આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુલાઈ 2026
10890 |
ગીરના સિંહો હવે માણસોનો શિકાર કરી રહ્યા છે? સરકારે હવે તૈયાર કર્યો માસ્ટરપ્લાન!
*ગીર અને ગિરનાર વિસ્તારમાં વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વન વિભાગે સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. આ સમગ્ર મામલે વધુ માહિતી અને તમામ મહત્વના અપડેટ્સ માટે જોડાયેલા રહો લોકસત્તા જનસત્તા સાથે.*
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, જુલાઈ 2026
15840 |
ભાવનગરના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમમાં મોટી તકનીકી ઘટના સામે આવી છે. ડેમના ૧૫ નંબરના ગેટને સંચાલિત કરતો મુખ્ય વાયર (રેસો) તૂટી જતાં ગેટ નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ અનિયંત્રિત રીતે નદીમાં છોડાવા લાગ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.માહિતી અનુસાર, ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે ગેટમાં ખામી સર્જાતા તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. ગેટને થયેલા નુકસાનને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.જિલ્લા પ્રશાસને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ સહિત શિહોર તાલુકાના ભાણગઢ ગામના લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે.વહીવટીતંત્રે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પૂર જાેવા, ફોટા કે સેલ્ફી લેવા માટે નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, જુલાઈ 2026
14652 |
બાળકને ગિરનારની સીડીઓ પરથી સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષ મળ્યા
વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કરી તેને સીડીઓ પરથી જ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. પરિવારજનો અને યાત્રિકોની નજર સામે બનેલી આ ઘટનાએ ભય અને અરેરાટીનો માહોલ સર્જ્યો હતો. બાદમાં વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ કલાકો સુધી શોધખોળ કર્યા બાદ જંગલમાંથી બાળકના અવશેષો કબજે લીધા હતા.છેલ્લા ૨૫ દિવસમાં માણસ પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું સામે આવતા ગિરનાર સહિત સિંહોના રહેણાંક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.પરિવારની આંખો સામે સિંહ બાળકને ખેંચી ગયોમહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. પરિવાર વહેલી સવારે દર્શન માટે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. ગેટથી અંદાજે ૫૦ જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળ ચાલતા બાળક મયુરસિંહ પર ઝંપલાવ્યું હતું.બાળક પોતાના કાકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો, પરંતુ સિંહ હુમલો કરીને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. વન રાજ્યમંત્રી પ્રવીણ માળી : ગિરનારમાં માનવ પર સિંહના હુમલાની પ્રથમ ઘટના ગિરનાર પર્વત પર ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની આ પ્રથમ ઘટના છે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.વનમંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ શંકાસ્પદ સિંહોને બેભાન કરીને પકડી લેવામાં આવ્યા છે.હાલ ત્રણેય સિંહોને વૈજ્ઞાનિક અને પશુચિકિત્સકીય તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.પ્રવીણ માળીએ સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોના વર્તનમાં આવી રહેલા ફેરફારોનું વૈજ્ઞાનિક કારણ જાણવા માટે વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને વિશેષ અભ્યાસ સોંપવામાં આવ્યો છે.સિંહોની પ્રકૃતિમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, માનવ વસાહતો તરફ તેમની અવરજવર શા માટે વધી રહી છે અને હુમલાઓ પાછળના કારણો શું છે, તે મુદ્દાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે..
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, જુલાઈ 2026
15642 |
અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે; ૩ મહિનામાં કામગીરીનો પ્રારંભ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના હાઈવે અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી વધુ નાણાં મેળવવા રાજ્ય સરકારને તાત્કાલિક દરખાસ્ત મોકલવા અનુરોધ કર્યો હતો.અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ-વે હવે ૮ લેન થશે ૯૩ કિલોમીટરના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વેને ચારમાંથી ૮ લેઈનમાં પરિવર્તિત કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડતરીએ મંજૂરી આપી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે ગુજરાતની આ માંગણી પરત્વે ર્નિણય કરીને વર્ષ ૨૦૨૭માં જ વિસ્તરણનું કાર્ય શરૂ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતનું જમીન સંપાદન મોડલ દેશ માટે ઉદાહરણ ડીપીઆર તૈયાર થતી વખતે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનને સરળ બનાવવા બિનખેતી મંજૂરીની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત મોડલની નીતિન ગડકરીએ પ્રશંસા કરી અને તેને સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય ગણાવ્યું. રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને શક્ય હોય ત્યાં સુધી કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરીને અન્યત્ર રોપવાની સૂચના આપવામાં આવી જેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, જુલાઈ 2026
11088 |
વીજપોલ વળતર મામલે સરકારને ખેડૂતોની ‘રાજસ્થાન જેવું ૪ ગણું વળતર નહીં મળે તો વીજ થાંભલા ઉખેડી નાખીશું’
મોરબીના જેતપર ગામેથી આંદોલન પાર્ટ ૩ માટેનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાંથી ખેડૂત આગેવાનો અને સરપંચોને બુધવારે રેટ બોલાવવામાં આવ્યા હતા અને તેઓની સાથે આંદોલન પાર્ટ ૩ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખેડૂતોના ખેતરમાં ઊભા કરવામાં આવતા વીજ થાંભલા સામે જાે પૂરતું વળતર કાપવામાં ન આવે તો થાંભલાને ઉખેડી નાખવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે.દરમ્યાન ગુરુવારે રાતે જે ૧૨ જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી તેમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદર, ભરુચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થતો હતા. આ બેઠકમાં આવેલા ખેડૂતોએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે જાે ખેડૂતોને તેમની જમીનમાં નાખવામાં આવતા વીજપોલ સામે પૂરતું વળતર નહીં આપવામાં આવે તો હાલમાં ખેડૂતો સરકારને હટાવવા માટે એકત્રિત થયા નથી પરંતુ વળતર નહીં મળે તો ભાજપ વિરોધી મતદાન કરતા પણ ખેડૂતો અચકાશે નહીં અને આગામી સમયમાં આંદોલન પાર્ટ ૩ શરૂ થશે તે પૂરા આક્રોશ સાથે હશે અને તેના માટેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે. તાજેતરમાં સરકાર દ્વારા વીજ કંપનીના વીજ પોલ અને કોરિડોર માટે વળતરનો જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેને ૧૨ જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ લોલીપોપ સમાન ગણાવ્યો છે અને જે રીતે રાજસ્થાનમાં સરકાર ચાર ગણું વળતર ચૂકવે છે તેવી જ રીતે ગુજરાતમાં ખેડૂતોને પણ ચાર ગણું વળતર જાેઈએ અને તે નહીં મળે તો ખેડૂતોના ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ તેવી ચેતવણી આપવામાં આવી છે. આમ છેલ્લા બે દિવસમાં ગુજરાતના ૨૪ જેટલા જિલ્લામાંથી ખેડૂત આગેવાનો જેતપર ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા અને તેઓએ પોતાના સૂચન આપ્યા હતા. હવે આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત લેવલે ખેડૂતોની સમિતિઓ બનાવવામાં આવશે અને ત્યાર બાદ આયોજન પૂર્વક વળતર મેળવવા આંદોલન પાર્ટ ૩ શરૂ કરવામાં આવશે તેવી માહિતી આંદોલન સમિતિના સભ્યએ આપી હતી.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુલાઈ 2026
1287 |
નર્મદા નદીમાં 11,000 લિટર જેટલું દૂધ વહાવવામાં આવ્યું? NGTનો ઐતિહાસિક નિર્ણય | MPPCB Report Explained
શું ખરેખર નર્મદા નદીમાં 11,000 લિટર જેટલું દૂધ વહાવવામાં આવ્યું હતું? MPPCB (Madhya Pradesh Pollution Control Board)ના વૈજ્ઞાનિક રિપોર્ટમાં શું ખુલાસો થયો? અને આ સમગ્ર મામલે NGT (National Green Tribunal)એ શું ઐતિહાસિક નિર્ણય આપ્યો? આ વીડિયોમાં જાણો સમગ્ર હકીકત, રિપોર્ટના મુખ્ય મુદ્દા અને નિર્ણયની સંપૂર્ણ માહિતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જુલાઈ 2026
2079 |
૨૪ કલાકમાં ખેડા જિલ્લો જળબંબાકાર
ખેડા જિલ્લામાં સાવર્ત્રિક ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની અતિ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને માતર, મહેમદાવાદ, વસો અને નડિયાદ તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ચારેય તરફ પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન બની જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ૨૪ કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો મહેમદાવાદ તાલુકામાં રેકોર્ડબ્રેક ૨૦ ઇંચ અને માતર તાલુકામાં ૧૮ ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે નડિયાદ શહેરમાં પણ ૧૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આટલા ટૂંક સમયમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ ગંભીર બની ગઈ છે. અતિભારે વરસાદના પરિણામે ખેડા-ધોળકા હાઈવે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત માતર-તારાપુર હાઈવે પર પણ માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વાહનચાલકો અને રાહદારીઓ પોતાના જીવના જાેખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. માર્ગો બંધ થવાના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે. નડિયાદ શહેરની વાત કરીએ તો ૧૫ ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે. નાના કુંભનાથ રોડ, વાણિયાવાડ સર્કલ અને રબારી વાસ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. શહેરના તમામ ચાર ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જતાં નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતો વાહનવ્યવહાર તદ્દન ઠપ્પ થઈ ગયો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. પાણીના નિકાલ માટે પંપિંગ સહિતની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી છે. સતત વરસતા વરસાદના કારણે શરૂઆતમાં નિકાલની પ્રક્રિયા ધીમી પડી હતી, પરંતુ બાદમાં વરસાદનું જાેર ઘટતાં અને વિરામ મળતાં પાણી ધીમે ધીમે ઓસરવાનું શરૂ થયું છે, જેથી તંત્ર અને સ્થાનિકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર સવારે ૮ વાગ્યા સુધીમાં જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.આણંદ શહેરમાં ૮ ઇંચ વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આણંદ પંથકમાં મનમૂકીને વરસાદ વરસતા શ્રીકાર વર્ષા થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થયા હતા.જયારે આણંદ શહેર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી કરી વળતા મનપાની પ્રિમોન્સુન કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.જયારે લોટીયા ભાગોળ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એકનું મોત થયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આણંદ પંથક પર મેધરાજા મનમૂકીને વરસતા શ્રીકાર વર્ષા થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ઉઠ્યા હતા.આણંદ શહેર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાતાં મનપાની પ્રિમોન્સુન કામગીરી પર અંગુલિનિર્દેશ થવા પામ્યાનું જાણવા મળેલ છે.ગતરાત્રીના શહેરના લોટિયા ભાગોળ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એકનું મોત થયાનો બનાવ બન્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
24, જુલાઈ 2026
2475 |
કાર ગરનાળામાં ખાબકતાં અમદાવાદના ૪નાં મોત
ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માતર નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ખેડા-માતર હાઈવે પર મોતીપુરા ગામ પાસે અમદાવાદના લોકોની કાર અનિયંત્રિત થઈ ગરનાળામાં ખાબકી હતી. કારમાં કુલ ૬ લોકો સવાર હતા, જેમાંથી ૪ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ૨ લોકોને જીવતા બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ કાર મોતીપુરા ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. ભારે વરસાદને કારણે ગરનાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. કાર ગરનાળામાં ખાબક્યા બાદ પલટી મારી પાણીના જાેરદાર વહેણમાં તણાઈ ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા લોકો કારમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને પોલીસ તેમજ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. ખેડા નાયબ કલેક્ટર સુરજ બારોટ, માતર મામલતદાર અને ખેડા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે કારમાંથી બે લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોની વિગત: રાજ સંજયભાઈ રાઠોડ - ઉંમર ૨૬, રહે.અમદાવાદ વિરેન્દ્રસિંહ શેખાવત - ઉંમર ૨૬ રહે.મૂળ રાજસ્થાન સીકર, હાલમાં ઝ્ર્સ્ અમદાવાદ મુસ્તકીમ રાજપુત - ઉંમર ૧૯, રહે. રખિયાલ, અમદાવાદ મયુર મહેશભાઈ પંચાલ - ઉંમર ૩૪, રહે. ન્યુ મણીનગર, અમદાવાદ આ ૨ લોકોનો બચાવ થયો હતો જયારે ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગિલ - ઉંમર ૨૮, રહે. હાટકેશ્વર અમરાઈવાડી, અમદાવાદ મુકેશ જીવન ચૌહાણ - ઉંમર ૩૨, રહે. રહે. હાટકેશ્વર અમરાઈવાડી, અમદાવાદ ૪ લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ પાણીના પ્રવાહમાં ફસાયેલા અન્ય લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ ટીમે એક પછી એક મૃતદેહ બહાર કાઢ્યા હતા અને આખરે કુલ ૪ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તીવ્ર વળાંકને કારણે અનિયંત્રિત થઈ પલટીનેપ્રાંત અધિકારી ઘટનાસ્થળે પહોંચેલા ખેડા પ્રાંત અધિકારી સૂરજ બારોટે જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ આ અર્ટિકા કાર એક તીવ્ર વળાંકને કારણે અનિયંત્રિત થઈ પલટીને ગરનાળામાં ખાબકી હતી હતી.કારમાં આગળ જે બે લોકો સવાર હતા એ બહાર નીકળી ગયા, પણ પાછળની સીટમાં બેસેલા લોકો નીકળી ન શક્યા અને તેમનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, જુલાઈ 2026
2772 |
20 દિવસની ભૂખ હડતાળ બાદ સોનમ વાંગચુક હોસ્પિટલમાં કેમ દાખલ થયા? | NEET Protest
છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને શનિવારે વહેલી સવારે તબીબી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને પ્રદર્શનકારીઓ, રાજકીય નેતાઓ અને વિવિધ સંગઠનોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ દરમિયાન અભિજિત દીપકેએ ભૂખ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે, જ્યારે 20 જુલાઈની પ્રસ્તાવિત 'સંસદ કૂચ'ને લઈને પણ ચર્ચા તેજ બની છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુલાઈ 2026
5346 |
બાળકી પર કથિત દુષ્કર્મ બાદ હત્યા વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ, ટ્રેન નીચે ફેંકી હત્યા
વાસદ રેલ્વે સ્ટેશન પર સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ ટ્રેન નીચે ફેંકી હત્યા કરાતા ચકચાર મચી છે. આરોપી સીસીટીવીમાં કેદ થયો છે અને પોલીસ તપાસ ચાલુ છે. ગુજરાતને હચમચાવી મૂકે તેવી એક અત્યંત પાશવી અને ક્રૂર ઘટના આણંદ જિલ્લાના વાસદ રેલ્વે સ્ટેશન પર બની છે, જેણે કાયદો-વ્યવસ્થા અને રેલ્વે સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. એક ગરીબ પરિવાર વાસદ રેલ્વે સ્ટેશનની ટિકિટ બારી નજીકના ખુલ્લા પરિસરમાં રાત્રિના સમયે સૂતો હતો. આ પરિવારની સાડા ચાર વર્ષની માસૂમ દીકરી પણ માતા-પિતાની પડખે સૂતી હતી. આ દરમિયાન મધ્યરાત્રિએ એક અજાણ્યો નરાધમ યુવક ત્યાં ત્રાટક્યો હતો. પરિવાર ઘસઘસાટ સૂતો હોવાનો લાભ ઉઠાવી આ પાપી નરાધમ સાડા ચાર વર્ષની માસૂમ કળીને ત્યાંથી ચૂપચાપ ઉઠાવી ગયો હતો.બાળકી ગાયબ હોવાની વહેલી સવારે ખબર પડતાં જ પરિવારે ભારે શોધખોળ આદરી હતી. આ દરમિયાન વાસદ રેલ્વે સ્ટેશન નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પરથી માસૂમ બાળકીનો લોહીલુહાણ અને ક્ષત-વિક્ષત થઈ ગયેલો મૃતદેહ મળી આવતા સ્ટેશન પર ચીસાચીસ અને માતમ છવાઈ ગયો હતો. ઘટનાની ભયાનકતા જાેતાં પ્રાથમિક તપાસમાં જ સામે આવ્યું છે કે નરાધમે બાળકીનું અપહરણ કર્યા બાદ રેલ્વે ટ્રેકની આસપાસ અવાવરુ જગ્યાએ તેની પર હેવાનિયતભર્યું દુષ્કર્મ ગુજાર્યું હતું. પુરાવા નાશ કરવા અને પકડાઈ જવાની બીકે, રાત્રિના સમયે ત્યાંથી પસાર થતી કોઈ સ્પીડ ટ્રેન નીચે માસૂમને ફેંકી દેવામાં આવી હતી, જેથી ટ્રેનની નીચે કચડાઈ જવાથી બાળકીના શરીરના ચિથડા ઉડી ગયા હતા અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની લિંક મેળવવા માટે જ્યારે પોલીસે રેલ્વે સ્ટેશનના સીસીટીવી (ઝ્રઝ્ર્ફ) કેમેરા ચેક કર્યા, ત્યારે પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. રાત્રિના સમયે એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને પોતાના હાથમાં તેડીને પ્લેટફોર્મ અને રેલ્વે ટ્રેક તરફ લઈ જતો સ્પષ્ટપણે કેદ થયો છે. આ ઉપરાંત ઘટનાસ્થળની નજીક સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને બાળકીની લેંગી મળી આવી છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે બાળકીની હત્યા પહેલા તેની સાથે ભયાનક કૃત્ય આચરવામાં આવ્યું હતું. નરાધમ હત્યારાને પકડવા માટે નાકાબંધી ઘટનાની ગંભીરતાને પગલે આણંદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વાસદ લોકલ પોલીસ અને રેલ્વે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે એફએસએલ (હ્લજીન્) ની સ્પેશિયલ ટીમને બોલાવવામાં આવી છે, જેણે બાળકીના વસ્ત્રો અને ટ્રેક પરથી સેમ્પલ લીધા છે જેથી મેડિકલ બળાત્કારની કાનૂની પુષ્ટિ થઈ શકે. પોલીસે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા અને બાતમીદારોમાં વહેતા કરીને નરાધમ હત્યારાને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી કરી છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુલાઈ 2026
1683 |
અંબાજી પંથકમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા અંબાજી–હિંમતનગર હાઇવે માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.
માર્ગ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી અને અનેક નાનાં-મોટાં વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા. માર્ગ પર પાણી ભરાવાના કારણે અનેક ચાર પૈડાંવાળા વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી વાહનોને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી. ઉપરાંત એસ.ટી. બસો તેમજ ખાનગી લક્ઝરી બસો પણ પાણીમાં ફસાઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંબાજી–હિંમતનગર હાઇવે પર ચોમાસાની ઋતુ દરમિયાન દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. વર્ષોથી યથાવત રહેલી આ સમસ્યાના કારણે હાઇવે પર કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતો હોય છે. રાહદારીઓ, વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આગામી ભાદરવી પૂનમના મહામેળા પહેલાં લાખો શ્રદ્ધાળુઓ અંબાજી આવતા હોવાથી હાઇવે પર જ્યાં વરસાદી પાણી ભરાય છે તે સ્થળનું યોગ્ય પુરાણ કરી વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. સ્થાનિકોનું માનવું છે કે જાે સમયસર યોગ્ય કામગીરી કરવામાં આવશે તો ભાદરવી પૂનમ દરમિયાન યાત્રાળુઓ તથા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે અને હાઇવે પર વાહનવ્યવહાર પણ સરળતાથી ચાલુ રહી શકશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુલાઈ 2026
1683 |
તાંત્રિક વિધિના નામે ભૂવાજી દ્વારા બળાત્કાર ગુજારાતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો
ડીસા તાલુકાના એક ગામની ૨૧ વર્ષીય પરિણીતાને શારીરિક બીમારીમાંથી સાજી કરવાના બહાને તાંત્રિક વિધિના નામે ભુવાજી દ્વારા બળાત્કાર ગુજારાતાં પોલીસે આરોપી ભુવાજી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અ અંગેની વિગતે છે કે, પીડિત મહિલા સતત બિમાર રહેતી હોવાથી તેના સાસરિયાઓ અને પતિના કહેવાથી મોરથલ ગોળીયા ગામે રહેતા અને મોમજી મંદિરના ભુવાજી તરીકે ઓળખાતા અજમલભાઈ ખેંગારભાઈ સોલંકી પાસે લઈ જવાઈ હતી. ઓગસ્ટ ૨૦૨૫માં, મહિલાના શરીરમાંથી વળગાડ દૂર કરવાની વિધિ કરવાના બહાને ભુવાજી અજમલ સોલંકી મહિલા અને તેના પતિને મોરથલ ગોળીયા મુકામે ખેતરમાં આવેલી એક ઓરડીએ લઈ ગયા હતા. ત્યાં પતિને બહાર ઊભો રાખી, ઓરડીમાં ધૂપ-ધૂમાડો કરી વિધિના નામે મહિલાની મરજી વિરુદ્ધ તેના વસ્ત્રો ઉતારી બળાત્કાર ગુજાર્યાે હતો. ત્યારબાદ જાે આ વાત કોઈને કહીશ તો તારા અઢી વર્ષના દીકરાનું મોત થઈ જશે તેવી ધમકી આપીને ભુવાજીએ પીડિતાને ડરાવી રાખી હતી. ઘટના બાદ પણ ભુવાજીએ અવારનવાર ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું. છેવટે પીડિતાએ આ બાબતે પતિને જાણ કરતાં પતિએ સાથ આપવાને બદલે ઝઘડો કરી તેને પિયર મૂકી દીધી હતી. પિયરમાં માનસિક તણાવમાં રહેતી પુત્રીની આપવિતી સાંભળી માતા-પિતા અને ભાઈએ તેને હિંમત આપી હતી. સમાજમાં બદનામીના ડરને બાજુ પર મૂકી મહિલાએ આખરે ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચી આરોપી ભુવાજી અજમલભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુલાઈ 2026
2178 |
સાંતલપુરમાં સવા ૧૫ ઈંચ, રાધનપુરમાં ૧૪ ઈંચ
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૬૫ તાલુકામાં સૌથી વધુ વરસાદ પાટણના સાંતલપુરમાં ૧૫ અને રાધનપુરમાં ૧૩.૪૬ ઇંચ ખાબક્યો છે. જ્યારે વાવ-થરાદના ભાભરમાં ૧૧.૩૦, દિયોદરમાં ૧૦.૮૩ ઇંચ વરસ્યો છે. તો ૧૦ તાલુકામાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સવારના ૬થી ૮ વાગ્યામાં ૧૦૬ તાલુકામાં સૌથી વધુ વાવ-થરાદના દિયોદર અને લાખાણીમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આજે સવારે પણ ઉત્તરમાં મેઘરાજાની બેટિંગ ચાલુ રહી છે. સવારે ૬ થી ૮ વાગ્યાના માત્ર ૨ કલાકના ટૂંકા સમયગાળામાં જ રાજ્યના ૧૦૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આજે સવારે ૧ ઈંચથી વધુ વરસાદ ધરાવતા મુખ્ય તાલુકાઓ: દિયોદર (વાવ-થરાદ): ૧.૮૫ ઈંચ, લાખણી (વાવ-થરાદ): ૧.૭૩ ઈંચ, ધાનેરા (બનાસકાંઠા): ૧.૪૬ ઈંચ, રાહ (વાવ-થરાદ): ૧.૪૨ ઈંચ, ઓગડ (બનાસકાંઠા): ૧.૩૦ ઈંચ, વરસાદના સતત આગમનને પગલે તંત્ર સતર્ક બન્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.જળબંબાકારન સ્તિતીનેકારણે લોકોને ઘરમાં જ પુરાઇ રહેવુંપડ્યું હતું. તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.ખેડબ્રહ્મા પવિત્ર હરણાવ નદીમાં નવા નીર આવતાં પાલિકાના પદાધિકારી તેમજ સ્ટાફ દ્વારા વધામણાં ખેડબ્રહ્મા તાલુકા તેમજ ઉપરવાસના વિસ્તારોમાં થયેલા સાવર્ત્રિક વરસાદને પગલે ખેડબ્રહ્મા શહેરની જીવાદોરી સમાન હરણાવ નદીમાં નવા નીર આવતા ખેડબ્રહ્મા નગર પાલિકાના પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી,ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કારોબારી ચેરમેન નિકુંજ રાવલ, ચીફ ઓફિસ હિતેશભાઈ પટેલ, તુષારભાઈ પટેલ, પ્રવિણસિંહ સોલંકી અનિલ વણઝારા, દિલીપ જૈન, લતાબેન ભાવસાર વગેરે પાલિકાના સદસ્યો હાજર રહીને હરણાવ નદીને શ્રીફળ ,ચૂંદડી, કંકુ, ચોખા સાડીથી વધામણા કર્યા હતા.ઉપરવાસમાં સતત વરસાદ વરસતા હરણાવ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. નદીમાં નવા નીર આવતાં નદીકાંઠે મનોહર દૃશ્યો સર્જાયા હતા, જે ને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને યુવાનો ઉમટી પડયા હતા.હરણાવ નદીમાં પાણીની આવકથી ખેડૂતોમાં પણ આશાનું નવું કિરણ જાગયુ છે. વરસાદના કારણે ખેતરોમાં વાવેતર અને પાકને જીવનદાન મળવાની આશા વ્યકત કરવામાં આવી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુલાઈ 2026
2376 |
શહેરના એલિસબ્રિજની શાંતિ ડહોળનારા ચાર શખ્સોને એલસીબી ઝોન-૭ એ દબોચ્યા
અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાેખમાવવાનો પ્રયાસ કરનારા ચાર શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. શહેરની શાંતિ ભંગ કરવાના ઈરાદે જાહેર માર્ગ પર આતંક મચાવનારા આ શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત મુજબ, ગત ૨૪ જુલાઈની મધરાતે માદલપુર ગામ નજીક આવેલા જાહેર રોડ પર આ બનાવ બન્યો હતો. જ્યાં કેટલાક અસામાજિક તત્વોએ હાથમાં ધોકા અને લાકડીઓ જેવા હથિયારો ધારણ કરીને ફરિયાદી અને તેમના મિત્રને નિશાન બનાવ્યા હતા. આ ટોળકીએ જાહેર માર્ગ પર બિભત્સ ગાળાગાળી કરી ફરિયાદી સાથે મારામારી કરી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ મામલે એલિસબ્રિજ પોલીસ મથકે રાયોટિંગનો ગુનો નોંધાતા જ ન્ઝ્રમ્ ઝોન-૭ ની ટીમ હરકતમાં આવી હતી. પોલીસ અધિકારીઓએ સ્થાનિક પોલીસ સાથે સંકલન સાધી, ખાનગી બાતમીદારોના નેટવર્કને સક્રિય કર્યું હતું. બાતમીના આધારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે કે આ હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને આ ઘટનામાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ. પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુલાઈ 2026
1881 |
ટ્રેનમાંથી વૃદ્ધાના હાથમાંથી ૭૦ હજારની મતા ભરેલું પર્સ ઝૂંટવી ગઠિયો ફરાર
અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેન ધીમી પડતા જ મુસાફરોને નિશાન બનાવતા ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો હોય તેમ વધુ એક સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે.’ભગત કી કોઠી - વલસાડ એક્સપ્રેસ‘ ટ્રેનમાં પરિવાર સાથે મુસાફરી કરી રહેલા એક વૃદ્ધાના હાથમાંથી અજાણ્યો શખ્સ પર્સ આંચકીને નાસી છૂટતા રેલવે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા અને કાપડના વેપાર સાથે સંકળાયેલા ૪૬ વર્ષીય મનોજકુમાર મંગીલાલજી શેઠિયાએ આ અંગે અમદાવાદ રેલવે પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તારીખ ૨૨/૦૭/૨૦૨૬ના રોજ મનોજકુમાર તેમના પરિવારના સભ્યો સાથે ટ્રેન નંબર ૨૨૯૨૯ (ભગત કી કોઠી - વલસાડ એક્સપ્રેસ) માં જાેધપુરથી સુરત આવવા માટે રવાના થયા હતા. તેઓ એસી કોચ મ્/૭ ની સીટ નંબર ૦૧ થી ૦૬ પર મુસાફરી કરી રહ્યા હતા.તારીખ ૨૩ જુલાઈના રોજ વહેલી સવારે આશરે ૦૩:૦૦ વાગ્યે જ્યારે ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આવવા માટે તેની ગતિ ધીમી પડી, ત્યારે મનોજકુમારના માતા રેશમદેવી પોતાની સીટ પર સૂતા હતા. તેમના હાથમાં લાઈટ પિંક રંગનું લેડીઝ પર્સ રાખેલું હતું. ટ્રેન ધીમી પડતા જ આ તકનો લાભ લઈ એક અજાણ્યો તસ્કર અચાનક ટ્રેનમાં ચઢ્યો હતો અને વૃદ્ધાના હાથમાંથી પર્સ આંચકીને પલકવારમાં ચાલતી ટ્રેને કૂદીને નાસી છૂટ્યો હતો.ચોરાયેલા આ પર્સમાં ૫૫,૦૦૦ની રોકડ રકમ, ૨૦,૦૦૦ અને ૧૫,૦૦૦ની કિંમતના બે કિંમતી મોબાઈલ ફોન તથા અન્ય પરચુરણ સામાન હતો. પોલીસ ચોપડે કુલ ૭૦,૦૦૦ની મતાની ચોરી થઈ હોવાનું નોંધાયું છે. અમદાવાદ રેલવે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુલાઈ 2026
1881 |
ડાંગ-ઉપરવાસમાં ભારે વરસાદથી ૨૦ ગામો પ્રભાવિત
ડાંગ જિલ્લાનાં ગામડાંઓમાં બે દિવસ પૂર્વે બારે મેઘ ખાંગા થતા ડાંગી જનજીવન પર માઠી અસર પહોંચી હતી. ગુરુવારે ભારે વરસાદ બાદ શુક્રવારે વરસાદે પોરો ખાતા ડાંગનું જનજીવન ફરી ધબકતું જાેવા મળ્યું હતું. જેમાં શનિવારે ફરી ડાંગ જિલ્લામાં મધ્યમ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં શનિવારે સવારથી જ મધ્યમ સ્વરૂપનો વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં મધ્યમ વરસાદનાં પગલે અંબિકા, ખાપરી, પૂર્ણાં અને ગીરા નદી સતત ત્રીજા દિવસે ગાંડીતુર હાલતમાં જાેવા મળી હતી. ડાંગ જિલ્લામાં વરસાદનાં પગલે પંચાયત માર્ગ અને મકાન વિભાગનાં કુલ ૧૩ માર્ગો ઓવરટોપિંગના કારણે અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યાં છે. જેને લઈ ૨૦ ગામો પ્રભાવિત થયા છે. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ વચ્ચે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જાેવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યું હતું. તો બીજી તરફ વઘઇ બોટનિકલ ગાર્ડન, વઘઇનો ગીરાધોધ અને ગિરમાળનો ગીરાધોધને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં હતાં. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર, છેલ્લાં ૨૪ કલાક દરમિયાન આહવા પંથકમાં ૧.૮ ઈંચ, વઘઇ પંથકમાં ૧.૮૪ ઈંચ, સુબિર પંથકમાં ૨.૩૨ ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં ૩.૫૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુલાઈ 2026
2475 |
સારોલી, સણીયા-હેમાદ સહિત મીઠીખાડી વિસ્તારમાં હજારો લોકો ચોથા દિવસે પણ ઘરોમાં કેદ
શુક્રવાર રાતથી મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદનાં વિરામ સાથે ખાડીઓની સપાટીમાં ધીમેધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરનાં લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલ મીઠીખાડી અને આસપાસનાં વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ યથાવત રહેવા પામી છે. સણિયા હેમાદથી માંડીને ગોડાદરા-લિંબાયતનાં નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂરનાં પાણીનાં ભરાવાને કારણે વહીવટી તંત્ર દ્વારા પાણીનાં નિકાલ માટેની યુદ્ધનાં ધોરણે કવાયત શરૂ કરવામાં આવી છે. ચોથા દિવસે સીમાડા ખાડી ભયજનક સપાટી કરતાં નીચે આવી છે. જાેકે હવે મીઠીખાડીની સપાટીમાં પણ ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે.સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ ઉપસ્થિત થતાં માત્ર એક પખવાડિયામાં જ સુરત શહેરમાં બીજી વખત ખાડીપુરે શહેરને ઘમરોળી નાખ્યું હતું. ખાડી પુરની વિકટ સ્થિતિને પગલે વહીવટી તંત્ર દ્વારા અલગ - અલગ વિસ્તારોમાંથી સેંકડો નાગરિકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. અલબત્ત, સુરત શહેરમાં છાશવારે ખાડીપૂરને કારણે નાગરિકોનો આક્રોશ હવે સાતમા આસમાને પહોંચ્યો છે. ખાડીપૂર મુદ્દે રાજ્ય અને સ્થાનિક સ્તરની બે અલગ-અલગ કમિટી બનાવવામાં આવી છે. અલબત્ત, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરત શહેરમાં મીઠીખાડી સહિતની ખાડીઓમાં પૂર આવતાં નીચાણવાળા વિસ્તારોમાં પાંચથી આઠ ફુટ સુધીનાં પાણી ભરાઈ જવાને કારણે નાગરિકોને નાછૂટકે સ્થળાંતર કરવાની ફરજ પડે છે. અલબત્ત, છેલ્લા બે દિવસનાં વરસાદ બાદ આજે સુરત સહિત ઉપરવાસમાં મેઘરાજાએ વિરામ લેતાં નાગરિકોની સાથે સાથે વહીવટી તંત્રે પણ હાશકારો અનુભવ્યો છે. જાે કે, મીઠીખાડી અને સીમાડાખાડી હજી પણ ભયજનક સપાટીની લગોલગ વહેતી જાેવા મળી રહી છે. આ સ્થિતિમાં કુંભારિયા ગામથી માંડીને સારોલી, સણિયા હેમાદ, ગોડાદરા, પરવતગામ અને લિંબાયતમાં મીઠીખાડીની આસપાસનાં વિસ્તારોમાં ખાડીપુરનાં પાણીનો ભરાવો યથાવત રહ્યો છે. અલબત્ત, જે સ્થળેથી વરસાદી પુરનાં પાણી ઓસરી રહ્યા છે ત્યાં તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ સારોલી સહિતનાં વિસ્તારમાં ખાડીપૂરનાં પાણી આજે પણ યથાવત રહેતાં આસપાસ આવેલ ટેક્સ્ટાઈલ માર્કેટોમાં કામકાજ બંધ રહેવા પામ્યું છે. એપીએમસી માર્કેટથી -કડોદરા હાઈવે સુધીનાં વાહન વ્યવહાર પણ બંધ રહ્યો હતો. ખાડીપૂરે વધુ એકનો ભોગ લીધો : પરવત પાટિયા ખાતે કેનાલમાં યુવાન ડૂબી ગયો ખાડીપૂરે શહેરમાં આર્થિક નુક્સાન તો વેર્યું જ છે સાથો સાથ માનવ જિંદગીનો પણ ભોગ લીધો છે. આજે પરવતપાટિયા ખાતે કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ પામનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં ચાર વ્યક્તિનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. પર્વત પાટિયા ખાતે આવેલી કેનાલમાં આજે સવારે અજાણ્યા પુરુષની લાશ જાેવા મળતાં તાત્કાલિક ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવી હતી ફાયરબ્રિગેડનાં જવાનોએ ભારે જહેમત કરી કેનાલમાંથી લાશ બહાર કાઢી હતી અને સ્થળ ઉપર હાજર પોલીસને કબજાે સોંપવામાં આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે મરનારની ઉમર આશરે ૩૫ વર્ષની હતી. જાે કે હાલમાં તેની ઓળખ થઈ નથી. બીજા બનાવમાં ડીંડોલી વિસ્તારમાં પ્રિયંકા નગર માનસી રેસિડેન્સી પાસે ડીંડોલી ખાડીમાં એક અજાણ્યા યુવકની લાશ મળી હતી. જેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. જાેકે તેની ઓળખ થવા પામી નથી. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઇકાલે શુક્રવારે પાલનપોર કેનાલરોડ હળપતિવાસ પાસે તેમજ ન્યુબમરોલી રોડ અલથાણ ખાડીબ્રિજ પાસેથી બે વ્યક્તિનાં મૃતદેહ મળ્યાં હતાં.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુલાઈ 2026
1584 |
કાર ખરીદવા આપેલા ૧૨.૫૦ લાખ ઓછા પડતાં સાસરીયાઓનાં ત્રાસથી પરિણીતાએ ફાંસો ખાધો
ત્રણ મહિના પહેલા થયેલાં લગ્નમાં અપાયેલા ૩૨.૫૦ લાખના કરિયાવરમાં કાર ખરીદવા રોકડા ૧૨.૫૦ રૂપિયા આપવા છતાં ૦૬ લાખની માગણી કરી પતિ તથા જેઠ-જઠાણીએ ભયંકર ત્રાસ અપાતાં પરિણીતાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સચિન જીઆઇડીસી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના દેવરીયા જિલ્લાના રહેવાસી આનંદ હરિનારાયણ સિંહે તેમની દીકરી પ્રિયાના લગ્ન એપ્રિલ ૨૦૨૬માં અભિષેક પ્રભંધસિંહ સાથે કરાવ્યા હતાં. લગ્નમાં આનંદ સિંહે સમાજના રીત રિવાજ અનુસાર ઘરવખરીનો સામાન, સોના-ચાંદીના દાગીના, રોકડા ૬.૧૦ લાખ રૂપિયા અને કાર લેવા માટે ૧૨.૫૦ લાખ રૂપિયા પણ આપ્યા હતા.આ રીતે કુલ ૩૨.૫૦ લાખનાં કરિયાવર સાથે દીકરી પ્રિયાને સાસરે વળાવી હતી. બીઇ મીકેનીકલ થયેલો અભિષેક સુરત, સચિન જીઆઇડીસી ખાતે ગુજરાત ગેસ લિમિટેડમાં મિકેનિકલ પ્રોડક્શન એન્જિનિયર તરીકે નોકરી કરતો હોય લગ્ન બાદ પ્રિયા અભિષેકનાં સુરત, સચિન જીઆઇડીસી સ્થિત લક્ષ્મીવીલા ટાઉનશીપમાં રહેવા આવી હતી. અહી તે જેઠ-અક્ષય કુમાર પ્રભંધસિંહ તથા જેઠાણી-વંદના સાથે સંયુક્ત કુટુંબમાં રહેવા માંડી હતી. લગ્નના બારેક દિવસ બાદ પ્રિયાએ પિતાને કોલ કરી જણાવ્યું હતું કે, મારા પતિ તથા જેઠ અક્ષય તથા જેઠાણી વંદના દ્વારા લગ્નમાં તારા બાપાએ અમને મોટી ગાડીના બદલે નાની ફોર વ્હીલ ગાડી માટેના રૂપિયા આપ્યા છે, તેમ કહી મને મેણા ટોણા મારી હેરાન કરે છે, અને મને ખાવાનુ પણ આપતા નથી તેમ જણાવ્યું હતું. આ સાંભળી આનંદ સિંહે વેવાઇ પ્રભંધસિંહને વાત કરી હતી, તેમણે હું મારા દીકરા અને વહુંને સમજાવી દઈશ એવું આશ્વાસન આપ્યું હતું. જાે કે ત્યારબાદ પણ એ ત્રણેય જણાએ મોટી ગાડી માટે પૈસા લાવવા કહી પ્રિયાની સતામણી કરાતી રહી હતી. પ્રિયાને પૂરતું જમવાનું પણ નહીં અપાતાં તેણીએ તેની માતા પુનમસિંહ અને ભાઇ સિદ્ધાર્થ સિંહને વાત કરી હતી. જાે કે, ગાડી માટે વધું ૦૬ લાખ રૂપિયા લાવવા કહી જુન મહિના સુધી હેરાનગતિ ચાલુ રહી હતી. જેથી આનંદ સિંહે ૧૩મી જુલાઇએ સુરત રહેતાં તેમના નાના ભાઈ દીપાંકર સિંહને કોલ કરી પ્રિયાના ઘરે જવા કહ્યું હતું. પ્રિયાના ઘરે ગયેલા દીપાંકર સિંહે જમાઇ તથા તેમના ભાઇ-ભાભીને સમજાવ્યા હતાં. ત્યારબાદ ૨૨મી જુલાઇએ સવારે પ્રિયાએ તેના ભાઈ સિધ્ધાર્થને કોલ કરી પિતા સાથે વાત કરાવવા કહ્યું હતું. આનંદે વાત કરતાં તેણીએ કહ્યું કે, "પાપા તુમ જલદી આ જાવો, યે લોગ મુઝે જાન સે માર ડાલેંગે " જેથી આનંદે પહેલી ઓગષ્ટની ટિકિટ મળી છે અમે સુરત આવી પ્રશ્ન હલ કરી દઈશું એમ કહ્યું હતું. એ જ દિવસે બપોરે વેવાઇ પ્રભંધસિંહે આનંદને કોલ કરી જણાવ્યું હતું કે, તમારી છોકરીએ ફાંસો ખાઇ લીધો છે. આ સાંભળી આનંદે જમાઈ અને તેના ભાઈ-ભાભીને કોલ કર્યા પરંતુ કોઈ એ જવાબ આપ્યો ન હતી. બાદમાં આનંદ સમાજનાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓને લઇ ગાડી ભાડે કરી સુરત આવ્યા હતા. કાર માટે વધુ છ લાખ રૂપિયાની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારી પ્રિયાને આત્મહત્યા કરવા મજબૂર કરવા અંગે તેમણે જમાઇ તથા તેના ભાઈ-ભાભી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુલાઈ 2026
2178 |
જંતર મંતર ખાતે યુવતીના મૃત્યુ સંબંધે બોગસ પોસ્ટ મૂકનારા યુવકની ધરપકડ
“દિલ્હી જંતર મંતર ખાતે એક છોકરીની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી” એવા લખાણ અને ફોટો સાથેની ફેસબુક પર ખોટી પોસ્ટ મૂકી દિલ્હીમાં ચાલતા વિદ્યાર્થીઓના પ્રોટેસ્ટ અંગે લોકોમાં નાહકનો ઉશ્કેરાટ અને અશાંતિ ફેલાય એવુ કૃત્ય કરનાર ફેશન વીડિયો ક્રિએટરની પોલીસે ધરપકડ કરી છે. વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે કરવામાં આવેલા ધરણાં પ્રદર્શન અંગે ભ્રામક પોસ્ટ મૂકી, વીડિયો અપલોડ કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી. સોશિયલ મીડિયા મોનીટરીંગ દરમિયાન પોલીસને ફેસબુક પર એક પોસ્ટ જાેવા મળી હતી. ધરણા પ્રદર્શન દરમિયાન એક યુવતીનું મોત થયું એવા મતલબની આ પોસ્ટમાં તેણીનો ફોટો મૂકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દિલ્હીમાં કોઈ યુવતી મૃત્યુ પામી ન હોવા છતાં આ ધરણાં પ્રદર્શનને સમર્થન કરી રહેલા યુવાઓમાં ગેરસમજ ફેલાય, તેઓ ઉશ્કેરાય એ રીતની આ પોસ્ટને પોલીસે ગંભીરતાંથી લીધી હતી.સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તાત્કાલિક એ ફેસબુક એકાઉન્ટની તપાસ શરૂ કરાઇ હતી. ટેકનિકલ સર્વેલન્સથી ચોક્કસ બાતમી મળી હતી કે, સંબંધિત ફેસબુક એકાઉન્ટ વરાછા ખાતેથી ઓપરેટ થઈ રહ્યું છે. જેના આધારે તારીખ ૨૫ જુલાઈ,૨૦૨૬ના રોજ ક્રાઈમ બ્રાન્ચની ખાસ ટીમે દરોડો પાડી ફેસબુક આઇડી ઓપરેટ કરતા આદિત્ય નરેશભાઈ બારૈયાને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો હતો. લંબેહનુમાન રોડ ઉપર વિધાતા એપાર્ટમેન્ટમાં રહેતો ૨૫ વર્ષીય આદિત્ય નરેશભાઈ બારૈયા મૂળ ભાવનગરના તળાજાના બેલા ગામનો વતની છે. ફેશન ડિઝાઇનીંગના વિડિયો ક્રિએટર એવા આદિત્ય બારૈયા સામે ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ ૧૯૨, ૩૩૬(૨), ૩૩૬(૪), ૩૫૩(૧) તથા આઈ.ટી. એક્ટ ૨૦૦૮ની કલમ ૬૬(ડી) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રાઇમ પોલીસે નોંધેલા ગુનામાં બનાવટી રેકોર્ડ ઊભા કરવા, ચેટ કે વીડિયોમાં હેરાફેરી કરી લોકોને છેતરવા અને જાહેર શાંતિનો ભંગ કરવા માટે કડક સજાની જાેગવાઈ છે. પોલીસ દ્વારા આરોપીના મોબાઈલ ફોન અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરીને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
25, જુલાઈ 2026
7326 |
કોંકરોચ જનતા પાર્ટીનાં સમર્થનમાં સુરતમાં રેલી અને દેખાવો
કોંક્રોચ જનતા પાર્ટી દિલ્હીનાં જંતર મંતર ખાતે આંદોલન ચલાવી રહી છે ત્યારે સુરત શહેરમાં તેમનાં સમર્થકોએ વનિતાવિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને કેન્દ્ર સરકાર સામે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...