ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, મે 2026 3267   |  
રાજકોટમાં મધરાતે મંદિરો પર બુલડોઝર કાર્યવાહી

રાજકોટ શહેરમાં ૧૪ મેની મોડીરાત્રે મહાનગરપાલિકા દ્વારા રસ્તા અને ટ્રાફિકને અડચણરૂપ ગણાતા ધાર્મિક દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૧૨ જેટલા નાના મંદિરો અને ધાર્મિક માળખાઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી રાત્રિના સમયે કરવામાં આવતા અનેક વિસ્તારોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. મવડી ચોક નજીક આવેલા કેસરિયા હનુમાન મંદિરને તોડવાની કાર્યવાહી શરૂ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. લોકોએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી અને મંદિર બચાવવાની માંગ કરી હતી. સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે વહેલી સવારે સુધી ચર્ચા અને રકઝક ચાલતી રહી હતી. સ્થાનિકોએ મંદિરને સંપૂર્ણ તોડવા સામે વિરોધ નોંધાવતા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બાદમાં મંદિર સંચાલકો દ્વારા આગામી ૪૮ કલાકમાં મંદિરનું માળખું નાનું કરવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ મંદિરને બદલે રસ્તા પર આવેલા ઓટલા અને આસપાસના ભાગોને બુલડોઝરથી દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ કેટલાક સ્થાનિકોમાં નારાજગી પણ જાેવા મળી હતી. લોકોનું કહેવું હતું કે ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ર્નિણય લેવો જાેઈએ. કેટલાક લોકોએ સત્તાધારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ સામે પણ પ્રશ્નો ઊભા કર્યા હતા. મહાનગરપાલિકાની ટીમ સાથે પોલીસ, ફાયર વિભાગ પીવીસીલ અને અન્ય વિભાગોના કર્મચારીઓ પણ જાેડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે માલવિયાનગર વિસ્તારમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી વહેલી સવારે સુધી ચાલી હતી. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, મે 2026 2772   |  
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ, ૪નાં મોત,૧૦ ઘાયલ

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટતાં થયેલી અથડામણમાં ૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૧૦ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બુધવારની મોડી રાત્રે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આશરે ૨:૩૦ વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જાેતજાેતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ ઘટનામાં ૪ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં ૧૦ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, મે 2026 2772   |  
સૌરાષ્ટ્ર અને વડોદરાના નામો નક્કી :ટૂંક સમયમાં જાહેરાત કરાશ

ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પછી બીજાે તબક્કો શરૂ થયો હતો જેમાં સૌરાષ્ટ્રના મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામ પર ચર્ચા કરવામાં આવી. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની સંસ્થાઓમાં હોદ્દેદારોના નામોને લઈને ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે દિવસથી ચાલી રહેલી બેઠકના પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર ઝોનના નામો નક્કી કરવામાં આવ્યા હતા. બીજા દિવસે મળેલી બેઠકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના નામો પર ચર્ચા કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જિલ્લા પંચાયત અને વડોદરા તાલુકા પંચાયતના નામોને લઈને પણ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે.આ બેઠકમાં સંગઠનાત્મક સંતુલન, જાતિ સમીકરણ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને વરિષ્ઠ-નવોદિત નેતાઓ વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકાયો છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં કાર્યક્ષમ અને સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને તક આપવા માટે ચર્ચા કરવામાં આવી છે. સૂત્રો મુજબ, મોટાભાગના પદો માટે સહમતી બની છે અને અંતિમ યાદી ટોચના નેતૃત્વને મોકલાશે. ત્યારબાદ જ આખરી ર્નિણય લેવામાં આવશે. આગામી ૧૯ તારીખે મોટાભાગની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામોની જાહેરાત થવાની શક્યતા છે. પ્રદેશ કક્ષાએ નક્કી થયેલા નામો જે તે જિલ્લાની સામાન્ય સભામાં જાહેર કરાશે. આ નામો પ્રદેશના પ્રતિનિધિ દ્વારા બંધ કવરમાં લઈ જવામાં આવશે અને સામાન્ય સભામાં જ ખુલશે.આ પ્રક્રિયામાં ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી રહી છે. દરેક વિસ્તારમાં યોગ્ય પ્રતિનિધિત્વ અને મજબૂત ટીમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નામોની જાહેરાત ટૂંક સમયમાં થશે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ ૧૫, ૧૬ અને ૧૭ તારીખે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બોર્ડ દ્વારા નક્કી થયેલા નામો ઉચ્ચ કક્ષાએ મોકલાશે અને ત્યારબાદ જાહેરાત થશે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, મે 2026 3069   |  
કેન્દ્રએ અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિએ આજે રેલ મંત્રાલયની અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંદાજે રૂપિયા ૨૦,૬૬૭ કરોડના ખર્ચવાળી આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેની પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બનશે. લગભગ ૧૩૪ કિલોમીટર લાંબી આ નવી રેલવે લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન  આવનારા ધોલેરા એરપોર્ટ તેમજ લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને આધુનિક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને ધોલેરા વચ્ચેના પ્રવાસ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેના કારણે મુસાફરો માટે દૈનિક આવાગમન તથા એક જ દિવસે આવવા-જવાની સુવિધા વધુ સરળ અને આરામદાયક બનશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, “અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતના રેલવે ઇતિહાસમાં નવી શરૂઆત છે. આ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ‘ન્યૂ ઈન્ડિયા’ની આધુનિક, ઝડપી અને આર્ત્મનિભર પરિવહન વ્યવસ્થાનું પ્રતિક છે. સ્વદેશી ટેકનોલોજી આધારિત આ પ્રોજેક્ટ આગામી વર્ષોમાં દેશભરમાં સેમી હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણનો આધાર બનશે.” અમદાવાદ મંડળના ડ્ઢઇસ્ વેદ પ્રકાશે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે. “આ પ્રોજેક્ટ અમદાવાદ અને ધોલેરા વિસ્તારને વિશ્વસ્તરીય રેલ કનેક્ટિવિટી આપશે. તેના દ્વારા મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક મુસાફરીની સુવિધા મળશે તેમજ વિસ્તારમાં રોજગાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને પણ મોટો લાભ થશે. આ પ્રોજેક્ટથી ધોલેરા અને અમદાવાદ વચ્ચેનું અંતર ૧ કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકશે અને ધોલેરા સીધું અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ કોરિડોર સાથે જાેડાઈ જશે.” આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો હેતુ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતાને મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટથી આશરે ૨૮૪ ગામો અને લગભગ ૫ લાખ વસ્તીને સીધો લાભ મળશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 4356   |  
મનાલી-બેલા હાઈવે પર કાર ખાઈમાં ખાબકતા ભાવનગરના ૬ ના કરુણ મોત

હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર માટે પ્રવાસ કાળ બનીને ત્રાટક્યો છે. મનાલી નજીક છાબા જિલ્લામાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજના અગ્રણી લલિતભાઈ ફતનાની સહિત પરિવારના ૬ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ભાવનગર પહોંચતા સમગ્ર સિંધી સમાજ સહિત શહેરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના સિંધી સમાજના જાણીતા અગ્રણી લલિતભાઈ ફતનાની તેમના પરિવાર સાથે મનાલીના પ્રવાસે ગયા હતા. ગત રોજ મનાલીથી બેલા તરફ જતી વખતે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર ૨૮ પર તેમનું વાહન ચાલકે અચાનક કાબૂ ગુમાવતા રસ્તા પરથી નીચે ઉતરી સીધું ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. વાહન ખાઈમાં પડતા જ જાેરદાર ધડાકો થયો હતો અને અંદર સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં પરિવારના મોભી લલિતભાઈ ફતનાની, તેમના પત્ની સોનિયાબેન, દીકરી કાજલબેન, જમાઈ પ્રિયંકભાઈ ભોપાણી અને માસૂમ પૌત્ર દિવ્યાંશુનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકસાથે પાંચ સભ્યોના મોતના સમાચારથી ફતનાની પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૪ સભ્યોમાં મયંકભાઈ લલિતભાઈ ફતનાની, તેમના પત્ની ફોરમબેન ફતનાની, પુત્ર જિયાંશ અને અન્ય એક બાળકી પ્રિયાંશી ભોપાણીનો સમાવેશ થાય છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 6138   |  
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.  સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ.   ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે.  PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો.   અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 5049   |  
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ

વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે.    સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, મે 2026 6732   |  
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 5148   |  
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 7623   |  
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે. 


ઉત્તર ગુજરાત વધુ વાંચો

લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, મે 2026 2178   |  
ગાંધીનગરમાં આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં ફરજ બજાવતા વર્ગ-૨ના આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર મનિષકુમાર નવિનચન્દ્ર રાવલને એન્ટી કરપ્શન બ્યુરો એ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ૧૮ મેના રોજ અમદાવાદ શહેર એસીબીની ટીમે ગાંધીનગરના ઘ-૨ સર્કલ પાસે જાહેર રોડ પર સફળતાપૂર્વક અમલમાં મૂકી હતી.માહિતી મુજબ, ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જે બાંધકામના વિવિધ પ્રોજેક્ટોમાં પેસિવ ફાયર સિસ્ટમ ફિટ કરવાનો વ્યવસાય કરે છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, પેસિવ ફાયર સિસ્ટમ લગાવ્યા બાદ પ્રોજેક્ટના માલિક મારફતે સર્ટિફિકેટ્સ મંજૂરી માટે ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે.આક્ષેપિત અધિકારી મનિષકુમાર રાવલે ફરિયાદી પાસે ફાયર એન.ઓ.સી. અને પ્રમાણપત્ર માન્ય રાખવાના અવેજે કુલ પાંચ લાખ રૂપિયાની લાંચની કડક માંગણી કરી હતી. ફરિયાદીએ એકસાથે આટલી મોટી રકમ આપવા અસમર્થતા દર્શાવી, નાણાં ટુકડે-ટુકડે આપવા સંમતિ દર્શાવી હતી. આજ રોજ પહેલા હપ્તા તરીકે ૫૦ હજાર રૂપિયા ચૂકવવાનું નક્કી થયું હતું.ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી અધિકારી વિરૂદ્ધ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, એસીબીએ જાહેર રોડ પર છટકું ગોઠવ્યું હતું.આ ટ્રેપ દરમિયાન ફરિયાદી નિર્ધારિત સ્થળે પહોંચ્યા અને મનિષકુમાર રાવલ સાથે હેતુલક્ષી વાતચીત કરી. ફરિયાદીએ ૫૦ હજાર રૂપિયાની રોકડ રકમ આપતાં જ, છુપાઈને ઉભેલી એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, મે 2026 2277   |  
લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ઝોન-૭ એલસીબી દ્વારા ધરપકડ

અમદાવાદમાં આંગડિયા પેઢીના સ્ટાફ અને બેન્કમાંથી મોટી રોકડ લઈને નીકળતા લોકોને નિશાન બનાવતી કુખ્યાત ‘છારા ગેંગ‘ સામે પોલીસે સકંજાે કસ્યો છે. લોકોનું ધ્યાન ભટકાવી કે વેશપલટો કરીને કરોડો રૂપિયાની લૂંટ અને ચોરી આચરતી આ ગેંગના બે મુખ્ય સાગરીતોની પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરી છે.આ પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન ગુજરાત અને દિલ્હીમાં નોંધાયેલા લૂંટ, ધાડ તેમજ ચોરી જેવા અંદાજે ૩૦ જેટલા ગંભીર ગુનાઓનો પર્દાફાશ થયો છે.ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ છારા ગેંગના ૪ સાગરીતોને અલગ-અલગ ૭ ગુનાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ તપાસતા માલૂમ પડ્યું હતું કે તેણે અમદાવાદ અને દિલ્હીમાં અસંખ્ય ગુનાઓ આચર્યા છે. આથી, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં પોલીસ કમિશનરની મંજૂરી મેળવીને ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.આ કેસની વધુ તપાસના આધારે પોલીસે હાલમાં પ્રતિક ઉર્ફે અંધો પ્રવિણભાઈ પાનવેકર (રહે. છારાનગર, કુબેરનગર) તથા શંકુલ યોગેશભાઈ ભોગેકર (રહે. કુબેરનગર, સરદારનગર) એમ બે આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અત્યંત સુઆયોજિત પ્લાનિંગ સાથે ગુનાને અંજામ આપતી હતી. આરોપીઓ હંમેશા હેલ્મેટ અને રૂમાલથી ચહેરો ઢાંકી રાખતા. પોલીસને ગેરમાર્ગે દોરવા તેઓ ઘરેથી નીકળતી વખતે અલગ કપડાં પહેરતા અને ગુનો આચરતી વખતે તેની ઉપર બીજા કપડાં ચડાવી લેતા હતા.ગેંગનો એક સાગરીત વાહનચાલક સાથે ગમે તે બહાને બોલાચાલી કરી તેને વાતોમાં વ્યસ્ત રાખતો હતો. ડ્રાઇવર કે વાહનચાલકનું ધ્યાન ભટકાય તે જ સમયે અન્ય સાગરીતો એલ.એન.કી વડે મોપેડની ડેકી તોડીને અથવા હિરાકણી વડે કારના કાચ તોડીને અંદર પડેલો કિંમતી માલસામાન કે રોકડ રકમ ચોરીને પળવારમાં ફરાર થઈ જતા હતા.આ કુખ્યાત છારા ગેંગ સામે ગુજરાત અને દિલ્હીમાં મળીને કુલ ૩૦ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના રેકોર્ડ મુજબ આ ગેંગ સામે અમદાવાદના એલિસબ્રિજ, સરખેજ, કૃષ્ણનગર, નવરંગપુરા, રામોલ, સોલા હાઇકોર્ટ, ઓઢવ, બોપલ, નરોડા, શાહીબાગ, વાડજ, રખિયાલ, વસ્ત્રાપુર અને સરદારનગર પોલીસ સ્ટેશનમાં તેમજ અડાલજમાં લૂંટ, ચોરી અને પ્રોહિબિશનના ૨૮ ગુનાઓ નોંધાયા છે. આ ઉપરાંત, આ ગેંગ સામે દિલ્હીના કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશનમાં પણ લૂંટ, ધાડ, ગુનાહિત કાવતરું અને આર્મ્સ એક્ટ હેઠળના ૨ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ તમામ ગુનાઓનો લાંબો ઇતિહાસ જાેતા પોલીસે આકરી કાર્યવાહી કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, મે 2026 2079   |  
નિકોલમાં જ્વેલર્સમાંથી રૂા.૧.૧૧ કરોડના દાગીના ચોરી કરનાર સેલ્સગર્લ ઝડપાઈ

શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ આભૂષણ જ્વેલર્સમાં કરોડોની ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દુકાનમાં કામ કરતી સેલ્સ ગર્લે જ કરોડો રૂપિયાના દાગીનાની ચોરી કરતા સમગ્ર મામલે ખળભળાટ મચી ગયો હતો. જે બાદ સેલ્સ ગર્લ કેટલાય દિવસથી ફરાર હતી, જાેકે ક્રાઈમબ્રાન્ચે તેની ધરપકડ કરી છે.સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ દુકાનમાંથી અંદાજે રૂ ૧.૧૧ કરોડના દાગીના ચોરી કર્યા હતા. ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અનેક સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી હર્ષિદા શેટ્ટીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. નિકોલમાં અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ નામનો મોટો શોરૂમ આવેલો છે. આ શોરૂમના માલિક દર્શનભાઈ જૈને નોંધાવેલી ફરિયાદ અનુસાર, શોરૂમ મેનેજમેન્ટ દ્વારા નિયમિત સ્ટોક વેરિફિકેશન (ઓડિટ) કરવામાં આવ્યું હતું. આ આંતરિક તપાસ દરમિયાન હિસાબ અને સ્ટોકમાં મોટી ગડબડ સામે આવી હતી, જેમાં કુલ ૧,૨૧૧.૯૯૧ ગ્રામ (આશરે ૧ કિલો અને ૨૧૨ગ્રામ) સોનું ઓછું હોવાનું માલૂમ પડ્યું હતું. ચોરાયેલા ઘરેણાંમાં સોનાની ચેઈન, વીંટી અને બંગડીઓ, મંગળસૂત્ર અને પેન્ડન્ટ, સોનાની ઘડિયાળ અને અન્ય કિંમતી ઘરેણાં મળીને અંદાજે ૧.૧૧ કરોડથી વધુના દાગીના ચોરીને ફરાર થઈ ગઈ હતી. શોરૂમમાં સ્ટોક ઓછો હોવાની અને હિસાબમાં ગડબડની જાણ થતાં જ માલિકને ત્યાં કામ કરતી સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી પર શંકા ગઈ હતી, કારણ કે તે અચાનક ફરાર થઈ ગઈ હતી. મામલો પોલીસ મથકે પહોંચતા નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જ્યારે શોરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વીડિયોમાં હર્ષિદા પોતાની પાછળ રહેલા કબાટમાંથી સોનાના ઘરેણાં કાઢીને પોતાના કપડાંના ગજવામાં છુપાવતા સ્પષ્ટ દેખાઈ હતી. ત્યારબાદ તે ઉપરના માળે સ્ટોરરૂમમાં જઈ પોતાની બેગ લઈને શોરૂમની બહાર નીકળી ગઈ હતી.સૂત્રોના જણાવ્યાનુસાર, પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત તપાસમાં અનેક સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે લોકેશન ટ્રેસ કરીને આરોપી હર્ષિદા શેટ્ટીને ઝડપી પાડવામાં આવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, મે 2026 2277   |  
ખોખરા-હાટકેશ્વર સ્મશાનગૃહની કામગીરી અદ્ધરતાલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કથિત પ્લાનિંગ વગરની કામગીરી અને ઘોર ઉદાસીનતાનો વધુ એક નમૂનો શહેરના પૂર્વ વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં ખોખરા-હાટકેશ્વર સ્મશાનગૃહના નવીનીકરણનો કરોડોનો પ્રોજેક્ટ છેલ્લા ૬ મહિનાથી સાવ અટકી પડ્યો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા જૂન-૨૦૨૫માં અંદાજે ૧૧ કરોડના માતબર ખર્ચે બે વર્ષની સમયમર્યાદામાં આ સ્મશાનને હાઈટેક બનાવવાનું આયોજન કરાયું હતું, પરંતુ એક વર્ષનો સમય વીતવા છતાં અહીં માંડ ૩૦ ટકા જેટલું જ કામ પૂરું થઈ શક્યું છે. કામગીરી દરમિયાન જમીનમાં પાણીનું સ્તર ઊંચું આવવાની ટેકનિકલ ખામી સામે આવતા તંત્રએ કોઈ ચોક્કસ ઉકેલ લાવવાના બદલે કામ જ બંધ કરી દીધું છે. આ વિલંબના કારણે હાલ સ્મશાનમાં સીએનજી ભટ્ટી સંપૂર્ણ બંધ છે અને માત્ર લાકડાથી જ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, જ્યાં અસ્થાયી ચિતાઓ બનાવવામાં આવી છે તે જગ્યા બિલકુલ રહેણાંક વિસ્તારની નજીક હોવાથી, અંતિમ સંસ્કારનો ધુમાડો અને રાખ આસપાસના મકાનોમાં જાય છે, જેના લીધે સ્થાનિક રહીશોના આરોગ્ય સામે જાેખમ ઊભું થતાં લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. તંત્રની લાપરવાહીની હદ તો ત્યાં થાય છે કે ગત ૨૩ જુલાઈએ આ જ કન્સ્ટ્રક્શન સાઇટ પર વીજ કરંટ લાગવાના કારણે એક નિર્દોષ મજૂરે જીવ ગુમાવ્યો હતો, છતાં સત્તાધીશોના પેટનું પાણી હલ્યું નથી. હાલની સ્થિતિએ ખોખરા, હાટકેશ્વર, ભાઇપુરા, અમરાઇવાડી, મણિનગર અને ઇન્દ્રપુરી જેવા ૫થી વધુ મોટા વોર્ડના લાખો નાગરિકોને પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે અહીં ખૂણામાં ઊભી કરાયેલી કામચલાઉ વ્યવસ્થા પર ર્નિભર રહેવું પડે છે. જ્યાં અંતિમ યાત્રામાં આવતા ડાઘુઓને બેસવા કે છાંયડા માટેની પણ કોઈ સગવડ નથી. મ્યુનિસિપલ એન્જિનિયરો હવે ભલે નવી ડિઝાઇન બદલવાના બહાના ધરી રહ્યા હોય, પરંતુ પ્રાથમિક સવાલ એ ઊભો થાય છે કે પ્રોજેક્ટ મંજૂર કરતી વખતે કે ટેન્ડર બહાર પાડતી વખતે જમીનની ભૌગોલિક સ્થિતિ કે વોટર લેવલ જેવા મહત્વના પાસાઓનો પ્રી-ફિઝિબિલિટી સ્ટડી કેમ ન કરાયો? પ્રી-પ્લાનિંગના અભાવે જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ રીતે વેડફાઈ રહ્યા છે ત્યારે આધુનિક સ્મશાન ક્યારે તૈયાર થશે અને પૂર્વ વિસ્તારના નાગરિકોને આ નરકાગાર જેવી હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળશે તે એક મોટો સવાલ છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, મે 2026 1881   |  
મનપામાં સિનિયર અધિકારીઓને ગણતરીદાર અને જુનિયર અધિકારીઓને સુપરવાઇઝર બનાવાતાં વિવાદ

સુરત શહેરમાં દોઢ દાયકા બાદ વસ્તી ગણતરીની પ્રક્રિયાથી સુરત મહાનગરપાલિકામાં સિનિયર અધિકારીઓને ગણતરીદાર અને જુનિયર અધિકારીઓને સુપરવાઇઝર બનાવી દેતા વિવાદ થવા પામ્યો છે અને તાત્કાલિક આ વિસંગતતા દૂર કરવાની માંગ ઉઠી છે. સુરત મનપાના સેન્સસ વિભાગ દ્વારા વસ્તી ગણતરી અંતર્ગત બહાર પાડવામાં આવેલા અસંગત અને વહીવટી સુઝબૂઝ વિનાના ઓર્ડર્સના કારણે પાલિકાના હજારો કર્મચારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. વસ્તી ગણતરીની પ્રક્રિયામાં વહીવટી માળખું એવું હોય છે જેમાં ઉચ્ચ અને લાંબો અનુભવ ધરાવતા સિનીયર કર્મચારીઓને સુપરવાઇઝર અથવા મોનિટરિંગની કામગીરી સોંપવામાં આવે છે, જ્યારે નવી ભરતી થયેલા કે જુનીયર કર્મચારીઓને ફિલ્ડમાં જઈને ડેટા એકત્રિત કરવા માટે ગણતરીદાર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. પરંતુ સુરત મનપાના સેન્સસ વિભાગે આ આખી વ્યવસ્થાને ઊંધે માથે પછાડી દીધી છે. તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા ઓર્ડર્સમાં અનેક વિભાગોના એવા સિનીયર કર્મચારીઓ, જેઓ વર્ષોથી કચેરીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર ફરજ બજાવે છે, તેમને સામાન્ય ‘ગણતરીદાર‘ (વસ્તી ગણતરી માટે ઘરે-ઘરે જનાર કર્મચારી) બનાવી દેવાયા છે. તેની સામે આશ્ચર્યજનક રીતે, તેમના જ વિભાગમાં જ જુનીયર કર્મચારીઓને સુપરવાઇઝરના ઓર્ડર પકડાવી દેવાયા છે. આ પરિસ્થિતિના કારણે વર્ષોની નોકરી પછી પણ સિનીયર કર્મચારીઓએ ફિલ્ડમાં જઈને વસ્તી ગણતરી કરવાની રહેશે અને સાંજે આવીને પોતાનાથી અડધી ઉંમરના અને જુનીયર કર્મચારીને પોતાનો રિપોર્ટ સોંપવો પડશે. વહીવટી તંત્રમાં પદોની મર્યાદા અને સન્માન જાળવવું ખૂબ જ જરૂરી હોય છે. આ પ્રકારના ઓર્ડરથી ઓફિસના રોજિંદા વહીવટમાં અને શિસ્તમાં મોટો ભંગ પડવાની સંભાવના ઉભી થઈ છે. સિનીયર કર્મચારીઓએ આ બાબતને હોદ્દાની ગરિમા અને આત્મસન્માન પર ઘા સમાન ગણાવી ભારે વિરોધ પ્રદશિર્ત કર્યો છે. એક જ મહાનગરપાલિકામાં, એક જ પદ પર અને એક સરખી સત્તા ધરાવતા બે અલગ-અલગ ઝોનના અધિકારીઓ વચ્ચે આ પ્રકારનો ભેદભાવ વહીવટી તંત્રની નબળાઈ અને અણઘડ આયોજનની ચાડી ખાય છે. આ જ રીતે, પાલિકાના ઇલેક્ટ્રિક વિભાગમાં લાંબા સમયથી ફરજ બજાવતા સિનીયર કર્મચારીઓને પણ માત્ર ગણતરીદાર તરીકેના ઓર્ડર પકડાવી દેવાયા છે, જ્યારે તેમના જુનીયર કર્મચારીઓને સુપરવાઇઝર બનાવી દેવાયા છે. આ અસમાનતાના કારણે કર્મચારીઓમાં અંદરોઅંદર ભારે રોષ અને અસંતોષ વ્યાપી ગયો છે. આ અંગે ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારીઓએ સેન્સ વિભાગને પત્ર લખી આ વિસંગતતા દૂર કરવા માંગ કરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, મે 2026 1980   |  
કરોડોમાં ઉઠમણું કરનાર અગ્રવાલ સામે એમ્બ્રોઇડરી ૧૯ કારખાનેદારો દ્વારા ૧.૮૯ કરોડના ફ્રોડની ફરિયાદ

કરોડો રૂપિયામાં ઉઠમણું કરનાર રિંગરોડ સ્થિત સાંઈ દર્શન માર્કેટની પેઢી જય જીન ફેબ સામે હવે એમ્બ્રોઇડરી કારખાનેદારોએ ૧.૮૯ કરોડના ચીટિંગની ફરિયાદ નોંધાવી છે. અમરોલી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર શિક્ષાપત્રી હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતાં પવન ધીરુભાઈ ચાંદપરા એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવે છે. દેવમ એમ્બ્રો પાર્કમાં તેઓનું સીયારામ એમ્બ્રો આર્ટ નામે ખાતુ છે. તેઓ આ કારખાનામાં જુદા જુદા વેપારીઓ માટે જોબવર્ક કરે છે. વેપારીઓ પાસે કામ અપાવતાં દલાલ સુરેશ લાખણકીયા સાથે તેમને ત્રણેક વર્ષથી પરિચય હતો. બે વર્ષ પહેલા સુરેશ લાખણકીયાએ જણાવ્યું હતું કે, સલાબતપુરા રીંગરોડ સાંઇદર્શન માર્કેટમાં જય જીન ફેબના પ્રોપરાઇટર નિતેશ સાવમલ અગ્રવાલ નાઓ કાપડનો વેપાર ધંધો કરે છે અને તેઓનુ ગોડાઉન શ્રીરામ આર્કેડ, તેરાપંથ ભવનની સામે, આંજણા ફાર્મ ખાતે છે. તેમની સાથે કામ કરશો તો મોટુ કામ અને સમયસર પેમેન્ટ મળશે. ત્યારબાદ સુરેશે નિતેશ અગ્રવાલ સાથે ચાંદપરાની મિટિંગ કરાવી હતી. અગ્રવાલે કહ્યું હતું કે, અમો ઘણા સમયથી માર્કેટમાં આ ગ્રે કાપડ તથા એમ્બ્રોડરી જોબ વર્ક તથા ડાયમંડ સ્ટોન, સીલાઈ ટીચીંગ વિગેરેનો ધંધો કરીએ છીએ, ઉપરાંત સાડીમા એમ્બ્રોડરી જોબ વર્ક કરાવી અને ડાયમંડ સ્ટોનનુ કામકાજ કરીએ છીએ. તમે અમારા માટે આ કામ કરી આપશો તો સમયસર પેમેન્ટ કરી દઇશું. દલાલ સુરેશ લાખણકીયાએ પેમેન્ટની જવાબદારી લેતાં પવન ચાંદપરાએ કામ કરવા માંડ્યું હતું. તેમણે નવેમ્બર ૨૦૨૫થી મે ૨૦૨૬ સુધીમાં કુલ ૪૮,૦૬,૩૭૩ નું જોબવર્ક કર્યું હતું, જો કે તેમાં એક પણ રૂપિયો પેમેન્ટ અગ્રવાલે ચૂકવ્યું ન હતું. ચાંદપરાએ દલાલ સુરેશને વાત કરી તો તેણે ગલ્લાંતલ્લાં કર્યા હતાં. ચાંદપરા અગ્રવાલને મળવા તેમની દુકાને ગયા તો ત્યાં તાળું જોવા મળ્યું હતું, માર્કેટમાં તપાસ કરાતાં જાણવા મળ્યું હતું કે, નિતેશ અગ્રવાલે દલાલ સુરેશભાઈ લાખણકીયા તથા અન્ય મુકેશભાઈ પોપટભાઈ બલ્લર મારફત ઘણાં કારખાનામાં જોબવર્ક કરાવી પેમેન્ટ ચૂકવ્યું નથી. ચાંદપરાને એવા ૧૮ કારખાનેદાર પણ મળ્યા કે જેમનું ૧,૪૧,૫૦,૯૮૪ રૂપિયા પેમેન્ટ અગ્રવાલમાં સલવાયું હતું. આ રીતે કુલ ૧.૮૯ કરોડ પેમેન્ટ નહીં ચૂકવી ઉઠમણું કરી ફરાર થઇ ગયેલા અગ્રવાલ અને તેના બે દલાલ સામે કારખાનેદારોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અગ્રે ઉલ્લેખનીય છે કે, અગ્રવાલ સામે સલાબતપુરા પોલીસ મથકમાં કાપડના વેપારીઓએ ૧.૫૩ કરોડના ફ્રોડની ફરિયાદ બે દિવસ પહેલા જ નોંધાઈ હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, મે 2026 2178   |  
ભાજપ યુવા મોરચાનાં વોર્ડ ઉપપ્રમુખ જય દલાલની ઉધના ઉદ્યોગનગરમાં કરપીણ હત્યાથી ભારે ચકચાર

શહેર ભાજપ મહિલા મોરચાના કારોબારી સભ્યના દિકરાની ઉધનામાં રવિવારે મોડી રાત્રે કરપીણ હત્યા કરવામાં આવી હતી. ડિંડોલી વોર્ડ યુવા મોરચામાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતા આ યુવકને ત્રણ માથાભારે યુવકોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્રણ મહિના અગાઉ થયેલી માથાકૂટની અદાવતમાં આ ખૂની ખેલ ખેલાયો હોવાની શક્યતા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.ડિંડોલીમાં રામી પાર્ક નગીનભાઇ દલાલ તેમના પત્ની જયેશ્રી અને પૂત્ર જય સાથે રહે છે. જયેશ્રીબેન ભાજપના અગ્રણી કાર્યકર છે. ધારાસભ્ય સંગીતા પાટીલ અને સંદીપ દેસાઇ સાથે ઘરોબો ધરાવતાં જયેશ્રીબેન મહિલા મોરચાના કારોબારીમાં સ્થાન ધરાવે છે. જ્યારે તેમનો દિકરો જય લો કોલેજમાં અભ્યાસ કરતો હતો. જય પણ ભાજપનો સક્રિય કાર્યકર હતો. તે ડિંડોલી વોર્ડના યુવા મોરચાનો ઉપપ્રમુખ તરીકે હોદ્દો ઘરાવતો હતો. ડિંડોલી અને ઉધના પોલીસ મથકમાં સારુ વર્ચસ્વ ધરાવતા જય દલાલને રવિવારે રાત્રે મિત્રોએ કોલ કરી ઉધના રોડ નંબર-૦૬ ઉપર બોલાવ્યો હતો. માતા જયેશ્રીબેનને મોડો આવીશ એવું કહી ઘરેથી નીકળેલો જય મિત્રો સાથે રોડ નંબર-૦૬ ઉપર ભંગારની દુકાન પાસે વાત કરી રહ્યો હતો. દરમિયાન સાડા બાર વાગ્યાના અરસામાં ત્યાં એક મોટર સાયકલ પર કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિન્દ કોળી આવ્યા હતાં. આ ત્રણેયે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી જય દલાલ સાથે માથાકૂટ કરવા માંડી હતી. જાેત જાેતામાં વાત વધી ગઇ અને એ માથાભારે યુવકોએ તેમની પાસેના તિક્ષ્ણ હથિયારો કાઢી જય દલાલને આડેધડ ઘા ઝીંકવા માંડ્યા હતાં. સંખ્યાબંધ ઘા મારી આ ત્રણેય બદમાશો ફરાર થઇ ગયા બાદ મિત્રો જય દલાલને સારવાર માટે ઉધના દરવાજા સ્થિત એપલ હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જયે દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં માતા જયેશ્રીબેન અને પિતા નગીનભાઇ દલાલ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હોસ્પિટલ આગળ એકઠાં થઇ ગયા હતાં. જય ઉપર હુમલાનો કોલ મળતા ઉધના પોલીસનો કાફલો પહેલા રોડ નંબર-૦૬ અને પછી એપલ હોસ્પિટલ પહોંચી ગઇ હતી. જાે કે, પોલીસ કંઇ પૂછે એ પહેલા જય મૃત્યુ પામ્યો હતો. હુમલા વેળા જય સાથે હાજર એવા તેના મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે, આ હુલમો કિશન ઉર્ફે ચકલી સોમાભાઇ પરમાર, પંકજ પાટીલ અને મિલિન્દ કોળીએ કર્યો હતો. ત્રણ મહિના અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી આ લોહીયાળ ખેલ ખેલાયો હોવાનું પણ તેઓએ જણાવતા પોલીસે ત્રણેય સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, મે 2026 2079   |  
વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી, રૂ.૧૦ હજાર કરોડનાં વેપાર અને ૪.૫૦ લાખ રોજગારી સંકટમાં

ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી દ્વારા સુરતનાં હજારો વીવિંગ કારખાનેદારો જેના સૌથી મોટા વપરાશકારો છે એ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટીની દરખાસ્ત કરીને રૂ.૧૦ હજાર કરોડથી પણ વધુનું ટર્નઓવર ધરાવતા અને ૪.૫૦ લાખ લોકોને રોજગારી આપતી કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રીઝ સામે મોટુ સંકડ ઉભું કરી દીધું હોવાની રજૂઆત સુરતનાં વિસ્કોસ વીવર્સ એસોસીએશને ટેક્સ્ટાઈલ મંત્રાલય અને ટેકનિકલ કમિટી, મુંબઇને કરી છે. વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનાં સ્પીનરની એક તરફી રજૂઆતો સાંભળીને સમગ્ર દરખાસ્ત લાવવામાં આવી હોવાની સુરતનાં વિસ્કોસ વીવર્સ એસોસીએશનની રજૂઆતોનો પડઘો આગામી દિવસોમાં પડે અને સુરતના વીવિંગ ઉદ્યોગકારોને રાહત મળે તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે.વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવા સંદર્ભની ડાયરેક્ટર જનરલ ટ્રેડ રેમેડીની દરખાસ્તની વિરૂદ્ધમાં સુરતનાં વિસ્કોસ વીવર્સ એસોસીએશને કેન્દ્ર સરકારનાં ટેક્સ્ટાઈલ મંત્રાલય તેમજ ટેક્સ્ટાઈલ કમિટીને રજૂઆત કરી છે કે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ઉત્પાદિત કરતા સ્પીનર કે જેના ઇશારે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવામાં આવી છે એ કંપની હજુ આજે પણ ૬૦ વર્ષ જૂની પીએસવાય ટેક્નોલોજીથી આધારિત મશીનરી પર વિસ્કોસ યાર્ન ઉત્પાદિત કરી રહી છે, કંપની જે યાર્ન તૈયાર કરે છે તેમાંથી ૪૦ ટકા યાર્ન સાવ હલકી કક્ષાનું હોય છે. પોતાની ૬ દાયકા જૂની ટેક્નોલોજી, મશીનરી પર ઉત્પાદિત થતાં યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટીનું રક્ષણ માગે એ કેટલે અંશે વાજબી છે? મઝાની વાત તો એ છે કે સ્પીનર એવું કહી રહ્યા છે કે ૭૫ ડેનિયર નીચેના યાર્ન પર તેમને નફો મળે છે પણ ૭૫ ડેનિયરની ઉપરના યાર્ન પર નુકસાની થઇ રહી છે. આવી સ્થિતિમાં સવાલએ ઉદભવે છે કે જાે ૭૫ ડેનિયરથી નીચેના યાર્નમાં નફો મળતો હોય તો ૭૫ ડેનિયર ઉપરનું યાર્ન શા માટે ઉત્પાદિત કરી રહ્યા છે, એથી વિશેષ ૭૫ ડેનિયરથી નીચેના યાર્નનું ઉત્પાદન ફક્ત ૬ હજાર ટન કરી રહ્યા છે જ્યારે ૪૦ હજાર ટન યાર્નની આયાત થઇ રહી છે, ત્યારે તેઓ આ યાર્નનું ઉત્પાદન વધારતા કેમ નથી? વિસ્કોસ વીવર્સ એસોસીએશને એવી પણ રજૂઆત કરી કે (ડ્ઢય્ઇ) ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીની ટીમ જ્યારે સુરતમાં વિઝિટ પર આવી ત્યારે કોઇપણ ટેકનિકલ એક્સપર્ટ અધિકારી કે કર્મચારીઓને લીધા વગર એકમાત્ર સ્પીનરના પ્લાન્ટ વિઝિટ કરી આવી જ્યારે એન્ટી ડમ્પિંગ ડ્યૂટીથી જે કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રીઝ સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત થવાની છે, તેવા વીવીંગ કારખાનાઓમાં એક પણ વિઝિટ ન કરી, હવે કેવી રીતે કહેવાય કે ડીજીટીઆરએ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવા સંદર્ભે તટસ્થ રિપોર્ટ આપ્યો છે, આ સમગ્ર મામલો જ કંઇક રંધાઈ રહ્યાની શંકા ઉભી કરે છે.વીવર્સે ઘરબાર, ઓફિસો, સંપતિ ગીરવે મૂકીને નવી મશીનરીઓ વસાવી છે સુરત વિસ્કોસ વીવર્સ એસોસીએશને ટેક્ષટાઇલ મંત્રાલયના અધિકારીઓ સમક્ષ એવી પણ ધારદાર રજૂઆતો કરી કે યાર્ન ઉત્પાદક મોટા ગજાનાં સ્પીનર આઇપીઓ બહાર પાડીને એકત્રિત કરાયેલી મૂડીથી મૂડીરોકાણ કરી રહ્યા છે, જ્યારે વિસ્કોસ યાર્નનો વપરાશ જે કરી રહ્યા છે એ વીવર્સ એટલે કે કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રીઝે છેલ્લા ૭ વર્ષમાં પોતાના ઘરબાર, ઓફિસો, સંપતિઓને ગીરવે મૂકીને ઉંચા વ્યાજે બેંક લોન લઇને રૂ.૧૦ હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ કરીને એરજેટ, રેપિયર અને રેપિયર જેકાર્ડ જેવી અદ્યતન મશીનરીઓ પોતાના સુરત ખાતેના કારખાનમાં વિકસાવી છે. વીવર્સ સારી ક્વોલિટીનું વિસ્કોસ યાર્ન આયાત કરીને તેમાંથી એક્સપોર્ટ ક્વોલિટીનું કાપડ બનાવી રહ્યા છે, હવે જાે આયાતી યાર્ન મોંઘુ થશે તો સુરતનાં વીવર્સની કેડ ભાંગી જાય તેવી સ્થિતિ પેદા થશે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી હતી એ વખતે નફાકારક પરિસ્થિતિ છતાં મશીનરી અપગ્રેડ કેમ ન કરી ૬ દાયકા જૂની પીએસવાય સિસ્ટમ પર વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનું ઉત્પાદન કરતી એકમાત્ર સ્પીનીંગ કંપનીએ આયાતી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન મોંઘુ કરવાની દરખાસ્ત કરી છે અને તેને ડીજીટીઆરએ એક તરફા સંમતિ આપીને નાણાં મંત્રાલયને ભલામણ કરી દીધી છે, જેના વિરોધમાં સુરતના વિસ્કોસ વીવર્સ એસોસીએશને એવી સોંસરવી રજૂઆત ટેકનિકલ કમિટી મુંબઇ (કાપડ મંત્રાલય)ને કરી છે કે ૨૦૦૭થી ૨૦૧૭નાં સમયગાળા દરમિયાન વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ હતી જ, આ સમયગાળા દરમિયાન સ્પીનરે કરોડો રૂપિયાનો નફો ઉલેચ્યો ત્યારે તેમને ૫૦ વર્ષ જૂની પીએસવાય ટેક્નોલોજી કે મશીનરી અપગ્રેડ કરવાનું કેમ ન સૂઝ્યું ? આજે સાવ આઉટડેટેડ ટેક્નોલોજી આધારિત મશીનરી પર યાર્ન ઉત્પાદિત કરીને સપ્લાય કરવામાં આવે છે જે અત્યંત નિમ્ન ક્વોલિટીનું હોવાથી જ સુરતનાં વીવર્સે એક્સપોર્ટ ક્વોલિટીનું યાર્ન ખરીદવાની નોબત આવે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, મે 2026 2970   |  
પતિ અને ત્રણ સંતાનોને તરછોડી ભાગેલી યુવતીને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધી

પૂણા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના બદાયુ જિલ્લાના વતની દેવેન્દ્રસિંગ યાદવે ૧૪ વર્ષ અગાઉ તેમની દીકરી રેણુના લગ્ન પ્રયાગરાજમાં રહેતાં પંકજ પટેલ સાથે કરાવ્યા હતાં. પંકજ સાથેના વૈવાહિક જીવનમાં રેણુએ ત્રણ સંતાનોને જન્મ આપ્યો હતો. આ પંકજ પટેલને વર્ષ ૨૦૨૩માં તેના વતનના અભિમાનચંદ્ર જૌખુલાલ પટેલ સાથે લડાઈ ઝઘડો થયો હતો. તેણે પંકજને એવી ધમકી આપી હતી કે હું તારી પત્ની રેણુંને પ્રેમ કરૂ છું. તુ એને છૂટાછેડા આપી દે, નહીં હું તને જાનથી મારી નાખીશ.રેણું અને અભિમાનચંદ્ર વચ્ચેના લગ્નતેર સંબંધોની જાણ થતાં પંકજે તેણીને છોડી દીધી હતી. પંકજે ડિવોર્સ આપતાં જ રેણુએ ૨૦૨૩માં અભિમાનચંદ્ર સાથે લગ્ન કરી લીધા હતાં. લગ્ન બાદ થોડો સયમ વતનમાં રહ્યા બાદ આ બંને જણા સુરત આવી ગયા હતાં. સુરત આવ્યા બાદ પંદરેક દિવસ સુધી રેણુંએ તેની માતા રીતુ સાથે વાત કરી હતી, ત્યારબાદ અભિનામે માતાનો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દેતા તેઓ વચ્ચે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ ઓક્ટોબર ૨૦૨૪માં રેણુંએ અજાણ્યા નંબરથી માતા રીતું સાથે વાત કરી હતી. તેણીએ જણાવ્યું હતું કે, " મમ્મી મે રાજસ્થાન મે હુ, મે સુરત સે ભાગ કર આઈ હુ. મુજે અભિમાનચંદ્ર રૂમમે બંધ કરકે રખતા હૈ ઔર હરરોજ મારપીટ કરતા હૈ. મુજે બહુત મારા હૈ ઇસલીએ મૈ ઘર સે ભાગ કે બસ મે બેઠકર રાજસ્થાન પહોંચી હું. મેરે પાસ પૈસા નહી હૈ, મુજે પૈસે ભેજાે. આ સાથે જ રેણુએ રાજસ્થાનના કોઇ વ્યક્તિ સાથે વાત કરાવી હતી. જેથી માતા રીતુએ એ વ્યક્તિના મોબાઇલ નંબર પર ૫૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. ત્યારબાદ ચોથા દિવસે રેણું ઘરે માતા પિતા પાસે પહોંચી હતી. તેણીએ તેમને કહ્યું હતું કે, અભિમાનચંદ્ર મુજે સુરત લેકે ગયા તબ સે બહુત મારપીટ કરતા હૈ, ગાલી દેતા હૈ ઔર ઘરમે બંધ કરકે કામ પે ચલા જાતા હૈ, મે ઉસ સે પરેશાન હો કર મૌકા દેખકર સુરત સે ભાગ આઈ હું. રેણું વતન આવ્યાના બે ત્રણ દિવસ બાદ અભિનામચંદ્રએ સાસુ રીતુંને કોલ કરી મારી પત્ની ક્યાં છે એવું પૂછી તેની સાથે વાત કરાવો નહીં તો હું ત્યાં આવી બધાને મારી નાખીશ એવી ધમકી આપી હતી. માતાએ રેણું અને અભિમાનચંદ્રની વાત કરાવી હતી. ત્યારબાદ પણ અભિમાન અવાર નવાર કોલ કરી ધમકી આપતો હોય રેણું માતા-પિતાને કહ્યા વિના સુરત આવી ગઇ હતી. સુરત આવ્યા બાદ તેણીએ માતા-પિતાને કોલ કર્યા ન હતાં. આવામાં ૧૩ મે, ૨૦૨૬ના રોડ પુણા પોલીસે રીતુ યાદવને કોલ કરી રેણું મૃત્યુ પામી હોવાના ખબર આપ્યા હતાં. જેથી રીતુ અને દેવેન્દ્ર યાદવ સુરત દોડી આવ્યા હતાં. તેમને પોલીસે જણાવ્યું હતું કે, અભિમાનચંદ્રએ કરેલી મારઝૂડના ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજ્યું છે. જેથી રીતુ યાદવે જમ બનેલા જમાઈ અભિમાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution