આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, જુલાઈ 2026
12276 |
વેચાણ માટે લીધેલા હીરાનું ૭૪.૮૭ લાખ પેમેન્ટ નહીં ચૂકવી કતારગામની કંપની સાથે છેતરપિંડી
આડતથી વેચાણ માટે ૭૪.૮૭ લાખનાં હીરા લઇ ગયા બાદ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપનાર રિદ્ધિ ડાયમંડ તથા રિદ્ધિ સિદ્ધિ ડાયમંડ નામે ધંધો કરતા માંગુકિયા પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી અનુસાર સિંગણપોર ચાર રસ્તા પાસે રાજદીપનગરમાં રહેતા ચિરાગ ડુંગરશીભાઈ સવાણી હીરાનો વેપાર કરે છે. ભાવનગરનાં વલ્લભીપુર તાલુકાનાં વતની ચિરાગ કતારગામ અમરોલી રોડ ઉપર “સી. જેનીલ કુમાર એન્ડ કુ." નામથી વિશાલ સવાણી અને ડાહ્યાભાઇ સવાણી સાથે કુદરતી હિરાનું મેન્યુફેકચરિંગ તેમજ ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનું કામકાજ કરે છે. ચિરાગ પાંચ છ વર્ષ પહેલા ગૌરાંગ લાખાભાઇ માંગુકિયા સાથે હીરા વેચાણનું કામ કરતો હતો. ત્યારબાદ ગૌરાંગ હોંગકોંગ જઇ રિદ્ધિ સિદ્ધિ ડાયંમડ નામથી વેપાર કરવા માંડ્યો હતો. ગૌરાંગ માંગુકિયા એ વોટ્સએપથી ચિરાગ સવાણીનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, મારા પરિવારનાં અરવિંદભાઈ, ઉમંગ તથા કાનજી મુંબઈ અને સુરત મુકામે રિદ્ધિ ડાયમંડ નામથી ધંધો કરે છે. તેઓની જરૂરિયાત અનુસારનો માલ તારી પાસે હોય તો તેમને આપજે. એ માલ હું હોંગકોંગમાં વેચી પેમેન્ટ કરાવી આપીશ. પેમેન્ટની જવાબદારી લેવા સાથે ગૌરાંગે ૩% આડત આપવાની શરત પણ મૂકી હતી. ત્યારબાદ અરવિંદ માંગુકીયાએ ચિરાગને ફેક્ટરીએ મળવા ગયા હતાં. તેમણે કટ એન્ડ પોલીશ્ડ હીરાની ડિમાન્ડ કરી હતી. એ સમયે સવાણી પાસે હતો એ માલ બતાવ્યો હતો. માંગુકિયાએ ૨૪૯.૨૨૦ કેરેટ હીરા પસંદ કર્યા હતા. ૭૪,૮૬,૫૬૮ રૂપિયા કિંમતનાં હીરા ૧૨ ઓગષ્ટ, ૨૦૨૪નાં રોજ અરવિંદને જાંગડ પર અપાયા હતાં. ત્યારબાદ પણ ધણો સમય વીતી જવા છતા અરવિંદે હીરા બાબતે કોઇ જવાબ આપ્યો ન હતો. દરેક કોલમાં અલગ અલગ બાહાના બનાવી તેઓ સમય પસાર કરતાં રહ્યાં હતાં. જેથી સવાણીએ ગૌરાંગનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જેમાં ગૌરાંગે ઉશ્કેરાઇ જઇ મે કે મારા કારાએ આવો કોઇ માલ ખરીદ્યો નથી, કે આડતથી વેચાણ માટે લીધો નથી એમ કહેતાં સવાણી આઘાત પામ્યો હતો. ત્યારબાદ ચિરાગનાં પિતા ડુંગરશીભાઇ તથા મુંબઈ ઓફિસમાં સેલ્સ વિભાગ સંભાળતા રાકેશ કાજાવદરા ૭૪.૮૭ લાખની ઉઘરાણી માટે રિદ્ધિ ડાયમંડ અને રિદ્ધિ સિદ્ધિ ડાયમંડનાં પાર્ટનર કાનજી તથા ઉમંગ પાસે ગયા હતાં. તેઓએ પણ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપી હતી. જેથી ચિરાગ સવાણીએ આખરે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુલાઈ 2026
23067 |
ગીરના સિંહો હવે માણસોનો શિકાર કરી રહ્યા છે? સરકારે હવે તૈયાર કર્યો માસ્ટરપ્લાન!
*ગીર અને ગિરનાર વિસ્તારમાં વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વન વિભાગે સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. આ સમગ્ર મામલે વધુ માહિતી અને તમામ મહત્વના અપડેટ્સ માટે જોડાયેલા રહો લોકસત્તા જનસત્તા સાથે.*
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, જુલાઈ 2026
27225 |
ભાવનગરના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમમાં મોટી તકનીકી ઘટના સામે આવી છે. ડેમના ૧૫ નંબરના ગેટને સંચાલિત કરતો મુખ્ય વાયર (રેસો) તૂટી જતાં ગેટ નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ અનિયંત્રિત રીતે નદીમાં છોડાવા લાગ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.માહિતી અનુસાર, ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે ગેટમાં ખામી સર્જાતા તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. ગેટને થયેલા નુકસાનને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.જિલ્લા પ્રશાસને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ સહિત શિહોર તાલુકાના ભાણગઢ ગામના લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે.વહીવટીતંત્રે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પૂર જાેવા, ફોટા કે સેલ્ફી લેવા માટે નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, જુલાઈ 2026
26334 |
બાળકને ગિરનારની સીડીઓ પરથી સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષ મળ્યા
વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કરી તેને સીડીઓ પરથી જ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. પરિવારજનો અને યાત્રિકોની નજર સામે બનેલી આ ઘટનાએ ભય અને અરેરાટીનો માહોલ સર્જ્યો હતો. બાદમાં વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ કલાકો સુધી શોધખોળ કર્યા બાદ જંગલમાંથી બાળકના અવશેષો કબજે લીધા હતા.છેલ્લા ૨૫ દિવસમાં માણસ પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું સામે આવતા ગિરનાર સહિત સિંહોના રહેણાંક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.પરિવારની આંખો સામે સિંહ બાળકને ખેંચી ગયોમહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. પરિવાર વહેલી સવારે દર્શન માટે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. ગેટથી અંદાજે ૫૦ જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળ ચાલતા બાળક મયુરસિંહ પર ઝંપલાવ્યું હતું.બાળક પોતાના કાકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો, પરંતુ સિંહ હુમલો કરીને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. વન રાજ્યમંત્રી પ્રવીણ માળી : ગિરનારમાં માનવ પર સિંહના હુમલાની પ્રથમ ઘટના ગિરનાર પર્વત પર ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની આ પ્રથમ ઘટના છે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.વનમંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ શંકાસ્પદ સિંહોને બેભાન કરીને પકડી લેવામાં આવ્યા છે.હાલ ત્રણેય સિંહોને વૈજ્ઞાનિક અને પશુચિકિત્સકીય તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.પ્રવીણ માળીએ સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોના વર્તનમાં આવી રહેલા ફેરફારોનું વૈજ્ઞાનિક કારણ જાણવા માટે વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને વિશેષ અભ્યાસ સોંપવામાં આવ્યો છે.સિંહોની પ્રકૃતિમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, માનવ વસાહતો તરફ તેમની અવરજવર શા માટે વધી રહી છે અને હુમલાઓ પાછળના કારણો શું છે, તે મુદ્દાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે..
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, જુલાઈ 2026
20196 |
અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે; ૩ મહિનામાં કામગીરીનો પ્રારંભ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના હાઈવે અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી વધુ નાણાં મેળવવા રાજ્ય સરકારને તાત્કાલિક દરખાસ્ત મોકલવા અનુરોધ કર્યો હતો.અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ-વે હવે ૮ લેન થશે ૯૩ કિલોમીટરના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વેને ચારમાંથી ૮ લેઈનમાં પરિવર્તિત કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડતરીએ મંજૂરી આપી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે ગુજરાતની આ માંગણી પરત્વે ર્નિણય કરીને વર્ષ ૨૦૨૭માં જ વિસ્તરણનું કાર્ય શરૂ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતનું જમીન સંપાદન મોડલ દેશ માટે ઉદાહરણ ડીપીઆર તૈયાર થતી વખતે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનને સરળ બનાવવા બિનખેતી મંજૂરીની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત મોડલની નીતિન ગડકરીએ પ્રશંસા કરી અને તેને સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય ગણાવ્યું. રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને શક્ય હોય ત્યાં સુધી કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરીને અન્યત્ર રોપવાની સૂચના આપવામાં આવી જેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, જુલાઈ 2026
3069 |
નિસરાયાના મામલે હવે ડીડીઓ નિર્ણય કરશે
નિસરાયા ગ્રામ પંચાયત ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. બોરસદ તાલુકાના નિસરાયા ગામના મહિલા સરપંચ સ્મિતાબેન રાજ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ ગામના અરજદાર વિજયકુમાર કે. કાપડિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરાયેલી છ મુદ્દાની અરજી બાદ સમગ્ર મામલે થયેલી તપાસમાં તમામ આક્ષેપો સાચા ઠર્યા હોવાનું તપાસ અહેવાલમાં નોંધાયું હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે મહિલા સરપંચ સામે પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી થશે કે નહીં તે અંગે સૌની નજર જિલ્લા વિકાસ અધિકારીના ર્નિણય પર ટકેલી છે. રિપોર્ટમાં કેટલાંય આરોપો સાબિત થયા અરજી મુજબ મહિલા સરપંચ સ્મિતાબેન રાજ તથા તલાટી-કમ-મંત્રી દ્વારા ગામના વિકાસના નામે કોઈપણ પ્રકારની જરૂરી પૂર્વ મંજૂરી લીધા વિના ગામના મુખ્ય તળાવમાં અંદાજે ૨૦ ગૂંઠા જેટલું પૂરાણ કરવામાં આવ્યું હતું. આ જમીન ઉપર દાતા મહેન્દ્ર પટેલ ઉર્ફે “મેકદાદા”નું સ્ટેચ્યુ તથા અન્ય બાંધકામ ઉભું કરવામાં આવ્યું હોવાનું આક્ષેપમાં જણાવાયું હતું. તપાસ દરમિયાન પણ તળાવ પૂરાણ માટે કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું સામે આવ્યું હોવાનું અહેવાલમાં નોંધાયું છે. આ ઉપરાંત વર્ષો જૂની પ્રાથમિક શાળાની જગ્યા, જે પાછળથી સમગ્ર ગામની વાડી માટે પંચાયત હસ્તક રાખવાના ઠરાવ સાથે સંકળાયેલી હોવાનું જણાવાય છે, ત્યાં આવેલો જૂનો હોલ પણ કોઈપણ ઉચ્ચ અધિકારીની પૂર્વ મંજૂરી વિના તોડી પાડીને તેની જગ્યાએ નવો હોલ બનાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. પંચાયતના નિયમો મુજબ કોઈપણ સરકારી મિલકત પર આવેલ હયાત બાંધકામ તોડતા પહેલાં ઉચ્ચ કક્ષાની મંજૂરી લેવી ફરજિયાત હોય છે. એટલું જ નહીં, જૂના બાંધકામમાંથી નીકળતા કાટમાળની જાહેર હરાજી કરીને તેની આવક પંચાયતના ખાતામાં જમા કરાવવાની હોય છે. પરંતુ અરજી મુજબ આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી નહોતી. તપાસમાં પણ જૂના હોલને તોડવા માટે પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું તેમજ કાટમાળની જાહેર હરાજી ન કરાઈ હોવાનું સામે આવ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જાેકે સમગ્ર ઘટનાક્રમમાં હવે બોરસદ તાલુકા વિકાસ અધિકારી સતીશ પટેલની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. કારણ કે વિસ્તરણ અધિકારીનો સ્પષ્ટ તપાસ અહેવાલ મળ્યા બાદ મહિલા સરપંચ સામે સીધી કાર્યવાહી માટે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ મોકલવાને બદલે તાલુકા વિકાસ અધિકારીએ મહિલા સરપંચને પ્રથમ કારણદર્શક નોટિસ ફટકારી હતી અને સાત દિવસમાં ખુલાસો માંગ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
28, જુલાઈ 2026
3069 |
વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું
વડોદરાની ચર્ચિત માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આગામી ૩૦ જુલાઈના રોજ યોજાનાર આ ચૂંટણી માટે આજે સાંજે ૫ વાગ્યે પ્રચારના પડઘમ શાંત થઈ જશે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પોતપોતાની જીતના દાવા સાથે જોરદાર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભાજપે પોતાના તમામ વોર્ડમાં ધારાસભ્યોની આગેવાનીમાં પદયાત્રાઓ યોજીને વાતાવરણ ગરમ કર્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જુલાઈ 2026
4257 |
૨૪ કલાકમાં ખેડા જિલ્લો જળબંબાકાર
ખેડા જિલ્લામાં સાવર્ત્રિક ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની અતિ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને માતર, મહેમદાવાદ, વસો અને નડિયાદ તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ચારેય તરફ પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન બની જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ૨૪ કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો મહેમદાવાદ તાલુકામાં રેકોર્ડબ્રેક ૨૦ ઇંચ અને માતર તાલુકામાં ૧૮ ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે નડિયાદ શહેરમાં પણ ૧૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આટલા ટૂંક સમયમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ ગંભીર બની ગઈ છે. અતિભારે વરસાદના પરિણામે ખેડા-ધોળકા હાઈવે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત માતર-તારાપુર હાઈવે પર પણ માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વાહનચાલકો અને રાહદારીઓ પોતાના જીવના જાેખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. માર્ગો બંધ થવાના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે. નડિયાદ શહેરની વાત કરીએ તો ૧૫ ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે. નાના કુંભનાથ રોડ, વાણિયાવાડ સર્કલ અને રબારી વાસ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. શહેરના તમામ ચાર ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જતાં નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતો વાહનવ્યવહાર તદ્દન ઠપ્પ થઈ ગયો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. પાણીના નિકાલ માટે પંપિંગ સહિતની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી છે. સતત વરસતા વરસાદના કારણે શરૂઆતમાં નિકાલની પ્રક્રિયા ધીમી પડી હતી, પરંતુ બાદમાં વરસાદનું જાેર ઘટતાં અને વિરામ મળતાં પાણી ધીમે ધીમે ઓસરવાનું શરૂ થયું છે, જેથી તંત્ર અને સ્થાનિકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર સવારે ૮ વાગ્યા સુધીમાં જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.આણંદ શહેરમાં ૮ ઇંચ વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આણંદ પંથકમાં મનમૂકીને વરસાદ વરસતા શ્રીકાર વર્ષા થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થયા હતા.જયારે આણંદ શહેર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી કરી વળતા મનપાની પ્રિમોન્સુન કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.જયારે લોટીયા ભાગોળ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એકનું મોત થયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આણંદ પંથક પર મેધરાજા મનમૂકીને વરસતા શ્રીકાર વર્ષા થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ઉઠ્યા હતા.આણંદ શહેર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાતાં મનપાની પ્રિમોન્સુન કામગીરી પર અંગુલિનિર્દેશ થવા પામ્યાનું જાણવા મળેલ છે.ગતરાત્રીના શહેરના લોટિયા ભાગોળ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એકનું મોત થયાનો બનાવ બન્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જુલાઈ 2026
4752 |
કાર ગરનાળામાં ખાબકતાં અમદાવાદના ૪નાં મોત
ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માતર નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ખેડા-માતર હાઈવે પર મોતીપુરા ગામ પાસે અમદાવાદના લોકોની કાર અનિયંત્રિત થઈ ગરનાળામાં ખાબકી હતી. કારમાં કુલ ૬ લોકો સવાર હતા, જેમાંથી ૪ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ૨ લોકોને જીવતા બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ કાર મોતીપુરા ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. ભારે વરસાદને કારણે ગરનાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. કાર ગરનાળામાં ખાબક્યા બાદ પલટી મારી પાણીના જાેરદાર વહેણમાં તણાઈ ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા લોકો કારમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને પોલીસ તેમજ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. ખેડા નાયબ કલેક્ટર સુરજ બારોટ, માતર મામલતદાર અને ખેડા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે કારમાંથી બે લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોની વિગત: રાજ સંજયભાઈ રાઠોડ - ઉંમર ૨૬, રહે.અમદાવાદ વિરેન્દ્રસિંહ શેખાવત - ઉંમર ૨૬ રહે.મૂળ રાજસ્થાન સીકર, હાલમાં ઝ્ર્સ્ અમદાવાદ મુસ્તકીમ રાજપુત - ઉંમર ૧૯, રહે. રખિયાલ, અમદાવાદ મયુર મહેશભાઈ પંચાલ - ઉંમર ૩૪, રહે. ન્યુ મણીનગર, અમદાવાદ આ ૨ લોકોનો બચાવ થયો હતો જયારે ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગિલ - ઉંમર ૨૮, રહે. હાટકેશ્વર અમરાઈવાડી, અમદાવાદ મુકેશ જીવન ચૌહાણ - ઉંમર ૩૨, રહે. રહે. હાટકેશ્વર અમરાઈવાડી, અમદાવાદ ૪ લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ પાણીના પ્રવાહમાં ફસાયેલા અન્ય લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ ટીમે એક પછી એક મૃતદેહ બહાર કાઢ્યા હતા અને આખરે કુલ ૪ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તીવ્ર વળાંકને કારણે અનિયંત્રિત થઈ પલટીનેપ્રાંત અધિકારી ઘટનાસ્થળે પહોંચેલા ખેડા પ્રાંત અધિકારી સૂરજ બારોટે જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ આ અર્ટિકા કાર એક તીવ્ર વળાંકને કારણે અનિયંત્રિત થઈ પલટીને ગરનાળામાં ખાબકી હતી હતી.કારમાં આગળ જે બે લોકો સવાર હતા એ બહાર નીકળી ગયા, પણ પાછળની સીટમાં બેસેલા લોકો નીકળી ન શક્યા અને તેમનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, જુલાઈ 2026
4653 |
20 દિવસની ભૂખ હડતાળ બાદ સોનમ વાંગચુક હોસ્પિટલમાં કેમ દાખલ થયા? | NEET Protest
છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને શનિવારે વહેલી સવારે તબીબી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને પ્રદર્શનકારીઓ, રાજકીય નેતાઓ અને વિવિધ સંગઠનોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ દરમિયાન અભિજિત દીપકેએ ભૂખ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે, જ્યારે 20 જુલાઈની પ્રસ્તાવિત 'સંસદ કૂચ'ને લઈને પણ ચર્ચા તેજ બની છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, ઓગ્સ્ટ 2026
1881 |
કોરોનાકાળમાં સિવિલમાંથી આરોપી ભાગી જવાના કેસમાં બે પોલીસકર્મીઓ સામે હવે ટ્રાયલ ચાલશે
કોરોના મહામારીના અત્યંત કપરા સમયગાળા દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એક કોરોના પોઝિટિવ આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જવાના ગંભીર કેસમાં હવે કાયદાનો સકંજાે કસાયો છે.આ કેસમાં ફરજ પર તૈનાત બે પોલીસકર્મીઓ સામે હવે અદાલતી ટ્રાયલ ચલાવવામાં આવશે.શહેરની એડિશનલ સેશન્સ કોર્ટે આ બંને પોલીસકર્મીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજીને સખત શબ્દોમાં ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમની બેદરકારીના આરોપોની સત્યતા હવે ટ્રાયલ દરમિયાન રજૂ થનારા પુરાવાના આધારે જ નક્કી થશે. આ ચકચારી કેસની વિગત એવી છે કે, ૨૬ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ કૃષ્ણનગર પોલીસે બળાત્કારના એક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સુનીલ ધીરુભાઈ ભંડેરીની અટકાયત કરી હતી.ધરપકડની પ્રક્રિયા દરમિયાન આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને તત્કાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડની ખાસ કોવિડ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.જાેકે, પોલીસના ચુસ્ત બંદોબસ્તની હાજરી હોવા છતાં, આરોપી સુનીલ હોસ્પિટલમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને પશ્ચિમ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે પહોંચી ગયો હતો.આશ્ચર્યજનક બાબત એ હતી કે ભાગ્યા બાદ આરોપીએ પોતે જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને પોતાનું લોકેશન જણાવ્યું હતું અને એવી કેફિયત રજૂ કરી હતી કે તેને સિવિલ હોસ્પિટલની સારવાર અંગે ચિંતા હોવાથી તે ખાનગી હોસ્પિટલમાં ખસી ગયો છે.આ ઘટના સમયે આરોપીની સુરક્ષા અને દેખરેખ માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશકુમાર જીવાજી અને લોકરક્ષક (એલઆરડી) વનરાજસિંહ વિનુસિંહને કોવિડ હોસ્પિટલની બહાર બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા હતા.આરોપી ગાયબ થઈ જતાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી તેમજ બંને પોલીસકર્મીઓ સામે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, ઓગ્સ્ટ 2026
2079 |
નરોડામાં જૂની અદાવતમાં સગીરના માથામાં કડું મારી લોહીલુહાણ કરી બે શખ્સો ફરાર
શહેરના નરોડા વિસ્તારમાં અગાઉના સ્કૂલના ઝઘડાનું વેર રાખી એક ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની હચમચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે નરોડા પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી વિગતો અનુસાર, નરોડાની કુદરત હાઈટ્સમાં રહેતા મનીષકુમાર પરમારનો પુત્ર જીલ, જે આદિત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે, તેને ગત રવિવારે રાત્રે નિશાન બનાવવામાં આવ્યો હતો. રાત્રે જીલને તેના જૂના મિત્ર દિગ્વિજયસિંહ રાણાએ ફોન કરી નરોડા વેદકુટીર બંગલોઝ પાસે ખુલ્લી જગ્યામાં મળવા બોલાવ્યો હતો. જીલ ત્યાં પહોંચ્યો ત્યારે દિગ્વિજયસિંહ અને તેનો સાથી દેવાંગ અગાઉથી જ ત્યાં હાજર હતા.આરોપીઓએ જીલ પાસે જૂના ઝઘડા બદલ ‘સોરી’ બોલાવવાનો આગ્રહ રાખ્યો હતો. જાેકે, જીલે સોરી બોલવાની સ્પષ્ટ ના પાડતા દેવાંગ ઉશ્કેરાયો હતો અને દિગ્વિજયસિંહને હુમલો કરવા ઉશ્કેર્યો હતો. દિગ્વિજયસિંહે પહેલા જીલને ગડદાપાટુનો માર માર્યો અને ત્યારબાદ આવેશમાં આવી પોતાના હાથમાં પહેરેલું ધાતુનું કડું કાઢી જીલના માથાના પાછળના ભાગે જાેરદાર ફટકારી દીધું હતું. માથામાં ગંભીર ઈજા થતા જીલ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.ઘટના બાદ જીલે તેના મિત્ર પ્રથમ બારોટને ફોન કરી જાણ કરતા તે તાત્કાલિક દોડી આવ્યો હતો, જેને જાેઈ બંને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત સગીરને સારવાર અર્થે પ્રમુખ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ અંગે પિતા મનીષકુમારે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દિગ્વિજયસિંહ રાણા અને દેવાંગ વિરુદ્ધ મ્.દ્ગ.જી.જી. ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨ અને ૩૫૪ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, ઓગ્સ્ટ 2026
2079 |
દરિયાપુરમાં એસએમસીનો મનપસંદ હાઇ પ્રોફાઇલ જિમખાનામાં દરોડો : ૧૮૦ જુગારીયાને ઝડપી પાડયાં
અમદાવાદ શહેરના દરિયાપુરમાં કાર્યરત મનપસંદ જિમખાના ક્લબ ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક વિશાળ સર્ચ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. રવિવારે પાડવામાં આવેલા આ દરોડામાં બિલ્ડિંગના ત્રણેય માળ ઉપરથી અનેક જુગારીઓ જુગાર રમતા રંગેહાથ પકડાઈ ગયા હતા. છેલ્લા એકાદ દિવસથી ચાલતી આ કડક તપાસની ગંભીરતાને લીધે મોડી રાત્રે અધિકારીઓ સ્થળ પર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.હાલમાં ક્લબના પરિસરમાં જ પકડાયેલા તમામ શખ્સોને અટકાયતમાં રાખીને તેમની પૂછપરછ અને વિગતવાર નિવેદનો લેવાની કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે. દરિયાપુરના વાઘજીપુરામાં આવેલી મનપસંદ ક્લબમાં ગઈકાલે બપોરથી ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી. આ રેડ દરમિયાન કલબમાં જુગાર રમતા ૧૮૦થી વધુ જુગારીઓ ઝડપાયા છે. જીમખાનામાં રેડ દરમિયાન ત્રણેય માળ પરના હોલમાં ૩૫થી ૪૦ ટૅબલ પર જુગારીઓ જુગાર રમતા હતા. પોલીસની આ મોટી કાર્યવાહીમાં લાખો રૂપિયાની રોકડ, મોબાઈલ ફોન, જુગારના કોઈન અને વાહનો સહિતનો મસમોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત, ક્લબ બહારથી અનેક લક્ઝરી કાર પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. ક્લબનો મુખ્ય સંચાલક ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ કે જે અગાઉ હાઈકોર્ટના આદેશની આડમાં બચી જતો હતો, . આ જુગારધામમાં એક નિવૃત્ત પોલીસકર્મીની સંડોવણી હોવાની પણ ચર્ચા છે. પકડાયેલા આરોપીઓનો આંકડો ૧૫૦થી ૧૮૦ જેટલો મોટો હોવાથી, રેડ પૂર્ણ થયા બાદ તમામને માત્ર દરિયાપુર જ નહીં પરંતુ જગ્યાના અભાવે આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ખસેડવામાં આવશે. રેડના ૨૦ કલાક બાદ પણ કલબમાં હજુ આરોપીના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, ઓગ્સ્ટ 2026
1782 |
કોંગ્રેસની છાત્રોં કી ગુંજ
નીટ પેપર લીક અને શિક્ષણના વ્યાપારીકરણ વિરુદ્ધમાં અમદાવાદના નહેરૂબ્રિજના છેડેથી સરદાર બાગ સુધી કોંગ્રેસે રેલી યોજી હતી. છાત્રો કી ગુંજ કાર્યક્રમ હેછળ વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ શહેર કોંગ્રેસના નેજા હેઠળ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, ઓગ્સ્ટ 2026
2079 |
ગૃહના ત્રણ દિવસીય સત્રમાં સરકાર મહત્વના સુધારા વિધેયકો રજૂ કરશે
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતના સંવિધાનના અનુચ્છેદ ૧૭૪(૧) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને વિધાનસભાના સત્રનું સત્તાવાર આહ્વાન કર્યું છે. સત્રનો પ્રારંભ ૮ સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨ વાગ્યે ગાંધીનગર સ્થિત વિધાનસભા ગૃહમાં થશે.વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સત્રનું સત્તાવાર આહ્વાન કરવામાં આવ્યું છે. આ વખતનું ચોમાસુ સત્ર ત્રણ દિવસનું રહેશે. સત્ર દરમિયાન સરકાર મહત્વના વિધેયકો રજૂ કરશે તેમ જણાવ્યું હતુ આ વખતે જમીન ટુકડા ધારા સહિતના સુધારા વિધેયકો વિધાનસભામાં રજૂ કરાશે. સરકારના વિધાનકાર્ય ઉપરાંત જનહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે.રાજ્યના વિકાસ અને વહીવટી કામગીરી સંબંધિત મુદ્દાઓ પણ સત્રમાં ચર્ચાનો વિષય બનશે. ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખીને વિધાનસભાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આગમી સમયમાં આવશે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, ઓગ્સ્ટ 2026
1881 |
વલસાડનાં નાનાપોંઢામાં રૂ. ૪૫.૪૯ લાખનાં ખર્ચે બનેલો નવો માર્ગ ધસી પડ્યો
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં કરોડોના સરકારી ખર્ચે તૈયાર થતા વિકાસકામોની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. તાલુકાના મોટાપોંઢા હટીમાળ ફળિયાથી ઓઝર લુહાર ફળિયાને જોડતો રૂ. ૪૫.૪૯ લાખના ખર્ચે નવો બનેલો માર્ગ તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયો છે. માર્ગની બાજુમાંથી પસાર થતા નાળામાં પાણીના તીવ્ર પ્રવાહને કારણે ધોવાણ થતાં રસ્તાનો એક મોટો ભાગ ધસી પડ્યો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોમાં ભારે રોષ અને અસંતોષ વ્યાપ્યો છે.આ માર્ગનું નિર્માણ કાર્ય ૧૧ માર્ચ, ૨૦૨૪ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને તેને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન હતું. સુરતની જી.એમ. રાણપરિયા એજન્સી દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી અને સમગ્ર પ્રોજેક્ટનું સુપરવિઝન પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ, વલસાડના કાર્યપાલક ઇજનેરની દેખરેખ હેઠળ થયું હતું. પરંતુ ચોમાસાના પ્રથમ તબક્કામાં જ રસ્તાનું ધોવાણ થઈ જતાં કામગીરીની ગુણવત્તા અને સુપરવિઝન સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. મોટાપોંઢા હટીમાળ ફળિયા અને ઓઝર લુહાર ફળિયા વચ્ચેનો આ માર્ગ સ્થાનિકો માટે જીવાદોરી સમાન છે. આ માર્ગનો ઉપયોગ રોજિંદા કામ અર્થે જતા વિદ્યાર્થીઓ શાળા-કોલેજ જવા માટે જોખમી રીતે પસાર થવા મજબૂર છે અને ખેડૂતો અને મજૂરો પોતાના ખેતઉત્પાદનો અને રોજીરોટી માટે આ જ રસ્તા પર ર્નિભર છે, જ્યારે વાહનચાલકો ધસી પડેલા ભાગને કારણે અકસ્માતનો સતત ભયનાં માહોલમાં છે. હાલમાં ગ્રામજનોએ અત્યંત સાવચેતીપૂર્વક અને જીવના જોખમે આ ક્ષતિગ્રસ્ત માર્ગ પરથી પસાર થવું પડી રહ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, માર્ગ તૂટી જવાની અને નાળાના ધોવાણ અંગેની ગંભીર સ્થિતિની જાણ સંબંધિત માર્ગ અને મકાન વિભાગને ટેલિફોનિક માધ્યમથી અનેક વખત કરવામાં આવી છે. તેમ છતાં, અત્યાર સુધી તંત્રનો એક પણ જવાબદાર અધિકારી કે કર્મચારી સ્થળ તપાસ માટે પહોંચ્યો નથી કે સમારકામની કોઈ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટના અંગે જાગૃત નાગરિકો અને આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરો લતેશભાઈ અને વસંતભાઈએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે ચોમાસાની રુતુ હજુ ચાલુ હોય, જો તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન વોલ કે રક્ષણાત્મક કામગીરી કરવામાં નહીં આવે તો સમગ્ર રસ્તો નાળામાં લીન થઈ જશે અને આંતરિક વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જશે. સ્થાનિકોએ માંગણીઓ કરી છે કે સંબંધિત અધિકારીઓ તુરંત સ્થળ પર આવી પરિસ્થિતિની સમીક્ષા કરી ક્ષતિગ્રસ્ત ભાગનું તાત્કાલિક રીપેરીંગ કરી નાળાની બાજુમાં કાયમી રક્ષણાત્મક દીવાલ બનાવવામાં આવે અને નબળી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને બેદરકાર અધિકારીઓ સામે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરી ગ્રામજનો માટે ભયમુક્ત અને સુગમ વાહનવ્યવહાર પુન: શરૂ કરવામાં આવે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, ઓગ્સ્ટ 2026
2178 |
બાકી બિલો મુદ્દે નવસારી અને જલાલપોર તાલુકાની આંગણવાડીમાં બાળકોને નાસ્તો આપવાનું બંધ કરાયું
નવસારી જિલ્લામાં આંગણવાડીના બાળકોને અપાતા ગરમ નાસ્તાનાં બિલ છેલ્લાં ૯ મહિનાથી નહીં ચુકવાતા આંગણવાડી વર્કરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આંગણવાડી વર્કર્સે આજરોજ નવસારી અને જલાલપોર તાલુકાના આંગણવાડીઓમાં બાળકોને અપાતો ગરમ નાસ્તો અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી તંત્ર સામે રણશિંગુ ફૂંક્યું છે. મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લામાં હાલ ૧૩૩૦ જેટલી આંગણવાડીઓ આવેલી છે. જે પૈકી નવસારી અને જલાલપોર તાલુકામાં ૩૬૪ આંગણવાડીઓ આવેલી છે. આ આંગણવાડીનાં બાળકોને અપાતા ગરમ નાસ્તાનું બિલ છેલ્લાં ૯ મહિનાથી ન ચુકવાતા આંગણવાડી વર્કરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે તેમણે તંત્રને વારંવાર લેખિત ફરિયાદો પણ કરી છે, તેમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન કરાતા આખરે તેમણે તંત્ર સામે બાંયો ચડાવી છે. આજરોજ નવસારી અને જલાલપોર તાલુકાની ૩૬૪ આંગણવાડીઓની બહેનોએ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ અચોક્કસ મુદ્દત સુધી આંગણવાડીના બાળકોને અપાતો ગરમ નાસ્તો બંધ કર્યો છે. આ સાથે જ, તેમણે જ્યાં સુધી ગરમ નાસ્તાના બાકી નાણાંની રકમ ખાતામાં જમા ન થાય ત્યાં સુધી બાળકોને ન બોલાવવાનો ર્નિણય કર્યો છે.આ અંગે કર્મચારીઓનું કહેવું છે કે, છેલ્લાં ૯ મહિનાથી એટલે કે ગત નવેમ્બર-૨૦૨૫થી આંગણવાડીમાં અપાતા ગરમ નાસ્તાના બિલો પેન્ડિંગ છે. છેલ્લાં ૯ મહિનાથી આંગણવાડી વર્કરો પોતાના ખર્ચે, વેપારીઓ પાસેથી ઉધાર સામગ્રી ખરીદીને બાળકોને ગરમ નાસ્તો આપી રહી હતી. આ અંગે બે મહિનાથી લેખિત રજૂઆતો પણ કરવામાં આવી હતી. છતાં આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ યોગ્ય પગલાં ન લેવાતાં અને બાકી બિલો ન ચુકવાતા આંગણવાડી વર્કરોની આર્થિક હાલત કફોડી બની છે. આથી, આજે નવસારી અને જલાલપોર તાલુકાની આંગણવાડીઓની બહેનોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યાં છે. અને આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અને કાલથી ચીખલી, વાંસદા, ખેરગામ અને ગણદેવી તાલુકાની આંગણવાડીઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. જ્યાં સુધી સરકાર કે વહિવટી તંત્ર દ્વારા બાકી બિલોની ચુકવણી કરવામાં ન આવે ત્યાં સુધી આંગણવાડીઓમાં નાસ્તાની સેવા પૂર્વવત્ નહીં થાય, અને ત્યાં સુધી બાળકોને પણ નહીં બોલાવાય તેવી ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, ઓગ્સ્ટ 2026
2574 |
આડા સંબંધ રાખતી પત્ની અને સાસુ-સસરાનાં ત્રાસથી કંટાળીને ડિંડોલીનાં યુવકે ફાંસો ખાધો
લગ્નેતર સંબંધ રાખવા અંગે ટોકવામાં આવતાં બાળકીને લઇ પિયર જતી રહેલી પત્ની અને સાસુ સસરાનાં ત્રાસથી કંટાળી ડિંડોલીનાં યુવકે આપઘાત કરી લીધો હતો.ડિંડોલી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સણીયા કણદેની નીલકંઠ પાર્ક સોસાયટીમાં ગીતા વિશ્વાસ કોળી તેમની બહેન સાથે રહે છે. ગીતાબેનના દીકરા બલિરામના લગ્ન ૨૦૨૩માં કવિતા શિવરામ કોળી સાથે કરાવાયા હતાં. લગ્નનાં થોડા દિવસ બાદ કવિતાને નણંદનાં ઘરે રહેવાનું ફાવતું નથી, અલગ રૂમ રાખો એમ કહી લડાઇ ઝઘડો કરવા માંડ્યો હતો. કાપડની દુકાનમાં નોકરી કરતાં બલિરામે સગવડ થતાં રૂમ લઈશું એવું સજાવવા છતાં અલગ રહેવાની જીદ સાથે કવિતા જુન ૨૦૨૫માં પિયર જતી રહી હતી. બલિરામ પત્ની કવિતાને તેડવા સાસરે જતો પરંતુ તેણીનાં માતા-પિતા પણ અલગ રૂમ લેશો ત્યારે જ મોકલીશું એમ કહી તેને રવાના કરી દેતા હતાં. આ દરમિયાન કવિતાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. દીકરીનાં જન્મ બાદ પણ કવિતાએ અલગ રહેવાની જીદ પકડી રાખતાં બલિરામે નાછૂટકે શ્રીહરિ રેસિડેન્સીમાં ભાડેથી રૂમ રાખ્યો હતો. આ રૂમમાં તે પત્ની કવિતા અને માતા સાથે રહેવા માંડ્યો હતો.થોડા સમયમાં જ કવિતાએ આ જ સોસાયટીમાં રહેતા યોગેશ નામના યુવક સાથે લગ્નેતર સંબંધ રાખ્યા હતાં. આ વાતની જાણ થતાં બલિરામ કવિતાને પૂછ્યું તો તેણીએ ઝઘડો કર્યો અને ફરી પિયર જતી રહી હતી. પત્ની સાથે માસૂમ બાળકી પણ હોવાથી બલિરામ તેણીને મનાવી પરત લઇ આવ્યો હતો. જો કે આટલી માથાકૂટ પછી પણ કવિતાએ યોગેશ સાથેની છાનગપતિયા ચાલુ રાખ્યા હતાં. આડા સંબંધ મુદ્દે બલિરામ કંઇપણ કહે એટલે કવિતા દીકરીને લઇ પિયર જતી રહેતી હતી. કવિતાનાં માતા-પિતા પણ તેણીનું ઉપરાણું લઇ તમે ખોટો શક-વહેમ રાખો છો એમ કહી બલિરામને ધમકાવતાં હતાં.બીજી જુને યોગેશ સાથેનાં પ્રેમ સંબંધ મુદ્દે કવિતા ફરી પિયર ચાલી ગઈ હતી. બલિરામ તેડવા ગયો તે સાસુ સસરાએ તુ કવિતાને છૂટાછેડા આપી દે એમ કહી હાંકી કાઢ્યો હતો. પત્નીના લગ્નેતર સંબંધ અને તેણીનું ઉપરાણું લઇ ધમકાવતાં સાસુ સસરાથી કંટાળી બલિરામે ૧૭મી જુને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મરતા પહેલા તેણે આ કરવાનું કારણ મારી સાસરીવાળા અને મારી પત્ની છે. આ લોકોએ મારી છોકરીને મારી પાસેથી દુર કરી દીધી એ પ્રકારની ચિઠ્ઠી લખી હતી. બલિરામના અંતિમ સંસ્કાર અને વિધિ આટોપ્યા બાદ તેની માતા ગીતાબેન કોળીએ વહુ કવિતા તથા વેવાઇ શિવરામ નારાયણ કોળી અને વેવાણ ર્નિમલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
03, ઓગ્સ્ટ 2026
2178 |
નાસિરનગરમાં બાકીનાં મકાનોનાં ડીમોલિશનનો મહાનગર પાલિકાનો હાલમાં કોઇ ઇરાદો નથી
દુધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે તેવી નીતિ સુરત મહાનગર પાલિકાએ નાસિરનગરનાં કિસ્સામાં અપનાવી છે. નાસિરનગરમાં બિલ્ડરનાં લાભાર્થે સ્પોન્સર્ડ ગેરકાયદે ડીમોલિશન કર્યા બાદ હાઇકોર્ટની ફટકારથી સ્તબ્ધ બનેલાં મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ હાલ નાસિરનગરમાં કોઇ જ ડીમોલિશન કરવાનો ઇરાદો નહીં હોવાની બાંયધરી હાઇકોર્ટને આપીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાય છે. નાસિરનગરમાં જેમનાં મકાનો ઓપરેશન ડીમોલિશનમાં બચી ગયા હતાં તે રહિશો તરફે હાઇકોર્ટમાં થયેલી પીટિશન સંદર્ભે સુરત મહાનગર પાલિકાએ હાઇકોર્ટને આજે બાંયધરી આપતાં હાઇકોર્ટે મહાનગર પાલિકાને જરૂરી સુચના આપીને કેસનો નિકાલ કર્યો હતો.છેલ્લા ચાર દાયકા કરતાં પણ વધારે સમયથી નાસિરનગરમાં રહેતાં લોકોનાં ઘરો તોડી નાંખી ચોમાસા પહેલાં જ બેઘર કરવાની વિવાદાસ્પદ કાર્યવાહી મ્યુનિસિપલ કમિશનર અને તેમની ટીમે કરી હતી. રહિશોને નોટિસ આપવા કે અન્ય કોઇ કાયદાકીય કાર્યવાહી અનુસર્યા સિવાય અને કોઇ હુકમ વિના ગેરકાયદે ડીમોલિશન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને કોઇ અદ્રશ્ય વ્યક્તિનાં ઇશારે કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિને સમગ્ર ઓપરેશનની જવાબદારી સોંપી હતી અને સુજલ પ્રજાપતિએ નાસિરનગરનાં સંખ્યાબંધ મકાનો તોડી પાડ્યાં હતાં. જે લોકોનાં મકાનો બચી ગયાં હતાં તેમને પણ પોતાના ઘર તૂટી જવાની આશંકા હતી જેથી શેખ હુસેન અઝીઝે ધારાશાસ્ત્રી ઝમીર શેખ મારફતે હાઇકોર્ટમાં પીટિશન કરી હતી. નાસિરનગરમાં જેમનાં મકાનો તૂટી ગયાં છે તેમની આસપાસમાં જ મકાનો હોવાથી મહાનગર પાલિકા દ્વારા બાકી બચેલાં મકાનો તોડી પાડવામાં આવે નહીં તે માટે હાઇકોર્ટમાં પીટિશન કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં આજે સુનાવણી વખતે સુરત મહાનગર પાલિકા તરફે એડવોકેટ અનુજ ત્રિવેદીએ હાઇકોર્ટને બાંયધરી આપતાં કહ્યું હતું કે, નાસિરનગરમાં હાલમાં કોઇ પણ પ્રકારની ડીમોલિશનની કાર્યવાહી કરવાનો મહાનગર પાલિકાનો ઇરાદો નથી અને જાે ભવિષ્યમાં તેવી કોઇ જરૂરિયાત ઉભી થશે તો કાયદેસરની કાનુની કાર્યવાહી કરીને જ આગળ વધશે એટલે કે પીટિશનરને જરૂરી નોટિસ આપવા સહિતની કાનુની કાર્યવાહી કરવામાં આવશે. મહાનગર પાલિકા તરફથી બાંયધરી મળી હોવાથી હવે આ કેસમાં કંઇ કરવાનું રહેતું નથી તેમ કહીને હાઇકોર્ટનાં જસ્ટિસ નિખિલ કેરિયલે સુરત મહાનગર પાલિકાને સ્પષ્ટપણે સુચના આપી હતી કે, ભવિષ્યમાં જાે ડીમોલિશન જેવાં પગલાં લેવાનો ઇરાદો થાય તો નોટિસ સહિતનાં કાનુની પગલાં લેવા અને ત્યારબાદ જ કાર્યવાહી કરવી. મનપાએ બાંયધરી આપવા છતાં હાઇકોર્ટે નોટિસ સહિતની કાનુની કાર્યવાહીનો આગ્રહ સેવ્યો હતો. પીટિશનરનાં એડવોકેટ ઝમીર શેખે જણાવ્યું હતું કે, નાસિરનગરમાં હાલ ડીમોલિશન કરવાનો કોઇ ઇરાદો નહીં હોવાની ખાતરી સુરત મહાનગર પાલિકાએ આપી છે અને આ તબક્કે એટલું પણ કહેવાનું કે, શેખ હુસેન અઝીઝ અને અન્ય લોકોનાં મકાનોનું ડીમોલિશન નથી થયું તે તમામ મકાનો મહાનગર પાલિકાની જમીન ઉપર નથી બંધાયા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
02, ઓગ્સ્ટ 2026
2178 |
હાડપિંજર જેવા ભાઠેના ઓવરબ્રિજ પર સળિયા બહાર આવ્યા પરંતુ રિપેરિંગના નામે મીંડું
સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનાં ખર્ચે રસ્તાઓ અને ઓવરબ્રિજ બનાવવામાં આવે છે પરંતુ ભ્રષ્ટ શાસકો અને પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના કારણે ઈજારદારો દ્વારા કામમાં હંમેશા વેઠ ઉતારવામાં આવે છે. જેના કારણે રસ્તાઓ હોય કે ઓવરબ્રિજ માત્ર ગણતરીના સમયમાં જ મોટા ખાડા પડી જાય છે. હાડપિંજર જેવો બની ગયેલો ભાઠેના ઓવરબ્રિજ ભ્રષ્ટ શાસકો અને પાલિકાનાં ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારી બોલતો પુરાવો સાબિત થાય છે. હાલમાં ઓવરબ્રિજની બંને તરફના રસ્તા પર ખાડા પડવા સાથે લોખંડનાં સળિયા બહાર નીકળી ગયા છે જેના કારણે ગંભીર અકસ્માત થવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે પરંતુ તંત્રને જાણે ગંભીર અકસ્માતની રાહ જોતું હોય તેમ આંખ પર પાટા બાંધી ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહી છે.સુરત મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવે છે. જોકે આ બ્રિજ બની ગયા બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કે ભાજપ શાસકો પૂરતું ધ્યાન આપતા નથી. દર વર્ષે સુરત શહેરમાં રસ્તાઓ બનાવવા પાછળ તથા કાર્પેટ અને રિકર્પેટ પાછળ પણ પાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ વરસાદનું એક ઝાપટું આવે એટલે ફરીથી પરિસ્થિતિ ત્યાંની ત્યાં આવીને ઊભી રહે છે. જે ભાજપ શાસકો અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પાડે છે. ગત વર્ષે પણ શહેરમાં અનેક રસ્તાઓનું ધોવાણ થયા બાદ માત્ર ઇજારદારો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે પણ શહેરમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું છે અને મોટા ખાડા પડી ગયા છે તેમ છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરી ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહી છે. બ્રિજની તસવીરો ભાજપ શાસકો અને સુરત મહાનગરપાલિકાનાં અધિકારીઓનાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે. ૨૪ કલાક સતત વાહનોથી ધમધમતા ભાઠેના ઓવરબ્રિજ પર બંને તરફનાં રસ્તા પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે એટલું જ નહીં પરંતુ લોખંડનાં સળિયા પણ બહાર આવી ગયા છે અને ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...