ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
27, જુલાઈ 2026 20196   |  
વેચાણ માટે લીધેલા હીરાનું ૭૪.૮૭ લાખ પેમેન્ટ નહીં ચૂકવી કતારગામની કંપની સાથે છેતરપિંડી

આડતથી વેચાણ માટે ૭૪.૮૭ લાખનાં હીરા લઇ ગયા બાદ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપનાર રિદ્ધિ ડાયમંડ તથા રિદ્ધિ સિદ્ધિ ડાયમંડ નામે ધંધો કરતા માંગુકિયા પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી અનુસાર સિંગણપોર ચાર રસ્તા પાસે રાજદીપનગરમાં રહેતા ચિરાગ ડુંગરશીભાઈ સવાણી હીરાનો વેપાર કરે છે. ભાવનગરનાં વલ્લભીપુર તાલુકાનાં વતની ચિરાગ કતારગામ અમરોલી રોડ ઉપર “સી. જેનીલ કુમાર એન્ડ કુ." નામથી વિશાલ સવાણી અને ડાહ્યાભાઇ સવાણી સાથે કુદરતી હિરાનું મેન્યુફેકચરિંગ તેમજ ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનું કામકાજ કરે છે. ચિરાગ પાંચ છ વર્ષ પહેલા ગૌરાંગ લાખાભાઇ માંગુકિયા સાથે હીરા વેચાણનું કામ કરતો હતો. ત્યારબાદ ગૌરાંગ હોંગકોંગ જઇ રિદ્ધિ સિદ્ધિ ડાયંમડ નામથી વેપાર કરવા માંડ્યો હતો. ગૌરાંગ માંગુકિયા એ વોટ્સએપથી ચિરાગ સવાણીનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, મારા પરિવારનાં અરવિંદભાઈ, ઉમંગ તથા કાનજી મુંબઈ અને સુરત મુકામે રિદ્ધિ ડાયમંડ નામથી ધંધો કરે છે. તેઓની જરૂરિયાત અનુસારનો માલ તારી પાસે હોય તો તેમને આપજે. એ માલ હું હોંગકોંગમાં વેચી પેમેન્ટ કરાવી આપીશ. પેમેન્ટની જવાબદારી લેવા સાથે ગૌરાંગે ૩% આડત આપવાની શરત પણ મૂકી હતી. ત્યારબાદ અરવિંદ માંગુકીયાએ ચિરાગને ફેક્ટરીએ મળવા ગયા હતાં. તેમણે કટ એન્ડ પોલીશ્ડ હીરાની ડિમાન્ડ કરી હતી. એ સમયે સવાણી પાસે હતો એ માલ બતાવ્યો હતો. માંગુકિયાએ ૨૪૯.૨૨૦ કેરેટ હીરા પસંદ કર્યા હતા. ૭૪,૮૬,૫૬૮ રૂપિયા કિંમતનાં હીરા ૧૨ ઓગષ્ટ, ૨૦૨૪નાં રોજ અરવિંદને જાંગડ પર અપાયા હતાં.  ત્યારબાદ પણ ધણો સમય વીતી જવા છતા અરવિંદે હીરા બાબતે કોઇ જવાબ આપ્યો ન હતો. દરેક કોલમાં અલગ અલગ બાહાના બનાવી તેઓ સમય પસાર કરતાં રહ્યાં હતાં. જેથી સવાણીએ ગૌરાંગનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જેમાં ગૌરાંગે ઉશ્કેરાઇ જઇ મે કે મારા કારાએ આવો કોઇ માલ ખરીદ્યો નથી, કે આડતથી વેચાણ માટે લીધો નથી એમ કહેતાં સવાણી આઘાત પામ્યો હતો. ત્યારબાદ ચિરાગનાં પિતા ડુંગરશીભાઇ તથા મુંબઈ ઓફિસમાં સેલ્સ વિભાગ સંભાળતા રાકેશ કાજાવદરા ૭૪.૮૭ લાખની ઉઘરાણી માટે રિદ્ધિ ડાયમંડ અને રિદ્ધિ સિદ્ધિ ડાયમંડનાં પાર્ટનર કાનજી તથા ઉમંગ પાસે ગયા હતાં. તેઓએ પણ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપી હતી. જેથી ચિરાગ સવાણીએ આખરે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 35343   |  
ભાવનગરના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમમાં મોટી તકનીકી ઘટના સામે આવી છે. ડેમના ૧૫ નંબરના ગેટને સંચાલિત કરતો મુખ્ય વાયર (રેસો) તૂટી જતાં ગેટ નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ અનિયંત્રિત રીતે નદીમાં છોડાવા લાગ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.માહિતી અનુસાર, ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે ગેટમાં ખામી સર્જાતા તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. ગેટને થયેલા નુકસાનને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.જિલ્લા પ્રશાસને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ સહિત શિહોર તાલુકાના ભાણગઢ ગામના લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે.વહીવટીતંત્રે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પૂર જાેવા, ફોટા કે સેલ્ફી લેવા માટે નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 34452   |  
બાળકને ગિરનારની સીડીઓ પરથી સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષ મળ્યા

વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કરી તેને સીડીઓ પરથી જ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. પરિવારજનો અને યાત્રિકોની નજર સામે બનેલી આ ઘટનાએ ભય અને અરેરાટીનો માહોલ સર્જ્યો હતો. બાદમાં વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ કલાકો સુધી શોધખોળ કર્યા બાદ જંગલમાંથી બાળકના અવશેષો કબજે લીધા હતા.છેલ્લા ૨૫ દિવસમાં માણસ પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું સામે આવતા ગિરનાર સહિત સિંહોના રહેણાંક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.પરિવારની આંખો સામે સિંહ બાળકને ખેંચી ગયોમહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. પરિવાર વહેલી સવારે દર્શન માટે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. ગેટથી અંદાજે ૫૦ જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળ ચાલતા બાળક મયુરસિંહ પર ઝંપલાવ્યું હતું.બાળક પોતાના કાકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો, પરંતુ સિંહ હુમલો કરીને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. વન રાજ્યમંત્રી પ્રવીણ માળી : ગિરનારમાં માનવ પર સિંહના હુમલાની પ્રથમ ઘટના ગિરનાર પર્વત પર ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની આ પ્રથમ ઘટના છે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.વનમંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ શંકાસ્પદ સિંહોને બેભાન કરીને પકડી લેવામાં આવ્યા છે.હાલ ત્રણેય સિંહોને વૈજ્ઞાનિક અને પશુચિકિત્સકીય તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.પ્રવીણ માળીએ સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોના વર્તનમાં આવી રહેલા ફેરફારોનું વૈજ્ઞાનિક કારણ જાણવા માટે વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને વિશેષ અભ્યાસ સોંપવામાં આવ્યો છે.સિંહોની પ્રકૃતિમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, માનવ વસાહતો તરફ તેમની અવરજવર શા માટે વધી રહી છે અને હુમલાઓ પાછળના કારણો શું છે, તે મુદ્દાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે..


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 21780   |  
અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે; ૩ મહિનામાં કામગીરીનો પ્રારંભ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના હાઈવે અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી વધુ નાણાં મેળવવા રાજ્ય સરકારને તાત્કાલિક દરખાસ્ત મોકલવા અનુરોધ કર્યો હતો.અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ-વે હવે ૮ લેન થશે ૯૩ કિલોમીટરના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વેને ચારમાંથી ૮ લેઈનમાં પરિવર્તિત કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડતરીએ મંજૂરી આપી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે ગુજરાતની આ માંગણી પરત્વે ર્નિણય કરીને વર્ષ ૨૦૨૭માં જ વિસ્તરણનું કાર્ય શરૂ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતનું જમીન સંપાદન મોડલ દેશ માટે ઉદાહરણ ડીપીઆર તૈયાર થતી વખતે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનને સરળ બનાવવા બિનખેતી મંજૂરીની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત મોડલની નીતિન ગડકરીએ પ્રશંસા કરી અને તેને સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય ગણાવ્યું. રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને શક્ય હોય ત્યાં સુધી કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરીને અન્યત્ર રોપવાની સૂચના આપવામાં આવી જેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, ઓગ્સ્ટ 2026 792   |  
પરિણીતાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ મામલે એફઆઈઆર નોંધાઈ

ખંભાત તાલુકા ભાજપા યુવા મોરચાના કારોબારી સભ્ય અને તેના મિત્ર વિરુદ્ધ ૨૧ વર્ષની પરણિતા પર અવારનવાર દુષ્કર્મ ગુજારવા, અશ્લીલ વીડિયો-ફોટા ઉતારી બ્લેકમેઇલ કરવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ચકચારી ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર ખંભાતના એક ગામમાં રહેતો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલો વિજય રાવજીભાઈ ચૌહાણ જે તાલુકા ભાજપ યુવા મોરચામાં કારોબારી સભ્ય છે. જૂન ૨૦૨૫માં સોશિયલ મીડિયા દ્વારા પીડિત પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો. વાતોના જાળમાં ફસાવી તેણે મહિલા સાથે સંબંધ બાંધ્યા હતા અને વાંધાજનક ફોટા પાડી લીધા હતા. ત્રણેક મહિના બાદ આ બાબતની જાણ પરિણીતાના પરિવારને થતાં સામાજિક પંચ સમક્ષ બેઠક યોજાઈ હતી, જ્યાં વિજયે માફી માંગી તમામ ફોટો-વીડિયો ડિલીટ કરી દેવાની ખાતરી આપી હતી. જાેકે, સંબંધ પૂરો થયા છતાં આરોપીએ ફોટો-વીડિયો ડિલીટ કર્યા નહોતા. ગત જાન્યુઆરી મહિનામાં સીવણકામ માટે જતી વેળાએ આરોપીએ રસ્તો રોકી, અશ્લીલ સામગ્રી વાઈરલ કરવાની ધમકી આપી પરણિતાને ગેસ્ટ હાઉસ ખાતે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપીએ પોતાના મિત્ર કિરણ જાદવને પણ સામેલ કર્યો હતો. બંનેએ ગેસ્ટ હાઉસમાં વારાફરતી દુષ્કર્મ આચરી તેના વીડિયો શૂટ કરી લીધા હતા અને આ વીડિયોના આધારે પીડિતાને સતત બ્લેકમેઇલ કરતા હતા. એટલું જ નહીં, આરોપીઓએ પરિણીતાને તેના પતિ અને સાસરિયાઓને ઘેનની ગોળીઓ આપી દેવા દબાણ કર્યું હતું અને ન કરવા પર પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ પર પણ ગંભીર આક્ષેપ, જીઁ સમક્ષ રજૂઆત બાદ હ્લૈંઇ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પીડિતાએ સમગ્ર આપવીતી પોતાના પતિને જણાવ્યા બાદ ૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી. આક્ષેપ છે કે સ્થાનિક પોલીસે તુરંત કોઈ એફ.આઈ.આર. નોંધી નહોતી અને પીઆઈ પી.એચ. નાયી તથા પીએસઆઈ મકવાણા દ્વારા મહિલા પોલીસની ગેરહાજરીમાં ૯ કલાક સુધી પૂછપરછ કરી સમાધાન માટે દબાણ કરાયું હતું. સ્થાનિક પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આવતા પીડિત પરિવાર જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યો હતો. એસ.પી.ના કડક આદેશ બાદ પોલીસ હરકતમાં આવી હતી.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, ઓગ્સ્ટ 2026 2475   |  
ઘોડાસરમાં ૧૧ ફેક્ટરીઓ સામે ગ્રામજનોનો આક્રોશ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાનું ઘોડાસર ગામ હાલ ભારે વિરોધ અને આક્રોશનું કેન્દ્ર બન્યું છે. ગામમાં આવેલી ૧૧ જેટલી ખાનગી કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવતા વાયુ, જળ અને ધ્વનિ પ્રદૂષણ સામે સરપંચ સહિત ૫,૦૦૦થી વધુ ગ્રામજનોએ એકઠા થઈ મોરચો માંડ્યો છે. ખેડાના મહેમદાવાદ તાલુકાનું ઘોડાસર ગામ હાલ ભારે વિરોધ અને આક્રોશનું કેન્દ્ર બન્યું છે. ગામમાં આવેલી ૧૧ જેટલી પ્રાઇવેટ કંપનીઓ સામે સરપંચ સહિત આખા ગામના લોકોએ મોરચો માંડ્યો છે. ૫,૦૦૦થી વધુ ગ્રામજનોના સ્વાસ્થ્ય સામે મોટું જાેખમ ઊભું થતાં સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ જાેવા મળી રહ્યો છે.ઘોડાસર ગામના લોકોનો ગંભીર આક્ષેપ છે કે આ ૧૧ કંપનીઓ દ્વારા કોઈ પણ જાતના શુદ્ધિકરણ વગર કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણી ખુલ્લામાં તેમજ જમીનમાં છોડવામાં આવી રહ્યું છે. આ પ્રદૂષણને કારણે ગામના કેટલાય બોરવેલના પાણી કાળા પડી ગયા છે. દૂષિત પાણી અને હવામાં ફેલાતા ઝેરી પ્રદૂષણને લીધે ગામલોકો કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓની સપેટમાં આવી રહ્યા છે. સમગ્ર ગામમાં રોગચાળો ફાટી નીકળવાની બીક સેવાઈ રહી છે. માત્ર પ્રદૂષણ જ નહીં, પરંતુ આ એકમો સામે ગ્રામ પંચાયતના બાકી વેરાને લઈને પણ મોટો ખુલાસો થયો છે. આ ૧૧ એકમોનો આશરે ૧.૩૮ કરોડ જેટલો વેરો ગ્રામ પંચાયતમાં બાકી છે. પંચાયત દ્વારા વારંવાર નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં કંપનીના માલિકો દ્વારા ટેક્સ ભરપાઈ કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામના વિકાસકામો પર પણ વિપરીત અસર પડી રહી છે. આ વિવાદમાં એક નવો અને ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગ્રામજનોએ ગામની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ એકમોમાં કામ કરતા મજૂરોમાંથી કેટલાક ગેરકાયદેસર બાંગ્લાદેશી હોઈ શકે છે. કંપનીઓ દ્વારા અહીં કામ કરતા કર્મચારીઓ કે મજૂરોના ઓળખપત્ર કે કોઈ પણ સરકારી દસ્તાવેજ ગ્રામ પંચાયતમાં જમા કરાવવામાં આવ્યા નથી, જેનાથી ગામની સુરક્ષા સામે પણ મોટો સવાલ ઊભો થયો છે. ગામના સરપંચ અને સ્થાનિકોની સ્પષ્ટ માગ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે આ તમામ ૧૧ એકમોની કડક તપાસ કરવામાં આવે, પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરીને તેમને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે અને પંચાયતનો બાકી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે. “ઘોડાસર ગામના ૫,૦૦૦થી વધુ લોકો આજે પોતાના સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ગામની સુરક્ષા માટે લડાઈ લડી રહ્યા છે. એક તરફ કેન્સર જેવી બીમારીનો ભય છે તો બીજી તરફ કરોડો રૂપિયાનો ટેક્સ બાકી હોવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે. હવે જાેવાનું એ રહેશે કે ય્ઁઝ્રમ્ અને સ્થાનિક પ્રશાસન આ ૧૧ એકમો સામે ક્યારે કડક પગલાં ભરે છે.” સરપંચ સહિત ગ્રામજનોની ફરિયાદ અને માંગણી ગામની આસપાસ આવેલી ૧૧થી વધુ કંપનીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવાઈ રહ્યું છે. હવા અને જમીન પ્રદૂષણના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો. કંપનીઓ દ્વારા ગ્રામ પંચાયતનો ૧.૩૮ કરોડથી વધુનો વેરો પણ ભરવામાં આવ્યો નથી. ય્ઁઝ્રમ્ના તમામ નિયમોના ધજાગરા ઉડાડી કંપનીઓ ચાલતી હોવાના ગ્રામજનોના આરોપ. કંપનીના સંચાલકો ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને નોકરી પર રાખતા હોવાના પણ આક્ષેપ. જવાબદાર તંત્ર દ્વારા આ એકમો સામે કાયદેસર કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માગ.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, ઓગ્સ્ટ 2026 2376   |  
હડતાળ મુદ્દે વરોધાભાસી નિવેદનોથી વિવાદ વકર્યો

ગતરોજ કરમસદ આણંદ મનપાના બે દિવસ થી હડતાલ પર ઉતરેલા અધિકારીઓ કર્મચારીઓ ની હડતાલ ગતરોજ ધારાસભ્ય દ્વારા મીઠું મોઢું કરાવી સમેટાયા સમયે ધારાસભ્ય બાદ કર્મચારી અગ્રણી અને બાદમાં મનપા કમિશ્નર ની પ્રતિક્રિયા પર વિસંગતત ઉભી થવા સાથે દાલમે કુછ કાલા કે પૂરી દાલ કાલી!!ના સવાલ મનપા કચેરીમાં ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર કરમસદ આણંદ મનપા ના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસ પૂર્વ બપોરના સમયે વિજળી વેગે હડતાલ પર ઉતરતા ગતરોજ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, તથા સ્થાયી સમિતી અધ્યક્ષ સહિત અન્ય નેતાઓ ની ઉપસ્થિતિમાં મીઠું મોઢું કરાવી હડતાલ સમેટી લેવામાં આવી હતી.જે સાથે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા અધિકારી કર્મચારીઓ ની માંગ પર રાજ્ય મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી ને જાણ કરી યોગ્ય ઉકેલ લાવવા પ્રયાસ કર્યો નું જણાવ્યું હતું.જે સાથે હડતાલ પર ઉતરેલા અધિકારી દ્વારા મૌખિક માંગ પૂર્ણ કરવા હૈયાધારણા આપતાં હડતાલ સમેટી નું જણાવ્યું હતું.જયારે મનપા કમિશ્નર દ્વારા હડતાલના પ્રથમ દિવસથી અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કોઇ રજૂઆત કરવામાં આવી નથી જે હડતાલ સમેટાયા બાદ પણ એ જ પ્રતિક્રિયા આપતા હડતાલ ઉભી કરવા પાછળ કોઇ ખેલ?કે સમગ્ર વિરોધના સૂર પાછળ દાલમે કુછ કાલા કે પૂરી દાલ કાલી?ના સવાલ સાથે હડતાલ સમેટવા પર વિસંગતતા ઉભી થવા પામી હોવાનું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, ઓગ્સ્ટ 2026 2277   |  
વડોદરામાં મગરોનો આતંક!

વડોદરામાં મગરોનો આતંક!


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, ઓગ્સ્ટ 2026 792   |  
સરકારી શાળાના ૩૯ બાળકોને ફૂડ પોઈઝનિંગ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાંથી સરકારી શાળાના મધ્યાહન ભોજનની ઘોર બેદરકારી છતી કરતી એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. ઈડર તાલુકાની હસનપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા બોપરે બનાવેલા ભોજનમાં ગંભીર ગફલત સામે આવી છે. શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ અડદની દાળ બનાવવામાં આવી હતી. આ ભોજન આરોગ્યા બાદ એકાએક માસૂમ ભૂલકાઓની તબિયત લથડવા લાગી હતી, અને એક પછી એક બાળકોને ઊલટી, ઉબકા અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદો શરૂ થઈ ગઈ હતી.ભોજન પીરસાઈ રહ્યા બાદ અડદની દાળના તપેલામાંથી ગરોળી જેવી મૃત જીવાત મળી આવતાં જ શાળાના શિક્ષકો અને બાળકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગરોળીવાળું ઝેરી ભોજન પેટમાં જતાં જ શાળાના ૩૯થી વધુ બાળકો ગંભીર રીતે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. અચાનક મોટી સંખ્યામાં બાળકોની સ્થિતિ કથળતાં શાળા પરિસરમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા અને ગ્રામજનો તથા વાલીઓના ટોળાં શાળા ખાતે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ અને સ્થાનિક વાહનો મારફતે તમામ પ્રભાવિત બાળકોને સારવાર અર્થે ઈડરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ઇમરજન્સી ધોરણે તમામ માસૂમ બાળકોની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. કેનાલ અને ઝેરી ખોરાકના કારણે કેટલાક બાળકોની સ્થિતિ નાજુક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જેને પગલે તબીબો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. એકસાથે ૩૯થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થવાની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું છે. માસૂમ ભૂલકાઓના જીવ સાથે રમત રમનારા મધ્યાહન ભોજન વિભાગ અને પુરવઠા વિભાગની કામગીરી સામે વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ગુણવત્તા વગરનું અને અસ્વચ્છ ભોજન બનાવનારા જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે, તેવી ગ્રામજનો અને વાલીઓ દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, ઓગ્સ્ટ 2026 693   |  
એસપી રિંગરોડ પર કાળમુખા ટ્રકની ટક્કરે બાઈકચાલક આધેડનું ઘટનાસ્થળે કરૂણ મોત

શહેરના હાથીજણ સર્કલથી રામોલ તરફ જવાના રસ્તા પર પુરઝડપે દોડતા એક કાળમુખા ટ્રકે મોટરસાયકલને પાછળથી જાેરદાર ટક્કર મારતાં બાઇક ચલાવી રહેલા આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર પાછળ બેઠેલાં તેમના પત્ની એટલે કે પચાસ વર્ષીય મહિલા અને તેમનો ૧૦ વર્ષનો પૌત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, ખેડાના વિજયનગર ઘોડાસર ખાતે રહેતા અને ઘરકામ કરતા પચાસ વર્ષીય મહિલા તેમના પતિ મેલાભાઈ અને પૌત્ર મિતુલ સાથે અમદાવાદના હાથીજણ ખાતે રહેતા તેમના બહેનના ઘરે આવ્યા હતા. તેઓ મોટરસાયકલ પર સવાર થઈ પરત ગામ જવા નીકળ્યા હતા. આ દરમિયાન એસપી રિંગરોડ પર મામાદેવ ધાબા સામેના કટ પાસેથી પસાર થતી વખતે પાછળથી પુરઝડપે આવેલા ટાટા ટ્રકના ચાલકે તેમની બાઇકને અડફેટે લીધી હતી.પ્રચંડ ટક્કરથી ત્રણેય રોડ પર પટકાયા હતા, જેમાં બાઇક ચાલક મેલાભાઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાને જમણા પગે ફ્રેક્ચર અને પૌત્ર મિતુલને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ એકત્ર થયેલા લોકોએ ઇજાગ્રસ્ત મહિલા અને બાળકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.હોસ્પિટલમાંથી મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે જે ટ્રાફિક પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (મ્દ્ગજી) ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬(૧) તેમજ મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, ઓગ્સ્ટ 2026 693   |  
ભાગી રહેલા આનંદનગર દુષ્કર્મના આરોપીને પોલીસે સ્વબચાવમાં પગમાં ગોળી મારી

અમદાવાદના ચર્ચાસ્પદ જાેધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થતાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. સમગ્ર ઘટનાની વિગત મુજબ, આનંદનગર પોલીસ મથકના પી.આઈ. આર. એસ. પરમાર અને તેમની ટીમ આનંદનગરના જાેધપુર દુષ્કર્મના કેસમાં પકડાયેલા આરોપી ધર્મસિંહ રામશંકરસિંહ રાઠોડ (ઉંમર ૨૭, રહે. જાેધપુર, મૂળ ઉત્તર પ્રદેશ) ને લઈને રવિવારે રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં હેબતપુર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે મોબાઈલમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશન પર પંચનામાની વિગતો અપલોડ કરવા ગયા હતા. આ દરમિયાન આરોપી ધર્મસિંહે પોલીસને ચકમો આપી ભાગી જવાના ઈરાદાથી પી.આઈ.ની સરવિસ પિસ્તોલ ઝૂંટવવાનો અચાનક પ્રયત્ન કર્યો હતો.પિસ્તોલ બચાવવા માટે પી.આઈ. અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ખેંચતાણ દરમિયાન પિસ્તોલમાંથી અચાનક ફાયરિંગ થઈ ગયું હતું, જેની ગોળી ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ કિરીટસિંહના સાથળના ભાગે વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ પર હુમલો કરી નાસી છૂટવા મથતા હુમલાખોર આરોપીને કાબૂમાં લેવા માટે અંતે પી.આઈ. પરમારે સ્વબચાવમાં ત્વરિત ફાયરિંગ કર્યું હતું, જેની ગોળી આરોપીના જમણા પગના પંજામાં વાગી હતી.આ સનસનીખેજ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટના બાદ તુરંત જ ૧૧૨ નંબર પર જાણ કરી સરકારી વાહનમાં બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોપી લંગડાતા લંગડાતા કહી રહ્યો હતો કે હવે ફરીવાર આવું નહીં કરું મને એકવાર માફ કરીને જવા દો.આ ગંભીર મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપી ધર્મસિંહ સામે ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) ની કલમ ૧૧૦, ૧૨૧(૨) અને ૨૬૨ હેઠળ સત્તાવાર ગુનો નોંધાયો છે. આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની એક સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા જ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ગંભીર ઘટનાએ સૌકોઈને ચોંકાવી નાખ્યા છે. જેમાં ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવા મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ધર્મસિંહ રામશંકરસિંહને હેબતપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, ઓગ્સ્ટ 2026 1188   |  
ગાંધીનગરમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે વિશાળ તિરંગા યાત્રાને પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “હર ઘર તિરંગા” અભિયાનને “હર દિલ તિરંગા”નું જન આંદોલન બનાવવા આહવાન કર્યુ હતું.વડાપ્રધાન મોદીની પ્રેરણાથી દેશભરમાં તા. ૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી તિરંગા યાત્રા રાષ્ટ્ર માટે સૌ પોતાનું સવર્શ્રેષ્ઠ યોગદાન આપે તેવી અદમ્ય ચેતના જગાવતી યાત્રા બની રહી છે. ત્યારે આજે ગાંધીનગરમાં ગાંધીનગર મનપા અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં તિરંગા સાથે નાગરિકો ઉમટી પડ્યા હતા.પોલીસ જવાનો દ્વારા રજૂ કરાયેલો ‘ડેરડેવિલ્સ શો’ સૌ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.આ તિરંગા યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ધારાસભ્યો અને મુખ્યસચિવ એમ.કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓનું બલિદાન ચિરંજીવ રાખવા “હર ઘર તિરંગા” અભિયાન દેશમાં શરૂ થયું છે.તેમણે જણાવ્યું હતું કે, તિરંગા યાત્રા એ દેશની એકતા અને અખંડિતતાની યાત્રા છે અને હ્રદયમાં ભારત ભક્તિ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, ઓગ્સ્ટ 2026 693   |  
જર્જરિત ક્વાર્ટર્સ ખાલી કરવાની નોટિસથી ચિંતા

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સંત વિનોબાનગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સના જર્જરિત મકાનોનો પ્રશ્ન ફરી એકવાર સામે આવ્યો છે. આશરે ૬૩ વર્ષ જૂના આ મ્યુનિસિપલ ક્વાર્ટર્સમાં રહેતા પરિવારો ચોમાસા દરમિયાન જીવના જાેખમ વચ્ચે રહેવા મજબૂર હોવાનો રહીશોનો દાવો છે. દરમિયાન ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ક્વાર્ટર્સ ખાલી કરવા માટે રહીશોને નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નોટિસમાં રહીશોને પોતાની રીતે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા સૂચના આપવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.એક તરફ જર્જરિત મકાનોને કારણે સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે, તો બીજી તરફ વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારો સામે અચાનક વૈકલ્પિક રહેઠાણનો પ્રશ્ન ઊભો થયો છે. રહીશોનું કહેવું છે કે તેઓ મકાનોના રિડેવલપમેન્ટ માટે તૈયાર છે અને આ માટે અગાઉથી જ જરૂરી પ્રક્રિયામાં સહકાર આપી ચૂક્યા છે. હવે રિડેવલપમેન્ટની પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને ત્યાં સુધી અસરગ્રસ્ત પરિવારોને ભાડું તથા અન્ય યોગ્ય લાભો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સંત વિનોબાનગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સમાં કુલ ૧૭ જેટલા બ્લોક આવેલા હોવાનું જણાવાયું છે. આ બ્લોકમાં આશરે ૪૪૦ મકાનો ઉપરાંત ૨૫૦ જેટલા ઝૂંપડાં આવેલા હોવાનું રહીશોનું કહેવું છે. વર્ષો જૂના આ બાંધકામોની હાલત જર્જરિત બની ગઈ છે. કેટલાક સ્થળે ગેલેરી તથા અન્ય ભાગોમાં નુકસાન થયું હોવાના કારણે રહીશોમાં સતત ભયનો માહોલ રહે છે.રહીશોનો દાવો છે કે અહીં આશરે ૫ હજારથી વધુ લોકો રહે છે. આ પરિવારોમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પણ મોટી સંખ્યામાં રહેતા હોવાથી ચોમાસા દરમિયાન મકાનની હાલતને લઈને ખાસ ચિંતા છે. આર્થિક મજબૂરીના કારણે અનેક પરિવારો જર્જરિત મકાનો ખાલી કરીને અન્ય સ્થળે રહેવાની સ્થિતિમાં નથી. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જર્જરિત ક્વાર્ટર્સ ખાલી કરવાની નોટિસ અપાઈ હોવાનું સામે આવ્યા બાદ રહીશોની મુશ્કેલી વધી છે. મકાનો જાેખમી હોય તો સુરક્ષાના કારણોસર ખાલી કરાવવાની જરૂરિયાત રહીશો પણ સમજે છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વિના પરિવારોને મકાનો ખાલી કરવા જણાવવામાં આવે તો તેઓ ક્યાં જશે તે મોટો પ્રશ્ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે. રહીશોની માંગ છે કે મકાનો ખાલી કરાવતાં પહેલાં દરેક પરિવાર માટે યોગ્ય વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે અથવા નિયમ મુજબ ભાડાની સહાય આપવામાં આવે. રિડેવલપમેન્ટ પૂર્ણ થાય ત્યાં સુધી પરિવારોને સુરક્ષિત રીતે રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગ છે.૬૦ ટકાથી વધુ રહીશોની નોટરાઈઝ સંમતિ વિનોબાનગરના મકાનોના રિડેવલપમેન્ટ માટે રહીશોએ લાંબા સમયથી માંગણી કરી છે. રહીશો મુજબ રિડેવલપમેન્ટ માટે ૬૦ ટકાથી વધુ રહેવાસીઓની નોટરાઈઝ સંમતિ મેળવી લેવામાં આવી છે. આ સંમતિ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે. રહીશોનો આક્ષેપ છે કે તા.૧૭ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર, સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના સંબંધિત અધિકારીઓને રિડેવલપમેન્ટ માટેની નોટરાઈઝ સંમતિ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત પૂર્વ ઝોનના એસ્ટેટ ટી.ડી.ઓ. સહિતના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, ઓગ્સ્ટ 2026 594   |  
મધરાત્રે ઘરોમાં પાણી ઘૂસ્યા અને પ્રમુખે હાથ અદ્ધર કરી દીધાં

વલસાડ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભા તોફાની બની હતી. શહેરમાં તાજેતરમાં આવેલ પૂર, ભારે વરસાદ અને પ્રી-મોન્સૂન કામગીરીમાં નગરપાલિકા તંત્રની ઘોર નિષ્ફળતા સામે જનતામાં ભારે આક્રોશ વ્યાપેલો છે, જેનો પડઘો સામાન્ય સભામાં સ્પષ્ટપણે સાંભળવા મળ્યો હતો. શાસક પક્ષ ભાજપના જ જાગૃત કાઉન્સિલરોએ તંત્રની લાપરવાહી અને પોતાના જ પક્ષના હોદ્દેદારોની નિષ્ક્રિયતા સામે બાંગ પોકારીને સત્તાધીશોને ભારે અસ્વસ્થ કરી મુક્યા હતાં.સામાન્ય સભા શરૂ થતાં જ શાસક પક્ષના કાઉન્સિલર જ્યોત્સના રાઠોડે પાલિકાના વહિવટ અને પ્રમુખ/હોદ્દેદારો સામે સીધા ચાબખા માર્યા હતાં. તેમણે વાપી નગરપાલિકાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, બાજુમાં વાપીમાં યોગ્ય સમયે સામાન્ય સભા યોજી ર્નિણયો લેવાય છે, તો આપણે ત્યાં જ કાયમ વિલંબ કેમ થાય છે. સમયસર કામો મંજૂર ન થવાને કારણે સરેરાશ એક-એક વર્ષ સુધી વિકાસકામો અટકી પડે છે. સભા દરમિયાન છીપવાડનું રેલવે ગરનાળું સળંગ ૧૫ દિવસ સુધી બંધ રહેતા નાગરિકોને પડેલી અસહ્ય હાલાકીનો મુદ્દો જોરશોરથી ઉછળ્યો હતો. પૂર ઓસર્યા બાદ પણ છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળાની યોગ્ય સફાઈ અને સમારકામ ન થતાં સમગ્ર શહેરમાં રોગચાળો ફેલાવાનો ગંભીર ભય ઊભો થયો છે. આથી, તંત્ર દ્વારા માત્ર વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો સાથે સભ્યોએ આક્રોશ ઠાલવ્યો હતો. બીજી તરફ કાઉન્સિલર ઉર્વશી પટેલે પૂરની હોનારત વખતે પાલિકાની લાપરવાહીની પોલ ખોલતા આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે,વરસાદ અને પૂરની આગાહી હોવા છતાં પાલિકાએ શું પૂર્વ તૈયારીઓ કરી હતી, તેવા સવાલો કરી સભા ગજવી હતી. તેમણે વેધક રજૂઆત કરતાં જણાવ્યું હતું કે રાત્રે ૩-૩ વાગ્યે લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં મહિલાઓ અને બાળકો અગાશી પર ચડીને જીવ બચાવી રહ્યાં હતાં. આવા ભયાનક સમયે તેમણે પોતે પાલિકા પ્રમુખ માલતી ટંડેલને મદદ માટે ફોન કર્યા હતાં, પરંતુ પ્રમુખે સવારે એવો બેજવાબદાર જવાબ આપ્યો કે, આપણે કંઈ કરી શકીએ નહીં. આટલી મોટી આપત્તિમાં નગરપાલિકા તરફથી કોઈ સહાય ન મળતાં આખરે એનડીઆરએફ અને સ્થાનિક રહિશોએ જ એકબીજાને રેસ્ક્યુ કરીને બચાવ્યા હતાં. સભામાં વાતાવરણ ત્યારે વધુ ઉગ્ર બન્યું જ્યારે મોગરાવાડીના પ્રશ્ને ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન મહિલા સભ્ય જ્યોત્સના રાઠોડ અને પાલિકા ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા સામસામે આવી ગયા હતા. ઉપપ્રમુખ આશુતોષ મિશ્રાએ મર્યાદા નેવે મુકી મહિલા સભ્ય સાથે અત્યંત અશોભનીય અને અભદ્ર વર્તન કર્યું હતું. જેને પગલે બંને ભાજપી સભ્યો વચ્ચે તીખી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપી સભ્ય નિતેશ વશીએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, હાલર વિસ્તારમાં છેલ્લાં છ મહિનાથી વાસ મારતું પાણી આવે છે અને નવા કનેક્શન માટે ૩-૩ મહિના રાહ જોવી પડે છે. વોટર વર્ક્સ ચેરમેન અમિત દેસાઈએ વોટર વર્ક્સ ખાતે સરદારજીને તેમનાં ૧૫ માણસો લાવવા સ્પષ્ટ સૂચના છે, અમે પાલિકામાં લેખિત જણાવ્યું છે તેમ છતાં એક પણ માણસ આવતાં ન હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ, પાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના જ કાઉન્સેલરો અને સભ્યોએ પાલિકાના વિકાસકામો, પ્રી-મોન્સૂન કામગીરી અને પૂર બાદની સફાઈમાં કરવામાં આવેલી વેઠની પોલ ઉઘાડી પાડી હતી. જેને પગલે પાલિકા પ્રમુખ માલતી ટંડેલ અને મુખ્ય હોદ્દેદારો ભારે અસ્વસ્થ અને બઘવાઈ ગયેલા નજરે પડ્યાં હતાં. જ્યારે ઘણાં પ્રશ્નોના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાએ જવાબો આપી સભ્યોનો રોષ શાંત પાડવા પ્રયાસો કર્યા હતાં.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, ઓગ્સ્ટ 2026 792   |  
રૂ.૧.૯૪ કરોડની છેતરપિંડીમાં બેંક અને પોસ્ટનાં કર્મીઓ પણ શંકાના દાયરામાં

નવસારીના એલઆઈસી અને પોસ્ટ ઓફિસના એજન્ટ સુરેન્દ્રકુમાર ગાંધી દ્વારા એનઆરઆઈ દંપતી સાથે આચરવામાં આવેલા ૧.૯૪ કરોડથી વધુની ઠગાઈના કેસમાં બેંક અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. નવસારીના જૂનાથાણાના વતની અને છેલ્લાં ૩૦ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ધર્મેશકુમાર વલસાડીયા દ્વારા એલઆઈસી અને પોસ્ટ ઓફિસના અધિકૃત એજન્ટ સુરેન્દ્રકુમાર ગાંધી મારફતે એલઆઈસી અને પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓમાં કુલ ૧૯૪૫૧૧૨૪ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આરોપી સુરેન્દ્રકુમારે ધર્મેશકુમારની જાણ બહાર તેમનાં દ્વારા કરવામાં આવેલાં રોકાણના નાણાં બારોબાર ઉપાડી લેવામાં આવ્યાં હતાં. આવામાં એલઆઈસી અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. ફરિયાદીની જાણ કે સંમતિ વિના સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંક, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં ખોટી સહીઓ તથા દસ્તાવેજોના આધારે નકલી ખાતાઓ કેવી રીતે ખોલવામાં આવ્યાં તે એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે. આ કેસમાં આરોપી એજન્ટ સુરેન્દ્રકુમાર ગાંધી નવસારી પોસ્ટ ઓફિસમાં મોડી સાંજ સુધી કયા કર્મચારી સાથે બેસતો હતો અને નાણાંના વ્યવહારો તથા ટ્રાન્સફરમાં તેને કોણે મદદ કરી હતી તે અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. આમ, આ ૧.૯૪ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીના કેસમાં પોસ્ટ અને બેંકના કર્મચારીઓની સંડોવણી વિના આટલાં મોટાં પ્રમાણમાં નાણાંકીય ગોટાળા શક્ય ન હોવાથી પોલીસ દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ક્યારે હાથ ધરવામાં આવશે તે અંગે ચર્ચાઓ જોવા મળી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, ઓગ્સ્ટ 2026 594   |  
નવી સિવિલનાં નિવાસી તબીબનાં આપઘાત કેસમાં ચાર સીનિયર તબીબ સસ્પેન્ડ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાનાં આપઘાત કેસમાં એન્ટી રેગિંગ કમિટીનાં અહેવાલ અને ઉચ્ચસ્તરીય તપાસ પછી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સત્તાધીશો કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે. ચાર રેસિડેન્ટ ડોક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે ચાર ફેકલ્ટી સભ્યોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.રાજ્ય સરકારનાં કડક નિર્દેશો તથા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાનાં માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલનાં ડીન અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટીએ સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. પ્રથમ વર્ષનાં નવ રેસિડેન્ટ ડોક્ટરો તેમજ મૃતકનાં પિતાની રજૂઆતના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા.રાત્રે ૮:૩૦ વાગ્યાથી વહેલી સવારે ૪:૦૦ વાગ્યા સુધી ચાલેલી મેરેથોન તપાસ દરમિયાન માઇક્રોબાયોલોજી વિભાગનાં સીનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી સભ્યો, ટેકનિશિયન અને સફાઈકર્મીઓનાં નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ એન્ટી રેગિંગ સ્ક્વોડે પોતાનો અહેવાલ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કર્યો હતો. જેમાં ત્રણ મહિલા સીનિયર તબીબે મૃતક ડોક્ટરને ગાળો આપી રેગિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. કમિટીનાં અહેવાલને આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દીક્ષિતા ઘેવરિયા અને ડો. હિના ભુતને છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવાનો તેમજ સસ્પેન્શન દરમિયાન કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો. સુમૈયા મુલ્લા સહિત ડો. સંગીતા રાજદે, ડો. યોગિતા મિસ્ત્રી અને ડો. લતિકા પુરોહિતને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીના સમગ્ર અહેવાલને કોલેજ કાઉન્સિલે સર્વાનુમતે મંજૂરી આપી છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી સુધારાત્મક પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ વહેલી સવારે સમગ્ર અહેવાલ રાજ્ય સરકારને સત્તાવાર રીતે મોકલી આપવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે,ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રચાયેલી તપાસ કમિટીએ રાત્રે ૯.૩૦ વાગ્યાથી સવાર સુધી સતત કામગીરી કરી પ્રથમ વર્ષના ૮૦થી વધુ જુનિયર ડોક્ટરોના નિવેદન નોંધ્યા હતા.જાેકે મૃતક ડોક્ટર પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી પરંતુ તેમની સાથે અભ્યાસ કરતા સહઅધ્યાયીઓના નિવેદનો પરથી સ્પષ્ટ થયું છે કે,સીનિયર ડોક્ટરો દ્વારા તેમને અવારનવાર માનસિક ટોર્ચરિંગ અને હેરાનગતિ કરવામાં આવતી હતી. એન્ટી રેગિંગ કમિટીના પ્રાથમિક અહેવાલના આધારે માનસિક ત્રાસ આપવા માટે સીધા જવાબદાર એવા ૦૪ સીનિયર ડોક્ટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાત્રે ૮.૩૦થી પરોઢે ૪ વાગ્યા સુધીની મેરેથોન તપાસ બાદ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી ડો. હર્ષ પંડ્યા આપઘાતની ઘટનામાં પિતાની ફરિયાદનાં આધારે રેગિંગ અંગે તપાસ શરૂ કરાઈ હતી. હોસ્પિટલના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના ૯ રેસિડેન્ટ ડોક્ટર્સ અને તેના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. રાત્રે ૮.૩૦થી સવારના ૦૪.૦૦ વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઈક્રોબાયોલોજી વિભાગના સીનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન તથા સફાઈકર્મીઓના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કરાયો હતો. તપાસમાં સામે આવેલા ચોંકાવનારા મુદ્દા ફેકલ્ટી નીકળી જાય પછી રોજ જુનિયર રેસિડેન્ટની અલગ બેઠક બોલાવી ઠપકો આપવામાં આવતો હતો. પ્રથમ વર્ષના ૯ રેસિડેન્ટના નિવેદનમાં ‘ઈગો ન રાખો, બધું કામ છોડીને તરત આવો’ જેવી ધમકી મળતી હોવાનું સામે આવ્યું. આપઘાતના બે દિવસ પહેલાં મૃતક ડૉક્ટરને લગભગ બે કલાક રૂમમાં બંધ રાખી મૌખિક રીતે અપમાનિત કરવામાં આવ્યા હતા. તપાસમાં ડૉ. દીક્ષિતા દ્વારા સૌથી વધુ માનસિક ત્રાસ અપાતો હોવાનું અનેક નિવેદનોમાં નોંધાયું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, ઓગ્સ્ટ 2026 792   |  
જેલમાં બેઠા બેઠા સતીષ મરાઠીની હત્યા કરાવનાર રાહુલ મંડલની ધરપકડ

જેલમાં બેઠા બેઠા સતીષ મરાઠીની હત્યા કરાવનાર બુટલગેર રાહુલ મંડલની પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. કેતન ઉર્ફે સન્ની તથા રાહુલ બટકની કબૂલાત તથા ઇલેક્ટ્રોનિક પુરાવાનાં આધારે પોલીસે કરેલી ટ્રાન્સફર વોરંટ માટેની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ દરમિયાન હત્યા કરી ભાગતી વેળા હુમલાખોરોએ દેલાવડા નજીક લોખંડનાં મોટા પાઇપમાં સંતાડી દીધા હતાં એ હથિયાર પોલીસે શોધી કાઢ્યા છે.વેડરોડ ઉપર નામચીન સૂર્યા મરાઠીની તેની ઓફિસમાં જ ઘાતકી હત્યા બાદ ભારે લાઇમલાઇટમાં આવેલા સતીષ ઘાડગેની પણ એ જ ઢબે હત્યા કરાઇ છે. સૂર્યા મરાઠી હત્યા કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ સતીષ ઉર્ફે બાબુ મરાઠીએ દારૂનાં ધંધા અને ગુનાખોરીની દુનિયામાં વર્ચસ્વ માટે ઘણા લોકો પર હુમલો પણ કર્યા હતાં. સતીષનાં આતંકનો ભોગ બન્યા હોય એ બધાએ પોતાની સાથે કરી રાહુલ મંડલે તેનો ખેલ ખતમ કરી નાંખ્યો છે. રાહુલનાં ઇશારે ગત માર્ચ મહિનામાં સતીષ પર હુમલો પણ કરાયો હતો. ગોડાદરા બ્રિજ નીચે સતીષને ઘેરી લેનાર કેતન ઉર્ફે સન્ની, રાહુલ બટકો, અજીત ગોસ્વામી, આકાશ બટકા વિગેરેએ મરચાની ભૂકીનો ઉપયોગ કરવા છતાં તે બચી ગયો હતો. આ હુમલો નિષ્ફળ જતા આખી ટોળકીમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જાે કે, એ સમયે સતીષને ખ્યાલ આવ્યો ન હતો કે આ હુમલો કોણે કર્યો હતો. સતીષને આ વિસ્તારના માથાભારે મનીયા ડુક્કર પણ શંકા ગઇ હતી. હુમલા અંગે વાત કરવા તે રાહુલ એપાર્ટમેન્ટને લઇ મનીયા ડુક્કરને મળ્યો પણ હતો. જાે કે, મનીયા એ પોતે એમાં સામેલ નથી અને કોણે કર્યો કે કરાવ્યો એની માહિતી નથી એવી વાત કરી હતી. મુનિયાનું નામ સતીષનાં મનમાંથી નીકળ્યું પરંતુ બીજું કોણ એ ઘણા ટપોરીઓ સાથેની મિટિંગ બાદ પણ સતીષ શોધી શક્યો ન હતો. બીજી તરફ હુમલો કરનારાઓમાં એવો ડર પેસી ગયો હતો કે, સતીષ તેમને પાડી દેશે. આ વાત જાણતા રાહુલ મંડલે આખી ટોળકીને સેફ હાઉસમાં ખસેડી દીધી હતી. બીજી તરફ હત્યા કેસમાં રિમાન્ડ દરમિયાન કેતન ઉર્ફે સન્ની, રાહુલ બટકો, કરણ ઉર્ફે પિદ્દુલ, અજીત ગોસ્વામી તથા આકાશ બટકા એ આપેલી માહિતીના આધારે પોલીસે દેલાડવાથી કડોદરા તરફ જતાં કેનાલ રોડ ઉપર તપાસ કરી હતી. જ્યાંથી હત્યા બાદ ભાગતી વેળા લોખંડના મોટા પાઇપમાં સંતાડી દેવાયેલા સાત હથિયારો શોધી કઢાયા છે. ઉપરાંત ત્રણ મોબાઇલ ફોન અને હત્યા વેળા હુમલાખોરોએ પહેર્યા હતાં એ કપડાં પણ કબજે લેવાયા છે. દરમિયાન કેતન ઉર્ફે સન્ની તથા રાહુલ બટકાએ કરેલી કબૂલાત તથા તેમની તપાસમાં મળેલી ઇલેક્ટ્રોનિક્સ એવીડન્સ ના આધારે પોલીસે કરેલી ટ્રાન્સફર વોરંટની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. કોર્ટની મંજુરી મળતાં પોલીસે રાહુલ મંડલની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી ધરપકડ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, ઓગ્સ્ટ 2026 594   |  
લોકોને ઘરવિહોણાંમાંથી ઘરવિહોણાં અરજીકર્તા બનાવી દેવાયા છે : મ્યુનિસિપલ કમિશનર નાગરાજન અને ડીસીપી નકુમ હજુ તેમનાં પદ ઉપર કેમ છે ?

સુરત મહાનગર પાલિકાનાં વહિવટી સત્તાધીશો તેમજ રાજ્ય સરકારની ઉંઘ હરામ કરી મૂકનાર નાસિરનગરનાં ગેરકાયદે સ્પોન્સર્ડ ડીમોલિશનકાંડમાં હાઇકોર્ટે આજે ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનર નાગરાજન અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં નાયબ કમિશનર નકુમ મુદ્દે આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ગેરકાયદે ડીમોલિશનમાં ખોટું થયું હોવાનું માનીને જ રાજ્ય સરકારે જ્યારે હાઇલેવલ કમિટીની રચના કરી છે તો પછી મ્યુનિસિપલ કમિશનર અને એસ.ઓ.જી.નાં ડીસીપી નકુમ હજુ તેમની પોસ્ટ ઉપર કેમ જારી રહ્યાં છે તેવો આકરો સવાલ હાઇકોર્ટે કર્યો હતો. જુનિયર અધિકારીઓ કે કર્મચારીઓ નિષ્પક્ષપણે નિવેદન કેવી રીતે આપી શકશે, રાજ્ય સરકાર પણ આ બંને સીનિયર અધિકારીઓને તેમની પોસ્ટ ઉપર જારી રાખવાનું વલણ કેવી રીતે રાખી શકે છે તેવા તીખાં સવાલો હાઇકોર્ટે કર્યાં હતાં. આજની સુનાવણીમાં હાઇકોર્ટે કડક શબ્દોમાં કરેલી ટીપ્પણીને કારણે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન અને ડીસીપી નકુમની બદલી નહીં કરવામાં સરકાર હજુ પણ મક્કમતા દાખવશે કે કેમ તેવો સવાલ મહાનગર પાલિકા તેમજ પોલીસ તંત્રમાં ચર્ચાઇ રહ્યો હતો.હાઇકોર્ટમાં આમ તો આજે મુખ્ય મુદ્દો નાસિરનગરનાં અસરગ્રસ્તોનાં પુનર્વસન બાબતનો હતો. સુરત મહાનગર પાલિકા તરફે એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું કે, સરકારનાં ઇડબલ્યુએસ આવાસોની સ્કીમમાં અસરગ્રસ્તોને આવાસો ફાળવવાની યોજના છે જેમાં ડિપોઝિટ ઉપરાંત ૫.૫૦ લાખ રૂપિયાનું મકાન થાય છે જે સ્વૈચ્છિક સંસ્થા ચૂકવવા તૈયાર છે. જાે કે, પુનર્વસનનાં મુદ્દા વચ્ચે ગેરકાયદે ડીમોલિશનનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં જસ્ટિસ નિખિલ કેરિયલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ડીમાર્કેશનનાં નામે કરવામાં આવેલું ડીમોલિશન તદ્દન ગેરકાયદે છે. ડીમાર્કેશન કે ડીમોલિશન બંને બાબતે કોઇ પણ પ્રકારનો હુકમ થયો ન હતો. જાે ડીમાર્કેશન માટે મનપાની ટીમ ગઇ હતી તો હેવી મશિનરી સાથે કેમ ગઇ હતી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપી લેવલનાં અધિકારીની હાજરી સ્થળ ઉપર કેમ હતી. આ દર્શાવે છે કે ડીમોલિશનની કામગીરી પૂર્વયોજિત કવાયત હતી. આવા કિસ્સામાં જવાબદાર સીનિયર અધિકારીઓને તેમની જગ્યાએ જારી નહીં રાખીને સરકારે જ ધારાધોરણ સેટ કરવા જાેઇએ. પરંતુ જેમની સામે નિષ્કાળજી અને મેળાપીપણાનાં ગંભીર આક્ષેપો થયાં હોય તેવા મ્યુનિસિપલ કમિશનર અને એસ.ઓ.જી.નાં ડીસીપી હજુ સુધી તેમની પોસ્ટ ઉપર જારી કેમ છે, જુનિયર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે ત્યારે સીનિયર અધિકારી સાથે અલગ વલણ કેમ દાખવવામાં આવ્યું છે, ખરેખર તો સીનિયર અધિકારી હોવાથી તેમની સામે પહેલાં જ પગલાં લેવા જાેઇએ, જ્યારે હાઇલેવલની તપાસ હાથ ધરાઇ છે અને સીનિયર અધિકારીઓની ભૂમિકા ચકાસવાની આ હાઇલેવલ કમિટીની જવાબદારી છે ત્યારે જેમની સામે આક્ષેપો થયાં છે તેવા મ્યુનિસિપલ કમિશનર અને ડીસીપી નકુમ હજી સુધી તેમની ફરજની જગ્યાએ કેમ જારી છે તેવો ચોટદાર સવાલ હાઇકોર્ટે કર્યો હતો. આટલાં ગંભીર પ્રકરણની તપાસ ચાલુ હોય ત્યાં સુધી સીનિયર અધિકારીઓને તેમની પોસ્ટ ઉપર જારી રાખી શકાય નહીં. જુનિયર અધિકારી, કર્મચારીઓનાં નિવેદન લેવાના હોય અને સીનિયર અધિકારી તેમની પોસ્ટ ઉપર હોય ત્યારે તેઓ નિષ્પક્ષ નિવેદન આપી શકે નહીં અને જાે સીનિયર અધિકારી પોસ્ટ ઉપર જારી હોય તો તેવી તપાસ તથ્ય વિનાની બોગસથી વિશેષ નહીં હોય. મી.નાણાવટી તમે કોર્ટ સાથે સહમત ના હોવ તો કોર્ટની બહાર જાવ નાસિરનગરનાં ગેરકાયદે ડીમોલિશન પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જસ્ટિસ નિખિલ કેરિયલ રાજ્ય સરકાર તેમજ સુરત મહાનગર પાલિકાનાં વહિવટી સત્તાધીશો સામે આકરૂ વલણ અખત્યાર કરી રહ્યાં છે. આજે પણ તેમણે સરકાર અને સુરત મહાનગર પાલિકા સામે કડક ટીપ્પણીઓ કરી હતી ત્યારે સીનિયર એડવોકેટ નાણાવટીએ કોઇ મુદ્દો ઉભો કરતાં જસ્ટિસ અકળાઇ ઉઠ્યાં અને કહ્યું કે, મીસ્ટર નાણાવટી જાે તમે કોર્ટ સાથે સહમત ના હોવ તો કોર્ટની બહાર જઇ શકો છો, તમારા એક્સપર્ટ ઓપિનિયનની જરૂર નથી. જસ્ટિસનાં શબ્દોથી એડવોકેટ જનરલ તેમજ સરકારી વકિલ પણ એક તબક્કે તો સ્તબ્ધ બની ગયાં હતાં. કમિશનરને રીવોર્ડ આપો, મોટા શહેરમાં મૂકો પણ હાલની જગ્યાએ જારી રાખો નહીં હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જેમાં મેળાપીપણાની આશંકા હોવાથી સરકારે હાઇલેવલની તપાસ સમિતિ નીમી છે ત્યારે સીનિયર અધિકારીને તેમની હાલની જગ્યાએ રાખી શકાય નહીં. નોટિસ વિના ડીમાર્કેશનની કામગીરી પણ ના હોય ત્યારે કોઇ પણ હુકમ વિના ડીમોલિશન કરી નાંખવામાં આવ્યું છે, બુલડોઝર લઇને જાવ અને ૧૦ મિનિટમાં મકાનો ખાલી કરવાનું કહેવામાં આવે તે કેટલું યોગ્ય છે. ગેરકાયદે કામને કાયદેસર બનાવાય નહીં, બે મહિના પછી ડીમોલિશનને કાયદેસર કહેવા માંગો છો, આ એક રીતે પોસ્ટફેક્ટો મંજૂરીની વાત છે. મ્યુનિસિપલ કમિશનરે સારી કામગીરી કરી હોય તો તેમને રીવોર્ડ આપો અને મોટા શહેરમાં મૂકો પરંતુ હાલની જગ્યાએ જારી રાખો નહીં તેવું ચોખ્ખેચોખ્ખું એડવોકેટ જનરલને હાઇકોર્ટે સંભળાવી દીધું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ જસ્ટિસે તો ત્યાં સુધી કહ્યું હતું કે, મેળાપીપણાનાં આવા ગંભીર કેસમાં કે જેમાં સાબિત થાય તો મોટી પેનલ્ટી અને પનિશમેન્ટની કાયદામાં જાેગવાઇ છે તેમાં તપાસ જારી હોય અને તેમ છતાં અધિકારીને તે જગ્યા ઉપર જારી રાખવામાં આવ્યાં હોય તેવો એક કિસ્સો બતાવી આપો તો તેમનો આદેશ પાછો ખેંચી લઉ. હાઇકોર્ટનાં આકરાં વલણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો મૂડ ઓફ થઇ ગયો: ખાડીપૂરની મીટિંગ સાત મિનિટમાં પૂરી કરી દીધી નાસિરનગરનાં ગેરકાયદે ડીમોલિશનકાંડમાં હાઇકોર્ટનાં જસ્ટિસ નિખિલ કેરિયલે રાજ્ય સરકારનાં વલણ અંગે આકરી ટીકા કરીને નિષ્કાળજી તેમજ મેળાપીપણાનાં ગંભીર આક્ષેપો હોવા છતાં મ્યુનિસિપલ કમિશનર નાગરાજન અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપીને હાલનાં તેમના પદ ઉપર કેમ જારી રાખવામાં આવ્યાં તેવો સવાલ પૂછ્યો હતો. જુનિયર અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે અને સીનિયર અધિકારી સામે કોઇ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી, શું સીનિયર અધિકારી છે એટલા માટે તેમની સામે કાર્યવાહી કરાઇ નથી. સરકાર આવી નીતિ અપનાવીને કેવી કાર્યપ્રણાલી સ્થાપિત કરવા માગે છે તેવો સવાલ પણ જસ્ટિસે પૂછ્યો હતો. હાઇકોર્ટનાં આવા તેવર બાદ મ્યુનિસિપલ કમિશનર નાગરાજનનો મૂડ ઓફ થઇ ગયો હોય તેવું સ્પષ્ટ જણાઇ આવ્યું હતું. ખાડીપૂરની મહત્વની મીટિંગ પણ તેમણે માત્ર ગત મીટિંગની મિનિટ્સ સાંભળી કામગીરી કરવાની સુચના આપી માત્ર સાત મિનિટમાં પૂરી કરી દીધી હતી જ્યારે અર્બન ગ્રીનિંગની મીટિંગ ૧૦ મિનિટમાં પૂરી કરી દીધી હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution