આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, સપ્ટેમ્બર 2026
13068 |
રાજકોટથી ગુમ સગીરાની કડીઓ નેપાળ સુધી કેવી રીતે પહોંચી? હાઇકોર્ટમાં મોટો ખુલાસો!
રાજકોટથી ગુમ થયેલી 17 વર્ષની સગીરાની તપાસ હવે નેપાળ સુધી પહોંચી હોવાના સંકેતો સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન પોલીસે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સમાંથી નેપાળ તરફ મહત્વપૂર્ણ કડીઓ મળ્યાની માહિતી આપી હતી. જોકે, સગીરા ખરેખર નેપાળમાં છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. કોર્ટે પોલીસને તપાસ આગળ વધારી પ્રગતિ અંગે માહિતી રજૂ કરવા સમય આપ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
33462 |
પોલીસ જાગી: અમદાવાદમાં ૩ દિવસમાં ૪૩૬ કેસ, ૪૭૬ની ધરપકડ અને ૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયા બાદ રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે તમામ શહેરો અને જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ પ્રોહીબીશન ડ્રાઇવ રાખવાની કડક સૂચના આપી હતી. આ આદેશના પગલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક્શન મોડમાં આવીને તમામ સ્થાનિક પોલીસ અધિકારીઓને દારૂ તેમજ જુગારની બદીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને ઝોન એલસીબીની ટીમોએ સપાટો બોલાવીને ચોરીછુપીથી ચાલતા અડ્ડાઓ પર વ્યાપક દરોડા પાડ્યા છે. માત્ર ત્રણ દિવસમાં જ પોલીસે કુલ ૪૩૬ કેસ નોંધીને ૪૭૬ આરોપીઓની અટકાયત કરી છે. આ દરોડા દરમિયાન વિદેશી દારૂના ૭૩ કેસો નોંધીને ૨૯.૯૩ લાખની કિંમતની ૧૧,૪૭૯ બોટલ/બીયર સહિત કુલ ૮૦.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેશી દારૂના ૩૩૬ કેસો નોંધીને ૭.૩૮ લાખની કિંમતનો ૩,૬૯૩ લીટર દારૂ અને વાહનો મળી કુલ ૮.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે.દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો સામે લાલઆંખ કરતા પોલીસે ૭ રીઢા બુટલેગરો સામે પાસા (ઁછજીછ) હેઠળ કડક ગુનો નોંધી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દીધા છે. પોલીસ કમિશનરે ગુનેગારોને પાસા હેઠળ જેલભેગા કરવાની ગતિ તેજ બનાવી છે. આ અભિયાન અંતર્ગત કુલ ૪૧ ગુનેગારોને પાસા હેઠળ જેલ મોકલાયા છે, જેમાં સૌથી વધુ ૧૮ દારૂના બુટલેગરો છે. જ્યારે મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ૧૪ અને મારામારી-હત્યાના પ્રયાસ જેવા શરીર સંબંધી ગુના આચરનાર ૯ ગુનેગારોનો સમાવેશ થાય છે. પોલીસની આ કડક ઝુંબેશથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં દારૂબંધીની કડક અમલવારી માટે પોલીસની આ ખાસ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ આવી જ કડક રીતે સતત ચાલુ રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
34551 |
આણંદમાં એસએમસીએ લાખોનો દારૂ ઝડપ્યો
ગુજરાતમાં અસામાજિક તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સમગ્ર રાજ્યભરમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ચોક્કસ માહિતીના આધારે સતત કાર્યરત છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા ભાલેજ-આણંદ રોડ પર, અપ્પુ વે-બ્રીજ નજીક એક વ્યૂહાત્મક દરોડો પાડવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે વહન કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો અતિ વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી આશરે ૧૫૦ પેટીઓ (કુલ ૭,૧૮૭ બોટલો) કબ્જે કરવામાં આવી હતી, જેની બજાર કિંમત ૧૯,૬૩,૧૫૧/- થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ ૩૪,૬૯,૬૨૧/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપુર ગામના રહેવાસી નારણભાઇ ઉર્ફે અતુલ ઘુસાભાઇ ચૌહાણ નામના આરોપીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસિકથી મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૦૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નાસિકથી ગેરકાયદેસર દારૂનો સપ્લાય કરનાર ૩ શખ્સો, દારૂના વહન માટે વપરાયેલ ટ્રકના મૂળ માલિક તેમજ કાનપુરના જ ભાવેશભાઇ સુરાભાઇ માતાસુરીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સંડોવાયેલા વોન્ટેડ શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ વધુ ઝડપી બનાવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
35442 |
ભાવનગરથી ઝેરી દારૂ પીને સુરત આવેલા યુવકે ચોથા દિવસે દમ તોડ્યો
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડનો ભોગ બનેલા સુરતના યુવકને શુક્રવારે બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ શનિવારે બપોરે તેણે દમ તોડી દીધો હતો. ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઈએનએસ હોસ્પિટલમાં તે ચાર દિવસથી સારવાર હેઠળ હતો.મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં પીરસાયેલી વ્હીસ્કી ઝેરી કેમિકલથી બનેલી હોય સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું તથા ડુપ્લિકેટ વ્હીસ્કી બનાવનાર યાદવનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજય લક્ષ્મણસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સિરિયસ હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, ત્યારબાદ તેને પરવત પાટિયા વિસ્તારની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સ્થિતિ વધું કથળતાં સંજયસિંહને આઇએનએસ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. આઈએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં તેને શુક્રવારે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. ત્યારબાદ શનિવારે બપોરે પરિવારની મંજૂરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી લેવાતાં તેનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક તબીબોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ સંજયસિંહના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપાયો હતો. સંજયે દમ તોડ્યો એ સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક ૧૧ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ઓગ્સ્ટ 2026
38214 |
શહેરમાં ડિફેન્સના નામે નકલી દારૂનો વેપાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી ૯થી વધુના મોત નિપજ્યા છે ત્યાં અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાંડનો નિકોલ અને એસએમસી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બે ફરાર છે. નકલી ઇંગ્લિશ દારૂ બનાવી છૂટક વેચાણ કરતા નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુનિલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ભેગા મળી બનાવટી અંગ્રેજી દારૂ તૈયાર કરી છૂટકમાં વેચાણ કરે છે. એસએમસી અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો. બાદમા ડેકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી.ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ૪ બોટલ, પ્લાસ્ટિકની ૪ બોટલ મળી ઉપરાંત આરોપી પાસેથી રૂ.૫,૦૦૦ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કરીને તપાસ દરમિયાન દિનેશ જંડાવાલાના કુબેરનગર સ્થિત ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો અને એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે કુલ રૂ. ૯૫૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર લગાવી વેચતા આરોપીઓની પૂછપરછ કરતા સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ તથા ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર અને ડિફેન્સનો દારૂ હોવાનું બતાવવા તેનો સિમ્બોલ લગાવી વેચતા હતા. જ્યારે દિનેશ ચામુંડા બ્રિજ પાસે ભંગારની દુકાન ધરાવતા શખ્સ પાસેથી ખાલી બોટલો અને બ્રાન્ડેડ સ્ટીકર અને તેની પર લગાવવાના સીલ લાવતો હતો. આ અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને સુનિલની ધરપકડ કરી ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, સપ્ટેમ્બર 2026
4356 |
તારાપુર મોટી ચોકડીથી ૩.૬૯ લાખના પ્રતિબંધિત નશાકારક કફ સિરપના જથ્થા સાથે બે ઝડપાયા
આણંદ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર ખરીદ-વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ જ કામગીરીના ભાગરૂપે એસઓજીની ટીમે તારાપુર મોટી ચોકડી સર્કલ પાસેથી નંબર પ્લેટ વગરની મારુતિ બ્રેઝા કારને અટકાવી બે શખ્સોને ઝડપી પાડી બંને પાસેથી સિરપની ૧૩૫ બોટલો સહિત કુલ રૂ.૩,૬૯,૬૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ જિલ્લામાં નશાકારક દવાઓ અને માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને વોચ વધારવામાં આવી છે. જે અંતર્ગત એસઓજીની ટીમને તારાપુરથી બગોદરા તરફ જવાના માર્ગ પર તારાપુર મોટી ચોકડી સર્કલ પાસે નંબર પ્લેટ વગરની મારુતિ બ્રેઝા કાર શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.પોલીસે કારમાં સવાર મનુભાઈ ઉર્ફે બકો હેમુભાઈ સોલંકી અને પ્રકાશભાઈ ભરતભાઈ સોલંકી, બંને રહે. સરગવાળા, મીઠાપરા, તા. ધોળકા, જી. અમદાવાદને ઝડપી પાડ્યા હતા.તપાસ દરમિયાન તેમની પાસેથી કફ સિરપની ૧૩૫ બોટલો, બે મોબાઈલ ફોન, રૂ.૩૪,૩૬૦ની રોકડ રકમ અને મારુતિ બ્રેઝા કાર મળી આવી હતી. કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.૩,૬૯,૬૧૦ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે તારાપુર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે વજુભાઈ, રહે. પચેગામ નામના અન્ય એક શખ્સને પકડવાનો બાકી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.આણંદ જિલ્લા પોલીસની આ કાર્યવાહીથી નશાકારક દવાઓની ગેરકાયદેસર હેરાફેરી કરનારામાં ફફડાટ વ્યાપી જવા પામ્યા નું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, સપ્ટેમ્બર 2026
4455 |
વિદ્યાર્થીઓની ગેરહાજરી સમયે શિક્ષક અને શિક્ષિકા કઢંગી હાલતમાં ઝડપાયા
કરમસદ આણંદ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ બાવીસ જેટલી પ્રાથમિક શાળા કાર્યરત હોય તે પૈકી એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ની ગેરહાજરી સમયે રંગરેલિયા મનાવતા શિક્ષક અને શિક્ષિકા નો કઢંગી હાલતનો વિડિયો વાયરલ થતાં મામલો પ્રાથમિક શિક્ષણાધિકારી સુધી પહોંચતા સમિતિના પદાધિકારી દ્વારા મસમોટા વહીવટી ખેલ રચી શિક્ષણાધિકારી ની કચેરી પહોંચી મામલાને રફેદફે ના પ્રયાસ કરતાં મુદ્દો ચર્ચાની એરણે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર કરમસદ આણંદ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ બાવીસ જેટલી પ્રાથમિક શાળા કાર્યરત હોય તે પૈકી એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ની ગેરહાજરી સમયે રંગરેલિયા મનાવતા શિક્ષક અને શિક્ષિકાને વિડિયો કેમેરામાં કેદ કરી વિડિયો વાયરલ થતાં મામલો પ્રાથમિક શિક્ષણાધિકારી સુધી પહોંચતા જ સમિતીના પદાધિકારી દ્વારા મસમોટા વહીવટી ખેલ રચી શિક્ષણાધિકારી કચેરી પહોંચી મામલાને રફેદફે કરવાના રાજકીય દમદાટી આપી કરવાના પ્રયાસ કરતાં શિક્ષણાધિકારી એક ના બે થતાં મુદ્દો ચર્ચાની એરણે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે આ મામલે શિક્ષણાધિકારી નો સંપર્ક સાધતાં સમગ્ર પુરાવા સહિત રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યા ના પગલે કઢીગી હાલતમાં ઝડપાયેલ શિક્ષક શિક્ષિકા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બે વર્ષના ઇજાફા અટકાવવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, સપ્ટેમ્બર 2026
4455 |
સરદાર પટેલ યુનિ.નો લાફાકાંડ હાઇકોર્ટમાં પહોંચ્યો
ગત ૧૮માર્ચના અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી ના ઇંગ્લિશ વિભાગના મહિલા હેડ દ્વારા અધ્યાપકને ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓ ની હાજરીમાં થપ્પડ મારતાં મચેલા હોબાળા બાદ મહિલા હેડ દ્વારા અધ્યાપક દ્વારા સેક્સ્યુઅલ હેરેશમેન્ટ કર્યાની લેખીત રજુઆત કરી હતી.જે સાથે અધ્યાપક દ્વારા થપ્પડ મારી ના મામલે લેખીત રજુઆત વાઇસ ચાન્સેલર તથા વિદ્યાનગર પોલીસ મથકે કરવામાં આવી હતી.પરંતુ યુનિવર્સિટી દ્વારા બંને રજૂઆત સંદર્ભે અલગ અલગ તપાસ સમિતિની રચના કરતાં મહિલા હેડ દ્વારા કરવામાં આવેલ રજુઆત પર તપાસ સમિતિ દ્વારા સોંપવામાં આવેલ રિપોર્ટ ના આધારે યુનિવર્સિટી દ્વારા પાડાના વાંકે પખાલીને ડામની સ્થિતિ સર્જી થપ્પડ ખાનાર અધ્યાપક ને પદચ્યુત કરવાના ર્નિણય લેતાં અધ્યાપક મનીષ સોલંકી દ્વારા ન્યાય માટે હાઇકોર્ટમાં દાદ માંગી છે.જયારે અધ્યાપક દ્વારા યુનિવર્સિટી પાસે બનેલ બનાવના માંગેલ સીસીટીવી ફૂટેજ ન આપતાં જીલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરતાં જીલ્લા પોલીસ વડા દ્વારા યુનિવર્સિટીને સીસીટીવી ફૂટેજ સહિત અન્ય દસ્તાવેજાે આપવાના આદેશ કરતાં યુનિવર્સિટી કેમ્પસમાં હડકંપ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી ના ઇંગ્લિશ વિભાગના મહિલા હેડ દ્વારા અધ્યાપક મનીષ સોલંકીને ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓ ની હાજરીમાં થપ્પડ માર્યાનો બનાવ ગત ૧૮માર્ચના બનતાં હોબાળો સર્જાવા પામ્યો હતો.જે સંદર્ભે મનીષ સોલંકીએ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર તથા વિદ્યાનગર પોલીસ મથકે લેખીત રજુઆત કરી ન્યાય ની માંગ કરવામાં આવી હતી.બીજીબાજુ મહિલા હેડ પારૂલબેન પોપટ દ્વારા મનીષ સોલંકી દ્વારા સેક્સ્યુઅલ હેરેશમેન્ટ કર્યાની લેખીત રજુઆત કરતાં યુનિવર્સિટી દ્વારા બંને બનાવ સંદર્ભે તપાસ સમિતિની રચના કરી હતી.જે અંતર્ગત મહિલા હેડ ની રજૂઆત પર રચાયેલ તપાસ સમિતિ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવતાં પાડાના વાંકે પખાલીને ડામની સ્થિતિ સર્જી યુનિવર્સિટી દ્વારા મનીષ સોલંકીને પદચ્યુત કરવાના ર્નિણય લેવામાં આવતાં મનીષ સોલંકી દ્વારા ન્યાય માટે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હોવાનું મનીષ સોલંકીએ જણાવ્યું હતું.જયારે બનેલ બનાવ સમયના સીસીટીવી ફૂટેજ ની મનીષ સોલંકી દ્વારા કરવામાં આવેલ માંગ પર યુનિવર્સિટી દ્વારા ઠાગાઠૈયા કરતાં જીલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરતાં જીલ્લા પોલીસ વડા દ્વારા યુનિવર્સિટીને સીસીટીવી ફૂટેજ સહિત અન્ય દસ્તાવેજાે આપવાના આદેશ કરતાં યુનિવર્સિટી કેમ્પસમાં હડકંપ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે બીજીતરફ યુનિવર્સિટી દ્વારા કૂટનીતિ અપનાવવામાં આવી હોય તેમ આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર સમયે જ થપ્પડ કાંડ મુદ્દે રચાયેલ નિવૃત્ત જજની તપાસ સમિતિ દ્વારા અરજદાર અધ્યાપક મનીષ સોલંકીને હાજર રહેવાનું તેડું મોકલતાની સાથે તપાસ સમિતિની બેઠક યુનિવર્સિટી બિલ્ડીંગ નહીં પરંતુ યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ ખાતે આયોજીત કરતાં વિસંગતતા ઉભી થવા પામી હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, સપ્ટેમ્બર 2026
4752 |
વડોદરા જેલ સુપ્રિટેન્ડેન્ટ ઉષા રાડાએ કરી લોકસત્તા જનસત્તા સાથે કરી ખાસ વાતચીત
સંસ્કારી નગરી વડોદરામાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે 'લોકસત્તા જનસત્તા'ની વડોદરા ઓફિસ ખાતે સ્થપાયેલા વિઘ્નહર્તા ગણેશજીના દરબારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. 'લોકસત્તા જનસત્તા' ઓફિસ ખાતે આયોજિત ગણપતિ બાપ્પાની સાંજની મહાઆરતીમાં વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ ઉષા રાડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગણેશજીના શ્રીચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકસત્તા પરિવારના સભ્યો અને ભક્તોએ બાપ્પાના જયઘોષ સાથે વાતાવરણ ગુંજવી મૂક્યું હતું. ઉષા રાડાએ ગણેશજી સમક્ષ રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, સપ્ટેમ્બર 2026
4356 |
જમાઈના મોતના સમાચાર સાંભળતાં જ આઘાતમાં સસરાનું પણ હાર્ટ એટેકથી મોત
ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી કરૂણ ઘટના સામે આવી છે. ગત મધરાતે કપડવંજ-મોડાસા રોડ પર આવેલા વણઝારીયા ગામ નજીક એક અનિયંત્રિત અજાણ્યા વાહને રિક્ષાને જાેરદાર ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષાચાલક જમાઈનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓના કારણે કરૂણ મોત નીપજ્યું હતું.અકસ્માતની જાણ થતાં જ અમદાવાદ ખાતે રહેતા મૃતકના સસરા તાત્કાલિક કપડવંજ દોડી આવ્યા હતા. જાેકે, કપડવંજ પહોંચીને જેવા જ તેમને જાણ થઈ કે પોતાના વહાલસોયા જમાઈનું આ અકસ્માતમાં અકાળે અવસાન થયું છે, તેઓ ભારે આઘાતમાં સરી પડ્યા હતા. જમાઈના મોતના આઘાતજનક અને અસહ્ય સમાચાર સહન ન થઈ શકતાં સસરાનું પણ સ્થળ પર જ હાર્ટ એટેક કે આઘાતના કારણે કરૂણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારમાં કલાકોના અંતરે જમાઈ અને સસરા બંનેના અકાળે મોત થતાં પરિવારજનો પર દુ:ખનું આભ તૂટી પડ્યું છે. આ કરૂણ બનાવને પગલે સમગ્ર કપડવંજ પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની ઘેરી કાલીમા છવાઈ ગઈ છે. બનાવ અંગે સ્થાનિક પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, સપ્ટેમ્બર 2026
4158 |
અમદાવાદના કાલુપુર સ્વામીનારાયણ મંદિર પાસે જર્જરિત મકાન ધરાશાયી
અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે દેવસાના પાડાની સામે દરિયાપુર વોર્ડમાં મકાન ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. મકાન જર્જરિત હોવાને લઈને સ્થાનિક રહીશોએ મ્યુનિસિપિલ કોર્પોરેશનમાં જાણ કરી હતી. જાે કે, છસ્ઝ્રની ટીમ સ્થળ વિઝિટ કરીને મકાન ખાતે ફક્ત નોટિસ ચોટાડીને પરત ફરી હતી. જર્જરિત મકાનનો ભાગ બે વખત તૂટ્યાં બાદ ભયના માર્યા સ્થાનિકોએ તંત્રમાં લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં કોર્પોરેશને કોઈ નકર પગલાં ન લીધા હોવાના રહીશોના આક્ષેપ છે. જાે કે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.શહેરના દરિયાપુર વોર્ડ ખાતે મકાન ધરાશાયી થતાં સ્થાનિકોમાં દોડધામ મચી હતી. મકાન જર્જરિત હાલતમાં હોવાથી ખાલી હાલતમાં હતું અને તંત્રએ રાઉન્ડ દરમિયાન મકાન ભયજનક જણાતા મકાન પર નોટિસ લગાડવામાં આવી હતી. મકાન ધરાશાયી થયા બાદ ડેબ્રીઝ ભરાવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. રહીશોએ જણાવ્યું કે, જર્જરિત મકાન જ્યારે થોડું-ઘણું પડ્યું ત્યારે કોર્પોરેશનમાં જાણ કરીને લેખિતમાં અરજી આપી હતી. આ પછી કોર્પોરેશનની ગાડી આવીને નોટિસ લગાડીને જતી રહી હતી. તે સમયે કોર્પોરેશનના કર્મચારીએ ઉપરી અધિકારીને મળવાનું જણાવ્યું હતું. પછી અમે અધિકારીને મળવા ગયા તો અધિકારીએ બે દિવસમાં ફોન આવશે તેવું કહેલું. પરંતુ અઠવાડિયા સુધી કોઈ ફોન કે ભયજનક મકાનને તોડી પાડવાની યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી. આમ, કોર્પોરેશનના કર્મચારી ફક્ત સ્થળ વિઝિટ કરીને જતા રહ્યા હતા. છેલ્લા એક અઠવાડિયામાં બે વખત મકાનનો ભાગ પડ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, સપ્ટેમ્બર 2026
3762 |
નવરાત્રિ ડોમમાં બે ઇમરજન્સી એક્ઝિટ સાથે વ્યક્તિદીઠ ૧ ચો.મી. જગ્યા ફરજિયાત!
અમદાવાદમાં આગામી નવરાત્રિ મહોત્સવ દરમિયાન એરકન્ડિશન્ડ ડોમ ધરાવતા પ્રીમિયમ અને મિડ-લેવલ પાર્ટી પ્લોટ્સની સંખ્યામાં ગત વર્ષના ૫૦ની સરખામણીએ આ વર્ષે ૬૦થી વધુનો નોંધપાત્ર વધારો થવાની શક્યતા ધ્યાને આવતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા એક વિસ્તૃત જાહેરનામું તૈયાર કરવામાં આવ્યું છે, શહેરમાં એસ.જી. હાઇવે, સિંધુભવન રોડ અને એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં મોટા પાયે ક્લોઝ્ડ સ્ટ્રક્ચર (ડોમ) ઊભા કરવાની તૈયારીઓ શરૂ થતાં ખેલૈયાઓ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા ફાયર વિભાગે પરમિશન, ઇમરજન્સી એક્ઝિટ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગ અંગે કડક શરતો નક્કી કરી છે.નવરાત્રિ મહોત્સવ દરમિયાન લાખો ખેલૈયાઓ અને નાગરિકોની જાહેર સલામતી જળવાઈ રહે અને આગ-અકસ્માતની કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા તમામ ગરબા આયોજકો માટે ૩૦ મુદ્દાની કડક ફાયર સેફ્ટી તૈયાર કરી છે. જેને અંગે હવે આવનારા દિવસોમાં નોટિસ બહાર પાડવામાં આવી છે. ગાઇડલાઇન્સ મુજબ આયોજકોએ પંડાલની ક્ષમતા અનુસાર જ પ્રવેશ આપવાનો રહેશે, જેમાં વ્યક્તિદીઠ ઓછામાં ઓછી ૧ સ્ક્વેર મીટર જગ્યા ફાળવવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત, પંડાલમાં પરસ્પર સામે દિશામાં ઓછામાં ઓછા બે ‘ઇમરજન્સી એક્ઝિટ’રાખવા સહિતના કડક નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. ફાયર અધિકારીના જણાવ્યા મુજબ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટેજ બનાવતી વખતે સ્કૂલ, હોસ્પિટલ અને જ્વલનશીલ પદાર્થોના ગોડાઉનથી પૂરતું અંતર રાખવું પડશે જેથી ફાયર ફાઇટર વાહનો સરળતાથી આવી શકે. ભઠ્ઠી, સબ સ્ટેશન, ટ્રાન્સફોર્મર કે હાઇટેન્શન-રેલવે લાઇન નીચે કે નજીક મંડપ બાંધી શકાશે નહીં અને સ્ટ્રક્ચર વચ્ચે ૨ મીટરથી ઓછું અંતર ન હોવું જાેઈએ. પંડાલમાં કોઈ ફિક્સ પાર્ટીશન કરી શકાશે નહીં અને બહાર નીકળવાનો રસ્તો (ટ્રાવેલિંગ ડિસ્ટન્સ) ૧૫ મીટરથી વધુ ન હોવો જાેઈએ. સીટિંગ વ્યવસ્થામાં સીટની ૧૦-૧૦ બેઠક પછી ઓછામાં ઓછી ૧.૫ મીટર પહોળાઈનો પેસેજ રાખવો પડશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, સપ્ટેમ્બર 2026
3861 |
આરટીઇ હેઠળ પ્રવેશ : ૩૫ વિદ્યાર્થીઓના વાલીઓની આવકને લઈને ગંભીર સવાલો
અમદાવાદની ચાર ર્સ્વનિભર શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવેલા ૩૫ વિદ્યાર્થીઓના કેસમાં વાલીઓની આવકને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.કેટલાક વાલીઓએ લાખો રૂપિયાની આવક દર્શાવી હોવા છતાં આરટીઇ ક્વોટા હેઠળ પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવતાં હવે ડીઇઓ સમક્ષ સુનાવણી યોજાશે.રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શહેરની જાણીતી શાળામાં ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર એક વિદ્યાર્થીનાં માતા-પિતાએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે સંયુક્ત રીતે રૂ. ૨૭,૧૬,૭૧૩ની આવકનું ઈન્કમટેક્સ રિટર્ન ભર્યું હોવા છતાં આરટીઈ ક્વોટા હેઠળ પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીના પિતાએ રૂ. ૧૨,૫૪,૪૮૫ અને માતાએ રૂ. ૧૪,૫૯,૨૩૧ની આવક દર્શાવી હતી. આરટીઇ હેઠળ વાર્ષિક આવકની રૂ. છ લાખની પાત્રતા મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા વાલીઓના ૩૫ જેટલા કેસ અમદાવાદની ચાર ર્સ્વનિભર શાળાઓએ ચકાસણી દરમિયાન શોધી કાઢ્યા છે. શાળાઓએ આ તમામ કેસ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂ કર્યા છે. અન્ય એક વિદ્યાર્થીના કિસ્સામાં તેના પિતાએ વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૧૧.૭૯ લાખની આવક ઉપરાંત રૂ. ૭.૧૦ લાખની ખેતીની આવક દર્શાવી હતી. તેમ છતાં તેમના પુત્રને વર્ષ ૨૦૨૬-૨૭ માટે આરટીઈ હેઠળ પ્રવેશ મળ્યો હતો. અન્ય એક કિસ્સામાં બાળકીનાં માતા-પિતાએ વર્ષ ૨૦૨૫-૨૬ના ઈન્કમટેક્સ રિટર્નમાં ૧૩.૫૪ લાખની સંયુક્ત આવક દર્શાવી હતી અને તેમની પુત્રીને પણ આરટીઈ હેઠળ પ્રવેશ મળ્યો હતો.ડીઈઓએ જણાવ્યું છે કે તેમને ૩૫ કેસ અંગે ફરિયાદો મળી છે અને આગામી સપ્તાહે તેની સુનાવણી હાથ ધરવામાં આવશે. વાલીઓની રજૂઆત સાંભળ્યા બાદ અને શાળાઓ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજાેની ચકાસણી કર્યા પછી આગળની કાર્યવાહી અંગે ર્નિણય લેવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, સપ્ટેમ્બર 2026
3564 |
શહેરના ૫૧ વિસ્તારોમાં ડેન્ગ્યૂના હોટસ્પોટ જાહેર
શહેરમાં ચોમાસા બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાના અહેવાલો વચ્ચે એએમસી આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ગોતા, અમરાઈવાડી, હાટકેશ્વર અને ભાઈપુરા સહિતના ૫૧ વિસ્તારોને ડેન્ગ્યુના હાઈરિસ્ક હોટસ્પોટ જાહેર કરાયા હોવા છતાં સ્થળ પર દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી પૂરતી થતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ચોમાસામાં વરસાદ બાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા વધી રહી હોવા વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૫૧ જેટલા વિસ્તારોને ડેન્ગ્યુના હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવ્યા છે. જાેકે, હાઈરિસ્ક વિસ્તારોમાં રોગચાળો અટકાવવા માટે જરૂરી દવાના પાવડરનો છંટકાવ અને ફોગિંગની કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગોતા હાઉસિંગથી વસંતનગર વિસ્તાર, ચામુંડા ચોક તથા આસપાસના વિસ્તારોમાં ગંદકી અને પાણી ભરાયેલા હોવા છતાં દવાના પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો ન હોવાનો દાવો છે. વરસાદ બંધ થયા બાદ મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ફોગિંગ તેમજ દવાનો છંટકાવ જરૂરી હોવા છતાં કામગીરીના અભાવે સ્થાનિકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.પૂર્વ વિસ્તારમાં ભાઈપુરા, હાટકેશ્વર અને અમરાઈવાડી સહિતના વિસ્તારોને પણ હાઈરિસ્ક ગણવામાં આવ્યા છે. તેમ છતાં અહીં ફોગિંગ અને દવાના છંટકાવની કામગીરી ન થઈ હોવાના આક્ષેપો છે. બીજી તરફ, એએમસી દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટોનું ચેકિંગ કરી સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ મચ્છરજન્ય રોગચાળો રોકવા માટેની મેદાની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે.ચોમાસા દરમિયાન વરસાદ બંધ થયા બાદ બે-ત્રણ દિવસમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતા હોવાથી વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ અને ફોગિંગ કરવાની કામગીરી જરૂરી બને છે. સફાઈ કામગીરી બાદ દવાનો છંટકાવ કરવાનો પણ નિયમ છે. જાેકે, અધિકારીઓ દ્વારા બ્રિડિંગ સાઇટ શોધવા અંગે સૂચનાઓ આપવામાં આવી રહી હોવા છતાં વાસ્તવિક સ્થળ પર પૂરતી કામગીરી થતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભાઈપુરા વિસ્તારમાં આવેલી ધીરજ હાઉસિંગના રહેવાસી શૈલેષભાઈ માંડલિયાના જણાવ્યા મુજબ, વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે, પરંતુ એએમસી તરફથી કોઈ કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નાના બાળકો પણ બીમાર પડી રહ્યા છે અને ડેન્ગ્યુના કેસો નોંધાયા હોવા છતાં દવાનો છંટકાવ કરવા માટે કોઈ ટીમ પહોંચી નથી.સ્થાનિક રહેવાસીઓએ વધુમાં જણાવ્યું કે વિસ્તારમાં અનેક જગ્યાએ ખાડાઓમાં પાણી ભરાયેલું છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. દવાનો છંટકાવ કરવામાં આવે તો મચ્છરોની સંખ્યા ઘટી શકે તેમ હોવા છતાં કામગીરી માટે કોઈ આવતું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દર વર્ષે મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણ માટે લાખો-કરોડો રૂપિયાના ખર્ચ અને કોન્ટ્રાક્ટની કામગીરી વચ્ચે હાલની સ્થિતિએ એએમસી આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, સપ્ટેમ્બર 2026
3465 |
બાયડ નગરપાલિકાના વોર્ડ-૩માં પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો
અરવલ્લી જિલ્લાના બાયડ નગરપાલિકામાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તેમજ પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત બાયડ નગરપાલિકાના વોર્ડ નં. ૩ ની ખાલી પડેલી એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે.આ સમાચાર પોસ્ટરમાં ‘ચૂંટણી કાર્યક્રમ‘ નું સમયપત્રક પણ વિગતે આપ્યું છે: ચૂંટણી જાહેરનામું: ૧૬-૦૯-૨૦૨૬ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: ૨૬-૦૯-૨૦૨૬ ઉમેદવારી પત્રોની ચકાસણી: ૨૮-૦૯-૨૦૨૬ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: ૨૯-૦૯-૨૦૨૬ મતદાન: ૧૧-૧૦-૨૦૨૬ (રવિવાર) જાે જરૂર પડે તો પુન: મતદાન: ૧૨-૧૦-૨૦૨૬ મતગણતરી: ૧૩-૧૦-૨૦૨૬ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ: ૧૫-૧૦-૨૦૨૬ બાયડ નગરપાલિકાના વોર્ડ નં. ૩ ની ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી જાહેર થતાં બાયડ શહેરના રાજકીય વર્તુળોમાં હલચલ શરૂ થઈ ગઈ છે અને હવે વિવિધ પક્ષો તથા સંભવિત ઉમેદવારોની ગતિવિધિઓ પર સૌની નજર રહેશે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, સપ્ટેમ્બર 2026
4059 |
૨૧.૯૧ લાખની લોન ભરપાઈ કર્યા વિના માર્ગેજ મિલકત વેચાણ કરાતાં ફોજદારી
રાંદેરમાં પ્રિન્સ પાર્ક સામે વેરીબી વિક્ટોરીયા એપાર્ટમેન્ટમાં રહેતો સરફરાજ દસ્તગીર ખાન એસ.કે. ફાયનાન્સીયલ સર્વિસીસ નામથી મોટર વ્હીકલનો વેપાર ધંધો કરે છે. સરફરાઝ દસ્તગીર દ્વારા વર્ષ ૨૦૧૩માં ધી સુટેક્ષ કો-ઓપરેટિવ બેંક લી. ની રાંદેર શાખામાં ધંધાર્થે લોન લેવા અરજી કરાઇ હતી. બેંકે યોગ્ય પ્રક્રિયા કરી ૨૫ લાખની કેશ ક્રેડિટ લોન મંજુર કરી હતી.સરફરાઝે પૈસા મળતા બેંકને પ્રોમિસરી નોટ લખી આપી હતી. આ લોનમાં સંજય સુદરભાઈ કોટીયાન તથા સરફરાઝનાં માતા-પિતાએ જામીનદાર તરીકે સહી કરી હતી. સરફરાઝનાં માતા પિતાએ તેમની મિલકતની સીક્યુરિટી આપી સહી સિક્કા સહિતના લખાણો તથા જામીનખત બેંકને લખી આપ્યા હતાં. સરફરાઝે લીધેલ કેશ ક્રેડિટ ફેસિલિટી બદલ જામીનગીરી તરીકે તેની માતા હાફીઝુન્નીશાએ અડાજણનાં શાંકુતલ કોમ્પલેક્ષની દુકાન લખી આપી હતી. સરફરાઝનાં માતા-પિતાનાં મૃત્યુ થતાં તેની પત્ની સબિહા સરફરાજ ખાન જામીનદાર તરીકે કાયદેસરનાં લખાણો બેંકની તરફેણમાં લખી આપી જામીનદાર તરીકે રહ્યાં હતાં. માતાનું અવસાન થતાં તેણીએ બેંકે મોર્ગેજમાં આપેલી મિલકતની માલિકી એકમાત્ર વારસદાર સરફરાજને બેંકનાં બોજા સાથે પ્રાપ્ત થઇ હતી. ત્યારબાદ સરફરાજ નિયમિત રીતે બેંકનું લેણું ભરપાઈ કરતા ન હતા અને બેંક દ્વારા અપાયેલી નોટિસ પણ ગણકારતા ન હતાં. જેથી બેંકે મોર્ગેજ મિલકત અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે, સરફરાઝે વારસાઈ કરાવીને શાંકુતલ કોમ્પલેક્ષની મિલકત વર્ષ ૨૦૨૩માં સાદીકહુસેન અબ્દુસમદ કાનુંગાને ૧૯.૮૦ લાખમાં વેચી દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. બેંકની જાણ અને સંમતિ વિના સરફરાઝે વેચેલી આ મિલકત ખરીદાર સાદીકહુસેને શાહબુદ્દીન નિઝામુદ્દીન સૈયદને વેચી દસ્તાવેજ કરી આપ્યો હતો. જેમાં સરફરાઝે પોતે ઓળખ આપનાર તરીકે સહી કરી હતી. આ રીતે બેંક મોર્ગેજ મિલકત ૨૧,૯૧,૨૭૨ લોન ભરપાઇ કર્યા વિના વેચી દેનારા સરફરાઝ સામે બેંકનાં બ્રાન્ચ મેનેજર દિવ્યકાંત રમેશચંદ્ર વ્યાસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
17, સપ્ટેમ્બર 2026
4554 |
સબસિડી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા એટલી અટપટી છે કે વચેટીયાઓ વગર અરજી પણ શક્ય નથી
સુરતનાં ટેક્સ્ટાઇલ ક્લસ્ટરનાં નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે સરકારની ટેક્સ્ટાઇલ પોલિસી હેઠળ મળતી સહાય હવે સરળતાની જગ્યાએ ઓનલાઇન પ્રક્રિયાની ઝંઝટ બની રહી હોવાની ફરિયાદો ઉઠી છે. ગુજરાતની અત્યાર સુધીની ટેક્સ્ટાઇલ પોલિસીઓ હેઠળ મળતા વિવિધ લાભોનાં મહત્તમ ૯૦ ટકા સુધીનાં લાભાર્થી સુરતનાં ટેક્સ્ટાઇલ ક્લસ્ટરનાં એમએસએમઇ ઉદ્યોગકારો રહ્યાં છે. આમ છતાં ગુજરાત ટેક્સ્ટાઇલ પોલિસી-૨૦૨૪ હેઠળની યોજનાઓનો લાભ મેળવવા માટે શરૂ કરાયેલી ઓનલાઇન પ્રક્રિયા જ ઉદ્યોગકારો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.અત્યાર સુધી ટેક્સ્ટાઇલ પોલિસીની વિવિધ યોજનાઓ માટે ઉદ્યોગકારો પાસેથી ઓફલાઇન અરજીઓ લેવામાં આવતી હતી. રાજ્ય સરકારે છેલ્લા થોડા સમયથી પોર્ટલ નક્કી કરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન અને અરજીની પ્રક્રિયા શરૂ કરી છે. જાે કે ઉદ્યોગકારોનું કહેવું છે કે રજિસ્ટ્રેશનથી લઇને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા સુધીની પ્રક્રિયા એટલી અટપટી છે કે સામાન્ય ટેક્સટાઇલ ઉદ્યોગકાર માટે જાતે અરજી કરવી મુશ્કેલ બની છે. પરિણામે વચેટીયા કે એજન્ટની મદદ લીધા વિના ટેક્સ્ટાઇલ પોલિસી જ નહીં, ઔદ્યોગિક પોલિસીની વિવિધ યોજનાઓ માટે પણ અરજી કરવી મુશ્કેલ બની હોવાની ફરિયાદો ઉદ્યોગકારોમાંથી સામે આવી રહી છે. સુરતનાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગકારોનાં વ્હોટ્સએપ ગ્રુપોમાં પણ ઓનલાઇન અરજીની પ્રક્રિયાને લઇને ટીકાઓ થઇ રહી છે. ઉદ્યોગકારોમાં કટાક્ષ થઇ રહ્યો છે કે, અરજી કરવાની વિધિ જ આટલી ઝંઝટભરી હોય તો યોજનાનો લાભ મળતાં સુધીમાં મોઢે ફીણ આવી જશે. આ ઉપરાંત દરેક કંપનીનાં બેંક સર્ટિફિકેટ, લોનનાં દસ્તાવેજાે, બિલ, ઇન્વોઇસ અને અન્ય નાણાંકીય દસ્તાવેજાેની પદ્ધતિ અલગ હોય છે. ઉદ્યોગકારોની ફરિયાદ છે કે આ દસ્તાવેજાે કંપનીની વાસ્તવિક કામગીરી અને બેંકિંગ પ્રક્રિયા પ્રમાણે ઉપલબ્ધ હોવા છતાં સરકારી ઓનલાઇન સિસ્ટમમાં ચોક્કસ ફોર્મેટમાં દસ્તાવેજાે માગવામાં આવે છે. પરિણામે દસ્તાવેજાેને ફરીથી તૈયાર કરાવવા, યોગ્ય ફોર્મેટમાં ફેરવવા અને અપલોડ કરવા માટે પણ એજન્ટ કે અન્ય નિષ્ણાતની મદદ લેવી પડે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, સપ્ટેમ્બર 2026
4851 |
સાલાસર ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભીષણ આગ: લાખોનું કાપડ ખાક
શહેરનાં સારોલી વિસ્તારમાં કાપડ માર્કેટોમાં આગની ઘટનાઓનો સિલસિલો જારી રહ્યો છે. શ્યામ સંગિની માર્કેટમાં તાજેતરમાં જ ભીષણ આગની ઘટના બાદ આજે સવારે આ જ વિસ્તારમાં આવેલી સાલાસર ટેક્સ્ટાઇલ માર્કેટનાં પાંચમાં માળે આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. માર્કેટમાં હાજર વેપારીઓ, કારીગરો સહિત લોકોમાં આગની જાણ થતાં નાસભાગ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરી ૧૫ ફાયર સ્ટેશનની આશરે ૨૫ ગાડીઓ સાથે ૧૦૦થી વધુ જવાનોને ઘટનાસ્થળે ખડકવા પડ્યાં હતાં. આગમાં લાખો રૂપિયાનું કાપડ ખાક થઇ ગયું હતું.ફાયર વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ આજે સવારે આશરે ૧૧.૩૦ કલાકે સાલાસર ટેક્સ્ટાઇલ માર્કેટનાં પાંચમાં માળે આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયર વિભાગનું તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને અલગ-અલગ ૧૫ ગેટ પરથી ફાયર ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર વિભાગનાં મોટાભાગનાં અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પાંચમાં માળે દુકાન નં. ૫૦૪૪થી ૫૦૪૭માં આવેલી દીપુ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં આગ લાગી હતી. આગને કારણે માર્કેટનાં ઉપરનાં માળેથી ધુમાડાનાં ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. ફાયર જવાનોએ આગના સ્થળ સુધી પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને અન્ય દુકાનો તથા માળ સુધી ફેલાતી અટકાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આગને કાબૂમાં લેવામાં ફાયર વિભાગને અંદાજે ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ પણ ગરમી અને ધુમાડાને કારણે અંદાજે ત્રણ કલાક સુધી કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હાલ સામે આવ્યું નથી. આગની વિકરાળતા પાછળ માર્કેટની દુકાનમાં બનાવવામાં આવેલા ગેરકાયદે માળિયા પણ જવાબદાર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. માળિયામાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી આગને ફેલાવવા માટે ઇંધણ મળ્યું હતું. કાપડનાં જથ્થાને કારણે આગ વધુ ભીષણ બની હતી અને તેના પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને લાંબો સમય લાગ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, સપ્ટેમ્બર 2026
4653 |
ઝારખંડમાં જે મહિલાની હત્યાનો ગુનો નોંધાયો તે સુરતમાં જીવતી મળી
ઝારખંડનાં રાંચી જિલ્લામાં મહિલાની હત્યા કરી તેની લાશ સંતાડી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે નોંધાયેલા ચકચારી ગુનામાં હવે અજીબોગરીબ અને નાટકીય વળાંક આવ્યો છે. જે મહિલાની હત્યા થઈ હોવાનું માની તેના પતિ સહિત સાસરિયા સામે ઝારખંડના ખેલારી પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, તે જ મહિલા સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી જીવતી મળી આવતાં પોલીસ તપાસમાં ખળભળાટ મચી ગયો છે. સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે મહિલાને શોધી કાઢતાં ઝારખંડનાં કથિત હત્યાકેસનું રહસ્ય વધુ ગૂંચવાયું છે.પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ ઝારખંડના રાંચી જિલ્લાના ખેલારી પોલીસ મથકમાં ગત તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ પોતાની પુત્રી વિણી દેવી ઉર્ફે વિણા દેવીની તેના પતિ સામુ બંધુ મહતો તથા સાસરી પક્ષના અન્ય સભ્યોએ ભેગા મળી હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો હતો કે હત્યા કર્યા બાદ મહિલાની લાશ સંતાડી દેવામાં આવી હતી. જેના આધારે હત્યાનો ગુનો નોંધી ઝારખંડ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન સચિન જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે જે મહિલાની હત્યા થઈ હોવાનું ઝારખંડમાં નોંધાયેલા ગુનામાં જણાવાયું છે, તે મહિલા સુરતમાં હોવાની શક્યતા છે. જેના આધારે પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વિણી દેવી ઉર્ફે વિણા દેવી (ઉ.વ.૩૬), રહે. રાજુભાઈની ચાલ, શિવાંજલી સોસાયટી, સચિન જીઆઈડીસી, સુરત, મળી આવી હતી. મહિલા જીવતી અને સલામત મળી આવતાં સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે. જે મહિલાને મૃત માની તેની હત્યા અને લાશ સંતાડવા અંગે ગુનો નોંધાયો હતો તે સુરતમાં જીવતી મળી આવતાં હવે ઝારખંડ પોલીસની તપાસમાં પણ મહત્વપૂર્ણ પ્રશ્નો ઊભા થયા છે. મહિલા સુરત કેવી રીતે અને કયા સંજાેગોમાં પહોંચી તે સહિતની હકીકત બહાર આવ્યા બાદ સમગ્ર કેસનું સાચું રહસ્ય ખુલવાની શક્યતા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
16, સપ્ટેમ્બર 2026
4851 |
વીવિંગ ઉદ્યોગની કટોકટી વચ્ચે તમામ લૂમ્સ કારખાનેદારોને એક મંચ પર લાવવાની કવાયત
વીવિંગ ઉદ્યોગ હાલ વિવિધ પડકારોમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે કટોકટીની સ્થિતિમાં આગળનો માર્ગ શું હોવો જોઈએ અને કારખાનેદારોનાં હિતમાં કયા પગલાં લઈ શકાય તે મુદ્દે વીવિંગ ઉદ્યોગનાં આગેવાનો સક્રિય થયા છે. આ સંદર્ભે આજે વીવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનોની એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી જેમાં સુરતનાં ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન યોજાઈ હોય તેવી વિશાળ સંયુક્ત જાહેરસભા યોજવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી.આગામી ટૂંકસમયમાં સુરતનાં તમામ પ્રકારનાં લૂમ્સ કારખાનેદારોને એક મંચ પર લાવીને મેગા મીટિંગ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મીટિંગમાં વીવિંગ ઉદ્યોગ સામે ઊભા થયેલા વિવિધ પ્રશ્નો અંગે સામૂહિક વિચારમંથન કરી આગળની દિશા નક્કી કરવામાં આવશે. જાહેરસભા યોજવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ પ્રકારનાં લૂમ્સનાં સંગઠનો એક મંચ પર આવશે.પ્રસ્તાવિત સંયુક્ત મીટિંગમાં પાવરલૂમ કારખાનેદારો, એરજેટ વીવર્સ એસોસીએશન, રેપિયર જેકાર્ડ વીવર્સ એસોસીએશન, વોટરજેટ એસોસીએશન ઉપરાંત વીવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય નાના-મોટા સંગઠનોના આગેવાનો અને સભ્યોને પણ જોડવામાં આવશે. વીવિંગ ઉદ્યોગમાં અલગ-અલગ પ્રકારના લૂમ્સ અને સંગઠનો હોવા છતાં કારખાનેદારો સામેનાં કેટલાક પ્રશ્નો સામૂહિક છે તેથી તમામ સંગઠનોનાં આગેવાનોને એક મંચ પર લાવીને ઉદ્યોગમાં એકસૂત્રતા જાળવવા અને સામૂહિક રીતે પ્રશ્નોના ઉકેલ અંગે ચર્ચા કરવા માટે આ મેગા જાહેરસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...