આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, માર્ચ 2026
2178 |
ઉનાના ચકચારી દલિતકાંડમાં ૫ આરોપી દોષિત, દાયકા બાદ સેશન્સ કોર્ટનો ચુકાદો
ઉના , ૧૧ જુલાઈ ૨૦૧૬ના દિવસે સૌરાષ્ટ્રના ઉનાના મોટા સમઢીયાળા ગામે અનુસૂચિત જાતિના લોકો પશુનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે કેટલાક ગૌસેવકો પહોંચ્યા હતા અને મૃત પશુ ગાય છે અને ગૌહત્યા કરી છે, તેવો આરોપ મૂકીને અનુસૂચિત જાતિના ચાર લોકોને કાર પાછળ બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. રાષ્ટ્રીય સ્તરે ચગેલા આ મુદ્દામાં દસ વર્ષ પછી ચૂકાદો આવ્યો છે. ઉનાના ચર્ચિત દલિતકાંડ કેસમાં આજે (૧૬ માર્ચ ૨૦૨૬)ના રોજ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં ૫ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે અન્ય ૩૮ વ્યક્તિઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ૨૦૧૬ની ૧૧ જુલાઈએ ઉનાના સમઢીયાળા ગામે કથિત ગૌરક્ષકો દ્વારા ૪ અનુસૂચિત જાતિના યુવાનોને માર માર્યો હતો અને અર્ધનગ્ન કરીને ઝાયલો ગાડી પાછળ બાંધી ઉનામાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ ચૂકાદા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેસની શરૂઆતમાં નોંધાયેલી હ્લૈંઇમાં અનેક આરોપીઓના નામ સામેલ હતા. જાેકે, ૧ દાયકા સુધી ચાલેલી કોર્ટ કાર્યવાહી, સાક્ષીઓની જુબાની અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે ૫ શખસને ગુનામાં સંડોવાયેલા ગણી દોષિત જાહેર કર્યા છે.દોષિત ઠરેલા આરોપીઓની યાદી: રમેશ જાદવ, રાકેશ જાેશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા, બળવંત ગોસ્વામી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, માર્ચ 2026
3762 |
ગરીબ પરિવારોને કેરોસીનનો જથ્થો ફાળવાશે
ગાંધીધામ, ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના હાલમાં વિશ્વસ્તરે પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય (જીઓ-પોલિટિકલ) પરિસ્થિતિને કારણે ઊર્જા પુરવઠા પર ઉભા થયેલા જાેખમોને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૧૪૫૨ કેએલ (હજાર લિટર) કેરોસીનનો એડહોક (છઙ્ઘ-ર્રષ્ઠ) જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા (કૂકિંગ) અને પ્રકાશ (લાઇટિંગ) માટે કરવાનો રહેશે એમ અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક યાદી પ્રસિદ્ધ કરીને જણાવાયુ છે. રાજ્યના આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારના અંત્યોદય તથા પીએચએચ પરીવારોને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જેની કાર્યપધ્ધતિ આ મુજબ રહેશે. કેંન્દ્ર સરકારે ફાળવેલ ૧૪૫૨ કેએલ માથી દરેક જિલ્લામાં કલેક્ટર હસ્તક ૩૬ કેએલ (૩૬ હજાર લીટર)ની ફાળવણી કરવામા આવશે. ઉપરોક્ત કેરોસીનના જથ્થામાંથી પરિવાર દીઠ ૫ (પાંચ) લીટર તથા સંસ્થા દીઠ ૨૫ (પચ્ચીસ) લીટર ફાળવણી કલેક્ટર કરી શકશે. આ જથ્થો ૧૨ હજાર લીટરના ગુણાંકમાં કલેક્ટર દ્વારા ડિમાન્ડ મોકલી ઉપાડ કરવાનો રહેશે. કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ પર દેખરેખ રાખવાનુ રહેશે. કેરોસીનના વિતરણમાં પણ આ મુજબના લોકોને પ્રાથમિકતા આપવાની રહેશે. ગ્રામીણ પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લાભાર્થીઓ. શાળા હોસ્ટેલોમાં રહેતા બાળકો અને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓ. રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અન્નક્ષેત્રો અને અન્ય સેવાકીય સંસ્થાઓ. બાંધકામ કે ઔદ્યોગિક એકમોમાં કાર્યરત મજૂર વર્ગની ભોજન તૈયારીના હેતુ માટે. અન્ય સરકારી કે ખાનગી સામાજિક સંસ્થાઓ જે બળતણ માટે સંપૂર્ણપણે એલપીજી પર આધારિત છે. આ ઉપરાંત રાજ્યના નાગરિકોને સાંપ્રત પરિસ્થિતિમાં આ મુજબના સૂચનો કરાયા છે. જેમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ તથા એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારમાં ૨૫ દિવસ તથા ગ્રામીણ વિસ્તારમાં ૪૫ દિવસનુ અંતર રાખવા બાબતની સૂચના બહાર પાડેલ છે. જેથી ગ્રાહકો દ્વારા બિનજરૂરી ઓનલાઇન બુકિંગ માટે પ્રયત્ન કરવામાં ન આવે જેથી સર્વર પરનો લોડ ઘટાડી શકાય. રાંધણ ગેસનો બચાવ કરવા બને ત્યા સુધી કુકરનો ઉપયોગ, કઠોરને પલાળીને તેને બાફવા જેવી બાબતો તેમજ વૈકલ્પિક ઉજાસ્ર્ત્રાેત તરીકે સોલર કુકર વિગેરેનો ઉપયોગ હિતાવહ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, માર્ચ 2026
2970 |
સુરતમાં ૧૦ હજાર વીવિંગ યુનિટની હાલત કફોડી રાજ્યમાંં બ્રાસ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સેવા ઠપ
જામનગર, સુરત, સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક શહેરો જામનગર અને મોરબી હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ જામનગરમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે કાચા માલની આયાત અટકી છે, તો બીજી તરફ મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પૈડાં થંભી ગયા છે, જેના કારણે હજારો પરિવારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે. જ્યારે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર યુદ્ધની અસર જાેવા મળી રહી છે. સ્ટીમની મદદથી ચલાવાતા ૧૦હજારથી વધારે પાવરલૂમ્સને ગેસ નહીં મળતા આ યુનિટ્સ ડગુમગુ થવા માંડ્યા છે.જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ભંગારની આયાત પર મોટી બ્રેક લાગી છે. આ અંગે જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના તણાવને પગલે દરિયાઈ માર્ગે આવતા ભંગારના કન્ટેનરો અધવચ્ચે ફસાઈ ગયા છે. જામનગરનો ઉદ્યોગ ૭૦ ટકા આયાતી ભંગાર પર ર્નિભર છે અને દરરોજ અંદાજે ૬૦૦ થી ૭૦૦ ટન કાચા માલની જરૂરિયાત હોય છે. હાલ બંદરો પર પડેલા સીમિત જથ્થાના સહારે ઉદ્યોગ માંડ ચાલી રહ્યો છે, જાે પરિસ્થિતિ સુધરશે નહીં તો કારખાનાઓ સંપૂર્ણપણે બંધ થવાની દહેશત છે.બીજી તરફ, મોરબીમાં ગેસની અછતને કારણે સિરામિક એકમોમાં શટડાઉન આવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની હાલત કફોડી બની છે. મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે, અગાઉ જે મોરબીમાં દરરોજ ૭,૦૦૦ થી ૮,૦૦૦ ટ્રકની અવરજવર રહેતી હતી, તે ઘટીને માત્ર ૨૦૦ જેટલી થઈ ગઈ છે. સિરામિક ફેક્ટરીઓ બંધ હોવાથી કાચા માલની આવક અને તૈયાર માલની જાવક ઠપ્પ થતા અંદાજે ૧૬,૦૦૦ જેટલા ડ્રાઈવર અને ક્લીનરો બેરોજગાર બન્યા છે. ગુરુવારે સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આયોજિત ‘કોઓપરેટિવ કોન્ક્લેવ ‘૨૬’ માં હાજરી આપવા આવેલા ૈંહ્લહ્લર્ઝ્રં અને ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યુ હતું કે, સમુદ્રી માર્ગાે પ્રભાવિત થવાને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગેસની કટોકટી ઉભી કરી છે.કોમર્શિયલ ગેસ ન મળવાને કારણે નાના વેપારીઓને પડતી મુશ્કેલી અંગે તેમણે ટકોર કરી હતી કે, આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું? જ્યા સુધી વૈશ્વિક સ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી સહિયારા પુરુષાર્થથી આ સ્થિતિનો સામનો કરવો પડશે.બીજી તરફ, ગેસની આ અછતને કારણે સુરતમાં ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે ૧૦,૦૦૦ જેટલા વીવિંગ યુનિટ્સ હાલ સીધા અસરગ્રસ્ત બન્યા છે. હાઈ-ક્વોલિટી કાપડના ઉત્પાદન માટે ૧૨૦૦ વધુ સ્પીડ ધરાવતા મશીનો પર યાર્નને ગરમી (સ્ટીમ) આપવી અનિવાર્ય હોય છે, જે પ્રક્રિયા ગેસના અભાવે અટકી પડી છે. ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અને વિવર અગ્રણી ચેરમેન અશોક જીરાવાલાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં કાર્યરત ૫૫,૦૦૦ વીવિંગ યુનિટ્સ પૈકી અંદાજે ૩૦% એકમો એવા છે જ્યાં ગેસની મદદથી સ્ટીમ આપવી ફરજિયાત છે. ગેસના ઠપ્પ થયેલા પુરવઠાને કારણે આ એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે, જે આગામી સમયમાં મોટા આર્થિક નુકસાનના સંકેત આપી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, માર્ચ 2026
4851 |
દીવમાં ગરમીએ તોડ્યો ૧૦૦ વર્ષનો રેકોર્ડ: ૪૧.૩ ડિગ્રી તાપમાન નોંધાયું
દીવ, હવામાન વિભાગે માર્ચથી કાળઝાળ ગરમીના સંકેત આપ્યાં છે. ગુજરાત સહિતના રાજ્યોમાં માર્ચની શરૂઆતથી ભીષણ ગરમી પડી રહી છે. દીવમાં માર્ચની શરુઆતથી જ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. દીવમાં માર્ચ મહિનામાં ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે દીવમાં નોંધાયું હતું ૪૧.૩ ડિગ્રી તાપમાન. અગનભઠ્ઠીમાં શેકાવા માટે તૈયાર થઈ જજાે. હવામાન વિભાગે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. રાજકોટ-સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, બનાસકાંઠા, પાટણમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં આજે ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ભરૂચ, અમદાવાદ, જામનગર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, આ વર્ષે ગરમી સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની શક્યતા છે. માર્ચ મહિનો સરેરાશ કરતાં વધુ ગરમ રહેવાની ધારણા છે, જ્યારે એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં વધઘટ જાેવા મળી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં વંટોળ તોફાનની અપેક્ષા છે, ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે. મંગળવારે ૪૨ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં ૪૧.૨ ડિગ્રી તો ગાંધીનગરમાં ૪૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ નોંધાયું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, માર્ચ 2026
4455 |
દેશમાં ક્રાઇમ રેટમાં ગુજરાતનો ક્રમ ૨૭મો હોવાનો ગૃહરાજ્ય મંત્રીનો વિધાનસભામાં જવાબ
ગાંધીનગર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા છેલ્લા બે વર્ષમાં ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ શહેર/જિલ્લામાંથી કેટલી મહિલા અને બાળકો ગુમ થયાની ફરિયાદો મળી છે? તે અન્વયે કેટલી મહિલાઓ અને બાળકો પરત મળ્યા? અને ગુમ થયેલ કેટલી મહિલાઓ અને બાળકોને શોધવાના બાકી છે? જેના જવાબમાં દેશમાં ક્રાઇમ રેટમાં ગુજરાતનો ક્રમ ૨૭મો છે, જે ઘણી સારી બાબત છે તેમ ઉપમુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આ સવાલના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, એક પરિવાર માટે તેમનું બાળક જીવનની મૂડી સમાન હોય છે. આવા નાના બાળકો વિખુટા પડે, ત્યારે તેમના પરિવાર પર આભ ફાટી પડે છે. આ વિષયની ગંભીરતાને ધ્યાને રાખીને ગુજરાતનું પોલીસ તંત્ર ગુમ થયેલા બાળકો અને મહિલાઓના કિસ્સામાં અત્યંત સંવેદનશીલતા અને ત્વરિતતાથી કામગીરી કરી રહ્યું છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. રાજ્ય સરકારની સફળતા વર્ણવતા મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્રની સતર્કતાના પરિણામે જૂનાગઢ અને ગીર સોમનાથના ગુમ થયેલા બાળકોને શોધવામાં મોટી સફળતા મળી છે. છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં ૧૫૨ બાળકો અને ગીર સોમનાથ જિલ્લામાં ૪૬ બાળકો ગુમ થયાની ફરિયાદ મળી હતી. પોલીસ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તમામ ૪૬ બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. તેવી જ રીતે, જૂનાગઢ જિલ્લાના પણ ૧૫૦ બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે, અન્ય ૨ બાળકોની શોધખોળ હાલમાં ચાલી રહી છે. મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ ગુમ થાય ત્યારે શરૂઆતના ૨૪ કલાકને ‘ગોલ્ડન અવર્સ’ ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ફરિયાદ દાખલા કરવામાં આવે તો, પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઝ્રઝ્ર્ફ ફૂટેજની તપાસ, સોશિયલ મીડિયાનો ઉપયોગ, મોબાઈલ ઝ્રડ્ઢઇ ટ્રેકિંગ તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને હાઈવે પર નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે.આ ઉપરાંત બાળકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવવા માટે ભારત સરકારના ‘મિશન વાત્સલ્ય પોર્ટલ’નો પણ ગુજરાત દ્વારા અસરકારક ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ બિનવારસી બાળક મળી આવે, ત્યારે તેનો ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે, જે સિસ્ટમ આપમેળે ગુમ થયેલા બાળકોના ડેટા સાથે મેચ કરે છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. અમદાવાદમાં એમએસએમઇ ક્ષેત્રમાં ૨,૮૪૪ નવા એકમો દ્વારા કુલ રૂ. ૫૬૧૯.૮૦ કરોડનું નવું મૂડીરોકાણ થયું ગુજરાત સરકાર દ્વારા આર્ત્મનિભર ગુજરાત યોજના હેઠળ અમદાવાદ જિલ્લાના ૩,૨૮૩ એમએસએમઇ એકમોને રૂ. ૬,૨૮૩ લાખથી વધુ વ્યાજ સહાય ચૂકવાઈ છે તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામિતે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં ૫.૮૫ લાખ સૂક્ષ્મ, ૧૩,૦૨૯ લઘુ અને ૧,૨૧૮ મધ્યમ એકમો મળી કુલ ૫.૯૯ લાખથી વધુ એમએસએમઇ એકમો નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં એમએસએમઇ ક્ષેત્રમાં ૨,૮૪૪ નવા એકમો દ્વારા કુલ રૂ. ૫૬૧૯.૮૦ કરોડનું નવું મૂડીરોકાણ થયું હોવાનું પણ ઉદ્યોગ રાજ્ય મંત્રી જયરામ ગામિતે જણાવ્યું હતું. ધોરડોમાં છેલ્લા બે વર્ષમાં લાઈટ એન્ડ સાઉન્ડ પાછળ ૬.૭૪ કરોડ રૂપિયા થી વધુ નો ખર્ચ કરાયો : જયરામ ગામિત કચ્છના ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા સવાલ કરાયો હતો કે, છેલ્લા બે વર્ષમાં ધોરડો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડની કોઈ કામગીરી કરવામાં આવેલ છે કેમ? જાે હા, તો આ કામગીરી પાછળ કેટલી રકમનો ખર્ચ થયેલ છે અને સદર કામગીરીમાં ક્યાં કમ્પોનન્ટનો સમાવેશ કરાયો છે? આ સવાલના જવાબમાં પ્રવાસન રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામિતે જણાવ્યું હતું કે, ધોરડો ખાતે છેલ્લા બે વર્ષમાં લાઇટ એન્ડ સાઉન્ડ અંગેની કામગીરી કરાઇ છે. જેના પાછળ બે વર્ષમાં રૂ. ૬ કરોડ, ૭૪ લાખ ૯૫ હજાર અને ૭૮૫ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, માર્ચ 2026
1683 |
વડોદરામાં ટેન્કરથી પાણી વિતરણ,એક વર્ષમાં ૩ કરોડનો ખર્ચ!
આકરા ઉનાળામાં ગરમીની શરૂઆત થતાજ શહેરમાં પાણીની બૂમો ઉઠવા લાગે છે તો બીજી તરફ છેલ્લા એક વર્ષમાં પાણીનાં ટેન્કર માટે અંદાજીત ૩ કરોડ ખર્ચાયા હોવાનું અધીકારી કહે છે .. ત્યારે પાણી વિતરણ પાછળ થતો કરોડો નો ખર્ચ અને વડોદરા શહેરનાં નાગરિકોને પાણીની સમસ્યા ને સમજવી જરૂરી છે કેવી રીતે આવશે પાણીની સમસ્યાનો અંત, ક્યારે કરોડનાં ટેન્કર ખર્ચા થશે બંધ, પાણી માટે તંત્રની વ્યવસ્થાનો જુઓ આ ખાસ એહવાલ. શરૂ થયો છે આકરો ઉનાળો, વધી રહ્યો છે અસહ્ય ગરમીનો પારોકેટલાક વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યા, તો ક્યાંક એક ટીપુ પાણી નથી આવતું કરોડોનાં ખર્ચા કરી નાગરિકોને ટેન્કરથી પાણી પંહોચાડતું તંત્ર!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ધાર્મિક
08, માર્ચ 2026
5148 |
Bharuch નીJumma Masjid માં મહિલાઓએ કરી પૂજા? Viral video થી મોટો વિવાદ | ચક્રધર સ્વામી જન્મભૂમિનો દાવો
ભરૂચની સદીઓ જૂની જુમ્મા મસ્જિદ ફરી એક વખત વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેટલીક મહિલાઓ ફૂલ અને શ્રીફળ ચઢાવી પૂજા કરતી જોવા મળતાં સમગ્ર ગુજરાતમાં ચર્ચા શરૂ થઈ છે. આખરે આ મહિલાઓ કોણ છે? શું ખરેખર તેમણે મસ્જિદની અંદર પૂજા કરી હતી કે પછી બહાર? અને આ ઘટનાના પાછળનું સાચું સત્ય શું છે? મીડિયા અહેવાલો મુજબ આ મહિલાઓ મહારાષ્ટ્રના મહાનુભાવ પંથની અનુયાયી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ પંથના અનુયાયીઓનો દાવો છે કે જ્યાં આજે ભરૂચની જુમ્મા મસ્જિદ આવેલી છે તે સ્થળ સ્વામી ચક્રધરનું જન્મસ્થળ છે. તેમના ધાર્મિક ગ્રંથોમાં આ સ્થળનો ઉલ્લેખ હોવાનો દાવો પણ કરવામાં આવે છે. બીજી તરફ મુસ્લિમ સમાજ આ દાવાને સંપૂર્ણપણે નકારી રહ્યો છે અને આ ઘટનાને લઈને પોલીસમાં કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઇતિહાસકારોના કેટલાક મતે ભરૂચની જુમ્મા મસ્જિદનું બાંધકામ 14મી સદીમાં થયું હતું અને તેની આર્કિટેક્ચરમાં કેટલાક એવા થાંભલા અને કોતરણીઓ જોવા મળે છે જે હિંદુ અથવા જૈન મંદિરની શૈલી જેવી લાગે છે. કેટલાક લોકો માને છે કે મસ્જિદનું બાંધકામ કદાચ પ્રાચીન મંદિર અથવા જૈન મંદિરના અવશેષોથી કરવામાં આવ્યું હશે, પરંતુ આ મુદ્દે ઇતિહાસકારોમાં સંપૂર્ણ એકમત નથી. આ સમગ્ર મામલે ભરૂચ પોલીસ સતર્ક બની ગઈ છે અને મસ્જિદની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. કારણ કે આ સ્થળ **ASI (Archaeological Survey of India)**ના સંરક્ષણ હેઠળ આવેલું ઐતિહાસિક સ્મારક છે, જ્યાં ધાર્મિક પ્રવૃત્તિ માટે ખાસ નિયમો લાગુ પડે છે. તો આખરે ભરૂચની જુમ્મા મસ્જિદનો સાચો ઇતિહાસ શું છે? શું અહીં ક્યારેક મંદિર હતું? વાયરલ વીડિયોમાં દેખાતી ઘટના પાછળનું સત્ય શું છે? અને શું આ મુદ્દો ભવિષ્યમાં મોટો કાનૂની અથવા ધાર્મિક વિવાદ બની શકે છે? આ વિડિયોમાં અમે ભરૂચ જુમ્મા મસ્જિદ વિવાદ, મહાનુભાવ પંથનો દાવો, વાયરલ વીડિયોની સચ્ચાઈ અને ઐતિહાસિક તથ્યોને વિગતવાર સમજવાનો પ્રયાસ કરીશું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ફેબ્રુઆરી 2026
4752 |
હથોડીથી માથુ છૂંદી પત્નીની હત્યા કરનાર વૃદ્ધ એન્જિનિયર ઝડપાયો
સુરત, અડાજણનાં સન રેસિડન્સીમાં ભરબપોરે હથોડાથી માથું છૂંદી પત્નીની હત્યા કરનાર વૃધ્ધની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર આનંદ મહલ રોડ ઉપર સન રેસિડેન્સીમાં ૬૪ વર્ષી દિનેશ પરસોત્તમ પટેલ સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. આણંદના વિદ્યાનગરના વતની દિનેશભાઇને સંતાનમાં બે દિકરા કૃણાલ અને વિદિત છે. શુક્રવારે બપોરે દિનેશભાઈએ તેમના ૫૪ વર્ષીય પત્ની તૃપ્તિબેનને ઊંઘમાં માથામાં હથોડાથી ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ દિનેશ પટેલે મોટા પુત્ર કૃણાલને કોલ કરી મેં તારી માને પતાવી દીધી છે એમ કહ્યુ હતું. ત્યારબાદ દિનેશ પટેલે કોલ રિસિવ કર્યા ન હતાં. પિતાના આ કોલ બાદ કૃણાલે તેના ભાઈ વિદિતને ફોન કર્યો અને બંને ઘરે પહોંચ્યા હતાં. વિદિતે ઘરે પહોંચી દરવાજાે ખોલતા માતાની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. જેને પગલે અડાજણ પોલીસમાં જાણ કરાઈ હતી. ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે કૃણાલની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. પત્નીની હત્યા કરી ફરાર થઇ ગયેલા દિનેશ પટેલને શોધી કાઢવા પોલીસે તેમનો મોબાઇલ ફોન ટ્રેસ કરવા માંડ્યો હતો. જેમાં મોડી રાત્રે તેનું લોકેશન ડુમસ રોડ વીઆર મોલ આસપાસનું આવ્યું હતું. જેથી પોલીસે એ વિસ્તારમાં તપાસ કરી દિનેશ પટેલને પકડી પાડયો હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં દંપત્તિ વચ્ચે નાની-નાની વાતે ઝઘડા થતા હતા. કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી દીધી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ફેબ્રુઆરી 2026
5346 |
VMC સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ રજૂ કર્યું પાલિકાનું સરવૈયું
VMC સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ રજૂ કર્યું પાલિકાનું સરવૈયું મારા કાર્યકાળ દરમિયાન VMCના ત્રણ બજેટ રજૂ કરવાની તક મળી : ચેરમેન ગત વર્ષ દરમિયાન વડોદરા પાલિકા દ્વારા અંદાજે રૂ.1550 કરોડના ચૂકવણા કરાયા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નદીની જળવહન ક્ષમતામાં 40 થી 50 ટાકનો વધારો થયો જરૂરિયાતોને ધ્યાને રાખી પીવાના પાણીના નવા સ્ત્રોતો ઊભા કરવાનું આયોજન વડોદરા સાચા અર્થમાં ગ્રીન બને તે માટે વૃક્ષારોપણનું ખાસ આયોજન વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષમાં 1.28 લાખ વૃક્ષોનું કરાયું છે વાવેતર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ફેબ્રુઆરી 2026
6336 |
Saurashtra Gujarat માં ખેતીની જમીન અને કાયદાની કસોટી,Saurashtra Gharkhed વટહુકમમાં ઐતિહાસિક ફેરફાર !
આ વિધેયક દ્વારા સરકારે સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ,1949ની કલમ 75 અને 75Aમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો છે.હવે આ સુધારો મંજૂરી માટે ગુજરાતના રાજ્યપાલને મોકલી આપવામાં આવશે અને જો તેને મંજૂરી મળી જશે તો તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.ત્યાર બાદ સરકાર આ સુધારાઓનું અમલીકરણ કઈ રીતે કરવું તેના નિયમ ઘડશે અને તેને જાહેર કરશે એટલે રીતે કલમ 75 અને 75Aમાં સુધારા અમલી બનશે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, માર્ચ 2026
2475 |
કમોસમી વરસાદ: રાજ્યના ૨૬ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં થોડા દિવસથી ગરમીમાં આંશિક રાહત મળી રહી છે. તો આજે સવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગે આજે બપોરે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. ગુરુવારે એટલે કે, ૧૯મી માર્ચના રોજ એક કે બે નહીં પરંતુ ૨૬ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આજે આપેલી માહિતી પ્રમાણે, ૧૮ માર્ચના બુધવારના રોજ કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. જ્યારે ૧૯ માર્ચે ગુરુવારના રોજ ૨૬ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુરુવારના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ૨૦ માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. એટલે લગભગ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં માવઠાની ઘાત છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે ૨-૩.૦ સે ઘટાડો નોંધાઈ શકે છે. ત્યારબાદ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, માર્ચ 2026
2475 |
રાજ્યમાં ૧૯૦૩ ભરતી મેરિટ આધારે થઈ: પ્રફુલ પાનસેરિયા
ગાંધીનગર ગુજરાતમાં નર્સોની ભરતી મુદ્દે ચાલી રહેલા આક્ષેપોને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટતા આપી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષમાં રાજ્ય સરકારે કુલ ૧૯૦૩ નર્સોની ભરતી સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટ આધારિત પ્રક્રિયા દ્વારા કરી છે.મંત્રીના જણાવ્યા અનુસાર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, જેના કારણે મેરિટ લિસ્ટ જાહેર અને દરેક માટે ઉપલબ્ધ રહે છે. તેથી ભરતી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિની શક્યતા નથી.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વધુમાં જણાવ્યું કે ‘શિવાની’ નામની એક વ્યક્તિએ ખોટો ઓર્ડર બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેના કારણે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ મામલે રાજ્ય સરકારે ગંભીર નોંધ લઈને ૧૪ માર્ચના રોજ બપોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મંત્રીએ જણાવ્યું કે હવે પોલીસ તપાસ દરમિયાન સમગ્ર સત્ય બહાર આવશે.મંત્રી પાનસેરિયાએ કહ્યું કે જાે કોઈ વ્યક્તિ ખોટી માહિતી ફેલાવીને સમાજમાં ગેરસમજ ઊભી કરવાની કોશિશ કરશે તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમણે લોકોને અપીલ કરી કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવચેત રહે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, માર્ચ 2026
1980 |
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકૂલ-૧ પાસે અરજદારનો આત્મહત્યાનો પ્રયાસ
ગાંધીનગર, ગાંધીનગર ખાતે એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ સચિવાલયમાં મંત્રીને રજૂઆત કરવા આવેલા એક અરજદારે સ્વર્ણિમ સંકૂલ-૧ પાસે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ભારે દોડધામ મચી જવા પામી હતી. આ સનસનાટી મચાવી દેનારી ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતો મકસૂદ ગુલઝાર નામનો ૪૦ વર્ષીય યુવાન ગાંધીનગરના સચિવાલયમાં કોઈ મંત્રીની કચેરીમાં રજૂઆત કરવા માટે આવ્યો હતો. ત્યારે સચિવાલય પરિસરમાં સ્વર્ણિમ સંકૂલ-૧ પાસે મકસૂદ ગુલઝારે અચાનક પોતાના ગળા પર બ્લેડ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મકસૂદ દ્વારા સચિવાલય પરિસરમાં આત્મહત્યાનો પ્રયાસ કરવાની ઘટના બનતાની સાથે સચિવાલય પરિસરમાં ફરજ પર કાર્યરત એવા સુરક્ષા કર્મીઓ અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેના કારણે સચિવાલય પરિસરમાં ભારે સનસનાટી મચી ગઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આત્મહત્યાનો પ્રયાસ કરનાર મકસૂદ ગુલઝારને પ્રથમ પ્રાથમિક સારવાર અપાયા બાદ તેને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સચિવાલય ખાતે રજૂઆત કરવા આવનાર મકસૂદ ગુલઝારે આવું આકસ્મિક પગલું કેમ ભર્યું? તે અંગે પોલીસ દ્વારા તપાસ અને પૂછપરછ ચાલી રહી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ અરજદાર મકસૂદને તેના સમાજના વ્યક્તિ સાથે કેટલાક સમયથી ઝગડો ચાલતો હતો. જેની રજૂઆત કરવા માટે તે ગાંધીનગર સચિવાલય ખાતે આવ્યો હતો. આ ઉપરાંત મકસૂદ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, માર્ચ 2026
1980 |
એટીએમથી ૩૫ સેકન્ડમાં અનાજ નીકળશે
ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે ૨,૮૫૬ કરોડની ઐતિહાસિક જાેગવાઈ કરવામાં આવી છે. અન્ન મંત્રી રમણ સોલંકીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સરકાર ‘અંત્યોદય’ના સપનાને સાકાર કરવા ટેક્નોલોજી અને પારદર્શિતા સાથે છેવાડાના માનવી સુધી પોષણક્ષમ આહાર પહોંચાડવા સંકલ્પબદ્ધ છે. રાજ્ય સરકાર અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેક્નોલોજી લાવી રહી છે, જેના ભાગરૂપે હવે ૨૪*૭ અનાજ મળી રહે તે માટે ‘અન્નપૂર્તિ’ (ગ્રેઈન એટીએમ) શરૂ કરવામાં આવશે. આ સુવિધા દ્વારા લાભાર્થી માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો જેટલું અનાજ મેળવી શકશે અને આ પ્રોજેક્ટનો પ્રારંભ સંભવિત રીતે કલોલથી કરવામાં આવશે. આ સાથે જ દેશમાં પ્રથમવાર સીબીડીસી (ડિજિટલ કરન્સી) આધારિત ફૂડ કૂપનનો પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરાયો છે, જેનાથી રેશનિંગની દુકાનો પર ઘણીવાર સર્જાતી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ નિષ્ફળ જવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. શ્રીઅન્ન (મિલેટ્સ) ના વપરાશને પ્રોત્સાહન આપવા સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી પર ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવામાં આવશે. આ માટે બજેટમાં ૩૬.૫૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. રાજ્યમાં અંદાજે ૭૫ લાખ એનએફએસએ પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે બજેટમાં ૭૦૦ કરોડથી વધુની જાેગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, કુપોષણ દૂર કરવાના હેતુથી રાહત દરે કઠોળ પૂરા પાડવા માટે ૮૪૧ કરોડ ફાળવવામાં આવ્યા છે, જે અંતર્ગત હવેથી તુવેર દાળ, ચણા અને ખાંડ છૂટકને બદલે ૧ કિલોના સુરક્ષિત પેકિંગમાં જ વિતરણ કરવામાં આવશે. સાથે જ, નાગરિકોમાં આયોડિનની ઉણપ દૂર કરવા માટે ડબલ ફોર્ટિફાઈડ મીઠું માત્ર ?૧ પ્રતિ કિલોના અત્યંત રાહત દરે આપવાનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વ્યાજબી ભાવના ૧૭ હજારથી વધુ દુકાનદારો માટે મહત્વનો ર્નિણય લેતા તેમના કમિશનમાં પ્રતિ ક્વિન્ટલ ૧૫૦ થી વધારીને ૧૮૫ નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ, અનાજની સંગ્રહ ક્ષમતાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્યના ૪૫ તાલુકાઓમાં ૫૧ નવા અત્યાધુનિક ગોડાઉનો બાંધવાનું આયોજન છે. આ ઉપરાંત, ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે એક નવતર પ્રયોગ કરતા વિશ્વમાં પ્રથમવાર કંપનીઓના ગ્રાહકો પ્રત્યેના વર્તનને માપવા માટે ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ’ તૈયાર કરવામાં આવશે, જેના આધારે કંપનીઓને રેટિંગ આપવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, માર્ચ 2026
2079 |
દરેક જિલ્લામાં ૩૬ હજાર લિટર કેરોસીનની ફાળવણી
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં એલપીજીના પુરવઠાની સાથોસાથ વધારાના વિકલ્પ તરીકે કેરોસીનના વિતરણ અંગેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી રહી છે. મોના ખંધારે જણાવ્યું હતું કે, “એલપીજી ઉપરાંત કેરોસીનનો આ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ૧૪૫૨ કેએલ (૧૪,૫૨,૦૦૦ લિટર) કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેમાંથી દરેક જિલ્લાને ૩૬ હજાર લિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. તેમાં પરિવાર દીઠ ૫ લિટર અને સંસ્થા દીઠ ૨૫ લીટર કેરોસીન ફાળવવામાં આવશે. તેના માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.” આવશ્યક અને અર્ધ આવશ્યક સેવાઓ મુજબ એલપીજીની ફાળવણીરાજ્યમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦૦ ટકા, જ્યારે ફાર્મા, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી, એરલાઇન/રેલવે કેન્ટીનમાં ૭૦ ટકા તેમજ મત્સ્યોદ્યોગ જેવી આવશ્યક સેવાઓમાં ૧૦ ટકા કેપ સાથે કોમર્શિયલ એલપીજી પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ સિવાય અર્ધ આવશ્યક સેવાઓ જેમ કે રેસ્ટોરાં/ઢાબા, હોટેલ્સ, કોર્પોરેટ કેન્ટીન, ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફુડ પ્રોસેસિંગમાં ૧૦ કેપ સાથે પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પૂરતા પગલા લેવાયા છે, જેથી જરૂરિયાત અનુસાર તમામ ક્ષેત્રોને જરૂરી પુરવઠો મળી રહે. એલપીજી વિતરણની દેખરેખ માટે અધિકારીઓની નિમણૂક રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં કડક દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમના દ્વારા એ સુનિશ્ચિત કરાઇ રહ્યું છે કે, નાગરિકોને સમયસર એલપીજી પુરવઠો મળે અને ગેરરીતિને અટકાવી શકાય. છેલ્લા ૧૨ દિવસમાં જિલ્લા કક્ષાએ ૯૧૨ અને રાજ્ય કક્ષાએ ટીમ દ્વારા ૧૭ કિસ્સાઓમાં તપાસની કામગીરી કરાઇ છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, માર્ચ 2026
2970 |
સુરતમાં ૧૦ હજાર વીવિંગ યુનિટની હાલત કફોડી રાજ્યમાંં બ્રાસ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સેવા ઠપ
જામનગર, સુરત, સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક શહેરો જામનગર અને મોરબી હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ જામનગરમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે કાચા માલની આયાત અટકી છે, તો બીજી તરફ મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પૈડાં થંભી ગયા છે, જેના કારણે હજારો પરિવારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે. જ્યારે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર યુદ્ધની અસર જાેવા મળી રહી છે. સ્ટીમની મદદથી ચલાવાતા ૧૦હજારથી વધારે પાવરલૂમ્સને ગેસ નહીં મળતા આ યુનિટ્સ ડગુમગુ થવા માંડ્યા છે.જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ભંગારની આયાત પર મોટી બ્રેક લાગી છે. આ અંગે જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના તણાવને પગલે દરિયાઈ માર્ગે આવતા ભંગારના કન્ટેનરો અધવચ્ચે ફસાઈ ગયા છે. જામનગરનો ઉદ્યોગ ૭૦ ટકા આયાતી ભંગાર પર ર્નિભર છે અને દરરોજ અંદાજે ૬૦૦ થી ૭૦૦ ટન કાચા માલની જરૂરિયાત હોય છે. હાલ બંદરો પર પડેલા સીમિત જથ્થાના સહારે ઉદ્યોગ માંડ ચાલી રહ્યો છે, જાે પરિસ્થિતિ સુધરશે નહીં તો કારખાનાઓ સંપૂર્ણપણે બંધ થવાની દહેશત છે.બીજી તરફ, મોરબીમાં ગેસની અછતને કારણે સિરામિક એકમોમાં શટડાઉન આવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની હાલત કફોડી બની છે. મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે, અગાઉ જે મોરબીમાં દરરોજ ૭,૦૦૦ થી ૮,૦૦૦ ટ્રકની અવરજવર રહેતી હતી, તે ઘટીને માત્ર ૨૦૦ જેટલી થઈ ગઈ છે. સિરામિક ફેક્ટરીઓ બંધ હોવાથી કાચા માલની આવક અને તૈયાર માલની જાવક ઠપ્પ થતા અંદાજે ૧૬,૦૦૦ જેટલા ડ્રાઈવર અને ક્લીનરો બેરોજગાર બન્યા છે. ગુરુવારે સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આયોજિત ‘કોઓપરેટિવ કોન્ક્લેવ ‘૨૬’ માં હાજરી આપવા આવેલા ૈંહ્લહ્લર્ઝ્રં અને ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યુ હતું કે, સમુદ્રી માર્ગાે પ્રભાવિત થવાને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગેસની કટોકટી ઉભી કરી છે.કોમર્શિયલ ગેસ ન મળવાને કારણે નાના વેપારીઓને પડતી મુશ્કેલી અંગે તેમણે ટકોર કરી હતી કે, આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું? જ્યા સુધી વૈશ્વિક સ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી સહિયારા પુરુષાર્થથી આ સ્થિતિનો સામનો કરવો પડશે.બીજી તરફ, ગેસની આ અછતને કારણે સુરતમાં ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે ૧૦,૦૦૦ જેટલા વીવિંગ યુનિટ્સ હાલ સીધા અસરગ્રસ્ત બન્યા છે. હાઈ-ક્વોલિટી કાપડના ઉત્પાદન માટે ૧૨૦૦ વધુ સ્પીડ ધરાવતા મશીનો પર યાર્નને ગરમી (સ્ટીમ) આપવી અનિવાર્ય હોય છે, જે પ્રક્રિયા ગેસના અભાવે અટકી પડી છે. ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અને વિવર અગ્રણી ચેરમેન અશોક જીરાવાલાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં કાર્યરત ૫૫,૦૦૦ વીવિંગ યુનિટ્સ પૈકી અંદાજે ૩૦% એકમો એવા છે જ્યાં ગેસની મદદથી સ્ટીમ આપવી ફરજિયાત છે. ગેસના ઠપ્પ થયેલા પુરવઠાને કારણે આ એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે, જે આગામી સમયમાં મોટા આર્થિક નુકસાનના સંકેત આપી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, માર્ચ 2026
3861 |
એથર કંપનીનાં જીવતાં જ્વાળામુખી જેવાં સોલવન્ટનાં પીપ ભરેલાં પાંચ માળનાં વેરહાઉસમાં ૪૦થી વધુ ધડાકા સાથે આગથી દોડધામ
સુરત, શહેરના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલા એથર કંપનીનાં પાંચમજલી વેરહાઉસમાં બપોરે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ભીષણ આગમાં સોલવન્ટ-કેમિકલ ભરેલા ડ્રમ આગની ઝપેટમાં આવી જતા એક પછી એક એમ કુલ ૪૦થી વધુ બ્લાસ્ટ થયા હતા. જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. શરૂઆતના તબક્કામાં કંપનીના ફાયરબ્રિગ્રેડના જવાનોએ આગને કાબુમાં લેવાની કોશિષ કરી હતી પરંતુ આગ કાબુ બહાર નીકળી જતા ના છૂટકે સુરત ફાયરબ્રિગ્રેડ વિભાગને જાણ કરવાની ફરજ પડી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયરબ્રિગ્રેડ વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને કુલ આઠ ફાયર સ્ટેશનથી ૧૫થી વધુ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. મોડીસાંજે પણ આગ કાબુમાં આવી ન હતી. સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એથર ઇન્ડ્રસ્ટીઝ વિવાદનું પર્યાય બની ગઇ છે. કાયદાને ઘોળીને પી જનારા એથર કંપનીના સંચાલકો અગાઉ લાગેલી ભીષણ આગમાંથી પણ હજુ સુધી કંઈ શીખ્યા નથી. અગાઉ તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૩ના રોજ સચીન જીઆઈડીસીમાં આવેલ એથર ઇન્ડ્રસ્ટીઝમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં નિર્દોષ કુલ ૧૧ લોકોનો ભોગ લેવાયો હતો. પોલીસે આ સમગ્ર કેસમાં કંપનીના સંચાલકો સામે સાપરાધ મનુષ્ય વદ્યનો ગુનો નોંધવાના બદલે પોલીસ જ તેના ખોળામાં બેસી ગઈ હતી. જાે કે આ ઘટનામાં પણ સંચાલકોની બેદરકારી સામે આવી હતી. જયારે આજની ઘટનામાં પણ ફાયરબ્રિગ્રેડ વિભાગને તાત્કાલિક જાણ કરવાના બદલે એક કલાક કરતા વધુ સમય બાદ જાણ કરવાની બેદરકારી દાખવવામાં આવી છે. શહેરના સચીન હોજીવાલા વિસ્તારમાં આવેલ એથર કંપનીના વેરહાઉસમાં બપોરે ૧૨ વાગ્યા પહેલા આગ લાગી હતી. શરૂઆતના તબક્કામાં કંપનીનાં જવાનોએ જ આગને કાબુમાં લેવાની કોશિષ કરી હતી. આ દરમિયાન આગ વધુ ભીષણ બની ગઈ હતી અને કેમિકલ ભરેલા સંખ્યાબંધ ડ્રમ સુધી પહોંચી ગઈ હતી. જેને કારણે એક પછી એક કેમિકલનાં ડ્રમ આગની ઝપેટમાં આવતા બ્લાસ્ટ થયાં હતાં. માત્ર એકથી દોઢ કલાકની અંદર જ ૪૦ થી વધુ ડ્રમ બ્લાસ્ટ થતા આગ કાબુ બહાર બની ગઈ હતી. જેના કારણે એથર કંપનીનાં સંચાલકોએ નાં છૂટકે સુરત ફાયર બ્રિગ્રેડ વિભાગને જાણ કરવાની ફરજ પડી હતી.બપોરે ૧.૦૭ કલાકે ફાયર બ્રિગેડ વિભાગને કોલ મળતાં જ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા શરૂઆતમાં ત્રણ ફાયર સ્ટેશનથી ટીમ રવાના કરવામાં આવી હતી. બાદમાં આગ વધુ ભીષણ હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને ભેસ્તાન, ઉધના, માન દરવાજા, મજુરા, ડીંડોલી, અડાજણ, કતારગામ, કામરેજ સહિતની કુલ આઠ ફાયર સ્ટેશનથી ૧૫ જેટલી ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરત શહેરના ફાયર બ્રિગેડ વિભાગના તમામ ડિવિઝનલ અધિકારીઓને પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડનાં જવાનોએ સતત પાણીનો મારો ચાલુ કરી આગને કાબુમાં લેવાની કોશિષ કરી હતી. જાે કે એથર કંપનીના વેરહાઉસમાં કેમિકલનો મોટો જથ્થો હોવાને કારણે આગ વધુ વિકરાળ બની હતી. મોડી સાંજ સુધી પણ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો. તેમ છતાં આ સંપૂર્ણ કાબુમાં આવી ન હતી. જેથી હાલમાં પણ આગને કાબુમાં લેવાની તજવીજ ચાલુ રાખવામાં આવી છે. પાંચ માળનાં વેરહાઉસમાં સોલવન્ટ જેવા અત્યંત જ્વલનશીલ કેમિકલનો કેટલો સંગ્રહ કરવામાં આવ્યો હતો તેની તપાસ જરૂરી છે. કાયદાને ખીસ્સામાં રાખતાં કંપની માલિકોએ વેરહાઉસ ઉપર ગેરકાયદે ડોમ બનાવી દીધો તક્ષશિલા આર્કેડની આગ પછી શહેરી વિસ્તારમાં બિલ્ડિંગો ઉપર બંધાઇ ગયેલાં ગેરકાયદે ડોમ તોડી પાડવાની ઝૂંબેશ મહાનગર પાલિકા દ્વારા ઉપાડવામાં આવી હતી. સમય જતાં મહાનગર પાલિકાનાં સત્તાધીશો ઢીલાં પડતાં ધીમે ધીમે ગેરકાયદે ડોમ બનાવવાની પ્રવૃત્તિ ફરી ફૂલી ફાલી છે. એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીનાં સચિન હોજીવાલા એસ્ટેટમાં આવેલાં વેરહાઉસ ખાતે પણ પતરાનો ગેરકાયદે ડોમ બનાવી ચારે બાજુથી પેક કરી દેવામાં આવ્યો હોવાનું જણાયું છે. જ્વલનશીલ કેમિકલનો સંગ્રહ કરવામાં આવતો હોવા છતાં પતરાનાં ડોમથી ટેરેસ પેક કરી દેતાં ફાયરબ્રિગેડનાં જવાનોને પાણીનો મારો કરવામાં પણ મુશ્કેલી પડી હતી. વેરહાઉસ ઉપરાંત આસપાસ આવેલી મોટાભાગની ઇમારતો ઉપર ગેરકાયદે ડોમ બનાવાયા હોવાનું દેખાઇ આવ્યું હતું. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સાથે મિલ માલિક દ્વારા ઝપાઝપી એથર કંપનીમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવાની કામગીરી ચાલુ હતી ત્યારે કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થવાના કારણે આગ વધુ વિકરાળ બની બાજુની કંપનીમાં પણ પ્રસરી જતાં બાજુની કંપનીમાં આગ લાગી હતી તેનો માલિક ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પ્રકાશ હેડવ પાસે આવ્યો હતો અને તમે લોકો જાણી જાેઈને આગને કાબુમાં લેતા નથી તેમ કહી ઝપાઝપી કરી હતી. જેથી અન્ય ડીવીઝનલ અધિકારી તથા ફાયર ઓફિસરોએ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. બાજુની મિલમાં બે માળનું સ્ટ્રક્ચર ધરાશાયી એથર કંપનીમાં કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. એથરના વેરહાઉસની બાજુમાં જ આવેલ એક મિલ પણ આગ પ્રસરી ગઈ હતી અને કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થવાના કારણે મીલનું બે માળનું આખું સ્ટ્રક્ચર તૂટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, માર્ચ 2026
3069 |
ગેસ એજન્સીઓનાં પાપે શહેરમાં રાંધણ ગેસ સીલિન્ડરનાં કાળાબજારની ફરિયાદો
સુરત, મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી ભીષણ યુદ્ધને કારણે ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલિયમ પ્રોડકટ્સ તેમજ લિકવીડ નેચરલ ગેસ (એલ.એન.જી.)ની અછત વર્તાવાની શરૂ થઇ ચૂકી છે. આવી સ્થિતિ વચ્ચે આજે સુરત શહેરમાં કેટલીક રેસિડેન્શિયલ ગેસ સીલિન્ડર એજન્સીઓએ ઓનલાઇન સીલિન્ડર બુકિંગ બંધ કરીને બળતામાં ઘી હોમવા જેવી સ્થિતિ પેદા કરી હતી. ગેસ એજન્સીઓનાં માલિકોએ મનસ્વી રીતે ઓનલાઇન સીલિન્ડર બુકિંગની વ્યવસ્થા બંધ કરી દેતા ગ્રાહકો દોડતાં થઇ ગયાં હતાં અને ગેસ એજન્સી ખાતે કતારો લગાડી દીધી હતી, જાેતજાેતામાં ગેસ સીલિન્ડર મળવાના નથી તેવી અફવાને કારણે લાખો પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ઇરાન વિરૂદ્ધ અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ગેસ સપ્લાયની ચેઇન તૂટી જવા પામી છે અને તેને કારણે કેન્દ્ર સરકારે કમર્શિયલ વપરાશ કરતા ગ્રાહકોના ગેસ સીલિન્ડર સપ્લાયમાં નિયંત્રણ મૂકવા તેમજ રેસિડેન્શિયલ ગેસ સીલિન્ડરમાં કોઇપણ પ્રકારનો શોર્ટ સપ્લાય ના થાય તેની તકેદારી રાખવા માટે દરેક જિલ્લા કક્ષાનાં અધિકારીઓને સૂચના આપી હતી. જાે કે શેઠ (કેન્દ્ર સરકાર)ની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ આજે સુરતમાં જાેવા મળ્યો હતો. રેસિડેન્શિયલ ગેસ સિલિન્ડરનું વિતરણ કરતી કેટલીક ગેસ એજન્સીઓએ આજે સવારે પોતાની બુકિંગ વ્યવસ્થા કે જે ઓનલાઇન હતી તે બંધ કરી દીધી હતી. જેને કારણે સામાન્ય લોકોમાં એવી અફવાઓનું જાેર વધી ગયું હતું કે હવે ગેસ સીલિન્ડર મળવાના નથી આથી લોકોએ ગેસ સીલિન્ડર મેળવવા માટે જાતે જ ગેસ એજન્સીઓ પર પહોંચી જઇને કતારો લગાડી દીધી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા માંડ્યા હતા. લ્લા પુરવઠા અધિકારી એવું કહી રહ્યાં હતાં કે ગેસ સીલિન્ડર વિતરણમાં કોઇ જ તકલીફ નથી અને લોકોને સરળતાથી સીલિન્ડર મળી રહેશે. કોમર્શિયલ ગેસમાં થોડી તકલીફ છે. બીજી તરફ એજન્સીઓએ ગ્રાહકોને ગેસ સિલિન્ડર નહીં આપવા માટે કે.વાય.સી. બાકી છે, ડોક્યુમેન્ટ ઓછા છે વગેરે જેવા બહાના કાઢીને લોકોનાં બુકિંગ લીધા નહીં અને પાછલે બારણે લાગવગીયા ગ્રાહકોને ગેસ સીલિન્ડરોનું વિતરણ કર્યું હોવાની ફરિયાદો લોકોએ કરી હતી. પુરવઠા અધિકારીએ આપેલી માહિતી મુજબ સુરત શહેરમાં ૮.૭૦ લાખ પરિવારોને ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનથી ગેસ પુરવઠો મળી રહ્યો છે. એલપીજીનાં ૭.૦૧ લાખ ગ્રાહકો છે અને જિલ્લામાં ૫૫ એજન્સીઓ છે, સુરત જિલ્લામાં ૭૫ હજાર ગ્રાહકો છે. ગેસ એજન્સીઓ ઉપર મોનિટરિંગ કરવા ૨૧ ટીમો બનાવી છે. એક અંદાજ મુજબ ૮૫ લાખની વસતી ધરાવતા સુરત શહેરમાં પરિવારોની સંખ્યા ૧૯ લાખ જેટલી છે, જેની સામે ૬૦ ટકા વસતી ગેસ સીલિન્ડર પર આધારિત હોવાનું મનાઇ રહ્યું છે. જાે તંત્ર ગેસ એજન્સીઓનાં વહિવટ પર સીધી દેખરેખ નહીં રાખે અગર તો આખ આડા કાન કરશે તો આગામી દિવસોમાં ગેસ સીલિન્ડરના મુદ્દે શહેરમાં ધમાલ મચી જાય તો નવાઇ નહીં હોય.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, માર્ચ 2026
3366 |
શહેરની શાળાઓને તકેદારી રાખવા સૂચના
અમદાવાદ, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી દીધું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો છે. તેમજ ૧૬ માર્ચ સુધી હીટવેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જાે કે અત્યારે બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે. જેથી, કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સૂચના આપી છે કે, પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને બહાર તડકામાં ઊભા રાખવામાં ન આવે અને તેમને કેમ્પસમાં છાંયડામાં રાખવામાં આવે. તેમજ પૂરતા ઠંડા પાણી વ્યવસ્થા કરવાની અને આરોગ્ય વિભાગની ટીમને રાખવાની સૂચના આપી છે. અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, સાથે-સાથે બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે. જાેકે, હવે બોર્ડની પરીક્ષાના સમયમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. જેથી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સલામતીના પગલાં ભરવા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કારણ કે, ધોરણ-૧૦ની પરીક્ષા બપોરે ૧ વાગ્યે પૂર્ણ થતી હોય છે અને ધોરણ ૧૨ની પરીક્ષા ૩ વાગ્યે શરૂ થતી હોય છે ત્યારે આ સમયમાં જ ગરમીનો પારો સૌથી વધુ રહેતો હોય છે. જેથી, અત્યાર સુધી વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં અડધો કલાક પહેલા જ પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ, હવે વિદ્યાર્થીઓને વહેલા પ્રવેશ આપી છાંયડામાં બેસવાની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. ગરમીના કારણે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ રાખવામાં આવશે. ઠંડા પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવા પણ તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે. જેથી ગરમીના આકરા પ્રકોપ વચ્ચે અસહ્ય તાપમાં વિદ્યાર્થીઓને ઊભા નહી રહેવું પડે તેમજ આરોગ્ય વિભાગની ટીમ રાખવામાં આવશે જેના કારણે કોઈ વિદ્યાર્થી બીમાર થાય તો તાત્કાલિક સારવાર આપી શકાય. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પ્રભાવ વધ્યો છે. બપોરના સમયમાં તાપમાન ઊંચું રહેતા વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર બહાર લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે. કેટલાક વિદ્યાર્થીઓને ગરમીથી બીમાર થાય એવી શક્યતા રહેતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષા સેન્ટરોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, વિદ્યાર્થીઓને શક્ય તેટલા વહેલા સેન્ટરમાં પ્રવેશ અપાય અને તેમને છાંયડામાં બેસાડવામાં આવે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ફેબ્રુઆરી 2026
5445 |
સારોલીનાં વેપારી પાસેથી કાપડ ખરીદ્યા બાદ કોલકાતાનાં દુકાનદારનું રૂ. ૧૬ લાખનું ફ્રોડ
સુરત, સારાલીની શ્યામ સંગીની માર્કેટમાં દુકાન ધરાવતાં રાજસ્થાની વેપારી પાસેથી કાપડ ખરીદીમાં કોલકાતાનાં દુકાનદારે ૧૬.૨૧ લાખનું ચીટિંગ કર્યું હતું. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વેસુ ભરથાણાના રામેશ્વર પેલેસમાં રહેતા નવરતન તુલસીરામ બૈદ કાપડનો ધંધો કરે છે. રાજસ્થાનનાં ચુરુ જિલ્લાના વતની નવરતન બૈજ સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં શ્રી જય અંબે ટેક્સ્ટાઈલ નામથી પેઢી ધરાવે છે. તેઓ અલગ અલગ રાજ્યોનાં વેપારીઓ સાથે દલાલ હસ્તક વેપાર કરતાં આવ્યા છે. દને માર્કેટમાં દલાલીનું કામ કરતાં અને હમ વતની નિરંજન રાઠી સાથે વ્યક્તિગત પરિચય અને ધંધાકીય સંબંધ હતાં. ઓક્ટોબર ૨૦૨૧માં નિરંજન રાઠી બૈદની દુકાને ગયા અને કહ્યું હતું કે, કોલકોત્તાના મોટા વેપારીઓ મારા હસ્તક કાપડની ખરીદી કરે છે. તમે મારા હસ્તક તેમની સાથે વેપાર કરશો તો સારો નફો મળશે, એ વેપારીઓ પાસેથી પેમેન્ટની જવાબદાર મારી રહેશે. જુના સંબંધ હોવાથી દલાલ નિરંજન રાઠીની વાતમાં ભરોસો મૂકી બૈદ ધંધા માટે તૈયાર થયા હતાં. બાદમાં નિરંજને કોલકાતામાં રિદ્ધિ સિદ્ધિ ટેક્સ્ટાઇલ નામથી ધંધો કરતાં વિજય અગ્રવાલ સાથે બૈદને વાત કરાવી હતી. પમેન્ટનો ભરોસો મળતાં નિરંજનની એક ટકો દલાલી નક્કી કરી નવરતને તેના કહેવા અનુસાર માલ મોકલવા માંડ્યો હતો. વિજય અગ્રવાલને ૩૦ નવેમ્બર ૨૦૨૧ થઈ ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાંકુલ ૨,૨૧,૦૦,૪૯૭ કિંમતનું નેટિંગ કાપડ મોકલવામાં આવ્યું હતું. જેમા અગ્રવાલે ૨,૦૪,૭૯,૫૦૫ રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું હતું, જ્યારે બાકીનાં ૧૬, ૨૦,૯૯૨ રૂપિયા મુદ્દા વાયદાનો વેપાર કરાયો હતો. અનેક વખત ઉઘરાણી છતાં ન તો વેપારીએ પેમેન્ટ કર્યું કે ના દલાલે કરાવ્યું. જેથી નવરતને આ બંને સામે સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...