આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
2277 |
મોરબીના માળીયા નગરપાલિકાની ૨૪ બેઠકો માટે એક પણ ભાજપ દાવેદાર સામે આવ્યો નથી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થતા જ હાલ ગુજરાતમાં ભારે રાજકિય ગરમાયો જામ્યો છે. રાજ્યભરમાં હાલ ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતની વિવિધ પાર્ટીઓ વિવિધ જગ્યાએ પાલિકા, મહાનગરપાલિકા, તાલુકા તથા જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોનો ભરતી મેળો એટલે કે સેન્સ પ્રક્રિયા હાથ ધરી ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી છે. આ સમયે ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટા ભાગના શહેરોમાં ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જાેકે આવા સમયે ગુજરાતમાં આ એક જગ્યાએ સ્થિતિ એકદમ ઉલટી સર્જાઈ છે અને ભાજપને અહીં પોતાનો મુરતિયો દીવો લઇને શોધવા નીકળવું પડે તેવું જાણવા મળી રહ્યું છે. વિગતવાર વાત કરીએ તો, આ ચૂંટણીઓમાં મોરબી જિલ્લા માળીયા નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે. જે માટે ભાજપ દ્વારા યોજવામાં આવેલ સેન્સ પ્રક્રિયામાં એક પણ દાવેદાર દાવેદારી ન કરવા આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતભરમાં ભાજપ તરફથી ચૂંટણી લડવા લોકોની પડા પડી જાેવા મળી રહી છે, પરંતુ મોરબીના માળીયામાં ભાજપને એક પણ ઉમેદવાર મળ્યો નથી. જેથી ભાજપને અહીં એક ઉમેદવાર પણ શોધવો મોટી ચેલેન્જ સમાન સાબિત થઈ રહ્યો છે. આ તરફ અમદાવાદ મહાનગર પાલિકા ચૂંટણી માટે ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો સામે અંદાજે ભાજપમાં ૨૩૬૪ લોકોએ દાવેદારી નોંધાવી છે, તો અમરેલીમાં પણ ૧૬૮૦ કાર્યકરોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી સાથે જ ગુજરાતના મોટા ભાગના શહેર તથા જીલ્લાઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાજપમાંથી ચૂંટણી લડવાની ઈચ્ચા વ્યક્ત કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, એપ્રીલ 2026
2772 |
ભાવનગર શહેરમાં આચારસંહિતા ભંગની સૌ પ્રથમ ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનું રણશિંગુ ફૂકાઈ ચૂક્યું છે, ત્યારે રાજયમાં સૌ પ્રથમ આચારસંહિતા ભંગની ફરિયાદ ભાવનગરમાં નોંધાવાઇ છે. ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસનાં દાવેદાર દ્વારા ચૂંટણી તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સેમિફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં ૧૫ મહાપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો, ૮૪ નગરપાલિકાઓ અને ૨૮૦ તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજયમાં આચારસંહિતા અમલી બની ગઈ છે. ત્યારે ગુજરાતમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ ભાવનગર ખાતે નોંધાવાઇ છે. જેમાં ભાવનગરના ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩માં કોંગ્રેસનાં દાવેદાર એવા કલ્પેશ પટેલ દ્વારા સુભાષનગર ચોકમાં જૈન દેરાસર પાસે લાગેલા એક એલઇડી સ્કીન પર ભાવનગર મહાપાલિકા દ્વારા વિકાસ કાર્યોના વીડિયોની જાહેરાત ચાલતી હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે કોંગ્રેસનાં કાર્યકર અને ઘોઘાસર્કલ વોર્ડના દાવેદાર એવા કલ્પેશ પટેલ દ્વારા મીડિયાને જણાવાયું હતું કે, મારા વિસ્તાર એવા ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩માં આવેલા સુભાષનગર ચોકમાં આવેલા જૈન દેરાસર પાસે લાગેલી એલઇડી સ્ક્રીન પર ભાવનગર મહાપાલિકાએ કરેલા કામો, ખાતમુહૂર્ત કરેલા કામોના વીડિયોની જાહેરાત ચાલી રહી છે. જેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના નેતાઓના ફોટાઓ સાથેની વીડિયો જાહેરાત ચાલી રહી છે. જે એક આદર્શ સામાન્ય આચારસંહિતા ભંગ સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર મહાપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, અને આચારસંહિતા અમલી બની છે. ત્યારે આ બાબતથી આચારસંહિતાનો ભંગ થતો હોવાનું સ્પષ્ટ જણાય છે. જેથી આજે મે ચૂંટણી તંત્ર સમક્ષ આચારસંહિતા ભંગ માટેની ફરિયાદ નોંધાવી છે. આ માટે જે કોઈ જવાબદાર હોય તેવા અધિકારી હોય તેની સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, એપ્રીલ 2026
2574 |
એસીબીએ સીપીડબ્લ્યુડીના મદદનીશ ઇજનેરને ૪.૫૨ લાખની લાંચ લેતા ઝડપ્યો
જામનગરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી સરકારી તંત્રમાં ચાલી રહેલી લાંચપ્રથા સામે કડક કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીના (વર્ગ-૨)ને ૪.૫૨ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સીપીડબ્લ્યુડી કચેરીમાં ટ્રેપ એસીબીએ ગોઠવી આરોપીને પૈસા લેતા રંગેહાથ ઝડપી પાડ્યો. મળતી માહિતી મુજબ, આ કેસમાં ફરિયાદીના મિત્રને જામનગર જિલ્લાના લાખાબાવડ ગામ નજીક હાઈવે પર આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તથા ડબ્લ્યુએચઓના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ બનેલા રિસર્ચ સેન્ટરમાં ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના મોજપ ગામે આવેલા બીએસએફ મરીન તાલીમ કેન્દ્રમાં પણ ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ સોંપાયું હતું. આ બંને કામગીરીના બિલ મંજૂર કરવા માટે આરોપી મદદનીશ ઇજનેર વિજયકુમાર મીનાએ ફરિયાદીના મિત્ર પાસે રૂબરૂમાં ૪.૫૨ લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીના મિત્રએ લાંચ આપવાનો ઇનકાર કરતા સમગ્ર મામલો એસીબી સુધી પહોંચ્યો હતો. બાદમાં એસીબીએ ટ્રેપ ગોઠવી આરોપીની ચેમ્બરમાં જ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને લાંચની રકમ સ્વીકારી હતી. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદીના મિત્ર સાથે મોબાઇલ ફોન પર પણ લાંચની રકમ મળ્યાની કબૂલાત કરી હતી. એસીબીની ટીમે સ્થળ પર જ આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ૪.૫૨ લાખની લાંચની રકમ જપ્ત કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
02, એપ્રીલ 2026
2871 |
દ્વારકામાં કડાકા-ભડાકા સાથે ચોમાસા જેવો વરસાદ, રસ્તાઓ પર પાણી-પાણી
રાજ્યના હવામાનમાં પલટાની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઇ છે. કમોસમી વરસાદથી રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે હજુ પણ કાળા ડિબાંગ વાદળો જાેવા મળી રહ્યા છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઇ છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લાનું વાતાવરણ વાદળછાયું જાેવા મળ્યું હતું. અચાનક આવેલા વાતાવરણમાં આ પલટાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. તો બીજી તરફ શિયાળુ પાક પણ ખેતરમાં ખુલ્લો પડેલો છે, ત્યારે કમોસમી વરસાદને કારણે રવિ પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. ૩ એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આજે અને તે પછીના બે દિવસ એમ કુલ ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહીની સાથે ગાજવીજ અને પવનની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, માર્ચ 2026
3366 |
આ ‘ડિકેડ’ ભારતનો ‘ટૅકેડ’ : પીએમ મોદી મહિનામાં બીજા સેમિકંડકટર પ્લાન્ટનું ઉદઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ જિલ્લાના સાણંદથી કેઇન્સ સેમિકંડક્ટર ઓસાટ ફેસિલિટીનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આ ‘ડિકેડ’ એટલે કે દશકો ભારતનો ‘ટૅકેડ’ છે. તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે તકનીકી ક્ષેત્રે જે નવી પહેલો કરી છે, તે આગામી દાયકાઓમાં વૈશ્વિક સ્તરે દેશના નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારમાં ભારત આજે એક ભરોસાપાત્ર સેમિકંડક્ટર સપ્લાયર તરીકે ઊભરી રહ્યું છે. ત્યારે સાણંદમાં તૈયાર થયેલી આ ચિપ્સ અમેરિકા પહોંચીને સમગ્ર વિશ્વને અજવાળશે. સેમિકંડક્ટર ક્ષેત્રે ભારતનું વર્તમાન વૈશ્વિક માર્કેટ રૂ. ૪.૫ લાખ કરોડ રૂપિયાનું, વર્ષ-૨૦૩૦ સુધીમાં ૯ લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે કેઇન્સ સેમિકોનની અત્યાધુનિક આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસાટ-ઓએસએટી) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરીને દેશના સેમિકન્ડક્ટર મિશનને નવું સામર્થ્ય બક્ષ્યું છે. સાણંદ જીઆઈડીસી ખાતે અંદાજે રૂ.૩૩૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. વડાપ્રધાને પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ સુવિધાનું બારિક નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને કેઇન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કેઇન્સના યુવા એન્જિનિયર્સ સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાનના હસ્તે વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ થતા ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નવા યુગનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે વડાપ્રધાન અને કેઇન્સના વાઈસ ચેરમેન રમેશ કુન્હિકન્નનના હસ્તે કેઇન્સ સેમિકોન દ્વારા તેમના એન્કર કસ્ટમર ‘આલ્ફા ઓમેગા સેમિકન્ડક્ટર’ના સીઈઓ સ્ટીફન ચેંગને પ્રોડક્ટ એનાયત કરાઈ હતી. આ અવસરે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીનો આ સમયગાળો માત્ર આર્થિક હરીફાઈનો સમય નથી, પરંતુ ભવિષ્યના ટૅક લૅન્ડસ્કૅપને આકાર આપવાનો સમય છે. પરિણામે, વર્ષ-૨૦૨૧માં ભારતમાં સેમિકંડક્ટર મિશનનો પ્રારંભ કરાયો હતો. આ માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ વૈશ્વિક કક્ષાએ ભારતના આત્મવિશ્વાસનું એલાન છે. તેમણે કહ્યું કે આજનું આ નવું ભારત માત્ર બદલાવનું સાક્ષી નહીં.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રમત ગમત
06, એપ્રીલ 2026
1386 |
વડોદરા |
બીસીએ, કિરણ મોરે અને અમુલ જીકારે કરેલી રિવિઝન અરજીની આજે સુનાવણી
બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીને લઈને થયેલી પીટીશન પર ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા ગત ૧૬મી માર્ચના રોજ ચુકાદો જાહેર થયો હતો જેમાં ચાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા જેના પગલે બીસીએ,કિરણ મોરે અને અમૂલ જીકારે ડિવિઝન બેન્ચમાં રીવીઝન અરજી દાખલ કરી છે જેની સુનાવણી ૭મી એપ્રિલ મંગળવારના રોજ થશે.બીસીએના સૂત્રો મુજબ બીસીએના સભ્યો પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા દાખલ કરાયેલી પીટીશનની લંબાણપૂર્વક સુનાવણી બાદ કોર્ટે પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે સહિત અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલેને બીસીએની ચૂંટણીના ઉમેદવાર ગેરલાયક ઠેરવ્યા હતા,જાે કે ચુકાદા સામે અપીલ કરવા ચારેવ સભ્યોને બે સપ્તાહની મહેતલ અપાઈ હતી,આ ચુકાદા બાદ બીસીએના બંને જૂથોમાં ભારે હલચલ મચી ગઇ હતી અને બેઠકોનો દોર શરૂ થયો હતો બેઠકના અંતે રીવાઇવલ જૂથને હાઇકોર્ટમાં ડિવિઝનલ બેન્ચ સમક્ષ જવાનો નિર્ણય લીધો હતો.જેમાં કિરણ મોરે અને અમૂલ જીકારે રિવિઝન અરજી દાખલ કરી હતી.બીસીએના બંને સભ્યોએ રજૂઆત કરી હતી કે, સુપ્રીમ કોર્ટના ૨૦૨૨ના ચુકાદા મુજબ કોઈપણ વ્યક્તિ ૯ વર્ષ સુધી ક્રિકેટ સંસ્થામાં હોદ્દા પર રહી હોય તો તે ચૂંટણી લડવા માટે આપોઆપ અયોગ્ય બને છે. ઉપરાંત સતત બે ટર્મ પછી ત્રણ વર્ષનો કુલિંગ પિરિયડ ફરજિયાત છે. તેમ છતાં કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલેના ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવ્યા હતા. આ મુદ્દે ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા રજૂ કરવા છતાં કોઈ ર્નિણય લેવાયો નહોતો અને ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી. બીજી બાજુ બરોડા ક્રિકેટ એસોસિયેશન તરફથી કોર્ટમાં દલીલ કરાઈ હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે અને ફરિયાદોના નિવારણ માટે ઓમ્બુડ્સમેનની વ્યવસ્થા પણ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
06, એપ્રીલ 2026
1485 |
વડોદરા |
ગોત્રીમાં હનુમાનજીની કથાના સ્થળે ચગડોળના સંચાલન મામલે હોબાળો
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ કલાનગરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત હનુમંત ચરિત્ર કથાના સ્થળે રાઈડ્સના સંચાલનને લઈને મોટો વિવાદ સર્જાયો છે. કથા સ્થળે બાળકો માટે રાખવામાં આવેલી રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજના યુવકો દ્વારા કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરી સ્થાનિક હિન્દુ સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને રાઈડ્સ બંધ કરાવી દીધી હતી.રવિવારે રાત્રિના સમયે હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો કથા સ્થળે પહોંચ્યા હતા. સંગઠનના સભ્ય નયન સકપાલના જણાવ્યા અનુસાર, કથાની પવિત્રતા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે રાઈડ્સ પર કામ કરનારા અને સંચાલન કરનારા લોકો લઘુમતી સમાજના છે. સંગઠનનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર ઘનશ્યામ વાવડિયાએ ૫૦ ટકાની ભાગીદારીમાં આ લોકોને કામ સોંપ્યું છે, જેનાથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. મામલો ગરમાતા અને કાર્યકરોનો રોષ જાેતા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તત્કાલ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કાર્યકરોએ દરેક રાઈડ્સ પર જઈને સંચાલકોના નામ પૂછ્યા હતા અને ત્યારબાદ રાઈડ્સ ઓપરેશન બંધ કરાવી દીધું હતું. બીજી તરફ, કોન્ટ્રાક્ટર ઘનશ્યામ વાવડિયાએ ભાગીદારીના આક્ષેપોને નકારતા જણાવ્યું હતું કે, “રાઈડ્સ મારી પોતાની જ છે અને કોઈની સાથે ભાગીદારી નથી. અગાઉ કામ કરતા યુપીના છોકરાઓ વતનમાં ગયા હોવાથી કામચલાઉ ધોરણે નવા માણસો રાખવામાં આવ્યા હતા.” જાેકે, હિન્દુ સંગઠનોએ કથાની મર્યાદા અને પવિત્રતાનો મુદ્દો ઉઠાવી વિરોધ યથાવત રાખ્યો હતો. હાલ આ મામલે ગોત્રી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિ જાળવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
06, એપ્રીલ 2026
1584 |
વડોદરા |
આરટીઓ કચેરીમાં ઝેરી ગૅસ ભરેલા ૧૩ બોંબ બ્લાસ્ટની ધમકીથી દોડધામ
શહેરની સ્કુલો, કોલેજ, યુનિ. અને કોર્ટ બાદ હવે આજે સવારે આરટીઓ કચેરીમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો જેને પગલે પોલીસ તંત્ર વધુ એક વાર દોડતું થયું હતું. ઈમેલમાં આરટીઓમાં ઝેરી ગેસ ભરેલા ૧૩ બોમ્બ ફુટશે અને ત્યાં સુધીમાં ફક્ત મુસ્લીમોને જ ખાલી કરાવો તેવી ધમકી આપવામાં આવી હોઈ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમે આરટીઓ સંકુલ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતું આ વખતે પણ કોઈ વાંધાજનક ચીજ નહી મળતાં આ ઈમેલ પણ બોગસ ધમકી હોવાનું સપાટી પર આવ્યું હતું.શહેરના છેવાડે હાઈવે પર દરજીપુરા પાસે આવેલા આરટીઓ કચેરીમાં મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સ્મિત સુથાર આજે સવારે સવા દસ વાગે આરટીઓ કચેરીના ટેસ્ટીંગ ગ્રાઉન્ડ પર હાજર હતા તે સમયે તેમને આરટીઓ કેતન ખપેડે ફોન કરીને જાણ કરી હતી કે અમે આરટીઓ ઓફિસના મેઈલ પર આરટીઓમાં બોમ્બ મુકવા સંબંધે ધમકીભર્યો મેઈલ આવેલો છે જેથી ટેસ્ટીંગની કામગીરી બંધ કરી અરજદારોને બહાર કઢાવો. આ સુચનાના પગલે લાયસન્સ મેળવવા માટે વાહનના ડ્રાઈવીંગ ટેસ્ટની કામગીરી માટે આવેલા લોકોને તુરંત આરટીઓ ગેટની બહાર રવાના કરાયા હતા. ત્યારબાદ સ્મિત સુથારે આરટીઓની ઓફિસમાં જઈ તપાસ કરી હતી જેમાં કોઈ અજાણી વ્યકિત દ્વારા કિરુથીગા ડોટ ઉદયનિધિ એટ ધ રેટ હોટમેઈલ ડોટ કોમ પરથી આરટીઓના સત્તાવાર ઈમેલઈ પર સવારે ૪.૧૩ વાગે એક ઈમેઈલ મોકલ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે બપોરે ૧૧.૫૦ વાગે આરટીઓમાં ઝેરી ગેસ ભરેલા ૧૩ બોમ્બ ફુટશે, ત્યાં સુધીમાં ફક્ત મુસ્લીમોને જ ખાલી કરાવો. આ ધમકીભર્યા ઈમેઈલની પોલીસને જાણ કરાતાં જ હરણી પોલીસનો કાફલો તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીએસ)અને ડોગ સ્કવોડની ટીમનો કાફલો આરટીઓ કચેરીમાં દોડી ગયો હતો. બીડીએસ અને ડોગ સ્કવોર્ડની ટીમના શ્વાનોએ આરટીઓ કચેરી તેમજ કચેરીના સમગ્ર સંકુલમાં ઝીણવટભરી તપાસ કરી હતી પરંતું કોઈ પણ જગ્યાએથી બોંબ કે કોઈ વાંધાજનક ચીજવસ્તુ નહી મળતાં તમામે રાહતનો દમ લીધો હતો. આજે સવારે કામધંધો છોડીને ડ્રાઈવીંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા માટે આવેલા અરજદારોને રવાના કરવામાં આવતા તેઓને ધક્કો પડ્યો હતો. આ બનાવની સ્મિત સુથારની ફરિયાદના પગલે હરણી પોલીસે આરટીઓ કચેરીમાં ધમકીભર્યો ઈમેઈલ મોકલનાર અજાણી વ્યકિત અને જે એડ્રેસ પરથી ઈમેઈલ મોકલાયો હતો તેના ધારક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
06, એપ્રીલ 2026
1485 |
વડોદરા |
વડોદરા જિલ્લા કોંગ્રેસના ઉપ્રમુખ સહિત ચાર અગ્રણીઓ ભાજપમાં જાેડાઈ ગયા
ચૂંટણી પહેલા ભાજપ - કોંગ્રેસમાં જાેડતોડનું રાજકારણ હવે વધુ તેમજ બન્યુ છે. આજે વડોદરા જિલ્લા કોંગ્રેસના ચાર આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપામાં જાેડાયા હતા. ભાજપના સ્થાપના દિવસે જ ચાર આગેવાનો સહિતને જિલ્લા ભાજપા પ્રમુખ,ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.ડભોઇ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી સક્રિય અને કોંગ્રેસના હોદ્દા ઉપર રહેલા કાર્યકરોએ આજે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો., કોંગ્રેસનો હાથ છોડનાર ચાર આગેવાનોમાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર પ્રહલાદ પટેલ, કોંગ્રેસના મહામંત્રી કુલદીપસિંહ રાજ, કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયેશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી નિલેશ રાઠોડનો સમાવેશ થાય છે. ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો. ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના ખાસ મનાતા પ્રહલાદ પટેલ હાલમાં કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ છે. તાજેતરમાં યોજાયેલી બરોડા ડેરીની ચૂંટણનીમાં પણ તેઓએ ઉમેદવારી નોંધાવી હતી જાે કે તેમનો પરાજય થયો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, આ કાર્યકરોના આવવાથી ડભોઇમાં ભાજપ વધુ મજબૂત બનશે. તમામ કાર્યકરો હાલમાં કોંગ્રેસ સાથે જાેડાયેલા છે પરંતુ તેઓ ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને ભાજપમાં જાેડાયા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
06, એપ્રીલ 2026
1386 |
વડોદરા |
શેખ બાબુ મર્ડર કેસમાં પોલીસ જવાનની જામીનઅરજી નામંજૂર
ફતેગંજ પોલીસ મથકમાં સર્જાયેલા ચકચારભર્યા શેખ બાબુ મર્ડર કેસમાં સંડોવાયેલા ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન પોલીસ જવાનની જામીન અરજી અત્રેની કોર્ટે નામંજુર કરી હતી. મુળ તેલંગાનાના વતની અને પાંચ વર્ષ અગાઉ અમદાવાદમાં રહેતા શેખબાબુ શેખ નિસારની ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન પીઆઈ સહિતના સ્ટાફે ગત ડિસેમ્બર-૨૦૧૯માં ચોરીના કેસમાં સ્ટેશન પાસેથી અટકાયત કરી હતી. ત્યારબાદ શેખ બાબુને પુછપરછના બહાને ફતેગંજ પોલીસ મથકમાં લઈ જઈ ઢોર માર મારીને હત્યા કરાઈ હતી અને તેમની લાશને પણ સગેવગે કરવામાં આવી હતી. આ બનાવમાં ફતેગંજ પોલીસ મથકના પુર્વ પીઆઈ સહિત છ પોલીસકર્મીઓની ધરપકડ કરી તેઓને જેલભેગા કરાયા છે. આરોપી પૈકીના મુળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકા સ્થિત જરખરીયા ગામના વતની પોલીસ જવાન પંકજ માવજી રાઠોડે તેની નાની અને ફુવાના બેસણામાં હાજર રહેવા માટે તેમજ તેના બાળકને આરટીઈ હેઠળ એડમિશનની કામગીરી માટે બાર દિવસના વચગાળાની જામીની માગણી કરી હતી. પંકજ રાઠોડ જ શંકાસ્પદ આરોપી શેખ બાબુ સાઈકલ લઈને નીકળતાં તેમને ફતેગંજ પોલીસ મથકે લઈ આવ્યો હતો. શેખ બાબુની હત્યા સમયે તે પોલીસ મથકમાં હાજર હતો અને તેણે હત્યાના સાક્ષી કમલેશ સોલંકીને પોલીસ મથકથી ઘરે રવાના કર્યો હતો. દરમિયાન શેખ બાબુ મર્ડર કેસમાં ખાસ નિમાયેલા સરકારી વકીલ એસ.આઈ.ધરીયાની દલીલોને ગ્રાહ્ય રાખી સત્ર ન્યાયાધીશ વિકુલ પાઠકે વચગાળાની જામીન અરજી નામંજુર કરી હતી.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, એપ્રીલ 2026
1881 |
એકાએક રસ્તા પર બેરીકેડ મૂકાતા લોકાક્રોશ લોકોનાં સમય, પૈસા અને ઈંધણનો વેડફાટ
અમદાવાદના રાયખડ ચાર રસ્તા આગળ એક તરફ ભદ્ર અને બીજાે જયશંકર સુંદરી હોય અને વિક્ટોરિયા ગાર્ડન થી કોર્પોરેશન જવા વાળો જે ચાર રસ્તા છે એ ચાર રસ્તા પર બેરીકેટ મૂકી ચાર રસ્તાને બંધ કરી દેવામાં આવતા ભારે ટ્રાફિકજામ થઈ રહ્યો છે. એલિસબ્રિજના છેડે વિક્ટોરિયા ગાર્ડન થી લઈને કોર્પોરેશનના એક કિલોમીટર જેટલા લાંબા પટ્ટામાં ટ્રાફિકજામ થયો છે. ભડભડતા તાપમાં તંત્ર દ્વારા એકાએક રસ્તો બંધ કરી દેવાતા લોકોનાં સમય, પૈસા અને ઈંધણનો વેડફાટ થતાં આક્રોશ ફેવાયો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, એપ્રીલ 2026
1584 |
વાડજમાં રહેતી યુવતીએ પતિના ત્રાસથી છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો
અમદાવાદના વાડજમાં રહેતી યુવતીએ પતિના ત્રાસથી આપઘાત કરી લીધો છે. લગ્નના ૧૫ વર્ષ થયા છતાં પતિ ત્રાસ આપતો હતો. યુવતીનો પતિ યુવતીને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો જેથી યુવતીએ માનસિક રીતે કંટાળીને પિયરમાં આવી છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કર્યો છે. આ અંગે વાડજ પોલીસે યુવતીના પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ ગુનો નોધી તપાસ શરૂ કરી છે. નવા વાડજમાં રહેતા દિપક શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તેની બહેનના ૧૫ વર્ષ અગાઉ વિપુલ શર્મા નામના ચિતોડગઢના યુવક સાથે લગ્ન થયા હતા.બંનેને એક બાળક પણ છે.૨૦ માર્ચના રોજ દીપક કામ પર હતો ત્યારે તેને તેની પત્નીનો ફોન આવ્યો અને જણાવ્યું હતું તે આશા કૂદી ગઈ છે તેથી તમે જલ્દી ઘરે આવો.દીપક ઘરે આવવા નીકળ્યો ત્યારે તેને જાણ થઇ કે તેની બહેન આશાને સારવાર માટે રાણીપની ત્રિશા હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. દીપક ત્રિશા હોસ્પિટલ પહોંચ્યો હતો.હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશાનું મોત થયું હતું. મૃતકના ભાઇએ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે તેની બહેનના ચિત્તોઢગઢમાં લગ્ન થયા હતા અને તેનો પતિ તેને લગ્નના થોડા સમય બાદ સતત માનસિક ત્રાસ આપતો હતો.જેને કારણે માનસિક ત્રસ્ત બનેલી યુવતિના ત્રાસથી યુવતી પર ફરી હતી . જાેકે તેની માનસિક સ્થિતી બગડી ગઇ હતી જેને કારણે તેની વસ્ત્રાપુરમાં સારવાર ચાલતી હતી ત્યારે બાદ અચાનક જ આજે તેણે છઠ્ઠા માળે જઇને આપઘાત કરી લીધો હતો. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેનોના એસી કોચમાં ચોરી કરતા આંતરરાજ્ય રીઢા ચોરને પશ્ચિમ રેલવે અમદાવાદની લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. બાતમીના આધારે કાલુપુર રેલવે યાર્ડમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપી કનૈયારામને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પડાયો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ૧.૫૦ લાખની કિંમતની મોંઘી ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી રાત્રે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એસી કોચમાં મુસાફરો ઊંઘતાં હોય ત્યારે તેમના કિમતી સામાનની ચોરી કરતોહતો. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં અનેક ગુના નોંધાયેલા હતા. હાલની કામગીરી દરમિયાન વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો ગુનો પણ ઉકેલવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ અન્ય ગુના ભેદ ઉકેલાય તેવી પોલીસે આશંકા છે. આ રીઢા ચોર સામે મહેસાણા, સાબરમતી રેલવે, સમસ્તીપુર રેલવે,બરૌની કોટા રેલવે પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુના નોંધાયા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, એપ્રીલ 2026
1782 |
પાલતુ શ્વાનના મુદ્દે ઠપકો આપતા પડોશીઓનો પરિવાર પર હુમલો
દાણીલીમડામાં પાડોશીનું પાલતુ શ્વાન એક વૃદ્ધા પર ભસવા લાગ્યું અને તેમને કરડવા દોડ્યું હતું. વૃદ્ધાએ શ્વાનના માલિકને તેને ઘરમાં બાંધી રાખવા માટે સૂચના આપતા તકરાર થઇ હતી. ત્યારબાદ શ્વાન માલિક પડોશી મહિલાએ પોતાની બહેન અને બનેવી સાથે મળીને વૃદ્ધા, તેમની પુત્રી અને પુત્ર સાથે મારપીટ કરી હતી. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.દાણીલીમડામાં ૨૦ વર્ષીય યુવતી આફરીન પઠાણ પરિવાર સાથે રહે છે. ગત ૨ એપ્રિલે સાંજે તે માતા ફિરોજાબાનુ સાથે ઘરે હતી અને તેનો ભાઈ તોફિક ઘરમાં વિશ્રામ કરી રહ્યો હતો. તે સમયે પડોશમાં રહેતી ફિઝાએ તેના ઘર પાસે બાંધેલું પાલતુ શ્વાન ફિરોજાબાનુને જાેઈને ભસવા લાગ્યું અને તેમને કરડવા માટે દોડ્યું હતું. આથી ફિરોજાબાનુએ ફિઝાને ઘરની બહાર બોલાવીને શ્વાનને વ્યવસ્થિત રીતે બાંધી રાખવા જણાવ્યું હતું. આ સાંભળી ફિઝા ઉશ્કેરાઈ ગઈ હતી અને ફિરોજાબાનુ સાથે અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગી હતી. અવાજ સાંભળીને આફરીન અને તોફિક બહાર આવ્યા હતા. તે દરમિયાન ફિઝાની બહેન રીજ્જાે અને તેનો પતિ ઇલુ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બાદમાં ત્રણેય વ્યક્તિઓએ એકસંપ થઈને ઝઘડો કર્યાે હતો. ઇલુએ તોફિક પર લાકડાના ધોકા વડે હુમલો કર્યાે હતો. તેને બચાવવા માટે જ્યારે આફરીન અને ફિરોજાબાનુ વચ્ચે પડ્યા, ત્યારે ત્રણેય શખ્સોએ તેમને પણ માર માર્યાે હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, એપ્રીલ 2026
1881 |
અમદાવાદ વાડજની સૌરભ સ્કૂલમાં ફી મુદ્દે વિવાદ, સ્કૂલમાં વાલીઓનો હોબાળો
રાજ્યમાં આજથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૩ થી ૫ ની વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ પરીક્ષાના પહેલા જ દિવસે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી સૌરભ સ્કૂલમાં મોટો વિવાદ સર્જાયો છે. વાલીઓએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે છેલ્લા સેમેસ્ટરની ફી બાકી હોવાના બહાને ૨૦ કરતા વધુ નાના વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડની બહાર ઊભા રાખી દેવામાં આવ્યા હતા અને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નહોતા. પરીક્ષા આપવા આવેલા નાના ભૂલકાઓને અટકાવવા મુદ્દે વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. વાલીઓએ એવો પણ દાવો કર્યો છે કે, જે વિદ્યાર્થીઓની ફી બાકી હતી તેમને ત્યારે જ ક્લાસમાં જવા દેવાયા જ્યારે તેમના માતા-પિતાએ શાળાએ રૂબરૂ આવીને લેખિતમાં કે મૌખિકમાં બાહેંધરી (ખાતરી) આપી કે તેઓ બાકીની ફી ક્યારે ભરશે. એક વાલીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “સવારે ૭:૩૦ વાગ્યે મારી દીકરીનો ફોન આવ્યો અને તેણે રડતાં રડતાં કહ્યું કે મને પરીક્ષા આપવાની ના પાડવામાં આવી છે. સ્કૂલવાળા કહે છે કે અત્યારે ફી ભરશો તો જ પરીક્ષા આપવા મળશે. અમારી માત્ર છેલ્લા સેમેસ્ટરની ૬,૦૦૦ રૂપિયા ફી બાકી છે, બાકી આખા વર્ષની ફી અમે ભરી દીધી છે. માત્ર મારી દીકરી જ નહિ, જેની પણ ફી બાકી હતી તે તમામને સવારે ૮:૩૦ વાગ્યા સુધી ક્લાસની બહાર જ ઉભા રખાયા હતા.” વાલીએ વધુમાં ઉમેર્યું કે, “મેં ફોન પર સર સાથે વાત કરી તો તેમણે સાફ કહી દીધું કે તમારે ફી ભરવી જ પડશે. મેં કહ્યું કે હું ૨૪ કલાકમાં ફી ભરી દઈશ, તમે મારી દીકરીને પરીક્ષા આપવા દો. જ્યારે મેં રૂબરૂ આવીને ફી ભરવાની ખાતરી આપી, ત્યારે જ મારી દીકરીને અંદર જવા દીધી. જેમના વાલીઓ આવીને બાહેંધરી આપતા હતા, માત્ર તેમને જ અંદર જવા દેવાતા હતા.” બીજી તરફ, આ સમગ્ર વિવાદ મુદ્દે સૌરભ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તુલિકા શાહે પોતાનો લૂલો બચાવ કરતા વાલીઓના તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આજથી પરીક્ષા શરૂ થઈ છે અને તમામ વિદ્યાર્થીઓ અત્યારે શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે. અમે માત્ર એ જ વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કર્યો હતો જેમની ફી બાકી છે. એવું બિલકુલ નથી કે ફી બાકી હોય તો અમે પરીક્ષા ન આપવા દઈએ. કોઈપણ વિદ્યાર્થીને અમે બહાર ઉભા રાખ્યા નહોતા. કદાચ વાલીઓને સમજવામાં કોઈ ભૂલ થઈ હશે.” જાેકે, વાલીઓનો આક્રોશ અને વિદ્યાર્થીઓની સવારની મુશ્કેલીઓ સ્પષ્ટ દર્શાવે છે કે ફી મામલે શાળાઓ દ્વારા અપનાવવામાં આવતી આવી કડક નીતિઓ નાના બાળકોના માનસ પર ગંભીર અસર કરી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, એપ્રીલ 2026
1782 |
ખીરુ ખાધા બાદ બે નાનકડી બાળકીનાં મોત
શહેરના ચાંદખેડા વિસ્તારમાં હૃદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું ખીરું મંગાવ્યું હતું. ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક બગડી ગઈ હતી. આ ઘટનામાં માત્ર ૩ મહિના અને ૪ વર્ષની બે માસૂમ બાળકીના મોત નિપજ્યા છે. જ્યારે માતા-પિતા હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં તંત્રની નિષ્ક્રિયતા પણ સામે આવી રહી છે. ફૂડ કોર્પોરેશન વિભાગ અને સ્થાનિક આરોગ્ય તંત્ર ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું કહેવાઈ રહ્યું છે, અને અસરગ્રસ્ત પરિવારની યોગ્ય રીતે સંભાળ લેવામાં આવી નથી. બે નાની દીકરીઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ચાંદખેડા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી તેમજ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જાેકે જ્યાંથી ખીરુ ખરીદવામાં આવ્યું હતું તેના માલિકે આ આરોપોનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે આ મામલે દુકાનદાર દોષિત નથી.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
06, એપ્રીલ 2026
1782 |
સુરત |
મનપા ચૂંટણી માટે પહેલાં દિવસે જ ૫૦૦થી વધુ ઉમેદવારી ફોર્મ ઉપડી ગયાં
સુરત શહેરમાં આગામી મનપા ચૂંટણીને લઈ રાજકીય વાતાવરણ તેજ બનતું જઈ રહ્યું છે. ઉમેદવારી નોંધણીની પ્રક્રિયાના પ્રથમ જ દિવસે ૫૦૦થી વધુ ઉમેદવારી ફોર્મ ઉપડી જતા ચૂંટણી પ્રત્યેનો ઉત્સાહ અને સ્પર્ધા સ્પષ્ટ જાેવા મળી રહી છે.સવારે શરૂ થયેલી પ્રક્રિયામાં વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો તેમજ અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. દિવસ દરમિયાન અલગ અલગ વોર્ડમાંથી ઉમેદવારી ફોર્મ લેવા માટે ઉમટેલા લોકોના કારણે કચેરીઓમાં ભારે ચહલપહલ જાેવા મળી હતી. પહેલા જ દિવસે આટલી મોટી સંખ્યામાં ફોર્મ ઉપડતાં આવનારી ચૂંટણીમાં કડક ટક્કર જાેવા મળશે તેવા સંકેતો મળી રહ્યા છે.ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ફોર્મ વિતરણની પ્રક્રિયા માત્ર પ્રારંભિક તબક્કો છે, અંતિમ દિવસે કેટલા ઉમેદવારો વાસ્તવમાં ઉમેદવારી નોંધાવે છે તે જાેવાનું રહેશે. ઘણી વખત એક જ વોર્ડમાંથી એકથી વધુ દાવેદારો ફોર્મ લેતા હોય છે, પરંતુ પક્ષ દ્વારા અંતિમ પસંદગી બાદ જ સાચી સ્થિતિ સ્પષ્ટ થાય છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ આ વખતની મનપા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ, વિકાસકાર્યો અને પક્ષોની આંતરિક રાજનીતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પહેલા જ દિવસે નોંધાયેલા ભારે ઉત્સાહને ધ્યાનમાં લેતા આવનારા દિવસોમાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતદાન તથા તા.૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતગણતરી થશે. તા. ૦૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્વ થશે. તા.૧૧ એપ્રિલ ૨૦૨૬ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. તા. ૧૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી અને તા.૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, એપ્રીલ 2026
1584 |
સુરત |
સુરત ડાયમંડ બુર્સમાં રૂ.૧૦૦૦ કરોડનાં રફ ડાયમંડ્સનું ૩૫ દિવસનું એક્ઝિબિશન યોજાશે
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજિયને આદરેલા પ્રયાસોને પગલે સુરતનાં હીરા ઉદ્યોગપતિઓને આજે તા.૬ એપ્રિલથી શરૂ કરીને આગામી તા.૧૦મી મે ૨૦૨૬ સુધીનાં ૩૫ દિવસ દરમિયાન સુરત ડાયમંડ બુર્સ ખાતે રૂ.૧ હજાર કરોડની જંગી માર્કેટ વેલ્યુ ધરાવતા લાખો કેરેટનાં નેચરલ રફ ડાયમંડનો જથ્થો ઘર આંગણે જાેવા, ચકાસવા મળશે અને સ્થાનિક ઉદ્યોગપતિઓ પોતાની પસંદના હીરાના પાર્સલોની બોલી લગાવીને તેની ખરીદી પણ ઘરે બેઠા કરી શકશે. જીજેઇપીસી ગુજરાત રિજિયને આજે સુરત ડાયમંડ બુર્સમાં ઇન્ડિયા રફ ડાયમંડ શોનો આરંભ કર્યો હતો.સુરત કે જ્યાં હીરાની એક પણ ખાણ નથી આમ છતાં વિશ્વનાં દર ૧૦માંથી ૯ કાચા હીરા કટ એન્ડ પોલિશ થાય છે, એ સુરતનાં હીરા ઉદ્યોગમાં પહેલી વખત રફ ડાયમંડની સૌથી મોટી ઇન્વેન્ટરીનું એક્ઝિબિશન કમ સેલ યોજવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગતો આપતા જીજેઇપીસીનાં ગુજરાત ચેરમેન જયંતિ સાવલિયા, દિનેશ નાવડીયા, હિતેશ શાહ, રજત વાણી સહિતનાં આગેવાનોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જીજેઇપીસીને ૩૫ દિવસની પરવાનગી આપી છે તેઓ વિદેશી કંપનીઓને સુરતમાં સુરત ડાયમંડ બુર્સ ખાતે તેડાવીને તેમની પાસે ઉપલબ્ધ રફ ડાયમંડ્સના જથ્થાનું વેચાણ કરવા અર્થે પ્રદર્શન, વ્યુઇંગ કરી શકશે. હીરાનો જથ્થો લઇને આવનાર વિદેશી કંપનીઓ પાસેથી ન તો જીએસટી વસૂલ કરાશે કે ન તો કોઇપણ પ્રકારનો ટેક્સ કે ડ્યૂટી વસૂલ કરવામાં આવશે. વિદેશી કંપનીઓ અહીંયા ફક્ત સુરતના ઉદ્યોગકારો, વેપારીઓને પોતાના રફ ડાયમંડનાં પાર્સલો બતાવી શકશે. રફ ડાયમંડનું વ્યૂઇંગ, પ્રદર્શન પૂર્ણ થઇ ગયા બાદ કંપનીઓ પોતાનો જથ્થો પુન: પોતાના હેડક્વાર્ટર દેશમાં પરત લઇ જશે અને ત્યાંથી તેની ઓનલાઇન હરાજી-બિડીંગ કરશે અને જેણે ઉંચી રકમની બોલી લગાડી છે એ ગ્રાહકને તેના સરનામે માલ પહોંચતો કરશે. આ પ્રકારે સુરતમાં પહેલી વખત રફ ડાયમંડ્સનાં રૂ.૧૦૦૦ કરોડનો જંગી જથ્થો ૩૫ દિવસ દરમિયાન સુરતમાં આવશે. અને સુરત ડાયમંડ બુર્સની પ્રીમાઇસીસમાં તેનું પ્રદર્શન યોજાશે. હાલમાં દુબઇની કંપનીને ૬ દિવસનાં બે સ્લોટ તેમજ ઇઝરાયેલની એક કંપનીને ૬ દિવસનો એક સ્લોટ ફાળવવામાં આવ્યો છે. હજુ ૬ દિવસનો એક સ્લોટ ખાલી રહે છે, આ ખાલી સ્લોટ ફાળવણી માટે અનેક કંપનીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. સુરતમાં લાખો કેરેટ નેચરલ રફ ડાયમંડ્સનું એક્ઝિબિશન માટેની તમામ વ્યવસ્થા જીજેઇપીસી દ્વારા ઉભી કરવામાં આવી છે. કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયે સ્પેશ્યલ નોટીફાઇડ ઝોનને મળતી સુવિધા હંગામી રીતે ૩૫ દિવસ માટે જીજેઇપીસીને કરી આપી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
06, એપ્રીલ 2026
594 |
સુરત |
બોમ્બ મૂકાયો હોવાનો મેલ મળતાં પાલ આરટીઓમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ
પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસ બાદ હવે આરટીઓમાં બોમ્બ મૂકાયાના ઇમેઇલના પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. ડોગ અને બોમ્બ સ્કવોડ સાથે પોલીસે આરટીઓમાં તપાસ કરી પરંતુ કોઇ શંકાસ્પદ કહો કે વાંધાજનક ચીજવસ્તુ મળી ન હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલ સ્થિત આરટીઓ કચેરીમાં સવારે રાબેતા અનુસાર કામકાજ શરૂ થયું એ સમયે જ બોમ્બ મૂકાયો હોવા અંગેનો શંકાસ્પદ મેલ મળ્યો હતો. અગાઉ પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસમાં આવા મેલ આવી ચૂક્યા હોવા છતાં આરટીઓ દ્વારા એને ગંભીરતાથી લઇ પોલીસને જાણ કરવામાં આવી હતી. બોમ્બનો કોલ મળતા પોલીસ અધિકારીઓ ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે આરટીઓ દોડી ગયા હતાં. સૌપ્રથમ સાવચેતીના ભાગરૂપે અને કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ના ઘટે તે માટે પોલીસ દ્વારા આરટીઓ કચેરીને ખાલી કરાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ આરટીઓની અંદર દરેક વિભાગોમાં, કચેરીની બહાર તેમજ અંદર પાર્ક ટૂ, વ્હીલર, ફોર વ્હીલર સહિતના વાહનો તથા લોકોના ટિફિન બોક્સ અને ડસ્ટબીનની અંદર પણ સઘન તપાસ કરવામાં આવી હતી. કલાકો સુધી પોલીસ દવારા આરટીઓના ખૂણેખૂણામાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સઘન તપાસ છતાં કચેરી કે આસપાસથી કશું શંકાસ્પદ નહી મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
06, એપ્રીલ 2026
594 |
સુરત |
ડભોલીમાં લગ્નનાં બે વર્ષમાં જ રત્નકલાકાર અને તેની પત્નીનો ગળા ફાંસો ખાઈ આપઘાત
સુરત શહેરનાં ડભોલી ગામ ખાતે લગ્નના બે વર્ષમાં જ રત્નકલાકાર દંપતીએ સજાેડે આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. આપઘાતનાં બનાવમાં પત્નીએ કપડા ધોવાની ચોકડીની પાળી પાસે છતના ભાગે લોખંડનાં હૂક સાથે નાયલોનની દોરી બાંધી ગળા ફાંસો ખાઈ લીધો હતો જયારે પતિએ રૂમમાં છતનાં ભાગે પંખાના હુક સાથે નાયલોનની દોરી બાંધી ફાસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. જાેકે આ દંપતીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે રહસ્ય સર્જાયું છે. આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ કે ‘સુસાઈડ નોટ‘ મળી આવી નથી. જેથી મૃતકના પરિવારે આ મામલે ઉંડી અને તટસ્થ તપાસ કરવાની માગ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ડભોલી ગામ ખાતે આવેલા પ્લોટ નં.૨૧,૨૨માં બનાવેલી ચાલીના રૂમમાં રહેતા ૨૪ વર્ષીય ભાવેશ કાંતિભાઇ દેવીપુજક અને તેમની પત્ની ૨૩ વર્ષીય તેજલબેન ભાવેશ દેવપૂજકે ગઈકાલે સાંજે પોતાના ઘરના ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધુ હતું. પત્ની તેજલબેને રૂમમાં કપડા ધોવાની ચોકડીની પાળી પાસે છતના ભાગે લોખંડનાં હૂક સાથે નાયલોનની દોરી બાંધી ગળાફાસો ખાઈ લીધો હતો જયારે પતિ ભાવેશે રૂમમાં છતનાં ભાગે પંખાનાં હુક સાથે નાયલોનની દોરી બાંધી ફાસો ખાઈ મોતને વ્હાલું કરી લીધુ હતું. દંપતીના સજાેડે આપઘાતની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે દંપતીએ ઘરનો દરવાજાે અંદરથી બંધ કરીને ફાંસો ખાઈ લીધો હતો. આજુબાજુમાં રહેતા સગા સંબંધીઓ બારીમાંથી જાેતા બન્નેના મૃતદેહ લટકતી હાલતમાં જાેવા મળ્યા હતા. પોલીસે ઘરનો દરવાજાે તોડીને બન્ને મૃતદેહ નીચે ઉતાર્યા હતા અને પંચનામા સહિતની જરૂરી કાર્યવાહી કરીને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દંપતીનાં બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. ભાવેશ છેલ્લા ૫ વર્ષથી સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા હતા અને રત્નકલાકાર તરીકે હીરા ઘસવાનું કામ કરતા હતા. તેમના પરિવારમાં ત્રણ ભાઈઓ, એક બહેન, માતા-પિતા અને દાદા-દાદીનો સમાવેશ છે. દંપતીએ આપઘાત કયા કારણસર કર્યો તે હાલમાં જાણવા મળ્યું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી દંપતીનાં મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ કબજે કરી છે. બંનેએ મરતા પહેલા કોઈને ફોન કર્યો હતો કે કેમ અથવા કોઈ માનસિક તણાવ હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ કે ‘સુસાઈડ નોટ‘ મળી આવી નથી. જેથી મૃતકનાં પરિવારે આ મામલે ઉંડી અને તટસ્થ તપાસ કરવાની માગ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
06, એપ્રીલ 2026
1584 |
સુરત |
અલથાણમાંથી દલિત કિશોરીનું અપહરણ કરી સચિનનાં મુસ્કાન પઠાણે બળાત્કાર ગુજાર્યો
શહેરનાં અલથાણ વિસ્કારમાં રહેતાં દલિત પરિવારની કિશોરીને બહેકાવી, ફોસલાવી સચિનના મુસ્કાન પઠાણે અપહરણ કર્યું હતું. ભાડે રખાયેલી રૂમમાં આ કિશોરીને ગોંધી રાખી જાતીય શોષણ કરાયું હતું. આ મામલે મુસ્કાન ઉપરાંત કુકર્મમાં સાથ આપનાર તેના બનેવી સામે દલિત પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસ સૂત્રો પાસે બનાવ અંગે મળતી માહિતી અનુસાર વેસુ વીઆઇપી રોડ ઉપર દલિત પરિવાર રહે છે. આ પરિવારની કિશોરી સચિન જીઆઇડીસી વિસ્તારમાં શિવનગર પાસે આવેલ અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં રહેતાં મુસ્કાન મહેમુદખાન પઠાણ સાથે સંપર્કમાં આવી હતી. મુસ્કાન પઠાણે કિશોરીને ફિલ્મી ઢબે પ્રેમની વાતો બહેકાવી હતી. સગીરવયની હોવાનું જાણવા છતાં મુસ્કાને તેણીને લગ્ન કરીએ એમ કહે ઉશ્કેરી અને પોતાની સાથે આવવા કહ્યું હતું. કિશોરીએ માતા-પિતા નહીં માને એમ કહેતાં મુસ્કાન પઠાણ તેણીના ઘરે પહોંચી હતી. તેણે કિશોરીના માતા-પિતા સાથે ઝઘડો કર્યો અને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાન કરી બળજબરીથી કિશોરીને લઇ ગયો હતો. નામના યુવકે અલથાણ વિસ્તારમાં રહેતી યુવતીને કિશોરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ મુસ્કાન પઠાણ મળી કિશોરીનાં ઘરે ગયો હતો. તેણે કિશોરીનાં પરિવાર સાથે લડાઈ ઝઘડો કર્યો અને જાતિ વિષયક અપશબ્દો બોલી ધાક ધમકી આપી હતી. ત્યારબાદ બળજબરીથી મુસ્કાને તેની સાથે લઈને બનેવી હલીમ ખાન (રહે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ, શિવ નગર, સચિન જીઆઇડીસી) પાસે પહોંચી ગયો હતો. મુસ્કાન જેને લઇ આવ્યો એ કિશોરી સગીર વયની હોવાનું જાણવા છતાં હલીમખાને તેમને સચિન વિસ્તારમાં એક ભાડેથી મકાન અપાવી રહેવાની સગવડ કરી આપી હતી. આ રૂમમાં મુસ્કાને કિશોરીને ગોંધી રાખી અને જાતીય શોષણ કર્યું હતું. મુસ્કાનની અસલીયત સામે આવી જતાં કિશોરી ભાગીને ઘરે પહોંચી હતી. તેણીએ મુસ્કાન દ્વારા કરાયેલા કુકર્મની સઘળી હકીકત માતા-પિતાને જણાવી હતી. જેથી તેઓ કિશોરીને લઇ અલથાણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. જ્યાં પોલીસે ફરિયાદ લઇ મુસ્કાન પઠાણ અને તેની મદદગારી કરનાર હલીમ ખાન સામે પોક્સો તથા એટ્રોસીટી એક્ટ અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...