ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, માર્ચ 2026 1980   |  
જામનગર શહેરમાં પણ કરા સાથે માવઠું:અમરેલીના વાતાવરણમાં પલટો

અમદાવાદ: ગુજરાતમાં થોડા દિવસથી વહેલી સવારે અને મોડી સાંજે થોડી ઠંડક લાગી રહી છે. હવામાન વિભાગે, કરેલ આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રમા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલી અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડ્યા છે. તો કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોમસી વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણ પલટાયું. વડીયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યાં છે. વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. બગસરા શહેરમાં કરા સાથે વરસાદ ખાબકયો. બગસરા પંથકના શાપર, સુડાવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. જામનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જામનગરના લાલપુર પંથકમાં કરા સાથે માવઠું થયુ છે. હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ લાલપુર તાલુકાના અમુક ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. બપોર બાદ એકાએક પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઉદ્ભવ્યા હતા. બબરજર, અપીયા સહિતના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. હજુ આવતીકાલે પણ છે માવઠાની આગાહી કરવામાં આવી છે. અમુક ગામડાઓમાં હજુ ચણા અને ઘઉંનો પાક ખેતરોમાં ઊભો છે, ઉભા પાકમાં નુકસાનીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાેકે બપોરે તો ગરમી જ લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે, ૧૯ અને ૨૦મી તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે ૧૯મી માર્ચના રોજ તો રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં સર્જાયેલું અપર એર સર્ક્યુલેશન હવે પશ્ચિમ રાજસ્થાન ઉપર સ્થિત છે. આ સાથે એક પશ્ચિમી વિક્ષોભ જે મધ્ય અને ઉપલા સ્તરના પશ્ચિમી પહાડી પ્રદેશોમાં એક ટ્રફ તરીકે છે. આ બે સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા માનવામાં આવી રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ધીમે ધીમે  વધારો થવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, આગામી ૩ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ગુજરાતમાં ધીમે ધીમે ૨-૩ ૦ઝ્રનો વધારો થવાની સંભાવના જાેવા મળશે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, મંગળવારે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૩૮.૫ ડિગ્રી નોંધાયું હતું. ૧૯મી માર્ચે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ૨૦ માર્ચ, શુક્રવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
16, માર્ચ 2026 2376   |  
ઉનાના ચકચારી દલિતકાંડમાં ૫ આરોપી દોષિત, દાયકા બાદ સેશન્સ કોર્ટનો ચુકાદો

ઉના , ૧૧ જુલાઈ ૨૦૧૬ના દિવસે સૌરાષ્ટ્રના ઉનાના મોટા સમઢીયાળા ગામે અનુસૂચિત જાતિના લોકો પશુનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે કેટલાક ગૌસેવકો પહોંચ્યા હતા અને મૃત પશુ ગાય છે અને ગૌહત્યા કરી છે, તેવો આરોપ મૂકીને અનુસૂચિત જાતિના ચાર લોકોને કાર પાછળ બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. રાષ્ટ્રીય સ્તરે ચગેલા આ મુદ્દામાં દસ વર્ષ પછી ચૂકાદો આવ્યો છે. ઉનાના ચર્ચિત દલિતકાંડ કેસમાં આજે (૧૬ માર્ચ ૨૦૨૬)ના રોજ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં ૫ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે અન્ય ૩૮ વ્યક્તિઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ૨૦૧૬ની ૧૧ જુલાઈએ ઉનાના સમઢીયાળા ગામે કથિત ગૌરક્ષકો દ્વારા ૪ અનુસૂચિત જાતિના યુવાનોને માર માર્યો હતો અને અર્ધનગ્ન કરીને ઝાયલો ગાડી પાછળ બાંધી ઉનામાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ ચૂકાદા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેસની શરૂઆતમાં નોંધાયેલી હ્લૈંઇમાં અનેક આરોપીઓના નામ સામેલ હતા. જાેકે, ૧ દાયકા સુધી ચાલેલી કોર્ટ કાર્યવાહી, સાક્ષીઓની જુબાની અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે ૫ શખસને ગુનામાં સંડોવાયેલા ગણી દોષિત જાહેર કર્યા છે.દોષિત ઠરેલા આરોપીઓની યાદી: રમેશ જાદવ, રાકેશ જાેશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા, બળવંત ગોસ્વામી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, માર્ચ 2026 3861   |  
ગરીબ પરિવારોને કેરોસીનનો જથ્થો ફાળવાશે

ગાંધીધામ, ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના હાલમાં વિશ્વસ્તરે પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય (જીઓ-પોલિટિકલ) પરિસ્થિતિને કારણે ઊર્જા પુરવઠા પર ઉભા થયેલા જાેખમોને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૧૪૫૨ કેએલ (હજાર લિટર) કેરોસીનનો એડહોક (છઙ્ઘ-ર્રષ્ઠ) જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા (કૂકિંગ) અને પ્રકાશ (લાઇટિંગ) માટે કરવાનો રહેશે એમ અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક યાદી પ્રસિદ્ધ કરીને જણાવાયુ છે. રાજ્યના આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારના અંત્યોદય તથા પીએચએચ પરીવારોને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જેની કાર્યપધ્ધતિ આ મુજબ રહેશે. કેંન્દ્ર સરકારે ફાળવેલ ૧૪૫૨ કેએલ માથી દરેક જિલ્લામાં કલેક્ટર હસ્તક ૩૬ કેએલ (૩૬ હજાર લીટર)ની ફાળવણી કરવામા આવશે. ઉપરોક્ત કેરોસીનના જથ્થામાંથી પરિવાર દીઠ ૫ (પાંચ) લીટર તથા સંસ્થા દીઠ ૨૫ (પચ્ચીસ) લીટર ફાળવણી કલેક્ટર કરી શકશે. આ જથ્થો ૧૨ હજાર લીટરના ગુણાંકમાં કલેક્ટર દ્વારા ડિમાન્ડ મોકલી ઉપાડ કરવાનો રહેશે. કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ પર દેખરેખ રાખવાનુ રહેશે. કેરોસીનના વિતરણમાં પણ આ મુજબના લોકોને પ્રાથમિકતા આપવાની રહેશે. ગ્રામીણ પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લાભાર્થીઓ. શાળા હોસ્ટેલોમાં રહેતા બાળકો અને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓ. રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અન્નક્ષેત્રો અને અન્ય સેવાકીય સંસ્થાઓ. બાંધકામ કે ઔદ્યોગિક એકમોમાં કાર્યરત મજૂર વર્ગની ભોજન તૈયારીના હેતુ માટે. અન્ય સરકારી કે ખાનગી સામાજિક સંસ્થાઓ જે બળતણ માટે સંપૂર્ણપણે એલપીજી પર આધારિત છે. આ ઉપરાંત રાજ્યના નાગરિકોને સાંપ્રત પરિસ્થિતિમાં આ મુજબના સૂચનો કરાયા છે. જેમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ તથા એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારમાં ૨૫ દિવસ તથા ગ્રામીણ વિસ્તારમાં ૪૫ દિવસનુ અંતર રાખવા બાબતની સૂચના બહાર પાડેલ છે. જેથી ગ્રાહકો દ્વારા બિનજરૂરી ઓનલાઇન બુકિંગ માટે પ્રયત્ન કરવામાં ન આવે જેથી સર્વર પરનો લોડ ઘટાડી શકાય. રાંધણ ગેસનો બચાવ કરવા બને ત્યા સુધી કુકરનો ઉપયોગ, કઠોરને પલાળીને તેને બાફવા જેવી બાબતો તેમજ વૈકલ્પિક ઉજાસ્ર્ત્રાેત તરીકે સોલર કુકર વિગેરેનો ઉપયોગ હિતાવહ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, માર્ચ 2026 3069   |  
સુરતમાં ૧૦ હજાર વીવિંગ યુનિટની હાલત કફોડી રાજ્યમાંં બ્રાસ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સેવા ઠપ

જામનગર, સુરત, સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક શહેરો જામનગર અને મોરબી હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ જામનગરમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે કાચા માલની આયાત અટકી છે, તો બીજી તરફ મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પૈડાં થંભી ગયા છે, જેના કારણે હજારો પરિવારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે. જ્યારે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર યુદ્ધની અસર જાેવા મળી રહી છે. સ્ટીમની મદદથી ચલાવાતા ૧૦હજારથી વધારે પાવરલૂમ્સને ગેસ નહીં મળતા આ યુનિટ્સ ડગુમગુ થવા માંડ્યા છે.જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ભંગારની આયાત પર મોટી બ્રેક લાગી છે. આ અંગે જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના તણાવને પગલે દરિયાઈ માર્ગે આવતા ભંગારના કન્ટેનરો અધવચ્ચે ફસાઈ ગયા છે. જામનગરનો ઉદ્યોગ ૭૦ ટકા આયાતી ભંગાર પર ર્નિભર છે અને દરરોજ અંદાજે ૬૦૦ થી ૭૦૦ ટન કાચા માલની જરૂરિયાત હોય છે. હાલ બંદરો પર પડેલા સીમિત જથ્થાના સહારે ઉદ્યોગ માંડ ચાલી રહ્યો છે, જાે પરિસ્થિતિ સુધરશે નહીં તો કારખાનાઓ સંપૂર્ણપણે બંધ થવાની દહેશત છે.બીજી તરફ, મોરબીમાં ગેસની અછતને કારણે સિરામિક એકમોમાં શટડાઉન આવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની હાલત કફોડી બની છે. મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે, અગાઉ જે મોરબીમાં દરરોજ ૭,૦૦૦ થી ૮,૦૦૦ ટ્રકની અવરજવર રહેતી હતી, તે ઘટીને માત્ર ૨૦૦ જેટલી થઈ ગઈ છે. સિરામિક ફેક્ટરીઓ બંધ હોવાથી કાચા માલની આવક અને તૈયાર માલની જાવક ઠપ્પ થતા અંદાજે ૧૬,૦૦૦ જેટલા ડ્રાઈવર અને ક્લીનરો બેરોજગાર બન્યા છે. ગુરુવારે સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આયોજિત ‘કોઓપરેટિવ કોન્ક્લેવ ‘૨૬’ માં હાજરી આપવા આવેલા ૈંહ્લહ્લર્ઝ્રં અને ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યુ હતું કે, સમુદ્રી માર્ગાે પ્રભાવિત થવાને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગેસની કટોકટી ઉભી કરી છે.કોમર્શિયલ ગેસ ન મળવાને કારણે નાના વેપારીઓને પડતી મુશ્કેલી અંગે તેમણે ટકોર કરી હતી કે, આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું? જ્યા સુધી વૈશ્વિક સ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી સહિયારા પુરુષાર્થથી આ સ્થિતિનો સામનો કરવો પડશે.બીજી તરફ, ગેસની આ અછતને કારણે સુરતમાં ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે ૧૦,૦૦૦ જેટલા વીવિંગ યુનિટ્સ હાલ સીધા અસરગ્રસ્ત બન્યા છે. હાઈ-ક્વોલિટી કાપડના ઉત્પાદન માટે ૧૨૦૦ વધુ સ્પીડ ધરાવતા મશીનો પર યાર્નને ગરમી (સ્ટીમ) આપવી અનિવાર્ય હોય છે, જે પ્રક્રિયા ગેસના અભાવે અટકી પડી છે. ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અને વિવર અગ્રણી ચેરમેન અશોક જીરાવાલાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં કાર્યરત ૫૫,૦૦૦ વીવિંગ યુનિટ્સ પૈકી અંદાજે ૩૦% એકમો એવા છે જ્યાં ગેસની મદદથી સ્ટીમ આપવી ફરજિયાત છે. ગેસના ઠપ્પ થયેલા પુરવઠાને કારણે આ એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે, જે આગામી સમયમાં મોટા આર્થિક નુકસાનના સંકેત આપી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, માર્ચ 2026 4950   |  
દીવમાં ગરમીએ તોડ્યો ૧૦૦ વર્ષનો રેકોર્ડ: ૪૧.૩ ડિગ્રી તાપમાન નોંધાયું

દીવ, હવામાન વિભાગે માર્ચથી કાળઝાળ ગરમીના સંકેત આપ્યાં છે. ગુજરાત સહિતના રાજ્યોમાં માર્ચની શરૂઆતથી ભીષણ ગરમી પડી રહી છે. દીવમાં માર્ચની શરુઆતથી જ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. દીવમાં માર્ચ મહિનામાં ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે દીવમાં નોંધાયું હતું ૪૧.૩ ડિગ્રી તાપમાન. અગનભઠ્ઠીમાં શેકાવા માટે તૈયાર થઈ જજાે. હવામાન વિભાગે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. રાજકોટ-સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, બનાસકાંઠા, પાટણમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં આજે ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ભરૂચ, અમદાવાદ, જામનગર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, આ વર્ષે ગરમી સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની શક્યતા છે. માર્ચ મહિનો સરેરાશ કરતાં વધુ ગરમ રહેવાની ધારણા છે, જ્યારે એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં વધઘટ જાેવા મળી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં વંટોળ તોફાનની અપેક્ષા છે, ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે. મંગળવારે ૪૨ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં ૪૧.૨ ડિગ્રી તો ગાંધીનગરમાં ૪૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ નોંધાયું હતું.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, માર્ચ 2026 1980   |   વડોદરા   |  
ઉનાળાની શરૂઆત સાથે જાહેરમાં વેચાતા કેરીના રસના સેમ્પલો લેવાયા

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરીને ખાદ્ય પદાર્થોના ૪૪ નમૂના મેળવીને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.પાલિકાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના દીપ ચેમ્બર, દરબાર ચોકડી, માંજલપુર નાકા, ન્યુ સમારોડ, સમા-સાવલી રોડ, મુક્તાનંદ, કારેલીબાગ, સોખડા રોડ-છાણી, વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ, નેશનલ હાઇવે નં-૮ તરસાલી બાયપાસ, હાથીખાના, વારસીયા, દિવાળીપુરા, પંચવટી-ગોરવા, ઉંડેરા, સેવાસી-ગોત્રી, અલકાપુરી વિસ્તારમાં ખાદ્યપદાર્થો સાથે જાેડાયેલ યુનિટ પર આકસ્મીક ચેકીંગની કામગીરી કરાઈ હતી. દરમિયાન ૧૭ રીટેલર, ૧ઉત્પાદક પેઢી-રીટેલર, ૧ હોલસેલર-રીટેલર, ૧૩ રેસ્ટોરન્ટ મળી કુલ ૩૨ ખાદ્યપદાર્થો સાથે જાેડાયેલ યુનિટ પર ઇન્સપેક્શનની કામગીરી કરાઈ હતી  આ કામગીરી દરમ્યાન ગરમ મસાલો, મરચા પાવડર, હળદળ પાવડર, ધાણા પાવડર, આખી હળદળ, મેથી આખી, જીરૂ આખુ, રાઇ, અળદદાળ, તુવેરદાળ, ચણાદાળ, આટા, બેસન, મેદો, આયોડાઇઝ સોલ્ટ, ટોમેટો કેચઅપ, બુંદી, ગાયનુ દુધ, બટર, પનીર, કેરીનો રસ, મેન્ગો મીલ્ક શેક, રાજભોગ આઇસ્ક્રીમ, રજવાડી આઇસ્ક્રીમ, વેનીલા આઇસ્ક્રીમ, રોસ્ટેડ નટ્સ આઇસ્ક્રીમ, બદામ-પીસ્તા આઇસ્ક્રીમ, કોલ્ડકોકો, ફ્રુટ સલાડ, રીફાઇન્ડ કોટનશીડ ઓઇલ, રીફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, પ્રીપેડ ફુડ વેજદમ બીરયાનીના નમુના મળી કુલ૪૪ ખાદ્યપદાર્થોના નમુના મેળવીને પૃથ્થકરણ અર્થે ફતેગંજ પબ્લીક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ઉપરાંત ૧૨ હોકર્સને સ્વચ્છતા માટે શિડ્યુલ-૪ની નોટીસ આપી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, માર્ચ 2026 693   |   વડોદરા   |  
આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ

ચૈત્રી નવરાત્રીનો આવતીકાલથી શુભારંભ થશે. માતાજીની ઉપાસનાના મહાપર્વ નિમિત્તે ધાર્મિક, શાસ્ત્રોકત પરંપરા મુજબ શહેરના વિવિધ માઈ મંદિરોમાં કળશ સ્થાપન વિશેષ પૂજા અર્ચન ભક્તિ ભજન કીર્તન ભંડારા યોજાશે. ઉપરાંત માઇ મંદિરોમાં હવન યજ્ઞ નવચંડી સહિતના વૈદિક કાર્યોનું મહાત્મ્ય વધશે.ઉપરાંત મહારાષ્ટ્ર સમાજના નવા વર્ષ ગુડી પડવા નિમિત્તે પોતાના મકાનની છત પર ગુડીનું ભાવપૂર્વક રોપણ કરાશે. સાંજે શુભ મુહૂર્તમાં ગુડીનું ઉથાપન કરીને નવ વર્ષની ઉજવણી કરશે. જ્યારે સિંધી સમાજ દ્વારા તેમના નવા વર્ષ નિમિત્તે ચેટી ચાંદની ભવ્ય ઉજવણી કરીને તેમના ઇષ્ટદેવ દરિયા લાલનું ભાવપૂર્વક પૂજન કરશે. દિવસભરના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જ્યારે રાત્રે ભવ્ય આતશબાજી કરી દિવસે મહા રક્તદાનનો કાર્યક્રમ યોજાશે. ચૈત્રી નવરાત્રીનો આવતીકાલથી શુભ પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે માતાજીની ઉપાસનાનું એક પવિત્ર અને મહત્વપૂર્ણ મહાપર્વ માનવામાં આવે છે. આ અવસર પર શહેરના વિવિધ માઈ મંદિરોમાં ધાર્મિક અને શાસ્ત્રોક્ત પરંપરા મુજબ કળશ સ્થાપન કરવામાં આવશે. સાથે સાથે વિશેષ પૂજા-અર્ચના, આરતી, ભક્તિભજન, કીર્તન અને ભંડારા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે. ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જા અને શ્રદ્ધાનો માહોલ છવાઈ જશે. મંદિરોમાં હવન-યજ્ઞ, નવચંડી યજ્ઞ તથા અન્ય વૈદિક વિધિઓ યોજાશે, જેનાથી ધર્મ અને સંસ્કૃતિનું મહાત્મ્ય વધુ પ્રગટ થશે. આ સાથે મહારાષ્ટ્ર સમાજ દ્વારા નવા વર્ષ તરીકે મનાતી ગુડી પાડવા ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવશે. આ દિવસે લોકો પોતાના ઘરના મકાનની છત અથવા પ્રવેશદ્વાર પર શુભ ચિન્હ તરીકે ગુડીનું સ્થાપન કરશે. સાંજે શુભ મુહૂર્તમાં ગુડીનું ઉથાપન કરીને નવા વર્ષની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. ગુડી પાડવા ઉત્સવ નવા આરંભ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.તેવી જ રીતે, સિંધી સમાજ દ્વારા તેમના નવા વર્ષ નિમિત્તે ચેટી ચાંદનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવાશે. આ દિવસે સિંધી સમાજના લોકો તેમના ઇષ્ટદેવ દરિયા લાલની પૂજા-અર્ચના કરશે અને શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજશે. દિવસ દરમિયાન ભજન, સત્સંગ અને અન્ય ધાર્મિક વિધિઓ યોજાશે, જ્યારે રાત્રે ભવ્ય આતશબાજી કરીને આનંદ વ્યક્ત કરવામાં આવશે. ઉપરાંત, આ પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને રક્તદાન જેવા સેવાકીય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે, જે સમાજપ્રતિ સેવા અને માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આમ, ચૈત્રી નવરાત્રી, ગુડી પાડવા અને ચેટી ચાંદ જેવા પવિત્ર તહેવારો શહેરમાં ભક્તિ, આનંદ અને એકતાનું સુંદર વાતાવરણ સર્જશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, માર્ચ 2026 1683   |   વડોદરા   |  
વુડા દ્વારા સેવાસી, ભાયલીના ૧૦ પ્લોટનું વેચાણ કરાશે

વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની મળેલી બોર્ડ મીટીંગમાં આગામી નાણાંકિય વર્ષ માટે જમીન વેચાણનો રૂા.૧૦૦ કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારે સેવાસી અને ભાયલી સ્થિત ટીપી સ્કીમોના ૭૪૧ થી ૩૭૦૦ ચો.મી. વિસ્તાર ધરાવતી જગ્યા પ્રતિ ચો.મીં. ૧.૧૦ લાખથી ૨.૩૨ લાખ સુધીની મિનિમમ અપસેટ વેલ્યુ સાથે ઈ ઓક્શન મારફતે જાહેર હરાજીથી વેચાણ કરવા મંજૂરી આપવામાં આવી છે.ઉપરાંત ખાનપુર- અંકોડિયા અને સેવાસી ખાતેની જગ્યાનું વેલ્યુએશન નક્કી કરવામાં આવ્યુ છેે. તે ભાવે જેટકોન ફાળવવાની દરખાસ્તને પણ મંજૂરી આપવાામં આવી છે.વુડાને વર્ષ ૨૦૨૪-૨૫માં ટીપી સ્કીમોના પ્લોટોના વેચાણ થકી રૂા.૮૦.૬૮ કરોડની આવક થઈ હતી. જ્યારે ચાલુ નાણાંકિય વર્ષમાં રૂા.૧૦૦ કરોડના લક્ષ્યાંક સામે રૂા.૮૩.૩૨ કરોડની આવક થઈ છે. જ્યારે આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાણીજ્ય અને રહેણાંક હેતુની જગ્યાઓના વેચાણ દ્વારા રૂા. ૧૦૦ કરોડના આવકનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.ત્યારે વુડા દ્વારા સાવેલી અને ભાયલી વિસ્તારમાં ટીપી સ્કીમ હેઠળના કોમર્શીલય અને રેસીડેન્સીયલ જગ્યાઓને ઈ ઓક્શન દ્વારા દાહેર હરાજીથી વેચાણ કરવાનું આયોજન કર્યુ છે. આ માટે લેન્ડ ડિસ્પોઝલ કમિટીની મળેલી બેઠકમાં વુડાના માલિકીની જમીનોની કિંમત નક્કી કરવામાં આવી હતી. જેમાં સેવાસીના પાંચ અને ભાયલીના પાંચ મળીને કુલ ૧૯૭૧૩ ચો.મી. જગ્યા જેની અંદાજિત અપસેટ વેલ્યુ રૂા.૨૬૨.૧૧ કરોડ રાખવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, માર્ચ 2026 1782   |   વડોદરા   |  
ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ધડાકાભેર પાર્કિંગમાં ભટકાઈ

શહેરના ઈલોરાપાર્ક ત્રણ રસ્તા પાસે આજે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં પાર્ક કરેલી અન્ય એક કાર અને બાઈકને જાેરદાર ટક્કર મારી હતી. ઘટનાને પગલે પોલીસ પણ દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કાર ચાલક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બેસતા કાર ધડાકાભેર પાર્ક કરેલા વાહનો સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ઈલોરાપાર્ક ત્રણ રસ્તા જેવા ધમધમતા માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે. અકસ્માત સમયે ત્યાંથી પસાર થતા સંદીપભાઈએ જણાવ્યું હતું કે, હું અહીં ટ્રાફિક સિગ્નલ પાસે ઊભો હતો અને સિગ્નલ બંધ હતું. તે સમયે અચાનક પાછળથી એક ગાડી આવી અને મને ટક્કર મારી હતી, જેના કારણે હું નીચે પડી ગયો. એ કાર મને ઘસીને આગળ વધી ગઈ અને પછી વળાંક લઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બીજી એક સ્વિફ્ટ ગાડીને પણ નુકસાન થયું છે. ગાડી ચલાવનાર કોઈ વૃદ્ધ કાકા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કાર ચાલક કાકાને વાગ્યું છે. મને પણ અત્યારે પગમાં થોડો દુખાવો થઈ રહ્યો છે. એ કાકા ગાડીમાં એકલા જ હતા અને તેમની ઉંમર પણ ઘણી વધારે હતી. એવું જાણવા મળ્યું છે કે તેઓ હોસ્પિટલ જઈ રહ્યા હતા અથવા તો ડાયાલિસિસ કરાવીને પરત ફરી રહ્યા હતા. કદાચ ઉંમરના કારણે અથવા ગભરામણમાં બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાઈ ગયું હોય એવું બની શકે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, માર્ચ 2026 1683   |   વડોદરા   |  
સમર્પણ ડેવલોપર્સના પ્રોપરાઇટરની ફ્લેટ બુકિંગના નામે રૂા.૧૫.૨૦ લાખની ઠગાઈ

શહેરના તરસાલી વિસ્તારમાં સમર્પણ ડેવલોપર્સ દ્વારા સમર્પણ ફ્લેટની સ્કીમ લોન્ચ કરાઈ હતી. દિયર અને ભાભીએ ફ્લેટ બુક કરાવ્યા હતા, પરંતુ ઠગ બિલ્ડર જતીન પંચોલીએ બંનેના ફ્લેટ વધુ કિંમતે અન્ય વ્યક્તિને વેચાણ આપી બાનાખત કરી આપ્યું હતું. જેથી, બિલ્ડર પાસે રૂપિયા ૧૫.૨૦ લાખની માંગણી કરવા છતાં આપતો ન હોવાથી તેના વિરુદ્ધ છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. માંજલપુર વિસ્તારમાં ફ્લેટ બુકિંગના નામે છેતરપીંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સંદીપ સોમાભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સમર્પણ ડેવલોપર્સના પ્રોપરાઇટર જતીનભાઈ શાંતિલાલ પંચોલીએ તેમની સાથે વિશ્વાસઘાત કરીને લાખો રૂપિયાની છેતરપીંડી આચરી છે. તરસાલી વિસ્તારમાં સમર્પણ ડેવલોપર્સના પ્રોપરાઈટર જતીન શાંતિલાલ પંચોલી (રહે. સેવાતીર્થ બંગલો દાદા ભગવાનના મંદિર, વરણામા) દ્વારા સમર્પણ ફ્લેટની સ્કીમનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળ નર્મદા જિલ્લાના અને હાલમાં માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે શિવમ ફ્લેટમાં રહેતા સંદીપભાઈ પટેલ વર્ષ ૨૦૨૧ દરમિયાન સમર્પણ ફ્લેટ સ્કીમમાં ફ્લેટ ખરીદવા માટે ડેવલોપર સાથે રૂ. ૮.૫૦ લાખમાં સોદો કર્યો હતો.ડેવલોપરે મંજૂરી વિના બાનાખત રદ કરીને તે જ ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી દીધો જેમાંથી તેમણે રૂ.૫ લાખ એડવાન્સ તરીકે આરટીજીએસ દ્વારા ચૂકવ્યા હતા અને બાકી રકમ પછી ચૂકવવાની શરત રાખવામાં આવી હતી. આ અંગે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં બાનાખત પણ કરવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં તેમની તબિયત ખરાબ થતાં તેઓ લાંબા સમય સુધી સારવાર હેઠળ રહ્યા હતા. આ દરમિયાન ડેવલોપરે તેમની મંજૂરી વિના બાનાખત રદ કરીને તેજ ફ્લેટ અન્ય વ્યક્તિને વધુ કિંમતે વેચી દીધો હતો. બિલ્ડર જતીન પંચોલીએ માત્ર સંદીપભાઈના નાના ભાઈની પત્ની ભાવિશાબેન પાસેથી પણ ફ્લેટ બુકિંગના નામે આશરે રૂ.૧૪.૪૫ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. ઠગ બિલ્ડર ભાભી અને દિયરને ફ્લેટ વેચાણ આપવાના બહાને તેમની પાસેથી લગભગ રૂ. ૧૫.૨૦ લાખની રકમ લીધી હોવા છતાં અન્ય વ્યક્તિને મકાનનું બાનાખત કરી આપી વેચી નાખી હતી.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, માર્ચ 2026 1881   |  
યુસીસી દ્વારા લીવ ઈન રિલેશનશીપમાં રહેનાર લોકો માટે મહત્વપૂર્ણ ર્નિણય

ગાંધીનગર: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી)ને લાગુ કરવા માટે વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં યુસીસી વિધેયક લાવવાનો માર્ગ મોકળો બન્યો છે. ગઇકાલે યુસીસી સમિતિ દ્વારા તૈયાર કરાયેલો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયા બાદ આજે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં રાજયમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી)ને અમલી કરવા માટેની મંજૂરી આપી દેવામાં છે. રાજ્ય મંત્રીમંડળની બહાલી મળતા હવે આગામી તા. ૨૫ માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં યુસીસી વિધેયકને રજૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી સમાન નાગરિક સંહિતા (યુસીસી) માટેની સમિતિએ ઝીણવટપૂર્ણ અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા રાજયમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ-યુસીસી) લાગુ કરવા માટે ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ માટે ગુજરાત સરકાર દ્વારા તા. ૪ ફેબ્રુઆરી-૨૦૨૫ના રોજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં યુસીસી સમિતિની રચના કરાઇ હતી. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ તેમની અંતિમ ભલામણો સાથેનો આખરી અહેવાલ તૈયાર કરાયો હતો. આ આખરી અહેવાલને યુસીસી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઇ અને સમિતિના સભ્યોએ ગઇકાલે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને સમિતિ દ્વારા તૈયાર કરાયેલા યુસીસી અંગેના આખરી અહેવાલને મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં રાજયમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ-યુસીસી) લાગુ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. આ યુસીસીવિધેયકને આગામી તા. ૨૫ માર્ચના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, માર્ચ 2026 2079   |  
ગુજરાત એટીએસે ઉત્તરપ્રદેશમાંથી ડ્રગ્સ ફેક્ટરી ઝડપી: પકડાયેલા બે આરોપીઓ રિમાન્ડ પર

અમદાવાદ: ગુજરાતના વધતા નશાના કારોબાર સામે કડક કાર્યવાહી કરતાં એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) એ મેફેડ્રોન કેસમાં વધુ બે આરોપીઓને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે. ધરપકડ બાદ બંને આરોપીઓને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.વી. જાેષીએ બંને આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં એટીએસેે અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જે હાલ જેલમાં છે. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે એટીએસની ટીમ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી અને ત્યાંથી કપીલદેવ છેદીલાલ શર્મા તેમજ રામશંકર ઉર્ફે પંકજ પરશુરામ કોલીની ધરપકડ કરવામાં આવી. પોલીસ દ્વારા જણાવ્યા મુજબ, આ આરોપીઓ નશીલા પદાર્થોના મોટા નેટવર્ક સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. પ્રજાપતિએ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ આરોપીઓએ અગાઉ પકડાયેલા આરોપી સોહીલ ઉર્ફે ભુરાને આશરે ૩૦૦ ગ્રામ મેફેડ્રોન વેચ્યું હતું. ઉપરાંત, એટીએસની રેડ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ ૫.૯૮૦ કિલોગ્રામ મેફેડ્રોનનો જથ્થો તેમજ ડ્રગ્સ બનાવવાના કેમિકલ અને સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સરકારી વકીલ જયેશ યાદવે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ કેસમાં અનેક મહત્વપૂર્ણ કડીઓ મેળવવાની બાકી છે. જેમ કે, આ ડ્રગ્સની ડિલિવરી માટે અમદાવાદમાં કોણ આવ્યું હતું, આરોપીઓએ કેમિકલ અને સાધનો કોની પાસેથી મેળવ્યા, અને તેઓ કેટલા સમયથી ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ કરતા હતા તે બાબતે તપાસ જરૂરી છે. વધુમાં, આરોપીઓ સાથે અન્ય કોણ કોણ સંકળાયેલા છે, અન્ય ક્યાંય ડ્રગ્સનો જથ્થો છુપાવવામાં આવ્યો છે કે નહીં, તેમજ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે તેમનો કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. તપાસ એ પણ કરવામાં આવશે કે, ડ્રગ્સના વેપારથી મળેલા નાણાં કઈ રીતે વ્યવહાર કરવામાં આવ્યા અને શું આ રકમથી કોઈ મિલકત ખરીદવામાં આવી છે. આરોપીઓના મોબાઇલ ફોનના સીડીઅઆર મેળવી તેમની સાથે સંપર્કમાં રહેલા શંકાસ્પદ લોકો વિશે પણ પૂછપરછ કરવામાં આવશે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એટીએસએ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જાેકે કોર્ટે ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં ટીમ આ કેસમાં વધુ ખુલાસા મેળવવા માટે આરોપીઓની પૂછપરછ કરી રહી છે


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, માર્ચ 2026 1980   |  
જામનગર શહેરમાં પણ કરા સાથે માવઠું:અમરેલીના વાતાવરણમાં પલટો

અમદાવાદ: ગુજરાતમાં થોડા દિવસથી વહેલી સવારે અને મોડી સાંજે થોડી ઠંડક લાગી રહી છે. હવામાન વિભાગે, કરેલ આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રમા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલી અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડ્યા છે. તો કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોમસી વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણ પલટાયું. વડીયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યાં છે. વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. બગસરા શહેરમાં કરા સાથે વરસાદ ખાબકયો. બગસરા પંથકના શાપર, સુડાવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. જામનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જામનગરના લાલપુર પંથકમાં કરા સાથે માવઠું થયુ છે. હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ લાલપુર તાલુકાના અમુક ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. બપોર બાદ એકાએક પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઉદ્ભવ્યા હતા. બબરજર, અપીયા સહિતના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. હજુ આવતીકાલે પણ છે માવઠાની આગાહી કરવામાં આવી છે. અમુક ગામડાઓમાં હજુ ચણા અને ઘઉંનો પાક ખેતરોમાં ઊભો છે, ઉભા પાકમાં નુકસાનીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાેકે બપોરે તો ગરમી જ લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે, ૧૯ અને ૨૦મી તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે ૧૯મી માર્ચના રોજ તો રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં સર્જાયેલું અપર એર સર્ક્યુલેશન હવે પશ્ચિમ રાજસ્થાન ઉપર સ્થિત છે. આ સાથે એક પશ્ચિમી વિક્ષોભ જે મધ્ય અને ઉપલા સ્તરના પશ્ચિમી પહાડી પ્રદેશોમાં એક ટ્રફ તરીકે છે. આ બે સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા માનવામાં આવી રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ધીમે ધીમે  વધારો થવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, આગામી ૩ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ગુજરાતમાં ધીમે ધીમે ૨-૩ ૦ઝ્રનો વધારો થવાની સંભાવના જાેવા મળશે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, મંગળવારે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૩૮.૫ ડિગ્રી નોંધાયું હતું. ૧૯મી માર્ચે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ૨૦ માર્ચ, શુક્રવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, માર્ચ 2026 1683   |  
આવા ઇ-મેઇલથીગુજરાતની પોલીસ કે જનતા ડર રાખતી નથી: હર્ષ સંઘવી

ગાંધીનગર : ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં આવેલી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેના પગલે ગાંધીનગરમાં હલચલ મચી ગઈ હતી. ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ સંદર્ભે ઉપમુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. બેઠક બાદ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આવા ઈ-મેઈલ ફિમેલથી ગુજરાતની પોલીસ કે જનતા ડર રાખતી નથી. આવા પ્રકારના ઈ-મેઈલ અમદાવાદ અને વડોદરામાં પણ મળ્યા છે. ગુજરાત વિધાનસભાને આજે સવારે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જેના કારણે ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને સઘન તપાસણી અભિયાન હાથ ધર્યું હતું. જાે કે, આ ચકાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હતી. જેના કારણે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ સંદર્ભે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાના સંદર્ભ અંગે સમીક્ષા કરી હતી. બેઠક બાદ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગરની જેમ અમદાવાદ અને વડોદરામાં પણ આવા પ્રકારના ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ આવા પ્રકારના કેસની તપાસ દરમિયાન સિમ કાર્ડ વેચનારાઓ સુધી તપાસનું પગેરું પહોંચ્યું હતું. અને કેટલીક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ભારત સરકારને વિસ્તૃત અહેવાલ મોકલવામાં આવ્યો છે. તેમજ બાંગલાદેશ સાથે સિમ કાર્ડ કડી મળી હતી તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભામાં પ્રોટોકોલ અનુસાર ચેકિંગ કરવામાં આવતું હોય છે. હાલમાં વિધાનસભાની કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. આવા ઈ-મેઈલ ફિમેલથી ગુજરાતની પોલીસ કે જનતા ક્યારેય ડર રાખતી નથી. વિધાનસભાના અધ્યક્ષ હોય કે મંત્રી, ધારાસભ્ય હોય કે અધિકારી-કર્મચારી કે પછી સામાન્ય નાગરિક તમામ વિધાનસભા ગૃહમાં બેઠા છે. તેમણે જણાવ્યું હતું કે, ઈ-મેઈલ માલયના સમયે તમામ મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના તમામ લોકો વિધાનસભા પરિસરમાં હાજર હતા. જાે કે, આવા ધમકીભર્યા ઈ-મેઈલોના કારણે સરકાર ડરવાની નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
18, માર્ચ 2026 1683   |  
વિધાનસભામાં બોમ્બની ધમકી:તપાસમાં કંઇ ન મળ્યું

ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી ગુજરાત વિધાનસભાને આજે સવારે ઈમેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વિધાનસભાની બેઠક પૂર્વે આ ધમકીભર્યો ઈમેઈલ મળ્યા બાદ તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરીને વિધાનસભા પરિસરને ખાલી કરાવીને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરાઇ હતી. જાેકે આ ધમકીભર્યા ઈ-મેઈલ સંદર્ભે એવી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા વિધાનસભાને ફરી કાર્યરત કરાઇ હતી અને વિધાનસભાની બેઠક નિયત સમય કરતાં એક કલાક મોડી શરૂ કરવામાં આવી હતી. તપાસમાં કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને વિધાનસભા પરિસર ફરીથી ધમધમતું થયું હતું. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે સવારે ૯ કલાકે વિધાનસભાની બેઠક શરૂ થવાની હતી, પરંતુ વિધાનસભા સચિવાલયના સચિવને વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જેથી વિધાનસભાના સચિવ દ્વારા તાત્કાલિક ધોરણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને જાણ કરવામાં આવી હતી. જેથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને જાણ કરી હતી. જેથી આ મામલે ઉપમુખ્યમંત્રી અને ગૃહ મંત્રી એવા હર્ષ સંઘવીએ ડીજીપીને જાણ કરી હતી. જેથી સુરક્ષા એજન્સીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ધમકીભર્યા ઈ-મેઈલ બાદ વિધાનસભા પરિસરમાં ઉપસ્થિત મંત્રીઓ, ધારાસભ્યો, મંત્રી કાર્યાલયના કર્મચારીઓ, વિધાનસભાના કર્મચારીઓ સહિતના તમામને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિધાનસભા પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. આ ધમકીના પગલે બોમ્બ સ્ક્વોડની ટીમ અને પોલીસની કુમક તાત્કાલિક વિધાનસભા પરિસરમાં પહોંચી ગઈ હતી અને સમગ્ર વિધાનસભા પરિસરમાં સઘન તપાસ શરૂ કરી હતી. સુરક્ષા દળો અને તપાસ એજન્સીઓએ વિધાનસભા ભવનના ખૂણેખૂણાની તપાસ કરી અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં, તે માટે તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ સઘન ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની ધમકીઓ સામે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. તેથી દરેક પગલું અત્યંત કાળજીપૂર્વક લેવામાં આવ્યું હતું. જાેકે, એક કલાક જેટલા સમયની તપાસ બાદ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ધમકીભર્યા ઈ-મેઈલની ઘટનાને પગલે સવારે ૯ કલાકે મળનારી વિધાનસભાના બજેટ સત્રની બેઠક નિયત સમય કરતાં એક કલાક મોડી શરૂ કરવામાં આવી હતી.અમદાવાદની પાંચ સ્કૂલોને પણ ધમકી : શંકાસ્પદ વસ્તુ ન મળી ગુજરાતમાં સ્કૂલો, કોર્ટ, એરપોર્ટ અને સરકારી કચેરીઓને સતત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી છે. આજે સત્ર શરૂ થાય તે પહેલા જ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ભર્યા મેઈલને પગલે પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ દ્વારા વિધાનસભામાં તપાસ શરૂ કરાઈ હતી. બીજી તરફ અમદાવાદમાં પણ પાંચ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો છે. બોર્ડની પરીક્ષાનું પેપર હોવાથી આ પ્રકારની ધમકી મળતાં પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદમાં મહારાજા અગ્રસેન અને આનંદ નિકેતન સહિત સંત કબિરની ત્રણ અલગ અલગ સ્કૂલ અને શાહીબાગની આર્મી સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યાં છે. ૧૦માં ધોરણની બોર્ડની પરીક્ષાનો અંતિમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સ્કૂલમાં અન્ય ધોરણમાં ભણતા બાળકોને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમો દ્વારા સ્કૂલોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છમાં મુંદ્રા પોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ખાલીસ્તાન સમર્થન દ્વારા ધમકી આપવામાં આવી છે. મુંદ્રા પોર્ટ અને એલપીજી ટેન્કર્સ પર પણ હુમલાની ધમકીઓ આપવામાં આવી છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
13, માર્ચ 2026 3069   |  
સુરતમાં ૧૦ હજાર વીવિંગ યુનિટની હાલત કફોડી રાજ્યમાંં બ્રાસ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સેવા ઠપ

જામનગર, સુરત, સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક શહેરો જામનગર અને મોરબી હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ જામનગરમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે કાચા માલની આયાત અટકી છે, તો બીજી તરફ મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પૈડાં થંભી ગયા છે, જેના કારણે હજારો પરિવારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે. જ્યારે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર યુદ્ધની અસર જાેવા મળી રહી છે. સ્ટીમની મદદથી ચલાવાતા ૧૦હજારથી વધારે પાવરલૂમ્સને ગેસ નહીં મળતા આ યુનિટ્સ ડગુમગુ થવા માંડ્યા છે.જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ભંગારની આયાત પર મોટી બ્રેક લાગી છે. આ અંગે જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના તણાવને પગલે દરિયાઈ માર્ગે આવતા ભંગારના કન્ટેનરો અધવચ્ચે ફસાઈ ગયા છે. જામનગરનો ઉદ્યોગ ૭૦ ટકા આયાતી ભંગાર પર ર્નિભર છે અને દરરોજ અંદાજે ૬૦૦ થી ૭૦૦ ટન કાચા માલની જરૂરિયાત હોય છે. હાલ બંદરો પર પડેલા સીમિત જથ્થાના સહારે ઉદ્યોગ માંડ ચાલી રહ્યો છે, જાે પરિસ્થિતિ સુધરશે નહીં તો કારખાનાઓ સંપૂર્ણપણે બંધ થવાની દહેશત છે.બીજી તરફ, મોરબીમાં ગેસની અછતને કારણે સિરામિક એકમોમાં શટડાઉન આવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની હાલત કફોડી બની છે. મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે, અગાઉ જે મોરબીમાં દરરોજ ૭,૦૦૦ થી ૮,૦૦૦ ટ્રકની અવરજવર રહેતી હતી, તે ઘટીને માત્ર ૨૦૦ જેટલી થઈ ગઈ છે. સિરામિક ફેક્ટરીઓ બંધ હોવાથી કાચા માલની આવક અને તૈયાર માલની જાવક ઠપ્પ થતા અંદાજે ૧૬,૦૦૦ જેટલા ડ્રાઈવર અને ક્લીનરો બેરોજગાર બન્યા છે. ગુરુવારે સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આયોજિત ‘કોઓપરેટિવ કોન્ક્લેવ ‘૨૬’ માં હાજરી આપવા આવેલા ૈંહ્લહ્લર્ઝ્રં અને ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યુ હતું કે, સમુદ્રી માર્ગાે પ્રભાવિત થવાને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગેસની કટોકટી ઉભી કરી છે.કોમર્શિયલ ગેસ ન મળવાને કારણે નાના વેપારીઓને પડતી મુશ્કેલી અંગે તેમણે ટકોર કરી હતી કે, આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું? જ્યા સુધી વૈશ્વિક સ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી સહિયારા પુરુષાર્થથી આ સ્થિતિનો સામનો કરવો પડશે.બીજી તરફ, ગેસની આ અછતને કારણે સુરતમાં ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે ૧૦,૦૦૦ જેટલા વીવિંગ યુનિટ્સ હાલ સીધા અસરગ્રસ્ત બન્યા છે. હાઈ-ક્વોલિટી કાપડના ઉત્પાદન માટે ૧૨૦૦ વધુ સ્પીડ ધરાવતા મશીનો પર યાર્નને ગરમી (સ્ટીમ) આપવી અનિવાર્ય હોય છે, જે પ્રક્રિયા ગેસના અભાવે અટકી પડી છે. ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અને વિવર અગ્રણી ચેરમેન અશોક જીરાવાલાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં કાર્યરત ૫૫,૦૦૦ વીવિંગ યુનિટ્સ પૈકી અંદાજે ૩૦% એકમો એવા છે જ્યાં ગેસની મદદથી સ્ટીમ આપવી ફરજિયાત છે. ગેસના ઠપ્પ થયેલા પુરવઠાને કારણે આ એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે, જે આગામી સમયમાં મોટા આર્થિક નુકસાનના સંકેત આપી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, માર્ચ 2026 4158   |  
એથર કંપનીનાં જીવતાં જ્વાળામુખી જેવાં સોલવન્ટનાં પીપ ભરેલાં પાંચ માળનાં વેરહાઉસમાં ૪૦થી વધુ ધડાકા સાથે આગથી દોડધામ

સુરત,  શહેરના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલા એથર કંપનીનાં પાંચમજલી વેરહાઉસમાં બપોરે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ભીષણ આગમાં સોલવન્ટ-કેમિકલ ભરેલા ડ્રમ આગની ઝપેટમાં આવી જતા એક પછી એક એમ કુલ ૪૦થી વધુ બ્લાસ્ટ થયા હતા. જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. શરૂઆતના તબક્કામાં કંપનીના ફાયરબ્રિગ્રેડના જવાનોએ આગને કાબુમાં લેવાની કોશિષ કરી હતી પરંતુ આગ કાબુ બહાર નીકળી જતા ના છૂટકે સુરત ફાયરબ્રિગ્રેડ વિભાગને જાણ કરવાની ફરજ પડી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયરબ્રિગ્રેડ વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને કુલ આઠ ફાયર સ્ટેશનથી ૧૫થી વધુ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. મોડીસાંજે પણ આગ કાબુમાં આવી ન હતી. સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એથર ઇન્ડ્રસ્ટીઝ વિવાદનું પર્યાય બની ગઇ છે. કાયદાને ઘોળીને પી જનારા એથર કંપનીના સંચાલકો અગાઉ લાગેલી ભીષણ આગમાંથી પણ હજુ સુધી કંઈ શીખ્યા નથી. અગાઉ તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૩ના રોજ સચીન જીઆઈડીસીમાં આવેલ એથર ઇન્ડ્રસ્ટીઝમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં નિર્દોષ કુલ ૧૧ લોકોનો ભોગ લેવાયો હતો. પોલીસે આ સમગ્ર કેસમાં કંપનીના સંચાલકો સામે સાપરાધ મનુષ્ય વદ્યનો ગુનો નોંધવાના બદલે પોલીસ જ તેના ખોળામાં બેસી ગઈ હતી. જાે કે આ ઘટનામાં પણ સંચાલકોની બેદરકારી સામે આવી હતી. જયારે આજની ઘટનામાં પણ ફાયરબ્રિગ્રેડ વિભાગને તાત્કાલિક જાણ કરવાના બદલે એક કલાક કરતા વધુ સમય બાદ જાણ કરવાની બેદરકારી દાખવવામાં આવી છે. શહેરના સચીન હોજીવાલા વિસ્તારમાં આવેલ એથર કંપનીના વેરહાઉસમાં બપોરે ૧૨ વાગ્યા પહેલા આગ લાગી હતી. શરૂઆતના તબક્કામાં કંપનીનાં જવાનોએ જ આગને કાબુમાં લેવાની કોશિષ કરી હતી. આ દરમિયાન આગ વધુ ભીષણ બની ગઈ હતી અને કેમિકલ ભરેલા સંખ્યાબંધ ડ્રમ સુધી પહોંચી ગઈ હતી. જેને કારણે એક પછી એક કેમિકલનાં ડ્રમ આગની ઝપેટમાં આવતા બ્લાસ્ટ થયાં હતાં. માત્ર એકથી દોઢ કલાકની અંદર જ ૪૦ થી વધુ ડ્રમ બ્લાસ્ટ થતા આગ કાબુ બહાર બની ગઈ હતી. જેના કારણે એથર કંપનીનાં સંચાલકોએ નાં છૂટકે સુરત ફાયર બ્રિગ્રેડ વિભાગને જાણ કરવાની ફરજ પડી હતી.બપોરે ૧.૦૭ કલાકે ફાયર બ્રિગેડ વિભાગને કોલ મળતાં જ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા શરૂઆતમાં ત્રણ ફાયર સ્ટેશનથી ટીમ રવાના કરવામાં આવી હતી. બાદમાં આગ વધુ ભીષણ હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને ભેસ્તાન, ઉધના, માન દરવાજા, મજુરા, ડીંડોલી, અડાજણ, કતારગામ, કામરેજ સહિતની કુલ આઠ ફાયર સ્ટેશનથી ૧૫ જેટલી ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરત શહેરના ફાયર બ્રિગેડ વિભાગના તમામ ડિવિઝનલ અધિકારીઓને પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડનાં જવાનોએ સતત પાણીનો મારો ચાલુ કરી આગને કાબુમાં લેવાની કોશિષ કરી હતી. જાે કે એથર કંપનીના વેરહાઉસમાં કેમિકલનો મોટો જથ્થો હોવાને કારણે આગ વધુ વિકરાળ બની હતી. મોડી સાંજ સુધી પણ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો. તેમ છતાં આ સંપૂર્ણ કાબુમાં આવી ન હતી. જેથી હાલમાં પણ આગને કાબુમાં લેવાની તજવીજ ચાલુ રાખવામાં આવી છે. પાંચ માળનાં વેરહાઉસમાં સોલવન્ટ જેવા અત્યંત જ્વલનશીલ કેમિકલનો કેટલો સંગ્રહ કરવામાં આવ્યો હતો તેની તપાસ જરૂરી છે. કાયદાને ખીસ્સામાં રાખતાં કંપની માલિકોએ વેરહાઉસ ઉપર ગેરકાયદે ડોમ બનાવી દીધો તક્ષશિલા આર્કેડની આગ પછી શહેરી વિસ્તારમાં બિલ્ડિંગો ઉપર બંધાઇ ગયેલાં ગેરકાયદે ડોમ તોડી પાડવાની ઝૂંબેશ મહાનગર પાલિકા દ્વારા ઉપાડવામાં આવી હતી. સમય જતાં મહાનગર પાલિકાનાં સત્તાધીશો ઢીલાં પડતાં ધીમે ધીમે ગેરકાયદે ડોમ બનાવવાની પ્રવૃત્તિ ફરી ફૂલી ફાલી છે. એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીનાં સચિન હોજીવાલા એસ્ટેટમાં આવેલાં વેરહાઉસ ખાતે પણ પતરાનો ગેરકાયદે ડોમ બનાવી ચારે બાજુથી પેક કરી દેવામાં આવ્યો હોવાનું જણાયું છે. જ્વલનશીલ કેમિકલનો સંગ્રહ કરવામાં આવતો હોવા છતાં પતરાનાં ડોમથી ટેરેસ પેક કરી દેતાં ફાયરબ્રિગેડનાં જવાનોને પાણીનો મારો કરવામાં પણ મુશ્કેલી પડી હતી. વેરહાઉસ ઉપરાંત આસપાસ આવેલી મોટાભાગની ઇમારતો ઉપર ગેરકાયદે ડોમ બનાવાયા હોવાનું દેખાઇ આવ્યું હતું. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સાથે મિલ માલિક દ્વારા ઝપાઝપી એથર કંપનીમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવાની કામગીરી ચાલુ હતી ત્યારે કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થવાના કારણે આગ વધુ વિકરાળ બની બાજુની કંપનીમાં પણ પ્રસરી જતાં બાજુની કંપનીમાં આગ લાગી હતી તેનો માલિક ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પ્રકાશ હેડવ પાસે આવ્યો હતો અને તમે લોકો જાણી જાેઈને આગને કાબુમાં લેતા નથી તેમ કહી ઝપાઝપી કરી હતી. જેથી અન્ય ડીવીઝનલ અધિકારી તથા ફાયર ઓફિસરોએ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. બાજુની મિલમાં બે માળનું સ્ટ્રક્ચર ધરાશાયી એથર કંપનીમાં કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. એથરના વેરહાઉસની બાજુમાં જ આવેલ એક મિલ પણ આગ પ્રસરી ગઈ હતી અને કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થવાના કારણે મીલનું બે માળનું આખું સ્ટ્રક્ચર તૂટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, માર્ચ 2026 3366   |  
ગેસ એજન્સીઓનાં પાપે શહેરમાં રાંધણ ગેસ સીલિન્ડરનાં કાળાબજારની ફરિયાદો

સુરત, મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી ભીષણ યુદ્ધને કારણે ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલિયમ પ્રોડકટ્સ તેમજ લિકવીડ નેચરલ ગેસ (એલ.એન.જી.)ની અછત વર્તાવાની શરૂ થઇ ચૂકી છે. આવી સ્થિતિ વચ્ચે આજે સુરત શહેરમાં કેટલીક રેસિડેન્શિયલ ગેસ સીલિન્ડર એજન્સીઓએ ઓનલાઇન સીલિન્ડર બુકિંગ બંધ કરીને બળતામાં ઘી હોમવા જેવી સ્થિતિ પેદા કરી હતી. ગેસ એજન્સીઓનાં માલિકોએ મનસ્વી રીતે ઓનલાઇન સીલિન્ડર બુકિંગની વ્યવસ્થા બંધ કરી દેતા ગ્રાહકો દોડતાં થઇ ગયાં હતાં અને ગેસ એજન્સી ખાતે કતારો લગાડી દીધી હતી, જાેતજાેતામાં ગેસ સીલિન્ડર મળવાના નથી તેવી અફવાને કારણે લાખો પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ઇરાન વિરૂદ્ધ અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ગેસ સપ્લાયની ચેઇન તૂટી જવા પામી છે અને તેને કારણે કેન્દ્ર સરકારે કમર્શિયલ વપરાશ કરતા ગ્રાહકોના ગેસ સીલિન્ડર સપ્લાયમાં નિયંત્રણ મૂકવા તેમજ રેસિડેન્શિયલ ગેસ સીલિન્ડરમાં કોઇપણ પ્રકારનો શોર્ટ સપ્લાય ના થાય તેની તકેદારી રાખવા માટે દરેક જિલ્લા કક્ષાનાં અધિકારીઓને સૂચના આપી હતી. જાે કે શેઠ (કેન્દ્ર સરકાર)ની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ આજે સુરતમાં જાેવા મળ્યો હતો. રેસિડેન્શિયલ ગેસ સિલિન્ડરનું વિતરણ કરતી કેટલીક ગેસ એજન્સીઓએ આજે સવારે પોતાની બુકિંગ વ્યવસ્થા કે જે ઓનલાઇન હતી તે બંધ કરી દીધી હતી. જેને કારણે સામાન્ય લોકોમાં એવી અફવાઓનું જાેર વધી ગયું હતું કે હવે ગેસ સીલિન્ડર મળવાના નથી આથી લોકોએ ગેસ સીલિન્ડર મેળવવા માટે જાતે જ ગેસ એજન્સીઓ પર પહોંચી જઇને કતારો લગાડી દીધી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા માંડ્યા હતા. લ્લા પુરવઠા અધિકારી એવું કહી રહ્યાં હતાં કે ગેસ સીલિન્ડર વિતરણમાં કોઇ જ તકલીફ નથી અને લોકોને સરળતાથી સીલિન્ડર મળી રહેશે. કોમર્શિયલ ગેસમાં થોડી તકલીફ છે. બીજી તરફ એજન્સીઓએ ગ્રાહકોને ગેસ સિલિન્ડર નહીં આપવા માટે કે.વાય.સી. બાકી છે, ડોક્યુમેન્ટ ઓછા છે વગેરે જેવા બહાના કાઢીને લોકોનાં બુકિંગ લીધા નહીં અને પાછલે બારણે લાગવગીયા ગ્રાહકોને ગેસ સીલિન્ડરોનું વિતરણ કર્યું હોવાની ફરિયાદો લોકોએ કરી હતી. પુરવઠા અધિકારીએ આપેલી માહિતી મુજબ સુરત શહેરમાં ૮.૭૦ લાખ પરિવારોને ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનથી ગેસ પુરવઠો મળી રહ્યો છે. એલપીજીનાં ૭.૦૧ લાખ ગ્રાહકો છે અને જિલ્લામાં ૫૫ એજન્સીઓ છે, સુરત જિલ્લામાં ૭૫ હજાર ગ્રાહકો છે. ગેસ એજન્સીઓ ઉપર મોનિટરિંગ કરવા ૨૧ ટીમો બનાવી છે. એક અંદાજ મુજબ ૮૫ લાખની વસતી ધરાવતા સુરત શહેરમાં પરિવારોની સંખ્યા ૧૯ લાખ જેટલી છે, જેની સામે ૬૦ ટકા વસતી ગેસ સીલિન્ડર પર આધારિત હોવાનું મનાઇ રહ્યું છે. જાે તંત્ર ગેસ એજન્સીઓનાં વહિવટ પર સીધી દેખરેખ નહીં રાખે અગર તો આખ આડા કાન કરશે તો આગામી દિવસોમાં ગેસ સીલિન્ડરના મુદ્દે શહેરમાં ધમાલ મચી જાય તો નવાઇ નહીં હોય.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
11, માર્ચ 2026 3465   |  
શહેરની શાળાઓને તકેદારી રાખવા સૂચના

અમદાવાદ, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી દીધું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો છે. તેમજ ૧૬ માર્ચ સુધી હીટવેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જાે કે અત્યારે બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે. જેથી, કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સૂચના આપી છે કે, પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને બહાર તડકામાં ઊભા રાખવામાં ન આવે અને તેમને કેમ્પસમાં છાંયડામાં રાખવામાં આવે. તેમજ પૂરતા ઠંડા પાણી વ્યવસ્થા કરવાની અને આરોગ્ય વિભાગની ટીમને રાખવાની સૂચના આપી છે. અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, સાથે-સાથે બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે. જાેકે, હવે બોર્ડની પરીક્ષાના સમયમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. જેથી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સલામતીના પગલાં ભરવા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કારણ કે, ધોરણ-૧૦ની પરીક્ષા બપોરે ૧ વાગ્યે પૂર્ણ થતી હોય છે અને ધોરણ ૧૨ની પરીક્ષા ૩ વાગ્યે શરૂ થતી હોય છે ત્યારે આ સમયમાં જ ગરમીનો પારો સૌથી વધુ રહેતો હોય છે. જેથી, અત્યાર સુધી વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં અડધો કલાક પહેલા જ પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ, હવે વિદ્યાર્થીઓને વહેલા પ્રવેશ આપી છાંયડામાં બેસવાની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. ગરમીના કારણે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ રાખવામાં આવશે. ઠંડા પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવા પણ તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે. જેથી ગરમીના આકરા પ્રકોપ વચ્ચે અસહ્ય તાપમાં વિદ્યાર્થીઓને ઊભા નહી રહેવું પડે તેમજ આરોગ્ય વિભાગની ટીમ રાખવામાં આવશે જેના કારણે કોઈ વિદ્યાર્થી બીમાર થાય તો તાત્કાલિક સારવાર આપી શકાય. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પ્રભાવ વધ્યો છે. બપોરના સમયમાં તાપમાન ઊંચું રહેતા વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર બહાર લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે. કેટલાક વિદ્યાર્થીઓને ગરમીથી બીમાર થાય એવી શક્યતા રહેતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષા સેન્ટરોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, વિદ્યાર્થીઓને શક્ય તેટલા વહેલા સેન્ટરમાં પ્રવેશ અપાય અને તેમને છાંયડામાં બેસાડવામાં આવે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
28, ફેબ્રુઆરી 2026 5544   |  
સારોલીનાં વેપારી પાસેથી કાપડ ખરીદ્યા બાદ કોલકાતાનાં દુકાનદારનું રૂ. ૧૬ લાખનું ફ્રોડ

સુરત, સારાલીની શ્યામ સંગીની માર્કેટમાં દુકાન ધરાવતાં રાજસ્થાની વેપારી પાસેથી કાપડ ખરીદીમાં કોલકાતાનાં દુકાનદારે ૧૬.૨૧ લાખનું ચીટિંગ કર્યું હતું. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વેસુ ભરથાણાના રામેશ્વર પેલેસમાં રહેતા નવરતન તુલસીરામ બૈદ કાપડનો ધંધો કરે છે. રાજસ્થાનનાં ચુરુ જિલ્લાના વતની નવરતન બૈજ સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં શ્રી જય અંબે ટેક્સ્ટાઈલ નામથી પેઢી ધરાવે છે. તેઓ અલગ અલગ રાજ્યોનાં વેપારીઓ સાથે દલાલ હસ્તક વેપાર કરતાં આવ્યા છે. દને માર્કેટમાં દલાલીનું કામ કરતાં અને હમ વતની નિરંજન રાઠી સાથે વ્યક્તિગત પરિચય અને ધંધાકીય સંબંધ હતાં. ઓક્ટોબર ૨૦૨૧માં નિરંજન રાઠી બૈદની દુકાને ગયા અને કહ્યું હતું કે, કોલકોત્તાના મોટા વેપારીઓ મારા હસ્તક કાપડની ખરીદી કરે છે. તમે મારા હસ્તક તેમની સાથે વેપાર કરશો તો સારો નફો મળશે, એ વેપારીઓ પાસેથી પેમેન્ટની જવાબદાર મારી રહેશે. જુના સંબંધ હોવાથી દલાલ નિરંજન રાઠીની વાતમાં ભરોસો મૂકી બૈદ ધંધા માટે તૈયાર થયા હતાં. બાદમાં નિરંજને કોલકાતામાં રિદ્ધિ સિદ્ધિ ટેક્સ્ટાઇલ નામથી ધંધો કરતાં વિજય અગ્રવાલ સાથે બૈદને વાત કરાવી હતી. પમેન્ટનો ભરોસો મળતાં નિરંજનની એક ટકો દલાલી નક્કી કરી નવરતને તેના કહેવા અનુસાર માલ મોકલવા માંડ્યો હતો. વિજય અગ્રવાલને ૩૦ નવેમ્બર ૨૦૨૧ થઈ ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાંકુલ ૨,૨૧,૦૦,૪૯૭ કિંમતનું નેટિંગ કાપડ મોકલવામાં આવ્યું હતું. જેમા અગ્રવાલે ૨,૦૪,૭૯,૫૦૫ રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું હતું, જ્યારે બાકીનાં ૧૬, ૨૦,૯૯૨ રૂપિયા મુદ્દા વાયદાનો વેપાર કરાયો હતો. અનેક વખત ઉઘરાણી છતાં ન તો વેપારીએ પેમેન્ટ કર્યું કે ના દલાલે કરાવ્યું. જેથી નવરતને આ બંને સામે સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution