આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
2178 |
ભાવનગરમાં હેરાનગતિને કારણે યુવકે સળગી જઈને આપઘાત કર્યાે
ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં સાસરિયાઓના કથિત ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. યુવકે જ્વલનશીલ પ્રવાહી છાંટી પોતાની જાતને આગ ચાંપી દીધી હતી, જેમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. સારવાર દરમિયાન બે દિવસ બાદ હોસ્પિટલમાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં યુવક તડફડાટ વચ્ચે આત્યંતિક પગલું ભરી રહ્યો હોવાનું નજરે પડે છે, જેને જાેઈ લોકોમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ છે.મૃતકના ભાઈ રાજેન્દ્ર રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારના જણાવ્યા મુજબ, યુવકને તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા લાંબા સમયથી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સતત હેરાનગતિને કારણે યુવકને આ આપઘાતનું પગલું ભરવા માટે મજબૂર થવું પડ્યું હોવાનું તેઓએ આક્ષેપ કર્યો છે. પરિવારે આરોપીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે, આરોપીઓને દાખલારૂપ સજા મળવી જાેઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
01, મે 2026
2970 |
મુંદ્રા બંદરે સિંગાપોરથી આવેલું નકલી સિગારેટનું કન્ટેનર ઝડપાયું
ગુજરાતના મુંદ્રા બંદરેથી ફરી એકવાર મોટા પાયે થતી દાણચોરીનો પર્દાફાશ થયો છે. ડ્ઢઇૈં (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) એ એક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને સિંગાપોરથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે ૧૯.૮૭ કરોડની કિંમતની નકલી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કન્ટેનર માટે કોઈ પણ સત્તાવાર ‘બિલ ઓફ એન્ટ્રી’ રજૂ કરવામાં આવી નહોતી. દસ્તાવેજાેના અભાવે શંકા જતાં જ્યારે કન્ટેનરની તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી કુલ ૮૨,૮૦,૦૦૦ નકલી સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. ડ્ઢઇૈં એ આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને કસ્ટમ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સિંગાપોર જેવા દેશમાંથી આટલી મોટી માત્રામાં નકલી સિગારેટનો જથ્થો મુંદ્રા પોર્ટ પર ઉતરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ ડ્ઢઇૈં એ સિગારેટના આ જથ્થાને કોણે મંગાવ્યો હતો અને તે ક્યાં મોકલવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, એપ્રીલ 2026
2475 |
ધોળકા-બગોદરા હાઈવે પર પલટી મારીને કાર થાંભલા સાથે અથડાતાં ત્રણના મોત
અમદાવાદ જિલ્લામાં ધોળકા-બગોદરા હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાતા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બારેજાથી ભામસરા ગામે સગાઈના પ્રસંગે જઈ રહેલી સ્કોર્પિયો કાર અચાનક નિયંત્રણ બહાર જતાં પલટી મારી અને જાેરદાર ધડાકા સાથે વીજ પોલ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચ્યાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ભયાનક માર્ગ અકસ્માતમાં સ્કોર્પિયો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન અચાનક માર્ગ પરથી ઉતરી ગયું હતું. ત્યારબાદ કાર અનેક પલટીઓ મારીને સીધી વીજ પોલ સાથે જાેરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ થઈ ગયો હતો અને કૂર્ચેકૂર્ચા ઉડી ગયા હતા. આ દુર્ઘટનામાં ૩ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે અન્ય ૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માત સર્જાતા ઈમરજન્સી ૧૦૮ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃતકોને પીએમ અર્થે ધોળકાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બારેજા ગામથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં હાજરી આપવા નીકળેલા પરિવાર માટે આ મુસાફરી દુર્ભાગ્યપૂર્ણ સાબિત થઈ. ખુશીના પ્રસંગે જઈ રહેલા તમામ લોકો માટે રસ્તામાં જ મોતનો સામનો કરવો પડતાં સમગ્ર વિસ્તાર તેમજ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
26, એપ્રીલ 2026
5049 |
રિવાબા જાડેજા, નેહા સુથાર, માયાભાઈની દીકરી સોનલ ડેર, અંકિતા પરમારે વોટિંગ કર્યું
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને મતદાન યોજાયું હતું ખાસ વાત એ છે કે આ વખતે તમામ મનપા, નગરપાલિકા અને પંચાયતોનું મતદાન એક જ દિવસે યોજાયું છે. જ્યારે અગાઉ અલગ અલગ દિવસોમાં મતદાન થતું હતું. આ ચૂંટણીને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે રાજ્યની ૧૭માંથી ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનો, ૩૪ જિલ્લા પંચાયત, ૨૬૦ તાલુકા પંચાયત અને ૮૪ નગરપાલિકાઓમાં મતદાન થયું મતદાન દરમિયાન કેટલાક વિસ્તારોમાં ટેકનિકલ સમસ્યાઓ પણ સામે આવી છે. ભરૂચમાં લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી હતી. જ્યારે જામનગરમાં ઈવીએમ મશીન ખોટકાતા લગભગ એક કલાક મોડું મતદાન શરૂ થયું હતું. છતાં પણ મતદારોમાં ઉત્સાહ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ૧૦૦ વર્ષના વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતા, તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે એક વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. આ ઘટનાઓ લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે. ચૂંટણીમાં અનેક જાણીતા ચહેરાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જાણીતા લોકગાયિકા રાજલ બારોટ પણ મતદાન માટે પહોંચ્યા હતા. તો સાંસદ ગેનીબેન ઠાકોરએ અબાસણા ગામે મતદાન કર્યું હતું. તો સાથે વડોદરાના જાણીતા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારે મતદાન કર્યું હતું.અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે ભાજપ ઉમેદવાર સોનલ ડેરએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરને ભાજપે ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ટિકિટ આપી છે. મતદાન કર્યા બાદ તેમણે મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહી મજબૂત બનાવવા સૌએ આગળ આવવું જાેઈએ એવો સંદેશ આપ્યો હતો. સાથે જ તેમણે આ બેઠક પર પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. જામનગરમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ૫માં આવેલી સત્ય સાંઈ સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તેમણે સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે મતદારો માટે સુવિધાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે. સાથે જ તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી. મહેસાણા જિલ્લામાં ભાજપ ઉમેદવાર નેહા સુથારએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી તેઓ ભાજપના ઉમેદવાર છે અને તેમણે સરદાર ગામે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ નેહા સુથારે જંગી મતોથી જીત મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગુજરાતની જાણીતી ગાયિકા અને કલાકાર તરીકે ઓળખાતી નેહા સુથારની ઉમેદવારીને લઈને વિસ્તારમાં ખાસ ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
26, એપ્રીલ 2026
3762 |
રાજકોટમાં હંગામો થયો,કોંગ્રેસ ઉમેદવાર સહિત ૨૦ની અટકાયત કરવામાં આવાી
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવા બદલ વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત ૨૦ જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે. આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે મળતી માહિતી મુજબ, રાજકોટના વોર્ડ નંબર ૧૫માં જ્યારે મતદાન પ્રક્રિયા પૂરજાેશમાં ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી અને તેમના સમર્થકો મતદાન મથકની આસપાસ હોવાનું માલૂમ પડ્યું હતું. ચૂંટણી પંચના નિયમો મુજબ, મતદાન મથકની ૧૦૦ મીટરની અંદર કોઈપણ પ્રકારનો પ્રચાર કે જનસંપર્ક કરી શકાતો નથી. આરોપ છે કે આ લોકો નિયમ વિરુદ્ધ જઈને મતદારોને રીઝવવાનો કે પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મકબુલ દાવદાણી અને તેમની સાથેના અન્ય ૨૦ જેટલા સમર્થકોની અટકાયત કરી તેમને થોરાળા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મતદાન મથક પર શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.લગ્નપ્રસંગ જેમ ઢોલ-શરણાઈ સાથે ગ્રામજનો મત આપવા નીકળ્યા હાલ લોકશાહીના મહાપર્વ નિમિત્તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ૨૬મી એપ્રિલે આખા ગુજરાતમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે એક અત્યંત પ્રેરણાદાયક અને અનોખો નજારો રજૂ કર્યો છે. સામાન્ય રીતે ચૂંટણી એટલે વ્યૂહરચના અને રાજકીય ગરમાવો માનવામાં આવે છે, પરંતુ મોટા આંકડિયાના ગ્રામજનોએ તેને ખરા અર્થમાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણી તરીકે સ્થાપિત કરી છે. ગામમાં વહેલી સવારથી જ વાતાવરણ કોઈ લગ્નપ્રસંગ કે મોટા મહોત્સવ જેવું જ સર્જાયું હતું. આ અનોખી ઉજવણીની વિશેષતા એ હતી કે મતદારો માત્ર મતદાન મથક સુધી ચાલીને જવાને બદલે ઢોલ અને શરણાઈના તાલે મધુર સૂરો વચ્ચે મતદાન કરવા નીકળ્યા હતા. ઢોલના ધબકારે ગ્રામજનોમાં એક નવો જ જાેશ ભરી દીધો હતો અને દરેકના મુખ પર લોકશાહીના આ પર્વ માટેનો ગર્વ જાેવા મળતો હતો. શરણાઈના મંગલ સૂર વચ્ચે જ્યારે ગ્રામજનો સમૂહમાં મતદાન કરવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં ઊભેલા અન્ય લોકો પણ આ અનેરા ઉત્સાહમાં જાેડાયા વગર રહી શક્યા નહોતા.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
2178 |
વડોદરાની MSUમાં 'મોદીતત્ત્વ' અને 'RSS' ભણાવાશે? વિદ્યાર્થીઓ માટે ફાયદો કે રાજકારણ?
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નવા ‘Sociology of Patriotism’ કોર્સને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. આ કોર્સમાં ‘Modi Tatva’ અને RSS ની વિચારધારાનો સમાવેશ થવાથી શિક્ષણમાં રાજકીય પ્રભાવ અંગે સવાલો ઉઠ્યા છે. યુનિવર્સિટીનું કહેવું છે કે આ અભ્યાસક્રમ રાષ્ટ્રવાદ અને સામાજિક સમજ વધારવા માટે છે, જ્યારે વિરોધ પક્ષ અને વિદ્યાર્થી સંગઠનો તેને પ્રોપેગેન્ડા ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ કોર્સ વિદ્યાર્થીઓ માટે કેટલો ફાયદાકારક સાબિત થાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, એપ્રીલ 2026
3861 |
ભરૂચ લાફાકાંડ: ચૈતર વસાવાએ કેમ માર્યો લાફો? સચ્ચાઈ આવી સામે!
ભરૂચ જિલ્લામાં ઝઘડિયા GIDC વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ બાદ ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. પીડિત પરિવારો વળતર અને ન્યાયની માંગ સાથે એકત્ર થયા હતા. આ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર હાજર એક યુવાન સાથે તેમની બોલાચાલી થઈ અને મામલો લાફાકાંડ સુધી પહોંચી ગયો. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઘટનાને લઈને વિવિધ આક્ષેપો સામે આવી રહ્યા છે, જોકે સત્તાવાર રીતે હજી સુધી પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, એપ્રીલ 2026
4257 |
ગ્રામ પંચાયત ભવન બનાવવા હોય તો ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રાન્ટ ફાળવાશે
ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ નું ગ્રાન્ટ ફાળવણી પર વિવાદિત નિવેદન બાદ મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી દ્વારા જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નું નિર્માણ તથા ૨૧ લાખ ગ્રાન્ટ ફાળવાશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે. શુ ચૂંટણી પંચ પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર સત્તા પક્ષ દ્વારા યેનકેન પ્રકારે પણ સત્તા હસ્તે કરવા વિવિધ હથકંડા અપનાવવામાં આવતાં હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેફામ વાણી વિલાસ કરી ધાકધમકી નું વાતાવરણ ઉભું કરી મતદારો પર હાવી થવાના પ્રયાસ કરતાં હોય ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ મિતેષ પટેલે ગ્રાન્ટ ફાળવણી ના મુદ્દે વિવાદિત નિવેદન કર્યાબાદ વધુ એક ભાજપ નેતા મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ સ્વરાજકીય સંસ્થા ના ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર સમયે વાણી વિલાસ કરતાં હોય તેમ જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નિર્માણ તથા ૨૧ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ચર્ચાની એરણે ચઢવા પામતાં રાજકારણ ગરમાતા શું ચૂંટણી આયોગ આ મુદ્દે પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
22, એપ્રીલ 2026
5346 |
વડોદરા |
યુસુફ પઠાણના સસરા અને તેમના સાળાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણના સસરાની તેમના પુત્ર અને અન્ય એક સંબંધી સાથે ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે બે દિવસ પહેલા, ભાયખલા વિસ્તારમાં એક વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે વ્યક્તિની કાર ખાડામાંથી પસાર થઈ હતી અને તેમાંથી એક પર પાણી છાંટા પડ્યા હતા. ભાયખલા પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસી યુસુફ ખાન શનિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાંથી પાણીના છાંટા પડ્યા અને શોએબ ખાન પર પડ્યા. યુસુફ ખાને પોલીસને જણાવ્યું કે તેણે કાર રોકી અને તરત જ માફી માંગી, પરંતુ શોએબે તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને વાંસની લાકડીથી કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ શોએબે યુસુફ ખાન પર હુમલો કર્યો, જેમાં તેમને ઈજા થઈ.ઘરે પાછા ફર્યા પછી, યુસુફ ખાનના પરિવારે તેને પોલીસ પાસે જવાની સલાહ આપી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં, તેમનો સામનો ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) સાથે થયો, જેણે તેના પુત્ર ઉમરશાદ ખાન, શોએબ અને અન્ય આરોપી શાહબાઝ પઠાણ સાથે મળીને દલીલ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ, ખાલિદ, ઉમરશાદ, શોએબ અને શાહબાઝે યુસુફ ખાન અને તેના સંબંધીઓ પર વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, એપ્રીલ 2026
5247 |
વડોદરા |
જમ્યાં બાદ ૪૦૦થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ગઈકાલ સોમવારે રાત્રે ભોજન સમારંભ બાદ ભોજન આરોગનાર ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલાઓને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદમાં એક તરફ લગ્નસરાની મોસમ પુર બહારમાં ખીલી છે. અને ઠેર ઠેર લગ્ન પ્રસંગોના જમણવાર યોજાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આગ ઓકતી ગરમીએ તોબા પોકારાવી દીધા છે. અને આવી આગ ઝરતી ગરમીમાં તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેત રહેવા માટે લોકોને કરવામાં આવતી અપીલ વચ્ચે ગરબાડાના અભલોડ ગામે એક લગ્ન પ્રસંગના યોજાયેલ જમણવારમાં ભોજન કર્યા બાદ ૪૦૦ થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં રીતસર દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના બાદ તાત્કાલિક ધોરણે ખોરાકી ઝેરની અસર પામેલા તમામ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ, તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતાં. જ્યારે ૨૦૦થી વધુ લોકોને ગામમાં જ સ્થાનિક ડોક્ટરો દ્વારા તેમજ ગામના સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગરબાડા તાલુકાના અભલોડ ગામના ગામતળ ફળિયામાંય રહેતા ભરતભાઈ રાઠોડના નાના છોકરાના લગ્ન હોવાથી લગ્નમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવારમાં દાળ, ભાત, પૂરી, શાક, પાપડ, કેરીનો રસ તેમજ પનીરનું શાક વગેરે વ્યંજનો બનાવવામાં આવ્યા હતા. જે ખાધા બાદ ૪૦૦ થી વધુ એટલે કે ૭૦% લોકોને ખોરાકની ઝેરની અસર થઈ હતી. સાંજના છ વાગ્યાથી શરૂ થયેલા જમણવારમાં ભોજન આરોગ્ય બાદ રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ તમામ લોકોને એક પછી એકને ખોરાકી ઝેરની અસર વર્તાતા ગામમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી તમામ અસરગ્રસ્ત લોકોને ૧૦૮ ઇમરજન્સી વાન તથા ખાનગી વાહનો તેમજ જેને જે મળે તે સાધનમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા હતા.૫૦થી વધુ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ૧૫૦થી વધુ લોકોને દાહોદની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર હશે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય અંદાજે ૨૦૦ જેટલા લોકોને ગામમાં જ હાજર પાંચ થી છ ડૉક્ટરો તેમજ પીએસસી સેન્ટરના ડોક્ટરોને બોલાવી હળ પર જ સારવાર આપવાની ગોઠવણ કરવાની ફરજ પડી હતી. આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી જેથી તંત્રએ હાશકારો લીધો છે. કેટલાકને ખોરાકી ઝેરની ગંભીર અસર થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૈકી કેટલાકને આજે સવારે રજા આપી દેવામાં આવી હોવાનું જ્યારે કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ખોરાકી ઝેરની અસર થઈ હોવાની જાણ થતા જ ફૂડ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ સફાળું જાગી ઉઠ્યું હતું.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
2376 |
પાટનગરના હેલ્થ સેન્ટરમાં એઆઈ ટેકનોલોજી આધારિત આધુનિક આરોગ્ય સેવાઓનો પ્રારંભ
૧ મે, ૨૦૨૬ના રોજ સેક્ટર-૩ ખાતે આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આધુનિક એઆઈ ટેકનોલોજી આધારિત આરોગ્ય સેવાઓની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત સ્થાપના દિવસના અવસરે આ નવીન સેવા શહેરના નાગરિકોને સમર્પિત કરવામાં આવી છે.આ નવી સુવિધાનું ઉદ્ઘાટન મહાનગરપાલિકાની મેયર મીરાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય (ઉત્તર), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા, આરોગ્ય સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેન, સ્થાનિક કાઉન્સિલર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એઆઈ ટેકનોલોજી આધારિત આરોગ્ય સેવાઓની ખાસિયત એ છે કે દર્દીના શરીરને સ્પર્શ કર્યા વિના અથવા ખૂબ જ ઓછા હસ્તક્ષેપથી મહત્વપૂર્ણ આરોગ્ય રિપોર્ટ્સ ઝડપથી મેળવી શકાય છે. આમાં બ્લડ પ્રેશર, સુગરનું પ્રમાણ, હિમોગ્લોબિન, ઓક્સિજન લેવલ, હૃદયની સ્થિતિ, ફેફસાની કાર્યક્ષમતા અને શરીરમાં ફેટનું પ્રમાણ જેવી માહિતીનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, સેન્ટરમાં ફેસ રીડિંગ સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે, જે ચહેરાના હાવભાવ પરથી વ્યક્તિના માનસિક તણાવનું વિશ્લેષણ કરી શકે છે. આથી નાગરિકોને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી શકશે.મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે સ્થાપના દિને ટેકનોલોજીના માધ્યમથી સ્વાસ્થ્ય સુવિધાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવી એ જ સાચા અર્થમાં શહેરનો વિકાસ છે. છૈં આધારિત આરોગ્ય સેવા શરૂ થવાથી ગાંધીનગરના નાગરિકોને ઝડપી અને સચોટ નિદાન તથા યોગ્ય સારવાર મળી રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
2475 |
અમદાવાદમાં એસજી હાઈવે પર નિર્માણાધિન બ્રિજનું પતરું રિક્ષા ઉપર પડતાં શ્રમિકનું મોત
અમદાવાદનાં એસજી હાઇવે પર ક્લબ નજીક ચાલુ બ્રિજના કામ દરમિયાન ડાયવર્ઝન માટે બ્રિજ નીચે લગાવેલા પતરા રીક્ષા પર પડતા રિક્ષામાં સવાર શ્રમિકનું મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. તંત્રની બેદરકારી પર સવાલો ઊભા થયા છે. રિક્ષામાં બિહારથી આવેલા અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિકો સવાર હતા. બ્રિજ નીચે લાગેલું ટ્રાફિક ડાયવર્ઝન માટેનું પતરું રીક્ષા પર પડતા ગંભીર અકસ્માત થયો હતો. વૈષ્ણોદેવીથી સનાથલ તરફ જઈ રહેલી રિક્ષા પર અચાનક પતરું પડતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતાં ઘટનાસ્થળ પર તાત્કાલિક સ્થાનિક પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી અને તમામ પેસેન્જરોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. અકસ્માત દરમિયાન એક શ્રમિકનું મોત થયું છે. બ્રિજના ચાલુ બાંધકામ દરમિયાન સુરક્ષાના માપદંડોના અભાવથી શ્રમિકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું જણાઈ આવે છે. સ્થાનિકોના મતે ડાયવર્ઝન માટે મૂકેલા પતરા યોગ્ય રીતે ફિક્સ ન કરવામાં આવ્યા હોવાથી રિક્ષા પર પડ્યા હતા. શું તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે? આ પ્રકારની ગંભીર બેદરકારી હજુ કેટલા નિર્દોષ લોકોના મોતનું કારણ બનશે તેવો આક્રોશ મૃતકનાં પરિવાર સહિત લોકોમાં જાેવા મળી રહ્યો છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ આરંભી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
2871 |
જીવરાજપાર્કમાં દીકરાના લવ મેરેજની માથાકૂટમાં પિતાની ર્નિમમ હત્યા થઇ
શહેરમાં વધુ એક ર્નિમમ હત્યા થઈ છે. શહેરના જીવરાજપાર્ક બ્રિજ નીચે શનિવારે રાતે અંગત અદાવતમાં ચાર શખ્સોએ આધેડને થોડી જ સેકન્ડોમાં લાકડા અને પાઈપના અનેક ઘા માર્યા હતા. જે બાદ આ આધેડનું મોત થતા મારામારી હત્યામાં પરિણમી હતી. આ અંગત અદાવત મૃતકના દીકરાના લવ મેરેજની હોવાનું પણ સામે આવ્યું છે. આ મારામારીમાં ૫૨ વર્ષના મૃતક નટુભાઈ કલાભાઈ પરમારનું મોત નીપજ્યું છે. આનંદનગર પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે. આ સાથે પરિવારોની પૂછપરછ બાદ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, મૃતક નટુભાઈ કલાભાઈ પરમારના બે દીકરા પૈકી મોટા દીકરા કૌશિકે રાજીવનગરમાં રહેતા ઠાકોર સમાજની દીકરી સાથે આશરે ચારેક વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતા. જેમાં બન્ને કુટુંબમાં પહેલા મનમેળ ન હતો. પરંતુ આમાં બે પરિવારો વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું. જેથી થોડા દિવસો પહેલા કૌશિકની પત્નીની તબિયત ખરાબ હોવાથી તે પોતાના પિયર આરામ કરવા ગઈ હતી. જ્યારે કૌશિક પત્નીને ત્યાં મળવા માટે ગયો તે સમય દરમિયાન કૌશિક અને તેના સાસરી પક્ષવાળા વચ્ચે કોઈ બાબતથી બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને કૌશિકના પિતા નટુભાઈ ઉપર આશરે પાંચથી છ વ્યક્તિઓએ જીવરાજ પાર્ક બ્રિજ નીચે જીવલેણ હુમલો કર્યો હતો. નટુભાઈ પોતાના કોઈ કામ અર્થે ત્યાં ઊભા હતાં ત્યારે તેમની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પુત્રના સાસરિયાઓએ ૨૨ સેકન્ડમાં ૩૬ ફટકા માર્યા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. સમગ્ર ઘટનાને લઈને પીઆઇ, આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ, આર. એસ. પરમારે જણાવ્યું છે કે, “જીવરાજ બ્રિજ નીચે એક યુવકની હત્યાની ઘટના બની છે. તેને માથા પર લાકડા અને પાઇપના ઘા મારીને તેની હત્યા કરાઈ છે. ગઈકાલે (શનિવારે) મૃતક જ્યારે પાન પાર્લર પર સિગારેટ પીવા ગયા ત્યારે તેમના પર અચાનક હુમલો થયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક આનંદ નગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
2772 |
સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પર રીલ્સ બનાવાતા બે કિન્નર સામે ફરિયાદ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં જમાલપુર સર્કલ પાસે પોલીસની એક પીસીઆર વાન ઉભી હતી. આ સમયે બે કિન્નરોએ સરકારી ગાડીનો ઉપયોગ રીલ્સ બનાવવા માટે કર્યો હતો. મિસબા દે હિના દે નામની કિન્નરે પીસીઆર વાનના બોનેટ પર બેસીને ‘તુ ખીંચ મેરી ફોટો’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ સમગ્ર વીડિયો અસ્મા મણીયાર નામની અન્ય કિન્નરે શૂટ કર્યો હતો અને ત્યારબાદ તેને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો.વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસની કામગીરી અને બેદરકારી સામે સવાલો ઉભા થયા હતા. પ્રજાની ટીકાઓથી બચવા માટે પોલીસકર્મીઓએ એવો બચાવ કર્યો હતો કે તેઓ તે સમયે વોશરૂમ ગયા હતા અને તેમની જાણ બહાર આ ઘટના બની હતી. પોતાની આબરૂ બચાવવા અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલ આંખ કરતા પીસીઆર વાનના કર્મીએ બંને કિન્નરો વિરુદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાની માહિતી મળી છે. પોલીસે ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. સરકારી મિલકતનો આવો દુરુપયોગ અને પોલીસની હાજરી વગર ગાડી પર રીલ્સ બનાવવાની આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
2376 |
ચિલોડા પોલીસે બેને પિસ્તોલ અને કારતૂસ સાથે પકડ્યા
ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં પોલીસને શનિવારે મોડી રાત્રે નેશનલ હાઈવે ૮ પર ચંદ્રાલા નાકા પોઇન્ટે વાહન ચેકિંગ દરમિયાન હથિયારો ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઓપરેશન દરમિયાન ખાનગી લક્ઝરી બસમાંથી બે શખ્સોને બે પિસ્ટલ, એક તમંચો અને ૨૯ જીવતા કારતુસ સહિત અંદાજિત કુલ ૯૦ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.પોલીસની ટીમે ચંદ્રાલા ગામની સીમમાં આગમન હોટલ પાસે હિંમતનગર તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન દિલ્હી-અમદાવાદ રૂટની રવીના ટ્રાવેલ્સની બસને રોકી, ડ્રાઈવર અને કંડકટરની હાજરીમાં મુસાફરોના સામાનની તપાસ શરૂ કરી હતી. બસમાં સ્લીપિંગ સીટ નંબર ઈહ્લ પર બેઠેલા બે શખ્સો પોલીસને જાેઈને ગભરાઈ ગયા હતા જેના કારણે તેમની પાસે રહેલા થેલાની તલાશી લેવામાં આવી.પોલીસને કપડાંની વચ્ચે પ્લાસ્ટિકની થેલીમાં બે હાથબનાવટની પિસ્ટલ એક દેશી તમંચો અને ૨૯ જીવતા કારતુસ મળ્યા હતા. પીઆઈ એસ. જે. ચૌહાણે જણાવ્યું હતું કે, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી નાકા પોઇન્ટ પર સતત નજર રાખવામાં આવી રહી હતી.આ ઓપરેશનમાં ૨૮ વર્ષીય રવિન્દ્રસિંગ દેશરાજસિંગ જાટ (હાલ રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, કડોદરા, સુરત મુળ રહે. ધોલપુર, રાજસ્થાન) અને ૧૯ વર્ષીય યુવરાજસિંગ સોવરનસિંગ જાટ (રહે. ધોલપુર, રાજસ્થાન)ને પકડી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી પિસ્ટલ, તમંચો, મેગેઝીન, કારતુસ, ત્રણ મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ૮૯,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે આ હથિયારો રાજસ્થાનથી લાવવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર પાડ્યું છે. આરોપીઓએ હથિયારો ગુજરાતમાં કયા હેતુ માટે લાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે અંગે સ્પષ્ટ જવાબ આપ્યા નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.તપાસમાં આગળ વધતાં હથિયારોના રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ચિલોડા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
2772 |
ઉત્રાણની ઉમરા પોલીસ ચોકીમાં ૫ીએસઆઈ રાઠોડ પર પિતા-પૂત્રનાં હુમલાથી ચકચાર
ઉત્રાણ પોલીસ સ્ટેશન તાબાની ઉમરા પોલીસ ચોકીમાં પીએસઆઇ રાઠોડ ઉપર પિતા-પૂત્ર દ્વારા હુમલો કરાયો હતો. પાડોશી સાથે થયેલા ઝઘડા બાબતે બંને દ્વારા અપાયેલી અરજી અંગે કાર્યવાહી મામલે પીએસઆઇ સામે આક્ષેપબાજી સાથે ગાળ ગલોચ કર્યા બાદ ઢીક મુક્કીનો માર મારી યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો. ઉત્રાણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ઉમરા પોલીસ ચોકીમાં સબ ઇન્સ્પેક્ટર ડી. ડી. રાઠોડ ફરજ બજાવે છે. વેલંજા, ઉમરાની રાજનંદીની સોસાયટીમાં રહેતાં મીતલબેન મોહિતભાઈ અગ્રાવાત તથા નેહા પીનલભાઇ ચૌહાણ દ્વારા ગત ૨૯મી તારીખે ઉત્રાણ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી. પાડોશી મહિલાઓએ એકબીજા સામે લડાઇ ઝઘડો કરી ધાક ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. આ અરજીનો જવાબ લખાવવા માટે સબ ઇન્સપેક્ટર રાઠોડે આ અરજીનો જવાબ લખાવવા માટે બીજી તારીખે મીતલ અગ્રાવાત અને નેહા ચૌહાણે પોલીસ ચોકી બોલાવ્યા હતાં.જવાબ લખાવવા માટે બપોરના સમયે કોલ કરાયો ત્યારે નેહા પીનલભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલ હુ સુરત બહાર છું, મારા પતિ ઝગડા સમયે હાજર હતા તેથી તેમને ચારેક વાગ્યે મોકલીશ એમ કહ્યું હતું. જયારે મીતલબેન મોહિતભાઈ અગ્રાવાત નિવેદન લખાવવા પહોંચી ગયા હતાં. ત્યારબાદ સાંજે પાંચેક વાગ્યે સબ ઇન્સપેક્ટર રાઠોડ તેમના સ્ટાફ સાથે અન્ય એક અરજી સંદર્ભે બિપીનભાઇ ધનજીભાઇ કોલડિયાનું નિવેદન લઇ રહ્યા હતાં. એ દરમિયાન પીનલ ભરત ચૌહાણ અને તેમના દિકરો પાર્થ ચૌહાણ પોલીસ ચોકીએ પહોંચ્યા હતાં. ચોકીમાં તપાસ ચાલતી હોય રાઠોડે આ બંનેને થોડીવાર બહાર બેસવા જણાવ્યું હતું. જમાં પિનલ અને જય ચૌહાણ એકદમ ગુસ્સે ભરાયા હતાં. તેમણે બૂમ બરાડા પાડી એવો આરોપ મૂક્યો કે, તમે અમારી અરજીની તપાસ કરતા નથી અને મિતલબેનની અરજીમાં અમોને બોલાવો છો. તમે મિતલબેન પાસેથી પૈસા લઈને અમોને હેરાન પરેશાન કરી રહ્યા છો. હુ તમને બધાને જોઇ લઈશ, તમારા બધાના પટ્ટા ટોપી ઉતરાવી દઈશ. આવી આક્ષેપબાજી સાથે ગાળાગાળી કરી તેઓ બહાર નીકળી ગયા હતાં. ચોકીની બહાર ગયા પણ તેઓ જોર જોરથી બુમ બરાડા પાડવાનું ચાલુ રાખ્યું હતું. જેથી ચોકીની બહાર ટોળું એકઠું થવા માંડ્યું હતું. આ જોઇને પીએસાઇ રાઠોડ પણ બહાર ગયા અને તેમને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. ચૌહાણ પિતા-પૂત્રએ ગાળાગાળી કરવા માંડતાં રાઠોડે હાથ પકડી તેમને ચોકીમાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પિનલ અને જય ચૌહાણે પીએસઆઇનાં હાથ ઉપર નખ માર્યા હતાં. ત્યારબાદ તેમની ઝપાઝપી કરવા માંડી હતી. રાઠોડનો કોલર પકડી યુનિફોર્મના બટન પણ તેમણે તોડી નાંખ્યા હતાં. પીએસઆઇ ઉપર હુમલો કરવા સાથે ચોકી માથે લેનારા પીનલ ચૌહાણ અને જય ચૌહાણ સામે રાજ્ય સેવક ઉપર હુમલો તથા સરકારી ફરજમાં અવરોધ ઉભો કરવા અંગે ગુનો નોંધી કાર્યવાહી કરાઇ હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
2079 |
બેંક રોબરી માટે બદમાશોએ બોગસ આધારકાર્ડથી મકાન ભાડે રાખ્યું અને બાઇક પણ ખરીદી હતી
૫૦ લાખની બેંક રોબરી કરનારા યુવકો સીસી કેમેરામાં દેખાય એવા નવા નિશાળીયા નહીં પરંતુ કેટલા શાતિર છે એનો અનુભવ તપાસ દરમિયાન પોલીસને થઇ રહ્યો છે. આ યુવકોએ બોગસ આધારકાર્ડ બનાવી તેના આધારે રાંદેરનાં ઉગતમાં મકાન ભાડે લીધું અને લૂંટમાં વપરાયેલી ત્રણ પૈકી એક મોટર સાયકલ તેલંગાણાથી ખરીદી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત એક બાઇક ભટાર વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હોવાનો ખુલાસો પણ થયો છે.વરાછામાં લંબેહનુમાન રોડ ઉપર એફિલ ટાવરની બાજુમાં શક્તિ ટાવરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા કાર્યરત છે. ૨૭મી એપ્રિલ, સોમવારે બપોરે એકથી બે વાગ્યા સુધી સશસ્ત્ર લૂંટારુઓએ બેંકને બાનમાં લીધી હતી. કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી રોકડા ૫૦ લાખ લૂંટી સાત બદમાશો ફરાર થઇ ગયા હતાં. ભારે ચકચારી બનેલી બેન્ક રોબરીમાં પોલીસ ચકરાવે ચડી છે. સીસી કેમેરા આધારે કરાયેલી તપાસમાં એવું શોધી કાઢવામાં આવ્યું હતું કે, લૂંટારૂઓ રાંદેરમાં બોટનિકલ ગાર્ડન પાસે ઉગત ગામમાં આવેલા ભરવાડ વાસ પાસે રોકાયા હતાં. પોલીસે રૂમના માલિકની પૂછપરછ કરતાં એ યુવકોએ આધાર કાર્ડ સાથે એડવાન્સ ભાડું ચૂકવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જો કે, લૂંટના દસ દિવસ પહેલા એટલે કે, ૧૭મી તારીખે જ તેઓ રૂમ ખાલી કરી જતા રહ્યા હોવાની વાત પણ તેણે જણાવી હતી. રૂમ ભાડે રાખવા માટે લૂટારૂઓએ આપેલા આધાર કાર્ડની તપાસ કરાતાં તે ફેક હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત લૂંટમાં વપરાયેલી ત્રણ મોટર સાયકલ કીમ નજીક કન્યાસી ગામના એક ખેતરમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ મોટર સાયકલની પોલીસે તપાસ કરતાં ત્રણેયનાં ચેસીસ નંબર ભૂંસી નંખાયેલા જોવા મળ્યા હતાં. બે બાઇકનાં એન્જિન નંબર મળતાં પોલીસને થોડી રાહત થઇ હતી. એન્જિન નંબરનાં આધારે સગડ મળવાનો આશાવાદ સેવતી પોલીસને ફરી એક ઝટકો લાગ્યો હતો. બે પૈકી એક મોટર સાયકલ ખટોદરા પોલીસ મથકનાં ભટાર વિસ્તારમાંથી ચોરાયેલી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે બીજી બાઇક તેલંગાણાની નીકળી હતી. જો કે, માલિકનો સંપર્ક કરાયો તો તેણે વેચી દીધાનું બહાર આવ્યું હતું. બાઇક ખરીદનારનો આધારકાર્ડ તેણે પોલીસને આપ્યો હતો. જો કે, રાકેશ નામનો આ આધારકાર્ડ પણ બોગસ નીકળ્યું હતું. મોબાઇલ ટાવરથી મળેલાં ત્રણ મોબાઇલ નંબરનાં આધારે લૂટારૂઓની તલાશ બેંક રોબરી કરનારા યુવકોએ રીઢા બદમાશોને પણ ટાપી જાય એવી ચોકસાઇ સાથે તેમણે આ રોબરીકાંડ કર્યો હતો. રોબરી દરમિયાન યુવકોએ કરેલી વાતચિતના આધારે તેઓ ઉત્તર પ્રદેશનાં વતની હોવાની શકયતાં પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. ત્યારબાદ પોલીસને લૂંટારૂઓ રોકાયા હતાં એ જગ્યા તથા ભાગ્યા એ રૂટ અંગે સીસી કેમેરાથી માહિતી મળી હતી. પોલીસે આ વિસ્તારોના મોબાઇલ ટાવરનાં ડેટા મેળવી ટેકનિકલ એનાલીસીસ કર્યું હતું. જેમાં ત્રણેક મોબાઇલ નંબર એવા મળ્યા કે જે લૂંટારૂઓની મૂવમેન્ટને મેચ કરતાં હતાં. આ ત્રણ નંબરને આધાર બનાવી પોલીસ આગળની તપાસ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, મે 2026
1782 |
લાહોર, કરાચી કે રાવલપિંડીમાં નથી રહેતો સુરતમાં રહું છું, હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવો છો
આજે મેડિકલ, પેરામેડિકલની એન્ટ્રન્સ એક્ઝામ નીટ-યુજીની પરીક્ષા શરૂ થાય એ પૂર્વે અમરોલીની ગૌતમી કન્યા વિદ્યાલયનાં પરીક્ષા કેન્દ્ર ખાતે તૈનાત સ્ટાફ દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સીનાં કોડ ઓફ કન્ડક્ટ અનુસાર એક વિર્દ્યાથિનીએ ગળામાં પહેરેલી કંઠી કાઢી નાંખવાનું કહેતા વિર્દ્યાથિનીનાં પિતા પરેશ કાછડિયા ઉશ્કેરાઇ ગયા હતાં અને રોષ સાથે કહ્યું હતું કે હું લાહોર, કરાચી કે રાવલપિંડીમાં નથી રહેતો, સુરતમાં રહું છુ, હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવો છો, બીજી સ્કુલમાં મારા મિત્રની દીકરીનાં ગળામાંથી કંઠી નથી કઢાવી તો મારી દીકરીનાં ગળામાંથી કંઠી કેમ કઢાવી. એ સમયે ઉપસ્થિત કેટલાક વાલીઓએ આ ઘટનાનો વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. નીટ યુજી પરીક્ષાના કડકાઇભર્યા કોડ ઓફ કન્ડક્ટથી અજાણ પિતાએ સ્ટાફ કંઠી કઢાવી નાંખવાની કાર્યવાહીને મોટું સ્વરૂપ આપીને ઉંચા અવાજે બોલવાનું શરૂ કરતા અન્ય વાલીઓનું પણ ધ્યાન એ તરફ ગયું હતું અને હોબાળો મોટો થઇ ગયો હતો. જોતજોતામાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયો હતો અને સુરતમાં નીટ યુજી પરીક્ષા સમયે કોઇ મોટી ઘટના બની હોય એમ રજનું ગજ કરી નાંખ્યું હતું. હકીકતમાં મેડીકલ એન્ટ્રન્સ એક્ઝામ નીટના પરીક્ષાર્થીઓ માટે અત્યંત કડકાઇભર્યા કોડ ઓફ કન્ડક્ટ હોય છે, ભૂતકાળમાં બનેલા ચોરી ગેરરીતિઓનાં કિસ્સાઓમાંથી બોધપાઠ લઇને નીતિ નિયમોને વધુ ચુસ્ત બનાવવામાં આવતા હોય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
01, મે 2026
3069 |
૬૦ દિવસથી ચાલતા યુદ્ધની ઘેરી અસર છતાં પેટ્રોલ ડિઝલનાં ભાવ વધાર્યા નથી: હરદીપસિંહ પુરી
કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ વર્ષ ૨૦૨૭ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આ પ્રકારના પ્રાદેશિક સમિટ અન્ય રાજ્યોમાં પણ મોડેલરૂપ અને પ્રેરક બની છે એમ જણાવી ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે વીમા ખર્ચમાં વધારો, કાર્ગોમાં વિલંબ અને સપ્લાય ચેઈનની ગંભીર સમસ્યાઓ વચ્ચે પણ ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ સુરક્ષિત રહ્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું હતું કે, વૈશ્વિક યુદ્ધ, પૂરવઠા સાંકળના સંકટ, હોર્મુઝની ખાડીમાં પેદા થયેલા તણાવ છતાં પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક બોજથી બચાવ્યા છે.આ સંદર્ભે મંત્રીએ કહ્યું કે, જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે, ત્યારે છેલ્લા ૪ વર્ષ અને ૬૦ દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો કરાયો નથી. તેમણે પાડોશી દેશોની સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પશ્ચિમના પાડોશી દેશે એપ્રિલમાં પેટ્રોલના ભાવમાં ૪૨.૭% અને ડીઝલમાં ૫૪.૦૯% નો વધારો કર્યો છે. તેવી જ રીતે ઉત્તર અને દક્ષિણના પાડોશી દેશોમાં પણ ઈંધણના ભાવમાં ૩૯%થી ૬૬% સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. વિશ્વના અન્ય બજારોમાં લાંબી કતારો, રેશનિંગ અને કામના કલાકોમાં કાપ જેવી સ્થિતિ જાેવા મળી છે, પરંતુ ભારતે ‘પેનિક’ (ગભરાટ)ને ક્યારેય પોતાની નીતિ બનવા દીધી નથી. ભારતીય રસોડામાં કોઈ પણ ચીજવસ્તુની અછત વર્તાવા દેવામાં આવી નથી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
01, મે 2026
2970 |
ગુજરાતના જીડીપીમાં ૨૫ ટકા ફાળો એકલા સુરતનો, હજુ વધીને ૩૫ ટકા થશે: મુખ્યમંત્રી
આજે ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની સાથે સુરતમાં આજથી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સને રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દેશ વિદેશનાં કોન્સ્યુલેટ અધિકારીઓ, એમ્બેસેડર્સ, ઉદ્યોગપતિઓ, રોકાણકારોને સંબોધતા કહ્યું કે ગુજરાતનાં જીડીપીમાં એકલા સુરતનો હિસ્સો ૨૫ ટકા છે અને આગામી વર્ષોમાં એ વધીને ૩૫ ટકા થવાનો છે. તેમણે દક્ષિણ ગુજરાતમાં આવી રહેલા નવા પ્રોજેક્ટસ તેમજ રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી નીતિઓથી લોકોને માહિતગાર કર્યા હતા.સુરત નજીક ઇચ્છાપોર ખાતે આવેલી પ્રાઇવેટ યુનિવર્સિટી, ઑરો યુનિવર્સિટીનાં પટાંગણમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં જુદા જુદા ૩ ડોમમાં ઉદ્યોગ સમૂહો, સ્ટાર્ટઅપ્સથી લઇને એગ્રો પ્રોડેક્ટસ સુધીના ઉદ્યોગ સાહસિકો પોતાની ચીજવસ્તુઓ, સર્વિસીઝ અને પ્રોડક્ટ્સને ડિસ્પ્લે કરી રહ્યા છે. કોન્ફરન્સનાં ઉદઘાટન સમારોહમાં ૧૦થી વધુ દેશોનાં એમ્બેસેડર્સ, કોન્સ્યુલેટ અધિકારીઓ, હાઇકમિશનર્સ, કેન્દ્ર સરકારનાં મંત્રીઓ, ગુજરાત સરકારનાં મંત્રીઓ, દેશના નામી અનામી ઉદ્યોગપતિઓથી લઇને રાજ્યના લગભગ દરેક ડિપાર્ટમેન્ટનાં સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહને સંબોધતા રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રોજેક્ટસ કે જેઓ દુનિયાભરમાં જાણીતા છે તેની ઝાંખી આપી હતી. તેમણે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી અલગ થઇને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું ત્યારે એવું કહેવાતું હતું કે રણ, દરિયો અને ડુંગરા ધરાવતો આ પ્રદેશ શું પ્રગતિ કરશે? પણ નરેન્દ્ર મોદીએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી ગુજરાતની પ્રગતિની ચર્ચા ચોમેર થવા માંડી. ગુજરાત આજે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ સાથે દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ૨૦૪૭નાં વિકસિત ભારતનાં વડાપ્રધાને આપેલા ધ્યેયને પાર પાડવા રાજ્યનો દરેક જિલ્લો પોતાના આગવા પોટેન્શિયલ સાથે આગળ વધે તે માટે છ રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન ૨૦ જેટલા પ્રાયોરિટી સેક્ટર્સ સાથે તૈયાર થઈ રહ્યાં છે. તેમણે વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાત ૨૦૪૭નો જે રોડમેપ રાજ્ય સરકારે તૈયાર કર્યો છે તેમાં અર્નિંગ વેલ, લિવિંગ વેલનાં ધ્યેય સાથે ૨૦૪૭નું ગુજરાત કેવું હશે તેના લક્ષ્યો નિર્ધારિત કર્યા છે તેની વિગતો આપતાં કહ્યું કે, સેમિકન્ડકટર, ઈ.વી. ગ્રીન હાઈડ્રોજન, એ.આઈ. જેવી ફ્યુચરિસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઈન્વેસ્ટમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ બંન્ને વધારવા છે. મુખ્યમંત્રીએ વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા દક્ષિણ ગુજરાતની આ ફય્ઇઝ્રમાં સહભાગી થઈ રહેલા ઉદ્યોગ-વેપાર જગતનાં અગ્રણીઓને આહવાન કર્યું હતું. સિંગાપોરમાં વેચાતો દર ચોથો હીરો અને ડેનિમ જીન્સ સુરતમાં બનેલાં હોય છે: સિંગાપોરનાં હાઇ કમિશનર આજે સુરતમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સને સંબોધતા સિંગાપોરનાં હાઇકમિશનર સાઇમન વોંગનું વક્તવ્ય સાંભળીને સુરતવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. સિંગાપોરનાં હાઈ કમિશનર સાઈમન વોંગએ ‘જય શ્રી કૃષ્ણ’ સાથે સૌનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ મહાન છે જ્યારે રિજિયોનલ કોન્ફરન્સનાં દિવસે અન્ય ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ પણ જાેડાઈ છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે, આજે બુદ્ધ પૂર્ણિમા પણ છે અને વિશ્વમાં લેબર ડેની પણ ઉજવણી થાય છે. સાઇમન વોંગએ કહ્યું કે સિંગાપોર અને ગુજરાત વચ્ચે બહુ જૂનો નાતો છે, તેમણે કહ્યું કે સિંગાપોરવાસીઓ જે ડેનિમ જીન્સ પહેરે છે તેમાં દર ચારમાંથી ૧ ડેનિમ જીન્સ ફેબ્રિક સુરતમાં ઉત્પાદિત થયેલું હોય છે. એથી આગળ વધતા તેમણે કહ્યું કે સુરતમાં કટ એન્ડ પોલિશ્ડ થયેલા હીરાની સિંગાપોરમાં કુલ નિકાસ ૧૦૦ મિલિયન ડોલર જેટલી જંગી પ્રમાણમાં નોંધાય છે. સિંગાપોરમાં વેચાતા કટ એન્ડ પોલિશ્ડ નેચરલ અને રફ ડાયમંડ્સમાં દર ચોથો હીરો સુરતમાં ઘડાયેલો હોય છે. તેમણે ઉમેર્યું કે ભારતથી સિંગાપોરમાં થતી તમામ પ્રકારની કુલ આયાતમાં એકલા ગુજરાતનો ફાળો ૫૦ ટકા જેટલો જંગી છે. ગુજરાતથી પેટ્રોકેમિકલ્સ, જ્વેલરી, ટેક્સ્ટાઇલ્સ, ફાર્માસ્યુટીકલ્સ અને નવી મશીનરીઓ વિપુલ પ્રમાણમાં સિંગાપોરમાં આયાત થઇ રહી છે. આ સાથે જ તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે છેલ્લા ૧૨થી વધુ વર્ષોથી ભારતમાં સૌથી વધુ મૂડીરોકાણ કરતો કોઇ દેશ હોય તો એ સિંગાપોર છે. સિંગાપોરે ગયા વર્ષે ભારતમાં કુલ ૧૫ બિલિનય અમેરિકી ડોલર જેટલું મૂડીરોકાણ કર્યું છે અને છેલ્લા ૧૪ વર્ષમાં સિંગાપોર ભારતમાં કુલ ૧૭૯ બિલિયન અમેરિકન ડોલર જેટલું મૂડીરોકાણ કરી ચૂક્યું છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...