ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, એપ્રીલ 2026 1980   |  
ચૂંટણીમાં વિશ્વાસ તૂટ્યો તો મારા ઘરના દરવાજા બંધ થશે : બારડ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષિત કરવા યેનકેન પ્રકારના પ્રયાસો રાજનેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગિર સોમનાથ જિલ્લાના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે. જાેકે ભગવાન બારડના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના એક નિવેદનથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સૂત્રાપાડા નજીક ગોરખમઢીમાં યોજાયેલી ભાજપની સભા દરમિયાન તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે મતદાતાઓને સ્પષ્ટ શબ્દોમાં સંદેશો આપ્યો હતો કે, મતદાન સમયે વિશ્વાસ જાળવવો ખૂબ જરૂરી છે. ધારાસભ્ય ભગવાન બારડે સભા દરમિયાન જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે છે. તેમના નિવેદનનો સાર એવો હતો કે, મતદાન સમયે કોઈ ગેરસમજ અથવા “ભૂલ” ન થવી જાેઈએ, કારણ કે તે વિશ્વાસને અસર કરી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ સમાજના સમર્થન પર આધાર રાખીને રાજકીય ર્નિણય લે છે, તેથી આ સંબંધ મજબૂત રહેવું જરૂરી છે. આ સાથે તેમણે આહીર સમાજના લોકોને મતદાનમાં ભૂલ ન કરવા કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઇ જશે. ભરોસો તોડનાર વ્યક્તિને હું નહીં સ્વીકારું, અમે તમારા વતી કોઈકને ભરોસો આપીને બેઠા છીએ એટલે તમારો અને મારો વિશ્વાસ ન તૂટે એનું ધ્યાન રાખજાે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2970   |  
ઉત્તરપ્રદેશથી ૧૦૦૦થી વધુ શ્રદ્ધાળુ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરશે

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત ૧૦૦૦ વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ચંદન તિલક અને ઉપવસ્ત્ર અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોને સન્માનપૂર્વક દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રત્યેક ભક્ત માટે જલાભિષેકની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોમનાથ મહાદેવના અલૌકિક દર્શન અને જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. પધારેલા ભક્તોને ભગવાન સોમનાથની સાયંકાળની આરતીના સુંદર દર્શન થઈ શકે તે હેતુથી, મંદિર પરિસરમાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયનમાં વિશાળ ન્ઈડ્ઢ સ્ક્રીન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભક્તોએ શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી નિમિત્તે તૈયાર કરાયેલ વિશેષ ગીત અને ડોક્યુમેન્ટ્રી નિહાળી હતી. શ્રી સોમનાથ મંદિરનો યુગ-યુગાંતરનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવતો ૩ડ્ઢ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને સૌ ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 2673   |  
ધ્રાંગધ્રામાં ‘બલિ’ માટે તાંત્રિક મહિલાએ બાળકનો જીવ લીધાની આશંકા, લોકોમાં આક્રોશ

ધ્રાંગધ્રા શહેરમાં એક અત્યંત હૃદયવિદારક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માત્ર ચાર વર્ષના નિર્દોષ બાળકની ર્નિમમ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનામાં અંધશ્રદ્ધા અને તાંત્રિક પ્રથાઓનો ભયાનક ચહેરો બહાર આવ્યો છે. બાળક કાર્તિકના રહસ્યમય મૃત્યુ પાછળ તાંત્રિક વિધિઓ અને ખોટા ધાર્મિક દાવાઓ જવાબદાર હોવાની શંકાએ સમાજને હચમચાવી દીધો છે. આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે અંધવિશ્વાસ કેટલો ખતરનાક બની શકે છે. મૃતક બાળક કાર્તિકના પિતા ફારુકભાઈ બળદેવભાઈ એછવાડિયા અને તેમના પરિવારને પહેલેથી ચાર દીકરીઓ હતી. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા આ પરિવારે પડોશમાં રહેતા રેહાનાબેન પર વિશ્વાસ કર્યો હતો. આ મહિલા પોતાને માતાજીના ભુવા તરીકે ઓળખાવતી હતી અને તેણે પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે ‘બાધા’ આપવાનો દાવો કર્યો હતો. સમય જતાં ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પરિવારમાં પુત્રનો જન્મ થયો. જેને કાર્તિક નામ આપવામાં આવ્યું. જાેકે બાળકના જન્મ બાદ તાંત્રિક મહિલાએ પશુ બલિ આપવાની માંગણી કરી હતી. જેને બાળકની માતાએ સ્પષ્ટપણે નકારી કાઢી હતી. આ મુદ્દે થયેલા વિવાદ પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. ૪ એપ્રિલના રોજ કાર્તિક પોતાના ઘરની નજીક રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો. પરિવારે તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી. પરંતુ કોઈ સફળતા મળી નહોતી. થોડા સમય બાદ શંકાસ્પદ પરિસ્થિતિઓ વચ્ચે તાંત્રિક મહિલાના ઘરમાં આવેલા પાણીના ટાંકામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી અને પરિવાર તેમજ સ્થાનિકોમાં ભારે દુ:ખ અને રોષ ફેલાયો. આશ્ચર્યજનક રીતે શરૂઆતમાં પરિવારે કોઈ કાયદેસર કાર્યવાહી કર્યા વિના જ બાળકના મૃતદેહને દફનાવી દીધો હતો. પરંતુ સમય જતાં હત્યાની શંકા વધુ મજબૂત બનતા લગભગ ૧૨ દિવસ બાદ ધ્રાંગધ્રા પોલીસ પાસે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને મૃતદેહને કબરમાંથી બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો. તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા આરોપી તાંત્રિક મહિલા સામે હત્યા, કાળા જાદુ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો અને તેની ધરપકડ કરવામાં આવી. આ ઘટના માત્ર એક ગુનાહિત કૃત્ય નથી. પરંતુ સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. અંધશ્રદ્ધા અને ખોટા ધાર્મિક દાવાઓના નામે લોકો કેવી રીતે ભ્રમિત થાય છે અને તેનો અંત કેટલો ભયાનક બની શકે છે. તે આ બનાવે સ્પષ્ટ કર્યું છે. નિર્દોષ બાળકની હત્યાએ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને લોકો હવે આવા તાંત્રિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ કેસ સમાજને જાગૃત રહેવા અને વૈજ્ઞાનિક વિચારધારા અપનાવવાની જરૂરિયાત તરફ સંકેત આપે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, એપ્રીલ 2026 4257   |  
ચૂંટણી પહેલાં નણંદ નયનાબા અને ભાભી રીવાબા વચ્ચે શુભેચ્છાના નામે મ્હેણાટોણાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આખા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચારની સાથે સાથે એકબીજાના ઉમેદવારોને વાકબાણોથી પાડવાનું પણ કામ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં બહુચર્ચિત સૌરાષ્ટ્રના નણંદ ભાભીની જાેડી ફરી ચર્ચામાં આવી છે. નયનાબા અને રિવાબાએ એકબીજાને શુભેચ્છાની સાથે મ્હેણા ટોણા પણ માર્યા હતાક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાએ પોતાના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી હતી. જાેકે, આ મુદ્દો હાલ ચર્ચાનું કારણ બન્યો છે. નયનાબા જાડેજાએ ભાભીએ આપેલી શુભેચ્છા અંગે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના જે કોઈ વ્યક્તિઓ મને શુભેચ્છા પાઠવી રહ્યા છે તેમનો આભાર. રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ સાથે જાેડાયેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છાઓ પાઠવી હતી. શુભેચ્છાની સાથે તેમણે ભાજપની જીતનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ચૂંટણી લડનાર દરેકને મારી શુભેચ્છાઓ છે, પરંતુ મને ભાજપના કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે. આગામી ૨૮ તારીખે જ્યારે પરિણામ આવશે, ત્યારે જીત તો ભારતીય જનતા પાર્ટીની જ થશે.” રીવાબાની આવી શુભેચ્છા પર નયનાબા જાડેજાએ હસતાં હસતાં પ્રતિક્રિયા આપી હતી. નયનાબાએ આ અંગે જણાવ્યું હતું કે, “શુભેચ્છા આપવા બદલ હું તેમનો આભાર માનું છું, પરંતુ આ જે નિવેદનો છે તે તેમનો ‘ઓવર કોન્ફિડન્સ‘ છે એટલે એ લોકો કોઈ સેટિંગ કરવાના લાગે છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
19, એપ્રીલ 2026 2673   |  
જૂનાગઢના શીલ પોલીસ સ્ટેશનના પકડાયેલા આરોપી પાસેથી બેંકની ૨૫ પાસબૂક જપ્ત

અમદાવાદના મેમનગરમાંથી જૂનાગઢનો શીલ પોલીસ સ્ટેશનના સાયબર છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતો ફરતો આરોપી કેવિન દેકીવાડીયાને ર્જીંય્ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી કેવિન દેકીવાડીયા, જે મૂળ જૂનાગઢના ઝાંઝરડા રોડનો રહેવાસી છે, તે અમદાવાદના મેમનગર સ્થિત નિલમણી સોસાયટીના ઓક્સફોર્ડ ટાવરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. આ બાતમીના આધારે ર્જીંય્ની ટીમે દરોડો પાડીને તેની અટકાયત કરી હતી. આરોપી પાસેથી જુદીજુદી બેંકોની ૨૫ પાસબુકો, ૪૩ જેટલા એટીએમ કાર્ડ્સ, ૨૩ સીમકાર્ડ અને ૫ મોબાઈલ ફોન મળી આવ્યા છે.આટલી મોટી સંખ્યામાં પાસબુક અને એટીએમ કાર્ડ મળી આવતા પોલીસને આશંકા છે કે આ એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો ભાગ હોઈ શકે છે. હાલમાં આ તમામ મુદ્દામાલ બાબતે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગથી જાણવાજાેગ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આટલા બધા બેંક એકાઉન્ટ્સ અને સીમકાર્ડનો ઉપયોગ કોના નામે અને કઈ રીતે કરતો હતો. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2871   |   વડોદરા   |  
યુસુફ પઠાણના સસરા અને તેમના સાળાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણના સસરાની તેમના પુત્ર અને અન્ય એક સંબંધી સાથે ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે બે દિવસ પહેલા, ભાયખલા વિસ્તારમાં એક વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે વ્યક્તિની કાર ખાડામાંથી પસાર થઈ હતી અને તેમાંથી એક પર પાણી છાંટા પડ્યા હતા. ભાયખલા પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસી યુસુફ ખાન શનિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાંથી પાણીના છાંટા પડ્યા અને શોએબ ખાન પર પડ્યા. યુસુફ ખાને પોલીસને જણાવ્યું કે તેણે કાર રોકી અને તરત જ માફી માંગી, પરંતુ શોએબે તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને વાંસની લાકડીથી કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ શોએબે યુસુફ ખાન પર હુમલો કર્યો, જેમાં તેમને ઈજા થઈ.ઘરે પાછા ફર્યા પછી, યુસુફ ખાનના પરિવારે તેને પોલીસ પાસે જવાની સલાહ આપી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં, તેમનો સામનો ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) સાથે થયો, જેણે તેના પુત્ર ઉમરશાદ ખાન, શોએબ અને અન્ય આરોપી શાહબાઝ પઠાણ સાથે મળીને દલીલ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ, ખાલિદ, ઉમરશાદ, શોએબ અને શાહબાઝે યુસુફ ખાન અને તેના સંબંધીઓ પર વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2772   |   વડોદરા   |  
જમ્યાં બાદ ૪૦૦થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ગઈકાલ સોમવારે રાત્રે ભોજન સમારંભ બાદ ભોજન આરોગનાર ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલાઓને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદમાં એક તરફ લગ્નસરાની મોસમ પુર બહારમાં ખીલી છે. અને ઠેર ઠેર લગ્ન પ્રસંગોના જમણવાર યોજાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આગ ઓકતી ગરમીએ તોબા પોકારાવી દીધા છે. અને આવી આગ ઝરતી ગરમીમાં તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેત રહેવા માટે લોકોને કરવામાં આવતી અપીલ વચ્ચે ગરબાડાના અભલોડ ગામે એક લગ્ન પ્રસંગના યોજાયેલ જમણવારમાં ભોજન કર્યા બાદ ૪૦૦ થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં રીતસર દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના બાદ તાત્કાલિક ધોરણે ખોરાકી ઝેરની અસર પામેલા તમામ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ, તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતાં. જ્યારે ૨૦૦થી વધુ લોકોને ગામમાં જ સ્થાનિક ડોક્ટરો દ્વારા તેમજ ગામના સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગરબાડા તાલુકાના અભલોડ ગામના ગામતળ ફળિયામાંય રહેતા ભરતભાઈ રાઠોડના નાના છોકરાના લગ્ન હોવાથી લગ્નમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવારમાં દાળ, ભાત, પૂરી, શાક, પાપડ, કેરીનો રસ તેમજ પનીરનું શાક વગેરે વ્યંજનો બનાવવામાં આવ્યા હતા. જે ખાધા બાદ ૪૦૦ થી વધુ એટલે કે ૭૦% લોકોને ખોરાકની ઝેરની અસર થઈ હતી. સાંજના છ વાગ્યાથી શરૂ થયેલા જમણવારમાં ભોજન આરોગ્ય બાદ રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ તમામ લોકોને એક પછી એકને ખોરાકી ઝેરની અસર વર્તાતા ગામમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી તમામ અસરગ્રસ્ત લોકોને ૧૦૮ ઇમરજન્સી વાન તથા ખાનગી વાહનો તેમજ જેને જે મળે તે સાધનમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા હતા.૫૦થી વધુ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ૧૫૦થી વધુ લોકોને દાહોદની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર હશે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય અંદાજે ૨૦૦ જેટલા લોકોને ગામમાં જ હાજર પાંચ થી છ ડૉક્ટરો તેમજ પીએસસી સેન્ટરના ડોક્ટરોને બોલાવી હળ પર જ સારવાર આપવાની ગોઠવણ કરવાની ફરજ પડી હતી. આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી જેથી તંત્રએ હાશકારો લીધો છે. કેટલાકને ખોરાકી ઝેરની ગંભીર અસર થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૈકી કેટલાકને આજે સવારે રજા આપી દેવામાં આવી હોવાનું જ્યારે કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ખોરાકી ઝેરની અસર થઈ હોવાની જાણ થતા જ ફૂડ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ સફાળું જાગી ઉઠ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2574   |   વડોદરા   |  
મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે ઓનલાઇન ઈન્જેક્શન વેચતા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી

વડોદરા ખોરક અને ઔષધ નિયમન તંત્રની ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા ગત તા.૨૨મી ડિસેમ્બરના રોજ હાથ ધરાયેલી તપાસમાં રાજ્યમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વડોદરાના દિવાળીપુરા, આર.કે પ્લાઝા સ્થિત હેક્સપ્રેસ હેલ્થકેર કન્સ્યુમર લી,ની શંકાસ્પદ ભૂમિકા જણાતા તેની તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં સારાભાઈ રોડ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે આવેલ એટલાન્ટીસ કોમ્પલ્ક્સમાં આવેલ મેડીકેમેન્ટ સોલ્યુશન પ્રા.લી. નામના મેડીકલ સ્ટોરનું નામ પ્રકાશમાં આવ્યુ હતુ.આ મેડીકલ સ્ટોર દ્વારા મેદસ્વીતા ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા મોન્જારો ક્વીકપેન નામના ઈન્જેક્શનનું વેબસાઈટ પર ભ્રામક જાહેરાતો દ્વારા ગેરકાયદસર રીતે વેચાણ કરવામાં આવતુ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.ત્યારે તંત્રના અધિકારીઓ બનાવટી ગ્રાહક બનીને ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. જેમાં દવા-ઈન્જેક્શન ભરેલુ પાર્સલ, પોસ્ટ મારફતે મળતા જેનુ પંચનામું કરીને કાર્યવાહી કરાઈ હતી. સંસ્થાઓ અને સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા મેળાપીપણુ રચીને ડોક્ટરની સલાહ કે માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન ઓર્ડર મેળવીનેે દર્દીની શારીરીક સ્થિતિની તપાસ કર્યા વગર સીધાજ ધરના સરનામે આ દવાઓ કુરીયર દ્વારા મોલલવામાં આવતી હતી. પ્રક્રિયામાં દવાની ગંભીર આડઅસરો છુપાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતા હતા. તંત્ર દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટના ભંગ બદ્દલ મે.સ. મોડીકેમેન્ટ સોલ્યુશન્સ પ્રા. લી.નું લાયસન્સ તાત્કાલીક કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું હતુ.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2574   |   વડોદરા   |  
જનતાનું કામ હોય તો આચારસંહિતા નડે, તો શું આને કોઈ નિયમ નથી નડતા?

વડોદરા શહેર, જેને આપણે સંસ્કારી નગરી કહીએ છીએ, ત્યાં અત્યારે જે દ્રશ્યો જાેવા મળી રહ્યા છે તે સંસ્કારિતા નહીં પણ ‘સત્તાની ર્નિલજ્જતા’ના દર્શન કરાવે છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, આચારસંહિતાનો અમલ ચાલુ છે, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી)ના તંત્ર માટે આ આચારસંહિતા માત્ર જનતાના કામો રોકવા માટેનું એક બહાનું બની ગઈ છે. જ્યારે સામાન્ય નાગરિક પોતાની ગલીના ખાડા, ગંદા પાણી કે ઉભરાતી ગટરની ફરિયાદ લઈને જાય છે, ત્યારે તંત્ર ‘આચારસંહિતા નડે છે’ કહીને તેને મોઢા પર જવાબ આપી દે છે. પરંતુ, શું આ આચારસંહિતા મેયર અને ડેપ્યુટી મેયરની આલીશાન ચેમ્બરોના રંગરોગાન માટે નથી નડતી?ગુજરાત રાજ્યની જનતા જે પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરે છે, તે નાણાંનો ઉપયોગ અત્યારે જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે સત્તાના સિંહાસનોને ચમકાવવા માટે થઈ રહ્યો છે. મેયર અને ડેપ્યુટી મેયરની ચેમ્બરોથી લઈને સભાખંડ સુધી જે રીતે ફર્નિચર રિપેરિંગ અને પેઇન્ટિંગનું ‘યુદ્ધના ધોરણે’ કામ ચાલી રહ્યું છે, તે જાેઈને સવાલ થાય છે કે શું આ કોર્પોરેશન છે કે કોઈ નેતાના ઘરનો પ્રસંગ? જે ઝડપ અત્યારે સભાખંડને ‘લવિંગિયા’ જેવો લુક આપવામાં બતાવવામાં આવી રહી છે, જાે તેની દસ ટકા ઝડપ પણ શહેરના ફતેગંજ, કારેલીબાગ, રાવપુરા, અલકાપુરી કે માંજલપુરના રસ્તાઓ ઠીક કરવામાં બતાવી હોત, તો આજે જનતાએ આક્રોશ ન ઠાલવવો પડત. તંત્રની બેવડી નીતિ જુઓ, નવા રસ્તા બનાવવા હોય, પાણીની લાઈન નાખવી હોય કે સ્ટ્રીટ લાઈટ રિપેર કરવી હોય તો આચારસંહિતાનો કાયદો વચમાં આવે છે. પણ જ્યારે નવી ચૂંટાનારી બોડીના સ્વાગત માટે લાલ જાજમ બિછાવવાની હોય અને એર-કન્ડિશન્ડ ચેમ્બરોને ચકચકાટ કરવાની હોય, ત્યારે કોઈ કાયદો નડતો નથી. આને જ કહેવાય ‘લોકોને ઉલ્લૂ બનાવવાની કળા’. વડોદરા તંત્ર અત્યારે એવા બાપની ભૂમિકા ભજવી રહ્યું છે જેની પાસે દીકરીના લગ્નની તૈયારી માટે તો લાખો રૂપિયા છે, પણ આખા વર્ષ દરમિયાન ઘરના રાશન માટે પૈસા નહોતા. કોણ મેયર બનશે અને કોણ સત્તા પર બેસશે તે તો મતપેટીઓ નક્કી કરશે, પણ તંત્રએ તો ‘વર વગર જાન’ જાેડી દીધી છે. જનતા પૂછી રહી છે કે- શું નવી ચેમ્બરોમાં બેસવાથી વડોદરાના દૂષિત પાણીની સમસ્યા ઉકેલાઈ જશે? શું મોંઘા ફર્નિચર પર બેસનારા નેતાઓ રસ્તા પરના જીવલેણ ખાડાઓ જાેઈ શકશે? શું રંગરોગાન કરેલી દીવાલોની પાછળ જનતાની ચીસો દબાઈ જશે? વડોદરા મહાનગર પાલિકાનું આ વલણ અત્યંત નિંદનીય છે. એક તરફ શહેર સ્માર્ટ સિટીના નામે માત્ર કાગળ પર ચમકી રહ્યું છે અને બીજી તરફ વાસ્તવિકતામાં ગટર અને ગંદકીના ગંજ છે. જનતાના ટેક્સના નાણાં આ રીતે ધુમાડો કરવા માટે નથી.સત્તાના નશામાં ચૂર નેતાઓ અને તેમના ઈશારે નાચતું તંત્ર એ ભૂલી ગયું છે કે આ આલીશાન ચેમ્બરો જનતાની ભીખ નથી, પણ જનતાની સેવા માટેની અમાનત છે. જાે નવી બોડીના સ્વાગત માટે આટલો ઉત્સાહ હોય, તો ચૂંટાયા પછી પ્રજાનાં કામો માટે આનાથી બમણો ઉત્સાહ હોવો જાેઈએ. વડોદરાના નાગરિકોએ હવે સવાલ પૂછવાની જરૂર છે- જાે અમારી ગલીનો રસ્તો આચારસંહિતામાં નથી બનતો, તો તમારી ચેમ્બરની દીવાલ પર રંગ કેમ ચડે છે? તંત્રના આ ભ્રષ્ટ અને પક્ષપાતી વલણના કપડાં અત્યારે વડોદરાની શેરીઓમાં ઉતરી રહ્યા છે. જાે દીવાલો જ ચમકાવવી હોય તો ઓફિસની નહીં, જનતાના જીવનની ચમકાવો. બાકી આ ‘ચકચકાટ’ ચૂંટણીના પરિણામો પછી ફીકો પડી જશે એ નક્કી છે. જનતાના ખિસ્સા ખાલી કરીને નેતાઓના ઠાઠ વધારતા તંત્રને શરમ આવવી જાેઈએ. આચારસંહિતા નિયમ છે, અન્યાય કરવાનું લાયસન્સ નથી!


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2673   |   વડોદરા   |  
વોર્ડ-૭માં રજૂઆત કરતાં અટકાવવા ઢોલ વગાડ્યા!

વડોદરા શહેરના કારેલીબાગ વોર્ડ નં-૭માં આવેલી આનંદનગર સોસાયટીમાં પ્રચાર માટે ગયેલા ભાજપાના ઉમેદવારોને એક સિનિયર સીટીઝન દ્વારા વરસાદી ગટર, રોડ સહિતના પ્રશ્નોની રજૂઆત કરતા હતા. દરમિયાન તેમનો અવાજ સંભળાય નહી તે માટે ફેરણીમાં ઉપસ્થિત કાર્યકરોએ ભારત માતાકી જયના સૂત્રોચ્ચાર કરીને ઢોલ વગાડવાની શરૂઆત કરાવીને લોકોનો અવાજ દબાણવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ સ્થાનિક રહીશોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી.વોર્ડ નં-૭માં ભાજપાના ઉમેદવારો કારલીબાગ આનંદનગરમાં પ્રચાર માટે ગયા હતા. દરમિયાન એક સિનિયર સીટીઝન દ્વારા તેમના વિસ્તારમાં વરસાદી લાઈન અને રોડ સહિતના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યાં હતા. ત્યારે ફેરણીમાં ઉપસ્થિત કાર્યકરોએ તુરંત ભારત માતાકી જયના સૂત્રોચ્ચાર કરીને ઢોલ નગારા વગાડવાની શરૂઆત કરાવીને નાગરિકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારની મહિલાએ કહ્યું હતુ કે, અમારી સોસાયટીમાં ૧૦ વર્ષથી ભાજપા આવે છે. અને હાથ જાેડ છે. રોડ, ડ્રેનેજની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ગત પૂરમાં અમને ભારે નુકસાન થયું કોઈ જાેવા માટે આવ્યા ન હતા. અને આજે જ્યારે રજૂઆત કરતા હતા ત્યારે ઢોલ વગાડીને ્વાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહ્યું હતુ.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, એપ્રીલ 2026 1683   |  
સ્થાનિકોના વિરોધ વચ્ચે નેતાઓએ મેદાન છોડવું પડ્યું!

શહેરના ઓઢવ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી માટે એક અત્યંત ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે. ઓઢવ વોર્ડમાં આવેલા ઇન્દિરા નગર વિસ્તારમાં, ખાસ કરીને શિવમ આવાસ અને ગાયત્રી આશ્રમ પાસે આયોજિત ભાજપના એક મહત્વપૂર્ણ મહાસંમેલનમાં સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, ઓઢવ વોર્ડમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ અને સ્થાનિક નાગરિકોને સંબોધવા માટે ભાજપના એસ.સી. મોરચા દ્વારા એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસ.સી. મોરચાના અગ્રણી નેતા ડો. કિરીટ સોલંકી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાર્યક્રમની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી અને તેમાં બુથ પ્રમુખો તેમજ સ્થાનિક આગેવાનોને પણ મોટી સંખ્યામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. જાેકે, કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ત્યારે તંગ બન્યું જ્યારે સ્થાનિક રહીશોએ અચાનક જ ભાજપના નેતાઓ સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું. એસ.સી. મોરચા દ્વારા આયોજિત આ મહાસંમેલનમાં સ્થાનિકોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. સભામાં જ્યારે ડો. કિરીટ સોલંકી અને અન્ય મહાનુભાવો મંચ પર બિરાજમાન હતા, ત્યારે જ લોકોએ વિરોધ દર્શાવતા નેતાઓ અસમંજસમાં મુકાઈ ગયા હતા. સ્થાનિકોના આ રોષ સામે ભાજપના સંગઠનના હોદ્દેદારો અને બુથ પ્રમુખોની હાજરી પણ ટૂંકી પડી હતી. વિરોધ એટલો પ્રબળ હતો કે કાર્યક્રમ આગળ વધારવો અશક્ય બની ગયો હતો. અંતે, પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં ડો. કિરીટ સોલંકી અને અન્ય આગેવાનોએ કાર્યક્રમ અધવચ્ચે જ છોડીને ત્યાંથી જતું રહેવું પડ્યું હતું. સ્થાનિકોના વિરોધના કારણે નેતાઓએ કાર્યક્રમ પડતો મૂકીને ભાગવું પડ્યું હોવાની આ ઘટના હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, એપ્રીલ 2026 1881   |  
વિપક્ષના તમામ આરોપોને રાજ્યના પોલીસ વડા ડૉ. કે એલ એન રાવે ફગાવ્યા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસની ભૂમિકા પર વિપક્ષ સહિત અન્ય લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.જેને રાજ્યના પોલીસ વડા ડૉ. કે એલ એન રાવે ફગાવી દીધા છે. ડીજીપીએ જણાવ્યું હતું કે પોલીસ પર કરવામાં આવેલા રાજકીય આક્ષેપો અસ્વીકાર્ય છે.પોલીસ વડાએ સ્પષ્ટતા કરી હતી કે જે પણ પોલીસ અધિકારી કે કર્મચારી સામે ફરિયાદ આવી હતી, તેની તપાસ કરીને રિપોર્ટ ચૂંટણી પંચને સોંપવામાં આવ્યો છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીમાં ૪૯,૦૦૦થી વધુ પોલીસ અધિકારી કર્મચારી અને સીઆરપીએફની ટીમ તૈનાત રહેશે. રાજ્યમાં જ્યાં ચૂંટણી યોજાશે, તે વિસ્તારોમાં અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય સ્ટાફ માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.પોલીસ તંત્રએ જણાવ્યું કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.પોલીસ વડાએ રાજ્યની પ્રજાને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવાની અપીલ કરી છે. પ્રજાએ શાંતિપૂર્ણ રીતે મતદાન કરવું જાેઈએ પોલીસ વડાએ જણાવ્યું હતું. ચૂંટણી દરમિયાન ૧ હજારથી વધુ કેસ તડીપાર, ભાગેડુ કેદી સહિતના નોંધાયા છે.રાજ્યભરમાં ૨૯ હજાર બિલ્ડિંગમાં મતદાન યોજાશે.અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧,૨૫૧ છે, જ્યારે સંવેદનશીલ મતદાન મથકો ૭,૧૬૬ છે. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, એપ્રીલ 2026 1683   |  
વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાન પલટતા નવ ઈજાગ્રસ્ત

ગાંધીનગરનાં લેકાવાડાથી ગિફ્ટ સિટી તરફ જતા માર્ગ ઉપર, ૧૬ બાળકો ભરેલી એક સ્કૂલવાન પલટી જતા, ૯ જેટલા બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જે પૈકી ચાર જેટલા બાળકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે અન્ય બાળકોને સામાન્ય સારવાર આપીને રજા આપી દેવાઈ હતી. ગાંધીનગર નજીક આવેલા ચિલોડા ખાતે કેન્દ્રીય વિદ્યાલય નંબર - ૩ આવેલી છે. રાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ આપતી આ શાળાના બાળકોને લઈને જતી એક સ્કૂલ વાન પાલજ નજીક પલટી મારી ગઈ હતી. આ સ્કૂલ વાન પલટી મારી જતા વાનમાં બેસાડેલા ૧૬ જેટલા બાળકોની ચીસોથી, વાતાવરણ થોડી ક્ષણો માટે દર્દનાક બની ગયું હતું. જાેકે ટાયર ફાટવાને કારણે સ્કૂલવાને પલટી મારતા જ, આસપાસથી અનેક લોકો દોડી આવ્યા હતા. મદદ માટે આવેલા લોકોએ બાળકો તથા વાનના ચાલકને બહાર કાઢીને સ્કૂલવાન ઊભી કરી હતી. વાન પલટી મારી જતા અંદરથી બહાર કઢાયેલા બાળકો થોડીક ક્ષણો માટે હતપ્રભ બની ગયા હતા. બાળકોની કાગડોળે રાહ જાેઈ રહેલા વાલીઓને આ દુર્ઘટનાની જાણ થતા, બેબાકળા બનેલા વાલીઓ અકસ્માતના સ્થળ અને સિવિલ હોસ્પિટલ ખાતે ધસી ગયા હતા. આ અકસ્માતને પગલે, ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તાત્કાલિક સ્થળ ઉપર ઘસી ગયેલી એમ્બ્યુલન્સ વાનના પાયલોટ અનિલભાઈ અને ઈસ્ દ્વારા અનેક બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત બાળકોને અલગ અલગ વાહન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જાે કે ચાર જેટલા બાળકોને પહોંચેલી ઈજાની સારવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. અન્ય વિદ્યાર્થીઓને થયેલી નાની મોટી ઈજામાં પ્રાથમિક સારવાર અપાયા બાદ તેઓને રજા આપી દેવાઇ હતી. આ અકસ્માતની જાણ થતા શાળાના શિક્ષકો પણ સ્થળ ઉપર દોડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર બાયપાસ માટે ખાસ ઉપયોગમાં લેવાતા આ હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાવા પામ્યો હતો. જ્યારે સુખદ હકીકત એ સામે આવી રહી છે કે સ્કૂલ વાનમાં રહેલા સીએનજી સિલિન્ડરમાં જાે આગ લાગી હોત તો, મોટી દુર્ઘટના થવાની દહેશત પણ સ્થળદર્શીઓમાં પેદા થવા પામી હતી. સ્કૂલવાનની અંદર રહેલા સી એન જી સિલીન્ડરને કારણે કોઈ દુર્ઘટના બનવા પામી હોત તો બાળકોની થનારી અવદશાની કલ્પનાથી જ કંપારી છૂટી જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, એપ્રીલ 2026 1782   |  
સરકારે માગણીઓ પૂરી કરવાની બાંયધરી આપતા આખરે રિક્ષાચાલકો મતદાન કરશે

અમદાવાદ શહેરમાં રિક્ષાચાલકોએ સરકાર સમક્ષ મિનિમમ ભાડુ (માથાદીઠ ભાડું) રૂપિયા ૨૦થી વધારીને ૩૦ કરવાની માંગણી કરી હતી. જાે ભાડામાં વધારો કરવાની મંજૂરી નહીં મળે તો મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકીને લઈ સરકારે ભાડા વધારા માટેની રજૂઆત મંજૂર કરવાની ખાત્રી આપી છે.. મતદારોના રોષને ખમી ન શકતા હવે રિક્ષા ચાલકોનો રોષ વહોરવો પડે તે પહેલા સરકારે અગમચેતીરૂપે સ્થાનિક સ્તરે બેઠકો કરી ચૂંટણી ટાણે રિક્ષાચાલકોને મનાવી લીધા છે.. ભાવ વધારાની માંગણીને સરકારે હકારાત્મક જવાબ આપતા મતદાન બહિષ્કારનો કોલ મોકૂફ રાખ્યો છે. ઓટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશન અને અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા રીક્ષા ચાલકોના પ્રશ્નો બાબતે સરકાર અને સરકારી તંત્રમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. આ બાબતે ઓટો રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે, આજે ૨૩ એપ્રિલના રોજ વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી ખાતે રિક્ષાના ભાડામાં વધારા બાબતે મિટિંગ કરી હતી, જેમાં રિક્ષા ભાડા વધારા માટેની રજૂઆત મંજૂર કરવામાં આવી છે, જેના પર કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીને પૂર્ણ થતાં આશરે એક માસનો સમય લાગી શકે છે તેવો સરકાર તરફથી જવાબ મળતાં રિક્ષા ચાલકો હવે મતદાનનો બહિષ્કાર નહીં કરેનું જણાવ્યું છે. વધુમાં સૌ રિક્ષા ચાલકોને અવશ્ય મતદાન કરવાનું પણ આહ્વાહન કર્યું છે.ઉલ્લેખનીય છે કે મોંઘવારી વધી રહી છે, સીએનજી ગેસનાં ભાવ વધી રહ્યાં છે પરંતુ છેલ્લા ૪ વર્ષથી રિક્ષા ભાડું ન વધતા ચાલકોને પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું રિક્ષાચાલકોનું કહેવું છે. ઈંધણ અને રિક્ષાનાં સ્પેરપાર્ટ્સના ભાવ પણ આસમાને પહોંચી રહ્યાં છે, ખાનગી કંપનીની ટેક્સી, રિક્ષા, કેબની સુવિધા મળતા રિક્ષા ચાલકોને પણ ફટકો પડ્યો છે. ત્યારે જૂના ભાડામાં રિક્ષા ચલાવવી હવે પોષાય તેમ નથી. જેને લઈ રિક્ષા ચાલકોએ હાલ મિનિમમ ભાડુ ૨૦ રૂપિયાથી વધારી ૩૦ કરવા માંગણી કરી હતી. અગાઉ રિક્ષા ચાલકોએ ટ્રાન્સપોર્ટ અધિકારી અને વાહન વ્યવહાર મંત્રીને આવેદનપત્ર પણ આપ્યું હતું અને ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી. અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન, અમદાવાદ રીક્ષા ચાલક એસોસિયેશનના અગ્રણીઓએ જણાવ્યું કે ખાનગી કંપની જેવી કે, અદાણી જાે સીએનજી ગેસના ભાવમાં વધારો કરે છે, તો સરકાર કેમ ભાવ વધારો કરતી નથી. રેટ કમિટીનાં નિયમ પ્રમાણે, દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં રિક્ષા ભાડામાં રિવ્યુ કરવામાં આવે છે, પરંતુ સરકારે ૪ વર્ષથી રેટ કમિટીનો રિવ્યુ ન લેતા રિક્ષા ચાલકોએ કિલોમીટર દીઠ ૨૦ અને મિનિમમ ભાડું રૂપિયા ૩૦ કરવાની માંગણી કરી હતી જેનો સરકારે એક મહિનાનો સમય માંગ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, એપ્રીલ 2026 1980   |  
ચૂંટણીમાં વિશ્વાસ તૂટ્યો તો મારા ઘરના દરવાજા બંધ થશે : બારડ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષિત કરવા યેનકેન પ્રકારના પ્રયાસો રાજનેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગિર સોમનાથ જિલ્લાના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે. જાેકે ભગવાન બારડના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના એક નિવેદનથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સૂત્રાપાડા નજીક ગોરખમઢીમાં યોજાયેલી ભાજપની સભા દરમિયાન તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે મતદાતાઓને સ્પષ્ટ શબ્દોમાં સંદેશો આપ્યો હતો કે, મતદાન સમયે વિશ્વાસ જાળવવો ખૂબ જરૂરી છે. ધારાસભ્ય ભગવાન બારડે સભા દરમિયાન જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે છે. તેમના નિવેદનનો સાર એવો હતો કે, મતદાન સમયે કોઈ ગેરસમજ અથવા “ભૂલ” ન થવી જાેઈએ, કારણ કે તે વિશ્વાસને અસર કરી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ સમાજના સમર્થન પર આધાર રાખીને રાજકીય ર્નિણય લે છે, તેથી આ સંબંધ મજબૂત રહેવું જરૂરી છે. આ સાથે તેમણે આહીર સમાજના લોકોને મતદાનમાં ભૂલ ન કરવા કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઇ જશે. ભરોસો તોડનાર વ્યક્તિને હું નહીં સ્વીકારું, અમે તમારા વતી કોઈકને ભરોસો આપીને બેઠા છીએ એટલે તમારો અને મારો વિશ્વાસ ન તૂટે એનું ધ્યાન રાખજાે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, એપ્રીલ 2026 2376   |  
મહાનગર પાલિકામાં નોકરી અપાવવાની વાતમાં ફસાવીને ૧૬ યુવકો સાથે ૨.૪૪ કરોડનુ ચીટિંગ

મહાનગર પાલિકામાં નોકરી તથા આવાસમાં મકાન અપાવવાના નામે ૧૬ વ્યક્તિ પાસે ૨.૪૪ કરોડ રૂપિયા પડાવી લેનાર જનાદેશ પ્રેસનાં માલિક રાજુ ચૌધરી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. મળતી માહિતી અનુસાર ડિંડોલી સ્થિત પ્રિયંકા ન્યુસિટીમાં રહેતાં પ્રહલાદ સુખદેવ પાટીલ પેપર ડીસ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. તેમનો કુટુંબી ભાઇ દિનેશ શિવાજી પાટીલ પ્રેસ મીડીયા માં નોકરી કરતો હોય તેના થકી પ્રહાલ પાટીલને જનાદેશ પ્રેસના માલિક રાજેન્દ્રભાઈ દીનકર ચૌધરી સાથે મુલાકાત થઇ હતી. ત્યારબાદ પ્રહલાદ અવાર નવાર ચૌધરીની ખટોદરા, મહાત્માવાડી ખાતે આવેલી ઓફિસે ચૌધરીને મળવા જતાં હતાં.વર્ષ ૨૦૨૪માં રાજેન્દ્ર ચૌધરીએ પ્રહલાદને જણાવ્યું હતું કે, કોઈને એસએમસીમાં નોકરી જોઇતી હોય, એસએમસી દ્વારા બનાવાતા આવાસમાં મકાન જોઇતા હોય તો કહેજો, હું એ કામ કરી આપીશ. પ્રહલાદે તેમના દિકરા માટે મકાન લેવાનું જ હતું એટલે મને અપાવો એમ કહ્યું હતું. જેમાં ચૌધરીએ હાલ અડાજણ ખાતે ચાલી રહેલી સાઈટ બતાવી ૧૨થી ૧૩ લાખમાં કામ કરી આપીશ એવી વાત કરી હતી. પ્રહલાદે હા પાડવા સાથે ચૌધરીના માંગ્યા પ્રમાણે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ દોઢ લાખ રૂપિયા આપ્યા હતાં. ત્યારબાદ પ્રહલાદે તેમનાના સાઢુભાઈ ભીમરાવ આધાર પાટીલનાં જમાઈ વિજય તારાચંદ પાટીલને એસ.એમ.સી. (જીસ્ઝ્ર) મા નોકરી અપાવવાની વાત ચૌધરીને કરી હતી. ચૌધરીએ નોકરી મળી જશે એવો વિશ્વાસ ભરોસો જતાવી ફોર્મ ભરવા પેટે જ ૧૬,૭૦૦ રૂપિયા લઇ લીધા હતાં. ચૌધરીએ આપેલું ફોર્મ વિજય પાસે ભરાવી ડોક્યુમેન્ટ સાથે પરત કરાયું હતું. બાદમાં ચૌધરીએ વોટ્સએપથી ઇસી કોડ મોકલાવ્યો હતો. ત્યારબાદ ચૌધરીની માંગણી અનુસાર વિજય પાટીલની નોકરી માટે ટુકડે ટુકડે કરી કરી કુલ ૧૫,૧૬,૭૦૦ રૂપિયા ચૂકવી દેવાયા હતાં. આ રીતે પ્રહલાદ પાટીલ હસ્તક તેમના સગા સંબંધી એવા (૧) નીલેશભાઈ સુરેશભાઈ પાટીલ (૨) વિજયભાઈ તારાચંદ પાટીલ (૩) કીર્તી સતીષ ગોહર (૪) સાગર દેવીસીંગ (૫) નરેન્દ્ર દેવેસીંગ (૬) કલ્પેશ સુનીલ કદમ (૭) ગોપાલ નામદેવ પાટીલ (૮) દીપાલી નીલેશ પાટીલ (૯) આનંદ શૈલેન્દ્ર પાટીલ (૧૦) વૈભવ અનીલ પાટીલ (૧૧) આદીત્ય પંડીત ભદાણે (૧૨) ક્રિષ્ણા પવનકુમાર શર્મા (૧૩) સાગર ભાનુદાસ સોનાર (૧૪) અર્ચના સાગર સોનાર (૧૫) શૈશવ દીપક પાટીલ (૧૬) ભાવેશ હીતેશ ગાયકવાડ વિગેરેએ કુલ ૨,૪૨,૬૭,૨૦૦ રૂપિયા ચૂકવ્યા હતાં. આટલા રૂપિયા લીધા બાદ ચૌધરીએ એકેય જણાને નોકરી અપાવી ન હતી. જેથી પ્રહલાદ પાટીલે રાજેન્દ્ર ચૌધરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજેન્દ્ર ચૌધરીએ નોકરીની ખોટી જાહેરાતો બતાવી ભરમાવ્યા હતાં પ્રહલાદ પાટીલે આપેલી ફરિયાદમાં ચૌધરી દ્વારા અપાયેલા ઇસી કોડ પણ પોલીસને આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં પોલીસે રાજેન્દ્ર દિનકર ચૌધરી દ્વારા અપાયેલા ઈ.સી. કોડ સુરત મહાનગર પાલિકા કચેરી ખાતેથી ઇશ્યુ થયેલ છે કે કેમ? તથા આ ઈ.સી.કોડ મુજબની નોકરી અંગેની જાહેરાત આપવામાં આવી હતી કે કેમ? તેની તપાસ કરાઇ હતી. જેમાં એસએમસીએ લેખિતમાં એવું આપ્યું હતું કે, એ ઇસી કોડ પ્રમાણેની નોકરી માટે કોઇ જાહેરાત આપવામાં આવી ન હતી. આ રીતે રાજેન્દ્ર ચૌધરીએ એસએમસીની નોકરી માટેની ખોટી જાહેરાત બનાવી, ખોટા ઇસી કોડ આપી નોકરીવાંચ્છુ યુવકો પાસે પૈસા પડાવી લીધા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, એપ્રીલ 2026 1782   |  
કાપોદ્રાથી અપહ્યુત ત્રણ વર્ષની બાળકીને ૫૦૦ કિલોમીટર દૂર તરછોડી દેવાઇ

કાપોદ્રામાં ઓવરબ્રિજ નીચે માતાની પડખે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે તુરંત તપાસ હાથ ધરતાં સીસી કેમેરા થકી અપહરણકારનું પગેરુ દાબી બાળકીને મધ્યપ્રદેશના રતલામથી ૫૦ કિલોમીટર દૂર બાજના ગામેથી શોધી કાઢી હતી. જો કે અપહરણકર્તા બાળકીને બાડના ગામે બસ સ્ટેન્ડ પાસે મૂકીને ફરાર થઇ ગયો હોય તેની શોધખોળ કરાઇ રહી છે. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકાના મીઠાપર તાલુકાના એક ગામની ૩૦ વર્ષીય પરિણીતા ત્રણ વર્ષની બાળકી સાથે બે દિવસ પહેલાં જ સુરત આવી હતી. સુરતમાં તેનાં પરિચિત વિક્કી સાથે સાથે છેલ્લા બે દિવસથી નાનાવરાછા બ્રિજ નીચે આવેલા શૌચાલયની ફૂટપાથ નીચે રહેતી હતી. ૨૦મી તારીખે કડિયાકામની મજૂરીનાં પહેલાં દિવસે કામ કરીને થાકી ગયેલી આ યુવતી રાત્રે આઠ વાગ્યે જ ગાઢ નિંદ્રામાં સરી પડી હતી. દરમિયાન રાત્રે એક વાગ્યાના અરસામાં અચાનક ઊંઘ ઉડી ગઇ હતી. પડખામાં સૂતેલી ત્રણ વર્ષીય બાળકી ગુમ જોવા મળી હતી. બાળકી ગુમ હોવાનું જાણી બૂમાબૂમ કરતા જ અહીં સૂતેલા બીજા લોકો પણ જાગી ગયા હતા અને બાળકીની શોધમાં લાગી ગયા હતા. કલાકોની શોધખોળ બાદ પણ બાળકી નહિ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મામલો બાળકીનો હોય કાપોદ્રા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. બાળકીની ભાળ મેળવવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરતા ત્રીસેક વર્ષ ઉંમરનો વ્યક્તિ બાળકીનું અપહરણ કરી જતો દેખાઈ આવ્યો હતો. આ યુવકે રાત્રે સાડા નવ વાગ્યે બાળકીને ઉપાડી હતી. બાદમાં તે રિક્ષામાં બેસી સીધો રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશનથી ૧૦:૧૦ વાગ્યે ઇન્દોર તરફ જતી દૌન્ડ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ગયો હતો. સીસી કેમેરા થકી આ મૂવમેન્ટ ટ્રેસ થતાં ક્રાઇમ બ્રાન્ચે સુરતથી ઈન્દોર તરફ ૧૦ રેલવે સ્ટેશનો પર આર.પી.એફ. જી.આર.પી.એફ, રેલવે પોલીસ સાથે વાતચીત કરી રેલવે સ્ટેશનો ચેક કરવા સૂચના અપાઇ હતી.સુરત ક્રાઈમબ્રાંચ દ્વારા અલગ અલગ ૭૦ માણસોની પાંચ ટીમ બનાવવામાં આવી હતી. આ પૈકી રતલામ પહોંચેલી ટીમે ત્યાંના સીસી કેમેરા ચેક કર્યા તો અપહરણ કરનાર યુવક એ બાળકીને લઇ રેલવે સ્ટેશનની બહાર નીકળી પેસેન્જર ટેમ્પોમાં બેસતો દેખાયો હતો. ટેમ્પો ગયો એ દિશામાં તપાસ આગળ કરાઇ તો તે આગળ જઇ બસમાં બેસી ગયાનું જણાયું હતું. પોલીસે આ બસ પણ આઇડેન્ટિફાઇડ કરી ડ્રાઇવરનો સંપર્ક કરતા તેણે એ યુવક બાળકીને લઇ રતલામની ૫૦ કિલોમીટર દૂર બાજના બસ સ્ટેશને ઉતર્યાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાજના પહોંચી અને બાળકીને શોધી કાઢી હતી. બાજના બસ સ્ટેન્ડ પાસે શાકભાજી વેચનારી મહિલા પથદર્શક બની રતલામમાં બસ ડ્રાઇવરને જણાવેલી માહિતીનાં આધારે ક્રાઇમબ્રાન્ચની ટીમ તુરંત પચાસ કિલોમીટર દૂર બાજના ગામ પહોચી હતી. જ્યાં બસ સ્ટેન્ડ આગળ સી.સી.ટીવી ન હોય અહીંથી એ યુવક કંઇ દિશામાં ગયો હશે એ જાણવું મુશ્કેલ બન્યું હતું. આવામાં વહેલી સવારે ત્યાં હાજર લોકોની પુછપરછ શરૂ કરી હતી. જેમાં શાકભાજી વેચાણ કરતી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે ગઇકાલે સવારે એક વ્યક્તિ નાની બાળકીને અહીં મૂકીને જતો રહ્યો હતો, જેને અમે પોલીસને સોંપી દીધી હતી. આ કડી મળતાં ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં ખાતરી કરાતાં સુરતથી અપહરણ કરાયેલી બાળકી મળી આવી હતી. બાળકીનું અપહરણ કોણે અને શા માટે કર્યું હતું એનું રહસ્ય હજી અકબંધ અપહરણ બાદ પરિણીતાએ પોલીસને જણાવ્યું હતુ કે તે ત્રણ દિવસ પહેલા મોટી બે દીકરીઓને પતિ પાસે મૂકીનાની બાળકીને લઇ સુરત આવી અને વિક્કી સાથે રહેતી હતી. પરિણીતાએ ઓવરબ્રિજ પાસે જ પડ્યો પાથર્યો રહેતો પિન્ટુ અથવા તો તેણીનો પતિ જીવરાજ બાળકીને લઇ ગયાની આશંકા વ્યક્ત કરી હતી. જો કે તપાસમાં એ બંને નિર્દોષ જણાયા હતાં. બાદમાં સીસી કેમેરામાં અપહરણકાર દેખાયો પરંતુ તેની ઓળખ હજી થઇ નથી. એ યુવક શા માટે બાળકીને ઉપાડી ગયો અને કયા કારણો કે સંજોગોમાં તેણે એ માસૂમને બાજના બસ સ્ટેશન પાસે તરછોડી દીધી એનું રહસ્ય હજી અકબંધ રહેવા પામ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, એપ્રીલ 2026 2178   |  
૩૦ વર્ષમાં ભ્રષ્ટાચારનો વિકાસ કરનાર ભાજપ વિકાસનાં નામે મત માગી શકે તેમ નથી

ભાજપ શાસનનાં ૩૦ વર્ષનાં શાસનમાં સુરત મહાનગર પાલિકાનો વિસ્તાર વધ્યો, વસતી વધી, બજેટનો વ્યાપ વધ્યો પરંતુ શહેરીજનોની સમસ્યાઓ તો ઠેરની ઠેર જ રહી. ડબલ અને ત્રિપલ એન્જિનનાં શાસનમાં વિકાસની દુહાઇ દેવામાં આવે છે પરંતુ કરોડો રૂપિયાનો વેરો ભરનાર શહેરીજનોને નિરંતર ગુણવત્તાવાળી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તેના વિશે ચૂંટણીની જાહેરસભામાં ભાજપનાં નેતાઓ કેમ કંઇ બોલતા નથી. સુરત મહાનગર પાલિકાનું બજેટ ૧૧,૦૦૦ કરોડને પાર પહોંચી ગયું છે પણ એ બજેટમાં વિકાસ કામો માટે જે ફાળવણી કરવામાં આવે છે તેને પણ પહોંચી વળાતું નથી. દર વર્ષે ચોમાસામાં નવા બનાવેલાં રસ્તાઓ તૂટીને ખાડાગ્રસ્ત બની જાય, દર વર્ષે ખાડીપૂર આવે એટલે લોકોએ મુંગામોંઢે સહન કરી લેવાનું. રસ્તાઓની ખરાબ ક્વોલિટી અંગે આજદિન સુધી એક પણ કોન્ટ્રાક્ટરને બ્લકલિસ્ટ કર્યો હોવાનું યાદ નથી. કોન્ટ્રાક્ટરની કેટલી તરફેણ કરવી તે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલથી વધારે કોણ જાણી શકે. ગ્રીનડિઝાઇનને કોન્ટ્રાક્ટ અપાવવા સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો તેનાથી કોઇ અજાણ નથી. ખજાેદનાં વેસ્ટ ડિસ્પોઝલ સાઇટનાં કોન્ટ્રાક્ટર નુરૂદ્દિનને ખરાબ કામગીરી માટે ૭૦ જેટલી નોટિસો ફટકારાઇ પરંતુ તેને બ્લેકલિસ્ટ કરવાની હિંમત ભાજપ શાસકોએ દાખવી નથી એટલું જ નહીં, નુરૂદ્દિનનાં સુપુત્રને વાપી નગરપાલિકાની ટીકિટ આપીને શિરપાવ પણ ભાજપ નેતાગીરીએ આપ્યો એટલે ભ્રષ્ટાચારનો સડો કેટલે ઉંડે સુધી ખુપી ગયો છે તેની સાબિતી મળે છે. એક પણ ટેન્ડર વ્યવહાર વિના મંજૂર થતું નથી, ભાજપનાં ચૂંટાયેલાં નેતા-પદાધિકારીઓની ચૂંટણી એફિડેવિટ ચકાસીએ તો પણ ભ્રષ્ટાચારનાં વિકાસની સાબિતી મળી શકે છે. મહાનગર પાલિકામાં પાંચ વર્ષનાં શાસન દરમિયાન જ આ પદાધિકારીઓએ પોતાની બેંક બેલેન્સ અને મિલકતમાં જે વિકાસ કર્યો છે તેવો વિકાસ સામાન્ય પ્રજાજનોનો નથી થતો.સુરતની પ્રજા ખરેખર અતિસહિષ્ણુ છે એટલે શાસકપક્ષનાં નેતાઓ હેમખેમ જાહેરમાં ફરી શકે છે. રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ, આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ગુણવત્તા સાથે નિરંતર આપવાની શાસકોની મુખ્ય જવાબદારી હોય છે પરંતુ તેની તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે મેન્ડેટરી ના હોય તેવા પ્રોજેક્ટ્સ પાછળ કરોડો રૂપિયા ખર્ચીને માત્ર વાહવાહી મેળવનાર ભાજપ શાસકો પ્રજાલક્ષી નહીં પરંતુ પ્રોજેક્ટલક્ષી વિચારસરણી પાછળ દોડી રહ્યાં છે. પ્રાથમિક સુવિધાઓનાં સો ટકા લક્ષ્યાંક સિદ્ધ થયાં નથી. સુરત મહાનગર પાલિકામાં સમાવેશ કરાયેલાં બે નગર પાલિકા અને ૨૭ ગામડામાં ચાર વર્ષ પછી પણ લોકોની સુખાકારીમાં કોઇ જ બદલાવ આવ્યો નથી ત્યારે વિકાસની વાતો હવા ભરેલાં ફુગ્ગા જેવી લાગે છે. લોકોને જે સુવિધાઓ જાેઇએ છે તેમાં કોઇ સુધારો નથી થયો એટલે ચૂંટણીટાંણે વિકાસ બતાવવા માટે ડેડએન્ડ જેવા ભેસ્તાન બ્રિજનું ઉતાવળે ઉદ્ધાટન કરી શાસકોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું તો હવે છેલ્લા છેલ્લા દિવસોમાં મેટ્રોરેલ અને ડબલડેકર બસનાં ટ્રાયલ રનનું નાટક પણ કરવામાં આવ્યું. વિકાસ એટલે લોકોની સુકાકારીની સુવિધાનો વિકાસ હોય પરંતુ તેવો વિકાસ તો થયો નથી ત્યારે વિકાસનાં નામે ભાજપ શાસકો મત માગી શકે તેવી સ્થિતિમાં નથી. સેવાને બદલે પ્રસિદ્ધિ અને એવોર્ડને શાસનનો લક્ષ્યાંક બનાવીને વહિવટ કરવામાં આવતો હોવાથી અધિકારીઓ પણ નાગરિકોની સેવા-સમસ્યાઓની અવગણના કરતાં થઇ ગયાં છે. સુરત મહાનગર પાલિકાનાં વહિવટમાં ભ્રષ્ટાચારનો વિકાસ થયો અને સાથે સાથે ભાજપનાં કોર્પોરેટરો અને નેતાઓનો પણ આર્થિક વિકાસ થયો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, એપ્રીલ 2026 2277   |  
વરાછા વિસ્તારમાંથી કમી થઇ ગયેલાં ૬૪,૩૩૪ મતદારો ભાજપ નેતાગીરી માટે ચિંતાની બાબત

જેમ જેમ પાલિકાની ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા ભાજપનાં કાર્યાલયોમાં ગભરાટ મચી રહ્યો છે. એવા અનેક પરિબળો છે જેને કારણે આ વખતે પણ વરાછા રોડ પર ભાજપનાં ઉમેદવારો પરાજયનો સ્વાદ ચાખવો પડે તેવી સ્થિતિ પેદા થવા માંડી છે. મતદાન નજીક આવતા જ ગઇ ચૂંટણીઓમાં થયેલા મતદાનના લેખાંજાેખાં મંડાય રહ્યા છે અને સાથે જ તાજેતરમાં સંપન્ન થયેલી મતદાર યાદી રિવિઝનની કામગીરી બાદ એવી વિગતો સપાટી પર આવી છે કે એકલા વરાછા રોડ પર જ ભાજપનાં ગોલ્ડન વોટ ગણાતા હતા એવા ૬૪૩૩૪ મતદારોનાં નામ નીકળી ગયા છે. એટલે કે આટલી મોટી સંખ્યામાં મતદારોએ પોતાના નામે બે સ્થળોની મતદાર યાદીમાં હોઇ, સુરત છોડીને વતનની મતદાર યાદીમાં નામ ચાલુ રાખવા માટે ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા હોઇ, સુરતનાં એકલા વરાછા વિધાનસભા વિસ્તારમાંથી જ આટલી મોટી સંખ્યામાં મતદારો નીકળી જતા ભાજપનાં ઉમેદવારોમાં ખાસ્સી અકળામણ જાેવા મળી રહી છે.મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે માંડ ૪૮ કલાક બાકી રહ્યા છે ત્યારે એક સમયે ભાજપનો ગઢ ગણાતા વરાછા રોડ વિસ્તારમાં આવતા પાલિકાનાં વોર્ડમાં આ વખતે બીજી વખત આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો જીતી જાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અન્વયે ગત ફેબ્રુઆરીમાં જ પૂર્ણ થયેલી પ્રક્રિયા બાદ વરાછા રોડ વિધાનસભા વિસ્તાર કે જેમાં સુરત મહાનગરપાલિકાનાં ચાર વોર્ડ સમાવિષ્ટ છે, આ ચારેય વોર્ડ વિસ્તારમાંથી બસ્સો-પાંચસો નહીં પણ ૬૪૩૩૪ મતદારો સ્થળાંતર કરી ગયા હોવાનું નોંધાયું છે. આ મતદારો જીૈંઇ સુરતમાં પણ લિસ્ટેડ હતા અને વતન સૌરાષ્ટ્રમાં પણ જે તે વિધાનસભા વિસ્તારની મતદાર યાદીમાં સામેલ હતા. જીૈંઇને કારણે બેમાંથી એક જગ્યા પર ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના હતા. આટલા મતદારોએ સુરતમાંથી નામ કમી કરાવીને સૌરાષ્ટ્રમાં પોતાના વતનની વિધાનસભા વિસ્તારમાં નામ ચાલુ રખાવ્યું છે. જેને કારણે આ વખતની પાલિકાની ચૂંટણીમાં વરાછા વિસ્તારનાં દરેક વોર્ડમાં ૧૪થી ૧૬ હજાર જેટલા મતદારો ઘટી ગયા છે. ભાજપના ઉમેદવારો માટે આ પરિસ્થિતિ અકળાવનારી બની છે. કેમ કે આમ પણ ગરમીને કારણે મતદાન ઓછું થવાની શક્યતા છે અને તેમાં વોર્ડ વિસ્તારમાંથી ૨૦થી ૨૪ ટકા જેટલા મતદારો પહેલેથી ઘટી ગયેલા છે. પરિણામે ઓછું મતદાન થશે એ નિશ્ચિત બન્યું હોઇ, ભાજપ માટે ઓછું મતદાન એટલે સીટ ગુમાવવાનો વખત આવે તેવું રાજકીય ગણિત મંડાય રહ્યું છે. બીજી તરફ જે રીતે વરાછા અને કતારગામ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો અને તેમની સભાઓમાં પબ્લિક ઉમટી રહી છે અને બીજીતરફ ભાજપનાં શિર્ષસ્થ નેતાઓની રેલી તથા સભામાં જાેવા મળતી ભીડ જાેતા ભાજપ માટે આ વખતે પણ કપરાં ચઢાણ હોવાનું જણાઇ રહ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 2673   |  
દમણમાં થ્રી સ્ટાર હોટેલ સાથેનાં પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનાર બે વેપારી સાથે ૧.૨૬ કરોડનું ફ્રોડ

બમરોલી રોડ, ઓપેરા હાઉસની બાજુમાં કિરણ મોટર્સની ઉપર ઓફિસ ધરાવતા બિલ્ડર ભરત ભારવાનીએ દમણના કથીરીયાના ગામે સ્કાય ડેક નામનો પ્રોજેક્ટ મુક્યો હતો. બુકિંગના નામે પૈસા લેનારા બિલ્ડરે રોકાણકારો સાથે કરોડોનું ચીટિંગ કર્યું હતું. ખટોદરા પોલીસ મથકના સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પીપલોદમાં જીમખાના રોડ ઉપર ઝીંઝર હોટેલ પાસે ચેવલી બંગલોમાં અરવિંદ નટવરલાલ ચેવલી તેમના પરિવાર સાથે રહે છે. ટેક્સટાઇલનો વેપાર કરતાં અરવિંદ ચેવલીને કન્સ્ટ્રક્શનનાં ધંધા સાથે સંકળાયેલા ભરત મોહનદાસ ભારવાની (ઉર્ફે ભરત સિંધી), (રહે. મોનાલીસા પાર્ક, સિટી લાઇટ રોડ, અને વિજય હરેન્દ્રલાલ મહેતા (રહે, નીતા સોસાયટી,તાડવાડી રાંદેર રોડ) સાથે ઓળખ પરિચય હતો. નવા બમરોલી રોડ ઉપર ઓપેરા હાઉસની બાજુમા કિરણ મોટર્સની ઉપર આવેલી ઓફિસમાં થયેલી મિટીંગમાં ભરત ભારવાનીએ જણાવ્યું હતું કે, તેમણે દમણ ખાતે એક સાઇડ ચાલુ કરી છે. થ્રી સ્ટાર હોટેલ અને ફ્લેટ સહિત ૧૧ માળના આ પ્રોજેક્ટમાં સસ્તા ભાવે મકાન આપવાના હોય તમો કોઈ ઇન્વેસ્ટ કરવા ઇચ્છતા હોય તો જણાવજો. ભરતની આ વાતમાં ચેવલીએ રસ દાખવ્યો હતો. ત્યારબાદ બિલ્ડર ભરતનાં કહેવાથી દમણનાં કથીરીયા ગામે સર્વે નંબર- ૭૭/૧(૪) તથા સર્વે નંબર-૭૭/૧(૫) થી નોંધાયેલી જમીન ઉપર બાંધવામાં આવનારા “સ્કાય ડે”નામની બિલ્ડિંગમાં ચેવલી અને તેના મિત્રએ ફ્લેટ બુક કરાવ્યા હતાં. ચેવલી અને મહેતાએ ૦૩ જુલાઇ, ૨૦૧૭થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન ફ્લેટનાં કુલ ૧,૨૫,૬૪,૦૦૦ રૂપિયા વસૂલી લીધા હતા. બિલ્ડરે પૈસા લઇ કબજા રસીદ તો બનાવી આપી પરંતુ પ્રોજેક્ટ પુરો કરી ફ્લેટનો કબજો સોંપ્યો ન હતો. એટલું જ નહીં એ ફ્લેટ ફરી અન્યોને વેચી દસ્તાવેજ પણ કરી આપ્યાનું ચેવલીને જાણવા મળ્યું હતું. આ રીતે વિશ્વાસઘાત છેતરપિંડી કરનારા બિલ્ડર ભરત મોહન ભારવાની અને દલાલ વિજય હરેન્દ્રલાલ મહેતા સામે ચેવલીએ ફરિયાદ નોંધાવી હતી.વિશ્વાસઘાત છેતરપિંડીના સાત ગુનાઓ અને ચેક રિટર્નના ૩૫ કેસ નોંધાયેલા છે થ્રી સ્ટાટ હોટેલ સાથે અપાર્ટમેન્ટનું આયોજન મૂકી બુકિંગના નામે ફ્રોડ કરનારા બિલ્ડર ભરત ભરવાનીની આર્થિક ગુના નિવારણ શાખાના સબ ઇન્સપેક્ટર જે. આર. પવારે ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન એવી વાત બહાર આવી છે કે, ભરત મોટી માયા છે. તેની સામે વિશ્વાસઘાત છેતરપિંડીના ખટોદરા, સચિન અને અઠવાલાઇન્સ પોલીસ મથકમાં સાત ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. અઠવાલાઇન્સ પોલીસે બિલ્ડરની પાસા હેઠળ અટકાયત પણ કરી છે. આ ઉપરાંત ભરત સામે ચેક રિટર્નના ૩૫ જેટલા કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution