આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધર્મ જ્યોતિષ
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગુન્હા ખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
ધર્મ જ્યોતિષ
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
ગુજરાત
16, જાન્યુઆરી 2025
લોકોને ડિજિટલ એરેસ્ટ કરી પૈસા પડાવતી જૂનાગઢના શખ્સોની ગેંગ ઝડપાઈ
અમદાવાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી વાત કરું છું અને મની લોન્ડરિંગનો કેસ થયો છે તેમ જણાવી ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. ઝડપાયેલા આરોપીમાંથી મુખ્ય આરોપી પ્રિન્સ ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલો છે. જે ચાઈનીઝ નંબરોનો ઉપયોગ કરીને લોકો પાસેથી ભાડે લીધેલા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. ડિજિટલ એરેસ્ટમાંથી નીકળવા માટે આરોપીઓ ઓનલાઈન વકીલની પણ સગવડ કરી આપવાની વાત કરતા હતા. પોલીસને ૧૪ જેટલા અલગ અલગ એકાઉન્ટ મળ્યા છે અને રાજ્ય દેશમાંથી ૫૪ જેટલી ફરિયાદો થઈ છે. આરોપી ેંજી ડોલરમાં પણ પૈસા કન્વર્ટ કરતો હતો. ઝોન-૧ ડીસીપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે, સોલા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા ૯૮,૦૦૦ પડાવ્યા હોવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે ટેકનિકલ એનાલિસિસ કરી પોલીસ દ્વારા મૂળ જૂનાગઢના રહેવાસી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી વાત કરીએ છીએ અને મની લોન લોન્ડરિંગનો કેસ થયો છે એવી ધમકી આપી અને ડિજિટલ એરેસ્ટ કર્યા બાદ તેઓની પાસેથી પૈસા પડાવતા હતા. જાે ડિજિટલ એરેસ્ટમાંથી છૂટવું હોય તો તેઓને ઓનલાઇન વકીલ પણ કરી આપતા હતા.મૂળ જુનાગઢનો અને નિકોલ વિસ્તારમાં શાંતિ નિકેતન ૧માં રહેતો પ્રિન્સ રવિપરા (પટેલ) મૂળ માસ્ટરમાઈન્ડ છે. આરોપી પ્રિન્સ બેન્ક એકાઉન્ટ ભાડે લેતો હતો. બે લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે લઇ તેઓને પાંચથી દસ હજાર રૂપિયા આપતો હતો. જેમને પણ ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા હતા તેઓના આ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ત્યાર બાદ તે બેન્ક એકાઉન્ટની વિગત ચાઈનીઝ નંબરોના પ્રોસેસરને મોકલી આપતો હતો. યુએસ ડોલર ખરીદી અને તેમના એકાઉન્ટમાં વધુ રકમ આપતો હતો. વચ્ચે રહેલા એજન્ટને પણ પૈસા ચૂકવતો હોવાનું સામે આવ્યું છે.ઝડપાયેલા આરોપીઓમાં આરોપી તનવીર અને સાહિલ બંને રીક્ષા ચલાવે છે અને તેઓના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપી પ્રિન્સ ચાઈનીઝ ગેંગ સંકળાયેલો છે અને તેના મોબાઈલમાંથી ગુજરાત સહિત અન્ય રાજ્યોના અને વિદેશના નંબરો પણ મળી આવ્યા છે. આરોપી પ્રિન્સ અને જૈમિન ગોસ્વામી પણ ૪૪થી ચાઈનીઝ મોબાઈલ નંબરો વાપરતા હતા. આરોપીઓએ બાયનાસ એપ્લિકેશન અને ટેલિગ્રામ મારફતે ચાઈનીઝ પ્રોસેસરોનો સંપર્ક કર્યો હતો. આરોપી પ્રિન્સ ગુગલ ટ્રાન્સલેટ મારફતે ચાઈનીઝ લેંગ્વેજ શિખતો હતો.
ગુજરાત
16, જાન્યુઆરી 2025
સાઉથ બોપલના ભાગેડું બિલ્ડરે જૂનાગઢમાં પણ બેંકને ચૂનો ચોપડ્યો
અમદાવાદ થોડા દિવસ પહેલા અમદાવાદના બોપલ ઘુમા રોડ પર સ્કીમ લોન્ચ કરવાની જાહેરાતના પાટીયા મારીને લોકોને ઠગ્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. લોકો પાસેથી દુકાન અને ફ્લેટના બુકિંગ અને એડવાન્સ પેટે બિલ્ડર જયદિપ કેતન કોટક અને હિરેન અમૃતલાલ કારીયાએ ૨.૮૩ કરોડનું ફુલેકુ ફેરવ્યું હોવાની ફરિયાદ થઈ હતી. આ કેસના એક આરોપી એવા હિરેન કારિયાના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પકડાયેલા આરોપી જયદીપ કોટકના પણ ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. છેતરપિંડીના કેસમાં પોલીસે આરોપી જયદિપ કોટક બાદ હિરેન કારિયાને ઝડપી લઈ ૧૬ જાન્યુઆરીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ૧૪ દિવસના રિમાન્ડની માગ સાથે રજૂ કર્યો હતો. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીએ ડિપોઝિટરો પાસેથી ચેક દ્વારા જે ડિપોઝિટ લીધી છે તેની તપાસ કરવાની છે. આરોપીએ અન્ય બિલ્ડરોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, જેની તપાસ કરવાની છે. તેમજ જૂનાગઢ ખાતે અમૃત તથા શ્રીજી ડેવલોપર્સ અને બંસી ડેવલપર્સના નામે ભાગીદારી પેઢીઓ ખોલી હતી, તેના પાર્ટનરની તપાસ કરવાની છે. આરોપીની જમીન બાબતે ખેડૂતો સાથેની સોદા ચિઠ્ઠી મેળવવાની છે. તેમજ પ્રિવિલોનના બેંક એકાઉન્ટમાંથી ૧૩ કરોડ રૂપિયા લીધા હતા તે અંગે અને ભાગીદારો પેઢીમાંથી કેટલા રૂપિયા લઈ ગયા તેની તપાસ કરવાની છે. આરોપીનો કોલ ડેટા રેકોર્ડ મેળવવાનો છે. આરોપી સામે જૂનાગઢના પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયેલો છે. તેમજ તેણે જૂનાગઢની એક બેંકમાંથી ૨ કરોડ રૂપિયાની લોન લઈને પૈસા પરત કર્યા નથી, જેની કોર્ટ કાર્યવાહી ચાલુ છે. આરોપી પૈસા મેળવીને પરત નહીં આપવાની આદત વાળો છે. તેણે કેટલી પ્રોપર્ટી ખરીદી છે તેની તપાસ કરવાની છે.હિરેન કારિયા નામનો આ આરોપી ૨૦ દિવસ કરતાં વધુ સમયથી ફરાર હતો, જેમાં તેને ભાગવામાં કોણે મદદ કરી તેની પણ તપાસ કરવાની છે. આ કેસમાં ૨૩૪ જેટલા લોકો અત્યારે ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુનાના મૂળ સુધી પહોંચવા આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની જરૂર છે. કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીના પૂરેપૂરા ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.રેરાની મંજૂરી મળ્યાં વગર બુકિંગ કર્યું હતું રેરામાંથી મંજૂરી મળ્યા પહેલાં જ બિલ્ડરે બુકિંગ શરૂ કરી દીધું હતું. બુકિંગ કરનારા લોકોના જણાવ્યા મુજબ, બિલ્ડરે એપ્રિલમાં રેરાની મંજૂરી આવી જવાની વાત કરી હતી. પરંતુ રેરાની મંજૂરી ન આવતા તમામ લોકોએ બિલ્ડરને પૂછતાં કહ્યું કે, થોડો વધુ સમય લાગશે, પરંતુ મંજૂરી મળી જવાની વાત કરી હતી. બિલ્ડરે બુકિંગ લઇ લીધુ હતું પરંતુ કામ ચાલુ ચાલુ ન કરતા તમામ ભાંડો ફૂટ્યો હતો.
ગુજરાત
15, જાન્યુઆરી 2025
આરોપી કિશોર માંગરોળીયા સામે જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યવાહી કરી
ગાંધીનગર અમરેલી લેટર કાંડની હાલ તપાસ ચાલી રહી છે. થોડા દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા અને અમરેલીના પૂર્વ એસપી નિર્લિપ્ત રાયને આ તપાસ સોંપવામાં આવી હતી. જે બાદ હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આરોપીઓ પૈકીના એક અશોક માંગરોળીયા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અશોક માંગરોળીયા જસવંતગઢ ગામના સરપંચ છે, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને આ કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ રાખવાનો ફેંસલો લીધો હતો. અમરેલી લેટર કાંડને મામલે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગઈકાલે કહ્યું હતું કે, પાયલ સાથે જે થયું તેની તપાસ થવી જાેઈએ. જે તે પોલીસકર્મી સામે પગલાં પણ લેવાવા જાેઈએ. તેમણે કહ્યું કે, પાયલને ભાજપની સરકાર ચોક્કસ ન્યાય આપશે. વિજય રૂપાણીએ કાૅંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કાૅંગ્રેસ અમરેલી મુદ્દે હવાતિયા મારી રહી છે. ગુજરાતમાં કાૅંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. નવા સંગઠન મુદ્દે વિજય રૂપાણીએ માહિતી આપી હતી કે, ભાજપ પાર્ટી લોકતાંત્રિક ઢબે ચાલે છે. સમય-સમયે આંતરિક ચૂંટણીઓ કરે છે. સંગઠન મુદ્દે પાર્ટી એકમતે ર્નિણય કરશે. અમરેલી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ પણ ગઇકાલે પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. સંઘાણીએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ આ મુદ્દાને રાજકીય દૃષ્ટિકોણથી નથી જાેતા. તેમણે જણાવ્યું હતું કે પાયલનું સરઘસ કાઢવું, આક્ષેપ મુજબ માર મારવો અને લાંબી સજાવાળી કલમો લગાવવી એ વધુ પડતું છે. સરકારે નિર્લિપ્ત રાયને સોંપેલી તપાસ પર વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, મૂળ કેસમાં લાગેલી કલમોની પણ ચકાસણી થવી જાેઈએ.
ગુજરાત
13, જાન્યુઆરી 2025
પાયલ ગોટી સહિતનું પ્રતિનિધિ મંડળ ડીજીપીને મળ્યું મહિલા આઈપીએસ અધિકારી તપાસ કરે તેવી માગણી
અમદાવાદ અમરેલી લેટરકાંડમાં પોલીસે ત્રણ પોલીસ કર્મીઓ વિરુદ્ધ પગલા લઈને ત્રણેયને સસ્પેન્ડ કર્યાં છે. જેના બાદ સમગ્ર કેસની તપાસ જીસ્ઝ્રના વડા નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે. ત્યારે અમરેલી વિવાદને લઈ પાયલ ગોટીએ રાજ્ય પોલીસ વડાને રજૂઆત કરી છે. પાયલ ગોટી પોતાના એડવોકેટ સાથે પોલીસ ભવન પહોંચી હતી. જ્યાં કોંગ્રેસના નેતા જેની ઠુમર પણ સાથે હતા. પાયલ ગોટી સહિત ચાર વ્યક્તિઓનુ પ્રતિનિધિ મંડળ રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયને મળવા પોલીસ ભવન પહોંચી હતી. ઉચ્ચ મહિલા આઈપીએસ અધિકારી તપાસ કરે તેવી માંગણી કરી. પાયલ ગોટીના વકીલ આનંદ યાત્રિકે કહ્યું કે, પાયલબેનની રજુઆત હતી કે ૧૨ વાગ્યે રાત્રે મારી ધરપકડ કરવામાં આવી હતી. સૂર્યોદય બાદ કોઈ મોટા ગુના ન હોય, જરૂર ન હોય તો મહિલાઓની ધરપકડ કરવામાં આવતી નથી. પોલીસ પકડીને દીકરીને લઈ ગઈ હતી. એટલું જ નહિ, આરોપનામું પુરવાર થાય તે પહેલા દીકરી પાયલ ગોટીને આરોપી દર્શાવવામાં આવી. પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપીઓ રીઢા ગુનેગાર હોય તેવું બતાવ્યુ. તેઓ ડ્રગ પેડલર કે આતંકવાદી નથી. એકપણ ગુનો આ લોકોના નામે નોંધાયો છે. આ બીજાે ગુનો પોલીસનો છે. ગુનો પુરવાર થાય તે પહેલા તેમને આ રીતે રજૂ કરવા યોગ્ય નથી. કોર્ટમાં રજૂ કરાયા તે પહેલા દીકરી પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું. સરધસમાં પોલીસની સાથે ધારાસભ્યના માણસો હતા. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના કહેવાથી આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો. પાયલબેન ગોટીને પટ્ટાથી મારવામાં આવ્યા.જ્યારે પોલીસ કસ્ટડીમાં આ લોકોને માર મારવામાં આવ્યો, ત્યારે ભાજપના ધારાસભ્યોના માણસો ત્યાં હાજર હતા. આ એસપી સાહેબ ભાજપના ધારાસભ્ય કે પછી સરકાર માટે કામ કરે છે. આ એક બીજાે મોટો ગુનો છે. ૨૭ મી રાતે પકડીને પોલીસે કોર્ટમાં જણાવ્યું કે, આ લોકોને ૨૮ મીએ સાંજે ચાર વાગ્યે પકડ્યા છે. આ બાદ ધારાસભ્યોના માણસોએ પાયલ ગોટીના પિતા પાસે જઈને વીડિયો બનાવ્યા હતા.પાયલ ગોટીના વકીલે અમરેલી પોલીસના ૫ મોટા ગુના ગણાવ્યા. તેના બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આક્ષેપ મૂકતા વકીલે કહ્યું કે, તે દિવસે ગુજરાતના ગૃહરાજ્ય મઁત્રી અમરેલીમાં હાજર હતા. આરોપીઓને મારતા પહેલા એસપીએ ગૃહરાજ્ય મંત્રી સાથે મુલાકાત કરી હતી. ગૃહરાજ્યમંત્રી અનેકવાર કહી ચૂક્યા છે કે, દંડો ચલાવતા આવડે તેને કહેવાય પોલીસ. આરોપીને જે ભાષા આવડતી હોય તે ભાષામાં પોલીસે શીખવાડવું જાેઈએ. પગ પર ખાસ સેવા અને સુશ્રૃષા કરવી જાેઈએ અને મારવા જાેઈએ. એ વીડિયો ક્લીપિંગ અમે મેકલી અને કહ્યું કે, ૨૯ તારીખે હર્ષ સંઘવી સાથેની મુલાકાત બાદ સરઘસ કાઢવામાં આવ્યું, અને તેમને મારવામાં આવ્યા. વકીલે કહ્યું કે, ગૃહરાજ્ય મંત્રીના કહેવાથી દીકરી પાયલ ગોટીને માર મારવામાં આવી કે શું તેની તપાસની અમે માંગણી કરી છે. ઘટના બન્યા પહેલા ગૃહમંત્રી અમરેલીમાં હાજર હતા. માત્ર ચીઠ્ઠીના ચાકર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેમ એસપી સામે પગલાંઓ ન લેવાયા. અમે માગણી કરી છે કે મહિલા અધિકારીની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે. એટલુ જ નહિ, ધારાસભ્ય કૌશિક વેંકરિયાના વકીલે પાયલના ઘરે જઈને વીડિયો બનાવ્યો કે, ધારાસભ્ય સારા છે અને સારુ કામ કરે છે.
ગુજરાત
13, જાન્યુઆરી 2025
ગુજરાતમાં ભાજપ રાજમાં ઉપરથી નીચે સુધી સડો બેસી ગયો છેઃ પરેશ ધાનાણી
સુરત, અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસનાં નેતાઓ મેદાને આવ્યા છે. જેમાં પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપની ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે લેટરકાંડમાં પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે મે ૪૮ કલાક રાજકમલ ચોકમાં અનશન કર્યું હતું. ત્યારબાદ સમિતિના આગેવાનોએ જાહેરાત કરી કે સરકાર પીડિતાને ન્યાય અપાવવામાં નિસફળ નીવડશે તો અમે આંદોલનને આગળશુ આ માટે અમે અમરેલીથી સુરતમાં આવ્યા હતાએક વ્યક્તિને સરકાર સામે સવાલો પૂછવાનો તેમજ આંદોલન કરવાનો અધિકાર મળ્યો છે.. અમે આંદોલનની મંજૂરી માટે પોલીસને પત્ર લખ્યો હતો, માનગઢ ચોકમાં મોટા માથાઓના રાજભા થયા છે સામાજિક રાજકીય કાર્યક્રમ થયા છે, તો શું આ જગ્યા પર એક દીકરી માટે ન્યાય ન માંગી શકાય? સાંભળવામાં કાયર સતાપક્ષે ફરી પોતાની સત્તાનો ઉપયોગ કરી આંદોલન રોકવાનો પ્રયાસ કર્યો છે. અમે ગુનેગાર હોય તેમ અમને પોલીસે ટીંગાટોળી કરીને અમને હજીરા લઈ જવાયા હતા. લેટરકાંડમાં માછલીઓને મારીને મગર મચ્છને બચાવાનો પ્રયાસ થયો છે, અમે અગાઉ માંગણીઓ કરી હતી જે જવાબદાર તમામ સામે પગલાં ભરવામાં આવે? આજના બનાવ પછી મને એવું લાગે છે કે ગૃહમંત્રી પણ આ કેસમાં ગુનેગાર તો નહીં હોયને? પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતા પિયુષ ધાનાણીએ જીસ્ઝ્રના વડા નિલિર્પ્ત રાયને લેટરકાંડની તપાસ સોંપવા બાબતે જણાવ્યું હતું કે અમે નિલિર્પ્ત રાયની કામગીરીને રાજકારણથી ઉઠાવીને અમરેલીના લોકોએ બિરદાવી હતી, સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ તપાસ સોંપવામાં આવી છે, આશા રાખું છું કે નિલિર્પ્ત રાય એક ઈમાનદાર અધિકારી તરીકે તપાસ કરશે, અધિકારી પ્રજાનો દ્રોહ નહિ કરે તેવી અપેક્ષા છે, ગુજરાતમાં સત્તાની સાઠમાં ઉપરથી નીચે સુધી સડો બેસી ગયો છે, આ ષડયંત્ર ની તપાસ થવી જોઈએ જવાબદારોનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ, ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈનો ભોગ ન બને તે માટે ભુપેન્દ્ર પટેલ સરકારની ચિંતા કરું છું.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
ગુજરાત
19, જાન્યુઆરી 2025
ખંભાત નગરપાલિકાના પૂર્વ પ્રમુખે હોદ્દાનો દુરુપયોગ કરીને પુત્રવધૂને ૨૬ દુકાન ફાળવી
આણંદ , ખંભાત નગર પાલિકા દ્વારા વર્ષ ૨૦૨૦ માં ત્રંબાવટી કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું હતું. જેમાં કુલ ૨૬ દુકાનો બનાવી પાલિકા પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય દ્વારા હરાજી કરાઈ હતી. જેમાં ૧૭ નંબરની દુકાન પ્રમુખ યોગેશ ઉપાધ્યાય દ્વારા પાલિકામાં કામ કરતી પુત્રવધુ પરેશાબેન અરવિંદભાઈ શાહ ને કરાર કરી ફાળવી દેવામાં આવી હતી. જેના પગલે પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં રજૂઆત કરી હતી. જેના પગલે પ્રાદેશિક કમિશ્નરની કચેરી વડોદરાએ કોમ્પલેક્ષની ૨૬ દુકાન પૂર્વ પાલિકા પ્રમુખ સત્તાનો દૂર ઉપયોગ કરીને પુત્રવધુના નામે દૂકાન ફાળવી દિધી હતી. તે બાબતે અરજદાર અરૂણભાઇ કાભઈભાઈ ગોહેલ દ્વારા ખંભાત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાય તથા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવેલ ઠરાવમાં બનાવેલ તંબાવટી કોમ્પ્લેક્સના ફ્લોર પર ૧૭ નંબરની દુકાન હરાજી થી પરેશાબેન અરવિંદભાઈ શાહને તેમના નામનો કરાર કરી ઠરાવ કરી આપી દીધેલ છે. પરેશાબેન અરવિંદભાઈ શાહ નગરપાલિકામાં નોકરી કરે છે જેથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ વિવિધ કલમો હેઠળ તેઓને છૂટા કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેને પગલે પ્રાદેશિક કમિશનર વડોદરા ની કોર્ટ દ્વારા ખંભાત નગરપાલિકા વર્તમાન ચીફ ઓફિસર, પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત પદાધિકારીઓને નોટિસ આપી કેસ ચલાવવામાં આવેલ જેમાં ખંભાત નગરપાલિકાના ચીફ ઓફિસરનો ૨૦ /૮ /૨૪ ની મુદતનો લેખિત જવાબ આપ્યો હતો ખંભાત નગરપાલિકાના ચીફ ઓફિસર ગણાત્રા દ્વારા લેખિત જવાબ રજૂ કરી જણાવ્યું હતું કે પરેશાબેન અરવિંદભાઈ શાહને નગરપાલિકામાં કર્મચારી તરીકે નોકરી કરે છે. તેઓ દ્વારા ૧/૨/ ૨૦૨૦ ના રોજ ખંભાત નગરપાલિકાના ત્રંબાવાટી કોમ્પલેક્ષની દુકાનોની હરાજીમાં ભાગ લઈ દુકાન નંબર ૧૭ હરાજી થી મેળવેલ છે જેને ખંભાત નગરપાલિકાની કારોબારી સમિતિ ઠરાવ મંજૂર કરવામાં આવેલ છે આ દુકાનોની હરાજી ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળની મંજૂરી વગર કરવામાં આવેલ હોય પ્રથમ દ્રષ્ટિએ તેઓએ દુકાન હોદ્દાનો દુરુપયોગ કરી આઉટ ઓફ ટર્ન મેળવી હોવાનું લાગે છે. પ્રાદેશિક કમિશનર એસપી ભગોરા દ્વારા અરજદારની અરજી ગ્રાહ્ય રાખી ખંભાત નગરપાલિકાનો ત્રંબાવાટી કોમ્પ્લેક્સનો ૫૭૮ નંબરનો ઠરાવ રદ કરવા આદેશ કરાયો છે. ખોટા ઠરાવો કરનાર સંબંધિત હોદ્દેદારો અને પદાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ દુકાન ગેર કાયદે લેનાર નગરપાલિક નોકરી કરતાં પરેશાબેન અરવિંદ શાહ સામે કાયદેસરની શિસ્ત વિષયક કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે, સાથે જ વર્તમાન ઓફિસરને નગરપાલિકાને જે નાણાકીય તથા આર્થિક નુકસાન થયેલ છે તે તમામ રકમ જે તે સમયગાળાના તત્કાલીન આ ખોટા ઠરાવો કરનાર સંબંધિત હોદ્દેદારો અને પદાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે.
ગુજરાત
19, જાન્યુઆરી 2025
આણંદ મહાનગરપાલિકાને ૨ ઝોનમાં વહેંચીને ૨૦થી વધુ વિભાગોને કાર્યરત કરવામાં આવ્યા
આણંદ, આણંદ મહાનગરપાલિકામાં વહીવટી સરળતા માટે બે ઝોન કાર્યરત કરવામાં આવ્યાં છે રાજ્ય સરકાર દ્વારા આણંદને મહાનગરપાલિકાનો દરજ્જાે આપવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં વિવિધ વિભાગો કાર્યરત કરવા સાથે વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે. આણંદ મહાનગરપાલિકામાં આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ નગરપાલિકા અને મોગરી, લાંભવેલ, જીટોડીયા અને ગામડી ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે.આણંદ મહાનગરપાલિકામાં હાલમાં વહીવટી સરળતા માટે ઈસ્ટ અને વેસ્ટ એમ બે ઝોનલ ઓફિસ કાર્યરત કરવામાં આવી છે. આણંદ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થતા મહાનગરપાલિકામાં વિવિધ ૨૦ જેટલા વિભાગો કાર્યરત કરવા સાથે આ તમામ વિભાગના વડાઓની પણ નિમણુંક કરવામાં આવી છે. જેનાથી લગ્ન નોંધણી, આકારણી સહિતની કામગીરી હવે સરળ બનશે. ઈસ્ટ ઝોનમાં આણંદ, મોગરી, જીટોડીયા અને ગામડી વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે વેસ્ટ ઝોનમાં બાકરોલ, કરમસદ, વલ્લભ વિદ્યાનગર અને લાંભવેલ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આણંદ મનપામાં સમાવિષ્ટ મોગરી, લાંભવેલ, જીટોડીયા અને ગામડીના નાગરિકોને જન્મ મરણ નોંધણી, જન્મના પ્રમાણપત્ર અને આકારણી પત્રકની નકલ જે તે વિસ્તાર ખાતેથી મળી રહેશે. મનપા સ્થિત રજિસ્ટ્રાર કચેરીમાં લગ્નની નોંધણી થશે આણંદ મનપામાં આણંદ, વિદ્યાનગર, કરમસદ પાલિકા તથા મોગરી, લાંભવેલ, જીટોડીયા અને ગામડી ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો છે. નાગરીકોએ લગ્નની નોંધણી માટે આણંદ મહાનગરપાલિકા સ્થિત રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે એમ નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે. ગરવાલે જણાવ્યું છે.આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ મોગરી, લાંભવેલ, જીટોડીયા અને ગામડીના નાગરિકો હાલમાં જન્મ મરણ નોંધણી, જન્મના પ્રમાણપત્ર અને આકારણી પત્રકની નકલ જે તે વિસ્તાર ખાતેથી મળી રહેશે. બે ડેપ્યુટી કમિશનરોને વિભાગોની જવાબદારી સોંપવામાં આવી આણંદ નાયબ મ્યુનિસિપલ કમિસ્નર નિલાક્ષ મકવામાને વહીવટ, સિટી, ઈજનેરી અને સીટી બ્યુટીફિકેશન, મિકેનિક લ ઈજનેરી,ઇલેક્ટ્રિક ઈજનેરી, ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ, ગાર્ડન, લેન્ડસ્કેપ, ગ્રીન સ્પેસ ડેવલપમેન્ટ અને રમત ગમત, જન સંપર્ક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશનની કામગીરી સોંપવામાં આવી છે. જ્યારેનાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. ગરવાલને, સેક્રે ટરીયેટ, સંકલન, હિસાબ , ઓડિટ , વેરા , સેનિટેશન , આરોગ્ય , રખડતાં ઢોર અંકુશ, ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝ, શહેરી મેલેરિયા અને કાયદા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત
19, જાન્યુઆરી 2025
૮૦% યુવાનો ગેમ્સના રવાડે ચડી મનોરંજન, ટાઈમપાસનાં આદી બન્યાં
નડિયાદ, નડિયાદની સી.બી. પટેલ આર્ટસ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ સર્વેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. મનોવિજ્ઞાનના વિદ્યાર્થી ડાભી સંજયકુમાર દિલીપસિંહે કરેલા આ સંશોધનમાં ૧૫૨ યુવક-યુવતીઓનો અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં ૧૩૪ યુવકો અને ૧૮ યુવતીઓનો સમાવેશ થાય છે. સર્વેના ચોંકાવનારા પરિણામો મુજબ, ૮૦.૦૩% યુવાનો મોબાઈલ ગેમ્સનો નિયમિત ઉપયોગ કરે છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે ૭૯.૦૬% યુવાનોએ સ્વીકાર્યું કે ગેમ્સ રમતી વખતે તેમને સમયનું ભાન રહેતું નથી અને તેના કારણે તણાવ, ચિંતા તેમજ અભ્યાસ કે કામકાજમાં ઘટાડો થાય છે. ૯૦.૦૧% યુવાનોએ માન્યું કે મોબાઈલ ગેમ્સના કારણે ખેલકૂદ પ્રત્યેની રુચિ અને સામાજિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત, ૭૩% યુવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું કે નાના બાળકોને મોબાઈલ ગેમ્સથી દૂર રાખવા જાેઈએ, કારણ કે તે તેમના અભ્યાસ, દૈનિક જીવન અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. મોબાઈલ ગેમ્સ એક સરળ અને સુલભ મનોરંજનનું માધ્યમ છે. તે લોકોને આરામ અને મનોરંજન પૂરા પાડે છે. આ સંશોધનમાં ૮૬.૦૮% યુવક-યુવતીઓ કહે છે કે, મોબાઈલ ગેમ્સ રમવાથી આનંદનો અનુભવ થાય છે. મોબાઈલ ગેમ્સમાં વધુ સમય પસાર કરવાથી તણાવ, ચિંતા તથા અભ્યાસ કે કામકાજમાં ઘટાડો થઈ શકે છે. ૭૯.૦૬ % યુવક-યુવતીઓ માનવું છે કે મોબાઈલ ગેમ્સ રમતી વખતે સમયનું પણ ભાન રહેતું નથી. જ્યારે ૯૪.૦૧% યુવક-યુવતીઓ કહે છે કે કેટલીક હિંસાત્મક મોબાઈલ ગેમ્સના કારણે યુવાનોમાં આક્રમકતા અને ખરાબ વર્તન જાેવા મળે છે. આ સાથે ૯૨.૦૮% યુવક-યુવતીઓ એમ માને છે કે, મોબાઈલ ગેમ્સનો અતિશય ઉપયોગ કરવાથી તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. ૯૨.૦૮% યુવક-યુવતીઓ માને છે કે, અતિશય મોબાઈલ ગેમ્સ રમવાથી આંખોને નુકસાન થાય છે. ૮૯.૦૫ % યુવક-યુવતીઓ માને છે કે, મોબાઈલ ગેમ્સનો અતિશય ઉપયોગ કરવાથી વ્યક્તિ માનસિક સંતુલન ગુમાવવાની સંભાવના રહે છે. આધુનિક ટેક્નોલોજીના યુગમાં ૯૦.૦૧ %યુવક-યુવતીઓ એમ માને છે કે મોબાઈલ ગેમ્સના લીધે યુવાનોમાં ખેલકૂદની જિજ્ઞાસામાં ઘટાડો થાય છે. જ્યારે ૭૭.૦૬% યુવક-યુવતીઓ માને છે કે અતિશય મોબાઈલ ગેમ્સ રમવાથી વિચારવાની અને સમજવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. ૭૯.૦૬%યુવક-યુવતીઓ માને છે કે, રાત્રે મોડા સુધી મોબાઈલ ગેમ્સ રમવાથી સવારે વહેલા ઊઠવામાં મોડું થાય છે. કેટલીક મોબાઈલ ગેમ્સ વ્યક્તિને સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ દોરી જાય છે. તો કેટલીક મોબાઈલ ગેમ્સ તેણે નકારાત્મક પ્રવૃત્તિ માટે પણ દોરે છે. મોબાઈલ ગેમ્સથી કોઈક વાર સમસ્યા ઉકેલવામાં પણ મદદ મળે છે. આ સંશોધનમાં ૫૦.૦૭%યુવાનો એમ માને છે કે, મોબાઈલ ગેમ્સથી જીવનની નાની-મોટી સમસ્યાઓને સમાધાન કરવામાં મદદ મળે છે. ૬૩.૦૨%યુવક-યુવતીઓ એમ માને છે કે, મોબાઈલ ગેમ્સ રમવાથી બુદ્ધિમાં ઘટાડો થાય છે. આ સંશોધન કોલેજના આચાર્ય ડૉ. મહેન્દ્રકુમાર દવે, મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. પ્રકાશ વીંછિયા અને ડૉ. અર્પિતાબેન ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ દર્શાવે છે કે મોબાઈલ ગેમિંગની લત યુવા પેઢી માટે એક ગંભીર સમસ્યા બની રહી છે, જે તેમના સર્વાંગી વિકાસને અવરોધે છે.
ગુજરાત
17, જાન્યુઆરી 2025
હરણી બોટકાંડની આજે વરસી માત્ર મોતની બોટ પોલીસ મથકમાં, બાકી બધા જ આરોપીઓ બહાર!
સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર વડોદરાના હરણી ખાતેના મોટનાથ તળાવ સ્થિત લેકઝોનમાં ૧૮મી જાન્યુઆરી-૨૦૨૪ની ઢળતી સાંજે સર્જાયેલા બોટકાંડમાં શાળાના ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષિકાઓ સહિત ૧૪ વ્યક્તિના ડૂબી જવાના કારણે મોત નિપજવાના ગોઝારા બનાવને આવતીકાલે એક વર્ષ પુરુ થશે. તંત્રના ઘોર પાપે સર્જાયેલા પરોક્ષ હત્યાકાંડ સમા ‘હરણી બોટકાંડ’ની તમામ દૃશ્યો હજુ પણ શહેરીજનોના માનસપટ પર અંકિત થયેલા છે જયારે બોટકાંડમાં હોમાયેલા નિર્દોષ મૃતકોના પરિવારજનોની વેદના અને ચિત્કાર હજુ પણ શમ્યા નથી પરંતું સમગ્ર બનાવના કડવી વાસ્તવિકતા એ છે કે લેકઝોનમાં જે બોટના કારણે દુર્ઘટના સર્જાઈ હતી તે બોટ જ માત્ર હરણી પોલીસ મથકમાં ‘કેદ’ છે જયારે આ ઘટનામાં જવાબદાર મનાતા તમામે તમામ ૨૦ આરોપીઓ જેલમાંથી જામીન મુક્ત થઈ ગયા છે, એટલું જ નહી તે પૈકીના ૧૫ આરોપીઓએ તો પોતે નિર્દોષ છે તેવી દલીલો સાથે આ કેસમાંથી મુક્ત કરવા કોર્ટમાં અરજી કરી છે જેની સુનાવણી હાલમાં ચાલુ છે. ન્યાયતંત્ર ભલે ગમે તે ચુકાદો આપે પરંતું આરોપીઓ કુદરતના ન્યાયથી તો ક્યારેય નહી બચે તેમ મૃતકોના પરિવારજનોનું દ્રઢતાપૂર્વક માનવું છે.હરણી ખાતેના લેક ઝોનમાં ગત ૧૮-૦૧-૨૦૨૪ના સવારે વાઘોડિયારોડની ન્યુ સનરાઈઝ સ્કૂલના ધો.૧થી ૬ના વિદ્યાર્થીઓએ પ્રવાસે આવ્યા હતા. પ્રવાસ પૂરો થતાં અગાઉ બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં લેક ઝોનમાં આવેલા તળાવમાં બોટીંગ કરવા માટે લેક ઝોનના બોટ ઓપરેટરોએ ૧૬ સીટરની બોટમાં ૨૩ વિદ્યાર્થીઓ, ચાર શિક્ષિકાઓ તેમજ લેક ઝોનના બે ઓપરેટરો સહિત ચાર કર્મચારીઓ બેઠા હતા. બોટમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાનો તેમજ દસ વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ વિના બોટીંગ કરાવવાનો એક શિક્ષિકાએ વિરોધ કર્યો હતો પરંતું બોટ ઓપરેટરોએ ‘ મેડમ કશું નહી થાય આ તો અમારે રોજનું છે’ તેમ કહીને બેસાડયા હતા અને વધુ પડતા ભારના કારણે બોટ ડુબી ગઈ હતી જેના કારણે ૧૨ વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ ૧૪ના મોત નિપજયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર જગાવી હતી અને રાજયના મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રી પણ મોડી સાંજે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવની મેસર્સ કોટિયા પ્રોજેક્ટના મહિલાઓ સહિત કુલ ૧૫ સંચાલકો-ભાગીદારો-ડાયરેકટરો તેમજ હરણી ઝેનલોકના મેનેજર અને બોટના બે ઓપરેટરો સહિત ૧૮ આરોપીઓ વિરુધ્ધ વડોદરા મહાનગર સેવાસદનના તત્કાલીન કાર્યપાલક ઈજનેર રાજેશ રમણભાઈ ચૈાહાણે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં ૧૮ પૈકીના એક આરોપી હિતેષ કોટિયાનું બે વર્ષ પહેલા અવસાન થયું હોવાની વિગતો સપાટી પર આવી હતી જયારે લેકઝોનનું પડદા પાછળ સમગ્ર સંચાલન પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હોવાની તેમજ તેઓની પાસેથી અલ્પેશ હસમુખ ભટ્ટે પેટા કોન્ટ્રાક્ટ લીધો હોવાની વિગતો મળતાં પોલીસે આ ત્રણેય આરોપીઓનો પણ આ ગુનામાં ઉમેરો કર્યો હતો અને આમ આ કેસમાં હાલમાં ૨૧માંથી હયાત ૨૦ આરોપીઓ સામે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે જેની કાર્યવાહી પેન્ડીંગ છે. ઉલ્લેખનીય છે કે આ પૈકીના ૧૫ આરોપીઓએ પોતે નિર્દોષ છે તેવી દલીલ સાથે અત્રેની સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે જેની સુનાવણી પેન્ડીંગ છે અને આ અરજીના આખરી ચુકાદા બાદ હોડી કાંડનો ખટલો આગળ ચલાવવામાં આવશે તેમ મૃતકોના પરિવારજનોના વકીલ હિતેષ ગુપ્તાએ જણાવ્યું હતું. જાેકે એક વર્ષ વિતી જવા છતાં આજે પણ હોડીકાંડના મૃતકોની આંખોના આંસુ સુકાયા નથી કે તેઓની વેદનાનો ચિત્કાર શમ્યો નથી, હોડીકાંડના જવાબદારોને કડકમાં સજા થાય અને પોતાના સ્વજનો ગુમાવવા બદલ પુરુતુ વળતર મળે તે માટે આજે પણ તંત્ર સામે લડત લડી રહ્યા છે. જાેકે આવી કરુણ પરિસ્થિતિની બીજી બાજુ કડવી વાસ્તવિકતા એ છે કે હોડી કાંડ જે બોટના કારણે સર્જાયેલો તે મોતની બોટ આજે પણ કેદ સ્વરૂપે હરણી પોલીસ મથકના પ્રાગણમાં મુકી રાખવામાં આવી છે જયારે આ ગોઝારા કાંડમાં જવાબદાર મનાતા તમામે તમામ ૨૦ આરોપીઓ હાલમાં જામીન મુક્ત થતા બહાર ફરી રહ્યા છે.. પાલિકા દ્વારા બે એન્જિનિયરોને ટર્મિનેટ અને સસ્પેન્ડ કર્યા હતા હરણી લેક ઝોન ખાતે સર્જાયેલી ગોઝારી હોડી દુર્ધટનામાં ૧૨ માસુમ બાળકો સહિત ૧૪ના મોંત નિપજ્યાં હતા. આ ધટનાને આવતિકાલે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ દુર્ધટના બાદ પાલિકા તંત્ર દ્વારા લેકઝોન બંધ કરાવીને કોટીયા પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવાની સાથે જેતે સમયે ૬ અધિકારીઓને નોટીસ આપી હતી. જાેકે, જેતે સમયે લેકઝોનની જવાબદારી કોની તે અંગે પણ પાલિકામાં ખોખોની રમત શરૂ થઈ હતી. મ્યુનિ. કમિશનરે હોડી દુર્ઘટનાના ર૯મા દિવસે પાલિકાતંત્રે એક્શન લતેાં ફ્યુચરિસ્ટિક સેલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં એડિશનલ આસિ. એન્જિનિયર મિતેષ માળીને ટર્મિનેટ અને ઉત્તર ઝોનના એડિશનલ આસિ. એન્જિનિયર જિગર સયાનિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત તાજેતરમાં ફ્યુચરીસ્ટીક સેલના જેતે સમયના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ નિવૃત્ત થયા છે. ત્યારે તેઓ પણ ફરજ પર બેદરકારી હોવાનું કસુરવાર સાબીત થતાં તેમના પેન્શન માંથી આજીવન ૫૦૦૦ કાપ કરવાનો દંડ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ૧૮મી જાન્યુઆરી ૨૦૨૪ના સાંજે હરણી લેકઝોન ખાતે સર્જાયેલી હોડી દુર્ધટનામાં પ્રવાસ માટે આવેલા વાધોડિયા રોડ પર ન્યુ સનરાઈઝ સ્કૂલના ૧૨ બાળકો અને બે શિક્ષીકાઓના મોત નિપજ્યાં હતા. નિર્દોષોના મોતના ૨૦ જવાબદારો હરણી પોલીસે લેકઝોન અને કોર્પોરેશન વચ્ચે થયેલા કરારની કોપી મેળવી હતી જેમાં લેક ઝોનમાં કેટલા ભાગીદારો છે, કોની કેટલી જવાબદારી છે અને કેવી રીતે તેમજ કેટલો હિસ્સો મળશે તેની તમામ વિગતો હતી. આ કરારની કોપીની આધારે પોલીસે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો-ભાગીદારો (૧) બીનીત હિતેષ કોટિયા (૨) હિતેષ કોટિયા (૩) ગોપાલ પ્રાણલાલ શાહ (૪) વત્સલ પરેશ શાહ (૫) દિપેન હિતેન્દ્ર શાહ (૬) ધર્મીલ ગીરીશ શાહ (૭) રશ્મિકાંત ચીમનભાઈ પ્રજાપતિ (૮) જતીનકુમાર હિરાલાલ દોશી (૯) નેહા દીપેન દોશી (૧૦) તેજલ આશિષકુમાર દોશી (૧૧) ભીમસીંગ કુડિયારામ યાદવ (૧૨) વૈદપ્રકાશરામપત યાદવ (૧૩)ધર્મીન ધીરજભાઈ ભટાણી (૧૪) નુતનબેન પરેશ શાહ (૧૫) વૈશાખીબેન પરેશ શાહ (૧૬) શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી (૧૭) નયન પ્રવિણભાઈ ગોહિલ (૧૮) અંકિત મહેશભાઈ વસાવા (૧૯) પરેશ રમણલાલ શાહ (૨૦) નિલેશ કાંતિલાલ જૈન (૨૧) અલ્પેશ હસમુખ ભટ્ટે સામે ગુનો નોંધ્યો હતો. આ પૈકી હિતેષ કોટિયાનું અવસાન થયું હોઈ બાકીના ૨૦ સામે હોડીકાંડની કાર્યવાહી હાથ ધરાશે. શાળા સંચાલકો સામે કોઈ જ કાર્યવાહી ના કરાઈ શહેરના વોર્ડ-૧૫ના ભાજપાના કોર્પોરેટર આશિષ જાેષી જેમના વોર્ડમાંથી સૈાથી વધુ વિદ્યાર્થીઓ હોડીકાંડનો ભોગ બન્યા છે તે શરૂઆતથી જ હોડી કાંડના મૃતકોના પરિવારજનોની વ્હારે આવ્યા છે. આશિષ જાેષીએ જણાવ્યું હતું કે આવતી કાલે હરણી બોટકાંડને એક વર્ષ પુરુ થશે પરંતું હજુ સુધી મૃતક વિદ્યાર્થીઓની શાળાના સંચાલકો સામે કોઈ કાર્યવાહી થઈ નથી. હોડી કાંડના તમામ મૃતકોને શ્રધ્ધાંજલી આપવા અને શાળા સંચાલકોને તેઓની ગંભીર બેદરકારી યાદ અપાવવા માટે તે અને મૃતકોના પરિવારજનો આવતીકાલે સવારે ૮.૪૫ વાગે વાઘોડિયારોડ સુર્યનગર પાસે સનરાઈઝ સ્કુલ ખાતે જશે. ત્યારબાદ બપોરે ૧૨ વાગે તે કોર્પોરેશન ઓફિસ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે અને બપોરે ૩ વાગે એરપોર્ટ સર્કલથી હરણી લેકઝોન સુધી પગપાળા જઈને શ્રધ્ધાંજલી આપશે. મ્યુનિ. કમિ.ની તપાસમાં ફરિયાદીની નિષ્કાળજી સપાટી પર આવી વકીલ હિતેષ ગુપ્તાએ જણાવ્યું હતું કે હોડીકાંડના બનાવની વડોદરા મહાનગર સેવાસદનના તત્કાલીન કાર્યપાલક ઈજનેર રાજેશ રમણભાઈ ચૈાહાણે ૧૮ આરોપીઓ વિરુધ્ધ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની તપાસમાં પોલીસને ફરિયાદી રાજેશ ચૈાહાણની કોઈ ગુનાહિત બેદરકારી દેખાઈ નહોંતી પરંતું જયારે મ્યુનિ. કમિ.એ તપાસ કરતાં રાજેશ ચૈાહાણની પણ હોડીકાંડમાં ગુનાહિત બેદરકારી હોવાની જાણ થતાં રાજેશ ચૈાહાણની પેન્શનમાંથી પાંચ હજાર કાપી લેવાની સજા કરાઈ છે. રાજેશ ચૈાહાણ સામે દરખાસ્ત હોવા છતાં તેમને આક્ષેપ રહિત છે તેવી નોંધ સાથે નિવૃત્ત થવા દેવા માટે સમય અપાયો હતો અને નિવૃત્તી બાદ હવે પગલાં લેવાયા છે આવી કામગીરી ઘણી સુચક છે. આ નહીં ભૂલાય હોડી કાંડના નિર્દોષ મૃતકો હોડી કાંડ વખતે બોટમાં સ્કુલના આશરે ૨૫ વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષિકા બેઠાં હતા અને બોટ ડુબી જતાં આ પૈકીના ૧૨થી ૧૫ વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષિકાને બચાવી લેવાયા હતા જયારે અન્ય કમનસીબો (૧) મુઆવિયા મહંમદજાહીર શેખ -ઉં.૮ (૨) સકીના સોકત અબ્દુલરસીદ શેખ- ઉ.૯ (૩) રૈયાન હારૂનભાઈ ખલીફા –ઉં.૧૦ (૪) આયત અલ્તાફહુસેન મન્સુરી- ઉં.૯ (૫) અલીશા મહંમદ કોઠારીવાલ- ઉં.૯ (૬) નેન્સી રાહુલભાઈ માછી-ઉં.૮ (૭) આસિયા ફારુખહુસેન ખલીફા- ઉં.૧૧ (૮) વિશ્વકુમાર કલ્પેશભાઈ નિઝામા-ઉં.૧૦ (૯) ઋત્વિક પ્રતિકકુમાર શાહ ઉં.૧૦ (૧૦) મહંમદઅયાન મહંમદઅનીસ ગાંધી –ઉં.૧૩ (૧૧) રોશની પંકજભાઈ રામદાસ-ઉં.૧૩ (૧૨) જહાબિયા મહંમદયુનુસ સુબેદાર-ઉં.૧૦ તેમજ બે શિક્ષિકાઓ (૧૩) ફાલ્ગુનીબેન મનીષભાઈ પટેલ-ઉં.૫૮ (૧૪) છાયાબેન હિતેન્દ્રભાઈ સુરતી-ઉં.૫૬ના મોત નીપજ્યાં હતા.
ગુજરાત
17, જાન્યુઆરી 2025
અંકલેશ્વરની દુષ્કર્મ પીડિતાનો જીવ બચાવવામાં સફળ નહીં થયેલાં ડોક્ટરોનું સયાજીમાં સન્માન!
મોત, મૃત્યુ, મરણ, નિધન, અવસાન કે, દેહાંત... શબ્દો ભલે અલગ-અલગ હોય પણ પરિણામ તો એક જ છે જીવનનો અંત..!! જેનો જન્મ થયો છે એનું નિધન નિશ્ચિત છે. મૃત્યુ એ પરમ સત્ય છે. આજે મૃત્યુ વિષે લખવાની પ્રેરણા અમને સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ આપી છે.તમને જાણીને આશ્ચર્ય થશે પણ સયાજી હોસ્પિટલના પટાંગણમાં આજે કેટલાક ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતંુ. આ એ જ ડોક્ટરો હતા, જેમણે થોડા દિવસ પહેલા અંકલેશ્વરની દુષ્કર્મ પીડિતાની સારવાર કરી હતી. આ એ જ ડોક્ટરો હતા, જેમણે રાત દિવસ મહેનત કરીને પીડિતાને બચાવવાના અથાગ પ્રયત્નો કર્યા હતા, પણ અફસોસ, એ ડોક્ટરો પીડિતાનો જીવ બચાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા. શું ડોક્ટરે કરેલાં પ્રયત્નો તેમની ફરજ નોહતી? આઘાતજનક વાત એ હતી કે, ડોક્ટરોની એ નિષ્ફળતાનું આજે જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તમને જાણીને આંચકો લાગશે પણ કુમળી બાળકીનો જીવ નહીં બચાવી શકવાની નિષ્ફળતા બાદ પણ યોજાયેલા સન્માન સમારોહમાં સયાજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. રાજીવ દેવેશ્વર ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથેસાથે બાળકીની જિંદગી નહીં બચાવી શકનારા પીડિયાટ્રિક વોર્ડના વડા ડો. ઓમપ્રકાશ શુક્લા પણ ગર્વથી હાજર રહ્યા હતા. એનેસ્થેશિયા વિભાગના વડા ડો. શ્વેતા અને ફોરેન્સિક મેડિસીનના ડો. સુનિલ ભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ એક એવો સન્માન સમારોહ હતો, જેનાં વિષે જાણીને હચમચી જવાય. એક એવો સન્માન સમારોહ જેના વિષે જાણીને આંખના ખૂણા ભરાઈ જાય. એક એવો સન્માન સમારોહ જેને ઉજવવાની પ્રેરણા કેવી રીતે મળે? તે સમજવા માટે નિષ્ઠુરતાની તમામ હદો વટાવવી પડે. એક એવો સન્માન સમારોહ, જેના આયોજનની પાછળ આત્મશ્લાઘા જેવી બીજી કઈ વિકૃતિ કામ કરે છે? તે જાણવા માટે માનવતાને નેવે મૂકી દેવી પડે. ખેર, જાણીતા શાયર જલન માતરીએ લખ્યું છે, મૃત્યુની ઠેંસ વાગશે તો શું થશે ‘જલન’? જીવનની ઠેંસની તો હજુ કળ વળી નથી..!! અંકલેશ્વરની દુષ્કર્મ પીડિતાના મૃત્યુ પછી પણ એકબીજાનું સન્માન કરનારા એ ડોક્ટરોને ઈશ્વર...
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
ગુજરાત
19, જાન્યુઆરી 2025
ઉધારમાં માલ સામાન લઈશહેરની ત્રણ કંપનીઓ સાથે છેતરપિંડી આચરી
અમદાવાદ, શહેરની ત્રણ કંપની સાથે કેટલાક અલગ-અલગ વેપારીઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. જેથી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ કંપની પાસેથી માલ સામાન લઈને કેટલાક લોકોએ કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. ઉધારમાં માલ-સામાન લીધા બાદ કરોડો રૂપિયાનું લેણું બાકી રહેતા વેપારીઓએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા આંબલી ઇસ્કોન રોડ ખાતે આવેલી હીરા મોતી ટેક્સ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક કે જે રૂની ગાંસડીનું અને રો મટિરિયલનું સ્પિનિંગ તથા કાપડ બનાવતી મિલોમાં ટ્રેડિંગ કરતી કંપની ધરાવે છે. તેમણે શ્રી સિધ્ધનાથ કોટેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં ૪ નવેમ્બર ૨૦૨૨થી ૧૭ જુલાઇ ૨૦૨૪ દરમિયાન અલગ અલગ બિલથી રૂપિયા ૨૨,૫૯,૧૭,૧૨૮ની રૂની ગાંસડીનો માલ પંદર દિવસના ઉધારીમાં વેચાણ માટે આપ્યો હતો. જેના બાકી રહેતા રૂપિયા ૫,૨૬,૫૮,૦૧૭ની ફરિયાદી દ્વારા અવારનવાર ઉઘરાણી કરતા તેઓની મીલના બેંક શાખાના કુલ ૭ ચેકો રૂ. ૪,૮૨,૯૧,૪૫૪ના આપ્યા હતા. જે તમામ ચેકો રિટર્ન કરાવી તેમજ રૂપિયા ૪૩,૬૬,૫૬૩ નહીં ચૂકવી આપી જે બન્ને મળી કુલ રૂપિયા ૫,૨૬,૫૮,૦૧૭ની ફરિયાદીએ અવારનવાર ઉઘરાણી કરવા છતા ઈરાદાપુર્વક નહીં ચૂકવી આપી તમામ છેતરપિંડી કરનાર ફરાર થઈ જઈ વિશ્વાસઘાત કરીને છેતરપિંડી આચરી હતી. શાહીબાગ વિસ્તારના કાપડના વેપારી સાથે પણ ૪૨,૬૬,૫૬૩ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે ઘટનામાં હકીકત એવી છે કે, જયઅંબે આર્ટ ફર્મોના વેપારીઓ દ્વારા ફરિયાદી પાસેથી ૪ મે, ૨૦૨૨થી ૧૬ માર્ચ, ૨૦૨૪ સુધીમાં કુલ રૂપિયા ૧,૯૧,૪૪,૪૮૩ની રકમના લેડિઝ ડ્રેસ મટીરીયલના કાપડનો જથ્થાબંધ માલ ઉધારીમાં લઈને ૩૦થી ૯૦ દિવસમાં સંપૂર્ણ રકમ ચૂકવવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ વાયદા મુજબ ચૂકવણી ન કરીને ટુકડે-ટુકડે ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં ૧,૪૮,૭૭,૯૨૦ રૂપિયા ચૂકવીને બાકીની રકમની છેતરપિંડી આચરી હતી. આરોપીઓ દ્વારા ફરિયાદીને કુલ રૂા.૪૨,૬૬,૫૬૩ની રકમ ચૂકવ્યા વિના પોતાની દુકાન બંધ કરીને ભાગી ગયા હોવાથી આજદિન સુધી રકમ ચૂકવવામાં ન આવતા આરોપીઓ કમલેશ ખેમનાની અને કપિલ ખેમનાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કાંકરિયા વિસ્તારમાં એક દુકાનના માલિક કે જે રેડિમેડ કુર્તીનો હોલસેલ વેપાર કરે છે. તેમની સાથે કાલુપુર વિસ્તારમાં આવેલા કોટની રાંગ ખાતે આવેલ મહાલક્ષ્મી ટ્રેડર્સ ના માલિક રોચીરામ સાધવાણી દ્વારા ૨ જૂન, ૨૦૨૩થી ૧૩ જૂન, ૨૦૨૪ સુધીમાં ૬૦થી ૯૦ દિવસની મુદતમાં સંપૂર્ણ રકમ ચૂકવવાના વાયદાથી કુલ રૂા. ૬૨,૧૫,૧૩૯ રૂપિયાનું કુર્તીનો જથ્થાબંધ માલ લીધો હતો. ત્યારબાદ સમયસર પેમેન્ટ ન ચૂકવતા ટુકડે ટુકડે ૧૭ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં રૂા. ૨૩,૪૨,૪૫૨ રૂપિયા ચૂકવ્યા હતા અને બાકીના રૂા. ૩૮,૭૨,૬૮૭ની ફરિયાદી દ્વારા વારંવાર માંગણી કરવામાં આવી હોવા છતાં ન ચૂકવીને છેતરપિંડી આચરી હતી. જેથી ડીસીબી પોલીસ સ્ટેશનમાં મા લક્ષ્મી ટ્રેડર્સના માલિક રોચીરામ સાધવાણી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગુજરાત
19, જાન્યુઆરી 2025
અમદાવાદ સિટીમાં ખૂલ્લેઆમ વેચાતી બળી દૂધમાંથી નહીં ઈંડામાંથી બને છે?
અમદાવાદ, અમદાવાદમાં બળી વેચનાર ફેરિયાએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો છે. જે બળીને આપણે દૂધની મીઠાઈ સમજીને આરોગીએ છીએ તે હકીકતમાં ઈંડાથી બનાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ફેરિયો બળી લઈને જતો હોય છે. એવા સમયે વીડિયો ઉતારી રહેલો વ્યક્તિ તેને આ વિશે સવાલ પૂછે છે કે, આ શું છે અને શેમાંથી બનાવી છે? ત્યારે ફેરિયો જવાબ આપે છે કે, આને લોકો બળી કહે છે અને ઈંડામાંથી બનાવવામાં આવે છે. જાેકે, આ લારી પર આ બળી જાેતા તે એકદમ અસલ દૂધની બળી જેવી જ દેખાય છે. જેના કારણે ઘણાં શાકાહારી લોકો આ ઈંડાની બળીને દૂધની બળી સમજીને આરોગી લે છે. આ વિશે ફેરિયાએ કહ્યું કે, કોઈ મને પૂછતું નથી કે, આ બળી શેમાંથી બનાવેલી છે એટલે હું નથી જણાવતો. જે મને પૂછે છે તો હું તેમને સાચું જ કહી દઉ છું કે, આ ઈંડામાંથી બનાવેલી બળી છે. ત્યારે વીડિયો બનાવતા વ્યક્તિએ પૂછ્યું કે, શાકાહારી વ્યક્તિ હોય તો તેને સામેથી કેમ નથી કહેતો કે આ બળી દૂધ નહીં પરંતુ ઈંડામાંથી બનેલી છે? ત્યારે ફેરિયાએ એ જ રટણ કર્યું કે, કોઈ મને પૂછતું નથી એટલે નથી કહેતો.
ગુજરાત
19, જાન્યુઆરી 2025
૧૦ વર્ષમાં ૫૫ હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી મ્યુનિ.શાળામાં પ્રવેશ લીધો
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં દસ વર્ષના સમયમાં ખાનગી શાળા છોડીને ૫૫૬૦૫ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. વિવિધ વોર્ડમાં આવેલી ૧૨૯ જેટલી મ્યુનિસિપલ શાળાઓને આ સમય દરમિયાન સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે. વર્ષ-૨૦૨૫-૨૬માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૪ નવી શાળા બનાવવામાં આવશે.વર્ષ-૨૦૨૫-૨૬ના રુપિયા ૧૧૪૩ કરોડના ડ્રાફટ બજેટ પૈકી શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ માત્ર રુપિયા ૭૭.૫૦ કરોડ જ ખર્ચ કરાશે. મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનું વર્ષ-૨૦૨૫-૨૬ માટેનું રુપિયા ૧૧૪૩ કરોડનું ડ્રાફટ બજેટ શાસનાધિકારી ડોકટર લગધીર દેસાઈ દ્વારા રજૂ કરવામા આવ્યુ છે.જાે કે રુપિયા ૧૦૪૨.૫ કરોડ તો માત્ર પગાર અને પેન્શનની ચૂકવણી પાછળ જ ખર્ચ કરવામાં આવશે.શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ રુપિયા ૭૭.૫૦ કરોડ ખર્ચ કરવામાં આવશે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓ માટે રાજય સરકાર ગ્રાન્ટેબલ ખર્ચના રૃપિયા ૮૦૮ કરોડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન રુપિયા ૧૩૧ કરોડ આપશે.વર્ષ-૨૦૨૫ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શતાબ્દી વર્ષ છે. વર્ષ વિદ્યાર્થીની સંખ્યા૨૦૧૫ ૫૪૮૧ ૨૦૧૬ ૫૦૦૫ ૨૦૧૭ ૫૨૧૯ ૨૦૧૮ ૫૭૯૧ ૨૦૧૯ ૫૨૭૨ ૨૦૨૦ ૩૩૩૪ ૨૦૨૧ ૬૨૮૯ ૨૦૨૨ ૯૫૦૦ ૨૦૨૩ ૪૩૯૯
ગુજરાત
19, જાન્યુઆરી 2025
નરોડામાં કારચાલકે અચાનક દરવાજાે ખોલતા બાઈકચાલક પટકાયો અને માથે ટ્રક ફરી વળી
અમદાવાદ, શહેરના નરોડામાં કારચાલકે કારને નો-પાર્કિગમાં સાંકડા રોડ પર ઊભી રાખીને દરવાજાે ખોલ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી બાઈક પર બેઠલી બંને વ્યક્તિ નીચે પટકાઈ હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકનું ટાયર બાઈકચાલક પર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બાઇકની પાછળ બેઠેલી વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ આ મામલે ટ્રાફિક-પોલીસે ટ્રકચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો છે. ૧૮ જાન્યુઆરીએ શહેરના કૃષ્ણનગરમાં રહેતા પ્રવીણ હિંગુ તેમના ભાઈ રાકેશ હિંગુ સાથે બાઈક ચલાવીને નરોડા બેઠકથી ગેલેક્સી તરફ જતા સર્વિસ રોડ પર જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ એક અર્ટિગા ગાડીના ચાલકે સર્વિસ રોડ ઉપર નો-પાર્કિંગમાં ગાડી ઊભી રાખી હતી અને અચાનક જ ડ્રાઇવર સાઈડનો દરવાજાે ખોલ્યો હતો જેના કારણે અકસ્માત સર્જાયો. બાઈકને ટક્કર વાગતા ચાલક પર ટ્રકના પૈડા ફરી વળ્યા હતા. જેમાં બાઈક ચાલકનું કરુણ મોત નિપજ્યું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયેલ છે. ફ્લાયઓવર બનવાની કામગીરીને કારણે પહેલાથી રસ્તો સાંકડો થઈ ગયો છે. ત્યારે કારચાલકે વચ્ચે દરવાજાે ખોલતા બાઈક ચાલકને ટક્કર વાગી હતી. જેના કારણે બાઈક પર સવાર ૨ વ્યક્તિઓ રસ્તા પર પડ્યા હતા. જેમાં એક વ્યક્તિ પર ટ્રક ફરી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે. જેને જાેઈને ભલભલાનું કાળજું કંપી જાય તેવા આ સીસીટીવી છે જે તમે ઉપર જાેઈ શકો છો. બનાવને લઈને હાલ મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત પણ ઘણી જ ગંભીર છે જેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
ગુજરાત
19, જાન્યુઆરી 2025
શેરબજારમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ
અમદાવાદ, શેરબજારમાં રોકાણ કરાવી વધુ નફો આપવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ છે. સાયબર ક્રાઇમે ત્રણ આરોપીની ધરપકડ કરી અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી નિવૃત ટીડીઓનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. સાથે લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમનો કસ્ટડીમાં રહેલા આરોપી પ્રકાશ પરમાર,પ્રિયંક ઠક્કર અને કેવળ ગઢવી નામના ત્રણ આરોપીઓ અલગ અલગ મોડસ ઓપરેન્ડી થકી લોકોને રોકાણ કરાવી રૂપિયા પડાવી લેતા હતા. સાથે જ આ ગેંગમાં સામેલ ગોવિંદની કચ્છ પોલીસે ૪ દિવસ પહેલા ધરપકડ કરી હતી. આ ગેંગ લોકોને શેર માર્કેટમાં વધુ નફા માટે ટિપ્સ આપીશું તેમ કહી વૉટ્સએપ ગ્રૂપમાં જાેડીને પહેલા થોડો નફો આપીને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતાં હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ ગેગના મુખ્ય આરોપીઓ કમ્બોડિયા,વિયતણામ સહિત અન્ય દેશોમાં છે અને ઇન્ડિયામાં એજન્ટ રાખીને કૌભાંડ ચલાવતા હતા. આ રીતે તેમને અમદાવાદના એક વ્યક્તિ પાસેથી ૫૯ લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પ્રકાશ પરમારનું ખાતું ખોલાવી પ્રિયંક ગેમિંગ અને છેતરપીંડીના રૂપિયા જમા કરાવતો હતો. જે ૨૮ લાખ રૂપિયા પ્રકાશે ગોવિંદ નામના આરોપીને આપ્યા હતા. પ્રિયંક અન્ય આરોપીઓના બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવામાં મદદ કરતો હતો અને કેવળ ગઢવીની ઓફિસમાં બેસી ૪૪ કોડના નંબરની મદદથી રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે.આરોપી કેવલની ઓફિસે તપાસ કરતાં ૩૭ લાખ રોકડા,ચેક બુક,અલગ અલગ ડેબિટ અને અન્ય કાર્ડ,પાસબુક,અનેક સીમકાર્ડ સહિત અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી ગોવિંદ અને અન્ય ફરાર આરોપીઓ રૂપિયાની છેતરપિંડી કરીને આ રૂપિયાને અમેરિકન ડોલરમાં બદલીને વિદેશમાં બેઠેલી ગેંગને મોકલી આપતા હતા અને જે પૈકી આ આરોપીઓને ૧૦ થી ૧૫ ટકા કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પહેલા ઝડપાયેલા ૨ આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે અન્ય એક આરોપીની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પાસેથી મળી આવેલા બેન્ક એકાઉન્ટની તપાસમાં ૫૫૦ થી વધુ ફરિયાદો દેશભરમાંથી મળી છે જેની સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી સાથે જ ૫૫૦ થી વધુ એફઆઇઆરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
ગુજરાત
19, જાન્યુઆરી 2025
હીરાબજાર સ્થિત વિરલ સેઇફ ડિપોઝીટનાં લોકરમાંથી રોકડા રૂ.૪ લાખ ચોરાઈ ગયાં
સુરત, મહિધરપુરા હીરાબજારમાં આવેલા વિરલ સેઇફ ડિપોઝીટમાં હીરાદલાલના લોકરમાંથી રોકડા ચાર લાખ ચોરાઇ ગયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. મહિધરપુરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પાલનપુર ગૌરવપથ પર નક્ષત્ર એમ્બેસી એપાર્ટમેન્ટમાં રહેતાં સીત્તેર વર્ષીય અખેચંદ્ર ભમરાજ ચોપડા હીરા દલાલ છે. મહિધરપુરા હીરાબજારમાં દલાલીનું કામ કરતાં અખેચંદ્રએ અહીં આવેલા વિરલ સેફ ડિપોજીટમાં લોકર લઇ રાખ્યું છે. ગત ૨૭મી ડિસેમ્બરે સાંજે પોણા છ વાગ્યાના અરસામાં અખેચંદ્ર આ સેફ હાઉસમાં લોકર ઓપરેટ કરવા ગયા હતા. એ સમયે લોકરમાં બે થેલી મૂકી હતી. એક થેલીમાં રોકડા ૨.૩૫ લાખ અને બીજીમાં ચાર લાખ રૂપિયા હતાં. એ દિવસે પૌત્રી માયરાનો જન્મદિવસ હોવાથી અખેચંદ્ર ઉતાવળે તેમના દિકરા સાથે ગિફ્ટ ખરીદવા નીકળી ગયા હતાં. તેઓ અંબાજીરોડ પહોંચ્યા ત્યારે અખેચંદ્રને એવો અહેસાસ થયો કે તેમણે લોકર બંધ કરી ચાવી કાઢી ન હતી. ખિસ્સા ચેક કર્યા પરંતુ ચાવી નહીં મળી એટલે એ લોકરમાં જ હોવાનું કન્ફર્મ થયું હતું. જેથી પિતા - પૂત્ર તુરંત હીરાબજાર પરત આવ્યા હતાં. તેમણે વિરલ સેઇફ હાઉસમાં જઈ ચેક કર્યું તો લોકરનાં કી હોલમાં ચાવી લટકતી હતી. અખેચંદ્રએ લોકરનો દરવાજો ખોલ્યો એટલે સામે હીરા રાખેલું પ્લાસ્ટિકનું બોક્સ દેખાયું હતું. અંદર બધું સલામત હશે એમ માની લઇ તેઓએ લોકર ચેક કર્યું ન હતું. લોક મારી ચાવી લઇ તેઓ ત્યાંથી નીકળી ગયા હતાં. બીજા દિવસે એટલે કે ૨૮મી ડિસેમ્બરે બપોરે સાડા બારેક વાગ્યે ધંધાર્થે હીરા લેવા માટે અખેચંદ્ર ફરી સેઇફ ડિપોઝીટ વોલ્ટ પહોંચ્યા હતાં. તેઓએ લોકર ખોલ્યું તો તેમાં હીરા અને રોકડા ૨.૩૫ લાખ ભરેલી થેલી જેમની તેમ હતી, પરંતુ ચાર લાખ રૂપિયા મૂક્યા હતાં એ થેલી મળી ન હતી.
ગુજરાત
19, જાન્યુઆરી 2025
સિંગણપોરમાં શ્રમજીવી યુવકે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું
સુરત, સુરત શહેરના સિંગણપોર ખાતે આવેલી ઓમકાર રેસિડન્સીમાં રહેતા ૨૨ વર્ષના શ્રમજીવી યુવકે રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ મોતને વહાલું કરી લેતા પરિવારમાં શોકની કાલિમા છવાઈ છે. જુવાનજોધ યુવકના મોતથી બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રનો વતની ૨૨ વર્ષીય દિપક મનોહર પોડેફોડે હાલમાં સિંગણપોર ખાતે આવેલી ઓમકાર રેસિડન્સીમાં પરિવાર સાથે રહેતો હતો. તે અપરણિત હતો અને તેને બે બહેન છે. તેમજ તે છૂટક મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. ગઈકાલે રાત્રે દીપકે પોતાના ઘરમાં છતના પંખા સાથે દુપટ્ટો બાંધી મોતને વહાલું કરી લીધું હતું. તેણે કયા કારણોસર મોતને વહાલું કર્યું તે અંગે રહસ્ય છે. આ બનાવ અંગે સિંગણપોર પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.પાંડેસરામાં ૪ વર્ષીય બાળકનું તાવમાં સપડાયા બાદ મોત સુરત શહેરમાં આવેલા પાંડેસરા વિસ્તારમાં આવેલ જય અંબેનગરમાં રહેતા કોળી પરિવારના ૪ વર્ષના બાળકનું તાવમાં સપડાયા બાદ મોત નિપજ્યું હતું. પાંડેસરાના જય અંબે નગરમાં રહેતા રામતીલક કોળી મજુરી કામ કરી પત્ની અને બે પુત્ર સહિતના પરીવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન રામતીલકના બે પુત્ર પૈકી ૪ ર્વષિય અનુભવને છેલ્લા ૧૦ દિવસથી તાવ હતો, જેથી સ્થાનિક ક્લિનિકમાંથી સારવાર લેવામાં આવી રહી હતી. દરમિયાન શનિવારે સાંજે અનુભવની તબિયત લથડતા પરિવાર જનો તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં તેનું મોત થયું હતું. જેને પગલે પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાવને કારણે તેમજ અચાનક બેભાન થયા બાદ મૃત્યુ નીપજવાના કેસો વધી રહ્યા છે.
ગુજરાત
19, જાન્યુઆરી 2025
બેંકમાંથી સોનું છોડાવવાનાં નામે ગઠિયાએ કાપોદ્રાનાં વેપારી પાસે ૨૩.૫૦ લાખ પડાવ્યા
સુરત, ગોલ્ડ છોડાવવાનાં બહાને કાપોદ્રાનાં વેપારી પાસે ૨૩.૫૦ લાખ પડાવી ગયેલા ગઠિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. સરથાણા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર મોટા વરાછામાં નીલકંઠ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં પુથ્વીરાજ ઘર્મેદ્રભાઇ પાંચાણી તેના પરિવાર સાથે રહે છે. પૃથ્વીરાજ યોગીચોક વિસ્તારના એપ્પલ સ્ક્વેયરમાં ઓફિસ રાખી રોયલ કોર્પોરેટ કન્સલ્ટન્સી નામથી સોના ચાંદીના ઘરેણાં ખરીદવા તેમજ લોન કરાવી આપવાનું કામ કરે છે. ધંધાકીય મિત્ર બ્રિજેશ કાપડિયા તેમના મિત્ર કિશન ધરમશી વઘાસિયાને લઇ પૃથ્વીરાજ પાસે આવ્યો હતો. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ પૃથ્વીરાજની ઓફિસે ગયેલા કિશને જણાવ્યું હતું કે, અમારા ૪૩૭ ગ્રામ સોના ઉપર સી.એસ.બી બેંકમાં ૨૩,૫૦,૦૦૦ ની લોન ચાલુ છે. આ ભરપાઇ કરી ગોલ્ડ છોડાવ્યા બાદ એ તમને આપી દઈશ. તમે તમારા રૂપિયા લઇ બીજા અમને આપી દેજો. સોદો સીધો લાગતા પૃથ્વીરાજે તેમના એકાઉન્ટમાંથી આરટીજીએસ કરી આ રકમ આપી હતી. એટલું જ નહીં તે કિશનને સાથે લઇ સિટીલાઇટ સાયન્સ સેન્ટર સામે આવેલી બેંકમાં ગોલ્ડ છોડાવવા ગયો હતો. બેંકમાં પહોંચ્યા બાદ કિશને હું ચેક તો ઘરે ભૂલી ગયો એમ કહ્યું હતું. કિશન વઘાસિયાએ ચેક મંગાવવાના બહાને ધ્યાન વર્માને કોલ કરતો રહ્યો હતો. જો કે ઘણાં સમય સુધી ધ્યાન નહીં આવતાં પૃથ્વીરાજને શંકા ગઈ અને પૈસા પરત માંગવા માંડ્યા હતાં. જો કે આ દરમિયાન કિશને એક વ્યક્તિને ત્યાં બોલાવ્યો હતો. એ વ્યક્તિને પૃથ્વીરાજે ચેક અંગે પૂછ્યું તો, તેણે મને ધ્યાન વર્માએ કિશનને કોઇ કામ છે એમ કહી મોકલ્યો હોવાની વાત કરી હતી. પૃથ્વીરાજ એ અજાણ્યા સાથે વાત કરી રહયો હતો એ દરમિયાન કિશન વઘાસિયા બેન્કમાંથી ગાયબ થઇ ગયો હતો. આ વાત ધ્યાને આવતાં પૃથ્વીરાજ કિશનને શોધવા ગયો એટલામાં એ અજાણ્યો વ્યક્તિ પણ ફરાર થઇ ગયો હતો. પૃથ્વીરાજે સીએસબી બેંકનાં કિશનનાં એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા એ ૨૩.૫૦ લાખ ફ્રિજ કરવા પ્રોસીજર કરી પરંતુ એ પહેલા તેણે એ રકમમાંથી ૨૩ લાખ રૂપિયા નેહાબેન રૂષિકેશ વર્માના સુરત નેશનલ કો.ઓ.બેંક, કાપોદ્રા શાખાના એકાઉન્ટમાં આર.ટી.જી.એસ થી ટ્રાન્સફર કરી દીધા હતા. આ રીતે ચીટિંગ કરનારા કિશન સામે પૃથ્વીરાજે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાત
19, જાન્યુઆરી 2025
યાર્નની ખરીદીમાં કતારગામની બે પેઢી સાથે સાળા-બનેવી દ્વારા એક કરોડની છેતરપિંડી
સુરત, બે પેઢીમાંથી યાર્ન ખરીદી ૧.૦૧ કરોડ રૂપિયા પેમેન્ટ નહીં કરનારા સાળા બનેવી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સિંગણપોરમાં કંથારીયા હનુમાન મંદિર સામે શુકનહાઇટ્સ એપાર્ટમેન્ટમાં ગુણવંત દામજીભાઈ સાંકડાસરિયા તેમના પરિવાર સાથે રહે છે. ભાવનગરના શિહોર તાલુકાના વતની ગુણવંત મિતેનભાઈ ખોડાભાઈ પટેલ તથા હિરાબેન વિઠ્ઠલભાઈ દેવજીભાઈ વિકાણીની રૂદ્રાક્ષ પોલીફેબ તથા વિઠ્ઠલભાઈ દેવજીભાઇ વિઠાણી તથા સતિષ વિઠ્ઠલભાઈ વિઠાણીની શ્રીરુદ્રાક્ષ પોલીયાર્ન એમ બે પેઢીમાં સેલર તરીકે નોકરી કરે છે. શ્રીરુદ્રાક્ષ પોલીફેબ તેમજ શ્રી રુદ્રાક્ષ પોલીયાર્ન યાર્નની જથ્થાબંધ ખરીદી કરી માર્કેટમાં છૂટકમાં વેચાણ કરે છે. રુદ્રાક્ષ પોલીયાર્ન પેઢીમાં નોકરી કરતા જયેશ રામગોપાલ બુબના એ જાન્યૂઆરી ૨૦૨૩માં માલિક વિઠ્ઠલભાઇને જણાવ્યું હતું કે, મારા પડોશી યુવરાજ દીપકકુમાર જરીવાલા સાથે મે ભાગીદારીમાં યાર્નનો ધંધો શરૂ કર્યો છે. યુવરાજને યાર્નનો માલ જોઈએ છે. તે સારી અને વિશ્વાસું પાર્ટી છે અને સમયસર તે મને પેમેન્ટ કરી દેશે. જયેશનાં રેફરન્સ બાદ યુવરાજ દીપકકુમાર જરીવાલા કતારગામ લક્ષ્મી એન્કલેવ-ર ખાતે આવેલી ઓફિસમાં મળવા આવ્યો હતો. એ સમયે તેની સાથે તેના બનેવી અજય રામુભાઇ ગામીત પણ હતાં. તેઓએ આદિદેવ ટ્રેડર્સનાં પ્રોપરાઈટર હોવાનું જણાવ્યું હતું. ધંધાકીય વાતચીતમાં ભરોસો બેસતાં રૂદ્રાક્ષમાંથી તેમને માલ આપવાનું શરૂ કરાયું હતું. યુવરાજ જરીવાલાએ જાન્યૂઆરી થી એપ્રિલ ૨૦૨૩ સુધીમા શ્રીરૂદ્રાક્ષ પોલીફેબમાંથી ૧,૩૮,૯૪,૨૨૯ કિંમતનું યાર્ન ખરીદ્યું હતું, જેની સામે ૫૬,૮૪,૫૬૮ રૂપિયા પેમેન્ટ કર્યું હતું. જ્યારે ૮૨,૦૯,૬૬૧ રૂપિયાની ચુકવણી બાકી રાખી હતી. યુવરાજ જરીવાલાએ શ્રીરૂદ્રાક્ષ પોલીયાર્નમાથી પણ ૬૪,૯૮,૬૬૫ કિંમતનું યાર્ન ખરીદ્યુ હતું. જેમાં ૪૬,૩૪,૨૪૦ રૂપિયા ચૂકવી ૧૮,૬૪,૪૨૫ બાકી રાખ્યા હતાં. આ રીતે બે પેઢીનું કુલ ૧,૦૧,૦૪,૦૮૬ રૂપિયા પેમેન્ટ બાકી રહ્યું હોય ગુણવંતભાઇ દ્વારા ઉઘરાણી શરૂ કરાઇ હતી. શરૂઆતમાં વાયદાઓ કરનારા જરીવાલાએ પાછળથી પચ્ચીસ જેટલા એચ.ડી.એફ.સી ના ચેક આપ્યા હતા. જો કે આ બધા ચેક રીટર્ન થયા હતા. ગત ઓક્ટોબર મહિનામાં ૧,૦૧,૦૪,૦૮૬ રૂપિયાની ફરીથી ઉઘરાણી કરાઇ હતો અજય રામુ ગામીતે ૯૦ દિવસમાં ક્લિયર કરાવી દેવાના વાયદે ચેક લખી આપ્યા હતા. સાથે જ અજય અને યુવરાજે બાંહેધરી કરાર પણ લખી આપ્યો હતો. જો કે આ કરાર અનુસાર પણ પેમેન્ટ કરાયું ન હતું. ગુણવંતભાઇ ઉઘરાણી માટે ગયા તો તેમની સાથે ઝઘડો અને ગાળાગાળી કરાઇ હતી. હવે પછી મારા ઘરે નાણાંની ઉઘરાણી કરવા આવીશ તો તમારા ટાંટિયા તોડી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી. સાથે જ ખોટી ફરિયાદ કરી ફસાવી દઈશું એમ કહેવાતાં ગુણવંતભાઇએ પેઢીના માલિકો સાથે ચર્ચા કરી અજયકુમાર રામુભાઈ ગામીત (રહે, કલાપી એપાર્ટમેન્ટ, સિટીઝન સ્કુલની બાજુમાં પાલનપુર જકાતનાકા) તથા યુવરાજ દિપક જરીવાલા (રહે, વેકંજા હોમ્સ, સેન્ટોસા હાઇટ્સ સામે અલથાણ ભીમરાડ રોડ) સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાત
19, જાન્યુઆરી 2025
લુમ્સના કારીગરની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી, હત્યાની શંકા
સુરત, સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં રહેતા લુમ્સના કામદારની તેના જ ઘરમાંથી કોહવાયેલી લાશ મળી આવી હતી. આ બનાવમાં પાછળ મિત્રો અને સંબંધીઓ દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૂળ ઓરિસ્સાના ગંજામના વતની ૩૪ વર્ષીય નીલકંઠ જૂટીયા શેટ્ટી હાલમાં સુરતના ભેસ્તાન સિદ્ધાર્થ નગરમાં રહેતો હતો. અને લુમ્સના કારખાનામાં કામ કરતો હતો. પરિવારમાં માતા પત્ની અને ત્રણ સંતાન વતનમાં રહે છે. અને તે એકલો સુરતમાં રહેતો હતો. લુમ્સના કામદાર નીલકંઠની ગઈકાલે રાત્રે તેના જ ઘરમાંથી કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ગઈકાલે રાત્રે નીલકંઠના રૂમમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોવાથી પાડોશી એકઠા થયા હતા, અને તેના મિત્રો તથા સંબંધીઓને જાણ કરવામાં આવી હતી, બાદમાં રમ ખોલી જોતાં તેમાંથી નીલકંઠની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ અંગે ભેસ્તાન પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તત્કાળ ઘટના સ્થળે પહોંચી હતી. અને પ્રાથમિક તપાસ બાદ પોસ્ટમોર્ટમ માટે લાશને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. નીલકંઠના મોતના પગલે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. લાશ ઊચકતી વખતે જમીન પર લોહીના નિશાન દેખાતા મિત્રો અને સંબંધીઓ દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By:
Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...