ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
27, જુલાઈ 2026 15939   |  
વેચાણ માટે લીધેલા હીરાનું ૭૪.૮૭ લાખ પેમેન્ટ નહીં ચૂકવી કતારગામની કંપની સાથે છેતરપિંડી

આડતથી વેચાણ માટે ૭૪.૮૭ લાખનાં હીરા લઇ ગયા બાદ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપનાર રિદ્ધિ ડાયમંડ તથા રિદ્ધિ સિદ્ધિ ડાયમંડ નામે ધંધો કરતા માંગુકિયા પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી અનુસાર સિંગણપોર ચાર રસ્તા પાસે રાજદીપનગરમાં રહેતા ચિરાગ ડુંગરશીભાઈ સવાણી હીરાનો વેપાર કરે છે. ભાવનગરનાં વલ્લભીપુર તાલુકાનાં વતની ચિરાગ કતારગામ અમરોલી રોડ ઉપર “સી. જેનીલ કુમાર એન્ડ કુ." નામથી વિશાલ સવાણી અને ડાહ્યાભાઇ સવાણી સાથે કુદરતી હિરાનું મેન્યુફેકચરિંગ તેમજ ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનું કામકાજ કરે છે. ચિરાગ પાંચ છ વર્ષ પહેલા ગૌરાંગ લાખાભાઇ માંગુકિયા સાથે હીરા વેચાણનું કામ કરતો હતો. ત્યારબાદ ગૌરાંગ હોંગકોંગ જઇ રિદ્ધિ સિદ્ધિ ડાયંમડ નામથી વેપાર કરવા માંડ્યો હતો. ગૌરાંગ માંગુકિયા એ વોટ્સએપથી ચિરાગ સવાણીનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, મારા પરિવારનાં અરવિંદભાઈ, ઉમંગ તથા કાનજી મુંબઈ અને સુરત મુકામે રિદ્ધિ ડાયમંડ નામથી ધંધો કરે છે. તેઓની જરૂરિયાત અનુસારનો માલ તારી પાસે હોય તો તેમને આપજે. એ માલ હું હોંગકોંગમાં વેચી પેમેન્ટ કરાવી આપીશ. પેમેન્ટની જવાબદારી લેવા સાથે ગૌરાંગે ૩% આડત આપવાની શરત પણ મૂકી હતી. ત્યારબાદ અરવિંદ માંગુકીયાએ ચિરાગને ફેક્ટરીએ મળવા ગયા હતાં. તેમણે કટ એન્ડ પોલીશ્ડ હીરાની ડિમાન્ડ કરી હતી. એ સમયે સવાણી પાસે હતો એ માલ બતાવ્યો હતો. માંગુકિયાએ ૨૪૯.૨૨૦ કેરેટ હીરા પસંદ કર્યા હતા. ૭૪,૮૬,૫૬૮ રૂપિયા કિંમતનાં હીરા ૧૨ ઓગષ્ટ, ૨૦૨૪નાં રોજ અરવિંદને જાંગડ પર અપાયા હતાં.  ત્યારબાદ પણ ધણો સમય વીતી જવા છતા અરવિંદે હીરા બાબતે કોઇ જવાબ આપ્યો ન હતો. દરેક કોલમાં અલગ અલગ બાહાના બનાવી તેઓ સમય પસાર કરતાં રહ્યાં હતાં. જેથી સવાણીએ ગૌરાંગનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જેમાં ગૌરાંગે ઉશ્કેરાઇ જઇ મે કે મારા કારાએ આવો કોઇ માલ ખરીદ્યો નથી, કે આડતથી વેચાણ માટે લીધો નથી એમ કહેતાં સવાણી આઘાત પામ્યો હતો. ત્યારબાદ ચિરાગનાં પિતા ડુંગરશીભાઇ તથા મુંબઈ ઓફિસમાં સેલ્સ વિભાગ સંભાળતા રાકેશ કાજાવદરા ૭૪.૮૭ લાખની ઉઘરાણી માટે રિદ્ધિ ડાયમંડ અને રિદ્ધિ સિદ્ધિ ડાયમંડનાં પાર્ટનર કાનજી તથા ઉમંગ પાસે ગયા હતાં. તેઓએ પણ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપી હતી. જેથી ચિરાગ સવાણીએ આખરે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 30987   |  
ભાવનગરના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમમાં મોટી તકનીકી ઘટના સામે આવી છે. ડેમના ૧૫ નંબરના ગેટને સંચાલિત કરતો મુખ્ય વાયર (રેસો) તૂટી જતાં ગેટ નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ અનિયંત્રિત રીતે નદીમાં છોડાવા લાગ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.માહિતી અનુસાર, ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે ગેટમાં ખામી સર્જાતા તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. ગેટને થયેલા નુકસાનને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.જિલ્લા પ્રશાસને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ સહિત શિહોર તાલુકાના ભાણગઢ ગામના લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે.વહીવટીતંત્રે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પૂર જાેવા, ફોટા કે સેલ્ફી લેવા માટે નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, જુલાઈ 2026 29997   |  
બાળકને ગિરનારની સીડીઓ પરથી સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષ મળ્યા

વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કરી તેને સીડીઓ પરથી જ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. પરિવારજનો અને યાત્રિકોની નજર સામે બનેલી આ ઘટનાએ ભય અને અરેરાટીનો માહોલ સર્જ્યો હતો. બાદમાં વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ કલાકો સુધી શોધખોળ કર્યા બાદ જંગલમાંથી બાળકના અવશેષો કબજે લીધા હતા.છેલ્લા ૨૫ દિવસમાં માણસ પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું સામે આવતા ગિરનાર સહિત સિંહોના રહેણાંક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.પરિવારની આંખો સામે સિંહ બાળકને ખેંચી ગયોમહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. પરિવાર વહેલી સવારે દર્શન માટે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. ગેટથી અંદાજે ૫૦ જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળ ચાલતા બાળક મયુરસિંહ પર ઝંપલાવ્યું હતું.બાળક પોતાના કાકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો, પરંતુ સિંહ હુમલો કરીને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. વન રાજ્યમંત્રી પ્રવીણ માળી : ગિરનારમાં માનવ પર સિંહના હુમલાની પ્રથમ ઘટના ગિરનાર પર્વત પર ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની આ પ્રથમ ઘટના છે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.વનમંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ શંકાસ્પદ સિંહોને બેભાન કરીને પકડી લેવામાં આવ્યા છે.હાલ ત્રણેય સિંહોને વૈજ્ઞાનિક અને પશુચિકિત્સકીય તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.પ્રવીણ માળીએ સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોના વર્તનમાં આવી રહેલા ફેરફારોનું વૈજ્ઞાનિક કારણ જાણવા માટે વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને વિશેષ અભ્યાસ સોંપવામાં આવ્યો છે.સિંહોની પ્રકૃતિમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, માનવ વસાહતો તરફ તેમની અવરજવર શા માટે વધી રહી છે અને હુમલાઓ પાછળના કારણો શું છે, તે મુદ્દાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે..


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જુલાઈ 2026 20889   |  
અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે; ૩ મહિનામાં કામગીરીનો પ્રારંભ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના હાઈવે અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી વધુ નાણાં મેળવવા રાજ્ય સરકારને તાત્કાલિક દરખાસ્ત મોકલવા અનુરોધ કર્યો હતો.અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ-વે હવે ૮ લેન થશે ૯૩ કિલોમીટરના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વેને ચારમાંથી ૮ લેઈનમાં પરિવર્તિત કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડતરીએ મંજૂરી આપી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે ગુજરાતની આ માંગણી પરત્વે ર્નિણય કરીને વર્ષ ૨૦૨૭માં જ વિસ્તરણનું કાર્ય શરૂ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતનું જમીન સંપાદન મોડલ દેશ માટે ઉદાહરણ ડીપીઆર તૈયાર થતી વખતે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનને સરળ બનાવવા બિનખેતી મંજૂરીની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત મોડલની નીતિન ગડકરીએ પ્રશંસા કરી અને તેને સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય ગણાવ્યું. રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને શક્ય હોય ત્યાં સુધી કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરીને અન્યત્ર રોપવાની સૂચના આપવામાં આવી જેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, જુલાઈ 2026 3267   |  
નિસરાયાના મામલે હવે ડીડીઓ નિર્ણય કરશે

નિસરાયા ગ્રામ પંચાયત ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. બોરસદ તાલુકાના નિસરાયા ગામના મહિલા સરપંચ સ્મિતાબેન રાજ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ ગામના અરજદાર વિજયકુમાર કે. કાપડિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરાયેલી છ મુદ્દાની અરજી બાદ સમગ્ર મામલે થયેલી તપાસમાં તમામ આક્ષેપો સાચા ઠર્યા હોવાનું તપાસ અહેવાલમાં નોંધાયું હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે મહિલા સરપંચ સામે પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી થશે કે નહીં તે અંગે સૌની નજર જિલ્લા વિકાસ અધિકારીના ર્નિણય પર ટકેલી છે. રિપોર્ટમાં કેટલાંય આરોપો સાબિત થયા અરજી મુજબ મહિલા સરપંચ સ્મિતાબેન રાજ તથા તલાટી-કમ-મંત્રી દ્વારા ગામના વિકાસના નામે કોઈપણ પ્રકારની જરૂરી પૂર્વ મંજૂરી લીધા વિના ગામના મુખ્ય તળાવમાં અંદાજે ૨૦ ગૂંઠા જેટલું પૂરાણ કરવામાં આવ્યું હતું. આ જમીન ઉપર દાતા મહેન્દ્ર પટેલ ઉર્ફે “મેકદાદા”નું સ્ટેચ્યુ તથા અન્ય બાંધકામ ઉભું કરવામાં આવ્યું હોવાનું આક્ષેપમાં જણાવાયું હતું. તપાસ દરમિયાન પણ તળાવ પૂરાણ માટે કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું સામે આવ્યું હોવાનું અહેવાલમાં નોંધાયું છે. આ ઉપરાંત વર્ષો જૂની પ્રાથમિક શાળાની જગ્યા, જે પાછળથી સમગ્ર ગામની વાડી માટે પંચાયત હસ્તક રાખવાના ઠરાવ સાથે સંકળાયેલી હોવાનું જણાવાય છે, ત્યાં આવેલો જૂનો હોલ પણ કોઈપણ ઉચ્ચ અધિકારીની પૂર્વ મંજૂરી વિના તોડી પાડીને તેની જગ્યાએ નવો હોલ બનાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. પંચાયતના નિયમો મુજબ કોઈપણ સરકારી મિલકત પર આવેલ હયાત બાંધકામ તોડતા પહેલાં ઉચ્ચ કક્ષાની મંજૂરી લેવી ફરજિયાત હોય છે. એટલું જ નહીં, જૂના બાંધકામમાંથી નીકળતા કાટમાળની જાહેર હરાજી કરીને તેની આવક પંચાયતના ખાતામાં જમા કરાવવાની હોય છે. પરંતુ અરજી મુજબ આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી નહોતી. તપાસમાં પણ જૂના હોલને તોડવા માટે પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું તેમજ કાટમાળની જાહેર હરાજી ન કરાઈ હોવાનું સામે આવ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જાેકે સમગ્ર ઘટનાક્રમમાં હવે બોરસદ તાલુકા વિકાસ અધિકારી સતીશ પટેલની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. કારણ કે વિસ્તરણ અધિકારીનો સ્પષ્ટ તપાસ અહેવાલ મળ્યા બાદ મહિલા સરપંચ સામે સીધી કાર્યવાહી માટે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ મોકલવાને બદલે તાલુકા વિકાસ અધિકારીએ મહિલા સરપંચને પ્રથમ કારણદર્શક નોટિસ ફટકારી હતી અને સાત દિવસમાં ખુલાસો માંગ્યો હતો.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, જુલાઈ 2026 4554   |  
૨૪ કલાકમાં ખેડા જિલ્લો જળબંબાકાર

ખેડા જિલ્લામાં સાવર્ત્રિક ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની અતિ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને માતર, મહેમદાવાદ, વસો અને નડિયાદ તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ચારેય તરફ પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન બની જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ૨૪ કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો મહેમદાવાદ તાલુકામાં રેકોર્ડબ્રેક ૨૦ ઇંચ અને માતર તાલુકામાં ૧૮ ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે નડિયાદ શહેરમાં પણ ૧૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આટલા ટૂંક સમયમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ ગંભીર બની ગઈ છે. અતિભારે વરસાદના પરિણામે ખેડા-ધોળકા હાઈવે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત માતર-તારાપુર હાઈવે પર પણ માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વાહનચાલકો અને રાહદારીઓ પોતાના જીવના જાેખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. માર્ગો બંધ થવાના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે. નડિયાદ શહેરની વાત કરીએ તો ૧૫ ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે. નાના કુંભનાથ રોડ, વાણિયાવાડ સર્કલ અને રબારી વાસ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. શહેરના તમામ ચાર ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જતાં નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતો વાહનવ્યવહાર તદ્દન ઠપ્પ થઈ ગયો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. પાણીના નિકાલ માટે પંપિંગ સહિતની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી છે. સતત વરસતા વરસાદના કારણે શરૂઆતમાં નિકાલની પ્રક્રિયા ધીમી પડી હતી, પરંતુ બાદમાં વરસાદનું જાેર ઘટતાં અને વિરામ મળતાં પાણી ધીમે ધીમે ઓસરવાનું શરૂ થયું છે, જેથી તંત્ર અને સ્થાનિકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર સવારે ૮ વાગ્યા સુધીમાં જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.આણંદ શહેરમાં ૮ ઇંચ વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આણંદ પંથકમાં મનમૂકીને વરસાદ વરસતા શ્રીકાર વર્ષા થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થયા હતા.જયારે આણંદ શહેર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી કરી વળતા મનપાની પ્રિમોન્સુન કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.જયારે લોટીયા ભાગોળ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એકનું મોત થયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આણંદ પંથક પર મેધરાજા મનમૂકીને વરસતા શ્રીકાર વર્ષા થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ઉઠ્યા હતા.આણંદ શહેર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાતાં મનપાની પ્રિમોન્સુન કામગીરી પર અંગુલિનિર્દેશ થવા પામ્યાનું જાણવા મળેલ છે.ગતરાત્રીના શહેરના લોટિયા ભાગોળ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એકનું મોત થયાનો બનાવ બન્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, જુલાઈ 2026 5247   |  
કાર ગરનાળામાં ખાબકતાં અમદાવાદના ૪નાં મોત

ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માતર નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ખેડા-માતર હાઈવે પર મોતીપુરા ગામ પાસે અમદાવાદના લોકોની કાર અનિયંત્રિત થઈ ગરનાળામાં ખાબકી હતી. કારમાં કુલ ૬ લોકો સવાર હતા, જેમાંથી ૪ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ૨ લોકોને જીવતા બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ કાર મોતીપુરા ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. ભારે વરસાદને કારણે ગરનાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. કાર ગરનાળામાં ખાબક્યા બાદ પલટી મારી પાણીના જાેરદાર વહેણમાં તણાઈ ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા લોકો કારમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને પોલીસ તેમજ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. ખેડા નાયબ કલેક્ટર સુરજ બારોટ, માતર મામલતદાર અને ખેડા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે કારમાંથી બે લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોની વિગત: રાજ સંજયભાઈ રાઠોડ - ઉંમર ૨૬, રહે.અમદાવાદ વિરેન્દ્રસિંહ શેખાવત - ઉંમર ૨૬ રહે.મૂળ રાજસ્થાન સીકર, હાલમાં ઝ્ર્સ્ અમદાવાદ મુસ્તકીમ રાજપુત - ઉંમર ૧૯, રહે. રખિયાલ, અમદાવાદ મયુર મહેશભાઈ પંચાલ - ઉંમર ૩૪, રહે. ન્યુ મણીનગર, અમદાવાદ આ ૨ લોકોનો બચાવ થયો હતો જયારે ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગિલ - ઉંમર ૨૮, રહે. હાટકેશ્વર અમરાઈવાડી, અમદાવાદ મુકેશ જીવન ચૌહાણ - ઉંમર ૩૨, રહે. રહે. હાટકેશ્વર અમરાઈવાડી, અમદાવાદ ૪ લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ પાણીના પ્રવાહમાં ફસાયેલા અન્ય લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ ટીમે એક પછી એક મૃતદેહ બહાર કાઢ્યા હતા અને આખરે કુલ ૪ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તીવ્ર વળાંકને કારણે અનિયંત્રિત થઈ પલટીનેપ્રાંત અધિકારી ઘટનાસ્થળે પહોંચેલા ખેડા પ્રાંત અધિકારી સૂરજ બારોટે જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ આ અર્ટિકા કાર એક તીવ્ર વળાંકને કારણે અનિયંત્રિત થઈ પલટીને ગરનાળામાં ખાબકી હતી હતી.કારમાં આગળ જે બે લોકો સવાર હતા એ બહાર નીકળી ગયા, પણ પાછળની સીટમાં બેસેલા લોકો નીકળી ન શક્યા અને તેમનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે.



ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, ઓગ્સ્ટ 2026 1089   |  
ઇડર તાલુકા પંચાયતના મસ્ટર કારકુન ૧૫૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

સાબરકાંઠા જીલ્લામાં ઈડર તાલુકાના ઓડા ગ્રામ પંચાયતના મનરેગા વિભાગમાં મસ્ટર કારકુન(મેટ) ને અરજદાર પાસેથી આવાસ યોજનાના હપ્તા પૈકી પંદર હજારની લાંચ માંગી હતી જેને લઈને અરજદારે એ.સી.બી નો સંપર્ક કર્યો હતો અને લાંચિયા કર્મીને ઝડપી લેવા છટકું ગોઠવ્યું હતું અને એન્ટીકરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો આ ઘટના બાદ જીલ્લા સહિત તાલુકાના લાંચિયા કર્મીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.આ અંગે એ.સી.બી ના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એ.સી.બી માં ફરિયાદ આપનાર ફરિયાદીના પત્નીના નામે દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજૂર થઈ હતી. આ મકાન સહાયના પ્રથમ હપ્તા પેટી ત્રીસ હજાર રૂપિયા ફરિયાદીના બેંક ખાતામાં જમા થયા બાદ આક્ષેપિત મસ્ટર કારકુન રમેશચંદ્ર મણીલાલ પંડ્યાએ ફરિયાદીનો ફોનથી સંપર્ક કર્યો હતો. અને મકાન સહાયના પ્રથમ હપ્તા રૂપે જમાં થયેલ રકમમાંથી પંદર હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. સાથે જ મનરેગા યોજનામાં કંઈક ઓછું કરી આપવાની પણ વાતચીત કરી હતી. આ વાતચીત બાદ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેઓએ હિંમતનગર એ.સી.બી કચેરીનો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ એ.સી.બી કચેરીના પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી.સુથારે દેશોતર ચાર રસ્તા પાસે આવેલ એક પાર્લર પાસે વોચ ગોઠવી દીધી હતી. અને ફરિયાદીએ આરોપી લાંચિયા કારકુનને ત્યાં બોલાવતા આરોપી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાની માંગણી કરી લાંચ પેટના પંદર હજાર રૂપિયા સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. આ બાબતે એ.સી.બી ની ટીમે આરોપી કારકુનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, ઓગ્સ્ટ 2026 990   |  
શહેરમાં વધુ એક કસ્ટોડિયલ ડેથ : બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોક્સોના આરોપીનું મોત

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન એક આધેડનું મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં અને પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. મૃતક વ્યક્તિની ઓળખ અહેમદ અંસારી તરીકે થઈ છે, જેમને પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલી એક ગંભીર ફરિયાદના અનુસંધાનમાં પૂછપરછ માટે અટકાયતમાં લીધા હતા. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે સાંજે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અહેમદ અંસારી સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો, જે સંદર્ભે પોલીસ તેમની સઘન પૂછપરછ કરી રહી હતી. પૂછપરછની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન અચાનક આધેડની તબિયત લથડી હતી અને તેમને ખેંચ (મૂર્છા) આવી ગઈ હતી. સ્થિતિ ગંભીર જણાતાં પોલીસે તુરંત જ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.કસ્ટોડિયલ ડેથની આ ઘટના બાદ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના મૂર્તદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીએમ અને પેનલ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ પૂરતું પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ તેજ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, ઓગ્સ્ટ 2026 990   |  
શહેર પોલીસ કમિશનર જાતે રોડ પર ઉતર્યા

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે. કેટલાક પોલીસ સ્ટેશનના પીઆઇ પોતાના વિસ્તારમાં ચાલતા અડ્ડાઓ અને ગુનાખોરી સામે તદ્દન બેદરકાર બની બેઠા હોવાનો ઘાટ ઘડાયો છે. સ્થાનિક ઇન્સ્પેક્ટરો સામે કડક અમલવારીના આદેશ આપી પગલાં લેવાને બદલે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતે મોડી રાત્રે રોડ પર ઉતરીને ‘નાઇટ ડોમિનેશન ડ્રાઇવ’ અને કોમ્બિંગ હાથ ધરવું પડ્યું હતું. આ ઘટનાથી પોલીસ બેડામાં અને નાગરિકોમાં આશ્ચર્ય ફેલાયું છે.શહેરમાં ચર્ચા ચાલી રહી છે કે શું પીઆઇ અધિકારીઓ કમિશનરની વાત માનતા નથી કે પછી તેમને ભાન કરાવવા કમિશનરે જાતે મેદાનમાં ઉતરવું પડ્યું છે? મોડી રાત્રે ૧૨થી ૨ વાગ્યા દરમિયાન શહેરના વ્યસ્ત ૧૫૦થી વધુ પોઇન્ટ પર વાહન ચેકિંગ કરાયું હતું. દરેક પોલીસ સ્ટેશનમાંથી ૨૫ કર્મચારીઓ અને ૫ વાહનોના કાફલા સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. અગાઉ ૧૧૨ નંબર પર આવેલી ફરિયાદોને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બહેરામપુરા, સરખેજ અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું.કમિશનર સહિતનો આટલો મોટો કાફલો મેદાનમાં ઉતર્યો હોવા છતાં ચેકિંગ દરમિયાન માત્ર પ્રાથમિક કક્ષાની સફળતા મળી હતી,જેમાં સિંધુભવન રોડ ઉપર અશ્વવિલા ચાર રસ્તા નજીક કમિશનરની હાજરીમાં કરાયેલા ચેકિંગમાં ૩ યુવકો ૪ બિયરના ટીન સાથે ઝડપાયા હતા.જ્યારે જમાલપુર ચાર રસ્તા પાસે એક હ્યુન્ડાઇ ૈ૧૦ કારમાંથી અંદાજે ૩૫૦ કફ સિરપની બોટલો મળી આવી હતી.શહેરમાં ચોતરફ ફેલાયેલા દારૂ અને જુગારના મોટા અડ્ડાઓ સામે કાર્યવાહી કરવાના બદલે માત્ર એકલદોકલ દારૂ-બિયર કે કફ સિરપના કેસ થતાં પોલીસની આ ડ્રાઇવની અસરકારકતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, ઓગ્સ્ટ 2026 990   |  
રાજ્યમાં ૧૪ હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, વધુ નવા ૨૦ હજાર પ્લાન્ટની કામગીરી પ્રગતિમાં

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં ‘ગોબરધન યોજના’ પશુપાલકો અને ખેડૂતોના જીવનમાં નવો ઉજાસ લાવી રહી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં વર્ષ ૨૦૨૩-૨૪થી અત્યાર સુધીમાં કુલ ૮૮ ક્લસ્ટરોમાં ૧૪ હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરાયા છે. જ્યારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે આ યોજનાને અમલીકરણ સ્વરૂપે આગળ ધપાવીને રાજ્યમાં રૂ. ૨૫ કરોડના ખર્ચે વધુ ૨૦ હજાર વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરાયું છે.જેના પરિણામે ગ્રામીણ સ્વચ્છતા, સ્વચ્છ ઊર્જા, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ અને સર્ક્યુલર ઇકોનોમીને નવી ઊંચાઈ મળશે. આમ, ગોબરધન યોજના એ ગ્રામીણ ગુજરાતના ‘ગ્રીન’ ફ્યુચર તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રૂ. ૨૩,૭૩૧ કરોડના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ ‘ગોબરધન’ને મંજૂરી આપી છે. જેના ભાગરૂપે ગુજરાતે આ યોજનાના અસરકારક અમલીકરણ માટે ખાસ ક્લસ્ટર મોડલ અપનાવ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં ફેઝ-૧માં ૩૮ ક્લસ્ટર હેઠળ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, અમૂલ, બનાસ અને દૂધસાગર ડેરી જેવી નોડલ એજન્સીઓ મારફતે ૭,૪૨૩ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત કરાયા છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, ઓગ્સ્ટ 2026 990   |  
કુડાસણના કરોડોની જમીન ધરાવતા યુવાન ખેડૂતને ઓળખીતા મિત્રએ જાળમાં ફસાવ્યો

ગાંધીનગરના કુડાસણમાં રહેતા અને અડાલજ-પોર ગામની સીમમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી વડીલોપાર્જિત જમીન ધરાવતા એક યુવાન ખેડૂતને સ્વરક્ષણ માટે હથિયારનો પરવાનો અપાવવાની લાલચ આપી તેના જ ઓળખીતા મિત્ર સહિત ચાર શખ્સોએ રૂ.૧૫ લાખની મસમોટી છેતરપિંડી આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આટલેથી પણ ન અટકતા આરોપીઓએ પૈસા પરત માંગતા ખેડૂતને અપહરણ કરી ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ રૂ.૪.૭૦ લાખની ખંડણીની માંગણી કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, કુડાસણ ગામની કેશવ આરાધ્યમ સોસાયટીમાં રહેતા જય રાજેન્દ્રકુમાર પટેલ મૂળ પોર ગામના વતની છે. તેમના પરિવાર પાસે અડાલજ અને પોર ગામની સીમમાં આવેલી વડીલોપાર્જિત જમીન છે, જેની બજાર કિંમત કરોડો રૂપિયામાં પહોંચી ગઈ છે. કિંમતી જમીનને કારણે ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો તરફથી સતત કાવતરાં રચાતા હોવાના કારણે ફરિયાદીને પોતાના જીવનું જાેખમ હોવાની લાગણી હતી.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, ઓગ્સ્ટ 2026 2475   |  
નારાયણ સાંઈની આજીવન કેદ પર રોકની અરજી સુપ્રીમે ફગાવી 

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ૨૦૧૩ના બળાત્કાર કેસમાં સ્વ-ઘોષિત ગોડમેન આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જાેકે, કોર્ટે ગુજરાત હાઇકોર્ટને તેમની સજા સામે સાઇની પેન્ડિંગ અપીલનો ત્રણ મહિનાની અંદર નિકાલ કરવાનો પ્રયાસ કરવા કહ્યું. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને પી.બી. વરાલેની બેન્ચે કહ્યું, “અમે હાઇકોર્ટને વિનંતી કરીએ છીએ કે તેઓ ત્રણ મહિનાની અંદર અપીલનો નિકાલ કરવાનો પ્રયાસ કરે. અમે એ પણ સ્પષ્ટ કરીએ છીએ કે અરજદાર અને રાજ્ય સરકાર બંને આ પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ કરશે.”નારાયણ સાંઈના વરિષ્ઠ વકીલ એન. હરિહરને કોર્ટને માહિતી આપી હતી કે વહેલી સુનાવણી માટે અરજી કરવા છતાં, તેમની અપીલ પર સુનાવણી હજુ શરૂ થઈ નથી. સુપ્રીમ કોર્ટે નારાયણ સાંઈને જાે તેમની અપીલનો ર્નિણય ત્રણ મહિનાની અંદર ન આવે તો ફરીથી સુપ્રીમ કોર્ટમાં જવાની સ્વતંત્રતા પણ આપી હતી. નારાયણ સાંઈની સજા સામેની અપીલ ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. અગાઉ, ૪ મેના રોજ, હાઇકોર્ટે સજા સ્થગિત કરવા અને જામીન મેળવવાની તેમની અરજી ફગાવી દીધી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, ઓગ્સ્ટ 2026 891   |  
ગુજરાત યુનિ.ના ૧૦ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ભરતી કરેલા તમામ ૧૦ લોકોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ દ્વારા તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ખોટી રીતે પગાર ચૂકવવામાં આવ્યા અને નિયમ વિરુદ્ધના પદ પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ આપ્યા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે.જે અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર એક સાથે ૧૦ અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ આ મુદ્દે એબીવીપી મેદાને આવ્યું હતું. પૂર્વ કુલપતિએ પોતાના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીના પૈસાની છૂટા હાથે લ્હાણી કરી હોવાનો ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો છે.નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂકવ્યો છે. જેથી તેને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો. સુટકેસ ભરીને એબીવીપીના કાર્યકર્તાઓએ નકલી નોટો લઈને આવ્યા હતા. ઇન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે. કડક કાર્યવાહી ન થતા એબીવીપી ના કાર્યકર્તાઓમાં રોષ જાેવા મળ્યો.એબીવીપીની એક વિદ્યાર્થીની નીરજા ગુપ્તા બની અને અન્ય કાર્યકર્તા પાવન પંડિત સહિતના ખોટી રીતે ડિરેક્ટર બન્યા, આ પ્રમાણે વિદ્યાર્થીઓ નાટક રજૂ કરીને વિદ્યાર્થીઓની ફી પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના મળતિયાઓને સેટ કરવા માટે લીધી હોવાનું નાટક કરી આક્ષેપ કર્યો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, ઓગ્સ્ટ 2026 1485   |  
લાજપોર સેન્ટ્રલ જેલમાં હાઇસિક્યુરિટી બેરેકની ખોલીમાં મોબાઇલ ફોન મળ્યો

લાજપોર સેન્ટ્રલ જેલમાં હાઇ સીક્યુરિટી બેરેકમાં રખાયેલા આરોપી પાસેથી ઝડતી સ્કવોડે મોબાઇલ શોધી કાઢ્યો હતો. સતીષ મરાઠી હત્યા કેસમાં લાજપોર જેલમાં રહેતા રાહુલ મંડલની ભૂમિકા અને મોબાઇલનાં ઉપયોગની વાત આવતાં જેલતંત્ર દોડતું થઇ ગયું છે. ભેસ્તાન પોલીસ તપાસ કરવા જેલમાં પહોંચે એ પહેલા જેલના સ્ટાફ દ્વારા તમામ બેરેકમાં જડતી તપાસ કરી હતી. દરમિયાન હાઇ સીક્યુરિટી કહો કે સેપરેટ સેલમાં જેલર સંદીપ વળવી તેમની ટીમ સાથે પહોંચ્યા હતાં. સાડા છ થી સાત વાગ્યા સુધી કરાયેલી તપાસમાં બેરેકમાંથી કશું મળ્યું ન હતું. ત્યારબાદ યાર્ડ જેલર જે. બી.પાથર ની સુચના મુજબ સેપરેટ સેલની બહારના ભાગે ઝડતી કરવામાં આવી હતી. જેમાં સેપરેટ સેલની ખોલી ૬૯ નંબરની ખોલીમાં બહારના ભાગેથી સીડી લગાવી બારીમાંથી ચેક કરતા બાથરૂમની પાળી ઉપરથી મોબાઇલ ફોન મળ્યો હતો. બેટરી અને સીમકાર્ડ સાથેનો આ નોકીયા મોબાઈલ કબજે લઇ એ ખોલીમાં રખાયેલા આરોપી વિકાસ શંકરભાઈ આહિર સામે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.ઉલ્લેખનીય છે કે, ઉધના દરવાજા વિસ્તારની હોટેલમાંથી ઝડપાયેલા ૩૫૫ ગ્રામ એમડી ડ્રગ્સનાં રેકેટમાં સંડોવણી બહાર આવતાં એસઓજી દ્વારા વિકાસ શંકર આહિરની ધરપકડ કરાઇ હતી. ડ્રગ્સ પેડલર તરીકે ધરપકડ કરાયેલો વિકાસ આહીર આમ તો સેકન્ડ યર એલએલબી માં અભ્યાસ કરે છે. પરંતુ તે હિન્દુ યુવા વાહિનીનાં સુરત પ્રમુખ તરીકે વધુ લાઇમલાઇટમાં રહ્યો હતો. વિકાસનો પરિવાર આઇસ્ક્રીમનાં ધંધા સાથે રાજસ્થાનનાં ઉદયપુરમાં રાઇટ ચોઇસ નામથી હોટેલ પણ ધરાવે છે. ધંધો અને હિન્દુવાદી સંગઠનનો પ્રમુખ હોવાના નામે વિકાસે પોલીસ પાસે હથિયાર લાયસન્સ પણ મેળવ્યું હતું. જાે કે સ્વરક્ષણના નામે મેળવાયેલા આ હથિયારનો સીન-સપાટા માટે વધુ ઉપયોગ કરવા માંડ્યો હતો. વિકાસની સામે લૂંટ સહિતનાં છ ગુનાઓ અમરોલી, સલાબતપુરા, ઉમરા, ગોડાદરા, ઉધના અને લિંબાયત પોલીસ મથકમાં દાખલ થતાં તેની હથિયાર લાયસન્સ રદ કરી દેવાયું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, ઓગ્સ્ટ 2026 990   |  
જહાંગીરપુરાના સુમન મૈત્રી આવાસના રહીશો દ્વારા નાસિરનગરનાં અસરગ્રસ્તોનો વિરોધ

સુરત શહેરમાં હાલમાં નાસિરનગરનાં અસરગ્રસ્તોને આવાસ ફાળવવા માટે સુરત મહાનગરપાલિકા કમરકસી રહી છે પરંતુ બીજી તરફ નાસિરનગરનાં લોકોને પોતાને ત્યાં આશરો આપવા માટે કોઈપણ વ્યક્તિઓ તૈયાર ન હોય તેવો ઘાટ દેખાઈ રહ્યો છે. અગાઉ કતારગામ ગોતાલાવાડી ટેનામેન્ટ ખાતે વિરોધ થયા બાદ હવે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ સુમનમૈત્રી આવાસમાં પણ સ્થાનિક લોકો દ્વારા નાસિરનગર અસરગ્રસ્તોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ મુદ્દે તેઓએ આજે ૩૬૪ સહી સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી મોટી સંખ્યામાં કચેરીની બહાર લોકોએ ભેગા થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.નાસિરનગરનું હાડકું પાલિકાનાં ગળામાં ભેરવાઈ ગયું છે ત્યારે હવે હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકા નાસિરનગર અસરગ્રસ્તોને આવાસ આપવા માટે મથામણ કરી રહી છે. પાલિકા દ્વારા જે પણ આવાસમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યાં સ્થાનિક લોકો દ્વારા નાસીર નગરના અસરગ્રસ્તો માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ કતારગામ ગોતાલાવાડી ટેનામેન્ટ ખાતે નાસીરનગરના લોકોને આવાસ આપવા માટેની ચર્ચા હતી ત્યારે પણ સ્થાનિક લોકોએ ભારે મોરચો લાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જાેકે ત્યારબાદ ભેસ્તાનમાં તેઓને આવાસ આપવાની વાત હતી પરંતુ આ દરમિયાન જહાંગીરપુરા વિસ્તારમાં પણ આ મુદ્દે ચર્ચા ચાલતા આજે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ સુમન મૈત્રી આવાસનાં લોકોએ મોટી સંખ્યામાં પાલિકાની મુખ્ય કચેરી ખાતે મોરચો લઈને આવ્યા હતા અને કુલ ૩૬૪ લોકોએ આવેદનપત્રમાં સહી કરી મ્યુનિસિપલ કમિશનરને આપી વિરોધ નોંધાવ્યો હતો. તેઓ દ્વારા માગ કરવામાં આવી છે કે પહેલેથી જ સુમન મૈત્રી અવાસમાં ઘણા લોકો દ્વારા રૂપિયા ૨૦,૦૦૦ ડિપોઝિટ ભરવામાં આવી છે અને તેઓના નામ હજુ પણ વેઇટિંગમાં બોલાય છે. જેથી તેઓને અહીં આવાસ ફાળવવામાં આવે. નાસિરનગરના માત્ર એક જ સમુદાયના એક સાથે મોટી સંખ્યામાં લોકો સુમન મૈત્રી આવાસમાં આવશે તો ત્યાંનું વાતાવરણ ડહોળાવાની શક્યતા સાથે તેઓએ વિરોધ કર્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, ઓગ્સ્ટ 2026 891   |  
સૂર્યા મરાઠીની હત્યાની જેમ જ સતીષની હત્યા કરવા રાહુલ મંડલે માથાભારે ઝનૂની યુવકોની ગેંગ બનાવી

ગુજસીટોક હેઠળ જેલવાસ ભોગવી રહેલા રાહુલ મંડળ સતીષની હત્યા કરાવવા રઘવાયો બન્યો હતો. તેણે સતીષને મારી શકે એવા આઠ દસ લોકોને ભેગા કરી ટોળકી બનાવી હતી. આ ટોળકીએ હત્યા માટે કરેલા બે પ્રયાસ નિષ્ફળ જતાં મંડળે પાંડેસરાનાં નામચીન આર.કે.ને પોતાના કાવતરામાં સામેલ કર્યો અને પછી કામ પુરુ કર્યું હતું. સતીષની હત્યામાં વોન્ટેડ જાહેર કરાયેલા આ આર.કે. પાંડેસરામાં તોફાન કરતાં ઝડપાયો હતો. આ કેસમાં પોલીસે કેતન, રાહુલ, કરણ, અજીત, આકાશ અને આર.કે. એમ છ જણાનાં પાંચ દિવસ રિમાન્ડ મેળવ્યાં છે. સૂર્યા મરાઠીની હત્યા જેમ જ સતીષને મારવા માટે રાહુલ મંડલે માથાભારે ઝનૂની યુવકો શોધીને ગેંગ બનાવી હતી ભેસ્તાનના સરસ્વતી આવાસમાં બુધવાર, પાંચમી ઓગસ્ટે બપોરે સતીષ સુરેશભાઇ ઘાડગેની હત્યા કરાઇ હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ તેના ભાઈ હિતેષની ફરિયાદ લઇ કેતન ઉર્ફે સન્ની સુધાકર શિરસાઠ, આકાશ ઉર્ફે બટકો બગમાનજી ઠાકુર, રાહુલ ઉર્ફે બટકો જગદેવ દુબે, કરણકુમાર ઉર્ફે પિદુલ હિરામણી દુબે, અરુણ સુરેશભાઇ યાદવ, અજીત ભોલાભાઇ ગોસ્વામી, રાજ સંજયભાઇ પવાર, બંટી ઉર્ફે બટકો અશોકભાઇ પટેલ વિગેરે સામે ગુનો નોંધ્યો હતો. હત્યાની ઘટના ઘટી એ સાથે જ ભેસ્તાન પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ હુમલાખોરોને શોધી કાઢવા કામે લાગી હતી. સીસી કેમેરા ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સથી એવી માહિતી મળી કે આ ટોળકી બારડોલી, વ્યારા થઈ મહારાષ્ટ્ર તરફ ભાગી રહી છે. જેથી તુરંત વ્યારાનાં ડીએસપીનો સંપર્ક કરી સ્થાનિક પોલીસ અને એલસીબીની મદદ લેવાઇ હતી. જેમાં સોનગઢથી ઉચ્છલ જતાં રસ્તા ઉપર નાકાબંધી કરી હુમલાખોરોને ઝડપી લેવાયા હતાં. આ ટોળકી પાસેથી પાસેથી દેશી હાથ બનાવટની બે પિસ્ટલ, એક ખાલી મેગ્ઝીન, એક તમંચો અને ત્રણ મોપેડ કબજે લેવાયાં હતાં. આ ટોળકીનાં પ્રાથમિક તપાસમાં બહાર આવેલી માહિતીનાં આધારે મુખ્ય કાવતરાખોર રાહુલ મંડલ અને રાહુલ બબ્બન કાપુરે ઉર્ફે આર.કે ને વોન્ટેડ જાહેર કરાયા હતાં. આ દરમિયાન પાંડેસરા પોલીસને એક વ્યક્તિ નશા જેવી હાલતમાં તોફાન કરી રહ્યો હોવાનો કોલ મળ્યો હતો. ઇન્સ્પેક્ટર કે. ડી. જાડેજાએ સર્વેલન્સ સ્ક્વોડને મોકલી અને એ યુવક પકડાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં એ યુવકનું નામ રાહુલ ઉર્ફે આર.કે. બબન કાપુરે (ઉ.વ.૨૯ રહે. બિ.નં-૦૧, રૂમ ન.૧૯, ન્યુ સુડા આવાસ, બાટલી બોય, પાંડેસરા) હોવાનું જણાયું હતું. જાડેજાએ કરેલી વધું તપાસમાં તે સતીષ મરાઠીની હત્યામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. ભેસ્તાન પોલીસ સાથે આ બાબતે ખરાઈ કર્યા બાદ હત્યા કેસની તપાસ માટે તેને સોંપાયો હતો. આ રીતે હત્યા કેસમાં પોલીસ પાસે ત્રણ સગીર ઉપરાંત કેતન ઉર્ફે સન્ની, રાહુલ બટકો, કરણ ઉર્ફે પિદુલ, અજીત ગોસ્વામી, આકાશ બટકો અને આર.કે. એમ છ આરોપી થયા હતાં. આ તમામને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસ રિમાન્ડ મેળવાયા હતાં. તપાસમાં એવી વાત બહાર આવી હતી કે સતીષની હત્યાના કાવતરામાં પહેલા આર.કે સામેલ ન હતો. જાે કે, કેતન અને રાહુલની આગેવાનીમાં બે વખત કરાયેલા હુમલામાં સતીષ બચી ગયો હતો.  જેથી મુખ્ય કાવતરાખોર રાહુલ મંડલે જેલમાંથી પાંડેસરાનાં નામચીન ટપોરી આર.કે.નો સંપર્ક કર્યો અને પોતાના પ્લાનમાં સામેલ કર્યો હતો. આ રીતે બનેલી ટોળકીએ કોઈ પણ સંજાેગોમાં સતીષ બચે નહીં એ માટે બે પિસ્તલ અને એક તમંચો પણ રાખ્યો હતો. જાે કે તેમને ફાયરિંગની ફાવટ આવી ન હતી. આખરે આ ટોળકીએ કોયતાથી સતીષનું કામ તમામ કરી નાંખ્યું હતું. હત્યા માટે કુહાડી, કોયતા અને છરા ભાગળથી ખરીદ્યા સતીષ મરાઠીની હત્યાના બે પ્રયાસ નિષ્ફળ ગયા બાદ રાહુલ મંડલે આ વખતે ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો. બે મહિના અગાઉ કેતન ઉર્ફે સન્ની તથા રાહુલ બટકો લાજપોર જેલમાં રાહુલ મંડલને મળવા પણ ગયા હતાં. એ સમયે તેણે ઝનૂની યુવકો તથા તરૂણોને ભેગા કરી પિસ્તલ, તમંચા સાથે ધારદાર હથિયારોની પણ સગવડ કરવા વિશેષ સૂચના હતી. પોલીસના જણાવ્યા અનુસાર હત્યા માટે કુહાડી, કોયતા અને છરા ભાગળ વિસ્તારની દુકાનમાંથી ખરીદવામાં આવ્યા હતાં. આ હથિયારો પૈકી એક કોયતો અને છરો સ્થળ પરથી મળી આવ્યો હતો. બાકીના હથિયાર શોધવા ઉપરાંત પોલીસ એ જાણવા માટે પણ કવાયત કરી રહી છે કે, સતીષનું લોકેશન હુમલાખોરોને કોણે આપ્યું હતું.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution