ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, એપ્રીલ 2026 3564   |  
૭ પદયાત્રીઓનાં કમકમાટીભર્યા મોત

ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા ૭ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. આ પદયાત્રીઓ રાજકોટના ગઢકા ગામે આવેલા મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. મૃતકોમાં ૫ મહિલાઓ અને ૨ પુરુષોનો સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલકે અંદાજે ૧૦ જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પદયાત્રામાં નીકળેલા શ્રદ્ધાળુઓ સાથે થયેલી આ દુર્ઘટનાએ હાઈવે સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.સંઘ બહુચરાજી તરફ જવા નીકળ્યો હતો આ ઘટનામાં રાજકોટથી ભરવાડ સમાજનો પગપાળા સંઘ લખતરના છારદ ગામ પાસેથી નાઈટ હોલ્ડ માટે જઈ રહ્યો હતો, ત્યારે મધ્ય રાત્રે રસ્તામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો, ત્યારે એનાથી સાઈડમાં આવીને આગળ જઈ રહેલા લોકો પર પાછળથી આવતી ટ્રક ફરી વળતા છ પદયાત્રીઓ અને રસ્તામાં ટ્રકનું ટાયર બદલી રહેલા યુવાન પર બેકાબુ ટ્રક ફરી વળતા કુલ સાત લોકોના મોત નીપજ્યા હતા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યા છે. અને અકસ્માત સર્જનારા ટ્રક ચાલક આદિત્ય રમેશભાઈ ગોકનીયાને પકડી લેવામાં આવ્યો છે, જે લખતર તાલુકાના ઝામર ગામનો જ છે અને આ ટ્રક રાજકોટથી લખતર તરફ આવી રહી હતી. પાંચ મહિલા અને બે પુરુષના મોત સંઘ લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રી રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા. આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ ૭ લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, એપ્રીલ 2026 3069   |  
રાજુલાથી લઈ છેક સાવરકુંડલા સુધી ભૂકંપનો આચંકો અનુભવાયો

ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલ કોસ્ટલ વિસ્તારમાં મધરાતે અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રાત્રે આશરે ૨:૨૪ વાગ્યે થયેલા આ ઝટકાથી લોકો ઊંઘમાંથી જાગી બહાર નીકળી આવ્યા હતા. વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા ૩.૭ નોંધાઈ હતી, જે મધ્યમ સ્તરની ગણાય છે, છતાં તેની અસર અનેક વિસ્તારોમાં અનુભવાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવાનજીક નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.આ આંચકાનો પ્રભાવ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ સહિત કોસ્ટલ બેલ્ટના વિસ્તારોમાં જાેવા મળ્યો હતો. ઉપરાંત ખાંભા અને સાવરકુંડલા સુધી પણ ઝટકાનો અહેસાસ થયો હતો.ખાસ કરીને રાજુલા શહેરમાં કેટલાક મકાનોમાં નાની તિરાડો પડ્યાના અહેવાલો મળ્યા છે. કેટલીક જગ્યાએ ભૂકંપના ક્ષણોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જમીન હલતી દેખાય છે અને લોકો ગભરાઈને બહાર નીકળતા જાેવા મળે છે. હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી, જે રાહતની વાત છે. છતાં, સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, એપ્રીલ 2026 4059   |  
પૂર્વ મેયરની ફરી નારાજગીએ ચર્ચા જગાવી

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાવનગર ભાજપનો આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે ટિકિટની રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ મેયર ભરત બારડ સાથે થયેલી ખેંચતાણ અને તેમને કાર્યાલયમાંથી બહાર કાઢવાની ઘટનાએ રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે. એક તરફ શિસ્તના પાઠ ભણાવતી પાર્ટીમાં ધોળા દિવસે પૂર્વ મેયરનું અપમાન થયાના વીડિયો વાયરલ થયા છે, તો બીજી તરફ ખુદ ભરત બારડે આક્ષેપોને ફગાવી પક્ષભક્તિનો રાગ આલાપ્યો છે. મળતી માહિતી મુજબ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે પૂર્વ મેયર ભરત બારડ પોતાની વાત રજૂ કરવા શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેઓ શહેર પ્રમુખ કુમાર શાહને મળવા માંગતા હતા, પરંતુ તેમને ચેમ્બરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. કાર્યાલયની બહાર નીકળતી વખતે ભરત બારડ અત્યંત ક્રોધમાં જાેવા મળ્યા હતા. પાર્કિંગમાં પોતાનું સ્કૂટર લેતી વખતે તેમણે હાજર લોકો સમક્ષ બળાપો કાઢતા કહ્યું હતું કે, “પાર્ટી કોઈના બાપની નથી, અમે મહેનત કરીને આ પાર્ટી બનાવી છે.” આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસારિત થતા શહેર ભાજપના સંગઠનમાં સોપો પડી ગયો છે. નવાઈની વાત એ છે કે, આટલી મોટી ઘટના અને વીડિયો પુરાવા હોવા છતાં, બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં ભરત બારડે નવો જ વળાંક લીધો હતો. તેમણે જણાવ્યું કે, “મારી સાથે કોઈ ગેરવર્તન થયું નથી, હું માત્ર ચા પીને બહાર આવ્યો છું. બાવડું પકડીને બહાર કાઢવાની વાત માત્ર અફવા છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, એપ્રીલ 2026 6237   |  
ભાજપે ૯૦થી વધુ મુસ્લિમોને ટિકિટ આપી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં મુસ્લિમોનો વિરોધ કરતાં ભાજપના મોવડી મંડળ દ્વારા આ ચૂંટણીઓમાં વલણ બદલ્યું છે. એટલું જ નહીં, ભાજપ દ્વારા લાંબા સમય બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મુસ્લિમોને છૂટા હાથે ટિકિટોનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૫૦ જેટલા મુસ્લિમોને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા અંતિમ સમયે વિવિધ જિલ્લાઓની જિલ્લા, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓની બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા લાંબા સમય બાદ મુસ્લિમ સમાજને ટિકિટો ફાળવણીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા વિવિધ જિલ્લાઓની જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓ માટેના ઉમેદવારો જાહેર કરાયા છે. તેમાં ૯૦થી વધુ મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા મુસ્લિમોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લા પંચાયતમાં ભિરડીયારા બેઠક પર અબ્દુલ્લા બુઢા જત, દયાપાર બેઠક પર આઇશબાઇ મોડ સુમારા અને દિનારા બેઠક પરથી જનતબાઈ રસુલ સમાને ટિકિટ આપી છે. તો ભચાઉ તાલુકા પંચાયતમાં લાકડિયા-૧ માં સાદીક સુલેમાન રાઉમા, ભુજ તા. પં.માં ધ્રોલાણા બેઠક પર મેમૂનતબાઈ ઈસાક સામા, દિનારા બેઠક પર સલમા વાયદના સમા, જુણા બેઠક પર સોયાબ સુલેમાન સમાં ખારી બેઠક પર લતીફ ભિલાલ ઠેબા, રતાડિયા બેઠક પર પરવેઝ ઇશાક સમા અને સરાડા બેઠક પર હાજિયાણી અબ્દુલ જતને ટિકિટ આપી છે. નખત્રાણા તાલુકા પંચાયતમાં મથલ બેઠક પર ઇલિયસ આદમ પિંઝારા, અબડાસા તાલુકા પંચાયતમાં બેર મોટી બેઠક પર હારુનઅલી મામદ હાલેપોત્રા, ખીરસરા (કો) બેઠક પરથી સાફિના અબ્દુલ્લા સુમારા, નલિયા-૨ બેઠક પરથી સેઝાન ઇરફાન મોકરશીને સુથરી બેઠક પરથી તૌસિફ મામદ સંગારને ટિકિટ અપાઈ છે. મુંદ્રા તાલુકા પંચાયતમાં ભદ્રેશ્વર બેઠક અપ્રથિ અફ્સાના ઓસમાણ કુંગાડાને, નાના કપાયા બેઠક પરથી સદદમ હુસેન સતાર તુર્કને, લખપત તાલુકા પંચાયતમાં બરન્દા બેઠક પરથી હુસેન સુલેમાન પઢિયારને, દોલતપર બેઠક પરથી હવાબાઈ આરબ જતને, ધડૂલી બેઠક પરથી ફાતેમાબાઈ અબ્દુલ્લા જતને, માતાના મઢ બેઠક પરથી ઓસમાણ ઉમરભાઈ રાયમાને, મીંઢિયાળી બેઠક પરથી અબ્દુલ કરીમ કાસમને, નારાયણ સરોવર બેઠક પરથી મેરિયાબાઈ ઉમરભાઈ જતને ટિકિટ આપી છે. તો માંડવી નગરપાલિકામાં વિવિધ વોર્ડમાં ૬ મુસ્લિમોને ટિકિટ આપી છે, જ્યારે ભુજ નગરપાલિકામાં વિવિધ વોર્ડમાં ૭ મુસ્લિમને ટિકિટ આપી છે. જ્યારે અંજાર નગરપાલિકામાં બે, મુંદ્રા-બારોઈ ન્બગરપાલિકામાં ચાર મુસ્લિમને અને નખત્રાણા નગરપાલિકામાં બે મુસ્લિમને ટિકિટ આપી છે. આમ કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા મુસ્લિમોને ટિકિટ આપી છે. આવી જ રીતે ગોંડલ નગરપાલિકામાં ૩, ધોળકા નગરપાલિકામાં ૮, વિરમગામ નગરપાલિકામાં ૩, કલોલ નગરપાલિકામાં ૨, સિદ્ધપુર નપામાં ૪, દાહોદ નગરપાલિકામાં ૮ આમ અત્યાર સુધીમાં જાહેર થયેલી યાદી મુજબ ભાજપ દ્વારા કુલ ૯૨થી વધુ મુસ્લિમોને ટિકિટ ફાળવવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, એપ્રીલ 2026 3366   |  
નૌશાદ સોલંકીની હાજરીમાં કોળી સમાજના ૫૨ ગામોના આગેવાનો કોંગ્રેસમાં જાેડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે. જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો, તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકો, ૪ નગરપાલિકાઓ અને એક મહાનગરપાલિકા માટે ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા કડક નિયમો બનાવતા જૂના કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઈ છે. બીજી તરફ કોંગ્રેસમાં ભાજપના ત્રણ ટર્મના આગેવાનો જાેડાતા રાજકીય ગરમાવો વઘ્યો છે. ભાજપ દ્વારા તાજેતરમાં ટિકિટ વિતરણ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ ન આપવાનો, ત્રણ ટર્મ પૂર્ણ કરેલા ઉમેદવારોને ફરી તક ન આપવાનો અને સંગઠનમાં કાર્યરત પદાધિકારીઓના સગા-સ્નેહીજનોને પણ ટિકિટ ન આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ નિયમોને કારણે વર્ષોથી ભાજપમાં સક્રિય રહેલા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. લીંબડી અને ચૂડા વિસ્તારમાં કોળી સમાજના વર્ષોથી ભાજપ સાથે જાેડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે. આ વિસ્તારના ૫૨ ગામોના આગેવાન તરીકેની છાપ ધરાવતા તેજાભાઈ મેટાલીયાએ જણાવ્યું હતું કે, “ભાજપ છેલ્લા આઠથી દસ વર્ષથી જૂના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યો છે અને નવા ચહેરાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ અવગણનાથી નારાજ થઈ અમે કોંગ્રેસમાં જાેડાવાનું નક્કી કર્યું છે.” તેમણે આગામી ચૂંટણીઓમાં પરિણામલક્ષી કામગીરી કરવાની ખાતરી પણ આપી હતી.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 1881   |   વડોદરા   |  
વડોદરામાં શિસ્તબદ્ધ પક્ષના લીરેલીરા ઉડાડતા ‘ગદ્દારો’ સામે પગલાં કેમ નહીં?

વડોદરામાં સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે જે સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે, તે માત્ર એક મેસેજ નથી, પણ ભાજપના આંતરિક સડાની ‘એક્સ-રે રિપોર્ટ’ છે. આશ્ચર્યની વાત એ છે કે, વિપક્ષને મજબૂત કરવાની અને સત્તાપક્ષને હરાવવાની અપીલ કોઈ વિરોધ પક્ષના નેતાએ નહીં, પણ ભાજપના જ ‘કૃપાપાત્ર’ અને સરકાર નિયુક્ત સેનેટ સભ્ય જિગ્નેશ શાહે કરી છે. જે પક્ષે તેમને ઓળખ આપી, તે જ પક્ષ વિરુદ્ધ ઝેર ઓકીને ‘લોકશાહી બચાવો’ના નામે જનતાને ઉશ્કેરવી એ રાજકીય ગંદકીની પરાકાષ્ઠા છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ રીતે જ ધમકી અને પૈસાના જાેરે લોકોને ચૂંટણી લડતાં બંધ કરાવી દેવાશે તો લોકશાહી માટે ભવિષ્ય ઉજળું નથી. વડોદરાની જનતાને નમ્ર અપીલ વિરોધપક્ષ મજબૂત કરશો તો જ તમારો અવાજ સંભળાશે. આ છેલ્લી ચૂંટણી છે, જાે વિરોધપક્ષ મજબૂત નહીં બન્યો તો આવનારી ચૂંટણીમાં સત્તાપક્ષ સામે કોઈ ઊભું રહેવા તૈયાર નહીં થાય. એ દિવસે આપ સૌ ખુબ પસ્તાશો. વડોદરાની જનતાને વિનંતી- ‘બે મત સત્તાપક્ષને અને બે મત વિપક્ષને આપો.’ આ કેવા પ્રકારની રાજકીય નૈતિકતા છે? ટિકિટ ન મળતાં અથવા અંગત સ્વાર્થ ન સંતોષાતા ‘જૂના જાેગીઓ’ જ્યારે પક્ષ સામે તલવારો કાઢે છે, ત્યારે સાબિત થાય છે કે તેમને લોકશાહી કે જનતાના અવાજ સાથે કોઈ લેવા-દેવા નથી, તેમને માત્ર પોતાની ખુરશીમાં રસ છે. વડોદરાની જનતાને ભ્રમિત કરવાનો આ પ્રયાસ શરમજનક છે. જે ભાજપના શાસનમાં સેનેટ સભ્ય પદ ભોગવે છે, તે જ કયા મોઢે સત્તાપક્ષ સામે મત આપવાની અપીલ કરી શકે? સંસ્કારી નગરી વડોદરામાં ભાજપના નામે જે ખેલ ખેલાઈ રહ્યો છે, તે શરમજનક જ નહીં પણ સંઘર્ષના પાયા પર ઊભેલા આ પક્ષ માટે આત્મઘાતી છે. જિગ્નેશ શાહ જેવા, જેમને પક્ષે વડોદરાની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સેનેટ સભ્ય જેવું પ્રતિષ્ઠિત પદ આપ્યું, તે જ આજે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ વિપક્ષને મત આપવાની ભલામણો કરી રહ્યા છે. આ કોઈ લોકશાહી બચાવવાની લડાઈ નથી, આ તો ‘થાળીમાં ખાઈને એમાં જ છેદ’ કરવાની હલકી માનસિકતા છે. પરંતુ સવાલ એ છે કે, આટલો મોટો ઘા થયા છતાં સંગઠન હજુ સુધી પાટાપિંડી કેમ નથી કરી રહ્યું? વડોદરા ભાજપનું વર્તમાન સંગઠન અને પદાધિકારીઓ શા માટે મૌન સેવીને બેઠા છે? શું જિગ્નેશ શાહ પર જે ‘ચાર હાથ’ હોવાની ચર્ચા છે, તે હાથ સંગઠનના ગળા સુધી પહોંચી ગયા છે? પક્ષ વિરુદ્ધ પ્રચાર કરવો અને વિરોધપક્ષને મજબૂત કરવાની અપીલ કરવી એ ભાજપના બંધારણ મુજબ ‘ગંભીર શિસ્તભંગ’ છે. તેમ છતાં, હજુ સુધી આવાં લોકોને પક્ષમાંથી હાંકી કાઢવાની હિંમત કેમ નથી બતાવાઈ? શું સંગઠન પોતે જ આ ‘વિભિષણ’ ગેંગનો હિસ્સો છે? આ મૌન પ્રતીક છે કે વડોદરા ભાજપમાં શિસ્તના નામે હવે માત્ર મીંડું રહ્યું છે. એક તરફ પક્ષનો પાયાનો કાર્યકર તડકામાં ઘર-ઘર ફરીને ભાજપનો પ્રચાર કરે છે અને બીજી તરફ પક્ષના જ હોદ્દેદારો પક્ષને હરાવવાના ફતવા બહાર પાડે છે. આ ‘જૂના જાેગીઓ’ને પક્ષે બધું જ આપ્યું, પણ જ્યારે ટિકિટની વાત આવી કે સત્તામાં થોડી કાપલી પડી, એટલે તુરંત જ પોતાનો અસલી રંગ બતાવી દીધો. સંગઠનના નેતાઓને શરમ આવવી જાેઈએ કે જેમના ઈશારે આ મેસેજ સર્ક્યુલેટ થઈ રહ્યા છે, તેમને પક્ષના કાર્યક્રમોમાં હજુ પણ સ્ટેજ પર સ્થાન કેમ મળે છે? શું ભાજપને હવે વડોદરામાં ગદ્દારોના સહારે ચાલવાની આદત પડી ગઈ છે? જિગ્નેશ શાહ તો માત્ર એક મહોરું છે, પણ ભાજપમાં આવા અનેક અદ્રશ્ય વિભિષણો ફરી રહ્યા છે, જે વડોદરા ભાજપની ‘લંકા’ સળગાવવા માટે તૈયાર બેઠા છે. જાે આજે આ એક વિભિષણની શિખામણ કાપવામાં નહીં આવે, તો કાલે બીજા દસ ઊભા થશે. સંગઠનના કૃપાપાત્ર બનેલા આ ગદ્દારો પક્ષને તોડવા માટે વિરોધપક્ષ સાથે પણ અંદરખાને ગઠબંધન કરી રહ્યા છે. વડોદરાની જનતા અને કાર્યકરોમાં એવો મેસેજ જઈ રહ્યો છે કે ભાજપમાં ‘ગુંડાશાહી’ અને ‘ગદ્દારી’ કરનારાઓનું જ ચલણ છે, કારણ કે તેમની સામે પગલાં લેવાની સત્તાધીશોમાં ત્રેવડ નથી. વડોદરા ભાજપમાં રંધાઈ રહેલી રાજકીય ખીચડી હવે શિસ્તના તપેલામાંથી બહાર ઉભરાઈ રહી છે. સત્તાના નશામાં ચૂર શાસકો અને પક્ષમાં રહીને જ પક્ષના મૂળિયાં ખોદનારા ‘વિભિષણો’એ વડોદરાની જનતાને મૂર્ખ બનાવવાનું શરૂ કર્યું છે. વડોદરા ભાજપના નેતાઓ સાંભળી લે, જાે આ વખતે આ ગદ્દારોને જડબાતોડ જવાબ ન મળ્યો અને તેમને પક્ષના દરવાજાની બહાર ન ફેંકાયા, તો આવનારી ચૂંટણીમાં જનતા તમને જે સબક શીખવશે તે કાયમ માટે યાદ રહી જશે. મૌન તોડો અથવા ખુરશી ખાલી કરો, વડોદરા ભાજપને ‘નમાલા’ સંગઠનની જરૂર નથી, મજબૂત અને શિસ્તબદ્ધ નેતૃત્વની જરૂર છે. જિગ્નેશ શાહ જેવા જ્યારે ખુલ્લેઆમ પક્ષ વિરુદ્ધ પ્રચાર કરે અને સંગઠન ‘મૌન’ સેવીને બેસી રહે, ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. શું વર્તમાન સંગઠન એટલું લાચાર છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પગલાં લેવાની હિંમત નથી? કે પછી આ આખી રમત કોઈ મોટા માથાઓના ઈશારે રમાઈ રહી છે? વડોદરા ભાજપ હંમેશાથી ‘ઝઘડાની લેબ’ ગણાય છે, પણ હવે આ લેબમાં લોકશાહીના મૂલ્યોની એસિડ ટેસ્ટ થઈ રહી છે. સંગઠનના પૂર્વ પદાધિકારીઓ જ્યારે ‘વિભિષણ’ બનીને પક્ષને તોડવા નીકળે, ત્યારે સમજવું કે ભાજપને હરાવવા માટે વિપક્ષની જરૂર નથી, તેના ‘ઘરના ઘાતકીઓ’ જ કાફી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 1584   |   વડોદરા   |  
૪ સંતાન સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ સંતાનનાં મોત

વડભેડ ગામના રહેવાસી ચંપાબેન બિંદેશભાઈ નામની મહિલાએ ઘરકંકાસમાં પોતાના ચાર બાળકો સાથે ગામના એક કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટના સમયે ત્યાંથી પસાર થતી એક સ્થાનિક મહિલાની નજર પડતા તેણે તાત્કાલિક ગામના આગેવાન દીપસિંહભાઈ મૂળાભાઈ રાઠોડને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતા જાેઈ દીપસિંહભાઈએ તુરંત જ બાજુના ગામના સંજયભાઈ નામના યુવકને ફોન કરીને બોલાવ્યા હતા. સંજયભાઈએ કોઈપણ ક્ષણનો વિલંબ કર્યા વગર કૂવામાં કૂદીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. તેમણે ભારે જહેમત બાદ માતા ચંપાબેન અને એક બાળકીને જીવિત બહાર કાઢ્યા હતા.ગામમાંથી એક મહિલાએ જાણ કરી કે ચંપાબેન બાળકો સાથે કૂવામાં કૂદ્યા છે. મેં તરત જ સંજયભાઈને જાણ કરી, જેમણે જીવના જાેખમે માતા અને એક દીકરીને બચાવી લીધા. પરંતુ અન્ય ત્રણ બાળકોને બચાવી શકાયા નથીઅન્ય ત્રણ બાળકોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાેકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે ત્રણ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોમાં પુત્રી પ્રિયંકા (૧૨ વર્ષ),પુત્ર ગિરિરાજ (૫ વર્ષ),પુત્ર રાજવીર (૨ વર્ષ)નો સમાવેશ થાય છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 1485   |   વડોદરા   |  
પક્ષના ઉમેદવાર સામે ઉમેદવારી કરનાર ભાજપના ૧૧ બળવાખોરને સસ્પેન્ડ કરાયા

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની ચૂંટણીમાં ભાજપાની ટીકીટ માટે દાવેદારી કરનાર કેટલાક અગ્રણઈઓ અને કાર્યકરોને ટીકીટ નહી મળતા નારાજગી વ્યક્ત કરીને અપક્ષ કે અન્ય પક્ષ માંથી વિવિધ સ્થળે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ભાજપા દ્વારા હવે કાર્યવાહી કરતા પક્ષના સત્તાવાર ઉમેદવારની સામે ચૂંટણી જંગમાં ઝંપલાવનારા ૧૧ને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં પાદરા નગર પાલિકા વોર્ડ -૩માં કોંગ્રેસ માંથી ઉમેદવારી કરનાર નગર ભાજપાના મંત્રી નરસિંહભાઈ પટેલ, વાધોડિયા નગર પાલિકા વોર્ડ-૫માં અપક્ષ ઉમેદવારી કરનાર સક્રિય કાર્યકર વિશાલ પરીખ, રવાલ તાલુકા પંચાયતમાં ઉમેદવારી કરનાર સક્રિય કાર્યકર જ્ઞાનશરણ પટેલ, વાધોડિયા જરોદ તાલુકા પંચાયતની બેઠક પર પત્નીને ચૂંટણી લડાવનાર જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચો આઈટી સેલના જયેશભાઈ રબારી, સાવલી નગરના યુવા મોરચાના ઉપ પ્રમુખ આકાશ પટેલ, સાવલીનગર પાલિકામાં વોર્ડ-૨માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપા યુવા મોરચાના કારોબારી સભ્ય નિલેશભાઈ પરમાર, વડોદરા પોર જિલ્લા પંચાયની બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા નયનાબેન પરમાર, જિલ્લા પંચાયતની પોર બેઠક પર તેમની પત્નીને ચૂંટણી લડાવનારા રાજુભાઈ પરમાર, ડભોઈ નગરના વોર્ડ-૬માં અપક્ષ ઉમેદવારી કરનાર સમીરભાઈ પટેલ, વોર્ડ-૫માં ઉમેેદવારી નોંધાવનારા સલીમભાઈ ધાંચી, અને કરજણ વેમાર તાલુકા પંચાયતમાં ઉમેદવારી નોંધાવનાર રાકેશભાઈ પટેલને પક્ષમાંથી ૫ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આમ ભાજપા દ્વારા ટીકીટ નહી મળતા કોંગ્રેસ કે અન્ય પક્ષ અથવા અપક્ષ ઉમેદવારી નોંધાવનારા જિલ્લાના ૧૧ અગ્રણીઓ અને કાર્યકરો સામે કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 1584   |   વડોદરા   |  
વડોદરા કૉર્પોરેશનની ૭૪ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો મેદાનમાં

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના દિવસે ભાજપ-કોંગ્રેસની તેમજ આપ અને અપક્ષસહિત કેટલાક ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચતા હવે ૧૯ વોર્ડની ૭૪ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યાં છે જેમાં સૌથી ઓછા ૮ ઉમેદવારો વોર્ડ નં.૧૧માં અને સૌથી વધુ ૧૯ ઉમેદવારો વોર્ડ નં.૧૨માં ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના બે ઉમેદવારોએ તેમના ફોેર્મ પરત ખેચતા વોર્ડ નં-૧૧ની અને વોર્ડ નં-૨ની એકએક બેઠક બિનહરીફ થતા હવે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ૭૬ પૈકી ૭૪ બેઠકો પર ચૂંટણી યોજાશે.વડોદરા કોર્પોરેશનના ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે આગામી ૨૪મી એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ તબક્કામાં ૪૭૩ ઉમેદવારીપત્રો ભરાયા હતા. ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન ૨૦૬ ફોર્મ ચકાસણી દરમિયાન અમાન્ય ઠર્યા હતા. જ્યારે ગઈકાલે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લા દિવસે કોંગ્રેસના બે સહિત ૭ જેટલા ઉમેદવારોએ તેમના ફોર્મ પરત ખેચ્યા હતા.. ત્યારે ૧૯ વોર્ડની ૭૬ પૈકી બે વોર્ડની એકએક બેઠક બિનહરીફ જાહેર થતાં હવે ૭૪ બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ૨૫૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. જેમાં સૌથી વધુ ૧૯ ઉમેદવારો વોર્ડ નં.૧૨ અને સૌથી ઓછા ૮ ઉમેદવારો વોર્ડ નં.૧૧માં છે. આમ દરેક વોર્ડમાં ઉમેદવારો કેટલા છે તેની સ્પષ્ટતા સાથે તમામ ઉમેદવારોને ઉમેદવારી ક્રમાંક તેમજ અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવતાભાજપ-કોંગ્રેસ, અન્ય પક્ષો તેમજ અપક્ષો પ્રચાર ઝુંબેશ વધુ તેજ બનાવાઈ છે.ઉલ્લેખનીય છે કે, તા.૨૪મીએ સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે. જેથી પ્રચાર માટે હવે ૯ દિવસનો જ સમય રહ્યો છે. જાેકે, એકાદ-બે વોર્ડ ને બાદ કરતા મોટાભાગના વોર્ડમાં કોંગ્રેસમાં અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 1881   |   વડોદરા   |  
ભાજપના કોઈપણ નેતાએ વૉર્ડ નં-૧૨માં પ્રવેશ કરવો નહીંના બૅનર સાથે રોષ

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપાના ઉમેદવારો સામે રોષ વ્યક્ત કરવાનો સીલસીલો યચાવત રહ્યો છે. થોડા દિવસ પૂૂર્વે વોર્ડ નં-૧૨માં વિશ્વામિત્રી કાલીદાસ ચાલીમાં ડ્રેનેજ, પાણી પ્રશ્ને વિરોધ થયા બાદ હવે આજ વોર્ડમાં આવતી પ્રમુખ સ્વામી કૂટીરના ગેટ પર ભાજપાના કોઈપણ નેતાએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીના બેનર સાથે પાંચ વર્ષમાં એકવાર આવવુ તે પણ વોટ લેવા, કોઈપણ કામ કરવુ નહીતેવા કટાક્ષ સાથે બેનર લગાડીને રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપા વિરૂદ્ધ પોસ્ટર લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સ્થાનિકોના કહેવા મુજબ પાંચ વર્ષ કોઈ દેખાયા નથી. કોઈ વિકાસનું કામ થયુ નથી. શુદ્ધ પિવાનું પાણી, ડ્રેનેજની સમસ્યા એવીજ છે. વરસાદી પાણી ભરાય છે. રજૂઆતો કરવા છતાં એકપણ કામો થયા નથી. એટલે ના છુંટકે અમને આ બેનર લગાડવુ પડ્યુ છે. પૂરની પરીસ્થિતીમાં પણ કોઈ જાેવા આવ્યુ નથી તેમપણ કહ્યુ હતુ. એટલે અમારો વિરોધ છે. વોટીંગ તો કરીશુ, ભાજપાનો નહી પણ ભાજપાના નેતાઓનો વિરોધ હોવાનું કહ્યું હતુ.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, એપ્રીલ 2026 2475   |  
અમદાવાદ સિવિલમાં ૨૩૪મું અંગદાન: ખેડૂતે અવસાન બાદ લોકોને નવજીવન બક્ષ્યું

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપવાનો રેકોર્ડ ૨૩૪ પર પહોંચી વધુ લોકોને અંગદાન કરવા પ્રેરિત કરી રહ્યો છે. ખેડાનાં વતનીનું અકાળે અવસાન થતાં તેમના પરિવારે અંગદાન થકી લોકોને નવજીવન બક્ષ્યું છે. ઘટનાની વિગત મુજબ, ૧૨ એપ્રિલ ૨૦૨૬નાં રોજ એક માર્ગ અકસ્માતમાં મનુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે ૧૩ એપ્રિલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો નહીં અને ૧૪ એપ્રિલે તેમને ‘બ્રેઈન ડેડ’ જાહેર કરવામાં આવ્યા. મનુભાઈના અંગદાન થકી એક હ્રદય, એક લીવર, બે કિડની, બે આંખો અને ત્વચાનું દાન પ્રાપ્ત થયું છે. આ પૈકી લીવર અને બંને કિડનીને સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જ જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે, જ્યારે હ્રદયને શહેરની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દી માટે મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમની આંખોનું દાન એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા અને ત્વચાનું દાન સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં થયેલા ૨૩૪ અંગદાન દ્વારા કુલ ૭૭૪ અંગોનું દાન મળ્યું છે. જેમાં મુખ્યત્વે ૪૩૧ કિડની, ૨૦૮ લીવર, ૭૪ હ્રદય અને ૩૪ ફેફસાંનો સમાવેશ થાય છે. આ સાથે જ ૧૯૪ ચક્ષુદાન અને ૪૨ ત્વચાના દાન સહિત કુલ ૧૦૧૦ અંગો અને પેશીઓનું દાન મેળવીને અનેક પરિવારોમાં ખુશીઓ પરત લાવવામાં સફળતા મળી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, એપ્રીલ 2026 1980   |  
ગોડાઉનમાંથી પાનમસાલાની ચોરી કરનાર બે આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા

અમદાવાદના અસલાલીમાં એક ગોડાઉનમાંથી ૪૨.૯૯ લાખ રૂપિયાના પાન મસાલાની ચોરી થઈ હતી. આ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ થઇ છે. તપાસ માટેની ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી ચોરની ટોળકીને ઝડપી પાડી છે. મહારાષ્ટ્રના ભિવંડીથી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને ૬ આરોપી હજુ ફરાર છે, જેને પકડવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓએ પાન મસાલાની ચોરી કરવા માટે એક ગાડીનો ઉપયોગ કર્યો હતો. પોલીસની ટીમોએ ઘટનાસ્થળ અને આસપાસના ૫૦થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ચોરીમાં વપરાયેલી ગાડીનો નંબર જાેવા મળ્યો હતો અને તેનું સરનામું મહારાષ્ટ્રનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં ચોરી કરેલો રૂપિયા ૧૭,૪૭,૯૦૮નો મુદ્દામાલ અને ઉપયોગમાં લેવાયેલી રૂપિયા ૨,૦૦,૦૦૦ની ગાડી મળીને કુલ રૂપિયા ૧૯,૪૭,૯૦૮નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રના ભિવંડી ખાતેથી ૨ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં અખ્તરઅલી રહેમતઅલી શેખ (ઉ.વ. ૩૪, ભિવંડી) અને મોહમ્મદ અનસ હકીમખાન નજીરખાન (ઉ.વ.૨૬ ભિવંડી) છે. આ ઉપરાંત અન્ય ૬ આરોપીઓ હજુ પણ ફરાર (વોન્ટેડ) છે. ફરાર આરોપીઓમાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ (પવારવાડી) ખાતે રહેતા અકબરખાન હબીબખાન, કૈસરખાન હબીબખાન અને શાહરુખ આમીર શેખનો સમાવેશ થાય છે. જ્યારે થાણે જિલ્લાના ભિવંડી ખાતે રહેતા અન્ય ૩ આરોપીઓ અરબાજ મુબારક શેખ, મહમદઅલી મુનીર શેખ અને શરીફ બિસ્મીલ્લાખાન પણ ફરાર છે. પોલીસ દ્વારા આ તમામ ૬ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, એપ્રીલ 2026 1881   |  
સાબરમતીની મેડીલિંક ઇન્સ્ટિટૂટ ઓફ નર્સિગ સાયન્સ કોલેજમાં તોડફોડ

કોલેજમાં સુવિધાના અભાવના કારણે એબીવીપીએ સાબરમતીમાં આવેલી એક સાયન્સ કોલેજમાં હોબાળો કરીને તોડફોડ કરી હતી. છમ્ફઁ દ્વારા સાબરમતી વિસ્તારમાં આવેલી મેડીલીંક ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોલેજ, હોસ્ટેલ તથા સંબંધિત સુવિધાઓમાં આપવામાં આવતી નહી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ કોલેજ પર હોબાળો મચાવ્યો હતો..ખાતે પહોંચ્યા હતા. કોલેજ સંચાલકો દ્વારા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને પગલે આક્રોશમાં આવીને કાર્યકર્તાઓએ કોલેજના પોસ્ટર ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત ઇલેક્ટ્રિક માટેની મેઈન સ્વિચ બંધ કરી દીધી છે. મેઈન દરવાજાે તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ પણ કોલેજ પર પહોંચતા મામલો થાળે પડ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, એપ્રીલ 2026 1782   |  
ઠગોએ વૃદ્ધા પાસેથી લાખો રૂપિયા પડાવ્યાં

સાયબર ગઠીયાઓ રોજેરોજ અનેક લોકોને શિકાર બનાવી રહ્યાં છે. ખાસ કરીને ઠગોના નિશાના પર વડીલો આવી રહ્યાં છે. આવોજ એક એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. મની લોન્ડરિંગ કેસમાં તેમનું બેન્ક એકાઉન્ટ વપરાયું હોવાનું કહીને અમદાવાદના વૃદ્ધ મહિલાને કેટલાંક સાયબર ગઠીયાઓએ વિડીયો કોલ કરીને પોલીસની બીક બતાવીને નાણા પડાવવાની ઘટના પ્રકાશમાં આવી છે.શહેરના વાડજમાં વૃદ્ધ મહિલા પર વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોલીસ હવાની ઓળખ આપીને મહિલાને ધમકાવીને કહ્યું હતું કે તેમના આધાર કાર્ડથી ખોટું બેન્ક એકાઉન્ટ ખોલાવી બેન્ક એકાઉન્ટ મની લોન્ડરિંગ કેસમાં વપરાયું છે. અત્યારે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ કેસમાંથી બચવા તેમણે કોર્ટની ફી ભરવી પડશે. ગઠિયાએ વૃદ્ધા પાસેથી બેંકની વિગત અને તેમની પાસે રહેલા દાગીના અને સંપત્તિની વિગત મેળવી હતી. ગઠીયાથી ડરીને વૃદ્ધાએ ૫.૩૧ લાખ ટ્રાંસફર કર્યાં ગઠિયાએ વૃદ્ધાને કેસમાંથી બચવા માટે કોર્ટની ફી ભરવાનું કહેતા વૃદ્ધા બેંકમાં ગયા હતા અને ૫.૩૧ લાખ રૂપિયાની રકમ ગઠીયાએ આપેલા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ કહ્યું હતું કે તમારો કેસ કોર્ટમાં ચાલે છે. તો બીજા પૈસા જમા કરો અને તમારા ઘરેણા વેચીને પણ પૈસા જમા કરો. વૃદ્ધાને ડરાવવા માટે નકલી લેટર અને સુપ્રીમ કોર્ટનો પણ નકલી લેટર મોકલ્યો હતો. વૃદ્ધાને સતત વિડીયો કોલ કરતો હતો અને બીજા પૈસા મંગાવતો હતો. આ દરમિયાન વૃદ્ધાનો દીકરો ઘરે આવ્યો ત્યારે તેણે વૃદ્ધાના ફોનમાં તપાસ કરી ત્યારે ફ્રોડ થાય છે જાણ થઈ હતી. વૃદ્ધાએ આ અંગે સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, એપ્રીલ 2026 1683   |  
રાજ્યમાં ૧૯ અને ૨૦ એપ્રિલે વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૭ દિવસમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જ્યારે ચોથો અને પાંચમો દિવસ એટલે કે ૧૯ અને ૨૦ એપ્રિલના રોજ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ૧૯ એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે ૨૦ એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ વિશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, આગામી ૩ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન આગામી ૩ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જાેવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. છેલ્લા ૨૪ કલાકનું તાપમાન વિશે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગાંધીનગરમાં ૪૦.૨ ડિગ્રી સેલ્સિયસ જ્યારે સૌથી વધુ રાજકોટમાં ૪૦.૭ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. પવનની દિશા અત્યારે પશ્ચિમ થી ઉત્તર-પશ્ચિમ તરફની છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને એક ‘ટ્રફ’ સિસ્ટમ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી મણિપુર સુધી ફેલાયેલી છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જાેવા મળી રહી છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 396   |   સુરત   |  
વરાછા-કતારગામમાં ભાજપનાં ઉમેદવારોને મતદારોનો સોંસરવો સવાલ: ૨૫ હજાર રત્નકલાકારોની અરજી ફગાવી કેમ દીધી?

સુરત મહાનગરપાલિકાની આગામી તા.૨૬મી એપ્રિલે યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને હાલ પ્રચાર પૂરજાેશમાં શરૂ થઇ ચૂક્યો છે અને સુરતની ચૂંટણીમાં ગળાકાપ સ્પર્ધા જાે કોઇ વિસ્તારમાં થઇ રહી હોય તો એ વરાછા, કતારગામ વિસ્તારમાં થઇ રહી છે. આ એવો વિસ્તાર છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ભારે હુંસાતુંસી ભર્યો માહોલ જાેવા મળી રહ્યો છે. આ એવો વિસ્તાર છે કે જ્યાંની બહુલ વસતી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને હીરા ઉદ્યોગની વાત આવે ત્યારે મંદી અને બેરોજગાર રત્નકલાકારોની રાહત યોજનામાં રાજ્ય સરકારે રીજેક્ટ કરેલા ૨૫ હજાર અરજીઓનો મુદ્દો અવશ્ય ચર્ચાય. વરાછા, કતારગામમાં હાલ ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે જઇ રહેલી ભાજપાના ઉમેદવારો સમક્ષ સામાન્ય મતદારો અને રત્નકલાકારો મોઢામોઢ એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યારે મંદીગ્રસ્ત હીરા ઉદ્યોગમાં જ્યારે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ સારી ન હતી અને એ સમયે રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત યોજના સ્વરૂપે તેમના બાળકોની એક વર્ષની સહાય ફી ચૂકવી હતી એ યોજનામાં ૨૫ હજાર જેટલા રત્નકલાકારોનાં ૩૦ હજાર જેટલા બાળકોની ફી માટેની અરજીઓ રીજેક્ટ કરવામાં આવી ત્યારે ભાજપનાં કોર્પોરેટરો કે નેતાઓ ક્યાં ગયા હતા?છેલ્લા બે દિવસથી વરાછા, કતારગામમાં આ મુદ્દો અને તેના પર સવાલો ઉઠાવીને મતદારો અને રત્નકલાકારો ભાજપનાં ઉમેદવારોની કસોટી કરી રહ્યા છે. વરાછાનાં એક વોર્ડમાં તો રત્નકલાકારોએ ભાજપનાં ઉમેદવારોને ઘેરીને પ્રશ્નોનો એવો મારો ચલાવ્યો કે ભાજપનાં ચારેય ઉમેદવારો ગેંગેંફેંફે થઇ ગયા હતાં. તેમની પાસે કોઇ જવાબ ન હતો. એક ઉમેદવારે તો ત્યાં સુધી કહ્યું કે બેરોજગાર રત્નકલાકાર રાહત યોજના અંગે તેમની પાસે કોઇ જ જાણકારી નથી. આવું કહેતા જ પરિસ્થિતિ વધુ વણસી ગઇ હતી અને એ પછી તો સોસાયટીઓની મહિલાઓએ પણ ઉમેદવારોને મીટિંગ છોડી જવા માટે ભારે પસ્તાળ પાડી હતી. એવું નથી કે વરાછાનાં એક જ વોર્ડમાં બેરોજગાર રત્નકલાકાર રાહત યોજનાનાં રીજેક્ટ થયેલા ફોર્મનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે, ભાજપનાં ચૂંટણી કાર્યાલયોની મીટિંગોમાં પણ આ મુદ્દો ખૂબ ગાજી રહ્યો છે અને પ્રચાર માટે સોસાયટીઓ, સમાજાે અને મતદારો પાસે જતા કાર્યકર્તાઓને રત્નકલાકારો આ મુદ્દે સવાલો પૂછીને રીતસર ભીડાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો પણ પોતાની જાહેરસભાઓમાં આ મુદ્દો ઉઠાવીને ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી રહ્યાં છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 1287   |   સુરત   |  
અડાજણમાં માતા સાથે નાનાનાં ઘરે રહેતાં આઠ વર્ષનાં બાળકનું કાકાએ અપહરણ કર્યું

જાણીતા બિલ્ડર એવા કાકા સસરાને ઓફિસ ગર્લ સાથે અનૈતિક સંબંધ હોવાનું કહી બ્લેકમેલ કરવાના કેસમાં જેલવાસ ભોગવી ચૂકેલા જય ડાંગરનાં પૂત્રનું અપહરણ થયું હોવાનો બનાવ બન્યો હતો. જયની ખરાબ ચાલ ચલગતને કારણે પત્ની દિકરાને લઇ પિયર જતી રહી હોય તોનો ભાઇ જ માસૂમને ઉપાડી ગયાનું તપાસમાં બહાર આવ્યું છે.અડાજણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સૌરભ પોલીસ ચોકી પાસે આવેલા મણીભદ્ર વ્યુ એપાર્ટમેન્મટમાં પારૂલ જય ડાંગર તેના આઠ વર્ષનાં દિકરા યક્ષ સાથે રહે છે. જુનાગઢની માણાવદર તાલુકાની વતની પારૂલનાં લગ્ન વર્ષ ૨૦૧૪માં જય કરશનભાઇ ડાંગર સાથે થયા હતાં. ચાર વર્ષનાં દાંપત્ય જીવન બાદ ૨૦૧૮માં તેમને દિકરા યશનો જન્મ થયો હતો. જે હાલ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. છેલ્લા એકાદ વર્ષથી જય ડાંગરની ચાલ ચલગત બદલાઇ ગઇ હતી. તે પત્ની પારૂલનાં કુટુંબ વિશે એલફેલ બોલી ઝઘડો કરવા માંડ્યો હતો. ખરાબ વાણી અને વર્તનથી કંટાળેલી પારૂલ પૂત્રને લઇ જયથી અલગ પિયરમાં રહેવા માંડી હતી. ગત ૧૫મી એપ્રિલે સાંજે યશ એપાર્ટમેન્ટનાં ગાર્ડનમાં દાદી શાંતુબેનની દેખરેખ હેઠળ રમી રહ્યો હતો. દરમિયાન એક કાર એપાર્ટમેન્ટમાં આવી અને તેમાંથી ઉતરેલો યુવક યક્ષને પોતાની સાથે લઇ જતો રહ્યો હતો. આસપાસ તપાસ કરવા છતાં યક્ષ નહીં મળતાં પારૂલ તેના પિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અપહરણની ફરિયાદ મળતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં યક્ષને લઇ જનાર યુવક તથા ગાડીની ઓળખ કરવા માટે આસપાસના સીસી કેમેરા ચેક કરાયા હતાં. જેમાં યક્ષને લઇ જનાર તેના કાકા હોવાનું જણાય આવ્યું હતું. તપાસ દરમિયાન યક્ષને જુનાગઢ લઇ જવાયો હોવાનું પણ જાણવા મળતાં પોલીસે એ દિશામાં તપાસ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જય ડાંગર સામે ગત નવેમ્બર મહિનામાં કાકા સસરા વરજાંગ રાણાને બ્લેકમેલ કરી ખંડણી માંગવા અંગે ગુનો નોંધાયો હતો. બિલ્ડર વરજાંગ દિવાળીના દિવસોમાં કર્મચારી સાથે ઓફિસમાં હતા ત્યારે જય ડાંગર તેમના મિત્રો સાથે ધસી ગયો હતો. કાકા સસરા વરજાંગ જીલરીયા સાથે જય ડાંગરે ગાળ ગલોચ કરવા માંડી હતી. જય અને તેના મિત્રોએ રાણા તથા યુવતીને ઢીક મુક્કીનો માર પણ માર્યો હતો. જય ડાંગરે યુવતીને ડરાવી ધમકાવી રાણા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી કેસમાં ફસાવી દેવા કહ્યું હતું. બાદમાં સમાધાન પેટે ૧૦ કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી. યુવતીએ આપેલી ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી જય ડાંગરની ધરપકડ પણ કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 1584   |   સુરત   |  
ભાણેજની સગાઈ મુદ્દે જમાઈ જમ બન્યો કેરોસીન છાંટી સાસુને આગ ચાંપી દીધી

પૂછ્યા વિના ભાણીનાં લગ્ન નક્કી કરી નાંખવાની અદાવત રાખી માસાએ કેરોસીન છાંટી સાસુને આગ ચાંપી દીધી હતી. બચાવવા ગયેલા ભાણેજનાં શરીરે પણ કેરોસીન છાંટી આગ ચાંપવાનો પ્રયાસ કરાયો હતો.પાંડેસરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ભીડભંજન વિસ્તારના શ્રીરામ નગરમાં આશાબેન સુનિલભાઇ જાદવ તેમના સંતાનો સાથે રહે છે. પતિનું વર્ષ ૨૦૨૧માં નિધન થયા બાદ આશાબેન જુદી જુદી જગ્યાએ સાફ સફાઇનું કામ કરી ત્રણ સંતાનોનું ગુજરાત ચલાવે છે. તેણીની માતા રત્ના સોનવણેએ ૨૧ વર્ષીય દીકરી રોહિણીની સગાઇ પુનિતનગરમાં રહેતાં ભગવાન ભદાણેનાં દિકરા દશરથ સાથે નક્કી કરી હતી. ૨૩મી માર્ચે સગાઇ થાય એ પહેલા આશાની મોટી બહેન સંગીતા (રહે, કર્મયોગી સોસાયટી, વિભાગ-૦૨, પાંડેસરા)નાં પતિ મનોહર મહાજનને માથાકૂટ કરી હતી. રોહિણીની સગાઇ મારા સંબંધી સાથે કરાવાઇ નથી અને આ સંબંધ અંગે મને પૂછ્યું પણ નહીં. તારી માતાનાં કહેવાથી આ સગાઇ નક્કી થઇ ગઇ હોય આપણે ત્યાં જવું નથી એમ કહી એનું કહેવા માંડ્યું હતું. સગાઈનાં દિવસે આશાએ મોટા દિકરા જ્ઞાનેશ્વરને બહેન સંગીતાનાં ઘરે મોકલ્યો હતો. જ્ઞાનેશ્વર સાથે માસા મનોહરે ઝઘડો કર્યો પરંતુ સંગીતાને તેની સાથે મોકલી હતી. ૨૩મી અપ્રિલે પાંડેસરા પુનિતનગર ખાતે લગ્નનું નક્કી કરવા સાથે સગાઈ પ્રસંગ પુરો થયો હતો. ત્યારબાદ મનોહર અવાર નવાર સંગીતા સાથે ઝઘડો કરી ધમકી આપતો રહ્યો હતો કે, તારી બહેનની દિકરીનાં લગ્નમાં તારી માતા અને તારા સગા-સબંધીઓને સળગાવી દઈશ. સંગીતાએ બહેન આશાને આ વાત કરી હતી, જાે કે બનેવી ગુસ્સામાં હોય આવું બોલતા હશે એવું વિચારી તેમણે વાતને ગંભીરતાથી લીધી ન હતી. દરમિયાન પંદરમી તારીખે સવારે ઘરનાં ઓટલે બેસી શાકભાજી સમારતી માતા રત્નાએ અચાનક બૂમાબૂમ કરવા માંડી હતી. જે સાંભળી અંદરથી આશા દોડી આવી હતી. તેણીએ જાેયું તો માતાનાં શરીરે આગ લાગી હતી અને ત્યાં બનેવી મનોહર સળગતું લાકડું લઇને ઉભો હતો. તેની પાસે જ્વલનશીલ પ્રવાહી ભરેલી બોટલ પણ હતી. આશાએ બૂમ પાડતાં તેમનો દિકરો હરિશ જાદવે પાણી નાંખી આગ ઓલવી હતી. આ જાેઇ મનોહરે હરિશ ઉપર પણ કેરોસીન ફેંક્યું અને પછી સળગતાં લાકડાથી આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, હરિશે પ્રતિકાર કર્યો એટલે મનોહર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલી રત્ના સોનવણેને સારવાર માટે નવી સિવિલ લઇ જવાયા હતાં. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ મથકનાં ઇન્સ્પેક્ટર કે. ડી. જાડેજા સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતાં. હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધવા સાથે તેમણે મનોહરની શોધખોળ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 297   |   સુરત   |  
મનપાનાં વોર્ડ નંબર ૭માં ભાજપનાં ઉમેદવાર રઘુ ખુંટને સ્થાનિકે જાહેરમાં તતડાવ્યાં

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ડોર-ટુ-ડોર કેમ્પેનિંગ સુધી પહોંચ્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે સોસાયટીએ સોસાયટીએ ફરી રહ્યા છે, પરંતુ સુરતના વોર્ડ નંબર ૭ કતારગામ-વેડ વિસ્તારમાં ભાજપ માટે સ્થિતિ ક્ષોભજનક બની હતી. પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવાર રઘુભાઈ ખુંટને એક જાગૃત મતદાતાએ ગેરકાયદેસર બાંધકામ અને ડિમોલિશનના મુદ્દે જાહેરમાં તતડાવી નાખ્યા હતા. મતદાતાએ સીધો આક્ષેપ કર્યો હતો કે, સત્તાનો દુરૂપયોગ કરીને ડિમોલિશન કરવામાં આવે છે, જે સાંભળી ઉમેદવારો અને કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો.સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૭ કતારગામ-વેડમાં જ્યારે ભાજપના ઉમેદવારોની પેનલ પ્રચાર અર્થે પહોંચી ત્યારે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ખાસ કરીને રઘુ ખુંટ સામે એક મતદાતાએ મોરચો માંડ્યો હતો. મતદાતાએ આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્રની ડિમોલિશનની કામગીરીમાં નેતાઓની દખલગીરી વધી રહી છે. ગેરકાયદે બાંધકામ હટાવવાના નામે સામાન્ય લોકોને હેરાન કરવામાં આવતા હોવાનો સૂર સ્થાનિકોમાં જાેવા મળ્યો હતો. મતદાતાએ અન્ય કાર્યકરોની હાજરીમાં જ રઘુભાઈને સવાલો પૂછવાનું શરૂ કરતા વાતાવરણ ગરમાયું હતું. મતદાતાએ રઘુ ખુંટને ઉદ્દેશીને જાહેરમાં ગર્જના કરતા કહ્યું હતું કે, અમે તમને વ્યક્તિગત રીતે ઓળખતા નથી પરંતુ તમારું નામ સાંભળ્યું છે. નંદુ દોશી વાડીમાં જે ૧૦ મકાનો હટાવ્યા અને સમજુબા હોસ્પિટલ પાસે જે કામગીરી થઈ, તેમાં તમે કેટલી વાર ડિમોલિશન કરાવ્યું છે એ હું સારી રીતે જાણું છું. મારી પાસે આ તમામ બાબતોના પાકા પુરાવા છે. હું જાહેરમાં આ બધું કહેવા તૈયાર છું કે તમે ક્યાં અને કેવી રીતે ડિમોલિશન કરાવ્યું છે. મતદાતાના આ રોકડા નિવેદન બાદ ભાજપના નેતાઓ પાસે કોઈ જવાબ રહ્યો નહોતો. મતદાતા દ્વારા જ્યારે પુરાવા સાથે ડિમોલિશનના આક્ષેપો કરવામાં આવ્યા, ત્યારે પ્રચારમાં સાથે રહેલા ભારતીય જનતા પાર્ટીના અન્ય ઉમેદવારો અને સેંકડો કાર્યકર્તાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. સોસાયટીના અન્ય રહીશો પણ એકઠા થઈ જતા મામલો વધુ બિચકવાની શક્યતા હતી. મતદાતાનો આક્રોશ અને ગંભીર આક્ષેપોને જાેતા, પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પહેલાં જ રઘુ ખુંટ સહિતના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ ત્યાંથી એક પછી એક વિલા મોઢે વિદાય લેવી પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, એપ્રીલ 2026 297   |   સુરત   |  
એક કિલો શુદ્ધ ઘીમાં પામ ઓઇલ, વનસ્પતિ ઘી, એસેન્સ અને કલર ઉમેરી ૧૫ કિલો બનાવી વેચવાનો ગોરખધંધો

સચિન જીઆઇડીસીમાં ધમધમતી ડુપ્લિકેટ ઘી બનાવવાની ફેક્ટરીનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. ફેક્ટરીમાંથી ૧૪.૨૦ લાખ રૂપિયા કિંમતનું ૨૦૨૯ કિલો ભેળસેળયુક્ત ડુપ્લિકેટ, વિવિધ મશીનરી, ઘી બનાવવા માટેનું રો-મટીરિયલ્સ, તૈયાર ઘી, પેકિંગ માટેની સાધન સામગ્રી તથા રોકડા બે લાખ મળી કુલ ૩૫.૮૧ લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ કબજે લઇ સંચાલકોની ધરપકડ કરી છે.સ્પેશિયલ ઓપરેશન ગૃપનાં ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, સ્ટાફનાં જગશી ઠાકોર તથા દેવેન્દ્ર ગઢવીને બાતમી મળી હતી કે,સચિન જી.આઇ.ડી.સી ખાતે આવેલ સબકા ફુડ્સ નામની ફેક્ટરીમાં ડુપ્લિકેટ ઘી બને છે, ભરત પોલરા તથા અમીન વઢવાણીયા કેમિકલનાં એસેન્સનો ઉપયોગ કરી ભેળસેળયુક્ત કહો કે ડુપ્લિકેટ ઘી બનાવી તેને “વિદુર ઘી” નામથી વેચી રહ્યા છે. ખાનગી રાહે તપાસ કરાતાં જી.ઇ.બી. સબ સ્ટેશનની બાજુમાં, લક્ષ્મીપાર્કની સામે, પ્લોટ નં. આઇ/૩૩ ખાતે આ સબકા ફુડ ફેક્ટરી કાર્યરત હોવાનું જણાઇ આવ્યું હતું. પુરતી ખાતરી તપાસ બાદ આ ફેકટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જયાંથી ભરત ગોગનભાઇ પોલરા (રહે, આસોપાલવ સોસાયટી વિભાગ-૦૨, પટેલ પાર્ક પાસે, કેનાલ રોડ કામરેજ. વતન:ચરખા તા.ધારી જી.અમરેલી) અને અમીન બાબુભાઇ વઢવણિયા (રહે, સોહમ એપાર્ટમેન્ટ, રંગીલા પાર્ક સોસાયટી, ઘોડદોડ રોડ) મળી આવ્યા હતા. આ બંને સંચાલકો ઉપરાંત ત્રણ કારીગરો સુરેશ, સુભાષ અને જ્યંતિને અટકાયતમાં લઈ ફેક્ટરીની તપાસ કરાઇ હતી. પોલીસે ફેક્ટરીમાંથી ૧૪.૨૦ લાખ રૂપિયા કિંમતનું ૨૦૨૯ કિલો ભેળસેળયુક્ત ડુપ્લિકેટ, વિવિધ મશીનરી, ઘી બનાવવા માટેનું રો-મટીરિયલ્સ, તૈયાર ઘી, પેકિંગ માટેની સાધન સામગ્રી તથા રોકડા બે લાખ મળી કુલ ૩૫.૮૧ લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. ભરત અને અમીને પોલીસને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક વર્ષથી આ ફેક્ટરી ચલાવે છે. તેઓ એક કિલો ચોખ્ખા ઘી માં તેલ તથા વનસ્પતિ ઘી તથા કેમિકલ (એસેન્સ) તથા કલર ઉમેરીને તેમાંથી પંદર કિલો ઘી બનાવતા આવ્યા છે. આ બનાવટી, ભેળસેળિયું ઘી ૧૦૦ મિલી લિટરનાં નાના ડબ્બાથી લઇને ૧૫ કિલો સુધીના મોટા ડબ્બાઓમાં પેકિંગ કરાતુ હતું. તેઓ સબકા ફુડ્સ નામથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે મેળવેલા મેન્યુફેક્ચરિંગ લાયસન્સનાં આધારે વિદુર બ્રાન્ડથી તેનું વેચાણ કરતાં હતાં. આ ઘી સુરત શહેર તથા ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં તેમજ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં છુટક તથા જથ્થાબંધ રીતે ગાય તેમજ ભેંસનું શુદ્ધ “ઘી”તરીકે દુકાનદારો સપ્લાય કરવામાં આવતું હતું. અત્યારસુધી કેટલું ડુપ્લિકેટ શુદ્ધ ઘી સપ્લાય કરવામાં આવ્યું તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution