ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
26, એપ્રીલ 2026 1881   |  
રિવાબા જાડેજા, નેહા સુથાર, માયાભાઈની દીકરી સોનલ ડેર, અંકિતા પરમારે વોટિંગ કર્યું

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને મતદાન યોજાયું હતું ખાસ વાત એ છે કે આ વખતે તમામ મનપા, નગરપાલિકા અને પંચાયતોનું મતદાન એક જ દિવસે યોજાયું છે. જ્યારે અગાઉ અલગ અલગ દિવસોમાં મતદાન થતું હતું. આ ચૂંટણીને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે રાજ્યની ૧૭માંથી ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનો, ૩૪ જિલ્લા પંચાયત, ૨૬૦ તાલુકા પંચાયત અને ૮૪ નગરપાલિકાઓમાં મતદાન થયું મતદાન દરમિયાન કેટલાક વિસ્તારોમાં ટેકનિકલ સમસ્યાઓ પણ સામે આવી છે. ભરૂચમાં લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી હતી. જ્યારે જામનગરમાં ઈવીએમ મશીન ખોટકાતા લગભગ એક કલાક મોડું મતદાન શરૂ થયું હતું. છતાં પણ મતદારોમાં ઉત્સાહ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ૧૦૦ વર્ષના વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતા, તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે એક વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. આ ઘટનાઓ લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે. ચૂંટણીમાં અનેક જાણીતા ચહેરાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જાણીતા લોકગાયિકા રાજલ બારોટ પણ મતદાન માટે પહોંચ્યા હતા. તો સાંસદ ગેનીબેન ઠાકોરએ અબાસણા ગામે મતદાન કર્યું હતું. તો સાથે વડોદરાના જાણીતા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારે મતદાન કર્યું હતું.અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે ભાજપ ઉમેદવાર સોનલ ડેરએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરને ભાજપે ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ટિકિટ આપી છે. મતદાન કર્યા બાદ તેમણે મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહી મજબૂત બનાવવા સૌએ આગળ આવવું જાેઈએ એવો સંદેશ આપ્યો હતો. સાથે જ તેમણે આ બેઠક પર પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. જામનગરમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ૫માં આવેલી સત્ય સાંઈ સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તેમણે સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે મતદારો માટે સુવિધાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે. સાથે જ તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી. મહેસાણા જિલ્લામાં ભાજપ ઉમેદવાર નેહા સુથારએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી તેઓ ભાજપના ઉમેદવાર છે અને તેમણે સરદાર ગામે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ નેહા સુથારે જંગી મતોથી જીત મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગુજરાતની જાણીતી ગાયિકા અને કલાકાર તરીકે ઓળખાતી નેહા સુથારની ઉમેદવારીને લઈને વિસ્તારમાં ખાસ ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
26, એપ્રીલ 2026 1782   |  
રાજકોટમાં હંગામો થયો,કોંગ્રેસ ઉમેદવાર સહિત ૨૦ની અટકાયત કરવામાં આવાી

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવા બદલ વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત ૨૦ જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે. આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે મળતી માહિતી મુજબ, રાજકોટના વોર્ડ નંબર ૧૫માં જ્યારે મતદાન પ્રક્રિયા પૂરજાેશમાં ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી અને તેમના સમર્થકો મતદાન મથકની આસપાસ હોવાનું માલૂમ પડ્યું હતું. ચૂંટણી પંચના નિયમો મુજબ, મતદાન મથકની ૧૦૦ મીટરની અંદર કોઈપણ પ્રકારનો પ્રચાર કે જનસંપર્ક કરી શકાતો નથી. આરોપ છે કે આ લોકો નિયમ વિરુદ્ધ જઈને મતદારોને રીઝવવાનો કે પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મકબુલ દાવદાણી અને તેમની સાથેના અન્ય ૨૦ જેટલા સમર્થકોની અટકાયત કરી તેમને થોરાળા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મતદાન મથક પર શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.લગ્નપ્રસંગ જેમ ઢોલ-શરણાઈ સાથે ગ્રામજનો મત આપવા નીકળ્યા હાલ લોકશાહીના મહાપર્વ નિમિત્તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ૨૬મી એપ્રિલે આખા ગુજરાતમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે એક અત્યંત પ્રેરણાદાયક અને અનોખો નજારો રજૂ કર્યો છે. સામાન્ય રીતે ચૂંટણી એટલે વ્યૂહરચના અને રાજકીય ગરમાવો માનવામાં આવે છે, પરંતુ મોટા આંકડિયાના ગ્રામજનોએ તેને ખરા અર્થમાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણી તરીકે સ્થાપિત કરી છે. ગામમાં વહેલી સવારથી જ વાતાવરણ કોઈ લગ્નપ્રસંગ કે મોટા મહોત્સવ જેવું જ સર્જાયું હતું. આ અનોખી ઉજવણીની વિશેષતા એ હતી કે મતદારો માત્ર મતદાન મથક સુધી ચાલીને જવાને બદલે ઢોલ અને શરણાઈના તાલે મધુર સૂરો વચ્ચે મતદાન કરવા નીકળ્યા હતા. ઢોલના ધબકારે ગ્રામજનોમાં એક નવો જ જાેશ ભરી દીધો હતો અને દરેકના મુખ પર લોકશાહીના આ પર્વ માટેનો ગર્વ જાેવા મળતો હતો. શરણાઈના મંગલ સૂર વચ્ચે જ્યારે ગ્રામજનો સમૂહમાં મતદાન કરવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં ઊભેલા અન્ય લોકો પણ આ અનેરા ઉત્સાહમાં જાેડાયા વગર રહી શક્યા નહોતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 2376   |  
જૂનાગઢના ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે ધર્મસભા અને રેલી યોજવામાં આવી

જૂનાગઢ ખાતે આવેલ ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે આજે વિશાળ ધર્મસભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. ગિરનારની પવિત્રતા અને પરંપરાગત વારસાને જાળવવા માટે સૌએ એકસ્વરે અવાજ ઉઠાવ્યો અને વહીવટી તંત્ર સામે પોતાની ચિંતા વ્યક્ત કરી. આ સભાની ખાસ વાત એ રહી કે, અલગ-અલગ અખાડા અને સંપ્રદાયોના સંતોએ પોતાના મતભેદોને બાજુએ રાખીને એક મંચ પર આવી એકતાનું પ્રદર્શન કર્યું. કાર્યક્રમ દરમિયાન ગિરનાર ક્ષેત્રમાં થતી કથિત અતિક્રમણ પ્રવૃત્તિઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને તેના વિરુદ્ધ પગલાં લેવા માંગણી કરવામાં આવી. આ પ્રસંગે ગિરનારના રક્ષણ માટે એક સંગઠિત સમિતિ રચવાનો ર્નિણય લેવાયો. સાથે જ, સંબંધિત સત્તાધિકારીઓને રજૂઆત કરી એક મહિનાની અંદર યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. જાે સમયસર નિરાકરણ નહીં આવે તો આગળ વધુ આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી. સંતોએ પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો. તેમના કહેવા મુજબ, ગિરનાર આસપાસના જંગલ વિસ્તારમાં કેટલીક જગ્યાએ નિયમોના ઉલ્લંઘન સાથે બાંધકામ થઈ રહ્યું છે, જેને અટકાવવાની જરૂર છે.દુર્લભ અને ઔષધિય વૃક્ષોની સુરક્ષા તથા કુદરતી સંપત્તિને જાળવી રાખવાની માંગ પણ ઉઠાવવામાં આવી. આ ઉપરાંત, ગિરનાર વિસ્તારમાં નવી બાંધકામ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ, બિનઅધિકૃત રચનાઓ દૂર કરવી અને પવિત્ર સ્થળોની મૂળ સ્થિતિ જાળવી રાખવા માટે યોગ્ય પગલાં લેવા કહેવામાં આવ્યું. ધાર્મિક સ્થળો સાથે જાેડાયેલી સંસ્થાઓને આવતી મુશ્કેલીઓ દૂર કરવા અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી. શ્રદ્ધાળુઓ માટે પાણી, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો. તેમજ, ગિરનાર સાથે જાેડાયેલા ધાર્મિક મેળાઓને વિશેષ માન્યતા આપવા અને વધુ સગવડો ઊભી કરવાની માંગ કરવામાં આવી. આ કાર્યક્રમને સ્થાનિક વેપારીઓએ પણ સમર્થન આપ્યું હતું. અંતે, સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જાે સરકાર દ્વારા યોગ્ય અને સમયસર પગલાં નહીં લેવાય, તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, એપ્રીલ 2026 2673   |  
ચૂંટણીમાં વિશ્વાસ તૂટ્યો તો મારા ઘરના દરવાજા બંધ થશે : બારડ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષિત કરવા યેનકેન પ્રકારના પ્રયાસો રાજનેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગિર સોમનાથ જિલ્લાના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે. જાેકે ભગવાન બારડના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના એક નિવેદનથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સૂત્રાપાડા નજીક ગોરખમઢીમાં યોજાયેલી ભાજપની સભા દરમિયાન તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે મતદાતાઓને સ્પષ્ટ શબ્દોમાં સંદેશો આપ્યો હતો કે, મતદાન સમયે વિશ્વાસ જાળવવો ખૂબ જરૂરી છે. ધારાસભ્ય ભગવાન બારડે સભા દરમિયાન જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે છે. તેમના નિવેદનનો સાર એવો હતો કે, મતદાન સમયે કોઈ ગેરસમજ અથવા “ભૂલ” ન થવી જાેઈએ, કારણ કે તે વિશ્વાસને અસર કરી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ સમાજના સમર્થન પર આધાર રાખીને રાજકીય ર્નિણય લે છે, તેથી આ સંબંધ મજબૂત રહેવું જરૂરી છે. આ સાથે તેમણે આહીર સમાજના લોકોને મતદાનમાં ભૂલ ન કરવા કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઇ જશે. ભરોસો તોડનાર વ્યક્તિને હું નહીં સ્વીકારું, અમે તમારા વતી કોઈકને ભરોસો આપીને બેઠા છીએ એટલે તમારો અને મારો વિશ્વાસ ન તૂટે એનું ધ્યાન રાખજાે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 3168   |  
ઉત્તરપ્રદેશથી ૧૦૦૦થી વધુ શ્રદ્ધાળુ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરશે

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત ૧૦૦૦ વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ચંદન તિલક અને ઉપવસ્ત્ર અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોને સન્માનપૂર્વક દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રત્યેક ભક્ત માટે જલાભિષેકની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોમનાથ મહાદેવના અલૌકિક દર્શન અને જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. પધારેલા ભક્તોને ભગવાન સોમનાથની સાયંકાળની આરતીના સુંદર દર્શન થઈ શકે તે હેતુથી, મંદિર પરિસરમાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયનમાં વિશાળ ન્ઈડ્ઢ સ્ક્રીન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભક્તોએ શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી નિમિત્તે તૈયાર કરાયેલ વિશેષ ગીત અને ડોક્યુમેન્ટ્રી નિહાળી હતી. શ્રી સોમનાથ મંદિરનો યુગ-યુગાંતરનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવતો ૩ડ્ઢ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને સૌ ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 2673   |  
ગ્રામ પંચાયત ભવન બનાવવા હોય તો ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રાન્ટ ફાળવાશે

ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ નું ગ્રાન્ટ ફાળવણી પર વિવાદિત નિવેદન બાદ મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી દ્વારા જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નું નિર્માણ તથા ૨૧ લાખ ગ્રાન્ટ ફાળવાશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે. શુ ચૂંટણી પંચ પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર સત્તા પક્ષ દ્વારા યેનકેન પ્રકારે પણ સત્તા હસ્તે કરવા વિવિધ હથકંડા અપનાવવામાં આવતાં હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેફામ વાણી વિલાસ કરી ધાકધમકી નું વાતાવરણ ઉભું કરી મતદારો પર હાવી થવાના પ્રયાસ કરતાં હોય ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ મિતેષ પટેલે ગ્રાન્ટ ફાળવણી ના મુદ્દે વિવાદિત નિવેદન કર્યાબાદ વધુ એક ભાજપ નેતા મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ સ્વરાજકીય સંસ્થા ના ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર સમયે વાણી વિલાસ કરતાં હોય તેમ જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નિર્માણ તથા ૨૧ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ચર્ચાની એરણે ચઢવા પામતાં રાજકારણ ગરમાતા શું ચૂંટણી આયોગ આ મુદ્દે પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 3267   |   વડોદરા   |  
યુસુફ પઠાણના સસરા અને તેમના સાળાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણના સસરાની તેમના પુત્ર અને અન્ય એક સંબંધી સાથે ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે બે દિવસ પહેલા, ભાયખલા વિસ્તારમાં એક વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે વ્યક્તિની કાર ખાડામાંથી પસાર થઈ હતી અને તેમાંથી એક પર પાણી છાંટા પડ્યા હતા. ભાયખલા પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસી યુસુફ ખાન શનિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાંથી પાણીના છાંટા પડ્યા અને શોએબ ખાન પર પડ્યા. યુસુફ ખાને પોલીસને જણાવ્યું કે તેણે કાર રોકી અને તરત જ માફી માંગી, પરંતુ શોએબે તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને વાંસની લાકડીથી કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ શોએબે યુસુફ ખાન પર હુમલો કર્યો, જેમાં તેમને ઈજા થઈ.ઘરે પાછા ફર્યા પછી, યુસુફ ખાનના પરિવારે તેને પોલીસ પાસે જવાની સલાહ આપી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં, તેમનો સામનો ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) સાથે થયો, જેણે તેના પુત્ર ઉમરશાદ ખાન, શોએબ અને અન્ય આરોપી શાહબાઝ પઠાણ સાથે મળીને દલીલ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ, ખાલિદ, ઉમરશાદ, શોએબ અને શાહબાઝે યુસુફ ખાન અને તેના સંબંધીઓ પર વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 3762   |   વડોદરા   |  
જમ્યાં બાદ ૪૦૦થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ગઈકાલ સોમવારે રાત્રે ભોજન સમારંભ બાદ ભોજન આરોગનાર ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલાઓને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદમાં એક તરફ લગ્નસરાની મોસમ પુર બહારમાં ખીલી છે. અને ઠેર ઠેર લગ્ન પ્રસંગોના જમણવાર યોજાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આગ ઓકતી ગરમીએ તોબા પોકારાવી દીધા છે. અને આવી આગ ઝરતી ગરમીમાં તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેત રહેવા માટે લોકોને કરવામાં આવતી અપીલ વચ્ચે ગરબાડાના અભલોડ ગામે એક લગ્ન પ્રસંગના યોજાયેલ જમણવારમાં ભોજન કર્યા બાદ ૪૦૦ થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં રીતસર દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના બાદ તાત્કાલિક ધોરણે ખોરાકી ઝેરની અસર પામેલા તમામ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ, તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતાં. જ્યારે ૨૦૦થી વધુ લોકોને ગામમાં જ સ્થાનિક ડોક્ટરો દ્વારા તેમજ ગામના સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગરબાડા તાલુકાના અભલોડ ગામના ગામતળ ફળિયામાંય રહેતા ભરતભાઈ રાઠોડના નાના છોકરાના લગ્ન હોવાથી લગ્નમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવારમાં દાળ, ભાત, પૂરી, શાક, પાપડ, કેરીનો રસ તેમજ પનીરનું શાક વગેરે વ્યંજનો બનાવવામાં આવ્યા હતા. જે ખાધા બાદ ૪૦૦ થી વધુ એટલે કે ૭૦% લોકોને ખોરાકની ઝેરની અસર થઈ હતી. સાંજના છ વાગ્યાથી શરૂ થયેલા જમણવારમાં ભોજન આરોગ્ય બાદ રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ તમામ લોકોને એક પછી એકને ખોરાકી ઝેરની અસર વર્તાતા ગામમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી તમામ અસરગ્રસ્ત લોકોને ૧૦૮ ઇમરજન્સી વાન તથા ખાનગી વાહનો તેમજ જેને જે મળે તે સાધનમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા હતા.૫૦થી વધુ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ૧૫૦થી વધુ લોકોને દાહોદની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર હશે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય અંદાજે ૨૦૦ જેટલા લોકોને ગામમાં જ હાજર પાંચ થી છ ડૉક્ટરો તેમજ પીએસસી સેન્ટરના ડોક્ટરોને બોલાવી હળ પર જ સારવાર આપવાની ગોઠવણ કરવાની ફરજ પડી હતી. આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી જેથી તંત્રએ હાશકારો લીધો છે. કેટલાકને ખોરાકી ઝેરની ગંભીર અસર થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૈકી કેટલાકને આજે સવારે રજા આપી દેવામાં આવી હોવાનું જ્યારે કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ખોરાકી ઝેરની અસર થઈ હોવાની જાણ થતા જ ફૂડ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ સફાળું જાગી ઉઠ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 3069   |   વડોદરા   |  
મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે ઓનલાઇન ઈન્જેક્શન વેચતા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી

વડોદરા ખોરક અને ઔષધ નિયમન તંત્રની ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા ગત તા.૨૨મી ડિસેમ્બરના રોજ હાથ ધરાયેલી તપાસમાં રાજ્યમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વડોદરાના દિવાળીપુરા, આર.કે પ્લાઝા સ્થિત હેક્સપ્રેસ હેલ્થકેર કન્સ્યુમર લી,ની શંકાસ્પદ ભૂમિકા જણાતા તેની તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં સારાભાઈ રોડ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે આવેલ એટલાન્ટીસ કોમ્પલ્ક્સમાં આવેલ મેડીકેમેન્ટ સોલ્યુશન પ્રા.લી. નામના મેડીકલ સ્ટોરનું નામ પ્રકાશમાં આવ્યુ હતુ.આ મેડીકલ સ્ટોર દ્વારા મેદસ્વીતા ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા મોન્જારો ક્વીકપેન નામના ઈન્જેક્શનનું વેબસાઈટ પર ભ્રામક જાહેરાતો દ્વારા ગેરકાયદસર રીતે વેચાણ કરવામાં આવતુ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.ત્યારે તંત્રના અધિકારીઓ બનાવટી ગ્રાહક બનીને ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. જેમાં દવા-ઈન્જેક્શન ભરેલુ પાર્સલ, પોસ્ટ મારફતે મળતા જેનુ પંચનામું કરીને કાર્યવાહી કરાઈ હતી. સંસ્થાઓ અને સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા મેળાપીપણુ રચીને ડોક્ટરની સલાહ કે માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન ઓર્ડર મેળવીનેે દર્દીની શારીરીક સ્થિતિની તપાસ કર્યા વગર સીધાજ ધરના સરનામે આ દવાઓ કુરીયર દ્વારા મોલલવામાં આવતી હતી. પ્રક્રિયામાં દવાની ગંભીર આડઅસરો છુપાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતા હતા. તંત્ર દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટના ભંગ બદ્દલ મે.સ. મોડીકેમેન્ટ સોલ્યુશન્સ પ્રા. લી.નું લાયસન્સ તાત્કાલીક કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું હતુ.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 3267   |   વડોદરા   |  
જનતાનું કામ હોય તો આચારસંહિતા નડે, તો શું આને કોઈ નિયમ નથી નડતા?

વડોદરા શહેર, જેને આપણે સંસ્કારી નગરી કહીએ છીએ, ત્યાં અત્યારે જે દ્રશ્યો જાેવા મળી રહ્યા છે તે સંસ્કારિતા નહીં પણ ‘સત્તાની ર્નિલજ્જતા’ના દર્શન કરાવે છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, આચારસંહિતાનો અમલ ચાલુ છે, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી)ના તંત્ર માટે આ આચારસંહિતા માત્ર જનતાના કામો રોકવા માટેનું એક બહાનું બની ગઈ છે. જ્યારે સામાન્ય નાગરિક પોતાની ગલીના ખાડા, ગંદા પાણી કે ઉભરાતી ગટરની ફરિયાદ લઈને જાય છે, ત્યારે તંત્ર ‘આચારસંહિતા નડે છે’ કહીને તેને મોઢા પર જવાબ આપી દે છે. પરંતુ, શું આ આચારસંહિતા મેયર અને ડેપ્યુટી મેયરની આલીશાન ચેમ્બરોના રંગરોગાન માટે નથી નડતી?ગુજરાત રાજ્યની જનતા જે પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરે છે, તે નાણાંનો ઉપયોગ અત્યારે જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે સત્તાના સિંહાસનોને ચમકાવવા માટે થઈ રહ્યો છે. મેયર અને ડેપ્યુટી મેયરની ચેમ્બરોથી લઈને સભાખંડ સુધી જે રીતે ફર્નિચર રિપેરિંગ અને પેઇન્ટિંગનું ‘યુદ્ધના ધોરણે’ કામ ચાલી રહ્યું છે, તે જાેઈને સવાલ થાય છે કે શું આ કોર્પોરેશન છે કે કોઈ નેતાના ઘરનો પ્રસંગ? જે ઝડપ અત્યારે સભાખંડને ‘લવિંગિયા’ જેવો લુક આપવામાં બતાવવામાં આવી રહી છે, જાે તેની દસ ટકા ઝડપ પણ શહેરના ફતેગંજ, કારેલીબાગ, રાવપુરા, અલકાપુરી કે માંજલપુરના રસ્તાઓ ઠીક કરવામાં બતાવી હોત, તો આજે જનતાએ આક્રોશ ન ઠાલવવો પડત. તંત્રની બેવડી નીતિ જુઓ, નવા રસ્તા બનાવવા હોય, પાણીની લાઈન નાખવી હોય કે સ્ટ્રીટ લાઈટ રિપેર કરવી હોય તો આચારસંહિતાનો કાયદો વચમાં આવે છે. પણ જ્યારે નવી ચૂંટાનારી બોડીના સ્વાગત માટે લાલ જાજમ બિછાવવાની હોય અને એર-કન્ડિશન્ડ ચેમ્બરોને ચકચકાટ કરવાની હોય, ત્યારે કોઈ કાયદો નડતો નથી. આને જ કહેવાય ‘લોકોને ઉલ્લૂ બનાવવાની કળા’. વડોદરા તંત્ર અત્યારે એવા બાપની ભૂમિકા ભજવી રહ્યું છે જેની પાસે દીકરીના લગ્નની તૈયારી માટે તો લાખો રૂપિયા છે, પણ આખા વર્ષ દરમિયાન ઘરના રાશન માટે પૈસા નહોતા. કોણ મેયર બનશે અને કોણ સત્તા પર બેસશે તે તો મતપેટીઓ નક્કી કરશે, પણ તંત્રએ તો ‘વર વગર જાન’ જાેડી દીધી છે. જનતા પૂછી રહી છે કે- શું નવી ચેમ્બરોમાં બેસવાથી વડોદરાના દૂષિત પાણીની સમસ્યા ઉકેલાઈ જશે? શું મોંઘા ફર્નિચર પર બેસનારા નેતાઓ રસ્તા પરના જીવલેણ ખાડાઓ જાેઈ શકશે? શું રંગરોગાન કરેલી દીવાલોની પાછળ જનતાની ચીસો દબાઈ જશે? વડોદરા મહાનગર પાલિકાનું આ વલણ અત્યંત નિંદનીય છે. એક તરફ શહેર સ્માર્ટ સિટીના નામે માત્ર કાગળ પર ચમકી રહ્યું છે અને બીજી તરફ વાસ્તવિકતામાં ગટર અને ગંદકીના ગંજ છે. જનતાના ટેક્સના નાણાં આ રીતે ધુમાડો કરવા માટે નથી.સત્તાના નશામાં ચૂર નેતાઓ અને તેમના ઈશારે નાચતું તંત્ર એ ભૂલી ગયું છે કે આ આલીશાન ચેમ્બરો જનતાની ભીખ નથી, પણ જનતાની સેવા માટેની અમાનત છે. જાે નવી બોડીના સ્વાગત માટે આટલો ઉત્સાહ હોય, તો ચૂંટાયા પછી પ્રજાનાં કામો માટે આનાથી બમણો ઉત્સાહ હોવો જાેઈએ. વડોદરાના નાગરિકોએ હવે સવાલ પૂછવાની જરૂર છે- જાે અમારી ગલીનો રસ્તો આચારસંહિતામાં નથી બનતો, તો તમારી ચેમ્બરની દીવાલ પર રંગ કેમ ચડે છે? તંત્રના આ ભ્રષ્ટ અને પક્ષપાતી વલણના કપડાં અત્યારે વડોદરાની શેરીઓમાં ઉતરી રહ્યા છે. જાે દીવાલો જ ચમકાવવી હોય તો ઓફિસની નહીં, જનતાના જીવનની ચમકાવો. બાકી આ ‘ચકચકાટ’ ચૂંટણીના પરિણામો પછી ફીકો પડી જશે એ નક્કી છે. જનતાના ખિસ્સા ખાલી કરીને નેતાઓના ઠાઠ વધારતા તંત્રને શરમ આવવી જાેઈએ. આચારસંહિતા નિયમ છે, અન્યાય કરવાનું લાયસન્સ નથી!


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
26, એપ્રીલ 2026 1881   |  
હાઈકોર્ટે બીજું લગ્ન કરનાર આરોપીને નિર્દોષ છૂટકારાના આદેશને યોગ્ય ઠેરવ્યો

ગુજરાત હાઈકોર્ટે પ્રથમ લગ્ન હોવા છતાં બીજું લગ્ન કરવાનો આરોપ ધરાવતા એક વ્યક્તિના નિર્દોષ છૂટકારાના આદેશને માન્ય રાખ્યો છે. વડીઅદાલતે પોતાના આદેશમાં જણાવ્યું છે કે દ્વિ-પત્નીત્વ ના ફોજદારી કેસમાં, માત્ર સહજીવન અથવા સંતાનના જન્મના આધારે લગ્નની ધારણા કરી શકાય નહીં. આ કેસમાં પત્ની ત્રણ દાયકા અગાઉ તેના પિયર જતી રહી આ કેસ પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં વર્ષ ૧૯૯૯માં આરોપીના સસરા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાંથી ઉદભવ્યો હતો. ફરિયાદ મુજબ આરોપીએ ૧૯૮૯માં લગ્ન કર્યા હતા, પરંતુ વૈવાહિક વિવાદો બાદ તેની પત્ની વર્ષ ૧૯૯૬માં તેના પિયર જતી રહી હતી. પતિ ઉપર આક્ષેપ હતો કે પ્રથમ લગ્ન કાયદેસર રીતે અસ્તિત્વમાં હોવા છતાં તેણે ૧૯૯૮માં બીજું લગ્ન કર્યું હતું. આ આક્ષેપને સાબિત કરવા માટે ફરિયાદીએ કથિત બીજા લગ્નથી જુલાઈ, ૧૯૯૯માં જન્મેલી દીકરીનો આધાર લીધો હતો અને બાળકીનું જન્મનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. બીજા લગ્ન થયા હોવાનો દાવો સાબિત કરવા માટે એક સાક્ષીની પણ તપાસ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૬માં પાટણ કોર્ટે આ ફરિયાદને નકારી દીધી હતી. કોર્ટે પ્રથમ દૃષ્ટિએ એવું અવલોકન કર્યું હતું કે આ કેસમાં તેની પાસે પ્રાદેશિક અધિકારક્ષેત્ર નથી. કારણ કે કથિત બીજું લગ્ન આણંદમાં થયું હતું અને યુગલ ત્યાં જ રહેતું હતું. તેમ છતાં ટ્રાયલ કોર્ટે ગુણ-દોષના આધારે મામલાની તપાસ કરી અને નિષ્કર્ષ કાઢ્યો હતો કે બીજું લગ્ન સાબિત થયું નથી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
26, એપ્રીલ 2026 1782   |  
બકરાણાના પરણવા જતાં યુવાને જાન પ્રસ્થાન કરતાં પહેલાં મતદાન કરીને દાખલો બેસાડ્યો

આજે જ્યારે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે, ત્યારે સાણંદ તાલુકાના બકરાણા ગામમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. અંગત જીવનના સૌથી મહત્વના એવા લગ્ન પ્રસંગના દિવસે પણ એક યુવાને પોતાની નાગરિક ફરજને પ્રથમ પ્રાધાન્ય આપીને સમાજને જાગૃતતાનો સુંદર સંદેશ આપ્યો છે.બકરાણાના નિવાસી ગૌતમ પટેલના પુત્ર વૈભવના આજે લગ્ન હતા. લગ્ન માટે જાન પ્રસ્થાનનું મુહૂર્ત સવારે ૭:૩૧ કલાકે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે લગ્નની ધમાલ અને તૈયારીઓ વચ્ચે લોકો અન્ય કામો વિસરી જતા હોય છે, પરંતુ વૈભવે અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.તેમણે પોતાના લગ્નના વેશમાં સજ્જ થઈ, જાન લઈને નીકળતા પહેલા મતદાન મથકની મુલાકાત લીધી હતી. ‘પહેલા મતદાન, પછી લગ્ન ના સૂત્રને સાર્થક કરતા વૈભવે પોતાનો અમૂલ્ય મત આપીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. મતદાન કર્યા બાદ જ તેમણે નિર્ધારિત મુહૂર્તે લગ્ન માટે પ્રસ્થાન કર્યું હતું. વૈભવના આ જાગૃત અભિગમ વિશે વાત કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે:”આ પ્રસંગ દર્શાવે છે કે વ્યક્તિગત ખુશીઓ જેટલી જ દેશ અને લોકશાહી પ્રત્યેની જવાબદારી પણ મહત્વની છે. યુવા પેઢીનો આવો ઉત્સાહ અન્ય મતદારો માટે પણ પ્રોત્સાહન પૂરું પાડે છે.બકરાણાના આ નવયુવાને લગ્નના પવિત્ર દિવસે મતદાન કરી ન માત્ર પોતાની ફરજ નિભાવી, પરંતુ સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પણ પ્રસ્તુત કર્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
26, એપ્રીલ 2026 1683   |  
મતદાન દરમિયાન ઇવીએમ ખોટકાવાના અને પક્ષોના કાર્યકરો વચ્ચે ખેંચતાણના ઢગલેબંધ બનાવો

અમદાવાદ ના ખોખરા વોડઁ મા સેવન્થ ડે સ્કુલ માં મતદાન મથક નંબર-૬ રુમ નંબર પાંચ માં બોગસ મતદાન ને લઈને હોબાળો થયો હતો..બન્ને પક્ષના ના એજન્ટ ઓ એ તેમના ઉમેદવારોને બોલાવી લીધા હતા..મતદાન અધિકારી ઓ એ મામલો થાળે પાડી ને મતદાન પ્રક્રિયાને ચાલુ રખાવી હતી..થોડીક મિનિટો માટે મતદાન અટકાવવા માં આવ્યું હતું.. જાેકે સમાન નામ ધરાવતા મતદાર ને લઈ ને હોબાળો થયો હતો .ખોખરા પોલીસ ને જાણકારી મળતા પોલીસ ની ત્રણ ગાડી ઓ અને ડી સ્ટાફ ના જવાનો આવી ને મતદાર સિવાય ના રાજકીય કાર્યકરો ઓને બહાર મોકલી ને છેલ્લી ઘડી ના મતદાન માટે આવતા નાગરિકોને મતદાન મથક ની અંદર લઈ જવા ચુસ્ત બંદોબસ્ત સાથે વ્યવસ્થા કરી હતી. એલિસબ્રિજ ગુજરાતી શાળા નંબર ૧૪માં હોબાળો થયો છે. અંતિમ ઘડીના મતદાન સમયે મતદારો અને હોમગાર્ડ વચ્ચે મતદાન મથક પર ઘર્ષણ થયું છે. હોમગાર્ડ દ્વારા મતદારનું ગળું દબાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી માધવ સ્કૂલમાં પણ મતદારો જાેવા નથી મળી રહ્યા. ખાસ કરીને આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી નોંધાયું હતું, જેને પગલે અતિશય ગરમી હોવાને કારણે મોટાભાગના લોકોએ વહેલી સવારે જ મતદાન કરી લીધું હતું. અમદાવાદના ખાડિયા વોર્ડમાં બાલભવન ખાતે કોંગ્રેસના ઉમેદવારનું બટન દબાવવામાં આવતું નહોતું, જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા બુથ ઉપર મતદાન બંધ કરાવવામાં આવ્યું હતું. મતદાન બંધ કરાવી અને હોબાળો કરવામાં આવ્યો હતો. જાેકે રજૂઆત બાદ તાત્કાલિક ધોરણે ઈફસ્ મશીન બદલી નાખવામાં આવ્યું હતું. મતદાન મથક પર બુથ બંધ કરાવી દેવામાં આવ્યું હતું, જેના પગલે તાત્કાલિક ધોરણે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને તેમનો પુત્ર જૈવલ ભટ્ટ સહિતના ભાજપના કાર્યકર્તાઓ મતદાન મથક પર પહોંચી ગયા હતા અને ઇવીએમ બદલી નાખવામાં આવતા મતદાન ચાલુ કરવામાં આવ્યું હતું. વાસણા વોર્ડમાં બુથ નંબર ૪૩ , જીબી શાહ કૉલેજમાં બેલેટ યુનિટ માં એક બટન હાર્ડ હતું પણ મત આપ્યા પછી લાલ લાઉટ થતી હતી જે બાબતે માસ્ટર ટ્રેનર એ તપાસ કરીને કર્યું હતું કે મશીન ચાલુ હતુ છે તેમ છતાં તે બૂથમાં બીયુ બદલ્યુ હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
26, એપ્રીલ 2026 1584   |  
ચૂંટણી નિરીક્ષક અવંતિકા સિંઘે મતદાન મથકોની મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવ્યો

અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ચૂંટણી નિરીક્ષક અવંતિકા સિંઘ ઔલખ દ્વારા આજે મતદાનના દિવસે શહેરના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.ચૂંટણી નિરીક્ષકે સવારે એસ.પી. સ્ટેડિયમની વિદ્યાનગર હાઇસ્કૂલ, ઉસ્માનપુરાના વિવિધ બુથ, નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલના બુથ, નવરંગપુરાની એ.જી. ટીચર્સ હાઇસ્કૂલના બુથ તેમજ સી.એન. વિદ્યાલયના વિવિધ બુથની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન તેમણે મતદાન મથકો પર મતદારો માટેની સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા નિહાળી હતી. ચૂંટણી નિરીક્ષકશ્રીએ મતદાન મથકો પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી અને તંત્રની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
26, એપ્રીલ 2026 1386   |  
શહેરમાં ૪૪ ડિગ્રીની ગરમી વચ્ચે પણ મતદારોનું જુસ્સાભેર મતદાન: છૂટીછવાઇ ઘટનાઓ પણ ઘટી

અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ ગઇ છે.. આ લખાય છેત્યાં સુધીમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર ૪૬ ટકા જેટલું મતદાન થયુ છે. ધોમધખતા તાપમાં પણ મતદારોએ રંગ રાખીને મોટાપાયે મતદાન કર્યુ હતું.. ગરમીના એલર્ટના પગલે સવારથી જ મતદારો મતદાન મથકો ઉપર ઉમટ્યા હતા અને મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી... રવિવાર હોવાને કારણએ સવારના પહોરમાં જ મતદાન કરીને લોકો પોતાના કામે વળગી ગયા હતા. તંત્ર દ્વારા પણ મતદાન મથકો ઉપર પાણી, છાયડા અને મેડિકલ કીટની વ્યવસ્થા કરવામાં આવતા મતદારોને પણ હાશકારો થયો હતો. બીજીતરફ કેટલીક નાની મોટી ઘટનાઓ પણ ઘટી હતી.. કુબેરનગર ,એલિસબ્રિજ જેવા વિસ્તારોમાં મારામારી અને આક્ષેપબાજીના પણ બનાવો બન્યાં હતા કેટલાંક સ્થળોએ હોમગારાડઝ અને મતદારો વચ્ચે પણ બોલાચાલી થઇ હતી. શહેરના પૂર્વ વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ વધુ જાેવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકો કતારોમાં ગોઠવાયા હતાં.. આ રિપોર્ટ ફાઇલ થયો ત્યાં સુધીમાં શાહપુર, મક્તમપુરા જેવા વિસ્તારોમાં સૌથી વધુ મતદાન થયું હતુ. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં ઓછુ મતદાન થયાના અહેવાલ સાંપડી રહ્યાં છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
26, એપ્રીલ 2026 2277   |  
ભાજપી નેતા અમિતસિંહને મતદાનનાં આગલા દિવસે બદનામ અને બ્લેકમેલ કરાતા ફોજદારી

લિંબાયત ગોડાદરા વિસ્તારમાં ભાજપનાં બહુચચિર્ત નેતા અમિતસિંહ રાજપૂત અંગે ફેસબુક પર બિભત્સ, બદનામી કારક પોસ્ટ મૂકયા બાદ એ ડિલીટ કરવા એક લાખ રૂપિયાની માંગણી કરી ૧૦,૦૦૦ પડાવી લેનાર અરુણ પાઠક અને મોહન કનોજીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી અનુસાર ડિંડોલીમાં મધુરમ સર્કલ પાસે સેફરોન બંગલોઝમાં રહેતાં અમિતસિંહ જમનાસિંહ રાજપૂત ભારતીય જનતા પાર્ટીના નેતા છે. મહાનગર પાલિકામાં સાશક પક્ષ નેતા રહી ચૂકેલા અમિતસિંહ રાજપૂત આ વખતે પણ ચૂંટણી લડી રહ્યા છે. ગોડાદરાના એસ. કે. નગરમાં કાર્યાલય ધરાવતા અમિતસિંહ ૨૪મી તારીખે ચૂંટણી પ્રચાર સાથે સોશિયલ મીડિયા થકી મતદારો સાથે સંવાદ કરી રહ્યા હતાં.આ દરમિયાન રાજપૂતનાં ધ્યાને આવ્યું હતું કે, અરુણ પાઠક નામની ફેસબુક આઇડી ધરાવતા વ્યક્તિએ તેમના અંગે એક પોસ્ટ મૂકી હતી. ખૂબ બિભત્સ શબ્દો સાથે લખાણ મૂક્યું હતું. પાઠકની બીજી પોસ્ટમાં ઈતના ભ્રષ્ટાચાર ઇતને અચ્છે કુકર્મ કરને કે બાદ ભી ભાજપાને ઐસે ઇંસાન કો ટીકીટ દિયા જો ગોડાદરા લીંબાયત કી જનતા કો ... સમઝતા હૈ, ‘ જાગો નાગરિક જાગો આપ કયા ચાહતે હો, કલ કો યહ દોગલા બીજેપી કા નેતા અમિતસિંહ રાજપૂત આપકે ઉપર રાજ કરે, આપકો ભીખ માંગને પર મજબુર કરે એવું લખાણ હતું. અરુણ પાઠકે ત્યારબાદ ‘ટિકિટ સ્કેમર, નારી શક્તિ કા બલાત્કારી, આજ ગોડાદરા ડિંડોલી પર ભાજપા કી ટિકટ પર રાજ કરને જા રહા હૈ, જનતા જનાર્દન કો અપના પરિચય બતાના ચાહિયે’ જે મુજબની પોસ્ટ પણ મૂકી હતી. આ ઉપરાંત ગુજરાતી ભાષામાં ‘જે વ્યકિત સત્તા માટે પોતાના બાળકને ભુલી શકે છે તે જનતાને વેચવા માટે કોઇ કસર બાકી ના રાખશે, ગોડાદરાની જનતા જાગૃત થાઓ, આવા નેતાઓને ઓળખો‘ એવું લખ્યું હતું. આ ઉપરાંત પણ અભદ્ર શબ્દપ્રયોગ કરી વ્યક્તિગત માનહાનિ કરતી પોસ્ટ પાઠકે મુકી હતી. આ પોસ્ટ વાંચી ત્યારે અમિતસિંહને યાદ આવ્યું કે, અરુણ પાઠકે દસેક દિવસ અગાઉ તેમને કોલ કરી ચૂંટણી બાબતે વાતચીત કરવા સાથે તેમના રાજકીય છબી ખરડાય એવી વાતો કરી પૈસાની માંગણી કરી હતી. જો કે, એ સમયે તેઓ પ્રચારમાં વ્યસ્ત હોય એ કોલ બાબતે વધુ ધ્યાન આપ્યું ન હતું. ત્યારબાદ અરુણ પાઠકનાં મળતીયા મોહન કનોજીયાએ અમિતસિંહ સાથે રહેતાં રિન્કુસિંહને કોલ કર્યો હતો. એ કોલમાં કનોજીયા સાથે પાઠકે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમિતસિંહ વિરૂદ્ધની તમામ પોસ્ટ ડીલીટ કરવી હોય તો અમને એક લાખ રૂપિયા આપવા પડશે. જેથી રિન્કુએ તેમને હાલ હું ૧૦ હજાર ટ્રાન્સફર કરાવું છું તમે પોસ્ટ ડિલીટ કરી દો એવી વાત કરી હતી. જેથી મોહન કનોજીયાએ રિન્કુને સ્કેનર મોકલ્યું હતું. જેમાં રિન્કુએ પહેલા એક રૂપિયા, પછી ૧૦૦ અને ત્યારબાદ ૧૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. આ પૈસા લીધા બાદ અરૂણ પાઠકે ફકત એક જ પોસ્ટ ડીલીટ કરી હતી. આ પોસ્ટ ડીલીટ કર્યાનું તેણે વીડિયો કોલથી બતાવ્યું પણ હતું. ત્યારબાદ ૨૫,૦૦૦ મોકલો તો બીજી પોસ્ટ ડિલીટ કરું એમ કહી વધુ પૈસાની માંગણી કરાઇ હતી. જેથી અમિતસિંહ રાજપૂતે અરુણ પાઠક અને મોનજ કનોજીયા સામે ગોડાદરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
26, એપ્રીલ 2026 1980   |  
ગૃહ કંકાસથી કંટાળી ડીંડોલીના એકાઉન્ટે જીવન ટૂંકાવ્યું

સુરત શહેરમાં આવેલા ડીંડોલીમાં રહેતા એકાઉન્ટે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે તેની પત્ની તેમજ પિતા સાથેના ઝઘડા થતા હતા. પોલીસ તપાસમાં યુવકે ગૃહ કંકાસથી કંટાળી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ડીંડોલી ડી-માર્ટની સામે આવેલ પ્રયોશા જવેલમાં રહેતા ૩૭ વર્ષીય હિરેનકુમાર રમેશભાઈ પંડ્યા ખાનગી કંપનીમાં એકાઉન્ટની નોકરી કરતા હતા. હિરેનકુમારને સંતાનમાં એક પુત્ર છે. જે નવસારી ખાતે હોસ્ટેલમાં રહી ધોરણ-૬માં અભ્યાસ કરે છે. હિરેનકુમારનો તેની પત્ની તેમજ બારડોલી ખાતે રહેતા પિતા સાથે કોઈકને કોઈક વાતને લઈ ઝઘડાઓ થતા હતા. જે ઝઘડાઓને કારણે હિરેનકુમારની પત્ની છેલ્લા ૧૦-૧૫ દિવસથી પિયરમાં જતી રહી હતી. દરમિયાન હિરેનકુમારે ઘરે એકલતાનો લાભ લઇ બેડરૂમમાં છતમાં લગાવેલ લોખંડના હૂક સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્નીએ પતિને મેસેજ તેમજ ફોન કરતા તેઓએ ઉપાડ્યા ન હતા. જેથી ગઈકાલે રાત્રે પત્ની તેની ભાઈ સાથે ઘરે આવી હતી અને ઘરનો દરવાજો ખોલી અંદર જોતા હિરેનકુમાર ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં હિરેનકુમારે ગૃહ કંકાસથી કંટાળી જઈ ૨૪ કલાક પહેલા આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
26, એપ્રીલ 2026 1485   |  
સ્મીમેર હોસ્પિટલ કેન્ટીનની ડાયેટિશિયનની હત્યા બાદ લાશ લાકડાની પેટીમાં મૂકી સીમેન્ટ પાથરી દીધી

સ્મીમેર હોસ્પિટલની કેન્ટીનમાં ડાયેટિશિયન તરીકે ફરજ બજાવતી યુવાન પરિણીતાની હત્યા કરી લાશ લાકડાની પેટીમાં મૂકી સીમેન્ટ પાથરી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હત્યાકાંડ કરી ફરાર થઇ ગયેલા પતિની પોલીસે શોધખોળ આદરી છે. મળતી માહિતી અનુસાર છત્તીસગઢનાં બસ્તર જિલ્લાના વતની પ્રદીપભાઇ ફકીરાભાઇ કોસ્ટાએ તેમની મોટી દીકરી શિલ્પાનાં લગ્ન વિશાલ રણછોડભાઇ સાલવી સાથે કરાવ્યા હતા. નવેમ્બર ૨૦૧૦માં લગ્ન થયા બાદ શિલ્પા વિશાલ સાલવી સાથે સુરતમાં ગોડાદરા વિસ્તારમાં રહેવા માંડી હતી. તેઓને બે સંતાનો થયા હતા. જેમાં દિકરો આરવ હાલ ૧૩ વર્ષનો જ્યારે દીકરી નિતારા ૮ વર્ષની છે.શિલ્પા સાથે લગ્ન થયા ત્યારે વિશાલ ડાયમંડ કંપનીમાં કામ કરતો હતો. જ્યારે શિલ્પાએ ડાયેટિશિયનનો કોર્ષ કર્યો હતો. તેણીને સ્મીમેર હોસ્પિટલની કેન્ટીનમાં નોકરી પણ મળી ગઇ હતી. ડાયેટિશિયનની નોકરી મળતાં આ દંપતીનું ગુજરાન વ્યવસ્થિત ચાલવા માંડ્યું હતું. જાે કે, થોડા જ સમયમાં વિશાલ પત્ની શિલ્પા અંગે શંકા કરવા માંડ્યો હતો. ડાયમંડનું કામ બંધ થઇ ગયા બાદ તે શંકાશીલ બની ગયો હતો. ચાલ ચલગત અંગે આડી અવળી વાતો કરી તે શિલ્પા સાથે ઝઘડો કરવા માંડ્યો હતો. શિલ્પા તેના પિતાને વિશાલનાં વર્તન અને ત્રાસ અંગે વાત કરતી હતી. પિતા પ્રદીપ કોસ્ટા અવાર નવાર સુરત આવતા અને વિશાલને સમજાવતા પણ હતાં. દાંપત્ય જીવનનાં ૧૬ વર્ષ બાદ ગત ૨૧મી એપ્રિલે શિલ્પા અચાનક ગાયબ થઇ ગઇ હતી. પિતાએ કોલ કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો. તેમણે જમાઈ વિશાલને કોલ કરીને પૂછ્યું તો તેણે સીધો જવાબ આપ્યો ન હતો. હું ૨૦મી તારીખે શિલ્પાને સ્મીમેર હોસ્પિટલ મૂકી આવ્યો હતો, ત્યારબાદ કે ઘરે આવી નથી. જમાઇના મોઢે આ વાત સાંભળી ચિંતાતુર બનેલા પ્રદીપ કોસ્ટા તેમના પત્ની અને દિકરા સાથે સુરત દોડી આવ્યા હતાં. તેઓ વિશાલને મળ્યા અને શિલ્પા અંગે પૂછ્યું હતું. વિશાલે ફરી સ્મીમેરની સ્ટોરી કરી હતી. જાે કે, પ્રદીપભાઇએ શિલ્પા ચાર દિવસથી લાપતાં છે તો આપણે પોલીસને જાણ કરવી જાેઈએ એવી વાત કરી હતી. ત્યારબાદ તેઓ ૨૪મી તારીખે રાત્રે વિશાલને લઇ ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને શિલ્પાના મીસીંગની ફરિયાદ આપી હતી. બાદમાં ગઇકાલ એટલે કે ૨૫મી તારીખે રાત્રે વિશાલ ઘરે ગયો અને દિકરા આરવે નીચે બોલાવ્યો હતો. આરવના હાથમાં એક ચિઠ્ઠી આપી હું જાઉં છું એમ કહી વિશાલ ફરાર થઇ ગયો હતો. માસૂમ આરવે ચિઠ્ઠી વાંચી તો તેમાં માતા શિલ્પા અંગે લખેલું હતું, તેણે ચિઠ્ઠી અંગે નાના પ્રદીપને જાણ કરી અને તેઓ ફરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. ચિઠ્ઠીમાં જણાવ્યા અનુસાર પોલીસની ટીમ સહારા દરવાજા, કાગજીની ચાલમાં આવેલા જુના મકાને પહોંચી હતી. ત્યાં તાળુ તોડી તપાસ કરાઇ તો શિલ્પાનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અંદર જાેયું તો, લાકડાની પેટીમાં પડેલી મૃતદેહ ઉપર સીમેન્ટ નાંખી દેવામાં આવી હતી. સીમેન્ટથી દાટી દેવાયેલો મૃતદેહ ડીકમ્પોઝ થઇ ગયો હતો. શિલ્પાની હત્યા કરી વિશાલ ફરાર થઇ ગયો હોય તેની સામે સલાબતપુરા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાવાયો હતો. સીસી કેમેરાથી બચવા ગલીમાંથી શિલ્પાને જુના મકાનમાં લઈ ગયો હતો વિશાલે દિકરાને આપેલી ચિઠ્ઠીનાં કારણે શિલ્પાનો મૃતદેહ સહારા દરવાજા પાસે કાગજીની ચાલમાં આવેલા મકાનમાંથી શોધી શકાય હતી. સલાબતપુરા પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલવા સાથે વિશાલ ક્યારે અને કેવી રીતે શિલ્પાને અહીં લાવ્યો એ શોધવા માંડ્યું હતું. સહારા દરવાજા પોલીસ ચોકીથી કાગજીની ચાલ અને આરકેટી માર્કેટ સુધીનાં એરિયા ઇન્સ્ટોલ કરાયેલા તમામ સીસી કેમેરાનાં ૨૧ અને ૨૨ તારીખના ફૂટેજ મેળવી લેવાયા હતાં. જાે કે, એકેય કમેરામાં વિશાલ કે શિલ્પેશ દેખાયા ન હતા. જેથી વિશાલે સીસી કેમેરાથી બચાવી શિલ્પાને પાતળી ગલીઓમાંથી જુના ઘરે લઇ ગયો અને પછી હત્યા કરી હોવાનો અંદાજ પોલીસ લગાવી રહી છે. સીમેન્ટમાંથી નગ્ન અવસ્થામાં શિલ્પાનો મૃતદેહ મળતા અનેક શંકા કુશંકા જન્મી પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર કાગજીની ચાલના જુના મકાનમાં પહેલા માળે આવેલી પતરાની રૂમમાં પડેલી લાકડાની પેટીમાંથી શિલ્પાનો મૃતદેહ મળ્યો હતો. પેટીમાં મૃતદેહ મૂક્યા બાદ તેની ઉપર કોરી સીમેન્ટ નાંખી દેવામાં આવી હતી. પોલીસને પાંચમાં દિવસે મૃતદેહ મળ્યો ત્યારે તે ડીકમ્પોઝ થઇ ચૂક્યો હતો. મૃતદેહનાં શરીર પરથી કપડાં પણ મળ્યા ન હતાં. નગ્ન અવસ્થામાં મૃતદેહ મળ્યો એ સાથે અનેક શંકા કુશંકા પણ જન્મી હતી. વિશાલે મૃતદેહ ઝડપથી સડી જાય એ ઇરાદે કપડા કાઢી નાંખ્યા હોવાની સંભાવના પણ બહાર આવી હતી. સ્થળ સ્થિતિ અને મોડસ ઓપરેન્ડી જાેતા વિશાલ ઘણા સમયથી હત્યાની તૈયારી કરી રહ્યાનું પણ જણાય આવ્યું હતું. શિલ્પા સાલવે નવું કલીનીક જમાવે એ પહેલા પતિની શંકાનો ભોગ બની ૩૯ વર્ષ ઉંમરની શિલ્પા સાલવી ડાયેટિશિયન હતી. સ્મીમેર હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં કેન્ટીંન ચલાવનારે તેણીને નોકરીએ રાખી હતી. તે સ્મીમેરની કર્મચારી ન હતી. સ્મીમેરનાં દાખલ થતાં દર્દીઓને કેન્ટીનમાંથી ભોજન અપાય છે. કયા દર્દીને કેવું ભોજન આપવું એ શિલ્પા સુનિશ્ચિત કરતી હતી. આ નોકરી સાથે બે મહિના પહેલા જ શિલ્પાએ પાલ આરટીઓ સામે પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું. શિલ્પા‘સ ક્લિનિક નામથી શરૂ કરાયેલા પોતાના નવા સાહસને લઇ તે ખાસ્સી ઉત્સાહિત હતી. શિલ્પાએ સોશિયલ મીડિયામાં તેના પેશન્ટનાં રીવ્યુ કહો કે અનુભવનાં વીડિયો પણ શેર કર્યા હતા.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 2277   |  
વર્ષ અગાઉ ઘરેથી ભાગ્યા બાદ પ્રેમી સાથે મૈત્રી કરારમાં રહેતી યુવતીએ ફાંસો ખાધો

એક વર્ષ અગાઉ મહારાષ્ટ્રનાં ધુલિયાથી પ્રેમી સાથે ભાગીને મૈત્રી કરાર કરી સુરતમાં રહેતી યુવતીએ આપઘાત કરી લીધો હતો. માતા બોલાવતી ન હતી અને સાસુ સપોર્ટ કરતી ન હતી. જયારે પ્રેમી બીજા અફેરની શંકા રાખી ત્રાસ ગુજારતો હોય હતાશ થઇને યુવતીએ આત્યંતિક પગલું ભરી લીધું હતું. વરાછા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના વતની શિવાજી સંતોષભાઇ માળીની ફોઇ અરૂણા વાઘની દીકરી વૈશાલીને ડોંગર રામકૃષ્ણ પાટીલ સાથે પ્રેમ સંબંધ હતો. એક વર્ષ પહેલા વૈશાલી આ ડોંગર પાટીલ સાથે ભાગી ગઇ હતી. ત્યારબાદ તેઓ મૈત્રી કરાર કરીને સુરતમાં વરાછા વિસ્તારના કાળીદાસ નગરમાં રહેવા માંડ્યા હતાં.ગત ૨૨મી એપ્રિલે શિવાજી તેની ફોઇ અરૂણા વાધના ઘરે હતો ત્યારે તેમને વૈશાલીએ સુરતમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા હતાં. આ વાત જાણતાં જ તેઓ સુરત આવી ગયા હતાં. તેમણે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વૈશાલી મૈત્રી કરાર કરીને ડોંગર રામકૃષ્ણ પાટીલ સાથે રહેતી હતી. તે ડોંગરને વેડુ નામથી બોલાવતી હતી. વૈશાલીનાં પિતા બાર વર્ષ પહેલા અવસાન પામ્યા હોય સમાજ અને ગામનાં રીતિ રીવાજ મુજબ વીર બેસાડવાની વિધિ ૨૨ એપ્રિલ ૨૦૨૬નાં રોજ રાખવામાં આવી હતી. આ વિધિમાં વૈશાલીને બોલાવાઇ ન હતી. ત્યારબાદ અખાત્રીજનો તહેવાર આવ્યો હતો. વૈશાલીએ અખાત્રીજ કરવા પિયર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પતિ ડોંગર ઉર્ફે વેડુએ તને તારી માતા બોલાવતી નથી તો પછી શા માટે ત્યાં જવા માંગે છે એમ કહી ના પાડી દીધી હતી. ઉપરાંત વૈશાલીનું અન્ય કોઇ સાથે અફેર હોવાની શંકા રાખીનવે ડોંગર ઉર્ફે વેડુ અવાર નવાર ઝઘડા કરતો હતો. વૈશાલીએ પરિવારની વિરૂધ્ધ ડોંગર સાથે ભાગી મૈત્રી કરાર કરી રહેતી હોવાથી તે ઘરે જઇ શકતી ન હતી. વૈશાલીની સાસુ પણ તેની સાથે સારા સંબંધ રાખતી ન હતી. કોઇની સાથે વાતચીત કરી વેદના જણાવી શકે એવી સ્થિતિમાં નહીં રહેલી વૈશાલી હતાશ થઇ ભાંગી પડેલી વૈશાલીએ આપઘાત જેવું આત્યંતિક પગલુ ભરવા મજબુર બની હતી. શિવાજી માળીએ આ મામલે બનેવી ડોંગર ઉર્ફે વેડુ પાટીલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution