ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 3762   |  
૧૫૦૦ રૂપિયા બાબતે મિત્ર સાથે કરેલી માથાકૂટ બાબતે ચપ્પુનાં ઘા મારી કિશોરની ઘાતકી હત્યા

પૈસા બાબતે મિત્ર સાથે માથાકૂટ કરનારને સમજાવવા તેના ઘરે ગયેલા કિશોરને છાતીમાં ચપ્પુનો ઘા ઝીંકી હત્યા કરાયાનો બનાવ પાંડેસરામાં બન્યો હતો.  પોલીસ પાસે મળતી માહિતી અનુસાર હરિઓમનગરમાં સંતોષ રામગોપાલ ગુપ્તા તેના પરિવાર સાથે રહે છે. મધ્યપ્રદેશનાં રિવા જિલ્લાનો વતની સંતોષ દેવકીનંદન સ્કુલ પાસે નાસ્તાની લારી ચલાવે છે. તેમને સંતાનમાં બે દિકરા અને બે દીકરી છે. ત્રણ નંબરનો દિકરો દેવા ગુપ્તા પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલી બી. જી. મિશ્રા સ્કુલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. ૨૦મી તારીખે સાંજે સાડા ચારેક વાગ્યાનાં અરસામાં દેવાનો મિત્ર સાહિલ પત્રકાર કોલોની પાસે શેરડીનો રસ પીતા હતા. એ સમયે હેપ્પીનો પરિચિત આદર્શ ઉર્ફે બટકો ત્યાં આવ્યો હતો. તેણે મને તને તેરેનામ ચોકડી પર છોડી દો એમ રહેતા હેપ્પીએ હા પાડી હતી. એ સમયે હેપ્પીના મોટર સાયકલ આદર્શે હંકારી અને અને તેઓને ડિ માર્ટની સામે આવેલા નાકોડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે લઈ ગયો હતો. જ્યાં આદર્શના અન્ય મિત્રો પણ હાજર હતાં.ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આદર્શે તેના મિત્રોને કહ્યું હતું કે આ હેપ્પી મારા પૈસા આપતો નથી, જેથી તેના મિત્રો હેપ્પીને પૈસા પરત કરવા કહી ધાક ધમકી આપવા માંડ્યા હતાં. દરમિયાન આદર્શે મોટર સાયકલની ચાવી લઇ લીધી હતી. લાંબી માથાકૂટ બાદ આદર્શે ચાવી પરત કરતાં હેપ્પી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં રાત્રે સાડા દસેક વાગ્યાનાં અરસામાં હેપ્પી, દેવા અને અરવિંદ હાઉસિંગમાં આવેલી વિધાયક નામની ચાની દુકાન પર બેઠા હતાં. એ સમયે હેપ્પીએ દેવાને બપોરે આદર્શ સાથે થયેલી માથાકૂટની વાત કરી હતી. આ સાંભળી દેવાએ આપણે આદર્શના ઘરે જઈ તેના માતા પિતાને જાણ કરીએ એમ કહ્યું અને પછી ત્રણેય જણા આદર્શના ઘરે ગયા હતાં. ઘરે ટેરેસ પર સૂતેલા આદર્શ અને તેની માતાને આ મિત્રોએ જગાડ્યા હતાં. તેઓને નીચે લાવી હેપ્પીએ તેની સાથે બનેલા બનાવ બનાવ અંગે માતાને વાત કરવા માંડી હતી. આ દરમિયાન આદર્શ બટકો ગુસ્સે ભરાયો અને ગાળા ગાળી કરવા માંડ્યો હતો. હેપ્પી અને દેવાએ લડાઈ ઝઘડો નહીં કરી શાંતિથી વાત કરવા કહ્યું હતું.જાે કે, આદર્શે હેપ્પી અને દેવાને ઢીકમુક્કીનો માર મારવા માંડ્યો તો તેની માતાએ વચ્ચે પડી છોડાવ્યા હતાં. એવામાં આદર્શ ઘરમાં દોડી ગયો અને ચપ્પુ જેનું તિક્ષ્ણ હથિયાર લાવી દેવાને છાતીના ભાગે ઘા મારી દીધો હતો. દેવો લોહીલુહાણ થઇ જતાં આદર્શ અને તેની માતા ઘરમાં જતાં રહ્યા અને દરવાજાે બંધ કરી દીધો હતો. જ્યારે હેપ્પી અને અરવિંદ મોટર સાયકલ પર બેસાડી દેવા ને સિવિલ લઇ ગયા હતાં. જ્યાં તબીબોએ ગંભીર અવસ્થામાં તેની સારવાર શરૂ કરી હતી. દરમિયાન હુમલાની જાણ થતાં દેવાના માતા-પિતા સિવિલ દોડી આવ્યા હતાં. તેઓ તેને વધું સારવાર માટે યુનિક હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 2673   |  
રાજકોટમાં સગીરા પર ગેંગરેપના કેસમાં બે સગીર સહિત પાંચ આરોપી ઝડપાયા

રાજકોટમાં રહેતી એક ૧૪ વર્ષની સગીરા સાથે થયેલ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે તેની સગીર વયની સહેલી અને એક સગીર આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર ત્રણ શખસોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ એસીપી વી.બી. જાડેજાના જણાવ્યા અનુસાર સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધી એક સગીર, તેમજ ફરિયાદીની સગીર વયની સહેલી ઉપરાંત અન્ય ત્રણ આરોપી મિહિર કુગશીયા, ધવલ રાઠોડ, અને સાહિલ ઉર્ફે ઝેરીની ધરપકડ કરી બાકીના ફરાર ૩ આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા તપાસના કામે આરોપીઓ દ્વારા જે કારમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે સ્વીફ્ટ કાર પણ કબજે કરવામાં આવી છે. પકડાયેલ આરોપી પૈકી ધવલ રાઠોડ ટ્રાફિક શાખામાં વોર્ડન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે મિહિર કુગશીયા અગાઉ ૬ વખત નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. આ વખતે પણ આરોપીએ બસપોર્ટ નજીક સગીરાને હોટલમાં લઈ જઈ પોતાની ઓળખ પોલીસ તરીકે જ આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 2772   |  
ઈંધણ સાથે હવે ખાદ્યતેલના પણ ભાવ વધ્યાં, ડબ્બે ૧૦ રૂપિયાનો વધારો

જનતા પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. વાસ્તવમાં મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડતી અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્યતેલોના ભાવમાં પણ સતત વધારો જાેવા મળી રહ્યો છે. રાજકોટના તેલ બજારમાં આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે, જેના કારણે ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે. બજારના વેપારીઓના જણાવ્યા મુજબ, સિંગતેલના ડબ્બામાં આજે વધુ રૂ.૧૦નો વધારો થતાં ભાવ રૂ.૨૮૦૦ સુધી પહોંચી ગયો છે. સાથે જ અન્ય ખાદ્યતેલોમાં પણ તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. કપાસિયા તેલનો ડબ્બો રૂ.૨૬૬૦ સુધી પહોંચી ગયો છે, જ્યારે પામોલીન તેલમાં પણ સતત વધારો ચાલુ રહેતાં તેના ભાવ રૂ.૨૪૧૫ની આસપાસ પહોંચ્યા છે. આ તરફ વેપારીઓનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતા અને સપ્લાયમાં આવેલી અડચણો આ ભાવવધારા માટે મુખ્ય કારણ બની રહી છે. ખાસ કરીને યુધ્ધ વિસ્તારમાં વધેલા તણાવ અને દરિયાઈ માર્ગોમાં આવેલી મુશ્કેલીઓના કારણે આયાતી માલની અવરજવર પ્રભાવિત થઈ રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 2574   |  
વેરાવળમાં ધોળા દિવસે જાહેરમાં માથામાં ગોળી મારી યુવકની હત્યા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આવેલી સ્કૂલ પાસે મૌલાના સહિત ચાર લોકોએ તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી મારી હત્યા કરાઇ હતી.તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની ઉર્ફે જાવેદ વાંદરી અને તેમના ભત્રીજાને આજે બપોરે સોમનાથ ટોકીઝ નજીક ગોળી મારવામાં આવી હતી. આ હુમલો કરીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલામાં માથામાં ગોળી વાગતા જાવેદ તાજવાની લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા જ્યારે સાથી ભત્રીજાે પણ ઈજાગ્રસ્ત થયો છે.ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તાજવાનીને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને જાેતા વધુ સારવાર અર્થે જુનાગઢ ખાતે રિફર કરાયા હતા જ્યાં મોડી રાત્રે જાવેદ તાજવાનીનું મોત નીપજ્યું હતું. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, ત્યાંથી એક મોપેડ અને એક બાઈક મળી આવ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, મે 2026 3267   |  
ડીઝલની અછત: ખાનગી બસોના રૂટમાં ધરખમ ઘટાડો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઘર્ષણની સ્થિતિની ગુજરાતને અસર પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ડીઝલની અછત વર્તાઈ રહી છે. ગઈકાલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા ઉપમુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. જાે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન થાય તો રાજ્યમાં ૧૨ લાખ ટ્રકોના પૈડાં થંભી જશે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં ખાનગી બસ ઓપરેટરો (ટ્રાવેલ્સ)ને પણ હાલત ખરાબ થતી જાેવા મળી રહી છે. ડીઝલની અછતના કરને રાજ્યના અનેક ખાનગી બસ સંચાલકો દ્વારા બસોના રૂટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જેના કારણે સૌરાષ્ટ્રના અનેક ખાનગી બસ ઓપરેટરો દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા રૂટો પર બસોની સંખ્યામાં ઘટાડો કરી દેવાયો છે. અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ અને વૈશ્વિક સંકટની સ્થિતિને જાેતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલમાં અછત વર્તાઈ રહી છે જેના કારણે રાજ્યના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યના ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે, હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ કફોડી બની છે. હાઈવેના મોટાભાગના પેટ્રોલપંપો જાણે બંધ અવસ્થામાં છે જ્યાં પાટિયા લાગ્યાં છેકે, ડીઝલનો જથ્થો નથી. ડીઝલ માટે ટ્રકચાલકોને આમથી તેમ ભટકવું પડે છે. મહત્ત્વની વાત તો એ છે કે, પેટ્રોલ પંપો પર મર્યાદિત લિટર જ ડીઝલ આપવામાં આવે છે જેથી દૂરના અંતરમાં જતાં ટ્રકચાલકો અટવાઈ જાય તેવી સ્થિતિ પરિણમી છે. ડીઝલ વિના માલસામાનની હેરફેર કરતા ટ્રકચાલકો અટવાઈ પડયા છે. અપૂરતા ડીઝલને લીધે માલસામાનની સમયસર ડિલિવરી પણ થઇ શકતી નથી પરિણામે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વ્યાપક અસર પહોંચી છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી સ્થિતિ થઈ છે. ત્યારે રાજ્યના અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા ગઈકાલે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, એક તરફ મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ડીઝલની અછતને પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગે તેવી સ્થિતિમાં મુકાઈ ગયો છે. જાે આ પરિસ્થિતિ યથાવત્ રહી તો, ગુજરાતમાં ૧૨ લાખ ટ્રકોના પૈડા થંભી જશે તેવી સ્થિતિનું નિર્માણ થાય તે દૂર નથી. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ થશે તો લાખો લોકોની રોજીરોટી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ટ્રકોની અવરજવર અટકશે તો શાકભાજીથી માંડીને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચે તેમ છે. આ જાેતાં ઈધણની અછત દૂર કરવા અને મંદીમાં રહેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવા માટે તાકીદે રજૂઆત કરવામાં આવી છે.કચ્છ સહિત હાઈવે પર ટ્રકોની લાંબી કતારો રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત ગંભીર બની રહી છે જેના કારણે કચ્છ સહિત વિવિધ હાઈવે પર ટ્રકોની લાંબી કતારો જાેવા મળી રહી છે અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ રહી છે. ટ્રાન્સપોર્ટ સંગઠનોનું કહેવું છે કે ટ્રક ચાલકોને કલાકો સુધી ઈંધણ માટે રાહ જાેવી પડે છે, જેના કારણે માલ પરિવહન અને વેપાર-ઉદ્યોગ પર સીધી અસર થઈ રહી છે.અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનના અધ્યક્ષ વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે હાલની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પુરવઠા મંત્રીનું ધ્યાન દોરાયું છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત વધુ ગંભીર છે. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં સરકાર સમક્ષ સત્તાવાર રજૂઆત કરીને તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવશે.કચ્છ સહિત રાજ્યના ટ્રાન્સપોર્ટ સંગઠનોની ગાંધીધામ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ર્નિણય લેવાયો કે જાે ટૂંક સમયમાં ડીઝલ સપ્લાય સામાન્ય નહીં બને તો ૧ જૂન, ૨૦૨૬થી તમામ ટ્રાન્સપોર્ટ વાહનો અને મશીનરી સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે. સ ઓઈલ કંપનીઓ અને વહીવટી તંત્ર સાથે તાત્કાલિક બેઠક કરવાની પણ માંગ ઉઠી છે.ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ હરીશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે કલેક્ટરને રજૂઆત બાદ અમને ૨ દિવસમાં જવાબ આપવાની ખાતરી આપવામાં આવી છે. કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરીને ઉકેલ લાવવાની વાત થઈ છે. હાલ અમને માત્ર ૫૦ લિટર ડીઝલ આપવામાં આવે છે, જ્યારે ઓછામાં ઓછું ૨૦૦ લિટર મળવું જાેઈએ. અડધો દિવસ તો ડીઝલ માટેની લાઈનમાં જ નીકળી જાય છે અને લાઈનમાં ઊભા રહીએ ત્યારે પણ ડીઝલ બળી જાય છે.તેમણે વધુમાં જણાવ્યું કે હાલ ૫૦ ટકા ગાડીઓ બંધ જેવી સ્થિતિમાં છે. પહેલા એક દિવસમાં બે ટ્રિપ થતી હતી, હવે બે દિવસમાં એક ટ્રિપ પણ થઈ શકતી નથી. ડ્રાઈવરો પણ કંટાળી રહ્યા છે. જાે સ્થિતિ નહીં સુધરે તો સમગ્ર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઠપ થઈ જશે.ડીઝલની અછતને કારણે કચ્છના પોર્ટ વિસ્તારમાં પણ ચિંતા વધી રહી છે. ટ્રાન્સપોર્ટ સંગઠનોએ ચેતવણી આપી છે કે જાે ટૂંક સમયમાં ડીઝલ પુરવઠો સામાન્ય નહીં બને તો કચ્છ જિલ્લાના તમામ પોર્ટ પર ટ્રક મારફતે થતું લોડિંગ અને અનલોડિંગ કાર્ય બંધ કરી દેવામાં આવશે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેના કારણે માલવાહક વાહનોના સંચાલન પર ગંભીર અસર થઈ રહી છે.ડીઝલની અછત ઉપરાંત ટ્રાન્સપોર્ટરોમાં ઓનલાઈન ચલણની વધતી સંખ્યા, ગાંધીધામમાં યોજાયેલી બેઠકમાં આ તમામ મુદ્દાઓને લઈને આગામી આંદોલનની રણનીતિ અંગે ચર્ચા થઈ.અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી બળવંતસિંહ ચૌધરીએ જણાવ્યું કે છેલ્લા બે દિવસથી ડીઝલની ભારે અછત છે.સરકારના ઇંધણની અછત નહીંના દાવા સામે સવાલ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પૂરતો જથ્થો હોવાનો ભલે દાવો કરવામાં આવે પણ ગુજરાતમાં ડિઝલની અછતની સમસ્યા વધુને વધુ વકરી રહી છે જેના લીધે ટ્રાન્સપોર્ટરોને મોટા આર્થિક નુકસાન થાય તેવી ભીતિ છે.રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. સાથે સાથે ડીઝલની સર્જાયેલી અછતને કારણે વાહન વ્યવહાર પર અસર જાેવા મળી રહી છે. ખાનગી બસોની સેવાઓ ખોરંભે પડી રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ન મળવાથી રાજ્યના ખાનગી બસ સંચાલકો (ટ્રાવેલ્સ ઓપરેટરો)ની બસ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. આ સ્થિતિના કારણે અનેક ખાનગી બસ સંચાલકો (ટ્રાવેલ્સ ઓપરેટરો) એ બસોના રૂટ ઘટાડી દીધાં છે. એવી માહિતી પણ સામે આવી છે કે, ખાનગી બસોના સંચાલનમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ખાનગી બસ સંચાલકોનું કહેવું છે કે, ડીઝલના અપૂરતા જથ્થા અને પુરવઠામાં અનિયમિતતાને લીધે ખાનગી લક્ઝરી બસો દોડાવવી ઘણી મુશ્કેલ બની રહી છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 6732   |  
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.  સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ.   ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે.  PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો.   અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 5643   |  
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ

વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે.    સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, મે 2026 7524   |  
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 5742   |  
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 9009   |  
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે. 


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, મે 2026 2079   |  
તલાટી, ક્લાર્ક, સ્ટાફ નર્સ સહિતના કર્મચારીઓની નવી નિમણૂક કરાઇ

રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે ૨૨ મે ૨૦૨૬ના રોજ મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. જેમાં ૧૧૧ કર્મચારીઓની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. આ બદલીમાં તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ અને ગ્રામસેવક સહિતના વિવિધ કેડરના કર્મચારીઓનો સમાવેશ થાય છે.આદેશ અનુસાર, ડાંગ, ખેડા, રાજકોટ, નવસારી, મહીસાગર, આણંદ, દાહોદ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, ભરુચ, વડોદરા, તાપી અને સુરત જેવા જિલ્લાઓના કર્મચારીઓને અન્ય જિલ્લાઓમાં બદલી આપવામાં આવી છે. કેટલાક કર્મચારીઓને ગાંધીનગર, વલસાડ, મોરબી, પંચમહાલ, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં નવી નિમણૂક આપવામાં આવી છે. આંતર જિલ્લા બદલીની પ્રક્રિયા અગાઉ જાહેર કરાયેલા ઠરાવો અને નિયમોને આધારે હાથ ધરવામાં આવી છે. બદલાયેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવા જિલ્લામાં હાજર થવાનું રહેશે સચિવાલયના જાહેર કરાયેલા આદેશમાં સ્પષ્ટ કરાયું છે.આદેશમાં વધુમાં જણાવાયું છે કે જે કર્મચારીઓ હાલમાં જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવી રહ્યા છે, તેમને રિલીવ કરવાની જવાબદારી સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓને સોંપવામાં આવી છે. બદલાયેલા કર્મચારીઓને પોતાના મૂળ જિલ્લાની જિલ્લા વિકાસ અધિકારીની મંજૂરી વિના ફરી પાછા મુકત કરી શકાશે નહીં.નવા જિલ્લામાં હાજર થયા બાદ, તમામ સર્વિસ રેકોર્ડ અને વહીવટી વિગતો સંબંધિત જિલ્લા કચેરીએ મોકલવાની રહેશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, મે 2026 1980   |  
ઓપરેશન મ્યુલ હન્ટ: ૬૩૧.૮૬ કરોડનું સાયબર ફ્રોડ આચરનારા ૧૩ ઝડપાયાં

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦ અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ અને રાજકોટમાંથી કુલ ૧૩ આરોપીઓને પકડી ૬૩૧.૮૬ કરોડ રૂપિયાથી વધુના સાયબર ફ્રોડના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાના માર્ગદર્શન હેઠળ ટીમે છેલ્લા ચાર દિવસમાં કુલ ચાર ગુના દાખલ કરી ૧૩ આરોપીઓને પકડ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ અલગ-અલગ પેઢીના નામે મ્યુલ બેંક એકાઉન્ટો ખોલાવી, તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી, રોકડ રૂપાંતર કર્યા અને આંગડિયા મારફતે નાણાં હેરફેર કર્યા હતા.આ ગુનાહિત નેટવર્ક પોર્ટલ પર ચકાસતા સમગ્ર દેશમાં ૯૮૨ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે, જેમાં ગુજરાતમાંથી ૭૭, મહારાષ્ટ્રમાંથી ૧૩૭, કર્ણાટકમાંથી ૧૨૬, ઉત્તરપ્રદેશમાંથી ૮૭, તમિલનાડુમાંથી ૮૩ સહિત કુલ ૨૦૦થી વધુ હ્લૈંઇ નોંધાઈ છે.તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ સૌરઠ ઓવર્સીસ, જેવી પેઢીઓના નામે બેંક ખાતા ખોલાવ્યા હતા. તેઓએ ટેલીગ્રામ ગ્રુપો અને બ્રિચ ડેટાબેઝમાંથી બેંક કસ્ટમર આઈ.ડી. મેળવી, લોકોને ક્રેડિટ કાર્ડ આપવાની લાલચ આપી, ઓટીપી મેળવી પાસવર્ડ બદલી, ખાતા હેક કરી નાણા કાઢી લીધા હતા.આ આરોપીઓએ કુલ ૪૫ બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો, જે પોર્ટલ પર ચકાસતા ૯૮૨ ફ્રોડ કેસો સાથે જાેડાયેલા હોવાનું જાણવા મળ્યું. આરોપીઓએ ઓનલાઈન ફાઇનાન્સિયલ ફ્રોડ, ઈન્ટરનેટ બેંકિંગ ફ્રોડ યુપીઆઈ ફ્રોડ, ઈન્વેસ્ટમેન્ટ અને ડિપોઝિટ ફ્રોડ જેવા ગુનાઓ આચર્યા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, મે 2026 1881   |  
રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાતના ચારેય ઉમેદવારો બિનહરીફ થશે

ગુજરાત સહિત ૧૦ રાજ્યની ૨૪ બેઠકો પર રાજ્યસભા ચૂંટણી જાહેર થઈ છે, તેમાં ગુજરાતની ૪ બેઠકનો સમાવેશ થયો છે. ગુજરાતની આ ૪ બેઠકો પૈકી ૩ બેઠક પર ભાજપના અને એક બેઠક પર કોંગ્રેસના સાંસદની આગામી તા. ૨૧ જૂનના રોજ સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. રાજ્યસભામાં ગુજરાતની બેઠક પર પ્રથમ વખત એવું જાેવા મળી રહ્યું છે કે, ઉમેદવારોના ક્વોટા મુજબ વિપક્ષ કોંગ્રેસ કે અન્ય પક્ષ પોતાનો ઉમેદવાર ઉતારી શકે તેમ નથી. જેથી કોંગ્રેસ આગામી રાજ્યસભાની ચાર બેઠક માટે પોતાનો ઉમેદવાર ઊભો રાખશે નહીં, તેવો ર્નિણય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા લેવાયો છે. રાજ્યસભામાં દર બે વર્ષે એક તૃતિયાંશ સભ્યો રિટાયર્ડ થતા હોય છે. હાલમાં રાજ્યસભામાં ગુજરાતની ૧૧ બેઠકો પર સાંસદો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ૧૧ બેઠકો પૈકી ૪ બેઠકો પરના સાંસદોની મુદ્દત આગામી તા. ૨૧ જૂનના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. જેને લઈને કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત ૧૦ રાજ્યની કુલ ૨૪ બેઠકો માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેના અંતર્ગત આગામી તા. ૧ જૂનના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા. ૮ જૂન ૨૦૨૬ છે. જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૯ જૂન ૨૦૨૬ના રોજ કરાશે. તો ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તા. ૧૧ જૂન ૨૦૨૬ રખાઇ છે. જ્યારે મતદાનની પ્રક્રિયા તા. ૧૮ જૂન ૨૦૨૬ને ગુરૂવારના રોજ સવારે ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે. તેમજ આ જ દિવસે એટલે કે, તા. ૧૮ જૂન ૨૦૨૬ના દિવસે સાંજે ૫ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે.રાજ્યસભામાં ગુજરાતમાંથી મુદત પૂર્ણ કરનારા સભ્યોમાં (૧) રામભાઈ હરજીભાઈ મોકરિયા, (૨) નરહરી હીરાભાઈ અમીન (૩) શક્તિસિંહ હરિચંદ્રસિંહ ગોહિલ અને રમીલા બેચરભાઈ બારાનો સમાવેશ થાય છે. ત્યારે આ વખતે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન થવાના બદલે ચારેય બેઠક ભાજપ તરફી બિનહરીફ થશે તેવું ચિત્ર જાેવા મળી રહ્યું છે. આમ તો રાજ્યસભામાં ગુજરાતની ચાર બેઠક માટેની ચૂંટણી સંખ્યાબળના આધારે સંપૂર્ણપણે ભાજપ તરફી જાેવા મળી રહ્યું છે, તેથી જ આ વખતે વિપક્ષ કોંગ્રેસની ઉમેદવારી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભામાં હાલ ૧૮૨ વિધાનસભા બેઠકો છે અને ચાર રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી આયોજિત થઈ રહી છે. ચાર બેઠકોમાં એક ઉમેરવાથી પાંચ થાય, આ પાંચ ઉમેદવાર માટે ૧૮૨ને ૫ વડે ભાગવાથી ૩૬.૪નો આંકડો આવે. આ ૩૬.૪ને પૂર્ણ સંખ્યાની રીતે જાેઈએ તો ૩૭ થાય. એટલે કે, રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠક માટેની ચૂંટણીમાં ચારેય ઉમેદવારને વ્યક્તિગત રીતે ૩૭ પ્રેફરન્સ વોટ મળવા જાેઈએ. વિપક્ષના ગૃહમાં વર્તમાન સ્થિતિ જાેકે હાલમાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસ પાસે ૧૨ ધારાસભ્ય છે તો આમ આદમી પાર્ટી-’આઆપ’ પાસે ૪ ધારાસભ્ય છે, ત્રણ અપક્ષ અને એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે. આમ કોંગ્રેસ, ‘આઆપ’ અને સપા ઉપરાંત ત્રણ અપક્ષ મળીને કુલ ૨૦ સભ્ય થાય છે. જેથી જાે કોંગ્રેસ કે ‘આઆપ’ને ઉમેદવાર ઊભો રાખવો હોય તો ઓછામાં ઓછા ૩૭ ધારાસભ્યોનું સંખ્યાબળ હોવું જરૂરી છે. જે કોંગ્રેસ, આઆપ અને સપા તેમજ અપક્ષ મળીને એટલા ધરસભયનું સંખ્યાબળ થતું નથી. જેના કારણે વિપક્ષ કોંગ્રેસ કે ‘આઆપ’ દ્વારા ઉમેદવાર ઊભો રાખવામાં આવે તો તે જીતે તેવી કોઈ સંભાવના કે શક્યતા જણાતી નથી. જેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા રાજ્યસભામાં ગુજરાતની ચાર બેઠકો માટેની ચૂંટણીમાં ઉમેદવાર ઊભો નહીં રાખવાનો ર્નિણય લેવાયો છે તે સ્વાભાવિક છે. આમ ગુજરાત વિધાનસભામાં ભાજપનું તેમજ વિપક્ષ કોંગ્રેસ, આઆપ સહિતનાનું સંખ્યાબળ જાેતાં રાજ્યસભામાં ગુજરાતની તમામ ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બને તેવું સ્પષ્ટ ચિત્ર જાેવા મળી રહ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, મે 2026 2277   |  
સેટેલાઇટની રત્નાકર ત્રણ બિલ્ડિંગની બી વિંગના ત્રીજા માળે એક મકાનમાં આગ,૧૫નું રેસ્ક્યૂ કરાયું

શહેરના સેટેલાઈટ વિસ્તારમાં જાેધપુર પ્રેરણા તીર્થ રોડ પર રત્નાકર-૩ બિલ્ડિંગની બી વિંગમાં આવેલા ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ ફ્લેટમાં રહેતા લોકો નીચે દોડી આવ્યા હતા. તેમજ બનાવની જાણ થતાં ફાયરવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી હતી. ૬ ગાડીએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.આગ બેડરૂમમાં લાગી હતી અને પ્રસરી હતી જેમાં ૩ રૂમ બળીને ખાક થઈ ગયા હતા. ફ્લેટના રહીશે કહ્યું કે છઝ્ર અને ચાર્જર ચાલું હોવાથી આગ લાગી હતી. ધુમાડાના કારણે ૧૫ લોકોને રેસ્ક્યુ કરાયા હતા.સેટેલાઈટ વિસ્તારના જાેધપુર પ્રેરણા તીર્થ રોડ પર આવેલી ‘રત્નાકર-૩’ બિલ્ડિંગની બી-વિંગમાં ત્રીજા માળ પર આવેલા એક ફ્લેટમાં અચાનક આગ લાગી હતી. જાેતજાેતામાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા જાેઈને ફ્લેટમાં તેમજ આસપાસ રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જીવ બચાવવા માટે બિલ્ડિંગના રહીશો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ૬ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક મોરચો સંભાળીને ચાર ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને સમયસૂચકતા વાપરીને આગને વધુ પ્રસરતી અટકાવી સંપૂર્ણ કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.અમદાવાદમાં સતત બીજા દિવસે આગની આ બીજી મોટી ઘટના છે. ગઈકાલે શુક્રવારે (૨૨મી મે) એસ.જી. હાઈવે પર આવેલી સોલિટેર બિલ્ડિંગના બી-વિંગના ત્રીજા માળે અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભયાવહ હતી કે તે ત્રીજા માળથી પ્રસરીને ચોથા અને પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી. વ્યાપારી હબ ગણાતી આ બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાના કારણે અંદર હાજર લોકોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, મે 2026 1782   |  
બ્લેકમેલ કરી સરસપુરમાં રહેતી યુવતી પર બે મિત્રોએ સામુહિક દુષ્કર્મ આચર્યું

શહેરમાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે, ૧૮ વર્ષીય યુવતીને બ્લેકમેલ કરીને બે મિત્રોએ અપહરણ કરી હોટલમાં લઈ જઈ સામુહિક દુષ્કર્મ ગુજારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે પોલીસે બે યુવકો સામે ગુનો દાખલ કરી તેઓને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડી છે. અમદાવાદનાં સરસપુર વિસ્તારમાં રહેતી અને ઘરકામ કરતી યુવતીએ આ મામલે શહેરકોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, આશરે પાંચ મહિના પહેલા યુવતી તેનાં ઘર પાસે રમતી હતી ત્યારે નજીકમાં રહેતા મીત મકવાણા અને તેની સાથે તેજસ નામનો યુવક તેની પાસે આવ્યો હતો. અને યુવતીને એક યુવક સાથે રીલેશનશીપમાં છે અને તેની સાથે ફરે છે તેની પોતાને જાણ છે તેમ કહ્યું હતું, બાદમાં આ વાત યુવતીના માતાપિતાને કહી દેવાની ધમકી આપી પોતાની સાથે આવા દબાણ કર્યું હતું.યુવતીએ બન્નેની સાથે જવાની ના પાડતા બન્નેએ યુવતીના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી યુવતીને પોતાની કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. બન્ન જણા યુવતીને લઈને નિકોલમાં આવેલી એક હોટલમાં લઈ ગયા હતા, જ્યાં વારાફરથી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું, જેનાં બે મહિના બાદ ફરી વાર મીત મકવાણા અને તેજસે યુવતીના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી નિકોલની હોટલમાં લઈ જઈ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. અંતે આ સમગ્ર મામલે યુવતીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મીત મકવાણા અને તેજસ નામનાં યુવકો સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, શહેર કોટડા પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ બન્ને આરોપીની શોધખોળ શરૂ કરી છે, તેવામાં આ કેસમાં આરોપી પકડાયા બાદ અનેક ખુલાસા થઈ શકે છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, મે 2026 2079   |  
જમીનનો દસ્તાવેજ કરવા આપેલા આઇડી પ્રુફથી બોગસ એકાઉન્ટ ખોલાવી પાંચ કરોડનું ટ્રાન્ઝેકશન

કામરેજ સ્થિત અવંતિકાપુરી સોસાયટીમાં રહેતા દિનેશ વસોયા કાપડનાં ધંધા સાથે સંકળાયેલા છે. તેઓ કીમનાં મોટા બોરાસરા ખાતે વર્ષા ટેક્સ નામથી પેઢી ચલાવે છે. સુરતમાં રિંગરોડ પર આવેલી જશ માર્કેટમાં દુકાન રાખી જરીનું કામ કરતા વિપુલ મનસુખ ભાદાણી સાથે તેમને વીસેક વર્ષથી ઓળખ પરિચય છે. વસોયાએ ધંધાકીય કામ અર્થે ભાદાણી પાસે પૈસા લીધા હતાં. જે તેઓ નિયત સમયમાં પરત ચૂકવી શક્યા ન હતાં.ગત ૨૦૨૨માં વસોયાએ આ લેણાં સામે તેમની રાજકોટમાં આવેલી એક એકર જમીન વરાછા ખાતે આવેલ સંતોકબા સોસાયટીમાં રહેતા વિપુલ ભાદાણીને લખી આપી હતી. ૨૦૨૨માં જ રાજકોટ ખાતે એક જમીનનો દસ્તાવેજ કરવા માટે દિનેશ વસોયાએ વિપુલ ભાદાણીને પોતાના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. આ ડોક્યુમેન્ટ્સનાં માધ્યમથી વિપુલ ભાદાણીએ ઉધના ખાતે આવેલ સ્મોલ ફાયનાન્સ બેંક, અડાજણ ખાતે આવેલ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને વરાછાની આઈડીએફસી તથા રિંગરોડની બંધન બેંકમાં ખોટી સહી કરીને એકાઉન્ટ્સ ખોલાવી દીધા હતા. વિપુલ ભાદાણીએ દિનેશ વસોયાના પાન કાર્ડની સહીમાં પણ સુધારો કરીને બેંકમાં પાનકાર્ડની નકલ રજુ કરી હતી. આ તમામ બેંક એકાઉન્ટમાં એક વર્ષ દરમિયાન આરોપીએ અંદાજે પાંચ કરોડ રૂપિયાનાં આર્થિક વ્યવહાર કરી દેતાં દિનેશ વસોયા ચોંકી ઉઠ્યા હતા. આ સંદર્ભે તેઓએ તપાસ કરતાં તમામ બેંકનાં કર્મચારીઓ દ્વારા પણ યોગ્ય કેવાયસી કે ખરાઈ કર્યા વિના જ ખાતા ખોલી દેવામાં આવ્યાનું જણાઇ આવ્યું હતું. એટલું જ નહીં તેઓએ બેંકમાં જઈ સ્ટેટમેન્ટ માગ્યા ત્યારે અધિકારી કર્મચારીઓએ સહકાર આપ્યો ન હતો. તેઓ બેંકમાં પહોંચ્યા અને ગણતરીના મિનિટોમાં જ વિપુલ ભાદાણીએ તેમને કોલ કરી આ એકાઉન્ટ પોતે ખોલાવ્યા હોવાની કબૂલાત કરી હતી. ડોક્યૂમેન્ટમાં ચેડા કરી, ખોટીઓ કરીને ખોટી રીતે એકાઉન્ટ ખોલાવી પાંચ કરોડના ટ્રાન્ઝેક્શન કરનારા વિપુલ ભાદાણી સામે દિનેશ વસોયાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સીએ દ્વારા વસાયોની પેઢીનું ઓડિટ કરતાં ફેક એકાઉન્ટનો ભાંડો ફુટ્યો ગત ઓક્ટોબર ૨૦૨૫માં દિવાળીનાં સમય દરમિયાન દિનેશ વસોયાનાં સીએ દ્વારા તેમની પેઢી વર્ષા ટેક્ષનું ઇન્કમટેક્સનું રિટર્ન ઓડીટ હાથ ધરવામાં આવ્યું ત્યારે સ્મોલ ફાઈનાન્સ બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, આઇડીએફસી બેંકનાં સ્ટેટમેન્ટ માગ્યા હતા. દિનેશ વસોયાનાં આ બેંકમાં એકાઉન્ટ્સ જ ન હોવાને કારણે તેમના પેટમાં ફાળ પડી હતી અને તમામ બેંકની શાખાઓમાં તપાસ કરતાં તેમની જાણ બહાર જ કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન થઈ ગયા હતા. વધુ તપાસ હાથ ધરતાં વિપુલ ભાદાણીએ જ આ બેંકમાં તેમના આર્થિક લાભ માટે એકાઉન્ટ્સ ખોલાવ્યા હોવાની જાણ થઈ હતી. ભાદાણીએ ટ્રાન્ઝેક્શન ઉપર ટેક્સ ભરી દેવા માટે તૈયારી દાખવી દિનેશ વસોયાનાં જાણ બહાર જ તેમના નામે ખોલાવાયેલા ચાર અલગ - અલગ બેંક એકાઉન્ટ થકી કરોડોનાં ટ્રાન્ઝેક્શન થયા હોવાના કારણે ઈન્કમટેક્સનું મોટું ભારણ આવશે તેમ સીએએ જણાવ્યું હતું. વિપુલ ભાદાણીએ દિનેશ વસોયાનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે, મારે રૂપિયાની જરૂરિયાત હોવાને કારણે મેં તમારા નામે તમારી જાણ બહાર જ બેંકમાં ખાતા ખોલાવવા માટે પાનકાર્ડમાં સુધારો કર્યાે હતો. આ તમામ ખાતાઓમાં પાંચ કરોડ રૂપિયા જેટલો વ્યવહાર થયો હોવાનું કહી એમાં જે ટેક્સ ભરવાનો આવશે એ હું ભરી દઈશ એવી સમાધાનકારી ઓફર આપી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, મે 2026 2079   |  
બર્ડ ફ્લૂની આશંકા વચ્ચે બારડોલીમાં મીંઢોળા નદીમાં મૃત મરઘાંનો નિકાલ કરતાં ત્રણ શખ્સની ધરપકડ

પડોશી રાજ્ય મહારાષ્ટ્રના નવાપુર અને તેની આસપાસના મરઘાં પાલન કેન્દ્રોમાં હાલ બર્ડ ફ્લૂના રોગચાળાનો ભારે વાવર ચાલી રહ્યો હોવાથી મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતનાં સ્થાનિક મરઘાં બજાર તેમજ લોકોમાં ભયનો માહોલ છે. બર્ડ ફ્લૂ રોગની દહેશત સમયે બારડોલીમાં જાહેર સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બારડોલી-પલસાણા નેશનલ હાઇવે નંબર ૫૩ પર નાંદીડા ગામની સીમમાંથી વહેતી મીંઢોળા નદીનાં પુલ પરથી ટેમ્પોમાં ભરીને લાવવામાં આવેલા મૃત મરઘાં નદીમાં ફેંકીને નિકાલ કરવાનું કૌભાંડ પકડાયું છે. નાંદીડા ગામનાં સરપંચ અક્ષય ગણપત રાઠોડને ગામનાં મયુર રાઠોડે આ બાબતે જાણ કરતાં તેઓ તુર્ત જ પુલ ઉપર પહોંચી ગયાં અને જાેયું તો ટેમ્પોમાં મૃત મરઘાં હતાં અને ટેમ્પો ચાલક અને તેનાં સાગરિતો મૃત મરઘાં નદીમાં ફેંકીને નિકાલ કરી રહ્યાં હતાં. અક્ષય રાઠોડે બુમ પાડીને મરઘાનો નદીમાં નિકાલ નહીં કરવા જણાવ્યું અને તુર્ત જ બારડોલી નગર પાલિકાનાં અધિકારીઓને જાણ કરી હતી. નગરપાલિકાનાં અધિકારીઓ, વેટરનરી ડોક્ટર ડો.આકાશ તેમજ બારડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મૃત મરઘાનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.જી.જે.-૧૯/૬૮૩૦ નંબરનાં ટેમ્પોનાં ચાલક સુરતનાં મહંમદ રઝાક ખાન અને તેનાં બે સાગરિતો ટેમ્પોમાં ૨૦૦૦ મૃત મરઘાં લઇને આવ્યા હતાં અને તમામનો મીંઢોળા નદીમાં નિકાલ કરવાનાં હતાં. મૃત મરઘાં નદીમાં નાંખવાથી પાણીમાં રહેતાં જીવો, નદીનાં પાણી ઉપર નભતાં જીવો તેમજ માનવ સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થઇ શકે તેવું કૌભાડં હતું. નદીના પાણીને પ્રદૂષિત અને રોગચાળો ફેલાવવાની આ કાવતરાખોર પ્રવૃત્તિ પર ત્યાંથી પસાર થતાં બારડોલી નગરપાલિકાના કર્મચારીઓની નજર પડી હતી. તેમણે સહેજ પણ સમય ગુમાવ્યા વિના પોતાના ઉપરી અધિકારીઓને આ બાબતની જાણ કરી હતી. માહિતી મળતાં જ વહિવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને બારડોલી નગરપાલિકાની ટીમ, નાંદીડા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મરઘાંમાં બર્ડ ફ્લૂની આશંકા હોવાને કારણે પશુચિકિત્સક વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી, જેમણે બર્ડ ફ્લૂની આશંકાથી આગળની તપાસ માટે મૃત મરઘીઓનાં સેમ્પલ લઇ પશુ રોગ સંશોધન કેન્દ્રનાં અધિકારીને આપ્યાં હતાં. આ ગુનાહિત કૃત્ય અંગે નાંદીડા ગ્રામ પંચાયતનાં સરપંચ અક્ષય રાઠોડે બારડોલી ટાઉન પોલીસને સત્તાવાર ફરિયાદ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પરથી મહંમદ રઝાકખાન સહિત ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા અને તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, તેમજ નિકાલ માટે વપરાયેલો ટેમ્પો પણ કબ્જે કર્યો છે. વહિવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામ મૃત મરઘીઓનો સરકારી ગાઇડલાઇન મુજબ સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, મે 2026 2574   |  
સોનગઢ નજીકના રોસિયા એડવેન્ચર પાર્ક રિસોર્ટ અને જલસાબારનાં ભાગીદારો સાથે ૧૨.૬૩ કરોડની ઠગાઇ

સોનગઢ નજીક લક્કડકોટમાં આવેલા રોસિયા એડવેન્ચર પાર્ક એન્ડ હિલ રિસોર્ટ તથા જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ભાગીદારો વચ્ચે ડખો થયો હતો. ૧૨.૬૩ કરોડ રોકાણ પરત નહીં કરી છૂટા કરી દેવાયેલા ચાર ભાગીદારીઓએ અન્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અડાજણનાં વાડીયા નગરમાં રહેતા ચંદ્રેશભાઈ જયંતિલાલ લાકડાવાલા શેરબજારમાં ટ્રેડિંગ કરે છે. તેઓ વર્ષ ૨૦૧૮માં અમેરિકાથી પરત આવ્યા બાદ તેમની ઓળખાણ ખુશમન રેવાશંકર પટેલ, પુનિતાબેન ખુશમન પટેલ તથા સ્મિત ખુશમન પટેલ સાથે થઇ હતી.પટેલ પિતા પૂત્રએ ચંદ્રેશભાઇને જણાવ્યું હતું કે, તેમણે સોનગઢ નજીક મહારાષ્ટ્રની હદમાં લક્કડકોટ ગામે જમીન ખરીદી છે. ત્યાં તેઓ રિસોર્ટ તેમજ એડવેન્ચર પાર્કનાં પ્રોજેક્ટનું આયોજન કરી રહ્યા છે. જાે કે પુરતાં નાણાંની સગવડ નહીં થતાં પ્રોજેક્ટ અટકી ગયો છે. જાે તમે અમારા પ્રોજેક્ટમાં ભાગીદાર થશો તો દર મહિને જે કંઇ પણ વેપાર ધંધો થશે તેમાં સરખે હિસ્સે અથવા પાર્ટનર શીપ ડીડ મુજબ નફો ચુકવી આપીશું. ત્યારબાદ ચંદ્રેશભાઇએ તેમના પરિચિત ગૌતમકુમાર જૈન, પરેશ પરમાર અને પ્રવિણ પરમારને આ પ્રોજેક્ટ અંગે વાત કરી અને ડિસેમ્બર-૨૦૧૮માં લક્કડકોટ ખાતેની રિસોર્ટ વાળી જગ્યાએ મિટિંગ કરાઇ હતી. જેમાં ચંદ્રેશભાઇ અને તેમના મિત્રો ગૌતમ જૈન, પરેશ પરમાર તથા પ્રવિણ પરમાર રોકાણ કરવા તૈયાર થયા હતાં. આ પ્રોજેક્ટનું ૧૫ ડિસેમ્બર, ૨૦૧૮માં ખાતમુહૂર્ત કરી તેનું નામ રોસિયા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક અને બાર એન્ડ રેસ્ટોરન્ટનું નામ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ રખાયું હતું. ત્યારબાદ રોસીયા રિસોર્ટ બાબતે થયેલી પાર્ટનરશીપ ડીડમાં ખુશમન રેવાશંકરભાઇ પટેલનાં ૨૦%, પરેશ પટેલ ૧૦%, રોનિશ લાકડાવાલા ૨૦%, ગૌતમ જૈનનાં ૨૨.૫૦%, પ્રવિણ પરમારના ૦૫% અને પરેશ પરમારનો ૨૨.૫૦% ભાગ નક્કી કરાયો હતો. ચંદ્રેશે ૫૦ લાખ રૂપિયા રોકાણ કરી પૂત્ર રોનિશનાં નામે ભાગ રાખ્યો હતો. એડવેન્ચર પાર્કની બાજુવાળી જગ્યાનાં ભાડે લઇ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ શરૂ કરાયો હતો. જમીન માલિક ભરત બાબુરાવ ગાવીત તથા યશવંત બાબુરાવ શિરસાઠ સાથે ભાગીદારી કરાર કરાયો હતો. જેમાં નફામાંથી ૨૦ ટકા ભાગ જમીન માલિકોને આપવાનું નક્કી કરાયું હતું. બાદમાં જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ અને રોસિયા એડવેન્ચર પાર્કનું ઉદઘાટન કરાયું હતું. આ બંને પ્રોજેક્ટમાં સારો નફો થતાં એડવેન્ચર પાર્કમાં રૂમો બનાવવાનું નક્કી કરાયું હતું. જે માટે રોસિયા હિલ રિસોર્ટ નામથી ભાગીદારી કરાર કરાયો હતો. જેમાં ખુશમન પટેલના ૨૦%, પરેશ રમેશભાઇ પટેલના ૧૦%, ભવ્ય ચંદ્રેશભાઇ લાકડાવાલાનાં ૨૦%, ગૌતમ બાબુલાલ જૈનના ૧૫%, પ્રવિણ પરભુભાઈ પરમાર ૦૫%, મિહિર ચેતનભાઇ પરમારના ૧૫% અને પંકજ જસવંતભાઇ પટેલનાં ૧૫% ભાગ નક્કી કરાયો હતો. આ ત્રણેય પ્રોજેક્ટ સારા ચાલતા હોવા થતાં જુલાઇ-૨૦૨૫થી નફો કહો કે વળતર મામલે ડખા શરૂ થયા હતાં. વહિવટ કરનારા ખુશમન પટેલ દ્નારા હિસાબ પણ આપવાનો બંધ કરાયો હતો. ધંધામાં થયેલ અંદાજીત ૫.૫૦ કરોડ રૂપિયા નફા બાબતે કોઇ યોગ્ય ઉત્તર પણ અપાયો ન હતો. ત્યારબાદ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટનું નામ બદલીને હોટલ ગ્રાન્ડ કાર્નિવલ પરમીટ રૂમ એન્ડ બીયર બાર કરી નવો જી.એસ.ટી. મેળવી લઇ ચંદ્રેશ અને તેમના ભાગીદારોને બહાર કરી દેવાયા હતાં.ચંદ્રેશ લાકડાવાળા અને તેમના ભાગીદારોએ કરેલું ૧૨,૬૩,૧૯,૦૦૦ રૂપિયા રોકાણ ખુશમન પટેલ, પુનિતાબેન ખુશમન પટેલ, સ્મિત ખુશમન પટેલ, ભરત ગાવીત, યશવંત શિરસાઠે પરત નહીં કરી રોસિયા હિલ રિસોર્ટ અને એડવેન્ચર પાર્ક તથા જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટમાંથી તેમનો અધિકાર પુરો કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોય તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, મે 2026 2574   |  
પાસોદરાની યુવાન વિધવાને લગ્નની વાતે બે વર્ષ શારીરિક શોષણ કરી તરછોડી દીધી

પાસોદરામાં રહેતી યુવાન વિધવાને લગ્નની વાતે ભોળવી બે વર્ષ શારીરિક શોષણ કર્યા બાદ તરછોડી દેનારા લંપટ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. લસકાણા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પાસોદરામાં રીના રાઠોડ (નામ બદલ્યું છે) તેના પરિવાર સાથે રહે છે. પતિનું અવસાન થયા બાદ ૩૨ વર્ષીય રીના ગુજરાન ચલાવવા માટે કેટરિંગ સર્વિસમાં નોકરી કરવા માંડી હતી. જયાં તેણીની મુલાકાત ચેતન સુરેશભાઇ કડુ સાથે થઇ હતી. બે વર્ષ અગાઉ મળેલા ચેતને વાતચીતમાં જાણી લીધું હતું કે, રીના રાઠોડનો પતિ મૃત્યુ પામ્યો છે. ત્યારબાદ તેણે રીના સાથે સહાનુભૂતિ દાખવી નિકટતા કેળવી હતી.તુ મને બહુ ગમે છે, હું તમારી સાથે લગ્ન કરીશ એવી વાત કરી ચેતને તેણી સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો. વિધવા હોવાનું જાણવા છતાં ચેતને કરેલી વાતથી રીના તેના પ્રભાવમાં આવી ગઇ હતી. ત્યારબાદ તેઓ પ્રેમી યુગલની જેમાં સાથે રહેવા અને હરવા ફરવા માંડ્યા હતાં. ચેતન અવાર નવાર લગ્નની વાતે ઇમોશનલ કરી રીના સાથે શરીર સંબંધ બાંધતો રહ્યો હતો. બે વર્ષ સુધી ચેતન તેણીના ઘરે જઇ જાતીય સુખ માણતો રહ્યો હતો. બાદમાં રીનાને એવી જાણ થઈ હતી કે, ચેતન દિલફેંક ઇન્સાન છે. તેના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે. આઘાત પામેલી રીનાએ ચેતન પોતાનો જ બનીને રહે એ માટે લગ્ન માટે આગ્રહ કરવા માંડ્યો હતો. શરૂઆતમાં ગલ્લાં તલ્લાં કરનારા ચેતને થોડા સમય બાદ લગ્નનો ઇન્કાર કરી રીના સાથેના સંબંધ પણ તોડી નાંખ્યા હતાં. રીના સમજાવવા ગઇ તો ચેતને તેણીને જાતિ વિષયક ગાળો ભાંડી અપમાન સાથે હડધુત કરી હતી. આથી રીનાએ ચેતન કડુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, મે 2026 2475   |  
વ્યાજના ચક્રવ્યૂહને તોડવા વેપારીઓ ગોલ્ડ લોન તરફ વળ્યા

સુરત એટલે વૈશ્વિક બિઝનેસ હબ. અહીં ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની રફતાર ક્યારેય અટકતી નથી. આ અવિરત વેપારને ચલાવવા માટે ટૂંકા અને લાંબા ગાળાના ધિરાણની જરૂરિયાત હંમેશા રહે છે. સુરતમાં સત્તાવાર બેંકો, નોનબેંકિંગ નાણાંકીય કંપનીઓ ઉપરાંત પ્રાઇવેટ ફાઇનાન્સ (ધીરધાર) કરનારાઓનું મોટું નેટવર્ક સક્રીય છે. સેફ અને અનસેફ લોનનાં આ માર્કેટમાં છેલ્લા એક વર્ષમાં એક નવો આર્થિક ટ્રેન્ડ જાેવા મળ્યો છે. સુરતનાં નાના-મોટા વેપારીઓ અને સ્જીસ્ઈ સાહસિકો હવે પ્રાઇવેટ ફાઇનાન્સર્સનાં ઊંચા વ્યાજનાં ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને ‘ગોલ્ડ લોન’ તરફ ઝડપથી વળી રહ્યાં છે.ફાઇનાન્સિયલ એક્સપર્ટ જન્મેશ ચોક્સીએ જણાવ્યું હતું કે, ધિરાણ બજારમાં ગોલ્ડલોન સૌથી ઝડપથી વિકસતા સેગમેન્ટ તરીકે ઉભરી આવી છે, જેમાં વાર્ષિક ધોરણે પોર્ટફોલિયો ૫૦.૪% વધ્યો છે, સોનાનાં વધતા ભાવ, ઊંચી ક્રેડિટ માગ અને સુરક્ષિત ઉધાર લેવાની પસંદગીને કારણે આ સેગમેન્ટનો ઝડપથી વિકાસ થયો. સોનાનાં ભાવમાં તીવ્ર વધારાથી લોકો ગોલ્ડ લોન તરફ આગળ વધ્યાં, જેનાથી વેપાર ધંધાર્થીઓની ટૂંકા ગાળાની અને લાંબાગાળાની નાણાંકીય જરૂરિયાતો સંતોષવા માટે એક નવીનત્તમ આધારસ્તંભ વિકાસ પામ્યો છે. સુરતની એક બેંકનાં ઉચ્ચાધિકારીનું કહેવું છે કે દેશભરમાં ગોલ્ડ લોન ઓરિજિનેશન વેલ્યુમાં વાર્ષિક ધોરણે ૧૦૮% સુધીનો રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો છે, જેની સીધી અસર સુરતનાં હીરા અને કાપડ બજારમાં દેખાઈ રહી છે. જાણકારોનું કહેવું છે કે સુરતમાં અત્યાર સુધી પર્સનલ લોન કે બજારમાંથી ઊંચા વ્યાજે ડાયરી સીસ્ટમ પર નાણાં લેવાનો ટ્રેન્ડ હતો. પરંતુ તેમાં છેતરપિંડી અને ઉઘરાણીનાં જાેખમો રહેતા હતા. પરંતુ ગોલ્ડ લોન એટલી સરળ અને સુલભ બની ગઇ છે કે લોકો હવે ધડાધડ લોન લઇને પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યાં છે. સૌથી મોટો ફાયદો વ્યાજમાં મોટી બચતનો છે. અનસીક્યોર્ડ પ્રાઇવેટ લોન સામે ગોલ્ડલોન સુરક્ષિત હોવાથી વ્યાજ દર ખૂબ નીચો રહે છે. વેપારીઓને ‘બુલેટ પેમેન્ટ‘નો વિકલ્પ મળે છે, જેમાં દર મહિને માત્ર વ્યાજ ચૂકવવાનું હોય છે અને મુદ્દલ રકમ બિઝનેસ સાયકલ પૂરી થયા પછી ભરી શકાય છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution