આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
1683 |
મોરબીના માળીયા નગરપાલિકાની ૨૪ બેઠકો માટે એક પણ ભાજપ દાવેદાર સામે આવ્યો નથી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થતા જ હાલ ગુજરાતમાં ભારે રાજકિય ગરમાયો જામ્યો છે. રાજ્યભરમાં હાલ ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતની વિવિધ પાર્ટીઓ વિવિધ જગ્યાએ પાલિકા, મહાનગરપાલિકા, તાલુકા તથા જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોનો ભરતી મેળો એટલે કે સેન્સ પ્રક્રિયા હાથ ધરી ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી છે. આ સમયે ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટા ભાગના શહેરોમાં ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જાેકે આવા સમયે ગુજરાતમાં આ એક જગ્યાએ સ્થિતિ એકદમ ઉલટી સર્જાઈ છે અને ભાજપને અહીં પોતાનો મુરતિયો દીવો લઇને શોધવા નીકળવું પડે તેવું જાણવા મળી રહ્યું છે. વિગતવાર વાત કરીએ તો, આ ચૂંટણીઓમાં મોરબી જિલ્લા માળીયા નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે. જે માટે ભાજપ દ્વારા યોજવામાં આવેલ સેન્સ પ્રક્રિયામાં એક પણ દાવેદાર દાવેદારી ન કરવા આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતભરમાં ભાજપ તરફથી ચૂંટણી લડવા લોકોની પડા પડી જાેવા મળી રહી છે, પરંતુ મોરબીના માળીયામાં ભાજપને એક પણ ઉમેદવાર મળ્યો નથી. જેથી ભાજપને અહીં એક ઉમેદવાર પણ શોધવો મોટી ચેલેન્જ સમાન સાબિત થઈ રહ્યો છે. આ તરફ અમદાવાદ મહાનગર પાલિકા ચૂંટણી માટે ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો સામે અંદાજે ભાજપમાં ૨૩૬૪ લોકોએ દાવેદારી નોંધાવી છે, તો અમરેલીમાં પણ ૧૬૮૦ કાર્યકરોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી સાથે જ ગુજરાતના મોટા ભાગના શહેર તથા જીલ્લાઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાજપમાંથી ચૂંટણી લડવાની ઈચ્ચા વ્યક્ત કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
2178 |
ભાવનગર શહેરમાં આચારસંહિતા ભંગની સૌ પ્રથમ ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનું રણશિંગુ ફૂકાઈ ચૂક્યું છે, ત્યારે રાજયમાં સૌ પ્રથમ આચારસંહિતા ભંગની ફરિયાદ ભાવનગરમાં નોંધાવાઇ છે. ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસનાં દાવેદાર દ્વારા ચૂંટણી તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સેમિફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં ૧૫ મહાપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો, ૮૪ નગરપાલિકાઓ અને ૨૮૦ તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજયમાં આચારસંહિતા અમલી બની ગઈ છે. ત્યારે ગુજરાતમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ ભાવનગર ખાતે નોંધાવાઇ છે. જેમાં ભાવનગરના ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩માં કોંગ્રેસનાં દાવેદાર એવા કલ્પેશ પટેલ દ્વારા સુભાષનગર ચોકમાં જૈન દેરાસર પાસે લાગેલા એક એલઇડી સ્કીન પર ભાવનગર મહાપાલિકા દ્વારા વિકાસ કાર્યોના વીડિયોની જાહેરાત ચાલતી હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે કોંગ્રેસનાં કાર્યકર અને ઘોઘાસર્કલ વોર્ડના દાવેદાર એવા કલ્પેશ પટેલ દ્વારા મીડિયાને જણાવાયું હતું કે, મારા વિસ્તાર એવા ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩માં આવેલા સુભાષનગર ચોકમાં આવેલા જૈન દેરાસર પાસે લાગેલી એલઇડી સ્ક્રીન પર ભાવનગર મહાપાલિકાએ કરેલા કામો, ખાતમુહૂર્ત કરેલા કામોના વીડિયોની જાહેરાત ચાલી રહી છે. જેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના નેતાઓના ફોટાઓ સાથેની વીડિયો જાહેરાત ચાલી રહી છે. જે એક આદર્શ સામાન્ય આચારસંહિતા ભંગ સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર મહાપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, અને આચારસંહિતા અમલી બની છે. ત્યારે આ બાબતથી આચારસંહિતાનો ભંગ થતો હોવાનું સ્પષ્ટ જણાય છે. જેથી આજે મે ચૂંટણી તંત્ર સમક્ષ આચારસંહિતા ભંગ માટેની ફરિયાદ નોંધાવી છે. આ માટે જે કોઈ જવાબદાર હોય તેવા અધિકારી હોય તેની સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, એપ્રીલ 2026
2475 |
એસીબીએ સીપીડબ્લ્યુડીના મદદનીશ ઇજનેરને ૪.૫૨ લાખની લાંચ લેતા ઝડપ્યો
જામનગરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી સરકારી તંત્રમાં ચાલી રહેલી લાંચપ્રથા સામે કડક કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીના (વર્ગ-૨)ને ૪.૫૨ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સીપીડબ્લ્યુડી કચેરીમાં ટ્રેપ એસીબીએ ગોઠવી આરોપીને પૈસા લેતા રંગેહાથ ઝડપી પાડ્યો. મળતી માહિતી મુજબ, આ કેસમાં ફરિયાદીના મિત્રને જામનગર જિલ્લાના લાખાબાવડ ગામ નજીક હાઈવે પર આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તથા ડબ્લ્યુએચઓના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ બનેલા રિસર્ચ સેન્ટરમાં ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના મોજપ ગામે આવેલા બીએસએફ મરીન તાલીમ કેન્દ્રમાં પણ ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ સોંપાયું હતું. આ બંને કામગીરીના બિલ મંજૂર કરવા માટે આરોપી મદદનીશ ઇજનેર વિજયકુમાર મીનાએ ફરિયાદીના મિત્ર પાસે રૂબરૂમાં ૪.૫૨ લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીના મિત્રએ લાંચ આપવાનો ઇનકાર કરતા સમગ્ર મામલો એસીબી સુધી પહોંચ્યો હતો. બાદમાં એસીબીએ ટ્રેપ ગોઠવી આરોપીની ચેમ્બરમાં જ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને લાંચની રકમ સ્વીકારી હતી. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદીના મિત્ર સાથે મોબાઇલ ફોન પર પણ લાંચની રકમ મળ્યાની કબૂલાત કરી હતી. એસીબીની ટીમે સ્થળ પર જ આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ૪.૫૨ લાખની લાંચની રકમ જપ્ત કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
02, એપ્રીલ 2026
2871 |
દ્વારકામાં કડાકા-ભડાકા સાથે ચોમાસા જેવો વરસાદ, રસ્તાઓ પર પાણી-પાણી
રાજ્યના હવામાનમાં પલટાની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઇ છે. કમોસમી વરસાદથી રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે હજુ પણ કાળા ડિબાંગ વાદળો જાેવા મળી રહ્યા છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઇ છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લાનું વાતાવરણ વાદળછાયું જાેવા મળ્યું હતું. અચાનક આવેલા વાતાવરણમાં આ પલટાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. તો બીજી તરફ શિયાળુ પાક પણ ખેતરમાં ખુલ્લો પડેલો છે, ત્યારે કમોસમી વરસાદને કારણે રવિ પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. ૩ એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આજે અને તે પછીના બે દિવસ એમ કુલ ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહીની સાથે ગાજવીજ અને પવનની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, માર્ચ 2026
3366 |
આ ‘ડિકેડ’ ભારતનો ‘ટૅકેડ’ : પીએમ મોદી મહિનામાં બીજા સેમિકંડકટર પ્લાન્ટનું ઉદઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ જિલ્લાના સાણંદથી કેઇન્સ સેમિકંડક્ટર ઓસાટ ફેસિલિટીનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આ ‘ડિકેડ’ એટલે કે દશકો ભારતનો ‘ટૅકેડ’ છે. તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે તકનીકી ક્ષેત્રે જે નવી પહેલો કરી છે, તે આગામી દાયકાઓમાં વૈશ્વિક સ્તરે દેશના નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારમાં ભારત આજે એક ભરોસાપાત્ર સેમિકંડક્ટર સપ્લાયર તરીકે ઊભરી રહ્યું છે. ત્યારે સાણંદમાં તૈયાર થયેલી આ ચિપ્સ અમેરિકા પહોંચીને સમગ્ર વિશ્વને અજવાળશે. સેમિકંડક્ટર ક્ષેત્રે ભારતનું વર્તમાન વૈશ્વિક માર્કેટ રૂ. ૪.૫ લાખ કરોડ રૂપિયાનું, વર્ષ-૨૦૩૦ સુધીમાં ૯ લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે કેઇન્સ સેમિકોનની અત્યાધુનિક આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસાટ-ઓએસએટી) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરીને દેશના સેમિકન્ડક્ટર મિશનને નવું સામર્થ્ય બક્ષ્યું છે. સાણંદ જીઆઈડીસી ખાતે અંદાજે રૂ.૩૩૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. વડાપ્રધાને પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ સુવિધાનું બારિક નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને કેઇન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કેઇન્સના યુવા એન્જિનિયર્સ સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાનના હસ્તે વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ થતા ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નવા યુગનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે વડાપ્રધાન અને કેઇન્સના વાઈસ ચેરમેન રમેશ કુન્હિકન્નનના હસ્તે કેઇન્સ સેમિકોન દ્વારા તેમના એન્કર કસ્ટમર ‘આલ્ફા ઓમેગા સેમિકન્ડક્ટર’ના સીઈઓ સ્ટીફન ચેંગને પ્રોડક્ટ એનાયત કરાઈ હતી. આ અવસરે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીનો આ સમયગાળો માત્ર આર્થિક હરીફાઈનો સમય નથી, પરંતુ ભવિષ્યના ટૅક લૅન્ડસ્કૅપને આકાર આપવાનો સમય છે. પરિણામે, વર્ષ-૨૦૨૧માં ભારતમાં સેમિકંડક્ટર મિશનનો પ્રારંભ કરાયો હતો. આ માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ વૈશ્વિક કક્ષાએ ભારતના આત્મવિશ્વાસનું એલાન છે. તેમણે કહ્યું કે આજનું આ નવું ભારત માત્ર બદલાવનું સાક્ષી નહીં.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ધાર્મિક
05, એપ્રીલ 2026
297 |
વડોદરા |
તો સુખ છે ક્યાં?
ખની પ્રાપ્તિ માટે માનવજાતે વિકાસની હરણફાળ ભરી છે, પણ યક્ષપ્રશ્ન એ છે કે સુખી થવા માટે માણસ અહીં સુધી પહોંચ્યો પણ શું તે સુખી થયો છે?આન્દ્રે અગાસી(છહઙ્ઘિી છખ્તટ્ઠજજૈ), ટેનિસનો લેજેન્ડરી ખેલાડી, ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન. આઠ વાર ગ્રાન્ડ સ્લેમ વિજેતા, ૧૯૯૬ ઓલિમ્પિક ગોલ્ડ-મેડાલિસ્ટ. કુલ ૮૭૦ મેચ જીતનાર આ ખેલાડીએ ૨૫ વર્ષો સુધી એક અત્યંત પ્રભાવશાળી ટેનિસ પ્લેયર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું! આ રમતના ઈતિહાસમાં એ બેસ્ટ સર્વિસ રિટર્નર હતો. ટેનિસની રમતે ૧૯૯૦ના દાયકામાં તેની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવી એનો બધો શ્રેય બીબીસી આન્દ્રે એગસી ને આપે છે. એગસી એક વર્ષમાં પોતે મેળવેલા વિજયોમાંથી ૩૧ મિલિયન ડોલર અને જાહેરાતોમાંથી ૨૫ મિલિયન ડોલર કમાતો. એની પાસે બધું જ હતું - ખ્યાતિ, સમૃદ્ધિ અને સફળતા. વર્લ્ડ નંબર વન બન્યા પછી તે સુખી થવા ઇચ્છતો હતો. પણ એને સુખનો અનુભવ થતો નહોતો. પોતાની આત્મકથા ‘ર્ંઁઈદ્ગ’ માં તે લખે છે, “હું બધાને કહું છું કે શ્રેષ્ઠ બનવાથી સારું લાગે છે, પણ હકીકતમાં એ જુઠ્ઠાણું છે. એવું કશું હું અનુભવતો નથી. હું એ અનુભવવા માંગું છું. એ અનુભૂતિ મારી અપેક્ષા છે. પણ હકીકત એ છે કે હું એવું કશું જ અનુભવતો નથી... હું ઘણા કલાકો સુધી શેરીઓમાં રખડતો રહું છું... અને વિચારતો રહું છું કે મારામાં શું ખામી છે! હું આ દુનિયાનો નંબર વન ટેનિસ પ્લેયર છું, અને છતાં અંદરથી હું ખાલીપાનો અનુભવ કરું છું. જાે નંબર વન બન્યા પછી પણ વ્યક્તિને ખાલીપાનો કે અસંતોષનો અનુભવ થતો હોય તો પછી રમવાનો મતલબ જ શું?” એને એની સફળતાથી સંતોષનો અનુભવ થતો નહોતો. એને પોતાની સમૃદ્ધિનું સુખ અનુભવાતું નહોતું. એને કશી અનુભૂતિ જ થતી નહોતી. કોઈક વસ્તુનો અભાવ હતો. આખું વિશ્વ સુખ માટે જેની પાછળ દોડે છે, એગસી પાસે તે બધું જ સર્વોચ્ચ સ્થિતિમાં હતું. પદ-પ્રતિષ્ઠા, પૈસા બધું જ. પણ આ બધું જ હૃદયનો ખાલીપો ભરી શક્યા નહીં આટલું બધું જાણ્યા પછી થાય કે તો સુખ છે ક્યાં? તે એક એવા વ્યક્તિ પાસેથી જાણીએ જેઓને અખંડ સુખનો અનુભવ છે. જેઓ અપાર પ્રવૃત્તિઓની વચ્ચે અખંડ આનંદમાં રહ્યા છે. મુશ્કેલીઓના વાવાઝોડામાં પણ જેમનો આંતરિક આનંદ અકબંધ રહ્યો છે. તેવા વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને એક વિખ્યાત સમાચારપત્રના તંત્રી શ્રી કનુભાઈએ પ્રશ્ન પૂછ્યો કે, આપના જીવનમાં અફસોસ નો વિષય કયો? ત્યારે તુરંત જ તેઓને પ્રત્યુત્તર આપતા પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું કે, “ના એવો કોઈ પ્રસંગ નથી. આનંદ ને આનંદ જ રહ્યા કરે છે.” આજે ૭ અબજના વિશ્વને આશ્ચર્ય પમાડે તેવું આ વિધાન છે કે એક પણ પ્રસંગ દુ:ખનો નથી. ખેડૂતથી લઈને રાષ્ટ્રપતિ સુધી, મજૂરથી માંડી મહાજન સુધી અને અમેરિકાથી-આદિવાસી સુધી બધા લોકોએ તેઓના જીવનમાં અખંડ આનંદનો અનુભવ નિહાળ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભા મુંબઇમાં યોજાઇ હતી. તે વખતે વિખ્યાત અભિનેતા પરેશ રાવલ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના વક્તવ્યમાં જાહેરમાં વાત કરી કે સાધુ સંતોને મળવા જાઉં ત્યારે હું બહુ સાવચેત રહું છું... પણ પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ દર્શન માટે જ્યારે હું સારંગપુર ગયો હતો ત્યારે મને અનુભવ થયો કે તેમના નશ્વર દેહમાં જે દિવ્યતા જણાતી હતી, તે જાેઈને મને અફસોસ રહી ગયો કે આ પુરુષ આ પૃથ્વી પર જીવંત હતા ત્યારે હું તેમને મળી શક્યો નહીં. આટલું બોલતા તેમનો કંઠ ભરાઈ ગયો. તેઓ ભાવાર્દ્ર બની ગયા. જીવનમાં કંઇક ચૂકી ગયાનો વસવસો આંખોના ખૂણે છલકાઈ ગયો. પ્રમુખસ્વામી મહારાજના સંપર્કમાં આવનાર પ્રત્યેક સુખ-શાંતિ અને દિવ્યતાનો અનેરો અનુભવ કરતા. તો તેઓ પોતે સુખ શાંતિથી કેટલા ભરેલા હશે તેનું અનુમાન કરી શકાય છે. આબાલ વૃદ્ધ સહુ કોઈને સ્પર્શતી હતી તેઓની સુખદ પ્રતિભા. એક અકિંચન સાધુ કે જેઓની પાસે કોઈ લૌકિક સંપત્તિ નથી છતાં આનંદ ભરપૂર છે, તો શું હતું તેઓના અખંડ સુખનું રહસ્ય? રોજબરોજના વ્યવહારિક કાર્ય કરતાં કરતાં પણ સુખની અનુભૂતિ થાય તેવો એક ઉપાય જણાવતાં પ્રમુખસ્વામી મહારાજ કહેતા “બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.” વાસ્તવિકતા એવી છે કે સુખની શોધમાં આપણે દૂર-સુદૂર સુધી પ્રવાસ ખેડી નાંખ્યો પણ સુખી થવાની ચાવી આપણી આસપાસ જ છે. ‘હું શું લઈ શકું’ એમ નહીં ‘હું બીજા માટે શું કરી શકું’ તે વિચારધારા આપણે કેળવવાની છે. પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવન દ્વારા આપણને સમજાવ્યું કે જ્યારે આપણે પ્રભુની પ્રસન્નતા માટે બીજાના ભલા અર્થે જે કોઈ શુભ કાર્ય કરીએ છીએ તેનાથી આપણને જીવનમાં એક અનોખો આનંદ અને દીર્ઘકાળનો સંતોષ પ્રાપ્ત થાય છે. જીવન વધુ સાર્થક લાગે છે. બિલ ક્લિન્ટન જ્યારે ૨૦૦૧ની સાલમાં ગાંધીનગરમાં પ્રમુખસ્વામી મહારાજને મળ્યા ત્યારે તેઓએ પોતાની અનુભૂતિ જણાવતા કહ્યું હતું કે સ્વામીશ્રી તમારી આંખોમાં મને સચ્ચાઈનાં દર્શન થાય છે, તમે બીજાને પાછા પાડીને નહીં બીજાને આગળ લાવીને આગળ આવ્યા છો.’ આ હતું તેમના અખંડ આનંદમય જીવનનું એક રહસ્ય. બીજાના ભલામાં આપણું ભલું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
05, એપ્રીલ 2026
2277 |
વડોદરા |
GRINDR ડેટિંગ એપથી કોન્ટેક્ટમાં આવેલા લોકોએ વડોદરાના યુવકને લૂંટી લીધો
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સનો ઉપયોગ સાવચેતી વગર કરવો કેટલો જાેખમી હોઈ શકે છે, તેનો વધુ એક દાખલો વડોદરામાં સામે આવ્યો છે. GRINDR નામની ડેટિંગ એપ્લિકેશન દ્વારા યુવકનો સંપર્ક કરી તેને રૂબરૂ મળવા બોલાવીને લૂંટ ચલાવવાની ચોંકાવનારી ઘટના બની છે. પાણીગેટ પોલીસે આ મામલે તપાસ તેજ કરી રાજકોટની એક મહિલા આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી યુવક ‘GRINDR એપ પર નિકુંજ નામના શખ્સના સંપર્કમાં આવ્યો હતો. વીડિયો કોલ અને ચેટિંગ દ્વારા વિશ્વાસ કેળવ્યા બાદ, આરોપીઓએ યુવકને મળવા માટે વડોદરાના ઉમા ચાર રસ્તા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો. આરોપીઓએ આ મકાન ભાડે લેવાના બહાને મકાન માલિક પાસેથી ચાવી મેળવી હતી અને ત્યાં ફરિયાદીને ફસાવ્યો હતો. જેવો યુવક ત્યાં પહોંચ્યો, આરોપીઓએ તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટારુઓએ યુવકને એટીએમ પર લઈ જઈ નાણાં ઉપડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા અંતે યુવક પાસેથી રૂપિયા ૧,૭૫,૦૦૦ની કિંમતની સોનાની ચેઈન અને બે વીંટીઓ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના ૨૩ માર્ચ, ૨૦૨૬ના રોજ બની હતી. પાણીગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ રાજકોટની ‘મેરીલેન્ડ હોટેલ્રુમાં રોકાયા હતા. પોલીસે રાજકોટમાં દરોડો પાડી આ કાવતરામાં સામેલ મહિલા આરોપી મુમતાજ યોગેશભાઈ ઉર્ફે રાકેશ સિંગરને એક કાર સાથે ઝડપી પાડી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓ એક જ પરિવારના છે. મુખ્ય આરોપી યોગેશ બિંદુ હોવાનું અને તેણે મુમતાજ સાથે લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ નિકુંજ ગોંડલીયા, જનક સીંગર, કેતન દેગામા અને અન્ય એક અજાણ્યા શખ્સની શોધખોળ કરી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
05, એપ્રીલ 2026
2178 |
વડોદરા |
પેટ્રોલ પંપના ધંધામાં સગા ભાઈ સાથે ૩.૩૮ કરોડની ઠગાઈ
નંદેસરી જીઆઈડીસીમાં પોતાના સગા મોટાભાઈ સાથે ભાગીદારીમાં પેટ્રોલપંપ ચલાવતાં નાના ભાઈએ તેમના ભાગીદાર એવા તબીબ ભાઈની જાણ બહાર પેટ્રોલપંપ પર ૩.૩૮ કરોડથી વધુની લોન લઈ તેમજ લોનની ભરપાઈ નહી કરી છેતરપિંડી કરતાં નાના ભાઈ વિરુધ્ધ મોટાભાઈએ ફરિયાદ નોંધાવી હતી.અમદાવાદના આંબાવાડી વિસ્તારની યોગાશ્રમ સોસાયટીમાં રહેતા ડો. દિલીપભાઈ સળુભાઈ દેવડાએ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘હું પરિવાર સાથે રહુ છું અને અમારી પોતાની માલિકીની છોટાઉદેપુર બોડેલી ખાતે દેવ હોસ્પિટલ છે જયાં તબીબ તરીકે ફરજ બજાવું છું. ગત ૨૦૦૭માં અમે અમારા નામ પર પેટ્રોલ પંપ માટે ફોર્મ ભર્યું હતું અને અમે એસસી એસટી જાતિના હોઈ અમારી જાતિની કેટેગરી મુજબ અમને બોડેલીમાં એચપીસીએલ પેટ્રોલ કંપનીનો પેટ્રોલ પંપ ફાળવવામાં આવ્યો હતો. બોડેલીમાં જગ્યા નહી મળતાં પેટ્રોલ કંપનીએ વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાં આવેલો તેમનો પંપ જે બંધ હતો તે અમને ફાળવ્યો હતો અને અમે મૈાર્વી પેટ્રોલપંપ ચાલું કર્યો હતો. આ પેટ્રોલપંપનો તમામ વહીવટ મારા નાનાભાઈ સુભાષ દેવડા કરતા હતા અને તેમણે મને પેટ્રોલપંપમાં ભાગીદાર બનાવવાનું કહેતા ગત ૨૦૧૮માં તેમને ૪૯ ટકાના ભાગીદાર બનાવ્યા હતા. અમને ૫૧ ટકાની ભાગીદારી પેટે દરમહિને એક લાખ આપવાનું નક્કી થતાં સુભાષે અમુક મહિના દરમિયાન અનિયમિત રીતે અમારા બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. ગત ૨૦૨૪માં અમારે બોડેલી ખાતે હોસ્પિટલ બનાવવા માટે પૈસાની જરૂર પડી હતી જે માટે અમે લોન મેળવવાની કાર્યવાહી કરતાં અમને જાણ થઈ હતી કે અમારા પાર્ટનીરશીપમાં ચાલતા પેટ્રોલપંપમાં ઘણી બધી લોનો ચાલું છે. અમે પેટ્રોલપંપના એકાઉન્ટન્ટ જાદવભાઈને પુછતાં તેમણે જાણ કરી હતી કે ગત ૩૦-૦૧-૦૨૦૨૧થી જુલાઈ-૨૦૨૫ના સમયગાળામાં ખાનગી બેંકો અને ફાયનાન્સ કંપનીઓ સહિત ૧૪ સ્થળેથી ૩,૩૮,૯૨,૩૭૧ રૂપિયાની લોન લેવામાં આવી છે. સુભાષે ભાગીદારી પેઢીના નામે બારોબાર લોન લીધા બાદ લોનની ચુકવણી નહી કરી ઠગાઈ કરી હતી. ’ આ ફરિયાદના પગલે પોલીસે સુભાષ દેવડા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
1683 |
વડોદરા |
શિનોરના તેરસા ગામે વીજ કંપનીના કૉન્ટ્રાક્ટના ૩ શ્રમિકોને કરંટ લાગ્યો
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તેરસા ગામે વીજ વિભાગની ગંભીર બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. જ્યોતિગ્રામ યોજનાના રીપેરીંગ કામ દરમિયાન ત્રણ શ્રમિકોને અચાનક વીજ કરંટ લાગતાં હાહાકાર મચી ગયો હતો. સદનસીબે ત્રણેય શ્રમિકોનો જીવ બચી ગયો છે, પરંતુ તેઓને હાથ અને છાતીના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ, કૂક્સ એગ્રીકલ્ચર લાઇન ઉપર જ્યોતિગ્રામ લાઇનનું એમબીસીસી કામ ચાલી રહ્યું હતું. કામ શરૂ કરતાં પહેલાં ઠેકેદારે સંબંધિત અધિકારીઓને જાણ કરી હોવા છતાં એગ્રીકલ્ચર લાઇનનો પાવર બંધ કરવામાં આવ્યો નહોતો. પરિણામે, જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચર લાઇનના વાયર એકબીજા સાથે ભેગા થતાં અચાનક કરંટ પ્રસરી ગયો અને કામ કરતા ત્રણેય શ્રમિકો તેની ચપેટમાં આવી ગયા હતા તેવો આરોપ મુકાયો છે.આ બનાવ દરમિયાન પુલ ઉપર કામ કરી રહેલા શ્રમિકોને કરંટ લાગતાં તેઓ નીચે પટકાયા હતા. સદનસીબે નીચે માટી હોવાથી ગંભીર ઇજાઓથી તેઓ બચી ગયા. સાથે જ કરંટ લાગતાં જ તેમના હાથમાંથી વાયર છૂટી જતા મોટી દુર્ઘટના ટળી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને જરૂરી સેફટી સાધનો પણ આપવામાં આવ્યા નહોતાં, જેના કારણે જાેખમ વધ્યું હતું.આ ઘટનાએ વીજ વિભાગની કામગીરી અને સલામતી વ્યવસ્થાઓ પર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં આ બાબતે રોષ જાેવા મળી રહ્યો છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે,શુક્રવારે આ બનાવ બન્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
05, એપ્રીલ 2026
1782 |
વડોદરા |
વડોદરા કૉર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસના ૧૮ ઉમેદવારોના નામોની યાદી જાહેર કરાઈ
વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ૧૮ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં ભાજપના પૂર્વ કાઉન્સીલર આશીષ જાેશી, ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની બંને પુત્રી નીલમ ધનંજય નિગમ અને દિપા અતુલ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. ઉપરાંત, સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ, ગોપાલ રવજીભાઈ રબારી અને તીર્થ જતીનભાઈ બ્રમ્હભટ્ટને પણ ઉમેદવાર જાહેર કરાયા છે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ અને બાળુ સૂર્વેને પણ ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે વોર્ડ - ૧૪ અને વોર્ડ - ૧૫ની પેનલના તમામ ઉમેદવારોના નામોની પણ જાહેરાત કરી છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
1683 |
એટીએસ અને એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં ફરાર આરોપી બિક્રમજીતસિંગ ડીસાથી ઝડપાયો
ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં પંજાબના વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.. બિક્રમજીતસિંઘની ડીસામાંથી ધરપકડ કરવામાં આવી છે. જે પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટીનો સાગરિત હતો અને ભારતના પંજાબના એક કેસમાં ફરાર હતો.આરોપી વિસ્ફોટકો પહોચાડવા અને સુરક્ષા એજન્સીઓના ઠેકાણા ઉપર વિસ્ફોટ કરાવવાનું કામ કરાવતો હતો.બિક્રમજીતસિંગ ડીસાના એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરી રહ્યો હતો. આરોપીની ધરપકડ કરી એટીએસ એ વધુ તપાસ હાથ ધરી છે. બિક્રમસિંગ અંગે પંજાબ પોલીસે એટીએસ ને વોન્ટેડ આરોપીની માહિતી આપી હતી.જેના પર કામ કરીને તપાસ કરતા વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંહ છે જે હાલ ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરતો હોવાની માહિતી મળી હતી. એટીએસ એ અલગ અલગ ટીમ બનાવી બનાસકાંઠા એસઓજીની મદદથી ડીસાના એક ઢાબામાંથી બિક્રમજીતસિંઘની ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પ્રકાશમાં આવ્યું હતું કે આરોપી પાકિસ્તાની ગેંગસ્ટર સાથે મળીને વિસ્ફોટકો પહોંચાડતો અને સુરક્ષા એજન્સીના એકમો ઉપર ગ્રેનેટ મારફતે વિસ્ફોટ કરવાનું કામ કરાવતો હતો.આરોપી પંજાબથી દૂર રહી શહેઝાદ ભટ્ટી માટે પંજાબના સ્થાનિકોને ગેંગમાં જાેડતો અને ભટ્ટીની સૂચના મુજબ પોલીસ સ્ટેશન અને અન્ય સુરક્ષા એજન્સીના એકમો ઉપર હુમલો કરાવવાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. ઝડપાયેલો આરોપી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈમાટે કામ કરતો પાકિસ્તાની ગેંગસ્ટર છે. જે ભારતના પંજાબ રાજ્યમાં આઈએસઆઈ માટે આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપે છે,તેમજ સુરક્ષા એજન્સી અને પોલીસ સ્ટેશન ખાતે ખ્યાતનામ વ્યક્તિ ઉપર ગ્રેનેટ મારફતે હુમલો કરાવી રહ્યો છે.જે અંગે સ્પેશિયલ ઓપરેશન થતા અમૃતસર ખાતે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. અગાઉના ગુનામાં કેટલાક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
1683 |
રાજ્યમાં ડોર ટુ ડોર પ્રચાર કરી વિજય મેળવવા ભાજપની વ્યૂહરચના
ભાજપ દ્વારા અમદાવાદ મનપા ચૂંટણીને લઈ સંકલન સમિતિની રિવ્યૂ બેઠક યોજાઈ છે. રાજકીય પરિસ્થિતિને લઈ કાર્યાલયમાં હલચલ જાેવા મળી રહી છે. કેટલાક વોર્ડમાં ભાજપને બેઠક જીતવા પડકારોનો સામનો કરવો પડી શકે તેમ છે. અત્યાર સુધીની કામગીરીનો રિવ્યૂ લઈ ભાજપે આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. અમદાવાદ શહેરમાં બે દિવસની સેન્સ પ્રક્રિયા બાદ મહાનગરપાલિકા માટે શહેર ભાજપ દ્વારા સંકલન સમિતિની રિવ્યૂ બેઠક યોજાઈ છે. બેઠકમાં દાવેદારોની સેન્સ પ્રક્રિયા બાદ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. પાર્ટીએ ઉમેદવારની પસંદગી સાથે સ્થાનિક અસંતોષ, આંતરિક જૂથવાદને ધ્યાને લેવું પડશે. માહિતી મુજબ સમીક્ષા બેઠકમાં પક્ષ તેમજ વોર્ડનાં આગેવાનો હાજર રહ્યાં હતા. વોર્ડવાઈઝ બેઠકોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. ૧૯૨ બેઠક માટે ૨૩૬૪ જેટલા દાવેદારોનાં બાયોડેટા મળતા ઉમેદવારો નક્કી કરવાનો ધમધમાટ જાેવા મળ્યો છે. એક વોર્ડમાં ૧૨ જેટલા નામની પેનલ તૈયાર કરવામાં આવશે એટલે કે ૧ વોર્ડમાં ૩ ઉમેદવારોનાં નામ નક્કી કરાશે. જેમાં શહેર પ્રમુખ, મહામંત્રીઓ પ્રદેશના હોદ્દેદારો અને ધારાસભ્યો સહિતના નેતાઓ દ્વારા ઉમેદવારોના બાયોડેટાની ચકાસણી કરવામાં આવી રહી છે. ભાજપે આજથી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. પાર્ટીનાં કાર્યકરો ઘરે ઘરે જઈ પત્રિકા વિતરણ કરવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ માઈક્રો-મેનેજમેન્ટ પર ભાર મૂકી ચૂંટણી જીતવાની રણનીતિ બનાવી દીધી છે. વિકાસ કાર્યોને દરેક લોકો સુધી પહોંચાડવા વિશેષ અભિયાનો ચલાવવામાં આવશે. જેમકે, જનસંપર્ક તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ સંસદીય બોર્ડની બેઠક ૬ એપ્રિલથી ૮ એપ્રિલ સુધીમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના નામ ઉપર અંતિમ મહોર મારવામાં આવશે. આગામી ૧૦ એપ્રિલ સુધીમાં ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. કોર્પોરેટર, પ્રમુખ, કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ સરકારની કામગીરીનો હિસાબ આપશે. માહિતી મુજબ ભાજપની ચૂંટણી સમિતિ બેઠક આગામી ૭, ૮, ૯ એપ્રિલનાં રોજ થશે ત્યારે તબક્કાવાર ઉમેદવાર જાહેર કરશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
1485 |
ઇકબાલ શેખે એઆઇએમઆઇએમમાં જાેડાઇને ગોમતીપુરમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ૫ ટર્મથી સેવા આપતા અને ૩૫ વર્ષથી વફાદાર રહેતા કોર્પોરેટર ઈકબાલ શેખએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દેતા એક સાંધે ત્યાં તેર તૂટે તેવી કોંગ્રેસની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઈકબાલ શેખ એઆઇએમઆઇએમમાં જાેડાઈ ગોમતીપુર વોર્ડમાંથી ચૂંટણી લડશે. ઈકબાલ શેખે પક્ષ સાથે વફાદાર રહ્યાં છતાં તેમની બાજુ ધ્યાન આપવામાં આવ્યું નથીનો બળાપો ઠાલવ્યો છે. છેલ્લે સુધી મેન્ડેટ આપવામાં ન આવતા પાર્ટીમાંથી રાજીનામુ આપવાનો ર્નિણય કર્યો હોવાનું તેમણે જણાવ્યું છે. તેમણે લેટર લખી કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ માટે રાત દિવસ મહેનત કરવા છતાં છેલ્લાં ૨૫ વર્ષથી જ્યારે જયારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાઈ ત્યારે મને છેક છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવતું નથી અને મારી જાણી જાેઈને અવગણના કરવામાં આવે છે. જે મારા માટે અત્યંત દુ:ખદ ઘટના રહી છે. મને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. આ સંજાેગોમાં આ વર્ષે યોજાનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ગોમતીપુર વોર્ડમાંથી કોંગ્રેસના બેનર હેઠળ હું દાવેદારી નોંધાવતો નથી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
2178 |
ભાવનગર શહેરમાં આચારસંહિતા ભંગની સૌ પ્રથમ ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનું રણશિંગુ ફૂકાઈ ચૂક્યું છે, ત્યારે રાજયમાં સૌ પ્રથમ આચારસંહિતા ભંગની ફરિયાદ ભાવનગરમાં નોંધાવાઇ છે. ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસનાં દાવેદાર દ્વારા ચૂંટણી તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સેમિફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં ૧૫ મહાપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો, ૮૪ નગરપાલિકાઓ અને ૨૮૦ તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજયમાં આચારસંહિતા અમલી બની ગઈ છે. ત્યારે ગુજરાતમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ ભાવનગર ખાતે નોંધાવાઇ છે. જેમાં ભાવનગરના ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩માં કોંગ્રેસનાં દાવેદાર એવા કલ્પેશ પટેલ દ્વારા સુભાષનગર ચોકમાં જૈન દેરાસર પાસે લાગેલા એક એલઇડી સ્કીન પર ભાવનગર મહાપાલિકા દ્વારા વિકાસ કાર્યોના વીડિયોની જાહેરાત ચાલતી હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે કોંગ્રેસનાં કાર્યકર અને ઘોઘાસર્કલ વોર્ડના દાવેદાર એવા કલ્પેશ પટેલ દ્વારા મીડિયાને જણાવાયું હતું કે, મારા વિસ્તાર એવા ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩માં આવેલા સુભાષનગર ચોકમાં આવેલા જૈન દેરાસર પાસે લાગેલી એલઇડી સ્ક્રીન પર ભાવનગર મહાપાલિકાએ કરેલા કામો, ખાતમુહૂર્ત કરેલા કામોના વીડિયોની જાહેરાત ચાલી રહી છે. જેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના નેતાઓના ફોટાઓ સાથેની વીડિયો જાહેરાત ચાલી રહી છે. જે એક આદર્શ સામાન્ય આચારસંહિતા ભંગ સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર મહાપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, અને આચારસંહિતા અમલી બની છે. ત્યારે આ બાબતથી આચારસંહિતાનો ભંગ થતો હોવાનું સ્પષ્ટ જણાય છે. જેથી આજે મે ચૂંટણી તંત્ર સમક્ષ આચારસંહિતા ભંગ માટેની ફરિયાદ નોંધાવી છે. આ માટે જે કોઈ જવાબદાર હોય તેવા અધિકારી હોય તેની સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
2277 |
સ્થાનિક ચૂંટણી પહેલાં ભાજપે લઘુમતી મોરચાની નવી ટીમની જાહેરાત કરી દીધી
ભાજપમાં મુખ્યત્વે સાત મોરચા આવેલા છે. જેમાં મહિલા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, અનુસૂચિત જનજાતિ મોરચા, યુવા મોરચા, બક્ષીપંચ મોરચા અને કિશાન મોરચા સમાવેશ છે. જેમાં ભાજપે યુવા મોરચા અને અનુસૂચિત જનજાતિ મોરચા ટીમ જાહેરાત કરી હતી. હવે ભાજપ દ્વારા લઘુમતી મોરચાના સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ અને સંગઠન મહામંત્રી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ લઘુમતી ટીમના હોદ્દેદારોની ભાજપે નિયુક્તિ કરી છે. ભાજપે લઘુમતી મોરચામાં કુલ ૨૧ આગેવાનોને વિવિધ હોદ્દાઓ જેમ કે પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ અને પ્રદેશ કાર્યાલય મંત્રી જેવા મહત્વના હોદ્દેદારોની ટીમ જાહેર કરી છે. જેમાં ભાજપે પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વાસિમભાઈ શેખ, હુસેનભાઇ દલ, મોહમ્મદ ઇલિયાસભાઈ મલેક, અબ્દુલ વહાબખાન પઠાણ નિયુક્તિ કરી છે. આ નેતાઓ કે જ્યાં મુસ્લિમ સમુદાયના લોકો વસ્તી ધરાવતા જિલ્લા જેવા કે ગાંધીનગર, જૂનાગઢ, વલસાડ, કચ્છ, નવસારી અને ભરૂચમાંથી આવતા આગેવાનોને પ્રતિનિધિત્વ આપ્યું છે. તે પ્રમાણે પ્રદેશ મહામંત્રી તરીકે તારિકભાઈ સોલંકી, અબ્બાસી સદાબ અબ્દુલકાદર અને અન્ય આગેવાનોની, કે જેઓ રાજકોટ, જામનગર, સુરત, વડોદરા સહિતના વિસ્તારોમાંથી તેમની નિયુક્તિ ભાજપે કરી છે. જ્યારે પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે રફિકભાઈ અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે અલ્તાફભાઈ બુખારીની નિમણૂક કરાઈ છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
05, એપ્રીલ 2026
1980 |
સુરત |
વ્યાજખોરનાં ત્રાસથી કાપડ વેપારીનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ
સુરતના અડાજણ પાટીયાના કાપડ વેપારીએ સલાબતપુરાની દરગાહ પાસે ઝેર પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. અઢી કરોડ વ્યાજ આપ્યા છતાં વ્યાજખોરે ત્રાસ આપતા પગલું ભર્યાનું હાલ સામે આવ્યું છેઅડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા કાપડના વેપારી ૪૮ વર્ષીય અલ્તાફ અશરફ ઓરાવાલાએ સલાબતપુરા દરગાહ પાસે ફિનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. સારવાર માટે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. અલ્તાફભાઈએ પોતાના ભાઈ અને તેના બિઝનેસ પાર્ટનરને જુનેદ યુનુસ ઓરાવાલા પાસેથી ધંધા માટે ૯૦ લાખ રૂપિયાની લોન લેવામાં આવી હતી. ઉઘરાણી અને વ્યાજની ચુકવણી માટે તેમને કુલ ૨.૫ કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. ચુકવણી છતાં જુનેદ દ્વારા સતત પઠાણી ઉઘરાણી અને ધમકી આપવામાં આવતી હતી. આ મામલે અલ્તાફભાઈના પુત્ર અબારાએ જણાવ્યું કે, “જુનેદના ત્રાસ અને સતત દબાણને સહન ન કરી પિતાએ આ પગલું ભર્યું. તેમણે આપઘાત પહેલા ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી હતી, જેમાં ઉઘરાણી અને સામાજિક દબાણનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે.” પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સુસાઈડ નોટને મહત્વપૂર્ણ પુરાવા તરીકે રાખી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
1980 |
સુરત |
વરાછા બેંકની ચૂંટણીમાં માત્ર ૧૮ ટકા મતદાન, મંગળવારે મતગણતરી યોજાશે
૧૯૯૫માં સ્થપાયેલી અને હાલમાં ગુજરાતની ટોપ-૫ સહકારી બેંકોમાં સ્થાન પામતી સુરતની વરાછા કો.ઓ. બેંકમાં ડિરેક્ટરોની ખાલી પડેલી ૧૨ બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. સવારે ૮થી સાંજે ૪ વાગ્યા સુધી થયેલા મતદાનમાં કુલ ૯૯૭૮ શેર હોલ્ડરોએ (અંદાજે ૧૮ ટકા) મતદાન કર્યું હતું. હવે મતગણતરી આગામી મંગળવારે સવારે ૮ કલાકે વરાછાના ધારુકાવાલા કોલેજ કેમ્પસમાં યોજાશે.વરાછા કો.ઓ. બેંકની સ્થાપનાને ૩૧ વર્ષમાં પહેલી વખત આ વખતે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૧૨ બેઠકો માટે ચૂંટણી યોજાઇ રહી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કુલ ૧૫ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાંથી ૨ સીટ મહિલાઓની અને ૧ સીટ એસ.સી., એસ.ટી. વર્ગ માટે રિઝર્વ છે જેના પર એક-એક ઉમેદવારોએ જ ઉમેદવારી કરી હતી આથી આ બેઠકો બીનહરીફ વિજેતા ઘોષિત કરી દેવામાં આવી છે. બાકીની ૧૨ બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. ૧૨ બેઠકો માટે કુલ ૧૮ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. સત્તાધારી જૂથની સહકાર પેનલ કે જેમાં પૂરેપૂરા ૧૨ ઉમેદવારો છે જ્યારે બાકીના છ ઉમેદવારોમાં ૨ ઉમેદવારોએ આજે મતદાન યોજાય એ પહેલા જ સત્તાધારી પેનલના સમર્થનમાંથી ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. જોકે સહકારી મલ્ટીસ્ટેટ બેંકની ચૂંટણીના ધારાધોરણો અનુસાર ખસી ગયેલા ઉમેદવારોના નામો પણ આજે બેલેટ પેપરમાં સામેલ કરવામાં આવ્યા હતા. વરાછાના ધારૂકાવાળા કોલેજ કેમ્પસમાં આજે સવારે ૮ના ટકોરે મતદાન શરૂ થયું હતું. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ઉદ્યોગપતિઓથી શરૂ કરીને બિલ્ડરો, સામાજિક, રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં મતદાન મથકે ઉમટી પડ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરતા પણ વધુ રોમાંચ હોય તેવા દ્રશ્યો આજે વરાછા બેંકની ચૂંટણીમાં યોજાયા હતા. કુલ ૬૩ હજાર જેટલા શેરહોલ્ડરો મતદાન કરી શકવા સમર્થ હતા. પરંતુ, સાંજે ૪નાં ટકોરે જ્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવી ત્યારે ૯૯૭૮ મત પડ્યાં હોવાનું નોંધાયું હતું. આજે મતદાન બાદ સત્તાધારી જૂથની સહકાર પેનલના ઉમેદવારો ઉત્સાહમાં દેખાયા હતા કેમ કે મતદાનનો ઝોક સહકાર પેનલ તરફે હતો અને એવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે તમામ ૧૨ બેઠકો પર સત્તાધારી જૂથના ઉમેદવારો આસાનીથી જીત મેળવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
1881 |
સુરત |
મનપાએ ડુમસ સીફેસ નજરાણું આપ્યું પરંતુ સુરતીઓ સુધર્યાં નહીં
સુરત શહેરમાં ફરવાલાયક સ્થળો આંગળીનાં વેઢે ગણાય તેટલાં જ હોવાથી સહેલાણીઓ નિરાશ હતાં. મહાનગર પાલિકાએ ડુમસ સી-ફેસ નજરાણું આપતાં વીકએન્ડમાં સુરતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે પરંતુ સ્વચ્છતામાં નંબર-૧નો એવોર્ડ લીધાં પછી પણ સુરતીઓ હજુ સ્વચ્છતાનાં પાઠ ભણ્યાં નથી અને ડુમસનાં દરિયાકિનારે કચરાનો ઢગલો કરી જાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
05, એપ્રીલ 2026
1980 |
સુરત |
સાયબર ફ્રોડનાં નાણા એટીએમથી ઉપાડવા માટે ૮ થી ૧૦ યુવકો રાખવામાં આવ્યાં હતાં
દેશનાં ૧૮ રાજ્યોનાં ૫૩ નાગરિકો સાથે ૪૭.૪૪ કરોડનું સાયબર ફ્રોડ કરનારા માફિયાઓ માટે બેંક એકાઉન્ટ મેનેજ કરતાં ડિંડોલીનાં યુવકને પકડી પોલીસે ૧૯.૮૭ લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રેકેટનાં ઓપરેટર ઋષિકેશ શિંદે અને હરિશ ચૌધરીએ સાયબર ફ્રોડના નાણાં એટીએમથી વિડ્રો કરવા માટે ભાવેશ જેવા ૮ થી ૧૦ છોકરાઓ રાખ્યા હતાં. એ છોકરાઓની ઓળખ ન થાય એમ માટે તેઓને નાણાં ઉપાડવા માટે અડાજણ, પાલ, સિટીલાઇટ, અલથાણ અને ભટાર વિસ્તારનાં એટીએમનો ઉપયોગ કરવા કહેવાતું હતું.ગરીબ ગરજાઉ લોકોને કમિશનની લાલચમાં સપડાવી તેમના નામે ખોલાવાયેલા બેંક એકાઉન્ટ થકી સાયબર ફ્રોડ કરનાર આંતરરાષ્ટ્રીય ગેંગનો સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. દુબઇ બેસી નેટવર્ક ઓપરેટ કરનારા સાયબર માફિયાઓ માટે બેંક એકાઉન્ટ મેનેજ અને ઓપરેટ કરતાં ઋષિકેશ શિંદે અને હરિશ ચૌધરીનાં પન્ટર ભાવેશ શિંદેને પોલીસે દબોચી લીધો હતો. ત્રણ દિવસનાં રિમાન્ડ મેળવી ભાવેશ શિંદેની કરાઇ રહેલી પૂછપરછમાં ઘણી ચોંકાવનારી બાબતો બહાર આવી રહી છે. સાયન્સ ગ્રેજ્યુએટ ભાવેશે પોલીસને જણાવ્યું હતું કે, તે એક મહિનાથી ઋષિકેશ અધિકાર શિંદે તથા હરીશ સુનિલભાઈ ચૌધરી સાથે કામ કરી રહ્યો છે. આ બંનેનાં જણાવ્યા અનુસાર તે અલગ અલગ બેંકનાં એટીએમ દ્રારા સાયબર ફ્રોડના રૂપિયા વિડ્રો કરતો હતો એટલું જ નહીં એ રૂપિયા પરત રૂષિકેશનાં જણાવ્યા અનુસારનાં એકાઉન્ટમાં જમા પણ કરાવી દેવાતાં હતાં. રૂપિયા જમા કરાવતાં અગાઉ એ એકાઉન્ટ એક્ટિવ છે કે કેમ એની ચકાસણી એપ્લિકેશન થકી કરવામાં આવતી હતી. ઋષિકેશની સૂચના અનુસાર એટીએમમાંથી રૂપિયા વિડ્રો કરવા દરમિયાન ઓળખ છતી ના થાય એ માટે અલગ અલગ યુવકોનો ઉપયોગ કરાતો હતો. રવિવાર સિવાય દરરોજ ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયા ઉપાડી તેમને અપાતાં હતાં. આ કામનાં મહેનતાણા પેટે ભાવેશને રોજનાં એક હજારથી પંદર હજાર રૂપિયા સુધી આપવામાં આવતાં હતાં. એક મહિનામાં તે ૭૫ લાખથી વધુ રકમ એટીએમથી ઉપાડી ઋષિકેશ અને હરિશને આપી ચૂક્યો હોવાની કબૂલાત પણ ભાવેશે કરી હતી. ભાવેશ શિંદે જેવા આઠ થી દસ યુવકો માત્ર એટીએમમાંથી પૈસા વિડ્રો કરવા માટે રાખવામાં આવ્યા હતાં. આ યુવકોને લિંબાયત કે આસપાસનાં વિસ્તારોનો એટીએમનો ઉપયોગ કરે તો તેમની ઓળખ થઇ જવા ઉપરાંત પકડાઇ જવાની ભીતી રહેતી હતી. જેથી આ યુવકોને લિંબાયતથી દસથી બાર કિલોમીટર દુર એવા અડાજણ, પાલ, સિટીલાઇટ, અલથાણ અને ભટાર વિસ્તારનાં એટીએમનો ઉપયોગ કરવા કહેવાતું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
05, એપ્રીલ 2026
1980 |
સુરત |
મનપાની ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે મીથેન ગેસ ડીટેક્શન સિસ્ટમ અને ઇન્ફ્રારેડ થર્મોમીટર લગાવાશે
સુરત શહેરમાંથી દરરોજ જનરેટ થતો હજારો મેટ્રિક ટન કચરાનો જ્યાં સંગ્રહ અને પ્રોસેસિંગ થાય છે તે ખજોદ ડિસ્પોઝલ સાઇટ ખાતે વારંવાર આગનાં બનતાં બનાવોને પગલે થઇ રહેલાં આક્ષેપોને ધ્યાનમાં રાખી ડિસ્પોઝલ સાઇટ ખાતે મીથેન ગેસ ડીટેક્શન સીસ્ટમ અને ઇન્ફ્રારેડ થર્મોમીટર લગાવવાનો મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ ર્નિણય લીધો છે. લાખો મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરીને નિકાલ કરવાનો ઇજારો ધરાવતાં સી.ડી.ટ્રાન્સ્પોર્ટ કંપની તેમજ મહાનગર પાલિકાનાં અધિકારીઓ આગ લાગવા માટે કાયમ મીથેન ગેસનું કારણ આગળ ધરતાં હોય છે ત્યારે ખરેખર મીથેન ગેસને કારણે આગ લાગે છે કે નહીં તે જાણવા માટે મીથેન ગેસ ડીટેક્શન સીસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો જ્યારે આગ લાગે તે પહેલાં જ ઇન્ડિકેશન મળી શકે તે માટે ઇન્ફ્રારેડ થર્મોમીટર લગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હોવાનું ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવે જણાવ્યું હતું. મીડિયમ ટર્મ પ્લાનનાં ભાગરૂપે આ એડવાન્સ ટેકનોલોજી અપનાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર ખજોદ ડિસ્પોઝલ સાઇટ વિસ્તારમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભું કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જેનાં લાઇવ ફીડ મહાનગર પાલિકાનાં આઇસીસીસી ખાતે જોઇને મોનિટરિંગ કરી શકાશે તેમ ડેપ્યુટી કમિશનર ગુરવે ઉમેર્યું હતું.ખજોદ ડિસ્પોઝલ સાઇટ ખાતે તાજેતરમાં જ ફાટી નીકળેલી આગ પછી મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ સાઇટ ખાતે કચરાનો કેટલો ઢગલો પડી રહ્યો છે તે જાણવા માટે એસવીએનઆઇટીનાં નિષ્ણાંતોને કામ સોંપ્યું હતું. ખજોદ ડિસ્પોઝલ સાઇટની મુલાકાત લીધા પછી સાયન્ટિફિક ધોરણે તપાસ કર્યા બાદ સાઇટ ખાતે સાત લાખ જેટલો કચરો પડ્યો હોવાનો રીપોર્ટ એસવીએનઆઇટીનાં નિષ્ણાંતોએ આપ્યો હતો. મહાનગર પાલિકાનાં અધિકારીઓએ પણ આગ લાગ્યા પહેલાં ડ્રોન કેમેરાથી લીધેલી તસવીરો અને આગ લાગ્યા પછી લીધેલી તસવીરોને આધારે જ સી.ડી.કોન્ટ્રાક્ટરને ચૂકવણું કરવાનો ર્નિણય લીધો છે. બે મહિનાનાં સમયગાળાની અંદર બીજીવખત આગ લાગી ત્યારપછી જીપીસીબીની ટીમે ફરી ખજોદ ડિસ્પોઝલ સાઇટની મુલાકાત લઇ રીપોર્ટ ગાંધીનગર સ્થિત વડી કચેરીએ મોકલી આપ્યો છે. ડિસ્પોઝલ સાઇટ ખાતે સુધારાત્મક પગલાં લેવાની સુચના જીપીસીબીનાં અધિકારીઓએ આપતાં સુરત મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ ઇનર્ટ, નોર્મલ અને પ્રોસેસ કરેલો કચરો એમ ત્રણ કેટેગરીમાં કચરાને જુદો રાખવા કોન્ટ્રાક્ટરને આદેશ આપ્યો છે. બે પ્રકારનાં કચરાનાં ઢગલાં વચ્ચે રસ્તો બનાવવો જેથી ટ્રક, ફાયર ટેન્ડર સરળતાથી જઇ શકે તેમજ નકામા કચરા ઉપર માટી નાંખીને કવર કરવાની સુચના પણ ઇજારદારને આપી છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...