આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
1683 |
ભાવનગરથી ઝેરી દારૂ પીને સુરત આવેલા યુવકે ચોથા દિવસે દમ તોડ્યો
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડનો ભોગ બનેલા સુરતના યુવકને શુક્રવારે બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ શનિવારે બપોરે તેણે દમ તોડી દીધો હતો. ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઈએનએસ હોસ્પિટલમાં તે ચાર દિવસથી સારવાર હેઠળ હતો.મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં પીરસાયેલી વ્હીસ્કી ઝેરી કેમિકલથી બનેલી હોય સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું તથા ડુપ્લિકેટ વ્હીસ્કી બનાવનાર યાદવનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજય લક્ષ્મણસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સિરિયસ હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, ત્યારબાદ તેને પરવત પાટિયા વિસ્તારની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સ્થિતિ વધું કથળતાં સંજયસિંહને આઇએનએસ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. આઈએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં તેને શુક્રવારે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. ત્યારબાદ શનિવારે બપોરે પરિવારની મંજૂરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી લેવાતાં તેનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક તબીબોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ સંજયસિંહના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપાયો હતો. સંજયે દમ તોડ્યો એ સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક ૧૧ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ઓગ્સ્ટ 2026
3762 |
શહેરમાં ડિફેન્સના નામે નકલી દારૂનો વેપાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી ૯થી વધુના મોત નિપજ્યા છે ત્યાં અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાંડનો નિકોલ અને એસએમસી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બે ફરાર છે. નકલી ઇંગ્લિશ દારૂ બનાવી છૂટક વેચાણ કરતા નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુનિલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ભેગા મળી બનાવટી અંગ્રેજી દારૂ તૈયાર કરી છૂટકમાં વેચાણ કરે છે. એસએમસી અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો. બાદમા ડેકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી.ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ૪ બોટલ, પ્લાસ્ટિકની ૪ બોટલ મળી ઉપરાંત આરોપી પાસેથી રૂ.૫,૦૦૦ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કરીને તપાસ દરમિયાન દિનેશ જંડાવાલાના કુબેરનગર સ્થિત ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો અને એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે કુલ રૂ. ૯૫૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર લગાવી વેચતા આરોપીઓની પૂછપરછ કરતા સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ તથા ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર અને ડિફેન્સનો દારૂ હોવાનું બતાવવા તેનો સિમ્બોલ લગાવી વેચતા હતા. જ્યારે દિનેશ ચામુંડા બ્રિજ પાસે ભંગારની દુકાન ધરાવતા શખ્સ પાસેથી ખાલી બોટલો અને બ્રાન્ડેડ સ્ટીકર અને તેની પર લગાવવાના સીલ લાવતો હતો. આ અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને સુનિલની ધરપકડ કરી ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ઓગ્સ્ટ 2026
3168 |
ભાવનગરથી ઝેરી દારૂ પી સુરત આવેલો યુવક ત્રણ દિવસની સારવાર બાદ બ્રેઇનડેડ જાહેર
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડમાં સુરતનાં યુવકને બ્રેઇનડેડ જાહેર કરાયો છે. પાર્ટીમાં દારૂ પી સુરત આવેલા સંજયસિંહની તબિયત લથડતાં ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઇએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં ત્રણ દિવસની સારવાર બાદ શુક્રવારે સંજયસિંહને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઇ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં રોયલ સ્ટેગ વ્હીસ્કી પીવાઇ હતી. રોયલ સ્ટેગ વ્હીસ્કી નકલી, ઝેરી તત્વોથી બનાવાયેલી હોય તેનું સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.ઉચ્ચસ્તરીય બેઠકો બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ મેદાને આવી પરંતુ એ પહેલા ઝેરી દારૂ પીવાથી ૫૦થી વધુની તબિયત લથડી ચૂકી હતી અને ૮ લોકોનાં મોત થઈ ચૂક્યા હતાં. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજયસિંહ લક્ષ્મસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સીરિયસ હાર્ટએટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, પરંતુ ત્યારબાદથી તે સતત બેભાન અવસ્થામાં સરી પડ્યો હતો. તબીબી તપાસમાં સામે આવ્યું હતું કે સંજયસિંહનાં મગજ સુધી પૂરતો ઓક્સિજન પહોંચી રહ્યો નહોતો. વધુમાં, નશાની તપાસ માટે કરાવેલા ખાસ રિપોર્ટમાં ઇથેનોલ અને મીથેનોલ પોઇઝનિંગની ગંભીર ઝેરી અસર હોવાનું સ્પષ્ટ થયું હતું. ઝેરી દારૂ પીધાનાં માત્ર ૮થી ૧૦ કલાકમાં જ ઝેર આખા શરીરમાં ફેલાઈ જતાં તેની ન્યુરોલોજીકલ સ્થિતિ કથળી ગઈ હતી, જેથી તેને તાત્કાલિક સુરતની જાણીતી ન્યુરો હોસ્પિટલ આઇએનએસમાં શિફ્ટ કરાયા હતા. આઇએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં આજે તેને આખરે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. સંજયસિંહને તેના પરિવારની મંજુરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી સત્તાવાર મૃત ઘોષિત કરાશે એવું જાણવા મળે છે. સંજયસિંહનાં મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
4950 |
ભાવનગર લઠ્ઠાંકાંડનો રેલો છેક અમદાવાદ પહોંચ્યોં : ધોલેરામાંથી દારૂની બોટલ ઝડપાઇ
ભાવનગરમાં સાત લોકોનો ભોગ લેનારા ચર્ચિત ઝેરીલા દારૂકાંડનો રેલો અમદાવાદ સુધી આવ્યો છે. અમદાવાદ જિલ્લાના. ધોલેરાના પિંગલેશ્વર નજીક મિંગળપૂર ગામ ખાતે આવેલી શૈલેષ મેરની વાડીમાંથી શંકાસ્પદ દારૂની ૨૪ બોટલો ઝડપાઈ છે, જે શૈલેષે ભાવનગરના બુટલેગર જયદીપ પાસેથી મેળવી હતી. પ્રાથમિક તપાસમાં ધોલેરાથી મળેલી આ બોટલો અને ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જનાર દારૂની બોટલો એક જ બેચની હોવાની આશંકા સેવાઈ રહી છે. આ જ બેચનો ઝેરી દારૂ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘૂસી ગયો હોવાની ગંભીર શંકાને પગલે પોલીસે તમામ બોટલોને હ્લજીન્ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે મોકલી આપી છે. હ્લજીન્નો રિપોર્ટ આવ્યા બાદ જ અમદાવાદમાં આ નકલી અને ઝેરી દારૂનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે. ભાવનગર શહેરમાં નકલી દારૂના સેવનથી હાહાકાર મચી ગયો છે. કલેક્ટર દ્વારા આપેલી માહિતી મુજબ, આ ડુપ્લીકેટ દારૂના સેવનના કારણે અત્યાર સુધીમાં ૭ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત, ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂ પીવાના કારણે ૩૯ લોકોની તબિયત લથડતા તેઓને શહેરની અલગ-અલગ ૫ હોસ્પિટલોમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુન્હાખોરી
20, ઓગ્સ્ટ 2026
5742 |
નકલી દારૂનો એક ઘૂંટડો અને મોત! મિથેનૉલ કેવી રીતે બનાવે છે દારૂને ઝેર?
ભાવનગરમાં નકલી વિદેશી દારૂના સેવન બાદ મોતની ઘટના સામે આવી છે. મીડિયા અહેવાલો મુજબ મૃત્યુઆંક 7 સુધી પહોંચ્યો છે, જ્યારે અનેક લોકો સારવાર હેઠળ છે. તપાસમાં દારૂમાં ઝેરી કેમિકલની ભેળસેળનો એંગલ સામે આવ્યો છે.નકલી દારૂમાં મિથેનૉલ જેવા ઝેરી રસાયણની હાજરી શરીર માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. મિથેનૉલ પોઇઝનિંગથી દ્રષ્ટિ ધૂંધળી થવી, ઉલટી, ચક્કર અને ગંભીર સ્થિતિમાં મોત પણ થઈ શકે છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
1287 |
નેશનલ હાઈવે પરથી બાઇક પર લઈ જવાતો પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપાયો:બે શખ્સની અટકાયત કરાઇ
આણંદ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં ગેરકાયદેસર ગર્ભપાતની દવાઓ અને નશાકારક પદાર્થોના મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આણંદ નેશનલ હાઈવે પર અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલા મોટરસાયકલ નંબર ય્ત્ન-૦૧-ઠડ્ઢ-૮૦૮૭ને અટકાવીને તપાસ કરવામાં આવતા આ પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી. પોલીસ અને ઔષધ વિભાગના સંયુક્ત ઓપરેશન દરમિયાન દર્શનભાઈ ગોકલાણી અને દિલીપભાઈ એમ. ઠાકોર નામના બે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન કુલ ૧૮૦૦ નંગ અલ્પ્રાઝોલમ જેવી નશાકારક ટેબ્લેટ્સ મળી આવતા તેને જપ્ત કરવામાં આવી છે, જે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ પ્રતિબંધિત છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી ૪૦ નંગ ‘ક્લીન-કીટ’ અને ૨૦ નંગ પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ્સ પણ કબજે કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી આણંદના ઔષધ નિરીક્ષક પી. એમ. મકવાણાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી, જેમણે સ્થળ પર પહોંચીને દવાઓની સઘન ચકાસણી કરી હતી.ઉલ્લેખનિય છે કે, આ પકડાયેલા આરોપીઓ પૈકી દિલીપ ઠાકોર પાસે આ દવાઓનો સંગ્રહ કે વેચાણ કરવા માટેનું કોઈ પણ કાયદેસરનું લાઇસન્સ કે માન્ય ખરીદ બિલ મળી આવ્યું નથી. આ ગેરકાયદેસર જથ્થો અમદાવાદના વિશાલ ઠક્કર પાસેથી મેળવ્યો હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે. વડોદરાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર ડૉ. એ. એચ. ઝાલાના સુપરવિઝન હેઠળ આ કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં જપ્ત કરાયેલી ગર્ભપાતની કીટ્સના નમૂનાઓ લઈને તેના પૃથ્થકરણ માટે વડોદરા સ્થિત ખોરાક અને ઔષધ પ્રયોગશાળામાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને આ કીટ્સમાં રહેલા મીફેપ્રીસ્ટોન અને મીઝોપ્રોસ્ટોલ જેવા સંવેદનશીલ ઘટકોની ચકાસણી કરવામાં આવશે. આણંદ એસ.ઓ.જી. શાખા દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી આ ડ્રગ રેકેટના મૂળ સુધી પહોંચવા અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા સઘન તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
1485 |
ગેરકાયદે થતાં રેતી ખનન પર પુન: ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું
આણંદ જીલ્લામાંથી પસાર થતી મહિસાગર ના પટમાંથી મોટાપાયે ગેરકાયદે રેતી ખનન થતું હોય બે દિવસ પૂર્વ ગંભીરા વિસ્તારમાં ખાણખનીજ વિભાગ સપાટો બોલાવી બે ઇટાચી મશીન સાથે બે ડમ્પર જપ્ત કર્યા બાદ પુન: જીલ્લાના બિલપાડ વિસ્તારમાં મહિસાગર ના પટમાંથી ગેરકાયદે રેતી ખનન પર પુન: ખાણખનીજ વિભાગ ત્રાટકી એક જેસીબી તથા ચાર ડમ્પર જપ્ત કરતાં રેતી માફિયાઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ જીલ્લામાંથી પસાર થતી મહિસાગર ના પટમાંથી મોટાપાયે ગેરકાયદે રેતી ખનન થતું હોવાના પગલે એસએમસી હોય કે સ્થાનિક ખાણખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી લાખોના મુદ્દામાલ કબજે કરી સમયાંતરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોવા છતાં રેતી માફિયાઓ કોઇપણ ડર વગર ગેરકાયદે રેતી ખનન કરતા હોય શું આ પાછળ રાજકીય ઓથ? જેવા સવાલ વચ્ચે આણંદના બિલપાડ વિસ્તારમાંથી પસાર થતી મહિસાગર પટમાંથી મોટાપાયે ગેરકાયદે રેતી ખનન થતું હોવાની જાણ આણંદ ખાણખનીજ વિભાગ ને થતાં વિભાગના સંકેત પટેલ તથા પાવન બારોટે સ્થળ પર ત્રાટકી એક જેસીબી મશીન તથા ચાર ડમ્પર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં રેતી માફિયાઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યા નું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
1485 |
કોન્સ્ટેબલ પત્ની ઉપર હુમલો કરનાર પતિનું રહસ્યમય મોત : સેવાલિયા ગામમાં મહિસાગરમાંથી એક્ટિવા મળી આવ્યું
ગોધરામાં પોલીસ કોન્સ્ટેબલ પત્ની પર જીવલેણ હુમલો કરનાર પતિના રહસ્યમય મોત અને ત્યારબાદની તપાસમાં આજે એક મહત્વનો વળાંક આવ્યો છે. ઘટનાના ચોથા દિવસે (૨૨ ઓગસ્ટ, શુક્રવારે) સેવાલિયા ખાતેથી પસાર થતી મહીસાગર નદીના પેટાળમાંથી મૃતક મહિપાલસિંહ ઝાલાનું એક્ટિવા મળી આવ્યું છે. આ શોધખોળ બાદ પોલીસ તપાસ વધુ તેજ બની છે.ગોધરાના વાવડી ખુર્દ ગામે રહેતા અને ડીજેનો વ્યવસાય કરતા મહિપાલસિંહ કિરણસિંહ ઝાલાએ ગત ૧૭ અને ૧૮ ઓગસ્ટની રાત્રે પંચમહાલ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ફરજ બજાવતી પોતાની પત્ની મીનાબેન ઝાલા પર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મીનાબેનના માથા અને હાથ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલા બાદ મહિપાલસિંહ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના બીજા જ દિવસે, ૧૯ ઓગસ્ટે સેવાલિયા ગામમાં મહીસાગર નદીના કિનારે આવેલા એક બાવળના ઝાડ પર મહિપાલસિંહની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. મૃતદેહના માથા પર ઈજાના નિશાન અને કપડાં પર લોહીના ડાઘા હોવાથી આ કેસ આત્મહત્યા છે કે હત્યા, તે અંગે ગંભીર સવાલો ઉભા થયા હતા. મૃતકના ભાઈ જયપાલસિંહ ઝાલાએ હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આજે (૨૨ ઓગસ્ટે) સેવાલિયા પોલીસ દ્વારા તપાસના ભાગરૂપે મહીસાગર નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક અનુભવી તરવૈયાઓની મદદથી સતત પાંચ કલાકની ભારે જહેમત બાદ નદીના ઊંડા પાણીમાંથી મહિપાલસિંહનું એક્ટિવા મળી આવ્યું છે. પોલીસ હવે આ મુદ્દા પર તપાસ કરી રહી છે કે શું આ એક્ટિવા જાણીજાેઈને નદીમાં ફેંકવામાં આવ્યું હતું કે અન્ય કોઈ ઘટના બની છે. આ કેસની તપાસ કરવા માટે સેવાલિયા પોલીસ ઉપરાંત ન્ઝ્રમ્, હ્લજીન્ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને ડોગ સ્ક્વોડની ટીમો કામે લાગી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ડેટા એનાલિસિસ અને ઘટનાસ્થળે મળેલા પુરાવાઓના આધારે સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ઓગ્સ્ટ 2026
2970 |
ખેડા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઈવ : હેલ્મેટ પહેરજાે નહિ તો મેમો ઘેર આવશે
નડિયાદ : ખેડા જિલ્લા પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ૨૦ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી એક ખાસ હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ માત્ર કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતી સીમિત ન રહેતાં, ખેડા જિલ્લાના તમામ તાલુકાઓ અને દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એકસાથે કડક રીતે અમલી બનાવવામાં આવી રહી છે. ડ્રાઈવના ભાગરૂપે ખેડા, ઠાસરા,ડાકોર,સેવાલિયા,કઠલાલ,મહેમદાવાદ,મહુધા, નડિયાદ, માતર, કપડવંજ સહિતના તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા મુખ્ય ચોકડીઓ અને હાઈવે પર સઘન ચેકિંગ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. ખેડા-વડાલા પાટિયા પાસે કરાયેલા ચેકિંગ દરમિયાન જ હેલ્મેટ વગર નીકળેલા આશરે ૫૦ જેટલા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને સ્થળ પર જ ઓનલાઈન મેમો ફટકારવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ રીતે દંડનીય કાર્યવાહી અને ઓનલાઈન મેમો આપવાની ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ ડ્રાઈવનો મુખ્ય હેતુ માત્ર દંડ વસૂલવાનો કે મેમો આપવાનો નથી, પરંતુ લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ચેકિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ વાહનચાલકોને અટકાવીને હેલ્મેટના ફાયદા અને માથાની ગંભીર ઈજાઓથી બચવા અંગેનું મહત્વ પણ સમજાવી રહ્યા છે.”
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, ઓગ્સ્ટ 2026
4752 |
ફાગવેલમાં ૧૫મી ઓગસ્ટે ‘વાવેલા’ વૃક્ષો ગાયબ!
૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નવરચિત ફાગવેલ તાલુકા મથકે મોટા ધામધૂમથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા, સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, શાસક પક્ષના જિલ્લા પ્રમુખ અને જિલ્લા ફોરેસ્ટ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓએ કેમેરાના ફ્લેશ અને તાળીઓના ગડગડાટ વચ્ચે ભારે ઉપાડે ‘વૃક્ષારોપણ’ કર્યું હતું. પરંતુ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ગણતરીના દિવસો પણ નથી થયા, ત્યાં જ એ તમામ વાવેલા છોડવાઓ સ્થળ પરથી ગાયબ થઈ ગયા છે!આ કોઈ અકસ્માત નથી, પણ પ્રજાના સરકારી નાણાં પર તંત્ર અને નેતાઓ દ્વારા આચરવામાં આવેલો સીધો ધતિંગ છે. શું વહીવટી તંત્ર અને નેતાઓ માટે વૃક્ષારોપણ માત્ર ફોટા પડાવવાનો અને કેમેરા સામે હસવાનો જ ‘પબ્લિસિટી સ્ટંટ’ બનીને રહી ગયો છે? કાગળ પર પર્યાવરણ બચાવવાના ડાહ્યા ઉપદેશો આપતું જિલ્લા વહીવટી તંત્ર વાસ્તવમાં કેટલું ઘોર બેદરકાર છે, તેનો આ ઘટનાથી પર્દાફાશ થયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, સમગ્ર બાબતે કઠલાલના આરએફઓ સુનિલસિંહ વાઘેલાએ મીડીયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં પોતાની નાકામી અને બેદરકારી સ્વીકારી છે. તેમણે બહાનું આગળ ધર્યું કે પ્રાંત અધિકારીની સૂચના છતાં અન્ય સરકારી કામગીરીના કારણે તેમનું ધ્યાન ન રહ્યું! સરકારી કાર્યક્રમોનું બહાનું બતાવીને પર્યાવરણ અને પ્રજાના પૈસાનું નુકસાન ચલાવી લેવાય? હવે જ્યારે ભાંડો ફોડાઈ ગયો છે, ત્યારે “ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળું મારવા” નીકળેલા ઇર્હ્લં ફરીથી ત્યાં વૃક્ષો વાવીને જતન કરવાની વાતો કરી રહ્યા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સરકારી વૃક્ષારોપણ યોજનાઓ માત્ર અધિકારીઓના સબમિટ થતા રિપોર્ટો અને નેતાઓની પ્રચાર પ્રવૃત્તિ પૂરતી જ સીમિત છે. જનતા પૂછી રહી છે કે પ્રચારના નામે આચરવામાં આવતા આવા ધતિંગો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? કારણ કે નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની સાથે જાેડાયેલી બાબતે ઉજાગર થયેલી બેદરકારી જાણે કે સામાન્ય ભુલ હોય એમ આસાનીથી ફરીથી વૃક્ષો ઉછેરવાનું કહીને મામલો ઢાળી દેવાશે, એવું જિલ્લાભરની જનતાને વિશ્વાસપુર્વક લાગી રહ્યું છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
2376 |
પાટનગરની ૮ હોટલ-રેસ્ટોરન્ટની તપાસ, પાંચને સુધારણા નોટિસ
ગાંધીનગર જિલ્લામાં હોટલ-રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ખાદ્યચીજાેની ગુણવત્તા જળવાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. લવારપુર તથા ચિલોડા-હિંમતનગર હાઇવે પર આવેલી કુલ ૮ હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્યચીજાેની ગુણવત્તા ઉપરાંત સેનેટેશન અને હાઇજીનની સ્થિતિની પણ ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન સ્વચ્છતા અને હાઇજીન સંબંધિત ક્ષતિઓ જાેવા મળતાં પાંચ હોટલ-રેસ્ટોરન્ટને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં લવારપુરની ગુજરાત ઢાબા, જય ભવાની કાઠીયાવાડી ઢાબા, મોટા ચિલોડા હાઇવેની હોટલ બ્લ્યુ રોક, શિહોલીની સ્વસ્તિક હોટલ અને મોટા ચિલોડાની શ્રી અભિનંદન ફાસ્ટફૂડનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ પેઢીઓને જરૂરી સુધારા કરવા સૂચના આપવામાં આવી છે. નોટિસ બાદ પણ સ્થિતિમાં સુધારો નહીં જણાય તો વધુ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. ફૂડ સેફ્ટી ટીમ દ્વારા પુરોહિત દાલબાટી, ઇન્ફીનીટી ફૂડ કોર્ટ અને ઝીબ્રાતા ફૂડ કોર્નરની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પુરોહિત દાલબાટી ખાતેથી દાળ અને સેવ-ટામેટાના શાકના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે ગુજરાત ઢાબા ખાતેથી રીંગણનું ભડથું અને પુલાવના નમૂના લેવામાં આવ્યા છે.આ તમામ નમૂનાઓ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીમાંથી પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
1485 |
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બોપલ-ઘુમામાં જળબંબાકાર મુદ્દે લોકોની રજૂઆત સાંભળશે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી ૨૭ ઓગસ્ટે ગુજરાતના એકદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ ગુજરાતની મુલાકાતે આવી રહેલા અમિત શાહના પ્રવાસ દરમિયાન જાહેર સભા, લોક દરબાર, વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકો યોજાવાની છે.પોતાના સંસદીય મતવિસ્તાર અમદાવાદ અંતર્ગત આવતા બોપલ અને ઘુમા વિસ્તારમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને લઈને અમિત શાહ ખાસ લોક દરબાર યોજશે. આ દરમિયાન તેઓ સ્થાનિક નાગરિકો, સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ કરશે. જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે બોપલ અને ઘુમા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિસ્તાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળ્યાને આશરે પાંચ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અંગે સ્થાનિકોમાં અસંતોષ જાેવા મળ્યો હતો.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાશે. લોક દરબારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા તેમજ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. અમિત શાહ પોતાના પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે નવા તૈયાર કરાયેલા ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના અગ્રણી હોદ્દેદારો સાથે વિશેષ બેઠક યોજાશે. પ્રવાસ દરમિયાન અમરેલી ખાતે વિશાળ જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સભા મારફતે તેઓ જનસંવાદ સાધશે અને સ્થાનિક કાર્યકરો તથા જનતા સાથે જાેડાશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
2178 |
સિંહોની અવરજવર અને અન્ડરપાસની કામગીરીનો અહેવાલ રજૂ કરવા સરકારને હાઇકોર્ટનો આદેશ
ગુજરાતમાં એશિયાટિક સિંહોના અપમૃત્યુના અહેવાલને આધારે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ સુઓ મોટોની ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ વધુ સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં હવે કામગીરી માટે બાકી રહેલા અંડરપાસના રેટ્રોફિટિંગની સ્થિતિ, નવા અંડરપાસના નિર્માણની પ્રગતિ, સિસ્ટમની અસરકારકતા અને -આધારિત મોનિટરિંગની સ્થિતિ અંગેનો અહેવાલ જૂનાગઢ વન સંરક્ષકના સોગંદનામા સાથે રજૂ કરવાનો ખંડપીઠે આદેશ અપાયો છે. આ સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને સરકાર પક્ષ તરફથી માહિતી આપવામાં આવી હતી કે જૂન, ૨૦૨૪ દરમિયાન ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં સિંહોના રક્ષણ અને અકસ્માત નિવારણ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા જૂન, ૨૦૨૪ થી જુલાઈ,૨૦૨૬ વચ્ચે ૮ ઉચ્ચ સ્તરીય બેઠકો તથા અન્ય સર્કલ, ડિવિઝનલ અને રેન્જ સ્તરની બેઠકો યોજવામાં આવી છે. સિંહોની અવરજવર પર નજર રાખવા માટે આધારિત મોનિટરિંગ, અર્લી વૉર્નિંગ સિસ્ટમ્સ, કેમેરા, ઈન્ટ્રૂઝન ડિટેક્શન ડિવાઈસ સિસ્ટમની ટ્રાયલ અને એન્જિનમાં ટ્વિન ન્ઈડ્ઢ હેડલાઇટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિંહોને રેલવે ટ્રેક પરથી હટાવવા માટે ૭૦ જેટલા રેલવે ટ્રેકર્સ રોકવામાં આવ્યા છે અને સિંહો તથા અન્ય પ્રાણીઓને ટ્રેક પરથી સુરક્ષિત ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રેલવે ટ્રેક આસપાસની ૩૩.૪ કિલોમીટર એટલે કે આશરે ૧૪.૨૩ હેક્ટરમાંથી વનસ્પતિ અને ઝાડીઓ સાફ કરવામાં આવી છે. જેથી પ્રાણીઓ દેખાઈ શકે.એપ્રિલ, ૨૦૨૬ થી જુલાઈ, ૨૦૨૬ વચ્ચે ૧,૩૫૬ અને કુલ ૫,૯૦૯ કોશન ઓર્ડર જાહેર કરાયા છે. ૯ કાયમી અને લગભગ ૧૦૦ અન્ય મુવમેન્ટ હોટસ્પોટ્સ ઓળખવામાં આવ્યા છે. જુલાઈ ૨૦૨૬ સુધીમાં ૧૫૯થી વધુ લોકો પાઇલટ્સ અને આસિસ્ટન્ટ લોકો પાઇલટ્સને ટ્રેનિંગ અને કાઉન્સિલિંગ આપવામાં આવ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
1683 |
રાજ્યમાં ૩૦થી વધુ મેડિકલ સ્ટોર-એજન્સીઓમાં તપાસ
રાજ્યના નાગરિકોને જીવનજરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. તાજેતરમાં મળેલી બાતમીના આધારે અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ છેલ્લા ત્રણ દિવસથી સઘન તપાસ હાથ ધરાઈ છે. તંત્રને માહિતી મળી હતી કે જે. બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિ., ભરૂચ દ્વારા ઉત્પાદિત નિકાર્ડિયા રિટાર્ડ-૧૦ ટેબ્લેટ, બનાવટી અથવા ડુપ્લિકેટ દવા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ. ખાતે વેચાતી હોવાની શક્યતા છે. આ માહિતીના આધારે તા. ૧૯ ઓગસ્ટથી અમદાવાદ અને અન્ય સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન તંત્ર દ્વારા ૩૦થી વધુ પેઢીઓ અને મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી છે. તપાસ હજુ પણ ચાલુ છે. તપાસ દરમિયાન નડિયાદના કિશન મેડિકલ સ્ટોરમાંથી જે. બી. કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિ., ભરૂચના નામે દર્શાવાયેલી નિકાર્ડિયા રિટાર્ડ-૧૦ ટેબલેટ, બેચ જથ્થો મળી આવ્યો હતો. આ દવાના કુલ ૬૬૦ ટેબ્લેટ નિયત નમૂના હેઠળ જપ્ત કરી તેનું પરીક્ષણ કરવા માટે મોકલી અપાયું છે. આ ઉપરાંત પાર્શ્વ મેડિકલ એજન્સી, પાલડી, અમદાવાદથી એપેક્ષ ફાર્મા એજન્સી, ભાવનગર મારફતે રોટરી ટીમ્બી મેડિકલ સ્ટોર્સ, ટીમ્બી જી: ભાવનગર ને સપ્લાય કરાયેલ ઉક્ત દવાની ૫૯૦ ટેબ્લેટનો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત તપાસ દરમિયાન અન્ય શંકાસ્પદ દવાઓના પણ નમૂના લેવામાં આવ્યા છે અને સંબંધિત જથ્થાને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તેમાં વિવિધ બેચની નિકાર્ડિયા રિટાર્ડ-૨૦ ટેબ્લેટસ, તથા નિકાર્ડિયા રિટાર્ડ- ૧૦ ટેબ્લેટ્સનો સમાવેશ થાય છે. વિવિધ પેઢીઓમાંથી અંદાજે રૂ. ૧.૭૦ લાખની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો નિયત નમૂના હેઠળ પ્રતિબંધિત કરાયો છે. પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ દવાની સપ્લાય ચેન પણ સામે આવી છે. તપાસ મુજબ સપ્લાય ચેન નીચે મુજબ છે. સેના ફાર્માસ, લખનઉ (ઉત્તર પ્રદેશ) પાર્થ મેડિકલ એજન્સી, પાલડી, અમદાવાદ પારસ ઈકોમેડ, સેટેલાઇટ, અમદાવાદ સાણંદ મેડિકલ સ્ટોર, સાણંદ લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ., સેટેલાઇટ, અમદાવાદ સુધી હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા સંબંધિત અન્ય પેઢીઓની ખરીદ-વેચાણની વિગતોની પણ ચકાસણી કરાઈ છે. સમગ્ર મામલે સઘન તપાસ ચાલુ છે અને તપાસનો વ્યાપ ઉત્પાદક સુધી લઈ જવાશે. જરૂર જણાશે તો સંડોવાયેલા લોકો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
1485 |
દશામાં મૂર્તિ વિસર્જન : બે યુવાનોના નદીમાં ડૂબી જવાથી મોત
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સપ્તેશ્વર ખાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન કરવા આવેલા બે યુવાનોના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. તહેવારના દિવસે જ પરિવારના બે દીકરાઓ ગુમાવતા પરિવારો પર આભ તૂટી પડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના રહેવાસી આ બન્ને યુવકો વહેલી સવારે દશામાની મૂર્તિ પધરાવવા માટે સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીના કિનારે પહોંચ્યા હતા. પૂજા-અર્ચના કર્યા બાદ નદીમાં મૂર્તિ વિસર્જન કરવા માટે તેઓ પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક પગ લપસતા કે ઊંડા પાણીનો અંદાજ ન આવતા બન્ને યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. યુવકોને પાણીમાં ડૂબતા જાેઈ પરિવારજનોએ બૂમાબૂમ કરી હતી, જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇડર, હિંમતનગર અને વિજાપુરથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણ તાલુકાની ફાયર વિભાગની ટીમો દ્વારા સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે યુવકોના માત્ર મૃતદેહ જ હાથ લાગ્યા હતા. ભારે જહેમત બાદ પણ તેમને બચાવી શકાયા નહોતા. હિંમતનગર પાલિકાની ફાયર ટીમના મયંક પટેલે જણાવ્યું હતું કે, દશામાના દસ દિવસના વ્રત પૂર્ણ થતાં આજે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના અનેક ભક્તો સપ્તેશ્વર ખાતે મૂર્તિ વિસર્જન માટે ઉમટી પડ્યા હતા, તે દરમિયાન આ કમનસીબ ઘટના બની હતી. યુવાન વયના બે સંતાનોના અકાળ અવસાનથી મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
1287 |
આંજણામાં મકાનની અગાસીમાં ગેરકાયદે સ્ટ્રક્ચરમાં બનાવાયેલાં ખાતામાં ભીષણ આગ: બે કારીગરો ઈજાગ્રસ્ત
શહેરનાં આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલ જય નારાયણ એસ્ટેટમાં પતરાનાં ગેરકાયદે બનાવાયેલાં સ્ટ્રક્ચરમાં ધમધમતા લેસપટ્ટીનાં ખાતામાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ કુલ ૯ ફાયર સ્ટેશનથી ૧૫ થી વધુ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો. ભારે જહમત બાદ ફાયર વિભાગની ટીમે આગને કાબુમાં લીધી હતી. જાેકે આ બનાવમાં એક વ્યક્તિ દાઝી ગયો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિ જીવ બચાવવા ચોથા માળેથી બાજુની બિલ્ડિંગમાં કૂદી જતા તેમને પણ ઈજા પહોંચી હતી. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ જ્યારે કોઈ ગંભીર ઘટના બને ત્યારે કામગીરી કરવા માટે ટેવાયેલા છે. જેના કારણે સુરત શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે ટેમ્પલ સ્ટ્રકચરોનો રાફડો ફાટ્યો છે અને સુરત શહેરમાં હવે તો મિલકતો ઉપર પણ ગેરકાયદે પતરાના ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અગાસીનો ભાગ કવર કરી આડેધડ ખાતાઓ ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓને આ દેખાતું નથી. જ્યારે ફરીથી તક્ષશિલા અગ્નિકાંડ જેવી કોઈ ગંભીર ઘટના સર્જાશે ત્યારે જ પાલિકાના અધિકારીઓ સફાળા જાગશે અને માત્ર દેખાવા માટે ટેમ્પરરી સ્ટ્રકચરો અને મિલકતો પર ગેરકાયદે પતરાના શેડ બનાવી ખાતાઓ ચલાવતા લોકો સામે કાર્યવાહી કરાશે તે નક્કી છે. શહેરમાં આજે ફરી એકવાર મકાનમાં અગાસીમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલાં સ્ટ્રક્ચરમાં ધમધમતા લેસપટ્ટીના ખાતામાં ભીષણ આગની ઘટના બની છે. આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલ જય નારાયણ એસ્ટેટમાં ખાતા નંબર ૪૦ માં વૈષ્ણવી લેસ ખાતું આવેલું છે. આજે બપોરના સમયે કર્મચારીઓ ખાતામાં કામ કરતા હતા ત્યારે અચાનક જ કોઈ કારણસર ખાતામાં આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લેસનું ખાતું આગની ઝપેટમાં આવી ગયું હતું. આ સમયે ખાતામાં કામ કરતો ૧૮ વર્ષીય સચિન શ્રીપાલ શરીરે દાઝી જતા ફાયર બ્રિગેડ વિભાગના જવાનો દ્વારા તેને રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ખાતામાં કામ કરતો રણજીત છેદીલાલ પાલ નામનો યુવક ચોથા માળેથી બાજુની બિલ્ડિંગમાં બીજા માળે જીવ બચાવવા કૂદકો માર્યો હતો. જેના કારણે તેને હાથ અને પગમાં ફેક્ચર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભીષણ આગને કાબુમાં લેવા ફાયર બ્રિગ્રેડ વિભાગ દ્વારા ડુંભાલ, માન દરવાજા, ઉધના, ડીંડોલી, મજુરા, પુણા, અશ્વનિકુમાર, નવસારી બજાર અને કતારગામ ફાયર સ્ટેશનથી કુલ ૧૫થી વધારે ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ત્રણ કલાક સુધી સતત પાણીનો મારો કરી ભીષણ આગને કાબુમાં લીધી હતી.ભીષણ આગને પગલે ખાતામાં રહેલ લેસપટ્ટીનો જથ્થો તથા બોબીન અને મશીનરી સહિતનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
1485 |
આવાસો ભાડે આપનાર માલિકોનાં મકાન પાલિકા દ્વારા પરત લઇ લેવાશે
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં બનાવવામાં આવેલા આવાસો જરૂરિયાત મંદ લોકોને ડ્રો સીસ્ટમ દ્વારા ફાળવવામાં આવ્યા છે પરંતુ આવાસનાં માલિકોએ તેમને પોતાની કાયમી આવકનું સાધન બનાવી ભાડે આપી દીધા છે. ‘લોકસત્તા જનસત્તા’ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને સમગ્ર શહેરમાં આવાસોમાં તપાસના આદેશ આપ્યા હતા. જાે કે પાલિકાની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો અને મોટાભાગનાં આવાસો ભાડે આપવામાં આવેલા હોવાનું પણ સામે આવ્યું છે. પાલિકા દ્વારા અનેક ભાડુતો અને રંગે હાથ પકડવામાં આવ્યા છે તો કેટલાક કિસ્સાઓમાં ભાડુતો ચેકિંગ આવે તે પહેલા જ પલાઈન થઈ ગયા છે. જાેકે આગામી દિવસોમાં હવે ચેકીંગ દરમિયાન જ્યાં પણ ભાડુતો પકડાયા છે તે આવાસના માલિકો પાસેથી આવાસ પાલિકા દ્વારા પરત લઈ લેવામાં આવશે.સુરત મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત શહેરમાં હજારો આવાસ બનાવવામાં આવ્યા છે. લકી ડ્રો સીસ્ટમ દ્વારા પાલિકા દ્વારા જરૂરિયાત મંદ લોકોને આ આવાસની ફાળવણી કરવામાં આવી છે પરંતુ નવાઈની વાત તો એ છે કે આ આવાસનાં માલિકોએ પોતાને રહેવા માટે મળેલા ઘરને આવકનું સાધન બનાવી દીધું છે અને પોતાના આવાસ ને ભાડે ફેરવી રહ્યા છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ વંદન આવાસમાં ૧૦૦૦ કરતાં પણ વધારે ભાડું તો રહેતા હોવાની અહેવાલ ‘લોકસત્તા જનસત્તા’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જાેકે આ અહેવાલને પગલે તાત્કાલિક ધોરણે પાલિકા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પાલિકાની તપાસમાં પ્રથમ દિવસે જ મોટો ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા હતા. જેમાં અલગ અલગ સુમન આવાસોમાં ૨૫૦ થી વધારે ભાડુતો રંગેહાથ પકડાઈ ગયા હતા. જ્યારે ૧૫૦૦થી વધારે ભાડુતો ચેકિંગ આવે તે પહેલા જ ઘર છોડી પલાયન થઈ ગયા છે. જાે કે આ આંકડા માત્ર રાંદેર ઝોન વિસ્તારનાં છે પરંતુ પાલિકા દ્વારા સુરતના તમામ કુલ ૯ ઝોનમાં તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. જેથી આગામી દિવસોમાં વધુ ચોકાવનારી માહિતીઓ સામે આવે તેવી શક્યતાઓ છે. જાેકે હવે પાલિકા દ્વારા આ તમામ ભાડે આવાસો આપનાર માલિકો સામે લાલ આંખ કરી છે. જે પણ આવાસનાં માલિકો દ્વારા પોતાના આવાસ ભાડે આપવામાં આવ્યા છે તેઓ પાસેથી આવાસ પરત લઈ લેવા સુધીની કાર્યવાહી કરવાની તજવીજ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે જેના કારણે આવાસના માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
1683 |
લસકાણામાં લગ્નના પાંચ મહિનામાં જ દંપતીએ ફાંસો ખાધો, પતિનું મોત
સુરતના લસકાણા વિસ્તારમાં લગ્નના માત્ર પાંચ મહિનામાં જ યુવક અને તેની પત્નીએ ગળે ફાંસો ખાતાં ચકચાર મચી ગઈ હતી. બનાવમાં પતિનું મોત થયું હતું, જ્યારે તેની પત્ની રિંકુને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે બનાવ પાછળ ગૃહકલેશની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવકનું મોત નીપજ્યું હોવાનું જણાતા પરિવારજનો પોલીસ કાર્યવાહી વગર જ મૃતદેહને લઈને મધ્યપ્રદેશના વતન તરફ રવાના થઈ ગયા હતા. અને કરજણ સુધી પહોંચી ગયા હતા. બાદમાં પોલીસે પરિવારને મૃતદેહ સાથે પરત બોલાવ્યો હતો. મૂળ મધ્યપ્રદેશના વતની ૨૦ વર્ષીય યુવરાજ કટારા હાલ તેની પત્ની રિંકુ સાથે હાલમાં શહેરના લસકાણા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીની બાંધકામ સાઈટ પર રહેતા હતા. બંને પાંચ મહિના પહેલા જ લગ્નગ્રંથીથી જાેડાયા હતાં. ગત સવારે બંનેએ ત્યાં એંગલ સાથે અલગ-અલગ દુપટ્ટા બાંધી ગળેફાંસો ખાધો હતો. સંબંધીઓ ત્યાં આવતા સમગ્ર બનાવની જાણ થઈ હતી. યુવરાજનું મોત નીપજ્યું હોવાનું જણાતા પરિવારજનો મૃતદેહને લઈને મધ્યપ્રદેશના વતન તરફ રવાના થઈ ગયા હતા. પરિવારજનો પોસ્ટમોર્ટમ સહિતની પોલીસ કાર્યવાહી અંગે અજાણ હોવાથી મૃતદેહને લઈને કરજણ સુધી પહોંચી ગયા હતા. બીજી તરફ, રિંકુને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ તરફથી લસકાણા પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવતાં પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે પરિવારજનોનો સંપર્ક કરી તેમને કરજણથી પરત સુરત બોલાવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી માટે પરત લાવવામાં આવ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
2178 |
રેગ્યુલર મ્યુનિસિપલ કમિશનરની વિના ધણીધોરી વિનાનું બની ગયેલાં સુરત શહેરમાં કચરાનાં ઢગલાં
રેગ્યુલર મ્યુનિસિપલ કમિશનરની વિના ધણીધોરી વિનાનું બની ગયેલાં સુરત શહેરમાં કચરાનાં ઢગલાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી પણ સાવ ખાડે ગઇ હોય તેવાં દ્રશ્યો સ્વચ્છતામાં નંબર વન મેળવનાર સુરત શહેર આ વખતે દેશમાં ફરી મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે કે કેમ તે અંગે શહેરીજનો તેમજ મહાનગર પાલિકાનાં અધિકારીઓને જ શંકા છે. શહેરમાંથી કચરો ઉઠાવવા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં સ્હેજપણ ધ્યાન આપવામાં નહીં આવતાં શહેરમાં ઠેર ઠેર કચરાનાં મોટા મોટા ઢગલાં નજરે પડે છે. સેન્ટ્રલ ઝોનની સ્થિતિ ખરાબ હોવાથી શુક્રવારે ભાજપનાં કોર્પોરેટરોએ પણ મહાનગર પાલિકાની મુખ્ય કચેરીએ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી હતી. વરાછામાં અર્ચના સ્કુલ પાસે અને પુણા ગામ ઘાંચી સમાજની વાડી પાસે કચરાનો એટલો મોટો ઢગલો થઇ ગયો હતો કે અડધો રસ્તો જ કચરાને કારણે દબાઇ ગયો હતો જેથી વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
1683 |
ભાવનગરથી ઝેરી દારૂ પીને સુરત આવેલા યુવકે ચોથા દિવસે દમ તોડ્યો
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડનો ભોગ બનેલા સુરતના યુવકને શુક્રવારે બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ શનિવારે બપોરે તેણે દમ તોડી દીધો હતો. ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઈએનએસ હોસ્પિટલમાં તે ચાર દિવસથી સારવાર હેઠળ હતો.મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં પીરસાયેલી વ્હીસ્કી ઝેરી કેમિકલથી બનેલી હોય સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું તથા ડુપ્લિકેટ વ્હીસ્કી બનાવનાર યાદવનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજય લક્ષ્મણસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સિરિયસ હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, ત્યારબાદ તેને પરવત પાટિયા વિસ્તારની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સ્થિતિ વધું કથળતાં સંજયસિંહને આઇએનએસ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. આઈએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં તેને શુક્રવારે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. ત્યારબાદ શનિવારે બપોરે પરિવારની મંજૂરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી લેવાતાં તેનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક તબીબોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ સંજયસિંહના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપાયો હતો. સંજયે દમ તોડ્યો એ સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક ૧૧ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...