ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો

લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, ઓગ્સ્ટ 2026 29601   |  
પોલીસ જાગી: અમદાવાદમાં ૩ દિવસમાં ૪૩૬ કેસ, ૪૭૬ની ધરપકડ અને ૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયા બાદ રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે તમામ શહેરો અને જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ પ્રોહીબીશન ડ્રાઇવ રાખવાની કડક સૂચના આપી હતી. આ આદેશના પગલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક્શન મોડમાં આવીને તમામ સ્થાનિક પોલીસ અધિકારીઓને દારૂ તેમજ જુગારની બદીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને ઝોન એલસીબીની ટીમોએ સપાટો બોલાવીને ચોરીછુપીથી ચાલતા અડ્ડાઓ પર વ્યાપક દરોડા પાડ્યા છે. માત્ર ત્રણ દિવસમાં જ પોલીસે કુલ ૪૩૬ કેસ નોંધીને ૪૭૬ આરોપીઓની અટકાયત કરી છે. આ દરોડા દરમિયાન વિદેશી દારૂના ૭૩ કેસો નોંધીને ૨૯.૯૩ લાખની કિંમતની ૧૧,૪૭૯ બોટલ/બીયર સહિત કુલ ૮૦.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેશી દારૂના ૩૩૬ કેસો નોંધીને ૭.૩૮ લાખની કિંમતનો ૩,૬૯૩ લીટર દારૂ અને વાહનો મળી કુલ ૮.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે.દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો સામે લાલઆંખ કરતા પોલીસે ૭ રીઢા બુટલેગરો સામે પાસા (ઁછજીછ) હેઠળ કડક ગુનો નોંધી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દીધા છે. પોલીસ કમિશનરે ગુનેગારોને પાસા હેઠળ જેલભેગા કરવાની ગતિ તેજ બનાવી છે. આ અભિયાન અંતર્ગત કુલ ૪૧ ગુનેગારોને પાસા હેઠળ જેલ મોકલાયા છે, જેમાં સૌથી વધુ ૧૮ દારૂના બુટલેગરો છે. જ્યારે મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ૧૪ અને મારામારી-હત્યાના પ્રયાસ જેવા શરીર સંબંધી ગુના આચરનાર ૯ ગુનેગારોનો સમાવેશ થાય છે. પોલીસની આ કડક ઝુંબેશથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં દારૂબંધીની કડક અમલવારી માટે પોલીસની આ ખાસ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ આવી જ કડક રીતે સતત ચાલુ રહેશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
23, ઓગ્સ્ટ 2026 30492   |  
આણંદમાં એસએમસીએ લાખોનો દારૂ ઝડપ્યો

ગુજરાતમાં અસામાજિક તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સમગ્ર રાજ્યભરમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ચોક્કસ માહિતીના આધારે સતત કાર્યરત છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા ભાલેજ-આણંદ રોડ પર, અપ્પુ વે-બ્રીજ નજીક એક વ્યૂહાત્મક દરોડો પાડવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે વહન કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો અતિ વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી આશરે ૧૫૦ પેટીઓ (કુલ ૭,૧૮૭ બોટલો) કબ્જે કરવામાં આવી હતી, જેની બજાર કિંમત ૧૯,૬૩,૧૫૧/- થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ ૩૪,૬૯,૬૨૧/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપુર ગામના રહેવાસી નારણભાઇ ઉર્ફે અતુલ ઘુસાભાઇ ચૌહાણ નામના આરોપીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસિકથી મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૦૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નાસિકથી ગેરકાયદેસર દારૂનો સપ્લાય કરનાર ૩ શખ્સો, દારૂના વહન માટે વપરાયેલ ટ્રકના મૂળ માલિક તેમજ કાનપુરના જ ભાવેશભાઇ સુરાભાઇ માતાસુરીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સંડોવાયેલા વોન્ટેડ શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ વધુ ઝડપી બનાવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, ઓગ્સ્ટ 2026 31383   |  
ભાવનગરથી ઝેરી દારૂ પીને સુરત આવેલા યુવકે ચોથા દિવસે દમ તોડ્યો

સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડનો ભોગ બનેલા સુરતના યુવકને શુક્રવારે બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ શનિવારે બપોરે તેણે દમ તોડી દીધો હતો. ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઈએનએસ હોસ્પિટલમાં તે ચાર દિવસથી સારવાર હેઠળ હતો.મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં પીરસાયેલી વ્હીસ્કી ઝેરી કેમિકલથી બનેલી હોય સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું તથા ડુપ્લિકેટ વ્હીસ્કી બનાવનાર યાદવનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજય લક્ષ્મણસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સિરિયસ હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, ત્યારબાદ તેને પરવત પાટિયા વિસ્તારની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સ્થિતિ વધું કથળતાં સંજયસિંહને આઇએનએસ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. આઈએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં તેને શુક્રવારે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. ત્યારબાદ શનિવારે બપોરે પરિવારની મંજૂરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી લેવાતાં તેનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક તબીબોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ સંજયસિંહના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપાયો હતો. સંજયે દમ તોડ્યો એ સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક ૧૧ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
21, ઓગ્સ્ટ 2026 34155   |  
શહેરમાં ડિફેન્સના નામે નકલી દારૂનો વેપાર

ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી ૯થી વધુના મોત નિપજ્યા છે ત્યાં અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાંડનો નિકોલ અને એસએમસી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બે ફરાર છે. નકલી ઇંગ્લિશ દારૂ બનાવી છૂટક વેચાણ કરતા નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુનિલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ભેગા મળી બનાવટી અંગ્રેજી દારૂ તૈયાર કરી છૂટકમાં વેચાણ કરે છે. એસએમસી અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો. બાદમા ડેકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી.ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ૪ બોટલ, પ્લાસ્ટિકની ૪ બોટલ મળી ઉપરાંત આરોપી પાસેથી રૂ.૫,૦૦૦ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કરીને તપાસ દરમિયાન દિનેશ જંડાવાલાના કુબેરનગર સ્થિત ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો અને એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે કુલ રૂ. ૯૫૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર લગાવી વેચતા આરોપીઓની પૂછપરછ કરતા સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ તથા ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર અને ડિફેન્સનો દારૂ હોવાનું બતાવવા તેનો સિમ્બોલ લગાવી વેચતા હતા. જ્યારે દિનેશ ચામુંડા બ્રિજ પાસે ભંગારની દુકાન ધરાવતા શખ્સ પાસેથી ખાલી બોટલો અને બ્રાન્ડેડ સ્ટીકર અને તેની પર લગાવવાના સીલ લાવતો હતો. આ અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને સુનિલની ધરપકડ કરી ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, સપ્ટેમ્બર 2026 5148   |  
આણંદ-ખેડા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘ મહેર

ચરોતરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ મહેર કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાબ પામી છે જ્યારે ખેડૂતોમાં પણ કીર્તિ પાકને નવજીવન મળતાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ખેતી પાકને પાણીની જરૂર વધારે હતી ત્યારે લાંબા સમયના વિરામ બાદ ફરી ગુજરાત ઉપર સર્જાયેલી પાંચ સક્રિય સિસ્ટમને કારણે આગામી સપ્તાહ સુધી ભારેથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારથી વાદળો વધારે છવાઈ જતા સામાન્ય વરસાદના છાંટા પડયા હતા. જાેકે, દિવસ પર ધૂંધળું વાતાવરણ રહ્યા બાદ સમી સાંજે ૬ વાગ્યા બાદ ફરીથી ઝરમર વરસાદ શરૂ થયો હતો અને સાંજે સાડા છ વાગ્યે ગાજવીજ સાથે જાેરદાર ઝાપટું પડતાં ગરમી અને ઉકળાટથી જનજીવનને રાહત મળી હતી.આણંદ કૃષિ યુનિવર્સિટીના હોમન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા દસેક દિવસથી મહત્તમ તાપમાનનો પારો ૩૫ ડિગ્રીની આસપાસ રહ્યો છે. જેથી ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આજનું મહત્તમ તાપમાન પણ ૩૫ ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭.૫ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા તેમજ પવનની દિશા દક્ષિણ પશ્ચિમ રહેવા પામી હતી. ભારત મોસમ વિભાગની આગાહી મુજબ આણંદ-ખેડા જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન મુખ્યત્વે ભેજવાળું અને વાદળછાયું રહેવાની સંભાવના છે જેમાં હળવા થી મધ્યમ વરસાદ તેમજ છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં એકાએક વાતાવરણમાં નાટકનું પરિવર્તન આવ્યું હતું વહેલી સવારે સામાન્ય ઝાપટા વરસ્યા હતા. જ્યારે સાંજ પડતા જ સમગ્ર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. જેમાં નડિયાદ શહેરમાં માત્ર બે કલાકમાં જ બે ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે વસો તાલુકામાં દોઢ ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો હતો. કપડવંજમાં ૧૪ મિ. મિ., કઠલાલમાં ત્રણ મિ. મિ., અમદાવાદમાં ચાર મિ. મિ., ખેડામાં આઠ મિમી માતરમાં છ મહુધામાં પાંચ ઠાસરામાં ત્રણ અને ફાગવેલમાં બે મિ . મિ. વરસાદ નોંધાયો હતો. નડિયાદ શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અને વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સાંજે વરસેલી મેઘધારાએ વાતાવરણને ઠંડકથી તરબોળ કરી દીધું હતું. વરસાદના પ્રથમ ટીપાં ધરતીના ખોળે પડતાં જ માટીની મીઠી ભીની સુગંધ ચારેકોર પ્રસરી ગઈ હતી. ઘનઘોર વાદળો, પવનના સુસવાટા અને મેઘધારાએ સેવાલિયાની પ્રકૃતિને જાણે નવજીવનનો શણગાર પહેરાવ્યો હોય તેવો મનોહર નજારો સર્જાયો હતો. ગરમી અને બફારાથી ત્રસ્ત ગ્રામજનોએ પણ વરસાદમાં પલળી મોસમની મનમૂકીને મજા માણી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, સપ્ટેમ્બર 2026 6633   |  
માતરતા.ના ભલાડા ગામે જમીન ધસતા એકનું મોત: રહસ્ય ઘેરાયું

માતર તાલુકાના ભલાડા ગામે સ્થાનિક સુત્રના જણાવ્યા પ્રમાણે મોટાનેતાના પરિવારજન મોટાપાયે વહિવટદારની ઓથ નીચે વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસ ની ધોંસ વધતા જમીનમાં ખાડો ખોદી વિદેશી દારૂનો જથ્થો રખાતા ગતરોજ દારૂની પેટી કાઢવા જતાં ખાડા જમીન ધસી પડતાં એકનું મોત અન્ય ગંભીર ના મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચા વચ્ચે લીંબાસી પોલીસ મથકે ગેસની ગૂંગળામણ ના કારણે અકસ્માત મોત ની નોંધ થતાં શું સમગ્ર મામલે કુલડીમાં ગોળ ભાંગવાના પ્રયાસ?સત્ય શું?ના સવાલ ચર્ચાની એરણે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર માતર તાલુકાના ભલાડા ગામે ગતરોજ ખાડા જમીન ધસી પડતાં ગેસની ગૂંગળામણ ના કારણે એકનું મોત અન્ય ગંભીર ના મામલે લીંબાસી પોલીસ મથકે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.પરંતુ સ્થાનિક સુત્રના જણાવ્યા પ્રમાણે ભલાડા ગામે સ્થાનિક રાજકીય નેતા અને વહીવટદાર ની ઓથ નીચે નેતા ના પરિવારજન દ્વારા મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસ ની ધોંસ વધતા ભલાડાના બૂટલેગર દ્વારા જમીનમાં ખાડો ખોદી વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવામાં આવ્યો હોય ગતરોજ વિદેશી દારૂની પેટી કાઢવા જતાં દુર્ઘટના સર્જાઇ ની ચર્ચા ઉઠતાં શું સમગ્ર મામલે કુલડીમાં ગોળ ભાંગવાના પ્રયાસ? સાથે વાડ જ ચીભડાં ગળે ત્યારે કોને કહેવું?ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.ઘટના પર સ્થાનિક પૂર્વ સરપંચ શું કહે છે? માતર તાલુકાના ભલાડા ગામે ગતરોજ જમીનની માટી ધસી પડતાં બે ના મોત અને એક ગંભીર થયાના મુદ્દે ગામ પૂર્વ સરપંચનો ટેલીફોનીક સંપર્ક સાધતાં આ પ્રકારના બનાવ બન્યો હોવાનું જણાવી પ્રથમ ગેસના કારણે ગૂંગળામણ થી મોત થયાનું જણાવ્યા બાદ બુટલેગર ના જમીન નીચે ના દારૂની પેટી કાઢવા જતાં મોત થયા ની પૃચ્છા કરતાં નરો વા કુંજરોવાની સ્થિતિ અપનાવી હતી. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, સપ્ટેમ્બર 2026 4554   |  
નડિયાદના સુરાસામળ ગરનાળા પાસે એક્ટિવા સ્લિપ થતાં દંપતી કેનાલમાં ગરકાવ થઈ ગયું

ખેડાના નડિયાદ તાલુકાના સુરાસામળ ગરનાળા પાસે એક્ટિવા સ્લિપ થતાં દંપતી મોટી કેનાલમાં ગરકાવ થયું થયું હતું.ચલાલી ગામના રહેવાસી આ દંપતી અંગત કામ પતાવીને પરત ફરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલના ઊંડા પાણીમાં યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થયેલા દંપતીને શોધવા માટે ફાયર જવાનોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી વ્યાપક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે. બીજી તરફ, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવી હતી અને મામલાની ગંભીરતાને ધ્યાને લઈને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનનાર દંપતી નજીકના ચલાલી ગામના રહેવાસી છે. તેઓ પોતાના અંગત કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સુરાસામળ ગરનાળા પાસે વાહન પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ફાયર ટીમની શોધખોળની કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ કેનાલના આગળના ભાગમાં પણ તરવૈયાઓને મોકલીને દંપતીની ભાળ મેળવવાના પ્રયાસો સતત ચાલુ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
12, સપ્ટેમ્બર 2026 2871   |  
કાર્યવાહી જનહિતમાં : હવે પાઉં-બ્રેડ પેકેટ પર એક્સપાયરી ડેટ ફરજિયાત

નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા સુપર બેકરીમાં કરવામાં આવેલી કડક તપાસ બાદ વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે મેયર મનીષ પટેલે સ્થિતિ સ્પષ્ટ કરી છે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રના જવાબમાં મેયરે જણાવ્યું છે કે મનપા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી સંપૂર્ણપણે જનહિતમાં અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે છે. તેમણે આરોગ્યલક્ષી કાયદેસરની કામગીરી સામે રાજકારણ ન ખેલવા માટે વિપક્ષને આકરી ટકોર કરી છે. નડિયાદ સ્થિત સુપર બેકરીમાં મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા તાજેતરમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બેકરીમાં તૈયાર થતા પાઉં અને બ્રેડના પેકિંગ પર મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ તેમજ વપરાયેલી સામગ્રી અંગેનું કોઈ લખાણ કે સિમ્બોલ ન હોવાનું સામે આવ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઈને અધિકારીઓએ સ્થળ પર જ કડક કાર્યવાહી કરી હતી. કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે આવેદનપત્ર આપતાં મેયર મનીષ પટેલે મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું કે, રેડ દરમિયાન પેકેજિંગ પર કોઈ જ તારીખ કે નિયમાનુસારના સિમ્બોલ નહોતા. તારીખ વગરની ખાદ્ય સામગ્રી નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જાેખમી છે. આવી ગંભીર બાબતે પણ વિપક્ષ અવાજ ઉઠાવીને મનપાની કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યો છે તે અયોગ્ય છે. મનપાની પ્રાથમિક ફરજ શહેરીજનોના સ્વાસ્થ્યની જાળવણી કરવાની છે. મનપાની આકરી કામગીરીના પરિણામે હવે સુપર બેકરી દ્વારા વેચવામાં આવતા તમામ પાઉં અને બ્રેડના પેકેટ પર એક્સપાયરી ડેટના સ્ટીકર, સામગ્રીની વિગતો અને જરૂરી સિમ્બોલ સાથે જ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. મેયરે ઉમેર્યું હતું કે વિપક્ષે નડિયાદના લોકોને ખોટા ભ્રમમાં નાખવાને બદલે લોકોના આરોગ્ય સાથે જાેડાયેલા મુદ્દાઓ પર જવાબદારીપૂર્વક વર્તવું જાેઈએ.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
12, સપ્ટેમ્બર 2026 2871   |  
બોડી પ્રા. શાળાના મુખ્ય શિક્ષકને શો-કોઝ નોટિસ

ઉપરી અધિકારીના વહીવટી હુકમની અવગણના કરવા,શાળા વ્યવસ્થાપન સમિતિના બહાના હેઠળ સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા તેમજ શાળા સમયપાલનના ભંગ બદલ ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બોડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ઘટનાની વિગતો અનુસાર, રાઠોડપુરા પ્રાથમિક શાળા એક જ શિક્ષકથી ચાલતી હોવાથી બાળકોના અભ્યાસના હિતમાં બોડી પ્રાથમિક શાળામાંથી એક શિક્ષકની કામગીરી ફેરફારથી બદલી કરવાનો સ્પષ્ટ આદેશ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા આપવામાં આવ્યો હતો. બોડી શાળામાં ૬૧ વિદ્યાર્થીઓ સામે ૩ શિક્ષકો ઉપલબ્ધ છે, જ્યારે રાઠોડપુરામાં માત્ર ૧ જ શિક્ષક હોવાથી શિક્ષણ કાર્ય ખોરવાઈ રહ્યું હતું. આમ છતાં, મુખ્ય શિક્ષકે સંબંધિત શિક્ષકને મુક્ત કરવાની સાફ મનાઈ કરી દીધી હતી અને જીસ્ઝ્ર નોટિસ/રજૂઆતની આડ લઈને વહીવટી હુકમમાં અવરોધ ઊભો કર્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ સ્પષ્ટ કર્યું છે કે આરટીઈ એક્ટ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિને શાળા વિકાસના અધિકારો છે, પરંતુ તાલુકાના મહેકમ કે શિક્ષકોની ફાળવણીમાં હસ્તક્ષેપ કરવાની કોઈ સત્તા નથી.આ ઉપરાંત, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ શનિવારની સવારની શાળા હોવા છતાં, નિયત સમયે ટાઈમ અને લોકેશન સાથેનો ફોટો/સેલ્ફી રિપોર્ટ મોકલવાને બદલે સવારે ૭:૩૭ વાગ્યે વિલંબથી મોકલાયો હતો, જે ગંભીર શિથિલતા દર્શાવે છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ આ વર્તનને ગુજરાત પંચાયત સેવા નિયમોનો ભંગ ગણાવીને મુખ્ય શિક્ષકને કડક સૂચનાઓ આપી છે, જેમાં શિસ્તવિષયક અને શિક્ષાત્મક પગલાં કેમ ન ભરવા તે અંગે દિન-૭ માં રૂબરૂ લેખિત ખુલાસો રજૂ કરવો.શિક્ષકને તાત્કાલિક રીલીવ કરી રાઠોડપુરા શાળા ખાતે હાજર થવા રીલીવિંગ રિપોર્ટ મોકલવો.જાે નિયત સમયમાં સંતોષકારક ખુલાસો કે આદેશનું પાલન નહીં થાય, તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ખેડા-નડિયાદને એકપક્ષીય શિસ્તવિષયક કાર્યવાહી માટે રિપોર્ટ સોંપવામાં આવશે.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, સપ્ટેમ્બર 2026 2277   |  
રખિયાલમાં ‘તિરુપતિ’ના નામે નકલી કપાસિયા તેલ વેચતો વેપારી ઝડપાયો: ૪૮ ડબ્બા જપ્ત

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રખિયાલમાં પ્રસિદ્ધ બ્રાન્ડ ‘તિરુપતિ કપાસિયા તેલ’ના નામે નકલી તેલનું વેચાણ કરીને ગ્રાહકો અને કંપની સાથે આર્થિક ઠગાઈ આચરવાના કૌભાંડનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. એન.કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અધિકૃત અધિકારીની ફરિયાદના આધારે પોલીસે દરોડો પાડીને એક શંકાસ્પદ વેપારીને નકલી તેલના ૪૮ ડબ્બા સાથે ઝડપી લીધો છે. કબ્જે કરાયેલા રૂ. ૧,૩૫,૪૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગતો અનુસાર, એન.કે. પ્રોટીન્સ કંપનીમાં નોકરી કરતા ભૂપેન્દ્ર મહેન્દ્રભાઈ દાણીને બાતમી મળી હતી કે રખિયાલમાં ગુજરાત બેકરી પાસે આવેલા ‘ધાણીવાળા ટ્રેડર્સ’ નામના સરનામે તેમની કંપનીની લોકપ્રિય બ્રાન્ડ ‘તિરુપતિ કપાસિયા તેલ’નું ડુપ્લિકેશન કરીને બોગસ તેલ વેચવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે કંપનીના અધિકારીઓએ રખિયાલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટાફ અને પંચોની ટીમે ધાણીવાળા ટ્રેડર્સ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.પોલીસ તપાસ દરમિયાન દુકાનમાંથી અમિત રામકેશલાસ કુશવાહ (ઉં.વ. ૪૦, રહે. ત્રિકમલાલ ભોગીલાલની ચાલી, અજિત મિલ ચાર રસ્તા, રખિયાલ) મળી આવ્યો હતો. દુકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર તપાસ કરતા એન.કે. પ્રોટીન્સ કંપનીના માર્કાવાળા ૪૮ ડબ્બા મળી આવ્યા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, સપ્ટેમ્બર 2026 2376   |  
મુશળધારથી જળબંબાકાર: અનેક ફસાયાં

શહેર બપોર બાદ જાેતજાેતામાં જળબંબાકાર થઇ ગયુ હતું . ભર બપોરે જ રાત્રીના આઠ વાગ્યા હોય તેવી વાતાવરણ સર્જાઇ ગયુ હતુ . ધોધમાર વરસાદે શહેરીજનોને ભીંજવી નાંખ્યા હતા અને રસ્તાઓ ઉપર ગોઠણસમા પાણી ભરાઇ ગયા હતા જેને કારણે ઠેકઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળ્યા હતા. તેમાંય આજે રવિવાર અને દુંદાળા દેવનું આગમન થનાર હોવાને કારણે ગણેશભક્તો મૂર્તિઓ લેવા ઉમટી પડતા જૂની પાસપોર્ટ ઓફિસ, હોલીવુડ જેવા માર્ગોઉપર તો વરસાદને કારણે પાણી ભરાયાં, લોકોની ભીડ અને એએમટીએસ અને બીઆરટીએસની બસોને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.અમદાવાદ શહેરમાં આજે મેઘરાજાએ તોફાની પધરામણી કરી છે. કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે અચાનક દિવસ દરમિયાન જ શહેરમાં ગાઢ અંધારપટ છવાઈ ગયો હતો. ત્યારબાદ વીજળીના ભયાનક કડાકા-ભડાકા અને જાેરદાર પવનના સપાટા સાથે અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો હતો.પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારો જેવા કે વસ્ત્રાપુર, સેટેલાઇટ, એસ.જી. હાઇવે, શિવરંજની અને શ્યામલ ચાર રસ્તા પર તોફાની પવન સાથે મુસળધાર વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન અંધારું છવાઈ જતાં અને વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ જતાં વાહનચાલકોને હેડલાઇટો ચાલુ રાખીને વાહનો ચલાવવાની ફરજ પડી હતી.બીજી તરફ, પૂર્વ અમદાવાદના ઔદ્યોગિક અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી હતી. હાટકેશ્વર, સીટીએમ, રખિયાલ અને સોનીની ચાલી વિસ્તારમાં ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. વીજળીના ગડગડાટ સાથે શરૂ થયેલા આ વરસાદથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. જાેકે, અચાનક શરૂ થયેલા તોફાની વરસાદના કારણે મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ધીમો પડી જતાં વાહનચાલકો અને નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે .અમદાવાદમાં આજે સવારે દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી સરેરાશ એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ઝોનમાં લગભગ બે ઇંચ જ્યારે પશ્ચિમ ઝોનમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, સપ્ટેમ્બર 2026 2376   |  
જીવિત પિતાને ૧૯૮૫માં મૃત બતાવી બોગસ દસ્તાવેજાેથી જમીન હડપી લીધી

બોડકદેવ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત વૃદ્ધને જમીનના કેસમાં ફસાવવા માટે પોતાના જીવિત પિતાનું નકલી ડેથ સર્ટિફિકેટ રજૂ કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.  શેલા ગામની કિંમતી જમીન પચાવી પાડવાના મલિન હેતુથી આરોપી પુત્ર ખોડા રઘુનાથ દેસાઈએ પોતાના જીવિત પિતા રઘુનાથ દેસાઈનું ૧૫મી એપ્રિલ ૧૯૮૫ના રોજ મૃત્યુ થયું હોવાનું ફેક ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હતું. આ નકલી પ્રમાણપત્રનો ઉપયોગ કરીને સરકારી કચેરીઓ અને સબ રજીસ્ટ્રાર સમક્ષ રજૂઆતો કરી જમીન પડાવવાના આશયથી ફેક ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા.જમીનનું આ કૌભાંડ આચરવા માટે આરોપીએ વર્ષ ૧૯૯૧માં સાણંદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ અંગૂઠા અને નકલી સહીઓ વડે દસ્તાવેજાે તૈયાર કરાવ્યા હતા. જેમાં નકલી ખેડૂતો અને બનાવટી માલિકો ઊભા કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ષડયંત્રમાં દિનેશ રામ પટેલ, જીવ આલુ ખોખર, નરેન્દ્રસિંહ અજીતસિંહ વાઘેલા, જમીન દલાલ ભાનુ વિજયસિંહ વાઘેલા અને નકલી ખેડૂત કાળુ દેસાઈ પણ સક્રિય રીતે સામેલ હતા.પોતાના આ કાળા ખેલને છુપાવવા અને નિર્દોષ લોકોને ફસાવવાના ભાગરૂપે મુખ્ય આરોપી ખોડા દેસાઈએ બોડકદેવમાં રહેતા ૭૨ વર્ષીય નિવૃત્ત વૃદ્ધ નૈમિષ પટેલ તથા અન્ય કેટલાક લોકો સામે વર્ષ ૨૦૨૦માં બોપલ પોલીસ મથકે ખોટી ફરિયાદ નોંધાવી દીધી હતી.જાેકે, પોલીસની તટસ્થ તપાસ દરમિયાન આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મૂળ ખેડૂત રઘુનાથ દેસાઈનું ૧૯૮૫માં મૃત્યુ થયું જ ન હતું.  સત્ય સામે આવતા પોલીસે સાણંદ કોર્ટમાં બી-સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો, જેના પર સુનાવણી કરતા કોર્ટે બી-સમરી વિથ પ્રોસીક્યુશન મંજૂર કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આ આદેશની પ્રમાણિત નકલ મેળવ્યા બાદ ખોટા કેસનો ભોગ બનનાર વૃદ્ધ નૈમિષ પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં આરોપી ખોડા દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, સપ્ટેમ્બર 2026 3366   |  
કાલુપુર રેલવે સ્ટેશન સામેની પાર્સલ પેઢીમા કામ કરતા બે સગા ભાઈ રૂા.૪૫.૩૦ લાખ રોકડા ચોરીને ફરાર

અમદાવાદના વ્યસ્ત અને મુખ્ય વેપારી મથક ગણાતા કાલુપુર રેલવે સ્ટેશન સામે આવેલા લોઢાવાલા ચેમ્બરમાંથી ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. ટ્રાન્સપોર્ટ અને પાર્સલ સર્વિસ ચલાવતા વેપારીની પેઢીમાં કામ કરતા ઉત્તર પ્રદેશના બે સગા ભાઈઓ ટેબલના ખાનામાંથી તથા વેપારી પાસેથી ઉઘરાવેલા મળીને કુલ રૂ. ૪૫,૨૯,૯૧૦/- રોકડા ચોરીને છૂમંતર થઈ ગયા છે. આ અંગે કાલુપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપી ભાઈઓની શોધખોળ આદરી છે.મળતી વિગતો અનુસાર, મણિનગર વિસ્તારમાં રહેતા અને મૂળ બીકાનેરના વતની મધારામ લીચમનરામ શર્મા કાલુપુર રેલવે સ્ટેશન સામે લોઢાવાલા ચેમ્બરની દુકાન નંબર ૫ અને ૯માં ‘કે. માંગીલાલ પાર્સલ સર્વિસ‘ નામે ભાગીદારીમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમની પેઢીમાં છેલ્લા નવ મહિનાથી યુપીના આગ્રા જિલ્લાના હસનપુરા બસઈ ગામનો ૨૩ વર્ષીય યશવીર રામાઅવતાર પરમાર નોકરી કરતો હતો. જ્યારે તેનો મોટો ભાઈ ૨૫ થી ૩૦ વર્ષનો દલવીર રામાઅવતાર પરમાર પણ દોઢ મહિનાથી અહીં જ નોકરીએ રહ્યો હતો. બંને ભાઈઓ ટ્રાન્સપોર્ટની ઓફિસે જ રહેતા હતા અને જમતા હતા.ગત ૭ સપ્ટેમ્બરના રોજ બપોરે એક વાગ્યાના સુમારે મધારામ શર્મા ધંધાના કામકાજ અર્થે સી.જી. રોડ જવા નીકળ્યા હતા. તે સમયે ઓફિસના ટેબલના ખાનામાં વેપારના રૂ. ૪૦,૨૯,૯૧૦/- રોકડા મુકેલા હતા. મધારામે કર્મચારી યશવીરને રોકડ સાચવવાની સૂચના આપી હતી અને મોટા ભાઈ દલવીરને કાલુપુર પાંચકુવા ખાતેના વેપારી દીપુભાઈ (હર્ષિકા ફેશન) પાસેથી રૂ. ૫,૦૦,૦૦૦/- રોકડા લઈ આવવા જણાવ્યું હતું.સાંજે પાંચ વાગ્યાના સુમારે મધારામ શર્મા પરત આવ્યા ત્યારે ઓફિસના મુખ્ય દરવાજે લોક મારેલું હતું. મધારામે યશવીરને ફોન કરતા તેણે ‘હું પાંચ મિનિટમાં આવું છું’ તેમ કહ્યું હતું. જાેકે, ત્યારબાદ બંને ભાઈઓના મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયા હતા. શંકા જતાં મધારામે અન્ય સ્ટાફ સૌરભ, રાજભાઈ અને ગુલશનને બોલાવી દરવાજાનું લોક તોડી તપાસ કરતા ટેબલનું ખાનું તૂટેલું હતું અને અંદર મુકેલા રૂ. ૪૦.૨૯ લાખ ગાયબ હતા. બીજી તરફ, દલવીરે પાંચકુવાના વેપારી પાસેથી પણ રૂ. ૫ લાખ મેળવી લીધા હોવાનું ખુલ્લું પડ્યું હતું.આમ, બંને ભાઈઓએ માલિકના વિશ્વાસનો અનાદર કરી કુલ રૂ. ૪૫,૨૯,૯૧૦ની રકમ પોતાના થેલામાં ભરી ચોરી કરી ભાગી છૂટ્યા હતા. સાંજે ચાર વાગ્યાના સુમારે બંને ભાઈઓ હાથમાં થેલા લઈને જતા હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. કાલુપુર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, સપ્ટેમ્બર 2026 2178   |  
૫૮ લાખની ગ્રાન્ટ છતાં કામો ઠપ, સભ્યોને અંધારામાં રાખી મનસ્વી વહીવટનો આરોપ

સાઠંબાના સરપંચ ધ્રુવકુમાર પરેશભાઈ પંચાલ સામે ઉપસરપંચ તથા ૯ સભ્યોએ એકજૂથ થઈને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાં ભારે અસંતોષ ઉભો થતાં તેમણે ગુજરાત પંચાયત અધિનિયમની જાેગવાઈઓ મુજબ ટીડીઓને લેખિત જાણ કરી ખાસ સભા બોલાવવાની માંગ કરી છે.અવિશ્વાસની દરખાસ્ત લાવનાર પંચાયત સભ્યોએ સરપંચ ધ્રુવકુમાર પંચાલ સામે ગંભીર આરોપો રજૂ કરતાં જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન પંચાયત વિસ્તારમાં એક પણ મહત્વપૂર્ણ વિકાસનું કામ શરૂ કરાયું નથી. જેના કારણે ગ્રામજનો જરૂરી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે. પંચાયતના ખાતામાં ૧૫મા નાણાં પંચ હેઠળ અંદાજિત રૂ. ૫૮ લાખ જેટલી જંગી રકમ ઉપલબ્ધ હોવા છતાં તેનો યોગ્ય રીતે વિકાસકામોમાં ઉપયોગ કરાયો નથી. આ ઉપરાંત સરકારની છ્ફ્ યોજના હેઠળ મંજૂર કે ફાળવવામાં આવેલા કામો પણ સમયસર શરૂ ન થતાં વિકાસલક્ષી યોજનાઓનો લાભ ગ્રામજનો સુધી પહોંચી શક્યો નથી. વધુમાં સભ્યોએ રજૂઆત કરી છે કે ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર સ્વભંડોળની રકમના વહીવટમાં મનસ્વી ર્નિણયો લેવાય છે. પંચાયતની બેઠકમાં યોગ્ય મંજૂરી મેળવ્યા વગર જ નાણાંકીય બિલોની ચૂકવણી કરાઇ હોવાના આક્ષેપ કરાયો છે. ગામની આંતરિક બાબતોનો ઉલ્લેખ કરતાં સભ્યોએ જણાવ્યું કે વાવફળી આગળ આવેલા બગીચામાંથી બાળકોના રમતગમતના સાધનો સદસ્યો સાથે ચર્ચા કે ઠરાવ કર્યા વગર આપખુદશાહીથી કાઢી નાખવામાં આવ્યા છે. પંચાયતમાં આકારણી સમિતિની રચના કરાયેલી હોવા છતાં સમિતિની મિટિંગમાં મંજૂરી લીધા વિના જ આકારણી કરી દેવાઈ છે. ગામમાં જાહેર જગ્યાઓ પર આવેલા હાઈ માસ્ટ પોલમાંથી મોટાભાગની લાઈટો બંધ છે, જેના માટે ગ્રામસભામાં ઠરાવ કરાયો હોવા છતાં નવી લાઈટો ન લવાતાં જનતા હાલાકી ભોગવી રહી છે. અવિશ્વાસ દરખાસ્ત કરનાર પં.ના સભ્યો ઈશ્વરભાઈ વસાવા, મધુબેન પ્રજાપતિ, નિમીષાબેન રાવળ, વસંતકુમાર ડબગર, ઈમરાનભાઈ પીરા, મનહરબા સોલંકી, જયશ્રીબેન પંડ્યા, ગજેન્દ્રકુમારી સોલંકી અને ભાવેશકુમાર શાહે અવિશ્વાસની દરખાસ્ત પર સહીઓ કરી છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, સપ્ટેમ્બર 2026 1980   |  
વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી મોસમનો સરેરાશ ૧૧૨.૬૯ ઈંચ વરસાદ નોંધાયો, ૧૫૧.૭૭ ઈંચ સાથે કપરાડા મોખરે

દક્ષિણ ગુજરાતના સરહદી અને પૂર પ્રભાવિત વલસાડ જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર જમાવટ કરતાં સમગ્ર પંથકમાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, જિલ્લામાં વર્તમાન મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૨.૬૯ ઈંચ જેટલો તોતિંગ નોંધાઈ ચૂક્યો છે.વલસાડ જિલ્લામાં આજે મુખ્યત્વે કપરાડા, નાનાપોંઢા, ધરમપુર અને વાપી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.આ અણધાર્યા વરસાદથી છેલ્લા કેટલાક દિવસોથી ગરમીથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક નાગરિકોને મોટી રાહત મળી છે. બીજી તરફ આ વરસાદ વલસાડના ખેડૂતો માટે અમૃત સમાન સાબિત થયો છે. ડાંગર અને રાબના પાકને વર્તમાન તબક્કે પાણીની ખૂબ જરૂરિયાત હતી, ત્યારે પડેલા વરસાદથી પાકને સંજીવની મળતાં ખેડૂતોમાં ભારે ખુશી વ્યાપી ગઈ છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા આંકડાની વિગતો તપાસીએ તો આદિવાસી અને ડુંગરાળ ક્ષેત્ર ધરાવતો કપરાડા તાલુકો સમગ્ર જિલ્લામાં સૌથી વધુ ૧૫૧.૭૭ ઈંચ ભારે વરસાદ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. આ ઉપરાંત નાનાપોંઢા તાલુકામાં પણ ૧૨૨.૯૭ ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. દરિયાકાંઠાના ઔદ્યોગિક તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત મેઘમહેર જારી રહેતાં ઉમરગામ તાલુકામાં ૧૧૧.૪૫ ઈંચ, પારડી તાલુકામાં ૧૦૫.૭૯ ઈંચ, વનરાજીથી ઘેરાયેલા ધરમપુર તાલુકામાં ૧૦૪.૨૫ ઈંચ અને જિલ્લા મુખ્ય મથક એવા વલસાડ તાલુકામાં ૧૦૨.૫૭ ઈંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. જ્યારે જિલ્લાની ઔદ્યોગિક નગરી વાપીમાં મોસમનો કુલ ૯૦.૦૭ ઈંચ વરસાદ નોંધાતાં રાહત સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સિઝનનો નોંધપાત્ર અને ભારે વરસાદ થવાના પરિણામે સ્થાનિક જળાશયો, કોતરો, ચેકડેમો અને નદીઓમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે. સતત પાણીની આવક વધતાં જળ સ્તરમાં મોટો ઉછાળો આવ્યો છે અને ખેતી તેમજ પીવાના પાણીની સમસ્યાઓ ઉકેલાઈ જતાં સમગ્ર જિલ્લામાં હરખની હેલી જોવા મળી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, સપ્ટેમ્બર 2026 2277   |  
મહુવા રેન્જમાં ખેરનાં લાકડાંની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ, ટેમ્પો જપ્ત

મહુવા રેન્જમાં બોરીયા રાઉન્ડની વેલણપુર બીટના કાર્યવિસ્તારમાં વન વિભાગ દ્વારા ગેરકાયદે લાકડાંની હેરાફેરી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મળેલી ખાનગી બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર નેહાબેન આઈ. ચૌધરી તથા મહુવા રેન્જ સ્ટાફે દેવવાસણ તરફથી આવતા માર્ગ પર પેટ્રોલિંગ દરમિયાન ટેમ્પો અટકાવી આનંદ પલક્ધારી તેમજ ઘનશ્યામ પટેલની અટક કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટેમ્પોમાં અનામત વૃક્ષ ખેરનાં ૬૭ નંગ લાકડાના ટુકડા, જેનું ઘનફળ ૨.૧૭૯ ઘનમીટર હોવાનું જાણવા મળ્યું હતું. લાકડાં અંગે જરૂરી પાસ-પરમિટ રજૂ કરવામાં ન આવતા વન વિભાગે ટેમ્પો તથા લાકડાનો જથ્થો જપ્ત કરી ખાતાકીય ડેપો ખડપુર માંડવી ખાતે જમા કરાવ્યો હતો.ત્યારે આ વન વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી મુદ્દામાલ સાથે વાહન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ઇર્હ્લં નેહા ચૌધરી દ્વારા ચાલુ હોવાનું વન વિભાગે જણાવ્યું છે.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, સપ્ટેમ્બર 2026 2277   |  
ઉધના મગદલ્લા રોડનાં કારખાનામાં ૭ વર્ષની બાળકી સાથે કારીગરે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું

ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલા કારખાનામાં કામ કરતા દંપતીની સાત વર્ષની બાળકી સાથે હમવતની યુવકે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો ચોંકાવનારો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ઓડિશાનાં વતની એવા મીના અને માધવ ( ઓળખ બદલી છે) બમરોલી બ્રિજ પાસે આશાપુરી સોસાયટીમાં રહે છે. આ દંપતી ઉઘના મગદલ્લા રોડ ઉપર રાયકા સર્કલ પાસેની ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતાં જરીનાં ખાતામાં કામ કરે છે. મીના અને માધવને સાત વર્ષની દીકરી પણ છે. પરિવારમાં અન્ય કોઇ ન હોવાથી આ દંપતી કારખાનામાં કામ કરવા જાય ત્યારે બાળકીને પણ સાથે લઇ જતું હતું. માતા-પિતા તેમનું કામ કરે અને બાળકી કારખાનાની ખુલ્લી જગ્યામાં રમ્યા કરતી હતી. આ કારખાનામાં ધિરેન ઉર્ફ બાબુ જયસેન ડાકુઆ (રહે- આશાપુરી સોસાયટી વિ-૨, પાંડેસરા) પણ કામ કરતો હતો. ધિરેન પણ ઓડિશાનાં ગંજામ જિલ્લાનો વતની હોવા ઉપરાંત ઘર નજીક રહેતો હોય તેને મીના અને માધવ સાથે સારા સંબંધ હતાં. ઓગણીસેક વર્ષ ઉંમરનો ધિરેન આ દંપતીની સાત વર્ષની બાળકીને પણ રમાડ્યા કરતો હતો. જો કે, ધિરેન બાળકીને રમડવા ઓથે તેણી સાથે વિકૃત ચેનચાળા અને અડપલાં કરતો હતો. કામમાં વ્યસ્ત રહેતાં દંપતીએ ધિરેનની આ હરકતો પર ધ્યાન આપ્યું ન હતું. દરમિયાન ગત ૧૧મી તારીખે ધિરેને કારખાનામાં વિકૃતિની તમામ હદ વટાવી હતી. મીના અને માધવ કામમાં વ્યસ્ત હતાં એ દરમિયાન તે ફરી એ બાળકી પાસે ગયો હતો. તે એ બાળાને ફોસલાની કારખાનામાં બનાવાયેલા કપડા બદલવાના રૂમમાં લઇ ગયો હતો. ધિરેન ડાકુઆ એ આ રૂમમાં માત્ર સાત વર્ષની બાળકીને ર્નિવસ્ત્ર કરી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. નીચ હરકત કરી તે જતો રહ્યો હતો. ત્યારબાદ બાળકીએ તેની માતાને સઘળી હકીકત જણાવી હતી. જેથી આ દંપતિ તુરંત બાળકીને લઈ ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ઇન્સ્પેક્ટર એન. વી. ભરવાડે દંપતીની ફરિયાદ સાંભળવા સાથે બાળકીની પણ પૂછપરછ કરી હતી. બાળકીએ ધિરેન તેની સાથે જે કરતો એ બધું જણાવ્યું હતું. ભરવાડે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવા સાથે બાળાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. બાળા સાથે અધમ કૃત્ય કરનારા ધિરેન ઉર્ફે બાબુને અટકાયતમાં લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, સપ્ટેમ્બર 2026 2574   |  
લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગની આખી ઇકોસીસ્ટમ ભારતનાં કબજામાં હોવી જોઇએ : અમિત શાહ

લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રમાં ભારત માટે હવે માત્ર ઉત્પાદન અને કટીંગ-પોલિશિંગ પૂરતું નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક ઇકોસિસ્ટમ પર કબજો જમાવવાનો સમય આવી ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મુંબઇમાં યોજાયેલા ૫૨માં ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સનાં સમારોહમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને લઇને આ દિશામાં હીરા ઉદ્યોગકારોને સ્પષ્ટ હાકલ કરી હતી. આ સમારોહનું આયોજન જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા બીકેસી, ભારત ડાયમંડ બુર્સ ખાતે કરવામાં આવ્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે લેબગ્રોન ડાયમંડનો યુગ આવી રહ્યો છે અને તેની બજારની સાઇઝ ક્વોન્ટીટીનાં દૃષ્ટિકોણથી નેચરલ ડાયમંડની સરખામણીમાં લગભગ ૫૦ ગણી વધી શકે છે. તેથી માત્ર હાલનાં ભાવને જોઇને લેબગ્રોન ડાયમંડના વેપારનું મૂલ્યાંકન કરવાને બદલે ભવિષ્યનાં વોલ્યુમ અને સ્કેલને ધ્યાનમાં રાખવાની જરૂર છે.ખાસ કરીને સુરત માટે ગૃહમંત્રીનું આ નિવેદન મહત્વનું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરત વિશ્વનાં સૌથી મોટા લેબગ્રોન ડાયમંડ કટિંગ-પોલિશિંગ અને મેન્યુફેક્ચરિંગ કેન્દ્રોમાંનું એક બની ગયું છે. સુરતમાં વિકસેલી કટિંગ-પોલિશિંગની કુશળતા, મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને હીરા વેપારનું વૈશ્વિક નેટવર્ક હવે લેબગ્રોન ડાયમંડની નવી ઇકોસીસ્ટમ ઊભી કરવા માટેનો આધાર બની શકે છે. અમિત શાહે કહ્યું હતું કે ભારતમાં લેબગ્રોન ડાયમંડ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કટિંગ-પોલિશિંગની કુશળતા, મૂડી અને ઉદ્યોગસાહસિકો ઉપલબ્ધ છે. હવે જરૂર સમગ્ર વેલ્યુ ચેઇનને ભારતમાં જ વિકસાવવાની છે. લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન, તેના માટેની મશીનરીનું ઉત્પાદન, કટિંગ-પોલિશિંગ, ઝવેરાતનું ઉત્પાદન, માર્કેટિંગથી લઇને વૈશ્વિક બ્રાન્ડ ઊભી કરવા સુધીની સંપૂર્ણ ચેઇન ભારતીય ઉદ્યોગકારોના નિયંત્રણમાં હોવી જોઇએ, તેવો તેમણે આગ્રહ કર્યો હતો. સુરતનાં ન્ય્ડ્ઢ ઉદ્યોગ માટે સંદેશ સ્પષ્ટ છે: વર્તમાન ભાવની મંદી કરતાં ભવિષ્યનાં વિશાળ વોલ્યુમને જોવાનું છે. હવે ઉત્પાદનથી આગળ વધીને મશીનરી, ટેક્નોલોજી, બ્રાન્ડ, ઝવેરાત અને વૈશ્વિક માર્કેટિંગ સુધીની સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરવી એ સુરતનાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે આગામી મોટો પડકાર બની શકે છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution