ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 1683   |  
સોલાર કંપનીનાં ચેનલ પાર્ટનર બનાવવાનું કહીને ખેડૂત સાથે પાંચ લાખની છેતરપિંડી

ગીર સોમનાથનાં ખેડૂતને સોલાક કંપનીનાં ચેનલ પાર્ટનર બનાવવા સાથે સોલાર સંબંધિત સામાન પુરો પાડી વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવાની વાતમાં ફસાવી પાંચ લાખ પડાવી લેનાર ડિરેક્ટર અને મેનેજર સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.ગોડાદરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ગીર સોમનાથનાં ઉના તાલુકાના જશરાજ નગરના વતની પ્રતાપભાઈ ભાણાભાઈ મોરી વ્યવસાયે ખેડૂત છે. ગત ડિસેમ્બર ૨૦૨૫માં મોરીએ સોશિયલ મીડીયામા સનરૂટ એનર્જી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જાહેરાત જોઈ હતી. ચેનલ પાર્ટનર બનવાની ઓફર કરતી આ જાહેરાત સાથે અપાયેલા નંબર ઉપર મોરીએ કોલ કર્યો હતો. જેમાં વિવેક મિશ્રાએ વાત કરતાં જણાવ્યું હતું કે, અમે તમને સોલાર કંપનીના ચેનલ પાર્ટનર બનાવીશું. સાથે જ ડિસ્ટ્રીબ્યુટર તરીકે એજન્સી આપી ધંધો સેટ કરવામાં તમામ મદદ કરીશું.મોરીને સોલારનાં ધંધામાં રસ હોવાથી તે જાન્યુઆરી ૨૦૨૬માં સુરત આવ્યો હતો. ગોડાદરા વિસ્તારના કેપિટલ સ્ક્વેરમાં આવેલી સનરૂટ એનર્જી સોલ્યુશન કંપનીની ઓફિસમાં તેઓ ગયા હતાં. જ્યાં વિવેક મિશ્રા મળ્યા અને મોરીની મુલાકાત ટીમ મેનેજર આયુષ ઉપાધ્યાય સાથે કરાવી હતી. આ બંનેએ જણાવ્યું હતું કે, તમે ચેનલ પાર્ટનર બનશો તો સોલાર સંબંધિત તમામ સામાન ડિસ્પ્લે માટે આપવામાં આવશે. સાથે વ્યવસાય શરૂ કરાવવામાં સંપૂર્ણ મદદ પણ કરાશે. જે માટે પાંચ લાખ રૂપિયા કંપનીમાં જમા કરાવવા પડશે. પેમેન્ટ થયા બાદ સોલાર રૂફટોપ, સોલાર કેમેરા, સોલાર સ્ટ્રીટ લાઈટ વગેરેનો સામાન તેમજ બ્રાન્ડિંગ મટીરિયલ પહોંચાડવાની બાંહેધરી પણ તેમણે આપી હતી. આ વાતમાં વિશ્વાસ મૂકી મોરીએ તેમને પાંચમી જાન્યુઆરીએ પાંચ લાખ રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ તેઓ ઓનલાઇન ટ્રેનિંગ આપવાની તથા ટૂંક સમયમાં બ્રાન્ડિંગ મટીરીયલ અને અન્ય સામાન મોકલવાની ખાતરી આપતા રહ્યા હતાં. જો કે, તેઓએ એક પણ વાત અમલમાં મૂકી ન હતી. ત્રણેક મહિના બાદ મિશ્રા અને ઉપાધ્યાયે મોરીનાં કોલ રીસિવ કરવા પણ બંધ કરી દીધા હતા. પાંચ લાખ રૂપિયા લઇ સોલારના ધંધા માટે સરસામાન નહીં અપાતાં મોરી ફરીથી સુરત તપાસ કરવા આવ્યા હતા. જેમાં આ કંપનીની ઓફિસ ૩૧ માર્ચથી બંધ કરી દેવાયાનું જાણવા મળ્યું હતું. જેથી મોરીએ આયુષ ઉપાધ્યાય અને વિવેક મિશ્રા ઉપરાંત કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર વિનિતા મુર્ગેશ પડયાસી તથા ર્હષિતા રજ્જનસિંગ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
27, જુલાઈ 2026 23958   |  
વેચાણ માટે લીધેલા હીરાનું ૭૪.૮૭ લાખ પેમેન્ટ નહીં ચૂકવી કતારગામની કંપની સાથે છેતરપિંડી

આડતથી વેચાણ માટે ૭૪.૮૭ લાખનાં હીરા લઇ ગયા બાદ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપનાર રિદ્ધિ ડાયમંડ તથા રિદ્ધિ સિદ્ધિ ડાયમંડ નામે ધંધો કરતા માંગુકિયા પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી અનુસાર સિંગણપોર ચાર રસ્તા પાસે રાજદીપનગરમાં રહેતા ચિરાગ ડુંગરશીભાઈ સવાણી હીરાનો વેપાર કરે છે. ભાવનગરનાં વલ્લભીપુર તાલુકાનાં વતની ચિરાગ કતારગામ અમરોલી રોડ ઉપર “સી. જેનીલ કુમાર એન્ડ કુ." નામથી વિશાલ સવાણી અને ડાહ્યાભાઇ સવાણી સાથે કુદરતી હિરાનું મેન્યુફેકચરિંગ તેમજ ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનું કામકાજ કરે છે. ચિરાગ પાંચ છ વર્ષ પહેલા ગૌરાંગ લાખાભાઇ માંગુકિયા સાથે હીરા વેચાણનું કામ કરતો હતો. ત્યારબાદ ગૌરાંગ હોંગકોંગ જઇ રિદ્ધિ સિદ્ધિ ડાયંમડ નામથી વેપાર કરવા માંડ્યો હતો. ગૌરાંગ માંગુકિયા એ વોટ્સએપથી ચિરાગ સવાણીનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, મારા પરિવારનાં અરવિંદભાઈ, ઉમંગ તથા કાનજી મુંબઈ અને સુરત મુકામે રિદ્ધિ ડાયમંડ નામથી ધંધો કરે છે. તેઓની જરૂરિયાત અનુસારનો માલ તારી પાસે હોય તો તેમને આપજે. એ માલ હું હોંગકોંગમાં વેચી પેમેન્ટ કરાવી આપીશ. પેમેન્ટની જવાબદારી લેવા સાથે ગૌરાંગે ૩% આડત આપવાની શરત પણ મૂકી હતી. ત્યારબાદ અરવિંદ માંગુકીયાએ ચિરાગને ફેક્ટરીએ મળવા ગયા હતાં. તેમણે કટ એન્ડ પોલીશ્ડ હીરાની ડિમાન્ડ કરી હતી. એ સમયે સવાણી પાસે હતો એ માલ બતાવ્યો હતો. માંગુકિયાએ ૨૪૯.૨૨૦ કેરેટ હીરા પસંદ કર્યા હતા. ૭૪,૮૬,૫૬૮ રૂપિયા કિંમતનાં હીરા ૧૨ ઓગષ્ટ, ૨૦૨૪નાં રોજ અરવિંદને જાંગડ પર અપાયા હતાં.  ત્યારબાદ પણ ધણો સમય વીતી જવા છતા અરવિંદે હીરા બાબતે કોઇ જવાબ આપ્યો ન હતો. દરેક કોલમાં અલગ અલગ બાહાના બનાવી તેઓ સમય પસાર કરતાં રહ્યાં હતાં. જેથી સવાણીએ ગૌરાંગનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જેમાં ગૌરાંગે ઉશ્કેરાઇ જઇ મે કે મારા કારાએ આવો કોઇ માલ ખરીદ્યો નથી, કે આડતથી વેચાણ માટે લીધો નથી એમ કહેતાં સવાણી આઘાત પામ્યો હતો. ત્યારબાદ ચિરાગનાં પિતા ડુંગરશીભાઇ તથા મુંબઈ ઓફિસમાં સેલ્સ વિભાગ સંભાળતા રાકેશ કાજાવદરા ૭૪.૮૭ લાખની ઉઘરાણી માટે રિદ્ધિ ડાયમંડ અને રિદ્ધિ સિદ્ધિ ડાયમંડનાં પાર્ટનર કાનજી તથા ઉમંગ પાસે ગયા હતાં. તેઓએ પણ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપી હતી. જેથી ચિરાગ સવાણીએ આખરે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 39006   |  
ભાવનગરના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમમાં મોટી તકનીકી ઘટના સામે આવી છે. ડેમના ૧૫ નંબરના ગેટને સંચાલિત કરતો મુખ્ય વાયર (રેસો) તૂટી જતાં ગેટ નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ અનિયંત્રિત રીતે નદીમાં છોડાવા લાગ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.માહિતી અનુસાર, ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે ગેટમાં ખામી સર્જાતા તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. ગેટને થયેલા નુકસાનને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.જિલ્લા પ્રશાસને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ સહિત શિહોર તાલુકાના ભાણગઢ ગામના લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે.વહીવટીતંત્રે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પૂર જાેવા, ફોટા કે સેલ્ફી લેવા માટે નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 38214   |  
બાળકને ગિરનારની સીડીઓ પરથી સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષ મળ્યા

વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કરી તેને સીડીઓ પરથી જ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. પરિવારજનો અને યાત્રિકોની નજર સામે બનેલી આ ઘટનાએ ભય અને અરેરાટીનો માહોલ સર્જ્યો હતો. બાદમાં વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ કલાકો સુધી શોધખોળ કર્યા બાદ જંગલમાંથી બાળકના અવશેષો કબજે લીધા હતા.છેલ્લા ૨૫ દિવસમાં માણસ પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું સામે આવતા ગિરનાર સહિત સિંહોના રહેણાંક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.પરિવારની આંખો સામે સિંહ બાળકને ખેંચી ગયોમહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. પરિવાર વહેલી સવારે દર્શન માટે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. ગેટથી અંદાજે ૫૦ જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળ ચાલતા બાળક મયુરસિંહ પર ઝંપલાવ્યું હતું.બાળક પોતાના કાકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો, પરંતુ સિંહ હુમલો કરીને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. વન રાજ્યમંત્રી પ્રવીણ માળી : ગિરનારમાં માનવ પર સિંહના હુમલાની પ્રથમ ઘટના ગિરનાર પર્વત પર ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની આ પ્રથમ ઘટના છે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.વનમંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ શંકાસ્પદ સિંહોને બેભાન કરીને પકડી લેવામાં આવ્યા છે.હાલ ત્રણેય સિંહોને વૈજ્ઞાનિક અને પશુચિકિત્સકીય તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.પ્રવીણ માળીએ સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોના વર્તનમાં આવી રહેલા ફેરફારોનું વૈજ્ઞાનિક કારણ જાણવા માટે વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને વિશેષ અભ્યાસ સોંપવામાં આવ્યો છે.સિંહોની પ્રકૃતિમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, માનવ વસાહતો તરફ તેમની અવરજવર શા માટે વધી રહી છે અને હુમલાઓ પાછળના કારણો શું છે, તે મુદ્દાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે..


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 1386   |  
૧૨૪ કરોડના ફિલ્ટરેશન પ્લાન્ટની પાઇપો ૪ વર્ષથી કાટ ખાતી હાલતમાં

કરમસદ આણંદ મનપા દ્વારા મનપામાં ચાર ગ્રામ વિસ્તારના સમાવેશ કરવામાં આવતાં આ વિસ્તારમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરી નલસેજલ યોજના સફળ બનાવવા ૮૦ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના આયોજન કરવામાં આવ્યાં છે.પરંતુ ખાટલે મોટી ખોડ એછેકે છેલ્લા ચાર વર્ષથી મનપાની ૧૨૪ કરોડની મહિસાગરથી પાણી લાવી ઉભા કરવામાં આવેલ ફિલ્ટરેશન પ્લાન્ટ નિર્માણ ડચકાં ખાતા સરકારી વિભાગના પાઇપલાઇન નાખવા પર અડીંગો કરતાં કાટ ચઢી જતાં તેના ઉકેલ લાવવા વિદ્યાડેરી વિસ્તારના સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર કરમસદ આણંદ મનપામાં ચાર ગ્રામ વિસ્તારના સમાવેશ કરવામાં આવતાં સદર વિસ્તારમાં સરકારની નલસેજલ યોજના સફળ બનાવવા ૮૦ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના આયોજન હાથ ધરવામાં આવતાં વર્ષ ૨૦૨૨મા રાજ્ય સરકાર દ્વારા આણંદ ની પ્રજાને પૂરતું પાણી ઉપલબ્ધ થઇ શકે તેવા આશયથી મહિસાગર થી પાઇપલાઇન દ્વારા ફિલ્ટરેશન પ્લાન્ટ ખાતે પાણીનું શુદ્ધિકરણ કરી પહોંચાડવા માટે ૧૨૪ કરોડના પ્રોજેક્ટ ને મંજૂરી આપતાં વડોદરાની એજન્સી દ્વારા નિમૉણ કામગીરી હાથ ધરતાં છેલ્લા ચાર વર્ષથી પાઇપલાઇન નાખવાના મુદ્દે સરકારી વિભાગના અડિંગો ના કારણે નિમૉણ ડચકાં ખાતા પાઇપોને કાટ ચઢતાં તેના ઉકેલ લાવવા વિદ્યાડેરી વિસ્તારના સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.૧૯૯૫ માં ભાજપે રાજ્ય માં સત્તા હસ્તે કરતાં ગોકુળીયુ ગામ ની યોજના અમલમાં મૂકી હતી.જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચ કરી ગોકુળીયુ ગામ યોજના સફળ બનાવવામાં આવી હોય તો કરમસદ આણંદ મનપામાં ચાર ગ્રામ વિસ્તારના સમાવેશ બાદ તાજેતરમાં મનપા દ્વારા સદર વિસ્તારમાં ૮૦ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના આયોજન કરતાં જાે ગોકુળીયુ ગામ માટે રાજ્ય સરકારે અઢળક નાણાં ખર્ચ્યા હોય તો મનપા દ્વારા કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના આયોજન કેમ? શું આ ચાર ગ્રામ વિસ્તારમાં ગોકુળીયુ ગામ યોજના કાગળ પર હતી?ના સવાલ પૂર્વ વિપક્ષ નેતા અને કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યાનું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, ઓગ્સ્ટ 2026 2277   |  
વડોદરાની આગવી ઓળખ સમાન સેવ ઉસળ અંગે ખાસ અહેવાલ

સંસ્કારી નગરી વડોદરાના ખોરાકની વાત આવે ત્યારે દરેકના મોંમાં પાણી આવી જાય. વડોદરાના લોકોના પ્રિય નાસ્તાની વાત કરીએ તો સેવ ઉસળનું નામ સૌથી પહેલાં આવે છે. વડોદરાવાસીઓ માટે સેવ ઉસળ માત્ર એક વાનગી નથી પરંતુ એક ખાસ પસંદગી છે. પ્રતિદિન વડોદરામાં લાખો રૂપિયાનું સેવ ઉસળ લોકો ચટાકાથી આરોગે છે. પરંતુ, શું આ સ્વાદિષ્ટ સેવ ઉસળ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય છે? સેવ ઉસળના આ સ્વાદ અને સ્વાસ્થ્યના ગણિત અંગે વડોદરાના જાણીતા ડોક્ટર દર્શન બેંકરે એક ખાસ વિડીયો દ્વારા મહત્વપૂર્ણ સલાહ આપી છે. આવો જોઈએ આ ખાસ રિપોર્ટ...


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, ઓગ્સ્ટ 2026 2574   |  
પરિણીતાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ મામલે એફઆઈઆર નોંધાઈ

ખંભાત તાલુકા ભાજપા યુવા મોરચાના કારોબારી સભ્ય અને તેના મિત્ર વિરુદ્ધ ૨૧ વર્ષની પરણિતા પર અવારનવાર દુષ્કર્મ ગુજારવા, અશ્લીલ વીડિયો-ફોટા ઉતારી બ્લેકમેઇલ કરવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ચકચારી ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર ખંભાતના એક ગામમાં રહેતો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલો વિજય રાવજીભાઈ ચૌહાણ જે તાલુકા ભાજપ યુવા મોરચામાં કારોબારી સભ્ય છે. જૂન ૨૦૨૫માં સોશિયલ મીડિયા દ્વારા પીડિત પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો. વાતોના જાળમાં ફસાવી તેણે મહિલા સાથે સંબંધ બાંધ્યા હતા અને વાંધાજનક ફોટા પાડી લીધા હતા. ત્રણેક મહિના બાદ આ બાબતની જાણ પરિણીતાના પરિવારને થતાં સામાજિક પંચ સમક્ષ બેઠક યોજાઈ હતી, જ્યાં વિજયે માફી માંગી તમામ ફોટો-વીડિયો ડિલીટ કરી દેવાની ખાતરી આપી હતી. જાેકે, સંબંધ પૂરો થયા છતાં આરોપીએ ફોટો-વીડિયો ડિલીટ કર્યા નહોતા. ગત જાન્યુઆરી મહિનામાં સીવણકામ માટે જતી વેળાએ આરોપીએ રસ્તો રોકી, અશ્લીલ સામગ્રી વાઈરલ કરવાની ધમકી આપી પરણિતાને ગેસ્ટ હાઉસ ખાતે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપીએ પોતાના મિત્ર કિરણ જાદવને પણ સામેલ કર્યો હતો. બંનેએ ગેસ્ટ હાઉસમાં વારાફરતી દુષ્કર્મ આચરી તેના વીડિયો શૂટ કરી લીધા હતા અને આ વીડિયોના આધારે પીડિતાને સતત બ્લેકમેઇલ કરતા હતા. એટલું જ નહીં, આરોપીઓએ પરિણીતાને તેના પતિ અને સાસરિયાઓને ઘેનની ગોળીઓ આપી દેવા દબાણ કર્યું હતું અને ન કરવા પર પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ પર પણ ગંભીર આક્ષેપ, જીઁ સમક્ષ રજૂઆત બાદ હ્લૈંઇ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પીડિતાએ સમગ્ર આપવીતી પોતાના પતિને જણાવ્યા બાદ ૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી. આક્ષેપ છે કે સ્થાનિક પોલીસે તુરંત કોઈ એફ.આઈ.આર. નોંધી નહોતી અને પીઆઈ પી.એચ. નાયી તથા પીએસઆઈ મકવાણા દ્વારા મહિલા પોલીસની ગેરહાજરીમાં ૯ કલાક સુધી પૂછપરછ કરી સમાધાન માટે દબાણ કરાયું હતું. સ્થાનિક પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આવતા પીડિત પરિવાર જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યો હતો. એસ.પી.ના કડક આદેશ બાદ પોલીસ હરકતમાં આવી હતી.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, ઓગ્સ્ટ 2026 2871   |  
ઘોડાસરમાં ૧૧ ફેક્ટરીઓ સામે ગ્રામજનોનો આક્રોશ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાનું ઘોડાસર ગામ હાલ ભારે વિરોધ અને આક્રોશનું કેન્દ્ર બન્યું છે. ગામમાં આવેલી ૧૧ જેટલી ખાનગી કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવતા વાયુ, જળ અને ધ્વનિ પ્રદૂષણ સામે સરપંચ સહિત ૫,૦૦૦થી વધુ ગ્રામજનોએ એકઠા થઈ મોરચો માંડ્યો છે. ખેડાના મહેમદાવાદ તાલુકાનું ઘોડાસર ગામ હાલ ભારે વિરોધ અને આક્રોશનું કેન્દ્ર બન્યું છે. ગામમાં આવેલી ૧૧ જેટલી પ્રાઇવેટ કંપનીઓ સામે સરપંચ સહિત આખા ગામના લોકોએ મોરચો માંડ્યો છે. ૫,૦૦૦થી વધુ ગ્રામજનોના સ્વાસ્થ્ય સામે મોટું જાેખમ ઊભું થતાં સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ જાેવા મળી રહ્યો છે.ઘોડાસર ગામના લોકોનો ગંભીર આક્ષેપ છે કે આ ૧૧ કંપનીઓ દ્વારા કોઈ પણ જાતના શુદ્ધિકરણ વગર કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણી ખુલ્લામાં તેમજ જમીનમાં છોડવામાં આવી રહ્યું છે. આ પ્રદૂષણને કારણે ગામના કેટલાય બોરવેલના પાણી કાળા પડી ગયા છે. દૂષિત પાણી અને હવામાં ફેલાતા ઝેરી પ્રદૂષણને લીધે ગામલોકો કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓની સપેટમાં આવી રહ્યા છે. સમગ્ર ગામમાં રોગચાળો ફાટી નીકળવાની બીક સેવાઈ રહી છે. માત્ર પ્રદૂષણ જ નહીં, પરંતુ આ એકમો સામે ગ્રામ પંચાયતના બાકી વેરાને લઈને પણ મોટો ખુલાસો થયો છે. આ ૧૧ એકમોનો આશરે ૧.૩૮ કરોડ જેટલો વેરો ગ્રામ પંચાયતમાં બાકી છે. પંચાયત દ્વારા વારંવાર નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં કંપનીના માલિકો દ્વારા ટેક્સ ભરપાઈ કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામના વિકાસકામો પર પણ વિપરીત અસર પડી રહી છે. આ વિવાદમાં એક નવો અને ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગ્રામજનોએ ગામની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ એકમોમાં કામ કરતા મજૂરોમાંથી કેટલાક ગેરકાયદેસર બાંગ્લાદેશી હોઈ શકે છે. કંપનીઓ દ્વારા અહીં કામ કરતા કર્મચારીઓ કે મજૂરોના ઓળખપત્ર કે કોઈ પણ સરકારી દસ્તાવેજ ગ્રામ પંચાયતમાં જમા કરાવવામાં આવ્યા નથી, જેનાથી ગામની સુરક્ષા સામે પણ મોટો સવાલ ઊભો થયો છે. ગામના સરપંચ અને સ્થાનિકોની સ્પષ્ટ માગ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે આ તમામ ૧૧ એકમોની કડક તપાસ કરવામાં આવે, પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરીને તેમને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે અને પંચાયતનો બાકી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે. “ઘોડાસર ગામના ૫,૦૦૦થી વધુ લોકો આજે પોતાના સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ગામની સુરક્ષા માટે લડાઈ લડી રહ્યા છે. એક તરફ કેન્સર જેવી બીમારીનો ભય છે તો બીજી તરફ કરોડો રૂપિયાનો ટેક્સ બાકી હોવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે. હવે જાેવાનું એ રહેશે કે ય્ઁઝ્રમ્ અને સ્થાનિક પ્રશાસન આ ૧૧ એકમો સામે ક્યારે કડક પગલાં ભરે છે.” સરપંચ સહિત ગ્રામજનોની ફરિયાદ અને માંગણી ગામની આસપાસ આવેલી ૧૧થી વધુ કંપનીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવાઈ રહ્યું છે. હવા અને જમીન પ્રદૂષણના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો. કંપનીઓ દ્વારા ગ્રામ પંચાયતનો ૧.૩૮ કરોડથી વધુનો વેરો પણ ભરવામાં આવ્યો નથી. ય્ઁઝ્રમ્ના તમામ નિયમોના ધજાગરા ઉડાડી કંપનીઓ ચાલતી હોવાના ગ્રામજનોના આરોપ. કંપનીના સંચાલકો ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને નોકરી પર રાખતા હોવાના પણ આક્ષેપ. જવાબદાર તંત્ર દ્વારા આ એકમો સામે કાયદેસર કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માગ.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 1287   |  
બેદરકારી : પ્રા. શાળાના શિક્ષિકા પણ સસ્પેન્ડ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની હસનપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા ભોજનમાં ગંભીર બેદરકારી સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ગત ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ શાળામાં અપાતા અલ્પાહારમાં મૃત ગરોળી મળી આવવાની ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે શાળાના કુલ ૩૬ બાળકોનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક તપાસમાં તમામ બાળકો સ્વસ્થ હોવાનું માલૂમ પડ્યું હતું. તેમ છતાં, બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ન કરતા વહીવટી તંત્રએ નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ તમામ બાળકોને વધુ અવલોકન માટે એસ.ડી.એચ ઈડર ખાતે ખસેડ્યા હતા જ્યાં સાંજના પાંચ વાગ્યા સુધી નિરીક્ષણમાં રાખ્યા બાદ તબીબી સલાહ મુજબ તમામને રજા આપવામાં આવી હતી. ગામમાં કોઈ પણ પ્રકારની કટોકટી ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે સાંજથી સવાર સુધી ૧૦૮ એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. હાલ તમામ ૩૬ બાળકોની તબિયત સંપૂર્ણપણે સ્થિર અને સારી હોવાનું વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.આ ઘટનાની ગંભીરતાને પારખીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ફરજમાં નિષ્કાળજી દાખવનાર જવાબદાર શિક્ષક અનિલાબેન.એ.સુથારને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવાનો આદેશ કરવામાં આવતા સમગ્ર જીલ્લાના શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત ઈડર મામલતદાર પૂજા જાેષીના આદેશ અનુસાર હસનપુરા પ્રાથમિક શાળાના કેન્દ્ર સંચાલક સુશીલાબેન એસ.રાઠોડ,રસોઈયા જમીલાબેન.બી.બલોચ અને મદદનીશ સુગરાબેન એ.સંઘીને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે સઘન ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીએમ પોષણ યોજનાના અસરકારક અમલીકરણ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે ૧૧ ઓગસ્ટના રોજ તમામ મામલતદારો અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કક્ષાએથી ખાસ ટીમોની રચના કરવામાં આવી છે જે જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલા ૧૨૦૦ જેટલા પીએમ પોષણ કેન્દ્રોની આકસ્મિક તપાસ કરશે. આ તપાસ દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે નિરીક્ષણના ફોટોગ્રાફ્સ લેટીટ્યુડ-લોન્ગીટ્યુડ (ન્ટ્ઠંૈંેઙ્ઘી-ન્ર્હખ્તૈંેઙ્ઘી) સાથે મોકલવા તમામ મામલતદારોને કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાબરકાંઠા દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક આદેશો આપવામાં આવ્યા છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઓ અને બી.આર.સી કો- ઓર્ડિનેટરઓને તેમના વિસ્તારમાં આવતા તમામ કેન્દ્રોની મુલાકાત લઈ રસોડાની સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીના સંગ્રહ અને પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે તાકીદ કરવામાં આવી છે. કોઈપણ શાળામાં બાળકોને ભોજન કે નાસ્તો પીરસતા પહેલા શાળાના આચાર્ય અથવા જવાબદાર શિક્ષક દ્વારા તેનું ટેસ્ટિંગ કરવું ફરજિયાત રહેશે અને તે અંગેનું રજિસ્ટર પણ નિભાવવા જણાવવામાં આવ્યું છે. ભોજન તૈયાર કરવા માટે વપરાતા અનાજ,કઠોળ,તેલ અને મસાલાની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જાે તપાસ દરમિયાન ભોજનની ગુણવત્તામાં ખામી કે ભેળસેળ જણાશે તો સંબંધિત જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવશે તેમ પણ જણાવાયું છે. જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે બાળકોના આરોગ્ય અને સુરક્ષા સાથે જાેડાયેલી બાબતોમાં કોઈપણ સ્તરે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને રોગચાળો ન ફેલાય તે માટે રસોઈ બનાવવાની જગ્યા અને વાસણોની સ્વચ્છતા રાખવા માટે રસોઈયાઓને ખાસ તાલીમ અને સૂચનાઓ આપવા જણાવવામાં આવ્યું છે. બાળકોને પૌષ્ટિક અને સલામત ભોજન મળી રહે તે જિલ્લા વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ માટે સતત મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 1386   |  
ફેક વેબસાઇટ પર બુકિંગ કરી ઠગાઇ કરનાર ત્રણ ઝડપાયાં

ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળોની મુલાકાતે જતા લોકો ઓનલાઇન બુકિંગની સુવિધાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ જ ઓનલાઈન વ્યવસ્થાનો ગેરલાભ લઈ લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીનો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે પર્દાફાશ કર્યો છે. ધાર્મિક સ્થળોની આસપાસ આવેલી ધર્મશાળા, આશ્રમ અને હોટેલોના નામે ફેક વેબસાઇટ બનાવી લોકોને બુકિંગના નામે નાણાં પડાવતી ટોળકીના બે અલગ-અલગ કિસ્સામાં ત્રણ આરોપીઓની દિલ્હી અને રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ગુજરાતની ૪૧ સહિત દેશભરમાં કુલ ૧૨૬ ફેક વેબસાઇટ તૈયાર કરી હતી. આ વેબસાઇટને એવી રીતે તૈયાર કરવામાં આવતી હતી કે સામાન્ય વ્યક્તિને તે અસલી વેબસાઇટ હોવાનું જણાય.ધાર્મિક અને પર્યટન સ્થળોની આસપાસ આવેલી ધર્મશાળાઓ, આશ્રમો અને હોટેલોના ફોટોગ્રાફ તથા વિગતો મેળવી તેનો ઉપયોગ ફેક વેબસાઇટમાં કરવામાં આવતો હતો. ત્યારબાદ ઓનલાઇન બુકિંગ અથવા રૂમ રિઝર્વેશનના નામે લોકો પાસેથી નાણાં લેવામાં આવતા હતા.સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસ મુજબ આ નકલી વેબસાઇટના માધ્યમથી ૨૧,૯૮૫ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. દેશભરમાં આ પ્રકારની છેતરપિંડી અંગે આશરે ૭૦ ફરિયાદો નોંધાઈ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. એટલે કે એકાદ-બે વેબસાઇટ પૂરતી મર્યાદિત ન રહેતા આરોપીઓએ અલગ-અલગ ધાર્મિક અને પર્યટન સ્થળોને આવરી લેતું મોટું નેટવર્ક ઊભું કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે દિલ્હીમાંથી મુખ્ય સૂત્રધાર વિકી ગુપ્તાની ધરપકડ કરી છે, જ્યારે રાજસ્થાનના ભરતપુરમાંથી શૈલેષ સૈનીને ઝડપી લેવામાં આવ્યો છે. તપાસમાં મુખ્ય સૂત્રધાર વિકી ગુપ્તા બી.ટેકની ડિગ્રી ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. ટેક્નિકલ જાણકારીનો ઉપયોગ કરીને ફેક વેબસાઇટ ઊભી કરવામાં આવતી હતી અને તેને સર્ચમાં લોકો સુધી પહોંચાડવા માટેની કામગીરી કરવામાં આવતી હોવાની દિશામાં પણ તપાસ ચાલી રહી છે.આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે ધાર્મિક સ્થળ કે પર્યટન સ્થળની આસપાસ આવેલી વાસ્તવિક ધર્મશાળા, હોટેલ અથવા આશ્રમની માહિતી મેળવી તેની સાથે મળતી આવતી વેબસાઇટ તૈયાર કરવામાં આવતી હતી. વેબસાઇટ પર સ્થળના ફોટોગ્રાફ અને સુવિધાઓની વિગતો મુકાતી હોવાથી ગ્રાહકને તે અધિકૃત વેબસાઇટ હોવાની શંકા પણ ન જાય. બુકિંગ કરવા માટે સંપર્ક કરનાર વ્યક્તિ પાસેથી વિવિધ કારણોસર ઓનલાઈન પેમેન્ટ કરાવવામાં આવતું હતું.આ નેટવર્કમાં ગુજરાતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ સોમનાથને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. સોમનાથ નજીક આવેલા સાગર દર્શન, મહેશ્વરી અતિથિ ગૃહ તથા લીલાવતી અતિથિ ગૃહના નામે પણ છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા વેબસાઇટના માધ્યમથી લોકોનો સંપર્ક કરવામાં આવતો અને ત્યારબાદ સીધો ઊઇ કોડ મોકલી તેના મારફતે નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા. સોમનાથની ધર્મશાળાના નામે થયેલી છેતરપિંડીના કિસ્સામાં પોલીસને મળેલી ફરિયાદમાં રૂ.૬.૯૧ લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદ બાદ સમગ્ર મામલો ગંભીર બનતા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફેક વેબસાઇટ, તેના સંચાલન અને નાણાકીય વ્યવહારોની કડીઓ શોધવામાં આવી હતી. પોલીસે બંને અલગ-અલગ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી કુલ કેટલી રકમ પડાવી છે, આ ફેક વેબસાઇટના સંચાલનમાં અન્ય વ્યક્તિઓની ભૂમિકા હતી કે કેમ અને નાણાં કયા ખાતાઓમાં ટ્રાન્સફર થતા હતા તે અંગે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત દેશના અન્ય ધાર્મિક અને પર્યટન સ્થળોના નામે પણ આવી જ વેબસાઇટ બનાવવામાં આવી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની કાર્યવાહીથી માત્ર સોમનાથના કિસ્સાનો જ નહીં પરંતુ દેશભરમાં ફેલાયેલા ફેક વેબસાઇટના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ગુજરાતની ૪૧ સહિત ૧૨૬ વેબસાઇટ અને ૨૧,૯૮૫ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવતા આ છેતરપિંડીનું પ્રમાણ ગંભીર હોવાનું જણાય છે. પોલીસ હવે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ અને ડિજિટલ પુરાવાના આધારે નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસમાં છે. ધાર્મિક સ્થળોની યાત્રા માટે ઓનલાઈન બુકિંગ કરતી વખતે નાગરિકો માટે આ ઘટના ચેતવણીરૂપ બની છે. સર્ચ એન્જિન પર મળતી દરેક વેબસાઇટ અધિકૃત હોય તે જરૂરી નથી. ખાસ કરીને ધર્મશાળા, હોટેલ કે આશ્રમના નામે બુકિંગ કરતા પહેલાં સંબંધિત સંસ્થાની અધિકૃત વેબસાઇટ અને સંપર્ક નંબરની ખરાઈ કરવી જરૂરી છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા ઊઇ કોડ પર તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરવાને બદલે સંસ્થાની અધિકૃતતા ચકાસવી જરૂરી છે.સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસ હજુ ચાલુ હોવાથી આ નેટવર્કમાં સંકળાયેલા અન્ય આરોપીઓ અને છેતરપિંડીની કુલ રકમ અંગે આગામી તબક્કે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 1386   |  
ઘરના ઘર માટે ઔડાના મકાનો આપવાના બહાને વાસણામાં લાખો રૂપિયાની ઠગાઈ

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. બોગસ દસ્તાવેજાે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોટી ફાઇલો બતાવી અરજદારો પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે પીડિતોએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ સામે છેતરપિંડી અને ધમકી આપવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં ઔડાના આવાસ યોજનાના મકાન અપાવવાના બહાને ૬.૮૮ લાખની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ અરજદારોને સરકારી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાની લાલચ આપી તેમની પાસેથી તબક્કાવાર મોટી રકમ વસૂલવામાં આવી હતી. આરોપીઓએ મકાન ફાળવણી, લોન ફાઇલ તૈયાર કરાવવી તેમજ જરૂરી દસ્તાવેજાેની પ્રક્રિયા કરાવવાના નામે અરજદારો પાસેથી લાખો રૂપિયા લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે છગન ચૌહાણ અને મહેબૂબ ઉર્ફે બાબુ અજગર નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંનેએ મળીને અરજદારોનો વિશ્વાસ જીતી સરકારી આવાસ યોજના હેઠળ મકાન અપાવી આપવાની ખાતરી આપી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ આરોપીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોગસ ફાઇલો, દસ્તાવેજાે અને ફોટોગ્રાફ્સ બતાવી સમગ્ર પ્રક્રિયા સાચી હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દસ્તાવેજાે જાેઈ અરજદારોને વિશ્વાસ આવ્યો હતો અને તેમણે આરોપીઓને રૂપિયા આપ્યા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓ અરજદારોને વાસણા વિસ્તારમાં આવેલું એક મકાન પણ બતાવવા લઈ ગયા હતા. આ મકાન જ તેમને ફાળવવામાં આવશે તેવી ખાતરી આપી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. જાેકે બાદમાં જ્યારે અરજદારોએ સમગ્ર મામલે તપાસ કરી ત્યારે સામે આવ્યું કે જે મકાન બતાવવામાં આવ્યું હતું તેમાં પહેલાથી જ અન્ય લોકો રહેતા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 1188   |  
પતિએ તરછોડતા સગીરાએ ભાવુક વીડિયો બનાવી રિવરફ્રન્ટ પર જિંદગીનો અંત આણ્યો!

અમદાવાદના રિવરફ્રન્ટ પર આયેશા કેસની યાદો હજુ લોકોના દિલમાં તાજી છે ત્યાં જ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી વધુ એક કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં રહેતી એક ૧૭ વર્ષની સગીરાએ પતિના ત્રાસ અને તરછોડાવાના કારણે સાબરમતી નદીમાં કૂદીને જીવન ટૂંકાવી લીધું છે. મોતને વ્હાલું કરતાં પહેલાં સગીરાએ આયેશાની જેમ જ એક ભાવુક વીડિયો બનાવી બહેનને મોકલ્યો હતો, જેમાં તેણે પતિ પ્રત્યેનો આક્રોશ અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. મળતી માહિતી મુજબ, નારોલમાં રહેતી સગીરાને આણંદના ફરદીન શેખ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. બંને પરિવારોની સંમતિથી છ મહિના અગાઉ જ તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ સગીરા પતિ સાથે આણંદમાં રહેતી હતી. પરંતુ લગ્નના થોડા જ સમયમાં દંપતી વચ્ચે અણબનાવ અને રકઝક શરૂ થઈ ગઈ હતી. ગત ૩ ઓગસ્ટના રોજ પતિ ફરદીને કોઈ કારણોસર સગીરાને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેથી તે નારોલમાં પોતાના પિતાના ઘરે આવીને રહેતી હતી. સાસરેથી કાઢી મૂકાયા બાદ સગીરા સતત માનસિક તાણ અને દુ:ખમાં રહેતી હતી. ૧૦ ઓગસ્ટના રોજ ઘરે માતા સાથે હાજર સગીરા પોતાના લગ્નનો આલ્બમ જાેઈને ખૂબ રડી રહી હતી. તેણે પતિ ફરદીનને ફોન કરીને કરગરી હતી કે, “તું જે રીતે કહીશ એ રીતે હું રહીશ, બસ મને પાછી આવવા દે.” પરંતુ ર્નિદય પતિએ તેને સાથે રાખવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. પતિના ઇનકાર બાદ ભાંગી પડેલી સગીરા સવારે ૧૧ વાગ્યા આસપાસ ‘મને ગભરામણ થાય છે, બહાર જઈને આવું છું’ તેમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાંથી તે સીધી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી હતી. નદી કિનારે ઉભા રહીને તેણે એક દર્દનાક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે પતિને ઉદ્દેશીને કહ્યું હતું કે “મેરી રૂહ તો પહલે હી મર ગઈ થી, આજ શરીર માર રહી હું...” આ વીડિયો પોતાની બહેનને મોકલ્યા બાદ તરત જ સગીરાએ સાબરમતી નદીના ઊંડા પાણીમાં પડી જિંદગીનો અંત આણ્યો હતો.બીજી તરફ પરિવારજનોએ સગીરાની શોધખોળ શરૂ કરી હતી. બપોરે આશરે ૩ વાગ્યાના સુમારે સાબરમતી નદીમાં એક મૃતદેહ તરતો હોવાની જાણ થતાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢતા તે સગીરાનો જ હોવાનું ખુલ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 1188   |  
વિવાદ બાદ આનંદ નિકેતન સ્કૂલને ૧૦ હજારનો દંડ ફટકારાયો

અમદાવાદના શીલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળવાની ઘટના અને મલાલા યુસુફના પુસ્તક મામલે વાલીઓ તથા હિન્દુ સંગઠનના હોબાળા બાદ ડીઈઓ રોહિત ચૌધરીએ બે નોટિસ આપી હતી. જે બાદ આજે શાળાનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. આ બે બેદરકારી બદલ શાળાએ જવાબદાર એજ્યુકેશન કન્સલ્ટન્ટ, બે સુપરવાઇઝરો અને કેન્ટીન ઇન્ચાર્જને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કર્યા છે તેમજ વિવાદિત પુસ્તક પરત ખેંચી નિયમિત પ્રાર્થના શરૂ કરાવી છે. શિક્ષણ તંત્રએ બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતાં આરટીઈ રૂલ્સ-૨૦૧૨ મુજબ શાળાને ૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે અને ફૂડ સેફ્ટી વિભાગની મંજૂરી વિના કેન્ટીન ચાલુ ન કરવા તેમજ વૈકલ્પિક વ્યવસ્થા ન સ્વીકારનાર વાલીઓને કેન્ટીનની ફી પરત કરવાનો કડક આદેશ આપ્યો છે. આ અંગે ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું કે, આનંદ નિકેતન શિલજ કેમ્પસમાં બનેલી બે ઘટનાઓને લઈને શાળાને બે નોટીસ આપી તેમની પાસેથી લેખિત ખુલાસો માંગ્યો હતો. શિક્ષણ તંત્રએ આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈ ત્યાં તપાસ ટીમ મોકલી અને પ્રાથમિક અહેવાલ પણ મંગાવ્યો હતો. આ અહેવાલમાં સ્પષ્ટ થયું કે એક વિદ્યાર્થીના નાસ્તામાં કાચ કે પ્લાસ્ટિકનો ટુકડો હોવાની જે ફરિયાદ હતી, તે ભલે રૂબરૂ ન મળ્યો હોય પરંતુ ફોટો સ્વરૂપે મળ્યો હતો અને નિવેદનોમાં પણ તે સ્પષ્ટ થતાં શાળાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. બીજી ઘટનામાં યુસુફ મલાલાના પુસ્તકના કારણે વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રજૂઆત કરી ખૂબ હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ બાબતોને ધ્યાને લઈ અમે શાળા સામે તાત્કાલિક એક્શન લેવા જણાવતાં, શાળા દ્વારા એજ્યુકેશન કન્સલ્ટન્ટ કે કરિક્યુલમ ડિઝાઇનર મુંજા સમ્સને તાત્કાલિક રિલીવ કરી દેવામાં આવ્યા છે અને તે દિવસે ડ્યુટી પર હાજર બંને સુપરવાઇઝરોને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જવાબદારો સામે કાર્યવાહી કરવાની સૂચના આપતાં તેમણે કેન્ટીન ઇન્ચાર્જને પણ હટાવ્યા છે, પ્રિન્સિપાલની રેગ્યુલર ખાલી પોસ્ટ ભરવાની તથા નવી કેન્ટીન એજન્સી માટેની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 1584   |  
કીમ પોલીસ મથકનાં પી.આઈ. પી.સી. સરવૈયા સસ્પેન્ડ

કીમ ખાતે એસએમસી દ્વારા પાડવામાં આવેલી રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂ જપ્ત કરવા સાથે ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને ફરજમાં બેદરકારી બદલ કીમ પોલીસ મથકના પી.આઈ.ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, ગત ૨૨ જૂનના રોજ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કીમ ખાતે દરોડા પાડી ૧૯ લાખ રૂપિયાના દારૂ સહિત કુલ ૫૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ, એસએમસીની ટીમ દ્વારા ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય ૧૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં.આ દરોડા મામલે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને ફરજમાં ગંભીર બેદરકારી બદલ કીમ પોલીસ મથકના પી.આઈ. પી.સી. સરવૈયા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 1386   |  
નવસારી, આહવા અને માંડવીમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી

૧૫મી ઓગસ્ટે ભારત દેશ સ્વતંત્રતાના ૮૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે રાજ્યમાં ઠેર-ઠેર ભવ્ય તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્વતંત્રતા પર્વની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે ગુરુવારે દક્ષિણ ગુજરાતના વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેને પગલે નવસારી સહિત આહવા અને માંડવીનું વાતાવરણ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. નવસારી, આહવા અને માંડવીના રસ્તાઓ જાણે તિરંગાના રંગમાં રંગાઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 1683   |  
સોલાર કંપનીનાં ચેનલ પાર્ટનર બનાવવાનું કહીને ખેડૂત સાથે પાંચ લાખની છેતરપિંડી

ગીર સોમનાથનાં ખેડૂતને સોલાક કંપનીનાં ચેનલ પાર્ટનર બનાવવા સાથે સોલાર સંબંધિત સામાન પુરો પાડી વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવાની વાતમાં ફસાવી પાંચ લાખ પડાવી લેનાર ડિરેક્ટર અને મેનેજર સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.ગોડાદરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ગીર સોમનાથનાં ઉના તાલુકાના જશરાજ નગરના વતની પ્રતાપભાઈ ભાણાભાઈ મોરી વ્યવસાયે ખેડૂત છે. ગત ડિસેમ્બર ૨૦૨૫માં મોરીએ સોશિયલ મીડીયામા સનરૂટ એનર્જી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જાહેરાત જોઈ હતી. ચેનલ પાર્ટનર બનવાની ઓફર કરતી આ જાહેરાત સાથે અપાયેલા નંબર ઉપર મોરીએ કોલ કર્યો હતો. જેમાં વિવેક મિશ્રાએ વાત કરતાં જણાવ્યું હતું કે, અમે તમને સોલાર કંપનીના ચેનલ પાર્ટનર બનાવીશું. સાથે જ ડિસ્ટ્રીબ્યુટર તરીકે એજન્સી આપી ધંધો સેટ કરવામાં તમામ મદદ કરીશું.મોરીને સોલારનાં ધંધામાં રસ હોવાથી તે જાન્યુઆરી ૨૦૨૬માં સુરત આવ્યો હતો. ગોડાદરા વિસ્તારના કેપિટલ સ્ક્વેરમાં આવેલી સનરૂટ એનર્જી સોલ્યુશન કંપનીની ઓફિસમાં તેઓ ગયા હતાં. જ્યાં વિવેક મિશ્રા મળ્યા અને મોરીની મુલાકાત ટીમ મેનેજર આયુષ ઉપાધ્યાય સાથે કરાવી હતી. આ બંનેએ જણાવ્યું હતું કે, તમે ચેનલ પાર્ટનર બનશો તો સોલાર સંબંધિત તમામ સામાન ડિસ્પ્લે માટે આપવામાં આવશે. સાથે વ્યવસાય શરૂ કરાવવામાં સંપૂર્ણ મદદ પણ કરાશે. જે માટે પાંચ લાખ રૂપિયા કંપનીમાં જમા કરાવવા પડશે. પેમેન્ટ થયા બાદ સોલાર રૂફટોપ, સોલાર કેમેરા, સોલાર સ્ટ્રીટ લાઈટ વગેરેનો સામાન તેમજ બ્રાન્ડિંગ મટીરિયલ પહોંચાડવાની બાંહેધરી પણ તેમણે આપી હતી. આ વાતમાં વિશ્વાસ મૂકી મોરીએ તેમને પાંચમી જાન્યુઆરીએ પાંચ લાખ રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ તેઓ ઓનલાઇન ટ્રેનિંગ આપવાની તથા ટૂંક સમયમાં બ્રાન્ડિંગ મટીરીયલ અને અન્ય સામાન મોકલવાની ખાતરી આપતા રહ્યા હતાં. જો કે, તેઓએ એક પણ વાત અમલમાં મૂકી ન હતી. ત્રણેક મહિના બાદ મિશ્રા અને ઉપાધ્યાયે મોરીનાં કોલ રીસિવ કરવા પણ બંધ કરી દીધા હતા. પાંચ લાખ રૂપિયા લઇ સોલારના ધંધા માટે સરસામાન નહીં અપાતાં મોરી ફરીથી સુરત તપાસ કરવા આવ્યા હતા. જેમાં આ કંપનીની ઓફિસ ૩૧ માર્ચથી બંધ કરી દેવાયાનું જાણવા મળ્યું હતું. જેથી મોરીએ આયુષ ઉપાધ્યાય અને વિવેક મિશ્રા ઉપરાંત કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર વિનિતા મુર્ગેશ પડયાસી તથા ર્હષિતા રજ્જનસિંગ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 1485   |  
ખાનગી હોસ્પિટલમાં તરૂણનાં મોત બાદ તબીબી લાપરવાહીનો આક્ષેપ

શહેરનાં પાંડેસરા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યૂની સારવાર દરમિયાન ૧૪ વર્ષનાં કિશોરનું મોત થયું હતું છેલ્લા બે દિવસથી સારવાર દરમિયાન ગત રોજ તબીબ દ્વારા રાત્રે ૧.૩૦ કલાકે ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ અડધો કલાકમાં જ કિશોરનું મોત નીપજ્યું હતું. જેને પગલે પરિવારજનો દ્વારા તબીબ વિરુદ્ધ સારવારમાં બેદરકારીનો આક્ષેપ કરવાની સાથે ડોક્ટર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા ખાતે રહેતા ૧૪ વર્ષીય અભિષેક સિંહને છેલ્લા બે દિવસથી તાવ આવતો હોવાથી તેને તેરેનામ ચોકડી પાસે આવેલ સ્વસ્તિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. અભિષેકનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બે દિવસ સુધી તેની સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન ગત રાત્રે ૧૦.૩૦ કલાકે અભિષેક સિંહને તબીબ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ અડધો કલાકમાં જ કિશોર બેભાન થઈ ગયો હતો અને અંતે તેનું મોત નીપજ્યું હતું. અભિષેકનાં મોતને પગલે પરિવારજનોમાં તબીબ વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મૃતક કિશોરનાં પિતા દ્વારા તબીબ વિરુદ્ધ આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યું હતું કે, ડોક્ટર દ્વારા એક્સપાયરી અથવા તો ઓવરડોઝ ઈન્જેકશન આપવાને કારણે જ અભિષેકનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે. વોચમેન તરીકે ફરજ બજાવતાં મૃતકનાં પિતાએ સ્વસ્તિક હોસ્પિટલનાં જવાબદાર ડોક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરીને તપાસની માગ કરવામાં આવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 1485   |  
ઉધનામાં પ્રેમી યુગલે ઝાડ પર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરતનાં ઉધના વિસ્તારના સંજયનગર ઝૂંપડપટ્ટી નજીક રહેતા અને મજૂરીકામ કરતા એક યુવક તથા ૧૬ વર્ષની સગીરાએ પ્રેમપ્રકરણમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. બંને છેલ્લા બે દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. ગુરુવારે સવારે રામજીનગર સોસાયટી નજીક ખાડી કિનારે આવેલા બીલીપત્રના ઝાડ પર બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં આવેલ સંજયનગરની બાજુમાં ઝુપડપટ્ટીમાં રહેતા ૨૩ વર્ષીય જીણ લાલસીંગ સંગાડા અને ૧૬ વર્ષીય સગીરાના પોતાના રહેઠાણથી આશરે ૫૦૦ મીટરના અંતરે આવેલી સમિતિ શાળાની પાછળ મેદાનમાં ઝાડ સાથે આજે સવારે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આ દ્રશ્યો જોઈ ત્યાંથી પસાર થઇ રહેલા બે ત્રણ જણા ચોકી ગયા હતા,બીજી તરફ આ ઘટના અને ખબર પડતા જ સ્થળ પર લોકો દોડી આવ્યા હતા.ઘટના અંગે જાણ કરવામાં આવતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે ઝાડ પર લટકી રહેલા બન્ને મૃતદેહ નીચે ઉતાર્યા હતા અને પંચનામા સહિતની કાર્યવાહી કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં વાયા હતા.એટલું જ આ અંગે ખબર પડતા જ બન્ને પરિવારજનોના પણ ત્યાં દોડી આવ્યા હતા.પ્રાથમિક તપાસમા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની માહિતી પોલીસને મળી છે. બંનેએ આપઘાતનું પગલું કયા કારણસર ભર્યું છે તે હાલમાં જાણવા મળ્યું નથી.વધુમાં જાણવા મળ્યું છે મરનાર સગીરાને અન્ય એક બહેન અને એક ભાઈ છે,જ્યારે યુવકને બે ભાઈઓ છે અને તેઓ મજૂરી કરતા હતા.પોલીસે તપાસ હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ ઠાકોર સાથે થયેલી વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા.બને બે દિવસથી ગુમ હતા પણ પોલીસ સ્ટેશનમાં આ અંગે કોઈ જાણ નહીં હતી.બંને મૃતદેહ એક જ ઝાળની ડાળી પર અલગ અલગ દુપટ્ટા વડે લટકતી હાલતમાં મળી આવ્યા હતાં. પરિવારજનો દ્વારા જાણવા મળ્યું હતું કે બંને મૂળ દાહોદ જિલ્લાના જાલોદના વતની હતા અને આશરે બે મહિના અગાઉ રોજગારી માટે સુરત આવ્યા હતા. બન્ને વચ્ચે પ્રેમ સંબંધો હતા તે અંગે પરિવારજનોને કોઈ જાણ નહીં હોવાનુઁ પણ જાણવા મળ્યું હતું.બંને બે દિવસથી ગુમ હોવાથી પરિવારજનો ચિંતિત બની તેમની શોધખોળ કરી રહ્યા હતા. વતન સુધી બન્નેની ભાળ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પણ બને વિષે કોઈ સુરાગ મળ્યું ન હતું,પરિવારજનો દ્વારા શોધખોળ ચાલી રહી હતી આ દરમિયાન આજે સવારે બંનેનાં મૃતદેહ એકસાથે મળી આવતા પરિવારમાં ભારે શોક છવાઈ ગયો હતો.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution