપરાંત નાસિરનગરમાં બિલ્ડરનાં લાભ માટે કરાયેલાં ડીમોલિશનમાં સ્થાનિક પોલીસનો બંદોબસ્ત હોય પરંતુ ડીસીપી નકુમ સહિત એસ.ઓ.જી.ની ટીમની ઉપસ્થિતિ કેમ હતી તે સવાલ પણ ચર્ચાઇ રહ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, જુન 2026 2574   |  
સરકારની ઇચ્છાનુસાર સુરત પોલીસે રાતોરાત ૨૬૧ શંકાસ્પદ બાંગ્લાદેશીને રાઉન્ડ અપ કર્યા

રાજ્ય સરકાર દ્વારા અહીં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી, પકડીને હાંકી કાઢવા માટે એક વર્ષ બાદ ફરી ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત સુરત પોલીસે સરકારની ઈચ્છા અનુસાર રાતોરાત ૨૬૧ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને રાઉન્ડ અપ કર્યા હતાં. આ તમામના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરાયું છે. જેમાં ૩૪ પુરુષ, ૨૯ મહિલા અને ૨૧ બાળકો બાંગ્લાદેશી નાગરિક હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. ૨૮ મે, ૨૦૨૬નાં રોજ ગાંધીનગરનાં સોનીપુરની સભામાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે હુંકાર કર્યો હતો કે, દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. અમીત શાહનાં હુંકાર બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બે દિવસ અગાઉ રાજ્યનાં પોલીસવડા ઉપરાંત સુરત અને અમદાવાદનાં કમિશનર સહિત ટોચના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં અપાયેલી સૂચના અનુસાર સુરત અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂષણખોરોને શોધી કાઢવા ઓપરેશન ડેલ્ટા હંટ હાથ ધરાયું હતું.સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતનાં માર્ગદર્શન હેઠળ એસઓજીનાં ડીસીપી રાજદીપસિંહ નકુમ અને ક્રાઇમ બ્રાન્ચનાં ડીસીપી ભાવેશ રોજીયાએ જુદી જુદી ટીમો બનાવી હતી. ૧૦૦થી વધુ કર્મચારીઓની આ ટીમોએ ઉધના, ભેસ્તાન, ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા, અમરોલી સહિતના વિસ્તારોમાં તપાસ કરી હતી. આખી ચાલેલા તપાસનાં ધમધમાટમાં પોલીસ દ્વારા ૨૬૧ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. આ તમામને અઠવાલાઇન્સ પોલીસ હેડક્વાર્ટર ખાતે એકઠા કરી પૂછપરછ સાથે નિવેદનો નોંધવાનું શરૂ કરાયું હતું, આ તમામ ઘુસણખોરો વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનાં ભાગરૂપે દસ્તાવેજાેની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં ૮૪ વ્યક્તિઓ પાસે તેઓ બાંગ્લાદેશનાં નાગરિક હોવાના પુરાવા મળી આવ્યા હતાં. જેમાં ૩૪ પુરૂષ, ૨૯ મહિલા અને ૨૧ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ કમિશનર ગહલૌતે આ અંગે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળની સરહદથી ઘુસણખોરી કરનારા આ બાંગ્લાદેશી નાગરિકો મોટા ભાગે પશ્ચિમ બંગાળમાં જ બોગસ દસ્તાવેજાે બનાવીને ગુજરાત સહિત દેશના અલગ અલગ શહેરોમાં વસવાટ કરી રહ્યા હતા. આ તમામ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોનાં આધાર કાર્ડ -પાનકાર્ડ અને વોટર આઈડી સહિતનાં દસ્તાવેજાેની હાલમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ડ્રગ્સ અને હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવણી પોલીસની ભીંસ વધતાં વિસ્તાર બદલ્યો કમિશનર અનુપમસિંહે જણાવ્યું હતું કે, રાજ્યનાં આર્થિક પાટનગર ગણાતા સુરતનાં ઉન, ભેસ્તાન, પાંડેસરા, ઉધના, સચિન અને અમરોલી કોસાડ સહિત વિવિધ વિસ્તારોમાં ઓળખ છુપાવીને વસવાટ કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસતી જાેવા મળી છે. ગત વર્ષે પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવા વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. એ અભિયાન બાદ બાંગ્લાદેશીઓએ રહેણાંક વિસ્તાર બદલી નાંખ્યો છે. હવે અમરોલી કોસાડ વિસ્તારમાંથી વધુ બાંગ્લાદેશી મળ્યા છે. ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો હ્યુમન ટ્રાફિકિંગ અને ડ્રગ્સનાં વેપલામાં સંડોવાયેલા હોવાની પણ જાણકારી મળી છે. બાંગ્લાદેશથી યુવતીઓને રોજગારની વાતે ભોળવી અહીં લાવ્યા બાદ દેહવિક્રય સહિતના ગોરખધંધા કરાવાય છે. બોર્ડર ક્રોસ કરાવવાથી માંડી કાયદેસરનું કામ અપાવવા કે ગેરકાનૂની કામ કરાવવા સુધી એજન્ટનું નેટવર્ક સક્રિય છે. આ નેટવર્ક અંગે પણ ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. મોટાભાગનાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે ભારતીય નાગરિક હોવાના પુરાવા મળ્યાં બાંગ્લાદેશી ઘૂસણખોરો અહીં આવ્યા બાદ પહેલું કામ ભારતીય નાગરિકત્વનાં પુરાવા ઉભા કરવાનું કરે છે. આ માટે ચોક્કસ એજન્ટ કહો કે ટોળકી કાર્યરત છે. આ ટોળકી બે થી પાંચ હજાર રૂપિયા લઇ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી આપે છે. બંગાળનાં અંતરિયાળ ગામડાઓની શાળાનાં બોગસ એલસી જન્મ સ્થળ અને તારીખનાં પુરાવારૂપે બનાવી અપાય છે. ત્યારબાદ ઓનલાઇન પ્રક્રિયાનાં છીંડા શોધી તદ્દન ખોટી રીતે આઇડી પ્રૂફ બનાવી દેવામાં આવ્યા બાદ વોટર આઇડી કાર્ડ પણ બનાવી દેવામાં આવતા હોવાનું વખતો વખત પોલીસ તપાસમાં બહાર આવી ચૂક્યું છે. આઇડી પ્રુફ બનાવી લીધા બાદ તેના આધારે ડ્રાઇવિંગ લાયસન્સથી માંડી બેંક એકાઉન્ટ પણ તેઓ ખોલાવી દે છે. બાંગ્લાદેશી નાગરિક તરીકે પોલીસ પકડે ત્યારે તેઓ પોતાની પાસેનાં આધારકાર્ડ બતાવી દે છે. જાે એ વ્યક્તિ પાસે બાંગ્લાદેશી નાગરિક હોવાનું કોઈ ડોક્યુમેન્ટ મળે તો જ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાય છે. જાે માત્ર ભારતીય નેશનલ આઇડી મળે તો કાર્યવાહીમાં કાનૂની બાધ આવી જાય છે. હાલ પણ પોલીસે જેમને બાંગ્લાદેશી તરીકે પકડ્યા છે, એમાંથી મોટાભાગનાં પાસે ભારતીય નાગરિક હોવાના ઉભા કરાયેલા પુરાવા છે. પોલીસ હાલ આ આઇડીનું વેરિફિકેશન કરી રહી છે. આ નાગરિકો પાસે બાંગ્લાદેશનું નેશનલ આઇડી કાર્ડ મળે તો જ તેઓ ત્યાંનાં નાગરિક હોવાનું સત્તાવાર રીતે જાહેર કરી તેમને ડીપોર્ટ કરવા કાયદેસર કાર્યવાહી કરી શકાય છે. જાે એ આઇડી ના મળે તો બાંગ્લાદેશ સરકાર તેમને પોતાના નાગરિક તરીકે સ્વીકારતી નથી. આ રીતે ઘૂસણખોરોને બાંગ્લાદેશી પુરવાર કરી દેશનિકાલની કાર્યવાહીમાં પોલીસને નવનેજા પાણી ઉતરે છે. જાે કે, હવે ડીપોર્ટેશનની પ્રક્રિયા હળવી પરંતુ ઝડપી બનાવી દેવાઇ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
02, જુન 2026 2871   |  
બારડોલી નજીક મહારાષ્ટ્રની બે એસટી બસ વચ્ચે અકસ્માતમાં સાતનાં મોત

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં મંગળવારે સાંજે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર બારડોલી નજીક આવેલા ઉવા ગામ પાસે ટેંકરને કારણે મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસટી બસો વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ૭ મુસાફરોના કરુણ મોત થયા છે, જ્યારે ૪૨ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી ૭ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં વધુ સારવાર માટે સુરત ખસેડાયા છે.મંગળવારે સાંજે આશરે ૪:૩૦ વાગ્યાના સમયગાલામાં બારડોલી તાલુકામાં આવેલા ઉવા ગામ નજીક એક બસ ટેંકર સાથે અથડાઈ હતી ત્યારબાદ બીજી બસ તેની સાથે અથડાઈ હતી. બંને બસ મહારાષ્ટ્ર પાસિંગની હતી. માર્ગ પર પલટી મારી ગયેલા એક ટેંકરને બચાવવાના પ્રયાસ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એક બસમાં અચાનક આગ ફાટી નીકળતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસનો મોટો ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં કલેક્ટર તેજસ પરમાર એસડીએમ, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
02, જુન 2026 2673   |  
૪ મહિનાનાં દીકરાને એસીડ પીવડાવી મારી નાંખ્યા બાદ જનેતાએ પણ આપઘાત કર્યો

શહેરનાં સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સરથાણાનાં યોગી ચોક પાસે આવેલી એવન હાઇટ્સમાં રહેતી એક ૨૯ વર્ષીય પરિણીતાએ પોતાના માત્ર ૪ મહિનાનાં માસૂમ દિકરાને એસિડ પીવડાવી હત્યા કર્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ચાર વર્ષથી મગજની આંચકીથી પીડાતી પરિણીતાએ પ્રસુતિ બાદ માનસિક તબિયત લથડવાના કારણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.સરથાણા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર યોગીચોક વિસ્તારમાં આવેલા એવન હાઇટ્સમાં મનિષ કોટડિયા તેમના પરિવાર સાથે રહે છે. મૂળ અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાનાં વતની મનિષે દોઢેક વર્ષ અગાઉ ૨૯ વર્ષીય ધારા સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન અગાઉથી ધારા મગજની આંચકીની બીમારીથી પિડાતી હતી. જાે કે, રોજબરોજનાં જીવનમાં તેણીને કોઇ સમસ્યા ન હોવાથી મનીષે લગ્ન કર્યા હતાં. મનીષ સાથેના દાંપત્ય જીવનમાં ધારા ગર્ભવતી બની અને ચાર મહિના પહેલાં જ તેણે એક સ્વસ્થ દિકરાને જન્મ આપ્યો હતો. પતિ-પત્ની દ્વારા તેમનાં પુત્રનું નામ રિશાન રાખવામાં આવ્યું હતું. ઘરમાં દિકરાનું આગમન થતાં ખુશીનો માહોલ હતો. જાે કે, પ્રસૂતિ બાદ ધારા પોસ્ટપાર્ટમ ડીપ્રેશનમાં આવી ગઇ હતી. આ અંગે તબીબોની સલાહ અનુસાર તેની સારવાર પણ શરૂ કરાઈ હતી. જાે કે, પ્રસૂતિ બાદ તેની તબિયત સતત લથડના માંડતાં પરિવાર પણ ચિંતામાં મૂકાયો હતો. હતો. માનસિક તણાવ એટલો વધી ગયો હતો કે છેલ્લા બે-ત્રણ દિવસથી ધારાએ જમવાનું પણ છોડી દીધું હતું અને તે ભારે ડીપ્રેશનમાં હોવાનું દેખાઈ આવતું હતું. સોમવાર, પહેલી જુને સાંજનાં સમયે ધારા પોતાના ૪ મહિનાનાં માસૂમ દિકરા રિશાનને તેડીને સોસાયટીનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ હતી. ત્યાં આવેલા શૌચાલયમાં જઈને તેણીએ માસૂમ રિશાનને એસીડ પીવડાવી દીધું હતું. ત્યારબાદ ધારાએ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. આ અંગે જાણ થતાં જ આસપાસનાં લોકો અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ માસૂમ બાળક અને માતા બંનેનાં મોત નીપજ્યા હતાં. માતા અને ૪ મહિનાનાં માસૂમ બાળકના એક સાથે મોતને પગલે પરિવારજનોનાં આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે મનિષ કોટડિયાની ફરિયાદ લઇ ધારા કોટડિયા સામે દિકરાની હત્યા કરી પોતે આપઘાત કર્યાનોગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તકેદારી ન રખાતાં પ્રસૂતિ બાદનું ડિપ્રેશન ઘાતક સાબિત થાય છે પ્રસૂતિ બાદનું ડિપ્રેશન એ બાળકના જન્મ પછી ઘણી માતાઓને થતી ગંભીર માનસિક સ્થિતિ છે. આ ‘બેબી બ્લૂઝ’ કરતાં અલગ અને લાંબા સમય સુધી રહે છે. ડિલિવરી પછી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નું લેવલ એકદમ ઘટી જવાના સંજાેગોમાં એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે જેમાં પ્રસૂતા સતત ઉદાસી અનુભવે છે, તેનામાં ચીડિયાપણું આવી જાય છે. બાળક સાથે લાગણી બાંધી શકતી નથી. આવી સ્થિતિમાં પ્રસૂતા ખૂબ થાક અનુભવે, ઊંઘ ન આવવી અથવા ખૂબ ઊંઘ આવવી, એકાગ્રતા ન રહેવી, ર્નિણય ન લઈ શકવો, પોતાને નકામી કે ખરાબ મા સમજી પોતાને કે બાળકને નુકસાન પહોંચાડવાના વિચારોથી ઘેરાઈ જાય છે. પ્રસૂતા ગર્ભાવસ્થા પહેલાથી કોઇ ગંભીર બીમારીથી પિડાતી હોય, આ બીમારીને લઇ તે તાણ અને લાચારી અનુભવતી હોય ત્યારે પ્રસૂતિ બાદના ડિપ્રેશનની શક્યતા અને ગંભીરતા વધી જાય છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution