આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, એપ્રીલ 2026
2475 |
ધ્રાંગધ્રામાં ‘બલિ’ માટે તાંત્રિક મહિલાએ બાળકનો જીવ લીધાની આશંકા, લોકોમાં આક્રોશ
ધ્રાંગધ્રા શહેરમાં એક અત્યંત હૃદયવિદારક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માત્ર ચાર વર્ષના નિર્દોષ બાળકની ર્નિમમ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનામાં અંધશ્રદ્ધા અને તાંત્રિક પ્રથાઓનો ભયાનક ચહેરો બહાર આવ્યો છે. બાળક કાર્તિકના રહસ્યમય મૃત્યુ પાછળ તાંત્રિક વિધિઓ અને ખોટા ધાર્મિક દાવાઓ જવાબદાર હોવાની શંકાએ સમાજને હચમચાવી દીધો છે. આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે અંધવિશ્વાસ કેટલો ખતરનાક બની શકે છે. મૃતક બાળક કાર્તિકના પિતા ફારુકભાઈ બળદેવભાઈ એછવાડિયા અને તેમના પરિવારને પહેલેથી ચાર દીકરીઓ હતી. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા આ પરિવારે પડોશમાં રહેતા રેહાનાબેન પર વિશ્વાસ કર્યો હતો. આ મહિલા પોતાને માતાજીના ભુવા તરીકે ઓળખાવતી હતી અને તેણે પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે ‘બાધા’ આપવાનો દાવો કર્યો હતો. સમય જતાં ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પરિવારમાં પુત્રનો જન્મ થયો. જેને કાર્તિક નામ આપવામાં આવ્યું. જાેકે બાળકના જન્મ બાદ તાંત્રિક મહિલાએ પશુ બલિ આપવાની માંગણી કરી હતી. જેને બાળકની માતાએ સ્પષ્ટપણે નકારી કાઢી હતી. આ મુદ્દે થયેલા વિવાદ પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. ૪ એપ્રિલના રોજ કાર્તિક પોતાના ઘરની નજીક રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો. પરિવારે તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી. પરંતુ કોઈ સફળતા મળી નહોતી. થોડા સમય બાદ શંકાસ્પદ પરિસ્થિતિઓ વચ્ચે તાંત્રિક મહિલાના ઘરમાં આવેલા પાણીના ટાંકામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી અને પરિવાર તેમજ સ્થાનિકોમાં ભારે દુ:ખ અને રોષ ફેલાયો. આશ્ચર્યજનક રીતે શરૂઆતમાં પરિવારે કોઈ કાયદેસર કાર્યવાહી કર્યા વિના જ બાળકના મૃતદેહને દફનાવી દીધો હતો. પરંતુ સમય જતાં હત્યાની શંકા વધુ મજબૂત બનતા લગભગ ૧૨ દિવસ બાદ ધ્રાંગધ્રા પોલીસ પાસે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને મૃતદેહને કબરમાંથી બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો. તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા આરોપી તાંત્રિક મહિલા સામે હત્યા, કાળા જાદુ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો અને તેની ધરપકડ કરવામાં આવી. આ ઘટના માત્ર એક ગુનાહિત કૃત્ય નથી. પરંતુ સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. અંધશ્રદ્ધા અને ખોટા ધાર્મિક દાવાઓના નામે લોકો કેવી રીતે ભ્રમિત થાય છે અને તેનો અંત કેટલો ભયાનક બની શકે છે. તે આ બનાવે સ્પષ્ટ કર્યું છે. નિર્દોષ બાળકની હત્યાએ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને લોકો હવે આવા તાંત્રિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ કેસ સમાજને જાગૃત રહેવા અને વૈજ્ઞાનિક વિચારધારા અપનાવવાની જરૂરિયાત તરફ સંકેત આપે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, એપ્રીલ 2026
2376 |
ચૂંટણી પહેલાં નણંદ નયનાબા અને ભાભી રીવાબા વચ્ચે શુભેચ્છાના નામે મ્હેણાટોણાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આખા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચારની સાથે સાથે એકબીજાના ઉમેદવારોને વાકબાણોથી પાડવાનું પણ કામ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં બહુચર્ચિત સૌરાષ્ટ્રના નણંદ ભાભીની જાેડી ફરી ચર્ચામાં આવી છે. નયનાબા અને રિવાબાએ એકબીજાને શુભેચ્છાની સાથે મ્હેણા ટોણા પણ માર્યા હતાક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાએ પોતાના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી હતી. જાેકે, આ મુદ્દો હાલ ચર્ચાનું કારણ બન્યો છે. નયનાબા જાડેજાએ ભાભીએ આપેલી શુભેચ્છા અંગે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના જે કોઈ વ્યક્તિઓ મને શુભેચ્છા પાઠવી રહ્યા છે તેમનો આભાર. રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ સાથે જાેડાયેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છાઓ પાઠવી હતી. શુભેચ્છાની સાથે તેમણે ભાજપની જીતનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ચૂંટણી લડનાર દરેકને મારી શુભેચ્છાઓ છે, પરંતુ મને ભાજપના કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે. આગામી ૨૮ તારીખે જ્યારે પરિણામ આવશે, ત્યારે જીત તો ભારતીય જનતા પાર્ટીની જ થશે.” રીવાબાની આવી શુભેચ્છા પર નયનાબા જાડેજાએ હસતાં હસતાં પ્રતિક્રિયા આપી હતી. નયનાબાએ આ અંગે જણાવ્યું હતું કે, “શુભેચ્છા આપવા બદલ હું તેમનો આભાર માનું છું, પરંતુ આ જે નિવેદનો છે તે તેમનો ‘ઓવર કોન્ફિડન્સ‘ છે એટલે એ લોકો કોઈ સેટિંગ કરવાના લાગે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, એપ્રીલ 2026
2574 |
જૂનાગઢના શીલ પોલીસ સ્ટેશનના પકડાયેલા આરોપી પાસેથી બેંકની ૨૫ પાસબૂક જપ્ત
અમદાવાદના મેમનગરમાંથી જૂનાગઢનો શીલ પોલીસ સ્ટેશનના સાયબર છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતો ફરતો આરોપી કેવિન દેકીવાડીયાને ર્જીંય્ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી કેવિન દેકીવાડીયા, જે મૂળ જૂનાગઢના ઝાંઝરડા રોડનો રહેવાસી છે, તે અમદાવાદના મેમનગર સ્થિત નિલમણી સોસાયટીના ઓક્સફોર્ડ ટાવરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. આ બાતમીના આધારે ર્જીંય્ની ટીમે દરોડો પાડીને તેની અટકાયત કરી હતી. આરોપી પાસેથી જુદીજુદી બેંકોની ૨૫ પાસબુકો, ૪૩ જેટલા એટીએમ કાર્ડ્સ, ૨૩ સીમકાર્ડ અને ૫ મોબાઈલ ફોન મળી આવ્યા છે.આટલી મોટી સંખ્યામાં પાસબુક અને એટીએમ કાર્ડ મળી આવતા પોલીસને આશંકા છે કે આ એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો ભાગ હોઈ શકે છે. હાલમાં આ તમામ મુદ્દામાલ બાબતે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગથી જાણવાજાેગ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આટલા બધા બેંક એકાઉન્ટ્સ અને સીમકાર્ડનો ઉપયોગ કોના નામે અને કઈ રીતે કરતો હતો. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, એપ્રીલ 2026
3465 |
લીંબડીમાં મધરાત્રે મકાનમાં આગ લગતા ૨ વ્યક્તિના મોત, એક સારવાર હેઠળ, આગ લાગવાનું કારણ અકબંધ
લીંબડી શહેરમાં મોડી રાત્રે બનેલી આગની ઘટનામાં ૨ લોકોના કરૂણ મોત થયા છે. વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલ વોરા સોસાયટીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી, જેમાં બે લોકોનાં દુ:ખદ મોત નિપજ્યાં છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ રાત્રિના સમયે આગ લાગી તે વખતે મકાનમાં કુલ ત્રણ લોકો હાજર હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેઓ બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. દુર્ભાગ્યે એક મહિલા અને એક પુરુષ આગની ઝપેટમાં આવી જતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ત્રીજા વ્યક્તિને બચાવ ટીમે સમયસર બહાર કાઢી લીધો હતો અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે મકાનમાં લગાવવામાં આવેલ એર કન્ડીશનર (એ.સી.)માં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. જાેકે, આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે ભારે મહેનત કરવી પડી હતી, કારણ કે મકાનના અંદરના ભાગમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટના બાદ સ્થાનિક રાજકીય આગેવાનો અને ધારાસભ્ય પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પીડિત પરિવારને સાંત્વના આપી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, એપ્રીલ 2026
4158 |
૭ પદયાત્રીઓનાં કમકમાટીભર્યા મોત
ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા ૭ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. આ પદયાત્રીઓ રાજકોટના ગઢકા ગામે આવેલા મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. મૃતકોમાં ૫ મહિલાઓ અને ૨ પુરુષોનો સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલકે અંદાજે ૧૦ જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પદયાત્રામાં નીકળેલા શ્રદ્ધાળુઓ સાથે થયેલી આ દુર્ઘટનાએ હાઈવે સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.સંઘ બહુચરાજી તરફ જવા નીકળ્યો હતો આ ઘટનામાં રાજકોટથી ભરવાડ સમાજનો પગપાળા સંઘ લખતરના છારદ ગામ પાસેથી નાઈટ હોલ્ડ માટે જઈ રહ્યો હતો, ત્યારે મધ્ય રાત્રે રસ્તામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો, ત્યારે એનાથી સાઈડમાં આવીને આગળ જઈ રહેલા લોકો પર પાછળથી આવતી ટ્રક ફરી વળતા છ પદયાત્રીઓ અને રસ્તામાં ટ્રકનું ટાયર બદલી રહેલા યુવાન પર બેકાબુ ટ્રક ફરી વળતા કુલ સાત લોકોના મોત નીપજ્યા હતા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યા છે. અને અકસ્માત સર્જનારા ટ્રક ચાલક આદિત્ય રમેશભાઈ ગોકનીયાને પકડી લેવામાં આવ્યો છે, જે લખતર તાલુકાના ઝામર ગામનો જ છે અને આ ટ્રક રાજકોટથી લખતર તરફ આવી રહી હતી. પાંચ મહિલા અને બે પુરુષના મોત સંઘ લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રી રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા. આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ ૭ લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
22, એપ્રીલ 2026
1881 |
વડોદરા |
યુસુફ પઠાણના સસરા અને તેમના સાળાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણના સસરાની તેમના પુત્ર અને અન્ય એક સંબંધી સાથે ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે બે દિવસ પહેલા, ભાયખલા વિસ્તારમાં એક વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે વ્યક્તિની કાર ખાડામાંથી પસાર થઈ હતી અને તેમાંથી એક પર પાણી છાંટા પડ્યા હતા. ભાયખલા પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસી યુસુફ ખાન શનિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાંથી પાણીના છાંટા પડ્યા અને શોએબ ખાન પર પડ્યા. યુસુફ ખાને પોલીસને જણાવ્યું કે તેણે કાર રોકી અને તરત જ માફી માંગી, પરંતુ શોએબે તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને વાંસની લાકડીથી કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ શોએબે યુસુફ ખાન પર હુમલો કર્યો, જેમાં તેમને ઈજા થઈ.ઘરે પાછા ફર્યા પછી, યુસુફ ખાનના પરિવારે તેને પોલીસ પાસે જવાની સલાહ આપી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં, તેમનો સામનો ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) સાથે થયો, જેણે તેના પુત્ર ઉમરશાદ ખાન, શોએબ અને અન્ય આરોપી શાહબાઝ પઠાણ સાથે મળીને દલીલ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ, ખાલિદ, ઉમરશાદ, શોએબ અને શાહબાઝે યુસુફ ખાન અને તેના સંબંધીઓ પર વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, એપ્રીલ 2026
1980 |
વડોદરા |
જમ્યાં બાદ ૪૦૦થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ગઈકાલ સોમવારે રાત્રે ભોજન સમારંભ બાદ ભોજન આરોગનાર ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલાઓને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદમાં એક તરફ લગ્નસરાની મોસમ પુર બહારમાં ખીલી છે. અને ઠેર ઠેર લગ્ન પ્રસંગોના જમણવાર યોજાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આગ ઓકતી ગરમીએ તોબા પોકારાવી દીધા છે. અને આવી આગ ઝરતી ગરમીમાં તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેત રહેવા માટે લોકોને કરવામાં આવતી અપીલ વચ્ચે ગરબાડાના અભલોડ ગામે એક લગ્ન પ્રસંગના યોજાયેલ જમણવારમાં ભોજન કર્યા બાદ ૪૦૦ થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં રીતસર દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના બાદ તાત્કાલિક ધોરણે ખોરાકી ઝેરની અસર પામેલા તમામ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ, તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતાં. જ્યારે ૨૦૦થી વધુ લોકોને ગામમાં જ સ્થાનિક ડોક્ટરો દ્વારા તેમજ ગામના સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગરબાડા તાલુકાના અભલોડ ગામના ગામતળ ફળિયામાંય રહેતા ભરતભાઈ રાઠોડના નાના છોકરાના લગ્ન હોવાથી લગ્નમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવારમાં દાળ, ભાત, પૂરી, શાક, પાપડ, કેરીનો રસ તેમજ પનીરનું શાક વગેરે વ્યંજનો બનાવવામાં આવ્યા હતા. જે ખાધા બાદ ૪૦૦ થી વધુ એટલે કે ૭૦% લોકોને ખોરાકની ઝેરની અસર થઈ હતી. સાંજના છ વાગ્યાથી શરૂ થયેલા જમણવારમાં ભોજન આરોગ્ય બાદ રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ તમામ લોકોને એક પછી એકને ખોરાકી ઝેરની અસર વર્તાતા ગામમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી તમામ અસરગ્રસ્ત લોકોને ૧૦૮ ઇમરજન્સી વાન તથા ખાનગી વાહનો તેમજ જેને જે મળે તે સાધનમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા હતા.૫૦થી વધુ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ૧૫૦થી વધુ લોકોને દાહોદની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર હશે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય અંદાજે ૨૦૦ જેટલા લોકોને ગામમાં જ હાજર પાંચ થી છ ડૉક્ટરો તેમજ પીએસસી સેન્ટરના ડોક્ટરોને બોલાવી હળ પર જ સારવાર આપવાની ગોઠવણ કરવાની ફરજ પડી હતી. આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી જેથી તંત્રએ હાશકારો લીધો છે. કેટલાકને ખોરાકી ઝેરની ગંભીર અસર થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૈકી કેટલાકને આજે સવારે રજા આપી દેવામાં આવી હોવાનું જ્યારે કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ખોરાકી ઝેરની અસર થઈ હોવાની જાણ થતા જ ફૂડ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ સફાળું જાગી ઉઠ્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
22, એપ્રીલ 2026
1881 |
વડોદરા |
મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે ઓનલાઇન ઈન્જેક્શન વેચતા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી
વડોદરા ખોરક અને ઔષધ નિયમન તંત્રની ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા ગત તા.૨૨મી ડિસેમ્બરના રોજ હાથ ધરાયેલી તપાસમાં રાજ્યમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વડોદરાના દિવાળીપુરા, આર.કે પ્લાઝા સ્થિત હેક્સપ્રેસ હેલ્થકેર કન્સ્યુમર લી,ની શંકાસ્પદ ભૂમિકા જણાતા તેની તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં સારાભાઈ રોડ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે આવેલ એટલાન્ટીસ કોમ્પલ્ક્સમાં આવેલ મેડીકેમેન્ટ સોલ્યુશન પ્રા.લી. નામના મેડીકલ સ્ટોરનું નામ પ્રકાશમાં આવ્યુ હતુ.આ મેડીકલ સ્ટોર દ્વારા મેદસ્વીતા ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા મોન્જારો ક્વીકપેન નામના ઈન્જેક્શનનું વેબસાઈટ પર ભ્રામક જાહેરાતો દ્વારા ગેરકાયદસર રીતે વેચાણ કરવામાં આવતુ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.ત્યારે તંત્રના અધિકારીઓ બનાવટી ગ્રાહક બનીને ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. જેમાં દવા-ઈન્જેક્શન ભરેલુ પાર્સલ, પોસ્ટ મારફતે મળતા જેનુ પંચનામું કરીને કાર્યવાહી કરાઈ હતી. સંસ્થાઓ અને સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા મેળાપીપણુ રચીને ડોક્ટરની સલાહ કે માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન ઓર્ડર મેળવીનેે દર્દીની શારીરીક સ્થિતિની તપાસ કર્યા વગર સીધાજ ધરના સરનામે આ દવાઓ કુરીયર દ્વારા મોલલવામાં આવતી હતી. પ્રક્રિયામાં દવાની ગંભીર આડઅસરો છુપાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતા હતા. તંત્ર દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટના ભંગ બદ્દલ મે.સ. મોડીકેમેન્ટ સોલ્યુશન્સ પ્રા. લી.નું લાયસન્સ તાત્કાલીક કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું હતુ.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, એપ્રીલ 2026
1881 |
વડોદરા |
જનતાનું કામ હોય તો આચારસંહિતા નડે, તો શું આને કોઈ નિયમ નથી નડતા?
વડોદરા શહેર, જેને આપણે સંસ્કારી નગરી કહીએ છીએ, ત્યાં અત્યારે જે દ્રશ્યો જાેવા મળી રહ્યા છે તે સંસ્કારિતા નહીં પણ ‘સત્તાની ર્નિલજ્જતા’ના દર્શન કરાવે છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, આચારસંહિતાનો અમલ ચાલુ છે, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી)ના તંત્ર માટે આ આચારસંહિતા માત્ર જનતાના કામો રોકવા માટેનું એક બહાનું બની ગઈ છે. જ્યારે સામાન્ય નાગરિક પોતાની ગલીના ખાડા, ગંદા પાણી કે ઉભરાતી ગટરની ફરિયાદ લઈને જાય છે, ત્યારે તંત્ર ‘આચારસંહિતા નડે છે’ કહીને તેને મોઢા પર જવાબ આપી દે છે. પરંતુ, શું આ આચારસંહિતા મેયર અને ડેપ્યુટી મેયરની આલીશાન ચેમ્બરોના રંગરોગાન માટે નથી નડતી?ગુજરાત રાજ્યની જનતા જે પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરે છે, તે નાણાંનો ઉપયોગ અત્યારે જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે સત્તાના સિંહાસનોને ચમકાવવા માટે થઈ રહ્યો છે. મેયર અને ડેપ્યુટી મેયરની ચેમ્બરોથી લઈને સભાખંડ સુધી જે રીતે ફર્નિચર રિપેરિંગ અને પેઇન્ટિંગનું ‘યુદ્ધના ધોરણે’ કામ ચાલી રહ્યું છે, તે જાેઈને સવાલ થાય છે કે શું આ કોર્પોરેશન છે કે કોઈ નેતાના ઘરનો પ્રસંગ? જે ઝડપ અત્યારે સભાખંડને ‘લવિંગિયા’ જેવો લુક આપવામાં બતાવવામાં આવી રહી છે, જાે તેની દસ ટકા ઝડપ પણ શહેરના ફતેગંજ, કારેલીબાગ, રાવપુરા, અલકાપુરી કે માંજલપુરના રસ્તાઓ ઠીક કરવામાં બતાવી હોત, તો આજે જનતાએ આક્રોશ ન ઠાલવવો પડત. તંત્રની બેવડી નીતિ જુઓ, નવા રસ્તા બનાવવા હોય, પાણીની લાઈન નાખવી હોય કે સ્ટ્રીટ લાઈટ રિપેર કરવી હોય તો આચારસંહિતાનો કાયદો વચમાં આવે છે. પણ જ્યારે નવી ચૂંટાનારી બોડીના સ્વાગત માટે લાલ જાજમ બિછાવવાની હોય અને એર-કન્ડિશન્ડ ચેમ્બરોને ચકચકાટ કરવાની હોય, ત્યારે કોઈ કાયદો નડતો નથી. આને જ કહેવાય ‘લોકોને ઉલ્લૂ બનાવવાની કળા’. વડોદરા તંત્ર અત્યારે એવા બાપની ભૂમિકા ભજવી રહ્યું છે જેની પાસે દીકરીના લગ્નની તૈયારી માટે તો લાખો રૂપિયા છે, પણ આખા વર્ષ દરમિયાન ઘરના રાશન માટે પૈસા નહોતા. કોણ મેયર બનશે અને કોણ સત્તા પર બેસશે તે તો મતપેટીઓ નક્કી કરશે, પણ તંત્રએ તો ‘વર વગર જાન’ જાેડી દીધી છે. જનતા પૂછી રહી છે કે- શું નવી ચેમ્બરોમાં બેસવાથી વડોદરાના દૂષિત પાણીની સમસ્યા ઉકેલાઈ જશે? શું મોંઘા ફર્નિચર પર બેસનારા નેતાઓ રસ્તા પરના જીવલેણ ખાડાઓ જાેઈ શકશે? શું રંગરોગાન કરેલી દીવાલોની પાછળ જનતાની ચીસો દબાઈ જશે? વડોદરા મહાનગર પાલિકાનું આ વલણ અત્યંત નિંદનીય છે. એક તરફ શહેર સ્માર્ટ સિટીના નામે માત્ર કાગળ પર ચમકી રહ્યું છે અને બીજી તરફ વાસ્તવિકતામાં ગટર અને ગંદકીના ગંજ છે. જનતાના ટેક્સના નાણાં આ રીતે ધુમાડો કરવા માટે નથી.સત્તાના નશામાં ચૂર નેતાઓ અને તેમના ઈશારે નાચતું તંત્ર એ ભૂલી ગયું છે કે આ આલીશાન ચેમ્બરો જનતાની ભીખ નથી, પણ જનતાની સેવા માટેની અમાનત છે. જાે નવી બોડીના સ્વાગત માટે આટલો ઉત્સાહ હોય, તો ચૂંટાયા પછી પ્રજાનાં કામો માટે આનાથી બમણો ઉત્સાહ હોવો જાેઈએ. વડોદરાના નાગરિકોએ હવે સવાલ પૂછવાની જરૂર છે- જાે અમારી ગલીનો રસ્તો આચારસંહિતામાં નથી બનતો, તો તમારી ચેમ્બરની દીવાલ પર રંગ કેમ ચડે છે? તંત્રના આ ભ્રષ્ટ અને પક્ષપાતી વલણના કપડાં અત્યારે વડોદરાની શેરીઓમાં ઉતરી રહ્યા છે. જાે દીવાલો જ ચમકાવવી હોય તો ઓફિસની નહીં, જનતાના જીવનની ચમકાવો. બાકી આ ‘ચકચકાટ’ ચૂંટણીના પરિણામો પછી ફીકો પડી જશે એ નક્કી છે. જનતાના ખિસ્સા ખાલી કરીને નેતાઓના ઠાઠ વધારતા તંત્રને શરમ આવવી જાેઈએ. આચારસંહિતા નિયમ છે, અન્યાય કરવાનું લાયસન્સ નથી!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
22, એપ્રીલ 2026
1980 |
વડોદરા |
વોર્ડ-૭માં રજૂઆત કરતાં અટકાવવા ઢોલ વગાડ્યા!
વડોદરા શહેરના કારેલીબાગ વોર્ડ નં-૭માં આવેલી આનંદનગર સોસાયટીમાં પ્રચાર માટે ગયેલા ભાજપાના ઉમેદવારોને એક સિનિયર સીટીઝન દ્વારા વરસાદી ગટર, રોડ સહિતના પ્રશ્નોની રજૂઆત કરતા હતા. દરમિયાન તેમનો અવાજ સંભળાય નહી તે માટે ફેરણીમાં ઉપસ્થિત કાર્યકરોએ ભારત માતાકી જયના સૂત્રોચ્ચાર કરીને ઢોલ વગાડવાની શરૂઆત કરાવીને લોકોનો અવાજ દબાણવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ સ્થાનિક રહીશોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી.વોર્ડ નં-૭માં ભાજપાના ઉમેદવારો કારલીબાગ આનંદનગરમાં પ્રચાર માટે ગયા હતા. દરમિયાન એક સિનિયર સીટીઝન દ્વારા તેમના વિસ્તારમાં વરસાદી લાઈન અને રોડ સહિતના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યાં હતા. ત્યારે ફેરણીમાં ઉપસ્થિત કાર્યકરોએ તુરંત ભારત માતાકી જયના સૂત્રોચ્ચાર કરીને ઢોલ નગારા વગાડવાની શરૂઆત કરાવીને નાગરિકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારની મહિલાએ કહ્યું હતુ કે, અમારી સોસાયટીમાં ૧૦ વર્ષથી ભાજપા આવે છે. અને હાથ જાેડ છે. રોડ, ડ્રેનેજની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ગત પૂરમાં અમને ભારે નુકસાન થયું કોઈ જાેવા માટે આવ્યા ન હતા. અને આજે જ્યારે રજૂઆત કરતા હતા ત્યારે ઢોલ વગાડીને ્વાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહ્યું હતુ.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, એપ્રીલ 2026
2376 |
નાગરિકોના હિતમાં કોઈપણ બિલો રજૂ કરાય કોંગ્રેસે હંમેશા વિરોધ કર્યો છે: દર્શનાબેન વાઘેલા
દેશની મહિલાઓને આજે આઝાદીના આઠ દાયકા પછી પણ સંસદમાં ઉચિત સ્થાન ન મળતાં કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો. ભાજપે આજે પ્રેસ કોન્ફરન્સ કરી એનડીએની સરકાર દ્વારા બહેનો-મહિલાઓની અપેક્ષા પરિપૂર્ણ કરવામાં આવશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ કોંગ્રેસ તેમજ તેમના સાથી પક્ષોએ આ મહિલા આરક્ષણ બિલના વિરોધમાં મતદાન કરીને બિલ પાસ થવા ના દીધું અને મહિલાઓની આશા અને અપેક્ષા પર પાણી ફેરવી દીધું હતુ. પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ચૂંટણી સંચાલનના ઇન્ચાર્જ ગોરધન ઝડફીયાએ વધુમાં જણાવ્યુ કે, આપણા બંધારણના આમુખમાં પણ લખેલું છે કે કોઈપણ જ્ઞાતિ, જાતિ કે કોઇપણ ભેદ તથા લિંગભેદ વગર સૌને સમાન અધિકાર મળશે છતાં આઝાદીના આઠ-આઠ દાયકા પછી પણ જેમાં સૌથી વધુ સત્તા સ્થાને એક જ પરિવારના લોકો અને કોંગ્રેસ પાર્ટી રહી છે. તેઓએ બંધારણના આમુખને પણ લાગુ ન કર્યો. વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આપણી જવાબદારી છે કે, જે આપણા સંવિધાનમાં લખાયેલું છે જેને આપણે લાગુ કરીએ અને તેનો પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો. વર્ષ ૨૦૨૩માં જે બિલ લાવ્યા હતા તેમાં ડી-લિમિટેશન સાથેનું તે બિલ હતું અને ભવિષ્યમાં ડી-લિમિટેશન સાથે સંશોધન કરીને લાગુ કરવાની બાબત હતી તે સમયે કોંગ્રેસે તેને ટેકો આપ્યો હતો. પરંતુ માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં કોંગ્રેસનું ચરિત્ર બદલાઈ ગયું કે કોંગ્રેસે આ બિલને પાસ કરવામાં રોડા નાખ્યા. દેશની બહેનોને વંચિત રાખવાનું પાપ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો કરી રહ્યા છે અને સંસદ ભવનની બહાર આવીને કોંગ્રેસ મગરના આંસુ સારે છે. રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે ૧૭મી તારીખે સંસદ ભવનમાં જે ચર્ચા ચાલતી હતી તેની પર દેશની ૭૦ કરોડ જેટલી બહેનોની નજર હતી, કોંગ્રેસ પાર્ટી અને તેમના સાથીઓએ આ ૭૦ કરોડ મહિલાઓના સપનાઓને ચકનાચૂર કરીને તોડી નાખ્યા છે વિધાનસભા તેમજ લોકસભામાં ૩૩ ટકાની મહિલાઓની જન ભાગીદારીનું બિલ ભાજપા અને એનડીએ સરકાર દ્વારા મૂકવામાં આવ્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, એપ્રીલ 2026
2277 |
ડિજિટલ યુગમાં ગ્રાહકો ગેસ બુકિંગની લાઈનમાં ઊભા રહેવા મજબૂર
ગેસની ખરેખર અછત છે કે ઈચ્છાપૂર્વક ભીડ ભેગી કરવાનો બદઈરાદો? ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને લઈ ઉઠેલી ગેસ પુરવઠાની માગ પર સરકારે ગેસ-ઈંધણનો પુરતો પુરવઠો હોવાનું જણાવી લોકોને ગેસ બુકિંગ કે પેટ્રોલ-ડીઝલ માટે પંપ પર લાઈન લગાવવાથી મુક્તિ આપી છે, તો અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલ કોઠી મહોલ્લો વીજળી ઘર પાછળ સીદી સૈયદની જાળી સામે વિહાર એન્ટરપ્રાઇઝ એજન્સીમાં જ કેમ ગેસ બુકિંગ માટે લાંબી ભીડ જાેવા મળે છે? કેમ ૪૨ ડિગ્રી ગરમીમાં લોકોએ કલાકો સુધી રાહ જાેવા મજબૂર બનાવવામાં આવે છે? બીજા સ્થળો પર ગેસ બુકિંગ તુરંત થઈ જાય છે તો અહીં ઈચ્છાપૂર્વક ભીડ ભેગી કરવામાં આવી રહ્યાનું સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, એપ્રીલ 2026
2376 |
બેફામ બીએમડબલ્યુ : નિકોલમાં બેકાબૂ કારચાલકે બસ સ્ટોપનો કચ્ચરઘાણ કાઢ્યો
શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર બેફામ ડ્રાઇવિંગને કારણે ભયાનક અકસ્માત સર્જાયો છે. નિકોલના ભક્તિનગર બસ સ્ટેન્ડ પાસે આજે એક લક્ઝુરિયસ કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રિક્ષા સાથે અથડાઈને સીધી બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી. મળતી માહિતી મુજબ, નિકોલના ભક્તિનગર બસ સ્ટેશન પાસે રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ હતી, ત્યારે એક કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. કારની ગતિ એટલી વધારે હતી કે ચાલકે અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. બેફામ બનેલી આ કારે રસ્તા પરથી પસાર થતી એક રિક્ષાને જાેરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષા ફંગોળાઈ ગઈ હતી અને કાર રસ્તાની બાજુમાં આવેલા બસ સ્ટેન્ડના લોખંડના સ્ટ્રક્ચરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતનો અવાજ એટલો હતો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા. કાર અથડાવાને કારણે બસ સ્ટેન્ડના પતરાં અને લોખંડના એન્ગલો વળી ગયા હતા. કારના આગળના ભાગનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે ઘટના સમયે બસ સ્ટેન્ડમાં મુસાફરોની સંખ્યા ઓછી હતી, અન્યથા મોટી જાનહાનિ થઈ શકી હોત. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરો અને કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ નિકોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે કે અકસ્માત સમયે ચાલક નશાની હાલતમાં હતો કે ગાડીમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. સ્થાનિક લોકોમાં પૂર્વ અમદાવાદના રહેણાંક વિસ્તારોમાં વધતા જતા સ્પીડિંગ અને સ્ટંટના કિસ્સાઓ સામે ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, એપ્રીલ 2026
2376 |
લેંડ ગ્રેબિંગના કેસમાં ત્રણને જેલમાં મોકલવાના મામલે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાશે
બે નિર્દોષ નાગરિકોને ગુના વગર અઢી મહિના સુધી જેલના સળીયા ગણાવનારા અધિકારીઓ સામે સરકાર કડક કાર્યવાહી કરશે . રાજ્યના મુખ્ય સચિવે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરી ખાતરી આપી છે કે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ કેસની વિગત મુજબ જમીન કબજા સંબંધિત એક વિવાદ જે દીવાની હતો, તેમાં કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટીએ કાયદાની સીમા ઓળંગીને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ, ૨૦૨૦ હેઠળ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ ભૂલના કારણે બે વ્યક્તિઓને અંદાજે ૭૫ દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. હાઇકોર્ટે આ ઘટનાને બંધારણના આર્ટિકલ ૨૧ (વ્યક્તિગત સ્વતંત્રતા)નો ભંગ લેખાવ્યો હતો અધિકારીઓની ભૂલનો ભોગ બનેલા બંને વ્યક્તિઓને ૩ સપ્તાહમાં કુલ રૂ. ૧૦ લાખનું વળતર ચૂકવી દેવામાં આવશે. હાઇકોર્ટના આદેશ મુજબ, આ વળતરની રકમ સરકારી તિજાેરીમાંથી નહીં, પરંતુ જે તે જવાબદાર અધિકારીઓના અંગત પગાર કે ખિસ્સામાંથી વસૂલવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ કેસમાં બેદરકારી દાખવનાર બંને અધિકારીઓ સામે કડક ખાતાકીય તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં સિવિલ મેટરમાં લેન્ડ ગ્રેબિંગના કાયદાનો આ રીતે દુરુપયોગ ન થાય તે માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ નવો પરિપત્ર જાહેર કરશે. ચીફ જસ્ટિસની ખંડપીઠે આ મામલે સખત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જે લોકો ન્યાયની આશામાં પોતાની જ જમીન માટે લડતા હોય તેમને જેલમાં ધકેલી દેવા એ તંત્રની મોટી નિષ્ફળતા છે. અગાઉ સરકારે આ મામલે બિનશરતી માફી માંગી હતી, પરંતુ કોર્ટની કડકાઈ બાદ હવે જવાબદારી નક્કી કરવા માટે સોગંદનામું કરવામાં આવ્યું છે.આ કિસ્સો રાજ્યના વહીવટી તંત્ર માટે એક દાખલો બેસાડનારો સાબિત થશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, એપ્રીલ 2026
2277 |
ગાંધીનગર ખાતે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને આડે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહીની આખરી તૈયારીઓને ઓપ અપાઈ રહયો છે. જેના અંતર્ગત ગાંધીનગરમાં ઈવીએમ મશીનને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને મતદાનની પ્રકિયા માટે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. આગામી રવિવારે યોજાનારી આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મહત્વપૂર્ણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ તેમજ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને તેજ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે માટે દરેક સ્તરે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. મતદાન મથકોની વ્યવસ્થા, સુરક્ષા, સ્ટાફની નિમણૂક સહિતની કામગીરીઓ સાથે સાથે ટેક્નિકલ તૈયારીઓ પર પણ ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. જેથી મતદાન સમયે મતદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે.ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ મશીનોને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. ગાંધીનગરના સેક્ટર ૧૬ ખાતે ઈવીએમ મશીનો સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કંટ્રોલ યુનિટ સાથે મશીનોને યોગ્ય રીતે સીલ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને વિશ્વસનીય રહે તે માટે ઓબ્ઝર્વર દ્વારા તેની સમીક્ષા પણ કરવામાં આવી છે. ઈવીએમ મશીનોની સીલિંગની પ્રક્રિયા પૂરી થયા બાદ આ મશીનોને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવશે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, એપ્રીલ 2026
2574 |
સુરત ઉધના સ્ટેશન પર હાહાકાર! 25 હજાર લોકો એકસાથે કેમ ભાગ્યા? સાચું કારણ બહાર આવ્યું
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે ભારે અફરાતફરી જોવા મળી, જ્યાં હજારો મજૂરો ટ્રેનમાં ચઢવા માટે ઉમટી પડ્યા. ગરમી, ભીડ અને ટ્રેનોની અછતને કારણે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ ઘટના પાછળ કામની અછત, મોંઘવારી અને સુરતમાંથી મજૂરોના વધતા પલાયન જેવા ગંભીર પ્રશ્નો સામે આવ્યા છે. ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ પર પડતી અસર પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર માનવામાં આવી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, એપ્રીલ 2026
3168 |
શેરબજાર અને લફરાબાજીમાં બે કરોડ ફૂંકી દેનારે રૂપિયા માટે પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો
બળાત્કારનાં આરોપી અને શેરબજારમાં બે કરોડનું દેવું કરી ચૂકેલા પતિએ પૈસા માટે ગુજારેલા શારીરિક માનસિક અત્યાચારથી ત્રાસેલી પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર અલથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર શીખીન હાઇટ્સમાં રહેતાં બજાજ પરિવારની દીકરી શિલ્પાનાં લગ્ન જાન્યુઆરી ૨૦૧૩માં મુંબઇ ખાતે રહેતાં પવનકુમાર જુનજુનવાલાનાં પૂત્ર યશ સાથે કરવામાં આવ્યા હતાં. લગ્નનાં ચાર પાંચ મહિનામાં જ શિલ્પાને એવી જાણ થઇ હતી કે તેનો પતિ યશ વર્ષા નામની યુવતી સાથે ફરે છે. યશનાં મોબાઇલમાં પણ વર્ષા સાથેની ચેટ જોવા મળતાં શિલ્પાએ તેને આ અંગે પૂછ્યું હતું. ત્યારબાદ યશે શિલ્પા સાથે લડાઈ ઝઘડો કરવા માંડ્યો હતો. સમય જતાં શિલ્પાને ખબર પડી કે યશને માત્ર વર્ષા જ નહીં ઘણી છોકરીઓ સાથે સંબંધ છે. પાંચ સાત મહિને તેની ફ્રેન્ડ બદલાતી રહેતી હતી.વર્ષા બાદ નીતુ અને દેવા સાથેની ચેટ અને કોલ શિલ્પાની જાણમાં આવ્યા હતાં. અન્ય યુવતીઓ સાથેનાં સંબંધો મામલે શિલ્પા અને યશ વચ્ચે માથાકૂટ ચાલતી રહેતી હતી. દંપતી વચ્ચે એવો ખટરાગ સર્જાયો કે તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ રહ્યાં ન હતાં. પરિવારમાં બાળકો અંગે ચર્ચા થવા માંડતા યશે લીલાવતી હોસ્પિટલમાં ઈન્ટ્રાઉટેરાઇન ઇન્સેમિશનથી શિલ્પાને ગર્ભવતી કરી અને તેણીએ વર્ષ ૨૦૧૭માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારપછી ૨૦૧૮માં યશને શેર બજારનાં ધંધામાં નુકશાની થવા માંડી હતી. જેથી તેણે શિલ્પાનાં ઘરેણાં ગીરવે રખાવી પૈસા લીધા હતા. ઘરેણાંથી આવેલા પૈસામાં પણ યશનું દેવું ભરપાઈ નહીં થતાં તેણે શિલ્પાને ફ્રેન્ડ સર્કલમાંથી પૈસા લાવવા કહી શારીરિક માનસિક ત્રાસ આપવા માંડ્યો હતો. જેથી શિલ્પાએ તેના મિત્રો શનિ શાહ પાસે ૧૦ લાખ તથા ભાવિન કાનાબારી પાસે ૧૦ લાખ રૂપિયા લઇ યશને આપ્યા હતાં. આ પૈસાથી કરેલા ધંધામાં પણ યશને નુકશાન થયું હતું. જેથી ૨૦૨૨માં તેણે શિલ્પાનાં ઘરેણાં વેચી નાંખ્યા હતા.આવા સંજોગોમાં જાન્યુઆરી ૨૦૨૪માં કોઇ યુવતીએ યશ સામે મલાડ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. ફરિયાદ કરનાર યુવતીને ૮૦ લાખ રૂપિયા આપી યશે કેસનો નિકાલ કર્યો હતો. આ રૂપિયા માટે યશે ઘર માર્ગેજ મૂકી લોન લીધી હતી. પછી એ લોનનાં હપ્તા ભરવા વ્યાજે પૈસા લીધા અને પછી વ્યાજ ભરવા બીજા પાસે વ્યાજે રૂપિયા લાવ્યો હતો. આ રીતે યશ બે કરોડનાં દેવામાં ઉતરી ગયો હતો. દેવું ભરપાઈ કરવાનું દબાણ આવતા તે શિલ્પા પાસે રૂપિયા માગી મારઝૂડ કરવા માંડ્યો હતો. જુલાઇ ૨૦૨૫માં શિલ્પાનાં ભાઈ, માતા અને મામાને બોલાવી યશે ફરી રૂપિયાની માંગણી કરી હતી. તેમની હાજરીમાં પણ યશે પત્ની પર હાથ ઉપાડ્યો હતો. એ સમયે તેણીનાં મામા નવીન કેડીયાએ યશને ૧.૭૦ લાખ આપ્યા હતાં. ત્યારબાદ પણ મારઝૂડ કરતાં રહેતાં યશે ૧૦મી તારીખે જો તુ કાલે રૂપિયા નહીં આપે તો જોઈ લેજે તારા શું હાલ કરુ છું, તને જીવવા જેવી નહીં રહેવા દઉં એવી ધમકી આપી હતી. જેથી શિલ્પા તેની બે દીકરીઓને લઇ સુરત પિયર આવી ગઇ હતી. બાદમાં અહીં તેણીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, એપ્રીલ 2026
3168 |
સુરતમાંથી હજારો કામદારોની હિજરત, પોલીસનો લાઠીચાર્જ: રાજકીય પક્ષોમાં ચિંતા
ગઇ તા.૨૮મી ફેબ્રુઆરીનાં રોજ અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ઇરાન પર કરાયેલા હુમલાના ત્રીજા જ દિવસથી સુરતમાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગકારો અને કામદારોની પરેશાની શરૂ થઇ ગઇ હતી. સ્પીનરો દ્વારા યાર્નના ભાવોને મનસ્વી રીતે અસામાન્ય રીતે વધારી દેવામાં આવ્યા અને બીજી તરફ કામદારોને ગેસ સિલિન્ડર મળવાનું બંધ થયું. યાર્નનાં ભાવ મોંઘા થઇ જતા કાપડ ઉદ્યોગમાં કામકાજ ઘટી ગયું અને આજે સાવ ૫૦ ટકા પર સીમિત થઇ ગયું એટલે શ્રમજીવીઓની રોજગારી આપોઆપ ઘટી ગઇ છે અને બીજી તરફ શ્રમજીવીઓને ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા. આ અંગે સ્થાનિક ઉદ્યોગકારોએ સરકારનાં મંત્રીઓની મીટિંગોમાં સમસ્યા ઉજાગર કરવાની કોશિષ કરી તો તેમના મોઢાં સીવી દેવાયા હતા. ઉદ્યોગકારોને રીતસર કહી દેવામાં આવ્યું કે ગમે તેટલી મુશ્કેલી હોય થોડા દિવસોમાં પૂરી થઇ જશે. પરંતુ, આ મુશ્કેલી પૂરી થવાની જગ્યાએ વકરી ગઇ અને રોજગારી અને ગેસ સિલિન્ડર નહીં મળે તેવી શંકા વાસ્તવિકતામાં તબદિલ થતી જોવા મળતા શ્રમજીવીઓ દિન પ્રતિદિન સુરત છોડીને વતન ભેગા થવા માંડ્યા.મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં આજે ઉધના સ્ટેશન પર વતન જવા માટે ટ્રેનની વાટ જોતા હજારો શ્રમજીવીઓ માત્ર બે ટ્રેન હોવાથી બેકાબૂ બન્યાં હતાં. ખોરાક-પાણી વિના કલાકોથી ઉધના સ્ટેશને ટ્રેનની વાટ જોઇને બેઠેલાં હજારો શ્રમજીવીઓની ધીરજ ખૂટી પડતાં ટ્રેનમાં બેસવા પડાપડી થઇ હતી, ભીડને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ધક્કામુક્કીમાં ત્રણેક શ્રમજીવી બેભાન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. કાપડ ઉદ્યોગકારો કહે છે કે આવી ઘટના નિવારી શકાઇ હોત જો માર્ચ મહિનામાં ઉદ્યોગકારોએ કરેલી રજૂઆતો પર ધ્યાન આપીને પ્રશ્નો ઉકેલી શકાયા હોત. આજની ઘટના પછી શ્રમિકોમાં વતન વાપસીનાં વિચારો વધુ દૃઢ બન્યા હોવાનું તેમની વાતો પરથી જણાય રહ્યું છે. સ્થાનિક ઉદ્યોગકારો સરકાર સામે કોઇ જ મુશ્કેલી કે રજૂઆતો કરી શકતા નથી અને જે લોકો આવી રજૂઆતો કરે છે તેમની સામે અનેક પ્રકારની સરકારી કાર્યવાહીની તલવાર લટકે છે એટલે કોઇ બોલવા તૈયાર થતું નથી. પરંતુ, આજે જે થયું છે તેનાથી ઉદ્યોગને મોટું નુકસાન પહોંચશે તેવી દહેશત જરૂર વ્યક્ત કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં ઉત્પાદન સાવ ઘટી ગયું છે તેની પાછળ રહેલા કારણો જાણીને તેમાં રાહત આપવાની કોશિષ કરવી જોઇએ નહીં કે હિજરતને દબાવી રાખવા માટે પ્રયાસો કરવા જોઇએ. જો સરકારે સ્પીનર્સને કાબૂમાં લઇને તેમના દ્વારા મનસ્વી રીતે વધારી દેવાયેલા યાર્નના ભાવને સિમીત રાખ્યા હોત તો ટેક્ષટાઇલ ઉદ્યોગમાં ઉત્પાદન કાપ ઓછો મૂકાયો હોત અને તેની સીધી અસર શ્રમિકોની રોજગારી પર વર્તાઇ હોત. શ્રમિકો બે બાજુએથી ઘેરાયેલા છે. એક તો રોજગારી પહેલા જેવી નથી કેમકે ઉદ્યોગમાં જ ઉત્પાદન ઘટીને ૫૦ ટકા થઇ ગયું છે. અને બીજી બાજુ સિલિન્ડરની અછત છે એટલે રાંધવાની સમસ્યા. આ બંનેમાંથી સરકારી અધિકારીઓ એકાદ સમસ્યા પણ ઉકેલી શક્યા હોત તો આજે શ્રમજીવીઓ સાથે ઉધના રેલવે સ્ટેશને જે ઘટના બની તે કદાચ નિવારી શકાઇ હોત.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
રાજકીય
17, એપ્રીલ 2026
2277 |
સુરત |
વરાછા-કતારગામમાં ભાજપનાં ઉમેદવારોને મતદારોનો સોંસરવો સવાલ: ૨૫ હજાર રત્નકલાકારોની અરજી ફગાવી કેમ દીધી?
સુરત મહાનગરપાલિકાની આગામી તા.૨૬મી એપ્રિલે યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને હાલ પ્રચાર પૂરજાેશમાં શરૂ થઇ ચૂક્યો છે અને સુરતની ચૂંટણીમાં ગળાકાપ સ્પર્ધા જાે કોઇ વિસ્તારમાં થઇ રહી હોય તો એ વરાછા, કતારગામ વિસ્તારમાં થઇ રહી છે. આ એવો વિસ્તાર છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ભારે હુંસાતુંસી ભર્યો માહોલ જાેવા મળી રહ્યો છે. આ એવો વિસ્તાર છે કે જ્યાંની બહુલ વસતી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને હીરા ઉદ્યોગની વાત આવે ત્યારે મંદી અને બેરોજગાર રત્નકલાકારોની રાહત યોજનામાં રાજ્ય સરકારે રીજેક્ટ કરેલા ૨૫ હજાર અરજીઓનો મુદ્દો અવશ્ય ચર્ચાય. વરાછા, કતારગામમાં હાલ ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે જઇ રહેલી ભાજપાના ઉમેદવારો સમક્ષ સામાન્ય મતદારો અને રત્નકલાકારો મોઢામોઢ એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યારે મંદીગ્રસ્ત હીરા ઉદ્યોગમાં જ્યારે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ સારી ન હતી અને એ સમયે રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત યોજના સ્વરૂપે તેમના બાળકોની એક વર્ષની સહાય ફી ચૂકવી હતી એ યોજનામાં ૨૫ હજાર જેટલા રત્નકલાકારોનાં ૩૦ હજાર જેટલા બાળકોની ફી માટેની અરજીઓ રીજેક્ટ કરવામાં આવી ત્યારે ભાજપનાં કોર્પોરેટરો કે નેતાઓ ક્યાં ગયા હતા?છેલ્લા બે દિવસથી વરાછા, કતારગામમાં આ મુદ્દો અને તેના પર સવાલો ઉઠાવીને મતદારો અને રત્નકલાકારો ભાજપનાં ઉમેદવારોની કસોટી કરી રહ્યા છે. વરાછાનાં એક વોર્ડમાં તો રત્નકલાકારોએ ભાજપનાં ઉમેદવારોને ઘેરીને પ્રશ્નોનો એવો મારો ચલાવ્યો કે ભાજપનાં ચારેય ઉમેદવારો ગેંગેંફેંફે થઇ ગયા હતાં. તેમની પાસે કોઇ જવાબ ન હતો. એક ઉમેદવારે તો ત્યાં સુધી કહ્યું કે બેરોજગાર રત્નકલાકાર રાહત યોજના અંગે તેમની પાસે કોઇ જ જાણકારી નથી. આવું કહેતા જ પરિસ્થિતિ વધુ વણસી ગઇ હતી અને એ પછી તો સોસાયટીઓની મહિલાઓએ પણ ઉમેદવારોને મીટિંગ છોડી જવા માટે ભારે પસ્તાળ પાડી હતી. એવું નથી કે વરાછાનાં એક જ વોર્ડમાં બેરોજગાર રત્નકલાકાર રાહત યોજનાનાં રીજેક્ટ થયેલા ફોર્મનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે, ભાજપનાં ચૂંટણી કાર્યાલયોની મીટિંગોમાં પણ આ મુદ્દો ખૂબ ગાજી રહ્યો છે અને પ્રચાર માટે સોસાયટીઓ, સમાજાે અને મતદારો પાસે જતા કાર્યકર્તાઓને રત્નકલાકારો આ મુદ્દે સવાલો પૂછીને રીતસર ભીડાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો પણ પોતાની જાહેરસભાઓમાં આ મુદ્દો ઉઠાવીને ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી રહ્યાં છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
17, એપ્રીલ 2026
2970 |
સુરત |
અડાજણમાં માતા સાથે નાનાનાં ઘરે રહેતાં આઠ વર્ષનાં બાળકનું કાકાએ અપહરણ કર્યું
જાણીતા બિલ્ડર એવા કાકા સસરાને ઓફિસ ગર્લ સાથે અનૈતિક સંબંધ હોવાનું કહી બ્લેકમેલ કરવાના કેસમાં જેલવાસ ભોગવી ચૂકેલા જય ડાંગરનાં પૂત્રનું અપહરણ થયું હોવાનો બનાવ બન્યો હતો. જયની ખરાબ ચાલ ચલગતને કારણે પત્ની દિકરાને લઇ પિયર જતી રહી હોય તોનો ભાઇ જ માસૂમને ઉપાડી ગયાનું તપાસમાં બહાર આવ્યું છે.અડાજણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સૌરભ પોલીસ ચોકી પાસે આવેલા મણીભદ્ર વ્યુ એપાર્ટમેન્મટમાં પારૂલ જય ડાંગર તેના આઠ વર્ષનાં દિકરા યક્ષ સાથે રહે છે. જુનાગઢની માણાવદર તાલુકાની વતની પારૂલનાં લગ્ન વર્ષ ૨૦૧૪માં જય કરશનભાઇ ડાંગર સાથે થયા હતાં. ચાર વર્ષનાં દાંપત્ય જીવન બાદ ૨૦૧૮માં તેમને દિકરા યશનો જન્મ થયો હતો. જે હાલ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. છેલ્લા એકાદ વર્ષથી જય ડાંગરની ચાલ ચલગત બદલાઇ ગઇ હતી. તે પત્ની પારૂલનાં કુટુંબ વિશે એલફેલ બોલી ઝઘડો કરવા માંડ્યો હતો. ખરાબ વાણી અને વર્તનથી કંટાળેલી પારૂલ પૂત્રને લઇ જયથી અલગ પિયરમાં રહેવા માંડી હતી. ગત ૧૫મી એપ્રિલે સાંજે યશ એપાર્ટમેન્ટનાં ગાર્ડનમાં દાદી શાંતુબેનની દેખરેખ હેઠળ રમી રહ્યો હતો. દરમિયાન એક કાર એપાર્ટમેન્ટમાં આવી અને તેમાંથી ઉતરેલો યુવક યક્ષને પોતાની સાથે લઇ જતો રહ્યો હતો. આસપાસ તપાસ કરવા છતાં યક્ષ નહીં મળતાં પારૂલ તેના પિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અપહરણની ફરિયાદ મળતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં યક્ષને લઇ જનાર યુવક તથા ગાડીની ઓળખ કરવા માટે આસપાસના સીસી કેમેરા ચેક કરાયા હતાં. જેમાં યક્ષને લઇ જનાર તેના કાકા હોવાનું જણાય આવ્યું હતું. તપાસ દરમિયાન યક્ષને જુનાગઢ લઇ જવાયો હોવાનું પણ જાણવા મળતાં પોલીસે એ દિશામાં તપાસ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જય ડાંગર સામે ગત નવેમ્બર મહિનામાં કાકા સસરા વરજાંગ રાણાને બ્લેકમેલ કરી ખંડણી માંગવા અંગે ગુનો નોંધાયો હતો. બિલ્ડર વરજાંગ દિવાળીના દિવસોમાં કર્મચારી સાથે ઓફિસમાં હતા ત્યારે જય ડાંગર તેમના મિત્રો સાથે ધસી ગયો હતો. કાકા સસરા વરજાંગ જીલરીયા સાથે જય ડાંગરે ગાળ ગલોચ કરવા માંડી હતી. જય અને તેના મિત્રોએ રાણા તથા યુવતીને ઢીક મુક્કીનો માર પણ માર્યો હતો. જય ડાંગરે યુવતીને ડરાવી ધમકાવી રાણા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી કેસમાં ફસાવી દેવા કહ્યું હતું. બાદમાં સમાધાન પેટે ૧૦ કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી. યુવતીએ આપેલી ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી જય ડાંગરની ધરપકડ પણ કરી હતી.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...