આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
4851 |
પોલીસ જાગી: અમદાવાદમાં ૩ દિવસમાં ૪૩૬ કેસ, ૪૭૬ની ધરપકડ અને ૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયા બાદ રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે તમામ શહેરો અને જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ પ્રોહીબીશન ડ્રાઇવ રાખવાની કડક સૂચના આપી હતી. આ આદેશના પગલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક્શન મોડમાં આવીને તમામ સ્થાનિક પોલીસ અધિકારીઓને દારૂ તેમજ જુગારની બદીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને ઝોન એલસીબીની ટીમોએ સપાટો બોલાવીને ચોરીછુપીથી ચાલતા અડ્ડાઓ પર વ્યાપક દરોડા પાડ્યા છે. માત્ર ત્રણ દિવસમાં જ પોલીસે કુલ ૪૩૬ કેસ નોંધીને ૪૭૬ આરોપીઓની અટકાયત કરી છે. આ દરોડા દરમિયાન વિદેશી દારૂના ૭૩ કેસો નોંધીને ૨૯.૯૩ લાખની કિંમતની ૧૧,૪૭૯ બોટલ/બીયર સહિત કુલ ૮૦.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેશી દારૂના ૩૩૬ કેસો નોંધીને ૭.૩૮ લાખની કિંમતનો ૩,૬૯૩ લીટર દારૂ અને વાહનો મળી કુલ ૮.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે.દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો સામે લાલઆંખ કરતા પોલીસે ૭ રીઢા બુટલેગરો સામે પાસા (ઁછજીછ) હેઠળ કડક ગુનો નોંધી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દીધા છે. પોલીસ કમિશનરે ગુનેગારોને પાસા હેઠળ જેલભેગા કરવાની ગતિ તેજ બનાવી છે. આ અભિયાન અંતર્ગત કુલ ૪૧ ગુનેગારોને પાસા હેઠળ જેલ મોકલાયા છે, જેમાં સૌથી વધુ ૧૮ દારૂના બુટલેગરો છે. જ્યારે મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ૧૪ અને મારામારી-હત્યાના પ્રયાસ જેવા શરીર સંબંધી ગુના આચરનાર ૯ ગુનેગારોનો સમાવેશ થાય છે. પોલીસની આ કડક ઝુંબેશથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં દારૂબંધીની કડક અમલવારી માટે પોલીસની આ ખાસ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ આવી જ કડક રીતે સતત ચાલુ રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
5049 |
આણંદમાં એસએમસીએ લાખોનો દારૂ ઝડપ્યો
ગુજરાતમાં અસામાજિક તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સમગ્ર રાજ્યભરમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ચોક્કસ માહિતીના આધારે સતત કાર્યરત છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા ભાલેજ-આણંદ રોડ પર, અપ્પુ વે-બ્રીજ નજીક એક વ્યૂહાત્મક દરોડો પાડવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે વહન કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો અતિ વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી આશરે ૧૫૦ પેટીઓ (કુલ ૭,૧૮૭ બોટલો) કબ્જે કરવામાં આવી હતી, જેની બજાર કિંમત ૧૯,૬૩,૧૫૧/- થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ ૩૪,૬૯,૬૨૧/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપુર ગામના રહેવાસી નારણભાઇ ઉર્ફે અતુલ ઘુસાભાઇ ચૌહાણ નામના આરોપીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસિકથી મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૦૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નાસિકથી ગેરકાયદેસર દારૂનો સપ્લાય કરનાર ૩ શખ્સો, દારૂના વહન માટે વપરાયેલ ટ્રકના મૂળ માલિક તેમજ કાનપુરના જ ભાવેશભાઇ સુરાભાઇ માતાસુરીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સંડોવાયેલા વોન્ટેડ શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ વધુ ઝડપી બનાવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
6237 |
ભાવનગરથી ઝેરી દારૂ પીને સુરત આવેલા યુવકે ચોથા દિવસે દમ તોડ્યો
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડનો ભોગ બનેલા સુરતના યુવકને શુક્રવારે બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ શનિવારે બપોરે તેણે દમ તોડી દીધો હતો. ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઈએનએસ હોસ્પિટલમાં તે ચાર દિવસથી સારવાર હેઠળ હતો.મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં પીરસાયેલી વ્હીસ્કી ઝેરી કેમિકલથી બનેલી હોય સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું તથા ડુપ્લિકેટ વ્હીસ્કી બનાવનાર યાદવનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજય લક્ષ્મણસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સિરિયસ હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, ત્યારબાદ તેને પરવત પાટિયા વિસ્તારની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સ્થિતિ વધું કથળતાં સંજયસિંહને આઇએનએસ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. આઈએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં તેને શુક્રવારે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. ત્યારબાદ શનિવારે બપોરે પરિવારની મંજૂરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી લેવાતાં તેનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક તબીબોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ સંજયસિંહના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપાયો હતો. સંજયે દમ તોડ્યો એ સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક ૧૧ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ઓગ્સ્ટ 2026
8019 |
શહેરમાં ડિફેન્સના નામે નકલી દારૂનો વેપાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી ૯થી વધુના મોત નિપજ્યા છે ત્યાં અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાંડનો નિકોલ અને એસએમસી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બે ફરાર છે. નકલી ઇંગ્લિશ દારૂ બનાવી છૂટક વેચાણ કરતા નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુનિલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ભેગા મળી બનાવટી અંગ્રેજી દારૂ તૈયાર કરી છૂટકમાં વેચાણ કરે છે. એસએમસી અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો. બાદમા ડેકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી.ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ૪ બોટલ, પ્લાસ્ટિકની ૪ બોટલ મળી ઉપરાંત આરોપી પાસેથી રૂ.૫,૦૦૦ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કરીને તપાસ દરમિયાન દિનેશ જંડાવાલાના કુબેરનગર સ્થિત ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો અને એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે કુલ રૂ. ૯૫૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર લગાવી વેચતા આરોપીઓની પૂછપરછ કરતા સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ તથા ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર અને ડિફેન્સનો દારૂ હોવાનું બતાવવા તેનો સિમ્બોલ લગાવી વેચતા હતા. જ્યારે દિનેશ ચામુંડા બ્રિજ પાસે ભંગારની દુકાન ધરાવતા શખ્સ પાસેથી ખાલી બોટલો અને બ્રાન્ડેડ સ્ટીકર અને તેની પર લગાવવાના સીલ લાવતો હતો. આ અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને સુનિલની ધરપકડ કરી ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ઓગ્સ્ટ 2026
7227 |
ભાવનગરથી ઝેરી દારૂ પી સુરત આવેલો યુવક ત્રણ દિવસની સારવાર બાદ બ્રેઇનડેડ જાહેર
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડમાં સુરતનાં યુવકને બ્રેઇનડેડ જાહેર કરાયો છે. પાર્ટીમાં દારૂ પી સુરત આવેલા સંજયસિંહની તબિયત લથડતાં ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઇએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં ત્રણ દિવસની સારવાર બાદ શુક્રવારે સંજયસિંહને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઇ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં રોયલ સ્ટેગ વ્હીસ્કી પીવાઇ હતી. રોયલ સ્ટેગ વ્હીસ્કી નકલી, ઝેરી તત્વોથી બનાવાયેલી હોય તેનું સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.ઉચ્ચસ્તરીય બેઠકો બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ મેદાને આવી પરંતુ એ પહેલા ઝેરી દારૂ પીવાથી ૫૦થી વધુની તબિયત લથડી ચૂકી હતી અને ૮ લોકોનાં મોત થઈ ચૂક્યા હતાં. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજયસિંહ લક્ષ્મસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સીરિયસ હાર્ટએટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, પરંતુ ત્યારબાદથી તે સતત બેભાન અવસ્થામાં સરી પડ્યો હતો. તબીબી તપાસમાં સામે આવ્યું હતું કે સંજયસિંહનાં મગજ સુધી પૂરતો ઓક્સિજન પહોંચી રહ્યો નહોતો. વધુમાં, નશાની તપાસ માટે કરાવેલા ખાસ રિપોર્ટમાં ઇથેનોલ અને મીથેનોલ પોઇઝનિંગની ગંભીર ઝેરી અસર હોવાનું સ્પષ્ટ થયું હતું. ઝેરી દારૂ પીધાનાં માત્ર ૮થી ૧૦ કલાકમાં જ ઝેર આખા શરીરમાં ફેલાઈ જતાં તેની ન્યુરોલોજીકલ સ્થિતિ કથળી ગઈ હતી, જેથી તેને તાત્કાલિક સુરતની જાણીતી ન્યુરો હોસ્પિટલ આઇએનએસમાં શિફ્ટ કરાયા હતા. આઇએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં આજે તેને આખરે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. સંજયસિંહને તેના પરિવારની મંજુરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી સત્તાવાર મૃત ઘોષિત કરાશે એવું જાણવા મળે છે. સંજયસિંહનાં મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
5049 |
આણંદમાં એસએમસીએ લાખોનો દારૂ ઝડપ્યો
ગુજરાતમાં અસામાજિક તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સમગ્ર રાજ્યભરમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ચોક્કસ માહિતીના આધારે સતત કાર્યરત છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા ભાલેજ-આણંદ રોડ પર, અપ્પુ વે-બ્રીજ નજીક એક વ્યૂહાત્મક દરોડો પાડવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે વહન કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો અતિ વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી આશરે ૧૫૦ પેટીઓ (કુલ ૭,૧૮૭ બોટલો) કબ્જે કરવામાં આવી હતી, જેની બજાર કિંમત ૧૯,૬૩,૧૫૧/- થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ ૩૪,૬૯,૬૨૧/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપુર ગામના રહેવાસી નારણભાઇ ઉર્ફે અતુલ ઘુસાભાઇ ચૌહાણ નામના આરોપીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસિકથી મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૦૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નાસિકથી ગેરકાયદેસર દારૂનો સપ્લાય કરનાર ૩ શખ્સો, દારૂના વહન માટે વપરાયેલ ટ્રકના મૂળ માલિક તેમજ કાનપુરના જ ભાવેશભાઇ સુરાભાઇ માતાસુરીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સંડોવાયેલા વોન્ટેડ શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ વધુ ઝડપી બનાવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
2178 |
નેશનલ હાઈવે પરથી બાઇક પર લઈ જવાતો પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપાયો:બે શખ્સની અટકાયત કરાઇ
આણંદ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં ગેરકાયદેસર ગર્ભપાતની દવાઓ અને નશાકારક પદાર્થોના મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આણંદ નેશનલ હાઈવે પર અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલા મોટરસાયકલ નંબર ય્ત્ન-૦૧-ઠડ્ઢ-૮૦૮૭ને અટકાવીને તપાસ કરવામાં આવતા આ પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી. પોલીસ અને ઔષધ વિભાગના સંયુક્ત ઓપરેશન દરમિયાન દર્શનભાઈ ગોકલાણી અને દિલીપભાઈ એમ. ઠાકોર નામના બે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન કુલ ૧૮૦૦ નંગ અલ્પ્રાઝોલમ જેવી નશાકારક ટેબ્લેટ્સ મળી આવતા તેને જપ્ત કરવામાં આવી છે, જે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ પ્રતિબંધિત છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી ૪૦ નંગ ‘ક્લીન-કીટ’ અને ૨૦ નંગ પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ્સ પણ કબજે કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી આણંદના ઔષધ નિરીક્ષક પી. એમ. મકવાણાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી, જેમણે સ્થળ પર પહોંચીને દવાઓની સઘન ચકાસણી કરી હતી.ઉલ્લેખનિય છે કે, આ પકડાયેલા આરોપીઓ પૈકી દિલીપ ઠાકોર પાસે આ દવાઓનો સંગ્રહ કે વેચાણ કરવા માટેનું કોઈ પણ કાયદેસરનું લાઇસન્સ કે માન્ય ખરીદ બિલ મળી આવ્યું નથી. આ ગેરકાયદેસર જથ્થો અમદાવાદના વિશાલ ઠક્કર પાસેથી મેળવ્યો હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે. વડોદરાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર ડૉ. એ. એચ. ઝાલાના સુપરવિઝન હેઠળ આ કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં જપ્ત કરાયેલી ગર્ભપાતની કીટ્સના નમૂનાઓ લઈને તેના પૃથ્થકરણ માટે વડોદરા સ્થિત ખોરાક અને ઔષધ પ્રયોગશાળામાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને આ કીટ્સમાં રહેલા મીફેપ્રીસ્ટોન અને મીઝોપ્રોસ્ટોલ જેવા સંવેદનશીલ ઘટકોની ચકાસણી કરવામાં આવશે. આણંદ એસ.ઓ.જી. શાખા દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી આ ડ્રગ રેકેટના મૂળ સુધી પહોંચવા અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા સઘન તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
5940 |
ગેરકાયદે થતાં રેતી ખનન પર પુન: ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું
આણંદ જીલ્લામાંથી પસાર થતી મહિસાગર ના પટમાંથી મોટાપાયે ગેરકાયદે રેતી ખનન થતું હોય બે દિવસ પૂર્વ ગંભીરા વિસ્તારમાં ખાણખનીજ વિભાગ સપાટો બોલાવી બે ઇટાચી મશીન સાથે બે ડમ્પર જપ્ત કર્યા બાદ પુન: જીલ્લાના બિલપાડ વિસ્તારમાં મહિસાગર ના પટમાંથી ગેરકાયદે રેતી ખનન પર પુન: ખાણખનીજ વિભાગ ત્રાટકી એક જેસીબી તથા ચાર ડમ્પર જપ્ત કરતાં રેતી માફિયાઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ જીલ્લામાંથી પસાર થતી મહિસાગર ના પટમાંથી મોટાપાયે ગેરકાયદે રેતી ખનન થતું હોવાના પગલે એસએમસી હોય કે સ્થાનિક ખાણખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી લાખોના મુદ્દામાલ કબજે કરી સમયાંતરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોવા છતાં રેતી માફિયાઓ કોઇપણ ડર વગર ગેરકાયદે રેતી ખનન કરતા હોય શું આ પાછળ રાજકીય ઓથ? જેવા સવાલ વચ્ચે આણંદના બિલપાડ વિસ્તારમાંથી પસાર થતી મહિસાગર પટમાંથી મોટાપાયે ગેરકાયદે રેતી ખનન થતું હોવાની જાણ આણંદ ખાણખનીજ વિભાગ ને થતાં વિભાગના સંકેત પટેલ તથા પાવન બારોટે સ્થળ પર ત્રાટકી એક જેસીબી મશીન તથા ચાર ડમ્પર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં રેતી માફિયાઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યા નું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
6039 |
કોન્સ્ટેબલ પત્ની ઉપર હુમલો કરનાર પતિનું રહસ્યમય મોત : સેવાલિયા ગામમાં મહિસાગરમાંથી એક્ટિવા મળી આવ્યું
ગોધરામાં પોલીસ કોન્સ્ટેબલ પત્ની પર જીવલેણ હુમલો કરનાર પતિના રહસ્યમય મોત અને ત્યારબાદની તપાસમાં આજે એક મહત્વનો વળાંક આવ્યો છે. ઘટનાના ચોથા દિવસે (૨૨ ઓગસ્ટ, શુક્રવારે) સેવાલિયા ખાતેથી પસાર થતી મહીસાગર નદીના પેટાળમાંથી મૃતક મહિપાલસિંહ ઝાલાનું એક્ટિવા મળી આવ્યું છે. આ શોધખોળ બાદ પોલીસ તપાસ વધુ તેજ બની છે.ગોધરાના વાવડી ખુર્દ ગામે રહેતા અને ડીજેનો વ્યવસાય કરતા મહિપાલસિંહ કિરણસિંહ ઝાલાએ ગત ૧૭ અને ૧૮ ઓગસ્ટની રાત્રે પંચમહાલ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ફરજ બજાવતી પોતાની પત્ની મીનાબેન ઝાલા પર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મીનાબેનના માથા અને હાથ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલા બાદ મહિપાલસિંહ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના બીજા જ દિવસે, ૧૯ ઓગસ્ટે સેવાલિયા ગામમાં મહીસાગર નદીના કિનારે આવેલા એક બાવળના ઝાડ પર મહિપાલસિંહની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. મૃતદેહના માથા પર ઈજાના નિશાન અને કપડાં પર લોહીના ડાઘા હોવાથી આ કેસ આત્મહત્યા છે કે હત્યા, તે અંગે ગંભીર સવાલો ઉભા થયા હતા. મૃતકના ભાઈ જયપાલસિંહ ઝાલાએ હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આજે (૨૨ ઓગસ્ટે) સેવાલિયા પોલીસ દ્વારા તપાસના ભાગરૂપે મહીસાગર નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક અનુભવી તરવૈયાઓની મદદથી સતત પાંચ કલાકની ભારે જહેમત બાદ નદીના ઊંડા પાણીમાંથી મહિપાલસિંહનું એક્ટિવા મળી આવ્યું છે. પોલીસ હવે આ મુદ્દા પર તપાસ કરી રહી છે કે શું આ એક્ટિવા જાણીજાેઈને નદીમાં ફેંકવામાં આવ્યું હતું કે અન્ય કોઈ ઘટના બની છે. આ કેસની તપાસ કરવા માટે સેવાલિયા પોલીસ ઉપરાંત ન્ઝ્રમ્, હ્લજીન્ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને ડોગ સ્ક્વોડની ટીમો કામે લાગી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ડેટા એનાલિસિસ અને ઘટનાસ્થળે મળેલા પુરાવાઓના આધારે સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ઓગ્સ્ટ 2026
6930 |
ખેડા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઈવ : હેલ્મેટ પહેરજાે નહિ તો મેમો ઘેર આવશે
નડિયાદ : ખેડા જિલ્લા પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ૨૦ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી એક ખાસ હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ માત્ર કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતી સીમિત ન રહેતાં, ખેડા જિલ્લાના તમામ તાલુકાઓ અને દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એકસાથે કડક રીતે અમલી બનાવવામાં આવી રહી છે. ડ્રાઈવના ભાગરૂપે ખેડા, ઠાસરા,ડાકોર,સેવાલિયા,કઠલાલ,મહેમદાવાદ,મહુધા, નડિયાદ, માતર, કપડવંજ સહિતના તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા મુખ્ય ચોકડીઓ અને હાઈવે પર સઘન ચેકિંગ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. ખેડા-વડાલા પાટિયા પાસે કરાયેલા ચેકિંગ દરમિયાન જ હેલ્મેટ વગર નીકળેલા આશરે ૫૦ જેટલા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને સ્થળ પર જ ઓનલાઈન મેમો ફટકારવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ રીતે દંડનીય કાર્યવાહી અને ઓનલાઈન મેમો આપવાની ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ ડ્રાઈવનો મુખ્ય હેતુ માત્ર દંડ વસૂલવાનો કે મેમો આપવાનો નથી, પરંતુ લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ચેકિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ વાહનચાલકોને અટકાવીને હેલ્મેટના ફાયદા અને માથાની ગંભીર ઈજાઓથી બચવા અંગેનું મહત્વ પણ સમજાવી રહ્યા છે.”
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
2871 |
જેઠાણી સાથે ભાગેલા પ્રેમીએ દેરાણી અને નણંદના બીભત્સ ફોટા વાયરલ કર્યા
શહેરના વટવા વિસ્તારમાં જેઠાણી સાથે ભાગી ગયેલા પ્રેમીએ દેરાણી અને નણંદને સમાજમાં બદનામ કરવાના બદઈરાદાથી તેમના મોર્ફ કરેલા બીભત્સ ફોટા અને રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ પર વાયરલ કર્યા હતા. આ હલકી સતામણીથી કંટાળીને પીડિત મહિલાએ આખરે હિંમત દાખવીને વટવા પોલીસ સ્ટેશનમાં આરોપી લખન પ્રજાપતિ વિરુદ્ધ નામજાેગ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મણિનગરમાં રહેતી પરિણીતાના પતિએ અચાનક પત્નીનો મોબાઈલ ચેક કરતાં આ આખા કાવતરાનો પર્દાફાશ થયો હતો. મહિલાના મોબાઈલ પર અજાણ્યા નંબરો પરથી અન્ય અજાણ્યા શખ્સ સાથેના તેના મોર્ફ કરેલા અત્યંત અશ્લીલ અને બીભત્સ ફોટા મોકલવામાં આવ્યા હતા. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર દેરાણી તેમજ નણંદના ફોટાનો દુરુપયોગ કરી બીભત્સ રીલ્સ બનાવી અપલોડ કરી દીધી હતી. અજાણ્યા નંબર પરથી સતત આવી રહેલી અશ્લીલ સામગ્રી જાેઈને સમગ્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરિવારે જ્યારે આ ગંભીર બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ કૃત્ય પાછળ જેઠાણી સાથે અગાઉ ઘર છોડીને ભાગી ગયેલા તેના પ્રેમી લખન પ્રજાપતિનો જ હાથ હતો. આરોપી લખન અવારનવાર સોશિયલ મીડિયા પર આવા બીભત્સ ફોટા અને રીલ્સ અપલોડ કરી મહિલાને માનસિક રીતે ત્રાસ આપતો હતો. આખરે આ નિત્યની હેરાનગતિથી કંટાળી પીડિતાએ પોલીસના દરવાજા ખખડાવ્યા હતા. પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી લખન પ્રજાપતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
5049 |
શહેરમાં ઈદે મિલાદ પૂર્વે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું નાઈટ ફૂટ પેટ્રોલિંગ
આગામી ૨૬ ઓગસ્ટના રોજ મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ‘ઈદે મિલાદ’ની ઉજવણી થનાર છે. આ પ્રસંગે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે જળવાઈ રહે અને તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શાંતિ અને સલામતીનો માહોલ જાળવી રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવાની સાથે સાથે સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો સાથે પણ બેઠકો યોજવામાં આવી રહી છે.ઈદે મિલાદના પરંપરાગત જુલૂસના માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ઝોન-૫ ના ડીસીપી જિતેન્દ્ર અગ્રવાલના સીધા માર્ગદર્શન હેઠળ એક વિશેષ સુરક્ષા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ હેઠળ ગોમતીપુર, બાપુનગર અને રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં છઝ્રઁ સહિત ૧૦૦થી વધુ પોલીસ જવાનોના વિશાળ કાફલાએ રાત્રિના સમયે સઘન પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસની આ પગપાળા કૂચનો મુખ્ય હેતુ અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા કરવાનો અને સામાન્ય નાગરિકો કોઈપણ પ્રકારના ભય વિના તહેવાર મનાવી શકે તેવો મજબૂત સંદેશ આપવાનો છે.આ ઉપરાંત, તહેવાર દરમિયાન કોમી સૌહાર્દ અને પરસ્પર ભાઈચારો અકબંધ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા શાંતિ સમિતિના સભ્યો સાથે ખાસ બેઠક યોજીને જુલૂસના રૂટ અને કાયદો-વ્યવસ્થા અંગે ઝીણવટભરી ચર્ચા હાથ ધરાઈ હતી. જેમાં સ્થાનિક આગેવાનોએ પણ કાર્યક્રમ શાંતિપૂર્વક પૂર્ણ થાય તે માટે પોલીસને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી છે, જેથી શહેરમાં શાંતિનો માહોલ બનેલો રહે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
5247 |
અમેરિકામાં ગુજરાતી ડાયસ્પોરા સમક્ષ ભૂપેન્દ્ર પટેલે ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ રજૂ કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસના સાતમા દિવસે ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગુજરાતી ડાયસ્પોરાને સંબોધતા ગુજરાતની વિકાસયાત્રા, આગામી વર્ષોના વિઝન અને રોકાણની તકો અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતી તથા ભારતીય સમુદાયને ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી બનવા તેમજ રાજ્યમાં રોકાણ કરવા આહવાન કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. વર્ષ ૨૦૦૧માં નરેન્દ્ર મોદીએ ગુજરાતની જવાબદારી સંભાળી ત્યારે રાજ્ય સામે વીજળી, પાણી, રસ્તા અને દરિયાકાંઠા સહિત અનેક પડકારો હતા. વિકાસલક્ષી આયોજન અને નીતિઓના પરિણામે ગુજરાત આજે દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૧મી આવૃત્તિનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતી તથા ભારતીય સમુદાયને ગુજરાતમાં રોકાણ કરવાની તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું. ગુજરાતની વિકાસયાત્રામાં ડાયસ્પોરાની ભાગીદારી વધુ મજબૂત બને તેવો સંદેશ તેમણે આપ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
4851 |
પોલીસ જાગી: અમદાવાદમાં ૩ દિવસમાં ૪૩૬ કેસ, ૪૭૬ની ધરપકડ અને ૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયા બાદ રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે તમામ શહેરો અને જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ પ્રોહીબીશન ડ્રાઇવ રાખવાની કડક સૂચના આપી હતી. આ આદેશના પગલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક્શન મોડમાં આવીને તમામ સ્થાનિક પોલીસ અધિકારીઓને દારૂ તેમજ જુગારની બદીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને ઝોન એલસીબીની ટીમોએ સપાટો બોલાવીને ચોરીછુપીથી ચાલતા અડ્ડાઓ પર વ્યાપક દરોડા પાડ્યા છે. માત્ર ત્રણ દિવસમાં જ પોલીસે કુલ ૪૩૬ કેસ નોંધીને ૪૭૬ આરોપીઓની અટકાયત કરી છે. આ દરોડા દરમિયાન વિદેશી દારૂના ૭૩ કેસો નોંધીને ૨૯.૯૩ લાખની કિંમતની ૧૧,૪૭૯ બોટલ/બીયર સહિત કુલ ૮૦.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેશી દારૂના ૩૩૬ કેસો નોંધીને ૭.૩૮ લાખની કિંમતનો ૩,૬૯૩ લીટર દારૂ અને વાહનો મળી કુલ ૮.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે.દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો સામે લાલઆંખ કરતા પોલીસે ૭ રીઢા બુટલેગરો સામે પાસા (ઁછજીછ) હેઠળ કડક ગુનો નોંધી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દીધા છે. પોલીસ કમિશનરે ગુનેગારોને પાસા હેઠળ જેલભેગા કરવાની ગતિ તેજ બનાવી છે. આ અભિયાન અંતર્ગત કુલ ૪૧ ગુનેગારોને પાસા હેઠળ જેલ મોકલાયા છે, જેમાં સૌથી વધુ ૧૮ દારૂના બુટલેગરો છે. જ્યારે મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ૧૪ અને મારામારી-હત્યાના પ્રયાસ જેવા શરીર સંબંધી ગુના આચરનાર ૯ ગુનેગારોનો સમાવેશ થાય છે. પોલીસની આ કડક ઝુંબેશથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં દારૂબંધીની કડક અમલવારી માટે પોલીસની આ ખાસ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ આવી જ કડક રીતે સતત ચાલુ રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
4851 |
વાડજમાં ડ્રેનેજ કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી : એક શ્રમિક દટાયો
શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં સેક્ટર-૨ રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડી હતી. આ અકસ્માતમાં કામ કરી રહેલો એક શ્રમિક માટીના ઢગલા નીચે દટાયો હતો.ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો તાત્કાલિક બચાવ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોની ભારે જહેમત બાદ શ્રમિકને ભેખડમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં શ્રમિકને ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી છે.સમગ્ર ઘટનાને પગલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વાડજ પોલીસ સ્ટેશનના પી.આઈ.ના જણાવ્યા અનુસાર, આ ઘટના ૨૩ ઓગસ્ટના રોજ બપોર પછી ઘટી હતી. અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે તપાસ ચાલી રહી છે, પરંતુ રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાની નોંધાઈ નથી.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
1980 |
ચલથાણ નહેરમાં વાંકાનેડાનાં બે યુવાનો બાઈક સાથે ખાબક્યાં, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ જારી
પલસાણા તાલુકાના સાંકી ગામ નજીક આવેલી પેસિફિક કૉલેજ પાસે શનિવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાંકાનેડા ગામના બે આશાસ્પદ યુવાનો તેમની મોટરસાયકલ સાથે ચલથાણ નહેરમાં પડતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમને એક યુવાનનો મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી છે, જ્યારે બીજા યુવાનની શોધખોળ હજુ પણ ચાલી રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે રહેતા ૨૦ વર્ષીય શુભમ સુધાકર ગાયકવાડ અને તેનો ૨૦ વર્ષીય મિત્ર દીપક પ્રેસમસિંગ રાજપૂત શનિવારે રાત્રિના સમયે તેમની હીરો મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. તેઓ ચલથાણ ખાતે આવેલી ઇલેક્ટ્રિકની દુકાનેથી જઈ રહ્યા હતા ત્યારે સાંકી ગામ પાસે પેસિફિક કૉલેજ નજીક અચાનક મોટરસાયકલ પરથી કાબુ ગુમાવતા બંને મિત્રો બાઈક સાથે સીધા ઊંડી નહેરમાં ખાબક્યાં હતાં. શનિવારે રાત્રે આશરે ૯:૩૦ વાગ્યાના સુમારે નહેર પરથી પસાર થઈ રહેલા નિલેશભાઈ મોરી નામના જાગૃત નાગરિકની નજર નહેરમાંથી આવતા પ્રકાશ પર પડી હતી. તેમણે ધ્યાનથી જોતા નહેરમાં ગરકાવ થયેલી મોટરસાયકલની લાઈટ ચાલુ હોવાનું જણાયું હતું. આથી તેમણે તાત્કાલિક પલસાણા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા કડોદરા જીઆઇડીસીફાયર અને બારડોલી ફાયરની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. રાત્રિના સમયે ભારે જહેમત બાદ નહેરમાંથી મોટરસાયકલ બહાર કાઢવામાં આવી હતી, પરંતુ યુવાનોનો કોઈ પત્તો ન લાગતા આખરે તંત્ર દ્વારા નહેરનું પાણી બંધ કરાવવામાં આવ્યું હતું. રવિવારે સવારે બંને ફાયર ટીમોએ ફરીથી સઘન સર્ચ ઓપરેશન શરૂ કરતા નહેરમાંથી ૨૦ વર્ષીય શુભમ સુધાકર ગાયકવાડનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા ૨૦ વર્ષીય દીપક પ્રેસમસિંગ રાજપૂતની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. યુવાન પુત્રના મોતના સમાચારથી વાંકાનેડા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
5544 |
સરકારી પિસ્ટલમાંથી છૂટેલી ગોળીથી ફેરિયાને ઇજા થવા અંગે પીએસઆઇ સામે ગુનો નોંધાયો
નાનાવરાછા પોલીસ ચોકીમાં બેસી સરકારી પિસ્ટલ સાફ કરી રહેલા પીએસઆઇ મકવાણાથી થયેલા ફાયરિંગમાં લારીવાળાને ગોળી વાગી હતી. પેટ વિંધીને ગોળી નીકળી જતાં ફેરિયાને ગંભીર ઇજા પહોંચી હતી. આ કેસમાં પોલીસે પીએસાઇ મકવાણા સામે લાપરવાહી ભરેલા કૃત્યથી ગંભીર ઇજા પહોંચાડવાનો ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર કાપોદ્રા પોલીસ સ્ટેશન તાબાની નાના વરાછા ચોકીમાં પીએસઆઇ પી. એસ. મકવાણા ફરજ બજાવે છે. શનિવાર ૨૨ ઓગસ્ટે સાંજે ચોકીમાં હતાં. તેઓ ખુરશી પર બેસી પિસ્ટલ સાફ કરી રહ્યા હતાં. આ દરમિયાન કોઇક રીતે ફાયરિંગ થઇ ગયું હતું. પિસ્ટલમાંથી છૂટેલી ગોળી ૨૦ લિટરના પાણીના જગને ચીરી સામે રોડ પર ક્રોસમાં હોજીયરી, કપડાની લારી લઇ ઉભા રહેલા અરવિંદ અંબુભાઇ પટેલને વાગી હતી. ગોળી હ્રદયથી ૫ ઇંચ નીચે પેટની આરપાર થઈ હતી. અરવિંદ પટેલને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે,પીએસાઇ મકવાણા સાડા સાતેક વાગ્યે ચોકીમાં ખુરશી થોડી ત્રાંસી રાખીને બેઠા હતા. તેણે જમણા હાથમાં પિસ્તોલ પકડી રાખી હતી અને જમણો હાથ કુદરતી રીતે જ એંગલ પર હોવાથી દરવાજા તરફ ખુલ્લી જગ્યા મળી ગઈ હતી. આ ફાયરિંગ દરમિયાન ગોળી સીધી ૨૦ લિટરનાં પાણીનાં જગમાંથી આરપાર નીકળીને ખુલ્લા દરવાજામાંથી બહાર ગઈ હતી. ગોળી જગમાંથી પસાર થયા બાદ દરવાજાની બહાર લગભગ ૪૦ મીટર (૧૩૦ ફૂટ) દૂર ઊભેલી વ્યક્તિને જઈને વાગી હતી. તે વ્યક્તિને વીંધીને ગોળી આગળ બીજા ૨૦ મીટર(૬૬ ફૂટ) દૂર જઈને પડી હતી, એટલે કે ગોળીએ કુલ ૬૦ મીટર(૧૯૬ ફૂટ)નું અંતર કાપ્યું હતું. રૂમની અંદર જગ સિવાય અન્ય કોઈ જગ્યાએ ગોળી અડી ન હતી. આ ઘટના અંગે અરવિંદ પટેલની દીકરી ટ્વીન્કલ પ્રિતેશ પટેલ (રહે, બારડોલી)ની ફરિયાદ લેવામાં આવી છે. પીએસઆઇ પી.એસ. મકવાણા સામે માનવ જીવન અથવા અન્યોની વ્યક્તિગત સલામતી જોખમાય તે રીતે બેદરકારી કે લાપરવાહીથી કૃત્ય કરીને ગંભીર ઈજા પહોંચાડવા સંબંધિત ભારતીય ન્યાય સંહિતા સને ૨૦૨૩ અન્વયે કલમ-૧૨૫(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કમલ હેઠળ ગુનો સાબિત થાય તો ત્રણ વર્ષ સુધીની કેદ તથા દંડ અથવા કેદ અને દંડ બંનેની સજાની જોગવાઇ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
4653 |
રાજ્યસભા સાંસદ ધોળકિયાની ડાયમંડ કંપનીમાં ધમકીભર્યા કોલ કરી ૨૫ લાખની ખંડણી માગી
સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની કંપનીમાં કોલ કરી ૨૫ લાખની ખંડણી માગવામાં આવતા ભારે ચકચાર મચી હતી. દોડતી થઇ ગયેલી પોલીસે મોબાઇલ નંબરના આધારે પગેરુ દાબી ધમકી આપનારને દબોચી લીધો હતો. આ કાંડ કરનાર દેવામાં ડૂબેલો પૂર્વ કર્મચારી નીકળતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. વસ્તાદેવડી રોડ ઉપર કિરણ હોસ્પિટલ સામે એસ.આર.કે નામની ડાયમંડ કંપની કાર્યરત છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની આ કંપનીમાં ૧૯મી તારીખે સવારે અજાણ્યા વ્યક્તિએ કોલ કર્યો હતો. કોલ કરનારે તેની ઓળખ દિનેશ ભાર્ગવ તરીકે આપી જયંતિભાઇ સાથે વાત કરવાનો આગ્રહ સેવ્યો હતો. જો કે કયા જયંતિભાઈ એનો ફોડ તેણે નહીં પાડતા રીસેપ્શનિસ્ટ દ્વારા કોલ કટ કરી દેવાયો હતો.જો કે, ત્યારબાદ એ વ્યક્તિએ ઉપરા છાપરી કોલ કર્યા હતાં. જેથી આ મામલે કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરતાં નિવૃત ડીવાયએસપી રણજીતસિંહ જાડેજા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ એ કોલર સાથે જાડેજાએ વાત કરી હતી. હું જયંતિભાઇ બોલો શું કામ છે એવું કહેતાં સામેની વ્યક્તિએ સીધી ધાક ધમકી આપવા માંડી હતી. એ વ્યક્તિએ કંપનીનાં યંગની જાનની સલામતી ઇચ્છતા હોય તો મને ૨૫ લાખ રૂપિયા આપવા પડશે એમ કહી ખંડણી માગી હતી. જાડેજાએ કયા યંગ એવું પૂછતાં કોલર અકળાયો અને ૨૫ લાખ રૂપિયા નહીં આપો તો ટાર્ગેટ લોક થઈ જશે, પછી કોઇ અર્થ નહીં રહે. તમને બધુ ભારે પડી જશે એવી ધમકી આપી હતી. અગિયારથી બે વાગ્યા સુધીમાં આઠ થી દસ ધમકીભર્યા કોલ કરી ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી હોય જાડેજાએ કતારગામ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દિનેશ ભાર્ગવ નામધારી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી. મોબાઇલ નંબરનાં આધારે શરૂ કરાયેલી તપાસ આ કંપનીના પૂર્વ કર્મચારી સુધી પહોંચી હતી. પોલીસે ધમકીભર્યા કોલ કરનાર વિજય દેસાઈ (રહે, દેવી રેસિડેન્સી, સિંગણપોર)ને દબોચી લીધો હતો. વિજય દેસાઇ ડાયમંડ કંપનીનો પૂર્વ કર્મચારી નીકળતાં મામલો થોડો હળવો બન્યો અને તંત્રએ રાહતનો દમ લીધો હતો.નોકરી છોડીને કરેલા કપડાનાં ધંધામાં ખોટ ગઇ, શેરબજારમાં દેવાળું ફૂંક્યું વિજય દેસાઇની પૂછપરછમાં એવી વાત બહાર આવી હતી કે, વિજય દેસાઇએ એક વર્ષ અગાઉ ત્રણ-ચાર મહિના એસઆરકે કંપનીમાં નોકરી કરી હતી. ત્યારબાદ તેણે કપડાનો ધંધો શરૂ કર્યો પરંતુ તેમાં ખોટ ગઇ હતી.કપડાના ધંધાની ખોટ ભરપાઈ કરવા વિજય દેસાઇએ શેરબજારમાં ઝંપલાવ્યું હતું. હોમલોનની ટોપ અપ કરાવી તેણે ૧૦ લાખ રૂપિયા મેળવ્યા અને શેર માર્કેટમાં લગાવ્યા હતા. ફ્યુચર ઓપ્શન ટ્રેડિંગમાં દેસાઈ લાંબો ભરાયો અને મૂડી ગુમાવી દીધી હતી. આ દરમિયાન ઘરમાં બીમારી આવતાં તેણે વ્યાજે રૂપિયા લેવાની નોબત આવી હતી. આ રીતે માથે પંદરેક લાખનું દેવું થઇ જતાં ચોમેરથી ઘેરાઈ ગયેલા વિજયે ફિલ્મીઢબે પૂર્વ શેઠને ધમકાવી પૈસા પડાવવાનું નક્કી કર્યું હતું. જો કે, તેમાં તે ઝડપાઇ જતાં હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
4752 |
વિસ્કોસ યાર્નનો ચીનથી સુરત પહોંચવાનો ટ્રાન્ઝિટ પીરિયડ ત્રણગણો થતાં વિક્રેતાઓને વ્યાજનો માર
મધ્ય-પૂર્વમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને સર્જાયેલી અસ્થિરતાની ગંભીર અસરો સુરતનાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગની સપ્લાય ચેઇન પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ચીનથી સુરત આવતું વિસ્કોસ યાર્ન સામાન્ય સ્થિતિમાં આશરે ૩૦થી ૩૫ દિવસમાં મુંબઈ બંદર મારફતે સુરત પહોંચતું હતું, પરંતુ હાલ કન્ટેઇનરનો ટ્રાન્ઝિટ ટાઈમ વધીને ૭૫થી ૯૦ દિવસ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, શિપિંગ અને ટ્રાન્સપોર્ટેશનનાં ખર્ચમાં ભારે ઉછાળો આવ્યો છે અને કેટલાક રૂટ પર ફ્રેઇટ રેટમાં અનેકગણો વધારો નોંધાયો છે. તાજેતરનાં શિપિંગ માર્કેટનાં અહેવાલો પણ ચીનથી ભારતના બંદરો માટે કન્ટેઇનર ફ્રેઇટમાં તીવ્ર વધારો દર્શાવે છે.સુરત ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં વિસ્કોસ યાર્નનાં મોટા વિક્રેતા અને ઉદ્યોગપતિ દિનેશ ધનકાનીનાં જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિમાં ચીનથી માલ મગાવીને નિયમિત રીતે ગ્રાહકોને સપ્લાય કરવો મુશ્કેલ બની ગયો છે. કન્ટેઇનર પહોંચવામાં બે ગણાથી પણ વધુ સમય લાગી રહ્યો છે અને ટ્રાન્સપોર્ટેશન ચાજિર્સમાં ચાર ગણો વધારો થયો હોવાથી યાર્નનો વેપાર કરવો અત્યંત જોખમી બન્યો છે. દિનેશ ધનકાનીના જણાવ્યા મુજબ આવી સ્થિતિમાં યાર્નનો ભાવ અગાઉથી નક્કી કરીને વેચાણ કરવું મુશ્કેલ છે. માલ ક્યારે આવશે અને તે સમયે ખર્ચ કેટલો હશે તેની કોઈ નિશ્ચિતતા નથી. તેથી હાલ અમે વિસ્કોસ યાર્નનું વેચાણ બંધ કરવાનો ર્નિણય લીધો છે. તેમણે જણાવ્યું કે સપ્લાય ચેઇનમાં સૌથી મોટી સમસ્યા માત્ર ફ્રેઇટ રેટ વધવાની નથી પરંતુ ર્વકિંગ કેપિટલ લાંબા સમય સુધી બ્લોક થવાની છે. અગાઉ ૩૦થી ૩૫ દિવસમાં એક શિપમેન્ટનું ટર્નઓવર થઈ જતું હતું. હવે એ જ માલ માટે ૭૫થી ૯૦ દિવસ રાહ જોવી પડે છે. એટલે આયાતકારની મૂડી વધુ સમય માટે અટવાઈ રહે છે અને સાથે વ્યાજનો બોજ પણ વધે છે. ચીનથી ભારતનાં પશ્ચિમ કિનારે આવતા કન્ટેઇનર માટે ફ્રેઇટ માર્કેટમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં શાંઘાઈથી નાવાશેવા સુધીનાં સ્પોટ રેટમાં જુલાઈની સરખામણીએ લગભગ બમણો વધારો નોંધાયો હોવાનું શિપિંગ માર્કેટના અહેવાલોમાં જણાવાયું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વનાં સૌથી મહત્વનાં સમુદ્રી માર્ગોમાંનું એક છે. મધ્ય પૂર્વની અસ્થિરતાને કારણે જહાજો અને શિપિંગ કંપનીઓ માટે વોર-રિસ્ક, ઇન્શ્યોરન્સ, રૂટ બદલવા અને લાંબા ટ્રાન્ઝિટ જેવા પડકારો ઊભા થયા છે. ચીનની કેટલીક મોટી શિપિંગ કંપનીઓએ પણ જુલાઈનાં અંતથી હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ જેવા જોખમી માર્ગોથી કામગીરી ઘટાડીને વિકલ્પી વ્યવસ્થા અપનાવી હોવાનાં અહેવાલો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
4851 |
એસી ફિટ કરવા આવેલા કારીગરોએ ટીવીની સ્ક્રીન પર સ્ક્રેચ મારી રોકડા ૫૦ હજાર ચોર્યા
એસ.ડી. જૈન કોલેજ સામે બનવારી રેસિડેન્સીમાં અનિલ જયનારાયણ ભદ્દંડ તેમના પરિવાર સાથે રહે છે. અનિલ ભદ્દંડ ભાણેજ જીતેન્દ્ર રાઠી સાથે ગ્લોબલ માર્કેટમાં નારાયણ ફેશન નામથી કાપડનો ધંધો કરે છે. અનિલની પત્ની આરતી અત્રેની કોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. ગત ૧૯મી તારીખે અનિલ ભદ્દંડે ફ્લેટમાં જુનું એસી કાઢી બીજું એસી સવિર્સ કરીને ફિટ કરવવાનું હતું. આ કામ માટે તેઓએ ગુગલ સર્ચ કરતાં ક્રિષ્ના એસી સવિર્સનો નંબર મળ્યો હતો. ઓનલાઇન મળેલા નંબર પર કોલ કરતાં સામેના વ્યક્તિએ એસી બદલા અને સવિર્સ કરવાનો ચાર્જ ૧૭૦૦ રૂપિયા જણાવ્યો હતો. ત્યારબાદ ત્રણેય વાગ્યે ક્રિષ્ના એસી સવિર્સનાં બે કર્મચારી અનિલનાં ઘરે પહોંચ્યા હતાં. આ યુવકોએ કામ ચાલુ કર્યા બાદ એસી માં ગેસ ભરવો પડશે અને તેનો ચાર્જ અલગ થશે એમ કહ્યું હતું. અનિલે હા પાડ્યા બાદ એ યુવકોએ બીજા ખર્ચ ગણાવ્યા હતાં. જો કે અનિલે બીજો વધારાનો ચાર્જ આપવાની ના પડતાં તેઓ વચ્ચે ઉગ્ર દલીલ થઇ હતી. થોડો સમય બોલાચાલી કરી એ યુવકો જતા રહ્યા હતાં. ત્યારબાદ અનિલભાઇના દીકરાએ, એસી રિપેરિંગનો સામાન રખાયો હતો એની બાજુમાં હતું એ મોટુ ટીવી ચાલુ કર્યું તો સ્ક્રીન પર લાંબો સ્ક્રેચ જોવા મળ્યો હતો. આ અંગે શંકા જતાં અનિલભાઇએ ત્યાં પડેલું પર્સ ચેક કર્યું તો તેમાંથી રોકડા ૫૦ હજાર રૂપિયા પણ ગાયબ થઇ ગયા હતાં. એસી બાબતે માથાકૂટ થતા એ યુવકો જ ટીવીની સ્ક્રીન બગાડી રોકડ ચોરી ગયાની આશંકા સાથે અનિલ ભદ્દંડે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...