ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 1584   |  
ઐતિહાસિક સફળતા: એક દાયકા બાદ કચ્છમાં ઘોરાડના બચ્ચાનો જન્મ થયો

ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ સફળતા મળી છે. કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ -ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતાં કહ્યું કે, ગુજરાત વન વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાસિલ કરી છે. આ સફળતા બદલ કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પર્યાવરણ મંત્રાલય, ગુજરાત, રાજસ્થાન અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસોને બિરદાવીને એક્સ પર માહિતી આપીને અભિનંદન પાઠવ્યા હતા. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો જણાવતાં કહ્યું હતું કે, આ સફળતા પાછળ ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ‘ નામની અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૧માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘોરાડ પક્ષીઓના કુદરતી રહેઠાણોના સંરક્ષણ માટે રજૂ કરવામાં આવેલા વિઝનને અનુરૂપ વર્ષ ૨૦૧૬માં ‘પ્રોજેક્ટ જીઆઇબી શરૂ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના સેમ અને રામદેવરા ખાતે સ્થાપિત બ્રીડિંગ સેન્ટરોમાં પક્ષીઓની સંખ્યા વધીને હવે ૭૩ સુધી પહોંચી છે. રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લેવામાં આવ્યું. પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં આ ઈંડાને ૧૯ કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. તા. ૨૨ માર્ચના રોજ કચ્છની માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને બદલે આ ફલિત ઈંડું મૂકવામાં આવ્યું. માદા ઘોરાડ દ્વારા આ ઈંડાનું કુદરતી રીતે સેવન કરવામાં આવ્યું અને તા. ૨૬ માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો. હાલમાં ફિલ્ડ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને તેના બચ્ચાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો, વન વિભાગના અધિકારીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે આ એક ગર્વની ક્ષણ છે, જે ભારતના વન્યજીવ પર્યાવરણ જતન સંકલ્પને વધુ દૃઢ બનાવે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 1683   |  
કેસર કેરીનું બજારમાં આગમન: પણ આ વર્ષે રસનો આસ્વાદ મોંઘો બનશે

ગત વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીના ભાવમાં ૨૦ ટકાનો નોંધપાત્રો વધારો થયો છે. અમદાવાદના નરોડા ફ્રૂટ બજારમાં રત્નાગિરિ કેસર કેરીના ભાવ ૩૦૦થી ૪૦૦ રૂપિયા છે તો તો ઉના,તલાળાની કેસર કેરીના ૨૦૦-૨૫૦ રૂપિા પ્રતિ કિલો ભાવ બોલાઇ રહ્યો છે. નોંઘનિય છે કે માવઠાના અને મીની વાવાઝોડાના કારણે કાચી કેરી ખરી ગઇ હોવાથી ઘણું નુકસાન થયું છે. હજુ પણ આગામી દિવસોમાં માવઠાનું જાેખમ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગે ૨૯થી ૩૧ માર્ચ સુધી ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં ૨૯ માર્ચથી વાતાવરણમાં પલટો આવશે. આના કારણે ફરી કેરીના પાકને પારાવાર નુકસાન થાય તેવી ભિતી સેવાઇ રહી છે. જેના કારણે કેરીના ભાવ વધી પણ શકે છે. નોંધનિય છે કે, ગીર સોમનાથના કેસર કેરીના ગઢ ગણાતા તાલાલામાં જાેરદાર પવન અને માવઠાથી ભારે નુકસાન. પવનના કારણે આંબા પરથી મોટા પ્રમાણમાં કાચી કેરી (ખાખડી) જમીન પર ખરી પડી હતી.બગીચાઓમાં ભેજ વધતા ફળમાખી, મધિયો અને થ્રિપ્સ જેવા રોગોનો ઉપદ્રવ વધ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં, જે કેસર કેરીના ગઢ તરીકે આખી દુનિયામાં ઓળખાય છે, ત્યાં થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદ (માવઠા) અને જાેરદાર પવનને કારણે બાગાયતી ખેડૂતોને મોટો ઝાટકો લાગ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
27, માર્ચ 2026 2079   |  
જામનગરમાં મેગા ડિમોલેશન, નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ તંત્રનું કડક વલણ

જામનગરમાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં જાેવા મળી રહ્યું છે. આજે વહેલી સવારે જામનગર મહાનગરપાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં કરોડોની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે તાજેતરમાં જ જામનગરના સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમની આ મુલાકાત બાદ જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીના આદેશથી એસ્ટેટ શાખાએ આક્રમક વલણ અપનાવ્યું છે. બચુનગર વિસ્તારમાં મહાનગરપાલિકાની માલિકીની અંદાજે ૧૨,૦૦૦ ચોરસ મીટર જમીન પર ખડકી દેવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં એક હીટાચી અને ત્રણ જેસીબી મશીનોની મદદથી વહેલી સવારથી જ તોડફોડ શરૂ કરીને પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર રીતે બનેલા બે માળના જમાતખાના સહિતના અન્ય બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. ખુલ્લી કરાવવામાં આવેલી આ જમીનની બજાર કિંમત અંદાજે રૂ. ૨ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સિટી એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે તૈનાત રહ્યો હતો. એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજણની રાહબરી હેઠળ ફાયર બ્રિગેડ અને પાલિકાના ૫૦ જેટલા કર્મચારીઓએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. નિર્લિપ્ત રાયની કડક છાપને કારણે દબાણકર્તાઓ પણ વિરોધ કરવાની હિંમત કરી શક્યા નહોતા. જામનગરમાં હજુ પણ અનેક વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરે તેવી પૂરેપૂરી શક્યતા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, માર્ચ 2026 3762   |  
જામનગર શહેરમાં પણ કરા સાથે માવઠું:અમરેલીના વાતાવરણમાં પલટો

અમદાવાદ: ગુજરાતમાં થોડા દિવસથી વહેલી સવારે અને મોડી સાંજે થોડી ઠંડક લાગી રહી છે. હવામાન વિભાગે, કરેલ આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રમા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલી અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડ્યા છે. તો કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોમસી વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણ પલટાયું. વડીયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યાં છે. વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. બગસરા શહેરમાં કરા સાથે વરસાદ ખાબકયો. બગસરા પંથકના શાપર, સુડાવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. જામનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જામનગરના લાલપુર પંથકમાં કરા સાથે માવઠું થયુ છે. હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ લાલપુર તાલુકાના અમુક ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. બપોર બાદ એકાએક પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઉદ્ભવ્યા હતા. બબરજર, અપીયા સહિતના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. હજુ આવતીકાલે પણ છે માવઠાની આગાહી કરવામાં આવી છે. અમુક ગામડાઓમાં હજુ ચણા અને ઘઉંનો પાક ખેતરોમાં ઊભો છે, ઉભા પાકમાં નુકસાનીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાેકે બપોરે તો ગરમી જ લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે, ૧૯ અને ૨૦મી તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે ૧૯મી માર્ચના રોજ તો રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં સર્જાયેલું અપર એર સર્ક્યુલેશન હવે પશ્ચિમ રાજસ્થાન ઉપર સ્થિત છે. આ સાથે એક પશ્ચિમી વિક્ષોભ જે મધ્ય અને ઉપલા સ્તરના પશ્ચિમી પહાડી પ્રદેશોમાં એક ટ્રફ તરીકે છે. આ બે સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા માનવામાં આવી રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ધીમે ધીમે  વધારો થવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, આગામી ૩ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ગુજરાતમાં ધીમે ધીમે ૨-૩ ૦ઝ્રનો વધારો થવાની સંભાવના જાેવા મળશે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, મંગળવારે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૩૮.૫ ડિગ્રી નોંધાયું હતું. ૧૯મી માર્ચે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ૨૦ માર્ચ, શુક્રવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, માર્ચ 2026 4059   |  
ઉનાના ચકચારી દલિતકાંડમાં ૫ આરોપી દોષિત, દાયકા બાદ સેશન્સ કોર્ટનો ચુકાદો

ઉના , ૧૧ જુલાઈ ૨૦૧૬ના દિવસે સૌરાષ્ટ્રના ઉનાના મોટા સમઢીયાળા ગામે અનુસૂચિત જાતિના લોકો પશુનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે કેટલાક ગૌસેવકો પહોંચ્યા હતા અને મૃત પશુ ગાય છે અને ગૌહત્યા કરી છે, તેવો આરોપ મૂકીને અનુસૂચિત જાતિના ચાર લોકોને કાર પાછળ બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. રાષ્ટ્રીય સ્તરે ચગેલા આ મુદ્દામાં દસ વર્ષ પછી ચૂકાદો આવ્યો છે. ઉનાના ચર્ચિત દલિતકાંડ કેસમાં આજે (૧૬ માર્ચ ૨૦૨૬)ના રોજ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં ૫ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે અન્ય ૩૮ વ્યક્તિઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ૨૦૧૬ની ૧૧ જુલાઈએ ઉનાના સમઢીયાળા ગામે કથિત ગૌરક્ષકો દ્વારા ૪ અનુસૂચિત જાતિના યુવાનોને માર માર્યો હતો અને અર્ધનગ્ન કરીને ઝાયલો ગાડી પાછળ બાંધી ઉનામાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ ચૂકાદા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેસની શરૂઆતમાં નોંધાયેલી હ્લૈંઇમાં અનેક આરોપીઓના નામ સામેલ હતા. જાેકે, ૧ દાયકા સુધી ચાલેલી કોર્ટ કાર્યવાહી, સાક્ષીઓની જુબાની અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે ૫ શખસને ગુનામાં સંડોવાયેલા ગણી દોષિત જાહેર કર્યા છે.દોષિત ઠરેલા આરોપીઓની યાદી: રમેશ જાદવ, રાકેશ જાેશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા, બળવંત ગોસ્વામી.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 1980   |   વડોદરા   |  
પ્લીઝ, મને મરી જવા દો... મારાથી હવે નહીં જીવાય...

શહેરના માંજલપુર વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ પ્રકરણ અને આંતરિક ઝઘડાને કારણે એક યુવકે સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. માતૃકા રેસીડેન્સીમાં સર્જાયેલા આ બે કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ફાયર બ્રિગેડ અને પોલીસે યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે.માંજલપુર ૨૩૨ ફાટક પાસે આવેલી માતૃકા રેસીડેન્સીમાં રહેતા આકાશ નામના યુવકે આજે બપોરે અચાનક બિલ્ડિંગના સાતમા માળે ચઢીને નીચે કૂદવાની ધમકી આપી હતી. આ દ્રશ્ય જાેઈ આસપાસના રહીશોમાં ફાળ પડી હતી. ઘટનાની જાણ થતા જ માંજલપુર પોલીસ તેમજ ત્રણ અલગ-અલગ ફાયર સ્ટેશનની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે નીચે જાળ બિછાવી અને બે કલાકની ભારે જહેમત બાદ યુવકને સમજાવીને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. પ્રેમ પ્રકરણ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો થયા હતાં. આકશાનું રેસ્ક્યુ બાદ જાણવા મળ્યું હતું કે આ યુવક અને તેની મહિલા મિત્ર લીવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા . યુવકે આક્રોશમાં જણાવ્યું હતું કે, “મને બરબાદ કરી નાખ્યો છે, તે મને છોડીને ભાગી ગઈ છે, મને મરી જવા દો.” બીજી તરફ, તેની મહિલા મિત્રએ ચોંકાવનારા આક્ષેપ કરતા જણાવ્યું કે તેઓએ લગ્ન કરી લીધા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેમની વચ્ચે ઝઘડો ચાલતો હતો. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે યુવકે તેને ત્રણ-ચાર દિવસથી ઘરમાં પૂરી રાખી હતી અને બંનેએ જમવાનું પણ ત્યાગ્યું હતું. જ્યારે આકાશ ટેરેસ પર ચઢ્યો ત્યારે યુવતી પોલીસ સ્ટેશનમાં અરજી કરવા ગઈ હતી. યુવતીએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે આકાશને કેટલાક સમયથી માનસિક સમસ્યાઓ નડી રહી હતી. હાલમાં માંજલપુર પોલીસે યુવકની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 2178   |   વડોદરા   |  
એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટરન્સ પરીક્ષાને લઈને ભારે વિરોધ

એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં એન્ટરન્સ પરીક્ષા રદ કરવાની માગ સાથે પહોંચેલા એનએસયુઆઇ ના કાર્યકરો અને ફેકલ્ટી ડીન પ્રજ્ઞેશ શાહ વચ્ચે આજે ભારે ઘર્ષણ સર્જાયું હતું. પ્રવેશ પ્રક્રિયામાં ફેરફારની માગ લઈને એનએસયુઆઇ ના કાર્યકરો ડીન પાસે રજૂઆત કરવા ગયા હતા. રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં કેમ્પસમાં તંગદિલીનું વાતાવરણ છવાઈ ગયું હતું.આ અંગે એનએસયુઆઇ ના સુઝાન લાડમેને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલીવાર કોમર્સ ફેકલ્ટીની પ્રવેશ પ્રક્રિયા માટે લેવામાં આવી રહેલી એન્ટ્રન્સ એક્ઝામનો એનએસયુઆઇ સંગઠન દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ જે પ્રાઈવેટ કોચિંગ ક્લાસ કે પ્રાઈવેટ યુનિવર્સિટીના દલાલો બની ગયા છે એવું અમને લાગી રહ્યું છે. કારણ કે કોમર્સ ફેકલ્ટીમાં અત્યાર સુધી કોઈપણ એન્ટ્રન્સ એક્ઝામ પ્રવેશ પ્રક્રિયા માટે લેવામાં આવતી નથી. વધુમાં કહ્યું કે, અમે એમને મોટો પ્રશ્ન એ કર્યો કે ૧૦મા-૧૨માની બોર્ડની એક્ઝામ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે એ માન્ય નથી? એનું રિઝલ્ટ માન્ય નથી? તો તમારી દ્વારા એન્ટ્રન્સ એક્ઝામ શું કામ લેવામાં આવી? આજે શાંતિપૂર્વક ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે આ એન્ટ્રન્સને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, પરંતુ કોમર્સ ફેકલ્ટીના ડીનનો વ્યવહાર યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. આજે જે પણ દુર્વ્યવહાર મારી જાેડે કરવામાં આવ્યો એનો જવાબ સોમવારના દિવસે એનએસયુઆઇ સંગઠન યુનિવર્સિટીના વીસીપાસેથી માંગશે અને તાત્કાલિક ધોરણે પ્રજ્ઞેશ શાહ જેવા હિટલર વ્યક્તિને કોમર્સ ફેકલ્ટીમાંથી ડીન પદેથી રદ કરવામાં આવે એવી માગ લઈને એનએસયુઆઇ સંગઠન હેડ ઓફિસ પર રજૂઆત કરશે અને ઉગ્ર વિરોધ પણ કરશે. જાેકે આ અંગે આ અંગે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, આ મામલે હું પોલીસ કમ્પ્લેન કરીશ. મેં તેઓ સાથે શાંતિથી વાત કરવાની વાત કરી હતી, પરંતુ તેઓ મારી ઓફિસમાં આવી નારેબાજી કરી હતી અને કોઈ પણ વાત સાંભળી ન હતી. એન્ટ્રન્સ બાબતે તેઓ સાથે કોઈ ચર્ચા થઈ નથી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 1980   |   વડોદરા   |  
બીમારીથી કંટાળેલી યુવાન પરિણીતાની ઍપાર્ટમેન્ટના ૧૧મા માળેથી મોતની છલાંગ

શહેરના ગોરવા વિસ્તારમાં આજે સવારે એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. લાંબા સમયની ગંભીર બીમારીથી કંટાળીને એક ૩૫ વર્ષીય પરિણીતાએ પોતાના જ નિવાસસ્થાનના ૧૧મા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ગોરવા વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-૧ના ઈ-ટાવરમાં રહેતા સંગીતાબેન પ્રિતેશભાઈ થાપા (ઉં.વ. ૩૫) એ આજે વહેલી સવારે પોતાના ઘરની ગેલેરીમાંથી નીચે પડતું મૂક્યું હતું. ૧૧મા માળેથી પટકાવાને કારણે સંગીતાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિક રહીશો અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સંગીતાબેન છેલ્લા લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. તેમને પેટમાં અસહ્ય ચાંદા પડી ગયા હતા, જેના કારણે તેઓ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ વ્યથિત રહેતા હતા. સારવાર છતાં બીમારીમાં રાહત ન મળતા અને સતત વેદનાથી કંટાળીને આખરે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. ઘટનાની જાણ થતા જ લક્ષ્મીપુરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજાે મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. પરિણીતાના આપઘાતથી તેમના પરિવારજનો પર આભ ફાટ્યું છે અને પાડોશીઓમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ લક્ષ્મીપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 1980   |   વડોદરા   |  
હિન્દુ કિશોરે મુસ્લિમ સગીરા પર દુષ્કર્મ ગુજારી વીડિયો ઉતારી લીધો

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને માનવતાને લજવતી ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર ૧૩ વર્ષની સગીરા પર તેની જ બહેનપણીના સગા ભાઈએ દુષ્કર્મ ગુજારી તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલે માંજલપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી નરાધમ આરોપીની અટકાયત કરી છે.માંજલપુર વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષીય સગીરા અવારનવાર તેની બહેનપણીના ઘરે આવતી-જતી હતી. પાડોશમાં જ રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો બહેનપણીનો ભાઈ સગીરા પર મેલી મુરાદ રાખતો હતો. તેણે તકનો લાભ ઉઠાવી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં, આરોપીએ આ કુકર્મનો અશ્લીલ વીડિયો પણ મોબાઈલમાં કેદ કર્યો હતો. આ શરમજનક ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે આરોપીએ આ અશ્લીલ વીડિયો તેના એક મિત્રને બતાવ્યો. વીડિયો જાેતા જ મિત્ર ચોંકી ઉઠ્યો હતો, કારણ કે વીડિયોમાં દેખાતી બાળકી તેના જ અન્ય એક મિત્રની બહેન હતી. તેણે તરત જ આ ગંભીર બાબતની જાણ ભોગ બનનાર સગીરાના ભાઈને કરી હતી. ભાઈએ પોતાની બહેન પાસેથી સમગ્ર હકીકત જાણતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જાેતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો માંજલપુર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. માંજલપુર પોલીસે આ મામલે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી કોલેજિયન યુવકની અટકાયત કરી છે. પોલીસે સગીરાના નિવેદન અને વીડિયોના પુરાવા આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ફફડાટ જાેવા મળી રહ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 1881   |   વડોદરા   |  
ચૂંટણીની તૈયારીઓમાં જાેતરાઇ જાવ : જગદીશ વિશ્વકર્મા

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી સંદર્ભે આજે પ્રદેશ ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં મધ્યઝોનના ૮ જિલ્લાઓના સાંસદ, ધારાસભ્યો, પ્રમુખ, મહામંત્રીઓ સહિત હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખે મધ્યગુજરાતમાં ચૂંટણીની તૈયારી માટે જરૂરી સુચના સાથે માર્ગદર્શન આપ્યુ હતુ. જ્યારે પક્ષના ચૂંટણી લડવા ઈચ્છુક તમામ કાર્યકરોના ફોર્મ સ્વિકારવા જણાવ્યું હોવાનું તેમજ ચૂંટણી માટેની જે કમિટીઓ બનાવી છે તે તમામ તૈયારી શરૂ કરવા સુચના આપી હોવાનું તેમજ આ કાર્યકરોની ચૂંટણી છે એટલે તમામે કામે લાગી જવા સુચના આપી હોવાનુું જાણવા મળે છે.વડોદરા શહેરના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રદેશ ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ ચૂંટણી સંયોજક ગોરધન ઝડફીયા, મધ્યગુજરાતના મહામંત્રી અને પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌોહાણ સહિતની ઉપસ્થિતીમા મધ્યઝોનના ૮ જિલ્લા વડોદરા શહેર- જિલ્લા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના સાંસદ, ધારાસભ્યો પ્રમુખ, મહામંત્રીઓ અને મંડલ પ્રમુખોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ હતી. જેમાપ્રદેશ અધ્યક્ષે ચૂંટણીલક્ષી કામગીરીમાં જાેતરાઈ જવા માટે તમામ કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓના વિસ્તારમાં થયેલા વિકાસના કામોને મહત્તમ લોકો સુધી પહોંચાડવા મ સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત તમામ હોદ્દેદારોને ચૂંટણીની કામગીરી માટે જે વિવિધ સમિતીઓ બનાવવામા આવી છે.તેમને કામગીરી શરૂ કરી દેવા અને જે કોઈ કાર્યકર ઉમેદવારી ફોર્મ ભરે તે તમામના ફોર્મ સ્વિકારવા માટે સુચના આપી હોવાની જાણવા મળે છે. શહેર ભાજપા પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ કહ્યું હતુ કે, બેઠકમાં તમામ કાર્યકરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ગત ચૂંટણીમાં મધ્યઝોનમાં ૯૫ ટકા જેટલી બેઠકો ભાજપાએ જીતી હતી. આ વખતે ૧૦૦ ટકા બેઠકો જીતવાનો વિશ્વાસ કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત હજુ સુધી ચૂંટણીમાં કોને ટીકીટ આપવામાં આવશે તે અંગે કોઈ ક્રાઈટેરીયા અંગે નિયમ આવ્યો નથી.ટુંક સમયમાં ચૂંટણીની જાહેરાત થશે. નિરીક્ષકોની નિમણૂંકો કરવામાં આવી છે. નિરીક્ષકો પણ વિવિધ જિલ્લાઓમાં જશે અને સેન્સ પ્રક્રિયા પણ કરવામાં આવશે. ઉમેદવારી કરવા ઈચ્છુકો ફોર્મેટમાં ફોર્મ ભરીને આપશે તે સ્વિકારવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમ કહ્યું હતુ.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 1683   |  
અમદાવાદ જિલ્લામાં અલગ અલગ ત્રણ અકસ્માતમાં ત્રણના કરૂણ મોત નિપજ્યાં

અમદાવાદ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ બનેલા ત્રણ ગંભીર અકસ્માતોએ ચિંતા વધારી છે. જેમાંથી ૨ અકસ્માતમાં બાવળા-બગોદરા હાઇવે પર યાત્રીઓ માતાજીના દર્શનાર્થે ધાર્મિક સ્થળે જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા વાહન દ્વારા ટક્કર મારતા ૧-૧ શ્રદ્ધાળુના મોત નિપજ્યાં છે. ત્યારે ત્રીજા અકસ્માત ડમ્પર અને ઇકો કાર વચ્ચે થયો છે, તેમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. પ્રથમ અકસ્માત બાવળા-બગોદરા હાઈવે પર રોહીકા પાટિયા નજીક થયો હતો. ગાંધીનગરથી ખોડીયાર માતાજીના દર્શને ભાવનગર જઈ રહેલા પદયાત્રીઓના સંઘ સાથે આ દુર્ઘટના બની હતી. આશરે ૪૦ લોકોનો સંઘ રાત્રે રોહીકા મુકામે રોકાયો હતો અને વહેલી સવારે ત્રણ વાગ્યે માતાજીનો રથ લઈ આગળ વધતા હતા. ત્યારે એક ટ્રક ચાલકે રથને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં રથ ખેંચી રહેલા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એક અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બગોદરા સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બીજાે બનાવ બગોદરા ટોલ નાકા નજીક હિટ એન્ડ રનનો નોંધાયો હતો. અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઈ ગયું હતું. આ ઘટનામાં ૨૩ વર્ષીય ગોપાલ પઢિયાર (રહે. પલાણા, તાલુકો વસો, જિલ્લા ખેડા)નું મોત થયું હતું. તે પોતાના સાળા સાથે ચોટીલા માતાના દર્શને જઈ રહ્યો હતો. ઘટના સવારે અંદાજે ૧૦:૩૦ વાગ્યે બની હતી. ત્રીજાે અકસ્માત ધંધુકા-ધોલેરા રોડ પર રોજકા ગામ પાસે થયો હતો, જ્યાં ડમ્પર અને ઈકો કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ ઘટનામાં ગોપીબેન ચૌહાણ (ઉંમર ૨૫, ગામ ખોપાળા, બોટાદ)નું મોત થયું હતું, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 1584   |  
‘અજય મોદી ટ્રાવેલ્સ‘ના નામે રૂપિયા ૩૩.૮૭ લાખની છેતરપિંડી કરનાર મહિલાની ધરપકડ

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ૩૩.૮૭ લાખની છેતરપિંડી આચરનાર મહિલા ઉન્નતિ પટેલની પોલીસે ધરપકડ કરી છે. આરોપી મહિલાએ અજય મોદી ટ્રાવેલ્સના ગ્રાહકોને નિશાન બનાવી ક્યુઆર કોડમાં સેટિંગ કરીને લાખો રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઈઝી ન મળતા, ગ્રાહકોના બુકિંગ પર કમિશન મેળવવાના બહાને મહિલાએ આ આખું કૌભાંડ આચર્યું હતું. સેટેલાઈટ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં પ્રખ્યાત ટ્રાવેલ્સ એજન્સી અજય મોદીમાં કમિશન બેઝ પર ગાંધીનગરમાં કામ કરતી મહિલાએ કસ્ટમર સાથે ૩૩.૮૭ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. આરોપી મહિલાએ પોતાના બૅંક ખાતામાં સેટિંગ કર્યું હતું. જેમાં કસ્ટમર જ્યારે પેમેન્ટ કરવા કોડ સ્કેન કરે ત્યારે નામ ‘અજય મોદી ટ્રાવેલ્સ‘નું નામ જ દેખાતું હતું, પરંતુ રૂપિયા સીધા મહિલાના ખાતામાં જમા થતા હતા. આ રીતે મહિલાએ કુલ ૩૩,૮૭,૧૮૪ની છેતરપિંડી કરી હોવાની સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના અંગે વસ્ત્રાપુરમાં રહેતા ૪૬ વર્ષીય આલાપ અજય મોદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેઓ અજય મોદી ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. જેમાં ગત વર્ષ ૨૦૨૨માં આરોપી ઉન્નતિ વૈભવભાઈ પટેલ તેમના સંપર્કમાં આવી હતી અને તેને ફ્રેન્ચાઇઝી માંગી હતી. જાેકે, કંપની ફ્રેન્ચાઇઝી આપતી ન હોવાથી માત્ર કમિશન બેઝ પર બુકિંગ આપવાનું નક્કી થયું હતું. છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે કામ ચાલતું હતું. પરંતુ મહિલાએ આ વિશ્વાસનો દુરુપયોગ કરી કંપનીના નામે રૂપિયા પોતાના ખાતામાં લેવાનું શરૂ કર્યું હતું. આરોપી મહિલા ઉન્નતિ પટેલે ગાંધીનગરના કુડાસણ ખાતે એક્સિસ બૅંકમાં ઉન્નતિ એન્ટરપ્રાઇઝના નામે ખાતું ખોલાવ્યું હતું. તેણે બૅંકના કોડમાં એવી ગોઠવણ કરી હતી કે કસ્ટમર સ્કેન કરે ત્યારે નામ અજય મોદી ટ્રાવેલ્સ ડિસ્પ્લે થાય. ગ્રાહકો ફ્લાઇટ બુકિંગના નામે જે રૂપિયા ચૂકવતા તે આલાપભાઈને મળવાને બદલે ઉન્નતિના ખાતામાં જતા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 1683   |  
પીવાના પાણીની ટાંકીમાંથી ૯ સાપ અને પાટલા ઘો નીકળતા ચકચાર મચી

ગાંધીનગરના મગોડી ગામમાં અંદાજે ૯૦૦ લોકો જે ટાંકીમાંથી પીવાનું પાણી મેળવે છે, તે ટાંકી તપાસતા તેમાંથી એક-બે નહીં પણ કુલ ૯ સરીસૃપો મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામજનોને પીવાના પાણીમાં અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. પાણી પીવાલાયક ન જણાતા આખરે ટાંકી ખોલીને તપાસ કરવામાં આવી હતી. ટાંકીની અંદરનું દ્રશ્ય જાેઈને તપાસ કરનારાઓના પણ હોશ ઉડી ગયા હતા. ટાંકીમાં સાપ અને પાટલા ઘોનો વસવાટ જાેવા મળ્યો હતો. તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ટાંકીમાંથી સાપ અને પાટલા ઘો બહાર કાઢવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે, રેસ્ક્યુ દરમિયાન ૬ ફૂટ લાંબો એક મૃત સાપ પણ મળી આવ્યો હતો, જે અત્યંત કોહવાયેલી હાલતમાં હતો. આ જ કોહવાયેલા સાપના કારણે પાણીમાં ઝેરી અસરો અને દુર્ગંધ ફેલાઈ રહી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પાણીની ટાંકીની પાઈપનું જાેડાણ નજીકના તળાવ સાથે છે. ટાંકી કે પાઈપ લાઈનમાં પ્રોપર ફિલ્ટર કે જાળી ન હોવાના કારણે, આ સરીસૃપો પાઈપ વાટે સીધા પાણીની ટાંકીમાં પહોંચી ગયા હોવાની પ્રબળ શક્યતા છે.૯૦૦ લોકો લાંબા સમયથી આ ગંદુ અને સરીસૃપોવાળું પાણી પીતા હતા, જેને કારણે બીમારી ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. ગ્રામજનો હવે પંચાયત અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને ટાંકીની સંપૂર્ણ સફાઈ તેમજ પાઈપ લાઈન રીપેરીંગની માંગ ઉઠી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 2079   |  
નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાનો પોલીસ પર હુમલો, ૧૦૦થી વધુના ટોળા સામે ગુનો નોંધ્યો

અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર પોલીસ મથકની હદમાં આવતા ધરજી ગામે દારૂના વેચાણ અંગેની બાતમીના આધારે દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર ટોળાએ હિંસક હુમલો કર્યો છે. નળ સરોવર પોલીસને બાતમી મળી હતી કે ધરજી ગામે મોટા પાયે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે જ્યારે પોલીસ કાફલો દરોડો પાડવા પહોંચ્યો, ત્યારે અચાનક ગામમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસની કાર્યવાહીથી ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી. મામલો એટલો બિચક્યો હતો કે ૧૦૦થી વધુ લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. ટોળાએ પોલીસ કર્મચારીઓને નીચે પાડી દીધા હતા અને તેમને રસ્તા પર દોડાવી-દોડાવીને માર મારતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ પર થયેલા આ હિંસક હુમલા બાદ વધારાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. નળ સરોવર પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા હુમલામાં સામેલ ૧૦૦થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. ઘટના બાદ હુમલાખોરો ગામ છોડીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હુમલાખોરોને ઓળખી કાઢવા માટે સ્થાનિક સ્તરે તપાસ શરૂ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 1782   |  
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ પહેલા વાલીઓને જિલ્લા શિક્ષણાધિકારીની ચેતવણી: ઓછી આવક બતાવશો તો પ્રવેશ નહીં

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનાં મૂળભૂત અધિકાર સામે આર્થિક રીતે સક્ષમ વર્ગ કાગળ પર ગરીબ બની પોતાના બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાનાં અનેક કિસ્સા સામે આવતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ વાલીઓને કડક ચેતવણી આપી છે. જાે કોઈ વાલી આવક છુપાવી પોતાના બાળકને ખોટી રીતે પ્રવેશ અપાવશે તો ફોજદારી ગુનો દાખલ થશે અને આરટીઈ હેઠળ પ્રવેશ રદ કરવાની પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી બતાવી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ ર્સ્વનિભર શાળાઓની ૨૫ ટકા જેટલી બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. જે માટે ૪ એપ્રિલથી લઈને ૧૭ એપ્રિલ સુધી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. માહિતી મુજબ, શહેરમાં ૧૪ હજાર કરતા વધુ બેઠકો પર  વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. શહેરની ૧૪૧૭૭ જેટલી બેઠકો પર આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવતી હોય છે. ૬ લાખ સુધીની મર્યાદા હોવાથી આવકનો દાખલો અને ઈન્કમટેક્સ રિટર્નના પુરાવા હોવા પણ જરૂરી છે. ૧૩ પ્રકારના અગ્રતાક્રમ પ્રમાણે વાલીઓએ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. તેના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.આવક ઓછી બતાવી પ્રવેશ લેતા વિદ્યાર્થીઓના વાલીઓ ચેતજાે કાયદા મુજબ, જાે આવક ૬ લાખથી વધુ હશે અને ઓછી બતાવી ખોટો આવકનો દાખલો અપલોડ કરી પોતાના બાળકને પ્રવેશ અપાવ્યો હશે તો ઇ્ઈ હેઠળ તેમના બાળકનો પ્રવેશ રદ કરવામાં આવશે. તેમજ ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કરી અન્ય વિદ્યાર્થીને પ્રવેશથી વંચિત રાખવા બદલ વાલી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની પણ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે. અવારનવાર સ્પષ્ટતા કરવા છતાં વાલીઓ ઇન્કમટેક્સ રિટર્નના આધારો છુપાવતા હોય છે. જાે કોઈ વાલી ખોટી વિગત ભરશે તો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ એક વખત શાળા પસંદ કર્યા બાદ અન્ય કોઈ શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 2178   |   સુરત   |  
પ્રેમની વાતો અને લગ્નનાં વાયદે પરિણીતાને પતિથી અલગ કરી ૧૧ વર્ષ શારીરિક શોષણ

શહેરનાં ઈચ્છાપોરમાં રહેતાં યુવકે પારકી પરણેતર સાથે મિત્રતા કર્યા બાદ તેણીને પ્રેમ અને લગ્નની વાતોમાં ફસાવી હતી. પરિણીતાને બહેકાવીને વિતાવેલી અંગતપળોનાં વીડિયો બનાવી લીધા બાદ તેને વાયરલ કરવાની ધમકી આપી તેણીને તાબે કરી હતી. પતિથી અલગ કરી ૧૧ વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ લઇ જઇ શારીરિક શોષણ કરનાર યુવકે તેણીને તરછોડી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.હજીરા રોડ ઉપર ઈચ્છાપોર ખાતે આવેલા ભંડારીવાડમાં કેતનકુમાર ફકીરભાઈ ભંડારી તેના પરિવાર સાથે રહે છે. વર્ષ ૨૦૧૫માં તે ઇચ્છાપોરમાં જ ભાડેથી રહેતી ઓડિશાવાસી ક્રાંતિ જૈના (નામ બદલ્યું છે)નાં સંપર્કમાં આવ્યો હતો. કેતન અને ક્રાંતિ બંને પરિણીત હોવા છતાં તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ભંડારીએ પારકી પરણેતરને લગ્નની વાતોમાં ભોળવી હતી. દરમિયાન ક્રાંતિ એકલી હતી ત્યારે તેણીનાં ઘરે જઈ કેતને અંગતપળો વિતાવી હતી. એ પળોનાં ફોટા પાડવા સાથે વીડિયો પણ તેણે બનાવી લીધો હતો. ત્યારબાદ કેતન તેણીને અવાર નવાર મળવા બોલવતો કે તેના ઘરે પહોંચી જતો હતો. શરીર સંબંધ માટે ક્રાંતિ જ્યારે પણ ઇન્કાર કરતી ત્યારે તેણીને ફોટા તથા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તાબે કરતો હતો. ક્રાંતિ અવાર નવાર બહાર જવા માંડતાં તેણીનાં પતિને શંકા ગઇ હતી. આ મુદ્દે તેઓ વચ્ચે ખટરાગ સર્જાયો અને ઝઘડા પણ થવા માંડ્યા હતાં. ક્રાંતિએ આ અંગે કેતનને વાત કરી તો તેણે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી તેણીને પતિથી અલગ કરી દીધી હતી. ઘર છોડીને આવી ગયેલી ક્રાંતિને કેતન ભંડારીએ અલગ અલગ જગ્યાએ ફ્લેટ, મકાન ભાડે અપાવી ત્યાં રાખી હતી અને એ સ્થળે કેતન જતો અને તેણી સાથે જાતીય સમાગમ કરતો રહ્યો હતો. આવામાં દસ વર્ષ વીતી ગયા છતાં કેતન ભંડારી લગ્નનું નામ લેતો ન હતો. પ્રેમ અને લગ્નની વાતોના ભરોસે વિતાવેલા દાયકા દરમિયાન ક્રાંતિ પાસેથી કેતને રોકડા રૂપિયા અને સોનાનાં દાગીના પણ પડાવી લીધા હતાં. આવામાં જૂન ૨૦૨૫ માં ક્રાંતિએ લગ્નની વાત કરી તો કેતન ભંડારીએ તેણી સાથે વાતચીત બંધ કરી દીધી હતી. કેતનની દાનત ફરી ગયાનો અહેસાસ થતા તેણીએ પોતાના પૈસા અને દાગીના પરત માંગ્યા હતા પરંતુ કેતન ભંડારીએ દાગીના કે રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. જેથી આખરે ક્રાંતિ જૈનાએ કેતન ભંડારી સામે ઇચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 2079   |   સુરત   |  
શહેરનાં બે વગદાર ઇન્સ્પેક્ટરોની બદલી મુદ્દે ભાજપનાં બે મોટા નેતાઓ વચ્ચે ચકમક ઝરી

શહેરના પોલીસ બેડામાં થયેલી ઇન્સપેક્ટરોની બદલીમાં બે ધુરંધરો મુદ્દે મામલો ગરમાયો હતો.રાજ્યના ૭૭૮ ઇન્સપેક્ટરની સાગમટે કરાયેલી બદલીમાં સુરત શહેરમાં પણ વ્યાપક અસર પડી છે. શહેરમાંથી કુલ ૪૮ ઇન્સપેક્ટરની બદલી થઈ છે. આ બદલીમાં સુરત શહેરના જે પોલીસ મથકોમાં પોસ્ટિંગ માટે ઇન્સપેક્ટરોમાં પડાપડી થાય છે એ તમામ ખાલી થઇ ગયા છે. શહેરમાંથી બદલાયેલા ઇન્સપેક્ટરોમાં પોલીસ કમિશનરની ઉપરવટ જઈ બદલીના ઉપરા છાપરી ત્રણ ઓર્ડર કરાવી પાંડેસરામાં પોસ્ટિંગ લેનારા જે. આર. ચૌધરી અને રાજકીય ખીલે ઉછળકૂદ કરવા ટેવાયેલા લિંબાયતના એન. કે. કામળીયા મુદ્દે ગરમાટો થયાનું જાણવા મળે છે. આ બંને અધિકારીઓને જીદ કરીને જે તે પોલીસ મથકમાં મુકાવનાર નેતાજીએ બદલી મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યકાળની સમય મર્યાદામાં આવી જતા હોય બંનેની બદલી થઇ હતી. જાે કે, તેમને જાણી જાેઇને બદલવામાં આવ્યા હોવાની શંકા સાથે વ્યક્ત કરાયેલી નારાજગીથી વાત વણસી હતી. બે નેતાઓ વચ્ચે ચકમક ઝરતાં પોલીસબેડાના વાતાવરણે ગરમાટો પકડ્યો હતો. પછી એવું થયું કે એ બંને પીઆઇને તાત્કાલિક છૂટા કરવાના આદેશ છૂટ્યા હતાં. પાંડેસરાના ચૌધરીને છૂટા કરી તેમના સ્થાને સબાલતપુરાથી કે. ડી. જાડેજાને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. તેમણે લગભગ મધરાતે ચાર્જ સંભાળ્યો હતો. બીજી તરફ લિંબાયતમાં સેકન્ડ પીઆઇ રજા પર હોવા છતાં કામળીયાને છૂટા કરી દેવાયા હતાં. ત્યાંનો ચાર્જ મધરાત પછી ઉધના પીઆઇ એસ. એન. દેસાઇને અપાયો હતો. શહેર પોલીસમાં રાજકારણને હાવી કરાવનાર આ બે પીઆઇ સાથે પ્રમોશન બાદ એક વર્ષથી પોસ્ટિંગની રાહ જાેતા હતાં એ ઇન્સપેક્ટરોને પણ છૂટા કરી દેવાયા હતાં. આવા માહોલ વચ્ચે ઉપરથી એટલે કે ડીજી ઓફિસથી એવો લેખિત આદેશ કરવામાં આવ્યો છે કે દરેક અધિકારીઓએ કોઇપણ જાતની રજા લીધા વિના પહેલી તારીખ પહેલા બદલીના સ્થળે હાજર થઈ જવું. આ આદેશ પાછળ કોર્પોરેશન અને પંચાયતોની જાહેર થનારી ચૂંટણીનું કારણ આપવામાં આવી રહ્યું છે, જાે કે મામલો ઓર્ડર રદ કરાવવા કે બદલાવવા માટે ભલામણ અને દાબ દબાણને લગતો હોવાનું ચર્ચાયું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 2079   |   સુરત   |  
આઇબીવી ફાયનાન્સનાં સંચાલકોએ વૃદ્ધનાં ૯૦૦ ગ્રામ સોનાનાં દાગીના વગે કર્યા

સુરત, તા.૨૮કરોડ રૂપિયામાં ઉઠમણું કરનાર ગોલ્ડ લોન આપતી વરાછાની આઇબીવી ફાયનાન્સ કંપની સામે વધું એક પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. સરથાણાનાં વૃદ્ધ પાસે લોન સામે લીધેલા ૯૦૦ ગ્રામ સોનાનાં દાગીના આ કંપનીનાં સંચાલકોએ અન્ય બેંકમાં મોર્ગેજ કરી વધું રૂપિયા ઉસેટી લીધા હતાં. પોતાના દાગીના પરત લેવા ગયેલા વૃદ્ધને સંચાલકોએ ધરમ ધક્કા ખવડાવતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વરાછા વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલ જય ભવાની સોસાયટીમાં ૬૪ વર્ષીય હિંમતભાઈ ધરમશીભાઈ ગોયાણી તેમના પરિવાર સાથે રહે છે. મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વતની ગોયાણીએ ગતરોજ સરથાણા પોલીસ મથકમાં આઇબીવી ફાયનાન્સ કંપનીના રાકેશભાઈ ધીરુભાઈ ગોયાણી તુષાર ધીરુભાઈ ભીમાણી અને ધીરુભાઈ ખોડાભાઈ ભીમાણી (રહે નીલકંઠ હાઇટ્સ, સરથાણા જકાતનાકા) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧માં તેમને પૈસાની જરૂર પડી હતી. એ સમયે પરિચિત વ્યક્તિનાં રેફરન્સથી તેઓ યોગીચોક ખાતે આવેલ શ્રી હરિ શોપિંગમાં પહેલા માળ પર આવેલ આઈ.બી.વી ફાઇનાન્સ ભાગીદારી પેઢીમાં ગયા હતાં. જ્યાં ગોયાણી અને ભીમાણીએ હિંમતભાઈને સોનાના ઘરેણાં સામે લોન પેટે પૈસા આપવાની વાત કરી હતી. ધીરે ધીરે લોન ભરપાઇ કરી દાગીના છોડાવી જજાે એવી વાતમાં હિંમતભાઇ ગયા હતાં. હિંમતભાઈની અલગ અલગ ૧૪૭ ગ્રામ સોનાનાં દાગીના તથા ૩૭.૩૩ ગ્રામનો સોનાનો ચેઈન તથા તેમના પરિવારના સભ્યોના ૮૬૪.૧૨ ગ્રામ સોનાના દાગીનાસ આવીબી ફાયનાન્સમાં જમા કરાવ્યા અને તેની સામે લોન લીધી હતી. જાેકે બાદમાં રાકેશ, તુષાર અને ધીરુભાઈએ ભેગા મળી હિંમતભાઈ અને તેના પરિવારના દાગીના અન્ય બેંકમાં મૂકી તેમના પર ગોલ્ડ લોન લઈ છેતરપિંડી કરી હતી. જેથી આખરે બાદમાં હિંમતભાઈને જાણ થતા તેઓએ દાગીનાની પરત માંગણી કરી હતી પરંતુ ત્રણેય વ્યક્તિઓએ ભેગા મળી દાગીના પરત નહીં આપી માત્ર ગલ્લાં ગલ્લાં કરી છેતરપિંડી કરી હતી. જેથી ભોગ બનનાર વૃદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 2574   |   સુરત   |  
હીરા ઉત્પાદક કંપનીઓ SDB કામકાજ શરૂ કરે એ માટે સઘન પ્રયાસો

સુરત ડાયમંડ બુર્સમાં મહિધરપુરા હીરાબજારનાં હીરા દલાલો, નાના વેપારીઓ નિયમિત હાજરી આપી રહ્યા છે પરંતુ, તેમણે તેમની પાસેના ખરીદ-વેચાણ માટેનાં લાખો, કરોડો રૂપિયાના હીરાનાં પડીકાનું જાેખમ સાથે લઇને ફરવું પડી રહ્યું છે, આથી સુરત ડાયમંડ બુર્સમાં માત્ર નામ પૂરતી હાજરી ના પૂરાય અને સુરત ડાયમંડ બુર્સમાં જ તમામ પ્રકારનાં ખરીદ-વેચાણનાં સોદા થાય, હીરાનાં વેપારીઓ, દલાલો, ઉદ્યોગપતિઓ પોતાનું જાેખમ પણ ડાયમંડ બુર્સમાં જ રાખે તે માટે સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે એટલું જ નહીં પણ નાના ઉદ્યોગકારો પહોંચી ગયા છે હવે મોટા ઉદ્યોગપતિઓ કે જેઓ કટિંગ પોલિશિંગની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઓ ચલાવી રહ્યા છે તેઓ પણ પોતાની ઓફિસ શરૂ કરે તે માટે આગામી તા.૩૧મી માર્ચે મંગળવારે એક મહત્વની મીટિંગ બોલાવવામાં આવી છે.સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજી પટેલે જણાવ્યું કે સુરત ડાયમંડ બુર્સ ખાતે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સાથે એક મહત્વપૂર્ણ મીટિંગ આજે યોજાઈ હતી. મીટિંગમાં સુરત ડાયમંડ બુર્સમાં વહેલીતકે ઓફીસ શરુ કરવા શું કરવું એ અંગે આયોજન કરવા તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીનાં વિકાસ, ભવિષ્યની યોજના અને ટ્રેડિંગ સીસ્ટમને વધુ સુવ્યવસ્થિત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગ દરમિયાન સર્વસંમતિથી ર્નિણય લેવામાં આવ્યો કે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સુરત ડાયમંડ બુર્સમાં જ પોતાની ઓફિસ શરૂ કરશે અને પોતાનો સ્ટોક અહીં જ ઉપલબ્ધ રાખશે. આ સાથે બ્રોકર્સ દ્વારા ડાયમંડની ખરીદી-વેચાણની સમગ્ર પ્રક્રિયા પણ સુરત ડાયમંડ બુર્સમાંથી જ સંચાલિત કરવામાં આવશે. સાથે સાથે, સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉપલબ્ધ અદ્યતન સેફ વોલ્ટ સુવિધાનો ઉપયોગ કરીને મેન્યુફેક્ચરર્સ દ્વારા માલને અહીં જ સુરક્ષિત રીતે સંગ્રહિત રાખવામાં આવશે. આ ર્નિણયથી ડાયમંડ ટ્રેડિંગ પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત, કેન્દ્રિત અને સુરક્ષિત બનશે તથા સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે વિશ્વસનીય ટ્રેડિંગ ઇકોસીસ્ટમ ઉભું થશે. લાલજી પટેલે જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સમાં મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગની તમામ પ્રવૃત્તિઓને એક જ સ્થળે કેન્દ્રિત કરવાથી ઇન્ડસ્ટ્રીને મોટી સુવિધા મળશે અને સેફવોલ્ટ જેવી સુવિધાઓને કારણે સુરક્ષા પણ વધુ મજબૂત બનશે. આગામી ૩૧ માર્ચ મંગળવારે સવારે ૧૧.૧૫ કલાકે સુરત ડાયમંડ બુર્સમાં રફ ડાયમંડ ટ્રેડિંગનાં વેપારીઓ સાચે એક મહત્વપૂર્ણ મીટિંગનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, માર્ચ 2026 2079   |   સુરત   |  
પુણામાં સાડીનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી

શહેરના પુણાગામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સિલ્વર ચોક ખાતે એક બિલ્ડિંગના ચોથા માળે સાડીના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. ગોડાઉનમાં કેમિકલયુક્ત મટિરિયલ હોવાથી આગ ભીષણ બની ગઈ હતી. જેને પગલે ઘૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા અને ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા અલગ અલગ પાંચ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ભીષણ આગમાં મોટા પ્રમાણમાં સાડીઓ અને ડ્રેસ મટિરિયલનો જથ્થો બળી ગયો હતો.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution