આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, જુન 2026
3564 |
પાંચ બુકાનીધારી શખ્સોએ વૃદ્ધને બંધક બનાવી રોકડ, દાગીનાની લૂંટ ચલાવી
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં કરોડો રૂપિયાની લૂંટની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મોડી રાત્રે અજાણ્યા બુકાનીધારીઓએ એક વૃદ્ધને બંધક બનાવી કરોડો રૂપિયાની રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે લગભગ એક વાગ્યાના સમયે ફિલ્મી ઢબે કરોડો રૂપિયાની લૂંટની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ પાંચથી વધુ બુકાનીધારીઓએ જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી તેમના રહેઠાણમાં ત્રાટકી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ અંદાજે ૨ કરોડ ૪૭ લાખ રૂપિયાની રોકડ તેમજ ૫થી વધુ તોલા સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે. જીતેન્દ્રસિંહ જાડેજા ખેતી, પેટ્રોલ પંપ અને પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી રહી છે કે તેમની પાસે જમીન વેચાણના રૂપિયા રાખેલા હતા, તેની જાણ હાવાથી કોણ જાણ ભેદુએ તેને નિશાન બનાવી લૂંટને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્યના એસપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે અલગ-અલગ ટીમોની રચના કરીને લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ આસપાસના વિસ્તારના ફૂટેજના આધારે તપાસ આગળ વધારી રહી છે અને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. શાપર-વેરાવળમાં બનેલી આ કરોડોની લૂંટની ઘટનામાં પોલીસને ઝ્રઝ્ર્ફ સહિતના મહત્વના પુરાવા મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે જાેવાનું રહેશે કે પોલીસ આરોપીઓને કેટલા સમયમાં ઝડપી પાડવામાં અને મુદ્દામાલને રિકવર કરાવવામાં સફળ થાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુન 2026
1683 |
૬ મેડિકલ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરાયા
ભાવનગરની સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગ કેસમાં એન્ટી રેગિંગ કમિટીએ કડક કાર્યવાહી કરતાં ૬ વિદ્યાર્થીઓને દોષિત જાહેર કર્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ૬ મહિનાથી લઈને ૨ વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક તેમજ હોસ્પિટલની પ્રવૃત્તિઓથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. કોલેજ તંત્ર દ્વારા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ મામલે મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહે જણાવ્યું કે, એન્ટી રેગિંગ કમિટીની બેઠક લગભગ સાડા આઠ કલાક સુધી ચાલી હતી. બેઠક દરમિયાન પીડિત વિદ્યાર્થીઓ, આરોપી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફના નિવેદનો લેવામાં આવ્યા હતા. બંને પક્ષને પોતાની રજૂઆત માટે ત્રણ વખત તક આપવામાં આવી હતી જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ સામે અન્યાય ન થાય.તપાસ દરમિયાન પ્રાપ્ત થયેલા નિવેદનો અને દસ્તાવેજી પુરાવાના આધારે કમિટીએ ૬ વિદ્યાર્થીઓને રેગિંગ માટે જવાબદાર ઠેરવ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીને ૨ વર્ષ, ત્રણ વિદ્યાર્થીઓને ૧ વર્ષ અને બે વિદ્યાર્થીઓને ૬ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન દરમિયાન તેઓ કોઈ શૈક્ષણિક, ક્લિનિકલ અથવા હોસ્પિટલ સંબંધિત પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના ૧૩ જુનિયર વિદ્યાર્થીઓએ ૬ સિનિયર વિદ્યાર્થીઓ સામે લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસેથી પૈસા પડાવતા હતા, તેમને મુર્ગા બનાવતા હતા અને વિવિધ પ્રકારનો માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. પીડિત વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા લાંબા સમય સુધી અમાનવીય વર્તન કરવામાં આવતું હતું. જેમાં પૈસાની માંગણી, દારૂની બોટલો મંગાવવી, જમવા અને આરામનો સમય ન આપવો, કલાકો સુધી ઉભા રાખવા અને અન્ય પ્રકારની કઠોર સજાઓ આપવાનો સમાવેશ થતો હતો. આ ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીઓએ અંતે કોલેજ તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ભાવનગર મેડિકલ કોલેજમાં અગાઉ પણ રેગિંગના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. માર્ચ ૨૦૨૫માં પણ કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ સામે જુનિયર વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને ધમકી આપવાના આરોપો લાગ્યા હતા. ઉપરાંત વર્ષ ૨૦૨૩માં પણ એક રેસિડેન્ટ ડોક્ટર સામે જુનિયર વિદ્યાર્થીના શોષણનો ગંભીર કેસ નોંધાયો હતો. તાજેતરમાં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં પણ રેગિંગનો મામલો સામે આવ્યો હતો, જેમાં ત્રણ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓને પગલે રાજ્યની મેડિકલ કોલેજાેમાં એન્ટી રેગિંગ નિયમોના કડક અમલની માંગ ઉઠી રહી છે.ભાવનગરના આ કેસમાં હવે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે અને દોષિત વિદ્યાર્થીઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુન 2026
3564 |
ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી રૂપિયા ૧.૧૧ કરોડનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો સીઝ
રાજકોટના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ ગોંડલની મે. સત્યમ મસાલા, ભીમવાડી ખાતે દરોડા પાડી ૧,૧૧,૦૪,૨૦૫ રૂપિયાનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો સીઝ કર્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે ચકાસણી અભિયાન હાથ ધરાયું છે.તપાસ દરમિયાન પેઢીમાંથી કુલ ચાર પ્રકારના ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમાં ધાણા પાઉડર અને કોર્ન પાઉડરના કુલ ૬,૭૬૬ કિલોગ્રામ જથ્થો, જેની કિંમત ૮,૨૨,૬૨૦ રૂપિયા થાય છે, સીઝ કરવામાં આવ્યો.આ ઉપરાંત મરચું પાઉડર અને હળદર પાઉડરના કુલ ૨૮,૬૭૧ કિલોગ્રામ જથ્થો, જેની કિંમત ૧,૦૨,૮૧,૫૮૫ રૂપિયા થાય છે, પણ સીઝ કરવામાં આવ્યો. આ રીતે કુલ ૩૫,૫૨૭ કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો, જેની અંદાજિત કિંમત ૧,૧૧,૦૪,૨૦૫ રૂપિયા થાય છે, સીઝ કરવામાં આવ્યા છે. તમામ નમૂનાઓ ગુણવત્તા ચકાસણી માટે માન્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. પ્રયોગશાળાના અહેવાલના આધારે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું, રાજ્ય સરકાર જન આરોગ્ય સાથે સંકળાયેલા મુદ્દાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્યને જાેખમમાં મૂકતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જન આરોગ્યના હિતમાં આવા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ચકાસણી અભિયાનને વધુ સઘન બનાવવામાં આવી રહ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુન 2026
3069 |
રાજ્યમાં ચોમાસા પહેલાં જ દેમાર વરસાદ
ગુજરાતથી ચોમાસું તો હજી દૂર છે. ત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ ૧૪૭ મિલીમીટર (૫.૭૯ ઈંચ) વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું હતું. નોંધનીય છે કે, ગુજરાતમાં ૨૪ કલાકમાં ૬૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ગરમીથી મોટી રાહત મળી છે. મળતા આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૫.૭૯ ઇંચ વરસાદ નોંધાયો હતો. બાલાસિનોર બાદ અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. અરવલ્લીના ભિલોડામાં ૭૫ મીમી (૨.૯૫ ઈંચ) અને ધનસુરામાં ૬૬ મીમી (૨.૬૦ ઈંચ) વરસાદ નોંધાયો છે. સાથંબા અને બાયડમાં પણ ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણાના સતલાસણા તાલુકામાં ૭૩ મીમી (૨.૮૭ ઈંચ) અને ખેરાલુમાં ૨૦ મીમી વરસાદ પડ્યો છે.મધ્ય ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લાના અનેક તાલુકાઓમાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના ગળતેશ્વરમાં ૫૭ મીમી (૨.૨૪ ઈંચ) અને કપડવંજમાં ૫૫ મીમી (૨.૧૭ ઈંચ) વરસાદ વરસ્યો છે. કઠલાલ, નડિયાદ અને મહુધામાં પણ અડધાથી ૧ ઈંચ વરસાદ રહ્યો છે. દેસર તાલુકામાં ૫૩ મીમી (૨.૦૯ ઈંચ) વરસાદ નોંધાયો છે.પંચમહાલના ઘોઘંબામાં ૫૨ મીમી (૨.૦૫ ઈંચ) અને જાંબુઘોડામાં ૫૧ મીમી (૨.૦૧ ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે ગોધરામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે છોટાઉદેપુરના કદવાલમાં ૪૯ મીમી (૧.૯૩ ઈંચ) વરસાદ સાથે નોંધપાત્ર ભીનાશ જાેવા મળી છે. બનાસકાંઠાના પાલનપુરમાં ૨૩ મીમી (૦.૯૧ ઈંચ), દાંતામાં ૮ મીમી અને અમીરગઢમાં ૭ મીમી વરસાદ થયો છે. આણંદ અને દાહોદના ઉમરેઠમાં ૧૯ મીમી અને દેવગઢબારિયામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં આગાહી ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલા જ બુધવાર રાતથી જ વરસાદનું જાેરદાર આગમન થયું છે. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ છવાશે તેમ જણાવ્યું છે. રાજ્યમાં ચોમાસું તો હજી દૂર છે પરંતુ તે પહેલાના પ્રિમોન્સૂન વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગુજરાતમાં ૧૮મી જૂન અને ૧૯મી જૂને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી જાેઈએ. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, ૧૯મી જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કે, કચ્છ, પાટણ, દ્વારકા, પોરબંદરમાં જ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૧૯મી જૂનના રોજ એટલે કે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુન 2026
3861 |
ભાવનગર મેડિકલ કોલેજમાં ૧૩ વિદ્યાર્થીઓ સાથે રેગીંગની ફરિયાદ
ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી રેગીંગની ઘટના સામે આવી છે, જેના પગલે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લીધા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સંબંધિત સત્તાધિકારીઓને સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ માટે સૂચના આપી છે.આ ઘટનામાં ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના ૬ વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના ૧૩ વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરી હોવાના આક્ષેપો નોંધાયા છે. રાજ્ય સરકારે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરાવી છે.મેડિકલ કોલેજના ડીન અને એન્ટી-રેગીંગ કમિટીને સમગ્ર હકીકતની વિગતો સરકાર સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓની સુરક્ષા, માન-મર્યાદા અને શૈક્ષણિક હિતોના રક્ષણ માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં ભયમુક્ત, સુરક્ષિત અને સંસ્કારપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે રેગીંગ જેવી અમાનવીય, અસંવેદનશીલ અને અસ્વીકાર્ય પ્રવૃત્તિઓ માટે રાજ્યમાં કોઈ સ્થાન નથી. તપાસમાં જે કોઈ દોષિત જણાશે તેમની સામે કાયદાકીય જાેગવાઈઓ મુજબ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રેગીંગ જેવી પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે. તાત્કાલિક તપાસના આદેશ બાદ મેડિકલ કોલેજના પ્રશાસન અને એન્ટી-રેગીંગ કમિટીએ કાર્યવાહી શરૂ કરી છે. વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓને દાબી ન શકાય અને દરેક ફરિયાદની તથ્યાધારિત તપાસ કરાશે તેવો સરકારનો દૃઢ નિર્ધાર છે. હાલમાં તપાસ ચાલી રહી છે અને તપાસનો વિગતવાર અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરાશે. રાજ્ય સરકાર દ્વારા દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે.વિદ્યાર્થીઓ રેગીંગ જેવા દૂષણથી દૂર રહે તે જરૂરી: આરોગ્ય મંત્રી અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને પગલે ઓર્થોપેડિક વિભાગના ત્રણ વિદ્યાર્થીઓને ૬ મહિનાથી ૧ વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું છે. એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ આ પગલાં લેવામાં આવ્યા છે.આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રેગિંગની ફરિયાદને સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ જાળવવાનો અમારો સંકલ્પ છે પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓએ રેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જાેઈએ.એન્ટી રેગિંગ કમિટીએ સમગ્ર મામલે વિગતવાર તપાસ કરી હતી. તપાસના આધારે ઓર્થોપેડિક વિભાગના ત્રણ વિદ્યાર્થીઓ સામે ૬ મહિનાથી ૧ વર્ષ સુધીની સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવશે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુન 2026
1683 |
દોષિત જાહેર થયેલા આપના ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થવાની શક્યતા વધી ગઇ
નર્મદા સેશન કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને આપવામાં આવેલી સજાનો ઓર્ડર ગુજરાત વિધાનસભા સુધી પહોંચ્યો છે. કોર્ટના આદેશના આધારે હવે તેમના ધારાસભ્ય પદ અંગે ર્નિણય પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે. આ સાથે લીગલ ડીપાર્ટમેન્ટ દ્વારા પણ વિધાનસભાને સંબંધિત દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ કોર્ટના ઓર્ડર અને લીગલ ડીપાર્ટમેન્ટની દરખાસ્તના આધારે વિધાનસભા દ્વારા કાયદાકીય જાેગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર મામલાનું કાયદાકીય રીતે નિરીક્ષણ કર્યા બાદ યોગ્ય ર્નિણય લેવામાં આવી શકે છે.જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ કોઈ પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિને બે વર્ષ કે તેથી વધુ સમયની સજા ફટકારવામાં આવે તો તેની સભ્યતા રદ થવાની જાેગવાઈ છે. ચૈતર વસાવાના કેસમાં પણ આ જાેગવાઈ લાગુ પડી શકે છે જેના કારણે તેમના ધારાસભ્ય પદ અંગેનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.વિધાનસભા સમક્ષ કોર્ટનો ઓર્ડર અને લીગલ ડીપાર્ટમેન્ટની દરખાસ્ત રજૂ થયા બાદ હવે સંબંધિત કાયદાકીય પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ચૈતર વસાવાના ધારાસભ્ય પદ અંગે અંતિમ ર્નિણય લેવામાં આવશે.હાલ સમગ્ર મામલે રાજકીય અને કાયદાકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. વિધાનસભા દ્વારા લેવામાં આવનારા ર્નિણય પર સૌની નજર મંડાઈ છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જુન 2026
1683 |
લખનૌ અગ્નિકાંડ બાદ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં
લખનૌ અગ્નિકાંડ બાદ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાંફાયર બ્રિગેડે શહેરમાં ચેકિંગ માટે બનાવી ૭ વિશેષ ટીમોટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલો અને સ્કૂલોમાં કરાયું ચેકિંગનિયમિત ચેકિંગ કરવા ચીફ ફાયર ઓફિસરની કડક સૂચના
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, જુન 2026
2574 |
ગુજરાતમાં ચોમાસાની તારીખ જાહેર! 23 જૂનથી ધોધમાર વરસાદ? કયા જિલ્લાઓ થશે તરબોળ | IMD Update
ગુજરાતમાં ચોમાસાની આતુરતાનો હવે ટૂંક સમયમાં અંત આવી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના લેટેસ્ટ બુલેટિન મુજબ, 22થી 24 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મહારાષ્ટ્રમાં ચોમાસાની આગેકૂચ બાદ આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસાના સત્તાવાર આગમનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, જુન 2026
2871 |
ખેડા જિલ્લાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ રામ ભરોસે
ગળતેશ્વર અને ઠાસરા તાલુકા સહિત ખેડા જિલ્લામાં સરકારી પ્રાથમિક શિક્ષણનું સ્તર તળિયે બેસી ગયું છે. નિયમોને ઘોળીને પી જનારા કેટલાક શિક્ષકો, આચાર્યો અને ફરજ પ્રત્યે ઘોર બેદરકારી દાખવતા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની કથીત જુગલબંદીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. તંત્રની આ ઘોર નિષ્ક્રિયતા સામે વાલીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.હાલ શાળાઓનો સવારનો સમય ૭ થી ૧૨ વાગ્યાનો હોવા છતાં, કેટલાક ગુલ્લીબાજ શિક્ષકો પોતાના ઘરેથી જ આરામથી ૭ વાગ્યે નીકળે છે. શાળાના સમયે વર્ગખંડમાં હોવાના બદલે આ શિક્ષકો રસ્તા પર મુસાફરી કરતા જાેવા મળે છે. નિયમિતતા અને સમયપાલનના પાઠ ભણાવતા ગુરુજીઓ પોતે જ ક્યારેય સમયસર શાળાએ પહોંચતા નથી.સરકારી શાળાઓની આ બરબાદી અને મુઠ્ઠીભર શિક્ષકોની કામચોરીને કારણે ગરીબ વાલીઓ પેટ કાપીને પણ પોતાના બાળકોને મોંઘીદાટ ખાનગી શાળાઓમાં મોકલવા મજબૂર બન્યા છે. સરકારી શિક્ષણ તંત્રની આ લાપરવાહી ગરીબોના શિક્ષણના અધિકાર પર સીધો પ્રહાર છે. જાે વહેલી તકે આ ગુલ્લીબાજ શિક્ષકો અને આંખ આડા કાન કરતા અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં નહીં લેવાય, તો સરકારી શિક્ષણનું સ્તર તળીયે જવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે તાલુકા અધિકારીની ચાપલુસી કરીને કેટલાક તત્વો શિક્ષણના પવિત્ર વ્યવસાયને કલંકિત કરીને ખાનગી અને ગેરકાયદેસર સ્ટેશનરીના કાળા કારોબાર ધમધમાવી રહ્યા છે.ઉપરાંત કોર્ટ કેસ ચાલુ હોવા છતાં આવા કેટલાક એચ.ટાટ આચાર્યોને બીટ કેળવણી નિરીક્ષકનો ચાર્જ કેવી રીતે સોંપી દેવાયો? તેવો સવાલ જિલ્લાભરના શિક્ષક આલમમાં ઉઠી રહ્યો છે.ડીપીઈઓ પણ અંધારામાં : ઓચિંતી તપાસના નામે ‘મીંડું’ આ આખા ગોરખધંધા અને આળસથી કેટલાક તાલુકાના સંપૂર્ણ ટીપીઈઓ સંપૂર્ણ વાકેફ હોવા છતાં, કયા ‘વહીવટ’ના કારણે આંખ આડા કાન કરી રહ્યા છે તે તપાસનો વિષય છે. બીજી તરફ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાણે કે ગાઢ નિદ્રામાં હોય તેમ ક્યારેય ઠાસરા-ગળતેશ્વર સહિતના તાલુકાઓની શાળાઓમાં ઓચિંતી મુલાકાત લેવાની તસ્દી લેતા ન હોય તેવી હાલત છે. માત્ર તાલુકાના કામચોર અધિકારીઓના ભરોસે ‘સબ સલામત’ના કાગળો પર સહીઓ કરતા રહ્યાની ચર્ચાઓ ચાલી રહી છે. ૬૦-૭૦ કિમીનું અપ-ડાઉન : હેડક્વાર્ટર છોડી શહેરોની મોહમાયા! નિયમ મુજબ દરેક આચાર્ય અને શિક્ષકે પોતાના ફરજની જગ્યાએ એટલે કે હેડક્વાર્ટર ઉપર રહેવાનું હોય છે. પરંતુ આ સરકારી બાબુઓ નિયમોને ઘોળીને પી ગયા છે. આરામદાયક શહેરી જીવન જીવવા માટે તેઓ ૬૦ થી ૭૦ કિલોમીટર દૂરથી અપ-ડાઉન કરે છે. રોજની આ લાંબી મુસાફરીના કારણે તેઓ શાળાએ પહોંચતા સુધીમાં જ ‘ઊર્જા વિહીન’ (થાકેલા) થઈ જાય છે, પરિણામે બાળકોને ભણાવવામાં તેમને કોઈ રસ રહેતો ન હોય તેવી ફરિયાદો વાલીઓમાં પણ ઉઠી રહી છે. બીઆરસી, સીઆરસી અને ટીપીઈઓની શંકાસ્પદ ભૂમિકા: માત્ર નોટિસોનો ડોળ! શાળાઓની દેખરેખ રાખવાની જેમની મુખ્ય જવાબદારી છે તેવા સીઆરસી, બીઆરસી, બીટ કેળવણી નિરીક્ષકો અને ટીપીઈઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવી હાલત જાેવા મળે છે.કેટલાક ઇનચાર્જ બીટ નિરીક્ષક પોતાની મૂળ શાળાને ભગવાન ભરોસે મૂકીને, પોતાની કામગીરી બતાવવા ખાતર અન્ય શાળાઓમાં નોટિસો ફાડવાનો ડોળ કરતા હોવાની ચર્ચા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુન 2026
3069 |
રાજ્યમાં ચોમાસા પહેલાં જ દેમાર વરસાદ
ગુજરાતથી ચોમાસું તો હજી દૂર છે. ત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ ૧૪૭ મિલીમીટર (૫.૭૯ ઈંચ) વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું હતું. નોંધનીય છે કે, ગુજરાતમાં ૨૪ કલાકમાં ૬૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ગરમીથી મોટી રાહત મળી છે. મળતા આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૫.૭૯ ઇંચ વરસાદ નોંધાયો હતો. બાલાસિનોર બાદ અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. અરવલ્લીના ભિલોડામાં ૭૫ મીમી (૨.૯૫ ઈંચ) અને ધનસુરામાં ૬૬ મીમી (૨.૬૦ ઈંચ) વરસાદ નોંધાયો છે. સાથંબા અને બાયડમાં પણ ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણાના સતલાસણા તાલુકામાં ૭૩ મીમી (૨.૮૭ ઈંચ) અને ખેરાલુમાં ૨૦ મીમી વરસાદ પડ્યો છે.મધ્ય ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લાના અનેક તાલુકાઓમાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના ગળતેશ્વરમાં ૫૭ મીમી (૨.૨૪ ઈંચ) અને કપડવંજમાં ૫૫ મીમી (૨.૧૭ ઈંચ) વરસાદ વરસ્યો છે. કઠલાલ, નડિયાદ અને મહુધામાં પણ અડધાથી ૧ ઈંચ વરસાદ રહ્યો છે. દેસર તાલુકામાં ૫૩ મીમી (૨.૦૯ ઈંચ) વરસાદ નોંધાયો છે.પંચમહાલના ઘોઘંબામાં ૫૨ મીમી (૨.૦૫ ઈંચ) અને જાંબુઘોડામાં ૫૧ મીમી (૨.૦૧ ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે ગોધરામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે છોટાઉદેપુરના કદવાલમાં ૪૯ મીમી (૧.૯૩ ઈંચ) વરસાદ સાથે નોંધપાત્ર ભીનાશ જાેવા મળી છે. બનાસકાંઠાના પાલનપુરમાં ૨૩ મીમી (૦.૯૧ ઈંચ), દાંતામાં ૮ મીમી અને અમીરગઢમાં ૭ મીમી વરસાદ થયો છે. આણંદ અને દાહોદના ઉમરેઠમાં ૧૯ મીમી અને દેવગઢબારિયામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં આગાહી ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલા જ બુધવાર રાતથી જ વરસાદનું જાેરદાર આગમન થયું છે. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ છવાશે તેમ જણાવ્યું છે. રાજ્યમાં ચોમાસું તો હજી દૂર છે પરંતુ તે પહેલાના પ્રિમોન્સૂન વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગુજરાતમાં ૧૮મી જૂન અને ૧૯મી જૂને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી જાેઈએ. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, ૧૯મી જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કે, કચ્છ, પાટણ, દ્વારકા, પોરબંદરમાં જ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૧૯મી જૂનના રોજ એટલે કે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુન 2026
2277 |
ડિમોલિશનની મેટર અત્યંત સંવેદનશીલ છે, અમે આંખો બંધ કરી શકીએ નહીં હાઇકોર્ટ પોલીસ કમિશનરે એફઆઈઆર કેમ દાખલ ના કરી, મનપાના અધિકારી ડિમોલિશન માટે કેમ ગયા
બિલ્ડરનાં લાભાર્થે સુરત મહાનગર પાલિકા દ્વારા નાસિરનગર ખાતે કરવામાં આવેલાં સ્પોન્સર્ડ ડીમોલિશન બાબતે મહાનગર પાલિકા, પોલીસ કમિશનર, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપી નકુમ ભીંસમાં મૂકાય તેવી શક્યતા દેખાઇ રહી છે. રાજ્યની વડી અદાલતમાં અસરગ્રસ્તો દ્વારા કરવામાં આવેલી રિટ પીટિશન બાબતે હાઇકોર્ટે પણ કડક વલણ દાખવ્યું છે. અસરગ્રસ્તોએ લેખિત ફરિયાદ આપી હતી તો આટલા દિવસો સુધી પોલીસ કમિશનરે એફ.આઇ.આર. કેમ દાખલ નથી કરી તેવો તીખો સવાલ પણ હાઇકોર્ટે કર્યો હતો. બીજીતરફ મહાનગર પાલિકાનાં કમિશનર માટે પણ વેધક સવાલ કરતાં હાઇકોર્ટે કહ્યું હતું કે, કમિશનર એફિડેવિટ ફાઇલ કરે અને જણાવે કે નાસિરનગરનું ડીમોલિશન સત્તાવાર હતું કે બીનસત્તાવાર હતું, જાે મહાનગર પાલિકાએ ડીમોલિશન ના કર્યું હોય તો તમારા અધિકારીઓ સામે શું પગલાં લીધાં તે પણ એફિડેવિટમાં જણાવો. જાે કે, અસરગ્રસ્તોનાં વકિલે જ્યારે એમ કહ્યું કે, મ્યુનિસિપલ કમિશનરે જાતે ૨૨ દિવસે ડીમોલિશન મહાનગર પાલિકાએ કર્યું હોવાની કબુલાત કરી ત્યારે હાઇકોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. હાઇકોર્ટે વેધક સવાલ પૂછતાં કહ્યું હતું કે, ડીમોલિશન સત્તાવાર હતું તો જરૂરી પ્રક્રિયાને અનુસરી કેમ નહીં અને સત્તાવાર ન હતું તો મનપાનાં અધિકારીઓએ સત્તાનો દુરૂપયોગ કેમ કર્યો. પ્રથમ દ્રષ્ટિએ આ ડીમોલિશન જરૂરી પ્રક્રિયાને અનુસર્યા વિના કર્યું હોવાનું જણાય છે અથવા તો મહાનગરપાલિકાનાં અધિકારીઓએ પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને ડીમોલિશન કર્યું છે.નાસિરનગરનાં અસરગ્રસ્તોએ હાઇકોર્ટમાં કરેલી રિટ પીટિશનમાં પોલીસ કમિશનર, ડીસીપી નકુમ તેમજ મહાનગર પાલિકાનાં સત્તાધીશોની સંદિગ્ધ ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યાં હતાં તે સંદર્ભમાં હાઇકોર્ટે કોર્ટે કહ્યું હતું કે, કમિશનર જવાબ આપે કે ડીમોલિશન મહાનગર પાલિકાએ કર્યું છે કે બીજા કોઈએ. જાે ડીમોલિશન સત્તાવાર હોય અને ઓફિશિયલ ફરજ ઉપર ગયા હોય તો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં નાયબ પોલીસ કમિશનરે હાઇકોર્ટમાં ઉપસ્થિત રહેવાની જરૂર નથી પરંતુ ત્યાં અનઓફિશિયલ હાજર હતાં તો આવતી મુદતે તેઓ પણ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય. એક પણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વગર તોડી શકાય નહીં તેવી ટીપ્પણી કરવા સાથે હાઇકોર્ટે કહ્યું હતું કે, મહાનગર પાલિકાએ ડીમોલિશન કર્યું છે તેમ કહીને રાજ્ય સરકાર પણ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. હાઈકોર્ટે વધુ સુનાવણી સોમવાર ઉપર મુલતવી રાખી છે. અસરગ્રસ્તોનાં વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ નોટિસ કે પ્રોપર પ્રોસીજર વિના તેમજ રજૂઆતની તક કે પંચનામા વગર સુરતનાં નાસિરનગરમાં મહાનગર પાલિકા દ્વારા ૧૫૦ થી વધુ મકાનો ૩૦ મેનાં રોજ તોડી પાડવામાં આવ્યાં હતાં. અસરગ્રસ્તોને સેટલ કરવાનાં પ્લાન સાથે સોમવારે હાજર થવા ફરમાન હાઇકોર્ટનાં જસ્ટિસ ડીમોલિશન બાબતે ખુબ આક્રામક મૂડમાં જણાયાં હતાં. નાસિરનગરનાં ૧૫૦ પરિવારો બેઘર થઇ ગયાં હોવાની દલીલો સાંભળ્યા બાદ તેમણે સુરત મહાનગર પાલિકાનાં એડવોકેટને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે, પીટિશન ચાલે ત્યાં સુધી તમામ અસરગ્રસ્તોને ક્યાં શેલ્ટર અપાશે, ક્યાં સેટલ કરવામાં આવશે તેનો ચોક્કસ પ્લાન લઇને સોમવારે આવો. મનપા, અધિકારીઓ, પોલીસ કમિશનર, ડીસીપી નકુમ સહિત ૨૦ને પ્રતિવાદી બનાવાયા નાસીર નાગર ભૂતિયા ડિમોલિશન મામલે હાઇકોર્ટમાં થયેલી રિટ પીટીશનમાં મનપા, અધિકારીઓ, પોલીસ કમિશનર, ડીસીપી નકુમ સહિત ૨૦ને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. સુરત શહેરમાં વેડ રોડ પર આવેલા નાસીર નગરનું ભૂતિયા ડિમોલિશન થયું થયું હતું. જે ડિમોલિશન મામલે હાઇકોર્ટમાં બે પિટિશન દાખલ થઈ છે. બે પૈકી એક મોહમદ ઇકબાલ અલહુશેન અન્સારી સહિત ૨૬ જેટલા અસરગ્રસ્ત લોકોએ હાઇકોર્ટમાં દાદ માંગતી પિટિશન દાખલ કરી હતી. જે અપીલમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. બીજી તરફ આ અપીલમાં હાઇકોર્ટે મનપા, અધિકારીઓ, પોલીસ કમિશનર, ડીસીપી નકુમ, પીઆઈ સોનારા સહિત ૨૦ને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. બિલ્ડર-આર્કિટેક્ટનાં આદેશથી ડીમોલિશન કરાયું હોવાની રજૂઆત અસરગ્રસ્તોનાં વકિલે હાઇકોર્ટમાં દલીલ કરતાં કહ્યું હતું કે, બિલ્ડર અને આર્કિટેક્ટનાં આદેશથી ડીમોલિશન કરવામાં આવ્યું હતું. આર્કિટેક્ટ રજનીકાંત ઉપસ્થિત હતાં. સ્થાનિકોએ વિરોધ કરતા તેઓને આર્કિટેક્ટ તેમજ પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. રહેવાસીઓને માત્ર ૦૧ કલાકમાં ઘર ખાલી કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. બાળકોનાં પુસ્તકો અને મહત્વનો સામાન પણ ડીમોલિશનનાં કાટમાળ નીચે દબાઈ ગયો હતો. કોર્ટે પૂછ્યું હતું કે ૩૦ મેના રોજ ડિમોલિશન થયું તો કોર્ટમાં અરજીમાં આટલું મોડું કેમ કરવામાં આવ્યું? જેના જવાબમાં અરજદારોએ જણાવ્યું હતું કે તેઓએ પહેલા મનપા કમિશનર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી તો તેઓએ કહ્યું કે, મનપાનો ડિમોલિશનનો કોઈ ઓર્ડર નથી. પોલીસે તેમની ફરિયાદ લીધી નથી. ડીમોલિશન અંગે મ્યુનિસિપલ કમિશનરનાં જુદા જુદા જવાબો હાઇકોર્ટે પૂછ્યું હતું કે આ ડીમોલિશન સુરત મનપા દ્વારા કરાયું તેવું તમે કેવી રીતે કહી શકો છો તેનાં જવાબમાં અસરગ્રસ્તોનાં વકીલે જવાબ આપ્યો હતો કે ડીમોલિશન સમયે ઘટના સ્થળે મનપાનાં અધિકારીઓ અને ૨૦થી ૨૫ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા. પ્રથમ મ્યુનિસિપલ કમિશનરે ડીમોલિશન વિશે ખબર નહીં હોવાનો ખુલાસો કર્યો પરંતુ ૨૨ દિવસ પછી તેમણે ડીમોલિશનની કબુલાત કરી હતી. ખુલ્લી જગ્યામાં વર્ષ ૧૯૬૯માં અહીં કોલોની બની હતી. જ્યાં અરજદારના પૂર્વજાે પણ રહેતા આવ્યા છે. અચાનક ૩૦ મેનાં રોજ બુલડોઝર લાવીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે ડીમોલિશનની ડ્યુટીમાં હાજર મશીનરી અને માણસો કોના હતાં જેના જવાબમાં અરજદારે જણાવ્યું હતું કે ડીમોલિશન કરનાર એજન્સી જીસ્ઝ્રની છે. ટોરેન્ટ પાવરે ડીમોલિશન પહેલા પાવર કટ કર્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુન 2026
1881 |
આઇપીએસ હોવાનો પોલીસ સામે રોફ જમાવનાર જાેન ડેનિયલ જેલ હવાલે
અમદાવાદ રેલવે પોલીસ અને એલસીબી પશ્ચિમની ટીમે નકલી આઈપીએસ અધિકારી જાેન ડેનિયલને ઝડપી પાડ્યો છે. આરોપી કાલુપુર રેલવે સ્ટેશન પર આઈપીએસ અધિકારી હોવાનો રોફ જમાવી ફરજ પરના પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી.આરોપીએ પોતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંકળાયેલા હોવાનું કહીં રેલવે પોલીસ પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરજ પરના પોલીસકર્મીઓને ગાળો આપી તેમની સાથે ઝપાઝપી કરી હતી તેમજ પોલીસ યુનિફૉર્મ ખેંચી ‘અહીંથી દૂર ટ્રાન્સફર કરાવી દઈશ’ તેવી ધમકી પણ આપી હતી.આ બનાવ અંગે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ એલસીબી પશ્ચિમ અને અમદાવાદ રેલવે પોલીસની સંયુક્ત ટીમ શોધખોળ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ કાર્યક્રમ સાથે સંકળાયેલો હોવાથી અને કેટલાક ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં આવ્યાના કારણે તેનો ખોટો રોફ જમાવવાની ટેવ ધરાવતો હતો. હાલ આરોપી જાેન ડેનિયલની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુન 2026
1980 |
ફેક ઝિપ ફાઈલ મોકલી રિયલ એસ્ટેટની ઓફિસનું કમ્પ્યૂટર હેક કરી ગઠિયાએ ૧.૫ કરોડ સેરવી લીધા
અમદાવાદમાં એક ઠગે રિયલ એસ્ટેટના એજન્ટને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની નકલી નોટિસના નામે એક ઝિપ ફાઈલ મોકલીને ઓફિસનું કમ્પ્યુટર હેક કર્યું હતું. ત્યારબાદ ઠગે બોસના નામે ખોટું વોટ્સએપ એકાઉન્ટ બનાવી એકાઉન્ટન્ટને મેસેજ કરી ૧.૫ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. મહત્ત્વનું છે કે, ઇમ્ૈંની નોટિસના નામે એક ઝિપ ફાઈલ મોકલીને પહેલા એક રિયલ એસ્ટેટ એજન્ટની ઓફિસનું કમ્પ્યુટર હેક કર્યું હતું. ત્યારબાદ હેકર્સે બોસના નામે જ નવું વોટ્સએપ એકાઉન્ટ બનાવી, એકાઉન્ટન્ટને મેસેજ કરીને છેતરપિંડીથી ૧.૫ કરોડ રૂપિયાની મોટી રકમ અન્ય બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ મામલે ભોગ બનનાર વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બોડકદેવ વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષીય પ્રવિણ બવાડિયા સાથે આ છેતરપિંડી થઈ છે. તેઓ રિયલ એસ્ટેટ એજન્ટ તરીકેનુ કામ કરે છે. એક અજાણ્યા નંબર પરથી આરબીઆઈના નામે એક મેસેજ અને ઝિપ ફાઇલ આવી હતી, જે તેમણે ચેક કરવા માટે તેમના એકાઉન્ટન્ટને ફોરવર્ડ કરી હતી. આ ફાઇલ એકાઉન્ટન્ટે ઓફિસના કમ્પ્યુટરમાં ખોલતા જ કમ્પ્યુટરનો એક્સેસ હેકર્સ પાસે જતો રહ્યો હતો અને તેમની જાણ બહાર તેમના બેન્ક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાની ઉચાપત થઈ હતી. અજાણ્યા નંબર પરથી આવેલી ઝીપ ફાઈલ એકાઉન્ટન્ટે ઓફિસના કમ્પ્યુટરમાં વોટ્સએપ વેબ મારફતે ઓપન કરી હતી, જેથી સિસ્ટમ હેક થઈ ગઈ હતી. ત્યારબાદ સાયબર ઠગે બીજા જ દિવસે પ્રવીણ સર નામથી અને પ્રવિણના જ ડીપીવાળું એક નવું વોટ્સએપ એકાઉન્ટ બનાવી એકાઉન્ટન્ટને મેસેજ કર્યો હતો. ઠગે મેસેજમાં બેલાર ગારમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના બેન્ક એકાઉન્ટની વિગતો મોકલી, પોતે મીટિંગમાં હોવાનું જણાવી તાત્કાલિક ૧,૫૦,૦૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. બોસનો જ મેસેજ હોવાનું માનીને એકાઉન્ટન્ટે ઇ્ય્જીથી ૧.૫ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. થોડીવારમાં બેન્કમાંથી ટ્રાન્ઝેક્શનનો મેસેજ પ્રવિણભાઈના મોબાઈલ પર આવતા અને તેમણે એકાઉન્ટન્ટ સાથે વાત કરતા આ સમગ્ર છેતરપિંડી અંગે જાણ થઈ હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુન 2026
2079 |
શહેરમાં ૨૧ દિવસમાં ૫૯ જગ્યાએ પાણી પ્રદૂષતિ હોવાનો રિપોર્ટ આવ્યો
સ્માર્ટ સિટીનાં દાવા કરતાં મ્યુનિ.તંત્રનાં શાસનમાં શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ૨૧ દિવસમાં ૫૯ જગ્યાએ પ્રદૂષિત પાણી પહોંચ્યું હોવાનાં ચોંકાવનારા રિપોર્ટ જાહેર થયાં છે.શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી કાળઝાળ ગરમી બાદ હાલ ગરમીનું પ્રમાણ ઘટ્યું હોવા છતાં ઉકળાટ અને બાફ અનુભવતાં શહેરીજનો વધુને વધુ પાણીનો વપરાશ કરવા માટે ગેરકાયદે કનેકશન અને મોટર-પંપનો ઉપયોગ કરે છે. તદઉપરાંત શહેરી ગટર લાઇનોની સફાઇમાં ચાલતી લાલિયાવાડીનાં કારણે અને ગટર લાઇનોમાં ભંગાણ પડી ગયાં હોવાથી પીવાનાં પાણીમાં ગટરનાં ગંદા પાણી મિક્સ થવાથી લોકોનાં ઘર સુધી પ્રદૂષિત પાણી પહોંચતુ હોવાની ફરિયાદો પણ વધવા પામી છે.શહેરીજનોને આપવામાં આવતાં પીવાનાં પાણીમાં ગટરનાં પાણી ભળી ગયાં છે કે નહિ તેની ચકાસણી માટે દરરોજ સવારે જુદી જુદી જગ્યાઓએથી પાણીનાં નમૂના લેવાય છે. છેલ્લા ૨૧ દિવસમાં ૫૭૯૪ નમૂના લેવાયાં હતા, તેમાંથી ૫૯ નમૂના અનફીટ એટલે કે પાણી પીવાલાયક નથી તેવા રિપોર્ટ આવ્યા છે. તેના પગલે જે તે વિસ્તારનાં ઇજનેર અને હેલ્થ ખાતાની દોડધામ વધી જવા પામી છે. આ વિસ્તારોમાં પ્રદૂષિત પાણીથી લોકોને પેટમાં દુખાવો, ઝાડાઊલટીઅને કમળાનાં રોગચાળાનો ભોગ બનવુ પડ્યું હોવાનુ જાણવા મળ્યુ છે. તેવી જ રીતે મ્યુનિ. દ્વારા છેલ્લા ૨૧ દિવસમાં પાણીનાં નમૂના લેવામાં આવ્યા તેમાં ૪૧ જગ્યાએ પીવાનાં પાણીમાંથી જીવજંતુ અને બેક્ટેરીયાનો નાશ કરે તેવા ક્લોરીન ગેસની હાજરી વર્તાઇ નહોતી એટલે કે ક્લોરીન ગેસ પણ ગાયબ થઇ ગયેલો જણાયો હતો.શહેરમાં ચારેકોર વધી ગયેલાં ખાણીપીણીનાં ધંધાર્થીઓ પૈકી અનેક વેપારી હલકી ગુણવત્તાનાં અને વાસી ખાદ્યપદાર્થાે ગ્રાહકોને પધરાવતાં હોવાથી ઝાડાઉલ્ટી, કમળો, ટાઇફોઇડ તથા કોલેરા જેવા પાણીજન્ય રોગચાળામાં ધરખમ વધારો નોંધાયો છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે પ્રચંડ ગરમીનાં કારણે મચ્છરની ઉત્પત્તિ ઉપર આપોઆપ અંકુશ આવી ગયો હોવાથી મચ્છરજન્ય મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યૂ તેમજ ચિકનગુનિયા જેવા તાવનાં કેસો સાવ ઓછી સંખ્યામાં નોંધાઇ રહ્યાં છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુન 2026
1881 |
જાેર્ડન રોડ પર જાેખમી બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ પર સુરક્ષા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત જાેર્ડન રોડ વિસ્તારમાં આવેલ એક જાેખમી અને જર્જરિત બિલ્ડિંગને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, મહાનુભાવો તેમજ પોલીસ અને સુરક્ષા દળોની અવરજવર રહેતી હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં તે માટે આગોતરા આયોજન સાથે જાેખમી બાંધકામોની ઓળખ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાેર્ડન રોડ પર કરાયેલી આ કામગીરીથી રથયાત્રા રૂટ વધુ સુરક્ષિત બનશે અને યાત્રા દરમિયાન જનસુરક્ષા જાળવવામાં મદદ મળશે. છસ્ઝ્ર દ્વારા આગામી દિવસોમાં પણ રથયાત્રા માર્ગ પર જરૂરી સુરક્ષાત્મક પગલાં અને નિરીક્ષણની કામગીરી ચાલુ રાખવામાં આવશે.ભયજનક મકાનોના પ્રવેશદ્વારે જાહેર ચેતવણીની નોટિસ લગાવાઈ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવનારી રથયાત્રા અને તાજીયા રૂટ પર આવેલા ભયજનક મકાનો અંગે જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપતાં વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત રૂટ પર આવેલા જાેખમી અને જર્જરિત મકાનોના પ્રવેશદ્વાર પર જાહેર ચેતવણીની નોટિસ લગાવવામાં આવી રહી છે, જેથી સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ તેમજ યાત્રાળુઓને સંભવિત જાેખમ અંગે અગાઉથી સાવચેત કરી શકાય. મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા મકાનોનું નિરીક્ષણ કરી જરૂરી સ્થળોએ ચેતવણી બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રથયાત્રા અને તાજીયાના કાર્યક્રમો દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ પૂર્વ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુન 2026
1881 |
રોજની મારઝૂડથી કંટાળેલી પત્નીએ ચાકૂથી હુમલો કરી પતિની હત્યા કરી
રોજનાં લડાઇ ઝઘડા અને મારઝૂડથી કંટાળી પત્નીએ રસોડામાં પડેલા ચાકુથી હુમલો કરી દેતાં પતિનું મોત થયું હોવાનો બનાવ ઇચ્છાપોરના ભાઠા ગામે બન્યો હતો. ઇચ્છાપોર પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ભાઠા ગામની બોમ્બે કોલોનીમાં ૩૧ વર્ષીય રામરતન ઉર્ફે રાજુભાઇ જાેગેશભાઇ યાદવ તેની પત્ની મનીષા સાથે રહેતો હતો. ગત ૨૩મી જુને સાંજે રામરતન તેના ઘર વાડામાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા રામરતનને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. રામરતનને થયેલી ઈજા કોઈ હથિયાર કે ધારદાર વસ્તુથી કરાઇ હોવાનું જણાતા મામલો શંકાસ્પદ બન્યો હતો. તેના મૃતદેહનું ફોરેન્સિક પેનલ પીએમ કરાયું હતું.આ સાથે જ ઇન્સ્પેક્ટર શીતલ શાહે રામરતનની પત્ની મનીષા તથા આડોશી પાડોશીઓની પૂછપરછ શરૂ કરી હતી. પાડોશીએ પોલીસને એવું જણાવ્યું હતું કે, રામરતન અને મનીષા વચ્ચે જરા પણ બનતું ન હતું. રામરતન રોજ પત્ની મનીષા સાથે ઝઘડો અને મારઝૂડ પણ કરતો હતો. ત્યારબાદ મનીષાની આકરી પૂછતાછ કરાઇ હતી. જેમાં તેણીએ એવી કબૂલાત કરી હતી કે, રામરતન યાદવ દરરોજ સાંજે ઘરે આવે ત્યારે મારા મારી ઝઘડો કરતો હતો. તેના આ શારિરીક માનસિક ત્રાસથી તે કંટાળી ગઇ હતી. ૨૩મી તારીખે સાંજે પણ તેણે રાબેતા મુજબ જ ઘરે આવી લડાઈ ઝઘડો કરવા માંડ્યો હતો. ઘર કામ કરી રહેલી પત્ની મનીષા ઉપર તેણે હાથ ઉપાડતાં તેઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. મનીષા મારથી બચવા ઘરની પાછળ વાડામાં જતી રહી હતી. યાદવ પણ તેણીની પાછળ ગયો અને તેને ધક્કો મારી દીધો હતો. મનીષા ધોવા મૂકેલા વાસણ પાસે પડી હતી. એ સમયે ત્યાં બટાકા છોલવા માટેનું પડેલું ચાકુ તેના હાથમાં આવી ગયું હતું. વધુ માર મારવા આવતાં પતિ પર તેણીએ આ ચાકુથી હુમલો કરી દીધો હતો. આ કબુલાતનાં આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી મનીષા રમેશભાઇ રાઠોડની ધરપકડ કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુન 2026
2277 |
ડિમોલિશનની મેટર અત્યંત સંવેદનશીલ છે, અમે આંખો બંધ કરી શકીએ નહીં હાઇકોર્ટ પોલીસ કમિશનરે એફઆઈઆર કેમ દાખલ ના કરી, મનપાના અધિકારી ડિમોલિશન માટે કેમ ગયા
બિલ્ડરનાં લાભાર્થે સુરત મહાનગર પાલિકા દ્વારા નાસિરનગર ખાતે કરવામાં આવેલાં સ્પોન્સર્ડ ડીમોલિશન બાબતે મહાનગર પાલિકા, પોલીસ કમિશનર, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપી નકુમ ભીંસમાં મૂકાય તેવી શક્યતા દેખાઇ રહી છે. રાજ્યની વડી અદાલતમાં અસરગ્રસ્તો દ્વારા કરવામાં આવેલી રિટ પીટિશન બાબતે હાઇકોર્ટે પણ કડક વલણ દાખવ્યું છે. અસરગ્રસ્તોએ લેખિત ફરિયાદ આપી હતી તો આટલા દિવસો સુધી પોલીસ કમિશનરે એફ.આઇ.આર. કેમ દાખલ નથી કરી તેવો તીખો સવાલ પણ હાઇકોર્ટે કર્યો હતો. બીજીતરફ મહાનગર પાલિકાનાં કમિશનર માટે પણ વેધક સવાલ કરતાં હાઇકોર્ટે કહ્યું હતું કે, કમિશનર એફિડેવિટ ફાઇલ કરે અને જણાવે કે નાસિરનગરનું ડીમોલિશન સત્તાવાર હતું કે બીનસત્તાવાર હતું, જાે મહાનગર પાલિકાએ ડીમોલિશન ના કર્યું હોય તો તમારા અધિકારીઓ સામે શું પગલાં લીધાં તે પણ એફિડેવિટમાં જણાવો. જાે કે, અસરગ્રસ્તોનાં વકિલે જ્યારે એમ કહ્યું કે, મ્યુનિસિપલ કમિશનરે જાતે ૨૨ દિવસે ડીમોલિશન મહાનગર પાલિકાએ કર્યું હોવાની કબુલાત કરી ત્યારે હાઇકોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. હાઇકોર્ટે વેધક સવાલ પૂછતાં કહ્યું હતું કે, ડીમોલિશન સત્તાવાર હતું તો જરૂરી પ્રક્રિયાને અનુસરી કેમ નહીં અને સત્તાવાર ન હતું તો મનપાનાં અધિકારીઓએ સત્તાનો દુરૂપયોગ કેમ કર્યો. પ્રથમ દ્રષ્ટિએ આ ડીમોલિશન જરૂરી પ્રક્રિયાને અનુસર્યા વિના કર્યું હોવાનું જણાય છે અથવા તો મહાનગરપાલિકાનાં અધિકારીઓએ પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને ડીમોલિશન કર્યું છે.નાસિરનગરનાં અસરગ્રસ્તોએ હાઇકોર્ટમાં કરેલી રિટ પીટિશનમાં પોલીસ કમિશનર, ડીસીપી નકુમ તેમજ મહાનગર પાલિકાનાં સત્તાધીશોની સંદિગ્ધ ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યાં હતાં તે સંદર્ભમાં હાઇકોર્ટે કોર્ટે કહ્યું હતું કે, કમિશનર જવાબ આપે કે ડીમોલિશન મહાનગર પાલિકાએ કર્યું છે કે બીજા કોઈએ. જાે ડીમોલિશન સત્તાવાર હોય અને ઓફિશિયલ ફરજ ઉપર ગયા હોય તો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં નાયબ પોલીસ કમિશનરે હાઇકોર્ટમાં ઉપસ્થિત રહેવાની જરૂર નથી પરંતુ ત્યાં અનઓફિશિયલ હાજર હતાં તો આવતી મુદતે તેઓ પણ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય. એક પણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વગર તોડી શકાય નહીં તેવી ટીપ્પણી કરવા સાથે હાઇકોર્ટે કહ્યું હતું કે, મહાનગર પાલિકાએ ડીમોલિશન કર્યું છે તેમ કહીને રાજ્ય સરકાર પણ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. હાઈકોર્ટે વધુ સુનાવણી સોમવાર ઉપર મુલતવી રાખી છે. અસરગ્રસ્તોનાં વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ નોટિસ કે પ્રોપર પ્રોસીજર વિના તેમજ રજૂઆતની તક કે પંચનામા વગર સુરતનાં નાસિરનગરમાં મહાનગર પાલિકા દ્વારા ૧૫૦ થી વધુ મકાનો ૩૦ મેનાં રોજ તોડી પાડવામાં આવ્યાં હતાં. અસરગ્રસ્તોને સેટલ કરવાનાં પ્લાન સાથે સોમવારે હાજર થવા ફરમાન હાઇકોર્ટનાં જસ્ટિસ ડીમોલિશન બાબતે ખુબ આક્રામક મૂડમાં જણાયાં હતાં. નાસિરનગરનાં ૧૫૦ પરિવારો બેઘર થઇ ગયાં હોવાની દલીલો સાંભળ્યા બાદ તેમણે સુરત મહાનગર પાલિકાનાં એડવોકેટને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે, પીટિશન ચાલે ત્યાં સુધી તમામ અસરગ્રસ્તોને ક્યાં શેલ્ટર અપાશે, ક્યાં સેટલ કરવામાં આવશે તેનો ચોક્કસ પ્લાન લઇને સોમવારે આવો. મનપા, અધિકારીઓ, પોલીસ કમિશનર, ડીસીપી નકુમ સહિત ૨૦ને પ્રતિવાદી બનાવાયા નાસીર નાગર ભૂતિયા ડિમોલિશન મામલે હાઇકોર્ટમાં થયેલી રિટ પીટીશનમાં મનપા, અધિકારીઓ, પોલીસ કમિશનર, ડીસીપી નકુમ સહિત ૨૦ને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. સુરત શહેરમાં વેડ રોડ પર આવેલા નાસીર નગરનું ભૂતિયા ડિમોલિશન થયું થયું હતું. જે ડિમોલિશન મામલે હાઇકોર્ટમાં બે પિટિશન દાખલ થઈ છે. બે પૈકી એક મોહમદ ઇકબાલ અલહુશેન અન્સારી સહિત ૨૬ જેટલા અસરગ્રસ્ત લોકોએ હાઇકોર્ટમાં દાદ માંગતી પિટિશન દાખલ કરી હતી. જે અપીલમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. બીજી તરફ આ અપીલમાં હાઇકોર્ટે મનપા, અધિકારીઓ, પોલીસ કમિશનર, ડીસીપી નકુમ, પીઆઈ સોનારા સહિત ૨૦ને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. બિલ્ડર-આર્કિટેક્ટનાં આદેશથી ડીમોલિશન કરાયું હોવાની રજૂઆત અસરગ્રસ્તોનાં વકિલે હાઇકોર્ટમાં દલીલ કરતાં કહ્યું હતું કે, બિલ્ડર અને આર્કિટેક્ટનાં આદેશથી ડીમોલિશન કરવામાં આવ્યું હતું. આર્કિટેક્ટ રજનીકાંત ઉપસ્થિત હતાં. સ્થાનિકોએ વિરોધ કરતા તેઓને આર્કિટેક્ટ તેમજ પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. રહેવાસીઓને માત્ર ૦૧ કલાકમાં ઘર ખાલી કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. બાળકોનાં પુસ્તકો અને મહત્વનો સામાન પણ ડીમોલિશનનાં કાટમાળ નીચે દબાઈ ગયો હતો. કોર્ટે પૂછ્યું હતું કે ૩૦ મેના રોજ ડિમોલિશન થયું તો કોર્ટમાં અરજીમાં આટલું મોડું કેમ કરવામાં આવ્યું? જેના જવાબમાં અરજદારોએ જણાવ્યું હતું કે તેઓએ પહેલા મનપા કમિશનર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી તો તેઓએ કહ્યું કે, મનપાનો ડિમોલિશનનો કોઈ ઓર્ડર નથી. પોલીસે તેમની ફરિયાદ લીધી નથી. ડીમોલિશન અંગે મ્યુનિસિપલ કમિશનરનાં જુદા જુદા જવાબો હાઇકોર્ટે પૂછ્યું હતું કે આ ડીમોલિશન સુરત મનપા દ્વારા કરાયું તેવું તમે કેવી રીતે કહી શકો છો તેનાં જવાબમાં અસરગ્રસ્તોનાં વકીલે જવાબ આપ્યો હતો કે ડીમોલિશન સમયે ઘટના સ્થળે મનપાનાં અધિકારીઓ અને ૨૦થી ૨૫ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા. પ્રથમ મ્યુનિસિપલ કમિશનરે ડીમોલિશન વિશે ખબર નહીં હોવાનો ખુલાસો કર્યો પરંતુ ૨૨ દિવસ પછી તેમણે ડીમોલિશનની કબુલાત કરી હતી. ખુલ્લી જગ્યામાં વર્ષ ૧૯૬૯માં અહીં કોલોની બની હતી. જ્યાં અરજદારના પૂર્વજાે પણ રહેતા આવ્યા છે. અચાનક ૩૦ મેનાં રોજ બુલડોઝર લાવીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે ડીમોલિશનની ડ્યુટીમાં હાજર મશીનરી અને માણસો કોના હતાં જેના જવાબમાં અરજદારે જણાવ્યું હતું કે ડીમોલિશન કરનાર એજન્સી જીસ્ઝ્રની છે. ટોરેન્ટ પાવરે ડીમોલિશન પહેલા પાવર કટ કર્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જુન 2026
2178 |
મનપાને ભાજીમૂળા સમજતાં મેટ્રોરેલનાં અધિકારીઓને કમિશનર અને શાસકોની કડક સૂચના
સમગ્ર શહેરમાં મેટ્રોરેલનાં નેટવર્ક પાથરવામાં આવી રહ્યું છે પરંતુ ગોકળગાયની ગતિએ થઇ રહેલી કામગીરી અને ઠેર ઠેર બેરિકેડિંગ ઉપરાંત રસ્તા ખોદી મૂક્યાં હોવાથી આમ પણ શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં પણ ચોમાસુ માથે આવી પડ્યું છે ત્યારે શહેરીજનોનાં રોષનો ભોગ બનવું ના પડે તે માટે મહાનગર પાલિકાનાં શાસકો તેમજ મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને મેટ્રોરેલનાં અધિકારીઓ સાથે આજે તાકિદની મીટિંગ યોજી તેમને કડક શબ્દોમાં સૂચના આપી હતી.રસ્તા ખોદાણ, ડ્રેનેજ તેમજ સ્ટ્રીટલાઇટ સંબંધિત કરોડો રૂપિયાનું લેણું મેટ્રોરેલનાં અધિકારીઓ મહાનગર પાલિકાને ચૂકવતાં નહીં હોવા બાબતે પણ શાસકો અને કમિશનરે તેમને તાકિદ કરી હતી. મેયરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મેયર માયા માવાણીએ સુરત શહેરના રોડ રસ્તાઓ તથા મેટ્રો રેલના બેરિકેડિંગના કારણે લોકોને પડતી ભારે હાલાકી મુદ્દે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓને આડે હાથ લીધા હતા. એટલું જ નહીં પરંતુ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે પણ મેટ્રોરેલનાં અધિકારીઓને ખખડાવ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત વર્ષની મળેલી મિટિંગમાં પણ શહેરના રોડ રસ્તા રીપેરીંગમાટે જણાવવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી રસ્તાઓ રીપેરીંગ કરવામાં આવ્યા નથી. એક વર્ષ બાદ પણ કામગીરી ત્યાંની ત્યાં છે. જેથી તેઓએ ટકોર કરી હતી કે સિક્યુરિટી ડિપોઝિટ જમા કરાવો. જેથી તાત્કાલિક ધોરણે શહેરના રસ્તાઓ રીપેરીંગ કરી શકાય. આ ઉપરાંત મેટ્રોની કામગીરી માટે શહેરના દરેક ઝોન વિસ્તારમાં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન ૧૧ જેટલી જગ્યાઓ પર ડ્રેનેજ લાઈન પણ ખોદી નાખવામાં આવી છે પરંતુ તેઓ દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યું ન હતું. જેથી લોકોને પડતી મુશ્કેલીઓના કારણે પાલિકાએ પોતાના ખર્ચે રીપેરીંગ કરી તેમના બિલો મેટ્રોના અધિકારીઓને મોકલી આપ્યા હોવા છતાં હજુ સુધી આ બિલો પાસ થયા નથી. આ તમામ જગ્યાઓ પર ના મળી અંદાજે ૪૦ કરોડ રૂપિયા પાલિકાએ માત્ર ડ્રેનેજ લાઈન ના રીપેરીંગના લેવાના નીકળે છે એટલું જ નહીં પરંતુ લિંબાયત ઝોન વિસ્તારમાં તથા શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ મેટ્રોની કામગીરી માટે સ્ટ્રીટ લાઇટના પોલ કાઢી નાખવામાં આવ્યા છે. ત્યારબાદ પાલિકા દ્વારા તેમનો રીપેરીંગ કરી તેમના બિલો મેટ્રોના અધિકારીઓને મોકલવામાં આવ્યા છતાં હજુ સુધી આ બિલો પણ મંજૂર કરાયા નથી. જેથી તાત્કાલિક ધોરણે આ તમામ બિલો મંજૂર કરવા માટે કડક શબ્દોમાં આદેશ કર્યો છે. કામ પૂર્ણ થઇ ગયું હોય ત્યાં તાત્કાલિક બેરિકેડિંગ હટાવી રસ્તો ખુલ્લો કરો : રાજન પટેલ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે કડક શબ્દોમાં મેટ્રોના અધિકારીઓને જણાવ્યું હતું કે સુરત શહેરમાં જે પણ રસ્તાઓ પર કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય ત્યાં તાત્કાલિક ધોરણે બેરિકેટિંગ હટાવવામાં આવે અને રસ્તો ખુલ્લો કરવામાં આવે. આ ઉપરાંત રાંદેર ઝોન વિસ્તારમાં પણ ત્રણ જેટલા નવા રસ્તાઓ બનાવવાના હોવા છતાં હજુ સુધી ત્યાં કામગીરી કરવામાં આવી નથી. જેથી સ્થાનિક લોકોની હાલત વધુ કફોડી થવા પામી છે. જેમાં રાંદેર ઝોનમાં શ્રીજી નગરથી રાજહર્મની અને રાજહર્મનીથી ભેસ્તાન એસટીપી રોડને તાત્કાલિક ધોરણે નવો બનાવવા માટે આદેશ કર્યો છે અને એલ.પી સવાણીથી ૧૦૦૦ મીટર લાંબી ડ્રેનેજ લાઈનનું કામ પણ ચોમાસુ પૂર્ણ થાય એટલે તાત્કાલિક ધોરણે હાથમાં લેવા માટે આદેશ આપ્યો છે. રસ્તા અને ડ્રેનેજની પરિસ્થિતિનો ૪૮ કલાકમાં રિપોર્ટ આપવા મ્યુનિસિપલ કમિશનરનો આદેશ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને વધુ કડકાઈ દાખવી દરેક ઝોનના વડા અને કાર્યપાલક ઇજનેરને આદેશ કર્યો છે કે જ્યાં પણ મેટ્રો અને સીટકો કંપનીની કામગીરી ચાલુ હોય તે તમામ જગ્યાઓ પર ફરજિયાત વિઝીટ લેવામાં આવે અને કયા રસ્તા ઉપર બેરિકેડિંગ હટાવાયા છે, કયા રસ્તા પર કામ બંધ છે અને બેરીકેટિંગ હટાવવું જરૂરી છે. આ સિવાય રસ્તાઓ તથા ડ્રેનેજની શું પરિસ્થિતિ છે. આ તમામનો રિપોર્ટ બનાવી ૪૮ કલાકની અંદર મ્યુનિસિપલ કમિશનર અને મેયરને સોંપવા માટે આદેશ કર્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, જુન 2026
2277 |
નેચરલ રફ ડાયમંડ્સની ડીટીસીના સાઇટ હોલ્ડર્સની સંખ્યા ૬૯ ઘટાડીને ૪૫ કરી દેવાશે
ખાણોમાંથી નીકળતા નેચરલ રફ ડાયમંડનું ટ્રેડિંગ કરતી ડી-બિયર્સ કંપનીની ડાયમંડ ટ્રેડિંગ કંપનીની નવી એગ્રિમેન્ટ સાઇકલ આગામી તા.૧લી જુલાઇ ૨૦૨૬થી શરૂ થઇ રહી છે. ડી-બિયર્સ કંપનીએ ડીટીસી સાઇટ હોલ્ડર્સની સંખ્યામાં ૩૦ ટકાનો ધરખમ ઘટાડો કર્યો હોવાની માહિતી સાંપડી છે. વૈશ્વિક સ્તરે સાઇટ હોલ્ડર્સની સંખ્યા ૬૯થી ઘટાડીને આશરે ૪૫ કરી દેવામાં આવી છે. આ ઐતિહાસિક ફેરફારની સુરતના હીરા ઉદ્યોગ પર દ્વિપક્ષીય અસર જાેવા મળી રહી છે. નવી એગ્રિમેન્ટ સાઇકલના અમલીકરણ બાદ પરંપરાગત રફ-પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગ હબ ગણાતા ન્યૂયોર્ક અને ઇઝરાયેલમાં સાઇટ હોલ્ડર્સની સંખ્યા નહિવત થઈ જશે. છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૧થી ૨૦૨૬ વચ્ચે) ડીટીસી (ડી-બિયર્સ)ના સાઇટ હોલ્ડર્સની સંખ્યામાં આ ઘટાડો ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. કંપનીએ તાજેતરમાં જ તેના સત્તાવાર ખરીદદારોની યાદીમાં આશરે ૩૦%થી વધુનો મોટો કાપ મૂક્યો છે. આ કંપનીના ઇતિહાસમાં એક જ ચક્રમાં કરવામાં આવેલો સૌથી મોટો ઘટાડો છે.ડી-બિયર્સે પોતાની ડીટીસી સાઇટની યાદીમાં કરેલા આ વૈશ્વિક કાપ વચ્ચે પણ ભારતમાં ખાસ કરીને સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગનું પ્રભુત્વ જળવાયેલું રહ્યું છે, કારણ કે આ નવી યાદીમાં ભારતમાંથી જૂની એક પણ કંપનીને બાકાત કરવામાં આવી નથી પરંતુ, નવી કંપની ઉમેરવામાં જરૂર આવી હોવાનું સ્થાનિક હીરા ઉદ્યોગમાંથી જાણવા મળે છે. ડી બિયર્સ ના સાઇટ હોલ્ડર કરારની સામાન્ય મુદત ૩ થી ૫ વર્ષની (નવા નિયમો મુજબ ૩ વર્ષની ફિક્સ મુદત) હોય છે. ૨૦૨૧માં થયેલા કરારો મૂળ ડિસેમ્બર ૨૦૨૩માં પુરા થવાના હતા, પરંતુ વૈશ્વિક બજારની મંદી અને અનિશ્ચિતતાને કારણે કંપનીએ તેને અલગ-અલગ તબક્કે લંબાવીને આગામી તા.૩૦ જૂન ૨૦૨૬ સુધી નિશ્ચિત કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ તા.૧ જુલાઈ ૨૦૨૬થી શરૂ થનારા નવા કરાર ચક્રમાં કંપનીએ સપ્લાય સિક્યોરિટી અને ટ્રેડિંગ માટે તદ્દન નવા અને કડક નિયમો લાગુ કર્યા છે. મળતી માહિતી મુજબ કંપનીએ રફ હીરાના ખરીદદારો માટે સપ્લાય અને પેમેન્ટના નિયમો વધુ કડક બનાવ્યા છે, જેથી નબળા અને બિન-નિયમિત ટ્રેડર્સ આપોઆપ લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. કુદરતી હીરાની માંગમાં વૈશ્વિક ઘટાડો થયો છે અને છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં કુદરતી (દ્ગટ્ઠંેટ્ઠિઙ્મ) હીરાની માંગ સતત ઘટી રહી છે. આના કારણે બજારમાં રફ હીરાનો મોટો સ્ટોક જમા થઈ ગયો છે, જેથી ઉત્પાદનમાં પણ ઘટાડો કરવો પડ્યો છે. ડી બિયર્સ કંપની કરારના નિયમો મુજબ સત્તાવાર રીતે કઈ ૨૦ કંપનીઓ લિસ્ટમાંથી બહાર થઈ છે તેનું નામ જાહેર કરતી નથી, પરંતુ ઉદ્યોગના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે બિન-નિયમિત ખરીદી કરતી અને આર્થિક મુશ્કેલી ભોગવતી નાની કંપનીઓના કરાર રીન્યુ કરાયા નથી.ડીટીસી સાઇટ હોલ્ડરોની સંખ્યા કેમ ઘટાડવી પડી ડી-બિયર્સ કંપનીએ રફ ડાયમંડના વેચાણ માટેની ડીટીસી સાઇટ હોલ્ડર્સની સંખ્યામાં કરેલા ધરખમ ઘટાડા માટે કે કેટલાક કારણોને ધ્યાનમાં લીધા છે. જેમાં વૈશ્વિક સ્તરે નેચરલ ડાયમંડમાં ઘટી ગયેલી ઘરાકી ઉપરાંત લેબગ્રોન ડાયમંડની વધતી જતી સ્પર્ધાને જવાબદાર માનવામાં આવે છે. તાજેતરમાં અમેરીકામાં સંપન્ન થયેલી જેસીકે જ્વેલરી શૉમાં કંપનીએ ભાવિ રણનીતિમાં ગ્રાહકોની સંખ્યા પર નહીં પરંતુ, ગ્રાહકોની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રીત કરવાની નીતિ પર ધ્યાન આપવાનું જણાવ્યું હતું. કંપની માત્ર એવા જ ખરીદદારો રાખવા માંગે છે જે આર્થિક રીતે મજબૂત હોય અને મુશ્કેલ સમયમાં પણ નિયમિત ખરીદી કરી શકે. ડાયમંડ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નાની અને મધ્યમ કંપનીઓ સંકોચાઈ રહી છે અથવા આઉટસોર્સિંગ પર ર્નિભર થઈ છે. બજારનો મોટો હિસ્સો માત્ર ગણતરીની મોટી અને સ્થાપિત કંપનીઓ પાસે જઈ રહ્યો છે. સુરતના હીરા ઉદ્યોગમાં આ અસર જરૂર વર્તાશે ડીટીસીએ પોતાના સાઇટ હોલ્ડર્સની યાદીમાં ૩૦ ટકાનો ધરખમ ઘટાડો કરતા સુરતના હીરા ઉદ્યોગમાં કાર્યરત નાના અને મધ્યમ એકમો પર દબાણ જરૂર આવશે એવું ઉદ્યોગકારોનું માનવું છે. ડીટીસી સાઇટ હોલ્ડર્સનું લિસ્ટ નાનું થવાને કારણે હવે માત્ર મોટી અને આર્થિક રીતે સક્ષમ કંપનીઓને જ સીધા હીરા મળશે. સુરતના નાના કારખાનાઓ (જેઓ ઓપન માર્કેટ કે બ્રોકર્સ પાસેથી રફ ખરીદતા હતા) માટે રફ હીરા મેળવવાનું કામ વધુ મોંઘું અને મુશ્કેલ બનશે. ડી બિયર્સ હવે લાંબા ગાળાના મજબૂત ભાગીદારો ઈચ્છે છે. આના કારણે સુરતની કંપનીઓએ હીરાના કટિંગ, પોલિશિંગ અને ટ્રેસેબિલિટી (હીરા ક્યાંથી આવ્યો તેની વિગત) માટે અદ્યતન ટેકનોલોજીમાં રોકાણ વધારવું પડશે. ડીટીસી સાઇટ હોલ્ડર કંપનીએ વર્ષે કમસેકમ રૂ.૧૨૫ કરોડનાં હીરા ફરજિયાત ખરીદવા પડશે ડી-બિયર્સે ડીટીસી સાઇટ હોલ્ડર્સ માટે જારી કરેલા નવા સપ્લાય એગ્રીમેન્ટ હેઠળ ડી બિયર્સે હીરા ઉદ્યોગપતિઓ માટે આકરા નિયમો નક્કી કર્યા છે. જેમાં સાઇટ હોલ્ડર કંપની માટે વાર્ષિક લઘુત્તમ ખરીદીની મર્યાદા નક્કી કરી છે. નવા નિયમો અનુસાર, યાદીમાં ટકી રહેવા માટે સાઇટ હોલ્ડરે વાર્ષિક ઓછામાં ઓછા ૧.૫ કરોડ ડોલર (આશરે રૂ.૧૨૫ કરોડથી વધુ)ના નેચરલ રફ હીરા ખરીદવા ફરજિયાત છે. જે કંપનીઓ નિયમિત આ ક્વોટા પૂરો નહીં કરે, તેમનો કરાર રદ થઈ જશે. ડી બિયર્સે ખરીદદારોને ત્રણ સ્પષ્ટ કેટેગરીમાં વહેંચ્યા છે - મેન્યુફેક્ચરર્સ (ઉત્પાદકો), ડીલર્સ (વેપારીઓ) અને રીટેલર્સ (વિક્રેતાઓ). દરેક કેટેગરીને તેમની ક્ષમતા અને જરૂરિયાત મુજબના જ ચોક્કસ રફ હીરા ફાળવવામાં આવે છે. તમામ સાઇટ હોલ્ડર્સે ડી બિયર્સના બેસ્ટ પ્રેક્ટીસ મેન્યુઅલ ૨૦૨૬ ના કડક માપદંડોનું પાલન કરવું પડશે. આ હેઠળ બાળમજૂરી વિરોધ, પર્યાવરણ સુરક્ષા, નાણાકીય પારદર્શિતા અને નૈતિક વેપારના કાયદાઓનો સમાવેશ થાય છે. જાે કોઈ પણ સભ્ય આમાં નિષ્ફળ જશે, તો સપ્લાય તાત્કાલિક અટકાવી દેવાશે. નવી શરતો મુજબ, માત્ર લિસ્ટમાં નામ રાખવા ખાતર સાઇટ હોલ્ડર બની શકાશે નહીં. કંપની જે માલ ઓફર કરે, તેમાંથી નિર્ધારિત જથ્થો નિયમિત ખરીદવો જ પડશે. જે કંપનીઓ માલ નહોતી ઉપાડતી તેમને આ નવા કરારમાં સીધી જ બહાર કરી દેવાઈ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, જુન 2026
2673 |
ગર્લફ્રેન્ડ બાબતે મિત્રને થયેલા ઝઘડામાં ફાયરિંગ પ્રકરણે ડિસમીસ્ડ પોલીસ કોન્સટેબલની ધરપકડ
ગોડદારામાં મહાદેવ નગર પાછળ ગાયત્રી નગરમાં રેહતાં સંગ્રામ મેલાભાઈ ભરવાડને તેના મિત્ર ઉદય થકી વર્ષા પાંડે નામની છોકરી સાથે સંપર્ક થયો હતો. નિયોલ પાસે અંબાબા કોલેજમા ભણતી વર્ષાને ત્યાં દેવ સોલંકી નામના છોકરા સાથે મિત્રતા થઇ હતી. વર્ષા આ દેવ સાથે ફોન પર વાતો કરતી હોવાથી સંગ્રામને માઠું લાગ્યું હતું, તેણે આ બંને સાથે ઝધડો પણ કર્યો હતો.દરમિયાન ૧૦મી માર્ચ ૨૦૨૪ના રોજ સાડા અગિયારેક વાગ્યે સંગ્રામ તેના મિત્ર મિત વર્મા સાથે નિયોલ અંબાબા કોલેજમાં અભ્યાસ કરતા માસીના દિકરા વિપુલને મળવા ગયો હતો. એ સમયે દેવ સોલંકી અને તેનો મિત્ર જાેગો દેખાતાં સંગ્રામે તેને બોલાવ્યા હતાં. સંગ્રામે માથાકૂટ કરી પરંતુ દેવના મિત્ર જાેગાએ કમરમાંથી તમંચો કાઢતાં તેમણે ભાગવું પડ્યું હતું. ત્યારબાદ સાડા બારેક વાગ્યાની આસપાસ જાેગાએ સંગ્રામને કોલ કરી ભરત કેન્સર હોસ્પિટલ પાસે મળવા બોલાવ્યો હતો. સંગ્રામ તેના નાના ભાઇ ગોપાલ તથા મારા મિત્રો મુકેશ આહીરે, બાબુલાલ, સોનુ એમ પાંચ જણા લોખંડના પાઇપ અને લાકડાના ફટકા લઇ સ્વીફ્ટમાં અને બીજા બે મિત્ર મિત વર્મા તથા અમિત ક્રિષ્નાભાઇ શુક્લા મોટર સાયકલ પર ત્યાં પહોંચ્યા હતાં. ભરત કેન્સર હોસ્પિટલના ગેટ પાસે ઉભા રહેલા દેવ સોલંકી તેના મિત્રો જાેગા અને સુરેશ સાથે સંગ્રામ ગેંગને મારામારી થઇ હતી. જેમા જાેગાએ તમંચો કાઢી ફાયરિંગ કરતાં સંગ્રામ અને તેના મિત્રો ભાગી ગયા હતાં. આ હુમલામાં સંગ્રામના ભાઈ ગોપાલને માથામાં ઇજા પહોંચી હતી. સંગ્રામે આપેલી ફરિયાદના આધારે સારોલી પોલીસે ગુનો નોંધી દેવાંશુ સિંહ ઉર્ફે દેવ શ્યામ સિંહ સોલંકી (રહે, સરિતા વિહાર સોસાયટી, આઈ માતા ચોક, પુણા) અને પછી અન્યોની ધરપકડ કરી હતી. આ કેસમાં સુરેશ છાબા ફરાર થઇ ગયો હતો. ત્રણ વર્ષથી નાસતા ફરતા સુરેશ હરીરામ છાબા (વતન- જાટ કોલોની, નાગોર પોલીસ લાઈનની પાછળ, નાગોર શહેર, રાજસ્થાન) ને ક્રાઇમ બ્રાન્ચ ભુવનેશ્વરથી શોધી લાવી છે. સુરેશ ૨૦૨૮માં રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જાેડાયો હતો. જાે કે, સતત ગેરહાજરી અને ગેરવર્તણુંકના કારણે તેને ૨૦૨૦માં ફરજમાંથી બરતરફ કરી દેવાયો હતો.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...