આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
9108 |
પોલીસ જાગી: અમદાવાદમાં ૩ દિવસમાં ૪૩૬ કેસ, ૪૭૬ની ધરપકડ અને ૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયા બાદ રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે તમામ શહેરો અને જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ પ્રોહીબીશન ડ્રાઇવ રાખવાની કડક સૂચના આપી હતી. આ આદેશના પગલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક્શન મોડમાં આવીને તમામ સ્થાનિક પોલીસ અધિકારીઓને દારૂ તેમજ જુગારની બદીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને ઝોન એલસીબીની ટીમોએ સપાટો બોલાવીને ચોરીછુપીથી ચાલતા અડ્ડાઓ પર વ્યાપક દરોડા પાડ્યા છે. માત્ર ત્રણ દિવસમાં જ પોલીસે કુલ ૪૩૬ કેસ નોંધીને ૪૭૬ આરોપીઓની અટકાયત કરી છે. આ દરોડા દરમિયાન વિદેશી દારૂના ૭૩ કેસો નોંધીને ૨૯.૯૩ લાખની કિંમતની ૧૧,૪૭૯ બોટલ/બીયર સહિત કુલ ૮૦.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેશી દારૂના ૩૩૬ કેસો નોંધીને ૭.૩૮ લાખની કિંમતનો ૩,૬૯૩ લીટર દારૂ અને વાહનો મળી કુલ ૮.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે.દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો સામે લાલઆંખ કરતા પોલીસે ૭ રીઢા બુટલેગરો સામે પાસા (ઁછજીછ) હેઠળ કડક ગુનો નોંધી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દીધા છે. પોલીસ કમિશનરે ગુનેગારોને પાસા હેઠળ જેલભેગા કરવાની ગતિ તેજ બનાવી છે. આ અભિયાન અંતર્ગત કુલ ૪૧ ગુનેગારોને પાસા હેઠળ જેલ મોકલાયા છે, જેમાં સૌથી વધુ ૧૮ દારૂના બુટલેગરો છે. જ્યારે મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ૧૪ અને મારામારી-હત્યાના પ્રયાસ જેવા શરીર સંબંધી ગુના આચરનાર ૯ ગુનેગારોનો સમાવેશ થાય છે. પોલીસની આ કડક ઝુંબેશથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં દારૂબંધીની કડક અમલવારી માટે પોલીસની આ ખાસ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ આવી જ કડક રીતે સતત ચાલુ રહેશે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
23, ઓગ્સ્ટ 2026
9405 |
આણંદમાં એસએમસીએ લાખોનો દારૂ ઝડપ્યો
ગુજરાતમાં અસામાજિક તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સમગ્ર રાજ્યભરમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ચોક્કસ માહિતીના આધારે સતત કાર્યરત છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા ભાલેજ-આણંદ રોડ પર, અપ્પુ વે-બ્રીજ નજીક એક વ્યૂહાત્મક દરોડો પાડવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે વહન કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો અતિ વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી આશરે ૧૫૦ પેટીઓ (કુલ ૭,૧૮૭ બોટલો) કબ્જે કરવામાં આવી હતી, જેની બજાર કિંમત ૧૯,૬૩,૧૫૧/- થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ ૩૪,૬૯,૬૨૧/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપુર ગામના રહેવાસી નારણભાઇ ઉર્ફે અતુલ ઘુસાભાઇ ચૌહાણ નામના આરોપીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસિકથી મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૦૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નાસિકથી ગેરકાયદેસર દારૂનો સપ્લાય કરનાર ૩ શખ્સો, દારૂના વહન માટે વપરાયેલ ટ્રકના મૂળ માલિક તેમજ કાનપુરના જ ભાવેશભાઇ સુરાભાઇ માતાસુરીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સંડોવાયેલા વોન્ટેડ શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ વધુ ઝડપી બનાવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
22, ઓગ્સ્ટ 2026
10494 |
ભાવનગરથી ઝેરી દારૂ પીને સુરત આવેલા યુવકે ચોથા દિવસે દમ તોડ્યો
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડનો ભોગ બનેલા સુરતના યુવકને શુક્રવારે બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ શનિવારે બપોરે તેણે દમ તોડી દીધો હતો. ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઈએનએસ હોસ્પિટલમાં તે ચાર દિવસથી સારવાર હેઠળ હતો.મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં પીરસાયેલી વ્હીસ્કી ઝેરી કેમિકલથી બનેલી હોય સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું તથા ડુપ્લિકેટ વ્હીસ્કી બનાવનાર યાદવનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજય લક્ષ્મણસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સિરિયસ હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, ત્યારબાદ તેને પરવત પાટિયા વિસ્તારની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સ્થિતિ વધું કથળતાં સંજયસિંહને આઇએનએસ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. આઈએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં તેને શુક્રવારે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. ત્યારબાદ શનિવારે બપોરે પરિવારની મંજૂરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી લેવાતાં તેનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક તબીબોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ સંજયસિંહના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપાયો હતો. સંજયે દમ તોડ્યો એ સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક ૧૧ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ઓગ્સ્ટ 2026
12276 |
શહેરમાં ડિફેન્સના નામે નકલી દારૂનો વેપાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી ૯થી વધુના મોત નિપજ્યા છે ત્યાં અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાંડનો નિકોલ અને એસએમસી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બે ફરાર છે. નકલી ઇંગ્લિશ દારૂ બનાવી છૂટક વેચાણ કરતા નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુનિલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ભેગા મળી બનાવટી અંગ્રેજી દારૂ તૈયાર કરી છૂટકમાં વેચાણ કરે છે. એસએમસી અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો. બાદમા ડેકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી.ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ૪ બોટલ, પ્લાસ્ટિકની ૪ બોટલ મળી ઉપરાંત આરોપી પાસેથી રૂ.૫,૦૦૦ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કરીને તપાસ દરમિયાન દિનેશ જંડાવાલાના કુબેરનગર સ્થિત ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો અને એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે કુલ રૂ. ૯૫૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર લગાવી વેચતા આરોપીઓની પૂછપરછ કરતા સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ તથા ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર અને ડિફેન્સનો દારૂ હોવાનું બતાવવા તેનો સિમ્બોલ લગાવી વેચતા હતા. જ્યારે દિનેશ ચામુંડા બ્રિજ પાસે ભંગારની દુકાન ધરાવતા શખ્સ પાસેથી ખાલી બોટલો અને બ્રાન્ડેડ સ્ટીકર અને તેની પર લગાવવાના સીલ લાવતો હતો. આ અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને સુનિલની ધરપકડ કરી ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
21, ઓગ્સ્ટ 2026
11484 |
ભાવનગરથી ઝેરી દારૂ પી સુરત આવેલો યુવક ત્રણ દિવસની સારવાર બાદ બ્રેઇનડેડ જાહેર
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડમાં સુરતનાં યુવકને બ્રેઇનડેડ જાહેર કરાયો છે. પાર્ટીમાં દારૂ પી સુરત આવેલા સંજયસિંહની તબિયત લથડતાં ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઇએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં ત્રણ દિવસની સારવાર બાદ શુક્રવારે સંજયસિંહને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઇ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં રોયલ સ્ટેગ વ્હીસ્કી પીવાઇ હતી. રોયલ સ્ટેગ વ્હીસ્કી નકલી, ઝેરી તત્વોથી બનાવાયેલી હોય તેનું સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.ઉચ્ચસ્તરીય બેઠકો બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ મેદાને આવી પરંતુ એ પહેલા ઝેરી દારૂ પીવાથી ૫૦થી વધુની તબિયત લથડી ચૂકી હતી અને ૮ લોકોનાં મોત થઈ ચૂક્યા હતાં. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજયસિંહ લક્ષ્મસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સીરિયસ હાર્ટએટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, પરંતુ ત્યારબાદથી તે સતત બેભાન અવસ્થામાં સરી પડ્યો હતો. તબીબી તપાસમાં સામે આવ્યું હતું કે સંજયસિંહનાં મગજ સુધી પૂરતો ઓક્સિજન પહોંચી રહ્યો નહોતો. વધુમાં, નશાની તપાસ માટે કરાવેલા ખાસ રિપોર્ટમાં ઇથેનોલ અને મીથેનોલ પોઇઝનિંગની ગંભીર ઝેરી અસર હોવાનું સ્પષ્ટ થયું હતું. ઝેરી દારૂ પીધાનાં માત્ર ૮થી ૧૦ કલાકમાં જ ઝેર આખા શરીરમાં ફેલાઈ જતાં તેની ન્યુરોલોજીકલ સ્થિતિ કથળી ગઈ હતી, જેથી તેને તાત્કાલિક સુરતની જાણીતી ન્યુરો હોસ્પિટલ આઇએનએસમાં શિફ્ટ કરાયા હતા. આઇએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં આજે તેને આખરે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. સંજયસિંહને તેના પરિવારની મંજુરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી સત્તાવાર મૃત ઘોષિત કરાશે એવું જાણવા મળે છે. સંજયસિંહનાં મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ઓગ્સ્ટ 2026
1683 |
કલમસરમાં ટોળા દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો
ખંભાતના કલમસરમાં શ્રમિકના મોત બાદ સ્થાનિકોએ ભારે હોબાળો કર્યો છે. ગ્રામજનોએ ન્યાય અને વળતરની માંગણી સાથે કંપનીનો ઘેરાવો કરતા જ મામલો બીચક્યો હતો અને ભારે પથ્થરમારો થતાં પોલીસે લાઠીચાર્જ અને ત્યારબાદ ટોળાને વિખેરવા માટે ટીયરગેસના ૮ સેલ છોડ્યા હતા. જેને લઈને નાશભાગ મચી હતી.પથ્થરમારમાં બે પોલીસ કર્મીઓ સહિત કેટલાકને ઈજા પહોંચી છે. જ્યારે લાઠીચાર્જમાં બે યુવકો ઘવાયા છે. પોલીસે ટોળાંમાંથી ૩ લોકોની અટકાયત કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર કલમસરની રોહન ડાયઝ એન્ડ ઇન્ટરમીડીયેટ કંપનીમાં યુનિટ-૧માં કામ કરતા રણજીતસિંહ નટુભાઈ સિંઘા પર લોખંડનો થાંભલો (વ્હીસલ) તુટીને પડતા તેને ઈજા પહોંચી હતી. તેમજ અન્ય એક શ્રમિકને પણ ઈજા પહોંચી હતી. બંનેને તુરંત જ સારવાર માટે ખંભાતની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રણજીતસિંહની હાલત ગંભીર હોવાથી તેને કરમસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રણજીતસિંહનું મોડી સાંજે અવસાન થયું હતું. રણજીતસિંહ નટુભાઈ સિંઘા ૧૫ દિવસ પહેલાં જ કંપનીમાં લેબર તરીકે જાેડાયા હતા. કલમસર ગામે પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા. મૃતક રણજીતસિંહના મોતથી એકાએક ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી પથ્થરમારો કર્યો શ્રમિકના મોત બાદ ગ્રામજનો એકત્ર થઈને રોહન ડાયઝ એન્ડ ઇન્ટરમીડીયેટ કંપનીમાં ન્યાય અને વળતરની માંગણી માટે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં પોલીસે તેમને અટકાવ્યા હતા અને કંપનીને જતા રોક્યા હતા, જેને લઈને પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન એકાએક ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ભારે પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. જેને લઈને નાશભાગ મચી હતી. પોલીસે ટોળાને વિખેરા માટે પ્રથમ લાઠીચાર્જ કર્યો હતો. તેમ છતાં પણ સ્થિતિ કાબુમાં ના આવતા ટીયરગેસના સેલ છોડ્યા હતા. પથ્થરમારામાં બે જેટલા પોલીસ કર્મીઓને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. જ્યારે લાઠીચાર્જમાં બે યુવકોને ઈજાઓ થઈ હતી. પથ્થરમારામાં વાહનોના કાચ પણ તૂટ્યા હતા. સ્થિતિ બેકાબુ બનતા જ ખંભાતની આસપાસના પોલીસ મથકોએ તેમજ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સહિતની ટીમોને ખંભાત ખાતે બોલાવી લેવામાં આવી હતી. ડીએસપી જી.જી. જસાણી પણ મોડીરાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ખંભાત રૂરલ પોલીસે સવારે કંપનીમાં સર્જાયેલી દુર્ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. જાે કે, સાંજના સુમારે પથ્થરમારો અને તોડફોડની બનેલી ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ હતી. યુવકના આકસ્મિક મોતને લઈને એક તરફ પરિવારજનો શોકમાં ગરકાવ છે ત્યારે ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ હોય, રાત્રીના સુમારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર કલમસર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા જી. જી. જસાણીના જણાવ્યા અનુસાર કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં શ્રમિકના મોત બાદ કંપનીની બહાર વળતર માટે એકત્ર થયેલા ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કેટલાક શખ્સોએ ભારે પથ્થરમારો શરૂ કરી દેતા સ્થિતિ બેકાબુ બની હતી. જેને લઈને પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. ગામમાં તેમજ કંપની ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈને નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. આ ઘટનામાં પોલીસે પથ્થરમારો કરનાર ૩ જેટલા યુવકની અટકાયત કરી છે, ઉત્પાત મચાવનાર અન્ય યુવકોની પણ અટકાયત કરવામાં આવી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, ઓગ્સ્ટ 2026
3366 |
ચિખોદરામાં પાણીની ટાંકી ૭ વર્ષથી બંધ
ચોમાસું છતાં આણંદ પંથકમાં વરસાદ ખેંચાતા તથા કડાણા ડેમમાં પણ પાણીની આવક ધટતા ખેડૂતો માટે ડાંગર ની વાવણી કરવામાં હાડમારી ઉભી થતાં સાંસદ મિતેષ પટેલ, ધારાસભ્ય વિપુલ પટેલ તથા હર્ષદ પરમાર દ્વારા ઉમરેઠ, સોજીત્રા તારાપુર વિસ્તારના ખેડૂતો ને કડાણા ડેમમાંથી નહીં તો નર્મદામાં થી પાણી આપવામાં આવે ની મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ને રજૂઆત કરતાં ગતરોજ રાજ્ય સરકાર દ્વારા કડાણા ડેમમાંથી પાણી પહોંચાડવા ની મંજૂરી આપતાં ધરતીપુત્રો ખુશખુશાલ થવા પામ્યા છે.પરંતુ ઉમરેઠ ધારાસભ્ય ના પોતાના જ હોમ ટાઉન ચિખોદરા ગામ માં છેલ્લા સાત વર્ષથી લાખોના ખર્ચે નિમૉણ પાણીની ટાંકી શોભાના ગાંઠિયા બનતાં સ્થાનિક વિસ્તારમાં નલસેજલ યોજના નિષ્ફળ બની રહ્યા ની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ પંથકમાં વરસાદ ખેંચાતા સાથે કડાણા ડેમમાં પણ પાણીની આવક ઓછી થતાં ઉમરેઠ, સોજીત્રા, તારાપુર વિસ્તારના ખેડૂતો માટે ડાંગર ની વાવણી માટે પાણીની આવશ્યકતા હોય હાડમારી સર્જાતા સાંસદ મિતેષ પટેલ, ધારાસભ્ય વિપુલ પટેલ તથા હર્ષદ પરમાર દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ને કડાણા ડેમમાંથી નહીં તો નર્મદામાં થી પાણી ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે ની રજૂઆત કરતાં ગતરોજ રાજ્ય સરકાર દ્વારા કડાણા ડેમમાંથી પાણી પહોંચાડવા ની મંજૂરી આપતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.પરંતુ ખાટલે મોટી ખોડ એછેકે ઉમરેઠ ધારાસભ્યના પોતાના હોમ ટાઉન ચિખોદરા ગામમાં છેલ્લા સાત વર્ષથી લાખોના ખર્ચે નિર્માણ પાણીની ટાંકી શોભાના ગાંઠિયા બનતાં સ્થાનિક સ્તરે પાણીની સુવિધા ઉપલબ્ધ ન થતાં નલસેજલ યોજના નિષ્ફળ બની રહ્યા ની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, ઓગ્સ્ટ 2026
2970 |
તપાસમાં ભાંડો ફૂટતાં એજન્સી દ્વારા રકમ જમા કરાવી મામલે રફેદફે કરવાનો પ્રયાસ
આણંદ નજીક સામરખા ખાતે ચરામા કાગળ પર નર્સરી દર્શાવી આશરે બાર લાખ ઓહિયા કરવાના વન વિભાગ ના તિકડમ પર વિભાગના જ અધિકારી દ્વારા તપાસ કરતાં ધટસ્ફોટ થતાં એજન્સી દ્વારા લાખોના રોપાના ખરીદ વેચાણ ના બીલ રજુ કરી નાણાં જમા કરી ઢાંકપિછોડો ના ખેલ રચતાં મામલો ચકડોળે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર બે દિવસ પૂર્વ એનઆરઆઇ ની જમીન પર વૃક્ષ રોપાયા નું દર્શાવી વન વિભાગ દ્વારા લાખોનું કૌભાંડ આચરવામાં આવ્યું નું ઉજાગર થયાની સ્યાહી હજુ ભુસાઇ નથી ત્યાં વધુ એક વિભાગનું તિકડમ ઉભું થવા પામ્યું હોય તેમ સામરખા ગામે ચરાની જગ્યા કાગળ પર નર્સરી દર્શાવી આશરે બાર લાખ રૂપિયા ઓહિયો કરવાના ખેલ નો વિભાગ અધિકારી ની તપાસમાં ધટસ્ફોટ થતાં જ ફફડી ઉઠેલ જવાબદાર દ્વારા એજન્સી નો સંપર્ક કરી નર્સરી માં થી ખરીદ વેચાણ ના બીલ રજુ કરી નાણાં સરકારી તિજાેરીમાં જમા કરાવતા મુદ્દો વિભાગમાં ચગડોળે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, ઓગ્સ્ટ 2026
3069 |
માતરના ખેડૂતો માટે ખુશખબર : કડાણા ડેમમાંથી ૬ હજાર ક્યુસેક પાણી છોડાશે
માતર પંથકમાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરમાં ઉભો પાક નષ્ટ થવાની અણી પર છે. ત્યારે, ખેડૂતોના પાકને બચાવવા માટે કડાણા ડેમમાંથી તાત્કાલિક ધોરણે ૬ હજાર ક્યુસેક પાણી છોડવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર ખેડા જિલ્લામાં વરસાદ ખેંચાતા કેનાલો સુકીભઠ્ઠ થઈ ગઈ છે. ત્યારે, સિંચાઈનું પાણી ન મળવાથી ખેતરોમાં લહેરાતો ઉભો પાક નષ્ટ થવાની અણી ઉપર આવી ગયો છે. જેને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યાં હતાં. આ અંગે અનેકોવારની રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવતું ન હતું. જેથી માતર પંથકના ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. રોષે ભરાયેલાં ખેડૂતોએ મંગળવારના રોજ સિંચાઈ વિભાગ તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને જાે પાણી નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.ખેડૂતોનો રોષ જાેઈ જિલ્લાના ધારાસભ્યોએ ગાંધીનગર ખાતે મંત્રીને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઈ કડાણા ડેમમાંથી તાત્કાલિક ધોરણે ૬ હજાર ક્યુસેક પાણી છોડવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ગુરુવારે સવારે દશેક વાગ્યાના અરસામાં માતર પંથકના ખેતરો સુધી પહોંચી જવાની શક્યતાઓ છે. જેને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હોવાનું જાણવા મળેલ છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
26, ઓગ્સ્ટ 2026
4950 |
નડિયાદમાં રોકાણના નામે ૧૩.૪૦ લાખની ઠગાઇ
નડિયાદના મિશન રોડ વિસ્તારમાં રહેતા એક ખાનગી કંપનીના કર્મચારી સાથે સાયબર ઠગાઈની ઘટના સામે આવી છે. શેરબજારમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી ઠગોએ તેમની સાથે ૧૩,૪૦,૦૦૦ ની છેતરપિંડી આચરી છે. સ્ટોક માર્કેટ એડવાઇઝર તરીકેની ઓળખ આપી જાણીતી કંપનીના નામે બોગસ ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ બેંક ખાતાઓમાં ઓનલાઇન રકમ મેળવી લેવામાં આવી હતી. આ મામલે ખેડા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. પીડિત પોતાના ઘરેથી શેરબજારની પ્રવૃત્તિઓ કરતા હતા. કેટલાક મહિનાઓ પહેલા તેમના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાનું નામ રાહુલ અને વતન પાલનપુર હોવાનું જણાવ્યું હતું. તેણે સ્ટોક માર્કેટ એડવાઇઝર તરીકે ઓળખ આપી ૨૦ થી ૩૦ ટકાના નફાની ખાતરી આપી હતી. ત્યારબાદ અન્ય વોટ્સએપ નંબર પરથી સંપર્ક કરીને કુવરજી એન્ડ ગ્રુપમાં એકાઉન્ટ ખોલવાની વાત કરવામાં આવી હતી. આ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવીને કુવરજી એન્ડ ગ્રુપના નામે બ્રોકરેજ એકાઉન્ટ ખોલ્યું હોવાનું કહી કેવાયસી ફાઇલની ૫ીડીએફ મોકલાઈ હતી. જાેકે, તેનો આઈડી અને પાસવર્ડ આપવામાં આવ્યો ન હતો. સ્ટોકની ખરીદી અને માર્જિન પેટે અલગ-અલગ બેંક ખાતાઓની વિગતો પૂરી પાડવામાં આવી હતી. તહોમતદારોએ વિવિધ કંપનીના શેર ખરીદ્યા હોવાના ખોટા સ્ક્રીનશોટ મોકલીને સારો નફો થઈ રહ્યો હોવાનું બતાવતા હતા. દર શનિવારે પેમેન્ટ મળી જશે તેવી ખાતરી આપવા છતાં બાદમાં વધુ માર્જિન મની જમા કરાવવા દબાણ કરાતું હતું.શંકા જતા ફરિયાદીએ અમદાવાદ સ્થિત કંપનીની ઓફિસે સંપર્ક કરતા આવું કોઈ ડીમેટ એકાઉન્ટ ન હોવાનું ખુલ્યું હતું. છેતરપિંડીનો અહેસાસ થતાં તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ સંદર્ભે ખેડા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ત્રણ વોટ્સએપ નંબરના વપરાશકર્તાઓ તેમજ સંબંધિત બેંક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાયબર સેલે વિગતો એકત્ર કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ઓગ્સ્ટ 2026
1782 |
કેદી ભાઈઓને રાખડી બાંધવા બહેનો જેલ પહોંચી
દેશભરમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે હિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લા જેલમાં પણ તેની વિશેષ ઉજવણી કરાઈ. જેલમાં બંધ કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે મોટી સંખ્યામાં બહેનો જેલ પરિસરમાં પહોંચી હતી. લાંબા સમય બાદ ભાઈ-બહેનના મિલન સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. રક્ષાબંધનના પવિત્ર પર્વને અનુલક્ષીને જેલ પ્રશાસન દ્વારા કેદી ભાઈઓ અને તેમની બહેનોના મિલન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સવારથી જ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા જેલ પરિસરમાં ઉમટી પડી હતી. બહેનોએ ભાઈઓના કાંડે પ્રેમ અને રક્ષણનું પ્રતીક એવી રાખડી બાંધી, અને મોં મીઠું કરાવ્યું હતું. ભાઈ-બહેનના આ મિલન સમયે લાગણીઓ છલકાઈ હતી. લાંબા સમય બાદ પોતાના ભાઈને મળતા અનેક બહેનોની આંખોમાં ખુશી અને ભાવુકતાના આંસુ જાેવા મળ્યા હતા. કેદી ભાઈઓએ પણ બહેનોને આશીર્વાદ આપી તેમના સુખી જીવનની કામના કરી હતી. જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાથી મુલાકાતે આવેલી બહેનોમાં સંતોષ જાેવા મળ્યો હતો. રક્ષાબંધનના આ પ્રસંગે કેદીઓમાં પણ પરિવાર સાથે જાેડાયેલી લાગણીઓ વધુ મજબૂત બની હતી. ગુના અને સજા વચ્ચે પણ પરિવાર પ્રત્યેનો પ્રેમ અને લાગણી અકબંધ રહે છે. સાબરકાંઠા જિલ્લા જેલમાં યોજાયેલી રક્ષાબંધનની આ ઉજવણી તેનું એક ભાવુક ઉદાહરણ પૂરું પાડે છે. જેલ તંત્રના આવા માનવીય અભિગમથી કેદીઓને પરિવાર અને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જાેડાયેલા રાખવામાં મદદ મળી શકે છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ઓગ્સ્ટ 2026
1683 |
મહેસાણામાં મચ્છરોના ભારે ઉપદ્રવ વચ્ચે મનપાના ૮માંથી ૭ ફોગિંગ મશીન ઠપ
મહેસાણા શહેરમાં વરસાદ પડ્યા બાદ હાલમાં મચ્છર અને જીણી જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે અને મનપા દ્વારા ફોગિંગ કામગીરી થઈ રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે કુલ ૮ ફોગિંગ મશીન પૈકી માત્ર એક જ કાર્યરત છે અને ૭ બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.મહેસાણા મહાપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસકામો અને બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, પરંતું નગરજનોના સ્વાસ્થ્ય સાથે જાેડાયેલી બાબતોમાં ચોક્કસ પગલાં લેવામાં મનપા તંત્ર ઊણું ઉતર્યું હોવાનું જાેવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે અને શહેરમાં મચ્છર અને જીણી જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના કારણે શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. મનપા તંત્રની સેનિટેશન-હેલ્થ શાખા દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે શહેરમાં ફોગિંગની કામગીરી તો શરૂ કરી છે પરંતુ મનપાએ વસાવેલાં બે મોટાં વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન પૈકી એક બંધ છે અને એક કાર્યરત છે. તો નાનાં હેન્ડ (પોર્ટેબલ) ફોગિંગ મશીન તો તમામ છ બંધ હાલતમાં હોવાથી તે કંપનીમાં સર્વિસ માટે મોકલવામાં આવ્યાં છે.જેના કારણે મનપા તંત્ર પાસે માત્ર એક જ વ્હિકલ માઉન્ટેડ ફોગિંગ મશીન ઉપલબ્ધ હોવાથી કર્મચારીઓ વિવિધ સોસાયટીઓમાં એની મદદથી ફોગિંગ કામગીરી કરી રહ્યા છે, પરંતુ તેનાથી મર્યાદિત વિસ્તારમાં જ કામગીરી થઈ શકે છે. મનપાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં બીજી વ્હિકલ માઉન્ટેડ ફોગિંગ મશીન કાર્યરત થઈ જશે અને સર્વિસમાં મોકલેલાં છ હેન્ડ ફોગિંગ મશીન પણ ચાલુ થઈને આવી જશે. હાલમાં હેલ્થ વિભાગ પાસેથી પાંચ હેન્ડ ફોગિંગ મશીનની માગણી પણ કરાઈ છે. મનપા તંત્ર દ્વારા શહેરમાં દવાના છંટકાવની કામગીરી પણ શરૂ કરાઈ છે, પંરતું દવાનો જથ્થો પણ હાલમાં બફર સ્ટોક પૂરતો બાકી રહ્યો છે, જેનો ઉપયોગ મર્યાદિત ઉપયોગ થઈ રહ્યો છે અને નવો સ્ટોક આવે તેની રાહ જાેવાઈ રહી છે.ઉલ્લેખનિય છે કે, ફોગિંગ મશીનો ખાસ કરીને ચોમાસામાં ઉપયોગ કર્યા બાદ લાંબા સમય સુધી પડી રહેતાં હોવાથી તે બગડી જાય છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, ઓગ્સ્ટ 2026
3564 |
અમદાવાદ એરપોર્ટ પરથી દંપતી સહિત ચાર પેસેન્જર પાસેથી દાણચોરીનું ૪૯.૨૩ લાખનું સોનું ઝડપાયું
અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ એક જ દિવસમાં શારજાહ, અબુધાબી અને કુવૈતથી આવેલી ત્રણ મહિલા પેસેન્જર સહિત એક દંપતીને સોનાના દાગીનાની દાણચોરી કરતા ઝડપી લીધા છે. ચારેય પેસેન્જર પાસેથી કુલ ૨૪૦.૯૦ ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા છે, જેની કિંમત ૪૯.૨૩ લાખ થાય છે. કસ્ટમ્સના સૂત્રોના જણાવ્યા મુજબ, અબુધાબીથી ઇતિહાદ એરલાઇન્સની ફ્લાઇટમાં અમદાવાદ આવેલી એક મહિલા પેસેન્જરની તપાસ દરમિયાન બે ગોલ્ડ ચેન મળી આવી હતી. તેનું વજન ૧૦૦.૬૦ ગ્રામ અને અંદાજિત માર્કેટ વેલ્યૂ ૧૬.૭૨ લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત કુવૈતથી કુવૈત એરલાઇન્સની ફ્લાઇટમાં અમદાવાદ આવેલી અન્ય એક મહિલા પેસેન્જરની તપાસ કરવામાં આવતા તેના ગળામાં પહેરેલી સોનાની ચેન મળી આવી હતી. તેનું વજન ૫૯.૪૦૦ ગ્રામ અને તે ૨૨ કેરેટની હોવાનું સામે આવ્યું છે. તેની માર્કેટ વેલ્યૂ આશરે ૯.૯૦ લાખ હોવાનું જાણવા મળ્યું છે.મોડી રાત્રે એર અરેબિયાની ફ્લાઇટમાં શારજાહથી અમદાવાદ આવેલા એક દંપતી પર કસ્ટમ્સ અધિકારીઓને શંકા જતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. દંપતીએ પોતાની પાસે સોનું નહીં હોવાનું જણાવ્યું હતું. જાેકે, અધિકારીઓને શંકા જતા તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી, જેમાં બે ગોલ્ડ ચેન મળી આવી હતી. તેનું વજન ૧૪૦.૩૦ ગ્રામ અને સોનું ૨૪ કેરેટનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, તેની અંદાજિત કિંમત ૨૩.૪૧ લાખ છે.આમ, કસ્ટમ્સ વિભાગે એક જ દિવસમાં ચાર પેસેન્જર પાસેથી કુલ ૨૪૦.૯૦ ગ્રામ સોનાના દાગીના જપ્ત કર્યા છે, જેની કુલ માર્કેટ વેલ્યૂ ૪૯.૨૩ લાખ થાય છે. સોનાના ભાવ વધતા સોનાની દાણચોરીમાં નફાનું માર્જિન વધ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર મહિલા પેસેન્જરો દ્વારા કસ્ટમ ડ્યૂટીની ચોરીના પ્રયાસના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ગત અઠવાડિયે પણ એક દંપતી પાસેથી આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી સોનાના દાગીના મળી આવ્યા હતા. જ્યારે બે દિવસ અગાઉ ભાવનગરની એક ડોક્ટર યુવતી પણ સોનાની દાણચોરી કરતા કસ્ટમ્સના હાથે ઝડપાઈ હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, ઓગ્સ્ટ 2026
1584 |
નરોડામાં ૧.૧૭ કરોડનું હાઈ-પ્રોફાઈલ કોકેઇન જપ્ત,૨૦ હજાર માટે કોલેજિયન પેડલર બન્યો
અમદાવાદ શહેર હવે ધીમે ધીમે ડ્રગ્સ માફિયાઓનું એપી-સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં વપરાતું અને સૌથી મોંઘું ગણાતું નશાકારક ડ્રગ્સ કોકેઇન મોટા પાયે ઘૂસાડવાનો પર્દાફાશ થયો છે. નરોડા પોલીસે નાના ચિલોડા પાસેથી એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે, જેની પાસેથી ૨૩૪ ગ્રામ કોકેઇન મળ્યું છે, જેની બજાર કિંમત સવા કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. ડ્રગ્સ ક્યાંથી આવ્યું, કોને આપવાનું હતું અને આ નેટવર્ક પાછળ કોણ છે? અને કોકેઇન ડ્રગ્સના કાળા કારોબારના મૂળ ક્યાં સુધી છે તેને લઈને નરોડા પોલીસે વધુ તપાસ હાથધરી છેઅમદાવાદમાં યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફિયાઓ હવે કોલેજના વિદ્યાર્થીઓનો જ ઉપયોગ કરવા લાગ્યા છે. નરોડા પોલીસની સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક શખ્સ નાના ચિલોડા તરફથી નશાકારક પદાર્થ લઈને આવી રહ્યો છે. નરોડા પોલીસની આ બાતમીના આધારે નરોડા પોલીસે નરોડા વિસ્સંતારના જયગાંધીનગર સોસાયટી પાસે વોચ ગોઠવી અને પિસ્તા કલરનું શર્ટ પહેરેલા એક શંકાસ્પદ યુવકને ઊભો રાખવામાં આવ્યો હતો જેની તપાસ કરવા માં આવી હતી ત્યારે યુવકની તલાશી લેતા પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ... યુવક પાસેથી પાસેથી ૨૩૪.૦૧ ગ્રામ હાઈ ક્વોલિટીનું ગેરકાયદેસર કોકેઇન મળી આવ્યું, જેની બજાર કિંમત ૧ કરોડ ૧૭ લાખ ૫૦૦ રૂપિયા આંકવામાં આવી રહી છે નરોડા પોલીસની પૂછપરછ અને તપાસમાં પકડાયેલા આરોપીનું નામ નરેશ મેઘારામ સૈન હોવાનું સામે આવ્યું છે. જે ૨૨ વર્ષીય નરેશ સૈન મૂળ રાજસ્થાનના જાલોરનો વતની છે અને તે હજુ કોલેજમાં અભ્યાસ કરે છે. નરેશ સૈન પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેને ઉદયપુર બસ સ્ટેન્ડ ખાતે એક અજાણ્યા શખ્સે આ કોકેઇન ભરેલું પાર્સલ આપી ગયો હતો. કોકેઇન ડ્રગ્સની ડિલિવરી અમદાવાદમાં રવિ કુમાર નામના શખ્સને શાહીબાગના નમસ્તે સર્કલ પાસે કરવાની હતી. ત્યારે પેડલર નરેશ સૈન રવીને ડિલીવર કરે એ પહેલાં જ નરોડા પોલીસના હાથે આવી ચઢ્યો હતો. ત્યારે નરોડા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે નરેશ સૈન માત્ર એક ડિલિવરી બોય છે અને નરેશ સૈન ને એક ડિલિવરી કરવાના ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યારે નરેશ સૈન પૈસાની લાલચમાં ડ્રગ્સના મોટા નેટવર્કનો પ્યાદુ બની ગયો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
27, ઓગ્સ્ટ 2026
3168 |
નકલી દવાનો વેપલો કરનારા ત્રણની ધરપકડ
બ્લડ પ્રેશરની દવા ખરીદતા પહેલા હવે દર્દીઓએ પણ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે અમદાવાદમાં નકલી દવાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગએ સંયુક્ત તપાસમાં અમદાવાદ અને લખનઉના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.નકલી દવામાં અસલી કંપનીનું નામ, લેબલ અને બેચ નંબર સુધીનો ઉપયોગ કરવામાં આવતો હતો.. આ નકલી દવાઓ અનેક દર્દીઓએ લીધી હોવાનો થયો ખુલાસો. ક્રાઇમ બ્રાન્ચે આ નકલી દવાના નેટવર્કને લઈને તપાસ શરુ કરી છે.૧૯ ઓગસ્ટના રોજ અંકલેશ્વરમાં જે બી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા પોતાની પ્રોડક્ટ નિકાર્ડિયા રિટાર્ડ ૧૦ની બનાવટી દવા બજારમાં વેચાતી હોવાની ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કરી હતી .ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સની અલગ-અલગ ટીમોએ તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતના અલગ-અલગ મેડિકલ સ્ટોર્સમાંથી આ દવાનો સ્ટોક મળી આવ્યો હતો. અને દવાની સપ્લાય ચેઇનની તપાસ કરતા તેના તાર અમદાવાદ, કચ્છ, જયપુર અને લખનઉ સુધી પહોંચ્યા હતા. આરોપીઓ અસલી દવા જેવી જ દેખાય તેવી બનાવટી દવા તૈયાર કરતા હતા..જેમાં અસલી કંપનીનું નામ, દવાનું નામ, લેબલ અને બેચ નંબરનો ઉપયોગ કરીને એવી રીતે નકલી ટેબ્લેટ તૈયાર કરવામાં આવતી હતી કે સામાન્ય ગ્રાહક કે દર્દી અસલી અને નકલી દવા વચ્ચેનો તફાવત સરળતાથી ઓળખી શકે નહિ. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી દશીલ સંઘવી અમદાવાદનો હોલસેલ દવા વેપારી છે અને પાલડી ખાતે પાશ્વ મેડિકલ સ્ટોર ચલાવે છે. આ આરોપી બનાવટી દવાનો સ્ટોક મંગાવી અમદાવાદ અને અન્ય શહેરોના સબ-ડિસ્ટ્રિબ્યુટર્સને વેચતો હતો..જ્યારે આરોપી દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગી લખનઉનો રહેવાસી છે..આ આરોપીઓ ઊંચી કિંમતની દવાઓમાં કમિશન મેળવવા નકલી દવાઓ ખરીદી કરીને ગુજરાતમાં સપ્લાય કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ઓગ્સ્ટ 2026
1980 |
નેપાળ ફ્લેશ ફ્લડમાં ગુમ સુરતનાં પરિવારે તા.૨૩મીએ પરિવાર સાથે છેલ્લી વાત કરી પછી સંપર્ક તૂટ્યો
નેપાળમાં સર્જાયેલી કુદરતી હોનારત અને ભારે તારાજી વચ્ચે સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યો સંપર્કવિહોણા થતાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોનાં જણાવ્યા મુજબ ૨૩ ઓગસ્ટે લાપતા થયેલા પરિવાર સાથે છેલ્લી વખત ટેલિફોનિક વાતચીત થઈ હતી. તે સમયે તેમણે ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવી માનસરોવર તરફ આગળ વધી રહ્યા હોવાનું કહ્યું હતું. ત્યારબાદથી તેમના મોબાઇલ ફોન બંધ આવતા પરિવારજનોની ચિંતા વધી છે. પૂરની વિનાશક ઘટનાના થોડા કલાકો પહેલાં જ મૂળ સુરતનાં અને છેલ્લા ૧૫ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા પાટીદાર દંપતી પરેશ પટેલ અને તેમના પત્ની જ્યોતિબેન પટેલે ચીન-નેપાળ બોર્ડર પર આવેલા ફ્રેન્ડશિપ બ્રિજ પાસે તસવીર ખેંચાવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ મૂળ સુરતના ૫૮ વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર પરેશ પટેલ અને તેમના ૫૪ વર્ષીય પત્ની જ્યોતિબેન પટેલ માનસરોવર યાત્રા માટે ૨૦ ઓગસ્ટે અમેરિકા ખાતેથી સીધા નેપાળ પહોંચ્યા હતા. મુંબઈમાં રહેતી પરેશ પટેલની બહેન મીનાક્ષીબેન રામાણી પણ યાત્રામાં જાેડાવા માટે ૨૨ ઓગસ્ટે નેપાળ પહોંચી હતી. ત્યારબાદ પરેશ પટેલ, જ્યોતિબેન પટેલ અને મીનાક્ષીબેન ત્રણેય માનસરોવર યાત્રા માટે આગળ રવાના થયા હતા. પરિવારજનોનાં જણાવ્યા મુજબ ૨૩ ઓગસ્ટે પરેશ પટેલ અને પરિવાર સાથે છેલ્લી વખત વાતચીત થઈ હતી. તે સમયે તેમણે ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું જણાવી તેઓ માનસરોવર તરફ આગળ વધી રહ્યા હોવાનું કહ્યું હતું. જાે કે, આ વાતચીત બાદથી પરિવારનાં સભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી. તેમના મોબાઇલ ફોન પણ બંધ આવી રહ્યા હોવાથી પરિવારજનોમાં ચિંતા વધુ ઘેરી બની છે. પૂરની વિનાશક ઘટનાના થોડા કલાકો પહેલાં જ મૂળ સુરતનાં અને છેલ્લા ૧૫ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા પાટીદાર દંપતી પરેશ પટેલ અને તેમના પત્ની જ્યોતિબેન પટેલે ચીન-નેપાળ બોર્ડર પર આવેલા ફ્રેન્ડશિપ બ્રિજ પાસે તસવીર ખેંચાવી હતી. પરિવારના સભ્યો લાપતા થતાં તેમના વૃદ્ધ માતા સહિત અન્ય સગાસંબંધીઓ પણ ભારે ચિંતામાં મુકાયા છે. પરિવારજનો દ્વારા સરકાર અને વિદેશ મંત્રાલયને તાત્કાલિક હસ્તક્ષેપ કરી લાપતા થયેલા સભ્યોને શોધી કાઢવા અને તેઓ હેમખેમ પરત ફરે તે માટે મદદ કરવાની વિનંતી કરવામાં આવી છે. સુરતના પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં લાપતા સભ્યોની શોધખોળ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પરિવારજનો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા નેપાળ ખાતે ભારતીય દૂતાવાસ અને ભારતના વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ઓગ્સ્ટ 2026
1980 |
સ્ટ્રીટલાઇટનો થાંભલો ઇન્સ્ટોલ કરતી વખતે બેને કરંટ લાગ્યો, એકનું મોત
સચિન હોજીવાલા રોડ નંબર-૯ પર સ્ટ્રીટલાઇટનો થાંભલો ઇન્સ્ટોલ કરતી વખતે વીજલાઇન અડી જતાં બે યુવકોને કરંટ લાગ્યો હતો. બંને યુવકો થાંભલાથી ફંગોળાઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત એકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે તેમના મિત્ર અમિતને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ ઉનગામ વિસ્તારમાં જળકૃપા સોસાયટીમાં રહેતા ૨૬ વર્ષીય પ્રકાશ માન્ય બામણીયા ગત સાંજે મિત્ર અમિત સાથે સચિનનાં હોજીવાલા રોડ નંબર-૯ પર સ્ટ્રીટલાઇટનો થાંભલો ઇન્સ્ટોલ કરવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન થાંભલો વીજલાઇનને અડી જતાં બંનેને જાેરદાર કરંટ લાગ્યો હતો અને બંને નીચે ફંગોળાઈ ગયા હતા. બનાવ બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાે કે, પ્રકાશ બામણીયાની હાલત ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અમિતને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. પ્રકાશ બામણીયા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની હતા અને પરિવાર સાથે સુરતમાં રહેતા હતા. તેઓ એક પુત્રીનાં પિતા હતા. યુવાનનાં મોતનાં સમાચારથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ઓગ્સ્ટ 2026
2376 |
પુણામાં ધોરણ ૧૦થી ૧૨ પાસ થયેલાં ચાર બોગસ ડોક્ટર ઝડપાયાં
સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિગ્રી કે લાઇસન્સ વગર એલોપેથી દવાઓથી દર્દીઓની સારવાર કરતા ચાર બોગસ ડોક્ટરોને ઝોન-૧ એલસીબી અને પુણા પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. માત્ર ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ સુધીનો અભ્યાસ કરેલા આ શખ્સો છેલ્લા કેટલાક વર્ષોથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ચારેય પાસેથી મેડિકલ સામાન અને દવાઓનો કુલ રૂ.૪,૯૦,૯૮૧નો મુદ્દામાલ કબજે કર્યો છે. જાેકે મહત્વની વાત એ છે કે આ ચાર બોગસ પૈકી બે ડોક્ટર ભૂતકાળમાં પણ પોલીસના હાથે પકડાઈ ચુક્યા છે છતાં પણ ક્લિનિક ચલાવતા હતા.પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ, પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોને શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ઝોન-૧ એલસીબીના અ.હે.કો. હરીસિંહ ભગવાનભાઈ અને અ.હે.કો. આનંદભાઈ રાજેન્દ્રભાઈને મળેલી બાતમીના આધારે પુણા-ઉમરવાડા વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે રાજીવનગર ઝૂંપડપટ્ટીના પ્લોટ નં.૨૨૬માંથી સમરબહાદુર ભિન્ગુ પાલ (ઉં.વ.૫૪), આશાનગર ઝૂંપડપટ્ટીના પ્લોટ નં.૧૩૪ ખાતે આવેલા સંજીવ ચિકિત્સાલયમાંથી તેજબહાદુર મીર્જારામભાઈ નિશાદ (ઉં.વ.૫૩), રાજીવનગરના પ્લોટ નં.૬૩૧માંથી પ્રશાંતભાઈ પ્રોમથનભાઈ માલાકર (ઉં.વ.૩૭) અને પ્લોટ નં.૭૭માંથી સુબલ સુનિલ ગાચ્છી (ઉં.વ.૪૨)ને ઝડપી પાડ્યા હતા. ચારેય આરોપીઓ પાસે તબીબી વ્યવસાય માટે જરૂરી કોઈ માન્ય ડિગ્રી કે લાઇસન્સ ન હોવા છતાં તેઓ દવાખાનાં ચલાવી દર્દીઓને એલોપેથી દવાઓ આપતા અને સારવાર કરતા હતા. આ રીતે બેદરકારીપૂર્વક સારવાર કરવાથી દર્દીઓના જીવન અને શારીરિક સલામતી સામે જાેખમ ઊભું થવાની શક્યતા હોવા છતાં આરોપીઓ પ્રેક્ટિસ કરતા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે પુણા પોલીસે ચારેય સામે બી.એન.એસ. કલમ ૧૨૫ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ૩૦ મુજબ ગુનો નોંધાયો છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ઓગ્સ્ટ 2026
1287 |
મોટાવરાછાની લા-પિનોઝ પીઝામાં ઇયળ નીકળી, રીલ વાયરલ થતા સંસ્થા બંધ કરાવી દંડ કરાયો
વરાછાઝોનનાં ઇશ્વરકૃપા રોડ પર આવેલી શીતલ રેસ્ટોરન્ટનું પંજાબી શાક ખાધા બાદ એક પરિવારને ફૂડ પોઇઝનની અસર અને માસૂમ બાળકીનાં મોતની ગંભીર ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનાં આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરભરની હોટેલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. મનપા દ્વારા ક્યાંક દંડ, ક્યાંક નોટિસ, ક્યાંક ખાદ્યસામગ્રીનો નાશ અને જરૂર જણાય ત્યાં સંસ્થા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાે કે, જાણીતી બ્રાન્ડ સામે થયેલી કાર્યવાહીને જાહેર નહીં કરવામાં આવતી હોવાના આક્ષેપોથી સમગ્ર ઝુંબેશની પારદર્શિતા સામે સવાલો ઉઠ્યા છે.મોટાવરાછા વિસ્તારમાં આવેલી લા-પિનોઝનાં પીઝામાંથી ઇયળ નીકળતી હોવાનો વીડિયો અને રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. શરૂઆતમાં સરથાણા ઝોનનાં આરોગ્યતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપો થયા હતા. મામલો ઉચ્ચ અધિકારીઓનાં ધ્યાન પર આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો. ત્યારબાદ સરથાણા ઝોનનાં નાયબ આરોગ્ય અધિકારી ડૉ. અર્પિત દુધવાલાની આગેવાની હેઠળ લા-પિનોઝ પીઝામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાંધાજનક બાબતો મળી આવતા સંસ્થા બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને રૂ.૩૦ હજારનો દંડ પણ વસૂલવામાં આવ્યો હોવાની ચર્ચા છે. મનપા દ્વારા શહેરની અન્ય ખાણી-પીણીની સંસ્થાઓ સામેની કાર્યવાહી અંગે નિયમિત રીતે વિગતો જાહેર કરવામાં આવી રહી છે ત્યારે લા-પિનોઝ સામે થયેલી કાર્યવાહી અંગે સત્તાવાર માહિતી જાહેર નહીં થતાં સવાલો ઉઠ્યા છે. અગાઉ અડાજણનાં ડી-માર્ટમાં ફૂગવાળી બ્રેડનાં મામલે પણ ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરની કામગીરી અંગે પ્રશ્નો ઉઠ્યાં હતાં.મનપા અધિકારીઓ મોટા બ્રાન્ડ સામેની કાર્યવાહી છુપાવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં મામલો વાયરલ થયા બાદ જ તંત્ર તપાસ માટે પહોંચ્યું હતું કે નહીં અને કાર્યવાહી જાહેર કેમ કરવામાં આવી નહીં તે અંગે પણ પારદર્શક ખુલાસાની માગ ઉઠી છે. આવી સ્થિતિમાં મનપાની સમગ્ર ફૂડ ચેકિંગ ઝુંબેશની નિષ્પક્ષતા સામે જ સવાલો ઊભા થયા છે.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક |
loksattanews.co.in
ગુજરાત
28, ઓગ્સ્ટ 2026
1782 |
ઉધનામાં બાળકી અને તેની બહેન ઉપર કોન્ટ્રાકટર દ્વારા બળાત્કાર
ઉધના વિસ્તારમાં મજૂરી કામ માટે આવેલા મહારાષ્ટ્રનાં શ્રમજીવી પરિવારની બે સગીર બહેનો સાથે પરિચિત કોન્ટ્રાક્ટરે દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદુરબારની આશ્રમ શાળામાં યોજાયેલા ગુડ ટચ-બેડ ટચ અંગેના જાગૃતિ કાર્યક્રમ દરમિયાન ૧૧ વર્ષની બાળકી દ્વારા પોતાની સાથે થયેલા શારીરિક શોષણ અંગે વાત કરવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ બાળકીની ૧૪ વર્ષની મોટી બહેને પણ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની કબૂલાત કરતાં વાલીઓ અને શાળાના સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા.પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રનાં નંદુરબાર વિસ્તારમાં આવેલી આશ્રમ શાળામાં થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓને ગુડ ટચ-બેડ ટચ અંગે જાગૃતિ આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ૧૧ વર્ષની કિશોરીએ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની વાત કરી હતી. બાળકીની વાત સાંભળીને શાળાના સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક તેના વાલીઓને જાણ કરી હતી. વાલીઓએ પુત્રીની પૂછપરછ કરતાં તેણે ચોંકાવનારી હકીકત જણાવી હતી. બાળકીની સાથે તેની ૧૪ વર્ષની મોટી બહેન સાથે પણ દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. બંને બહેનોની વાત સાંભળીને પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, શ્રમજીવી પરિવાર મે-૨૦૨૬ દરમિયાન સુરતના ઉધના વિસ્તારમાં મજૂરી કામ માટે આવ્યો હતો. તે સમયે તેમના પરિચિત અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પિર્યા જાલુ વળવી (ઉં.વ.૫૪)એ બંને સગીર બહેનો સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના કારણે બંને બહેનો અત્યાર સુધી ચૂપ રહી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ઘટના અંગે બાળકીના વાલીએ તા.૨૫ ઓગસ્ટનાં રોજ નંદુરબાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નંદુરબાર પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી માટે સુરતના ઉધના પોલીસ મથકમાં મોકલી આપી હતી. ઉધના પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપી પિર્યા જાલુ વળવીને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ બતાવો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Terms & Conditions
|
Privacy Policy
Contact Us
|
Grievance Redressal Policy
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...