આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, માર્ચ 2026
2970 |
જામનગર શહેરમાં પણ કરા સાથે માવઠું:અમરેલીના વાતાવરણમાં પલટો
અમદાવાદ: ગુજરાતમાં થોડા દિવસથી વહેલી સવારે અને મોડી સાંજે થોડી ઠંડક લાગી રહી છે. હવામાન વિભાગે, કરેલ આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રમા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલી અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડ્યા છે. તો કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોમસી વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણ પલટાયું. વડીયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યાં છે. વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. બગસરા શહેરમાં કરા સાથે વરસાદ ખાબકયો. બગસરા પંથકના શાપર, સુડાવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. જામનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જામનગરના લાલપુર પંથકમાં કરા સાથે માવઠું થયુ છે. હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ લાલપુર તાલુકાના અમુક ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. બપોર બાદ એકાએક પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઉદ્ભવ્યા હતા. બબરજર, અપીયા સહિતના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. હજુ આવતીકાલે પણ છે માવઠાની આગાહી કરવામાં આવી છે. અમુક ગામડાઓમાં હજુ ચણા અને ઘઉંનો પાક ખેતરોમાં ઊભો છે, ઉભા પાકમાં નુકસાનીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાેકે બપોરે તો ગરમી જ લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે, ૧૯ અને ૨૦મી તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે ૧૯મી માર્ચના રોજ તો રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં સર્જાયેલું અપર એર સર્ક્યુલેશન હવે પશ્ચિમ રાજસ્થાન ઉપર સ્થિત છે. આ સાથે એક પશ્ચિમી વિક્ષોભ જે મધ્ય અને ઉપલા સ્તરના પશ્ચિમી પહાડી પ્રદેશોમાં એક ટ્રફ તરીકે છે. આ બે સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા માનવામાં આવી રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, આગામી ૩ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ગુજરાતમાં ધીમે ધીમે ૨-૩ ૦ઝ્રનો વધારો થવાની સંભાવના જાેવા મળશે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, મંગળવારે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૩૮.૫ ડિગ્રી નોંધાયું હતું. ૧૯મી માર્ચે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ૨૦ માર્ચ, શુક્રવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, માર્ચ 2026
3069 |
ઉનાના ચકચારી દલિતકાંડમાં ૫ આરોપી દોષિત, દાયકા બાદ સેશન્સ કોર્ટનો ચુકાદો
ઉના , ૧૧ જુલાઈ ૨૦૧૬ના દિવસે સૌરાષ્ટ્રના ઉનાના મોટા સમઢીયાળા ગામે અનુસૂચિત જાતિના લોકો પશુનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે કેટલાક ગૌસેવકો પહોંચ્યા હતા અને મૃત પશુ ગાય છે અને ગૌહત્યા કરી છે, તેવો આરોપ મૂકીને અનુસૂચિત જાતિના ચાર લોકોને કાર પાછળ બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. રાષ્ટ્રીય સ્તરે ચગેલા આ મુદ્દામાં દસ વર્ષ પછી ચૂકાદો આવ્યો છે. ઉનાના ચર્ચિત દલિતકાંડ કેસમાં આજે (૧૬ માર્ચ ૨૦૨૬)ના રોજ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં ૫ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે અન્ય ૩૮ વ્યક્તિઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ૨૦૧૬ની ૧૧ જુલાઈએ ઉનાના સમઢીયાળા ગામે કથિત ગૌરક્ષકો દ્વારા ૪ અનુસૂચિત જાતિના યુવાનોને માર માર્યો હતો અને અર્ધનગ્ન કરીને ઝાયલો ગાડી પાછળ બાંધી ઉનામાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ ચૂકાદા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેસની શરૂઆતમાં નોંધાયેલી હ્લૈંઇમાં અનેક આરોપીઓના નામ સામેલ હતા. જાેકે, ૧ દાયકા સુધી ચાલેલી કોર્ટ કાર્યવાહી, સાક્ષીઓની જુબાની અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે ૫ શખસને ગુનામાં સંડોવાયેલા ગણી દોષિત જાહેર કર્યા છે.દોષિત ઠરેલા આરોપીઓની યાદી: રમેશ જાદવ, રાકેશ જાેશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા, બળવંત ગોસ્વામી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, માર્ચ 2026
4554 |
ગરીબ પરિવારોને કેરોસીનનો જથ્થો ફાળવાશે
ગાંધીધામ, ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના હાલમાં વિશ્વસ્તરે પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય (જીઓ-પોલિટિકલ) પરિસ્થિતિને કારણે ઊર્જા પુરવઠા પર ઉભા થયેલા જાેખમોને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૧૪૫૨ કેએલ (હજાર લિટર) કેરોસીનનો એડહોક (છઙ્ઘ-ર્રષ્ઠ) જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા (કૂકિંગ) અને પ્રકાશ (લાઇટિંગ) માટે કરવાનો રહેશે એમ અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક યાદી પ્રસિદ્ધ કરીને જણાવાયુ છે. રાજ્યના આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારના અંત્યોદય તથા પીએચએચ પરીવારોને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જેની કાર્યપધ્ધતિ આ મુજબ રહેશે. કેંન્દ્ર સરકારે ફાળવેલ ૧૪૫૨ કેએલ માથી દરેક જિલ્લામાં કલેક્ટર હસ્તક ૩૬ કેએલ (૩૬ હજાર લીટર)ની ફાળવણી કરવામા આવશે. ઉપરોક્ત કેરોસીનના જથ્થામાંથી પરિવાર દીઠ ૫ (પાંચ) લીટર તથા સંસ્થા દીઠ ૨૫ (પચ્ચીસ) લીટર ફાળવણી કલેક્ટર કરી શકશે. આ જથ્થો ૧૨ હજાર લીટરના ગુણાંકમાં કલેક્ટર દ્વારા ડિમાન્ડ મોકલી ઉપાડ કરવાનો રહેશે. કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ પર દેખરેખ રાખવાનુ રહેશે. કેરોસીનના વિતરણમાં પણ આ મુજબના લોકોને પ્રાથમિકતા આપવાની રહેશે. ગ્રામીણ પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લાભાર્થીઓ. શાળા હોસ્ટેલોમાં રહેતા બાળકો અને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓ. રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અન્નક્ષેત્રો અને અન્ય સેવાકીય સંસ્થાઓ. બાંધકામ કે ઔદ્યોગિક એકમોમાં કાર્યરત મજૂર વર્ગની ભોજન તૈયારીના હેતુ માટે. અન્ય સરકારી કે ખાનગી સામાજિક સંસ્થાઓ જે બળતણ માટે સંપૂર્ણપણે એલપીજી પર આધારિત છે. આ ઉપરાંત રાજ્યના નાગરિકોને સાંપ્રત પરિસ્થિતિમાં આ મુજબના સૂચનો કરાયા છે. જેમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ તથા એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારમાં ૨૫ દિવસ તથા ગ્રામીણ વિસ્તારમાં ૪૫ દિવસનુ અંતર રાખવા બાબતની સૂચના બહાર પાડેલ છે. જેથી ગ્રાહકો દ્વારા બિનજરૂરી ઓનલાઇન બુકિંગ માટે પ્રયત્ન કરવામાં ન આવે જેથી સર્વર પરનો લોડ ઘટાડી શકાય. રાંધણ ગેસનો બચાવ કરવા બને ત્યા સુધી કુકરનો ઉપયોગ, કઠોરને પલાળીને તેને બાફવા જેવી બાબતો તેમજ વૈકલ્પિક ઉજાસ્ર્ત્રાેત તરીકે સોલર કુકર વિગેરેનો ઉપયોગ હિતાવહ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, માર્ચ 2026
3960 |
સુરતમાં ૧૦ હજાર વીવિંગ યુનિટની હાલત કફોડી રાજ્યમાંં બ્રાસ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સેવા ઠપ
જામનગર, સુરત, સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક શહેરો જામનગર અને મોરબી હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ જામનગરમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે કાચા માલની આયાત અટકી છે, તો બીજી તરફ મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પૈડાં થંભી ગયા છે, જેના કારણે હજારો પરિવારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે. જ્યારે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર યુદ્ધની અસર જાેવા મળી રહી છે. સ્ટીમની મદદથી ચલાવાતા ૧૦હજારથી વધારે પાવરલૂમ્સને ગેસ નહીં મળતા આ યુનિટ્સ ડગુમગુ થવા માંડ્યા છે.જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ભંગારની આયાત પર મોટી બ્રેક લાગી છે. આ અંગે જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના તણાવને પગલે દરિયાઈ માર્ગે આવતા ભંગારના કન્ટેનરો અધવચ્ચે ફસાઈ ગયા છે. જામનગરનો ઉદ્યોગ ૭૦ ટકા આયાતી ભંગાર પર ર્નિભર છે અને દરરોજ અંદાજે ૬૦૦ થી ૭૦૦ ટન કાચા માલની જરૂરિયાત હોય છે. હાલ બંદરો પર પડેલા સીમિત જથ્થાના સહારે ઉદ્યોગ માંડ ચાલી રહ્યો છે, જાે પરિસ્થિતિ સુધરશે નહીં તો કારખાનાઓ સંપૂર્ણપણે બંધ થવાની દહેશત છે.બીજી તરફ, મોરબીમાં ગેસની અછતને કારણે સિરામિક એકમોમાં શટડાઉન આવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની હાલત કફોડી બની છે. મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે, અગાઉ જે મોરબીમાં દરરોજ ૭,૦૦૦ થી ૮,૦૦૦ ટ્રકની અવરજવર રહેતી હતી, તે ઘટીને માત્ર ૨૦૦ જેટલી થઈ ગઈ છે. સિરામિક ફેક્ટરીઓ બંધ હોવાથી કાચા માલની આવક અને તૈયાર માલની જાવક ઠપ્પ થતા અંદાજે ૧૬,૦૦૦ જેટલા ડ્રાઈવર અને ક્લીનરો બેરોજગાર બન્યા છે. ગુરુવારે સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આયોજિત ‘કોઓપરેટિવ કોન્ક્લેવ ‘૨૬’ માં હાજરી આપવા આવેલા ૈંહ્લહ્લર્ઝ્રં અને ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યુ હતું કે, સમુદ્રી માર્ગાે પ્રભાવિત થવાને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગેસની કટોકટી ઉભી કરી છે.કોમર્શિયલ ગેસ ન મળવાને કારણે નાના વેપારીઓને પડતી મુશ્કેલી અંગે તેમણે ટકોર કરી હતી કે, આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું? જ્યા સુધી વૈશ્વિક સ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી સહિયારા પુરુષાર્થથી આ સ્થિતિનો સામનો કરવો પડશે.બીજી તરફ, ગેસની આ અછતને કારણે સુરતમાં ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે ૧૦,૦૦૦ જેટલા વીવિંગ યુનિટ્સ હાલ સીધા અસરગ્રસ્ત બન્યા છે. હાઈ-ક્વોલિટી કાપડના ઉત્પાદન માટે ૧૨૦૦ વધુ સ્પીડ ધરાવતા મશીનો પર યાર્નને ગરમી (સ્ટીમ) આપવી અનિવાર્ય હોય છે, જે પ્રક્રિયા ગેસના અભાવે અટકી પડી છે. ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અને વિવર અગ્રણી ચેરમેન અશોક જીરાવાલાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં કાર્યરત ૫૫,૦૦૦ વીવિંગ યુનિટ્સ પૈકી અંદાજે ૩૦% એકમો એવા છે જ્યાં ગેસની મદદથી સ્ટીમ આપવી ફરજિયાત છે. ગેસના ઠપ્પ થયેલા પુરવઠાને કારણે આ એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે, જે આગામી સમયમાં મોટા આર્થિક નુકસાનના સંકેત આપી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, માર્ચ 2026
5643 |
દીવમાં ગરમીએ તોડ્યો ૧૦૦ વર્ષનો રેકોર્ડ: ૪૧.૩ ડિગ્રી તાપમાન નોંધાયું
દીવ, હવામાન વિભાગે માર્ચથી કાળઝાળ ગરમીના સંકેત આપ્યાં છે. ગુજરાત સહિતના રાજ્યોમાં માર્ચની શરૂઆતથી ભીષણ ગરમી પડી રહી છે. દીવમાં માર્ચની શરુઆતથી જ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. દીવમાં માર્ચ મહિનામાં ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે દીવમાં નોંધાયું હતું ૪૧.૩ ડિગ્રી તાપમાન. અગનભઠ્ઠીમાં શેકાવા માટે તૈયાર થઈ જજાે. હવામાન વિભાગે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. રાજકોટ-સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, બનાસકાંઠા, પાટણમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં આજે ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ભરૂચ, અમદાવાદ, જામનગર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, આ વર્ષે ગરમી સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની શક્યતા છે. માર્ચ મહિનો સરેરાશ કરતાં વધુ ગરમ રહેવાની ધારણા છે, જ્યારે એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં વધઘટ જાેવા મળી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં વંટોળ તોફાનની અપેક્ષા છે, ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે. મંગળવારે ૪૨ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં ૪૧.૨ ડિગ્રી તો ગાંધીનગરમાં ૪૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ નોંધાયું હતું.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, માર્ચ 2026
2772 |
વડોદરા |
ફતેગંજ-ઇન્દ્રપુરી સહિત શહેરના ૪૬૯ વીજ જાેડાણો કાપી બાર કલાકમાં બે કરોડની વસૂલાત
વડોદરામાં માર્ચ મહિનાના અંતને ધ્યાનમાં રાખીને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલ વસૂલવા માટે અભિયાન શરૂ કરાયું છે, જે ગ્રાહકોના વીજ બિલના નાણાં લાંબા સમયથી બાકી છે, તેમના પાસેથી વસૂલાત કરવા અને રકમ નહીં ભરે તો વીજ કનેક્શન કાપી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે મંગળવારે બીજા વાર ખાસ મેગા ડિસકનેક્શન ડ્રાઈગ યોજાઈ હતી.જેમાં ૧૦૫૬૦ વીજ ગ્રાહકો પાસેથી કુલ રૂા.૨.૦૩ કરાડની બીલની રકમની વસુલાત કરાઈ હતી જયારે રૂા.૩.૬૭ લાખની રકમ બાકી હતી તેવા ૪૬૯ વીજ ગ્રાહકોના વીજ કનેકશન કાપી મીટર જપ્ત કરી લેવાયા હતા.આ ગ્રાહકો મુખ્યત્વે ફતેગંજ અને ઇન્દ્રુપુરી સબ ડિવિઝનના હોવાનું જાણવા મળે છે,વીજ કંપનીના સૂત્રો મુજબ શહેરમાં બાકી વીજ બિલ વસૂલાત માટે વીજ કંપનીએ ત્રણ ડિવિઝન હેઠળ આવતાં ૨૩ સબ ડિવિઝનમાં કુલ ૪૬૨ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. આશરે ૬૦૦ જેટલા કર્મચારીઓ આમધ્ય ગુજરાત વીજ કંપનીના સુપરિટેન્ડેન્ટ એન્જિનિયર પી.એન. થાણાવાલાએ જણાવ્યું હતું કે શહેરના વીજ ગ્રાહકોને યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ચેકિંગ સાથે બાકી રકમ વસૂલાતની કામગીરી પણ એકસાથે હાથ ધરાઈ હતી.એન્ડિંગ ચાલી રહ્યું હોવાથી વીજ કંપની દ્વારા બિલ વસૂલાત માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. તેમણે ગ્રાહકોને તાત્કાલિક બાકી વીજ બિલ ભરવા અપીલ કરી હતી. આઅભિયાન ૩૧મી સુધી ચાલુ રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, માર્ચ 2026
3564 |
વડોદરા |
સયાજીગંજમાં સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર ફરી લગાડવા માગણી
વડોદરાના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલ કોમર્શિયલ દર્શન કોમ્પલેક્ષની અનેક ઓફિસો ધરાવનાર અને દુકાનદારોની કોઈપણ જાતની પૂર્વ મંજૂરી કે પછી જાણ કર્યા વગર જુના કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર બદલીને સ્માર્ટ મીટરનું ફીટીંગ કરી દેવાતા ભારે રોષ વ્યાપ્યો છે. તમામે એક અવાજે જુના કોમ્પ્યુટરાઈઝડ મીટર પુન: લગાવી આપવાની માંગ કરી છે. દર્શનમ ટ્રેડ સેન્ટર-૧ના દુકાનદાર અને ઓફિસ ધારકોએ અલકાપુરી સબ ડિવિઝનના અધિકારીને રજૂઆત કરી છે.રજૂઆતમાં તેમણે જણાવ્યુ છે કે,સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા નજીક દર્શનમ કોમ્પલેક્ષ આવેલું છે આ કોમ્પ્લેક્સમાં અનેક દુકાનો અને ઓફિસો પણ આવેલી છે. આ તમામ ઓફિસો અને દુકાનોમાં જૂના કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર અગાઉ પરંતુ વીજ નિગમ દ્વારા કોઈપણ જાતની જાણ કર્યા વગર કે દુકાનદારો અને ઓફિસવાળાઓની મંજૂરી વિના ૨૫ જેટલા કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર બદલીને નવા સ્માર્ટ મીટર ફિટ દીધા હતા. અમોએ કોમ્પ્યુટરાઈઝ્ડ જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર ફીટ કરવા બાબતે દુકાનદારો અને ઓફિસ સંચાલકોની અગાઉથી મંજૂરી લીધેલી જ હતી. જાેકે આ બાબતે દુકાનદારો અને ઓફિસ સંચાલકોનું કહેવું હતું કે અમોએ આવી કોઈ મંજૂરી આપી નથી. અમોને અમારા જુના કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર પુન: ફીટ કરી આપો આપવા માંગ કરી હતી. જાેકે બીજી બાજુ સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નહીં હોવાનનું પણ અગાઉ આર.ટી.આઈ અરજમાં બહાર આવ્યું હતું. આમ છતાં પણ તંત્ર દ્વારા સ્માર્ટ મીટર અંગે એડવાન્સમાં કોઈપણ જાતની મંજૂરી લીધા વિના બારોબાર ફીટ કરી દેવા હતા સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારના દર્શનમ કોમ્પ્લેક્સમાં ભારે ઉહાપોહ મચ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, માર્ચ 2026
2574 |
વડોદરા |
પેટ્રોલ પુરાવી બહાર નીકળ્યો અને બાઈક એકાએક સળગ્યું!
શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં પેટ્રોલ પંપની બહાર એક બાઈકને અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી.બાઈક ચાલક પેટ્રોલ પંર પર પેટ્રોલ પૂરાવીને બહાર નિકળ્યો ત્યાંજ એકાએક બાઈકમાં આગ લાગી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરાતા તુરંત સ્થળ પર પહોંચેલા લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.જાેકે, આગ લાગતાજ બાઈક ચાલક તુરંત નિચે ઉતરી જતા કોઈ ઈજા થઈ ન હતી. મળતી વિગતો મુજબ બાઈક ચાલક ટાંકી ફૂલ કરાવીને નિકળ્યો ત્યાંજ બાઈકમાં આગ લાગી હતી. આગને પગલે બાઈકને મોટુ નુકસાન થયું હતુ.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, માર્ચ 2026
2574 |
વડોદરા |
વીજીએલ દ્વારા છેલ્લાં ૩ મહિનામાં ૪૬૧૩ પીએનજી કનેક્શનો અપાયા
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં તાજેતરમાં એલપીજી બોટલ મેળવવા માટે સર્જાયેલા પેનિક વચ્ચે વડોદરા ગેસ લિ. દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં ૪૬૧૩ ડોમેસ્ટીક પાઈપ્ડ કનેક્શન અને ૯૮ જેટલા કોમર્શીયલ અને ઈન્ડ્સ્ટ્ીયલ કનેક્શનો આપવામાં આવ્યા છે. જ્યારે જ્યાં વીજીએલનું નેટવર્ક ઉપલબ્ધ છે. તે વિસ્તારમાં નવા કનેક્શનો આપવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે તેમ વીજીએલના સૂત્રોએ જણાવ્યું હતુ.વીજીએલ દ્વારા જણાવ્યું છે કે, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા તેમજ નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગરના આદેશ મુજબ, વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પી.એન.જી. ઘરેલુ ગેસ કનેક્શન મેળવવા ઇચ્છુક ગ્રાહકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં જ્યાં વડોદરા ગેસ લિમિટેડનું પી.એન.જી. નેટવર્ક પહેલેથી જ ઉપલબ્ધ છે, તે વિસ્તારોમાં નવા કનેક્શન પ્રાથમિકતાના આધારે આપવામાં આવશે. જ્યારે નવું પી.એન.જી. ઘરેલુ કનેક્શન મેળવવા માટે ગ્રાહકો ઓનલાઈન અરજી કરવા માટે વડોદરા ગેસ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ પર અથવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના વોર્ડ કચેરીઓ તથા ઝોનલ કચેરીઓ ખાતે જઈને નવી નોંધણી માટેના ફોર્મ મેળવી શકે છે અને જરૂરી દસ્તાવેજાે સાથે સબમિટ કરી શકે છે.વીજીએલ દ્વારા એમપણ જણાવ્યુ છે કે, વડોદરાના તમામ અપેક્ષિત અને ગ્રાહકોને પી.એન.જી. કનેક્શન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે અને સમયસર સેવા આપવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, માર્ચ 2026
2079 |
વડોદરા |
‘બન કે ઈક હાદસા બાજાર મૈં આ જાયેગા...જાે નહીં હોગા વો અખબાર મૈં આ જાયેગા..’
છેલ્લા કેટલાક દિવસોથી વડોદરામાં અફવાનું બજાર ગરમ છે. ગેસ સિલિન્ડરની અછતની અફવા હોય કે, પછી પેટ્રોલ-ડિઝલની તંગીની હોય..!! વડોદરામાં અફવા દાવાનળની જેમ ફેલાઈ રહી છે. અને લોકો કારણ વિના લાઈનોમાં લાગી રહ્યા છે. છેલ્લા એક પખવાડિયામાં વડોદરામાં બે મોટી અફવાઓ ખુબ જ ઝડપથી ફેલાઈ હતી. જેમાં ગેસ સિલિન્ડરની અછતની અફવાએ એટલો ભડકો કર્યો હતો કે, લોકો કાળઝાળ ગરમીમાં કામધંધો છોડીને ગેસ એજન્સીની લાઈનમાં ઉભા રહી ગયા હતા. આ અફવા એટલી મજબૂત રીતે ફેલાઈ હતી કે, લોકો સરકારી અધિકારીઓની વાત સાંભળવા કે, સમજવા તૈયાર ન હતા. તેઓ દ્રઢપણે માનવા લાગ્યા હતા કે, ગેસ સિલિન્ડર વિના તેમના ઘરના ચુલા ઠંડા પડી જશે. તેમના પરિવારોને ભોજન માટે વલખા મારવા પડશે. શહેરના હોટલ અને રેસ્ટોરાંના માલિકો પણ એવુ માનવા લાગ્યા હતા કે, ગેસ સિલિન્ડર નહીં મળે તો તેમના ધંધાને તાળા વાગી જશે. આ અફવા ખોટી સાબિત થાય તે પહેલા શહેરમાં પેટ્રોલ-ડિઝલની અછતની બીજી અફવા ફેલાઈ હતી. જેને લીધે શહેરના દરેક પેટ્રોલપંપો પર વાહનોની રીતસરની લાઈનો ખડકાઈ ગઈ હતી. પરિસ્થિતિ એટલી સ્ફોટક હતી કે, પેટ્રોલપંપો પર રીતસરની અંધાધૂંધી અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પુરવઠા વિભાગની સાથેસાથે પોલીસ વિભાગે પણ મેદાનમાં ઉતરવું પડ્યુ હતુ. પોલીસે કેટલાક પેટ્રોલપંપો પર બંદોબસ્ત ગોઠવ્યો હતો. તો કેટલાક સ્થળોએ એનાઉન્સમેન્ટ કરીને લોકોને અફવાથી દોરાવવુ નહીં તેવો સંદેશો આપવો પડ્યો હતો. ‘સાઈકોલોજી ઓફ રુમરમાં સ્પષ્ટ દર્શાવાયુ છે કે, જે શહેરની પ્રજામાં રસ ઉડી ગયો હોય...લોકો કંટાળો કે અકળામણ અનુભવતા હોય.. તેવા શહેરમાં ખુબ જ ઝડપથી અફવા ફેલાઈ શકે છે. વડોદરામાં પણ કંઈક એવું જ બન્યુ છે. શહેરની પ્રજામાં પહેલા જેવો જુસ્સો રહ્યો નથી. અને એટલે જ જાતજાતની અફવા ખુબ જ ઝડપથી ફેલાઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, જે વાતમાં સત્યનું પ્રમાણ ખુબ ઓછું હોય તેવી ખોટી વાતોમાં પણ શહેરીજનો ભરપુર ભરોસો રાખી રહ્યા છે. હવે, સવાલ એ ઉપસ્થિત થાય છે કે, વડોદરામાં અફવા ફેલાવે છે કોણ ? શહેરમાં અફવા ફેલાવવામાં કોને રસ છે ? વડોદરા શહેરને અફવાની પ્રયોગશાળા બનાવવામાં ઈન્ટરેસ્ટ કોને છે ? તેનો ખુલાસો થવો જરુરી છે. રોજેરોજ નવીનવી અફવા ફેલાવીને શહેરની શાંતિમાં પલિતો ચાંપનારા તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જાેઈએ. પહેલાના જમાનામાં પોલીસનું હ્યુમન ઈન્ટેલિજન્સ અફવાઓના મૂળને શોધવામાં મદદ કરતુ હતુ. આ વખતે પણ પોલીસે બાતમીદારોને સક્રિય કરીને અફવાઓ ફેલાવતા તત્વોને પકડવા જાેઈએ.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, માર્ચ 2026
2178 |
રાજ્યની ૧૫ મહાનગરપાલિકાની મતદાર યાદી જાહેર કરવામાં આવી
અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ સહિત ૧૫ મહાનગરપાલિકાની મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. સાથે જ ૭૨ નગરપાલિકાઓ તેમજ ૪૨ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતદાર યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ પગલાંને લઈને સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે રાજ્યમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે. મતદાર યાદી જાહેર થતા રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ મતદારોને પોતાની વિગતો ચકાસવા અને જાે કોઈ ભૂલ હોય તો સુધારા માટે તક આપવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા વધુ મજબૂત બની છે. રાજ્યના રાજકીય વર્તુળોમાં હવે ચર્ચા છે કે ગમે ત્યારે ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ શકે છે. પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી, પ્રચારની વ્યૂહરચના અને સંગઠન મજબૂત કરવાની કામગીરી ઝડપી બની ગઈ છે. આગામી દિવસોમાં ચૂંટણીની તારીખો જાહેર થતા રાજ્યમાં રાજકીય ગરમાવો વધુ વધવાની શક્યતા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, માર્ચ 2026
2574 |
મતદાર યાદી જાહેર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લીલીઝંડી અપાઇ
ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ કામગીરી શરૂ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગે મતદાર યાદી જાહેર કરવાની પ્રક્રિયાને લીલી ઝંડી આપી દીધી છે, જે ચૂંટણીની તૈયારીમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની રહી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદીઓ જાહેર થતા જ રાજકીય પક્ષો માટે હવે મેદાનમાં ઊતરવાનો સમય આવી ગયો છે. અમદાવાદ સહિત ૧૫ મહાનગરપાલિકા, ૭૨ નગરપાલિકા અને ૪૨ જિલ્લા-તાલુકા પંચાયત માટેની મતદાર યાદીઓ જાહેર થવી એ માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી, પરંતુ રાજકીય રીતે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત સમાન છે. રાજ્યમાં હાલમાં શાસક પક્ષ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસના દાવા, શહેરી સુવિધાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં યોજનાઓના અમલને લઈને સરકાર સતત પોતાની કામગીરીનો ઉલ્લેખ કરતી રહી છે. હવે મતદાર યાદી જાહેર થતા આ દાવાઓની કસોટી મતપેટીમાં થશે. ખાસ કરીને અમદાવાદ જેવી મહાનગરપાલિકામાં પરિણામો રાજ્યની રાજકીય દિશા દર્શાવનાર બની શકે છે. વિપક્ષ માટે પણ આ ચૂંટણી એક સોનેરી તક છે. છેલ્લા સમયમાં વિપક્ષ દ્વારા મોંઘવારી, બેરોજગારી, સ્થાનિક સ્તરે અધૂરી સુવિધાઓ અને પ્રશાસનની કાર્યશૈલી જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. હવે મતદાર યાદી બહાર આવતા વિપક્ષ આ મુદ્દાઓને વધુ આક્રમક રીતે જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. શહેરોમાં ટ્રાફિક, પાણી, ગટર અને પ્રદૂષણ જેવા મુદ્દાઓ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી, પાણીની અછત અને રોજગાર જેવા પ્રશ્નો ચૂંટણીના કેન્દ્રમાં રહેશે. આ વખતે ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ સાથે રાજકીય રણનીતિ પણ મહત્વની રહેશે. યુવા મતદારોની સંખ્યા વધતા સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્રચાર પણ મુખ્ય હથિયાર બનશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, માર્ચ 2026
2772 |
આજે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા-યુસીસી વિધેયક પર ખાસ ચર્ચા
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તેના સમાપનની દિશામાં આગળ વધી રહ્યું છે. સત્ર સમાપનમાં બે દિવસ બાકી છે ત્યારે વિધાનસભા ગૃહમાં આવતીકાલે સમાન નાગરિક સંહિતા વિધેયક અને બુધવારે અશાંતધારા વિધેયક જેવા વિધેયકો રજૂ થનાર છે. જેને લઈને વિધાનસભા ગૃહમાં ભારે ગરમાવો આવે તેવી સંભાવના છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થવામાં હવે બે દિવસ બાકી છે ત્યારે આવતીકાલે વિધાનસભા ગૃહમાં બહુચર્ચિત એવું સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ-યુસીસી) વિધેયક ગૃહમાં બહાલી માટે રજૂ કરવામાં આવનાર છે. ત્યારે ભાજપના દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા એક વ્હીપ જાહેર કરીને પક્ષના તમામ ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા માટેનો આદેશ કરાયો છે. જેમાં દંડક દ્વારા જણાવાયું છે કે, આ બે દિવસમાં ગુજરાત સમાન નાગરિક સંહિતા અને ગુજરાત અશાંત ધારા સુધારા વિધેયક સહિત કુલ ૭ જેટલા વિધેયકો ગૃહમાં બહાલી માટે રજૂ કરવામાં આવનાર છે ત્યારે પક્ષના તમામ ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા માટેનો આદેશ કરાયો છે. રાજયમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ-યુસીસી) લાગુ કરવા માટેના આ વિધેયકમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા માટે કેટલીક મહત્વપૂર્ણ જાેગવાઈઓ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થામાં રાજયમાં થતાં દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જાે કે, લગ્ન નોંધણી ન કરાઇ હોય તો પણ લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને દંડ કરવામાં આવી શકે છે. સમાન નાગરિક સંહિતા (યુસીસી)ના અમલ પૂર્વે થયેલા લગ્ન માટે પણ લગ્નની નોંધણીની નિયત પ્રક્રિયા નક્કી કરાઇ છે. ત્યારે આ વિધેયકને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો હોવાથી ગૃહમાં ભારે ગરમાવો આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, માર્ચ 2026
1881 |
ઉચાટ ન કરો ,પેટ્રોલનો પૂરતો જથ્થો : સરકાર
ગાંધીનગર: સમગ્ર અમદાવાદ રાજ્યભરના શહેરો અને નગરો જાણે આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા હોય તેવા દ્શ્યો માર્ગો ઉપર જાેવા મળ્યાં હતા. કારણ હતુ પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવાની ... લોકોના મનમાં ડર પેસી ગયો હતો કે હવે પેટ્રોલની અછત સર્જાશે.. એક કાનેથી બીજા કાને કરતા કરતાં વાત પ્રસરી ગઇ અને તેની અસર પેટ્રોલ પંપો ઉપર પડી.. પેટ્રોલ પંપો ઉપર કતારો લાગી ગઇ. દ્વિચક્રી, ત્રી ચક્રી અને ચા પૈડાવાળા વાહનોએ જાણે પેટ્રોલપંપોને બાનમાં લઇ લીધા હતા.. જ્યાં જાહેર માર્ગો ઉપર પેટ્રોલ પંપો હતા ત્યાંની સ્થિતિ કફોડી બની ગઇ હતી એક તો પેટ્રોલ ભરાવવા માટે બેકાબૂ વાહનચાલકો અને ટ્રાફિક જામ થવાને કારણે રસ્તાઓ ઉપર વાહનોના હોર્ન. આ બધી સમસ્યાઓએ જાણે અમદાવાદની સાથેસાથે રાજ્યને બપોર બાદ બાનમાં લઇ લીધુ હતું... કેટલાંક સ્થળોએ તો પેટ્રોલ પંપો પર પેટ્રોલ નથીના પાટિયા લટકાવી દેવાતા મામલો વધુ પેચિદો બની ગયો અને લોકોના મનમાં શંકા ઘર કરી ગઇ કે ચોક્કસ પેટ્રોલની અછત સર્જાશે.. જેને કારણે સ્થિતિ વધુ વણસી..તેમાંય પેટ્રોલ પંપો ઉપર તો પેટ્રોલ સંચાલકો અને વાહનચાલકોની માતાકૂટોએ મામલો ગંભીર બનાવી દીધો હતો.. ઉચાટ સાથે લોકો પેટ્રોલ પપો ઉપર દોડી ગયા હતા. રાજકોટમાં આઇઓસી અને નયારાએ રાત્રે ૧૦ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરવાનો ર્નિણય કર્યો છે. રાજકોટમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ પેટ્રોલ પંપ બંધ રહેવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા સંચાલકો દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. ફરી ક્યારે વેચાણ શરૂ થશે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા આ અંગે મહત્વની બેઠક પણ યોજાવાની છે. સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત ડીલરો એસોસિએશનને પોતાની સમસ્યા જણાવશે. બીજીતરફ વડોદરામાં પણ સ્થિતિ ગંભીર જાેવા મળી રહી છે. શહેરમાં ઘણા ખાનગી પેટ્રોલ પંપો બંધ થઈ ગયા છે. વડોદરા શહેરમાં ખાનગી કંપની દ્વારા સંચાલિત પેટ્રોલ પંપો બંધ કરવામાં આવ્યા છે. કંપનીના આ ર્નિણયથી વાહન ચાલકોમાં ડર જાેવા મળી રહ્યો છે. શહેરમાં ઘણા પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવવા માટે વાહનોની મોટી લાઈનો લાગી છે. રાજકોટ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા અહેવાલોને લઈને જિલ્લા પ્રશાસને સ્પષ્ટતા કરી છે. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું છે કે જિલ્લામાં ક્યાંય પણ ઈંધણની અછત નથી અને પુરવઠો નિયમિત રીતે ચાલુ છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં કુલ ૩૬૧ પેટ્રોલ પંપ કાર્યરત છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૨૬૪ અને શહેર વિસ્તારમાં ૯૭ પંપોનો સમાવેશ થાય છે. તમામ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કોઈ વિક્ષેપ નથી.કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે, અફવાઓથી પ્રભાવિત થઈને પેટ્રોલ પંપો પર અનાવશ્યક ભીડ ન કરે. તેમણે ખાસ કરીને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતીથી સાવચેત રહેવા જણાવ્યું છે. પ્રશાસનના કહેવા મુજબ હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં અને ઈંધણ પુરવઠો સામાન્ય રીતે ચાલુ રહેશે.રાજ્યમાં પૂરતી વ્યવસ્થાની તૈયારીઓ, ખોટી માહિતી ફેલાવનાર સામે કાર્યવાહી કરાશે: સંઘવી રાજયમાં પેટ્રોલ-ડીઝલનો રાજયમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, ત્યારે નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું તેવું નિવેદન રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે, ખોટી અફવાઓ ફેલાવનારાઓ અને કાળાબજાર કરનારાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબતે દર બે દિવસે આ બાબતનો ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, માટે જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી.” ઈંધણના સપ્લાય અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, આજે બપોરે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઈંધણ જથ્થાના મુદ્દે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત રિવ્યૂ લેવામાં આવી રહ્યા છે. જાે ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઈ ઇસ્યુ હશે તો તેની તાત્કાલિક નોંધ લઈને નિરાકરણ લાવવામાં આવશે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, જાે રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની તંગી કે અફવા ફેલાવવાની જાણકારી મળે, તો તે મુદ્દે તત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માટે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ઈંધણની વ્યવસ્થા સુચારુ છે અને તંત્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ ગુજરાતના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન આપીને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની જાહેર જનતાને મહત્વની ખાતરી આપવામાં આવી છે. આ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની અને પેનિક થવાની જરૂર નથી. આ ઉપરાંત રાજ્યમાં પૂરતો ઇંધણનો ‘બફર સ્ટોક’ પણ ઉપલબ્ધ છે, જેથી કોઈએ ગભરાવાની કે ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, માર્ચ 2026
1584 |
નશામાં ધૂત કોન્સ્ટેબલને લોકોએ મેથીપાક ચખાડ્યો
અમદાવાદ : શહેરના કણભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ગામની એક દુકાનમાં આતંક મચાવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. રવિવારે ૨૨મી માર્ચની રાત્રે અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનની હદના કુહા ગામમાં હેડ કોન્સ્ટેબલ દિપક ડામોરે ફાસ્ટફૂડવાળાની દુકાનમાં ધમાલ કરી હતી. ગામલોકોના આક્ષેપ પ્રમાણે, ત્યારે કોન્સ્ટેબલ દારૂના નશામાં હતો. તેની કારમાંથી પણ દારૂની બોટલો મળી આવી હતી. જે બાદ ત્યાં આવેલા લોકો અને અન્ય ગામજનોએ હેડ કોન્સ્ટેબલ દિપક ડામોરને મેથીપાક ચખાડ્યો હતો. કણભા પોલીસે દિપક ડામોર વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદાવાદ ગ્રામ્યના કણભામાં આવેલા કુહા ગામનો આ કિસ્સો છે. કણભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિપક ડામોર રવિવારે રાતે કુહા ગામના એક ફાસ્ટ ફૂડવાળાની દુકાનમાં ગયો હતો. જ્યાં હેડ કોન્સ્ટેબલે ધમાલ કરી હતી. ત્યારે ગામલોકોનો આક્ષેપ છે કે, આ પોલીસ કર્મી દારૂના નશામાં હતો. જેથી ગામલોકોએ તેની ગાડી તપાસી તો તેમાંથી ખાલી અને ભરેલી દારૂની બોટલો મળી આવી હતી. સ્થાનિક લોકોએ આ અંગેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયોમાં હેડ કોન્સ્ટેબલ દિપક ડામોર દારૂના નશામાં હોવાનું દેખાઈ રહ્યું છે. આ પોલીસ કર્મીની કારમાંથી દારૂની ખાલી બોટલો અને ગ્લાસ મળ્યા છે. જે બાદ સ્થાનિક લોકોએ ૧૧૨ને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેથી દિપક ડામોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલા બાદ કણભા પોલીસે હેડ કોન્સ્ટેબલ દિપક ડામોર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, માર્ચ 2026
2475 |
સુરત |
બિહારનાં વતની સાજીદ પઠાણે ઇન્સ્ટાગ્રામ થકી પંદર વર્ષની પિનલને ફસાવી બળાત્કાર ગુજાર્યો
સોશિયલ મીડિયા થકી ઇચ્છાપોરની કિશોરીનાં સંપર્કમાં આવ્યા બાદ તેણીને પ્રેમ અને લગ્નની વાતે ફોસલાવી લિંબાયતનાં યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરી પાસે ર્નિવસ્ત્ર ફોટા મેળવ્યા બાદ તેની સાથે માણેલી અંગતપળોનો વીડિયો બનાવી શોષણ કરવા માંડ્યું હતું. સગીરાનાં ભાઇને શંકા ગઇ અને તેણે ફોન ચેક કરતાં મામલો બહાર આવતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.માહિતી અનુસાર ઇચ્છાપોરમાં ત્રણ નંબરનાં બસ સ્ટેન્ડ પાસે રહેતા ગુપ્તા પરિવાર રહે છે. વારાણસી જિલ્લાનાં વતની એવા આ પરિવારની પંદર વર્ષ ઉંમરની પૂત્રી પિનલ (નામ બદલ્યું છે) મોબાઇલ ફોનમાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. એક વર્ષ અગાઉ તેણી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી ૨૩ વર્ષીય મોહંમદ સાજીદ ઉર્ફે અહદ મોહમ્મદ જાવેદ પઠાણના સંપર્કમાં આવી હતી. ઇચ્છાપોર વિસ્તારમાં ફ્રૂટની દુકાન ધરાવતા સાજીદે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપથી ચેટિંગ કરી તેણીને ફોસલાવી પોતાના કહ્યામાં લીધી હતી. પિનલ સાથે વાત કરવા માટે સાજીદે તેને એક મોબાઇલ ફોન પણ અપાવ્યો હતો. મોહંમદ સાજીદે પિનલને પ્રેમ સંબંધોની વાતોમાં બહેકાવી હતી. લગ્ન બાદની વાતોથી કરી તેણી પાસે નગ્ન ફોટાની માંગણી કરી હતી. સાજીદની વાતમાં આવી ગયેલી પિનલે ર્નિવસ્ત્ર અવસ્થામાં પોતાના ફોટા પાડ્યા અને તેને મોકલ્યા હતાં. આ ફોટા મળતાં જ સાજીદે તેનો અસલી રંગ બતાવ્યો હતો. નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી તે તેણીને બહાર બોલાવવા માંડ્યો હતો. ધમકીઓથી ડરી ગયેલી સગીરાને સાજીદ પાલ વિસ્તારની એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આટલેથી જ નહીં અટકતા, નરાધમ સાજીદે અંગત પળોનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આ વીડિયોનાં આધારે તે સતત સગીરાને બ્લેકમેલ કરતો રહ્યો અને તેના ઘરની આસપાસ આંટાફેરા મારીને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. આ સ્થિતિમાં ગભરાયેલી રહેતી પિનલને જાેઇ તેના ભાઇને શંકા ગઇ હતી. તેણે કોઈક રીતે તેણીનો મોબાઇલ મેળવી ચેક કર્યો હતો. મોબાઈલમાં ચેટ અને ફોટા જાેઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પિનલ અણસમજુ સગીરવયની હોવા અંગે તે સાજીદને સમજાવવા ગયો હતો. એ સમયે સાજીદે ઉદ્ધતાઈપૂર્વક વર્તન સાથે તને ઊંચકાવીને ગમે ત્યાં ફેંકી દઈશ એવી ધમકી આપી હતી. ત્યારબાદ પરિવારે ઇચ્છાપોર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ઇન્સ્પેક્ટર એ.સી.ગોહિલે મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ મોહમ્મદ જાવેદ મોહમ્મદ યાસીન પઠાણ સામે ગુનો નોંધવા સાથે તેના ઇચ્છાપોરનાં ક્રિષ્ના નગર સોસાયટીમાં આવેલા ઘરે તપાસ કરી હતી. જ્યાંથી તે તેના વતન બિહારનાં નાલંદા જવા નીકળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ગોહિલે તુરંત એક ટીમ રવાના કરી બિહાર શરીફ નાલંદાથી તેને દબોચી લીધો હતો. સાજીદ પઠાણ આધારકાર્ડમાં ચેડા કરીને અભિષેક ગુપ્તા બની ગયો: અભય શર્મા સહિત ત્રણની પણ ધરપકડ પોલીસે સાજીદ પઠાણનાં ૪ દિવસના રિમાન્ડ મેળવી કરેલી પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વાત બહાર આવી હતી. સગીરવયની પિનલ સાથે બહાર ફરવા કે શરીર સંબંધ બાંધવા હોટલમાં લઇ જાય ત્યારે પોતાની ઓળખ હિન્દૂ તરીકે આપવા આધારકાર્ડ માં ચેડા કર્યા હતાં. સાજીદે તેના મિત્ર અભય શર્મા મારફત આધારકાર્ડમાં તેનું નામ અભિષેક ગુપ્તા કરાવી નાંખ્યું હતું. આ ઉપરાંત તેણે પિનલનાં આધારકાર્ડમાં જન્મ તારીખ બદલાવી તેની ઉંમર ૧૮ વર્ષ કરાવી દીધી હતી. આ મામલે પોલીસે અભય પ્રદીપ શર્માની પણ ધરપકડ કરી હતી. ઉપરાંત ગુનો નોંધાતા સાજીદને ભાગવામાં મદદ કરનાર તેના ભાઈ તાબીશ પઠાણ અને પિનલને ફસાવવામાં સાથે રહેતા જામીરાજા શમશુલ શેખની પણ ઇચ્છાપોર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, માર્ચ 2026
2178 |
સુરત |
કિંમતી વસ્ત્રો ઉત્પાદન માટે જરૂરી વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ
ડાયરેક્ટર ઓફ જનરલ ઓફ ટ્રેડ રેમેડીએ એક જ સપ્તાહનાં સમયગાળામાં સુરતનાં વણાટ ઉદ્યોગકારોને ઉપરાછાપરી બે આંચકા આપ્યા છે. નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાની ભલામણ બાદ આજે તા.૨૩મી માર્ચે ડીજીટીઆર દ્વારા કિંમતી વસ્ત્રો જેમાંથી ઉત્પાદિત થાય છે એ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન (૭૫ ડેનિયર ઉપરમાં) પર પ્રતિ ટને ૩૮૫ અમેરિકન ડોલર (ભારતીય ચલણ અનુસાર રૂ. ૩૬,૦૦૭)થી લઇને ૧૦૭૧ અમેરિકન ડોલર (ભારતીય ચલણ અનુસાર રૂ.૧,૦૦,૦૬૬.૭૧) સુધીની એન્ટી ડમ્પિંગ ડ્યૂટી વસૂલ કરવા માટેની ભલામણ કરી છે. નાણાં મંત્રાલયે હવે આગામી ૯૦ દિવસમાં આ અંગે ર્નિણય લઇને નોટિફિકેશન જાહેર કરવું પડશે અન્યથા આ ભલામણનું અસ્તિત્વ ભૂંસાઇ જશે.દેશમાં ગ્રે કાપડનાં સૌથી મોટા ઉત્પાદન હબ સુરતમાં વણાટ ઉદ્યોગકારોના માથે કાયમી આર્થિક બોજ ઉભો થાય તેવા એક પછી એક ર્નિણયો કેન્દ્ર સરકારની ડીજીટીઆર નામની સંસ્થા લઇ રહી છે. ડીજીટીઆર દિલ્હીની કચેરીએ આજે એવા યાર્નની આયાત પર ઇમ્પોર્ટ ડ્યૂટી લાગુ કરવાની ભલામણ કરી છે જે યાર્નમાંથી એથનિક વેયર, કિંમતી વસ્ત્રો, હાઇએન્ડ ફેશનના કપડા ઉત્પાદિત થાય છે. વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન કે જે વુડ પલ્પ (લાકડાનાં માવા)માંથી બને છે અને ભારતમાં વર્ષે દહાડે વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની કુલ ડિમાંડ ૧ લાખ ટન જેટલી છે. ભારતમાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનું ઉત્પાદન વાર્ષિક ૫૦ હજાર ટન જેટલું થાય છે, બાકીની ૫૦ હજાર ટન વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની ડીમાન્ડ ચીનથી થતી આયાતમાં પૂરી થાય છે. જાણકારોનું કહેવું છે કે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન સૌથી મોંઘુ યાર્ન છે અને સુરતનાં વીવિંગ કારખાનેદારો દેશમાં સૌથી વધુ પ્રમાણમાં આ યાર્નનો ઉપયોગ કરીને કાપડનું ઉત્પાદન કરે છે. ભારતમાંથી જેટલી પણ ગારમેન્ટની નિકાસ થાય છે એ ગારમેન્ટ પણ મોટા ભાગે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન હાઇ ડેનિયરમાંથી જ ઉત્પાદિત થાય છે. સુરતમાં ૧૫ હજાર જેટલા એરજેટ લૂમ્સ તેમજ શટલ લૂમ્સ પર આ યાર્નની મદદથી જુદા જુદા પ્રકારના ગ્રે કાપડ કે ફિનિશ્ડ ફેબ્રિકનું ઉત્પાદન થાય છે. વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના સ્થાનિક ઉત્પાદકોએ આયાતી યાર્નને કારણે તેમના ધંધાને નુકસાની થઇ રહી હોવાની ફરિયાદ કરીને વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની આયાત પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાની ભલામણ કરી હતી. આ પીટીશન અન્વયે તપાસ હાથ ધરીને ડીજીટીઆરએ આજે તેના પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવા માટે ભલામણ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, માર્ચ 2026
2178 |
સુરત |
વિધાનસભામાં અશાંતધારા સંબંધિત વિધેયકની ચર્ચામાં સુરતમાં ચાલતાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠશે
અશાંતધારા હેઠળ આવરી લેવાયેલાં વિસ્તારમાં કલેક્ટરાલય અને પોલીસ અધિકારીઓ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરીને વિધર્મીઓને મિલકતોની ખોટી રીતે તબદિલી કરી આપવામાં આવતી હોવાનો ખુલ્લો આરોપ મૂકનાર ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રાણા બુધવારે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવે તેવી સંભાવના છે. વિધાનસભામાં બુધવારે અશાંતધારા સંબંધિત વિધેયકની ચર્ચા થવાની છે ત્યારે અરવિંદ રાણા પોતાનાં વિસ્તારમાં ખોટી રીતરસમો અપનાવીને ૩૭ મિલકતોની તબદિલી અંગે આપવામાં આવેલી પરવાનગી અંગે કલેક્ટરાલય અને પોલીસ તંત્રની પોલ ખોલશે તેમ મનાય છે. સુરતમાં અશાંતધારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર આચરીને વિધર્મીઓને મિલકત તબદિલીની મંજૂરી આપવામાં આવતાં હિન્દુ પરિવારો હિજરત કરી રહ્યાંહોવાથી આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશ તેમ અરવિંદ રાણાએ જણાવ્યું હતું. ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રાણા છેલ્લા ઘણાં સમયથી વિધર્મીઓની મિલકત તબદિલીની અરજીઓને આપવામાં આવતી મંજૂરી બાબતે જિલ્લા સંકલન સમિતિ તેમજ મહાનગર પાલિકાની સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરતા રહ્યાં છે. કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને મળતી સંકલન સમિતિની બેઠકમાં મિલકત તબદિલી અંગે અપાયેલી મંજૂરી અંગે રીવ્યુ કરી પગલાં લેવાની ખાતરી આપવામાં આવે છે પરંતુ હકીકતમાં આજદિન સુધી એક પણ કિસ્સામાં કલેક્ટરાલય કે પોલીસ સત્તાધીશોએ રીવ્યુ કરાયું નથી. માર્ચ મહિનાની સંકલન સમિતિની બેઠક પહેલાં ધારાસભ્ય અરવિંદ રાણાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને કેટલાંક ગંભીર આક્ષેપો કર્યાં હતાં જેમાં તેમણે જણાવ્યું હતું કે, કલેક્ટરાલયનાં અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ બેફામ ભ્રષ્ચાચાર આચરીને હિન્દુઓની મિલકતો વિધર્મીને તબદિલ કરી આપે છે. અરવિંદ રાણાએ તેમનાં વિધાનસભા વિસ્તારની આવી મિલકતોની યાદી માગી હતી જેમાં તંત્ર દ્વારા આવી ૩૭ મિલકતોને પરવાનગી અપાઇ હોવાનો જવાબ આપ્યો હતો. આ તમામ ૩૭ મિલકતોને ખોટી રીતરસમો અપનાવી ભ્રષ્ટાચાર આચરીને વિધર્મીઓને તબદિલ કરાઇ હોવાથી તેની સમીક્ષા કરવાની માગણી અરવિંદ રાણાએ કરી હતી. હવે બુધવારે વિધાનસભામાં અશાંતધારા સંબંધિત વિધેયક ઉપર ચર્ચા થવાની છે ત્યારે સુરતમાં અધિકારીઓ દ્વારા ખોટી રીતે વિધર્મીઓની મિલકતો તબદિલીની અરજીને મંજૂરી આપવામાં આવે છે તે મુદ્દો ઉઠાવવાનું ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું. ભાજપનાં જ ધારાસભ્ય દ્વારા ગંભીર આક્ષેપો સાથે વિધાનસભામાં મુદ્દો ઉઠાવવામાં આવશે તો કલેક્ટરાલય અને પોલીસ તંત્રનાં ઉચ્ચાધિકારીઓ ઉપર પણ તવાઇ આવવાની સંભાવના નકારી શકાય નહીં.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, માર્ચ 2026
2277 |
સુરત |
શહેરની ટેક્સ્ટાઈલ મિલોમાં બે દિવસનાં અઠવાડિક કાપનો તાત્કાલિક અમલ શરૂ
કોલસાનાં ભાવમાં થયેલા અસહ્ય ભાવ વધારા, કેમિકલ્સ, ડાઇઝ, કલર્સ વગેરે જેવા રો-મટીરિયલમાં થયેલા તોતિંગ ભાવ વધારા અને કામદારોની ભારે અછત, આ ત્રણ સમસ્યાઓનાં અજગર ભરડાંમાં સપડાયેલા ટેક્સ્ટાઈલ પ્રોસેસિંગ ઉદ્યોગકારોએ આજે યોજાયેલી સાઉથ ગુજરાત ટેક્સ્ટાઈલ પ્રોસેસર્સ એસોસીએશનની મીટિંગમાં એવો ર્નિણય લીધો હતો કે બે દિવસનાં અઠવાડિક કાપનો તાત્કાલિક અમલ શરૂ કરવામાં આવે. મિલમાલિકો, પ્રોસેસિંગ યુનિટો પોતાની અનુકૂળતા તેમજ વીજ પ્રવાહમાં સ્ટેગરિંગ હોય એ દિવસે પોતાના યુનિટો, મિલો બંધ રાખી શકશે.સાઉથ ગુજરાત ટેક્સ્ટાઈલ પ્રોસેસર્સ એસોસીએશનની આજે મળેલી મીટિંગમાં લેવાયેલા ર્નિણયોની માહિતી આપતા પ્રમુખ જીતેન્દ્ર વખારીયા, કમલ તુલશ્યાન તેમજ અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે (યુદ્ધ પૂર્વેથી) છેલ્લા બે મહિનાથી ટેક્સ્ટાઈલ પ્રોસેસિંગ મિલોમાં મુખ્ય ઇંધણ તરીકે વપરાતા કોલસાનાં ભાવોમાં અસહ્ય વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયાથી સપ્લાય થતાં કોલસાનાં ભાવ અતિશય વધી ગયા છે. એ પછી યુદ્ધ શરૂ થયું અને તેના કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટસ જેમાં કેમિકલ્સ, કલર્સ, ડાઇઝનો સમાવેશ થાય છે તેમાં પણ ભાવ વધારો થયો છે અને ભાવ વધારો ચૂકવવા છતાં પર્યાપ્ત માત્રામાં માલસામાન મળી શકતો નથી. શોર્ટ સપ્લાયને કારણે અનેક મિલોમાં કામકાજને ઘેરી અસર પડવા માંડી છે. આ બંને સમસ્યાઓમાંથી પ્રોસેસિંગ યુનિટોના સંચાલકો, ડાઇંગ પ્રિન્ટિંગ મિલોનાં સંચાલકોને રાહત મળે તે માટે સાઉથ ગુજરાત ટેક્સ્ટાઈલ પ્રોસેસર્સ એસોસીએશને વૈકલ્પિક માર્ગ વિચારી જાેયા હતા. કોલસાની જગ્યાએ ગુજરાત સરકાર પાસેથી લિગ્નાઇટ મેળવવા માટે પ્રયાસો કરી જાેવાયા પરંતુ, સ્થિતિમાં કોઇ ફેર પડે તેવું જણાયું નહતું. જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું કે બે સમસ્યાઓ હતી તેમાં વળી લેબર શોર્ટેજની સમસ્યા વકરી છે. મિલોમાં કામ કરતા લેબરને સિલિન્ડર સપ્લાય નથી મળી રહ્યાં અને રોજેરોજ પરપ્રાંતીય શ્રમજીવીઓ વતન વાપસી કરી રહ્યા છે. આમ ત્રણ મોટી સમસ્યાઓને કારણે આજે મળેલી મીટિંગમાં સુરત શહેરની તમામ ૪૦૦ જેટલી નાની મોટી ડાઇંગ પ્રિન્ટિંગ મિલો, પ્રોસેસિંગ યુનિટો માટે એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે અઠવાડિયામાં બે દિવસ મિલો બંધ રાખવી. મિલમાલિકો પોતાની મરજી મુજબ મિલો બંધ રાખી શકશે અને ઉત્પાદન કાપ કરી શકશે. બીજી સૂચના મળે નહીં ત્યાં સુધી મિલોમાં સપ્તાહમાં બે દિવસનો ઉત્પાદન કાપ જારી રહેશે. વીવિંગ ઉદ્યોગ માટે ફોગવા શનિવારે જાહેરાત કરશે સુરતમાં ગ્રે કાપડનું ઉત્પાદન કરતા વણાટ (વીવિંગ) ઉદ્યોગનાં સૌથી મોટા સંગઠન ફોગવાનાં પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં છેલ્લા ૨૪ દિવસથી ચાલી રહેલાં યુદ્ધને કારણે યાર્નનાં ભાવ વધી ગયા છે અને તેવી સ્થિતિમાં વીવિંગ ઉદ્યોગકારો માટે કાપડની પડતર કિંમત વધી ગઇ છે. આવી સ્થિતિમાં ઉદ્યોગકારો પાસેથી સેન્સ મેળવવામાં આવી રહ્યો છે કે ઉદ્યોગે કેવી રીતે આગળ વધવું અને કેવા પ્રકારનાં પગલાં ભરી શકાય. શનિવાર સુધી કારખાનેદારો પોતાનો અભિપ્રાય ફોગવાને જણાવે અને આગામી શનિવારે સાંજે ફોગવા તેની ભાવિ રણનીતિ જાહેર કરશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, માર્ચ 2026
792 |
શહેરની ટેક્સ્ટાઈલ મિલોમાં બે દિવસનાં અઠવાડિક કાપનો તાત્કાલિક અમલ શરૂ
સુરત : કોલસાનાં ભાવમાં થયેલા અસહ્ય ભાવ વધારા, કેમિકલ્સ, ડાઇઝ, કલર્સ વગેરે જેવા રો-મટીરિયલમાં થયેલા તોતિંગ ભાવ વધારા અને કામદારોની ભારે અછત, આ ત્રણ સમસ્યાઓનાં અજગર ભરડાંમાં સપડાયેલા ટેક્સ્ટાઈલ પ્રોસેસિંગ ઉદ્યોગકારોએ આજે યોજાયેલી સાઉથ ગુજરાત ટેક્સ્ટાઈલ પ્રોસેસર્સ એસોસીએશનની મીટિંગમાં એવો ર્નિણય લીધો હતો કે બે દિવસનાં અઠવાડિક કાપનો તાત્કાલિક અમલ શરૂ કરવામાં આવે. મિલમાલિકો, પ્રોસેસિંગ યુનિટો પોતાની અનુકૂળતા તેમજ વીજ પ્રવાહમાં સ્ટેગરિંગ હોય એ દિવસે પોતાના યુનિટો, મિલો બંધ રાખી શકશે. સાઉથ ગુજરાત ટેક્સ્ટાઈલ પ્રોસેસર્સ એસોસીએશનની આજે મળેલી મીટિંગમાં લેવાયેલા ર્નિણયોની માહિતી આપતા પ્રમુખ જીતેન્દ્ર વખારીયા, કમલ તુલશ્યાન તેમજ અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે (યુદ્ધ પૂર્વેથી) છેલ્લા બે મહિનાથી ટેક્સ્ટાઈલ પ્રોસેસિંગ મિલોમાં મુખ્ય ઇંધણ તરીકે વપરાતા કોલસાનાં ભાવોમાં અસહ્ય વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયાથી સપ્લાય થતાં કોલસાનાં ભાવ અતિશય વધી ગયા છે. એ પછી યુદ્ધ શરૂ થયું અને તેના કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટસ જેમાં કેમિકલ્સ, કલર્સ, ડાઇઝનો સમાવેશ થાય છે તેમાં પણ ભાવ વધારો થયો છે અને ભાવ વધારો ચૂકવવા છતાં પર્યાપ્ત માત્રામાં માલસામાન મળી શકતો નથી. શોર્ટ સપ્લાયને કારણે અનેક મિલોમાં કામકાજને ઘેરી અસર પડવા માંડી છે. આ બંને સમસ્યાઓમાંથી પ્રોસેસિંગ યુનિટોના સંચાલકો, ડાઇંગ પ્રિન્ટિંગ મિલોનાં સંચાલકોને રાહત મળે તે માટે સાઉથ ગુજરાત ટેક્સ્ટાઈલ પ્રોસેસર્સ એસોસીએશને વૈકલ્પિક માર્ગ વિચારી જાેયા હતા. કોલસાની જગ્યાએ ગુજરાત સરકાર પાસેથી લિગ્નાઇટ મેળવવા માટે પ્રયાસો કરી જાેવાયા પરંતુ, સ્થિતિમાં કોઇ ફેર પડે તેવું જણાયું નહતું. જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું કે બે સમસ્યાઓ હતી તેમાં વળી લેબર શોર્ટેજની સમસ્યા વકરી છે. મિલોમાં કામ કરતા લેબરને સિલિન્ડર સપ્લાય નથી મળી રહ્યાં અને રોજેરોજ પરપ્રાંતીય શ્રમજીવીઓ વતન વાપસી કરી રહ્યા છે. આમ ત્રણ મોટી સમસ્યાઓને કારણે આજે મળેલી મીટિંગમાં સુરત શહેરની તમામ ૪૦૦ જેટલી નાની મોટી ડાઇંગ પ્રિન્ટિંગ મિલો, પ્રોસેસિંગ યુનિટો માટે એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે અઠવાડિયામાં બે દિવસ મિલો બંધ રાખવી. મિલમાલિકો પોતાની મરજી મુજબ મિલો બંધ રાખી શકશે અને ઉત્પાદન કાપ કરી શકશે. બીજી સૂચના મળે નહીં ત્યાં સુધી મિલોમાં સપ્તાહમાં બે દિવસનો ઉત્પાદન કાપ જારી રહેશે.વીવિંગ ઉદ્યોગ માટે ફોગવા શનિવારે જાહેરાત કરશે સુરતમાં ગ્રે કાપડનું ઉત્પાદન કરતા વણાટ (વીવિંગ) ઉદ્યોગનાં સૌથી મોટા સંગઠન ફોગવાનાં પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં છેલ્લા ૨૪ દિવસથી ચાલી રહેલાં યુદ્ધને કારણે યાર્નનાં ભાવ વધી ગયા છે અને તેવી સ્થિતિમાં વીવિંગ ઉદ્યોગકારો માટે કાપડની પડતર કિંમત વધી ગઇ છે. આવી સ્થિતિમાં ઉદ્યોગકારો પાસેથી સેન્સ મેળવવામાં આવી રહ્યો છે કે ઉદ્યોગે કેવી રીતે આગળ વધવું અને કેવા પ્રકારનાં પગલાં ભરી શકાય. શનિવાર સુધી કારખાનેદારો પોતાનો અભિપ્રાય ફોગવાને જણાવે અને આગામી શનિવારે સાંજે ફોગવા તેની ભાવિ રણનીતિ જાહેર કરશે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...