આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
11583 |
પોલીસ જાગી: અમદાવાદમાં ૩ દિવસમાં ૪૩૬ કેસ, ૪૭૬ની ધરપકડ અને ૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયા બાદ રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે તમામ શહેરો અને જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ પ્રોહીબીશન ડ્રાઇવ રાખવાની કડક સૂચના આપી હતી. આ આદેશના પગલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક્શન મોડમાં આવીને તમામ સ્થાનિક પોલીસ અધિકારીઓને દારૂ તેમજ જુગારની બદીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને ઝોન એલસીબીની ટીમોએ સપાટો બોલાવીને ચોરીછુપીથી ચાલતા અડ્ડાઓ પર વ્યાપક દરોડા પાડ્યા છે. માત્ર ત્રણ દિવસમાં જ પોલીસે કુલ ૪૩૬ કેસ નોંધીને ૪૭૬ આરોપીઓની અટકાયત કરી છે. આ દરોડા દરમિયાન વિદેશી દારૂના ૭૩ કેસો નોંધીને ૨૯.૯૩ લાખની કિંમતની ૧૧,૪૭૯ બોટલ/બીયર સહિત કુલ ૮૦.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેશી દારૂના ૩૩૬ કેસો નોંધીને ૭.૩૮ લાખની કિંમતનો ૩,૬૯૩ લીટર દારૂ અને વાહનો મળી કુલ ૮.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે.દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો સામે લાલઆંખ કરતા પોલીસે ૭ રીઢા બુટલેગરો સામે પાસા (ઁછજીછ) હેઠળ કડક ગુનો નોંધી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દીધા છે. પોલીસ કમિશનરે ગુનેગારોને પાસા હેઠળ જેલભેગા કરવાની ગતિ તેજ બનાવી છે. આ અભિયાન અંતર્ગત કુલ ૪૧ ગુનેગારોને પાસા હેઠળ જેલ મોકલાયા છે, જેમાં સૌથી વધુ ૧૮ દારૂના બુટલેગરો છે. જ્યારે મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ૧૪ અને મારામારી-હત્યાના પ્રયાસ જેવા શરીર સંબંધી ગુના આચરનાર ૯ ગુનેગારોનો સમાવેશ થાય છે. પોલીસની આ કડક ઝુંબેશથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં દારૂબંધીની કડક અમલવારી માટે પોલીસની આ ખાસ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ આવી જ કડક રીતે સતત ચાલુ રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
11979 |
આણંદમાં એસએમસીએ લાખોનો દારૂ ઝડપ્યો
ગુજરાતમાં અસામાજિક તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સમગ્ર રાજ્યભરમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ચોક્કસ માહિતીના આધારે સતત કાર્યરત છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા ભાલેજ-આણંદ રોડ પર, અપ્પુ વે-બ્રીજ નજીક એક વ્યૂહાત્મક દરોડો પાડવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે વહન કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો અતિ વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી આશરે ૧૫૦ પેટીઓ (કુલ ૭,૧૮૭ બોટલો) કબ્જે કરવામાં આવી હતી, જેની બજાર કિંમત ૧૯,૬૩,૧૫૧/- થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ ૩૪,૬૯,૬૨૧/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપુર ગામના રહેવાસી નારણભાઇ ઉર્ફે અતુલ ઘુસાભાઇ ચૌહાણ નામના આરોપીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસિકથી મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૦૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નાસિકથી ગેરકાયદેસર દારૂનો સપ્લાય કરનાર ૩ શખ્સો, દારૂના વહન માટે વપરાયેલ ટ્રકના મૂળ માલિક તેમજ કાનપુરના જ ભાવેશભાઇ સુરાભાઇ માતાસુરીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સંડોવાયેલા વોન્ટેડ શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ વધુ ઝડપી બનાવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
12969 |
ભાવનગરથી ઝેરી દારૂ પીને સુરત આવેલા યુવકે ચોથા દિવસે દમ તોડ્યો
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડનો ભોગ બનેલા સુરતના યુવકને શુક્રવારે બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ શનિવારે બપોરે તેણે દમ તોડી દીધો હતો. ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઈએનએસ હોસ્પિટલમાં તે ચાર દિવસથી સારવાર હેઠળ હતો.મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં પીરસાયેલી વ્હીસ્કી ઝેરી કેમિકલથી બનેલી હોય સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું તથા ડુપ્લિકેટ વ્હીસ્કી બનાવનાર યાદવનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજય લક્ષ્મણસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સિરિયસ હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, ત્યારબાદ તેને પરવત પાટિયા વિસ્તારની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સ્થિતિ વધું કથળતાં સંજયસિંહને આઇએનએસ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. આઈએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં તેને શુક્રવારે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. ત્યારબાદ શનિવારે બપોરે પરિવારની મંજૂરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી લેવાતાં તેનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક તબીબોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ સંજયસિંહના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપાયો હતો. સંજયે દમ તોડ્યો એ સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક ૧૧ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ઓગ્સ્ટ 2026
15048 |
શહેરમાં ડિફેન્સના નામે નકલી દારૂનો વેપાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી ૯થી વધુના મોત નિપજ્યા છે ત્યાં અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાંડનો નિકોલ અને એસએમસી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બે ફરાર છે. નકલી ઇંગ્લિશ દારૂ બનાવી છૂટક વેચાણ કરતા નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુનિલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ભેગા મળી બનાવટી અંગ્રેજી દારૂ તૈયાર કરી છૂટકમાં વેચાણ કરે છે. એસએમસી અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો. બાદમા ડેકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી.ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ૪ બોટલ, પ્લાસ્ટિકની ૪ બોટલ મળી ઉપરાંત આરોપી પાસેથી રૂ.૫,૦૦૦ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કરીને તપાસ દરમિયાન દિનેશ જંડાવાલાના કુબેરનગર સ્થિત ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો અને એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે કુલ રૂ. ૯૫૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર લગાવી વેચતા આરોપીઓની પૂછપરછ કરતા સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ તથા ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર અને ડિફેન્સનો દારૂ હોવાનું બતાવવા તેનો સિમ્બોલ લગાવી વેચતા હતા. જ્યારે દિનેશ ચામુંડા બ્રિજ પાસે ભંગારની દુકાન ધરાવતા શખ્સ પાસેથી ખાલી બોટલો અને બ્રાન્ડેડ સ્ટીકર અને તેની પર લગાવવાના સીલ લાવતો હતો. આ અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને સુનિલની ધરપકડ કરી ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ઓગ્સ્ટ 2026
14157 |
ભાવનગરથી ઝેરી દારૂ પી સુરત આવેલો યુવક ત્રણ દિવસની સારવાર બાદ બ્રેઇનડેડ જાહેર
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડમાં સુરતનાં યુવકને બ્રેઇનડેડ જાહેર કરાયો છે. પાર્ટીમાં દારૂ પી સુરત આવેલા સંજયસિંહની તબિયત લથડતાં ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઇએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં ત્રણ દિવસની સારવાર બાદ શુક્રવારે સંજયસિંહને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઇ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં રોયલ સ્ટેગ વ્હીસ્કી પીવાઇ હતી. રોયલ સ્ટેગ વ્હીસ્કી નકલી, ઝેરી તત્વોથી બનાવાયેલી હોય તેનું સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.ઉચ્ચસ્તરીય બેઠકો બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ મેદાને આવી પરંતુ એ પહેલા ઝેરી દારૂ પીવાથી ૫૦થી વધુની તબિયત લથડી ચૂકી હતી અને ૮ લોકોનાં મોત થઈ ચૂક્યા હતાં. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજયસિંહ લક્ષ્મસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સીરિયસ હાર્ટએટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, પરંતુ ત્યારબાદથી તે સતત બેભાન અવસ્થામાં સરી પડ્યો હતો. તબીબી તપાસમાં સામે આવ્યું હતું કે સંજયસિંહનાં મગજ સુધી પૂરતો ઓક્સિજન પહોંચી રહ્યો નહોતો. વધુમાં, નશાની તપાસ માટે કરાવેલા ખાસ રિપોર્ટમાં ઇથેનોલ અને મીથેનોલ પોઇઝનિંગની ગંભીર ઝેરી અસર હોવાનું સ્પષ્ટ થયું હતું. ઝેરી દારૂ પીધાનાં માત્ર ૮થી ૧૦ કલાકમાં જ ઝેર આખા શરીરમાં ફેલાઈ જતાં તેની ન્યુરોલોજીકલ સ્થિતિ કથળી ગઈ હતી, જેથી તેને તાત્કાલિક સુરતની જાણીતી ન્યુરો હોસ્પિટલ આઇએનએસમાં શિફ્ટ કરાયા હતા. આઇએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં આજે તેને આખરે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. સંજયસિંહને તેના પરિવારની મંજુરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી સત્તાવાર મૃત ઘોષિત કરાશે એવું જાણવા મળે છે. સંજયસિંહનાં મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, ઓગ્સ્ટ 2026
5742 |
૨૦૦ જેટલા હંગામી રોજમદારને છુટા કરવાની તૈયારી
કરમસદ આણંદ મનપા ના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગત ૫મીના મનપા કમિશ્નર ની નિતીરિતીથી ત્રસ્ત તથા હંગામી રોજમદાર આઉટસોર્સિંગ કર્મચારીઓ ને કાયમી કરવા તેમજ પગાર વધારો ની માંગ સાથે હડતાલ પર ઉતરતાં બે દિવસ બાદ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા માંગ ના મુદ્દે હૈયાધરપત આપતાં હડતાલ સમેટાઇ હતી.જેના પખવાડિયા બાદ મનપા ઉચ્ચાધિકારી દ્વારા એજન્સી ને તેડાવી બસો જેટલા હંગામી રોજમદાર કર્મચારીઓ ને છુટા કરવાના સૂચન કરતાં ધારાસભ્ય ની હૈયાધરપત લોલીપોપ બનતાં પુન: મામલો ગરમાવાની શક્યતા પગલે હાલ પૂરતું સૂચન મોકૂફ રખાયું પરંતુ તલવાર લટકેલ રહેતા મનપા સંકુલમાં સળવળાટ વ્યાપવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર કરમસદ આણંદ મનપાના આશરે ચારસો ઉપરાંત અધિકારી કર્મચારીઓ દ્વારા ગત ૫મીના કમિશ્નર ના મનસ્વી વર્તન અને નિતીરિતીથી ત્રસ્ત તથા હંગામી, રોજમદાર તથા આઉટસોર્સિંગ કર્મચારીઓ ને કાયમી તેમજ પગાર વધારો ની માંગ સાથે વીજળી વેગે હડતાલ પર જતાં હલબલી ઉઠેલ નેતાઓ દ્વારા કમિશ્નર સાથે સર્કિટ હાઉસ ખાતે બંધબારણે બેઠક યોજી હડતાલ સમેટવા પ્રયાસ હાથ ધરતાં હડતાલ ના ત્રીજા દિવસે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ ને તેઓની માંગ ના ઉકેલ માટે હૈયાધરપત આપતાં હડતાલ સમેટાઈ હતી.પરંતુ હડતાલ ના પખવાડિયા બાદ મનપા ઉચ્ચાધિકારી દ્વારા એજન્સી ને તેડાવી બસો જેટલા હંગામી રોજમદાર કર્મચારીઓ ને છુટા કરવાના સૂચન કરતાં મનપા કર્મચારીઓને જાણ થતાં સળવળાટ વ્યાપવા સાથે ધારાસભ્ય ની હૈયાધરપત લોલીપોપ બની રહી ની ચર્ચા મનપા સંકુલમાં ઉઠવા પામી છે.જાેકે પુન: મામલો ગરમાય તેવી સંભાવના પગલે હાલ પૂરતું સૂચન મોકૂફ રખાયું હોવાછતાં તલવાર લટકેલી રહેવા પામી હોવાના સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, ઓગ્સ્ટ 2026
4257 |
૪૫ વર્ષ જૂનો બ્રિજ તોડીને નવો બનાવાશે
ખેડા પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર આવેલો અને વર્ષો જૂનો શેઢી નદી પરનો બ્રિજ હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. આ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી તેને તોડી પાડીને તે જ જગ્યાએ નવો અને વધુ ઊંચાઈ ધરાવતો બ્રિજ બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ અંગેની તમામ પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખેડાથી તારાપુર તરફ જતા સ્ટેટ હાઈવે પર ખેડા શહેર નજીકથી પસાર થતી શેઢી નદી પર આવેલો આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓ માટે આ બ્રિજ પરથી પસાર થવું જાેખમી બની ગયું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ અંગે ગંભીરતા દાખવીને નવીન બ્રિજ નિર્માણની યોજના તૈયાર કરવામાં આવી છે.આ સમગ્ર બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારી કે એસ બગુલે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતો. ચોમાસાની ઋતુમાં નદીમાં પાણીનું સ્તર વધતાં આ બ્રિજ પાણીમાં ડૂબી જતો હતો. આ કારણોસર વાહનવ્યવહાર વારંવાર ઠપ થઈ જતો હતો અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.અધિકારીના જણાવ્યા અનુસાર આશરે ૧ વર્ષ પહેલા આ બ્રિજનું ટેકનિકલ નિરીક્ષણ અને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે આશરે ૪૫ વર્ષ જૂનો આ બ્રિજ હવે વાહનવ્યવહાર માટે સુરક્ષિત નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને જૂનો બ્રિજ સંપૂર્ણપણે તોડી પાડીને નદીના પાણીના પ્રવાહથી સુરક્ષિત રહે તે રીતે વધુ ઊંચાઈ ધરાવતો નવો બ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે. આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. કલેક્ટરનું જાહેરનામું બહાર પડ્યા બાદ તુરંત જ આ બ્રિજ પરનો તમામ પ્રકારનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવશે. વાહનવ્યવહાર બંધ થયા બાદ જૂના બ્રિજને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ નવા બ્રિજનું નિર્માણ કાર્ય પૂરજાેશમાં હાથ ધરાશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ઓગ્સ્ટ 2026
5346 |
કલમસરમાં ટોળા દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો
ખંભાતના કલમસરમાં શ્રમિકના મોત બાદ સ્થાનિકોએ ભારે હોબાળો કર્યો છે. ગ્રામજનોએ ન્યાય અને વળતરની માંગણી સાથે કંપનીનો ઘેરાવો કરતા જ મામલો બીચક્યો હતો અને ભારે પથ્થરમારો થતાં પોલીસે લાઠીચાર્જ અને ત્યારબાદ ટોળાને વિખેરવા માટે ટીયરગેસના ૮ સેલ છોડ્યા હતા. જેને લઈને નાશભાગ મચી હતી.પથ્થરમારમાં બે પોલીસ કર્મીઓ સહિત કેટલાકને ઈજા પહોંચી છે. જ્યારે લાઠીચાર્જમાં બે યુવકો ઘવાયા છે. પોલીસે ટોળાંમાંથી ૩ લોકોની અટકાયત કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર કલમસરની રોહન ડાયઝ એન્ડ ઇન્ટરમીડીયેટ કંપનીમાં યુનિટ-૧માં કામ કરતા રણજીતસિંહ નટુભાઈ સિંઘા પર લોખંડનો થાંભલો (વ્હીસલ) તુટીને પડતા તેને ઈજા પહોંચી હતી. તેમજ અન્ય એક શ્રમિકને પણ ઈજા પહોંચી હતી. બંનેને તુરંત જ સારવાર માટે ખંભાતની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રણજીતસિંહની હાલત ગંભીર હોવાથી તેને કરમસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રણજીતસિંહનું મોડી સાંજે અવસાન થયું હતું. રણજીતસિંહ નટુભાઈ સિંઘા ૧૫ દિવસ પહેલાં જ કંપનીમાં લેબર તરીકે જાેડાયા હતા. કલમસર ગામે પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા. મૃતક રણજીતસિંહના મોતથી એકાએક ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી પથ્થરમારો કર્યો શ્રમિકના મોત બાદ ગ્રામજનો એકત્ર થઈને રોહન ડાયઝ એન્ડ ઇન્ટરમીડીયેટ કંપનીમાં ન્યાય અને વળતરની માંગણી માટે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં પોલીસે તેમને અટકાવ્યા હતા અને કંપનીને જતા રોક્યા હતા, જેને લઈને પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન એકાએક ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ભારે પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. જેને લઈને નાશભાગ મચી હતી. પોલીસે ટોળાને વિખેરા માટે પ્રથમ લાઠીચાર્જ કર્યો હતો. તેમ છતાં પણ સ્થિતિ કાબુમાં ના આવતા ટીયરગેસના સેલ છોડ્યા હતા. પથ્થરમારામાં બે જેટલા પોલીસ કર્મીઓને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. જ્યારે લાઠીચાર્જમાં બે યુવકોને ઈજાઓ થઈ હતી. પથ્થરમારામાં વાહનોના કાચ પણ તૂટ્યા હતા. સ્થિતિ બેકાબુ બનતા જ ખંભાતની આસપાસના પોલીસ મથકોએ તેમજ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સહિતની ટીમોને ખંભાત ખાતે બોલાવી લેવામાં આવી હતી. ડીએસપી જી.જી. જસાણી પણ મોડીરાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ખંભાત રૂરલ પોલીસે સવારે કંપનીમાં સર્જાયેલી દુર્ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. જાે કે, સાંજના સુમારે પથ્થરમારો અને તોડફોડની બનેલી ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ હતી. યુવકના આકસ્મિક મોતને લઈને એક તરફ પરિવારજનો શોકમાં ગરકાવ છે ત્યારે ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ હોય, રાત્રીના સુમારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર કલમસર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા જી. જી. જસાણીના જણાવ્યા અનુસાર કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં શ્રમિકના મોત બાદ કંપનીની બહાર વળતર માટે એકત્ર થયેલા ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કેટલાક શખ્સોએ ભારે પથ્થરમારો શરૂ કરી દેતા સ્થિતિ બેકાબુ બની હતી. જેને લઈને પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. ગામમાં તેમજ કંપની ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈને નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. આ ઘટનામાં પોલીસે પથ્થરમારો કરનાર ૩ જેટલા યુવકની અટકાયત કરી છે, ઉત્પાત મચાવનાર અન્ય યુવકોની પણ અટકાયત કરવામાં આવી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, ઓગ્સ્ટ 2026
5940 |
ચિખોદરામાં પાણીની ટાંકી ૭ વર્ષથી બંધ
ચોમાસું છતાં આણંદ પંથકમાં વરસાદ ખેંચાતા તથા કડાણા ડેમમાં પણ પાણીની આવક ધટતા ખેડૂતો માટે ડાંગર ની વાવણી કરવામાં હાડમારી ઉભી થતાં સાંસદ મિતેષ પટેલ, ધારાસભ્ય વિપુલ પટેલ તથા હર્ષદ પરમાર દ્વારા ઉમરેઠ, સોજીત્રા તારાપુર વિસ્તારના ખેડૂતો ને કડાણા ડેમમાંથી નહીં તો નર્મદામાં થી પાણી આપવામાં આવે ની મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ને રજૂઆત કરતાં ગતરોજ રાજ્ય સરકાર દ્વારા કડાણા ડેમમાંથી પાણી પહોંચાડવા ની મંજૂરી આપતાં ધરતીપુત્રો ખુશખુશાલ થવા પામ્યા છે.પરંતુ ઉમરેઠ ધારાસભ્ય ના પોતાના જ હોમ ટાઉન ચિખોદરા ગામ માં છેલ્લા સાત વર્ષથી લાખોના ખર્ચે નિમૉણ પાણીની ટાંકી શોભાના ગાંઠિયા બનતાં સ્થાનિક વિસ્તારમાં નલસેજલ યોજના નિષ્ફળ બની રહ્યા ની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ પંથકમાં વરસાદ ખેંચાતા સાથે કડાણા ડેમમાં પણ પાણીની આવક ઓછી થતાં ઉમરેઠ, સોજીત્રા, તારાપુર વિસ્તારના ખેડૂતો માટે ડાંગર ની વાવણી માટે પાણીની આવશ્યકતા હોય હાડમારી સર્જાતા સાંસદ મિતેષ પટેલ, ધારાસભ્ય વિપુલ પટેલ તથા હર્ષદ પરમાર દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ને કડાણા ડેમમાંથી નહીં તો નર્મદામાં થી પાણી ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે ની રજૂઆત કરતાં ગતરોજ રાજ્ય સરકાર દ્વારા કડાણા ડેમમાંથી પાણી પહોંચાડવા ની મંજૂરી આપતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.પરંતુ ખાટલે મોટી ખોડ એછેકે ઉમરેઠ ધારાસભ્યના પોતાના હોમ ટાઉન ચિખોદરા ગામમાં છેલ્લા સાત વર્ષથી લાખોના ખર્ચે નિર્માણ પાણીની ટાંકી શોભાના ગાંઠિયા બનતાં સ્થાનિક સ્તરે પાણીની સુવિધા ઉપલબ્ધ ન થતાં નલસેજલ યોજના નિષ્ફળ બની રહ્યા ની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, ઓગ્સ્ટ 2026
5940 |
તપાસમાં ભાંડો ફૂટતાં એજન્સી દ્વારા રકમ જમા કરાવી મામલે રફેદફે કરવાનો પ્રયાસ
આણંદ નજીક સામરખા ખાતે ચરામા કાગળ પર નર્સરી દર્શાવી આશરે બાર લાખ ઓહિયા કરવાના વન વિભાગ ના તિકડમ પર વિભાગના જ અધિકારી દ્વારા તપાસ કરતાં ધટસ્ફોટ થતાં એજન્સી દ્વારા લાખોના રોપાના ખરીદ વેચાણ ના બીલ રજુ કરી નાણાં જમા કરી ઢાંકપિછોડો ના ખેલ રચતાં મામલો ચકડોળે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર બે દિવસ પૂર્વ એનઆરઆઇ ની જમીન પર વૃક્ષ રોપાયા નું દર્શાવી વન વિભાગ દ્વારા લાખોનું કૌભાંડ આચરવામાં આવ્યું નું ઉજાગર થયાની સ્યાહી હજુ ભુસાઇ નથી ત્યાં વધુ એક વિભાગનું તિકડમ ઉભું થવા પામ્યું હોય તેમ સામરખા ગામે ચરાની જગ્યા કાગળ પર નર્સરી દર્શાવી આશરે બાર લાખ રૂપિયા ઓહિયો કરવાના ખેલ નો વિભાગ અધિકારી ની તપાસમાં ધટસ્ફોટ થતાં જ ફફડી ઉઠેલ જવાબદાર દ્વારા એજન્સી નો સંપર્ક કરી નર્સરી માં થી ખરીદ વેચાણ ના બીલ રજુ કરી નાણાં સરકારી તિજાેરીમાં જમા કરાવતા મુદ્દો વિભાગમાં ચગડોળે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, ઓગ્સ્ટ 2026
1584 |
ઑનલાઇન જમવાનો ઑર્ડર કેન્સલ કરવાની બબાલમાં યુવકના મોતમાં હત્યાનો ગુનો દાખલ
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ઓનલાઇન જમવાનો ઓર્ડર કેન્સલ કરવા જેવી નજીવી બાબતે મિત્રો વચ્ચે થયેલો ઝઘડો અત્યંત કરુણ અંજામમાં પરિણમ્યો છે. ગત ૧૩ મે ૨૦૨૬ના રોજ મોડી રાત્રે ઓનલાઇન ફૂડ ડિલિવરી મોડી થવાને કારણે ઓર્ડર કેન્સલ કરવા બાબતે થયેલી મારામારીમાં ૨૬ વર્ષીય યુવક આફતાબ ઇલીયાસ શેખનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે ઘટનાના આશરે સાડા ત્રણ મહિના બાદ, પીએમ રિપોર્ટ અને ડોક્ટરોના અંતિમ અભિપ્રાયના આધારે ઇસનપુર પોલીસે આરોપી રેહાન ઉર્ફે બોબો અહેજાદ અહેમદ શેખ (ઉંમર ૫૧) વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) ની કલમ ૧૦૬(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ અનુસાર, મરણજનાર આફતાબ અને આરોપી રેહાન ઉર્ફે બોબો બંને ઇસનપુરના દાદાજીપાર્ક વિસ્તારમાં આલીશાન સ્કૂલની પાછળ રહેતા હતા અને પરસ્પર મિત્રો હતા. ગત ૧૩ મેના રોજ રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે તેમના મિત્ર વસીમ બેલીમે ઓનલાઇન જમવાનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ ઓર્ડર આવવામાં ઘણો સમય વીતી ગયો હોવાથી વસીમે ગુસ્સામાં ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. આ બાબતને લઈને ઇસનપુર ફેસલનગરના નાકે પરફેક્ટ મોબાઇલની દુકાન પાસે હાજર રેહાન ઉર્ફે બોબો અને આફતાબ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ થયો હતો.આ બોલાચાલી દરમિયાન આફતાબે રેહાનને લાફો મારી દીધો હતો, જેનાથી ઉશ્કેરાઈને રેહાન ઉર્ફે બોબોએ આફતાબને બેદરકારીથી ફેંટોનો આડેધડ માર માર્યો હતો. ત્યાં હાજર અન્ય મિત્રો ફરીદ, વસીમ, સાહીલ અને ઇરફાને વચ્ચે પડીને બંનેને છોડાવ્યા હતા. પરંતુ ઝઘડાથી મુક્ત થયા બાદ અચાનક આફતાબ જમીન પર ઢળી પડી બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.શરૂઆતમાં પોલીસે આ કેસમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને શબનું પીએમ કરાવ્યું હતું. પીએમ રિપોર્ટમાં આફતાબનું મોત શરીર પર થયેલી ઇજાઓના આઘાત (જીર્રષ્ઠા) ને કારણે દર્શાવવામાં આવ્યું હતું. મોતના ચોક્કસ કારણ અંગેનો અંતિમ તબીબી અભિપ્રાય ગત ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પ્રાપ્ત થયો હતો, જેમાં માથા અને કરોડરજ્જુના (મણકાના) ભાગે થયેલી ગંભીર ઇજાઓને લીધે આફતાબનું મોત થયાનું સ્પષ્ટ થયું હતું. પીએમ અભિપ્રાય મેળવવામાં વિલંબ થવાને કારણે આખરે ગત ૩૦ ઓગસ્ટના રોજ મૃતકના પિતરાઈ ભાઈ મોહીન ચમનખા શેખની ફરિયાદના આધારે ઇસનપુર પોલીસે વિધિવત ગુનો નોંધ્યો છે. હાલમાં આ કેસની વધુ તપાસ પીએસઆઈ આઈ.એસ. પડાણ ચલાવી રહ્યા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, ઓગ્સ્ટ 2026
1683 |
દરેક જિલ્લા, શહેર અને રેલવે પોલીસ વિસ્તારમાં વિશેષ જુવેનાઇલની રચના કરવા માટે ગૃહ વિભાગનો ર્નિણય
બાળકો સાથે સંકળાયેલા ગુનાઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોના કેસમાં વધુ અસરકારક કામગીરી થાય તે માટે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જુવેનાઇલ જસ્ટિસ અધિનિયમ હેઠળ રાજ્યના દરેક જિલ્લા, શહેર અને રેલવે પોલીસ વિસ્તારમાં વિશેષ જુવેનાઇલ પોલીસ એકમની રચના કરવામાં આવશે. આ અંગે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.નવા માળખા મુજબ જિલ્લા વિસ્તારમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અને મહિલા સેલના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસને વિશેષ જુવેનાઇલ પોલીસ એકમના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવશે. જ્યારે દરેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસરને એકમના સભ્ય તરીકે સામેલ કરવામાં આવશે.આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમમાં કાર્યરત બે સામાજિક કાર્યકરોને પણ વિશેષ જુવેનાઇલ પોલીસ એકમમાં સભ્ય તરીકે સામેલ કરવામાં આવશે. સામાજિક કાર્યકરોમાં ઓછામાં ઓછી એક મહિલા સામાજિક કાર્યકરનો સમાવેશ કરવો ફરજિયાત રહેશે.વિશેષ જુવેનાઇલ પોલીસ એકમની મુખ્ય જવાબદારી કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો સાથે સંકળાયેલા કેસમાં યોગ્ય કાર્યવાહી અને જરૂરી સંકલન કરવાની રહેશે. એકમ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, ચાઇલ્ડ વેલફેર કમિટી તેમજ અન્ય સંબંધિત સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવશે. બાળકોના હિત અને તેમના અધિકારોનું રક્ષણ થાય તે માટે કાયદાકીય પ્રક્રિયા દરમિયાન જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે.દરેક પોલીસ સ્ટેશનના ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસરની કામગીરી પણ આ સમગ્ર વ્યવસ્થામાં મહત્વપૂર્ણ રહેશે. બાળકોને લગતા કેસોમાં પોલીસની કાર્યવાહી વધુ સંવેદનશીલ અને કાયદાની જાેગવાઈઓ અનુસાર થાય તે માટે વિશેષ એકમ જવાબદારી નિભાવશે. ગૃહ વિભાગના ઠરાવ મુજબ વિશેષ જુવેનાઇલ પોલીસ એકમની કામગીરીની નિયમિત સમીક્ષા પણ કરવામાં આવશે. જિલ્લા પોલીસ અધિક્ષક અને શહેર પોલીસ કમિશનર દ્વારા ઓછામાં ઓછા દર છ મહિને એકમની કામગીરીની સમીક્ષા કરવાની રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, ઓગ્સ્ટ 2026
1980 |
અમિત શાહ ત્રણ દિવસમાં વિકાસકાર્યોના લોકાર્પણથી જન્માષ્ટમીની ઉજવણીના તબક્કાવાર કાર્યક્રમો કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી ૩ સપ્ટેમ્બરથી ૫ સપ્ટેમ્બર દરમિયાન તેઓ ગુજરાતની મુલાકાતે રહેશે. આ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, શિલાન્યાસ તેમજ રેલવે ક્ષેત્ર સાથે સંકળાયેલા મહત્વના કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં આયોજિત શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સમારોહમાં પણ અમિત શાહ હાજરી આપશે.પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે ૩ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૮ વાગ્યે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેઓ ગુજરાતમાં રોકાણ કરશે અને બીજા દિવસે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે અમિત શાહ ગાંધીનગરના ઇન્દ્રોડા ગામ ખાતે પહોંચશે. અહીં નવ નિર્મિત પાઇપલાઇન અને ભૂમિગત પાણીની ટાંકી સહિતની જળ વ્યવસ્થાપન પ્રણાલીના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.ગાંધીનગરમાં પાણી પુરવઠા અને જળ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા આ પ્રોજેક્ટના કારણે સ્થાનિક સ્તરે પાણીની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસોને વેગ મળવાની અપેક્ષા છે. ઇન્દ્રોડા કાર્યક્રમ બાદ બપોરે ૧૨ વાગ્યે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે અમિત શાહ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે.મહાનગરમાં માળખાકીય સુવિધાઓ અને નાગરિકલક્ષી વિકાસકાર્યોને લગતા વિવિધ પ્રોજેક્ટોને આ કાર્યક્રમમાં આગળ ધપાવવામાં આવશે. અમિત શાહની હાજરીમાં વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ નવા કામોનો શિલાન્યાસ કરવામાં આવશે. ગાંધીનગર બાદ અમિત શાહ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં યોજાનારા કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. કાળી રોડ સ્ટેશન નજીક લોકોમોટિવ અને રેલવે એન્જિનના રખરખાવ માટે પીપીપી ધોરણે શરૂ કરવામાં આવી રહેલા વેગન-૧૨ રખરખાવ શેડના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.રેલવેના એન્જિન અને કોચના જાળવણી-રખરખાવની કામગીરી માટેની સુવિધાઓના વિકાસની દૃષ્ટિએ આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અમિત શાહની અમદાવાદ મુલાકાત દરમિયાન સાબરમતી રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ પણ યોજાશે. રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને મુસાફરો માટેની સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી હાથ ધરાયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, ઓગ્સ્ટ 2026
1782 |
એએમસી પ્રાઇવેટ સોસાયટીઓમાં વૃક્ષ કાપવાનો પણ ચાર્જ વસૂલશે
અમદાવાદ મહાનગરપાલિકા પ્રાઇવેટ સોસાયટીઓમાં વૃક્ષને કાપવાનો પણ ચાર્જ વસુલશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા નિયત ચાર્જ લઈને ખાનગી પરિસરોના વૃક્ષોનું વૈજ્ઞાનિક ઢબે ટ્રિમિંગ કરી આપવામાં આવશે તેવો ર્નિણય કરાયો હતો.જેનો અમલ હવે સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવશે. એએમસી દ્વારા શહેરની ખાનગી સોસાયટીઓ અને પરિસરોમાં આવેલા વૃક્ષોના કટિંગ તેમજ ટ્રિમિંગ માટે એક નવી પોલિસી અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી એએમસી દ્વારા ખાનગી સોસાયટીઓની અંદર વૃક્ષ કાપવાની સેવા આપવામાં આવતી નહોતી, પરંતુ હવે તંત્ર પોતે આ કામગીરી હાથ ધરશે.આ નવી નીતિ મુજબ, ખાનગી સોસાયટીઓ કે બંગલાઓમાં વૃક્ષોનું ટ્રિમિંગ અથવા કટિંગ કરાવવા માટે તંત્ર દ્વારા ચોક્કસ ફી નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત એક વૃક્ષ દીઠ ૧૦૦ રૂપિયા અને વેસ્ટ નિકાલ માટે ૧૫૦ પ્રતિ ટ્રેક્ટર ચાર્જ વસૂલવામાં આવશે. અત્યાર સુધી ખાનગી સોસાયટીઓના રહીશ કે સભ્યો વૃક્ષ કાપવા કે છાંટવા માટે ખાનગી મજૂરો રોકતા હતા. ત્યારબાદ આ મજૂરો વૃક્ષોનો લીલો કચરો કે ડાળીઓ જાહેર રસ્તાઓ, ફૂટપાથ કે અવાવરૂ જગ્યાઓ પર ફેંકી દેતા હતા. જેનાથી ગંદકી ફેલાતી હતી અને વાહનચાલકોને ભારે અડચણ ઊભી થતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે એએમસી પોતે નિયત ચાર્જ લઈને વૃક્ષનું વૈજ્ઞાનિક ઢબે કટિંગ કરશે અને તેમાંથી નીકળતો તમામ કચરો પણ સાથે જ લઈ જશે.કોર્પોરેશન દ્વારા શહેરમાં સતત અને મોટા પાયે કરવામાં આવેલા વૃક્ષારોપણ અને હરિયાળી વધારવાના અભિયાનને ધ્યાનમાં રાખીને આ વહીવટી ર્નિણય લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાથી રસ્તાઓ પર ફેંકાતા લીલા કચરામાંથી મુક્તિ મળશે, શહેરની સ્વચ્છતા જળવાઈ રહેશે અને નાગરિકોને પણ વૃક્ષ ટ્રિમિંગ માટે યોગ્ય સત્તાવાર સુવિધા મળી રહેશે. હ્વએએમસી પ્રાઇવેટ સોસાયટીઓમાં વૃક્ષ કાપવાનો પણ ચાર્જ વસૂલશે અમદાવાદ,તા.૩૧ અમદાવાદ મહાનગરપાલિકા પ્રાઇવેટ સોસાયટીઓમાં વૃક્ષને કાપવાનો પણ ચાર્જ વસુલશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા નિયત ચાર્જ લઈને ખાનગી પરિસરોના વૃક્ષોનું વૈજ્ઞાનિક ઢબે ટ્રિમિંગ કરી આપવામાં આવશે તેવો ર્નિણય કરાયો હતો.જેનો અમલ હવે સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવશે. એએમસી દ્વારા શહેરની ખાનગી સોસાયટીઓ અને પરિસરોમાં આવેલા વૃક્ષોના કટિંગ તેમજ ટ્રિમિંગ માટે એક નવી પોલિસી અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી એએમસી દ્વારા ખાનગી સોસાયટીઓની અંદર વૃક્ષ કાપવાની સેવા આપવામાં આવતી નહોતી, પરંતુ હવે તંત્ર પોતે આ કામગીરી હાથ ધરશે. આ નવી નીતિ મુજબ, ખાનગી સોસાયટીઓ કે બંગલાઓમાં વૃક્ષોનું ટ્રિમિંગ અથવા કટિંગ કરાવવા માટે તંત્ર દ્વારા ચોક્કસ ફી નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત એક વૃક્ષ દીઠ ૧૦૦ રૂપિયા અને વેસ્ટ નિકાલ માટે ૧૫૦ પ્રતિ ટ્રેક્ટર ચાર્જ વસૂલવામાં આવશે. અત્યાર સુધી ખાનગી સોસાયટીઓના રહીશ કે સભ્યો વૃક્ષ કાપવા કે છાંટવા માટે ખાનગી મજૂરો રોકતા હતા. ત્યારબાદ આ મજૂરો વૃક્ષોનો લીલો કચરો કે ડાળીઓ જાહેર રસ્તાઓ, ફૂટપાથ કે અવાવરૂ જગ્યાઓ પર ફેંકી દેતા હતા. જેનાથી ગંદકી ફેલાતી હતી અને વાહનચાલકોને ભારે અડચણ ઊભી થતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે એએમસી પોતે નિયત ચાર્જ લઈને વૃક્ષનું વૈજ્ઞાનિક ઢબે કટિંગ કરશે અને તેમાંથી નીકળતો તમામ કચરો પણ સાથે જ લઈ જશે.કોર્પોરેશન દ્વારા શહેરમાં સતત અને મોટા પાયે કરવામાં આવેલા વૃક્ષારોપણ અને હરિયાળી વધારવાના અભિયાનને ધ્યાનમાં રાખીને આ વહીવટી ર્નિણય લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાથી રસ્તાઓ પર ફેંકાતા લીલા કચરામાંથી મુક્તિ મળશે, શહેરની સ્વચ્છતા જળવાઈ રહેશે અને નાગરિકોને પણ વૃક્ષ ટ્રિમિંગ માટે યોગ્ય સત્તાવાર સુવિધા મળી રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, ઓગ્સ્ટ 2026
4158 |
અમદાવાદ શહેર પોલીસ કમિશનર બોદા કે શહેરની પોલીસ ?
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક વિસ્તારો છાશવારે થતા હુમલાઓ,હત્યા અને ગુનાખોરીને કારણે કુખ્યાત બની ગયા છે.અમદાવાદના કાગડાપીઠ, નારોલ, નિકોલ, ગોમતીપુર, દરિયાપુર,ઈસનપુર, વટવા સહિતના અનેક વિસ્તારોમાં ક્યાંકને ક્યાંક લોહિયાળ અને હિંસક હુમલાના બનાવોએ અમદાવાદીઓને અસુરક્ષિત હોવાનો અહેસાસ કરાવી દીધો છે.જેને કારણે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે,કે શહેર પોલીસ કમિશનર બોદા છે કે કેટલાક પીઆઈ બોદા હોવાને કારણે ગુનેગારોમાં પોલીસનો ખૌફ જાણે કે મરી પરવાર્યો હોય તેવી હાલત જાેવા મળી રહી છે.સબસલામત સમજતા શહેર પોલીસ કમિશનર હવે કુખ્યાત બનેલા કેટલાક પોલીસમથકોના પીઆઈના કાન આમળીને બેઠા કરે તેવી આશા લોકો રાખી રહ્યા છે. નારોલ વિસ્તારમાં આવેલા રાધિકાનગર પાસે ગઈકાલે સાંજે તાનસેન લેવા બાબતે થયેલી નજીવી બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદ એટલો વકર્યો હતો કે બંને પક્ષો વચ્ચે સામસામે હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષના લોકો લોહીલુહાણ થયા છે. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં સામસામે બે અલગ-અલગ ગુના નોંધાયા છે.પ્રથમ ફરિયાદ રાધિકાનગરના સંદીપ સંજયભાઈ પાંડેએ નોંધાવી છે. જે મુજબ, તેનો ભાઈ સંજુ ગઈકાલે સાંજે ગણેશનગર ત્રણ રસ્તા પાસે તાનસેન લેવા ગયો હતો, જ્યાં જયનગરના અમરજીત સાથે તેને સામાન્ય ધક્કો વાગવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રાત્રે સાત વાગ્યાની આસપાસ અજય અયોધ્યાપ્રસાદ શાહ, વિજય શાહ, પવન યાદવ અને હરિકેશ યાદવ સંદીપના ઘર પાસે આવ્યા હતા. આ આરોપીઓએ ગાળો આપી હુમલો કર્યો હતો, જેમાં અજય શાહે તેના હાથમાં રહેલા કડા વડે સંજુના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી અને તેની માતા જીવીદેવીને પણ ડાબા ગાલ પર તમાચો માર્યો હતો.જ્યારે સામા પક્ષે વિજય અયોધ્યાપ્રસાદ શાહે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે તેનો મિત્ર અમરજીત સાથે સંજુને થયેલા ઝઘડાની અદાવતમાં, જ્યારે તે સંજુના ઘર પાસેથી સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સંજુ, સંદીપ અને આશુ મિશ્રાએ તેને રોકી અપમાનજનક શબ્દો કહ્યા હતા. આ દરમિયાન સંજુએ તેના હાથમાં રહેલી છરી વડે વિજયના ભાઈ અજયના માથાના ભાગે ઘા મારી દીધો હતો, જ્યારે આશુ મિશ્રાએ અજયને પાછળથી પકડી રાખ્યો હતો. આ હુમલામાં વચ્ચે બચાવવા પડેલા અન્ય લોકોને પણ માર મારવામાં આવ્યો હતો.આ લોહિયાળ અથડામણ બાદ બંને પક્ષના ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડાયા છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, ઓગ્સ્ટ 2026
1584 |
સુરતમાં ગલીએ ગલીએ પાણી નહીં મળે પણ દારૂ મળશે : અમિત ચાવડા
સુરત શહેરમાં કથળતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, દારૂ અને ડ્રગ્સનાં ખુલ્લેઆમ થતા વેચાણ તેમજ તાજેતરનાં ખાડીપૂરથી સર્જાયેલી તારાજીના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા હતા અને પોતાના જ હોમટાઉનમાં કાયદો-વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી.અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે સુરતમાં ગેરકાયદે દારૂનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અને શહેરની છબી ક્રાઈમ સિટી તરીકે ખરડાઈ રહી છે. ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે સુરતમાં પણ આવી દુર્ઘટના સર્જાય તે પહેલાં ગેરકાયદે દારૂ અને ડ્રગ્સના વેચાણ સામે કડક કાર્યવાહી થવી જાેઈએ. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સુરતમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી ન મળે તેવી સ્થિતિ છે, પરંતુ દારૂ અને નશીલા પદાર્થો ગલીએ-ગલીએ સરળતાથી મળી રહ્યા છે. પોલીસ અને વહીવટી તંત્ર હપ્તાખોરીના કારણે પોતાની ફરજમાં નિષ્ફળ જઈ રહ્યું છે. નદી-ખાડીના કિનારે ગેરકાયદે બાંધકામો અને પુરાણના કારણે પૂર જેવી સ્થિતિ વધુ ગંભીર બની હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. ફેક્ટરીઓ, દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં થયેલા નુકસાન સામે અસરગ્રસ્તોને યોગ્ય વળતર મળ્યું ન હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. નાસીરનગરના મુદ્દે તેમણે આક્ષેપ કર્યો હતો કે બિલ્ડરોના ફાયદા માટે ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે. અસરગ્રસ્ત લોકો પાલિકા કે પોલીસ પાસે રજૂઆત કરે ત્યારે બંને તંત્ર એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, ઓગ્સ્ટ 2026
1683 |
સરથાણા ઝોનમાં રહેણાંક વિસ્તારમાં કોમશિર્યલ એકમો કાયમી બંધ કરાવવાની માગ સાથે મોરચો
સરથાણા ઝોનમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતાં ઔદ્યોગિક એકમોને પગલે આજે મોટી સંખ્યામાં રહેવાસીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સોસાયટીનાં મેઈન ગેટથી મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરૂષો એકઠાં થયા હતા અને ત્યાંથી જ સરથાણા ઝોન સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પગલે સરથાણા ઝોનમાં એક તબક્કે વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું. અધિકારીઓ સમક્ષ અનેક વખત રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં ધમધમતાં ઔદ્યોગિક એકમો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.શહેરમાં વરાછાથી માંડીને પુણા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રહેણાંક વિસ્તારોમાં ધમધમતાં હોટ ફિક્સ એકમોને કારણે પર્યાવરણથી માંડીને પ્રદૂષણની ગંભીર સમસ્યા ઉદભવી છે ત્યારે હવે સરથાણા ઝોનમાં પણ રહેણાંક વિસ્તારોમાં કોમશિર્યલ એકમોને કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. સરથાણા ઝોનમાં આવેલ સંત દેવીદાસ સોસાયટી અને આસપાસનાં વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામથી માંડીને કોમશિર્યલ પ્રવૃત્તિને કારણે લોકો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી. જો કે, ઝોનનાં અધિકારીઓ દ્વારા સમગ્ર પ્રકરણમાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેને પગલે આજે સવારે સંત દેવીદાસ સોસાયટી અને આસપાસનાં રહેવાસીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગર પાલિકનાં નિંભર વહીવટી તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે નિકળેલી રેલી સરથાણા ઝોન પહોંચી હતી. જ્યાં સ્થાનિકો દ્વારા રહેણાંક વિસ્તારમાં ધમધમતાં ઔદ્યોગિક - કોર્મશિયલ એકમો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સ્થાનિકોએ આ સંદર્ભે પોતાનો રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા અંગે સરથાણા ઝોનનાં વહીવટી તંત્રને અવાર - નવાર લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી હતી. બીજી તરફ ઝોન દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતાં અંતે રહેવાસીઓએ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પણ સમગ્ર પ્રકરણ અંગે વાકેફ કરવાની સાથે કાયમી નિરાકરણ અંગે રજુઆત કરવામાં આવી હતી. જો કે, વહીવટી તંત્ર માત્ર નોટિસ આપીને જ કામગીરી કરવાનો સંતોષ માની રહી હોવાનાં આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. સરથાણા ઝોન વિસ્તારમાં આવેલ સંત તુકારામ સોસાયટી અને આસપાસનાં વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોમશિર્યલ પ્રવૃત્તિનું દૂષણ વધી રહ્યુ હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઓનલાઈન શોપિંગનાં ગોડાઉનો સહિત અન્ય કોમશિર્યલ પ્રવૃત્તિને કારણે સમગ્ર વિસ્તારમાં મહિલાઓની સુરક્ષા સહિતની સમસ્યાઓ ઉભી થવા પામી હોવાનો પણ રોષ સ્થાનિકોમાં ઉભો થયો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
31, ઓગ્સ્ટ 2026
1782 |
૧૦૦૦ યુનિટોને નોટિસ, એક ઇમ્પોર્ટરની મિલકત સીલ
આમ આદમી પાર્ટીએ મેયરનાં ઘરે હોટફિક્સનાં પ્લાસ્ટિકનાં કચરાનો ઢગલો કર્યા બાદ વાતાવરણ વધારે ગરમ બની ગયું છે. ભાજપ શાસકોની સુચના બાદ મહાનગર પાલિકાનાં તંત્રે પણ પ્લાસ્ટિકનાં કચરા સામેની ઝૂંબેશ વધારે કડક બનાવી વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા સહિતનાં વિસ્તારોમાં કુલ ૧૦૦૦ યુનિટોને નોટિસ ફટકારી હતી જેમાં વરાછા-એ ઝોનમાં જ ૭૯૦ મિલકતોનો સમાવેશ થાય છે જ્યારે પુણા વિસ્તારનાં હોટમિક્સ ટ્રાન્સફર પેપરનાં એક મોટા ઇમ્પોર્ટર રામ ઇમ્પેક્સની મિલકત પણ સીલ કરવામાં આવી હતી. પુણા ગામમાં તળાવ પાસે હોટમિક્સનાં ટ્રાન્સફર પેપરનો જથ્થાબંધ વેપાર કરનાર વેપારીને ત્યાં તપાસ કરવા ગયેલી મનપાની ટીમનો વિરોધ કરવામાં આવતાં મહાનગર પાલિકાનાં અધિકારીએ કામગીરીમાં અડચણ ઉભી કરવા બાબતે પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી હતી.મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ જણાવ્યું હતું કે, હોટમિક્સ ટ્રાન્સફર પેપરનો પ્લાસ્ટિકનો વેસ્ટ જાહેરમાં નિકાલ કરવામાં આવે છે જે ગુનો છે, આવા કચરો એકત્ર કરવા બાબતે મહાનગર પાલિકા વ્યવસ્થા ગોઠવી રહી છે પરંતુ ત્યાં સુધી જાહેરમાં કચરાનો નિકાલ કરનારા તત્વો સામે આકરાં પગલાં લેવામાં આવશે. ચીનથી હોટમિક્સ ટ્રાન્સફર પેપરની મોટાપાયે આયાત કરનારા સુરતનાં આયાતકારોની યાદી કસ્ટમ્સ વિભાગ પાસે તેમજ અન્ય ઇમ્પોર્ટર પાસેથી મેળવવામાં આવી રહી છે અને તેમની પણ તપાસ કરાશે તેમ મહાનગર પાલિકાનાં અધિકારીએ જણાવ્યું હતું. સુરત શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં પાલિકા દ્વારા હોટફિક્સનો પ્લાસ્ટિકનો કચરો રસ્તા પર ફેંકનારાઓ સામે અને રહેણાંક વિસ્તારમાં હોટફિક્સનાં ખાતાઓ ચલાવતા લોકો સામે નોટિસથી માંડી સીલિંગ સુધીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજીતરફ સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં રસ્તાઓ પર હોટ ફિક્સના પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં આગ લાગવાના કોલ સતત વધી રહ્યા છે. ગઈકાલે ફાયર બ્રિગેડ વિભાગમાં કુલ આઠ કોલ નોંધાયા બાદ આજે વધુ ચાર હોટફિક્સનાં પ્લાસ્ટિકનાં કચરામાં આગ લાગવાના કોલ નોંધાયા છે જેમાં બે કાર અને બે બાઈકો સળગીને ખાક થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકા માટે હોટ ફિક્સનો પ્લાસ્ટિકનો કચરો માથાનો દુખાવો બન્યો છે. આ સાથે જ સ્થાનિક લોકો માટે પણ રહેણાંક વિસ્તારમાં હોટફિક્સના ખાતાઓ ધમધમતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે હવે પાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં હોટ ફિક્સનાં ખાતાઓ ધમધમતા હોય તેમની સામે નોટિસ ફટકારવાથી માંડી સીલીંગ સુધીની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન છેલ્લા ત્રણ દિવસની અંદર જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોટ ફિક્સના કચરાના ઢગલાઓમાં આગ લાગવાના કોલ વધી ગયા છે. ગઈકાલે માત્ર ૧૨ કલાકની અંદર જ અલગ અલગ કુલ આઠ જગ્યા પર આગ લાગવાની ઘટનાઓ બની હતી. ત્યારે આજે ફરીથી વધુ ચાર ઘટનાઓ સામે આવી છે. જેમાં વરાછા વિસ્તારમાં એલએચ રોડ પર લાભેશ્વર પોલીસ ચોકી પાસે જગદીશ નગર ખાતે હોટ ફિક્સ ના પ્લાસ્ટિકના કચરામાં લાગેલી આગમાં બે એકટીવા બાઈક પણ સળગીને ખાક થઈ ગઈ હતી. જાેકે ત્યારબાદ પુણાગામ સીતાનગર ગાયત્રી નગર ખાતે બુટ ભવાની રોડ પર મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં પણ બે કાર સળગીને ખાક થઈ ગઈ છે. જાેકે આ જ જગ્યા પર સવારે ૭:૪૫ વાગ્યે ફરીથી આગ લાગતા ફાયર બ્રિગેડ વિભાગ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ઉપરાંત વરાછા વિસ્તારમાં આવેલ અર્ચના સ્કૂલ બોમ્બે માર્કેટ રોડ પર ક્રિએશન પ્લાઝા પાસે પણ ફિક્સના કચરામાં આગ લાગતા ફાયર બ્રિગેડ વિભાગ સતત દોડતું રહ્યું હતું. આમ માત્ર છેલ્લા ૨૪ કલાકની અંદર જ આગ લાગવાના ૧૨ જેટલા કોલ નોંધાતા ફાયર બ્રિગેડ વિભાગની હાલત કફોડી થવા પામી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, ઓગ્સ્ટ 2026
3861 |
સુરત સહિત દ.ગુજરાતનાં હજારો લોકો ઇન્સ્ટન્ટ લોન એપનાં ચક્કરમાં ફસાયા
શ્રાવણ મહિનાથી લઇને દિવાળી સુધીનાં તહેવારોનો સમયગાળો એવો હોય છે કે જેમાં દરેક લોકોને પગાર-કમાણીથી વધારે રૂપિયાની જરૂર પડે છે, આવી સ્થિતિમાં છેલ્લા ચારથી પાંચ વર્ષમાં ફૂલેલાફાલેલા ઇન્સ્ટન્ટ લોન આપતી મોબાઇલ એપ્લિકેશનનાં વેપલામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના હજારો લોકો એવા ફસાયા કે નાની લોનના ચક્કરમાં જીવનની મોટી ભૂલ કરી બેઠાં હોય તેવો કડવો અનુભવ થાય છે. ભૂલે ચૂકે જાે એકાદ બે ઇ.એમ.આઇ. ચૂકી જવાય તો લોન લેનારા અને તેમના સગાસબંધીઓને ટેલિફોનિક, મેસેજથી એવો માનસિક ત્રાસ આપવામાં આવે કે ખાનગી વ્યાજખોરો સારા લાગે.મળતી માહિતી મુજબ મોંઘવારીમાં આવક ટકી રહી નથી અને અચાનક ઊભા થતા ખર્ચ માટે હાથમાં રોકડ નથી. આવા સમયે મોબાઇલમાં એપ ડાઉનલોડ કરો, આધારકાર્ડ અને કેટલીક પર્સનલ વિગતો અપલોડ કરો અને ગણતરીની મિનિટોમાં રૂ.૭ હજારથી રૂ.૧૫ હજાર સુધીની લોન ખાતામાં આવી જાય છે. ઇન્સ્ટન્ટ લોનનો આ સરળ વિકલ્પ હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતનાં હજારો લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. ખાસ કરીને રૂ.૨૫ હજારથી રૂ.૩૦ હજાર માસિક કમાતા યુવાનો નાની લોનનાં ચક્રમાં સૌથી વધુ ફસાઈ રહ્યાં છે. એક લોન ભરવા બીજી એપમાંથી લોન અને ત્યારબાદ ત્રીજી લોન લેવાની ફરજ પડતાં નાની લોન આખરે દેવાનાં ડુંગરમાં ફેરવાઈ રહી છે. બેંકિંગ ક્ષેત્રનાં એક આગેવાનનું કહેવું છે કે રૂ.૨૫ હજારથી રૂ.૩૦ હજારની માસિક આવક ધરાવતા યુવાનો રૂ.૭ હજારથી રૂ.૧૫ હજારની લોન ખૂબ સરળતાથી લઈ લે છે. બેંકની લાંબી પ્રક્રિયા નહીં, ગેરંટી નહીં અને ઝડપથી ખાતામાં પૈસા મળતા હોવાથી જરૂરિયાત કરતાં વધુ સરળતાથી લોન લેવામાં આવે છે. પરંતુ ઈસ્ૈં શરૂ થયા બાદ સ્થિતિ બદલાય છે. પગાર મળતાં જ એક હિસ્સો ઈસ્ૈંમાં કપાઈ જાય છે. ઘરખર્ચ અને અન્ય જરૂરિયાત માટે ફરી નાણાંની જરૂર પડે ત્યારે બીજી લોન લેવામાં આવે છે. ડિજિટલ લોનનાં ક્ષેત્રમાં જાેવા મળતું આ ચક્ર‘સીરિયલ રિફાઇનાન્સિંગ’તરીકે ઓળખાય છે. ગ્રાહક એક લોન પૂરી કરવા માટે બીજી એપમાંથી લોન લે છે. ત્યારબાદ બીજી લોનની ચુકવણી માટે ત્રીજી લોન લેવામાં આવે છે. આ રીતે રૂ.૧૦ હજારની જરૂરિયાતથી શરૂ થયેલી લોન થોડા જ સમયમાં અનેક એપ્સના દેવામાં ફેરવાઈ જાય છે. આવક એક જ રહે છે, પરંતુ ઈસ્ૈંની સંખ્યા વધતી જાય છે. ઇન્સ્ટન્ટ લોન આપતી કેટલીક મોબાઇલ એપ્લિકેશન તો એવી છે કે વ્યાજની ગણતરી સમજ્યા વગર બારોબાર લોન લઇ લેનારાને પાછળથી ખબર પડે છે કે તેને ૧૦થી ૧૨ ટકા જેટલું ઉંચુ વ્યાજ ચૂકવવાની નોબત આવી છે. રૂ.૧૫ હજારથી રૂ.૨૫ હજારની લોનમાં વ્યાજ અને વિવિધ ચાર્જના કારણે લોનધારક પર મોટો બોજ આવી રહ્યો છે. કેટલાક લોનધારકોનાં જણાવ્યા મુજબ, શોર્ટ ટર્મ લોનમાં ૧૦થી ૧૨ ટકા સુધીનું વ્યાજ વસૂલવામાં આવે છે. સાથે પ્રોસેસિંગ ફી સહિતનાં અન્ય ચાર્જ ઉમેરાતા લોનની વાસ્તવિક કિંમત વધી જાય છે. લોન ભરવામાં એક વખત પણ વિલંબ થાય ત્યારે રિકવરી કોલ શરૂ થાય છે. ત્યારબાદ વારંવાર ફોન, મેસેજ અને સગા-સંબંધીઓનો સંપર્ક કરવામાં આવતો હોવાની ફરિયાદો છે. દેવાદારનાં કોન્ટેક્ટ્સનો ઉપયોગ કરી તેના પરિવારજનો અને બોસને ફોન કરવો, અપશબ્દો બોલવા તથા ઘરે જઈને દબાણ કરવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આ કારણે નાની રકમની લોન લેનાર વ્યક્તિ આર્થિક ઉપરાંત સામાજિક દબાણમાં પણ આવી જાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
29, ઓગ્સ્ટ 2026
3762 |
મહાનગર પાલિકાનાં તંત્ર દ્વારા ફરી એકવાર નોટિસ નોટિસનો ખેલ
વિધાનસભા ચૂંટણીને ભલે સવા વર્ષનો સમય હોય પરંતુ આમ આદમી પાર્ટીએ અત્યારથી જ આક્રામક વલણ અખત્યાર કરીને પવનની દિશા બદલવાનો પ્રયાસ આદરતાં શાસકપક્ષ ભાજપનાં નેતાઓ ડીફેન્સિવ મોડમાં આવી ગયા હોય તેમ જણાય છે. શહેરી વિસ્તારોમાં ભાજપની મજબુત પકડને ઢીલી કરવા માટે આમ આદમી પાર્ટીએ નાગરિકોની સમસ્યાઓને આક્રામક રીતે વાચા આપવાની નીતિ અપનાવતા શાસકો બેકફૂટ ઉપર આવી ગયાં છે. સુરત શહેરનાં વરાછા, મોટાવરાછા સહિતનાં વિસ્તારોમાં પ્લાસ્ટિકનાં કચરાનું દુષણ એટલી હદે વકરી ગયું છે કે, રોડ ઉપરથી પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે મુશ્કેલ બની રહ્યું હતું પરંતુ મહાનગર પાલિકાનાં અધિકારીઓની આળસને પરિણામે હોટફિક્સનાં પ્લાસ્ટિકનાં દુષણને નાથી શકાતું ન હતું. આમ આદમી પાર્ટીનાં મહિલા વિંગનાં પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયા અને સ્થાનિક નેતાઓએ મેયરનાં મકાનનો દરવાજાે પ્લાસ્ટિક કચરાથી ઢાંકી દેતાં શાસકો હચમચી ઉઠ્યાં અને આરોગ્ય વિભાગને કડક શબ્દોમાં સૂચના આપતાં અધિકારીઓએ પ્લાસ્ટિક કચરા માટે સમગ્ર શહેરને ધમરોળી નાંખ્યું. તમામ ઝોનનાં અધિકારીઓએ બે દિવસ રીતસર ઝૂંબેશ ઉપાડીને ૧૫૦૦થી વધારે હોટફિક્સનાં ખાતા ચલાવતાં લોકોને નોટિસ ફટકારી.અગાઉ આરોગ્યમંત્રીએ સૂચના આપી હતી ત્યારે એનાલોગ પનીર, ચીઝ અને બટર માટે મનપાનાં આરોગ્ય વિભાગે સમગ્ર શહેરનાં વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યાં હતાં, ત્યારપછી તાજેતરમાં શિતલ રેસ્ટોરન્ટમાંથી સબ્જી આરોગ્યા બાદ ફુડ પોઇઝનિંગમાં એક બાળકીનું મોત નીપજતાં છેલ્લા ૧૦ દિવસથી શહેરની ૧૫૫૦ હોટલો, રેસ્ટોરન્ટ્સ, ઢાબા, લારીઓમાં ચેકિંગ અભિયાન હાથ ધરીને ૮૧૭ સંસ્થાને નોટિસ ફટકારી ૮૨ને બંધ કરી છે. શહેરમાં કોઇ પણ મોટી ઘટના ઘટે એટલે મહાનગર પાલિકાનાં તંત્ર દ્વારા પહેલું કામ નોટિસ ફટકારવાનું કરવામાં આવે જેથી છટકી જઇ શકાય. ટેક્સ્ટાઇલ માર્કેટમાં આગની ઘટના બને એટલે તમામ માર્કેટોમાં ચેકિંગ કરી નોટિસ ફટકારાય, કોઇ હોસ્પિટલમાં બનાવ બને એટલે મોટાભાગની હોસ્પિટલોમાં તપાસ હાથ ધરી નોટિસ ઇશ્યું કરાય. સચિનનાં પાલી ગામમાં મકાન તૂટી પડતાં નિર્દોષ શ્રમજીવીઓનાં મૃત્યુની ઘટના પછી સુરત શહેરમાં ગેરકાયદે બાંધકામો અને જર્જરિત મકાનો સામે ઝૂંબેશ હાથ ધરી નોટિસો આપવાનો સીલસીલો શરૂ થયો હતો. નોટિસ આપીને સંતોષ માની લેતાં અધિકારીઓ સામે જ જ્યાં સુધી શિક્ષાત્મક પગલાં નહીં ભરાય ત્યાં સુધી વહિવટમાં સુધારો આવશે નહીં. ડભોલી ચાર રસ્તા ખાતે આવેલી સોનાણી-બેલડિયા આંખ અને દાંતની હોસ્પિટલ તદ્દન ગેરકાયદે ધમધમી રહી છે. બે માળની હોસ્પિટલનું બાંધકામ કોઇ કાળે મંજૂર થાય તેમ નથી જેથી કતારગામ ઝોનનાં અધિકારીએ ત્રણથી ચાર વખત નોટિસ આપી પાંચ ઓપીડી સીલ કરીને સંતોષ માની લીધો પરંતુ સમગ્ર હોસ્પિટલને સીલ મારવાની કે બે માળનું બાંધકામ તોડી પાડવાની હિંમત દાખવી નથી. અત્યારસુધીનાં ઝોનલચીફ ધારાસભ્યનાં દબાણ સામે ઝૂકી ગયાં હતાં હવે કડક અને સ્વચ્છ ઇમેજ તેમજ રાજકીય દબાણ સામે નમતું નહીં જાેખવાનું વલણ ધરાવતાં સ્મિત લોઢા કેવું વલણ અપનાવે છે તે જાેવાનું રહ્યું કારણ કે, સ્મિત લોઢાએ દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકેનાં કાર્યકાળ દરમિયાન મનરેગા કૌભાંડ ઉજાગર કરી ભાજપનાં નેતાનાં પૂત્રને સકંજામાં લઇને ખળભળાટ મચાવ્યો હતો. સોનાણી-બેલડિયા હોસ્પિટલને ભાજપનાં ધારાસભ્યનાં આશીર્વાદ હોવાથી કતારગામ ઝોનનાં અધિકારી કમલેશ વસાવા હાથ ઉપર હાથ ધરીને બેસી રહ્યાં છે ત્યારે સ્મિત લોઢા બાંય ચઢાવે છે કેમ તે ખબર પડશે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...