આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, માર્ચ 2026
3366 |
જામનગર શહેરમાં પણ કરા સાથે માવઠું:અમરેલીના વાતાવરણમાં પલટો
અમદાવાદ: ગુજરાતમાં થોડા દિવસથી વહેલી સવારે અને મોડી સાંજે થોડી ઠંડક લાગી રહી છે. હવામાન વિભાગે, કરેલ આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રમા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલી અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડ્યા છે. તો કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોમસી વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણ પલટાયું. વડીયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યાં છે. વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. બગસરા શહેરમાં કરા સાથે વરસાદ ખાબકયો. બગસરા પંથકના શાપર, સુડાવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. જામનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જામનગરના લાલપુર પંથકમાં કરા સાથે માવઠું થયુ છે. હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ લાલપુર તાલુકાના અમુક ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. બપોર બાદ એકાએક પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઉદ્ભવ્યા હતા. બબરજર, અપીયા સહિતના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. હજુ આવતીકાલે પણ છે માવઠાની આગાહી કરવામાં આવી છે. અમુક ગામડાઓમાં હજુ ચણા અને ઘઉંનો પાક ખેતરોમાં ઊભો છે, ઉભા પાકમાં નુકસાનીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાેકે બપોરે તો ગરમી જ લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે, ૧૯ અને ૨૦મી તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે ૧૯મી માર્ચના રોજ તો રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં સર્જાયેલું અપર એર સર્ક્યુલેશન હવે પશ્ચિમ રાજસ્થાન ઉપર સ્થિત છે. આ સાથે એક પશ્ચિમી વિક્ષોભ જે મધ્ય અને ઉપલા સ્તરના પશ્ચિમી પહાડી પ્રદેશોમાં એક ટ્રફ તરીકે છે. આ બે સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા માનવામાં આવી રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, આગામી ૩ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ગુજરાતમાં ધીમે ધીમે ૨-૩ ૦ઝ્રનો વધારો થવાની સંભાવના જાેવા મળશે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, મંગળવારે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૩૮.૫ ડિગ્રી નોંધાયું હતું. ૧૯મી માર્ચે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ૨૦ માર્ચ, શુક્રવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, માર્ચ 2026
3663 |
ઉનાના ચકચારી દલિતકાંડમાં ૫ આરોપી દોષિત, દાયકા બાદ સેશન્સ કોર્ટનો ચુકાદો
ઉના , ૧૧ જુલાઈ ૨૦૧૬ના દિવસે સૌરાષ્ટ્રના ઉનાના મોટા સમઢીયાળા ગામે અનુસૂચિત જાતિના લોકો પશુનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે કેટલાક ગૌસેવકો પહોંચ્યા હતા અને મૃત પશુ ગાય છે અને ગૌહત્યા કરી છે, તેવો આરોપ મૂકીને અનુસૂચિત જાતિના ચાર લોકોને કાર પાછળ બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. રાષ્ટ્રીય સ્તરે ચગેલા આ મુદ્દામાં દસ વર્ષ પછી ચૂકાદો આવ્યો છે. ઉનાના ચર્ચિત દલિતકાંડ કેસમાં આજે (૧૬ માર્ચ ૨૦૨૬)ના રોજ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં ૫ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે અન્ય ૩૮ વ્યક્તિઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ૨૦૧૬ની ૧૧ જુલાઈએ ઉનાના સમઢીયાળા ગામે કથિત ગૌરક્ષકો દ્વારા ૪ અનુસૂચિત જાતિના યુવાનોને માર માર્યો હતો અને અર્ધનગ્ન કરીને ઝાયલો ગાડી પાછળ બાંધી ઉનામાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ ચૂકાદા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેસની શરૂઆતમાં નોંધાયેલી હ્લૈંઇમાં અનેક આરોપીઓના નામ સામેલ હતા. જાેકે, ૧ દાયકા સુધી ચાલેલી કોર્ટ કાર્યવાહી, સાક્ષીઓની જુબાની અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે ૫ શખસને ગુનામાં સંડોવાયેલા ગણી દોષિત જાહેર કર્યા છે.દોષિત ઠરેલા આરોપીઓની યાદી: રમેશ જાદવ, રાકેશ જાેશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા, બળવંત ગોસ્વામી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, માર્ચ 2026
4752 |
ગરીબ પરિવારોને કેરોસીનનો જથ્થો ફાળવાશે
ગાંધીધામ, ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના હાલમાં વિશ્વસ્તરે પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય (જીઓ-પોલિટિકલ) પરિસ્થિતિને કારણે ઊર્જા પુરવઠા પર ઉભા થયેલા જાેખમોને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૧૪૫૨ કેએલ (હજાર લિટર) કેરોસીનનો એડહોક (છઙ્ઘ-ર્રષ્ઠ) જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા (કૂકિંગ) અને પ્રકાશ (લાઇટિંગ) માટે કરવાનો રહેશે એમ અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક યાદી પ્રસિદ્ધ કરીને જણાવાયુ છે. રાજ્યના આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારના અંત્યોદય તથા પીએચએચ પરીવારોને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જેની કાર્યપધ્ધતિ આ મુજબ રહેશે. કેંન્દ્ર સરકારે ફાળવેલ ૧૪૫૨ કેએલ માથી દરેક જિલ્લામાં કલેક્ટર હસ્તક ૩૬ કેએલ (૩૬ હજાર લીટર)ની ફાળવણી કરવામા આવશે. ઉપરોક્ત કેરોસીનના જથ્થામાંથી પરિવાર દીઠ ૫ (પાંચ) લીટર તથા સંસ્થા દીઠ ૨૫ (પચ્ચીસ) લીટર ફાળવણી કલેક્ટર કરી શકશે. આ જથ્થો ૧૨ હજાર લીટરના ગુણાંકમાં કલેક્ટર દ્વારા ડિમાન્ડ મોકલી ઉપાડ કરવાનો રહેશે. કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ પર દેખરેખ રાખવાનુ રહેશે. કેરોસીનના વિતરણમાં પણ આ મુજબના લોકોને પ્રાથમિકતા આપવાની રહેશે. ગ્રામીણ પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લાભાર્થીઓ. શાળા હોસ્ટેલોમાં રહેતા બાળકો અને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓ. રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અન્નક્ષેત્રો અને અન્ય સેવાકીય સંસ્થાઓ. બાંધકામ કે ઔદ્યોગિક એકમોમાં કાર્યરત મજૂર વર્ગની ભોજન તૈયારીના હેતુ માટે. અન્ય સરકારી કે ખાનગી સામાજિક સંસ્થાઓ જે બળતણ માટે સંપૂર્ણપણે એલપીજી પર આધારિત છે. આ ઉપરાંત રાજ્યના નાગરિકોને સાંપ્રત પરિસ્થિતિમાં આ મુજબના સૂચનો કરાયા છે. જેમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ તથા એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારમાં ૨૫ દિવસ તથા ગ્રામીણ વિસ્તારમાં ૪૫ દિવસનુ અંતર રાખવા બાબતની સૂચના બહાર પાડેલ છે. જેથી ગ્રાહકો દ્વારા બિનજરૂરી ઓનલાઇન બુકિંગ માટે પ્રયત્ન કરવામાં ન આવે જેથી સર્વર પરનો લોડ ઘટાડી શકાય. રાંધણ ગેસનો બચાવ કરવા બને ત્યા સુધી કુકરનો ઉપયોગ, કઠોરને પલાળીને તેને બાફવા જેવી બાબતો તેમજ વૈકલ્પિક ઉજાસ્ર્ત્રાેત તરીકે સોલર કુકર વિગેરેનો ઉપયોગ હિતાવહ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, માર્ચ 2026
4059 |
સુરતમાં ૧૦ હજાર વીવિંગ યુનિટની હાલત કફોડી રાજ્યમાંં બ્રાસ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સેવા ઠપ
જામનગર, સુરત, સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક શહેરો જામનગર અને મોરબી હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ જામનગરમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે કાચા માલની આયાત અટકી છે, તો બીજી તરફ મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પૈડાં થંભી ગયા છે, જેના કારણે હજારો પરિવારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે. જ્યારે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર યુદ્ધની અસર જાેવા મળી રહી છે. સ્ટીમની મદદથી ચલાવાતા ૧૦હજારથી વધારે પાવરલૂમ્સને ગેસ નહીં મળતા આ યુનિટ્સ ડગુમગુ થવા માંડ્યા છે.જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ભંગારની આયાત પર મોટી બ્રેક લાગી છે. આ અંગે જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના તણાવને પગલે દરિયાઈ માર્ગે આવતા ભંગારના કન્ટેનરો અધવચ્ચે ફસાઈ ગયા છે. જામનગરનો ઉદ્યોગ ૭૦ ટકા આયાતી ભંગાર પર ર્નિભર છે અને દરરોજ અંદાજે ૬૦૦ થી ૭૦૦ ટન કાચા માલની જરૂરિયાત હોય છે. હાલ બંદરો પર પડેલા સીમિત જથ્થાના સહારે ઉદ્યોગ માંડ ચાલી રહ્યો છે, જાે પરિસ્થિતિ સુધરશે નહીં તો કારખાનાઓ સંપૂર્ણપણે બંધ થવાની દહેશત છે.બીજી તરફ, મોરબીમાં ગેસની અછતને કારણે સિરામિક એકમોમાં શટડાઉન આવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની હાલત કફોડી બની છે. મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે, અગાઉ જે મોરબીમાં દરરોજ ૭,૦૦૦ થી ૮,૦૦૦ ટ્રકની અવરજવર રહેતી હતી, તે ઘટીને માત્ર ૨૦૦ જેટલી થઈ ગઈ છે. સિરામિક ફેક્ટરીઓ બંધ હોવાથી કાચા માલની આવક અને તૈયાર માલની જાવક ઠપ્પ થતા અંદાજે ૧૬,૦૦૦ જેટલા ડ્રાઈવર અને ક્લીનરો બેરોજગાર બન્યા છે. ગુરુવારે સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આયોજિત ‘કોઓપરેટિવ કોન્ક્લેવ ‘૨૬’ માં હાજરી આપવા આવેલા ૈંહ્લહ્લર્ઝ્રં અને ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યુ હતું કે, સમુદ્રી માર્ગાે પ્રભાવિત થવાને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગેસની કટોકટી ઉભી કરી છે.કોમર્શિયલ ગેસ ન મળવાને કારણે નાના વેપારીઓને પડતી મુશ્કેલી અંગે તેમણે ટકોર કરી હતી કે, આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું? જ્યા સુધી વૈશ્વિક સ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી સહિયારા પુરુષાર્થથી આ સ્થિતિનો સામનો કરવો પડશે.બીજી તરફ, ગેસની આ અછતને કારણે સુરતમાં ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે ૧૦,૦૦૦ જેટલા વીવિંગ યુનિટ્સ હાલ સીધા અસરગ્રસ્ત બન્યા છે. હાઈ-ક્વોલિટી કાપડના ઉત્પાદન માટે ૧૨૦૦ વધુ સ્પીડ ધરાવતા મશીનો પર યાર્નને ગરમી (સ્ટીમ) આપવી અનિવાર્ય હોય છે, જે પ્રક્રિયા ગેસના અભાવે અટકી પડી છે. ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અને વિવર અગ્રણી ચેરમેન અશોક જીરાવાલાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં કાર્યરત ૫૫,૦૦૦ વીવિંગ યુનિટ્સ પૈકી અંદાજે ૩૦% એકમો એવા છે જ્યાં ગેસની મદદથી સ્ટીમ આપવી ફરજિયાત છે. ગેસના ઠપ્પ થયેલા પુરવઠાને કારણે આ એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે, જે આગામી સમયમાં મોટા આર્થિક નુકસાનના સંકેત આપી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, માર્ચ 2026
5841 |
દીવમાં ગરમીએ તોડ્યો ૧૦૦ વર્ષનો રેકોર્ડ: ૪૧.૩ ડિગ્રી તાપમાન નોંધાયું
દીવ, હવામાન વિભાગે માર્ચથી કાળઝાળ ગરમીના સંકેત આપ્યાં છે. ગુજરાત સહિતના રાજ્યોમાં માર્ચની શરૂઆતથી ભીષણ ગરમી પડી રહી છે. દીવમાં માર્ચની શરુઆતથી જ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. દીવમાં માર્ચ મહિનામાં ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે દીવમાં નોંધાયું હતું ૪૧.૩ ડિગ્રી તાપમાન. અગનભઠ્ઠીમાં શેકાવા માટે તૈયાર થઈ જજાે. હવામાન વિભાગે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. રાજકોટ-સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, બનાસકાંઠા, પાટણમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં આજે ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ભરૂચ, અમદાવાદ, જામનગર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, આ વર્ષે ગરમી સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની શક્યતા છે. માર્ચ મહિનો સરેરાશ કરતાં વધુ ગરમ રહેવાની ધારણા છે, જ્યારે એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં વધઘટ જાેવા મળી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં વંટોળ તોફાનની અપેક્ષા છે, ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે. મંગળવારે ૪૨ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં ૪૧.૨ ડિગ્રી તો ગાંધીનગરમાં ૪૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ નોંધાયું હતું.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, માર્ચ 2026
2574 |
વડોદરા |
ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો ૨૨ વર્ષીય વિદ્યાર્થીનો ગળેફાંસો
વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપી ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા અને વાઘોડિયા રોડ ઉપર આવેલ ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય વિદ્યાર્થીએ રહસ્યમય સંજાેગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતના બનાવ સંદર્ભે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ચકચારી બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે સુરત વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીમાં રહેતો અને હાલ વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતો અને વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઋત્વીજ વિઠ્ઠલભાઈ કલસરિયા ઉંમર વર્ષ ૨૨ ભાડે મકાન રાખીને તેના સહધ્યાય અન્ય બે મિત્રો સાથે રહેતો હતો.તે ગઈકાલે દિવસ દરમિયાન તેના સમયે કોલેજે ગયો હતો. તે બાદ સાંજે ઘરે આવ્યો હતો. રાત્રિના સમયે તેના સહધ્યાયી બે મિત્રો જમવા માટે પર ગયા હતા. તે દરમિયાન વિદ્યાર્થી ઋત્વિજ કલસરિયા એ રહસ્યમય સંજાેગોમાં એકલતાનો લાભ ઉઠાવી રસોડામાં આવેલા પંખા ના હુક સાથે ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. તેના મિત્રો બહારથી જમીને ઘરે આવ્યા બાદ ઋત્વિજને ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જાેતા તેના રૂમ પાર્ટનર બે મિત્રો ચોકી ઉઠ્યા હતા. અને બૂમો પાડી ઉઠ્યા હતા બૂમો ના કારણે અડોશ પડોશમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. તેઓએ પણ આ દ્રશ્ય જાેઈને ચોકી ઉઠ્યા હતા તે બાદ આ સમગ્ર ઘટનાની જાણ બાપોદ પોલીસ તથા પરિવારજનો તથા કોલેજ કેમ્પસમાં થતા વિદ્યાર્થી આલમમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે આવી બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હાલના તબક્કે વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, માર્ચ 2026
2574 |
વડોદરા |
દિવ્યાંગ યાત્રીએ ચેઇન પુલિંગ કરવા છતાં કોઈ મદદ નહીં મળતાં રેલવેની હેલ્પલાઈન ૧૩૯ પર ફરિયાદ કરવી પડી
ગુજરાત સુપર ફાસ્ટ એકસપ્રેસના વિકલાંગ કોચમાં આણંદથી બેઠેલા દિવ્યાંગ યાત્રી સાથે અન્ય યાત્રીઓએ બેસવા બાબતે બોલાચાલી કરી હતી અને માર માર્યો હતો. દિવ્યાંગ યાત્રીએ હુમલાના પગલે ચેઇન પુલીંગ પણ કર્યું હતું પણ કોઇ મદદ નહી મળતાં તેણે રેલવેના હેલ્પલાઈન નંબર ૧૩૯ પર જાણ કરી હતી. આ સંબંધમાં દિવ્યાંગ યાત્રીની ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે ગહન તપાસ હાથ ધરી છે.વડોદરા રેલવે પોલીસ સૂત્રો મુજબ પ્રફુલચંદ્ર શિવશંકર પંડયા (ઉ.વ. ૬૪), (રે.સુરત), તા. ૦૧/૦૨/૨૦૨૬ના રોજ સવારે સુરત જવા માટે આણંદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેઓ પાસે વિકલાંગ પાસ હોવાથી પ્લેટફોર્મ નં. ૪ પરથી ટ્રેન નં. ૨૨૯૫૪ ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનના વિકલાંગ કોચમાં બેઠા હતા.મુસાફરી દરમિયાન સીટ બાબતે સામાન્ય બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડા જ સમયમાં ઉગ્ર બની ગઈ હતી. વડોદરા સ્ટેશન આવતા પહેલા આશરે સવારે ૦૮:૪૫ વાગ્યે કોચમાં હાજર ચાર અજાણ્યા ઈસમોએ પ્રફુલચંદ્ર સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો અને પ્રફૂલચંદ્ર પંડયાને માર માર્યો હતો. જેમાં એક મુસાફરે પ્રફુલ્લ ચંદ્રના મોઢા પર મુક્કો માર્યો હતો.જેથી તેમણે ટ્રેન રોકવા માટે ચેઇન પુલીંગ કર્યું હતું પણ કોઈ મદદ મળી ન હતી જેથી તેમણે રેલવે હેલ્પલાઈન નંબર ૧૩૯નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. મારા મારી કરનાર બે શખ્સો વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઉતરી ગયા હતા જયારે અને બે મુસાફરો સુરત રેલવે સ્ટેશન ખાતે ઉતર્યા હતા જેમાં એક મહિલા યાત્રીનો પણ સમાવેશ થતો હતો.વડોદરા રેલવે પેાલીસે આ સંબંધમાં ગહન તપાસ હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, માર્ચ 2026
2871 |
વડોદરા |
ફતેગંજ વિસ્તારની સોસાયટીમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો તંત્ર સામે રોષ
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા વચ્ચે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યાં શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી વિષ્ણુકૃપા સોસાયટીમાં ઓછા પ્રેસરથી અને પુરતુ પાણી નહી મળતુ હોવાની અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહી આવતા પાલિકા તંત્રની સામે રોષ વ્યક્ત કરી સમસ્યાનુું નિરાકરણ નહી આવે તો આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી હતી.વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. જ્યારે બીજી તરફ પાલિકામાં ટેન્કર રાજ પણ જાેવા મળી રહ્યુ છે. ગત એક વર્ષ દરમિયાન પાણીની ટેન્કરો પાછળ ૪.૩૮ કરોડનો ખર્ચ થયો છે. જે જાેતા પાલિકા તંત્ર દ્વારા ૯૫ ટકાથી વધુ વિસ્તારોમાં પાણી વિતરણ કરાય છે. તે દાવા કેટલા સાચા તે સ્પષ્ટ થાય છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં પેટ્રોલપંપની પાસે આવેલી વિષ્ણુકૃપા સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ઓછા પ્રેસરથી અને પુરતુ પાણી નહી મળવાની સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યુ નથી. ત્યારે પાણીની સમસ્યાથી ત્રસ્ત સોસાયટીની મહિલાઓ આજે એકઠી થઈને પાલિકા તંત્રની કામગીરી સામે રોષ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતુ કે, ઓછા પ્રેસરથી તેમજ પુરતો સમય પાણી નહી આવતુ હોવાથી તે પણ અનિયમિત ક્યારે સાંજે તો ક્યારે મોડીરાત્રે પાણી આવે છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અમારે પૈસા ખર્ચીને પાણીની ટેન્કર મંગાવવી પડે છે. જાે સમસ્યાનું નિરાકરણ નહી આવેતો આગામી પાલિકાની ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, માર્ચ 2026
3762 |
વડોદરા |
બુલેટ ટ્રેન પ્રૉજેક્ટની કામગીરી: અકોટા- દાંડિયા બજાર બ્રિજ ૨૭મીથી ૧૨ દિવસ સુધી બંધ રહેશે
હાઈસ્પિડ રેલ કોર્પોરેશન લિ. દ્વારા મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનની ચાલી રહેલી કામગીરી અંતર્ગત વડોદરામાં પણ પંડ્યા બ્રિજની પાસે સ્ટેશન સાથે ટ્રેક માટે સ્પાનની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. વડોદરા શહેરમાંથી આ ટ્રેનનો સ્પાન પાંચ બ્રિજ પરથી પસાર થાય છે. જેમાં ચાર બ્રિજ તબક્કાવાર વાહન વ્યવહાર માટે બંધ કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે શહેરમાં બાકી રહેલા એકમાત્ર અકોટા- દાંડિયાબજાર બ્રિજ ઉપર સ્પાન નાંખવાની કામગીરી આગામી તા.૨૭મીથી હાથ ધરાનાર હોવાથી આ બ્રિજ વાહનોની અવર- જવર માટે તા.૨૭મી માર્ચથી તા.૮મી એપ્રિલ સુધી વાહનોની અવર- જવર માટે બંધ રહેશે તેવુ જાહેરનામું શહેર પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. કામગીરી દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું છે.મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ હાઈસ્પિડ રેલ કોર્પોરેશન લિ. દ્વારા શહેરમાં મોટાભાગના પિલરની કામગીરીની સાથે સ્પાનની કામગીરી હાઈટેક મશીનરીના માધ્યમથી ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોડેક્ટ અંતર્ગત વડોદરા શહેરના પાંચ બ્રિજ પરથી પસાર થાય છે. જે પૈકીના ગોરવા-છાણી, શાસ્ત્રી બ્રિજ, જેતલપુર બ્રિજ અને વિશ્વામિત્રી બ્રિજ પર સ્પાન નાંખવાની કામગીરી તબક્કાવાર બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરીને પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે શહેરમાં હવે એકમાત્ર અકોટા- દાંડિયાબજાર બ્રિજ ઉપર બુલેટ ટ્રેનના ટ્રેક માટે સ્ફાનની કામગીરી બાકી છે. આ કામગીરી તા.૨૭મી માર્ચથી હાથ ધરાનાર છે. જે તા.૮મી એપ્રિલ સુધી ચાલશે. ત્યારે આ બ્રિજ આગામી ૧૨ દિવસ વાહનોની અવર- જવર માટે બંધ રહેશે. ત્યારે કામગીરી દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે જેતલપુર બ્રિજ અને ગરનાળુ તેમજ વિશ્વામિત્રી બ્રિજનો ઉપયોગ કરવા જણાવ્યું છે. જાેકે, અકોટા- દાંડિયા બજાર બ્રિજ બંધ રહેતા જેતલપુર બ્રિજ તેમજ સ્ટેશનના ગરનાળામાં સાંજના સમયે ટ્રાફિકજામના દ્રષ્યો સર્જાય તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ અકોટા દાંડિયાબજાર બ્રિજ ઉપર અંદાજીત ૪૫મી.ના સ્પાન નાંખવાની કામગીરી કરવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, માર્ચ 2026
2277 |
વડોદરા |
આજે પોલીસ પહેરા વચ્ચે શ્રીરામની શોભાયાત્રાઓ રાજમાર્ગો ૫ર નીકળશે
વડોદરામાં રામનવમીની ઉજવણીની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. સાંસ્કૃતિક શહેરમાં રામનવમીની ૨૩ શોભાયાત્રા નીકળશે અને ૧૨ જેટલા સ્થળોએ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે મોટી સંખ્યામાં શોભાયાત્રાને કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રામનવમીના પવિત્ર તહેવારની ઉજવણીને લઈને સાંસ્કૃતિક નગરી વડોદરામાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે વડોદરા પોલીસ તંત્ર દ્વારા અત્યારથી જ કડક બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે.વિશેષ કરીને સિટી પોલીસ સ્ટેશન અને કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થનારી શોભાયાત્રાના રૂટ પર પોલીસ કાફલા દ્વારા ‘ફૂટ પેટ્રોલિંગર્ િંકરવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં જવાનોએ સ્થાનિક રહીશો સાથે સંવાદ સાધ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસ દ્વારા શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ધાબા પોઈન્ટ ચેકિંગ અને સાંકડી ગલીઓમાં થતી હિલચાલ પર નજર રાખવા માટે ડ્રોનનો સહારો લેવામાં આવ્યો છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા ખોરવવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે. શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક અને ભીડના વ્યવસ્થાપન માટે પણ વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, માર્ચ 2026
2178 |
સુરતમાં વિધર્મીઓને મિલકત તબદિલીમાં ચાલતાં ભ્રષ્ટાચારનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો
ગાંધીનગર, સુરત : સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારનાં ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રાણાએ આજે વિધાનસભામાં સુરત કલેક્ટરાલય અને પોલીસ તંત્રની જાંઘ ખોલીને મૂકી દીધી હતી. અશાંતધારા કાયદાને આર્થિક ઉપાર્જન એટલે કે ભ્રષ્ટાચારનું સાધન બનાવનાર કલેક્ટરાલય અને પોલીસ તંત્રે ખુલ્લેઆમ રૂપિયા ગજવે ઘાલી વિધર્મીઓનાં હિતમાં હકારાત્મક અભિપ્રાય આપીને અશાંતધારા કાયદાનો સર્વનાશ કર્યો હોવાથી હિન્દુ પરિવારો હિજરત કરી રહ્યાં હોવાનો ગંભીર આક્ષેપ અરવિંદ રાણાએ વિધાનસભામાં કર્યો હતો. છેલ્લા ઘણાં સમયથી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અરવિંદ રાણા આ ગંભીર મુદ્દો ઉઠાવીને કલેક્ટરને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરતાં હતાં પરંતુ માત્ર પોકળ વાયદા સિવાય તેમની રજૂઆતોનું નક્કર નિરાકરણ નહીં આવતાં આક્રામક બનેલાં ધારાસભ્ય અરવિંદ રાણાએ વિધાનસભામાં કલેક્ટરાલય અને પોલીસતંત્રની આબરૂનાં ધજાગરાં ઉડાવ્યાં હતાં. ગુજરાત વિધાનસભામાં આજે અશાંતધારા (સુધારા)વિધેયક બાબતે ચર્ચા ચાલી હતી જેમાં સુરતનાં ધારાસભ્ય અરવિંદ રાણાએ લંબાણપૂર્વક પોતાની રજૂઆત કરી હતી. તેમણે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, તેમનાં રાણાસમાજનાં નવિન રાણાએ નવાપરા વિસ્તારમાં મસ્જિદ નથી અને મંદિર છે તેવી લેખિત રજૂઆતો કરી હોવા છતાં અધિકારીઓએ મસ્જિદે માઝમ હોવાનો તદ્દન ખોટો અહેવાલ આપી વિધર્મીને મિલકત તબદિલી અંગે હકારાત્મક અભિપ્રાય આપી દીધો હતો. નવાપરા અને આસપાસનાં વિસ્તારની છથી સાત ગલીમાં સાત મંદિરો હોવા છતાં કલેક્ટરાલય અને પોલીસ તંત્રનાં અધિકારીઓએ આર્થિક વ્યવહારો કરીને વિધર્મીઓનાં હિતમાં મિલકત તબદિલીનાં હકારાત્મક અભિપ્રાયો આપી દીધાં છે. આ બાબતે સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી જેથી પોલીસ કમિશનરે નાયબ કમિશનરને તપાસ માટે મોકલ્યાં હતાં જેમાં સ્થળ ઉપર મસ્જિદ નહીં હોવાનું પ્રસ્થાપિત થયું હતું. આ કિસ્સામાં ગાંધીનગર એસએસઆરડી પાસેથી કેસ રીવ્યુ કરી પ્રકરણ પરત મેળવી અશાંતધારાની પરવાનગી રદ્દ કરવાની ખાતરી આપવામાં આવી હતી. ધારાસભ્ય અરવિંદ રાણાએ વિધાનસભામાં સુરત શહેરમાં અશાંતધારા કાયદાનાં અમલમાં ચાલી રહેલી ગોબાચારીને ઉજાગર કરતાં કહ્યું હતું કે, તેમનાં વિસ્તારમાં વિધર્મીઓને મિલકત તબદિલીનાં ૮૦ ટકા કિસ્સામાં હકારાત્મક અભિપ્રાય આપી દેવાયા છે જેમાં કલેક્ટરાલય અને પોલીસ તંત્રનાં અધિકારીઓએ આર્થિક વ્યવહાર કરીને હકારાત્મક અભિપ્રાય આપ્યાં છે. વિધર્મીઓ મિલકત લઇ લે ત્યારપછી નવરાત્રિ જેવાં હિન્દુ તહેવારોની ઉજવણી વેળા ફરિયાદો કરીને માનસિક ત્રાસ આપતા હોવાથી હિન્દુ પરિવારો ત્રાસી ગયાં છે. બીજીવાત તેમણે એવી કરી હતી કે, હિન્દુઓ પાસેથી મિલકત તબદિલ કરાવી લીધા બાદ વિધર્મીઓ તુર્ત જ મિલકત જમીનદોસ્ત કરી દે છે જેથી મિલકત તબદિલીની કાર્યવાહીની સમીક્ષા પણ થાય તો પણ હિન્દુને તેની મિલકત મળી શકે જ નહીં. અધિકારીઓની ભ્રષ્ટ નીતિને કારણે સ્થાનિક હિન્દુ પરિવારોને સરકારી તંત્ર ઉપર વિશ્વાસ જ રહ્યો નથી. હિન્દુ વિસ્તારમાં ૩૭ મિલકતોમાં વિધર્મીઓને તબદિલ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં સ્થાનિક રહિશોની સંમતિ કે જાણ વિના મિલકત તબદિલીની મંજૂરી મળી જાય છે અને વિધર્મીઓ તે મિલકત ઉપર એપાર્ટમેન્ટ બનાવે છે જેમાં વિધર્મીઓ પરિવાર સાથે વસવાટ કરવા આવી જઇને હિન્દુ પરિવારોનું જીવન દોહ્યલું બનાવી દેતા હોવાથી હિન્દુ પરિવારો હિજરત કરી જાય છે જે પાપ વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિધર્મીઓને મિલકત તબદિલીની પરવાનગી આપવામાં સૌથી ભૂંડી ભૂમિકા મામલતદારની છે તેઓ સંબંધિત મિલકતની આસપાસ કે સામે રહેનારા પરિવારની સંમતિ કે જાણ કર્યા વિના હકારાત્મક અભિપ્રાય આપે છે. આવી ૮૦ ટકા મિલકતોમાં ખોટી રીતે હકારાત્મક અભિપ્રાય આપી દેવાયા છે.જે મિલકતમાં રૂપિયા મળ્યાં ના હોય તે કિસ્સામાં નકારાત્મક અભિપ્રાય અપાય છે. આ બાબતે ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કરી ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની રજૂઆત પણ અરવિંદ રાણાએ કરી હતી. અશાંતધારા વિસ્તારોમાં વિધર્મી દ્વારા મિલકતની તબદિલીની મંજૂરી માટે આવે ત્યારે જે તે મિલકત ઉપર ખરીદનાર પક્ષકાર દ્વારા ગુજરાતી ભાષામાં બોર્ડ મારવા જાેઇએ અને આવા બોર્ડ કે બેનર ફરજિયાત લગાવવાની ગાઇડલાઇન સમગ્ર રાજ્યમાં આપવાની ભલામણ કરવા સાથે અરવિંદ રાણાએ વધુમાં મિલકત તબદિલીનાં વિવાદાસ્પદ અને આક્ષેપાત્મક કિસ્સાની પુન: સમીક્ષા કરવાની સત્તા કલેક્ટરને આપવી જાેઇએ તેવી પણ રજૂઆત વિધાનસભામાં કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, માર્ચ 2026
2178 |
ગુજસીટોકમાંથી ‘આતંકવાદ’ શબ્દ હટાવાયો હવે ફોકસ માત્ર સંગઠિત ગુનાખોરી પર રહેશે
ગાંધીનગર : ગુજરાત સરકારે રાજ્યના કાયદાકીય માળખામાં મોટો ફેરફાર કરવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિધાનસભાના સત્રના અંતિમ દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (સુધારા) વિધેયક, ૨૦૨૬’ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ સુધારા વિધેયક દ્વારા હાલના કાયદામાંથી ‘આતંકવાદ’ અને ‘આતંકવાદી કૃત્યો’ જેવા શબ્દો સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારના આ ર્નિણય પાછળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ છે, જેમાં આતંકવાદ સંબંધિત ગુનાઓ માટે પહેલેથી જ કડક જાેગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના મત મુજબ, જાે રાજ્ય અને કેન્દ્રના કાયદામાં એકસરખી જાેગવાઈઓ રહેશે તો તપાસ અને કાર્યવાહી દરમિયાન ગૂંચવણ સર્જાઈ શકે છે. તેથી આતંકવાદ સંબંધિત તમામ કેસો હવે રાષ્ટ્રીય કાયદા હેઠળ જ હાથ ધરાશે. આ સુધારા પછી કાયદાનું નામ બદલીને ‘ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ’ કરવામાં આવશે. એટલે કે, કાયદાનો વ્યાપ હવે માત્ર સંગઠિત ગુનાખોરી સુધી મર્યાદિત રહેશે. પ્રસ્તાવિત સુધારા મુજબ કલમ ૨ અને ૩માં સમાવિષ્ટ આતંકવાદી પ્રવૃત્તિઓની વ્યાખ્યા અને સજાની જાેગવાઈઓને રદ કરવામાં આવશે. સરકારના મતે, આ ફેરફાર બાદ રાજ્ય સરકાર સ્થાનિક સ્તરે કાર્યરત ગુનાહિત ગેંગ, માફિયા નેટવર્ક અને સંગઠિત ગુનાખોરી સામે વધુ અસરકારક રીતે કાર્યવાહી કરી શકશે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મામલાઓ માટે કેન્દ્રીય એજન્સીઓ અને કાયદા કાર્યરત રહેશે. આ બિલ દ્વારા રાજ્યના કાયદાને નવા ફોજદારી કાયદાઓ સાથે સુસંગત બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. જૂના ઇન્ડિયન પીનલ કોડ અને ક્રિમિનલ પ્રોસિજર કોડના સ્થાને હવે નવા કાયદા—ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ—ના સંદર્ભો ઉમેરવામાં આવશે. આથી કાયદાકીય પ્રક્રિયા વધુ આધુનિક અને સ્પષ્ટ બનશે. ભલે આતંકવાદ સંબંધિત કલમો દૂર કરવામાં આવી હોય, પરંતુ સંગઠિત ગુનાખોરી સામેના કડક પગલાં યથાવત રાખવામાં આવ્યા છે. ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલી મિલકતોની જપ્તી અને સરકાર હસ્તક લેવાની જાેગવાઈઓ વધુ મજબૂત કરવામાં આવી છે. સાથે જ, જાે કોઈ સરકારી અધિકારી પોતાની ફરજમાં નિષ્ફળ જશે, તો તેના સામે પણ ત્રણ વર્ષ સુધીની સજાની જાેગવાઈ યથાવત રહેશે. આ સુધારા વિધેયક હેઠળ પોલીસને સંગઠિત ગુનાઓની તપાસ માટે વધુ સત્તાઓ આપવામાં આવશે, જ્યારે આવા કેસો ઝડપી નિકાલ માટે વિશેષ કોર્ટ અને પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની જાેગવાઈ પણ કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, માર્ચ 2026
2178 |
ગુજરાતમાં ઈંધણ અછત: ઈન્ડક્શન, ઈ-વ્હીલર બાદ હવે નવા ગેસ કનેક્શનની માગમાં વધારો
અમદાવાદ : રાજ્યમાં ગેસની અછત સર્જાય તેવી આશંકા સામે ગેસ સિલિન્ડરના કાળાબજારિયાઓ બેફામ બન્યા હતા. જેની સામે પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં નવા ગેસ સિલિન્ડર કનેક્શન માટે ઇન્ક્વાયરીમાં વધારો થયો છે. અમદાવાદમાં ગેસ એજન્સીઓની ૧૦૦ જેટલી ઓફિસ છે જ્યાં રોજની ૫થી ૬ નવા કનેક્શન માટે અરજીઓ આવી રહી છે. બીજી તરફ અનરજિસ્ટર્ડ કનેક્શનને રજિસ્ટર્ડ કરાવી લેવા ગેસ એજન્સી સંચાલકોએ અપીલ કરી છે. અમેરિકા-ઇઝરાઈલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે રાંધણગેસમાં અછત વર્તાઈ રહી છે અને ગ્રાહકોને ગેસ સિલિન્ડર બુકિંગ માટે આપવામાં આવતા દિવસોમાં વધારો થતાં લોકોએ એજન્સીઓ પર લાઇનો જાેવા મળી રહી છે. દરમિયાન માર્કેટમાં ગેસ સિલિન્ડરના કાળા બજાર કરનારા તત્વોની વિગતો બહાર આવી છે. ત્યારે આ ળાબજારિયાઓ પર પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી પર પુરવઠા વિભાગની કાર્યવાહીને પગલે નવા કનેક્શન માટે ઇન્ક્વાયરીમાં વધારો થયો છે. ગેસ એજન્સીઓ પર રોજ પાંચથી છ નવા કનેક્શન માટે અરજી આવી રહી છે. અમદાવાદમાં ૧૦૦ જેટલી ગેસ એજન્સીની ઓફિસો કાર્યરત છે. જાેકે હાલમાં ઓઇલ કંપનીઓ દ્વારા નવા કનેક્શન આપવાનું બંધ કરાયું છે. જેથી જ્યારે કંપનીઓ દ્વારા નવા કનેક્શન આપવાનું શરૂ કરાશે ત્યારે તમામ અરજીઓ પર કામગીરી હાથ ધરાશે. બીજી તરફ એજન્ટો મારફતે જે લોકો કોમર્શિયલ ગેસ સિલિન્ડર મેળવતા હતા, તેઓને સિલિન્ડર લેવામાં મુશ્કેલી પડી રહી છે. આવા અનરજિસ્ટર્ડ લોકોને ગેસ એજન્સીમાં જઇ કનેક્શન રજિસ્ટર કરાવી લેવા એજન્સી સંચાલકોની અપીલ કરી છે. રેગ્યુલર ગેસ સિલિન્ડર સપ્લાય મેળવવા કનેક્શન રજિસ્ટર્ડ કરાવવું જરૂરી છે. આ અંગે ન્ઁય્ ફેડરેશન ઓફ ગુજરાત સર્કલના વાઇસ પ્રેસિડેન્ટ શૈલેષ પટેલ જણાવે છે કે, નવા કનેક્શનોની અરજી દિવસમાં પાંચ-છ તો આવે છે અને આખા ગુજરાતમાં જાેવા જઈએ તો અત્યારે અછતના હિસાબે નવા કનેક્શનની અરજીઓ ઘણી આવે છે. એવા વ્યક્તિઓની અરજીઓ આવે છે કે જે ડબલ બોટલ કનેક્શન ધરાવતા હતા અને ફેમિલીથી અલગ થયા છે અને અત્યારે એમને પીએનજીની પણ લાઈન વેટિંગમાં હોય. વધુમાં બે-બે બોટલ વાપરતા હોય અને અલગ અલગ ફેમિલીમાં હોય તેવા લોકો નવું બીજું કનેક્શન લેવાની ઇન્ક્વાયરી કરી રહ્યા છે. હાલમાં અનરજિસ્ટર્ડ કનેક્શનને રજિસ્ટર્ડ કરાવી લેવા ગ્રાહકોને ગેસ એજન્સી સંચાલકોની અપીલ છે. માર્કેટની અંદર પ્રાઇવેટ પ્લેયર્સને ગણતા ગણી જે કન્ઝમ્પશન છે તેના ૨૫થી ૩૦%થી ઉપરના કસ્ટમરો જે છે જે અનરજિસ્ટર્ડ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, માર્ચ 2026
2376 |
ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ જાહેર હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા સહિત ૧૯ ટોચના નેતાઓને સ્થાન
અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિ તેજ કરી દીધી છે. ભાજપ દ્વારા આજે સત્તાવાર રીતે ‘પ્રદેશ ચૂંટણી સમિતિ’ની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં સરકાર અને સંગઠનના ૧૯ દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ આગામી ચૂંટણીમાં ટિકિટ ફાળવણી અને વ્યૂહરચનાનો આખરી ર્નિણય લેશે. ભાજપની આ ઉચ્ચ સ્તરીય સમિતિમાં રાજ્યના વહીવટી અને સંગઠન માળખાના પ્રભાવશાળી ચહેરાઓને સ્થાન મળ્યું છે. સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જગદીશ વિશ્વકર્મા જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી સમગ્ર રાજ્યમાં પક્ષની પકડ મજબૂત રહે. માત્ર સત્તામાં રહેલા મંત્રીઓ જ નહીં, પણ પક્ષના જૂના અને અનુભવી નેતાઓને પણ આ સમિતિમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ સમિતિમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખોનો વિશેષ આમંત્રિત સભ્યો તરીકે સમાવેશ કરાયો છે. આ ઉપરાંત, સંગઠનના વરિષ્ઠ પદાધિકારીઓને પણ ર્નિણય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા છે, જેથી પાયાના કાર્યકરોની લાગણીને વાચા મળી શકે. ચૂંટણી સમિતિની જાહેરાત થતાની સાથે જ હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ વેગ પકડશે. આગામી દિવસોમાં સમિતિની બેઠકો મળશે જેમાં દાવેદારોના નામો પર ચર્ચા-વિચારણા કર્યા બાદ આખરી લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ભાજપનો ઉદ્દેશ્ય ક્લીન ઈમેજ અને જીતી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો છે. આ સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત સંગઠનના પ્રદેશ હોદ્દેદારો અને સરકારના વરિષ્ઠ મંત્રીઓનો સમાવેશ થાય છે. આ ૧૯ સભ્યોની ટીમ આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય રથ આગળ ધપાવવા માટે જવાબદાર રહેશે.ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી સમિતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ મંત્રી પ્રદ્યુમન વાજા સાંસદ અને પ્રદેશ ઉપપ્રમુખ રાજેશ ચુડાસમા પ્રદેશ ઉપપ્રમુખ નટુજી ઠાકોર અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવા મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ અંજુબેન વેકરિયા વિશેષ આમંત્રિત તરીકે સી.આર પાટીલ વિશેષ આમંત્રિત તરીકે પરશોત્તમ રૂપાલા વિશેષ આમંત્રિત તરીકે જીતુ વાઘાણી પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી ફળદુ આમંત્રિત સભ્ય તરીકે જયશ્રીબેન પટેલ આમંત્રિત સભ્ય તરીકે વર્ષાબેન દોશી ભાજપના કોર ગ્રુપના ૧૧ સભ્યોના નામ જાહેર કરાયા હતા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, માર્ચ 2026
2277 |
અશાંત એરિયા હવે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે
ગાંધીનગર : રાજ્યમાં અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે અત્યંત અસરકારક સુધારા સૂચવતું સુધારા વિધેયકને વિધાનસભા ગૃહમાં બહાલી અપાઈ છે. આમ, હવેથી અશાંત વિસ્તાર નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે. ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જાેગવાઈ કરવા બાબત(સુધારા) વિધેયક-૨૦૨૬ રજૂ કરતી વખતે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે. આ વિધેયકના મુખ્ય સુધારાઓ અને જાેગવાઈઓ વિશે મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ કાયદાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વના સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે. ‘નારાજ વ્યક્તિ’ના વ્યાપમાં વધારો: હવે નિર્દિષ્ટ વિસ્તારમાં રહેતી કોઈ પણ વ્યક્તિ પોતાના હિતોના રક્ષણ માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી શકશે. જાહેર વ્યવસ્થાનું રક્ષણ : જે વિસ્તારમાં જાહેર વ્યવસ્થાનો ભંગ થવાની સંભાવના હોય, તેવા વિસ્તારને પણ કાયદાની જાેગવાઈઓ અનુસાર ‘નિર્દિષ્ટ વિસ્તાર’ જાહેર કરી શકાશે. કલેક્ટરની સત્તામાં વધારો: મિલકતના રક્ષણ માટે કલેક્ટર ‘સુઓ મોટો’ (સ્વત: સંજ્ઞાન) અથવા કોઈપણ નારાજ વ્યક્તિની અરજી પર તપાસ કરી શકશે. જાે મિલકતની તબદીલી વાંધાજનક જણાશે, તો કલેક્ટર તે મિલકત પોતાના કબજામાં લઈ શકશે. નાણાકીય સહાયની સુવિધા : લોકોની આર્થિક હાડમારી દૂર કરવા માટે નવી જાેગવાઈ ઉમેરવામાં આવી છે, જે મુજબ નિર્દિષ્ટ વિસ્તારની વ્યક્તિ પોતાની મિલકત નાણાકીય સંસ્થાઓમાં ગિરો મૂકીને લોન કે સહાય મેળવી શકશે. તપાસ અને સલાહકાર સમિતિ : નિર્દિષ્ટ વિસ્તાર જાહેર કરવા બાબતે વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ખાસ તપાસ ટીમ અને દેખરેખ તથા સલાહકાર સમિતિની ભૂમિકાને વધુ અસરકારક બનાવવામાં આવી છે. આ સુધારા દ્વારા રાજ્ય સરકાર નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતધારકોના અધિકારોનું રક્ષણ કરી, સામાજિક સદભાવ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે તેવો વિશ્વાસ મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાએ વ્યક્ત કર્યો હતો
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
25, માર્ચ 2026
3069 |
સુરત |
સુરત શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે પાર્ટીનાં નેતા રૂષિન રાયકા સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી
શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ દીપ નાયકે બાબુ રાયકાનાં દિકરા રૂષિન સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવતાં રાજકીય ગલિયારામાં ભારે ચકચાર મચી છે.ઉમરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર અંબિકા નિકેતન પાસે ગોકુલ રો-હાઉસમાં રહેતા દીપ સુરેશભાઈ નાયક શેરબજારમાં ટ્રેડિંગનું કામકાજ કરે છે. જયારે તેમના પત્ની તૃપ્તિબેન ટ્યૂશન ક્લાસ ચલાવે છે. દીપની માતા દક્ષાબેન ૧૯૮૯ની સાલથી નાનપુરા, ચોકી શેરી સ્થિત ગોવર્ધન એપાર્ટમેન્ટમાં દર્શન ગેસ સર્વિસ નામથી એજન્સી ચલાવતા હતાં. ૨૦૦૬ ની સાલમાં આ એજન્સી બંધ કરી તેઓએ દર્શન ટ્રાન્સપોર્ટ શરૂ કર્યું હતું. જેમાં તેઓએ હજીરા ખાતે ઇન્ડિયન ઓઇલ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર ટ્રક મૂક્યા હતાં. વર્ષ ૨૦૨૩નાં અરસામાં દીપ નાયક સુરત શહેર કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા. એ સમયે તેમને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાનાં પુત્ર તથા કોંગ્રેસ કારોબારી સમિતિનાં સભ્ય રૂષિન રાયકા (રહે. વિસત બંગલો સુમન દેસાઇની વાડી ઉધના દરવાજા) સાથે સારી મિત્રતા થઈ હતી. એ સમયે દીપ નાયકને જાણવા મળ્યું હતું કે, રૂષિન રાયકા વ્યાજે નાણાં આપવાનું કામ કરે છે. ડિંડોલીનાં કરાડવા ગામે આવેલી દીપ નાયકની ભાગીદારીની ખેતી લાયક જમીનમાં ૨૦૧૮માં સુડાનાં રિઝર્વેશનમાં આવી હતી. રૂષિન રાયકા એ જણાવ્યું હતું કે,અમારી સરકારી ખાતામાં ખૂબ જ સારી ઓળખાણ છે, હું તમારી જમીન રિઝર્વેશનમાંથી મુક્ત કરાવી દઈશ. જેથી નાયકે એ જમીનનાં દસ્તાવેજાે રાયકાને બતાવ્યા હતાં. બાદમાં રાયકાએ જણાવ્યું હતું કે, જાે તમને વઘારે જરૂર હોય તો તમને માસિક ૬ ટકા વ્યાજે નાણાં આપી શકુ એમ છું. તમારી જમીનનો નિકાલ થાય ત્યારે પરત કરી દેજાે. નાયકનાં પરિવારની આર્થિક સ્થિતિ કથળેલી હોવાથી તેઓ વ્યાજ ઉપર નાણાં લેવા તૈયાર થયા હતાં. રાયકાએ સપ્ટેમ્બ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ સુધીનાં સમયગાળા દરમિયાન ટુકડે ટુકડે ૧,૦૫,૦૦,૦૦૦ રૂપિયા વ્યાજે આપ્યા હતાં. જેની સામે નાયકે ટુકડે ટુકડે કુલ ૧,૨૭,૦૦,૦૦૦ રૂપિયા ચુકવી દીધા હતાં. સવા ગણાં રૂપિયા આપ્યા છતાં રાયકાએ નાયક પાસેથી બીજા ૧,૯૫,૬૩,૦૦૦ રૂપિયાની વ્યાજ પેટે માંગણી કરવા માંડી હતી. વ્યાજે નાણાં આપતી વેળા રાયકાએ સીકયુરિટી પેટે નાયક પાસે છ ચેક અને તેમની પત્ની પાસે એક કોરા ચેક પર સહી કરાવી હતી. આ ચેકનો દુરુપયોગ કરી રૂષિન રાયકાએ દીપ નાયકની પત્ની તૃપ્તિનાં ચેકમાં ૧૫,૦૦,૦૦૦ રૂપિયા રકમ ભરી રીટર્ન કરાવ્યો હતો. સાથે જ દીપે આપેલા ચેકોમાં કુલ ૧,૮૦,૬૩,૦૦૦ રૂપિયા ભરી તે પણ રીટર્ન કરાવ્યા હતાં. આ રીતે કુલ ૧,૯૫,૬૩,૦૦૦ રૂપિયાના ચેક રીટર્ન અંગે રાયકાએ નાયક દંપતી સામે કોર્ટમાં ફરિયાદો કરી હતી. સાથે જ પોલીસ કેસ કરી જેલ ભેગા કરાવી દેવાની ધમકી આપવા માંડી હતી. જેથી નાયકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, માર્ચ 2026
4059 |
સુરત |
કિરણ હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ નવજાત શિશુનાં મોત અંગે તબીબી બેદરકારીનો આક્ષેપ
કતારગામમાં આવેલી કિરણ હોસ્પિટલમાં ગતરોજ સિઝેરિયન પ્રસુતિ બાદ નવજાત શિશુનાં મોતથી માહોલ ગરમાયો હતો.પરિવારજનો દ્વારા કલાકો સુધી કોઈ પણ પ્રકારની સારવાર નહીં આપી હોવાના અને ડોક્ટરની બેદરકારી તેમજ ભૂલને કારણે નવજાતનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.કતારગામ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેડ રોડ ખાતે આવેલ શિવછાય સોસાયટી,પ્રમુખદર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતા મિતલબેનને ગઈ કાલે બપોરે પસૂતિનો દુખાવો ઉપડતા કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં સાંજે સીઝર ડિલિવરી થયા બાદ તેમના નવજાત શિશુને ડો.રુત શાહ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ પોલીસ દ્વારા નવજાતનાં મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.દરમ્યાન આજે સવારે પોસ્ટમોર્ટમ રૂમની બહાર હાજર પિતા રાહુલભાઈએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે તેઓ પત્ની મિતલબેન રૂટિન ચૅકઅપ કરાવવા માટે કિરણ હોસ્પિટલમા લઇ ગયા હતા.ત્યારે ડોક્ટર રુત શાહે ડિલિવરીનું ટાઈમ નજીક આવી ગયું છે તેથી એડમિટ થઇ જવા માટે સલાહ આપી હતી, તેથી અમે તેજ સમયે એડમિટ કરી દીધા હતા.ત્યાર બાદ ૧૧ વાગ્યાથી લઈને સાંજના ૪ વાગ્યા સુધી ડોકટરો દવારા કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં નથી આવી હતી ફક્ત બેડ ઉપર બેસાડી રાખવામાં આવ્યું હતું,કોઈ રૂટિન ચેકઅપ પણ નહીં કરવામાં આવ્યું હતું અને પછી સાંજે ૬.૩૦ વાગ્યે ડોક્ટર આવીને કહેવા લાગ્યા હતા કે તાત્કાલિક ડિલિવરી કરાવી પડશે બાળકના ધબકારા નથી,ત્યાર બાદ ડોકટરોએ સીઝર કર્યું હતું અને અમારા હાથમાં મૃત બાળકને લાવીને સોંપી દીધું.આ સમગ્ર કેસમાં ડોક્ટર રુત શાહ અને તેમની બેદરકારી છે, તેમની ભૂલને કારણે મારા બાળકનું અવસાન થયું છે.અમારી માંગ છે કે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ સાથે આવું બનાવ ન બને. વધુમાં જાણવા મળ્યું હતું કે રાહુલ કાચરીયા હીરા ઘસવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.આ તેમનું પ્રથમ બાળક હતું. હાલમાં નવજાત શિશુના મુતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. મૃતદેહનું પેનલમાં પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે.આ બનાવ અંગે કતારગામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જી. વાઘેલા તપાસ કરી રહ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ધાર્મિક
25, માર્ચ 2026
1980 |
સુરત |
સ્વામીનારાયણ ગુરુકૂળમાં બ્રહ્મ મહોત્સવનો પ્રારંભ
ચૈત્રી નવરાત્રિમાં સુરતનાં વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળમાં બ્રહ્મ મહોત્સવનો ભાવભક્તિપૂર્વક પ્રારંભ થયો હતો. સંતો હરિભક્તોએ વ્રતની દીક્ષા ગ્રહણ કરી હતી. જેમાં પ્રભુસ્વામી, ધર્મસંભવ સ્વામી, ભક્તિતનય સ્વામી સહિતનાં સંતોએ બ્રહ્મ મહોત્સવ ઉપક્રમે ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું. ધર્મવલ્લભદાસજી સ્વામીએ નાડાછડી બાંધી દીક્ષા આપી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, માર્ચ 2026
2772 |
સુરત |
યુદ્ધને કારણે સુરતમાં કાપડ ઉત્પાદન ૫૦ ટકા ઘટીને દૈનિક ૩ કરોડ મીટર થઇ ગયું
પશ્ચિમ એશિયામાં ઇરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ૨૬માં દિવસમાં પ્રવેશી ચૂક્યું છે, યુદ્ધની સૌથી ઘેરી અસર સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગ પર પડી છે. પેટ્રોલિયમ પેદાશમાંથી બનતા કેમિકલ્સ કેમિકલ્સમાંથી તૈયાર થતાં યાર્ન પર આધારિત સુરતનાં મેન મેઇડ ફાઇબર બેઝ ઉદ્યોગમાં છેલ્લા ૨૫ દિવસ દરમિયાન કાપડનું ઉત્પાદન તબક્કાવાર ઘટીને આજે અડધું થઇ ગયું છે. સામાન્ય સંજાેગોમાં સુરતમાં કાપડ ઉત્પાદનની ક્ષમતા દૈનિક ૬ કરોડ મીટરની છે, પણ યુદ્ધને પગલે રો-મટીરિયલમાં થયેલા ભાવ વધારાને કારણે સુરતનું કાપડ ઉત્પાદન ઘટીને ફક્ત ૩ કરોડ મીટર થઇ ગયું છે. સૌથી ઘેરી અસર વણાટ (વીવીંગ) ઉદ્યોગ પર પડી છે. વીવિંગ ઉદ્યોગકારો યાર્નમાંથી કાપડ બનાવી રહ્યા છે. ગ્રે હોય કે ફિનિશ્ડ કાપડમાં ઘરાકીના અભાવે વણાટ ઉદ્યોગના કારખાનેદારોએ ઓર્ડર મુજબ ગ્રે કાપડ કે ફિનિશ્ડ ફેબ્રિકનું ઉત્પાદન શરુ કર્યું છે. અગાઉ કારખાનેદારો એડવાન્સમાં કપડું બનાવીને ગોડાઉનમાં સ્ટોર કરી રાખતા હતા પરંતુ, હવે ઘરાકી જ નથી અને યાર્નના ભાવો ૩૫ ટકા સુધી વધી ગયા હોઇ, ખપ પૂરતું ઉત્પાદન થઇ રહ્યું છે, જેને કારણે સુરતમાં કાપડ ઉત્પાદન ઘટીને અડધું થઇ ગયું છે.સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં અઘોષિત વેકેશન ચાલી રહ્યું હોવાનું જણાવતા કેદારનાથ શર્મા કહે છે કે ટેક્સ્ટાઈલ માર્કેટોનાં માહોલ પરથી સામાન્ય વ્યક્તિ કહી શકે કે બજારમાં ઘરાકી નથી. માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે અને તેમાં ગઇ તા.૨૮મી ફેબ્રુઆરીથી પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિએ સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં દાટ વાળી દીધો છે. બહારગામની મંડીઓમાંથી ન તો સાડીના ઓર્ડર મળી રહ્યા છે ન તો ડ્રેસ મટીરિયલની કોઇ ડીમાન્ડ છે. હિસાબી વર્ષ છ દિવસ પછી પૂર્ણ થવાનું છે એટલે તા.૧લી એપ્રિલ સુધી તો આમેય ઇન્કમટેક્સની કલમ ૪૩ બી (એચ)ને કારણે બજારમાં આમેય ઘરાકી નથી પણ યુદ્ધની સ્થિતિએ કાપડના ઉત્પાદનને પણ તળીયે પહોંચાડી દીધું છે. વીવિંગ ઉદ્યોગનાં આગેવાન મિતલ પટેલ કહે છે કે તેમની ફેક્ટરીમાં છેલ્લા ત્રણ અઠવાડિયામાં ત્રણ ત્રણ દિવસ ઉત્પાદન થતું નથી. ગ્રે કાપડની ડિમાંડ નથી અને એડવાન્સમાં કાપડ બનાવીને સ્ટોર કરવું મુનાસિબ નથી કેમકે હાલમાં જે રીતે યાર્નના ભાવ વધ્યા છે એ જાેતા કાપડનું કોસ્ટીંગ ૩૫ ટકા ઉંચુ જાય તેમ છે અને એટલા ઉંચા ભાવે ના તો ટ્રેડર્સ ખરીદશે ના તો રીટેલ કસ્ટમર ઉંચા ભાવનું ફેબ્રિક ખરીદવાનું પસંદ કરશે. આમ ઉત્પાદન સાવ અડધું થઇ જવા પામ્યુ છે. ફોગવા પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાનું કહેવું છે કે યુદ્ધને કારણે ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં તમામ સ્ટેક હોલ્ડર્સને વ્યાપક અસર પહોંચી છે પરંતુ, વીવીંગ કારખાનેદારોને સૌથી માઠી અસર પહોંચી છે અને હાલમાં કારખાનેદારોની સ્થિતિ ન કહેવાય ન સહેવાય જેવી થઇ છે. અશોક જીરાવાલાએ કહ્યું કે હાલમાં ફોગવા દ્વારા માર્કેટ સરવે કરવાઇ રહ્યો છે. ફોગવાના મેમ્બરો, કારખાનેદારો ટેલિફોનિક વાતચીતમાં જણાવી રહ્યા છે કે કારખાનામાં ઉત્પાદન પહેલા કરતા સાવ અડધું થઇ ગયું છે કેમકે બજારમાં ઘરાકી જ નથી. અશોક જીરાવાલાએ કહ્યું કે અત્યાર સુધી કારખાનેદારને જેટલા પણ ફીડબેક મળ્યાં એમાં ૮૦ ટકા કારખાનેદારો એવું ઇચ્છી રહ્યાં છે કે ઉત્પાદન કાપ મૂકવામાં આવે. એવી જ રીતે સુરતથી સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સના પાર્સલ દેશભરમાં જુદા જુદા રાજ્યોની કપડા મંડીઓ સુધી પહોંચાડી રહેલા ટ્રાન્સપોર્ટર્સનું પણ કહેવું છે કે સામાન સંજાેગોમાં સુરતમાંથી દૈનિક ૨૨૦ જેટલી ટ્રકો ભરીને માલ રવાના કરવામાં આવતો હતો. છેલ્લા વીસેક દિવસથી માલ રવાનગી ઘટી ગઇ છે અને હવે માંડ દૈનિક ૧૦૦ ટ્રક જેટલો માલ રવાના થઇ રહ્યો છે. સુરતથી બહારગામ જેટલી ટ્રકો મોકલવામાં આવી રહી છે તેમાં પણ પાર્સલ ફુલ્લી લોડેડ હોતા નથી. ટેક્સ્ટાઈલ ઉદ્યોગના ઉપરોક્ત તમામ સ્ટેક હોલ્ડર્સ આગેવાનોની વાતનો સાર એ જ નીકળી રહ્યો છે કે માર્ચ એન્ડિંગ, ઇન્કમટેક્સની કલમ ૪૩ બી (એચ), પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે રો-મટીરિયલમાં થયેલો ભાવ વધારો બધું એક સમયગાળામાં આવી જતા સુરતમાં કાપડ ઉત્પાદન માર્ચ ૨૦૨૬ મહિનામાં ઘટીને સાવ અડધું થઇ ગયું છે. સુરત દૈનિક ૬ કરોડ મીટર કાપડ ઉત્પાદન કરી રહ્યું હતું, જે હાલમાં ૩ કરોડ દૈનિક ઉત્પાદન પર પહોંચી ગયું છે જાે યુદ્ધ લાંબુ ચાલશે તો સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગને ઘેરી અસર થશે એ અત્યારથી વર્તાવા માંડ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
25, માર્ચ 2026
3069 |
સુરત |
શહેર અને જિલ્લાનાં પાંચ પ્રતિનિધિ સાથે ભાજપની ચૂંટણી સમિતિમાં સુરતનું વજન વધ્યું
નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે અને માર્ચ મહિનાનાં અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં વાવ-થરાદની મુલાકાત પછી ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના સેવાઇ રહી છે ત્યારે ભાજપ હાઇકમાન્ડે પ્રદેશ ચૂંટણી સમિતિની આજે જાહેરાત કરી હતી. આ ચૂંટણી સમિતિમાં સુરત શહેર અને જિલ્લાનાં પાંચ પ્રતિનિધિનો સમાવેશ કરીને સુરતનું પ્રદેશ તેમજ રાષ્ટ્રીય સ્તરે કેટલું મહત્વ છે તે સાબિત કરી આપ્યું છે.આશ્ચર્યની વાત તો એ છે કે, અમદાવાદ-કર્ણાવતીમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ જિલ્લામાંથી પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મળીને માત્ર ત્રણ નેતાનો જ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે પાટનગર ગાંધીનગરમાંથી પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઇને ડાંગ સુધીનાં સાત જિલ્લા અને બે મહાનગર પાલિકા છે પરંતુ સુરત શહેર અને જિલ્લા સિવાયનાં જિલ્લા કે મહાનગર પાલિકામાંથી એક પણ નેતાની પ્રદેશ ચૂંટણી સમિતિમાં પસંદગી કરવામાં આવી નથી. સુરત શહેરમાંથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, અનુસુચિત જનજાત મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ ધારાસભ્ય ગણપત વસાવા તેમજ પ્રદેશ મહિલા મોરચાનાં અધ્યક્ષ અંજુ વેકરિયાને ચૂંટણી સમિતિમાં જવાબદારી સોંપી છે જ્યારે કેન્દ્રીય મંત્રી સુરતનાં સી.આર.પાટિલને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. સી.આર.પાટિલનાં વિરોધી જુથનાં મનાતા ગણપત વસાવાનો ચૂંટણી સમિતિમાં સમાવેશ કરીને ભાજપ હાઇકમાન્ડે સુરતનાં બે જુથને બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો હોય તેમ જણાય છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...