ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો

લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 11880   |  
ભાવનગરના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમમાં મોટી તકનીકી ઘટના સામે આવી છે. ડેમના ૧૫ નંબરના ગેટને સંચાલિત કરતો મુખ્ય વાયર (રેસો) તૂટી જતાં ગેટ નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ અનિયંત્રિત રીતે નદીમાં છોડાવા લાગ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.માહિતી અનુસાર, ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે ગેટમાં ખામી સર્જાતા તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. ગેટને થયેલા નુકસાનને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.જિલ્લા પ્રશાસને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ સહિત શિહોર તાલુકાના ભાણગઢ ગામના લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે.વહીવટીતંત્રે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પૂર જાેવા, ફોટા કે સેલ્ફી લેવા માટે નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 11286   |  
બાળકને ગિરનારની સીડીઓ પરથી સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષ મળ્યા

વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કરી તેને સીડીઓ પરથી જ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. પરિવારજનો અને યાત્રિકોની નજર સામે બનેલી આ ઘટનાએ ભય અને અરેરાટીનો માહોલ સર્જ્યો હતો. બાદમાં વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ કલાકો સુધી શોધખોળ કર્યા બાદ જંગલમાંથી બાળકના અવશેષો કબજે લીધા હતા.છેલ્લા ૨૫ દિવસમાં માણસ પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું સામે આવતા ગિરનાર સહિત સિંહોના રહેણાંક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.પરિવારની આંખો સામે સિંહ બાળકને ખેંચી ગયોમહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. પરિવાર વહેલી સવારે દર્શન માટે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. ગેટથી અંદાજે ૫૦ જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળ ચાલતા બાળક મયુરસિંહ પર ઝંપલાવ્યું હતું.બાળક પોતાના કાકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો, પરંતુ સિંહ હુમલો કરીને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. વન રાજ્યમંત્રી પ્રવીણ માળી : ગિરનારમાં માનવ પર સિંહના હુમલાની પ્રથમ ઘટના ગિરનાર પર્વત પર ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની આ પ્રથમ ઘટના છે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.વનમંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ શંકાસ્પદ સિંહોને બેભાન કરીને પકડી લેવામાં આવ્યા છે.હાલ ત્રણેય સિંહોને વૈજ્ઞાનિક અને પશુચિકિત્સકીય તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.પ્રવીણ માળીએ સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોના વર્તનમાં આવી રહેલા ફેરફારોનું વૈજ્ઞાનિક કારણ જાણવા માટે વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને વિશેષ અભ્યાસ સોંપવામાં આવ્યો છે.સિંહોની પ્રકૃતિમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, માનવ વસાહતો તરફ તેમની અવરજવર શા માટે વધી રહી છે અને હુમલાઓ પાછળના કારણો શું છે, તે મુદ્દાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે..


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 12375   |  
અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે; ૩ મહિનામાં કામગીરીનો પ્રારંભ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના હાઈવે અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી વધુ નાણાં મેળવવા રાજ્ય સરકારને તાત્કાલિક દરખાસ્ત મોકલવા અનુરોધ કર્યો હતો.અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ-વે હવે ૮ લેન થશે ૯૩ કિલોમીટરના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વેને ચારમાંથી ૮ લેઈનમાં પરિવર્તિત કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડતરીએ મંજૂરી આપી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે ગુજરાતની આ માંગણી પરત્વે ર્નિણય કરીને વર્ષ ૨૦૨૭માં જ વિસ્તરણનું કાર્ય શરૂ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતનું જમીન સંપાદન મોડલ દેશ માટે ઉદાહરણ ડીપીઆર તૈયાર થતી વખતે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનને સરળ બનાવવા બિનખેતી મંજૂરીની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત મોડલની નીતિન ગડકરીએ પ્રશંસા કરી અને તેને સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય ગણાવ્યું. રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને શક્ય હોય ત્યાં સુધી કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરીને અન્યત્ર રોપવાની સૂચના આપવામાં આવી જેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 10791   |  
વીજપોલ વળતર મામલે સરકારને ખેડૂતોની ‘રાજસ્થાન જેવું ૪ ગણું વળતર નહીં મળે તો વીજ થાંભલા ઉખેડી નાખીશું’

મોરબીના જેતપર ગામેથી આંદોલન પાર્ટ ૩ માટેનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાંથી ખેડૂત આગેવાનો અને સરપંચોને બુધવારે રેટ બોલાવવામાં આવ્યા હતા અને તેઓની સાથે આંદોલન પાર્ટ ૩ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખેડૂતોના ખેતરમાં ઊભા કરવામાં આવતા વીજ થાંભલા સામે જાે પૂરતું વળતર કાપવામાં ન આવે તો થાંભલાને ઉખેડી નાખવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે.દરમ્યાન ગુરુવારે રાતે જે ૧૨ જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી તેમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદર, ભરુચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થતો હતા. આ બેઠકમાં આવેલા ખેડૂતોએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે જાે ખેડૂતોને તેમની જમીનમાં નાખવામાં આવતા વીજપોલ સામે પૂરતું વળતર નહીં આપવામાં આવે તો હાલમાં ખેડૂતો સરકારને હટાવવા માટે એકત્રિત થયા નથી પરંતુ વળતર નહીં મળે તો ભાજપ વિરોધી મતદાન કરતા પણ ખેડૂતો અચકાશે નહીં અને આગામી સમયમાં આંદોલન પાર્ટ ૩ શરૂ થશે તે પૂરા આક્રોશ સાથે હશે અને તેના માટેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે. તાજેતરમાં સરકાર દ્વારા વીજ કંપનીના વીજ પોલ અને કોરિડોર માટે વળતરનો જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેને ૧૨ જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ લોલીપોપ સમાન ગણાવ્યો છે અને જે રીતે રાજસ્થાનમાં સરકાર ચાર ગણું વળતર ચૂકવે છે તેવી જ રીતે ગુજરાતમાં ખેડૂતોને પણ ચાર ગણું વળતર જાેઈએ અને તે નહીં મળે તો ખેડૂતોના ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ તેવી ચેતવણી આપવામાં આવી છે. આમ છેલ્લા બે દિવસમાં ગુજરાતના ૨૪ જેટલા જિલ્લામાંથી ખેડૂત આગેવાનો જેતપર ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા અને તેઓએ પોતાના સૂચન આપ્યા હતા. હવે આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત લેવલે ખેડૂતોની સમિતિઓ બનાવવામાં આવશે અને ત્યાર બાદ આયોજન પૂર્વક વળતર મેળવવા આંદોલન પાર્ટ ૩ શરૂ કરવામાં આવશે તેવી માહિતી આંદોલન સમિતિના સભ્યએ આપી હતી.


મધ્ય ગુજરાત વધુ વાંચો

લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
19, જુલાઈ 2026 4851   |  
બાળકી પર કથિત દુષ્કર્મ બાદ હત્યા વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ, ટ્રેન નીચે ફેંકી હત્યા

વાસદ રેલ્વે સ્ટેશન પર સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ ટ્રેન નીચે ફેંકી હત્યા કરાતા ચકચાર મચી છે. આરોપી સીસીટીવીમાં કેદ થયો છે અને પોલીસ તપાસ ચાલુ છે. ગુજરાતને હચમચાવી મૂકે તેવી એક અત્યંત પાશવી અને ક્રૂર ઘટના આણંદ જિલ્લાના વાસદ રેલ્વે સ્ટેશન પર બની છે, જેણે કાયદો-વ્યવસ્થા અને રેલ્વે સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. એક ગરીબ પરિવાર વાસદ રેલ્વે સ્ટેશનની ટિકિટ બારી નજીકના ખુલ્લા પરિસરમાં રાત્રિના સમયે સૂતો હતો. આ પરિવારની સાડા ચાર વર્ષની માસૂમ દીકરી પણ માતા-પિતાની પડખે સૂતી હતી. આ દરમિયાન મધ્યરાત્રિએ એક અજાણ્યો નરાધમ યુવક ત્યાં ત્રાટક્યો હતો. પરિવાર ઘસઘસાટ સૂતો હોવાનો લાભ ઉઠાવી આ પાપી નરાધમ સાડા ચાર વર્ષની માસૂમ કળીને ત્યાંથી ચૂપચાપ ઉઠાવી ગયો હતો.બાળકી ગાયબ હોવાની વહેલી સવારે ખબર પડતાં જ પરિવારે ભારે શોધખોળ આદરી હતી. આ દરમિયાન વાસદ રેલ્વે સ્ટેશન નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પરથી માસૂમ બાળકીનો લોહીલુહાણ અને ક્ષત-વિક્ષત થઈ ગયેલો મૃતદેહ મળી આવતા સ્ટેશન પર ચીસાચીસ અને માતમ છવાઈ ગયો હતો. ઘટનાની ભયાનકતા જાેતાં પ્રાથમિક તપાસમાં જ સામે આવ્યું છે કે નરાધમે બાળકીનું અપહરણ કર્યા બાદ રેલ્વે ટ્રેકની આસપાસ અવાવરુ જગ્યાએ તેની પર હેવાનિયતભર્યું દુષ્કર્મ ગુજાર્યું હતું. પુરાવા નાશ કરવા અને પકડાઈ જવાની બીકે, રાત્રિના સમયે ત્યાંથી પસાર થતી કોઈ સ્પીડ ટ્રેન નીચે માસૂમને ફેંકી દેવામાં આવી હતી, જેથી ટ્રેનની નીચે કચડાઈ જવાથી બાળકીના શરીરના ચિથડા ઉડી ગયા હતા અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની લિંક મેળવવા માટે જ્યારે પોલીસે રેલ્વે સ્ટેશનના સીસીટીવી (ઝ્રઝ્ર્ફ) કેમેરા ચેક કર્યા, ત્યારે પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. રાત્રિના સમયે એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને પોતાના હાથમાં તેડીને પ્લેટફોર્મ અને રેલ્વે ટ્રેક તરફ લઈ જતો સ્પષ્ટપણે કેદ થયો છે. આ ઉપરાંત ઘટનાસ્થળની નજીક સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને બાળકીની લેંગી મળી આવી છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે બાળકીની હત્યા પહેલા તેની સાથે ભયાનક કૃત્ય આચરવામાં આવ્યું હતું. નરાધમ હત્યારાને પકડવા માટે નાકાબંધી ઘટનાની ગંભીરતાને પગલે આણંદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વાસદ લોકલ પોલીસ અને રેલ્વે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે એફએસએલ (હ્લજીન્) ની સ્પેશિયલ ટીમને બોલાવવામાં આવી છે, જેણે બાળકીના વસ્ત્રો અને ટ્રેક પરથી સેમ્પલ લીધા છે જેથી મેડિકલ બળાત્કારની કાનૂની પુષ્ટિ થઈ શકે. પોલીસે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા અને બાતમીદારોમાં વહેતા કરીને નરાધમ હત્યારાને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, જુલાઈ 2026 2277   |  
દીવ-દમણ ફરીને પરત ફરેલા ઓડના યુવાનનું શંકાસ્પદ મોત :હત્યાની આશંકા

દિવ-દમણ ખાતે ફરી પરત ફરેલા ઓડના યુવકનું શંકાસ્પદ મોત થતાં, પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જાે કે પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મૃતદેહનો પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવવાની તજવીજ હાથ ઘરી છે. પીએમ રીપોર્ટમાં મોતનું સાચુ કારણ ઉજાગર થશે તેમ જાણવા મળે. પ્રાપ્ત વિગત અનુસાર અહિમા ગામે રહેતો દેવેન્દ્રસિંહ તખતસિંહ ચૌહાણ (ઉ. વ. ૩૯)ગઈકાલે વહેલી સવારના સુમારે કારમાં તેના મિત્રો સાથે દિવ- દમણ ફરવા માટે ગયો હતો. ત્યાં મોજમસ્તી કરીને રાત્રીના સુમારે પરત ફર્યા હતા. દરમ્યાન દેવેન્દ્રસિંહના ઘરની નજીક આવેલી દુકાનના ખાટલામાંથી આજે વહેલી સવારના સુમારે દેવેન્દ્રસિંહની લાશ મળી આવી હતી. પિતરાઈ ભાઈએ જાેતા જ તેણે તુરંત જ ઘરના સભ્યો અને ૧૦૮ મોબાઈલ વાન-પોલીસને જાણ કરતાં તેઓ આવી પહોંચ્યા હતા. તપાસ કરતા દેવેન્દ્રસિંહ મૃત્યુ પામ્યો હતો. જેથી પરિવારજનો ઓડ આઉટ પોસ્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને દેવેન્દ્રસિંહની હત્યા કર્યા બાદ લાશને ખાટલામાં સુવડાવી હોવાના આક્ષેપ કર્યો હતો. તેની જીભ પણ થોડી બહાર નીકળી ગયેલી મળી આવી છે. જેને લઈને પોલીસે લાશને પીએમ માટે ઓડના સીએચસી સેન્ટર ખાતે મોકલી આપી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, જુલાઈ 2026 3465   |  
ડાકોરમાં યોજાઈ ભગવાન રણછોડરાયજીની ૨૫૪મી ભવ્ય રથયાત્રા

શ્રદ્ધા અને ભક્તિના ઘોડાપૂર સમાન અષાઢી ઉત્સવોની શરૂઆત થઈ ચૂકી છે. સામાન્ય રીતે સમગ્ર દેશમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજાતી હોય છે, પરંતુ ગુજરાતના જગવિખ્યાત યાત્રાધામ ડાકોરમાં એક અનોખી પરંપરા જોવા મળે છે. ડાકોરના ઠાકોરજી એટલે કે રાજા રણછોડરાયના મંદિરમાં તિથિ નહીં પણ નક્ષત્રના આધારે રથયાત્રા યોજાય છે. આજે અષાઢી એકમ અને પુષ્ય નક્ષત્રના આ પાવન સંયોગે ડાકોર મંદિરમાંથી ભગવાન રણછોડરાયજીના બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજની ૨૫૪મી ભવ્ય રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે. ચાંદીના રથમાં સવાર થઈને કાળિયા ઠાકોર આજે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે ડાકોર નગરી 'જય રણછોડ, માખણચોર'ના નારાથી ગુંજી ઉઠી છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
12, જુલાઈ 2026 4455   |  
વડોદરા રથયાત્રાનો ઇતિહાસ શું છે? | Shree Nityanand Ramdas Swami Ji સાથે ખાસ મુલાકાત | ISKCON વડોદરા Exclusive Podcast

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે લોકસત્તા જનસત્તા દ્વારા ઇસ્કોન વડોદરાના મુખ્ય પૂજારી શ્રી નિત્યાનંદ રામદાસ સ્વામીજી સાથે ખાસ મુલાકાત યોજાઈ. આ મુલાકાત દરમિયાન તેમણે વડોદરાની રથયાત્રાનો ઇતિહાસ, તેની વિશેષ પરંપરાઓ, 16 જુલાઈની રથયાત્રાની તૈયારીઓ તેમજ ભક્તો માટેના મહત્વપૂર્ણ સંદેશ અંગે માહિતી આપી. રથયાત્રા સાથે જોડાયેલી અનેક રસપ્રદ અને ઓછી જાણીતી વાતો પણ તેમણે શેર કરી. આ વિશેષ મુલાકાતનો સંપૂર્ણ વીડિયો લોકસત્તા જનસત્તાના YouTube ચેનલ પર ઉપલબ્ધ છે.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુલાઈ 2026 1980   |  
વટવાના વાંદરવડ તળાવમાં નાહવા પડેલા બે સગીરના ડૂબી જવાથી મોત

શહેરના વટવા વિસ્તારમાં કોલેજ પાસે આવેલા વાંદરવડ તળાવમાં ગઈકાલે મોડી સાંજે એક દુ:ખદ ઘટના સામે આવી છે. તળાવમાં નાહવા પડેલા બે સગીર વયના બાળકોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે આજે સવારે ‘ડીપ ટ્રેકર’ ટેકનોલોજીની મદદથી સવારે ૮ વાગે બંનેના મૃતદેહ બહાર કઢાયા છે. બન્ને શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી વટવા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. બન્ને બાળકો મંગળવારે સાંજે તળાવમાં પડ્યા હોવાની વિગત મળ્યા બાદ ફાયર બ્રિગેડે તપાસ હાથ ધરી હતી. પરંતુ મળી આવ્યા ન હતા. ઉપરાંત જેણે માહિતી આપી તેને પણ ખરેખર બાળકો પડ્યા છે કે કેમ તેનો ખ્યાલ ન હતો ઉપરાંત કોઇ ગુમ થવા અંગેની વિગતો પણ સામે આવી ન હતી. જેથી રાત્રે બચાવ કામગીરી રોકી દેવામાં આવી હતી. જાે કે, ફરી વહેલી સવારથી જ ફાયર બ્રિગેડની ટીમે કામગીરી શરૂ કરી હતી. આ અંગે વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ. વછેટાના જણાવ્યા અનુસાર, સાંજે આશરે ૭:૪૦ વાગ્યાના સુમારે પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને વાંદરવડ તળાવમાં ૨ થી ૩ છોકરાઓ ડૂબ્યા હોવાનો મેસેજ મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જાેઈ વટવા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. બીજી તરફ, વટવા વિસ્તારમાંથી જ બે બાળકો ગુમ થયા હોવાની જાણ પરિવારજનોએ પોલીસને કરી હતી, જેથી તેઓ આ તળાવમાં જ ડૂબ્યા હોવાની આશંકા પ્રબળ બની હતી. ફાયર બ્રિગેડની ટીમે મોડી રાત સુધી તળાવમાં શોધખોળ ચાલુ રાખી હતી. રાત્રિના સમયે અંધારું વધી જતાં શોધખોળમાં મદદરૂપ થવા અદ્યતન ‘ડીપ ટ્રેકર’ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. જાેકે, મોડી રાત સુધી બાળકોનો કોઈ પત્તો મળ્યો નહોતો.આજે વહેલી સવારે ફાયર બ્રિગેડની બીજી ટીમ દ્વારા ફરીથી શોધખોળ શરુ કરવામાં આવી હતી. સવારે ૮:૦૦ વાગ્યાની આસપાસ બંને સગીરોના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતા. સ્થળ પર હાજર વટવા પોલીસની ટીમે બંને મૃતદેહોનો કબજાે મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. વટવા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુલાઈ 2026 2178   |  
દાણીલીમડામાં જૂની અદાવતમાં યુવકની ગળું કાપી ઘાતકી હત્યા: પાંચ સામે ગુનો નોંધાયો

શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલ સંતોષનગર ચાર માળીયા પાછળ જૂની અદાવત રાખીને ૨૪ વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સરેરાશ અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતમાં ‘મામા’ અને તેના સાગરીતોએ ઘેરીને ૨૪ વર્ષિય યુવક પર તીક્ષ્ણ છરીનો ઘા ગળાના ભાગે ઝીંક્યો હતો. જેથી યુવકને લોહીલુહાણ હાલતમાં એલજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું. આ મામલે દાણીલીમડા પોલીસે ૫ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર, બહેરામપુરા સંતોષનગર ચાર માળીયા ખાતે રહેતા અને જમાલપુર શાકમાર્કેટમાં મજૂરીકામ કરતા અફઝલ સૈયદના ૨૪ વર્ષીય નાના ભાઈ હુસેન ઉર્ફે જીણીયાની મંગળવારે રાત્રે ૧૧:૦૦ થી ૧૧:૩૦ ના સુમારે હુસેન ચાર માળીયા બ્લોક નં-૨૮ ની પાછળ રસુલગલી પાસે ઊભો હતો, ત્યારે જૂની અદાવત રાખી હુસેન ઉર્ફે મામા, આસીફ ઉર્ફે ફાવડા, સોહીલ ઉર્ફે ડોલો, મોહસીન ઉર્ફે ચામુન અને જાવેદ ઉર્ફે રબ્બુ નામના શખ્સો ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. હુમલાખોરોએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે હુસેનને ચોમેરથી ઘેરી લીધો હતો. જેમાં સોહિલ ઉર્ફે ડોલો અને આસીફ ઉર્ફે ફાવડાએ હુસેન ભાગી ન શકે તે માટે તેને મજબૂતાઈથી પકડી રાખ્યો હતો, જ્યારે મુખ્ય આરોપી હુસેન ઉર્ફે મામાએ પોતાની પાસેની તીક્ષ્ણ છરી વડે તેના ગળાના નીચેના ભાગે ઊંડો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. જેથી હુસેન ઉર્ફે જીણીયો લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયો હતો. ત્યારબાદ હુમલાખોરો પલાયન થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે લોહીલુહાણ થયેલા યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે દાણીલીમડા પોલીસને જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુલાઈ 2026 1980   |  
કોવિડમાં ફરજ દરમિયાન જીવ ગુમાવનાર એસટીના ૧૧૫ કર્મચારીઓના પરિવારોને રૂ. ૨૫ લાખની સહાય

કોરોના મહામારી દરમિયાન પોતાની ફરજ બજાવતા સંક્રમિત થઈને અવસાન પામેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના ૧૧૫ કર્મચારીઓના પરિવારો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ર્નિણય અમલમાં મૂક્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મૃતક કર્મચારીઓના પરિવારજનોને પ્રતિ પરિવાર રૂ. ૨૫ લાખની આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં જાહેર પરિવહન વ્યવસ્થા અવિરત ચાલુ રાખવા પોતાના જીવના જાેખમે સેવા આપનારા કર્મચારીઓના યોગદાનને રાજ્ય સરકારે કોરોના વોરિયર્સ તરીકે સન્માન આપતાં આ વિશેષ સહાય મંજૂર કરી છે.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકારમાં સામાન્ય રીતે તમામ ર્નિણયો કાયદાકીય જાેગવાઈઓ અને વહીવટી નિયમોને આધારે લેવાતા હોય છે. પરંતુ ય્જીઇ્ઝ્રના કર્મચારીઓના બલિદાનને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર નિયમોની ચોપડીઓ નહીં, પરંતુ માનવતા અને સંવેદનાને પ્રાથમિકતા આપીને ‘દિલથી’ ર્નિણય કર્યો છે. તેમણે કહ્યું કે, નિગમના કર્મચારીઓને આવી સહાય આપવાનો વિષય કાયદાકીય રીતે સરળ ન હતો, છતાં સરકાર માનવતાના અભિગમ સાથે આગળ આવી અને ખાસ કિસ્સા તરીકે સહાય મંજૂર કરી.હર્ષ સંઘવીએ કોરોના મહામારીના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉન લાગુ હતું અને લોકો પોતાના ઘરમાં સુરક્ષિત રહેતા હતા, ત્યારે એસટીના ડ્રાઇવર, કંડક્ટર, ક્લાર્ક, મેનેજર અને અન્ય કર્મચારીઓએ પોતાની તથા પોતાના પરિવારની ચિંતા કર્યા વિના સતત ફરજ બજાવી હતી. હોસ્પિટલો, આવશ્યક સેવાઓ અને વિવિધ વિસ્તારોમાં લોકોની અવરજવર સુનિશ્ચિત કરવામાં સેવાઓ અત્યંત મહત્વપૂર્ણ રહી હતી. અનેક કર્મચારીઓ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થયા અને કેટલાકે પોતાનો જીવ ગુમાવ્યો. તેમના આ ત્યાગ અને સમર્પણને રાજ્ય સરકાર ક્યારેય ભૂલી શકે તેમ નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોતાના પરિવારના સભ્યને ગુમાવનાર પરિવારોની ખોટ કોઈ પણ પ્રકારની આર્થિક સહાયથી પૂરી થઈ શકે તેમ નથી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુલાઈ 2026 2376   |  
ગૃહના ટૂંકા ચોમાસુ સત્રમાં સુધારા વિધેયકો લવાશે

ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્રને લઈને રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં હલચલ તેજ બની છે. રાજ્ય સરકાર અને વિધાનસભા તંત્રે સત્રની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં બોલાવવામાં આવે તેવી શક્યતા છે. આ સત્ર માત્ર બેથી ત્રણ દિવસનું રહે તેવી સંભાવના હોવા છતાં સરકાર માટે અનેક મહત્વપૂર્ણ કાયદાકીય સુધારા અને વહીવટી ર્નિણયોને મંજૂરી અપાવવા માટે તે અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે.મળતી માહિતી મુજબ સરકાર આ ચોમાસુ સત્રમાં વિવિધ વિભાગોને લગતા સુધારા વિધેયકો રજૂ કરવાની તૈયારીમાં છે. તેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું જમીન ટુકડા ધારામાં સુધારા કરતું વિધેયક છે. રાજ્યમાં બદલાતી વિકાસની જરૂરિયાતો, શહેરીકરણ અને જમીન સંબંધિત પ્રક્રિયાઓને વધુ સરળ અને વ્યવહારુ બનાવવા માટે સરકાર આ કાયદામાં જરૂરી સુધારા લાવવા ઇચ્છે છે. આ ઉપરાંત અન્ય કેટલાક મહત્વના કાયદાકીય સુધારા બિલો પણ વિધાનસભા સમક્ષ રજૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સત્ર દરમિયાન સરકાર વિવિધ વિભાગોના વહીવટી સુધારા તેમજ વિકાસલક્ષી ર્નિણયો સાથે જાેડાયેલા વિધેયકોને પણ મંજૂરી માટે રજૂ કરી શકે છે. ટૂંકા સમયગાળાના સત્રને ધ્યાનમાં રાખીને સરકાર માત્ર મહત્વના અને તાત્કાલિક કાયદાકીય કામકાજને જ પ્રાથમિકતા આપે તેવી શક્યતા છે.બીજી તરફ વિધાનસભા સચિવાલયે પણ સત્રને સફળતાપૂર્વક યોજવા માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે. સભ્યોને નોટિસ મોકલવા, પ્રશ્નોત્તરીની પ્રક્રિયા, વિધેયકોની યાદી તૈયાર કરવી, બેઠક વ્યવસ્થા અને સુરક્ષા સહિતની તમામ વહીવટી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સત્રની તારીખો અંગે સરકાર અને વિધાનસભા તંત્ર વચ્ચે અંતિમ સ્તરની ચર્ચા ચાલી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. રાજકીય રીતે પણ આ ચોમાસુ સત્ર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વિપક્ષ દ્વારા રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નો, વરસાદ અને કૃષિની સ્થિતિ, રોજગાર, કાયદો-વ્યવસ્થા, મોંઘવારી, સ્થાનિક સ્વરાજની કામગીરી, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવે તેવી સંભાવના છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો વિવિધ જાહેરહિતના પ્રશ્નોને લઈને સરકારને જવાબદાર ઠેરવવાની તૈયારીમાં હોવાનું માનવામાં આવે છે.સરકાર તરફથી બીજી બાજુ વિકાસલક્ષી કામગીરી, નવી યોજનાઓ, કાયદાકીય સુધારા અને વહીવટી ર્નિણયો પર ભાર મૂકવામાં આવશે. સરકારનું માનવું છે કે રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા તેમજ કાયદાકીય પ્રક્રિયાઓને સમયાનુકૂળ બનાવવા માટે કેટલાક કાયદાઓમાં સુધારા જરૂરી બની ગયા છે અને તેના માટે આ ચોમાસુ સત્ર મહત્વપૂર્ણ સાબિત થશે. સત્રની સત્તાવાર તારીખો અને કાર્યસૂચિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જાેકે, સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં ચોમાસુ સત્ર યોજાવાની શક્યતા વચ્ચે સરકાર અને વિધાનસભા તંત્ર દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચતા રાજકીય ગરમાવો પણ વધવા લાગ્યો છે. હવે સૌની નજર સરકાર દ્વારા રજૂ થનારા મહત્વના સુધારા વિધેયકો, ખાસ કરીને જમીન ટુકડા ધારા સંબંધિત બિલ અને સત્ર દરમિયાન થનારી રાજકીય ચર્ચાઓ પર કેન્દ્રિત રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુલાઈ 2026 1881   |  
કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપનું હલ્લાબોલ

દિલ્હીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાને ગઈકાલે કોંગ્રેસે કરેલા પ્રદર્શનના ઘેરા પડઘા ગુજરાતના રાજકીય માહોલમાં પડ્યા છે. કોંગ્રેસની આ કાર્યવાહીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ ખાતેના કોંગ્રેસ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’માં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં પ્રદેશના પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો.કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આક્રમક વિરોધ પ્રદર્શનને પગલે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ઝોન ૭ સહિત આસપાસના વિવિધ પોલીસ સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે તૈનાત કરી દેવાઈ હતી.  સ્થિતિ પર કાબૂ મેળવવા અને પ્રદર્શનકારીઓને નિયંત્રિત કરવા માટે કોંગ્રેસ ભવન તરફ આવતા મુખ્ય રસ્તાઓ પર પોલીસે ડબલ લેયરમાં બેરિકેડ્સ લગાવીને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. કોંગ્રેસ કાર્યાલયથી ૫૦ મીટર દૂર ભાજપના નેતાઓને રોકી રાખવામાં આવ્યા હતા. તમામને કોંગ્રેસ કાર્યાલય પાસેના બેરિકેટ પાસે જ રોકી દેવામાં આવ્યા હતા. બીજીતરફ ૨૨ જુલાઈએ વહેલી સવારે ૧૦ વાગ્યાની આસપાસ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવને કોંગ્રેસે ધરણા યોજ્યા હતા. જે બાદ રેલી કાઢવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા.રાજીવ ગાંધી ભવનથી રેલી નીકળીને હજુ તો ચાર રસ્તા પાસે પહોંચે ત્યાં જ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. રેલીમાં કોંગ્રેસના કાર્યકરો પોલીસની ગાડી પર ચઢી ગયા હતા. જેમને નીચે ઉતારવા પોલીસે પણ ગાડી પર ચઢવું પડ્યું. તો ધારાસભ્ય અમિત ચાવડા, ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓની અટકાયત કરવામાં પોલીસને પરસેવો છૂટ્યો હતો. ત્રણ બસ ભરીને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી.ભાજપ લાજવાના બદલે ગાજી રહી છે: અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનેક વખત પેપર પરીક્ષા રદ થઈ. ભાજપના નેતાઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે. ભાજપના મળતિયાઓ દ્વારા આખી શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ કરવામાં આવી છે. જેનો આક્રોશ આખા દેશમાં યુવાનો કરી રહ્યા છે. એક એક પરિવાર શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે રસ્તો પર ઊતરી ગયા છે. ૨૨ લોકોએ આત્મહત્યા કરી તો તેમના ન્યાય માટે લોકો રસ્તા પર ઊતરે છે અને પ્રધાનમંત્રી કઈ બોલતા નથી. અંગ્રેજાેના શાસનમાં જે જુલમ નહીં થયો તેવો જુલમ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવે છે. યુવતીઓને ઘસડી ઘસડીને મારવામાં આવી છે. જ્યારે રાહુલ ગાંધી વિરોધ કરવા માટે પહોંચ્યા તો તેમણે પણ ઘસેડીને અટકાયત કરવામાં આવે વાત કરવા માટે તૈયાર થતા નથી. પ્રિયંકા ગાંધી સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. લોકો સ્વયં ભૂ સરકાર પાસે જવાબ માંગે છે. નરેન્દ્ર મોદી અને જનરલ ડાયર દેશના લોકોની માફી માંગે તેવી માગ છે. અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામુ આપે જે લોકોએ વિદ્યાર્થીઓને માર્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે. જે લોકોએ આત્મહત્યા કરી તો ભાજપના નેતાઓ તેમના ઘરે જઈ શકતા નથી. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. બંદોબસ્તની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ૨,૦૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓને સ્થળ પર ગોઠવી દેવાયા હતા.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુલાઈ 2026 1683   |  
આરોપીઓને જાહેરમાં ફટકારી વીડિયો વાયરલ કરનાર એસઓજીનાં ડીસીપી નકુમ સામે હાઇકોર્ટે કાર્યવાહી આરંભી

સસ્તી પ્રસિદ્ધિની શોધમાં રહેતા એસઓજીનાં ડીસીપી રાજદીપસિંહ નકુમ ફરતે હવે કાયદાનો સકંજાે કસાઇ રહ્યો છે. પોલીસ મહાનિર્દેશકની સૂચના અને સુપ્રીમકોર્ટની ગાઇડલાઇનને ગજવે ઘાલી નકુમે આરોપીનાં વરઘોડા કાઢી જાહેરમાં ફટકાબાજી કરવા સાથે તેની વીડિયો ઉતારી વાયરલ પણ કર્યા હતાં. આ મામલે કાર્યવાહી માટે સીનિયર એડવોકેટ દ્વારા કરાયેલી અરજી હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી સુઓમોટો કાર્યવાહી શરૂ કરતાં નાસિરનગર ડીમોલિશન વિવાદમાં ફસાયેલાં નકુમ સાથે સુરત પોલીસનો પગ ફરી કાયદાના કુંડાળામાં ફસાયો છે.માનદરવાજા રેલ રાહત કોલોનીમાં ગત ૧૩મી જુલાઇની રાત્રે અંગત અદાવતમાં એક યુવક પર હુમલો કરાયો હતો. હુમલો કરનારા ચીયા ગેંગના સાગરિતો હતા. રાજ ઉર્ફે ગુડ્ડ પારઘેને ચાકુનો ઘા ઝીંકનાર ચીયા ગેંગનાં અય્યાજ ઉર્ફે બુરૂ મલેક, ઇમરાન ખાન, રાજીક ઉર્ફે કાલીયા શેખ, શાહરૂખ ઉર્ફે અમુ સત્તાર શા, વસીમ ઉર્ફે ટ્વેન્ટી, સજ્જુ, ક્રિષ્ના વિગેરને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં. એ સમયે ત્યાંના ઇન્ચાર્જ ડીસીપી નકુમે એસઓજીના પચાસ કર્મચારીઓને માનદરવા બોલાવ્યા હતા. એસઓજીનો આ કાફલો ચીયા ગેંગના સાગરિતોને રેલ રહાત કોલોનીમાં લઇ ગયો અને પછી નકુમે સારા વીડિયો બને એવા એંગલ સેટ કરી આરોપીઓને જાહેરમાં ફટકાર્યા હતા. બાદમાં આ વીડિયો વાયરલ પણ કર્યા હતા. આ મામલે હાઇકોર્ટના સિનિયર એડવોકેટ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસને સુઓમોટો કાર્યવાહી માટે અરજી આપી હતી. દવેએ અરજીમાં જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું આ વર્તન કાયદાનાં શાસન અને બંધારણીય લોકશાહી પર એક કાળો ધબ્બો છે. નકુમ એન્ડ કંપનીનું કૃત્ય ભારતીય બંધારણની કલમ ૧૪ (સમાનતાનો અધિકાર) અને કલમ ૨૧ (જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) નું ઘોર ઉલ્લંઘન છે. કોઈપણ પોલીસ અધિકારી, પછી ભલે તે ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર કેમ ન હોય, તેને અદાલતી ટ્રાયલ પહેલાં કોઈપણ આરોપીને સજા કરવાનો કે જાહેરમાં અપમાનિત કરવાનો કોઈ જ કાનૂની અધિકાર નથી. ગુનાની તપાસ કરવાની સત્તા ક્યારેય પણ જાહેરમાં ક્રૂર સજા આપવાના લાયસન્સમાં ફેરવાઈ શકે નહીં. કાયદાનાં શાસનની રક્ષા માટે અને બંધારણે આપેલા માનવ ગૌરવને જાળવી રાખવા માટે કોઈપણ વ્યક્તિને, ભલે તેના પર ગમે તેવા ગંભીર આક્ષેપો હોય, કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના જાહેરમાં ફટકારી કે અપમાનિત કરી શકાય નહીં. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાત પોલીસના તત્કાલીન ઇનચાર્જ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ દ્વારા બે મહિના અગાઉ જ એક સ્પષ્ટ પરિપત્ર (સર્ક્યુલર) બહાર પાડવામાં આવ્યો હતો. આ આદેશમાં સ્પષ્ટપણે કોઈ પણ આરોપી વ્યક્તિને જાહેરમાં પરેડ કરાવવા, તેમની પાસે અપમાનજનક કૃત્યો કરાવવા અથવા જાહેરમાં શારીરિક હુમલો કરવાની મનાઈ ફરમાવી હતી. આ જાણતા હોવા છતાં તેનું જાણી જાેઇને ઉલ્લંઘન કરી આ કૃત્ય કરાયું હોય કડક કાર્યવાહી કરવી જાેઈએ. ચીફ જસ્ટિસ દ્વારા ઉત્કર્ષ દવેની અરજી ગ્રાહ્ય રાખી છે. હવે ચીફ જસ્ટિસ ઓફિસ દ્વારા નકુમ સામે સુઓમોટો કાર્યવાહીનો ડ્રાફ્ટ તૈયાર થશે. ત્યારબાદ કોર્ટનાં હુકમનો અનાદર કરવા સહિતનાં આરોપો અંગે કાર્યવાહી હાથ ધરાશે. નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશનનો વિવાદ ઠારતા કમિશનર ગહલૌતને પરસેવો વળ્યો હતો એસઓજીએ છેલ્લા સાત મહિનામાં નિયત ચાર્ટર પ્રમાણેના સાત કામ પણ કર્યા નથી. પોતાની પ્રસિદ્ધિ માટે કરેલી જાહેરમાં મારઝૂડ સહિતના કરતૂતોની આડ અસર એવી થઇ કે નાયબ મુખ્યમંત્રીનું શહેર કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સાવ તળિયે પહોંચી ગયું હોવાની ચર્ચા થવા માંડી. સુરત લુખ્ખા ટપોરીઓનું શહેર છે એવી છબી દેશભરમાં ઉભી કરી દીધી હતી. આ બંનેનું નામ નાસિરનગર ડીમોલિશનમાં પણ વગોવાયું હતું. સ્પોન્સર્ડ ડીમોલિશનમાં આ બંનેની હાજરી જસ્ટિફાય કરવા માટે તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતને રીતસર પરસેવો વળી ગયો હતો. નાસિરનગરમાં મકાનો તોડતી વેળા નેશનલ સીક્યુરિટીનો ઇશ્યુ ઉભો થાય એમ હતું એવું હાઇકોર્ટમાં કહેવું પડ્યું હતું. દેશ તો શું આખા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાેખમાય એવી એકેય ઘટનાનું કેન્દ્ર આ નાસિરનગર રહ્યું ન હોવા છતાં વિવાદ ઠારવા આવી વાતો કહેવી પડી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રીના ઘર આંગણેથી પોલીસ અધિકારીઓ જ તેમના વડા અને હાઇકોર્ટનાં આદેશનાં ધજાગરા ઉડાવી રહ્યાં હોય ત્યારે સામાન્ય નાગરિકો પાસે કાયદાનાં પાલનની અપેક્ષા કંઇ રીતે રાખી શકાય એવી ચર્ચાએ જાેર પકડ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુલાઈ 2026 1980   |  
પૂણા-કુંભારિયા રોડ ફરી બિસ્માર બનતાં ચાલુ વરસાદે રીપેરિંગ કામ હાથ ધરાયું

સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. જેના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરના અનેક રસ્તાઓ ચંદ્રની સપાટી જેવા બની ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પૂણા કુંભારિયા મેઇન રોડ પરની ઉપરોક્ત તસવીર સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા બનાવવાની કામગીરીમાં થતા ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પાડે છે. બીજી તરફ પાલિકા દ્વારા ચાલુ વરસાદમાં રસ્તામાં રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સુરત શહેરમાં દર વર્ષે પ્રથમ વરસાદ પડતાની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી જતા હોય છે. ગત વર્ષે સુરત શહેરમાં સૌથી વધુ વિસ્તારોમાં રસ્તાઓ તૂટ્યા હોવાના સામે આવ્યું હતું. જેના કારણે મનપા પર ભારે માછલાં ધોવાતા આખરે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી પરંતુ પાલિકા અને શાસકોના રાજમાં ભ્રષ્ટાચાર ફુલિયો ફાલ્યો હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરીથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓનો ભારે ધોવાણ થયું છે. જેના કારણે રસ્તાઓ પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે. પુણા કુંભારિયા રોડ પર સુરત થી કડોદરા તરફ જતા અને કડોદરા થી સુરત તરફ આવતા બંને તરફના રસ્તાઓ પર ખૂબ મોટી સંખ્યામાં ખાડામાં પડ્યા હોવાના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો ને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલું જ નહીં પરંતુ આ ખાડાઓના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનો પણ નિર્માણ થવા પામે છે પરંતુ તેમ છતાં પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી અને કોન્ટ્રાક્ટરો સામે સખત કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મુખ્ય રોડ પર વાહન વ્યવહાર વધુ હોવાને કારણે પાલિકાએ ચાલુ વરસાદે રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી પરંતુ પૂરતી સફળતા મળી ન હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુલાઈ 2026 1881   |  
૭મી જુલાઇએ આવેલા પૂર દરમિયાન પૂણાથી ગુમ થયેલો કિશોર ૧૫ દિવસે પણ મળ્યો નથી

સાતમી જુલાઇએ શહેરમાં આવેલા પૂર દરમિયાન પૂણાની અક્ષરધામ સોસાયટીમાંથી લાપતાં થયેલો ૧૩ વર્ષનો કિશોર ૧૫ દિવસ બાદ પણ નહીં મળતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પુણા ગામ તળાવ પાસે અક્ષરધામ સોસાયટીમાં શિવપ્રકાશ સરોજ તેની પત્ની ખુશ્બુ તથા બે દીકરા અને એક દીકરી એમ ત્રણ સંતાનો સાથે ભાડેથી રહે છે. ઉત્તર પ્રદેશના વારાસણસી જિલ્લાના રામપુર ગામના વતની શિવપ્રકાશ એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગત ૭મી જુલાઇના રોજ શહેરમાં ભારે વરસાદ વરસતાં પુર આવ્યું હતું. પુણા વિસ્તારમાં ખાડીનાં પાણી ફરી વળ્યાં હતાં. જેમાં અક્ષરધામ સોસાયટી પણ પાણીમાં ડુબી હતી. શિવપ્રકાશ સરોજ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હોય તેમના રૂમમાં પણ પાણી ભરાઇ ગયા હતાં. એ સમયે શિવપ્રકાશ વતન ગયા હતાં. આ સ્થિતિમાં ખુશ્બુ તેના ત્રણ સંતાનાને લઇ ચોથા માળે રહેતા રાકેશની રૂમમાં સુવા જતી રહી હતી. રાત્રે અઢી વાગ્યાના અરસામાં નાની દીકરી આદિયાએ પાણી માગતાં ખુશ્બુ જાગી હતી. દીકરીને પાણી પીવડાવ્યું ત્યારે અન્ય બે સંતાનો સુતા હતા. ત્યારબાદ તે પણ સૂઈ ગઈ હતી. કલાક બાદ સાડા ત્રણેક વાગ્યે શેરીમાંથી કોઇકે રાકેશભાઇને બૂમ પાડવા માંડી હતી. આ સાંભળી ખુશ્બુ સરોજ પણ જાગી ગઇ હતી. એ સમયે તેણીએ જાેયું તો તેની પડખે સુતો હતો એ ૧૩ વર્ષની દીકરો વર્શીલ દેખાયો ન હતો. બહાર પાણી ભરાયા હોય ખુશ્બુ હાંફળીફાંફળી થઇ અને દીકરાને શોધવા માંડી હતી. એ સમયે રાકેશે તેણીને કહ્યું કે, વર્શીલ ત્રણેક વાગ્યે નીચે જતો દેખાયો હતો. ત્યારબાદ તેણીએ સોસાયટીમાં તથા આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. જાે કે તેની ભાળ મળી ન હતી. આ વાતને પંદર દિવસ વીતી જવા છતાં વર્શીલનો અતો પતો નહી લાગતા આખરે ખુશ્બુ શિવપ્રકાશ સરોજે પુણા પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ આપી હતી. વર્શીલ સગીર વયનો હોવાથી કાયદાકીય જાેગવાઈ અનુસાર પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ આરંભી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુલાઈ 2026 1881   |  
ભારે વરસાદની આગાહીને પગલે વેપારીઓ અને બિલ્ડર્સને એલર્ટ કરાયા

હવામાન વિભાગ દ્વારા સુરત અને આસપાસનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે વેપારી અને બિલ્ડર સંગઠનો એક્શનમાં આવ્યા છે. ફોસ્ટા તેમજ સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસીએશન દ્વારા પોતાના સભ્યોને સતર્ક રહેવા અને આગોતરા સુરક્ષા પગલાં લેવા માટે વિશેષ સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી. ફોસ્ટા દ્વારા સુરતના તમામ કાપડ માર્કેટનાં હોદ્દેદારો, મેનેજરો અને વેપારીઓને સંબોધીને જાહેર કરાયેલી એડવાઇઝરીમાં વરસાદને કારણે બેઝમેન્ટમાં પાણી ભરાવાની શક્યતા સામે આગોતરી તૈયારી રાખવા જણાવ્યું છે. જ્યાં પાણી ભરાવાનો ભય હોય ત્યાં સમયસર પાણી કાઢવાની વ્યવસ્થા કરવી, બેઝમેન્ટમાં રહેલો માલ સુરક્ષિત અને ઊંચી જગ્યાએ ખસેડવો, માર્કેટના હોદ્દેદારો તથા વેપારીઓના સંપર્ક નંબર ઉપલબ્ધ રાખવા તેમજ જનરેટર સેટની કામગીરી અગાઉથી ચકાસી લેવા સૂચના આપવામાં આવી છે. ફોસ્ટાએ વેપારીઓને ખાસ અપીલ કરી છે કે બેઝમેન્ટમાં કોઈપણ વાહન, બાઈક, કાર કે પાર્સલ ન રાખવામાં આવે. સાથે જ ટેમ્પો ચાલકોને પણ બેઝમેન્ટમાં પાર્સલ ભરેલાં વાહનો નહીં રાખવા અને જાે હોય તો તાત્કાલિક હટાવી દેવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસીએશન દ્વારા તમામ બિલ્ડર્સને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા મજૂરોને તાત્કાલિક સુરક્ષિત અને ઊંચાણવાળા સ્થળે સ્થળાંતર કરાવવા, સાઇટ પર પાણી ભરાવાની શક્યતા સામે જરૂરી વ્યવસ્થા કરવા અને તમામ કર્મચારીઓને સતર્ક રાખવા સૂચના આપવામાં આવી છે. વેપારી અને બિલ્ડર સંગઠનોનું કહેવું છે કે કુદરતી આપત્તિ સામે ગભરાવાની જરૂર નથી, પરંતુ આગોતરી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, જુલાઈ 2026 1881   |  
સરકાર અને મ્યુ.કમિશનર સુરતને વેનિસ સિટી બનાવીને જ ઝંપશે

દર વર્ષે સુરત શહેરને ધમરોળી નાંખનાર ખાડીપૂરનાં સંકટનો સામનો માત્ર ૧૫ દિવસમાં જ ફરી એકવાર સુરત શહેરનાં લોકોએ કરવાનો વારો આવ્યો છે. સાતમી જુલાઇએ મીઠીખાડી સહિતની અન્ય ખાડીઓનાં પાણી શહેરી વિસ્તારમાં ફરી વળતાં લોકોનાં ઘરોમાં તેમજ વેપારીઓની દુકાનોમાં લાખો રૂપિયાનું નુક્સાન થયું હતું. દર વર્ષે માત્ર હાઇલેવલ મીટિંગો સિવાય કોઇ નક્કર કામગીરી નહીં થતી હોવાથી શહેરીજનોએ સહન કરવું પડી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૂલાકાતનાં પખવાડિયા પછી સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડીપૂરને કારણે શહેરીજનો સંકટમાં મૂકાઇ ગયાં હતાં. મીઠીખાડીમાં શહેરી વિસ્તારો સહિત પલસાણા, કડોદરા અને કામરેજ તરફનાં વરસાદી પાણી ઠલવાય છે જેમાં પલસાણામાં આજે બુધવારે સવારે ૮થી ૧૦ દરમિયાન ત્રણ ઇંચ સહિત ૧૨ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય બારડોલીમાં આજે ૧૨ કલાકમાં સાડાપાંચ ઇંચ, સુરત શહેરમાં આજે સવારે ૬થી સાંજે ૬ વાગ્યાં સુધીમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.સુરત શહેરમાં આજે સવારે છથી સાંજનાં છ વાગ્યા સુધીમાં બુધવારે સૌથી વધારે ત્રણ ઇંચ વરસાદ ઉધના ઝોન વિસ્તારમાં અને લિંબાયતમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે સમગ્ર દિવસ દરમિયાન સતત વરસાદ વરસતો રહ્યો પરંતુ તેની ઇન્ટેન્સિટી એટલી બધી ન હતી તેમ છતાં ખાડીપૂરનાં પાણી લિંબાયત વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં ફરી વળ્યાં તે આશ્ચર્યની બાબત છે. વરસાદી પાણીનો યોગ્ય અને ઝડપી નિકાલ થતો નથી અને ખાડીઓની કેરિંગ કેપેસિટી ઘટી ગઇ હોવાથી જ ખાડીપૂરનું સંકટ આવે છે તે વાત ફરી એકવાર સાબિત થઇ ગઇ છે. સુરત શહેરમાં પડી રહેલા વરસાદ બાદ બુધવારે રાત્રે ૧૧થી મળસ્કે ૪ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાએ સુરત શહેરને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ, ફાયરબ્રિગેડ તથા પોલીસ સહિતની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ફરી વળતા રાત્રે હજુ પણ ખાડીની સપાટી વધવાથી ઘરોમાં પાણી ઘૂસી જવાની શક્યતાઓ હોવાથી લોકોને જરૂરી સૂચના આપી યોગ્ય સ્થળે સ્થળાંતર કરવા માટે જણાવવામાં આવ્યું છે. સુરત શહેરમાં પહેલા તાપીપુરના કારણે લોકો હેરાન પરેશાન હતા પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી સુરત શહેરમાં દર વર્ષે ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામે છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. સુરત શહેરમાં આ વખતે પહેલા વરસાદમાં જ આવેલા ખાડી પૂરને કારણે લાખો લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને અનેક વેપારીઓ પણ પાયમાલ થઈ ગયા હતા ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભારે માછલા ધોવાયા બાદ આ વખતે પાલિકા દ્વારા પહેલેથી જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરત શહેરમાં એક તરફ ધીમી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ ખાડીની સપાટીમાં નોંધપાત્ર વધારો થતા સુરત શહેરમાં ફરી એકવાર ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ગઈકાલે પણ ભેદવાડ ખાડી ઓવર ફ્લો થઈ ગયા બાદ આજે ફરીથી ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ જવા પામી છે. એટલું જ નહીં પરંતુ મીઠી ખાડી પણ ભયજનક સપાટી કરતાં માત્ર એક મીટર નીચે હોવા છતાં મીઠી ખાડીના કેટલાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે સીમાડા ખાડી પણ ભયજનક સપાટી કરતાં માત્ર અડધો મીટર નીચે વહી રહી છે. જ્યારે ભેદવાડ ખાડી પણ ભયજનક સપાટીની નજીક વહી રહી છે. ભારે વરસાદને પગલે સુરતની શાળાઓમાં રજા જાહેર કરાઇ સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએથી મળેલી સૂચના અનુસાર તા. ૨૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ છે, ત્યાં આવેલી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ તમામ આંગણવાડીઓમાં રજા રાખવા સૂચના આપવામાં આવી છે. પરિપત્ર મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં સવારની પાળીની શાળાઓમાં એક કલાક વહેલા રજા આપવામાં આપવામાં આવી હતી , જ્યારે બપોરની પાળીની શાળાઓ પણ સંપૂર્ણપણે બંધ રાખવા ર્નિણય લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ તંત્રે તમામ સંચાલકો અને આચાર્યોને આ સૂચનાનું કડક પાલન કરવા તેમજ વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓને અવરજવરમાં કોઈ મુશ્કેલી કે જાેખમ ન સર્જાય તે માટે આ ર્નિણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.શહેરનાં વિવિધ રસ્તાઓ પર ખાડીનાં પાણી ફરી વળ્યાં મીઠીખાડી ભયજનક સપાટી સુધી પહોંચી પણ ન હતી ત્યાં જ અનેક મીઠીખાડીની આસપાસના વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળ્યા હતા. ગોડાદરા ખાતે આવેલ પુણા પાટિયાથી મહારાણા પ્રતાપ તરફ જતા મુખ્ય રોડ ઉપર પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ ઉપરાંત સારોલી વિસ્તારમાં ભરાયેલા પાણી કુંભારિયા મેઇન રોડ ઉપર ફરી મળતા ત્યાં પણ વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ સિવાય લિંબાયત, ડિંડોલી, ઉધના તથા પાંડેસરા અને ભેસ્તાન સહિતના અનેક વિસ્તારોમાં પણ પાણી રસ્તા પર ફરી વળ્યાં હતા. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાતાં લોકો અટવાયા હતા.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution