ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, માર્ચ 2026 2574   |  
જામનગર શહેરમાં પણ કરા સાથે માવઠું:અમરેલીના વાતાવરણમાં પલટો

અમદાવાદ: ગુજરાતમાં થોડા દિવસથી વહેલી સવારે અને મોડી સાંજે થોડી ઠંડક લાગી રહી છે. હવામાન વિભાગે, કરેલ આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રમા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલી અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડ્યા છે. તો કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોમસી વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણ પલટાયું. વડીયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યાં છે. વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. બગસરા શહેરમાં કરા સાથે વરસાદ ખાબકયો. બગસરા પંથકના શાપર, સુડાવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. જામનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જામનગરના લાલપુર પંથકમાં કરા સાથે માવઠું થયુ છે. હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ લાલપુર તાલુકાના અમુક ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. બપોર બાદ એકાએક પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઉદ્ભવ્યા હતા. બબરજર, અપીયા સહિતના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. હજુ આવતીકાલે પણ છે માવઠાની આગાહી કરવામાં આવી છે. અમુક ગામડાઓમાં હજુ ચણા અને ઘઉંનો પાક ખેતરોમાં ઊભો છે, ઉભા પાકમાં નુકસાનીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાેકે બપોરે તો ગરમી જ લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે, ૧૯ અને ૨૦મી તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે ૧૯મી માર્ચના રોજ તો રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં સર્જાયેલું અપર એર સર્ક્યુલેશન હવે પશ્ચિમ રાજસ્થાન ઉપર સ્થિત છે. આ સાથે એક પશ્ચિમી વિક્ષોભ જે મધ્ય અને ઉપલા સ્તરના પશ્ચિમી પહાડી પ્રદેશોમાં એક ટ્રફ તરીકે છે. આ બે સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા માનવામાં આવી રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ધીમે ધીમે  વધારો થવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, આગામી ૩ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ગુજરાતમાં ધીમે ધીમે ૨-૩ ૦ઝ્રનો વધારો થવાની સંભાવના જાેવા મળશે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, મંગળવારે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૩૮.૫ ડિગ્રી નોંધાયું હતું. ૧૯મી માર્ચે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ૨૦ માર્ચ, શુક્રવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, માર્ચ 2026 2376   |  
ઉનાના ચકચારી દલિતકાંડમાં ૫ આરોપી દોષિત, દાયકા બાદ સેશન્સ કોર્ટનો ચુકાદો

ઉના , ૧૧ જુલાઈ ૨૦૧૬ના દિવસે સૌરાષ્ટ્રના ઉનાના મોટા સમઢીયાળા ગામે અનુસૂચિત જાતિના લોકો પશુનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે કેટલાક ગૌસેવકો પહોંચ્યા હતા અને મૃત પશુ ગાય છે અને ગૌહત્યા કરી છે, તેવો આરોપ મૂકીને અનુસૂચિત જાતિના ચાર લોકોને કાર પાછળ બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. રાષ્ટ્રીય સ્તરે ચગેલા આ મુદ્દામાં દસ વર્ષ પછી ચૂકાદો આવ્યો છે. ઉનાના ચર્ચિત દલિતકાંડ કેસમાં આજે (૧૬ માર્ચ ૨૦૨૬)ના રોજ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં ૫ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે અન્ય ૩૮ વ્યક્તિઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ૨૦૧૬ની ૧૧ જુલાઈએ ઉનાના સમઢીયાળા ગામે કથિત ગૌરક્ષકો દ્વારા ૪ અનુસૂચિત જાતિના યુવાનોને માર માર્યો હતો અને અર્ધનગ્ન કરીને ઝાયલો ગાડી પાછળ બાંધી ઉનામાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ ચૂકાદા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેસની શરૂઆતમાં નોંધાયેલી હ્લૈંઇમાં અનેક આરોપીઓના નામ સામેલ હતા. જાેકે, ૧ દાયકા સુધી ચાલેલી કોર્ટ કાર્યવાહી, સાક્ષીઓની જુબાની અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે ૫ શખસને ગુનામાં સંડોવાયેલા ગણી દોષિત જાહેર કર્યા છે.દોષિત ઠરેલા આરોપીઓની યાદી: રમેશ જાદવ, રાકેશ જાેશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા, બળવંત ગોસ્વામી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, માર્ચ 2026 4059   |  
ગરીબ પરિવારોને કેરોસીનનો જથ્થો ફાળવાશે

ગાંધીધામ, ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના હાલમાં વિશ્વસ્તરે પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય (જીઓ-પોલિટિકલ) પરિસ્થિતિને કારણે ઊર્જા પુરવઠા પર ઉભા થયેલા જાેખમોને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૧૪૫૨ કેએલ (હજાર લિટર) કેરોસીનનો એડહોક (છઙ્ઘ-ર્રષ્ઠ) જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા (કૂકિંગ) અને પ્રકાશ (લાઇટિંગ) માટે કરવાનો રહેશે એમ અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક યાદી પ્રસિદ્ધ કરીને જણાવાયુ છે. રાજ્યના આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારના અંત્યોદય તથા પીએચએચ પરીવારોને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જેની કાર્યપધ્ધતિ આ મુજબ રહેશે. કેંન્દ્ર સરકારે ફાળવેલ ૧૪૫૨ કેએલ માથી દરેક જિલ્લામાં કલેક્ટર હસ્તક ૩૬ કેએલ (૩૬ હજાર લીટર)ની ફાળવણી કરવામા આવશે. ઉપરોક્ત કેરોસીનના જથ્થામાંથી પરિવાર દીઠ ૫ (પાંચ) લીટર તથા સંસ્થા દીઠ ૨૫ (પચ્ચીસ) લીટર ફાળવણી કલેક્ટર કરી શકશે. આ જથ્થો ૧૨ હજાર લીટરના ગુણાંકમાં કલેક્ટર દ્વારા ડિમાન્ડ મોકલી ઉપાડ કરવાનો રહેશે. કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ પર દેખરેખ રાખવાનુ રહેશે. કેરોસીનના વિતરણમાં પણ આ મુજબના લોકોને પ્રાથમિકતા આપવાની રહેશે. ગ્રામીણ પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લાભાર્થીઓ. શાળા હોસ્ટેલોમાં રહેતા બાળકો અને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓ. રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અન્નક્ષેત્રો અને અન્ય સેવાકીય સંસ્થાઓ. બાંધકામ કે ઔદ્યોગિક એકમોમાં કાર્યરત મજૂર વર્ગની ભોજન તૈયારીના હેતુ માટે. અન્ય સરકારી કે ખાનગી સામાજિક સંસ્થાઓ જે બળતણ માટે સંપૂર્ણપણે એલપીજી પર આધારિત છે. આ ઉપરાંત રાજ્યના નાગરિકોને સાંપ્રત પરિસ્થિતિમાં આ મુજબના સૂચનો કરાયા છે. જેમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ તથા એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારમાં ૨૫ દિવસ તથા ગ્રામીણ વિસ્તારમાં ૪૫ દિવસનુ અંતર રાખવા બાબતની સૂચના બહાર પાડેલ છે. જેથી ગ્રાહકો દ્વારા બિનજરૂરી ઓનલાઇન બુકિંગ માટે પ્રયત્ન કરવામાં ન આવે જેથી સર્વર પરનો લોડ ઘટાડી શકાય. રાંધણ ગેસનો બચાવ કરવા બને ત્યા સુધી કુકરનો ઉપયોગ, કઠોરને પલાળીને તેને બાફવા જેવી બાબતો તેમજ વૈકલ્પિક ઉજાસ્ર્ત્રાેત તરીકે સોલર કુકર વિગેરેનો ઉપયોગ હિતાવહ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, માર્ચ 2026 3366   |  
સુરતમાં ૧૦ હજાર વીવિંગ યુનિટની હાલત કફોડી રાજ્યમાંં બ્રાસ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સેવા ઠપ

જામનગર, સુરત, સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક શહેરો જામનગર અને મોરબી હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ જામનગરમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે કાચા માલની આયાત અટકી છે, તો બીજી તરફ મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પૈડાં થંભી ગયા છે, જેના કારણે હજારો પરિવારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે. જ્યારે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર યુદ્ધની અસર જાેવા મળી રહી છે. સ્ટીમની મદદથી ચલાવાતા ૧૦હજારથી વધારે પાવરલૂમ્સને ગેસ નહીં મળતા આ યુનિટ્સ ડગુમગુ થવા માંડ્યા છે.જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ભંગારની આયાત પર મોટી બ્રેક લાગી છે. આ અંગે જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના તણાવને પગલે દરિયાઈ માર્ગે આવતા ભંગારના કન્ટેનરો અધવચ્ચે ફસાઈ ગયા છે. જામનગરનો ઉદ્યોગ ૭૦ ટકા આયાતી ભંગાર પર ર્નિભર છે અને દરરોજ અંદાજે ૬૦૦ થી ૭૦૦ ટન કાચા માલની જરૂરિયાત હોય છે. હાલ બંદરો પર પડેલા સીમિત જથ્થાના સહારે ઉદ્યોગ માંડ ચાલી રહ્યો છે, જાે પરિસ્થિતિ સુધરશે નહીં તો કારખાનાઓ સંપૂર્ણપણે બંધ થવાની દહેશત છે.બીજી તરફ, મોરબીમાં ગેસની અછતને કારણે સિરામિક એકમોમાં શટડાઉન આવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની હાલત કફોડી બની છે. મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે, અગાઉ જે મોરબીમાં દરરોજ ૭,૦૦૦ થી ૮,૦૦૦ ટ્રકની અવરજવર રહેતી હતી, તે ઘટીને માત્ર ૨૦૦ જેટલી થઈ ગઈ છે. સિરામિક ફેક્ટરીઓ બંધ હોવાથી કાચા માલની આવક અને તૈયાર માલની જાવક ઠપ્પ થતા અંદાજે ૧૬,૦૦૦ જેટલા ડ્રાઈવર અને ક્લીનરો બેરોજગાર બન્યા છે. ગુરુવારે સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આયોજિત ‘કોઓપરેટિવ કોન્ક્લેવ ‘૨૬’ માં હાજરી આપવા આવેલા ૈંહ્લહ્લર્ઝ્રં અને ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યુ હતું કે, સમુદ્રી માર્ગાે પ્રભાવિત થવાને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગેસની કટોકટી ઉભી કરી છે.કોમર્શિયલ ગેસ ન મળવાને કારણે નાના વેપારીઓને પડતી મુશ્કેલી અંગે તેમણે ટકોર કરી હતી કે, આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું? જ્યા સુધી વૈશ્વિક સ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી સહિયારા પુરુષાર્થથી આ સ્થિતિનો સામનો કરવો પડશે.બીજી તરફ, ગેસની આ અછતને કારણે સુરતમાં ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે ૧૦,૦૦૦ જેટલા વીવિંગ યુનિટ્સ હાલ સીધા અસરગ્રસ્ત બન્યા છે. હાઈ-ક્વોલિટી કાપડના ઉત્પાદન માટે ૧૨૦૦ વધુ સ્પીડ ધરાવતા મશીનો પર યાર્નને ગરમી (સ્ટીમ) આપવી અનિવાર્ય હોય છે, જે પ્રક્રિયા ગેસના અભાવે અટકી પડી છે. ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અને વિવર અગ્રણી ચેરમેન અશોક જીરાવાલાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં કાર્યરત ૫૫,૦૦૦ વીવિંગ યુનિટ્સ પૈકી અંદાજે ૩૦% એકમો એવા છે જ્યાં ગેસની મદદથી સ્ટીમ આપવી ફરજિયાત છે. ગેસના ઠપ્પ થયેલા પુરવઠાને કારણે આ એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે, જે આગામી સમયમાં મોટા આર્થિક નુકસાનના સંકેત આપી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, માર્ચ 2026 5346   |  
દીવમાં ગરમીએ તોડ્યો ૧૦૦ વર્ષનો રેકોર્ડ: ૪૧.૩ ડિગ્રી તાપમાન નોંધાયું

દીવ, હવામાન વિભાગે માર્ચથી કાળઝાળ ગરમીના સંકેત આપ્યાં છે. ગુજરાત સહિતના રાજ્યોમાં માર્ચની શરૂઆતથી ભીષણ ગરમી પડી રહી છે. દીવમાં માર્ચની શરુઆતથી જ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. દીવમાં માર્ચ મહિનામાં ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે દીવમાં નોંધાયું હતું ૪૧.૩ ડિગ્રી તાપમાન. અગનભઠ્ઠીમાં શેકાવા માટે તૈયાર થઈ જજાે. હવામાન વિભાગે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. રાજકોટ-સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, બનાસકાંઠા, પાટણમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં આજે ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ભરૂચ, અમદાવાદ, જામનગર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, આ વર્ષે ગરમી સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની શક્યતા છે. માર્ચ મહિનો સરેરાશ કરતાં વધુ ગરમ રહેવાની ધારણા છે, જ્યારે એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં વધઘટ જાેવા મળી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં વંટોળ તોફાનની અપેક્ષા છે, ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે. મંગળવારે ૪૨ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં ૪૧.૨ ડિગ્રી તો ગાંધીનગરમાં ૪૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ નોંધાયું હતું.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, માર્ચ 2026 2079   |   વડોદરા   |  
મહિલાને ખેંચ આવી, ચલણી સિક્કા વડે મોઢું ખોલવાનો પ્રયાસ કર્યો, સિક્કો ગળામાં ફસાતાં મોત

વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં મધ્યપ્રદેશની એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મહિલાને ખેચ આવતા તેના દાંત ખોલવા ચલણી સિક્કા વડે મોઢું ખોલવા જતા સિક્કો ગળામાં ફસાઈ ગયો હતો. જેનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થતા પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશની ગંગા આકાશ રોકડે ( ઉંમર વર્ષ ૨૯)ને ખેંચ આવતા દાંત ખોલવા માટે ચલણી સિક્કાની મદદ લેવામાં આવી હતી. જાે કે સિક્કો સીધો મોઢામાંથી ગળાના ભાગમાં ફસાઈ ગયો હતો, જેના કારણે તેને ગંભીર તકલીફ પડી હતી. શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિમાં સુધારો ન થતા ત્રણ દિવસ પહેલાં તેને સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગમાં ખસેડવામાં આવી હતી. સયાજી હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી સારવાર ચાલુ રહી, તેમ છતાં મહિલાનું મોત થઈ ગયું હતું. જાે કે પરિવારજનોનું કહેવું છે કે તેને અગાઉ બીમારી પણ હતી. આ મામલે હાલમાં મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. બાદમાં મહિલાના મોતનું સાચું કારણ જાણવા મળશે. મૃતક ગંગાબેનના સસરા દિનેશ રોકડે એ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણ વર્ષથી બીમાર હતા. તેને ગઠિયા નામનો રોગ હતો જેનાથી જમવાનું જામતું ન હતું અને ઊલટીઓ થતી હતી, સાથે કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. તેની કરોડરજ્જુમાં પાણી ભરાઈ ગયું હતું. તે પાણી પણ કાઢવામાં આવ્યું ન હતું અને તેને બ્રેઈન હેમરેજ જેવું થઈ ગયું હતું. વધુમાં કહ્યું કે, તેને ખેંચ આવ્યા પછી અમે ખરગોન સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે કહ્યું કે સ્થિતિ ગંભીર છે અને કિડનીમાં ઇન્ફેક્શન છે એટલે તમે તેને ઈન્દોર કે બીજે ક્યાંય બહાર લઈ જાવ. બાદમાં અમે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. તેઓ સિક્કો મોઢામાં રાખતા ઉતરી ગયો હતો. મૃતક મહિલાને પાંચ વર્ષની દીકરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, માર્ચ 2026 2079   |   વડોદરા   |  
હાઈવેના ટોલપ્લાઝા પર હવે રોકડમાં ચૂકવણી કરવાનું બંધ કરાશે

અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે ને.હા. ૪૮ ઉપર આવેલ વાસદ તેમજ ખેડા ટોલના લાયઝન મેનેજર તેમજ ટોલ મનેજર દ્વારા જણાવવામાં આવેલ છે કે હાલમાં કેટલીક ગાડીવાળા ટોલમાંથી પસાર થવા માટે જરૂરી પુરાવા ડુપ્લીકેટ બતાવવાનો પ્રયાસ કરે છે પરંતુ ટોલમાં જે સરકારી હોદ્દેદારો અથવા સબંધિત વાહનોને મુક્તિ આપવામાં આવી છે તે પણ દ્ગૐછૈં ના પરિપત્ર મુજબ આપવામાં આવી છે તે મુક્તિ પણ ફાસ્ટગ ના માધ્યમ થી જ ઉપલબ્ધ છે. ભારત સરકારની ટોલ વસૂલીમાં નુકસાન ન થાય તે હેતુથી જાે ગાડી ચાલક ખોટા દસ્તાવેજ, જેવાં કે ગાડીની ઇઝ્ર બુક, બીજી વ્યક્તિનું આધાર કાર્ડ અથવા કોઈ રહેઠાણ પ્રૂફ ટોલ પ્લાઝા પર રજૂ કરે છે અને તે ડોક્યુમેન્ટ ફરજી સાબિત થશે તો તુરંત તેની માહિતી પોલીસમાં આપી તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જુના રેકોર્ડ મુજબ ટોલને થયેલું નુકસાનની પણ ભરપાઈ/વસુલાત કરાવવામાં આવશે. વધુમા ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગને આદેશ આપવામાં આવેલ છે કે આગામી તારીખ ૧ એપ્રિલ ૨૦૨૬ થી ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશે જાે ટોલ પ્લાઝા પરથી પસાર થવું હોય તો તમારી ગાડી માં હ્લછજી્ટ્ઠખ્ત થી અથવા ેંઁૈં જેમકે ગૂગલ પે, ફોન પે તેમજ અન્ય કોઈ ેંઁૈં એપ્લિકેશન થી જ પેમેન્ટ વસુલવામાં આવશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, માર્ચ 2026 2079   |   વડોદરા   |  
ફતેગંજ વિસ્તારમાં જબરદસ્ત ધમાલ મચાવતાં કપિરાજને રેસ્કયૂ કરાયો

વડોદરા શહેરમાં માનવ વસ્તી અને જાહેર માર્ગ ઉપર ભાગદોડ કરતા વાનર સેના પૈકી નાં એક નાનો તોફાની વાનરના ફતેગંજ વિસ્તારમાં ટ્રાફિક વચ્ચે દોડતા એક વાહનની ટક્કરે ઘાયલ થયો હતો.જેનો કોલ વન વિભાગને મળતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વાનર વાનમાં રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો. અને તેની સારવાર હાથ ધરવામાં આવી હતી.     અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં જાહેર માર્ગ ઉપર ગાય, શ્વાન,વાનર સહિત અન્ય નાના-મોટા પ્રાણીઓ મુક્તપણે ફરતા હોય છે. ત્યારે આવા પ્રાણીઓથી કેટલીક વખત વાહન અકસ્માત સર્જાય છે અને વાહન ચાલક ઘાયલ થાય છે તો કેટલીક વખત વાહન વ્યવહાર વાલા રસ્તા ઉપર ફરતા પ્રાણીઓ પણ ઘાયલ થતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બનવા પામ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે ફતેગંજ વિસ્તારમાં આજે વાનર સેનાનું ટોળું આવી પહોંચ્યું હતું. અને અવર-જવર કરતા વાહનો વાળા રોડ ઉપર ભાગદોડ કરતુ હતું. આ વાનર સેનાના ટોળા પૈકી એક નાનો વાનર તોફાન તેમજ કુદાકુદ કરતા ટ્રાફિક માં રોડ વચ્ચે દોડીને રોડ ક્રોસ કરી રહ્યું હતું. તે વખતે તે અજાણ્યા વાહનની અડફેટે આવી ગયું હતું. અને ઘાયલ થયું હતું. જાેકે આ ઘાયલ વાનર દુ:ખની પીડાથી ફૂટપાટ પર આવેલા આસોપાલવના ઝાડ ઉપર ચઢીને બેસી ગયું હતું. બીજી તરફ આ સમગ્ર ઘટનાને નજરે જાેનાર વ્યક્તિએ વાનર રાજને સારવાર મળે તે માટે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગને ઘાયલ કપીરાજ નો કોલ મળતા જ રેસ્ક્યુ ટીમ ફતેગંજ વિસ્તારમાં પહોંચી હતી. અને જ્યાં દુ:ખથી કણસતા નાના કપીરાજ નો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. અને રેસ્ક્યુ વાનમાં તેને વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર હાથ ધરવામાં આવી હતી. જાેકે સારવાર બાદ વન વિભાગના અધિકારી કરણસિંહ રાજપૂતે ઘાયલ વાનર રાજની હાલત સામાન્ય હોવાનું જણાવ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, માર્ચ 2026 2178   |   વડોદરા   |  
વડોદરા શહેરના મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી

મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાની સાથે જ આજે મુસ્લિમ સમુદાય દ્વારા રમજાન ઈદની ઉજવણી કરી હતી આ ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરનાં ઈદઞાહ મેદાન સહિત વિવિધ મસ્જિદોમાં સામૂહિક નમાજ અદા કરી હતી એટલું જ નહીં મુસ્લિમ બિરાદરો સ્વીટ વસ્ત્રો અને ટોપી ધારણ કરીને નમાજ અદા કરવા ઇદગાહ મેદાન તથા મસ્જિદમાં પહોંચી ગયા હતા વહેલી સવારે ખુદાની બંદગી કર્યા બાદ સૌ કોઈ એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છા પાઠવી હતી. તદ ઉપરાંત આજે સૌ મુસ્લિમ બિરાદરો વિવિધ કબ્રસ્તાનમાં જઈને તેમના અલ્લાને પ્યારા થયેલા સ્વજનોની કબર ખાતે પહોંચે પુષ્પ અર્પણ કરીને દુઆ ગુજારીશ કરી હતી. રમઝાન ઈદ એ ખુશી જ નહીં પરંતુ એકતા ક્ષમા સૌહાર્દ તેમજ જ સહ અસ્તિત્વનો સંદેશો આપે છે. રમઝાન માસ અત્યંત પવિત્ર હોવાથી આ માસમાં દાન પુણ્યનું અનેક ઘણુ મહત્વ હોવાથી કેટલાક મુસ્લિમ પરિવારો દ્વારા જરૂરિયાતમંદ મુસ્લિમ તેમજ અન્ય જ્ઞાતિના વ્યક્તિઓને શક્ય એટલું દાન પુણ્ય કરવામાં આવતું હોય છે. આ પવિત્ર રમજાન માસને મુસ્લિમ સમાજના મહિલાઓ અને પુરુષો દ્વારા ખૂબ જ કઠિન રીતે ઉપવાસ કરવામાં આવતા હોય છે.શહેરમાં સવારથી જ આનંદ અને ભાઈચારા અને સામાજિક એકતા નો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ પ્રશાસન દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દ મય વાતાવરણમાં ઉજવાયો હતો.



ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, માર્ચ 2026 2178   |  
અમદાવાદના માર્ગો પર હવે ૧૦૦૦ ઇલેક્ટ્રિક બસો દોડશે:ઇ બસોમાં માટાપાયે વધારો કરાયો

અમદાવાદ : એએમસી દ્વારા ગ્રીન ટ્રાન્સપોર્ટને વધુ મજબૂત બનાવવા માટે મોટા પાયે નવા ઓર્ડર્સ આપવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં કુલ ૫૬૧ ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાં એએમટીએસ માટે ૩૧૧ બસો અને બીઆરટીએસમાટે ૨૫૦ બસોનો સમાવેશ થાય છે. આ તમામ બસોનું સપ્લાય અને ઓપરેશન વર્ષ ૨૦૨૬ દરમિયાન તબક્કાવાર શરૂ થશે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ હવે સ્માર્ટ સિટીની સાથે ‘ગ્રીન સિટી’ તરીકે પણ વિશ્વસ્તરે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે. પર્યાવરણની સુરક્ષા અને આધુનિક જાહેર પરિવહનને પ્રાધાન્ય આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગ્રીન ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે એક ઐતિહાસિક છલાંગ લગાવી છે. શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને મુસાફરોને અત્યાધુનિક સુવિધા આપવા માટે એએમસી દ્વારા મોટા પાયે ઈલેક્ટ્રિક બસોના ઓર્ડર આપવામાં આવ્યા છે. જેમાં કુલ ૫૬૧ ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર અપાયો (એએમટીએસ માટે ૩૧૧ અને બીઆરટીએસ માટે ૨૫૦). આ બસો ૨૦૨૬ સુધીમાં સેવામાં કાર્યરત થશે. આ કાર્યક્રમ હેઠળ ૧૦૦૦ નવી ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર અપાઈ ચૂક્યો છે. જ્યારે ૬૬૦ બસો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અને અન્ય ૩૦૦ બસો માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. વર્ષ ૨૦૨૭ સુધીમાં અમદાવાદના રસ્તાઓ પર કુલ ૧૯૬૦ નવી ઈલેક્ટ્રિક બસો ઉમેરાશે, જે શહેરના જાહેર પરિવહનનો ચહેરો બદલી નાખશે. આ પહેલ માત્ર સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે પર્યાવરણ અને અર્થતંત્ર માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. ૨૦૩૦ સુધીમાં ૩૦૦૦ ઈલેક્ટ્રિક બસો કાર્યરત થવાથી વાર્ષિક અંદાજે ૧.૧૦ લાખ ટન કાર્બન ઉત્સર્જન ઘટશે. ડીઝલના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થવાથી વિદેશી મુદ્રાની બચત થશે. ઈલેક્ટ્રિક બસોમાં મિકેનિકલ પાર્ટ્સ ઓછા હોવાથી મેન્ટેનન્સ ખર્ચ ઓછો રહે છે અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધે છે. અવાજ વગરની અને એસી સુવિધા ધરાવતી આ બસો નાગરિકોને ખાનગી વાહનો છોડી જાહેર પરિવહન અપનાવવા પ્રેરે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, માર્ચ 2026 1980   |  
સ્વસ્થ અને તંદુરસ્ત ભાવિ માટે મિલેટને જીવનશૈલી બનાવીએ: જગદીશ વિશ્વકર્મા

અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી રમેશ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો સંદેશ દ્વારા સૌને મિલેટ મહોત્સવના પ્રારંભે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રાજ્યના સૌ નાગરિકોને ‘શ્રી અન્ન’નો ઉપયોગ વધારીને તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ‘મિલેટ’ એ માત્ર આહાર નથી, પરંતુ તંદુરસ્ત જીવનશૈલી અને ખેડૂતોની સમૃદ્ધિનું પ્રતીક છે. તે શરીર માટે અત્યંત ગુણકારી અને પચવામાં હળવા હોય છે. દેશના સૌ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘શ્રી અન્ન’ (મિલેટ) અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં યોજાઈ રહેલાં મિલેટ મહોત્સવ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પણ આ અભિયાનને વેગ આપવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જેના ભાગરૂપે રાજ્યનાં ૧૭ મહાનગરોમાં આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વર્ષ ૨૦૨૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવામાં આવ્યું હતું. આ મહોત્સવ દ્વારા બાજરી, જુવાર, રાગી, નાગલી, કાન અને મોરૈયા જેવા પોષક તત્ત્વોથી ભરપૂર ‘શ્રી અન્ન’નો ખોરાકમાં ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, માર્ચ 2026 2178   |  
સમગ્ર ગુજરાતમાં કમોસમી માવઠાથી પાકને ભારે નુકસાન

અમદાવાદ : હાલમાં સમગ્ર ગુજરાતમાં થયેલા માવઠા મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં માવઠું થયું અને ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે આંબાના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે, તો મધ્ય ગુજરાતમાં કેળાના પાકની સાથે સાથે પૂર્વ પટ્ટીના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં મકાઈના ઉભા પાકને પણ ખૂબ જ નુકસાન થયું છે. આ સિવાય ઘઉં અને ચણાને પણ નુકસાન થયું છે. તો મોટાભાગે જે શિયાળુ પાક લેવાની અવસ્થામાં આવી ગયા હતા એમને ખૂબ જ નુકસાન થયું છે. સાથે સાથે બાગાયતી પાકમાં આંબા અને કેળને વધારે નુકસાન થયું છે. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ કહ્યું હતું કે, સરકાર સમક્ષ અમારી માંગણી છે કે હાલમાં થયેલા માવઠાથી ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું છે તેમનો સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, માર્ચ 2026 2079   |  
પાણીના ટેન્કરચાલકે રિવર્સ લેતા રોડ પર રમતી બાળકી કચડાઇ ગઇ

અમદાવાદ  : અમદાવાદ શહેરના વાડજ વિસ્તારના પાણીના ટેન્કરે બાળકીનો ભોગ લીધો છે. પાણીનું ટેન્કર રિવર્સ આવી રહ્યું હતું ત્યારે રમી રહેલી એક બાળકીના માથા પર ટેન્કરનું પૈડુ ફરી વળતા બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જે મામલે બી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છુટક મજૂરી કરી ગુજરાત ચલાવતા જૂના વાડજમાં રહેતા સંજય સોલંકી ૭ વર્ષની પુત્રી સવારના સમયે જૂના વાડજ મ્ઇ્જી બસ સ્ટેશન પાસે જાહેર રોડ પર રમતી હતી. ત્યારે પાણીના ટેન્કરનો ચાલક રિવર્સ ચલાવી રહ્યો હતો. ટેન્કરચાલકે પૂરઝડપે ટેન્કર રિવર્સમાં આવવા દેતા રમતી બે દીકરીઓને અથડાયું હતું. આ દરમિયાન ૭ વર્ષની બાળકીના માથા પરથી ટેન્કર ફરી વળતા માથું છુંદાઈ ગયું હતું. બાળકીનું ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતા આસપાસના સ્થાનિકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, માર્ચ 2026 1881   |  
શહેરમાં બોગસ પાસપોર્ટ બનાવનાર સામે ફરિયાદ

અમદાવાદ : નવરંગપુરા ખાતે આવેલા હુડકો ભવનમાં ઇમિગ્રેશન ઓફિસર સામે પોર્ટુગીઝ નાગરિકતા મેળવવા માટે ખોટા નામ અને ખોટી જન્મ તારીખવાળો ભારતીય પાસપોર્ટ રજૂ કરનારી યુવતી સામે ફરિયાદ નોંધાઇ છે. આ યુવતીએ અન્ય બે શખ્સ સાથે મળીને નાગરિકતા મેળવવા માટે ખોટો પાસપોર્ટ ઇસ્યૂ કરાવ્યો હતો. આ અંગે ઇમિગ્રેશન અધિકારીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સ સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.નવરંગપુરાના હુડકો ભવનમાં હ્લઇઇર્ં ઓફિસના પોર્ટલ પર એક અરજી આવી હતી. જેમાં અરજદાર નિશા જગન(રહે.વલસાડ)એ ભારતીય વિઝા મેળવવા માટે અરજી કરી હતી. ત્યાર બાદ અરજદારે પોતાના કેન્સલ કરાવેલા ભારતીય પાસપોર્ટની નકલ અપલોડ કરી હતી. નિશા હુડકો ભવનમાં બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગત ૧૭ માર્ચે આવી હતી. નિશા જગનને કેન્સલ કરાવેલા ભારતીય પાસપોર્ટ સિવાયના બીજા ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કહેતા સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જેથી ઇમિગ્રેશન ઓફિસર ઇશિતા ઠક્કરે સિનિયર અધિકારી સાથે મળીને પૂછપરછ કરતા નિશા જગને જણાવ્યું હતું કે, તેનું સાચું નામ નિશા પટેલ છે અને તે મૂળ વલસાડના રહેવાસી છે. ડોક્યુમેન્ટ ચેક કરતા નિશા પાસેથી પાનકાર્ડની નકલ પણ મળી આવી હતી. નિશા જગને પોર્ટુગીઝની નાગરિકતા મેળવવા માટે દમણ ખાતે રહેતા હેમંત જગન અને મોહસીનનો સંપર્ક કરી સાચું નામ અને જન્મ તારીખ ખોટી દર્શાવી ભારતીય પાસપોર્ટ ઇસ્યૂ કરાવ્યો હતો. જેથી નિશા, હેમંત જગન અને મોહસીન સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, માર્ચ 2026 2673   |  
સુરત મનપામાં 'કપૂર' કાંડ? કપૂરની ખરીદીને લઈને ઉઠ્યા સવાલ

વિપક્ષના આક્ષેપો બાદ મનપા કમિશનરે તપાસના આદેશ આપ્યા, ડ્રેનેજ સફાઈ કર્મીઓ માટે 5 હજાર કિલો કપૂરની ખરીદી, બજાર ભાવ કરતા ત્રણ ગણા વધુ નાણાં ચૂકવવાની તૈયારી, કિલો દીઠ 2000 રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષનો ગંભીર આક્ષેપસુરત મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. આ વખતે સુગંધિત ગણાતા કપૂરમાંથી ભ્રષ્ટાચારની ભારે દુર્ગંધ આવી રહી છે. ડ્રેનેજ સફાઈ કરતા કર્મીઓ માટે કપૂરની ગોટી ખરીદવાના નામે જનતાના પરસેવાના કરોડો રૂપિયા પાણીમાં વહેવડાવવાનું આયોજન થઈ ગયું હતું. બજાર ભાવ કરતા ત્રણ ગણા ઉંચા ભાવે ટેન્ડર મંજૂર કરી દેવાતા હવે વિપક્ષે શાસક પક્ષને આડે હાથ લીધો છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
19, માર્ચ 2026 1980   |  
સુરતમાં પોલીસ સત્તાધીશો સોશિયલ પોલિસિંગનાં રવાડે ચઢતાં ગુંડાઓ બેફામ બન્યાં

સુરત : પૌરાણિક કથાવાર્તા મુજબ એક ગામમાં નાગ લોકોને ડંખ મારતો હોવાથી લોકો ભયભીત બની ગયાં હતાં, ગામમાં આવેલાં એક ઋષિમુનિને લોકોએ ફરિયાદ કરતાં તેમણે નાગને ડંખ નહીં મારવા આદેશ આપ્યો. થોડાં સમય પછી ઋષિમુનિ ફરી ગામમાં આવ્યાં ત્યારે નાગે તેમને ફરિયાદ કરી કે ગામનાં છોકરાંઓ તેને પથ્થર અને લાકડીથી મારે છે. ઋષિમુનિએ નાગને તુર્ત જ કહ્યું કે મેં તને ડંખ મારવા ના પાડી હતી ફૂંફાડો મારવાથી થોડો રોક્યો હતો. કથાવાર્તાનો સારાંશ એ છે કે, જેની જેવી ફિતરત છે, સ્વભાવ છે તે તો યથાવત રાખવો જ જાેઇએ. લીસનું મુખ્યકાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, લોકો સલામતિનાં અહેસાસ સાથે નિશ્ચિંતપણે હરી ફરી શકે તેવી સુરક્ષા પુરી પાડવાનું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જાેવાયું છે કે, સુરતનાં પોલીસ સત્તાધીશો પોતાની પ્રાથમિક જવાબદારીથી ભટકીને સોશિયલ પોલિસિંગનાં રવાડે ચઢી ગયાં છે. પોલીસ અધિકારીઓ જાણે ઋજુ હૃદયનાં બની ગયા હોય તેમ ઉત્તરાયણે ગરીબ બાળકોને પતંગ વિતરણ કરવા કે ઉનાળામાં પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવું કે વિકલાંગ બાળકોને મીઠાઇ અને કપડાં વહેંચવા, વૃદ્ધોને સામાજિક સહાય કરવા જેવી પ્રવૃત્તિઓ તરફ વળી સમાજ સેવાનાં કાર્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે અને બીજીતરફ ગુંડાઓ સુરત શહેરમાં બેફામ બની ગયાં હોવાથી સુરત શહેર ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે અને બીજીતરફ પોલીસ આરોપીઓનાં માત્ર વરઘોડા કાઢીને રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં પોતાની સિંઘમની ઇમેજ બિલ્ટઅપ કરી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ ગુંડાઓની ટાંટિયાતોડ સર્વિસ કરવાનું જાહેરમાં સમર્થન કરીને પોલીસને ખુલ્લી છુટ આપી છે પરંતુ સુરતનાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત છેલ્લા કેટલાક સમયથી સોશિયલ પોલિસિંગનાં રસ્તે ચાલી રહ્યાં હોવાથી શહેરીજનોમાં પણ સુરત પોલીસ તંત્રની ઇમેજને લઇ મીમ્સ બની રહ્યાં છે કે પોલીસ કમિશનર જાણે સાંસદ તેમનાં ઉચ્ચાધિકારીઓ ધારાસભ્ય અને પોલીસ ઇન્સ્પેક્ટરો કોર્પોરેટરો હોય તેમ લોકોની સામાજિક સેવા કરી રહ્યાં છે. પોલિસની સામાજિક સેવાઓ વચ્ચે સુરતમાં ગુંડાગીરી અને ગુનાખોરી માઝા મૂકી રહી છે. માત્ર અઢી મહિનામાં જ સુરત શહેરમાં હત્યાનાં ૨૫ બનાવો બની ચૂક્યાં છે. શહેરમાં ચપ્પુ, તલવાર સાથે હુમલા કરવાનાં, હત્યા કરતાં ગુંડાઓ ખચકાટ કે ગભરાટ અનુભવતા નથી. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલનાં સમર્થકની સરાજાહેર દિનદહાડે કરપીણ હત્યા થતી હોય તેમ છતાં પોલીસ ભાજપનાં જ નેતા અમીતસિંગ રાજપુતનાં સમર્થક અને હત્યામાં સંડોવાયેલાં મનાતા આરોપીનાં નામોનો એફ.આઇ.આર.માં ઉલ્લેખ ના કરે તે સુરત પોલીસની માનસિકતા દર્શાવે છે. પોલીસે ગુંડાઓ ઉપર હાક અને ધાક ગુમાવી દીધો છે તેની પાછળ ડીસીબી જેવી પ્રીમિયમ એજન્સીની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા પણ જવાબદાર છે. ડીસીબીમાં ચુનંદા અધિકારીઓ અને ગુનાખોરીની દુનિયાનું સારામાં સારૂ નેટવર્ક ધરાવતો સ્ટાફ છે તેમ છતાં છેલ્લા ઘણા સમયથી ઉચ્ચસ્તરીય ડીટેક્શનનાં નામે કોઇ નોંધપાત્ર કામગીરી ડીસીબીની જણાઇ નથી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
19, માર્ચ 2026 2178   |  
આરોપીઓનાં વરઘોડા શરૂ કરાયા બાદ શહેરમાં હત્યાનાં બનાવોમાં ત્રણગણો વધારો

સુરત, ડિંડોલીમાં ફ્લાવરગાર્ડન પાસે ભરબપોરે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલનાં સમર્થક યુવકની સરાજાહેર ક્રૂરતાથી હત્યા કરનારાઓનો ડિંડોલી પોલીસે મંગળવારે વરઘોડો કાઢ્યો હતો. પંચનામા ઓથે કાઢવામાં આવેલા આ વરઘોડાનાં વીડિયો સુરત શહેર પોલીસનાં ફેસબુક પેજ પર મૂકાતાં શહેરીજનોએ ભારે ટીકા કરી હતી. પોલીસે ખૂબ માર માર્યો હોય એ રીતે લંગડાતાં ચાલતાં હુમલાખોરો ઓવર એક્ટિંગ કરતાં હોવાથી માંડી આવા નાટક કરાવતાં પોલીસને શરમ આવવી જાેઇએ, કઠોર કાર્યવાહીનો દેખાડો કરી નાગરિકોની આંખમાં ધૂળ નાંખવાનું બંધ કરો એવી સેંકડો કઠોર કોમેન્ટથી પોલીસની વાસ્તવિક છબી ઉજાગર થઇ ગઇ હતી. સુરત પોલીસ કાયદાનું ભાન કરાવવાનાં નામે છડેચોક કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે. વરઘોડા કાઢવાથી ગુનેગારોમાં ધાક બેસે, તેઓ ગુનાખોરી કરવાનું બંધ કરી દેશે એ ભ્રમ હોવાનું અધિકારીઓ જાણે અને માને પણ છે. જાે કે, સરકારનો પડ્યો બોલ ઝીલવાની માનસિકતાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલ ઉભા થયા છે. વરઘોડા કાઢવાના શરૂ કરાયા બાદ શરીર સંબંધી ગુનાઓમાં કેટલો ફરક પડ્યો એ અંગે ખુલીને વાત કરવા કોઈ તૈયાર નથી. એકબીજાની દેખાદેખી અને સાહેબને ખુશ કરવાની હોડમાં વરઘોડાની ગંભીરતા કહો કે અસરકારકતા તળિયે બેસાડી દેવાઇ છે. લંગડાતા ચલાવી કાયદાનું ભાન કરાવાય છે એ બદમાશ થોડા સમયમાં ફરી પાછો એવા જ ગુનામાં પકડાય છે. લિંબાયત, ગોડાદરા, ડિંડોલી વિસ્તારમાં તો બદમાશો મારા આટલા વરઘોડા નીકળ્યા તારે કેટલા એવું પૂછવા માંડ્યા છે. વરઘોડો નીકળો એટલે સ્ટેટ્સ વધવું એવું ગુનેગારો માનવા માંડ્યા છે. ગુનાખોરીની વાત કરીએ વર્ષ ૨૦૨૫માં ૧૮મી માર્ચ સુધી શહેર પોલીસના ચોપડે હત્યાના ૦૯ ગુનાઓ નોંધાયા હતાં. જ્યારે ૨૦૨૬માં આ જ સમયગાળામાં ૨૬ મર્ડર થઈ ચૂક્યા છે. આ આંકડો ગૃહમંત્રીનાં હોમ ટાઉનમાં પોલીસ કેટલી એફિશિયન્સીથી કામ કરી રહી છે એનો ચિતાર આપવા માટે પુરતો છે. ડોલી ફ્લાવર ગાર્ડન પાસે રહેતાં આશિષસિંહ રાજપૂતને રવિવારે બપોરે શ્રીકૃષ્ણ મોલ સામે ર્નિમમપણે તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી જાહેરમાં મોતને ઘાટ ઉતારાયો હતો. આ કેસમાં પોલીસે પાંચ હુમલાખોરોને ઝડપી પાડ્યા હતાં. પહેલા દિવસે ડિંડોલી પોલીસે કોઇ ચોક્કસ એજન્ડા સાથે આ પાંચેય જણાને બુરખા પહેરાવી, તેમની ઓળખ છૂપાવી હતી. ત્યારબાદ બીજા દિવસે પોલીસે ટકોમુંડો કરાયેલાં આ યુવકોને ઘટના સ્થળે લઇ જઇ પંચનામું કર્યું હતું. જેમાં હુમલાખોરો લંગડાતા ચાલવાનું તરકટ કરતાં જાેવા મળ્યા હતાં. દયામણો ચહેરો કરી માફી માંગતા આ યુવકોનો વીડિયો પોલીસે જાતે ઉતાર્યો અને વાહવાહી લૂંટવા વાયરલ પણ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી પોલીસ આરોપીઓને ગુનાનાં સ્થળે લઇ જઇ વાંકા ચૂંકા ચલાવી, હાથ જાેડાવી, કાન પકડાવી વરઘોડો કાઢવા માંડી છે. એટલું જ નહીં પોતાના આઠ દસ ચમચાઓને વરઘોડામાં સામેલ કરી નારાબાજી કરાવવાનો શોખ પણ પરવાન ચઢ્યો છે. પંચનામા ઓથે કાઢવામાં આવતા વરઘોડાનાં વીડિયો સુરત પોલીસનાં સોશિયલ મીડિયા પેજ પર અપલોડ પણ કરવામાં આવે છે. આ વીડિયો સાથે કાયદાનું ભાન કરાવતી પોલીસ એવા ટાઇટલ અચૂક જાેવા મળે છે. ડિંડોલીનાં ચકચારી હત્યા કેસમાં પણ પોલીસે આવો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જાે કે, આ વીડિયોમાં હુમલાખોરોએ તેઓ પોલીસથી બહુ ડરે છે એવું જતાવવાના નામે જે નાટક કર્યું એમાં તેમની ઓવર એક્ટિંગ ઉડીને આંખે વળગી હતી. આ વિડીયો નીચે નાગરિકો દ્વારા જે કોમેન્ટ કરાઇ એ કમિશનર અનુપમસિંહ ગહલૌત જ નહીં, જેના શબ્દોને અનુસરતાં આ નાટકબાજી શરૂ થઈ એ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ બીનચૂક વાંચવી જાેઇએ તેવું પણ લોકો કહી રહ્યાં છે. સરકારની છબી ઉજળી દેખાડવા માટે નાગરિકોની આંખમાં ધૂળ નાખવાનો પોલીસનો પ્રયાસ કેવો ફારસરૂપ પુરવાર થઇ રહ્યો છે એની પ્રતીતિ આ કોમેન્ટ કરાવી રહી છે. સુરત શહેર પોલીસના ફેસબુક પેજ પર ડિંડોલી પોલીસનાં વીડિયો નીચે પાંચસો જેટલા નાગરિકોએ કોમેન્ટ કરી હતી. જેમાં ૯૯ ટકા નાગરિકોએ વરઘોડાનાં નામે પોલીસ તરકટ કરતી હોવાનું લખ્યું હતું. સોશિયલ મીડિયાઘેલાં બનેલા પોલીસ અધિકારીઓએ વીડિયો નીચે આવતી આવી બધી કોમેન્ટ વાંચવી અને લોકો શું વિચારે છે એ સમજવું જાેઇએ.આવી ૫૦૦ કઠોર કોમેન્ટ કરી ≪જાએ પોલીસનાં કામ આમળ્યાં  ઓવર એક્ટિંગ, સરખું શીખવાડીને લાવતા હો તો..  એકબીજાને જાેઈ લંગડા ચાલવાની એક્શન કરાઇ રહી છે.  પોલીસે ઓવર એક્ટિંગનાં પૈસા કાપી લેવા જાેઇએ.  અભિયન શીખવા હવે થિયેટર નહીં પોલીસ સ્ટેશનમાં જવું જાેઇએ.  આવા બદમાશોને પાળનારાઓનાં વરઘોડા ક્યારે કાઢશો.  જનતાને બધી ખબર જ છે, નાટક બંધ કરો.  ધાક તો ઓસરી ગયો, હવે આબરૂ શું કામ કાઢો છો.  સારી એક્ટિંગ નહીં કરવા બદલ આ બધાએ હવે વધારે પૈસા આપવા પડશે.  અરે આ તો બહુ માર્યા લાગે છે, પણ વાસ્તવિકતાં તો આ ચાર અને સાહેબ જ જાણે.  શું સુંદર એક્ટિવ કરાવી થે વાહ, સ્ટાફને લાખ લાખ વંદન  જેના ઘરનો ચિરાગ બુઝાયો એમની વેદના સાંભળો, નાટકબાજી બંધ કરો  ગુજરાત પોલીસે નૌટંકીમાં કેજરીવાલને ગુરુ બનાવ્યા લાગે છે  રોજ વરઘોડા કાઢો છો પણ શહેરમાં ગુનાખોરી કેમ અટકતી નથી  એક ઓસ્કાર એવોર્ડ સુરત પોલીસને પણ મળવો જાેઇએ


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
19, માર્ચ 2026 2277   |  
ચેટજીપીટી ખતરનાક સાબિત થઇ રહ્યું છે: સુરતની બે સખીનાં આપઘાત પછી હવે બનાવટી ચલણી નોટ બનાવવામાં પણ ઉપયોગ

અમદાવાદ:  યુવાવર્ગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા છે, તેમાં પણ ચેટજીપીટી ચેટબોટ યુવાનો, નોકરિયાતો, ધંધાર્થીઓમાં ખુબ ઝડપથી પ્રચલિત બની રહ્યું છે પરંતુ ચેટજીપીટી ખતરનાક સાબિત થઇ રહ્યું છે. તાજેતરમાં જ સુરતની બે સખીઓએ ચેટજીપીટીનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી હતી ત્યારે હવે બનાવટી ચલણી નોટો બનાવવામાં પણ ચેટજીપીટીનો ઉપયોગ કરાયો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મરેજનાં ધોરણપારડી પાસે શ્રી સત્યમ યોગ ધામ ચલાવવાની સાથે સાથે અન્ય ગોરખધંધા કરતાં પ્રદીપ જાેટંગિયા અને તેનાં મળતિયાઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઇઝ પ્લેટફોર્મ ચેટજીપીટીનો ઉપયોગ ૫૦૦ રૂપિયાનાં દરની નકલી ચલણી નોટો બનાવવામાં કરી હતી. પોલીસે સત્યમ યોગ ફાઉન્ડેશનનાં કર્તાહર્તા પ્રદીપ જાેટંગિયા અને તેનાં સાગરિતોની ધરપકડ કરીને પુછપરછ કરતાં તેમણે જે કબુલાત કરી તેનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતાં. દેશદ્રોહી પ્રદીપ જાેટંગિયા અને તેનાં સાગરિતોએ બનાવટી ચલણી નોટોનાં સીક્યુરિટી થ્રેડ અલીબાબાનાં ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ચાઇનીસ કંપની પાસેથી મેળવ્યાં હતાં. જ્યારે બનાવટી ચલણી નોટો એકદમ સાચી લાગે તેવી એક્યુરસી માટે નોટોનાં લે-આઉટ, ડિઝાઇન અને અન્ય ફીચર્સ માટે તેમણે ચેટજીપીટીનો ઉપયોગ કર્યો હતો. પ્રદીપ જાેટંગિયાનો એક સાગરિત ગ્રાફિક એડિટિંગ અને પ્રિન્ટિંગ પ્રોસેસનો નિષ્ણાંત હોવાથી ચેટજીપીટીનો ઉપયોગ બનાવટી ચલણી નોટો બનાવવા માટે કર્યો હોવાની કબુલાત કરી હતી. ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સકારાત્મક દિશામાં કરવામાં આવે તો તે સારી બાબત છે પરંતુ ચેટજીપીટી જેવા ચેટબોટનો ઉપયોગ નકારાત્મક દિશામાં કરવામાં આવે તો તે ખતરનાક પણ સાબિત થઇ શકે છે તે પ્રદીપ જાેટંગિયા અને તેનાં સાગરિતોએ સાબિત કરી આપ્યું છે.પ્રદીપ જાેટંગિયાનાં રાજકારણીઓ અને ઉચ્ચાધિકારીઓ સાથે સંપર્કો શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન-ધામનાં ઓથા હેઠળ બનાવટી ચલણી નોટો બનાવવાનાં ગોરખધંધા કરનાર પ્રદીપ જાેટંગિયાએ બીજા લેભાગુ ધર્મગુરૂઓની જેમ જ હજારો ફોલોઅર્સ તો છે જ સાથે સાથે હર્ષ સંઘવી, ધારાસભ્ય કુમાર કાનાણી, ભાજપનાં વરિષ્ઠ નેતા નિતિન પટેલ સહિતનાં નેતાઓ તેમજ સનદી અધિકારીઓ સાથે પણ સંબંધ હોવાનું કહેવાય છે. રાજકારણીઓ સાથેનાં ફોટા તેનાં સોશિયલ એકાઉન્ટ ઉપર અપલોડ કરીને લોકો ઉપર પ્રભાવ પાડવાનો પણ પ્રયાસ પ્રદીપ જાેટંગિયાએ કર્યો છે. પ્રદીપ જાેટંગિયાનાં ધંધા સારા નથી તે બાબતનો પર્દાફાશ તેનાં ફેસબુક એકાઉન્ટમાં જ કેટલાક ફોલોઅર્સે કર્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
19, માર્ચ 2026 4059   |  
બની બેઠેલો યોગગુરૂ પ્રદીપ જાેટંગિયા સુરતનાધોરણપારડી સ્થિત આશ્રમ અને સરથાણાનાં મકાનમાં જાલી ચલણી નોટ છાપતો

અમદાવાદ : કામરેજનાં ધોરણ પારડી ખાતે તાપી કિનારે આશ્રમ ધરાવતાં બની બેઠેલો યોગગુરુ પ્રદીપ જાલી ચલણી નોટનાં રેકેટમાં ઝડપાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ગેંગને ઝડપી લીધા બાદ કામરેજના આશ્રમ તથા સરથાણામાં એક સાગરિતને ઘરે દરોડા પાડ્યા હતાં. અહીંથી પણ ૨૮ લાખની ફેક કરન્સી ઉપરાંત જાલી નોટ બનાવવા માટેની સાધન સામગ્રી મળી આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા ૫૦૦ રૂપિયાના દરની ૪૦,૦૦૦થી વધુ નકલી ચલણી નોટ ઝડપી પાડી હતી. ૨.૧૦ કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે મહિલા સહિત ૬ વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, જાલી નોટની હેરાફેરી કરતાં ઝડપાયેલી ટોળકી યોગગુરુ પ્રદીપ માટે કામ કરી રહી હતી. એટલું જ નહીં આ જાલી નોટ સુરતમાં બાનવાઇ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી માહિતી બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાતોરાત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા પ્રદીપ જાેટાંગીયા ઉર્ફે પ્રદીપ ગુરુજી સંચાલિત શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી કેટલાક દસ્તાવેજાે તથા નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કરાયા હતાં. આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ લઇ શહેરના સરથાણા વિસ્તારમાં શ્યામધામ પાસે આવેલા ક્રિષ્ના રો હાઉસનાં મકાન નંબર ૭૭માં રહેતાં મુકેશ ઠુમ્મરને ત્યાં પણ છાપો મારવામાં આવ્યો હતો. પ્રદીપનાં અંગત અને વિશ્વાસુ કહેવાતાં મુકેશ લાખાભાઇ ઠુમ્મરનાં ઘરમાં અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્તપણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ૨૮ લાખ રૂપિયાથી વધુની ફેક કરન્સી, જાલી નોટ બનાવવા માટેના પેપર, લેપટોપ અને પ્રિન્ટર, પેપર કટિંગ મશીન, નોટ ગણવાનું મશીન સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે આ તમામ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુકેશ ઠુમ્મરને પણ લઇ ગઇ હતી. પ્રદીપ જાેટંગિયાનાં આ નેટવર્ક પાછળ અન્ય કોની સંડોવણી છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.જાલીનોટ છાપવા ચીનથી સિક્યુરિટી થ્રેડ અને પેપર મગાવી ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ કરાતું હતું પોલીસ સૂત્રોનાં કહેવા અનુસાર યોગગુરુ પ્રદીપ તેના આશ્રમમાં જાલી નોટની ટંકશાળ બનાવી ચૂક્યો હતો. જાલી નોટ છાપવા માટે તેઓએ પુરતો અભ્યાસ કરવા સાથે ઝીણામાં ઝીણી માહિતી પણ મેળવી હતી. તેઓએ હાઈ ક્વોલિટીની નોટ છાપવા માટે પેપર ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. પ્રથમ સ્પર્શ અને પ્રથમ દ્રષ્ટિએ ઓળખી ન શકાય એવી નોટ તેઓએ બનાવી હતી. આ માટેના પેપર ચાઇનાથી મંગાવવામાં આવતા હતાં. મુકેશની પૂછપરછ દરમિયાન એવી હકિકત બહાર આવી હતી કે, ચાઇનીસ એજન્ટનો સંપર્ક કર્યો હતો. અલી-પે નામની પેમેન્ટ ગેટ વે મારફતે નાણા મોકલી આ સિક્યુરિટી થ્રેડ પેપર મંગાવ્યા હતાં. આ નાણાંકીય વ્યવહારો ટ્રેસ ન થાય એ માટે ક્રિપ્ટો કરન્સીથી પેમેન્ટ કરાતું હતું. ફેક કરન્સીની વાત બહાર ફેલાય નહીં એ માટે તેઓએ પુરતી તકેદારી રાખી હતી. પ્રદીપ અને તેના અતિ વિશ્વાસુ લોકોને જ આ રેકેટમાં સામેલ કરાયા હતાં. જાલી ચલણી નોટ બનાવ્યા બાદ તેને સુરક્ષિત રીતે બજારમાં કેવી રીતે ફરતી કરવી એ મુદ્દે પણ પ્રદીપ એન્ડ કંપનીએ સારો એવો સર્વે કર્યો હતો. આમ છતાં તેઓ પહેલી ખેપમાં જ ઝડપાઈ ગયા હતાં.તાપી કિનારે આવેલા પ્રદીપનાં આશ્રમમાં ચોમેરથી કિલ્લાબંધી: પસંદગીનાં લોકોને જ પ્રવેશ પ્રદીપ દિલીપ જાેટંગિયા દસેક વર્ષ અગાઉ સત્યમ યોગ એન્ડ હેલ્થ સેન્ટરનાં નામે રાજકોટ ક્લાસ ચલાવતો હતો. હાલ તેનો નાનોભાઈ અમિત જાેટંગિયા ત્યાં યોગ ક્લાસ ચલાવે છે. રાજકોટથી સુરત આવી ગયેલા પ્રદીપે અહીં કેટલાક વગદારોનો સંપર્ક કર્યો હતો. પ્રદીપે તેઓને યોગઆશ્રમ રૂપી ધંધાનું પ્લાનિંગ અને નફાનું ગણિત સમજાવ્યું હતું. ઘણાં લોકો પાસેથી ફાયનાન્સ મેળવી પ્રદીપે કામરેજના ધોરણ પારડી નજીક તાપી કિનારે જગ્યા લધી હતી. અહીં તેણે આશ્રમ પણ બનાવ્યો હતો. આ આશ્રમમાં ત્રણ બાજુ પંદર ફૂટથી ઉંચી કમ્પાઉન્ડ વોલ બનાવી દેવાઇ હતી. જ્યારે નદીં તરફનાં છેડે તારનું મજબૂત ફેન્સિંગ કરાયું હતું. કહેવા માટે તો આ આશ્રમ હતો પરંતુ તેમાં પ્રવેશ માત્ર સિલેક્ટેડ લોકોને જ અપાતો હતો. પ્રદીપ ગુરુજી ઈચ્છે એ વ્યક્તિ જ અંદર જઇ શકતો હતો. ચોમેરથી કિલ્લેબંધી વચ્ચે આશ્રમમાં ચાલતી ગતિવિધી કહો કે પ્રવૃત્તિ અંગે કોઇને કશી જાણ ન હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution