આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, મે 2026
2970 |
રાજકોટમાં નેહલ શુક્લ, ભાવનગરમાં ઉષા તલરેજાનીની મેયરપદે વરણી કરાઇ
રાજ્યમાં ૧૫ મહાપાલિકાઓની ગત મહિને સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ તમામ મનપામાં ભાજપે બહુમતી સાથે સત્તાના સૂત્રો હાંસલ કર્યા હતા. ૧૫ મનપાની ચૂંટણીઓના પરિણામ જાહેર થયાના એક મહિના બાદ આ તમામ મનપામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણૂક માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૨૬ જૂનના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, જામનગર, મોરબી, પોરબંદર, નડિયાદ અને મહેસાણા એમ કુલ આઠ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરી દેવામાં આવી હતી . ત્યારબાદ આજે બાકીની ૬ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેના અંતર્ગત રાજકોટ મહાપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની પસંદગી કરાઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાની વરણી કરવામાં આવી છે. તો દંડક તરીકે સંજયસિંહ રાણા અને પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદ મનપામાં નવા પદાધિકારીઓની વરણી કરાઈ છે. જેમાં મેયર તરીકે દિપિકાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની નિમણૂક કરાઈ છે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારને તેમજ દંડક તરીકે હીરલ શાહની વરણી કરવામાં આવી છે. તો વડોદરા મનપામાં ભાજપે મહિલાને નેતૃત્વ સોંપ્યું છે. જેમાં ગીતા મકવાણાને મેયર તરીકેની જવાબદારી સોંપી છે. આ સાથે જ, આદિત્ય પટેલને ડેપ્યુટી મેયરની વર્ષાબેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે ભાવનગર મનપામાં પણ ભાજપે મહિલા નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. ભાવનગરના નવા મેયર તરીકે સિંધી સમાજના ઉષાબેન તલરેજાને જવાબદારી સોંપી છે, તો ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાની નિમણૂક કરાઈ છે. જ્યારે પક્ષના નેતા તરીકે લાલભા વાળાને તો દંડક તરીકે રિંકુબેન માંગુકિયાને જવાબદારી સોંપવામાં આવી છે. વાપી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર તરીકે દક્ષા પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિષ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. તો પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલ અને દંડક તરીકે સુનિતા તિવારીને નિયુક્ત કરાયા છે. તો સુરત મનપામાં મેયર તરીકે માયા માવાણીની તો ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની નિમણૂક કરાઈ છે તો પક્ષના નેતા તરીકે અલ્પા મહેતા અને દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની વરણી કરાઈ છે. જ્યારે સુરેન્દ્રનગર મનપામાં પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરી છે તો ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેરી તો પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણિયાને જવાબદારી સોંપી છે. આમ, ૨૬ મેના રોજ અમદાવાદ, જામનગર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, નવસારી, પોરબંદર અને મહેસાણા સહિત કુલ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે હોદ્દેદારોના નામ જાહેર થયા પછી, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, વલસાડ-વાપી અને સુરેન્દ્રનગર માટે નવા હોદ્દેદારોના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
26, મે 2026
3267 |
રાજકોટ TRP અગ્નિકાંડના 2 વર્ષ બાદ પણ ન્યાય નહીં? 27 મોતનો જવાબદાર કોણ ?
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ થયા છતાં પીડિત પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. 25 મે 2024ના રોજ બનેલી આ ભયાનક દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. તપાસમાં ફાયર સેફ્ટી અને મંજૂરીમાં મોટી બેદરકારી સામે આવી હતી. બીજી તરફ, આરોપીઓ જામીન પર બહાર આવતા પીડિત પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ કેસની ટ્રાયલ ચાલી રહી છે, પરંતુ પરિવારોનું કહેવું છે કે ન્યાયની પ્રક્રિયા ખૂબ ધીમી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, મે 2026
2871 |
રાજકોટના ગોંડલ નજીક બસ પલટી, બે મહિલાના મોત, ૫ાંચની હાલત નાજુક
રાજકોટના ગોંડલ નજીક સોમવારે વહેલી સવારે એક અત્યંત કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો છે. પુરષોત્તમ માસના પવિત્ર અવસરે ધાર્મિક પ્રવાસે નીકળેલા શ્રદ્ધાળુઓની એક ખાનગી બસ પલટી મારી જતાં પરિવારના બે મહિલા સભ્યો (સાસુ-વહુ) ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ભયાનક દુર્ઘટનામાં બસમાં સવાર અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમાંથી પાંચ લોકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે એક ખાનગી બસ બગદાણા, ઊંચા કોટડા, રાજપરા અને ભગુડા જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે ઉપડી હતી. તમામ પવિત્ર ધામોના દર્શન કરીને પરત ફરી રહેલી આ બસ સોમવારે પરોઢિયે આશરે ૪:૩૦ વાગ્યે વોરા કોટડાથી બાંદરા જવાના સિંગલ પટ્ટી રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા એક ટ્રકને જગ્યા આપવા માટે બસ ચાલકે વાહનને રિવર્સમાં લીધું હતું. સિંગલ રોડ હોવાના કારણે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા જ બસ રોડ કિનારે આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી.અકસ્માત સમયે બસમાં માસૂમ બાળકો, મહિલાઓ અને વયસ્ક શ્રદ્ધાળુઓ સહિત કુલ ૬૨ મુસાફરો સવાર હતા. વહેલી સવારના અંધકારમાં અચાનક બસ પલટી જતાં મુસાફરોની ચીસાચીસથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના સ્થાનિક યુવાનો અને સેવાભાવી સંસ્થાઓ તાત્કાલિક બચાવ રાહત માટે દોડી આવ્યા હતા અને બસના કાચ તોડીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.ઇમરજન્સી સેવાઓ અને પોલીસ પ્રશાસન પણ ત્વરિત એક્શનમાં આવ્યું હતું. ૧૦૮ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સો મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ ૫ દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, મે 2026
4554 |
૧૫૦૦ રૂપિયા બાબતે મિત્ર સાથે કરેલી માથાકૂટ બાબતે ચપ્પુનાં ઘા મારી કિશોરની ઘાતકી હત્યા
પૈસા બાબતે મિત્ર સાથે માથાકૂટ કરનારને સમજાવવા તેના ઘરે ગયેલા કિશોરને છાતીમાં ચપ્પુનો ઘા ઝીંકી હત્યા કરાયાનો બનાવ પાંડેસરામાં બન્યો હતો. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર હરિઓમનગરમાં સંતોષ રામગોપાલ ગુપ્તા તેના પરિવાર સાથે રહે છે. મધ્યપ્રદેશનાં રિવા જિલ્લાનો વતની સંતોષ દેવકીનંદન સ્કુલ પાસે નાસ્તાની લારી ચલાવે છે. તેમને સંતાનમાં બે દિકરા અને બે દીકરી છે. ત્રણ નંબરનો દિકરો દેવા ગુપ્તા પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલી બી. જી. મિશ્રા સ્કુલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. ૨૦મી તારીખે સાંજે સાડા ચારેક વાગ્યાનાં અરસામાં દેવાનો મિત્ર સાહિલ પત્રકાર કોલોની પાસે શેરડીનો રસ પીતા હતા. એ સમયે હેપ્પીનો પરિચિત આદર્શ ઉર્ફે બટકો ત્યાં આવ્યો હતો. તેણે મને તને તેરેનામ ચોકડી પર છોડી દો એમ રહેતા હેપ્પીએ હા પાડી હતી. એ સમયે હેપ્પીના મોટર સાયકલ આદર્શે હંકારી અને અને તેઓને ડિ માર્ટની સામે આવેલા નાકોડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે લઈ ગયો હતો. જ્યાં આદર્શના અન્ય મિત્રો પણ હાજર હતાં.ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આદર્શે તેના મિત્રોને કહ્યું હતું કે આ હેપ્પી મારા પૈસા આપતો નથી, જેથી તેના મિત્રો હેપ્પીને પૈસા પરત કરવા કહી ધાક ધમકી આપવા માંડ્યા હતાં. દરમિયાન આદર્શે મોટર સાયકલની ચાવી લઇ લીધી હતી. લાંબી માથાકૂટ બાદ આદર્શે ચાવી પરત કરતાં હેપ્પી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં રાત્રે સાડા દસેક વાગ્યાનાં અરસામાં હેપ્પી, દેવા અને અરવિંદ હાઉસિંગમાં આવેલી વિધાયક નામની ચાની દુકાન પર બેઠા હતાં. એ સમયે હેપ્પીએ દેવાને બપોરે આદર્શ સાથે થયેલી માથાકૂટની વાત કરી હતી. આ સાંભળી દેવાએ આપણે આદર્શના ઘરે જઈ તેના માતા પિતાને જાણ કરીએ એમ કહ્યું અને પછી ત્રણેય જણા આદર્શના ઘરે ગયા હતાં. ઘરે ટેરેસ પર સૂતેલા આદર્શ અને તેની માતાને આ મિત્રોએ જગાડ્યા હતાં. તેઓને નીચે લાવી હેપ્પીએ તેની સાથે બનેલા બનાવ બનાવ અંગે માતાને વાત કરવા માંડી હતી. આ દરમિયાન આદર્શ બટકો ગુસ્સે ભરાયો અને ગાળા ગાળી કરવા માંડ્યો હતો. હેપ્પી અને દેવાએ લડાઈ ઝઘડો નહીં કરી શાંતિથી વાત કરવા કહ્યું હતું.જાે કે, આદર્શે હેપ્પી અને દેવાને ઢીકમુક્કીનો માર મારવા માંડ્યો તો તેની માતાએ વચ્ચે પડી છોડાવ્યા હતાં. એવામાં આદર્શ ઘરમાં દોડી ગયો અને ચપ્પુ જેનું તિક્ષ્ણ હથિયાર લાવી દેવાને છાતીના ભાગે ઘા મારી દીધો હતો. દેવો લોહીલુહાણ થઇ જતાં આદર્શ અને તેની માતા ઘરમાં જતાં રહ્યા અને દરવાજાે બંધ કરી દીધો હતો. જ્યારે હેપ્પી અને અરવિંદ મોટર સાયકલ પર બેસાડી દેવા ને સિવિલ લઇ ગયા હતાં. જ્યાં તબીબોએ ગંભીર અવસ્થામાં તેની સારવાર શરૂ કરી હતી. દરમિયાન હુમલાની જાણ થતાં દેવાના માતા-પિતા સિવિલ દોડી આવ્યા હતાં. તેઓ તેને વધું સારવાર માટે યુનિક હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, મે 2026
3564 |
રાજકોટમાં સગીરા પર ગેંગરેપના કેસમાં બે સગીર સહિત પાંચ આરોપી ઝડપાયા
રાજકોટમાં રહેતી એક ૧૪ વર્ષની સગીરા સાથે થયેલ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે તેની સગીર વયની સહેલી અને એક સગીર આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર ત્રણ શખસોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ એસીપી વી.બી. જાડેજાના જણાવ્યા અનુસાર સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધી એક સગીર, તેમજ ફરિયાદીની સગીર વયની સહેલી ઉપરાંત અન્ય ત્રણ આરોપી મિહિર કુગશીયા, ધવલ રાઠોડ, અને સાહિલ ઉર્ફે ઝેરીની ધરપકડ કરી બાકીના ફરાર ૩ આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા તપાસના કામે આરોપીઓ દ્વારા જે કારમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે સ્વીફ્ટ કાર પણ કબજે કરવામાં આવી છે. પકડાયેલ આરોપી પૈકી ધવલ રાઠોડ ટ્રાફિક શાખામાં વોર્ડન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે મિહિર કુગશીયા અગાઉ ૬ વખત નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. આ વખતે પણ આરોપીએ બસપોર્ટ નજીક સગીરાને હોટલમાં લઈ જઈ પોતાની ઓળખ પોલીસ તરીકે જ આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
7524 |
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું. સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ. ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે. PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ભારત
11, મે 2026
6336 |
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ
વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, મે 2026
8217 |
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, મે 2026
6237 |
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
04, મે 2026
10395 |
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા
ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, મે 2026
2079 |
સસ્તા ભાવે કોલસો લેવાની લાલચ બોડકદેવના વેપારી રૂપિયા ૬૪.૩૦ લાખ રૂપિયામાં પડી
શહેરમાં કોલસાના ટ્રેડિંગના નામે લાખો રૂપિયાની છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સસ્તા ભાવે કોલસો અપાવવાની લાલચ આપીને કંડલાના એક બ્રોકર સહિત પાંચ અલગ-અલગ કંપનીઓના માલિકોએ ભેગા મળીને બોડકદેવના એક વેપારી પાસેથી ૬૪.૩૦ લાખ રૂપિયા પડાવી લીધા છે. આરોપીઓએ માલ મોકલ્યા વગર જ ફેક બિલો અને ઈ-વે બિલ બનાવીને છેતરપિંડી આચરી હતી. આ મામલે ભોગ બનનાર વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોડકદેવ વિસ્તારમાં રહેતા ૨૧ વર્ષીય કિશન અંબાવી કેમિકલ મેન્યુફેક્ચરિંગ અને કોલસાના ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૨૨માં તેમની મુલાકાત કંડલાના રહેવાસી રાજ ઐયાચી સાથે થઈ હતી. રાજે પોતાની ઓળખ કોલસા માર્કેટના એક્સપર્ટ તરીકે આપી કિશનભાઈને સસ્તા ભાવે કોલસો અપાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ ૧૫ ટકા કમિશનની શરતે તે કિશનની કંપનીમાં ઓથોરાઈઝ્ડ એજન્ટ તરીકે જાેડાયો હતો. ડિસેમ્બર ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૫ દરમિયાન બ્રોકર રાજે અન્ય કંપનીઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું અને કુલ ૬૪,૩૦,૯૬૮ રૂપિયાની ઠગાઈ આચરી હતી.શરૂઆતમાં બ્રોકર રાજે આ કંપનીના પ્રતિક બોથરા પાસેથી માલ ખરીદવાનું કહી ફરિયાદી પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા, જેમાંથી ૭,૩૦,૦૦૦ રૂપિયાનું પેમેન્ટ હજુ ફસાયેલું છે. બી. કે. ડી મિનરલ્સ કંપની પાસેથી કમિશનના ૧,૫૪,૭૪૪ રૂપિયા લેવાના નીકળતા હતા, જે આજદિન સુધી ચૂકવાયા નથી. બ્રોકર રાજે ઇન્ડોનેશિયાથી કોલસો મંગાવવાના બહાને આ કંપનીના માલિક શક્તિસિંહના બેન્ક ખાતામાં ૩૧,૫૦,૦૦૦ રૂપિયા જમા કરાવડાવ્યા હતા. ફરિયાદીએ ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન લઈને આ રકમ ચૂકવી હતી, પરંતુ કોઈ માલ મળ્યો નહોતો.આઇ એનર્જી નેચરલ રીસોર્સીસ લી. કંપનીના માલિક વાસુદેવ પમનાણીને ૨,૭૦,૦૦૦ રૂપિયા ચૂકવાયા હતા, પરંતુ તેમણે માલ ફરિયાદીના બદલે બારોબાર અન્ય કોઈને મોકલી દીધો હતો અને કંપનીના નામના ફેક સર્વિસ બિલો બનાવી દીધા હતા. આ પેટે હજુ ૨,૧૬,૨૨૪ રૂપિયા લેવાના બાકી છે. નવેમ્બર ૨૦૨૪માં કંપનીના માલિક ભક્તિબહેન ચાઉ પાસેથી માલ ખરીદવાના બહાને ફરીથી ૧૩,૮૦,૦૦૦ રૂપિયા બેન્કમાં ટ્રાન્સફર કરાવ્યા, જેનો કોઈ માલ મળ્યો નહીં પરંતુ ફેક ઈ-વે બિલ જનરેટ કરી દેવાયા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, મે 2026
1782 |
નોકરી છૂટતાં યુવકે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું, દીકરી માટે ચેતવણીભરી ચિઠ્ઠી લખી
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાંથી એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પૂનમ રેસિડેન્સીમાં રહેતા ૪૨ વર્ષીય યુવકે નોકરી ગુમાવ્યા બાદ આર્થિક અને માનસિક તણાવમાં આવી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક પંકજ સુરેન્દ્રભાઈ ભણસાલી મૂળ મુંબઈના બોરીવલીના રહેવાસી હતા અને હાલમાં ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ ઇન્ફોસિટી વિસ્તારમાં આવેલી એનએકસસી સ્ટોક માર્કેટ ઓફિસમાં કામ કરતા હતા. જાેકે છેલ્લા પાંચ મહિનાથી તેમની નોકરી છૂટી ગઈ હતી. આ દરમિયાન શેરબજારમાં મોટું નુકસાન અને દેવું થતાં તેઓ ભારે માનસિક દબાણ અનુભવી રહ્યા હતા.પોલીસ સૂત્રો અનુસાર, ૧૩ મેના રોજ તેમની પત્ની અને દીકરી પિયર ગયા હતા. ત્યારબાદ ૨૨ મેના રોજ પતિ-પત્ની વચ્ચે છેલ્લી ફોન પર વાતચીત થઈ હતી. ત્યારથી પંકજભાઈનો ફોન સતત બંધ આવતો હતો. વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ છતાં કોઈ જવાબ ન મળતાં પરિવારજનોને શંકા ગઈ હતી. આખરે ૨૭ મેની રાત્રે પત્ની પોતાના ભાઈ સાથે ઘરે પહોંચ્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજા બહાર એક ચેતવણીભરી ચિઠ્ઠી ચોંટાડેલી જાેવા મળી હતી. આ ચિઠ્ઠીમાં લખેલું હતું કે, “દીકરી અંદર ના આવતી, પાણી પીવું નહીં, ઘરમાં ઝેરી દવા છે, માસ્ક પહેરવું.” આ શબ્દો વાંચીને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘરમાં પ્રવેશતા જ પંકજભાઈ ફર્શ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. અંદાજે પાંચ દિવસ સુધી લાશ ઘરમાં જ પડી રહેતાં શરીર ફૂલી ગયું હતું અને ઝેરી વાયુઓના પ્રભાવને કારણે ચહેરો કાળો પડી ગયો હતો. ઘટનાસ્થળેથી ‘સેલફોસ’ નામની અત્યંત ઝેરી દવાની પડીકીઓ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે અનુમાન વ્યક્ત કર્યું છે કે ઘટના ૨૨ મે આસપાસ બની હોઈ શકે છે. ઇન્ફોસિટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે આત્મહત્યાના ચોક્કસ કારણો અને મૃતકની આર્થિક સ્થિતિ અંગે વધુ માહિતી એકત્રિત કરી રહી છે.આ ઘટના ફરી એકવાર માનસિક તણાવ, બેરોજગારી અને આર્થિક દબાણ જેવા ગંભીર મુદ્દાઓ તરફ સમાજનું ધ્યાન દોરે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, મે 2026
2376 |
જમીન પચાવવાના ઈરાદે ફાયરિંગનો થયાનો ખુલાસો
અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં બે દિવસ પહેલાં પાથરણા બજારની જમીન પર થયેલા પાંચ રાઉન્ડ ધડાધડ ફાયરિંગના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ, તેના દીકરા અને દીકરીની ધરપકડ બાદ જેલહવાલે કરી દેવાયા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, જે પોણા છ વીઘા જમીન માટે આ વિવાદ થયો તેની બજાર કિંમત ૬૭૫ કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ કરોડો રૂપિયાની જમીન પર નિવૃત્ત ડીવાયએસપીના દાદા ક્યારેક સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હતા અને પિતા ચાની કીટલી ચલાવતા હતા. જેના આધારે આખો પરિવાર ખોટા દસ્તાવેજાે ઊભા કરી જમીન પચાવી પાડવા માંગતો હતો. નહેરૂનગર ખાતે આવેલી આ આશરે પોણા ૬ વીઘા એટલે કે ૧૩,૫૦૦ ચોરસ મીટરની જમીનની કિંમત આશરે ૬૭૫ કરોડ રૂપિયા થાય છે. વર્ષો પહેલાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણના દાદા આ જમીન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને ત્યારબાદ તેના પિતા પ્યારેસિંહ ત્યાં ચાની કીટલી ચલાવતા હતા. આ કનેક્શનના જાેરે અશોકસિંહ ચૌહાણ ભાડૂઆત બનીને ગમે તે ભોગે આ કિંમતી જમીન હડપ કરવાના પેંતરા રચી રહ્યા હતા. હદ તો ત્યાં થઈ કે, વર્ષ ૨૦૧૬માં અશોકસિંહે પોતાના આઈટી રિટર્નમાં પણ આ જમીન પોતાની હોવાનું દર્શાવી હતી. આ જમીન પચાવી પાડવા માટે ચૌહાણ પરિવારે અનેક કાયદાકીય દાવપેચ ખેલ્યા પરંતુ દર વખતે તેમને જાેરદાર લપડાક મળી છે. વર્ષ ૨૦૦૦માં મામલતદારે અશોકસિંહ ચૌહાણનો દાવો નકાર્યો, જેની સામે જીડ્ઢસ્માં અપીલ કરતાં તેમણે પણ મામલતદારનો ઓર્ડર કન્ફર્મ રાખી દાવો ફગાવ્યો. વર્ષ ૨૦૧૬માં સિટી સિવિલ કોર્ટમાં કરેલો ભાડૂઆતનો દાવો પણ કોર્ટે ફગાવી દીધો. ત્યારબાદ એપ્રિલ ૨૦૨૩માં અશોકસિંહ ચૌહાણે એડવર્સ પઝેશન માટે પિટિશન કરી હતી. પરંતુ જમીનના મૂળ માલિક બપિન વાડીલાલ મહેતાના વારસદારોની રજૂઆતના પગલે ગત છઠ્ઠી મે ૨૦૨૬ના રોજ કોર્ટે તે ઓર્ડર પણ રિજેક્ટ કરી દીધો હતો. કોઈપણ કાયદેસરનો માલિકી હક ન હોવા છતાં ચૌહાણ પરિવારે વર્ષ ૨૦૨૫માં ગેરકાયદે રીતે પાથરણાવાળાઓ સાથે ભાડા કરાર કરી દીધા હતા અને આશરે ૩૦ લાખ રૂપિયા એડવાન્સ મેળવીને મહિને ૧ લાખ રૂપિયા જેટલું ભાડું વસૂલવાનું શરૂ કર્યું હતું. જાેકે, કોર્પોરેશન દ્વારા આ ગેરકાયદે બજાર બંધ કરાવી દેવામાં આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન સોશિયલ મીડિયા અને સીસીટીવી ફૂટેજમાં ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે. જેમાં નિવૃત્ત ડીવાયએસપીના દીકરા અને દીકરી હાથમાં લોખંડની પાઇપો, સળિયા અને ધોકા લઈને આ ગેરકાયદે જમીનની રખેવાળી કરતા અને લોકોને ધમકાવતા નજરે પડે છે. પોલીસે આ વીડિયોના આધારે તેમની સામે પણ ગુનો નોંધી ત્રણેય સભ્યોને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, મે 2026
1683 |
ટોળાએ વાહનોનો કચ્ચરઘાણ કાઢતાં લોકોમાં દહેશત
શહેરકોટડા વિસ્તારની એનિલ વકિલની ચાલીમાં બે દિવસ પહેલા ૧૫ જેટલા અસામાજીક તત્વોએ સમગ્ર વિસ્તાર બાનમાં લીધો હતો. એક યુવક સાથે બોલાચાલી ઝગડાની અદાવતમાં આ લુખ્ખા તત્વો બાઇક પર ધોકા અને પાઇપો લઇને નીકળ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં આતંક મચાવતા લોકોમાં ભય ફેલાયો છે. આ તત્વોએ અહીં રીક્ષા, ગાડી, ટુવ્હીલર સહિત ૧૪ જેટલા વાહનોમાં તોડફોડ કરતા લોકોમાં ભય ફેલાયો છે. શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શહેરકોટડા પોલીસે હાલ ૬ જેટલા આરોપીને ઝડપી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મુળ મધ્યપ્રદેશના અને હાલ અનિલ વકિલની ચાલીમાં રહેતા ૨૬ વર્ષીય સુશીલસિંહ ચૌહાણ ડ્રાઇવીંગનું કામ કરે છે. સુશીલસિંહને એકાદ માસ પહેલા દિપક યાદવ અને રિતીક ગુપ્તા નામના બે લોકો સાથે સામાન્ય બોલાચાલી ઝગડો થયો હતો. આ બાબતને લઇને બંને પક્ષના લોકો વચ્ચે મનદુખ ચાલતુ હતુ. તેવામાં ગત તા.૨૭ મેના રોજ સુશીલસિંહ તેના મિત્રોને મળવા ગયો હતો. ત્યારે મોડીરાત્રે મકાન માલિકે ફોન કરીને કેટલાક લોકો સુશીલસિંહનું નામ લઇને આવ્યા હતા અને હંગામો કર્યાની જાણ કરી હતી. બુકાનીધારી શખ્સોએ ચાલીની બહાર પડેલા વાહનોમાં તોડફોડ પણ કરી હતી. તોડફોડ કરનાર શખ્સોએ સુશીલસિંહનું નામ લઇને ત્યાં હાજર લોકોને ગાળાગાળી કરી હતી. તમામ લોકો પાઇપો, ધોકાઓ લઇને આવ્યા હોવાથી સુશીલસિંહ તાત્કાલિક ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં પંદરેક બુકાનીધારી લોકોને જાેયા હતા. આ લોકો સુશીલને જાનથી મારી નાખવાની ધમકી આપતા આપતા ત્યાંથી પસાર થતા હોવાથી સુશીલસિંહ ડરના માર્યે સંતાઇ ગયો હતો. જે બાદ તેણે ઘરે પહોંચીને પોલીસકંટ્રોલરૂમમાં જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા આરોપીઓએ રીક્ષા, ગાડી, ટુવ્હીલર મળી કુલ ૧૪ વાહનોમાં તોડફોડ કરી હતી. આ મામલે શહેરકોટડા પોલીસે દિપક ઉર્ફે રાવ, રીતીક ઉર્ફે માયા ગુપ્તા, કરણ ઉર્ફે બાબુ રાજપુત, લંબુ પંડિત, ચેતન ટાઇગર, ધુપ્પી, અમન ભૈયાજી, મન્નુ સહિત ૧૫ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના કારણે સ્થાનિક પોલીસની શાખ પર પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, મે 2026
1782 |
પાંચ દિવસના સપ્તાહની સરકારની વિચારણા
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણથી ઉદભવેલી કટોકટીની સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલનો કરકસરયુક્ત ઉપયોગની અપીલ કરી છે. જેને પગલે હવે ગુજરાત સરકાર દ્વારા ચાર મહિના અગાઉ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયાના અધ્યક્ષ સ્થાને બનેલી વહીવટી સુધારણા સમિતિ દ્વારા અપાયેલા પાંચ દિવસના સપ્તાહના અમલીકરણ અંગે ગાંધીનગરના સચિવાલયમાંથી જ ઈંધણ બચાવવાના અભિયાનનો પ્રારંભ કરવા માટેની ગતિવિધિ તેજ બનાવવામાં આવી છે. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે કોઈ ર્નિણય લેવાય તે ભવિષ્યના વિચારીને લેવામાં આવે. જેથી ભવિષ્યમાં સરકારને પાછી પાની કરવી ન પડે તેવી ટકોર કરી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને લઈને સમગ્ર વિશ્વમાં ઈંધણની કટોકટી ઊભી થઈ રહી છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન પેટ્રોલ-ડીઝલ, વીજળી સહિતની બાબતોમાં કરકસર કરવાની અપીલ કરી હતી. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલની બચત સહિતના મુદ્દાઓ અંગે કાર પુલિંગ, વાહનોના બિનજરૂરી વપરાશને ટાળવા, મેટ્રો રેલ, સરકારી બસો સહિતના જાહેર વાહન વ્યવસ્થાનો ઉપયોગ કરવા ઉપર સરકારે ભારે મૂક્યો છે. તેવા સંજાેગોમાં ઈંધણ અને વીજળીની બચતને લઈને રાજ્ય સરકારની વહીવટી સુધારણા સમિતિ દ્વારા આજથી ચાર મહિના અગાઉ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ નિગમો સહિતની કચેરીઓમાં પાંચ દિવસનું સપ્તાહ કરવાની ભલામણ કરાઇ હતી, તેના અમલીકરણ માટેની સરકારમાં ગતિવિધિ તેજ બની છે. પીએમ મોદીના કરકસરની અપીલને અનુકૂળ થાય તે માટે રાજયમાં પાંચ દિવસનું સપ્તાહ કરવા અંગે સરકાર દ્વારા ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારનું વહીવટી તંત્ર પાંચ દિવસના સપ્તાહ માટેની કાર્યવાહી અંગે ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની તેમજ અગાઉની બેઠકમાં એવી સૂચના અપાઈ છે કે, કરકસર માટે જે કોઈ ર્નિણય લેવામાં આવે તે લાંબા ગાળાનું વિચારીને કરવામાં આવે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, મે 2026
2277 |
ભારતીય ટેક્સ્ટાઇલ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન બનાવી શકે છે: ટેક્સ્ટાઇલ કમિશનર
ભારત સરકારનાં ટેક્સ્ટાઇલ કમિશનર વૃંદા મનોહર દેસાઈએ સુરતની વિવિધ ટેક્સ્ટાઇલ સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી હતી. તેમણે ફેરડીલ ઇન્ટિગ્રેટેડ ટેક્સ્ટાઇલ પાર્ક, ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ સેન્ટર, સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન ઓડિટોરિયમ, તથા પાંડેસરા જીઆડીસી ખાતે આવેલી ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ યુનિટ્સ અને કોમન ઇફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું. ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને મજબૂત બનાવવા, સ્કિલ ડેવલપમેન્ટ, ઉદ્યોગસાહસિકતા પ્રોત્સાહન, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ અને ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરવાનાં હેતુસર તેમણે મુલાકત લીધી હતી.ફેરડીલ ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્ક ખાતે ટેક્સ્ટાઇલ કમિશનરે ટેક્નિકલ ટેક્સ્ટાઇલ્સ, અદ્યતન વીવિંગ ટેક્નોલોજી, પ્રીવીવિંગ સુવિધાઓ, વર્કર્સ હોસ્ટેલ, કોમન ફેસિલિટી સેન્ટર અને કોમન ઇફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ સુવિધાઓનું અવલોકન કરી ટેક્સ્ટાઇલ વેસ્ટ મેનેજમેન્ટ, રીસાયક્લિંગ અને સક્ર્યુલર ઇકોનોમી આધારિત ઉદ્યોગ વિકાસનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. ડીસેન્ટ્રલાઇઝ્ડ પાવરલૂમ અને કમ્પ્યુટરાઇઝ્ડ એમ્બ્રોઇડરી સેક્ટરને આપવામાં આવતી તાલીમ, ટેસ્ટિંગ, ઇ-કોમર્સ ઓનર્બોડિંગ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ સેવાઓની પ્રશંસા કરી તેમણે તાલીમાર્થીઓ અને યુવા ઉદ્યોગસાહસિકોને સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પોતાના સફળતા કિસ્સાઓને પ્રોત્સાહિત કરવાની સલાહ આપી.ટેક્સ્ટાઇલ કમિશનર વૃંદા દેસાઈએ સંબોધનમાં વ્યૂહરચનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વૈશ્વિક બજારમાં ભારત માટે વિશાળ તકો ઊભી થઈ રહી છે અને ભારતીય ટેક્સ્ટાઇલ ઉદ્યોગ ગુણવત્તા, નવીનતા, સસ્ટેનેબિલિટી અને કોસ્ટ કોમ્પીટિટિવનેસનાં આધાર પર વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન બનાવી શકે છે. તેમણે તાજેતરનાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનાં કારણે યુરોપિયન યુનિયન, યુનાઇટેડ કિંગડમ અને ન્યુઝીલેન્ડ જેવા બજારોમાં વધતી નિકાસ તકોનો લાભ લેવા માટે ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કર્યા. તેમણે સરકારની યોજનાઓને માત્ર સબસિડી સુધી મર્યાદિત ન રાખતા, ઉદ્યોગ વિકાસ, આધુનિકીકરણ અને ક્ષમતા વૃદ્ધિનાં સાધન તરીકે ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, મે 2026
2178 |
જિ.પં.નાં ૪૬ કર્મચારી પાસે ૬૨,૫૦૦ રૂપિયા લાંચ માગનાર મહિલા ક્લાર્ક અને પુત્રની ધરપકડ
જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના ૩૩ કર્મચારીઓ પાસે ટીએ બીલ પાસ કરવા ૪૯,૫૦૦ તથા ૧૩ કર્મચારીઓનાં એલટીસી બિલ પાસ કરવા માટે ૧૩ હજાર મળી કુલ ૬૨,૫૦૦ રૂપિયા લાંચ માગનાર સીનિયર એકાઉન્ટ ક્લાર્ક અને લાંચની રકમનાં હપ્તા પેટે ૩૦ હજાર રૂપિયા લેતા તેણીનાં દિકરાને એસીબીએ ઝડપી પાડ્યા હતાં. એન્ટિ કરપ્શન બ્યુરો પાસે મળતી માહિતી અનુસાર જહાંગીરાબાદમાં ભેંસાણ રોડ ઉપર ઓમકાર હાઇટ્સમાં રહેતાં રૂપલ પરેશકુમાર ટેલર સુરત જિલ્લા પંચાયતમાં ખેતીવાડી શાખામાં સીનિયર એકાઉન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. જિલ્લા પંચયાકના કર્મચારીઓના ટીએ-ડીએ બિલ પાસ કરવા તથા એલટીસી મંજુર કરવવાનું તેણીનાં કાર્યક્ષેત્રમાં આવે છે. ૪૫ વર્ષીય રૂપલ ટેલરે તેની ફરજમાં આવતું અને સાથી કર્મચારીઓના હીતનું કામ કરવા માટે લાંચની માંગણી કરી હતી.ટીએ બીલ પાસ કરવા માટે કર્મચારી દીઠ તેણીએ ૧૫,૦૦૦ રૂપિયા ડીમાન્ડ કરવા માંડી હતી. જેના કારણે ૩૩ કર્મચારીઓના બીલ અટવાયા હતાં. ૩૩ કર્મચારીઓ ૧૫,૦૦૦ રૂપિયા લેખે ૪૯,૫૦૦ રૂપિયા આપે તો જ ટીએ બિલ પાસ થાય એવી સ્થિતિ રૂપલ ટેલરે ઉભી કરી દીધી હતી. આ ઉપરાંત કર્મચારીઓને પ્રવાસ માટે સરકાર તરફથી અપાતા લાભો એટલે કે લીવ ટ્રાવેલ એલાઉન્સ પાસ કરવા માટે પણ ટેલરે લાંચ માંગી હતી. કર્મચારી દીઠ ૧૦૦૦ રૂપિયાની ડીમાન્ડ તેણી દ્વારા કરાઇ હતી. જેમાં ૧૩ કર્મચારીઓનાં એલટીસી અટકી પડી હતી. કુલ ૬૨,૫૦૦ રૂપિયા લાંચ આપવામાં આવે તો જ ૪૬ કર્મચારીઓનાં બીલ પાસ કરીશ એવી ડીમાન્ડ ટેલરે કરી હતી. કર્મચારીઓ તેમના હક્કનાં, કાયદેસરનાં નાણાં મેળવવા માટે લાંચ આપવા માગતા ના હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. મદદનીશ નિયામક આર. આર. ચૌધરીએ કર્મચારીઓને સાંભળી તેમની ફરિયાદ લીધી હતી. સાથે જ ઇન્સપેક્ટર કલ્પેશ ધડુકને છટકાનું આયોજન કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.કલ્પેશ ધડુકે કર્મચારી પાસે રૂપલ ટેલરને કોલ કરાવ્યા હતાં. તેણીએ વ્યવહાર પુરો કરો એટલે કે લાંચ આપો એટલે તમારૂ કામ થઇ જશે એ મતલબની વાતો કરી હતી. જેમાં કર્મચારીઓ હાલ ૩૦ હજારની વ્યવસ્થા થઇ છે, એ આપી દઇએ, બાકીના પછી સમજી લઇશું એમ કહ્યું હતું. રૂપલ ટેલરે આ વાત માન્ય રાખી અને લાંચના ૩૦ હજાર લઇ ઉગત ભેંસાણ રોડ સ્થિત ઓમકાર હાઇટ્સ આવવા કહયું હતું. જ્યાં કર્મચારીની સાથે એસીબીની ટીમ પણ પહોંચી હતી. ઓમકાર હાઇટ્સ પાસે લાંચની રકમ લેવા રૂપલ પટેલનો ૧૯ વર્ષનો દિકરો ઝીલ ટેલર આવ્યો હતો. માતા સાથે વાત કરી જીલે લાંચની રકમ સ્વીકારી એટલે એસીબીએ તેને દબોચી લીધો હતો. ઝીલ પકડાયા બાદ એસીબીની ટીમે રૂપલ ટેલરનાં ઘરે છાપો મારી તેણીની પણ ધરપકડ કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, મે 2026
1980 |
પ્રેમલગ્ન કરી લેનાર પુત્રીને માનતા પુરી કરવાના બહાને બોલાવી અપહરણ કર્યું
પોતાની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર પુત્રીનું માતા-પિતાએ સગા સંબંધીની મદદથી અપહરણ કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સિંગણપોર પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વરાછામાં લંબેહનુમાન રોડ ઉપર સૈફ સોસાયટીમાં ઋષિ રાજેશભાઇ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. સુરેન્દ્રનગરનાં લીમડી તાલુકાનો વતની ઋષિ પટેલ વીડિયો એડિટર તરીકે કામ કરે છે. ઋષિને કતારગામનાં આંબાતલાવડી વિસ્તારમાં આવેલા સન્ડે એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતી કેના સુતરીયા સાથે પ્રેમ સંબંધ હતો. ઋષિ અને કેના લગ્ન કરવાનો ર્નિણય કર્યો હતો. પરંતુ કેનાના પરિજનોને આ સંબંધ સ્વીકાર્ય ન હતો.આવા સંજોગોમાં પરિવારની મરજી વિરૂદ્ધ ઋષિ અને કેના સુતરીયાએ તા. ૬ મે, ૨૦૨૬નાં રોજ પ્રેમલગ્ન કરી લીધા હતાં. લગ્ન બાદ વિવાદ થયો અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ઋષિ અને કેના ૨૫મી તારીખે કતારગામ પોલીસ મથકમાં હાજર પણ થયા હતાં. બંને પુખ્તવયનાં હોવા ઉપરાંત કેનાએ પતિ ઋષિ સાથે રહેવાનો ર્નિણય જાહેર કર્યો હતો. કતારગામ પોલીસે બંનેનાં નિવેદન નોધી કેનાને પતિ સાથે મોકલી આપી હતી. આ ઘટનાનાં બે દિવસ બાદ એટલે કે ૨૭ તારીખે કેનાની ફોઇ મીનાબેન, દાદા-દાદી તથા તેનો નાનો ભાઇ માનવ તેણીનાં ઘરે બેસવા ગયા હતાં. તેઓએ ઋષિએ જણાવ્યું હતું કે, કેનાની માતાએ માનતા રાખી છે કે, કેના ઘરે આવે ત્યારપછી જ તે જળપાન કરશે. જેથી તમે આવતીકાલે કેનાને લઇ અમારા ઘરે આવો. કેનાને લઇ આવવા આગ્રહ કરી તેઓ જતાં રહ્યા હતાં. બાદમાં ૨૮મી તારીખે સવારે સાડા નવેક વાગ્યે ઋષિ તેની પત્ની કેના, માતા-પિતા અને પિતાનાં મિત્ર જંયતિભાઇ રાદડીયા સાથે કાકા સસરા આશિષ કરશનભાઈ સુતરીયાના ઘરે પ્રિઝમ લકઝરીયા, હાથી મંદિરની બાજુમાં, કતારગામ ખાતે ગયા હતાં. બાદમાં કેનાનાં માતા-પિતા આશિષભાઇનાં સામેના મકાનમાં રહેતા તેમના પડોશીના ઘરે દિવાબત્તી કરવા માટે લઇ ગયા હતાં. જ્યાંથી કેના અને ઋષિ બહાર નીકળ્યા એટલે સુતરીયા દંપતીએ દીકરી કેનાને બળજબરીથી ખેંચી લીફટ તરફ ધસડવા માંડ્યા હતાં. ઋષિએ રોકવાનો પ્રયાસ કર્યો તો કેનાના માતા-પિતા તથા અન્યોએ તેની સાથે ઝપાઝપી કરી, ધક્કો મારી પાડી દીધો હતો. તેઓ કેનાને તેની મરજી વિરુદ્ધ અપહરણ કરી લઇ ગયા હતાં. ત્યારબાદ ઋષિને આશિષ સુતરીયાના ઘરમાં ખેંચી જવાયો હતો. તેનો મોબાઈલ છીનવી લીધા બાદ માર મારવા અને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ હતી. માહોલ ગરમાતા ઋષિની માતાએ કેનાની ફોઇને આજીજી કરતા છેવટે તેઓને મુક્ત કરાયા હતાં. સાસરીયાઓની ચૂંગાલમાંથી છૂટેલો ઋષિ પોલીસ મથકને પહોંચ્યો અને પત્ની કેના પટેલનાં અપહરણ અંગે ગુનો નોંધાવ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, મે 2026
2178 |
અશાંતધારા વિસ્તારની મિલકત તબદિલીની ૫૦૦ ફાઇલ નકારાત્મક અભિપ્રાય સાથે મોકલી આપવા સૂચના
ગુજરાત વિધાનસભામાં અશાંતધારાનો સંવેદનશીલ મુદ્દો ઉઠાવનાર ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રાણાએ આજે પોલીસ કમિશનરની સંકલન બેઠકમાં ફરી એકવાર હિન્દુ મિલકતોની તબદિલીમાં પોલીસ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા બાબતે ફરિયાદ કરી હતી. અશાંતધારા વિસ્તારની હિન્દુ મિલકતોની તબદિલીની ૫૦૦ જેટલી ફાઇલો પેન્ડિંગ છે તે તમામ ફાઇલો નકારાત્મક અભિપ્રાય સાથે કલેક્ટરેટને મોકલી આપવા પોલીસ કમિશનરે સુચના આપી હોવાનું ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું.સુરત શહેરમાં અશાંતધારા કાયદા હેઠળ આવરી લેવામાં આવેલા વિસ્તારમાં પોલીસ વિભાગ તેમજ કલેક્ટરેટનાં અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરીને હિન્દુ મિલકતો વિધર્મીઓને તબદિલ કરી આપવાની અરજી મંજૂર કરી દેતાં હોવાનો ગંભીર આરોપ અરવિંદ રાણાએ લગાવીને વિધાનસભામાં વિગતવાર રજૂઆત કરી હતી. અશાંતધારા વિસ્તારમાંથી હિન્દુ પરિવારો સામૂહિક હિજરત કરવા મજબુર બન્યાં હોવાનું જણાવતાં અરવિંદ રાણાએ કહ્યું હતું કે, ધારાસભ્યો અને પોલીસ કમિશનરની આજે મળેલી સંકલન બેઠકમાં આ મુદ્દે વિશદ ચર્ચા થઇ હતી. જ્યારથી કાયદો અમલમાં આવ્યો ત્યારથી અત્યારસુધી ૩૭ મિલકતોને તબદિલીની મંજૂરી આપવામાં આવી છે જેને કારણે હિન્દુ પરિવારો હવે સામે ચાલીને પોતાની મિલકતો વિધર્મીઓને સરન્ડર કરી હિજરત કરી જવા ઇચ્છી રહ્યાં છે. હિન્દુ પરિવારોની સામૂહિક હિજરત માટે પોલીસ તંત્ર અને કલેક્ટરેટનાં અધિકારીઓની ભૂંડી ભૂમિકા હોવાનો આક્ષેપ કરતાં અરવિંદ રાણાએ પોલીસ કમિશનરે કહ્યું હતું કે, હજુ પણ ૫૦૦ જેટલી મિલકતોની તબદિલીની ફાઇલો પેન્ડિંગ છે જેનો નિકાલ કરવામાં નથી આવ્યો જેથી હિન્દુ પરિવારો પલાયન કરવા મજબુર બની રહ્યાં છે. આ રજૂઆત સાંભળીને પોલીસ કમિશનરે સંબંધિત પોલીસ અધિકારીઓને હિન્દુઓની મિલકત તબદિલીની આ તમામ પેન્ડિંગ ફાઇલોમાં નકારાત્મક અભિપ્રાય આપીને નિકાલ કરવા સુચના આપી હોવાનું ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું. આ ઉપરાંત મસ્જિદની બાજુમાં હિન્દુ મિલકત હોવાનું દર્શાવીને તબદિલીની મંજૂરી આપવામાં આવી હતી તે કેસમાં પણ રીવ્યુ કરવાનું કમિશનરે કહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. શહેરમાં જમીનમાંથી કરોડોની પાણી ચોરી કરતા ભૂમાફિયા સામે સંદીપ દેસાઈ અને મનુ પટેલની ઉગ્ર રજૂઆત ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરત શહેરમાં ભુમાફિયાઓનાં વધી ગયેલાં આતંક સામે પગલાં લેવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરત શહેરમાં જમીનમાંથી ગેરકાયદેસર પાણી ચોરી કરતા ભુમાફિયાઓ વધી રહ્યા છે. હાલમાં સુરત શહેરનાં વેસુ, ખજોદ, પાંડેસરા, સચિન, ઉધના, ડીંડોલી સહિત શહેરના મોટાભાગનાં વિસ્તારોમાં કેટલાક લોકો નહેરની બાજુમાં બોરિંગ કરી અને કેટલાક લોકો જમીનમાં બોરિંગ કરી કરોડો રૂપિયાનું પાણી ચોરી કરવામાં આવી રહ્યું છે. આ પાણી ચોરી કરવાને કારણે કેટલોક પાણીનો જથ્થો વહીને રસ્તા પર વહે છે. જેના કારણે અકસ્માતોનાં બનાવો પણ બનતા રહે છે. જેથી આ તમામ ભુમાફિયા સામે પગલાં લેવાની તેઓએ માંગ કરી છે. આ ઉપરાંત તેઓએ હજીરા, ઈચ્છાપોર હાઇવે પર રસ્તા પર કેટલાક મોટા પ્રમાણમાં વાહન ચાલકો દ્વારા આડેધડ વાહનો પાર્કિંગ કરવામાં આવે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે અને અકસ્માતોની બનાવો પણ વધે છે. આ ઉપરાંત તેઓએ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન નવું બનાવવા માટે પણ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. ધારાસભ્ય મનુ પટેલે પણ ભૂમાફિયાઓ સામે હૈયા વરાળ ઠાલવી હતી. તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં એક તરફ સરકાર જમીનની અંદર પાણી ઉતારવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે બીજી તરફ શહેરમાં ભૂમાફિયાઓ જમીનમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરી તેનો વેપલો કરી રહ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી માફિયાઓ પાણી ચોરી કરી શહેરના પાંડેસરા વિસ્તારમાં ધમધમતા ઇન્ડસ્ટ્રીયલને પાણી વેચાણ કરી કોમશિર્યલ વેપાર કરે છે. જેથી આવા ભૂમાફિયાઓ સામે પગલા લેવાની માંગ કરી છે. આ ઉપરાંત તેઓએ શહેરમાં પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વર મહાદેવ મંદિર તથા પોલીસ કોલોની પાસે થતા ટ્રાફિકનું નિરાકરણ કરવા માટે રજૂઆત કરી હતી. આ તમામ વિસ્તારમાં રહેલા સવિર્સ રોડ પરનાં દબાણોને દૂર કરી સવિર્સ રોડ ખુલ્લા કરવા માટે પણ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. ધારાસભ્ય વિનુ મોરડિયાએ કતારગામ અને વેડરોડ વિસ્તારમાં થતા રસ્તા પરના દબાણો દૂર કરી ટ્રાફિકનાં પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પોલીસ કમિશનરને રજુઆત કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, મે 2026
3663 |
કાપડ ઉદ્યોગની નિકાસ તળિયે, નૂર ભાડામાં ૫૦ ટકાનો વધારો ઓર્ડરો સ્થગિત
પશ્ચિમ એશિયામાં વધતા જતા યુદ્ધનો તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ આસપાસ ઉભી થયેલી અનિશ્ચિતતાએ હવે સુરતના કાપડ અને ગારમેન્ટ ઉદ્યોગને સીધી અસર પહોંચાડવાની શરૂઆત કરી છે. યુદ્ધની બેધારી તલવાર જેવી અસર સુરતનાં કાપડ માર્કેટ પર થઇ છે. પહેલી અસર એવી છે કે યુદ્ધને કારણે ક્રુડનાં ભાવો આસમાને પહોંચતા સુરતનાં વણકરો (વીવર્સ) જેમાંથી કાપડ બનાવે છે એ યાર્ન અને તેના બેઝિક રો-મટીરિયલ્સનાં ભાવ આસમાને પહોંચ્યા છે જેને લઇને કાપડ મોંઘુ થયું છે જ્યારે બીજી અસર સુરતથી એક્સપોર્ટ થતાં ફેબ્રિક તેમજ ગારમેન્ટ્સની નિકાસ તળિયે બેસી ગઇ છે. સુરતમાંથી યુએઇ મારફતે યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વનાં દેશોમાં ફેબ્રિક તેમજ રેડીમેઇડ ગારમેન્ટ્સની નિકાસ કરતા ૭૫૦થી વધુ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ કમ એક્સપોર્ટર્સ વધતા લોજિસ્ટિક્સ ખર્ચ, કન્ટેનર વિલંબ અને ઓર્ડર હોલ્ડ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.ટેક્સ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોનાં જણાવ્યા મુજબ, હાલ જહાજાેને હોર્મુઝ સ્ટ્રેટનાં જાેખમને કારણે આફ્રિકા તરફથી લાંબા રૂટ દ્વારા યુરોપ અને અમેરિકાનાં બજારો સુધી મોકલવામાં આવી રહ્યા છે. જેના કારણે ટ્રાન્ઝિટ સમય ૨૦થી ૨૫ દિવસ સુધી વધી ગયો છે. સાથે જ કન્ટેઇનર નૂર દરમાં ૪૦થી ૫૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે, સુરતનાં મોટાભાગનાં ગારમેન્ટ એક્સપોર્ટર્સ યુએઇને ટ્રાન્ઝિટ હબ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. ત્યાંથી યુરોપ અને આફ્રિકાનાં વિવિધ દેશોમાં માલ પહોંચાડવામાં આવતો હતો. પરંતુ હાલની પરિસ્થિતિમાં દુબઇ અને આસપાસના બંદરો પર કન્ટેનર ક્લિયરન્સમાં વિલંબ થવાથી અનેક ઓર્ડર હોલ્ડ પર મુકાયા છે.સ્થાનિક ઉદ્યોગકાર અને નિકાસકાર ચિંતન ખેતાનનાં જણાવ્યા મુજબ, હોર્મુઝ સ્ટ્રેટની અનિશ્ચિતતાને કારણે જહાજાેને લાંબા રૂટથી જવું પડી રહ્યું છે. જેના કારણે કન્ટેઇનર ડિલિવરીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. અનેક આંતરરાષ્ટ્રીય ખરીદદારો હાલ નવા ઓર્ડર મૂકવામાં સાવચેત બની ગયા છે. પરિણામે ટેક્સ્ટાઈલ અને ગારમેન્ટ એક્સપોર્ટ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત બન્યો છે. ટેક્સ્ટાઇલ મેન્યુફેક્ચરર આશિષ ગુજરાતીનું કહેવું છે કે ઉદ્યોગ પર માત્ર શિપિંગ ખર્ચનો જ નહીં પરંતુ કાચા માલનાં ભાવવધારાનો પણ સીધો પ્રભાવ પડી રહ્યો છે. કાચા તેલના ભાવમાં વધારાને કારણે પોલીએસ્ટર યાર્ન, સ્ઈય્ અને ઁ્છ જેવા ઇનપુટ્સનાં ખર્ચમાં વધારો થયો છે. સાથે જ રંગકામ, કેમિકલ્સ, પેકેજિંગ અને મજૂરી ખર્ચમાં પણ વધારો નોંધાયો છે.સુરતનાં વીવિંગ અને પ્રોસેસિંગ ઉદ્યોગકારોનું કહેવું છે કે, કાચા કપાસનાં ભાવમાં પણ લગભગ ૩૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. જેના કારણે ગ્રે ફેબ્રિકથી લઇને ફિનિશ્ડ ગારમેન્ટ સુધીનાં ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ખરીદદારો ઊંચા ભાવ સ્વીકારવા તૈયાર ન હોવાથી માર્જિન પર ભારે દબાણ સર્જાયું છે. ઉદ્યોગકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ યાર્નનાં બેઝિક રો-મટીરિયલ તેમજ જુદા જુદા પ્રકારનાં યાર્નની આયાત પર વસૂલાતી ઇમ્પોર્ટ ડ્યૂટી ઝીરો કરવાની માંગ પણ ફરી ઉઠાવી છે. ઉદ્યોગનું કહેવું છે કે, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા સ્પર્ધી દેશોને આંતરરાષ્ટ્રીય સ્તરે સસ્તા ઇનપુટ્સ ઉપલબ્ધ થાય છે, જ્યારે ભારતીય ઉત્પાદકોને ઊંચી આયાત જકાત ચૂકવવી પડે છે. જેના કારણે વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે. સુરત ટેક્સ્ટાઈલ માર્કેટનાં વેપારીઓનાં મતે, જાે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો આવનારા મહિનાઓમાં નિકાસ ઓર્ડરમાં વધુ ઘટાડો, પ્રોડક્શન કટ અને રોજગારી પર પણ અસર જાેવા મળી શકે છે. હાલમાં અનેક એક્સપોર્ટર્સ નવા ઓર્ડર લેતા પહેલા શિપિંગ પરિસ્થિતિ અને ફ્રેઇટ રેટ પર નજર રાખી રહ્યાં છે.બાંગ્લાદેશ-વિયેતનામ સામે ભારતીય ઉદ્યોગ નબળો કેમ? બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોમાં કાચા માલ પર ઓછી અથવા ઝીરો ઇમ્પોર્ટ ડ્યૂટી હોવાથી ત્યાંના ઉત્પાદકોને સસ્તા બેઝિક રો-મટીરિયલ મળી રહે છે. આથી તેમના કાપડ ઉત્પાદનનું કોસ્ટીંગ સુરતનાં વીવિંગ ઉદ્યોગકારો જેટલું ઉંચું નથી આવતું. જ્યારે સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં કાપડ ઉત્પાદક વીવિંગ કારખાનેદારોને અનેક ઇનપુટ્સ, બેઝિક રો-મટીરિયલ્સ પર ઇમ્પોર્ટ ડ્યૂટી ચૂકવવી પડે છે. જેના કારણે વૈશ્વિક બજારમાં ભાવ સ્પર્ધા મુશ્કેલ બની રહી છે. હજુ તો કેન્દ્ર સરકાર કેટલાક યાર્નની આયાત પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાની હિલચાલ કરી રહ્યાની ફરીયાદો પણ ઇન્ડસ્ટ્રીઝમાંથી સાંભળવા મળી રહી છે. રોજગારી પર પણ અસર પડી શકે છે સુરતનો ટેક્સ્ટાઈલ અને ગારમેન્ટ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે. જાે નિકાસ ઓર્ડરમાં સતત ઘટાડો રહેશે તો વીવિંગ, પ્રોસેસિંગ, ડાઇંગ અને ગારમેન્ટ યુનિટ્સમાં પ્રોડક્શન કટ થવાની શક્યતા વધી શકે છે. જેના કારણે મજૂરો અને નાના યુનિટ્સ પર સૌથી વધુ અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...