ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 2970   |  
અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે; ૩ મહિનામાં કામગીરીનો પ્રારંભ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના હાઈવે અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી વધુ નાણાં મેળવવા રાજ્ય સરકારને તાત્કાલિક દરખાસ્ત મોકલવા અનુરોધ કર્યો હતો.અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ-વે હવે ૮ લેન થશે ૯૩ કિલોમીટરના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વેને ચારમાંથી ૮ લેઈનમાં પરિવર્તિત કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડતરીએ મંજૂરી આપી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે ગુજરાતની આ માંગણી પરત્વે ર્નિણય કરીને વર્ષ ૨૦૨૭માં જ વિસ્તરણનું કાર્ય શરૂ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતનું જમીન સંપાદન મોડલ દેશ માટે ઉદાહરણ ડીપીઆર તૈયાર થતી વખતે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનને સરળ બનાવવા બિનખેતી મંજૂરીની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત મોડલની નીતિન ગડકરીએ પ્રશંસા કરી અને તેને સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય ગણાવ્યું. રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને શક્ય હોય ત્યાં સુધી કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરીને અન્યત્ર રોપવાની સૂચના આપવામાં આવી જેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 2376   |  
વીજપોલ વળતર મામલે સરકારને ખેડૂતોની ‘રાજસ્થાન જેવું ૪ ગણું વળતર નહીં મળે તો વીજ થાંભલા ઉખેડી નાખીશું’

મોરબીના જેતપર ગામેથી આંદોલન પાર્ટ ૩ માટેનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાંથી ખેડૂત આગેવાનો અને સરપંચોને બુધવારે રેટ બોલાવવામાં આવ્યા હતા અને તેઓની સાથે આંદોલન પાર્ટ ૩ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખેડૂતોના ખેતરમાં ઊભા કરવામાં આવતા વીજ થાંભલા સામે જાે પૂરતું વળતર કાપવામાં ન આવે તો થાંભલાને ઉખેડી નાખવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે.દરમ્યાન ગુરુવારે રાતે જે ૧૨ જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી તેમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદર, ભરુચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થતો હતા. આ બેઠકમાં આવેલા ખેડૂતોએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે જાે ખેડૂતોને તેમની જમીનમાં નાખવામાં આવતા વીજપોલ સામે પૂરતું વળતર નહીં આપવામાં આવે તો હાલમાં ખેડૂતો સરકારને હટાવવા માટે એકત્રિત થયા નથી પરંતુ વળતર નહીં મળે તો ભાજપ વિરોધી મતદાન કરતા પણ ખેડૂતો અચકાશે નહીં અને આગામી સમયમાં આંદોલન પાર્ટ ૩ શરૂ થશે તે પૂરા આક્રોશ સાથે હશે અને તેના માટેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે. તાજેતરમાં સરકાર દ્વારા વીજ કંપનીના વીજ પોલ અને કોરિડોર માટે વળતરનો જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેને ૧૨ જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ લોલીપોપ સમાન ગણાવ્યો છે અને જે રીતે રાજસ્થાનમાં સરકાર ચાર ગણું વળતર ચૂકવે છે તેવી જ રીતે ગુજરાતમાં ખેડૂતોને પણ ચાર ગણું વળતર જાેઈએ અને તે નહીં મળે તો ખેડૂતોના ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ તેવી ચેતવણી આપવામાં આવી છે. આમ છેલ્લા બે દિવસમાં ગુજરાતના ૨૪ જેટલા જિલ્લામાંથી ખેડૂત આગેવાનો જેતપર ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા અને તેઓએ પોતાના સૂચન આપ્યા હતા. હવે આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત લેવલે ખેડૂતોની સમિતિઓ બનાવવામાં આવશે અને ત્યાર બાદ આયોજન પૂર્વક વળતર મેળવવા આંદોલન પાર્ટ ૩ શરૂ કરવામાં આવશે તેવી માહિતી આંદોલન સમિતિના સભ્યએ આપી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 1782   |  
ગૅમઝોન અગ્નિકાંડમાં ૬ અધિકારી કાયમી ઘરભેગા

રાજકોટમાં ૨૦૨૪માં થયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ૬ અધિકારી કાયમી ઘરભેગા કરી દેવાયા છે. ગુજરાત હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો આધારે સુનાવણી શરૂ કરી હતી. જેમાં આજની સુનાવમીમાં હાઈકોર્ટમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. મનપાએ કહ્યું છે કે, સમગ્ર કેસની તપાસમાં મનપાના જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે.રાજકોટ મનપાએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે, ગેમઝોન અગ્નિકાંડની બાદ જે તપાસ કરવામાં આવી છે તેમાં જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરાઈ છે. આ અધિકારીઓને સિવિલ સર્વિસ નિયમો હેઠળ સજા ફટકારાઈ છે. અન્ય એક અધિકારીને સેવામાંથી દૂર કરવામાં આવ્યો છે. જ્યારે વર્ગ એકના વરિષ્ઠ અધિકારી સામે સજાની કાર્યવાહી કરાઈ છે. સુઓ મોટો પીટીશનમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં રાજકોટ મનપા ફાયર ઓફિસર રોહિત વિગોરા, ટીપી વિભાગના અધિકારી ગૌતમ જાેશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, ઇલેશ ખેર અને રાજેશ મકવાણાને ડિસમિસ કરવામાં આવ્યા છે. જ્યારે ચીફ ટીપીઓ મનસુખ સાગઠિયા અગાઉથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ ગયાં છે. મનપાના તત્કાલિન ચીફ ફાયર ઓફિસ ઈલેશ ખેર, તત્કાલિન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જાેશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા અધિકારીને ડિસમિસ કરી દેવાયા છે. જ્યારે તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા ખાતાકીય તપાસના અનુસંધાને આ ‘ડિસ્મિસલ ફોર સર્વિસ‘ કરવામાં આવ્યા છે. ખાતાકીય તપાસમાં તમામ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખાતાકીય તપાસમાં તમામ અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે અને આ ગંભીર બેદરકારીના કારણે જ તેમની સામે કડક કાર્યવાહી કરી ડિસમિસ કરવામાં આવ્યા છે. ૨૭ લોકોના મોત થયા અને તેમની પાછળ આ જ બધા અધિકારીઓ જવાબદાર હોવાનું કમિશનરની તપાસમાં સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. ડિસમિસ કરી દેવાયા મનપાના તત્કાલિન ચીફ ફાયર ઓફિસ ઈલેશ ખેર, તત્કાલિન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જાેશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા અધિકારીને ડિસમિસ કરી દેવાયા છે. જ્યારે તત્કાલિન ્ર્ઁં મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવવામાં આવ્યા. મનસુખ સાગઠિયાને પ્રોવિઝનલ પેન્શન ચૂકવાશે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા નિવૃત્તિવય વટાવી જતાં તેનું રજાનું રોકડ રૂપાંતર સસ્પેન્ડ કરી માત્ર પ્રોવિઝનલ પેન્શન ચુકવવા ર્નિણય કરાયો છે. હવે કોઈ અધિકારીને સરકારી લાભ મળશે નહીં : બાર એસો.ના પૂર્વ ઉપપ્રમુખ સિનિયર એડવોકેટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, કડક કાર્યવાહી કરવામાં આવતા હવે તેમને એક પણ પ્રકારના સરકારી લાભો મળી શકશે નહીં. પરંતુ હવે આ તમામ અધિકારીઓને મળવા પાત્ર થતી રકમ સરકાર દ્વારા મૃતકોમાં પરિવારજનોને અપાય તો તેમને સાચો ન્યાય મળ્યો કહેવાય.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, જુલાઈ 2026 2277   |  
સલાયાનું માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું મહેબૂબ-એ-બુખારી નામનું માલવાહક જહાજ ઓમાનના દરિયાના પ્રચંડ મોજા અને ખરાબ હવામાનના કારણે દરિયામાં ડૂબ્યું છે. જહાજ પર સવાર કુલ ૧૪ ભારતીય ખલાસીઓમાંથી ૧૨ ખલાસીઓને ઓમાનના સર્ચ એન્ડ રેસ્ક્યૂ દળે બચાવી લીધા છે. આ દુર્ઘટનામાં કમનસીબે ૨ ખલાસીઓના કરુણ મોત નીપજ્યા છે. સલાયાનું મહેબૂબ-એ-બુખારી(રજીસ્ટ્રેશન નંબર મ્ડ્ઢૈં ૧૪૧૫) જહાજ ગત ૩ જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગો ભરીને જીબુટી જવા દરિયાઈ માર્ગે રવાના થયું હતું. આ જહાજ ઓમાન નજીકના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક દરિયામાં ભારે કરંટ અને ખરાબ હવામાન સર્જાયું હતું. કુદરતી આફત વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિનો એકાએક બંધ પડી ગયા હતા. એન્જિન બંધ થતાં જહાજમાં પાણી ભરાયું ગયું હતું અને જાેતજાેતામાં કરોડોની કિંમતનું માલવાહક જહાજ દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જેથી ટંડેલે તમામ ક્રૂ મેમ્બરોને જીવ બચાવવા દરિયામાં કૂદવાનો આદેશ આપ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, જુલાઈ 2026 1683   |  
અમરેલીના લીલીયામાં સિંહના હુમલામાં યુવકનું મોત :અત્યાર સુધી સાત હુમલા

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં સિંહના હુમલામાં એક યુવકનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ ત્રણ યુવકો ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા જંગલ વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન સિંહને ઉશ્કેરવાનો પ્રયાસ થતાં સિંહે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને બચાવી શકાયો નહોતો અને તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ચોમાસાનો સમય એશિયાટિક સિંહોના મેટિંગ સીઝનનો મહત્વનો સમયગાળો છે. આ સમય દરમિયાન સિંહો પોતાના વિસ્તાર અને સાથી પ્રત્યે વધુ રક્ષણાત્મક અને સંવેદનશીલ વર્તન દાખવી શકે છે. આવી સ્થિતિમાં તેમની નજીક જવું અથવા તેમને ઉશ્કેરવાનો કોઈપણ પ્રયાસ અત્યંત જાેખમી બની શકે છે.મંત્રીએ લોકોને અપીલ કરી કે સિંહ દર્શનની લાલચમાં ગેરકાયદેસર રીતે જંગલ કે વન્યજીવ વિસ્તારમાં પ્રવેશ ન કરે. સિંહો સાથે હંમેશા સુરક્ષિત અંતર જાળવવું જાેઈએ અને વન વિભાગની સૂચનાઓનું કડક પાલન કરવું જાેઈએ.વન્યજીવોને ખલેલ પહોંચાડે તેવી કોઈપણ પ્રવૃત્તિ કાયદેસર ગુનો છે અને આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.વન વિભાગે જણાવ્યું છે કે ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. જાે કોઈ વ્યક્તિ દ્વારા વન્યજીવ સંરક્ષણ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવશે તો સંબંધિત લોકો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટના બાદ વન વિભાગે ફરી એકવાર લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં સિંહોના રહેઠાણ વિસ્તારોમાં બિનઅધિકૃત પ્રવેશ, નજીકથી ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી અને વન્યજીવોને ઉશ્કેરવાની પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે જેથી માનવજીવન અને વન્યજીવો બંનેની સુરક્ષા જળવાઈ રહે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 1386   |  
ભવિષ્યમાં હવે વાહનો માટે માત્ર E20 પેટ્રોલનો જ વિકલ્પ મળશે

જો તમે પણ પેટ્રોલ કાર કે ટુ-વ્હીલર ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. દેશભરમાં અત્યારે E20 પેટ્રોલ એટલે કે ૨૦ ટકા ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલનો ઉપયોગ વધી રહ્યો છે. પરંતુ, તેના ઉપયોગથી વાહનો ખરાબ થવાના દાવાઓ થઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ગાડીઓ બગડવાના સમાચાર તદ્દન ખોટા છે અને આ એક સુનિયોજિત નેરેટિવ છે. તેમણે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે E20 ફ્યુઅલના કારણે બંધ પડી હોય તેવી એક પણ કાર બતાવો. સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે આગામી સમયમાં E20 પેટ્રોલ જ શુદ્ધ પેટ્રોલ તરીકે મળશે અને આ સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોય, તેમજ આ ઇંધણ સસ્તું પણ નહીં થાય. બીજી તરફ વડોદરાના ઓટો ફોરમેનો અને ગેરેજ એક્સપર્ટ્સનો દાવો છે કે E20 ઇંધણના કારણે ગાડીઓના એન્જિન પંપ વારંવાર બગડી રહ્યા છે અને વાહનોની એવરેજમાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેઓ E20 ઇંધણના ઉપયોગને લઈને શું કહી રહ્યા છે, આવો જોઈએ આ વિગતવાર અહેવાલમાં..


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 1980   |   વડોદરા   |  
વાસણા-ભાયલી રોડ પર ૨૦ ફૂટ ઊંડો ભૂવો પડતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી

હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે. ત્યાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાનો સીલસીલો શરૂ થઈ ગયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કિસ્મત ચોકડીથી વાસણા-ભાયલી ફાયર સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર આશિયાના નગર પાસે મસમોટો ભૂવો પડતા સ્થાનિક રહીશોએ લાકડાની આડસ મૂકીને બેરીકેટીંગ કર્યું હતુ. રસ્તાની વચ્ચે ભૂવો પડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો ડ્ડી રહ્યો છે. ડ્રનેજ લાઈનમાં ભંગાણના કારણે નાનો ભૂવો ૨૦ ફૂટ જેટલો ઉંડો થયો હતો. અને રસ્તાની નીચેની માટીનું ધોવાણ થતા પાલિકા તંત્રની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે, ત્યારે રોડની વચ્ચે એકાએક ભૂવો પડતા સદનસીબે કોઈ દૂર્ધટના બની ન હતી. ડ્રેનેજ લાઈનમાં ભંગાણના કારણે આ ભૂવો પડ્યો હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતુ. જાેકે, આસપાસના લોકોએ ત્વરીત લાકડાની આડસો મૂકીને માર્ગની એક બાજુનો વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો. ભૂવાના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અને ટ્રાફિકજામના દ્રષ્યો સર્જાયા હતા. સ્થાનિક રહીશોએ કહ્યું હતુ કે, સવારના સમયે નાનો ભૂવો પડ્યો હતો. પરંતુ જાેતજાેતામાં ભૂવામાં પાણીના કારણે આસપાસનો રસ્તો બેસી ગયો અને ઉંડો અને પહોંળો ભૂવો થતાં રહીશોએ લાકડાની આડસો મૂકીને રસ્તો બંધ કર્યો છે. જાેકે, ડ્રેનેજની મેઈન લાઈનમાં ભંગાણ સર્જાતા આ ભૂવો પડ્યો હોવાનું સ્થાનિકોએ કહ્યું હતુ. પરંતુ સોસાયટીના મેઈન ગેટ પાસેજ મેઈન રોડ પર ભૂવો પડતા વાહનચાલકોને અવર- જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 2673   |   વડોદરા   |  
નિયમ ભંગ કરનારા તંત્રના વાહનોને ખૂલ્લો પરવાનો!

શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી પોલીસ સામાન્ય નાગરિકો પાસેથી નિયમોના નામે કડક હાથે દંડ વસૂલવામાં જરાય પાછી પાની કરતી નથી. જાે સામાન્ય વાહનચાલકની ગાડી પર નંબર પ્લેટ ન હોય કે થોડી ખામી હોય, તો પોલીસ તુરંત જ દંડનીય કાર્યવાહીનો કોરડો વીંઝે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ જ કાયદો અને નિયમો શહેરના રાજમાર્ગો પર બેફામ દોડતા ડોર-ટુ-ડોર કચરાના વાહનોને કેમ લાગુ પડતા નથી? તેવા વેધક સવાલો નાગરિકોમાં ઊઠી રહ્યા છે.શહેરમાં ધમધમતી ડોર-ટુ-ડોર કલેક્શનની અનેક ગાડીઓ એવી છે કે જેમાં કાં તો નંબર પ્લેટ ગાયબ હોય છે અથવા તો કચરા અને ગંદકીના લીધે અસ્પષ્ટ હોય છે, જે દેખાતી જ નથી. આ વાહનો રોડ પર ચાલવા માટે ફિટ (લાયક) છે કે નહીં, તેની ફિટનેસ સર્ટિફિકેટની કોઈ વિગત પણ જાેવા મળતી નથી. આમ છતાં, આ ખખડધજ અને જાેખમી વાહનો કોઈ પણ રોકટોક વગર શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ મૂકપ્રેક્ષક બનીને ફક્ત તમાશો જાેઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. આ વાહનોમાં માત્ર કાયદાકીય કાગળોની જ ખામી છે એવું નથી, પરંતુ રોડ સેફ્ટીના પણ ધજાગરા ઉડી રહ્યા છે. ડોર-ટુ-ડોરના વાહનોની ઉપર લોકો અને શ્રમિકો જાેખમી રીતે બેઠેલા જાેવા મળે છે. એટલું જ નહીં, માસૂમ બાળકો પણ ડ્રાઇવરના ખોળામાં કે ડ્રાઇવિંગ સીટની તદ્દન બાજુમાં જાેખમી સ્થિતિમાં બેઠા હોય છે. આવી ગંભીર બેદરકારી ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે, છતાં પોલીસ તંત્ર આ બધું નજરઅંદાજ કરી રહ્યું છે. સામાન્ય જનતા અને ડોર-ટુ-ડોરના વાહન ચાલકો વચ્ચે પોલીસ દ્વારા રાખવામાં આવતો આ બેવડો માપદંડ હવે લોકોમાં ભારે આક્રોશ જન્માવી રહ્યો છે. નાગરિકો પૂછી રહ્યા છે કે કાયદો શું માત્ર સામાન્ય માણસના ખિસ્સા ખંખેરવા માટે જ છે? જાેખમી રીતે દોડતા આ ડોર-ટુ-ડોરના વાહનો અને તેના ચાલકો સામે પોલીસ ક્યારે લાલ આંખ કરશે અને કડક દંડનીય કાર્યવાહી હાથ ધરશે, તેની જનતા રાહ જાેઈ રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 3267   |   વડોદરા   |  
ત્રણ રાજ્યમાં છૂપાયો, મુક્ત કરવા પરિવાર પાસે ૧ લાખની ખંડણી માગી

શહેરના અકોટા વિસ્તારમાં રહેતી મૂળ રાજસ્થાનની ૧૭ વર્ષની સગીરાનું લઘુમતી સમાજના યુવકે પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કર્યું અને સગીરાના પરિવાર પાસેથી ૧ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. સગીરા પોતાના સંબંધીના ઘરે રહેવા આવી હતી. આ દરમિયાન તેને ઓળખતો એક યુવક રાજસ્થાનથી વડોદરા આવ્યો હતો. યુવકે સગીરાને મળવા બોલાવી અને અપહરણ કરીને પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ અને ત્યારબાદ રાજસ્થાન લઈ ગયો હતો.અકોટા પોલીસ પણ રાજસ્થાન પહોંચી હતી અને સગીરાનો કબજાે મેળવ્યો હતો. જાેકે પોલીસ પહોંચે તે પહેલા જ આરોપી રિક્ષામાંથી ઉતરીને ભાગી ગયો હતો. સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે અકોટા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે અને પીડિતાના નિવેદનને આધારે દુષ્કર્મનો ગુનો દાખલ કરવા માટે પણ રિપોર્ટ કર્યો છે.રાજસ્થાનના અજમેરમાં રહેતા સલીમ ઉર્ફે સૈયદ સૈલાબ નામના શખસે એક સગીરાને પોતાની ચુંગાલમાં ફસાવી હતી. તેણે સગીરાના કિંમતી ઘરેણાં અને મોબાઈલ ફોન પણ વેચી માર્યા હતા અને સગીરાને મુક્ત કરવાના બદલામાં આરોપીએ સગીરાની માતા પાસે ૧ લાખની ખંડણીની માંગણી કરી હતી અને પીડિતાની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સગીરાની માતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસ તુરંત એક્શનમાં આવી હતી. પોલીસે ભારે જહેમત બાદ સગીરાને આરોપીની ચુંગાલમાંથી હેમખેમ છોડાવી લીધી હતી. હાલ મુખ્ય આરોપી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં આરોપીની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે. દીકરી અહીં અકોટામાં તેની માસીના ઘરે આવેલી હતી. આરોપી પણ તે જ વિસ્તારમાં રહેતો હોવાથી તેને ખબર પડી કે દીકરી અહીં આવેલી છે. એટલે તે પીછો કરતો કરતો અહીં સુધી આવ્યો અને ત્યારબાદ તેનું અપહરણ કરીને લઈ ગયો હતો. આ કેસમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 1980   |   વડોદરા   |  
જેટિંગ મશીન મુદ્દે ભાજપ-કોંગ્રેસના કાઉન્સિલરો ઝઘડ્યા

જૂના વડોદરાનો વિસ્તાર એવા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના વોર્ડ ૧૪માં ડ્રેનેજની અવાર- નવાર સમસ્યા સર્જાય છે. ત્યારે ગત રાત્રીના ડ્રેનેજની સફાઈ માટે કાઉન્સિલરો દ્વારા જેટિંગ મશીન મંગાવવામાં આવ્યું હતું જાે કે એક જ વોર્ડમાં બે અલગ અલગ સ્થળોએ કામગીરી કરાવવા માટે ભાજપ અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર આમને સામને આવી ગયા હતા અને મે જેટીંગ મશીન મંગાવ્યુ હોવાનું કહેતો વિડિયો વાઈરલ થયો હતો. જાેકે, મહિલા કોર્પોરેટરો વચ્ચે જાહેરમાં તૂ..તૂ.. મે..મે.. થતા સ્થાનિક રહીશો પણ અચરજમાં મુકાયા હતા.શહેરના વોર્ડ ૧૪માં આવેલા વાડી, મોગલવાડા, બરાનપુરા, ધડિયાળી પોળ સહિતના વિસ્તારમાં લાંબા સમયથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા છે. આ અંગેની ફરિયા સ્થાનિક કોર્પોરેટરોને મળી હતી. જેથી વડોદરા મ્યુનિ, કોર્પોરેશન દ્વારા ગત રાત્રીના સમયે જેટિંગ મશીન મોકલવામાં આવ્યુ હતુ. ભાજપના કોર્પોરેટર ્અંકિતા સોની અને દિપીકા પટ્ટણી સ્થળ પર સ્થળ પહોંચ્યા હતા. જ્યાં ભાજપા અને કોંગ્રેસના કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવ વચ્ચે તુતું મેંમેં થઈ હતી. બંને પક્ષના કોર્પોરેટરો દ્વારા આ મશીન મેં મંગાવ્યું છે અને પહેલા મારા વિસ્તારમાં કામગીરી થશે તેમ કહીનેે શાબ્દિક તડાફડી સર્જાઈ હતી. જાે કે એક કામ પૂર્ણ થયા બાદ આ મશીન બીજા સ્થળે મોકલવામાં આવ્યું હતું.  મશીન આવ્યા બાદ પહેલા ક્યાં કામગીરી કરાવવી તેના માટે અને ભાજપ તેમજ કોંગ્રેસના કોર્પોરેટર આમને સામને આવી જતા ત્યાં ઉપસ્થિત લોકો પણ ચોંકી ગયા હતા.જાેકે, આ અંગે વોર્ડના એન્જિનિયરે કહ્યું હતુ કે, ગત રાત્રે વોર્ડમાં બે જેટીંગ મશીન ડ્રેનેજની સફાઈ માટે મંગાવવામાં આવ્યા હતા. જેમાં એક રાવપુરા- દાંડિયાબજાર વિસ્તારમાં અને બીજુ ધડિયાળી પોળ- મોલગવાડા વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી કરવાની હતી. મશીન કોઈ કાઉન્સિલરને ફાળવતા નથી. જે વિસ્તારની ફરિયાદ હોય ત્યાં કામગીરી માટે મોકલવામાં આવે છે તેમ કહ્યું હતુ.ચૂંટાયેલા પ્રતિનિધિની આખા વોર્ડની જવાબદારી હોય છે. વોર્ડની સમસ્યા એ તમામ કોર્પોરેટરોની નિરાકરણ લાવવાની ફરજ છે. પણ શું ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ પોત પોતાના વિસ્તાર વહેંચી લીધા છે? તેવા પણ સવાલો લોકોમાં ઉઠ્યા છે.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 1980   |  
દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ

વટવામાં ર૦ દિવસની બાળકીને રમાડવાના બહાને લઈ જઈ વેચી દેવાની ઘટના માત્ર એક પોલીસ કેસ નથી. આ ઘટનાએ ગેરકાયદે બાળક દત્તક લેવાના કાળા કારોબાર તરફ ફરી એક વાર ધ્યાન દોર્યું છે. બાળકોનાં ખરીદ-વેચાણનું નેટવર્ક વર્ષોથી વિવિધ રાજ્યમાં સક્રિય છે અને તેમાં વચેટિયાઓ, ગરીબ પરિવારો, નકલી દસ્તાવેજાે તથા બાળક દત્તક લેવા આતુર દંપતીઓ સુધીની આખી સાંકળ કામ કરતી હોય છે. કાયદાને બાયપાસ કરીને બેબી માર્કેટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે.ભારતમાં બાળકને દત્તક લેવાની કાયદેસર પ્રક્રિયા લાંબી અને કડક હોવાથી કેટલાક લોકો ગેરકાયદે રસ્તો અપનાવે છે. ખાસ કરીને નવજાત બાળકની માગ સૌથી વધુ હોવાથી આવાં બાળકો માટે લાખો રૂપિયાના સોદા થતા હોવાના અનેક કેસ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આવા રેકેટમાં સૌથી પહેલાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો પર નજર રાખવામાં આવે છે. કેટલીક વખત કુંવારી માતાઓ અથવા ગંભીર આર્થિક સંકટમાં રહેલી મહિલાઓનો સંપર્ક કરવામાં આવે છે. બાળકના બદલામાં રોકડ રકમની ઓફર કરીને બાળકને જન્મ બાદ તરત જ અન્ય વ્યક્તિને સોંપી દેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં વચેટિયાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓ બાળક લેવા ઇચ્છતા દંપતી અને બાળક આપનાર વ્યક્તિ વચ્ચે કડી તરીકે કામ કરે છે. ત્યાર બાદ ખોટાં જન્મ પ્રમાણપત્ર, નકલી હોસ્પિટલ રેકોર્ડ અને દત્તકના બનાવટી દસ્તાવેજાે તૈયાર કરીને સમગ્ર સોદાને કાયદેસર હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પણ આવા રેકેટ માટે માધ્યમ બન્યું છે. વોટ્સએપ ગ્રૂપ, ફેસબુક અને ઓળખાણના નેટવર્ક દ્વારા બાળક દત્તક લેવા ઇચ્છતા લોકો સુધી પહોંચવામાં આવે છે. ત્યાર બાદ લાખો રૂપિયામાં બાળકનો સોદો કરવામાં આવે છે. ગેરકાયદે દત્તક લેવાયેલા બાળકને ભવિષ્યમાં પોતાની ઓળખ, વારસાગત અધિકાર અને જન્મના રેકોર્ડ જેવી અનેક કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી કાયદેસર પ્રક્રિયા સિવાય બાળક દત્તક લેવું કે આપવું ગંભીર ગુનો ગણાય છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 2772   |  
એએમસીમાં ૬.૪૩ કરોડના લેપટોપ-મોબાઇલ ખરીદની દરખાસ્તને મંજૂરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેટરો અને અધિકારીઓ માટે લેપટોપ, પ્રિન્ટર અને મોબાઇલ ફોન ખરીદવાની ૬.૪૩ કરોડની દરખાસ્તને મંજૂરી આપી છે. આ ર્નિણય બાદ જાહેર નાણાંના ઉપયોગને લઈને વિવિધ સ્તરે ચર્ચા શરૂ થઈ છે. મંજૂર કરાયેલી દરખાસ્ત મુજબ કોર્પોરેશનના ૧૯૨ કોર્પોરેટરો અને વર્ગ-૧થી વર્ગ-૩ સુધીના ૧૦૯૦ અધિકારીઓ માટે ગેજેટ્સ ખરીદવામાં આવશે. આ ગેજેટ્સ માટેનો ખર્ચ કોર્પોરેશનના ભંડોળમાંથી કરવામાં આવશે.દરખાસ્ત અનુસાર કોર્પોરેટરો માટે અંદાજે ૨.૬૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે, જ્યારે અધિકારીઓ માટે ૩.૮૨ કરોડ ફાળવવામાં આવશે.અધિકારીઓમાંથી આશરે ૯૦ અધિકારીઓને લેપટોપ અને પ્રિન્ટર આપવામાં આવશે, જ્યારે બાકીના અધિકારીઓને મોબાઇલ ફોન આપવામાં આવશે. માહિતી મુજબ કોર્પોરેટરો અને અધિકારીઓ દ્વારા ખરીદાયેલા ગેજેટ્સ તેમની વ્યક્તિગત માલિકીમાં રહેશે. કોર્પોરેટરો પહેલા પોતાની પસંદગી મુજબ લેપટોપ અને પ્રિન્ટર ખરીદશે અને ત્યારબાદ બિલ રજૂ કરીને કોર્પોરેશન પાસેથી રિઇમ્બર્સમેન્ટ મેળવશે. કોર્પોરેટરો માટે અગાઉ લેપટોપ અને પ્રિન્ટર માટે ૯૦ હજારની મર્યાદા હતી, જેને વધારીને હવે ૧ લાખ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના જણાવ્યા અનુસાર અગાઉ અમલમાં રહેલી ગેજેટ્સ સંબંધિત નીતિને ફરી અમલમાં લાવવામાં આવી છે. ડિજિટલ માધ્યમથી કામગીરી, ઈ-મેઈલ દ્વારા ફરિયાદો અને વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ ર્નિણય બાદ વિરોધના સ્વર પણ ઉઠ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે શહેરમાં રસ્તા, ગટર, પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ માટે વધુ ખર્ચ કરવાની જરૂર છે ત્યારે કરોડો રૂપિયાના ગેજેટ્સ ખરીદવાનો ર્નિણય યોગ્ય છે કે નહીં તે અંગે ચર્ચા થવી જાેઈએ.અગાઉ પણ કોર્પોરેટરોને આપવામાં આવેલા લેપટોપનો ઉપયોગ મર્યાદિત રહ્યો હોવાના અને કેટલાક કિસ્સાઓમાં તેનો ઉપયોગ પરિવારના સભ્યો દ્વારા થતો હોવાના આક્ષેપો થયા હતા. જાેકે, આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ નવી માહિતી જાહેર કરવામાં આવી નથી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 1881   |  
અમદાવાદના કોટ વિસ્તારના મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે

ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના કોટ વિસ્તાર અને તેની આસપાસના ૨૦૦ મીટરના બફર ઝોનમાં હવે નવાં સરકારી તથા ખાનગી મકાનોને માત્ર લાઇટ સ્કાય બ્લૂ, ક્રીમ અને લાઇટ બ્રાઉન રંગથી જ રંગી શકાશે. હેરિટેજ ઝોનમાં એકરૂપતા અને દૃશ્યસૌંદર્ય જળવાઈ રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ આ નવી નીતિ અમલમાં મૂકી છે. હેરિટેજ પ્રકારનાં મકાનોમાં આગળના મુખ્ય ભાગ સિવાયની કોતરણી માટે અન્ય રંગોનો ઉપયોગ કરી શકાશે, ઉપરાંત કોટના છ ચોરસ કિમી વિસ્તાર અને ૨૦૦ મીટરના બફર ઝોનમાં આવતાં તમામ નવા સરકારી કે ખાનગી વિકાસ પ્રોજેક્ટ માટે હવે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (એચઆઈએ) ફરજિયાત બનાવાયું છે.એએમસીના જણાવ્યા મુજબ ગત માર્ચ મહિનામાં યુનેસ્કોની બે સભ્યોની ટીમે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ, દાણાપીઠ મલ્ટિલેવલ પાર્કિંગ અને ગીતામંદિર બસ ટર્મિનસ સહિતના પ્રોજેક્ટની મુલાકાત લઈને હેરિટેજ પર તેની અસરનું મૂલ્યાંકન કર્યું હતું. આ ત્રણેય પ્રોજેક્ટમાં પણ મંજૂર કરાયેલા ત્રણ રંગોનો ઉપયોગ થવાની શક્યતા છે. આ ટીમ ટૂંક સમયમાં પોતાનો વિગતવાર અહેવાલ રજૂ કરશે. એચઆઈએ માટે એએમસીએ ૧૦૦થી વધુ આર્કિટેક્ટ્સની નોંધણી કરી છે, સાથે જ નવી ઇમારતો માટે અર્બન ડિઝાઇન ગાઇડલાઇન, ડિઝાઇન ટૂલકિટ અને એચઆઈએ પોલિસી અમલમાં મૂકી છે. નોન-હેરિટેજ ઇમારતોની એચઆઈએ અરજીની ઝડપી તપાસ માટે હેરિટે ઉલ્લેખનીય છે કે ૮ જુલાઈ, ૨૦૧૭ના રોજ યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જાે આપ્યો હતો. શહેરમાં હાલમાં ૨,૬૯૨ નોંધાયેલી હેરિટેજ મિલકતો અને કોટ વિસ્તાર બહારની ૩૮૨ સંભવિત હેરિટેજ મિલકતો છે. હેરિટેજ ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (ટીડીઆર) યોજના હેઠળ અત્યાર સુધી ૧૪૫ મિલકતોનું કુલ ૧૭,૫૧૯ ચોરસ મીટર વિસ્તારમાં સંરક્ષણ અને પુન:સ્થાપન કરવામાં આવ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 1782   |  
શાસ્ત્રીનગરમાં ડીપીએસ સ્કૂલની બસ નીચે મોપેડ ચાલક કચડાયો : ઘટનાસ્થળે જ મોત

શુક્રવારે બપોરે ૨:૩૦ વાગ્યાની આસપાસ અમદાવાદના શાસ્ત્રીનગરમાં ટર્ન લઈ રહેલી ડીપીએસ સ્કૂલની બસમાં ઘુસી જતા મોપેડ ચાલક યુવકને ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ડીપીએસ બસના ડ્રાઇવર અને કંડકટર બંને બસ અને બાળકોને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા.પલ્લવ ચાર રસ્તા પાસે બપોરના સમયે બોપલ સ્કૂલનો બસ ચાલક બસને વાળતો હતો અને સ્પીડમાં આવતો મોપેડ ચાલક તેમાં ઘુસી ગયો હતો. જેના કારણે બસની નીચે આવી જતા યુવકનું મોત થયું હતું. ત્યાર બાદ ત્રણ-ચાર ફૂટ લાંબો લોહીનો લિસોટો પડી ગયો હતો. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી.સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રભાત ચોકથી શાસ્ત્રીનગર જતા રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશરે ૧ અઠવાડિયા પહેલા પાઇપલાઇનના કામ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ કામ હજુ સુધી પૂરું ન થતાં ખાડો એમ જ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. આજે ત્યાંથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ આ ખાડાની બાજુમાંથી ડાબી તરફ ટર્ન લઈ રહી હતી. તે સમયે બસની પાછળ આવી રહેલા મોપેડ સવાર યુવરાજે અચાનક શોર્ટ બ્રેક મારવી પડી હતી. બ્રેક મારતા જ મોપેડ સ્લીપ થઈ ગયું હતું અને યુવક સીધો બસના પાછળના વ્હીલ નીચે આવી ગયો હતો. આ અકસ્માત દિલ્હી પબ્લિક સ્કૂલ  ની બસથી થયો હતો, જેમાં શાળાના બાળકો પણ સવાર હતા. અકસ્માત સર્જાયા બાદ બસચાલક અને કંડક્ટર માનવતા ભૂલીને બાળકો ભરેલી બસને ઘટનાસ્થળે જ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને ફરાર ડ્રાઇવર-કંડક્ટરની શોધખોળ શરૂ કરી છે, જ્યારે તંત્રની આ ઘોર બેદરકારીને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 2970   |  
અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે; ૩ મહિનામાં કામગીરીનો પ્રારંભ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના હાઈવે અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી વધુ નાણાં મેળવવા રાજ્ય સરકારને તાત્કાલિક દરખાસ્ત મોકલવા અનુરોધ કર્યો હતો.અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ-વે હવે ૮ લેન થશે ૯૩ કિલોમીટરના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વેને ચારમાંથી ૮ લેઈનમાં પરિવર્તિત કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડતરીએ મંજૂરી આપી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે ગુજરાતની આ માંગણી પરત્વે ર્નિણય કરીને વર્ષ ૨૦૨૭માં જ વિસ્તરણનું કાર્ય શરૂ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતનું જમીન સંપાદન મોડલ દેશ માટે ઉદાહરણ ડીપીઆર તૈયાર થતી વખતે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનને સરળ બનાવવા બિનખેતી મંજૂરીની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત મોડલની નીતિન ગડકરીએ પ્રશંસા કરી અને તેને સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય ગણાવ્યું. રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને શક્ય હોય ત્યાં સુધી કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરીને અન્યત્ર રોપવાની સૂચના આપવામાં આવી જેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 1782   |  
મીઠીખાડીના પૂર ઓસર્યા પછી લિંબાયત વિસ્તારની સ્થિતિ

સ્વચ્છતામાં સમગ્ર દેશમાં નંબર-૧ મેળવનાર સુરત શહેરમાં ભારેથી અતિભારે વરસાદ બાદ ખાડીપૂરે ભરડામાં લેતાં સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું. સતત ત્રણ દિવસ સુધી ખાડીપૂરનાં પાણી ભરાયેલાં રહ્યાં હતાં. ગુરૂવારે રાત્રિથી મોટાભાગનાં વિસ્તારોમાંથી ખાડીપૂરનાં પાણી ઓસરવાનું શરૂ થયું હતું અને ગંદકી તેમજ કચરાનાં ઢગલાં જાેવા મળ્યાં હતાં. ખાસકરીને મીઠીખાડીની આસપાસનાં લિંબાયત સહિતનાં વિસ્તારોમાં પારાવાર ગંદકીનાં થર જામી ગયાં હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. રાજ્ય સરકારે પણ ૨૪ કલાકમાં સમગ્ર શહેરમાંથી ગંદકી, કચરાની સફાઇ કરી સુરત શહેરને ચોખ્ખુંચણાંક બનાવી દેવાનો આદેશ આપ્યો હોવાથી મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ તમામ ઝોનમાં મહત્તમ માણસોને કામે લગાવી સ્વચ્છતાઝુંબેશ હાથ ધરી છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરીને સમગ્ર શહેરને સ્વચ્છ કરી દેવામાં આવશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 1782   |  
પૂર્વ મેયરના દીકરા સાથે લગ્ન ગોઠવી આપવાનું કહી ઘાંચી શેરીની મહિલા પાસે ૧૭ લાખ પડાવી લેવાયા

પૂર્વ મેયર નવનીત જરીવાલાનાં દિકરા સાથે તમારી દીકરીનું લગ્ન ગોઠવી આપીશ એવી વાતમાં ઘાંચીશેરીની મહિલાને ફસાવી ૧૭ લાખ રૂપિયા પડાવી લેવાયાનો ચોંકાવનારો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. મળતી માહિતી અનુસાર બેગમપુરા ઘાંચી શેરીમાં રાજેશ હસમુખભાઈ રાણા તેમના પરિવાર સાથે રહે છે. રાજેશ સગરામપુરા તથા તેમના પત્ની શારદાબેન અંબાનગર, સોમનાથ સોસાયટીમાં આવેલા જરીનાં કારખાનામાં કામ કરે છે. તેમના સંતાનોમાં બે દિકરા તથા એક દીકરી છે. ચારેક વર્ષ અગાઉ બસમાં આવ-જા કરતી વેળા તેણીને બેગમપુરા રાણા શેરીમાં રહેતા ચંદ્રેશ સુરેશભાઇ રાણા સાથે મુલાકાત થઇ હતી.સમાજનાં હોવાથી શારદાબેન અને ચંદ્રેશ વચ્ચે પરિવારની વાત થઈ થતી હતી. જેમાં તેણીએ તેમની મોટી દીકરી કામિની લગ્ન લાયક હોવાની વાત કરી હતી. સાથે જ તેણીએ સારો છોકરો હોય તો બતાવજાે એમ પણ કહ્યું હતું. દરમિયાન ફેબ્રૂઆરી ૨૦૨૨માં ચંદ્રેશ રાણાએ તેણીને જણાવ્યું હતું કે, એક છોકરો મારા ધ્યાનમાં આવ્યો છે જેનું નામ નૈમેષ છે. જે બોમ્બે ખાતે રહે છે અને તેના પિતા સુરતના એક્સ મેયર હતા. સારુ ઘર હોવાની વાત સાંભળી શારદાબેને લગ્નની વાત કરવા કહ્યું હતું. થોડા દિવસ બાદ ચંદ્રેશે છોકરાનાં પિતા સાથે મારી વાત થઇ ગઇ છે, તમારી છોકરીનો ફોટા પણ મે તેમને બતાવ્યા છે. છોકરા અને તેના પિતા એમ બંનેને કામિની પસંદ પડી છે એમ પણ ચંદ્રેશે જણાવ્યું હતું. બાદમાં તેણે છોકરો હાલ મુંબઈ મુકામે ઉચ્ચ અભ્યાસ કરે છે, દોઢેક વર્ષમાં પુર્ણ થઇ જાય પછી લગ્ન કરાવી દઇશું તેમ કહી ચંદ્રેશે નૈમેષ નામના છોકરાનો મોબાઇલ નંબર પણ આપ્યો હતો. ત્યારબાદ કામિની એ નંબર પર કોલ કરી નૈમેષ સાથે વાતચીત કરતી રહી હતી. તેણી મળવાનું કહેતી તો સામેથી વાત કરનાર ટાળતો હતો. મારા બનેવી મનિષકુમારને કેન્સર થયું હોય હોસ્પિટલની દોડધામ છે, કોલેજનું ફાઇનલ યર છે, વિગેરે બહાના કહી તે હાલ મળી શકાય એમ નથી એવું કહેતો હતો. ત્યારબાદ નૈમેષ અવાર નવાર શારદાબેનને પણ કોલ કરતો હતો. તે મારા બનેવી માટે મેડીસીન, ઇન્જેક્શન વિગેરે સુરતથી મગાવવાના છે એમ કહી ચંદ્રેશને પૈસા અપાવતો રહ્યો હતો. મે ૨૦૨૨થી ૨૦૨૫ સુધીમાં નૈમેષનાં કહેવાથી ૧૪ લાખ રૂપિયા ચંદ્રેશ રાણાને અપાયા હતાં. ત્યારબાદ શારદાબેનને અજાણ્યાએ કોલ કરી નવનીત જરીવાલા બોલું છું તેમ કહી ચંદ્રેશને મારા જમાઇની દવા માટે રૂપિયા આપો એવું જણાવ્યું હતું. જાે કે શારદાબેને હવે મારી પાસે રૂપિયા નથી, તમે સુરત આવો અને લગ્ન પાકા કરો તેમ કહ્યું હતું. નવનીત જરીવાલા તરીકે વાત કરનારે લગ્ન પાકા જ છે, પરંતુ જમાઇની સારવાર જરૂરી હોય પૈસા આપો એમ કહેતાં શારદાબેને ચન્દ્રેશને ૨૦ ગ્રામ સોનાની ચેઇન, ૧૧ ગ્રામનુ લોકેટ, બે ગ્રામની સોનાની બુટ્ટી મળી ત્રણ લાખની ઘરેણાં આપ્યા હતા. થોડા સમય બાદ ચંદ્રેશ અને નવનીત જરીવાલા તરીકે ઓળખ આપનારે શારદાબેનના કોલ રીસીવ કરવાના બંધ કરી દીધા હતાં. જેથી શારદાબેને આ ચંદ્રેશ રાણા સામે મહિધરપુરા પોલીસ મથકમાં ૧૭ લાખના ફ્રોડ અંગે ફરિયાદ નોંધાવી હતી.ચંદ્રેશ રાણા જ પૂર્વ મેયર જરીવાલા અને તેમના દિકરાનાં નામે વાત કરતો હતો ૧૪ લાખ રોકડા અને ૦૩ લાખનાં દાગીના આપવા છતાં લગ્નની વાત આગળ વધી ન હતી. ચંદ્રેશ, નવનીત જરીવાળા અને નૈમેષે ફોન ઉપાડવાનું બંધ કરતાં શારદાબેન ચિંતામાં મૂકાયા હતાં. તેઓ ૧૩ માર્ચ ૨૦૨૫નાં રોજ ચંદ્રેશના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં તેઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. ત્યારબાદ ચંદ્રેશ રાણાએ હુ ઝેર પીને મરી જઈશ અને તમને બદનામ કરીશ એવી ધમકી આપતાં શારદાબેને મહિધરપુરા પોલીસ મથકમાં અરજી આપી હતી. જેની તપાસ દરમિયાન ચંદ્રેશે હું જ નવનીત જરીવાળા અને નૈમેષ તરીકે અલગ અલગ નંબરથી વાત કરતો હતો એવી કબુલાત કરી હતી. સાથે જ તેણે શારદાબેનનાં દાગીના મુથુટ ફાયનાન્સમાં ગીરવે મુકી લોન લીધી હોવાનું જણાવી તે છોડાવી આપવા બાંહેધરી આપી હતી. શારદાબેને એની વાતમાં ભરોસો મૂક્યો પરંતું ચંદ્રેશે દાગીના અને રોકડ પરત કર્યા ન હતાં.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 1683   |  
ખાડીને ૨૦ વર્ષ પહેલાંની સ્થિતિએ લાવવા અધિકારીઓને આદેશ

સમગ્ર સુરત શહેરને ૪૮ કલાક સુધી ભરડામાં લેનાર ખાડીપૂરની સમસ્યાનાં કાયમી નિવારણનાં ભાગરૂપે શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઉપર થયેલાં દબાણો તોડી પાડવાનો આદેશ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે આજે આપ્યો હતો. ટાઉન પ્લાનિંગ વિભાગ, સિંચાઇ વિભાગનાં અધિકારીઓ સાથે સંકલન સાધીને ૨૦ વર્ષ પહેલાં ખાડીઓની જે સ્થિતિ હતી તે સ્થિતિ લાવવા માટે મહાનગર પાલિકાનાં અધિકારીઓને તેમણે જણાવ્યું હતું. સ્થાયી સમિતિ અધ્યક્ષે કોઇની પણ શેહશરમ રાખ્યા વિનાં ખાડી ઉપરનાં દબાણો તોડી પાડવાનો આદેશ આપ્યો તો ખરો પરંતુ ખાડીઓની આસપાસ ઘણી જગ્યાએ ગેરકાયદે ઝીંગાતળાવો આવેલાં છે જેને રાજકીય નેતાઓનાં આશીર્વાદ હોવાથી તૂટતાં નથી તેવો ગણગણાટ અધિકારીઓમાં સાંભળવા મળ્યો હતો.સુરત મહાનગરપાલિકામાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે સુરત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાંથી પસાર થતી ખાડી પરના દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે તાકીદ કરી છે. તેઓએ આદેશ આપતા જણાવ્યું હતું તે સોમવારે આ મુદ્દે પાલિકાનાં અધિકારીઓ, ટાઉન પ્લાનિંગ વિભાગ અને સિંચાઈ વિભાગનાં અધિકારીઓ ભેગા મળી મહત્વની મીટિંગ કરી શહેરમાં જે પણ જગ્યાઓ પર ખાડી પર દબાણ થયું છે તેને તાત્કાલિક હટાવવા માટેની કાર્યવાહી શરૂ કરે. ગત વર્ષે મળેલી ખાડી પૂર નિવારણ સમિતિની બેઠક બાદ આ વર્ષે સુરત શહેરમાં ખાડીપૂર નહીં આવે તેવી મોટી મોટી ડંફાસો પાલિકા દ્વારા મારવામાં આવી હતી પરંતુ પહેલા જ વરસાદમાં ખાડી પૂરે પાલિકા તંત્રની અને શાસકોની મોટી મોટી વાતોની પોલ ઉઘાડી પાડી દીધી હતી. પહેલા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે અને અનેક લોકોને લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બીજી તરફ ફરીથી સુરત શહેરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ખાડી પૂરને લઈ મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ખાડીની સમસ્યા નિવારવા માટે મુખ્યમંત્રી દ્વારા રૂ૫૦૦ કરોડની જાહેરાત કરાઈ હતી. આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી હતી કે સોમવારે આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે અને તેના પર કામ શરૂ કરવામાં આવે. ટાઉન પ્લાનિંગ વિભાગ તથા સિંચાઈ વિભાગ અને અન્ય વિભાગો સાથે મળી ખાડીપુર પર થયેલું ગેરકાયદે બાંધકામ અને દબાણો હટાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવે. ગત વર્ષે ખાડીપુર નિવારણ સમિતિ દ્વારા બેઠકમાં કેટલાક વિસ્તારોમાં દબાણો હોવાના આંકડા તથા સ્થિતિની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ માહિતીનાં આધારે તાત્કાલિક ધોરણે દબાણો તોડી પાડવા માટે આદેશ આપ્યો છે. ૨૪ કલાકમાં શહેર ચોખ્ખુંચણાક કરવા રાજ્ય સરકારનો આદેશ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, સુરત મનપા દ્વારા હવે ‘રાઉન્ડ ધ ક્લોક‘ એટલે કે ૨૪ કલાક સતત સફાઈની કામગીરી કરવામાં આવશે. જેથી નાગરિકોને વહેલી તકે ગંદકીમાંથી મુક્તિ અપાવી શકાય. તંત્ર દ્વારા એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે આગામી ૨૪ કલાકની અંદર જ શહેરભરનાં તમામ મુખ્ય રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાંથી કચરાનાં ઢગલાઓને સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે. હાલ પ્રથમ તબક્કામાં રસ્તાઓ પર નડતરરૂપ અને ગંદકી ફેલાવતા કચરાના આ મોટા ઢગલાઓને તાત્કાલિક દૂર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પ્રાથમિક સફાઈ પૂર્ણ થયા બાદ તુરંત જ, મનપાની આરોગ્ય અને સફાઈ ટીમ દ્વારા માઈક્રો લેવલની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય. ઉલ્લેખનીય છે કે શહેરમાં તાજેતરમાં આવેલા ખાડીપૂરને કારણે રહીશો અને વેપારીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. પૂરના પાણી લોકોના ઘરો, સોસાયટીઓ અને દુકાનોમાં ઘૂસી જતાં કરોડો રૂપિયાના માલ-સામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. હવે જ્યારે પૂરના પાણી ઓસર્યા છે, ત્યારે લોકોએ પોતાના ઘરો અને દુકાનોમાંથી બગડી ગયેલો, સડી ગયેલો અને નકામો થઈ ગયેલો તમામ માલ-સામાન બહાર કાઢીને રસ્તાઓ પર ખડકી દીધો છે. પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં કચરાના વિશાળ ઢગ ખડકાઈ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા તંત્રને ૨૪ કલાકમાં શહેરમાં કચરાના ઢગ હટાવી લેવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે.મૃત્યુ પામેલાના વારસદારોને ૪ લાખની સહાય ચૂકવાશે સુરત શહેર અને જિલ્લામાં બે દિવસ સુધી વરસેલા મુશળધાર વરસાદ તથા અનેક વિસ્તારોમાં આવેલા ખાડીપુરના કારણે સર્જાયેલી આપત્તિમાં કરંટ લાગવા, વીજળી પડવા તેમજ પાણીમાં ડૂબી જવા સહિતનાં વિવિધ કારણોસર અત્યાર સુધીમાં ૪૨ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. મૃતકોના વારસદારોને રાજ્ય સરકાર દ્વારા જીડ્ઢઇહ્લ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ)નાં ધોરણો મુજબ પ્રતિ વ્યક્તિ ૪ લાખની આર્થિક સહાય આપવામાં આવશે. સુરત શહેરમાં મેઘરાજાએ ભરે બઘડટી બોલાવી હતી. ૧૦ થી ૧૯ ઇંચ મુશળધાર વરસાદ વરસતા અડધું શહેરમાં જળબંબાકારમાં ફેરવાયું હતું મુશળધાર વરસાદ તથા અનેક વિસ્તારોમાં આવેલા ખાડીપુરના કારણે આપત્તિ સર્જાઇ હતી. રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદ અને પૂરની આપત્તિ બાદ રાહત અને પુન:સ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સુરત શહેર અને આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે માટે વિવિધ વિભાગોને તાત્કાલિક કામગીરીના નિર્દેશ આપવામાં આવ્યા છે.રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જ્યાં જરૂરિયાત હશે ત્યાં તાત્કાલિક રાહત અને પુન:સ્થાપનની કામગીરી વધુ વેગવાન બનાવવામાં આવશે. જિલ્લા કલેકટર કલેટર વરસાદી આપત્તિમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના વારસદારોને જીડ્ઢઇહ્લનાં નિયમો મુજબ રૂ૪ લાખની સહાય ચૂકવવામાં આવશે. આ માટેની ગ્રાન્ટ તમામ મામલતદારોને અગાઉથી જ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાથી સહાયની પ્રક્રિયા ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવશે.સુરત શહેરમાં બે દિવસ સુધી પડેલા મુશળધાર વરસાદ અને અનેક વિસ્તારોમાં આવેલા ખાડીપુરને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે. બંને ગત ૭ જુલાઈની સાંજથી ગુમ હતાં. ગુરુવારે સાંજે અલગ અલગ સ્થળેથી તેમના મૃતદેહ મળી આવતા પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વધુ બે મૃતદેહ મળી આવવા સાથે મૃત્યુઆંક વધુને ૪૨ ઉપર પહોંચ્યો છે. ભેસ્તાન આવાસ વિસ્તારમાં રહેતા ૩૭ વર્ષીય ઇમરાન શેરખાન પઠાણ ગત ૭ જુલાઈએ કામ અર્થે સચિનના ઇકલેરા વિસ્તારમાં ગયો હતો. ગુરુવારે સાંજે ભેસ્તાન ખાતે જન્નત બંગલા નજીક અન્નુખાડીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ વરસાદી પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું છે. ઇમરાન રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમને ત્રણ સંતાનો છે. બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં સચિન રોડ પર ખરવાસા નજીક બોણંદગામમાં રહેતા ૭૨ વર્ષીય શાંતારામભાઈ પાટીલ ગત ૭ જુલાઈએ સાંજે બમરોલી રોડ વિસ્તારમાં મજૂરી કામ માટે ગયા હતા. મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ બાદ પોલીસને જાણ કરી હતી. ગુરુવારે સાંજે ખરવાસા રોડ પર મંદિર નજીક તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, જુલાઈ 2026 1485   |  
ખાડીપૂરથી ૨૪ કલાકમાં ૧૧નાં મોત ત્રણ દિવસમાં મૃત્યુઆંક ૩૭ પર પહોંચ્યો

સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. સતત વરસાદ અને ખાડીપૂરને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં દુર્ઘટનાઓની શ્રેણી સર્જાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરનાં વિવિધ વિસ્તારોમાં કુલ ૧૧ લોકોનાં ડુબવાથી મોત નોંધાયા છે, જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને ૩૭ પર પહોંચી ગયો છે. વરસાદી પાણીમાં ડૂબી જવાના તેમજ પાણીના પ્રવાહમાં તણાઈ જવાના બનાવોએ સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાવી છે.મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના વતની અને હાલ ડીંડોલીના ખરવાસા રોડ પર બોણંદગામ પાસે બદરીનાથ સોસાયટીમાં રહેતા ૧૯ વર્ષીય હર્ષલ પ્રવીણભાઈ પાટીલ તથા તેમના ૩૧ વર્ષીય પડોશી મિત્ર અજીત બલિરામ પટેલ (મૂળ બિહારના વતની) ગત ૭ જુલાઈએ ગ્રેંડોલીનાં શ્યામ બંગલોઝ ખાતે રંગકામ માટે ગયા હતા. કામ પૂર્ણ કરીને પરત ફરતી વખતે સચિન રોડ પર ખરવાસા તળાવ નજીક ભારે વરસાદના પાણીમાં બંને તણાઈ ગયા હતા. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. ગુરુવારે સવારે રાહદારીઓની નજર બંનેના મૃતદેહ પર પડતાં પોલીસે તેમને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. મોટા વરાછાના પેડલ રોડ વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય અલ્પેશ રમેશભાઈ દેસાઈ ૭ જુલાઈએ સાંજે કડોદરામાં આવેલી પોતાની એમ્બ્રોઇડરી યુનિટથી બાઈક પર ઘરે નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ ગુમ થઈ ગયા હતા. ગુરુવારે સવારે વાલક પાટિયા પાસે નિર્માણાધીન ઇન્ફિનિટી બિલ્ડિંગ નજીકની ખાડીમાંથી ફાયર બ્રિગેડે તેમનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અલ્પેશ મૂળ અમરેલી જિલ્લાના વતની હતા અને તેમના પરિવારમાં પત્ની તથા એક પુત્ર છે. પાસોદરાના સ્વસ્તિક રેસિડન્સીમાં રહેતા ૨૭ વર્ષીય સંદીપ મનસુખભાઈ ચોવટિયા અને તેમના ૨૫ વર્ષીય ભાઈ દર્શન વરાછામાં ફોર વ્હીલ રિપેરિંગ ગેરેજ ચલાવે છે. ૭ જુલાઈએ સાંજે ગ્રાહકની કાર રિપેર કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે વાલક પાટિયા નજીક નીલકંઠ હાઈટ્સ પાસે રોડ પર પાણી ભરાઈ જતાં તેમની કાર પાણીના જાેરદાર પ્રવાહમાં ખેંચાઈ ગઈ હતી. બંને ભાઈઓએ કારના કાચ ખોલીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. દર્શન લાકડાનો ટેકો મળતાં બચી ગયા, જ્યારે સંદીપ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા હતા. નજીકની સ્કૂલના વોચમેને ટોર્ચનો પ્રકાશ કરીને દર્શનને બહાર આવવામાં મદદ કરી હતી. ફાયર બ્રિગેડે કારને બહાર કાઢી લીધી છે, પરંતુ સંદીપની મોડી સાંજ સુધી કોઈ ભાળ મળી નહોતી. મૂળ બિહારના વતની અને હાલ સચિનના પાલીગામ ખાતે નીલકંઠ સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય પ્રમોદભાઈ મનસુરામ ભાડાણી ભેસ્તાન રોડ પર ઇકલેરા ગામ બ્રિજ પાસે પાનનો ગલ્લો ચલાવતા હતા. ભારે વરસાદ દરમિયાન અચાનક પાણી ફરી વળતાં તેઓ ગલ્લા સાથે જ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. ગુરુવારે સવારે તેમના ગલ્લાથી આશરે ૫૦ મીટર દૂર તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના પરિવારમાં બે પુત્ર છે. ભેસ્તાન રોડ પર ઇકો વયમંડળ પાસે એસએમસીની પાણીની ટાંકી નજીકથી ૩૦થી ૩૫ વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. મૃતકે કાળા રંગની ટી-શર્ટ અને બ્લેક નાઇટ પેન્ટ પહેરી હતી તેમજ જમણા હાથ પર દિલનું ટેટૂ અને તેમાં અંગ્રેજી અક્ષર ‘ઇ’ લખેલું છે. બીજાે મૃતદેહ ઉન પાટિયા રોડ પર જન્નત બંગલા સામે અનુ ખાડીમાંથી મળી આવ્યો હતો. અંદાજે ૩૦થી ૩૫ વર્ષના આ અજાણ્યા પુરુષના જમણા હાથ પર હિન્દીમાં ‘માં’ લખેલું ટેટૂ છે. બંને બનાવોમાં ભેસ્તાન પોલીસે તપાસ શરૂ કરી છે. લિંબાયતનાં ખાનપુરા વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય કામરાન સાદિક પટેલનો મૃતદેહ મીઠીખાડી નજીકથી મળી આવ્યો હતો. તેઓ વરસાદી પાણીમાં ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હનુમાન શેરી, મીઠીખાડી વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય જાવેદ હબીબ શાહ પણ ઘર નજીક પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા હતા. મામાનગરમાં રહેતા ૨૯ વર્ષીય મનોજ લાલજી સારેલનો મૃતદેહ પણ ઘર નજીક ખાડીના પાણીમાંથી મળી આવ્યો હતો. ગોડાદરાના દ્રાક્ષેશ્વરનગર વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય ધનરાજ બાપુદાસ ધકાતેનો મૃતદેહ પુણા રોડ પર આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટ પાછળથી મળી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution