ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
27, જુલાઈ 2026 4653   |  
વેચાણ માટે લીધેલા હીરાનું ૭૪.૮૭ લાખ પેમેન્ટ નહીં ચૂકવી કતારગામની કંપની સાથે છેતરપિંડી

આડતથી વેચાણ માટે ૭૪.૮૭ લાખનાં હીરા લઇ ગયા બાદ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપનાર રિદ્ધિ ડાયમંડ તથા રિદ્ધિ સિદ્ધિ ડાયમંડ નામે ધંધો કરતા માંગુકિયા પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી અનુસાર સિંગણપોર ચાર રસ્તા પાસે રાજદીપનગરમાં રહેતા ચિરાગ ડુંગરશીભાઈ સવાણી હીરાનો વેપાર કરે છે. ભાવનગરનાં વલ્લભીપુર તાલુકાનાં વતની ચિરાગ કતારગામ અમરોલી રોડ ઉપર “સી. જેનીલ કુમાર એન્ડ કુ." નામથી વિશાલ સવાણી અને ડાહ્યાભાઇ સવાણી સાથે કુદરતી હિરાનું મેન્યુફેકચરિંગ તેમજ ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનું કામકાજ કરે છે. ચિરાગ પાંચ છ વર્ષ પહેલા ગૌરાંગ લાખાભાઇ માંગુકિયા સાથે હીરા વેચાણનું કામ કરતો હતો. ત્યારબાદ ગૌરાંગ હોંગકોંગ જઇ રિદ્ધિ સિદ્ધિ ડાયંમડ નામથી વેપાર કરવા માંડ્યો હતો. ગૌરાંગ માંગુકિયા એ વોટ્સએપથી ચિરાગ સવાણીનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, મારા પરિવારનાં અરવિંદભાઈ, ઉમંગ તથા કાનજી મુંબઈ અને સુરત મુકામે રિદ્ધિ ડાયમંડ નામથી ધંધો કરે છે. તેઓની જરૂરિયાત અનુસારનો માલ તારી પાસે હોય તો તેમને આપજે. એ માલ હું હોંગકોંગમાં વેચી પેમેન્ટ કરાવી આપીશ. પેમેન્ટની જવાબદારી લેવા સાથે ગૌરાંગે ૩% આડત આપવાની શરત પણ મૂકી હતી. ત્યારબાદ અરવિંદ માંગુકીયાએ ચિરાગને ફેક્ટરીએ મળવા ગયા હતાં. તેમણે કટ એન્ડ પોલીશ્ડ હીરાની ડિમાન્ડ કરી હતી. એ સમયે સવાણી પાસે હતો એ માલ બતાવ્યો હતો. માંગુકિયાએ ૨૪૯.૨૨૦ કેરેટ હીરા પસંદ કર્યા હતા. ૭૪,૮૬,૫૬૮ રૂપિયા કિંમતનાં હીરા ૧૨ ઓગષ્ટ, ૨૦૨૪નાં રોજ અરવિંદને જાંગડ પર અપાયા હતાં.  ત્યારબાદ પણ ધણો સમય વીતી જવા છતા અરવિંદે હીરા બાબતે કોઇ જવાબ આપ્યો ન હતો. દરેક કોલમાં અલગ અલગ બાહાના બનાવી તેઓ સમય પસાર કરતાં રહ્યાં હતાં. જેથી સવાણીએ ગૌરાંગનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જેમાં ગૌરાંગે ઉશ્કેરાઇ જઇ મે કે મારા કારાએ આવો કોઇ માલ ખરીદ્યો નથી, કે આડતથી વેચાણ માટે લીધો નથી એમ કહેતાં સવાણી આઘાત પામ્યો હતો. ત્યારબાદ ચિરાગનાં પિતા ડુંગરશીભાઇ તથા મુંબઈ ઓફિસમાં સેલ્સ વિભાગ સંભાળતા રાકેશ કાજાવદરા ૭૪.૮૭ લાખની ઉઘરાણી માટે રિદ્ધિ ડાયમંડ અને રિદ્ધિ સિદ્ધિ ડાયમંડનાં પાર્ટનર કાનજી તથા ઉમંગ પાસે ગયા હતાં. તેઓએ પણ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપી હતી. જેથી ચિરાગ સવાણીએ આખરે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 19998   |  
ભાવનગરના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમમાં મોટી તકનીકી ઘટના સામે આવી છે. ડેમના ૧૫ નંબરના ગેટને સંચાલિત કરતો મુખ્ય વાયર (રેસો) તૂટી જતાં ગેટ નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ અનિયંત્રિત રીતે નદીમાં છોડાવા લાગ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.માહિતી અનુસાર, ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે ગેટમાં ખામી સર્જાતા તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. ગેટને થયેલા નુકસાનને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.જિલ્લા પ્રશાસને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ સહિત શિહોર તાલુકાના ભાણગઢ ગામના લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે.વહીવટીતંત્રે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પૂર જાેવા, ફોટા કે સેલ્ફી લેવા માટે નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 18810   |  
બાળકને ગિરનારની સીડીઓ પરથી સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષ મળ્યા

વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કરી તેને સીડીઓ પરથી જ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. પરિવારજનો અને યાત્રિકોની નજર સામે બનેલી આ ઘટનાએ ભય અને અરેરાટીનો માહોલ સર્જ્યો હતો. બાદમાં વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ કલાકો સુધી શોધખોળ કર્યા બાદ જંગલમાંથી બાળકના અવશેષો કબજે લીધા હતા.છેલ્લા ૨૫ દિવસમાં માણસ પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું સામે આવતા ગિરનાર સહિત સિંહોના રહેણાંક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.પરિવારની આંખો સામે સિંહ બાળકને ખેંચી ગયોમહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. પરિવાર વહેલી સવારે દર્શન માટે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. ગેટથી અંદાજે ૫૦ જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળ ચાલતા બાળક મયુરસિંહ પર ઝંપલાવ્યું હતું.બાળક પોતાના કાકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો, પરંતુ સિંહ હુમલો કરીને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. વન રાજ્યમંત્રી પ્રવીણ માળી : ગિરનારમાં માનવ પર સિંહના હુમલાની પ્રથમ ઘટના ગિરનાર પર્વત પર ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની આ પ્રથમ ઘટના છે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.વનમંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ શંકાસ્પદ સિંહોને બેભાન કરીને પકડી લેવામાં આવ્યા છે.હાલ ત્રણેય સિંહોને વૈજ્ઞાનિક અને પશુચિકિત્સકીય તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.પ્રવીણ માળીએ સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોના વર્તનમાં આવી રહેલા ફેરફારોનું વૈજ્ઞાનિક કારણ જાણવા માટે વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને વિશેષ અભ્યાસ સોંપવામાં આવ્યો છે.સિંહોની પ્રકૃતિમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, માનવ વસાહતો તરફ તેમની અવરજવર શા માટે વધી રહી છે અને હુમલાઓ પાછળના કારણો શું છે, તે મુદ્દાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે..


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 18612   |  
અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે; ૩ મહિનામાં કામગીરીનો પ્રારંભ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના હાઈવે અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી વધુ નાણાં મેળવવા રાજ્ય સરકારને તાત્કાલિક દરખાસ્ત મોકલવા અનુરોધ કર્યો હતો.અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ-વે હવે ૮ લેન થશે ૯૩ કિલોમીટરના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વેને ચારમાંથી ૮ લેઈનમાં પરિવર્તિત કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડતરીએ મંજૂરી આપી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે ગુજરાતની આ માંગણી પરત્વે ર્નિણય કરીને વર્ષ ૨૦૨૭માં જ વિસ્તરણનું કાર્ય શરૂ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતનું જમીન સંપાદન મોડલ દેશ માટે ઉદાહરણ ડીપીઆર તૈયાર થતી વખતે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનને સરળ બનાવવા બિનખેતી મંજૂરીની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત મોડલની નીતિન ગડકરીએ પ્રશંસા કરી અને તેને સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય ગણાવ્યું. રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને શક્ય હોય ત્યાં સુધી કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરીને અન્યત્ર રોપવાની સૂચના આપવામાં આવી જેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુલાઈ 2026 1287   |  
નિસરાયાના મામલે હવે ડીડીઓ નિર્ણય કરશે

નિસરાયા ગ્રામ પંચાયત ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. બોરસદ તાલુકાના નિસરાયા ગામના મહિલા સરપંચ સ્મિતાબેન રાજ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ ગામના અરજદાર વિજયકુમાર કે. કાપડિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરાયેલી છ મુદ્દાની અરજી બાદ સમગ્ર મામલે થયેલી તપાસમાં તમામ આક્ષેપો સાચા ઠર્યા હોવાનું તપાસ અહેવાલમાં નોંધાયું હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે મહિલા સરપંચ સામે પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી થશે કે નહીં તે અંગે સૌની નજર જિલ્લા વિકાસ અધિકારીના ર્નિણય પર ટકેલી છે. રિપોર્ટમાં કેટલાંય આરોપો સાબિત થયા અરજી મુજબ મહિલા સરપંચ સ્મિતાબેન રાજ તથા તલાટી-કમ-મંત્રી દ્વારા ગામના વિકાસના નામે કોઈપણ પ્રકારની જરૂરી પૂર્વ મંજૂરી લીધા વિના ગામના મુખ્ય તળાવમાં અંદાજે ૨૦ ગૂંઠા જેટલું પૂરાણ કરવામાં આવ્યું હતું. આ જમીન ઉપર દાતા મહેન્દ્ર પટેલ ઉર્ફે “મેકદાદા”નું સ્ટેચ્યુ તથા અન્ય બાંધકામ ઉભું કરવામાં આવ્યું હોવાનું આક્ષેપમાં જણાવાયું હતું. તપાસ દરમિયાન પણ તળાવ પૂરાણ માટે કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું સામે આવ્યું હોવાનું અહેવાલમાં નોંધાયું છે. આ ઉપરાંત વર્ષો જૂની પ્રાથમિક શાળાની જગ્યા, જે પાછળથી સમગ્ર ગામની વાડી માટે પંચાયત હસ્તક રાખવાના ઠરાવ સાથે સંકળાયેલી હોવાનું જણાવાય છે, ત્યાં આવેલો જૂનો હોલ પણ કોઈપણ ઉચ્ચ અધિકારીની પૂર્વ મંજૂરી વિના તોડી પાડીને તેની જગ્યાએ નવો હોલ બનાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. પંચાયતના નિયમો મુજબ કોઈપણ સરકારી મિલકત પર આવેલ હયાત બાંધકામ તોડતા પહેલાં ઉચ્ચ કક્ષાની મંજૂરી લેવી ફરજિયાત હોય છે. એટલું જ નહીં, જૂના બાંધકામમાંથી નીકળતા કાટમાળની જાહેર હરાજી કરીને તેની આવક પંચાયતના ખાતામાં જમા કરાવવાની હોય છે. પરંતુ અરજી મુજબ આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી નહોતી. તપાસમાં પણ જૂના હોલને તોડવા માટે પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું તેમજ કાટમાળની જાહેર હરાજી ન કરાઈ હોવાનું સામે આવ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જાેકે સમગ્ર ઘટનાક્રમમાં હવે બોરસદ તાલુકા વિકાસ અધિકારી સતીશ પટેલની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. કારણ કે વિસ્તરણ અધિકારીનો સ્પષ્ટ તપાસ અહેવાલ મળ્યા બાદ મહિલા સરપંચ સામે સીધી કાર્યવાહી માટે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ મોકલવાને બદલે તાલુકા વિકાસ અધિકારીએ મહિલા સરપંચને પ્રથમ કારણદર્શક નોટિસ ફટકારી હતી અને સાત દિવસમાં ખુલાસો માંગ્યો હતો.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, જુલાઈ 2026 3168   |  
૨૪ કલાકમાં ખેડા જિલ્લો જળબંબાકાર

ખેડા જિલ્લામાં સાવર્ત્રિક ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની અતિ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને માતર, મહેમદાવાદ, વસો અને નડિયાદ તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ચારેય તરફ પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન બની જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ૨૪ કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો મહેમદાવાદ તાલુકામાં રેકોર્ડબ્રેક ૨૦ ઇંચ અને માતર તાલુકામાં ૧૮ ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે નડિયાદ શહેરમાં પણ ૧૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આટલા ટૂંક સમયમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ ગંભીર બની ગઈ છે. અતિભારે વરસાદના પરિણામે ખેડા-ધોળકા હાઈવે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત માતર-તારાપુર હાઈવે પર પણ માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વાહનચાલકો અને રાહદારીઓ પોતાના જીવના જાેખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. માર્ગો બંધ થવાના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે. નડિયાદ શહેરની વાત કરીએ તો ૧૫ ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે. નાના કુંભનાથ રોડ, વાણિયાવાડ સર્કલ અને રબારી વાસ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. શહેરના તમામ ચાર ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જતાં નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતો વાહનવ્યવહાર તદ્દન ઠપ્પ થઈ ગયો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. પાણીના નિકાલ માટે પંપિંગ સહિતની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી છે. સતત વરસતા વરસાદના કારણે શરૂઆતમાં નિકાલની પ્રક્રિયા ધીમી પડી હતી, પરંતુ બાદમાં વરસાદનું જાેર ઘટતાં અને વિરામ મળતાં પાણી ધીમે ધીમે ઓસરવાનું શરૂ થયું છે, જેથી તંત્ર અને સ્થાનિકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર સવારે ૮ વાગ્યા સુધીમાં જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.આણંદ શહેરમાં ૮ ઇંચ વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આણંદ પંથકમાં મનમૂકીને વરસાદ વરસતા શ્રીકાર વર્ષા થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થયા હતા.જયારે આણંદ શહેર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી કરી વળતા મનપાની પ્રિમોન્સુન કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.જયારે લોટીયા ભાગોળ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એકનું મોત થયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આણંદ પંથક પર મેધરાજા મનમૂકીને વરસતા શ્રીકાર વર્ષા થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ઉઠ્યા હતા.આણંદ શહેર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાતાં મનપાની પ્રિમોન્સુન કામગીરી પર અંગુલિનિર્દેશ થવા પામ્યાનું જાણવા મળેલ છે.ગતરાત્રીના શહેરના લોટિયા ભાગોળ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એકનું મોત થયાનો બનાવ બન્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, જુલાઈ 2026 3564   |  
કાર ગરનાળામાં ખાબકતાં અમદાવાદના ૪નાં મોત

ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માતર નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ખેડા-માતર હાઈવે પર મોતીપુરા ગામ પાસે અમદાવાદના લોકોની કાર અનિયંત્રિત થઈ ગરનાળામાં ખાબકી હતી. કારમાં કુલ ૬ લોકો સવાર હતા, જેમાંથી ૪ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ૨ લોકોને જીવતા બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ કાર મોતીપુરા ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. ભારે વરસાદને કારણે ગરનાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. કાર ગરનાળામાં ખાબક્યા બાદ પલટી મારી પાણીના જાેરદાર વહેણમાં તણાઈ ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા લોકો કારમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને પોલીસ તેમજ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. ખેડા નાયબ કલેક્ટર સુરજ બારોટ, માતર મામલતદાર અને ખેડા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે કારમાંથી બે લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોની વિગત: રાજ સંજયભાઈ રાઠોડ - ઉંમર ૨૬, રહે.અમદાવાદ વિરેન્દ્રસિંહ શેખાવત - ઉંમર ૨૬ રહે.મૂળ રાજસ્થાન સીકર, હાલમાં ઝ્ર્સ્ અમદાવાદ મુસ્તકીમ રાજપુત - ઉંમર ૧૯, રહે. રખિયાલ, અમદાવાદ મયુર મહેશભાઈ પંચાલ - ઉંમર ૩૪, રહે. ન્યુ મણીનગર, અમદાવાદ આ ૨ લોકોનો બચાવ થયો હતો જયારે ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગિલ - ઉંમર ૨૮, રહે. હાટકેશ્વર અમરાઈવાડી, અમદાવાદ મુકેશ જીવન ચૌહાણ - ઉંમર ૩૨, રહે. રહે. હાટકેશ્વર અમરાઈવાડી, અમદાવાદ ૪ લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ પાણીના પ્રવાહમાં ફસાયેલા અન્ય લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ ટીમે એક પછી એક મૃતદેહ બહાર કાઢ્યા હતા અને આખરે કુલ ૪ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તીવ્ર વળાંકને કારણે અનિયંત્રિત થઈ પલટીનેપ્રાંત અધિકારી ઘટનાસ્થળે પહોંચેલા ખેડા પ્રાંત અધિકારી સૂરજ બારોટે જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ આ અર્ટિકા કાર એક તીવ્ર વળાંકને કારણે અનિયંત્રિત થઈ પલટીને ગરનાળામાં ખાબકી હતી હતી.કારમાં આગળ જે બે લોકો સવાર હતા એ બહાર નીકળી ગયા, પણ પાછળની સીટમાં બેસેલા લોકો નીકળી ન શક્યા અને તેમનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે.



ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુલાઈ 2026
ગુરુપૂર્ણિમાથી ભાજપના દેશવ્યાપી સમરસતા અભિયાનનો પ્રારંભ

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભારતીય જનતા પાર્ટીએ દેશવ્યાપી સમરસતા સંકલ્પ અભિયાનનો પ્રારંભ ગાંધીનગર ખાતેથી કર્યો છે. સંત શિરોમણી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ગાંધીનગરમાં આયોજિત રાજ્યસ્તરીય કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સમરસતા, સામાજિક એકતા અને સનાતન પરંપરાના મૂલ્યોને સમાજજીવનમાં વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર, ધારાસભ્ય, પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુલાઈ 2026
રાજ્ય સરકારે ભરતીનો ગુણોત્તર બદલ્યો : ગેઝેટમાં સુધારા નિયમો જાહેર

ગુજરાત સરકારે રાજ્યના સચિવાલયમાં સેક્શન ઓફિસર ની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં ભરતીના નિયમોમાં સુધારો જાહેર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત સરકારના અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધ કરાયેલા ગુજરાત સચિવાલય સેવા ભરતી નિયમો ૨૦૨૬ હેઠળ ભરતીના ગુણોત્તરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમો ૨૩ જુલાઈ ૨૦૨૬થી અમલમાં આવ્યા છે.રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ સુધારા મુજબ સેક્શન ઓફિસરની ભરતીમાં અત્યાર સુધી અમલમાં રહેલો ૨:૧:૧નો ગુણોત્તર હવે બદલીને ૧૨:૫:૩ કરવામાં આવ્યો છે. આ ફેરફારથી પ્રમોશન અને સીધી ભરતીના વિવિધ સ્ત્રોતો વચ્ચેની વહેંચણીમાં નોંધપાત્ર બદલાવ આવશે.આવનારી તમામ ભરતી પ્રક્રિયાઓ હવે નવા ગુણોત્તરના આધારે હાથ ધરવામાં આવશે.ગુજરાત સરકારે આ સુધારો ભારતના બંધારણની કલમ-૩૦૯ હેઠળ રાજ્યપાલને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડેલી સૂચના અનુસાર વર્ષ-૨૦૨૧ના ભરતી નિયમોની કલમ-૩માં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાને ગુજરાત સચિવાલય સેવા ભરતી નિયમો ૨૦૨૬ તરીકે ઓળખ આપવામાં આવી છે. વહીવટી તંત્રમાં સેક્શન ઓફિસરની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિવિધ વિભાગોમાં નીતિગત ફાઈલોનું સંચાલન, શાખાકીય કામગીરીનું સંકલન અને વહીવટી ર્નિણયોની અમલવારીમાં સેક્શન ઓફિસરોની મુખ્ય જવાબદારી હોય છે. તેથી ભરતીના ગુણોત્તરમાં થયેલો આ ફેરફાર સચિવાલયની માનવસંસાધન વ્યવસ્થા માટે મહત્વનો ર્નિણય માનવામાં આવી રહ્યો છે.વહીવટી વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે નવા ગુણોત્તરથી ભરતી પ્રક્રિયામાં સંતુલન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જાેકે આ સુધારાની વાસ્તવિક અસર આગામી ભરતી પ્રક્રિયા દરમિયાન સ્પષ્ટ થશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુલાઈ 2026
મંત્રીઓ ગુરુજીના આશીર્વાદ લેવા પહોંચતાં સ્વર્ણિમ સંકુલમાં એકપણ મંત્રી હાજર નહીં

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે રાજ્યના મોટાભાગના મંત્રીઓ પોતાના ગુરુઓના આશીર્વાદ લેવા તથા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા પોતાના મતવિસ્તારો અને વિવિધ સ્થળોએ પહોંચતા બુધવારે ગાંધીનગર સચિવાલયમાં અસામાન્ય શાંતિ જાેવા મળી હતી. સામાન્ય દિવસોમાં ધમધમતા સ્વર્ણિમ સંકુલ-૧ અને સ્વર્ણિમ સંકુલ-૨ના મંત્રી કચેરી વિભાગો આજે લગભગ ખાલી જાેવા મળ્યા હતા. એકપણ કેબિનેટ મંત્રી સચિવાલયમાં હાજર ન હોવાથી મુલાકાતીઓ અને અરજદારોની અવરજવર પણ ઓછી રહી હતી.દર બુધવારે યોજાતી રાજ્ય કેબિનેટની નિયમિત બેઠક આ વખતે ગુરુપૂર્ણિમાના કારણે એક દિવસ અગાઉ એટલે કે મંગળવારે યોજાઈ હતી. કેબિનેટના તમામ મહત્વના એજન્ડા, નીતિગત ર્નિણયો અને વહીવટી મુદ્દાઓ પર ગઈકાલે જ ચર્ચા કરીને બેઠક પૂર્ણ કરવામાં આવી હતી. પરિણામે આજે કેબિનેટ બેઠકનું કોઈ આયોજન ન હોવાથી મંત્રીઓએ પોતાના અગાઉથી નક્કી થયેલા ધાર્મિક અને સ્થાનિક કાર્યક્રમોમાં હાજરી આપવાનું પસંદ કર્યું. રાજ્યના અનેક મંત્રીઓ ગુરુપૂર્ણિમાના અવસરે પોતાના આધ્યાત્મિક ગુરુઓના દર્શન, આશીર્વાદ અને વિવિધ ધાર્મિક સમારોહોમાં જાેડાવા માટે ગાંધીનગરથી રવાના થયા હતા. કેટલાક મંત્રીઓ પોતાના મતવિસ્તારોમાં આયોજિત ગુરુપૂર્ણિમા મહોત્સવ, સત્સંગ અને સન્માન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૧ અને સ્વર્ણિમ સંકુલ-૨માં આજે મંત્રીઓની કચેરીઓ બંધ જેવી સ્થિતિમાં જાેવા મળી હતી. મંત્રીઓની ગેરહાજરીને કારણે રાજકીય મુલાકાતીઓ, કાર્યકરો અને વિવિધ રજૂઆતો માટે આવતા લોકોની સંખ્યા પણ સામાન્ય દિવસોની સરખામણીએ ઓછી રહી હતી. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુલાઈ 2026
૮થી ૧૦ સપ્ટે. દરમિયાન ચોમાસું સત્ર મળે તેવી શક્યતા: મહત્વના વિધેયકો રજૂ થવાની સંભાવના

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી ૮થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસ માટે યોજાય તેવી શક્યતા છે. રાજ્ય સરકાર દ્વારા સત્રની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. સત્રની તારીખો અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.મળતી માહિતી મુજબ આ વખતનું ચોમાસુ સત્ર ત્રણ દિવસનું રહેશે. સત્ર દરમિયાન સરકાર વિવિધ વિભાગોને લગતા મહત્વના વિધેયકો રજૂ કરી શકે છે. ઉપરાંત સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નીતિગત ર્નિણયો અંગેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે.ચોમાસુ સત્રમાં વિરોધ પક્ષ દ્વારા રાજ્યના વિવિધ મુદ્દાઓ, વરસાદ અને પૂરથી સર્જાયેલી પરિસ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થા, વિકાસકાર્યો તેમજ અન્ય જાહેરહિતના મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ સરકાર પણ પોતાના વિકાસકાર્યો અને યોજનાઓ અંગે ગૃહમાં વિગતવાર જવાબ રજૂ કરશે.વિધાનસભા સત્રને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગોને પ્રશ્નોત્તરી, વિધેયકો અને અન્ય ધારાસભાકીય કામગીરી માટે જરૂરી તૈયારીઓ શરૂ કરવા સૂચના આપવામાં આવે તેવી શક્યતા છે. મંત્રીઓ અને અધિકારીઓ પણ પોતાના વિભાગ સંબંધિત માહિતી અને જવાબોની તૈયારીમાં વ્યસ્ત બનશે.હાલ તારીખોને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જાેકે વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ચોમાસુ સત્ર યોજાય તેવી પૂરી શક્યતા છે અને તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુલાઈ 2026
સરકારની સહાયની જાહેરાત બાદ લાખોનું નુકસાન ભોગવનારા વેપારીઓમાં ભારે રોષ

શહેરમાં પડેલા ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે વેચાણવાળા વિસ્તારોની દુકાનોના વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે સરકારે હવે વરસાદના વિરામ બાદ વેપારીઓને સહાય મળે તે પ્રકારની જાહેરાત કરી છે. ત્યારે સરકારની આ સહાયને લઈને વેપારીઓમાં ગણગણાટ શરૂ થયો છે. વેપારીઓનું માનવું છે કે વરસાદથી નુકસાન સામે સહાયની જાહેરાત તો થઈ પણ ખરેખર મળે તો સારું. ૨૫ વર્ષ પહેલાં પણ વરસાદમાં નુકસાનીના વળતરની જાહેરાત થઈ હતી જે હજુ સુધી નથી મળી, તેવી નારાજગી પણ ડ્રાઇવ ઇન રોડ પરના ઇન્દ્રપ્રસ્થ ટાવરના વેપારીઓએ વ્યક્ત કરી છે.ગત ગુરુવારના રોજ અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી જેથી આખા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અનેક દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓએ લાખોનું નુકસાન સહન કરવું પડ્યું છે. વરસાદના કારણે વેપારીઓએ નુકસાનની વેદના વ્યક્ત કરી છે. ભારે વરસાદના કારણે ડ્રાઇવ ઇન રોડ પરના ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં અંદાજે ૫૦ જેટલી દુકાનોમાં ૪થી ૫ ફૂટ જેટલા પાણી ભરાયા હતા અને પાણી બહાર કાઢવા માટે વેપારીઓએ જાતે પમ્પ મૂકી પાણી બહાર કાઢ્યા હતા. વેપારીઓના મતે દરેક વેપારીઓને લાખોનું નુકસાન થયું છે. સહાયની જાહેરાત તો થઈ પણ નુકસાનીના સર્વેની સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. ૨૫ વર્ષ પહેલાં પણ વરસાદમાં નુકસાનીના વળતરની જાહેરાત થઈ હતી જે હજુ સુધી નથી મળી. ૨૫ વર્ષ બાદ ફરી ભારે વરસાદના કારણે દુકાનો પાણીમાં જળમગ્ન થઈ ગઈ હતી. દુકાનમાં રાખવામાં આવેલો સામાન સ્થળે ખસેડવાનો પણ દુકાન માલિકોને સમય મળ્યો ન હતો. જેના કારણે ૨૦ કરતા વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હવે ફરી સરકારે જાહેરાતની વાત કરી છે ત્યારે એ સહાય આજદિન સુધી મળી નથી.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુલાઈ 2026 1386   |  
ડિંડોલીની દુકાનમાં જ યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલમાં ૨૩ વર્ષીય યુવકે દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ યુવકે કયા સંજોગોમાં આપઘાત કર્યો તે અંગે રહસ્ય સર્જાયું છે. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ૨૩ વર્ષીય નિલેશ મનુભાઈ રાઠોડ પુણાગામની કિરણ પાર્ક સોસાયટીમાં રહેતો હતો. ડિંડોલી રાજમહેલ મોલના ભોંયતળિયે આવેલી દુકાન વીડી એન્ટરપ્રાઇઝમાં કામ કરતો હતો. ગત ૨૮ જુલાઈના રોજ રાત્રે આશરે ૧૦:૪૫ વાગ્યા પહેલાં કોઈ સમયે નિલેશભાઈએ દુકાનની છત પર લાગેલા હૂક સાથે સફેદ રંગના ઇલેક્ટ્રિક વાયર વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બાદમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૯૪ હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પોલીસ હાલ યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે તપાસ કરી રહી છે. પોલીસ મરનાર નિલેશ રાઠોડનાં પરિવારજનોની પણ પુછપરછ કરીને કારણ જાણવાનો પ્રયાસ કરશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુલાઈ 2026 1386   |  
લોકરમાંથી ચોરાયેલા દાગીના દિયોરા પાસેથી ખરીદનારા જ્વેલરે લગડી બનાવી વેચી માર્યા

નક્ષત્ર સેફ હાઉસનાં માલિકોએ ચોરેલું ગ્રાહકોનું સોનું ખરીદનાર જ્વેલરને સિંગણપોર પોલીસે કોર્ટમાં રજુ કરી એક દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. મળતી માહિતી અનુસાર અડાજણમાં સ્વામીનારાયણ મંદિર પાસે આનંદ વાટિકા સોસાયટીમાં મહેશ ડાહ્યાભાઇ દિયોરા તેમના બે દીકરા હર્ષ અને હરિકૃષ્ણ સાથેના પરિવારમાં રહે છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના વતની એવા આ દિયોરા પિતા-પૂત્ર સિંગણપોરમાં કોઝવે રોડ ઉપર કૃષ્ણજીવન સોસાયટીમાં નક્ષત્ર સેફ હાઉસ ચલાવે છે. હર્ષે શેર બજારમાં ત્રણેક કરોડનું દેવાળું ફૂંકતાં દિયોરા પરિવાર ભીંસમાં મૂકાયો હતો. જેમાંથી બહાર નીકળવાં આ પિતા પૂત્રએ લાંબા સમયથી ઓપરેટ થયા ન હોય એવા ૯ ગ્રાહકોના લોકર શોધી તેમાંથી૩ય૪૬ કરોડનું ૩૨૬ તોલા સોનું ગાયબ કરી દીધું હતું. આ કાંડના પુરાવા સમાન સીસી કેમેરા ડિલીટ મારવા માટે હર્ષે એઆઇ પ્લેટફોર્મ જેમીની પાસે ગાઇડન્સ મેળવ્યું હતું. આ કેસમાં સિંગણપોર પોલીસે ગુનો નોંધી હર્ષ, હરિકૃષ્ણ અને મહેશ દિયોરાના પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. લોકરની ડુપ્લિકેટ ચાવી બનાવડાવી ચોરી કરાયેલા દાગીના અંગે તેમની કડકાઇથી પૂછપરછ કરાઈ હતી. જેમાં તેઓએ ક્રિષ્ના જ્વેલર્સના માલિક મિતેશભાઇ ભરતભાઇ પારેખ (રહે, ૧૪૨ ગોપીનાથ સોસાયટી વિભાગ-ર શક્તિનગરની વાડી પાસે કતારગામ) અને કૌશલ ધનેન્દ્ર સુપેડા (રહે, પ્રયોશા પ્રાઈમ સુમુખ સર્કલ પાસે ડીંડોલી સુરત)નું નામ આપ્યું હતું. પોલીસે ત્વરિત આ બંનેની પણ ધરપકડ કરી હતી. મિતેશ અને કૌશલની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, તેમણે દિયોરા પાસે ખરીદેલા દાગીના ઓગાળી નાંખી તેમાંથી લગડી બનાવી વેચી નાંખી હતી. જાે કે, આ લગડી કયાં અને કોને વેચાઇ હતી એની માહિતી તેમણે પોલીસને આપી ન હતી. જેથી બંનેને કોર્ટમાં રજુ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતાં. જાે કે રિમાન્ડ રિપોર્ટમાં ચોરીનો માલ ખરીદવા અંગેની કોઇ કલમ લખવામાં આવી ન હોવાથી કોર્ટે પોલીસને ટકોર કરી હતી. કલમ ઉમેરા સાથે નવો રિપોર્ટ રજુ કરવામાં પોલીસે ચાર પાંચ કલાક કાઢી નાંખતાં એક તબક્કે કોર્ટ અકળાઇ પણ હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતુ કે, કૌશલ ધનેન્દ્ર સુપેરા તથા મિતેશ ભરતભાઈ પારેખ સાથે અન્ય કોઇ ઇસમો સંકળાયેલ છે કે કેમ? તે બાબતે ઉંડાણપુર્વક સચોટ તપાસ કરવાની છે. હર્ષ પાસે ખરીદેલા દાગીનાની લગડી બનાવી વેચી દીધાનું તેઓ કહે છે ત્યારે ચોરીનો માલ વેચી મેળવેલા રૂપિયા અંગે તપાસ કરવાની છે. બંનેના ધંધાના સ્થળે હિસાબ કિતાબ ચેક કરવાના છે. કોર્ટે પોલીસની આ દલીલો ધ્યાને લઇ એક દિવસનો રિમાન્ડ આપ્યા હતાં.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુલાઈ 2026 891   |  
શહેરીજનોને પોલીસતંત્ર અંગે ઘણી સમસ્યાઓ છે પરંતુ ધારાસભ્યો અને સાંસદો તદ્દન લાપરવાહ

શહેર પોલીસતંત્રને લગતી સમસ્યામાં શહેરીજનોને સૌથી વધુ કનડતી હોય તો તે ટ્રાફિકને લગતી છે આ ઉપરાંત શહેરમાં બેફામ દોડતાં ભારદારી વાહનો અને ગેરકાયદે પાણીનાં ટેન્કરોની પણ મોટી સમસ્યા છે પરંતુ શહેરીજનોનાં પ્રતિનિધિ તરીકે ધારાસભ્યો અને સાંસદને લોકોની સમસ્યાનાં નિરાકરણમાં રસ જ નહીં હોવાનું આજે જણાઇ આવ્યું હતું. પોલીસ કમિશનર સાથેની સંકલન બેઠકમાં આજે માત્ર બે ધારાસભ્યો જ ઉપસ્થિત રહ્યાં હતાં જેનાં ઉપરથી પ્રજાનાં પ્રતિનિધિ હોવાનો દાવો કરતાં આ નેતાઓ પ્રજાની સમસ્યા અંગે કેટલી હદે લાપરવાહ છે તે સાબિત થઇ ગયું હતું.પોલીસ કમિશનર સાથેની સંકલન બેઠકમાં ચોર્યાસીનાં ધારાસભ્ય સંદિપ દેસાઇ અને ઉધના વિસ્તારનાં ધારાસભ્ય મનુ પટેલે(ફોગવા) જ હાજર રહીને વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. દિવસનાં સમયમાં માતેલા સાંઢને જેમ દોડતાં ભારદારી ડમ્પરો તેમજ પાણીનાં ટેન્કરો પોલીસનાં આશીર્વાદથી જ દોડી રહ્યાં છે. સંદિપ દેસાઇએ શહેરમાં દોડતાં ગેરકાયદે પાણીનાં ટેન્કરોનો મુદ્દો ઉઠાવ્યો હતો, ટેન્કરોમાંથી પાણી છલકાતું હોવાની તેમજ રસ્તાઓ તૂટી જવાની ફરિયાદ તેમણે કરી હતી. આ ઉપરાંત વીક-એન્ડમાં એટલે કે શનિવાર અને રવિવારે ડુમસ સી-ફેસ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ એકત્ર થતાં હોવાથી ભારે ટ્રાફિકજામ રહે છે આ ઉપરાંત એપીએમસી પાસે નવા બની રહેલાં બ્રિજને કારણે પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાથી બંને સ્થળે કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત મૂકવા જણાવ્યું હતું. સચિન જીઆઇડીસી ખાતે નવા પોલીસ મથક માટે ૩૦૦૦ ચો.મીટર જમીન ફાળવી દેવાઇ છે પરંતુ પોલીસ મથકનાં નિર્માણની પ્રક્રિયા કરવામાં નથી આવી તો તેની કાર્યવાહી ઝડપથ કરવા સંદિપ દેસાઇએ રજૂઆત કરી હતી. હજીરા-ઇચ્છાપોર વિસ્તારમાં ભારદારી વાહનોનું ગેરકાયદે પાર્કિંગ થતું હોવાથી રાત્રિનાં સમયે ફેટલ એક્સિડન્ટ થવાનો ભય રહે છે, સચિન સાતવલ્લા જીઆઇડીસી ચાર રસ્તા ખાતે પણ અકસ્માતનો ભય રહેતો હોવાથી ટ્રાફિક પોલીસની ડ્યૂટી લગાવવા તેમણે રજૂઆત કરી હતી. આ ઉપરાંત દયાળજી આશ્રમ પાસે લલનાઓનું દુષણ ફરી વધી ગયું હોવાથી ત્યાં કાયમીધોરણે પોલીસચોકી બનાવવાનું પણ સુચન કરવામાં આવ્યું હતું. ઉધનાનાં ધારાસભ્ય મનુ પટેલે કૈલાસ ચોકડી પાસે ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો હોવાથી ત્યાં ટ્રાફિકનું ભારણ વધારે રહેતું હોવાને કારણે ત્યાં સતત ટ્રાફિક પોલીસ હાજર રહે તે માટે રજૂઆત કરી હતી આ ઉપરાંત ઉધના ત્રણ રસ્તાથી ડિંડોલી સુધી ભારદારી વાહનોનું ગેરકાયદે પાર્કિંગ, નાગસેનનગરનાં નાકે પોલીસચોકીમાં અધિકારી અને પોલીસ સ્ટાફ ફાળવવા તથા પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં રાત્રિનાં સમયે પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુલાઈ 2026 792   |  
સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ૫૦૦૦ કિલો આરડીએક્સનો ધમકીભર્યો મેઇલ કરનાર પરપ્રાંતીય યુવક ઝડપાયો

અધિક પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત ૧૩મી જુલાઇનાં રોજ સાંજે સવા છ વાગ્યાનાં અરસામાં સુ૨ત ડિસ્ટ્રિક્ટ કોર્ટનાં ઈ-મેઈલ આઈ.ડી. ઉપર અજાણ્યાએ મેઇલ કર્યો હતો. જેમાં કોર્ટમાં ૫૦૦૦ કેજી આરડીએક્સ બોમ્બ એવું લખાયું હતું. આ મેઇલ બાદ પોલીસે કોર્ટ સંકુલમાં સઘન ચેકિંગ કર્યું હતું. આ સાથે લોકોમાં ભય અને અસલામતી ફેલાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ક૨વાના ઇરાદાથી ધમકી ભર્યો મેઈલ કરનારા સામે ભા૨તીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ-૩૫૧(૩), ૩૫૧(૪), ૩૫૩(૧)(બી), ૩૫૩(૨) તથા ઘી ઇન્ફર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૦૮ ની કલમ-૬૬(એફ)(૨) મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ હતી.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર કે. પી. ગામેતી તથા ટેકનિકલ ટીમ દ્વારા મેઇલ કરાયો હતો એ ડિવાઇસનાં આઇપી એડ્રેસ તથા સર્વર ટ્રેસ કરવા માંડ્યું હતું. જેમાં મળેલી માહિતીનાં આધારે આ મેઇળ કરનાર ૨મણ રામબાબુ સતન મિશ્રા (ઉ.વ.૩૬, ૨હે, ક્રિષ્નકુંજ બિલ્ડિંગ, બહુચર નગર, પ્રાણનાથ હોસ્પિટલ પાસે, વેડ રોડ, કતારગામ)ને ઝડપી લીધો હતો. બિહારનાં દરબંગા જિલ્લાનાં ધનુવારા ગામના વતની રમણ મિશ્રાની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, તે દસેક વર્ષથી સુરતમાં રહી હીરાની મજુરી કરતો હતો. છેલ્લા ઘણાં સમયથી તે હીરાની મજુરી કે અન્ય કોઈ કામધંધો કરતો ન હતો. ઘરે બેસી તે યુટ્યુબ પર ખાન સ૨નાં ઓનલાઈન ક્લાસીસ જાેતો હતો. સતત રીલ્સ જાેઇને તે જુદા જુદા એઆઇ પ્લેટફોર્મ ૫૨ કન્ટેન્ટ બનાવવાનું શીખતો હતો. પોતાના મોબાઈલનો ઈન્ટરનેટ ડેટા પુરા થાય એટલે તે એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય મજુરી કામ ક૨તા મિત્રોનાં મોબાઈલનું હોટસ્પોટ લઇ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખતો હતો. રીલ્સ જાેતા જાેતા તે ધમકી ભર્યા ઇ-મેઇલ ક૨વા પ્રેરાયો હતો. તેના મોબાઇલ ફોનમાંથી સુપ્રીમ કોર્ટને મોકલવા માટે અંગ્રેજ હમારે કન્ટ્રી કો બરબાદ કર કે ગયે હે એવું લખેલો મેઇલ ડ્રાફ્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસે રમણ મિશ્રાને કોર્ટમાં રજૂ કરી બોંબથ્રેટની તપાસ માટે બીજી તારીખ સુધીનાં રીમાન્ડ મેળવ્યા હોવાનું પણ જાણવા મળે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુલાઈ 2026 792   |  
ઇન્ટર્નશીપ કરતી યુવતીને રંજાડનાર હોમિયોપેથીનાં સ્ટુડન્ટની ધરપકડ

બીએચએમએસનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા પુણાના યુવકે ઇન્ટર્નશીપ કરતી યુવતી ઉપર અંગત સંબંધ રાખવા દબાણ કરવાનું ભારે પડ્યું છે. સંબંધ નહીં રાખે તે તારા અને પરિવારનું નામ ચિઠ્ઠીમાં લખી આપઘાત કરી લઈશ એવી ધમકી આપનાર મેડિકલ સ્ટુડન્ટને હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી કાજલ મિસ્ત્રી (ઓળખ બદલી છે) એ બીએચએમએસ નો અભ્યાસ પુર્ણ કર્યો છે. હોમિયોપેથિક ડોક્ટર તરીકે તેણી હાલ ઇન્ટર્નશીપ કરી રહી છે. મહેસાણા જિલ્લાની વતની એવી કાજલને અભ્યાસ દરમિયાન શ્રેયસ કનકભાઇ ભંડેરી (રહે, સમજુબા પાર્ક સોસાયટી, પુણા ગામ) સાથે ઓળખ પરિચય થયો હતો.બીએચએમએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો શ્રેયસ ભંડેરી મિત્રતાથી આગળ વધી અંગત સંબંધ રાખવા માંગતો હતો. આ માટે તેણે કાજલને વાત કરી હતી. જાે કે, કાજલે તેને કેરિયર પર ફોકસ કરવા કહ્યું હતું. જાે કે, તે અવાર નવાર તેણીને મળી તથા કોલ કરી સંબંધ રાખવા દબાણ કરવા માંડ્યો હતો. કાજલે મારે કોઈ સંબંધ રાખવા નથી એમ સ્પષ્ટપણે કહેવા છતાં શ્રેયસે તેણીનો પીછો છોડ્યો ન હતો. શ્રેયસ ભંડેરીએ કાજલ પર દબાણ વધારવાના ઇરાદે તેણી સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધા હતા. આ ઉપરાંત તેણે કાજલનાં ભાઇને મેસેજ કરી કાજલ મારી સાથે સંબંધ નહીં રાખે તો સુસાઇડ નોટમાં તેનું તથા પરિવારની નામ લખી આપઘાત કરી લઈશ એવી ધમકી આપી હતી. તેણે કાજલને પણ સતત મેસેજ કરી માનસિક અત્યાચાર કરવા માંડ્યો હતો. સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરી બદનામી કરવા સાથે આપઘાત કરી ફસાવી દેવાની ધમકી આપવામાં આવતાં કાજલે પરિવાર સાથે પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્પેક્ટર એન. એ. ચાવડાએ ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ની કલમ-૭૮(૨), ૩૫૬(૨), ૩૫૧(૨) તથા આઇ.ટી. એક્ટ સને-૨૦૦૦ની કલમ-૬૬(સી) મુજબ ગુનો નોંધી શ્રેયસ ભંડેરીને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફને દોડાવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સથી પગેરૂ દાબી શ્રેયસ ભંડેરીની ધરપકડ કરાઇ હોવાનું જાણવા મળે છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution