આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, મે 2026
1683 |
રાજકોટના ગોંડલ નજીક બસ પલટી, બે મહિલાના મોત, ૫ાંચની હાલત નાજુક
રાજકોટના ગોંડલ નજીક સોમવારે વહેલી સવારે એક અત્યંત કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો છે. પુરષોત્તમ માસના પવિત્ર અવસરે ધાર્મિક પ્રવાસે નીકળેલા શ્રદ્ધાળુઓની એક ખાનગી બસ પલટી મારી જતાં પરિવારના બે મહિલા સભ્યો (સાસુ-વહુ) ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ભયાનક દુર્ઘટનામાં બસમાં સવાર અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમાંથી પાંચ લોકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે એક ખાનગી બસ બગદાણા, ઊંચા કોટડા, રાજપરા અને ભગુડા જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે ઉપડી હતી. તમામ પવિત્ર ધામોના દર્શન કરીને પરત ફરી રહેલી આ બસ સોમવારે પરોઢિયે આશરે ૪:૩૦ વાગ્યે વોરા કોટડાથી બાંદરા જવાના સિંગલ પટ્ટી રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા એક ટ્રકને જગ્યા આપવા માટે બસ ચાલકે વાહનને રિવર્સમાં લીધું હતું. સિંગલ રોડ હોવાના કારણે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા જ બસ રોડ કિનારે આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી.અકસ્માત સમયે બસમાં માસૂમ બાળકો, મહિલાઓ અને વયસ્ક શ્રદ્ધાળુઓ સહિત કુલ ૬૨ મુસાફરો સવાર હતા. વહેલી સવારના અંધકારમાં અચાનક બસ પલટી જતાં મુસાફરોની ચીસાચીસથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના સ્થાનિક યુવાનો અને સેવાભાવી સંસ્થાઓ તાત્કાલિક બચાવ રાહત માટે દોડી આવ્યા હતા અને બસના કાચ તોડીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.ઇમરજન્સી સેવાઓ અને પોલીસ પ્રશાસન પણ ત્વરિત એક્શનમાં આવ્યું હતું. ૧૦૮ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સો મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ ૫ દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, મે 2026
3762 |
૧૫૦૦ રૂપિયા બાબતે મિત્ર સાથે કરેલી માથાકૂટ બાબતે ચપ્પુનાં ઘા મારી કિશોરની ઘાતકી હત્યા
પૈસા બાબતે મિત્ર સાથે માથાકૂટ કરનારને સમજાવવા તેના ઘરે ગયેલા કિશોરને છાતીમાં ચપ્પુનો ઘા ઝીંકી હત્યા કરાયાનો બનાવ પાંડેસરામાં બન્યો હતો. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર હરિઓમનગરમાં સંતોષ રામગોપાલ ગુપ્તા તેના પરિવાર સાથે રહે છે. મધ્યપ્રદેશનાં રિવા જિલ્લાનો વતની સંતોષ દેવકીનંદન સ્કુલ પાસે નાસ્તાની લારી ચલાવે છે. તેમને સંતાનમાં બે દિકરા અને બે દીકરી છે. ત્રણ નંબરનો દિકરો દેવા ગુપ્તા પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલી બી. જી. મિશ્રા સ્કુલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. ૨૦મી તારીખે સાંજે સાડા ચારેક વાગ્યાનાં અરસામાં દેવાનો મિત્ર સાહિલ પત્રકાર કોલોની પાસે શેરડીનો રસ પીતા હતા. એ સમયે હેપ્પીનો પરિચિત આદર્શ ઉર્ફે બટકો ત્યાં આવ્યો હતો. તેણે મને તને તેરેનામ ચોકડી પર છોડી દો એમ રહેતા હેપ્પીએ હા પાડી હતી. એ સમયે હેપ્પીના મોટર સાયકલ આદર્શે હંકારી અને અને તેઓને ડિ માર્ટની સામે આવેલા નાકોડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે લઈ ગયો હતો. જ્યાં આદર્શના અન્ય મિત્રો પણ હાજર હતાં.ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આદર્શે તેના મિત્રોને કહ્યું હતું કે આ હેપ્પી મારા પૈસા આપતો નથી, જેથી તેના મિત્રો હેપ્પીને પૈસા પરત કરવા કહી ધાક ધમકી આપવા માંડ્યા હતાં. દરમિયાન આદર્શે મોટર સાયકલની ચાવી લઇ લીધી હતી. લાંબી માથાકૂટ બાદ આદર્શે ચાવી પરત કરતાં હેપ્પી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં રાત્રે સાડા દસેક વાગ્યાનાં અરસામાં હેપ્પી, દેવા અને અરવિંદ હાઉસિંગમાં આવેલી વિધાયક નામની ચાની દુકાન પર બેઠા હતાં. એ સમયે હેપ્પીએ દેવાને બપોરે આદર્શ સાથે થયેલી માથાકૂટની વાત કરી હતી. આ સાંભળી દેવાએ આપણે આદર્શના ઘરે જઈ તેના માતા પિતાને જાણ કરીએ એમ કહ્યું અને પછી ત્રણેય જણા આદર્શના ઘરે ગયા હતાં. ઘરે ટેરેસ પર સૂતેલા આદર્શ અને તેની માતાને આ મિત્રોએ જગાડ્યા હતાં. તેઓને નીચે લાવી હેપ્પીએ તેની સાથે બનેલા બનાવ બનાવ અંગે માતાને વાત કરવા માંડી હતી. આ દરમિયાન આદર્શ બટકો ગુસ્સે ભરાયો અને ગાળા ગાળી કરવા માંડ્યો હતો. હેપ્પી અને દેવાએ લડાઈ ઝઘડો નહીં કરી શાંતિથી વાત કરવા કહ્યું હતું.જાે કે, આદર્શે હેપ્પી અને દેવાને ઢીકમુક્કીનો માર મારવા માંડ્યો તો તેની માતાએ વચ્ચે પડી છોડાવ્યા હતાં. એવામાં આદર્શ ઘરમાં દોડી ગયો અને ચપ્પુ જેનું તિક્ષ્ણ હથિયાર લાવી દેવાને છાતીના ભાગે ઘા મારી દીધો હતો. દેવો લોહીલુહાણ થઇ જતાં આદર્શ અને તેની માતા ઘરમાં જતાં રહ્યા અને દરવાજાે બંધ કરી દીધો હતો. જ્યારે હેપ્પી અને અરવિંદ મોટર સાયકલ પર બેસાડી દેવા ને સિવિલ લઇ ગયા હતાં. જ્યાં તબીબોએ ગંભીર અવસ્થામાં તેની સારવાર શરૂ કરી હતી. દરમિયાન હુમલાની જાણ થતાં દેવાના માતા-પિતા સિવિલ દોડી આવ્યા હતાં. તેઓ તેને વધું સારવાર માટે યુનિક હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, મે 2026
2772 |
રાજકોટમાં સગીરા પર ગેંગરેપના કેસમાં બે સગીર સહિત પાંચ આરોપી ઝડપાયા
રાજકોટમાં રહેતી એક ૧૪ વર્ષની સગીરા સાથે થયેલ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે તેની સગીર વયની સહેલી અને એક સગીર આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર ત્રણ શખસોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ એસીપી વી.બી. જાડેજાના જણાવ્યા અનુસાર સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધી એક સગીર, તેમજ ફરિયાદીની સગીર વયની સહેલી ઉપરાંત અન્ય ત્રણ આરોપી મિહિર કુગશીયા, ધવલ રાઠોડ, અને સાહિલ ઉર્ફે ઝેરીની ધરપકડ કરી બાકીના ફરાર ૩ આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા તપાસના કામે આરોપીઓ દ્વારા જે કારમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે સ્વીફ્ટ કાર પણ કબજે કરવામાં આવી છે. પકડાયેલ આરોપી પૈકી ધવલ રાઠોડ ટ્રાફિક શાખામાં વોર્ડન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે મિહિર કુગશીયા અગાઉ ૬ વખત નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. આ વખતે પણ આરોપીએ બસપોર્ટ નજીક સગીરાને હોટલમાં લઈ જઈ પોતાની ઓળખ પોલીસ તરીકે જ આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, મે 2026
2871 |
ઈંધણ સાથે હવે ખાદ્યતેલના પણ ભાવ વધ્યાં, ડબ્બે ૧૦ રૂપિયાનો વધારો
જનતા પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. વાસ્તવમાં મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડતી અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્યતેલોના ભાવમાં પણ સતત વધારો જાેવા મળી રહ્યો છે. રાજકોટના તેલ બજારમાં આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે, જેના કારણે ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે. બજારના વેપારીઓના જણાવ્યા મુજબ, સિંગતેલના ડબ્બામાં આજે વધુ રૂ.૧૦નો વધારો થતાં ભાવ રૂ.૨૮૦૦ સુધી પહોંચી ગયો છે. સાથે જ અન્ય ખાદ્યતેલોમાં પણ તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. કપાસિયા તેલનો ડબ્બો રૂ.૨૬૬૦ સુધી પહોંચી ગયો છે, જ્યારે પામોલીન તેલમાં પણ સતત વધારો ચાલુ રહેતાં તેના ભાવ રૂ.૨૪૧૫ની આસપાસ પહોંચ્યા છે. આ તરફ વેપારીઓનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતા અને સપ્લાયમાં આવેલી અડચણો આ ભાવવધારા માટે મુખ્ય કારણ બની રહી છે. ખાસ કરીને યુધ્ધ વિસ્તારમાં વધેલા તણાવ અને દરિયાઈ માર્ગોમાં આવેલી મુશ્કેલીઓના કારણે આયાતી માલની અવરજવર પ્રભાવિત થઈ રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, મે 2026
2574 |
વેરાવળમાં ધોળા દિવસે જાહેરમાં માથામાં ગોળી મારી યુવકની હત્યા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આવેલી સ્કૂલ પાસે મૌલાના સહિત ચાર લોકોએ તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી મારી હત્યા કરાઇ હતી.તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની ઉર્ફે જાવેદ વાંદરી અને તેમના ભત્રીજાને આજે બપોરે સોમનાથ ટોકીઝ નજીક ગોળી મારવામાં આવી હતી. આ હુમલો કરીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલામાં માથામાં ગોળી વાગતા જાવેદ તાજવાની લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા જ્યારે સાથી ભત્રીજાે પણ ઈજાગ્રસ્ત થયો છે.ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તાજવાનીને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને જાેતા વધુ સારવાર અર્થે જુનાગઢ ખાતે રિફર કરાયા હતા જ્યાં મોડી રાત્રે જાવેદ તાજવાનીનું મોત નીપજ્યું હતું. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, ત્યાંથી એક મોપેડ અને એક બાઈક મળી આવ્યું છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
6930 |
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું. સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ. ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે. PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
5841 |
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ
વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
7722 |
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, મે 2026
5742 |
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, મે 2026
9207 |
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા
ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, મે 2026
1782 |
સગા દિયરોનો ભાભી અને ભત્રીજા ઉપર લાકડાના ડંડાથી ગંભીર હુમલો
શાહીબાગ વિસ્તારમાં આવેલા ખાડાવાળા વાસમાં વહેલી સવારે બાઇક પાર્કિંગ જેવી સામાન્ય બાબતની જૂની અદાવત રાખીને સગા દિયરો અને ભત્રીજાએ ભેગા મળીને મહિલા તથા તેના પુત્ર પર જાનલેવા હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મહિલા અને તેના યુવાન પુત્રને માથાના ભાગે લાકડાના ડંડાના ફટકા મારી લોહીલુહાણ કરી મૂક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા માતા-પુત્રને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અત્રેની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે શાહીબાગ પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શાહીબાગ ન્યુ સિવિલ હોસ્પિટલ પાસે આવેલા ખાડાવાળા વાસમાં ૪૮ વર્ષીય કોકિલાબહેન દશરથભાઈ ડાભી પોતાના પરિવાર સાથે રહે છે. ગત ૨૨ મેના રોજ સવારે ત્રણ વાગ્યાની આસપાસ તેમના દિયર લાલાજી ડાભીના પત્ની મીનાબેન ચાનો સામાન લઈને ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા. સોસાયટીની ગલી સાંકડી હોવાથી કોકિલાબહેનના દીકરા વિજયે પોતાનું બાઇક ત્યાં પાર્ક કર્યું હતું. રસ્તો બ્લોક થતાં મીનાબેને બાઇક સાઇડમાં લેવા કહ્યું હતું, જેથી વિજયે તાત્કાલિક વાહન હટાવી લીધું હતું. જાે કે, તે સમયે દિયર લાલાજી અને દેરાણી મીનાબહેને આ સામાન્ય બાબતને લઈને કોકિલાબેન અને તેમના પુત્ર સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો.બાદમાં પાડોશીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. આ સામાન્ય ઝઘડાની અદાવત મનમાં રાખીને રવિવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના સુમારે જ્યારે કોકિલાબહેન પોતાના ઘરમાં સૂતા હતા, ત્યારે તેમના દિયર લાલાજી શંકરજી ડાભી , શૈલેષ શંકરજી ડાભી અને લાલાજીનો પુત્ર પરાગ ડાભી ભેગા થઈને ગલીમાં આવ્યા હતા અને ફરીથી વિજય સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ઘરમાંથી રાડારાડ સાંભળીને કોકિલાબેન પોતાના દીકરાને બચાવવા વચ્ચે પડ્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, મે 2026
1683 |
જનપથ ત્રણ રસ્તા પાસે કારની ટક્કરથી ટુવ્હિલર ચાલક વૃદ્ધનું મોત, પત્નીને ઈજા
મોટેરા જનપથ ત્રણ રસ્તા પાસે એક ગમખ્વાર હીટ એન્ડ રન અકસ્માત સર્જાયો છે. એક અજાણી કારે પાછળથી ટુ-વ્હીલર પર સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લીધા હતા, જેમાં ગંભીર ઈજાઓને કારણે પતિનું અવસાન થયું છે અને પત્ની ઘાયલ થયા છે. ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. દાણીલીમડામાં રહેતા અને એએમટીએસમાં સ્ટોર કીપરથી નિવૃત્ત થયેલ સુરેશભાઈ રાણા ગત ૧૭ તારીખે પત્ની શોભાબેન સાથે ટુવ્હિલર લઈને ચાંદખેડા સંબંધીના ત્યાં ગયા હતા. સાંજના સમયે તેઓ પરત ઘરે જઈ રહ્યા હતા, વિસત સર્કલ થી મોટેરા ક્રોસ રોડ જનપથ ત્રમ રસ્તા પાસેથી પસાર થતા હતા તે સમયે ઓવરસ્પીડમાં આવેલી એક કારે ટુવ્હિલરને પાછળથી ટક્કર મારી હતી.જેના કારણે સુરેશભાઈ તથા તેમની પત્ની શોભનાબહેન રોડ પર પટકાઈ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને બન્નેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા. જ્યારે કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બે દિવસની સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે સુરેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, મે 2026
1683 |
રામોલમાં યુવકે જાહેરમાં કાચના ટુકડાથી હાથની નસ કાપી નાખી આપઘાત કરી લેતા ચકચાર મચી
શહેરના રામોલ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામોલમાં વન્ડર પોઇન્ટ પાછળ ૩૪ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર કાચ વડે પોતાના હાથની નસ કાપી નાખીને આત્મહત્યા કરી લીધી છે. જાહેરમાં આ રીતે હાથની નસ કાપી લેવાને કારણે લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.રામોલ પોલીસ સ્ટેશનનાએ ઘટના અંગે સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું કે, મૃતકની ઓળખ ઘનશ્યામભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે અને તેઓ અપરિણિત હતા. પ્રાથમિક તપાસ અનુસાર, ઘનશ્યામભાઈએ મોડી રાત્રે વન્ડર પોઇન્ટ પાછળ જાહેરમાં કાચના એક તીક્ષ્ણ ટુકડા વડે પોતાના જમણા હાથની નસ કાપી નાખી હતી, જેના કારણે ભારે રક્તસ્ત્રાવ થતાં તેમનું મોત નીપજ્યું હતું. બીજા દિવસે સવારે સ્થાનિક લોકોએ વન્ડર પોઇન્ટ પાછળ લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ પડેલી જાેતાં જ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં મૃતકના શવ પાસેથી તેનો મોબાઈલ ફોન અને પાકીટ મળી આવ્યા છે. પોલીસને આત્મહત્યા માટે વપરાયેલો કાચનો ટુકડો પણ નજીકમાંથી જ મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલ મૃતક યુવકનો મોબાઈલ ફોન ‘લોક’ હોવાથી તેની કોલ ડિટેલ્સ કે અન્ય વિગતો જાણી શકાઈ નથી. યુવકે આ પ્રકારનું અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. રામોલ પોલીસે હાલ આત્મહત્યાનો ગુનો નોંધી, યુવકના મોબાઈલને અનલોક કરવા તથા કારણ શોધવા માટે પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ સહિતની આગળની સઘન તપાસ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, મે 2026
1782 |
સાબરમતી રિવરફ્રન્ટ પર યુવકની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
અમદાવાદ રાજ્યનું સૌથી સુરક્ષિત શહેર છે પરંતુ જાહેરમાં કેટલાક લોકો અશ્લીલ હરકતો કરતા હોય છે જેના કારણે નાગરિકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર નો એક યુવક નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં યુવક રિવરફ્રન્ટ પર અશ્લીલ હરકતો કરે છે. ચાલતો ચાલતો રિવરફ્રન્ટ ઉપર આવે છે અને ત્યાં ઉભા ઉભા અશ્લીલ હરકતો કરે છે જે અંગે નો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો. જેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. વિડીયો વાયરલ થતાની સાથે જ જાહેરમાં આવી હરકત કરનાર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ નજીક એક યુવક ચાલતો ચાલતો આવે છે અને અશ્લીલ હરકતો કરી રહ્યો હોય છે. ચાલતા ચાલતા થોડો આગળ આવી અને ત્યારબાદ પાળી પાસે ઉભો રહી જાય છે. જ્યાં ઉભા ઉભા હરકત કરતો હોય છે. રિવરફ્રન્ટ પર જ હાજર એક જાગૃત નાગરિક દ્વારા તેનો વિડીયો ઉતારવામાં આવી રહ્યો હોય છે. યુવક વિડીયો ઉતારનાર વ્યક્તિ સામે પણ જુએ છે છતાં પણ પોતે અશ્લીલ હરકતો ચાલુ રાખે છે. યુવક અંદાજે ૩૦ સેકન્ડ ઉભા રહી અને અશ્લીલ હરકત કરતો રહે છે.સાબરમતી રિવરફ્રન્ટ પર દરરોજ અનેક લોકો ફરવા માટે આવતા હોય છે અને ત્યાં યુવક યુવતીઓ પણ બેસતા હોય છે ત્યારે આ રીતે યુવક દ્વારા અશ્લીલ હરકત કરવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટ ની સિક્યુરિટી સામે પણ સવાલ ઉભા થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હેઠળ આવતા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સિક્યુરિટી પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ રિવરફ્રન્ટ ઉપર સિક્યુરિટી હોતી નથી. સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે પરંતુ ત્યાં ગાર્ડ હોતા નથી. સાબરમતી રિવરફ્રન્ટ પોલીસની પણ પેટ્રોલિંગ સામે સવાલ ઊભા થયા છે. રિવરફ્રન્ટ પર બેસતા કપલ ને પોલીસ દ્વારા કનડગત કરવામાં આવતા હોવાના બનાવો સામે આવતા હોય છે પરંતુ અસામાજિક તત્વો અને અશ્લીલ હરકતો કરનારા લોકોને રિવરફ્રન્ટ પોલીસ પકડતી નથી ત્યારે લોકોની સુરક્ષા સામે પણ સવાલ ઊભા થયા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, મે 2026
1683 |
મચ્છરજન્ય રોગચાળો ડામવા તંત્ર સફાળુ જાગ્યું
શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડામવા તંત્ર હવે સફાળુ જાગ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂનની સઘન કામગીરી ડેન્ગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો સામે હાથ ધરવામાં આવી છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત આરોગ્ય શિક્ષણ મારફતે કોમ્યુનિટી સ્તરે લોકજાગૃતિ કાર્યક્રમોનું સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત વિવિધ સ્થળોએ ૈંઈઝ્ર એક્ટિવિટીઝનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.વર્ષ ૨૦૨૫ દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂના કુલ ૧૫૯૧ કેસ નોંધાયા હતા, જેમાં ૧૩૪૭ સરકારી હોસ્પિટલમાં અને ૨૪૪ ખાનગી હોસ્પિટલમાં કેસોનો સમાવેશ થાય છે. જ્યારે મલેરિયાના ૭૮૪ અને મલેરિયાના ૧૭૭ કેસ નોંધાયા હતા. જયારે વર્ષ ૨૦૨૬માં જાન્યુઆરીથી અત્યાર સુધી ડેન્ગ્યૂના કુલ ૧૧૦ કેસ નોંધાયા છે, જેમાં ૧૦૪ સરકારી અને ૬ ખાનગી કેસોનો સમાવેશ થાય છે. મલેરિયાના કુલ ૫૪ અને મલેરિયાના ૧૧ કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર ગયા વર્ષની સરખામણીએ સતત સુપરવિઝન અને મોનિટરિંગને કારણે કેસોમાં ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૫૭૭ મોસ્કીટો બ્રિડીંગ સ્પોટ્સને ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ૮૮ કન્સ્ટ્રક્શન સાઇટ્સને નોટિસ અને પેનલ્ટી ફટકારવામાં આવી છે. હાલ શહેરમાં કુલ ૨૭૪ ફોગીંગ મશીન ઓપેરશનલ છે. વર્ષ ૨૦૨૫માં કુલ ૧૭,૬૫,૦૪૭ અને વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધી ૬,૫૩,૧૪૮ બ્લડ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખયની છે કે,ડેન્ગ્યૂ પોઝિટિવ રેટ એટલે ડેન્ગ્યૂ ટેસ્ટ કરાવનારામાંથી કેટલા લોકો પોઝિટિવ આવ્યા તેની ટકાવારી, જ્યારે મલેરિયા સ્લાઈડ પોઝિટિવિટી રેટ એટલે મેલેરિયા તપાસ માટે લેવામાં આવેલી બ્લડ સ્લાઈડ્સમાંથી કેટલામાં મેલેરિયા પરજીવી મળ્યા તેની ટકાવારી. એએમસી દ્વારા બિનવારસી ટાયરો, ભંગાર અને પાણી ભરાઈ રહે તેવા સ્ક્રેપના કલેક્શન અને દૂર કરવાની કામગીરી અમલમાં મૂકવામાં આવી રહી છે. તળાવોમાંથી વેજીટેશન અને કચરો દૂર કરવાની કામગીરીનું પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, શહેરના મોટા સરકારી, અર્ધસરકારી એકમો, મ્યુનિસિપલ કોર્પોરેશનના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક એકમો, હોસ્પિટલો તેમજ કોમર્શિયલ એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વોર્ડ અને ઝોન મુજબ સમગ્ર કાર્યક્ષેત્રને પેટા વિભાગોમાં વહેંચી દરરોજની કામગીરી માટે સીમારેખા દર્શાવતા નકશાઓ તૈયાર રાખવામાં આવ્યા છે. જ્યાં મચ્છરોનું બ્રીડીંગ વધુ પ્રમાણમાં જાેવા મળે છે તેવા વિસ્તારો અને એકમોનું અલગથી મેપિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કેચપીટ અને ગટરો કચરામુક્ત રહે તથા પાણી ન ભરાય તે માટે સુપરવિઝન સાથે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ વાહકજન્ય રોગ નિયંત્રણ માટે જરૂરી જંતુનાશક દવાઓ, સાધનસામગ્રી અને મશીનરી પૂરતી માત્રામાં ઉપલબ્ધ રહે અને કાર્યરત સ્થિતિમાં રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. તાવ અને મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના પોઝિટિવ કેસોમાં તાત્કાલિક રોગ નિયંત્રણ અને અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. ફરિયાદો વધુ આવતી હો ય તેવા વિસ્તારોમાં એક્ટિવિટી અને જનજાગૃતિ દ્વારા ફરિયાદોના નિકાલ માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, મે 2026
1980 |
હજીરામાં શીપમાં ક્રેન ઓપરેટરનું છાતીમાં દુ:ખાવા બાદ મોત
સુરત શહેરમાં અચાનક બેભાન થઈ મોત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. હજીરામાં દરિયા વચ્ચે શીપમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ ૩૧ વર્ષીય ક્રેન ઓપરેટરનું અને અડાજણ પાટીયા ખાતે મોબાઈલ પર વાત કરતી વખતે ૪૮ વર્ષીય હેર સલૂનની દુકાનદારનું બેભાન થયા બાદ મોત થયું હતું. મોરબી જિલ્લામાં આવેલ સોલંકી નગરમાં ૩૧ વર્ષીય મુનેસ લખમણ ધામેચા પરિવાર સાથે રહેતો હતો અને શીપમાં ક્રેન ઓપરેટ તરીકે નોકરી કરતો હતો. મુનેશ હાલમાં છેલ્લા એક અઠવાડિયાથી મગદલ્લા પોર્ટ ખાતે શીપમાં ક્રેન ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. આજે સવારે મુનેશ અદાણી પોર્ટ સામે મધ દરિયે ક્રેન ઓપરેટ કરતો હતો. દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવા પછી ઉલટી બાદ અચાનક બેભાન થઈ ગયા હતા. ટગ મારફતે કિનારે લાવી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વધુ તપાસ હજીરા પોલીસ કરી રહી છે. બીજા બનાવમાં અડાજણ પાટીયા ખાતે આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા ૪૮ વર્ષીય જીગ્નેશભાઈ મગનલાલ ભાટી હેર સલૂન ચલાવતા હતા. તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગઈકાલે રાત્રે જીગ્નેશભાઈ ઘરે ફોન પર વાતચીત કરતા હતા. દરમિયાન તેમને ગરમી જેવું લાગ્યા બાદ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, મે 2026
1782 |
આફ્રિકન દેશોમાં ઈબોલા વાયરસનાં કેસોને પગલે સિવિલમાં સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ શરૂ કરાયો
કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઈબોલા વાયરસનાં કેસો જાેવા મળી રહ્યાં છે. ગુજરાત કે ભારતમાં ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી પરંતુ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને ધ્યાનમાં રાખીને સુરતની સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં માર્ગદર્શન મુજબ આગોતરી તૈયારીના ભાગરૂપે છેલ્લા બે દિવસથી સિવિલ હોસ્પિટલ ખાતે યુદ્ધનાં ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે ઈબોલાનાં શંકાસ્પદ દર્દીઓ માટે ૧૦ આઈસોલેશન બેડની અદ્યતન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વોર્ડમાં જ વેન્ટિલેટર, મોનિટર અને દર્દીને જરૂરી તમામ દવાઓ સાથેનું નર્સિંગ સ્ટેશન કાર્યરત કરી દેવાયું છે. સંક્રમણ ફેલાવાની શક્યતા ન રહે તે માટે શંકાસ્પદ દર્દીઓ માટે ખાસ લિફ્ટ, અલગ ઓપીડી, સેપરેટ ડેટા એન્ટ્રી તેમજ તેમની એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા તદ્દન અલગ રાખવામાં આવી છે.તેમણે વધુમાં કહ્યું કે, આ વ્યવસ્થાને સુચારુ રૂપે ચલાવવા માટે મેડિસિન ડિપાર્ટમેન્ટનાં ડો.અશ્વિન વસાવાને ‘નોડલ ઓફિસર‘ તરીકે નિયુક્ત કરાયા છે. આર.એમ.ઓ. ડો. કેતન નાયક અને નર્સિંગ કાઉન્સિલનાં ઇકબાલ કડીવાળા સહિતની ટીમ આ સમગ્ર આયોજનમાં સહયોગ આપી રહી છે. હોસ્પિટલનાં મેડિસિન, માઇક્રોબાયોલોજી અને એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ સહિતનાં ૭૫ જેટલા ડોક્ટર્સની વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આગામી દિવસોમાં નર્સિંગ સ્ટાફ અને સર્વન્ટ્સને પણ આ અંગેની જરૂરી તાલીમ આપવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, મે 2026
1683 |
રાંદેરનાં રામનગર પાસે સિંધી યુવકની ચપ્પુનાં ઘા ઝીંકીને ઘાતકી હત્યા
શહેરનાં રાંદેર વિસ્તારમાં સિગારેટ પીવા બાબતે સગીર થયેલી થયેલી માથાકૂટ બાદ ગેરેજ સંચાલકની ચાકુનાં ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાઇ હતી. ક્રાઇમ કેપિટલ બની રહેલાં સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી હત્યા તેમજ હુમલાનાં બનાવો વધી ગયા હોવાથી પોલીસ સત્તાધીશોએ નાઇટ પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે તેમ છતાં ગઇકાલે રવિવારે મોડી રાત્રે વધુ એક બનાવ બનતાં ચકચાર મચી ગઇ છે. પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર અડાજણ ખાતે આનંદ મહલ રોડ પર પારસ નગર સોસાયટીમાં ૩૩ વર્ષીય અમર ઉર્ફે કાળુ દૌલતભાઈ પંજવાણી તેમના પરિવાર સાથે રહે છે. રાંદેરના રામનગર વિસ્તારમાં ગેરેજ ચલાવતો અમર પંજવાણી રવિવારે સાંજે પાનનાં ગલ્લા પર સિગરેટ પીવા માટે ઉભો હતો. આ દરમિયાન ત્યાં તેનો પરિચય મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલ અને નેપાળી તરૂણ આવ્યો હતો. એ સગીર અને અમર વચ્ચે સિગારેટ બાબતે માથાકૂટ થઇ હતી. વાદ વિવાદ વધ્યો અને વાત ગાળાગાળી સુધી પહોંચી ગઇ હતી.આ વાતનું તરૂણને માઠું લાગી ગયું હતું, એ સમયે તો તે ત્યાંથી શ્રવણ સાથે જતો રહ્યો હતો. જાે કે, ઘરે પહોંચ્યા બાદ પણ તેના મનમાં અમર સાથેનો ઝઘડો ઘૂમરાયા કરતો હતો. ગુસ્સામાં લાલચોળ થયેલા નેપાળી તરૂણે ઘરના રસોડામાંથી ચાકુ લીધું અને બહાર નીકળ્યો હતો. તેણે ફરીથી મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને મળવા બોલાવ્યો હતો. શ્રવણ આવ્યો તો ખરો પરંતુ તેની સાથે અમર પંજવાણી પણ હતો. આ ત્રણેય સિગારેટ પીવા નીકળ્યા ત્યારે તેઓ વચ્ચે ફરીથી માથાકૂટ થઇ હતી. દરમિયાન તરૂણે મોપેડ રામનગર સરકારી વસાહત પાસે લીધી હતી. જ્યાં તરૂણે ફરીથી પંજવાણી સાથે ગાળાગાળી કરી હતી. એ સમયે શ્રવણ ઉર્ફે ગોપાલે પણ તરૂણનો સાથ આપ્યો હતો. દરમિયાન નેપાળી તરૂણે અને ઘરેથી લાવ્યો હતો એ ચપ્પુ વડે તેને છાતીના ભાગે ઘા ઝીંકી દીધા હતાં. પંજવાણી લોહીલુહાણ થઇ ઢળી પડ્યો એટલે બંને ત્યાંથી ફરાર થઇ ગયા હતાં. અમરનું મોત થયું હોવાનું જાણી ગયેલા તરૂણે વતન નેપાળ ભાગી જવાની તૈયારી કરવા માંડી હતી. જાે કે, આ મામલે જાણ થતાં રાંદેર પોલીસે તુરંત તપાસ હાથ ધરી અને તરૂણને ઝડપી પાડ્યો હતો. સાથે જ ઉગત કેનાલ રોડ ઉપરથી શ્રવણ ઉર્ફે ગોપાલને પણ ગિરફ્તમાં લેવાયો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, મે 2026
1881 |
સુરતમાંથી વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓમાં ૬૦ ટકા સુધીનો ઘટાડો
છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં આ વર્ષે ૨૦૨૬માં સુરત શહેરમાંથી વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વર્ષે ૬૦ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે. કોવિડ-૧૯ પછીનાં સમયગાળામાં ૨૦૨૨, ૨૦૨૩ અને ૨૦૨૪માં મોટી સંખ્યામાં સુરતમાંથી વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જુદા જુદા દેશોમાં પહોંચ્યા હતા. પરંતુ, આ વખતે સિનારીયો બદલાયો છે અને વૈશ્વિક પરિસ્થિતિને કારણે સેંકડો સુરતી વિદ્યાર્થીઓનું વિદેશમાં અભ્યાસ કરવા જવાનું સપનું રોળાયું હોવાની માહિતી મળે છે.છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટડી અબ્રોડનો ટ્રેન્ડ સતત વધતો હતો, સુરતમાં તેના કારણે અનેક ફોરેન સ્ટડી કન્સલ્ટન્ટ્સ સક્રીય થઇ ગયા હતા. ફોરેન સ્ટડી એક્સપર્ટ રિતીકા શર્માનું કહેવું છે કે પરંતુ આ વર્ષે ૨૦૨૬માં વૈશ્વિક પરિસ્થિતિ, વધતા ખર્ચ અને કડક ઇમિગ્રેશન નીતિઓને કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓ બંનેમાં અનિશ્ચિતતા વધી છે. અનેક દેશોએ પોતાની વિઝા પોલિસી અત્યંત કડક બનાવી દીધી છે અને હવે તો અડધોઅડધ વીઝા એપ્લિકેશનમાં રીજેક્શન આવી રહ્યાં છે. શહેરની અનેક વિદેશ અભ્યાસ કન્સલ્ટન્સીઓ અનુસાર, અગાઉ જ્યાં દર વર્ષે સાડા ત્રણ હજારથી ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ કેનેડા, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન દેશોમાં અભ્યાસ માટે જતા હતા, ત્યાં આ વર્ષે આ આંકડો માંડ ૧૫૦૦ સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ફોરેન સ્ટડી પ્લાનિંગ કરી આપતા શૈલેષ પટેલ કહે છે કે વિદેશ અભ્યાસ માટેની ઇન્કવાયરીમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અગાઉ જાન્યુઆરીથી જૂન વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે અવરજવર રહેતી હતી, જ્યારે આ વર્ષે ઓફિસોમાં સન્નાટો જાેવા મળી રહ્યો છે. કન્સલ્ટન્સી સંચાલકોનાં મતે, વાલીઓ હવે પહેલા કરતાં વધુ સાવચેત બન્યા છે અને રોકાણ સામે મળતાં પરિણામનું મૂલ્યાંકન કરી રહ્યાં છે. શિક્ષણ નિષ્ણાંતોનાં મતે હાલનો ઘટાડો તાત્કાલિક હોઈ શકે છે પરંતુ વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર નહીં થાય ત્યાં સુધી વિદેશ અભ્યાસ ક્ષેત્રમાં મંદી યથાવત રહેવાની શક્યતા છે. તેમનું માનવું છે કે આગામી સમયમાં વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી માટે નહીં પરંતુ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટને ધ્યાનમાં રાખીને ર્નિણય લેશે. વિદેશ અભ્યાસ કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે હવે વિદ્યાર્થીઓમાં માત્ર કેનેડા અને યુકે નહીં પરંતુ જર્મની, આયર્લેન્ડ, સિંગાપોર અને દુબઇ જેવા વિકલ્પો અંગે રસ વધી રહ્યો છે. જાેકે, એકંદરે સુરતમાંથી વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો શિક્ષણ ક્ષેત્ર માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, મે 2026
1782 |
તિરુપતિ માર્કેટનાં પાર્કિંગમાં ત્રણ શ્વાનનો બાળક ઉપર હુમલો, ૧૫ ફુટ ઢસડી જઇ આખા શરીરે બચકાં ભર્યાં
સુરત શહેરમાં ડોગબાઇટનાં બનાવોમાં એકાએક વધારો થતાં એગ્રેસિવ સ્ટ્રે ડોગને લઇને લોકોમાં ગભરાટનો માહોલ જાેવા મળી રહ્યો છે. રિંગરોડ ઉપર બેગમવાડી વિસ્તારમાં આવેલી તિરૂપતિ માર્કેટનાં પાર્કિંગમાં એક માસૂમ બાળક પર રખડતાં શ્વાનોનાં ટોળાએ હુમલો કરી ૧૦થી ૧૫ ફુટ સુધી ઢસડી જઇને બચકાં ભરતાં બાળકની હાલત ખરાબ થઇ ગઇ હતી. રખડતાં શ્વાનો દ્વારા કરાયેલાં હુમલાની સમગ્ર ઘટના માર્કેટનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના ફૂટેજ વાયરલ થતાં લોકોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી.સલાબતપુરા નવાબની ચાલમાં રહેતો ૯ વર્ષનો માસૂમ બાળક મોહંમદ હમદાન મોહંમદ સાદિક સિદ્દીક તિરૂપતિ માર્કેટનાં પાર્કિંગમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ત્રણ જેટલા હિંસક રખડતાં શ્વાનોએ તેના પર તરાપ મારી હતી. શ્વાનોએ બાળકને જમીન ઉપર પછાડી બચકાં ભરવાનું શરૂ કર્યું હતું. ત્રણેય શ્વાન બાળકને ૧૦થી ૧૫ ફૂટ સુધી ઢસડી ગયા હતા. અસહાય બાળક શ્વાનોનાં પંજામાંથી બચવા હવાતિયાં મારતો રહ્યો અને શ્વાનો તેને સતત ૪૦ સેકન્ડ સુધી ફાડી ખાવાનો પ્રયાસ કરતા રહ્યાં હતાં. જાે કે, બાળકનું આક્રંદ અને શ્વાનનો ભસવાનો અવાજ સાંભળીને આસપાસનાં વેપારીઓ અને લોકો દોડી આવ્યા અને હિંસક શ્વાનોને ભગાડ્યા હતાં. લોહીલુહાણ હાલતમાં બાળકને શ્વાનોનાં મોંમાંથી છોડાવ્યું હતું. હુમલામાં બાળકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, તિરૂપતિ માર્કેટ અને તેની આસપાસનાં વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ભારે ત્રાસ છે. સુરત મહાનગરપાલિકામાં અનેકવાર મૌખિક અને લેખિત ફરિયાદો કરવામાં આવી હતી છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેના પરિણામે આ માસૂમ બાળક તેનો ભોગ બન્યો છે. બીજા એક બનાવમાં કોટ વિસ્તારનાં રોહિત મોહલ્લામાં બકરીઈદમાં કુરબાની માટે લાવેલા ત્રણ બકરા ઉપર તા.૨૪મીએ રાત્રે હુમલો કરી રખડતાં શ્વાનોએ શિકાર કરતા લોકોમાં ડરની સાથે રોષ જાેવા મળી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ડોગ બાઈટની ૬ ઘટના બની છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...