ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
27, જુલાઈ 2026 8514   |  
વેચાણ માટે લીધેલા હીરાનું ૭૪.૮૭ લાખ પેમેન્ટ નહીં ચૂકવી કતારગામની કંપની સાથે છેતરપિંડી

આડતથી વેચાણ માટે ૭૪.૮૭ લાખનાં હીરા લઇ ગયા બાદ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપનાર રિદ્ધિ ડાયમંડ તથા રિદ્ધિ સિદ્ધિ ડાયમંડ નામે ધંધો કરતા માંગુકિયા પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી અનુસાર સિંગણપોર ચાર રસ્તા પાસે રાજદીપનગરમાં રહેતા ચિરાગ ડુંગરશીભાઈ સવાણી હીરાનો વેપાર કરે છે. ભાવનગરનાં વલ્લભીપુર તાલુકાનાં વતની ચિરાગ કતારગામ અમરોલી રોડ ઉપર “સી. જેનીલ કુમાર એન્ડ કુ." નામથી વિશાલ સવાણી અને ડાહ્યાભાઇ સવાણી સાથે કુદરતી હિરાનું મેન્યુફેકચરિંગ તેમજ ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનું કામકાજ કરે છે. ચિરાગ પાંચ છ વર્ષ પહેલા ગૌરાંગ લાખાભાઇ માંગુકિયા સાથે હીરા વેચાણનું કામ કરતો હતો. ત્યારબાદ ગૌરાંગ હોંગકોંગ જઇ રિદ્ધિ સિદ્ધિ ડાયંમડ નામથી વેપાર કરવા માંડ્યો હતો. ગૌરાંગ માંગુકિયા એ વોટ્સએપથી ચિરાગ સવાણીનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, મારા પરિવારનાં અરવિંદભાઈ, ઉમંગ તથા કાનજી મુંબઈ અને સુરત મુકામે રિદ્ધિ ડાયમંડ નામથી ધંધો કરે છે. તેઓની જરૂરિયાત અનુસારનો માલ તારી પાસે હોય તો તેમને આપજે. એ માલ હું હોંગકોંગમાં વેચી પેમેન્ટ કરાવી આપીશ. પેમેન્ટની જવાબદારી લેવા સાથે ગૌરાંગે ૩% આડત આપવાની શરત પણ મૂકી હતી. ત્યારબાદ અરવિંદ માંગુકીયાએ ચિરાગને ફેક્ટરીએ મળવા ગયા હતાં. તેમણે કટ એન્ડ પોલીશ્ડ હીરાની ડિમાન્ડ કરી હતી. એ સમયે સવાણી પાસે હતો એ માલ બતાવ્યો હતો. માંગુકિયાએ ૨૪૯.૨૨૦ કેરેટ હીરા પસંદ કર્યા હતા. ૭૪,૮૬,૫૬૮ રૂપિયા કિંમતનાં હીરા ૧૨ ઓગષ્ટ, ૨૦૨૪નાં રોજ અરવિંદને જાંગડ પર અપાયા હતાં.  ત્યારબાદ પણ ધણો સમય વીતી જવા છતા અરવિંદે હીરા બાબતે કોઇ જવાબ આપ્યો ન હતો. દરેક કોલમાં અલગ અલગ બાહાના બનાવી તેઓ સમય પસાર કરતાં રહ્યાં હતાં. જેથી સવાણીએ ગૌરાંગનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જેમાં ગૌરાંગે ઉશ્કેરાઇ જઇ મે કે મારા કારાએ આવો કોઇ માલ ખરીદ્યો નથી, કે આડતથી વેચાણ માટે લીધો નથી એમ કહેતાં સવાણી આઘાત પામ્યો હતો. ત્યારબાદ ચિરાગનાં પિતા ડુંગરશીભાઇ તથા મુંબઈ ઓફિસમાં સેલ્સ વિભાગ સંભાળતા રાકેશ કાજાવદરા ૭૪.૮૭ લાખની ઉઘરાણી માટે રિદ્ધિ ડાયમંડ અને રિદ્ધિ સિદ્ધિ ડાયમંડનાં પાર્ટનર કાનજી તથા ઉમંગ પાસે ગયા હતાં. તેઓએ પણ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપી હતી. જેથી ચિરાગ સવાણીએ આખરે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 23562   |  
ભાવનગરના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમમાં મોટી તકનીકી ઘટના સામે આવી છે. ડેમના ૧૫ નંબરના ગેટને સંચાલિત કરતો મુખ્ય વાયર (રેસો) તૂટી જતાં ગેટ નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ અનિયંત્રિત રીતે નદીમાં છોડાવા લાગ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.માહિતી અનુસાર, ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે ગેટમાં ખામી સર્જાતા તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. ગેટને થયેલા નુકસાનને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.જિલ્લા પ્રશાસને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ સહિત શિહોર તાલુકાના ભાણગઢ ગામના લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે.વહીવટીતંત્રે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પૂર જાેવા, ફોટા કે સેલ્ફી લેવા માટે નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 22572   |  
બાળકને ગિરનારની સીડીઓ પરથી સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષ મળ્યા

વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કરી તેને સીડીઓ પરથી જ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. પરિવારજનો અને યાત્રિકોની નજર સામે બનેલી આ ઘટનાએ ભય અને અરેરાટીનો માહોલ સર્જ્યો હતો. બાદમાં વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ કલાકો સુધી શોધખોળ કર્યા બાદ જંગલમાંથી બાળકના અવશેષો કબજે લીધા હતા.છેલ્લા ૨૫ દિવસમાં માણસ પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું સામે આવતા ગિરનાર સહિત સિંહોના રહેણાંક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.પરિવારની આંખો સામે સિંહ બાળકને ખેંચી ગયોમહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. પરિવાર વહેલી સવારે દર્શન માટે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. ગેટથી અંદાજે ૫૦ જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળ ચાલતા બાળક મયુરસિંહ પર ઝંપલાવ્યું હતું.બાળક પોતાના કાકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો, પરંતુ સિંહ હુમલો કરીને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. વન રાજ્યમંત્રી પ્રવીણ માળી : ગિરનારમાં માનવ પર સિંહના હુમલાની પ્રથમ ઘટના ગિરનાર પર્વત પર ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની આ પ્રથમ ઘટના છે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.વનમંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ શંકાસ્પદ સિંહોને બેભાન કરીને પકડી લેવામાં આવ્યા છે.હાલ ત્રણેય સિંહોને વૈજ્ઞાનિક અને પશુચિકિત્સકીય તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.પ્રવીણ માળીએ સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોના વર્તનમાં આવી રહેલા ફેરફારોનું વૈજ્ઞાનિક કારણ જાણવા માટે વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને વિશેષ અભ્યાસ સોંપવામાં આવ્યો છે.સિંહોની પ્રકૃતિમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, માનવ વસાહતો તરફ તેમની અવરજવર શા માટે વધી રહી છે અને હુમલાઓ પાછળના કારણો શું છે, તે મુદ્દાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે..


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 19503   |  
અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે; ૩ મહિનામાં કામગીરીનો પ્રારંભ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના હાઈવે અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી વધુ નાણાં મેળવવા રાજ્ય સરકારને તાત્કાલિક દરખાસ્ત મોકલવા અનુરોધ કર્યો હતો.અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ-વે હવે ૮ લેન થશે ૯૩ કિલોમીટરના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વેને ચારમાંથી ૮ લેઈનમાં પરિવર્તિત કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડતરીએ મંજૂરી આપી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે ગુજરાતની આ માંગણી પરત્વે ર્નિણય કરીને વર્ષ ૨૦૨૭માં જ વિસ્તરણનું કાર્ય શરૂ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતનું જમીન સંપાદન મોડલ દેશ માટે ઉદાહરણ ડીપીઆર તૈયાર થતી વખતે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનને સરળ બનાવવા બિનખેતી મંજૂરીની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત મોડલની નીતિન ગડકરીએ પ્રશંસા કરી અને તેને સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય ગણાવ્યું. રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને શક્ય હોય ત્યાં સુધી કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરીને અન્યત્ર રોપવાની સૂચના આપવામાં આવી જેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુલાઈ 2026 2970   |  
નિસરાયાના મામલે હવે ડીડીઓ નિર્ણય કરશે

નિસરાયા ગ્રામ પંચાયત ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. બોરસદ તાલુકાના નિસરાયા ગામના મહિલા સરપંચ સ્મિતાબેન રાજ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ ગામના અરજદાર વિજયકુમાર કે. કાપડિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરાયેલી છ મુદ્દાની અરજી બાદ સમગ્ર મામલે થયેલી તપાસમાં તમામ આક્ષેપો સાચા ઠર્યા હોવાનું તપાસ અહેવાલમાં નોંધાયું હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે મહિલા સરપંચ સામે પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી થશે કે નહીં તે અંગે સૌની નજર જિલ્લા વિકાસ અધિકારીના ર્નિણય પર ટકેલી છે. રિપોર્ટમાં કેટલાંય આરોપો સાબિત થયા અરજી મુજબ મહિલા સરપંચ સ્મિતાબેન રાજ તથા તલાટી-કમ-મંત્રી દ્વારા ગામના વિકાસના નામે કોઈપણ પ્રકારની જરૂરી પૂર્વ મંજૂરી લીધા વિના ગામના મુખ્ય તળાવમાં અંદાજે ૨૦ ગૂંઠા જેટલું પૂરાણ કરવામાં આવ્યું હતું. આ જમીન ઉપર દાતા મહેન્દ્ર પટેલ ઉર્ફે “મેકદાદા”નું સ્ટેચ્યુ તથા અન્ય બાંધકામ ઉભું કરવામાં આવ્યું હોવાનું આક્ષેપમાં જણાવાયું હતું. તપાસ દરમિયાન પણ તળાવ પૂરાણ માટે કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું સામે આવ્યું હોવાનું અહેવાલમાં નોંધાયું છે. આ ઉપરાંત વર્ષો જૂની પ્રાથમિક શાળાની જગ્યા, જે પાછળથી સમગ્ર ગામની વાડી માટે પંચાયત હસ્તક રાખવાના ઠરાવ સાથે સંકળાયેલી હોવાનું જણાવાય છે, ત્યાં આવેલો જૂનો હોલ પણ કોઈપણ ઉચ્ચ અધિકારીની પૂર્વ મંજૂરી વિના તોડી પાડીને તેની જગ્યાએ નવો હોલ બનાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. પંચાયતના નિયમો મુજબ કોઈપણ સરકારી મિલકત પર આવેલ હયાત બાંધકામ તોડતા પહેલાં ઉચ્ચ કક્ષાની મંજૂરી લેવી ફરજિયાત હોય છે. એટલું જ નહીં, જૂના બાંધકામમાંથી નીકળતા કાટમાળની જાહેર હરાજી કરીને તેની આવક પંચાયતના ખાતામાં જમા કરાવવાની હોય છે. પરંતુ અરજી મુજબ આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી નહોતી. તપાસમાં પણ જૂના હોલને તોડવા માટે પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું તેમજ કાટમાળની જાહેર હરાજી ન કરાઈ હોવાનું સામે આવ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જાેકે સમગ્ર ઘટનાક્રમમાં હવે બોરસદ તાલુકા વિકાસ અધિકારી સતીશ પટેલની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. કારણ કે વિસ્તરણ અધિકારીનો સ્પષ્ટ તપાસ અહેવાલ મળ્યા બાદ મહિલા સરપંચ સામે સીધી કાર્યવાહી માટે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ મોકલવાને બદલે તાલુકા વિકાસ અધિકારીએ મહિલા સરપંચને પ્રથમ કારણદર્શક નોટિસ ફટકારી હતી અને સાત દિવસમાં ખુલાસો માંગ્યો હતો.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, જુલાઈ 2026 3960   |  
૨૪ કલાકમાં ખેડા જિલ્લો જળબંબાકાર

ખેડા જિલ્લામાં સાવર્ત્રિક ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની અતિ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને માતર, મહેમદાવાદ, વસો અને નડિયાદ તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ચારેય તરફ પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન બની જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ૨૪ કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો મહેમદાવાદ તાલુકામાં રેકોર્ડબ્રેક ૨૦ ઇંચ અને માતર તાલુકામાં ૧૮ ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે નડિયાદ શહેરમાં પણ ૧૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આટલા ટૂંક સમયમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ ગંભીર બની ગઈ છે. અતિભારે વરસાદના પરિણામે ખેડા-ધોળકા હાઈવે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત માતર-તારાપુર હાઈવે પર પણ માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વાહનચાલકો અને રાહદારીઓ પોતાના જીવના જાેખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. માર્ગો બંધ થવાના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે. નડિયાદ શહેરની વાત કરીએ તો ૧૫ ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે. નાના કુંભનાથ રોડ, વાણિયાવાડ સર્કલ અને રબારી વાસ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. શહેરના તમામ ચાર ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જતાં નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતો વાહનવ્યવહાર તદ્દન ઠપ્પ થઈ ગયો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. પાણીના નિકાલ માટે પંપિંગ સહિતની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી છે. સતત વરસતા વરસાદના કારણે શરૂઆતમાં નિકાલની પ્રક્રિયા ધીમી પડી હતી, પરંતુ બાદમાં વરસાદનું જાેર ઘટતાં અને વિરામ મળતાં પાણી ધીમે ધીમે ઓસરવાનું શરૂ થયું છે, જેથી તંત્ર અને સ્થાનિકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર સવારે ૮ વાગ્યા સુધીમાં જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.આણંદ શહેરમાં ૮ ઇંચ વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આણંદ પંથકમાં મનમૂકીને વરસાદ વરસતા શ્રીકાર વર્ષા થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થયા હતા.જયારે આણંદ શહેર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી કરી વળતા મનપાની પ્રિમોન્સુન કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.જયારે લોટીયા ભાગોળ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એકનું મોત થયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આણંદ પંથક પર મેધરાજા મનમૂકીને વરસતા શ્રીકાર વર્ષા થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ઉઠ્યા હતા.આણંદ શહેર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાતાં મનપાની પ્રિમોન્સુન કામગીરી પર અંગુલિનિર્દેશ થવા પામ્યાનું જાણવા મળેલ છે.ગતરાત્રીના શહેરના લોટિયા ભાગોળ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એકનું મોત થયાનો બનાવ બન્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, જુલાઈ 2026 4257   |  
કાર ગરનાળામાં ખાબકતાં અમદાવાદના ૪નાં મોત

ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માતર નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ખેડા-માતર હાઈવે પર મોતીપુરા ગામ પાસે અમદાવાદના લોકોની કાર અનિયંત્રિત થઈ ગરનાળામાં ખાબકી હતી. કારમાં કુલ ૬ લોકો સવાર હતા, જેમાંથી ૪ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ૨ લોકોને જીવતા બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ કાર મોતીપુરા ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. ભારે વરસાદને કારણે ગરનાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. કાર ગરનાળામાં ખાબક્યા બાદ પલટી મારી પાણીના જાેરદાર વહેણમાં તણાઈ ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા લોકો કારમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને પોલીસ તેમજ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. ખેડા નાયબ કલેક્ટર સુરજ બારોટ, માતર મામલતદાર અને ખેડા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે કારમાંથી બે લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોની વિગત: રાજ સંજયભાઈ રાઠોડ - ઉંમર ૨૬, રહે.અમદાવાદ વિરેન્દ્રસિંહ શેખાવત - ઉંમર ૨૬ રહે.મૂળ રાજસ્થાન સીકર, હાલમાં ઝ્ર્સ્ અમદાવાદ મુસ્તકીમ રાજપુત - ઉંમર ૧૯, રહે. રખિયાલ, અમદાવાદ મયુર મહેશભાઈ પંચાલ - ઉંમર ૩૪, રહે. ન્યુ મણીનગર, અમદાવાદ આ ૨ લોકોનો બચાવ થયો હતો જયારે ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગિલ - ઉંમર ૨૮, રહે. હાટકેશ્વર અમરાઈવાડી, અમદાવાદ મુકેશ જીવન ચૌહાણ - ઉંમર ૩૨, રહે. રહે. હાટકેશ્વર અમરાઈવાડી, અમદાવાદ ૪ લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ પાણીના પ્રવાહમાં ફસાયેલા અન્ય લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ ટીમે એક પછી એક મૃતદેહ બહાર કાઢ્યા હતા અને આખરે કુલ ૪ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તીવ્ર વળાંકને કારણે અનિયંત્રિત થઈ પલટીનેપ્રાંત અધિકારી ઘટનાસ્થળે પહોંચેલા ખેડા પ્રાંત અધિકારી સૂરજ બારોટે જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ આ અર્ટિકા કાર એક તીવ્ર વળાંકને કારણે અનિયંત્રિત થઈ પલટીને ગરનાળામાં ખાબકી હતી હતી.કારમાં આગળ જે બે લોકો સવાર હતા એ બહાર નીકળી ગયા, પણ પાછળની સીટમાં બેસેલા લોકો નીકળી ન શક્યા અને તેમનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે.



ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, ઓગ્સ્ટ 2026 1188   |  
નારોલમાં છૂટા પૈસાની બોલાચાલીમાં મહિલા ઉપર ૪ શખ્સોનો લોખંડની પાઈપથી હુમલો

અમદાવાદના નારોલ વિસ્તારમાં છૂટા પૈસાની નજીવી બાબતે થયેલી તકરારમાં એક મહિલા પર લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પોતાના માસૂમ પુત્રને માર ખાતો બચાવવા ગયેલી ૪૦ વર્ષીય માતાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલની એક સોસાયટીમાં રહેતી મહિલાનો ૧૨ વર્ષીય પુત્ર ગત શુક્રવારે બપોરે બારેક વાગ્યાના સુમારે ઘર પાસેની કરિયાણાની દુકાને વેફર લેવા માટે ગયો હતો. વેફર ખરીદ્યા બાદ બાકી નીકળતા છૂટા પૈસા પરત આપવા બાબતે દુકાનદાર અયાન કાસીમભાઈ ઘાંચી અને બાળક વચ્ચે માથાકૂટ થઈ હતી.આ મામૂલી વાત વણસતા ઉશ્કેરાયેલા અયાને બાળકની ફેંટ પકડી તેને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કરતા બાળક રડવા લાગ્યો હતો.પુત્રને મુસીબતમાં જાેઈને માતા દોડી આવી હતી અને તેને છોડાવવા વચ્ચે પડી હતી. જાેકે, આવેશમાં આવેલા અયાને માનવતા નેવે મૂકી પોતાની દુકાનમાંથી લોખંડની પાઈપ કાઢી મહિલાના માથા પર ઝીંકી દીધી હતી. આ દરમિયાન આરોપીના ભાઈ આસિફ અને તેના માતા-પિતા નજમાબાનુ તથા કાસીમભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને મહિલાને જાહેરમાં અપમાનજનક શબ્દો બોલી બેફામ માર માર્યો હતો. માથામાં ગંભીર ઈજાને કારણે લોહીલુહાણ હાલતમાં મહિલાને ૧૦૮ મારફતે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેને માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. આ હિંસક ઘટના અંગે નારોલ પોલીસે અયાન સહિત ચાર શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, ઓગ્સ્ટ 2026 990   |  
સચિવાલયના નકલી સેક્શન ઓફિસરે નોકરી અને કોન્ટ્રાક્ટના બહાને બે મિત્રો પાસેથી ૪૦ લાખ પડાવ્યા

શહેરમાં સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા એક આધેડ અને તેમના મિત્રને સચિવાલયના નકલી સેક્શન ઓફિસરે છેતરીને ૪૦ લાખ રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટનાની વિગત મુજબ, નિકોલમાં રહીને ટેમ્પો ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા મનુભાઈ ડાભી અને તેમના મિત્ર જીતેન્દ્ર સુરાણી ઓગસ્ટ ૨૦૨૫માં ધોળકા સ્વામિનારાયણ મંદિરના ભોજનાલયમાં ગયા હતા. ત્યાં તેમની મુલાકાત રાજેન્દ્ર જેકડિયા નામના શખ્સ સાથે થઈ હતી. રાજેન્દ્રએ પોતાની ઓળખ ગાંધીનગર સચિવાલયમાં સેક્શન ઓફિસર તરીકે આપી હતી અને વિશ્વાસ જીતવા માટે નકલી આઈડી કાર્ડ પણ બતાવ્યું હતું.તેણે મનુભાઈને લાલચ આપતા જણાવ્યું હતું કે તેણે અનેક યુવાનોને તલાટીની પરીક્ષામાં નોકરી અપાવી છે અને તે આવાસ યોજનાના મકાનો તેમજ એલ એન્ડ ટી જેવી મોટી કંપનીઓમાં કોન્ટ્રાક્ટ પણ અપાવે છે.મનુભાઈનો પુત્ર સરકારી પરીક્ષાની તૈયારી કરતો હોવાથી, તેઓ આ ઠગની જાળમાં ફસાઈ ગયા હતા. આરોપીએ તલાટીની નોકરી માટે ૯.૫૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. બંને મિત્રોએ પોતપોતાના પુત્રો માટે કુલ ૧૩.૫૦ લાખ રૂપિયા શરૂઆતમાં ચૂકવ્યા હતા. ત્યારબાદ આરોપીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં સીધી નોકરી અપાવવાના બહાને વધુ ૫.૫૦ લાખ અને એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટ અપાવવાના નામે ૮.૫૯ લાખ રૂપિયા પડાવ્યા હતા. આમ, ટુકડે-ટુકડે કુલ ૪૦ લાખ રૂપિયા લીધા બાદ પણ કોઈ નોકરી કે કોન્ટ્રાક્ટ અપાવ્યો નહોતો.શંકા જતાં મનુભાઈએ સચિવાલયમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે રાજેન્દ્ર જેકડિયા નામનો કોઈ વ્યક્તિ ત્યાં નોકરી કરતો નથી. પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું જણાતા મનુભાઈએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, ઓગ્સ્ટ 2026 891   |  
ડાન્સ એકેડેમીના માલિકે કર્મચારીના દસ્તાવેજાે પર રૂપિયા૧.૫ કરોડના બેનામી ટ્રાન્ઝેક્શન કર્યા

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ‘બેનિફિટ ફિલ્મ એકેડમી’ના સંચાલક દંપતીએ પોતાના જ પૂર્વ કર્મચારી સાથે વિશ્વાસઘાત કરી કરોડોના નાણાકીય વ્યવહારો કર્યા હોવાની સનસનાટીભરી ફરિયાદ નોંધાઈ છે.સંચાલકોએ કર્મચારીના પાન કાર્ડનો દુરુપયોગ કરી ૧.૫ કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો કર્યા હતા, જેનો ભાંડો કર્મચારીને ૧.૬૨ કરોડની ઇન્કમ ટેક્સની નોટિસ મળતા ફૂટ્યો હતો.મૂળ શિલજ વિસ્તારમાં રહેતા ૩૯ વર્ષીય પંકજભાઈ કાંતિભાઈ પટેલે નવરંગપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ વર્ષ ૨૦૦૩ થી ૨૦૦૮ દરમિયાન ગિરીશ કોલ્ડ્રિંક્સ પાસે આવેલા રુદ્ર કોમ્પ્લેક્સમાં સ્થિત ‘બેનિફિટ ફિલ્મ એકેડમી’માં ડાન્સ અને કોરિયોગ્રાફીનું કામ કરતા હતા.આ દરમિયાન સંચાલક ભરત પ્રાણલાલ પોપટ અને તેમના પત્ની હર્ષાબેને પંકજભાઈ પાસેથી તેમના પાન કાર્ડ અને અન્ય પુરાવાઓ મેળવ્યા હતા.જાેકે, પંકજભાઈએ ૨૦૦૮માં નોકરી છોડી દીધા બાદ પણ આરોપીઓએ આ દસ્તાવેજાેનો ગેરકાયદેસર ઉપયોગ ચાલુ રાખ્યો હતો.આરોપી દંપતીએ પંકજભાઈની જાણ બહાર સોશિયલ કો-ઓપરેટિવ બેંકની જાેધપુર બ્રાન્ચમાં ખાતું ખોલાવ્યું હતું અને વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૮ દરમિયાન તેમાં અંદાજે ૧.૫ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા.૨૦૧૮માં જ્યારે ઇન્કમ ટેક્સ વિભાગે પંકજભાઈને ૧,૬૨,૦૦,૦૦૦ રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ ફટકારી ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા.બેંકમાં તપાસ કરતા માલુમ પડ્યું કે તેમના નામે બેનામી ખાતા ચાલે છે અને તેમાં મોટાપાયે નાણાકીય હેરફેર કરવામાં આવી છે.આ મામલે ભરત પોપટે લેખિતમાં બાંહેધરી આપી તમામ જવાબદારી સ્વીકારતું નોટરાઈઝ એફિડેવિટ પણ કરી આપ્યું હતું, પરંતુ આજદિન સુધી ટેક્સની નોટિસનું કોઈ નિરાકરણ ન આવતા અંતે પંકજભાઈએ ફરિયાદ નોંધાવી છે.નવરંગપુરા પોલીસે ભરત અને હર્ષા પોપટ વિરુદ્ધ આઈ.પી.સી ૪૦૬ મુજબ વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, ઓગ્સ્ટ 2026 990   |  
વરસાદી પાણીને રોકવા માટે સોસાયટીઓ દ્વારા તકેદારીના પગલાં : રેતીના કોથળાં ભરીને મૂકી દીધાં

અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાં વરસતાં રહ્યાં હતાં..મોડીરાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો હતો ત્યારેબાદ અટકી અટકીને ધોધમાર ઝાપટાં પડ્યા હતાં. જાેકે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે મોડીસાંજે પણ ભારે વરસાદની આગાહી કરી હતી.વરસાદની આગાહી વચ્ચે આજે શાળા કોલેજાેમાં રજા જાહેર કરાઇ હતી. ત્યારે વરસાદના પાણીથી બચવા માટે અને ઘરોમાં અને સોસાયટીઓમાં પાણી ન ભરાય તે માટે સોસાયટીના રહીશો માટે વેજલપુરની શ્રીનંદ નગર સોસાયટીમાં પાણીને મોકવા માટે રેતી ભરેલા પ્લાસ્ટિકના કોથળાં ગોઠવી દેવાયા હતા. આ ઉપરાંત ભારે વરસાદના પગલે અમદાવાદની નર્મદા કેનાલની રેલિગ તૂટી જતાં તેને તાત્કાલિક અસરથી રિપેર કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વાહનચાલકો ફસાયા હતા.સાબરમતીમાં પાણીની આવક યથાવત, સંત સરોવરના ૧૦ ગેટ ખોલાયા, ૧,૩૮૦ ક્યુસેક પાણીની આવક થઇ રાજ્યમાં સતત વરસાદ અને ઉત્તર તેમજ મધ્ય ગુજરાતના કેચમેન્ટ વિસ્તારોમાં વરસી રહેલા ભારે વરસાદની અસર હવે સાબરમતી નદી પર પણ સ્પષ્ટ દેખાવા લાગી છે. ગાંધીનગર નજીક આવેલા સંત સરોવરમાં પાણીની આવક સતત યથાવત રહેતાં જળસંગ્રહનું સ્તર નિયંત્રિત રાખવા માટે તંત્ર દ્વારા સંત સરોવરના ૧૦ ગેટ ખોલી દેવામાં આવ્યા છે.હાલમાં સંત સરોવરમાં ૧,૩૮૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જ્યારે એટલું જ ૧,૩૮૦ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક અને જાવક સમાન રાખીને ડેમનું જળસ્તર નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે, જેથી ડેમ પર વધારાનો દબાણ ન સર્જાય.ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના વહેણમાં વધારો નોંધાયો છે. જેના પગલે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના નદી કિનારાના ગામો માટે વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદી કિનારે વસતા લોકો તેમજ ખેડૂતોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્ર, સિંચાઈ વિભાગ, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
31, જુલાઈ 2026 1584   |  
આજથી અમદાવાદમાં લગ્ન નોંધણી ઑનલાઈન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના આરોગ્ય ભવન, હેલ્થ જન્મ-મરણ-લગ્ન વિભાગ દ્વારા નાગરિકોને વધુ સરળ, સુરક્ષિત, પારદર્શક અને ડિજિટલ સેવાઓ આપવા માટે એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. એએમસી દ્વારા બ્લોકચેન ટેકનોલોજી ના ઉપયોગથી એક નવી ‘લગ્ન એપ્લિકેશન’ તૈયાર કરવામાં આવી છે, જે આગામી ૧ ઓગસ્ટ ૨૦૨૬ થી કોર્પાેરેશનની સત્તાવાર વેબસાઈટ પર કાર્યરત થઈ જશે. જેથી હવે મેરેજ રજિસ્ટ્રેશન માટે દસ્તાવેજની જેમ ટોકન લેવાનું રહેશે, ટોકનની તારીખે રજિસ્ટ્રાર પાસે જવું પડશે.કોર્પાેરેશનના અધિક આરોગ્ય અધિકારી અને અને રજિસ્ટ્રાર (જન્મ-મરણ-લગ્ન) દ્વારા ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ એક ઓફિસ સરક્યુલર જારી કરીને તમામ ૪૮ ઇલેક્શન વોર્ડના સબ રજિસ્ટ્રારોને તાત્કાલિક ધોરણે નવી વ્યવસ્થાનો અમલ કરવા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. જેમાં ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યા પછી લગ્ન પ્રમાણપત્ર માટે અરજદારો પાસેથી નવી અરજીઓ લેવામાં આવશે નહીં કે કોઈ લગ્નની નોંધણી કરવામાં આવશે નહીં. ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૪:૦૦ વાગ્યા સુધીમાં રજિસ્ટરમાં નોંધાયેલા છેલ્લા લગ્ન નોંધણી નંબરની વિગત હેડ ઓફિસને મોકલી આપવાની રહેશે. નવા મોડ્યુલમાં તે પછીના સિરીયલ નંબરથી જ નોંધણી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે. સિસ્ટમ અપગ્રેડેશન અને નવી ટેકનોલોજીના સેટઅપ માટે ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ  તમામ વોર્ડ ઓફિસો ખાતે લગ્ન નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. નવા પરિપત્ર મુજબ દરેક વોર્ડ સબ રજિસ્ટ્રારે હેડ ઓફિસથી માર્ગદર્શન બોર્ડ/સાઈન બોર્ડ મેળવીને પોતાની વોર્ડ ઓફિસ અને ઝોન ઓફિસ ખાતે નાગરિકોની જાણકારી માટે પ્રદર્શિત કરવાના રહેશે. તમામ સબ રજિસ્ટ્રારોને યુઝર આઈડી અને પાસવર્ડ આપી દેવામાં આવ્યા છે અને ગોપનીયતા જાળવવા માટે પાસવર્ડ તાત્કાલિક બદલી નાખવા આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી માઈક્રોટેક સોફ્ટવેર દ્વારા ઓનલાઈન લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવતા હતા, પરંતુ હવે બ્લોકચેન ટેકનોલોજી આધારિત નવી સિસ્ટમ અમલમાં આવતા લગ્ન રજિસ્ટ્રેશનની કામગીરી વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાસભર બનશે.આ અંગે હરસિદ્ધિ મેરેજ હોલ ચલાવતા જતીન મહેન્દ્ર કુમાર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા બ્લોકચેન ટેકનોલોજી આધારિત નવું મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરવાનો ર્નિણય ખૂબ જ આવકારદાયક છે. એક મેરેજ બ્યુરો ચલાવતા હોવાના નાતે અમારે દરરોજ અનેક નવયુગલોને લગ્ન નોંધણી અને પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં માર્ગદર્શન આપવું પડતું હોય છે. જૂની સિસ્ટમમાં ઘણીવાર વિલંબ અને ટેકનિકલ ખામીઓનો સામનો કરવો પડતો હતો. બ્લોકચેન ટેકનોલોજીના ઉપયોગથી આખી પ્રક્રિયા વધુ પારદર્શક, ઝડપી અને સુરક્ષિત બનશે, જેનાથી બોગસ રજિસ્ટ્રેશન અટકશે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો

લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, ઓગ્સ્ટ 2026 1089   |  
ત્રણ લાખ રૂપિયા લઇને લગ્ન કરનાર યુવતી સાતમાં દિવસે પિયર ગયા બાદ લાપતાં

ત્રણ લાખ રૂપિયા આપી લગ્ન કરાયા હતાં એ વલસાડની યુવતી સાત દિવસમાં જ પિયર ગયા બાદ ગાયબ થઇ જતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. ઉત્રાણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વેલંજા સ્થિત સૌરાષ્ટ્ર ગ્રીનસિટીમાં રહેતાં રવિ નટવરભાઇ રાવ એમ્બ્રોઇડરી ડીઝાઇનનું કામ કરે છે. જુનાગઢના કેશોદ તાલુકાનો વતની રવિ ૩૮ વર્ષનો થઇ જવા છતાં સમાજમાં લગ્ન માટે કન્યા મળી ન હતી.જેથી રવિએ તેના સંબંધી મિત્રોને લગ્ન લાયક કન્યા હોય તો કહેવા જણાવ્યું હતું. દરમિયાન રવિ જે કારખાનામાં કામ કરે છે એ શેઠનાં કાકા કેયુર પટેલે એક વર્ષ પહેલા તેની મુલાાકાત સરોજબેન સાથે કરાવી હતી. સરોજબેને તેને અલગ-અલગ છોકરીઓના ફોટા બતાવ્યા પરંતુ લગ્નનો મેળ પડ્યો ન હતો. ત્યારબાદ તેણીએ રવિની મુલાકાત સુનિલભાઇ સાથે કરાવી હતી. સુનિલે એકાદ મહિના પહેલા રવિનો સંપર્ક સંગીતા રાજુભાઇ પટેલ (રહે. નિશાળ ફળીયુ, ગામ-નાના પોઢા, તા.કપરાડા, જી.વલસાડ) સાથે કરાવ્યો હતો. સંગીતાએ તેણીનાં પરિચિત રાહુલ પટેલની સાળી રેશ્મા લગ્નને લાયક હોવાની વાત કરી હતી.ત્યારબાદ ૧૨ જુલાઈ, ૨૦૨૬નાં રોજ સંગીતા, રાહુલ, તેમની પત્ની અનિલા અને સાળી રેશ્મા રવિના ઘરે આવ્યા હતાં. અહીં થયેલી મીટિંગમાં રવિ અને તેના પરિવારને રેશ્મા પસંદ આવી અને પછી લગ્નની વાત આગળ વધારાઇ હતી. જેમાં રાહુલ અને સંગીતાને જણાવ્યું હતું કે, અમે રેશ્મા સાથે તમારા લગ્ન કરાવી આપીશુ પરંતુ તમારે અમને કમિશન પેટે ત્રણ લાખ રૂપિયા આપવા પડશે. સારી કન્યા સાથે લગ્ન થતાં હોય રવિ અને તેના પરિવારે ૦૩ લાખ આપવાની તૈયારી બતાવી હતી. પૈસા મળતા હોય રાહુલ અને સંગીતાએ બે દિવસમાં જ લગ્ન કરાવી દઈશું એમ કહી વિદાય લીધી હતી. બાદમાં તેઓ ૧૪મી તારીખે પાછા આવ્યા અને વરાછાજુની શક્તિ વિજય સોસાયટીનાં લોકનાથ મહાદેવ મંદિરમાં રવિ અને રેશ્માના લગ્ન કરાવાયા હતાં. જેની નોંધણી મહાનગર પાલિકાના વરાછા-બી ઝોન ખાતે કરાવાઇ હતી. બાદમાં રવિના બનેવી હિતેશે રાહુલને ૨.૭૫ લાખ અને સંગીતાને ૧૫ હજાર રૂપિયા આપ્યા હતાં. લગ્ન બાદ ૧૬મી તારીખે રવિ પત્ની રેશ્માને વતન કેશોદમાં માતાજીનાં દર્શને લઈ ગયો હતો. જ્યાંથી ૧૯મી તારીખે તેઓ પરત આવ્યા હતાં. ૨૦મી તારીખે સવારે રેશ્માએ રવિને કહ્યું હતું કે, મારી મમ્મીની તબિયત સારી નથી, મારે ખબર પૂછવા જવું છે. તમે મને મુકવા આવો. જેથી રવિ તેની કારમાં મિત્ર કમલેશ રાઠોડ સાથે રેશ્માને વલસાડ લઇ ગયો હગતો. જ્યાં રાહુલ અને સંગીતા બંને મળ્યા હતાં. તેમણે રેશ્માને થોડા દિવસ અહીં રહેવા દો એમ કહેતાં રવિ પરત આવી ગયો હતો. બીજા દિવસે રવિએ રેશ્માને કોલ કર્યો તો તેણે સરખી વાત કરી ન હતી. તેણીએ મારે તમારી સાથે નહીં રહેવું એમ કહેતાં રવિએ કારણ પૂછ્યું હતું, જાે કે યોગ્ય જવાબ નહીં આપનારી રેશ્માએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી રવિએ રાહુલ અને સંગીતાનો સંપર્ક કર્યો હતો. જાેકે, તેઓએ પણ ગલ્લાંતલ્લાં સાથે ઉડાઉ જવાબ આપ્યા હતા. બાદમાં તેમને ફોન પણ બંધ થઇ જતા રવિને પોતાની સાથે ચીટીંગ કરાયાનો અહેસાસ થયો હતો. આથી તેણે ઉત્રાણ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, ઓગ્સ્ટ 2026 1287   |  
કિરણ હોસ્પિટલનાં મહિલા તબીબનાં દીકરાનું વેસુની ગોયેન્કા સ્કૂલ સામેથી અપહરણ

કિરણ હોસ્પિટલમાં ડર્મેટોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. નંદિતા પટેલનાં ચાર વર્ષનાં દીકરાનું અલગ રહેતા પતિએ જી. ડી. ગોયેન્કા સ્કુલનાં દરવાજેથી અપહરણ કર્યું હતું. નાની અને કેરટેકરને ધાક ધમકી આપી અથર્વને બળબજરીથી ખેંચી જનાર ઇશાન તથા તેને સપોર્ટ કરનાર તેના માતા-પિતા સામે ડો.નંદિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વેસુ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પીપલોદ સ્થિત આશીર્વાદ બંગલોમાં ડો.નંદિતા તેમના પિતા ક્રિષ્નગોપાલ પટેલ સાથે રહે છે. કિરણ હોસ્પિટલમાં ડર્મેટોલોજિસ્ટ તરીકે નોકરી કરતી નંદિતાનાં લગ્ન જુલાઇ ૨૦૨૧માં ઇશાન દુષ્યંત પટેલ (રહે.૧૦૦૨, રસીકવિલા એપાર્ટમેન્ટ, વાસ્તુગ્રામ બિલ્ડિંગની સામે, વેસુ) સાથે થયાં હતાં. લગ્ન બાદ નંદિતા સાસરે પતિ અને સાસુ રોહિણીબેન અને સસરા દુષ્યંતભાઇ સાથે રહેવા માંડી હતી.ઇશાન સાથેના દાંપત્ય જીવનમાં તેમને નવેમ્બર ૨૦૨૨માં એક પૂત્ર થયો હતો, જેનું નામ અથર્વ રાખવામાં આવ્યું હતું. લગ્નના થોડા સમય બાદથી જ પતિ ઇશાન દ્વારા નંદિતાને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. દરમિયાન ૧ એપ્રિલ, ૨૦૨૪નાં રોજ દીકરા અર્થને સ્કુલ મૂકવા બાબતે ઇશાન અને નંદિતા વચ્ચે મોટો ઝઘડો થયો હતો. જેમાં ઇશાને નંદિતાને દીકરા સાથે પહેરેલા કપડે કાઢી મૂકી હતી. દીકરા સાથે પિયરમાં રહેતી નંદિતા દ્વારા પતિ ઇશાન વિરૂદ્ધ છુટાછેડાની દાવા અરજી તથા ઘરેલુ હિંસા અંગે ફોજદારી કેસ કર્યો હતો, જે તમામ લીટીગેશન હાલ પેન્ડિંગ છે. નંદિતાએ દીકરા અથર્વને એપ્રિલ-૨૦૨૫થી જી. ડી. ગોયેન્કા ઇન્ટરનેશનલ સ્કુલમાં પ્લેગૃપમાં એડમિશન અપાવ્યું હતું, જેને શાળાએથી મૂકવા અને લાવવાનું કામ નંદીતાના માતા-પિતા તથા કેરટેકર સોનલ કરતા આવ્યા છે. ૨૯મી જુલાઇ ૨૦૨૬ ના રોજ બપોરે એક વાગ્યે અથર્વને શાળાએ લેવા માટે નંદિતાની માતા દક્ષાબેન તથા કેરટેકર સોનલ ગઇ હતી. જ્યાંથી દક્ષાબેને નંદીતાને કોલ કરી જણાવ્યું હતું કે, હું શાળાની બહાર ગાડી પાસે હતી અને સોનલ અથર્વને શાળામાંથી લઇને બહાર આવી હતી. એ વખતે અચાનક ઈશાન આવી ગયો હતો. તેણે અથર્વને બળજબરીપૂર્વક ખેંચી લીધો હતો. નાની અને કેરટેકરને ધાક ધમકી આપી ઇશાન માસૂમ અથર્વને બળજબરીથી પોતાની સાથે લઇ અર્ટિગા કારમાં જતો રહ્યો હતો. આ કોલ બાદ ડો. નંદિતા કિરણ હોસ્પિટલથી નીકળી જી. ડી. ગોયેન્કા સ્કૂલ પહોંચી હતી. જ્યાંથી તેણીએ પતિ ઇશાન તથા તેના માતા-પિતાનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ તમામના મોબાઈલ બંધ આવતાં હતાં. ઇશાન અને તેના માતા-પિતા માસૂમ અથર્વને લઇ ક્યાંક ભાગી ગયાનું જણાતાં નંદિતાએ પોલીસનો સંપર્ક કરી અપહરણની ફરિયાદ નોંધાવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, ઓગ્સ્ટ 2026 1089   |  
પાસોદરામાં કારની ટક્કરે ૭ વર્ષની બાળકીનું મોત

પાસોદરા પાટીયા સ્થિત સૌરાષ્ટ્ર ટાઉનશિપમાં ગઈ રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ૭ વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સોસાયટીના આંતરિક માર્ગ પર રમી રહેલી બાળકીને મહિન્દ્રા મરાઝો કારની ટક્કર વાગતાં તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું.પાસોદરા પાટીયા સ્થિત સૌરાષ્ટ્ર ટાઉનશિપ વિભાગ-૧માં રહેતા ૩ વર્ષીય સંજય ધીરૂ બોરડ હીરા ઉદ્યોગમાં મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રે તેમની ૭ વર્ષીય પુત્રી જન્નત સોસાયટીના માર્ગ પર અન્ય બાળકો સાથે રમી રહી હતી. તે દરમિયાન સૌરાષ્ટ્ર ટાઉનશિપમાં રહેતા ૩૫ વર્ષીય અજય નરસિંહ પોશીયા મહિન્દ્રા મરાઝો કાર લઈને પસાર થઈ રહ્યા હતા. તેમણે બેદરકારી અને ગફલતભરી રીતે કાર હંકારી જન્નતને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં જન્નતનાં માથામાં ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે ગ્લોબલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, ઓગ્સ્ટ 2026 1089   |  
લેબગ્રોન ડાયમંડનાં ગ્રેડિંગ અને સર્ટિફિકેશનમાં વિદેશી લેબોરેટરીઓને વધુ કમાણી

વિશ્વનાં લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન અને નિકાસનું સૌથી મોટું હબ ગણાતા સુરત સહિત ભારતમાં આજે એક એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે, હીરા તૈયાર કરવામાં થતી મજૂરી કરતાં વધુ રકમ વિદેશી લેબોરેટરીઓ ગ્રેડિંગ અને સર્ટિફિકેશન માટે વસૂલી રહી છે. જેના કારણે દર વર્ષે કરોડો રૂપિયાનું મૂલ્યવર્ધન વિદેશી કંપનીઓ પાસે પહોંચી રહ્યું છે અને ઉદ્યોગમાં તેને ગંભીર મુદ્દા તરીકે જાેવામાં આવી રહ્યું છે.લેબગ્રોન હીરાનાં સર્ટિફિકેશન માટે હજુ પણ મોટાભાગનાં ઉત્પાદકો ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યુટ સહિતની વિદેશી લેબોરેટરીઓ ઉપર ર્નિભર છે. છેલ્લા કેટલાક સમયથી આ લેબોરેટરીઓ દ્વારા સર્ટિફિકેશન ફીમાં સતત વધારો કરવામાં આવતા સુરતનાં ઉત્પાદકો પર વધારાનો ખર્ચ આવી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે સરકાર માન્ય ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યુટે પણ લેબગ્રોન ડાયમંડનાં ગ્રેડિંગ અને સર્ટિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે. ઉદ્યોગનું માનવું છે કે સ્થાનિક સ્તરે સર્ટિફિકેશનને પ્રોત્સાહન મળશે તો વિદેશી લેબ્સ પરની ર્નિભરતા ઘટશે અને સર્ટિફિકેશનથી સર્જાતું મૂલ્ય દેશમાં જ રહેશે. આ દરમિયાન ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યુટનાં નાણાંકીય પરિણામોએ પણ લેબગ્રોન સર્ટિફિકેશનનાં વધતા વ્યવસાય પર પ્રકાશ પાડ્યો છે. નાણાંકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક ૨૩ ટકા વધીને રૂ. ૩.૭ અબજ પર પહોંચી છે, જ્યારે ઈબીઆઇટીડીએ ૨૯ ટકા વધીને રૂ. ૨.૨ અબજ થયો છે. કંપનીની કુલ આવકમાંથી ૫૮.૨ ટકા હિસ્સો લેબગ્રોન હીરાનાં સર્ટિફિકેશન અને ૭.૮ ટકા હિસ્સો લેબગ્રોન જ્વેલરીમાંથી મળીને કુલ ૬૬ ટકા આવક લેબગ્રોન સેગમેન્ટમાંથી આવે છે. ઉદ્યોગનાં જાણકારોનાં મતે આ આંકડા દર્શાવે છે કે સુરતમાં બનતા લેબગ્રોન હીરામાંથી ઉત્પાદન જેટલી જ નહીં, પરંતુ તેનાથી પણ વધુ મૂલ્યવર્ધન હવે સર્ટિફિકેશનનાં વ્યવસાયમાં થઈ રહ્યું છે. સ્વદેશી લેબ અપનાવશો તો હજારો કરોડ દેશમાં જ રહેશે લેબગ્રોન ડાયમંડનાં સર્ટિફિકેશન માટે હાલમાં દર વર્ષે અંદાજે રૂ. ૬,૦૦૦ કરોડથી વધુની રકમ વિદેશી લેબોરેટરીઓ સુધી પહોંચે છે. આ નાણાં દેશમાં જ રહે તે માટે ભારત સરકાર માન્ય ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યુટ જેવી સ્વદેશી લેબનો વધુ ઉપયોગ કરવો જાેઈએ. આઇડીઆઇ પાસે લેબગ્રોન ડાયમંડનું સર્ટિફિકેશન અને ગ્રેડિંગ કરવાની સક્ષમ સુવિધા ઉપલબ્ધ છે. જાે ઉદ્યોગકારો સરકાર માન્ય ભારતીય લેબને પ્રાથમિકતા આપશે તો વિદેશી કંપનીઓ પરની ર્નિભરતા ઘટશે, દેશનું મૂલ્યવાન વિદેશી હુંડિયામણ બચશે અને ભારત સર્ટિફિકેશન ક્ષેત્રે પણ વધુ આર્ત્મનિભર બનશે. - જયંતિ સાવલિયા, પ્રમુખ, જીજેઇપીસી


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution