ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, ફેબ્રુઆરી 2026 3168   |  
જામનગરની હોટલમાં પોલીસના દરોડા ૮૩ લાખના ડ્રગ્સ સાથે ૪ તસ્કર ઝડપાયા

જામનગર, ગુજરાતમાં નશાના કાળા કારોબારને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં છે. જામનગર જિલ્લાના મોટી ખાવડી વિસ્તારમાં એસઓજીએ એક મોટા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પંજાબથી આવેલા ૪ શખ્સોને રૂ. ૮૩.૬૦ લાખની કિંમતના હેરોઈન સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન હેઠળ એસઓજીની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે, પોલીસે મોટી ખાવડી ગામે આવેલી હોટલ ૬૬૬ ના રૂમ નંબર ૨૦૨ માં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રૂમમાં હાજર ૪ શખ્સો પાસેથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજી સ્ટાફે પંજાબના વતની એવા ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે રૂ. ૮૩.૬૦ લાખની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતું ૪૧૮ ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે ડ્રગ્સની સાથે ૭ મોબાઈલ ફોન, રોકડ રકમ અને ડિજિટલ વજન કાંટો મળીને કુલ રૂ. ૮૪,૧૪,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એસઓજી દ્વારા આ મામલે પંજાબના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વિશાલસિંગ જસબીરસિંઘ મટુ, હરપ્રીતસિંગ તેજાસિંઘ મજવી, બિક્રમજીતસિંગ અમરજીતસિંઘ મરવી અને જગદિપસિંગ લખબિરસિંઘ ખેહરાનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હેરોઈનનો જથ્થો અમૃતસર (પંજાબ) ના ફિલિપ્સ ઉર્ફે ફૌજી નામના શખ્સે મોકલ્યો હતો. જામનગર પોલીસે મુખ્ય સપ્લાયર ફૌજીને ફરાર જાહેર કરી તેને પકડવા માટે તપાસનો દોર પંજાબ સુધી લંબાવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ મેઘપર પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
06, ફેબ્રુઆરી 2026 3960   |  
રાજકોટ ભાજપમાં ભડકો : કોર્પોરેટર ડો.નેહલ શુક્લને બરતરફ કરવા પત્ર

ગાંધીનગર રાજકોટ ભાજપમાં ચાલી રહેલો આંતરિક જૂથવાદ હવે ખૂલીને બહાર આવી ગયો છે. ભાજપ શાસિત રાજકોટ મહાપાલિકામાં ભાજપના જ કોર્પોરેટરને બરતરફ કરવા માટે મ્યુનિ. કમિશનરને પત્ર દરખાસ્ત મૂકવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સત્તાધારી ભાજપમાં ચાલી રહેલો આંતરિક જૂથવાદ ખૂલીને સામે આવી ગયો છે. રાજકોટ મહાપાલિકાની ચૂંટણી ટર્મ પૂરી થવાના એક મહિના અગાઉ જ ભાજપમાં સત્તાધારી જૂથને ભીડવનાર કોર્પોરેટર ડો. નેહલ શુક્લને કોર્પોરેટર પદેથી બરતરફ કરવા માટે પક્ષના જ વિરોધી જૂથ દ્વારા ખેલ પાડવામાં આવ્યો છે. જેમાં ભાજપના જ રાજમાં ભાજપના કોર્પોરેટરને ત્રણ જનરલ બોર્ડમાં હાજર રહ્યા ન હોવાનું કહી બરતરફ કરવાની દરખાસ્ત કરવામાં આવતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૭ના ભાજપના કોર્પોરેટર ડૉ. નેહલ શુકલ સતત ત્રણ વખત ગેરહાજર રહેતા નિયમ મુજબ તેઓની સામે બરતરફની કાર્યવાહી કરવા ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયાએ મ્યુનિ.કમિશનરને પત્ર લખી માર્ગદર્શન માંગ્યું છે. તેઓ આગામી બોર્ડમાં હાજર રહી શકે કે કેમ? તેમજ કોર્પોરેટર પદેથી હટાવી શકાય કે કેમ? આ અભિપ્રાય માંગવામાં આવતા રાજકોટનું રાજકારણ ગરમાયુ છે. નગરસેવક નેહલ શુકલ ગત તા.૨૦-૯-૨૦૨૫, તા.૨૦-૧૧-૨૦૨૫ અને ૨૦-૧-૨૦૨૬ના જનરલ બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા. હવે તેમને ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયા દ્વારા બરતરફ કરવાની કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટ મહાપાલિકાની સામાન્ય ચૂંટણી અગાઉ એટલે કે, ટર્મ પૂર્ણ થવામાં માત્ર એકાદ મહિનાનો સમયગાળો બાકી છે તેવા સમયે આ મામલે શહેરી વિકાસ વિભાગનું કમિશનર દ્વારા માર્ગદર્શન માંગવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે. જાેકે આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે મીડિયાને જણાવ્યું હતું કે, નેહલ શુક્લ અમારા સિનિયર કોર્પોરેટર છે. ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા મને જાણ કરવામાં આવી છે કે, નેહલ શુક્લ ત્રણ બોર્ડમાં ગેરહાજર છે. મેં સામાન્ય સભા (જનરલ બોર્ડ)ની બુક જાેઇ તેમાં એક બોર્ડમાં નેહલ શુક્લએ રજા રિપોર્ટ મૂકેલો છે. જેથી હું એવું માનુ છું કે તેઓ બરતરફ ન થઇ શકે. ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટ મનપાના ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયા દ્વારા દાવો કરાયો છે કે, રજા રિપોર્ટ હોવા છતાં તેઓ ત્રણ બોર્ડમાં હાજર ન હોય તો બરતરફ થઇ શકે છે. આ અંગે ભાજપ દ્વારા પણ લીગલ અભિપ્રાય લેવામાં આવશે. ભાજપમાં કોઇ જૂથવાદ નથી. નેહલ શુક્લ અમારા કોર્પોરેટર છે. અમે તમામ કોર્પોરેટરો નેહલભાઇ સાથે છીએ. જ્યારે આ મામલે કોર્પોરેટર ડૉ. નેહલ શુકલે અધિકારી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, બીપીએમસી એક્ટ અને જીપીએમસી એક્ટમાં જે લખેલું છે તેનો ખોટો અર્થઘટન કરવામાં આવ્યું છે. નેહલ શુકલે જણાવ્યું હતું કે, ઈશ્વર નો હું આભાર માનું છું કે મને સારા કામ કરવા માટે નિમિત્ત બનાવવામાં આવે છે. અધિકારીઓ બીપીએમસી એક્ટ અને જીપીએમસી એકટનો અર્થઘટન ખોટો કરી રહ્યા છે. કોર્પોરેશનની મિટિંગનો અર્થ કોર્પોરેશનની બેઠક થાય છે. એકાંતમાં ક્યાંય જનરલ બોર્ડ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી. નિયમ મુજબ હું સ્ટેન્ડિંગ કમિટીની બેઠકોમાં હાજર રહ્યો છું. ઇન્ચાર્જ સેક્રેટરીએ પોતાની સેફ સાઈડ અને કોઈની સલાહ લીધા વગર જ કમિશનરને પત્ર લખ્યો હશે. બીપીએમસી એકટના પ્રથમ પેઇજમાં લખવામાં આવ્યું છે કે સળંગ છ મહિના ગેરહાજર હોય તો પણ રજા રિપોર્ટ મૂકેલો હોય તો બરતરફ ન થઈ શકે. હું મારી સમજણ મુજબ પ્રશ્નો ઉઠાવતો રહ્યો છું. ઉઠાવતો રહીશ. વિવાદના બીજ અગાઉ રોપાઈ ચૂક્યા હતામહાપાલિકાના સુત્રોના જણાવ્યા પ્રમાણે નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર વચ્ચે વિવાદના બીજ પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટ મામલે રોપાયા હતા. પે એન્ડ પાર્કિંગમાં મહાપાલિકા દ્વારા કરવામાં આવતા આડેધડ ઉઘરાણા મામલે નેહલ શુક્લએ એવું જણાવ્યું હતું કે, આ તમામના પૈસા હું જ ભરી આપીશ. આ ઉઘરાણા બંધ કરો..! ભાજપ શાસિત મહાપાલિકામાં ભાજપના જ કોર્પોરેટર દ્વારા સરેઆમ વિરોધના પગલે તેઓની સામે વિરોધી જૂથ દ્વારા હવે દાવ લેવાનું શરૂ કર્યું છે. ભાજપ દ્વારા આ જૂથવાદ નો અંત નહિ લાવવામાં આવે તો ચૂંટણી પરિણામો પર તેની અસર જાેવા મળે તો પણ નવાઈ નહિ.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, ફેબ્રુઆરી 2026 3861   |  
પાકિસ્તાનની જેલમાં બંધ બિમાર ગુજરાતી માછીમારે દમ તોડ્યો

જુનાગઢ પાકિસ્તાનના કરાચીની જેલમાં રહેલા ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બામણીયા અચાનક બીમાર થતા તેને પાકિસ્તાનની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ગત ૧૬મી જાન્યુઆરીના દિવસે તેમનું અવસાન થયું હતું. ગંભીર હાલતમાં કરાચી જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા માછીમાર ભગાભાઈ સાથે માનવ અધિકારોનું હનન થાય તે પ્રકારે હોસ્પિટલના પલંગ પર લોખંડની બેડીઓ સાથે બાંધીને સારવાર કરવામાં આવતી હોય તેવો વીડિયો સામે આવ્યો છે, જેને લઈને માછીમારોમા પાકિસ્તાન સામે રોષ જાેવા મળી રહ્યો છે. પાછલા કેટલાક વર્ષથી ભારતીય માછીમારો માટે પાકિસ્તાનની જેલ મોતની જેલ બની રહી છે, જેલમાં રહેલા ભારતના માછીમારો બીમાર થતાં સારવારની કોઈ યોગ્ય સુવિધા ન હોવાને કારણે અત્યાર સુધી અનેક માછીમારોએ પોતાનો જીવ પાકિસ્તાનની જેલ અને હોસ્પિટલમાં ગુમાવ્યો છે. જેમાં વધુ એક હતભાગી માછીમાર તરીકે ૩૮ વર્ષના ભગાભાઈ બામણીયાનું નામ પણ ઉમેરાયું છે. ઉના તાલુકાના ચીખલી ગામના ભગાભાઈ બામણીયા નામના માછીમાર કરાચીની જેલમાં બંધ હતા, ત્યારે અચાનક બીમાર પડતા તેમને પાકિસ્તાનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ૧૬મી જાન્યુઆરીના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. કરાચીની જેલમાં રહેલા ભારતના બંધક માછીમારો બીમાર પડવાની સ્થિતિમાં તેમને કરાચીની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જ્યાં ભગાભાઈ બામણીયા જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, ત્યારે તેમને પગમાં લોખંડની બેડી સાથે હોસ્પિટલના પલંગ સાથે બાંધવામાં આવ્યા હતા. આ પ્રકારનો અમાનવીય વ્યવહાર અને માનવ અધિકારોનું ઉલ્લંઘન પાકિસ્તાનના સત્તાધીશો કરી રહ્યા હોવાનો સીધો આરોપ સમુદ્ર સુરક્ષા શ્રમિક સંઘના પ્રમુખ અને માછીમારોની સમસ્યા સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે વાતચીતનું માધ્યમ બનેલા બાલુભાઈ સોચાએ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
30, જાન્યુઆરી 2026 4356   |  
મહાશિવરાત્રિ મેળા માટે સરકાર સંપૂર્ણ સજજ સાધુઓની રવેડીનો રૂટ વધારાયો : હર્ષ સંઘવી

ગાંધીનગર, આગામી મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાનારા ભવનાથ મહાદેવના ઐતિહાસિક મેળાને લઈ રાજ્ય સરકાર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના અંતર્ગત ઉપમુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સાધુ સંતો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાધુ-સંતોના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનથી ગુજરાતનાં સૌથી મોટા ધાર્મિક મેળાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના દર્શન માટે દર વર્ષે અનેક વર્ષોથી દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને આ વર્ષે વ્યવસ્થાઓને વધુ મજબૂત અને આધુનિક બનાવવામાં આવી છે. બેઠકમાં મુખ્યત્વે શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવિધા અને સરળ અવરજવર માટે શું વધુ સારું કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે મેળાના રૂટમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં નાગા સાધુઓની રવેડી (યાત્રા)ના રુટ વિસ્તારમાં અંદાજે ૫૦૦ મીટરનો રૂટ વધારવામાં આવ્યો છે, જેથી ભીડનું સંચાલન સરળ બને અને દર્શનાર્થીઓને કોઈ અસુવિધા ન થાય. આ સાથે સરકાર દ્વારા વધારાની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહાશિવરાત્રિના ભવનાથના મેળાની સુરક્ષા વ્યવસ્થા અંગે ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષે આશરે ૧૬૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરાતા હતા, જ્યારે આ વર્ષે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ૨૯૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, ભીડ વ્યવસ્થાપન અને સેવાકાર્ય માટે ૧૦૦૦થી વધુ સ્વયંસેવકો પણ ખડેપગે કાર્યરત રહેશે. મેળામાં આવનાર સંતો અને ભક્તોની રહેવા-જમવાની વ્યવસ્થાઓ અંગે પણ વિશેષ આયોજન કરાયું છે. આશરે ૩૦૦ જેટલા ઉતારાઓમાં જમવાની વ્યવસ્થા કરાઇ છે. સાથે જ, પીવાના પાણીની નવી અને પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ સમયે પાણીની અછત ન સર્જાય.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, જાન્યુઆરી 2026 8118   |  
બગદાણા કેસમાં માયાભાઈના પુત્ર જયરાજની ધરપકડ

ભાવનગર ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને ફરી એકવાર પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું. આજે (૨૪મી જાન્યુઆરી) સમન્સને પગલે જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો હતો. જાેકે,  જયરાજ આહીરની પૂછપરછ બાદ તેની ધરપકડ કરાઈ છે.બગદાણાના કોળી અગ્રણી પર થયેલા હુમલાની કડીઓ મેળવવા માટે  ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અગાઉ પણ જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે આજે ફરીથી તેને રેન્જ આઈજીની કચેરીમાં બોલાવવા આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આ હુમલાની ઘટનામાં સંડોવાયેલો હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાને લઈ આજે જયરાજ આહીરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો. કચેરીએ હાજર થતા પહેલા જયરાજે જણાવ્યું હતું કે, ‘મને ન્યાયતંત્ર અને કાયદા પર પૂરો ભરોસો છે. તપાસમાં જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું સંપૂર્ણ સહયોગ આપીશ. કાયદાકીય જે પણ ર્નિણય આવશે તે મને શિરોમાન્ય રહેશે.’ બગદાણા હુમલા કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી.  ટીમની તપાસમાં પ્રથમ કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
30, જાન્યુઆરી 2026 3465   |  
૨૬૬૬ ગ્રા. પં.ઘર કમ તલાટી આવાસોનું મુખ્યમંત્રીના હસ્તે ભાદરણથી ઈ-ખાતમુહૂર્ત

ગાંધીનગર,આણંદ, રાજ્યની ૨૬૬૬ ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ત્મનિભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે.  તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, વડાપ્રધાને ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધીનો આપેલો સેચ્યુરેશન એપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયત ઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી ર્નિણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના આ ૨૬૬૬ ગામોમાં કુલ રૂ. ૬૬૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસને પરિણામે ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ સરકારી સેવાઓ સરળતાએ ઉપલબદ્ધ થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ અવસરેતેમણે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્યવ્યાપી લોંચિંગ પણ પંચાયત મંત્રી રૂષિકેશ પટેલ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં કર્યુ હતુ. આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, રાજ્યના ૧૧૪ તાલુકા મથકના એવા ગામો જે તાલુકા મથક છે પરંતુ નગરપાલિકા નથી તેને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ના પ્રથમ તબક્કામાં આવરી લઈને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઈટ, ઈ-ગ્રામ, કોમ્યુનિટી હોલ સહિતની શહેરી સમકક્ષ આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, શહેરો પરનું ભારણ ઓછું થાય અને શહેરો જેવી જ સુવિધાઓ ગામોમાં મળે તેવા આશયથી આગામી સમયમાં રાજ્યમાં ૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ અંતર્ગત આવરી લેવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. આના પરિણામે ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટશે તથા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો વડાપ્રધાને આપેલો મંત્ર સમગ્ર અને સંતુલિત વિકાસથી સાકાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, પાણી સંરક્ષણ માટે “કેચ ધ રેન” અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે વિશેષ પ્રયત્નો હાથ ધરાઈ છે. દરેક ધારાસભ્યને રૂ. ૫૦ લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવી છે. જેથી સ્થાનિક સ્તરે રિચાર્જિંગ વ્યવસ્થાઓ ઉભી કરી શકાય. પંચાયત અને ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રૂ. ૬૬૩ કરોડના ખર્ચે સમગ્ર રાજ્યમાં ૨૬૬૬ ગ્રામ પંચાયત ભવનોનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે, જેનાથી ગુજરાતના ગામડાઓના વિકાસ માટે નવી દિશા મળશે. આ પ્રસંગે રમણ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યની ૨૬૬૬ નવી ગ્રામ પંચાયતોના ઈ-ખાતમુહૂર્ત અને ૧૧૪ ગામોમાં ‘‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’’ના લોન્ચિંગ સાથે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો સરકારનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. તેમણે ભાદરણ જેવા પ્રજાભિમુખ વહીવટ ધરાવતા ગામની પસંદગી કરવા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, જાન્યુઆરી 2026 7227   |  
રાજપીપળાના બંધ મકાનમાંથી ૪૦ વાઘનાં ચામડાં ,૧૩૩ નખ મળ્યાં

રાજપીપળા, એક તરફ ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થતી જાય છે ત્યારે બીજી બાજુ નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના એક રૂમ માંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘનું ચામડું મળી આવતા રાજપીપળા વન વિભાગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આટલી મોટી સંખ્યામાં વાઘનું ચામડું મળી આવ્યું હોય એવો ગુજરાતમાં કદાચ પ્રથમ કિસ્સો હશે.આ ચામડું વાઘનું છે કે નકલી છે એની તપાસ માટે રાજપીપળા વન વિભાગે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.રાજપીપળા રેન્જ વન વિભાગના આર.એફ.ઓ જીગ્નેશ સોનીના જણાવ્યા મુજબ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.એ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમ માંથી ખરાબ વાસ આવતી હોવાનું એમના ધ્યાને આવ્યું હતું.એ દરમિયાન વર્ષો જૂની એક પતરાની પેટીમાં કોઈ વન્ય પ્રાણીનું ચામડું હોવાનું જાણતા જ એ મંદિરના ટ્રસ્ટીઓએ રાજપીપળા વન વિભાગના આર.એફ.ઓ જા જીગ્નેશ સોનીને જાણ કરી હતી.જે બાદ અમે અમારી ટીમ સાથે ત્યાં પહોચી તપાસ હાથ ધરતા પેટીમાં શંકાસ્પદ વાઘનું ચામડું તથા નખ હોવાનું અમને જાણવા મળ્યું હતું.બાદ સરકારી પંચોની હાજરીમાં તમામ શંકાસ્પદ વાઘના ચામડાને વન વિભાગની કચેરીએ લાવ્યા હતા.ખરાઈ કર્યા બાદ એ ચામડું શંકાસ્પદ રીતે વાઘનું હોવાનું અમને જણાઈ આવ્યું હતું.આ ચામડું તથા નખ વાઘના જ છે કે નકલી છે એની તપાસ માટે અમે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. આર.એફ.ઓ જીગ્નેશ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે અમને તપાસ દરમિયાન ૩૭ જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી ૪૦ થી વધુ ચામડા તથા ૧૩૩ જેટલા નખ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ ૧૭૨ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે.ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે તો બીજી બાજુ પ્રથમ દૃષ્ટિએ આ વન્ય પ્રાણીની તસ્કરી પણ હોઈ શકે, મહારાજનો ૧૯૨૬ માં જન્મ થયો હતો આજથી લગભગ ૫ મહિના પેહલા ૯૫ વર્ષની ઉંમરે નિધન થયું છે.વન્ય પ્રાણીના આ ચામડા અને નખ એમની જ રૂમ માંથી મળી આવ્યા છે.આ ચામડા મળ્યા એ પેટીમાંથી ૧૯૯૨ ના વર્ષનું ન્યૂઝ પેપર મળી આવ્યું છે એટલે આ ચામડા લગભગ ૩૩ વર્ષથી તો મહારાજ પાસે જ હશે એવો અંદાજ મારી શકાય.જાે એફ.એસ.એલ ની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ કોણ જાેડાયેલું હતું એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, જાન્યુઆરી 2026 5148   |  
આણંદમાં સરદાર બાગ નજીકથી એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઇ

આણંદ, વિદ્યાનગરની શાશ્વત નગરીની ઓળખને નશાના રવાડે ચઢાવવાના ખેલ રચાતાં હોય તેમ ગત મોડી સાંજે આણંદ એસઓજી દ્વારા બાતમીના આધારે શહેરના નવા બસમથક નજીકના સરદાર બાગ પાસેથી એમપીની મહિલાની ૧૧૬.૨૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે આણંદ ખાતે નશીલા પદાર્થ મંગાવનાર કોણની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર વિદ્યાધામની ઓળખ બનેલ આણંદ, વિદ્યાનગરની વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં સ્થાનિક, પ્રાંતિય તથા પરપ્રાંતીય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવતાં હોય તેમને નશાના રવાડે ચઢાવવાના ખેલ રચવામાં આવ્યા હોય તેમ ગત મોડી સાંજે શહેરના નવા બસમથક નજીકના સરદાર બાગ પાસે એક મહિલા નશીલા પદાર્થની ડિલિવરી આપનાર હોવાની બાતમી આણંદ એસઓજીને મળતા એસઓજી દ્વારા સ્થળ પર પહોંચી રતલામ થી નશીલા પદાર્થ લઇ બસ મારફત જાંબુઆ જીલ્લાના બેડાવા ગામની આવેલ મહિલા મંજુ જગદીશ ભુરીયાને ત્રણ લાખ ઉપરાંતની કિંમતના ૧૧૬.૨૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે પોલીસ દ્વારા મહિલાની પૂછપરછ કરતાં નશીલા પદાર્થ રતલામના નારાયણ નામના શખ્સ પાસેથી લાવી આણંદ આપવાનું જણાવતાં આણંદનો માલ લેવા આવનાર શખ્સ કોણ?ની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, જાન્યુઆરી 2026 4950   |  
બનાસકાંઠા - દાહોદનું પાણી પીવાલાયક નહિ હોવાનો સરકારી અહેવાલમાં ખુલાસો

ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણીના લીધે ગાંધીનગર અને અમદાવાદ મોટા પ્રમાણમાં બીમાર પડ્યા છે. જેમાં મોટા ભાગે બાળકો છે. જ્યારે બાલાસિનોરમાં દૂષિત પાણીથી કેટલાક દિવસો અગાઉ નાગરિકો કમળાગ્રસ્ત થયા હતા. આ સંજાેગોમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્રના જલ શક્તિ મંત્રાલયના આહેવાલના આંકડા રજૂ કરીને ગુજરાતના કયા જિલ્લાનું પાણી કેટલું પીવાલાયક છે તે બતાવ્યું છે. આ આંકડા અત્યંત ચોંકાવનારા છે. કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયના અહેવાલના આંકડા અનુસાર, જળશક્તિ મંત્રાલયના ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ રિપોર્ટ મુજબ ગુજરાતમાં માત્ર ૪૭.૩%ના ઘરે ગુણવત્તાયુક્ત પાણી નળથી પહોંચે છે જ્યારે સમગ્ર દેશમાં ૭૬% ઘરો સુધી ગુણવત્તાયુક્ત પાણી નળ દ્વારા પહોંચે છે. વર્ષ ૨૦૨૨ સુધીના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની માહિતી મુજબ વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં ૩૦માં ક્રમે છે. ડિસોલ્વેડ ઓક્સિજન, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, પીએચ અને કોલિફોર્મ બેક્ટેરિયા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને વોટર ક્વોલિટી ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તિસગઢ જેવા રાજ્યોથી પણ ગુજરાત વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં પાછળ છે. સમગ્ર દેશની વોટર ક્વોલિટી ઈન્ડેક્સની સરેરાશ ૭૩.૮% જ્યારે ગુજરાતનો ઈન્ડેક્સ ૬૩% છે. જળ શક્તિ મંત્રાલયના અહેવાલ ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ મુજબ જિલ્લા પ્રમાણે પીવા લાયક પાણીની સપ્લાયના આંકડા ચોકાવનારા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૩૧.૯% ઘરો અને આર્થિક પાટનગર અમદાવાદમાં ૪૬.૧% ઘરોમાં જ પીવાલાયક પાણી આવે છે. એટલું જ નહીં, આ અહેવાલ મુજબ દાહોદ અને બનાસકાંઠામાં ૦.૦% ઘરોમાં પીવાલાયક એટલે કે પોટેબલ વોટર આવે છે. મહીસાગરમાં ૧૬%, નર્મદામાં ૧૫.૪%, ગીર સોમનાથમાં ૧૧.૭% દેવભૂમિ દ્વારકા માં ૧૭.૨% ઘરોમાં પીવા લાયક પાણી મળે છે. જ્યારે રાજકોટની જનતાને ૧૬.૨% અને સુરતના લોકોને ૪૭.૨% લોકોને ત્યાં પીવાલાયક પાણી નળથી મળે છે. અહેવાલ મુજબ જૂના ૩૩ પૈકી ૧૯ જિલ્લામાં નળ થકી ૫૦% થી ઓછા લોકોને ગુણવત્તાયુક્ત પીવાલાયક પાણી મળે છે.જિલ્લાનું નામ ટકાવારી અમદાવાદ ૪૬.૧% બનાસકાંઠા ૦.૦% ભરૂચ ૮.૫% ભાવનગર ૧૪.૭% દાહોદ ૦.૦% ડાંગ ૪૦.૧% દેવભૂમિ દ્વારકા ૧૭.૨% ગાંધીનગર ૩૧.૯% ગીર સોમનાથ ૧૧.૭% મહિસાગર ૧૬.૦% મોરબી ૪૦.૬% નર્મદા ૧૫.૪% નવસારી ૪૭.૮% પંચમહાલ ૩૯.૨% રાજકોટ ૧૬.૨% સાબરકાંઠા ૧૭.૪% સુરત ૪૭.૨%



ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
12, ફેબ્રુઆરી 2026 2079   |  
૧૬મીએ ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષપદ માટે ચૂંટણી

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેના કારણે ખાલી પડેલ ઉપાધ્યક્ષના પદ માટે આગામી તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે તે અંગેનું સત્તાવાર નોટિફિકેશન ગુજરાત વિધાનસભા દ્વારા જાહેર કરાયું છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઇ ભરવાડે ગત તા. ૨૫ ડિસેમ્બરના રોજ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રૂબરૂ મળીને જેઠાભાઈએ ઉપાધ્યક્ષ પદ પરથી પોતાનું રાજીનામું સોંપ્યુ હતું. આ રાજીનામું આપવા માટે તેમણે સામાજિક અને રાજકીય કાર્યોમાં વ્યસ્ત હોવાનું કારણ જણાવ્યું હતું. જેઠાભાઈ ભરવાડ અનેક સહકારી સંસ્થાઓ સાથે જાેડાયેલા છે. તેઓ શહેરાના ધારાસભ્ય ઉપરાંત નાફેડના ચેરમેન પણ છે. જેથી જેઠાભાઈએ કહ્યું હતું કે, તેઓ અનેક સંસ્થા સાથે કામ કરતા હોવાથી વ્યસ્ત રહે છું. તેમણે જણાવ્યું હતું કે, મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું હતું, જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. વિધાનસભા ઉપાધ્યક્ષના ખાલી પડેલા આ પદ માટે ગુજરાત વિધાનસભા દ્વારા આજે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, આ ચૂંટણી પ્રક્રિયા વિધાનસભાના નિયમ-૧૧ અને ૧૦(૨) મુજબ હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં, એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે. જેના અંતર્ગત ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ૧૩ ફેબ્રુઆરી બપોરે ૧૨ વાગ્યા પહેલાં તેમના ઉમેદવારી ફોર્મ ભરવાના રહેશે. ત્યારબાદ ૧૬ ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદની ચૂંટણી યોજવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી દ્વારા બે દિવસ અગાઉ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને ગૃહની પ્રણાલી મુજબ ઉપાધ્યક્ષ પદ કોંગ્રેસને આપવા માટે માંગણી કરવામાં આવી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
12, ફેબ્રુઆરી 2026 1980   |  
અમદાવાદના અસારવાથી ઉદયપુર વચ્ચે વંદેભારત દોડશે : ૪ કલાકમાં સફર પુરી

અમદાવાદ, અમદાવાદથી ઉદયપુર જવા માટે હવે મુસાફરોને સરળતા રહેશે. કારણ કે અમદાવાદથી લેક સિટી ઉદયપુર માટે વંદેભારત ટ્રેનનું સંચાલન થશે. આ ટ્રેન અમદાવાદના અસારવા સ્ટેશનથી ઉદયપુર જશે. વંદેભારત ટ્રેન સેવા શરૂ થવાથી હવે ઉદયપુર ફટાફટ પહોંચી શકાશે. રેલવેએ આ ટ્રેન સંચાલનને મંજૂરી આપી છે. રેલ મંત્રાલયે રાજસ્થાનના દક્ષિણી ભાગથી ગુજરાતને ઝડપી કનેક્ટિવિટી આપવાના ઉદ્દેશ્યથી આ ટ્રેન સેવાને મંજૂરી આપી છે. જલ્દી બંને શહેરો વચ્ચે આ ટ્રેન સેવા શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રિનોવેશન ચાલી રહ્યું છે. આ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદથી ઉદયપુર વચ્ચે ચાલનાર વંદે ભારતના સંચાલનની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. સૂત્રોનું કહેવું છે કે જલ્દી તારીખ જાહેર થઈ શકે છે. બીજીતરફ આ ટ્રેનને સુરત સુધી લંગાવવાની માગ પણ કરવામાં આવી છે. જાણકારી અનુસાર નવી મંજૂર કરવામાં આવેલી ટ્રેન જાેડી ૨૬૯૬૩/૨૬૯૬૪ ઉદયપુર-અસારવા (અમદાવાદ) વંદેભારત એક્સપ્રેસ મંગળવારને છોડી સપ્તાહમાં છ દિવસ ચાલશે. પ્રાઇમરી મેન્ટેનન્સ ઉદયપુરમાં કરવામાં આવશે, જેમાં એક વંદે ભારત રેક લગાવવામાં આવશે. આ ટ્રેન જાવર, ડૂંગરપુર અને હિંમતનગરમાં ઉભી રહેશે. આ ટ્રેનના સંચાલનથી ઉદયપુર-અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા લોકોને સુવિધા મળશે. મહત્વનું છે કે ઉદયપુર ફરવાનું સ્થળ છે અને મોટી સંખ્યામાં ગુજરાતીઓ ત્યાં ફરવા જતાં હોય છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
12, ફેબ્રુઆરી 2026 1881   |  
રાજુભાઇ સામે બે કેસની સુનાવણી હતી એટલે ભાજપની સ્ક્રીપ્ટ બોલ્યા

ગાંધીનગર, ખેડૂત નેતા અને ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડેલા રાજુ કરપડાએ ગઇકાલે આમ આદમી પાર્ટી-’આઆપ’ના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજીને ‘આઆપ’ના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા તેમજ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સામે આક્ષેપો કરીને તેમને ભાજપની બી ટીમ ગણાવી હતી. ત્યાર બાદ ગોપાલ ઈટાલિયાએ પણ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, રાજુભાઈ સામે આજે બે કેસની સુનાવણી હતી એટલે તેઓ ‘આ આપ’ છોડી ગયા છે અને ભાજપે લખેલી સ્ક્રીપ્ટ મુજબ તેઓ બોલી રહ્યા છે. ‘આઆપ’માંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે ‘આઆપ’ના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને પક્ષના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પર પ્રહાર કરતા ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, જ્યારે હું જેલમાં હતો ત્યારે હું તેમાંથી બહાર નહીં આવું તે માટે ‘આઆપ’ના કેટલાક નેતાઓએ પ્રયાસ કર્યો હતો. વિસાવદરની ચૂંટણીમાં હું પોતે ઉમેદવાર હોઉં તે રીતે રાત-દિવસ મહેનત કરી હતી અને અમે ગોપાલભાઈને જીત અપાવી હતી. જે વ્યક્તિ માટે અમે રાત -દિવસ વિસાવદરમાં મહેનત કરી અને તે માણસ તેની ફરજ ચૂકી ગયા છે. ગોપાલભાઈ ક્યારેય ‘આઆપ’ પાર્ટીને ઉભી થવા નહી દે. જુ કરપડાએ કરેલા આક્ષેપો અંગે ‘આઆપ’ના નેતા ગોપાલ ઈટાલિયાએ પણ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ઈટાલિયાએ જણાવ્યું હતું કે, રાજુભાઈ પર ૩ કેસ ચાલે છે, તે પૈકીના બે કેસની ફાઈનલ સુનાવણી આજે હતી. તેથી ભાજપ તરફથી રાજુભાઈ પર પ્રેશર કરવામાં આવ્યું હતું કે, જાે તેઓ સ્ક્રિપ્ટ મુજબ ‘આઆપ’ પાર્ટી પર આક્ષેપો કરશે નહીં તો, આ કેસમાં તેના પર કંઈ પણ થઈ શકશે. જાે રાજુભાઈ આજે આ આરોપો ના લગાવ્યા હોત તો કોર્ટમાં તેને મોટી સજા પડવાની હતી. ડરના કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું છે. ઈટાલિયાએ જણાવ્યું હતું કે, રાજુભાઈએ અનેક રાજકીય પ્રકારના આરોપો, આક્ષેપો અમારી પાર્ટી પર કર્યા. કડદા કાંડને લઈને બનેલી ઘટનાઓ પર બધું જ કહ્યું. પરંતુ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી, જે વાત હું તમારા સુધી મૂકવા માગું છું કે રાજુભાઈએ આવું પગલું કેમ ભરવું પડ્યું? કારણ કે એમના ઉપર કુલ ત્રણ કેસો છે. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટમાં એમણે ત્રણ કેસોનો ઉલ્લેખ કર્યો છે. એક કેસ કલમ ૩૨૬નો એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ, હાથપગ તોડી નાખવાનો કેસ. જ્યારે બીજા બે કેસ જાનથી મારી નાખવાની કોશિશ (કલમ ૩૦૭) ના. જે ટાંટિયા તોડવાના કેસમાં એમને ૨૦૨૨ની ચૂંટણી પછી પાંચ વર્ષની સજા થઈ ચૂકી છે. જ્યારે એ સજા પડી ત્યારે પાર્ટીમાં ચર્ચા થઈ હતી. રાજુભાઈ ખૂબ ડરતા હતા હવે શું થશે? ત્યારે અમે બધાએ કહ્યું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોર્ટમાં કાયદેસર લડશું અને આગળ વધશું. બાકી બે ૩૦૭ના કેસોમાં આજે તા. ૧૨ ફેબ્રુઆરીના રોજ સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં ફાઇનલ દલીલની તારીખ હતી એટલે કે, કેસ નં. ૪૩/૨૦૧૮ અને ૪૪/૨૦૧૮ માં આજે આખરી ર્નિણય હતો. આ કેસમાં રાજુ કરપડા સહિત પાંચ આરોપીઓ હતા. આજે આખરી ર્નિણય લેવાનો હોવાથી ભાજપ તરફથી એમના ઉપર દબાણ કરવામાં આવ્યું હતું કે, જાે ૧૨મી તારીખે પ્રેસ કૉન્ફરન્સ કરીને સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે. બંને કેસ અલગ છે, પરંતુ બંનેમાં એક જ દિવસે ફાઈનલ સુનાવણી હતી. એટલે લાચારીમાં, મજબૂરીમાં કે પછી ડરના કારણે એમણે આ પગલું ભર્યું હશે. ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આઆપ’ દ્વારા રાજુ કરપડાના સમર્થનમાં ૮ કિસાન મહાપંચાયતો કરી હતી. તેમજ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પોતે સમર્થન આપવા સુરેન્દ્રનગર આવ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજુ કરપડા અને પ્રવીણ રામને એક દિવસે જામીન મળ્યા હતા, પરંતુ રાજુ કરપડાને રાત્રે ૧૦ વાગ્યે જેલમાંથી બહાર કાઢયા હતા. જ્યારે પ્રવીણ રામને બીજા દિવસે બપોરે છોડવામાં આવ્યા હતા. એટલું જ નહીં ઈટાલિયાએ જણાવ્યું હતું કે, જેલમાં રાજુ કરપડાને ક્યાં આઇપીએસ અધિકારી મળવા આવ્યા હતા તેની પાકકી વિગતો મારી પાસે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
12, ફેબ્રુઆરી 2026 2079   |  
ધોરણ ૧૦, ૧૨ અને ગુજકેટ પરીક્ષાઓ માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી

અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦, ૧૨ અને ગુજકેટ પરીક્ષાઓ માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી છે. રાજ્યભરમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના હોવાથી સુરક્ષા, પરિવહન અને સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મહત્વપૂર્ણ બેઠકમાં આવનારી બોર્ડ પરીક્ષાઓ અને ગુજકેટ અંગે વિગતવાર આયોજનની સમીક્ષા કરવામાં આવી. રાજ્યભરમાં આ વર્ષે કુલ ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોવાથી વ્યવસ્થાઓને વધુ સઘન બનાવવામાં આવી છે. બોર્ડના અધિકારીઓએ માહિતી આપી કે ધોરણ ૧૦ની પરીક્ષા માટે અંદાજે ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહમાં ૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. પરીક્ષાઓ ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ ૧૮ માર્ચ સુધી વિવિધ કેન્દ્રો પર યોજાશે. રાજ્યભરમાં હજારો પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી મોનિટરિંગ, સ્ટેટિક ઓબ્ઝર્વર અને ફ્લાઈંગ સ્ક્વોડની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નકલ રોકવા માટે ખાસ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓને સમયસર કેન્દ્ર સુધી પહોંચાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રોમાં તાત્કાલિક તબીબી સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. બોર્ડ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ કોઈપણ સમસ્યા માટે સંપર્ક કરી શકે. આ ઉપરાંત, ૨૯ માર્ચે યોજાનારી ગુજકેટ પરીક્ષા માટે પણ વિશેષ આયોજન હાથ ધરાયું છે. અંદાજે ૧.૩૫ લાખ વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષામાં બેસવાના છે. ઇજનેરી અને ફાર્મસી જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શિક્ષણવિદોના જણાવ્યા મુજબ, યોગ્ય આયોજન અને પારદર્શિતા સાથે પરીક્ષાઓનું સફળ આયોજન રાજ્યના શિક્ષણ તંત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે. વિદ્યાર્થીઓને પણ શાંતિપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અપીલ કરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
12, ફેબ્રુઆરી 2026 2178   |  
શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અમદાવાદમાં પણ હવે ઠેર ઠેર એર પ્યોરીફાયર લગાવાશે

અમદાવાદ,  વિકાસનાં મામલે અનેક શહેરોને પાછળ છોડી દેનારા અમદાવાદ મહાનગરપાલિકાનાં સત્તાધીશોએ વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરી શહેરીજનોના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં દેશભરમાં અગ્રેસર રહેલાં જયપુરનું અનુકરણ કરી શહેરમાં ઠેર ઠેર આધુનિક ટેકનોલોજી ધરાવતાં એર પ્યોરીફાયર લગાવવાનો ર્નિણય લીધો છે.મ્યુનિ. સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણી તેમજ ડે.મેયર જતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોઇ રાજ્ય કે મહાનગરપાલિકા નાગરિકલક્ષી નમૂનારૂપ કામગીરી કરે તો તેનું અનુકરણ કરવામાં સહેજપણ નાનપ અનુભવવી જાેઇએ નહિ અને આ બાબતને ધ્યાને લઇ અમે રાજસ્થાનના જયપુર શહેરનું અનુકરણ કરવાનું નક્કી કર્યું છે. જયપુર મહાનગરપાલિકાના શાસકોએ નાગરિકોને વાયુ પ્રદૂષણથી રાહત આપવા માટે જાહેર માર્ગાે ઉપર લાઇટનાં થાંભલાઓ ઉપર મીની એર પ્યોરીફાયર લગાવ્યાં છે. આ મીની એર પ્યોરીફાયર જર્મન ટેકનોલોજીથી બનેલાં છે અને ડેન્માર્કની કંપનીએ બનાવ્યા છે, આ એર પ્યોરીફાયર હવામાંથી ધૂળ-સિમેન્ટનાં રજકણો તથા ધુમાડા ખેંચી લઇને સ્વચ્છ હવાનો પ્રવાહ છોડવાનું કામ કરે છે.જયપુરમાં એર પ્યોરીફાયરથી વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તેને ધ્યાને લઇ અમદાવાદમાં પણ ઠેર ઠેર આ પ્રકારનાં એર પ્યોરીફાયર લગાવવામાં આવશે તેવી માહિતી આપતાં તેમણે કહ્યું કે, વાયુ પ્રદૂષણને અંકુશમાં રાખતાં વૃક્ષો ઉપર મોટા પ્રમાણમાં ધૂળ જામી જાય છે તેનાથી વૃક્ષોની કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન છોડવાની ક્ષમતા ઘટતી હોવાથી પાણીનાં ઝીણા ફુવારા છોડતા મિસ્ટ મશીનથી રોડ સાઇડનાં વૃક્ષો ઉપર પાણીનો છંટકાવ ચાલુ કરાવી દેવામાં આવ્યો છે.આ સિવાય શહેરનાં લગભગ તમામ વિસ્તારોમાં બાંધકામ સાઇટો ધમધમતી હોય છે, તેમજ રિડેવલપમેન્ટની સ્કીમો અને નાગરિકોનાં પોતાનાં ઘરમાં નાનામોટા રિપેરિંગનાં કારણે પણ ધૂળ-સિમેન્ટનાં રજકણો હવામાં ફેલાઇને રોડ-ફૂટપાથ ઉપર જામતાં હોય છે. તેનાથી શહેરની સ્વચ્છતા અને સુંદરતાને અસર થતી હોવાથી સોલીડ વેસ્ટ ખાતાને ગટરનાં ટ્રીટ થયેલાં પાણી ન્યૂસન્સ ટેન્કરોમાં ભરી લાવીને આંતરે દિવસે જુદા જુદા વિસ્તારનાં રોડ ધોવાની સૂચના આપવામાં આવી છે. 


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
07, ફેબ્રુઆરી 2026 2079   |  
આતંકી ફૈજાનનો સાતની હત્યાના પ્લાનનો ઘટસ્ફોટ

અમદાવાદ, ગુજરાત એટીએસે વલસાડમાંથી પકડેલા આતંકીની પૂછપરછમાં મોટા ખુલાસા થવા પામ્યા છે. આતંકીના ટાર્ગેટમાં ૭ વ્યક્તિ હતા. જેની માર્ચમાં હત્યા કરવાનો પ્લાન હતા. આતંકી ફૈજાન રેકી કર્યા બાદ ૭ વ્યક્તિઓની હત્યા કરવાનો હતો. જે વ્યક્તિની સુરક્ષામાં કચાશ હોય તેમની પહેલા હત્યા કરવાનો હતો. મોહમ્મદ પયગંબર વિરૂદ્ધ નિવેદનો આપનાર ૭ લોકો ટાર્ગેટમાં હતા. રવિવારે આતંકી ફૈઝાનના રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે. ગુજરાત એટીએસની પૂછપરછમાં હજુ મોટા ખુલાસા થઈ શકે છે. ગુજરાત છ્જી દ્વારા પકડાયેલા આતંકવાદી ફૈઝાન શેખના ખતરનાક મનસૂબાઓ અંગે મોટા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ફૈઝાન શેખે દિલ્હીના ૭ યુવકોની હત્યાનો ષડ્યંત્ર રચ્યો હતો. આ યુવકો પર પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કર્યાનો આરોપ લગાવી તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.છ્જીના સૂત્રો મુજબ ફૈઝાન શેખ સોશિયલ મીડિયા મારફતે યુવકોના નામ અને વિગતો એકત્ર કરી રહ્યો હતો અને તેમના નામોની પોસ્ટ પણ કરવામાં આવી હતી. આ પોસ્ટ્સ દ્વારા અન્ય લોકોને ઉશ્કેરવાની કોશિશ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેનાં નામો ટાર્ગેટ તરીકે સામે આવ્યા છે તેમાં અભિષેક પાંડે, દક્ષ ચૌધરી, ગૌરવ રાજપૂત, ડોક્ટર પ્રકાશ, યુધી રાણા, અકકુ પંડિત અને વિકરાતનો સમાવેશ થાય છે. આ તમામ યુવકો દિલ્હીમાં રહેતા હોવાનું છ્જીએ જણાવ્યું છે. મામલો ગંભીર બનતા ગુજરાત છ્જીએ તાત્કાલિક કાર્યવાહી કરી અને દિલ્હીની સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સાધી આ ૭ યુવકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પગલાં લીધા છે. સાથે જ ફૈઝાન શેખ સાથે અન્ય કોઈ વ્યક્તિ કે સંગઠન સંકળાયેલું છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
04, ફેબ્રુઆરી 2026 3762   |  
એએમસીનું અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રાફ્ટ બજેટ

અમદાવાદ, ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું અમદાવાદ શહેર ધીમે ધીમે વિસ્તરીને આજે ૪૮૦ ચોરસ કિમીથી વધારે વિસ્તારમાં ફેલાઈ ગયું છે. શહેરમાં વસતીનો આંકડો એકાદ કરોડ આસપાસ પહોંચી ગયો ગયો હોવાનો અંદાજ છે. અમદાવાદના ૧૭,૦૧૮ કરોડનું ડ્રાફ્ટ બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જાેગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી. જેથી ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે. હવે વૈશ્વિક ફલક પર ઉભરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફ્ટ બજેટ ૪ ફેબ્રુઆરીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે બજેટનું કદ રૂ. ૧૭૦૧૮ કરોડનું છે, જે ભારતના કેટલાક નાના રાજ્યોના કુલ બજેટ કરતા પણ વધુ છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે બજેટનું કદ ૧૪૦૦૧ કરોડનું હતું. અમદાવાદના ૧૭,૦૧૮ કરોડનું ડ્રાફ્ટ બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જાેગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી. જેથી ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે. ચાલુ વર્ષે બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માટે ૬ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: ૫ મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ,બોપલ રીંગરોડથી ઘુમા સુધી,નહેરુનગરથી શિવરંજની,સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરીડોર, પાંચ રેલવે ઓવરબ્રિજ કરવામાં આવશે આ ઉપરાંત ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત આગામી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની હોવાથી કમિશનર દ્વારા રજૂ કરવામાં આવનારા ડ્રાફ્ટ બજેટમાં કોઈ નવા વેરા ઝીંકવામાં આવ્યા નથી. જેના કારણે બજેટમાં લોકપ્રિય જાહેરાતો પર વધુ ભાર મૂકવામાં આવી છે. ૨૦૨૬-૨૭ના બજેટમાં જે જાેવા મળશે તેમાં એઆઇ ટેકનોલોજી આધારિત સેવાનો વ્યાપ વધશે.,ચૂંટણી વર્ષ હોવાથી નવા વેરા ઉમેરાશે નહીં.,પીપીપી અને સસ્ટેઈનેબલ પ્રોજેક્ટ પર ભાર મુકાશે,રેવન્યુ વધારવાનો અભિગમ દાખવાશે,મ્યુનિ. આર્ત્મનિભરતા દાખવી પોતાના પૈસે પ્રોજેક્ટ બનાવશે અમદાવાદ મ્યુનિ.બજેટમાં શહેરને આધુનિક અને ‘સ્માર્ટ’ બનાવવા માટે ખાસ જાેગવાઈઓ જાેવા મળી શકે છે. વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં ઓલમ્પિકના આયોજનને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી રકમ ફાળવવામાં આવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ સેવાઓને વધુ ઝડપી બનાવવા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે છૈં આધારિત પ્રોજેક્ટ્સની જાહેરાત થઈ શકે છે. આ સિવાય સતત વધતા ટ્રાફિકને નિવારવા માટે નવા ફ્લાયઓવર, અંડરપાસ અને આઈકોનિક રોડ પ્રોજેક્ટ્સ પર ભાર મુકાશે. શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે ‘ગ્રીન કવર’ વધારવા અને ડાર્ક ઝોન વિસ્તારમાં પરકોલેટિંગ વેલ (જળસંચય) માટે વિશેષ જાેગવાઈની શક્યતા છે. ગત વર્ષના બજેટમાં ઘણી મહત્વકાંક્ષી જાહેરાતો કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક પ્રોજેક્ટ્સ હજુ પણ અમલીકરણની રાહ જાેઈ રહ્યા છે. જેમાં સિંધુભવન રોડ પર રૂ. ૪૭૦ કરોડનું સિટી સ્ક્વેર. સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર સાઈડ ડાઈનિંગ અને એક્ઝીબિશન સેન્ટર. રૂ. ૧૪૦ કરોડના ખર્ચે નારોલથી નરોડાનો આઈકોનિક રોડ અને ગોતા-ગોધાવી કેનાલનું રિડેવલપમેન્ટ (રૂ. ૧૭૦ કરોડ)નું કામ હજુ થઈ શક્યા નથી, એટલે કે હજું કાગળ પર છે.૨૦૨૫-૨૬ના બજેટના કાગળ પર જ રહેલા કેટલાક કામ જાેઇએ તો - તળાવોના વિસ્થાપિતો માટે ૪૦૦૦ આવાસ રૂ.૬૦૦ કરોડ,-જળસંચય માટે ૧૦૦૦ પરકોલેટિંગ વેલ રૂ.૭૮ કરોડ,- સિંધુભવન રોડ પર સિટીસ્કવેર રૂ.૪૭૦ કરોડ,-સાયન્સ એન્ડ ફ્યુચર મ્યુઝિયમ રૂ. ૭૦ કરોડ,સાત આઈકોનિક રોડ રૂ.૪૧૮ કરોડ,-ઝોન દીઠ એક કોમર્શિયલ સ્ટ્રીટ-કલ્ચરલ કોર્નર રૂ. ૫૦ કરોડ,- નારોલથી નરોડા સુધી આઈકોનિક રોડ રૂ. ૧૪૦ કરોડ,- રિવરફ્રન્ટ પર એક્ઝીબિશન સેન્ટર રૂ.પ૦ કરોડ,- ચાર સ્થળે ઈન્ટિગ્રેટેડ કોમર્શિયલ સ્ટ્રીટ રૂ. ,૮૫ કરોડ,-નેહરૂ-એલિસ બ્રિજ વચ્ચે રિવર સાઈડ ડાઈનિંગ રૂ. ૫૦ કરોડ,- વિન્ડ અને સોલાર પાવર પ્લાન્ટ રૂ. ૧૮૧ કરોડ,-એઆઈ આધારિત મ્યુનિ. સેવાઓ રૂ.૩૪ કરોડ,ગોતા-ગોધાવી કેનાલ રિડેવલપમેન્ટ રૂ.૧૭૦ કરોડ -શાહીબાગ અન્ડરપાસ રિકન્સ્ટ્રક્શન રૂ. ૩૦ કરોડ, સ્ટેન્ડિંગ કમિટી તેમાં જરૂરી સુધારા-વધારા કરીને મંજૂરી આપશેએમ.જે.લાયબ્રેરીનું ૧૮.૩૬ કરોડનું બજેટ : ૫૦ લાખના ખર્ચે ઓડિટોરિયમ સુવિધાસભર બનાવાશે અમદાવાદની એમ.જે.લાયબ્રેરીનું વર્ષ ૨૦૨૬-૨૭નું ૧૮.૩૬ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ૧૭.૧ કરોડના બજેટમાં ૧.૩૫ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. બજેટમાં ૫૦ લાખના ખર્ચે એમજે ઓડિટોરિયમ સુવિધાસભર બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. શાખા પુસ્તકાલય-હિમ્મતલાલ પાર્કમાં રીનોવેશન કરવા ૨૫ લાખનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય બજેટમાં સાહિત્યપ્રેમી નગરજનો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમ કરવા માટે ૨૦ લાખનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની ઐતિહાસિક શેઠ મા.જે. પુસ્તકાલયમાં મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં આજરોજ મળેલ અંદાજપત્રની ખાસ સભામાં ગ્રંથપાલ ડૉ. બિપીન મોદીએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૧૭ કરોડ ૦૧ લાખ ૬ હજારના રજૂ કરેલ ડ્રાફ્ટ અંદાજપત્રમાં શેઠ મા.જે.પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળના સભ્ય દ્વારા અમદાવાદ મહાનગરના વિદ્યાર્થીઓ તેમજ સાહિત્યપ્રેમી કલારસિકોને ઉપયોગી થવાના હેતુ રાખવામાં આવ્યું હતું. શેઠ મા. જે. પુસ્તકાલયમાં ૧૫૦ બેઠક ક્ષમતા ધરાવતું વાતાનુકૂલિત ઓડિટોરીયમ આવેલ છે. તેમાં વર્ષ દરમ્યાન શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સદર ઓડિટોરીયમમાં પ્રવર્તમાન સાઉન્ડ સીસ્ટમ આઉટડેટેડ થઈ ગયેલ હોવાથી નવીન ટેકનોલોજી આધારીત ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ, વિવિધ પ્રકારની એલ.ઈ.ડી. લાઈટ સીસ્ટમ, એલ.ઈ.ડી. સ્ક્રીન, આધુનિક સંસાધનો વસાવવાનું તેમજ મંચસ્થ મહાનુભાવો અને શ્રોતાગણ માટે આરામદાયક બેઠક વ્યવસ્થા સાથે ઓડિટોરીયમ સુવિધાસભર કરવાનું આયોજન. શેઠ મા.જે. પુસ્તકાલયના એન્ટ્રસમાં આવેલ ઘુમ્મટમાં ગ્લાસ મોજેકથી મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ ઉપસાવવાનું આયોજન,શેઠ મા. જે. પુસ્તકાલયએ જયપુરી સ્થાપત્ય ધરાવતું હેરિટેજ ભવન છે. પૂજય મહાત્મા ગાંધીજીના કરકમલોથી વર્ષ ૧૯૩૩માં પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ, જયારે વર્ષ ૧૯૩૮માં સરદાર વલ્લભભાઈ પટેલના વરદ્દહસ્તે જાહેર જનતાના લાભાર્થે ખૂલ્લું મૂકવામાં આવેલ છે. આ બન્ને વિરલ મહાનુભાવોની યાદમાં શેઠ મા. જે. પુસ્તકાલયના એન્ટ્રસમાં આવેલ ઘુમ્મટમાં ગ્લાસ મોજેકથી તેઓની પ્રતિકૃતિ ઉપસાવવાનું આયોજન. પુસ્તકાલયમાં ત્રણ પાળીમાં અધિકારીઓ/કર્મચારીઓ ફરજ બજાવે છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
20, જાન્યુઆરી 2026 7227   |  
Surat ના textile industry પર 500% US tariff નો ઘાત – અસ્તિત્વની લડાઈ !!

લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, જાન્યુઆરી 2026 4059   |  
નાના વરાછામાં રામજી મંદિર પાછળ તાપીમાં ફેંકાયેલું બાળકનું ભ્રૂણ મળ્યું

સુરત,  નાના વરાછા રામજી મંદિર પાછળ તાપીમાંથી બાળકનું ભ્રૂણ મળતાં ચકચાર મચી હતી. નદીકાંઠે ટેમ્પો ધોતા યુવકે પાણીમાં તરતાં ભ્રૂણ અંગે જાણ કરતાં પોલીસે સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરી હતી. કાપોદ્રા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર નાના વરાછમાં તપોવન સ્કુલ પાસે ગાયત્રી નગરમાં રહેતા જીગ્નેશ સુરેશભાઈ ખાણીયા ટેમ્પો ચલાવે છે. સુરેન્દ્ર નગરનાં ચુડા ગામના વતની જીગ્નેશ ૧૬મી તારીખે સવારે તેમનો જીજે ૦૫ સીવાય ૪૧૦૬ નંબરનો ટેમ્પો લઇ નાના વરાછા રામજી મંદિર પાછળ તાપી કિનારે ગયા હતાં. તેઓ અહીં તાપીમાંથી પાણી લઇ ટેમ્પો ધોવા માંડ્યા હતાં. આ દરમિયાન પાણીમાં તરતુ ભ્રૂણ જાેવા મળ્યું હતું. નદીનાં પ્રવાહમાં તરતુ ભ્રૂણ જાેઇ ચોંકી ઉઠેલા જીગ્નેશ ખાણીયાએ તુરંત ઓવારાની સફાઇ કરતાં પાલિકા કર્મચારી હિતેષ સોલંકી તથા રાજુભાઇ સોલંકીને જાણ કરી હતી. જાેતજાેતામાં ત્યાં લોકટોળું એકઠું થયું અને પોલીસ કંટ્રોલને કોલ કરાયો હતો. કોલ મળતાં પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. પોલીસે ભ્રૂણ અંગે આવશ્યક કાર્યવાહી કરી તેને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યું હતું. સાથે જ જન્મ છૂપાવવાના ઇરાદે અધૂરા માસે જન્મેલું કે ગર્ભપાત કરાયેલું ભ્રૂણ તાપી નદીમાં ફેંકી દેનાર અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
17, જાન્યુઆરી 2026 7425   |  
ઉઠમણાંનાં ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી કરોડોનાં કાપડ ખરીદીનાં કૌભાંડનો સૂત્રધાર ઝડપાયો

સુરત,  ઉઠમણું કરવાના ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી મોટાપાયે કાપડ ખરીદી બોગસ ચેક પધરાવવાનાં કૌભાંડમાં સૂત્રધાર એવા અજય તોલાનીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઉધના અમન સોસાયટીમાં રહેતા રજા અલી હુસેન સોલંકી આર.જે.એન્ટરપ્રાઇઝ નામથી પીવીસી બેગ મેન્યુફેક્ચરિંગ નો ધંધો કરે છે. સોલંકીના ધ્યાન પર એવી વાત આવી હતી કે, તેમની પેઢીનાં જીએસટી નંબર પર એવા બિલ નોંધાયા છે કે જેમની ખરીદી તેમણે કરી ન હતી. તેમણે સી એ વિનય કનોડીયા પાસે જીએસટી પોર્ટલ પર ચેક કરાવતા શ્રી કુબેરજી એમ્પાયર કો-ઓપરેટિવ કોમર્શિયલનું બીલ અપલોડ થયેલા દેખાતું હતું. કુબેરજી માર્કેટ પહોંચેલા રાજાઅલીને તેમની પેઢીનાં નામનું બોર્ડ અને જીએસટી નંબર દેખાયા હતા. વિશાલ સુરેશ ગુપ્તાની માલિકીની જણાવાયેલી આર જે એન્ટરપ્રાઇઝ પેઢીમાં જઇ સોલંકીએ તપાસ કરાતાં મેનેજ૨ રાશીદ શેખ અને કર્મચારી ક્રિષ્ના મળ્યા હતાં. તેઓએ તેમને વિશાલ ગુપ્તા અને હિતેષ વાઘાસિયા એ નોકરીએ રાખ્યાનું જણાવ્યું હતું, જેથી રાજાઅલીએ પોલીસ બોલાવી હતી. સારોલી પોલીસે માર્કેટ પહોંચી વિશાલની પૂછપરછ કરતાં તેણે દુકાન ભાડે આપી હોવાનું જણાવ્યું હતું. ભાડા કરારમાં આર.જે.એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર રાજેશ જેઠવાણીનાં આધાર કાર્ડ તથા પાનકાર્ડની ઝેરોક્ષ હતી. રાજેશ જેઠવાણીએ તેનું નામ સરનામું અને રાજાઅલીનો પાન નંબર લખી આ બોગસ પાનકાર્ડ બનાવ્યાનું ધ્યાને આવ્યું હતું. જેના કારણે વિશાલ ગુપ્તાને સારોલી પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જાે કે ત્યાં યોગ્ય કાર્યવાહી નહીં કરાતાં પોલીસ કમિશનરને રજૂઆત કરાઇ હતી. પોલીસ કમિશનર ગહલૌતની સૂચનાથી ઇકો સેલના ઇન્સ્પેક્ટર સોલંકીએ તપાસ આરંભી હતી. જેમાં રાજાઅલી ની આર જે એન્ટરપ્રાઇઝ પેઢીના જીએસટી નંબરનો દુરુપયોગ કરી વિશાલ સુરેશ કુમાર ગુપ્તા, સારોલીની અવધ માર્કેટમાં ૧૦૧૫-૧૦૧૬ નંબરની દુકાન ધરાવનાર વ્યક્તિ, મેનેજર રાશીખ શેખ, આર જે એન્ટરપ્રાઇઝ નો કર્મચારી ક્રિષ્ના સુરેશ, કાપડ દલાલ હીતેષ વઘાસીયા, કાપડ દલાલ મયંક જૈન, શુભમ અગ્રવાલ અને પંકજ માલ મંગાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ સામે રાજાઅલીની ફરિયાદ લઇ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉઠમણાંનાં ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી મોટાપાયે માલ ખરીદનારી આ ટોળકીના કૌભાંડની તપાસ ઇન્સ્પેક્ટર જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં નવેમ્બર ૨૦૨૪માં પંકજ ઉર્ફે સંજય ઉઘવદાસ માખીજા તથા દીપક શંકરલાલ ચેતુમલ ચંદાણીની ધરપકડ કરાઇ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે દીપકે કૌભાંડી અજય તોલાણીના કહેવાથી દુકાન ભાડે રાખી અને પેઢીના બોગસ ડોક્યુમેન્ટથી એક્સિસ બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. તેમણે આર.જે.એન્ટરપ્રાઇઝ નામથી બોગસ ભાડા કરાર જ નહોતો બનાવ્યો પરંતુ બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યા હતાં. તેઓએ મુંબઈના વેપારીઓ પાસેથી બે કરોડથી વધુંનો માલ ખોલાવી પેઢીના નામે ખોલાવાયેલા બોગ એકાઉન્ટમાંથી ચેક પણ આપ્યા હતા. આ હકીકત બહાર આવતાં પોલીસે અજય તોલાણીની તલાશ શરૂ કરી હતી. જાે કે, તે મળી નહીં આવતાં તેની સામે કોર્ટમાંથી ધરપકડ વોરંટ પણ મેળવાયું હતું. ભાઠેના રામદેવ નગર ખાતેનું મકાન ખાલી કરી નાસતાં ફરતાં કાપડ દલાલ અજય રમેશલાલ તોલાની (રહે.એફ/૭૦૨ પેલેડીયમ રેસીડેન્સી, ન્યુ અલથાણ રોડ)ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution