આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, એપ્રીલ 2026
2277 |
ધોળકા-બગોદરા હાઈવે પર પલટી મારીને કાર થાંભલા સાથે અથડાતાં ત્રણના મોત
અમદાવાદ જિલ્લામાં ધોળકા-બગોદરા હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાતા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બારેજાથી ભામસરા ગામે સગાઈના પ્રસંગે જઈ રહેલી સ્કોર્પિયો કાર અચાનક નિયંત્રણ બહાર જતાં પલટી મારી અને જાેરદાર ધડાકા સાથે વીજ પોલ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચ્યાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ભયાનક માર્ગ અકસ્માતમાં સ્કોર્પિયો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન અચાનક માર્ગ પરથી ઉતરી ગયું હતું. ત્યારબાદ કાર અનેક પલટીઓ મારીને સીધી વીજ પોલ સાથે જાેરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ થઈ ગયો હતો અને કૂર્ચેકૂર્ચા ઉડી ગયા હતા. આ દુર્ઘટનામાં ૩ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે અન્ય ૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માત સર્જાતા ઈમરજન્સી ૧૦૮ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃતકોને પીએમ અર્થે ધોળકાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બારેજા ગામથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં હાજરી આપવા નીકળેલા પરિવાર માટે આ મુસાફરી દુર્ભાગ્યપૂર્ણ સાબિત થઈ. ખુશીના પ્રસંગે જઈ રહેલા તમામ લોકો માટે રસ્તામાં જ મોતનો સામનો કરવો પડતાં સમગ્ર વિસ્તાર તેમજ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
26, એપ્રીલ 2026
4752 |
રિવાબા જાડેજા, નેહા સુથાર, માયાભાઈની દીકરી સોનલ ડેર, અંકિતા પરમારે વોટિંગ કર્યું
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને મતદાન યોજાયું હતું ખાસ વાત એ છે કે આ વખતે તમામ મનપા, નગરપાલિકા અને પંચાયતોનું મતદાન એક જ દિવસે યોજાયું છે. જ્યારે અગાઉ અલગ અલગ દિવસોમાં મતદાન થતું હતું. આ ચૂંટણીને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે રાજ્યની ૧૭માંથી ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનો, ૩૪ જિલ્લા પંચાયત, ૨૬૦ તાલુકા પંચાયત અને ૮૪ નગરપાલિકાઓમાં મતદાન થયું મતદાન દરમિયાન કેટલાક વિસ્તારોમાં ટેકનિકલ સમસ્યાઓ પણ સામે આવી છે. ભરૂચમાં લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી હતી. જ્યારે જામનગરમાં ઈવીએમ મશીન ખોટકાતા લગભગ એક કલાક મોડું મતદાન શરૂ થયું હતું. છતાં પણ મતદારોમાં ઉત્સાહ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ૧૦૦ વર્ષના વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતા, તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે એક વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. આ ઘટનાઓ લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે. ચૂંટણીમાં અનેક જાણીતા ચહેરાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જાણીતા લોકગાયિકા રાજલ બારોટ પણ મતદાન માટે પહોંચ્યા હતા. તો સાંસદ ગેનીબેન ઠાકોરએ અબાસણા ગામે મતદાન કર્યું હતું. તો સાથે વડોદરાના જાણીતા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારે મતદાન કર્યું હતું.અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે ભાજપ ઉમેદવાર સોનલ ડેરએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરને ભાજપે ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ટિકિટ આપી છે. મતદાન કર્યા બાદ તેમણે મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહી મજબૂત બનાવવા સૌએ આગળ આવવું જાેઈએ એવો સંદેશ આપ્યો હતો. સાથે જ તેમણે આ બેઠક પર પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. જામનગરમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ૫માં આવેલી સત્ય સાંઈ સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તેમણે સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે મતદારો માટે સુવિધાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે. સાથે જ તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી. મહેસાણા જિલ્લામાં ભાજપ ઉમેદવાર નેહા સુથારએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી તેઓ ભાજપના ઉમેદવાર છે અને તેમણે સરદાર ગામે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ નેહા સુથારે જંગી મતોથી જીત મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગુજરાતની જાણીતી ગાયિકા અને કલાકાર તરીકે ઓળખાતી નેહા સુથારની ઉમેદવારીને લઈને વિસ્તારમાં ખાસ ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
26, એપ્રીલ 2026
3465 |
રાજકોટમાં હંગામો થયો,કોંગ્રેસ ઉમેદવાર સહિત ૨૦ની અટકાયત કરવામાં આવાી
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવા બદલ વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત ૨૦ જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે. આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે મળતી માહિતી મુજબ, રાજકોટના વોર્ડ નંબર ૧૫માં જ્યારે મતદાન પ્રક્રિયા પૂરજાેશમાં ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી અને તેમના સમર્થકો મતદાન મથકની આસપાસ હોવાનું માલૂમ પડ્યું હતું. ચૂંટણી પંચના નિયમો મુજબ, મતદાન મથકની ૧૦૦ મીટરની અંદર કોઈપણ પ્રકારનો પ્રચાર કે જનસંપર્ક કરી શકાતો નથી. આરોપ છે કે આ લોકો નિયમ વિરુદ્ધ જઈને મતદારોને રીઝવવાનો કે પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મકબુલ દાવદાણી અને તેમની સાથેના અન્ય ૨૦ જેટલા સમર્થકોની અટકાયત કરી તેમને થોરાળા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મતદાન મથક પર શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.લગ્નપ્રસંગ જેમ ઢોલ-શરણાઈ સાથે ગ્રામજનો મત આપવા નીકળ્યા હાલ લોકશાહીના મહાપર્વ નિમિત્તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ૨૬મી એપ્રિલે આખા ગુજરાતમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે એક અત્યંત પ્રેરણાદાયક અને અનોખો નજારો રજૂ કર્યો છે. સામાન્ય રીતે ચૂંટણી એટલે વ્યૂહરચના અને રાજકીય ગરમાવો માનવામાં આવે છે, પરંતુ મોટા આંકડિયાના ગ્રામજનોએ તેને ખરા અર્થમાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણી તરીકે સ્થાપિત કરી છે. ગામમાં વહેલી સવારથી જ વાતાવરણ કોઈ લગ્નપ્રસંગ કે મોટા મહોત્સવ જેવું જ સર્જાયું હતું. આ અનોખી ઉજવણીની વિશેષતા એ હતી કે મતદારો માત્ર મતદાન મથક સુધી ચાલીને જવાને બદલે ઢોલ અને શરણાઈના તાલે મધુર સૂરો વચ્ચે મતદાન કરવા નીકળ્યા હતા. ઢોલના ધબકારે ગ્રામજનોમાં એક નવો જ જાેશ ભરી દીધો હતો અને દરેકના મુખ પર લોકશાહીના આ પર્વ માટેનો ગર્વ જાેવા મળતો હતો. શરણાઈના મંગલ સૂર વચ્ચે જ્યારે ગ્રામજનો સમૂહમાં મતદાન કરવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં ઊભેલા અન્ય લોકો પણ આ અનેરા ઉત્સાહમાં જાેડાયા વગર રહી શક્યા નહોતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, એપ્રીલ 2026
3762 |
જૂનાગઢના ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે ધર્મસભા અને રેલી યોજવામાં આવી
જૂનાગઢ ખાતે આવેલ ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે આજે વિશાળ ધર્મસભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. ગિરનારની પવિત્રતા અને પરંપરાગત વારસાને જાળવવા માટે સૌએ એકસ્વરે અવાજ ઉઠાવ્યો અને વહીવટી તંત્ર સામે પોતાની ચિંતા વ્યક્ત કરી. આ સભાની ખાસ વાત એ રહી કે, અલગ-અલગ અખાડા અને સંપ્રદાયોના સંતોએ પોતાના મતભેદોને બાજુએ રાખીને એક મંચ પર આવી એકતાનું પ્રદર્શન કર્યું. કાર્યક્રમ દરમિયાન ગિરનાર ક્ષેત્રમાં થતી કથિત અતિક્રમણ પ્રવૃત્તિઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને તેના વિરુદ્ધ પગલાં લેવા માંગણી કરવામાં આવી. આ પ્રસંગે ગિરનારના રક્ષણ માટે એક સંગઠિત સમિતિ રચવાનો ર્નિણય લેવાયો. સાથે જ, સંબંધિત સત્તાધિકારીઓને રજૂઆત કરી એક મહિનાની અંદર યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. જાે સમયસર નિરાકરણ નહીં આવે તો આગળ વધુ આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી. સંતોએ પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો. તેમના કહેવા મુજબ, ગિરનાર આસપાસના જંગલ વિસ્તારમાં કેટલીક જગ્યાએ નિયમોના ઉલ્લંઘન સાથે બાંધકામ થઈ રહ્યું છે, જેને અટકાવવાની જરૂર છે.દુર્લભ અને ઔષધિય વૃક્ષોની સુરક્ષા તથા કુદરતી સંપત્તિને જાળવી રાખવાની માંગ પણ ઉઠાવવામાં આવી. આ ઉપરાંત, ગિરનાર વિસ્તારમાં નવી બાંધકામ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ, બિનઅધિકૃત રચનાઓ દૂર કરવી અને પવિત્ર સ્થળોની મૂળ સ્થિતિ જાળવી રાખવા માટે યોગ્ય પગલાં લેવા કહેવામાં આવ્યું. ધાર્મિક સ્થળો સાથે જાેડાયેલી સંસ્થાઓને આવતી મુશ્કેલીઓ દૂર કરવા અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી. શ્રદ્ધાળુઓ માટે પાણી, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો. તેમજ, ગિરનાર સાથે જાેડાયેલા ધાર્મિક મેળાઓને વિશેષ માન્યતા આપવા અને વધુ સગવડો ઊભી કરવાની માંગ કરવામાં આવી. આ કાર્યક્રમને સ્થાનિક વેપારીઓએ પણ સમર્થન આપ્યું હતું. અંતે, સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જાે સરકાર દ્વારા યોગ્ય અને સમયસર પગલાં નહીં લેવાય, તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, એપ્રીલ 2026
4257 |
ચૂંટણીમાં વિશ્વાસ તૂટ્યો તો મારા ઘરના દરવાજા બંધ થશે : બારડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષિત કરવા યેનકેન પ્રકારના પ્રયાસો રાજનેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગિર સોમનાથ જિલ્લાના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે. જાેકે ભગવાન બારડના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના એક નિવેદનથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સૂત્રાપાડા નજીક ગોરખમઢીમાં યોજાયેલી ભાજપની સભા દરમિયાન તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે મતદાતાઓને સ્પષ્ટ શબ્દોમાં સંદેશો આપ્યો હતો કે, મતદાન સમયે વિશ્વાસ જાળવવો ખૂબ જરૂરી છે. ધારાસભ્ય ભગવાન બારડે સભા દરમિયાન જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે છે. તેમના નિવેદનનો સાર એવો હતો કે, મતદાન સમયે કોઈ ગેરસમજ અથવા “ભૂલ” ન થવી જાેઈએ, કારણ કે તે વિશ્વાસને અસર કરી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ સમાજના સમર્થન પર આધાર રાખીને રાજકીય ર્નિણય લે છે, તેથી આ સંબંધ મજબૂત રહેવું જરૂરી છે. આ સાથે તેમણે આહીર સમાજના લોકોને મતદાનમાં ભૂલ ન કરવા કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઇ જશે. ભરોસો તોડનાર વ્યક્તિને હું નહીં સ્વીકારું, અમે તમારા વતી કોઈકને ભરોસો આપીને બેઠા છીએ એટલે તમારો અને મારો વિશ્વાસ ન તૂટે એનું ધ્યાન રાખજાે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, એપ્રીલ 2026
3762 |
ભરૂચ લાફાકાંડ: ચૈતર વસાવાએ કેમ માર્યો લાફો? સચ્ચાઈ આવી સામે!
ભરૂચ જિલ્લામાં ઝઘડિયા GIDC વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ બાદ ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. પીડિત પરિવારો વળતર અને ન્યાયની માંગ સાથે એકત્ર થયા હતા. આ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર હાજર એક યુવાન સાથે તેમની બોલાચાલી થઈ અને મામલો લાફાકાંડ સુધી પહોંચી ગયો. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઘટનાને લઈને વિવિધ આક્ષેપો સામે આવી રહ્યા છે, જોકે સત્તાવાર રીતે હજી સુધી પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, એપ્રીલ 2026
4059 |
ગ્રામ પંચાયત ભવન બનાવવા હોય તો ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રાન્ટ ફાળવાશે
ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ નું ગ્રાન્ટ ફાળવણી પર વિવાદિત નિવેદન બાદ મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી દ્વારા જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નું નિર્માણ તથા ૨૧ લાખ ગ્રાન્ટ ફાળવાશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે. શુ ચૂંટણી પંચ પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર સત્તા પક્ષ દ્વારા યેનકેન પ્રકારે પણ સત્તા હસ્તે કરવા વિવિધ હથકંડા અપનાવવામાં આવતાં હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેફામ વાણી વિલાસ કરી ધાકધમકી નું વાતાવરણ ઉભું કરી મતદારો પર હાવી થવાના પ્રયાસ કરતાં હોય ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ મિતેષ પટેલે ગ્રાન્ટ ફાળવણી ના મુદ્દે વિવાદિત નિવેદન કર્યાબાદ વધુ એક ભાજપ નેતા મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ સ્વરાજકીય સંસ્થા ના ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર સમયે વાણી વિલાસ કરતાં હોય તેમ જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નિર્માણ તથા ૨૧ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ચર્ચાની એરણે ચઢવા પામતાં રાજકારણ ગરમાતા શું ચૂંટણી આયોગ આ મુદ્દે પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
22, એપ્રીલ 2026
4950 |
વડોદરા |
યુસુફ પઠાણના સસરા અને તેમના સાળાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણના સસરાની તેમના પુત્ર અને અન્ય એક સંબંધી સાથે ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે બે દિવસ પહેલા, ભાયખલા વિસ્તારમાં એક વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે વ્યક્તિની કાર ખાડામાંથી પસાર થઈ હતી અને તેમાંથી એક પર પાણી છાંટા પડ્યા હતા. ભાયખલા પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસી યુસુફ ખાન શનિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાંથી પાણીના છાંટા પડ્યા અને શોએબ ખાન પર પડ્યા. યુસુફ ખાને પોલીસને જણાવ્યું કે તેણે કાર રોકી અને તરત જ માફી માંગી, પરંતુ શોએબે તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને વાંસની લાકડીથી કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ શોએબે યુસુફ ખાન પર હુમલો કર્યો, જેમાં તેમને ઈજા થઈ.ઘરે પાછા ફર્યા પછી, યુસુફ ખાનના પરિવારે તેને પોલીસ પાસે જવાની સલાહ આપી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં, તેમનો સામનો ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) સાથે થયો, જેણે તેના પુત્ર ઉમરશાદ ખાન, શોએબ અને અન્ય આરોપી શાહબાઝ પઠાણ સાથે મળીને દલીલ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ, ખાલિદ, ઉમરશાદ, શોએબ અને શાહબાઝે યુસુફ ખાન અને તેના સંબંધીઓ પર વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, એપ્રીલ 2026
5049 |
વડોદરા |
જમ્યાં બાદ ૪૦૦થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ગઈકાલ સોમવારે રાત્રે ભોજન સમારંભ બાદ ભોજન આરોગનાર ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલાઓને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદમાં એક તરફ લગ્નસરાની મોસમ પુર બહારમાં ખીલી છે. અને ઠેર ઠેર લગ્ન પ્રસંગોના જમણવાર યોજાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આગ ઓકતી ગરમીએ તોબા પોકારાવી દીધા છે. અને આવી આગ ઝરતી ગરમીમાં તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેત રહેવા માટે લોકોને કરવામાં આવતી અપીલ વચ્ચે ગરબાડાના અભલોડ ગામે એક લગ્ન પ્રસંગના યોજાયેલ જમણવારમાં ભોજન કર્યા બાદ ૪૦૦ થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં રીતસર દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના બાદ તાત્કાલિક ધોરણે ખોરાકી ઝેરની અસર પામેલા તમામ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ, તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતાં. જ્યારે ૨૦૦થી વધુ લોકોને ગામમાં જ સ્થાનિક ડોક્ટરો દ્વારા તેમજ ગામના સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગરબાડા તાલુકાના અભલોડ ગામના ગામતળ ફળિયામાંય રહેતા ભરતભાઈ રાઠોડના નાના છોકરાના લગ્ન હોવાથી લગ્નમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવારમાં દાળ, ભાત, પૂરી, શાક, પાપડ, કેરીનો રસ તેમજ પનીરનું શાક વગેરે વ્યંજનો બનાવવામાં આવ્યા હતા. જે ખાધા બાદ ૪૦૦ થી વધુ એટલે કે ૭૦% લોકોને ખોરાકની ઝેરની અસર થઈ હતી. સાંજના છ વાગ્યાથી શરૂ થયેલા જમણવારમાં ભોજન આરોગ્ય બાદ રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ તમામ લોકોને એક પછી એકને ખોરાકી ઝેરની અસર વર્તાતા ગામમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી તમામ અસરગ્રસ્ત લોકોને ૧૦૮ ઇમરજન્સી વાન તથા ખાનગી વાહનો તેમજ જેને જે મળે તે સાધનમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા હતા.૫૦થી વધુ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ૧૫૦થી વધુ લોકોને દાહોદની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર હશે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય અંદાજે ૨૦૦ જેટલા લોકોને ગામમાં જ હાજર પાંચ થી છ ડૉક્ટરો તેમજ પીએસસી સેન્ટરના ડોક્ટરોને બોલાવી હળ પર જ સારવાર આપવાની ગોઠવણ કરવાની ફરજ પડી હતી. આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી જેથી તંત્રએ હાશકારો લીધો છે. કેટલાકને ખોરાકી ઝેરની ગંભીર અસર થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૈકી કેટલાકને આજે સવારે રજા આપી દેવામાં આવી હોવાનું જ્યારે કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ખોરાકી ઝેરની અસર થઈ હોવાની જાણ થતા જ ફૂડ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ સફાળું જાગી ઉઠ્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
22, એપ્રીલ 2026
4752 |
વડોદરા |
મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે ઓનલાઇન ઈન્જેક્શન વેચતા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી
વડોદરા ખોરક અને ઔષધ નિયમન તંત્રની ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા ગત તા.૨૨મી ડિસેમ્બરના રોજ હાથ ધરાયેલી તપાસમાં રાજ્યમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વડોદરાના દિવાળીપુરા, આર.કે પ્લાઝા સ્થિત હેક્સપ્રેસ હેલ્થકેર કન્સ્યુમર લી,ની શંકાસ્પદ ભૂમિકા જણાતા તેની તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં સારાભાઈ રોડ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે આવેલ એટલાન્ટીસ કોમ્પલ્ક્સમાં આવેલ મેડીકેમેન્ટ સોલ્યુશન પ્રા.લી. નામના મેડીકલ સ્ટોરનું નામ પ્રકાશમાં આવ્યુ હતુ.આ મેડીકલ સ્ટોર દ્વારા મેદસ્વીતા ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા મોન્જારો ક્વીકપેન નામના ઈન્જેક્શનનું વેબસાઈટ પર ભ્રામક જાહેરાતો દ્વારા ગેરકાયદસર રીતે વેચાણ કરવામાં આવતુ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.ત્યારે તંત્રના અધિકારીઓ બનાવટી ગ્રાહક બનીને ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. જેમાં દવા-ઈન્જેક્શન ભરેલુ પાર્સલ, પોસ્ટ મારફતે મળતા જેનુ પંચનામું કરીને કાર્યવાહી કરાઈ હતી. સંસ્થાઓ અને સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા મેળાપીપણુ રચીને ડોક્ટરની સલાહ કે માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન ઓર્ડર મેળવીનેે દર્દીની શારીરીક સ્થિતિની તપાસ કર્યા વગર સીધાજ ધરના સરનામે આ દવાઓ કુરીયર દ્વારા મોલલવામાં આવતી હતી. પ્રક્રિયામાં દવાની ગંભીર આડઅસરો છુપાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતા હતા. તંત્ર દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટના ભંગ બદ્દલ મે.સ. મોડીકેમેન્ટ સોલ્યુશન્સ પ્રા. લી.નું લાયસન્સ તાત્કાલીક કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું હતુ.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, એપ્રીલ 2026
2376 |
ઈડરના અંકાલામાં મોબાઈલ જાેવા મામલે નાના ભાઈએ મોટાભાઈનું ઢીમ ઢાળી દેતાં ચકચાર
સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના અંકાલા ગામમાં રહેતા એક પરિવારમાં મોબાઈલ જાેવા મામલે નાના ભાઈએ જ મોટા ભાઈનું ઢીમ ઢાળી દેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી જ્યારે આ અંગે પિતાએ મોટા પુત્રના મોત મામલે જાદર પોલીસ સ્ટેશનમાં નાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ફરિયાદ આધારે આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.ઈડર તાલુકાના અંકાલામાં રહેતા કાનાભાઈ લેબાભાઈ ભાંભીએ જાદર પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદ મુજબ તે એવી રીતે કે આ કામના આરોપી અને ફરિયાદીનો નાનો પુત્ર સુનિલ (ઉંમર.વ.૩૫) નો મોબાઈલ તેમના મરણ જનાર મોટા પુત્ર અશ્વિ (ઉ.વ.૪૦) ને તેના નાના ભાઈને કહ્યા વગર જાેવા માટે લીધો હતો જેને લઈને બંને વચ્ચે ઝઘડો તકરાર થતા ફરિયાદી અને તેમના પત્ની વચ્ચે પડી ઝગડો ન કરવા સમજાવ્યા હતા ત્યારે તે સમયે ફરિયાદી નો કુટુંબી ભત્રીજાે આવી જતા તેણે બંને જણને સમજાવી ફરિયાદી અને તેમની પત્નીને તેના ઘરે લઈ ગયો હતો ત્યારે દસ થી પંદર મિનિટ બાદ ફરિયાદીના ઘરમાંથી બુમાબૂમનો અવાજ આવતા ફરિયાદી દોડી ગયા હતા અને ત્યાં જાેતાં તેમનો મોટો પુત્ર લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો અને નાના પુત્રના હાથમાં લાકડું હતું જેમાં સુનિલે ઘરમાં પડેલ બળતણનું લાકડું લઈ આવી અશ્વિનને માથાના તથા કપાળના અને આંખની ભ્રમ્મરના ભાગે મારી દેતા લોહી વહી જતા કરૂણ મોત નિપજ્યું હતું જે બાદ જાદર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, એપ્રીલ 2026
2673 |
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વસ્તી ગણતરીના સમયમાં ફેરફાર કરવા માગ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્યમાં વસ્તી ગણતરી-૨૦૨૬ના કાર્યક્રમ અંગે વસ્તી ગણતરી નિયામકને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.વસ્તી ગણતરી-૨૦૨૬ના પ્રથમ તબક્કો માટે ૨૦ એપ્રિલથી ૧૯ મે વચ્ચે કામગીરી યોજવાની હતી, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે આ કાર્યક્રમ હાલ સ્થગિત રાખવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ અસહ્ય ગરમીનો માહોલ છે અને વસ્તી ગણતરી માટે મુખ્યત્વે પ્રાથમિક શિક્ષકોને જાેડવામાં આવે છે. શિક્ષકોના વેકેશન દરમ્યાન પરિવાર સાથે વતન કે પ્રવાસના આયોજનોમાં વિક્ષેપ ન આવે તે માટે પણ આ ર્નિણય લેવાયો છે.૧લી જૂન બાદ રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની શક્યતા હોવાથી વસ્તી ગણતરી-૨૦૨૬ની કામગીરી ૧લી જૂન પછી શરૂ કરવા માટે કાર્યક્રમ જાહેર કરવાની વિનંતી રજૂ કરવામાં આવી છે.શિક્ષકો અને સંબંધિત અધિકારીઓએ જણાવ્યું છે કે વેકેશન દરમિયાન શિક્ષકોની હાજરીમાં મુશ્કેલી આવી શકે છે. ઉપરાંત ગરમીના કારણે કામગીરીમાં અડચણ સર્જાઈ શકે છે. આ અંગે અધિકારીઓએ આગળના કાર્યક્રમ માટે સૂચના જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવાની છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, એપ્રીલ 2026
2475 |
૧૫ મહાનગરપાલિકા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા હોદ્દેદારોના નામ પર ચર્ચા
ગુજરાતમાં ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિજય બાદ, મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદ માટે નામ નક્કી કરવા માટે પાર્ટી દ્વારા મહત્વની બેઠક યોજાશે. ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છઠ્ઠી, સાતમી અને આઠમી મેના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે યોજાશે, જેમાં ૧૫ મહાનગરપાલિકાના મહત્વના હોદ્દેદારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી સમિતિના ચેરમેનના નામોને લઈને પણ ચર્ચા થશે.પહેલી, બીજી અને ત્રીજી મેના રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નિરીક્ષકોની ટીમો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. આ પ્રક્રિયા અંતર્ગત, વિવિધ પદ માટે યોગ્ય ઉમેદવારોના નામ એકત્રિત કરીને ચર્ચા માટે રજૂ કરવામાં આવશે.પ્રાથમિક માહિતી અનુસાર, ૧૦ મે પહેલા તમામ જગ્યાએ હોદ્દેદારો પોતાનો ચાર્જ સંભાળી લેશે તેવી તૈયારીઓ ચાલી રહી છે. પાર્ટી દ્વારા તમામ નિયુક્તિઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.સૂત્રાના જણાવ્યા અનુસાર, “મહાનગરપાલિકાઓમાં જનતાના મંડાટને ધ્યાનમાં રાખીને યોગ્ય પદાધિકારીઓની પસંદગી કરવામાં આવશે.તમામ પ્રક્રિયા પારદર્શક અને સંગઠનના નિયમો અનુસાર હાથ ધરાશે.આ બેઠક બાદ, નવા મેયર અને અન્ય હોદ્દેદારોના નામ જાહેર થશે અને તેઓ પોતાની જવાબદારી સંભાળી લેતા, મહાનગરપાલિકાઓના કાર્યમાં નવી દિશા અને ગતિ મળશે તેવી અપેક્ષા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, એપ્રીલ 2026
2673 |
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના અનેક ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ હવે પક્ષવાર દેખાવના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ભાજપના દબદબા સામે વિપક્ષી પાર્ટીઓની સ્થિતિ અત્યંત દયનીય જાેવા મળી છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હજારો ઉમેદવારો પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી. આમ આદમી પાર્ટીના ૩૩૬૫ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે, જ્યારે કોંગ્રેસમાં ૨૨૨૩ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ આંકડાઓ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના સંયુક્ત પરિણામો પર આધારિત છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાતના મતદારોએ કાં તો સત્તાધારી પક્ષ પર ભરોસો મૂક્યો છે અથવા તો વિપક્ષના મતોનું મોટા પાયે વિભાજન થયું છે. આમ આદમી પાર્ટી માટે સંખ્યાબળની દ્રષ્ટિએ ઉમેદવારો ઉતારવા સહેલા રહ્યા પણ જનમત મેળવવામાં તેઓ નિષ્ફળ સાબિત થયા છે, જ્યારે કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ હવે પડકારજનક બન્યું છે.મહાનગરપાલિકા અને નગરપાલિકાના શહેરી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ આક્રમક પ્રચાર કર્યો હોવા છતાં અનેક બેઠકો પર તેમના ઉમેદવારો નોંધપાત્ર મતો મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. તેવી રીતે જિલ્લા અને તાલુકા પંચાયતમાં ગ્રામીણ સ્તરે કોંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ગાબડા પડ્યા છે. કોંગ્રેસના ૨૨૦૦થી વધુ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવી એ પક્ષ માટે ચિંતાનો વિષય છે. ચૂંટણી પંચના નિયમ મુજબ, જાે કોઈ ઉમેદવારને તે બેઠક પર પડેલા કુલ માન્ય મતોના ૧/૬ ભાગ (અંદાજે ૧૬.૬૬%) કરતા ઓછા મત મળે, તો તેની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. જાેકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે ઉમેદવારો ૧૦ ટકા મતોનો આંકડો પણ સ્પર્શી શક્યા નથી, તેમની ડિપોઝિટ જપ્ત થતા પક્ષોની આબરૂના ધજાગરા થયા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, એપ્રીલ 2026
2376 |
સમગ્ર વિશ્વની મીટ ગુજરાત તરફ મંડાયેલી છે : સીએમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી આજના ૬૬માં ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત સ્થાપના દિન નિમિતે સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્માના આશીર્વાદ, પૂજ્ય રવિશંકર મહારાજ, ઈન્દુચાચા જેવા અનેક મહાપુરુષોની પ્રેરણા અને માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ બધાના સહયોગથી ગુજરાતે પોતાની વિકાસ યાત્રા શરૂ કરી હતી. આજે એ સૌના ઋણ સ્વીકાર કરવાનો અવસર છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ૧લી મે ૧૯૬૦ના દિવસે જ્યારે મુંબઈથી અલગ રાજ્ય બન્યું ત્યારે સૌના મનમાં પ્રશ્ન હતો કે માત્ર રણ, દરિયો અને ડુંગર ધરાવતું રાજ્ય કેવી રીતે આગળ વધશે. પરંતુ,૧૯૬૦થી ૨૦૦૦ના ચાર દાયકાની ગુજરાતની વિકાસયાત્રા અને વર્ષ ૨૦૦૧ પછીના અઢી દાયકાની અવિરત વિકાસયાત્રાનો દીવા જેવો સ્પષ્ટ ફરક સૌ કોઈ આજે જાેઈ શકે છે. ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઈ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયું છે. તેના મૂળમાં આપણને મળેલું નરેન્દ્ર મોદી જેવું વિઝનરી નેતૃત્વ અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિનો યુગ ગુજરાતમાં વિકસાવ્યો. ગુજરાત તેમની પ્રેરણાથી આજે દેશના વિકાસનું રોલ મોડલ બની ગયું છે. જનતા જનાર્દને પણ આ અવિરત વિકાસ યાત્રાને સતત આગળ ધપાવવા માટે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં અપાર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે. એ જ ભરોસો અને વિશ્વાસ તમે સૌએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની તાજેતરની ચૂંટણીઓમાં પણ અમને પ્રચંડ સમર્થન આપીને અકબંધ રાખ્યો છે.આ પ્રેમનો નત મસ્તકે અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાને ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવા દરેક ક્ષેત્રે વિકાસની ચરમસીમા પાર કરીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. આજે ‘જ્યોતિગ્રામ યોજના’થી ૨૪ કલાક સતત થ્રી ફેઇઝ વીજળી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામો સુધી મળી રહી છે. વીજળી ઉત્પાદનની ક્ષમતા ૮,૭૫૦ મેગાવૉટમાંથી વધીને લગભગ ૫૩ હજાર મેગાવોટ થઈ છે.ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે, જ્યાં ગેસ ગ્રીડ, વોટરગ્રીડ અને ઇલેક્ટ્રીસિટી ગ્રીડનું નિર્માણ થયું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક-સાંસ્કૃતિક-સામાજિક વિકાસની સાથે આપણે અર્બન ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા ૨૦૨૫ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું અને શહેરી વિકાસ માટેનું બજેટ ૪૦ ટકા વધાર્યુ છે. વેપારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાં મૂડીરોકાણ વધે, નવા વેપાર ઉદ્યોગો વિકસે તે માટે નરેન્દ્રભાઈએ ૨૦૦૩થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆત કરાવી હતી. વાઈબ્રન્ટ સમિટની સતત સફળતાને પગલે ગુજરાત આજે ‘ગ્લોબલ ગેટ-વે ટુ ધી ફ્યુચર’ અને દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય બન્યું છે. આપણા દરેક જિલ્લાની પોતાની આગવી પ્રોડક્ટ અને વિશેષ સ્ટ્રેન્થ છે. આપણે આ સ્ટ્રેન્થને ‘વોકલ ફોર લોકલથી ગ્લોબલ પ્લેટફોર્મ’ આપવા વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ શરૂ કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની આવી કોન્ફરન્સને જ્વલંત સફળતા મળી છે, હવે દક્ષિણ ગુજરાત પ્રદેશની વી.જી.આર.સી.નો ગુજરાત સ્થાપના દિવસથી સુરતમાં પ્રારંભ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, હવેનો જમાનો સોલાર, વિન્ડ અને હાઈબ્રીડ રીન્યુઅલ એનર્જીનો અને ગ્રીન હાઈડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે. ગુજરાતે તો એ દિશામાં ક્યારનુંય આયોજન કરી દીધું છે. આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના ૧૫ ટકા થઈ છે. સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત ત્રણ લાખથી વધુ ઘરો આવરી લઈને બહુ આગળ નીકળી ગયું છે. એટલું જ નહીં, પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને આપણે રાજ્યમાં હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ સ્થાપનાને વેગ આપ્યો છે. રાજ્યમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે અને બે હજુ થવાના છે. સાણંદ અને ધોલેરા સેમિકોન ઈન્ડસ્ટ્રીના હબ બનવાના છે. એઆઈ આધારિત ઉદ્યોગોને વેગ આપવા માટે ગિફ્ટ સિટી ખાતે એઆઈ સેન્ટર ઓફ એકસેલન્સની સ્થાપના કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટક્ચર ડેવલપમેન્ટની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. નીતિ આયોગની મદદથી સુરત અને તેની આસપાસના વિસ્તારના સ્ટ્રેટેજીક ડેવલોપમેન્ટ માટે સુરત ઈકોનોમિક રિજીયન ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પણ આવા ૬ રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પ્રયાસોથી ગુજરાતને ‘કોમનવેલ્થ ગેમ્સ’ની યજમાની કરવાનો અવસર મળ્યો છે. આ કોમનવેલ્થ ગેમ્સથી વિશ્વને ભારતને આંગણે આવકારવા અને ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યાં છીએ. દેશની આઝાદીના ૧૦૦ વર્ષ ૨૦૪૭માં પૂર્ણ થાય ત્યાં સુધીમાં વિકસિત ભારત ૨૦૪૭નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યુ છે. ૨૦૪૭ સુધીના આ સમયને તેમણે દેશનો અમૃતકાળ કહ્યો છે. આ અમૃતકાળમાં ગુજરાતને તો તેની સ્થાપનાના ૭૫ વર્ષ અમૃત મહોત્સવ ૨૦૩૫માં ઉજવવાની એક મોટી તક મળી છે. વર્ષ ૨૦૩૫ સુધીમાં આપણે ગુજરાતને દુનિયાને વિકાસનું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનાવવું છે. આપણો તો એક જ સંકલ્પ છે, ગરીબ, અન્નદાતા, યુવાઓ, નારી શક્તિ, વંચિત અને નાનામાં નાના માનવીને, પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ આવાસ યોજના, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અને જરૂરતમંદ સૌને આયુષ્માન ભારતનું વડાપ્રધાનનું આરોગ્ય રક્ષા કવચ પણ પૂરું પાડીને તંદુરસ્ત સમાજથી વિકાસની મુખ્યધારામા લાવીને ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રોમાં પ્રથમ ક્રમે રહે. આજના ગુજરાત ગૌરવ દિવસે વિકસિત ભારતજ્ર૨૦૪૭ માટે વિકસિત ગુજરાતનો અને ગુજરાતના વિકાસ માટે સમર્પિત થવાનો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. ફરી એકવાર, સૌને ‘ગુજરાત ગૌરવ દિવસ’ની અનેક અનેક શુભેચ્છાઓ. ભારત માતા કી જય... વંદે માતરમ્...જય જય ગરવી ગુજરાત...
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, એપ્રીલ 2026
3663 |
૫૦૦ની લાંચ લેતા ઝડપાયેલા ઇ-ધરાનાં નાયબ મામલતદારને ત્રણ વર્ષની સજા
૨૫ વર્ષ પહેલા દસ્તાવેજને હક્કપત્રકમાં દાખલ કરવાની કાર્યવાહી માટે ૫૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયેલા માંગરોળ ઇ-ધરાનાં નાયબ મામલતદારને કોર્ટે કસૂરવાર ઠેરવી ૩ વર્ષની સજા અને રૂ.૧૦,૦૦૦ દંડ ન ભરે તો વધુ એક મહિનાની સજાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવિ છે કે ફરિયાદી દ્વારા પોતાના તથા પત્નીના નામે હથ્થુરણ ગામે આવેલી જમીન (સર્વે નં. ૬૭૧/૧૬૭૧/૪, પ્લોટ નં. ૫૫)નો દસ્તાવેજ સબ-રજિસ્ટ્રાર, માંગરોળ ખાતે નોંધાવ્યો હતો. આ દસ્તાવેજને હક્કપત્રકમાં દાખલ કરવાની કાર્યવાહી માટે આરોપી સન્મુખ કરશનભાઈ ચૌધરી, તત્કાલીન નાયબ મામલતદાર, ઈ-ધરા માંગરોળ (વર્ગ-૩)એ ફરિયાદી પાસે રૂ.૫૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ બાબતે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવતા છટકું ગોઠવાયું હતું. તા.૨૩ માર્ચ ૨૦૧૦ના રોજ લાંચ સ્વીકારતા જ આરોપી રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ કેસમાં સુરત ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૭, ૧૩(૧)(ઘ) તથા ૧૩(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક પ્રક્રિયા દરમિયાન મૌખિક, દસ્તાવેજી સહિતના પુરાવાઓ આધારે આરોપીને દોષિત જાહેર મારવામાં આવ્યો હતો કલમ ૭ હેઠળ ૩ વર્ષની સજા અને રૂ. ૧૦,૦૦૦ દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, એપ્રીલ 2026
3069 |
સુરતનાં જરી ઉદ્યોગની સોનાની ચમક, વર્ષે ૯૦૦ કરોડનો વ્યવહાર
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એમએસ એમઇ, ઔદ્યોગિક અને ક્ષેત્રીય વિકાસને વેગ આપવા માટે તા.૧ અને ૨ મે ના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ની ત્રીજી આવૃત્તિ સુરતમાં યોજાશે વીજીઆરસીની યજમાની કરવાની તક મેળવનાર રાજ્યના આર્થિક પાટનગર સમા સુરત શહેરે તેની વ્યાવસાયિક સુઝબુઝ અને સાહસવૃત્તિથી દેશવિદેશમાં ખ્યાતિ મેળવી છે. હીરા અને કાપડ વ્યવસાયમાં વિશ્વ વિખ્યાત સુરતનો ‘જરી ઉદ્યોગ’આ શહેરની સાહસિકતા, પ્રાચીન ગૌરવને ઉજાગર કરે છે.સુરત શહેરના બેગમપુરા, વાડીફળિયા, ખટોદરા, ભાટેના અને નવાપુરા જેવા વિસ્તારો એક સદી પહેલા સુરતમાં વિકાસ પામેલા જરી ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો રહ્યા છે. મૂળ સુરતના ગોલા-કણબી, ખત્રી, રાણા અને પટેલ જ્ઞાતિના કુટુંબો અંદાજે ૧૨૦ વર્ષ જૂની વંશપરંપરાગત કલાને પેઢી દર પેઢી જીવંત રાખી રહ્યા છે. સુરતની ભૌગોલિક પરિસ્થતિ, અહીંની ભેજવાળી હવા જરીના તારના વણાટ અને ખેંચાણ માટે અત્યંત અનુકૂળ છે. આ જ કારણથી અહીં ઉત્પાદિત જરીની ગુણવત્તા સર્વોત્તમ રહે છે. વર્તમાન સમયમાં સુરતનો જરી ઉદ્યોગ આધુનિકતા સાથે કદમ મિલાવી રહ્યો છે. આજે સુરતમાં ૮૦ ટકા જેટલું ઉત્પાદન સસ્તી અને ટકાઉ મેટાલિક યાર્ન જરીનું થાય છે, જ્યારે ૨૦ ટકા સાચી જરીનું ઉત્પાદન જળવાઈ રહ્યું છે. સુરતના વરાછા, કતારગામ, પુણા વિસ્તારમાં આજે પણ હજારો ખટારા ઘરોમાં ચાલે છે. તેમજ હાલ સુરત ભારતનું ૭૦% જરીનું ઉત્પાદન કરનારું શહેર છે. અને જરી ઉદ્યોગ માટે જરૂરી મશીનરીનું ઉત્પાદન પણ સુરતમાં જ થાય છે. સુરત જરી મેન્યુફેક્ચરિંગ એસોશિયેશનના પ્રમુખ બંકીમચંદ્ર જરીવાલાએ કહ્યું કે, વર્ષોથી અસલ સોના-ચાંદીમાં તૈયાર કરાતી જરી ધીરે ધીરે તાંબા અને કાંસામાં બનતી થઇ અને રિઅલ જરીના વધતા ભાવને કારણે છેલ્લા ૧૦-૧૫ વર્ષથી હવે પ્લાસ્ટીકના તારમાંથી પણ મેટાલિક યાર્ન જરીનું ઉત્પાદન શરૂ થયું છે. હાલ સુરતમાં જરી ઉદ્યોગના ૮૦૦ જેટલા યુનિટ નોંધાયેલા છે. જેનું વર્ષે અંદાજે ૮૦૦ થી ૯૦૦ કરોડનું ટર્નઓવર છે. આ ઐતિહાસિક ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આશરે ૨.૫૦ લાખ લોકો જાેડાયેલા છે, અને આજે પણ ‘જરી’ તેમની આજીવિકાનો મૂળ સ્ત્રોત છે. જરીનો ઉપયોગ મુખ્યત્વે કિંમતી સાડીઓમાં તેમજ ભરતકામમાં કિંમતી પોષાક તૈયાર કરવામાં થાય છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં હાથવણાંટના કુશળ કારીગરો દ્વારા જરીમાંથી બનાવેલી કાંજીવરમ, કોચંપલ, ધર્મવરમ, બેંગ્લોરી કે બનારસી સિલ્કની સાડીઓ પ્રખ્યાત છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, એપ્રીલ 2026
3366 |
કોંગ્રેસનાં ઉમેદવાર ખુમાનસિંહ દર્જાવત પર હુમલા પ્રકરણમાં ભવાની સેના મેદાનમાં
સુરત શહેરમાં મજુરા ગેટ ખાતે આવેલ ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં મત ગણતરી દરમિયાન વિજય બનેલા ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત અને તેમના માણસોએ ઉત્સાહના અતિરેકમાં આવી પોલીસની હાજરીમાં જ કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દર્જાવત પર હુમલો કર્યો હતો. જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજસ્થાની સમાજ પર પડ્યા છે. હાલમાં દિનેશ રાજપુરોહિત તથા તેમના માણસો માફી માંગે તેવા ઉદ્દેશ્ય સાથે રાજસ્થાની સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે હવે આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. રાજસ્થાનની ભવાની સેના મેદાનમાં આવી છે અને તેમના દ્વારા સુરત શહેરમાં આગામી તારીખ ૧૧ મે ના રોજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે.સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન દરમિયાન અને મત ગણતરી દરમિયાન ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હોય તેવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે પરંતુ મત ગણતરીના દિવસે ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિતની જીત થયા બાદ તેમના કાર્યકરો ભાન ભૂલ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ દિનેશ રાજપુરોહિત, મહેન્દ્રસિંહ રાજપુરોહિત, ગૌતમ રાજપુત સહીત તેમના અન્ય બેથી ત્રણ કાર્યકર્તાઓએ ભેગા મળી કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દર્જાવત પર હુમલો કર્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરી વચ્ચે જ તેમના વાળ ખેંચી તેમને માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ હિન્દુ સમાજની મહિલા દીકરીઓ વિશે પણ બિભસ્ત ભાષાનો પ્રયોગ કર્યો હતો. જેના ઘેરા પ્રત્યાઘાત રાજસ્થાની સમાજમાં પડ્યા છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં રાજસ્થાની સમાજ દ્વારા દિનેશ રાજપુરોહિત અને તેમના માણસોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં આ વિરોધ હજુ પણ ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. રાજસ્થાનની ભવાની સેના પણ હવે આ માટે મેદાનમાં આવી છે. આગામી તારીખ ૧૧ મે ના રોજ ભવાની સેના દ્વારા સુરત શહેરમાં ભાજપના મુખ્ય કાર્યાલય પર ભેગા થઈ ઉગ્ર વિરોધ સાથે દિનેશ રાજપુરોહિત અને તેમના હુમલાખોર કાર્યકર્તાઓ સામે પગલાં લેવા માટે માંગ કરવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, એપ્રીલ 2026
2772 |
સ્ટેટ બેંકમાં ૫૦ લાખની લૂંટ ચલાવનાર ગેંગની ઓળખ થઇ, ધાડપાડુઓનું રહેઠાણ શોધી કઢાયું
લંબેહનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંકમાં બેખૌફપણે લૂંટ કરનાર ધાડપાડુ ટોળકીની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી છે. લૂંટારૂઓ રાકાયા હતાં એ સ્થળ પણ મળી આવતાં હવે તપાસે ગતિ પકડી હોવાનું જાણવા મળે છે. વરાછામાં લંબેહનુમાન રોડ ઉપર એફિલ ટાવરની બાજુમાં શક્તિ ટાવરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા કાર્યરત છે. ૨૭મી એપ્રિલ, સોમવારે બપોરે એકથી બે વાગ્યા સુધી છ સશસ્ત્ર લૂંટારુઓએ બેન્કને બાનમાં લીધી હતી. લૂંટારૂ ટોળકીએ પિસ્ટલની અણીએ બેંકનાં સર્વિસ મેનેજર કિરણ પ્રકાશ ભોગે, કેશિયર અનિલ રાઠોડ, જુનિયર એસોસીએટ કાર્તિક પ્રજાપતિ ઉપરાંત ક્રેડિટ કાર્ડનું કામ કરતી રિદ્ધિબેન અને પ્યુન ગૌરવ ચૌધરી તથા એ.ટી.એમ.નો ગાર્ડ ગજેન્દ્ર પાટીલ ઉપરાંત બીજા છથી સાત ગાહકોને ધમકાવી રોકડા ૫૦ લાખની લૂંટ કરવામાં આવી હતી.આ ટોળકીને સીસીટીવી ફૂટેજને આધારે ટ્રેક કરતા તેઓ ત્રણ બાઈક પર મોરાભાગળ તરફથી આવતા હોવાનું તથા સરથાણા શ્યામધામ થી વાલક જંક્શન થઈ ઉમરા વેલંજા તરફ જતાં ટ્રેક થયા હતા. સીસી કેમેરાના આધારે પોલીસની તપાસ સાયણ સુધી પહોંચી હતી. શહેર પોલીસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી આ બેંક રોબરીનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચનાં પાંચ પીઆઇ અને દસ પીએસઆઇની ટીમ રાઉન્ડ ધ ક્લોક સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ લૂંટારૂઓને ઝડપી પાડવા માટે પોલીસ સીસી કેમેરા ફૂટેજના આધારે જ તપાસ કરી રહી છે. સીસી કેમેરા ફૂટેજમાંથી હાઈટેકટેકનોલોજી ઉપયોગથી પોલીસે સ્પષ્ટ ફોટા પણ કઢાવ્યા છે. આ ફોટોગ્રાફ ઉત્તર ભારતનાં તમામ રાજ્યોની પોલીસને તેનું સ્કેનિંગ માટે પણ આપ્યા હતા. સાથે જ લૂંટારૂ બેંક સુધી આવ્યા અને લૂંટ કરીને ભાગ્યા એ દિશાનાં કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. અઢીસોથી વધું સીસી કેમેરા ચેક કરવા સાથે કરાઇ રહેલી તપાસમાં પોલીસને કેટલીક મહત્વની લીડ મળી હતી. આ લીડને ફોલો કરતા કરતા પોલીસે લૂંટારૂઓ રોકાયા હતાં એ સ્થળ શોધી કાઢ્યું હોવાનું જાણવા મળે છે. લૂંટારૂ ટોળકીના આશ્રયસ્થાન તથા આસપાસ કરાયેલી તપાસમાં તેઓની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય એવી મહત્વની કરી પણ પોલીસ મેળવી શકી હોવાની માહિતી પણ મળી રહી છે. મહત્વના કડીના આધારે ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં જ લૂંટારૂઓ સુધી પહોંચી જશે એવો આશાવાદ પણ સૂત્રો દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
30, એપ્રીલ 2026
3168 |
કોર્પોરેટરોનાં નામો ગેઝેટમાં પ્રસિદ્ધ થતાં આગામી સપ્તાહે મેયર, ડે.મેયર અને સ્થાયી સમિતિની વરણી
સુરત મહાનગર પાલિકાની ચૂંટણી તો સંપન્ન થઇ ગઇ પરંતુ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતનાં પદાધિકારીઓની પસંદગી બાબતે શહેરીજનો તેમજ ભાજપનાં નેતાઓ પણ અટકળો લગાવી રહ્યાં છે. ચૂંટાયેલાં કોર્પોરેટરોનાં નામો સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થઇ જતાં હવે પસંદગી અને નિમણૂંકની પ્રક્રિયા ગણતરીનાં દિવસોમાં પાર પાડવામાં આવશે. આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરતમાં ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે સાથે સાથે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટનું પણ બે દિવસનું આયોજન કરાયું છે. બે દિવસનાં આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં હોવાથી ઉચ્ચાધિકારીઓ તેમજ મંત્રીઓ તેમાં વ્યસ્ત થઇ જશે પરંતુ તે પહેલાં પદાધિકારીઓની વરણીની વૈતરણી સંપન્ન કરી દેવાની ગણતરી સેવાય છે.જાે કે, સમગ્ર ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો, જિલ્લા પંચાયતો, નગર પાલિકાઓ તેમજ તાલુકા પંચાયતોમાં ૮૫થી ૯૦ ટકા બેઠકો ઉપર કબજાે જમાવીને આ વખતે ભાજપે દબદબો જાળવી રાખ્યો હોવાથી ભાજપ મોવડીમંડળ જેટલી બને તેટલી ઝડપથી પદાધિકારીઓની નીમણૂંકની વૈતરણી પાર પાડવાની ફિરાકમાં હોવાનું જણાઇ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા, સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલાં સભ્યોનાં નામો ચૂંટણી અધિકારીઓ દ્વારા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા માટે મોકલી આપવામાં આવ્યાં હતાં. જેમાં સુરત મહાનગર પાલિકાનાં નવા ચૂંટાયેલાં કોર્પોરેટરોનાં નામો આજે સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થઇ જતાં હવે મેયર, ડેપ્યુટી મેયરની વરણી તેમજ સ્થાયી સમિતિનાં ૧૨ સભ્યોની નીમણૂકનો માર્ગ ખુલ્લો થઇ ગયો છે. ગેઝેટમાં કોર્પોરેટરોનાં નામો પ્રસિદ્ધ થઇ જતાં ગુજરાત સરકારનાં શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેરનામુ ઇશ્યુ કરી સુરત મહાનગર પાલિકા માટે મ્યુનિસિપલ કમિશનર તેમજ સુરત જિલ્લા પંચાયત માટે જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપશે. મ્યુનિસિપલ કમિશનર નવા ચૂંટાયેલા કોર્પોરેટરોની યાદી સાથેનો પત્ર સેક્રેટરી બ્રાન્ચને મોકલશે જેને આધારે સામાન્ય સભા બોલાવવામાં આવશે. પ્રથમ સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયરની વરણી કરવા ઉપરાંત સ્થાયી સમિતિનાં ૧૨ સભ્યોની પણ વરણી કરવામાં આવે છે. સ્થાયી સમિતિનાં ૧૨ સભ્યોની વરણી કરવામાં આવ્યા બાદ પ્રથમ બેઠકમાં સમિતિનાં અધ્યક્ષની પસંદગી કરાતી હોય છે જાે કે, જે ૧૨ સભ્યોની વરણી કરાય છે તેમાં સામાન્ય રીતે પ્રથમ નામ હોય તે સ્થાયી સમિતિ અધ્યક્ષ હોવાનું પક્ષ દ્વારા પ્રસ્થાપિત કરાતું હોય છે. આ સાથે ભાજપ દ્વારા પક્ષ નેતાની પણ નીમણૂંક કરવામાં આવશે અને ત્યારબાદ વિવિધ સમિતિઓની મીટિંગ બોલાવવામાં આવશે જેમાં જે તે સમિતિનાં અધ્યક્ષની વરણી કરવામાં આવશે. ગેઝેટમાં નામો પ્રસિદ્ધ થઇ જતાં હવે આગામી સપ્તાહમાં જ મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષની પસંદગી થઇ જવાની હોવાથી ભાજપનાં નેતાઓમાં ફરી સળવળાટ શરૂ થઇ ગયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલનાં જુથનાં કોર્પોરેટરોએ છેલ્લી ઘડીનાં પ્રયાસો હાથ ધર્યાં છે. મળતી માહિતી મુજબ ભાજપનાં પ્રદેશ નિરિક્ષકો શનિવારે આવીને પદાધિકારીઓ માટે સેન્સ લેનાર હોવાનું જાણવા મળે છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...