ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 2277   |  
એસીબીએ સીપીડબ્લ્યુડીના મદદનીશ ઇજનેરને ૪.૫૨ લાખની લાંચ લેતા ઝડપ્યો

જામનગરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી સરકારી તંત્રમાં ચાલી રહેલી લાંચપ્રથા સામે કડક કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીના (વર્ગ-૨)ને ૪.૫૨ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સીપીડબ્લ્યુડી કચેરીમાં ટ્રેપ એસીબીએ ગોઠવી આરોપીને પૈસા લેતા રંગેહાથ ઝડપી પાડ્યો. મળતી માહિતી મુજબ, આ કેસમાં ફરિયાદીના મિત્રને જામનગર જિલ્લાના લાખાબાવડ ગામ નજીક હાઈવે પર આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તથા ડબ્લ્યુએચઓના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ બનેલા રિસર્ચ સેન્ટરમાં ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના મોજપ ગામે આવેલા બીએસએફ મરીન તાલીમ કેન્દ્રમાં પણ ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ સોંપાયું હતું. આ બંને કામગીરીના બિલ મંજૂર કરવા માટે આરોપી મદદનીશ ઇજનેર વિજયકુમાર મીનાએ ફરિયાદીના મિત્ર પાસે રૂબરૂમાં ૪.૫૨ લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીના મિત્રએ લાંચ આપવાનો ઇનકાર કરતા સમગ્ર મામલો એસીબી સુધી પહોંચ્યો હતો. બાદમાં એસીબીએ ટ્રેપ ગોઠવી આરોપીની ચેમ્બરમાં જ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને લાંચની રકમ સ્વીકારી હતી. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદીના મિત્ર સાથે મોબાઇલ ફોન પર પણ લાંચની રકમ મળ્યાની કબૂલાત કરી હતી. એસીબીની ટીમે સ્થળ પર જ આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ૪.૫૨ લાખની લાંચની રકમ જપ્ત કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
02, એપ્રીલ 2026 2772   |  
દ્વારકામાં કડાકા-ભડાકા સાથે ચોમાસા જેવો વરસાદ, રસ્તાઓ પર પાણી-પાણી

રાજ્યના હવામાનમાં પલટાની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઇ છે. કમોસમી વરસાદથી રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે હજુ પણ કાળા ડિબાંગ વાદળો જાેવા મળી રહ્યા છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઇ છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લાનું વાતાવરણ વાદળછાયું જાેવા મળ્યું હતું. અચાનક આવેલા વાતાવરણમાં આ પલટાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. તો બીજી તરફ શિયાળુ પાક પણ ખેતરમાં ખુલ્લો પડેલો છે, ત્યારે કમોસમી વરસાદને કારણે રવિ પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. ૩ એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આજે અને તે પછીના બે દિવસ એમ કુલ ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહીની સાથે ગાજવીજ અને પવનની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
31, માર્ચ 2026 3366   |  
આ ‘ડિકેડ’ ભારતનો ‘ટૅકેડ’ : પીએમ મોદી મહિનામાં બીજા સેમિકંડકટર પ્લાન્ટનું ઉદઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ જિલ્લાના સાણંદથી કેઇન્સ સેમિકંડક્ટર ઓસાટ ફેસિલિટીનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આ ‘ડિકેડ’ એટલે કે દશકો ભારતનો ‘ટૅકેડ’ છે. તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે તકનીકી ક્ષેત્રે જે નવી પહેલો કરી છે, તે આગામી દાયકાઓમાં વૈશ્વિક સ્તરે દેશના નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારમાં ભારત આજે એક ભરોસાપાત્ર સેમિકંડક્ટર સપ્લાયર તરીકે ઊભરી રહ્યું છે. ત્યારે સાણંદમાં તૈયાર થયેલી આ ચિપ્સ અમેરિકા પહોંચીને સમગ્ર વિશ્વને અજવાળશે. સેમિકંડક્ટર ક્ષેત્રે ભારતનું વર્તમાન વૈશ્વિક માર્કેટ રૂ. ૪.૫ લાખ કરોડ રૂપિયાનું, વર્ષ-૨૦૩૦ સુધીમાં ૯ લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે કેઇન્સ સેમિકોનની અત્યાધુનિક આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસાટ-ઓએસએટી) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરીને દેશના સેમિકન્ડક્ટર મિશનને નવું સામર્થ્ય બક્ષ્યું છે. સાણંદ જીઆઈડીસી ખાતે અંદાજે રૂ.૩૩૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. વડાપ્રધાને પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ સુવિધાનું બારિક નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને કેઇન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કેઇન્સના યુવા એન્જિનિયર્સ સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાનના હસ્તે વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ થતા ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નવા યુગનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે વડાપ્રધાન અને કેઇન્સના વાઈસ ચેરમેન રમેશ કુન્હિકન્નનના હસ્તે કેઇન્સ સેમિકોન દ્વારા તેમના એન્કર કસ્ટમર ‘આલ્ફા ઓમેગા સેમિકન્ડક્ટર’ના સીઈઓ સ્ટીફન ચેંગને પ્રોડક્ટ એનાયત કરાઈ હતી. આ અવસરે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીનો આ સમયગાળો માત્ર આર્થિક હરીફાઈનો સમય નથી, પરંતુ ભવિષ્યના ટૅક લૅન્ડસ્કૅપને આકાર આપવાનો સમય છે. પરિણામે, વર્ષ-૨૦૨૧માં ભારતમાં સેમિકંડક્ટર મિશનનો પ્રારંભ કરાયો હતો. આ માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ વૈશ્વિક કક્ષાએ ભારતના આત્મવિશ્વાસનું એલાન છે. તેમણે કહ્યું કે આજનું આ નવું ભારત માત્ર બદલાવનું સાક્ષી નહીં.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 2970   |  
સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે, જ્યારે અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ભર ઉનાળે આવેલા આ માવઠાના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે કેરી, ઘઉં અને મકાઈ જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ અને તેજ પવનની આગાહી કરી છે, જેના કારણે ગરમીમાંથી લોકોને થોડી રાહત મળશે પણ ખેડૂતો માટે આ આફત બની શકે છે. અમરેલીનાં સાવરકુંડલા પંથકમાં અસહ્ય ગરમી અને બફારા પછી અચાનક વાતાવરણ બદલાયું હતું. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે જાબાળ, બાઢડા, મોટા ઝીંઝુડા, ધજડી, સાકરપરા અને અભરામપરામાં અચાનક જ વરસાદી છાંટા પડ્યા હતા. ઉનાળાની આકરી ગરમી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદથી સામાન્ય લોકોને ગરમીથી થોડી રાહત તો મળી છે, પણ આંબાના પાક (કેરી) ને ભારે નુકસાન જવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 4059   |  
ભાવનગર ફ્લાઈટ કનેક્ટિવિટીથી હવાઈ માર્ગે દેશ અને દુનિયા સાથે જાેડાશે: કે. રામમોહન

ભાવનગર એરપોર્ટ ખાતેથી આજથી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુએ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને આ પ્રથમ ફ્લાઈટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું વોટર સેલ્યુટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલ પંડ્યા અને ગૌતમ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને વખતોવખત ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા ભાવનગરને એર કનેક્ટિવિટી ફાળવવા માટેની દરખાસ્તો મળતી રહી હતી. જેના અનુસંધાને આજરોજ ભાવનગર થી નવી મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થઈ રહ્યો છે જે બદલ ભાવનગરની જનતાને અભિનંદન. વધુમાં તેમણે કહ્યું કે ભાવનગરથી નવી મુંબઈની કનેક્ટિવિટી એ માત્ર લોકલ કનેક્ટિવિટી નથી પરંતુ આ એર કનેક્ટિવિટીથી ભાવનગર દેશ અને દુનિયા સાથે જાેડાઈ રહ્યું છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 1287   |   વડોદરા   |  
તું એસએમસીનો બાતમીદાર છે તેમ કહી રિક્ષાચાલક ઉપર ઘાતક હુમલો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ બુટલેગરો હવે પોલીસથી પણ બેખૌફ બન્યા છે. પાદરા પંથકમાં દારૂના અડ્ડા ચલાવતા અસામાજિક તત્વોએ એક નિર્દોષ રિક્ષા ચાલક પર “પોલીસનો બાતમીદાર” હોવાની શંકા રાખી તેનું અપહરણ કરી, તેને ઢોર માર મારી સોનાની ચેઈન અને રોકડની લૂંટ ચલાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.ઘટનાની વિગતો મુજબ, રિક્ષા ચાલક મહેશભાઈ માળી પોતાની રિક્ષા લઈને જઈ રહ્યા હતા, ત્યારે રાયપુરા અને જાસપુરના કુખ્યાત બુટલેગરોએ તેમનો રસ્તો રોક્યો હતો. હુમલાખોરોએ મહેશભાઈ પર આરોપ લગાવ્યો હતો કે, “તું સ્ટેટ મોનિટરિંગ સેલ (જીસ્ઝ્ર) ને અમારા દારૂના અડ્ડાની બાતમી આપે છે.” આટલું કહી ઉશ્કેરાયેલા બુટલેગરોએ તેમને રિક્ષામાંથી નીચે ખેંચી, ચાકુની અણીએ અપહરણ કરી કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. ત્યાં લાકડીઓ અને અન્ય હથિયારો વડે તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા. હુમલાખોરોએ માત્ર મારપીટ જ ન કરી, પરંતુ લૂંટ પણ ચલાવી હતી. મહેશભાઈના ગળામાંથી એક તોલાની સોનાની ચેઈન અને ખિસ્સામાંથી ૧,૫૦૦ રોકડા પડાવી લીધા હતા. આ હુમલામાં મહેશ, ચિરાગ, ધનિક, અજય (રાયપુરા), સંતોષ (વુડાના મકાન) અને અજય (જાસપુર) નામના શખ્સો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, માર મારતી વખતે આરોપીઓએ એવી ધમકી આપી હતી કે, “પોલીસ અમારું કંઈ બગાડી નહીં શકે,” જે પોલીસ તંત્રના ડર પર મોટા સવાલો ઊભા કરે છે. ભોગ બનનાર રિક્ષા ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં બુટલેગરો સામે ભારે રોષ જાેવા મળી રહ્યો છે. પોલીસના નામે ધમકાવતા અને જાહેરમાં લૂંટ ચલાવતા આ તત્વો સામે કડકમાં કડક પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 1089   |   વડોદરા   |  
ગોત્રી હોસ્પિટલના ગૅટની સામે જ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ

ગોત્રી સરકારી હોસ્પિટલમાંથી એક દર્દીને વધુ સારવાર માટે અન્યત્ર લઈ જવા નીકળેલી ૧૦૮ એમ્બ્યુલન્સ જેવી હોસ્પિટલના મુખ્ય દરવાજાની બહાર આવી કે તરત જ ટ્રાફિકના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સનો સાયરન સતત ગૂંજી રહ્યો હતો, પરંતુ રસ્તા પર વાહનોની એટલી લાંબી કતારો હતી કે પાયલોટ માટે એમ્બ્યુલન્સને બહાર કાઢવી અશક્ય બની ગઈ હતી. ગંભીર હાલતમાં રહેલા દર્દી માટે એક-એક સેકન્ડ કિંમતી હોય છે, ત્યારે તંત્રની બેદરકારીના કારણે એમ્બ્યુલન્સ રસ્તા પર જ થંભી ગઈ હતી. ગોત્રી હોસ્પિટલની બહાર મુખ્ય માર્ગ પર વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કોઈ સિવિલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક વાહનચાલકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઇજારદાર (કોન્ટ્રાક્ટર) દ્વારા રસ્તા પર કામ તો શરૂ કરી દેવાયું છે, પરંતુ સુરક્ષા કે સાવચેતીના ભાગરૂપે કોઈ પણ પ્રકારના સાઈન બોર્ડ કે ડાયવર્ઝનના બોર્ડ મૂકવામાં આવ્યા નથી. રસ્તા પર આડેધડ ખોદકામ અને મશીનરી ઉભી રાખી દેવાતા સાંકડા બનેલા માર્ગ પર વાહનોનો ભરાવો થયો હતો. વાહનચાલકોનો આક્ષેપ છે કે જાે અગાઉથી સૂચના આપતા બોર્ડ મારવામાં આવ્યા હોત, તો ટ્રાફિક જામની આ સ્થિતિ સર્જાત નહીં અને કટોકટીના સમયે એમ્બ્યુલન્સને રસ્તો મળી શક્યો હોત. ઉલ્લેખનીય છે કે ગોત્રી હોસ્પિટલ વડોદરા અને આસપાસના જિલ્લાઓના દર્દીઓ માટેનું મુખ્ય કેન્દ્ર છે. અહીં ચોવીસે કલાક એમ્બ્યુલન્સોની અવરજવર રહેતી હોય છે. આવા સેન્સિટિવ ઝોનમાં જ્યારે પણ કોઈ કામગીરી કરવાની હોય ત્યારે ટ્રાફિક પોલીસ અને પાલિકા વચ્ચે સંકલન હોવું અનિવાર્ય છે. જાેકે, આ કિસ્સામાં તંત્રનું કોઈ આયોજન દેખાયું નહોતું. લોકોમાં એવો રોષ જાેવા મળી રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જાેઈ રહ્યું છે? સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે જ્યારે જીવન રક્ષક એમ્બ્યુલન્સ જ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલી રહે, ત્યારે વિકાસના મોડલ પર અનેક સવાલો ઉભા થાય છે. હાલમાં તો સામાજિક કાર્યકરો અને નાગરિકો આ મામલે જવાબદાર ઇજારદાર સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 1485   |   વડોદરા   |  
કુંઢેલા પાસેથી રૂા.૯.૩૪ લાખના હાઈબ્રીડ ગાંજા સાથે ત્રણ ઝડપાયા

ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના કારોબારમાં પર અંકુશ લાદવા માટે રાજ્ય પોલીસે શરુ કરેલા એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોને ગઈકાલે ડભોઈ તાલુકાના કુંઢેલા પાસેથી રુપિયા ૯,૩૪,૫૦૦ની કિંમતના ૨૬૭ ગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે ત્રણ પેડલરોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ડ્રગ પેડલરોએ કબુલાત કરી હતી કે, વાપીનો આરીફ નામનો એક ડ્રગ ડિલર તેમને વરણામા ચોકડી પાસે હાઈબ્રીડ ગાંજાે આપી ગયો હતો. એ.એન.ટી.એફના અધિકારીઓએ આ બાબતે ડભોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અને તેની તપાસ કરજણ પોલીસને સોંપવામાં આવી છે.પોલીસના એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સને બાતમી મળી હતી કે, વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલા ખીસકોલી સર્કલ પાસેના સર્વોદય પાર્કમાં રહેતો રાજ કાલીદાસ ઓંગણીયા હાઈબ્રીડ ગાંજાનો ધંધો કરે છે. જેથી એ.એન.ટી.એફના અધિકારીઓએ તેને રંગેહાથ પકડવા માટે બાતમીદારોને વધુ સક્રિય કર્યા હતા. જે દરમિયાન રાજ ઓંગણિયા ડભોઈ તાલુકાના કુંઢેલા ગામ પાસેના મોસમપુરા નજીક ગાંજાની ડિલિવરી આપવા તૈયાર થયો હતો. જેથી પોલીસની ટીમે મોસમપુરા ગામે ફિલ્ડીંગ ગોઠવી હતી. ગઈકાલે નિયત કરેલા સમયે રાજ ઓંગણિયા મોસમપુરા વાળા રોડ પર પહોંચ્યો હતો. તેને પકડવા માટે પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી. થોડીવાર બાદ પોલીસનો બાતમીદાર નકલી ગ્રાહક બનીને રાજ પાસે પહોંચ્યો હતો. બંને વચ્ચે થયેલી વાતચીત બાદ એક મોપેડ પર બે જણા સવાર થઈને ત્યાં પહોંચ્યા હતા. બંનેની હાલત શંકાસ્પદ હતી. એટલે આસપાસ છૂપાયેલી પોલીસ અચાનક ત્રાટકી હતી અને રાજ સહિત બંને મોપેડ સવારોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની તલાશી લીધી હતી. ઉપરાંત, તેમની મોપેડની ડીકી ચેક કરી હતી. જેમાં લીલારંગની બે થેલીઓમાં નાની-નાની પડિકીઓ જાેવા મળી હતી. તપાસ કરતા નાની-નાની પડિકીઓમાં હાઈબ્રીડ ગાંજાે હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે તેમની પાસેથી ૨૬૭ ગ્રામ હાઈબ્રીડ ગાંજાે જપ્ત કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રિય બજારમાં કિંમત રુપિયા ૯,૩૪,૫૦૦ હોવાનો ખુલાસો થયો હતો. એ.એન.ટી.એફની ટીમે ડભોઈ પોલીસમાં ઉપરોક્ત રેઈડ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઈ વી કે ગરાસીયાની ફરિયાદને આધારે ડભોઈ પોલીસે એનડીપીએસ અંતર્ગત ગુનો દાખલ કરીને દીનેશ રામજીભાઈ ઠાકોર (રહે. ક્રિષ્ણા સિટી, કેલનપુર), વિશાલ અરવિંદભાઈ પરમાર (રહે. ભાટિયા શેરી, પ્રતાપનગર, વડોદરા), રાજ કાલીદાસ ઓંગણિયા (રહે. સર્વોદય નગર, કલાલી, વડોદરા)ની ધરપકડ કરી છે. અને વાપીના ડ્રગ ડિલર આરીફને વોન્ટેડ જાહેર કર્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 1188   |   વડોદરા   |  
સયાજી હોસ્પિટલમાં શ્રમજીવી પરિવારની૧૩ વર્ષની બાળકીએ દીકરીને જન્મ આપ્યો..!

સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારની ૧૩ વર્ષીય કિશોરીએ એક નવજાત બાળકીને જન્મ આપ્યા હોવાનો અજીબ કિસ્સો સયાજી હોસ્પિટલમાં પ્રકાશમાં આવ્યો છે. જાેકે માતા અને નવજાત બાળકીને તબિયત તંદુરસ્ત હોવાનું તબિબ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.બીજી તરફ બાળકી નાની ઉંમર તથા અપરણીત હોવાને લીધે તબીબે ભાદરવા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. અને કિશોરીને નાની ઉંમરે માતા બનાવનાર કોણ તે અંગેની તપાસ હાથ ધરી છે.  વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ઈંટોના ભઠ્ઠામાં ચોરી કામ કરતા પરિવારની ૧૩ વર્ષની કિશોરીને પેટના પેઢામાં દુખાવો થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. જેથી કિશોરીને તબિબ દ્વારા સારવાર માટે ગાયનેક મહિલા વોર્ડમાં મોકલી આપવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે કિશોરીની શારીરિક તપાસ કરતા કિશોરી પ્રેગ્નેન્ટ હોવાનું તથા પ્રેગ્નન્સીના અંતિમ દિવસ સમય હોવાનું નિદાન આવ્યું હતું. એટલું જ નહીં કિશોરીએ ગઈકાલે નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. આ બનાવને પગલે મહિલા તબીબે પોલીસને જાણ કરી હતી જેથી હોસ્પિટલની પોલીસે ભાદરવા પોલીસને ઉપરોક્ત બનાવવા અંગેની જાણ કરતા ભાદરવા પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી કિશોરીને માતા બનાવનાર ની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે કિશોરીને ગર્ભવતી બનાવનાર કોણ તેની સઘન તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, સાવલીમાં આવેલ ઈંટોના ભઠ્ઠામાં અનેક પરપ્રાંતીય પરીવારો મજૂરી કામ કરવા આવે છે


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 1386   |   વડોદરા   |  
ખાનગી યુનિ.ના વિદ્યાર્થીનો છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત

વાઘોડિયાની ખાનગી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મહારાષ્ટ્રના વિધાર્થીએ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા કોલેજના વિદ્યાર્થી તથા સહધ્યાયી‌ આલમમાં ચકચાર મચી જવા પામી હતી. આપઘાતનું કારણ હાલના તબક્કે અકબંધ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીના વાલી મહારાષ્ટ્ર થી વડોદરા આવવા માટે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.વડોદરા શહેર શિક્ષણનું હબ બન્યું છે ત્યારે શહેર તેમજ તેની આસપાસમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીઓ વિશ્વભરમાં નામના મેળવી ચૂકી છે. ત્યારે બહારથી વિદ્યાર્થીઓ અહીંયા આવે છે અને ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ કરતા હોયછે. ત્યારે આવો જ એક વિદ્યાર્થી નામે સાઈ રાજ અરુણ ભાઈ હરાલ ઉંમર વર્ષ ૨૧ મહારાષ્ટ્ર થી ઉચ્ચ અભ્યાસ અર્થે વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસ માટે આવ્યો હતો. અને વાઘોડિયા રોડ ઉપર આવેલ માધવપુરા નજીક સાહિત્ય ગ્રીન એપાર્ટમેન્ટમાં તેના અન્ય સહધ્યાયી મિત્ર સાહિલ તથા રિતેષ ડુબે સાથે એપાર્ટમેન્ટ માં ફ્લેટ ભાડે રાખીને રહેતો હતો. અને અભ્યાસ કરતો હતો. કોલેજમાં અભ્યાસ કરતા ૨૧ વર્ષીય વિદ્યાર્થી સાઈરાજ હરાલે વહેલી સવારે ઊઠીને એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી ભેદી સંજાેગોમાં છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. વિદ્યાર્થીએ છલાંગ લગાવતા તે નીચે પટકાયો હતો. અને વહેલી સવારે શાંત વાતાવરણમાં ધડાકા નો મોટો અવાજ સંભળાતાં આસપાસના રહીશો જાગી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલ વિદ્યાર્થીના મિત્રો સાહિલ અને રીતેષ‌ ને આ બાબતની જાણ થતાં એવો પણ બનાવ સ્થળે નીચે દોડી આવ્યા હતા. મિત્રોને ઘાયલ જાેતા તેઓએ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા ૧૦૮ની મદદ માંગી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ આવી પહોંચ્યા બાદ ઘાયલ મિત્રને બંને મિત્રો સાહિલ અને રીતે જ તેને લઈને સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ વિદ્યાર્થી વાઘોડિયા વિસ્તારમાં આવેલી ખાનગી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરે છે અને તે મૂળ પૂણે મહારાષ્ટ્રનો વતની છે. આ વિધાર્થીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે બાપોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ આ બનાવ અંગેની જાણ મહારાષ્ટ્ર ખાતે રહેતા તેના વાલીને કરવામાં આવી હતી જેથી મૃતક વિદ્યાર્થીના વાલી મહારાષ્ટ્ર થી વડોદરા આવવા માટે નીકળી ગયા હોવાનું પોલીસ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે પરંતુ હાલના તબક્કે વિદ્યાર્થીને આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 2079   |  
અમદાવાદમાં શેર બજારના નામે રૂા.૫.૩૦ કરોડની ઠગાઈ

શહેરમાં ફરી એક વખત શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને મોટી ઠગાઈનો મામલો સામે આવ્યો છે. જેમાં એક પરિવાર પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.આ બાબતે ભોગબનનારે સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીઓએ ફરીયાદી અને તેના પરિવારને શેર બજારમાં રોકાણ કરાવવાના બહાને આકર્ષક રિટર્ન આપવાની વાત કરી હતી. આ લાલચમાં આવીને ફરીયાદી પરિવારએ કુલ ૫.૩૦ કરોડ રૂપિયા આરટીજીએસ મારફતે આરોપીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જાેકે, તપાસમાં ખુલ્યું કે, આ રકમ શેર બજારમાં રોકાણ કરવામાં આવી જ નહોતી. આરોપીઓએ આ પૈસા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાખ્યા હતા. એટલું જ નહીં, ફરીયાદીને વિશ્વાસમાં રાખવા માટે આરોપીઓએ પોતાની જ બનાવેલી એપમાં ખોટો ડેટા બતાવ્યો હતો, અને જાણીતી બ્રોકિંગ કંપનીના નામે ફેક એકાઉન્ટ બનાવી ભ્રમ ફેલાવ્યો હતો. જ્યારે ફરીયાદીએ પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ માત્ર ૨.૭૩ કરોડ રૂપિયા જ પરત આપ્યા હતા, જ્યારે હજુ પણ ૨.૫૭ કરોડ રૂપિયા બાકી રહ્યા છે. આ મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. સરકારી વકીલ તુષાર એલ.બારોટે કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપીઓના બેંક ખાતાની વિગતવાર તપાસ, પૈસાની રિકવરી અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે રિમાન્ડ જરૂરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીઓના કુલ ૪૭ બેંક ખાતા છે, જેના માધ્યમથી મોટા પાયે નાણાંની લેવડ-દેવડ કરવામાં આવી હતી. સાથે જ આરોપીઓ સામે ચેક બાઉન્સના ૨૧ કેસો પણ નોંધાયેલા છે, જે તેમની આર્થિક પ્રવૃત્તિઓ પર સવાલ ઊભા કરે છે. કોર્ટે તમામ દલીલોને ધ્યાનમાં રાખીને મુખ્ય આરોપી મિહિર પરીખના ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે ધારા પરીખ અને ગીતા પરીખને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 2079   |  
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શહેર ભાજપે સેન્સ પ્રક્રિયાની વિગત જાહેર કરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિવિધ પક્ષો દ્વારા પૂરજાેશમાં તૈયારીઓ ચાલી રહી છે. શહેર ભાજપ સેન્સ પ્રક્રિયાની વિગત જાહેર કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ૨ અને ૩ તારીખે ભાજપ દ્વારા ‘સેન્સ‘ લેવાની પ્રક્રિયા લેવાઈ હતી. જેમાં આજે ૪૮ વોર્ડની ૧૯૨ બેઠક માટે કુલ ૨૩૬૪ બાયોડેટા ભાજપને મળ્યા છે. ઉમેદવારોનાં નામની જાહેરાત બાદ હવે ગાંધીનગર ખાતે પ્રદેશ સંસદીય બોર્ડની બેઠકમાં આગેવાનો નગરપાલિકા, મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયત માટેનાં ઉમેદવારોની સઘન ચર્ચા કરાશે. ૩૩ ટકા મહિલા અનામત અને ૨૭ ટકા મહિલા અનામતનાં કારણે મહિલાઓનું પ્રમાણ પણ પહેલા કરતા વધુ જાેવા મળશે. ભાજપે ગઈકાલે સમગ્ર ગુજરાતમાંથી મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ લઘુમતી મોરચાનાં પદાધિકારીઓની જાહેરાત કરી છે જેમાં ૨૧માંથી ૧૮ પદાધિકારીઓ મુસ્લિમ સમાજથી છે.ભાજપે નક્કી કરેલા નિરીક્ષકોએ ટિકિટ લેવા માંગતા દાવેદારોને સાંભળ્યા હતા. જેમાંથી ૧૦૩૪ મહિલા કાર્યકરે દાવેદારી નોંધાવી છે. જ્યારે ૧૩૩૦ પુરૂષ કાર્યકર્તાઓએ દાવેદારી કરી હતી. અમદાવાદ શહેરમાં ૨ અને ૩ તારીખે ભાજપ દ્વારા ‘સેન્સ‘ લેવાની પ્રક્રિયા લેવાઈ હતી. મળતી માહિતી મુજબ ઘાટલોડિયા વિધાનસભાનાં ગોતા વોર્ડમાં ૫૫, ઘાટલોડિયા વોર્ડમાં ૩૫ દાવેદારોએ દાવેદારી નોંધાવી હોવાની વિગત મળી છે. જમાલપુર વોર્ડમાં જમાલપુરમાં ૨૫, ખાડિયામાં ૫૨, સરખેજ વોર્ડમાં ૬૩, બહેરામપુરામાં ૩૦ દાવેદારો, વેજલપુર વોર્ડમાં ૩૨, જાેધપુર વોર્ડમાં ૩૬, મકતમપુરમાં ૧૬ દાવેદારોએ ફોર્મ ભર્યા હોવાની માહિતી મળી છે. દસ્ક્રોઈ વિધાનસભાનાં નિકોલ વોર્ડમાં ૯૫ લોકોએ દાવેદારી નોંધાવી છે. ઓઢવમાં ૬૬, વિરાટનગરમાં ૩૩ કાર્યકરો મેદાને ઊતર્યા છે. સૂત્રો મુજબ, અમદાવાદ શહેરમાં પૂર્વ કોર્પોરેટરો પત્નીને ટિકિટ અપાવવા ભાજપના કાર્યકરો સક્રિય થયા છે. જૈવલ ભટ્ટ, પંકજ ભટ્ટ, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ પત્ની માટે દાવેદારી કરવા પહોંચ્યા હતાં. ગીતાબેન પરમાર અને નિક્કીબેન મોદીએ બાયોડેટા આપ્યો હતો. અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્તરે ટિકિટ મેળવવા પાર્ટીની અંદર દાવેદારોમાં રસાકસી જાેવા મળી હતા. લોકોનું માનવું છે કે આ વખતે ભાજપ ૩ ટર્મ પૂરી થઈ હોય, નો રિપિટ થિયરીને લીધે ઘણાં દાવેદારોને ટિકિટ નહીં આપે. જાે હાઈકમાન્ડ તરફથી આદેશ હોય તો દાવેદારનું પલડું ભારે રહેશે તેમ જણાઈ રહ્યું છે. પાર્ટી આ વખતે નવા ચહેરાને તક આપશે કે જૂના ચહેરાને લઈ મત માંગશે? જૂના ચહેરાને કામનાં આધારે તેનું મૂલ્યાંકન કરાય તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત, ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયામાં જેટલા પ્રખ્યાત હશો એના આધારે પણ તમને ટિકિટ મળી શકે છે એવો ગણગણાટ દાવેદારોમાં થઈ રહ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 1980   |  
અમદાવાદમાં કોંગ્રેસનો પેચ ફસાયો

છેલ્લી ચાર ટર્મથી વિપક્ષમાં રહેલી કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકાની ચુંટણીમાં વિજય મેળવવા માટે કમર કરી છે. જાેકે અમદાવાદ મનપા ચૂંટણીમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસ સામે બે સ્થિતિ જાેવા મળી છે. આ સ્થિતિ અજીબોગરીબ છે. જીતવાની શક્યતાવાળી બેઠકો પર દાવેદારોનો રાફડો છે. તો કાયમી હારવાળી બેઠકો પર એકલ-દોકલ દાવેદારો મળ્યા છે. પશ્ચિમ અમદાવાદના અનેક વોર્ડમાં કોંગ્રેસ પાસે વિકલ્પ જ નહીં હોવાની પ્રાથમિક માહિતી મળી છે. કોંગ્રેસના આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના એક વોર્ડની ચાર બેઠકો સામે ૫ થી ૭ જ દાવેદારો છે અને કોંગ્રેસની મજબૂરી છે કે દાવેદારોને જ ટિકિટ આપી દેવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના રાણીપ, નારણપુરા, નવરંગપુરા, ગોતા, ઘાટલોડિયા, બોડકદેવ, પાલડીમાં કોંગ્રેસ પાસે કોઇ વિકલ્પ જ નથી. આવી જ સ્થિતિ પૂર્વ વિસ્તારના ઓઢવ અને નિકોલમાં છે, જેમાં પણ એકલ દોકલ દાવેદારો સામે આવ્યા છે. બીજી તરફ લડાયક બેઠકો પર કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. ગોમતીપુર, બહેરામપુરા, સરસપુર, ચાંદખેડા, જમાલપુર, બાપુનગર, ખોખરા, સરદારનગર, મકતમપુરા સહિતના વોર્ડમાં દાવેદારોની સંખ્યાએ કોંગ્રેસ નેતૃત્વને વિમાસણમાં મૂકી દીધું છે. અગાઉ જ્યાં કોંગ્રેસ જીત્યું છે, ત્યાં ચૂંટણી લડવા ધસારો જાેવા મળે છે. અને સતત હારવાળા વિસ્તારમાં યોગ્ય ઉમેદવાર શોધવા પડે એવી સ્થિતિ છે. અમદાવાદના વોર્ડ પ્રમાણે કોંગ્રેસમાં કેટલા દાવેદાર છે, તેની પર નજર કરીએ તો નિકોલમાં ૪, રાણીપ, નવરંગપુરા, વિરાટનગર, ઓઢવ, ગોતામાં ૫ દાવેદારો છે. પાલડી, નારણપુરા, બોડકદેવ, ઘાટલોડિયા, પાલડી વોર્ડમાં ૬ દાવેદારો દાવેદારી કરી છે. નવા વાડજ, ચાંદલોડિયા, વેજલપુર, જાેધપુર, શાહીબાગમાં ૭ થી ૮ દાવેદારો સામે આવ્યા છે. જ્યાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ નથી જીત્યું ત્યાં પ્રતિ બેઠક માત્ર એકલ-દોકલ દાવેદારો જાેવા મળ્યા અને જ્યાં કોંગ્રેસ અગાઉ જીત્યું છે ત્યાં એક બેઠક પર અનેકે દાવેદારો સામે આવ્યા. જેમકે ગોમતીપુરમાં ૪૦, સરસપુરમાં ૩૪, ચાંદખેડા, બહેરામપુરામાં ૩૨, સરદારનગર, મકતમપુરા અને જમાલપુરમાં ૩૦ દાવેદારો તો બાપુનગર, સૈજપુર-બોઘા, દરિયાપુર સહિતના બોર્ડમાં ૨૫ થી વધુ દાવેદારો ટીકીટ માટે લાઇનમાં છે. દાવેદારો અને ઉમેદવાર પસંદગી મુદ્દે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે જણાવ્યું કે, સાત ઝોનમાં પ્રદેશના નેતાઓ દ્વારા બે વાર સેન્સ લેવામાં આવી છે. ઘણી બેઠકો પર સિંગલ નામ નક્કી કરી સેવામાં આવ્યા છે. જ્યાં કોંગ્રેસનું પ્રદર્શન નબળું છે, ત્યાં પણ ઉમેદવાર મળી આવ્યા છે. કોઇ ઉમેદવાર દબાણનો ભોગ ન બને તે માટે કોંગ્રેસ સાથે જાેડાયેલા લોકોને ટિકિટ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ સાથે નિષ્ઠાવાન રહેલા નેતાઓએ આઈડેન્ટીફાઇ કરી ઉમેદવાર નક્કી કરાયા છે. આજે પ્રદેશ ચૂંટણી સમિતિ સાથે બેઠક કર્યા બાદ રવિવારથી નામ જાહેર કરવામાં આવશે અલગ અલગ ત્રણ તબક્કામાં કોંગ્રેસ નામ જાહેર કરશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 2079   |  
તંત્રના વાંકે ‘ટ્રાફિક પાર્ક’ જ ટ્રાફિકમાં ફસાયો

એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક શિસ્તના નામે મોટા પાયે અભિયાનો ચલાવવામાં આવે છે, તો બીજી તરફ નવી પેઢીને પાયાનું શિક્ષણ આપવા માટે બનાવેલા કરોડોના પ્રોજેક્ટ્સ ધૂળ ખાઈ રહ્યા છે. શહેરના હાર્દ સમાન લાલદરવાજા વિસ્તારમાં આવેલો ‘ચિલ્ડ્રન્સ ટ્રાફિક પાર્ક’ આજે તંત્રની ઘોર ઉપેક્ષાનો જીવંત નમૂનો બની ગયો છે. વર્ષ ૨૦૦૯માં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આશરે કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો હતો. આ પાર્ક બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે બાળકો રમત-ગમતની સાથે ટ્રાફિકના નિયમો, રોડ સાઇન્સ અને માર્ગ સલામતીનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકે. નાનપણથી જ બાળકોમાં ટ્રાફિક સેન્સ કેળવાય તો ભવિષ્યમાં તેઓ જવાબદાર નાગરિક બની શકે તેવું આયોજન હતું. જાેકે, આજે આ ઉમદા હેતુ કાગળ પર જ રહી ગયો હોય તેમ જણાય છે. હાલમાં આ પાર્કની મુલાકાત લેતા એવું લાગે છે કે જાણે અહીં વર્ષોથી કોઈ ડોકાયું નથી. પાર્કની હાલત અત્યંત દયનીય છે: બાળકો માટે લાવવામાં આવેલા નાના વાહનો અને સાયકલો કાટ ખાઈ રહ્યા છે અથવા તૂટી ગયા છે. ગંદકી અને ધૂળનું સામ્રાજ્ય: ટ્રાફિક ટ્રેક પર કચરો અને ધૂળ જામી ગયા છે. જે સિગ્નલો બાળકોને નિયમો શીખવવા માટે હતા, તે આજે બંધ હાલતમાં છે. પ્રોજેક્ટ પાછળ કરોડોનો ધુમાડો કર્યા પછી તેની માવજત કરવામાં તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું છે. ઉનાળુ વેકેશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે વાલીઓ આ સમય દરમિયાન પોતાના બાળકોને એવી જગ્યાએ લઈ જવા ઈચ્છતા હોય છે જ્યાં મનોરંજનની સાથે કંઈક નવું શીખવા મળે. ‘ચિલ્ડ્રન્સ ટ્રાફિક પાર્ક’ આ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શક્યો હોત, પરંતુ તંત્રની બેદરકારીને કારણે આ વેકેશનમાં પણ બાળકો આ સુવિધાનો લાભ લઈ શકશે નહીં. સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે તૈયાર સુવિધાઓનું આ રીતે ‘બાળમરણ’ થવું એ કમનસીબી છે. “એક તરફ આપણે ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છીએ અને બીજી તરફ બાળકોને પાયાનું શિક્ષણ આપતું કેન્દ્ર બંધ હાલતમાં છે. આ તંત્રની દૂધમલ નીતિ અને વહીવટી અણઆવડતનો પુરાવો છે.”જાે સમય રહેતા અમદાવાદ મહાનગરપાલિકા જાગશે નહીં અને આ પાર્કનું નવીનીકરણ કરી તેને યોગ્ય રીતે કાર્યરત નહીં કરે, તો આ મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર કાયમી ધોરણે ખંડેરમાં ફેરવાઈ જશે. જનતાના ટેક્સના પૈસાથી બનેલા આ પ્રોજેક્ટને પુન:જીવિત કરવો એ તંત્રની નૈતિક જવાબદારી છે, જેથી અમદાવાદના બાળકોને રમત-ગમત સાથે ટ્રાફિકના પાઠ ભણવા મળી શકે.તંત્ર સામે ઉઠતા વેધક સવાલો આ પરિસ્થિતિએ એએમસી ના સત્તાધીશો સામે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે: સામાન્ય જનતા પાસે હેલ્મેટ કે સીટબેલ્ટના નામે દંડ વસૂલતું તંત્ર પોતાના પ્રોજેક્ટની જાળવણીમાં કેમ નિષ્ફળ છે?શું કરોડોના ખર્ચે બનેલા આ પાર્કનો ઉપયોગ માત્ર ઉદ્ઘાટનના ફોટા પડાવવા પૂરતો જ હતો? વેકેશન અગાઉ પાર્કનું સમારકામ કેમ ન કરાયું?


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 1980   |  
અમદાવાદમાં ચૂંટણી પ્રચાર માટે મથકો ઊભા કરવા ઉપર પ્રતિબંધ

રાજ્ય ચૂંટણી આયોગે ૧ એપ્રિલે ચૂંટણીની જાહેરાત કરી છે, જેમાં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી ૨૬ એપ્રિલે યોજાવાની છે. જેને લઈ પોલીસ કમિશનર જી.એસ.મલિકે મતદાનના દિવસે ચૂંટણી પ્રચાર માટેના મથકો ઉભા કરવા પ્રતિબંધ લગાવ્યો છે. -કોઈ પણ મતદાન મથક થી ૨૦૦ મીટરની હદમાં મતદારોને મતદાર યાદીનો ક્રમ નંબર કાઢી આપવા કે કાપલી લખી આપવા માટે તેમના કેમ્પ ઉભા કરવા નહીં કે તેવી કોશિષ કરવી નહીં. -મતદાન મથકે એક થી વધુ મતદાન મથકો હોય તેમ છતા દરેક ઉમેદવાર દીઠ ૨૦૦ મીટરની હદ બહાર ફકત ૧ કેમ્પ જેમાં ટેબલ અને બે ખુરશી અને છાયડા માટે છત્રી કે તાડપત્રી કે કંતાનથી (ઢાંકેલું) બનાવવાનું રહેશે. બુથને ચારે બાજુ કંતાન વડે બંધ કરી શકાશે નહીં. -આવા કેમ્પનો ઉપયોગ મતદારોને ઉમેદવારના નામ કે પ્રતિક કે પક્ષના નામ વગરની સફેદ કાગળ ઉપર ચુંટણી પંચે આપેલ સૂચનાં મુજબની કાપલી આપવા કરી શકાશે. -ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જાેઈએ. તેની ઉપર કોઈ પોસ્ટર, વાવટા, પ્રતીકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શીત કરી શકાશે નહિં.કેમ્પ ખાતે કોઈ ખાદ્ય સામગ્રી આપી શકાશે નહીં કે ટોળા ભેગાં કરી શકાશે નહિં. -આવા કેમ્પ ઉપર મતદારોના ટોળા એકત્ર થવા દેશે નહિ કે મતદાન કરી આવેલ મતદારને ઉભા રહેવા દેશે નહિં. -મતદારોને મતદાન મથકે પ્રવેશ કરવામાં અડચણ ઉભી થાય તેવું કોઈ કૃત્ય થવા દેશે નહિં. -કોઇપણ વ્યક્તિ મતદાન મથક/કેંદ્રની અંદર સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ અને અનઅધિકૃત વસ્તુ કે ગેરકાયદેસર વસ્તુ લઈ પ્રવેશ કરી શકશે નહીં.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 198   |   સુરત   |  
સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલ, ડિઝલ અને ગેસ સરળતાથી મળી રહે તે માટે સૂચના આપી છે: અવંતિકાસિંઘ

સુરત જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ બને અને વિતરણ વ્યવસ્થા સુચારૂ બને એ માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.નાં એમ.ડી. અવંતિકાસિંઘ ઔલખનાં અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.અવંતિકાસિંઘે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. મિડલ ઇસ્ટમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહિવટીતંત્ર અને મનપાનાં અધિકારીઓ પરસ્પર સંકલન સાથે ટીમવર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરી રહ્યાં છે જેના કારણે સુરત જિલ્લામાં ગેસ અને આવશ્યક ચીજાેનું વિતરણ સરળતાથી થઇ રહ્યું છે.અવંતિકાસિંઘે કહ્યું હતું કે, સુરત શહેરમાં ૧૫.૨૦ લાખ ડોમેસ્ટિક ઁદ્ગય્ (પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શન છે. જેઓને નિયમિત ગેસ પુરવઠો મેળવવામાં કોઇ તકલીફ ન રહે તે માટે ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ સાથે સરકાર સતત સંકલનમાં છે. ઉપરાંત, જ્યાં ગેસલાઈન ઉપલબ્ધ છે તેવા વિસ્તારોમાં તા.૩૦ જૂન સુધીમાં નવા ડોમેસ્ટિક ઁદ્ગય્ કનેક્શન માટે અરજી કરનાર ગ્રાહકને રૂ.૫૦૦ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કનેક્શન ઇન્સ્ટોલ થયા બાદ બિલમાં રૂ.૫૦૦ની ક્રેડિટ મળશે. રાજ્યમાં પી.એન.જી. કનેક્શનને અગ્રતા આપવા કેન્દ્ર સરકારે માર્ગદર્શિકાઓ આપેલી છે, જેનો રાજ્યમાં ઝડપી અમલ કરીને નવા પી.એન.જી. કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે. ખાસ કરીને રહેઠાણ સાથો સાથ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ્સને આવા કનેક્શનમાં અગ્રતા આપવામાં આવી રહી છે. સુરત શહેર જિલ્લામાં શાળા-કોલેજાે, હોસ્પિટલો, વૃધ્ધાશ્રમ, અનાથાશ્રમ, ડેરી ઉદ્યોગ, રેલવે કેન્ટીન, હોટલ રેસ્ટોરન્ટસ, ધાર્મિક સંસ્થાઓ, ઈન્ડસ્ટ્રીયલ- કોર્પોરેટ કેન્ટીનો વગેરેમાં કોમર્શિયલ ઁદ્ગય્ની કુલ ૧૮૦૫ અરજીઓ, ૩૯ હોસ્પિટલો, ૧૬ રેલ્વે કેન્ટીનોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી વિવિધ ઔદ્યોગિક એકમોના વપરાશ તથા તેમાં આવેલ કેન્ટીન/મેસમાં કંપની કામદારો માટે ભોજન બનાવવા તેઓની જરૂરિયાત મુજબ ગેસ સિલીન્ડર આપવામાં આવી રહ્યા છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ કે સામાજિક-ધાર્મિક કોમ્યુનિટી કિચન, સમરસ હોસ્ટેલ, હોસ્પિટલોમાં ઁદ્ગય્ કનેક્શનોને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગેસ સિલિન્ડર સપ્લાય કરતી ૐઁઝ્રન્, મ્ઁઝ્રન્ અને ૈર્ંંઝ્રન્નાં તમામ ડીલરો દ્વારા પ કિલો અને ૩ કિલોનાં ગેસ સિલિન્ડરોનો સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે તેમજ પીએનજી પાઇપલાઇન કનેકશન માટેની નવી પ્રક્રિયાને સરળ બનાવી ૪પ દિવસના સમયગાળાને ઘટાડીને માત્ર ૭ દિવસ કરવામાં આવી હોવાની વિગતો જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે આપી હતી.બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, મ્યુ.કમિશનર એમ.નાગરાજન, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, ડે.મ્યુ.કમિશનર દિનેશ ગુરવ, સંયુક્ત માહિતી નિયામક અરવિંદ મછાર, જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 297   |   સુરત   |  
સુરત ડાયમંડ બુર્સ સીવીડી લેબગ્રોન ડાયમંડનું ગ્લોબલ હબ બનશે: હર્ષ સંઘવી

વિશ્વનાં સિંગલ લાર્જેસ્ટ ઓફિસ બિલ્ડિંગ સુરતનાં ખજાેદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનાં ઉદઘાટનનાં સવા બે વર્ષ પછી ૪૨૦૦માંથી માંડ ૨૫૦ ઓફિસો શરૂ થઇ શકી અને આટલે સુધી પહોંચવામાં સુરત મજૂરાનાં ધારાસભ્ય અને ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘણી મોટી ભૂમિકા ભજવી હોવાનું જણાવીને આજે સુરત ડાયમંડ બુર્સની મેનેજિંગ કમિટીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો અભિવાદન સમારોહ યોજ્યો હતો. આ સમારોહને સંબોધતા હર્ષ સંઘવીએ એવી ઘોષણા કરી હતી કે બરાબર એક વર્ષ પછી સુરત ડાયમંડ બુર્સમાં એક હજારથી વધુ ઓફિસો શરૂ થઇ ચૂકી હશે. સુરત ડાયમંડ બુર્સ લેબગ્રોન ડાયમંડનું ગ્લોબલ હબ બનશે તેવું નાયબ મુખ્યમંત્રીએ જણાવતાં નેચરલ ડાયમંડનાં ઉદ્યોગપતિઓનાં ભવાં ચઢી ગયાં હતાં.હર્ષ સંઘવીએ મુંબઇ સ્થિત ભારત હીરા બુર્સનું દ્રષ્ટાંત આપતાં ઉદ્યોગપતિઓ, ટીકાકારોને સવાલ કર્યો કે મુંબઇમાં હીરા બુર્સને ઉભું થતા કેટલા વર્ષો લાગ્યા હતા? ૧૫ વર્ષમાં ૫ ઓફિસ શરૂ થઇ હતી, તેમાં પણ ૪ સુરતનાં જ ઉધોગપતિઓ હતાં. સુરતમાં હીરા બુર્સમાં ૨ જ વર્ષમાં ૨૫૦ ઓફિસો શરૂ થઇ ગઇ અને આગામી ૬ મહિનામાં બીજી ૫૦૦ ઓફિસો શરૂ થઇ જશે. પોતાના વક્તવ્યમાં હર્ષ સંઘવીએ રફ ડાયમંડનો વેપાર કરતા ઉદ્યોગપતિઓને જાહેર મંચ પરથી એવો સવાલ પૂછીને ધર્મસંકટમાં મૂક્યા કે તમે ક્યારે ઓફિસ શરૂ કરો છો? કોઇપણ કારણ સાંભળ્યા વગર હર્ષ સંઘવીએ રફ વિક્રેતાને તારીખ જાહેર કરવા કહ્યું હતું. આ પ્રકારે જાહેરમાં જ ઓફિસ શરૂ કરવાની ઉઘરાણીથી આગલી હરોળમાં બેઠેલા અનેક ઉદ્યોગકારો છોભીલા પડી ગયાં હતાં.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 1188   |   સુરત   |  
જહાંગીરપુરામાં ઉગત વોટર વર્કસમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ

શહેરનાં જહાંગીરપુરા વિસ્તારમાં બોટનિકલ ગાર્ડનની સામે આવેલ ઉગત વોટર વર્કસમાં પાણીની પાઇપલાઇન અને જાેઇન્ટ્સનાં મેઇન્ટેનન્સમાં ખામીને કારણે પાણીનો જથ્થો ઓવરફ્લો થતાં લાખો લીટર પાણી રસ્તા પર વહી જવા પામ્યું હતું. પાણીનો મોટો જથ્થો રસ્તા પર વહી જતા તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઉગત વોટર વર્કસથી પંચવટી સોસાયટી થઇ બહાર બોટનિકલ ગાર્ડનવાળા મેઇન રોડ પર અંદાજિત એક કિલોમીટર વિસ્તારમાં પાણી ફરી વળતા સ્થાનિક લોકોની હાલત કફોડી થવા પામી હતી. વાહનચાલકો અને ખાસ કરીને ચાલતાં જતાં લોકોએ પાણીની અંદરથી ચાલવાની નોબત આવતા લોકોમાં રોષ જાેવા મળ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 1188   |   સુરત   |  
સુરત માટે બેંગકોકની બીજી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ થવાની શક્યતાથી નારાજગી

દેશનાં મહત્વનાં વેપારી કેન્દ્રોમાં ગણાતા સુરત શહેર માટે આંતરરાષ્ટ્રીય હવાઈ કનેક્ટિવિટી મામલે ફરી એક મોટો ઝટકો સામે આવી રહ્યો છે. થોડા સમય પહેલા જ સુરતથી શારજાહની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ થવાના સમાચાર બાદ હવે સુરતથી થાઈલેન્ડ જતી ફ્લાઇટ પણ જુલાઈ ૨૦૨૬થી બંધ થવાની શક્યતા સામે આવી છે. આ ફ્લાઇટ એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ ફ્લાઇટ બંધ કરવા સંદર્ભે કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. મોનસુન શેડ્યુઅલનાં બુકિંગ બંધ કરવાના કારણે ઉદ્યોગકારો અને સામાન્ય મુસાફરોમાં ભારે અસંતોષ જાેવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે સુરત-બેંગકોક રૂટ પર પેસેન્જર લોડ ફેક્ટર લગભગ ૯૦ ટકા સુધી નોંધાયો હતો, જે કોઈપણ એરલાઈન માટે સકારાત્મક ગણાય છે. તેમ છતાં, આ રૂટને અચાનક બંધ કરવાની ચર્ચાઓ ઉઠતાં લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે સુરત ટેક્સટાઈલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે આંતરરાષ્ટ્રીય બજારો સાથે સીધી કનેક્ટિવિટી અત્યંત જરૂરી છે. બેન્કોક જેવા મહત્વના વેપારી કેન્દ્ર સાથેની ફ્લાઇટ બંધ થવાથી વેપાર પ્રવૃત્તિઓ પર સીધી અસર પડશે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગકારોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે તેમને હવે મુંબઈ અથવા અમદાવાદ જેવા શહેરો મારફતે મુસાફરી કરવાની ફરજ પડશે, જે સમય અને ખર્ચ બંનેમાં વધારો કરશે. સૂત્રો એ પણ જણાવી રહ્યા છે કે આ રૂટ એરલાઈન માટે નફાકારક ન હોવાથી તેને બંધ કરવાની તૈયારી ચાલી રહી છે. જાેકે, આ દલીલને સ્થાનિક લોકો સ્વીકારી રહ્યા નથી, કારણ કે પેસેન્જર ટ્રાફિક સતત મજબૂત રહ્યો છે. લોકોનું માનવું છે કે આવી મહત્વની સેવાઓ બંધ કરતા પહેલા યોગ્ય ચર્ચા અને પારદર્શિતા રાખવી જરૂરી છે. આ પહેલા સુરત-શારજાહ ફ્લાઇટ બંધ થવાથી પહેલેથી જ શહેરની આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓને મોટો ઝટકો લાગ્યો હતો. હવે બીજી ફ્લાઇટ પણ બંધ થવાની સ્થિતિમાં આવે તો સુરત માટે આ ડબલ આઘાત સમાન બનશે. વેપારી સંગઠનો અને ઉદ્યોગકારોએ સરકાર અને એરલાઈન કંપનીને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવા અને યોગ્ય ર્નિણય લેવા અપીલ કરી છે. સુરત જેવા ઝડપી વિકાસ પામતા શહેર માટે મજબૂત આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી જાળવી રાખવી સમયની માગ બની ગઈ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, એપ્રીલ 2026 297   |   સુરત   |  
૧૮ રાજ્યોનાં ૫૩ નાગરિક સાથે ૪૭ કરોડનું સાયબર ફ્રોડ કરનારી ટોળકીનો પર્દાફાશ

સાયબર ફ્રોડ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. ૧૮ રાજ્યોના ૫૩ નાગરિકો સાથે ૪૭.૪૪ કરોડનું સાયબર ફ્રોડ કરનારા માફિયાઓ માટે બેંક એકાઉન્ટ મેનેજ કરતાં ડિંડોલીનાં યુવકને પકડી પોલીસે ૧૯.૮૭ લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગરીબ ગરજાઉ લોકોને કમિશનની લાલચમાં સપડાવી તેમના નામે ખોલાવાયેલા બેંક એકાઉન્ટ દુબઇ મોકલતાં ભાવેશ શિંદે સાથે આ રેકેટમાં સામેલ એવા ઋષિકેશ શિંદે અને હરિશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરાયા છે.ઓનલાઇન ફ્રોડ કરતી ટોળકી માટે બેંક એકાઉન્ટ મેનેજ કરનારાઓ અંગે સાયબર ક્રાઇમ પોલીસ તપાસ કરી રહી છે. આ દરમિયાન મળેલી બાતમીને આધારે લિંબાયતમાં નીલગીરી સર્કલ પાસે સુભાષનગરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ગલી નંબર ૩, પ્લોટ નંબર ૨૪૬ ઉપરના મકાનમાં તપાસ કરાતાં ભાવેશ મનોજભાઈ શિંદે (રહે. કૈલાશ પેલેસ જવાહર સ્કૂલ પાસે ડીંડોલી) મળી આવ્યો હતો. મહારાષ્ટ્રનાં ધુલિયા તાલુકાના વતની ભાવેશ શિંદેને અટકાયતમાં લઈ ઘરમાં તપાસ કરાતાં તે સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. રોકડા ૧૮.૫૦ લાખ, ડેબિટ કાર્ડ, ચેક બુક, પાસબુક, સીમકાર્ડ વિગેરે મળી ૧૯.૮૭ લાખની મતા સાથે ઝડપાયેલા ભાવેશની પૂછપરછમાં તે જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચમાં સપડાવી તેમના નામે સીમકાર્ડ ખરીદ્યા બાદ બેંક એકાઉન્ટ ખોલાવતો હોવાનું બહાર આવ્યું હતું. નવા એકાઉન્ટ અને તેની સાથે જાેડાયેલા સીમકાર્ડની કીટને તે દુબઈ બેસીને સાયબર ફ્રોડ કરનારા માફિયાઓને મોકલી આપતો હતો. આ રેકેટમાં તેની સાથે ઋષિકેશ અધિકાર શિંદે (રહે. ગંગોત્રી સોસાયટી માનસરોવર ગોડાદરા) અને હરીશ સુનિલભાઈ ચૌધરી (રહે સુભાષનગર ગલી નંબર ત્રણ નીલગીરી સર્કલ પાસે લિંબાયત) (મૂળ રહે. જલગાવ, મહારાષ્ટ્ર) સામેલ હોવાનું પણ તેણે જણાવ્યું હતું. જેથી પોલીસે ભાવેશ શિંદેની ધરપકડ કરી ઋષિકેશ અને હરિશને વોન્ટેડ જાહેર કર્યા છે. ભાવેશ શિંદેની પ્રાથમિક તપાસમાં ૩૫ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હતી. આ એકાઉન્ટને એનસીસીઆરપી પોર્ટલ ઉપર ચેક કરાયા હતાં. જેમાં અલગ અલગ ૧૮ રાજ્યોમાં ૫૬ ગુનાઓ નોંધાયાનું જાણવા મળ્યું હતું. આ ૫૬ ગુનાઓમાં ૪૭.૪૪ કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ કરાયાનું પણ બહાર આવ્યું છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution