આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, માર્ચ 2026
2871 |
આ ‘ડિકેડ’ ભારતનો ‘ટૅકેડ’ : પીએમ મોદી મહિનામાં બીજા સેમિકંડકટર પ્લાન્ટનું ઉદઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ જિલ્લાના સાણંદથી કેઇન્સ સેમિકંડક્ટર ઓસાટ ફેસિલિટીનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આ ‘ડિકેડ’ એટલે કે દશકો ભારતનો ‘ટૅકેડ’ છે. તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે તકનીકી ક્ષેત્રે જે નવી પહેલો કરી છે, તે આગામી દાયકાઓમાં વૈશ્વિક સ્તરે દેશના નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારમાં ભારત આજે એક ભરોસાપાત્ર સેમિકંડક્ટર સપ્લાયર તરીકે ઊભરી રહ્યું છે. ત્યારે સાણંદમાં તૈયાર થયેલી આ ચિપ્સ અમેરિકા પહોંચીને સમગ્ર વિશ્વને અજવાળશે. સેમિકંડક્ટર ક્ષેત્રે ભારતનું વર્તમાન વૈશ્વિક માર્કેટ રૂ. ૪.૫ લાખ કરોડ રૂપિયાનું, વર્ષ-૨૦૩૦ સુધીમાં ૯ લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે કેઇન્સ સેમિકોનની અત્યાધુનિક આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસાટ-ઓએસએટી) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરીને દેશના સેમિકન્ડક્ટર મિશનને નવું સામર્થ્ય બક્ષ્યું છે. સાણંદ જીઆઈડીસી ખાતે અંદાજે રૂ.૩૩૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. વડાપ્રધાને પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ સુવિધાનું બારિક નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને કેઇન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કેઇન્સના યુવા એન્જિનિયર્સ સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાનના હસ્તે વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ થતા ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નવા યુગનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે વડાપ્રધાન અને કેઇન્સના વાઈસ ચેરમેન રમેશ કુન્હિકન્નનના હસ્તે કેઇન્સ સેમિકોન દ્વારા તેમના એન્કર કસ્ટમર ‘આલ્ફા ઓમેગા સેમિકન્ડક્ટર’ના સીઈઓ સ્ટીફન ચેંગને પ્રોડક્ટ એનાયત કરાઈ હતી. આ અવસરે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીનો આ સમયગાળો માત્ર આર્થિક હરીફાઈનો સમય નથી, પરંતુ ભવિષ્યના ટૅક લૅન્ડસ્કૅપને આકાર આપવાનો સમય છે. પરિણામે, વર્ષ-૨૦૨૧માં ભારતમાં સેમિકંડક્ટર મિશનનો પ્રારંભ કરાયો હતો. આ માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ વૈશ્વિક કક્ષાએ ભારતના આત્મવિશ્વાસનું એલાન છે. તેમણે કહ્યું કે આજનું આ નવું ભારત માત્ર બદલાવનું સાક્ષી નહીં.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, માર્ચ 2026
2772 |
સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે, જ્યારે અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ભર ઉનાળે આવેલા આ માવઠાના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે કેરી, ઘઉં અને મકાઈ જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ અને તેજ પવનની આગાહી કરી છે, જેના કારણે ગરમીમાંથી લોકોને થોડી રાહત મળશે પણ ખેડૂતો માટે આ આફત બની શકે છે. અમરેલીનાં સાવરકુંડલા પંથકમાં અસહ્ય ગરમી અને બફારા પછી અચાનક વાતાવરણ બદલાયું હતું. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે જાબાળ, બાઢડા, મોટા ઝીંઝુડા, ધજડી, સાકરપરા અને અભરામપરામાં અચાનક જ વરસાદી છાંટા પડ્યા હતા. ઉનાળાની આકરી ગરમી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદથી સામાન્ય લોકોને ગરમીથી થોડી રાહત તો મળી છે, પણ આંબાના પાક (કેરી) ને ભારે નુકસાન જવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, માર્ચ 2026
3663 |
ભાવનગર ફ્લાઈટ કનેક્ટિવિટીથી હવાઈ માર્ગે દેશ અને દુનિયા સાથે જાેડાશે: કે. રામમોહન
ભાવનગર એરપોર્ટ ખાતેથી આજથી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુએ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને આ પ્રથમ ફ્લાઈટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું વોટર સેલ્યુટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલ પંડ્યા અને ગૌતમ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને વખતોવખત ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા ભાવનગરને એર કનેક્ટિવિટી ફાળવવા માટેની દરખાસ્તો મળતી રહી હતી. જેના અનુસંધાને આજરોજ ભાવનગર થી નવી મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થઈ રહ્યો છે જે બદલ ભાવનગરની જનતાને અભિનંદન. વધુમાં તેમણે કહ્યું કે ભાવનગરથી નવી મુંબઈની કનેક્ટિવિટી એ માત્ર લોકલ કનેક્ટિવિટી નથી પરંતુ આ એર કનેક્ટિવિટીથી ભાવનગર દેશ અને દુનિયા સાથે જાેડાઈ રહ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, માર્ચ 2026
3168 |
અમદાવાદના એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે
અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ રાજકોટ ખાતે કહ્યું હતું.. આજે ૨૯ માર્ચના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક સાથે દેશના ૫૭ એરપોર્ટ પર અલગ-અલગ સુવિધાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ સાથે રાજકોટનાં ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું છે. સવારે ભાવનગર ખાતે ઈન્ડિગોની નવી મુંબઈની ફલાઈટને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ તેઓ રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. ઉડાન યાત્રી કાફે ખુલવાથી હવે એરપોર્ટ પર મુસાફરોને રૂ.૧૦માં ચા અને રૂ.૨૦માં કોફી મળી રહેશે. આ દરમિયાન રામમોહન નાયડુએ મહત્વના મુદ્દાઓને લઈ કહ્યું કે, રાજકોટમાં વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ, એર કાર્ગો ટર્મિનલ શરૂ થશે. દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ, ૨૦૦ હેલિપેડ બનશે. યુદ્ધ વચ્ચે ગલ્ફ દેશોમાંથી ૫ લાખ લોકોને ભારત પરત લાવ્યા છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યુ હતુ કે, રાજકોટ સહિત દેશના ૫૭ એરપોર્ટ ઉપર અલગ-અલગ નાગરિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશમાં ૧૧ એરપોર્ટ પર ઉડાન કાફે, ૮ જગ્યાએ ડ્ઢય્ યાત્રા, ૫૦ જગ્યાએ વાઈફાઇ ફેસેલિટિ, ૧૧ અવસર આઉટલેટ, ૧૦ કિડઝ પ્લે ઝોન, ૧૬ ફ્લાયબ્રેરિઝ અને ૮ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કનું પણ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યુ હતુ કે, રાજકોટ સહિત દેશના ૫૭ એરપોર્ટ ઉપર અલગ-અલગ નાગરિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશમાં ૧૧ એરપોર્ટ પર ઉડાન કાફે, ૮ જગ્યાએ ડ્ઢય્ યાત્રા, ૫૦ જગ્યાએ વાઈફાઇ ફેસેલિટિ, ૧૧ અવસર આઉટલેટ, ૧૦ કિડઝ પ્લે ઝોન, ૧૬ ફ્લાયબ્રેરિઝ અને ૮ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કનું પણ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, માર્ચ 2026
2673 |
ઐતિહાસિક સફળતા: એક દાયકા બાદ કચ્છમાં ઘોરાડના બચ્ચાનો જન્મ થયો
ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ સફળતા મળી છે. કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ -ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતાં કહ્યું કે, ગુજરાત વન વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાસિલ કરી છે. આ સફળતા બદલ કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પર્યાવરણ મંત્રાલય, ગુજરાત, રાજસ્થાન અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસોને બિરદાવીને એક્સ પર માહિતી આપીને અભિનંદન પાઠવ્યા હતા. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો જણાવતાં કહ્યું હતું કે, આ સફળતા પાછળ ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ‘ નામની અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૧માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘોરાડ પક્ષીઓના કુદરતી રહેઠાણોના સંરક્ષણ માટે રજૂ કરવામાં આવેલા વિઝનને અનુરૂપ વર્ષ ૨૦૧૬માં ‘પ્રોજેક્ટ જીઆઇબી શરૂ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના સેમ અને રામદેવરા ખાતે સ્થાપિત બ્રીડિંગ સેન્ટરોમાં પક્ષીઓની સંખ્યા વધીને હવે ૭૩ સુધી પહોંચી છે. રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લેવામાં આવ્યું. પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં આ ઈંડાને ૧૯ કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. તા. ૨૨ માર્ચના રોજ કચ્છની માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને બદલે આ ફલિત ઈંડું મૂકવામાં આવ્યું. માદા ઘોરાડ દ્વારા આ ઈંડાનું કુદરતી રીતે સેવન કરવામાં આવ્યું અને તા. ૨૬ માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો. હાલમાં ફિલ્ડ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને તેના બચ્ચાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો, વન વિભાગના અધિકારીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે આ એક ગર્વની ક્ષણ છે, જે ભારતના વન્યજીવ પર્યાવરણ જતન સંકલ્પને વધુ દૃઢ બનાવે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
02, એપ્રીલ 2026
વડોદરા |
નવરા બેઠેેલા યાત્રીએ પાણીની બોટલ માટે રેલવે તંત્રને દોડતું કર્યું
રેલવે તંત્રની સતર્કતા અને મુસાફરોને તાત્કાલિક સેવા આપવા માટેની તૈયારીનો એક રસપ્રદ બનાવ સામે આવ્યો છે. ચાલતી ટ્રેનમાં એક મુસાફરને પાણીની તરસ લાગતાં તેણે રેલવે હેલ્પલાઇન નંબર પર મેસેજ કરીને જણાવ્યું હતું કે ટ્રેન જ્યારે વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચે ત્યારે તેના કોચ સામે પાણીનો કુલર ઉપલબ્ધ કરાવવામાં આવે.મેસેજ મળતા જ વડોદરા રેલવે સ્ટેશનના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક કાર્યવાહી કરીને સંબંધિત કોચ સામે પાણીનો કુલર સુલભ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.ટ્રેન સ્ટેશન પર આવી પહોંચતા અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા જેથી મુસાફરને કોઈ મુશ્કેલી ન પડે.પરંતુ આશ્ચર્યની વાત એ રહી કે, જ્યારે ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યારે સંબંધિત મુસાફરના કોચ સામે પાણીનો કુલર પહેલેથી જ ઉપલબ્ધ હતો. તેમ છતાં, મુસાફરે કુલરમાંથી પાણી લેવા બદલે ૨૦ રૂપિયામાં પાણીની બોટલ ખરીદી લીધી હતી. આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ રેલવે અધિકારીએ ઉતાર્યો હોવાનું જાણવા મળે છે. આ બનાવથી એક તરફ રેલવે તંત્રની ઝડપી કામગીરી અને મુસાફરો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાબિત થાય છે, તો બીજી તરફ કેટલાક મુસાફરો દ્વારા બિનજરૂરી રીતે હેલ્પલાઇનનો ઉપયોગ કરીને તંત્રને પરેશાન કરવામાં આવતું હોવાનો મુદ્દો પણ સપાટી પર આવ્યો છે.રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, હેલ્પલાઇન સેવા મુસાફરોની વાસ્તવિક સમસ્યાઓના નિરાકરણ માટે શરૂ કરવામાં આવી છે અને તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. આવી ઘટનાઓને કારણે તંત્રનો સમય અને સંસાધનો વ્યર્થ જાય છે, જે અન્ય જરૂરિયાતમંદ મુસાફરો માટે અવરોધરૂપ બની શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
02, એપ્રીલ 2026
વડોદરા |
૭ માસના અંતરાળ પછી ગંભીરા બ્રિજ ટુ-વ્હીલર્સ માટે ફરીથી ખૂલ્લો મૂકાયો
વડોદરા અને આણંદ જિલ્લાને જાેડતા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટતા ૨૧ લોકોના મોત નિપજ્યા હતા.બ્રિજ તૂટ્યા બાદ અહીંથી રોજગારી માટે જતા લોકો માટે મોટું સંકટ ઊભું થયું હતું.બાદમાં રાજ્ય સરકારના આદેશથી અહીંયા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તૂટેલા બ્રિજ પર લોખંડનો નવો સ્પાન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.છેલ્લા સાત મહિનાથી આ બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંધ હાલતમાં હતો, ત્યારે હવે આ સ્પાનના લોન્ચિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાતા બ્રિજ પર આજે ઓવરલોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.આ બ્રિજ આજથી ટુ વ્હીલર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.આજે આ ગંભીરા બ્રિજનું ઓવરલોડ ટેસ્ટિંગ ટ્રેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ઓવરલોડ ટ્રેકટર બ્રિજ પરથી પસાર કરવામાં આવ્યા હતા. જુના બ્રિજનું સંપૂર્ણ રીતે સમારકામ પૂર્ણ થતા આ બ્રિજને આજથી ખુલ્લો મૂકવા આવ્યો છે. આ બ્રિજ પર ટુ વ્હીલરો ચાલકો અને પગપાળા જતા લોકો ઉપયોગ કરી શકશે. ઓવરલોડ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તૂટેલા ભાગ પર ૮૦ ટનનું સ્ટીલનું માળખું ગોઠવવામાં આવ્યું છે, જેના દ્વારા બ્રિજની કનેક્ટિવિટી કરી રોજગારી મેળવતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે આસપાસના અનેક ગામોના લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વડોદરા નોકરી કરવા જતા તેમજ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. આ બ્રિજ ઉપરથી નાના વાહનો માટેની આવનજાવન શરુ થાય તે માટેના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
02, એપ્રીલ 2026
વડોદરા |
માંડવી દરવાજાને ફેન્સિંગ કરીને જાળીએ તાળાં મારી હેરિટેજનું કામ કરતાં માણસો જતા રહ્યા
વડોદરાની સાચી ઓળખ સમાન માંડવી દરવાજાના રિસ્ટોરેશનનું કામ કરતી સુરતની સવાણી હેરિટેજ નામની સંસ્થાનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ સવાણી હેરિટેજના માણસોએ માંડવી દરવાજાની નીચેના અડધાથી વધારે હિસ્સાને ફેન્સિંગ કરીને એને બંધ કરી દીધો છે અને જાળીને તાળુ મારીને તમામ લોકો ચાલ્યા ગયા છે. માંડવી દરવાજાના રિસ્ટોરેશનની કામગીરી કેટલી ઝડપથી થાય છે ? તે જાેવા વાળુ કોઈ નથી. અને એટલે જ સુરતની સવાણી હેરિટેજ નામની સંસ્થા મનમાની કરી રહી છે. એના માણસો ગમે ત્યારે આવે છે અને થોડી થાગડથુંગડ કરીને ચાલ્યા જાય છે. મહિનામાં લગભગ વીસ દિવસ એમનુ કામ બંધ રહે છે. અને બાકીના દિવસોમાં પણ દેખાડા પૂરતુ જ કામ થતુ હોય છે. પણ એનુ કોઈપણ પ્રકારનું ઈન્સ્પેક્શન થતુ નથી. જેને લીધે માંડવીની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. આટલી ધીમી ગતિએ જ જાે કામ થતુ રહ્યુ તો માંડવીનું રિસ્ટોરેશન વર્ષ ૨૦૩૬ સુધીમાં થાય તેવી સંભાવના દેખાતી નથી. એટલુ જ નહીં, માંડવીની નીચે છેલ્લા એક વર્ષથી તપસ્યા કરી રહેલા વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસની બેસવાની જગ્યાને પણ આંચકી લેવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રમત ગમત
02, એપ્રીલ 2026
વડોદરા |
ત્રીજી એપ્રિલે બીસીએ એપેક્સ કમિટીની બેઠક: હાઈકોર્ટની શરતો વચ્ચે વિવાદ વકર્યો
બીસીએના સેક્રેટરી અજીત લેલે દ્વારા બીસીએની એપેક્ષ કમિટીની આગામી ૩ એપ્રિલના રોજ બોલાવવામાં આવતાં બીસીએમાં બેઠકના ર્નિણયને લઈને વિવાદ ઊભો થયો છે અને ક્રિકેટ આલમમાં ખળભળાટ મચી ગયો છે.હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલી મંજૂરી હેઠળ સંસ્થાને માત્ર રૂટીન કામગીરી ચાલુ રાખવા અને દૈનિક વહીવટી કામોમાં અવરોધ ન આવે તે માટે જ છૂટ આપવામાં આવી છે. સાથે જ હાઈકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે નીતિગત અથવા મોટા ર્નિણયો લેવામાં નહીં આવે. આવી પરિસ્થિતિમાં એપેક્ષ કમિટીની બેઠક બોલાવવામાં આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. બેઠકને લઈને સૌથી વધુ વિવાદ તે મુદ્દે ઊભો થયો છે કે હાલ ચૂંટણી લડી રહેલા હોદેદાર અને એપેક્ષ કમિટીના કેટલાક સભ્યોને આ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. જેના કારણે પારદર્શિતા અને પ્રક્રિયાની ન્યાયસંગતતા અંગે સવાલો ઉભા થયા છે. ચૂંટણી લડી રહેલાં ઉપપ્રમુખ અનંત ઇન્દુલકર,એપેક્ષ સભ્યો અશોક જૂનેજા, અક્ષત પટેલ અને વિપુલ ઘીયાને પણ બેઠક માટે આમંત્રણ અપાયું નથી.જે લોકોને બોલાવાયા છે તેમાં પ્રમુખ પ્રણવ અમીન,અકીન શાહ, શીતલ મહેતા, રશ્મી શાહ,અજીત લેલે,કલ્યાણ હરિભકિત,પ્રયન દવે,મંગલા બાબરનો સમાવેશ થાય છે,જયારે બીસીએના સભ્ય અજીત પટેલને વિશેષ આમંત્રિત તરીકે બેઠકમાં બોલાવાયા છે.ક્રિકેટ સાથે સંકળાયેલા વર્તુળોમાં માનવામાં આવે છે કે બેઠક દરમિયાન જાે કોઈ મહત્વપૂર્ણ ચર્ચા કે ર્નિણય લેવાશે તો તે હાઈકોર્ટના આદેશના ઉલ્લંઘન સમાન બની શકે છે. બીજી તરફ, ચૂંટણી પૂર્વે આવી બેઠક બોલાવવામાં આવતા રાજકીય ગરમાવો પણ વધ્યો છે.આ સમગ્ર મુદ્દે બીસીએના અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જાેકે, પરિસ્થિતિને જાેતા આવનારા દિવસોમાં વિવાદ વધુ વકરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે,હાલ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે બીસીએની આ બેઠક કેવો વળાંક લાવે છે તે હવે જાેવાનું છે, આ બેઠક માટેનો કોઈ એજન્ડા પણ જાહેર કરાયો નથી.જાે કે આ બેઠકનો એજન્ડા બેઠકના આગલા દિવસે જાહેર થાય તેવી શકયતા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
02, એપ્રીલ 2026
વડોદરા |
ભાજપની ટિકિટ મેળવી નિશ્ચિત જીત સાથે કૉર્પોરેટર થવા દાવેદારોનો રાફડો
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજે શહેર ભાજપા દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. સેન્સ પ્રક્રિયા માટે ભાજપ દ્વારા ચાર ઝોનમાં ચાર સ્થળોએ ઉમેદવારોનો મેળાવડો જામ્યો હતો. ટીકીટ મેળવવા ઈચ્છુકો પોતાનો રંગબેરંગી બાયોડેટા બનાવીને ભલામણ પત્રોની સાથે નિરીક્ષકો સમક્ષ પહોંચ્યા હતા.ભાજપાની ટીકીટ મેળવીને નિશ્ચિત જિતની સાથે કાઉન્સિલર થવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. જાેકે, અંત સુધીમાં નિરીક્ષકો કોણ? તેનું સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું હતુ. આજે સવારે જ્યારે નિરીક્ષકો આવતા દાવેદારોને ખબર પડી હતી.વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ભાજપા દ્વારા કોર્પોરેશન, જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. તા.૧ અને ૨ એપ્રિલ એમ બે દિવસ ચાલનારી સેન્સ પ્રક્રિયામાં ગત ચૂંટણીની જેમ ચાર ઝોનના વિભાગ પાડવામાં આવ્યા છે. આજે સવારે ૯ વાગ્યાથી અલગ અલગ વોર્ડ વાઈસ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જાેકે, કેટલીક જગ્યાએ નિરીક્ષક મોડા આવતા સવારે ૯ વાગ્યાને બદલે ૧૧ વાગે ટિકિટ વાંછુઓનો મેળાવડો શરૂ થયો હતો. જેમાં પ્રથમ તબક્કે સવારે વોર્ડ નં-૧,૪,૧૬ અને વોર્ડ નં-૮ના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ત્યારપછી બપોરે વોર્ડ-૨,૫,૧૭ અને ૯ જાેકે, દાવેદારોની સંખ્યા વધુ હોવાથી આ વોર્ડના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલી હતી. ત્યાર બાદ મોડી રાત સુધી વોર્ડ નં- ૩,૬,૧૮ અને ૧૦ના દાવેદારોની સેન્સ પ્રક્રિયા ચાલી હતી. જાેકે, દરેક વોર્ડમાં સરેરાશ ૪૦ થી વધુ એટલે વોર્ડ દીઠ ૧૦ બેઠકોની સામે ૧૦ ગણાથી વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી કરી હતી.ત્યારે રંગબેરીંગી બાયોડેટા બનાવીને અને ભલમણપત્રો સાથે અનેક દાવેદારો નિરીક્ષકો સમક્ષ પહોંચ્યા હતા. આમ પ્રથમ દિવસે લેવામાં આવેલા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ૧૯ વોર્ડની ૭૬ બેઠકો પૈકી ૧૨ વોર્ડની ૪૮ બેઠકો માટે લેવામાં આવેલ સેન્સ પ્રક્રિયા દરમિયાન ૮૦૦ જેટલા ટીકીટવાંચ્છુઓએ પોતાની દાવેદારી કરી હોવાનું જાણવા મળે છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
01, એપ્રીલ 2026
2079 |
માર્ગોના નવીનીકરણ-ગુણવત્તા માટે રૂ. ૩,૪૦૦ કરોડથી વધુના કામોને મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના માર્ગોના નેટવર્કને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા બે અત્યંત મહત્વના ર્નિણય લેવાયા છે. આ ર્નિણયથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોની કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે અને રસ્તાઓની ગુણવત્તામાં પણ લાંબાગાળાનો સુધારો જાેવા મળશે, તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ગામડાંને જાેડતા નોન-પ્લાન રસ્તાઓની સુધારણા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રૂ. ૩,૪૦૦ કરોડની મંજૂરી આપી છે. આગામી સમયમાં રૂ. ૩,૪૦૦ કરોડથી વધુના ખર્ચે રાજ્યમાં કુલ ૫,૭૦૦ કિમી નોન-પ્લાન્ડ રસ્તાઓનું રિસર્ફેસિંગ કરાશે. જે અંતર્ગત રાજ્યના ૩૩ જિલ્લામાં કુલ ૨,૩૪૨ જેટલા કામોને મંજૂરી અપાઈ છે. તેમણે જણાવ્યું હતુ કે, આ ર્નિણયથી રાજ્યના ૬૭ ટકા જેટલા નોન-પ્લાન રસ્તા કવર થઈ જશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના પરાં અને અંતરિયાળ વસાહતોની કનેક્ટિવિટી વધશે, જેનાથી નાગરિકોની મુસાફરી વધુ સુરક્ષિત, ઝડપી અને સરળ બનશે. જે રસ્તાઓને ૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ રસ્તાઓ પણ આગામી વર્ષે સમાવી લેવાશે. પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, માત્ર નવા રસ્તા બનાવવા જ નહીં, પરંતુ તેની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે સરકારે મેન્ટેનન્સની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. માર્ગોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે હવે ‘આઉટપુટ એન્ડ પરફોર્મન્સ બેસ્ડ કોન્ટ્રાક્ટ’ (ઓપીઆરસી) અને ‘પરફોર્મન્સ બેસ્ડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ’ (પીબીએમસી) પદ્ધતિ અપનાવવાનો ર્નિણય કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રૂ. ૨૫ કરોડથી વધુના કામો ઓપીઆરસી હેઠળ થશે. તે માટેનો કરાર ૧૦ વર્ષનો રહેશે, જેમાં ૨ વર્ષ બાંધકામ અને ૮ વર્ષ મેન્ટેનન્સનો ગાળો રહેશે. આ ઉપરાંત રૂ. ૨ કરોડથી ૨૫ કરોડ સુધીના કામોનો પીબીએમસી હેઠળ થશે. પીબીએમસી પદ્ધતિના કામો માટેનો કરાર ૭ વર્ષનો રહેશે, જેમાં ૧ વર્ષ સપાટી સુધારણા અને ૬ વર્ષ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે. નવી પદ્ધતિ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, હવે કોન્ટ્રાક્ટરને ચૂકવણી કામની માત્રા પર નહીં, પણ રસ્તાની ગુણવત્તાના આધારે કરાશે. ડામરની સપાટીની સાથે સાઈડ શોલ્ડર, ડ્રેનેજ, રોડ ફર્નિચર-સાઈન બોર્ડ, માર્કિંગ, સ્ટોન વગેરેની જાળવણી પણ કોન્ટ્રાક્ટરે જ કરવાની રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
01, એપ્રીલ 2026
1584 |
ચોથી એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્ય તરફ હાલ ૩ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટન ડીસ્ટબન્સ, વરસાદી ટ્રક સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ૪ એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાત માટે દક્ષિણ પૂર્વ અને કચ્છ પાસે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨ એપ્રિલે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મેહસાણા, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમન, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આંધી તોફાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૪૦ કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વીજળી પડવાની શક્યાઓ છે. આગામી ૨ થી ૩ ડિગ્રી ટેમ્પ્રેચર ઘટશે. સૌથી વધારે વિધાનગર માં ૩૭.૧ ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ ૩૬.૭ ડિગ્રી ટેપમ્પટેચર નોંધાયું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
01, એપ્રીલ 2026
1980 |
નાગરિકોના હિતમાં જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૧૩૫-ડીની જાેગવાઈમાં સુધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મહેસૂલ તંત્ર માં પ્રવર્તતી જટિલતાઓ દૂર કરીને પારદર્શિતા લાવવા તેમજ સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓને દૂર કરવા એક ક્રાંતિકારી ર્નિણય કર્યો છે. આ ર્નિણય અંગે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મહેસૂલી સરળીકરણ માટે “જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯”ની કલમ ૧૩૫-ડીની જાેગવાઈમાં મહત્વપૂર્ણ સુધારા કરાયા છે. આ સુધારાથી હવે કાયદેસરના જમીન અથવા મિલકતના વ્યવહારોમાં નાગરિકોને ૩૦ દિવસની નોટિસના સમયગાળાની રાહ જાેવા માંથી મુક્તિ મળશે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારોમાં ૩૦ દિવસની ફરજિયાત નોટિસના કારણે સામાન્ય જનતાએ લાંબી રાહ જાેવી પડતી હતી. આ સમયગાળાનો ખોટી રીતે ગેરલાભ લેનાર કેટલાક તત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીને વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવા નું (બ્લેકમેલિંગ) કામ કરતા હતા. મુખ્યમંત્રીએ આ જટિલતાને સમજીને ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં ૧૩૫-ડીની ૩૦ દિવસની નોટિસની અનિવાર્યતા માંથી મુક્તિ આપવાનો સાહસિક ર્નિણય લીધો છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, નવા સુધારા પ્રમાણે, રેકોર્ડ પર જમીનમાં છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ફેરફાર નોંધ ન હોય, જમીન પર કોઈ લિટીગેશન કે દાવો પડતર ન હોય અને શાંત કબજાે હોય તેમજ ૭/૧૨ના રેકોર્ડ પર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય તેવા વ્યવહારોમાં ૧૩૫-ડીની નોટીસ વગર, તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવામાં આવશે. આવા કિસ્સાઓમાં ૧૩૫-ડીની નોટિસ બજવવાની પ્રક્રિયા સિવાય સીધી નોંધનો ર્નિણય લેવામાં આવશે અને વેચાણની નોંધ તુરંત પ્રમાણિત કરીને ‘પાકી એન્ટ્રી’ કરવામાં આવશે. આ ઉપરાંત સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા અપાયેલા હુકમોની નોંધ વખતે પણ હવે ૧૩૫-ડીની નોટીસ બજવવાની રહેશે નહીં, તેની સીધી જ અમલવારી કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું. જાે એક વર્ષની અંદર રેકોર્ડમાં કોઈ ફેરફાર થયો હોય, વેચાણ પાવર ઓફ એટર્ની (પીઓએ) દ્વારા કરાયું હોય, ૭/૧૨માં દેખાતા તમામ વ્યક્તિઓની દસ્તાવેજમાં સહી ન હોય અથવા કોઈ કેસ પેન્ડિંગ હોય તેવા તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરાયો છે. આ ૭ દિવસમાં સાચા હકદારો પોતાના આધાર-પુરાવા રજૂ કરી શકશે, જેથી કોઈને અન્યાય ન થાય. આ સુધારાઓથી રાજ્યના ખેડૂતો, મિલકત ખરીદનારાઓ અને સામાન્ય જનતાને બિનજરૂરી કાયદાકીય ગૂંચવણ અને વિલંબમાંથી કાયમી મુક્તિ મળશે. સાથે જ, સીધી લીટીના વારસદારો વચ્ચે થતી તબદીલીમાં પણ હવે બિનજરૂરી હેરાનગતિ બંધ થશે, તેમ તેમણે જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં, પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંકના મકાનો લેતી સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ છે. સીધી લીટીના વારસદારોના વ્યવહારોમાં પણ હવે સરળતા રહેશે. રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને એસએસઆરડી સુધી ચાલતા કેસો, જે માત્ર ૧૩૫-ડીના વાંધાને લીધે વિલંબમાં હતા, તેનો ઝડપથી નિકાલ આવશે. ભવિષ્યમાં તકરારી કેસો ખૂબ ઘટશે અને સૌથી મહત્વપૂર્ણ મિલકતના ભાવ વધતા કેટલાક લોકો જૂના બાનાખત-કાચી ચિઠ્ઠીના આધારે ખોટા વાંધા ઉઠાવીને રકમ પડાવતા હતા, તે બ્લેકમેલિંગ પણ હવે બંધ થશે. પરિણામે ખરીદનાર અને વેચનાર હવે કોઈપણ ડર વગર ર્નિભય થઈને વ્યવહાર કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ ર્નિણય મહેસૂલી પ્રક્રિયાને વધુ પારદર્શક, સમયબદ્ધ અને અસરકારક બનાવશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો નાગરિકોને મળશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
01, એપ્રીલ 2026
1980 |
રાજ્યની ૧૦,૦૩૯ બેઠકો માટે૨૬ એપ્રિલે મતદાન
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું નગારુ વાગી ચૂક્યું છે. રાજ્ય ચૂંટણી પંચે સાંજે પાંચ વાગે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી દીધી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ અમદાવાદ સહિત રાજ્યમાં ચૂંટણી જ્વર શરૂ થઇ ગયો છે. સ્થાનિક સ્તરે રાજકારણ અત્યંત સંવેદનશીલ હોવાને કારણે જ્યાં ચૂંટણી યોજાનારી છે ત્યાં રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજ્યની સૌથી મોટી ગણાતી મહાનગર પાલિકા એવી અમદાવાદ મનપામાં પણ હવે ચૂંટણી જંગની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અમદાવાદમાં છેલ્લા બે દાયકાથી ભાજપનું મહાનગર પાલિકામાં શાસન રહ્યું છે. આ વર્ષે પણ હેટ્રિક મારવા ભાજપ એડીચોટીનું જાેર લગાવશે જ્યારે કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી માથાનો દુખાવો સાબિત થઇ શકે છે.. શહેરના વિકાસ , સ્માર્ટ સીટી , સ્થાનિક સમસ્યાઓ , રોડ, રસ્તા , ગટર , પાણી અને વરસાદી પાણીના નિકાલની જેજે સમસ્યાઓ નાગરિકોએ ભોગવી છે તે આ ચૂંટણીમાં દેખા દેશે. ત્યારે વાત કરીએ તો અમદાવાદના ૪૮ વોર્ડ માટે ૧૯૨ કોર્પોરેટર ચૂંટાશે ત્યારે અમદાવાદમાં ૨૦૨૧માં ભાજપને ૧૫૯, કોંગ્રેસના ૨૫ જ્યારે અન્યને ૮ બેઠકો મળી હતી જ્યારે ૨૦૧૫ની વાત કરીએ તો ભાજપને ૧૪૩, કોંગ્રેસને ૪૮ અને અન્યને એક બેઠક મળી હતી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. તેમાં અમદાવાદ જિલ્લામાં અમદાવાદ મહાપાલિકા, અમદાવાદ જિલ્લા પંચાયત ઉપરાંત ત્રણ નગરપાલિકા તેમજ ૯ તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે.અમદાવાદ મનપાની ૨૦૨૧ની ચૂંટણીમાં ૪૪.૧૨ ટકા મતદાન થયું હતું અમદાવાદ મનપાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે અમદાવાદ મનપાની ચૂંટણીમાં કુલ નોંધાયેલા ૩૫,૮૭,૦૬૬ મતદારોમાંથી ફક્ત ૪૪.૧૨ ટકા જેટલું મતદાન થયું હતું. અમદાવાદ મનપામાં વર્ષ ૨૦૨૧ની ચૂંટણી દરમિયાન ૧૮,૭૬,૩૬૫ પુરુષ, ૧૭,૧૦,૭૦૧ સ્ત્રી મળીને કુલ ૩૫,૮૭,૦૬૬ મતદારો નોંધાયેલા હતા. જેમાંથી ૮,૬૯,૬૧૫ પુરુષ અને ૭,૧૩,૦૯૨ મહિલા મતદારો મળીને કુલ ૧૫,૮૨,૭૦૭ મતદારોએ મતદાન કર્યું હતું. એટ્લે કે ગત ચૂંટણીમાં અમદાવાદ મનપાની ચૂંટણીમા ૪૪.૧૨ ટકા જેટલું મતદાન થયું હતું. કઈ જિલ્લા પંચાયતોની ચૂંટણી રાજયમાં જૂની ૩૩ અને નવી બનેલી વાવ-થરાદ સહિત કુલ ૩૪ જિલ્લા પંચાયતોની આગામી તા. ૨૬ એપ્રિલના રોજ યોજાનાર છે. જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, રાજકોટ, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સજ્જ: ચાવડા મહાનગરપાલિકા - જિલ્લા પંચાયત- તાલુકા પંચાયત - નગરપાલિકાની જાહેર થયેલ ચૂંટણી સમયપત્ર અંગે રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણી આચારસંહિતા જાહેરાત થતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રાહ ઘણા વખત થી જાેવાતી હતી તે દિશામાં ગુજરાત કોંગ્રેસે ઘણા સમયથી કમર કસી લીધી છે. ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આયોજિત જનઆક્રોશ યાત્રાના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે. ગુજરાત રાજ્યના તમામ વર્ગના લોકો સરકારથી ત્રસ્ત છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ભાજપે ભ્રષ્ટાચારના અડ્ડા બનાવી દીધા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા જ આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જાહેરાત મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની અલગ અલગ સીટો થઈને ટોટલ ૯,૦૦૦થી પણ વધારે સીટો પર ચૂંટણીની જાહેરાત થઈ છે. આમ આદમી પાર્ટી આ ચૂંટણી માટે છેલ્લા છ મહિનાથી સતત ગ્રાઉન્ડ પર મહેનત કરી રહી છે, અને સંગઠનને મજબૂત કરવાનું કામ કરી રહી છે. જેના કારણે હવે ગુજરાતના લોકોને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વધ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
01, એપ્રીલ 2026
1386 |
પેરોલ પર છુટીને આવેલા હત્યાના આરોપીએ કરેલી તોડફોડથી પરિવાર ભયભીત બન્યો
માધુપુરામાં પરિવારના દીકરાની હત્યા કરવામાં આવી હતી, તે જ પરિવારને નિશાન બનાવી હત્યાના મુખ્ય આરોપીએ પેરોલ પર જેલમાંથી બહાર આવતાની સાથે જ આતંક મચાવ્યો છે. જૂની અદાવતનો બદલો લેવા આરોપીએ પોતાના સાગરિતો સાથે મળી પીડિત પરિવારની કારમાં ભારે તોડફોડ કરી છે. માધુપુરા વેપાર ભવન પાસે રહેતા જૈમીન ઠાકોરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધા માધુપુરામાં પરિવારના દીકરાની હત્યા કરવામાં આવી હતી, તે જ પરિવારને નિશાન બનાવી હત્યાના મુખ્ય આરોપીએ પેરોલ પર જેલમાંથી બહાર આવતાની સાથે જ આતંક મચાવ્યો છે. જૂની અદાવતનો બદલો લેવા આરોપીએ પોતાના સાગરિતો સાથે મળી પીડિત પરિવારની કારમાં ભારે તોડફોડ કરી છે. માધુપુરા વેપાર ભવન પાસે રહેતા જૈમીન ઠાકોરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તોડફોડ કરનારો મુખ્ય સૂત્રધાર કરણ રાજપૂત છે. કરણ અગાઉ આ જ પરિવારના એક યુવકની હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં બંધ હતો અને હાલમાં જ તે પેરોલ પર મુક્ત થયો છે. જેલમાંથી બહાર આવતા જ તેણે ફરીથી ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો છે. ઘટનાની વિગત મુજબ, ગત ૩૧મી માર્ચની રાત્રે જૈમીનનો પરિવાર ખાટુશ્યામ મંદિરેથી દર્શન કરીને પરત ફર્યો હતો. મોડી રાત્રે જ્યારે પરિવાર સૂતો હતો, ત્યારે એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સો કરણ રાજપૂત, રાજ ઠાકોર અને દીપક ઠાકોરે જૈમીનના ઘરની બહાર પાર્ક કરેલી કાર પર હુમલો કર્યો હતો. આરોપીઓએ પાઇપ અને દંડા વડે કારના આગળ-પાછળના કાચ અને દરવાજા તોડી નાખ્યા હતા. વહેલી સવારે પરિવારે જ્યારે નુકસાન જાેયું ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.આ સમગ્ર ઘટના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં આરોપીઓ સ્પષ્ટપણે તોડફોડ કરતા જાેઈ શકાય છે. પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે કે, આરોપી પેરોલ પર બહાર હોવા છતાં પોલીસનો કોઈ ડર રાખ્યા વગર સતત ધાક-ધમકી આપી રહ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહ્યા છે. માધુપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ફરાર થયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જેલમાંથી છૂટેલા ગુનેગારો દ્વારા ફરીથી આ જ પ્રકારે આતંક મચાવવામાં આવતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
01, એપ્રીલ 2026
1485 |
છૂટાછેડા કેસમાં નારાયણ સાંઈની પત્નીએ પાંચ કરોડ રૂપિયાની માગણી કરી
ઉપદેશક આસારામ બાપુનાં પુત્ર નારાયણ સાંઈ દ્વારા દાખલ કરાયેલી છૂટાછેડા અરજીની સુનાવણી ત્રણ વર્ષથી વધુ સમય પછી પૂર્ણ થઈ છે. ફેમિલી કોર્ટ ટૂંક સમયમાં પોતાનો ચુકાદો આપશે. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ર્નિણય અનામત રાખ્યો છે. નારાયણ સાંઈની પત્ની જાનકી ઈન્દોરમાં રહે છે. તેમણે નારાયણ સાંઈ પાસેથી પાંચ કરોડ રૂપિયાના કાયમી ભરણપોષણ માટે છૂટાછેડા અરજી દાખલ કરી હતી. આ કેસમાં અંતિમ દલીલો બુધવારે પૂર્ણ થઈ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ર્નિણય અનામત રાખ્યો હતો. ઈન્દોરની રહેવાસી જાનકી પણ આશ્રમમાં નોકર હતી. નારાયણ સાંઈએ લગભગ પંદર વર્ષ પહેલાં તેની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેણે તેને પોતાની સાથે રાખી ન હતી. જાનકીએ ૨૦૨૩માં ઈન્દોર કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. કોર્ટ સમક્ષ પોતાનો કેસ રજૂ કરતાં તેણે જણાવ્યું હતું કે નારાયણ સાંઈ લાંબા સમયથી જેલમાં છે, જેના કારણે તે તેનાથી અલગ થવા માંગે છે.છૂટાછેડાની સાથે, તેણીએ ભવિષ્યના ભરણપોષણ માટે પાંચ કરોડ રૂપિયાની માંગણી કરી છે. નારાયણ સાંઈ આ સુનાવણી માટે ઘણી વખત ઇન્દોરની મુલાકાત લઈ ચૂક્યા છે. નારાયણ હાલમાં બીજા એક કેસમાં જેલની સજા ભોગવી રહ્યા છે. નારાયણના પિતા આસારામ પણ કિશોરી પર બળાત્કાર કરવાના આરોપમાં જોધપુર જેલમાં છે. તાજેતરમાં જ, આસારામ સારવાર માટે જામીન પર ઇન્દોર આવ્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
01, એપ્રીલ 2026
1584 |
હનુમાન જન્મોત્સવ નિમિત્તે અટલ આશ્રમમાં ૭ હજાર કિલોનો મહાલાડુ બનાવાયો
સુરતમાં હનુમાન જન્મોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવશે. જેમાં. સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ૭ હજાર કિલોનો કિલોનો મહા લાડુ બનાવવામાં આવ્યો છે. જે લાડુનો હનુમાનજીને ભોગ ધરાવી પ્રસાદ સ્વરૂપે સમગ્ર દિવસ દરમિયાન તમામ ભક્તોને વહેંચવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
01, એપ્રીલ 2026
1584 |
મહાનગર પાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં મુરતિયાઓનો રાફડો
સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરુ થઈ ગયા બાદ ભાજપે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયાનાં ભાગરૂપે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો આવ્યા હતા. જેમાં પહેલા દિવસે વોર્ડ નંબર ૧ થી ૧૨નાં દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરુ થઈ છે. પહેલા જ દિવસે દાવેદારોનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો ભાજપ કાર્યાલય ખાતે જાેવા મળ્યા હતા. જાે કે, ભાજપના ગઢ હોય તેવા વિસ્તારોમાં દાવોદારોની સંખ્યા ૧૫૦ને પાર પહોંચી ગઈ હતી. જ્યારે સૌરાષ્ટ્રની વસ્તી ધરાવતા વિસ્તારમાં દાવેદારી ઓછી નોંધાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. સુરત સહિત રાજ્યની મહાનગર પાલિકાઓની ચુંટણીનાં ધમધમાટ વચ્ચે આજથી ભાજપ દ્વારા અલગ - અલગ જુથોમાં નિરીક્ષકોની વ્યવસ્થા કરવાની સાથે સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉધના ખાતે આવેલ ભાજપ કાર્યાલયમાં આજે સવારથી વોર્ડ નં. ૧થી ૧૨ માટે દાવેદારી કરવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. સેંકડોની સંખ્યામાં ભાજપ કાર્યકતાઓની હાજરીને પગલે એક તબક્કે ઉધના ખાતે ટ્રાફિકજામનાં દ્રશ્યો પણ જાેવા મળ્યા હતા. નિરીક્ષકો દ્વારા સવારથી દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપનો વર્ષોથી ગઢ હોય તેવા વોર્ડમાં દાવેદારી માટે પડાપડી થઇ હતી. કેટલાક વોર્ડમાં ૧૦૦થી ૧૫૦ જેટલા દાવોદારો નોંધાયા હતા. જેના કારણે નિરીક્ષકો પણ મુંજવણમાં મુકાયા હતા. આજે શરુ થયેલી આ પ્રક્રિયા દરમિયાન હાલમાં જ ટર્મ પૂરી થઈ છે તેવા કોર્પોરેટરો, સિનિયર કાર્યકરો અને યુવા કાર્યકરોની સંખ્યા પણ નોંધપાત્ર જાેવા મળી હતી. ભાજપ માટે સૌથી સલામત ગણાય છે તેવા રાંદેર- અઠવા ઝોન જેવા વિસ્તારમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં દાવેદારો ઓછા હોવાનું સામે આવ્યું છે. મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડતા કામગીરી પણ અટવાઈ ગઈ હતી જેના કારણે ત્રણથી ચાર કલાક કામગીરી મોડી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ કામગીરી પૂર્ણ થતા અંદાજિત રાતના ૧ વાગે તેવી શક્યતા છે. પાટીદાર આંદોલનમાં હાર્દિક પટેલ સાથે બે મુખ્ય નેતાઓ ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથીરિયા ઉભરીને આવ્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં ધાર્મિક માલવીયાએ ઓલપાડમાં કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેમની હાર થઈ હતી. જાેકે વિધાનસભાની ચૂંટણી લડનાર ધાર્મિક માલવીયા એ હવે ભાજપમાં વોર્ડ નંબર ૨માં ટિકિટ માંગી છે અને ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાએ પણ વોર્ડ નંબર ત્રણમાં ઉમેદવારી નોંધાવી ટિકિટની માંગણી કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, માર્ચ 2026
2277 |
સુરત |
નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયથી સો ફર્લાંગ દૂર છડેચોક ગાંજાે વેચતો યુવક ઝડપાયો
સીટીલાઇટમાં નાયબ મુખ્યમંત્રીના જન સંપર્ક કાર્યાલયથી સો ફર્લાંગ દૂર અને અને લિંબાયતમાં છડેચોક ગાંજાે વેચતાં યુવકોને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો છે.ઉમરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પીપલોદ પોલીસ ચોકીના પીએસઆઈ બી. ડી. વાઘને એવી બાતમી મળતી હતી કે, સીટી લાઇટ રોડ ઉપર કેપીએમ રેસીડેન્સી પાસે આદિત્ય નામનો યુવક ગાંજાનું વેચાણ કરે છે. ખાનગી રાહે તપાસ કરાવતાં ત્યાંથી આદિત્ય ઉમેશ યાદવ (રહે, યુ.પી. નગર સોસાયટી, કેપીએસ રેસીડેન્સી પાસે, સીટી લાઈટ) મળી આવ્યો હતો. અંગજડતી લેવાતાં આદિત્ય રાસે ૧૨,૩૦૦ રૂપિયા કિંમતનો ૨૪૬ ગ્રામ ગાંજાે મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં યાદવે તે પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીકથી હર્ષ મિશ્રા પાસેથી ગાંજાે લાવી નાની પડીકીઓ બનાવી વેચતો હોવાની કબૂલાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયથી સો ફલાંગ દૂર છડેચોક ગાંજાે વેચનાર આદિત્યની ધરપકડ કરી હર્ષ મિશ્રાને વોન્ટેડ જાહેર કરાયો હતો. આ ઉપરાંત લિંબાયત પોલીસના એ.એસ.આઈ. વેડુભાઇ સુખલાલને બાતમી મળી હતી કે, ચંદા ડેરી પાસે, બત્રીસ ચાલની ગલીમાં મોહમદ અઝગરઅલી ઉર્ફે સોનુ નામનો યુવક ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. બાતમી અંગે ખાનગી રાહે તપાસ કરાયા બાદ ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં સ્થળ પરથી મોહમ્મદ અઝગરઅલી ઉર્ફે સોનુ મોહમ્મદ જમાલ શાહ (રહે, શિવાજી નગર, લિંબાયત) મળી આવ્યો હતો. અંગજડતી દરમિયાન અઝગરઅલીના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં રખાયેલો ૧૧૦ ગ્રામ ગાંજાે કબજે લેવાયો હતો. ૫,૫૦૦ રૂપિયા કિંમતનો ગાંજાે, ગાંજાે વેચવા માટે રખાયેલા નાના પાઉચ, રોકડા ૭૫૦ તથા મોબાઇલ મળી કુલ ૧૬૪૫૦ કિંમતની મતા જપ્ત કરાઇ હતી. પ્રાથમિક પૂછપરછમાં અઝગરઅલીએ એવી કબૂલાત કરી હતી કે, તે મદીના મસ્જિદ પાસે રહેતાં સલીમ પાસે ગાંજાે લાવી તેની પકડીઓ બનાવી ૧૦૦ રૂપિયામાં વેચતો હતો. પોલીસે અઝગરઅલીની ધરપકડ કરી સલીમને વોન્ટેડ જાહેર કર્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, માર્ચ 2026
2574 |
સુરત |
સુરત ડાયમંડ બુર્સનાં કસ્ટમ હાઉસમાંથી રૂ.૪૨,૬૩૬ કરોડની આયાત નિકાસ થઇ
એક તરફ સુરત ડાયમંડ બુર્સના કારભારીઓ સુરત ડાયમંડ બુર્સની કુલ ૪૨૦૦થી વધુ ઓફિસો પૈકી ત્રીજા વર્ષે માંડ ૧૦ ટકા ઓફિસો શરૂ કરાવી શક્યા છે, પરંતુ, આજે જ્યારે ડાયમંડ બુર્સના એ જ કારભારીઓએ સુરત ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસમાંથી આજે પૂરા થયેલા હિસાબી વર્ષ દરમિયાન થયેલી આયાત નિકાસના આંકડા જાહેર કર્યા ત્યારે સ્વાભાવિક છે કે આંખો પહોળી થઇ જાય. સુરત ડાયમંડ બુર્સમાં વિકસાવવામાં આવેલા કસ્ટમ હાઉસમાંથી વિતેલા વર્ષ દરમિયાન કુલ રૂ.૪૨,૬૩૬ કરોડની જંગી રકમની આયાત નિકાસ નોંધાઇ છે.સુરત ડાયમંડ બુર્સના વાઇસ પ્રેસિડેન્ટ લાલજીભાઇ પટેલે આજે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આજે પૂરા થયેલા હિસાબી વર્ષ ૨૦૨૫-૨૬માં સુરત ડાયમંડ બુર્સમાં કાર્યરત કસ્ટમ હાઉસમાંથી કુલ ૪૧૬૦ પાર્સલો મળીને કુલ ૫૧૨.૭૫ લાખ કેરેટના રફ ડાયમંડ કે જેની માર્કેટ વેલ્યુ રૂ.૪૧,૫૧૫ કરોડ (૪૬૭૩ મીલીયન અમેરીકન ડોલર)ની જંગી આયાત નોંધાઇ છે. એવી જ રીતે સુરત ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસમાંથી થયેલી કુલ નિકાસ પર નજર કરીએ તો વિતેલા હિસાબી વર્ષ દરમિયાન પોલિશ્ડ ડાયમંડ્સના કુલ ૯૨૮ પાર્સલ કે જેમાં ૧૭.૩૦ લાખ કેરેટ પોલિશ્ડ ડાયમંડ (જેમાં નેચરલ અને લેબગ્રોન બન્નેનો સમાવેશ) હતા તેની નિકાસ નોંધાઇ છે. નિકાસ થયેલા હીરાની બજાર કિંમત કુલ રૂ.૧,૧૨૧ કરોડ (૧૭૨ મીલીયન અમેરીકન ડોલર) જેટલી છે. આમ વિતેલા વર્ષ દરમિયાન સુરત ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસમાંથી થયેલી કુલ આયાત નિકાસના સંયુક્ત ટર્નઓવરની વાત કરીએ તો ૫૦૮૮ પાર્સલ દ્વારા કુલ રૂ.૪૨,૬૩૬ કરોડ (૪૮૪૫ મિલિયન અમેરિકન ડોલર)ની આયાત નિકાસ સુરત ડાયમંડ બુર્સમાં કાર્યરત થયેલા કસ્ટમ હાઉસમાંથી થઇ હોવાનું સરકારે ચોપડે નોંધાયું હોવાનું સુરત ડાયમંડ બુર્સના વાઇસ પ્રેસિડેન્ટ લાલજી પટેલે જણાવ્યું હતું. આયાત થયેલા પાર્સલોમાં મુખ્યત્વે રફ નેચરલ ડાયમંડ - લેબગ્રોન ડાયમંડ સીડ્સનો સમાવેશ થાય છે. જ્યારે નિકાસ થયેલા પાર્સલોમાં કટ એન્ડ પોલીશ્ડ લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ અને ડાયમંડ સ્ટડેડ ગોલ્ડ જવેલરી તેમજ સિલ્વર જવેલરીનો સમાવશ થાય છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...