ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, માર્ચ 2026 2871   |  
ગરીબ પરિવારોને કેરોસીનનો જથ્થો ફાળવાશે

ગાંધીધામ, ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના હાલમાં વિશ્વસ્તરે પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય (જીઓ-પોલિટિકલ) પરિસ્થિતિને કારણે ઊર્જા પુરવઠા પર ઉભા થયેલા જાેખમોને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૧૪૫૨ કેએલ (હજાર લિટર) કેરોસીનનો એડહોક (છઙ્ઘ-ર્રષ્ઠ) જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા (કૂકિંગ) અને પ્રકાશ (લાઇટિંગ) માટે કરવાનો રહેશે એમ અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક યાદી પ્રસિદ્ધ કરીને જણાવાયુ છે. રાજ્યના આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારના અંત્યોદય તથા પીએચએચ પરીવારોને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જેની કાર્યપધ્ધતિ આ મુજબ રહેશે. કેંન્દ્ર સરકારે ફાળવેલ ૧૪૫૨ કેએલ માથી દરેક જિલ્લામાં કલેક્ટર હસ્તક ૩૬ કેએલ (૩૬ હજાર લીટર)ની ફાળવણી કરવામા આવશે. ઉપરોક્ત કેરોસીનના જથ્થામાંથી પરિવાર દીઠ ૫ (પાંચ) લીટર તથા સંસ્થા દીઠ ૨૫ (પચ્ચીસ) લીટર ફાળવણી કલેક્ટર કરી શકશે. આ જથ્થો ૧૨ હજાર લીટરના ગુણાંકમાં કલેક્ટર દ્વારા ડિમાન્ડ મોકલી ઉપાડ કરવાનો રહેશે. કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ પર દેખરેખ રાખવાનુ રહેશે. કેરોસીનના વિતરણમાં પણ આ મુજબના લોકોને પ્રાથમિકતા આપવાની રહેશે. ગ્રામીણ પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લાભાર્થીઓ. શાળા હોસ્ટેલોમાં રહેતા બાળકો અને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓ. રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અન્નક્ષેત્રો અને અન્ય સેવાકીય સંસ્થાઓ. બાંધકામ કે ઔદ્યોગિક એકમોમાં કાર્યરત મજૂર વર્ગની ભોજન તૈયારીના હેતુ માટે. અન્ય સરકારી કે ખાનગી સામાજિક સંસ્થાઓ જે બળતણ માટે સંપૂર્ણપણે એલપીજી પર આધારિત છે. આ ઉપરાંત રાજ્યના નાગરિકોને સાંપ્રત પરિસ્થિતિમાં આ મુજબના સૂચનો કરાયા છે. જેમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ તથા એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારમાં ૨૫ દિવસ તથા ગ્રામીણ વિસ્તારમાં ૪૫ દિવસનુ અંતર રાખવા બાબતની સૂચના બહાર પાડેલ છે. જેથી ગ્રાહકો દ્વારા બિનજરૂરી ઓનલાઇન બુકિંગ માટે પ્રયત્ન કરવામાં ન આવે જેથી સર્વર પરનો લોડ ઘટાડી શકાય. રાંધણ ગેસનો બચાવ કરવા બને ત્યા સુધી કુકરનો ઉપયોગ, કઠોરને પલાળીને તેને બાફવા જેવી બાબતો તેમજ વૈકલ્પિક ઉજાસ્ર્ત્રાેત તરીકે સોલર કુકર વિગેરેનો ઉપયોગ હિતાવહ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, માર્ચ 2026 2079   |  
સુરતમાં ૧૦ હજાર વીવિંગ યુનિટની હાલત કફોડી રાજ્યમાંં બ્રાસ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સેવા ઠપ

જામનગર, સુરત, સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક શહેરો જામનગર અને મોરબી હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ જામનગરમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે કાચા માલની આયાત અટકી છે, તો બીજી તરફ મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પૈડાં થંભી ગયા છે, જેના કારણે હજારો પરિવારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે. જ્યારે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર યુદ્ધની અસર જાેવા મળી રહી છે. સ્ટીમની મદદથી ચલાવાતા ૧૦હજારથી વધારે પાવરલૂમ્સને ગેસ નહીં મળતા આ યુનિટ્સ ડગુમગુ થવા માંડ્યા છે.જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ભંગારની આયાત પર મોટી બ્રેક લાગી છે. આ અંગે જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના તણાવને પગલે દરિયાઈ માર્ગે આવતા ભંગારના કન્ટેનરો અધવચ્ચે ફસાઈ ગયા છે. જામનગરનો ઉદ્યોગ ૭૦ ટકા આયાતી ભંગાર પર ર્નિભર છે અને દરરોજ અંદાજે ૬૦૦ થી ૭૦૦ ટન કાચા માલની જરૂરિયાત હોય છે. હાલ બંદરો પર પડેલા સીમિત જથ્થાના સહારે ઉદ્યોગ માંડ ચાલી રહ્યો છે, જાે પરિસ્થિતિ સુધરશે નહીં તો કારખાનાઓ સંપૂર્ણપણે બંધ થવાની દહેશત છે.બીજી તરફ, મોરબીમાં ગેસની અછતને કારણે સિરામિક એકમોમાં શટડાઉન આવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની હાલત કફોડી બની છે. મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે, અગાઉ જે મોરબીમાં દરરોજ ૭,૦૦૦ થી ૮,૦૦૦ ટ્રકની અવરજવર રહેતી હતી, તે ઘટીને માત્ર ૨૦૦ જેટલી થઈ ગઈ છે. સિરામિક ફેક્ટરીઓ બંધ હોવાથી કાચા માલની આવક અને તૈયાર માલની જાવક ઠપ્પ થતા અંદાજે ૧૬,૦૦૦ જેટલા ડ્રાઈવર અને ક્લીનરો બેરોજગાર બન્યા છે. ગુરુવારે સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આયોજિત ‘કોઓપરેટિવ કોન્ક્લેવ ‘૨૬’ માં હાજરી આપવા આવેલા ૈંહ્લહ્લર્ઝ્રં અને ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યુ હતું કે, સમુદ્રી માર્ગાે પ્રભાવિત થવાને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગેસની કટોકટી ઉભી કરી છે.કોમર્શિયલ ગેસ ન મળવાને કારણે નાના વેપારીઓને પડતી મુશ્કેલી અંગે તેમણે ટકોર કરી હતી કે, આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું? જ્યા સુધી વૈશ્વિક સ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી સહિયારા પુરુષાર્થથી આ સ્થિતિનો સામનો કરવો પડશે.બીજી તરફ, ગેસની આ અછતને કારણે સુરતમાં ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે ૧૦,૦૦૦ જેટલા વીવિંગ યુનિટ્સ હાલ સીધા અસરગ્રસ્ત બન્યા છે. હાઈ-ક્વોલિટી કાપડના ઉત્પાદન માટે ૧૨૦૦ વધુ સ્પીડ ધરાવતા મશીનો પર યાર્નને ગરમી (સ્ટીમ) આપવી અનિવાર્ય હોય છે, જે પ્રક્રિયા ગેસના અભાવે અટકી પડી છે. ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અને વિવર અગ્રણી ચેરમેન અશોક જીરાવાલાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં કાર્યરત ૫૫,૦૦૦ વીવિંગ યુનિટ્સ પૈકી અંદાજે ૩૦% એકમો એવા છે જ્યાં ગેસની મદદથી સ્ટીમ આપવી ફરજિયાત છે. ગેસના ઠપ્પ થયેલા પુરવઠાને કારણે આ એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે, જે આગામી સમયમાં મોટા આર્થિક નુકસાનના સંકેત આપી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, માર્ચ 2026 3960   |  
દીવમાં ગરમીએ તોડ્યો ૧૦૦ વર્ષનો રેકોર્ડ: ૪૧.૩ ડિગ્રી તાપમાન નોંધાયું

દીવ, હવામાન વિભાગે માર્ચથી કાળઝાળ ગરમીના સંકેત આપ્યાં છે. ગુજરાત સહિતના રાજ્યોમાં માર્ચની શરૂઆતથી ભીષણ ગરમી પડી રહી છે. દીવમાં માર્ચની શરુઆતથી જ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. દીવમાં માર્ચ મહિનામાં ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે દીવમાં નોંધાયું હતું ૪૧.૩ ડિગ્રી તાપમાન. અગનભઠ્ઠીમાં શેકાવા માટે તૈયાર થઈ જજાે. હવામાન વિભાગે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. રાજકોટ-સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, બનાસકાંઠા, પાટણમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં આજે ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ભરૂચ, અમદાવાદ, જામનગર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, આ વર્ષે ગરમી સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની શક્યતા છે. માર્ચ મહિનો સરેરાશ કરતાં વધુ ગરમ રહેવાની ધારણા છે, જ્યારે એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં વધઘટ જાેવા મળી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં વંટોળ તોફાનની અપેક્ષા છે, ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે. મંગળવારે ૪૨ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં ૪૧.૨ ડિગ્રી તો ગાંધીનગરમાં ૪૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ નોંધાયું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, માર્ચ 2026 3168   |  
દેશમાં ક્રાઇમ રેટમાં ગુજરાતનો ક્રમ ૨૭મો હોવાનો ગૃહરાજ્ય મંત્રીનો વિધાનસભામાં જવાબ

ગાંધીનગર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા છેલ્લા બે વર્ષમાં ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ શહેર/જિલ્લામાંથી કેટલી મહિલા અને બાળકો ગુમ થયાની ફરિયાદો મળી છે? તે અન્વયે કેટલી મહિલાઓ અને બાળકો પરત મળ્યા? અને ગુમ થયેલ કેટલી મહિલાઓ અને બાળકોને શોધવાના બાકી છે? જેના જવાબમાં દેશમાં ક્રાઇમ રેટમાં ગુજરાતનો ક્રમ ૨૭મો છે, જે ઘણી સારી બાબત છે તેમ ઉપમુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આ સવાલના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, એક પરિવાર માટે તેમનું બાળક જીવનની મૂડી સમાન હોય છે. આવા નાના બાળકો વિખુટા પડે, ત્યારે તેમના પરિવાર પર આભ ફાટી પડે છે. આ વિષયની ગંભીરતાને ધ્યાને રાખીને ગુજરાતનું પોલીસ તંત્ર ગુમ થયેલા બાળકો અને મહિલાઓના કિસ્સામાં અત્યંત સંવેદનશીલતા અને ત્વરિતતાથી કામગીરી કરી રહ્યું છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. રાજ્ય સરકારની સફળતા વર્ણવતા મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્રની સતર્કતાના પરિણામે જૂનાગઢ અને ગીર સોમનાથના ગુમ થયેલા બાળકોને શોધવામાં મોટી સફળતા મળી છે. છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં ૧૫૨ બાળકો અને ગીર સોમનાથ જિલ્લામાં ૪૬ બાળકો ગુમ થયાની ફરિયાદ મળી હતી. પોલીસ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તમામ ૪૬ બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. તેવી જ રીતે, જૂનાગઢ જિલ્લાના પણ ૧૫૦ બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે, અન્ય ૨ બાળકોની શોધખોળ હાલમાં ચાલી રહી છે. મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ ગુમ થાય ત્યારે શરૂઆતના ૨૪ કલાકને ‘ગોલ્ડન અવર્સ’ ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ફરિયાદ દાખલા કરવામાં આવે તો, પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઝ્રઝ્ર્ફ ફૂટેજની તપાસ, સોશિયલ મીડિયાનો ઉપયોગ, મોબાઈલ ઝ્રડ્ઢઇ ટ્રેકિંગ તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને હાઈવે પર નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે.આ ઉપરાંત બાળકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવવા માટે ભારત સરકારના ‘મિશન વાત્સલ્ય પોર્ટલ’નો પણ ગુજરાત દ્વારા અસરકારક ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ બિનવારસી બાળક મળી આવે, ત્યારે તેનો ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે, જે સિસ્ટમ આપમેળે ગુમ થયેલા બાળકોના ડેટા સાથે મેચ કરે છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. અમદાવાદમાં એમએસએમઇ ક્ષેત્રમાં ૨,૮૪૪ નવા એકમો દ્વારા કુલ રૂ. ૫૬૧૯.૮૦ કરોડનું નવું મૂડીરોકાણ થયું ગુજરાત સરકાર દ્વારા આર્ત્મનિભર ગુજરાત યોજના હેઠળ અમદાવાદ જિલ્લાના ૩,૨૮૩ એમએસએમઇ એકમોને રૂ. ૬,૨૮૩ લાખથી વધુ વ્યાજ સહાય ચૂકવાઈ છે તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામિતે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં ૫.૮૫ લાખ સૂક્ષ્મ, ૧૩,૦૨૯ લઘુ અને ૧,૨૧૮ મધ્યમ એકમો મળી કુલ ૫.૯૯ લાખથી વધુ એમએસએમઇ એકમો નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં એમએસએમઇ ક્ષેત્રમાં ૨,૮૪૪ નવા એકમો દ્વારા કુલ રૂ. ૫૬૧૯.૮૦ કરોડનું નવું મૂડીરોકાણ થયું હોવાનું પણ ઉદ્યોગ રાજ્ય મંત્રી જયરામ ગામિતે જણાવ્યું હતું. ધોરડોમાં છેલ્લા બે વર્ષમાં લાઈટ એન્ડ સાઉન્ડ પાછળ ૬.૭૪ કરોડ રૂપિયા થી વધુ નો ખર્ચ કરાયો : જયરામ ગામિત કચ્છના ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા સવાલ કરાયો હતો કે, છેલ્લા બે વર્ષમાં ધોરડો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડની કોઈ કામગીરી કરવામાં આવેલ છે કેમ? જાે હા, તો આ કામગીરી પાછળ કેટલી રકમનો ખર્ચ થયેલ છે અને સદર કામગીરીમાં ક્યાં કમ્પોનન્ટનો સમાવેશ કરાયો છે? આ સવાલના જવાબમાં પ્રવાસન રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામિતે જણાવ્યું હતું કે, ધોરડો ખાતે છેલ્લા બે વર્ષમાં લાઇટ એન્ડ સાઉન્ડ અંગેની કામગીરી કરાઇ છે. જેના પાછળ બે વર્ષમાં રૂ. ૬ કરોડ, ૭૪ લાખ ૯૫ હજાર અને ૭૮૫ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, માર્ચ 2026 3168   |  
રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલને મોટી રાહત : એસઆઇટીએ ક્લીનચીટ આપી

રાજકોટ, ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં એસઆઇટી દ્વારા ગણેશ ગોંડલને ક્લિનચીટનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. હવે ૨૯ જુનની મુદ્દત પડ છે. નિવેદનો અને સીસીટીવી ફુટેજમાં ગણેશ જાડેજાના પુરાવા ન મળ્યા. તેથી આ કેસમાં જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજાને ક્લીન ચીટ આપવામાં આવી છે. ગોંડલમાં મૂળ રાજસ્થાનનો યુવક રાજકુમાર જાટ ગત વર્ષે ગાયબ થયો હતો. ૩ માર્ચ, ૨૦૨૫ ના રોજ વહેલી સવારે રાજકુમાર જાટ લાપતા થયો હતો. ૪ માર્ચ, ૨૦૨૫ ના રોજ અમદાવાદ હાઈવે પરથી તેની લાશ મળી આવી હતી. સ્થાનિકપોલીસે ફેટલ કેસ નોંધી અજાણ્યા યુવકની લાશ પીએમ રૂમ ખાતે મોકલી હતી. જેના બાદ ૯ માર્ચના રોજ યુવકની ઓળખ થઈ હતી. તેની બહેન અને બનેવીએ યુવકની ઓળખ કરી હતી. તેના બાદ રાજકુમાર જાટના પિતાએ ૧૦ તારીખે પોતાના પુત્રની લાશ ન હોવાનું રટણ કર્યું. તેઓ ડ્ઢદ્ગછ આપવા પણ તૈયાર થયા હતા. પરંતુ બાદમાં દીકરાનો મૃતદેહ જાેઈને પિતાએ સ્વીકાર્યું હતું. પરંતું તેની હત્યા થઈ હોવાનો આરોપ લગાવીને મૃતદેહ સ્વીકારવા ર્નિણય કર્યો હતો. સમગ્ર મામલો ગોંડલના જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા સુધી પહોંચ્યો હતો. ગોંડલના પૂર્વ ધારાસભ્યના માણસો અને તેના દીકરા ગણેશ ગોંડલ દ્વારા જાટ પિતા-પુત્રને માર મરાયા હોવાનો પિતાનો આક્ષેપ કરાયો હતો. જેના બાદ સમગ્ર મામલાએ રાજકીય વળાંક લીધો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ દ્વારા ગુમ થનાર રાજકુમાર જાટના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને સીસીટીવી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ઘટનાક્રમ આવો છે. ૨ માર્ચ ૨૦૨૫ના રોજ પિતા પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાયા,૩ માર્ચના રોજ રાત્રિના ૨ વાગ્યા આસપાસ ઘરે થી નીકળી ગયો હતો,૩ તારીખના રોજ સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો,૪ તારીખના રોજ રાત્રિના ૨ વાગ્યા આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો,આશ્રમમાંથી નીકળ્યાના ૫૦૦ મીટર દૂર રોડ અકસ્માતમાં થયું હતું મોત,૪ માર્ચના રોજ રાત્રિના ૩ વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં થયું હતું મોત,૯ માર્ચના રોજ રાજકુમાર જાટની પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી ઓળખ,પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવામાં આવી. રાજકુમાર જાટના પિતાએ દીકરા માટે ન્યાયની માંગ કરી હતી. તેઓએ પોલીસ પર આક્ષેપ લગાવ્યા હતા.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, માર્ચ 2026 3960   |  
Bharuch નીJumma Masjid માં મહિલાઓએ કરી પૂજા? Viral video થી મોટો વિવાદ | ચક્રધર સ્વામી જન્મભૂમિનો દાવો

ભરૂચની સદીઓ જૂની જુમ્મા મસ્જિદ ફરી એક વખત વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેટલીક મહિલાઓ ફૂલ અને શ્રીફળ ચઢાવી પૂજા કરતી જોવા મળતાં સમગ્ર ગુજરાતમાં ચર્ચા શરૂ થઈ છે. આખરે આ મહિલાઓ કોણ છે? શું ખરેખર તેમણે મસ્જિદની અંદર પૂજા કરી હતી કે પછી બહાર? અને આ ઘટનાના પાછળનું સાચું સત્ય શું છે? મીડિયા અહેવાલો મુજબ આ મહિલાઓ મહારાષ્ટ્રના મહાનુભાવ પંથની અનુયાયી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ પંથના અનુયાયીઓનો દાવો છે કે જ્યાં આજે ભરૂચની જુમ્મા મસ્જિદ આવેલી છે તે સ્થળ સ્વામી ચક્રધરનું જન્મસ્થળ છે. તેમના ધાર્મિક ગ્રંથોમાં આ સ્થળનો ઉલ્લેખ હોવાનો દાવો પણ કરવામાં આવે છે. બીજી તરફ મુસ્લિમ સમાજ આ દાવાને સંપૂર્ણપણે નકારી રહ્યો છે અને આ ઘટનાને લઈને પોલીસમાં કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઇતિહાસકારોના કેટલાક મતે ભરૂચની જુમ્મા મસ્જિદનું બાંધકામ 14મી સદીમાં થયું હતું અને તેની આર્કિટેક્ચરમાં કેટલાક એવા થાંભલા અને કોતરણીઓ જોવા મળે છે જે હિંદુ અથવા જૈન મંદિરની શૈલી જેવી લાગે છે. કેટલાક લોકો માને છે કે મસ્જિદનું બાંધકામ કદાચ પ્રાચીન મંદિર અથવા જૈન મંદિરના અવશેષોથી કરવામાં આવ્યું હશે, પરંતુ આ મુદ્દે ઇતિહાસકારોમાં સંપૂર્ણ એકમત નથી. આ સમગ્ર મામલે ભરૂચ પોલીસ સતર્ક બની ગઈ છે અને મસ્જિદની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. કારણ કે આ સ્થળ **ASI (Archaeological Survey of India)**ના સંરક્ષણ હેઠળ આવેલું ઐતિહાસિક સ્મારક છે, જ્યાં ધાર્મિક પ્રવૃત્તિ માટે ખાસ નિયમો લાગુ પડે છે. તો આખરે ભરૂચની જુમ્મા મસ્જિદનો સાચો ઇતિહાસ શું છે? શું અહીં ક્યારેક મંદિર હતું? વાયરલ વીડિયોમાં દેખાતી ઘટના પાછળનું સત્ય શું છે? અને શું આ મુદ્દો ભવિષ્યમાં મોટો કાનૂની અથવા ધાર્મિક વિવાદ બની શકે છે? આ વિડિયોમાં અમે ભરૂચ જુમ્મા મસ્જિદ વિવાદ, મહાનુભાવ પંથનો દાવો, વાયરલ વીડિયોની સચ્ચાઈ અને ઐતિહાસિક તથ્યોને વિગતવાર સમજવાનો પ્રયાસ કરીશું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, ફેબ્રુઆરી 2026 3960   |  
હથોડીથી માથુ છૂંદી પત્નીની હત્યા કરનાર વૃદ્ધ એન્જિનિયર ઝડપાયો

સુરત, અડાજણનાં સન રેસિડન્સીમાં ભરબપોરે હથોડાથી માથું છૂંદી પત્નીની હત્યા કરનાર વૃધ્ધની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર આનંદ મહલ રોડ ઉપર સન રેસિડેન્સીમાં ૬૪ વર્ષી દિનેશ પરસોત્તમ પટેલ સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. આણંદના વિદ્યાનગરના વતની દિનેશભાઇને સંતાનમાં બે દિકરા કૃણાલ અને વિદિત છે. શુક્રવારે બપોરે દિનેશભાઈએ તેમના ૫૪ વર્ષીય પત્ની તૃપ્તિબેનને ઊંઘમાં માથામાં હથોડાથી ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ દિનેશ પટેલે મોટા પુત્ર કૃણાલને કોલ કરી મેં તારી માને પતાવી દીધી છે એમ કહ્યુ હતું. ત્યારબાદ દિનેશ પટેલે કોલ રિસિવ કર્યા ન હતાં. પિતાના આ કોલ બાદ કૃણાલે તેના ભાઈ વિદિતને ફોન કર્યો અને બંને ઘરે પહોંચ્યા હતાં. વિદિતે ઘરે પહોંચી દરવાજાે ખોલતા માતાની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. જેને પગલે અડાજણ પોલીસમાં જાણ કરાઈ હતી. ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે કૃણાલની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. પત્નીની હત્યા કરી ફરાર થઇ ગયેલા દિનેશ પટેલને શોધી કાઢવા પોલીસે તેમનો મોબાઇલ ફોન ટ્રેસ કરવા માંડ્યો હતો. જેમાં મોડી રાત્રે તેનું લોકેશન ડુમસ રોડ વીઆર મોલ આસપાસનું આવ્યું હતું. જેથી પોલીસે એ વિસ્તારમાં તપાસ કરી દિનેશ પટેલને પકડી પાડયો હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં દંપત્તિ વચ્ચે નાની-નાની વાતે ઝઘડા થતા હતા. કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી દીધી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, ફેબ્રુઆરી 2026 4752   |  
VMC સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ રજૂ કર્યું પાલિકાનું સરવૈયું

VMC સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ રજૂ કર્યું પાલિકાનું સરવૈયું મારા કાર્યકાળ દરમિયાન VMCના ત્રણ બજેટ રજૂ કરવાની તક મળી : ચેરમેન ગત વર્ષ દરમિયાન વડોદરા પાલિકા દ્વારા અંદાજે રૂ.1550 કરોડના ચૂકવણા કરાયા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નદીની જળવહન ક્ષમતામાં 40 થી 50 ટાકનો વધારો થયો જરૂરિયાતોને ધ્યાને રાખી પીવાના પાણીના નવા સ્ત્રોતો ઊભા કરવાનું આયોજન વડોદરા સાચા અર્થમાં ગ્રીન બને તે માટે વૃક્ષારોપણનું ખાસ આયોજન વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષમાં 1.28 લાખ વૃક્ષોનું કરાયું છે વાવેતર



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, ફેબ્રુઆરી 2026 7524   |   વડોદરા   |  
સયાજી હોસ્પિટલમાં NABH ટીમનું નિરીક્ષણ, ટીમ પહોંચે તે પહેલા જ તંત્ર દ્વારા 'સફાઈ અભિયાન' અને બોર્ડ લગાવવાની કામગીરી તેજ

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી સયાજી હોસ્પિટલમાં સુવિધાઓ અને સારવારના સ્તરને ચકાસવા માટે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ (NABH) ની ટીમ આવી પહોંચી છે. આગામી ત્રણ દિવસ સુધી આ ટીમ હોસ્પિટલના વિવિધ વિભાગોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે.બગીમાં બેસીને કેમ્પસનું નિરીક્ષણઆજે પ્રારંભિક તબક્કે સુપ્રિટેન્ડન્ટ ઓફિસ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ ત્રણ સભ્યોની આ ઉચ્ચસ્તરીય ટીમે સયાજી હોસ્પિટલ પરિસરમાં બગીમાં બેસીને રાઉન્ડ માર્યો હતો અને પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલના વહીવટી તંત્ર સાથે બંધ બારણે બેઠક પણ યોજવામાં આવી હતી.તંત્રની દોડધામ: ટીમ આવે તે પહેલા જ કામગીરી પૂર્ણ કરવા મથામણNABHની ટીમ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં પહોંચે તે પહેલા જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. હોસ્પિટલની દીવાલોની સફાઈ, ખૂણે-ખૂણે સ્વચ્છતા અને 'વર્ક ઇન પ્રોગ્રેસ' ના બોર્ડ લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. ખાસ કરીને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા હોસ્પિટલ પરિસરને ચકચકાટ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.કઈ બાબતો પર રહેશે ટીમની નજર?આગામી ત્રણ દિવસ દરમિયાન NABH ના ધોરણો મુજબ નીચે મુજબની બાબતોનું નિરીક્ષણ કરવામાં આવશે:દર્દીઓને અપાતી ક્લિનિકલ સારવારની પ્રક્રિયા.દર્દીઓના મેડિકલ રેકોર્ડ અને ડોક્યુમેન્ટેશનની ચોકસાઈ.હોસ્પિટલની સ્વચ્છતા અને સ્ટાફની વ્યવસ્થા.દર્દીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા.સાઇન બોર્ડ અને વહીવટી વ્યવસ્થા.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, માર્ચ 2026 2079   |  
માર્ચના અંતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર થઇ શકે, તૈયારીઓ શરૂ

અમદાવાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યમાં ૬ મહાનગરપાલિકા સહિત અનેક નગરપાલિકા અને પંચાયત માટેની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ તરફથી પણ જરૂરી પ્રક્રિયાઓ આગળ વધારવામાં આવી રહી છે જ્યારે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે પણ ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરવાનું શરૂ કર્યું છે. માહિતી અનુસાર માર્ચ મહિનાના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની તારીખ જાહેર થવાની સંભાવના છે. માનવામાં આવે છે કે વિધાનસભાનું ચાલુ સત્ર પૂર્ણ થયા બાદ ચૂંટણી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. આ વખતે રાજ્યમાં ૬ મહાનગરપાલિકા સાથે ૯ નવી મહાનગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાવાની છે જેના કારણે ચૂંટણીનું મહત્વ વધુ વધી ગયું છે. તે ઉપરાંત ૮૩ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૨ તાલુકા પંચાયત માટે પણ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ૨૭ ટકા ઓબીસી અનામત સાથે બેઠકો ફાળવવામાં આવશે, જેને લઈને રાજકીય પક્ષો પોતાના સમીકરણો ગોઠવી રહ્યા છે.ચૂંટણી નજીક આવતાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ સંગઠન મજબૂત બનાવવા, ઉમેદવારો પસંદ કરવા અને પ્રચારની રણનીતિ ઘડવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, માર્ચ 2026 2178   |  
કુપોષણનો આંકડો ૩૯.૭ ટકાથી ઘટીને ૧૧.૪ થયો, ૨૮.૩ ટકાનો ઘટાડો નોંધાયો

ગાંધીનગર, કુપોષણ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ૨૦૧૯-૨૦૨૧ની સરખામણીમાં જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં અભૂતપૂર્વ પરિણામો મેળવ્યા હોવાનો ગુજરાત સરકારે દાવો કર્યાે છે. ઓછું વજન ધરાવતા નાગરિકોના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ આ આંકડો ૩૯.૭ ટકા હતો, જે હવે ઘટીને માત્ર ૧૧.૪ ટકા થયો છે. આમ, કુલ ૨૮.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૦૦થી વધુ નવી આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું છે. વર્ષ ૨૦૨૬-૨૭માં નવા આંગણવાડી ભવનો બનાવવા માટે બજેટમાં ૩૬૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ આંગણવાડીઓ હવે માત્ર કેન્દ્રો નથી, પણ સ્માર્ટ ટીવી અને નવીનતમ શૈક્ષણિક સાધનોથી સજ્જ ‘સ્માર્ટ લર્નિંગ સેન્ટર’ બન્યા છે. રાજ્યમાં ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા અત્યાર સુધીમાં ૧૭.૯૬ લાખ મહિલાઓએ સહાય મેળવી છે. જેમાંથી ૩.૫૮ લાખ કિસ્સાઓમાં ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પારિવારિક પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે રાજ્યમાં ૨૭૦ નારી અદાલતો કાર્યરત છે. વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની ૭૬૮૯ કરોડની અંદાજપત્રીય માગણીઓની ચર્ચા મંજૂર રાખવામાં આવી હતી. ચર્ચાનો જવાબ આપતાં મંત્રી ડૉ. મનીષા વકીલે જણાવ્યું હતું કે, ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશન દ્વારા આજે છેવાડાના આદિવાસી ગામના બાળકનું વજન અને તેને મળતા દૂધની વિગત મુખ્યમંત્રી, ગાંધીનગરમાં બેઠા એક ક્લિક પર જાણી શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, માર્ચ 2026 2772   |  
ગેસ અછત મુદ્દે ગુજરાત કોંગ્રેસનો વિરોધ, ખભે ગેસ સિલિન્ડર મૂકી નેતાઓ વિધાનસભા પહોંચ્યા

ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતભર સહિત ગુજરાતમાં પણ એલપીજી ગેસની અછત જાેવા મળી રહી છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં પ્રજાના પ્રશ્નોને રજૂ કરતાં ગુજરાત કોંગ્રેસે હાલ ગાંધીનગરમાં ચાલી રહેલા વિધાનસભાના બજેટ સત્ર પહેલા વિધાનસભા પરિસરમાં ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. વિધાનસભા પરિસર બહાર વિપક્ષના નેતા ધારાસભ્ય અમિત ચાવડા સહિતના ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગેસના સિલિન્ડર ખભે ઊંચકી ભારે વિરોધ નોંધાવ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, માર્ચ 2026 2673   |  
રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રાંધણ ગેસ મળી રહેશે: સરકારની બાંયધરી

ગાંધીનગર, વિશ્વમાં ઇઝરાઇલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ લઇને દેશમાં પુરવઠા અને ક્રાઈસિસ ચાલી રહી છે. જે અંગે ગુજરાત વિધાનસભામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણલાલ સોલંકીએ રાજ્યના નાગરિકો માટે કેટલીક મહત્વની જાહેરાતો આજે ગૃહમાં કરી છે. આજે વિધાનસભાના ગૃહમાં કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ રાજ્યની પુરવઠા વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી આપી હતી. જેમાં રાંધણ ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ માહિતી આપતા રાજ્યમાં ગૃહમાં ખાતરી આપી છે. પુરવઠા મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું કે, હાલમાં પુરવઠા વિભાગ પાસે ૪,૧૬,૫૦૦ ગેસ બોટલનો સ્ટોક ઉપલબ્ધ છે, અને રાજ્યમાં ગેસની કોઈ તકલીફ જાેવા મળી નથી. વિકટ સમસ્યાઓ વચ્ચે પણ રાજ્યના નાગરિકો સુરક્ષિત છે. જેથી આગામી સમયમાં પણ રાજ્યના નાગરિકોને પૂરતા પ્રમાણમાં રાંધણ ગેસ મળી રહેશે. આ ઉપરાંત ૩.૩૪ કરોડ નાગરિકોને મફત અનાજ આપશે. જેમાં દ્ગહ્લજીછ હેઠળ રાજ્યના ૩ કરોડ ૨૪ લાખ નાગરિકોને હાલમાં નિ:શુલ્ક અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા માટે મંત્રીએ જાહેરાત કરી હતી કે, હવે લાભાર્થીઓને છ્સ્ દ્વારા અનાજ આપવામાં આવશે. આ ઉપરાંત, ઓલ ટાઈમ મિલેટ્સ સિસ્ટમ દ્વારા લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવાની પણ યોજના છે. ઉપરાંત સરકારે કાર્ડધારક લાભાર્થીઓ માટે વધુ એક મહત્વનો ર્નિણય લીધો છે. હવેથી લાભાર્થીઓને ૧ કિલોના પેકિંગમાં ખાંડ આપવામાં આવશે. તેમજ પુરવઠા સાથે આગામી તહેવારોમાં લાભાર્થીઓને ૧ લીટર સીંગતેલનું પેકિંગ પણ આપવામાં આવશે તેવી જાહેરાત મંત્રી રમણ સોલંકીએ ગૃહમાં કરી હતી. રમણ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગેસની સ્થિતિ અંગે સ્થિતિ અંગે ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા આગોતરું આયોજન કર્યું છે. જેમાં પુરવઠા વિભાગના અગ્રસચિવ મોના ખંધારની અધ્યક્ષતામાં રાજ્યસ્તરીય મોનીટરીંગ કમિટીની રચના કરી છે. જેમાં રાજ્યના દરેક જિલ્લામાં મોનીટરીંગ કમિટીની કરાઈ રચના કરવામાં આવી છે. મોનીટરીંગ કમિટીના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરને બનાવાયા છે. પુરવઠા અને અન્ય વિભાગના મુખ્ય અધિકારીઓ પણ કમિટીના સભ્ય નિયુક્ત કર્યા છે. આમ ગૃહમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ મહત્વની જાહેર કરીને વર્તમાન સ્થિતિમાં પૂરતો રાંધણ ગેસ મળી રહે તે માટે આશ્વત કર્યા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, માર્ચ 2026 2475   |  
અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી ખેડૂતો અને નાના ઉદ્યોગોને પણ નુકશાન થશે: કોંગ્રેસ

અમદાવાદ એઆઈ સમિટમાં યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેના વિશે પણ વાત કરી હતી. યુવા કોંગ્રેસ દેશના હિત માટે ખૂબ જ ચિંતિંત છે. દેશના યુવાનો પણ કેન્દ્ર સરકારને સવાલ પૂછી રહ્યા છે કે અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ છે તેના લીધે ખેડૂતોને ખૂબ જ નુકશાન આવનારા સમયમાં થવાનું છે. આ ટ્રેડ ડીલ થવાના લીધે ભારત દેશના અતિ મહત્વપૂર્ણ ડેટાની પણ અમેરિકા સાથે આપ-લે થશે. તેના લીધે દેશની સુરક્ષા સામે પણ ખતરો ઊભો થવાનો છે, અમેરિકા ભારત દેશને બાનમાં લેશે તથા પોતાને ફાવે તેવું વર્તન કરશે અને દેશ પર દબાણની રાજનીતિ કરવાનું આગામી સમયમાં કોઈ કચાશ બાકી રાખશે નહીં. આવનારા સમયમાં ટ્રેડ ડીલ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન યુવા કોંગ્રેસ દ્વારા ચાલુ રાખવામાં આવશે . યુથ કોંગ્રેસના નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા, પણ તેઓનું સ્હેજ પણ મનોબળ તૂટ્યું નથી તે અમારા માટે ગર્વની બાબત છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, માર્ચ 2026 2079   |  
સુરતમાં ૧૦ હજાર વીવિંગ યુનિટની હાલત કફોડી રાજ્યમાંં બ્રાસ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સેવા ઠપ

જામનગર, સુરત, સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક શહેરો જામનગર અને મોરબી હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ જામનગરમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે કાચા માલની આયાત અટકી છે, તો બીજી તરફ મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પૈડાં થંભી ગયા છે, જેના કારણે હજારો પરિવારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે. જ્યારે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર યુદ્ધની અસર જાેવા મળી રહી છે. સ્ટીમની મદદથી ચલાવાતા ૧૦હજારથી વધારે પાવરલૂમ્સને ગેસ નહીં મળતા આ યુનિટ્સ ડગુમગુ થવા માંડ્યા છે.જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ભંગારની આયાત પર મોટી બ્રેક લાગી છે. આ અંગે જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના તણાવને પગલે દરિયાઈ માર્ગે આવતા ભંગારના કન્ટેનરો અધવચ્ચે ફસાઈ ગયા છે. જામનગરનો ઉદ્યોગ ૭૦ ટકા આયાતી ભંગાર પર ર્નિભર છે અને દરરોજ અંદાજે ૬૦૦ થી ૭૦૦ ટન કાચા માલની જરૂરિયાત હોય છે. હાલ બંદરો પર પડેલા સીમિત જથ્થાના સહારે ઉદ્યોગ માંડ ચાલી રહ્યો છે, જાે પરિસ્થિતિ સુધરશે નહીં તો કારખાનાઓ સંપૂર્ણપણે બંધ થવાની દહેશત છે.બીજી તરફ, મોરબીમાં ગેસની અછતને કારણે સિરામિક એકમોમાં શટડાઉન આવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની હાલત કફોડી બની છે. મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે, અગાઉ જે મોરબીમાં દરરોજ ૭,૦૦૦ થી ૮,૦૦૦ ટ્રકની અવરજવર રહેતી હતી, તે ઘટીને માત્ર ૨૦૦ જેટલી થઈ ગઈ છે. સિરામિક ફેક્ટરીઓ બંધ હોવાથી કાચા માલની આવક અને તૈયાર માલની જાવક ઠપ્પ થતા અંદાજે ૧૬,૦૦૦ જેટલા ડ્રાઈવર અને ક્લીનરો બેરોજગાર બન્યા છે. ગુરુવારે સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આયોજિત ‘કોઓપરેટિવ કોન્ક્લેવ ‘૨૬’ માં હાજરી આપવા આવેલા ૈંહ્લહ્લર્ઝ્રં અને ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યુ હતું કે, સમુદ્રી માર્ગાે પ્રભાવિત થવાને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગેસની કટોકટી ઉભી કરી છે.કોમર્શિયલ ગેસ ન મળવાને કારણે નાના વેપારીઓને પડતી મુશ્કેલી અંગે તેમણે ટકોર કરી હતી કે, આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું? જ્યા સુધી વૈશ્વિક સ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી સહિયારા પુરુષાર્થથી આ સ્થિતિનો સામનો કરવો પડશે.બીજી તરફ, ગેસની આ અછતને કારણે સુરતમાં ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે ૧૦,૦૦૦ જેટલા વીવિંગ યુનિટ્સ હાલ સીધા અસરગ્રસ્ત બન્યા છે. હાઈ-ક્વોલિટી કાપડના ઉત્પાદન માટે ૧૨૦૦ વધુ સ્પીડ ધરાવતા મશીનો પર યાર્નને ગરમી (સ્ટીમ) આપવી અનિવાર્ય હોય છે, જે પ્રક્રિયા ગેસના અભાવે અટકી પડી છે. ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અને વિવર અગ્રણી ચેરમેન અશોક જીરાવાલાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં કાર્યરત ૫૫,૦૦૦ વીવિંગ યુનિટ્સ પૈકી અંદાજે ૩૦% એકમો એવા છે જ્યાં ગેસની મદદથી સ્ટીમ આપવી ફરજિયાત છે. ગેસના ઠપ્પ થયેલા પુરવઠાને કારણે આ એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે, જે આગામી સમયમાં મોટા આર્થિક નુકસાનના સંકેત આપી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, માર્ચ 2026 2871   |  
એથર કંપનીનાં જીવતાં જ્વાળામુખી જેવાં સોલવન્ટનાં પીપ ભરેલાં પાંચ માળનાં વેરહાઉસમાં ૪૦થી વધુ ધડાકા સાથે આગથી દોડધામ

સુરત,  શહેરના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલા એથર કંપનીનાં પાંચમજલી વેરહાઉસમાં બપોરે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ભીષણ આગમાં સોલવન્ટ-કેમિકલ ભરેલા ડ્રમ આગની ઝપેટમાં આવી જતા એક પછી એક એમ કુલ ૪૦થી વધુ બ્લાસ્ટ થયા હતા. જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. શરૂઆતના તબક્કામાં કંપનીના ફાયરબ્રિગ્રેડના જવાનોએ આગને કાબુમાં લેવાની કોશિષ કરી હતી પરંતુ આગ કાબુ બહાર નીકળી જતા ના છૂટકે સુરત ફાયરબ્રિગ્રેડ વિભાગને જાણ કરવાની ફરજ પડી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયરબ્રિગ્રેડ વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને કુલ આઠ ફાયર સ્ટેશનથી ૧૫થી વધુ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. મોડીસાંજે પણ આગ કાબુમાં આવી ન હતી. સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એથર ઇન્ડ્રસ્ટીઝ વિવાદનું પર્યાય બની ગઇ છે. કાયદાને ઘોળીને પી જનારા એથર કંપનીના સંચાલકો અગાઉ લાગેલી ભીષણ આગમાંથી પણ હજુ સુધી કંઈ શીખ્યા નથી. અગાઉ તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૩ના રોજ સચીન જીઆઈડીસીમાં આવેલ એથર ઇન્ડ્રસ્ટીઝમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં નિર્દોષ કુલ ૧૧ લોકોનો ભોગ લેવાયો હતો. પોલીસે આ સમગ્ર કેસમાં કંપનીના સંચાલકો સામે સાપરાધ મનુષ્ય વદ્યનો ગુનો નોંધવાના બદલે પોલીસ જ તેના ખોળામાં બેસી ગઈ હતી. જાે કે આ ઘટનામાં પણ સંચાલકોની બેદરકારી સામે આવી હતી. જયારે આજની ઘટનામાં પણ ફાયરબ્રિગ્રેડ વિભાગને તાત્કાલિક જાણ કરવાના બદલે એક કલાક કરતા વધુ સમય બાદ જાણ કરવાની બેદરકારી દાખવવામાં આવી છે. શહેરના સચીન હોજીવાલા વિસ્તારમાં આવેલ એથર કંપનીના વેરહાઉસમાં બપોરે ૧૨ વાગ્યા પહેલા આગ લાગી હતી. શરૂઆતના તબક્કામાં કંપનીનાં જવાનોએ જ આગને કાબુમાં લેવાની કોશિષ કરી હતી. આ દરમિયાન આગ વધુ ભીષણ બની ગઈ હતી અને કેમિકલ ભરેલા સંખ્યાબંધ ડ્રમ સુધી પહોંચી ગઈ હતી. જેને કારણે એક પછી એક કેમિકલનાં ડ્રમ આગની ઝપેટમાં આવતા બ્લાસ્ટ થયાં હતાં. માત્ર એકથી દોઢ કલાકની અંદર જ ૪૦ થી વધુ ડ્રમ બ્લાસ્ટ થતા આગ કાબુ બહાર બની ગઈ હતી. જેના કારણે એથર કંપનીનાં સંચાલકોએ નાં છૂટકે સુરત ફાયર બ્રિગ્રેડ વિભાગને જાણ કરવાની ફરજ પડી હતી.બપોરે ૧.૦૭ કલાકે ફાયર બ્રિગેડ વિભાગને કોલ મળતાં જ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા શરૂઆતમાં ત્રણ ફાયર સ્ટેશનથી ટીમ રવાના કરવામાં આવી હતી. બાદમાં આગ વધુ ભીષણ હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને ભેસ્તાન, ઉધના, માન દરવાજા, મજુરા, ડીંડોલી, અડાજણ, કતારગામ, કામરેજ સહિતની કુલ આઠ ફાયર સ્ટેશનથી ૧૫ જેટલી ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરત શહેરના ફાયર બ્રિગેડ વિભાગના તમામ ડિવિઝનલ અધિકારીઓને પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડનાં જવાનોએ સતત પાણીનો મારો ચાલુ કરી આગને કાબુમાં લેવાની કોશિષ કરી હતી. જાે કે એથર કંપનીના વેરહાઉસમાં કેમિકલનો મોટો જથ્થો હોવાને કારણે આગ વધુ વિકરાળ બની હતી. મોડી સાંજ સુધી પણ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો. તેમ છતાં આ સંપૂર્ણ કાબુમાં આવી ન હતી. જેથી હાલમાં પણ આગને કાબુમાં લેવાની તજવીજ ચાલુ રાખવામાં આવી છે. પાંચ માળનાં વેરહાઉસમાં સોલવન્ટ જેવા અત્યંત જ્વલનશીલ કેમિકલનો કેટલો સંગ્રહ કરવામાં આવ્યો હતો તેની તપાસ જરૂરી છે. કાયદાને ખીસ્સામાં રાખતાં કંપની માલિકોએ વેરહાઉસ ઉપર ગેરકાયદે ડોમ બનાવી દીધો તક્ષશિલા આર્કેડની આગ પછી શહેરી વિસ્તારમાં બિલ્ડિંગો ઉપર બંધાઇ ગયેલાં ગેરકાયદે ડોમ તોડી પાડવાની ઝૂંબેશ મહાનગર પાલિકા દ્વારા ઉપાડવામાં આવી હતી. સમય જતાં મહાનગર પાલિકાનાં સત્તાધીશો ઢીલાં પડતાં ધીમે ધીમે ગેરકાયદે ડોમ બનાવવાની પ્રવૃત્તિ ફરી ફૂલી ફાલી છે. એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીનાં સચિન હોજીવાલા એસ્ટેટમાં આવેલાં વેરહાઉસ ખાતે પણ પતરાનો ગેરકાયદે ડોમ બનાવી ચારે બાજુથી પેક કરી દેવામાં આવ્યો હોવાનું જણાયું છે. જ્વલનશીલ કેમિકલનો સંગ્રહ કરવામાં આવતો હોવા છતાં પતરાનાં ડોમથી ટેરેસ પેક કરી દેતાં ફાયરબ્રિગેડનાં જવાનોને પાણીનો મારો કરવામાં પણ મુશ્કેલી પડી હતી. વેરહાઉસ ઉપરાંત આસપાસ આવેલી મોટાભાગની ઇમારતો ઉપર ગેરકાયદે ડોમ બનાવાયા હોવાનું દેખાઇ આવ્યું હતું. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સાથે મિલ માલિક દ્વારા ઝપાઝપી એથર કંપનીમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવાની કામગીરી ચાલુ હતી ત્યારે કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થવાના કારણે આગ વધુ વિકરાળ બની બાજુની કંપનીમાં પણ પ્રસરી જતાં બાજુની કંપનીમાં આગ લાગી હતી તેનો માલિક ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પ્રકાશ હેડવ પાસે આવ્યો હતો અને તમે લોકો જાણી જાેઈને આગને કાબુમાં લેતા નથી તેમ કહી ઝપાઝપી કરી હતી. જેથી અન્ય ડીવીઝનલ અધિકારી તથા ફાયર ઓફિસરોએ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. બાજુની મિલમાં બે માળનું સ્ટ્રક્ચર ધરાશાયી એથર કંપનીમાં કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. એથરના વેરહાઉસની બાજુમાં જ આવેલ એક મિલ પણ આગ પ્રસરી ગઈ હતી અને કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થવાના કારણે મીલનું બે માળનું આખું સ્ટ્રક્ચર તૂટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, માર્ચ 2026 2277   |  
ગેસ એજન્સીઓનાં પાપે શહેરમાં રાંધણ ગેસ સીલિન્ડરનાં કાળાબજારની ફરિયાદો

સુરત, મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી ભીષણ યુદ્ધને કારણે ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલિયમ પ્રોડકટ્સ તેમજ લિકવીડ નેચરલ ગેસ (એલ.એન.જી.)ની અછત વર્તાવાની શરૂ થઇ ચૂકી છે. આવી સ્થિતિ વચ્ચે આજે સુરત શહેરમાં કેટલીક રેસિડેન્શિયલ ગેસ સીલિન્ડર એજન્સીઓએ ઓનલાઇન સીલિન્ડર બુકિંગ બંધ કરીને બળતામાં ઘી હોમવા જેવી સ્થિતિ પેદા કરી હતી. ગેસ એજન્સીઓનાં માલિકોએ મનસ્વી રીતે ઓનલાઇન સીલિન્ડર બુકિંગની વ્યવસ્થા બંધ કરી દેતા ગ્રાહકો દોડતાં થઇ ગયાં હતાં અને ગેસ એજન્સી ખાતે કતારો લગાડી દીધી હતી, જાેતજાેતામાં ગેસ સીલિન્ડર મળવાના નથી તેવી અફવાને કારણે લાખો પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ઇરાન વિરૂદ્ધ અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ગેસ સપ્લાયની ચેઇન તૂટી જવા પામી છે અને તેને કારણે કેન્દ્ર સરકારે કમર્શિયલ વપરાશ કરતા ગ્રાહકોના ગેસ સીલિન્ડર સપ્લાયમાં નિયંત્રણ મૂકવા તેમજ રેસિડેન્શિયલ ગેસ સીલિન્ડરમાં કોઇપણ પ્રકારનો શોર્ટ સપ્લાય ના થાય તેની તકેદારી રાખવા માટે દરેક જિલ્લા કક્ષાનાં અધિકારીઓને સૂચના આપી હતી. જાે કે શેઠ (કેન્દ્ર સરકાર)ની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ આજે સુરતમાં જાેવા મળ્યો હતો. રેસિડેન્શિયલ ગેસ સિલિન્ડરનું વિતરણ કરતી કેટલીક ગેસ એજન્સીઓએ આજે સવારે પોતાની બુકિંગ વ્યવસ્થા કે જે ઓનલાઇન હતી તે બંધ કરી દીધી હતી. જેને કારણે સામાન્ય લોકોમાં એવી અફવાઓનું જાેર વધી ગયું હતું કે હવે ગેસ સીલિન્ડર મળવાના નથી આથી લોકોએ ગેસ સીલિન્ડર મેળવવા માટે જાતે જ ગેસ એજન્સીઓ પર પહોંચી જઇને કતારો લગાડી દીધી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા માંડ્યા હતા. લ્લા પુરવઠા અધિકારી એવું કહી રહ્યાં હતાં કે ગેસ સીલિન્ડર વિતરણમાં કોઇ જ તકલીફ નથી અને લોકોને સરળતાથી સીલિન્ડર મળી રહેશે. કોમર્શિયલ ગેસમાં થોડી તકલીફ છે. બીજી તરફ એજન્સીઓએ ગ્રાહકોને ગેસ સિલિન્ડર નહીં આપવા માટે કે.વાય.સી. બાકી છે, ડોક્યુમેન્ટ ઓછા છે વગેરે જેવા બહાના કાઢીને લોકોનાં બુકિંગ લીધા નહીં અને પાછલે બારણે લાગવગીયા ગ્રાહકોને ગેસ સીલિન્ડરોનું વિતરણ કર્યું હોવાની ફરિયાદો લોકોએ કરી હતી. પુરવઠા અધિકારીએ આપેલી માહિતી મુજબ સુરત શહેરમાં ૮.૭૦ લાખ પરિવારોને ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનથી ગેસ પુરવઠો મળી રહ્યો છે. એલપીજીનાં ૭.૦૧ લાખ ગ્રાહકો છે અને જિલ્લામાં ૫૫ એજન્સીઓ છે, સુરત જિલ્લામાં ૭૫ હજાર ગ્રાહકો છે. ગેસ એજન્સીઓ ઉપર મોનિટરિંગ કરવા ૨૧ ટીમો બનાવી છે. એક અંદાજ મુજબ ૮૫ લાખની વસતી ધરાવતા સુરત શહેરમાં પરિવારોની સંખ્યા ૧૯ લાખ જેટલી છે, જેની સામે ૬૦ ટકા વસતી ગેસ સીલિન્ડર પર આધારિત હોવાનું મનાઇ રહ્યું છે. જાે તંત્ર ગેસ એજન્સીઓનાં વહિવટ પર સીધી દેખરેખ નહીં રાખે અગર તો આખ આડા કાન કરશે તો આગામી દિવસોમાં ગેસ સીલિન્ડરના મુદ્દે શહેરમાં ધમાલ મચી જાય તો નવાઇ નહીં હોય.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, માર્ચ 2026 2574   |  
શહેરની શાળાઓને તકેદારી રાખવા સૂચના

અમદાવાદ, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી દીધું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો છે. તેમજ ૧૬ માર્ચ સુધી હીટવેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જાે કે અત્યારે બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે. જેથી, કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સૂચના આપી છે કે, પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને બહાર તડકામાં ઊભા રાખવામાં ન આવે અને તેમને કેમ્પસમાં છાંયડામાં રાખવામાં આવે. તેમજ પૂરતા ઠંડા પાણી વ્યવસ્થા કરવાની અને આરોગ્ય વિભાગની ટીમને રાખવાની સૂચના આપી છે. અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, સાથે-સાથે બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે. જાેકે, હવે બોર્ડની પરીક્ષાના સમયમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. જેથી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સલામતીના પગલાં ભરવા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કારણ કે, ધોરણ-૧૦ની પરીક્ષા બપોરે ૧ વાગ્યે પૂર્ણ થતી હોય છે અને ધોરણ ૧૨ની પરીક્ષા ૩ વાગ્યે શરૂ થતી હોય છે ત્યારે આ સમયમાં જ ગરમીનો પારો સૌથી વધુ રહેતો હોય છે. જેથી, અત્યાર સુધી વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં અડધો કલાક પહેલા જ પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ, હવે વિદ્યાર્થીઓને વહેલા પ્રવેશ આપી છાંયડામાં બેસવાની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. ગરમીના કારણે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ રાખવામાં આવશે. ઠંડા પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવા પણ તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે. જેથી ગરમીના આકરા પ્રકોપ વચ્ચે અસહ્ય તાપમાં વિદ્યાર્થીઓને ઊભા નહી રહેવું પડે તેમજ આરોગ્ય વિભાગની ટીમ રાખવામાં આવશે જેના કારણે કોઈ વિદ્યાર્થી બીમાર થાય તો તાત્કાલિક સારવાર આપી શકાય. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પ્રભાવ વધ્યો છે. બપોરના સમયમાં તાપમાન ઊંચું રહેતા વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર બહાર લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે. કેટલાક વિદ્યાર્થીઓને ગરમીથી બીમાર થાય એવી શક્યતા રહેતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષા સેન્ટરોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, વિદ્યાર્થીઓને શક્ય તેટલા વહેલા સેન્ટરમાં પ્રવેશ અપાય અને તેમને છાંયડામાં બેસાડવામાં આવે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, ફેબ્રુઆરી 2026 4554   |  
સારોલીનાં વેપારી પાસેથી કાપડ ખરીદ્યા બાદ કોલકાતાનાં દુકાનદારનું રૂ. ૧૬ લાખનું ફ્રોડ

સુરત, સારાલીની શ્યામ સંગીની માર્કેટમાં દુકાન ધરાવતાં રાજસ્થાની વેપારી પાસેથી કાપડ ખરીદીમાં કોલકાતાનાં દુકાનદારે ૧૬.૨૧ લાખનું ચીટિંગ કર્યું હતું. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વેસુ ભરથાણાના રામેશ્વર પેલેસમાં રહેતા નવરતન તુલસીરામ બૈદ કાપડનો ધંધો કરે છે. રાજસ્થાનનાં ચુરુ જિલ્લાના વતની નવરતન બૈજ સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં શ્રી જય અંબે ટેક્સ્ટાઈલ નામથી પેઢી ધરાવે છે. તેઓ અલગ અલગ રાજ્યોનાં વેપારીઓ સાથે દલાલ હસ્તક વેપાર કરતાં આવ્યા છે. દને માર્કેટમાં દલાલીનું કામ કરતાં અને હમ વતની નિરંજન રાઠી સાથે વ્યક્તિગત પરિચય અને ધંધાકીય સંબંધ હતાં. ઓક્ટોબર ૨૦૨૧માં નિરંજન રાઠી બૈદની દુકાને ગયા અને કહ્યું હતું કે, કોલકોત્તાના મોટા વેપારીઓ મારા હસ્તક કાપડની ખરીદી કરે છે. તમે મારા હસ્તક તેમની સાથે વેપાર કરશો તો સારો નફો મળશે, એ વેપારીઓ પાસેથી પેમેન્ટની જવાબદાર મારી રહેશે. જુના સંબંધ હોવાથી દલાલ નિરંજન રાઠીની વાતમાં ભરોસો મૂકી બૈદ ધંધા માટે તૈયાર થયા હતાં. બાદમાં નિરંજને કોલકાતામાં રિદ્ધિ સિદ્ધિ ટેક્સ્ટાઇલ નામથી ધંધો કરતાં વિજય અગ્રવાલ સાથે બૈદને વાત કરાવી હતી. પમેન્ટનો ભરોસો મળતાં નિરંજનની એક ટકો દલાલી નક્કી કરી નવરતને તેના કહેવા અનુસાર માલ મોકલવા માંડ્યો હતો. વિજય અગ્રવાલને ૩૦ નવેમ્બર ૨૦૨૧ થઈ ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાંકુલ ૨,૨૧,૦૦,૪૯૭ કિંમતનું નેટિંગ કાપડ મોકલવામાં આવ્યું હતું. જેમા અગ્રવાલે ૨,૦૪,૭૯,૫૦૫ રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું હતું, જ્યારે બાકીનાં ૧૬, ૨૦,૯૯૨ રૂપિયા મુદ્દા વાયદાનો વેપાર કરાયો હતો. અનેક વખત ઉઘરાણી છતાં ન તો વેપારીએ પેમેન્ટ કર્યું કે ના દલાલે કરાવ્યું. જેથી નવરતને આ બંને સામે સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution