આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
2673 |
રાજુલાથી લઈ છેક સાવરકુંડલા સુધી ભૂકંપનો આચંકો અનુભવાયો
ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલ કોસ્ટલ વિસ્તારમાં મધરાતે અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રાત્રે આશરે ૨:૨૪ વાગ્યે થયેલા આ ઝટકાથી લોકો ઊંઘમાંથી જાગી બહાર નીકળી આવ્યા હતા. વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા ૩.૭ નોંધાઈ હતી, જે મધ્યમ સ્તરની ગણાય છે, છતાં તેની અસર અનેક વિસ્તારોમાં અનુભવાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવાનજીક નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.આ આંચકાનો પ્રભાવ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ સહિત કોસ્ટલ બેલ્ટના વિસ્તારોમાં જાેવા મળ્યો હતો. ઉપરાંત ખાંભા અને સાવરકુંડલા સુધી પણ ઝટકાનો અહેસાસ થયો હતો.ખાસ કરીને રાજુલા શહેરમાં કેટલાક મકાનોમાં નાની તિરાડો પડ્યાના અહેવાલો મળ્યા છે. કેટલીક જગ્યાએ ભૂકંપના ક્ષણોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જમીન હલતી દેખાય છે અને લોકો ગભરાઈને બહાર નીકળતા જાેવા મળે છે. હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી, જે રાહતની વાત છે. છતાં, સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
3564 |
પૂર્વ મેયરની ફરી નારાજગીએ ચર્ચા જગાવી
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાવનગર ભાજપનો આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે ટિકિટની રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ મેયર ભરત બારડ સાથે થયેલી ખેંચતાણ અને તેમને કાર્યાલયમાંથી બહાર કાઢવાની ઘટનાએ રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે. એક તરફ શિસ્તના પાઠ ભણાવતી પાર્ટીમાં ધોળા દિવસે પૂર્વ મેયરનું અપમાન થયાના વીડિયો વાયરલ થયા છે, તો બીજી તરફ ખુદ ભરત બારડે આક્ષેપોને ફગાવી પક્ષભક્તિનો રાગ આલાપ્યો છે. મળતી માહિતી મુજબ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે પૂર્વ મેયર ભરત બારડ પોતાની વાત રજૂ કરવા શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેઓ શહેર પ્રમુખ કુમાર શાહને મળવા માંગતા હતા, પરંતુ તેમને ચેમ્બરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. કાર્યાલયની બહાર નીકળતી વખતે ભરત બારડ અત્યંત ક્રોધમાં જાેવા મળ્યા હતા. પાર્કિંગમાં પોતાનું સ્કૂટર લેતી વખતે તેમણે હાજર લોકો સમક્ષ બળાપો કાઢતા કહ્યું હતું કે, “પાર્ટી કોઈના બાપની નથી, અમે મહેનત કરીને આ પાર્ટી બનાવી છે.” આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસારિત થતા શહેર ભાજપના સંગઠનમાં સોપો પડી ગયો છે. નવાઈની વાત એ છે કે, આટલી મોટી ઘટના અને વીડિયો પુરાવા હોવા છતાં, બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં ભરત બારડે નવો જ વળાંક લીધો હતો. તેમણે જણાવ્યું કે, “મારી સાથે કોઈ ગેરવર્તન થયું નથી, હું માત્ર ચા પીને બહાર આવ્યો છું. બાવડું પકડીને બહાર કાઢવાની વાત માત્ર અફવા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, એપ્રીલ 2026
4158 |
ભાજપે ૯૦થી વધુ મુસ્લિમોને ટિકિટ આપી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં મુસ્લિમોનો વિરોધ કરતાં ભાજપના મોવડી મંડળ દ્વારા આ ચૂંટણીઓમાં વલણ બદલ્યું છે. એટલું જ નહીં, ભાજપ દ્વારા લાંબા સમય બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મુસ્લિમોને છૂટા હાથે ટિકિટોનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૫૦ જેટલા મુસ્લિમોને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા અંતિમ સમયે વિવિધ જિલ્લાઓની જિલ્લા, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓની બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા લાંબા સમય બાદ મુસ્લિમ સમાજને ટિકિટો ફાળવણીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા વિવિધ જિલ્લાઓની જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓ માટેના ઉમેદવારો જાહેર કરાયા છે. તેમાં ૯૦થી વધુ મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા મુસ્લિમોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લા પંચાયતમાં ભિરડીયારા બેઠક પર અબ્દુલ્લા બુઢા જત, દયાપાર બેઠક પર આઇશબાઇ મોડ સુમારા અને દિનારા બેઠક પરથી જનતબાઈ રસુલ સમાને ટિકિટ આપી છે. તો ભચાઉ તાલુકા પંચાયતમાં લાકડિયા-૧ માં સાદીક સુલેમાન રાઉમા, ભુજ તા. પં.માં ધ્રોલાણા બેઠક પર મેમૂનતબાઈ ઈસાક સામા, દિનારા બેઠક પર સલમા વાયદના સમા, જુણા બેઠક પર સોયાબ સુલેમાન સમાં ખારી બેઠક પર લતીફ ભિલાલ ઠેબા, રતાડિયા બેઠક પર પરવેઝ ઇશાક સમા અને સરાડા બેઠક પર હાજિયાણી અબ્દુલ જતને ટિકિટ આપી છે. નખત્રાણા તાલુકા પંચાયતમાં મથલ બેઠક પર ઇલિયસ આદમ પિંઝારા, અબડાસા તાલુકા પંચાયતમાં બેર મોટી બેઠક પર હારુનઅલી મામદ હાલેપોત્રા, ખીરસરા (કો) બેઠક પરથી સાફિના અબ્દુલ્લા સુમારા, નલિયા-૨ બેઠક પરથી સેઝાન ઇરફાન મોકરશીને સુથરી બેઠક પરથી તૌસિફ મામદ સંગારને ટિકિટ અપાઈ છે. મુંદ્રા તાલુકા પંચાયતમાં ભદ્રેશ્વર બેઠક અપ્રથિ અફ્સાના ઓસમાણ કુંગાડાને, નાના કપાયા બેઠક પરથી સદદમ હુસેન સતાર તુર્કને, લખપત તાલુકા પંચાયતમાં બરન્દા બેઠક પરથી હુસેન સુલેમાન પઢિયારને, દોલતપર બેઠક પરથી હવાબાઈ આરબ જતને, ધડૂલી બેઠક પરથી ફાતેમાબાઈ અબ્દુલ્લા જતને, માતાના મઢ બેઠક પરથી ઓસમાણ ઉમરભાઈ રાયમાને, મીંઢિયાળી બેઠક પરથી અબ્દુલ કરીમ કાસમને, નારાયણ સરોવર બેઠક પરથી મેરિયાબાઈ ઉમરભાઈ જતને ટિકિટ આપી છે. તો માંડવી નગરપાલિકામાં વિવિધ વોર્ડમાં ૬ મુસ્લિમોને ટિકિટ આપી છે, જ્યારે ભુજ નગરપાલિકામાં વિવિધ વોર્ડમાં ૭ મુસ્લિમને ટિકિટ આપી છે. જ્યારે અંજાર નગરપાલિકામાં બે, મુંદ્રા-બારોઈ ન્બગરપાલિકામાં ચાર મુસ્લિમને અને નખત્રાણા નગરપાલિકામાં બે મુસ્લિમને ટિકિટ આપી છે. આમ કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા મુસ્લિમોને ટિકિટ આપી છે. આવી જ રીતે ગોંડલ નગરપાલિકામાં ૩, ધોળકા નગરપાલિકામાં ૮, વિરમગામ નગરપાલિકામાં ૩, કલોલ નગરપાલિકામાં ૨, સિદ્ધપુર નપામાં ૪, દાહોદ નગરપાલિકામાં ૮ આમ અત્યાર સુધીમાં જાહેર થયેલી યાદી મુજબ ભાજપ દ્વારા કુલ ૯૨થી વધુ મુસ્લિમોને ટિકિટ ફાળવવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, એપ્રીલ 2026
2970 |
નૌશાદ સોલંકીની હાજરીમાં કોળી સમાજના ૫૨ ગામોના આગેવાનો કોંગ્રેસમાં જાેડાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે. જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો, તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકો, ૪ નગરપાલિકાઓ અને એક મહાનગરપાલિકા માટે ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા કડક નિયમો બનાવતા જૂના કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઈ છે. બીજી તરફ કોંગ્રેસમાં ભાજપના ત્રણ ટર્મના આગેવાનો જાેડાતા રાજકીય ગરમાવો વઘ્યો છે. ભાજપ દ્વારા તાજેતરમાં ટિકિટ વિતરણ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ ન આપવાનો, ત્રણ ટર્મ પૂર્ણ કરેલા ઉમેદવારોને ફરી તક ન આપવાનો અને સંગઠનમાં કાર્યરત પદાધિકારીઓના સગા-સ્નેહીજનોને પણ ટિકિટ ન આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ નિયમોને કારણે વર્ષોથી ભાજપમાં સક્રિય રહેલા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. લીંબડી અને ચૂડા વિસ્તારમાં કોળી સમાજના વર્ષોથી ભાજપ સાથે જાેડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે. આ વિસ્તારના ૫૨ ગામોના આગેવાન તરીકેની છાપ ધરાવતા તેજાભાઈ મેટાલીયાએ જણાવ્યું હતું કે, “ભાજપ છેલ્લા આઠથી દસ વર્ષથી જૂના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યો છે અને નવા ચહેરાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ અવગણનાથી નારાજ થઈ અમે કોંગ્રેસમાં જાેડાવાનું નક્કી કર્યું છે.” તેમણે આગામી ચૂંટણીઓમાં પરિણામલક્ષી કામગીરી કરવાની ખાતરી પણ આપી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, એપ્રીલ 2026
3168 |
આખરે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયો ધારણ કરી લીધો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ધમાલ વચ્ચે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયા કર્યા છે. રાજુ કરપડા પોતાના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ઝંપલાવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ફેબ્રુઆરી મહિનામાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજુ કરપડાએ પાર્ટી છોડતા ભારે ચર્ચા જાગી હતી. રાજુ કરપડા સાથે તેમના ૫૦ થી વધુ સમર્થકોએ પણ આમ આદમી સાથે છેડો ફાડ્યો હતો. તેના બાદ તેમના કોંગ્રેસમાં જાેડવાની વાત વહેતી થઈ હતી. મારા મિત્રએ કેસરિયો ધારણ કર્યો છે, અમે કહ્યું હતું કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થયો : પ્રવીણ રામરાજુ કરપડા ભાજપમાં જાેડાયા મુદ્દે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે મારા પરમ મિત્ર ભાજપમાં જાેડાઈ રહ્યા છે, એટલે કે કેસરીયો ધારણ કરી રહ્યા છે. અમે તો ડે વનથી આ વાત કહી રહ્યા છીએ કે જેલમાં જ આ ખેડૂત આંદોલનનો સોદો થઈ ગયો હતો અને ખેડૂતો સાથે વિશ્વાસઘાતની શરૂઆત ત્યાંથી જ થઈ ગઈ હતી. છતાં પણ મારા પરમ મિત્ર અનેક વખત અલગ અલગ આક્ષેપો કરતા રહ્યા, પરંતુ આજે જ્યારે તેઓ કેસરીયો ધારણ કરી રહ્યા છે ત્યારે તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થાય છે. ગુજરાતના ખેડૂતોને પણ આજે આ વાતની પ્રતીતિ થશે કે આમ આદમી પાર્ટી પર થયેલા આક્ષેપો ખોટા હતા.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
12, એપ્રીલ 2026
1881 |
વડોદરા |
મનસુખ વસાવાની લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાતથી રાજકારણ ગરમાયું
ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે ભરૂચના ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) ના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ એક બહુ મોટી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. સતત ૭ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવતા મનસુખ વસાવાએ હવે આવનારી લોકસભા ચૂંટણી ન લડવાનું એલાન કર્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હવે નવા ચહેરાઓને મોકો મળવો જાેઈએ અને પાર્ટીએ ચૂંટણી સમયે જ ર્નિણયો લેવાને બદલે નવું નેતૃત્વ તૈયાર કરવું જાેઈએ.મનસુખ વસાવાએ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, મેં સાંસદ તરીકે મારી ૭ ટર્મ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. હવે સમય આવી ગયો છે કે મારા સ્થાને પાર્ટીના અન્ય સારા અને સક્ષમ કાર્યકર્તાઓને ચૂંટણી લડવાની તક આપવામાં આવે. આ ઉપરાંત, તેમણે પાર્ટી હાઈકમાન્ડને પણ એક મહત્વની સલાહ આપતા કહ્યું કે પાર્ટીએ હંમેશા અગાઉથી જ બીજાે વિકલ્પ તૈયાર રાખવો જાેઈએ. તેમના મતે, જ્યારે ચૂંટણી માથા પર આવે ત્યારે જ નવા નિયમો લાગુ કરવાથી પાર્ટીને યોગ્ય અને જીતાડી શકે તેવા ઉમેદવારો મળતા નથી. આથી, ભવિષ્યમાં સારા ઉમેદવારો શોધવા માટે પાર્ટીએ અત્યારથી જ એડવાન્સ પ્લાનિંગ કરવું જાેઈએ. ૧ જૂન ૧૯૫૭ ના રોજ જન્મેલા મનસુખભાઈ ધનજીભાઈ વસાવા ભાજપના એક ખૂબ જ જૂના અને દિગ્ગજ નેતા છે. તમને જણાવી દઈએ કે, ભરૂચ લોકસભા સીટ એક સમયે કોંગ્રેસના કદાવર નેતા અહેમદ પટેલનો ગઢ ગણાતી હતી. પરંતુ ૨૫ નવેમ્બર ૧૯૯૮ ના રોજ યોજાયેલી પેટાચૂંટણીમાં મનસુખ વસાવાએ અહીંથી ભવ્ય જીત મેળવીને ૧૨ મી લોકસભામાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેઓ ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪ માં સતત આ જ બેઠક પરથી જંગી બહુમતી સાથે ચૂંટાતા આવ્યા છે. તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ લાંબી અને પ્રભાવશાળી રહી છે. તેઓ ૧૯૯૪માં ગુજરાત સરકારમાં નાયબ મંત્રી તરીકે રહી ચૂક્યા છે. પોતાની સંસદીય સફર દરમિયાન તેમણે શ્રમ અને કલ્યાણ, રસાયણો અને ખાતર, ગ્રામીણ વિકાસ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી જેવી અનેક મહત્વપૂર્ણ સમિતિઓમાં સેવાઓ આપી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
12, એપ્રીલ 2026
2079 |
વડોદરા |
સિંધી સમાજની મહિલાઓને ભાજપ કેમ ટિકિટ નથી આપતું?: મહિલા હોદ્દેદારનો બળાપો
વડોદરા આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી વોર્ડ-૬ના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. દરમિયાન પ્રદેશ ભાજપાના મહામંત્રી અને વડોદરના પ્રભારી હિતેન્દ્ર ચૌહાણને રજૂઆત કરીને સીંધી સમાજની મહિલાઓને ભાજપા કેમ ટીકીટ આપતી નથી. તેવો બળાપો મહિલા હોદ્દેદારોએ ઠાલવીને શુ સીંધી મહિલા ધર ચલાવી શકે છે તો વોર્ડ નથી ચલાવી શકતા ? તેવો સવાલ પણ પુછ્યો હતો. તેમણે હેમનાની પરીવારની સાથે ભાજપાએ એગ્રીમેન્ટ કરી લીધો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.વોર્ડ ૬માં કાર્યક્રમમાં હર્ષ સંધવીના કાર્યક્રમમાં મહિલા હોદ્દેદાર રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તેમને સીક્યુરીટી દ્વારા બાજુ પર કરી દીધા હતા. જાેકે, મહિલા હોદ્દેદાર સ્નેહા લાલવાણીએ પ્રદેશ મહામંત્રી અને ઝોનલ પ્રભારી હિતેન્દ્ર ચૌહાણ સમક્ષ બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે, સિંધી સમાજની મહિલાઓને ભાજપ કેમ ટિકિટ નથી આપતુ ? શું ભાજપે સિંધી સમાજનાં એક જ પરિવાર સાથે કરાર કર્યો છે ? સિંધી સમાજમાં આટલી મહિલાઓ છે તો કેમ ભાજપ સિંધી મહિલાઓને ટિકિટ આપતી નથી. બધા સમાજમાં મહિલાઓને ટિકિટ મળે છે તો સિંધી સમાજની મહિલાઓ સાથે અન્યાય કેમ ? મારૂ અપક્ષ ફોર્મ ભરવા માટે પાંચ મિનિટ મોડું થયું પણ મારૂ ફોર્મ ન લેવાયું.. તે કોના ઈશારે ન લેવાયું!? ત્રણ ટર્મથી એકજ પરિવારને ટિકિટ મળે છે. ભાજપે વોર્ડ ૬ માં જાહેર કરેલા ઉમેદવારો પવન હેમનાણી અને ધરતી સોની ક્યારેય પાર્ટીનાં કાર્યક્રમમાં દેખાયા નથી અને કોઈ કામ કર્યું નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, હું ૨૫ વર્ષથી ભાજપમાં છું હું લાલ શેરાની દીકરી છું મારી સાથે ફોર્મ ભરવામાં ખોટું થયું તેની પાછળ કોણ છે બધા જાણે છે. તેમપણ તેમણે કહ્યું હતુ. વોર્ડ નં-૬ સિવાય અનેક વોર્ડમાં પણ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ દાવેદારો અને કાર્યકરોમાં નારાજગી જાેવા મળી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
12, એપ્રીલ 2026
2079 |
વડોદરા |
લાખાવાલાનું સભાનતાપૂર્વકનું નિવેદન કે બેજવાબદારીપૂર્વકનો બફાટ?
વડોદરા શહેર ભાજપાના સિનિયર નેતા અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાએ છેલ્લા પાંચ વર્ષમાં પૂર્વ નગર સેવકોએજ શહેરની હાલત ખરાબ કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં વડોદરાની ઈમેજ બહુ ખરડાઈ છે. જેની સામે પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કર્યું હોવાના નિવેદનને લઈને શહેર ભાજપામાં ભડકો થયો છે.ચૂંટણી ટાંણેજ ભાજપાના શાસનમાં ભ્રષ્ટ્રાચારની વાત એ પૂર્વ મંત્રીનું સભાનતા પૂર્વકનુ નિવેદન કે પછેે બેજવાબદારી પૂર્વકનો બફાટ તેને લઈને પણ ચર્ચા ભાજપા વર્તુળોમાં થઈ રહી છે. પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી, પૂર્વ કાઉન્સિલર, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ ભૂપેન્દ્ર લાખાવાલાએ તેમણે ફાયરના સાધનોની ખરીદીમાં કૌભાંડ અંગે પણ ઉલ્લેખ કરીને છેલ્લા ૧૦ વર્ષ ધણા ચિંતાજનક રહ્યા છે. નાગરિકો પણ અનેક ફરિયાદો કરતા હતા. તેમાય છેલ્લા પાંચ વર્ષમાં વડોદરાની ઈમેજ બહુ ખરડાઈ હતી. એટલે ડેમેજ કંટ્રોલ કરવા પાર્ટીએ આ નિર્ણય લેવો પડ્યો છે. લાખાવાલા પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી, પૂર્વ કાઉન્સલર રહી ચૂક્યા છે. હાલમાં વર્તમાન શહેર ભાજપાની ચૂંટણી કમિટીના સંયોજક છે અને તેમની જવાબદારી છે સીટો જીતાડવાની ત્યારે શું આ નિવેદન ચૂંટણી જીતાડશે કે હરાવશે? તેની ચર્ચા પણ ભાજપા વર્તુળોમાં થઈ રહી છે. આ સંદર્ભે પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા સાથે ટેલીફોનિક સંપર્ક થઈ શક્યો ન હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
12, એપ્રીલ 2026
1980 |
વડોદરા |
કોંગ્રેસીઓ ગુજરાતને બદનામ કરવાનો કોઈ મોકો ચૂકતા નથી : હર્ષ સંઘવી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ત્યારે આજે ભાજપા દ્વારા રાજ્યની તમામ મહાનગર પાલિકાઓમાં એકસાથે પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ટિકિટ મેળવનારા તમામ ભાજપાના ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.ઉપરાંત તેઓ ત્રણ વોર્ડની ચૂંટણી કચેરીએ જઈને ઉમેદવારો અને બુથ લેવલના કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. તેમણે કાર્યકરોને સંબોેધતા કહ્યું હતું કે, ઘણા કોંગ્રેસીઓના પેટમાં દુ:ખે છે. અને દુ:ખવંુ પણ જાેઈએ અસામાજીક તત્વોને હું નહીં જ છોડું, જાેર જાેરથી કુદી કૂદીને આશાંતધારા કાયદાને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ સરકારે અશાંતધારો કાયદો વિનાસભમાં મંજૂર કરાવ્યો છે. જાેકે, હર્ષ સંઘવીના કાર્યક્રમમાં અલગ અલગ વોર્ડમાં ક્યાંક સંગઠન તો ક્યાક કપાયેલા કાઉન્સિલરો અને દાવેદારો નિષ્ક્રિય જણાયા હતા. ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજથી ભાજપા અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. ભાજપા દ્વારા વડોદરાના કિર્તીમંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહામંત્રી અને પ્રભારી ચૌહાણ તેમજ શહેર ભાજપા સંગઠનના તમામ હોદ્દેદારો અને ધારાસભ્યો સહિતની ઉપસ્થિતીમાં ટિકિટ મેળવનારા ૭૬ ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. અને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ ઉમેદવારોને મળીને ચર્ચા પણ કરી હતી. ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ વોર્ડ- ૧, વોર્ડ-૩ અને વોર્ડ-૬ના પણ ચૂંટણી કાર્યાલય ખાતે જઈને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા કેરલાની ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલા નિવેદન અંગે કર્યું હતુ કે, કોંગ્રેસને ગુજરાતને બદનામ કરવા સિવાય કોઈ કામ નથી બચ્યું તેવો આક્ષેપ કરતા કહ્યું હતું કે, તમે તમારી ચૂંટણી જીતવા માટે ગુજરાતીઓને કેમ બદનામ કરો છો? કોંગ્રેસીઓ પ્રચાર માટે આવે ત્યારે પૂછજાે કે, અશાંતધારાનો વિરોધ કેમ કરો છો? તેમણે દુનિયાનુ સૌથી મોટુ સંયુક્ત કુટુંબ એ ગુજરાતના નાગરિકો અને ભાજપાના કાર્યકરો છે તેમ કહ્યું હતું. આ સંયુક્ત કુટુંબે છેલ્લા ૩૦ વર્ષથી એકપછી એક ગુજરાત વિરોધીઓને સાફ કરવાનું કામ કર્યું છે. આ વખતે વડોદરા શહેરના નાગરિકો શહેરના હિતમાં મન બનાવી લીધુ છે. અને શહેરની ૧૦૦ ટકા સીટ પર કમળ ખીલશે. ગુજરાતની જનતાએ નવો ઈતિહાસ રચવા માટે મૂડ બનાવી લીધો હોવાનું પણ તેમણે કહ્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
12, એપ્રીલ 2026
2079 |
વડોદરા |
ક્યાંક શહેર, વૉર્ડ સંગઠન તો ક્યાંક પૂર્વ કાઉન્સિલરો જ નિષ્ક્રિય બન્યા!
વડોદરા શહેર ભાજપા દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ કેટલાક વોર્ડના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ભાજપા કાર્યાલય પહોંચીને સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી હતી. ટિકિટોની વહેંચણીને લઈને થયેલા ભડકાને કારણે ક્યાંક વોર્ડ સંગઠન તો ક્યાંક શહેર સંગઠન અને પૂર્વ કાઉન્સિલરો નિષ્ક્રિય જાેવા મળી રહ્યા છે. ત્યારે નારાજ કાર્યકરોને મનાવવાની જવાબદી ક્યાંક ધારાસભ્યોએ અને સિનિયર નેતાઓએ વચ્ચે પડવું પડ્યું છે. પરંતુ નારાજ કાર્યકરો માનવાના મૂડમાં નથી. ઉલ્લેખનિય છે કે, ભાજપા દ્વારા ટિકિટોની જાહેરાત કરાઈ જેમાં ગત બોર્ડના ૧૬ કાઉન્સિલરોને રીપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે ૭ પૂર્વ કાઉન્સિલરોને ટિકિટ આપવામા ંઆવી છે. જ્યારે ૫૩ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે મોટાભાગના વોર્ડમાં ટિકિટોની વહેંચણીને લઈને કાર્યકરોમાં નારાજગી જાેવા મળી રહી છે. ત્યારે ભાજપા દ્વારા નારાજ કાર્યકરોને મનાવવાનો પ્રયાસ શરૂ કરાયો હોવાનું જાણવા મળે છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં આજે ટિકિટ મેળવનારા ભાજપાના ઉમેદવારોને જનસેવા સંકલ્પના શપથના કાર્યક્રમની સાથે હર્ષ સંધવીએ વોર્ડ-૧,૩ અને વોર્ડ ૬ના ચૂંટણી કાર્યાલય ખાતે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. જાેકે, ટિકિટની જાહેરાત થયા બાદ અનેક વોર્ડમાં પૂૂર્વ કાઉન્સિલરો, દાવેદારો કપાતા નારાજગી જાેવા મળી રહી છે. તે આજે નાયબ મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન સ્પષ્ટ જાેવા મળી હતી. અલગ અલગ વોર્ડમાં નાયબ મુખ્યમંત્રીની ચૂંટણી કાર્યાલય ખાતેની મુલાકાત દરમિયાન ક્યાંક સંગઠનના હોદ્દેદારો તો ક્યાંક કપાયેલા કાઉન્સિલરો અને ટિકિટ માટે દાવેદારી કરનારા નિષ્ક્રિય જાેવા મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે, ભાજપા દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ કેટલાક વોર્ડના કાર્યકરો દ્વારા રજૂઆત કરીને સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી છે. તો અન્ય વોર્ડમાં પણ કાર્યકરોમાં નારાજગી જાેવા મળી રહી છે. ત્યારે કેટલાક વોર્ડમાં કાર્યકરોની નિષ્ક્રિયતા સ્પષ્ટ રીતે જાેવા મળે તેવી ચર્ચા ભાજપા વર્તુળોમાં થઈ રહી છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, એપ્રીલ 2026
2079 |
રાજ્યભરના ૮૬૨ કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં ‘ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ-હાયર સેકન્ડરી પરીક્ષા યોજાઈ
આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ‘ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ-હાયર સેકન્ડરી’ની પ્રિલિમિનરી પરીક્ષા રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે. ૮૬૨ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે ૧.૬૫ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી છે. અમદાવાદ શહેરમાં ૩૧,૧૭૦ ઉમેદવારો અને અમદાવાદ ગ્રામ્યમાં ૧૮,૦૯૪ ઉમેદવારો પરીક્ષા આપી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત અનેક જિલ્લાઓમાં આ મહત્વની પરીક્ષાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા ૧૦ થી ૧૯ ફેબ્રુઆરી સુધી ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારબાદ ફોર્મ ભરવાની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં ‘ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ-હાયર સેકન્ડરી માટે સમગ્ર રાજ્યમાંથી ૧૬૫૦૨૪ ઉમેદવારો નોંધાયા હતા. ૨૯ માર્ચનાં રોજ ગુજકેટની પરીક્ષાને કારણે ૧૨મી એપ્રિલે ટેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી વિગતો મુજબ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેનારી ટેટ માટે અમદાવાદ શહેરમાં જ ૧૬૬ કેન્દ્રો પર ૩૧,૧૭૦ ઉમેદવારો પરીક્ષા આપી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ૯૯ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં ૧૮,૦૯૪ ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષા કેન્દ્રો પર વહેલી સવારથી જ ઉમેદવારોની ભીડ જાેવા મળી હતી અને તેઓના ચહેરા પર એક પ્રકારનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ છલકાતો હતો. મુખ્ય વિષયોમાં એકાઉન્ટ એન્ડ કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કમ્પ્યુટર, ઈકોનોમિક્સ, અંગ્રેજી, ગણિત, ફિઝિક્સ, સંસ્કૃત અને શારીરિક શિક્ષણ જેવા અનેક વિષયોની કસોટી લેવાઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોમાં હવે આશા છે કે પરીક્ષા બાદ તેનું પરિણામ સમયસર આવી જાય તો મેઈન્સની તૈયારી કરી શકાય અને શિક્ષક તરીકેની ભરતી ઝડપથી થાય.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, એપ્રીલ 2026
2079 |
ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ મે મહિનાના પહેલાં સપ્તાહમાં આવવાની શક્યતા
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે. ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવવાની શક્યતા જાેવાઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦૦૧૨ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ અને માર્કશીટને લઈને કેટલાક મહત્વપૂર્ણ અને ટેકનોલોજી આધારિત ફેરફારો કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ વર્ષે ગુજરાત બોર્ડની માર્કશીટમાં એક ફેરફાર જાેવા મળશે. હવે કોઈ પણ વિદ્યાર્થીઓની માર્કશીટ ઉપર ઊઇ કોડ લગાવવામાં આવશે. આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય ડુપ્લીકેટ માર્કશીટના દૂષણને રોકવાનો અને વેરિફિકેશનની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે. વિદ્યાર્થીઓ કે સંસ્થાઓ દુનિયાના કોઈપણ ખૂણેથી માત્ર ઊઇ કોડ સ્કેન કરીને માર્કશીટની વિગતો તપાસી શકશે.કયુઆર કોડ સ્કેન કરતા જ ગુજરાત બોર્ડનું સત્તાવાર ડિજિટલ પેજ ખુલશે, જ્યાંથી વિદ્યાર્થી પોતાની માર્કશીટ જાેઈ શકશે અને ડાઉનલોડ પણ કરી શકશે. ગુજરાત બોર્ડ દ્વારા પેપર ચેકિંગની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે. બોર્ડનું લક્ષ્યાંક છે કે મે મહિનાના પહેલા અઠવાડિયામાં ધોરણ ૧૦ અને ૧૨નું પરિણામ જાહેર કરી દેવામાં આવે. વહેલા પરિણામને કારણે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ અને એડમિશન પ્રક્રિયા માટે પૂરતો સમય મળી રહેશે. જે વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે, તેમના માટે આ કયુઆર કોડ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અગાઉ માર્કશીટના વેરિફિકેશન માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું, પરંતુ હવે વિદેશી યુનિવર્સિટીઓ તરત જ ઓનલાઈન વેરિફિકેશન કરી શકશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, એપ્રીલ 2026
1881 |
વર્ષ ૨૦૦૨ રમખાણ કેસમાં ૧૧ આરોપી નિર્દોષ જાહેર, અમદાવાદની મેટ્રો પોલિટીન કોર્ટનો ચૂકાદો
વર્ષ ૨૦૦૨ના ગોધરા કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોના અનેક કેસોમાંથી એક મહત્વપૂર્ણ કેસમાં હવે લાંબા સમય બાદ ચુકાદો આવ્યો છે. અમદાવાદના માધવપુરા વિસ્તારમાં નોંધાયેલા રમખાણ કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટે ૧૧ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. મે ૨૦૦૨માં દિલ્હી દરવાજા અને માધવપુરા વિસ્તારમાં લગભગ ૨૦૦૦ જેટલા લોકોનું ટોળું ભેગું થયું હતું. આ ટોળાએ લઘુમતી કોમ સામે હુલ્લડ મચાવ્યો હતો, અને પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા. પેટ્રોલિંગમાં રહેલી પોલીસની ટીમે ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થિતિ વધુ ઉગ્ર બનતા વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. અંતે પોલીસે અશ્રુગોળા છોડ્યા અને હવામાં ફાયરિંગ કરીને ટોળાને કાબૂમાં લીધું હતું.આ ઘટનામાં પોલીસે કેટલાક આરોપીઓને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધ્યો હતો. જાેકે સમય જતાં આ કેસમાં મોટો વળાંક આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન બે આરોપીઓનું અવસાન થયું હતું, જ્યારે ઘણા સાક્ષીઓ કોર્ટમાં હાજર રહી શક્યા નહોતા. બનાવને લગભગ ૨૩ વર્ષ વીતી જતા સાક્ષીઓને સમન્સ મોકલાયા છતાં તેઓ મળી શક્યા નહોતા. સાથે જ કેસના મુખ્ય ફરિયાદી પીએસઆઇનું પણ અવસાન થઈ ગયું હતું, જેના કારણે પુરાવાની મજબૂતી પર અસર પડી હતી. આ પરિસ્થિતિમાં કોર્ટ સમક્ષ માત્ર મર્યાદિત સાક્ષી અને પુરાવા જ રહ્યા હતા. અમદાવાદ મેટ્રો કોર્ટે ચાર સાક્ષી અને ચાર પુરાવાના આધારે સુનાવણી પૂર્ણ કરીને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અરજદારના વકીલ ડી.જે.પરમારે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, લાંબા સમયગાળાના કારણે પુરાવા અને સાક્ષીઓ ઉપલબ્ધ રહેતા નથી, જેનાથી કેસને મજબૂત રીતે સાબિત કરવો મુશ્કેલ બને છે. કોર્ટે ઉપલબ્ધ પુરાવાના આધારે યોગ્ય ર્નિણય આપ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, એપ્રીલ 2026
1881 |
મતદારોને રિઝવવા ભાજપનો જનસેવા સંકલ્પ
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ દ્વારા આજે રાજ્યની ૧૫ મનપાના ઉમેદવારોને પક્ષના આગેવાનો દ્વારા જનસેવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજકોટ ખાતે મનપાના ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવ્યા હતા. રાજકોટ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કર્ણાવતી મહાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડોદરા ખાતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય ૧૨ મનપામાં પ્રદેશ ભાજપ દ્વારા નિયત કરાયેલ આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લીધો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે આજે ગુજરાત ભાજપા દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ તમામ મહાપાલિકામાં ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ મહાનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કર્ણાવતી મહાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડોદરા ખાતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય ૧૨ મનપામાં પ્રદેશ ભાજપ દ્વારા નિયત કરાયેલ આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપા ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લીધો હતો. ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ અંતર્ગત સુરતમાં કારગીલ ચોક ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે સાંસદ પરષોત્તમ રૂપાલા, ભાવનગરમાં સર ટી હોસ્પિટલ સામે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ, વાપીમાં સરદાર ચોક ખાતે પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ ગણપત વસાવા અને નવસારીમાં મદ્રેશા હાઇસ્કુલ પાસે કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ ભાજપના મહાપાલિકાની ચૂંટણીના ઉમેદવારોને બંધારણીય મૂલ્યો તથા ભાજપાની વિચારધારાને આત્મસાત કરી જનસેવા માટે પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ ઉપરાંત મહેસાણાના તોરણવાળી માતાના ચોકે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ, ગાંધીધામમાં પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધ દવે, આણંદમાં બેઠક મંદિર ખાતે ગોરધન ઝડફિયા, નડિયાદમાં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ખાતે પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, પોરબંદરના સુદામા ચોક ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશ ધડુક, મોરબીમાં રવાપર ચોકડી ખાતે પૂર્વ મંત્રી આઇ.કે. જાડેજા અને સુરેન્દ્રનગરના વઢવાણ હવા મહેલ ખાતે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓએ આગામી ચૂંટણીમાં ભાજપાના પ્રચંડ વિજયનો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમોમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ, ભાજપાના સિનિયર આગેવાનો અને અગ્રણીઓ નિયત સ્થાનોએ ઉપસ્થિત રહ્યા હતા. દરેક સ્થાનોએ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને જાેશ જાેવા મળ્યો હતો. સૌ એ ભાજપના જ્વલંત વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ભાજપે વહુને અને કોંગ્રેસે સાસુને ટિકિટ આપી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક જ ઘરના બે વ્યક્તિને અલગ અલગ પક્ષોએ ટિકિટ ફાળવી છે. જેના કારણે આ બેઠક પર સાસુ વહુ સામે સામે ચૂંટણી લડી રહ્યા છે જેના કારણે આ બેઠક પરનો મુકાબલો વધુ રસપ્રદ બન્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાેરશોરથી તૈયારી ચાલી રહી છે અને દરેક પક્ષ વચ્ચે સત્તા મેળવવા માટેનો જંગ ચાલી રહ્યો છે. આ સંજાેગોમાં ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની સુબીર બેઠકની ચૂંટણી એક રસપ્રદ મોડ પર આવીને ઊભી રહી છે. ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વખતે ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. તેમાય ખાસ કરીને સુબીર જિલ્લા પંચાયતની બેઠક પર સાસુ અને વહુ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ અનોખી ચૂંટણી લડતમાં ભાજપે વહુ પ્રિયંકા કુંવરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી છે. જ્યારે સામે કોંગ્રેસે સાસુ જયનુબેન બાગુલને ટિકિટ આપીને મુકાબલો વધુ જ ટકરાવદાર બનાવી દીધો છે. પરિવારની અંદરની આ રાજકીય સ્પર્ધા હવે સમગ્ર જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, એપ્રીલ 2026
2079 |
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બાવન ગ્રામ કરતાં વધુને ડ્રગ્સ સાથે બેને પકડ્યા
અમદાવાદમાં નશાનો વેપલો વકરી રહ્યો છે.. રોજેરોજ પોલીસ ડ્રગ્સ સાથે નશાનો વેપલો કરતા લોકોને ઝડપી રહી છે. ત્યારે આજે ૫૨.૪૧૦ ગ્રામ મેફેડ્રોન કિંમત રૂ.૧,૫૭,૨૩૦/- ના જથ્થા સાથે બે ઇસમોને બહેરામપુરા, સંતોષનગર ચાર માળી પાસેના ખુલ્લા મેદાનમાંથી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ઝડપી પાડ્યા છે.અમદાવાદ શહેર બહેરામપુરા, સંતોષનગર ચાર માળીયાની સામે ખુલ્લા મેદાનમાં અલમો ડાયટેક્ષ કંપનીની દિવાલ પાસે જાહેરમાંથી બાતમી હકીકત આધારે રેઇડ કરી આરોપી હસમુખ જેસીંગભાઈ સરગરા તથા મનિષ રમણલાલ સરગરાને પાસ પરમીટ વગરના ગેરકાયદેસરના બિન અધિકૃત મેફેડ્રોન ૫૨.૪૧૦ ગ્રામ કિંમત રૂ.૧,૫૭,૨૩૦/-સાથે પકડવામાં આવેલ હતા. પકડાયેલ આરોપીઓ તથા મેફેડ્રોનનો જથ્થો પુરો પાડનાર વિરૂધ્ધમાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી ૫૧.૪૧૦ ગ્રામ મેફેડ્રોન કિંમત રૂ.૧,૫૭,૨૩૦/-, મોબાઇલ ફોન નંગ-૩ કિંમત રૂ.૧૫,૦૦૦/- રોકડા નાંણા રૂ.૬,૦૦૦/ અનવે વાહન તેમજ( પોકેટ વજન અને ) ખાલી ઝીપર બેગ સહિત પોણા બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે હસમુખ જેસીંગભાઈ સરગરા ઉ.વ.૨૭, રહે. સંતોષનગરના છાપરા, સંતોષનગર પોલીસ ચોકી પાસે, રામ રહિમનો ટેકરો, બહેરામપુરા, અમદાવાદ શહેર. મુળ વતન ગામ. ધારના, દેવપુરા, તા, સિવાના, જી. બાડમેર, રાજસ્થાન અને મનિષ રમણલાલ સરગરા ઉ.વ.૨૬, રહે. સંતોષનગરના છાપરા, સંતોષનગર પોલીસ ચોકી પાસે, રામ રહિમનો ટેકરો, બહેરામપુરા, અમદાવાદ શહેર. મુળ વતન ગામ. ધારના, દેવપુરા, તા, સિવાના, જી. બાડમેર, રાજસ્થાનને ઝડપી પાડીને કાયદેરસની કાર્યવાહી હાથ ધરી છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
સિનેમા
12, એપ્રીલ 2026
2178 |
સુરત |
બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી ચીટિંગ કરતી ટોળકીનો પર્દાફાશ
સ્પેશિયલ ઓપરેશન ગૃપ પાસે મળતી માહિતી અનુસાર આસિ. સબ ઇન્સપેક્ટર યુવરાજસિંહ સામંતસિંહને ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવટી ટોળકી અંગે બાતમી મળી હતી. જેના આધારે પીએસાઇ સરવૈયાએ સ્ટાફનાં જીતેન્દ્રસિંહ, હર્ષદભાઇ વિગેરે સાથે કાપોદ્રામાં રાજ ગાર્ડન સામે, હળપતિવાસના નાકે વોચ ગોઠવી ચાર યુવકોને અટકાયતમાં લીધા હતાં. જેમાં પ્રજેશ ઉર્ફે રઘુ જગદીશભાઇ માણીયા (રહે, સાગર રો-હાઉસ, લજામણી ચોક પાસે, મોટા વરાછા, ઉત્રાણ. વતન- મોખડકા તા. પાલીતાણા જી.ભાવનગર) પાસે મોબાઇલ અને આરટીઓના ૧૩ ર્લનિંગ લાયસન્સ મળ્યા હતાં.ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ વિઠ્ઠલભાઈ શેખડીયા (રહે, તાપી દર્શન સોસાયટી વિભાગ-૦૨, નાના વરાછા, કાપોદ્રા. વતન- ભયાણીની વાડી, ગઢેચી વડલા, ભાવનગર) પાસે મોબાઇલ, પ્રફુલ રવજીભાઇ ગજેરા ઉર્ફે આરટીઓ વિપુલ પટેલ (રહે, શ્રીજી કોમ્પલેક્ષ, દાદા ભગવાનના મંદિર પાસે, નનસાડ રોડ તા.કામરેજ. વતન- સનાળી તા.બગસરા જી.અમરેલી) પાસે મોબાઇલ, રવિ જેઠાભાઇ ગાંગડીયા (રહે, શિવ-દર્શન સો સાયટી, વિભાગ-૦૩, યોગીચોક પાસે, કાપોદ્રા. વતન- કેરીયાનાગસ તા.અમરેલી) પાસે મોબાઇલ ફોન કબજે લેવાયા હતાં. પ્રજેશ પાસે મળી આવેલા ૧૩ લાયસન્સ ચેક કરાયા હતાં જેમાં મિતુલ ભરતભાઈ સોના અને બસલમ કાળુ બરવાલીયા એમ બે નામના ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર ફોટો એક જ વ્યક્તિનો જોવા મળ્યો હતો. આ બાબતે પ્રજેશ માણીયાની પૂછપરછ કરતાં તેણે એવી કબૂલાત કરી હતી કે, આરટીઓમાંથી ર્લનિંગ લાયસન્સ કઢાવવા માટે અમારો સંપર્ક કરનાર વ્યક્તિને બનાવટી લાયસન્સ પકડાવી પૈસા વસૂલ કરી લઇએ છે. અરજદારની જાણ બહાર તેમને બોગસ લાયસન્સ આપી સાતથી દસ હજાર રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવે છે. બોગસ ર્લનિંગ લાયસન્સ બનાવી અરજદાર તથા સરકાર સાથે ફ્રોડ કરનારી આ ટોળકી સામે એસઓજી દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૫), ૩૩૭, ૩(૫), ૬૧(૨) મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
12, એપ્રીલ 2026
891 |
સુરત |
નરાધમ મામાએ હવસનો શિકાર બનાવતાં વડોદની ૧૪ વર્ષની ભાણી ગર્ભવતી બની
પાંડેસરાનાં વડોદ ગામમાં રહેતી કિશોરીને તેણીના મામાએ હવસનો શિકાર બનાવી હતી. બીજા લગ્ન કરી લેનાર માતાને મળવા જતી આ કિશોરીને ફોસલાવી ફસાવી મામાએ શરીર સંબંધ રાખતાં તેણી ગર્ભવતી બની ગઇ હતી. સાતેક મહિનાની ગર્ભાવસ્થાને લઇ શારિરીક ફેરફાર અને તકલીફો શરૂ થતાં આ મામલો બહાર આવ્યો અને પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશનો સિંગ પરિવાર વડોદ ગામમાં રહે છે. આ પરિવારના દંપતિ વચ્ચે મનમેળ ન થતાં તેઓ છૂટા પડી ગયા હતાં. મહિલાએ અલગ થઇ બીજા લગ્ન કરી લીધા ત્યારે બાળકો પિતા સાથે રહ્યા હતાં. જો કે, બાળકો ઇચ્છા થાય ત્યારે માતાને મળવા જતાં હતાં. પિતા દ્વારા આ મામલે રોકટોક કરાતી ન હતી. વર્ષ ૨૦૧૫માં પતિથી અલગ થઇ બીજો સંસાર માંડનારી આ મહિલાએ આઠેક મહિના અગાઉ લગભગ જુલાઇ મહિનામાં તેની ૧૪ વર્ષની દીકરીને કોલ કરી તેની સાથે રહેવા આવવા કહ્યું હતું. કિશોરી તૈયાર થઇ એટલે માતા આવી અને તેણીને સાથે લઇ ગઇ હતી. કિશોરી માતા સાથે બમરોલી સ્થિત ઘરે ઘણો સમય રોકાઇ અને ગત ફેબ્રુઆરી મહિનામાં પરત આવી હતી. આ દરમિયાન થોડા દિવસ અગાઉ કિશોરીનાં દાદા દાદી વતનથી અહીં રહેવા આવ્યા હતાં. જેમાં દાદીને કિશોરીની શારીરિક અવસ્થા શંકાસ્પદ લાગી હતી. બેચેની અનુભવતી અને વોમિટિંગની ફરિયાદ કરતી કિશોરીને ડોક્ટર પાસે લઇ જવાઇ હતી. જ્યાં દાદીની શંકા અનુસાર જ આ કિશોરી ગર્ભવતી હોવાનું નિદાન થયું હતું. કિશોરીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણી સાથે આ કુકર્મ તેના મામા આદિત્યસિંહ ઉર્ફે સીન્ટીએ કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. માતા પાસે રહેવા ગઇ ત્યારે મામાએ તેણીને બહેકાવી સંબંધ બાંધ્યા હતાં. ઘરે કોઇ ન હોય ત્યારે મામા તેણીને હવસનો શિકાર બનાવતો, તેણીને ફોસલાવીને અલગ અલગ જગ્યાએ લઇ જઇ મરજી વિરૂધ્ધ બંધાયેલા શરીર સંબંધના કારણે કિશોરી ગર્ભવતી બની ગઇ હતી. કિશોરીએ હકીકત જણાવતાં તેણીના પિતા તેને લઇ પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. પોલીસે કિશોરીની આવશ્યક એવી પૂછપરછ કર્યા બાદ બમરોલી વિસ્તારમાં રહેતાં ૨૬ વર્ષીય આદિત્યસિંગ સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
12, એપ્રીલ 2026
2277 |
સુરત |
વોર્ડ નંબર-૧૨માં સૌથી વધુ ૫૪ ઉમેદવારો જ્યારે સૌથી ઓછા ૨૨ ઉમેદવારો વોર્ડ નં.૧૦માં નોંધાયા
આગામી તા.૨૬મી એપ્રિલના રોજ યોજાનારી સુરત મહાગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ મુદત ગતરોજ શનિવારે પૂર્ણ થઇ ગયા બાદ હરિફ ઉમેદવારોનું આંશિક ચિત્ર ઉપસ્થિત થયું છે. સુરત મહાનગરપાલિકાનાં તમામ ૩૦ વોર્ડમાંથી ઉમેદવારી કરનારાઓનાં ઉમેદવારીપત્રકો, દસ્તાવેજોની કામગીરી આટોપતા ચૂંટણી તંત્રવાહકોને મધરાતે ૩ વાગ્યા હતા. એ પછી ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે કુલ કેટલા ઉમેદવારીપત્રો ભરાયા તેની વિગત નિશ્ચિત કરી શકાઇ હતી. ભાજપ અને કોંગ્રેસે તમામ ૧૨૦ બેઠકો ઉપર ઉમેદવારી કરી છે જ્યારે આમ આદમી પાર્ટીએ ૧૧૪ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાનાં ૩૦ વોર્ડની ૧૨૦ સીટો પર સૌથી વધુ ૫૪ ઉમેદવારીપત્રો વોર્ડ નં.૧૨ નાણાવટ, સૈયદપુરા, કુબેરનગર, મહિધરપુરા વિસ્તાર માટે ભરાયા છે. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારીપત્રો ભરાતા ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીનાં નેતાઓ પણ વિચારવા માંડ્યા છે કે આ વોર્ડમાં અપક્ષ ઉમેદવારો રાજકીય ગણિત અને સમીકરણો બદલી જશે. અપક્ષો ૩૦૦થી ૫૦૦ મતો પણ ઉસેટી જાય તો મોટા રાજકીય પક્ષોનાં વિજય પરાજયમાં મોટો ફરક પડી શકે તેમ છે. ગઇ ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારો વોર્ડ નં. ૧૮ લિંબાયત-પરવટ-કુંભારીયા વિસ્તારમાં ભરાયા હતા. આ વખતે આ વોર્ડમાં સેકન્ડ હાઇએસ્ટ ૫૨ ઉમેદવારોએ મેદાને જંગમાં ઝુકાવ્યું છે. એવી જ રીતે સૌથી ઓછા ૨૨ ઉમેદવારીપત્રો વોર્ડ નં.૧૦ અડાજણ-પાલ-ઇચ્છાપોરમાંથી ભરાયા છે. આ વિસ્તાર રેસિડેન્શિયલ ઝોન છે અને અહીં સુરત મહાનગરપાલિકાની છેલ્લી ૬ ચૂંટણીથી તમામ બેઠકો પર ભાજપનાં ઉમેદવારો જ વિજયી થઇ રહ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
12, એપ્રીલ 2026
2673 |
સુરત |
સારોલીમાં ઈલેક્ટ્રિક બાઈકમાં ચાર્જિંગ વેળા લાગેલી આગમાં ૨૦ વાહનો ખાક
શહેરનાં કડોદરા મેઈન રોડ પર ગણપત કાકાનાં ગોટાની દુકાન સામે આવેલ મોર્ડન ટાઉન રેસિડેન્સીમાં મોડી રાત્રે કોઈ વ્યક્તિ દ્વારા ઈલેક્ટ્રીક બાઈક ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. જોકે તેમાં શોર્ટ સકિર્ટ બાદ આગ લાગતા ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ર્પાકિંગમાં પાર્ક કરેલી ૧૮ બાઈક, ત્રણ સાયકલ અને એક જનરેટર આગમાં ખાક થઈ ગયું હતું. બનાવની જાણ થતા ડુંભાલ, પુણા અને ડીંડોલી ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
12, એપ્રીલ 2026
2079 |
સુરત |
રાજેશ મોરડીયા અને નરેન્દ્ર ચૌધરી અપક્ષનું ખાતુ ખોલાવી શકે છે
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરાયા બાદ ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેયની નેતાગીરીએ તમામ ૩૦ વોર્ડમાં એક બીજાને ફાઇટ આપી શકે તેવા ઉમેદવારોનાં લેખાં-જોખાં કાગળ પર ટપકાવવા માંડ્યા છે. કોંગ્રેસની ગણતરી ખાતું ખોલાવવાની છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને ભાજપને એવો ડર છે કે તેમણે બનાવેલા ગ્રાઉન્ડમાં કમસેકમ બે અપક્ષો ગાબડાં પાડી શકે તેવા ખમતીધર છે. બે અપક્ષોને આમ આદમી પાર્ટી અને ભાજપની નેતાગીરી ગંભીરતાથી લઇ રહી છે.સુરત મહાનગરપાલિકામાં બે ટર્મ પછી કોઇ અપક્ષ ચૂંટાઇ શકે તેવા રાજકીય સમીકરણો સપાટી પર આવ્યાં છે. વોર્ડ નં.૨ અમરોલી, મોટા વરાછા અને કઠોર વોર્ડ કે જ્યાં ગઇ ચૂંટણીમાં ભાજપે ચારેય બેઠકો ગુમાવી દીધી હતી અને એ ચારેય બેઠકો પર આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો વિજેતા બન્યાં હતાં. વિજેતાઓમાં આમ આદમી પાર્ટીનાં રાજેશ મોરડીયાનો સમાવેશ થતો હતો. પરંતુ, મીડટર્મમાં જ વરાછા ફ્લાય ઓવર બ્રિજની નીચે એક કથિત ભ્રષ્ટાચારનાં સ્ટીંગ ઓપરેશનમાં રાજેશ મોરડીયા સપડાયા હતાં અને તેને પગલે પોલીસ કેસ થતાં આમ આદમી પાર્ટીએ તેમને આઉટ કરી દીધાં હતાં. હવે એ જ રાજેશ મોરડીયાએ આ વખતે એ જ વોર્ડમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. જાણકારોનું કહેવું છે કે આ વિસ્તારમાં રાજેશ મોરડીયા ખાસ્સા લોકપ્રિય છે અને ભાજપ અને આપ બંનેનાં સ્ટ્રેટેજી મેકરોને એવો ડર છે કે રાજેશ મોરડીયા જો મેદાનમાં રહ્યા તો અપક્ષ એક સીટ જીતી જાય તેમ છે. એવી જ રીતે વોર્ડ નં.૧૮ લિંબાયત, પરવટ, કુંભારીયા વિસ્તારમાં ભાજપના યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ ગતરોજ પાર્ટીથી છેડો ફાડીને અપક્ષ તરીકે ઉમેદવારી કરી અને તેમની સાથે ગઇકાલે કલેક્ટરેટમાં જે રીતે ઝનૂની કાર્યકરોનું મોટું ટોળું હતું એને જોઇને ઉમેદવારી કરવા આવેલા ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેનાં ઉમેદવારો અને ટેકેદારોનાં ભવાં ચઢી ગયા હતા. જાણકારો કહે છે કે આ વોર્ડમાં નરેન્દ્ર ચૌધરી મતદારો સાથે સીધો સંપર્ક ધરાવે છે અને અત્યાર સુધી એવું જ હતું કે પાર્ટી તેમને ટિકિટ આપશે પરંતુ, પાર્ટીએ તેની અવગણના કરતા છેલ્લા બે જ દિવસમાં સોશિયલ મીડિયા પર વહેતી થયેલી પોસ્ટને કારણે ભાજપ જેને પોતાનો ગઢ માને છે એ લિંબાયત વિસ્તારમાં દાયકા પછી અપક્ષ વિજેતા થાય તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...