ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 2970   |  
મનાલી-બેલા હાઈવે પર કાર ખાઈમાં ખાબકતા ભાવનગરના ૬ ના કરુણ મોત

હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર માટે પ્રવાસ કાળ બનીને ત્રાટક્યો છે. મનાલી નજીક છાબા જિલ્લામાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજના અગ્રણી લલિતભાઈ ફતનાની સહિત પરિવારના ૬ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ભાવનગર પહોંચતા સમગ્ર સિંધી સમાજ સહિત શહેરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના સિંધી સમાજના જાણીતા અગ્રણી લલિતભાઈ ફતનાની તેમના પરિવાર સાથે મનાલીના પ્રવાસે ગયા હતા. ગત રોજ મનાલીથી બેલા તરફ જતી વખતે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર ૨૮ પર તેમનું વાહન ચાલકે અચાનક કાબૂ ગુમાવતા રસ્તા પરથી નીચે ઉતરી સીધું ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. વાહન ખાઈમાં પડતા જ જાેરદાર ધડાકો થયો હતો અને અંદર સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં પરિવારના મોભી લલિતભાઈ ફતનાની, તેમના પત્ની સોનિયાબેન, દીકરી કાજલબેન, જમાઈ પ્રિયંકભાઈ ભોપાણી અને માસૂમ પૌત્ર દિવ્યાંશુનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકસાથે પાંચ સભ્યોના મોતના સમાચારથી ફતનાની પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૪ સભ્યોમાં મયંકભાઈ લલિતભાઈ ફતનાની, તેમના પત્ની ફોરમબેન ફતનાની, પુત્ર જિયાંશ અને અન્ય એક બાળકી પ્રિયાંશી ભોપાણીનો સમાવેશ થાય છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 2178   |  
સોમનાથનું પુન:નિર્માણ ભારતની ચેતનાનો ઉદઘોષ : મોદી

‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ ખાતે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણના ૭૫ વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ- ૨૦૨૬’માં આજે સહભાગી થયા હતા. આ અવસરે વડાપ્રધાનના હસ્તે સ્મારક ડાક ટિકિટ અને ૭૫ રૂપિયાના સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૭૫ વર્ષ પહેલા આજના દિવસે થયેલી સોમનાથની પુન:સ્થાપના એ સાધારણ અવસર ન હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો પણ ૧૯૫૧માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈપણ રાષ્ટ્ર લાંબા સમય સુધી ત્યારે જ મજબૂત રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જાેડાયેલું રહે. સોમનાથ મંદિરનું પુન:નિર્માણ થયું અને દેશે સદીઓના કલંકને ધોઈ નાખ્યો તેમ જણાવી આ ૭૫ વર્ષની યાત્રાને નવી ઊંચાઈ સોમનાથ દાદાના આશીર્વાદથી આપવી છે તેવો સંકલ્પ પણ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે ૫૦૦થી વધુ રજવાડાઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુન: નિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે, ભારત માત્ર આઝાદ જ નથી થયું પણ પ્રાચીન ગૌરવને પુન: હાંસલ કરવાના માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે ૭૫ વર્ષની ઉજવણીના આ અવસરે જાેવા મળે છે કે, વિનાશમાં સર્જનનો સંકલ્પ સોમનાથ મંદિરે ચરિતાર્થ કર્યો છે. અસત પર સતનો વિજય પ્રભાસ ક્ષેત્રે વારંવાર કર્યો છે. મંદિર પુન: નિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રના કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. સોમનાથનો અર્થ આપતા તેમણે કહ્યું હતું કે, જેના નામમાં જ સોમ એટલે કે અમૃત છે, તેને કોણ નષ્ટ કરી શકે. આ ભારતનું એવું અવિનાશી સ્વરૂપ છે, જેને સદીઓના કુત્સિત પ્રયાસો હરાવી, મિટાવી શક્યા નથી. સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, સોમનાથ અમૃત મહોત્સવ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ બની રહેશે.ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન : મોદી વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન છે. તેઓએ ભીમદેવ પ્રથમ, રાજા ભોજ, કુમારપાળ, રા ખેંગાર સહિતનાઓનો ઉલ્લેખ કરી સોમનાથ મંદિરના પુન:નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને તેમની સાથે કનૈયાલાલ મુનશી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, જામ સાહેબને પણ આ અવસરે યાદ કરી તેમના યોગદાનને પ્રેરણાદાયી ગણાવ્યું હતું. સોમનાથ માટે શહાદત વહોરનાર વીર હમીરસિંહ ગોહિલ અને વેગડા ભીલને યાદ કરી સોમનાથ મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર અહલ્યાબાઈ હોલકર, વડોદરાના ગાયકવાડ સહિતની વિભૂતિઓએ સોમનાથ દાદાની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું તેમ જણાવ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમની સાથે સાથે.. વડાપ્રધાનુ સ્ટેજ પર આગમન થતાજ ઉપસ્થિત જનમેદનીએ જય સોમનાથ મંદિર અંકિત ધ્વજા પતાકા લહેરાવી અભિવાદન કર્યું હતું. વડાપ્રધાનનું સોમનાથની પ્રતિકૃતિ રૂપે મંદિરની છબી, સિંહનું પોટ્રેટ તેમજ કળશની ભેટ આપવામાં આવી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાન ને ડમરુ અર્પણ કર્યુ પ્રધાનમંત્રીએ પોસ્ટ વિભાગ દ્વારા ૭૫ વર્ષ પ્રાણ પ્રતિષ્ઠા સ્વાભિમાન પર્વ અવસર નિમિત્તે બહાર પાડેલી ટિકિટનું વિમોચન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૫ રૂપિયાનો સોમનાથ મંદિરની પ્રતિકૃતિ ધરાવતો સિક્કાનું પણ અનાવરણ કર્યું વડાપ્રધાનનો ઉદબોધનના પ્રારંભે ‘જય સોમનાથ જય સોમનાથ’ અને હર હર મહાદેવનો જય ઘોષ બોલાવ્યો હતો. વડાપ્રધાનએ આજના જ દિવસે ૧૧ મે ૧૯૯૮ ના રોજ પોખરણ ખાતે કરવામાં આવેલ અણુ પરિક્ષણને ખાસ યાદ કર્યુ સભામાં કેસરિયા સાફાએ રંગ જમાવ્યો. ૭૦૦ થી વધુ મહિલાઓ, પુરુષોએ માથા પર સેફરોન કલરનો સાફો અને ગળામાં કેસરી ખેસ રાખી સભામાં ઉપસ્થિતિ સૂર્યકિરણની આકાશી સલામી અને પુષ્પવર્ષાથી સોમનાથનું નભ ગુંજી ઉઠ્યું ભારતીય સંસ્કૃતિના તેજ અને અસ્મિતાના પ્રતીક સમાન ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’ ઉજવાઈ રહ્યો છે. સોમનાથ મંદિરના પુન: નિર્માણની વિરાસતના ૭૫ વર્ષની આ ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી આજે પ્રભાસ પાટણની પવિત્ર ધરા પર પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન વેળાએ વીર હમીરજી સર્કલ પાસે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે ભારતની વિવિધ સંસ્કૃતિઓની ઝાંખી પ્રસ્તુત કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પથ પર વડાપ્રધાને સોમનાથની થીમ પર બનેલા આકર્ષક રેત શિલ્પને નિહાળ્યું હતું. ૭૫ ઢોલીઓ સાથે નાસિકના ઢોલ અને તૂતીના નાદ વચ્ચે પરંપરાગત પરિધાનમાં સજ્જ ૧૦૦ જેટલી બાળાઓ અને કન્યાઓએ માથે અમૃત કળશ ધારણ કરી વડાપ્રધાનને હરખભેર આવકાર્યા હતા. મંદિર પરિસરમાં પ્રવેશતા પૂર્વે પીએમ મોદીએ અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના પુન:નિર્માણના સ્વપ્નદ્રષ્ટા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દિગ્વિજય દ્વાર પાસે ઋષિકુમારોના શંખ અને ડમરુના નાદ વચ્ચે ખાસ ‘બેલ વોક’ પરથી પસાર થઈ વડાપ્રધાન નિજ મંદિરમાં પ્રવેશ્યા હતા, જ્યાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરી દેશની પ્રગતિ અને જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, મે 2026 2475   |  
સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા આજે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક એર શો

સોમનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા જે મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જાેઈને હાજર લોકો દંગ રહી ગયા હતા અને હર્ષનાદ સાથે એરફોર્સના પાયલટને વધાવી લીધા હતા.ભારતીય વાયુસેનાના એમ્બેસેડર તરીકે ઓળખાતી સૂર્યકિરણ ટીમ લાલ અને સફેદ રંગના હોક એમ.કે.-૧૩૨ જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં વિવિધ સિંક્રનાઈઝ્ડ ફોર્મેશન અને સાહસિક દાવપેચ રજૂ કરશે. આ એરોબેટિક શો અંદાજે ૧૫ મિનિટ સુધી ચાલશે, જેમાં પાઈલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાડવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરીને આ ટીમ માત્ર ૧૮ મિનિટમાં સોમનાથના આકાશમાં પહોંચશે. જામનગરથી સોમનાથનું હવાઈ અંતર અંદાજે ૧૮૨ કિમી જેટલું છે. ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં ૧૩ કુશળ પાઈલટોની ટીમ આ પ્રદર્શન કરશે. આ પ્રદર્શનના સુરક્ષિત સંચાલન માટે જામનગર એરફોર્સ સ્ટેશનના ૨૫થી ૩૦ એર વોરિયર્સની ટીમ મેદાનમાં તૈનાત રહેશે. આ ટીમ દ્વારા ફ્લાયપાસ્ટ કંટ્રોલ, એવિએશન સેફ્ટી, બર્ડ હેઝાર્ડ કંટ્રોલ, હવામાન વિભાગ અને સિગ્નલ કમ્યુનિકેશનની જવાબદારી સંભાળવામાં આવશે. વર્ષ ૧૯૯૬માં સ્થપાયેલી સૂર્યકિરણ ટીમ અત્યાર સુધીમાં ભારતમાં ૮૦૦થી વધુ એર ડિસ્પ્લે કરી ચૂકી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
06, મે 2026 3861   |  
ધોલેરા અને સુરતમાં ૪,૦૦૦ કરોડના સેમી કન્ડક્ટર પ્લાન્ટને કેન્દ્રની મંજૂરી

કેન્દ્ર સરકારે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાતમાં બે નવા સેમીકન્ડક્ટર એકમો સ્થાપવાની મંજૂરી આપી દીધી છે. આ પગલું માત્ર ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ નેક્સ્ટ જનરેશન ડિસ્પ્લે ટેકનોલોજી અને ચિપ પેકેજિંગમાં ભારતની હાજરી વૈશ્વિક સ્તરે નોંધાવશે. આ બંને પ્રોજેક્ટ્સમાં આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકાર અત્યાર સુધીમાં કુલ ૧૦ સેમીકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી આપી ચૂકી છે, જેમાંથી માઈક્રોન ટેકનોલોજી અને કેન્સ ટેકનોલોજી જેવી દિગ્ગજ કંપનીઓના પ્લાન્ટમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. સરકારે ગુજરાતના ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડની ૩,૦૬૮ કરોડ રૂપિયાના રોકાણવાળી ‘ઇન્ટિગ્રેટેડ કમ્પાઉન્ડ સેમીકન્ડક્ટર અને એડવાન્સ્ડ પેકેજિંગ’ સુવિધાને મંજૂરી આપી છે. આ યુનિટ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે કારણ કે તે ગેલિયમ નાઇટ્રાઇડ વેફર્સનું ઉત્પાદન કરશે, જે મિની અને માઇક્રો ન્ઈડ્ઢ ડિસ્પ્લેનો મુખ્ય હિસ્સો છે. તેની વાર્ષિક ક્ષમતા ૭૨,૦૦૦ ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ અને ૨૪,૦૦૦ સેટ ઇય્મ્ ય્ટ્ઠદ્ગ વેફર્સની હશે. આ પ્રોજેક્ટથી અંદાજે ૧,૬૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે. આ એકમ ભારતનું પ્રથમ માઇક્રો ન્ઈડ્ઢ ફેબ્રિકેશન યુનિટ હશે, જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદેશ મંત્રાલયનું વ્યૂહાત્મક સમર્થન પણ સામેલ છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડના આ પ્રોજેક્ટને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે આને એક વ્યૂહાત્મક દાવ ગણાવ્યો છે. હાલમાં વૈશ્વિક ડિસ્પ્લે ઇન્ડસ્ટ્રી એક મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. દાયકાઓ સુધી જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયાએ ન્ઝ્રડ્ઢ બજાર પર રાજ કર્યું, પરંતુ તાજેતરના વર્ષોમાં ચીને ભારે રોકાણના દમ પર આ ક્ષેત્રમાં પોતાની પકડ જમાવી લીધી છે. ગુજરાતના જ સુરત શહેરમાં સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક ઓએસએટી સુવિધાને કેબિનેટે લીલી ઝંડી આપી છે. ૮૬૮ કરોડ રૂપિયાના રોકાણથી બનનારું આ યુનિટ સેમીકન્ડક્ટર વેલ્યુ ચેઇનની એક મહત્વપૂર્ણ કડી છે. અહીં ‘લીડ ફ્રેમ’ અને ‘વાયર-બોન્ડ’ પેકેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચિપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ કરવામાં આવશે. આ યુનિટ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઓટોમોટિવ સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરશે. તેની વાર્ષિક ક્ષમતા ૬૭૩ મિલિયન સ્મોલ આઉટલાઇન ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને ૩૬૦ મિલિયન ટ્રાન્ઝિસ્ટર આઉટલાઇન પેકેજ તૈયાર કરવાની હશે. આ પ્લાન્ટથી અંદાજે ૬૩૦ લોકોને રોજગારી મળશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, મે 2026 10791   |  
પોરબંદરમાં ૧૨ વર્ષના કિશોરે ૪ વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચર્યું

ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. શહેરના ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પાડોશમાં રહેતા માત્ર ૧૨ વર્ષના એક સગીરે ૪ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આ શરમજનક કિસ્સો ત્યારે બન્યો જ્યારે ભોગ બનનાર ૪ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન પાડોશમાં જ રહેતો ૧૨ વર્ષનો કિશોર બાળકીને રમાડવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. બાળકીની માસૂમિયતનો લાભ ઉઠાવી કિશોરે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની ઉંમર ૧૨ વર્ષની છે અને તે ભોગ બનનાર બાળકીના પાડોશમાં રહે છે. જ્યારે ભોગ બનનાર બાળકીની ઉંમર ૪ થી ૫ વર્ષની હોવાનું મનાય છે. પ્રાથમિક વિગતો મુજબ, સગીરે બાળકી પર બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની તબિયત અચાનક લથડતા અને શારીરિક તકલીફ જણાતા પરિવારે પૂછપરછ કરી હતી, જેમાં આ ભયાનક સત્ય બહાર આવ્યું હતું. બાળકીના પરિવારજનોએ આ મામલે તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. કમલાબાગ પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધી છે. બાળકીની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક મેડિકલ પરીક્ષણ અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોપી પોતે સગીર વયનો હોવાથી પોલીસ દ્વારા ‘જુવેનાઈલ જસ્ટિસ એક્ટ’ (બાલ સંરક્ષણ ધારો) મુજબ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને તમામ પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી તેજ કરી છે. 


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 2673   |  
દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી શકે નહીં : સોમનાથમાં મોદીનો હુંકાર

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક, મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો નિહાળ્યો હતો. સોમનાથના તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી બપોરનું ભોજન લઈને ૩:૩૦ વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જાેરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના ૯૦ મીટર ઊંચા શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.  સરદાર સાહેબે નેહરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું :PM સોમનાથનો જિર્ણોદ્ધાર કરવો ભારતનું સ્વાભિમાન હતું. તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જાેડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે, આપણે જંગલોને પણ આદરથી જાેઈએ છીએ.   ડગ્યા વગર ‘ઑપરેશન શક્તિ’ સફળ બનાવ્યું વડાપ્રધાને આજના દિવસ (૧૧ મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. કહ્યું, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે.  PM રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેકપીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ વિધિ માટે ૧૧ પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશ (પવિત્ર વાસણ)માં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કળશને ૯૦ મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો હતો.   અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ: મોદી આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ ૧૦થી ૧૨ વર્ષની અંદર થયું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 1683   |  
સંકટને ટાળવા એકજૂટ થાવ:PM મોદીની ફરી અપીલ

વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કરી લોકોને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જેમ કોરોના સદીની સૌથી મોટી સમસ્યા હતી તે રીતે પશ્ચિમ એશિયામાં બનેલી આ સ્થિતિ દશકની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાનો મુકાબલ કરી લીધો તો આ સંકટથી પાર પાડી લેશું. સરકાર પ્રયાસ કરી રહી છે કે, દેશના લોકો પર વિપરીત પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય. પરંતુ, આ સમયમાં દેશે જનભાગીદારીની શક્તિની બહુ મોટી જરૂર છે. ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. પહેલાના દશકાઓમાં જ્યારે દેશ યુદ્ધના સંકટમાં પસાર થયું છે. ત્યારે સરકારની અપીલ અને અપીલ પર દરેક નાગરિકે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે.    સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના ૭૫ વર્ષ : મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું: આજે, હું ફક્ત ૭૫ વર્ષનો ઝાંખી નથી જાેઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જાેઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જાેઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જાેઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જાેયું છે. હું ભારતનો અવિનાશી સાર જાેઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી. સોમનાથ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ’માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, મે 2026 2277   |  
બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, મે 2026 3267   |  
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, મે 2026 4752   |  
હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (૨૩મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત ૫૯.૦૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ ૨.૪૫ લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના ૫૪ ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત ૧૫ વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈફસ્ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ ઈફસ્માં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે. 


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 1683   |  
દીકરીઓ બીજા સમાજમાં જાય છે કારણ કે સમાજના ઘણા દીકરાઓ સક્ષમ બનતા નથી: અનાર પટેલ

બનાસકાંઠાના પાલનપુરના ગઢ ખાતે આયોજિત એક સામાજિક કાર્યક્રમમાં અનાર પટેલે પટેલ સમાજને સંબોધતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમના નિવેદનો બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. અનાર પટેલે જણાવ્યું હતું કે પટેલ સમાજ પોતાની અલગ ઓળખ બનાવે છે કારણ કે તેઓ સ્પષ્ટ અને કડવી વાત કરવાનું પસંદ કરે છે. જાેકે, તેમણે સમાજના લોકોને મીઠું બોલતા અને સંબંધોમાં સૌહાર્દ વધારતા શીખવાની પણ સલાહ આપી હતી. અનાર પટેલે સમાજમાં વધતા વિખવાદ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે સમાજને તોડવાનો પ્રયાસ કરનારા લોકોને ઓળખવાની જરૂર છે. “ભાગલા પાડવાની નીતિ અંગ્રેજાેના સમયમાં હતી, હવે સમાજે એકતા તરફ આગળ વધવું જાેઈએ,” એમ તેમણે કહ્યું. અનાર પટેલે યુવાઓ અને લગ્નપ્રથાને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે “દીકરીઓ બીજા સમાજમાં જાય છે કારણ કે સમાજના ઘણા દીકરાઓ સક્ષમ બનતા નથી.” તેમના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે સમાજમાં વધતી દારૂની સમસ્યા પર પણ કડક વલણ અપનાવ્યું. “દારૂ પીને આવનાર વ્યક્તિને પ્રોત્સાહન ન આપવું જાેઈએ, નહીં તો આખો સમાજ બગડશે,” એમ કહી તેમણે યુવાનોને સંસ્કારી જીવન જીવવા અપીલ કરી હતી. સાથે જ આજકાલ દરેક ઘરમાં નેતાગીરીની માનસિકતા વધી રહી હોવાનું જણાવી અનાર પટેલે કહ્યું કે “અત્યારે ઘરે-ઘરે નેતા છે અને દરેકને મોટું થવું છે, પરંતુ સમાજ માટે કામ કરનાર લોકોની જરૂર છે.”


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 1782   |  
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી આપનાર ભેજાબાજ ઝડપાયો

અમદાવાદ શહેરના ગુજસેલ એરપોર્ટ અને અનેક નામાંકિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઈમેઈલ કેસનો સાયબર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ધમકીભર્યો મેઈલ કરનાર કોઈ રીઢો ગુનેગાર કે આતંકવાદી નથી, પરંતુ અમદાવાદનો જ એક ઉચ્ચ શિક્ષિત અને આર્થિક રીતે સદ્ધર કન્સ્ટ્રક્શન બિઝનેસમેન નીકળ્યો છે. પોલીસે આરોપી ભાવેશ પટેલની અટકાયત કરીને આ સમગ્ર કાવતરા પાછળનો હેતુ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૨૫ માર્ચ ૨૦૨૬ ના રોજ એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર ઈમેઈલ આઈડી પર એક મેઈલ આવ્યો હતો. આ મેઈલમાં ગંભીર ચેતવણી આપતા લખવામાં આવ્યું હતું કે, “અગાઉ પકડાયેલા આરોપી સૌરભ વિશ્વાસને તાત્કાલિક મુક્ત કરી દેવામાં આવે, જાે તેમ નહીં થાય તો ગુજસેલ એરપોર્ટ અને અમદાવાદની શાળાઓમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે.” આ મેઈલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડો. લાવિના સિન્હાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને આઈપી એડ્રેસના આધારે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, મેઈલ આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો.પોલીસે તાત્કાલિક ભાવેશ પટેલ નામના શખ્સને ઝડપી લીધો હતો. આ ભેજાબાજ આરોપીએ મેઈલ કર્યા બાદ તેને ડીલીટ કરી દીધો હતો, પરંતુ સાયબર એક્સપર્ટ્સે તેના મોબાઈલના રિસાયકલ બિનમાંથી આ મેઈલના પુરાવાઓ શોધી કાઢ્યા હતા. પુરાવાઓ સામે આવતા જ આરોપી ભાવેશે મેઈલ કર્યાની કબૂલાત કરી લીધી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ભાવેશ પટેલ બી કોમ સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે. તે કન્સ્ટ્રક્શનના મોટા બિઝનેસ સાથે સંકળાયેલો છે અને આર્થિક રીતે ખૂબ જ સુખી સંપન્ન છે. એટલું જ નહીં, તે પોતાના એક મિત્રની કંપની સાથે મળીને જે ગુજસેલ એરપોર્ટ પર ધમકી આપી હતી, ત્યાં જ વિવિધ ઈવેન્ટ મેનેજમેન્ટના કામ પણ કરતો હતો. એક સદ્ધર બિઝનેસમેને આવું ગંભીર ગુનાહિત કૃત્ય કેમ કર્યું? તે બાબત પોલીસ માટે પણ તપાસનો વિષય બની છે. ડ્ઢઝ્રઁ ડો. લાવિના સિન્હાએ જણાવ્યું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ એરપોર્ટના કોઈ કામકાજને લગતી અંગત અદાવતમાં આ પગલું ભર્યું હોવાની આશંકા છે. જાેકે, આરોપી સૌરભ વિશ્વાસ સાથે તેનો શું સંબંધ છે? તેણે જાતે આ કાવતરું ઘડ્યું કે કોઈના કહેવાથી મેઈલ કર્યો? તે તમામ બાબતો સઘન પૂછપરછ બાદ જ સ્પષ્ટ થશે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 1782   |  
રાજ્યમાં આગામી ૪ દિવસ કાળઝાળ ગરમીની આગાહી

ગુજરાતમાં હાલ કાળઝાળ ઉનાળાનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. જેમાં સુરજદાદા આકરા પાણીએ હોય તેમ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ગરમીનું મોજું યથાવત રહેશે અને પશ્ચિમી પવનોની અસરને કારણે રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન ૪૧ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની પ્રબળ શક્યતા છે. આ ગંભીર સ્થિતિને જાેતા વહીવટીતંત્ર દ્વારા અલગ-અલગ જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂપે એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ૧૧ થી ૧૭ મે દરમિયાન વાતાવરણ સૂકું રહેશે અને આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી, જાેકે ત્યારબાદ પારો ૨ થી ૩ ડિગ્રી નીચે ગગડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગરમીનું જાેર વધુ જાેવા મળશે. જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે આગામી ત્રણ દિવસ ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને દ્વારકા સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના આણંદ, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં ‘યલો એલર્ટ’ ની ચેતવણી આપવામાં આવી છે. પવનની ગતિની વાત કરીએ તો, દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૫ થી ૨૦ નોટની ઝડપે પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાશે, જે ક્યારેક ૨૫ નોટની ગતિ પણ પકડી શકે છે. અમદાવાદમાં પણ ગરમીનો પારો ૪૪ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે તાજેતરમાં કંડલા એરપોર્ટ પર સૌથી વધુ ૪૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતા ઘણું વધારે છે. રાજ્યના અન્ય શહેરો જેવા કે સુરેન્દ્રનગરમાં ૪૫ ડિગ્રી, અમદાવાદમાં ૪૩.૩ ડિગ્રી અને ગાંધીનગરમાં ૪૨.૯ ડિગ્રી તાપમાન સાથે લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હાલમાં સુરત, પોરબંદર, કેશોદ અને સુરેન્દ્રનગર સહિત પાંચ સ્થળોએ હીટવેવની અસર જાેવા મળી રહી છે. જેના કારણે નાગરિકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 2970   |  
મનાલી-બેલા હાઈવે પર કાર ખાઈમાં ખાબકતા ભાવનગરના ૬ ના કરુણ મોત

હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર માટે પ્રવાસ કાળ બનીને ત્રાટક્યો છે. મનાલી નજીક છાબા જિલ્લામાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજના અગ્રણી લલિતભાઈ ફતનાની સહિત પરિવારના ૬ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ભાવનગર પહોંચતા સમગ્ર સિંધી સમાજ સહિત શહેરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના સિંધી સમાજના જાણીતા અગ્રણી લલિતભાઈ ફતનાની તેમના પરિવાર સાથે મનાલીના પ્રવાસે ગયા હતા. ગત રોજ મનાલીથી બેલા તરફ જતી વખતે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર ૨૮ પર તેમનું વાહન ચાલકે અચાનક કાબૂ ગુમાવતા રસ્તા પરથી નીચે ઉતરી સીધું ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. વાહન ખાઈમાં પડતા જ જાેરદાર ધડાકો થયો હતો અને અંદર સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં પરિવારના મોભી લલિતભાઈ ફતનાની, તેમના પત્ની સોનિયાબેન, દીકરી કાજલબેન, જમાઈ પ્રિયંકભાઈ ભોપાણી અને માસૂમ પૌત્ર દિવ્યાંશુનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકસાથે પાંચ સભ્યોના મોતના સમાચારથી ફતનાની પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૪ સભ્યોમાં મયંકભાઈ લલિતભાઈ ફતનાની, તેમના પત્ની ફોરમબેન ફતનાની, પુત્ર જિયાંશ અને અન્ય એક બાળકી પ્રિયાંશી ભોપાણીનો સમાવેશ થાય છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 2178   |  
સોમનાથનું પુન:નિર્માણ ભારતની ચેતનાનો ઉદઘોષ : મોદી

‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ ખાતે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણના ૭૫ વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ- ૨૦૨૬’માં આજે સહભાગી થયા હતા. આ અવસરે વડાપ્રધાનના હસ્તે સ્મારક ડાક ટિકિટ અને ૭૫ રૂપિયાના સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૭૫ વર્ષ પહેલા આજના દિવસે થયેલી સોમનાથની પુન:સ્થાપના એ સાધારણ અવસર ન હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો પણ ૧૯૫૧માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈપણ રાષ્ટ્ર લાંબા સમય સુધી ત્યારે જ મજબૂત રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જાેડાયેલું રહે. સોમનાથ મંદિરનું પુન:નિર્માણ થયું અને દેશે સદીઓના કલંકને ધોઈ નાખ્યો તેમ જણાવી આ ૭૫ વર્ષની યાત્રાને નવી ઊંચાઈ સોમનાથ દાદાના આશીર્વાદથી આપવી છે તેવો સંકલ્પ પણ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે ૫૦૦થી વધુ રજવાડાઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુન: નિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે, ભારત માત્ર આઝાદ જ નથી થયું પણ પ્રાચીન ગૌરવને પુન: હાંસલ કરવાના માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે ૭૫ વર્ષની ઉજવણીના આ અવસરે જાેવા મળે છે કે, વિનાશમાં સર્જનનો સંકલ્પ સોમનાથ મંદિરે ચરિતાર્થ કર્યો છે. અસત પર સતનો વિજય પ્રભાસ ક્ષેત્રે વારંવાર કર્યો છે. મંદિર પુન: નિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રના કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. સોમનાથનો અર્થ આપતા તેમણે કહ્યું હતું કે, જેના નામમાં જ સોમ એટલે કે અમૃત છે, તેને કોણ નષ્ટ કરી શકે. આ ભારતનું એવું અવિનાશી સ્વરૂપ છે, જેને સદીઓના કુત્સિત પ્રયાસો હરાવી, મિટાવી શક્યા નથી. સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, સોમનાથ અમૃત મહોત્સવ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ બની રહેશે.ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન : મોદી વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન છે. તેઓએ ભીમદેવ પ્રથમ, રાજા ભોજ, કુમારપાળ, રા ખેંગાર સહિતનાઓનો ઉલ્લેખ કરી સોમનાથ મંદિરના પુન:નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને તેમની સાથે કનૈયાલાલ મુનશી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, જામ સાહેબને પણ આ અવસરે યાદ કરી તેમના યોગદાનને પ્રેરણાદાયી ગણાવ્યું હતું. સોમનાથ માટે શહાદત વહોરનાર વીર હમીરસિંહ ગોહિલ અને વેગડા ભીલને યાદ કરી સોમનાથ મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર અહલ્યાબાઈ હોલકર, વડોદરાના ગાયકવાડ સહિતની વિભૂતિઓએ સોમનાથ દાદાની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું તેમ જણાવ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમની સાથે સાથે.. વડાપ્રધાનુ સ્ટેજ પર આગમન થતાજ ઉપસ્થિત જનમેદનીએ જય સોમનાથ મંદિર અંકિત ધ્વજા પતાકા લહેરાવી અભિવાદન કર્યું હતું. વડાપ્રધાનનું સોમનાથની પ્રતિકૃતિ રૂપે મંદિરની છબી, સિંહનું પોટ્રેટ તેમજ કળશની ભેટ આપવામાં આવી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાન ને ડમરુ અર્પણ કર્યુ પ્રધાનમંત્રીએ પોસ્ટ વિભાગ દ્વારા ૭૫ વર્ષ પ્રાણ પ્રતિષ્ઠા સ્વાભિમાન પર્વ અવસર નિમિત્તે બહાર પાડેલી ટિકિટનું વિમોચન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૫ રૂપિયાનો સોમનાથ મંદિરની પ્રતિકૃતિ ધરાવતો સિક્કાનું પણ અનાવરણ કર્યું વડાપ્રધાનનો ઉદબોધનના પ્રારંભે ‘જય સોમનાથ જય સોમનાથ’ અને હર હર મહાદેવનો જય ઘોષ બોલાવ્યો હતો. વડાપ્રધાનએ આજના જ દિવસે ૧૧ મે ૧૯૯૮ ના રોજ પોખરણ ખાતે કરવામાં આવેલ અણુ પરિક્ષણને ખાસ યાદ કર્યુ સભામાં કેસરિયા સાફાએ રંગ જમાવ્યો. ૭૦૦ થી વધુ મહિલાઓ, પુરુષોએ માથા પર સેફરોન કલરનો સાફો અને ગળામાં કેસરી ખેસ રાખી સભામાં ઉપસ્થિતિ સૂર્યકિરણની આકાશી સલામી અને પુષ્પવર્ષાથી સોમનાથનું નભ ગુંજી ઉઠ્યું ભારતીય સંસ્કૃતિના તેજ અને અસ્મિતાના પ્રતીક સમાન ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’ ઉજવાઈ રહ્યો છે. સોમનાથ મંદિરના પુન: નિર્માણની વિરાસતના ૭૫ વર્ષની આ ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી આજે પ્રભાસ પાટણની પવિત્ર ધરા પર પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન વેળાએ વીર હમીરજી સર્કલ પાસે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે ભારતની વિવિધ સંસ્કૃતિઓની ઝાંખી પ્રસ્તુત કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પથ પર વડાપ્રધાને સોમનાથની થીમ પર બનેલા આકર્ષક રેત શિલ્પને નિહાળ્યું હતું. ૭૫ ઢોલીઓ સાથે નાસિકના ઢોલ અને તૂતીના નાદ વચ્ચે પરંપરાગત પરિધાનમાં સજ્જ ૧૦૦ જેટલી બાળાઓ અને કન્યાઓએ માથે અમૃત કળશ ધારણ કરી વડાપ્રધાનને હરખભેર આવકાર્યા હતા. મંદિર પરિસરમાં પ્રવેશતા પૂર્વે પીએમ મોદીએ અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના પુન:નિર્માણના સ્વપ્નદ્રષ્ટા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દિગ્વિજય દ્વાર પાસે ઋષિકુમારોના શંખ અને ડમરુના નાદ વચ્ચે ખાસ ‘બેલ વોક’ પરથી પસાર થઈ વડાપ્રધાન નિજ મંદિરમાં પ્રવેશ્યા હતા, જ્યાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરી દેશની પ્રગતિ અને જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 1584   |  
મનપા સત્તાધીશો કોન્ટ્રાક્ટર સી.ડી.ટ્રાન્સ્પોર્ટ ઉપર મહેરબાન: કાંકરિયા ગામથી પુરેપુરો કચરો નહીં લાવવા છતાં કરોડો રૂપિયાની ચૂકવણી કરી દીધી

સુરત શહેરમાંથી જનરેટ થતાં કચરાનું સો ટકા વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરીને નિકાલ કરવાની શરતે ઇજારો મેળવનાર સી.ડી.ટ્રાન્સ્પોર્ટનાં સંચાલક નુરૂદ્દિનનાં કૌભાંડને કારણે સ્વચ્છતામાં દેશભરમાં નંબર-૧ મેળવ્યા પછી પણ સુરત શહેરની આબરૂ કલંકિત થઇ હતી. લોકસત્તા-જનસત્તાએ પ્રસિદ્ધ કરેલાં અહેવાલો બાદ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની તાત્કાલિક અસરથી થયેલી બદલી પાછળનાં કારણો પૈકીનું એક કારણ પણ ખજાેદનું કચરા કૌભાંડ માનવામાં આવે છે. કોન્ટ્રાક્ટર સી.ડી.ટ્રાન્સ્પોર્ટનાં સંચાલક દ્વારા ખજાેદનો પ્રોસેસિંગ કર્યા વિનાનો સેંકડો ટન કચરો મહુવા તાલુકાનાં કાંકરિયા ગામમાં ઠાલવીને નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પકડાઇ જતાં મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ કાંકરિયા ગામમાં ઠાલવેલો તમામ કચરો પાછો ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે લાવવાનો આદેશ તો આપ્યો પરંતુ નુરૂદ્દિને થોડો કચરો પરત લાવ્યા બાદ બાકીનો કચરો કાંકરિયા ગામમાં જ રહેવા દીધો હતો જેમાં ગઇકાલે રાત્રે આગ લાગી હતી. ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે બે વખત આગ લાગ્યા બાદ હવે કાંકરિયા ગામનાં કચરામાં આગ લાગી તે બાબત સંયોગ નથી પરંતુ ઇરાદાપૂર્વકનો પ્રયોગ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કાંકરિયા ગામમાં ઠાલવેલો કચરો પ્રોસેસિંગ કર્યા વિનાનો હોવાથી તેને પર્યાવરણ અને માણસો, પશુઓ માટે જાેખમી ગણીને પાછો ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે લાવવાનો આદેશ હોવા છતાં સેંકડો ટન કચરો પાછો નહીં લાવનાર કોન્ટ્રાક્ટર નુરૂદ્દિનને કરોડો રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે. સમગ્ર મામલો મુખ્યમંત્રીનાં દરબાર સુધી પહોંચ્યો હોવા છતાં કરોડો રૂપિયાની ચૂકવણી કરી દેવાતાં સુરત મહાનગર પાલિકાનાં સત્તાધીશોની નીતિ અંગે ભારે આશ્ચર્ય સર્જાયું છે.કોન્ટ્રાક્ટર સી.ડી.ટ્રાન્સ્પોર્ટનાં સંચાલક નુરૂદ્દિને સુરત જિલ્લાનાં મહુવા તાલુકાનાં કાંકરિયા ગામમાં મહંમદ રસિદ સીદાતની જમીન ઉપર સેંકડો ટન કચરો ઠાલવતાં સરપંચે ફરિયાદ કરતાં મહુવા પોલીસે ગુનો પણ નોંધ્યો હતો. મહુવા મામલતદારે જીપીસીબીનાં અધિકારીઓને પણ નિયમાનુસાર કાર્યવાહી કરવા લેખિત જાણ કરી હતી. પોલીસે જમીન માલિક મહંમદ સિદાત સહિત બે વ્યક્તિની ધરપકડ કરી હતી પરંતુ કૌભાંડનાં મુખ્ય સુત્રધાર મનાતા નુરૂદ્દિન અને તેનાં પુત્ર સમશુદ્દિન સામે આજ દિન સુધી કોઇ જ કાર્યવાહી મહુવા પોલીસે કરી નથી. એફ.આઇ.આર.માં નામ નહીં હોવાથી ધરપકડ કરાઇ નહીં હોવાનું ગાણું મહુવા પોલીસ ગાઇ રહી છે જ્યારે બીજીતરફ સુરત મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ કાંકરિયા ગામે કચરો ઠાલવવા બદલ નુરૂદ્દિનને લાખો રૂપિયાનો દંડ ફટકારીને તેની ભૂમિકા સ્પષ્ટ કરી હતી પરંતુ મહુવા પોલીસને નુરૂદ્દિન કે લાખા ઉર્ફે લક્ષ્મણ ભરવાડની સંડોવણી હોવાનું લાગતું નથી. કોન્ટ્રાક્ટર નુરૂદ્દિને કાંકરિયા ગામેથી સેંકડો ટન કચરો નહીં ઉઠાવતાં પાંચ મહિનાથી કચરો ત્યાંજ પડી રહ્યો હતો અને ગઇકાલે રવિવારે રાત્રે અચાનક કચરામાં આગ લાગી હતી.ફાયર બ્રિગેડનાં લાશ્કરોએ આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતાં પરંતુ આજે પણ આગ કાબુમાં આવી ન હતી. કાંકરિયા ગામનાં કચરામાં આગ લાગ્યાનાં બનાવ પછી આજે સોમવારે બપોરે બે વાગ્યાની આસપાસ ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે ફરી આગ લાગતાં આશ્ચર્ય સર્જાયું હતું.કાંકરિયા ગામ અને ખજાેદ ડિસ્પોઝલ સાઇટ એમ બંને સ્થળે કચરામાં આગ લાગે તે સંયોગ નહીં પરંતુ ઇરાદાપૂર્વકનો પ્રયોગ હોવાનું માનવામાં આવી રહ્યું છે જેથી તપાસ જરૂરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 1584   |  
વડાપ્રધાન મોદીની સોનું નહીં ખરીદવાની અપીલ પછી સુરતનાં ઝવેરાત ઉદ્યોગમાં ફફડાટ, બજારોમાં સન્નાટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હૈદરાબાદમાં એક જાહેર સભા દરમિયાન દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા માટે કરેલી ભાવુક અપીલની સીધી અસર દેશના આર્થિક પાટનગર ગણાતા સુરતનાં ઝવેરાત બજાર પર જાેવા મળી રહી છે. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ અને વિદેશી હૂંડિયાણની બચત કરવાના આશયથી કરવામાં આવેલી આ અપીલને કારણે ઝવેરાત કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો છે, જ્યારે સુરતના સ્થાનિક બજારોમાં વેપારીઓ અને ગ્રાહકો બંને મૂંઝવણમાં મુકાયા છે.સુરતના હીરા ઝવેરાત ઉદ્યોગમાં પીએમની અપીલ અગાઉથી જ કિંમતી ધાતુઓના ઊંચા ભાવને કારણે ૬૦% જેટલી મંદીનો સામનો કરી રહેલો સુરતનો ઝવેરાત ઉદ્યોગ હવે વધુ મુશ્કેલીમાં મુકાય તેવી દહેશત વર્તાય રહી છે. ઝવેરાત સંગઠનોના આગેવાનોએ તાત્કાલિક કોઇ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે પરંતુ, સ્થાનિક આગેવાનોએ મુંબઇના ઝવેરી બજારના આગેવાનો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પીએમની અપીલને કારણે ઉધોગ પર થનારી સંભવિત અસરોની રજૂઆતો કરવા માટે મુંબઇથી મોટા ઝવેરાત ઉદ્યોગકારોનું એક ડેલિગેશન ટૂંકસમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવા જઇ રહ્યું છે એવી વિગતો જાણવા મળી છે. સુરતમાં હીરા ઝવેરાત ઉદ્યોગના સંગઠનોના આગેવાનો વધુમાં ખુલીને કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.સુરત જેવા શહેરોમાં લગ્નસરા દરમિયાન કરોડો રૂપિયાનું સોનું વેચાય છે. આ અપીલને કારણે લોકો સોનાને બદલે હવે ડાયમંડ અથવા આર્ટિફિશિયલ જ્વેલરી તરફ વળી શકે છે અથવા તો જૂનું સોનું ઓગાળીને નવા દાગીના બનાવવાનો ટ્રેન્ડ વધશે, જેનાથી નવા સોનાની માગ ઘટશે તેવી ચર્ચાઓ આગેવાનો કરી રહ્યા છે. સુરતનાં ચોટાબજાર અને ભાગળ જેવા વિસ્તારોમાં ઝવેરીઓનાં શોરૂમમાં આજે સવારથી જ ગ્રાહકોની પાંખી હાજરી જાેવા મળી હતી. પીએમની અપીલ બાદ ગ્રાહકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે સોનાની ખરીદી અત્યારે જાેખમી હોઈ શકે છે અથવા તો ભવિષ્યમાં સરકાર કોઈ કડક નિયમો લાવી શકે છે લગ્નસરાની મોસમ હોવા છતાં પીએમ મોદીએ કરેલી અપીલને કારણે લોકો ખરીદી ટાળે તેવી શક્યતાઓ જાેવા મળી રહી છે.સામાન્ય રીતે નાનામાં નાના ટેક્સ મુદ્દે પણ અવાજ ઉઠાવતા ઝવેરી સંગઠનો આ મામલે મૌન સેવી રહ્યાં છે. બેરોજગારી અને સ્થળાંતરની સમસ્યા સંભવી શકે ઝવેરીબજારનાં સૂત્રો જણાવે છે કે સુરતમાં હજારો બંગાળી અને સ્થાનિક કારીગરો સોનાનાં દાગીના બનાવવાનું કામ કરે છે. જાે ગ્રાહકો એક વર્ષ સુધી ખરીદી બંધ કરે, તો આ કારીગરો પાસે કામ નહીં રહે. સ્જીસ્ઈસેક્ટરનાં નાના વર્કશોપ બંધ થવાની નોબત આવી શકે છે. એવી જ રીતે કામનાં અભાવે કુશળ કારીગરો અન્ય વ્યવસાયો તરફ વળે અથવા વતનમાં પરત ફરે તેવી શક્યતા છે, જે ભવિષ્યમાં ઉદ્યોગ માટે ‘સ્કિલ્ડ લેબર‘ની અછત સર્જી શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 1782   |  
તરૂણની સરાજાહેર ઘાતકી હત્યા કરીને ભાગનાર ટપોરીએ પોલીસને ચપ્પુ મારતાં લિંબાયત પોલીસે પગમાં ગોળી મારી

શહેરનાં લિંબાયત વિસ્તારમાં રવિવારે રાત્રે સરાજાહેર હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. મોબાઇલ રીપેરિંગનું કામ શીખતાં તરૂણને આ વિસ્તારનાં ટપોરીએ છાતીનાં ભાગે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરી ભાગેલા આ ટપોરીને પકડવા ગયેલા લિંબાયત પોલીસ ઉપર પણ તેણે હુમલો કર્યો હતો. એક કોન્સ્ટેબલને ચાકુનો ઘા મરાતાં ઇન્સ્પેક્ટર ચૌહાણે ફાયરિંગ કર્યું હતું. પગનાં ભાગે ગોળી વાગતાં એ બદમાશને ગંભીર ઇજા પહોંચી હતી.લિંબાયત પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા આસ્તિકનગરમાં સુનિતા જગદીશ પવાર તેના બે દિકરાઓ ૧૯ વર્ષીય આદિત્ય અને ૧૭ વર્ષ ૧૧ મહિના ઉંમરનો અનુરાગ ઉર્ફે રાજ સાથે રહે છે. અનુરાગ મહારાણા ચોક પાસે આવેલા તનિષ્ક મોબાઇલ નામની દુકાનમાં મોબાઇલ રિપેરીંગનું કામ શીખતો હતો. રવિવારે રાત્રે અનુરાગ અને તેની સાથે કામ કરતો ગોપાલ રાઠી બાઈક ઉપર દુકાનનું પેમેન્ટ લેવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન લિંબાયતનાં જુના કંઠી મહારાજ મંદિરથી રામમંદિર ચાર રસ્તા તરફ રાજ જનરલ સ્ટોર નામની દુકાન સામે ડિવાઇડર નજીક મોટર સાયકલ સાથે ઉભા રહ્યા હતાં. અહીં રાહુલ જાેગી રોંગ સાઇડથી આવ્યો હતો. તેણે ટક્કર લાગવા જેવી સામાન્ય બાબતે તેને ગાળો આપવા લાગ્યો હતો. રાજે તેને ગાળો આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને પોતાની કમરના ભાગે રાખેલો ચપ્પુ કાઢીને અનુરાગ ઉર્ફે રાજની છાતી ઉપર બે ઘા ઝીંક્યા હતાં. રાજે સ્વબચાવ માટે પ્રયાસ કર્યો તો આંગળી ઉપર પણ ઈજા પહોંચી હતી. ઊંડા ઘાને પગલે અનુરાગ પવાર લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા જ રાજનાં મામા ગણેશ પરદેશી સહિત પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોહીનાં ખાબોચિયામાં પડેલા અનુરાગને સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલ અને પછી સ્મીમેર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો. બીજી તરફ હત્યાની ખબર મળતાં લિંબાયત પોલીસ મથકનાં ઇન્સ્પેક્ટર ડી. ડી. ચૌહાણ સ્ટાફ સાથે ત્યાં ધસી ગયા હતાં. હુમલાખોરની સ્થાનિક ટપોરી રાહુલ જાેગી હોવાનું જાણવા મળતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. દરમિયાન રાહુલ જાેગીને મીઠીખાડીમાં પાણીની ટાકી પાસે હોવાની બાતમી મળતા પોલીસની ટીમ ત્યાં પહોંચી અને તેને ઘેરી લીધો હતો. રાહુલે ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસ કર્મચારી ઉપર ચાકુથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મુકેશ રવિન્દ્ર બુગાલને ઈજાઓ પહોંચી હતી. રાહુલ જીવલેણ હુમલો કરી શકે એમ હોય ઇન્સ્પેક્ટર ચૌહાણે તેને સરેન્ડર થવાની ચેતવણી આપવા સાથે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાે કે, રાહુલ તાબે ન થતાં તેની તરફ પણ ગોળીબાર કરાયો હતો. આ ગોળી તેના જમણાં પગે પીંડીનાં ભાગે વાગી હતી. ઇજાગ્રસ્ત પોલીસકર્મી અને હત્યારા રાહુલ જાેગીને સારવાર માટે ખસેડાયા હતાં.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, મે 2026 1584   |  
સુરત પોલીસ: ક્યાં તો ડફોળ છે, ક્યાં તો લોકોને મૂર્ખ સમજે છે, ક્યાં તો ન્યાયતંત્રથી પર છે

કોઇ પણ ગુનામાં પકડાયેલાં આરોપીઓની સર્વિસ કર્યા બાદ લંગડાતી ચાલે વરઘોડા કાઢવાનો પોલીસનો ટ્રેન્ડ રીલ દ્વારા સમગ્ર રાજ્યમાં ઘૂમી વળે છે અને તેમાં પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પોલીસની ‘સર્વિસ’નાં વખાણ કરે એટલે પોલીસ પણ છાતી ફુલાવીને પોતાની ‘સર્વિસ’ને વધારે ઇફેક્ટિવ બનાવવાનાં પ્રયાસો કરી રહી હોય તેવું જણાય છે. નાયબ મુખ્યમંત્રીએ કરેલી પ્રશંસા પછી સુરત પોલીસે એક ડગલું આગળ વધીને હવે ગોળી મારવાનો નવો ટ્રેન્ડ સેટ કર્યો હોય તેવું જણાઇ રહ્યું છે. માત્ર ચાર દિવસનાં ગાળામાં બે આરોપીઓને પગમાં ગોળી મારવામાં આવી છે તે જાેતાં એવું લાગી રહ્યું છે કે, સુરત પોલીસ આરોપીઓમાં પોતાનો ધાક જમાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ વર્ષોથી ચાલી આવતી એકની એક થિયરીને કારણે આ ફિલ્મી પ્લોટ હોવાનું દેખાઇ આવે છે. આરોપીએ પોલીસ ઉપર હુમલો કર્યો એટલે પોલીસને વળતો ગોળીબાર કરવાની ફરજ પડી જેમાં આરોપી ઘવાયો અથવા તો આરોપીનું મોત નીપજ્યું તેવી થિયરી પોલીસ તંત્રનાં ચોપડે નોંધાતી આવી છે.સુરત પોલીસે પણ ચાર દિવસમાં બે આરોપીને પગમાં ગોળી મારી. સ્ટેટબેંકમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવનાર ગેંગનાં સાગરિત શુભમની ધરપકડ બાદ પિસ્તલ કન્યાસી ગામની સીમમાં ફેંકી દીધી હોવાની કબુલાતને પગલે ક્રાઇમબ્રાન્ચની ટીમ શુભમને લઇ કન્યાસી ગામે પહોંચી. ક્રાઇમબ્રાન્ચ જેવી પ્રાઇમબ્રાન્ચમાં ચુનંદા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવે છે ત્યારે આ ચુનંદા અધિકારી આરોપીએ છુપાવેલું હથિયાર જાતે કાઢે કે આરોપીને હથિયાર કાઢીને આપવાનું કહીને હુમલો કરવાની તક આપે તે બાબત જ સમજમાં આવે તેમ નથી. કન્યાસી ગામે શુભમ હથિયાર કાઢવા ગયો અને તેણે પિસ્તલમાંથી ફાયરિંગ કર્યું જેનાં જવાબમાં એસીપી કિરણ મોદીએ શુભમનાં પગમાં ગોળી મારી હોવાની થિયરી દર્શાવવામાં આવી. બીજા કિસ્સામાં લિંબાયતમાં સરાજાહેર હત્યા કરનાર રાહુલ જાેગી નામનાં હત્યારાએ પોલીસ ઉપર ચપ્પુથી હુમલો કરતાં ઇન્સ્પેક્ટર ડી.ડી.ચૌહાણે ફાયરિંગ કરી રાહુલનાં પગમાં ગોળી મારી દીધી. પોલીસ અધિકારીઓનું નિશાન પણ એટલું સચોટ હોય છે કે, આરોપીનાં પગમાં જ ગોળી વાગે. વર્ષો પહેલાં આસિફ અમદાવાદી અને તેનાં સાગરિતનું પણ આ થિયરી અનુસાર જ એન્કાઉન્ટરમાં મોત નીપજાવવામાં આવ્યું હતું. અત્યારસુધી ‘સર્વિસ’ કરીને વરઘોડા કાઢી આરોપીને જાહેરમાં ફટકારતી સુરત પોલીસે એન્કાઉન્ટરનાં નામે આરોપીઓને ગોળી મારવાનો ખતરનાક ટ્રેન્ડ સેટ કર્યો છે જેની મોડસ ઓપરેન્ડી અને જુનીપુરાણી ઘીસીપીટી થિયરી જાેતાં સુરત પોલીસ ક્યા તો ડફોળ છે, ક્યા તો સુરતનાં લોકોને મૂર્ખ સમજે છે, ક્યા તો તે ન્યાયતંત્રથી પર હોવાનું સમજે છે. આરોપી ગમે તેટલો રીઢો હોય પરંતુ દરેક કિસ્સામાં ગોળી મારવાની પદ્ધતિ યોગ્ય તો નથી જ.  હત્યા, લૂંટ જેવા ગંભીર પ્રકારનાં ગુનામાં પોલીસે પુરતાં પુરાવા એકત્ર કરી સચોટ તપાસ કરવા ઉપરાંત નિયત સમય મર્યાદામાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવાની ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે જેથી આરોપીને મહત્તમ સજા મળે. ઘણા કિસ્સામાં એવું પણ જાેવાયું છે કે, પોલીસ નિયત સમયમર્યાદામાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ નહીં કરી શકતાં આરોપીને ડીફોલ્ટ બેઇલનો લાભ મળી જતો હોય છે આવા કિસ્સામાં કેટલીકવાર પોલીસની ઇરાદાપૂર્વકની વિલંબનીતિ પણ કારણભૂત હોય છે. ભૂતકાળમાં બળાત્કારનાં ગુનામાં ગણતરીનાં દિવસોમાં નરાધમોને ફાંસીની સજા મળી છે એટલે જાે પુરતાં પુરાવા સાથે ગુનાની તપાસ સચોટ કરવામાં આવે તો ગુનેગારને સજા અપાવી જ શકાય જેથી પોલીસ સત્તાધીશોએ કાયદાકીય પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ન્યાયતંત્ર ઉપર ભરોસો કેળવવો જાેઇએ. ગંભીર પ્રકારનાં ગુના આચરનાર નરાધમોને સજા મળવી જ જાેઇએ તેમાં કોઇ શંકાને સ્થાન નથી પરંતુ ગોળી મારવી એવો કોઇ ટ્રેન્ડ સેટ થવો ના જાેઇએ કારણ કે, ડોશી(આરોપી) મરી જાય તેનો ભય નથી પરંતુ જમ(પોલીસ) ઘર ભાળી જાય તેનો ડર લાગી રહ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
09, મે 2026 2574   |  
સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ અને આરએમઓની લાલિયાવાડીથી આરોગ્યમંત્રી લાલઘૂમ

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલનાં અધિકારીઓમાં લાલિયાવાડી અને બેદરકારી કેટલી હદે ઘર કરી ગઇ છે તેનો જાતઅનુભવ રાજ્યનાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આજે કર્યો હતો. હોસ્પિટલમાં સફાઇની અત્યંત બદતર હાલત ઉપરાંત ઠેર ઠેર તૂટેલી ટાઇલ્સ અને એ.સી. તથા મશિનો બંધ હાલતમાં જાેવા મળતાં આરોગ્ય રાજ્યમંત્રીએ સુપરિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમાર અને આર.એમ.ઓ. ડો.કેતન નાયકને કડક શબ્દોમાં સુચના આપી તમામ સુવિધાઓ ૨૪ કલાકમાં રેક્ટિફાઇ કરી રીપોર્ટ મોકલવા આદેશ આપ્યો હતો. હોસ્પિટલમાં વહિવટ સંભાળતાં પી.આઇ.યુ.નાં અધિકારીઓની નિષ્કાળજી પણ ઉજાગર થતાં તે સંબંધમાં પણ મંત્રીએ કડક શબ્દોમાં સુચના આપી હતી. જ્યાં દરદીઓ પોતાનું આરોગ્ય સુધારવા માટે આવતાં હોય ત્યાં સાફસફાઇ યોગ્ય ના હોય તે કોઇ કાળે સાંખી નહીં લેવાય તેવું મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુપરિન્ટેન્ડન્ટ અને આર.એમ.ઓ.ને સંભળાવી દીધું હતું. મંત્રીની નારાજગીથી નવી સિવિલ હોસ્પિટલમાં પોતાની રીતે જ વહિવટ કરવા ટેવાયેલાં બેજવાબદાર અધિકારીઓમાં ફફડાટ જરૂર ફેલાઇ ગયો હતો.આરોગ્ય રાજ્યમંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું, ગંદકી, બેદરકારી અને અવ્યવસ્થા બિલકુલ નહીં ચાલે, કાગળ પર નહીં, સ્થળ પર જઈ કામગીરી કરો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં ગંદકી, જાળા અથવા દર્દીઓને પડતી મુશ્કેલીઓ સહન કરવામાં આવશે નહીં. હોસ્પિટલનાં તમામ વોર્ડ, બાથરૂમ, લોબી અને સામાન્ય વિસ્તારમાં સતત સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. જાે ક્યાંય ગંદકી જાેવા મળશે તો તેની સીધી જવાબદારી સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની રહેશે. હોસ્પિટલનાં મેડિકલ સાધનો અને મશીનરી કાર્યરત રાખવાની જવાબદારી ઁૈંેં અને ઇલેક્ટ્રિક વિભાગની હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે, મેઇન્ટેનન્સનાં અભાવે કોઈ સુવિધા બંધ થશે તો જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કિડની બિલ્ડિંગમાં તૂટેલી ટાઇલ્સ, જાળા, અન્ય અસુવિધાઓ તેમજ પોસ્ટમોર્ટમ રૂમમાં બંધ પડેલા એસી અંગે ૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ તમામ ટેકનિકલ સાધનો અને ઇલેક્ટ્રિક સીસ્ટમનું સમયાંતરે ચેકિંગ કરી રિપોર્ટ તૈયાર રાખવા પણ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના તમામ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓને સમયસર હાજર રહેવાની કડક સૂચના આપી હતી. દર્દીઓ અને સંબંધીઓ સાથે સંવેદનશીલ વર્તન રાખવા સુચના સિક્યુરિટી વ્યવસ્થા અંગે પણ તેમણે ગંભીરતા દર્શાવી હતી. ઉંમરલાયક વ્યક્તિઓને સીક્યુરિટી ડ્યુટી પર ન રાખવા અને સીક્યુરિટી સ્ટાફ સજ્જ તથા કાર્યક્ષમ રહે તેની સૂચના આપી હતી. દર્દીઓ અને તેમના સગાઓ સાથે સંવેદનશીલ વર્તન રાખવા પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું હતું કે દર્દીઓને માત્ર સારવાર જ નહીં, પરંતુ સુરક્ષા, સંતોષ અને સહાનુભૂતિ પણ મળવી જાેઈએ. તેમણે ડોક્ટરોને દર્દીઓમાં સકારાત્મકતા અને હિંમત જાળવવાની પ્રેરણા આપવા પણ અપીલ કરી હતી. દર્દીઓને એક બિલ્ડિંગમાંથી બીજા બિલ્ડિંગ સુધી લઈ જવામાં મુશ્કેલી ન પડે તે માટે વધુ ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. બંધ પડેલાં મશિનો તત્કાળ કાર્યરત કરવા આદેશ બંધ હાલતમાં પડેલા મશીનો અને સાધનો તાત્કાલિક કાર્યરત કરવા તેમજ એન્જિયોગ્રાફી મશીન વહેલી તકે શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ અને કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલ તરીકે ઉભરી આવવી જાેઈએ. ટ્રોમા સેન્ટર, ટીબી વિભાગ, ઓર્થોપેડિક, બાળકોની ઓપીડી સહિત તમામ વિભાગોમાં સ્વચ્છતા, સુઘડતા અને દર્દી કેન્દ્રીત સેવાઓ જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરાશે. મંત્રી તરીકે મારે રાઉન્ડ લેવો પડે તે શરમજનક: પાનશેરીયા  પ્રફુલ પાનશેરિયાએ સુપરિન્ટેન્ડેન્ટ ધારિત્રી પરમારને કડક શબ્દોમાં તાકીદ કરી હતી કે, મંત્રી તરીકે મારે રાઉન્ડ લેવો પડે તે શરમજનક છે. તમારી જવાબદારી શું છે? તમે પોતે નિયમિત રાઉન્ડ કેમ નથી લેતા? દર્દીઓને ઉત્તમ અને સુવિધાસભર સારવાર ઉપલબ્ધ કરાવવી તંત્રની પ્રથમ જવાબદારી છે. ‘તમને અહીં પ્રજાની સેવા માટે મૂકવામાં આવ્યા છે. જાે આ વ્યવસ્થામાં ફેરફાર નહીં આવે અને દર્દીઓના હિતમાં કામ નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવાની મને ફરજ પડશે. મને પરિણામ જાેઈએ, બહાના નહીં.’


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution