આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
1881 |
ભાવનગર લઠ્ઠાંકાંડનો રેલો છેક અમદાવાદ પહોંચ્યોં : ધોલેરામાંથી દારૂની બોટલ ઝડપાઇ
ભાવનગરમાં સાત લોકોનો ભોગ લેનારા ચર્ચિત ઝેરીલા દારૂકાંડનો રેલો અમદાવાદ સુધી આવ્યો છે. અમદાવાદ જિલ્લાના. ધોલેરાના પિંગલેશ્વર નજીક મિંગળપૂર ગામ ખાતે આવેલી શૈલેષ મેરની વાડીમાંથી શંકાસ્પદ દારૂની ૨૪ બોટલો ઝડપાઈ છે, જે શૈલેષે ભાવનગરના બુટલેગર જયદીપ પાસેથી મેળવી હતી. પ્રાથમિક તપાસમાં ધોલેરાથી મળેલી આ બોટલો અને ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જનાર દારૂની બોટલો એક જ બેચની હોવાની આશંકા સેવાઈ રહી છે. આ જ બેચનો ઝેરી દારૂ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘૂસી ગયો હોવાની ગંભીર શંકાને પગલે પોલીસે તમામ બોટલોને હ્લજીન્ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે મોકલી આપી છે. હ્લજીન્નો રિપોર્ટ આવ્યા બાદ જ અમદાવાદમાં આ નકલી અને ઝેરી દારૂનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે. ભાવનગર શહેરમાં નકલી દારૂના સેવનથી હાહાકાર મચી ગયો છે. કલેક્ટર દ્વારા આપેલી માહિતી મુજબ, આ ડુપ્લીકેટ દારૂના સેવનના કારણે અત્યાર સુધીમાં ૭ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત, ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂ પીવાના કારણે ૩૯ લોકોની તબિયત લથડતા તેઓને શહેરની અલગ-અલગ ૫ હોસ્પિટલોમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
20, ઓગ્સ્ટ 2026
1782 |
નકલી દારૂનો એક ઘૂંટડો અને મોત! મિથેનૉલ કેવી રીતે બનાવે છે દારૂને ઝેર?
ભાવનગરમાં નકલી વિદેશી દારૂના સેવન બાદ મોતની ઘટના સામે આવી છે. મીડિયા અહેવાલો મુજબ મૃત્યુઆંક 7 સુધી પહોંચ્યો છે, જ્યારે અનેક લોકો સારવાર હેઠળ છે. તપાસમાં દારૂમાં ઝેરી કેમિકલની ભેળસેળનો એંગલ સામે આવ્યો છે.નકલી દારૂમાં મિથેનૉલ જેવા ઝેરી રસાયણની હાજરી શરીર માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. મિથેનૉલ પોઇઝનિંગથી દ્રષ્ટિ ધૂંધળી થવી, ઉલટી, ચક્કર અને ગંભીર સ્થિતિમાં મોત પણ થઈ શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
13, ઓગ્સ્ટ 2026
11385 |
સોલાર કંપનીનાં ચેનલ પાર્ટનર બનાવવાનું કહીને ખેડૂત સાથે પાંચ લાખની છેતરપિંડી
ગીર સોમનાથનાં ખેડૂતને સોલાક કંપનીનાં ચેનલ પાર્ટનર બનાવવા સાથે સોલાર સંબંધિત સામાન પુરો પાડી વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવાની વાતમાં ફસાવી પાંચ લાખ પડાવી લેનાર ડિરેક્ટર અને મેનેજર સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.ગોડાદરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ગીર સોમનાથનાં ઉના તાલુકાના જશરાજ નગરના વતની પ્રતાપભાઈ ભાણાભાઈ મોરી વ્યવસાયે ખેડૂત છે. ગત ડિસેમ્બર ૨૦૨૫માં મોરીએ સોશિયલ મીડીયામા સનરૂટ એનર્જી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જાહેરાત જોઈ હતી. ચેનલ પાર્ટનર બનવાની ઓફર કરતી આ જાહેરાત સાથે અપાયેલા નંબર ઉપર મોરીએ કોલ કર્યો હતો. જેમાં વિવેક મિશ્રાએ વાત કરતાં જણાવ્યું હતું કે, અમે તમને સોલાર કંપનીના ચેનલ પાર્ટનર બનાવીશું. સાથે જ ડિસ્ટ્રીબ્યુટર તરીકે એજન્સી આપી ધંધો સેટ કરવામાં તમામ મદદ કરીશું.મોરીને સોલારનાં ધંધામાં રસ હોવાથી તે જાન્યુઆરી ૨૦૨૬માં સુરત આવ્યો હતો. ગોડાદરા વિસ્તારના કેપિટલ સ્ક્વેરમાં આવેલી સનરૂટ એનર્જી સોલ્યુશન કંપનીની ઓફિસમાં તેઓ ગયા હતાં. જ્યાં વિવેક મિશ્રા મળ્યા અને મોરીની મુલાકાત ટીમ મેનેજર આયુષ ઉપાધ્યાય સાથે કરાવી હતી. આ બંનેએ જણાવ્યું હતું કે, તમે ચેનલ પાર્ટનર બનશો તો સોલાર સંબંધિત તમામ સામાન ડિસ્પ્લે માટે આપવામાં આવશે. સાથે વ્યવસાય શરૂ કરાવવામાં સંપૂર્ણ મદદ પણ કરાશે. જે માટે પાંચ લાખ રૂપિયા કંપનીમાં જમા કરાવવા પડશે. પેમેન્ટ થયા બાદ સોલાર રૂફટોપ, સોલાર કેમેરા, સોલાર સ્ટ્રીટ લાઈટ વગેરેનો સામાન તેમજ બ્રાન્ડિંગ મટીરિયલ પહોંચાડવાની બાંહેધરી પણ તેમણે આપી હતી. આ વાતમાં વિશ્વાસ મૂકી મોરીએ તેમને પાંચમી જાન્યુઆરીએ પાંચ લાખ રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ તેઓ ઓનલાઇન ટ્રેનિંગ આપવાની તથા ટૂંક સમયમાં બ્રાન્ડિંગ મટીરીયલ અને અન્ય સામાન મોકલવાની ખાતરી આપતા રહ્યા હતાં. જો કે, તેઓએ એક પણ વાત અમલમાં મૂકી ન હતી. ત્રણેક મહિના બાદ મિશ્રા અને ઉપાધ્યાયે મોરીનાં કોલ રીસિવ કરવા પણ બંધ કરી દીધા હતા. પાંચ લાખ રૂપિયા લઇ સોલારના ધંધા માટે સરસામાન નહીં અપાતાં મોરી ફરીથી સુરત તપાસ કરવા આવ્યા હતા. જેમાં આ કંપનીની ઓફિસ ૩૧ માર્ચથી બંધ કરી દેવાયાનું જાણવા મળ્યું હતું. જેથી મોરીએ આયુષ ઉપાધ્યાય અને વિવેક મિશ્રા ઉપરાંત કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર વિનિતા મુર્ગેશ પડયાસી તથા ર્હષિતા રજ્જનસિંગ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, જુલાઈ 2026
33561 |
વેચાણ માટે લીધેલા હીરાનું ૭૪.૮૭ લાખ પેમેન્ટ નહીં ચૂકવી કતારગામની કંપની સાથે છેતરપિંડી
આડતથી વેચાણ માટે ૭૪.૮૭ લાખનાં હીરા લઇ ગયા બાદ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપનાર રિદ્ધિ ડાયમંડ તથા રિદ્ધિ સિદ્ધિ ડાયમંડ નામે ધંધો કરતા માંગુકિયા પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી અનુસાર સિંગણપોર ચાર રસ્તા પાસે રાજદીપનગરમાં રહેતા ચિરાગ ડુંગરશીભાઈ સવાણી હીરાનો વેપાર કરે છે. ભાવનગરનાં વલ્લભીપુર તાલુકાનાં વતની ચિરાગ કતારગામ અમરોલી રોડ ઉપર “સી. જેનીલ કુમાર એન્ડ કુ." નામથી વિશાલ સવાણી અને ડાહ્યાભાઇ સવાણી સાથે કુદરતી હિરાનું મેન્યુફેકચરિંગ તેમજ ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનું કામકાજ કરે છે. ચિરાગ પાંચ છ વર્ષ પહેલા ગૌરાંગ લાખાભાઇ માંગુકિયા સાથે હીરા વેચાણનું કામ કરતો હતો. ત્યારબાદ ગૌરાંગ હોંગકોંગ જઇ રિદ્ધિ સિદ્ધિ ડાયંમડ નામથી વેપાર કરવા માંડ્યો હતો. ગૌરાંગ માંગુકિયા એ વોટ્સએપથી ચિરાગ સવાણીનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, મારા પરિવારનાં અરવિંદભાઈ, ઉમંગ તથા કાનજી મુંબઈ અને સુરત મુકામે રિદ્ધિ ડાયમંડ નામથી ધંધો કરે છે. તેઓની જરૂરિયાત અનુસારનો માલ તારી પાસે હોય તો તેમને આપજે. એ માલ હું હોંગકોંગમાં વેચી પેમેન્ટ કરાવી આપીશ. પેમેન્ટની જવાબદારી લેવા સાથે ગૌરાંગે ૩% આડત આપવાની શરત પણ મૂકી હતી. ત્યારબાદ અરવિંદ માંગુકીયાએ ચિરાગને ફેક્ટરીએ મળવા ગયા હતાં. તેમણે કટ એન્ડ પોલીશ્ડ હીરાની ડિમાન્ડ કરી હતી. એ સમયે સવાણી પાસે હતો એ માલ બતાવ્યો હતો. માંગુકિયાએ ૨૪૯.૨૨૦ કેરેટ હીરા પસંદ કર્યા હતા. ૭૪,૮૬,૫૬૮ રૂપિયા કિંમતનાં હીરા ૧૨ ઓગષ્ટ, ૨૦૨૪નાં રોજ અરવિંદને જાંગડ પર અપાયા હતાં. ત્યારબાદ પણ ધણો સમય વીતી જવા છતા અરવિંદે હીરા બાબતે કોઇ જવાબ આપ્યો ન હતો. દરેક કોલમાં અલગ અલગ બાહાના બનાવી તેઓ સમય પસાર કરતાં રહ્યાં હતાં. જેથી સવાણીએ ગૌરાંગનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જેમાં ગૌરાંગે ઉશ્કેરાઇ જઇ મે કે મારા કારાએ આવો કોઇ માલ ખરીદ્યો નથી, કે આડતથી વેચાણ માટે લીધો નથી એમ કહેતાં સવાણી આઘાત પામ્યો હતો. ત્યારબાદ ચિરાગનાં પિતા ડુંગરશીભાઇ તથા મુંબઈ ઓફિસમાં સેલ્સ વિભાગ સંભાળતા રાકેશ કાજાવદરા ૭૪.૮૭ લાખની ઉઘરાણી માટે રિદ્ધિ ડાયમંડ અને રિદ્ધિ સિદ્ધિ ડાયમંડનાં પાર્ટનર કાનજી તથા ઉમંગ પાસે ગયા હતાં. તેઓએ પણ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપી હતી. જેથી ચિરાગ સવાણીએ આખરે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુલાઈ 2026
45441 |
ગીરના સિંહો હવે માણસોનો શિકાર કરી રહ્યા છે? સરકારે હવે તૈયાર કર્યો માસ્ટરપ્લાન!
*ગીર અને ગિરનાર વિસ્તારમાં વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વન વિભાગે સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. આ સમગ્ર મામલે વધુ માહિતી અને તમામ મહત્વના અપડેટ્સ માટે જોડાયેલા રહો લોકસત્તા જનસત્તા સાથે.*
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
1584 |
ફાગવેલમાં ૧૫મી ઓગસ્ટે ‘વાવેલા’ વૃક્ષો ગાયબ!
૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નવરચિત ફાગવેલ તાલુકા મથકે મોટા ધામધૂમથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા, સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, શાસક પક્ષના જિલ્લા પ્રમુખ અને જિલ્લા ફોરેસ્ટ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓએ કેમેરાના ફ્લેશ અને તાળીઓના ગડગડાટ વચ્ચે ભારે ઉપાડે ‘વૃક્ષારોપણ’ કર્યું હતું. પરંતુ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ગણતરીના દિવસો પણ નથી થયા, ત્યાં જ એ તમામ વાવેલા છોડવાઓ સ્થળ પરથી ગાયબ થઈ ગયા છે!આ કોઈ અકસ્માત નથી, પણ પ્રજાના સરકારી નાણાં પર તંત્ર અને નેતાઓ દ્વારા આચરવામાં આવેલો સીધો ધતિંગ છે. શું વહીવટી તંત્ર અને નેતાઓ માટે વૃક્ષારોપણ માત્ર ફોટા પડાવવાનો અને કેમેરા સામે હસવાનો જ ‘પબ્લિસિટી સ્ટંટ’ બનીને રહી ગયો છે? કાગળ પર પર્યાવરણ બચાવવાના ડાહ્યા ઉપદેશો આપતું જિલ્લા વહીવટી તંત્ર વાસ્તવમાં કેટલું ઘોર બેદરકાર છે, તેનો આ ઘટનાથી પર્દાફાશ થયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, સમગ્ર બાબતે કઠલાલના આરએફઓ સુનિલસિંહ વાઘેલાએ મીડીયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં પોતાની નાકામી અને બેદરકારી સ્વીકારી છે. તેમણે બહાનું આગળ ધર્યું કે પ્રાંત અધિકારીની સૂચના છતાં અન્ય સરકારી કામગીરીના કારણે તેમનું ધ્યાન ન રહ્યું! સરકારી કાર્યક્રમોનું બહાનું બતાવીને પર્યાવરણ અને પ્રજાના પૈસાનું નુકસાન ચલાવી લેવાય? હવે જ્યારે ભાંડો ફોડાઈ ગયો છે, ત્યારે “ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળું મારવા” નીકળેલા ઇર્હ્લં ફરીથી ત્યાં વૃક્ષો વાવીને જતન કરવાની વાતો કરી રહ્યા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સરકારી વૃક્ષારોપણ યોજનાઓ માત્ર અધિકારીઓના સબમિટ થતા રિપોર્ટો અને નેતાઓની પ્રચાર પ્રવૃત્તિ પૂરતી જ સીમિત છે. જનતા પૂછી રહી છે કે પ્રચારના નામે આચરવામાં આવતા આવા ધતિંગો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? કારણ કે નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની સાથે જાેડાયેલી બાબતે ઉજાગર થયેલી બેદરકારી જાણે કે સામાન્ય ભુલ હોય એમ આસાનીથી ફરીથી વૃક્ષો ઉછેરવાનું કહીને મામલો ઢાળી દેવાશે, એવું જિલ્લાભરની જનતાને વિશ્વાસપુર્વક લાગી રહ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
1287 |
આણંદમાં મ્યુલ એકાઉન્ટ અને બેંક કીટની હેરાફેરી કરનારા ૪ ઝડપાયા
આણંદ સાયબર ક્રાઈમ પોલીસે ગઈકાલે સાંજના સુમારે નેશનલ હાઈવે નંબર ૮ ઉપર આવેલા ગામડી ઓવરબ્રીજની નીચે છાપો મારીને ચાર શખ્સોને સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે મ્યુલ એકાઉન્ટો ખોલાવીને બેન્કોની કીટોની હેરાફેરી કરતા ઝડપી પાડયા હતા. પોલીસને પકડાયેલા શખ્સો પાસેથી પાસબુકો, સીમકાર્ડ, મોબાઈલ ફોન સહિત કેટલુંક બેન્કને લગતુ વાંધાજનક સાહિત્ય મળી આવતાં તે જપ્ત કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.પ્રાપ્ત વિગત અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, સાયબર ક્રાઈમને લગતા ગુના આચરતી ગેંગના માણસો લોકો પાસેથી ગેરકાયદેસર બેન્ક એકાઉન્ટો ખોલાવીને તેમની પાસેથી કીટો મેળવી મળતીયા મારફતે સાયબર ફ્રોડ આચરતી ગેંગને મોકલીને દેશના જુદા-જુદા રાજ્યોના લોકો પાસેથી ઓનલાઈન કરેલી ઠગાઈના નાણાં ઉક્ત એકાઉન્ટોમાં જમા કરાવી રહ્યા છે. આ સભ્યો હાલમાં ગામડી ઓવરબ્રીજ નીચે આવા એકાઉન્ટોની કીટોની હેરાફેર કરી રહ્યા છે. જેથી પોલીસે છાપો મારતાં ચાર શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. તેમની પાસેથી પાસબુકો, સીમકાર્ડ, બેંકને લગતુ સાહિત્ય વગેરે મળી આવ્યું હતુ. જે અંગે પુછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી સાયબર ક્રાઈમની ઓફિસે લાવીને નામઠામ પુછતા ઈકબાલભાઈ તૌસીફભાઈ ખલીફા (રે. સુરેલી), જાવરખાન (સુરેલી), દાઉદભાઈ ખ્રિસ્તી (રે. સુંદલપુરા) દ્વારા હબીબખાન મહેશભાઈ ગ્રામજનોને ભોળવીને તેઓના એકાઉન્ટો ખોલાવીને બેન્કોની કીટો મેળવીને કમીશન લઈને મહંમદ ઝુબેરને આપતા હતા. જેથી મહંમદ જુબેરની પુછપરછ કરતા તે કમીશન લઈને ઉક્ત બેન્કોની કીટો અમદાવાદ ખાતે રહેતા સીપાઈ અબ્દુલ્લા ઉર્ફે છોટુ નામની વ્યક્તિને આપતો હતો. આ અંગે પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને મુખ્ય સુત્રધાર એવા અમદાવાદના અબ્દુલ્લા ઉર્ફે છોટુને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ઉક્ત શખ્સો કમિશન ઉપર મ્યુલ એકાઉન્ટોખોલાવીને સાયબર ફોડના નાણાં જમા કરાવવા માટે સાયબર ક્રાઈમ આચરતી ગેંગોને આપતા હતા. જેથી તેમના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન આવા કેટલા એકાઉન્ટો ખોલાવ્યા છે અને કેટલુ કમીશન મેળવતા હતા જેવી બાબતો ઉજાગર થવા પામનાર છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
1782 |
પેટાચૂંટણીમાં ભાજપનો વિજય છતાં કોંગ્રેસે કાનૂની દાવથી દાવો મજબૂત કર્યો
ગત એપ્રિલ માં આણંદ જીલ્લા પંચાયત ની ચુંટણી યોજાયા બાદ મે માસમાં યોજાયેલ પ્રમુખ પદ ની ચૂંટણીમાં ભાજપનો વિજય છતાં કાનૂની ગૂંચ ઉભી થતાં પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં પ્રમુખ પદનો દાવો સરળ બનવા પર ભાવિ પ્રમુખ નિમણુંક આસાન નહીં ના સવાલ ઉઠતાં કોન્ગ્રેસે કાનૂની દાવથી તાતાતીર ખેંચતા ચૂંટણી સમયે એસસી એસટી મહિલા ઉમેદવાર માટે હાડગુડ બેઠક ફાળવી હોય જ્યાં કોન્ગ્રેસ ના વિજય થતાં પાળજની બિન અનામત બેઠક પર ભાજપના વિજય નો મુદ્દો નડશે ની ચર્ચા પંચાયત રાજકારણમાં ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર ગત એપ્રિલ માં આણંદ જીલ્લા પંચાયત ની યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ પદે એસસી એસટી મહિલા ની રોટેશન મુજબ વરણી પગલે હાડગુડની બેઠક એસસી એસટી મહિલા માટે ફાળવવામાં આવી હતી.જયા કોન્ગ્રેસ ના ગૌરીબેન તડવી વિજયી થતાં કોન્ગ્રેસ દ્વારા પ્રમુખ પદ ની દાવેદારી કરતાં ભાજપે ૪૦ પૈકી ૩૩ બેઠક સાથે બહુમતી મેળવી હોય મૂળ મહારાષ્ટ્રના ધૂળે નું એસસી એસટી પ્રમાણપત્ર ધરાવતા મહીલા મયુરીબેન પટેલ ને હાઇકોર્ટે આપેલ મંજૂરી બાદ પ્રમુખ પદે વિજયી બન્યા બાદ મામલો કાનૂની ગૂંચ માં અટવાતા ઉલટફેર ની સ્થિતિ સર્જાય તે પૂર્વ ભાજપે પાળજના બિનહરીફ વિજેતા સભ્ય નું રાજીનામું અપાવી યોજાયેલ બિન અનામત બેઠક પરની પેટા ચૂંટણીમાં ગુજરાતનું પ્રમાણપત્ર ધરાવતા એસસી એસટી મહિલા ઉમેદવાર ને મેદાનમાં ઉતારી વિજયી થતાં ગત સપ્તાહે મયુરીબેન પટેલે રાજીનામું આપ્યું કે અપાવડાવ્યુ ની ચર્ચા વચ્ચે આગામી દિવસોમાં સુમિત્રાબેન પટેલ ને પ્રમુખ નિમણુંક ના ભાજપ દ્વારા આયોજન કરતાં ભાજપ માટે આસાન નહીં ના કોન્ગ્રેસ દ્વારા બિન અનામત બેઠક પર વિજય થયો હોય કાનૂની દાવથી તાતાતીર ખેંચતા પુન: કોન્ગ્રેસ ના વિજયી એસસી એસટી મહિલા ગૌરીબેન તડવી માટે દાવો ઉભા કરતાં પંચાયત રાજકારણમાં મુદ્દો ચર્ચાની એરણે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, ઓગ્સ્ટ 2026
2079 |
આણંદ મનપા કચેરીના રિનોવેશનમાં અધધધ રૂપિયા ૧૧ કરોડનો ખર્ચ!
આશરે સાત વર્ષ પૂર્વે પાલિકા પ્રમુખ કાન્તીભાઇ ચાવડાએ પાલિકા કચેરીને બાર કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવવા રાજ્ય સરકાર માં રજૂઆત કરી હતી.પરંતુ યેનકેન પ્રકારે તેને નામંજૂર કરવાના ખેલ રચાયા બાદ ગતવર્ષે કરમસદ આણંદ મનપા બનતાં મનપા કચેરીના રિનોવેશન પાછળ ૧૧ કરોડના ખર્ચ થયાની ચોંકાવનારી વિગત શહેરના જાગૃત નાગરિક હર્ષીલ દવે ને મળતા મસમોટા વહીવટી ખેલ રચાયા ની આશંકા વ્યક્ત કરી આટલા ખર્ચમાં તો અત્યાધુનિક કચેરી નું નિર્માણ થઇ શકે નો પરપોટો ફોડતાં મનપા કચેરીનું વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આશરે સાત વર્ષ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા આણંદ પાલિકા ને મહાપાલિકા નો દરજ્જાે આપવા પ્રક્રિયા હાથ ધરતાં સ્થાનિક વિરોધ ઉઠતાં તે સમયના પાલિકા પ્રમુખ કાન્તીભાઇ ચાવડાએ બાર કરોડના ખર્ચે પાલિકા અત્યાધુનિક કચેરી નિમૉણ માટે સરકારમાં રજૂઆત કરી હતી. જેને યેનકેન પ્રકારે નામંજૂર કરાતાં ગતવર્ષે કરમસદ આણંદ મનપા બનતાં કચેરી ના રિનોવેશન કરવામાં આવતાં તેની પાછળ અધધધ ૧૧ કરોડના ખર્ચ થયાની માહિતી શહેરના જાગૃત નાગરિક હર્ષીલ દવે ને મળતા આશ્ચર્ય વ્યક્ત કરી આટલી રકમમાં તો અત્યાધુનિક મનપા કચેરી નિમૉણ થાય તેવી શક્યતા સેવી મસમોટા મલાઇ વહીવટના ખેલ રચાયા ની આશંકા વ્યક્ત કરી ભ્રષ્ટાચાર નો પરપોટો ફોડતાં મનપા કચેરીનું વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, ઓગ્સ્ટ 2026
2079 |
કેમિકલયુક્ત પાણીથી ૭ પશુના મોત,૧૫ ગંભીર
આણંદ જિલ્લામાં પ્રદૂષણે માઝા મૂકી છે. ખંભાતના વૈણજ-આખોલના દરિયાઈ ભાઠા વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી અને ઝેરી અસરના કારણે અચાનક ૭ પશુઓનાં મોત નીપજતાં પશુપાલકોમાં રોષ અને ચિંતા ફેલાઈ છે. અગાઉ ગત વર્ષે જુલાઈમાં પણ આ જ વિસ્તારમાં ૧૩ પશુઓનાં મોત થયાં હતાં, ત્યારે એક વર્ષ બાદ પુન: આ ઘટનાનું પુનરાવર્તન થતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અગાઉ વટાદરા અને વત્રા સીમ વિસ્તારમાં ૨૦૦ જેટલા બબ્લર પક્ષીઓના પણ રહસ્યમય સંજાેગોમાં મોત થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ય્ઁઝ્રમ્) હરકતમાં આવ્યું છે. દિવ્યભાસ્કરની ટીમ પ્રભાવિત વિસ્તારમાં પહોંચી હતી અને સ્થિતિની ગંભીરતા ચકાસી હતી. અહીં ભેંસોનો મોત થયા તેવા વિસ્તારમાં પાણીના સેમ્પલ જીપીસીબીએ લીધા છે. ખંભાત ગ્રામ્ય હદ વિસ્તારના વૈણજ-આખોલના ભાઠા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ૫ ભેંસો, પિન્ટુભાઈ કમાભાઈ ભરવાડના વાડામાં ૧ ભેંસ અને વલ્લુભાઈ હરિભાઈ ભરવાડના વાડામાં ૧ ભેંસ સહિત કુલ ૭ પશુઓનાં કેમિકલની અસરથી મોત થયાં છે.હાલ ૧૫ જેટલા અન્ય પશુઓ ગંભીર બીમારીની અવસ્થામાં છે. કેમિકલયુક્ત પાણી કે ખોરાકની અસરથી પશુઓના પેટમાં ઝેર ફેલાય છે, જેના કારણે પશુઓની ચામડી ઉખડી જવાની શરૂઆત થાય છે અને અંતે પશુ મોતને ભેટે છે. સોખડા અને દહેડા, પાંદડ, વડગામ, તડાતળાવ વિસ્તારમાં ૩૫ જેટલી કંપનીઓ આવેલી છે.જેમાં મોટાભાગની ૨૫ જેટલી કેમિકલ કંપનીઓ છે.આ ઉપરાંત વૈણજ, નવી આખોલ, વડગામ, નવાગામબારા સહીતના દરિયાઈ ભાઠા વિસ્તારમાં ૨૦૦થી વધુ ઝીંગા-મત્સ્ય તળાવો આવેલા છે. ઉપરાંત કેમિકલ કંપનીઓ ભૂગર્ભમાં પાઈપલાઈન મારફતે દરિયામાં વેસ્ટેજ કેમિકલ પાણી ઠલવાતા હોવાનું જાણવા મળ્યું છે. પશુપાલકો દ્વારા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે જાણવાજાેગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા બીમાર પશુઓની સારવાર હાથ ધરવામાં આવી છે, તેમજ મૃત પશુઓનું પેનલ ડૉક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરી સેમ્પલ હ્લજીન્માં મોકલી આપવામાં આવ્યા છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
1782 |
લાંબા સમયથી બંધ નળ સરોવર દિવાળીના તહેવારોમાં સહેલાણીઓ માટે ખુલ્લું મૂકાશે
અમદાવાદના પ્રખ્યાત નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે ૨ વર્ષના લાંબા સમયગાળા બાદ બોટિંગ સેવાઓ પુન: શરૂ થવા જઈ રહી છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા આ માટે ૧૦૦ મિકેનાઇઝ્ડ (યાંત્રિક) બોટ ખરીદવામાં આવી છે અને ટૂંક સમયમાં જ સ્થાનિક નાવિકોને આ બોટ ચલાવવાની તાલીમ આપવામાં આવશે. જૂન ૨૦૨૪માં વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સલામતીના કારણોસર નળસરોવર ખાતે બોટિંગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું. નળસરોવરમાં વપરાતી સ્થાનિક હોડીઓ લાયસન્સ અને રજીસ્ટ્રેશનના જરૂરી ધોરણો પૂર્ણ કરતી ન હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રવાસન વિભાગ અને વન વિભાગે સંયુક્ત રીતે રજિસ્ટર્ડ નાવિકોને પ્રમાણભૂત અને સુરક્ષિત બોટ પૂરી પાડવાનો ર્નિણય લીધો છે. બોટિંગ પરના પ્રતિબંધના કારણે સ્થાનિક નાવિકો કે જેઓ એક સીઝનમાં અંદાજે ૫૦૦૦૦ જેટલી કમાણી કરતા હતા, તેઓની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. સતત ૨ સીઝન સુધી કોઈ બિઝનેસ ન મળતાં નાવિકો આર્થિક સંકટમાં મુકાયા હતા. આ બોટિંગ સેવાઓ ફરી શરૂ થવાથી નાવિકોને મોટી આર્થિક રાહત મળશે અને પ્રવાસીઓની આવક વધતાં સ્થાનિક રોજગારીને પણ વેગ મળશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
1683 |
પાન પાર્લરે પાણી પીવા ઊભા રહેલા પોસ્ટમેનની મોટરસાયકલ પરથી ટપાલ ભરેલો થેલો ચોરાયો
નરોડામાં એક ચોંકાવનારી અને ફિલ્મી ઢબે તસ્કરીની ઘટના સામે આવી છે. નરોડા જીઆઈડીસી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટમેન પોતાની બીટમાં ટપાલ વહેંચવા નીકળ્યા હતા ત્યારે તરસ લાગતા પાન પાર્લર પર પાણી પીવા ઊભા રહ્યા હતા. આ તકનો લાભ ઉઠાવી સફેદ એક્ટિવા પર આવેલા બે શખ્સો મોટરસાઇકલ પર મૂકેલો ટપાલ ભરેલો ઓફિસ થેલો ચોરીને રફૂચક્કર થઈ ગયા હતા. ચોરાયેલી બેગમાં બે મહત્ત્વપૂર્ણ પાસપોર્ટ સહિત અનેક અગત્યના દસ્તાવેજાે અને ઓર્ડિનરી ટપાલો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે નરોડા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નોબલનગર વિસ્તારમાં આવેલી આવાસ પાર્ક સોસાયટીમાં રહેતા અને છેલ્લા દસ વર્ષથી નરોડા પોસ્ટ ઓફિસમાં બીટ નંબર-૨૦માં પોસ્ટમેન તરીકે નોકરી કરતા ભરતકુમાર કરમજીભાઈ ઘોઘરા (ઉં.વ. ૪૨) બુધવારે સવારે રાબેતા મુજબ સવારે ૮ વાગ્યે નોકરી પર આવ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના સરકારી કામકાજ અર્થે લેધરના થેલામાં ટપાલો ભરીને પોતાની સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને હરિ દર્શન ચાર રસ્તાથી નિકોલ મેન્ગો સિનેમા વિસ્તારમાં વહેંચણી માટે નીકળ્યા હતા. બપોરના આશરે ૧:૩૦ વાગ્યાના સુમારે ટપાલ વહેંચીને પરત ફરતી વખતે નરોડા એમ.એસ. સ્કૂલની સામે સ્વામિનારાયણ પાર્ક સોસાયટી નજીક પહોંચતા તેઓને તરસ લાગી હતી. આથી તેમણે પોતાની મોટરસાઇકલ રસ્તા સાઇડમાં પાર્ક કરી, ટપાલનો થેલો બાઇક પર મૂકી નજીકમાં આવેલા ‘વૈશાલી પાન પાર્લર’ પર પાણી પીવા ગયા હતા. પાણી પીને તુરંત જ પરત ફરતી વખતે ભરતકુમારે જાેયું તો એક સફેદ કલરની એક્ટિવા પર આશરે ૨૫થી ૩૦ વર્ષની વયના બે શખ્સો આવ્યા હતા. આ શખ્સે ક્ષણભરમાં જ મોટરસાઇકલ પર મૂકેલો ટપાલ ભરેલો થેલો ઉપાડી લીધો હતો અને બંને તસ્કરો પૂરઝડપે એક્ટિવા હંકારી સધી માતાના મંદિર તરફ ભાગી છૂટ્યા હતા.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
2079 |
મુખ્યમંત્રી-વોલમાર્ટના ઇવીપી વચ્ચે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના રોડમેપ અંગે બેઠક
યુ.એસ.-કેનેડાના સાપ્તાહિક પ્રવાસે પહોંચેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાન ફ્રાન્સિસ્કો બાદ વોશિંગટન ડી.સી. ખાતે વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત ડેન બ્રાયન્ટ સાથે ફળદાયી વન-ટુ-વન બેઠક યોજી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતના વિશાળ એમએસએમઇ સેક્ટર અને નાના કારીગરોને વૈશ્વિક સ્તરે નવી તકો પૂરી પાડવા તથા ગુણવત્તા સુધારણા અંગે ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. બંને પક્ષો વચ્ચે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ દરમિયાન આ સંદર્ભે સ્પષ્ટ રોડમેપ જાહેર કરવા સંમતિ સાધવામાં આવી છે. બેઠક દરમિયાન વોલમાર્ટના ઈવીપી ડેન બ્રાયન્ટે મુખ્યમંત્રીને માહિતી આપતા જણાવ્યું હતું કે, વોલમાર્ટ તેના ‘વૃદ્ધિ કાર્યક્રમ’ અંતર્ગત વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૧.૧૫ લાખથી વધુ એમએસએમઇ એકમોને તાલીમ આપી ચૂક્યું છે, અને વર્ષ ૨૦૨૮ સુધીમાં આ સંખ્યા વધારીને ૧.૭૦ લાખ એમએસએમઇ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યના એમએસએમઇ ઉદ્યોગો પોતાની ગુણવત્તા સુધારીને નિકાસની વૈશ્વિક તકોનો મહત્તમ લાભ લઈ શકે તે માટે રાજ્ય સરકાર સાથે ભાગીદારી મજબૂત કરવા અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોલમાર્ટ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે વિશેષ વર્કશોપનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આગામી ૩થી ૪ મહિના દરમિયાન રાજ્ય સરકાર અને વોલમાર્ટ મળીને નાના કારીગરો અને ઉદ્યોગકારો માટે વૈશ્વિક બજારના દરવાજા ખોલવા માટે એક વિશેષ યોજના પર સાથે મળીને કામ કરશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
1881 |
ભાવનગર લઠ્ઠાંકાંડનો રેલો છેક અમદાવાદ પહોંચ્યોં : ધોલેરામાંથી દારૂની બોટલ ઝડપાઇ
ભાવનગરમાં સાત લોકોનો ભોગ લેનારા ચર્ચિત ઝેરીલા દારૂકાંડનો રેલો અમદાવાદ સુધી આવ્યો છે. અમદાવાદ જિલ્લાના. ધોલેરાના પિંગલેશ્વર નજીક મિંગળપૂર ગામ ખાતે આવેલી શૈલેષ મેરની વાડીમાંથી શંકાસ્પદ દારૂની ૨૪ બોટલો ઝડપાઈ છે, જે શૈલેષે ભાવનગરના બુટલેગર જયદીપ પાસેથી મેળવી હતી. પ્રાથમિક તપાસમાં ધોલેરાથી મળેલી આ બોટલો અને ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જનાર દારૂની બોટલો એક જ બેચની હોવાની આશંકા સેવાઈ રહી છે. આ જ બેચનો ઝેરી દારૂ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘૂસી ગયો હોવાની ગંભીર શંકાને પગલે પોલીસે તમામ બોટલોને હ્લજીન્ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે મોકલી આપી છે. હ્લજીન્નો રિપોર્ટ આવ્યા બાદ જ અમદાવાદમાં આ નકલી અને ઝેરી દારૂનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે. ભાવનગર શહેરમાં નકલી દારૂના સેવનથી હાહાકાર મચી ગયો છે. કલેક્ટર દ્વારા આપેલી માહિતી મુજબ, આ ડુપ્લીકેટ દારૂના સેવનના કારણે અત્યાર સુધીમાં ૭ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત, ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂ પીવાના કારણે ૩૯ લોકોની તબિયત લથડતા તેઓને શહેરની અલગ-અલગ ૫ હોસ્પિટલોમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
1683 |
કોર્ટરૂમની બહાર જ આત્મવિલોપનનો પ્રયાસ
અમદાવાદની ઘીકાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટ પરિસરમાં આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ભરણપોષણના કેસની સુનાવણી દરમિયાન ઉશ્કેરાયેલા એક પતિએ કોર્ટ રૂમની બહાર આવીને પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. વકીલો અને હાજર લોકોએ તાત્કાલિક સમયસૂચકતા વાપરીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઈજાગ્રસ્તને ૧૦૮ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદમાં રહેતી ફાલગુની પરાગભાઇ શાહે વર્ષ ૨૦૨૪માં તેમના પતિ પરાગ શાહ સામે મેટ્રોકોર્ટમાં ભરણપોષણની અરજી કરી હતી. જેમાં અદાલતે પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો. જાેકે, પતિ પરાગ દ્વારા ભરણપોષણની રકમ ન ચૂકવાતાં કોર્ટે તેની સામે રિકવરી વોરંટ ઇશ્યૂ કર્યું હતું. આ કેસમાં આજે સુનાવણી હોવાથી પરાગ કોર્ટ નંબર ૧૯માં હાજર રહ્યો હતો. સુનાવણી દરમિયાન દંપતી વચ્ચે માથાકૂટ થતાં પરાગ ઉશ્કેરાઈને કોર્ટ રૂમની બહાર આવી ગયો હતો. કોર્ટ રૂમની બહાર નીકળ્યા બાદ પરાગે પોતાની પાસે રહેલો જ્વલનશીલ પદાર્થ પોતાના શરીર પર છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. જાેતજાેતામાં તે અગનજ્વાળાઓમાં ઘેરાઈ જતાં ત્યાં હાજર લોકોમાં ફાળ પડી હતી. જાેકે, ઘટનાસ્થળે હાજર વકીલો અને નાગરિકોએ તુરંત જ બુદ્ધિશક્તિ વાપરી આગ બુઝાવી દીધી હતી. ત્યારબાદ પરાગને નીચે લાવી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.દિવસે ૧૦ હજારની અવરજવર પણ સુરક્ષા રામ ભરોસે! આ ઘટનાએ મેટ્રોકોર્ટની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાડી દીધા છે. દૈનિક ૧૦ હજારથી વધુ લોકોની અવરજવર ધરાવતી આ કોર્ટમાં સુરક્ષાના નામે ‘મીંડું’ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. કોર્ટના પ્રવેશો પર યોગ્ય ચેકિંગ કે મેટલ ડિટેક્ટરની સુવિધા નથી. પૂરતો પોલીસ કાફલો મુકવાને બદલે માત્ર હોમગાર્ડના ભરોસે આખી કોર્ટની સુરક્ષા સોંપી દેવાઈ છે. આ અગાઉ પણ મેટ્રોકોર્ટમાં હુમલાની ઘટનાઓ બની ચૂકી છે. વકીલ આલમમાં આ બાબતે ભારે રોષ જાેવા મળી રહ્યો છે. વકીલોનું કહેવું છે કે, “આજે કોઈ વ્યક્તિ સરળતાથી જ્વલનશીલ પદાર્થ લઈને અંદર આવી ગયો, કાલે કોઈ હથિયાર કે બોમ્બ લઈને આવીને વિસ્ફોટ કે હુમલો કરે તો જવાબદાર કોણ?” સત્તાધીશો તાત્કાલિક ધોરણે જાગીને કોર્ટ પરિસરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવે તેવી ઉગ્ર માગણી ઉઠી છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
1881 |
ગોડાદરાની વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં સગર્ભાનાં મોતથી પરિવારજનોનો હોબાળો
શહેરનાં ગોડાદરા વિસ્તારમાં આવેલી વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં એલ ગર્ભવતીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોક ફરી વળ્યું હતું. જયારે આ મહિલાનો સારવારમાં બેદરકારીનાં લીધે મોત થયું હોવાના આક્ષેપો કરી પરિવાજનો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષીય ગર્ભવતી રાનીબેન રાકેશ માલી ગર્ભવતી હોય ડિલિવરી માટે ગોડાદરા વિસ્તારની વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.જાેકે પરિવારજનો દ્વારા આક્ષેપો કરી જણાવવામાં આવ્યું હતું કે તબીબની ગેરહાજરીમાં નર્સ દ્વારા સારવાર કરવામાં આવી હતી અને ત્યારબાદ રાનીદેવીની તબિયત લથડી હતી અને તેનું મોત થયું હતું.ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણ લઈને મૃતદેહ પોસમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.પોલીસે પરિવારજનોના આક્ષેપો સહિત સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન શું બેદરકારી થઈ હતી કે કેમ તે પણ તપાસ બાદ સ્પષ્ટ થશે. મહિલાના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં આક્રંદ ફેલાયો હતો. બીજી તરફ પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ બહાર એકત્રિત થઈ ગયા હતા. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી હોસ્પિટલ તંત્ર સામે આક્ષેપો કરતાં વાતાવરણ તંગ બન્યું હતું.ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.હાલ રાનીદેવીના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી.પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સચોટ કારણ જાણી શકાશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
1683 |
લિંબાયત ઝોનનાં અધિકારી દીપક રાઠોડનો ભ્રષ્ટાચાર: સ્થાયી સમિતિ અધ્યક્ષનો રોલ નિભાવી પ્લોટ ફાળવણી લંબાવવાનો જાતે ર્નિણય લીધો
શહેરનાં લિંબાયત ઝોનમાં પરવત-મગોબ વિસ્તારમાં મહાનગર પાલિકાનાં પ્લોટ ઉપર બે મહિના કરતાં વધુ સમયથી ગેરકાયદે કબજાે જમાવી બેઠેલાં ઇજારદાર પાસેથી નિયમ મુજબ પેનલ્ટી વસુલ કરવાને બદલે લિંબાયત ઝોનનાં અધિકારી દિપક રાઠોડે સ્થાયી સમિતિ અધ્યક્ષનો રોલ નીભાવીને જાતે ર્નિણય લઇ ઇજારદારને મૌખિક મંજૂરી આપી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ગણપતિ વિસર્જન તહેવારને ધ્યાનમાં રાખીને કૃત્રિમ તળાવ બનાવવાનું હોવાથી તે બાબતની દરખાસ્તનો જાહેર બાંધકામ સમિતિનાં એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે સમગ્ર કૌભાંડની જાણ થઇ હતી. સ્થાયી સમિતિએ ટીપી સ્કીમ નંબર-૧૯, ફાઇનલ પ્લોટ નંબર-૧૧૦/૧/૩ રાજ ટેક્સ્ટાઇલની બાજુમાં આવેલો પ્લોટ શિવ પાર્કિંગને ૩૦૦૦ ચોરસ મીટરનો પ્લોટ પ્રતિદિન પ્રતિ ચોરસ મીટર ૫૦ પૈસાના ભાવથી તારીખ ૯/૫/૨૦૨૫નાં રોજ ફાળવવામાં આવ્યો હતો. ત્યારબાદ તારીખ ૫/૧૨/૨૦૨૫નાં રોજ વધુ છ મહિના માટે સ્થાયી સમિતિએ એક્સટેન્શન આપ્યું હતું. પ્લોટની ભાડાની મુદ્દત તારીખ ૪/૬/૨૦૨૬ ના રોજ પૂરી થઈ ગઈ હોવા છતાં છેલ્લા સવા બે મહિનાથી શિવ પાર્કિંગના સંચાલકો ગેરકાયદેસર રીતે પ્લોટનો વપરાશ કરી રહ્યા છે. શિવ પાર્કિંગનાં સંચાલકોએ લિંબાયત ઝોનનાં અધિકારીઓનાં આશીર્વાદ સાથે પ્લોટ ઉપર ગેરકાયદે કબજાે જમાવી પાર્કિંગનાં રૂપિયાની કમાણી ચાલુ રાખી હતી. સવા બે મહિના સુધી મહાનગર પાલિકાનાં પ્લોટનો ગેરકાયદે કબજાે શિવપાર્કિંગનાં સંચાલકોએ જારી રાખ્યો પરંતુ કૃત્રિમ તળાવ બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હોવાથી બે દિવસ પહેલાં લિંબાયત ઝોનનાં અધિકારીએ પ્લોટ ખાલી કરવા શિવપાર્કિંગનાં સંચાલકોને રૂબરૂ જઇને સુચના આપી હતી. ખરેખર તો મહાનગર પાલિકાનાં નિયમ મુજબ પ્રતિ દિન પ્રતિ ચોરસ મીટર ૭ રૂપિયાની પેનલ્ટી લેવાની જાેગવાઇ છે. સવા બે મહિના સુધી ગેરકાયદે કબજાે હોવાથી ૧૩ લાખ રૂપિયા કરતાં પણ વધારે પેનલ્ટી વસુલવાની થાય છે પરંતુ લિંબાયત ઝોનનાં અધિકારી દિપક રાઠોડે શિવપાર્કિંગનાં સંચાલકો સાથે મળીને મોટું કૌભાંડ આચર્યું છે. દિપક રાઠોડનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ઇજારદારે એક્સ્ટેન્શન માટે અરજી આપી હતી અને મંજૂરીની અપેક્ષાએ તેનો ઇજારો જારી રાખવા દેવામાં આવ્યો છે. હકિકતમાં સ્થાયી સમિતિ અધ્યક્ષે પ્લોટની મંજૂરી આપી જ નથી તેમ છતાં સ્થાયી સમિતિ અધ્યક્ષની ભૂમિકા ભજવતાં હોય તેમ સુપર અધ્યક્ષ બનીને દિપક રાઠોડે સવા બે મહિના સુધી શિવપાર્કિંગને મહાનગર પાલિકાનો પ્લોટ વાપરવા દીધો હતો અને પ્લોટની મંજૂરી નહીં હોવા છતાં શિવપાર્કિંગનાં સંચાલક પાસેથી ૫૦ પૈસા લેખે ભાડુ પણ વસુલ કર્યું હોવાનું જણાવ્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
1980 |
ખાડી વિસ્તારમાં થયેલાં દબાણો પણ ખાડીપૂર માટે જવાબદાર: હાઇલેવલ કમિટીનો પ્રાથમિક અભિપ્રાય
સુરત શહેરનાં મોટાભાગનાં વિસ્તારોને દર વર્ષે ધમરોળી નાંખતાં ખાડીપૂર માટે જવાબદાર પરિબળો શોધવામાં સ્થાનિક સરકારી અધિકારીઓ નિષ્ફળ નીવડ્યાં છે ત્યારે કેન્દ્ર સરકારની હાઇલેવલ કમિટીનાં સભ્યોએ માત્ર એક દિવસની મુલાકાતમાં જ ખાડી વિસ્તારમાં થયેલાં દબાણો અને ખાડીઓમાં થયેલાં કાંપનાં પુરાણને કારણે ખાડીપૂર આવતું હોવાનું પ્રાથમિક તારણ આપ્યું હતું. ખાડીપૂર અંગે ગેરકાયદે ધમધમતાં ઝીંગાતળાવો જવાબદાર હોવાનું મનપાનાં અધિકારીઓએ જણાવતાં સિંચાઇવિભાગનાં અધિકારીઓ સમસમી ઉઠ્યાં હતાં અને તે બાબતે કામગીરી થઇ હોવાનું કહ્યું હતું પરંતુ મનપાનાં અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું કે, સેટેલાઇટ ઇમેજથી જાેઇ લો, મીંઢોળા નદીનાં મુખ પાસે ખજાેદ, આભવા વિસ્તારમાં મોટી સંખ્યામાં ઝીંગાતળાવોનું અસ્તિત્વ જેમનું તેમ જ છે જેને કારણે ખાડી સાંકડી બની ગઇ છે જેથી પાણીની વહનક્ષમતા ઓછી થઇ ગઇ છે. જાે ઝીંગાતળાવો તૂટે તો પણ ઘણો ફર્ક પડે. કેન્દ્રની ટીમ સામે જ મહાનગર પાલિકા તેમજ સિંચાઇ વિભાગનાં અધિકારીઓ વચ્ચે ઝીંગાતળાવ મુદ્દે તડાફડી થઇ ગઇ હતી.આમ તો સુરત શહેરમાં છેલ્લા ચારેક વર્ષથી સતત ખાડીપૂરની સમસ્યા વકરી હોવાથી લોકો અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુક્સાન થઇ રહ્યું છે તેમાં પણ પ્રવર્તમાન વર્ષે તો ત્રણ-ત્રણ વખત ખાડીપૂર આવતાં લોકો તબાહ થઇ ગયાં છે. ખાડીપૂર પણ માનવસર્જિત સમસ્યા હોવાનું જાણી ગયેલાં સુરતનાં લોકોએ કોર્પોરેટરો તેમજ ધારાસભ્યોને લબડધક્કે લેતાં તેમનો અવાજ માત્ર રાજ્ય સરકાર જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યો હતો. સરકારે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં નેજા હેઠળ એક હાઇલેવલ કમિટી બનાવી ખાડીપૂર કેમ દર વર્ષે આવે છે તેનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે આ હાઇલેવલ કમિટીને આદેશ આપ્યો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં મુકુલ મોહન, સેન્ટ્રલ વોટર કમિશનનાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર યોકી વિજય, આઇ.એમ.ડી.નાં સાયન્ટિસ્ટ ડો.અશોક કુમાર દાસ, એન.ડી.આર.એફ.નાં સેકન્ડ ઇન કમાન્ડ વિકાશ સિંઘ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાતનાં એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધવલ પંડ્યાની ટીમે આજે લિંબાયત, મીઠીખાડી આસપાસનો વિસ્તાર, પાંડેસરા, ઉધના સહિતનાં વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. સેન્ટ્રલ વોટર કમિશનનાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર યોકી વિજયે લોકસત્તા-જનસત્તા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મીઠીખાડી સહિતનાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ બારીકાઇભર્યું નિરિક્ષણ કર્યું છે. ખાડીની આસપાસનાં વિસ્તારોમાં થયેલાં દબાણો પણ ખાડીપૂર માટે જવાબદાર ગણી શકાય આ ઉપરાંત ખાડીની પાણી વહનક્ષમતા વધારવાની જરૂર છે જે માટે ખાડીઓમાં જમા થયેલા કાપ-માટીને ઉલેચવા પડે. પાંડેસરાની ભેદવાડ ખાડી કિનારે આવેલી પ્રેમનગર ઝૂંપડપટ્ટી, આર્વિભાવ સોસાયટી, સુરત-નવસારી મેઈન રોડ પર આવેલ પ્રમુખ પાર્ક, પરવત ખાડી બ્રિજ નજીકના વામ્બે આવાસ, મિડલ રિંગ રોડની ઋષિવિહાર સોસાયટી તેમજ સણિયા હેમાદ વિસ્તારની મુલાકાત લઈ ટીમે સ્થાનિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
1980 |
મંદી હતી ત્યારે રત્નકલાકારોનાં પગાર ઘટાડ્યાં હતાં હવે તેજી છે તો વધારી આપો
હીરા ઉદ્યોગકારોને આંચકો આપે તેવી રજૂઆત રત્નકલાકારો વતી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને કરી છે. ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના પ્રમુખ રમણ જીલરીયાએ કલેક્ટર કચેરીમાં આપેલા આવેદનપત્ર અંગે જણાવ્યું હતું કે જ્યારે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હતો ત્યારે રત્નકલાકારોનાં ભાડા, મહેનતાણા ઘટાડી દેવામાં આવ્યાં હતાં. રત્નકલાકારોનાં પરિવારો આર્થિંક ભીંસમાં મૂકાયા હતા. હવે હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે અને સામા તહેવારો આવી રહ્યાં છે ત્યારે હીરા ઉધોગપતિઓએ અગાઉ ઘટાડેલા પગાર મહેનતાણા વધારી આપવા જાેઇએ.ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતે વધુમાં જણાવ્યું હતું કે ઘણા સમયથી રત્નકલાકારો ઓછા પગારમાં કામ કરી રહ્યા છે, તેમના માટે ઘર-ગુજરાન ચલાવવું, બાળકોની શિક્ષણ ફી, પર્સનલ લોન હપ્તા ભરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી હીરાઉધોગનાં રત્નકલાકારોને પગાર ભથ્થામાં વધારાની માગ કરવામાં આવી છે. ભાવનગર, તળાજામાં ભાવ વધારા માટે રત્નકલાકારો હડતાળ પાડી ચૂક્યા છે. તા.૧૭મી ઓગસ્ટે મહુવાનાં રત્નકલાકારોએ પગાર વધારાની માગ કરી છે અને ચીમકી આપી છે કે જાે માગણી નહી સંતોષાય તો મહુવામાં પણ રત્નકલાકારો હડતાળ પાડશે. સુરતમાં હાલ રત્નકલાકારોમાં પગાર વધારો નહીં કરાય તો હડતાળ પાડવી કે નહીં અને પાડવી હોય તો ક્યારે એ અંગે ચર્ચા વિચારણાઓ શરૂ થઇ ચૂકી છે. આથી ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતે સુરત જિલ્લા કલેક્ટર મારફતે રાજયનાં મુખ્યમંત્રીને આવેદનપત્ર પહોંચાડવા માટે સુપરત કર્યું છે. હીરાઉધોગમાં મજુર કાયદાનો અસરકારક અને ચુસ્તપણે અમલ કરવા તથા રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા, રત્નકલાકારો ના બાળકો ની શિક્ષણ ફી ભરવા તથા રત્નકલાકારોને વગર વ્યાજની લોન આપવા સહિતની માગણી કરવામાં આવી છે. વધુમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે એવી ચીમકી પણ આપી છે કે જાે રત્નકલાકારોની માગણીઓ ઉપર ધ્યાન નહીં આપવામાં આવે તો હીરાઉધોગના રત્નકલાકારો શાંતિપૂર્ણ રીતે, ગાંધી ચિંધ્યા માર્ગે, લોકશાહી ઢબે, અહિંસક આંદોલન તરફ આગળ વધશે અને જરૂર પડશે તો ગમે ત્યારે હડતાળ પણ પડશે. હીરાઉધોગનાં રત્નકલાકારોની માગણીઓ (૧) હીરાની મજૂરીમાં વધારો કરો અને રત્નકલાકારોનાં પગાર વધારો (૨) રત્નકલાકારો ને મજુર કાયદા મુજબનાં તમામ લાભો આપો (૩) રત્નકલાકારોનાં બાળકોની શિક્ષણ ફી ભરો અથવા માફ કરો (૪) રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવો (૬) રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો (૭) આર્થિક સંકટ ફસાયેલા રત્નકલાકારોને વગર વ્યાજની લોન આપો (૮) રત્નકલાકારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપો (૯) દરેક રત્નકલાકારને નિમણુંક પત્ર આપો (૧૦) રત્નકલાકારોનાં આરોગ્ય ની ચકાસણી કરાવો (૧૧) આપઘાત કરી જીવન ટૂંકાવી લેનાર રત્નકલાકારોનાં પરિવારને મદદ કરો (૧૨) વ્યવસાય વેરો નાબૂદ કરો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
1782 |
અકસ્માત બાદ બ્રેઇન ડેડ જાહેર યુવકનાં અંગોનાં દાનથી ચારને નવું જીવન મળ્યું
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૯૯મુ સફળ અંગદાન નોંધાયું હતું. મૂળ મધ્યપ્રદેશનના વતની અને સુરતના કડોદરા વરેલી ખાતે રહેતા કરતા ૨૯ વર્ષીય પવનકુમાર સેનના લીવર, ૨ કિડની અને હાર્ટના દાનથી ૪ વ્યક્તિઓને નવજીવન મળશે. તા.૧૫મી ઓગસ્ટેના રોજ સાંજે ૬ વાગ્યે પરિવાર સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે જાેલવા પંચાયત પાસે રિક્ષાને ટક્કર મારતા પવનકુમાર રિક્ષામાંથી નીચે પડી ગયા હતા. શરૂઆતમાં તેઓ પ્રાઈવેટ હોસ્પિટલ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર અપાઈ હતી, પરંતુ માથાનો દુખાવો ન મટતા રાત્રે ૯.૦૦ વાગ્યે તેમને સ્મીમેર મેડીકલ કોલેજ લઈ જવામાં આવ્યા અને બાદમાં ફેમિલી ડોક્ટરની સલાહથી અન્ય પ્રાઈવેટ હોસ્પિટલમાં રિપોર્ટસ કરાવ્યા હતા. ત્યારબાદ ૧૬મી ઓગસ્ટના રોજ બપોરે ૦૩.૨૮ વાગ્યે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, ડૉ.નિલેશ કાછડીયા, કાઉન્સેલર ર્નિમલા કાથુડેએ પવનકુમારના પત્ની સહિત પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતાં તેઓએ ભારે હૈયે સહમતિ આપી હતી. અંગદાન માટે ઓપરેશન થિયેટરમાં જતા પહેલા ઈ.તબીબી અધિક્ષક ડૉ.પારૂલ વડગામા, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર, નર્સિંગ સ્ટાફ અંગદાતાની પ્રાર્થનામાં જાેડાયા હતા. તા.૧૮મી ઓગસ્ટ-૨૦૨૬ના બપોરન ૦૪.૪૫ વાગ્યે આર.એમ.ઓ ડૉ.કેતન નાયક, ડૉ. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.પ્રયાગ મકવાણા, ન્યુરો સર્જન ડૉ.કેયુર પ્રજાપતિએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતાં. ત્યારબાદ ડૉ.નિલેશ કાછડીયા, કાઉન્સેલર ર્નિમલાબેન કાથુડ, કાઉન્સેલરો, મેડીકલ ઓફિસર ડો.બરીરા, ડો.દિવ્યા, ડો.રાધીકા, ડો.સંસ્કૃતી દ્વ્રારા તેમના પત્ની સુષ્માબેન અને ભાઇઓ તેમજ પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં સહમતિ આપી હતી. બ્રેઈનડેડ પવનકુમાર સેનના હાર્ટને અમદાવાદની હોસ્પિટલ અને બન્ને કિડની તેમજ લીવરને દ્ભડ્ઢ હોસ્પિટલ-અમદાવાદ લઈ જવામાં આવી હતી.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...