આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુલાઈ 2026
3762 |
ગીરના સિંહો હવે માણસોનો શિકાર કરી રહ્યા છે? સરકારે હવે તૈયાર કર્યો માસ્ટરપ્લાન!
*ગીર અને ગિરનાર વિસ્તારમાં વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વન વિભાગે સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. આ સમગ્ર મામલે વધુ માહિતી અને તમામ મહત્વના અપડેટ્સ માટે જોડાયેલા રહો લોકસત્તા જનસત્તા સાથે.*
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, જુલાઈ 2026
7524 |
ભાવનગરના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમમાં મોટી તકનીકી ઘટના સામે આવી છે. ડેમના ૧૫ નંબરના ગેટને સંચાલિત કરતો મુખ્ય વાયર (રેસો) તૂટી જતાં ગેટ નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ અનિયંત્રિત રીતે નદીમાં છોડાવા લાગ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.માહિતી અનુસાર, ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે ગેટમાં ખામી સર્જાતા તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. ગેટને થયેલા નુકસાનને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.જિલ્લા પ્રશાસને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ સહિત શિહોર તાલુકાના ભાણગઢ ગામના લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે.વહીવટીતંત્રે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પૂર જાેવા, ફોટા કે સેલ્ફી લેવા માટે નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
11, જુલાઈ 2026
7326 |
બાળકને ગિરનારની સીડીઓ પરથી સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષ મળ્યા
વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કરી તેને સીડીઓ પરથી જ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. પરિવારજનો અને યાત્રિકોની નજર સામે બનેલી આ ઘટનાએ ભય અને અરેરાટીનો માહોલ સર્જ્યો હતો. બાદમાં વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ કલાકો સુધી શોધખોળ કર્યા બાદ જંગલમાંથી બાળકના અવશેષો કબજે લીધા હતા.છેલ્લા ૨૫ દિવસમાં માણસ પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું સામે આવતા ગિરનાર સહિત સિંહોના રહેણાંક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.પરિવારની આંખો સામે સિંહ બાળકને ખેંચી ગયોમહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. પરિવાર વહેલી સવારે દર્શન માટે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. ગેટથી અંદાજે ૫૦ જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળ ચાલતા બાળક મયુરસિંહ પર ઝંપલાવ્યું હતું.બાળક પોતાના કાકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો, પરંતુ સિંહ હુમલો કરીને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. વન રાજ્યમંત્રી પ્રવીણ માળી : ગિરનારમાં માનવ પર સિંહના હુમલાની પ્રથમ ઘટના ગિરનાર પર્વત પર ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની આ પ્રથમ ઘટના છે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.વનમંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ શંકાસ્પદ સિંહોને બેભાન કરીને પકડી લેવામાં આવ્યા છે.હાલ ત્રણેય સિંહોને વૈજ્ઞાનિક અને પશુચિકિત્સકીય તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.પ્રવીણ માળીએ સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોના વર્તનમાં આવી રહેલા ફેરફારોનું વૈજ્ઞાનિક કારણ જાણવા માટે વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને વિશેષ અભ્યાસ સોંપવામાં આવ્યો છે.સિંહોની પ્રકૃતિમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, માનવ વસાહતો તરફ તેમની અવરજવર શા માટે વધી રહી છે અને હુમલાઓ પાછળના કારણો શું છે, તે મુદ્દાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે..
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, જુલાઈ 2026
8712 |
અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે; ૩ મહિનામાં કામગીરીનો પ્રારંભ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના હાઈવે અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી વધુ નાણાં મેળવવા રાજ્ય સરકારને તાત્કાલિક દરખાસ્ત મોકલવા અનુરોધ કર્યો હતો.અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ-વે હવે ૮ લેન થશે ૯૩ કિલોમીટરના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વેને ચારમાંથી ૮ લેઈનમાં પરિવર્તિત કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડતરીએ મંજૂરી આપી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે ગુજરાતની આ માંગણી પરત્વે ર્નિણય કરીને વર્ષ ૨૦૨૭માં જ વિસ્તરણનું કાર્ય શરૂ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતનું જમીન સંપાદન મોડલ દેશ માટે ઉદાહરણ ડીપીઆર તૈયાર થતી વખતે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનને સરળ બનાવવા બિનખેતી મંજૂરીની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત મોડલની નીતિન ગડકરીએ પ્રશંસા કરી અને તેને સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય ગણાવ્યું. રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને શક્ય હોય ત્યાં સુધી કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરીને અન્યત્ર રોપવાની સૂચના આપવામાં આવી જેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
10, જુલાઈ 2026
8316 |
વીજપોલ વળતર મામલે સરકારને ખેડૂતોની ‘રાજસ્થાન જેવું ૪ ગણું વળતર નહીં મળે તો વીજ થાંભલા ઉખેડી નાખીશું’
મોરબીના જેતપર ગામેથી આંદોલન પાર્ટ ૩ માટેનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાંથી ખેડૂત આગેવાનો અને સરપંચોને બુધવારે રેટ બોલાવવામાં આવ્યા હતા અને તેઓની સાથે આંદોલન પાર્ટ ૩ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખેડૂતોના ખેતરમાં ઊભા કરવામાં આવતા વીજ થાંભલા સામે જાે પૂરતું વળતર કાપવામાં ન આવે તો થાંભલાને ઉખેડી નાખવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે.દરમ્યાન ગુરુવારે રાતે જે ૧૨ જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી તેમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદર, ભરુચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થતો હતા. આ બેઠકમાં આવેલા ખેડૂતોએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે જાે ખેડૂતોને તેમની જમીનમાં નાખવામાં આવતા વીજપોલ સામે પૂરતું વળતર નહીં આપવામાં આવે તો હાલમાં ખેડૂતો સરકારને હટાવવા માટે એકત્રિત થયા નથી પરંતુ વળતર નહીં મળે તો ભાજપ વિરોધી મતદાન કરતા પણ ખેડૂતો અચકાશે નહીં અને આગામી સમયમાં આંદોલન પાર્ટ ૩ શરૂ થશે તે પૂરા આક્રોશ સાથે હશે અને તેના માટેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે. તાજેતરમાં સરકાર દ્વારા વીજ કંપનીના વીજ પોલ અને કોરિડોર માટે વળતરનો જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેને ૧૨ જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ લોલીપોપ સમાન ગણાવ્યો છે અને જે રીતે રાજસ્થાનમાં સરકાર ચાર ગણું વળતર ચૂકવે છે તેવી જ રીતે ગુજરાતમાં ખેડૂતોને પણ ચાર ગણું વળતર જાેઈએ અને તે નહીં મળે તો ખેડૂતોના ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ તેવી ચેતવણી આપવામાં આવી છે. આમ છેલ્લા બે દિવસમાં ગુજરાતના ૨૪ જેટલા જિલ્લામાંથી ખેડૂત આગેવાનો જેતપર ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા અને તેઓએ પોતાના સૂચન આપ્યા હતા. હવે આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત લેવલે ખેડૂતોની સમિતિઓ બનાવવામાં આવશે અને ત્યાર બાદ આયોજન પૂર્વક વળતર મેળવવા આંદોલન પાર્ટ ૩ શરૂ કરવામાં આવશે તેવી માહિતી આંદોલન સમિતિના સભ્યએ આપી હતી.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
20, જુલાઈ 2026
1089 |
20 દિવસની ભૂખ હડતાળ બાદ સોનમ વાંગચુક હોસ્પિટલમાં કેમ દાખલ થયા? | NEET Protest
છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને શનિવારે વહેલી સવારે તબીબી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને પ્રદર્શનકારીઓ, રાજકીય નેતાઓ અને વિવિધ સંગઠનોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ દરમિયાન અભિજિત દીપકેએ ભૂખ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે, જ્યારે 20 જુલાઈની પ્રસ્તાવિત 'સંસદ કૂચ'ને લઈને પણ ચર્ચા તેજ બની છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુલાઈ 2026
4356 |
બાળકી પર કથિત દુષ્કર્મ બાદ હત્યા વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ, ટ્રેન નીચે ફેંકી હત્યા
વાસદ રેલ્વે સ્ટેશન પર સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ ટ્રેન નીચે ફેંકી હત્યા કરાતા ચકચાર મચી છે. આરોપી સીસીટીવીમાં કેદ થયો છે અને પોલીસ તપાસ ચાલુ છે. ગુજરાતને હચમચાવી મૂકે તેવી એક અત્યંત પાશવી અને ક્રૂર ઘટના આણંદ જિલ્લાના વાસદ રેલ્વે સ્ટેશન પર બની છે, જેણે કાયદો-વ્યવસ્થા અને રેલ્વે સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. એક ગરીબ પરિવાર વાસદ રેલ્વે સ્ટેશનની ટિકિટ બારી નજીકના ખુલ્લા પરિસરમાં રાત્રિના સમયે સૂતો હતો. આ પરિવારની સાડા ચાર વર્ષની માસૂમ દીકરી પણ માતા-પિતાની પડખે સૂતી હતી. આ દરમિયાન મધ્યરાત્રિએ એક અજાણ્યો નરાધમ યુવક ત્યાં ત્રાટક્યો હતો. પરિવાર ઘસઘસાટ સૂતો હોવાનો લાભ ઉઠાવી આ પાપી નરાધમ સાડા ચાર વર્ષની માસૂમ કળીને ત્યાંથી ચૂપચાપ ઉઠાવી ગયો હતો.બાળકી ગાયબ હોવાની વહેલી સવારે ખબર પડતાં જ પરિવારે ભારે શોધખોળ આદરી હતી. આ દરમિયાન વાસદ રેલ્વે સ્ટેશન નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પરથી માસૂમ બાળકીનો લોહીલુહાણ અને ક્ષત-વિક્ષત થઈ ગયેલો મૃતદેહ મળી આવતા સ્ટેશન પર ચીસાચીસ અને માતમ છવાઈ ગયો હતો. ઘટનાની ભયાનકતા જાેતાં પ્રાથમિક તપાસમાં જ સામે આવ્યું છે કે નરાધમે બાળકીનું અપહરણ કર્યા બાદ રેલ્વે ટ્રેકની આસપાસ અવાવરુ જગ્યાએ તેની પર હેવાનિયતભર્યું દુષ્કર્મ ગુજાર્યું હતું. પુરાવા નાશ કરવા અને પકડાઈ જવાની બીકે, રાત્રિના સમયે ત્યાંથી પસાર થતી કોઈ સ્પીડ ટ્રેન નીચે માસૂમને ફેંકી દેવામાં આવી હતી, જેથી ટ્રેનની નીચે કચડાઈ જવાથી બાળકીના શરીરના ચિથડા ઉડી ગયા હતા અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની લિંક મેળવવા માટે જ્યારે પોલીસે રેલ્વે સ્ટેશનના સીસીટીવી (ઝ્રઝ્ર્ફ) કેમેરા ચેક કર્યા, ત્યારે પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. રાત્રિના સમયે એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને પોતાના હાથમાં તેડીને પ્લેટફોર્મ અને રેલ્વે ટ્રેક તરફ લઈ જતો સ્પષ્ટપણે કેદ થયો છે. આ ઉપરાંત ઘટનાસ્થળની નજીક સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને બાળકીની લેંગી મળી આવી છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે બાળકીની હત્યા પહેલા તેની સાથે ભયાનક કૃત્ય આચરવામાં આવ્યું હતું. નરાધમ હત્યારાને પકડવા માટે નાકાબંધી ઘટનાની ગંભીરતાને પગલે આણંદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વાસદ લોકલ પોલીસ અને રેલ્વે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે એફએસએલ (હ્લજીન્) ની સ્પેશિયલ ટીમને બોલાવવામાં આવી છે, જેણે બાળકીના વસ્ત્રો અને ટ્રેક પરથી સેમ્પલ લીધા છે જેથી મેડિકલ બળાત્કારની કાનૂની પુષ્ટિ થઈ શકે. પોલીસે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા અને બાતમીદારોમાં વહેતા કરીને નરાધમ હત્યારાને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
15, જુલાઈ 2026
1980 |
દીવ-દમણ ફરીને પરત ફરેલા ઓડના યુવાનનું શંકાસ્પદ મોત :હત્યાની આશંકા
દિવ-દમણ ખાતે ફરી પરત ફરેલા ઓડના યુવકનું શંકાસ્પદ મોત થતાં, પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જાે કે પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મૃતદેહનો પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવવાની તજવીજ હાથ ઘરી છે. પીએમ રીપોર્ટમાં મોતનું સાચુ કારણ ઉજાગર થશે તેમ જાણવા મળે. પ્રાપ્ત વિગત અનુસાર અહિમા ગામે રહેતો દેવેન્દ્રસિંહ તખતસિંહ ચૌહાણ (ઉ. વ. ૩૯)ગઈકાલે વહેલી સવારના સુમારે કારમાં તેના મિત્રો સાથે દિવ- દમણ ફરવા માટે ગયો હતો. ત્યાં મોજમસ્તી કરીને રાત્રીના સુમારે પરત ફર્યા હતા. દરમ્યાન દેવેન્દ્રસિંહના ઘરની નજીક આવેલી દુકાનના ખાટલામાંથી આજે વહેલી સવારના સુમારે દેવેન્દ્રસિંહની લાશ મળી આવી હતી. પિતરાઈ ભાઈએ જાેતા જ તેણે તુરંત જ ઘરના સભ્યો અને ૧૦૮ મોબાઈલ વાન-પોલીસને જાણ કરતાં તેઓ આવી પહોંચ્યા હતા. તપાસ કરતા દેવેન્દ્રસિંહ મૃત્યુ પામ્યો હતો. જેથી પરિવારજનો ઓડ આઉટ પોસ્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને દેવેન્દ્રસિંહની હત્યા કર્યા બાદ લાશને ખાટલામાં સુવડાવી હોવાના આક્ષેપ કર્યો હતો. તેની જીભ પણ થોડી બહાર નીકળી ગયેલી મળી આવી છે. જેને લઈને પોલીસે લાશને પીએમ માટે ઓડના સીએચસી સેન્ટર ખાતે મોકલી આપી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ધાર્મિક
15, જુલાઈ 2026
2871 |
ડાકોરમાં યોજાઈ ભગવાન રણછોડરાયજીની ૨૫૪મી ભવ્ય રથયાત્રા
શ્રદ્ધા અને ભક્તિના ઘોડાપૂર સમાન અષાઢી ઉત્સવોની શરૂઆત થઈ ચૂકી છે. સામાન્ય રીતે સમગ્ર દેશમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજાતી હોય છે, પરંતુ ગુજરાતના જગવિખ્યાત યાત્રાધામ ડાકોરમાં એક અનોખી પરંપરા જોવા મળે છે. ડાકોરના ઠાકોરજી એટલે કે રાજા રણછોડરાયના મંદિરમાં તિથિ નહીં પણ નક્ષત્રના આધારે રથયાત્રા યોજાય છે. આજે અષાઢી એકમ અને પુષ્ય નક્ષત્રના આ પાવન સંયોગે ડાકોર મંદિરમાંથી ભગવાન રણછોડરાયજીના બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજની ૨૫૪મી ભવ્ય રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે. ચાંદીના રથમાં સવાર થઈને કાળિયા ઠાકોર આજે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે ડાકોર નગરી 'જય રણછોડ, માખણચોર'ના નારાથી ગુંજી ઉઠી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ધાર્મિક
12, જુલાઈ 2026
4158 |
વડોદરા રથયાત્રાનો ઇતિહાસ શું છે? | Shree Nityanand Ramdas Swami Ji સાથે ખાસ મુલાકાત | ISKCON વડોદરા Exclusive Podcast
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે લોકસત્તા જનસત્તા દ્વારા ઇસ્કોન વડોદરાના મુખ્ય પૂજારી શ્રી નિત્યાનંદ રામદાસ સ્વામીજી સાથે ખાસ મુલાકાત યોજાઈ. આ મુલાકાત દરમિયાન તેમણે વડોદરાની રથયાત્રાનો ઇતિહાસ, તેની વિશેષ પરંપરાઓ, 16 જુલાઈની રથયાત્રાની તૈયારીઓ તેમજ ભક્તો માટેના મહત્વપૂર્ણ સંદેશ અંગે માહિતી આપી. રથયાત્રા સાથે જોડાયેલી અનેક રસપ્રદ અને ઓછી જાણીતી વાતો પણ તેમણે શેર કરી. આ વિશેષ મુલાકાતનો સંપૂર્ણ વીડિયો લોકસત્તા જનસત્તાના YouTube ચેનલ પર ઉપલબ્ધ છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુલાઈ 2026
1980 |
માતા સાથે સ્કૂટર પર જતી યુવતીને બાઈક સવારોએ રસ્તા પર પટકી જાનથી મારવાની ધમકી આપી
અમદાવાદના વટવા વિસ્તારમાં શનિવારે સાંજે પોતાની માતા સાથે સ્કૂટર પર જઈ રહેલી ૨૫ વર્ષીય યુવતીને ત્રણ બાઈક સવાર અજાણ્યા શખ્સોએ હેરાન કરી, શારીરિક નુકસાન પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટનાની વિગતો મુજબ, વટવામાં રહેતી યુવતી ૧૮ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે આશરે પોણા સાત વાગ્યે તેની માતા સાથે એક્સેસ સ્કૂટર પર ઘરે પરત ફરી રહી હતી. વટવા નારોલ ચાર રસ્તા પાસે ટીવીએસ અપાચે બાઈક પર સવાર ત્રણ શખ્સોએ ચાલુ બાઈકે યુવતી પર થૂંક ફેંક્યું હતું. જ્યારે યુવતીએ તેમને ઠપકો આપી આગળ નીકળવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ ત્રણેય શખ્સોએ તેમનો પીછો શરૂ કર્યો હતો.અંબર હાઇટ્સ ફ્લેટ પાસે ટ્રાફિકમાં ઊભેલી યુવતીના સ્કૂટરને આ શખ્સોએ જાણીજાેઈને પાછળથી જાેરદાર ટક્કર મારી હતી, જેના કારણે માતા-પુત્રી બંને રસ્તા પર નીચે પટકાઈ હતી. આટલેથી ન અટકતા, શખ્સોએ બિભત્સ ગાળો આપી અને “તને ગાડી ચલાવતા નથી આવડતું” કહી ઝઘડો કર્યો હતો. જ્યારે યુવતીએ હિંમત દાખવી આ શખ્સો અને તેમની બાઈકનો વિડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ તેને ગાળો આપી “જાે પોલીસ બોલાવીશ તો તને જાેઈ લઈશ” તેવી ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા. વટવા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુલાઈ 2026
1782 |
વસ્ત્રાલમાં ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી
અમદાવાદના વસ્ત્રાલમાં ગેરકાયદે ફટાકડાના એકમમાં થયેલા ભીષણ ધડાકા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. કોઈપણ મંજૂરી વગર ચાલતી આ ફેક્ટરીમાં માત્ર નફાની લાલચે શ્રમિકોની સુરક્ષાને નેવે મૂકવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કરુણ દુર્ઘટનામાં ૯થી વધુ લોકોના મોત થયા છે અને ૬ વ્યક્તિઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. રામોલ પોલીસે મુખ્ય સંચાલક મેહુલ ડોડીયા, રમીલાબેન અને સાદીક સૈયદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમની અટકાયત કરી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.પોલીસ કમિશનર ગેહલોત તો એવું કહે છે કે, રથયાત્રામાં વ્યસ્ત હોવાથી પોલીસ ૧૦-૧૫ દિવસ તપાસ કરી ન હતી અને તેનો લાભ લઈને આરોપીએ ફેક્ટરી શરૂ કરી દીધી હતી. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની ત્યારે મેહુલ ડોડિયા હાજર હતો. તેને ઇજા પણ થઈ છે અને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સંચાલક માતા રમીલાબેન-પુત્ર મેહુલ અને ભાગીદાર સાદીક સૈયદની ધરપકડ કરાઈ છે. મેહુલની માતા રમીલાબેનના કાનના પડદા જતા રહ્યાં છે. આ ફેક્ટરી બંધ કરાવવામાં આવી હતી.દાહોદથી મજૂરો લાવીને છેલ્લા ૨૫ દિવસથી ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. ગણેશ ચતુર્થી માટે ફટાકડાનો ઓર્ડર મળતા તેને બનાવવાની શરૂઆત કરી હતી. ફેક્ટરીનો ભાગીદાર સાદિક ૧૫ દિવસ અગાઉ ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં જે આગ લાગવાની ઘટના બની હતી તેમાં પણ ભાગીદાર હતો. ત્યાં જે જગ્યા પર ઘટના બની હતી તે જગ્યા પણ સાદિકની જ હોવાનું જાણવા મળ્યું છે. રામોલમાં પેપર ઉપર ક્યાંય પણ તેની ભાગીદારી જાેવા મળી નથી. જાેકે મ્યુચ્યુઅલ પૈસાની અને અન્ય ભાગીદારીમાં સામેલ છે. વર્ષ ૨૦૧૩માં ફટાકડાની ફેક્ટરી બનાવવાની શરૂઆત કરી હતી, જાેકે વર્ષ ૨૦૧૪માં બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૦માં ફરીથી મેહુલ ડોડિયાએ લાયસન્સ મેળવ્યું હતું અને ફેક્ટરી ચાલુ કરી હતી. ફાયર ર્દ્ગંઝ્ર અને લાયસન્સ લેવામાં આવ્યું હતું. ૪ માર્ચ ૨૦૨૬ના રોજ તેનું લાયસન્સ પૂરું થયું હતું, ત્યારબાદ રામોલ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી હતી.વર્ષ ૨૦૨૬માં માર્ચ મહિનામાં લાયસન્સ પૂરું થઈ ગયું હતું ત્યારબાદ તેણે ગેરકાયદેસર ફેક્ટરી શરૂ કરી હતી. માર્ચ ૨૦૨૬માં ફેક્ટરી બંધ કરાવી દેવામાં આવી હતી ત્યારબાદ તેના ફોટોગ્રાફ્સ પણ પોલીસ કમિશનર ઓફિસમાં જમા કરાવવામાં આવેલા હતા. રામોલ પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારની ફેક્ટરી બંધ થયા પછી અરજી પણ કરવામાં આવી નથી. ગેરકાયદેસર રીતે તેઓ ફેક્ટરી ચલાવતા હતા અને રથયાત્રાના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હતી ત્યારે આ ફેક્ટરી ચાલુ કરી છે કે નહી તેની તપાસ કરી શકી નહોતી અને જે દરમિયાન આ બનાવ બનેલો છે. જમીન ભાડે આપનાર અંગે પણ તપાસ કરવામાં આવશે.’ આ ફેક્ટરીને ૨૯ જુલાઈ ૨૦૨૬ સુધીની ફાયર એનઓસી આપવામાં આવેલી છે. એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ૧૫ કિલો જથ્થો હોવો જાેઈએ જાે કે સ્થળ ઉપરથી વધુ પ્રમાણમાં મળી આવ્યો છે જેથી તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. કામદારોનું ઇન્સ્યોરન્સ હોવું જાેઈએ ત્યારે તે બાબતે પણ અમે તપાસ કરીશું અને કામદારને અહીંયા લઈને આવ્યા છે ત્યારે ઇન્સ્યોરન્સ હોવાની શક્યતા નથી. ફાયરના કારણે લાયસન્સ રદ કરવામાં આવ્યું હોય એવું નથી. પરંતુ સ્ટ્રકચર સ્ટેબિલિટી, દ્ગછ જમીન, કામદારોના ઈન્સ્યોરન્સ અને ઇલેક્ટ્રીક સર્ટિફિકેટ અન્ય કારણોસર પોલીસનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. જમીન માલિક, મજૂર લાવનાર વ્યક્તિ, ફાઇનાન્સર અને ગન પાવડર લાવનાર કોણ હતો તે વગેરે અંગેની અમે તપાસ કરીશું. ગુજરાત સરકાર તરફથી જે સહાય જાહેર કરવામાં આવી છે તે ઝડપી મળે તે પ્રમાણે કાર્યવાહી કરાશે. મૃતકો અને ભોગ બનનારને ઝડપથી ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા તમામ પુરાવાઓ ભેગા કરી અને ઝડપથી ચાર્જશીટ કરીશું. રામોલ પોલીસે ફેક્ટરીના સંચાલક રમીલાબેન ડોડિયા, મેહુલ ડોડિયા તેમજ ભાગીદાર સાદીક સૈયદ વિરૂદ્ધ સહિત ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) અને વિસ્ફોટક કાયદા હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગ્રામ્ય પોલીસ સાથે સંકલન કરી અને અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારમાં જ્યાં પણ આવી ફેક્ટરીઓ ચાલતી હોય ત્યાં બંધ કરાવીશું અને સંપૂર્ણપણે ફેક્ટરીઓને ડિમોલેશન કરી અને ત્યાં સ્ટ્રક્ચર પણ ન રહે તે પ્રમાણે કાર્યવાહી કરાશે. રામોલ વિસ્તારમાં જ માત્ર ૧૨ જેટલી ફેક્ટરીઓ હતી તેને બંધ કરાવવામાં આવી છે. તેમજ એક ફેક્ટરી કાયદેસર રીતે ચાલી રહી છે. જ્યારે આસપાસમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.’ મોટાભાગના મૃતક દાહોદના સંજેલી ગામના રહેવાસી છે અને એક મૃતક ઉમરેઠ તેમજ એક મૃતક કપડવંજનો અને વસ્ત્રાલ વિસ્તારનો રહેવાસી છે. અમદાવાદ અને કપડવંજમાં થયેલા ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટ કેસ વચ્ચે કનેક્શન સામે આવ્યું અમદાવાદ અને ખેડા જિલ્લાના કપડવંજમાં થયેલા ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટ કેસ વચ્ચે હવે મહત્વપૂર્ણ કનેક્શન સામે આવ્યું છે. અમદાવાદની ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં ઝડપાયેલા આરોપી સાદ્દીક સૈયદ કપડવંજની ફટાકડાની ફેક્ટરીમાં પણ ભાગીદાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ખુલાસા બાદ બંને બ્લાસ્ટ કેસ વચ્ચે સંબંધ હોવાની દિશામાં તપાસ વધુ તેજ કરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુલાઈ 2026
2475 |
દીપડા જેવા વન્યપ્રાણીઓને જંગલમાં ખોરાક મળી રહે તે માટે જંગલોમાં ૫૦ ચિત્તલ છોડાયા
દીપડા જેવા વન્યપ્રાણીઓને જંગલમાં તેનો કુદરતી ખોરાક મળી રહે અને માણસો અને વન્યજીવન વચ્ચેનું ઘર્ષણ ઘટે તે ઉદ્દેશ્યથી સુરત વન વિભાગ દ્વારા તાજેતરમાં માંડવીનાં જંગલમાં તૃણાહારી પ્રાણીઓને છોડવામાં આવ્યા છે. ગુજરાત વન વિભાગ દ્વારા તાજેતરમાં સાસણ ગીરથી ૫૦ ચિત્તલ (સ્પોટેડ ડીયર) લાવીને સુરત જિલ્લાના માંડવીનાં જંગલમાં છોડવામાં આવ્યા છે. આ પહેલનો હેતુ એ છે કે, દીપડા જેવા વન્યપ્રાણીઓને જંગલમાં કુદરતી શિકાર મળી રહે અને એ રીતે માનવ-વન્યજીવ વચ્ચેનું ઘર્ષણ ઓછું કરી શકાય. વન વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષનાં મે અને જૂન મહિનાની વચ્ચે ત્રણ તબક્કામાં ચિત્તલને સાસણથી લાવી માંડવીનાં જંગલમાં છોડવામાં આવ્યાં. વન વિભાગ દ્વારા ૨૩ મેના રોજ ૨૧ ચિત્તલ, ત્યારબાદ ૧૮ જૂને ૧૬ અને ૨૪ જૂને અન્ય ૧૩ ચિત્તલને જંગલમાં છોડવામાં આવ્યા છે. આમ કુલ, ૫૦ ચિત્તલને જંગલમાં છોડવામાં આવ્યાં છે. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “ગુજરાત વન વિભાગ માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે વિજ્ઞાન આધારિત વન્યજીવ સંરક્ષણ માટે પગલાં લઈ રહ્યું છે. જંગલમાં વન્યપ્રાણીઓ જેવા કે દીપડા માટે કુદરતી શિકાર મળી રહે તે માટે આ પ્રયાસ થઇ રહ્યા છે. વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ની જાેગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવેલું આ સ્થાનાંતરણ, યોગ્ય વન વિસ્તારોમાં તૃણાહારી પ્રાણીઓની વસ્તી વધારીને પર્યાવરણીય સંતુલન પુન:સ્થાપિત કરવાના રાજ્યના લાંબા ગાળાના પ્રયાસોનો એક ભાગ છે.” અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન જયપાલ સિંહે જણાવ્યું કે, “આ પહેલ માંડવી વન રેન્જમાં અગાઉ હાથ ધરાયેલા સંરક્ષણ કાર્યોને આગળ ધપાવે છે. વન વિભાગે સ્થાનિક તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવા માટે એક ચિત્તલ સંવર્ધન કેન્દ્ર પણ (બ્રીડિંગ સેન્ટર) શરુ કર્યું છે.”સુરત સર્કલના વન સંરક્ષક પુનીત નૈયરે જણાવ્યું કે, “ માનવ અને વન્યજીવ સંઘર્ષ સમયે ઝડપથી પહોંચી વળવા માટે વન વિભાગે આધુનિક રેસ્ક્યૂ સાધનોથી સજ્જ એક સમર્પિત ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરી છે, જેથી વન્યજીવ કટોકટીના સમયે તાત્કાલિક પગલાં લઈ શકાય અને સ્થાનિક સમુદાયો તેમજ વન્ય પ્રાણીઓ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.” પુનીત નૈયરે વધુમાં જણાવ્કેયું હતું કે, ચિત્તલને સાસણ (ગીર)થી સુરતનાં જંગલમાં લાવતા પહેલા મુક્ત કરાયેલા પ્રાણીઓને લાંબા સમય સુધી આશ્રય આપી શકે તેવા સ્થળોની ઓળખ કરવા માટે રહેઠાણનું વિગતવાર મૂલ્યાંકન કર્યું હતું.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુલાઈ 2026
2574 |
શહેરમાં કરોડોના કોન્ટ્રાક્ટ લેતા કોન્ટ્રાક્ટરો પાસે સારા સાધનો કે આખી પાઇપો નથી ? તેવા સવાલો
ચોમાસા કે વરસાદના ઝાપટા દરમિયાન બોપલના સ્ટર્લિંગ સીટી સેક્ટર છ અને મ્ માં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી છે. અહીં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લેવલ પણ ઊંચા નીચા છે. બીજી તરફ આ સમસ્યાનો ઉકેલ હજુ સુધી ન મેળવી શકનાર તંત્ર વરસાદ બંધ થાય એટલે ગટરનું પાણી એક તરફથી બીજી બાજુ ટ્રાન્સફર કરીને સંતોષ માની લે છે ..છેલ્લા ત્રણ દિવસથી સ્ટર્લિંગ સિટીના સેક્ટર છ માં આવેલ શુભ બંગલો પાસેના રોડ ની ગટરમાં પાઇપ જાેડીને મુખ્ય રોડ પરની ગટરમાંથી ગટર નું પાણી વરસાદી ગટરમાં ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલી રહી છે .તે જ દિવસથી શુભ બંગલો ના રોડ પર ગંદી માટી અને દુર્ગંધવાળું ગટરનું પાણી ફેલાયેલું છે જેમાંથી દુર્ગંધ આવે છેઅને કીચડ થયો છે.વાહનો મૂકવાથી માંડીને ઘરમાંથી અવરજવરમાં તકલીફ પડી રહી છે.પાણીજન્ય મચ્છરો અને રોગજન્ય વાતાવરણ ઊભું થયું છે .દરરોજ અને વારંવાર આ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરોનો માણસોને આ વાત જણાવ્યા છતાંય છતાં કોઈપણ ઉકેલ આવતો નથી .આ પાઇપોમાં અનેક જગ્યાએ કાણા અને લીકેજ અને કપાયેલી પાઇપ હોવાથી આ પાણી રસ્તા પર પણ ફેલાઈ રહ્યું છે ,તેના પર માટી ભરેલી થેલી મૂકી ને તેઓ લીકેજ દબાવવાની કોશિશ કરે છે. પરંતુ ગટરનું પાણી રોડ પર ફેલાય છે,રહીશો રોગમાં સપડાય અને ખરાબ પરિણામ આવે તેની જ કદાચ રાહ જાેવાઈ રહી છે?? કોન્ટ્રાક્ટર ના માણસો રોજેરોજ બદલાતા હોય છે દરેકને નવેસરથી આ વસ્તુ કહેવી પડે છે. પરંતુ તેઓ કહીએ ત્યારે થોડી વખત માટે પાણી બંધ કે ધીમું કરીને ફરીથી પાછું ચાલુ કરે,, એ રીતે કરી રહ્યા છે સેકટર છ બોડકદેવ માં આવે છે સ્ટર્લિંગ સિટીનું સેકટર મ્ થલતેજમાં આવે છે અને વચ્ચે ઔડાનો રોડ છે.છ સેકટર પૂરું થાય એટલે બોપલ ઘુમા મુખ્ય રોડ આવે છે.એવું છે કે અહીંના વિકાસ માટે હદની લડાઈ જેવું ચાલી રહ્યું છે ..છ સેક્ટરમાં વરસાદી પાણી ની ગટર સિવાય તંત્ર દ્વારા કોઈપણ કામ જ કરવામાં આવ્યું નથી એમ કહી શકાય. બીજી તરફ અન્ય સેક્ટરમાં અલગ અલગ જગ્યાએ ગલીઓમાં નવા રોડ બનાવી રહ્યા છે ,અમુક વિકાસ કામો પણ ચાલી રહ્યા છે પરંતુ છ સેક્ટર જ્યાંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દરરોજ પસાર થાય છે ,પરંતુ તેના પ્રત્યે દુર્લભ કહેવામાં આવે છે .આ ગટરના પાણી રોડ પર ના ફેલાય અને ફેલાયેલું પાણી સાફ કરીને રોગચાળો ન ફેલાય એવા પગલાં લેવા માટે સૌ કોઈ અપેક્ષા રાખી રહ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુલાઈ 2026
1881 |
મેટ્રોમોનિયલ સાઇટ પર પ્રેમની જાળ ગૂંથી રૂપિયા ૧૩.૩૭ લાખની ઠગાઈ
મેટ્રોમોનિયલ વેબસાઇટના માધ્યમથી ઓળખાણ કેળવી લગ્નના બહાને વિશ્વાસ જીતી મહિલા પ્રોફેસર સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરવાનો ચોંકાવનારો કિસ્સો ગાંધીનગરમાં સામે આવ્યો છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (દ્ગહ્લજીેં)માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતી ૩૬ વર્ષીય મહિલાનો વિશ્વાસ જીતી, બેરિયાટ્રિક સર્જરી દરમિયાન તેમના મોબાઈલમાં પોતાની ફિંગરપ્રિન્ટ ઉમેરી અને નેટ બેંકિંગની માહિતીનો ઉપયોગ કરીને કુલ ૧૩.૩૭ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મૂળ લખનઉના વતની અને હાલ ચિલોડામાં રહેતી મહિલા પ્રોફેસર છેલ્લા સાડા ચાર વર્ષથી લવાડ સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.આશરે એક વર્ષ પહેલાં તેમની ઓળખાણ બેટર હાફ મેટ્રોમોનિયલ સાઇટ પર મૂળ ભુજના અને હાલ બેંગલુરુમાં રહેતા હિતેશ ધીરેન ઠક્કર સાથે થઈ હતી. શરૂઆતમાં સંપર્ક તૂટી ગયો હતો પરંતુ ૪ મે ૨૦૨૬ના રોજ આરોપીએ ફરી વોટ્સએપ મારફતે સંપર્ક કરી વિશ્વાસ જીત્યો અને બંને વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ હતી.વાતચીત દરમિયાન આરોપીએ મહિલા પ્રોફેસરને વધતા વજનને ધ્યાનમાં રાખી બેરિયાટ્રિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી. ૧૪ મેના રોજ તે તેમને ગાંધીનગરની કે.ડી. હોસ્પિટલમાં લઈ ગયો હતો. આ દરમિયાન મીઠી-મીઠી વાતો કરીને તેણે મહિલા પ્રોફેસરનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો અને તેમના મોબાઈલ ફોન તેમજ નેટ બેંકિંગ સંબંધિત માહિતી મેળવી લીધી હતી.૧૫ મેના રોજ સર્જરી દરમિયાન જ્યારે મહિલા પ્રોફેસર ઓપરેશન થિયેટરમાં હતા અને તેમનો મોબાઈલ આરોપી પાસે હતો, ત્યારે તેણે મોબાઈલના ફિંગરપ્રિન્ટ લોકમાં પોતાની ફિંગરપ્રિન્ટ ઉમેરી દીધી હતી.ત્યારબાદ બેંક ખાતામાં રહેલી મોટી રકમની જાણકારીનો લાભ લઈને ૧૬ મેના રોજ ૧૮.૧૫ લાખની ફિક્સ ડિપોઝિટ તોડી નાખી હતી. હોસ્પિટલનું અંદાજે ૬ લાખનું બિલ અને દવાનો ખર્ચ ચૂકવ્યા બાદ બાકીની રકમમાંથી ૧૭ અને ૧૮ મેના રોજ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને ૧૨.૫૦ લાખ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.આટલાથી અટક્યા વગર આરોપીએ ૩૧ મેના રોજ મહિલા પ્રોફેસરની તબિયત નાદુરસ્ત હોવાનો લાભ લઈ તેમના ઘરે જઈ મોબાઈલ મેળવી વધુ ૫૦ હજાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત ફરિયાદીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ૧ જૂન અને ૭ જૂનના રોજ કુલ ૮૭,૪૦૨ના ખર્ચા પણ કર્યા હતા.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુલાઈ 2026
2178 |
પરવત પાટિયા વિસ્તારની લા‘મોર હોટલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ
પરવત પાટીયા વિસ્તારનાં સ્વપ્ન સૃષ્ટિ કોમ્પલેક્ષમાં હોટલ લા‘મોર માં ચાલતાં કૂટણખાનાનો એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પર્દાફાશ કરાયો છે. પોલીસે સંચાલક તથા ત્રાહકને પકડી ત્રણ લલનાઓ મુક્ત કરાવવા સાથે માલિક અને ત્રણ દલાલોને વોન્ટેડ જાહેર કર્યા છે. એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પાસે મળતી માહિતી અનુસાર હોટેલ તથા સ્પા ઓથે ચાલતાં સેક્સ રેકેટ અંગે માહિતી મેળવી કાર્યવાહી કરવા માટે ઇન્સપેક્ટર એમ. બી. શેરગીલે સ્ટાફને કામે લગાવ્યો છે. આ દરમિયાન એવી બાતમી મળી હતી કે, પરવત પાટીયા વિસ્તારમાં આવેલી સ્વપ્ન સૃષ્ટી કોમ્પલેક્ષના ત્રીજા માળે કાર્યરત હોટેલમાં કૂટણખાનું ચલાવાઇ રહ્યું છે. ખાનગી રાહે તપાસ કરાતાં હોટલ લા‘મોર માં આ ગોરખ ધંધો ચાલી રહ્યો હોવાનું કન્ફર્મ થયું હતું. ત્યારબાદ એએચટીયુ દ્વારા આ હોટેલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં કરાયેલી તપાસમાં માલિક અજયગીરી અશોકગીરી મેઘના પોતાની હોટલમાં સંચાલક તરીકે સાગરભાઇ અશોકભાઇ પાડવીને રાખી બહારથી લલનાઓ બોલાવી સેક્સ રેકેટ ચલાવતો હતો. અહીં પૈસા ચૂકવી શરીર સુખ માણવા ઇચ્છુક શોખીનોને શોધી લાવવાનું કામ ઓમ રામકરણ દ્વિવેદી તથા સમીર અંસારી અને આસિફ અંસારી કરી રહ્યા હતાં.પોલીસે સંચાલક સાગર પાડવીને સાથે રાખી તપાસ કરી ત્યારે હોટેલમાંથી બે લલનાઓ મળી આવી હતી. તેમની સાથે મહેશ નાનજીભાઇ પટેલ (રહે, શાંતિનિકેતન સોસાયટી, બોરડા ફાર્મની બાજુમાં, પુણાગામ)ને પકડી લેવાયો હતો. ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૭ તેમજ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ કલમ-૧૪૪(૨), ૫૪ મુજબ ગુનો નોંધી પોલીસે હોટેલ માલિક અજયગીરી અશોકગીરી મેઘનાથી તથા દલાલો ઓમ રામકરણ દ્વિવેદી, સમીર અંસારી અને આસીફ અંસારીને વોન્ટેડ જાહેર કર્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુલાઈ 2026
1980 |
કારખાનાનાં ત્રીજા માળેથી કૂદી કારીગરનો આપઘાત
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સંચા કારખાનામાં કામ કરતા યુવકે કારખાનાના ત્રીજા માળેથી ભૂસકો મારી મોત વહાલું કરી લીધું હતું. આ યુવકે આર્થિક સંકડામણમાં અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ગંજામનો વતની ૨૫ વર્ષીય મુંના જયા ગૌડા હાલ ભેસ્તાનમાં ઉન નાકા, ખાતે આવેલી નવાબ રેસિડેન્સીમાં રહેતો હતો અને નજીકના સંચા કારખાનામાં કામ કરતો હતો. આજે મળસ્કે કારખાનામાં કામ દરમિયાન તેણે અચાનક ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આત્મહત્યાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુલાઈ 2026
1782 |
વેસુ વીઆઈપી રોડ પર પાણીમાં બેસીને લોકોએ મનપાનાં ભ્રષ્ટ વહિવટ સામે સૂત્રોચ્ચાર પોકાર્યા
સુરત શહેરમાં ચોમાસાનાં પ્રથમ સામાન્ય વરસાદે જ સુરત મહાનગર પાલિકાનાં પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી છે. ચોમાસા પહેલાં લાખો રૂપિયાની સફાઈ, ડ્રેનેજ અને વરસાદી પાણીનાં નિકાલની કામગીરીના દાવા કરનાર પાલિકા માત્ર બે ઇંચ વરસાદ સામે જ બેહાલ બની ગઈ છે. શહેરના પોશ વિસ્તારોથી લઈને શ્રમિક વિસ્તારો સુધી રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વર્ષોથી ટેક્સના નામે કરોડો રૂપિયા વસૂલતી પાલિકા સામાન્ય વરસાદમાં પણ અસરકારક વ્યવસ્થા ઉભી કરી શકી નથી તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે.શહેરમાં માત્ર બે ઇંચ વરસાદમાં સૌથી ગંભીર સ્થિતિ વેસુના વીઆઈપી રોડ પર જોવા મળી હતી. સંગિની ઇવોક બિલ્ડિંગ નજીક રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકો પાણીમાં બેસી વિરોધ નોંધાવવા મજબૂર બન્યા હતા. "હાય રે એસએમસી, હાય હાય" અને "ભ્રષ્ટ વહીવટ બંધ કરો" જેવા સૂત્રોચ્ચાર સાથે લોકોએ પાલિકા સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક રહીશ વિષ્ણુ પટેલના જણાવ્યા મુજબ અહીં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે, છતાં ગટર અને ડ્રેનેજ લાઈનની યોગ્ય સફાઈ કે કાયમી ઉકેલ માટે કોઈ કાર્યવાહી થતી નથી. અડધો કે બે ઇંચ વરસાદ પડતાં જ સમગ્ર વિસ્તાર જળબંબોળ બની જાય છે. વેસુના ઓપેરા બિઝનેસ હાઉસ સહિતના કોમશિર્યલ વિસ્તારોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓનો વેપાર ખોરવાઈ ગયો હતો. વેપારીઓએ સવાલ ઉઠાવ્યો કે દર વર્ષે પ્રીમોન્સૂન કામગીરીનાં નામે કરોડો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે, પરંતુ જો પ્રથમ વરસાદમાં જ દુકાનો સુધી પાણી પહોંચી જાય તો લાખો રૂપિયાનાં માલસામાનનાં નુકસાનની જવાબદારી કોણ લેશે તેવો સવાલ લોકો પૂછી રહ્યાં છે. પરિસ્થિતિ માત્ર પશ્ચિમ ઝોન પૂરતી મર્યાદિત રહી નથી. ઉધના, ડિંડોલી અને લીંબાયત જેવા વિસ્તારોમાં પણ રસ્તાઓ, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. ગંદા પાણી બેક મારવાની ફરિયાદો વચ્ચે નોકરી-ધંધે જતા હજારો લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અલથાણનાં લક્ષ્મી હોમ્સમાં વરસાદી પાણીમાં ફસાયેલા ૧૦ લોકોનું રેસ્ક્યૂ સુરત શહેરમાં ખાડીપુર બાદ શહેરના મોટાભાગનાં વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન અને સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતી હોવાના બનાવો વધી રહ્યા છે. જેના કારણે સુરત શહેરમાં પડતા માત્ર એક થી બે ઇંચ વરસાદમાં પણ દોઢથી બે ફૂટ જેટલા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ગઈકાલે પણ શહેરના પડેલા માત્ર દોઢથી બે ઇંચ વરસાદમાં વેસુ, ઉધના, પાંડેસરા, ભેસ્તાન સહિતનાં વિસ્તારોમાં દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હોવાના અનેક ફરિયાદો પાલિકાને મળી હતી. આજે પણ સવારે પડેલા માત્ર દોઢથી બે ઇંચ વરસાદમાં શહેરના ઉધના, ભેસ્તાન, પાંડેસરા, અલથાણ અને વેસુ સહિતનાં વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદો મળી હતી. આ દરમિયાન અલથાણ બ્રિજ ખાતે આવેલ સેન્ટોસા હાઈટ્સ પાસે લક્ષ્મી હોમ્સમાં મહેમાન બનીને આવેલા ૧૦ જેટલા લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. જેથી ફાયર બ્રિગેડ વિભાગને આ બાબતે જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી તમામ લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે શહેરમાં પડતા માત્ર દોઢથી બે ઇંચ વરસાદમાં પણ જો ફાયર બ્રિગેડ વિભાગની ટીમે લોકોને રેસ્ક્યૂ કરી બચાવવાની કામગીરી કરવી પડે તો તે સુરત મહાનગરપાલિકા અને તેના અધિકારીઓ માટે અત્યંત શરમજનક બાબત બની ચૂકી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
19, જુલાઈ 2026
1782 |
ખાડીપૂર સંદર્ભે સ્થાયી સમિતિ અધ્યક્ષની નોંધ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કચરા ટોપલીમાં નાંખી દીધી હતી
શહેરીજનોને ખાસકરીને વેપારીઓને આર્થિકરીતે બરબાદ કરનાર ખાડીપૂર માટે મહાનગર પાલિકાનાં વહિવટી સત્તાધીશો જ જવાબદાર છે. દર વર્ષે ચોમાસામાં ખાડીપૂરનાં પાણી રહેણાંક વિસ્તારો તેમજ કોમશિર્યલ કોમ્પ્લેક્સીસમાં ફરી વળતાં હોવા છતાં નક્કર પગલાં લેવાની કામગીરી કરવામાં આવતી નથી. ગત વર્ષે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે મીઠીખાડીને ડાયવર્ટ કરવાની શક્યતા ચકાસવા ડીપીઆર બનાવવા સહિતનાં જરૂરી પગલાં લેવા લેખિત નોંધ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને મોકલી હતી પરંતુ તેમણે રાજન પટેલની નોંધ કચરા ટોપલીમાં ફેંકી દીધી હોય કે કેમ પરંતુ તે મુદ્દે કોઇ જ કાર્યવાહી કરી ન હતી. સ્થાયી સમિતિ અધ્યક્ષે જે સુચન કર્યું હતું તે મુદ્દો જ મુખ્યમંત્રીની મીટિંગમાં ચર્ચાયો અને ખાડીને શહેર બહાર આઉટર રિંગરોડને પેરેલલ વહેણ બનાવી તાપી નદીમાં ભેળવી દેવાની યોજના બાબતે ડીપીઆર બનાવવા સુચના આપવામાં આવી છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલની લેખિત નોંધ અંગે શાલિની અગ્રવાલે ગંભીરતા દાખવી હોત તો એક વર્ષ પહેલાં ખાડીને ડાયવર્ટ કરવા અંગે ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ બની ગયો હોત અને તેની ફિઝિબિલિટી ચકાસીને અમલીકરણની દિશામાં કામગીરી પણ શરૂ થઇ ચૂકી હોત પરંતુ એક વર્ષ પછી પણ ખાડી ડાયવર્ટ કરવા બાબતે ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ બનાવવાની જ વાતો થઇ છે. ખાડીપૂરમાં બરબાદ થયેલાં શહેરીજનોએ ભારે હોબાળો મચાવતાં ખુદ મુખ્યમંત્રીએ સુરત આવીને નક્કર પગલાં લેવાનો આદેશ આપવાની ફરજ પડી હતી. મહાનગર પાલિકા, કલેક્ટરાલય, સિંચાઇ વિભાગ સહિતનાં સરકારી વિભાગોનાં અધિકારીઓ સંકલન સાધીને ત્વરિત કાર્યવાહી કરે તેવી ખાસ સુચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી. આશ્ચર્યની બાબત તો એ છે કે, ગત વર્ષે પણ જુન મહિનામાં જ શહેરમાં ખાડીપૂરનાં પાણી ફરી વળ્યાં હતાં જેથી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે તા.૨૭-૦૬-૨૦૨૫નાં રોજ તત્કાલિન મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલને નોંધ મોકલીને જણાવ્યું હતું કે, ખાડીપૂરની પરિસ્થિતિનાં લાંબાગાળાનાં ઉકેલનાં એક વિકલ્પ સ્વરૂપે મીઠીખાડીને શહેરની હદમાં કે શહેર બહારથી તાપી નદી કે અન્ય જળસ્ત્રોતમાં ડાયવર્ટ કરવા અંગેની શક્યતાનાં ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ બનાવવા સહિતનાં જરૂરી તમામ પગલાં તાકીદે લેવા તેમજ શહેરનાં પૂર સંરક્ષણ માટે અન્ય ખાડીઓનાં સર્વેક્ષણો-ડાયવર્ઝનની શક્યતા સહિતની જરૂરી કાર્યવાહી પણ તાકીદે કરવી. રાજન પટેલે તાકીદે કાર્યવાહી કરવા સૂચના આપી હતી પરંતુ શાલિની અગ્રવાલ તાકીદ શબ્દનો અર્થ કળી શક્યાં ના હોય કે કેમ પરંતુ આ મીઠીખાડી કે અન્ય કોઇ ખાડીને ડાયવર્ટ કરવાની શક્યતા ચકાસતો એક પણ ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવા સંદર્ભે કોઇ જ નક્કર કાર્યવાહી કરી નહીં અને પ્રવર્તમાન વર્ષે શહેરીજનો ફરી ખાડીપૂરમાં બરબાદ થયાં હતાં. મુખ્યમંત્રીએ હાઇલેવલ કમિટી અને મીટિંગની વાત કરી પરંતુ ખરેખર તો સ્થાયી સમિતિ અધ્યક્ષની સુચનાનો ગંભીરતાથી અમલ નહીં કરનાર પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલનો જ ખુલાસો પુછવો જોઇએ કારણ કે તેમની નિષ્ક્રિયતા, બેદરકારી અને શાસકોનાં સૂચનની અવગણના કરવાની નીતિને કારણે જ ખાડીપૂર આવ્યું અને સરકારે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કરવું પડ્યું તથા મહાનગર પાલિકાએ પણ ૧૪૭ કરોડનો મિલકત વેરો માફ કરવો પડ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
18, જુલાઈ 2026
2277 |
પૂરઅસરગ્રસ્તોને રૂ. ૨૯ કરોડનાં વીમા ક્લેઈમનાં ચેકનું વિતરણ
સુરતમાં આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે નુકસાન વેઠનારા વાહન તથા મિલકત વીમાધારકોને મોટી રાહતરૂપ બની રહે તેવા કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ધારાસભ્ય સંદિપ દેસાઇનાં હસ્તે વીમા ક્લેઈમ સેટલમેન્ટનાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂર બાદ અત્યંત ટૂંકાગાળામાં અસરગ્રસ્ત વીમાધારકોને કુલ રૂ. ૨૯ કરોડનાં વીમા ક્લેઈમની ચૂકવણી કરવામાં આવી હતી.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...