ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, ઓગ્સ્ટ 2026 19800   |  
પોલીસ જાગી: અમદાવાદમાં ૩ દિવસમાં ૪૩૬ કેસ, ૪૭૬ની ધરપકડ અને ૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયા બાદ રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે તમામ શહેરો અને જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ પ્રોહીબીશન ડ્રાઇવ રાખવાની કડક સૂચના આપી હતી. આ આદેશના પગલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક્શન મોડમાં આવીને તમામ સ્થાનિક પોલીસ અધિકારીઓને દારૂ તેમજ જુગારની બદીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને ઝોન એલસીબીની ટીમોએ સપાટો બોલાવીને ચોરીછુપીથી ચાલતા અડ્ડાઓ પર વ્યાપક દરોડા પાડ્યા છે. માત્ર ત્રણ દિવસમાં જ પોલીસે કુલ ૪૩૬ કેસ નોંધીને ૪૭૬ આરોપીઓની અટકાયત કરી છે. આ દરોડા દરમિયાન વિદેશી દારૂના ૭૩ કેસો નોંધીને ૨૯.૯૩ લાખની કિંમતની ૧૧,૪૭૯ બોટલ/બીયર સહિત કુલ ૮૦.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેશી દારૂના ૩૩૬ કેસો નોંધીને ૭.૩૮ લાખની કિંમતનો ૩,૬૯૩ લીટર દારૂ અને વાહનો મળી કુલ ૮.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે.દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો સામે લાલઆંખ કરતા પોલીસે ૭ રીઢા બુટલેગરો સામે પાસા (ઁછજીછ) હેઠળ કડક ગુનો નોંધી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દીધા છે. પોલીસ કમિશનરે ગુનેગારોને પાસા હેઠળ જેલભેગા કરવાની ગતિ તેજ બનાવી છે. આ અભિયાન અંતર્ગત કુલ ૪૧ ગુનેગારોને પાસા હેઠળ જેલ મોકલાયા છે, જેમાં સૌથી વધુ ૧૮ દારૂના બુટલેગરો છે. જ્યારે મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ૧૪ અને મારામારી-હત્યાના પ્રયાસ જેવા શરીર સંબંધી ગુના આચરનાર ૯ ગુનેગારોનો સમાવેશ થાય છે. પોલીસની આ કડક ઝુંબેશથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં દારૂબંધીની કડક અમલવારી માટે પોલીસની આ ખાસ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ આવી જ કડક રીતે સતત ચાલુ રહેશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, ઓગ્સ્ટ 2026 20295   |  
આણંદમાં એસએમસીએ લાખોનો દારૂ ઝડપ્યો

ગુજરાતમાં અસામાજિક તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સમગ્ર રાજ્યભરમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ચોક્કસ માહિતીના આધારે સતત કાર્યરત છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા ભાલેજ-આણંદ રોડ પર, અપ્પુ વે-બ્રીજ નજીક એક વ્યૂહાત્મક દરોડો પાડવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે વહન કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો અતિ વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી આશરે ૧૫૦ પેટીઓ (કુલ ૭,૧૮૭ બોટલો) કબ્જે કરવામાં આવી હતી, જેની બજાર કિંમત ૧૯,૬૩,૧૫૧/- થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ ૩૪,૬૯,૬૨૧/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપુર ગામના રહેવાસી નારણભાઇ ઉર્ફે અતુલ ઘુસાભાઇ ચૌહાણ નામના આરોપીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસિકથી મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૦૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નાસિકથી ગેરકાયદેસર દારૂનો સપ્લાય કરનાર ૩ શખ્સો, દારૂના વહન માટે વપરાયેલ ટ્રકના મૂળ માલિક તેમજ કાનપુરના જ ભાવેશભાઇ સુરાભાઇ માતાસુરીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સંડોવાયેલા વોન્ટેડ શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ વધુ ઝડપી બનાવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, ઓગ્સ્ટ 2026 21384   |  
ભાવનગરથી ઝેરી દારૂ પીને સુરત આવેલા યુવકે ચોથા દિવસે દમ તોડ્યો

સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડનો ભોગ બનેલા સુરતના યુવકને શુક્રવારે બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ શનિવારે બપોરે તેણે દમ તોડી દીધો હતો. ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઈએનએસ હોસ્પિટલમાં તે ચાર દિવસથી સારવાર હેઠળ હતો.મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં પીરસાયેલી વ્હીસ્કી ઝેરી કેમિકલથી બનેલી હોય સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું તથા ડુપ્લિકેટ વ્હીસ્કી બનાવનાર યાદવનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજય લક્ષ્મણસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સિરિયસ હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, ત્યારબાદ તેને પરવત પાટિયા વિસ્તારની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સ્થિતિ વધું કથળતાં સંજયસિંહને આઇએનએસ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. આઈએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં તેને શુક્રવારે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. ત્યારબાદ શનિવારે બપોરે પરિવારની મંજૂરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી લેવાતાં તેનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક તબીબોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ સંજયસિંહના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપાયો હતો. સંજયે દમ તોડ્યો એ સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક ૧૧ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, ઓગ્સ્ટ 2026 23364   |  
શહેરમાં ડિફેન્સના નામે નકલી દારૂનો વેપાર

ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી ૯થી વધુના મોત નિપજ્યા છે ત્યાં અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાંડનો નિકોલ અને એસએમસી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બે ફરાર છે. નકલી ઇંગ્લિશ દારૂ બનાવી છૂટક વેચાણ કરતા નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુનિલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ભેગા મળી બનાવટી અંગ્રેજી દારૂ તૈયાર કરી છૂટકમાં વેચાણ કરે છે. એસએમસી અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો. બાદમા ડેકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી.ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ૪ બોટલ, પ્લાસ્ટિકની ૪ બોટલ મળી ઉપરાંત આરોપી પાસેથી રૂ.૫,૦૦૦ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કરીને તપાસ દરમિયાન દિનેશ જંડાવાલાના કુબેરનગર સ્થિત ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો અને એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે કુલ રૂ. ૯૫૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર લગાવી વેચતા આરોપીઓની પૂછપરછ કરતા સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ તથા ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર અને ડિફેન્સનો દારૂ હોવાનું બતાવવા તેનો સિમ્બોલ લગાવી વેચતા હતા. જ્યારે દિનેશ ચામુંડા બ્રિજ પાસે ભંગારની દુકાન ધરાવતા શખ્સ પાસેથી ખાલી બોટલો અને બ્રાન્ડેડ સ્ટીકર અને તેની પર લગાવવાના સીલ લાવતો હતો. આ અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને સુનિલની ધરપકડ કરી ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, ઓગ્સ્ટ 2026 22374   |  
ભાવનગરથી ઝેરી દારૂ પી સુરત આવેલો યુવક ત્રણ દિવસની સારવાર બાદ બ્રેઇનડેડ જાહેર

સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડમાં સુરતનાં યુવકને બ્રેઇનડેડ જાહેર કરાયો છે. પાર્ટીમાં દારૂ પી સુરત આવેલા સંજયસિંહની તબિયત લથડતાં ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઇએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં ત્રણ દિવસની સારવાર બાદ શુક્રવારે સંજયસિંહને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઇ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં રોયલ સ્ટેગ વ્હીસ્કી પીવાઇ હતી. રોયલ સ્ટેગ વ્હીસ્કી નકલી, ઝેરી તત્વોથી બનાવાયેલી હોય તેનું સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.ઉચ્ચસ્તરીય બેઠકો બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ મેદાને આવી પરંતુ એ પહેલા ઝેરી દારૂ પીવાથી ૫૦થી વધુની તબિયત લથડી ચૂકી હતી અને ૮ લોકોનાં મોત થઈ ચૂક્યા હતાં. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજયસિંહ લક્ષ્મસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સીરિયસ હાર્ટએટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, પરંતુ ત્યારબાદથી તે સતત બેભાન અવસ્થામાં સરી પડ્યો હતો. તબીબી તપાસમાં સામે આવ્યું હતું કે સંજયસિંહનાં મગજ સુધી પૂરતો ઓક્સિજન પહોંચી રહ્યો નહોતો. વધુમાં, નશાની તપાસ માટે કરાવેલા ખાસ રિપોર્ટમાં ઇથેનોલ અને મીથેનોલ પોઇઝનિંગની ગંભીર ઝેરી અસર હોવાનું સ્પષ્ટ થયું હતું. ઝેરી દારૂ પીધાનાં માત્ર ૮થી ૧૦ કલાકમાં જ ઝેર આખા શરીરમાં ફેલાઈ જતાં તેની ન્યુરોલોજીકલ સ્થિતિ કથળી ગઈ હતી, જેથી તેને તાત્કાલિક સુરતની જાણીતી ન્યુરો હોસ્પિટલ આઇએનએસમાં શિફ્ટ કરાયા હતા. આઇએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં આજે તેને આખરે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. સંજયસિંહને તેના પરિવારની મંજુરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી સત્તાવાર મૃત ઘોષિત કરાશે એવું જાણવા મળે છે. સંજયસિંહનાં મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
06, સપ્ટેમ્બર 2026 1683   |  
કરમસદ આણંદ મનપામાં મહત્વની જગ્યા પર આઉટસોર્સિંગ ભરતી થતાં સવાલો ઉઠ્યાં

છેલ્લા કેટલાક દિવસોથી કરમસદ આણંદ મનપામાં આઉટસોર્સિંગ સહિત અન્ય કર્મચારીઓ ને છુટા કરવાના આયોજન ભલે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છતાં લટકેલ તલવાર વચ્ચે મનપા દ્વારા એજન્સી મારફત મહત્વની જગ્યા પર કાયમી ના બદલે આઉટસોર્સિંગ ભરતી ના આયોજન કરતાં સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી કરમસદ આણંદ મનપામાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ સહિત અન્ય બસો જેટલા કર્મચારીઓ ને છુટા કરવાના આયોજન હાથ ધરતાં મામલો ઉજાગર થતાં મનપા દ્વારા હાલ પૂરતો મુદ્દો મોકૂફ રાખવામાં આવ્યો ની ચર્ચા વચ્ચે કરમસદ આણંદ મનપા બન્યા બાદ તાજેતરમાં એજન્સી મારફત મનપામાં મહત્વની જગ્યા જેવીકે માસ્ટર ઇન પ્લાનિંગ,બીઇ સિવિલ,બી.આર્કીટેકચર,બીઇ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ડીપ્લોમા ઇન સિવિલ,બીઇ સિવિલ સહિત અન્ય જગ્યાએ કાયમી ના બદલે આઉટસોર્સિંગ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં મુદ્દો ચર્ચાની એરણે ચઢવા સાથે સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે મહત્વની જગ્યા પર આઉટસોર્સિંગ ભરતી પાછળ મનપા દ્વારા શું વહીવટી ખેલ રચવાની બારી ઉભી કરી? આઉટસોર્સિંગ અધિકારીઓ પાસે લાખોના બીલ પાસ કરાવી ભોપાળું ઉજાગર થાય તેવા સમયે અધિકારી ને છુટા કરવાના ખેલ રચી પડદા પાડવાના આયોજન? જેવા સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
06, સપ્ટેમ્બર 2026 1980   |  
કઠલાલના મલેકપુરા નજીવી બાબતે જૂથ અથડામણ થતા પાંચ ઘાયલ

કઠલાલના મલેકપૂરામાં નજીવી બાબતે જૂથ અથડામણ થઇ હતી.જેમાં બંને પક્ષોએ સામસામે મારામારી અને સશસ્ત્ર હુમલો કરતા બંને પક્ષના મળી પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે કઠલાલ પોલીસ સામસામી ફરિયાદ લઇ કુલ તેર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. કઠલાલના મલેકપૂરામાં રહેતા તસ્લીમબાનુ મલેક ઉ.૨૯ પરિવાર સાથે રહે છે. તા.૨ સપ્ટેમ્બર સાંજે ૭:૩૦ વાગ્યાના અરસામાં આસપાસના લોકો આવી કારમાં આવેલા પાંચ શખ્સો છોકરા અને ભત્રીજાને માર મારે છે. જેથી મહિલા ઘરની બહાર નીકળી જાેતા કુટુંબી ઇર્શાદ દિકરા માહિરને કારમાં ખેંચીને લઇ જતા હતા. તેની સાથે જહીર, હસન, ઇસુબ, અલ્તાફ, શાહનવાઝ અને નોમાન ડંડાથી માર મારતા હતા.જેથી મહિલા અને તેના પતિ આશીકભાઈ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડતા મહિલાને મારમાર્યો હતો.ત્યારે મોસીન વચ્ચે પડતા ઇર્શાદે ચપ્પુ મારવા જતા જમણા કોણી નીચેના ભાગે અને કાંડા પર વાગ્યું હતુ. જેથી બૂમાબૂમ કરતા સાસુ મુમતાઝબેન ઝઘડામાં છોડાવવા વચ્ચે પડતા જહીરે મારમાર્યો હતો.આ બાદ આસપાસના લોકો દોડી આવી વધુ મારામાંથી છોડાવતા પાંચેય શખ્સોએ ધમકી આપી હતી.આ બાદ ઘવાયેલા મોસીનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.આ બનાવ અંગે તસ્લીમબાનુ મલેકે કઠલાલ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ત્યારે સામાપક્ષે ફેજલ મલેકે આઠ શખ્સો સામે ફરિયાદ આપતા પોલીસે તેર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, સપ્ટેમ્બર 2026 3960   |  
નડિયાદમાં આઠ મહિનાની બાળકીની શ્વાસ નળીમાંથી એલઇડી બલ્બ કાઢી જીવ બચાવાયો

ડૉ. એન. ડી. દેસાઈ હોસ્પિટલ, નડિયાદમાં તબીબોની સમયસૂચકતાથી ૮ મહિનાની બાળકીનો જીવ બચી ગયો છે. રમતાં રમતાં બાળકીને એલઇડી બલ્બ શ્વાસ નળીમાં ઉતરી જતાં તેને શ્વાસ લેવામાં તકલીફ થવાની સાથે સાથે ઉલ્ટીમાં લોહી આવતાં પરિવારજનો ગભરાઇ ગયા હતા અને એને તાત્કાલિક નડિયાદ લઇ આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેની શ્વાસનળીમાં ફસાયેલો બલ્બ બહાર કાઢી લેવામાં આવતાં બાળકીને નવજીવન મળ્યું છે. મહેમદાવાદમાં રહેતાં પરિવારની ૮ મહિનાની બાળકી રિયા મારવાડીને સાંજે શ્વાસ લેવામાં ભારે તકલીફ અને ઉલ્ટીમાં લોહી આવવાની ફરિયાદ સાથે નડિયાદની એન ડી દેસાઇ હોસ્પિટલમાં લાવવામાં આવતાં તેને ઇમરજન્સી વિભાગમાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી. રડતી વખતે બાળકીનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું હતું, જે અત્યંત ચિંતાજનક સ્થિતિ હતી. તબીબોએ પૂછતાં પરિવારે જણાવ્યું કે, બાળકીએ તીક્ષ્ણ ધાતુની વસ્તુ ગળી લીધી હતી. હાઈ રિસ્ક હોવાના કારણે અન્ય હોસ્પિટલમાંથી સારવારનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક ડૉ. એન. ડી. દેસાઈ હોસ્પિટલ, નડિયાદમાં રીફર કરવામાં આવી હતી. હોસ્પિટલમાં કરવામાં આવેલા એક્સ-રે માં ચોંકાવનારું તારણ સામે આવ્યું - બાળકીની શ્વાસનળીમાં, શ્વાસના મુખ્ય દ્વાર (લેરીંક્સ) ની તરત નીચે, એક ધાતુની વસ્તુ ફસાયેલી હતી. પરિસ્થિતિની ગંભીરતા જાેતા તબીબોએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બાળકીને ઓપરેશન માટે લીધી. ઇએનટી વિભાગના એચઓડી અને પ્રોફેસર ડૉ. સુપ્રિત પ્રભુ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પ્રિયંકા ભગતની ટીમે બ્રોન્કોસ્કોપી દ્વારા શ્વાસનળીમાંથી મેટલ વાયર સાથેનો એલઇડી બલ્બ સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. આ સમગ્ર જટિલ પ્રક્રિયા દરમિયાન એનેસ્થેસિયા વિભાગ અને નર્સિંગ સ્ટાફનો સહકાર પણ ખૂબ મદદરૂપ પૂરવાર થયો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, બાળકીને આ સમગ્ર જીવલેણ સારવાર સંપૂર્ણપણે વિના મૂલ્યે આપવામાં આવી હતી. ઓપરેશન બાદ બાળકીની તબિયત સ્થિર છે અને તેને કોઈપણ પ્રકારની તકલીફ નથી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, સપ્ટેમ્બર 2026 4653   |  
ડાકોરમાં લાખો ભક્તોએ કૃષ્ણજન્મોત્સવના વધામણા કરીને જન્માષ્ટમીની ઉજવણી કરી

ગત રોજ જન્માષ્ટમી ના દિવસે ડાકોર મંદિર દ્વારા ખુબ સારી સગવડ દર્શનાર્થીઓ માટે અને અને બોડાણાજી ના સર્કલ થી મંદિરચોક સુધી આળબંધ મારી ને દર્શનાર્થીઓને દર્શન મા મોકલવામાં આવ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મંદિર ની ચારેબાજુ ગોઠવવામા આવ્યો હતો અને ટાવરચોક પાસે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા એલીડી સ્ક્રીન ખુબ મોટી સાઈઝ મા મુકવામાં આવ્યો હતો જેમાં લાઈવ દર્શન કરવાવામાં આવ્યા હતા જન્માષ્ટમી ના દિવસે સવારે ડાકોર મા ભક્તો ની ભારેભીડ જાેવા મળી હતી જે રાત્રી ના ૨ વાગ્યાં ના અરશામાં ઓછી થઈ હતી ઠાકોરજી ને સવારે મંગાળા આરતી બાદ ત્રણભોગ ભેગા ધરાવી સતત એક વાગ્યાં સુધીમંદિર ના દ્વાર ખુલ્લા રખાવા મા આવ્યા હતા ત્યાર બાદ ઠાકોરજી ને પોઢાડી દેવાયા હતા પાછી સાંજે ૪-૪૫ ના સમયે ઉસ્થાપન આરતી કરી ઠાકોરજી ને કેવડા નો મુગટ સાથે સુંદર આભૂષણ ધરાવ્યા હતા જે આભૂષણ રાત્રી ના ૧૧-૪૫ ના અરશામાં ઉતારવામાં આવ્યા હતા ત્યારબાદ ઠાકોરજી ને તિલક કરી ને શ્રીકૃષ્ણ ના જન્મ ના વધમાણા કરવામાં આવ્યા હતા પછી અભિયાંગ સ્નાન સાથે પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું હતું પછી સ્નાન કરવી ને માણખાણ મિસરી પંજાજીરી નો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને રાત્રી ના એક વાગ્યાં સુધી ડાકોર મંદિર ના પરિસર મા ભારે અતિશબાજી સાથેલખોભક્તો એ ભારે ઉત્સાહ સાથે નંદ ઘેર આનંદ ભાયો નો જય નાદ કરી જન્માષ્ટમી ઉત્સવ ને ઉજવ્યો હતો અને આખા મંદિર પરિસર મા કીડીયારું ઉભરાયું હોય તેમ ભક્તો ગામેગામથી દેશ વિદેશ થી ભક્તો આવ્યા હતા ઠાકોરજી ને રાત્રી ના એક વાગ્યાં ના અરશામાં હિરાપન્ના નો સુંદર કલાકત્મક મોટો મુગટ ધારણ કરાવ્યો હતો જે મુગટ માટે લોકવાયકા મુજબ જયારે બનાવ્યો ત્યારે સવાલાખ નો ખર્ચ થયો હતો જે મુગટ લગભગ ૮૦૦ વર્ષ પહેલા બનાવ્યો હતો અને એક ઠાકોરજી મા અપાર શ્રદ્ધા ધરાવનારી મહિલા એ ભેટ આપ્યો હતો આ મુગટ ની હાલ મા કોઈ કિંમત કરી શકાય તેમ નથી રત્નજડિત આ મુગટ ઠાકોરજી ને વર્ષ દરમ્યાન ત્રણ વખત ધારણ કરાવવામાં આવે છે કારતકી પૂનમે ધનતેરશદિવાળી બેસતાવર્ષ ના દિવસે ઠાકોરજી ને ધારણ કરાવવામાં આવે છે અને ત્યારબાદ ઠાકોરજી ની આજ્ઞા માળા ગોપાલલાલજી ને ધારણ કરાવી સોનાના આસોપાલવ પારણે ઝૂલાવવામાં આવ્યા હતા.જે દર્શન સવાર ના ચાર વાગ્યાં સુધી ખુલ્લા રહ્યા હતા અને મહાભોગ નો ભોગ ધરાવી ને ઠાકોજી ને પોઢાડી દેવામાં આવ્યા હતા જન્માષ્ટમી નો આ ઉત્સવ ડાકોર મંદિર સાથે ડાકોર ની ગાલીએ ગાલીએ ઉજવાય છે જ્યાં પોળ ના નાના બાળકો લાકડાં ના પારણા બનાવી ગોપાલલાલજી ની નાની મુરતી લાવી ઘાસ અને નાના બાળકો રમે તેવા રમકડાં વનપ્રાણી ગાયો ભેંસો ગાડી અને અન્યએવી વસ્તુઓ ગોઠવવાતા હોય છે કે જેના થી નાના બાળકો ખુશ થાય અને મોટા વાસણ મા પાણી ભરીને તેમા હોડી સાથે રમકડાં ના જડચર પ્રાણીઓ પણ ગોઠવે છે અને આખી પોળ ના તમામ બાળકો વડીલો રાત્રી ના ૧૨ વાગે પારણું જુલાવીનંદ ઘેર આનંદ ભાયો નો જયનાદ કરતા હોય છે અને ગોપાલલાલજી ને માખણ મિસરી પંજાજીરી અને અન્ય મીઠાઈઓ પણ ધરાવતા હોય છે જન્માષ્ટમી ઉત્સવ ડાકોર મા ગોમતીઘાટ પર દંડી સ્વામી આશ્રમ ના મહંત વિજયદાશજી દ્વારા લોકડાયરો કરી ઉજવવામાં આવ્યો હતો જેમાં કાનાભાઈ આહીર દ્વારા શ્રી કૃષ્ણ ના ભજનો ગાઈ ને ડાકોર મા આવતા દર્શનાર્થીઓના ઉત્સાહ મા વધારો કર્યો હતો અને તેમના આ જાહેરકાર્યક્રમ મા જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ અધિક્ષક ધારાસભ્યો અને ડાકોર ના આગેવાનો ખુબ મોટી સંખ્યા મા જાેડાયા હતા અને ઠાકોરજી ને પાર્થના કરી હતી કે આ અસહ્ય ગરમી ને નાથી ને વરસાદ નું આગમન કરાવે જેના થી ખેડૂતો ને રાહત થાય પછી સવારે ચાર વાગ્યાં ના અરશામાં ઠાકોરજી ને પોઢાળ્યા હોવાથી નોમ ના દિવસે મંગળા આરતી મંદિર ના સેવક આગેવાનો ભાઈઓ દ્વારા નક્કી કરાયેલા સમય મુજબ ૮ વાગ્યાં ના સમયે કરવામાં આવી હતી અને ત્યારબાદ ગોવાળભોગ, બાળભોગ ધરાવી શણગાર ભોગ મા મંદિર ના સેવકભાઈઓ આજે નંદરાયજી યશોદામતા ગોપ ગોપીયો બની દહીં મટકી સાથે મંદિર પરિસર મા નંદ ઘેર આનંદ ભાયો નો જય નાદ કરતા નીકળ્યા હતા અને ગોપ ગોપીયો સાથે પરિસર મા ડાકોર પધારેલા દર્શનર્થીઓ પણ ગોળ ગોળ ફૂંદડી ફરી નંદ ના ઘેર આનંદ ભાયો ની ઉજવણી કરતા જાેવા મળી આવ્યા હતા આમ ડાકોર રણછોડજી મંદિર મા જન્માષ્ટમી અને ગોપીઓની નોમ નો ઉત્સવ ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરતા જાેવા મળી રહ્યા હતા


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, સપ્ટેમ્બર 2026 3960   |  
છ કારોબારી સભ્યોના સાગમટે રાજીનામા!

ઠાસરા તાલુકા પ્રાથમિક ટીચર્સ મંડળી (ટીચર્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી.)માં મોટો વહીવટી ભૂકંપ સર્જાયો છે. ટીચર્સ મંડળીના પ્રમુખ અને મંત્રીની મનસ્વી કારોબારી શૈલી તથા વહીવટી ગેરરીતિઓથી કંટાળીને કારોબારી સમિતિના છ જેટલા સભ્યોએ એકસાથે રાજીનામા ધરી દઈ ધડાકો કર્યો છે.કારોબારી સભ્યોએ વિરોધ દર્શાવતા પત્રોમાં ગંભીર આરોપો મૂક્યા છે કે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ટીચર્સ મંડળીની એક પણ કારોબારી મીટિંગ બોલાવવામાં આવી નથી. સભ્યોને અંધારામાં રાખીને પ્રમુખ અને મંત્રી દ્વારા પોતાની મનસ્વી નીતિઓથી તમામ પ્રકારના ધિરાણો, ખર્ચાઓ અને અન્ય નાણાકીય વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. જ્યારે સંપૂર્ણ વહીવટ પ્રમુખ-મંત્રી જ પોતાની રીતે કરતા હોય, તો ટીચર્સ મંડળીની વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે રહેવાનો કોઈ અર્થ સરતો નથી. વધુમાં, વર્ષ ૨૦૨૫-૨૬ના ડિવિડન્ડ અને ફરજિયાત બચત પરના વ્યાજ મુદ્દે સોશિયલ મીડિયા ગ્રુપોમાં શિક્ષક સભાસદોનો ભારે રોષ જાેવા મળી રહ્યો છે. પ્રમુખ-મંત્રીની મનમાનીના કારણે નિર્દોષ કારોબારી સભ્યો પર શંકાની સોય ચીંધાઈ રહી છે અને તેમના પર અવિશ્વાસ ઊભો થઈ રહ્યો છે. ટીચર્સ મંડળીમાં ઊભી થયેલી આ અસહ્ય સ્થિતિ અને ડાઘાદાર વહીવટમાંથી મુક્ત થવા સભ્યોએ રાજીનામા આપ્યા છે.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
06, સપ્ટેમ્બર 2026 1683   |  
ભિલોડા તાલુકાના લાલપુર ગામ નજીક કારમાંથી ૧૩૨૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હરાફેરી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભિલોડા તાલુકાના લાલપુર ગામ નજીક એલસીબીપોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ, એલસીબીપોલીસની ટીમને ખાનગી બાતમી મળી હતી કે એક શંકાસ્પદ કાર મારફતે વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ કારનો પીછો કરી તેને લાલપુર ગામ પાસે આંતરી હતી.પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ ૧૩૨૦ બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ૩,૬૪,૦૦૦ હોવાનું સામે આવ્યું છે. એલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી હતી. ઉપરાંત દારૂ ભરેલી કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ૮,૭૪,૦૮૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલ મુદ્દામાલમાં વિદેશી દારૂની ૧૩૨૦ બોટલ જેની કિંમત ૩,૬૪,૦૦૦ , કાર, મોબાઈલ ફોન મશી કુલ મુદ્દામાલ: ૮,૭૪,૦૮૦/- સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
06, સપ્ટેમ્બર 2026 2079   |  
પ્રાંતિજ હત્યાનો ભેદ ઉક્ેલાયો: પ્રેમી-પંખીડાએ બેંક મેનેજરની હત્યા કરી, યુવતીની ધરપકડ

પ્રાંતિજના વડવાસા નજીક બનેલી સસપેન્સ હત્યાની ઘટના પરથી પોલીસે પરદો ઊંચક્યો છે.આઇઆઇએફએલ બેંકના મેનેજર ભરતભાઈ ચૌધરીની હત્યા કેસમાં પોલીસે ખુલાસો કર્યો છે કે ૪ લાખ ૫૦ હજારની લોન ન ભરવી પડે તે માટે કાવતરું રચીને તેમની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આરોપી પુરુષ અને મહિલા બંને પ્રેમી હોવાનું તપાસમાં સામે આવ્યું છે, ત્યારે આ મામલે પોલીસે કાર્યવાહી કરીને એક મહિલા આરોપીની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. ગત ૨ સપ્ટેમ્બરના રોજ માણસાથી આઇઆઇએફએલ બેંકના મેનેજર ભરતભાઈ ચૌધરી પોતાની સફેદ વર્ના ગાડી લઈને નીકળ્યા હતા. જ્યાંથી તેઓ પ્રાંતિજ પહોંચ્યા હતા અને ત્યાંથી એક મહિલા સહ-આરોપીને ગાડીમાં સાથે લીધી હતી. ત્યારબાદ તેઓ વડવાસા પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા હતા, જ્યાં તકનો લાભ ઉઠાવીને ગાડીમાં બેસેલી મહિલા સહિત તેના પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ભરતભાઈ ચૌધરીની ર્નિમમ હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યા કર્યા બાદ આરોપીઓ મેનેજરના મૃતદેહને વર્ના ગાડીમાં મૂકીને નિકાલ કરવા જઈ રહ્યા હતા. જાેકે, રસ્તામાં ગાડી રિવર્સ લેતા સમયે ખાડામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે આરોપીઓ ગાડી અને મૃતદેહને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે મહિલા આરોપીની અટકાયત કરી મહિલાના પ્રેમીની શોધખોળ હાથધરી છે. લોનની રકમ ચુકવવામાંથી બચવા માટે રચાયેલા આ ખૂની ખેલનો પોલીસે આખરે પર્દાફાશ કરી દીધો છે, ત્યારે ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. લોન લઈને ઝડપાઈ ન કરવા પાછળ વાનગી બેંકના મેનેજર ને મોતને ઘાટ ઉતારનાર પુરુષ અને મહિલા સામે હત્યાનો ગુનો નોંધાયો છે, ત્યારે જાેવાનું એ રહેશે કે પ્રેમી અને પ્રેમિકાએ સાથે મળી મેનેજરની હત્યા કરી છે તે પાછળનું ચોક્કસ કારણ સાથેજ તપાસમાં કેવા અને કયા પ્રકારેના ખુલાસાઓ થાય છે તે મહત્વનું બની રહેશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, સપ્ટેમ્બર 2026 4059   |  
ધોળકાના ભેટાવાડામાં દૂષિત પાણીના વિરોધમાં ૧૩ દિવસથી ચાલતાં ખેડૂતોે આંદોલનનો સુખદ અંત આવ્યો

ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે દૂષિત ગટર અને કેમિકલયુક્ત પાણીના વિરોધમાં પાછલા ૧૩ દિવસથી ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન આજે સુખદ અંત આવ્યો છે. આ સુખદ અંત આજે સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની મધ્યસ્થતા અને ખાતરી આપતાં આંદોલન સમેટાયું છે. આખી વાત એવી છે કે, ધોળકા બેઠકના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ આજે ધોળકા તાલુકાના ભેટાવાડા ગામ ખાતે અગ્રણીઓ સાથે રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો સાથે લોકસંવાદ કર્યો હતો.જેમાં ગ્રામજનોની તમામ વ્યાજબી માંગણીઓ સ્વીકારી પ્રશ્નોના ઝડપી તથા કાયમી નિરાકરણની ખાતરી આપી હતી. તેમજ દૂષિત પાણીથી ખેતી, જમીન અને આરોગ્યને થઈ રહેલા નુકસાન અંગે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને ૧૨ મુદ્દાનું માગણીપત્રક સોંપવામાં આવ્યું હતું. જે અંગે આ મુદ્દાઓ પર સકારાત્મક વલણ અપનાવતા ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ તંત્ર અને સંબંધિત અધિકારીઓ સાથે તાત્કાલિક સંકલન સાધી નીચે મુજબના મહત્વના ર્નિણયોની જાહેરાત કરી હતી. તેમજ દૂષિત પાણી પર રોક આવે તેની માટે ભેટાવાડાની સીમમાં આવતું કેમિકલયુક્ત પાણી બંધ કરી, નગરપાલિકા દ્વારા અપાતું ગંદુ પાણી તાત્કાલિક અસરથી રોકી વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. તેમજ પ્રદૂષિત પાણી ગામમાં આવતું અટકાવવા કાંસ પાસે ૫ ફૂટ પહોળી અને રોડ લેવલથી ૫ ફૂટ ઊંચી મજબૂત ઇઝ્રઝ્ર દીવાલ બનાવી કાંસ પૂરવામાં આવશે. ઉપરાંત નર્મદાના શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઊભી કરાશે. સાથોસાથ ખેતીની જમીન અને પાણીના નમૂનાની લેબોરેટરી તપાસ કરાશે. તેમજ જીપીસીબી અને ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરની અત્યાર સુધીની કામગીરીની તપાસ તથા પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. દૂષિત પાણીના કારણે કેન્સર, ચામડીના રોગો અને પાકને થયેલા નુકસાનનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવી અસરગ્રસ્તોને યોગ્ય વળતર તથા સારવાર આપવા તંત્રને સૂચના અપાઈ છે. આમ આ ર્નિણયથી ભેટાવાડા ઉપરાંત આસપાસના ત્રાંસદ, પાલડી, નેસડા અને આંબારેલી ગામના લોકોને પણ મોટી રાહત મળશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, સપ્ટેમ્બર 2026 4554   |  
સ્વિસ બેંકમાં ૩૪ કરોડ હોવાનું નકલી સ્ટેટમેન્ટ બતાવી છેતરપિંડી આચરી

અમદાવાદના પૉશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં સરકારી આવાસ યોજના હેઠળ સસ્તા ભાવે ફ્લેટ અપાવવાના બહાને નિર્દોષ નાગરિકોને આર્થિક ચૂનો લગાવવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી રાજેશ ઉર્ફે રાજાભા બાબુલાલ રાઠોડે પોતાને ઔડાના ડાયરેક્ટર તેમજ નિવૃત્ત આઈ.બી. ઓફિસર તરીકે ઓળખાવીને સોશિયલ મીડિયા મેનેજર મહિલા અને તેના મિત્ર વર્તુળના ૧૧ લોકો પાસેથી રૂ. ૨૪,૫૦,૦૦૦ પડાવી લીધા છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદની વિગતો અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં રહેતી નિયતીબેન જૈન નામની ૩૪ વર્ષીય મહિલા, જે સોશિયલ મીડિયા મેનેજમેન્ટનો ધંધો કરે છે, તેના સંપર્કમાં આશરે નવ મહિના પહેલાં આરોપી રાજેશ રાઠોડ આવ્યો હતો. આરોપીએ પોતાની કથિત ગુજરાતી ફિલ્મોના પ્રમોશન માટે ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાના બહાને નિયતીબેન સાથે સંપર્ક વધાર્યો હતો. આરોપી વારંવાર તેમના ઘરે જતો અને નિયતીબેનને પોતાની દીકરી સમાન ગણાવી ઘરોબો કેળવ્યો હતો. ત્યારબાદ આરોપીએ વિશ્વાસમાં લઈ જણાવ્યું કે, તેની પાસે ઔડા યોજનાના સરેન્ડર થયેલા મકાનો ખાલી પડ્યા છે, જે તે સસ્તામાં અપાવી શકે છે.મકાનની લાલચમાં આવીને નિયતીબેને ટોકન પેટે બે લાખ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત તેમના ઓળખીતા એવા કમલાબેન દેશાઈ, પ્રશાંત ગાંધી, મોનાંગ ચુડાસમા સહિત કુલ ૧૧ લોકોએ પણ સસ્તા ફ્લેટ મેળવવાની આશાએ આરોપીને બેંક ટ્રાન્સફર અને રોકડા મળીને કુલ રૂ. ૨૪.૫૦ લાખ ચૂકવ્યા હતા. વિશ્વાસ જીતવા માટે આરોપીએ સ્વિસ બેંકનું નકલી સ્ટેટમેન્ટ પણ બતાવ્યું હતું, જેમાં ૩૪ કરોડ રૂપિયા જમા હોવાનો દાવો કરાયો હતો.પરંતુ મહિનાઓ વીતવા છતાં મકાન ન મળતા અને તપાસ કરતા ભાંડો ફૂટ્યો કે આરોપી ઔડામાં કોઈ હોદ્દો ધરાવતો નથી કે નિવૃત્ત આઈબી ઓફિસર પણ નથી. પૈસા પાછા માગતા આરોપીએ આપેલા ચેક પણ બેંકમાં અપૂરતા ભંડોળને કારણે બાઉન્સ થયા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, સપ્ટેમ્બર 2026 4752   |  
રાજ્યમાં ૫માંથી ૩ સરકારી આયુર્વેદ કોલેજાેને મંજૂરી,તમામ કોલેજની બેઠકો ઘટાડી દેવાઇ

રાજ્યની આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજાેમાં પ્રવેશ માટે આગામી ૯મીથી ૨૪મી સુધી પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. હોમિયોપેથીમાં હજુ સુધી ૪૮માંથી ૨૭ અને આયુર્વેદની ૪૪માંથી હજુ સુધી માત્ર ૭ કોલેજાેને મંજૂરી આપવામાં આવી છે. આયુર્વેદમાં ૩૬ કોલેજાેની મંજૂરી જ આવી નથી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓએ ચોઇસ આપ્યા પછી પણ પ્રવેશ ફાળવણી ન થઇ શકે તેવી સ્થિતિ ઊભી થઇ છે. મહત્વની વાત એ કે, જે કોલેજાેને મંજૂરી આવી છે તે પૈકી મોટાભાગની કોલેજાેની ૨૦થી લઇને ૫૦ જેટલી બેઠકો કાપી લેવામાં આવી છે. અમદાવાદની અખંડાનંદ આયુર્વેદ કોલેજની ૯૪માંથી ૫૬ બેઠકો કરી દેવામાં આવી છે. કોલાવાડા આયુર્વેદ કોલેજને મંજૂરી જ આપવામાં આવી નથી. કેન્દ્ર સરકાર દ્વારા ચાલુવર્ષથી આયુર્વેદ અને હોમિયોપેથીની પ્રવેશ પ્રક્રિયા અલગથી કરવાનું નક્કી કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓને ગત તા. ૨૫મી ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી પીન ખરીદીને રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં વિદ્યાર્થીઓ આ કાર્યવાહી કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા ઓલ ઇન્ડિયા ક્વોટા અને સ્ટેટ ક્વોટા એમ, બન્ને પ્રવેશ પ્રક્રિયા માટેનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જેમાં સ્ટેટ ક્વોટા માટે આગામી ૯મીથી લઇને ૨૪મી સુધીમાં પ્રથમ રાઉન્ડ પૂરો કરવામાં આવશે. એટલે કે આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગથી લઇને પ્રવેશ ફાળવણી સુધીની કાર્યવાહી પુરી કરવાની રહેશે. સૂત્રો કહે છે કે, આગામી ૯મીથી વિદ્યાર્થીઓ પ્રવેશ માટે જુદી જુદી ચોઇસ આપવાનું શરૂ કરશે. પરંતુ હાલની વાસ્તવિક્તા એ છે કે, આયુર્વેદ અને હોમિયોપેથીની મોટાભાગની કોલેજાેની મંજૂરી જ આવી નથી. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે છે, આયુર્વેદની અંદાજે ૪૨ કોલેજાે પૈકી અત્યાર સુધીમાં માત્ર ૬ કોલેજાેને મંજૂરી મળી છે. હોમિયોપેથીમાં અંદાજે ૪૯ કોલેજાે પૈકી ૨૮ કોલેજાેને મંજૂરી મળી છે. આમ, બન્ને કોર્સમાં અડધાથી ઉપરની કોલેજાેને મંજૂરી બાકી છે ત્યારે વિદ્યાર્થીઓ ચોઇસ જે તે કોલેજની ચોઇસ આપશે પરંતુ તે કોલેજને મંજૂરી મળી ન હોય તો વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે નહી. સૂત્રો કહે છે કે, સરકારી આયુર્વેદની ૫ કોલેજાે પૈકી ૩ની મંજૂરી આપવામાં આવી છે. જેમાં પણ અખંડઆનંદ કોલેજની ૯૪ બેઠકો પૈકી ૫૬ કરી દેવામાં આવી છે. વડોદરાની ૭૫ બેઠકમાંથી ૪૮ અને જૂનાગઢ આયુર્વેદ કોલેજની ૭૫ બેઠકમાંથી ૪૧ બેઠકો કરી દેવામાં આવી છે. આ સિવાય કોલાવાડા અને ભાવનગરની સરકારી આયુર્વેદ કોલેજ માટે કોઇ ર્નિણય કરવામાં આવ્યો નથી. હોમિયોપેથીમાં જે કોલેજને મંજૂરી આપવામાં આવી છે તે પૈકી મોટાભાગની બેઠકો કાપી લેવામાં આવી છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
06, સપ્ટેમ્બર 2026 2079   |  
કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ: બેનિવાલની મ્યુ.કમિશનર તરીકે નિમણૂંકથી હાઇલેવલ કમિટીનાં નિષ્પક્ષ રીપોર્ટની અપેક્ષા ધૂંધળી

નાસિરનગરનાં સ્પોન્સર્ડ ગેરકાયદે ડીમોલિશનકાંડમાં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર નાગરાજને જે ભૂલ કરી તેવી જ ભૂલ સરકારે રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક આપીને કરી છે. સુરત મહાનગર પાલિકાનાં પ્રવર્તમાન ઇન્ચાર્જ સિટી ઇજનેર મહેશ ચાવડા નાસિરનગરનાં ડીમોલિશન વખતે સેન્ટ્રલ ઝોનનાં વડા તરીકે ફરજ બજાવતાં હતાં અને તેમનાં કાર્યકાળમાં જ ગેરકાયદે ડીમોલિશન થયું હતું જેથી તેમની પણ જવાબદારી બનતી હતી તેમ છતાં નાગરાજને પાંચ સભ્યોની બનાવેલી હાઇલેવલ કમિટીમાં મહેશ ચાવડાનો સમાવેશ કરીને હાઇલેવલ કમિટી જ બાયસ હોવાનું પ્રાથમિક તબક્કે પ્રસ્થાપિત કર્યું હતું.પૂર્વ કમિશનર નાગરાજન જેવી જ ભૂલનું પુનરાવર્તન હવે રાજ્ય સરકારે કર્યું છે. હાઇકોર્ટની ફટકાર પછી નાસિરનગર ડીમોલિશનકાંડની તપાસ માટે પ્રિન્સિપલ સેક્રેટરી થેન્નારસન અને રાજકુમાર બેનિવાલની બે સભ્યોની હાઇલેવલ કમિટીની રચના કરવામાં આવી હતી અને હજુ આ કમિટીનો રીપોર્ટ હાઇકોર્ટમાં સબમિટ થયો નથી ત્યાં રાજકુમાર બેનિવાલની સુરત મહાનગર પાલિકાનાં કમિશનર તરીકે નિમણૂક કરાઇ છે જે એક રીતે તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ગણી શકાય. થેન્નારસન અને બેનિવાલની હાઇલેવલ કમિટીની રચનાને ૪૬ દિવસ થઇ ગયાં છે પરંતુ ડીમોલિશનકાંડમાં પ્રમુખ ભૂમિકા ભજવનાર મહાનગર પાલિકાનાં અધિકારીઓનાં નિવેદનો સુદ્ધા લેવામાં નથી આવ્યાં કે તેમને પુછપરછ માટે પણ બોલાવાયા નથી. હાઇલેવલ કમિટીએ ૬૦ દિવસમાં રીપોર્ટ સબમિટ કરવાનો છે પરંતુ બંને ઉચ્ચાધિકારીઓએ તપાસનાં નામે હજુ સુધી કંઇ ઉકાળ્યું હોય તેવું જણાતું નથી. થેન્નારસન રાજ્ય સરકારનાં અગ્રસચિવ છે અને બેનિવાલ હાઉસિંગ વિભાગનાં સચિવપદે હોવાથી તેમની તપાસ નિષ્પક્ષ રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી અને સુરત મહાનગર પાલિકાનાં સંબંધિત અધિકારીઓ પણ કોઇ ભય વિના પોતાના નિવેદનો આપી શકશે પરંતુ સરકારે ગઇકાલે શનિવારે મોડીરાત્રે એકાએક રાજકુમાર બેનિવાલની સુરત મહાનગર પાલિકાનાં કમિશનર તરીકે નિમણૂક કરતાં આશ્ચર્ય સર્જાયું છે. જે ઉચ્ચ અધિકારી નાસિરનગર ડીમોલિશનકાંડની તપાસ માટે હાઇલેવલ કમિટીનાં સભ્ય છે તે અધિકારી બેનિવાલને મ્યુનિસિપલ કમિશનર બનાવી દેવાતા હવે હાઇલેવલ કમિટીની તપાસ નિષ્પક્ષ કેવી રીતે થશે તે સવાલ ચર્ચાઇ રહ્યો છે. ગેરકાયદે ડીમોલિશનકાંડની તપાસને પ્રભાવિત કરવા માટે જ સરકારે રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂક્યાં તેવી પણ સંભાવના પણ અસ્થાને નથી કારણ કે, મ્યુનિસિપલ કમિશનર પદે બેનિવાલ હોય તેવા સંજોગોમાં તેમનાં હાથ નીચેનાં અધિકારીઓ ભય વિના પોતાનાં નિવેદન આપશે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. હાઇલેવલ કમિટીએ હજુ સુધી પોતાનો રીપોર્ટ સરકારને સબમિટ નથી કર્યો તે પહેલાં જ કમિટીનાં સભ્ય બેનિવાલને મ્યુનિસિપલ કમિશનર બનાવી દેવાતાં કમિટીનો રીપોર્ટ પણ બેનિવાલથી પ્રભાવિત હોવાની સંભાવના નકારી શકાતી નથી. સરકારનાં આ નવા પગલાંને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે હાઇકોર્ટમાં પડકારાય છે કે કેમ તે આગામી સુનાવણીમાં ખબર પડશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
06, સપ્ટેમ્બર 2026 2178   |  
આઠમની ઉજવણી જોવા ગયેલા અમરોલીનાં વૃદ્ધની તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકીને હત્યા

આઠમની ઉજવણી જોવા ઘરેથી નીકળેલા વૃદ્ધની તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરાઇ હોવાનો બનાવ બન્યો હતો. અમરોલી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ન્યુ ક્રોસ રોડ ઉપર સંસ્કાર રેસિડેન્સી પાસે માધવ વિલા એપાર્ટમેન્ટમાં કિશન મોહનભાઇ મારૂ તેમના પરિવાર સાથે રહે છે. દિલ્હી ગેટ પાસે આવેલા બેલ્જિયમ ટાવરમાં ડિઝાઇનર તરીકે કામ કરતાં કિશનના પિતા ૬૮ વર્ષીય મોહનભાઇ રાજાભાઈ મારૂ ચોથી તારીખે સાંડે છ વાગ્યાના અરસામાં આઠમની ઉજવણી જોવા નીકળ્યા હતાં.મોહનભાઇ મોડી રાત સુધી ઘરે નહીં આવતા દીકરા કિશને તેમને કોલ કર્યો હતો. પિતાનો ફોન સ્વિચ ઓફ આવતા સંપર્ક તો ન થયો પરંતુ તેઓ આઠમની ઉજવણીમાં વ્યસ્ત હશે, મોડા ઘરે આવી જશે એવુ વિચારી કિશન સુઈ ગયો હતો. ત્યારબાદ પાંચમી તારીખે સવારે પણ તેઓ ઘરે આવ્યા ન હતાં. સાડા નવેક વાગ્યા સુધી રાહ જોયા બાદ મારૂ પરિવારે મોહનભાઇની શોધખોળ કરવા માંડી હતી. સંબંધી મિત્રોને કોલ કરૂ પૂછતાછ કરાઇ રહી હતી ત્યારે કેટલાક પોલીસવાળા કિશનનાં ઘરે પહોંચી ગયા હતાં. તેમણે કહ્યું હતું કે, અમને કોસાડ આવાસમાં એચ-૦૩ પાછળ ઝાડીમાંથી એક પુરુષની લાશ મળી છે. લોહી લુહાણ હાલતમાં મળેલા પુરુષનાં ખિસ્સામાંથી આઇડી કાર્ડ મળતા અમે અહીં આવ્યા છે. તમે અમારી સાથે ચાલો. પોલીસ કર્મચારીઓની આ વાત સાંભળી કિશન ગભરાઈ ગયો હતો. તેણે પોતાના કઝીન તથા સાઢુભાઇને કોલ કરીને બોલાવ્યા હતાં. તેમની સાથે તે કોસાડ આવાસ પહોંચ્યો હતો. આવાસમાં ઝાંડી ઝાંખરા વચ્ચે લોહીલુહાણ હાલતમાં પડેલો વ્યક્તિ પોતાના પિતા મોહનભાઇ મારૂ હોવાનું જણાઈ આવ્યું હતું. તેમના શરીરે માથાના ભાગે પીઠ અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતાં. મૃતકની ઓળખ થયા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. બાદમાં કિશનની ફરિયાદ લઇ મોહનભાઇની હત્યા અંગે ગુનો નોંધાયો હતો. પોલીસે કોસાડ આવાસ તથા આસપાસના સીસી કેમેરા ફૂટેજ હાથવગા કરી મોહનભાઇ અહીં કયારે અને કોની સાથે આવ્યા હતાં એ દિશામાં તપાસ શરૂ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
06, સપ્ટેમ્બર 2026 1980   |  
પશ્ચિમ રેલવેએ ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં ૫ મહિનામાં૧૦૦ કરોડથી વધુનો દંડ વસૂલ્યો

 પશ્ચિમ રેલવેએ ટિકિટ વિના અથવા અનિયમિત રીતે મુસાફરી કરતા મુસાફરો સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન હાથ ધરાયેલા અભિયાનમાં સમગ્ર પશ્ચિમ રેલવે નેટવર્કમાં ૧૩.૪૭ લાખ જેટલા મુસાફરો ઝડપાયા હતા, જેમની પાસેથી૧૦૦ કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.પશ્ચિમ રેલવેનાં મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકના જણાવ્યા મુજબ લોકલ, મેલ-એક્સપ્રેસ, પેસેન્જર તથા હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં સઘન ટિકિટ ચેકિંગ કરવામાં આવ્યું હતું. માત્ર ઓગસ્ટ ૨૦૨૬માં જ ૨.૧૩ લાખથી વધુ અનિયમિત મુસાફરો પાસેથી૧૭.૧૬ કરોડનો દંડ વસૂલાયો હતો. પશ્ચિમ રેલવેના વ્યસ્ત સ્ટેશનોમાં સામેલ સુરતમાં પણ ટિકિટ ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં સુરત સ્ટેશન, સ્ક્વોડ અને સ્લીપર શ્રેણીની ચેકિંગ દરમિયાન કુલ ૧૮,૨૯૦ કેસ નોંધાયા હતા અને૧ કરોડ ૬૦ લાખ ૧૨ હજાર ૪૨૨નો દંડ વસૂલાયો હતો. આ પૈકી સુરત સ્ક્વોડ દ્વારા સૌથી વધુ ૧૪,૧૨૨ કેસમાં૧.૨૫ કરોડથી વધુ, સ્લીપર ચેકિંગમાં ૩,૪૧૧ કેસમાં૩૦.૬૫ લાખ અને સ્ટેશન પરિસરમાં ૭૫૭ કેસમાં૪.૨૫ લાખની વસૂલાત કરવામાં આવી હતી. મુંબઈ ઉપનગરીય વિસ્તારમાં એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ૪.૬૫ લાખ કેસમાંથી૨૫.૬૫ કરોડનો દંડ વસૂલાયો હતો. ખાસ કરીને એસી લોકલ ટ્રેનોમાં સામાન્ય ટિકિટ લઈને અનધિકૃત રીતે મુસાફરી કરતા મુસાફરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
06, સપ્ટેમ્બર 2026 2079   |  
કાપોદ્રાનો યુવક પ્રેમ સંબંધમાં પિતાનાં ફોઇની પૌત્રીને ભગાવી લાવતા હુમલો અને અપહરણ

કાપોદ્રા રહેતો યુવક પ્રેમ સંબંધમાં પિતાના પૌત્રીને ભગાવી લાવતાં કૌટુંબિક કમઠાણ સર્જાયું હતું. પૌત્રીને પાછી મેળવવા માટે ફોઈ-ફૂઆએ સુરત આવી ભાણેજને માર મારવા સાથે અપહરણ પણ કરી ગયા હતાં.કાપોદ્રા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સીમાડા નાકા પાસે આવેલી શક્તિવિજય સોસાયટીમાં જયંતી મેઘાભાઇ ભાદરકા તેમના પરિવાર સાથે રહે છે. અમરેલીના લાઠી તાલુકાનાં વતની જયંતી ભાદરકા હીરાનું કામ કરે છે. જયંતીની ફોઈ રતનબેન, ફુઆ અમરશીભાઇ હરિભાઇ મકવાણા અમદાવાદમાં ગીતા મંદિર પાસે રહે છે. જયંતીનાં નાના દીકરા સાગરને ફોઇ રતનનાં દીકરા ભરતની દીકરી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. મામા-ફોઇનાં પરિવારમાં ત્રીજી પેઢીએ બંધાયેલા આ પ્રેમ સંબંધમાં કૌટુંબિક માથાકૂટ ઝઘડા પણ શરૂ થયા હતાં. દરમિયાન અઠવાડિયા અગાઉ સાગર અમદાવાદ ગયો અને રીતુને ભગાવી લાગ્યો હતો. આ બંનેએ લીવ ઇન કરાર કરી લીધા અને સાથે રહેવા માંડ્યા હતાં. સાગરનાં આ પગલાથી તેના પિતા જયંતીનાં ફોઈ-ફુઆ એટલે કે રીતુનાં દાદા-દાદી ભારે ગુસ્સે ભરાયા હતાં. અમરશીભાઇ તેમની પૌત્રીને શોધતાં તેમના પરિવાર સાથે ઇકો ગાડી લઇ સુરત આવી ગયા હતાં. પાંચમી તારીખે સાંજે મકવાણા પરિવાર સીમાડા નાકે શક્તિ વિજય સોસાયટી પહોંચ્યો હતો. તેમણે જયંતી ભાદરકાને બહાર મળવા બોલાવ્યો હતો. બાદમાં દીકરી રીતું અમને પાછી આપી દે, તે ક્યાં છે એ કહી દે એમ કહી જ્યંતીને માર મારવા માંડ્યો હતો. બે મહિલા અને પાંચ પુરુષોઓ ઘેરો ઘાલી જયંતીને ઢોર માર માર્યો હતો. આ જ સોસાયટીમાં જ રહેતાં જયંતીનાં સગાભાઇ રમેશ લાલજી ભાદરકાને તેના ભાઇ પર હુમલો થયાનું જાણવા મળતાં તે બહાર દોડી ગયો હતો. રમેશે જોયું તે જયંતીને માર મારનાર અન્ય કોઇ નહીં પરંતુ તેના ફોઈ-ફુઆ અને તેમના સંતાનો જ હતાં. આ પરિવારે જયંતીને મારવા સાથે બળજબરીથી ઇકો ગાડીમાં બેસાડી દેવાયો હતો. અમારી દીકરી રીતું અમને પાછી જોઈએ એમ કહી રમેશની હાજરીમાં પણ જયંતિ ને માર મરાયો હતો. દીકરી પાછી નહીં આપે તો તને મારી નાખીશું એમ કહી તેઓ જયંતીનું અપહરણ કરી ગયા હતાં. ત્યારબાદ બીજા દિવસે પણ જયંતીનો સંપર્ક ન થતાં રમેશ ભાદરકાએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.



© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution