ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, મે 2026 2970   |  
મુંદ્રા બંદરે સિંગાપોરથી આવેલું નકલી સિગારેટનું કન્ટેનર ઝડપાયું

ગુજરાતના મુંદ્રા બંદરેથી ફરી એકવાર મોટા પાયે થતી દાણચોરીનો પર્દાફાશ થયો છે. ડ્ઢઇૈં (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) એ એક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને સિંગાપોરથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે ૧૯.૮૭ કરોડની કિંમતની નકલી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કન્ટેનર માટે કોઈ પણ સત્તાવાર ‘બિલ ઓફ એન્ટ્રી’ રજૂ કરવામાં આવી નહોતી. દસ્તાવેજાેના અભાવે શંકા જતાં જ્યારે કન્ટેનરની તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી કુલ ૮૨,૮૦,૦૦૦ નકલી સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. ડ્ઢઇૈં એ આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને કસ્ટમ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સિંગાપોર જેવા દેશમાંથી આટલી મોટી માત્રામાં નકલી સિગારેટનો જથ્થો મુંદ્રા પોર્ટ પર ઉતરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ ડ્ઢઇૈં એ સિગારેટના આ જથ્થાને કોણે મંગાવ્યો હતો અને તે ક્યાં મોકલવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
30, એપ્રીલ 2026 2475   |  
ધોળકા-બગોદરા હાઈવે પર પલટી મારીને કાર થાંભલા સાથે અથડાતાં ત્રણના મોત

અમદાવાદ જિલ્લામાં ધોળકા-બગોદરા હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાતા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બારેજાથી ભામસરા ગામે સગાઈના પ્રસંગે જઈ રહેલી સ્કોર્પિયો કાર અચાનક નિયંત્રણ બહાર જતાં પલટી મારી અને જાેરદાર ધડાકા સાથે વીજ પોલ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચ્યાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ભયાનક માર્ગ અકસ્માતમાં સ્કોર્પિયો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન અચાનક માર્ગ પરથી ઉતરી ગયું હતું. ત્યારબાદ કાર અનેક પલટીઓ મારીને સીધી વીજ પોલ સાથે જાેરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ થઈ ગયો હતો અને કૂર્ચેકૂર્ચા ઉડી ગયા હતા. આ દુર્ઘટનામાં ૩ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે અન્ય ૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માત સર્જાતા ઈમરજન્સી ૧૦૮ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃતકોને પીએમ અર્થે ધોળકાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બારેજા ગામથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં હાજરી આપવા નીકળેલા પરિવાર માટે આ મુસાફરી દુર્ભાગ્યપૂર્ણ સાબિત થઈ. ખુશીના પ્રસંગે જઈ રહેલા તમામ લોકો માટે રસ્તામાં જ મોતનો સામનો કરવો પડતાં સમગ્ર વિસ્તાર તેમજ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
26, એપ્રીલ 2026 5049   |  
રિવાબા જાડેજા, નેહા સુથાર, માયાભાઈની દીકરી સોનલ ડેર, અંકિતા પરમારે વોટિંગ કર્યું

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને મતદાન યોજાયું હતું ખાસ વાત એ છે કે આ વખતે તમામ મનપા, નગરપાલિકા અને પંચાયતોનું મતદાન એક જ દિવસે યોજાયું છે. જ્યારે અગાઉ અલગ અલગ દિવસોમાં મતદાન થતું હતું. આ ચૂંટણીને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે રાજ્યની ૧૭માંથી ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનો, ૩૪ જિલ્લા પંચાયત, ૨૬૦ તાલુકા પંચાયત અને ૮૪ નગરપાલિકાઓમાં મતદાન થયું મતદાન દરમિયાન કેટલાક વિસ્તારોમાં ટેકનિકલ સમસ્યાઓ પણ સામે આવી છે. ભરૂચમાં લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી હતી. જ્યારે જામનગરમાં ઈવીએમ મશીન ખોટકાતા લગભગ એક કલાક મોડું મતદાન શરૂ થયું હતું. છતાં પણ મતદારોમાં ઉત્સાહ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ૧૦૦ વર્ષના વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતા, તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે એક વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. આ ઘટનાઓ લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે. ચૂંટણીમાં અનેક જાણીતા ચહેરાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જાણીતા લોકગાયિકા રાજલ બારોટ પણ મતદાન માટે પહોંચ્યા હતા. તો સાંસદ ગેનીબેન ઠાકોરએ અબાસણા ગામે મતદાન કર્યું હતું. તો સાથે વડોદરાના જાણીતા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારે મતદાન કર્યું હતું.અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે ભાજપ ઉમેદવાર સોનલ ડેરએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરને ભાજપે ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ટિકિટ આપી છે. મતદાન કર્યા બાદ તેમણે મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહી મજબૂત બનાવવા સૌએ આગળ આવવું જાેઈએ એવો સંદેશ આપ્યો હતો. સાથે જ તેમણે આ બેઠક પર પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. જામનગરમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ૫માં આવેલી સત્ય સાંઈ સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તેમણે સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે મતદારો માટે સુવિધાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે. સાથે જ તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી. મહેસાણા જિલ્લામાં ભાજપ ઉમેદવાર નેહા સુથારએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી તેઓ ભાજપના ઉમેદવાર છે અને તેમણે સરદાર ગામે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ નેહા સુથારે જંગી મતોથી જીત મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગુજરાતની જાણીતી ગાયિકા અને કલાકાર તરીકે ઓળખાતી નેહા સુથારની ઉમેદવારીને લઈને વિસ્તારમાં ખાસ ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
26, એપ્રીલ 2026 3762   |  
રાજકોટમાં હંગામો થયો,કોંગ્રેસ ઉમેદવાર સહિત ૨૦ની અટકાયત કરવામાં આવાી

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવા બદલ વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત ૨૦ જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે. આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે મળતી માહિતી મુજબ, રાજકોટના વોર્ડ નંબર ૧૫માં જ્યારે મતદાન પ્રક્રિયા પૂરજાેશમાં ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી અને તેમના સમર્થકો મતદાન મથકની આસપાસ હોવાનું માલૂમ પડ્યું હતું. ચૂંટણી પંચના નિયમો મુજબ, મતદાન મથકની ૧૦૦ મીટરની અંદર કોઈપણ પ્રકારનો પ્રચાર કે જનસંપર્ક કરી શકાતો નથી. આરોપ છે કે આ લોકો નિયમ વિરુદ્ધ જઈને મતદારોને રીઝવવાનો કે પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મકબુલ દાવદાણી અને તેમની સાથેના અન્ય ૨૦ જેટલા સમર્થકોની અટકાયત કરી તેમને થોરાળા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મતદાન મથક પર શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.લગ્નપ્રસંગ જેમ ઢોલ-શરણાઈ સાથે ગ્રામજનો મત આપવા નીકળ્યા હાલ લોકશાહીના મહાપર્વ નિમિત્તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ૨૬મી એપ્રિલે આખા ગુજરાતમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે એક અત્યંત પ્રેરણાદાયક અને અનોખો નજારો રજૂ કર્યો છે. સામાન્ય રીતે ચૂંટણી એટલે વ્યૂહરચના અને રાજકીય ગરમાવો માનવામાં આવે છે, પરંતુ મોટા આંકડિયાના ગ્રામજનોએ તેને ખરા અર્થમાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણી તરીકે સ્થાપિત કરી છે. ગામમાં વહેલી સવારથી જ વાતાવરણ કોઈ લગ્નપ્રસંગ કે મોટા મહોત્સવ જેવું જ સર્જાયું હતું. આ અનોખી ઉજવણીની વિશેષતા એ હતી કે મતદારો માત્ર મતદાન મથક સુધી ચાલીને જવાને બદલે ઢોલ અને શરણાઈના તાલે મધુર સૂરો વચ્ચે મતદાન કરવા નીકળ્યા હતા. ઢોલના ધબકારે ગ્રામજનોમાં એક નવો જ જાેશ ભરી દીધો હતો અને દરેકના મુખ પર લોકશાહીના આ પર્વ માટેનો ગર્વ જાેવા મળતો હતો. શરણાઈના મંગલ સૂર વચ્ચે જ્યારે ગ્રામજનો સમૂહમાં મતદાન કરવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં ઊભેલા અન્ય લોકો પણ આ અનેરા ઉત્સાહમાં જાેડાયા વગર રહી શક્યા નહોતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 3960   |  
જૂનાગઢના ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે ધર્મસભા અને રેલી યોજવામાં આવી

જૂનાગઢ ખાતે આવેલ ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે આજે વિશાળ ધર્મસભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. ગિરનારની પવિત્રતા અને પરંપરાગત વારસાને જાળવવા માટે સૌએ એકસ્વરે અવાજ ઉઠાવ્યો અને વહીવટી તંત્ર સામે પોતાની ચિંતા વ્યક્ત કરી. આ સભાની ખાસ વાત એ રહી કે, અલગ-અલગ અખાડા અને સંપ્રદાયોના સંતોએ પોતાના મતભેદોને બાજુએ રાખીને એક મંચ પર આવી એકતાનું પ્રદર્શન કર્યું. કાર્યક્રમ દરમિયાન ગિરનાર ક્ષેત્રમાં થતી કથિત અતિક્રમણ પ્રવૃત્તિઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને તેના વિરુદ્ધ પગલાં લેવા માંગણી કરવામાં આવી. આ પ્રસંગે ગિરનારના રક્ષણ માટે એક સંગઠિત સમિતિ રચવાનો ર્નિણય લેવાયો. સાથે જ, સંબંધિત સત્તાધિકારીઓને રજૂઆત કરી એક મહિનાની અંદર યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. જાે સમયસર નિરાકરણ નહીં આવે તો આગળ વધુ આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી. સંતોએ પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો. તેમના કહેવા મુજબ, ગિરનાર આસપાસના જંગલ વિસ્તારમાં કેટલીક જગ્યાએ નિયમોના ઉલ્લંઘન સાથે બાંધકામ થઈ રહ્યું છે, જેને અટકાવવાની જરૂર છે.દુર્લભ અને ઔષધિય વૃક્ષોની સુરક્ષા તથા કુદરતી સંપત્તિને જાળવી રાખવાની માંગ પણ ઉઠાવવામાં આવી. આ ઉપરાંત, ગિરનાર વિસ્તારમાં નવી બાંધકામ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ, બિનઅધિકૃત રચનાઓ દૂર કરવી અને પવિત્ર સ્થળોની મૂળ સ્થિતિ જાળવી રાખવા માટે યોગ્ય પગલાં લેવા કહેવામાં આવ્યું. ધાર્મિક સ્થળો સાથે જાેડાયેલી સંસ્થાઓને આવતી મુશ્કેલીઓ દૂર કરવા અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી. શ્રદ્ધાળુઓ માટે પાણી, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો. તેમજ, ગિરનાર સાથે જાેડાયેલા ધાર્મિક મેળાઓને વિશેષ માન્યતા આપવા અને વધુ સગવડો ઊભી કરવાની માંગ કરવામાં આવી. આ કાર્યક્રમને સ્થાનિક વેપારીઓએ પણ સમર્થન આપ્યું હતું. અંતે, સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જાે સરકાર દ્વારા યોગ્ય અને સમયસર પગલાં નહીં લેવાય, તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, એપ્રીલ 2026 3861   |  
ભરૂચ લાફાકાંડ: ચૈતર વસાવાએ કેમ માર્યો લાફો? સચ્ચાઈ આવી સામે!

ભરૂચ જિલ્લામાં ઝઘડિયા GIDC વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ બાદ ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. પીડિત પરિવારો વળતર અને ન્યાયની માંગ સાથે એકત્ર થયા હતા. આ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર હાજર એક યુવાન સાથે તેમની બોલાચાલી થઈ અને મામલો લાફાકાંડ સુધી પહોંચી ગયો. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઘટનાને લઈને વિવિધ આક્ષેપો સામે આવી રહ્યા છે, જોકે સત્તાવાર રીતે હજી સુધી પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, એપ્રીલ 2026 4257   |  
ગ્રામ પંચાયત ભવન બનાવવા હોય તો ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રાન્ટ ફાળવાશે

ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ નું ગ્રાન્ટ ફાળવણી પર વિવાદિત નિવેદન બાદ મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી દ્વારા જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નું નિર્માણ તથા ૨૧ લાખ ગ્રાન્ટ ફાળવાશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે. શુ ચૂંટણી પંચ પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર સત્તા પક્ષ દ્વારા યેનકેન પ્રકારે પણ સત્તા હસ્તે કરવા વિવિધ હથકંડા અપનાવવામાં આવતાં હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેફામ વાણી વિલાસ કરી ધાકધમકી નું વાતાવરણ ઉભું કરી મતદારો પર હાવી થવાના પ્રયાસ કરતાં હોય ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ મિતેષ પટેલે ગ્રાન્ટ ફાળવણી ના મુદ્દે વિવાદિત નિવેદન કર્યાબાદ વધુ એક ભાજપ નેતા મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ સ્વરાજકીય સંસ્થા ના ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર સમયે વાણી વિલાસ કરતાં હોય તેમ જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નિર્માણ તથા ૨૧ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ચર્ચાની એરણે ચઢવા પામતાં રાજકારણ ગરમાતા શું ચૂંટણી આયોગ આ મુદ્દે પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 5247   |   વડોદરા   |  
યુસુફ પઠાણના સસરા અને તેમના સાળાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણના સસરાની તેમના પુત્ર અને અન્ય એક સંબંધી સાથે ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે બે દિવસ પહેલા, ભાયખલા વિસ્તારમાં એક વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે વ્યક્તિની કાર ખાડામાંથી પસાર થઈ હતી અને તેમાંથી એક પર પાણી છાંટા પડ્યા હતા. ભાયખલા પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસી યુસુફ ખાન શનિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાંથી પાણીના છાંટા પડ્યા અને શોએબ ખાન પર પડ્યા. યુસુફ ખાને પોલીસને જણાવ્યું કે તેણે કાર રોકી અને તરત જ માફી માંગી, પરંતુ શોએબે તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને વાંસની લાકડીથી કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ શોએબે યુસુફ ખાન પર હુમલો કર્યો, જેમાં તેમને ઈજા થઈ.ઘરે પાછા ફર્યા પછી, યુસુફ ખાનના પરિવારે તેને પોલીસ પાસે જવાની સલાહ આપી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં, તેમનો સામનો ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) સાથે થયો, જેણે તેના પુત્ર ઉમરશાદ ખાન, શોએબ અને અન્ય આરોપી શાહબાઝ પઠાણ સાથે મળીને દલીલ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ, ખાલિદ, ઉમરશાદ, શોએબ અને શાહબાઝે યુસુફ ખાન અને તેના સંબંધીઓ પર વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 5247   |   વડોદરા   |  
જમ્યાં બાદ ૪૦૦થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ગઈકાલ સોમવારે રાત્રે ભોજન સમારંભ બાદ ભોજન આરોગનાર ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલાઓને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદમાં એક તરફ લગ્નસરાની મોસમ પુર બહારમાં ખીલી છે. અને ઠેર ઠેર લગ્ન પ્રસંગોના જમણવાર યોજાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આગ ઓકતી ગરમીએ તોબા પોકારાવી દીધા છે. અને આવી આગ ઝરતી ગરમીમાં તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેત રહેવા માટે લોકોને કરવામાં આવતી અપીલ વચ્ચે ગરબાડાના અભલોડ ગામે એક લગ્ન પ્રસંગના યોજાયેલ જમણવારમાં ભોજન કર્યા બાદ ૪૦૦ થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં રીતસર દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના બાદ તાત્કાલિક ધોરણે ખોરાકી ઝેરની અસર પામેલા તમામ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ, તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતાં. જ્યારે ૨૦૦થી વધુ લોકોને ગામમાં જ સ્થાનિક ડોક્ટરો દ્વારા તેમજ ગામના સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગરબાડા તાલુકાના અભલોડ ગામના ગામતળ ફળિયામાંય રહેતા ભરતભાઈ રાઠોડના નાના છોકરાના લગ્ન હોવાથી લગ્નમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવારમાં દાળ, ભાત, પૂરી, શાક, પાપડ, કેરીનો રસ તેમજ પનીરનું શાક વગેરે વ્યંજનો બનાવવામાં આવ્યા હતા. જે ખાધા બાદ ૪૦૦ થી વધુ એટલે કે ૭૦% લોકોને ખોરાકની ઝેરની અસર થઈ હતી. સાંજના છ વાગ્યાથી શરૂ થયેલા જમણવારમાં ભોજન આરોગ્ય બાદ રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ તમામ લોકોને એક પછી એકને ખોરાકી ઝેરની અસર વર્તાતા ગામમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી તમામ અસરગ્રસ્ત લોકોને ૧૦૮ ઇમરજન્સી વાન તથા ખાનગી વાહનો તેમજ જેને જે મળે તે સાધનમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા હતા.૫૦થી વધુ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ૧૫૦થી વધુ લોકોને દાહોદની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર હશે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય અંદાજે ૨૦૦ જેટલા લોકોને ગામમાં જ હાજર પાંચ થી છ ડૉક્ટરો તેમજ પીએસસી સેન્ટરના ડોક્ટરોને બોલાવી હળ પર જ સારવાર આપવાની ગોઠવણ કરવાની ફરજ પડી હતી. આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી જેથી તંત્રએ હાશકારો લીધો છે. કેટલાકને ખોરાકી ઝેરની ગંભીર અસર થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૈકી કેટલાકને આજે સવારે રજા આપી દેવામાં આવી હોવાનું જ્યારે કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ખોરાકી ઝેરની અસર થઈ હોવાની જાણ થતા જ ફૂડ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ સફાળું જાગી ઉઠ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
22, એપ્રીલ 2026 4950   |   વડોદરા   |  
મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે ઓનલાઇન ઈન્જેક્શન વેચતા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી

વડોદરા ખોરક અને ઔષધ નિયમન તંત્રની ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા ગત તા.૨૨મી ડિસેમ્બરના રોજ હાથ ધરાયેલી તપાસમાં રાજ્યમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વડોદરાના દિવાળીપુરા, આર.કે પ્લાઝા સ્થિત હેક્સપ્રેસ હેલ્થકેર કન્સ્યુમર લી,ની શંકાસ્પદ ભૂમિકા જણાતા તેની તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં સારાભાઈ રોડ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે આવેલ એટલાન્ટીસ કોમ્પલ્ક્સમાં આવેલ મેડીકેમેન્ટ સોલ્યુશન પ્રા.લી. નામના મેડીકલ સ્ટોરનું નામ પ્રકાશમાં આવ્યુ હતુ.આ મેડીકલ સ્ટોર દ્વારા મેદસ્વીતા ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા મોન્જારો ક્વીકપેન નામના ઈન્જેક્શનનું વેબસાઈટ પર ભ્રામક જાહેરાતો દ્વારા ગેરકાયદસર રીતે વેચાણ કરવામાં આવતુ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.ત્યારે તંત્રના અધિકારીઓ બનાવટી ગ્રાહક બનીને ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. જેમાં દવા-ઈન્જેક્શન ભરેલુ પાર્સલ, પોસ્ટ મારફતે મળતા જેનુ પંચનામું કરીને કાર્યવાહી કરાઈ હતી. સંસ્થાઓ અને સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા મેળાપીપણુ રચીને ડોક્ટરની સલાહ કે માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન ઓર્ડર મેળવીનેે દર્દીની શારીરીક સ્થિતિની તપાસ કર્યા વગર સીધાજ ધરના સરનામે આ દવાઓ કુરીયર દ્વારા મોલલવામાં આવતી હતી. પ્રક્રિયામાં દવાની ગંભીર આડઅસરો છુપાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતા હતા. તંત્ર દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટના ભંગ બદ્દલ મે.સ. મોડીકેમેન્ટ સોલ્યુશન્સ પ્રા. લી.નું લાયસન્સ તાત્કાલીક કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું હતુ.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, મે 2026 2673   |  
કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને રૂા.૨ લાખનો દંડ ફટકાર્યો

ગાંધીનગરના કલોલ તાલુકામાં વર્ષ ૨૦૨૫માં બનેલી સગીરાના અપહરણ અને શારીરિક શોષણની ગંભીર ઘટનામાં ન્યાયતંત્રએ ચુકાદો આપ્યો છે. કલોલની ચોથી એડિશનલ સેસન્સ કોર્ટે આરોપી રોહિતકુમાર ઉર્ફે ગાગાકુમાર કુશવાહને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.૨ લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, ભોગ બનનાર સગીરાને રૂ.૫ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. કેસની વિગત મુજબ, મે ૨૦૨૫માં આરોપી રોહિતકુમાર છત્રાલ વિસ્તારમાંથી ૧૬ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આરોપી સગીરાને હરિયાણાના ગન્નોર ખાતે લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અત્યાચારને કારણે સગીરા ગર્ભવતી બની હોવા છતાં આરોપીએ તેનું શોષણ ચાલુ રાખ્યું હતું. બનાવ અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સમગ્ર મામલે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ(ન્ઝ્રમ્) અને સાયબર સેલની ટીમને તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સના આધારે જાણવા મળ્યું હતું કે, આરોપી હરિયાણામાં છુપાયો છે. ત્યારબાદ પોલીસની એક ટીમ હરિયાણા પહોંચી સગીરાને મુક્ત કરાવી હતી, પરંતુ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, મે 2026 3267   |  
નારોલ અને મણિનગરમાં નજીવી બાબતે સશસ્ત્ર મારામારી

શહેરના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ગુનાખોરીના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના નારોલ અને મણિનગર વિસ્તારમાં મારામારીની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં સામાન્ય અકસ્માત અને પૈસાની ઉઘરાણી જેવી નજીવી બાબતે તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે હુમલા કરવામાં આવ્યા હતા. નારોલ વિસ્તારમાં આવેલા બાગે શિફા રો-હાઉસ ખાતે ગત ૨૯ એપ્રિલના રોજ રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ એક સામાન્ય અકસ્માતની ઘટના બની હતી. સોસાયટી પાસે બે અજાણ્યા વ્યક્તિઓ વચ્ચે થયેલા અકસ્માતમાં આયેશાબાનુનો ભત્રીજાે ઓસામા વચ્ચે પડ્યો હતો. આ સમયે ત્યાં હાજર રહેલી શબનમબાનુએ ઓસામાને વચ્ચે પડવાની ના પાડતા મામલો ગરમાયો હતો.ઉશ્કેરાયેલા ઓસામાએ શબનમબાનુને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ આયેશાબાનુએ ફોન કરીને તેના પુત્ર રેહાન, પતિ સાજીદ અને અન્ય ૧૦ થી ૧૫ સાગરીતોને લાકડીઓ અને ડંડા સાથે બોલાવી લીધા હતા. આ ટોળાએ શબનમબાનુ, તેની બહેન હુસેનાબાનુ અને પાડોશી મુવીનાબાનુ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ મહિલાઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જાેઈ સ્થાનિકોએ ૧૧૨ નંબર પર ફોન કરતા નારોલ પોલીસની ગાડી તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ચોંકાવનારી બાબત એ છે કે પોલીસની હાજરી હોવા છતાં અસામાજિક તત્વો લાકડીઓ લઈને હુમલો કરવા જઈ રહ્યા હતા, જેમને પોલીસે મહામુસીબતે અટકાવ્યા હતા. ભોગ બનનાર મહિલાએ આક્ષેપ કર્યો હતો કે હુમલો કરનાર આયેશા અગાઉ પણ દારૂ અને ગાંજાના ધંધામાં સંડોવાયેલી છે અને અગાઉ પણ આવા ત્રણ બનાવો બની ચૂક્યા છે. બીજી તરફ, મણિનગર વિસ્તારમાં પૈસાની ઉઘરાણી બાબતે મારામારી થઈ હતી. માતુલ પંડ્યા નામના યુવકના સંબંધીની દુકાને ચાર શખ્સો ઉઘરાણી માટે આવ્યા હતા. આ શખ્સોએ ગાળાગાળી કરી છરી અને ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ યુવકના સંબંધી અને પિતાને ધક્કો મારી પછાડી દીધા હતા. નારોલ પોલીસે આ મામલે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી ૪ થી ૫ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જ્યારે મણિનગર પોલીસે પણ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય બાબતોમાં જે રીતે હથિયારો ઉછળી રહ્યા છે તે જાેતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, મે 2026 3366   |  
છાત્રો કરતા છાત્રાઓએ બાજી મારી, સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અટવાયું

કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ પરિણામમાં દીકરીઓએ મેદાન માર્યું છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ધોરણ ૧૦નું કુલ પરિણામ ૯૯.૩૦ ટકા અને ધોરણ ૧૨નું પરિણામ ૯૮.૯૫ ટકા નોંધાયું છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાયેલી આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું પ્રદર્શન ચડિયાતું રહ્યું છે. આંકડાકીય રીતે જાેઈએ તો, વિદ્યાર્થિનીઓનું પરિણામ ૯૯.૪૬ ટકા રહ્યું છે, જેની સામે વિદ્યાર્થીઓનું પરિણામ ૯૮.૯૩ ટકા આવ્યું છે. આ વખતે બોર્ડ દ્વારા ધોરણ ૧૦ની પરીક્ષા કુલ ૬૭ વિષયોમાં લેવામાં આવી હતી. જેમાં ૨૦ ભારતીય અને ૧૪ વિદેશી ભાષાઓનો સમાવેશ થયો હતો. જ્યારે ધોરણ ૧૨ની પરીક્ષા ૪૫ વિષયોમાં લેવાઈ હતી. એક તરફ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે, ત્યારે બીજી તરફ અમદાવાદની વિવાદિત સેવન્થ ડે સ્કૂલના આશરે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ અટવાતા વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જાેવા મળી રહી છે. અગાઉ વિદ્યાર્થીની હત્યાના મામલે ચર્ચામાં આવેલી આ શાળાના સંચાલકોની કથિત બેદરકારીને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ બન્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. શાળાના પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, બોર્ડના કાઉન્સિલ સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને ટેકનિકલ ક્ષતિને કારણે રિઝલ્ટમાં વિલંબ થયો છે. શાળા દ્વારા વાલીઓને મેસેજ પાઠવી આશ્વાસન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં પરિણામ જાહેર થઈ જશે. જાેકે, અન્ય શાળાઓના પરિણામો સમયસર આવી ગયા હોવાથી સેવન્થ ડે સ્કૂલના વાલીઓમાં સંચાલકો સામે અનેક સવાલો ઊભા થયા છે. બોર્ડ તરફથી પણ આ મામલે ટેકનિકલ ખામી હોવાની પુષ્ટિ કરવામાં આવી હોવાનું શાળાના સત્તાધીશોએ ઉમેરીને જણાવ્યું હતું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, મે 2026 2871   |  
લોકોએ પક્ષ નહિ, ઉમેદવારોને જાેઈને મત આપ્યા

અમદાવાદમાં ફરી ભાજપ સત્તા પર આવ્યું છે. પરંતું ભાજપને ખાડિયા ગુમાવ્યાનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. જાેકે, આ વખતે અમદાવાદના પરિણામાં નવુ જાેવા મળ્યું છે. પક્ષ કરતા વ્યક્તિગત ઉમેદવારોને મતદારોએ વધુ પ્રાધાન્ય આપ્યુ હોય તેવું પરિણામમાં દેખાયુ છે. પક્ષ જાેઈને નહિ, પરંતુ વ્યક્તિગત ઉમેદવારોના ચહેરા જાેઈને મત આપવામાં આવ્યા છે. એક જ પેનલના ઉમેદવારો વચ્ચે હજારો મતનું અંતર વાતને સાબિત કરે છે.શહેરી મતદારોનો મિજાજ હંમેશા ભાજપ તરફી રહ્યો છે. ભાજપ હંમેશા એવુ કહે છે કે, ઉમેદવાર નહિ, ભાજપને વોટ મળે છે. પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાનું પરિણામ નવા સંકેતો તરફ ઈશારો કરે છે. અમદાવાદ પાલિકામાં લોકોએ પક્ષ કરતા વ્યક્તિગત ઉમેદવારો પર વધુ મદાર રાખ્યો છે. જે ઉમેદવારો પર મતદારોને ભરોસો નથી, અથવા તેઓ મતદારોનો વિશ્વાસ કેળવી શક્ય નથી, તેઓને મત મળ્યા નથી. પેનલમાં મળેલી અસમાનતા પરથી આ કહી શકાય. રામોલ-હાથીજણ વોર્ડમાં મોલિક પટેલને ૨૬,૨૭૬ મત મળ્યા જ્યારે સોનલ રબારીને ૨૧,૬૯૬ મત મળતાં બંને વચ્ચે ૪,૫૮૦ મતનો તફાવત નોંધાયો હતો. નવા વાડજમાં અનીતા પટેલ (૨૬,૮૨૮) અને વિરાટ પુરોહિત (૨૨,૬૪૩) વચ્ચે ૪,૧૮૫ મતનું અંતર જાેવા મળ્યું.,સરખેજમાં જેઠી ડાંગરને ૨૭૭૫૫ મત મળ્યા છે. તો હેમા શાહને ૨૩૮૭૦ મત મળ્યા છે. બંને વચ્ચે મતનું અંતર ૩૮૮૫ છે. ,ગોતામાં કેતન પટેલને ૨૮૩૯૧ મત મળ્યા છે. તો હીના પટેલે ૨૪૭૬૧ મત મળ્યા છે. બંને વચ્ચે મતનું અંતર ૩૬૩૦ છે. નિકોલમાં દીપક પંચાલને ૩૮૫૮૦ વોટ પડ્યા છે. તો વિલાસ દેસાઈને ૩૫૦૯૧ મત મળ્યા છે. બંને વચ્ચે મતનું અંતર ૩૪૮૯ છે.,ચાંદલોડિયામાં નંદુભાઈ પટેલને ૨૮૯૯૦ મત પડ્યા છે. તો રાજેશ્રી પટેલને ૨૫૫૦૮ મત પડ્યા. ,નરોડામાં ડો.ચંદા પટેલને ૨૮૩૫૯ મત પડ્યા છે. તો દિવ્યા ખાખીને ૨૪૮૯૭ મત પડ્યા છે. ઠક્કરબાપા નગરમાં જયેશ પટેલને ૨૨૪૪૪ મત મળ્યા છે. તો સામે રૂપાદેવી જાદવને ૧૯૦૮૮ મત પડ્યા છે. અમદાવાદના પરિણામ પર નજર કરીએ તો, એક જ પેનલના ઉમેદવારો વચ્ચે મતનું અંતર મોટું છે. પરિણામાં જાતિગત અને વ્યક્તિગત સંબંધોની અસર જાેવા મળી છે. અમદાવાદમાં વાસણા, સાબરમતી, રાણીપ અને ઈન્દ્રપુરી જેવા વોર્ડમા ઉમેદવારોના મતનું અંતર ૩૦૦૦ ની આસપાસનુ છે. જે બતાવે છે કે, અહી ઉમેદવારોની વ્યક્તિગત છબી વધુ કામ કરી ગઈ છે. લોકો તેમના ઉમેદવારને કેટલા ઓળખે છે, તે સમીકરણો પર પણ જાેવામાં આવ્યા છે. એક જ પક્ષના ઉમેદવારો વચ્ચે નોંધપાત્ર મતફેર જાેવા મળ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, મે 2026 2574   |  
કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ૧૧૪ દિવસમાં ૨ કરોડ ૫૭ લાખ દંડ વસુલાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો, જાહેર જગ્યાઓ અને ફૂટપાથ પર થયેલા ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ૪ મહિનામાં ૭ ઝોનમાંથી ગેરકાયદે બોર્ડ, બેનર, હોર્ડિંગ્સ સહિત અન્ય માલસામાન દૂર કરી તંત્રએ કુલ રૂપિયા ૨ કરોડ ૫૭ લાખથી વધુનો દંડ વસુલ્યો છે. લારી-ગલ્લા દૂર કરાયા: ઉત્તર ઝોનમાંથી ૧૦૯૪, દક્ષિણ ઝોનમાં ૮૩૪, પૂર્વ ઝોનમાં ૯૬૬, મધ્ય ઝોનમાં ૧૦૭૫, પશ્ચિમ ઝોનમાં ૧૫૩૨, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૮૭૩, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૫૧૩. ગેરકાયદે બોર્ડ-બેનર-હોર્ડિંગ્સ હટાવાયા: પશ્ચિમ ઝોનમાં ૭૯૧૧, મધ્ય ઝોનમાં ૩૪૪૩, ઉત્તર ઝોનમાં ૩૪૪૧, પૂર્વ ઝોનમાં ૩૮૧૨, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૨૮૯૨, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૮૩૩, દક્ષિણ ઝોનમાં ૧૭૫૭. ગેરકાયદે પાર્કિંગ: પૂર્વ ઝોનમાં ૨૮૬૭, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૯૯૯, પશ્ચિમ ઝોનમાં ૧૮૮૨, મધ્ય ઝોનમાં ૧૩૩૨, ઉત્તર ઝોનમાં ૧૨૫૯, દક્ષિણ ઝોનમાં ૮૩૧ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૪૨૮. પરચૂરણ માલ સામાનને દૂર કરાયા: પશ્ચિમ ઝોનમાં ૧૩૩૪૯, મધ્ય ઝોનમાં ૮૮૭૮, ઉત્તર ઝોનમાં ૭૪૨૮, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૬૭૬૫, પૂર્વ ઝોનમાં ૬૩૩૬, દક્ષિણ ઝોનમાં ૪૨૫૮ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૨૮૪૩. ૧ જાન્યુઆરી થી ૨૫ એપ્રિલ સુધી છસ્ઝ્ર દ્વારા કુલ રૂપિયા ૨, ૫૭,૨૬,૫૭૦ની વસુલાત કરવામાં આવી છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂપિયા ૮૨,૨૮,૯૫૦, પશ્ચિમ ઝોનમાંથી રૂપિયા ૩૮,૨૨,૦૦૦, પૂર્વ ઝોનમાંથી રૂપિયા ૩૫,૦૧,૪૦૦, ઉત્તર ઝોનમાંથી રૂપિયા ૩૧,૦૫,૫૭૦, દક્ષિણ ઝોનમાંથી રૂપિયા ૨૪,૧૧,૩૫૦, મધ્ય ઝોનમાંથી રૂપિયા ૨૩,૧૧,૩૦૦, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી રૂપિયા ૨૩,૪૬,૦૦૦ની વસુલવામાં આવ્યો છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, મે 2026 2970   |  
૬૦ દિવસથી ચાલતા યુદ્ધની ઘેરી અસર છતાં પેટ્રોલ ડિઝલનાં ભાવ વધાર્યા નથી: હરદીપસિંહ પુરી

કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ વર્ષ ૨૦૨૭ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આ પ્રકારના પ્રાદેશિક સમિટ અન્ય રાજ્યોમાં પણ મોડેલરૂપ અને પ્રેરક બની છે એમ જણાવી ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે વીમા ખર્ચમાં વધારો, કાર્ગોમાં વિલંબ અને સપ્લાય ચેઈનની ગંભીર સમસ્યાઓ વચ્ચે પણ ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ સુરક્ષિત રહ્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું હતું કે, વૈશ્વિક યુદ્ધ, પૂરવઠા સાંકળના સંકટ, હોર્મુઝની ખાડીમાં પેદા થયેલા તણાવ છતાં પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક બોજથી બચાવ્યા છે.આ સંદર્ભે મંત્રીએ કહ્યું કે, જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે, ત્યારે છેલ્લા ૪ વર્ષ અને ૬૦ દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો કરાયો નથી. તેમણે પાડોશી દેશોની સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પશ્ચિમના પાડોશી દેશે એપ્રિલમાં પેટ્રોલના ભાવમાં ૪૨.૭% અને ડીઝલમાં ૫૪.૦૯% નો વધારો કર્યો છે. તેવી જ રીતે ઉત્તર અને દક્ષિણના પાડોશી દેશોમાં પણ ઈંધણના ભાવમાં ૩૯%થી ૬૬% સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. વિશ્વના અન્ય બજારોમાં લાંબી કતારો, રેશનિંગ અને કામના કલાકોમાં કાપ જેવી સ્થિતિ જાેવા મળી છે, પરંતુ ભારતે ‘પેનિક’ (ગભરાટ)ને ક્યારેય પોતાની નીતિ બનવા દીધી નથી. ભારતીય રસોડામાં કોઈ પણ ચીજવસ્તુની અછત વર્તાવા દેવામાં આવી નથી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, મે 2026 2871   |  
ગુજરાતના જીડીપીમાં ૨૫ ટકા ફાળો એકલા સુરતનો, હજુ વધીને ૩૫ ટકા થશે: મુખ્યમંત્રી

આજે ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની સાથે સુરતમાં આજથી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સને રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દેશ વિદેશનાં કોન્સ્યુલેટ અધિકારીઓ, એમ્બેસેડર્સ, ઉદ્યોગપતિઓ, રોકાણકારોને સંબોધતા કહ્યું કે ગુજરાતનાં જીડીપીમાં એકલા સુરતનો હિસ્સો ૨૫ ટકા છે અને આગામી વર્ષોમાં એ વધીને ૩૫ ટકા થવાનો છે. તેમણે દક્ષિણ ગુજરાતમાં આવી રહેલા નવા પ્રોજેક્ટસ તેમજ રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી નીતિઓથી લોકોને માહિતગાર કર્યા હતા.સુરત નજીક ઇચ્છાપોર ખાતે આવેલી પ્રાઇવેટ યુનિવર્સિટી, ઑરો યુનિવર્સિટીનાં પટાંગણમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં જુદા જુદા ૩ ડોમમાં ઉદ્યોગ સમૂહો, સ્ટાર્ટઅપ્સથી લઇને એગ્રો પ્રોડેક્ટસ સુધીના ઉદ્યોગ સાહસિકો પોતાની ચીજવસ્તુઓ, સર્વિસીઝ અને પ્રોડક્ટ્સને ડિસ્પ્લે કરી રહ્યા છે. કોન્ફરન્સનાં ઉદઘાટન સમારોહમાં ૧૦થી વધુ દેશોનાં એમ્બેસેડર્સ, કોન્સ્યુલેટ અધિકારીઓ, હાઇકમિશનર્સ, કેન્દ્ર સરકારનાં મંત્રીઓ, ગુજરાત સરકારનાં મંત્રીઓ, દેશના નામી અનામી ઉદ્યોગપતિઓથી લઇને રાજ્યના લગભગ દરેક ડિપાર્ટમેન્ટનાં સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહને સંબોધતા રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રોજેક્ટસ કે જેઓ દુનિયાભરમાં જાણીતા છે તેની ઝાંખી આપી હતી. તેમણે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી અલગ થઇને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું ત્યારે એવું કહેવાતું હતું કે રણ, દરિયો અને ડુંગરા ધરાવતો આ પ્રદેશ શું પ્રગતિ કરશે? પણ નરેન્દ્ર મોદીએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી ગુજરાતની પ્રગતિની ચર્ચા ચોમેર થવા માંડી. ગુજરાત આજે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ સાથે દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ૨૦૪૭નાં વિકસિત ભારતનાં વડાપ્રધાને આપેલા ધ્યેયને પાર પાડવા રાજ્યનો દરેક જિલ્લો પોતાના આગવા પોટેન્શિયલ સાથે આગળ વધે તે માટે છ રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન ૨૦ જેટલા પ્રાયોરિટી સેક્ટર્સ સાથે તૈયાર થઈ રહ્યાં છે. તેમણે વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાત ૨૦૪૭નો જે રોડમેપ રાજ્ય સરકારે તૈયાર કર્યો છે તેમાં અર્નિંગ વેલ, લિવિંગ વેલનાં ધ્યેય સાથે ૨૦૪૭નું ગુજરાત કેવું હશે તેના લક્ષ્યો નિર્ધારિત કર્યા છે તેની વિગતો આપતાં કહ્યું કે, સેમિકન્ડકટર, ઈ.વી. ગ્રીન હાઈડ્રોજન, એ.આઈ. જેવી ફ્યુચરિસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઈન્વેસ્ટમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ બંન્ને વધારવા છે. મુખ્યમંત્રીએ વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા દક્ષિણ ગુજરાતની આ ફય્ઇઝ્રમાં સહભાગી થઈ રહેલા ઉદ્યોગ-વેપાર જગતનાં અગ્રણીઓને આહવાન કર્યું હતું. સિંગાપોરમાં વેચાતો દર ચોથો હીરો અને ડેનિમ જીન્સ સુરતમાં બનેલાં હોય છે: સિંગાપોરનાં હાઇ કમિશનર આજે સુરતમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સને સંબોધતા સિંગાપોરનાં હાઇકમિશનર સાઇમન વોંગનું વક્તવ્ય સાંભળીને સુરતવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. સિંગાપોરનાં હાઈ કમિશનર સાઈમન વોંગએ ‘જય શ્રી કૃષ્ણ’ સાથે સૌનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ મહાન છે જ્યારે રિજિયોનલ કોન્ફરન્સનાં દિવસે અન્ય ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ પણ જાેડાઈ છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે, આજે બુદ્ધ પૂર્ણિમા પણ છે અને વિશ્વમાં લેબર ડેની પણ ઉજવણી થાય છે. સાઇમન વોંગએ કહ્યું કે સિંગાપોર અને ગુજરાત વચ્ચે બહુ જૂનો નાતો છે, તેમણે કહ્યું કે સિંગાપોરવાસીઓ જે ડેનિમ જીન્સ પહેરે છે તેમાં દર ચારમાંથી ૧ ડેનિમ જીન્સ ફેબ્રિક સુરતમાં ઉત્પાદિત થયેલું હોય છે. એથી આગળ વધતા તેમણે કહ્યું કે સુરતમાં કટ એન્ડ પોલિશ્ડ થયેલા હીરાની સિંગાપોરમાં કુલ નિકાસ ૧૦૦ મિલિયન ડોલર જેટલી જંગી પ્રમાણમાં નોંધાય છે. સિંગાપોરમાં વેચાતા કટ એન્ડ પોલિશ્ડ નેચરલ અને રફ ડાયમંડ્સમાં દર ચોથો હીરો સુરતમાં ઘડાયેલો હોય છે. તેમણે ઉમેર્યું કે ભારતથી સિંગાપોરમાં થતી તમામ પ્રકારની કુલ આયાતમાં એકલા ગુજરાતનો ફાળો ૫૦ ટકા જેટલો જંગી છે. ગુજરાતથી પેટ્રોકેમિકલ્સ, જ્વેલરી, ટેક્સ્ટાઇલ્સ, ફાર્માસ્યુટીકલ્સ અને નવી મશીનરીઓ વિપુલ પ્રમાણમાં સિંગાપોરમાં આયાત થઇ રહી છે. આ સાથે જ તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે છેલ્લા ૧૨થી વધુ વર્ષોથી ભારતમાં સૌથી વધુ મૂડીરોકાણ કરતો કોઇ દેશ હોય તો એ સિંગાપોર છે. સિંગાપોરે ગયા વર્ષે ભારતમાં કુલ ૧૫ બિલિનય અમેરિકી ડોલર જેટલું મૂડીરોકાણ કર્યું છે અને છેલ્લા ૧૪ વર્ષમાં સિંગાપોર ભારતમાં કુલ ૧૭૯ બિલિયન અમેરિકન ડોલર જેટલું મૂડીરોકાણ કરી ચૂક્યું છે. 


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
01, મે 2026 2772   |  
ગુજરાત સ્થાપના દિનની આન, બાન,શાન સાથે ગૌરવ અને ગરિમામય ઉજવણી

ગુજરાત સ્થાપના દિવસને રાજ્ય સરકાર દ્વારા ગૌરવદિન તરીકે ઉજવવામાં આવ્યો છે, આ વર્ષે ગૌરવદિનની ઉજવણીનું સૌભાગ્ય સુરત શહેરને પ્રાપ્ત થયું હતું. રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીયમંત્રી સી. આર. પાટિલ, નાયબમુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાંમંત્રી કનુ દેસાઇ સહિતનાં મંત્રીઓ,ધારાસભ્યો તેમજ રાજ્ય સરકારનાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડુમસરોડ વાય જંકશન ખાતે સુરત પોલીસનાં જવાનો તેમજ અશ્વદળનાં જવાનોએ અદ્ભુત શિસ્તબદ્ધ પરેડ યોજીને મહાનુભાવો તેમજ શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. પોલીસની પરેડ ઉપરાંત પરંપરાગત નૃત્યો સાથે બાલિકાઓએ ગુજરાત ગૌૈરવદિનને ગરિમામય બનાવી દીધો હતો. વિવિધ ટેબ્લો અને પોલીસ જવાનોએ મોટરસાઇકલ ઉપર શ્વાસ અદ્ધર કરી મૂકે તેવા કરતબો કરીને મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોનાં દિલ જીતી લીધાં હતાં. વાય જંકશન ઉપર પરેડ અને નૃત્યનાં કાર્યક્રમ બાદ ડુમસ સી-ફેસ ખાતે ૨૫૦ કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગુજરાત ગૌરવદિનની ઉજવણીને સંગીતમય બનાવી ઉપસ્થિત શહેરીજનોનાં મન મોહી લીધાં હતાં.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
30, એપ્રીલ 2026 4257   |  
૫૦૦ની લાંચ લેતા ઝડપાયેલા ઇ-ધરાનાં નાયબ મામલતદારને ત્રણ વર્ષની સજા

૨૫ વર્ષ પહેલા દસ્તાવેજને હક્કપત્રકમાં દાખલ કરવાની કાર્યવાહી માટે ૫૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયેલા માંગરોળ ઇ-ધરાનાં નાયબ મામલતદારને કોર્ટે કસૂરવાર ઠેરવી ૩ વર્ષની સજા અને રૂ.૧૦,૦૦૦ દંડ ન ભરે તો વધુ એક મહિનાની સજાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવિ છે કે ફરિયાદી દ્વારા પોતાના તથા પત્નીના નામે હથ્થુરણ ગામે આવેલી જમીન (સર્વે નં. ૬૭૧/૧૬૭૧/૪, પ્લોટ નં. ૫૫)નો દસ્તાવેજ સબ-રજિસ્ટ્રાર, માંગરોળ ખાતે નોંધાવ્યો હતો. આ દસ્તાવેજને હક્કપત્રકમાં દાખલ કરવાની કાર્યવાહી માટે આરોપી સન્મુખ કરશનભાઈ ચૌધરી, તત્કાલીન નાયબ મામલતદાર, ઈ-ધરા માંગરોળ (વર્ગ-૩)એ ફરિયાદી પાસે રૂ.૫૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ બાબતે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવતા છટકું ગોઠવાયું હતું. તા.૨૩ માર્ચ ૨૦૧૦ના રોજ લાંચ સ્વીકારતા જ આરોપી રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ કેસમાં સુરત ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૭, ૧૩(૧)(ઘ) તથા ૧૩(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક પ્રક્રિયા દરમિયાન મૌખિક, દસ્તાવેજી સહિતના પુરાવાઓ આધારે આરોપીને દોષિત જાહેર મારવામાં આવ્યો હતો કલમ ૭ હેઠળ ૩ વર્ષની સજા અને રૂ. ૧૦,૦૦૦ દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
30, એપ્રીલ 2026 3564   |  
સુરતનાં જરી ઉદ્યોગની સોનાની ચમક, વર્ષે ૯૦૦ કરોડનો વ્યવહાર

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એમએસ એમઇ, ઔદ્યોગિક અને ક્ષેત્રીય વિકાસને વેગ આપવા માટે તા.૧ અને ૨ મે ના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ની ત્રીજી આવૃત્તિ સુરતમાં યોજાશે વીજીઆરસીની યજમાની કરવાની તક મેળવનાર રાજ્યના આર્થિક પાટનગર સમા સુરત શહેરે તેની વ્યાવસાયિક સુઝબુઝ અને સાહસવૃત્તિથી દેશવિદેશમાં ખ્યાતિ મેળવી છે. હીરા અને કાપડ વ્યવસાયમાં વિશ્વ વિખ્યાત સુરતનો ‘જરી ઉદ્યોગ’આ શહેરની સાહસિકતા, પ્રાચીન ગૌરવને ઉજાગર કરે છે.સુરત શહેરના બેગમપુરા, વાડીફળિયા, ખટોદરા, ભાટેના અને નવાપુરા જેવા વિસ્તારો એક સદી પહેલા સુરતમાં વિકાસ પામેલા જરી ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો રહ્યા છે. મૂળ સુરતના ગોલા-કણબી, ખત્રી, રાણા અને પટેલ જ્ઞાતિના કુટુંબો અંદાજે ૧૨૦ વર્ષ જૂની વંશપરંપરાગત કલાને પેઢી દર પેઢી જીવંત રાખી રહ્યા છે. સુરતની ભૌગોલિક પરિસ્થતિ, અહીંની ભેજવાળી હવા જરીના તારના વણાટ અને ખેંચાણ માટે અત્યંત અનુકૂળ છે. આ જ કારણથી અહીં ઉત્પાદિત જરીની ગુણવત્તા સર્વોત્તમ રહે છે. વર્તમાન સમયમાં સુરતનો જરી ઉદ્યોગ આધુનિકતા સાથે કદમ મિલાવી રહ્યો છે. આજે સુરતમાં ૮૦ ટકા જેટલું ઉત્પાદન સસ્તી અને ટકાઉ મેટાલિક યાર્ન જરીનું થાય છે, જ્યારે ૨૦ ટકા સાચી જરીનું ઉત્પાદન જળવાઈ રહ્યું છે. સુરતના વરાછા, કતારગામ, પુણા વિસ્તારમાં આજે પણ હજારો ખટારા ઘરોમાં ચાલે છે. તેમજ હાલ સુરત ભારતનું ૭૦% જરીનું ઉત્પાદન કરનારું શહેર છે. અને જરી ઉદ્યોગ માટે જરૂરી મશીનરીનું ઉત્પાદન પણ સુરતમાં જ થાય છે. સુરત જરી મેન્યુફેક્ચરિંગ એસોશિયેશનના પ્રમુખ બંકીમચંદ્ર જરીવાલાએ કહ્યું કે, વર્ષોથી અસલ સોના-ચાંદીમાં તૈયાર કરાતી જરી ધીરે ધીરે તાંબા અને કાંસામાં બનતી થઇ અને રિઅલ જરીના વધતા ભાવને કારણે છેલ્લા ૧૦-૧૫ વર્ષથી હવે પ્લાસ્ટીકના તારમાંથી પણ મેટાલિક યાર્ન જરીનું ઉત્પાદન શરૂ થયું છે. હાલ સુરતમાં જરી ઉદ્યોગના ૮૦૦ જેટલા યુનિટ નોંધાયેલા છે. જેનું વર્ષે અંદાજે ૮૦૦ થી ૯૦૦ કરોડનું ટર્નઓવર છે. આ ઐતિહાસિક ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આશરે ૨.૫૦ લાખ લોકો જાેડાયેલા છે, અને આજે પણ ‘જરી’ તેમની આજીવિકાનો મૂળ સ્ત્રોત છે. જરીનો ઉપયોગ મુખ્યત્વે કિંમતી સાડીઓમાં તેમજ ભરતકામમાં કિંમતી પોષાક તૈયાર કરવામાં થાય છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં હાથવણાંટના કુશળ કારીગરો દ્વારા જરીમાંથી બનાવેલી કાંજીવરમ, કોચંપલ, ધર્મવરમ, બેંગ્લોરી કે બનારસી સિલ્કની સાડીઓ પ્રખ્યાત છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution