ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, મે 2026 3069   |  
રાજકોટમાં મધરાતે મંદિરો પર બુલડોઝર કાર્યવાહી

રાજકોટ શહેરમાં ૧૪ મેની મોડીરાત્રે મહાનગરપાલિકા દ્વારા રસ્તા અને ટ્રાફિકને અડચણરૂપ ગણાતા ધાર્મિક દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૧૨ જેટલા નાના મંદિરો અને ધાર્મિક માળખાઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી રાત્રિના સમયે કરવામાં આવતા અનેક વિસ્તારોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. મવડી ચોક નજીક આવેલા કેસરિયા હનુમાન મંદિરને તોડવાની કાર્યવાહી શરૂ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. લોકોએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી અને મંદિર બચાવવાની માંગ કરી હતી. સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે વહેલી સવારે સુધી ચર્ચા અને રકઝક ચાલતી રહી હતી. સ્થાનિકોએ મંદિરને સંપૂર્ણ તોડવા સામે વિરોધ નોંધાવતા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બાદમાં મંદિર સંચાલકો દ્વારા આગામી ૪૮ કલાકમાં મંદિરનું માળખું નાનું કરવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ મંદિરને બદલે રસ્તા પર આવેલા ઓટલા અને આસપાસના ભાગોને બુલડોઝરથી દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ કેટલાક સ્થાનિકોમાં નારાજગી પણ જાેવા મળી હતી. લોકોનું કહેવું હતું કે ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ર્નિણય લેવો જાેઈએ. કેટલાક લોકોએ સત્તાધારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ સામે પણ પ્રશ્નો ઊભા કર્યા હતા. મહાનગરપાલિકાની ટીમ સાથે પોલીસ, ફાયર વિભાગ પીવીસીલ અને અન્ય વિભાગોના કર્મચારીઓ પણ જાેડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે માલવિયાનગર વિસ્તારમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી વહેલી સવારે સુધી ચાલી હતી. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, મે 2026 2772   |  
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ, ૪નાં મોત,૧૦ ઘાયલ

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટતાં થયેલી અથડામણમાં ૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૧૦ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બુધવારની મોડી રાત્રે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આશરે ૨:૩૦ વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જાેતજાેતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ ઘટનામાં ૪ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં ૧૦ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, મે 2026 2574   |  
સૌરાષ્ટ્ર અને વડોદરાના નામો નક્કી :ટૂંક સમયમાં જાહેરાત કરાશ

ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પછી બીજાે તબક્કો શરૂ થયો હતો જેમાં સૌરાષ્ટ્રના મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામ પર ચર્ચા કરવામાં આવી. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની સંસ્થાઓમાં હોદ્દેદારોના નામોને લઈને ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે દિવસથી ચાલી રહેલી બેઠકના પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર ઝોનના નામો નક્કી કરવામાં આવ્યા હતા. બીજા દિવસે મળેલી બેઠકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના નામો પર ચર્ચા કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જિલ્લા પંચાયત અને વડોદરા તાલુકા પંચાયતના નામોને લઈને પણ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે.આ બેઠકમાં સંગઠનાત્મક સંતુલન, જાતિ સમીકરણ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને વરિષ્ઠ-નવોદિત નેતાઓ વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકાયો છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં કાર્યક્ષમ અને સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને તક આપવા માટે ચર્ચા કરવામાં આવી છે. સૂત્રો મુજબ, મોટાભાગના પદો માટે સહમતી બની છે અને અંતિમ યાદી ટોચના નેતૃત્વને મોકલાશે. ત્યારબાદ જ આખરી ર્નિણય લેવામાં આવશે. આગામી ૧૯ તારીખે મોટાભાગની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામોની જાહેરાત થવાની શક્યતા છે. પ્રદેશ કક્ષાએ નક્કી થયેલા નામો જે તે જિલ્લાની સામાન્ય સભામાં જાહેર કરાશે. આ નામો પ્રદેશના પ્રતિનિધિ દ્વારા બંધ કવરમાં લઈ જવામાં આવશે અને સામાન્ય સભામાં જ ખુલશે.આ પ્રક્રિયામાં ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી રહી છે. દરેક વિસ્તારમાં યોગ્ય પ્રતિનિધિત્વ અને મજબૂત ટીમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નામોની જાહેરાત ટૂંક સમયમાં થશે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ ૧૫, ૧૬ અને ૧૭ તારીખે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બોર્ડ દ્વારા નક્કી થયેલા નામો ઉચ્ચ કક્ષાએ મોકલાશે અને ત્યારબાદ જાહેરાત થશે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, મે 2026 2871   |  
કેન્દ્રએ અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિએ આજે રેલ મંત્રાલયની અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંદાજે રૂપિયા ૨૦,૬૬૭ કરોડના ખર્ચવાળી આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેની પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બનશે. લગભગ ૧૩૪ કિલોમીટર લાંબી આ નવી રેલવે લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન  આવનારા ધોલેરા એરપોર્ટ તેમજ લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને આધુનિક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને ધોલેરા વચ્ચેના પ્રવાસ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેના કારણે મુસાફરો માટે દૈનિક આવાગમન તથા એક જ દિવસે આવવા-જવાની સુવિધા વધુ સરળ અને આરામદાયક બનશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, “અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતના રેલવે ઇતિહાસમાં નવી શરૂઆત છે. આ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ‘ન્યૂ ઈન્ડિયા’ની આધુનિક, ઝડપી અને આર્ત્મનિભર પરિવહન વ્યવસ્થાનું પ્રતિક છે. સ્વદેશી ટેકનોલોજી આધારિત આ પ્રોજેક્ટ આગામી વર્ષોમાં દેશભરમાં સેમી હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણનો આધાર બનશે.” અમદાવાદ મંડળના ડ્ઢઇસ્ વેદ પ્રકાશે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે. “આ પ્રોજેક્ટ અમદાવાદ અને ધોલેરા વિસ્તારને વિશ્વસ્તરીય રેલ કનેક્ટિવિટી આપશે. તેના દ્વારા મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક મુસાફરીની સુવિધા મળશે તેમજ વિસ્તારમાં રોજગાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને પણ મોટો લાભ થશે. આ પ્રોજેક્ટથી ધોલેરા અને અમદાવાદ વચ્ચેનું અંતર ૧ કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકશે અને ધોલેરા સીધું અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ કોરિડોર સાથે જાેડાઈ જશે.” આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો હેતુ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતાને મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટથી આશરે ૨૮૪ ગામો અને લગભગ ૫ લાખ વસ્તીને સીધો લાભ મળશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 4158   |  
મનાલી-બેલા હાઈવે પર કાર ખાઈમાં ખાબકતા ભાવનગરના ૬ ના કરુણ મોત

હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર માટે પ્રવાસ કાળ બનીને ત્રાટક્યો છે. મનાલી નજીક છાબા જિલ્લામાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજના અગ્રણી લલિતભાઈ ફતનાની સહિત પરિવારના ૬ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ભાવનગર પહોંચતા સમગ્ર સિંધી સમાજ સહિત શહેરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના સિંધી સમાજના જાણીતા અગ્રણી લલિતભાઈ ફતનાની તેમના પરિવાર સાથે મનાલીના પ્રવાસે ગયા હતા. ગત રોજ મનાલીથી બેલા તરફ જતી વખતે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર ૨૮ પર તેમનું વાહન ચાલકે અચાનક કાબૂ ગુમાવતા રસ્તા પરથી નીચે ઉતરી સીધું ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. વાહન ખાઈમાં પડતા જ જાેરદાર ધડાકો થયો હતો અને અંદર સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં પરિવારના મોભી લલિતભાઈ ફતનાની, તેમના પત્ની સોનિયાબેન, દીકરી કાજલબેન, જમાઈ પ્રિયંકભાઈ ભોપાણી અને માસૂમ પૌત્ર દિવ્યાંશુનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકસાથે પાંચ સભ્યોના મોતના સમાચારથી ફતનાની પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૪ સભ્યોમાં મયંકભાઈ લલિતભાઈ ફતનાની, તેમના પત્ની ફોરમબેન ફતનાની, પુત્ર જિયાંશ અને અન્ય એક બાળકી પ્રિયાંશી ભોપાણીનો સમાવેશ થાય છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 5247   |  
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.  સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ.   ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે.  PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો.   અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 4653   |  
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ

વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે.    સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, મે 2026 6237   |  
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 4752   |  
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 6633   |  
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે. 


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, મે 2026 2376   |  
નાગરિકોને જાહેર પરિવહનની પણ ફરજ પડશે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પણ જાેવા મળી રહી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ત્રણ રૂપિયા જેટલો વધારો જાહેર કર્યો હતો. આજે શુક્રવારે સવારે ૬ વાગ્યાથી દેશભરમાં નવા ભાવ અમલમાં આવ્યા છે. વર્ષ ૨૦૨૨ પછી પહેલી વખત ઇંધણના ભાવમાં આ પ્રકારનો વધારો નોંધાયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈંધણનાં વધતા ભાવથી નાગરિકોએ જાહેર પરિવહન કરવાની પણ ફરજ પડી શકે છે. આ અંગે અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરએ જણાવ્યું હતું કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા, પરંતુ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સરકાર પર ભારે આર્થિક બોજાે આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગયા મહિને જ સરકારને ઇંધણના વેચાણમાં અંદાજે રૂ. ૩૦ હજાર કરોડનો ફટકો સહન કરવો પડ્યો હતો. તેમણે હાલના વધારાને લઈ જણાવ્યું કે સરકારને પેટ્રોલના વેચાણમાં પ્રતિ લિટર અંદાજે રૂ. ૨૦ અને ડીઝલના વેચાણમાં રૂ. ૪૦ જેટલું નુકસાન થઈ રહ્યું છે. તેની સામે સરકારે માત્ર ત્રણ રૂપિયાનો જ વધારો કર્યો છે. જાે પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ યથાવત રહેશે તો આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ઈંધણનાં પૂરતા જથ્થાને લઈ જણાવ્યું કે પેટ્રોલ-ડિઝલ અને સીએનજીનો સ્ટોક પર્યાપ્ત માત્રામાં છે તો કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી.નવી કિંમતો અનુસાર પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૩.૧૪નો વધારો થતાં દિલ્હીમાં તેની કિંમત હવે રૂ. ૯૭.૭૭ પ્રતિ લિટર થઈ ગયો છે. જ્યારે ડીઝલના ભાવમાં રૂ. ૩.૧૧નો વધારો થતાં તેનો ભાવ રૂ. ૯૦.૬૭ પ્રતિ લિટર સુધી પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલા ઉછાળા અને પશ્ચિમ એશિયામાં ઉભી થયેલી અસ્થિર સ્થિતિને આ વધારો પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. જાે આવી જ રીતે ભાવ વધતા ગયા તો શહેરીજનોએ એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોમાં ઓફિસ, ઘરે જવાનો વારો આવી શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, મે 2026 3069   |  
રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના મોત

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર-રખિયાણા ગામની સીમમાં આજે એક અત્યંત દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. અહીં પાણીના વોંકળામાં રેતી ભરવા ગયેલા બે યુવાનો ઉપર અચાનક વિશાળ ભેખડ ધસી પડતા બંનેના ઘટનાસ્થળે જ દટાઈ જવાથી મોત નિપજ્યા હતા. મળતી વિગતો અનુસાર, શેર-રખિયાણા ગામના અલ્પેશભાઈ ઠાકોર અને સાહિલભાઈ ઠાકોર નામના બે યુવાનો ટ્રેક્ટર લઈને ગામની સીમમાં આવેલા વોંકળામાં રેતી ભરવા માટે ગયા હતા. જ્યારે તેઓ ટ્રેક્ટરમાં રેતી ભરી રહ્યા હતા, ત્યારે ઉપરની તરફથી અચાનક જ માટી અને રેતીનો મોટો જથ્થો ધરાશાયી થયો હતો. આ વિશાળ ભેખડ બંને યુવાનો પર પડતા તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ ભેખડ નીચે દટાયેલા યુવાનોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા માંડલ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પંચનામું કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિરમગામ અને માંડલ પંથકમાં ગેરકાયદેસર રેતી ચોરીનો વ્યવસાય ફુલેફાલ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, નદી અને વોંકળાઓમાં ઊંડે સુધી ખોદકામ કરી રેતી કાઢવામાં આવતી હોવાથી ભેખડો ધસી પડવાનું જાેખમ વધે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, મે 2026 3366   |  
અમદાવાદના સરખેજમાં ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક મહિલાનો ભોગ લીધો

અમદાવાદ શહેરમાં ભારે વાહનોની બેફામ દોડ હવે વધુ એક નિર્દોષનો જીવ લઈ ગઈ છે. શહેરના સરખેજ વિસ્તારમાં આજે બનેલી એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી અનુસાર, મૃતક મહિલા એક્ટિવા પર સરખેજ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે અચાનક તેને જાેરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે મહિલા સીધી ડમ્પરના ટાયર નીચે આવી ગઈ હતી. ઘટનાની ગંભીરતા એવી હતી કે મહિલાનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ થોડા જ સમયમાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ તે પહેલાં જ ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ‘એમ’ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે વાહનોની અવરજવર અને તેમની બેફામ ગતિ સામે ભારે આક્રોશ જાેવા મળ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, મે 2026 2772   |  
કલોલની કંપનીમાં ઝેરી ગેસથી ૩ શ્રમિકના મોત

ગાંધીનગરના કલોલ સ્થિત સઈજ જીઆઈડીસીની મફતલાલ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ૧૪ એપ્રિલની રાત્રે અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરતી વખતે ઝેરી ગેસના પ્રભાવથી ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના મોત નિપજ્યા હતા, જ્યારે એક શ્રમિક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કંપનીના ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સફાઈ માટે શ્રમિકો એક પછી એક ઉતર્યા હતા. ટાંકીમાંથી પાણી કાઢ્યા બાદ તળિયે જમા થયેલો કચરો અને કાદવ દૂર કરવા માટે શ્રમિકોને અંદર મોકલવામાં આવ્યા હતા. સૌ પ્રથમ અમિત પરીહાર અને અમરકુમાર શ્રીવાસ્તવ ટાંકીમાં ઉતરતાની સાથે જ બેભાન થઈ ગયા હતા.તેમને બચાવવા અનિલ લોધી ટાંકીમાં ઉતર્યો, પરંતુ તે પણ ગૂંગળામણનો શિકાર બન્યો હતો. અંતે, સાથીદારોને બચાવવા શિવનાથ દુબેએ પણ ટાંકીમાં ઝંપલાવ્યું, પરંતુ ઝેરી વાયુઓના કારણે તે પણ અંદર જ ફસાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનામાં શ્રમિકોએ એકબીજાને બચાવવાના પ્રયાસમાં પોતાનો જીવ ગુમાવ્યો.મૃતક શ્રમિકોની ઓળખ અમિત પ્રીતમ પરીહાર (ઉંમર ૩૨, મધ્યપ્રદેશ), અમરકુમાર શ્રીવાસ્તવ (ઉંમર ૩૩, ઉત્તર પ્રદેશ) અને શિવનાથ રામશંકર દુબે (ઉંમર ૪૪, ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. અનિલ ભગવાન લોધી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.કંપનીમાં તાડપત્રીના કાપડ પર કલર કામ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા દરમિયાન નીકળતા રંગીન પાણીના શુદ્ધિકરણ માટે આ પ્રકારની અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી છે. સફાઈ દરમિયાન યોગ્ય સુરક્ષા સાધનોના અભાવે શ્રમિકો ઝેરી વાયુઓના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતા સામે આવી છે.આ દુર્ઘટનાએ શ્રમિકોની સુરક્ષા અને કંપનીઓમાં સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતાને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે. ઘટના બાદ સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં, ગંભીર રીતે ઘાયલ શ્રમિકની સારવાર ચાલી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, મે 2026 3465   |  
અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર ફરી એકવાર જીવલેણ અકસ્માત : આધેડનું મોત

અમદાવાદ શહેરના બલોલનગર બ્રિજ પર ફરી એકવાર જીવલેણ અકસ્માત સર્જાતા સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. મોડી રાત્રે બનેલી કરુણ ઘટનામાં ૫૨ વર્ષીય આધેડ બ્રિજ પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. છેલ્લા ૧૦ દિવસમાં આ જ સ્થળે બનેલી આ બીજી સમાન દુર્ઘટના હોવાથી સ્થાનિકોમાં ભારે ભય અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, સુંદરવન વિસ્તારમાં રહેતા અતુલભાઈ પંચાલ મોડી રાત્રે સ્પોર્ટ્સ બાઈક લઈને નીકળ્યા હતા. બલોલનગર બ્રિજ પરથી પસાર થતી વખતે જાેખમી વળાંક પાસે અચાનક બાઈક પરનો કાબૂ ગુમાવતા સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા. નીચે રહેલા પથ્થરો માથાના ભાગે વાગતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં જ એલ-ટ્રાફિક ડિવિઝનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માત સમયે બાઈકની સ્પીડ અંદાજે ૬૦ કિમી પ્રતિ કલાક હોવાનું સામે આવ્યું છે. રાત્રિના અંધકાર અને બ્રિજના જાેખમી વળાંકને કારણે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હોવાની માહિતી મળી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર બલોલનગર બ્રિજની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્ન ઉભો કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજ પર પૂરતી સુરક્ષા જાળી અને મજબૂત બેરિકેડ્સનો અભાવ છે. તંત્ર દ્વારા માત્ર એક તરફ નાની જાળી લગાવીને કામગીરી પૂર્ણ થયાનો દેખાવ કરવામાં આવ્યો હોવાનો લોકોનો આરોપ છે. સ્થાનિકો અને વાહનચાલકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે સમગ્ર બ્રિજ પર મજબૂત રેલિંગ, સુરક્ષા જાળી અને ચેતવણીના બોર્ડ લગાવવાની માંગ કરી રહ્યા છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, મે 2026 2970   |  
ખાસ બહેનપણીથી દૂર થવાના ડર તરૂણીએ એસિડ પી જીવન ટૂંકાવ્યું

સુરત શહેરનાં અમરોલી વિસ્તારમાં બે બહેનપણીઓ વચ્ચેનાં ગાઢ લાગણીસભર સંબંધનો કરુણ અંત આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પોતાની ખાસ બહેનપણીથી દૂર થવાના ડર અને ભાવનાત્મક તણાવ વચ્ચે એક સગીરાએ એસિડ પી આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશનની વતની ૧૭ વર્ષીય પૂજા (નામ બદલ્યું છે) કોસાડ આવાસમાં પોતાના ભાઈ સાથે રહેતી હતી. પરિવારનાં માતા-પિતા અને એક ભાઈ હાલ વતનમાં રહે છે, જ્યારે સુરતમાં પૂજા પોતાના મોટા ભાઈ અજય સાથે રહેતી હતી. અજય એમ્બ્રોડરી ખાતામાં કામ કરે છે અને પૂજા પણ એમ્બ્રોડરી યુનિટમાં કામ કરતી હતી. ગઈકાલે સાંજે બહેન માટે ઠંડુ-પીણું લેવા ગયેલા ભાઈની ગેરહાજરી દરમિયાન પૂજાએ એસિડ પી લીધું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી યુવતીને સારવાર માટે પ્રથમ સ્મીમેર અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં મોડી રાત્રે તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ મામલે પરિવારજનોનાં નિવેદન લઈને યુવતીએ ખરેખર કયા કારણોસર એસિડ પીધું તે દિશામાં તપાસ શરૂ કરી છે.મૃતકનાં ભાઈનાં જણાવ્યા અનુસાર પૂજા અને તેની બહેનપણી રશ્મિ (નામ બદલ્યું છે) વચ્ચે અત્યંત ગાઢ લાગણીસભર સંબંધ હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર બંને એકબીજા વગર રહી શકતા ન હતા.રશ્મિથી દૂર થવાનો ભય અથવા તેની ચિંતા પૂજાને અંદરથી તોડી રહી હતી.થોડા દિવસો પહેલાં બંને યુવતીઓએ સાથે રહેવાની ઈચ્છા સાથે ઘરેથી ભાગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો. બંને સુરત રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી, જ્યાં પોલીસની શી ટીમે તેમને શોધી કાઢી હતી. ત્યારબાદ બંનેના પરિવારજનોને બોલાવી સમજાવટ કરીને યુવતીઓને પરિવાર સાથે મોકલવામાં આવી હતી. તે સમયે જ બંને વચ્ચેનાં ગાઢ સંબંધ અંગે પરિવારજનોને જાણ થઈ હતી.જે તે સમયે બંનેને સમજાવીને પરિવાર સાથે મોકલવામાં આવી હતી. ગતરોજ સાંજે પૂજાએ અચાનક ગભરામણ અને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. તેણે ભાઈને કહ્યું હતું કે, મને બહુ ગભરામણ થાય છે, કંઈક ઠંડુ પીવું છે, તમે મારા માટે ઠંડું લઈ આવો. બહેનની વાત માની અજય નજીકની દુકાને ઠંડુ લેવા માટે ગયો હતો.પરંતુ જ્યારે અજય ઘરે પરત ફર્યો ત્યારે પૂજા ઘરમાં બેભાન હાલતમાં પડી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે, ભાઈની ગેરહાજરી દરમિયાન તેણે એસિડ પી લીધું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
15, મે 2026 2475   |  
મિડલ ઇસ્ટ યુદ્ધને કારણે દુબઇમાં સુરત-મુંબઇનાં હીરા ઝવેરાતનો કારોબાર ઘટીને ૪૫ ટકા થઇ ગયો

મુંબઇ સહિત સમગ્ર દેશનાં હીરા ઝવેરાત ઉદ્યોગ ઉપર અમેરિકાએ લાદેલા ટેરિફ કરતા પણ પ્રતિકૂળ અસરો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ઇરાન-અમેરિકા વચ્ચેનાં યુદ્ધની પડી રહી છે. હિસાબી વર્ષ ૨૦૨૬-૨૭નાં પહેલા જ મહિના, એપ્રિલમાં ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીમાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ રિયલ અને લેબગ્રોન બંનેમાં અનુક્રમે ૧૯.૬૫ ટકા અને ૧૫.૫૩ ટકા તેમજ પ્લેન ગોલ્ડ જ્વેલરીમાં ૪૭ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. જાણકારોનું કહેવું છે કે દુબઇમાં યુદ્ધની અત્યંત ઘેરી અસર છે અને તેને કારણે દુબઇમાં ટુરિસ્ટની સંખ્યા પણ અતિશય ઘટી ગઇ છે અને હીરા ઝવેરાતનું કેન્દ્ર ગણાતા દુબઇમાં કારોબાર ઘટી જતા સુરત, મુંબઇથી દુબઇમાં થતી નિકાસ પણ તળિયે બેસી જવા પામી છે.જીજેઇપીસીનાં સત્તાવાર આંકડા તપાસીએ તો જાણવા મળે છે કે ગઇ તા.૨૮મી ફેબ્રુઆરીએ શરૂ થયેલા ઇરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેનાં યુદ્ધને કારણે ભારતની હીરા ઝવેરાતની નિકાસ રૂંધાઇ જવા પામી છે. અમેરિકાએ ટેરિફ અંગે હજુ સુધી કોઇ સ્થિતિ સ્પષ્ટ કરી નથી પરિણામે સુરત અને મુંબઇનાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ તેમજ ડાયમંડ સ્ટડેડ જ્વેલરીનો મોટાભાગનો સપ્લાય યુએઇ એટલે કે દુબઇ, અબુધાબી, શારજાહ થઇને યુરોપનાં દેશોમાં ઠલવાતો હતો. પરંતુ, યુદ્ધને કારણે આ સપ્લાય ચેઇન તૂટી ગઇ છે અને તેની સીધી અસર ભારતની નિકાસ પર પડી છે. જાણકારોનું કહેવું છે કે હીરા ઝવેરાત ઉદ્યોગ પર આ ઉપરાંત વૈશ્વિક સ્તરે સોનાનાં ભાવોમાં થઇ રહેલી અસામાન્ય વધઘટને કારણે પણ વિકસિત દેશોનાં લોકો હાલ તુરત ખરીદીથી અળગા રહેવાનું પસંદ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં કોઇ મોટા ગ્લોબલ ફેસ્ટિવલ્સ પણ નથી આવી રહ્યાં, ઉલ્ટાનું ભારતમાં એક મહિના પછી મોનસુન સિઝન શરૂ થશે, પરિણામે નિકાસ હજુ વધુ અસરગ્રસ્ત બને તેવી શક્યતાઓ જાેવાઇ રહી છે. ગયા વર્ષનાં આરંભે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ અને ૨૫ પેનલ્ટી મળીને ૫૦ ટકા જેટલો ટેરિફ લાદ્યો હતો. એ સમયે પણ નિકાસને કોઈ ખાસ અસર થઈ ન હતી પરંતુ આ વખતે યુદ્ધની ઘેરી અસર જાેવા મળી છે. રફ ડાયમંડની આયાતમાં પણ ૨૯ ટકાનો ધરખમ ઘટાડો રફ ડાયમંડ્સની આયાતમાં પણ એપ્રિલ-૨૦૨૬ મહિનામાં ૨૯.૩૬ ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે. એપ્રિલ ૨૦૨૫ મહિનામાં કુલ ૧૦,૨૬૫.૧૯ કરોડ રૂપિયાનાં રફ ડાયમંડ્સ ભારતમાં ઠલવાયા હતા. જેની સામે એપ્રિલ ૨૦૨૬ મહિના દરમિયાન કુલ રૂ.૭૯૦૮.૭૨ કરોડ રૂપિયાના જ રફ ડાયમંડ્સની આયાત થઇ છે. કેરેટની વાત કરીએ તો એપ્રિલ ૨૦૨૫માં ૧૦૫.૩૯ લાખ કેરેટ રફ ડાયમંડ્સની આયાત થઇ હતી, જે ઘટીને એપ્રિલ ૨૦૨૬માં ૯૦.૫૦ લાખ કેરેટ જ થઇ શકી છે. સુરતનાં હીરા બજારનાં સૂત્રોનું કહેવું છે કે મિડલઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ થાળે પડે નહીં ત્યાં સુધી હીરા ઝવેરાતની નિકાસ તેમજ સપ્લાય ચેઇન આ રીતે જ ચાલશે, હીરા ઉદ્યોગકારો અને નિકાસકારોએ આ પ્રકારનાં કપરા સમય માટે તૈયાર રહેવું પડશે.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, મે 2026 2475   |  
પાંચ વર્ષની બાળકીને સતત ૧૬ કલાક ૨૫૦ કેમેરા તપાસી શોધી કાઢી

સચિન જીઆઇડીસીનાં રાધે નગર વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકી લાપતા થઈ હતી. મોડી સાંજે બાળકી ગુમ થયાની વાતને પોલીસે ગંભીરતાથી લઇ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, સતત ૧૬ કલાક સુધી ૨૫૦ કેમેરા તપાસવા સાથે ૪૦૦થી વધુ વ્યક્તિની પુછપરછ કરી બાળકીને સહીસલામત શોધી કાઢવામાં આવી હતી.  સચિન જીઆઇડીસી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ગોપાલ નગર પાસે રાધે રેસિડેન્સીમાં રહેતા પિન્કુ ગોડ તેના પરિવાર સાથે રહે છે. કારખાનામાં કામ કરતા પિન્કુ ગૌડને પાંચ વર્ષની દીકરી છે. ગત ૧૨મી તારીખે મોડી સાંજે ગૌડની પત્ની આ બાળકીને લઇ ઘર નજીક ભરાતાં મંગળવારી બજારમાં ગઈ હતી. જ્યાં ભારે ભીડ ભાડ હોય બાળકીને હાથ છૂટી ગયો અને તે લાપતા થઈ ગઈ હતી. શોધખોળ છતાં બાળકીનો અતો પતો નહીં લાગતો ગૌડ દંપતી ગભરાયું અને પોલીસ સ્ટેશન દોડી ગયું હતું, રાત્રિનો સમય અને બાળકીનો મામલો હોય ઇન્સપેક્ટર કુલદીપસિંહ ગોહિલે તુરંત સર્વેલન્સ સ્ટાફને એકઠો કર્યો હતો. ગોહિલે અલગ અલગ પાંચ ટુકડીઓ બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી હતી. બાળકીની સુરક્ષાનો પ્રશ્ન હોય તપાસમાં કોઈ કચાશ ન રહે એની તકેદારી રાખતા ગોહિલે ઉપરી અધિકારીઓ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચને પણ જાણ કરી હતી.ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તુરંત સચિન જીઆઇડીસી ગઇ અને બાળકીની શોધખોળમાં જોતરાઇ હતી.  સમય વિતતો ગયો તેમ તેમ પોલીસની ટીમ પણ વધારવામાં આવી હતી. દસેક ટીમો બની અને ગોપાલ નગર તથા આસપાસના સામાજિક આગેવાનો, વેપારીઓ અને વોટ્સઅપ ગ્રુપમાં બાળકીના ફોટોગ્રાફ્સ તેમજ વર્ણન મોકલી સઘન શોધખોળ શરૂ કરી હતી. સાથે જ બાળકી વિખૂટી પડી હતી એ સ્થળથી આશરે ૨૫૦થી વધુ સીસી ટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ફૂટેજથી તપાસની દિશા મળી હતી. જે દિશામાં બાળકી ગઇ એ વિસ્તારના ૪૦૦થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. સતત ૧૬ કલાક સુધી પોલીસે તપાસ જારી રાખી હતી. આ જહેમત બાદ પોલીસની ટીમે ગભેણી રોડ પર આવેલી મનોજ પ્રતાપસિંગ શાળા પાસેથી બાળકીને સુરક્ષિત શોધી કાઢવામાં આવી હતી. આ સફળ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ રામશરણ દયાનંદ, નાનસિંગ વાલસિંગ, ભરતકુમાર અમૃતલાલ અને મયુરદાન અમીરદાનની મહત્વની ભૂમિકા રહી હતી. પોતાની માસુમ બાળકી હેમખેમ પરત મળતા માતા-પિતાએ આનંદના આંસુ સાથે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
14, મે 2026 2673   |  
શહેરનાં પાંચ વેપારીઓ સાથે હૈદરાબાદની પેઢી દ્વારા રૂપિયા ૧.૮૩ કરોડનું ચીટિંગ

શહેરનાં પાંચ વેપારીઓ પાસેથી કાપડ ખરીદીમાં ૧.૮૩ કરોડનું ચીટિંગ કરનાર હૈદરાબાદની પેઢી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આર્થિક ગુના નિવારણ શાખા પાસે મળતી માહિતી અનુસાર રાંદેર રોડ ઉપર મલબાર હીર એપાર્ટમેન્ટમાં રહેતા ઇકરામ મોહમદ નુર કુરેશી કાપડનો વેપાર કરે છે. ન્યુ દિલ્હીનાં વતની ઇકરામ ફાલસાવાડી પાસે કુબેરજી ટેક્સ્ટાઇલ પાર્કમાં ઝારા શૂટ નામથી દુકાન ધરાવે છે. તેઓ માર્કેટનાં અલગ અલગ વિવર્સ, વેપારીઓ પાસે ડાઇડ કાપડ ખરીદી તેમાં એમ્બ્રોડરી તથા હેન્ડ વર્કનું કામ કરાવી લેડીઝ શુટ કાપડનો માલ તૈયાર કરાવે છે. સુરેશ શંભુભાઇ ધોળીયા (રહે. હીરાબાગ) ઇકરામ કુરેશીને મળવા ગયા હતાં. તેણે હું ઘણા વર્ષોથી સુરત ટેક્સ્ટાઇલ માર્કેટમાં સ્મિત ફેશનનાં નામથી કાપડ વેચાણ સાથે દલાલીનું કામ કરતો આવ્યો છું. મારી પાસે અલગ અલગ રાજ્યોના મોટા વેપારીઓ અને પેઢીઓ છે. તમે મારા હસ્તક તેમને માલ આપશો તો ૬૦ દિવસમાં પેમેન્ટની જવાબદારી મારી રહેશે એવી વાત કરી હતી. ત્યારબાદ ધોળીયા એક વેપારી મોહમદ ગોસ ખાન વાળાને લઇ ઇકરામ પાસે ગયો હતો. મોહમદ ગોસ ખાને તેઓ હૈદરાબાદમાં સેફેરોન ડિઝાઇનર નામથી વેપાર ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. મોહમદ ગોસ ખાને સમયસર પેમેન્ટ આપવાનું તથા દલાલ સુરેશભાઇ ધોળીયાએ પમેન્ટની જવાબદારી લીધી હોય ઇકરામ તેમને માલ આપવા તૈયાર થયા હતાં. પ્રથમ એક બે ઓર્ડરમાં સમય મર્યાદામાં પેમેન્ટ ચૂકવી તેણે વિશ્વાસ ભરોસો બેસાડ્યો હતો.ત્યારબાદ તેઓએ ૫૧, ૦૭, ૭૫૭ રૂપિયા કિંમતનો લેડીસ શૂટ કાપડ ખરીદ્યું હતું. પહેલા વાયદા કર્યા બાદ મોહમ્મદ ગોસ ખાને કોલ રિસિવ કરવાના પણ બંધ કર્યા હતાં. જેઈ ઇકરામે હૈદરાબાદના અન્ય વેપારીઓ હસ્તક તેના વેપારી મોહમદ ગોસ ખાનનો સંપર્ક કરતાં તેણે મે, ૨૦૨૫ સુધીમાં પેમેન્ટ કરીશ એવો એગ્રીમેન્ટ કરી આપવા સાથે ૧૦ ચેક પણ લખી આપ્યા હતાં. જાે કે, નિયત તારીખે ચેક બેંકમાં ડિપોઝીટ કરાયા તો તે રિટર્ન થયા હતાં. દલાલ સુરેશ ધોળીયાનો સંપર્ક કરાયો તે વેપારીને આગળથી પેમેન્ટ આવ્યું નથી એવા ઉડાઉ જવાબ આપ્યા હતાં. માર્કેટમાં તપાસ કરાતાં દલાલ સુરેશ ધોળીયાએ જાના કોટન્સનાં જયેશકુમાર મનોહરલાલ ચાંદવાની પાસે ૧૬,૧૫,૫૭૮નો માલ, અલખ શૂટ્સના મેહુલ ભરતભાઇ પટેલ પાસે ૩૪,૭૯,૭૪૮ રૂપિયાનો, ડીપ્સી ટ્રેન્ડ્ઝનાં અમિત ઘિસુલાલ રાંકા પાસેથી ૨૭,૪૮,૪૯૧ કિંમતનો તથા મધુરમ શૂટસમાંથી ૫૩,૪૧, ૯૪૩ મળી કુલ ૧,૩૧,૮૫,૭૬૦ કિંમતનો માલ હૈદરાબાદના વેપારી મોહમદ ગોસ ખાનને ઉધારમાં વૈચાણ કરાવી પેમેન્ટ કરાવ્યું ન હોવાનું બહાર આવ્યું હતું. આ રીતે કુલ ૧.૮૩ કરોડનું ફ્રોડ કરનારા દલાલ અને વેપારી સામે ઇકરામ કુરેશીએ ફરિયાદ આપી હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution