ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1683   |  
એસીબીએ સીપીડબ્લ્યુડીના મદદનીશ ઇજનેરને ૪.૫૨ લાખની લાંચ લેતા ઝડપ્યો

જામનગરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી સરકારી તંત્રમાં ચાલી રહેલી લાંચપ્રથા સામે કડક કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીના (વર્ગ-૨)ને ૪.૫૨ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સીપીડબ્લ્યુડી કચેરીમાં ટ્રેપ એસીબીએ ગોઠવી આરોપીને પૈસા લેતા રંગેહાથ ઝડપી પાડ્યો. મળતી માહિતી મુજબ, આ કેસમાં ફરિયાદીના મિત્રને જામનગર જિલ્લાના લાખાબાવડ ગામ નજીક હાઈવે પર આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તથા ડબ્લ્યુએચઓના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ બનેલા રિસર્ચ સેન્ટરમાં ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના મોજપ ગામે આવેલા બીએસએફ મરીન તાલીમ કેન્દ્રમાં પણ ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ સોંપાયું હતું. આ બંને કામગીરીના બિલ મંજૂર કરવા માટે આરોપી મદદનીશ ઇજનેર વિજયકુમાર મીનાએ ફરિયાદીના મિત્ર પાસે રૂબરૂમાં ૪.૫૨ લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીના મિત્રએ લાંચ આપવાનો ઇનકાર કરતા સમગ્ર મામલો એસીબી સુધી પહોંચ્યો હતો. બાદમાં એસીબીએ ટ્રેપ ગોઠવી આરોપીની ચેમ્બરમાં જ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને લાંચની રકમ સ્વીકારી હતી. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદીના મિત્ર સાથે મોબાઇલ ફોન પર પણ લાંચની રકમ મળ્યાની કબૂલાત કરી હતી. એસીબીની ટીમે સ્થળ પર જ આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ૪.૫૨ લાખની લાંચની રકમ જપ્ત કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
02, એપ્રીલ 2026 2574   |  
દ્વારકામાં કડાકા-ભડાકા સાથે ચોમાસા જેવો વરસાદ, રસ્તાઓ પર પાણી-પાણી

રાજ્યના હવામાનમાં પલટાની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઇ છે. કમોસમી વરસાદથી રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે હજુ પણ કાળા ડિબાંગ વાદળો જાેવા મળી રહ્યા છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઇ છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લાનું વાતાવરણ વાદળછાયું જાેવા મળ્યું હતું. અચાનક આવેલા વાતાવરણમાં આ પલટાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. તો બીજી તરફ શિયાળુ પાક પણ ખેતરમાં ખુલ્લો પડેલો છે, ત્યારે કમોસમી વરસાદને કારણે રવિ પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. ૩ એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આજે અને તે પછીના બે દિવસ એમ કુલ ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહીની સાથે ગાજવીજ અને પવનની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
31, માર્ચ 2026 3366   |  
આ ‘ડિકેડ’ ભારતનો ‘ટૅકેડ’ : પીએમ મોદી મહિનામાં બીજા સેમિકંડકટર પ્લાન્ટનું ઉદઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ જિલ્લાના સાણંદથી કેઇન્સ સેમિકંડક્ટર ઓસાટ ફેસિલિટીનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આ ‘ડિકેડ’ એટલે કે દશકો ભારતનો ‘ટૅકેડ’ છે. તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે તકનીકી ક્ષેત્રે જે નવી પહેલો કરી છે, તે આગામી દાયકાઓમાં વૈશ્વિક સ્તરે દેશના નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારમાં ભારત આજે એક ભરોસાપાત્ર સેમિકંડક્ટર સપ્લાયર તરીકે ઊભરી રહ્યું છે. ત્યારે સાણંદમાં તૈયાર થયેલી આ ચિપ્સ અમેરિકા પહોંચીને સમગ્ર વિશ્વને અજવાળશે. સેમિકંડક્ટર ક્ષેત્રે ભારતનું વર્તમાન વૈશ્વિક માર્કેટ રૂ. ૪.૫ લાખ કરોડ રૂપિયાનું, વર્ષ-૨૦૩૦ સુધીમાં ૯ લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે કેઇન્સ સેમિકોનની અત્યાધુનિક આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસાટ-ઓએસએટી) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરીને દેશના સેમિકન્ડક્ટર મિશનને નવું સામર્થ્ય બક્ષ્યું છે. સાણંદ જીઆઈડીસી ખાતે અંદાજે રૂ.૩૩૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. વડાપ્રધાને પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ સુવિધાનું બારિક નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને કેઇન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કેઇન્સના યુવા એન્જિનિયર્સ સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાનના હસ્તે વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ થતા ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નવા યુગનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે વડાપ્રધાન અને કેઇન્સના વાઈસ ચેરમેન રમેશ કુન્હિકન્નનના હસ્તે કેઇન્સ સેમિકોન દ્વારા તેમના એન્કર કસ્ટમર ‘આલ્ફા ઓમેગા સેમિકન્ડક્ટર’ના સીઈઓ સ્ટીફન ચેંગને પ્રોડક્ટ એનાયત કરાઈ હતી. આ અવસરે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીનો આ સમયગાળો માત્ર આર્થિક હરીફાઈનો સમય નથી, પરંતુ ભવિષ્યના ટૅક લૅન્ડસ્કૅપને આકાર આપવાનો સમય છે. પરિણામે, વર્ષ-૨૦૨૧માં ભારતમાં સેમિકંડક્ટર મિશનનો પ્રારંભ કરાયો હતો. આ માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ વૈશ્વિક કક્ષાએ ભારતના આત્મવિશ્વાસનું એલાન છે. તેમણે કહ્યું કે આજનું આ નવું ભારત માત્ર બદલાવનું સાક્ષી નહીં.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 2871   |  
સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે, જ્યારે અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ભર ઉનાળે આવેલા આ માવઠાના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે કેરી, ઘઉં અને મકાઈ જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ અને તેજ પવનની આગાહી કરી છે, જેના કારણે ગરમીમાંથી લોકોને થોડી રાહત મળશે પણ ખેડૂતો માટે આ આફત બની શકે છે. અમરેલીનાં સાવરકુંડલા પંથકમાં અસહ્ય ગરમી અને બફારા પછી અચાનક વાતાવરણ બદલાયું હતું. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે જાબાળ, બાઢડા, મોટા ઝીંઝુડા, ધજડી, સાકરપરા અને અભરામપરામાં અચાનક જ વરસાદી છાંટા પડ્યા હતા. ઉનાળાની આકરી ગરમી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદથી સામાન્ય લોકોને ગરમીથી થોડી રાહત તો મળી છે, પણ આંબાના પાક (કેરી) ને ભારે નુકસાન જવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, માર્ચ 2026 3762   |  
ભાવનગર ફ્લાઈટ કનેક્ટિવિટીથી હવાઈ માર્ગે દેશ અને દુનિયા સાથે જાેડાશે: કે. રામમોહન

ભાવનગર એરપોર્ટ ખાતેથી આજથી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુએ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને આ પ્રથમ ફ્લાઈટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું વોટર સેલ્યુટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલ પંડ્યા અને ગૌતમ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને વખતોવખત ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા ભાવનગરને એર કનેક્ટિવિટી ફાળવવા માટેની દરખાસ્તો મળતી રહી હતી. જેના અનુસંધાને આજરોજ ભાવનગર થી નવી મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થઈ રહ્યો છે જે બદલ ભાવનગરની જનતાને અભિનંદન. વધુમાં તેમણે કહ્યું કે ભાવનગરથી નવી મુંબઈની કનેક્ટિવિટી એ માત્ર લોકલ કનેક્ટિવિટી નથી પરંતુ આ એર કનેક્ટિવિટીથી ભાવનગર દેશ અને દુનિયા સાથે જાેડાઈ રહ્યું છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1584   |  
કોંગ્રેસે ઉમરેઠ તાલુકા પંચાયત પૂર્વપ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ પર કળશ ઢોળ્યો

ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારના નિધન થતાં ખાલી પડેલ જગ્યાએ આગામી ૨૩મીના યોજાનાર પેટા ચૂંટણી જંગમાં ભાજપે ગોવિંદભાઇ પરમાર ના પુત્ર હર્ષદભાઇ પરમારની પસંદગી કરવામાં આવી હતી.જે બાદ આજે કોન્ગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદ કરી પૂર્વ ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ પર કળશ ઢોળતા જંગ કશ્મકશભર્યો બનશે નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર ઉમરેઠ ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર નું નિધન થતાં ખાલી પડેલ વિધાનસભા બેઠક પર આગામી ૨૩મીના યોજાનાર પેટા ચૂંટણી જંગમાં ભાજપે ગોવિંદભાઇ પરમારના પુત્ર હર્ષદભાઇ પરમારની પસંદગી કરતાં કોન્ગ્રેસ દ્વારા આજે ઉમેદવાર જાહેર કરતાં પૂર્વ ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ પર કળશ ઢોળતા જંગ કશ્મકશભર્યો બનશે નું જાણવા મળેલ છે.જાેકે ભૃગુરાજસિંહ નું નામ નક્કી થયાની જાણ બપોરના વિપક્ષ દ્વારા પોસ્ટ મૂકી જાહેર કરતાં આ મુદ્દે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢીયાર તથા સ્ટેટેજી કમીટીના ચેરમેન ભરતસિંહ સોલંકી ને પૃચ્છા કરતાં અજાણ હોવાનું જણાવતા આશ્ચર્ય સર્જાવા પામ્યાનું જાણવા મળેલ છે.



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1683   |   વડોદરા   |  
બીસીએમાં પૂર્વ સેક્રેટરી દ્વારા બોલાવવામાં આવેલી બેઠક પર કાનૂની સવાલો ઉઠાવ્યા

બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)માં ચાલી રહેલા વહીવટી વિવાદને વધુ વેગ મળ્યો છે. બીસીએના પૂર્વ સેક્રેટરી અજીત લેલે દ્વારા ૩ એપ્રિલે એપેક્સ કાઉન્સિલના કેટલાક સભ્યોની બેઠક બોલાવવાના ર્નિણય સામે આકરો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કલ્યાણ હરિભક્તિ દ્વારા આ મામલે લેખિત રીતે નોંધ લઈ જણાવાયું છે કે આ બેઠક સંપૂર્ણપણે ગેરકાયદેસર અને અધિકારવિહીન છે.પત્રમાં જણાવાયું છે કે અજીત લેલેનો સેક્રેટરી તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે અને તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોની ગણતરી તથા જાહેરાત હજુ બાકી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૧૮ ફેબ્રુઆરી અને ૧૬ માર્ચ ૨૦૨૬ના રોજ આપેલા આદેશ મુજબ હાલ બીસીએના કાર્યો સંભાળવાનો અધિકાર માત્ર કોર્ટ દ્વારા નિમણૂક કરાયેલ કેરટેકર બોડી પાસે જ છે. આ પરિસ્થિતિમાં પૂર્વ સેક્રેટરી દ્વારા એકતરફી રીતે બેઠક બોલાવવી કોર્ટના આદેશોની ખુલ્લી અવગણના ગણાવી છે. વધુમાં આ બેઠકમાં પાછલી તારીખથી મંજૂરી આપવી, કરારો વધારવા, નિમણૂકો કરવા જેવા મહત્વના ર્નિણયો લેવામાં આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરી તેને “માલાફાઈડ ઈન્ટેન્ટ” તરીકે વર્ણવવામાં આવ્યું છે. પત્રમાં આ પણ ઉલ્લેખ કરાયો છે કે તાજેતરની ચૂંટણીમાં ભાગ લેનાર કેટલાક ઉમેદવારોએ પણ હાઈકોર્ટના આદેશોના કડક પાલનની માંગણી કરી છે. ઉપરાંત, આ સમગ્ર મામલો હાલ લેટર્સ પેટન્ટ અપીલ હેઠળ છે અને ૭ એપ્રિલે તેની સુનાવણી થવાની છે, જેને કારણે મુદ્દો સબ જ્યુડિસ છે. અંતમાં કલ્યાણ હરિભક્તિએ પૂર્વ સચિવને તાત્કાલિક આ બેઠક ન બોલાવવા તથા કોઈપણ પ્રકારના ગેરકાયદેસર પગલાંથી દૂર રહેવા ચેતવણી આપી છે. જાે તેમ છતાં બેઠક યોજાશે તો તેમાં લેવાયેલા તમામ ર્નિણયો અમાન્ય ગણાશે અને કાનૂની પડકારનો સામનો કરવો પડશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. બીસીએમાં ચાલી રહેલા આ વિવાદથી સંસ્થા ના વહીવટ અને ભવિષ્ય અંગે ફરી એકવાર અનિશ્ચિતતા સર્જાઈ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 2277   |   વડોદરા   |  
સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર બેની જામીનઅરજી નામંજૂર

શહેર નજીક ગ્રામ્ય વિસ્તારમાં દાદી સાથે રહેતી દલિત વર્ગની ૧૬ વર્ષીય સગીરા જેના માતા-પિતા હયાત નથી તેનો ગામમાં રહેતી બહેનપણીના ઘરે અવારનવાર આવતા રોહિત રાઠોડિયા સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ રોહિતે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને લગ્ન કરવાની લાલચ આપીને પોતાના ઘરે લઈ જઈ તેમજ સગીરાના ઘરે જઈને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.દરમિયાન રોહિતના અન્ય પાંચ મિત્રોને સગીરાના રોહિત સાથેના સંબંધોની જાણ થતાં તેઓએ પણ સગીરાને આ સંબંધો જાહેર કરવાની ધમકી આપીને સગીરાને બ્લેકમેલ કરી સગીરા પર સમયાંતરે બળાત્કાર ગુજાર્યો હતો. છ યુવકો દ્વારા કરાયેલા બળાત્કારના કારણે સગીરા ગર્ભવતી બની હતી જેની હાલમાં સારવાર ચાલું છે. આ બનાવની વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે રોહિત રાઠોડિયા, પ્રેમ પરમાર, શૈલેષ ઉર્ફ અજય વસાવા, મનોજ વસાવા, સંજય રાઠોડ અને રિક્ષાચાલક સોહીલ ઘાંચી વિરુધ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકીના રોહિત લક્ષ્મણ રાઠોડિયા અને સંજય જયંતિ રાઠોડે અત્રેના સ્પે.પોક્સો કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં સરકારી વકીલ એચ આર જાેષી અને વીથ પ્રોસીક્યુશન વકીલ ભૈામિક શાહની દલીલોને ગ્રાહ્ય રાખી એડી.સેશન્સ જજ પ્રિયંકા અગ્રવાલે બંનેની જામીન અરજી નામંજુર કરી હતી જયારે અન્ય આરોપી મનોજ વસાવાએ જામીન અરજી નોટ -પ્રેસ કરી પરત ખેંચી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1683   |   વડોદરા   |  
યુવતી પર ચાકૂથી હુમલો કરનાર વિધર્મી યુવકને ત્રણ વર્ષની કેદ

શહેરના ફતેગંજ સર્કલ પાસે એનએનસી ઓફિસની સામે રોડ પર ઉભેલી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ બનીને લગ્ન માટે દબાણ કરીને યુવતીને જાહેરમાર્ગ પર ચાકુના ઘા ઝીંકી ધમકી આપનાર માથાભારે વિધર્મી યુવકને અત્રેની અદાલતે ત્રણ વર્ષની કેદની સજા ફટકારી ૧૦ હજારનો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.મુળ કલક્તાની વતની અને નવ વર્ષ અગાઉ શહેરના ગોત્રી રોડ પર રહેતી ૩૩ વર્ષીય નેહા નામની યુવતીનું જીગ્નેશ નામના યુવક સાથે લગ્ન થયું હતું અને તેઓને એક પુત્ર છે. ગત ૫-૮-૨૦૧૭ના રોજ રાત્રે સવા આઠ વાગ્યાના અરસામાં નેહા ફતેગંજ સર્કલ પાસે એનસીસી ગેટની સામેના રોડ પર બ્રિજ નજીકના રોડ પર ઉભી હતી તે સમયે ગની ઉર્ફ થમ્સઅપ ઉસ્માન શેખ ફતેગંજ તરફથી અચાનક તેની તરફ ધસી ગયો હતો. ગનીએ તું મારી સાથે લગ્ન નહી કરે તો હું તને જાનથી મારી નાખીશ તેમ કહી અપશબ્દો કહ્યા હતા અને ત્યારબાદ સાથે લાવેલા ચાકુથી તેણે નેહા પર હુમલો કર્યો હતો. તેણે નેહાના બંને પગમાં ચાકુના ઘા ઝીંક્યા હતા જેને પગલે તેણે બચાવ માટે બુમરાણ મચાવી હતી. આ દરમિયાન ટોળું ભેગુ થતાં ગની ત્યાંથી ફરાર થયો હતો અને નેહાને રિક્ષામાં બેસાડીને સયાજીગંજ પોલીસ મથકમાં લઈ જવાઈ હતી જયાંથી પોલીસે તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. નેહાની ફરિયાદના પગલે પોલીસે ગની શેખ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. આ કેસ અત્રેના એડી. જ્યુડી.મેજી. એસ.આર.આહુજાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એ કે પરમારની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી ગની શેખને હુમલાના ગુનામાં દોષિત ઠેરવી ૩ વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી તેમજ ૧૦ હજારનો દંડ ભરવાનો અને દંડ ના ભરે તો વધુ છ માસની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1386   |  
લંડન ભણવાનું અને કામની લાલચ આપી મહિલા સાથે ૪૦.૪૮ લાખની છેતરપિંડી

ટેકનોલોજીનો વ્યાપ વધતા સાયબર ક્રાઇમ ગઠિયાઓ પણ છેતરપિંડી માટે અવનવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી રહ્યા છે. ગઠિયાએ સોશિયલ મીડિયા મારફતે બેંકમાં સ્પે. આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા મહિલાનો સંપર્ક કરીને મકાન ખરીદવાના બહાને રૂપિયા ૪૦ લાખ ૪૮ હજાર પડાવી લીધા છે. મહિલાના પિતરાઈ ભાઇ સાથે લંડનમાં અભ્યાસ કરતો હોવાની ઓળખ આપીને ગઠિયાએ મહિલાને વિશ્વાસમાં લીધા હતા. મણિનગર વિસ્તારમાં રહેતી મહિલા ૧૦મી ફેબ્રુઆરીએ નોકરી પર હાજર હતા તે દરમિયાન સોશિયલ મીડિયા મારફતે અભિનવ પરાતે નામના વ્યક્તિ તરીકેની ઓળખ આપીને એક યુવકે તેમનો સંપર્ક કર્યો હતો. જે ફરિયાદીના પિતરાઈ ભાઇ સાથે લંડનમાં અભ્યાસ કરે છે, મુંબઈનો રહેવાસી છે અને હાલમાં લંડનમાં ગાડીના શો રૂમમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. વાતચીત દરમિયાન ગઠિયાએ તેને ઇન્ડિયામાં મકાન ખરીદવું છે, અને બિઝનેસ પણ શરૂ કરવાનો હોવાથી મકાનની જરૂરિયાત હોવાની વાત કરી હતી. બીજી તરફ મહિલાને પણ મકાન વેચવું હોવાથી તેણે ગઠિયાને જાણ કરતા ગઠિયાએ ૨ કરોડમાં મકાન ખરીદવાની તૈયારી દર્શાવી હતી. ગઠિયાએ મહિલાને ૨જી માર્ચના દિવસે લંડનથી મુંબઈ આવતો હોવાનું કહીને ટિકિટ પણ મોકલી આપી હતી. જાે કે તેણે એમ પણ કહ્યું હતું કે તેને ઇન્ડિયામાં બેંક એકાઉન્ટ નથી, તેની પાસે યુ એસ ડોલર છે, જે એક્સચેન્જ કરવા પડશે, જે બાબતનો કરન્સી એક્સચેન્જ લેટર, ઇન્કમટેક્સ વિભાગનો લેટર, વિઝા એપ્લિકેશન ફોર્મ અને પાસપોર્ટની વિગતો પણ મહિલાને મોકલી આપી હતી. એનજીએસટી સર્ટિફિકેટ મોકલી આપીને રૂપિયા ૮૦ લાખ જીએસટી ભર્યા બાદ મકાનની કિંમત આપી શકશે તેમ જણાવ્યું હતું. જે રકમ હાલ મહિલાને આપવા માટેનું કહેતા મહિલાએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા ૪૦ લાખ ૪૮ હજાર મોકલી આપ્યા હતા. જેની જાણ મહિલાના પતિને ના થાય તે માટે તેણે ચેટ પણ ડિલીટ કરી દીધી હતી. જાે કે તેની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા તેમણે સમગ્ર ઘટનાની જાણ સાયબર ક્રાઇમને કરી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1485   |  
અમદાવાદમાં આઇપીએલની મેચ દરમિયાન મેટ્રો ટ્રેન મોડે સુધી દોડશે

અમદાવાદમાં આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) મેચ દરમિયાન મેટ્રો ટ્રેન રાત્રે મોડે સુધી દોડાવવામાં આવશે. અમદાવાદમાં આઇપીએલમાં ગુજરાતની મેચોનું આયોજન કરવામાં આવેલું છે. આ બધી મેચ દરમિયાન આઇપીએલ દરમિયાન રાત્રે સાડા બાર વાગ્યા સુધી ટ્રેન દોડાવવામાં આવશે. આ ઉપરાંત રાત્રે ૫૦ રૂપિયાની પેપર ટિકિટ પણ ચલાવવાની છૂટ આપવામાં આવી છે. અમદાવાદમાં આઇપીએલની સાત મેચ રમાવવાની છે. તેને લઈને તંત્ર દ્વારા લોકોની સલામતીથી લઈને પરિવહન સુધી વ્યાપક પાયા પર આયોજન કરવામાં આવ્યું છે. તેમાનું એક આયોજન જન પરિવહનનું પણ છે. લોકો મેચ સુધીના સ્થળે ઝડપથી પહોંચી જાય તે માટે સાંજના સમયે પણ ફ્રીકવન્સી વધારવામાં આવી શકે છે. આના કારણે સ્ટેડિયમમાં લોકો ઝડપથી પહોંચી પણ શકશે અને નીકળી પણ શકશે. આના કારણે અમદાવાદીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચોનો આનંદ માણી શકશે. જાે કે અમદાવાદ મેટ્રોનું આ ટાઇમિંગ ફક્ત મેચના દિવસ પૂરતું જ છે. બાકીના સમયગાળા માટે તો અમદાવાદ મેટ્રો નિયમિત રીતે ચાલશે. તેથી રોજિંદા મેટ્રો પ્રવાસીઓએ ખાસ નોંધ લેવી. ટ્રેન દરરોજે કંઈ રાત્રે સાડા બાર સુધી નહીં ચાલે. દરોજે તો તો નિયમિત રીતે ચાલે છે તે રીતે જ ચાલશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1683   |  
ગુજરાતમાં આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ : કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થયા બાદ લાગુ થયેલી આદર્શ આચારસંહિતાના શાસક પક્ષ દ્વારા થઈ રહેલા ગંભીર અને વ્યાપક ઉલ્લંઘનો અંગે ચિંતાજનક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. હેમાંગ રાવલે જણાવ્યું હતું કે ભારતના બંધારણના અનુચ્છેદ ૨૪૩(ડ) અને ૨૪૩(વક) મુજબ રાજ્ય ચૂંટણી આયોગને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવાની સંવિધાનિક જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચારસંહિતા લાગુ પડે છે અને તે દરમિયાન સરકાર, શાસક પક્ષ અથવા જાહેર સંસ્થાઓ દ્વારા કોઈપણ પ્રકારનો રાજકીય પ્રચાર કે લાભ મેળવવાનો પ્રયાસ કાયદેસર રીતે પ્રતિબંધિત છે. છતાંય રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મળતી માહિતી દર્શાવે છે કે આ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ચૂંટણી પંચની મુખ્ય જવાબદારી માત્ર આચારસંહિતા જાહેર કરવાની નથી, પરંતુ તેના કડક અને તાત્કાલિક અમલને સુનિશ્ચિત કરવાની છે. રાજ્ય ચૂંટણી આયોગે તમામ સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપવું અને તેની અસરકારક દેખરેખ રાખવી આવશ્યક છે. જાે આચારસંહિતાના ભંગની ઘટનાઓ સામે સમયસર કાર્યવાહી ન થાય, તો ચૂંટણીની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થાય છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1287   |  
ઇજાગ્રસ્ત થયેલા વાહનચાલકનું સાત દિવસની સારવાર બાદ મોત

શહેરના એસ.જી. હાઈવે પર પકવાન ઓવર બ્રિજ પર ગત ૨૭મી માર્ચના રોજ હિટ એન્ડ રનના કેમસાં ઘાયલ કમલેશ પાણખાણિયાનું મોત થયું છે.. સાત દિવસની સારવાર બાદ તેનું કરૂણ મોત નિપજ્યું હતું..વાઈરલ થયેલા અકસ્માતના વીડિયોએ સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાવી દીધી હતી. જાેકે, પોલીસે આ મામલે કારચાલકની ધરપકડ કરી હતી. પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં રહેતા ૪૭ વર્ષીય કમલેશભાઈ પાણખાણિયા ગત ૨૭મી માર્ચના રોજ પકવાન ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન થલતેજથી સરખેજ તરફ જઈ રહેલી એક પૂરઝડપે આવતી કારે તેના બાઈકને જાેરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આખું બાઈક કારના આગળના ભાગમાં ફસાઈ ગયું હતું. કારચાલકે ગાડી ઉભી રાખવાને બદલે, ફસાયેલા બાઈક સાથે જ કારને હંકારી મૂકી હતી અને બાઈકને ઢસડતી હાલતમાં જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં કમલેશભાઈને શરીરના અનેક ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને છાતી, કમર, માથું અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા સાત દિવસથી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આજે (ત્રીજી એપ્રિલ)ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હિટ એન્ડ રનની આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી. પોલીસે આ મામલે ૩૧ વર્ષીય રોહન રશ્મિકાંત પટેલની ધરપકડ કરી હતી. રોહન પટેલ થલતેજના સુરધારા સર્કલ નજીક મણિચંદ્ર સોસાયટીનો રહેવાસી છે અને મેટલ ટ્રેડિંગ (ધાતુના વેપાર) ના વ્યવસાય સાથે સંકળાયેલો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1584   |  
બેંગકોકથી એરપોર્ટ પર આવેલો કરોડોનો ગાંજાે જપ્ત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ અને એર ઈન્ટેલિજન્સ યુનિટએ સંયુક્ત કાર્યવાહી કરીને બેંગકોકથી અમદાવાદ આવેલા બે શખ્સો પાસેથી કરોડોનો ગાંજાે જપ્ત કર્યો છે. એરપોર્ટ સુરક્ષા એજન્સીઓને અગાઉથી જ નશીલા પદાર્થની હેરફેર અંગે બાતમી મળી હતી. શંકાના આધારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા બેંગકોકથી અમદાવાદ ઉતરેલા બે શખ્સોની પૂછપરછ કરવામાં આવી હતી. શંકાસ્પદ મુસાફરોના સામાનની સઘન તપાસ કરવામાં આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રોલી બેગની અંદરથી ૮ જેટલા સીલ કરેલા પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ પેકેટ્સમાંથી લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો ટેસ્ટ બાદ પુષ્ટિ થઈ હતી કે આ ઉચ્ચ ગુણવત્તાનો હાઈબ્રિડ ગાંજાે છે. ૨.૨૫ કિલો હાઈબ્રિડ ગાંજાેની કિંમત ૨ કરોડ રૂપિયાથી વધુ છે. કસ્ટમ વિભાગે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને શખસો મૂળ મધ્ય પ્રદેશના જબલપુરના રહેવાસી છે. હાલ આ ડ્રગ્સ નેટવર્ક પાછળ કોણ છે અને અમદાવાદમાં આ જથ્થો કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં હાલ પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.ગાંધીનગરના ચિલોડા પાસેથી ગાંજાનાં જથ્થા સાથે બે ઝડપાયા રાજ્યના પાટનગર ગાંધીનગરના ચિલોડા નજીકથી એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (એએનટીએફ) દ્વારા હિંમતનગર થી સુરત જતી એસટી બસમાંથી ૧૨ કિલો ગાંજાનાં જથ્થા સાથે બે શખ્સને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં આ ગાંજાની હેરફેર નો મુખ્ય સૂત્રધાર ડભોડાનો શખ્સ મીત પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના એન્ટિ નાકોટિક્સ ટાસ્કફોર્સના પીએસઆઇ પીએસ ઝાલાને બાદમે મળી હતી કે હિંમતનગર થી સુરત જતી એસટી બસમાં બે ઇસમો માદક દ્રવ્યોની સાથે મુસાફરી કરી રહ્યા છે તેઓ ચિલોડા સર્કલ પાસે ઉતરવાના છે આ બાથમીના આધારે એન્ટી નારકોટિક્સ ટાસ્ક ફોર્સના પી.એસ.આઇ ઝાલા સહિતની ટીમે વોચ ગોઠવી હતી આ દરમિયાનમાં બપોરના સમયે હિંમતનગર થી સુરત જતી એસટી બસ આવી પહોંચી હતી. જેમાં બાતમી મુજબના બે ઇસમો થેલા લઈને નીચે ઉતર્યા હતા જેથી પોલીસે આ બંને સક્ષોની અટકાયત કરીને તેમની તલાસી લીધી હતી . આ તલાસી દરમિયાન પ્લાસ્ટિકની કોથળીઓમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આ બંને શક્ષોની પોલીસે પૂછપરછ કરતા તેઓ વિરાજ પરેશ સોલંકી રહે મોટી ભાગોર ડભોડા ગાંધીનગર અને આદિત્ય મથુર બારીયા મૂળ પંચમહાલ હાલ હાલ અમદાવાદ હોવાનું જાણવા મળ્યું હતું.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1386   |  
૬.૪૪ લાખનાં ૨૧૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ગોપીપુરાનો ઝુબેર શાહ ઝડપાયો

શહેરના ગોપીપુરા વિસ્તારમાં ડ્રગ્સનો વેપલો કરતાં યુવકને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. ૬.૪૪ લાખ કિંમતની ૨૧૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે લઇ પોલીસે વેચાણ કરનાર શાહપોરનાં પેડલરને વોન્ટેડ જાહેર કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર સબ ઇન્સ્પેકટર કિર્તીપાલસિંહ પુવારને એવી બાતમી મળી હતી કે, ગોપીપુરામાં મોમનાવાડ સ્થિત જલારામ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતો ઝૂબેર નામનો યુવક એમડી ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરી રહ્યો છે. ખાનગી રાહે બાતમી અંગે તપાસ કરાવ્યા બાદ ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. મોમનાવાડ, સીદી બાગદશાહનાં ટેકરા પર આવેલા જલારામે એપાર્ટમેન્ટનાં ૨૦૧ નંબરનાં ફ્લેટમાંથી મોહમંદ ઝુબેર ગુલામરસુલ શાહ મળી આવ્યો હતો. મૂળ રૂદરપુરા, બોમ્બે કોલોનીનો રહેવાસી ઝૂબેરની અંગજડતી દરમિયાન પેન્ટના ખિસ્સામાંથી પાઉન્ડ સ્વરૂપનો માદક પદાર્થ ભરેલી પારદર્શક ઝીપ લોક વાળું પાઉચ મળી આવ્યું હતું. આ ઉપરાંત એક નાનો ડિજિટલ વજન કાંટો અને બે મોબાઇલ ફોન પણ મળ્યા હતાં. પાઉચમાંથી મળેલા પાઉડરનું વજન ૨૧૪.૭૩૦ ગ્રામ થયું હતું. આ પાઉડરની તપાસ માટે એફએસએલ બોલાવાઈ હતી. એફએસએલની ટીમે પોર્ટેબલ કીટ થકી સ્થળ પર કરેલી પરિક્ષણમાં એ પાઉડર મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. જેથી ૨૧૪.૭૩૦ ગ્રામ એમડી ડ્રગ્સની કિંમત ૬,૪૪,૧૯૦ રૂપિયા આંકવામાં આવી હતી. ડ્રગ્સ, વજનકાંટો, મોબાઇલ ફોન વિગેરે મળી ૬,૫૯,૨૯૦ કિંમતની મતા કબજે લઇ ઝૂબેરની પૂછપરછ કરાઈ હતી. જેમાં તેણે આ ફ્લેટમાં બે મહિનાથી રહેવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે ડ્રગ્સનો જથ્થો સુરત શાહપોર વિસ્તારમાં રહેતાં એજાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર પાસેથી ખરીદી લાવ્યો હોવાની કબૂલાત પણ કરી હતી. પોલીસે ઝૂબેરની ધરપકડ કરી એજાઝને વોન્ટેડ જાહેર કર્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1287   |  
મનપાની ચૂંટણીમાં પતિને ટિકિટ મળે તે માટે પત્નીએ રાજકીય કારકિર્દીનું બલિદાન આપ્યું

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ શહેરના કેટલાક વિસ્તારમાં રાજકીય ડ્રામા શરુ થઈ ગયા છે. સુરતના પાટીદાર અનામત આંદોલનના નેતાએ વિધાનસભાની ચૂંટણી આપમાંથી લડ્યા હતા. ત્યારબાદ ભાજપનો ખેસ પહેરી લઈ હવે કોર્પોરેટરની ટિકિટ માટે દાવેદારી કરી છે. જાે કે, તેમના પત્ની આપના કોર્પોરેટર હતા. તેથી એક જ પરિવારના બે સામ-સામે આવે તેવી ચર્ચાએ જાેર પકડ્યું હતું. જેથી હવે આ મામલે આપના પૂર્વ કોર્પોરેટરે સ્પષ્ટ કર્યું છે કે, તેઓએ ટિકિટની માંગણી કરી નથી કે ફોર્મ પણ ભર્યુ નથી. આમ તેઓ ચૂંટણી લડશે નહીં. પતિએ ભાજપમાં ઉમેદવારી નોંધાવતા પતિને ટિકિટ મળે તે માટે પત્નીએ બલિદાન આપ્યું હોવાનું ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. સુરતમાં અનામત આંદોલન વખતે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભારે ચર્ચામાં રહ્યા હતા. પાલિકાની થોડા સમય પહેલાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી, તેમાં ધાર્મિક માલવીયાએ ઓલપાડ વિધાનસભા માંથી આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેઓએ ભાજપનો ખેસ પહેરી લીધો હતો. પાલિકાની આ ચૂંટણીમાં અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાએ વોર્ડ નંબર ૩ માંથી ટિકિટ માગી છે. જ્યારે વોર્ડ નંબર-૨માંથી ધાર્મિક માલવીયાએ ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી કરી છે. આ દાવેદારી બાદ આપના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જયારે સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી ત્યારે ધાર્મિકની પત્નીએ આપમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ટિકિટ પણ માંગી હતી. જાેકે ઉમેદવારી નોંધાવવાની બાકી હતી. જેના કારણે સોસીયલ મીડિયામાં એક જ ઘરમાંથી બે સભ્યો અલગ-અલગ પક્ષમાંથી ચૂંટણી લડશે તેવી વાત શરુ થઈ ગઈ હતી. જાે કે, આ અટકળો વચ્ચે મોનાલી હીરપરાએ આજે સોશિયલ મીડિયા ફેસબુક પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘મેં ટિકીટ માટે કોઈ દાવેદારી કરી નથી અને ફોર્મ પણ ભર્યું નથી. છેલ્લા ઘણા સમયથી પરિવારમાં વ્યસ્ત છું, બાળક નાનું છે તેની સારસંભાળ રાખી રહી છું. જેના કારણે ઘણા સમયથી પક્ષના કાર્યક્રમમાં પણ જતી નથી. હું પક્ષમાં જાેડાયેલી છું પણ ટિકિટની માંગણી કરી નથી. ઉલ્લેખનીય છે કે તેમના આ નિવેદન બાદ હવે એક ઘરમાં બે અલગ-અલગ પક્ષના ચૂંટણી લડશે તેનો છેદ ઉડી ગયો છે પરંતુ તેઓએ હજી પક્ષ સાથે છું તેવી વાત કરતાં ચર્ચાનો વિષય બન્યો છે. પતિ ધાર્મિકને ભાજપમાંથી ટિકિટ મળે તે હેતુ સાથે જ મોનાલી હીરપરાએ પોતાની રાજકીય કારકિર્દીનું બલિદાન આપ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1683   |  
કતારગામના સિંગણપોરમાં ટ્રાન્સફર સ્ટેશન પાસે કચરાનાં ઢગલાંથી સ્થાનિકોનું આરોગ્ય જાેખમમાં

સુરત મહાનગર પાલિકાનાં વહિવટી સત્તાધીશોએ કેન્દ્ર સરકારને ઉઠાં ભણાવી અને આંકડાકીય માયાજાળ રચી સુરત શહેરને ભલે સ્વચ્છતામાં પ્રથમ નંબર અપાવ્યો હોય પરંતુ શહેરની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. મનપા કરોડો રૂપિયાનાં ખર્ચ બાદ પણ ખજાેદ ડિસ્પોઝલ સાઈડ પરથી ક્લચરનો નિકાલ કરી શક્તિ નથી ત્યારે બીજી તરફ આખા શહેરમાં દરેક ઝોન વિસ્તારમાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓની બેદરકારીનાં કારણે કચરાના ઢગલાં જાેવા મળે છે જેના કારણે આજુબાજુમાં વસવાટ કરતા રહીશોનાં સ્વાસ્થ્ય સામે પણ ચેડાં થાય છે. કતારગામ ઝોનમાં આવેલા સિંગણપોર ટ્રાન્સફર સ્ટેશન પર પાલિકાની ગંભીર બેદરકારીને કારણે રસ્તા પર કચરાનાં ઢગ પડ્યાં હોવાથી સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવા સાથે ટ્રાફિક સમસ્યા પણ થઈ રહી છે. પાલિકાનાં કતારગામ ઝોનમાં વેડરોડ પરનું ટ્રાન્સફર સ્ટેશન સ્થાનિકો અને વાહન ચાલકો માટે આફત બની રહ્યું છે. આ જગ્યાએ નબળી કામગીરી હોવાથી ટ્રાન્સફર સ્ટેશનની દિવાલને અડીને કચરાનાં ઢગ જાેવા મળી રહ્યાં છે. લાંબો સમય સુધી આ કચરાનાં ઢગ હોવાથી રોડ બ્લોક થાય છે અને વાહનો નીચે કચરો આવતો હોવાથી રોડ પર ફેલાઈ રહ્યો છે. આ ગંદો ગંધાતો કચરો આસપાસ ફેલાતા સ્થાનિકોનાં આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. આ ટ્રાન્સફર સ્ટેશનની આજુબાજુ ખુલ્લામાં પડેલો કચરો, દુર્ગંધ, માખી-મચ્છરનો ઉપદ્રવ થતો હોવાની ફરિયાદ થઈ રહી છે. આ ઉપરાંત રસ્તા પર પડેલા કચરાનાં ઢગલાને કારણે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. આવી સમસ્યાનો તાકિદે નિકાલ કરવા માટે સ્થાનિકો માંગણી કરી રહ્યાં છે. સુરત પાલિકા દ્વારા શહેરનાં કચરા નિકાલ માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આધુનિક મશીનરી, વાહનો અને કોન્ટ્રાક્ટ સીસ્ટમ હોવા છતાં વેડરોડ જેવા વિસ્તારમાં જાેવા મળતા આવા દ્રશ્યો પાલિકાની કામગીરી અને મોનિટરિંગ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સ્વચ્છતાની હરિફાઈમાં અગ્રસ્થાને રહેલા શહેરમાં જાે ટ્રાન્સફર સ્ટેશન આસપાસ જ કચરો બેરોકટોક ફેલાઇ રહ્યો છે. જેના કારણે પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1683   |  
રાંદેરમાં પોસ્ટર લાગ્યાં : ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવાં નેતા જ વોટ માગવા આવે

સુરત શહેર સહિત સમગ્ર જિલ્લાઓમાં હાલમાં રાંદેર વિસ્તાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે જ રાંદેરનાં ગોરાટ વિસ્તારમાં સ્થાનિકોએ રાજકીય પક્ષો, ખાસ કરીને ભાજપ સામે મોરચો ખોલ્યો છે. શહેરમાં એક તરફ હનુમાન જન્મોત્સવની ઉજવણી ચાલતી હતી ત્યારે બીજી તરફ મંદિરની આસપાસની સોસાયટીઓમાં ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવા જ નેતા વોટ માગવા આવે તેવા બેનરો લોકો દ્વારા લગાવવામાં આવતા ભાજપના નેતાઓનું ટેન્શન વધી ગયું છે. શહેરમાં રાંદેર ઝોનનો ગોરાટ વિસ્તાર અશાંત ધારા હેઠળ આવે છે. સ્થાનિકો અને મંદિરનાં પૂજારીનો આક્ષેપ છે કે, ગોરાટ હનુમાન મંદિરની દિવાલને અડીને જ વિધર્મીઓ માટે બિલ્ડિંગ કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે. અશાંત ધારાનો સરેઆમ ભંગ કરીને આ બાંધકામ થઈ રહ્યું હોવા છતાં કોઈ રાજકીય નેતાએ સ્થાનિકોની વહારે આવ્યાં નથી. સ્થાનિકોનો આરોપ છે કે નેતાઓની મીલીભગતને કારણે જ મંદિરની સુરક્ષા જાેખમાઈ રહી છે. સોસાયટીઓના ગેટ પર લાગેલા બેનરોમાં સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે કે, "ગોરાટ હનુમાન મંદિર બચાવી શકે તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું. એક બાબરી તૂટી અને ગોરાટમાં બીજી બની ગઈ, જવાબદાર કોણ તેવો પ્રશ્ન પુછતાં બેનરો લાગી ગયાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, અમને કોઈ પક્ષ સાથે લેવા-દેવા નથી, જે અમારા મંદિર અને વિસ્તારની રક્ષા કરશે તે જ અમારા નેતા ગણાશે. અત્યાર સુધી નેતાઓએ અમારી વાત સાંભળી નથી, હવે ચૂંટણી સમયે અમે તેમને જવાબ આપીશું. ભાજપ હંમેશા હિન્દુત્વ અને મંદિર સુરક્ષાનાં મુદ્દે મજબૂત રહ્યું છે, પરંતુ અહીં મંદિર બચાવવા માટે જ ભાજપનાં શાસન સામે સવાલો ઉઠ્યા છે. અશાંત ધારાના કડક અમલની વાતો વચ્ચે આ પ્રકારે બાંધકામ થવું તે શાસક પક્ષની કામગીરી સામે આંગળી ચીંધે છે. પાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આ પ્રકારનો આક્રોશ વોટ બેંકમાં ગાબડું પાડી શકે છે. મંદિરનાં પૂજારી અને ભક્તોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. હનુમાન જયંતીનાં દિવસે જ્યારે હજારો ભક્તો ઉમટ્યાં હતાં ત્યારે આ બેનરોએ સુરતભરમાં ચર્ચા જગાવી છે. આ વિસ્તારના લોકોનો આવો મિજાજ આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે ભારે પડી શકે છે. હવે જાેવાનું એ રહેશે કે શું કોઈ નેતા આ વિવાદનો ઉકેલ લાવવા આગળ આવશે કે પછી જનતાનો આક્રોશ ચૂંટણીમાં જાેવા મળશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1386   |  
૬ વર્ષની માસૂમ બાળાને બદકામનાં ઇરાદે ઉઠાવી જનાર નરાધમને પોલીસે આખીરાત સીસી કેમેરા ખંગોળીને દબોચી લીધો

પાંડોસરાનાં વડોદગામમાંથી છ વર્ષની માસૂમ બાળકીનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કરાયું હતું. ફરિયાદ મળતાં પોલીસે સીસી કેમેરા ફૂટેજ થકી આખી રાત તપાસ કરી વહેલી સવારે નરાધમને ઝડપી પાડ્યો હતો.  પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વડોદગામ, શાસ્ત્રી નગરમાં બિહારનાં વતની મનોજ તેમના પરિવાર સાથે રહે છે. પાંડેસરા જીઆઇડીસી સ્થિત શ્રીજી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલમાં નોકરી કરતાં મનોજને ત્રણ સંતાનો છે. ૩૧મી માર્ચે સાંજે સાતેક વાગ્યે મનોજની પત્ની સંજુ નોકરીએથી આવી ત્યારે મોટો દિકરો અને નાની દીકરી સોસાયટીમાં રમતાં દેખાયા હતાં. જ્યારે ૬ વર્ષની નીશા (નામ બદલ્યા છે) ઘરે પણ જાેવા મળી ન હતી. નાઇટ પાળીમાં નોકરી કરતા હોય સાંજે આરામ કરતાં પતિ મનોજને સંજુએ નીશા અંગે પૂછ્યા બાદ તેઓ શોધખોળ કરવા નીકળ્યા હતાં. સોસાયટી તથા આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં નીશા મળી ન હતી. અંધારું થવા માંડ્યું અને માસૂમ બાળકી મળતી ન હોય આ દંપતિ સીધું પોલીસ સ્ટેશન દોડી ગયું હતું. બાળકી લાપતા થયાની ફરિયાદ આવતા જ ઇન્સ્પેક્ટર કે. ડી. જાડેજા અને એસીપી ઝેડ. આર. દેસાઇએ તુરંત સ્થળ વિઝીટ કરી હતી. સાથે જ પોલીસ સ્ટેશનના પચાસથી વધુ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી બાળકીની શોધખોળ શરૂ કરાઇ હતી. આ પૈકી સીસી કેમેરા ચેક કરતી ટીમને પચ્ચીસેક વર્ષ ઉંમરનો યુવક આ બાળકીને લઈ જતાં દેખાયો હતો. આ કેમેરામાં યુવક બાળકીને લઈ જે દિશામાં જતો દેખાયો ત્યાંથી આગળ આગળ સીસી કેમેરા શોધી તેના ફૂટેજ થકી પગેરુ દાબતાં પોલીસ પ્રાઇમ પોઇન્ટ પાસે આવેલા સીઇટીપી પ્લાન્ટ પહોંચી હતી. અહીં આગળ સીસી કેમેરા ન હતાં. જેથી પોલીસની ટીમે ચોમેર ફેલાઇને શોધખોળ કરી હતી. જેમાં ઝાડી ઝાંખરા વાળી જગ્યાએથી બાળકી અને તેનું અપહરણ કરનાર મળી આવ્યો હતો. પોલીસે અપહરણકાર પ્રદીપ સત્યેન્દ્ર જગદેવભગત પાલ (ઉ.વ.૨૨ રહે- કલ્લુરામ પાસીના મકાનમાં, લક્ષ્મીનગર, ગણેશનગર, પાંડેસરા)ની પૂછપરછ કરતાં તે બદકામના ઇરાદે બાળકીને લઇ ગયાનું બહાર આવ્યું હતું.મોડે સુધી લોકોની આવન જાવન અને પછી બાળકી સૂઇ જતાં પ્રદીપ ગભરાયો સીસી કેમેરામાં બાળકીને લઇ જતાં દેખાયેલા યુવકની ઓળખ માટે પોલીસે ભારે કવાયત કરી હતી. એ યુવક સ્થાનિક હોવાનું તેની હીલચાલ પરથી લાગ્યું હતું. સીસી કેમેરા ફૂટેજ થકી જે માહિતી મળી એના આધારે ડઝનબંધ યુવકોને ઉપાડી પૂછપરછ કરાઇ હતી. જેમાં એ યુવક પારસ મીલમાં કામ કરતો હોવાની શક્યતાં બહાર આવી હતી. ત્યારબાદ પોલીસે પારસ મીલનાં લેબર કોન્ટ્રાકટર તથા ખાતા ઇન્ચાર્જની તપાસ કરવા માંડી હતી. આ કવાયતમાં એ યુવક સલમાનનો મિત્ર છે એનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે સલમાનને ઉપાડ્યો અને એ યુવકની ઓળખ પ્રદીપ તરીકે કરી હતી. સલમાન પાસે મોબાઇલ નંબર પણ મળતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી પગેરૂ દાબતા પ્રદીપ પાલ સુધી પહોંચી ગઇ હતી. ૫ અધિકારી, ૫૦ કર્મચારીનું ૩ કિલોમીટર એરિયામાં ૧૧ કલાક સુધી સર્ચ ઓપરેશન છ વર્ષની બાળકી લાપતા થયાની ફરિયાદ મળતા પાંડેસરા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. સાંજનો સમય હોવાથી પોલીસે મામલાને વધુ ગંભીરતાંથી લીધો હતો. શાસ્ત્રી નગર આસપાસના સીસી કેમેરા ચેક કરાયા તો પચ્ચીસેક વર્ષ ઉંમરનો યુવક બાળકીને લઇ જતો દેખાયો હતો. હવે સ્થિતિ ગંભીર બની હતી. નાની અમથી ભૂલ કે ઢીલ બાળકી માટે જાેખમરૂપ સાબિત થાય એમ હતી. આથી એસીપી દેસાઈ અને પીઆઇ જાડેજાએ પોલીસ સ્ટેશનમાં હતાં એ તમામ અધિકારી, કર્મચારીઓને એકઠાં કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પાંચ અધિકારી અને પચાસથી વધુ કર્મચારીઓએ ૧૧ કલાક સુધી ત્રણ કિલોમીટર સુધીનો વિસ્તાર ફેંદી નાંખ્યો હતો. જેમાં સવારે પાંચેક વાગ્યે બાળકીને સહીસલામત શોધી કાઢવામાં આવી હતી. કુરકુરે અને વેફરનાં પેકેટની લાલચે માસૂમ બાળકીને લઇ જવાઇ હતી બિહારનાં ઔરંગાબાદ જિલ્લાનો વતની પ્રદીપ પાલ મંગળવારે સાંજે રખડતાં ભટકતાં શાસ્ત્રી નગરમાં પહોંચી ગયો હતો. તેણે આ બાળકીને રમતી જાેઇ હતી. દાનત બગડતાં પ્રદીપે તેણીને કુરકુરે અને વેફરનાં પેકેટ આપ્યાં હતાં. બાળકી હોંશે હોંશે તે ખાવા માંડી એટલે પ્રદીપે તેને ઓર ચાહીએ એમ પૂછ્યું હતું. અબુધ બાળાએ હા પાડી એટલે ચલ મેરે સાથ એમ કહી પ્રદીપ તેને લઇ ગયો હતો. થોડા અંતરે જઇ તેણે આ બાળકીને તેડી લીધી હતી. વેફર કુરકુરે ખાવામાં મગ્ન બાળકી સાથે વાત કરતાં કરતાં પ્રદીપ સીઇટીપી પ્લાન્ટ તરફ જવા માંડ્યો હતો. સીઇટીપી પ્લાન્ટ પાસે ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટના વોચમેને તેને જાેયો પણ હતો. જાે કે, બાળકી સારી રીતે વાત કરી રહી હોય તેને શંકા ગઇ ન હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution