ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 1980   |  
જામનગર કોર્ટે ગોસાબારા આરડીએકસ કેસમાં ૧૨ આરોપીઓને કસૂરવાર જાહેર કર્યા

વર્ષો જૂના અને સમગ્ર દેશને હચમચાવી દેનારા પોરબંદરના ગોસાબારા આરડીએકસ લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ૧૯૯૩ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટનું જે કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હતું, તેના વિસ્ફોટકો જે દરિયાઈ માર્ગે ભારત આવ્યા હતા તે કેસમાં કોર્ટે ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદો આતંકવાદ વિરુદ્ધ ભારતની કાયદાકીય લડાઈમાં એક મોટી જીત સમાન છે. જાન્યુઆરી ૧૯૯૩માં મુંબઈ વિસ્ફોટોના થોડા સમય પહેલા પાકિસ્તાનના કરાચીથી દરિયાઈ માર્ગે હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો ગુજરાત મોકલવામાં આવ્યો હતો. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણના ઈશારે પોરબંદરના ગોસાબારા દરિયાકિનારે આ ઘાતક સામાન ઉતારવામાં આવ્યો હતો. જેમાં આરડીએકસ એકે-૪૭ રાઈફલ્સ અને હેન્ડ ગ્રેનેડ્સનો સમાવેશ થતો હતો. આ જ વિસ્ફોટકોનો ઉપયોગ બાદમાં મુંબઈને લોહીલુહાણ કરવા માટે કરવામાં આવ્યો હતો.લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ આજે ન્યાય મળ્યો છે. કેસની ગંભીરતા આ આંકડાઓ પરથી સમજી શકાય છે: કુલ આરોપીઓ: ૪૬,કેસ દરમિયાન મૃત્યુ પામેલા આરોપીઓ: ૧૧,ડિસ્ચાર્જ થયેલા આરોપીઓ: ૦૬, સુનાવણીનો સામનો કરનાર આરોપીઓ: ૨૯,કોર્ટે દોષિત ઠેરવેલા આરોપીઓ: ૧૨ કોર્ટે જે ૧૨ આરોપીઓને આ ગુનામાં સામેલ ગણ્યા છે તેમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આદમ વાઘેર, અહેમદ ઇસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ લાખાણી (મેમણ), ઈફતેખાર અન્સારી, મહમદ અયુબ અન્સારી (અયુબ ટકલો), લખમણ હરદાસ આહીર, સલીમ કતા, મમુમિંયા ઉર્ફે પંજૂમિંયા સૈયદ બુખારી, ઇસ્તીયાક અહેમદ અન્સારી અને કાદીર અહેમદ શેખનો સમાવેશ થાય છે. તપાસમાં ખુલાસો થયો હતો કે આ વિસ્ફોટક સામગ્રી દાઉદ ઈબ્રાહિમ અને મુસ્તફા ડોસા દ્વારા પાકિસ્તાની બોટમાં મોકલવામાં આવી હતી. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, મે 2026 2178   |  
ભાવનગરમાં હેરાનગતિને કારણે યુવકે સળગી જઈને આપઘાત કર્યાે

ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં સાસરિયાઓના કથિત ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. યુવકે જ્વલનશીલ પ્રવાહી છાંટી પોતાની જાતને આગ ચાંપી દીધી હતી, જેમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. સારવાર દરમિયાન બે દિવસ બાદ હોસ્પિટલમાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું.  આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં યુવક તડફડાટ વચ્ચે આત્યંતિક પગલું ભરી રહ્યો હોવાનું નજરે પડે છે, જેને જાેઈ લોકોમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ છે.મૃતકના ભાઈ રાજેન્દ્ર રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારના જણાવ્યા મુજબ, યુવકને તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા લાંબા સમયથી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સતત હેરાનગતિને કારણે યુવકને આ આપઘાતનું પગલું ભરવા માટે મજબૂર થવું પડ્યું હોવાનું તેઓએ આક્ષેપ કર્યો છે. પરિવારે આરોપીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે, આરોપીઓને દાખલારૂપ સજા મળવી જાેઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, મે 2026 2970   |  
મુંદ્રા બંદરે સિંગાપોરથી આવેલું નકલી સિગારેટનું કન્ટેનર ઝડપાયું

ગુજરાતના મુંદ્રા બંદરેથી ફરી એકવાર મોટા પાયે થતી દાણચોરીનો પર્દાફાશ થયો છે. ડ્ઢઇૈં (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) એ એક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને સિંગાપોરથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે ૧૯.૮૭ કરોડની કિંમતની નકલી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કન્ટેનર માટે કોઈ પણ સત્તાવાર ‘બિલ ઓફ એન્ટ્રી’ રજૂ કરવામાં આવી નહોતી. દસ્તાવેજાેના અભાવે શંકા જતાં જ્યારે કન્ટેનરની તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી કુલ ૮૨,૮૦,૦૦૦ નકલી સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. ડ્ઢઇૈં એ આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને કસ્ટમ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સિંગાપોર જેવા દેશમાંથી આટલી મોટી માત્રામાં નકલી સિગારેટનો જથ્થો મુંદ્રા પોર્ટ પર ઉતરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ ડ્ઢઇૈં એ સિગારેટના આ જથ્થાને કોણે મંગાવ્યો હતો અને તે ક્યાં મોકલવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
30, એપ્રીલ 2026 2574   |  
ધોળકા-બગોદરા હાઈવે પર પલટી મારીને કાર થાંભલા સાથે અથડાતાં ત્રણના મોત

અમદાવાદ જિલ્લામાં ધોળકા-બગોદરા હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાતા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બારેજાથી ભામસરા ગામે સગાઈના પ્રસંગે જઈ રહેલી સ્કોર્પિયો કાર અચાનક નિયંત્રણ બહાર જતાં પલટી મારી અને જાેરદાર ધડાકા સાથે વીજ પોલ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચ્યાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ભયાનક માર્ગ અકસ્માતમાં સ્કોર્પિયો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન અચાનક માર્ગ પરથી ઉતરી ગયું હતું. ત્યારબાદ કાર અનેક પલટીઓ મારીને સીધી વીજ પોલ સાથે જાેરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ થઈ ગયો હતો અને કૂર્ચેકૂર્ચા ઉડી ગયા હતા. આ દુર્ઘટનામાં ૩ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે અન્ય ૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માત સર્જાતા ઈમરજન્સી ૧૦૮ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃતકોને પીએમ અર્થે ધોળકાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બારેજા ગામથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં હાજરી આપવા નીકળેલા પરિવાર માટે આ મુસાફરી દુર્ભાગ્યપૂર્ણ સાબિત થઈ. ખુશીના પ્રસંગે જઈ રહેલા તમામ લોકો માટે રસ્તામાં જ મોતનો સામનો કરવો પડતાં સમગ્ર વિસ્તાર તેમજ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
26, એપ્રીલ 2026 5148   |  
રિવાબા જાડેજા, નેહા સુથાર, માયાભાઈની દીકરી સોનલ ડેર, અંકિતા પરમારે વોટિંગ કર્યું

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને મતદાન યોજાયું હતું ખાસ વાત એ છે કે આ વખતે તમામ મનપા, નગરપાલિકા અને પંચાયતોનું મતદાન એક જ દિવસે યોજાયું છે. જ્યારે અગાઉ અલગ અલગ દિવસોમાં મતદાન થતું હતું. આ ચૂંટણીને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે રાજ્યની ૧૭માંથી ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનો, ૩૪ જિલ્લા પંચાયત, ૨૬૦ તાલુકા પંચાયત અને ૮૪ નગરપાલિકાઓમાં મતદાન થયું મતદાન દરમિયાન કેટલાક વિસ્તારોમાં ટેકનિકલ સમસ્યાઓ પણ સામે આવી છે. ભરૂચમાં લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી હતી. જ્યારે જામનગરમાં ઈવીએમ મશીન ખોટકાતા લગભગ એક કલાક મોડું મતદાન શરૂ થયું હતું. છતાં પણ મતદારોમાં ઉત્સાહ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ૧૦૦ વર્ષના વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતા, તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે એક વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. આ ઘટનાઓ લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે. ચૂંટણીમાં અનેક જાણીતા ચહેરાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જાણીતા લોકગાયિકા રાજલ બારોટ પણ મતદાન માટે પહોંચ્યા હતા. તો સાંસદ ગેનીબેન ઠાકોરએ અબાસણા ગામે મતદાન કર્યું હતું. તો સાથે વડોદરાના જાણીતા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારે મતદાન કર્યું હતું.અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે ભાજપ ઉમેદવાર સોનલ ડેરએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરને ભાજપે ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ટિકિટ આપી છે. મતદાન કર્યા બાદ તેમણે મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહી મજબૂત બનાવવા સૌએ આગળ આવવું જાેઈએ એવો સંદેશ આપ્યો હતો. સાથે જ તેમણે આ બેઠક પર પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. જામનગરમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ૫માં આવેલી સત્ય સાંઈ સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તેમણે સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે મતદારો માટે સુવિધાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે. સાથે જ તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી. મહેસાણા જિલ્લામાં ભાજપ ઉમેદવાર નેહા સુથારએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી તેઓ ભાજપના ઉમેદવાર છે અને તેમણે સરદાર ગામે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ નેહા સુથારે જંગી મતોથી જીત મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગુજરાતની જાણીતી ગાયિકા અને કલાકાર તરીકે ઓળખાતી નેહા સુથારની ઉમેદવારીને લઈને વિસ્તારમાં ખાસ ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 1881   |  
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે. 



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, એપ્રીલ 2026 3861   |  
ભરૂચ લાફાકાંડ: ચૈતર વસાવાએ કેમ માર્યો લાફો? સચ્ચાઈ આવી સામે!

ભરૂચ જિલ્લામાં ઝઘડિયા GIDC વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ બાદ ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. પીડિત પરિવારો વળતર અને ન્યાયની માંગ સાથે એકત્ર થયા હતા. આ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર હાજર એક યુવાન સાથે તેમની બોલાચાલી થઈ અને મામલો લાફાકાંડ સુધી પહોંચી ગયો. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઘટનાને લઈને વિવિધ આક્ષેપો સામે આવી રહ્યા છે, જોકે સત્તાવાર રીતે હજી સુધી પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 4257   |  
ગ્રામ પંચાયત ભવન બનાવવા હોય તો ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રાન્ટ ફાળવાશે

ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ નું ગ્રાન્ટ ફાળવણી પર વિવાદિત નિવેદન બાદ મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી દ્વારા જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નું નિર્માણ તથા ૨૧ લાખ ગ્રાન્ટ ફાળવાશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે. શુ ચૂંટણી પંચ પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર સત્તા પક્ષ દ્વારા યેનકેન પ્રકારે પણ સત્તા હસ્તે કરવા વિવિધ હથકંડા અપનાવવામાં આવતાં હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેફામ વાણી વિલાસ કરી ધાકધમકી નું વાતાવરણ ઉભું કરી મતદારો પર હાવી થવાના પ્રયાસ કરતાં હોય ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ મિતેષ પટેલે ગ્રાન્ટ ફાળવણી ના મુદ્દે વિવાદિત નિવેદન કર્યાબાદ વધુ એક ભાજપ નેતા મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ સ્વરાજકીય સંસ્થા ના ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર સમયે વાણી વિલાસ કરતાં હોય તેમ જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નિર્માણ તથા ૨૧ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ચર્ચાની એરણે ચઢવા પામતાં રાજકારણ ગરમાતા શું ચૂંટણી આયોગ આ મુદ્દે પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 5346   |   વડોદરા   |  
યુસુફ પઠાણના સસરા અને તેમના સાળાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણના સસરાની તેમના પુત્ર અને અન્ય એક સંબંધી સાથે ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે બે દિવસ પહેલા, ભાયખલા વિસ્તારમાં એક વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે વ્યક્તિની કાર ખાડામાંથી પસાર થઈ હતી અને તેમાંથી એક પર પાણી છાંટા પડ્યા હતા. ભાયખલા પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસી યુસુફ ખાન શનિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાંથી પાણીના છાંટા પડ્યા અને શોએબ ખાન પર પડ્યા. યુસુફ ખાને પોલીસને જણાવ્યું કે તેણે કાર રોકી અને તરત જ માફી માંગી, પરંતુ શોએબે તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને વાંસની લાકડીથી કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ શોએબે યુસુફ ખાન પર હુમલો કર્યો, જેમાં તેમને ઈજા થઈ.ઘરે પાછા ફર્યા પછી, યુસુફ ખાનના પરિવારે તેને પોલીસ પાસે જવાની સલાહ આપી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં, તેમનો સામનો ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) સાથે થયો, જેણે તેના પુત્ર ઉમરશાદ ખાન, શોએબ અને અન્ય આરોપી શાહબાઝ પઠાણ સાથે મળીને દલીલ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ, ખાલિદ, ઉમરશાદ, શોએબ અને શાહબાઝે યુસુફ ખાન અને તેના સંબંધીઓ પર વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 2178   |  
કોંગ્રેસના ઉમેદવારે નકલી એલસી રજૂ કર્યું; ચૂંટણી નિરિક્ષકોની બેદરકારી છતી થઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે બોગસ એલસી (લિવિંગ સર્ટિફિકેટ) રજૂ કર્યાનું સામે આવતા ચૂંટણી અધિકારીઓની બેદરકારી સામે આવી છે. ચિરાગ શાહ નામના ફરિયાદીએ જિલ્લા શિક્ષણાધિકારીને કલ્પનાબેનના એલસીની તપાસ કરવા ફરિયાદ કરી હતી. તપાસમાં જીઆર નંબર પર અન્ય વ્યક્તિનું નામ હોવાનું ખૂલ્યું છે. આ મામલે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે.માહિતી મુજબ, ફરિયાદીએ અમદાવાદ શહેર ડીઈઓને ફરિયાદ કરી હતી કે કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કલ્પનાબેન દ્વારા બોગસ એલસી રજૂ કરવામાં આવ્યું છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી. શાળા સંચાલક દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે કે બોગસ એલસી રજૂ કરી બોગસ સહી પણ કરવામાં આવી છે. ઉમેદવારે કૃષ્ણનગર શાળામાં અભ્યાસ કર્યો હતો, જીઆર ૧૨૪૮ અને એલ.સી નંબર ૩૧૯૪થી રજૂ કરાયું હોવાનું સામે આવ્યું છે. શહેર જિલ્લા શિક્ષણાધિકારીની તપાસમાં ખોટી એલસી રજૂ કરી કોઈએ ડુપ્લીકેટ સહી કરાઈ હોવાનું ખુલ્યુ છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકને પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે. સમગ્ર મામલે રિટર્નિંગ ઓફિસરની પણ બેદરકારી સામે આવી છે. ચૂંટણી માટે ફોર્મ ચકાસણી વખતે કામગીરી કરતા ચૂંટણી અધિકારીઓએ પણ યોગ્ય કામગીરી ન કર્યાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસની ઊંડાણપૂર્વક તપાસ બાદ જ વધુ ખુલાસા થઈ શકે છે. કલ્પનાબેન કોડેકરે જણાવ્યું હતું કે, કોઈ બોગસ એલસી રજૂ કરવામાં આવ્યું નથી. હું અત્યારે બહાર છું જેથી ફોન ઉપર હું કઈ જણાવીશ નહીં, આવતીકાલે રુબરુ મળ્યા બાદ વિગત આપીશ. અમદાવાદ શહેર શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ફરિયાદી ચિરાગ શાહ દ્વારા કચેરી ખાતે ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં એલસી બોગસ હોવાની તેમને રજૂઆત કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 1683   |  
સુભાષ બ્રિજના જાેખમી સ્પાન તોડવાની કામગીરી તેજ, ૨૦૨૭ સુધીમાં આધુનિક બ્રિજ આકાર લેશે

અમદાવાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં કરોડરજ્જુ સમાન ગણાતા સુભાષ બ્રિજના નવીનીકરણની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલા અને જર્જરિત જાહેર કરાયેલા બ્રિજના જાેખમી સ્પાનને તોડવાની પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સાબરમતી નદી પરના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને પગલે હાલ નદીના પટમાંથી પાણી ખાલી કરી દેવાયું છે. જેથી મશીનરી દ્વારા હેવી ડ્યુટી કામગીરી નિર્વિધ્ને પાર પાડી શકાય. તંત્ર દ્વારા અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરીને બ્રિજના એ હિસ્સાઓને દૂર કરવામાં આવી રહ્યા છે જે માળખાકીય રીતે જાેખમી સાબિત થયા હતા. હયાત બ્રિજનું સ્ટ્રક્ચર મજબૂત કરવું એ એન્જિનિયરો માટે એક પડકાર સમાન છે, પરંતુ તંત્રનો દાવો છે કે આગામી જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં રિપેરિંગ અને નવીનીકરણની આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. સુરક્ષાના કારણોસર હાલમાં આ વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ઝન અને સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. સુભાષ બ્રિજ પ્રોજેક્ટ માત્ર મરામત પૂરતો સીમિત નથી. શહેરની વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને, હયાત બ્રિજની બંને બાજુએ નવા બે-બે લેનવાળા સમાંતર બ્રિજ બનાવવાનું આયોજન છે. આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹૨૩૫ થી ₹૨૪૦ કરોડ જેટલો આંકવામાં આવ્યો છે. એકવાર આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ, સુભાષ બ્રિજ કુલ આઠ લેનનો બની જશે. સાબરમતીના પશ્ચિમ અને પૂર્વીય કાંઠાને જાેડતા આ બ્રિજ પર વાહનોનું ભારે ભારણ રહે છે. આઠ લેનનો આ નવો બ્રિજ તૈયાર થવાથી આર.ટી.ઓ. સર્કલ અને સાબરમતી વિસ્તાર તરફ જતા વાહનચાલકોને પીક અવર્સમાં નડતી ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે. તંત્ર આ પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે કટિબદ્ધ દેખાઈ રહ્યું છે. જે અમદાવાદની આધુનિક માળખાકીય સુવિધાઓમાં એક નવું ઘરેણું ઉમેરશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 1980   |  
રોગી કલ્યાણ સમિતિને જન આરોગ્ય સમિતિમાં રી-સ્ટ્રકચર કરવાની રાજ્ય સરકારની જાહેરાત

ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ભારત સરકારના આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત ‘આયુષ્માન ભારત શહેરી આરોગ્ય કેન્દ્રો’ને હવે ‘શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર’ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ‘જન આરોગ્ય સમિતિ’ના ગઠન અને રોગી કલ્યાણ સમિતિના રિ-સ્ટ્રક્ચરિંગ અંગેની આરોગ્યલક્ષી જાહેરાત કરી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા જણાવ્યું હતું કે, ભારત શહેરી આયુષ્માન આરોગ્ય મંદિરના કેન્દ્રો એ માત્ર સારવાર જ નહીં, પરંતુ પ્રિવેન્ટિવ, ક્યુરેટિવ, પ્રોમોટિવ, રિહેબિલિટેટિવ અને પેલિએટિવ કેર પૂરી પાડતા મુખ્ય કેન્દ્રો બનશે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૧થી ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ ની વસ્તી દીઠ એક ‘શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર’ કાર્યરત કરવામાં આવ્યા છે, જે રાજ્યની આરોગ્ય સુરક્ષાને મજબૂત બનાવે છે. અગાઉ સરકાર દ્વારા ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ગ્રામ્ય આરોગ્ય હસ્તકના પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે જન આરોગ્ય સમિતિની રચના કરેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે હયાત રોગી કલ્યાણ સમિતિની પુન: રચના કરીને જન આરોગ્ય સમિતીની રચના કરવામાં આવી છે. સમિતિમાં જે-તે વિસ્તારના સ્થાનિક સંસ્થાના વોર્ડ સભ્ય અધ્યક્ષ તરીકે અને ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સભ્ય સચિવ તરીકે સેવા આપશે. જન આરોગ્ય સમિતિને સ્વાયત્તતા આપવા માટે વાર્ષિક ધોરણે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર -યુપીએચસી સ્તરે રૂ. ૧,૭૫,૦૦૦/- અને શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર -યુએએએમ સ્તરે રૂ. ૧,૦૦,૦૦૦/- ના અનટાઈડ ફંડની જાેગવાઈ કરાઈ છે. સમિતિમાં ઓછામાં ઓછું ૫૦% મહિલા પ્રતિનિધિત્વ ફરજિયાત કરાયું છે, જેથી માતૃ-બાળ કલ્યાણના મુદ્દાઓને અગ્રતા મળી શકે. સમિતિમાં એસસી/એસટી લઘુમતી સમુદાયો, વુમન સેલ્ફ હેલ્પ ગ્રૂપ, રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન અને શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે. ખાસ આમંત્રિતોમાં ક્ષય (ટીબી) ચેમ્પિયન્સ, કેન્સર સર્વાઈવર, દિવ્યાંગ વ્યક્તિઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાયને પણ ખાસ આમંત્રિત તરીકે સ્થાન આપી સામાજિક જવાબદારીનો વ્યાપ વધારવામાં આવશે. આ સમિતિની બેઠક દર મહિને યોજવામાં આવશે અને આ બેઠકની મિનિટ ટુ મિનિટની યોગ્ય નોંધ રાખવામાં આવશે. સમિતિના બિન-સરકારી સભ્યોનો કાર્યકાળ ૨ વર્ષનો રહેશે. આ માળખાથી સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે અને ‘જન આરોગ્ય સમિતિ’ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 1881   |  
સોશિયલ મીડિયા પર લવગુરુના સ્કેમનો પર્દાફાશ

શહેરમાં વધી રહેલા સાયબર અપરાધો વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગે એક અત્યંત સંવેદનશીલ અને મોટા ઠગાઈ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓને પોતાની માયાજાળમાં ફસાવી, તેમને બ્લેકમેઈલ કરી લાખો રૂપિયા પડાવતી કુખ્યાત “લવ ગુરુ” ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે અને તે છેલ્લા બે વર્ષથી આ શિષ્ટ દેખાતા ગુનાહિત કૃત્યમાં સક્રિય હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી અત્યંત શાતિર રીતે ગુનાને અંજામ આપતો હતો. તે ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર “ગુરુમા” ના નામે નકલી પ્રોફાઇલ બનાવતો હતો. ખાસ કરીને એવી મહિલાઓ કે જેઓ પ્રેમ સંબંધમાં નિષ્ફળતા, લગ્નજીવનની સમસ્યાઓ અથવા વ્યક્તિગત માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હોય, તેમને તે નિશાન બનાવતો હતો. આરોપી મહિલાઓને વિશ્વાસમાં લઈને દાવો કરતો હતો કે તે “વશીકરણ” અને “શુદ્ધિકરણ વિધિ” દ્વારા તેમની તમામ સમસ્યાઓ દૂર કરી દેશે. જ્યારે કોઈ મહિલા તેની વાતમાં આવી જતી, ત્યારે આરોપી અને તેની ટીમ દ્વારા વિધિના બહાને કેટલીક અંગત વિગતો મેળવવામાં આવતી હતી. હદ તો ત્યારે થતી જ્યારે વિધિના નામે અશ્લીલ વીડિયો બનાવડાવવામાં આવતા અથવા તસવીરો મેળવવામાં આવતી. ત્યારબાદ, આ તસવીરોને એડિટ કરીને કે વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી મહિલાઓ પાસે મોટી રકમની માંગણી કરવામાં આવતી હતી. સાયબર ક્રાઈમની તપાસમાં ખૂલ્યું છે કે આ ગેંગે અત્યાર સુધીમાં અંદાજે ૪૦ થી ૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. માત્ર એક પીડિતાએ જ અંદાજે ૪ લાખ રૂપિયા જેવી માતબર રકમ ગુમાવી હોવાનું રેકોર્ડ પર આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મુખ્ય આરોપીને દબોચી લીધો છે. હાલમાં આ ગેંગના અન્ય સભ્યોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગંભીર નોંધ લેતા નાગરિકોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ કે જેઓ ચમત્કાર અથવા વિધિના નામે લાલચ આપે છે, તેમના પર ક્યારેય વિશ્વાસ ન રાખવો. ડિજિટલ યુગમાં સાવચેતી જ શ્રેષ્ઠ સુરક્ષા છે. જાે કોઈ પણ વ્યક્તિ આવી શંકાસ્પદ પ્રવૃત્તિનો ભોગ બને અથવા માહિતી મળે, તો તુરંત જ સાયબર ક્રાઈમ વિભાગનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 495   |  
ગત વર્ષની તુલનામાં આ વર્ષે રાજ્યમાં ક્ષેત્રવાર ૯ ટકાથી વધારે પાણીનો જથ્થો ઉપલબ્ધ

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન- પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ ૧૨૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપે તા. ૩ મે ૨૦૨૬ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૫૯.૭૫ ટકા એટલે કે ૫.૩૨ લાખ મિલિયન ક્યુબિક ફીટ-એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં ૯.૦૪ ટકા જેટલો વધારે જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં ૧૨.૧૮ ટકા વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ, જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે. વધુમાં ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલની સ્થિતિએ ૭૨.૩૩ ટકાથી વધુ એટલે કે ૨.૪૧ લાખ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતમાં ૫૯.૫૨ ટકા એટલે કે, ૪૯,૩૩૮ એમસીએફટી પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૪.૧૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૪૯.૧૧ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ૪૩.૪૫ ટકા અને કચ્છ વિસ્તારમાં ૩૭.૧૨ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. આમ રાજ્યમાં કુલ ૫.૩૨ લાખ એમસીએફટી એટલે કે ૫૯.૭૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ તા. ૩ મે, ૨૦૨૫ સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં ૩૨.૩૫ ટકા, મધ્ય ગુજરાતમાં ૪૯.૦૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૧.૦૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૨.૪૫ ટકા અને કચ્છ વિસ્તારમાં ૩૩.૬૧ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં ૨ લાખ એમસીએફટીથી વધુ એટલે કે ૬૦.૧૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ ૪.૫૨ લાખ એમસીએફટી એટલે કે ૫૦.૭૧ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 1980   |  
ધો. ૧૨ સાયન્સ અને કોમર્સનાં પરિણામોમાં સુરત ફરી અજેય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ ધો.૧૨ સાયન્સ અને કોમર્સ વિભાગની ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી પરીક્ષાનાં પરિણામો એક સાથે ઓનલાઇન પ્લેટફોર્મ પરથી જાહેર કર્યા હતા. દેશના જ નહીં પણ એશિયાનાં સૌથી ફાસ્ટેટ ગ્રોઇંગ બિઝનેસ સિટી તરીકે જાણીતા સુરત શહેરનાં વિદ્યાર્થીઓએ સાયન્સ અને કોમર્સ બંનેનાં પરિણામોમાં મેદાન માર્યું છે. સાયન્સ અને કોમર્સ બંનેમાં સુરત શહેર જિલ્લાનું પરિણામ સ્ટેટ એવરેજથી વધુ હોવા ઉપરાંત સાયન્સ અને કોમર્સ બંનેમાં એ-વન ગ્રેડ, ટોપર્સ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ સુરતની સંખ્યા આખા રાજ્યનાં તમામ જિલ્લાઓ કરતાં વધુ છે. એથી વિશેષ સાયન્સમાં એ ગ્રુપ, બી ગ્રુપ અને કોમર્સ ત્રણેયમાં સ્ટેટ ટોપર વિદ્યાર્થીઓ પણ સુરતનાં જ છે. આમ, આજનાં પરિણામમાં સમગ્ર રાજ્યમાં સુરત શહેર જિલ્લાના વિદ્યાર્થીઓએ મેળવેલા પરિણામોની ચર્ચા સાવર્ત્રિક રીતે સાંભળવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં પણ સુરતનાં વિદ્યાર્થીઓએ સાયન્સ અને કોમર્સમાં મેળવેલા ઝળહળતાં પરિણામો અંગે સફળ વિદ્યાર્થીઓની જુદી જુદી સ્ટોરીઓ ભારે વાઇરલ થવા પામી છે.ગઇ તા.૨૬ ફેબ્રુઆરીથી તા.૧૬મી માર્ચ દરમિયાન લેવામાં આવેલી ગુજરાત બોર્ડની ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા. ધો.૧૨ સાયન્સનું સમગ્ર રાજ્યનું ઓવરઓલ પરિણામ ૮૪.૩૩ ટકા આવ્યું છે જ્યારે સુરત શહેર જિલ્લાનાં પરિણામ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનાં સાતેય જિલ્લાનાં પરિણામની વાત કરીએ તો સુરત શહેર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૭.૨૬ ટકા, નવસારીનું ૭૯ ટકા, તાપી જિલ્લાનું ૭૦.૭૨ ટકા, નર્મદા જિલ્લાનું ૮૪.૯૫ ટકા, વલસાડ જિલ્લાનું ૭૪.૫૧ ટકા, ભરૂચ જિલ્લાનું ૮૦.૫૯ ટકા અને ડાંગ જિલ્લાનું પરિણામ ૮૯.૭૧ ટકા જેટલું આવ્યું છે.સુરત શહેર જિલ્લાનાં ડીટેઇલ પરિણામ પર નજર કરીએ તો કૂલ ૧૫૭૯૮ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી ૪૫૯ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કર્યું છે. સુરત જિલ્લા કરતા વધુ એ-વન ગ્રેડ પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા બીજા કોઇ જિલ્લામાં નથી. આખા રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૫૭૬ છે, જેમાંથી ૪૫૯ વિદ્યાર્થીઓ તો એકલા સુરત શહેર જિલ્લાના જ છે. આમ ઓવરઓલ પરિણામ અને વ્યક્તિગત પરિણામોમાં પણ સુરત શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ મેદાન મારી ગયા છે. સુરત શહેર જિલ્લામાંથી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ ૧૫૭૯૮ છે. જેમાંથી આજે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩૭૮૬ છે, જે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે. એવી જ રીતે સુરત શહેર જિલ્લામાંથી નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૩૧ છે, જે પણ સમગ્ર રાજ્યનાં તમામ જિલ્લાઓ કરતા વધુ છે. સુરત શહેર જિલ્લાનાં પરિણામમાં સૌથી વધુ ધ્યાનાકર્ષક બાબત એ પણ સપાટી પર આવી છે કે સુરત શહેરમાં આવતા કુંભારિયા પરીક્ષા કેન્દ્રનું પરિણામ ગુજરાતનાં વિજ્ઞાન પ્રવાહનાં તમામ પરીક્ષા કેન્દ્રો કરતા સૌથી વધુ છે. કુંભારીયા પરીક્ષા કેન્દ્રનું પરિણામ ૯૮.૬૨ ટકા છે. આ પરીક્ષા કેન્દ્રમાંથી કુલ ૪૩૪ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત ૬ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને ૪૨૮ વિદ્યાર્થીઓનું પરીણામ પાસ આવ્યું છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના પરીણામની કેટલીક વિશેષ બાબતો પર નજર કરીએ તો સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિક્સ અને બીજા નંબરે કેમેસ્ટ્રી વિષયમાં સૌથી વધુ નાપાસ થયા છે. રાજ્યમાંથી કુલ ૧૧૦૯૯૦ વિદ્યાર્થીઓએ ફિઝિક્સની પરીક્ષા આપી હતી, જેમાંથી ૯૪૬૪૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે ૧૬૩૪૭ વિદ્યાર્થીઓને ફિઝિક્સમાં નાપાસ પરીણામ મળ્યું છે. એવી જ રીતે કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧૦૯૭૬ હતી, જેમાંથી આજે ૯૫૩૭૫ વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રીમાં પાસ જાહેર થયા છે જ્યારે ૧૫૬૦૧ વિદ્યાર્થીઓનું પરીણામ નાપાસ આવ્યું છે. હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ, મરાઠી ફર્સ્ટ લેંગ્વેજ, ઉર્દૂ ફર્સ્ટ લેંગ્વેજ અને ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ આ ચાર ભાષાના વિષયોના પરીણામ ૧૦૦ ટકા આવ્યા છે, એકપણ વિદ્યાર્થી ઉપરોક્ત ચાર વિષયમાં નાપાસ થયા નથી. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.૧૨ સામાન્ય પ્રવાહ (કોમર્સ-આર્ટસ)નું ૯૨.૭૧ ટકા જેટલું જંગી અને વિક્રમી પરિણામ જાહેર કર્યું હતું. સુરત અને દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓ પૈકી ૬ જિલ્લાઓનું પરિણામ રાજ્યની એવરેજ કરતા પણ વધુ આવ્યું છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ગણાતા ડાંગનું ધો.૧૨નું પરિણામ ૯૮.૮૮ ટકા જેટલું જંગી આવ્યું છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આખા રાજ્યમાં અધધ ૭૪૪૬ વિદ્યાર્થીઓને એ-વન રેન્કમાં પરીણામ આપવામાં આવ્યું છે. આ સંખ્યામાં એકલા સુરત જિલ્લાના વિદ્યાર્થીઓની સંખ્યા જ ૨૦૮૩ છે. સુરત સિવાય રાજકોટ જિલ્લાને બાદ કરતા અન્ય કોઇ જિલ્લામાં ચાર આંકડામાં એ-વન રેન્કર વિદ્યાર્થીઓની સંખ્યા નથી આવી શકી. આમ વિજ્ઞાન પ્રવાહની જેમ જ સામાન્ય પ્રવાહનાં પરિણામોમાં જ સુરતનું પરિણામ આખા રાજ્યમાં સુરતનો ડંકો વગાડનારું છે.સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં પરિણામ પર નજર કરીએ તો સુરતનું ઓવરઓલ પરિણામ ૯૩.૪૬ ટકા, ભરૂચનું પરિણામ ૯૩.૩૭ ટકા, ડાંગ જિલ્લાનું પરિણામ ૯૭.૮૮ ટકા, વલસાડનું પરિણામ ૯૦.૩૯ ટકા, નવસારીનું પરિણામ ૯૫.૧૩ ટકા, નર્મદા જિલ્લાનું પરિણામ ૯૪.૧૭ ટકા અને તાપી જિલ્લાનું પરિણામ ૯૫.૮૯ ટકા આવ્યું છે. સુરત શહેરનાં પરિણામ પર નજર કરીએ તો કુલ ૪૭૦૯૧ વિદ્યાર્થીઓએ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૪૦૦૯ વિદ્યાર્થીઓ આજે પાસ જાહેર થયા છે જ્યારે ૩૨૨૬ વિદ્યાર્થીઓનું પરિણામ નાપાસમાં જાહેર થયું છે. એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓને ટોપર્સ, રેન્કર્સ તરીકે ઓળખવામાં આવે છે. આખા રાજ્યમાં એ-વન ગ્રેડનું પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા સુરતમાં ૨૦૮૩ નોંધાઇ છે. એ-વન ગ્રેડર્સની સંખ્યામાં સુરત પછી બીજા ક્રમે રાજકોટમાં ૧૧૮૪ની છે. આમ સુરત અને રાજકોટ વચ્ચે જ ૮૦૦ વિદ્યાર્થીઓનો તફાવત છે. ધો.૧૨ કોમર્સનાં ૯૨ ટકા જેટલા જંગી પરિણામને જાેતા શહેરની અનેક સ્કુલોનાં આચાર્યો, ટ્રસ્ટીઓ બોલી ઉઠ્યા હતા કે જે વિદ્યાર્થીઓની પાસ થવાની કોઇ શક્યતા ન હતી, તેવા વિદ્યાર્થીઓ પણ ૫૫-૬૦ ટકા માર્કસ સાથે પાસ થઇ ગયા છે, તેનો મતલબ એ ગણાવી શકાય કે પરિણામો બિલકુલ ઉદાર હાથે આપવામાં આવ્યા છે. સુરતની આશાદીપ સ્કુલની વિદ્યાર્થિની અક્ષરા સુતરીયા ધો.૧૨ કોમર્સમાં સમગ્ર ગુજરાતની ટોપર બની ગુજરાત બોર્ડે આજે જાહેર કરેલા ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં પરિણામોમાં સુરતનાં નાના વરાછા સ્થિત આશાદીપ સ્કુલની વિદ્યાર્થિની અક્ષરા સુતરીયાએ ગુજરાત ફર્સ્ટનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અક્ષરા સુતરીયા નામની વિદ્યાર્થિનીએ આજે ધો.૧૨ કોમર્સમાં ૭૦૦માંથી ૬૮૭ માર્ક મેળવીને ગુજરાત બોર્ડના અત્યાર સુધીનાં ઇતિહાસમાં સૌથી વધુ ગુણ સાથે પાસ થવાનો રેકોર્ડ સર્જ્યો હોવાની માહિતી આશાદીપ સ્કુલનાં સંચાલક મહેશ રામાણીએ આપી હતી. જ્યારે અક્ષરા અને તેના માતાપિતાને આ બાબતની જાણકારી આપવામાં આવી ત્યારે તેમની ખુશીનો પાર રહ્યો ન હતો. અક્ષરા સુતરીયાએ આજે ધો.૧૨ સાયન્સમાં કુલ ૯૮.૧૪ ટકા જેટલું જંગી પરિણામ મેળવ્યું છે અને હવે એ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપીને સરકારી અધિકારી બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે આગળ વધશે એમ તેણે જણાવ્યું હતું.અક્ષરાનાં પિતા અનિલભાઇ એમ્બ્રોઇડરીનાં કારખાનામાં કામ કરી રહ્યા છે અને તેઓ વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. આજે પરિણામ બાદ અક્ષરા સુતરીયાએ જણાવ્યું કે તેની આ સફળતામાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનાં સંચાલકો અને શિક્ષકોનો સિંહફાળો રહ્યો છે. માતા વિકલાંગ, ભાઇ બહેનોને આંખે ૨૪-૨૪ નંબર, ઘરકામની બધી જવાબદારી છતાં એ-વન રેન્ક લઇ આવી નિશા ગઢીયાઆશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરીને આજે ૭૦૦માંથી ૬૮૫ માર્ક હાંસલ કરીને એ-વન ગ્રેડનું પરિણામ લાવનાર વિદ્યાર્થિની નિશા ગઢીયાની પરિસ્થિતિ સાંભળીને ભલભલાનું હ્રદય દ્વવી ઉઠશે. આ વિદ્યાર્થિની સ્કુલમાં અભ્યાસની સાથે પોતાના ઘરના બધા જ ઘરકામની જવાબદારી સંભાળે છે. કેમ કે નિશાની માતા વિકલાંબ છે અને તેને બે નાના ભાઇબહેનો છે જેમને આંખે ૨૪-૨૪ નંબર છે. આવી સ્થિતિમાં મોટાભાગનું ઘરકામ, રસોઇ સમેત નિશાએ સંભાળવું પડતું હતું. આમ છતાં નિશાએ પોતાના અભ્યાસ પર પોતાના વર્કલોડની સહેજ પણ અસર થવા દીધી ન હતી. અત્યંત ગરીબ પરીવારમાંથી આવતી નિશાના પિતા વરાછા રોડના બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકો માટેના રેડીમેઇડ કપડાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોતાની આ પ્રકારની નાજૂક આર્થિક સ્થિતિની કોઇપણ પરવાહ કર્યા વગર નિશા ગઢીયા મન લગાડીને અભ્યાસ કરી રહી છે. આજે પરિણામ બાદ નિશાએ પત્રકારોને જણાવ્યું કે તે હવે સી.એ. બનવા માગે છે અને સી.એ.નો અભ્યાસ શરૂ કરી દીધો છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનાં મહેશ રામાણીએ જણાવ્યું કે તેઓ ગરીબ વર્ગનાં વિદ્યાર્થીને જ્યાં સુધી અભ્યાસ કરવા ઇચ્છશે ત્યાં સુધી તેમને સહાયભૂત થશે.પાલિકા સંચાલિત સુમન હાયર સેકન્ડરીમાં સાયન્સનું પરિણામ ૧૦૦ ટકા અને કોમર્સનું પરિણામ ૯૮.૪૮ ટકા, ૧૦૨ વિદ્યાર્થીનાં એ-૧ ગ્રેડ સુરત મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વિસ્તારનાં બાળકો માટે સુરત શહેરમાં સુમન હાયર સેકન્ડરી સ્કુલોમાં સામાન્ય પ્રવાહનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ દરમિયાન લેવાયેલી ગુજરાત બોર્ડની એચ.એસ.સી સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સુમન હાઇસ્કુલોનું પરિણામ ૯૮.૪૮ ટકા તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. સુમન હાઇસ્કુલ નંબર ૨ (વરાછા), સુમન હાઇસ્કુલ નંબર ૩ (કતારગામ), સુમન હાઇસ્કુલ નંબર ૫ (લિંબાયત), સુમન હાઇસ્કુલ નંબર ૬ (પાંડેસરા), સુમન હાઇસ્કુલ નંબર ૦૯ (કાપોદ્રા), સુમન હાઇસ્કુલ નંબર ૧૦ (લિંબાયત), સુમન હાઇસ્કુલ નંબર ૧૮ (પુણાગામ), સુમન હાઇસ્કુલ નંબર ૧૯ (ઉત્રાણ)નું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. તમામ સુમન હાઇસ્કુલો ખાતે કુલ-૧૦૨ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, મે 2026 2871   |  
ઉત્રાણની ઉમરા પોલીસ ચોકીમાં ૫ીએસઆઈ રાઠોડ પર પિતા-પૂત્રનાં હુમલાથી ચકચાર

ઉત્રાણ પોલીસ સ્ટેશન તાબાની ઉમરા પોલીસ ચોકીમાં પીએસઆઇ રાઠોડ ઉપર પિતા-પૂત્ર દ્વારા હુમલો કરાયો હતો. પાડોશી સાથે થયેલા ઝઘડા બાબતે બંને દ્વારા અપાયેલી અરજી અંગે કાર્યવાહી મામલે પીએસઆઇ સામે આક્ષેપબાજી સાથે ગાળ ગલોચ કર્યા બાદ ઢીક મુક્કીનો માર મારી યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો. ઉત્રાણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ઉમરા પોલીસ ચોકીમાં સબ ઇન્સ્પેક્ટર ડી. ડી. રાઠોડ ફરજ બજાવે છે. વેલંજા, ઉમરાની રાજનંદીની સોસાયટીમાં રહેતાં મીતલબેન મોહિતભાઈ અગ્રાવાત તથા નેહા પીનલભાઇ ચૌહાણ દ્વારા ગત ૨૯મી તારીખે ઉત્રાણ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી. પાડોશી મહિલાઓએ એકબીજા સામે લડાઇ ઝઘડો કરી ધાક ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. આ અરજીનો જવાબ લખાવવા માટે સબ ઇન્સપેક્ટર રાઠોડે આ અરજીનો જવાબ લખાવવા માટે બીજી તારીખે મીતલ અગ્રાવાત અને નેહા ચૌહાણે પોલીસ ચોકી બોલાવ્યા હતાં.જવાબ લખાવવા માટે બપોરના સમયે કોલ કરાયો ત્યારે નેહા પીનલભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલ હુ સુરત બહાર છું, મારા પતિ ઝગડા સમયે હાજર હતા તેથી તેમને ચારેક વાગ્યે મોકલીશ એમ કહ્યું હતું. જયારે મીતલબેન મોહિતભાઈ અગ્રાવાત નિવેદન લખાવવા પહોંચી ગયા હતાં. ત્યારબાદ સાંજે પાંચેક વાગ્યે સબ ઇન્સપેક્ટર રાઠોડ તેમના સ્ટાફ સાથે અન્ય એક અરજી સંદર્ભે બિપીનભાઇ ધનજીભાઇ કોલડિયાનું નિવેદન લઇ રહ્યા હતાં. એ દરમિયાન પીનલ ભરત ચૌહાણ અને તેમના દિકરો પાર્થ ચૌહાણ પોલીસ ચોકીએ પહોંચ્યા હતાં. ચોકીમાં તપાસ ચાલતી હોય રાઠોડે આ બંનેને થોડીવાર બહાર બેસવા જણાવ્યું હતું. જમાં પિનલ અને જય ચૌહાણ એકદમ ગુસ્સે ભરાયા હતાં. તેમણે બૂમ બરાડા પાડી એવો આરોપ મૂક્યો કે, તમે અમારી અરજીની તપાસ કરતા નથી અને મિતલબેનની અરજીમાં અમોને બોલાવો છો. તમે મિતલબેન પાસેથી પૈસા લઈને અમોને હેરાન પરેશાન કરી રહ્યા છો. હુ તમને બધાને જોઇ લઈશ, તમારા બધાના પટ્ટા ટોપી ઉતરાવી દઈશ. આવી આક્ષેપબાજી સાથે ગાળાગાળી કરી તેઓ બહાર નીકળી ગયા હતાં. ચોકીની બહાર ગયા પણ તેઓ જોર જોરથી બુમ બરાડા પાડવાનું ચાલુ રાખ્યું હતું. જેથી ચોકીની બહાર ટોળું એકઠું થવા માંડ્યું હતું. આ જોઇને પીએસાઇ રાઠોડ પણ બહાર ગયા અને તેમને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. ચૌહાણ પિતા-પૂત્રએ ગાળાગાળી કરવા માંડતાં રાઠોડે હાથ પકડી તેમને ચોકીમાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પિનલ અને જય ચૌહાણે પીએસઆઇનાં હાથ ઉપર નખ માર્યા હતાં. ત્યારબાદ તેમની ઝપાઝપી કરવા માંડી હતી. રાઠોડનો કોલર પકડી યુનિફોર્મના બટન પણ તેમણે તોડી નાંખ્યા હતાં. પીએસઆઇ ઉપર હુમલો કરવા સાથે ચોકી માથે લેનારા પીનલ ચૌહાણ અને જય ચૌહાણ સામે રાજ્ય સેવક ઉપર હુમલો તથા સરકારી ફરજમાં અવરોધ ઉભો કરવા અંગે ગુનો નોંધી કાર્યવાહી કરાઇ હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, મે 2026 2178   |  
બેંક રોબરી માટે બદમાશોએ બોગસ આધારકાર્ડથી મકાન ભાડે રાખ્યું અને બાઇક પણ ખરીદી હતી

૫૦ લાખની બેંક રોબરી કરનારા યુવકો સીસી કેમેરામાં દેખાય એવા નવા નિશાળીયા નહીં પરંતુ કેટલા શાતિર છે એનો અનુભવ તપાસ દરમિયાન પોલીસને થઇ રહ્યો છે. આ યુવકોએ બોગસ આધારકાર્ડ બનાવી તેના આધારે રાંદેરનાં ઉગતમાં મકાન ભાડે લીધું અને લૂંટમાં વપરાયેલી ત્રણ પૈકી એક મોટર સાયકલ તેલંગાણાથી ખરીદી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત એક બાઇક ભટાર વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હોવાનો ખુલાસો પણ થયો છે.વરાછામાં લંબેહનુમાન રોડ ઉપર એફિલ ટાવરની બાજુમાં શક્તિ ટાવરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા કાર્યરત છે. ૨૭મી એપ્રિલ, સોમવારે બપોરે એકથી બે વાગ્યા સુધી સશસ્ત્ર લૂંટારુઓએ બેંકને બાનમાં લીધી હતી. કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી રોકડા ૫૦ લાખ લૂંટી સાત બદમાશો ફરાર થઇ ગયા હતાં. ભારે ચકચારી બનેલી બેન્ક રોબરીમાં પોલીસ ચકરાવે ચડી છે. સીસી કેમેરા આધારે કરાયેલી તપાસમાં એવું શોધી કાઢવામાં આવ્યું હતું કે, લૂંટારૂઓ રાંદેરમાં બોટનિકલ ગાર્ડન પાસે ઉગત ગામમાં આવેલા ભરવાડ વાસ પાસે રોકાયા હતાં. પોલીસે રૂમના માલિકની પૂછપરછ કરતાં એ યુવકોએ આધાર કાર્ડ સાથે એડવાન્સ ભાડું ચૂકવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જો કે, લૂંટના દસ દિવસ પહેલા એટલે કે, ૧૭મી તારીખે જ તેઓ રૂમ ખાલી કરી જતા રહ્યા હોવાની વાત પણ તેણે જણાવી હતી. રૂમ ભાડે રાખવા માટે લૂટારૂઓએ આપેલા આધાર કાર્ડની તપાસ કરાતાં તે ફેક હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત લૂંટમાં વપરાયેલી ત્રણ મોટર સાયકલ કીમ નજીક કન્યાસી ગામના એક ખેતરમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ મોટર સાયકલની પોલીસે તપાસ કરતાં ત્રણેયનાં ચેસીસ નંબર ભૂંસી નંખાયેલા જોવા મળ્યા હતાં. બે બાઇકનાં એન્જિન નંબર મળતાં પોલીસને થોડી રાહત થઇ હતી. એન્જિન નંબરનાં આધારે સગડ મળવાનો આશાવાદ સેવતી પોલીસને ફરી એક ઝટકો લાગ્યો હતો. બે પૈકી એક મોટર સાયકલ ખટોદરા પોલીસ મથકનાં ભટાર વિસ્તારમાંથી ચોરાયેલી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે બીજી બાઇક તેલંગાણાની નીકળી હતી. જો કે, માલિકનો સંપર્ક કરાયો તો તેણે વેચી દીધાનું બહાર આવ્યું હતું. બાઇક ખરીદનારનો આધારકાર્ડ તેણે પોલીસને આપ્યો હતો. જો કે, રાકેશ નામનો આ આધારકાર્ડ પણ બોગસ નીકળ્યું હતું. મોબાઇલ ટાવરથી મળેલાં ત્રણ મોબાઇલ નંબરનાં આધારે લૂટારૂઓની તલાશ બેંક રોબરી કરનારા યુવકોએ રીઢા બદમાશોને પણ ટાપી જાય એવી ચોકસાઇ સાથે તેમણે આ રોબરીકાંડ કર્યો હતો. રોબરી દરમિયાન યુવકોએ કરેલી વાતચિતના આધારે તેઓ ઉત્તર પ્રદેશનાં વતની હોવાની શકયતાં પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. ત્યારબાદ પોલીસને લૂંટારૂઓ રોકાયા હતાં એ જગ્યા તથા ભાગ્યા એ રૂટ અંગે સીસી કેમેરાથી માહિતી મળી હતી. પોલીસે આ વિસ્તારોના મોબાઇલ ટાવરનાં ડેટા મેળવી ટેકનિકલ એનાલીસીસ કર્યું હતું. જેમાં ત્રણેક મોબાઇલ નંબર એવા મળ્યા કે જે લૂંટારૂઓની મૂવમેન્ટને મેચ કરતાં હતાં. આ ત્રણ નંબરને આધાર બનાવી પોલીસ આગળની તપાસ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, મે 2026 1782   |  
લાહોર, કરાચી કે રાવલપિંડીમાં નથી રહેતો સુરતમાં રહું છું, હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવો છો

આજે મેડિકલ, પેરામેડિકલની એન્ટ્રન્સ એક્ઝામ નીટ-યુજીની પરીક્ષા શરૂ થાય એ પૂર્વે અમરોલીની ગૌતમી કન્યા વિદ્યાલયનાં પરીક્ષા કેન્દ્ર ખાતે તૈનાત સ્ટાફ દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સીનાં કોડ ઓફ કન્ડક્ટ અનુસાર એક વિર્દ્યાથિનીએ ગળામાં પહેરેલી કંઠી કાઢી નાંખવાનું કહેતા વિર્દ્યાથિનીનાં પિતા પરેશ કાછડિયા ઉશ્કેરાઇ ગયા હતાં અને રોષ સાથે કહ્યું હતું કે હું લાહોર, કરાચી કે રાવલપિંડીમાં નથી રહેતો, સુરતમાં રહું છુ, હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવો છો, બીજી સ્કુલમાં મારા મિત્રની દીકરીનાં ગળામાંથી કંઠી નથી કઢાવી તો મારી દીકરીનાં ગળામાંથી કંઠી કેમ કઢાવી. એ સમયે ઉપસ્થિત કેટલાક વાલીઓએ આ ઘટનાનો વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. નીટ યુજી પરીક્ષાના કડકાઇભર્યા કોડ ઓફ કન્ડક્ટથી અજાણ પિતાએ સ્ટાફ કંઠી કઢાવી નાંખવાની કાર્યવાહીને મોટું સ્વરૂપ આપીને ઉંચા અવાજે બોલવાનું શરૂ કરતા અન્ય વાલીઓનું પણ ધ્યાન એ તરફ ગયું હતું અને હોબાળો મોટો થઇ ગયો હતો. જોતજોતામાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયો હતો અને સુરતમાં નીટ યુજી પરીક્ષા સમયે કોઇ મોટી ઘટના બની હોય એમ રજનું ગજ કરી નાંખ્યું હતું. હકીકતમાં મેડીકલ એન્ટ્રન્સ એક્ઝામ નીટના પરીક્ષાર્થીઓ માટે અત્યંત કડકાઇભર્યા કોડ ઓફ કન્ડક્ટ હોય છે, ભૂતકાળમાં બનેલા ચોરી ગેરરીતિઓનાં કિસ્સાઓમાંથી બોધપાઠ લઇને નીતિ નિયમોને વધુ ચુસ્ત બનાવવામાં આવતા હોય છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, મે 2026 3168   |  
૬૦ દિવસથી ચાલતા યુદ્ધની ઘેરી અસર છતાં પેટ્રોલ ડિઝલનાં ભાવ વધાર્યા નથી: હરદીપસિંહ પુરી

કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ વર્ષ ૨૦૨૭ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આ પ્રકારના પ્રાદેશિક સમિટ અન્ય રાજ્યોમાં પણ મોડેલરૂપ અને પ્રેરક બની છે એમ જણાવી ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે વીમા ખર્ચમાં વધારો, કાર્ગોમાં વિલંબ અને સપ્લાય ચેઈનની ગંભીર સમસ્યાઓ વચ્ચે પણ ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ સુરક્ષિત રહ્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું હતું કે, વૈશ્વિક યુદ્ધ, પૂરવઠા સાંકળના સંકટ, હોર્મુઝની ખાડીમાં પેદા થયેલા તણાવ છતાં પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક બોજથી બચાવ્યા છે.આ સંદર્ભે મંત્રીએ કહ્યું કે, જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે, ત્યારે છેલ્લા ૪ વર્ષ અને ૬૦ દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો કરાયો નથી. તેમણે પાડોશી દેશોની સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પશ્ચિમના પાડોશી દેશે એપ્રિલમાં પેટ્રોલના ભાવમાં ૪૨.૭% અને ડીઝલમાં ૫૪.૦૯% નો વધારો કર્યો છે. તેવી જ રીતે ઉત્તર અને દક્ષિણના પાડોશી દેશોમાં પણ ઈંધણના ભાવમાં ૩૯%થી ૬૬% સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. વિશ્વના અન્ય બજારોમાં લાંબી કતારો, રેશનિંગ અને કામના કલાકોમાં કાપ જેવી સ્થિતિ જાેવા મળી છે, પરંતુ ભારતે ‘પેનિક’ (ગભરાટ)ને ક્યારેય પોતાની નીતિ બનવા દીધી નથી. ભારતીય રસોડામાં કોઈ પણ ચીજવસ્તુની અછત વર્તાવા દેવામાં આવી નથી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution