આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
2178 |
રાજુલાથી લઈ છેક સાવરકુંડલા સુધી ભૂકંપનો આચંકો અનુભવાયો
ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલ કોસ્ટલ વિસ્તારમાં મધરાતે અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રાત્રે આશરે ૨:૨૪ વાગ્યે થયેલા આ ઝટકાથી લોકો ઊંઘમાંથી જાગી બહાર નીકળી આવ્યા હતા. વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા ૩.૭ નોંધાઈ હતી, જે મધ્યમ સ્તરની ગણાય છે, છતાં તેની અસર અનેક વિસ્તારોમાં અનુભવાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવાનજીક નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.આ આંચકાનો પ્રભાવ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ સહિત કોસ્ટલ બેલ્ટના વિસ્તારોમાં જાેવા મળ્યો હતો. ઉપરાંત ખાંભા અને સાવરકુંડલા સુધી પણ ઝટકાનો અહેસાસ થયો હતો.ખાસ કરીને રાજુલા શહેરમાં કેટલાક મકાનોમાં નાની તિરાડો પડ્યાના અહેવાલો મળ્યા છે. કેટલીક જગ્યાએ ભૂકંપના ક્ષણોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જમીન હલતી દેખાય છે અને લોકો ગભરાઈને બહાર નીકળતા જાેવા મળે છે. હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી, જે રાહતની વાત છે. છતાં, સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
2376 |
પૂર્વ મેયરની ફરી નારાજગીએ ચર્ચા જગાવી
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાવનગર ભાજપનો આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે ટિકિટની રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ મેયર ભરત બારડ સાથે થયેલી ખેંચતાણ અને તેમને કાર્યાલયમાંથી બહાર કાઢવાની ઘટનાએ રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે. એક તરફ શિસ્તના પાઠ ભણાવતી પાર્ટીમાં ધોળા દિવસે પૂર્વ મેયરનું અપમાન થયાના વીડિયો વાયરલ થયા છે, તો બીજી તરફ ખુદ ભરત બારડે આક્ષેપોને ફગાવી પક્ષભક્તિનો રાગ આલાપ્યો છે. મળતી માહિતી મુજબ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે પૂર્વ મેયર ભરત બારડ પોતાની વાત રજૂ કરવા શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેઓ શહેર પ્રમુખ કુમાર શાહને મળવા માંગતા હતા, પરંતુ તેમને ચેમ્બરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. કાર્યાલયની બહાર નીકળતી વખતે ભરત બારડ અત્યંત ક્રોધમાં જાેવા મળ્યા હતા. પાર્કિંગમાં પોતાનું સ્કૂટર લેતી વખતે તેમણે હાજર લોકો સમક્ષ બળાપો કાઢતા કહ્યું હતું કે, “પાર્ટી કોઈના બાપની નથી, અમે મહેનત કરીને આ પાર્ટી બનાવી છે.” આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસારિત થતા શહેર ભાજપના સંગઠનમાં સોપો પડી ગયો છે. નવાઈની વાત એ છે કે, આટલી મોટી ઘટના અને વીડિયો પુરાવા હોવા છતાં, બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં ભરત બારડે નવો જ વળાંક લીધો હતો. તેમણે જણાવ્યું કે, “મારી સાથે કોઈ ગેરવર્તન થયું નથી, હું માત્ર ચા પીને બહાર આવ્યો છું. બાવડું પકડીને બહાર કાઢવાની વાત માત્ર અફવા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
2079 |
ભાજપે ૯૦થી વધુ મુસ્લિમોને ટિકિટ આપી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં મુસ્લિમોનો વિરોધ કરતાં ભાજપના મોવડી મંડળ દ્વારા આ ચૂંટણીઓમાં વલણ બદલ્યું છે. એટલું જ નહીં, ભાજપ દ્વારા લાંબા સમય બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મુસ્લિમોને છૂટા હાથે ટિકિટોનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૫૦ જેટલા મુસ્લિમોને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા અંતિમ સમયે વિવિધ જિલ્લાઓની જિલ્લા, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓની બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા લાંબા સમય બાદ મુસ્લિમ સમાજને ટિકિટો ફાળવણીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા વિવિધ જિલ્લાઓની જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓ માટેના ઉમેદવારો જાહેર કરાયા છે. તેમાં ૯૦થી વધુ મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા મુસ્લિમોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લા પંચાયતમાં ભિરડીયારા બેઠક પર અબ્દુલ્લા બુઢા જત, દયાપાર બેઠક પર આઇશબાઇ મોડ સુમારા અને દિનારા બેઠક પરથી જનતબાઈ રસુલ સમાને ટિકિટ આપી છે. તો ભચાઉ તાલુકા પંચાયતમાં લાકડિયા-૧ માં સાદીક સુલેમાન રાઉમા, ભુજ તા. પં.માં ધ્રોલાણા બેઠક પર મેમૂનતબાઈ ઈસાક સામા, દિનારા બેઠક પર સલમા વાયદના સમા, જુણા બેઠક પર સોયાબ સુલેમાન સમાં ખારી બેઠક પર લતીફ ભિલાલ ઠેબા, રતાડિયા બેઠક પર પરવેઝ ઇશાક સમા અને સરાડા બેઠક પર હાજિયાણી અબ્દુલ જતને ટિકિટ આપી છે. નખત્રાણા તાલુકા પંચાયતમાં મથલ બેઠક પર ઇલિયસ આદમ પિંઝારા, અબડાસા તાલુકા પંચાયતમાં બેર મોટી બેઠક પર હારુનઅલી મામદ હાલેપોત્રા, ખીરસરા (કો) બેઠક પરથી સાફિના અબ્દુલ્લા સુમારા, નલિયા-૨ બેઠક પરથી સેઝાન ઇરફાન મોકરશીને સુથરી બેઠક પરથી તૌસિફ મામદ સંગારને ટિકિટ અપાઈ છે. મુંદ્રા તાલુકા પંચાયતમાં ભદ્રેશ્વર બેઠક અપ્રથિ અફ્સાના ઓસમાણ કુંગાડાને, નાના કપાયા બેઠક પરથી સદદમ હુસેન સતાર તુર્કને, લખપત તાલુકા પંચાયતમાં બરન્દા બેઠક પરથી હુસેન સુલેમાન પઢિયારને, દોલતપર બેઠક પરથી હવાબાઈ આરબ જતને, ધડૂલી બેઠક પરથી ફાતેમાબાઈ અબ્દુલ્લા જતને, માતાના મઢ બેઠક પરથી ઓસમાણ ઉમરભાઈ રાયમાને, મીંઢિયાળી બેઠક પરથી અબ્દુલ કરીમ કાસમને, નારાયણ સરોવર બેઠક પરથી મેરિયાબાઈ ઉમરભાઈ જતને ટિકિટ આપી છે. તો માંડવી નગરપાલિકામાં વિવિધ વોર્ડમાં ૬ મુસ્લિમોને ટિકિટ આપી છે, જ્યારે ભુજ નગરપાલિકામાં વિવિધ વોર્ડમાં ૭ મુસ્લિમને ટિકિટ આપી છે. જ્યારે અંજાર નગરપાલિકામાં બે, મુંદ્રા-બારોઈ ન્બગરપાલિકામાં ચાર મુસ્લિમને અને નખત્રાણા નગરપાલિકામાં બે મુસ્લિમને ટિકિટ આપી છે. આમ કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા મુસ્લિમોને ટિકિટ આપી છે. આવી જ રીતે ગોંડલ નગરપાલિકામાં ૩, ધોળકા નગરપાલિકામાં ૮, વિરમગામ નગરપાલિકામાં ૩, કલોલ નગરપાલિકામાં ૨, સિદ્ધપુર નપામાં ૪, દાહોદ નગરપાલિકામાં ૮ આમ અત્યાર સુધીમાં જાહેર થયેલી યાદી મુજબ ભાજપ દ્વારા કુલ ૯૨થી વધુ મુસ્લિમોને ટિકિટ ફાળવવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, એપ્રીલ 2026
2871 |
નૌશાદ સોલંકીની હાજરીમાં કોળી સમાજના ૫૨ ગામોના આગેવાનો કોંગ્રેસમાં જાેડાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે. જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો, તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકો, ૪ નગરપાલિકાઓ અને એક મહાનગરપાલિકા માટે ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા કડક નિયમો બનાવતા જૂના કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઈ છે. બીજી તરફ કોંગ્રેસમાં ભાજપના ત્રણ ટર્મના આગેવાનો જાેડાતા રાજકીય ગરમાવો વઘ્યો છે. ભાજપ દ્વારા તાજેતરમાં ટિકિટ વિતરણ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ ન આપવાનો, ત્રણ ટર્મ પૂર્ણ કરેલા ઉમેદવારોને ફરી તક ન આપવાનો અને સંગઠનમાં કાર્યરત પદાધિકારીઓના સગા-સ્નેહીજનોને પણ ટિકિટ ન આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ નિયમોને કારણે વર્ષોથી ભાજપમાં સક્રિય રહેલા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. લીંબડી અને ચૂડા વિસ્તારમાં કોળી સમાજના વર્ષોથી ભાજપ સાથે જાેડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે. આ વિસ્તારના ૫૨ ગામોના આગેવાન તરીકેની છાપ ધરાવતા તેજાભાઈ મેટાલીયાએ જણાવ્યું હતું કે, “ભાજપ છેલ્લા આઠથી દસ વર્ષથી જૂના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યો છે અને નવા ચહેરાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ અવગણનાથી નારાજ થઈ અમે કોંગ્રેસમાં જાેડાવાનું નક્કી કર્યું છે.” તેમણે આગામી ચૂંટણીઓમાં પરિણામલક્ષી કામગીરી કરવાની ખાતરી પણ આપી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, એપ્રીલ 2026
2871 |
આખરે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયો ધારણ કરી લીધો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ધમાલ વચ્ચે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયા કર્યા છે. રાજુ કરપડા પોતાના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ઝંપલાવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ફેબ્રુઆરી મહિનામાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજુ કરપડાએ પાર્ટી છોડતા ભારે ચર્ચા જાગી હતી. રાજુ કરપડા સાથે તેમના ૫૦ થી વધુ સમર્થકોએ પણ આમ આદમી સાથે છેડો ફાડ્યો હતો. તેના બાદ તેમના કોંગ્રેસમાં જાેડવાની વાત વહેતી થઈ હતી. મારા મિત્રએ કેસરિયો ધારણ કર્યો છે, અમે કહ્યું હતું કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થયો : પ્રવીણ રામરાજુ કરપડા ભાજપમાં જાેડાયા મુદ્દે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે મારા પરમ મિત્ર ભાજપમાં જાેડાઈ રહ્યા છે, એટલે કે કેસરીયો ધારણ કરી રહ્યા છે. અમે તો ડે વનથી આ વાત કહી રહ્યા છીએ કે જેલમાં જ આ ખેડૂત આંદોલનનો સોદો થઈ ગયો હતો અને ખેડૂતો સાથે વિશ્વાસઘાતની શરૂઆત ત્યાંથી જ થઈ ગઈ હતી. છતાં પણ મારા પરમ મિત્ર અનેક વખત અલગ અલગ આક્ષેપો કરતા રહ્યા, પરંતુ આજે જ્યારે તેઓ કેસરીયો ધારણ કરી રહ્યા છે ત્યારે તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થાય છે. ગુજરાતના ખેડૂતોને પણ આજે આ વાતની પ્રતીતિ થશે કે આમ આદમી પાર્ટી પર થયેલા આક્ષેપો ખોટા હતા.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
11, એપ્રીલ 2026
2079 |
વડોદરા |
ગત ટર્મના કયા કયા ૧૬ પૂર્વ કાઉન્સિલરોને રિપીટ કરાયા
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે ૧૯ વોર્ડના ૭૬ ઉમેદવારોની યાદી આજે ભાજપા દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેમાં ગત ટર્મના ૮ મહિલા અને ૮ પુરૂષ મળીને કુલ ૧૬ પૂર્વ કાઉન્સિલરોને રીપીટ કરાયા હતા. જ્યારે ગત બોર્ડ પૂર્વેના બોર્ડમાં કાઉન્સિલર રહી ચૂકેલા ૭ પૂર્વ કાઉન્સિલરોને પણ ફરી ટીકીટ આપવામાં આવી છે. જેમાં ગત ટર્મના કાઉન્સિલરોમાં વોર્ડ-૨માં વર્ષાબેન વ્યાસ અને ભાણજી પટેલ, વોર્ડ-૪માં અજિત દદીચ, વોર્ડ- ૫માં તેજલબેન વ્યાસ, વોર્ડ-૮માં રીટાબેન આચાર્ય અને મીનાબા ચૈહાઅ, વોર્ડ-૯માં સુરેખાબેન પટેલ અને શ્રીરંગ આયરે વોર્ડ નં-૧૦માં અવનીબેન સ્ટેમ્પવાલા અને નિતીન દોંગા, વોર્ડ નં-૧૧માં નરવીરસિંહ ચુડાસમાં, વોર્ડ નં-૧૨માં રીટા સિધ અને સ્મીત આરદેસણા, વોર્ડ નં- ૧૫માં કેતન પટેલ અને વોર્ડ નં-૧૯માં પુનિતાબેન વ્યાસને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ કાઉન્સિલરોમાં વોર્ડ નં- ૩માં કલ્પનાબેન પટેલ અને રણવીરસિંહ જાડેજા, વોર્ડ નં-૧૩માં ગોપાલ ગોહીલ, વોર્ડ નં-૧૪માં દિપીકાબેન પટણી, વોર્ડ નં-૧૫માં જ્યોતીબેન પંડ્યા જ્યારે વોર્ડ નં-૧૬માં સરસ્વતીબેન દેસાઈ અને વિજય ચૌહાણને ટીકીટ આપવામાં આવી છે.આમ ભાજપા દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ગત ટર્મના અને પૂર્વ મળીને કુલ ૨૩ ને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે ૫૩ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. જાેકે, અનામત બેઠકોની ફાળવણી બાદ ઓબીસી બેઠકોની સંખ્યા વધી છે. ત્યારે અગાઉથીજ ૨૫ જેટલા પૂર્વ કાઉન્સિલરો રીપીટ થશે નહી તે સ્પષ્ટ હતુ. પરંતુ જે વોર્ડમાં અનામત સિવાયની પણ અનેક બેઠકો પર નવા ચહેરાઓને તક આપીને ગત ટર્મના કાઉન્સિલરોને કાપવામાં આવ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
11, એપ્રીલ 2026
2079 |
વડોદરા |
વોર્ડ-૧૮માં સ્થાનિકને બદલે આયાતી ઉમેદવારને ટિકિટ અપાતાં ભારે રોષ
વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપાના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ અનેક દાવેદારો કપાતા નારાજગી જાેવા મળી હતી. વોર્ડ ૧૪, ૧૬ અને વોર્ડ-૧૮ના કાર્યકરો ઉમેદવારોની પસંદગીને લઈ રજૂઆત કરવા શહેર ભાજપા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અને શહેર પ્રમુખને રજૂઆત કરી હતી. કેટલાકે તો ફેર વિચારણાં કરવાની રજૂઆત કરી હતી.વોડદાર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે યાદી જાહેર થતાની સાથે કેટલાક વોર્ડમાં ઉમેદવારોની પસંદગી સામે ભાજપાના કાર્યકરોમાં નારાજગી જાેવા મળી રહી છે. ત્યારે યાદી જાહેર થતાની સાથે મોડી સાંજે વોર્ડ-૧૪, વોર્ડ-૧૬ અને વોર્ડ-૧૮ના સંગઠનની તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં શહેર ભાજપા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અને ઉમેદવારોની પસંગદી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, અમે પાછલા અનેક વર્ષોથી પક્ષ માટે કામ કરીયે છે. જ્યારે વોર્ડ નંબર ૧૮માં ભાજપ દ્વારા બે આયાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક કાર્યકરોમાં અને દાવેદારોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ઉમેદવાર ચેતન પરમાર અને દીપા પંચાલની પસંદગી સામે દાવેદારો અને કાર્યકરોએ પરિવારવાદનો આક્ષેપ કરી સામુહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. આ અસંતોષને પગલે મોટી સંખ્યામાં વોર્ડ નં-૧૮ના કાર્યકરો વિરોધ નોંધાવવા માટે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અને કહ્યું હતુ કે,ધારાસભ્યએ સ્પષ્ટ કહ્યુ હતુ કે, બહારના કોઈ ચલાવી નહી લેવાય ત્યારે અમારો વોર્ડની બહારના ઉમેદવારનો વિરોધ હોવાની રજૂઆત કરી ફેર વિચારણા કરવાની રજૂઆત કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
11, એપ્રીલ 2026
2079 |
વડોદરા |
વડોદરાને મેલું કરનારા ‘ગંદવાડ’ સામે ભાજપ હાઇકમાન્ડનું સફાઈ અભિયાન
વડોદરાના રાજકીય ઈતિહાસમાં શુક્રવારની સાંજ એક એવી ‘સર્જિકલ સ્ટ્રાઈક’ લઈને આવી, જેની કલ્પના ખુદ સત્તાના નશામાં ચૂર નેતાઓએ પણ નહીં કરી હોય. જેઓ પોતાને વડોદરાના ‘ભાગ્યવિધાતા’ સમજતા હતા, જેઓ અધિકારીઓને ખિસ્સામાં લઈને ફરતા હતા અને જેમને એમ હતું કે પક્ષ તેમની ‘વગ’ સામે ઝૂકી જશે, તેવા ૬૦ જેટલા કોર્પોરેટરોનું ભાવિ વિશ્વકર્માજીએ લખી નાખ્યું છે. પ્રદેશ પ્રમુખની ટીમે એક જ ઝાટકે કચરો સાફ કરી ‘ડસ્ટબિન’ ભેગા કરી દીધા છે. આ ર્નિણય માત્ર ટિકિટ કાપવા પૂરતો નથી, પણ વડોદરા કોર્પોરેશનમાં વર્ષોથી જામેલા ‘ગંદવાડા’ને સાફ કરવાનું એક ભગીરથ કાર્ય છે. મેયર પિન્કીબેન સોની હોય, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, આ નામોએ ગત પાંચ વર્ષમાં વડોદરાને શું આપ્યું? સિવાય કે કૌભાંડોની ચર્ચા અને વહીવટી નિષ્ફળતા. જ્યારે શહેરના રસ્તાઓ પર ખાડા પડતા હતા અને પીવાનું ગંદુ પાણી આવતું હતું, ત્યારે આ પદાધિકારીઓ અધિકારીઓને છાવરવામાં વ્યસ્ત હતા. જે પક્ષની છબીને નુકસાન પહોંચાડે, તેને ભાજપ ક્યારેય સાંખી લેતું નથી, તે વાત આજે હાઈકમાન્ડે સાબિત કરી દીધી છે. ટિકિટ મેળવવા માટે ‘ઉપલા’ લેવલ સુધી ધમપછાડા કરનારા નેતાઓને આજે ખબર પડી ગઈ હશે કે ભાજપમાં વ્યક્તિ કરતાં ‘સંગઠન’ અને ‘છબી’ મોટી છે. ૭૬માંથી ૬૦ને ઘરભેગા કરવા એ કોઈ નાનો ર્નિણય નથી. આ એવા લોકોનું વિસર્જન છે જેઓ સક્ષમ સાબિત ન થઈ શક્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દેશને સ્વચ્છ રાખવાની વાત કરતા હોય, ત્યારે પાલિકાના વહીવટમાં બેઠેલા ગંદા રાજકારણીઓને સાફ કરવા અનિવાર્ય હતા. હાઈકમાન્ડનો આ ર્નિણય વડોદરાના એ લાખો નાગરિકોની લાગણીનો પડઘો છે, જેઓ અન્ય શહેરોની સરખામણીમાં વડોદરાને પછાત રહી ગયેલું જાેઈને લોહીના આંસુ સારતા હતા. ૧૨ જેટલા પ્રામાણિક અને લાયક સભાસદોને રિપીટ કરીને પક્ષે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ‘કામ કરશો તો ટકશો, બાકી વેતરશો તો વેતરાઈ જશો.’ભાજપે આજે જે ગંદવાડો સાફ કર્યો છે, તેનાથી હવે મેદાન ચોખ્ખું થયું છે. પણ હાં, હાઇકમાન્ડે જે યુવાન અને નવા ઉમેદવારોના શિરે કળશ ઢોળ્યો છે તેઓએ આજના આ ર્નિણયમાંથી શીખ લેવાની જરૂર છે. ભાજપ હાઇકમાન્ડે ટિકિટ આપી છે એનો મતલબ એવો છે કે, ખરેખર સેવાના કાર્યોને વરેલા કાર્યકર્તાઓ હવે મેદાનમાં આવશે, તેઓ વડોદરાને નવી ઊંચાઈએ લઈ જશે તેવી આશા જાગી છે. જાે તમે પણ તમારા પૂરોગામીના પગલે ચાલશો તો તમારાં માટે આવતી વખતે ડસ્ટબિન તૈયાર જ હશે. વડોદરાના નાગરિકો હવે એવા પ્રતિનિધિઓની અપેક્ષા રાખે છે જેઓ માત્ર એસી ઓફિસોમાં બેસીને અધિકારીઓ સાથે ‘સેટિંગ’ ન કરે, પણ ગ્રાઉન્ડ પર ઉતરીને જનતાના પ્રશ્નો ઉકેલે. જેઓ આજે ટિકિટ કપાયા પછી મોઢા સીવીને બેઠા છે, તેમણે સમજી લેવું જાેઈએ કે ‘વિકાસ’ કરવામાં જાે તમે સફળ ન રહો, તો ‘વિદાય’ લેવા માટે તૈયાર રહેવું જ પડે. હાઈકમાન્ડના આ આક્રમક વલણે સાબિત કર્યું છે કે ભાજપ માટે સત્તા એ ‘મલાઈ’ ખાવાનું સાધન નથી, પણ સેવાનો માર્ગ છે. હવે જાેવાનું એ રહેશે કે આ ‘શુદ્ધિકરણ’ પછી વડોદરા ખરેખર તેની સંસ્કારીની ઓળખ જાળવી રાખશે કે કેમ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
11, એપ્રીલ 2026
1881 |
વડોદરા |
સંસ્કારી નગરીના ભાજપના ઉમેદવારો જાહેર : ૧૬ રિપીટ, ૫૩ નવા ચહેરા
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપા દ્વારા ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસના એક દિવસ પૂર્વે સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં ગત બોર્ડના ૧૬ કાઉન્સિલરોને રીપીટ કરાયા હતા. જ્યારે ગત બોર્ડ પૂર્વેના ૭ને ફરી ટીકીટ આપવામાં આવી હતી. આમ કુલ ૨૩ પૂર્વ કાઉન્સિલરોને ટીકીટ ફાળવવામાં આવી હતી. જ્યારે ૫૩ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં એક પૂર્વ કાઉન્સિલરના પૂત્ર, એક પૂર્વ કાઉન્સિલરની દીકરી તેમજ પૂર્વ ધારાસભ્યના પૂત્રને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ગત બોર્ડના પાંચેય હોદ્દેદારોની ટીકીટ કરાઈ હતી. જાેકે, ગઈકાલે સવારથી દાવેદારો અને કાર્યકરોમાં કોને ટીકીટ મળશે અને કોણ કપાશે? તેની ઉત્તેજનાનો આખરે અંત આવ્યો હતો.વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે નિશ્ચિત જીત સાથે કાઉન્સિલર બનવા માટે ભાજપાની ટીકીટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. ત્યારે સેન્સ પ્રક્રિયા બાદ વિવાદ ટાળવા માટે ગાંધીનગર ખાતે સંકલનની મળેલી બેઠકમાં ત્રણ-ત્રણની જ્યારે કેટલાક વોર્ડમાં ચાર-ચારની પેનલ બનાવી હતી. જાેકે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગઈકાલે બપોરે મળી હતી. જેમાં માત્ર ૩૦ મિનીટ ચર્ચા કરાઈ હતી. ત્યાર ગત મોડીરાત્રે કે આજે સવારે ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતા વચ્ચે મોટાભાગના દાવેદારોએ ઉજાગરા કર્યા હતા. જ્યારે આજે સવારથીજ યાદીની રાહ જાેઈને બેસ્યા હતા. જાેકે, અનેક નામો અને કોને ટીકીટ મળશે, કોણ કપાશે?ની છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળો વચ્ચે આજે સાંજે ભાજપા દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવા દ્રષ્યો જાેવા મળ્યા હતા. જાેકે, અનામત બેઠકોની ફાળવણીમાં ફેરફાર થયા બાદ યોજાઈ રહેલી પ્રથમ ચૂંટણીમાં ગત બોર્ડના ૮ પુરૂષ અને ૮ મહિલા કાઉન્સિલર મળીને કુલ ૧૬ને રીપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે ગત બોર્ડ પૂર્વેની બોર્ડના ૭ કાઉન્સિલરોને ફરી ટીકીટ ફાળવવામાં આવી હતી. જ્યારે ગત ટર્મમાં મેયર, ડે. મેયર, સ્થાયી સમિતીના ચેરમેન, નેતા અને દંડક પદે રહેલા પાંચ પદાધિકારીઓની ટીકીટ કપાઈ હતી.જ્યારે વોર્ડ-૬માં પૂર્વ કાઉન્સિલર પરષોત્તમ હેમનાનીના પૂત્ર પવનને, વોર્ડ-૧૩ના પૂર્વ કાઉન્સિલર જ્યોતીબેન પટેલની પૂત્રી નીધીને જ્યારે પૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડીયાના પુત્ર હીરેનને વોર્ડ ૧૭માં ટીકીટ આપવામાં આવી છે. જાેકે, ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ કેટલાક વોર્ડમાં નારાજગી જાેવા મળી રહી છે. ત્યારે વોર્ડ-૧૬ સહિત કેટલાક વોર્ડના કાર્યકરો શહેર ભાજપાની કચેરીએ પહોંચીન નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે. ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે ભાજપા કાર્યાલય ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જામી હતી. કાર્યાલય ખાતે કાર્યકરોના ટોળા જાેવા મળ્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
09, એપ્રીલ 2026
4257 |
વડોદરા |
વડોદરા મહાનગરપાલિકાના ૩ વૉર્ડમાં આપ અને કોંગ્રેસના ૮ ઉમેદવારોએ ઝંપલાવ્યું
વડોદરા જિલ્લાની વિવિધ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત,નગર પાલિકા અને મહાપાલિકાની ચૂંટણી માટે ગુરૂવારે કુલ ૨૨ જણાંએ ઉમેદવારી કરી હતી જયારે વડોદરા મહાનગર પાલિકાના ત્રણ વોર્ડમાં આપ અને કોંગ્રેસના ૮ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી,આ સાથેે તેમણે સોગંદનામું પણ રજૂ કર્યું હતુંચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે,જાહેર કાર્યક્રમ મુજબ વડોદરા જિલ્લામાં આવતી વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓ અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર છે.ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત તરીકે પાદરા, કરજણ, શિનોર, સાવલી, ડભોઇ, ડેસર, વડોદરા અને વાઘોડિયા તાલુકાઓનો સમાવેશ થાય છે. તેમજ નગરપાલિકા તરીકે ડભોઈ, પાદરા, સાવલી અને વાઘોડિયાની ચૂંટણી યોજાશે.આ લોકશાહી પર્વ માટે જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તા. ૦૯/૦૪/૨૦૨૬ સુધીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરાઈને પરત કરવામાં આવ્યા છે, જેના આધારે ચૂંટણીમાં રસપ્રદ જંગ જાેવા મળવાની સંભાવના છે. વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નં-૧૬માં આપ વતી હીતેશ પરમાર અને પીંકી ધીરજ લાલે અને કોંગ્રેસ વતી જગદીશ મકવાણાએ ઉમેદવારી કરી છે,વોર્ડ-૧૮માં આપ વતી વિનય સુભાષ ચવાણે બે ફોર્મ ભર્યા છે. અને ભરતભાઈ રોહિતે ઝંપલાવ્યું છે.જયારે વોર્ડ નં-૧૯માં આપ વતી જ્ઞાનદીપક શર્મા અને અક્ષયસિંહ જાદવે ઉમેદવારી કરી છે.ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે મતદાન તથા મતગણતરીના દિવસે ફરજ બજાવનાર કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ તાલીમ સત્રોમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફને ઈવીએમ મશીનના બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટના જાેડાણ, મોક પોલ પ્રક્રિયા, મશીનની સીલિંગ તથા ટેકનિકલ ખામીઓના નિવારણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન કર્મચારીઓએ ઈવીએમની કાર્યપદ્ધતિને પ્રત્યક્ષ રીતે સમજવાનો અવસર મેળવ્યો હતો.જિલ્લાના વિવિધ જાહેર સ્થળો તથા મતદાન મથકો પર મતદારોમાં જાગૃતિ લાવવા માટે પણ પ્રયાસો હાથ ધરાયા છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક વોર્ડમાં ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે, જેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી (છછઁ) અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જાેવા મળી રહી છે. ચૂંટણી નજીક આવતા રાજકીય ગરમાવો વધતો જાેવા મળી રહ્યો છે.આવતી ૨૬મી એપ્રિલે યોજાનારી આ ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર તથા રાજકીય પક્ષો બંને સજ્જ બન્યા છે અને સમગ્ર જિલ્લામાં લોકશાહીના આ મહાપર્વને લઈને ઉત્સાહનો માહોલ છવાયો છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
1980 |
રાજ્યમાં ગરમીનો રાઉન્ડ શરૂ, પાંચ દિવસ માટે ગરમીનું યલો એલર્ટ અપાયું
છેલ્લા કેટલાક દિવસથી વેઘરની પેર્ટન ચેન્જ થતાં આ વર્ષે માર્ચમાં ઉનાળામાં જે ગરમી પડે, તેવી ગરમીનો અનુભવ ન થઇ શક્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ માવઠું થયું છે. જાે કે હવે માવઠાનું સંકટ ટળ્યું છે. હવામાન વિભાગે હવે તાપમાનમાં વધારો થવાના સંકેત આપ્યાં છે. આગામી દિવસોમાં ૪ ડિગ્રી તાપમાનમાં વધારો થઇ શકે છે. હવામાન વિભાગે આગામી ૫ દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનિય છે કે, ૧૧ એપ્રિલે વધુ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે આ સિસ્ટમ ભારતના દક્ષિણ અને પૂર્વ વિસ્તારને અસર કરશે અને આ વિસ્તારમાં તેના કારણે કમોસમી વરસાદ થશે. પરંતુ આ સિસ્ટમથી ગુજરાતના વાતાવરણમાં કોઇ અસર નહિ થાય. આકશ સ્વસ્છ રહેશે અને તાપમાનો પારો ઉંચે જતાં અકળાવતી ગરમીનો અનુભવ થશે ૧૧થી ૧૪ એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. કોસ્ટલ ક્ષેત્રમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી આસપાસ રહેશે. છેલ્લા ૨૪ કલાકમાં અમરેલીમાં ૩૬.૭ સૌથી વધુ તાપમાન નોંધાયુ. અમદાવાદમાં ૩૬.૬ અને ગાંધીનગર ૩૫.૪ ડિગ્રી તાપમાન નોંધાયું. હાલ ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. પવનની ગતિ હમણાં નોર્મલ રહેશે. આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી. તો બીજી તરફ અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત આઠ રાજ્યોમાં હવામાન ચેતવણી જાહેરી કરવામાં આવી છે. આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
2079 |
ભાજપે ૯૦થી વધુ મુસ્લિમોને ટિકિટ આપી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં મુસ્લિમોનો વિરોધ કરતાં ભાજપના મોવડી મંડળ દ્વારા આ ચૂંટણીઓમાં વલણ બદલ્યું છે. એટલું જ નહીં, ભાજપ દ્વારા લાંબા સમય બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મુસ્લિમોને છૂટા હાથે ટિકિટોનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૫૦ જેટલા મુસ્લિમોને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા અંતિમ સમયે વિવિધ જિલ્લાઓની જિલ્લા, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓની બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા લાંબા સમય બાદ મુસ્લિમ સમાજને ટિકિટો ફાળવણીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા વિવિધ જિલ્લાઓની જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓ માટેના ઉમેદવારો જાહેર કરાયા છે. તેમાં ૯૦થી વધુ મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા મુસ્લિમોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લા પંચાયતમાં ભિરડીયારા બેઠક પર અબ્દુલ્લા બુઢા જત, દયાપાર બેઠક પર આઇશબાઇ મોડ સુમારા અને દિનારા બેઠક પરથી જનતબાઈ રસુલ સમાને ટિકિટ આપી છે. તો ભચાઉ તાલુકા પંચાયતમાં લાકડિયા-૧ માં સાદીક સુલેમાન રાઉમા, ભુજ તા. પં.માં ધ્રોલાણા બેઠક પર મેમૂનતબાઈ ઈસાક સામા, દિનારા બેઠક પર સલમા વાયદના સમા, જુણા બેઠક પર સોયાબ સુલેમાન સમાં ખારી બેઠક પર લતીફ ભિલાલ ઠેબા, રતાડિયા બેઠક પર પરવેઝ ઇશાક સમા અને સરાડા બેઠક પર હાજિયાણી અબ્દુલ જતને ટિકિટ આપી છે. નખત્રાણા તાલુકા પંચાયતમાં મથલ બેઠક પર ઇલિયસ આદમ પિંઝારા, અબડાસા તાલુકા પંચાયતમાં બેર મોટી બેઠક પર હારુનઅલી મામદ હાલેપોત્રા, ખીરસરા (કો) બેઠક પરથી સાફિના અબ્દુલ્લા સુમારા, નલિયા-૨ બેઠક પરથી સેઝાન ઇરફાન મોકરશીને સુથરી બેઠક પરથી તૌસિફ મામદ સંગારને ટિકિટ અપાઈ છે. મુંદ્રા તાલુકા પંચાયતમાં ભદ્રેશ્વર બેઠક અપ્રથિ અફ્સાના ઓસમાણ કુંગાડાને, નાના કપાયા બેઠક પરથી સદદમ હુસેન સતાર તુર્કને, લખપત તાલુકા પંચાયતમાં બરન્દા બેઠક પરથી હુસેન સુલેમાન પઢિયારને, દોલતપર બેઠક પરથી હવાબાઈ આરબ જતને, ધડૂલી બેઠક પરથી ફાતેમાબાઈ અબ્દુલ્લા જતને, માતાના મઢ બેઠક પરથી ઓસમાણ ઉમરભાઈ રાયમાને, મીંઢિયાળી બેઠક પરથી અબ્દુલ કરીમ કાસમને, નારાયણ સરોવર બેઠક પરથી મેરિયાબાઈ ઉમરભાઈ જતને ટિકિટ આપી છે. તો માંડવી નગરપાલિકામાં વિવિધ વોર્ડમાં ૬ મુસ્લિમોને ટિકિટ આપી છે, જ્યારે ભુજ નગરપાલિકામાં વિવિધ વોર્ડમાં ૭ મુસ્લિમને ટિકિટ આપી છે. જ્યારે અંજાર નગરપાલિકામાં બે, મુંદ્રા-બારોઈ ન્બગરપાલિકામાં ચાર મુસ્લિમને અને નખત્રાણા નગરપાલિકામાં બે મુસ્લિમને ટિકિટ આપી છે. આમ કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા મુસ્લિમોને ટિકિટ આપી છે. આવી જ રીતે ગોંડલ નગરપાલિકામાં ૩, ધોળકા નગરપાલિકામાં ૮, વિરમગામ નગરપાલિકામાં ૩, કલોલ નગરપાલિકામાં ૨, સિદ્ધપુર નપામાં ૪, દાહોદ નગરપાલિકામાં ૮ આમ અત્યાર સુધીમાં જાહેર થયેલી યાદી મુજબ ભાજપ દ્વારા કુલ ૯૨થી વધુ મુસ્લિમોને ટિકિટ ફાળવવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
2178 |
ભારેલો અગ્નિ:ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઉમેદવારી નોંધાવાની સમય મર્યાદા પૂર્ણ થવાના ગણતરીના કલાકો બાકી રહ્યાં છેત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના ઉમેદવારોની ભાજપ અને કોંગ્રેસ જાહેરાત કરી શક્યુ નથી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેર કરવાનું શરૂ કર્યું છે. જેમાં સુરેન્દ્રનગર, અરવલ્લી, વડોદરા, વાવ-થરાદ, રાજકોટ સહિતના જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.આ ઉપરાંત અમદાવાદ જીલ્લાની નગરપાલિકા એવી વિરમગામ , ધોળકાની ઉમેદવારોની યાદી જાહેર કરાઇ હતી તેમજ જીલ્લા અને તાલુકા પંચાયતની ઉમેદવારોની યાદી જાહેર થતા છેલ્લા ત્રણ દિવસથી જે યાદીની ઉત્તેજના હતી તેનો અંત આવ્યો હતો જ્યારે બીજીતરફ બોટાદ, ગાંધીનગર સહિતની નગરપાલિકા અને જીલ્લા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર થયા હતા.મોડી સાંજે રાજકોટ મનપાના ઉમેદવારો જાહેર કરાયા .આ તમામ યાદી વચ્ચે એક બાબત તો સ્પષ્ટ તરી આવતી હતીકે ભાજપમાં પણ ઉમેદવારોની યાદી બાબતે ખેંચતાણ અને ભાંજગડ તો છે જ. માટે જ ગઇકાલે સીએમ હાઉસ ખાતે મેરાથોન મિટીંગ ચાલી હતી જેમાં રાત્રે ત્રણ વાગ્યા સુધી બેઠક બાદ સવારે જીલ્લા વાર નામોની યાદી જાહેર કરાઇ હતી. અમદાવાદ મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની નામોની યાદી આ લખાય છેત્યાં સુધી જાહેર કરાઇ નથી હવે ઉમેદવારી માટેના ગણતરીના કલાકો બાકી છે ત્યારે હજુ સુધી નામો જાહેર ન કરાય તે બાબત ઘણુ બધુ કહી જાય છે તેવી સમગ્ર અમદાવાદમાં ચર્ચા ચાલી હતી. બીજીતરફ કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટેની કવાયતમાં લાગેલી છે કોંગ્રેસમાં પણ ઉમેદવારો માટે કમઠાણ ચાલી રહ્યું હોવાનુ આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે..બંને પાર્ટીના કેટલાંક કોર્પોરેટરોને પોતાની ટિકિટ કપાવવાનો ભય સતાવી રહ્યો છે. ભાજપ કાર્યકરોમાં ટિકિટને લઈ અસંમજસ: કાર્યાલયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકવો પડ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આ વખતે ભાજપને ઉમેદવારો નક્કી કરવામાં રાત-દિવસ એક કરી દેવા પડ્યા છે. ભાજપની મજબૂરી એવી થઈ ગઈ છે કે જૂના અને નવા ચહેરાઓ, જ્ઞાતિ સમીકરણ, વિસ્તારમાં કરેલા કામો, સ્વચ્છ છબી ધરાવે તેવો સમન્વય ધરાવતા દાવેદારને ટિકિટ આપવામાં ખાસ્સું કાઢવું પડે તેવી ઘડીઓ હાલ પાર્ટીમાં ગણાઈ રહી છે. ૧૧ એપ્રિલ સુધી ઉમેદવારોને ફોર્મ ભરવા માટે છેલ્લો દિવસ છે ત્યારે ૧૦ મીએ અડધા દિવસ બાદ કેટલાક વોર્ડમાં ટેલિફોનથી ઉમેદવારોને જાણ કરી દેવાતા કાર્યકરોમાં ટિકિટને લઈ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ખાનપુર શહેર ભાજપ કાર્યાલયે આજે કાર્યકર્તાઓમાં રોષથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
1881 |
શહેરમાં વાહનની ડિકીમાંથી લાખો ચોરનાર બે ઝડપાયા
અમદાવાદના દાણીલીમડામાં ચોરીની ઘટનામાં શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ૭ એપ્રિલનાં રોજ એ.વાય. હોકાબા ફેક્ટરી પાસે તસ્કરો એક્ટિવા અને તેની ડેકીમાં મૂકેલા લાખો રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા. ચોરીની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના સચોટ નેટવર્કની મદદથી ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરી કરાયેલો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે. વિગત મુજબ, ૭મી એપ્રિલની રાત્રે નવ વાગ્યાની આસપાસ ચોરીની ઘટના ઘટી હતી. ભોગ બનનાર વ્યક્તિએ પોતાની એક્ટિવા પાર્ક કરી હતી, જેની ડેકીમાં રોકડ રકમ સાથેનું પર્સ રાખેલું હતું. તકનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો આખું વાહન જ ચોરી ગયા હતા. ઘટનાની ગંભીરતાને જાેતા ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસમાં જાેડાઈ હતી. બાતમી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલા શખ્સો રિવરફ્રન્ટના ધોબીઘાટ પાસે જાેવા મળ્યા છે. જેના આધારે પોલીસે જાવેદ ઉર્ફે જાવલા ઐયુબભાઈ ઘોરી અને અરબાઝ ઉર્ફે દાંતલા ઇસ્માઇલભાઈ શેખ નામના બે આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેમની પાસેથી પોલીસે ચોરીનું એક્ટિવા, પર્સ, ચશ્મા અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, ડેકીમાં રહેલા રૂપિયા ૨,૦૫,૪૫૦ની રોકડ રકમ પણ પોલીસે સુરક્ષિત રીતે રિકવર કરી લીધી છે. કુલ મળીને રૂપિયા ૨,૫૦,૪૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા બંને આરોપીઓ ગુનાહિત માનસ ધરાવતા હોવાનું જણાય છે. હાલમાં દાણીલીમડા પોલીસ મથકે તેમની વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
2376 |
શહેરના પચાસથી વધુ વેપારીઓ સાથે ઠગાઇ આચરનારને પોલીસે ઝડપ્યો
વેપારીઓ પાસેથી ઇલેક્ટ્રોનીક્સ ગેટેઝ્સ અને કપડા સહિતનો માલ વેપારી પાસેથી ખરીદીને પેમેન્ટ કર્યાનો બનાવટી સ્ક્રીન શોટ મોકલીને ૫૦થી વધુ વેપારીઓ છેતરપિંડી કરનાર ગઠિયાને સરખેજ પોલીસે ઝડપી લીધો હતો. બોપલ આંબલી રોડ પર કાપડની દુકાન ધરાવતા વેપારીને બનાવટી સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.બોપલમાં રહેતા મયુરભાઇ દોંગા બોપલ આંબલી રોડ પર પડદાના કાપડની શોપ ધરાવે છે. એક સપ્તાહ પહેલા એક યુવક આવ્યો હતો અને તેણે તાત્કાલિક કાપડ લેવાનું કહીને ૪૦ હજારનું કાપડ પસંદ કર્યું હતું. જેમાં તેણે બેંકની ડીટેઇલ મોકલીને કાપડ લઇને પેમેન્ટ કર્યાનો સ્ક્રીન શોટ મોકલ્યો હતો. પરંતુ, મયુરભાઇના બેંક એકાઉન્ટમાં નાણાં જમા થયા નહોતા. બીજી તરફ યુવકનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. આ યુવકે તેનું નામ ઋષિલ શાહ જણાવ્યું હતું. જેની ભાળ ન મળતા મયુરભાઇએ સરખેજ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એલ એલ ચાવડાને ઋષિલ શાહ અંગે કડી મળી હતી અને તેને ઘાટલોડિયામાં આવેલા રત્નદીપ ટાવર સ્થિત મકાનમાંથી ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી કાપડનો જથ્થો ઉપરાંત, અલગ અલગ કંપની લાઇટ, પંખા, ટાયર, આઇફોન સહિત ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસને જાણવા મળ્યું હતું કે તેના વિરૂદ્ધ ગાંધીનગર અને અમદાવાદમાં અકસ્માત સહિત કુલ આઠ ગુના નોંધાઇ ચુક્યા છે. ઠગ કારમાં બનાવટી નંબર પ્લેટ રાખતો હતો અને અન્ય નામના સીમ કાર્ડ પણ વાપરતો હતો. પોલીસે આ અંગે પણ તપાસ શરૂ કરી છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, એપ્રીલ 2026
2277 |
સુરત |
કોલસાનાં ભાવોમાં આંશિક ઘટાડો પણ મિલોમાં ઉત્પાદન ઘટીને ૪૦ ટકા થઇ ગયું
સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગની વેલ્યુ ચેઇનના મહત્વના અંગ ગણાતા ડાઇંગ-પ્રિન્ટિંગ, પ્રોસેસિંગ ઉદ્યોગ મિડલ ઇસ્ટનું યુદ્ધ શરૂ થયું એ પહેલાથી જ કોલસાનાં વધી ગયેલા ભાવોને કારણે પરેશાનીમાં મૂકાયો હતો. જાેકે હવે કોલસાના ભાવમાં પ્રતિ ટને રૂ.૪૦૦થી રૂ.૭૦૦નો આંશિક ઘટાડો થઇ ચૂક્યો છે. કોલસાનો સપ્લાય પણ ડીમાન્ડ અનુસાર થઇ શકે તેવી સ્થિતિ છે, પરંતુ, હવે ટેક્સ્ટાઈલ પ્રોસેસિંગ ઉદ્યોગમાં ઉત્પાદન ૬૦ ટકા ઘટીને ૪૦ ટકા પૂરતું સિમીત થઇ ગયું છે. સુરત શહેર અને ફરતેનાં વિસ્તારોમાં આવેલી અંદાજે ૪૦૦ જેટલી ડાઇંગ પ્રિન્ટિંગ મિલો, પ્રોસેસિંગ યુનિટોમાં લેબર શોર્ટેજને કારણે ફરજિયાત ઉત્પાદન કાપ મૂકવાની નોબત આવી છે.સચિનનાં જાણીતા ટેક્સ્ટાઈલ પ્રોસેસર મિતુલ મહેતા જણાવે છે કે તેઓ દાયકાઓથી આ ઉદ્યોગમાં છે, પરંતુ, અગાઉ ક્યારેય આટલી પરેશાની જાેઇ નથી. તેમણે કહ્યું કે હાલમાં કોઇપણ મિલમાં જઇને પૂછવામાં આવે કે શું સમસ્યા છે તો સૌથી પહેલા લેબરની શોર્ટેજ છે તેવો જ પ્રત્યુત્તર મળે. અંદાજ બાંધી ન શકાય તેટલી મોટી સંખ્યામાં લેબર પોતાના વતનમાં પહોંચી ચૂક્યા છે. એવી જ રીતે ડાઇંગ મિલમાં માસ્ટર તરીકે ફરજ બજાવતા નિકેત પટેલ કહે છે કે શ્રમજીવીને બપોરે અને રાત્રે ભોજન મળે તેવી વ્યવસ્થા કરી હતી. સાથે જ તેમના પરીવારજનોને પણ ભોજન મળે તેવી પણ વ્યવસ્થા કરી હતી આમ છતાં પણ તેઓ પોતાની મિલમાંથી શ્રમજીવીઓને પરીવાર સમેત વતનમાં જતા રોકી શક્યા નહતા. શ્રમજીવીની વસાહતમાંથી બે-પાંચ પરીવારો વતન જાય એટલે વતન વાપસીનો દોર શરૂ થઇ જાય જે અટકવાનું નામ ન લે. આવી જ સ્થિતિ કંઇક ટેક્સ્ટાઈલ ઉદ્યોગનાં શ્રમજીવીઓમાં વર્તાવા પામી છે. કોલસા વિતરકોનું કહેવું છે કે ડાઇંગ પ્રિન્ટિંગ મિલો, પ્રોસેસિંગ હાઉસોમાં ઇંધણ તરીકે જે કોલસાનો ઉપયોગ થાય છે તેમાં આંશિક ઘટાડો થયો છે અને હવે શોર્ટ સપ્લાયની સ્થિતિ પણ રહી નથી. પરંતુ, હવે કોલસાની ઘરાકી પહેલા જેવી રહી નથી. મિલોમાં ઉત્પાદન ઘટી જવાના કારણે કોલસાનો વપરાશ પણ ઘટી ગયો છે. જેને કારણે હવે જેટલી કોલસાની ખપત થતી હતી તેટલી ખપત થતી નથી. કોલસાનો સપ્લાય પણ ઇન્ડોનેશિયાથી અગાઉની જેમ મળવાનો શરૂ થઇ રહ્યો છે. હવે બે મહિના, એપ્રિલ અને મે મહિના સુધી કોલસો મળી શકશે ફરી ચોમાસાના ત્રણ મહિના માટે કોલસાની ડિમાંડ સામે સપ્લાય નહીં થઇ શકે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
11, એપ્રીલ 2026
2475 |
સુરત |
મિડલ ઇસ્ટ યુદ્ધની અસર, સુરતથી દુબઇની ડાયરેક્ટ ફ્લાઇટ તા.૨જીમે સુધી સ્થગિત
ગઇ તા.૨૮મી ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલા બાદથી ખોરવાયેલી સુરતથી દુબઇની ડાયરેક્ટ ફ્લાઇટ હજુ પણ નજીકનાં ભવિષ્યમાં શરૂ થાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી. સુરતથી દુબઇ અને દુબઇથી સુરત એમ ડાયરેક્ટ ફ્લાઇટનું સંચાલન કરતી એરલાઇન એર ઇન્ડિયા એક્ષપ્રેસ દ્વારા સુરતથી દુબઇની સીધી ફ્લાઇટ માટે તા.૩ મે ૨૦૨૬થી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એ પહેલા સુરતથી વન સ્ટોપ ફ્લાઇટ ઉપલબ્ધ છે.સુરતનાં અનેક હીરા ઉદ્યોગપતિઓ કે પછી યુરોપ કે અમેરિકાનાં પ્રવાસે જનારા મુસાફરો દુબઇ કે અબુધાબીથી ફ્લાઇટ પકડતા હોય છે. સુરતથી દુબઇ કે શારજાહની ફ્લાઇટ અને ત્યાંથી યુરોપ કે અમેરિકાની ફ્લાઇટ પકડી શકાય છે. પરંતુ, મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે સુરતથી યુએઇની સીધી ફ્લાઇટ બિલકુલ બંધ થઇ ગઇ છે અને એ આગામી તા.૨ મે સુધી ચાલુ થાય તેવી કોઇ જ શક્યતા દેખાતી નથી. આથી આગામી એક મહિના દરમિયાન જે પણ મુસાફરો દુબઇ કે ત્યાંથી યુરોપ અમેરિકા જવાનું આયોજન કરી રહ્યા છે તેમણે મુંબઇ કે નવી દિલ્હીથી જ ફ્લાઇટ પકડવી પડશે. એર ઇન્ડિયા એક્ષપ્રેસ દ્વારા સુરતથી દુબઇની સીધી ફ્લાઇટનું બુકિંગ આગામી તા.૩ મેથી શરૂ કર્યું છે. એર ઇન્ડિયા એક્ષપ્રેસની વેબસાઇટ પર તા.૩ મેએ સુરતથી દુબઇ ફ્લાઇટ માટે રૂ.૨૫ હજાર સિંગલ સાઇડ ટ્રીપનો ફેર વસૂલ કરવામાં આવી રહયો છે. એનો મતલબ એ કે જ્યારે પણ સુરતથી દુબઇ અને દુબઇથી સુરતની ફ્લાઇટ શરૂ થશે ત્યારે જે રિટર્ન ટિકીટ રૂ.૨૫ હજારમાં મળતી હતી હવે તેના ડબલ રૂપિયા ચૂકવવા પડશે. કારણકે એર ટર્બાઇન ફ્લુઅલનો ચાર્જ વધી ગયો છે અને તેને કારણે ટિકીટનાં ભાવ પણ ડબલ થઇ જવા પામ્યાં છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
11, એપ્રીલ 2026
2475 |
સુરત |
ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વિલંબ ભાજપની રણનીતિનો એક ભાગ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપાના ઉમેદવારોની ભાજપા મોવડીમંડળ દ્વારા ગુરુવારે રાત્રે જાહેર કરવામાં આવશે તેવી વાઇરલ થયેલી વાતોની બીજી તરફ એવી એક સંગીન માહિતી મળી છે કે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં અતિશય વિલંબ કરવો એ ભાજપાની રણનીતિનો એક ભાગ પણ હોઇ શકે. જે ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે તેમને વ્યક્તિગત રીતે ટેલિફોનિક જાણ કરી દઇને ઉમેદવારી માટે ખાનગી રાહે તૈયારી કરી દેવા માટે જણાવી દેવામાં આવ્યું હોઇ શકે અને બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કે જે ભાજપાના ઉમેદવારોની યાદી જાહેર થાય તેની રાહ જાેઇને બેઠા છે, સ્વાભાવિક છે કે ભાજપાની યાદી જાહેર થાય તો અનેક અસંતુષ્ઠો બળવાખોરી કરી શકે અને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તેને ઉમેદવાર બનાવીને ભાજપા માટે કઠિન પરિસ્થિતિ પેદા કરી શકે. આવી શક્યતાઓ નિવારવા માટે ભાજપાની યાદી જાહેર કરવામાં વિલંબ કરાયો પણ વ્યક્તિગત રીતે ઉમેદવારોને જાણ કરી દેવામાં આવી હોઇ શકે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
11, એપ્રીલ 2026
3960 |
સુરત |
સુરત મનપા માટે ૭૪ અને જિલ્લા પંચાયત માટે ૨૬ ઉમેદવારી પત્રક ભરાયા
સુરત શહેર અને જિલ્લામાં યોજાનાર મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા વધુ ઝડપી બની છે વિવિધ વોર્ડ અને બેઠકો માટે મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં ઉતરતા રાજકીય માહોલ ગરમાયો છે અને અનેક બેઠકો પર તીવ્ર મુકાબલાની શક્યતા મજબૂત બની રહી છે. ભાજપનાં ઉમેદવારો આજે શુક્રવારે મોડી સાંજ સુધી ફાઇનલ નહીં થતાં હવે આવતીકાલે તમામ ૧૨૦ ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરશે.સુરત મહાનગરપાલિકાની ચુંટણી માટે આજે કુલ ૭૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં આમ આદમી પાર્ટી સૌથી ૪૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસ તરફથી ૧૪ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ઉપરાંત એનસીપીનાં ૨ અને છૈંસ્ૈંસ્નાં ૧ ઉમેદવારે પણ ઉમેદવારી નોંધાવી છે. આ આંકડાઓ દર્શાવે છે કે વિપક્ષ પક્ષો આ વખતે મજબૂત રીતે પડકાર આપવા તૈયારી કરી રહ્યા છે. સુરત જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે આજે ૨૬ ફોર્મ ભરાયા હતા. જેમાં કોંગ્રેસના ૧૬ ઉમેદવારો આગળ રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના ૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. એક અપક્ષ ઉમેદવાર પણ મેદાનમાં ઉતર્યો છે, જે જિલ્લામાં સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવે છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ભાજપ દ્વારા પરંપરા મુજબ ઉમેદવારોના નામ અંતિમ ક્ષણે જાહેર થવાની શક્યતા છે, જેના કારણે છેલ્લે દિવસે મોટી સંખ્યામાં ફોર્મ ભરાવાની આશા વ્યક્ત થઈ રહી છે. ભાજપના ઉમેદવારો જાહેર થતાં જ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. હાલની પરિસ્થિતિને જાેતા સુરત શહેર અને જિલ્લામાં અનેક બેઠકો પર ત્રિકોણીય અને ચતુષ્કોણીય મુકાબલા સર્જાવાની પૂરી શક્યતા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
11, એપ્રીલ 2026
2475 |
સુરત |
કેટલાકને આખી રાત ઊંઘ ના આવી, કેટલાકે ૧૦-૧૦ મિનિટે ફોન ચેક કર્યા
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોનું લિસ્ટ ગુરુવારે તા.૯મીએ સાંજે જાહેર થવાનું હતું તેવી વાતો ભારે વાઇરલ થઇ હતી અને તેના કારણે ભાજપના ટિકીટ વાંચ્છુઓ એટલા સ્ટ્રેસમાં આવી ગયા કે ન પૂછો વાત. ભાજપના ઉમેદવારો જાહેર કરવાની વાત ગુરૂવારે સાંજની હતી અને આજે શુક્રવારે રાત્રે સવા આઠ વાગ્યા સુધી ભાજપના પ્રદેશ મોવડીમંડળે સુરતના ઉમેદવારોની નામાવલિ જાહેર ન થતા અનેક ટિકીટ વાંચ્છુની હાલત બગડી ગઇ હતી.ભાજપના ટિકીટ વાંચ્છુઓની વાત કરીએ તો ગઇકાલે રાતથી આજે મોડી સાંજ સુધી કેટલાક નેતાઓને તો વારેઘડીએ મોબાઇલ ચેક કરવાની એવી ટેવ પડી ગઇ કે તેમના કાર્યકર્તાઓ અને પરીવારજનો પણ કંટાળ્યા હતા. કેટલાક ટિકીટ વાંચ્છુઓ તો એટલા સ્ટ્રેસમાં હતા કે ગુરુવારે આખી રાત શાંતિથી સૂઇ પણ શક્યા નહતા. ભાજપના કાર્યકર્તાઓને વ્હોટસએપ ગ્રુપોમાં ગુરુવારની આખી રાત મેસેજાે અને જુદી જુદી મનઘડંત વાતોના એવા પડીકા ફર્યા કે ઘણા માટે મનોરંજન પણ થઇ ગયું હતું. ગુરૂવારે આખી રાત પસાર કર્યા બાદ આજે શુક્રવારે વહેલી સવારે ટિકીટ જાહેર કરાશે એવી ગણતરીએ ભાજપના કાર્યકર્તાઓથી માંડીને નાના મોટા નેતાઓ, ટિકીટ વાંચ્છુઓ આખો દિવસ મોબાઇલ ફોન અને ટેલિવિઝન સ્ક્રીન સામે ગોઠવાયેલા રહ્યા હતા. જાેતજાેતામાં આખો દિવસ નીકળી ગયો પરંતુ, મોવડીમંડળે સુરતના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું નહીં. સુરત ભાજપાના કાર્યકર્તાઓ, નેતાઓમાં પણ જાતજાતની વાતો વહેતી થઇ હતી અને જાતજાતની અફવાઓ પણ મોટા પાયે ચાલી હતી. સૌથી વધુ ચર્ચા વરાછા રોડ, કતારગામ, પૂણા, કુંભારીયા વગેરે વિસ્તારોમાં જાેવા મળી. કે જ્યાં ભાજપા સામે આમ આદમી પાર્ટીનું જાેર છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ તો ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. આ વિસ્તારમાં ભાજપા કોને ટિકીટ આપે છે તેના પર ભાજપાના કાર્યકર્તાઓની મીંટ મંડાયેલી છે. કેટલાક નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા હતા કે વરાછામાં ભાજપા ટિકીટ આપવામાં એકાદ બે ભૂલો કરશે તો તેને કારણે આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીને સીધો ફાયદો થશે. ભાજપા મોવડીમંડળ તેમજ સ્થાનિક નેતાઓથી પાયાના કાર્યકર્તાઓમાં ખાસ્સી નારાજગી જાેવા મળી રહી હોઇ, સમગ્ર શહેરમાં સૌથી વધુ ઉત્તેજના વરાછા વિસ્તારના ઉમેદવારોની નામાવલી બાબતે જાેવા મળી રહી છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...