આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, મે 2026
1881 |
સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા આજે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક એર શો
સોમનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા જે મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જાેઈને હાજર લોકો દંગ રહી ગયા હતા અને હર્ષનાદ સાથે એરફોર્સના પાયલટને વધાવી લીધા હતા.ભારતીય વાયુસેનાના એમ્બેસેડર તરીકે ઓળખાતી સૂર્યકિરણ ટીમ લાલ અને સફેદ રંગના હોક એમ.કે.-૧૩૨ જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં વિવિધ સિંક્રનાઈઝ્ડ ફોર્મેશન અને સાહસિક દાવપેચ રજૂ કરશે. આ એરોબેટિક શો અંદાજે ૧૫ મિનિટ સુધી ચાલશે, જેમાં પાઈલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાડવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરીને આ ટીમ માત્ર ૧૮ મિનિટમાં સોમનાથના આકાશમાં પહોંચશે. જામનગરથી સોમનાથનું હવાઈ અંતર અંદાજે ૧૮૨ કિમી જેટલું છે. ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં ૧૩ કુશળ પાઈલટોની ટીમ આ પ્રદર્શન કરશે. આ પ્રદર્શનના સુરક્ષિત સંચાલન માટે જામનગર એરફોર્સ સ્ટેશનના ૨૫થી ૩૦ એર વોરિયર્સની ટીમ મેદાનમાં તૈનાત રહેશે. આ ટીમ દ્વારા ફ્લાયપાસ્ટ કંટ્રોલ, એવિએશન સેફ્ટી, બર્ડ હેઝાર્ડ કંટ્રોલ, હવામાન વિભાગ અને સિગ્નલ કમ્યુનિકેશનની જવાબદારી સંભાળવામાં આવશે. વર્ષ ૧૯૯૬માં સ્થપાયેલી સૂર્યકિરણ ટીમ અત્યાર સુધીમાં ભારતમાં ૮૦૦થી વધુ એર ડિસ્પ્લે કરી ચૂકી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, મે 2026
3861 |
ધોલેરા અને સુરતમાં ૪,૦૦૦ કરોડના સેમી કન્ડક્ટર પ્લાન્ટને કેન્દ્રની મંજૂરી
કેન્દ્ર સરકારે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાતમાં બે નવા સેમીકન્ડક્ટર એકમો સ્થાપવાની મંજૂરી આપી દીધી છે. આ પગલું માત્ર ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ નેક્સ્ટ જનરેશન ડિસ્પ્લે ટેકનોલોજી અને ચિપ પેકેજિંગમાં ભારતની હાજરી વૈશ્વિક સ્તરે નોંધાવશે. આ બંને પ્રોજેક્ટ્સમાં આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકાર અત્યાર સુધીમાં કુલ ૧૦ સેમીકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી આપી ચૂકી છે, જેમાંથી માઈક્રોન ટેકનોલોજી અને કેન્સ ટેકનોલોજી જેવી દિગ્ગજ કંપનીઓના પ્લાન્ટમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. સરકારે ગુજરાતના ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડની ૩,૦૬૮ કરોડ રૂપિયાના રોકાણવાળી ‘ઇન્ટિગ્રેટેડ કમ્પાઉન્ડ સેમીકન્ડક્ટર અને એડવાન્સ્ડ પેકેજિંગ’ સુવિધાને મંજૂરી આપી છે. આ યુનિટ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે કારણ કે તે ગેલિયમ નાઇટ્રાઇડ વેફર્સનું ઉત્પાદન કરશે, જે મિની અને માઇક્રો ન્ઈડ્ઢ ડિસ્પ્લેનો મુખ્ય હિસ્સો છે. તેની વાર્ષિક ક્ષમતા ૭૨,૦૦૦ ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ અને ૨૪,૦૦૦ સેટ ઇય્મ્ ય્ટ્ઠદ્ગ વેફર્સની હશે. આ પ્રોજેક્ટથી અંદાજે ૧,૬૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે. આ એકમ ભારતનું પ્રથમ માઇક્રો ન્ઈડ્ઢ ફેબ્રિકેશન યુનિટ હશે, જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદેશ મંત્રાલયનું વ્યૂહાત્મક સમર્થન પણ સામેલ છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડના આ પ્રોજેક્ટને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે આને એક વ્યૂહાત્મક દાવ ગણાવ્યો છે. હાલમાં વૈશ્વિક ડિસ્પ્લે ઇન્ડસ્ટ્રી એક મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. દાયકાઓ સુધી જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયાએ ન્ઝ્રડ્ઢ બજાર પર રાજ કર્યું, પરંતુ તાજેતરના વર્ષોમાં ચીને ભારે રોકાણના દમ પર આ ક્ષેત્રમાં પોતાની પકડ જમાવી લીધી છે. ગુજરાતના જ સુરત શહેરમાં સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક ઓએસએટી સુવિધાને કેબિનેટે લીલી ઝંડી આપી છે. ૮૬૮ કરોડ રૂપિયાના રોકાણથી બનનારું આ યુનિટ સેમીકન્ડક્ટર વેલ્યુ ચેઇનની એક મહત્વપૂર્ણ કડી છે. અહીં ‘લીડ ફ્રેમ’ અને ‘વાયર-બોન્ડ’ પેકેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચિપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ કરવામાં આવશે. આ યુનિટ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઓટોમોટિવ સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરશે. તેની વાર્ષિક ક્ષમતા ૬૭૩ મિલિયન સ્મોલ આઉટલાઇન ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને ૩૬૦ મિલિયન ટ્રાન્ઝિસ્ટર આઉટલાઇન પેકેજ તૈયાર કરવાની હશે. આ પ્લાન્ટથી અંદાજે ૬૩૦ લોકોને રોજગારી મળશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, મે 2026
9603 |
પોરબંદરમાં ૧૨ વર્ષના કિશોરે ૪ વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચર્યું
ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. શહેરના ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પાડોશમાં રહેતા માત્ર ૧૨ વર્ષના એક સગીરે ૪ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આ શરમજનક કિસ્સો ત્યારે બન્યો જ્યારે ભોગ બનનાર ૪ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન પાડોશમાં જ રહેતો ૧૨ વર્ષનો કિશોર બાળકીને રમાડવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. બાળકીની માસૂમિયતનો લાભ ઉઠાવી કિશોરે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની ઉંમર ૧૨ વર્ષની છે અને તે ભોગ બનનાર બાળકીના પાડોશમાં રહે છે. જ્યારે ભોગ બનનાર બાળકીની ઉંમર ૪ થી ૫ વર્ષની હોવાનું મનાય છે. પ્રાથમિક વિગતો મુજબ, સગીરે બાળકી પર બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની તબિયત અચાનક લથડતા અને શારીરિક તકલીફ જણાતા પરિવારે પૂછપરછ કરી હતી, જેમાં આ ભયાનક સત્ય બહાર આવ્યું હતું. બાળકીના પરિવારજનોએ આ મામલે તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. કમલાબાગ પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધી છે. બાળકીની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક મેડિકલ પરીક્ષણ અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોપી પોતે સગીર વયનો હોવાથી પોલીસ દ્વારા ‘જુવેનાઈલ જસ્ટિસ એક્ટ’ (બાલ સંરક્ષણ ધારો) મુજબ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને તમામ પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી તેજ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, મે 2026
3861 |
જામનગર કોર્ટે ગોસાબારા આરડીએકસ કેસમાં ૧૨ આરોપીઓને કસૂરવાર જાહેર કર્યા
વર્ષો જૂના અને સમગ્ર દેશને હચમચાવી દેનારા પોરબંદરના ગોસાબારા આરડીએકસ લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ૧૯૯૩ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટનું જે કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હતું, તેના વિસ્ફોટકો જે દરિયાઈ માર્ગે ભારત આવ્યા હતા તે કેસમાં કોર્ટે ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદો આતંકવાદ વિરુદ્ધ ભારતની કાયદાકીય લડાઈમાં એક મોટી જીત સમાન છે. જાન્યુઆરી ૧૯૯૩માં મુંબઈ વિસ્ફોટોના થોડા સમય પહેલા પાકિસ્તાનના કરાચીથી દરિયાઈ માર્ગે હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો ગુજરાત મોકલવામાં આવ્યો હતો. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણના ઈશારે પોરબંદરના ગોસાબારા દરિયાકિનારે આ ઘાતક સામાન ઉતારવામાં આવ્યો હતો. જેમાં આરડીએકસ એકે-૪૭ રાઈફલ્સ અને હેન્ડ ગ્રેનેડ્સનો સમાવેશ થતો હતો. આ જ વિસ્ફોટકોનો ઉપયોગ બાદમાં મુંબઈને લોહીલુહાણ કરવા માટે કરવામાં આવ્યો હતો.લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ આજે ન્યાય મળ્યો છે. કેસની ગંભીરતા આ આંકડાઓ પરથી સમજી શકાય છે: કુલ આરોપીઓ: ૪૬,કેસ દરમિયાન મૃત્યુ પામેલા આરોપીઓ: ૧૧,ડિસ્ચાર્જ થયેલા આરોપીઓ: ૦૬, સુનાવણીનો સામનો કરનાર આરોપીઓ: ૨૯,કોર્ટે દોષિત ઠેરવેલા આરોપીઓ: ૧૨ કોર્ટે જે ૧૨ આરોપીઓને આ ગુનામાં સામેલ ગણ્યા છે તેમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આદમ વાઘેર, અહેમદ ઇસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ લાખાણી (મેમણ), ઈફતેખાર અન્સારી, મહમદ અયુબ અન્સારી (અયુબ ટકલો), લખમણ હરદાસ આહીર, સલીમ કતા, મમુમિંયા ઉર્ફે પંજૂમિંયા સૈયદ બુખારી, ઇસ્તીયાક અહેમદ અન્સારી અને કાદીર અહેમદ શેખનો સમાવેશ થાય છે. તપાસમાં ખુલાસો થયો હતો કે આ વિસ્ફોટક સામગ્રી દાઉદ ઈબ્રાહિમ અને મુસ્તફા ડોસા દ્વારા પાકિસ્તાની બોટમાં મોકલવામાં આવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
3168 |
ભાવનગરમાં હેરાનગતિને કારણે યુવકે સળગી જઈને આપઘાત કર્યાે
ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં સાસરિયાઓના કથિત ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. યુવકે જ્વલનશીલ પ્રવાહી છાંટી પોતાની જાતને આગ ચાંપી દીધી હતી, જેમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. સારવાર દરમિયાન બે દિવસ બાદ હોસ્પિટલમાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં યુવક તડફડાટ વચ્ચે આત્યંતિક પગલું ભરી રહ્યો હોવાનું નજરે પડે છે, જેને જાેઈ લોકોમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ છે.મૃતકના ભાઈ રાજેન્દ્ર રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારના જણાવ્યા મુજબ, યુવકને તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા લાંબા સમયથી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સતત હેરાનગતિને કારણે યુવકને આ આપઘાતનું પગલું ભરવા માટે મજબૂર થવું પડ્યું હોવાનું તેઓએ આક્ષેપ કર્યો છે. પરિવારે આરોપીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે, આરોપીઓને દાખલારૂપ સજા મળવી જાેઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
2178 |
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, મે 2026
3168 |
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, મે 2026
4257 |
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા
ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
3564 |
વડોદરાની MSUમાં 'મોદીતત્ત્વ' અને 'RSS' ભણાવાશે? વિદ્યાર્થીઓ માટે ફાયદો કે રાજકારણ?
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નવા ‘Sociology of Patriotism’ કોર્સને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. આ કોર્સમાં ‘Modi Tatva’ અને RSS ની વિચારધારાનો સમાવેશ થવાથી શિક્ષણમાં રાજકીય પ્રભાવ અંગે સવાલો ઉઠ્યા છે. યુનિવર્સિટીનું કહેવું છે કે આ અભ્યાસક્રમ રાષ્ટ્રવાદ અને સામાજિક સમજ વધારવા માટે છે, જ્યારે વિરોધ પક્ષ અને વિદ્યાર્થી સંગઠનો તેને પ્રોપેગેન્ડા ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ કોર્સ વિદ્યાર્થીઓ માટે કેટલો ફાયદાકારક સાબિત થાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, એપ્રીલ 2026
5247 |
ભરૂચ લાફાકાંડ: ચૈતર વસાવાએ કેમ માર્યો લાફો? સચ્ચાઈ આવી સામે!
ભરૂચ જિલ્લામાં ઝઘડિયા GIDC વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ બાદ ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. પીડિત પરિવારો વળતર અને ન્યાયની માંગ સાથે એકત્ર થયા હતા. આ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર હાજર એક યુવાન સાથે તેમની બોલાચાલી થઈ અને મામલો લાફાકાંડ સુધી પહોંચી ગયો. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઘટનાને લઈને વિવિધ આક્ષેપો સામે આવી રહ્યા છે, જોકે સત્તાવાર રીતે હજી સુધી પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, મે 2026
594 |
નાના ભાઈની ઊંઘ ઉડાડી ભેંસો ચરાવવા જવાનું કહેવું પડ્યું ભારે, ઉશ્કેરાયેલા ભાઈએ ધોકાના ફટકા મારી હત્યા કરી
ઊંઘમાં ખલેલ પડતાં માણસ કેટલો હિંસક બની શકે છે તેનો એક કરુણ કિસ્સો દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામે પ્રકાશમાં આવ્યો છે. ભેંસો ચરાવવા જવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં નાના ભાઈએ પોતાના સગા મોટા ભાઈના માથામાં લાકડાનો ધોકો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બનાવ અંગે માતાએ પોતાના જ નાના પુત્ર વિરુદ્ધ દહેગામ પોલીસ મથકે હત્યા ની ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગત અનુસાર, ગત તારીખ ૨૬ એપ્રિલના રોજ સવારે આશરે આઠ વાગ્યાના અરસામાં હરખજીના મુવાડા ગામે નિશાળવાળા વાસમાં રહેતો અર્જુનસિંહ ઉર્ફે મેહુલ ભીખુસિંહ ચૌહાણ ઊંઘી રહ્યો હતો. આ દરમિયાન તેના મોટા ભાઈ કરણસિંહ ઉર્ફે મોન્ટુએ તેને જગાડીને ભેંસો ચરાવવા જવા માટે કહ્યું હતું.જાેકે મેહુલે થોડીવાર પછી જવાનું કહેતા બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. અને મામલો વધુ બિચકતા મેહુલે પાસે પડેલો લાકડાનો ધોકો કરણસિંહના માથામાં ઝીંકી દીધો હતો.જેના કારણે માથામાં ગંભીર ઈજા થતાં કરણસિંહને તાત્કાલિક દહેગામ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યો હતો. જાેકે પરિવારજનોએ પોલીસ સમક્ષ સાચી હકીકત છુપાવી હતી. એ વખતે પિતા ભીખુસિંહે પોલીસને જણાવ્યું હતું કે કરણસિંહ એક્ટિવા પરથી પડી જતાં તેને ઈજા થઈ છે. ત્યારબાદ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, મે 2026
1980 |
અમદાવાદ નજીક ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર આજે (૧૦મી મે) વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ગેરકાયદે રીતે લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાઈ ગયો હતો. ગાંગડ ગામ નજીક દારૂ ભરેલી આઈસર ટ્રક પલટી ખાઈ જતાં ગુપ્ત રીતે છુપાવેલી દારૂની બોટલો રસ્તા પર વેરાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર, એક આઈસર ટ્રક ધોળકાથી બગોદરા તરફ જઈ રહી હતી. વહેલી સવારે ગાંગડ ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સર્જાતા જ ટ્રક ચાલક પોલીસ પકડથી બચવા માટે વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આઈસર ટ્રકની અંદર ખાસ પ્રકારનું ‘ચોર ખાનું’ તૈયાર કરવામાં આવ્યું હતું. ટ્રક પલટી મારતા આ ગુપ્ત ખાનામાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો. પલટીના કારણે દારૂની અનેક બોટલો ફૂટી ગઈ હતી અને દારૂ રસ્તા પર વહેવા લાગ્યો હતો.બગોદરા પોલીસે તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી દારૂનો જથ્થો કબજે કરવાની અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વાહનના નંબરના આધારે તેના માલિક અને ચાલકની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ટ્રકમાંથી કેટલો દારૂ મળી આવ્યો છે તેની ચોક્કસ કિંમત અને બોટલોની ગણતરી કરવામાં આવી રહી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, મે 2026
1782 |
અમદાવાદ એસઓજી ક્રાઇમે લાખોના મેફેડ્રોન સાથે બે આરોપીઓને ઝડપ્યા
શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાના ચિલોડા-નરોડા રોડ પરથી મેફેડ્રોન એટલે કે મેથએમ્ફેટામાઇન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૮૭ ગ્રામ ૭૮૦ મિલીગ્રામ ડ્રગ્સ સહિત કુલ રૂ.૧૧.૯૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ માહિતી આધારે નાના ચિલોડા-નરોડા રોડ પર સંજયનગર ખાતે ચામુંડા મોટર ગેરેજ સામે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન પોલીસે દિલીપકુમાર ચોથુરામ તાલાપા (રહે. નરોડા) અને લેખરાજસિંહ મદનસિંહ ચૌહાણ (રહે. નાના ચિલોડા)ને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓના કબ્જામાંથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ ૮૭ ગ્રામ ૭૮૦ મિલીગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે રૂ.૮.૭૭ લાખ થાય છે. ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂ.૧૧.૯૨ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા છે. વધુ પૈસા કમાવાની લાલચમાં તેઓ રાજસ્થાનના નરેશ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ મંગાવતા હતા. નરેશ પોતાના સાગરીત રૂપારામ ખારેડીયા મારફતે ડ્રગ્સનો જથ્થો અમદાવાદ મોકલતો હતો. આરોપીઓ આ ડ્રગ્સનો છૂટકમાં પડીકીઓ બનાવી વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અને ડ્રગ્સ સપ્લાય ચેઇનમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, મે 2026
1782 |
ચાંગોદરના માતોડા પાટિયા વિસ્તાર પાસે સૌથી વધુ ૮ અકસ્માત સર્જાયા
અમદાવાદ અને આસપાસમાંથી પસાર થતા નેશનલ અને સ્ટેટ હાઈવે પર અકસ્માતોની ગંભીર સમસ્યા વર્ષ ૨૦૨૬માં પણ યથાવત જાેવા મળી રહી છે. દર વર્ષે માર્ગ અકસ્માતોમાં અનેક લોકોના મોત અને ગંભીર ઇજાના બનાવો સામે આવતા હોવા છતાં અનેક અકસ્માતઝોન વિસ્તારો હજુ પણ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ અકસ્માત અને રોડ અકસ્માતમાં મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે પ્રયાસો થતા હોય છે, અમદાવાદ ગ્રામ્યમાં ઓળખ કરાયેલા ૧૩ બ્લેક સ્પોટ પર ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૩૯ અકસ્માત થયાનું નોંધાયું છે.માર્ગ અકસ્માતોને રોકવા અને અકસ્માતઝોન વિસ્તારોની ઓળખ માટે સરકાર દ્વારા જિલ્લા લેવલ રોડ સેફ્ટી કમિટી રચવામાં આવી છે. આ કમિટીમાં જિલ્લા કલેક્ટર, પોલીસ વિભાગ, ઇ્ર્ં, આરોગ્ય વિભાગ, ટ્રાફિક વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. કમિટી દ્વારા દર વર્ષે એવા વિસ્તારોની ઓળખ કરવામાં આવે છે જ્યાં વારંવાર અકસ્માતો બનતા હોય અને જ્યાં તાત્કાલિક માર્ગ સુરક્ષા સુધારાની જરૂર હોય. અમદાવાદ જિલ્લામાં ૧૩ બ્લેક સ્પોટમાં દ્ગૐ-૪૭ અને અન્ય મહત્વના હાઈવે પરના અનેક વિસ્તારોનો સમાવેશ કરાયો છે. અસલાલી ત્રાણ રસ્તા, સાણંદ ચોકડી, રૂપાલ પાટિયા, રામનગર પાટિયા, માટોડા પાટિયા, ભગ્યોદય કેનાલ, કેરલા ય્ૈંડ્ઢઝ્ર બ્રિજ, મીઠાપુર પાટિયા, બેગવા ચોકડી, જખવાડા, સહીજ પાટિયા, બિડજ પાટિયા, ભમસરા ગ્રેન સ્પાન કંપની નજીકના વિસ્તારો સૌથી વધુ સંવેદનશીલ હોવાનું જણાયું છે.આ અંગે અમદાવાદ ઇ્ર્ં અધિકારી નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે અકસ્માત પ્રભાવિત વિસ્તારોમાં સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. રોડ સેફ્ટી કમિટી દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. જ્યાં જરૂર છે ત્યાં સ્પીડ કંટ્રોલ, રિફ્લેક્ટર, સાઇનેજ અને ટ્રાફિક મેનેજમેન્ટ મજબૂત બનાવવા સૂચનાઓ આપવામાં આવી છે. બ્લેક સ્પોટ વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા સતત વધી છે. જેના કારણે હાઈવે પર ટ્રાફિક વધી રહ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે હેવી ટ્રક, કન્ટેનર અને ડમ્પર જેવા વાહનોની અવરજવર વધુ હોવાથી અકસ્માતનું જાેખમ વધી જાય છે. તે ઉપરાંત ઓવર સ્પીડિંગ પણ અકસ્માતોનું સૌથી મોટું કારણ બની રહ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, મે 2026
594 |
ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ ડિજિટલનું કરોડોનું કૌભાંડ
ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આવેલી શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડે ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ ઉઠ્યો છે, જેમાં કંપનીના એમડી ઉત્પલ પટેલ પરિવાર સાથે અચાનક લાપતા થતાં ગુજરાત, હરિયાણા અને ગોવાના સેંકડો રોકાણકારો મુશ્કેલીમાં મૂકાયા છે.ડભોડા પોલીસ મથકે અત્યાર સુધી ૩૫ જેટલા રોકાણકારોએ કરોડોની ઠગાઈ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. પોલીસે તપાસની કામગીરી શરૂ કરી છે અને મજબૂત પુરાવા એકઠા કરવા માટે કાર્યવાહી કરી રહી છે. કંપનીએ ટેરાબાઇટ ડેટા સ્પેસ ખરીદવાની સ્કીમ રજૂ કરી હતી, જેમાં દર મહિને ૫ ટકા વળતર આપવાની ખાતરી આપી હતી.શરૂઆતમાં સમયસર વળતર મળતાં રોકાણકારોમાં વિશ્વાસ જાગ્યો હતો. ઘણા લોકોએ પોતાની આજીવનની જમાપુંજી, દાગીના વેચી કે લોન લઈને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. રોકાણકારોના જણાવ્યા અનુસાર, કંપનીએ મોટા પાયે ભૂમિ પૂજન જેવા જાહેર કાર્યક્રમો કરીને પોતાને પ્રોફેશનલ કોર્પોરેટ જૂથ તરીકે પ્રસ્તુત કર્યું હતું. ગિફ્ટ સિટીમાં ઓફિસ હોવાને કારણે પણ લોકોએ કંપનીને વિશ્વસનીય માની હતી.છેલ્લા બે મહિનાથી વળતર બંધ થતાં અને ઓફિસમાં કોઈ જવાબદાર હાજર ન રહેતાં રોકાણકારોમાં રોષ ફાટી નીકળ્યો છે. પ્રાથમિક અંદાજે આ કૌભાંડમાં ૩૩,૦૦૦થી વધુ રોકાણકારો ફસાયા હોવાની શક્યતા છે અને કુલ રકમ ૪૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. કેટલાક રોકાણકારોએ ૫ લાખથી ૩ કરોડ સુધીની રકમ ગુમાવ્યાની ફરિયાદ કરી છે.ડભોડા પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, અત્યાર સુધી ૩૨ અરજદારોએ લેખિત અરજી આપી છે, જેમાંથી બે લોકોએ નિવેદન નોંધાવ્યા છે. એક રોકાણકારના ૮૫ લાખ અને બીજાના ૪૫ લાખ, એમ કુલ ૧.૩૦ કરોડ રૂપિયા ફસાયા છે. પોલીસે અન્ય રોકાણકારો પાસેથી પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કંપનીનો માલિક વિદેશ ભાગી ગયો હોવાની ચર્ચા પણ છે.એક રોકાણકાર સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે ઓન કેમેરા આવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઉત્પલ પટેલે ઝૂમ મિટિંગમાં ૩૧૨ કરોડનું ટર્નઓવર થયાનું જણાવ્યું હતું અને બે મહિનામાં પૈસા ચુકવવાની ખાતરી આપી હતી. યુદ્ધના કારણે પૈસા અટક્યા હોવાનો પણ દાવો કર્યો હતો.ઉચ્ચ કક્ષાએથી આ મામલે ઝીણવટપૂર્વક તપાસના આદેશ મળ્યા છે. પોલીસે પુરાવા એકઠા કરી કાયદેસર ગુનો દાખલ કરવાની તૈયારી દર્શાવી છે. હવે જાેવું રહ્યું કે, પોલીસ તપાસમાં ભોગ બનેલા રોકાણકારો કેટલો સહયોગ આપે છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
2376 |
સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ અને આરએમઓની લાલિયાવાડીથી આરોગ્યમંત્રી લાલઘૂમ
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલનાં અધિકારીઓમાં લાલિયાવાડી અને બેદરકારી કેટલી હદે ઘર કરી ગઇ છે તેનો જાતઅનુભવ રાજ્યનાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આજે કર્યો હતો. હોસ્પિટલમાં સફાઇની અત્યંત બદતર હાલત ઉપરાંત ઠેર ઠેર તૂટેલી ટાઇલ્સ અને એ.સી. તથા મશિનો બંધ હાલતમાં જાેવા મળતાં આરોગ્ય રાજ્યમંત્રીએ સુપરિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમાર અને આર.એમ.ઓ. ડો.કેતન નાયકને કડક શબ્દોમાં સુચના આપી તમામ સુવિધાઓ ૨૪ કલાકમાં રેક્ટિફાઇ કરી રીપોર્ટ મોકલવા આદેશ આપ્યો હતો. હોસ્પિટલમાં વહિવટ સંભાળતાં પી.આઇ.યુ.નાં અધિકારીઓની નિષ્કાળજી પણ ઉજાગર થતાં તે સંબંધમાં પણ મંત્રીએ કડક શબ્દોમાં સુચના આપી હતી. જ્યાં દરદીઓ પોતાનું આરોગ્ય સુધારવા માટે આવતાં હોય ત્યાં સાફસફાઇ યોગ્ય ના હોય તે કોઇ કાળે સાંખી નહીં લેવાય તેવું મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુપરિન્ટેન્ડન્ટ અને આર.એમ.ઓ.ને સંભળાવી દીધું હતું. મંત્રીની નારાજગીથી નવી સિવિલ હોસ્પિટલમાં પોતાની રીતે જ વહિવટ કરવા ટેવાયેલાં બેજવાબદાર અધિકારીઓમાં ફફડાટ જરૂર ફેલાઇ ગયો હતો.આરોગ્ય રાજ્યમંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું, ગંદકી, બેદરકારી અને અવ્યવસ્થા બિલકુલ નહીં ચાલે, કાગળ પર નહીં, સ્થળ પર જઈ કામગીરી કરો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં ગંદકી, જાળા અથવા દર્દીઓને પડતી મુશ્કેલીઓ સહન કરવામાં આવશે નહીં. હોસ્પિટલનાં તમામ વોર્ડ, બાથરૂમ, લોબી અને સામાન્ય વિસ્તારમાં સતત સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. જાે ક્યાંય ગંદકી જાેવા મળશે તો તેની સીધી જવાબદારી સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની રહેશે. હોસ્પિટલનાં મેડિકલ સાધનો અને મશીનરી કાર્યરત રાખવાની જવાબદારી ઁૈંેં અને ઇલેક્ટ્રિક વિભાગની હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે, મેઇન્ટેનન્સનાં અભાવે કોઈ સુવિધા બંધ થશે તો જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કિડની બિલ્ડિંગમાં તૂટેલી ટાઇલ્સ, જાળા, અન્ય અસુવિધાઓ તેમજ પોસ્ટમોર્ટમ રૂમમાં બંધ પડેલા એસી અંગે ૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ તમામ ટેકનિકલ સાધનો અને ઇલેક્ટ્રિક સીસ્ટમનું સમયાંતરે ચેકિંગ કરી રિપોર્ટ તૈયાર રાખવા પણ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના તમામ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓને સમયસર હાજર રહેવાની કડક સૂચના આપી હતી. દર્દીઓ અને સંબંધીઓ સાથે સંવેદનશીલ વર્તન રાખવા સુચના સિક્યુરિટી વ્યવસ્થા અંગે પણ તેમણે ગંભીરતા દર્શાવી હતી. ઉંમરલાયક વ્યક્તિઓને સીક્યુરિટી ડ્યુટી પર ન રાખવા અને સીક્યુરિટી સ્ટાફ સજ્જ તથા કાર્યક્ષમ રહે તેની સૂચના આપી હતી. દર્દીઓ અને તેમના સગાઓ સાથે સંવેદનશીલ વર્તન રાખવા પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું હતું કે દર્દીઓને માત્ર સારવાર જ નહીં, પરંતુ સુરક્ષા, સંતોષ અને સહાનુભૂતિ પણ મળવી જાેઈએ. તેમણે ડોક્ટરોને દર્દીઓમાં સકારાત્મકતા અને હિંમત જાળવવાની પ્રેરણા આપવા પણ અપીલ કરી હતી. દર્દીઓને એક બિલ્ડિંગમાંથી બીજા બિલ્ડિંગ સુધી લઈ જવામાં મુશ્કેલી ન પડે તે માટે વધુ ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. બંધ પડેલાં મશિનો તત્કાળ કાર્યરત કરવા આદેશ બંધ હાલતમાં પડેલા મશીનો અને સાધનો તાત્કાલિક કાર્યરત કરવા તેમજ એન્જિયોગ્રાફી મશીન વહેલી તકે શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ અને કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલ તરીકે ઉભરી આવવી જાેઈએ. ટ્રોમા સેન્ટર, ટીબી વિભાગ, ઓર્થોપેડિક, બાળકોની ઓપીડી સહિત તમામ વિભાગોમાં સ્વચ્છતા, સુઘડતા અને દર્દી કેન્દ્રીત સેવાઓ જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરાશે. મંત્રી તરીકે મારે રાઉન્ડ લેવો પડે તે શરમજનક: પાનશેરીયા પ્રફુલ પાનશેરિયાએ સુપરિન્ટેન્ડેન્ટ ધારિત્રી પરમારને કડક શબ્દોમાં તાકીદ કરી હતી કે, મંત્રી તરીકે મારે રાઉન્ડ લેવો પડે તે શરમજનક છે. તમારી જવાબદારી શું છે? તમે પોતે નિયમિત રાઉન્ડ કેમ નથી લેતા? દર્દીઓને ઉત્તમ અને સુવિધાસભર સારવાર ઉપલબ્ધ કરાવવી તંત્રની પ્રથમ જવાબદારી છે. ‘તમને અહીં પ્રજાની સેવા માટે મૂકવામાં આવ્યા છે. જાે આ વ્યવસ્થામાં ફેરફાર નહીં આવે અને દર્દીઓના હિતમાં કામ નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવાની મને ફરજ પડશે. મને પરિણામ જાેઈએ, બહાના નહીં.’
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
2673 |
ડોલરનાં ફટકાથી સુરતમાં કાપડ ઉદ્યોગનું અપગ્રેડેશન અટક્યું: મશીનરીની આયાત પર બ્રેક
દેશનું સૌથી મોટું ટેક્સ્ટાઈલ હબ ગણાતું સુરત આજે એક ગંભીર આર્થિક પડકારનો સામનો કરી રહ્યું છે. દૈનિક ૬ કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતા સુરત શહેરમાં વિકસેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં અત્યારે મશીનરીનું અપગ્રેડેશન કહો કે મોડર્નાઇઝેશનની સમગ્ર પ્રક્રિયા ઘોંચમાં પડી ગઇ છે. વૈશ્વિક બજારમાં ડોલર સામે રૂપિયાના સતત અવમૂલ્યનને કારણે સુરતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગકારોએ નવી મશીનરીની આયાત પર કામચલાઉ બ્રેક લગાવી દીધી છે, અને આ બ્રેકને હવે અઢી મહિના જેટલો સમય થવા આવ્યો છે. અનેક મશીનરી આયાતકારોએ એડવાન્સ પેમેન્ટ પેટે ચૂકવી દીધેલા કરોડો રૂપિયા જામ થઇ ગયા છે કેમ કે ડોલરનો ભાવ ૮થી ૧૦ ટકા વધી જતા રૂ.૧૫ લાખનું એક મશીન હવે રૂ.૧૬.૫૦ લાખમાં પડી રહ્યું છે. આ પ્રકારે દરેક પ્રકારનાં આયાતી મશીનરીનાં ભાવો વધી જતા કારખાનાઓમાં એક્ષ્પાન્સન કરવાની સુરતના વીવિંગ ઉદ્યોગકારોની યોજના થંભી જવા પામી છે.સુરતનો કાપડ ઉદ્યોગ ભારતમાં સૌથી વધુ કાપડ ઉત્પાદન કરતું ક્લસ્ટર છે. સુરતમાં કાપડનું ઉત્પાદન કરતા વીવિંગ કારખાનેદારો તેમની મશીનરી અપગ્રેડ કરી રહ્યા છે અને હવે હાઇસ્પીડ મશીનરી વસાવવા માંડ્યા છે. કાપડ ઉદ્યોગનાં અગ્રણી આશિષ ગુજરાતીએ પ્રવર્તમાન સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, એક સમયે પ્રતિ મિનિટ ૪૦૦ રાઉન્ડ (આર.પી.એમ.) પર કાપડનું ઉત્પાદન કરતા સુરતના કારખાનેદારો હવે ૧૨૦૦થી ૧૪૦૦ આર.પી.એમ.ની કેપેસિટી ધરાવતા મશીનો પર કાપડનું ઉત્પાદન લઇ રહ્યા છે. અપગ્રેડેશનનો આ દોર વર્ષોથી નહીં પણ દાયકાથી ચાલી રહ્યો છે અને હજુ પણ સેંકડો કારખાનેદારોની યોજના છે કે જૂના શટલ લૂમ્સની જગ્યાએ હાઇસ્પીડ એરજેટ, વોટરજેટ, રેપિયર જેકાર્ડ જેવા મશીનો આયાત કરીને તેમનું ઉત્પાદન સુધારી રહ્યા છે. આશિષ ગુજરાતીનું કહેવું છે કે ટેક્સ્ટાઈલ મશીનરીનાં અપગ્રેડેશનને બ્રેક લાગી ગઇ છે અને તેનું કારણ છે કે ડોલરનો ભાવ ૯૫ની આસપાસ પહોંચી ગયો છે. જેને કારણે આયાતી મશીનરી ૧૦ ટકાથી ૧૫ ટકા સુધી મોંઘી પડવા માંડી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે મશીનરીની ડિલિવરી પણ ખર્ચાળ બની ગઇ છે. નૈતિક પટેલ નામના કારખાનેદાર કહે છે કે આયાતી મશીનરીનાં સોદામાં સૌથી મોટો અવરોધ ડોલર અને રૂપિયાના વિનિમય દરમાં આવ્યો છે. તેમણે કહ્યું કે મારા જેવા ઘણા ઉદ્યોગકારોએ જ્યારે મશીનરી ખરીદવાની વાટાઘાટો શરૂ કરી હતી ત્યારે ડોલરનો ભાવ આશરે રૂ.૮૬ની આસપાસ હતો. પરંતુ હાલમાં રૂપિયો વધુ નબળો પડતા આ ભાવ વધીને ૯૫ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આના કારણે એક મશીન દીઠ પડતર કિંમતમાં લાખો રૂપિયાનો વધારો થયો છે. જે સોદો અગાઉ નક્કી થયો હતો, તેમાં હવે ૧૦ થી ૧૨ ટકા જેટલો વધારાનો બોજ ઉદ્યોગકારો પર આવી રહ્યો છે. પરિણામે, જે ઓર્ડર પાઈપલાઈનમાં હતા તે કાં તો કેન્સલ કરવામાં આવ્યા છે અથવા તો અટકાવી દેવામાં આવ્યા છે. કાપડ ઉદ્યોગન જાણકારોનું કહેવું છે કે જ્યારે કરન્સી માર્કેટમાં આટલી મોટી અસ્થિરતા હોય, ત્યારે લાંબાગાળાનાં રોકાણ જાેખમી બની જાય છે. સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગકારો અત્યારે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. જાે ડોલર સ્થિર નહીં થાય, તો આગામી સમયમાં નવી ટેકનોલોજી અપનાવવાની ગતિ ધીમી પડી શકે છે." વધુમાં સુરતમાં વપરાતી કુલ હાઇસ્પીડ મશીનરી પૈકી આશરે ૮૭ ટકા આયાત સીધી ચીનથી કરવામાં આવે છે. ચીની મશીનરી પ્રમાણમાં સસ્તી અને મેઇન્ટેનન્સમાં સરળ હોવાથી નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે તે પહેલી પસંદ રહી છે. બાકીની ૧૩ ટકા હાઈ-એન્ડ મશીનરી યુરોપિયન દેશોમાંથી આયાત થાય છે. જાે કે, આ આયાતી મશીનરીનાં પેમેન્ટ ડોલરમાં કરવાના હોવાથી હાલમાં મોટી સમસ્યા ઉભી થઈ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
2277 |
માથાભારે શિવરાજ ઝાલાએ માનદરવાજાનાં વેપારીને ધમકાવી ૧.૨૦ લાખ ખંડણી વસૂલી
માથાભારે પ્રકૃતિના શિલા ઝાલા સામે વેપારીને ધમકાવી ૧.૨૦ લાખ રૂપિયા ખંડણી વસૂલવાનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે. સલાબતપુરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર માનદરવાજા જુના ડેપો પાસે હળપતિ કોલોનીમાં રહેતો અભિષેક ઉર્ફે રોહન રાજેન્દ્ર દેવરે કાપડનો ધંધો કરે છે. ગત ૨૫ જુલાઇ, ૨૦૨૫ના રોજ રાત્રે સાડા દસેક વાગ્યે તે માર્કેટથી વેપાર ધંધાના એક લાખ રૂપિયા લઇને ભાઠેનામાં રહેતા મિત્ર યુસફને મળવા નીકળ્યો હતો. ભાઠેના, ઊમિયામાતાજી મંદિર પાસે અભિષેક અને યુસુફ વાત કરતાં હતાં. દરમિયાન કાળા કલરની સ્કોર્પિઓ આવી હતી. આ સ્કોર્પિઓમાં શિવા ઝાલા તથા બે અજાણ્યા યુવકો હતો. માથાભારે પ્રકૃતિના શિવા ઝાલાએ અભિષેકને કહ્યું હતું કે, તારે કાપડનો ધંધો કરવો હોય તો મને દર મહિને ૫૦,૦૦૦ રૂપિયા આપવા પડે. પૈસા નહીં આપે તો તારો વેપાર ધંધો ચાલવા નહી દઉં. શિવાની ધાક ધમકીથી ગભરાઇ અભિષેકે ૩૦ હજાર રૂપિયા તેને આપ્યા અને બાકીના પૈસા બે ચાર દિવસમાં પહોંચાડી દઈશ એમ કહ્યું હતું. જેથી શિવા ઝાલાઅને તેના સાગરીતોએ અભિષેકને માર માર્યો હતો. ઝાલાએ ચાકુ કાઢી બેગ છીનવી લીધી હતી. બેગમાં રહેલા ૭૦ હજાર રૂપિયા પણ તેણે લઇ લીધા હતાં. એ સમયે શિવાની ધમકીથી ગભરાઇ ગયેલા અભિષેકે કોઈ દાદ ફરિયાદ કરી ન હતી. ત્યારબાદ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ અભિષેક દેવરે તેના મિત્ર જય ધર્મેશ રાઠોડ સાથે અન્ય મિત્ર બશીરને ઘરે જઇ રહ્યા હતાં. દરમિયાન ભાઠેના ઉમિયા માતા મંદિર પાસે ફરી શિવા ઝાલા તેને ભટકાઈ ગયો હતો. એ સમયે શિવા સાથે તેનો ભાઈ રામ પણ હતો. આ બંને ભાઈઓએ અભિષેક પાસે જઈ તુ હપ્તો કેમ આપતો નથી તેમ કહી ગાળ ગલોચ કરવા માંડી હતી. શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલાએ સ્કોર્પિઓમાંથી ચપ્પુ કાઢી લાવી અભિષેકના પેટના ભાગે મૂકી દીધું હતું. સાથે જ ધમકી આપી હતી કે જીવતા રહેવું હોય તો સમયસર હપ્તો આપજે. એ સમયે તેણે અભિષેકના ખિસ્સામાંથી રોકડા ૨૦ હજાર રૂપિયા કાઢી લીધા હતાં. આ બનાવના ત્રણ મહિના બાદ અભિષેક દેવરેએ પોલીસનો સંપર્ક કરી શિવરાજ સિંહ અને રામ ઝાલા તથા તેના સાગરિતો સામે ફરિયાદ નોંધાવી હતી. લાજપોર જેલમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલતા જ ખંડણીનો ગુનો નોંધાયો શિવા ઝાલા ગેરકાયદે ડ્રગ્સ થી લઇ હથિયારના વેપલામાં ઝડપાઇ ચૂક્યો છે. ડ્રગ્સના કેસમાં જામીન ઉપર છૂટેલા માથાભારે શિવરાજસિંહ દ્વારા ત્રણ દિવસ અગાઉ જ જેલમાં ચાલી રહેલા બેફામ ભ્રષ્ટાચાર અંગે અધિકારીઓના નામ જાેગ આક્ષેપો કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે, નવા કેદીઓને હાઈ સિક્યોરિટી ઝોનમાં મુકીને તેમની પાસે તોડ કરવામાં આવતો હોય છે. ખૈની, વિવરીયા અને ગઢવી તથા પાકા કામના કેદી ઉજેફાનો ઉલ્લેખ કરતાં તેણે વધુમાં કહ્યું હતું કે, ૨૮ કેદીને બદલે એક જ બેરેકમાં ૪૫ કેદીઓને ઠુંસવામાં આવતાં હોય છે અને ત્યાંથી નિકળવા માટે પણ રૂપિયાની વસુલાત કરવામાં આવતી હોય છે. આ સિવાય મોબાઈલ પર વાત કરવાથી માંડીને વીડિયો કોન્ફરન્સ માટે પણ ૫૦૦ રૂપિયા સુધી ખર્ચ કરવા પડતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સિવાય જેલમાં તમાકુ, ગુટખા, ગાંજાે અને ડ્રગ્સ પણ રૂપિયા ખર્ચ કરતાં મળી જાય છે. જેલ કર્મચારી અને કેદીઓ ચોક્કસ એકાઉન્ટ અને યુપીઆઇ આઈડીમાં પૈસા ટ્રાન્સફર કરાવતા હોવાનું પણ તેણે જણાવ્યું હતું. આ આક્ષેપોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ચોથા જ દિવસે શિવા સામે ખંડણીનો ગુનો નોંધાયો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
2178 |
ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહ મેથ્સ માટે સ્ટાન્ડર્ડ મેથ્સ કે બેઝિક મેથ્સ, શાળાઓ અને સ્ટાફ પણ અજાણ
તાજેતરમાં જાહેર થયેલા ધો.૧૦ના પરિણામ બાદ હાલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ધો.૧૧માં પ્રવેશ મેળવવાની પળોજણમાં પડ્યા છે. આ દરમિયાન વાલીઓ અને વિદ્યાર્થીઓ તો ઠીક પણ શહેરની અનેક સ્કુલોના આચાર્યો, વિષય શિક્ષકો અને એડમિશન સ્ટાફમાં ધો.૧૧ સાયન્સમાં પ્રવેશની લાયકાત બાબતે ગેરમાન્યતા પ્રવર્તી રહ્યાની ફરિયાદો ઉઠી છે. ધો.૧૦માં બેઝિક મેથ્સ સાથે પાસ થયેલા કેટલાક વિદ્યાર્થીઓનાં વાલીએ શહેરની ચોક્કસ સ્કુલ પર ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહ મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવવા માટે પહોંચ્યા હતા તો ત્યાં તેમને કહેવામાં આવ્યું કે તેમના સંતાનોએ આગામી જુનમાં લેવાનારી બોર્ડની પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા પાસ કરવી પડશે. વાલીઓએ એવી રજૂઆત કરી હતી કે બોર્ડનો બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ્સનો નિયમ નીકળી ગયો છે અને ધો.૧૦માં બેઝિક મેથ્સ ધરાવતા વિદ્યાર્થીઓ પણ ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપ કે એબી ગ્રુપમાં પ્રવેશ લઇ શકે છે તેમણે સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપવાની થતી નથી.પરંતુ, આ બાબતથી અજાણ કેટલીક સ્કુલોનાં સ્ટાફે વાલીઓ અને વિદ્યાર્થીઓને પરત મોકલી આપ્યા હતા. કેટલાક વાલીઓ આ બાબતે મિડીયા કર્મીઓને પણ ફરિયાદો કરી હતી અને બોર્ડને સ્પષ્ટતા કરવા માટે રજૂઆત પણ કરી છે. હકીકતમાં બે વર્ષ અગાઉ બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સનો નિયમ કાઢી નાંખવામાં આવ્યો હતો કેમ કે બોર્ડનાં અધિકારીઓને એવી માહિતી મળી હતી કે ધોરણ ૧૧ વિજ્ઞાનમાં પ્રવેશ મેળવ્યા પછી સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવી એક અવરોધ હતો કારણ કે તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી શક્યા ન હતા. વિદ્યાર્થીઓની મુશ્કેલી જાેઇને આ અવરોધ દૂર કરી દેવાયો હતો. જૂનો નિયમ આ મુજબ હતો બોર્ડે ૨૦૨૧-૨૨ શૈક્ષણિક વર્ષમાં મૂળભૂત અને પ્રમાણભૂત ગણિત રજૂ કર્યું હતું. ધોરણ ૧૦ પછી ગણિતનો અભ્યાસ ચાલુ રાખવા માંગતા વિદ્યાર્થીઓને પ્રમાણભૂત ગણિતનો વિકલ્પ આપવામાં આવે છે, જ્યારે જેઓ નથી કરતા, તેઓ મૂળભૂત ગણિતનો વિકલ્પ પસંદ કરી શકે છે. મૂળભૂત ગણિત પસંદ કરનારાઓ ફક્ત ધોરણ ૧૧ ગ્રુપ મ્માં પ્રવેશ લઈ શકે છે, પરંતુ છ અથવા છમ્ જૂથોમાં નહીં. આ છે બદલાયેલો નિયમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (ય્જીૐજીઈમ્)એ ૧૩ જૂન ૨૦૨૪ના રોજ જાહેરાત કરી હતી કે ૨૦૨૪-૨૦૨૫ના શૈક્ષણિક વર્ષથી, જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત સાથે ધોરણ ૧૦ પાસ કર્યું છે તેઓ ધો.૧૧-૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં મેથ્સ ગ્રુપમાં પ્રવેશને લાયક ગણવામાં આવશે. આ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપવાની રહેતી નથી. જાે ધોરણ ૧૦ પાસ કરનાર વિદ્યાર્થી બેઝિક ગણિત સાથે ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં છ અથવા છમ્ જૂથોમાં પ્રવેશ મેળવવા માંગતો હોય, તો તેણે પૂરક પરીક્ષા દરમિયાન ધોરણ ગણિત પરીક્ષા પાસ કરવી પડશે. હવે આ જરૂરી નથી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, મે 2026
2970 |
બે પતિએ તરછોડ્યા બાદ પાડોશીનાં પ્રેમમાં પણ દગો મળતાં યુવતીએ ફાંસો ખાધો
પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સિંગણપોરનાં તળાવ ફળિયામાં જયેશ ચંદુભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. આ પટેલ પરિવારનાં સામે બારણે કેયુર સંજય મોદી તેની રત્ની અનમોલ સાથે રહે છે. જયેશભાઇએ તેમની દીકરી મોનિકાનાં લગ્ન વર્ષ ૨૦૦૯માં કિંજલ નટવરલાલ પટેલ સાથે કરાવ્યા હતાં. તેમને દાંપત્ય જીવનમાં એક દિકરો થયો હતો. ત્યારબાદ મોનિકા અને કિંજલ વચ્ચે અણબનાવ બનતાં તેઓ ૨૦૧૪માં છૂટા પડ્યા હતાં. મોનિકા તેના દિકરાને લઇ પિયર રહેવા આવી ગઇ હતી.મોનિકાએ થોડા સમય બાદ બ્રિજેશ યશવંતભાઇ પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતાં. તેમાં ઓક્ટોબર ૨૦૧૮માં તેણીને એક દીકરી થઇ હતી. મોનિકાને બ્રિજેશ સાથે પણ ખટરાગ સર્જાયો હતો. જેથી દોઢેક વર્ષથી તે ફરી પિયર આવી માતા-પિતા સાથે રહેવા માંડી હતી. દરમિયાન ફેબ્રુઆરી ૨૦૨૬માં પાડોશી કેયુરની પત્ની અનમોલ મોદીએ જયેશભાઇને કોલ કર્યો હતો. તેણીએ કહ્યું કે, તમારી દીકરી મોનિકાને મારા પતિ કેયુર સાથે પ્રેમ સંબંધ છે, જાે કે તેણીએ આ અંગે કોઇ પુરાવા આપ્યા ન હતાં. અનમોલનાં આ કોલ બાદ જયેશ પટેલ કેયુર મોદીને ભરીમાતા મંદિરે મળ્યા હતાં. કેયુરનાં મોટા પપ્પા ધનસુખ મોદીની હાજરીમાં જયેશ પટેલે કેયુરને મોનિકા સાથેનાં સંબંધ અંગે પૂછ્યું હતું. તેણે આવું કંઇ નથી એમ કહી વાત પુરી કરી હતી. પિતાએ મોનિકાને પણ આ મામલે પૂછ્યું તો તેણીએ આવું કંઇ નથી એમ કહ્યું હતું. આ વાતને અઠવાડિયું વિત્યા બાદ ૧૯મી તારીખે સવારે મોનિકાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મોનિકાનાં અંતિમ સંસ્કાર અને મરણોત્તર વિધિ પુરી થયા બાદ પત્ની કલા તથા દીકરી પિંકીએ જયેશભાઇને જણાવ્યું હતું કે, નાની દીકરી ચૈતાલીને પ્રસુતિ માટે હર્ષ હોસ્પિટલ દાખલ કરાઇ હતી ત્યારે ૧૩ ફેબ્રુઆરીએ મોનિકા જમવાનું આપવા ગઇ હતી. એ સમયે ત્યાં અનમોલ મોદી પણ હતી. અનમોલે એ સમયે મોનિકા સાથે ઝઘડો કર્યો અને પછી માર મારવા માંડ્યો હતો. મોનિકા જેમ તેમ કરી બચીને ત્યાંથી ભાગી હતી. તે પછી ૧૪મી તારીખે અનમોલ મોદીએ ફરી મોનિકાને કોલ કરી મળવા બોલાવી અને ઝઘડો કર્યો હતો. તેણીએ એવી ધમકી આપી હતી કે, તારી દીકરી ફિઓનાની કસ્ટડી તેના પિતાને અપાવી દઈશ, તારા પપ્પાને બધી વાત જણાવી દઇશ. કાકી પિન્કીએ પૂછ્યું તો મોનિકાએ જણાવ્યું હતું કે, અનમોલ અને કેયુર વચ્ચેનાં પ્રોબ્લેમ મને પરેશાન કરે છે. મેં મારૂ બધું સોનું અને પૈસા કેયૂરને કેસ પૂરો કરવા આપ્યા છે, કેયુરે છૂટાછેડા લઈ મને તથા મારા છોકરા-છોકરીને સાથે રાખશે એમ કીધું છે. આ બધી વાત કેયુરની પત્નીને ખબર પડી જતાં કેયુરે મને દગો આપ્યો છે, હવે તે કહે છે કે તારે મરવું હોય મરી જા મારે શું ? અને મારી સાથે જે થયુ તે તું ભૂલી જા. હું હવે અનમોલ ને છોડવાનો નથી. આ વાત બાદ મોનિકાએ આપઘાત કરી લીધો હતો. આ તથ્ય બહાર આવતાં જયેશ પટેલે કેયુર સંજય મોદી અને તેની પત્ની અનમોલ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...