ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 2376   |  
ભાવનગરના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમમાં મોટી તકનીકી ઘટના સામે આવી છે. ડેમના ૧૫ નંબરના ગેટને સંચાલિત કરતો મુખ્ય વાયર (રેસો) તૂટી જતાં ગેટ નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ અનિયંત્રિત રીતે નદીમાં છોડાવા લાગ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.માહિતી અનુસાર, ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે ગેટમાં ખામી સર્જાતા તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. ગેટને થયેલા નુકસાનને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.જિલ્લા પ્રશાસને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ સહિત શિહોર તાલુકાના ભાણગઢ ગામના લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે.વહીવટીતંત્રે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પૂર જાેવા, ફોટા કે સેલ્ફી લેવા માટે નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 1881   |  
બાળકને ગિરનારની સીડીઓ પરથી સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષ મળ્યા

વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કરી તેને સીડીઓ પરથી જ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. પરિવારજનો અને યાત્રિકોની નજર સામે બનેલી આ ઘટનાએ ભય અને અરેરાટીનો માહોલ સર્જ્યો હતો. બાદમાં વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ કલાકો સુધી શોધખોળ કર્યા બાદ જંગલમાંથી બાળકના અવશેષો કબજે લીધા હતા.છેલ્લા ૨૫ દિવસમાં માણસ પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું સામે આવતા ગિરનાર સહિત સિંહોના રહેણાંક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.પરિવારની આંખો સામે સિંહ બાળકને ખેંચી ગયોમહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. પરિવાર વહેલી સવારે દર્શન માટે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. ગેટથી અંદાજે ૫૦ જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળ ચાલતા બાળક મયુરસિંહ પર ઝંપલાવ્યું હતું.બાળક પોતાના કાકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો, પરંતુ સિંહ હુમલો કરીને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. વન રાજ્યમંત્રી પ્રવીણ માળી : ગિરનારમાં માનવ પર સિંહના હુમલાની પ્રથમ ઘટના ગિરનાર પર્વત પર ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની આ પ્રથમ ઘટના છે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.વનમંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ શંકાસ્પદ સિંહોને બેભાન કરીને પકડી લેવામાં આવ્યા છે.હાલ ત્રણેય સિંહોને વૈજ્ઞાનિક અને પશુચિકિત્સકીય તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.પ્રવીણ માળીએ સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોના વર્તનમાં આવી રહેલા ફેરફારોનું વૈજ્ઞાનિક કારણ જાણવા માટે વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને વિશેષ અભ્યાસ સોંપવામાં આવ્યો છે.સિંહોની પ્રકૃતિમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, માનવ વસાહતો તરફ તેમની અવરજવર શા માટે વધી રહી છે અને હુમલાઓ પાછળના કારણો શું છે, તે મુદ્દાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે..


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 3366   |  
અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે; ૩ મહિનામાં કામગીરીનો પ્રારંભ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના હાઈવે અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી વધુ નાણાં મેળવવા રાજ્ય સરકારને તાત્કાલિક દરખાસ્ત મોકલવા અનુરોધ કર્યો હતો.અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ-વે હવે ૮ લેન થશે ૯૩ કિલોમીટરના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વેને ચારમાંથી ૮ લેઈનમાં પરિવર્તિત કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડતરીએ મંજૂરી આપી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે ગુજરાતની આ માંગણી પરત્વે ર્નિણય કરીને વર્ષ ૨૦૨૭માં જ વિસ્તરણનું કાર્ય શરૂ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતનું જમીન સંપાદન મોડલ દેશ માટે ઉદાહરણ ડીપીઆર તૈયાર થતી વખતે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનને સરળ બનાવવા બિનખેતી મંજૂરીની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત મોડલની નીતિન ગડકરીએ પ્રશંસા કરી અને તેને સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય ગણાવ્યું. રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને શક્ય હોય ત્યાં સુધી કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરીને અન્યત્ર રોપવાની સૂચના આપવામાં આવી જેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 3069   |  
વીજપોલ વળતર મામલે સરકારને ખેડૂતોની ‘રાજસ્થાન જેવું ૪ ગણું વળતર નહીં મળે તો વીજ થાંભલા ઉખેડી નાખીશું’

મોરબીના જેતપર ગામેથી આંદોલન પાર્ટ ૩ માટેનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાંથી ખેડૂત આગેવાનો અને સરપંચોને બુધવારે રેટ બોલાવવામાં આવ્યા હતા અને તેઓની સાથે આંદોલન પાર્ટ ૩ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખેડૂતોના ખેતરમાં ઊભા કરવામાં આવતા વીજ થાંભલા સામે જાે પૂરતું વળતર કાપવામાં ન આવે તો થાંભલાને ઉખેડી નાખવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે.દરમ્યાન ગુરુવારે રાતે જે ૧૨ જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી તેમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદર, ભરુચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થતો હતા. આ બેઠકમાં આવેલા ખેડૂતોએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે જાે ખેડૂતોને તેમની જમીનમાં નાખવામાં આવતા વીજપોલ સામે પૂરતું વળતર નહીં આપવામાં આવે તો હાલમાં ખેડૂતો સરકારને હટાવવા માટે એકત્રિત થયા નથી પરંતુ વળતર નહીં મળે તો ભાજપ વિરોધી મતદાન કરતા પણ ખેડૂતો અચકાશે નહીં અને આગામી સમયમાં આંદોલન પાર્ટ ૩ શરૂ થશે તે પૂરા આક્રોશ સાથે હશે અને તેના માટેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે. તાજેતરમાં સરકાર દ્વારા વીજ કંપનીના વીજ પોલ અને કોરિડોર માટે વળતરનો જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેને ૧૨ જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ લોલીપોપ સમાન ગણાવ્યો છે અને જે રીતે રાજસ્થાનમાં સરકાર ચાર ગણું વળતર ચૂકવે છે તેવી જ રીતે ગુજરાતમાં ખેડૂતોને પણ ચાર ગણું વળતર જાેઈએ અને તે નહીં મળે તો ખેડૂતોના ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ તેવી ચેતવણી આપવામાં આવી છે. આમ છેલ્લા બે દિવસમાં ગુજરાતના ૨૪ જેટલા જિલ્લામાંથી ખેડૂત આગેવાનો જેતપર ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા અને તેઓએ પોતાના સૂચન આપ્યા હતા. હવે આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત લેવલે ખેડૂતોની સમિતિઓ બનાવવામાં આવશે અને ત્યાર બાદ આયોજન પૂર્વક વળતર મેળવવા આંદોલન પાર્ટ ૩ શરૂ કરવામાં આવશે તેવી માહિતી આંદોલન સમિતિના સભ્યએ આપી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 2475   |  
ગૅમઝોન અગ્નિકાંડમાં ૬ અધિકારી કાયમી ઘરભેગા

રાજકોટમાં ૨૦૨૪માં થયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ૬ અધિકારી કાયમી ઘરભેગા કરી દેવાયા છે. ગુજરાત હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો આધારે સુનાવણી શરૂ કરી હતી. જેમાં આજની સુનાવમીમાં હાઈકોર્ટમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. મનપાએ કહ્યું છે કે, સમગ્ર કેસની તપાસમાં મનપાના જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે.રાજકોટ મનપાએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે, ગેમઝોન અગ્નિકાંડની બાદ જે તપાસ કરવામાં આવી છે તેમાં જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરાઈ છે. આ અધિકારીઓને સિવિલ સર્વિસ નિયમો હેઠળ સજા ફટકારાઈ છે. અન્ય એક અધિકારીને સેવામાંથી દૂર કરવામાં આવ્યો છે. જ્યારે વર્ગ એકના વરિષ્ઠ અધિકારી સામે સજાની કાર્યવાહી કરાઈ છે. સુઓ મોટો પીટીશનમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં રાજકોટ મનપા ફાયર ઓફિસર રોહિત વિગોરા, ટીપી વિભાગના અધિકારી ગૌતમ જાેશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, ઇલેશ ખેર અને રાજેશ મકવાણાને ડિસમિસ કરવામાં આવ્યા છે. જ્યારે ચીફ ટીપીઓ મનસુખ સાગઠિયા અગાઉથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ ગયાં છે. મનપાના તત્કાલિન ચીફ ફાયર ઓફિસ ઈલેશ ખેર, તત્કાલિન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જાેશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા અધિકારીને ડિસમિસ કરી દેવાયા છે. જ્યારે તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા ખાતાકીય તપાસના અનુસંધાને આ ‘ડિસ્મિસલ ફોર સર્વિસ‘ કરવામાં આવ્યા છે. ખાતાકીય તપાસમાં તમામ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખાતાકીય તપાસમાં તમામ અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે અને આ ગંભીર બેદરકારીના કારણે જ તેમની સામે કડક કાર્યવાહી કરી ડિસમિસ કરવામાં આવ્યા છે. ૨૭ લોકોના મોત થયા અને તેમની પાછળ આ જ બધા અધિકારીઓ જવાબદાર હોવાનું કમિશનરની તપાસમાં સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. ડિસમિસ કરી દેવાયા મનપાના તત્કાલિન ચીફ ફાયર ઓફિસ ઈલેશ ખેર, તત્કાલિન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જાેશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા અધિકારીને ડિસમિસ કરી દેવાયા છે. જ્યારે તત્કાલિન ્ર્ઁં મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવવામાં આવ્યા. મનસુખ સાગઠિયાને પ્રોવિઝનલ પેન્શન ચૂકવાશે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા નિવૃત્તિવય વટાવી જતાં તેનું રજાનું રોકડ રૂપાંતર સસ્પેન્ડ કરી માત્ર પ્રોવિઝનલ પેન્શન ચુકવવા ર્નિણય કરાયો છે. હવે કોઈ અધિકારીને સરકારી લાભ મળશે નહીં : બાર એસો.ના પૂર્વ ઉપપ્રમુખ સિનિયર એડવોકેટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, કડક કાર્યવાહી કરવામાં આવતા હવે તેમને એક પણ પ્રકારના સરકારી લાભો મળી શકશે નહીં. પરંતુ હવે આ તમામ અધિકારીઓને મળવા પાત્ર થતી રકમ સરકાર દ્વારા મૃતકોમાં પરિવારજનોને અપાય તો તેમને સાચો ન્યાય મળ્યો કહેવાય.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
12, જુલાઈ 2026 1980   |  
વડોદરા રથયાત્રાનો ઇતિહાસ શું છે? | Shree Nityanand Ramdas Swami Ji સાથે ખાસ મુલાકાત | ISKCON વડોદરા Exclusive Podcast

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે લોકસત્તા જનસત્તા દ્વારા ઇસ્કોન વડોદરાના મુખ્ય પૂજારી શ્રી નિત્યાનંદ રામદાસ સ્વામીજી સાથે ખાસ મુલાકાત યોજાઈ. આ મુલાકાત દરમિયાન તેમણે વડોદરાની રથયાત્રાનો ઇતિહાસ, તેની વિશેષ પરંપરાઓ, 16 જુલાઈની રથયાત્રાની તૈયારીઓ તેમજ ભક્તો માટેના મહત્વપૂર્ણ સંદેશ અંગે માહિતી આપી. રથયાત્રા સાથે જોડાયેલી અનેક રસપ્રદ અને ઓછી જાણીતી વાતો પણ તેમણે શેર કરી. આ વિશેષ મુલાકાતનો સંપૂર્ણ વીડિયો લોકસત્તા જનસત્તાના YouTube ચેનલ પર ઉપલબ્ધ છે.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 2079   |  
ભવિષ્યમાં હવે વાહનો માટે માત્ર E20 પેટ્રોલનો જ વિકલ્પ મળશે

જો તમે પણ પેટ્રોલ કાર કે ટુ-વ્હીલર ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. દેશભરમાં અત્યારે E20 પેટ્રોલ એટલે કે ૨૦ ટકા ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલનો ઉપયોગ વધી રહ્યો છે. પરંતુ, તેના ઉપયોગથી વાહનો ખરાબ થવાના દાવાઓ થઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ગાડીઓ બગડવાના સમાચાર તદ્દન ખોટા છે અને આ એક સુનિયોજિત નેરેટિવ છે. તેમણે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે E20 ફ્યુઅલના કારણે બંધ પડી હોય તેવી એક પણ કાર બતાવો. સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે આગામી સમયમાં E20 પેટ્રોલ જ શુદ્ધ પેટ્રોલ તરીકે મળશે અને આ સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોય, તેમજ આ ઇંધણ સસ્તું પણ નહીં થાય. બીજી તરફ વડોદરાના ઓટો ફોરમેનો અને ગેરેજ એક્સપર્ટ્સનો દાવો છે કે E20 ઇંધણના કારણે ગાડીઓના એન્જિન પંપ વારંવાર બગડી રહ્યા છે અને વાહનોની એવરેજમાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેઓ E20 ઇંધણના ઉપયોગને લઈને શું કહી રહ્યા છે, આવો જોઈએ આ વિગતવાર અહેવાલમાં..


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 2376   |   વડોદરા   |  
વાસણા-ભાયલી રોડ પર ૨૦ ફૂટ ઊંડો ભૂવો પડતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી

હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે. ત્યાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાનો સીલસીલો શરૂ થઈ ગયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કિસ્મત ચોકડીથી વાસણા-ભાયલી ફાયર સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર આશિયાના નગર પાસે મસમોટો ભૂવો પડતા સ્થાનિક રહીશોએ લાકડાની આડસ મૂકીને બેરીકેટીંગ કર્યું હતુ. રસ્તાની વચ્ચે ભૂવો પડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો ડ્ડી રહ્યો છે. ડ્રનેજ લાઈનમાં ભંગાણના કારણે નાનો ભૂવો ૨૦ ફૂટ જેટલો ઉંડો થયો હતો. અને રસ્તાની નીચેની માટીનું ધોવાણ થતા પાલિકા તંત્રની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે, ત્યારે રોડની વચ્ચે એકાએક ભૂવો પડતા સદનસીબે કોઈ દૂર્ધટના બની ન હતી. ડ્રેનેજ લાઈનમાં ભંગાણના કારણે આ ભૂવો પડ્યો હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતુ. જાેકે, આસપાસના લોકોએ ત્વરીત લાકડાની આડસો મૂકીને માર્ગની એક બાજુનો વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો. ભૂવાના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અને ટ્રાફિકજામના દ્રષ્યો સર્જાયા હતા. સ્થાનિક રહીશોએ કહ્યું હતુ કે, સવારના સમયે નાનો ભૂવો પડ્યો હતો. પરંતુ જાેતજાેતામાં ભૂવામાં પાણીના કારણે આસપાસનો રસ્તો બેસી ગયો અને ઉંડો અને પહોંળો ભૂવો થતાં રહીશોએ લાકડાની આડસો મૂકીને રસ્તો બંધ કર્યો છે. જાેકે, ડ્રેનેજની મેઈન લાઈનમાં ભંગાણ સર્જાતા આ ભૂવો પડ્યો હોવાનું સ્થાનિકોએ કહ્યું હતુ. પરંતુ સોસાયટીના મેઈન ગેટ પાસેજ મેઈન રોડ પર ભૂવો પડતા વાહનચાલકોને અવર- જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 3168   |   વડોદરા   |  
નિયમ ભંગ કરનારા તંત્રના વાહનોને ખૂલ્લો પરવાનો!

શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી પોલીસ સામાન્ય નાગરિકો પાસેથી નિયમોના નામે કડક હાથે દંડ વસૂલવામાં જરાય પાછી પાની કરતી નથી. જાે સામાન્ય વાહનચાલકની ગાડી પર નંબર પ્લેટ ન હોય કે થોડી ખામી હોય, તો પોલીસ તુરંત જ દંડનીય કાર્યવાહીનો કોરડો વીંઝે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ જ કાયદો અને નિયમો શહેરના રાજમાર્ગો પર બેફામ દોડતા ડોર-ટુ-ડોર કચરાના વાહનોને કેમ લાગુ પડતા નથી? તેવા વેધક સવાલો નાગરિકોમાં ઊઠી રહ્યા છે.શહેરમાં ધમધમતી ડોર-ટુ-ડોર કલેક્શનની અનેક ગાડીઓ એવી છે કે જેમાં કાં તો નંબર પ્લેટ ગાયબ હોય છે અથવા તો કચરા અને ગંદકીના લીધે અસ્પષ્ટ હોય છે, જે દેખાતી જ નથી. આ વાહનો રોડ પર ચાલવા માટે ફિટ (લાયક) છે કે નહીં, તેની ફિટનેસ સર્ટિફિકેટની કોઈ વિગત પણ જાેવા મળતી નથી. આમ છતાં, આ ખખડધજ અને જાેખમી વાહનો કોઈ પણ રોકટોક વગર શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ મૂકપ્રેક્ષક બનીને ફક્ત તમાશો જાેઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. આ વાહનોમાં માત્ર કાયદાકીય કાગળોની જ ખામી છે એવું નથી, પરંતુ રોડ સેફ્ટીના પણ ધજાગરા ઉડી રહ્યા છે. ડોર-ટુ-ડોરના વાહનોની ઉપર લોકો અને શ્રમિકો જાેખમી રીતે બેઠેલા જાેવા મળે છે. એટલું જ નહીં, માસૂમ બાળકો પણ ડ્રાઇવરના ખોળામાં કે ડ્રાઇવિંગ સીટની તદ્દન બાજુમાં જાેખમી સ્થિતિમાં બેઠા હોય છે. આવી ગંભીર બેદરકારી ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે, છતાં પોલીસ તંત્ર આ બધું નજરઅંદાજ કરી રહ્યું છે. સામાન્ય જનતા અને ડોર-ટુ-ડોરના વાહન ચાલકો વચ્ચે પોલીસ દ્વારા રાખવામાં આવતો આ બેવડો માપદંડ હવે લોકોમાં ભારે આક્રોશ જન્માવી રહ્યો છે. નાગરિકો પૂછી રહ્યા છે કે કાયદો શું માત્ર સામાન્ય માણસના ખિસ્સા ખંખેરવા માટે જ છે? જાેખમી રીતે દોડતા આ ડોર-ટુ-ડોરના વાહનો અને તેના ચાલકો સામે પોલીસ ક્યારે લાલ આંખ કરશે અને કડક દંડનીય કાર્યવાહી હાથ ધરશે, તેની જનતા રાહ જાેઈ રહી છે.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, જુલાઈ 2026 2079   |  
અયોધ્યા બાદ અંબાજીમાં પણ દાન ચોરી, આરોપીઓ જામીન પર મુક્ત!

અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં કરોડો રૂપિયાની દાનચોરીનો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યારે ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ દાનચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ જાેતાં હવે યાત્રાધામોની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યાં છે. અંબાજીમાં દાનચોરીની ઘટનાને પગલે શ્રદ્ધાળુઓ રોષે ભરાયાં છે. દાનચોરીની ઘટનામાં સંડોવાયેલાં આરોપીઓને કડક સજા કરવા માગ ઉઠી છે. યાત્રાધામ અંબાજી મંદિરમાં એપ્રિલમાં દાન ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર ૨૧ એપ્રિલના નોટોના બંડલ છુપાવીને ચોરી કરતો જાેવા મળ્યો હતો. ૭ મેના રોજ ચિરાગ રૂ. ૧.૦૪ લાખનું નોટોનું બંડલ ખિસ્સામાં છુપાવી બાથરૂમ જવાના બહાને નીકળ્યો હતો. આ મામલે બનાસકાંઠાના અધિક કલેક્ટરની ફરિયાદના આધારે અંબાજી પોલીસમાં ગુનો નોંધ્યો હતો. ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ હતી, પરંતુ આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવી મુક્ત થયા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 1782   |  
શહેરના મેઘાણીનગરમાં પિતાના ઠપકાથી લાગી આવતા ધોરણ ૧૨ની સગીરાએ આપઘાત કર્યો

મેઘાણીનગર વિસ્તારમાં રહેતી અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતી એક ૧૭ વર્ષીય સગીરાએ પોતાના જ ઘરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. માસૂમ દીકરીએ અચાનક આ પ્રકારનું અંતિમ પગલું ભરી લેતા આસપાસના રહીશો અને સ્થાનિકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સમગ્ર પંથક શોકમાં ડૂબી ગયો છે. પ્રાથમિક પોલીસ તપાસ અને આસપાસના લોકો પાસેથી મળતી માહિતી મુજબ, ઘટનાના થોડા સમય પહેલા જ સગીરા અને તેના પિતા વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.  પિતા દ્વારા આપવામાં આવેલો ઠપકો સગીરાના મન પર એટલો ઊંડો અસર કરી ગયો કે તેણે જીવન સમાપ્ત કરવાનો માર્ગ પસંદ કર્યો. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.મેઘાણીનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસ પિતા અને પરિવારના અન્ય સભ્યોના નિવેદનો નોંધી રહી છે જેથી જાણી શકાય કે શું ખરેખર માત્ર સામાન્ય ઠપકો જ કારણ હતું કે પછી તેની પાછળ કોઈ અન્ય માનસિક કે સામાજિક કારણ જવાબદાર છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 1881   |  
જગન્નાથ મંદિરથી કોમી એકતા સાયકલ યાત્રા યોજાઇ

આગામી ૧૬ જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૯મી ભવ્ય રથયાત્રા યોજાશે. આ ઉત્સવ કેવળ આસ્થા જ નહીં, પણ શહેરની પ્રાચીન સંવાદિતા અને અખંડિતતાની મિશાલ છે. સુરક્ષા અને સુમેળભર્યા વાતાવરણમાં ભાઈચારાની ભાવના પ્રસરાવવા માટે આ વખતે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તાજેતરમાં, જગન્નાથ મંદિરથી એક વિશેષ ‘કોમી એકતા સાયકલ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના મુખ્ય રૂટ પર ફરીને આ રેલીએ શહેરવાસીઓને શાંતિ જાળવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. અમદાવાદ શહેરના ટ્રાફિક ત્નઝ્રઁ અશ્વિન ચૌહાણ સહિત ૧૦૦થી વધુ ટ્રાફિક જવાનોએ આ રેલીમાં જાેડાઈને શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.આ રથયાત્રાનું સૌથી મોટું આકર્ષણ મુસ્લિમ સમાજ દ્વારા અર્પણ કરવામાં આવતો ‘એકતા રથ’ છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને રૌફ બંગાલી અને તેમના સાથીદારોએ આ વર્ષે પણ જીવંત રાખી છે. લગભગ ૧૫ દિવસની મહેનત બાદ તૈયાર થયેલા આ રથમાં ચાંદી સાથે સોનાની વરખનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જાેકે, કિંમતી ધાતુઓના વધતા ભાવને કારણે રથના વજનમાં ફેરફાર કરાયો છે, પરંતુ તેની ભવ્યતા અને એકતાનો ભાવ અકબંધ છે.સોમવારે મુસ્લિમ સમાજના અગ્રણીઓ આ વિશેષ રથ ભગવાન જગન્નાથના મહંતને અર્પણ કરશે. રૌફ બંગાલીએ જણાવ્યું હતું કે, આવતા વર્ષે જ્યારે ૧૫૦મી રથયાત્રા યોજાશે, ત્યારે કંઈક વિશેષ અને ભવ્ય કરવાની તેમની તૈયારી છે. આ રથયાત્રા અમદાવાદના ખૂણે-ખૂણે એકતાનો સંદેશ ફેલાવશે. પોલીસ તંત્ર પણ રથયાત્રાના રૂટ પર સુરક્ષાને લઈને સંપૂર્ણ સજ્જ છે, જેથી આ વર્ષની યાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થાય.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 1881   |  
૨૫૦ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ ઓપરેશન મ્યુઅલ હન્ટ ૨.૦માં ૧૯ આરોપીને ઝડપી પાડ્યા

ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન મ્યુઅલ હન્ટ ૨.૦ અંતર્ગત રાજ્યના વડોદરા, ભાવનગર, સુરત, પાટણ અને ગાંધીનગરમાં નોંધાયેલા પાંચ મોટા સાયબર ફ્રોડ કેસનો સફળ પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ અભિયાન દરમિયાન કુલ ૧૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓના તાર દેશના ૨૧ રાજ્યોમાં નોંધાયેલા ૧૪૬ સાયબર ગુનાઓ સાથે જાેડાયેલા હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીની તપાસમાં ૨૫૦ કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ સાયબર ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે.તપાસમાં ખુલ્યું છે કે સુરતના મોટા વરાછા અને જહાંગીરપુરા વિસ્તારમાં ઓફિસો બનાવી સમગ્ર નેટવર્ક સંચાલિત થતું હતું.મહેસાણા અને ગાંધીનગરમાંથી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કેટલાક મુખ્ય સૂત્રધારો દુબઈથી સમગ્ર સિન્ડિકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે.એક આરોપીના બેંક ખાતામાં જ ૧૬૧ કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. આ કેસમાં તેના મુખ્ય હેન્ડલરની પણ ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં નોંધાયેલા કેસમાં ચાર આરોપીઓ ઝડપાયા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 1683   |  
ગાંધીનગરમાં ટેટમુદ્દે રાજ્યવ્યાપી શિક્ષક આંદોલન

સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ ગુજરાત સહિત દેશભરના શિક્ષકોમાં અસંતોષ જાેવા મળી રહ્યો છે. કોર્ટે શિક્ષણ સેવામાં કાર્યરત શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અને બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવી ફરજિયાત હોવાનું સ્પષ્ટ કરતાં રાજ્યભરમાં વિરોધનો માહોલ સર્જાયો છે. તેના વિરોધમાં શનિવારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતા અને ધરણાં-પ્રદર્શન કરીને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી.અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, મહેસાણા, બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાંથી આવેલા શિક્ષકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ જણાવ્યું હતું કે વર્ષોનો શિક્ષણનો અનુભવ ધરાવતા શિક્ષકોને ફરીથી ટેટ જેવી પરીક્ષા આપવી પડે તે અન્યાયપૂર્ણ છે.શિક્ષકોની મુખ્ય માંગ વર્ષ ૨૦૧૦ પહેલાં ભરતી થયેલા તમામ શિક્ષકોને ફરજિયાત ્ઈ્ પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવાની છે. તેમનું કહેવું છે કે લાંબા સમયથી સફળતાપૂર્વક શિક્ષણ સેવા આપી રહેલા શિક્ષકો માટે નવી શરતો લાગુ કરવી યોગ્ય નથી.આ ઉપરાંત શિક્ષકોએ અન્ય અનેક માંગણીઓ પણ સરકાર સમક્ષ મૂકી છે. તેમાં ૧ એપ્રિલ, ૨૦૦૫ પછી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, ધોરણ ૬થી ૮ના શિક્ષકોને અલગ અને વધુ ગ્રેડ પે આપવો તેમજ આચાર્યોને વધારાના શાળાના ચાર્જ સોંપવાનો ર્નિણય પરત ખેંચવાનો સમાવેશ થાય છે. શિક્ષક આગેવાનોનું કહેવું છે કે સરકાર લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે કોઈ હકારાત્મક ર્નિણય લઈ રહી નથી. જાે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય ર્નિણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જરૂર પડશે તો દિલ્હી સુધી વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે.શિક્ષકોએ સરકારને ચર્ચા માટે આગળ આવી સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા અપીલ કરી છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 1881   |  
પૂરથી પ્રભાવિત પરિવારોને ૫ લાખ, વેપારી અને દુકાનદારોને ૧૫ લાખની સહાયની કોંગ્રેસની માગ

ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિ માટે ભાજપ સરકાર અને સુરત મહાનગરપાલિકાની વહીવટી નિષ્ફળતાને જવાબદાર ઠેરવતાં સુરત શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે, જેના કારણે હજારો પરિવારો અને વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે છે.સુરત શહેર કોંગ્રેસ અધ્યક્ષ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં કોંગ્રેસે પૂરથી પ્રભાવિત દરેક પરિવારને રૂ.૫ લાખ, દરેક વેપારી અને દુકાનદારોને રૂ.૧૫ લાખ તેમજ પૂર દરમિયાન મૃત્યુ પામેલા લોકોના આશ્રિતોને રૂ.૫૦ લાખની સહાય ચૂકવવાની માંગ કરી છે. ઉપરાંત વાહનોના નુકસાન માટે ૧૦૦ ટકા વીમા ક્લેમની સુવિધા ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસે હલકી ગુણવત્તાના રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે એક સપ્તાહમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પ્રી-મોન્સૂન કામગીરી, ડ્રેનેજ અને ખાડીઓની સફાઈમાં થયેલા ખર્ચની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગ ઉઠાવી છે. ચોમાસા પહેલા ડ્રેનેજ, ખાડી સફાઈ અને પ્રી-મોન્સુન કામગીરી પાછળ કરોડો રૂપિયા કાગળ પર વાપરી નાખવામાં આવ્યા. આ નાણાં ક્યાં ગયા અને કોના ખિસ્સામાં ગયા તેની હાઈકોર્ટના સીટીંગ જજ મારફતે તપાસ કરાવવા માંગ કરી છે. પૂરના પાણી ઓસર્યા બાદ શહેરમાં ગંદકી અને કાદવનું સામ્રાજ્ય છે, જેનાથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. દરેક ઝોનમાં યુદ્ધના ધોરણે જંતુનાશક દવાઓનો છંટકાવ અને મફત તબીબી કેમ્પ શરૂ કરવા પણ રજૂઆત કરી છે. નદી અને ખાડીઓનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ, ગેરકાયદે બાંધકામો દૂર કરવા, વરસાદી ગટર નેટવર્કનું ટેકનિકલ સર્વેક્ષણ તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોના આધુનિકીકરણની પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પૂરગ્રસ્ત વિસ્તારોમાં મિલકત વેરો અને વીજબીલમાં રાહત, રોગચાળો અટકાવવા વિશેષ સફાઈ અભિયાન અને આરોગ્ય કેમ્પો યોજવા સહિત કુલ ૧૭ મુદ્દાઓને આવરી લેતું આવેદનપત્ર સરકારને સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા મુસદ્દીક કાનુન્ગોએ જણાવ્યું હતું કે જાે અસરગ્રસ્તોને યોગ્ય વળતર નહીં ચૂકવાય અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે જનઆંદોલન કરશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 1980   |  
રથયાત્રા અગાઉ ક્રાઇમબ્રાન્ચનું ઓપરેશન રેમ્બો ઘાતક હથિયારો સાથે ૭૦ બદમાશોને દબોચ્યાં

રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે એ માટે ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન રેમ્બો હાથ ધર્યું હતું. જેમાં ઘાતક હથિયારો સાથે ગુનાઇત ઇરાદે ફરતાં ૭૦થી વધુ બદમાશોને ઝડપી લેવાયા હતાં. ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી ગુરુવારે રથયાત્રાનો મોટો ધાર્મિક તહેવાર છે. અષાઢી બીજનાં પાવન દિવસે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી છ જેટલી મોટી રથયાત્રા નીકળનારી છે. આ રથયાત્રાના તહેવાર દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ, આયોજનો કરાયા છે. જેમાં જાહેરાત સલામતી મુદ્દે આગોતરી કાર્યવાહી શરૂ કરાઇ છે. ઘાતક હથિયારોથી સરાજાહેર કરાતાં હુમલાઓને કારણે ભય ફેલાતો હોય આવું કૃત્ય કરનારાઓને શોધી તેમની સામે કડક કાર્યવાહી કરાઇ રહી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા ગત ૧૯મી જુને અસામાજિક તત્વો તથા રીઢા ગુનેગારોને પકડી ગેરકાયદેસર હથિયારો લઇ ફરવા અંગે ચેતવણી આપવામાં સાથે અટકાયતી પગલા ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગામી રથયાત્રા અનુલક્ષીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા “ઓપરેશન રેમ્બો” હાથ ધરાયું હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમો બનાવી શરીર સંબંધી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારો અને લોકલ ગેંગ બાબતે ઝીણવટભરી રીતે માહિતી એકત્રિત કરાઇ હતી. ત્યારબાદ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં અલગ અલગ પ્રકારના રેમ્બો નાઇફ, બટન નાઈફ, પોકેટ નાઈફ, ડ્રેગન નાઈફ, ટેક્ટિકલ નાઈફ વિગેરે સાથે ૭૦થી વધુ બદમાશોને ઝડપી લેવાયા હતાં. તેમની પાસેથી ૧૦૦ થી વધુ અણીદાર ચપ્પુ કહો કે ઘાતક હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતાં. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે આગામી દિવસોમાં કોમ્બિંગ અને વાહનચેકિંગ ડ્રાઇવ કરાશે એવું પણ કમિશનરે જણાવ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 1881   |  
અડાજણના ગુમ થયેલા તરૂણનો મૃતદેહ તાપી કિનારેથી મળી આવ્યો

શહેરનાં અડાજણ વિસ્તારમાં રહેતા ૧૧ વર્ષીય તરુણનું તાપી નદીમાં ડૂબી જતાં મોત નીપજ્યું છે. આ દુ:ખદ ઘટનાથી પરિવાર તેમજ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે આવેલા એસએમસી આવાસમાં રહેતા રામસિંઘ સાઉદનો ૧૧ વર્ષીય પુત્ર શેરૂ સાઉદ પરમ દિવસે ઘર પાસે રમતા-રમતા તાપી નદીના કિનારે પહોંચી ગયો હતો. આ દરમિયાન તે અકસ્માતે નદીમાં ડૂબી ગયો હતો. લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતાં તેના પિતા રામસિંગ અને માતા દીકરાની શોધખોળ શરૂ કરી હતી.દરમિયાન ગઈકાલે સાંજે તેમને જાણ થઈ હતી કે તેમનો દીકરો તાપી નદીમાં ડૂબી ગયો છે. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી અને અંતે બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.વધુમાં જાણવા મળ્યું હતું કે શેરૂ અગાઉ માછલી પકડવા તાપી નદીમાં જતો હતો,આ વખતે પણ તે સરદાર બ્રિજ નીચે માછલી પકડવા ગયો હતો અને અકસ્માત તાપી નદીમાં પડી જતા ડૂબી જવાને પગલે તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.મૃતક શેરૂનાં પિતા રામસિંગમજૂરી કામ કરે છે અને તેઓ મૂળ નેપાળનાં વતની છે. આ દુ:ખદ ઘટનાએ પરિવારને ગમગીન બનાવી દીધો છે.બનાવને અંગે અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 2079   |  
ડિંડોલીના રાજમહેલ મોલમાં મોડીરાત્રે ઉત્તર ભારતીય યુવકની ઘાતકી હત્યા

ડિંડોલી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સી. આર. પાટીલ રોડ ઉપર રઘુકુળ નગરમાં રહેતાં અજય બૈજનાથ દુબે ઉત્તરપ્રદેશનાં જાેનપુરનાં વતની છે. પ્રિન્ટિંગ મીલમાં કામ કરતા અજય દુબેનો ૨૦ વર્ષનો દિકરો રાજ ટીવીએસ કંપનીમાં લોન રિકવરીનું કામ કરતો હતો. ૧૦મી જુલાઇએ રાત્રે નવેક વાગ્યે અજય દુબે કામ પતાવી ઘરે પહોંચ્યા ત્યારે પત્નીને રાજ અંગે પૂછ્યું હતું. તેણીએ સાંજે છ વાગ્યે મોટર સાયકલ લઈને આવું છું એમ કહી ગયો છે એમ કહયું હતું.ઘણો સમય વિતી ગયો હોય અજય દુબેએ રાજને કોલ કર્યો હતો. અવાર નવાર કોલ કરાયા ત્યારે રાત્રે સવા અગિયારની આસપાસ તેની સાથે વાત થઇ હતી. રાજે થોડીવારમાં ઘરે આવું છું એમ કહી ફોન કટ કરી દીધો હતો. જાે કે, અડધો પોણો કલાક વિતવા છતાં રાજ નહીં આવતાં પિતાએ ફરી કોલ કર્યા તો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ સવારે તેમને એવું જાણવા મળ્યું કે, ડિંડોલી રાજમહલ મોલમાં પહેલા માળે કોઇએ રાજને ચપ્પુનાં ઘા મારી દીધા છે. આ સાંભળી અજય દુબે રાજમહલ મોલ દોડી ગયા હતા. જ્યાં પહેલા માળે લિફ્ટ પાસે રાજ લોહી લુહાણ હાલતમાં પડેલો મળ્યો હતો. તેના ગળા, પેટના ડાબા પડખામાં કોઈ તિક્ષ્ણ હથિયારનાં ઘા મરાયેલા દેખાયા હતાં. સ્થળ પર પહોંચેલા ઇન્સ્પેકટર પી. એલ. વાઘેલા અને સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી રાજ દુબેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સાથે જ અજય દુબેની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધી મોલના સીસી કેમેરા ફૂટેજના આધારે તપાસ આરંભી હતી. આ દિશાની તપાસમાં ત્રણ થી ચાર શકમંદો મળ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 1881   |  
વરસાદથી પલળી ગયેલો સાડી અને ડ્રેસ મટિરિયલ્સનો માલ મફતનાં ભાવમાં વેચવા કાઢ્યો ત્યાં પાલિકાનાં કર્મચારીઓ ઉંચકી ગયાં

શહેરમાં ભારે વરસાદથી લક્ષ્મણનગરનાં ૩૦૦૦થી વધુ સાડી અને ડ્રેસ મટીરિયલનાં વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. દુકાનોમાં ૧-૨ ફૂટ પાણી ભરાતા લાખોનો માલ પલળી ગયો. રૂપિયા ૧૦૦૦નો માલ માત્ર ૫૦-૧૦૦માં વેચવા મજબૂર વેપારીઓ પર પાલિકાનાં દબાણખાતાએ દમન ગુજાર્યો હોય તેમ સામાન ઉપાડી લેતા વેપારીઓ રોષે ભરાયા છે.પુણાગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગરમાં સાડી અને ડ્રેસ મટીરિયલની ૩૦૦૦થી વધુ દુકાનો આવેલી છે. વરસાદી પૂરનાં કારણે મોટાભાગની દુકાનોમાં ૧થી ૨ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. તહેવારોની સીઝન હોવાથી ભરેલો લાખો રૂપિયાનો નવો માલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મુશ્કેલીના આ સમયમાં વેપારીઓને સહાય કે સાફ-સફાઈની જરૂર હતી, તેના બદલે વરાછા ઝોનની ટીમ અચાનક દબાણ હટાવવાની કામગીરી કરવા પહોંચી હતી. લક્ષ્મણ નગરમાં હેન્ડલૂમ અને ડ્રેસ મટીરિયલની ૨ દુકાનો ધરાવતી મહિલાએ આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ૩૦ લાખનો માલ દુકાનમાં ભરાવ્યો હતો. પરંતુ મારી જિંદગીની આખી કમાણી વરસાદનાં પાણીમાં ધોવાઈ ગઈ હતી. આ ભીનો માલ માત્ર ૧૦, ૨૦ અને ૫૦ રૂપિયામાં વેચવા કાઢ્યો ત્યાં જ આજે પાલિકાએ બધો માલ ઉપાડી લીધો હતો. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે અહીં કોઈ કોર્પોરેટર ડોકાયા નથી, ૩ દિવસથી ફોન કરીએ છતાં મનપાનાં કર્મચારીઓ કચરો ઉપાડવા પણ ન આવી. ચાર-ચાર દુકાનો ધરાવતા અને રોડ પર ભીના કપડાં વેચી રહેલા અન્ય એક વેપારીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે મારી ૪ દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. ૨૦ લાખનો માલ ભીનો થઈ ગયો છે. છેલ્લા ૩ દિવસથી અમે મનપાને સતત કોલ કરી રહ્યા છીએ, પણ કચરો કે ગંદકી ઉપાડવા કોઈ ફરક્યું નથી. હજી સુધી અમારી મુલાકાતે કોઈ સ્થાનિક કોર્પોરેટર પણ નથી આવ્યા. વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કરતાં આરોપ લગાવ્યો છે કે હજુ તેઓ પૂરનાં ફટકામાંથી બહાર પણ નથી આવ્યા ત્યાં પાલિકાના કર્મચારીઓ મદદ કરવાના બદલે રોડ પર સુકવવા મૂકેલો માલ, દુકાનોનાં બોર્ડ અને બેનરો જપ્ત કરવા લાગ્યા હતા.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution