આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, મે 2026
3564 |
ધોલેરા અને સુરતમાં ૪,૦૦૦ કરોડના સેમી કન્ડક્ટર પ્લાન્ટને કેન્દ્રની મંજૂરી
કેન્દ્ર સરકારે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાતમાં બે નવા સેમીકન્ડક્ટર એકમો સ્થાપવાની મંજૂરી આપી દીધી છે. આ પગલું માત્ર ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ નેક્સ્ટ જનરેશન ડિસ્પ્લે ટેકનોલોજી અને ચિપ પેકેજિંગમાં ભારતની હાજરી વૈશ્વિક સ્તરે નોંધાવશે. આ બંને પ્રોજેક્ટ્સમાં આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકાર અત્યાર સુધીમાં કુલ ૧૦ સેમીકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી આપી ચૂકી છે, જેમાંથી માઈક્રોન ટેકનોલોજી અને કેન્સ ટેકનોલોજી જેવી દિગ્ગજ કંપનીઓના પ્લાન્ટમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. સરકારે ગુજરાતના ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડની ૩,૦૬૮ કરોડ રૂપિયાના રોકાણવાળી ‘ઇન્ટિગ્રેટેડ કમ્પાઉન્ડ સેમીકન્ડક્ટર અને એડવાન્સ્ડ પેકેજિંગ’ સુવિધાને મંજૂરી આપી છે. આ યુનિટ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે કારણ કે તે ગેલિયમ નાઇટ્રાઇડ વેફર્સનું ઉત્પાદન કરશે, જે મિની અને માઇક્રો ન્ઈડ્ઢ ડિસ્પ્લેનો મુખ્ય હિસ્સો છે. તેની વાર્ષિક ક્ષમતા ૭૨,૦૦૦ ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ અને ૨૪,૦૦૦ સેટ ઇય્મ્ ય્ટ્ઠદ્ગ વેફર્સની હશે. આ પ્રોજેક્ટથી અંદાજે ૧,૬૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે. આ એકમ ભારતનું પ્રથમ માઇક્રો ન્ઈડ્ઢ ફેબ્રિકેશન યુનિટ હશે, જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદેશ મંત્રાલયનું વ્યૂહાત્મક સમર્થન પણ સામેલ છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડના આ પ્રોજેક્ટને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે આને એક વ્યૂહાત્મક દાવ ગણાવ્યો છે. હાલમાં વૈશ્વિક ડિસ્પ્લે ઇન્ડસ્ટ્રી એક મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. દાયકાઓ સુધી જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયાએ ન્ઝ્રડ્ઢ બજાર પર રાજ કર્યું, પરંતુ તાજેતરના વર્ષોમાં ચીને ભારે રોકાણના દમ પર આ ક્ષેત્રમાં પોતાની પકડ જમાવી લીધી છે. ગુજરાતના જ સુરત શહેરમાં સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક ઓએસએટી સુવિધાને કેબિનેટે લીલી ઝંડી આપી છે. ૮૬૮ કરોડ રૂપિયાના રોકાણથી બનનારું આ યુનિટ સેમીકન્ડક્ટર વેલ્યુ ચેઇનની એક મહત્વપૂર્ણ કડી છે. અહીં ‘લીડ ફ્રેમ’ અને ‘વાયર-બોન્ડ’ પેકેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચિપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ કરવામાં આવશે. આ યુનિટ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઓટોમોટિવ સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરશે. તેની વાર્ષિક ક્ષમતા ૬૭૩ મિલિયન સ્મોલ આઉટલાઇન ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને ૩૬૦ મિલિયન ટ્રાન્ઝિસ્ટર આઉટલાઇન પેકેજ તૈયાર કરવાની હશે. આ પ્લાન્ટથી અંદાજે ૬૩૦ લોકોને રોજગારી મળશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, મે 2026
8415 |
પોરબંદરમાં ૧૨ વર્ષના કિશોરે ૪ વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચર્યું
ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. શહેરના ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પાડોશમાં રહેતા માત્ર ૧૨ વર્ષના એક સગીરે ૪ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આ શરમજનક કિસ્સો ત્યારે બન્યો જ્યારે ભોગ બનનાર ૪ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન પાડોશમાં જ રહેતો ૧૨ વર્ષનો કિશોર બાળકીને રમાડવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. બાળકીની માસૂમિયતનો લાભ ઉઠાવી કિશોરે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની ઉંમર ૧૨ વર્ષની છે અને તે ભોગ બનનાર બાળકીના પાડોશમાં રહે છે. જ્યારે ભોગ બનનાર બાળકીની ઉંમર ૪ થી ૫ વર્ષની હોવાનું મનાય છે. પ્રાથમિક વિગતો મુજબ, સગીરે બાળકી પર બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની તબિયત અચાનક લથડતા અને શારીરિક તકલીફ જણાતા પરિવારે પૂછપરછ કરી હતી, જેમાં આ ભયાનક સત્ય બહાર આવ્યું હતું. બાળકીના પરિવારજનોએ આ મામલે તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. કમલાબાગ પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધી છે. બાળકીની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક મેડિકલ પરીક્ષણ અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોપી પોતે સગીર વયનો હોવાથી પોલીસ દ્વારા ‘જુવેનાઈલ જસ્ટિસ એક્ટ’ (બાલ સંરક્ષણ ધારો) મુજબ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને તમામ પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી તેજ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, મે 2026
3762 |
જામનગર કોર્ટે ગોસાબારા આરડીએકસ કેસમાં ૧૨ આરોપીઓને કસૂરવાર જાહેર કર્યા
વર્ષો જૂના અને સમગ્ર દેશને હચમચાવી દેનારા પોરબંદરના ગોસાબારા આરડીએકસ લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ૧૯૯૩ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટનું જે કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હતું, તેના વિસ્ફોટકો જે દરિયાઈ માર્ગે ભારત આવ્યા હતા તે કેસમાં કોર્ટે ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદો આતંકવાદ વિરુદ્ધ ભારતની કાયદાકીય લડાઈમાં એક મોટી જીત સમાન છે. જાન્યુઆરી ૧૯૯૩માં મુંબઈ વિસ્ફોટોના થોડા સમય પહેલા પાકિસ્તાનના કરાચીથી દરિયાઈ માર્ગે હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો ગુજરાત મોકલવામાં આવ્યો હતો. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણના ઈશારે પોરબંદરના ગોસાબારા દરિયાકિનારે આ ઘાતક સામાન ઉતારવામાં આવ્યો હતો. જેમાં આરડીએકસ એકે-૪૭ રાઈફલ્સ અને હેન્ડ ગ્રેનેડ્સનો સમાવેશ થતો હતો. આ જ વિસ્ફોટકોનો ઉપયોગ બાદમાં મુંબઈને લોહીલુહાણ કરવા માટે કરવામાં આવ્યો હતો.લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ આજે ન્યાય મળ્યો છે. કેસની ગંભીરતા આ આંકડાઓ પરથી સમજી શકાય છે: કુલ આરોપીઓ: ૪૬,કેસ દરમિયાન મૃત્યુ પામેલા આરોપીઓ: ૧૧,ડિસ્ચાર્જ થયેલા આરોપીઓ: ૦૬, સુનાવણીનો સામનો કરનાર આરોપીઓ: ૨૯,કોર્ટે દોષિત ઠેરવેલા આરોપીઓ: ૧૨ કોર્ટે જે ૧૨ આરોપીઓને આ ગુનામાં સામેલ ગણ્યા છે તેમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આદમ વાઘેર, અહેમદ ઇસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ લાખાણી (મેમણ), ઈફતેખાર અન્સારી, મહમદ અયુબ અન્સારી (અયુબ ટકલો), લખમણ હરદાસ આહીર, સલીમ કતા, મમુમિંયા ઉર્ફે પંજૂમિંયા સૈયદ બુખારી, ઇસ્તીયાક અહેમદ અન્સારી અને કાદીર અહેમદ શેખનો સમાવેશ થાય છે. તપાસમાં ખુલાસો થયો હતો કે આ વિસ્ફોટક સામગ્રી દાઉદ ઈબ્રાહિમ અને મુસ્તફા ડોસા દ્વારા પાકિસ્તાની બોટમાં મોકલવામાં આવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
3168 |
ભાવનગરમાં હેરાનગતિને કારણે યુવકે સળગી જઈને આપઘાત કર્યાે
ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં સાસરિયાઓના કથિત ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. યુવકે જ્વલનશીલ પ્રવાહી છાંટી પોતાની જાતને આગ ચાંપી દીધી હતી, જેમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. સારવાર દરમિયાન બે દિવસ બાદ હોસ્પિટલમાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં યુવક તડફડાટ વચ્ચે આત્યંતિક પગલું ભરી રહ્યો હોવાનું નજરે પડે છે, જેને જાેઈ લોકોમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ છે.મૃતકના ભાઈ રાજેન્દ્ર રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારના જણાવ્યા મુજબ, યુવકને તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા લાંબા સમયથી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સતત હેરાનગતિને કારણે યુવકને આ આપઘાતનું પગલું ભરવા માટે મજબૂર થવું પડ્યું હોવાનું તેઓએ આક્ષેપ કર્યો છે. પરિવારે આરોપીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે, આરોપીઓને દાખલારૂપ સજા મળવી જાેઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
01, મે 2026
4059 |
મુંદ્રા બંદરે સિંગાપોરથી આવેલું નકલી સિગારેટનું કન્ટેનર ઝડપાયું
ગુજરાતના મુંદ્રા બંદરેથી ફરી એકવાર મોટા પાયે થતી દાણચોરીનો પર્દાફાશ થયો છે. ડ્ઢઇૈં (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) એ એક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને સિંગાપોરથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે ૧૯.૮૭ કરોડની કિંમતની નકલી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કન્ટેનર માટે કોઈ પણ સત્તાવાર ‘બિલ ઓફ એન્ટ્રી’ રજૂ કરવામાં આવી નહોતી. દસ્તાવેજાેના અભાવે શંકા જતાં જ્યારે કન્ટેનરની તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી કુલ ૮૨,૮૦,૦૦૦ નકલી સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. ડ્ઢઇૈં એ આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને કસ્ટમ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સિંગાપોર જેવા દેશમાંથી આટલી મોટી માત્રામાં નકલી સિગારેટનો જથ્થો મુંદ્રા પોર્ટ પર ઉતરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ ડ્ઢઇૈં એ સિગારેટના આ જથ્થાને કોણે મંગાવ્યો હતો અને તે ક્યાં મોકલવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
1683 |
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, મે 2026
2772 |
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, મે 2026
3465 |
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા
ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
3564 |
વડોદરાની MSUમાં 'મોદીતત્ત્વ' અને 'RSS' ભણાવાશે? વિદ્યાર્થીઓ માટે ફાયદો કે રાજકારણ?
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નવા ‘Sociology of Patriotism’ કોર્સને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. આ કોર્સમાં ‘Modi Tatva’ અને RSS ની વિચારધારાનો સમાવેશ થવાથી શિક્ષણમાં રાજકીય પ્રભાવ અંગે સવાલો ઉઠ્યા છે. યુનિવર્સિટીનું કહેવું છે કે આ અભ્યાસક્રમ રાષ્ટ્રવાદ અને સામાજિક સમજ વધારવા માટે છે, જ્યારે વિરોધ પક્ષ અને વિદ્યાર્થી સંગઠનો તેને પ્રોપેગેન્ડા ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ કોર્સ વિદ્યાર્થીઓ માટે કેટલો ફાયદાકારક સાબિત થાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, એપ્રીલ 2026
5148 |
ભરૂચ લાફાકાંડ: ચૈતર વસાવાએ કેમ માર્યો લાફો? સચ્ચાઈ આવી સામે!
ભરૂચ જિલ્લામાં ઝઘડિયા GIDC વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ બાદ ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. પીડિત પરિવારો વળતર અને ન્યાયની માંગ સાથે એકત્ર થયા હતા. આ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર હાજર એક યુવાન સાથે તેમની બોલાચાલી થઈ અને મામલો લાફાકાંડ સુધી પહોંચી ગયો. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઘટનાને લઈને વિવિધ આક્ષેપો સામે આવી રહ્યા છે, જોકે સત્તાવાર રીતે હજી સુધી પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
1683 |
ગાંધીનગરના રાયસણથી ગુમ આધેડે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું
ગાંધીનગરના રાયસણથી ગુમ થયેલા આધેડે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું, પિકચર જાેવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં રહેતા અને ઓઢવ ખાતે ખાનગી નોકરી કરતા ૫૫ વર્ષીય આધેડ ગુરુવાર રાતથી રહસ્યમય સંજાેગોમાં ગુમ થયા હતા. જેમની લાશ આજે સવારે અડાલજની ઝુંડાલ નર્મદા કેનાલમાંથી મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે અડાલજ પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડે કેન્સરની બીમારીથી કંટાળીને મોત વ્હાલુ કર્યું હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં રહેતા અને ઓઢવ ખાતે ખાનગી નોકરી કરતા ૫૫ વર્ષીય આધેડ ગુરુવાર રાત્રિના સમયે ઘરેથી મુવી જાેવા જવાનું કહીને નીકળ્યા પછી ઘરે પરત નહીં આવતા આ મામલે ઇન્ફોસિટી પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. ત્યારે આજે આધેડની લાશ ઝુંડાલ કેનાલમાંથી મળી આવતા અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરના રાયસણના સાર્થક હેવનમાં રહેતા ભરતભાઈ લક્ષ્મણભાઈ પટેલ ગુરુવાર રાત્રે આશરે સાડા નવ વાગ્યાના અરસામાં ઘરેથી તપોવન સર્કલ પાસે ફિલ્મ જાેવા જઉં છું તેમ કહીને નીકળ્યા હતા. જેઓ મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. આ બાબતની જાણ તેમના ભાઈ બિપિનકુમાર પટેલને શુક્રવારે સવારે કરવામાં આવી હતી. બાદમાં પરિવારજનોએ ગુમ થયેલ ભરતભાઈની શોધખોળ આદરી હતી. જેમાં સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા તેઓ રાત્રે ૯.૩૦ કલાકે સોસાયટીની બહાર ચાલતા જતા નજરે પડ્યા હતા. જેમની સગા સંબંધીઓ અને પરિચિતોને ત્યાં તપાસ કરવા છતાં પણ કોઈ ભાળ મળી ન હતી. આખરે ઇન્ફોસિટી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ દાખલ કરી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે સવારે ઝુંડાલ કેનાલમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો હોવાની વર્ધી મળતા અડાલજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પંકજ પ્રજાપતિ સહિતની ટીમ કેનાલ દોડી ગઈ હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
1782 |
છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીને ૪૫ દિવસની સજા ફટકારાઈ
અમદાવાદ નજીકના રામપુર ગામના છાત્રાલયમાં સગીર વિદ્યાર્થી પર પાંચ સગીરો દ્વારા જાતીય હુમલો કરવાના મામલે પાંચેયને ૪૫ દિવસની સજા અને તેમના વાલીઓને ૧૫-૧૫ હજારનો દંડ કરવામાં આવ્યો છે. રામપુર ગામના છાત્રાલયમાં આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ નજીક આવેલી શાળામાં અભ્યાસ કરતા અને રામપુર છાત્રાલયમાં ભોજન અને રહેવાની સગવડ મેળવતા હતા. એક ૧૪ વર્ષનો વિદ્યાર્થી ભણવા માટે પોતાના વતનથી આશરે ૮૦ કિલોમીટર દૂર આ છાત્રાલયમાં રહેવા આવ્યો હતો. શાંત સ્વભાવના આ વિદ્યાર્થીને અન્ય ધોરણમાં ભણતા અને એક જૂથના વિદ્યાર્થીઓ સાથે પનારો પડ્યો હતો. આ પાંચેય સગીર પાન મસાલા ખાતા અને મોબાઈલ ફોન રાખતા અને પોર્ન વીડિયો જાેઈ તેમના મનમાં કામ વાસના જાગી હતી. જેથી તે લોકોએ ભેગા મળીને સોફ્ટ ટાર્ગેટ તરીકે પીડિતને શોધ્યો હતો. રાત્રીના ભોજન બાદ ભોજન બનાવનાર રસોઈયા તથા છાત્રાલયના ગૃહપતિ અને ગાર્ડ નજીકના ગામમાં રહેતા હોઈ બાળકોને એકલા મૂકી પોતપોતાના ઘરે જતા રહેતા હતા. જેથી પાંચ સગીરોને મોકળું મેદાન મળી ગયું. તેમણે પોતાના ખરાબ ઈરાદાના ભાગરૂપ શાંત વિદ્યાર્થી પાસે સૃષ્ટિ વિરુદ્ધના કામ કરવાની માગણી શરૂ કરી હતી અને તેને માર મારી ધમકી આપવાની શરૂ કરી હતી. પીડિત ગભરાઈ ગયો પરંતુ તેને ગૃહપતિને હકીકત કહેતા પાંચે સગીરે તેને ધમકી આપી કે જાે તું ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું. અંતે એક રાત્રે છાત્રાલયનો સ્ટાફ ઘરે જતો રહ્યો હતો અને સગીર આરોપીએ બાકીના સગીરોને સાથે રાખી પીડિત પર દુષ્કર્મ આચર્યું હતું. આ વિવાદનો કેસ ચાલી જતાં સરકાર તરફથી એ.પી.પી. અમિત તિવારી દ્વારા ૨૮ જેટલા સાહેદ તપાસવામાં આવેલ અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા અને દલીલ કરાઈ જેમાં પાંચેય સગીર દ્વારા સક્રિય ભાગ ભજવ્યો હોવાની તેમજ ભોગ બનેલા બાળક પર શારીરિક હુમલો કર્યાની અને તેનું શોષણ કર્યાની તેમજ કોર્ટમાં સાહેદોએ ઓળખી બતાવ્યા છે તેવી રજૂઆત કર્યા હતા. તમામ પક્ષની દલીલો સાંભળ્યા બાદ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના પ્રિન્સિપલ મેજિસ્ટ્રેટ એમ. વી. પંડ્યાએ પાંચ સગીરને ૪૫ દિવસની સજા કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
1683 |
અમદાવાદમાં વાડજ પોલીસને થાપ આપનાર પોક્સોના આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
અમદાવાદ શહેરમાં પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલો પોક્સો આરોપી ઝડપાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાંથી પોક્સો કેસનો એક આરોપી ગઈકાલે વહેલી સવારે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો, ૩ પોલીસકર્મીઓને ચકમો આપી ભાગેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે તેને ગણતરીના કલાકોમાં ચંદ્રનગર બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો. માહિતી મુજબ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં સંડોવાયેલા ૨૩ વર્ષીય આરોપી અશોક ડાભાણીને પોલીસની ટીમ ગુરૂવારની રાત્રે માઉન્ટ આબુથી પકડી લાવી હતી. ધરપકડ બાદ આરોપી અશોક ડાભાણીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જાેકે ગઈકાલે વહેલી સવારે આશરે ૫:૦૦ વાગ્યાની આસપાસ જ્યારે પોલીસ ટીમ મેડિકલ કરાવીને પરત પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે મોટી બેદરકારી સામે આવી હતી. પોલીસ સ્ટેશનની બહાર ગાડીમાંથી ઉતારતી વખતે આરોપી અશોક ડાભાણીએ તકનો લાભ ઉઠાવ્યો હતો. ગાડીમાં ત્રણ પોલીસકર્મીઓની હાજરી હોવા છતાં તે તમામને ચકમો આપીને અચાનક ભાગી છૂટ્યો હતો. પોલીસે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને આરોપી અશોક ડાભાણીને ઝડપી પાડ્યો હતો. આ ઘટનાએ પોલીસની સતર્કતા પર અનેક સવાલો ઉભા કર્યા છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબજાે મેળવીને તેને ફરીથી વાડજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
1881 |
પૂર્વ સર્વેયર અને ત્રણ વ્યક્તિને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી
સીબીઆઈ કોર્ટે ૮ મે ૨૦૨૬નાં રોજ તેના ચુકાદા અને આદેશ દ્વારા ચાર આરોપીઓ - જતિન ભાનુભાઈ જાેષી, તત્કાલીન સર્વેયર, વડોદરા અને ત્રણ ખાનગી વ્યક્તિઓ મધુસુદન ડી. ભાવસાર, ઈલા એન. પટેલ અને વિજય અરવિંદભાઈ કાયસ્થને છેતરપિંડીથી ફાયર ઇન્શ્યોરન્સ ક્લેમ મેળવવાના બે અલગ-અલગ કેસોમાં પ્રત્યેકને ૫૦,૦૦૦ રૂપિયાના દંડ સાથે ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ૧૬.૦૭.૨૦૦૩ના રોજ ફાયર ઇન્શ્યોરન્સ ક્લેમ ફ્રોડના બે કેસ નોંધ્યા હતા. પ્રથમ કેસ, રોનાલ્ડ અમરજીત જેમ્સ, સિનિયર ડિવિઝનલ મેનેજર, ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સુરત, સ્/જ સોનુ કોમ્યુનિકેશન્સ એન્ડ કલર ઝેરોક્ષ, વડોદરા અને જતિન બી. જાેષી, સર્વેયર, વડોદરા વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપી રોનાલ્ડ અમરજીત જેમ્સે વર્ષ ૨૦૦૨-૨૦૦૩ દરમિયાન ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સુરતમાં સિનિયર ડિવિઝનલ મેનેજર તરીકે કામ કરતી વખતે, ખોટા અને બનાવટી દસ્તાવેજાે રજૂ કરીને છેતરપિંડીથી ફાયર ઇન્શ્યોરન્સ ક્લેમ મેળવીને છેતરપિંડી કરવાના ઉદ્દેશ્ય સાથે સોનુ કોમ્યુનિકેશન્સ એન્ડ કલર ઝેરોક્ષ, વડોદરા અને જતિન બી. જાેષી, સર્વેયર, વડોદરા સાથે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને તેનાથી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડને ૧૧,૫૨,૨૩૩/- રૂ.નું ગેરકાયદેસર નુકસાન પહોંચાડ્યું હતું. બીજાે કેસ રોનાલ્ડ અમરજીત જેમ્સ, સિનિયર ડિવિઝનલ મેનેજર, ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સુરત, મનુભાઈ દયાભાઈ પટેલ, આણંદ, નૈનેશ સૂર્યકાંત પટેલ, આણંદ અને જતિન બી. જાેષી, સર્વેયર, વડોદરા વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપી રોનાલ્ડ અમરજીત જેમ્સે વર્ષ ૨૦૦૧-૨૦૦૨ દરમિયાન ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સુરતમાં સિનિયર ડિવિઝનલ મેનેજર તરીકે કામ કરતી વખતે, પટેલ એન્ડ કંપની વતી ખોટા અને બનાવટી દસ્તાવેજાે રજૂ કરીને છેતરપિંડીથી ફાયર ઇન્શ્યોરન્સ ક્લેમ મેળવવાના મામલે ઉપરોક્ત ખાનગી વ્યક્તિઓ સાથે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને તેનાથી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સુરતને રૂપિયાનું ૨૦,૦૮,૫૯૫નું ગેરકાયદેસર નુકસાન પહોંચાડ્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
1584 |
જુહાપુરામાં પુત્રની કરપીણ હત્યા કેસમાં માતા, પુત્ર, પુત્રીને આજીવન કેદની સજા
જુહાપુરા-ફતેવાડી વિસ્તારમાં કૌટુંબિક ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવી સગા ભાઈની હત્યા કરવાના ચકચારી કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ ગુનામાં સંડોવાયેલા મૃતકના સગા ભાઈ, માતા અને બહેનને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યાે છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં આરોપીઓએ એકબીજાની મદદગારીથી ખૂન કર્યાનું પુરવાર થાય છે. પરંતુ આ કેસ ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસમાં પડતો ન હોવાથી દેહાંત દંડને બદલે આરોપીઓને આજીવન કેદની સજા કરવી ન્યાયોચિત છે. જુહાપુરા ફતેવાડી પાસે રહેતા ઈર્શાદ મોહંમદ ઈકબાલ શેખને તેના પરિવાર સાથે અગાઉથી મનદુ:ખ ચાલતું હતું. હત્યાના બે દિવસ પહેલા પણ પરિવારમાં ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદના અંત માટે અને સમાધાનની વાતચીત કરવાના બહાને તારીખ ૩ જૂન, ૨૦૨૨ના રોજ ઈર્શાદના ઘરે તેના ભાઈ મોહંમદસાન મોહંમદ ઈકબાલ શેખ, માતા ખાતુનબીબી શેખ અને બહેન રેશ્માબાનું સમીરખાન પઠાણ પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને ત્રણેય આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને એકસંપ થઈ ઈર્શાદ પર જીવલેણ હુમલો કર્યાે હતો. આરોપીઓએ ઈર્શાદના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ગળું અડધું કાપી નાખ્યું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ વેજલપુર પોલીસે મોહંમદસાન, તેની માતા અને બહેન સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.આ કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલે દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને અત્યંત ક્રૂર રીતે હત્યાને અંજામ આપ્યો છે. આખોય કેસ નિ:શંકપણે પુરવાર થાય છે ત્યારે આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરવી જાેઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી મોહંમદસાન શેખ, ખાતુનબીબી શેખ અને રેશ્માબાનું પઠાણને ખૂનના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યાે છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
1485 |
સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ અને આરએમઓની લાલિયાવાડીથી આરોગ્યમંત્રી લાલઘૂમ
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલનાં અધિકારીઓમાં લાલિયાવાડી અને બેદરકારી કેટલી હદે ઘર કરી ગઇ છે તેનો જાતઅનુભવ રાજ્યનાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આજે કર્યો હતો. હોસ્પિટલમાં સફાઇની અત્યંત બદતર હાલત ઉપરાંત ઠેર ઠેર તૂટેલી ટાઇલ્સ અને એ.સી. તથા મશિનો બંધ હાલતમાં જાેવા મળતાં આરોગ્ય રાજ્યમંત્રીએ સુપરિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમાર અને આર.એમ.ઓ. ડો.કેતન નાયકને કડક શબ્દોમાં સુચના આપી તમામ સુવિધાઓ ૨૪ કલાકમાં રેક્ટિફાઇ કરી રીપોર્ટ મોકલવા આદેશ આપ્યો હતો. હોસ્પિટલમાં વહિવટ સંભાળતાં પી.આઇ.યુ.નાં અધિકારીઓની નિષ્કાળજી પણ ઉજાગર થતાં તે સંબંધમાં પણ મંત્રીએ કડક શબ્દોમાં સુચના આપી હતી. જ્યાં દરદીઓ પોતાનું આરોગ્ય સુધારવા માટે આવતાં હોય ત્યાં સાફસફાઇ યોગ્ય ના હોય તે કોઇ કાળે સાંખી નહીં લેવાય તેવું મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુપરિન્ટેન્ડન્ટ અને આર.એમ.ઓ.ને સંભળાવી દીધું હતું. મંત્રીની નારાજગીથી નવી સિવિલ હોસ્પિટલમાં પોતાની રીતે જ વહિવટ કરવા ટેવાયેલાં બેજવાબદાર અધિકારીઓમાં ફફડાટ જરૂર ફેલાઇ ગયો હતો.આરોગ્ય રાજ્યમંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું, ગંદકી, બેદરકારી અને અવ્યવસ્થા બિલકુલ નહીં ચાલે, કાગળ પર નહીં, સ્થળ પર જઈ કામગીરી કરો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં ગંદકી, જાળા અથવા દર્દીઓને પડતી મુશ્કેલીઓ સહન કરવામાં આવશે નહીં. હોસ્પિટલનાં તમામ વોર્ડ, બાથરૂમ, લોબી અને સામાન્ય વિસ્તારમાં સતત સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. જાે ક્યાંય ગંદકી જાેવા મળશે તો તેની સીધી જવાબદારી સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની રહેશે. હોસ્પિટલનાં મેડિકલ સાધનો અને મશીનરી કાર્યરત રાખવાની જવાબદારી ઁૈંેં અને ઇલેક્ટ્રિક વિભાગની હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે, મેઇન્ટેનન્સનાં અભાવે કોઈ સુવિધા બંધ થશે તો જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કિડની બિલ્ડિંગમાં તૂટેલી ટાઇલ્સ, જાળા, અન્ય અસુવિધાઓ તેમજ પોસ્ટમોર્ટમ રૂમમાં બંધ પડેલા એસી અંગે ૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ તમામ ટેકનિકલ સાધનો અને ઇલેક્ટ્રિક સીસ્ટમનું સમયાંતરે ચેકિંગ કરી રિપોર્ટ તૈયાર રાખવા પણ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના તમામ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓને સમયસર હાજર રહેવાની કડક સૂચના આપી હતી. દર્દીઓ અને સંબંધીઓ સાથે સંવેદનશીલ વર્તન રાખવા સુચના સિક્યુરિટી વ્યવસ્થા અંગે પણ તેમણે ગંભીરતા દર્શાવી હતી. ઉંમરલાયક વ્યક્તિઓને સીક્યુરિટી ડ્યુટી પર ન રાખવા અને સીક્યુરિટી સ્ટાફ સજ્જ તથા કાર્યક્ષમ રહે તેની સૂચના આપી હતી. દર્દીઓ અને તેમના સગાઓ સાથે સંવેદનશીલ વર્તન રાખવા પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું હતું કે દર્દીઓને માત્ર સારવાર જ નહીં, પરંતુ સુરક્ષા, સંતોષ અને સહાનુભૂતિ પણ મળવી જાેઈએ. તેમણે ડોક્ટરોને દર્દીઓમાં સકારાત્મકતા અને હિંમત જાળવવાની પ્રેરણા આપવા પણ અપીલ કરી હતી. દર્દીઓને એક બિલ્ડિંગમાંથી બીજા બિલ્ડિંગ સુધી લઈ જવામાં મુશ્કેલી ન પડે તે માટે વધુ ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. બંધ પડેલાં મશિનો તત્કાળ કાર્યરત કરવા આદેશ બંધ હાલતમાં પડેલા મશીનો અને સાધનો તાત્કાલિક કાર્યરત કરવા તેમજ એન્જિયોગ્રાફી મશીન વહેલી તકે શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ અને કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલ તરીકે ઉભરી આવવી જાેઈએ. ટ્રોમા સેન્ટર, ટીબી વિભાગ, ઓર્થોપેડિક, બાળકોની ઓપીડી સહિત તમામ વિભાગોમાં સ્વચ્છતા, સુઘડતા અને દર્દી કેન્દ્રીત સેવાઓ જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરાશે. મંત્રી તરીકે મારે રાઉન્ડ લેવો પડે તે શરમજનક: પાનશેરીયા પ્રફુલ પાનશેરિયાએ સુપરિન્ટેન્ડેન્ટ ધારિત્રી પરમારને કડક શબ્દોમાં તાકીદ કરી હતી કે, મંત્રી તરીકે મારે રાઉન્ડ લેવો પડે તે શરમજનક છે. તમારી જવાબદારી શું છે? તમે પોતે નિયમિત રાઉન્ડ કેમ નથી લેતા? દર્દીઓને ઉત્તમ અને સુવિધાસભર સારવાર ઉપલબ્ધ કરાવવી તંત્રની પ્રથમ જવાબદારી છે. ‘તમને અહીં પ્રજાની સેવા માટે મૂકવામાં આવ્યા છે. જાે આ વ્યવસ્થામાં ફેરફાર નહીં આવે અને દર્દીઓના હિતમાં કામ નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવાની મને ફરજ પડશે. મને પરિણામ જાેઈએ, બહાના નહીં.’
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
1881 |
ડોલરનાં ફટકાથી સુરતમાં કાપડ ઉદ્યોગનું અપગ્રેડેશન અટક્યું: મશીનરીની આયાત પર બ્રેક
દેશનું સૌથી મોટું ટેક્સ્ટાઈલ હબ ગણાતું સુરત આજે એક ગંભીર આર્થિક પડકારનો સામનો કરી રહ્યું છે. દૈનિક ૬ કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતા સુરત શહેરમાં વિકસેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં અત્યારે મશીનરીનું અપગ્રેડેશન કહો કે મોડર્નાઇઝેશનની સમગ્ર પ્રક્રિયા ઘોંચમાં પડી ગઇ છે. વૈશ્વિક બજારમાં ડોલર સામે રૂપિયાના સતત અવમૂલ્યનને કારણે સુરતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગકારોએ નવી મશીનરીની આયાત પર કામચલાઉ બ્રેક લગાવી દીધી છે, અને આ બ્રેકને હવે અઢી મહિના જેટલો સમય થવા આવ્યો છે. અનેક મશીનરી આયાતકારોએ એડવાન્સ પેમેન્ટ પેટે ચૂકવી દીધેલા કરોડો રૂપિયા જામ થઇ ગયા છે કેમ કે ડોલરનો ભાવ ૮થી ૧૦ ટકા વધી જતા રૂ.૧૫ લાખનું એક મશીન હવે રૂ.૧૬.૫૦ લાખમાં પડી રહ્યું છે. આ પ્રકારે દરેક પ્રકારનાં આયાતી મશીનરીનાં ભાવો વધી જતા કારખાનાઓમાં એક્ષ્પાન્સન કરવાની સુરતના વીવિંગ ઉદ્યોગકારોની યોજના થંભી જવા પામી છે.સુરતનો કાપડ ઉદ્યોગ ભારતમાં સૌથી વધુ કાપડ ઉત્પાદન કરતું ક્લસ્ટર છે. સુરતમાં કાપડનું ઉત્પાદન કરતા વીવિંગ કારખાનેદારો તેમની મશીનરી અપગ્રેડ કરી રહ્યા છે અને હવે હાઇસ્પીડ મશીનરી વસાવવા માંડ્યા છે. કાપડ ઉદ્યોગનાં અગ્રણી આશિષ ગુજરાતીએ પ્રવર્તમાન સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, એક સમયે પ્રતિ મિનિટ ૪૦૦ રાઉન્ડ (આર.પી.એમ.) પર કાપડનું ઉત્પાદન કરતા સુરતના કારખાનેદારો હવે ૧૨૦૦થી ૧૪૦૦ આર.પી.એમ.ની કેપેસિટી ધરાવતા મશીનો પર કાપડનું ઉત્પાદન લઇ રહ્યા છે. અપગ્રેડેશનનો આ દોર વર્ષોથી નહીં પણ દાયકાથી ચાલી રહ્યો છે અને હજુ પણ સેંકડો કારખાનેદારોની યોજના છે કે જૂના શટલ લૂમ્સની જગ્યાએ હાઇસ્પીડ એરજેટ, વોટરજેટ, રેપિયર જેકાર્ડ જેવા મશીનો આયાત કરીને તેમનું ઉત્પાદન સુધારી રહ્યા છે. આશિષ ગુજરાતીનું કહેવું છે કે ટેક્સ્ટાઈલ મશીનરીનાં અપગ્રેડેશનને બ્રેક લાગી ગઇ છે અને તેનું કારણ છે કે ડોલરનો ભાવ ૯૫ની આસપાસ પહોંચી ગયો છે. જેને કારણે આયાતી મશીનરી ૧૦ ટકાથી ૧૫ ટકા સુધી મોંઘી પડવા માંડી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે મશીનરીની ડિલિવરી પણ ખર્ચાળ બની ગઇ છે. નૈતિક પટેલ નામના કારખાનેદાર કહે છે કે આયાતી મશીનરીનાં સોદામાં સૌથી મોટો અવરોધ ડોલર અને રૂપિયાના વિનિમય દરમાં આવ્યો છે. તેમણે કહ્યું કે મારા જેવા ઘણા ઉદ્યોગકારોએ જ્યારે મશીનરી ખરીદવાની વાટાઘાટો શરૂ કરી હતી ત્યારે ડોલરનો ભાવ આશરે રૂ.૮૬ની આસપાસ હતો. પરંતુ હાલમાં રૂપિયો વધુ નબળો પડતા આ ભાવ વધીને ૯૫ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આના કારણે એક મશીન દીઠ પડતર કિંમતમાં લાખો રૂપિયાનો વધારો થયો છે. જે સોદો અગાઉ નક્કી થયો હતો, તેમાં હવે ૧૦ થી ૧૨ ટકા જેટલો વધારાનો બોજ ઉદ્યોગકારો પર આવી રહ્યો છે. પરિણામે, જે ઓર્ડર પાઈપલાઈનમાં હતા તે કાં તો કેન્સલ કરવામાં આવ્યા છે અથવા તો અટકાવી દેવામાં આવ્યા છે. કાપડ ઉદ્યોગન જાણકારોનું કહેવું છે કે જ્યારે કરન્સી માર્કેટમાં આટલી મોટી અસ્થિરતા હોય, ત્યારે લાંબાગાળાનાં રોકાણ જાેખમી બની જાય છે. સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગકારો અત્યારે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. જાે ડોલર સ્થિર નહીં થાય, તો આગામી સમયમાં નવી ટેકનોલોજી અપનાવવાની ગતિ ધીમી પડી શકે છે." વધુમાં સુરતમાં વપરાતી કુલ હાઇસ્પીડ મશીનરી પૈકી આશરે ૮૭ ટકા આયાત સીધી ચીનથી કરવામાં આવે છે. ચીની મશીનરી પ્રમાણમાં સસ્તી અને મેઇન્ટેનન્સમાં સરળ હોવાથી નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે તે પહેલી પસંદ રહી છે. બાકીની ૧૩ ટકા હાઈ-એન્ડ મશીનરી યુરોપિયન દેશોમાંથી આયાત થાય છે. જાે કે, આ આયાતી મશીનરીનાં પેમેન્ટ ડોલરમાં કરવાના હોવાથી હાલમાં મોટી સમસ્યા ઉભી થઈ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
1584 |
માથાભારે શિવરાજ ઝાલાએ માનદરવાજાનાં વેપારીને ધમકાવી ૧.૨૦ લાખ ખંડણી વસૂલી
માથાભારે પ્રકૃતિના શિલા ઝાલા સામે વેપારીને ધમકાવી ૧.૨૦ લાખ રૂપિયા ખંડણી વસૂલવાનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે. સલાબતપુરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર માનદરવાજા જુના ડેપો પાસે હળપતિ કોલોનીમાં રહેતો અભિષેક ઉર્ફે રોહન રાજેન્દ્ર દેવરે કાપડનો ધંધો કરે છે. ગત ૨૫ જુલાઇ, ૨૦૨૫ના રોજ રાત્રે સાડા દસેક વાગ્યે તે માર્કેટથી વેપાર ધંધાના એક લાખ રૂપિયા લઇને ભાઠેનામાં રહેતા મિત્ર યુસફને મળવા નીકળ્યો હતો. ભાઠેના, ઊમિયામાતાજી મંદિર પાસે અભિષેક અને યુસુફ વાત કરતાં હતાં. દરમિયાન કાળા કલરની સ્કોર્પિઓ આવી હતી. આ સ્કોર્પિઓમાં શિવા ઝાલા તથા બે અજાણ્યા યુવકો હતો. માથાભારે પ્રકૃતિના શિવા ઝાલાએ અભિષેકને કહ્યું હતું કે, તારે કાપડનો ધંધો કરવો હોય તો મને દર મહિને ૫૦,૦૦૦ રૂપિયા આપવા પડે. પૈસા નહીં આપે તો તારો વેપાર ધંધો ચાલવા નહી દઉં. શિવાની ધાક ધમકીથી ગભરાઇ અભિષેકે ૩૦ હજાર રૂપિયા તેને આપ્યા અને બાકીના પૈસા બે ચાર દિવસમાં પહોંચાડી દઈશ એમ કહ્યું હતું. જેથી શિવા ઝાલાઅને તેના સાગરીતોએ અભિષેકને માર માર્યો હતો. ઝાલાએ ચાકુ કાઢી બેગ છીનવી લીધી હતી. બેગમાં રહેલા ૭૦ હજાર રૂપિયા પણ તેણે લઇ લીધા હતાં. એ સમયે શિવાની ધમકીથી ગભરાઇ ગયેલા અભિષેકે કોઈ દાદ ફરિયાદ કરી ન હતી. ત્યારબાદ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ અભિષેક દેવરે તેના મિત્ર જય ધર્મેશ રાઠોડ સાથે અન્ય મિત્ર બશીરને ઘરે જઇ રહ્યા હતાં. દરમિયાન ભાઠેના ઉમિયા માતા મંદિર પાસે ફરી શિવા ઝાલા તેને ભટકાઈ ગયો હતો. એ સમયે શિવા સાથે તેનો ભાઈ રામ પણ હતો. આ બંને ભાઈઓએ અભિષેક પાસે જઈ તુ હપ્તો કેમ આપતો નથી તેમ કહી ગાળ ગલોચ કરવા માંડી હતી. શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલાએ સ્કોર્પિઓમાંથી ચપ્પુ કાઢી લાવી અભિષેકના પેટના ભાગે મૂકી દીધું હતું. સાથે જ ધમકી આપી હતી કે જીવતા રહેવું હોય તો સમયસર હપ્તો આપજે. એ સમયે તેણે અભિષેકના ખિસ્સામાંથી રોકડા ૨૦ હજાર રૂપિયા કાઢી લીધા હતાં. આ બનાવના ત્રણ મહિના બાદ અભિષેક દેવરેએ પોલીસનો સંપર્ક કરી શિવરાજ સિંહ અને રામ ઝાલા તથા તેના સાગરિતો સામે ફરિયાદ નોંધાવી હતી. લાજપોર જેલમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલતા જ ખંડણીનો ગુનો નોંધાયો શિવા ઝાલા ગેરકાયદે ડ્રગ્સ થી લઇ હથિયારના વેપલામાં ઝડપાઇ ચૂક્યો છે. ડ્રગ્સના કેસમાં જામીન ઉપર છૂટેલા માથાભારે શિવરાજસિંહ દ્વારા ત્રણ દિવસ અગાઉ જ જેલમાં ચાલી રહેલા બેફામ ભ્રષ્ટાચાર અંગે અધિકારીઓના નામ જાેગ આક્ષેપો કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે, નવા કેદીઓને હાઈ સિક્યોરિટી ઝોનમાં મુકીને તેમની પાસે તોડ કરવામાં આવતો હોય છે. ખૈની, વિવરીયા અને ગઢવી તથા પાકા કામના કેદી ઉજેફાનો ઉલ્લેખ કરતાં તેણે વધુમાં કહ્યું હતું કે, ૨૮ કેદીને બદલે એક જ બેરેકમાં ૪૫ કેદીઓને ઠુંસવામાં આવતાં હોય છે અને ત્યાંથી નિકળવા માટે પણ રૂપિયાની વસુલાત કરવામાં આવતી હોય છે. આ સિવાય મોબાઈલ પર વાત કરવાથી માંડીને વીડિયો કોન્ફરન્સ માટે પણ ૫૦૦ રૂપિયા સુધી ખર્ચ કરવા પડતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સિવાય જેલમાં તમાકુ, ગુટખા, ગાંજાે અને ડ્રગ્સ પણ રૂપિયા ખર્ચ કરતાં મળી જાય છે. જેલ કર્મચારી અને કેદીઓ ચોક્કસ એકાઉન્ટ અને યુપીઆઇ આઈડીમાં પૈસા ટ્રાન્સફર કરાવતા હોવાનું પણ તેણે જણાવ્યું હતું. આ આક્ષેપોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ચોથા જ દિવસે શિવા સામે ખંડણીનો ગુનો નોંધાયો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
1782 |
ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહ મેથ્સ માટે સ્ટાન્ડર્ડ મેથ્સ કે બેઝિક મેથ્સ, શાળાઓ અને સ્ટાફ પણ અજાણ
તાજેતરમાં જાહેર થયેલા ધો.૧૦ના પરિણામ બાદ હાલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ધો.૧૧માં પ્રવેશ મેળવવાની પળોજણમાં પડ્યા છે. આ દરમિયાન વાલીઓ અને વિદ્યાર્થીઓ તો ઠીક પણ શહેરની અનેક સ્કુલોના આચાર્યો, વિષય શિક્ષકો અને એડમિશન સ્ટાફમાં ધો.૧૧ સાયન્સમાં પ્રવેશની લાયકાત બાબતે ગેરમાન્યતા પ્રવર્તી રહ્યાની ફરિયાદો ઉઠી છે. ધો.૧૦માં બેઝિક મેથ્સ સાથે પાસ થયેલા કેટલાક વિદ્યાર્થીઓનાં વાલીએ શહેરની ચોક્કસ સ્કુલ પર ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહ મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવવા માટે પહોંચ્યા હતા તો ત્યાં તેમને કહેવામાં આવ્યું કે તેમના સંતાનોએ આગામી જુનમાં લેવાનારી બોર્ડની પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા પાસ કરવી પડશે. વાલીઓએ એવી રજૂઆત કરી હતી કે બોર્ડનો બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ્સનો નિયમ નીકળી ગયો છે અને ધો.૧૦માં બેઝિક મેથ્સ ધરાવતા વિદ્યાર્થીઓ પણ ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપ કે એબી ગ્રુપમાં પ્રવેશ લઇ શકે છે તેમણે સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપવાની થતી નથી.પરંતુ, આ બાબતથી અજાણ કેટલીક સ્કુલોનાં સ્ટાફે વાલીઓ અને વિદ્યાર્થીઓને પરત મોકલી આપ્યા હતા. કેટલાક વાલીઓ આ બાબતે મિડીયા કર્મીઓને પણ ફરિયાદો કરી હતી અને બોર્ડને સ્પષ્ટતા કરવા માટે રજૂઆત પણ કરી છે. હકીકતમાં બે વર્ષ અગાઉ બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સનો નિયમ કાઢી નાંખવામાં આવ્યો હતો કેમ કે બોર્ડનાં અધિકારીઓને એવી માહિતી મળી હતી કે ધોરણ ૧૧ વિજ્ઞાનમાં પ્રવેશ મેળવ્યા પછી સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવી એક અવરોધ હતો કારણ કે તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી શક્યા ન હતા. વિદ્યાર્થીઓની મુશ્કેલી જાેઇને આ અવરોધ દૂર કરી દેવાયો હતો. જૂનો નિયમ આ મુજબ હતો બોર્ડે ૨૦૨૧-૨૨ શૈક્ષણિક વર્ષમાં મૂળભૂત અને પ્રમાણભૂત ગણિત રજૂ કર્યું હતું. ધોરણ ૧૦ પછી ગણિતનો અભ્યાસ ચાલુ રાખવા માંગતા વિદ્યાર્થીઓને પ્રમાણભૂત ગણિતનો વિકલ્પ આપવામાં આવે છે, જ્યારે જેઓ નથી કરતા, તેઓ મૂળભૂત ગણિતનો વિકલ્પ પસંદ કરી શકે છે. મૂળભૂત ગણિત પસંદ કરનારાઓ ફક્ત ધોરણ ૧૧ ગ્રુપ મ્માં પ્રવેશ લઈ શકે છે, પરંતુ છ અથવા છમ્ જૂથોમાં નહીં. આ છે બદલાયેલો નિયમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (ય્જીૐજીઈમ્)એ ૧૩ જૂન ૨૦૨૪ના રોજ જાહેરાત કરી હતી કે ૨૦૨૪-૨૦૨૫ના શૈક્ષણિક વર્ષથી, જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત સાથે ધોરણ ૧૦ પાસ કર્યું છે તેઓ ધો.૧૧-૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં મેથ્સ ગ્રુપમાં પ્રવેશને લાયક ગણવામાં આવશે. આ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપવાની રહેતી નથી. જાે ધોરણ ૧૦ પાસ કરનાર વિદ્યાર્થી બેઝિક ગણિત સાથે ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં છ અથવા છમ્ જૂથોમાં પ્રવેશ મેળવવા માંગતો હોય, તો તેણે પૂરક પરીક્ષા દરમિયાન ધોરણ ગણિત પરીક્ષા પાસ કરવી પડશે. હવે આ જરૂરી નથી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, મે 2026
2772 |
બે પતિએ તરછોડ્યા બાદ પાડોશીનાં પ્રેમમાં પણ દગો મળતાં યુવતીએ ફાંસો ખાધો
પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સિંગણપોરનાં તળાવ ફળિયામાં જયેશ ચંદુભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. આ પટેલ પરિવારનાં સામે બારણે કેયુર સંજય મોદી તેની રત્ની અનમોલ સાથે રહે છે. જયેશભાઇએ તેમની દીકરી મોનિકાનાં લગ્ન વર્ષ ૨૦૦૯માં કિંજલ નટવરલાલ પટેલ સાથે કરાવ્યા હતાં. તેમને દાંપત્ય જીવનમાં એક દિકરો થયો હતો. ત્યારબાદ મોનિકા અને કિંજલ વચ્ચે અણબનાવ બનતાં તેઓ ૨૦૧૪માં છૂટા પડ્યા હતાં. મોનિકા તેના દિકરાને લઇ પિયર રહેવા આવી ગઇ હતી.મોનિકાએ થોડા સમય બાદ બ્રિજેશ યશવંતભાઇ પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતાં. તેમાં ઓક્ટોબર ૨૦૧૮માં તેણીને એક દીકરી થઇ હતી. મોનિકાને બ્રિજેશ સાથે પણ ખટરાગ સર્જાયો હતો. જેથી દોઢેક વર્ષથી તે ફરી પિયર આવી માતા-પિતા સાથે રહેવા માંડી હતી. દરમિયાન ફેબ્રુઆરી ૨૦૨૬માં પાડોશી કેયુરની પત્ની અનમોલ મોદીએ જયેશભાઇને કોલ કર્યો હતો. તેણીએ કહ્યું કે, તમારી દીકરી મોનિકાને મારા પતિ કેયુર સાથે પ્રેમ સંબંધ છે, જાે કે તેણીએ આ અંગે કોઇ પુરાવા આપ્યા ન હતાં. અનમોલનાં આ કોલ બાદ જયેશ પટેલ કેયુર મોદીને ભરીમાતા મંદિરે મળ્યા હતાં. કેયુરનાં મોટા પપ્પા ધનસુખ મોદીની હાજરીમાં જયેશ પટેલે કેયુરને મોનિકા સાથેનાં સંબંધ અંગે પૂછ્યું હતું. તેણે આવું કંઇ નથી એમ કહી વાત પુરી કરી હતી. પિતાએ મોનિકાને પણ આ મામલે પૂછ્યું તો તેણીએ આવું કંઇ નથી એમ કહ્યું હતું. આ વાતને અઠવાડિયું વિત્યા બાદ ૧૯મી તારીખે સવારે મોનિકાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મોનિકાનાં અંતિમ સંસ્કાર અને મરણોત્તર વિધિ પુરી થયા બાદ પત્ની કલા તથા દીકરી પિંકીએ જયેશભાઇને જણાવ્યું હતું કે, નાની દીકરી ચૈતાલીને પ્રસુતિ માટે હર્ષ હોસ્પિટલ દાખલ કરાઇ હતી ત્યારે ૧૩ ફેબ્રુઆરીએ મોનિકા જમવાનું આપવા ગઇ હતી. એ સમયે ત્યાં અનમોલ મોદી પણ હતી. અનમોલે એ સમયે મોનિકા સાથે ઝઘડો કર્યો અને પછી માર મારવા માંડ્યો હતો. મોનિકા જેમ તેમ કરી બચીને ત્યાંથી ભાગી હતી. તે પછી ૧૪મી તારીખે અનમોલ મોદીએ ફરી મોનિકાને કોલ કરી મળવા બોલાવી અને ઝઘડો કર્યો હતો. તેણીએ એવી ધમકી આપી હતી કે, તારી દીકરી ફિઓનાની કસ્ટડી તેના પિતાને અપાવી દઈશ, તારા પપ્પાને બધી વાત જણાવી દઇશ. કાકી પિન્કીએ પૂછ્યું તો મોનિકાએ જણાવ્યું હતું કે, અનમોલ અને કેયુર વચ્ચેનાં પ્રોબ્લેમ મને પરેશાન કરે છે. મેં મારૂ બધું સોનું અને પૈસા કેયૂરને કેસ પૂરો કરવા આપ્યા છે, કેયુરે છૂટાછેડા લઈ મને તથા મારા છોકરા-છોકરીને સાથે રાખશે એમ કીધું છે. આ બધી વાત કેયુરની પત્નીને ખબર પડી જતાં કેયુરે મને દગો આપ્યો છે, હવે તે કહે છે કે તારે મરવું હોય મરી જા મારે શું ? અને મારી સાથે જે થયુ તે તું ભૂલી જા. હું હવે અનમોલ ને છોડવાનો નથી. આ વાત બાદ મોનિકાએ આપઘાત કરી લીધો હતો. આ તથ્ય બહાર આવતાં જયેશ પટેલે કેયુર સંજય મોદી અને તેની પત્ની અનમોલ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...