ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 6039   |  
સોલાર કંપનીનાં ચેનલ પાર્ટનર બનાવવાનું કહીને ખેડૂત સાથે પાંચ લાખની છેતરપિંડી

ગીર સોમનાથનાં ખેડૂતને સોલાક કંપનીનાં ચેનલ પાર્ટનર બનાવવા સાથે સોલાર સંબંધિત સામાન પુરો પાડી વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવાની વાતમાં ફસાવી પાંચ લાખ પડાવી લેનાર ડિરેક્ટર અને મેનેજર સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.ગોડાદરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ગીર સોમનાથનાં ઉના તાલુકાના જશરાજ નગરના વતની પ્રતાપભાઈ ભાણાભાઈ મોરી વ્યવસાયે ખેડૂત છે. ગત ડિસેમ્બર ૨૦૨૫માં મોરીએ સોશિયલ મીડીયામા સનરૂટ એનર્જી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જાહેરાત જોઈ હતી. ચેનલ પાર્ટનર બનવાની ઓફર કરતી આ જાહેરાત સાથે અપાયેલા નંબર ઉપર મોરીએ કોલ કર્યો હતો. જેમાં વિવેક મિશ્રાએ વાત કરતાં જણાવ્યું હતું કે, અમે તમને સોલાર કંપનીના ચેનલ પાર્ટનર બનાવીશું. સાથે જ ડિસ્ટ્રીબ્યુટર તરીકે એજન્સી આપી ધંધો સેટ કરવામાં તમામ મદદ કરીશું.મોરીને સોલારનાં ધંધામાં રસ હોવાથી તે જાન્યુઆરી ૨૦૨૬માં સુરત આવ્યો હતો. ગોડાદરા વિસ્તારના કેપિટલ સ્ક્વેરમાં આવેલી સનરૂટ એનર્જી સોલ્યુશન કંપનીની ઓફિસમાં તેઓ ગયા હતાં. જ્યાં વિવેક મિશ્રા મળ્યા અને મોરીની મુલાકાત ટીમ મેનેજર આયુષ ઉપાધ્યાય સાથે કરાવી હતી. આ બંનેએ જણાવ્યું હતું કે, તમે ચેનલ પાર્ટનર બનશો તો સોલાર સંબંધિત તમામ સામાન ડિસ્પ્લે માટે આપવામાં આવશે. સાથે વ્યવસાય શરૂ કરાવવામાં સંપૂર્ણ મદદ પણ કરાશે. જે માટે પાંચ લાખ રૂપિયા કંપનીમાં જમા કરાવવા પડશે. પેમેન્ટ થયા બાદ સોલાર રૂફટોપ, સોલાર કેમેરા, સોલાર સ્ટ્રીટ લાઈટ વગેરેનો સામાન તેમજ બ્રાન્ડિંગ મટીરિયલ પહોંચાડવાની બાંહેધરી પણ તેમણે આપી હતી. આ વાતમાં વિશ્વાસ મૂકી મોરીએ તેમને પાંચમી જાન્યુઆરીએ પાંચ લાખ રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ તેઓ ઓનલાઇન ટ્રેનિંગ આપવાની તથા ટૂંક સમયમાં બ્રાન્ડિંગ મટીરીયલ અને અન્ય સામાન મોકલવાની ખાતરી આપતા રહ્યા હતાં. જો કે, તેઓએ એક પણ વાત અમલમાં મૂકી ન હતી. ત્રણેક મહિના બાદ મિશ્રા અને ઉપાધ્યાયે મોરીનાં કોલ રીસિવ કરવા પણ બંધ કરી દીધા હતા. પાંચ લાખ રૂપિયા લઇ સોલારના ધંધા માટે સરસામાન નહીં અપાતાં મોરી ફરીથી સુરત તપાસ કરવા આવ્યા હતા. જેમાં આ કંપનીની ઓફિસ ૩૧ માર્ચથી બંધ કરી દેવાયાનું જાણવા મળ્યું હતું. જેથી મોરીએ આયુષ ઉપાધ્યાય અને વિવેક મિશ્રા ઉપરાંત કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર વિનિતા મુર્ગેશ પડયાસી તથા ર્હષિતા રજ્જનસિંગ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
27, જુલાઈ 2026 27819   |  
વેચાણ માટે લીધેલા હીરાનું ૭૪.૮૭ લાખ પેમેન્ટ નહીં ચૂકવી કતારગામની કંપની સાથે છેતરપિંડી

આડતથી વેચાણ માટે ૭૪.૮૭ લાખનાં હીરા લઇ ગયા બાદ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપનાર રિદ્ધિ ડાયમંડ તથા રિદ્ધિ સિદ્ધિ ડાયમંડ નામે ધંધો કરતા માંગુકિયા પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી અનુસાર સિંગણપોર ચાર રસ્તા પાસે રાજદીપનગરમાં રહેતા ચિરાગ ડુંગરશીભાઈ સવાણી હીરાનો વેપાર કરે છે. ભાવનગરનાં વલ્લભીપુર તાલુકાનાં વતની ચિરાગ કતારગામ અમરોલી રોડ ઉપર “સી. જેનીલ કુમાર એન્ડ કુ." નામથી વિશાલ સવાણી અને ડાહ્યાભાઇ સવાણી સાથે કુદરતી હિરાનું મેન્યુફેકચરિંગ તેમજ ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનું કામકાજ કરે છે. ચિરાગ પાંચ છ વર્ષ પહેલા ગૌરાંગ લાખાભાઇ માંગુકિયા સાથે હીરા વેચાણનું કામ કરતો હતો. ત્યારબાદ ગૌરાંગ હોંગકોંગ જઇ રિદ્ધિ સિદ્ધિ ડાયંમડ નામથી વેપાર કરવા માંડ્યો હતો. ગૌરાંગ માંગુકિયા એ વોટ્સએપથી ચિરાગ સવાણીનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, મારા પરિવારનાં અરવિંદભાઈ, ઉમંગ તથા કાનજી મુંબઈ અને સુરત મુકામે રિદ્ધિ ડાયમંડ નામથી ધંધો કરે છે. તેઓની જરૂરિયાત અનુસારનો માલ તારી પાસે હોય તો તેમને આપજે. એ માલ હું હોંગકોંગમાં વેચી પેમેન્ટ કરાવી આપીશ. પેમેન્ટની જવાબદારી લેવા સાથે ગૌરાંગે ૩% આડત આપવાની શરત પણ મૂકી હતી. ત્યારબાદ અરવિંદ માંગુકીયાએ ચિરાગને ફેક્ટરીએ મળવા ગયા હતાં. તેમણે કટ એન્ડ પોલીશ્ડ હીરાની ડિમાન્ડ કરી હતી. એ સમયે સવાણી પાસે હતો એ માલ બતાવ્યો હતો. માંગુકિયાએ ૨૪૯.૨૨૦ કેરેટ હીરા પસંદ કર્યા હતા. ૭૪,૮૬,૫૬૮ રૂપિયા કિંમતનાં હીરા ૧૨ ઓગષ્ટ, ૨૦૨૪નાં રોજ અરવિંદને જાંગડ પર અપાયા હતાં.  ત્યારબાદ પણ ધણો સમય વીતી જવા છતા અરવિંદે હીરા બાબતે કોઇ જવાબ આપ્યો ન હતો. દરેક કોલમાં અલગ અલગ બાહાના બનાવી તેઓ સમય પસાર કરતાં રહ્યાં હતાં. જેથી સવાણીએ ગૌરાંગનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જેમાં ગૌરાંગે ઉશ્કેરાઇ જઇ મે કે મારા કારાએ આવો કોઇ માલ ખરીદ્યો નથી, કે આડતથી વેચાણ માટે લીધો નથી એમ કહેતાં સવાણી આઘાત પામ્યો હતો. ત્યારબાદ ચિરાગનાં પિતા ડુંગરશીભાઇ તથા મુંબઈ ઓફિસમાં સેલ્સ વિભાગ સંભાળતા રાકેશ કાજાવદરા ૭૪.૮૭ લાખની ઉઘરાણી માટે રિદ્ધિ ડાયમંડ અને રિદ્ધિ સિદ્ધિ ડાયમંડનાં પાર્ટનર કાનજી તથા ઉમંગ પાસે ગયા હતાં. તેઓએ પણ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપી હતી. જેથી ચિરાગ સવાણીએ આખરે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 43065   |  
ભાવનગરના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમમાં મોટી તકનીકી ઘટના સામે આવી છે. ડેમના ૧૫ નંબરના ગેટને સંચાલિત કરતો મુખ્ય વાયર (રેસો) તૂટી જતાં ગેટ નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ અનિયંત્રિત રીતે નદીમાં છોડાવા લાગ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.માહિતી અનુસાર, ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે ગેટમાં ખામી સર્જાતા તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. ગેટને થયેલા નુકસાનને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.જિલ્લા પ્રશાસને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ સહિત શિહોર તાલુકાના ભાણગઢ ગામના લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે.વહીવટીતંત્રે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પૂર જાેવા, ફોટા કે સેલ્ફી લેવા માટે નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 42372   |  
બાળકને ગિરનારની સીડીઓ પરથી સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષ મળ્યા

વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કરી તેને સીડીઓ પરથી જ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. પરિવારજનો અને યાત્રિકોની નજર સામે બનેલી આ ઘટનાએ ભય અને અરેરાટીનો માહોલ સર્જ્યો હતો. બાદમાં વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ કલાકો સુધી શોધખોળ કર્યા બાદ જંગલમાંથી બાળકના અવશેષો કબજે લીધા હતા.છેલ્લા ૨૫ દિવસમાં માણસ પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું સામે આવતા ગિરનાર સહિત સિંહોના રહેણાંક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.પરિવારની આંખો સામે સિંહ બાળકને ખેંચી ગયોમહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. પરિવાર વહેલી સવારે દર્શન માટે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. ગેટથી અંદાજે ૫૦ જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળ ચાલતા બાળક મયુરસિંહ પર ઝંપલાવ્યું હતું.બાળક પોતાના કાકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો, પરંતુ સિંહ હુમલો કરીને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. વન રાજ્યમંત્રી પ્રવીણ માળી : ગિરનારમાં માનવ પર સિંહના હુમલાની પ્રથમ ઘટના ગિરનાર પર્વત પર ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની આ પ્રથમ ઘટના છે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.વનમંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ શંકાસ્પદ સિંહોને બેભાન કરીને પકડી લેવામાં આવ્યા છે.હાલ ત્રણેય સિંહોને વૈજ્ઞાનિક અને પશુચિકિત્સકીય તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.પ્રવીણ માળીએ સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોના વર્તનમાં આવી રહેલા ફેરફારોનું વૈજ્ઞાનિક કારણ જાણવા માટે વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને વિશેષ અભ્યાસ સોંપવામાં આવ્યો છે.સિંહોની પ્રકૃતિમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, માનવ વસાહતો તરફ તેમની અવરજવર શા માટે વધી રહી છે અને હુમલાઓ પાછળના કારણો શું છે, તે મુદ્દાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે..


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 2079   |  
૧૨૪ કરોડના ફિલ્ટરેશન પ્લાન્ટની પાઇપો ૪ વર્ષથી કાટ ખાતી હાલતમાં

કરમસદ આણંદ મનપા દ્વારા મનપામાં ચાર ગ્રામ વિસ્તારના સમાવેશ કરવામાં આવતાં આ વિસ્તારમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરી નલસેજલ યોજના સફળ બનાવવા ૮૦ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના આયોજન કરવામાં આવ્યાં છે.પરંતુ ખાટલે મોટી ખોડ એછેકે છેલ્લા ચાર વર્ષથી મનપાની ૧૨૪ કરોડની મહિસાગરથી પાણી લાવી ઉભા કરવામાં આવેલ ફિલ્ટરેશન પ્લાન્ટ નિર્માણ ડચકાં ખાતા સરકારી વિભાગના પાઇપલાઇન નાખવા પર અડીંગો કરતાં કાટ ચઢી જતાં તેના ઉકેલ લાવવા વિદ્યાડેરી વિસ્તારના સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર કરમસદ આણંદ મનપામાં ચાર ગ્રામ વિસ્તારના સમાવેશ કરવામાં આવતાં સદર વિસ્તારમાં સરકારની નલસેજલ યોજના સફળ બનાવવા ૮૦ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના આયોજન હાથ ધરવામાં આવતાં વર્ષ ૨૦૨૨મા રાજ્ય સરકાર દ્વારા આણંદ ની પ્રજાને પૂરતું પાણી ઉપલબ્ધ થઇ શકે તેવા આશયથી મહિસાગર થી પાઇપલાઇન દ્વારા ફિલ્ટરેશન પ્લાન્ટ ખાતે પાણીનું શુદ્ધિકરણ કરી પહોંચાડવા માટે ૧૨૪ કરોડના પ્રોજેક્ટ ને મંજૂરી આપતાં વડોદરાની એજન્સી દ્વારા નિમૉણ કામગીરી હાથ ધરતાં છેલ્લા ચાર વર્ષથી પાઇપલાઇન નાખવાના મુદ્દે સરકારી વિભાગના અડિંગો ના કારણે નિમૉણ ડચકાં ખાતા પાઇપોને કાટ ચઢતાં તેના ઉકેલ લાવવા વિદ્યાડેરી વિસ્તારના સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.૧૯૯૫ માં ભાજપે રાજ્ય માં સત્તા હસ્તે કરતાં ગોકુળીયુ ગામ ની યોજના અમલમાં મૂકી હતી.જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચ કરી ગોકુળીયુ ગામ યોજના સફળ બનાવવામાં આવી હોય તો કરમસદ આણંદ મનપામાં ચાર ગ્રામ વિસ્તારના સમાવેશ બાદ તાજેતરમાં મનપા દ્વારા સદર વિસ્તારમાં ૮૦ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના આયોજન કરતાં જાે ગોકુળીયુ ગામ માટે રાજ્ય સરકારે અઢળક નાણાં ખર્ચ્યા હોય તો મનપા દ્વારા કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના આયોજન કેમ? શું આ ચાર ગ્રામ વિસ્તારમાં ગોકુળીયુ ગામ યોજના કાગળ પર હતી?ના સવાલ પૂર્વ વિપક્ષ નેતા અને કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યાનું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, ઓગ્સ્ટ 2026 2772   |  
વડોદરાની આગવી ઓળખ સમાન સેવ ઉસળ અંગે ખાસ અહેવાલ

સંસ્કારી નગરી વડોદરાના ખોરાકની વાત આવે ત્યારે દરેકના મોંમાં પાણી આવી જાય. વડોદરાના લોકોના પ્રિય નાસ્તાની વાત કરીએ તો સેવ ઉસળનું નામ સૌથી પહેલાં આવે છે. વડોદરાવાસીઓ માટે સેવ ઉસળ માત્ર એક વાનગી નથી પરંતુ એક ખાસ પસંદગી છે. પ્રતિદિન વડોદરામાં લાખો રૂપિયાનું સેવ ઉસળ લોકો ચટાકાથી આરોગે છે. પરંતુ, શું આ સ્વાદિષ્ટ સેવ ઉસળ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય છે? સેવ ઉસળના આ સ્વાદ અને સ્વાસ્થ્યના ગણિત અંગે વડોદરાના જાણીતા ડોક્ટર દર્શન બેંકરે એક ખાસ વિડીયો દ્વારા મહત્વપૂર્ણ સલાહ આપી છે. આવો જોઈએ આ ખાસ રિપોર્ટ...


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, ઓગ્સ્ટ 2026 2970   |  
પરિણીતાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ મામલે એફઆઈઆર નોંધાઈ

ખંભાત તાલુકા ભાજપા યુવા મોરચાના કારોબારી સભ્ય અને તેના મિત્ર વિરુદ્ધ ૨૧ વર્ષની પરણિતા પર અવારનવાર દુષ્કર્મ ગુજારવા, અશ્લીલ વીડિયો-ફોટા ઉતારી બ્લેકમેઇલ કરવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ચકચારી ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર ખંભાતના એક ગામમાં રહેતો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલો વિજય રાવજીભાઈ ચૌહાણ જે તાલુકા ભાજપ યુવા મોરચામાં કારોબારી સભ્ય છે. જૂન ૨૦૨૫માં સોશિયલ મીડિયા દ્વારા પીડિત પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો. વાતોના જાળમાં ફસાવી તેણે મહિલા સાથે સંબંધ બાંધ્યા હતા અને વાંધાજનક ફોટા પાડી લીધા હતા. ત્રણેક મહિના બાદ આ બાબતની જાણ પરિણીતાના પરિવારને થતાં સામાજિક પંચ સમક્ષ બેઠક યોજાઈ હતી, જ્યાં વિજયે માફી માંગી તમામ ફોટો-વીડિયો ડિલીટ કરી દેવાની ખાતરી આપી હતી. જાેકે, સંબંધ પૂરો થયા છતાં આરોપીએ ફોટો-વીડિયો ડિલીટ કર્યા નહોતા. ગત જાન્યુઆરી મહિનામાં સીવણકામ માટે જતી વેળાએ આરોપીએ રસ્તો રોકી, અશ્લીલ સામગ્રી વાઈરલ કરવાની ધમકી આપી પરણિતાને ગેસ્ટ હાઉસ ખાતે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપીએ પોતાના મિત્ર કિરણ જાદવને પણ સામેલ કર્યો હતો. બંનેએ ગેસ્ટ હાઉસમાં વારાફરતી દુષ્કર્મ આચરી તેના વીડિયો શૂટ કરી લીધા હતા અને આ વીડિયોના આધારે પીડિતાને સતત બ્લેકમેઇલ કરતા હતા. એટલું જ નહીં, આરોપીઓએ પરિણીતાને તેના પતિ અને સાસરિયાઓને ઘેનની ગોળીઓ આપી દેવા દબાણ કર્યું હતું અને ન કરવા પર પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ પર પણ ગંભીર આક્ષેપ, જીઁ સમક્ષ રજૂઆત બાદ હ્લૈંઇ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પીડિતાએ સમગ્ર આપવીતી પોતાના પતિને જણાવ્યા બાદ ૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી. આક્ષેપ છે કે સ્થાનિક પોલીસે તુરંત કોઈ એફ.આઈ.આર. નોંધી નહોતી અને પીઆઈ પી.એચ. નાયી તથા પીએસઆઈ મકવાણા દ્વારા મહિલા પોલીસની ગેરહાજરીમાં ૯ કલાક સુધી પૂછપરછ કરી સમાધાન માટે દબાણ કરાયું હતું. સ્થાનિક પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આવતા પીડિત પરિવાર જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યો હતો. એસ.પી.ના કડક આદેશ બાદ પોલીસ હરકતમાં આવી હતી.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, ઓગ્સ્ટ 2026 3168   |  
ઘોડાસરમાં ૧૧ ફેક્ટરીઓ સામે ગ્રામજનોનો આક્રોશ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાનું ઘોડાસર ગામ હાલ ભારે વિરોધ અને આક્રોશનું કેન્દ્ર બન્યું છે. ગામમાં આવેલી ૧૧ જેટલી ખાનગી કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવતા વાયુ, જળ અને ધ્વનિ પ્રદૂષણ સામે સરપંચ સહિત ૫,૦૦૦થી વધુ ગ્રામજનોએ એકઠા થઈ મોરચો માંડ્યો છે. ખેડાના મહેમદાવાદ તાલુકાનું ઘોડાસર ગામ હાલ ભારે વિરોધ અને આક્રોશનું કેન્દ્ર બન્યું છે. ગામમાં આવેલી ૧૧ જેટલી પ્રાઇવેટ કંપનીઓ સામે સરપંચ સહિત આખા ગામના લોકોએ મોરચો માંડ્યો છે. ૫,૦૦૦થી વધુ ગ્રામજનોના સ્વાસ્થ્ય સામે મોટું જાેખમ ઊભું થતાં સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ જાેવા મળી રહ્યો છે.ઘોડાસર ગામના લોકોનો ગંભીર આક્ષેપ છે કે આ ૧૧ કંપનીઓ દ્વારા કોઈ પણ જાતના શુદ્ધિકરણ વગર કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણી ખુલ્લામાં તેમજ જમીનમાં છોડવામાં આવી રહ્યું છે. આ પ્રદૂષણને કારણે ગામના કેટલાય બોરવેલના પાણી કાળા પડી ગયા છે. દૂષિત પાણી અને હવામાં ફેલાતા ઝેરી પ્રદૂષણને લીધે ગામલોકો કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓની સપેટમાં આવી રહ્યા છે. સમગ્ર ગામમાં રોગચાળો ફાટી નીકળવાની બીક સેવાઈ રહી છે. માત્ર પ્રદૂષણ જ નહીં, પરંતુ આ એકમો સામે ગ્રામ પંચાયતના બાકી વેરાને લઈને પણ મોટો ખુલાસો થયો છે. આ ૧૧ એકમોનો આશરે ૧.૩૮ કરોડ જેટલો વેરો ગ્રામ પંચાયતમાં બાકી છે. પંચાયત દ્વારા વારંવાર નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં કંપનીના માલિકો દ્વારા ટેક્સ ભરપાઈ કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામના વિકાસકામો પર પણ વિપરીત અસર પડી રહી છે. આ વિવાદમાં એક નવો અને ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગ્રામજનોએ ગામની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ એકમોમાં કામ કરતા મજૂરોમાંથી કેટલાક ગેરકાયદેસર બાંગ્લાદેશી હોઈ શકે છે. કંપનીઓ દ્વારા અહીં કામ કરતા કર્મચારીઓ કે મજૂરોના ઓળખપત્ર કે કોઈ પણ સરકારી દસ્તાવેજ ગ્રામ પંચાયતમાં જમા કરાવવામાં આવ્યા નથી, જેનાથી ગામની સુરક્ષા સામે પણ મોટો સવાલ ઊભો થયો છે. ગામના સરપંચ અને સ્થાનિકોની સ્પષ્ટ માગ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે આ તમામ ૧૧ એકમોની કડક તપાસ કરવામાં આવે, પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરીને તેમને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે અને પંચાયતનો બાકી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે. “ઘોડાસર ગામના ૫,૦૦૦થી વધુ લોકો આજે પોતાના સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ગામની સુરક્ષા માટે લડાઈ લડી રહ્યા છે. એક તરફ કેન્સર જેવી બીમારીનો ભય છે તો બીજી તરફ કરોડો રૂપિયાનો ટેક્સ બાકી હોવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે. હવે જાેવાનું એ રહેશે કે ય્ઁઝ્રમ્ અને સ્થાનિક પ્રશાસન આ ૧૧ એકમો સામે ક્યારે કડક પગલાં ભરે છે.” સરપંચ સહિત ગ્રામજનોની ફરિયાદ અને માંગણી ગામની આસપાસ આવેલી ૧૧થી વધુ કંપનીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવાઈ રહ્યું છે. હવા અને જમીન પ્રદૂષણના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો. કંપનીઓ દ્વારા ગ્રામ પંચાયતનો ૧.૩૮ કરોડથી વધુનો વેરો પણ ભરવામાં આવ્યો નથી. ય્ઁઝ્રમ્ના તમામ નિયમોના ધજાગરા ઉડાડી કંપનીઓ ચાલતી હોવાના ગ્રામજનોના આરોપ. કંપનીના સંચાલકો ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને નોકરી પર રાખતા હોવાના પણ આક્ષેપ. જવાબદાર તંત્ર દ્વારા આ એકમો સામે કાયદેસર કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માગ.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, ઓગ્સ્ટ 2026 2178   |  
બેંક ખાતું અનફ્રીઝ કરવા ૨૫ હજારની લાંચ લેતા બે ઉચ્ચ અધિકારીઓ રંગેહાથ ઝડપાયા

અમદાવાદ શહેરમાં લાંચિયા સરકારી બાબુઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના લાલ દરવાજા સ્થિત રાજ્ય વેરા વિભાગની ઘટક-૬ ની કચેરીમાં ખેડા એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને સપાટો બોલાવ્યો છે. જેમાં સ્ટેટ ટેક્ષ ઓફિસર કમલેશકુમાર ઠાકોર અને રાજ્ય વેરા નિરીક્ષક મોહમંદ અઝીઝ મન્સુરી રૂ. ૨૫,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતાં સરકારી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ફરિયાદીની કંપની દ્વારા જીએસટી રિટર્ન અને નિયમિત ટેક્સ ન ભરાયો હોવાથી વેરા વિભાગ દ્વારા તેમનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ સીઝ થયેલું બેન્ક એકાઉન્ટ ફરી ચાલુ (અનફ્રીઝ) કરવાના બદલામાં બંને અધિકારીઓએ ફરિયાદી પાસે રૂ. ૨૫,૦૦૦ ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક ખેડા એસીબીનો સંપર્ક સાધ્યો હતો.ફરિયાદીની અરજીના આધારે એસીબી દ્વારા લાલ દરવાજા કચેરીમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન બંને અધિકારીઓએ પરસ્પરની સંમતિથી રૂ. ૨૫,૦૦૦ સ્વીકારતા જ ખેડા એસીબીની ટીમે તેઓને દબોચી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, ઓગ્સ્ટ 2026 1980   |  
લાંભા-નારોલની મુસ્કાન બેકરી તેમજ બહેરામપુરાની પ્રિન્સ બેકરીને સીલ કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરની બે જાણીતી બેકરીમાં તપાસ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા કાર્યવાહી કરી છે. લાંભા-નારોલની મુસ્કાન બેકરી અને બહેરામપુરાની પ્રિન્સ બેકરીને સીલ કરવામાં આવી છે. ફૂડ વિભાગની તપાસ દરમિયાન બંને બેકરીમાં સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું. નારોલની મુસ્કાન બેકરી પાસે જરૂરી લાઇસન્સ ન હોવાનું તેમજ બેકરી પ્રોડક્ટ્સ ગંદા વાતાવરણમાં તૈયાર કરવામાં આવતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જ્યારે બહેરામપુરાની પ્રિન્સ બેકરીમાં મેંદાના લોટમાં જીવાત જાેવા મળતાં તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. એએમસી ફૂડ વિભાગની ટીમે નારોલ વિસ્તારમાં વિલ્સમ હોટલ પાછળ ગોલ્ડર પાર્કમાં આવેલી મુસ્કાન બેકરીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેકરી પાસે જરૂરી લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના નિયમોનું પાલન થતું ન હોવાનું અને બેકરી પ્રોડક્ટ્સ અનહાઇજેનિક સ્થિતિમાં બનાવવામાં આવતા હોવાનું અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું. બેકરી પાસે પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ પણ ન હોવાનું સામે આવ્યું હતું. બહેરામપુરા વિસ્તારમાં છીપા સોસાયટી પાછળ સિમેન્ટ ગોડાઉનની ગલીમાં આવેલી પ્રિન્સ બેકરીમાં પણ ફૂડ વિભાગની ટીમે તપાસ કરી હતી. અહીં પણ બેકરી પ્રોડક્ટ્સ બનાવતી વખતે સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું.તપાસ દરમિયાન મેંદાના લોટમાં જીવાત જાેવા મળતાં ફૂડ વિભાગે ગંભીર બેદરકારીની નોંધ લીધી હતી. તપાસમાં સામે આવેલી અનહાઇજેનિક સ્થિતિ અને નિયમોના ભંગને પગલે એએમસીના ફૂડ વિભાગે મુસ્કાન બેકરી અને પ્રિન્સ બેકરી બંનેને સીલ કરી દીધી છે. ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં આવેલી બેકરીઓમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે.  ખાસ કરીને બ્રેડ, બન, બિસ્કિટ સહિતની બેકરી પ્રોડક્ટ્સ બનાવતા એકમોમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી છસ્ઝ્રના ફૂડ વિભાગે બેકરી પ્રોડક્ટ્સ બનાવતા એકમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય તે માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બેકરી પ્રોડક્ટ્સ સીધી રીતે લોકોના ખોરાકનો ભાગ હોવાથી ઉત્પાદન સ્થળની સ્વચ્છતા, જરૂરી લાઇસન્સ અને અન્ય ફૂડ સેફ્ટી નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. તાજેતરની કાર્યવાહી બાદ શહેરની અન્ય બેકરીઓમાં પણ તપાસનો દોર આગળ વધે તેવી શક્યતા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, ઓગ્સ્ટ 2026 3267   |  
બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ

અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં પ્રાર્થના, રાષ્ટ્રગાન અને વિદ્યાર્થીઓને આપવામાં આવેલા એક પુસ્તકને લઈને ચાલી રહેલો વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. ૧૪ ઓગસ્ટે બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સ્કૂલ પર પહોંચ્યા હતા અને વિવિધ માંગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો બજરંગ દળના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સવારે થતી પ્રાર્થના અને રાષ્ટ્રગાન બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ચોક્કસ પુસ્તક વિદ્યાર્થીઓને ફરજિયાત વાંચવા માટે આપવામાં આવતું હોવાનો પણ તેમણે વિરોધ કર્યો છે. સંગઠને સ્કૂલમાં ફરી પ્રાર્થના અને રાષ્ટ્રગાન શરૂ કરવાની તેમજ સંબંધિત પુસ્તક પરત ખેંચવાની માંગ કરી છે.વિરોધની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્કૂલના બંને ગેટ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓ ગેટ કૂદીને કેમ્પસમાં પ્રવેશ્યા હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન ગેટ પર લગાવેલું તાળું પણ તોડી નાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સ્કૂલમાં પ્રવેશ કર્યા બાદ કાર્યકર્તાઓએ ભારત માતા કી જય અને જય રામના નારા લગાવ્યા હતા. વિવિધ બેનરો સાથે તેમણે સ્કૂલ મેનેજમેન્ટ સામે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. સમગ્ર સ્થિતિને પગલે પોલીસને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. વિરોધ વચ્ચે સ્કૂલમાં અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ, સ્કૂલના સ્ટાફે તેમની રજૂઆત સાંભળ્યા વિના ઓફિસ અને સ્ટાફ રૂમને તાળાં મારી દીધાં હતાં. કેમ્પસના બીજા માળે જવા માટેના ઇલેક્ટ્રિક દરવાજાને લઈને પણ કાર્યકર્તાઓ અને સ્કૂલ સ્ટાફ વચ્ચે સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં કેમ્પસમાં જ રાષ્ટ્રગાન અને પ્રાર્થના કરવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યો હોવાનો મુદ્દો પણ સામે આવ્યો હતો. વાલીઓએ આ બાબતે સ્કૂલમાં રજૂઆત કરી હતી. વાલીઓ તરફથી વિદ્યાર્થીઓની પ્રાર્થના અને રાષ્ટ્રગાન બંધ કરાયા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જાેકે, આ તમામ મુદ્દાઓ અંગે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી સત્તાવાર સ્પષ્ટતા જરૂરી છે. બજરંગ દળના ઉપપ્રમુખ હિરેન રબારીએ આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ‘મલાલા’ સંબંધિત પુસ્તક સામે સંગઠનને વાંધો છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને વિવિધ ભારતીય મહાનુભાવો અને ઐતિહાસિક પાત્રો અંગેના પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવવા જાેઈએ. સંગઠનનો દાવો છે કે જાે કોઈ એક ચોક્કસ ધાર્મિક વિચારધારાને પ્રોત્સાહન આપતું પુસ્તક વિદ્યાર્થીઓને આપવામાં આવતું હોય તો તેનો વિરોધ કરવામાં આવશે. જાેકે, પુસ્તકનો ચોક્કસ અભ્યાસક્રમમાં ઉપયોગ, ફરજિયાતતા અને શૈક્ષણિક હેતુ અંગે સ્કૂલ તરફથી સત્તાવાર સ્પષ્ટતા હજુ સામે આવી નથી. હિરેન રબારીએ સ્કૂલમાં ચોક્કસ ધાર્મિક વિચારધારા ધરાવતા લોકો કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે અને આવા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે રાષ્ટ્રગાન અને પ્રાર્થના ફરી શરૂ કરવાની પણ માગણી કરી છે. તેમણે સ્કૂલમાં બાળકોને દેશ અને ધર્મ વિરુદ્ધ પ્રેરિત કરવાના પ્રયાસો થતા હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે. જાેકે, આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને સ્કૂલ મેનેજમેન્ટનો પક્ષ મળ્યા બાદ જ સમગ્ર બાબત વધુ સ્પષ્ટ થઈ શકે છે. વિરોધ ઉગ્ર બનતા પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે સ્કૂલ મેનેજમેન્ટ, વાલીઓ અને વિરોધ કરી રહેલા સંગઠન વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપો ચર્ચામાં છે. સ્કૂલમાં ખરેખર પ્રાર્થના અને રાષ્ટ્રગાન કેમ બંધ કરવામાં આવ્યા, વિદ્યાર્થીઓને આપવામાં આવેલા પુસ્તકનો હેતુ શું હતો, પુસ્તક ફરજિયાત હતું કે નહીં અને ગેટ તોડીને પ્રવેશ કરનારાઓ સામે શું કાર્યવાહી થશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, ઓગ્સ્ટ 2026 1683   |  
મેટ્રો રેલમાં દૈનિક મુસાફરીનો આંકડો બે લાખ સુધી પહોંચ્યો

અમદાવાદ મેટ્રોએ મુસાફરોની વધતી સંખ્યા સાથે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ ઓગસ્ટ મહિનામાં અમદાવાદ મેટ્રોમાં પ્રતિદિન ૨ લાખ સુધીની મુસાફરી નોંધાઈ છે. ખાસ વાત એ છે કે આ આંકડો કોઈ આઈપીએલ મેચ, વર્લ્ડ કપ કે અન્ય કોઈ મોટા મેગા ઇવેન્ટ વિના હાંસલ થયો છે. અમદાવાદમાં મેટ્રો રેલ સેવાનો વ્યાપ વધવાની સાથે હવે શહેરના નાગરિકોમાં પણ મેટ્રો પ્રત્યેનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. રોજિંદા કામકાજ, નોકરી, શિક્ષણ તેમજ અન્ય હેતુસર અવરજવર કરતા મુસાફરો માટે મેટ્રો રેલ પરિવહનનું મહત્વનું માધ્યમ બની રહ્યું છે. મેટ્રો રેલની ઝડપી, સુવિધાજનક અને સમયબદ્ધ સેવા મુસાફરોને આકર્ષી રહી છે. જેના પરિણામે સામાન્ય દિવસોમાં પણ મેટ્રોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. મેગા ઇવેન્ટ દરમિયાન સામાન્ય રીતે જાહેર પરિવહનના સાધનોમાં મુસાફરોની સંખ્યા વધતી હોય છે. જાેકે, અમદાવાદ મેટ્રો રેલ એ કોઈ મોટી ઇવેન્ટના વધારાના ટ્રાફિક વિના જ દૈનિક ૨ લાખ મુસાફરીનો આંકડો હાંસલ કરતા મેટ્રો રેલ સેવાની લોકપ્રિયતા અને ઉપયોગિતા સામે આવી છે. મુસાફરોની વધતી સંખ્યા સાથે અમદાવાદ મેટ્રો શહેરની જાહેર પરિવહન વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, ઓગ્સ્ટ 2026 1881   |  
મહિલાઓની ઓનલાઇન હેરાનગતિ અટકાવવા સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત ૮ ને ઝડપ્યા

મહિલાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર થતી ઓનલાઇન હેરાનગતિ ડામવા અમદાવાદ શહેર પોલીસ દ્વારા શરૂ કરાયેલા “મિશન સાયબર રક્ષિકા અંતર્ગત સાયબર ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશનર દ્વારા મહિલાઓને સુરક્ષિત રાખવા આ ખાસ અભિયાન શરૂ કરાયું છે. જેમાં મહિલાઓની હેરાનગતિ કરતા ૧ મહિલા સહિત ૮ સાયબર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે ભોગ બનનાર મહિલાઓની ઓળખ ગુપ્ત રાખીને તેઓનું કાઉન્સિલિંગ કર્યું હતું અને ત્વરિત કાર્યવાહી કરીને ૧૧ જેટલી એફ.આઇ.આર. દાખલ કરાઈ હતી. પોલીસ ટીમોએ અમદાવાદ, ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને રાજસ્થાનમાં દરોડા પાડીને કુલ ૮ સાયબર ગુનેગારોને ઝડપી લીધા છે અને સોશિયલ મીડિયા પરથી વાંધાજનક પોસ્ટ તથા એકાઉન્ટ્સ દૂર કર્યા છે.પકડાયેલા આરોપીઓ પૈકી સુરેશ રુયી સોશિયલ મીડિયા પર પોતાની પ્રોફાઇલ પબ્લિક રાખતી મહિલાઓને નિશાન બનાવતો હતો. તેણે છેલ્લા ૬ મહિનામાં ૧૦ ફેક આઇડી બનાવી આશરે ૩૦૦ મહિલાઓને ન્યૂડ ફોટા, અશ્લીલ ઓડિયો અને વાંધાજનક મેસેજ મોકલ્યા હતા. જ્યારે કેયુર ઠક્કરે મહિલાઓના નામે ૮ ફેક આઇડી બનાવી પબ્લિક પ્રોફાઇલ ધરાવતી યુવતીઓની મહિલા મિત્રોનો સંપર્ક કર્યો હતો. છેતરતા ૨ આરોપીઓને રાજસ્થાનથી અને યોગગુરુના નામે નકલી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી એઆઇ ટેકનોલોજી દ્વારા ન્યૂડ ફોટો બનાવી બ્લેકમેલ કરતા ૧ આરોપીને દિલ્હીથી ઝડપી લેવાયો હતો.પોલીસે મહિલાઓની ઓનલાઇન સુરક્ષા માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, ઓગ્સ્ટ 2026 2376   |  
કાયદાનું જાહેરમાં વસ્ત્રાહરણ કરનાર નકુમને સાચવવાની સરકારની શું મજબૂરી છે ?

સિંઘમગીરી હિન્દી ફિલ્મોમાં જ સારી લાગે તે વાતનું પ્રમાણભાન સુરતનાં ડીસીપી નકુમ અને સરકારને થાય તો હાઇકોર્ટની ટકોર લેખે લાગશે. સરકારનાં માનીતા અને ખાસકરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં લાડકવાયા મનાતા રાજદીપસિંહ નકુમને આરોપીઓને જાહેરમાં ફટકારવાનો અને જાતે સિંઘમ બનીને ફટકારતા હોય તેવી રીલ બનાવીને વાયરલ કરવાનો લાગેલો ચસ્કો હવે સરકારને ભારે પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નાસિરનગરનાં ગેરકાયદે ડીમોલિશનકાંડમાં મ્યુનિસિપલ કમિશનર નાગરાજનની સાથે સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપી નકુમની ભૂમિકા પણ શંકાસ્પદ હતી પરંતુ હાઇકોર્ટની ફટકાર પછી નાગરાજનની બદલી કરી પરંતુ નકુમને સરકારે સુરત શહેરમાં સાચવી રાખ્યાં હતાં. સરકારની એવી તે કઇ મજબુરી હતી કે હાઇકોર્ટે આકરાં શબ્દોમાં ટીપ્પણી કરતાં નામોશી વ્હોરવી પડી છતાં નકુમને સુરત શહેરની બહાર બદલી કરવામાં ખચકાટ અનુભવાય છે.પોલીસ અધિકારીઓ અને તેમાં પણ નાયબ પોલીસ કમિશનર અને તેનાથી ઉપરની રેન્કનાં અધિકારીઓ તો કાયદાનું રક્ષણ અને પાલન કરવા માટે બંધાયેલાં છે પરંતુ સિંઘમ બનવાનો શોખ ધરાવતાં ડીસીપી નકુમે આરોપીઓને જાહેરમાં વાળ પકડી તમાચા મારવા ઉપરાંત લાકડીથી ફટકારીને કાયદા અને સુપ્રીમકોર્ટ, હાઇકોર્ટનાં આદેશોનું જાહેરમાં વસ્ત્રાહરણ કર્યું છે. આરોપીએ ગંભીર ગુનો કર્યો હોય તો તેની તલસ્પર્શી તપાસ થાય અને પુરતાં પુરાવા મેળવીને તપાસ ઝડપથી પૂર્ણ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી બનતી ત્વરાએ સજા મળે તેવી કાર્યપદ્ધતિ વિકસાવવાથી આરોપીઓમાં કાયદાનો ખોફ વધે પરંતુ પોલીસ તપાસમાં જ છીંડાં મૂકે તો પછી આરોપીને શંકાનો લાભ મળે અને નિર્દોષ છૂટી જાય તો આરોપીમાં કાયદાનો ડર ના રહે તે સ્વાભાવિક બાબત છે. ડીસીપી નકુમ જેવા અધિકારીઓ એવું માને છે કે, જાહેરમાં ધબેડી નાંખવાથી આરોપીઓમાં કાયદાનો ડર પેદા થાય છે પણ એ માન્યતા નકુમ જેવાં અધિકારીઓનું સત્ય છે પરંતુ એ સંપૂર્ણ સત્ય નથી. જાે આવી રીતે પોલીસ અધિકારીઓ જ અદાલતોનાં અસ્તિત્વને કોરાણે મૂકી કાયદો હાથમાં લઇને જાહેરમાં ન્યાય તોળવા લાગશે તો હારાકીરી સર્જાશે. ડીસીપી નકુમે દાખવેલી સિંઘમગીરી મુદ્દે સુરતનાં પોલીસ કમિશનરને પણ એટલાં જ જવાબદાર લેખાવી શકાય કારણ કે, ૧૪મી જુલાઇએ નકુમે જાહેરમાં આરોપીઓને ફટકારીને તેનો વિડીયો રેકર્ડ કરાવી રીલની થ્રિલ માણી તેની પોલીસ કમિશનરને જાણ થઇ હોવા છતાં માત્ર પ્રાથમિક તપાસનું નાટક કર્યા સિવાય કોઇ નક્કર પગલાં તેમણે ભર્યાં નથી કે બે મહિના પછી પણ પ્રાથમિક તપાસનો અહેવાલ જાહેર કરી શક્યાં નથી. ડીસીપી નકુમ માટે આરોપીઓને ફટકારવાનું કામ નવું નથી, હવે તેમનો શોખ બની ગયો છે. જ્યારથી નાયબ મુખ્યમંત્રીએ આરોપીઓની ચાલ બદલવાની વાત કરી ત્યારથી ડીસીપી નકુમ અને તેમની ટીમે પોલીસ મહાનિર્દેશક સહિત કોઇની પરવા કર્યા વિના આરોપીઓનું સરઘસ કાઢવાની અને જાહેરમાં ફટકારવાની ઇન્ટેન્સિટી બમણી કરી દીધી અને આખરે સરકારે હાઇકોર્ટમાં નામોશી વ્હોરવાનો વારો આવ્યો છે. નકુમની માત્ર બદલી કરવાથી નહીં પરંતુ તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તો જ સિંઘમ બનવા માટે થનગની રહેલાં અન્ય અધિકારીઓને બોધપાઠ મળે અને તેમને પણ કાયદાનું ભાન કરાવી શકાય. હાઇકોર્ટની ફટકાર પછી નકુમની બદલી નહીં થાય તો જ નવાઇ ગણાશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, ઓગ્સ્ટ 2026 1980   |  
સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ માટે ડીસીપી નકુમની બદલી થવી જ જાેઇએ: હાઇકોર્ટ

સુરત શહેર પોલીસબેડામાં ફરજ બજાવતાં ડીસીપી રાજદીપસિંહ નકુમ કાજે સરકારને ફરી એકવાર ફટકાર સાંભળવાની ફરજ પડી હતી. આરોપીઓને જાહેરમાં ફટકારનાર નકુમની હજુ સુધી બદલી કેમ નથી કરી, સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ માટે ડીસીપી નકુમની સુરત શહેરમાંથી બદલી થવી જ જાેઇએ તેવી સ્પષ્ટ ટકોર હાઇકોર્ટે આજે કરી હતી. હત્યાનો પ્રયાસ કરવાનાં ગુનામાં પકડાયેલાં લબરમુછિયા જેવા આરોપીઓને જાહેરમાં ફટકારવાનાં પ્રકરણમાં થયેલી અરજીનું સ્યુઓમોટો કોગ્નિજન્સ લઇને સુનાવણી હાથ ધરનાર હાઇકોર્ટે ડીપીસી નકુમની બદલી કરવાનાં મુદ્દે મક્કમ વલણ અપનાવ્યું હતું.માનદરવાજા રેલ રાહત કોલોનીમાં ગત ૧૩મી જુલાઇની રાત્રે અંગત અદાવતમાં એક યુવક પર હુમલો કરાયો હતો. હુમલો કરનારા ચીયા ગેંગના સાગરિતો હતા. રાજ ઉર્ફે ગુડ્ડ પારઘેને ચાકુનો ઘા ઝીંકનાર ચીયા ગેંગનાં અય્યાજ ઉર્ફે બુરૂ મલેક, ઇમરાન ખાન, રાજીક ઉર્ફે કાલીયા શેખ, શાહરૂખ ઉર્ફે અમુ સત્તાર શા, વસીમ ઉર્ફે ટ્વેન્ટી, સજ્જુ, ક્રિષ્ના વિગેરને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં. એ સમયે ત્યાંનાં ઇન્ચાર્જ ડીસીપી નકુમે એસઓજીનાં પચાસ કર્મચારીઓને માનદરવાજા બોલાવ્યા હતા. એસઓજીનો આ કાફલો ચીયા ગેંગનાં સાગરિતોને રેલરાહત કોલોનીમાં લઇ ગયો અને પછી નકુમે સારા વીડિયો બને એવા એંગલ સેટ કરી આરોપીઓને જાહેરમાં ફટકાર્યા હતા. બાદમાં આ વીડિયો વાયરલ પણ કર્યા હતાં. આ મામલે હાઇકોર્ટના સિનિયર એડવોકેટ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસને સુઓમોટો કાર્યવાહી માટે અરજી આપી હતી. હાઇકોર્ટે પણ અરજીનું કોગ્નિજન્સ લઇને સુનાવણી હાથ ધરી હતી. આજે સુનાવણીમાં આરોપીઓ તરફે ઉપસ્થિત વકિલે રાજ્યનાં પોલીસ મહાનિર્દેશકનાં ૧૨-૦૫-૨૦૨૬નાં પરિપત્રને ટાંકીને કહ્યું હતું કે, હાઇકોર્ટનાં અગાઉનાં ચૂકાદાઓનાં સંદર્ભનો ઉલ્લેખ કરીને પોલીસ મહાનિર્દેશકે આરોપીઓને હાથકડી પહેરાવવી, દોરડાથી બાંધવા, સરઘસ કાઢવા, જાહેરમાં ઉઠકબેઠક કરાવવી, ઘૂંટણિયે ચલાવવા, લાત મારવી, લાકડીથી માર મારવા જેવી કાર્યપદ્ધતિ યોગ્ય નહીં હોવાનું અને માનવઅધિકારનું ઉલ્લંઘન હોવાનું પરિપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો. આરોપીનાં માનવઅધિકારનાં હક્કો વિરૂદ્ધ કામ કરનાર પોલીસ અધિકારી કે કર્મચારી વિરૂદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહેશે અને તેનાં ચૂસ્ત પાલનની જવાબદારી ડીવાયએસપી, ડીસીપી, એડિશનલ પોલીસ કમિશનર, જાેઇન્ટ પોલીસ કમિશનર તેમજ પોલીસ કમિશનરની રહેશે. હાઇકોર્ટે પણ ટીપ્પણી કરતાં કહ્યું હતું કે, જાહેરમાં માર મારવાનો વિડીયો વાયરલ થયો છે, બનાવ બન્યો છે તે નકારી શકાય તેમ નથી. આ તબક્કે સરકાર તરફે ઉપસ્થિત એડવોકેટે બચાવ કરતાં જણાવ્યું હતું કે, પોલીસ મહાનિર્દેશકનાં ધ્યાને આવતાં તેમણે બનાવનાં બીજા જ દિવસે પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને કહ્યું હતું. પોલીસ કમિશનરે પણ એડિશનલ પોલીસ કમિશનરને પ્રાથમિક તપાસ સોંપી છે. આ તબક્કે હાઇકોર્ટે કહ્યું કે, પ્રાથમિક તપાસ નિષ્પક્ષ અને સ્વતંત્રપણે થાય તે માટે ડીસીપી નકુમની સુરતમાંથી બદલી તો થવી જ જાેઇએ. સાક્ષીઓ, પોલીસ કર્મચારીઓ તેમના તાબા હેઠળ હોય તો સ્વતંત્રતાથી નિવેદન કેવી રીતે આપી શકે. નકુમ સુરત શહેરમાં ફરજ બજાવે તે બીલકુલ સ્વીકાર્ય નથી, તેમની બદલી તો થવી જ જાેઇએ. જાહેરમાં માર મારવાનો બનાવ બન્યો છે, લોકોએ પણ જાેયું છે, બનાવ કેમ બન્યો, તેની ગંભીરતા કેટલી છે વિગેરે બાબતો પ્રાથમિક તપાસમાં બહાર આવશે પરંતુ બનાવ બન્યો છે તે નકારી શકાય તેમ નથી જેથી ડીસીપી નકુમની અન્યત્ર બદલી કરો તો સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થઇ શકે તેમ જણાવીને હાઇકોર્ટે ફરી એકવાર નકુમની બદલીનો આગ્રહ સેવ્યો હતો. આગામી સુનાવણી પહેલાં બદલી થવાની સંભાવના સેવાય છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 2673   |  
કીમ પોલીસ મથકનાં પી.આઈ. પી.સી. સરવૈયા સસ્પેન્ડ

કીમ ખાતે એસએમસી દ્વારા પાડવામાં આવેલી રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂ જપ્ત કરવા સાથે ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને ફરજમાં બેદરકારી બદલ કીમ પોલીસ મથકના પી.આઈ.ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, ગત ૨૨ જૂનના રોજ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કીમ ખાતે દરોડા પાડી ૧૯ લાખ રૂપિયાના દારૂ સહિત કુલ ૫૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ, એસએમસીની ટીમ દ્વારા ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય ૧૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં.આ દરોડા મામલે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને ફરજમાં ગંભીર બેદરકારી બદલ કીમ પોલીસ મથકના પી.આઈ. પી.સી. સરવૈયા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 2178   |  
નવસારી, આહવા અને માંડવીમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી

૧૫મી ઓગસ્ટે ભારત દેશ સ્વતંત્રતાના ૮૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે રાજ્યમાં ઠેર-ઠેર ભવ્ય તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્વતંત્રતા પર્વની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે ગુરુવારે દક્ષિણ ગુજરાતના વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેને પગલે નવસારી સહિત આહવા અને માંડવીનું વાતાવરણ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. નવસારી, આહવા અને માંડવીના રસ્તાઓ જાણે તિરંગાના રંગમાં રંગાઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, ઓગ્સ્ટ 2026 6039   |  
સોલાર કંપનીનાં ચેનલ પાર્ટનર બનાવવાનું કહીને ખેડૂત સાથે પાંચ લાખની છેતરપિંડી

ગીર સોમનાથનાં ખેડૂતને સોલાક કંપનીનાં ચેનલ પાર્ટનર બનાવવા સાથે સોલાર સંબંધિત સામાન પુરો પાડી વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવાની વાતમાં ફસાવી પાંચ લાખ પડાવી લેનાર ડિરેક્ટર અને મેનેજર સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.ગોડાદરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ગીર સોમનાથનાં ઉના તાલુકાના જશરાજ નગરના વતની પ્રતાપભાઈ ભાણાભાઈ મોરી વ્યવસાયે ખેડૂત છે. ગત ડિસેમ્બર ૨૦૨૫માં મોરીએ સોશિયલ મીડીયામા સનરૂટ એનર્જી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જાહેરાત જોઈ હતી. ચેનલ પાર્ટનર બનવાની ઓફર કરતી આ જાહેરાત સાથે અપાયેલા નંબર ઉપર મોરીએ કોલ કર્યો હતો. જેમાં વિવેક મિશ્રાએ વાત કરતાં જણાવ્યું હતું કે, અમે તમને સોલાર કંપનીના ચેનલ પાર્ટનર બનાવીશું. સાથે જ ડિસ્ટ્રીબ્યુટર તરીકે એજન્સી આપી ધંધો સેટ કરવામાં તમામ મદદ કરીશું.મોરીને સોલારનાં ધંધામાં રસ હોવાથી તે જાન્યુઆરી ૨૦૨૬માં સુરત આવ્યો હતો. ગોડાદરા વિસ્તારના કેપિટલ સ્ક્વેરમાં આવેલી સનરૂટ એનર્જી સોલ્યુશન કંપનીની ઓફિસમાં તેઓ ગયા હતાં. જ્યાં વિવેક મિશ્રા મળ્યા અને મોરીની મુલાકાત ટીમ મેનેજર આયુષ ઉપાધ્યાય સાથે કરાવી હતી. આ બંનેએ જણાવ્યું હતું કે, તમે ચેનલ પાર્ટનર બનશો તો સોલાર સંબંધિત તમામ સામાન ડિસ્પ્લે માટે આપવામાં આવશે. સાથે વ્યવસાય શરૂ કરાવવામાં સંપૂર્ણ મદદ પણ કરાશે. જે માટે પાંચ લાખ રૂપિયા કંપનીમાં જમા કરાવવા પડશે. પેમેન્ટ થયા બાદ સોલાર રૂફટોપ, સોલાર કેમેરા, સોલાર સ્ટ્રીટ લાઈટ વગેરેનો સામાન તેમજ બ્રાન્ડિંગ મટીરિયલ પહોંચાડવાની બાંહેધરી પણ તેમણે આપી હતી. આ વાતમાં વિશ્વાસ મૂકી મોરીએ તેમને પાંચમી જાન્યુઆરીએ પાંચ લાખ રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ તેઓ ઓનલાઇન ટ્રેનિંગ આપવાની તથા ટૂંક સમયમાં બ્રાન્ડિંગ મટીરીયલ અને અન્ય સામાન મોકલવાની ખાતરી આપતા રહ્યા હતાં. જો કે, તેઓએ એક પણ વાત અમલમાં મૂકી ન હતી. ત્રણેક મહિના બાદ મિશ્રા અને ઉપાધ્યાયે મોરીનાં કોલ રીસિવ કરવા પણ બંધ કરી દીધા હતા. પાંચ લાખ રૂપિયા લઇ સોલારના ધંધા માટે સરસામાન નહીં અપાતાં મોરી ફરીથી સુરત તપાસ કરવા આવ્યા હતા. જેમાં આ કંપનીની ઓફિસ ૩૧ માર્ચથી બંધ કરી દેવાયાનું જાણવા મળ્યું હતું. જેથી મોરીએ આયુષ ઉપાધ્યાય અને વિવેક મિશ્રા ઉપરાંત કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર વિનિતા મુર્ગેશ પડયાસી તથા ર્હષિતા રજ્જનસિંગ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution