આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, સપ્ટેમ્બર 2026
1782 |
રાજકોટથી ગુમ સગીરાની કડીઓ નેપાળ સુધી કેવી રીતે પહોંચી? હાઇકોર્ટમાં મોટો ખુલાસો!
રાજકોટથી ગુમ થયેલી 17 વર્ષની સગીરાની તપાસ હવે નેપાળ સુધી પહોંચી હોવાના સંકેતો સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન પોલીસે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સમાંથી નેપાળ તરફ મહત્વપૂર્ણ કડીઓ મળ્યાની માહિતી આપી હતી. જોકે, સગીરા ખરેખર નેપાળમાં છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. કોર્ટે પોલીસને તપાસ આગળ વધારી પ્રગતિ અંગે માહિતી રજૂ કરવા સમય આપ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
22968 |
પોલીસ જાગી: અમદાવાદમાં ૩ દિવસમાં ૪૩૬ કેસ, ૪૭૬ની ધરપકડ અને ૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયા બાદ રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે તમામ શહેરો અને જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ પ્રોહીબીશન ડ્રાઇવ રાખવાની કડક સૂચના આપી હતી. આ આદેશના પગલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક્શન મોડમાં આવીને તમામ સ્થાનિક પોલીસ અધિકારીઓને દારૂ તેમજ જુગારની બદીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને ઝોન એલસીબીની ટીમોએ સપાટો બોલાવીને ચોરીછુપીથી ચાલતા અડ્ડાઓ પર વ્યાપક દરોડા પાડ્યા છે. માત્ર ત્રણ દિવસમાં જ પોલીસે કુલ ૪૩૬ કેસ નોંધીને ૪૭૬ આરોપીઓની અટકાયત કરી છે. આ દરોડા દરમિયાન વિદેશી દારૂના ૭૩ કેસો નોંધીને ૨૯.૯૩ લાખની કિંમતની ૧૧,૪૭૯ બોટલ/બીયર સહિત કુલ ૮૦.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેશી દારૂના ૩૩૬ કેસો નોંધીને ૭.૩૮ લાખની કિંમતનો ૩,૬૯૩ લીટર દારૂ અને વાહનો મળી કુલ ૮.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે.દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો સામે લાલઆંખ કરતા પોલીસે ૭ રીઢા બુટલેગરો સામે પાસા (ઁછજીછ) હેઠળ કડક ગુનો નોંધી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દીધા છે. પોલીસ કમિશનરે ગુનેગારોને પાસા હેઠળ જેલભેગા કરવાની ગતિ તેજ બનાવી છે. આ અભિયાન અંતર્ગત કુલ ૪૧ ગુનેગારોને પાસા હેઠળ જેલ મોકલાયા છે, જેમાં સૌથી વધુ ૧૮ દારૂના બુટલેગરો છે. જ્યારે મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ૧૪ અને મારામારી-હત્યાના પ્રયાસ જેવા શરીર સંબંધી ગુના આચરનાર ૯ ગુનેગારોનો સમાવેશ થાય છે. પોલીસની આ કડક ઝુંબેશથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં દારૂબંધીની કડક અમલવારી માટે પોલીસની આ ખાસ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ આવી જ કડક રીતે સતત ચાલુ રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
23661 |
આણંદમાં એસએમસીએ લાખોનો દારૂ ઝડપ્યો
ગુજરાતમાં અસામાજિક તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સમગ્ર રાજ્યભરમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ચોક્કસ માહિતીના આધારે સતત કાર્યરત છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા ભાલેજ-આણંદ રોડ પર, અપ્પુ વે-બ્રીજ નજીક એક વ્યૂહાત્મક દરોડો પાડવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે વહન કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો અતિ વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી આશરે ૧૫૦ પેટીઓ (કુલ ૭,૧૮૭ બોટલો) કબ્જે કરવામાં આવી હતી, જેની બજાર કિંમત ૧૯,૬૩,૧૫૧/- થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ ૩૪,૬૯,૬૨૧/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપુર ગામના રહેવાસી નારણભાઇ ઉર્ફે અતુલ ઘુસાભાઇ ચૌહાણ નામના આરોપીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસિકથી મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૦૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નાસિકથી ગેરકાયદેસર દારૂનો સપ્લાય કરનાર ૩ શખ્સો, દારૂના વહન માટે વપરાયેલ ટ્રકના મૂળ માલિક તેમજ કાનપુરના જ ભાવેશભાઇ સુરાભાઇ માતાસુરીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સંડોવાયેલા વોન્ટેડ શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ વધુ ઝડપી બનાવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
24453 |
ભાવનગરથી ઝેરી દારૂ પીને સુરત આવેલા યુવકે ચોથા દિવસે દમ તોડ્યો
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડનો ભોગ બનેલા સુરતના યુવકને શુક્રવારે બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ શનિવારે બપોરે તેણે દમ તોડી દીધો હતો. ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઈએનએસ હોસ્પિટલમાં તે ચાર દિવસથી સારવાર હેઠળ હતો.મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં પીરસાયેલી વ્હીસ્કી ઝેરી કેમિકલથી બનેલી હોય સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું તથા ડુપ્લિકેટ વ્હીસ્કી બનાવનાર યાદવનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજય લક્ષ્મણસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સિરિયસ હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, ત્યારબાદ તેને પરવત પાટિયા વિસ્તારની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સ્થિતિ વધું કથળતાં સંજયસિંહને આઇએનએસ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. આઈએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં તેને શુક્રવારે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. ત્યારબાદ શનિવારે બપોરે પરિવારની મંજૂરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી લેવાતાં તેનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક તબીબોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ સંજયસિંહના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપાયો હતો. સંજયે દમ તોડ્યો એ સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક ૧૧ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ઓગ્સ્ટ 2026
26829 |
શહેરમાં ડિફેન્સના નામે નકલી દારૂનો વેપાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી ૯થી વધુના મોત નિપજ્યા છે ત્યાં અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાંડનો નિકોલ અને એસએમસી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બે ફરાર છે. નકલી ઇંગ્લિશ દારૂ બનાવી છૂટક વેચાણ કરતા નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુનિલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ભેગા મળી બનાવટી અંગ્રેજી દારૂ તૈયાર કરી છૂટકમાં વેચાણ કરે છે. એસએમસી અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો. બાદમા ડેકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી.ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ૪ બોટલ, પ્લાસ્ટિકની ૪ બોટલ મળી ઉપરાંત આરોપી પાસેથી રૂ.૫,૦૦૦ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કરીને તપાસ દરમિયાન દિનેશ જંડાવાલાના કુબેરનગર સ્થિત ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો અને એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે કુલ રૂ. ૯૫૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર લગાવી વેચતા આરોપીઓની પૂછપરછ કરતા સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ તથા ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર અને ડિફેન્સનો દારૂ હોવાનું બતાવવા તેનો સિમ્બોલ લગાવી વેચતા હતા. જ્યારે દિનેશ ચામુંડા બ્રિજ પાસે ભંગારની દુકાન ધરાવતા શખ્સ પાસેથી ખાલી બોટલો અને બ્રાન્ડેડ સ્ટીકર અને તેની પર લગાવવાના સીલ લાવતો હતો. આ અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને સુનિલની ધરપકડ કરી ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, સપ્ટેમ્બર 2026
1881 |
કેનેડા-નડિયાદ આઇએલટીએસ કૌભાંડનો પર્દાફાશ
વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી અને પરીક્ષા પદ્ધતિમાં ગેરરીતિ આચરતા એક આંતરરાષ્ટ્રીય આઇએલટીએસ પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ રેકેટના તાર નડિયાદની સ્થાનિક હોટેલથી લઈને છેક કેનેડા અને બિહાર સુધી જાેડાયેલા હોવાનું સામે આવતાં ચકચાર મચી છે. અગાઉ પણ નડિયાદની આજ મોટલમાંથી આઇએલટીએસનું કૌભાંડ ઝડપાયું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી ગેરંટેડ બેન્ડ અપાવવાની લાલચ આપીને વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવવાનું આખું નેટવર્ક પકડાયું છે. આખું નેટવર્ક આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રોબર્ટ નિક્કી માર્ટિન કેનેડામાં બેસીને ઓપરેટ કરતો હતો. આ ટોળકી સોશિયલ મીડિયા પર એવા લોકોને ટાર્ગેટ કરતી કે જે અંગ્રેજીમાં નબળા હોવા છતાં કેનેડા જવા માંગે છે. આ કૌભાંડના તાર નડિયાદમાં આવેલી દેવ મોટલ સાથે જાેડાતાં ચકચાર મચી છે. દેવ મોટલમાં આઇઇએલટીએસની પરીક્ષાનું કેન્દ્ર છે, જ્યાંથી રોબર્ટ આઇઇએલટીએસ પરીક્ષામાં સેટિંગ કરાવતો હતો. જે માર્કશીટ પ્રકાશમાં આવી છે તે વિદ્યાર્થીની પરીક્ષા નડિયાદના દેવ મોટલ સ્થિત સેન્ટર પર લેવાઇ હતી. જ્યારે આ કૌભાંડના તમામ પૈસા બિહારના એક શ્રમજીવીના બંધ થઇ ગયેલાં બેંક ખાતામાં જમા થતાં હતા. જે મામલે હવે આગળ તપાસ હાથ ધરવામાં આવશે. અગાઉ પણ નડિયાદના આજ પરીક્ષા કેન્દ્ર પર આઇએલટીએનું કૌભાંડ સામે આવ્યંમ હતું, જેમાં ડમી વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હતો અને આમાં કોલેજ રોડ ઉપર જ આવેલાં એક ક્લાસીસના સંચાલકની સંડોવણીની પણ ચર્ચા શરૂ થઇ હતી જેણે ટૂંકાગાળામાં જ નડિયાદમાં આઇએલટીએસના કોચિંગમાં સારી નામના મેળવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલી સ્થાનિક પરીક્ષા એજન્સીઓ અને કેનેડા બેઠેલા એજન્ટો વિરુદ્ધ લુકઆઉટ નોટિસ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત નાણાંકીય વ્યવહાર છે. ચરોતર અને ગુજરાતના વિદ્યાર્થીઓ પાસેથી ગેરંટેડ બેન્ડ સ્કોર અપાવવાના નામે વસૂલાતી મોટી રકમ બિહારના મધેપુરા જિલ્લાના કિશનગંજ બ્રાન્ચમાં રૂબી દેવી નામની મહિલાના ખાતામાં જમા કરાવવામાં આવતી હતી.આ મની ટ્રેઇલ દર્શાવે છે કે કૌભાંડ માત્ર સ્થાનિક સ્તરે નહીં, પરંતુ દેશવ્યાપી નેટવર્ક દ્વારા સંચાલિત થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૨ માં નડિયાદના પરીક્ષા કેન્દ્ર પર અસલી વિદ્યાર્થીની જગ્યાએ ડમી રાઇટર પકડાયો હતો. તપાસમાં ખુલાસો થયો હતો કે પરીક્ષા એજન્સીના સ્ટાફ સાથે સેટિંગ કરીને પરીક્ષા હોલના સીસીટીવી કેમેરા બંધ કરી દેવાતા હતા. આ કૌભાંડમાં નડિયાદ અને ચરોતરના ૯૫૦ થી વધુ વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં આવ્યા હતા, જેમાંના કેટલાક અમેરિકા બોર્ડર પર પકડાયા ત્યારે યુએસ કોર્ટમાં અંગ્રેજીનો એક શબ્દ પણ બોલી શક્યા નહોતા. નડિયાદ પોલીસે એક હાઇટેક ગેંગ ઝડપી પાડી હતી, જે આઇઇએલટીએસની ઓફિશિયલ વેબસાઇટ જેવું જ આબેહૂબ નકલી વેબ પેજ કમ્પ્યુટરમાં બનાવી રાખતી હતી. વિદ્યાર્થીઓને છેતરવા માટે આ નકલી પેજ પર જ તેમનો રોલ નંબર નાખીને ઊંચા બેન્ડ સ્કોરવાળું બોગસ સર્ટિફિકેટ બતાવી દેવાતું હતું. પોલીસે તે સમયે ૧૧૦ થી વધુ નકલી સર્ટિફિકેટ સાથે ૧૦ આરોપીઓની ધરપકડ કરી હતી.સોશિયલ મીડિયા ટાર્ગેટિંગ વિદેશ જવા ઈચ્છતા અને અંગ્રેજીમાં નબળા વિદ્યાર્થીઓનો ઓનલાઈન સંપર્ક કરવામાં આવતો, ગેરંટેડ બેન્ડની લાલચ : ૫ લાખથી ૧૫ લાખ સુધીના પેકેજમાં મનગમતો સ્કોર અપાવવાનો દાવો કરવામાં આવતો, સ્ક્રીન મિરરિંગ અને સીસીટીવી સ્કેમ : પરીક્ષા કેન્દ્રના સ્ટાફ સાથે સેટિંગ કરી અથવા તો સીસીટીવી બંધ કરવા અથવા પ્રોક્સી રાઈટર્સ એટલે કે ડમી વિદ્યાર્થી ગોઠવવામાં આવતાં, બેનામી ટ્રાન્ઝેક્શન : પકડાઈ ન જવાય તે માટે વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા નાણાં અન્ય રાજ્યોના ત્રીજા પક્ષના મજૂર વર્ગના ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવતાં હતા. નકલી સર્ટિફિકેટના કારણે વિદ્યાર્થીઓને મોટું નુકસાન થઇ શકે જાે સર્ટિફિકેટ નકલી સાબિત થાય, તો કેનેડા કે યુએસ એમ્બેસી વિદ્યાર્થી પર ૫ થી ૧૦ વર્ષ સુધીનો કાયમી પ્રતિબંધ લગાવી દે છે, વિદેશ પહોંચ્યા પછી પણ જાે કૌભાંડમાં નામ ખુલે, તો ત્યાંની પીઆર કે વિઝા રદ કરીને જેલ ભેગા અથવા ડિપોર્ટ કરવામાં આવે છે, એજન્ટો કરોડો રૂપિયા પડાવીને ગાયબ થઈ જાય છે અને વિદ્યાર્થીઓના લાખો રૂપિયા ડૂબી જાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, સપ્ટેમ્બર 2026
5841 |
ઠાસરા ટીચર્સ મંડળીમાં મોટો ગોટાળો કે મનમાની? રાજીનામાનું નાટક અને કરોડોનું ધિરાણ!
ઠાસરા તાલુકા પ્રાથમિક ટીચર્સ મંડળીમાં સાગમટે છ કારોબારી સભ્યોના રાજીનામા બાદ હવે વહીવટી કૌભાંડ અને ગંભીર ગેરરીતિઓના ચકચારજનક ખુલાસા સામે આવ્યા છે. રાજીનામું આપનાર કારોબારી સભ્યો દ્વારા મંડળીના ચેરમેન અને વહીવટદારો સામે સણસણતા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેનાથી શિક્ષક સભાસદોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચેરમેન પોતાની જવાબદારીઓમાંથી છટકવા રાજીનામાનું બહાનું ધરે છે પણ વહીવટી સત્તા ભોગવીને કરોડો રૂપિયા ચૂકવે છે!કારોબારી સભ્યોનો સીધો અને ગંભીર આક્ષેપ છે કે મંડળીના ચેરમેન દિનેશ બારીયાએ મહિનાઓ પહેલાં જ પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. આમ છતાં, છેલ્લા એક વર્ષથી એક પણ કારોબારી મીટિંગ બોલાવ્યા વગર તેઓ હાલમાં પણ દર મહિને આશરે રૂ. ૧.૭૫ કરોડ જેટલું મોટું ધિરાણ કઈ સત્તા અને નિયમ હેઠળ આપી રહ્યા છે? આ મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. આ સમગ્ર વિવાદમાં મંડળીના મંત્રીની ભૂમિકા સામે પણ શંકાની સોય ચીંધાઈ રહી છે. જાે પ્રમુખનું રાજીનામું પહેલા જ પડી ચૂક્યું હોય તો મંત્રી કઈ રીતે તેમને તમામ વહીવટી ર્નિણયોમાં સામેલ કરી રહ્યા છે? કારોબારી સભ્યોને અંધારામાં રાખીને પ્રમુખ અને મંત્રીની જુગલબંદી દ્વારા ચલાવવામાં આવતા આ ‘શાહી’ અને મનસ્વી વહીવટના કારણે હજારો સભાસદો ભારે અસમંજસ અને આક્રોશ અનુભવી રહ્યા છે. સભાસદો અને રાજીનામું આપનાર કારોબારી સભ્યોએ હવે આ સમગ્ર કૌભાંડ અને ગેરરીતિઓની જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા તટસ્થ તપાસ કરાવી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ દોહરાવી છે. જિલ્લા રજીસ્ટ્રાર ક્યારે જાગશે ? જિલ્લા રજીસ્ટ્રારની ઢીલી નિતીઓને કારણે અગાઉ પણ મસમોટો ભ્રષ્ટાચાર થયો હતો,ત્યારે હવે ખેડા જિલ્લાની સધ્ધર ગણાતી ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીમાં ફરી એકવાર ભ્રષ્ટાચાર અને ગેર વહીવટની બુમો ઉઠી છે,તેમછતાં ખેડા જિલ્લા રજીસ્ટ્રાર ગોકળગાયની ગતિએ તપાસ કરી રહ્યા હોવાની બુમો પણ ઉઠી રહી છે.જાે આ રીતે જ મહિનાઓ અને મુદતોમાં તપાસ લંબાયા કરશે તો ફરી એકવાર મોટા કૌભાંડનો મામલો બહાર આવે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, સપ્ટેમ્બર 2026
2376 |
કરમસદ આણંદ મનપામાં મહત્વની જગ્યા પર આઉટસોર્સિંગ ભરતી થતાં સવાલો ઉઠ્યાં
છેલ્લા કેટલાક દિવસોથી કરમસદ આણંદ મનપામાં આઉટસોર્સિંગ સહિત અન્ય કર્મચારીઓ ને છુટા કરવાના આયોજન ભલે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છતાં લટકેલ તલવાર વચ્ચે મનપા દ્વારા એજન્સી મારફત મહત્વની જગ્યા પર કાયમી ના બદલે આઉટસોર્સિંગ ભરતી ના આયોજન કરતાં સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી કરમસદ આણંદ મનપામાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ સહિત અન્ય બસો જેટલા કર્મચારીઓ ને છુટા કરવાના આયોજન હાથ ધરતાં મામલો ઉજાગર થતાં મનપા દ્વારા હાલ પૂરતો મુદ્દો મોકૂફ રાખવામાં આવ્યો ની ચર્ચા વચ્ચે કરમસદ આણંદ મનપા બન્યા બાદ તાજેતરમાં એજન્સી મારફત મનપામાં મહત્વની જગ્યા જેવીકે માસ્ટર ઇન પ્લાનિંગ,બીઇ સિવિલ,બી.આર્કીટેકચર,બીઇ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ડીપ્લોમા ઇન સિવિલ,બીઇ સિવિલ સહિત અન્ય જગ્યાએ કાયમી ના બદલે આઉટસોર્સિંગ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં મુદ્દો ચર્ચાની એરણે ચઢવા સાથે સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે મહત્વની જગ્યા પર આઉટસોર્સિંગ ભરતી પાછળ મનપા દ્વારા શું વહીવટી ખેલ રચવાની બારી ઉભી કરી? આઉટસોર્સિંગ અધિકારીઓ પાસે લાખોના બીલ પાસ કરાવી ભોપાળું ઉજાગર થાય તેવા સમયે અધિકારી ને છુટા કરવાના ખેલ રચી પડદા પાડવાના આયોજન? જેવા સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
06, સપ્ટેમ્બર 2026
5445 |
કઠલાલના મલેકપુરા નજીવી બાબતે જૂથ અથડામણ થતા પાંચ ઘાયલ
કઠલાલના મલેકપૂરામાં નજીવી બાબતે જૂથ અથડામણ થઇ હતી.જેમાં બંને પક્ષોએ સામસામે મારામારી અને સશસ્ત્ર હુમલો કરતા બંને પક્ષના મળી પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે કઠલાલ પોલીસ સામસામી ફરિયાદ લઇ કુલ તેર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. કઠલાલના મલેકપૂરામાં રહેતા તસ્લીમબાનુ મલેક ઉ.૨૯ પરિવાર સાથે રહે છે. તા.૨ સપ્ટેમ્બર સાંજે ૭:૩૦ વાગ્યાના અરસામાં આસપાસના લોકો આવી કારમાં આવેલા પાંચ શખ્સો છોકરા અને ભત્રીજાને માર મારે છે. જેથી મહિલા ઘરની બહાર નીકળી જાેતા કુટુંબી ઇર્શાદ દિકરા માહિરને કારમાં ખેંચીને લઇ જતા હતા. તેની સાથે જહીર, હસન, ઇસુબ, અલ્તાફ, શાહનવાઝ અને નોમાન ડંડાથી માર મારતા હતા.જેથી મહિલા અને તેના પતિ આશીકભાઈ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડતા મહિલાને મારમાર્યો હતો.ત્યારે મોસીન વચ્ચે પડતા ઇર્શાદે ચપ્પુ મારવા જતા જમણા કોણી નીચેના ભાગે અને કાંડા પર વાગ્યું હતુ. જેથી બૂમાબૂમ કરતા સાસુ મુમતાઝબેન ઝઘડામાં છોડાવવા વચ્ચે પડતા જહીરે મારમાર્યો હતો.આ બાદ આસપાસના લોકો દોડી આવી વધુ મારામાંથી છોડાવતા પાંચેય શખ્સોએ ધમકી આપી હતી.આ બાદ ઘવાયેલા મોસીનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.આ બનાવ અંગે તસ્લીમબાનુ મલેકે કઠલાલ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ત્યારે સામાપક્ષે ફેજલ મલેકે આઠ શખ્સો સામે ફરિયાદ આપતા પોલીસે તેર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
05, સપ્ટેમ્બર 2026
6930 |
નડિયાદમાં આઠ મહિનાની બાળકીની શ્વાસ નળીમાંથી એલઇડી બલ્બ કાઢી જીવ બચાવાયો
ડૉ. એન. ડી. દેસાઈ હોસ્પિટલ, નડિયાદમાં તબીબોની સમયસૂચકતાથી ૮ મહિનાની બાળકીનો જીવ બચી ગયો છે. રમતાં રમતાં બાળકીને એલઇડી બલ્બ શ્વાસ નળીમાં ઉતરી જતાં તેને શ્વાસ લેવામાં તકલીફ થવાની સાથે સાથે ઉલ્ટીમાં લોહી આવતાં પરિવારજનો ગભરાઇ ગયા હતા અને એને તાત્કાલિક નડિયાદ લઇ આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેની શ્વાસનળીમાં ફસાયેલો બલ્બ બહાર કાઢી લેવામાં આવતાં બાળકીને નવજીવન મળ્યું છે. મહેમદાવાદમાં રહેતાં પરિવારની ૮ મહિનાની બાળકી રિયા મારવાડીને સાંજે શ્વાસ લેવામાં ભારે તકલીફ અને ઉલ્ટીમાં લોહી આવવાની ફરિયાદ સાથે નડિયાદની એન ડી દેસાઇ હોસ્પિટલમાં લાવવામાં આવતાં તેને ઇમરજન્સી વિભાગમાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી. રડતી વખતે બાળકીનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું હતું, જે અત્યંત ચિંતાજનક સ્થિતિ હતી. તબીબોએ પૂછતાં પરિવારે જણાવ્યું કે, બાળકીએ તીક્ષ્ણ ધાતુની વસ્તુ ગળી લીધી હતી. હાઈ રિસ્ક હોવાના કારણે અન્ય હોસ્પિટલમાંથી સારવારનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક ડૉ. એન. ડી. દેસાઈ હોસ્પિટલ, નડિયાદમાં રીફર કરવામાં આવી હતી. હોસ્પિટલમાં કરવામાં આવેલા એક્સ-રે માં ચોંકાવનારું તારણ સામે આવ્યું - બાળકીની શ્વાસનળીમાં, શ્વાસના મુખ્ય દ્વાર (લેરીંક્સ) ની તરત નીચે, એક ધાતુની વસ્તુ ફસાયેલી હતી. પરિસ્થિતિની ગંભીરતા જાેતા તબીબોએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બાળકીને ઓપરેશન માટે લીધી. ઇએનટી વિભાગના એચઓડી અને પ્રોફેસર ડૉ. સુપ્રિત પ્રભુ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પ્રિયંકા ભગતની ટીમે બ્રોન્કોસ્કોપી દ્વારા શ્વાસનળીમાંથી મેટલ વાયર સાથેનો એલઇડી બલ્બ સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. આ સમગ્ર જટિલ પ્રક્રિયા દરમિયાન એનેસ્થેસિયા વિભાગ અને નર્સિંગ સ્ટાફનો સહકાર પણ ખૂબ મદદરૂપ પૂરવાર થયો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, બાળકીને આ સમગ્ર જીવલેણ સારવાર સંપૂર્ણપણે વિના મૂલ્યે આપવામાં આવી હતી. ઓપરેશન બાદ બાળકીની તબિયત સ્થિર છે અને તેને કોઈપણ પ્રકારની તકલીફ નથી.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, સપ્ટેમ્બર 2026
1584 |
દહેજમાં કઈ લાવી નથી કહી ત્રાસ આપતા ૪૦ વર્ષીય પરિણિતાનો કેનાલમાં કૂદી આપઘાત
શાહીબાગમાં રહેતી ૪૦ વર્ષીય પરિણિતાના લગ્નને ૧૫ વર્ષ થયા છતા પણ પતિ સહિત સાસરીયાઓ દહેજની માંગણી કરી ત્રાસ આપતા હતા. એટલુ જ નહીં તું પિયરમાંથી કંઈ લાવેલ નથી, અને તું હવે મને ગમતી નથી કહીને પતિ સતત હેરાન કરતો હતો. જેથી કંટાળીને પરિણિતાએ તેના પિતાને ફોન કરીને કેનાલમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મૃતકના પિતાએ શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ, સહિત સાસરીયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સૈજપુર બોઘા ખાતે રહેતા અંબારામ વાઘેલાની દીકરી સોનલબેનના લગ્ન આશરે ૧૫ વર્ષ પહેલાં શાહીબાગ ખાતે રહેતા પરેશ શામળભાઈ સોલંકી સાથે થયા હતા. તેમને સંતાનમાં ૧૧ વર્ષનો પુત્ર ‘ભૂમિલ’ છે. લગ્નજીવનના શરૂઆતના વર્ષો સારા રહ્યા બાદ દસ વર્ષ પહેલાં પતિ પરેશને ધંધા-વેપારમાં મોટું નુકસાન જતાં દેવું થઈ ગયું હતું. ત્યારથી સાસરિયાઓ ચઢામણી કરીને પિયરમાંથી પૈસા લઈ આવવા માટે સોનલબેનને સતત મેણાં-ટોણા મારતા હતા.પરિણિતાને અવારનવાર કહેવામાં આવતું હતું કે, “તું પિયરમાંથી કંઈ લાવેલ નથી, તું અમને ગમતી નથી અને કોઈ કામ-ધંધો પણ કરતી નથી.” આ ઉપરાંત પતિ બીજી પત્ની લાવવાની ધમકી આપતો હતો. ગઈ તારીખ ૬ તારીખના રોજ સવારે સોનલબેને પોતાના પિતાને ફોન કરીને રાયપુર કેનાલે હોવાનું જણાવી કહ્યું હતું કે, “હું સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળીને કેનાલમાં પડું છું.” પિતા અને પરિવારજનો તુરંત જ કેનાલ પર દોડી ગયા હતા, પરંતુ તે પહેલાં સોનલબેનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સ્થાનિકોની મદદથી મૃતદેહ બહાર કાઢીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવવામાં આવ્યું હતું. આ મામલે શાહિબાગ પોલીસે પતિ પરેશ સોલંકી, સાસુ ખેમીબેન, જેઠ અરૂણભાઈ તથા જીતુભાઈ અને જેઠાણી જયાબેન તથા હર્ષિદાબેન ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, સપ્ટેમ્બર 2026
1584 |
પતિના અનૈતિક સંબંધોનો પર્દાફાશ કરવા માટે પત્નીએ મોટરસાઇકલમાં જીપીએસ ટ્રેકર લગાવ્યું
શહેરના ખાનપુર વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય પરિણીતાએ પતિના બહાર ચાલતા અનૈતિક સંબંધોની હકીકત મેળવવા માટે પતિની મોટરસાઇકલમાં જીપીએસ (ય્ઁજી) ટ્રેકર લગાવી સમગ્ર કરતૂતનો પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ રોડ પર આવેલી હોટેલ બહાર પતિ અન્ય મહિલા સાથે ઝડપાઈ જતાં તેણે પત્નીને ધક્કો મારી રસ્તા પર પાડી દીધી હતી અને મહિલાને રિક્ષામાં ભગાડી દીધી હતી. આ મામલે મહિલાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ખાનપુરમાં રહેતી ૪૦ વર્ષની મહિલા વર્ષ ૨૦૧૨માં લગ્ન થયા બાદથી જ પતિ સોહેલ પઠાણ દ્વારા દહેજ બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ખાનપુરમાં ફ્લેટ ખરીદવા માટે પરિણીતાના પિતાએ રૂ. ૨.૭૦ લાખ રોકડા અને ૭.૫ તોલા સોનું આપ્યું હતું. દરમિયાન પતિના અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાની સતત શંકા જતાં પરિણીતાએ પતિની બાઇકમાં ગુપ્ત રીતે જીપીએસ ટ્રેકર ફિટ કરી દીધું હતું. ગત ૩૧ મેના રોજ પતિએ પોતાની દુકાનના સીસીટીવી અને મોબાઇલ બંધ રાખ્યા હતા. બપોરે મોબાઇલ શરૂ થતાં જ ટ્રેકરમાં તેનું લોકેશન એરપોર્ટ રોડ સ્થિત હોટેલ ખાતે મળ્યું હતું. પરિણીતા તુરંત ત્રણેય બાળકો સાથે ત્યાં પહોંચી ગઈ હતી અને પતિને અજાણી મહિલા સાથે બાઇક પર રંગેહાથ પકડી પાડ્યો હતો. પરિણીતાએ હોટેલ બહાર પતિને રોકી મહિલા બાબતે પૂછતાં પતિએ પ્રથમ ‘આ મારી બીજી પત્ની છે’ તેમ કહ્યું હતું અને ત્યારબાદ ‘હું તેની સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાનો છું’ તેવું રટણ શરૂ કર્યું હતું. પરિણીતાએ તેનો વિરોધ કરતાં પતિએ તેને ધક્કો મારી નીચે પાડી દીધી હતી અને ભારે ટ્રાફિક વચ્ચે મહિલાને રિક્ષામાં બેસાડી ભગાડી મૂકી હતી. સમગ્ર મામલે ૧૧૨ પર કોલ કરાતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં પરિવારે સમજાવવાનો પ્રયાસ કરવા છતાં પતિએ તલાક આપવાની ધમકી આપી હતી. જેથી કંટાળી પરિણીતાએ આ મામલે પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, સપ્ટેમ્બર 2026
1683 |
કિંજલ રબારી ‘અપહરણ’ કેસમાં અશોક ચૌધરીની ધરપકડ સામે હાઈકોર્ટનો સ્ટે
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટે અશોક ચૌધરીને મોટી રાહત આપી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અપહરણની ફરિયાદ બાદ અશોક ચૌધરીની ધરપકડ પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂકી દીધો છે. સુનાવણી દરમિયાન કિંજલ રબારીએ પોતે પ્રથમ પતિ સાથે મરજીથી ગઈ હોવાનું અને અપહરણ ન થયું હોવાનું સ્પષ્ટ કર્યું હતું. મળતી વિગતો અનુસાર, કિંજલ રબારીએ સમાજની મરજી વિરુદ્ધ જઈને અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પોલીસ ફરિયાદમાં દર્શાવ્યા મુજબ, તારીખ ૨ મે ૨૦૨૪ના રોજ પંચમહાલના કાલોલ તાલુકાના ઘુસર ગામે બંનેની સહમતિથી પ્રેમ લગ્ન થયા હતા. જાેકે, તારીખ ૧૨મી ઓગસ્ટના રોજ પરિવારે કિંજલ રબારીના લગ્ન ગોતરકા ગામના નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે કરાવી દીધા હતા. આ સાથે જ કિંજલના પહેલા લગ્નના છૂટાછેડાનો કેસ રાધનપુર ફેમિલી કોર્ટમાં ચાલુ હોવા છતાં ફરી લગ્ન કરાવતા લગ્ન અને કોર્ટ કેસને લઈને નવા સવાલો ઊભા થયા છે.સમગ્ર વિવાદને વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે રવિવારે બપોરે કિંજલ રબારી અને મુકેશ રબારી અન્ય સગા સાથે ચાંદખેડાના સીબીડી મોલમાં ફિલ્મ જાેવા ગયા હતા. ફરિયાદ મુજબ, મોલની બહાર કેટલાક શખ્સોએ મુકેશને પકડી રાખ્યો હતો અને કિંજલને જીેંફ કારમાં બેસાડીને લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસે મોલ અને આસપાસના ફૂટેજ તપાસ્યા હતા. ફરિયાદી દ્વારા આ ઘટનામાં અશોક ચૌધરી પર શંકા વ્યક્ત કરાતા ચાંદખેડા પોલીસે અશોક ચૌધરી સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જાેકે, આ ચર્ચા અને વિવાદ બાદ કિંજલ રબારીએ પોતે જ પોલીસ કમિશનર કચેરીમાં એક લેટર પાઠવ્યો હતો. તે પત્રમાં તેણે પોતાનું બળજબરીથી અપહરણ થયું ન હોવાનું અને તે પોતાના પહેલા પતિ અશોક ચૌધરી સાથે પોતાની મરજીથી ગઈ હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું. ઉપરાંત પંચમહાલના કાલોલ તાલુકાના ઘુસર ગામે બંનેની પરસ્પર સહમતિથી લગ્ન થયા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.આ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં કિંજલ રબારી અને અશોક ચૌધરી વર્ચ્યુઅલ માધ્યમથી જાેડાયા હતા. આ દરમિયાન બંનેએ પોતે પોતાની મરજીથી સાથે રહે છે તેવી કોર્ટ સમક્ષ સ્પષ્ટ કબૂલાત કરી હતી. જે બાદ કથિત અપહરણ કેસમાં હાઈકોર્ટના આદેશથી અશોક ચૌધરીને મોટી રાહત મળી છે અને તેમની ધરપકડ પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. અશોક ચૌધરીને સ્ટે આપતા હાઈકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જાે તેમને પોલીસ પ્રોટેક્શનની જરૂર હોય તો તે પણ પૂરું પાડવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, સપ્ટેમ્બર 2026
1584 |
પંચાયત તલાટીઓને ૧૫ ઓક્ટોબર સુધી તમામ કામગીરી સંભાળવા આદેશ અપાયો
ગુજરાત સરકાર દ્વારા ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ના ઠરાવ (ક્રમાંક: પી/આર/એચ/આર/ડી/ડી/જે/સી/૧૪/૨૦૨૬/૩૨૪૫) મુજબ પંચાયત તલાટી અને મહેસૂલ તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરતો ચાર્ટ અમલી બનાવવામાં આવ્યો હતો. આ ઠરાવ અન્વયે તમામ ગ્રામ પંચાયતોના રેકોર્ડ પંચાયત તલાટી દ્વારા તાત્કાલિક ધોરણે મહેસૂલ તલાટીને સોંપવાના થતા હતા. પરંતુ, રાજ્યભરમાં મહેસૂલી તલાટીઓ માટે બેસવાની જગ્યા તેમજ રેકોર્ડ સંપૂર્ણપણે તૈયાર ન હોવાને કારણે પડતી વહીવટી મુશ્કેલીઓ અંગે સરકારમાં રજૂઆતો થઈ હતી. જેને ધ્યાને રાખીને સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.પ્રજાજનોને વહીવટી હાલાકી ન ભોગવવી પડે તે હેતુથી સરકારે પરિપત્ર જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ સુધી પંચાયત વિભાગના તલાટી કમ મંત્રી જ તમામ પ્રશ્નો અને કામગીરી પૂર્ણ કરશે. નાગરિકોને પેઢીનામું, વારસાઈના દાખલા કે અન્ય પંચાયત સંબંધિત સેવાઓ માટે પંચાયત તલાટીનો જ સંપર્ક કરવાનો રહેશે, જેથી સામાન્ય જનતાને પોતાના કામકાજ માટે અટકવું ન પડે. રાજ્ય સરકાર ૧૫ ઓક્ટોબર સુધીમાં દરેક ગ્રામ પંચાયતમાં મહેસૂલ તલાટીઓની ફાળવણી અને નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરી દેશે. આ સાથે જ પંચાયત તલાટી કમ મંત્રીને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાના સેજા હેઠળ આવતા મહેસૂલ તલાટીઓને બેસવા માટે યોગ્ય જગ્યા અને જરૂરી તમામ રેકોર્ડ સમયસર ઉપલબ્ધ કરાવી દે. સરકારના આ પ્રજાભિમુખ ર્નિણયથી ૧૫મી ઓક્ટોબર સુધી રાજ્યના નાગરિકોને સરકારી કામકાજમાં કોઈ વિલંબ કે તકલીફનો સામનો કરવો પડશે નહીં.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
07, સપ્ટેમ્બર 2026
5841 |
ખાનગી શાળાઓમાંથી અમદાવાદ જિલ્લાના ૪,૮૧૭ વિદ્યાર્થીઓનો સરકારી શાળામાં પ્રવેશ
આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસે ગુજરાતનું ગુણવત્તાયુક્ત શૈક્ષણિક મોડેલ સામે આવ્યું છે. રાજ્યમાં સેંકડો વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓને ટાટા કરીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. તેમાંય ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં ૪૮૧૭ વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યા છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ૮ સપ્ટેમ્બર માત્ર અક્ષર ઓળખની ઉજવણી નથી, પરંતુ દરેક નાગરિકને જ્ઞાન અને ટેકનોલોજીથી સજ્જ કરવાનો અવસર છે. ગુજરાત સરકારે ‘ગુણવત્તાયુક્ત શિક્ષણ’ને પ્રાથમિકતા આપીને રચેલું શૈક્ષણિક મોડેલ આજે દેશભરમાં પ્રેરણારૂપ બન્યું છે. રાજ્ય સરકારના ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ’ અને ગાંધીનગર સ્થિત વિશ્વસ્તરીય ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ જેવા ડેટા-ડ્રાઇવન પ્રકલ્પોએ શિક્ષણનું સ્તર આમૂલ બદલી નાખ્યું છે.હવે સાક્ષરતાનો અર્થ કેવળ વાંચતા-લખતા શીખવવું નથી રહ્યો, પરંતુ બાળકોને ડિજિટલ રીતે સાક્ષર બનાવવાનો છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસના સંદર્ભમાં અમદાવાદ જિલ્લાની સરકારી શાળાઓમાં આવેલું પરિવર્તન રાજ્ય સરકારની નીતિઓની સફળતાની જીવંત સાક્ષી પૂરે છે. જેમાં સ્માર્ટ ક્લાસરૂમ્સ અને સ્ટેમ લેબ્સ મહત્વપૂર્ણ છે. અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની શાળાઓમાં હવે ચોક-ડસ્ટરની જગ્યાએ થ્રીડી એનિમેટેડ કન્ટેન્ટ ધરાવતા સ્માર્ટ બોર્ડ અને સાયન્સ-ટેકનોલોજી લેબ્સ ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ, અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગનું સચોટ આયોજન અને શિક્ષકોના નિષ્ઠાપૂર્વકના પરિશ્રમે સાક્ષરતાને એક જન-આંદોલન બનાવી દીધું છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસે અમદાવાદની આ સફળતા દર્શાવે છે કે રાજ્યનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ હાથોમાં છે. સાક્ષરતાના આ વૈશ્વિક સંકલ્પને ગુજરાતનું સરકારી શિક્ષણ માળખું આજે વાસ્તવિકતામાં બદલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણીના આ અવસરે અમદાવાદ જિલ્લાની સરકારી શાળાઓમાં આવેલું ગુણાત્મક પરિવર્તન સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, સપ્ટેમ્બર 2026
1584 |
પાંચ રૂપિયાની જુની ચલણી નોટનાં ૩૫ લાખ આપવાની વાતમાં ફસાવી ૩.૨૭ લાખનું ફ્રોડ
પાલીગામ સ્થિત ચામુંડા રેસિડેન્સીમાં રહેતાં કૈલાશનાથ પટેલ મારૂતિ સિલ્ક મિલ્સ નામની કંપનીમાં પાવર લુમ્સના મશીન રીપેરિંગનું કામ કરે છે. ગત ૨૪મી જુલાઈ, ૨૦૨૬નાં રોજ કૈલાશનાથ ફેસબુકમાં રિલ્સ જાેતો હતો. જેમાં તેને રાજ ગ્યાની નામની આઇડી પર એક રિલ્સ જાેવા મળી હતી. જેમાં પાંચ રૂપિયાનાં દરની જૂની ચલણી નોટ હોય તે વ્યક્તિને ૩૫ લાખ રૂપિયા આપવાનો દાવો કરાયો હતો. કૈલાશનાથ પાસે એવી નોટ હોવાથી તે ૩૫ લાખની લાલચમાં પડ્યો હતો.વીડિયોમાં અપાયેલા નંબર પર કૈલાશનાથે કોલ કરતાં સામેના વ્યક્તિએ રાજ ગ્યાની બોલું છું એમ કહી તમારી પાસે રહેલી પાંચ રૂપિયાની નોટનો ફોટો વોટસએપ કરવા કહ્યું હતું. કૈલાશનાથે ફોટો મોકલતાં ગ્યાનીએ કહ્યું કે આ નોટ બરાબર છે, તમને પૈસા મળશે પરંતુ એની પ્રોસીજર માટે ફાઇલ બનાવવી પડશે, જેનો ચાર્જ ૭૫૦ રૂપિયા થશે. આ સાથે જ તેણે સ્કેનર મોકલતાં કૈલાશનાથે રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતાં. બીજા દિવસે ૨૫મી તારીખે અજાણ્યા નંબરથી કૈલાશનાથને કોલ આવ્યો હતો. કોલરે જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ ખાતે તમારી પાંત્રીસ લાખની ડીલવરી આવી ગઇ છે, તમારે ૧૨,૩૦૦ રૂપિયા ચાર્જ ભરવો પડશે. આ સાથે જ એ વ્યક્તિએ મોકલેલા સ્કેનર પર કૈલાશે પૈસા ટ્રાન્સફર કરી દીધા હતાં. થોડા સમય બાદ એ વ્યક્તિએ કોલ કરી જણાવ્યું હતું કે, હું એરપોર્ટની બહાર નીકળ્યો એટલે મગદલ્લા પોલીસે મને પકડી લીધો છે, મારી પાસેની કેશ પોલીસે જપ્ત કરી હોવાથી પતાવટ માટે તમારે રૂપિયા આપવા પડશે. ત્યારબાદ કૈલાશનાથને જુદા જુદા નંબરથી વીડિયો કોલ કરાયા હતાં. જેમાં પોલીસની વરદી પહેરેલા બે વ્યક્તિએ એસપી તરીકે ઓળખ આપી આ કેસમાં તમારી ધરપકડ થશે અને ત્રણ વર્ષ જેલમાં રહેવું પડશે એમ કહી ધમકી આપી હતી.ગભરાઈ ગયેલા કૈલાશનાથે તેઓના કહ્યા અનુસાર ૨૪ જુલાઇથી ૧૩ ઓગસ્ટ સુધી ૧૮ ટ્રાન્ઝેક્શન થકી કુલ ૩.૨૭ લાખ રૂપિયા આપ્યા હતાં. ત્યારબાદ એકાઉન્ટમાં પૈસા નહીં રહેતા કૈલાશનાથે આદિત્ય બિરલા ફાઇનાન્સમાંથી લોન લઈને ૯૩ હજાર આપ્યા હતાં. રૂપિયા લેનારા અજાણ્યા વ્યક્તિઓએ કૈલાશનાથને એવી ધમકી પણ આપી હતી કે, આ વાતની જાણ કોઇને કરશો તો તમારી સાથે તમારા દીકરાને પણ કેસમાં ફસાવી દઈશું. ગભરાઈ ગયેલા કૈલાશનાથે કોઇને કશું જણાવ્યું ન હતું. જાે કે, વધુ પૈસાની માગણી અને ધાક ધમકીનો દૌર યથાવત રહેતા આખરે તેણે દીકરાને વાત કરી અને પછી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, સપ્ટેમ્બર 2026
1485 |
કાપડ વેપારીઓ પ્રોસેસિંગ જાેબ ચાર્જમાં ૧૫ ટકા વધારાનાં મામલે મિલમાલિકો સામે લડી લેવાના મૂડમાં
તા.૭મી સપ્ટેમ્બરથી અમલમાં આવે એ રીતે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને તમામ પ્રકારનાં ફેબ્રિક પ્રોસેસિંગ જાેબ ચાર્જિસમાં ૧૫ ટકાનો વધારો અમલમાં મૂક્યો છે. સુરતનાં ટેક્સ્ટાઇલ વેપારીઓમાં તેની સામે અસંતોષ વ્યાપી ગયો છે. આજ રોજ ટેક્સ્ટાઇલ વેપારીઓનાં સંગઠન, ફોસ્ટાનાં નેજા હેઠળ કાપડના વેપારીઓની મળેલી મીટિંગમાં એવો ર્નિણય લેવાયો છે કે ફેબ્રિક પ્રોસેસિંગ ચાર્જ મિલમાં પડતર ગ્રે કાપડ પર નહીં લગાડીને નવા જાેબ પ્રોગ્રામ પર લગાડવામાં આવે તે માટે વધુ એક મીટિંગ મિલમાલિકોના સંગઠન, સાઉથ ગુજરાત ટેક્સ્ટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન સાથે કરવામાં આવે અને એમાં સમાધાન ના સધાય તો ફોસ્ટા નક્કી કરે એ મુજબ કાપડનાં વેપારીઓ ભાવિ રણનીતિનો અમલ કરશે.ફોસ્ટાનાં નેજા હેઠળ આજે શહેરની જુદી જુદી ટેક્સ્ટાઇલ માર્કેટોનાં વેપારીઓની એક મીટિંગ મળી હતી. આ મીટિંગમાં ટેક્સ્ટાઇલ મિલ માલિકો દ્વારા કરવામાં આવેલા ફેબ્રિક પ્રોસેસિંગ જાેબ ચાર્જિસમાં વધારાના મુદ્દે વેપારીઓએ પસ્તાળ પાડી હતી. વેપારીઓએ ટેક્સ્ટાઇલ મિલ માલિકો મનમાની કરી રહ્યા હોવાની ફરિયાદો કરી હતી. જાે કે, મીટિંગનાં અંતે નિષ્કર્ષ એ વાતનો આવ્યો હતો કે ૭૦ હજાર વેપારીઓનાં પ્રતિનિધિ તરીકે ફોસ્ટાનું એક પ્રતિનિધિમંડળ આગામી દિવસોમાં પુન: ટેક્સ્ટાઇલ મિલ માલિકોનાં સંગઠન સાથે મીટિંગ યોજે અને તેમને વેપારીઓની લાગણીથી વાકેફ કરે. ટેક્સ્ટાઇલ વેપારીઓની માગણી છે કે હાલમાં જે ગ્રે કાપડ મિલમાં જાેબ માટે પેન્ડિંગ પડ્યું છે, તેને જૂના ઓર્ડર ગણીને નવા પ્રોસેસિંગ ચાર્જ તેના પર લાગુ કરી શકાય નહીં. વેપારીઓ તરફથી નવા જાેબ પ્રોગ્રામ જે આપવામાં આવે તેના પર જ પ્રોસેસિંગ ચાર્જનો વધારો વસૂલ કરવો જાેઇએ. મિલમાલિકો સાથેની મીટિંગમાં સમાધાન ના સધાય તો ફોસ્ટા દ્વારા વેપારીઓની લડતની ભાવિ રણનીતિ નક્કી કરવામાં આવશે અને તમામ મિલમાલિકો તેમાં સંમત થશે એવા એડવાન્સ પત્રો દરેક માર્કેટ એસોસીએશન દ્વારા ફોસ્ટાને સુપરત કરવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, સપ્ટેમ્બર 2026
1584 |
નવા ઉદ્યોગો માટે શહેરોમાં ૧૦ ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં ૧૫ ટકા સબસિડી
ગુજરાત સરકારે તા.૧૫મી જૂન ૨૦૨૬ના રોજ ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬ની જાહેરાત કરી હતી. એ પછી ૮૩ દિવસ બાદ ગતરોજ તા.૮મી સપ્ટેમ્બરની મોડી રાત્રે ઔદ્યોગિક પોલિસીનો વિગતવાર જી.આર. બહાર પાડવામાં આવ્યો હતો. ઔદ્યોગિક પોલિસીમાં સબસિડીનો લાભ આપવા માટે દરેક જિલ્લાનાં તાલુકાઓને બે જૂથમાં વહેંચી નાંખવામાં આવ્યા છે. એ-જૂથમાં ઔદ્યોગિક વિકાસ થયો નથી તેવા તાલુકાઓ જ્યારે બી જૂથમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરી વિસ્તારો અને તેને અડીને આવેલા તાલુકાઓનો સમાવાયા છે. એ જૂથના તાલુકાઓમાં લાયકાતપાત્ર ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર ૧૫ ટકા સબસિડી જ્યારે બી-જૂથનાં તાલુકાઓમાં ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર ૧૦ ટકા સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે.સુરત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત જિલ્લાના ત્રણ તાલુકાઓ જેમાં મહુવા, અંબિકા અને ઉમરપાડા તાલુકા વિસ્તારમાં નવા મેન્યુફેક્ચરીંગ યુનિટ વિકસાવનારા ઉદ્યોગકારને ૧૫ ટકા સબસિડી મળી શકશે. એ સિવાયના તાલુકાઓ જેમાં માંગરોળ, કામરેજ, પલસાણા, ઓલપાડ, સુરત સિટી, માંડવી, બારડોલી અને અરેઠ (માંડવી) તાલુકા વિસ્તારને બી ગ્રુપમાં સમાવાયા છે. આ વિસ્તારમાં મૂડીરોકાણ કરનાર ઉદ્યોગકારને ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર ૧૦ ટકા સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખેરગામ (નવસારી), નેત્રંગ (ભરૂચ). કુકરમુંડા (તાપી), ઉચ્છલ (તાપી), નિઝર (તાપી), ડોલવણ (તાપી). સોનગઢ (તાપી), ઉકાઇ (તાપી), સુબિર (ડાંગ), વઘઇ (ડાંગ) અને આહવા (ડાંગ)ને એ ગ્રુપમાં સમાવાય છે, આ એવા તાલુકાઓ છે જ્યાં મૂડીરોકાણ કરનારા ઉદ્યોગકારોને ૧૫ ટકા સબસિડી ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર મળશે. આ પાંચ ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરનારાને ૫૦ ટકા સુધીની જંગી સબસિડી આપવાનું એલાન ગુજરાત ઔદ્યોગિક પોલિસીનાં જી.આર.માં રાજ્ય સરકારે ૫ એવા ઉદ્યોગો નિશ્ચિત કર્યા છે જેમાં મૂડીરોકાણ કરનારા ઉદ્યોગકારોને એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર ૫૦ ટકા સુધીની જંગી સબસિડી આપવાની જાેગવાઇ કરવામાં આવી છે. આ પાંચ ઉદ્યોગોમાં (૧) સ્પોર્ટસ ગુડ્ઝ એન્ડ ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરીંગ (૨) ટોય (રમકડાં) ઉત્પાદન (૩) ફૂટવેયર મેન્યુફેક્ચરિંગ (૪) રોબોટ મેન્યુફેક્ચરિંગ અને (૫) ડ્રોન મેન્યુફેક્ચરિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાેકે, આ સેક્ટરમાં મૂડીરોકાણની લઘુત્તમ મર્યાદા રૂ.૧ હજાર કરોડ છે અને વધુમાં વધુ રૂ.૧૦ હજાર કરોડ સુધીનું મૂડીરોકાણ કરનારાને જ ૫૦ ટકાથી ૪૫ ટકા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી આપવાની જાેગવાઇ કરવામાં આવી છે. જાણકારોના મત મુજબ આટલું મોટું મૂડીરોકાણ કરનાર નવા ઉદ્યોગો ભાગ્યે જ વિકસશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, સપ્ટેમ્બર 2026
1782 |
કતારગામનાં પટેલ દંપતીને ૯૫ કલાક ડિજિટલ એરેસ્ટ રાખી ૧૩ લાખ રૂપિયા પડાવી લીધાં
કતારગામનાં પટેલ દંપતીને તેમના નામે લેવાયેલા સીમકાર્ડ અને ખોલાવાયેલા બેંક એકાઉન્ટનો ગેરકાનૂની પ્રવૃતિમાં ઉપયોગ થયો હોય ફરિયાદ નોંધાઇ છે એમ કહી ૯૫ કલાક ડિજિટલ એરેસ્ટ કરાયા હતાં. આ દરમિયાન તેમના ડીમેટ એકાઉન્ટમાંથી શેર વેચાણ કરાવી ૧૩ લાખ રૂપિયા તપાસનાં નામે પડાવી લેવાયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.સાયબર ક્રાઇમ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ફૂલપાડા સ્થિત યોગેશ્વર કોમ્પલેક્ષમાં રહેતા હાર્દિક પટેલ કિરણ જેમ્સમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. ગત ૧૦મી જાન્યુઆરીએ સાંજે હાર્દિકને અજાણ્યાનો કોલ આવ્યો હતો. કોલ કરનારે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ માંથી બોલતા હોવાનું જણાવી કહ્યું હતું કે, તમારા નામ ઉપર મહારાષ્ટ્ર રાજ્યમાં બીજું સીમ કાર્ડ ચાલુ છે . એ નંબરથી કોલ કરી હેરેસમેન્ટ કરાઇ રહ્યું છે, ખોટી જાહેરાતો મારફતે લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે. ફરિયાદ મળી હોય તમારું સિમકાર્ડ બે કલાકમાં બંધ થઈ જશે. તમારૂ હાલનું કાર્ડ ચાલુ રાખવા અને અન્ય કાર્ડ બંધ કરવા માટે મહારાષ્ટ્ર પોલીસ પાસે એનઓસી લેવું પડશે. તમારી ઉપર મહારાષ્ટ્ર પોલીસમાંથી કોલ આવશે એમ કહી એ વ્યક્તિએ કોલ કટ કરી દીધો હતો. ત્યારબાદ હાર્દિકને અન્ય એક વ્યક્તિએ કોલ કરી સાયબર સેલ ડિપાર્ટમેન્ટ મુંબઇથી વાત કરી રહ્યાનું જણાવ્યું હતું. એ વ્યક્તિએ હાર્દિકને તેની સામે થયેલી એફઆઇઆરની માહિતી પણ આપી હતી. ત્યારબાદ સાંજે તેને વીડિયો કોલ આવ્યો હતો. જેમાં પોલીસ યુનિફોર્મમાં બેસેલા વ્યક્તિએ તેની ઓળખ પ્રદીપ સાવંત તરીકે આપી હતી. એ સાવંતે જણાવ્યું હતું કે, "તમારા નામથી કેનેરા બેંકમાં એકાઉન્ટ ખોલાવાયું છે, જેમાં ગેરકાયદેસરનાં નાણાંની હેરાફેરી થઇ છે. આ કેસમાં ઘણા બધા આરોપીઓ સંડોવાયેલા છે, તમો અમોને મદદ કરશો તો તમારા કેસની એનઓસી આપી દઈશું. જાે કે તપાસ પુરી થાય ત્યાં સુધી તમારે તથા તમારી પત્નીએ સર્વેલન્સ ઉપર રહેવું પડશે અને તમારે વિડીયો કોલ છોડીને ક્યાંય જવાનું નથી. જાે કોઈ કામથી બહાર જવાનું થાય તો અમોને જાણ કરીને જવાનું રહેશે. કોલ ચાલુ હતો ત્યારે જ હાર્દિકને સીબીઆઇનાં નામ સાથે લેટર મોકલાયો હતો. જેમાં નરેશ ગોયેલ મની લોન્ડરિંગ કેસમાં નામ આવ્યું હોવાનું જણાવાયું હતું. સાવંતે આ દંપતિને સળંગ ૨૨ કલાક ૫૭ મિનિટ સુધી વિડીયો કોલ ચાલુ રખાવ્યો હતો. ત્યારબાદ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬નાં રોજ હાર્દિકને ફરી વીડિયો કોલ આવ્યો હતો. આ કોલ ૭૨ કલાક ૧ મિનિટ વિડીયો કોલ ચાલુ રહ્યો હતો. આ કોલ દરમિયાન હાર્દિક પાસે નોકરી, પગાર તથા શેર માર્કેટમાં કરેલા રોકાણ વગેરે નાણાંકીય માહિતી માગવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ હાર્દિક પાસે તેના એકાઉન્ટમાંથી ૯,૧૯,૮૩૯ તથા પત્ની અપેક્ષાનાં ડીમેટ એકાઉન્ટમાંથી ૩,૪૦,૯૮૬નાં શેર વેચાવી દીધા હતાં. ત્યારબાદ ૧૫મી તારીખે સાવંતે વિડીયો કોલ કરી હાર્દિકનાં એકાઉન્ટમાં રહેલા ૧૦ લાખ જ્યારે તેની પત્નીનાં એકાઉન્ટમાંથી ૦૩ લાખ રૂપિયા તપાસના નામે ટ્રાન્સફર કરાવી દીધા હતાં. સાથે જ રૂપિયા ટ્રાન્સફર કર્યાનાં ઇ-મેઇલનો સ્ક્રીન શોટ રાજેશ મિશ્રાને મોકલાયો હતો. ત્યારબાદ રાજેશ મિશ્રાએ હાર્દિકને મેસેજ કરી જણાવ્યું હતું કે, તમે કોઈ મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા નથી. તમારા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ નાણાંનો ચેક તથા એનઓસી સ્પીડ પોસ્ટથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલી દેવાશે. ત્યારબાદ ૧૭મી તારીખે પ્રદીપ સાવંત નામથી એક વોટ્સએપ વોઇસ કોલ આવ્યો હતો. જેમાં કહેવાયું હતું કે, તમારા રૂપિયા તમારે પરત લેવા હોય તો તમારે સીક્યુરિટી પેટે ૨૫% રકમ ટ્રાન્સફર કરવી પડશે. હાર્દિકે આ રકમ ટ્રાન્સફર કરવાની ના પાડવા સાથે તે કતારગામ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. જ્યાં અધિકારીએ ડિજિટલ એરેસ્ટનાં નામે સાયબર ફ્રોડ થયાનું જણાવતાં હાર્દિકે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં.૧૯૩૦ ઉપર ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
09, સપ્ટેમ્બર 2026
1584 |
સારોલીમાં શ્યામ સંગિની ટેક્સ્ટાઈલ માર્કેટમાં ભીષણ આગ : માર્કેટ બંધ કરાવાઈ
સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની ટેક્સ્ટાઇલ માર્કેટમાં મધરાતે ભીષણ આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં આગ સામાન્ય હતી પરંતુ બાદમાં ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. મોડીરાત્રે ૧૦ ફાયર સ્ટેશનથી ૧૫થી વધુ ગાડીઓનો કાફલો ખડકેલી દેવામાં આવ્યો હતો. જાેકે આગે વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગ્રેડ વિભાગ દ્વારા બ્રિગ્રેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને બાદમાં ૨૦ ફાયર સ્ટેશનથી ૩૦થી વધુ ગાડીઓનો કાફલો આગને કાબુમાં લેવા જાેતરી દેવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડ વિભાગના અધિકારીઓ અને જવાનોની ભારે જહેમત બાદ ૨૦ કલાકે આગ કાબુમાં આવી હતી. જાે કે મોડીરાત્રે પણ કૂલિંગની કામગીરી યથાવત છે. ૨૦ કલાકમાં ૨૦ લાખ લિટરથી પણ વધુ પાણીનો વપરાશ થઇ ગયો હતો.ફાયર વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રે આશરે ૧૨:૫૨ વાગ્યે શ્યામ સંગીની માર્કેટમાં આગ લાગી હોવાનો ફાયર કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો. શરૂઆતમાં પાંચથી છ ફાયર ફાયટર વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. જાેકે આગની ગંભીરતા સામે આવતા તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો.આગની ગંભીરતાને પગલે ધીમે ધીમે ફાયર બ્રિગેડના વાહનોની સંખ્યા વધારવામાં આવી હતી અને ઘટનાસ્થળે ૨૦ ફાયર સ્ટેશનથી ૩૦થી વધુ ગાડીઓ ખડકી દેવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. ફાયટર ફાયટરો સાથે ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહયા હતા અને સંપૂર્ણ ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગ ઊંચાઈ પર હોવાથી ફાયર વિભાગ દ્વારા ૪૫ મીટર અને બાદમાં ૭૫ મીટરનું ટર્નટેબલ લેડર સાથે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી હતી. દુકાનોની અંદર પેકિંગ મટીરિયલ સહિતની જ્વલનશીલ સામગ્રીનો જથ્થો હોવાના કારણે આગ ઝડપ ફેલાઈ રહી હતી. ફાયરબ્રિગ્રેડ વિભાગના જવાનો દ્વારા કેટલીક દુકાનોના શટર અને તાળા તોડીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત ૧૮ કલાક સુધી પાણીનો મારો કરી ભીષણ આગને કાબુમાં લેવામાં આવી હતી. જાેકે ત્યાં સુધીમાં છઠ્ઠા માળની મોટાભાગની દુકાન આગળની ઝપેટમાં આવી ગઈ હતી. ભીષણ આગને કાબુમાં લેવા માટે અંદાજિત ૨૦ લાખ લિટર કરતા પણ વધારે પાણીના જથ્થાનો વપરાશ કરવામાં આવ્યો હતો. માર્કેટની ફાયર સીસ્ટમ કામ કરતી ન હોવાથી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા માર્કેટની ફાયર એનઓસી રદ કરવામાં આવી છે અને સાથે સાથે નોટિસ પણ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત માર્કેટ સહીત સમગ્ર બિલ્ડીંગનો વપરાશ બંધ કરાવી દઈ જ્યાં સુધી ઈલેક્ટ્રિક સર્ટિફિકેટ તથા ફાયર એનઓસી નહીં મેળવે ત્યાં સુધી માર્કેટ બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. અગાસીનાં સ્લેબમાં પડેલી તિરાડોમાંથી ધુમાડો બહાર નીકળ્યો, પિલર ફાટી ગયાં બિલ્ડિંગનું સ્ટ્રક્ચર એટલી હદે નબળું પડી ગયું છે કે છઠ્ઠા માળે ભીષણ આગ બાદ અગાસીનાં સ્લેબની અંદર તિરાડો પડી ગઈ હતી અને તેમાંથી પણ ધુમાડા નીકળતા હોવાનું નજરે પડ્યું હતું. એટલું જ નહીં પરંતુ અંદર તમામ દીવાલોમાં તિરાડ પડી ગઈ હતી તથા પીલરો પણ ફાટી ગયા હતા. આ ઉપરાંત નીચેની લાદીઓ પણ તૂટી ગઈ હતી સાથે સાથે લોખંડની ગર્ડરો પણ વળી ગઈ હતી. ભીષણ આગને કારણે છઠ્ઠો માળ સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હતો. આખી રાત વેપારીઓ માર્કેટ બહાર ઉજાગરો કરતાં નજરે પડ્યાં શ્યામ સંગિની ટેક્ટાઈલ માર્કેટમાં રાત્રિનાં સુમારે આગ લાગવાની ઘટના સમગ્ર શહેરમાં વાયુવેગે પ્રસરી જવા પામી હતી. આ ઘટનાને પગલે કાપડ વેપારીઓનાં જીવ પણ તાળવે ચોંટ્યા હતા. ખાસ કરીને શ્યામ સંગિની માર્કેટમાં દુકાન ધરાવતાં વેપારીઓને ઘટના અંગે જાણ થતાં જ તેઓ તાત્કાલિક માર્કેટ ખાતે ઘસી ગયા હતા. એક તરફ આખી રાત ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનાં ભરચક પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા ત્યારે બીજી તરફ લાખો - કરોડો રૂપિયાનાં નુકસાન વચ્ચે વેપારીઓ ભારે હૈયે પોતા પાતાની દુકાનોમાં કેટલું નુકસાન થયું હશે તે અંગેની ચિંતામાં ગરકાવ નજરે પડ્યા હતા.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...