આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, સપ્ટેમ્બર 2026
5841 |
રાજકોટથી ગુમ સગીરાની કડીઓ નેપાળ સુધી કેવી રીતે પહોંચી? હાઇકોર્ટમાં મોટો ખુલાસો!
રાજકોટથી ગુમ થયેલી 17 વર્ષની સગીરાની તપાસ હવે નેપાળ સુધી પહોંચી હોવાના સંકેતો સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન પોલીસે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સમાંથી નેપાળ તરફ મહત્વપૂર્ણ કડીઓ મળ્યાની માહિતી આપી હતી. જોકે, સગીરા ખરેખર નેપાળમાં છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. કોર્ટે પોલીસને તપાસ આગળ વધારી પ્રગતિ અંગે માહિતી રજૂ કરવા સમય આપ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
26928 |
પોલીસ જાગી: અમદાવાદમાં ૩ દિવસમાં ૪૩૬ કેસ, ૪૭૬ની ધરપકડ અને ૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયા બાદ રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે તમામ શહેરો અને જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ પ્રોહીબીશન ડ્રાઇવ રાખવાની કડક સૂચના આપી હતી. આ આદેશના પગલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક્શન મોડમાં આવીને તમામ સ્થાનિક પોલીસ અધિકારીઓને દારૂ તેમજ જુગારની બદીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને ઝોન એલસીબીની ટીમોએ સપાટો બોલાવીને ચોરીછુપીથી ચાલતા અડ્ડાઓ પર વ્યાપક દરોડા પાડ્યા છે. માત્ર ત્રણ દિવસમાં જ પોલીસે કુલ ૪૩૬ કેસ નોંધીને ૪૭૬ આરોપીઓની અટકાયત કરી છે. આ દરોડા દરમિયાન વિદેશી દારૂના ૭૩ કેસો નોંધીને ૨૯.૯૩ લાખની કિંમતની ૧૧,૪૭૯ બોટલ/બીયર સહિત કુલ ૮૦.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેશી દારૂના ૩૩૬ કેસો નોંધીને ૭.૩૮ લાખની કિંમતનો ૩,૬૯૩ લીટર દારૂ અને વાહનો મળી કુલ ૮.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે.દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો સામે લાલઆંખ કરતા પોલીસે ૭ રીઢા બુટલેગરો સામે પાસા (ઁછજીછ) હેઠળ કડક ગુનો નોંધી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દીધા છે. પોલીસ કમિશનરે ગુનેગારોને પાસા હેઠળ જેલભેગા કરવાની ગતિ તેજ બનાવી છે. આ અભિયાન અંતર્ગત કુલ ૪૧ ગુનેગારોને પાસા હેઠળ જેલ મોકલાયા છે, જેમાં સૌથી વધુ ૧૮ દારૂના બુટલેગરો છે. જ્યારે મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ૧૪ અને મારામારી-હત્યાના પ્રયાસ જેવા શરીર સંબંધી ગુના આચરનાર ૯ ગુનેગારોનો સમાવેશ થાય છે. પોલીસની આ કડક ઝુંબેશથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં દારૂબંધીની કડક અમલવારી માટે પોલીસની આ ખાસ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ આવી જ કડક રીતે સતત ચાલુ રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
27621 |
આણંદમાં એસએમસીએ લાખોનો દારૂ ઝડપ્યો
ગુજરાતમાં અસામાજિક તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સમગ્ર રાજ્યભરમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ચોક્કસ માહિતીના આધારે સતત કાર્યરત છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા ભાલેજ-આણંદ રોડ પર, અપ્પુ વે-બ્રીજ નજીક એક વ્યૂહાત્મક દરોડો પાડવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે વહન કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો અતિ વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી આશરે ૧૫૦ પેટીઓ (કુલ ૭,૧૮૭ બોટલો) કબ્જે કરવામાં આવી હતી, જેની બજાર કિંમત ૧૯,૬૩,૧૫૧/- થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ ૩૪,૬૯,૬૨૧/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપુર ગામના રહેવાસી નારણભાઇ ઉર્ફે અતુલ ઘુસાભાઇ ચૌહાણ નામના આરોપીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસિકથી મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૦૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નાસિકથી ગેરકાયદેસર દારૂનો સપ્લાય કરનાર ૩ શખ્સો, દારૂના વહન માટે વપરાયેલ ટ્રકના મૂળ માલિક તેમજ કાનપુરના જ ભાવેશભાઇ સુરાભાઇ માતાસુરીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સંડોવાયેલા વોન્ટેડ શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ વધુ ઝડપી બનાવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
28413 |
ભાવનગરથી ઝેરી દારૂ પીને સુરત આવેલા યુવકે ચોથા દિવસે દમ તોડ્યો
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડનો ભોગ બનેલા સુરતના યુવકને શુક્રવારે બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ શનિવારે બપોરે તેણે દમ તોડી દીધો હતો. ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઈએનએસ હોસ્પિટલમાં તે ચાર દિવસથી સારવાર હેઠળ હતો.મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં પીરસાયેલી વ્હીસ્કી ઝેરી કેમિકલથી બનેલી હોય સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું તથા ડુપ્લિકેટ વ્હીસ્કી બનાવનાર યાદવનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજય લક્ષ્મણસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સિરિયસ હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, ત્યારબાદ તેને પરવત પાટિયા વિસ્તારની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સ્થિતિ વધું કથળતાં સંજયસિંહને આઇએનએસ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. આઈએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં તેને શુક્રવારે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. ત્યારબાદ શનિવારે બપોરે પરિવારની મંજૂરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી લેવાતાં તેનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક તબીબોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ સંજયસિંહના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપાયો હતો. સંજયે દમ તોડ્યો એ સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક ૧૧ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ઓગ્સ્ટ 2026
30888 |
શહેરમાં ડિફેન્સના નામે નકલી દારૂનો વેપાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી ૯થી વધુના મોત નિપજ્યા છે ત્યાં અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાંડનો નિકોલ અને એસએમસી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બે ફરાર છે. નકલી ઇંગ્લિશ દારૂ બનાવી છૂટક વેચાણ કરતા નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુનિલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ભેગા મળી બનાવટી અંગ્રેજી દારૂ તૈયાર કરી છૂટકમાં વેચાણ કરે છે. એસએમસી અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો. બાદમા ડેકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી.ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ૪ બોટલ, પ્લાસ્ટિકની ૪ બોટલ મળી ઉપરાંત આરોપી પાસેથી રૂ.૫,૦૦૦ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કરીને તપાસ દરમિયાન દિનેશ જંડાવાલાના કુબેરનગર સ્થિત ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો અને એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે કુલ રૂ. ૯૫૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર લગાવી વેચતા આરોપીઓની પૂછપરછ કરતા સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ તથા ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર અને ડિફેન્સનો દારૂ હોવાનું બતાવવા તેનો સિમ્બોલ લગાવી વેચતા હતા. જ્યારે દિનેશ ચામુંડા બ્રિજ પાસે ભંગારની દુકાન ધરાવતા શખ્સ પાસેથી ખાલી બોટલો અને બ્રાન્ડેડ સ્ટીકર અને તેની પર લગાવવાના સીલ લાવતો હતો. આ અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને સુનિલની ધરપકડ કરી ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, સપ્ટેમ્બર 2026
1683 |
કાર્યવાહી જનહિતમાં : હવે પાઉં-બ્રેડ પેકેટ પર એક્સપાયરી ડેટ ફરજિયાત
નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા સુપર બેકરીમાં કરવામાં આવેલી કડક તપાસ બાદ વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે મેયર મનીષ પટેલે સ્થિતિ સ્પષ્ટ કરી છે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રના જવાબમાં મેયરે જણાવ્યું છે કે મનપા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી સંપૂર્ણપણે જનહિતમાં અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે છે. તેમણે આરોગ્યલક્ષી કાયદેસરની કામગીરી સામે રાજકારણ ન ખેલવા માટે વિપક્ષને આકરી ટકોર કરી છે. નડિયાદ સ્થિત સુપર બેકરીમાં મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા તાજેતરમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બેકરીમાં તૈયાર થતા પાઉં અને બ્રેડના પેકિંગ પર મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ તેમજ વપરાયેલી સામગ્રી અંગેનું કોઈ લખાણ કે સિમ્બોલ ન હોવાનું સામે આવ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઈને અધિકારીઓએ સ્થળ પર જ કડક કાર્યવાહી કરી હતી. કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે આવેદનપત્ર આપતાં મેયર મનીષ પટેલે મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું કે, રેડ દરમિયાન પેકેજિંગ પર કોઈ જ તારીખ કે નિયમાનુસારના સિમ્બોલ નહોતા. તારીખ વગરની ખાદ્ય સામગ્રી નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જાેખમી છે. આવી ગંભીર બાબતે પણ વિપક્ષ અવાજ ઉઠાવીને મનપાની કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યો છે તે અયોગ્ય છે. મનપાની પ્રાથમિક ફરજ શહેરીજનોના સ્વાસ્થ્યની જાળવણી કરવાની છે. મનપાની આકરી કામગીરીના પરિણામે હવે સુપર બેકરી દ્વારા વેચવામાં આવતા તમામ પાઉં અને બ્રેડના પેકેટ પર એક્સપાયરી ડેટના સ્ટીકર, સામગ્રીની વિગતો અને જરૂરી સિમ્બોલ સાથે જ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. મેયરે ઉમેર્યું હતું કે વિપક્ષે નડિયાદના લોકોને ખોટા ભ્રમમાં નાખવાને બદલે લોકોના આરોગ્ય સાથે જાેડાયેલા મુદ્દાઓ પર જવાબદારીપૂર્વક વર્તવું જાેઈએ.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, સપ્ટેમ્બર 2026
1683 |
બોડી પ્રા. શાળાના મુખ્ય શિક્ષકને શો-કોઝ નોટિસ
ઉપરી અધિકારીના વહીવટી હુકમની અવગણના કરવા,શાળા વ્યવસ્થાપન સમિતિના બહાના હેઠળ સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા તેમજ શાળા સમયપાલનના ભંગ બદલ ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બોડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ઘટનાની વિગતો અનુસાર, રાઠોડપુરા પ્રાથમિક શાળા એક જ શિક્ષકથી ચાલતી હોવાથી બાળકોના અભ્યાસના હિતમાં બોડી પ્રાથમિક શાળામાંથી એક શિક્ષકની કામગીરી ફેરફારથી બદલી કરવાનો સ્પષ્ટ આદેશ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા આપવામાં આવ્યો હતો. બોડી શાળામાં ૬૧ વિદ્યાર્થીઓ સામે ૩ શિક્ષકો ઉપલબ્ધ છે, જ્યારે રાઠોડપુરામાં માત્ર ૧ જ શિક્ષક હોવાથી શિક્ષણ કાર્ય ખોરવાઈ રહ્યું હતું. આમ છતાં, મુખ્ય શિક્ષકે સંબંધિત શિક્ષકને મુક્ત કરવાની સાફ મનાઈ કરી દીધી હતી અને જીસ્ઝ્ર નોટિસ/રજૂઆતની આડ લઈને વહીવટી હુકમમાં અવરોધ ઊભો કર્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ સ્પષ્ટ કર્યું છે કે આરટીઈ એક્ટ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિને શાળા વિકાસના અધિકારો છે, પરંતુ તાલુકાના મહેકમ કે શિક્ષકોની ફાળવણીમાં હસ્તક્ષેપ કરવાની કોઈ સત્તા નથી.આ ઉપરાંત, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ શનિવારની સવારની શાળા હોવા છતાં, નિયત સમયે ટાઈમ અને લોકેશન સાથેનો ફોટો/સેલ્ફી રિપોર્ટ મોકલવાને બદલે સવારે ૭:૩૭ વાગ્યે વિલંબથી મોકલાયો હતો, જે ગંભીર શિથિલતા દર્શાવે છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ આ વર્તનને ગુજરાત પંચાયત સેવા નિયમોનો ભંગ ગણાવીને મુખ્ય શિક્ષકને કડક સૂચનાઓ આપી છે, જેમાં શિસ્તવિષયક અને શિક્ષાત્મક પગલાં કેમ ન ભરવા તે અંગે દિન-૭ માં રૂબરૂ લેખિત ખુલાસો રજૂ કરવો.શિક્ષકને તાત્કાલિક રીલીવ કરી રાઠોડપુરા શાળા ખાતે હાજર થવા રીલીવિંગ રિપોર્ટ મોકલવો.જાે નિયત સમયમાં સંતોષકારક ખુલાસો કે આદેશનું પાલન નહીં થાય, તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ખેડા-નડિયાદને એકપક્ષીય શિસ્તવિષયક કાર્યવાહી માટે રિપોર્ટ સોંપવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, સપ્ટેમ્બર 2026
4851 |
આણંદમાં લંડન- અમેરિકાના વિઝાની લાલચ આપી ૧૩ અરજદારોના નાણા ઓળવી ઠગો ફરાર
ડોલરીયા પ્રદેશની ઓળખ ધરાવતા આણંદ પંથકમાં વિદેશ જવા માંગતા વિદેશવાચ્છુઓ ના કારણે બિલાડી ના ટોપની માફક એજન્સી કાર્યરત થતાં કેટલીક એજન્સી ફક્ત નાણાં ઉઘરાવી તાળાં મારી ફરાર થતાં હોવાના સમયાંતરે બનાવ બનતાં ગતરોજ આણંદ ખાતે આવેલ ક્રિશ્ના ઓવરસીઝના સંચાલક બંટી બબલીએ ખેલ પાડી લંડન યુએસ જવા માંગતા તેર જેટલા અરજદારો પાસેથી ૮૦ લાખ ખંખેરી એજન્સી ને તાળાં મારી ફરાર થતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ ખાતે વિદેશ મોકલવા માટે ક્રીશ્ના ઓવરસીઝ નામની એજન્સી ખોલી એજન્સી ના સંચાલક હાર્દિક શાહ, નંદકુમાર ઉકાણી સહિત એક મહિલા દ્વારા વિદેશવાચ્છુઓને લંડન યુએસ જવા માટે વિઝા અપાવવાની લાલચ આપી તેર જેટલા અરજદારો પાસેથી ૮૦ લાખ ઉપરાંતની રકમ ખંખેરી એજન્સીને તાળાં મારી ફરાર થતાં આણંદ ટાઉન પોલીસ મથકે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહિલાને ઝડપી પાડી અન્ય બે શખ્સ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, સપ્ટેમ્બર 2026
4950 |
૫૦થી વધુ લોકોને ઊંચા ભાવની લાલચે ફસાવ્યા
નડિયાદના ઉત્તરસંડા રોડ પર આવેલ પ્રોગ્રેસિવ ટાટા શોરૂમના મેનેજર રાજન જાેષીએ માર્કેટ રેટ કરતાં વધુ કિંમત અપાવવાની લાલચ આપી સ્થાનિક બિલ્ડર ધનેન્દ્રભાઈ પટેલ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. બિલ્ડરે પોતાની જૂની મારુતિ સુઝુકી કાર વેચવા માટે આપતાં મેનેજરે વિશ્વાસમાં લઈને ગાડી કબ્જે કરી લીધી હતી. આ ઘટના બહાર આવતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મેનેજર રાજન જાેષીએ ગાડી મેળવ્યા બાદ ફરિયાદીની જાણ બહાર જ આ કાર આણંદના એક ડીલરને વેચી મારી હતી. વેચાણ થકી ઉપજેલી રકમ પોતાની પાસે રાખી લઈ આરોપીએ ધનેન્દ્રભાઈને નાણાં ચૂકવ્યા નહોતા. બિલ્ડરે વારંવાર પોતાના નાણાંની માંગણી કરવા છતાં આરોપીએ બહાના બતાવી પૈસા ન આપતાં, આખરે છેતરપિંડીનો અહેસાસ થતાં ધનેન્દ્ર પટેલે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજન જાેષીએ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ ૫૦થી વધુ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી હોવાની આશંકા છે. આ કૌભાંડમાં જૂની ગાડીઓ ખરીદનારા ડીલરો પણ ફસાયા છે, જેમણે પૂરા નાણાં ચૂકવી દીધા હોવા છતાં તેમને ગાડીઓની એનઓસી મળી નથી. નડિયાદ પોલીસે હાલ આવી છેતરપિંડીનો ભોગ બનેલા લોકોનું એક લાંબુ લિસ્ટ તૈયાર કર્યું છે. મુખ્ય આરોપી રાજન જાેષી વિરુદ્ધ એફઆઈઆર નોંધાતાં જ તે ગઈકાલથી ફરાર થઈ ગયો છે. મેનેજર ફરાર થઈ જવાની ખબર પડતા જ પોતાની ગાડીઓ અને નાણાં પરત મેળવવા માટે ટાટા શોરૂમની બહાર આક્રોશિત લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. પ્રથમ ફરિયાદ નોંધાયા બાદ હવે અન્ય પીડિતો પણ પોતપોતાના સબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવવા તૈયારી કરી રહ્યા છે.નડિયાદ ટાઉન પોલીસે આરોપી રાજન રમેશચંદ્ર જાેષી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસનું માનવું છે કે આરોપીની ધરપકડ બાદ ગાડીઓ વેચવાના નામે આચરવામાં આવેલા આ મોટા કૌભાંડના અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવશેની શક્યતા જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, સપ્ટેમ્બર 2026
5742 |
સ.પ. યુનિ.માં નિયમો નેવે મૂકી રાજકીય વગ ધરાવતા લો કોલેજ પ્રિન્સિપાલની પુન: નિમણૂક
ગત દશકમાં વર્ષ ૨૦૧૫મા અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી ના યોજાયેલ પદવીદાન સમારોહમાં પૂર્વ રાજ્યપાલ અને કુલાધિપતિ દ્વારા સરકારી યુનિવર્સિટીમાં પ્રારંભ થયેલ રાજકીય પૃષ્ઠભૂમિ અને ખાનગી યુનિવર્સિટીઓ ના વ્યાપના કારણે વકરતુ શિક્ષણ ના વ્યાપારીકરણ પર ચિંતા વ્યક્ત કરેલ જે હાલમાં યુનિવર્સિટી દ્વારા ચાર માસ પૂર્વે આણંદ લો કોલેજના આચાર્ય ની સ્થગિત નિમણુંક ને પુન: બહાલી આપી નિમણુંક કરાતાં યથાર્થ ઠરી રહ્યાની ચર્ચા યુનિવર્સિટી કેમ્પસમાં ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર ગત મે માસમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આણંદ લો કોલેજના આચાર્ય રેખા સિંધ ની નિમણુંક પર તેઓએ બી.એ.મા ૪૨.૭૫% દર્શાવતા નિમણુંક સ્થગિત કરવામાં આવતાં વિવાદ ઉઠવા પામ્યો હતો.જે બાદ ગત જુલાઈમાં યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં રેખા સિંધ ના બીએ હોય કે એસવાયબીએ માં માઇનોર માર્કસ હોવા ઉપરાંત તેઓના હંગામી ચાર વર્ષના અનુભવ ને ગણતરીને ધ્યાનમાં લઇ વાસ્તવમાં નિયમ મુજબ પંદર વર્ષ નો અનુભવ જરૂરી જે પૂર્ણ ન થતો હોય છતાં રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા હોય ની ચર્ચા વચ્ચે પુન: આચાર્ય પદે નિમણૂક કરવામાં આવતાં યુનિવર્સિટી માં ખળભળાટ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.અત્રે ઉલ્લેખનીય છેકે વર્ષ ૨૦૧૫મા યુનિવર્સિટી ના યોજાયેલ પદવીદાન સમારોહમાં પૂર્વ રાજ્યપાલ અને કુલાધિપતિ કોહલીએ સરકારી યુનિવર્સિટીમાં રાજકીય હસ્તક્ષેપ તથા ખાનગી યુનિવર્સિટીઓ ના વધતા વ્યાપ પર શિક્ષણ નું વ્યાપારીકરણ થઇ રહ્યાની ચિંતા વ્યક્ત કરી હતી.જે સરદાર પટેલ યુનિવર્સિટી માં છેલ્લા દશક દરમ્યાન રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતાને નિયમો ના છેદ ઉડાડી શીરપાવ આપવામાં આવી રહ્યા છે.જે ઉપરાંત યુનિવર્સિટી રાજકીય પક્ષ નું કેન્દ્ર બની રહ્યા ની પણ સમયાંતરે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હોય પૂર્વ રાજ્યપાલ ની ચિંતા યથાર્થ ઠરી રહ્યાની ચર્ચા યુનિવર્સિટી કેમ્પસમાં ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, સપ્ટેમ્બર 2026
1782 |
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મેળાને લઇ તડામાર તૈયારી, દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૨૦ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો ભવ્ય મહામેળો યોજાવા જઈ રહ્યો છે. સાત દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટવાના છે, જેને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.મેળા દરમિયાન લાખો ભક્તોને સરળતાથી માતાજીના દર્શનનો લાભ મળી રહે તે માટે મંદિરના દર્શન અને આરતીના સમયમાં મહત્વનો વધારો કરવામાં આવ્યો છે. હવે સવારની આરતી ૭:૩૦ કલાકના બદલે સવારે ૬:૦૦ કલાકે થશે, જ્યારે રાત્રિના સમયે મંદિર મધ્યરાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે જેથી ભક્તો ગીચતા વગર આરામથી દર્શન કરી શકે.ભક્તોના ભારે ઘસારાને વ્યવસ્થિત રીતે સંચાલિત કરવા માટે ટ્રસ્ટે કેટલાક વિશેષ ર્નિણયો પણ લીધા છે. મેળાના આ સાત દિવસો દરમિયાન મંદિરના ચાચરચોક આવેલી યજ્ઞશાળામાં કોઈપણ પ્રકારના હોમ-હવન કરવામાં આવશે નહીં, તેમજ માતાજીને ધરાવાતા અન્નકૂટ પણ આ સમયગાળા દરમિયાન બંધ રાખવામાં આવશે. યાત્રિકોની સુરક્ષા અને સુવિધાને સર્વોપરી રાખીને કરાયેલા આ ફેરફારોથી દર્શન પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને સરળ બનશે. આપ સૌ આ પવિત્ર મેળામાં જાેડાઈને અંબાજી માતાના દર્શનનો અલૌકિક લાભ મેળવો તેવી અપેક્ષા છે. દર્શન અને આરતીના સમયમાં ફેરફાર • સવારે આરતી ૬.૦૦ થી ૬.૩૦ કલાક સુધી • સવારે દર્શન ૬.૩૦થી ૧૧.૩૦ વાગ્યા સુધી • બપોરે મંદિર ૧૧.૩૦ થી ૧૨.૩૦ એક કલાક સુધી મંગલ રહેશે • બપોરે દર્શન ૧૨.૩૦ થી ૫.૦૦ વાગ્યા સુધી • ત્યાર બાદ સાંજે મંદિર ૫.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધી મંગલ રહેશે • સાંજે આરતી ૭.૦૦ વાગ્યા થી ૭.૩૦ વાગ્યા સુધી • સાંજે દર્શન ૭.૩૦ વાગ્યા થી રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે અંબાજી મંદિરમાં ૫ મીટરથી મોટી ધજા ચઢાવી શકાશે નહીં યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ મેળામાં સંઘો અને પદયાત્રીઓ દ્વારા લાવવામાં આવતી ધજાઓ અંગે અંબાજી મંદિર ટ્રસ્ટે મહત્વની જાહેરાત કરી છે. મંદિરના શિખર પર ૫ મીટરથી મોટી ધજા ચઢાવી શકાશે નહીં. અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, જે સંઘો અને પદયાત્રીઓ ૫ મીટરથી લાંબી ધજા લઈને આવશે, તેમની ધજાઓ મંદિરના શિખરે ચઢાવવાના બદલે માતાજીના મંદિરમાં રાખવામાં આવશે. આવા સંઘોએ ૫ મીટરની ધજા મંદિર ટ્રસ્ટ પાસેથી મેળવવી પડશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, સપ્ટેમ્બર 2026
1683 |
સમીની બંધ મિલના કમ્પાઉન્ડમાંથી ૬થી ૭ મહિનાની માસૂમ બાળકી મળી આવી
પાટણના સમી તાલુકામાં કઠીવાડા નજીક બંધ જિનિંગ ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી ૬થી ૭ મહિનાની માસૂમ બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. રડવાનો અવાજ સાંભળીને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પાટણ જિલ્લાના સમી તાલુકામાં માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સમી તાલુકાના કઠીવાડા બસ સ્ટેન્ડથી સમી તરફ જવાના રસ્તે આવેલી એક બંધ કપાસની જિનિંગ ફેક્ટરીના કમ્પાઉન્ડના દરવાજા પાસેથી અંદાજે ૬થી ૭ મહિનાની માસૂમ બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. બાળકીનો રડવાનો અવાજ આવતાં સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા. જાેકે, સ્થળ પર બાળકીના વાલી-વારસ અંગે શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. માસૂમ બાળકી રઝળતી હાલતમાં મળી હોવાની જાણ થતાં જ સમી પોલીસ મથકની ઁઝ્રઇ-૧૧૨ જનરક્ષક વાનની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે બાળકીને પોતાના કબ્જામાં લઈને ત્વરિત સુરક્ષા પૂરી પાડી હતી. ત્યારબાદ માસૂમ બાળકીને પ્રાથમિક આરોગ્ય તપાસ અને સારવાર અર્થે પહેલા સમી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ વધુ આત્યંતિક સારવાર તથા સંભાળ માટે ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી. કૂંપળ જેવી માસૂમ બાળકીને બંધ મિલમાં ત્યજી દેવાની ઘટનાથી આજુબાજુના વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ માસૂમ બાળકી કોની છે અને તેને આ રીતે અવાવરૂ જગ્યાએ કોણ તરછોડી ગયું તે દિશામાં સમી પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના રસ્તાઓના સીસીટીવી ફૂટેજ તેમજ ગુમ થયેલા બાળકો અંગેની માહિતીના આધારે પોલીસ બાળકીના ર્નિદયી વાલી-વારસની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, સપ્ટેમ્બર 2026
1782 |
પાલનપુરના દલવાડામાં સામાજિક તકરારમાં નાનાભાઈએ મોટા ભાઈની હત્યા કરીદીધી
પાલનપુર તાલુકાના દલવાડામાં સામાજિક વિવાદમાં નાના ભાઈ હીરા પટેલે મોટા ભાઈ રમેશ પટેલના માથામાં વોંસીનો ઘા ઝીંકી હત્યા કરી દીધી છે. ગઢ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. પાલનપુર તાલુકામાં આવેલા દલવાડા ગામમાં લોહીના સંબંધોને લજવતી એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના સામે આવી છે. દલવાડા ગામમાં સામાજિક બાબતે બે સગા ભાઈઓ વચ્ચે થયેલી ઉગ્ર તકરારમાં નાના ભાઈએ આવેશમાં આવીને પોતાના જ મોટા ભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ર્નિમમ હત્યા કરી નાખી છે. પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, દલવાડા ખાતે રહેતા રમેશભાઈ પટેલ અને તેમના સગા નાના ભાઈ હીરા પટેલ વચ્ચે કોઈ સામાજિક પ્રશ્ને કે વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ તકરારે જાેતજાેતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં નાનો ભાઈ હીરા પટેલ ગુસ્સા પરનો કાબૂ ગુમાવી બેઠો હતો.તેણે પોતાના મોટા ભાઈ રમેશભાઈ પટેલના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર (વોંસી) નો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. હુમલો એટલો ગંભીર હતો કે રમેશભાઈ પટેલ ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. આ હત્યાના બનાવની જાણ થતાં જ ગઢ પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત દલવાડા ગામે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પંચનામું કરી રમેશભાઈ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ કરી હતી. ભાઈ દ્વારા જ ભાઈની હત્યા કરાતાં દલવાડા ગામમાં ચકચાર સાથે ઘેરા શોકની કાળી ડિબ છવાઈ ગઈ છે.આ ઘટના અંગે મૃતક રમેશભાઈ પટેલના પુત્રએ પોતાના સગા કાકા હીરા પટેલ સામે પોતાના પિતાની હત્યા કરવા અંગે ગઢ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપી કાકા હીરા પટેલને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, સપ્ટેમ્બર 2026
1782 |
સાબરડેરીએ ‘સાબરદાણ’ના ભાવમાં વધારો ઝીંક્યો
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગ્રામીણ અર્થતંત્રની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા પશુપાલકોને મોટો આર્થિક ઝટકો આપવામાં આવ્યો છે. પશુઓ માટેના મુખ્ય અને ગુણવત્તાસભર આહાર એવા ‘સાબરદાણ’ના ભાવમાં અચાનક ધરખમ વધારો ઝીંકી દેવાતાં બંને જિલ્લાના સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકો પર આર્થિક બોજ વધી ગયો છે.ડેરી વહીવટી તંત્ર દ્વારા જારી કરાયેલા નવા ભાવ માળખા અનુસાર: ૭૦ કિલોની બેગ: ૨૨૦ નો સીધો વધારો કરાતાં પશુપાલકોએ હવે પ્રતિ બેગ વધુ રકમ ચૂકવવી પડશે. ૫૦ કિલોની બેગ: ૧૩૫ નો વધારો કરવામાં આવ્યો છે. પશુપાલકોમાં ભારે અસંતોષ અને ચિંતા ચોમાસાની ઋતુ અને સતત વધતા જતા દૈનિક નિભાવ ખર્ચ વચ્ચે અચાનક દાણના ભાવ વધવાથી પશુપાલનનો વ્યવસાય હવે અપોષણક્ષમ બની રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિક દૂધ ઉત્પાદકોના જણાવ્યા મુજબ, કાચા માલના ઊંચા ભાવ અને ઈંધણ-ટ્રાન્સપોર્ટેશનના વધતા ખર્ચનું બહાનુ ધરીને ડેરી તંત્ર દ્વારા ભાવવધારો ઝીંકી દેવાયો છે. એક તરફ લીલા ઘાસચારાની અછત અને બીજી તરફ દાણના ભાવમાં થયેલા આ વધારાથી પશુપાલકોને ‘પડ્યા પર પાટુ’ જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરદાણના ભાવમાં વધારો થતાં જ દૂધ મંડળીઓ અને પશુપાલકોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. જાે ડેરી તંત્ર પશુ આહાર મોંઘો કરતું હોય, તો તેની સામે પશુપાલકો પાસેથી ખરીદાતા દૂધના કિલો ફેટના ભાવમાં પણ તાત્કાલિક ધોરણે યોગ્ય વધારો કરવામાં આવે તેવી પ્રબળ માંગણી પશુપાલકો કરી રહ્યા છે. આગામી દિવસોમાં જાે આ ર્નિણય પાછો ખેંચવામાં નહીં આવે કે દૂધના ભાવ નહીં વધારાવામાં આવે તો પશુપાલકો દ્વારા ડેરી સમક્ષ રજૂઆત કરવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, સપ્ટેમ્બર 2026
4653 |
શાળાઓ, કૉર્ટ અને વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેઈલથી ધમકી, કંઇ મળ્યું
ગુરુવારે સવારથી રાજ્યમાં વિવિધ શૈક્ષણિક અને સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે. સવારના સમયે અમદાવાદ અને ગાંધીનગરની વિવિધ શાળાઓ, કૉર્ટ સંકુલ તથા વિધાનસભાને ઈમેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકીઓ મળતા જ સુરક્ષા તંત્ર તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ સ્થળોએ બોમ્બ સ્ક્વોર્ડ સહિતની એજન્સીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જાેકે, આ તમામ સંસ્થાઓની તપાસ દરમિયાન ક્યાંયથી પણ કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી. આ અંગે એસપીએ જણાવ્યું છે કે આ તમામ ધમકીભર્યા ઈમેઈલ દેશની બહારથી મોકલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો, વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલ, બોપલ સ્થિત ડ્ઢઁજી અને થલતેજ સ્થિત ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેઈલ મળ્યો હતો. મેઈલ મળ્યા બાદ શાળા સંચાલકો દ્વારા વાલીઓને તાત્કાલિક બાળકોને ઘરે લઈ જવા માટે મેસેજ કરીને સૂચના આપવામાં આવી હતી, જેના કારણે વાલીઓમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોર્ડ, ફાયર વિભાગ, પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટુકડીઓ સ્કૂલો પર પહોંચી ગઈ હતી અને શાળાઓને તાત્કાલિક ખાલી કરાવવા આદેશ આપ્યો હતો.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, સપ્ટેમ્બર 2026
1683 |
લેબગ્રોનની બોલબાલા છતાં હીરાનાં કારોબારમાં નેચરલ ડાયમંડ જાેજનો આગળ
સુરતનાં કટ એન્ડ પોલિશ્ડ હીરા ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડની વધતી બોલબાલા અને તેના વધતા ઉત્પાદન-વોલ્યુમને કારણે ભલે નેચરલ ડાયમંડનું બજાર પાછળ ધકેલાઇ રહ્યું હોવાની છાપ ઊભી થઇ રહી હોય, પરંતુ આયાત-નિકાસનાં મૂલ્યનાં તાજા આંકડા હીરા ઉદ્યોગનું અલગ જ ચિત્ર રજૂ કરે છે. લેબગ્રોન ડાયમંડનું વોલ્યુમ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ વેલ્યુના મામલે નેચરલ ડાયમંડ હજુ પણ જોજનો આગળ છે.વર્ષ ૨૦૨૫-૨૬માં રફ લેબગ્રોન ડાયમંડની આયાત રૂ.૯,૦૭૧.૬૮ કરોડ રહી હતી. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭માં ૧૦ સપ્ટેમ્બર સુધીમાં જ રફ લેબગ્રોનની આયાત રૂ.૫,૯૦૧.૯૫ કરોડ સુધી પહોંચી છે. તેની સામે નેચરલ રફ ડાયમંડની આયાત ૨૦૨૫-૨૬માં રૂ.૯૨,૨૧૭.૩૧ કરોડ હતી, જ્યારે ચાલુ વર્ષે ૧૦ સપ્ટેમ્બર સુધીમાં રૂ.૩૭,૫૮૪.૬૮ કરોડની આયાત નોંધાઇ છે. અર્થાત્, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાડા પાંચ મહિનામાં નેચરલ રફ ડાયમંડની આયાતનું મૂલ્ય લેબગ્રોન રફની આયાત કરતાં આશરે ૬.૪ ગણું છે. આ તફાવત દર્શાવે છે કે લેબગ્રોનનો ઉત્પાદન અને વેપાર-વોલ્યુમ વધતો હોવા છતાં મૂલ્યનાં મામલે નેચરલ ડાયમંડનું બજાર હજુ પણ ઘણું મોટું છે. સુરતનાં હીરા વેપારીઓનાં મતે નેચરલ ડાયમંડમાં વેલ્યુ ઉપરાંત યોગ્ય કેટેગરીનાં માલમાં નફાકીય માજિર્નની સંભાવના પણ લેબગ્રોન કરતાં વધુ છે. લેબગ્રોનમાં ઉત્પાદન ક્ષમતા અને સપ્લાય ઝડપથી વધતાં ભાવ પર દબાણ રહે છે, જ્યારે નેચરલ ડાયમંડમાં દુર્લભતા અને કુદરતી ઉત્પાદન મર્યાદાને કારણે ચોક્કસ સાઇઝ, કલર અને ક્વોલિટીનાં માલની વેલ્યુ જાળવવાની ક્ષમતા વધુ છે. લેબગ્રોન ડાયમંડને કારણે સુરતનાં હીરા ઉદ્યોગમાં નવા વ્યવસાયિક મોડલ વિકસ્યા છે, પરંતુ આનો અર્થ એવો નથી કે ઉદ્યોગપતિઓએ નેચરલ ડાયમંડથી મોઢું ફેરવી લીધું છે. આયાત-નિકાસનાં આંકડા દર્શાવે છે કે મોટા મૂલ્યના કારોબારનો આધાર હજુ પણ નેચરલ ડાયમંડ પર જ છે. સુરતના કટ એન્ડ પોલિશ્ડ હીરા ઉદ્યોગ માટે તેથી હાલની સ્થિતિને ‘નેચરલ વિરુદ્ધ લેબગ્રોન’ કરતાં ‘વોલ્યુમમાં લેબગ્રોન અને વેલ્યુમાં નેચરલ’ તરીકે જોવી વધુ યોગ્ય બની રહી છે. લેબગ્રોનનો બજાર હિસ્સો અને ઉત્પાદન વધતું રહેશે, પરંતુ કરોડો રૂપિયાના ઉચ્ચ મૂલ્યના હીરા કારોબારમાં નેચરલ ડાયમંડનું પ્રભુત્વ હજુ લાંબા સમય સુધી જળવાઇ રહે તેવી સ્થિતિ આંકડાઓમાંથી સ્પષ્ટ થાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, સપ્ટેમ્બર 2026
1683 |
શહેરનાં તમામ ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરનો સર્વે કરી આકારણી ચોપડે દાખલ કરવાનો આદેશ
સુરત શહેરમાં ઓપન પ્લોટ સહિતના વિવિધ વિસ્તારોમાં બિલાડીનાં ટોપની જેમ ફૂટી નીકળેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરો હવે સુરત મહાનગર પાલિકા માટે માથાનો દુ:ખાવો બન્યા છે. ફૂડ કોર્ટથી માંડી ગોડાઉન અને અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ માટે ઉભા કરવામાં આવતા આવા સ્ટ્રક્ચરોની મોટી સંખ્યા હજુ સુધી મનપાનાં આકારણી દફતરે નોંધાયેલી ન હોવાથી પાલિકાને મિલકત વેરાની આવકમાં પણ નુકસાન થઈ રહ્યું હોવાની સ્થિતિ હોવાથી લોકસત્તા-જનસત્તાએ ઉપાડેલી ઝૂંબેશ બાદ હવે વહિવટી તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરનાં તમામ ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરનો સર્વે કરી તેની ફરજિયાત આકારણી દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો છે.મનપાના વિવિધ ઝોનમાં ખુલ્લી જગ્યાઓ અને પ્લોટમાં મંજૂરી કે જરૂરી પ્રક્રિયા વિના ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે. ખાસ કરીને ફૂડ કોર્ટ, ગોડાઉન સહિતના સ્ટ્રક્ચરોમાં આગ લાગવાની ઘટનામાં પૂરતી ફાયર સેફ્ટીનો અભાવ ગંભીર જાેખમ ઊભું કરે છે. આવા સ્ટ્રક્ચરોને કારણે આસપાસની મિલકતોને પણ નુકસાન થવાની શક્યતા રહે છે. બીજી તરફ, આ મિલકતો આકારણી ચોપડે દાખલ ન હોવાથી મનપાની આવકને પણ ફટકો પડી રહ્યો છે. આ મુદ્દે તાજેતરમાં ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચની અધ્યક્ષતામાં શહેરનાં તમામ ઝોનનાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ ઝોનમાં આવેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરોનો તાત્કાલિક સર્વે હાથ ધરી તેમની આકારણી દાખલ કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. નિધિ સિવાચે સાત દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી ટેમ્પરરી સ્ટ્રક્ચરોને આકારણી દફતરે ચોપડે દાખલ કરવા તાકીદ કરી છે. આ આદેશ બાદ તમામ ઝોનના એઆરઓ સહિતનો સ્ટાફ સર્વેની કામગીરીમાં જાેતરાઈ ગયો છે. હવે સર્વે દરમિયાન કેટલા ટેમ્પરરી સ્ટ્રક્ચરો મળી આવે છે અને તેમાંથી કેટલાની આકારણી દાખલ થાય છે તેના પર સૌની નજર રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, સપ્ટેમ્બર 2026
1386 |
મહિલાઓની સુરક્ષા માટેનો મનપાનો પિંક ઓટો પ્રોજેક્ટ ‘ફ્લોપ’
સુરત મહાનગર પાલિકા દ્વારા મહિલાઓને આર્ત્મનિભર બનાવવા અને મહિલા મુસાફરોને સુરક્ષિત પરિવહન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલો પિંક ઓટો પ્રોજેક્ટ હવે જાણે માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મોટા ઉપાડે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને રિક્ષા ચલાવવાની તાલીમથી માંડી લાયસન્સ મેળવવા સુધીની સહાય આપવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરના રસ્તાઓ પરથી પિંક ઓટો શોધવી મુશ્કેલ બની છે. જેના પગલે મનપાના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની સફળતા સામે જ સવાલો ઉઠી રહ્યા છે.સુરત મનપાનાં યુસીડી વિભાગ દ્વારા શહેરી ગરીબ મહિલાઓને રોજગારી અને આજીવિકા પૂરી પાડવા માટે વર્ષ ૨૦૧૭માં પિંક ઓટો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૪માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ૪૭ મહિલાઓને પિંક ઓટો માટે જરૂરી સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત સમયાંતરે ૧૩૫ મહિલાઓને ગ્રીન ઓટો માટે પણ સહાય પૂરી પાડવામાં આવી છે. યોજનાનો મુખ્ય હેતુ એક મહિલા બીજી મહિલાને સુરક્ષિત મુસાફરી પૂરી પાડે અને આર્થિક રીતે પછાત તથા ઓછું ભણેલી મહિલાઓને સ્વરોજગારની તક મળે તેવો હતો. મનપાએ વિવિધ તાલીમ કેન્દ્રો મારફતે મહિલાઓની પસંદગી કરી રિક્ષા ચલાવવાની તાલીમ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ માટે જરૂરી મદદ કરી હતી. ઓછા વ્યાજે રિક્ષા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. શરૂઆતના તબક્કામાં શહેરના રસ્તાઓ પર પિંક અને ગ્રીન ઓટો જાેવા મળતી હતી. જાેકે હવે આ રિક્ષાઓ ક્યાં અને કેટલી સંખ્યામાં કાર્યરત છે તે જ સ્પષ્ટ નથી. મહિલા સશક્તિકરણના નામે સહાય આપ્યા બાદ પ્રોજેક્ટનું મોનિટરિંગ થયું કે નહીં? રિક્ષાઓ રસ્તા પરથી કેમ ગાયબ થઈ? જેવા સવાલો વચ્ચે મનપાએ આ યોજનાની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. પિંક બસની મહિલા ચાલકો પણ વતન જતી રહી પાલિકા દ્વારા પહેલી વખત પીંક બસનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સરથાણા નેચર પાર્કથી ઓએનજીસી રૂટ પર મહિલાઓ માટે દોડતી બસ માટે મહિલા ચાલક શોધવા પાલિકા દ્વારા ૨૦ મહિના સુધી ભારે શોધખોળ કરવી પડી હતી. આ દરમિયાન ઈન્દોર ખાતે રહેતી અને ચાર વર્ષનાં હેવી વ્હીકલનો અનુભવ ધરાવતી એક મહિલા ચાલક સુરત પાલિકાને મળી હતી. સુરત મનપા દ્વારા પહેલી વખત પિંક બસ માટે મહિલા ચાલકની પસંદગી થતાં ગયા વર્ષે ૨૦મી નવેમ્બરથી પિંક બસનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો હતો. જાે કે, ઈન્દોરથી આવેલ મહિલા ચાલક પારિવારિક કારણોસર ગણતરીનાં સમયમાં જ સુરતને અલવિદા કહીને પોતાનાં વતનની વાટ પકડી હતી. જેને પગલે પિંક ઓટોની જેમ હવે પિંક બસમાં પણ મહિલા ચાલક માટેની શોધખોળ વધુ એક વખત શરૂ કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, સપ્ટેમ્બર 2026
1782 |
દરરોજ ૨૫૦ ટ્રક અનાજ ઠલવાય છે, છતાં સુરતમાં અનાજ-કઠોળનું એક પણ જથ્થાબંધ બજાર નથી
૮૫ લાખની વસતીનું ભારણ ધરાવતા સુરત શહેર અને આસપાસનાં વિસ્તારોમાં રોજિંદા વપરાશ માટે અંદાજે ૨૫૦ ટ્રકથી વધુ જથ્થામાં અનાજ, કઠોળ, ખાંડ ઠલવાય છે છતાં સુરત શહેરમાં અનાજ અને કઠોળ માટે એપીએમસી જેવું કોઈ એક મોટું કેન્દ્રીય જથ્થાબંધ બજાર (હોલસેલ માર્કેટ) નથી. શહેરની ખાદ્ય જરૂરિયાત સતત વધી રહી છે ત્યારે અનાજનાં જથ્થાબંધ વેપાર, સંગ્રહ, ભાવની પારદર્શિતા અને મોટાપાયે વિતરણ માટે શાકભાજી બજારની જેમ સુવ્યવસ્થિત અનાજ બજાર યાર્ડની જરૂરિયાત હવે ફરીથી સામે આવી છે.બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રેસિડેન્ટ પ્રદીપ અગ્રવાલ સહિતના આગેવાનોએ તાજેતરમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાની મુલાકાત કરીને એક મહત્વનાં મુદ્દા પર સહકાર માગ્યો હતો. પ્રદીપ અગ્રવાલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું શાકભાજી બજાર સુરતમાં ઉપલબ્ધ છે. શાકભાજીનાં જથ્થાબંધ વેપારમાં વેપારી ક્યાંથી માલ આવ્યો, કેટલો ભાવ છે અને કયા ભાવે ખરીદી કરવી તે અંગે બજાર વ્યવસ્થાને કારણે પ્રમાણમાં વધુ પારદર્શિતા રહે છે. તેની સામે અનાજ અને કઠોળનાં જથ્થાબંધ વેપાર માટે આવી કેન્દ્રિય વ્યવસ્થા નથી. પરિણામે ગ્રાહક તેમજ નાના વેપારી માટે અનાજનો વાસ્તવિક જથ્થાબંધ ભાવ જાણવા અને ગુણવત્તા અંગે સરખામણી કરવી મુશ્કેલ બને છે. સુરતમાં અનાજનું વિશાળ બજારયાર્ડ એટલે કે, એપીએમસી જેવું માર્કેટ વિકસાવવાની માગણી હવે ફરીથી તેજ બની છે. બારડોલી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત સ્થિત દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સમક્ષ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમક્ષ સુરતમાં અનાજ માટે વિશેષ બજારયાર્ડ વિકસાવવાની માગણી રજૂ કરવાની તૈયારી છે. આ માગણી નવી નથી. વર્ષ ૨૦૧૯માં ચોર્યાસીનાં વર્તમાન ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ સુરતમાં અનાજનાં વિશાળ બજાર યાર્ડની જરૂરિયાત અંગે રજૂઆત કરવામાં આવી હતી. જાે કે વર્ષો વીતી ગયા છતાં સુરત શહેરની વધતી વસતી, દક્ષિણ ગુજરાતની વધતી ખાદ્ય જરૂરિયાત અને વેપારના વિસ્તરણની સામે અનાજ માટે કેન્દ્રિય જથ્થાબંધ બજારની વ્યવસ્થા ઊભી થઈ નથી.સુરત માત્ર ગ્રાહક નહીં, જથ્થાબંધ અનાજનાં વેપારનું કેન્દ્ર બની શકે હોલસેલ અનાજના મોટા વેપારી જયંત પટેલ કહે છે કે સુરતની જરૂરિયાત પૂરતી અનાજ અને કઠોળની આવક જાળવવા ઉપરાંત શહેરને દક્ષિણ ગુજરાતના અનાજના પુરવઠા અને વિતરણના મહત્વના કેન્દ્ર તરીકે વિકસાવવાની પણ વિશાળ સંભાવના છે. સુરતના ભૌગોલિક સ્થાન, વેપારી માળખા અને દક્ષિણ ગુજરાત સાથેના મજબૂત જાેડાણને કારણે અહીં એક સુવ્યવસ્થિત અનાજ બજાર ઊભું થાય તો સુરતમાંથી આસપાસના વિસ્તારોમાં તેમજ અન્ય બજારોમાં મોટા પ્રમાણમાં અનાજ મોકલી શકાય. હાલમાં વિવિધ સ્થળોએ વિખેરાયેલા જથ્થાબંધ વેપારને એક સ્થળે લાવવામાં આવે તો ટ્રકની અવરજવર, તોલ, સંગ્રહ, ગુણવત્તા ચકાસણી, પેકિંગ અને પરિવહન જેવી વ્યવસ્થાઓ એક જ સ્થળે ઊભી કરી શકાય. પરિણામે વેપારીઓને પણ વ્યવસ્થિત માળખું મળશે અને ખરીદદારો માટે ભાવની સરખામણી સરળ બનશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
12, સપ્ટેમ્બર 2026
1782 |
એમ્બ્રોડરી સહિત વિવિધ ક્ષેત્રનાં સેંકડો કારીગરોનો કલેકટરાલય ખાતે વિરોધ પ્રદર્શન
એમ્બ્રોડરી સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કારીગરો દ્વારા પોતાના હક અને કાયદેસરના લાભોની માગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો કાઢવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે સેંકડો કારીગરો કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કારીગરોનાં યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અઠવાડિયામાં એક દિવસ સાપ્તાહિક રજા, ગ્રેજ્યુઇટી, પીએફ સહિતનાં વિવિધ કાયદેસરના લાભો આપવાની માગ કરવામાં આવી હતી. કારીગરોનું કહેવું છે કે સરકાર દ્વારા લેબર કાયદો લાગુ કરવામાં આવ્યો હોવા છતાં તેનો યોગ્ય અમલ થતો નથી અને કાયદા મુજબ મળવાપાત્ર લાભોથી તેઓ હજુ પણ વંચિત છે, અગાઉ પણ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેમની માગણીઓ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે કારીગરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કારીગરોએ તાત્કાલિક તેમની માગણીઓ સ્વીકારી કાયદેસરનાં લાભો અપાવવા માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. કારીગરોએ ચીમકી આપી હતી કે જ્યાં સુધી તેમની માગણીઓ અંગે યોગ્ય આશ્વાસન આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કલેક્ટર કચેરી ખાતે બેસી રહેશે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...