ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, મે 2026 2475   |  
પોરબંદરમાં ૧૨ વર્ષના કિશોરે ૪ વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચર્યું

ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. શહેરના ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પાડોશમાં રહેતા માત્ર ૧૨ વર્ષના એક સગીરે ૪ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આ શરમજનક કિસ્સો ત્યારે બન્યો જ્યારે ભોગ બનનાર ૪ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન પાડોશમાં જ રહેતો ૧૨ વર્ષનો કિશોર બાળકીને રમાડવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. બાળકીની માસૂમિયતનો લાભ ઉઠાવી કિશોરે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની ઉંમર ૧૨ વર્ષની છે અને તે ભોગ બનનાર બાળકીના પાડોશમાં રહે છે. જ્યારે ભોગ બનનાર બાળકીની ઉંમર ૪ થી ૫ વર્ષની હોવાનું મનાય છે. પ્રાથમિક વિગતો મુજબ, સગીરે બાળકી પર બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની તબિયત અચાનક લથડતા અને શારીરિક તકલીફ જણાતા પરિવારે પૂછપરછ કરી હતી, જેમાં આ ભયાનક સત્ય બહાર આવ્યું હતું. બાળકીના પરિવારજનોએ આ મામલે તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. કમલાબાગ પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધી છે. બાળકીની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક મેડિકલ પરીક્ષણ અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોપી પોતે સગીર વયનો હોવાથી પોલીસ દ્વારા ‘જુવેનાઈલ જસ્ટિસ એક્ટ’ (બાલ સંરક્ષણ ધારો) મુજબ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને તમામ પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી તેજ કરી છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 2673   |  
જામનગર કોર્ટે ગોસાબારા આરડીએકસ કેસમાં ૧૨ આરોપીઓને કસૂરવાર જાહેર કર્યા

વર્ષો જૂના અને સમગ્ર દેશને હચમચાવી દેનારા પોરબંદરના ગોસાબારા આરડીએકસ લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ૧૯૯૩ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટનું જે કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હતું, તેના વિસ્ફોટકો જે દરિયાઈ માર્ગે ભારત આવ્યા હતા તે કેસમાં કોર્ટે ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદો આતંકવાદ વિરુદ્ધ ભારતની કાયદાકીય લડાઈમાં એક મોટી જીત સમાન છે. જાન્યુઆરી ૧૯૯૩માં મુંબઈ વિસ્ફોટોના થોડા સમય પહેલા પાકિસ્તાનના કરાચીથી દરિયાઈ માર્ગે હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો ગુજરાત મોકલવામાં આવ્યો હતો. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણના ઈશારે પોરબંદરના ગોસાબારા દરિયાકિનારે આ ઘાતક સામાન ઉતારવામાં આવ્યો હતો. જેમાં આરડીએકસ એકે-૪૭ રાઈફલ્સ અને હેન્ડ ગ્રેનેડ્સનો સમાવેશ થતો હતો. આ જ વિસ્ફોટકોનો ઉપયોગ બાદમાં મુંબઈને લોહીલુહાણ કરવા માટે કરવામાં આવ્યો હતો.લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ આજે ન્યાય મળ્યો છે. કેસની ગંભીરતા આ આંકડાઓ પરથી સમજી શકાય છે: કુલ આરોપીઓ: ૪૬,કેસ દરમિયાન મૃત્યુ પામેલા આરોપીઓ: ૧૧,ડિસ્ચાર્જ થયેલા આરોપીઓ: ૦૬, સુનાવણીનો સામનો કરનાર આરોપીઓ: ૨૯,કોર્ટે દોષિત ઠેરવેલા આરોપીઓ: ૧૨ કોર્ટે જે ૧૨ આરોપીઓને આ ગુનામાં સામેલ ગણ્યા છે તેમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આદમ વાઘેર, અહેમદ ઇસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ લાખાણી (મેમણ), ઈફતેખાર અન્સારી, મહમદ અયુબ અન્સારી (અયુબ ટકલો), લખમણ હરદાસ આહીર, સલીમ કતા, મમુમિંયા ઉર્ફે પંજૂમિંયા સૈયદ બુખારી, ઇસ્તીયાક અહેમદ અન્સારી અને કાદીર અહેમદ શેખનો સમાવેશ થાય છે. તપાસમાં ખુલાસો થયો હતો કે આ વિસ્ફોટક સામગ્રી દાઉદ ઈબ્રાહિમ અને મુસ્તફા ડોસા દ્વારા પાકિસ્તાની બોટમાં મોકલવામાં આવી હતી. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, મે 2026 2475   |  
ભાવનગરમાં હેરાનગતિને કારણે યુવકે સળગી જઈને આપઘાત કર્યાે

ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં સાસરિયાઓના કથિત ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. યુવકે જ્વલનશીલ પ્રવાહી છાંટી પોતાની જાતને આગ ચાંપી દીધી હતી, જેમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. સારવાર દરમિયાન બે દિવસ બાદ હોસ્પિટલમાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું.  આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં યુવક તડફડાટ વચ્ચે આત્યંતિક પગલું ભરી રહ્યો હોવાનું નજરે પડે છે, જેને જાેઈ લોકોમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ છે.મૃતકના ભાઈ રાજેન્દ્ર રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારના જણાવ્યા મુજબ, યુવકને તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા લાંબા સમયથી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સતત હેરાનગતિને કારણે યુવકને આ આપઘાતનું પગલું ભરવા માટે મજબૂર થવું પડ્યું હોવાનું તેઓએ આક્ષેપ કર્યો છે. પરિવારે આરોપીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે, આરોપીઓને દાખલારૂપ સજા મળવી જાેઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, મે 2026 3168   |  
મુંદ્રા બંદરે સિંગાપોરથી આવેલું નકલી સિગારેટનું કન્ટેનર ઝડપાયું

ગુજરાતના મુંદ્રા બંદરેથી ફરી એકવાર મોટા પાયે થતી દાણચોરીનો પર્દાફાશ થયો છે. ડ્ઢઇૈં (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) એ એક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને સિંગાપોરથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે ૧૯.૮૭ કરોડની કિંમતની નકલી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કન્ટેનર માટે કોઈ પણ સત્તાવાર ‘બિલ ઓફ એન્ટ્રી’ રજૂ કરવામાં આવી નહોતી. દસ્તાવેજાેના અભાવે શંકા જતાં જ્યારે કન્ટેનરની તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી કુલ ૮૨,૮૦,૦૦૦ નકલી સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. ડ્ઢઇૈં એ આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને કસ્ટમ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સિંગાપોર જેવા દેશમાંથી આટલી મોટી માત્રામાં નકલી સિગારેટનો જથ્થો મુંદ્રા પોર્ટ પર ઉતરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ ડ્ઢઇૈં એ સિગારેટના આ જથ્થાને કોણે મંગાવ્યો હતો અને તે ક્યાં મોકલવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
30, એપ્રીલ 2026 2574   |  
ધોળકા-બગોદરા હાઈવે પર પલટી મારીને કાર થાંભલા સાથે અથડાતાં ત્રણના મોત

અમદાવાદ જિલ્લામાં ધોળકા-બગોદરા હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાતા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બારેજાથી ભામસરા ગામે સગાઈના પ્રસંગે જઈ રહેલી સ્કોર્પિયો કાર અચાનક નિયંત્રણ બહાર જતાં પલટી મારી અને જાેરદાર ધડાકા સાથે વીજ પોલ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચ્યાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ભયાનક માર્ગ અકસ્માતમાં સ્કોર્પિયો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન અચાનક માર્ગ પરથી ઉતરી ગયું હતું. ત્યારબાદ કાર અનેક પલટીઓ મારીને સીધી વીજ પોલ સાથે જાેરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ થઈ ગયો હતો અને કૂર્ચેકૂર્ચા ઉડી ગયા હતા. આ દુર્ઘટનામાં ૩ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે અન્ય ૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માત સર્જાતા ઈમરજન્સી ૧૦૮ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃતકોને પીએમ અર્થે ધોળકાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બારેજા ગામથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં હાજરી આપવા નીકળેલા પરિવાર માટે આ મુસાફરી દુર્ભાગ્યપૂર્ણ સાબિત થઈ. ખુશીના પ્રસંગે જઈ રહેલા તમામ લોકો માટે રસ્તામાં જ મોતનો સામનો કરવો પડતાં સમગ્ર વિસ્તાર તેમજ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 2178   |  
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે. 



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, એપ્રીલ 2026 3960   |  
ભરૂચ લાફાકાંડ: ચૈતર વસાવાએ કેમ માર્યો લાફો? સચ્ચાઈ આવી સામે!

ભરૂચ જિલ્લામાં ઝઘડિયા GIDC વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ બાદ ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. પીડિત પરિવારો વળતર અને ન્યાયની માંગ સાથે એકત્ર થયા હતા. આ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર હાજર એક યુવાન સાથે તેમની બોલાચાલી થઈ અને મામલો લાફાકાંડ સુધી પહોંચી ગયો. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઘટનાને લઈને વિવિધ આક્ષેપો સામે આવી રહ્યા છે, જોકે સત્તાવાર રીતે હજી સુધી પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 4356   |  
ગ્રામ પંચાયત ભવન બનાવવા હોય તો ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રાન્ટ ફાળવાશે

ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ નું ગ્રાન્ટ ફાળવણી પર વિવાદિત નિવેદન બાદ મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી દ્વારા જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નું નિર્માણ તથા ૨૧ લાખ ગ્રાન્ટ ફાળવાશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે. શુ ચૂંટણી પંચ પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર સત્તા પક્ષ દ્વારા યેનકેન પ્રકારે પણ સત્તા હસ્તે કરવા વિવિધ હથકંડા અપનાવવામાં આવતાં હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેફામ વાણી વિલાસ કરી ધાકધમકી નું વાતાવરણ ઉભું કરી મતદારો પર હાવી થવાના પ્રયાસ કરતાં હોય ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ મિતેષ પટેલે ગ્રાન્ટ ફાળવણી ના મુદ્દે વિવાદિત નિવેદન કર્યાબાદ વધુ એક ભાજપ નેતા મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ સ્વરાજકીય સંસ્થા ના ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર સમયે વાણી વિલાસ કરતાં હોય તેમ જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નિર્માણ તથા ૨૧ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ચર્ચાની એરણે ચઢવા પામતાં રાજકારણ ગરમાતા શું ચૂંટણી આયોગ આ મુદ્દે પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 5544   |   વડોદરા   |  
યુસુફ પઠાણના સસરા અને તેમના સાળાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણના સસરાની તેમના પુત્ર અને અન્ય એક સંબંધી સાથે ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે બે દિવસ પહેલા, ભાયખલા વિસ્તારમાં એક વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે વ્યક્તિની કાર ખાડામાંથી પસાર થઈ હતી અને તેમાંથી એક પર પાણી છાંટા પડ્યા હતા. ભાયખલા પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસી યુસુફ ખાન શનિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાંથી પાણીના છાંટા પડ્યા અને શોએબ ખાન પર પડ્યા. યુસુફ ખાને પોલીસને જણાવ્યું કે તેણે કાર રોકી અને તરત જ માફી માંગી, પરંતુ શોએબે તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને વાંસની લાકડીથી કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ શોએબે યુસુફ ખાન પર હુમલો કર્યો, જેમાં તેમને ઈજા થઈ.ઘરે પાછા ફર્યા પછી, યુસુફ ખાનના પરિવારે તેને પોલીસ પાસે જવાની સલાહ આપી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં, તેમનો સામનો ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) સાથે થયો, જેણે તેના પુત્ર ઉમરશાદ ખાન, શોએબ અને અન્ય આરોપી શાહબાઝ પઠાણ સાથે મળીને દલીલ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ, ખાલિદ, ઉમરશાદ, શોએબ અને શાહબાઝે યુસુફ ખાન અને તેના સંબંધીઓ પર વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, મે 2026 2079   |  
સાયબર ફ્રોડ કરીને ૫૩.૫૫ કરોડની છેતરપિંડી આચરનારા દસ આરોપીઓની ધરપકડ કરાઇ

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ઓપરેશન મ્યુલ હંટ ૨.૦ હેઠળ આણંદની ગેંગના દસ સભ્યોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ૧૯૭ બેંક અકાઉન્ટમાંથી ૬૦ અકાઉન્ટમાં રૂ. ૫૩.૫૫ કરોડની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે. આ કાર્યવાહી દરમિયાન આણંદ અને અમદાવાદના કુલ દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં નિઝામુદ્દીન દીવાન, સાહિલમિયા મલેક, સોહિલ મલેક, જીગ્નેશ પટેલ, વનરાજ ભરવાડ, તુષાર વાળંદ, રીકેન ઉર્ફે રોકી ઉર્ફે પંડિત, આકાશ પટેલ, મોઈન મલેક અને કૃપલ દેસાઈનો સમાવેશ થાય છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓએ વિવિધ બેંક અકાઉન્ટનો ઉપયોગ કરી દેશભરમાં ૧૩૨ સાયબર ફરિયાદો સર્જી છે. તેમણે જણાવ્યું કે, આ ગેંગે મ્યુલ અકાઉન્ટમાં સાયબર ફ્રોડ અને ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના નાણા જમા કર્યા હતા અને તેને યુએસડીટીમાં કન્વર્ટ કરાવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આરોપી સાહિલ મલેક પાસે મળેલા બેંક અકાઉન્ટની તપાસ કરતાં પેટલાદના સલ્માન વ્હોરાનું કર્ણાટક બેંકનું અકાઉન્ટ મળી આવ્યું હતું. આ અકાઉન્ટનો ઉપયોગ મુંબઈના ચકચારી બાબા સીદીકી હત્યા કેસમાં થયો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે આ અકાઉન્ટ ક્યારે અને કેવી રીતે આપવામાં આવ્યું હતું અને આરોપી મુખ્ય આરોપીઓ સાથે સંપર્કમાં હતો કે કેમ.પોલીસે આરોપીઓ પાસેથી ૧૦ મોબાઇલ, ૩ ચેકબુક, ૩ પાસબુક અને ૩ ડેબિટ કાર્ડ સહિતના મુદ્દામાલ જપ્ત કર્યા છે. ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આ ગુનાના અન્ય પાસાંઓની તપાસ ચાલુ છે અને આરોપીઓ કોના સંપર્કમાં હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.આ કેસમાં આરોપીઓએ મ્યુલ અકાઉન્ટના ઉપયોગથી મોટી રકમની છેતરપિંડી કરી હોવાના પુરાવા મળ્યા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, મે 2026 2277   |  
કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના જીતેલા મહિલા ઉમેદવાર કલ્પના કોડકેર સામે ફરિયાદ દાખલ

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પના કોડેકર સામે બોગસ લિવિંગ સર્ટિફિકેટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર વિદ્યાવિહાર સ્કૂલમાં કલ્પના કોડેકરે અભ્યાસ કર્યો ન હોવા છતા સ્કૂલના નામનું ખોટું લિવિંગ સર્ટિફિકેટ બનાવી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. આ મામલે શાળાના ટ્રસ્ટી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ કલ્પના કોડેકરે કહ્યું છે કે, તે આઠમા ધોરણ સુધી આ શાળામાં જભણી છુ. જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર દસ્તાવેજ સ્વરૂપે રજૂ કર્યું છે તે સાચુ છે. પુરાવા રજૂ કરવા તૈયારી દર્શાવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર વિદ્યાવિહાર સ્કૂલને પત્ર લખવામાં આવ્યો હતો કે જિલ્લા શિક્ષણાધિકારીને અરજી આપવામાં આવી હતી કે, કલ્પનાબેનનું કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ ખોટું છે જે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં કલ્પનાબેન સુરેશભાઈ નવલેકર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ ૨૦૨૬ની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં જાેડવામાં આવતા દસ્તાવેજાેમાં કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું સર્ટિફિકેટ રજુ કરવામાં આવ્યું છે જેમાં ય્ઇ નંબર અને ન્ઝ્ર નંબરની તપાસ કરવામાં આવી હતી. સ્કૂલમાં આ બંને નંબરો અંગેની તપાસ કરવામાં આવી હતી અને ય્ઇ રજીસ્ટરની તપાસ કરવામાં આવી હતી. જેમાં અન્યના નામ હોવાનું માલૂમ પડ્યુ હતુ. કલ્પનાબેન નવલેકરનું શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રમાં શાળામાં દાખલ તારીખ ૨૭ જૂન,૧૯૮૮ દર્શાવી છે. જ્યારે શાળાના ય્ઇમાં આ મુજબની તારીખમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ન થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, મે 2026 1881   |  
આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરાશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. તેની સાથોસાથ સંસ્કૃત પ્રથમાનું પણ પરિણામ જાહેર કરાશે, આ પરિણામ જાહેર થતાંની સાથે લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી જશે. ગઇકાલે ધોરણ ૧૨ના તમામ પ્રવાહોના પરિણામ જાહેર કરાયા બાદ આવતીકાલે ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઘેર બેઠા ઓનલાઈન મોબાઈલ પર પણ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા કરાઇ છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ ૧૦ (એસએસસી)નું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૬ મેને આવતીકાલે સવારે ૮ વાગ્યે એસએસસીનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતામાં ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઑનલાઇન ચકાસી શકશે. તેના માટે જીએસએચએસઇબીની અધિકૃત વેબસાઇટ પર જઈને વિદ્યાર્થીએ પોતાનો બેઠક નંબર દાખલ કરવાનો રહેશે. પરિણામ જાહેર થતાં જ વેબસાઇટ પર સીધી લિંક ઉપલબ્ધ રહેશે, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી પોતાની માર્કશીટ જાેઈ શકશે અને ચકાસી શકશે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે વિદ્યાર્થીઓને વધુ એક સરળ વિકલ્પ પણ આપ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ મેળવી શકશે. તેના માટે ૬૩૫૭૩૦૦૯૭૧ નંબર પર પોતાનો બેઠક નંબર મોકલતાં જ પરિણામ ફોન પર મળી જશે. ખાસ કરીને જ્યાં ઈન્ટરનેટની સગવડ ઓછી છે, ત્યાં આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થશે. આવતીકાલે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ફક્ત ધોરણ ૧૦નું પરિણામ જ નહીં, પરંતુ તેની સાથે સંસ્કૃત પ્રથમ વિષયની પરીક્ષાનું પરિણામ પણ આવતીકાલે જ જાહેર થવાનું છે. આથી સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓ માટે પણ આ દિવસ ખાસ મહત્વ ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં કુલ ૧૫.૨૭ લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. તેમાં ધોરણ ૧૦ માં ૯.૦૭ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેઠા હતા, જ્યારે ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહમાં ૧.૧૯ લાખ અને સામાન્ય પ્રવાહમાં ૫.૦૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, મે 2026 2475   |  
લોકોના પ્રશ્નોના નિકાલ માટે ઝીરો ટોલરન્સ : સીએમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી અધિકારીઓને તેમની પાસે આવતા લોકોને કોઈ ખચકાટ ન રહે અને સંતોષની અનુભૂતિ થાય તેવા વર્તન-વ્યવહાર હસતા મ્હોએ કરવાની પણ શીખ આપી હતી. નાગરિકોની સમસ્યાના નિવારણ માટે ઝીરો ટોલરન્સની દિશામાં સૌ સાથે મળીને સામૂહિક ચિંતન-મંથનથી કાર્યરત રહીએ તેમ સીએમએ જણાવ્યું હુતં. ચિંતન શિબિર એ પોતાની જાત સાથે સંવાદ અને નાનામાં નાના માનવીના સુખાકારી કલ્યાણના ચિંતનનું સક્ષમ માધ્યમ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના મહત્વપૂર્ણ એવા મહેસૂલ વિભાગ અને જિલ્લાના વહિવટી વડા તરીકે કલેક્ટરોની સામૂહિક તાકાતથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્યમંત્રને આપણે ગુજરાતમાં સુપેરે પાર પાડીએ. મહેસૂલ વિભાગ દ્વારા અડાલજના ત્રિમંદિર પરિસરમાં આ ત્રિદિવસીય ચિંતન શિબિર કોલોબરેટ, ઈનોવેટ એન્ડ ટ્રાન્સફોર્મ ફોર બેટર લેન્ડ ગવર્નન્સની વિષય વસ્તુ સાથે યોજાઈ રહી છે. રાજ્યના જિલ્લા કલેક્ટરો અને મહેસૂલ વિભાગના અધિકારીઓ આ ચિંતન શિબિરમાં સહભાગી થયા છે. તેમણે જણાવ્યું હતું કે, કલેક્ટરો પાસે વિશાળ સત્તાઓ છે અને લોક કલ્યાણના કામો માટે જ આપણે બેઠા છીએ ત્યારે ચિંતામુક્ત રહીને સ્પષ્ટતા અને સંવેદના સાથે પ્રશ્નોનું નિવારણ થાય તે જ આપણું દાયિત્વ હોવું જાેઈએ. મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસમાં મહેસૂલ વિભાગ અને જિલ્લા કલેક્ટરોના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, નાગરિકોની સમસ્યાના નિવારણ માટે ઝીરો ટોલરન્સની દિશામાં સૌ સાથે મળીને સામૂહિક ચિંતન-મંથનથી કાર્યરત રહીએ. આ અવસરે મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયાને નાગરિકોની સેવા ગણીને છેવાડાના માનવીના પ્રશ્નો ઉકેલવા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. ગુજરાત સરકારે ૈર્ંંઇછ અને ઇ-ધરા જેવા માધ્યમો દ્વારા ‘ફેસલેસ‘ અને ‘પેપરલેસ‘ ગવર્નન્સ અપનાવી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાધ્યું છે. ઉદ્યોગો અને જાહેર હેતુઓ માટે જમીન ફાળવણીમાં ‘ઝીરો ડીલે’ ની નીતિ અને પારદર્શક વહીવટને કારણે ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભૂતકાળની રિસર્વેની ક્ષતિઓ સુધારવા માટે હવે ડ્રોન ટેક્નોલોજી અને સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ થઈ રહ્યો છે. ૧૩૫-ડીની નોટિસ, વારસાઈ હક અને હકપત્રકની પ્રક્રિયાઓને વધુ સરળ અને ઝડપી બનાવી છે. મુખ્ય સચિવ મનોજકુમાર દાસે મહેસૂલી તંત્રની કામગીરીને બિરદાવતા વિકસિત ભારતજ્ર૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવા માટે ટેકનોલોજી અને પારદર્શિતા અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લા થોડા સમયમાં મહેસૂલ વિભાગે વિકાસ પ્રોજેક્ટ્સ માટે જમીન ફાળવણીની કામગીરીમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, મે 2026 2475   |  
પરિણામ બાબતે વાલીએ ઠપકો આપતાં વિદ્યાર્થી શહેર છોડી ને જાય તે પહેલાંજ બચાવી લેવાયો

નબળા પરિણામ બદલ સંતાનોને ઠપકો આપતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના થલતેજમાં રહેતો અને ધો.૮માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગ્રેસ માર્ક્સથી પાસ થતા તેના વાલીએ સામાન્ય ઠપકો આપ્યો હતો. જે બાબતે મનમાં લાગી આવતા તે ઘરેથી સાઇકલ લઇને નીકળી ગયો હતો. પરિવારે શોધખોળ કરવા છતાં તે ન મળી આવતા માતા પિતાનો જીવ તાળવે ચોંટી ગયો હતો. દરમિયાનમાં આ વિદ્યાર્થી મહારાષ્ટ્ર પાસે ટ્રેનમાં હોવાની પોલીસને હેલ્પલાઇન મારફતે જાણ થતાં બોડકદેવ પોલીસની એક ટીમે ત્યાં પહોંચીને કિશોરનો કબ્જાે મેળવી ટીમ અમદાવાદ આવવા રવાના થઇ છે. પ્રાથમિક તપાસમાં કિશોરે સાઇકલ મેટ્રો સ્ટેશને મૂકીને રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ ટ્રેનમાં બેસીને ગોવા જવાનો હોવાનું સામે આવ્યું છે. થલતેજમાં રહેતો ૧૪ વર્ષીય કિશોર વસ્ત્રાપુરની એક સ્કૂલમાં ધો.૮માં અભ્યાસ કરે છે. ગત તા.૧ના રોજ કિશોર અને તેની માતા ઘરે હતા. આ દરમિયાનમાં સાંજે કિશોર ઘરમાં ન દેખાતા તે સોસાયટીમાં રમવા ગયો હશે તેમ માનીને માતા અને ભાભી શોધવા નીકળ્યા હતા. પરંતુ કિશોરની સાઇકલ ન મળી આવતા આ પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો હતો. કિશોરની માતાએ આ બાબતે પતિને જાણ કરતા તે તાત્કાલિક ઘરે આવ્યા હતા. પરિવારે તપાસ કરવા છતાંય તેની ભાળ ન મળતા બોડકદેવ પોલીસને જાણ કરી હતી. બોડકદેવ પોલીસે આ મામલે તપાસ કરતા સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા અને તમામ પોલીસને આ માહિતી બ્રોડકાસ્ટ કરી હતી. આ દરમિયાનમાં એક જાગૃત નાગરિકે હેલ્પલાઇન મારફતે આ વિદ્યાર્થી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાં હોવાની માહિતી આપી હતી. જે મામલે બોડકદેવ પોલીસને જાણ થતાં એક ટીમ મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે પહોંચી હતી. મહારાષ્ટ્ર પોલીસ પાસેથી આ વિદ્યાર્થીનો કબ્જાે મેળવી પૂછપરછ કરતા અનેક માહિતી સામે આવી હતી. વિદ્યાર્થીએ જણાવ્યું કે માતા પિતાએ ઠપકો આપતા તે બે હજાર રૂપિયા લઇને સાઇકલ લઇને ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં મેટ્રોમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. 


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, મે 2026 2277   |  
પત્નીને તરછોડી જર્મની રહેતા પતિને માસિક ૨૫ હજાર ભરણપોષણ ચુકવવા હુકમ

વિદેશ સ્થાયી થઈને પત્નીને ભારતમાં નિરાધાર હાલતમાં છોડી જતા એનઆરઆઈ પતિને શબક શીખવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જર્મનીમાં રહેતા પતિએ સુરતમાં રહેતી પત્નીને માસિક રૂા.૨૫ હજાર ભરણપોષણ ચુકવવાનો ફેમિલી કોર્ટે હુકમ કર્યો છે. દીકરીને વિદેશ મોકલવાની ઘેલછાનો છેદ ઉડાડતાં આ કેસની વિગત એવી છે કે, શહેરનાં વેડરોડ વિસ્તારમાં રહેતી સીમા (નામ બદલેલ છે)ના વર્ષ-૨૦૧૫ માં સુરતના અડાજણના વતની અને હાલ બર્લીન (જર્મની) માં સ્થાયી થયેલા રાહુલ (નામ બદલેલ છે) સાથે લગ્ન થયાં હતાં. વિદેશ સ્થાયી થવાના સપનાઓ બતાવી રાહુલના પરિવારે સીમાનાં લગ્ન કરાવ્યાં હતાં. જો કે ૨ વર્ષ વિદેશ (જર્મની)માં રાખ્યા બાદ રાહુલે સીમાને તરછોડી દીધી હતી. જેથી તેણીએ અત્રેની ફેમીલી કોર્ટમાં એડવોકેટ અશ્વિન જે.જોગડિયા મારફતે ભરણપોષણ મેળવવા કેસ કર્યો હતો. જેમાં પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, શરૂઆતમાં પતિ લગ્ન કરીને વિદેશ જતો રહ્યો હતો. જ્યારે તેણીને સાસુ-સસરા સાથે અડાજણમાં રાખવામાં હતી. ત્યારબાદ વર્ષ-૨૦૧૬ ના અંતમાં પતિ તેણીને જર્મની લઈ ગયો હતો. જ્યાં પતિ મોડી રાત્રે પાર્ટી કરીને ઘરે આવતો તથા વાપરવા પૈસા પણ આપતો ન હતો અને પૈસા માંગે કે કોઈ ફરિયાદ કરે તો ભારત મોકલી આપવાની ધમકી આપતો હતો. દરમિયાન સીમાએ ફેમિલી કોર્ટમાં કેસ કરતાં પતિ એક પણ વખત કોર્ટમાં હાજર રહ્યો ન હતો, અને સમગ્ર કેસ એક તરફી ચાલીને પુરો થયો હતો. પત્ની દ્વારા પતિના દસ વર્ષના ભારતનાં ઈન્કમટેક્ષ પેપર્સ અને પાસપોર્ટ સહિતની વિગત કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. બીજી બાજુ પતિએ પત્નીની સામે જર્મનીમાં છુટાછેડાનો કેસ કર્યો હતો અને તેની નોટિસ પત્નીને મોકલી હતી. જે નકલ પણ ફેમિલી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે પુરાવાઓ માન્ય રાખી પતિને માસિક રૂા.૨૫૦૦૦ ભરણ પોષણ પત્નીને ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો. વધુમાં એડવોકેટ જોગડિયાની રજૂઆત ધ્યાને લઈને કોર્ટે ટાંક્યું હતું કે "સામાવાળા જર્મની, બલિર્નમાં કમાણી કરે છે અને જર્મનીની કરન્સી એક યુરોની ભારતીય ચલણ મુજબ ૧૧૦ રૂપિયા જેટલી થાય. જે ધ્યાને લેતા સામાવાળા ભારતીય ચલણ મુજબ ઓછામાં ઓછી માસિક રૂા. ૧ લાખથી વધુની કમાણી કરવા સમર્થ હોવાનુ સ્પષ્ટ રીતે સ્વીકારી શકાય તેવા સંજોગો છે." આ ચુકાદો પત્નીને તરછોડી દેતા અને વિદેશમાં રહેતા પતિઓ માટે લાલબત્તી સમાન હોવાનુ અરજદારનાં વકીલે જણાવ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, મે 2026 2079   |  
નાની બહેનનાં એડમિશન માટે ગયેલી મોટી બહેને પોતાનો જીવ ગુમાવ્યો

સુરત શહેરનાં લસકાણા વિસ્તારમાં હૃદયવિદારક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં નાની બહેનનાં એડમિશન માટે ગયેલી બીબીએની વિર્દ્યાથિનીનું એસટી બસ અડફટે મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વતની અને હાલ સુરત નજીક વેલંજા સ્થિત શેખપુર ગામની હરિદર્શન સોસાયટીમાં રહેતા કેતનભાઈ સોલંકી હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને બે પુત્રીઓ છે. મૃતક ૨૦ વર્ષીય સ્વાતિ સોલંકી વિશ્વભારતી ગર્લ્સ કોલેજમાં બીબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી તેજસ્વી વિર્દ્યાથિની હતી. તેની નાની બહેન ૧૬ વર્ષીય સુહાની તાજેતરમાં સીબીએસસી ધોરણ-૧૦ પાસ કરી ધોરણ-૧૧ કોમર્સમાં પ્રવેશ લેવા તૈયારી કરી રહી હતી. ગઈકાલે બપોરના સમયે સ્વાતિ પોતાની નાની બહેન સુહાનીને મોપેડ પર બેસાડી તેના એડમિશન માટે જે.બી. ડાયમંડ સ્કૂલ ખાતે લઈ ગઈ હતી. ત્યાં સુહાનીને સ્કૂલમાં ઉતારી સ્વાતિ કોઈ વ્યક્તિગત કામસર મોપેડ લઈને પરત નીકળી હતી. દરમિયાન લસકાણા નજીક સાગવાડી વિસ્તારમાં પહોંચતા જ એક એસટી બસનાં ચાલકે બેદરકારીપૂર્વકને મોપેડ ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં સ્વાતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે જ ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી અને તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ફરજ પરનાં તબીબે તપાસ બાદ સ્વાતિને મૃત જાહેર કરી હતી. યુવતીના અચાનક નિધનથી પરિવાર પર આફત તૂટી પડી છે. એક તરફ નાની બહેનનાં ભવિષ્ય માટે એડમિશન પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જ મોટી બહેનનાં મોતનાં સમાચાર સાંભળતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અકસ્માત બનાવ અંગે લસકાણા પોલીસે એસટી બસનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, મે 2026 2277   |  
ઓલપાડની સિટી સર્વે કચેરીનો શિરસ્તેદાર ૩૦૦૦ રૂપિયાની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો

ઓલપાડ સિટી સર્વે કચેરીનાં શિરસ્તેદાર એટલે કે મુખ્ય કારકૂનને ત્રણ હજાર રૂપિયા લાંચ લેતાં એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પ્રોપર્ટીકાર્ડમાં નામ ચઢાવવાની અરજી દીઠ ૧૦૦૦ રૂપિયા લાંચ માંગતો હોવાની વકીલ તરફથી ફરિયાદ મળતા એસીબીએ ગોઠવેલા છટકામાં તે આબાદ ફસાયો હતો. એન્ટિ કરપ્શન બ્યુરોનાં મદદનીશ નિયામક આર. આર. ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રેવન્યુ પ્રેક્ટિસ કરતા એક વકીલ તરફથી એવી ફરિયાદ મળી હતી કે, ઓલપાડ સિટી સર્વે કચેરીમાં શિરસ્તેદાર તરીકે ફરજ બજાવતો નિલેશ બાલુભાઇ પાંડવ કાયદેસરનું તેમની ફરજ હેઠળ આવતું કામ પણ લાંચ લીધા વિના કરતા નથી. વકીલને તેમના અસીલ તરફથી પ્રોપર્ટીકાર્ડમાં નામ ચઢાવવા માટે ત્રણ અરજીઓ આ સિટી સર્વે કચેરીમાં આપી છે. આ અરજી સાથે આવશ્યક એવા તમામ ડોક્યુમેન્ટ રજુ કરવામાં આવ્યા છતાં કચેરીનાં મુખ્ય કારકુન નિલેશ પાંડવે આગળની પ્રોસીજર કરી ન હતી.અરજી અંગે ઇન્ક્વાયરી કરવા ગયા તો પાંડવે તેમની પાસે લાંચની માંગણી કરી હતી. અરજી દીઠ હજાર રૂપિયા આપો તો કામ થઈ જશે એવા મતલબની વાત કરી પાંડવે આડકતરી રીતે પૈસા નહીં તો કામ નહીં એવી ચીમકી આપી હતી. અસીલનું કામ અટવાતું હોવા સાથે લાંચ આપવા નહીં માંગતાં હોવાની રજૂઆત પણ વકીલે કરી હતી. જેથી તેમની ફરિયાદ લેવા સાથે શિરસ્તેદાર પાંડવ સાથે લાંચની રકમ અને કામ બાબતે વકીલને વાતચીત પણ કરાવાઇ હતી. જેમાં પાંડવે સિટી સર્વે કચેરીમાં આવવા કહેતાં વકીલ સાથે એસીબીની ટીમ પણ ત્યાં પહોંચી હતી. સિટી સર્વે કચેરીમાં પહોંચેલા વકીલને પાંડવે સુપરિન્ટેન્ડેન્ટની ચેમ્બરની બહાર ખુલ્લા પેસેજમાં બોલાવ્યો હતો. અહીં મળેલા પાંડવે વકીલ પાસે લાંચ પેટે ત્રણ હજાર રૂપિયા લેતા જ એસીબીએ તેને ઘેરી લીધો હતો. લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપાયેલા નિલેશ પાંડવની ઇન્સ્પેક્ટર આર. કે. સોલંકીએ ધરપકડ કરી વધું તપાસ આરંભી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, મે 2026 2178   |  
પશ્ચિમ બંગાળની શાળાઓમાં શૂઝ સપ્લાયનું ટેન્ડર પાસ થયાનો બોગસ ઓર્ડર મોકલાવી ૬.૯૯ કરોડનું ચીટિંગ

પશ્ચિમ બંગાળની શાળાનાં વિદ્યાર્થીઓ માટે શૂઝ સપ્લાય કરવાનું ૩૬ કરોડનું ટેન્ડર પાસ કરાવી આપ્યાનું કહી સુરત મનપાની શિક્ષણ સમિતિનાં પૂર્વ સભ્ય કિશોર વાઘેલા સહિતની ટોળકીએ વેપારી સાથે ૬.૯૯ કરોડનું ચીટિંગ કર્યું હતું. આ ટોળકીએ ટેન્ડર મંજુર કરાવ્યાના કમિશન પેટે ૨.૪૯ કરોડ પડાવ્યાં જ્યારે ૪.૫૦ કરોડનાં એક લાખ જાેડી શૂઝ પણ મેળવી લીધા હતાં. આર્થિક ગુના નિવારણ શાખા પાસે મળતી માહિતી અનુસાર મોટાવરાછામાં યમુના ચોક પાસે ક્રિષ્ના ટાઉનશીપમાં પ્રવીણ ભગવાનભાઈ ધડુક તેમના પરિવાર સાથે રહે છે. પ્રવિણ ડ્રીમલેન્ડ શૂઝ નામથી સરકારી અર્ધ સરકારી શાળા, કચેરીઓમાં શૂઝ સપ્લાય કરે છે. તેમણે વર્ષ ૨૦૧૩-૧૪માં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં શૂઝ સપ્લાય કર્યા હતાં. એ સમયે શિક્ષણ સમિતિનાં ખરીદ સમિતિનાં કન્વીનર કિશોર વાઘેલા સાથે તેમનો પરિચય થયો હતો.ફેબ્રુઆરી ૨૦૨૩માં વાઘેલાએ પ્રવિણભાઇ ધડુકને તેમના ઘરે બોલાવ્યા હતાં. જ્યાં વાઘેલાએ ધડુકની ઓળખાણ સીમીસ સુબ્રમણ્યમ નોચીલ સાથે કરાવી હતી. ધડુકને એવું કહેવાયું હતું કે, સીમીસનાં પશ્ચિમ બંગાળ સરકારમાં સારા એવા કોન્ટેક્ટ છે. અધિકારીઓ સાથે તેમની ઉઠક બેઠક હોય ત્યાંની શાળાઓમાં શૂઝ સપ્લાયનો ઓર્ડર તમને અપાવી શકે એમ છે. સારુ અને મોટુ કામ મળે એમ હોય ધકુડે હા પાડી હતી. ત્યારબાદ વાઘેલા અને સીમીસે ધડુકને એવું કહ્યું હતું કે, આનંદધારા પ્રોજેક્ટ હેઠળ વેસ્ટ બંગાળ સ્ટેટ રૂરલ લાઇવલીહુડ મિશન નામથી સરકારી શુઝનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડર ૩૬ કરોડનું છે. ટેન્ડરને લગતુ કામ જેમની પાસે છે એ અધિકારીઓ સાથે મારે સેટિંગ છે. તમે આ ટેન્કર લેશો તો ઘણો આર્થિક લાભ થશે. જુના સંબંધનાં કારણે તેમની વાતમાં આવી ગયેલા ધડુકે ટેન્ડરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.થોડા સમય બાદ સીમીસ નોચીલે સાયન સેન, સુભાશીષસિંગ, ઇન્દ્રજીત સેનગુપ્તા તથા સંજીવ ભાઇ વિગેરે સાથે ધડુકને વાતચીત કરાવી હતી. બાદમાં તેઓએ ધડુકને તમારું ટેન્ડર પાસ થઇ ગયું હોવાનું કહેવા સાથે એના ડોક્યુમેન્ટ પણ મોકલ્યા હતાં. ટેન્ડર પાસ થતાં ધડુકે જુદી જુદી સાઇઝનાં શૂઝ તૈયાર કરાવવા વર્ક ઓર્ડર પણ આપી દીધો હતો. બીજી તરફ કિશોર વાઘેલા એન્ડ કંપનીએ ટેન્ડર પાસ કરાવી આપ્યું એ બદલ કમિશન પેટે ધડુક પાસેથી ૨.૪૦ કરોડ રૂપિયા લઇ લીધા હતાં. સાથે જ ધડુકે વેસ્ટ બંગાળ સ્ટેટ રૂરલ લાઇવલીહુડ મિશન હેઠળ ૧,૦૦,૦૦૮ જાેડી શૂઝ બંગાળ મોકલી પણ આપ્યા હતાં. ૪.૫૦ કરોડનાં શૂઝ મોકલ્યા છતાં ધડુકને બંગાળ સરકાર તરફથી પેમેન્ટ પેટે એક રૂપિયો પણ અપાયો ન હતો. ટેન્ડર અપાવી શૂઝ મેળવનારાઓ સાથે આ અંગે વાત કરાઇ તો તેમણે સરકારી કામ છે, થોડી વાર તો લાગશે જ એમ કહી ઉડાઉ જવાબ આપ્યો હતો. આનાથી શંકા જતાં ધડુકે બંગાળ સરકારમાં તપાસ કરાવી હતી. જેમાં સરકારે આવું કોઈ ટેન્ડર બહાર પાડ્યું નથી એવો જવાબ આવતા ધડુક ચોંકી ઉઠ્યા હતાં. બાદમાં તેઓએ પોલીસનો સંપર્ક સાધી ચીટિંગ કરનારી કિશોર વાઘેલા એન્ડ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે કિશોરકુમાર રામુભાઈ વાઘેલા (ઉ.વ.૫૫ રહે-એ/૧૩, ભાગ્યનગર સોસાયટી, ભિક્ષુક ગૃહ પાસે, રામનગર, રાંદેર સુરત. વતન-જાળીયા, તા.પાલીતાણા, જિ.ભાવનગર) તથા મૂળ કેરળનાં વતની એવા સીમીસ સુબ્રમણ્યમ નોચીલ (ઉ.વ.-૫૦ રહે.-ડી/૩૩, શાંતિવન રેસીડેન્સી, ડીંડોલી ખરવાસા રોડ, ડીંડોલી)ની ધરપકડ કરી છે. ધડુકને કોલકાતા લઇ જઇ અધિકારીઓ સાથે મીટિંગ કરાવી ૧૬% કમિશન નક્કી કર્યું હતું વીર નર્મદ યુનિવર્સિટીમાં સીન્ડિકેટ સભ્ય પણ રહી ચૂકેલા કિશોર વાઘેલાએ ભાગીદાર તરીકે ઓળખાણ કરાવી હતી એ સીમીસ નોચીલ ટેન્ડરના કામ માટે ધડુકને કોલકત્તા પણ લઇ ગયો હતો. ૬ માર્ચ, ૨૦૨૩ના રોજ કોલકત્તામાં ધકુડને અધિકારીઓનાં લાયઝનિંગ પર્સન તરીકે સાયન સેન સાથે મૂલાકાત કરાવાઇ હતી. સાયન સેન તેમને આનંદઘારા, વેસ્ટ બંગાળ સ્ટેટ રૂરલ લાઇવલીહુડ મિશનની ઓફિસે લઇ ગયો હતો. જ્યાં સુભાષીષ સિંઘની ઓળખાણ ગવર્મેન્ટ સંબંધિત વિભાગનાં મુખ્ય અધિકારી તરીકેની કરાવાઇ હતી. તેમની સાથે ટેન્ડર સંબંધે વાત કરી ધડુક પરત આવી ગયા હતાં. ત્યારપછી ૧૫મી માર્ચે ફરી તેમનો કોલકાતા બોલાવ્યા હતાં. એ સમયે ટેન્ડર, સપ્લાય તથા કમિશન બાબતે વાત કરાઇ હતી. જેમાં તેઓએ ટેન્ડરની કુલ કિંમતના ૧૬% કમિશન પેટે આંગડિયા મારફતે ઇન્દ્રજીતને ચૂકવવા કહેવાયું હતું. જેમાં ૮% કમિશન વર્કઓર્ડર આપતી વખતે તેમજ બાકીના ૮% ઓર્ડરના નાણાં આવ્યેથી ચૂકવવાનું નક્કી કરાયું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 2574   |  
ધો. ૧૨ સાયન્સ અને કોમર્સનાં પરિણામોમાં સુરત ફરી અજેય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ ધો.૧૨ સાયન્સ અને કોમર્સ વિભાગની ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી પરીક્ષાનાં પરિણામો એક સાથે ઓનલાઇન પ્લેટફોર્મ પરથી જાહેર કર્યા હતા. દેશના જ નહીં પણ એશિયાનાં સૌથી ફાસ્ટેટ ગ્રોઇંગ બિઝનેસ સિટી તરીકે જાણીતા સુરત શહેરનાં વિદ્યાર્થીઓએ સાયન્સ અને કોમર્સ બંનેનાં પરિણામોમાં મેદાન માર્યું છે. સાયન્સ અને કોમર્સ બંનેમાં સુરત શહેર જિલ્લાનું પરિણામ સ્ટેટ એવરેજથી વધુ હોવા ઉપરાંત સાયન્સ અને કોમર્સ બંનેમાં એ-વન ગ્રેડ, ટોપર્સ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ સુરતની સંખ્યા આખા રાજ્યનાં તમામ જિલ્લાઓ કરતાં વધુ છે. એથી વિશેષ સાયન્સમાં એ ગ્રુપ, બી ગ્રુપ અને કોમર્સ ત્રણેયમાં સ્ટેટ ટોપર વિદ્યાર્થીઓ પણ સુરતનાં જ છે. આમ, આજનાં પરિણામમાં સમગ્ર રાજ્યમાં સુરત શહેર જિલ્લાના વિદ્યાર્થીઓએ મેળવેલા પરિણામોની ચર્ચા સાવર્ત્રિક રીતે સાંભળવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં પણ સુરતનાં વિદ્યાર્થીઓએ સાયન્સ અને કોમર્સમાં મેળવેલા ઝળહળતાં પરિણામો અંગે સફળ વિદ્યાર્થીઓની જુદી જુદી સ્ટોરીઓ ભારે વાઇરલ થવા પામી છે.ગઇ તા.૨૬ ફેબ્રુઆરીથી તા.૧૬મી માર્ચ દરમિયાન લેવામાં આવેલી ગુજરાત બોર્ડની ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા. ધો.૧૨ સાયન્સનું સમગ્ર રાજ્યનું ઓવરઓલ પરિણામ ૮૪.૩૩ ટકા આવ્યું છે જ્યારે સુરત શહેર જિલ્લાનાં પરિણામ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનાં સાતેય જિલ્લાનાં પરિણામની વાત કરીએ તો સુરત શહેર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૭.૨૬ ટકા, નવસારીનું ૭૯ ટકા, તાપી જિલ્લાનું ૭૦.૭૨ ટકા, નર્મદા જિલ્લાનું ૮૪.૯૫ ટકા, વલસાડ જિલ્લાનું ૭૪.૫૧ ટકા, ભરૂચ જિલ્લાનું ૮૦.૫૯ ટકા અને ડાંગ જિલ્લાનું પરિણામ ૮૯.૭૧ ટકા જેટલું આવ્યું છે.સુરત શહેર જિલ્લાનાં ડીટેઇલ પરિણામ પર નજર કરીએ તો કૂલ ૧૫૭૯૮ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી ૪૫૯ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કર્યું છે. સુરત જિલ્લા કરતા વધુ એ-વન ગ્રેડ પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા બીજા કોઇ જિલ્લામાં નથી. આખા રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૫૭૬ છે, જેમાંથી ૪૫૯ વિદ્યાર્થીઓ તો એકલા સુરત શહેર જિલ્લાના જ છે. આમ ઓવરઓલ પરિણામ અને વ્યક્તિગત પરિણામોમાં પણ સુરત શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ મેદાન મારી ગયા છે. સુરત શહેર જિલ્લામાંથી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ ૧૫૭૯૮ છે. જેમાંથી આજે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩૭૮૬ છે, જે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે. એવી જ રીતે સુરત શહેર જિલ્લામાંથી નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૩૧ છે, જે પણ સમગ્ર રાજ્યનાં તમામ જિલ્લાઓ કરતા વધુ છે. સુરત શહેર જિલ્લાનાં પરિણામમાં સૌથી વધુ ધ્યાનાકર્ષક બાબત એ પણ સપાટી પર આવી છે કે સુરત શહેરમાં આવતા કુંભારિયા પરીક્ષા કેન્દ્રનું પરિણામ ગુજરાતનાં વિજ્ઞાન પ્રવાહનાં તમામ પરીક્ષા કેન્દ્રો કરતા સૌથી વધુ છે. કુંભારીયા પરીક્ષા કેન્દ્રનું પરિણામ ૯૮.૬૨ ટકા છે. આ પરીક્ષા કેન્દ્રમાંથી કુલ ૪૩૪ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત ૬ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને ૪૨૮ વિદ્યાર્થીઓનું પરીણામ પાસ આવ્યું છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના પરીણામની કેટલીક વિશેષ બાબતો પર નજર કરીએ તો સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિક્સ અને બીજા નંબરે કેમેસ્ટ્રી વિષયમાં સૌથી વધુ નાપાસ થયા છે. રાજ્યમાંથી કુલ ૧૧૦૯૯૦ વિદ્યાર્થીઓએ ફિઝિક્સની પરીક્ષા આપી હતી, જેમાંથી ૯૪૬૪૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે ૧૬૩૪૭ વિદ્યાર્થીઓને ફિઝિક્સમાં નાપાસ પરીણામ મળ્યું છે. એવી જ રીતે કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧૦૯૭૬ હતી, જેમાંથી આજે ૯૫૩૭૫ વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રીમાં પાસ જાહેર થયા છે જ્યારે ૧૫૬૦૧ વિદ્યાર્થીઓનું પરીણામ નાપાસ આવ્યું છે. હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ, મરાઠી ફર્સ્ટ લેંગ્વેજ, ઉર્દૂ ફર્સ્ટ લેંગ્વેજ અને ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ આ ચાર ભાષાના વિષયોના પરીણામ ૧૦૦ ટકા આવ્યા છે, એકપણ વિદ્યાર્થી ઉપરોક્ત ચાર વિષયમાં નાપાસ થયા નથી. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.૧૨ સામાન્ય પ્રવાહ (કોમર્સ-આર્ટસ)નું ૯૨.૭૧ ટકા જેટલું જંગી અને વિક્રમી પરિણામ જાહેર કર્યું હતું. સુરત અને દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓ પૈકી ૬ જિલ્લાઓનું પરિણામ રાજ્યની એવરેજ કરતા પણ વધુ આવ્યું છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ગણાતા ડાંગનું ધો.૧૨નું પરિણામ ૯૮.૮૮ ટકા જેટલું જંગી આવ્યું છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આખા રાજ્યમાં અધધ ૭૪૪૬ વિદ્યાર્થીઓને એ-વન રેન્કમાં પરીણામ આપવામાં આવ્યું છે. આ સંખ્યામાં એકલા સુરત જિલ્લાના વિદ્યાર્થીઓની સંખ્યા જ ૨૦૮૩ છે. સુરત સિવાય રાજકોટ જિલ્લાને બાદ કરતા અન્ય કોઇ જિલ્લામાં ચાર આંકડામાં એ-વન રેન્કર વિદ્યાર્થીઓની સંખ્યા નથી આવી શકી. આમ વિજ્ઞાન પ્રવાહની જેમ જ સામાન્ય પ્રવાહનાં પરિણામોમાં જ સુરતનું પરિણામ આખા રાજ્યમાં સુરતનો ડંકો વગાડનારું છે.સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં પરિણામ પર નજર કરીએ તો સુરતનું ઓવરઓલ પરિણામ ૯૩.૪૬ ટકા, ભરૂચનું પરિણામ ૯૩.૩૭ ટકા, ડાંગ જિલ્લાનું પરિણામ ૯૭.૮૮ ટકા, વલસાડનું પરિણામ ૯૦.૩૯ ટકા, નવસારીનું પરિણામ ૯૫.૧૩ ટકા, નર્મદા જિલ્લાનું પરિણામ ૯૪.૧૭ ટકા અને તાપી જિલ્લાનું પરિણામ ૯૫.૮૯ ટકા આવ્યું છે. સુરત શહેરનાં પરિણામ પર નજર કરીએ તો કુલ ૪૭૦૯૧ વિદ્યાર્થીઓએ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૪૦૦૯ વિદ્યાર્થીઓ આજે પાસ જાહેર થયા છે જ્યારે ૩૨૨૬ વિદ્યાર્થીઓનું પરિણામ નાપાસમાં જાહેર થયું છે. એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓને ટોપર્સ, રેન્કર્સ તરીકે ઓળખવામાં આવે છે. આખા રાજ્યમાં એ-વન ગ્રેડનું પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા સુરતમાં ૨૦૮૩ નોંધાઇ છે. એ-વન ગ્રેડર્સની સંખ્યામાં સુરત પછી બીજા ક્રમે રાજકોટમાં ૧૧૮૪ની છે. આમ સુરત અને રાજકોટ વચ્ચે જ ૮૦૦ વિદ્યાર્થીઓનો તફાવત છે. ધો.૧૨ કોમર્સનાં ૯૨ ટકા જેટલા જંગી પરિણામને જાેતા શહેરની અનેક સ્કુલોનાં આચાર્યો, ટ્રસ્ટીઓ બોલી ઉઠ્યા હતા કે જે વિદ્યાર્થીઓની પાસ થવાની કોઇ શક્યતા ન હતી, તેવા વિદ્યાર્થીઓ પણ ૫૫-૬૦ ટકા માર્કસ સાથે પાસ થઇ ગયા છે, તેનો મતલબ એ ગણાવી શકાય કે પરિણામો બિલકુલ ઉદાર હાથે આપવામાં આવ્યા છે. સુરતની આશાદીપ સ્કુલની વિદ્યાર્થિની અક્ષરા સુતરીયા ધો.૧૨ કોમર્સમાં સમગ્ર ગુજરાતની ટોપર બની ગુજરાત બોર્ડે આજે જાહેર કરેલા ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં પરિણામોમાં સુરતનાં નાના વરાછા સ્થિત આશાદીપ સ્કુલની વિદ્યાર્થિની અક્ષરા સુતરીયાએ ગુજરાત ફર્સ્ટનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અક્ષરા સુતરીયા નામની વિદ્યાર્થિનીએ આજે ધો.૧૨ કોમર્સમાં ૭૦૦માંથી ૬૮૭ માર્ક મેળવીને ગુજરાત બોર્ડના અત્યાર સુધીનાં ઇતિહાસમાં સૌથી વધુ ગુણ સાથે પાસ થવાનો રેકોર્ડ સર્જ્યો હોવાની માહિતી આશાદીપ સ્કુલનાં સંચાલક મહેશ રામાણીએ આપી હતી. જ્યારે અક્ષરા અને તેના માતાપિતાને આ બાબતની જાણકારી આપવામાં આવી ત્યારે તેમની ખુશીનો પાર રહ્યો ન હતો. અક્ષરા સુતરીયાએ આજે ધો.૧૨ સાયન્સમાં કુલ ૯૮.૧૪ ટકા જેટલું જંગી પરિણામ મેળવ્યું છે અને હવે એ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપીને સરકારી અધિકારી બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે આગળ વધશે એમ તેણે જણાવ્યું હતું.અક્ષરાનાં પિતા અનિલભાઇ એમ્બ્રોઇડરીનાં કારખાનામાં કામ કરી રહ્યા છે અને તેઓ વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. આજે પરિણામ બાદ અક્ષરા સુતરીયાએ જણાવ્યું કે તેની આ સફળતામાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનાં સંચાલકો અને શિક્ષકોનો સિંહફાળો રહ્યો છે. માતા વિકલાંગ, ભાઇ બહેનોને આંખે ૨૪-૨૪ નંબર, ઘરકામની બધી જવાબદારી છતાં એ-વન રેન્ક લઇ આવી નિશા ગઢીયાઆશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરીને આજે ૭૦૦માંથી ૬૮૫ માર્ક હાંસલ કરીને એ-વન ગ્રેડનું પરિણામ લાવનાર વિદ્યાર્થિની નિશા ગઢીયાની પરિસ્થિતિ સાંભળીને ભલભલાનું હ્રદય દ્વવી ઉઠશે. આ વિદ્યાર્થિની સ્કુલમાં અભ્યાસની સાથે પોતાના ઘરના બધા જ ઘરકામની જવાબદારી સંભાળે છે. કેમ કે નિશાની માતા વિકલાંબ છે અને તેને બે નાના ભાઇબહેનો છે જેમને આંખે ૨૪-૨૪ નંબર છે. આવી સ્થિતિમાં મોટાભાગનું ઘરકામ, રસોઇ સમેત નિશાએ સંભાળવું પડતું હતું. આમ છતાં નિશાએ પોતાના અભ્યાસ પર પોતાના વર્કલોડની સહેજ પણ અસર થવા દીધી ન હતી. અત્યંત ગરીબ પરીવારમાંથી આવતી નિશાના પિતા વરાછા રોડના બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકો માટેના રેડીમેઇડ કપડાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોતાની આ પ્રકારની નાજૂક આર્થિક સ્થિતિની કોઇપણ પરવાહ કર્યા વગર નિશા ગઢીયા મન લગાડીને અભ્યાસ કરી રહી છે. આજે પરિણામ બાદ નિશાએ પત્રકારોને જણાવ્યું કે તે હવે સી.એ. બનવા માગે છે અને સી.એ.નો અભ્યાસ શરૂ કરી દીધો છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનાં મહેશ રામાણીએ જણાવ્યું કે તેઓ ગરીબ વર્ગનાં વિદ્યાર્થીને જ્યાં સુધી અભ્યાસ કરવા ઇચ્છશે ત્યાં સુધી તેમને સહાયભૂત થશે.પાલિકા સંચાલિત સુમન હાયર સેકન્ડરીમાં સાયન્સનું પરિણામ ૧૦૦ ટકા અને કોમર્સનું પરિણામ ૯૮.૪૮ ટકા, ૧૦૨ વિદ્યાર્થીનાં એ-૧ ગ્રેડ સુરત મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વિસ્તારનાં બાળકો માટે સુરત શહેરમાં સુમન હાયર સેકન્ડરી સ્કુલોમાં સામાન્ય પ્રવાહનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ દરમિયાન લેવાયેલી ગુજરાત બોર્ડની એચ.એસ.સી સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સુમન હાઇસ્કુલોનું પરિણામ ૯૮.૪૮ ટકા તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. સુમન હાઇસ્કુલ નંબર ૨ (વરાછા), સુમન હાઇસ્કુલ નંબર ૩ (કતારગામ), સુમન હાઇસ્કુલ નંબર ૫ (લિંબાયત), સુમન હાઇસ્કુલ નંબર ૬ (પાંડેસરા), સુમન હાઇસ્કુલ નંબર ૦૯ (કાપોદ્રા), સુમન હાઇસ્કુલ નંબર ૧૦ (લિંબાયત), સુમન હાઇસ્કુલ નંબર ૧૮ (પુણાગામ), સુમન હાઇસ્કુલ નંબર ૧૯ (ઉત્રાણ)નું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. તમામ સુમન હાઇસ્કુલો ખાતે કુલ-૧૦૨ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યા છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution