આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, મે 2026
3564 |
૧૫૦૦ રૂપિયા બાબતે મિત્ર સાથે કરેલી માથાકૂટ બાબતે ચપ્પુનાં ઘા મારી કિશોરની ઘાતકી હત્યા
પૈસા બાબતે મિત્ર સાથે માથાકૂટ કરનારને સમજાવવા તેના ઘરે ગયેલા કિશોરને છાતીમાં ચપ્પુનો ઘા ઝીંકી હત્યા કરાયાનો બનાવ પાંડેસરામાં બન્યો હતો. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર હરિઓમનગરમાં સંતોષ રામગોપાલ ગુપ્તા તેના પરિવાર સાથે રહે છે. મધ્યપ્રદેશનાં રિવા જિલ્લાનો વતની સંતોષ દેવકીનંદન સ્કુલ પાસે નાસ્તાની લારી ચલાવે છે. તેમને સંતાનમાં બે દિકરા અને બે દીકરી છે. ત્રણ નંબરનો દિકરો દેવા ગુપ્તા પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલી બી. જી. મિશ્રા સ્કુલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. ૨૦મી તારીખે સાંજે સાડા ચારેક વાગ્યાનાં અરસામાં દેવાનો મિત્ર સાહિલ પત્રકાર કોલોની પાસે શેરડીનો રસ પીતા હતા. એ સમયે હેપ્પીનો પરિચિત આદર્શ ઉર્ફે બટકો ત્યાં આવ્યો હતો. તેણે મને તને તેરેનામ ચોકડી પર છોડી દો એમ રહેતા હેપ્પીએ હા પાડી હતી. એ સમયે હેપ્પીના મોટર સાયકલ આદર્શે હંકારી અને અને તેઓને ડિ માર્ટની સામે આવેલા નાકોડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે લઈ ગયો હતો. જ્યાં આદર્શના અન્ય મિત્રો પણ હાજર હતાં.ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આદર્શે તેના મિત્રોને કહ્યું હતું કે આ હેપ્પી મારા પૈસા આપતો નથી, જેથી તેના મિત્રો હેપ્પીને પૈસા પરત કરવા કહી ધાક ધમકી આપવા માંડ્યા હતાં. દરમિયાન આદર્શે મોટર સાયકલની ચાવી લઇ લીધી હતી. લાંબી માથાકૂટ બાદ આદર્શે ચાવી પરત કરતાં હેપ્પી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં રાત્રે સાડા દસેક વાગ્યાનાં અરસામાં હેપ્પી, દેવા અને અરવિંદ હાઉસિંગમાં આવેલી વિધાયક નામની ચાની દુકાન પર બેઠા હતાં. એ સમયે હેપ્પીએ દેવાને બપોરે આદર્શ સાથે થયેલી માથાકૂટની વાત કરી હતી. આ સાંભળી દેવાએ આપણે આદર્શના ઘરે જઈ તેના માતા પિતાને જાણ કરીએ એમ કહ્યું અને પછી ત્રણેય જણા આદર્શના ઘરે ગયા હતાં. ઘરે ટેરેસ પર સૂતેલા આદર્શ અને તેની માતાને આ મિત્રોએ જગાડ્યા હતાં. તેઓને નીચે લાવી હેપ્પીએ તેની સાથે બનેલા બનાવ બનાવ અંગે માતાને વાત કરવા માંડી હતી. આ દરમિયાન આદર્શ બટકો ગુસ્સે ભરાયો અને ગાળા ગાળી કરવા માંડ્યો હતો. હેપ્પી અને દેવાએ લડાઈ ઝઘડો નહીં કરી શાંતિથી વાત કરવા કહ્યું હતું.જાે કે, આદર્શે હેપ્પી અને દેવાને ઢીકમુક્કીનો માર મારવા માંડ્યો તો તેની માતાએ વચ્ચે પડી છોડાવ્યા હતાં. એવામાં આદર્શ ઘરમાં દોડી ગયો અને ચપ્પુ જેનું તિક્ષ્ણ હથિયાર લાવી દેવાને છાતીના ભાગે ઘા મારી દીધો હતો. દેવો લોહીલુહાણ થઇ જતાં આદર્શ અને તેની માતા ઘરમાં જતાં રહ્યા અને દરવાજાે બંધ કરી દીધો હતો. જ્યારે હેપ્પી અને અરવિંદ મોટર સાયકલ પર બેસાડી દેવા ને સિવિલ લઇ ગયા હતાં. જ્યાં તબીબોએ ગંભીર અવસ્થામાં તેની સારવાર શરૂ કરી હતી. દરમિયાન હુમલાની જાણ થતાં દેવાના માતા-પિતા સિવિલ દોડી આવ્યા હતાં. તેઓ તેને વધું સારવાર માટે યુનિક હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, મે 2026
2574 |
રાજકોટમાં સગીરા પર ગેંગરેપના કેસમાં બે સગીર સહિત પાંચ આરોપી ઝડપાયા
રાજકોટમાં રહેતી એક ૧૪ વર્ષની સગીરા સાથે થયેલ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે તેની સગીર વયની સહેલી અને એક સગીર આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર ત્રણ શખસોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ એસીપી વી.બી. જાડેજાના જણાવ્યા અનુસાર સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધી એક સગીર, તેમજ ફરિયાદીની સગીર વયની સહેલી ઉપરાંત અન્ય ત્રણ આરોપી મિહિર કુગશીયા, ધવલ રાઠોડ, અને સાહિલ ઉર્ફે ઝેરીની ધરપકડ કરી બાકીના ફરાર ૩ આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા તપાસના કામે આરોપીઓ દ્વારા જે કારમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે સ્વીફ્ટ કાર પણ કબજે કરવામાં આવી છે. પકડાયેલ આરોપી પૈકી ધવલ રાઠોડ ટ્રાફિક શાખામાં વોર્ડન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે મિહિર કુગશીયા અગાઉ ૬ વખત નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. આ વખતે પણ આરોપીએ બસપોર્ટ નજીક સગીરાને હોટલમાં લઈ જઈ પોતાની ઓળખ પોલીસ તરીકે જ આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, મે 2026
2673 |
ઈંધણ સાથે હવે ખાદ્યતેલના પણ ભાવ વધ્યાં, ડબ્બે ૧૦ રૂપિયાનો વધારો
જનતા પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. વાસ્તવમાં મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડતી અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્યતેલોના ભાવમાં પણ સતત વધારો જાેવા મળી રહ્યો છે. રાજકોટના તેલ બજારમાં આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે, જેના કારણે ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે. બજારના વેપારીઓના જણાવ્યા મુજબ, સિંગતેલના ડબ્બામાં આજે વધુ રૂ.૧૦નો વધારો થતાં ભાવ રૂ.૨૮૦૦ સુધી પહોંચી ગયો છે. સાથે જ અન્ય ખાદ્યતેલોમાં પણ તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. કપાસિયા તેલનો ડબ્બો રૂ.૨૬૬૦ સુધી પહોંચી ગયો છે, જ્યારે પામોલીન તેલમાં પણ સતત વધારો ચાલુ રહેતાં તેના ભાવ રૂ.૨૪૧૫ની આસપાસ પહોંચ્યા છે. આ તરફ વેપારીઓનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતા અને સપ્લાયમાં આવેલી અડચણો આ ભાવવધારા માટે મુખ્ય કારણ બની રહી છે. ખાસ કરીને યુધ્ધ વિસ્તારમાં વધેલા તણાવ અને દરિયાઈ માર્ગોમાં આવેલી મુશ્કેલીઓના કારણે આયાતી માલની અવરજવર પ્રભાવિત થઈ રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, મે 2026
2376 |
વેરાવળમાં ધોળા દિવસે જાહેરમાં માથામાં ગોળી મારી યુવકની હત્યા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આવેલી સ્કૂલ પાસે મૌલાના સહિત ચાર લોકોએ તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી મારી હત્યા કરાઇ હતી.તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની ઉર્ફે જાવેદ વાંદરી અને તેમના ભત્રીજાને આજે બપોરે સોમનાથ ટોકીઝ નજીક ગોળી મારવામાં આવી હતી. આ હુમલો કરીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલામાં માથામાં ગોળી વાગતા જાવેદ તાજવાની લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા જ્યારે સાથી ભત્રીજાે પણ ઈજાગ્રસ્ત થયો છે.ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તાજવાનીને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને જાેતા વધુ સારવાર અર્થે જુનાગઢ ખાતે રિફર કરાયા હતા જ્યાં મોડી રાત્રે જાવેદ તાજવાનીનું મોત નીપજ્યું હતું. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, ત્યાંથી એક મોપેડ અને એક બાઈક મળી આવ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, મે 2026
3168 |
ડીઝલની અછત: ખાનગી બસોના રૂટમાં ધરખમ ઘટાડો
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઘર્ષણની સ્થિતિની ગુજરાતને અસર પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ડીઝલની અછત વર્તાઈ રહી છે. ગઈકાલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા ઉપમુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. જાે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન થાય તો રાજ્યમાં ૧૨ લાખ ટ્રકોના પૈડાં થંભી જશે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં ખાનગી બસ ઓપરેટરો (ટ્રાવેલ્સ)ને પણ હાલત ખરાબ થતી જાેવા મળી રહી છે. ડીઝલની અછતના કરને રાજ્યના અનેક ખાનગી બસ સંચાલકો દ્વારા બસોના રૂટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જેના કારણે સૌરાષ્ટ્રના અનેક ખાનગી બસ ઓપરેટરો દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા રૂટો પર બસોની સંખ્યામાં ઘટાડો કરી દેવાયો છે. અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ અને વૈશ્વિક સંકટની સ્થિતિને જાેતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલમાં અછત વર્તાઈ રહી છે જેના કારણે રાજ્યના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યના ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે, હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ કફોડી બની છે. હાઈવેના મોટાભાગના પેટ્રોલપંપો જાણે બંધ અવસ્થામાં છે જ્યાં પાટિયા લાગ્યાં છેકે, ડીઝલનો જથ્થો નથી. ડીઝલ માટે ટ્રકચાલકોને આમથી તેમ ભટકવું પડે છે. મહત્ત્વની વાત તો એ છે કે, પેટ્રોલ પંપો પર મર્યાદિત લિટર જ ડીઝલ આપવામાં આવે છે જેથી દૂરના અંતરમાં જતાં ટ્રકચાલકો અટવાઈ જાય તેવી સ્થિતિ પરિણમી છે. ડીઝલ વિના માલસામાનની હેરફેર કરતા ટ્રકચાલકો અટવાઈ પડયા છે. અપૂરતા ડીઝલને લીધે માલસામાનની સમયસર ડિલિવરી પણ થઇ શકતી નથી પરિણામે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વ્યાપક અસર પહોંચી છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી સ્થિતિ થઈ છે. ત્યારે રાજ્યના અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા ગઈકાલે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, એક તરફ મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ડીઝલની અછતને પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગે તેવી સ્થિતિમાં મુકાઈ ગયો છે. જાે આ પરિસ્થિતિ યથાવત્ રહી તો, ગુજરાતમાં ૧૨ લાખ ટ્રકોના પૈડા થંભી જશે તેવી સ્થિતિનું નિર્માણ થાય તે દૂર નથી. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ થશે તો લાખો લોકોની રોજીરોટી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ટ્રકોની અવરજવર અટકશે તો શાકભાજીથી માંડીને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચે તેમ છે. આ જાેતાં ઈધણની અછત દૂર કરવા અને મંદીમાં રહેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવા માટે તાકીદે રજૂઆત કરવામાં આવી છે.કચ્છ સહિત હાઈવે પર ટ્રકોની લાંબી કતારો રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત ગંભીર બની રહી છે જેના કારણે કચ્છ સહિત વિવિધ હાઈવે પર ટ્રકોની લાંબી કતારો જાેવા મળી રહી છે અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ રહી છે. ટ્રાન્સપોર્ટ સંગઠનોનું કહેવું છે કે ટ્રક ચાલકોને કલાકો સુધી ઈંધણ માટે રાહ જાેવી પડે છે, જેના કારણે માલ પરિવહન અને વેપાર-ઉદ્યોગ પર સીધી અસર થઈ રહી છે.અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનના અધ્યક્ષ વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે હાલની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પુરવઠા મંત્રીનું ધ્યાન દોરાયું છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત વધુ ગંભીર છે. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં સરકાર સમક્ષ સત્તાવાર રજૂઆત કરીને તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવશે.કચ્છ સહિત રાજ્યના ટ્રાન્સપોર્ટ સંગઠનોની ગાંધીધામ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ર્નિણય લેવાયો કે જાે ટૂંક સમયમાં ડીઝલ સપ્લાય સામાન્ય નહીં બને તો ૧ જૂન, ૨૦૨૬થી તમામ ટ્રાન્સપોર્ટ વાહનો અને મશીનરી સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે. સ ઓઈલ કંપનીઓ અને વહીવટી તંત્ર સાથે તાત્કાલિક બેઠક કરવાની પણ માંગ ઉઠી છે.ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ હરીશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે કલેક્ટરને રજૂઆત બાદ અમને ૨ દિવસમાં જવાબ આપવાની ખાતરી આપવામાં આવી છે. કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરીને ઉકેલ લાવવાની વાત થઈ છે. હાલ અમને માત્ર ૫૦ લિટર ડીઝલ આપવામાં આવે છે, જ્યારે ઓછામાં ઓછું ૨૦૦ લિટર મળવું જાેઈએ. અડધો દિવસ તો ડીઝલ માટેની લાઈનમાં જ નીકળી જાય છે અને લાઈનમાં ઊભા રહીએ ત્યારે પણ ડીઝલ બળી જાય છે.તેમણે વધુમાં જણાવ્યું કે હાલ ૫૦ ટકા ગાડીઓ બંધ જેવી સ્થિતિમાં છે. પહેલા એક દિવસમાં બે ટ્રિપ થતી હતી, હવે બે દિવસમાં એક ટ્રિપ પણ થઈ શકતી નથી. ડ્રાઈવરો પણ કંટાળી રહ્યા છે. જાે સ્થિતિ નહીં સુધરે તો સમગ્ર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઠપ થઈ જશે.ડીઝલની અછતને કારણે કચ્છના પોર્ટ વિસ્તારમાં પણ ચિંતા વધી રહી છે. ટ્રાન્સપોર્ટ સંગઠનોએ ચેતવણી આપી છે કે જાે ટૂંક સમયમાં ડીઝલ પુરવઠો સામાન્ય નહીં બને તો કચ્છ જિલ્લાના તમામ પોર્ટ પર ટ્રક મારફતે થતું લોડિંગ અને અનલોડિંગ કાર્ય બંધ કરી દેવામાં આવશે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેના કારણે માલવાહક વાહનોના સંચાલન પર ગંભીર અસર થઈ રહી છે.ડીઝલની અછત ઉપરાંત ટ્રાન્સપોર્ટરોમાં ઓનલાઈન ચલણની વધતી સંખ્યા, ગાંધીધામમાં યોજાયેલી બેઠકમાં આ તમામ મુદ્દાઓને લઈને આગામી આંદોલનની રણનીતિ અંગે ચર્ચા થઈ.અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી બળવંતસિંહ ચૌધરીએ જણાવ્યું કે છેલ્લા બે દિવસથી ડીઝલની ભારે અછત છે.સરકારના ઇંધણની અછત નહીંના દાવા સામે સવાલ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પૂરતો જથ્થો હોવાનો ભલે દાવો કરવામાં આવે પણ ગુજરાતમાં ડિઝલની અછતની સમસ્યા વધુને વધુ વકરી રહી છે જેના લીધે ટ્રાન્સપોર્ટરોને મોટા આર્થિક નુકસાન થાય તેવી ભીતિ છે.રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. સાથે સાથે ડીઝલની સર્જાયેલી અછતને કારણે વાહન વ્યવહાર પર અસર જાેવા મળી રહી છે. ખાનગી બસોની સેવાઓ ખોરંભે પડી રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ન મળવાથી રાજ્યના ખાનગી બસ સંચાલકો (ટ્રાવેલ્સ ઓપરેટરો)ની બસ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. આ સ્થિતિના કારણે અનેક ખાનગી બસ સંચાલકો (ટ્રાવેલ્સ ઓપરેટરો) એ બસોના રૂટ ઘટાડી દીધાં છે. એવી માહિતી પણ સામે આવી છે કે, ખાનગી બસોના સંચાલનમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ખાનગી બસ સંચાલકોનું કહેવું છે કે, ડીઝલના અપૂરતા જથ્થા અને પુરવઠામાં અનિયમિતતાને લીધે ખાનગી લક્ઝરી બસો દોડાવવી ઘણી મુશ્કેલ બની રહી છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
6435 |
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું. સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ. ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે. PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
5247 |
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ
વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
7128 |
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, મે 2026
5445 |
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, મે 2026
8613 |
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા
ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, મે 2026
1881 |
નકલી પીએસઆઈનો કાંડ : નરોડાની યુવતી સાથે મેટ્રિમોનિયલ સાઈટ ઉપર ૧.૭૪ લાખ ખંખેર્યા
શહેરના નરોડા વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતીને મેટ્રિમોનિયલ સાઈટ પર પ્રેમજાળમાં ફસાવી, નકલી પોલીસ અધિકારી બની લાખોની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી યુવતી પાસેથી કુલ રૂ. ૧,૭૪,૦૦૦/- ની રકમ પડાવી લીધી હતી. જીવનસાથી ડોટ કોમ પર સંપર્ક અને બનાવટી ઓળખ નરોડાની જ્યોતિ રેસીડેન્સીમાં રહેતી અને ખાનગી કંપનીમાં રિલેશનશિપ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી યુવતીની ફરિયાદ મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૬માં તેનો સંપર્ક ‘જીવનસાથી ડોટ કોમ‘ પર રોકી પંચાલ નામના શખ્સ સાથે થયો હતો. રોકીએ પોતાનો પોલીસ યુનિફોર્મ વાળો ફોટો બતાવી પોતે ગુજરાત પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર હોવાનું અને ક્રાઈમ બ્રાન્ચમાં સાયબર સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો.વિવિધ બહાને નાણાંની માંગણી બંને વચ્ચે વાતચીત વધતા, રોકીએ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ‘અર્જન્ટ જરૂરિયાત’ હોવાનું કહી ટુકડે-ટુકડે રૂ. ૫૦,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ૨૦ ફેબ્રુઆરીએ પોતાનો ફોન બગડી ગયો હોવાનું કહી યુવતી પાસે રૂ. ૩૨,૦૦૦નો નવો ઓપ્પો મોબાઈલ ખરીદાવ્યો હતો, જેનું પેમેન્ટ યુવતીએ કર્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૦૪, ૨૦૫ અને ૩૧૯(૨) હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, મે 2026
2079 |
દાણીલીમડામાં ગેરકાયદેસર કતલખાના સામે પોલીસ અને એએમસીની લાલ આંખ
શહેરના દાણીલીમડા વિસ્તારમાં રામરહીમના ટેકરો નગીના મસ્જીદ સામે ઢોરબજારના કોટને અડીને આવેલા ગેરકાયદેસર કતલખાનાને મ્યુનિસિપલ કોર્પોરેશન અને દાણીલીમડા પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરીને તોડી પાડવામાં આવ્યું છે. દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સમીર ખોખર અને શાહરુખ કુરેશી દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઉભું કરી તે સ્થળનો ઉપયોગ ગેરકાયદેસર રીતે પશુ કતલ કરવા માટે કરતા હતા. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ આવે તેના માટે પોલીસ તથા સંબંધિત મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી આજે કરવામાં આવી છે.દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ સી.ટી. દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ત્યાં ગેરકાયદેસર પશુ કતલ કરવાની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાની માહિતીના આધારે પોલીસ તથા સંબંધિત મ્યુનિસિપલ તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી સમીર ઉર્ફે ૫મો સાબીરભાઇ ખોખર (રહે. રામરહીમનો ટેકરો બહેરામપુરા દાણીલીમડા) અને શાહરૂખ સબીરભાઇ કુરેશી (રહે. નગીના મસ્જીદ પાસે રામરહીમનો ટેકરો દાણીલીમડા) દ્વારા રામરહીમના ટેકરો નગીના મસ્જીદ સામે ઢોરબજારના કોટને અડીને ગેરકાયદેસર બાંધકામ ઉભું કરી તે સ્થળનો ઉપયોગ ગેરકાયદેસર રીતે પશુ કતલ કરવા માટે કરતા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, મે 2026
1881 |
શ્વાન કે પક્ષીઓને ખવડાવ્યું તો દંડ! : એએમસી
આગામી સમયમાં શરૂ થઈ રહેલા ‘સ્વચ્છતા સર્વેક્ષણ’ અંતર્ગત હવે અમદાવાદના જાહેર રસ્તાઓ, ફૂટપાથ કે રહેણાંક વિસ્તારોમાં આડેધડ ફીડિંગ કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાે કોઈ નિયમનો ભંગ કરશે તો પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદને વધુ સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા માટે તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં ૩૦૦ જેટલા ચોક્કસ સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે. હવેથી નાગરિકો માત્ર આ નિયત કરેલા સ્થળો પર જ શ્વાન કે પક્ષીઓને ખવડાવી શકશે. તંત્ર દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, પક્ષીઓ અને શ્વાન માટે અલગ-અલગ જગ્યાઓ ફાળવવામાં આવી છે. શ્વાન માટે ૧૫૧ સ્પોટ નક્કી કરાયા. જ્યારે પક્ષીઓ માટે ૧૪૫ સ્પોટ નક્કી કરાયા. તમને જણાવી દઈએ કે અગાઉ શહેરના ૪૮ વોર્ડમાં રખડતા શ્વાન માટે ૧૨૯ સ્પોટ નક્કી હતા, પરંતુ ડોગ લવર્સની માંગણીને ધ્યાનમાં રાખીને તેમાં વધુ ૧૨૫ સ્પોટનો ઉમેરો કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સીએનસીડી (ઝ્રદ્ગઝ્રડ્ઢ) વિભાગના જણાવ્યા અનુસાર, આ જાહેર કરાયેલા સ્પોટ પર સ્પેશિયલ ‘ડોગ ફીડિંગ‘ના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં જાહેર રસ્તા પર પક્ષીઓને ચણ નાંખવાના સ્પોટનું કડક મોનિટરિંગ કરવામાં આવ્યું છે અને તેની સંખ્યામાં મોટો ઘટાડો કરાયો છે. હાલમાં રિવરફ્રન્ટ વિસ્તારમાં માત્ર ૫ સ્પોટ પર જ બર્ડ ફીડિંગની મંજૂરી આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટ અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈનને આધારે આ ર્નિણય લેવાયો છે. આડેધડ ફીડિંગ કરાવવાને કારણે શહેરમાં બે મુખ્ય સમસ્યાઓ સર્જાતી હતી. જેમાં જાહેર સ્થળો, ફૂટપાથ અને રસ્તાઓ પર ખોરાક વેરાવવાથી સ્વચ્છતા જાેખમાતી હતી. રહેણાંક વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર આડેધડ ખવડાવવાના કારણે શ્વાનો અંદરોઅંદર લડતા હતા, જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓની પાછળ દોડતા અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હતો. નાગરિકોની સુવિધા માટે એએમસી દ્વારા મોટાભાગે સ્મશાનગૃહ, પમ્પિંગ સ્ટેશન અને ધાર્મિક સ્થળોની આસપાસની જગ્યાઓ નક્કી કરાઈ છે, જેની વાત કરીએ તો પૂર્વ અને ઉત્તર ઝોનમાં વિરાટનગર સ્વામીનારાયણ મંદિર, નરોડા સ્મશાન અને છ પાર્કિંગ પ્લોટ, ભીડભંજન હનુમાન મંદિર (બાપુનગર), નિકોલ ક્રિસ્ટલ પેલેસ એરિયાનો સમાવેશ થાય છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ઝોનમાં દાદા હરીની વાવ (અસારવા), પ્રેમ દરવાજા, દૂધેશ્વર અને ગોમતીપુર સ્મશાનગૃહ, વસ્ત્રાલ સ્મશાનગૃહ, કેટલ પોન્ડ, હાટકેશ્વર અને રામોલ સ્મશાનગૃહ. અને પશ્ચિમ ઝોનમાં ઘાટલોડિયા વોટર-ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, ઇસ્કોન મંદિર, માનવ મંદિર, સાંઇબાબા મંદિર, મણિનગર સ્વામીનારાયણ મંદિર અને મદ્રાસી મંદિરની આસપાસના નિયત વિસ્તારોનો સમાવેશ થાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, મે 2026
2277 |
એરપોર્ટ ઉપરથી ૨૦ કરોડનો ગાંજાે જપ્ત
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અને એર ઈન્ટેલિજન્સ યુનિટએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં મુસાફરી કરીને આવેલા એક ભારતીય મુસાફર પાસેથી અંદાજે ૨૦ કરોડ રૂપિયાથી વધુની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો ગાંજાે જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ઉત્તર પ્રદેશના સહારનપુરના રહેવાસી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ તરફથી મળેલા ઈનપુટના આધારે અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. ૨૦ અને ૨૧ મે ૨૦૨૬ની મધરાત દરમિયાન બેંગકોકથી આવેલી થાઈ એરવેઝની ફ્લાઈટમાં આવેલા એક શંકાસ્પદ મુસાફરને એઆઇયુ અને કસ્ટમ્સ વિભાગે અટકાવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશના સહારનપુરનો રહેવાસી છે. તે દિલ્હીથી બેંગકોક ગયો હતો અને ત્યારબાદ અમદાવાદ પહોંચ્યો હતો. અહીંથી તે ફરી દિલ્હી જવાનો હતો. અધિકારીઓએ મુસાફરના સામાનની સઘન તપાસ કરતાં તેની ટ્રોલી બેગમાંથી ૧૯ વેક્યુમ-સીલબંધ પેકેટો મળી આવ્યા હતા. દરેક પેકેટમાં લીલા રંગનો સૂકો છોડ જેવા દેખાતો પદાર્થ ભરેલો હતો.પછી કરવામાં આવેલા ટેસ્ટ દરમિયાન આ પદાર્થ ગાંજાે હોવાનું બહાર આવ્યું હતું. કુલ ૨૦.૩૬૬ કિલોગ્રામ ગાંજાે જપ્ત કરવામાં આવ્યો છે. અધિકારીઓએ સ્થળ પર જ સમગ્ર જથ્થો કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે આરોપી સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, ૧૯૮૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આ ગાંજાે કયા નેટવર્ક મારફતે ભારતમાં લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ મારફતે નશીલા પદાર્થોની હેરાફેરીના બનાવોમાં વધારો જાેવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ,ડીઆરઆઇ અને એઆઇયુ સહિતની એજન્સીઓ વધુ સતર્ક બની છે. ગુજરાતમાં નશાના કારોબારીઓ સામે સરકારે લાલ આંખ કરી છે, ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડ્ઢઇૈં) અને કસ્ટમ્સ વિભાગે એક સંયુક્ત હાઈ-પ્રોફાઈલ ઓપરેશન પાર પાડીને બેંગકોકથી લાવવામાં આવી રહેલો ૨૦ કિલોથી વધુનો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા હોવાનું અંકાઈ રહ્યું છે. ગત તા.૨૦મીની મધ્ય રાત્રિએ અને ૨૧મીની વહેલી પરોઢિયે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી અમદાવાદ આવેલી ફલાઇટમાં મુસાફર પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી ડ્ઢઇૈં તરફથી આપવામાં આવી હતી. આ બાતમીના આધારે કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટલીજન્ટ યુનિટએ ખાસ વોચ રાખીને મુસાફરોના સામાનની ઝીણવટભરી ચકાસણી કરી હતી. જેમાં એક મુસાફર પાસેની ટ્રોલી બેગમાં લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થવાળા ૧૯ સીલબંધ પેકેટ મળી આવ્યા હતાં. આ સામગ્રીના અનુગામી પરીક્ષણમાં તે ગાંજાે હોવાનું ખુલ્યું હતું. જેથી કસ્ટમ્સ વિભાગે દ્ગડ્ઢઁજી એક્ટ, ૧૯૮૫ ની જાેગવાઈઓ હેઠળ કુલ ૨૦.૩૬૬ કિલો (કિંમત ૨૦ કરોડથી વધુ) પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, મે 2026
3564 |
૧૫૦૦ રૂપિયા બાબતે મિત્ર સાથે કરેલી માથાકૂટ બાબતે ચપ્પુનાં ઘા મારી કિશોરની ઘાતકી હત્યા
પૈસા બાબતે મિત્ર સાથે માથાકૂટ કરનારને સમજાવવા તેના ઘરે ગયેલા કિશોરને છાતીમાં ચપ્પુનો ઘા ઝીંકી હત્યા કરાયાનો બનાવ પાંડેસરામાં બન્યો હતો. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર હરિઓમનગરમાં સંતોષ રામગોપાલ ગુપ્તા તેના પરિવાર સાથે રહે છે. મધ્યપ્રદેશનાં રિવા જિલ્લાનો વતની સંતોષ દેવકીનંદન સ્કુલ પાસે નાસ્તાની લારી ચલાવે છે. તેમને સંતાનમાં બે દિકરા અને બે દીકરી છે. ત્રણ નંબરનો દિકરો દેવા ગુપ્તા પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલી બી. જી. મિશ્રા સ્કુલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. ૨૦મી તારીખે સાંજે સાડા ચારેક વાગ્યાનાં અરસામાં દેવાનો મિત્ર સાહિલ પત્રકાર કોલોની પાસે શેરડીનો રસ પીતા હતા. એ સમયે હેપ્પીનો પરિચિત આદર્શ ઉર્ફે બટકો ત્યાં આવ્યો હતો. તેણે મને તને તેરેનામ ચોકડી પર છોડી દો એમ રહેતા હેપ્પીએ હા પાડી હતી. એ સમયે હેપ્પીના મોટર સાયકલ આદર્શે હંકારી અને અને તેઓને ડિ માર્ટની સામે આવેલા નાકોડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે લઈ ગયો હતો. જ્યાં આદર્શના અન્ય મિત્રો પણ હાજર હતાં.ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આદર્શે તેના મિત્રોને કહ્યું હતું કે આ હેપ્પી મારા પૈસા આપતો નથી, જેથી તેના મિત્રો હેપ્પીને પૈસા પરત કરવા કહી ધાક ધમકી આપવા માંડ્યા હતાં. દરમિયાન આદર્શે મોટર સાયકલની ચાવી લઇ લીધી હતી. લાંબી માથાકૂટ બાદ આદર્શે ચાવી પરત કરતાં હેપ્પી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં રાત્રે સાડા દસેક વાગ્યાનાં અરસામાં હેપ્પી, દેવા અને અરવિંદ હાઉસિંગમાં આવેલી વિધાયક નામની ચાની દુકાન પર બેઠા હતાં. એ સમયે હેપ્પીએ દેવાને બપોરે આદર્શ સાથે થયેલી માથાકૂટની વાત કરી હતી. આ સાંભળી દેવાએ આપણે આદર્શના ઘરે જઈ તેના માતા પિતાને જાણ કરીએ એમ કહ્યું અને પછી ત્રણેય જણા આદર્શના ઘરે ગયા હતાં. ઘરે ટેરેસ પર સૂતેલા આદર્શ અને તેની માતાને આ મિત્રોએ જગાડ્યા હતાં. તેઓને નીચે લાવી હેપ્પીએ તેની સાથે બનેલા બનાવ બનાવ અંગે માતાને વાત કરવા માંડી હતી. આ દરમિયાન આદર્શ બટકો ગુસ્સે ભરાયો અને ગાળા ગાળી કરવા માંડ્યો હતો. હેપ્પી અને દેવાએ લડાઈ ઝઘડો નહીં કરી શાંતિથી વાત કરવા કહ્યું હતું.જાે કે, આદર્શે હેપ્પી અને દેવાને ઢીકમુક્કીનો માર મારવા માંડ્યો તો તેની માતાએ વચ્ચે પડી છોડાવ્યા હતાં. એવામાં આદર્શ ઘરમાં દોડી ગયો અને ચપ્પુ જેનું તિક્ષ્ણ હથિયાર લાવી દેવાને છાતીના ભાગે ઘા મારી દીધો હતો. દેવો લોહીલુહાણ થઇ જતાં આદર્શ અને તેની માતા ઘરમાં જતાં રહ્યા અને દરવાજાે બંધ કરી દીધો હતો. જ્યારે હેપ્પી અને અરવિંદ મોટર સાયકલ પર બેસાડી દેવા ને સિવિલ લઇ ગયા હતાં. જ્યાં તબીબોએ ગંભીર અવસ્થામાં તેની સારવાર શરૂ કરી હતી. દરમિયાન હુમલાની જાણ થતાં દેવાના માતા-પિતા સિવિલ દોડી આવ્યા હતાં. તેઓ તેને વધું સારવાર માટે યુનિક હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, મે 2026
1881 |
સોનગઢ નજીકના રોસિયા એડવેન્ચર પાર્ક રિસોર્ટ અને જલસાબારનાં ભાગીદારો સાથે ૧૨.૬૩ કરોડની ઠગાઇ
સોનગઢ નજીક લક્કડકોટમાં આવેલા રોસિયા એડવેન્ચર પાર્ક એન્ડ હિલ રિસોર્ટ તથા જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ભાગીદારો વચ્ચે ડખો થયો હતો. ૧૨.૬૩ કરોડ રોકાણ પરત નહીં કરી છૂટા કરી દેવાયેલા ચાર ભાગીદારીઓએ અન્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અડાજણનાં વાડીયા નગરમાં રહેતા ચંદ્રેશભાઈ જયંતિલાલ લાકડાવાલા શેરબજારમાં ટ્રેડિંગ કરે છે. તેઓ વર્ષ ૨૦૧૮માં અમેરિકાથી પરત આવ્યા બાદ તેમની ઓળખાણ ખુશમન રેવાશંકર પટેલ, પુનિતાબેન ખુશમન પટેલ તથા સ્મિત ખુશમન પટેલ સાથે થઇ હતી.પટેલ પિતા પૂત્રએ ચંદ્રેશભાઇને જણાવ્યું હતું કે, તેમણે સોનગઢ નજીક મહારાષ્ટ્રની હદમાં લક્કડકોટ ગામે જમીન ખરીદી છે. ત્યાં તેઓ રિસોર્ટ તેમજ એડવેન્ચર પાર્કનાં પ્રોજેક્ટનું આયોજન કરી રહ્યા છે. જાે કે પુરતાં નાણાંની સગવડ નહીં થતાં પ્રોજેક્ટ અટકી ગયો છે. જાે તમે અમારા પ્રોજેક્ટમાં ભાગીદાર થશો તો દર મહિને જે કંઇ પણ વેપાર ધંધો થશે તેમાં સરખે હિસ્સે અથવા પાર્ટનર શીપ ડીડ મુજબ નફો ચુકવી આપીશું. ત્યારબાદ ચંદ્રેશભાઇએ તેમના પરિચિત ગૌતમકુમાર જૈન, પરેશ પરમાર અને પ્રવિણ પરમારને આ પ્રોજેક્ટ અંગે વાત કરી અને ડિસેમ્બર-૨૦૧૮માં લક્કડકોટ ખાતેની રિસોર્ટ વાળી જગ્યાએ મિટિંગ કરાઇ હતી. જેમાં ચંદ્રેશભાઇ અને તેમના મિત્રો ગૌતમ જૈન, પરેશ પરમાર તથા પ્રવિણ પરમાર રોકાણ કરવા તૈયાર થયા હતાં. આ પ્રોજેક્ટનું ૧૫ ડિસેમ્બર, ૨૦૧૮માં ખાતમુહૂર્ત કરી તેનું નામ રોસિયા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક અને બાર એન્ડ રેસ્ટોરન્ટનું નામ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ રખાયું હતું. ત્યારબાદ રોસીયા રિસોર્ટ બાબતે થયેલી પાર્ટનરશીપ ડીડમાં ખુશમન રેવાશંકરભાઇ પટેલનાં ૨૦%, પરેશ પટેલ ૧૦%, રોનિશ લાકડાવાલા ૨૦%, ગૌતમ જૈનનાં ૨૨.૫૦%, પ્રવિણ પરમારના ૦૫% અને પરેશ પરમારનો ૨૨.૫૦% ભાગ નક્કી કરાયો હતો. ચંદ્રેશે ૫૦ લાખ રૂપિયા રોકાણ કરી પૂત્ર રોનિશનાં નામે ભાગ રાખ્યો હતો. એડવેન્ચર પાર્કની બાજુવાળી જગ્યાનાં ભાડે લઇ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ શરૂ કરાયો હતો. જમીન માલિક ભરત બાબુરાવ ગાવીત તથા યશવંત બાબુરાવ શિરસાઠ સાથે ભાગીદારી કરાર કરાયો હતો. જેમાં નફામાંથી ૨૦ ટકા ભાગ જમીન માલિકોને આપવાનું નક્કી કરાયું હતું. બાદમાં જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ અને રોસિયા એડવેન્ચર પાર્કનું ઉદઘાટન કરાયું હતું. આ બંને પ્રોજેક્ટમાં સારો નફો થતાં એડવેન્ચર પાર્કમાં રૂમો બનાવવાનું નક્કી કરાયું હતું. જે માટે રોસિયા હિલ રિસોર્ટ નામથી ભાગીદારી કરાર કરાયો હતો. જેમાં ખુશમન પટેલના ૨૦%, પરેશ રમેશભાઇ પટેલના ૧૦%, ભવ્ય ચંદ્રેશભાઇ લાકડાવાલાનાં ૨૦%, ગૌતમ બાબુલાલ જૈનના ૧૫%, પ્રવિણ પરભુભાઈ પરમાર ૦૫%, મિહિર ચેતનભાઇ પરમારના ૧૫% અને પંકજ જસવંતભાઇ પટેલનાં ૧૫% ભાગ નક્કી કરાયો હતો. આ ત્રણેય પ્રોજેક્ટ સારા ચાલતા હોવા થતાં જુલાઇ-૨૦૨૫થી નફો કહો કે વળતર મામલે ડખા શરૂ થયા હતાં. વહિવટ કરનારા ખુશમન પટેલ દ્નારા હિસાબ પણ આપવાનો બંધ કરાયો હતો. ધંધામાં થયેલ અંદાજીત ૫.૫૦ કરોડ રૂપિયા નફા બાબતે કોઇ યોગ્ય ઉત્તર પણ અપાયો ન હતો. ત્યારબાદ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટનું નામ બદલીને હોટલ ગ્રાન્ડ કાર્નિવલ પરમીટ રૂમ એન્ડ બીયર બાર કરી નવો જી.એસ.ટી. મેળવી લઇ ચંદ્રેશ અને તેમના ભાગીદારોને બહાર કરી દેવાયા હતાં.ચંદ્રેશ લાકડાવાળા અને તેમના ભાગીદારોએ કરેલું ૧૨,૬૩,૧૯,૦૦૦ રૂપિયા રોકાણ ખુશમન પટેલ, પુનિતાબેન ખુશમન પટેલ, સ્મિત ખુશમન પટેલ, ભરત ગાવીત, યશવંત શિરસાઠે પરત નહીં કરી રોસિયા હિલ રિસોર્ટ અને એડવેન્ચર પાર્ક તથા જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટમાંથી તેમનો અધિકાર પુરો કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોય તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, મે 2026
1980 |
પાસોદરાની યુવાન વિધવાને લગ્નની વાતે બે વર્ષ શારીરિક શોષણ કરી તરછોડી દીધી
પાસોદરામાં રહેતી યુવાન વિધવાને લગ્નની વાતે ભોળવી બે વર્ષ શારીરિક શોષણ કર્યા બાદ તરછોડી દેનારા લંપટ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. લસકાણા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પાસોદરામાં રીના રાઠોડ (નામ બદલ્યું છે) તેના પરિવાર સાથે રહે છે. પતિનું અવસાન થયા બાદ ૩૨ વર્ષીય રીના ગુજરાન ચલાવવા માટે કેટરિંગ સર્વિસમાં નોકરી કરવા માંડી હતી. જયાં તેણીની મુલાકાત ચેતન સુરેશભાઇ કડુ સાથે થઇ હતી. બે વર્ષ અગાઉ મળેલા ચેતને વાતચીતમાં જાણી લીધું હતું કે, રીના રાઠોડનો પતિ મૃત્યુ પામ્યો છે. ત્યારબાદ તેણે રીના સાથે સહાનુભૂતિ દાખવી નિકટતા કેળવી હતી.તુ મને બહુ ગમે છે, હું તમારી સાથે લગ્ન કરીશ એવી વાત કરી ચેતને તેણી સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો. વિધવા હોવાનું જાણવા છતાં ચેતને કરેલી વાતથી રીના તેના પ્રભાવમાં આવી ગઇ હતી. ત્યારબાદ તેઓ પ્રેમી યુગલની જેમાં સાથે રહેવા અને હરવા ફરવા માંડ્યા હતાં. ચેતન અવાર નવાર લગ્નની વાતે ઇમોશનલ કરી રીના સાથે શરીર સંબંધ બાંધતો રહ્યો હતો. બે વર્ષ સુધી ચેતન તેણીના ઘરે જઇ જાતીય સુખ માણતો રહ્યો હતો. બાદમાં રીનાને એવી જાણ થઈ હતી કે, ચેતન દિલફેંક ઇન્સાન છે. તેના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે. આઘાત પામેલી રીનાએ ચેતન પોતાનો જ બનીને રહે એ માટે લગ્ન માટે આગ્રહ કરવા માંડ્યો હતો. શરૂઆતમાં ગલ્લાં તલ્લાં કરનારા ચેતને થોડા સમય બાદ લગ્નનો ઇન્કાર કરી રીના સાથેના સંબંધ પણ તોડી નાંખ્યા હતાં. રીના સમજાવવા ગઇ તો ચેતને તેણીને જાતિ વિષયક ગાળો ભાંડી અપમાન સાથે હડધુત કરી હતી. આથી રીનાએ ચેતન કડુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, મે 2026
2079 |
વ્યાજના ચક્રવ્યૂહને તોડવા વેપારીઓ ગોલ્ડ લોન તરફ વળ્યા
સુરત એટલે વૈશ્વિક બિઝનેસ હબ. અહીં ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની રફતાર ક્યારેય અટકતી નથી. આ અવિરત વેપારને ચલાવવા માટે ટૂંકા અને લાંબા ગાળાના ધિરાણની જરૂરિયાત હંમેશા રહે છે. સુરતમાં સત્તાવાર બેંકો, નોનબેંકિંગ નાણાંકીય કંપનીઓ ઉપરાંત પ્રાઇવેટ ફાઇનાન્સ (ધીરધાર) કરનારાઓનું મોટું નેટવર્ક સક્રીય છે. સેફ અને અનસેફ લોનનાં આ માર્કેટમાં છેલ્લા એક વર્ષમાં એક નવો આર્થિક ટ્રેન્ડ જાેવા મળ્યો છે. સુરતનાં નાના-મોટા વેપારીઓ અને સ્જીસ્ઈ સાહસિકો હવે પ્રાઇવેટ ફાઇનાન્સર્સનાં ઊંચા વ્યાજનાં ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને ‘ગોલ્ડ લોન’ તરફ ઝડપથી વળી રહ્યાં છે.ફાઇનાન્સિયલ એક્સપર્ટ જન્મેશ ચોક્સીએ જણાવ્યું હતું કે, ધિરાણ બજારમાં ગોલ્ડલોન સૌથી ઝડપથી વિકસતા સેગમેન્ટ તરીકે ઉભરી આવી છે, જેમાં વાર્ષિક ધોરણે પોર્ટફોલિયો ૫૦.૪% વધ્યો છે, સોનાનાં વધતા ભાવ, ઊંચી ક્રેડિટ માગ અને સુરક્ષિત ઉધાર લેવાની પસંદગીને કારણે આ સેગમેન્ટનો ઝડપથી વિકાસ થયો. સોનાનાં ભાવમાં તીવ્ર વધારાથી લોકો ગોલ્ડ લોન તરફ આગળ વધ્યાં, જેનાથી વેપાર ધંધાર્થીઓની ટૂંકા ગાળાની અને લાંબાગાળાની નાણાંકીય જરૂરિયાતો સંતોષવા માટે એક નવીનત્તમ આધારસ્તંભ વિકાસ પામ્યો છે. સુરતની એક બેંકનાં ઉચ્ચાધિકારીનું કહેવું છે કે દેશભરમાં ગોલ્ડ લોન ઓરિજિનેશન વેલ્યુમાં વાર્ષિક ધોરણે ૧૦૮% સુધીનો રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો છે, જેની સીધી અસર સુરતનાં હીરા અને કાપડ બજારમાં દેખાઈ રહી છે. જાણકારોનું કહેવું છે કે સુરતમાં અત્યાર સુધી પર્સનલ લોન કે બજારમાંથી ઊંચા વ્યાજે ડાયરી સીસ્ટમ પર નાણાં લેવાનો ટ્રેન્ડ હતો. પરંતુ તેમાં છેતરપિંડી અને ઉઘરાણીનાં જાેખમો રહેતા હતા. પરંતુ ગોલ્ડ લોન એટલી સરળ અને સુલભ બની ગઇ છે કે લોકો હવે ધડાધડ લોન લઇને પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યાં છે. સૌથી મોટો ફાયદો વ્યાજમાં મોટી બચતનો છે. અનસીક્યોર્ડ પ્રાઇવેટ લોન સામે ગોલ્ડલોન સુરક્ષિત હોવાથી વ્યાજ દર ખૂબ નીચો રહે છે. વેપારીઓને ‘બુલેટ પેમેન્ટ‘નો વિકલ્પ મળે છે, જેમાં દર મહિને માત્ર વ્યાજ ચૂકવવાનું હોય છે અને મુદ્દલ રકમ બિઝનેસ સાયકલ પૂરી થયા પછી ભરી શકાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, મે 2026
1881 |
ડભોલીમાં જીવતા જ્વાળામુખી જેવાં ટેમ્પરરી સ્ટ્રક્ચરના ૪ ગોડાઉનમાં લાગેલી આગ ૯ કલાકે કાબૂમાં આવી
સુરત શહેરના કતારગામ વિસ્તારના ડભોલીમાં તુલસી ચોક નજીક લક્ષ્મી પેલેસ પાસે ટેમ્પરરી સ્ટ્રકચરનાં ગોડાઉનોમાં મધરાત્રે ભીષણ આગ લાગી હતી. ઓનલાઈન માલ વેચવાના ગોડાઉનમાં લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા શહેરના વિવિધ ૮ ફાયર સ્ટેશનોમાંથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જાે કે આગને સંપૂર્ણ કાબુમાં લેવામાં ૯ કલાક જેટલો સમય લાગ્યો હતો.ડભોલી વિસ્તારમાં તુલસી ચોક પાસે લક્ષ્મી પેલેસ પાસે ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં બનાવવામાં આવેલા કુલ છ ગોડાઉન હતા. જેમાં ઓનલાઈન વેચાણ માટેનો વિવિધ પ્રકારનો માલસામાન રાખવામાં આવ્યો હતો. ગોડાઉનમાં અલગ અલગ ઇલેક્ટ્રોનિક ઉપકરણો, બાળકોના રમકડાં અને સાધનો, ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ તેમજ વિવિધ એસેસરીઝનો મોટો જથ્થો સંગ્રહિત હતો. શુક્રવારની મધરાત્રે આશરે ૨.૩૦ વાગ્યે અચાનક એક ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં નજીકના અન્ય ગોડાઉનને પણ ઝપેટમાં લીધા હતા. ટેમ્પરરી સ્ટ્રક્ચર અને અંદર રહેલા જ્વલનશીલ સામાનને કારણે આગ ખૂબ ઝડપથી ફેલાઈ હતી. ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા અને વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આગની ગંભીરતા જાેતા ડભોલી, કતારગામ, વરિયાવ, કોસાડ, પાલનપોર, મોટા વરાછા, જહાંગીરપુરા અને અડાજણ સહિતના ફાયર સ્ટેશનોમાંથી કુલ ૧૭ જેટલી ફાયર ગાડીઓ અને ફાયર બ્રિગેડ વિભાગની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. લગભગ ૯ કલાક સુધી સતત ચાલેલા રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગ ઓપરેશન બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી. આગની ઘટનામાં કુલ છમાંથી ચાર ગોડાઉન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા હતા. જ્યારે ફાયર બ્રિગેડની સતર્ક કામગીરીને કારણે બે ગોડાઉનને બચાવી લેવામાં સફળતા મળી હતી. પરંતુ ગોડાઉનમાં રહેલો મોટાપાયે માલસામાન બળીને ખાક થતાં લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરથાણામાં ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં આગ લાગતાં બે ગોડાઉન ખાક થઇ ગયાં સરથાણા કેનાલ રોડ વિસ્તારમાં મેલડી માતાના મંદિર પાસે આવેલ પ્રમુખ કેમ્પસમાં આગ લાગવાની ઘટના બની હતી. ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં બનાવવામાં આવેલી શ્રીજી સનલોગ અને જી.એસ.એન. કોર્પોરેશનની ઓફિસમાં લાગેલી આગને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાંજે આશરે ૪.૫૦ વાગ્યાના અરસામાં અચાનક ઓફિસમાંથી ધુમાડા નીકળતા દેખાયા હતા અને થોડી જ વારમાં આગ ભભૂકી ઊઠી હતી. ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનોમાંથી ફાયર બ્રિગેડના જવાનોની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ભારે જહેમત બાદ અંદાજે દોઢ કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, મે 2026
1980 |
વેસુમાં હાઈરાઈઝ બિલ્ડિંગના ૯મા માળે આગ લાગતાં અફરાતફરી, ૧૧ લોકોનું દિલધડક રેસ્ક્યૂ
શહેરનાં વેસુ વિસ્તારમાં આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગનાં નવમાં માળે વહેલી સવારે આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં વસવાટ કરતા રહીશોના જીવ તાળવે ચોટ્યાં હતા. ઉપરનાં ત્રણ માળમાં રહેતા ૧૧ લોકો પોતાનો જીવ બચાવવા અગાશી પર ચઢી ગયા હતા. ફાયરબ્રિગ્રેડનાં જવાનોએ તમામનું રેસ્ક્યુ કરી હેમખેમ બચાવી લીધા હતા. અઢી કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણ કાબુમાં આવી હતી. ભીષણ આગમાં તમામ ઘરવખરી સામાન બળીને ખાક થઇ ગયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ ઇજા જાનહાની થવા પામી નથી.વેસુ કેનાલ રોડ ખાતે આવેલ અગ્રવાલ સ્કુલની પાછળ જૈનમ ગ્રાન્ડ અલ્ટીમા નામની ૧૨ માળની હાઇરાઇઝ બિલ્ડિંગ કોમ્પ્લેક્સ આવેલું છે. આ બિલ્ડિંગનાં સી- ટાવરના નવમાં માળ ઉપર આવેલા ફ્લેટ નંબર સી-૯૦૩નાં માલિક અશોક ભોગીલાલ શાહ મુંબઈમાં વસવાટ કરતા હોવાથી હાલમાં તેમનું ઘર બંધ હતું. આજે સવારે પોણા ૯ વાગ્યાનાં અરસામાં અચાનક જ ઘરમાં આગ લાગી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાની સાથે જ બિલ્ડિંગની બહાર સુધી આગની લપટો અને ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ જાેઈને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બીજી તરફ આગની આ ઘટના અંગે જાણ થતા બિલ્ડીંગમાં ૧૦, ૧૧, અને ૧૨માં માળ પર વસવાટ કરતા રહીશો ગભરાઈ ગયા હતા અને પોતાના ફ્લેટોમાંથી બહાર નીકળીને જીવ બચાવવા અગાસી પર ચઢી ગયા હતા. આ ઘટના અંગે જાણ કરવામાં આવતા વેસુ, ભીમરાડ, માનદરવાજા અને મજુરા સહિત અલગ અલગ ચાર ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ૫૫ મીટરનાં ટર્નટેબલ લેડર સહિતની ગાડીઓ સાથેનો ફાયરબ્રિગ્રેડ વિભાગનો કાફલો ઘટના સથળે પહોંચ્યો હતો. એક તરફ ફાયરબ્રિગ્રેડના જવાનો દ્વારા પાણીનો મારો કરી આગને કાબુમાં કરવા સાથેની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. જયારે બીજી તરફ ટેરેસ પર ફસાઈ ગયેલા લોકોને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી ટેરેસ પર ફસાયેલા કુલ ૧૧ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ભીષણ આગના કારણે સંપૂર્ણ ઘર વખરી સામાન બળીને ખાક થઇ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...