આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, મે 2026
3267 |
રાજકોટમાં મધરાતે મંદિરો પર બુલડોઝર કાર્યવાહી
રાજકોટ શહેરમાં ૧૪ મેની મોડીરાત્રે મહાનગરપાલિકા દ્વારા રસ્તા અને ટ્રાફિકને અડચણરૂપ ગણાતા ધાર્મિક દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૧૨ જેટલા નાના મંદિરો અને ધાર્મિક માળખાઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી રાત્રિના સમયે કરવામાં આવતા અનેક વિસ્તારોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. મવડી ચોક નજીક આવેલા કેસરિયા હનુમાન મંદિરને તોડવાની કાર્યવાહી શરૂ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. લોકોએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી અને મંદિર બચાવવાની માંગ કરી હતી. સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે વહેલી સવારે સુધી ચર્ચા અને રકઝક ચાલતી રહી હતી. સ્થાનિકોએ મંદિરને સંપૂર્ણ તોડવા સામે વિરોધ નોંધાવતા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બાદમાં મંદિર સંચાલકો દ્વારા આગામી ૪૮ કલાકમાં મંદિરનું માળખું નાનું કરવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ મંદિરને બદલે રસ્તા પર આવેલા ઓટલા અને આસપાસના ભાગોને બુલડોઝરથી દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ કેટલાક સ્થાનિકોમાં નારાજગી પણ જાેવા મળી હતી. લોકોનું કહેવું હતું કે ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ર્નિણય લેવો જાેઈએ. કેટલાક લોકોએ સત્તાધારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ સામે પણ પ્રશ્નો ઊભા કર્યા હતા. મહાનગરપાલિકાની ટીમ સાથે પોલીસ, ફાયર વિભાગ પીવીસીલ અને અન્ય વિભાગોના કર્મચારીઓ પણ જાેડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે માલવિયાનગર વિસ્તારમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી વહેલી સવારે સુધી ચાલી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
2772 |
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ, ૪નાં મોત,૧૦ ઘાયલ
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટતાં થયેલી અથડામણમાં ૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૧૦ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બુધવારની મોડી રાત્રે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આશરે ૨:૩૦ વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જાેતજાેતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ ઘટનામાં ૪ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં ૧૦ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
2574 |
સૌરાષ્ટ્ર અને વડોદરાના નામો નક્કી :ટૂંક સમયમાં જાહેરાત કરાશ
ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પછી બીજાે તબક્કો શરૂ થયો હતો જેમાં સૌરાષ્ટ્રના મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામ પર ચર્ચા કરવામાં આવી. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની સંસ્થાઓમાં હોદ્દેદારોના નામોને લઈને ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે દિવસથી ચાલી રહેલી બેઠકના પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર ઝોનના નામો નક્કી કરવામાં આવ્યા હતા. બીજા દિવસે મળેલી બેઠકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના નામો પર ચર્ચા કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જિલ્લા પંચાયત અને વડોદરા તાલુકા પંચાયતના નામોને લઈને પણ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે.આ બેઠકમાં સંગઠનાત્મક સંતુલન, જાતિ સમીકરણ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને વરિષ્ઠ-નવોદિત નેતાઓ વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકાયો છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં કાર્યક્ષમ અને સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને તક આપવા માટે ચર્ચા કરવામાં આવી છે. સૂત્રો મુજબ, મોટાભાગના પદો માટે સહમતી બની છે અને અંતિમ યાદી ટોચના નેતૃત્વને મોકલાશે. ત્યારબાદ જ આખરી ર્નિણય લેવામાં આવશે. આગામી ૧૯ તારીખે મોટાભાગની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામોની જાહેરાત થવાની શક્યતા છે. પ્રદેશ કક્ષાએ નક્કી થયેલા નામો જે તે જિલ્લાની સામાન્ય સભામાં જાહેર કરાશે. આ નામો પ્રદેશના પ્રતિનિધિ દ્વારા બંધ કવરમાં લઈ જવામાં આવશે અને સામાન્ય સભામાં જ ખુલશે.આ પ્રક્રિયામાં ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી રહી છે. દરેક વિસ્તારમાં યોગ્ય પ્રતિનિધિત્વ અને મજબૂત ટીમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નામોની જાહેરાત ટૂંક સમયમાં થશે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ ૧૫, ૧૬ અને ૧૭ તારીખે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બોર્ડ દ્વારા નક્કી થયેલા નામો ઉચ્ચ કક્ષાએ મોકલાશે અને ત્યારબાદ જાહેરાત થશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, મે 2026
2970 |
કેન્દ્રએ અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિએ આજે રેલ મંત્રાલયની અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંદાજે રૂપિયા ૨૦,૬૬૭ કરોડના ખર્ચવાળી આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેની પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બનશે. લગભગ ૧૩૪ કિલોમીટર લાંબી આ નવી રેલવે લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન આવનારા ધોલેરા એરપોર્ટ તેમજ લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને આધુનિક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને ધોલેરા વચ્ચેના પ્રવાસ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેના કારણે મુસાફરો માટે દૈનિક આવાગમન તથા એક જ દિવસે આવવા-જવાની સુવિધા વધુ સરળ અને આરામદાયક બનશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, “અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતના રેલવે ઇતિહાસમાં નવી શરૂઆત છે. આ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ‘ન્યૂ ઈન્ડિયા’ની આધુનિક, ઝડપી અને આર્ત્મનિભર પરિવહન વ્યવસ્થાનું પ્રતિક છે. સ્વદેશી ટેકનોલોજી આધારિત આ પ્રોજેક્ટ આગામી વર્ષોમાં દેશભરમાં સેમી હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણનો આધાર બનશે.” અમદાવાદ મંડળના ડ્ઢઇસ્ વેદ પ્રકાશે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે. “આ પ્રોજેક્ટ અમદાવાદ અને ધોલેરા વિસ્તારને વિશ્વસ્તરીય રેલ કનેક્ટિવિટી આપશે. તેના દ્વારા મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક મુસાફરીની સુવિધા મળશે તેમજ વિસ્તારમાં રોજગાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને પણ મોટો લાભ થશે. આ પ્રોજેક્ટથી ધોલેરા અને અમદાવાદ વચ્ચેનું અંતર ૧ કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકશે અને ધોલેરા સીધું અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ કોરિડોર સાથે જાેડાઈ જશે.” આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો હેતુ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતાને મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટથી આશરે ૨૮૪ ગામો અને લગભગ ૫ લાખ વસ્તીને સીધો લાભ મળશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, મે 2026
4158 |
મનાલી-બેલા હાઈવે પર કાર ખાઈમાં ખાબકતા ભાવનગરના ૬ ના કરુણ મોત
હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર માટે પ્રવાસ કાળ બનીને ત્રાટક્યો છે. મનાલી નજીક છાબા જિલ્લામાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજના અગ્રણી લલિતભાઈ ફતનાની સહિત પરિવારના ૬ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ભાવનગર પહોંચતા સમગ્ર સિંધી સમાજ સહિત શહેરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના સિંધી સમાજના જાણીતા અગ્રણી લલિતભાઈ ફતનાની તેમના પરિવાર સાથે મનાલીના પ્રવાસે ગયા હતા. ગત રોજ મનાલીથી બેલા તરફ જતી વખતે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર ૨૮ પર તેમનું વાહન ચાલકે અચાનક કાબૂ ગુમાવતા રસ્તા પરથી નીચે ઉતરી સીધું ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. વાહન ખાઈમાં પડતા જ જાેરદાર ધડાકો થયો હતો અને અંદર સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં પરિવારના મોભી લલિતભાઈ ફતનાની, તેમના પત્ની સોનિયાબેન, દીકરી કાજલબેન, જમાઈ પ્રિયંકભાઈ ભોપાણી અને માસૂમ પૌત્ર દિવ્યાંશુનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકસાથે પાંચ સભ્યોના મોતના સમાચારથી ફતનાની પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૪ સભ્યોમાં મયંકભાઈ લલિતભાઈ ફતનાની, તેમના પત્ની ફોરમબેન ફતનાની, પુત્ર જિયાંશ અને અન્ય એક બાળકી પ્રિયાંશી ભોપાણીનો સમાવેશ થાય છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
5346 |
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું. સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ. ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે. PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
4752 |
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ
વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
6435 |
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, મે 2026
4950 |
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, મે 2026
6930 |
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા
ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, મે 2026
3069 |
ખેડબ્રહ્મા નજીક પ્રેમીયુગલનો ગળેફાંસો ખાઈ આપઘાતથી પંથકમાં ખળભળાટ
સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક વીરબાવજી મંદિર પાસે પ્રેમ પ્રકરણમાં એક યુગલે લીમડાના વૃક્ષ પર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી છે. વીરબાવજી મંદિર જવાના માર્ગ પર આવેલા એક ખેતરમાં આ ઘટના બની હતી. પ્રેમ સંબંધના કારણે આ યુવક અને યુવતીએ ખેતરમાં આવેલા એક લીમડાના વૃક્ષ પર લટકીને સાથે જ મોતને વ્હાલું કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.બનાસકાંઠાની યુવતી અને ખેડબ્રહ્માના યુવક વચ્ચે પ્રેમ હતો મળતી માહિતી અનુસાર, આ આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવતી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની રહેવાસી હતી, જ્યારે યુવક ખેડબ્રહ્મા પંથકનો વતની હતો. બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. જાે કે, કયા કારણોસર તેમણે આ આત્યંતિક પગલું ભરવું પડ્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અને પોલીસ કાર્યવાહી તેજ ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બંનેના મૃતદેહોને વૃક્ષ પરથી નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે ખેડબ્રહ્માની સરકારી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ખેડબ્રહ્મા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, મે 2026
1782 |
સાંતેજ-વડસર રોડ પર ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી
અમદાવાદના સરહદી વિસ્તાર ગણાતા સાંતેજ-વડસર રોડ પર આજે વહેલી સવારે એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની તીવ્રતાને જાેતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.મળતી માહિતી અનુસાર, સાંતેજ-વડસર માર્ગ પર આવેલી એક ખાનગી કંપનીમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. કંપનીમાં રહેલા કેમિકલ અથવા અન્ય જ્વલનશીલ પદાર્થાેના કારણે આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જાેવા મળ્યા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા . ફાયર વિભાગની કુલ ૫ ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોના જવાનો દ્વારા ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી હતી.આગ કયા કારણોસર લાગી (શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામી) તે હજી સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. વહેલી સવારનો સમય હોવાથી કંપનીમાં કેટલા કર્મચારીઓ હાજર હતા અને કોઈ ફસાયું છે કે નહીં, તે અંગે વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટેના સઘન પ્રયાસો ચાલુ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, મે 2026
2475 |
નાપાસ વિદ્યાર્થીઓને ૧૦ ફ્રી કોચિંગ સેન્ટર સુધી લાવવા આચાર્યોને આદેશ
ચાલુ વર્ષે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું પરિણામ સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું નોંધાતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. આગામી જૂન મહિનામાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના નાપાસ થયેલા અથવા પોતાના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત ‘બેસ્ટ ઓફ ટુ’ પદ્ધતિનો અમલ થઈ રહ્યો છે, ત્યારે આ સુવર્ણ તકનો લાભ ઉઠાવી મહત્તમ વિદ્યાર્થીઓ પાસ થાય અને શહેરનું એકંદર પરિણામ સુધરે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા એક વિશેષ ‘પરિણામ સુધારણા અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરના અલગ-અલગ ૧૦ સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આગામી ૧૫ દિવસ સુધી પરીક્ષાલક્ષી સંપૂર્ણ માર્ગદર્શન અને મફત શિક્ષણ આપવામાં આવશે. ડીઈઓ રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, કેટલીક શાળાઓમાં વિષય શિક્ષકોની અછતને કારણે પરિણામ પર માઠી અસર પડી હોવાનું સામે આવ્યું છે, જેને પગલે વેકેશનનો માહોલ હોવા છતાં નિષ્ણાત શિક્ષકો પોતાનું સમયદાન આપીને વિદ્યાર્થીઓને તૈયાર કરશે. આ ઉપરાંત, ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને નિષ્ણાતો દ્વારા ખાસ શૈક્ષણિક વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે. જેનાથી ઓનલાઇન અભ્યાસ દ્વારા અમદાવાદ સહિત અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને પણ મોટો ફાયદો મળી રહ્યો છે. બીજી તરફ, નબળું પ્રદર્શન કરનારી શાળાઓ સામે ડીઈઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જે શાળાઓનું પરિણામ ૫૦ ટકા કે તેનાથી ઓછું આવ્યું છે તેવી શાળાઓના સંચાલકો અને આચાર્યો સાથે તાકીદની બેઠક યોજીને તેમનો ઉધડો લેવામાં આવ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, મે 2026
2277 |
રાણીપમાં પાણીપુરીમાંથી હાડકાંનો ટુકડો નીકળ્યો
ગુજરાતીઓમાં અને ખાસ કરીને અમદાવાદીઓમાં સ્ટ્રીટ ફૂડ તેમજ પાણીપુરી ખાવાનો ક્રેઝ જગજાહેર છે, પરંતુ શહેરના રાણીપ વિસ્તારમાંથી બહારની પાણીપુરી ખાતા શોખીનોની આંખો ઉઘાડી દેનારો એક અત્યંત ચોંકાવનારો અને ઘૃણાસ્પદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા રાણીપ બસ સ્ટેન્ડ નજીક આવેલી ‘કૃષ્ણા ભેલ પકોડી સેન્ટર’ નામની લારી પરથી એક ગ્રાહકે ખાવા માટે પાણીપુરી ખરીદી હતી. ગ્રાહક જ્યારે હોંશે-હોંશે આ પાણીપુરી ખાઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેના મોંમાં કોઈ કડક વસ્તુ આવી હતી. ગ્રાહકે તરત જ તે બહાર કાઢીને જાેયું તો તેના હોશ ઉડી ગયા હતા, કારણ કે ખાદ્ય પદાર્થની હાડકાનો ટુકડો નીકળ્યો હતો. શાકાહારી ગ્રાહકો માટે અત્યંત પવિત્ર ગણાતી ખાણી-પીણીની વસ્તુમાં આ પ્રકારની ગંભીર બેદરકારી અને અપવિત્રતા જાેઈને ગ્રાહક ભારે રોષે ભરાયો હતો અને તેણે લારી ચાલક સામે કડક આક્રોશ વ્યક્ત કર્યો હતો.ગ્રાહકે તંદુરસ્તી સાથે થતા આ ચેડાં અને લારી ધારકની ઘોર લાપરવાહીને ખુલ્લી પાડવા માટે સમયસૂચકતા વાપરીને તરત જ આ સમગ્ર ઘટનાનો, પાણીપુરીની પ્લેટનો તેમજ હાડકાના ટુકડાનો લાઈવ વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. ત્યારબાદ આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ કરી દેવામાં આવતા જ ગણતરીના કલાકોમાં તે વાયરલ થયો છે. આ નજારો જાેઈને અમદાવાદના ખાણી-પીણીના શોખીનોમાં ભારે ફફડાટ અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. લોકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ કરીને આવી બિનઆરોગ્યપ્રદ લારીઓ ચલાવતા તત્વો સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે. આ ઘટનાને પગલે હવે જાગૃત નાગરિકો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને ફૂડ વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે, રાણીપ સહિત સમગ્ર શહેરમાં ધમધમતી આવી ખાણી-પીણીની લારીઓ અને રેસ્ટોરન્ટ્સ પર વહેલી તકે કડક ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવે. તેમજ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા કૃષ્ણા ભેલ પકોડી સેન્ટર જેવા એકમોને તાકીદે સીલ કરી, તેમના સંચાલકો સામે કાયદેસરના કડક પગલાં ભરી દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, મે 2026
2277 |
ગાંધીનગર મનપાના ૬૨૦ કરોડના જનહિતલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોની સુખાકારી અને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી ૬૨૦ કરોડના પ્રજાલક્ષી વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ આગામી તારીખ ૧૭ મે ૨૦૨૬, રવિવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે ટાઉન હૉલ, સેક્ટર-૧૭, ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સંસદસભ્ય અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે આ તમામ વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત સંપન્ન થશે. આ ગરિમામયી અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગરના મેયર મીરા પટેલ, મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા સહિતના મહાનુભાવો, ધારાસભ્યો અને સંસદસભ્યો વિશેષ રૂપે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. આ ઐતિહાસિક સ્તરે યોજાનારા કાર્યક્રમમાં નાગરિકોના રોજિંદા જીવન અને સુવિધાઓ સાથે સીધા જાેડાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરવામાં આવશે. જેમાં પ્રજાની આરોગ્ય સુખાકારી માટે સેક્ટર-૨૧, ૨૨ અને સરગાસણ ખાતે નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટરો, સેક્ટર-૨૫ અને સરગાસણ ખાતે આધુનિક યોગ સ્ટુડિયો તેમજ ભાટ અને ઝુંડાલ ખાતે પી.એચ.સી. સેન્ટરોનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત પેથાપુર ખાતે પીવાના શુદ્ધ પાણી પુરવઠા વિતરણ નેટવર્ક સાથેની ૨ નવી ઓવરહેડ ટાંકી, રાંધેજા ખાતે જી.એમ.સી. વોર્ડ ઓફિસ અને શોપિંગ સેન્ટર, અમિયાપુર ખાતે ભવ્ય કોમ્યુનિટી હોલ તેમજ સેક્ટર-૧ ખાતે નયનરમ્ય ગાર્ડન વિકાસની કામગીરી નાગરિકો માટે ખુલ્લી મુકાશે. નાગરિકોની સુવિધા અર્થે મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના કુલ ૩૭ અત્યાધુનિક વાહનો, જેવા કે બેકહો લોડર, ઇમરજન્સી રેસ્ક્યુ વાહનો, હોપર ટિપર ડમ્પર, મીની યુ.એચ.પી. મશીનો અને વોટર બાઉઝરની સુવિધાઓ પણ આજથી સેવામાં કાર્યરત કરવામાં આવશે. જેમાં અંદાજે ૧૩૫ કરોડના ખર્ચે જાસપુર ખાતે ૧૦૦ એમ.એલ.ડી. ક્ષમતાવાળો અત્યાધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને નવું ટર્મિનલ પમ્પિંગ સ્ટેશન, પેથાપુર ખાતે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, યોગા સેન્ટર અને ડિજિટલ લાયબ્રેરી તેમજ કોબા અને પેથાપુર ખાતે નવા કોમ્યુનિટી હોલના નિર્માણ કાર્યનો પ્રારંભ થશે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, મે 2026
2673 |
પતિ અને ત્રણ સંતાનોને તરછોડી ભાગેલી યુવતીને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધી
પૂણા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના બદાયુ જિલ્લાના વતની દેવેન્દ્રસિંગ યાદવે ૧૪ વર્ષ અગાઉ તેમની દીકરી રેણુના લગ્ન પ્રયાગરાજમાં રહેતાં પંકજ પટેલ સાથે કરાવ્યા હતાં. પંકજ સાથેના વૈવાહિક જીવનમાં રેણુએ ત્રણ સંતાનોને જન્મ આપ્યો હતો. આ પંકજ પટેલને વર્ષ ૨૦૨૩માં તેના વતનના અભિમાનચંદ્ર જૌખુલાલ પટેલ સાથે લડાઈ ઝઘડો થયો હતો. તેણે પંકજને એવી ધમકી આપી હતી કે હું તારી પત્ની રેણુંને પ્રેમ કરૂ છું. તુ એને છૂટાછેડા આપી દે, નહીં હું તને જાનથી મારી નાખીશ.રેણું અને અભિમાનચંદ્ર વચ્ચેના લગ્નતેર સંબંધોની જાણ થતાં પંકજે તેણીને છોડી દીધી હતી. પંકજે ડિવોર્સ આપતાં જ રેણુએ ૨૦૨૩માં અભિમાનચંદ્ર સાથે લગ્ન કરી લીધા હતાં. લગ્ન બાદ થોડો સયમ વતનમાં રહ્યા બાદ આ બંને જણા સુરત આવી ગયા હતાં. સુરત આવ્યા બાદ પંદરેક દિવસ સુધી રેણુંએ તેની માતા રીતુ સાથે વાત કરી હતી, ત્યારબાદ અભિનામે માતાનો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દેતા તેઓ વચ્ચે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ ઓક્ટોબર ૨૦૨૪માં રેણુંએ અજાણ્યા નંબરથી માતા રીતું સાથે વાત કરી હતી. તેણીએ જણાવ્યું હતું કે, " મમ્મી મે રાજસ્થાન મે હુ, મે સુરત સે ભાગ કર આઈ હુ. મુજે અભિમાનચંદ્ર રૂમમે બંધ કરકે રખતા હૈ ઔર હરરોજ મારપીટ કરતા હૈ. મુજે બહુત મારા હૈ ઇસલીએ મૈ ઘર સે ભાગ કે બસ મે બેઠકર રાજસ્થાન પહોંચી હું. મેરે પાસ પૈસા નહી હૈ, મુજે પૈસે ભેજાે. આ સાથે જ રેણુએ રાજસ્થાનના કોઇ વ્યક્તિ સાથે વાત કરાવી હતી. જેથી માતા રીતુએ એ વ્યક્તિના મોબાઇલ નંબર પર ૫૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. ત્યારબાદ ચોથા દિવસે રેણું ઘરે માતા પિતા પાસે પહોંચી હતી. તેણીએ તેમને કહ્યું હતું કે, અભિમાનચંદ્ર મુજે સુરત લેકે ગયા તબ સે બહુત મારપીટ કરતા હૈ, ગાલી દેતા હૈ ઔર ઘરમે બંધ કરકે કામ પે ચલા જાતા હૈ, મે ઉસ સે પરેશાન હો કર મૌકા દેખકર સુરત સે ભાગ આઈ હું. રેણું વતન આવ્યાના બે ત્રણ દિવસ બાદ અભિનામચંદ્રએ સાસુ રીતુંને કોલ કરી મારી પત્ની ક્યાં છે એવું પૂછી તેની સાથે વાત કરાવો નહીં તો હું ત્યાં આવી બધાને મારી નાખીશ એવી ધમકી આપી હતી. માતાએ રેણું અને અભિમાનચંદ્રની વાત કરાવી હતી. ત્યારબાદ પણ અભિમાન અવાર નવાર કોલ કરી ધમકી આપતો હોય રેણું માતા-પિતાને કહ્યા વિના સુરત આવી ગઇ હતી. સુરત આવ્યા બાદ તેણીએ માતા-પિતાને કોલ કર્યા ન હતાં. આવામાં ૧૩ મે, ૨૦૨૬ના રોડ પુણા પોલીસે રીતુ યાદવને કોલ કરી રેણું મૃત્યુ પામી હોવાના ખબર આપ્યા હતાં. જેથી રીતુ અને દેવેન્દ્ર યાદવ સુરત દોડી આવ્યા હતાં. તેમને પોલીસે જણાવ્યું હતું કે, અભિમાનચંદ્રએ કરેલી મારઝૂડના ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજ્યું છે. જેથી રીતુ યાદવે જમ બનેલા જમાઈ અભિમાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, મે 2026
2772 |
હિન્દુ ઓળખ અપનાવીને દાંપત્ય જીવન ગુજારવાના વાયદે વકીલ રહીમ શેખે દલિત યુવતીનું શોષણ કર્યું
દલિત સમાજમાંથી આવતી વકીલ યુવતી સાથે મિત્રતા બાદ રહીમ શેખે પ્રેમની વાતોમાં ભોળવી હતી. મને હિન્દુ ધર્મ પસંદ છે, હું હિન્દુ નામ ધારણ કરી રહેવા તૈયાર છું એમ કહી રહીમ શેખે માથે સિંદુર લગાવી, મંગળસૂત્ર પહેરાવી લગ્નનું તરકટ કર્યા બાદ તેણીનું શારીરિક શોષણ કરવા માંડ્યું હતું. સાત વર્ષ સુધી પતિ પત્ની તરીકેના સંબંધોમાં રહ્યા બાદ રહીમે તેના સિનિયર વકીલની ડિવોર્સી દીકરી સાથે લગ્ન કરી લીધા હતાં. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર કતારગામના પ્રભુ નગર વિસ્તારમાં રહેતી વનિતા (નામ બદલ્યું છે) વ્યવસાયે વકીલ છે. એપ્રિલ ૨૦૧૮માં તેણીને તેના એડવોકેટ મિત્ર મયંક ચૌહાણના મિત્ર રહીમ રઝાક શેખ સાથે મુલાકાત થઇ હતી. કોર્ટ સંકુલમાં મળેલા એડવોકેટ રહીમે તેની ઓળખ મયંકના મિત્ર તરીકે આપી મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. બીજા દિવસે રહીમ શેખે વનિતાને કોલ કરી કલેક્ટરને આપવા માટે એક આવેદન પત્ર ડ્રાફ્ટ કરાવ્યું હતું.આ કામ તે અવાર નવાર વનિતાને કોલ અને મેસેજ કરતો રહ્યો હતો. વનિતા પણ વકીલ મિત્ર તરીકે તેને સાહજીકતાથી જવાબ આપતી હતી. ત્યારબાદ રહીમે ધીરે ધીરે તણીનો સંપર્ક વધાર્યો અને ઓફિસે આંટાફેરા કરવા માંડ્યો હતો. રહીમે એવું કહ્યું કે મારી પાસે કામ કરવા માટે ઓફિસ નથી, હું તમારી સાથે ઓફિસમાં કામ કરવા માંગુ છું. વનિતાએ પહેલા ના પાડી હતી. જાે કે, ચારેક મહિના સુધી રહીમ તેણીને મળી સાથે કામ કરવાની વાત કરતો રહ્યો હતો. જેમાં વનિતા પીગળી અને ૨૦૧૮માં કતારગામ વિસ્તારમાં સહિયારી ઓફિસ શરૂ કરી હતી. એક જ ઓફિસમાં કામ કરવા દરમિયાન રહીમે વનિતાને કહ્યું કે, હું ભલે મુસ્લિમ છું, પરંતુ હિન્દુ ધર્મ બાબતે ઘણી જાણકારી ધરાવું છું. હિન્દુ ધર્મ અંગે મને ઘણો પ્રેમ છે. આ રહીમ શેખ ઓફિસમાં સત્ય નારાયણની કથા-પૂજામાં વનિતા સાથે બેઠો હતો. ત્યારબાદ ગણેશોત્સવ વેળા તે શ્રીજીની પ્રતિમા લેવા વનિતાની સાથે ગયો હતો. ગણેશ સ્થાપન પૂજામાં પણ તે બેઠો હતો. નવરાત્રિના તહેવાર દરમિયાન તે વનિતા સાથે ગરબા રમવા પણ જવા માંડ્યો હતો. આ દરમિયાન રહીમ શેખે જણાવ્યું હતું કે, મને બધા રોહન તરીકે ઓળખે છે, હું તારી સાથે હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કરવા માંગુ છું. હું મારૂ નામ રહીમ માંથી રોહન કરી હિન્દુ બનીને રહેવા તૈયાર છું. રહીમની વાતમાં આવી ગયેલી વનિતાએ હા પાડી હતી. બાજમાં ઓગસ્ટ ૨૦૧૮માં રહીમે ઓફિસમાં જ વનિતાની માંગમાં સિંદૂર પુરી મંગળસૂત્ર પહેરાવી દીધું હતું. તેણે આપણે સેટ થઇ જઇશું ત્યારબાદ ધામ ધૂમથી લગ્ન કરીશું એવું પણ કહ્યું હતું. ત્યારબાદ રહીમ વનિતા સાથે પતિની જેમ જ વર્તતો હતો. વનિતા સાથે તે ઓફિસમાં જ શરીર સંબંધ બાંધવા માંડ્યો હતો. આ દરમિયાન રહીમ શેખ તેણીને તેના સીનીયર એડવોકેટ અબ્દુલ વહાબ શેખના નાનપુરા સ્થિત ઘરે પણ લઈ જવા માંડ્યો હતો. તેમની પત્ની નસરીન અને દીકરીઓ મારૂકા અને મારીયા સાથે પણ વનિતાનો ઓળખ પરિચય કરાવ્યો હતો. અબ્દુલ વહાબ તથા તેમના પત્ની નસરીને વનિતાને કહ્યું કે, રહીમના માતા-પિતા નંદુરબાર ખાતે રહે છે. એટલે અમે જ તેના માતા-પિતાની જગ્યાએ છીએ, અને અમે તમારા બંન્નેના લગ્ન કરાવી આપીશુ. રહીમ શેખ હવે તેણીને પત્નીની જેમ રાખતો અને સાપુતારા, ગોવા, કુલુ મનાલી વિગેરે સ્થળે ફરવા લઈ જઈ શરીર સંબંધ બાંધતો રહ્યો હતો. થોડા સમય બાદ રહીમનું વર્તન બદલાઈ ગયું હતું. એવામાં વનિતાને જાણવા મળ્યુ કે, રહીમ શેખને તેના સિનિયર વહાબ શેખની ઓફીસની અન્ય સ્ત્રી સાથે અફેર છે. તેઓ વેસુ બાજુની કોઈ હોટલમાં પકડાઈ જતા, ત્યાં બહુ મોટો બખેડો થયો હતો. વનિતાએ આ મામલે પૂછતાં રહીમે તેણીની માફી માંગી હવે પછી આવું કોઈ પણ કૃત્ય કરશે નહી એવા સોગંદ લીધા હતાં. જાે કે, માર્ચ ૨૦૨૬માં રહીમ શેખે તેના સિનિયર વહાબ શેખની ડિવોર્સી દીકરી મારૂકા સાથે નિકાહ કરી લીધા હતાં. આ વાતની જાણ થતાં વનિતાએ પૂછ્યું તો તો તેણે જણાવ્યું હતું કે, હું આટલો બધો હેન્ડસમ અને સ્માર્ટ છું. મને કોઈ પણ છોકરી મળી શકતી હતી. પણ વહાબ શેખે મને ખુબ જ દબાણ કરી જણાવ્યું હતું કે, મારી દિકરી મારૂફા ઘણા વર્ષોથી છૂટાછેડા લઈને ઘરે બેસેલ છે. અને તેના બીજે કયાંક લગ્નથતા નથી. એટલે તું તેની સાથે નિકાહ કરી લે, હું તારી લાઇફ સેટ કરી દઇશ. એટલે મારે મજબુરીમાં તેની સાથે નિકાહ કરવા પડેલ છે. પણ તું ટેન્શન નહી લે, હું તેને તલાક આપીને તારી સાથે લગ્ન કરીશ. રહીમની આ વાત પણ વનિતાએ માની અને તેની સાથેના સંબંધ ચાલુ રાખ્યા હતાં. બીજી તરફ રહીમ તેણીને દબાવવા માંડ્યો હતો. રહીમ શેખ તેણીને તારે કોઇની સાથે વાતો કરવાની નહી, મારા સિવાય તને કોઇનો કોલ આવવો જાેઇએ નહીં એમ કહીને માનસિક ત્રાસ ગુજારવા માંડ્યો હતો. નાની નાની વાતે લડાઈ ઝઘડા કરવા સાથે જ્ઞાતિ વિષયક ગાળો દઈ અપમાન કરવા માંડેલા રહીમ રઝાક શેખ સામે આખરે વનિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, મે 2026
3267 |
ખાસ બહેનપણીથી દૂર થવાના ડર તરૂણીએ એસિડ પી જીવન ટૂંકાવ્યું
સુરત શહેરનાં અમરોલી વિસ્તારમાં બે બહેનપણીઓ વચ્ચેનાં ગાઢ લાગણીસભર સંબંધનો કરુણ અંત આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પોતાની ખાસ બહેનપણીથી દૂર થવાના ડર અને ભાવનાત્મક તણાવ વચ્ચે એક સગીરાએ એસિડ પી આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશનની વતની ૧૭ વર્ષીય પૂજા (નામ બદલ્યું છે) કોસાડ આવાસમાં પોતાના ભાઈ સાથે રહેતી હતી. પરિવારનાં માતા-પિતા અને એક ભાઈ હાલ વતનમાં રહે છે, જ્યારે સુરતમાં પૂજા પોતાના મોટા ભાઈ અજય સાથે રહેતી હતી. અજય એમ્બ્રોડરી ખાતામાં કામ કરે છે અને પૂજા પણ એમ્બ્રોડરી યુનિટમાં કામ કરતી હતી. ગઈકાલે સાંજે બહેન માટે ઠંડુ-પીણું લેવા ગયેલા ભાઈની ગેરહાજરી દરમિયાન પૂજાએ એસિડ પી લીધું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી યુવતીને સારવાર માટે પ્રથમ સ્મીમેર અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં મોડી રાત્રે તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ મામલે પરિવારજનોનાં નિવેદન લઈને યુવતીએ ખરેખર કયા કારણોસર એસિડ પીધું તે દિશામાં તપાસ શરૂ કરી છે.મૃતકનાં ભાઈનાં જણાવ્યા અનુસાર પૂજા અને તેની બહેનપણી રશ્મિ (નામ બદલ્યું છે) વચ્ચે અત્યંત ગાઢ લાગણીસભર સંબંધ હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર બંને એકબીજા વગર રહી શકતા ન હતા.રશ્મિથી દૂર થવાનો ભય અથવા તેની ચિંતા પૂજાને અંદરથી તોડી રહી હતી.થોડા દિવસો પહેલાં બંને યુવતીઓએ સાથે રહેવાની ઈચ્છા સાથે ઘરેથી ભાગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો. બંને સુરત રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી, જ્યાં પોલીસની શી ટીમે તેમને શોધી કાઢી હતી. ત્યારબાદ બંનેના પરિવારજનોને બોલાવી સમજાવટ કરીને યુવતીઓને પરિવાર સાથે મોકલવામાં આવી હતી. તે સમયે જ બંને વચ્ચેનાં ગાઢ સંબંધ અંગે પરિવારજનોને જાણ થઈ હતી.જે તે સમયે બંનેને સમજાવીને પરિવાર સાથે મોકલવામાં આવી હતી. ગતરોજ સાંજે પૂજાએ અચાનક ગભરામણ અને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. તેણે ભાઈને કહ્યું હતું કે, મને બહુ ગભરામણ થાય છે, કંઈક ઠંડુ પીવું છે, તમે મારા માટે ઠંડું લઈ આવો. બહેનની વાત માની અજય નજીકની દુકાને ઠંડુ લેવા માટે ગયો હતો.પરંતુ જ્યારે અજય ઘરે પરત ફર્યો ત્યારે પૂજા ઘરમાં બેભાન હાલતમાં પડી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે, ભાઈની ગેરહાજરી દરમિયાન તેણે એસિડ પી લીધું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, મે 2026
2772 |
મિડલ ઇસ્ટ યુદ્ધને કારણે દુબઇમાં સુરત-મુંબઇનાં હીરા ઝવેરાતનો કારોબાર ઘટીને ૪૫ ટકા થઇ ગયો
મુંબઇ સહિત સમગ્ર દેશનાં હીરા ઝવેરાત ઉદ્યોગ ઉપર અમેરિકાએ લાદેલા ટેરિફ કરતા પણ પ્રતિકૂળ અસરો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ઇરાન-અમેરિકા વચ્ચેનાં યુદ્ધની પડી રહી છે. હિસાબી વર્ષ ૨૦૨૬-૨૭નાં પહેલા જ મહિના, એપ્રિલમાં ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીમાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ રિયલ અને લેબગ્રોન બંનેમાં અનુક્રમે ૧૯.૬૫ ટકા અને ૧૫.૫૩ ટકા તેમજ પ્લેન ગોલ્ડ જ્વેલરીમાં ૪૭ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. જાણકારોનું કહેવું છે કે દુબઇમાં યુદ્ધની અત્યંત ઘેરી અસર છે અને તેને કારણે દુબઇમાં ટુરિસ્ટની સંખ્યા પણ અતિશય ઘટી ગઇ છે અને હીરા ઝવેરાતનું કેન્દ્ર ગણાતા દુબઇમાં કારોબાર ઘટી જતા સુરત, મુંબઇથી દુબઇમાં થતી નિકાસ પણ તળિયે બેસી જવા પામી છે.જીજેઇપીસીનાં સત્તાવાર આંકડા તપાસીએ તો જાણવા મળે છે કે ગઇ તા.૨૮મી ફેબ્રુઆરીએ શરૂ થયેલા ઇરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેનાં યુદ્ધને કારણે ભારતની હીરા ઝવેરાતની નિકાસ રૂંધાઇ જવા પામી છે. અમેરિકાએ ટેરિફ અંગે હજુ સુધી કોઇ સ્થિતિ સ્પષ્ટ કરી નથી પરિણામે સુરત અને મુંબઇનાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ તેમજ ડાયમંડ સ્ટડેડ જ્વેલરીનો મોટાભાગનો સપ્લાય યુએઇ એટલે કે દુબઇ, અબુધાબી, શારજાહ થઇને યુરોપનાં દેશોમાં ઠલવાતો હતો. પરંતુ, યુદ્ધને કારણે આ સપ્લાય ચેઇન તૂટી ગઇ છે અને તેની સીધી અસર ભારતની નિકાસ પર પડી છે. જાણકારોનું કહેવું છે કે હીરા ઝવેરાત ઉદ્યોગ પર આ ઉપરાંત વૈશ્વિક સ્તરે સોનાનાં ભાવોમાં થઇ રહેલી અસામાન્ય વધઘટને કારણે પણ વિકસિત દેશોનાં લોકો હાલ તુરત ખરીદીથી અળગા રહેવાનું પસંદ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં કોઇ મોટા ગ્લોબલ ફેસ્ટિવલ્સ પણ નથી આવી રહ્યાં, ઉલ્ટાનું ભારતમાં એક મહિના પછી મોનસુન સિઝન શરૂ થશે, પરિણામે નિકાસ હજુ વધુ અસરગ્રસ્ત બને તેવી શક્યતાઓ જાેવાઇ રહી છે. ગયા વર્ષનાં આરંભે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ અને ૨૫ પેનલ્ટી મળીને ૫૦ ટકા જેટલો ટેરિફ લાદ્યો હતો. એ સમયે પણ નિકાસને કોઈ ખાસ અસર થઈ ન હતી પરંતુ આ વખતે યુદ્ધની ઘેરી અસર જાેવા મળી છે. રફ ડાયમંડની આયાતમાં પણ ૨૯ ટકાનો ધરખમ ઘટાડો રફ ડાયમંડ્સની આયાતમાં પણ એપ્રિલ-૨૦૨૬ મહિનામાં ૨૯.૩૬ ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે. એપ્રિલ ૨૦૨૫ મહિનામાં કુલ ૧૦,૨૬૫.૧૯ કરોડ રૂપિયાનાં રફ ડાયમંડ્સ ભારતમાં ઠલવાયા હતા. જેની સામે એપ્રિલ ૨૦૨૬ મહિના દરમિયાન કુલ રૂ.૭૯૦૮.૭૨ કરોડ રૂપિયાના જ રફ ડાયમંડ્સની આયાત થઇ છે. કેરેટની વાત કરીએ તો એપ્રિલ ૨૦૨૫માં ૧૦૫.૩૯ લાખ કેરેટ રફ ડાયમંડ્સની આયાત થઇ હતી, જે ઘટીને એપ્રિલ ૨૦૨૬માં ૯૦.૫૦ લાખ કેરેટ જ થઇ શકી છે. સુરતનાં હીરા બજારનાં સૂત્રોનું કહેવું છે કે મિડલઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ થાળે પડે નહીં ત્યાં સુધી હીરા ઝવેરાતની નિકાસ તેમજ સપ્લાય ચેઇન આ રીતે જ ચાલશે, હીરા ઉદ્યોગકારો અને નિકાસકારોએ આ પ્રકારનાં કપરા સમય માટે તૈયાર રહેવું પડશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
14, મે 2026
3267 |
ડ્રીમ સિટીથી અલથાણ પછી હવે અડાજણમાં મેટ્રોરેલની ટ્રાયલ રન
મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં ડ્રીમસિટીથી અલથાણ રૂટ ઉપર મેટ્રોરેલની ટ્રાયલ રન લેવાયા બાદ ગુરૂવારે શહેરનાં અડાજણ વિસ્તારમાં પથરાયેલાં નેટવર્ક ઉપર મેટ્રોરેલની ટ્રાયલરન લેવામાં આવી હતી જેને પગલે લોકોમાં ઝડપથી મેટ્રોરેલ શરૂ થવાની આશા જાગી છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...