આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધાર્મિક
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગવર્મેન્ટ
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
ધાર્મિક
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
ગુજરાત
14, જુલાઈ 2025
1782 |
સાળંગપુરના સ્વામીની કાર કોઝવેના પાણીમાં તણાઈ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડીરાત્રે એક કરુણ દુર્ઘટનાબે વ્યક્તિનાં મોત થયાં છેસાળંગપુર BAPS મંદિરના સંત શાંતિ ચરિત સ્વામી હજુ પણ લાપતાબોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે ગઈકાલે, 13 જુલાઈ 2025ની મોડીરાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર સાત વ્યક્તિમાંથી બે હરિભક્તના કરુણ નિધન થયા છે, જ્યારે એક નવદીક્ષિત સંત હજુ પણ લાપતા છે. જેઓની છેલ્લા 13 કલાકથી NDRF ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે, જ્યારે ચારનો આબાદ બચાવ થયો છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડીરાત્રે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. સાળંગપુર BAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઈવર દિવ્યેશભાઈ પટેલના દસ વર્ષીય પુત્ર પ્રબુદ્ધ કાછિયા સહિત બે વ્યક્તિનાં મોત થયાં છે, જ્યારે સાળંગપુર BAPS મંદિરના સંત શાંતિ ચરિત સ્વામી હજુ પણ લાપતા છે. કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાં સાળંગપુર BAPS મંદિરના સંત અપૂર્વપુરુષ સ્વામી અને શાંતિચરિત સ્વામી તેમજ હરિભક્તો વિવેક કાપડિયા, નિકુંજ સોજીત્રા, દિવ્યેશ પટેલ (ડ્રાઈવર), કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબુદ્ધ કાછિયા. આ તમામ લોકો સાળંગપુર BAPS મંદિરે રહે છે.મૃતકોનાં નામ : કૃષ્ણકાંત પંડ્યા (આશરે 80 વર્ષ)પ્રબુદ્ધ કાસિયા (આશરે 10 વર્ષ) (બંને રહે. સાળંગપુર BAPS મંદિર)
ગવર્મેન્ટ
14, જુલાઈ 2025
2178 |
દ્વારકા |
દ્વારકા કોરિડોર પ્રોજેક્ટનો આગામી મહિનામાં પ્રારંભ થવાની સંભાવના
જગત મંદિર આસપાસના 100 મીટર વિસ્તારને ટેમ્પલ સ્કવેર તરીકે વિકસાવાશેનવલા નજારાણા સુદામા સેતનું નવીનીકરણ, નાગેશ્વર જયોતિર્લિંગ કોરીડોર, બેટ દ્વારકામાં પણ સુવિધા વિકસાવાશેરાજ્યમાં યાત્રાધામોના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકા કોરિડોર પ્રોજેક્ટનો પણ આગામી મહિનામાં પ્રારંભ થાય તેવી શક્યતાઓ દર્શાવવામા આવી છે. જગત મંદિર પાસે 100 મીટર વિસ્તારને ટેમ્પલ સ્કવેર તરીકે વિકસાવવાનું આયોજન છે. કેન્દ્રીય ટુરીઝમ મીનીસ્ટ્રી તથા ગુજરાત ટુરીઝમ વિભાગના આગામી મહાત્વાકાંક્ષી પ્રોજેકટ પૈકીના મુખ્ય એવા દ્વારકા કોરીડોર પ્રોજેકટનો પ્રારંભ ટૂંક સમયમાં થાય તેવા અહેવાલો સાંપડી રહયા છે ત્યારે મહદંશે દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જયોતિર્લિંગ, શિવરાજપુર બીચને સાંકળતા કોરીડોર પ્રોજેકટનો ઓગષ્ટ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે શિલાન્યાસ થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. યોજના અંતર્ગત દ્વારકાધીશજી જગતમંદિર આસપાસના વિસ્તારને વિવિધ સુવિધાઓ સાથેના ટેમ્પલ સ્કવેર આકારમાં ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે. કેન્દ્રીય ટુરીઝમ વિભાગ તથા રાજ્યના ટુરીઝમ વિભાગ દ્વારા અમદાવાદની ખાનગી કું.ને દ્વારકા કોરીડોર પ્રોજેકટ અંગેની થ્રી-ડીડીઝાઈન તથા વ્યાપક રૂપરેખાની જવાબદારી સોંપાયેલ હોય જેમના દ્વારા રજૂ કરાયેલ પ્રેઝન્ટેશન તથા હૃદય યોજના અંતર્ગત પ્રોજેકટ રીપોર્ટમાં ફર્સ્ટ ફેઈઝમાં દ્વારકાધીશ જગતમંદિર આસપાસના 100 મીટરના વિસ્તારનો વિકાસ થશે જેને ટેમ્પલ સ્કવેર તરીકે ઓળખવામાં આવશે જેમાં મંદિર પરિસર સાથે સાથે ભવ્ય કોરીડોર પણ સમાવિષ્ટ હશે. સાથે સાથે દ્વારકા તેમજ આસપાસના ધાર્મિક અને ટુરીઝમ કેન્દ્રોનો પણ વિકાસ કરવામાં આવનાર હોય જેના ભાગરૂપે ગોમતી નદીને સામે ઘાટે આવેલ પંચનદ તીર્થ સાથે જોડતાં સુદામા સેતુનું પણ નવીનીકરણ કરાશે.દ્વારકાથી 16 કિમી દૂર આવેલ દ્વાદશ જયોતિર્લિંગને પણ નાગેશ્વર જયોતિર્લિંગ કોરીડોરને ‘લાઈવ ઓફશિવા''ની વિશેષ થીમ હેઠળ વિકાસાવાશે. સાથોસાથ સુદર્શન સેતુના નિર્માણ બાદ બેટ દ્વારકા રોડ રસ્તે જોડાઈ જતાં ત્યાં યાત્રાળુઓના પ્રવાહમાં સતત વૃદ્ધિ જોતાં બેટ દ્વારકાનો માળખાગત રીતે વિકાસ કરી પ્રવાસનલક્ષી સુવિધાઓ ક્રમશઃ ઊભી કરવામાં આવનાર છે. આ સાથે બેટ દ્વારકાધીશ મંદિરનું બ્યુટીફીકેશન પણ કરવામાં આવનાર છે.
ગુજરાત
11, જુલાઈ 2025
1782 |
બનાવટી દસ્તાવેજાે પર થતા કૌભાંડનો પર્દાફાશ કર્યો
દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ એ માછીમારી બોટોના બનાવટી રજીસ્ટ્રેશન અને લાયસન્સ સંબંધિત એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં બોગસ બિલો અને નકલી દસ્તાવેજાેના આધારે જૂની માછીમારી બોટોનું રજીસ્ટ્રેશન કરીને કરોડો રૂપિયાનું નાણાકીય નુકસાન કરવામાં આવ્યું હતું. આ કેસમાં દ્વારકા અને ભાવનગર જિલ્લામાંથી અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ભાવનગરના નિવૃત્ત ગુજરાત મેરીટાઇમ બોર્ડ સુપરિન્ટેન્ડેન્ટ તરુણ રાજપુરા સહિત કુલ ૧૪૫ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કૌભાંડની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓએ બનાવટી દસ્તાવેજાે અને બોગસ બિલોનો ઉપયોગ કરીને જૂની અને નોન-ઓપરેશનલ માછીમારી બોટોનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ રજીસ્ટ્રેશન દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને નાણાકીય લાભ મેળવવામાં આવ્યો હતો. આ કૌભાંડનું કદ કરોડો રૂપિયામાં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. દ્વારકા અને ભાવનગર જિલ્લામાં એક સાથે ઝડપી કાર્યવાહી કરીને આ કૌભાંડમાં સંડોવાયેલા અનેક આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં ભાવનગરની બે પેઢીઓના માલિકો, ચાર એજન્ટો અને ૫૦ માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, નિવૃત્ત સુપરિન્ટેન્ડેન્ટ તરુણ રાજપુરા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે, જેઓ આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવતા હોવાનું મનાય છે. પોલીસે કુલ ૧૪૫ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાં બનાવટી દસ્તાવેજાે બનાવવા, તેનો ઉપયોગ કરવો અને સરકારી તંત્રને નુકસાન પહોંચાડવાના આરોપોનો સમાવેશ થાય છે.
ગવર્મેન્ટ
11, જુલાઈ 2025
1881 |
ગોંડલ |
ગોંડલમાં કરંટ લાગતાં PGVCLના બે વીજકર્મીઓના મોત
કર્મચારીઓ ફીડરમાં કામ કરી રહ્યા હતા દરમિયાન કરંટ લાગ્યોગોંડલની સબ જેલ સામે પીજીવીસીએલના કર્મચારી ફીડરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક કરંટ લાગતાં બે કર્મચારીઓના મોતા નીપજ્યા છે. બંને યુવા કર્મચારીઓના મોતથી શોકનો માહોલ છવાયો છે. જ્યારે પીજીવીસીએલ સામે કર્મચારીઓની સુરક્ષાને લઇને સવાલો ઉભા થયા છે. મળતી વિગતો મુજબ પીજીવીસીએલ દ્વારા છેલ્લા ચાર દિવસથી શ્રીહરિ ફીડરમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. આ કામમાં 25 જેટલા કર્મચારીઓ જોડાયેલા હતા. ત્યારે અચાનક વીજ પ્રવાહ ચાલુ થઇ જતાં ભગવાનસિંગ રામલાલ ભીલ (ઉ.વ.22) અને સુરજકુમાર બનેસિંગ ભીલ (ઉ.વ.20)ને કરંટ લાગવાથી મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બે યુવા કર્મચારીઓના મોત નિપજ્યાં હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. તો બીજી તરફ વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઇને ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
08, જુલાઈ 2025
1683 |
પિતાનો બદલો લેનાર રાજકુમારે કેવી રીતે ભુજની સ્થાપના કરી ?
મધ્ય ગુજરાત
વધુ વાંચો
બિઝનેસ
14, જુલાઈ 2025
2574 |
વડોદરા |
FGD નિયમમાં છૂટછાટથી પ્રતિ યુનિટ વીજ ઉત્પાદન ખર્ચ 25-30 પૈસા ઘટશે, ગ્રાહકોને લાભની શક્યતા
મોટાભાગના કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સ માટે સલ્ફર ઉત્સર્જનના નિયમોને સરળ બનાવવા માટે સરકારના પગલા, આબોહવા અને તેના અનુપાલન વચ્ચેના નાજુક સંતુલનને હકારાત્મક અસર કરે છે તેના પરિણામે વીજળીના ખર્ચમાં યુનિટ દીઠ 25-30 પૈસાનો ઘટાડો થવાની ધારણા છે, એમ કેન્દ્રીય પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયના અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.સરકારે ફ્લ્યુ-ગેસ ડિસલ્ફ્યુરિસેશન (FGD) સિસ્ટમ્સ સ્થાપવાના 2015 ના આદેશને ગેઝેટ જારી કરી પ્રતિબંધિત કર્યો છે જે ફક્ત દશ લાખથી વધુની વસ્તીવાળા શહેરોના 10 કિલોમીટરની અંદર આવેલા વીજ પ્લાન્ટમાંથી નીકળતા વાયુઓમાંથી સલ્ફરને દૂર કરે છે.ફ્લ્યુ ગેસમાંથી સલ્ફર ડાયોક્સાઇડ (SO₂)ને દૂર કરવા માટેની ફ્લુ ગેસ ડીસલ્ફ્યુરિસેશન (FGD) સિસ્ટમને હવે ફકત ગીચ શહેરી ક્ષેત્રોની નજીક આવેલા અથવા ગંભીર પ્રદૂષિત વિસ્તારોમાં આવેલા પાવર પ્લાન્ટ માટે ફરજીયાત કરવામાં આવશે તેવી કેન્દ્રના પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયે જાહેરાત કરી છે. જ્યારે ભારતની સ્થાપિત કોલસાની ક્ષમતાના લગભગ 79 ટકાના મોટાભાગના સલ્ફરનું નીચું પ્રમાણ ધરાવતા સ્વદેશી કોલસા ઉપર ચાલતા પાવર પ્લાન્ટને મુક્તિ અપાશે.સૂચનામાં જણાવાયું છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિગતવાર વિશ્લેષણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં હાલના નિયંત્રણ પગલાંની કામગીરીના પરિણમે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં વધારો જોવા મળ્યો હતો.ઉદ્યોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ શહેરી વસ્તીની ગીચતા અને વપરાયેલા કોલસાની સલ્ફર સામગ્રીના આધારે અલગ પાલન તરફ દોરી જશે.આઇઆઇટી, નવી દિલ્હી, સીએસઆઈઆર-નીરી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ (એનઆઈએ)ના શ્રેણીબદ્ધ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતના મોટાભાગના ભાગોમાં એમ્બિયન્ટ સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર રાષ્ટ્રીય એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ (એનએએક્યુ) ની અંદર છે. આ પ્રસ્તુત નવા માળખાને વિસ્તૃત ચર્ચાઓ અને બહુવિધ સ્વતંત્ર અભ્યાસ પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.બહુવિધ શહેરોમાંના માપદંડોમાં સલ્ફર ઓકસાઈડનું સ્તર ક્યુબિક મીટર દીઠ 3 થી 20 માઇક્રોગ્રામની વચ્ચે હતું, જે ક્યુબિક મીટર દીઠ 80 માઇક્રોગ્રામના એનએએક્યુએસ થ્રેશોલ્ડની નોંધપાત્ર નીચે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અભ્યાસુઓએ ભારતીય સંદર્ભમાં સાર્વત્રિક FGDના આદેશની પર્યાવરણીય અને આર્થિક અસરકારકતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.ભારતીય કોલસામાં સામાન્ય રીતે 0.5 ટકાથી ઓછી સલ્ફર સામગ્રી હોય છે, અને નોંધપાત્રઉંચાઈ અને હવામાનની અનુકૂળ સ્થિતિને કારણે SO2 નું ડિસ્પર્સન કાર્યક્ષમ છે. NIASના અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે દેશભરમાં એફજીડીનના રેટ્રોફિટીંગથી વર્ષ 2025 અને 2030 ની વચ્ચે ચૂનાની ખાણના ખાણકામ, પરિવહન અને વીજ વપરાશને કારણે અંદાજે 69 મિલિયન ટન કાર્બનનું ઉત્સર્જન ઉમેરાશેઉદ્યોગ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ધોરણોમાં છૂટછાટના કારણે વીજળીનો યુનિટ દીઠ ઉત્પાદન ખર્ચ 25-30 પેસા ઘટવાની ધારણા છે.જેનો સરવાળે લાભ ગ્રાહકોને થશે. ઉંચી માંગ, સંવેદનશીલ ખર્ચ અર્થવ્યવસ્થામાં આ અસર નોંધપાત્ર બની શકવા સાથે રાજ્યના ડિસ્કોમ્સમાં ટેરિફ શામેલ કરવામાં અને સરકારો પર સબસિડીનો ભાર ઘટાડવામાં મદદ કરશે.અગાઉ ફરજિયાત એફજીડીના રીટ્રોફિટિંગનો આર્થિક બોજ રૂ. 2.5 લાખ કરોડથી વધુ અથવા મેગાવોટ દીઠ રુ.1.2 કરોડથી વધુ હોવાનો અંદાજ હતો, જેમાં યુનિટ દીઠ 45 દિવસની સ્થાપનાની સમયરેખા હતી. કેટલાક વીજ ઉત્પાદકોએ ચેતવણી આપી હતી કે આ માત્ર ખર્ચમાં વધારો નહીં કરે પણ પીક સીઝનમાં ગ્રીડની સ્થિરતાને પણ જોખમમાં મૂકી શકે છે.ઔદ્યોગિક વર્તુળોએ કેન્દ્રના આ નિર્ણયને આવકારતા કહ્યું છે કે "આ એક તર્કસંગત,વિજ્ઞાન આધારિત પગલું છે જે બિનજરૂરી ખર્ચને ટાળીને જ્યાં સૌથી વધુ જરૂર છે,એવા નિયમન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, તે વીજળીને કીફાયતી રાખવામાં મદદ કરશે.એવો પ્રતિભાવ જાહેર ક્ષેત્રના યુટીલિટી ક્ષેત્રના વરિષ્ઠ એક્ઝિક્યુટિવએ આપ્યો હતો.સરકાર પર્યાવરણીય સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે એમ ભારપૂર્વક જણાવતા અધિકારીઓએ ઉમેર્યું હતું કે અમારો અભિગમ હવે લક્ષ્યાંકિત, કાર્યક્ષમ અને આબોહવા સંતુલન-સભાન છે. આ તારણોને સમાવિષ્ટ કરતું એક સોગંદનામું ટૂંક સમયમાં એમસી મહેતા વિ ભારત સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવશે કે જ્યાં એફજીડીના અમલીકરણની સમયરેખા ન્યાયિક ચકાસણી હેઠળ છે.
શિક્ષણ
14, જુલાઈ 2025
1881 |
વડોદરા |
MSUની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા "પ્રજ્ઞાન"નું આયોજન
ઓરિએન્ટેશન કાર્યક્રમ થકી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભએમ. એસ. યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા આજે સવારે 9:30 વાગ્યાથી કોન્સર્ટ હોલ ખાતે નવા પ્રવેશિત વિદ્યાર્થીઓ માટે "પ્રજ્ઞાન ઓરિએન્ટેશન કાર્યક્રમ" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને ફેકલ્ટી, તેની વિવિધ શાખાઓ તથા યુનિવર્સિટી સંલગ્ન સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપીને તેમની અભ્યાસ યાત્રાની શરૂઆતમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો રહ્યો. કાર્યક્રમનો પ્રારંભ ભારતીય શાસ્ત્રીય સંગીત - વોકલ વિભાગના વડા ડૉ. રાજેશ કેળકર દ્વારા ફેકલ્ટીનો ઇતિહાસ અને ગાયન વિભાગનો પરિચય આપીને કરવામાં આવ્યો. ત્યારબાદ, અનુક્રમે ડૉ. ત્રિલોક સિંઘ મહેરાએ નાટ્ય વિભાગ, ડૉ. વિશ્વાસ સંતે વાદ્ય વિભાગ (સિતાર-વાયોલિન), ડૉ. દિવ્યા પટેલે નૃત્ય વિભાગ (ભરતનાટ્યમ તથા કથ્થક), તથા ડૉ. કેદાર મુકાદમે તબલા વિભાગની જાણકારી અને પરિચય આપ્યો. આ ઉપરાંત, SSIP 2.0 (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી) અંતર્ગત સ્ટાર્ટઅપ અવેરનેસની માહિતી ડૉ. પ્રશાંત મુરુમકરે અને ડૉ. કેદાર મુકાદમે (ફેકલ્ટી કોઓર્ડિનેટર) આપી હતી. ડૉ. ધવલ નામજોશીએ શારીરિક શિક્ષણ વિભાગ, ડૉ. શ્વેતા પ્રજાપતિએ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, ડૉ. સોનલ મિશ્રાએ યુનિવર્સિટી હેલ્થ સેન્ટર, ડૉ. વિજય પરમાર અને હિરલ પરમારે અનુક્રમે NCC અને NSS, મોના પરમારે લાઇબ્રેરી અને કિરણ કંસારાએ ફેકલ્ટી ઑફિસ વિશે વિસ્તૃત માહિતી આપીને વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની વિવિધ સુવિધાઓથી વાકેફ કર્યા. સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર જનક જાસકિયાએ વિદ્યાર્થી જીવનમાં રમતગમતના મહત્વ પર પ્રકાશ પાડ્યો, જ્યારે વિદ્યાર્થી કોઓર્ડિનેટર ડૉ. જયદીપ લકુમે વિદ્યાર્થીઓને શૈક્ષણિક તથા સંસ્થાગત સંલગ્નતાનું માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમના અંતે, ફેકલ્ટીના ડીન પ્રો. ગૌરાંગ ભાવસારે વિદ્યાર્થીઓને ઉદ્બોધિત કરતાં જણાવ્યું કે: "આ સંસ્થાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, તેમાં ચાલી રહેલા શિષ્ટાચાર અને સર્જનાત્મકતાનો સંગમ વિદ્યાર્થીઓ માટે માત્ર શિક્ષણ નહીં પરંતુ જીવનમુલ્ય શીખવાનું માધ્યમ બની રહે છે." આજના ઓરિએન્ટેશન કાર્યક્રમે નવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવ્યો હતો અને તેમણે આવનારી શૈક્ષણિક સફર માટે પ્રેરણા મેળવી. કાર્યક્રમનો ઉદ્ઘાટનથી અંત સુધી ઉત્સાહભેર અને સન્માનપૂર્વક સમાપન થયો હતો, જે નવા શૈક્ષણિક સત્રના શુભારંભનો સંકેત આપે છે.
બિઝનેસ
14, જુલાઈ 2025
2772 |
વડોદરા |
ગંભીરા બ્રિજ તૂટતા જિલ્લાના અર્થતંત્રને વર્ષે ₹1,000 કરોડનો ફટકો
દક્ષિણ ગુજરાતનું સૌરાષ્ટ્ર સાથેનું કનેક્શન તૂટ્યુંપાદરાના મુજપુર પાસેનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાએ વડોદરા જિલ્લાના અર્થતંત્ર પર ગંભીર અસર કરી છે. જાણકારોનું માનવું છે કે, આ ઘટનાને કારણે જિલ્લાના અર્થતંત્રને વાર્ષિક અંદાજે રૂપિયા 1,000 કરોડ નો ફટકો પડશે. વડોદરા અને દક્ષિણ ગુજરાતનું સૌરાષ્ટ્ર સાથેનું સીધું જોડાણ તૂટી જતાં વાહનવ્યવહાર માટે લાંબા અંતર કાપવા પડશે. પાદરામાં નાની-મોટી મળીને કુલ 186 કંપનીઓ આવેલી છે, જેમાં કેટલીક કંપનીઓ આયાત-નિકાસના વ્યવસાય સાથે પણ સંકળાયેલી છે અને કંડલા-મુંદ્રા પોર્ટ પરથી આ કામગીરી કરે છે. ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બાદ આ કંપનીઓને માલસામાનની હેરાફેરી કરવા માટે 40 થી 50 કિલોમીટર લાંબો ફેરો લગાવવો પડશે. આનાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડશે અને ટોલટેક્સ પણ લાગવાથી કંપનીઓનો ખર્ચ વધશે. ઉપરાંત, કર્મચારીઓને લાવવા-લઈ જવામાં પણ મુશ્કેલીઓ પડશે, ફ્યુઅલનો ઉપયોગ વધશે અને જે તે સ્થળે પહોંચવામાં સમયનો પણ વ્યય થશે. સૌરાષ્ટ્રથી સુરત-મુંબઈનો વાહનવ્યવહાર પણ મોટાભાગે આ રૂટ પર હતો, જેની પણ આર્થિક અસરો રહેશે. પૂર્વ ધારાસભ્ય જાપાલસિંહ પઢિયાર ના કહેવા મુજબ, પાદરાના અંદાજે 1,500 જેટલા વિદ્યાર્થીઓ ભાદરણ અને આણંદની કોલેજોમાં અભ્યાસ કરે છે, તેમને આવવા-જવામાં તકલીફ પડશે. તેમજ પાદરાની કંપનીઓમાં આણંદ, બોરસદ, આંકલાવ, આસોદર અને ખંભાતના બદલપુર સુધીના પાંચ હજાર જેટલા કામદારો કામ કરવા આવે છે. તેઓ સવારે 7 વાગ્યે કંપની પર પહોંચવા મળસકે 4.30 વાગ્યેથી નીકળતા હતા, જે હવે શક્ય બનશે નહીં. ત્રણ શિફ્ટમાં કામ કરવું પણ શક્ય ન હોવાથી રોજગારી ઉપર પણ મોટી અસર થશે. પાદરા એ.પી.એમ.સી. માર્કેટમાં ખંભાતથી લઈ આણંદ અને ખેડાના ખેડૂતો મોટી સંખ્યામાં શાકભાજી વેચવા આવે છે. હવે, ખાસ શાકભાજીની ખેતી પર નભતાં ખેડૂતોને પણ મુશ્કેલી પડશે કારણ કે તેમને સિપરોટ બ્રિજ પરથી નાના વાહનોમાં શાકભાજી લઈને આવવું પડશે જેથી નુકસાન ન થાય. પઢિયારે વધુમાં ઉમેર્યું કે, સૌરાષ્ટ્રનું સુરત સાથે સૌથી વધુ કનેક્શન છે. દિવાળીના તહેવારોમાં રોજની સરેરાશ 1 હજાર સુરત પાસિંગની ગાડીઓ નીકળતી હતી, તેમને પણ તકલીફ થશે. આ સિવાય અંબાજી, ચોટીલા, હાટકેશ્વર જનારા પદયાત્રીઓને પણ અસર થશે. મહી નદીના સામસામે કિનારા પર રહેતા લોકો વચ્ચેનું સામાજિક જોડાણ પણ તૂટી ગયું છે. જ્યાં સુધી બ્રિજનું સમારકામ ન થાય, ત્યાં સુધી નોકરિયાત વર્ગને પાદરા કે જંબુસર રહેવા આવવું પડે તેવી સ્થિતિ છે. ભારે વાહનો માટે બ્રિજ બંધ થતા ટ્રાન્સપોર્ટેશન સેક્ટરને અસર : ભારે વાહનો માટે બ્રિજ બંધ થતાં ટ્રાન્સપોર્ટેશન સેક્ટરને મોટી અસર થઈ છે, જેના કારણે આર્થિક નુકસાન વધશે.વિક્રમ પઢિયાર ગુમ થવાની નોંધ : બ્રિજ તૂટવાની ઘટનામાં ગુમ થયેલા વિક્રમ પઢિયારનો મૃતદેહ પાંચ દિવસ બાદ પણ મળ્યો નથી. આથી, આજે પાદરા પોલીસ સ્ટેશનમાં વિક્રમ પઢિયાર ગુમ થવાની જાણવાજોગ નોંધ દાખલ કરવામાં આવી છે. મરણનો દાખલો અને સરકારી સહાય ઝડપથી મેળવવા માટે તંત્ર પણ કામે લાગ્યું છે. પોલીસ અકસ્માત મોતની તપાસમાં નિવેદનો લેવાનું શરૂ કર્યું છે. ગાંધીનગરથી લીલીઝંડી મળ્યા બાદ પોલીસ આ મામલે ગુનો નોંધે તેવી શક્યતા છે.
શિક્ષણ
14, જુલાઈ 2025
1881 |
વડોદરા |
MSU સાયન્સ ફેકલ્ટીમાં BCA વિદ્યાર્થીઓ માટે AC ક્લાસરૂમની માગણી
એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં BCA (બેચલર ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ) કોર્સના વિદ્યાર્થીઓને વધુ સુવિધા આપવા માટે માગણી ઉઠી છે. ફેકલ્ટીમાં BCAના હાયર પેમેન્ટ સીટ પર આશરે 200 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, પરંતુ તેમના ક્લાસરૂમમાં એર કન્ડિશનર (AC) ની સુવિધા ઉપલબ્ધ નથી, જ્યારે શહેરની નજીકની ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં BCA કોર્સના વિદ્યાર્થીઓને AC ક્લાસરૂમ પૂરા પાડવામાં આવે છે.આ બાબતે શહેર એન.એસ.યુ.આઈ. (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) દ્વારા વિદ્યાર્થીઓને એર કન્ડિશન રૂમની સગવડ આપવાની માગ સાથે સાયન્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એનએસયુઆઈ દ્વારા ડીનને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ચાલતા BCAના હાયર પેમેન્ટ કોર્સમાં 200 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જોકે, તેમના ક્લાસરૂમમાં માત્ર પંખાની જ સુવિધા છે. બીજી તરફ, શહેર નજીકની અન્ય ખાનગી કોલેજોમાં BCAના વિદ્યાર્થીઓને બેસવાના રૂમમાં એર કન્ડિશન લગાવવામાં આવ્યા છે. એમ.એસ. યુનિવર્સિટીના BCAના વિદ્યાર્થીઓને ગરમીમાં રાહત આપવાના ઇરાદે માત્ર પંખા રાખવામાં આવ્યા છે, પરંતુ તેની જગ્યાએ એર કન્ડિશનની પણ સગવડ આપવાની માગ કરવામાં આવી છે. આ અંગે શહેર એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા, વાસુ પટેલ અને તેજસ રોયના નેજા હેઠળ આશરે 40 જેટલા વિદ્યાર્થીઓના સમૂહે આવેદનપત્ર આપીને આ માગણી કરી હતી.
ગવર્મેન્ટ
14, જુલાઈ 2025
1683 |
વડોદરા |
ભાયલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લઘુમતી કોમને પ્રાધાન્ય અપાતા હોબાળો
હિન્દુ રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્રવડોદરાના ભાયલી વિસ્તારમાં તૈયાર થયેલા અને નવા બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સ્થાનિક હિન્દુ રહીશોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને સૂત્રોચ્ચાર અને હાથમાં પ્લેકાર્ડ-બેનર સાથે કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમની મુખ્ય રજૂઆત એ હતી કે ભાયલી ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં લઘુમતી કોમ (મુસ્લિમ સમુદાય) ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જે અશાંત ધારાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. રજૂઆતમાં સ્થાનિકોએ દલીલ કરી હતી કે, જો પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં આ રીતે મુસ્લિમ સમુદાયને મકાનો ફાળવવામાં આવશે તો આ વિસ્તારમાં ન્યુસન્સ વધવાની શક્યતા છે. આનાથી લઘુમતી કોમની આ વિસ્તારમાં અવરજવર ખૂબ વધી જશે, પરિણામે હિન્દુ પરિવારને અન્યાય થશે. બંને કોમની રહેણીકરણી, રીતરિવાજો અને સંસ્કૃતિ અલગ હોવાથી ભવિષ્યમાં તમામ પ્રકારની તકલીફો ખૂબ મોટા પ્રમાણમાં વધી જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં લઘુમતી કોમની સંખ્યા ખૂબ ઓછી હોવાથી અત્યાર સુધી આ વિસ્તાર ખૂબ શાંત રહ્યો છે. જોકે, હિન્દુ સમિતિના નેજા હેઠળ કેસરી બેનર સહિત કેસરી પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં ઉમટી પડેલા સ્થાનિક હિન્દુ રહીશોએ કલેક્ટર કચેરીએ માગ કરી હતી કે, આ વિસ્તારમાં નવા બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં ફક્ત હિન્દુઓને જ પ્રાથમિકતા આપવામાં આવે. તેમણે ચેતવણી આપી હતી કે, જો લઘુમતી કોમના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો ફાળવવામાં આવશે તો અન્ય રહેવાસીઓને પણ ભારે તકલીફનો સામનો કરવો પડશે અને મકાનોની ફાળવણી બાદ બંને કોમ વચ્ચે તકરાર પણ વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. બંને કોમનું કલ્ચર અલગ હોવાથી મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધશે અને શાંત ગણાતો આ વિસ્તાર કાયમ માટે અશાંતિમાં ફેરવાઈ જાય તો નવાઈ નહીં તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેથી કરીને, ભાયલી વિસ્તારમાં બની રહેલા અને બની ગયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં મુસ્લિમોને પ્રાધાન્ય નહીં આપીને માત્ર હિન્દુઓને જ મકાનો ફાળવવાની પ્રક્રિયામાં પ્રાથમિકતા આપવા માટે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
ગુજરાત
14, જુલાઈ 2025
1782 |
સાળંગપુરના સ્વામીની કાર કોઝવેના પાણીમાં તણાઈ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડીરાત્રે એક કરુણ દુર્ઘટનાબે વ્યક્તિનાં મોત થયાં છેસાળંગપુર BAPS મંદિરના સંત શાંતિ ચરિત સ્વામી હજુ પણ લાપતાબોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે ગઈકાલે, 13 જુલાઈ 2025ની મોડીરાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર સાત વ્યક્તિમાંથી બે હરિભક્તના કરુણ નિધન થયા છે, જ્યારે એક નવદીક્ષિત સંત હજુ પણ લાપતા છે. જેઓની છેલ્લા 13 કલાકથી NDRF ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે, જ્યારે ચારનો આબાદ બચાવ થયો છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડીરાત્રે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. સાળંગપુર BAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઈવર દિવ્યેશભાઈ પટેલના દસ વર્ષીય પુત્ર પ્રબુદ્ધ કાછિયા સહિત બે વ્યક્તિનાં મોત થયાં છે, જ્યારે સાળંગપુર BAPS મંદિરના સંત શાંતિ ચરિત સ્વામી હજુ પણ લાપતા છે. કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાં સાળંગપુર BAPS મંદિરના સંત અપૂર્વપુરુષ સ્વામી અને શાંતિચરિત સ્વામી તેમજ હરિભક્તો વિવેક કાપડિયા, નિકુંજ સોજીત્રા, દિવ્યેશ પટેલ (ડ્રાઈવર), કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબુદ્ધ કાછિયા. આ તમામ લોકો સાળંગપુર BAPS મંદિરે રહે છે.મૃતકોનાં નામ : કૃષ્ણકાંત પંડ્યા (આશરે 80 વર્ષ)પ્રબુદ્ધ કાસિયા (આશરે 10 વર્ષ) (બંને રહે. સાળંગપુર BAPS મંદિર)
રાજકીય
14, જુલાઈ 2025
1881 |
ગાંધીનગર |
ગાંધીનગરમાં હાઈવોલ્ટેજ ડ્રામા, ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન
ચેલેન્જની રાજનીતિ નહીં પણ વિકાસની રાજનીતિ છે : કાંતિ અમૃતિયા ઈટાલિયા-અમૃતિયા વચ્ચે ચૂંટણી લડવા વાક્યુદ્ધ થયું હતુંગુજરાતના રાજકારણમાં પુનઃ એક વખત ગરમાવો આવ્યો છે. ગાંધીનગર ખાતે ધારાસભ્ય કાંતિ અમૃતીયાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. 150 થી વધુ લોકોના ટોળા સાથે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં અગાઉ મોરબીમાં ખરાબ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યા ઉકેલવાને બદલે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી હતી. તેમણે ગોપાલ ઇટાલિયાને મોરબીમાં જીતે તો બે કરોડ આપું તેવી ચેલેન્જ આપીને મુદ્દાને સળગાવ્યો હતો. હવે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા શક્તિ પ્રદર્શન કર્યું છે. જેમાં સમર્થકો સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા . કાંતિ અમૃતિયા 150 કારના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા. ગાંધીનગર પહોંચીને ગોપાલ ઈટાલિયાની રાહ જોઇ હતી. જેમાં ગોપાલ ઈટાલિયા નહીં આવે તો રાજીનામું નહીં આપે. ઈટાલિયા-અમૃતિયા વચ્ચે ચૂંટણી લડવા વાક્યુદ્ધ થયું હતું. તથા બંનેએ એમએલએ પદેથી રાજીનામું આપવા પડકાર ફેંક્યો હતો. ત્યારે ચેલેન્જ સાથે આવેલા અમૃતિયા રાજીનામુ આપ્યા વગર રવાના થયા છે. મોરેમોરાની રાજનીતિ અંગે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કાંતિ અમૃતિયાના રાજીનામા લઈને નિવેદન આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે ચેલેન્જની રાજનીતિ નહીં પણ વિકાસની રાજનીતિ છે. અમૃતિયાને સલાહ આપવાના મુદ્દે ઋષિકેશ પટેલે મૌન સેવ્યું છે. ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલી રહી છે. ગુજરાતનો વિકાસ સમગ્ર દેશે જોયો છે. ઋષિકેશ પટેલ સિવિલમાં ખોડિયાર મંદિર ખસેડવા બાબતે પણ મૌન રહ્યાં હતા. તેમજ કાંતિ અમૃતિયાની ચેલેન્જને લઇને આપ નેતા પ્રવીણ રામનું નિવેદન સામે આવ્યું છે. તેમાં કાંતિ અમૃતિયાની ગાંધીનગર કૂચને પ્રવીણ રામે નાટક ગણાવ્યું છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ભટકાવવાનો કોન્ટ્રાક્ટ કાંતિ અમૃતિયા પાસે છે. ભ્રષ્ટાચારથી ધ્યાન ભટકાવવા માટે કાંતિ અમૃતિયાનું નાટક છે. ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપવાની વાત જ નથી કરી હજુ શપથ જ નથી થયા તો ગોપાલના રાજીનામાની વાત જ નથી. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાના ગોપાલ ઈટાલિયા પર આકરા પ્રહાર કર્યા છે. દિનેશ ખટારિયા જણાવ્યું છે કે ગોપાલ ઈટાલિયા પહેલા તમે આપેલા વાયદાઓ પૂરા કરો. ગોપાલ ઈટાલિયા બે મોઢાળો બાંબોઈ છે. ગોપાલ ઈટાલિયાનો ભરોસો કરતા વિચારજો. મદારીની જેમ ખેલ ન કરે, કામ કરીને બતાવે. વિસાવદરની જનતાના પ્રશ્નો હલ કરવાનું કામ કરો. અન્ય મુદ્દે નિવેદન કરી મુદ્દાઓને ભટકાવશો નહીં. કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે ચેલેન્જ ગેમ યથાવત છે. કાંતિ અમૃતિયા આજે રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો કરાયો છે. મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા પોતાના 100 સમર્થકો સાથે ગાંધીનગર આવ્યા છે. મહત્વનું છે કે, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી પડકાર પોલિટિક્સ ચાલી રહી છે. બે દિવસ પહેલા આમઆદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે ગોપાલ ઈટાલિયા રાજીનામુ નહીં આપે. જોકે પોતે આપેલી તારીખ મુજબ કાંતિ અમૃતિયા રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગોપાલ ઈટાલિયા રાજીનામું મૂકીને મોરબી ચૂંટણી લડવા આવે તો હું પણ રાજીનામું મૂકવા તૈયાર છું. મોરબીમાં આંદોલન સમયે વારંવાર વિસાવદરવાળી કરવાની ચીમકી આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ગુજરાત
13, જુલાઈ 2025
1782 |
જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે કાંકરિયામાં ગરબાની મોજ, લોકો મોડી રાત સુધી ફરતા રહ્યાં
અમદાવાદ, યુવતીઓ અને બાળકીઓ દ્વારા કરવામાં આવતા જયા પાર્વતીના વ્રતના છેલ્લા દિવસે(૧૨ જુલાઈ) જાગરણ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકીઓ અમદાવાદના કાંકરિયામાં ઉમટી પડ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા પરિસરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મેયર પ્રતિભા જૈન અને રિક્રિએશનલ કમિટીના ડેપ્યુટી ચેરમેન સ્નેહાબા પરમાર યુવતીઓ અને મહિલાઓ સાથે ગરબા રમ્યા હતા. વ્રતના જાગરણના દિવસે ૨૦,૦૦૦થી વધુ લોકો આવ્યાં હતા. મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી મહિલાઓ અને બાળકીઓએ ડીજેના તાલે ગરબાની મોજ માણી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રતના જાગરણના દિવસે કાંકરિયા પરિસર મોડી રાત સુધી ખુલ્લું રાખવામાં આવે છે. ૧૨ જુલાઈ જયાપાર્વતી વ્રતનું જાગરણ હોવાથી કાંકરિયા પરિસરમાં મહિલાઓ અને બાળકીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કોર્પોરેશન દ્વારા કાંકરિયાના ગેટ નંબર ૧ પુષ્પકુંજ અને ગેટ નંબર ૩ વિદ્યાલય પાસે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ અને યુવતીઓએ ગરબાની મોજ માણી હતી. મેયર પ્રતિભા જૈન, રિક્રિએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી, ડેપ્યુટી ચેરમેન સ્નેહાબા પરમાર અને શહેર ભાજપના મહિલા પ્રમુખ પણ મહિલાઓ સાથે ગરબા રમ્યા હતા.રાત્રે ૮ વાગ્યાથી કાંકરિયા કિડ્સ સિટી, બાલવાટિકા, એમ્યુઝમેન્ટ પાર્ક, નગીના વાડી, ટોય ટ્રેન રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યાં હતાં. કાર્યક્રમના આયોજન અંગે મુલાકાતીઓને માહિતી મળી રહે એ હેતુથી કાંકરિયા પરિસરના તમામ પ્રવેશદ્વાર પર માહિતી દર્શક બોર્ડ લગાવવામાં આવ્યાં હતાં. લેકફ્રન્ટ ખાતે બાલિકાઓ, મહિલાઓ અને તેમની સાથે આવનારાં બાળકોની સુરક્ષા માટે રાબેતા મુજબના સિક્યોરિટી ગાર્ડની સાથે ૩૦ મહિલા સિક્યોરિટી ગાર્ડ અને મહિલા પોલીસ સહિત સઘન બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, આથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની ન હતી.
ગુજરાત
13, જુલાઈ 2025
1980 |
વીડિયો ડિલીટ કરવવો હોય તો પૈસા આપ કહી યુટ્યુબરે યુવકને બ્લેકમેઈલ કર્યો
અમદાવાદ, શહેરના પાલડી વિસ્તારમાં યુટ્યુબરે યુવકને બ્લેકમેલ કરીને ખંડણી માંગ્યાના સમાચાર સામે આવ્યા છે. આસ્ટોડિયા વિસ્તારમાં રહેતા અબરાર ઝાવસવાલાને ‘પાવર ઓફ ટ્રૂથ’ નામના મીડિયા પેજ સાથે જાેડાયેલા તત્વોએ બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૬ એપ્રિલે નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટમાં અભ્યાસ સમયે મિત્ર અયાઝ મિર્ઝા સાથે પૈસાની બાબતે બોલાચાલી થતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટના બાદ કોઈએ તેમને દોડતા દેખાડતો વીડિયો મેળવી સોસિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. આ ઘટનાના બીજે જ દિવસે વોટ્સએપ કોલ કરીને ઓજેફ તિરમીઝી નામના શખ્સે પોતાને પ્રેસનો અધિકારી તરીકે ઓળખાવ્યો અને ધમકી આપી કે વીડિયો ડિલીટ કરાવવા હોય તો ૧૦,૦૦૦ રૂપિયા આપવા પડશે. નહિ તો વીડિયો વધુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી નાંખવામાં આવશે.ડરના કારણે વિદ્યાર્થીએ મિત્ર પાસેથી ૫,૦૦૦ રૂપિયા લઇ ખાનપુર ચોક ખાતે આરોપી ઓજેફ તિરમીઝી તથા તેની સહયોગી આબેદા પઠાણને આપ્યા પણ વીડિયો ડિલીટ ન કર્યો. આરોપીઓ સાથે અજીમખાન અને સાબિર શેખ પણ હાજર હતા. આ વોટ્સએપ કોલ દરમિયાન નજીકમાં હાજર મિત્ર ઝૈદ સૈયદે સમગ્ર વાતચીતનો વીડિયો રેકોર્ડ કર્યો.ફરિયાદમાં જણાવાયું કે ચારેય આરોપીઓ ઓજેફ તિરમીઝી, આબેદા પઠાણ, અજીમખાન અને સાબિર શેખ પ્રેસ સાથે જાેડાયેલા હોવાનું કહે છે. પોલીસે ડિજિટલ પુરાવા એકત્ર કરીને આરોપીઓ સામે ૈંઁઝ્રની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી.બનાવ પછી યુવકે કહ્યું કે,; ‘‘મને બદનામ કરવાની ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ થયો. કોઈ પણ યુવાને ડરવું નહીં જાેઈએ, સાચા સમયે ફરિયાદ કરવી જરૂરી છે.’’
ગુજરાત
13, જુલાઈ 2025
1683 |
પટવા શેરીમાં બિલ્ડર પર રોડ વચ્ચે ૬ રાઉન્ડ ફાયરિંગ થતા ચકચાર
અમદાવાદ, અમદાવાદમા કરોડો રૂપિયાની લેતીદેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર ૬ રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ. બિલ્ડરે રૂપિયા માગતાં પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છ રાઉન્ડ ફાયરિંગમાં બે ગોળી બિલ્ડરને વાગી હતી, જ્યારે એક ગોળી રાહદારીને વાગી હતી. પટવાશેરી નજીક ફાયરિંગની ઘટના બનતાં ગેંગવોર જેવી સ્થિતી સર્જાઇ હતી. હવે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. સીસીટીવીમા સ્પષ્ટ જાેઈ શકાય છે કે ૩ શખ્સો રોડની ફૂટપાથ પર કોઈની રાહ જાેઈ રહ્યા હોય તે રીતે ઉભા છે. બાદમાં થોડીવાર પછી એક ગ્રીન કલરની ટી-શર્ટ પહેરેલો શખ્સ ત્યાંથી નીકળી જાય છે. બાદમાં થોડીજ વારમાં એક પઠાણી-કુર્તો પહેરેલા શખ્સ સાઇડમાં દિવાલ પર કોઈ ડંડા જેવી વસ્તુ લઇને એક્ટિવા જેવા વાહનની સાઇડમાં મૂકે છે.બાદમાં થોડીવારમાં તે રોડ પર આવીને એક વ્હાઇટ શર્ટમાં ટુ-વ્હીલર પર આવતા શખ્સને રોકે છે. બાદમાં પાછળથી એક શખ્સ આવીને ટુ-વ્હીલર પર રહેલા શખ્સને પકડી લે છે. અને ડંડાવાળો શખ્સ અને તેની સાથે જે શખ્સ હોય છે તે ભાગી જાય છે.બાદમાં જે થોડીવાર પહેલાં ગ્રીન ટી-શર્ટ પહેરેલો શખ્સ હતો તે પાછો દોડીને પોતાના ખિસ્સામાંથી કંઇક કાઢીને જે ટુ-વ્હીલર પડ્યું છે ત્યાં આવે છે. બાદમાં ધડાધડ ફાયરિંગનો અવાજ આવે છે અને પાછળથી આવેલો શખ્સ અને ગ્રીન ટી-શર્ટમાં રહેલો શખ્સ ત્યાંથી ભાગી જાય છે.ભાગતા ભાગતા પાછળથી આવેલા શખ્સના હાથમાંથી કંઇ પડી જાય છે. તે પાછો વળીને તે લઇને તે ત્યાંથી નીકળી જાય છે. બાદમાં બધા ત્યાંથી ભાગી જાય છે. જે ટુ-વ્હીલર પર શખ્સ હતો, તે કોઇને ફોન કરીને બોલાવે છે અને બાદમાં કોઈ અન્ય શખ્સ તેનું ટુ-વ્હીલર ચલાઇ લે છે અને તે ત્યાંથી તેની પાછળ બેસીને નીકળી જાય છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
ગુજરાત
12, જુલાઈ 2025
2178 |
લિંબાયતમાં ગેરકાયદે ધમધમતી ૩૭ તપેલા ડાઇંગ સીલ
સુરત, સુરત શહેરમાં ખાસ કરીને લિંબાયત ઝોન વિસ્તાર તથા ઉધના ઝોન વિસ્તાર, કતારગામ, સચિનમાં ગેરકાયદેસર તપેલા ડાઈંગ ખૂબ મોટા પ્રમાણમાં ધમધમે છે. મહાનગર પાલિકા દ્વારા અવારનવાર આવા તપેલા ડાઇંગ ચલાવતા લોકોને નોટિસો ફટકારવામાં આવે છે પરંતુ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. લિંબાયત ઝોન દ્વારા આવા તપેલા ડાઇંગ ચલાવતા યુનિટો સામે કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી હતી અને ૩૭ જેટલી તપેલા ડાઇંગ સીલ કરી દેવામાં આવી છે જેના કારણે ગેરકાયદે તપેલા ડાઈંગ અને પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. લિંબાયત ઝોનમાં ડુંભાલ વિસ્તારમાં આવેલ મહાપ્રભુનગર, ગોવિંદ નગર, મંગલા પાર્ક, રતનજી નગર, સરદાર નગર, એસ.કે નગર સહિતની સોસાયટીઓમાં અનેક ગેરકાયદેસર તપેલા ડાઇંગ આવેલા છે. જેમાં કાપડના પ્રોસેસિંગ માટે કેમિકલનો વપરાશ કરવામાં આવે છે. આ કેમિકલ યુક્ત પાણી ટ્રીટ કર્યા વગર જ સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઈનમાં નિકાલ કરવામાં આવે છે. કેમિકલ યુક્ત પાણી તાપી નદી અને ખાડીમાં છોડતા હોવાને કારણે લોકોના આરોગ્ય સાથે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. જેથી પાલિકા દ્વારા આવી તપેલા ડાઇંગ યુનિટ ચલાવતા સંચાલકોને નોટિસો ફટકારવામાં આવી હતી અને અવારનવાર મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પણ તેઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા અને ખાડીમાં ગેરકાયદે જાેડાણ કરી કેમિકલ યુક્ત પાણીનો નિકાલ ચાલુ રાખ્યો હતો. જેથી લીંબાયત ઝોનની ટીમ દ્વારા આજે આ તમામ વિસ્તારમાં આવેલ કુલ ૩૭ જેટલા તપેલા ડાઇંગ અને પ્રિન્ટિંગ પ્રેસ યુનિટને સીલ કરી દેવામાં આવ્યા છે. જેથી ગેરકાયદે તપેલા ડાઇંગ અને પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ગુજરાત
12, જુલાઈ 2025
1980 |
ડીંડોલીમાં ચાલુ બાઈકે નીચે પટકાતાં મહિલાનું મોત
સુરત, સુરત શહેરમાં ડીંડોલીમાં નવા ગામમાં આવેલા સરસ્વતી નગર નજીક ચાલુ બાઇકમાંથી ઉતરતી વેળાએ રોડ પર નીચે પટકાયેલી મહિલાનું ગંભીર ઈજાને પગલે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું આજે સવારે મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશ જાેનપુરના વતની અને હાલ ડીંડોલી નવા ગામમાં આવેલી સરસ્વતી નગરમાં ૪૦ વર્ષીય રેખાબેન કિશનભાઇ ગૌતમ પરિવાર સાથે રહેતા હતા. રેખાબેન ભાઠેના ખાતે સાડીના રોલ પોલીસમાં નોકરી કરતા. ગત ૫ જુલાઈના રોજ સાંજે રેખાબેન નોકરી પરથી પરત ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં રેખાબેન તેઓના સંબંધની બાઈક પર બેસીને ઘરે પરત આવતા જતા હતા. ત્યારે રેખાબેન તેઓનું ઘર નજીક આવતા જ તે ચાલુ બાઈકમાંથી નીચે ઉતરવા જતા જ રોડ પર નીચે પટકાયા હતા. જેથી તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે વહેલી સવારે રેખાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે વધુ તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે.
ગુજરાત
12, જુલાઈ 2025
1683 |
ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી જતાં મોટા વરાછાનાં રત્નકલાકારે ફાંસો ખાઈ આપઘાત
સુરત, સુરત શહેરનાં મોટા વરાછા સ્થિત સુમન અર્થઆવાસમાં રહેતા રત્નકલાકારે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઓનલાઇન ગેમમાં પૈસા હારી જતાં આર્થિક સંકડામણનાં કારણે રત્નકલાકારે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક દ્વારા મળતા પહેલા લખાયેલી સ્યુસાઈડ નોટ પોલીસે કબજે લઇ આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ આદરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકામાં આવેલા જુનાસાવર ગામના વતની હિતેશ મધુભાઈ દુધકીયા હાલમાં સુરત શહેરનાં મોટા વરાછા ખાતે સુમન અર્થઆવાસમાં પરિવાર સાથે રહેતા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. તેઓ પોતે રત્નકલાકાર તરીકે હીરાનાં કારખાનામાં કામ કરી પત્ની આશા પુત્ર ઉત્સવ અને પુત્રી જેની સહિતનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હિતેશે આજે સવારે પોતાના ઘરનાં બેડરૂમમાં છતનાં પંખા સાથે દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો. આપઘાતનાં બનાવ અંગે ઉતરાયણ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને હિતેશનાં ઘરમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આપઘાત પહેલા રત્નકલાકાર હિતેશે પોતાની સ્યુસાઇડ નોટમાં એવું લખ્યું છે કે હું ઓનલાઈન ગેમમાં પૈસા હારી ગયો છું, એના માટે હું પોતે જવાબદાર છું. પરિવારને હેરાન કરવા નહીં, બા-બાપુજી, ભાઈ-ભાભી અને આશા તું ઉત્સવ અને જેનુંને સાચવજે, આઇ લવ યુ ઉત્સવ, આશા આઇ લવ યુ, હું તને બહુ પ્રેમ કરું છું, આમને કોઈ સરકારી કર્મચારી હેરાન નહીં કરે, હું આર્થિક સંકડામણમાં પગલું ભરું છું. સ્યુસાઇડ નોટ આધારે પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
09, જુલાઈ 2025
2178 |
નવાગામ ડીંડોલીનાં મિલ કામદારનો ફાંસો ખાઈ આપઘાત
સુરત, સુરત શહેરમાં નવાગામ ડીંડોલીમાં આવેલા મોર્યા નગરમાં રહેતાં મિલ કામદારે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ રહ્યું છે. મૂળ ઉત્તર પ્રદેશ જાેનપુરના વતની અને હાલ ડીંડોલી નવાગામમાં આવેલ મોર્યાનગરમાં રહેતાં આદિત્યકુમાર હરીશંકર તિવારી ઉધના રોડ નંબર ૬ ઉપર આવેલ ડાઇગ પ્રિન્ટિંગ મિલમાં નોકરી કરી પત્ની, એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આદિત્ય કુમાર ગઈકાલે સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં ઘરે હાજર હતો. દરમિયાન તેની પત્ની પુત્રીને સ્કૂલ પર લેવા ગઈ હતી અને જ્યારે તેમનો પુત્ર ટ્યુશનમાં ગયો હતો. દરમિયાન આદિત્યકુમારે ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી છતમાં લગાવેલ લોખંડની એંગલ સાથે ગમછો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આદિત્યકુમારે કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ રહ્યું છે. આ બનાવ અંગે વધુ તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે.
ગુજરાત
09, જુલાઈ 2025
2475 |
ગંભીર અકસ્માતને નિમંત્રણ આપતો કામરેજ ખાતે તાપી નદી ઉપરનો બ્રિજ
સુરત, વડોદરાનાં મૂંજપુર નજીક મહિસાગર નદી ઉપરનાં ગંભીરા બ્રિજનો સ્પાન તૂટી પડવાની દુર્ઘટના બાદ સુરતનાં કામરેજ પાસે તાપી નદી ઉપરનો બ્રિજ ચર્ચામાં આવ્યો છે. બ્રિજનાં બે સ્પાન વચ્ચે લોખંડની પ્લેટ લગાવીને ગાડું ગબડાવાઇ રહ્યું હોવાથી ગંભીર અકસ્માતને નિમંત્રણ આપવામાં આવી રહ્યું હોય તેવી સ્થિતિ નેશનલ હાઇવે ઓથોરિટીનાં અધિકારીઓએ સર્જી હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકો કરી રહ્યાં છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ થોડા સમય અગાઉ કામરેજ બ્રિજની રૂબરૂ મુલાકાત લઇને હાઇવે ઓથોરિટીનાં અધિકારીઓને સૂચના આપી હતી તો બીજીતરફ ભાજપનાં ધારાસભ્ય કુમાર કાનાણી અને કોંગ્રેસનાં પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે પણ આ બ્રિજને તત્કાળ રીપેર કરવાની માંગણી કરી હતી તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં લોખંડની પ્લેટ બે ફુટની હતી પરંતુ ત્યારપછી હાઇવે ઓથોરિટીનાં અધિકારીઓએ મોટી પ્લેટ લગાવીને ગાડું દોડાવ્યું છે. હાલમાં લોખંડની પ્લેટ ઉછળી રહી હોવાથી અકસ્મતાનાં ભયથી વાહનચાલકો ધીમે ધીમે વાહનો હંકારે છે જેને કારણે પણ બ્રિજ ઉપર ટ્રાફિક જામની સમસ્યા રહે છે. કામરેજ ખાતે તાપી નદી ઉપરનાં બ્રિજનાં બે સ્પાનને જાેડતાં જાેઇન્ટ ઉપર લોખંડની પ્લેટ લગાવવામાં આવી હતી પરંતુ પ્લેટ છુટી હોવાથી ટ્રક અને ભારેખમ ટ્રેલરની આવનજાવન વખતે પ્લેટ ઉછળતી હોવાથી વાહનચાલકો પણ ગભરાઇને વાહનો ધીમેથી હંકારતા હોય છે. લોખંડની બે પ્લેટ લગાવવામાં આવી હોવાથી તેમાં અકસ્માતનો ભય રહેતો હતો જેથી હાઇવે ઓથોરિટીનાં અધિકારીઓએ ફરિયાદને ધ્યાનમાં રાખીને મજબુત રીપેરિંગ કરવાને બદલે લોખંડની નવી પ્લેટ નાંખી હતી. લોખંડની નવી પ્લેટનાં બંને છેડે માત્ર લોખંડની નાની પટ્ટીથી જાેડાણ આપ્યું હોવાથી મોટા વાહનો પસાર થતાં લોખંડની પ્લેટ ઉછળી રહી છે. લોખંડની પ્લેટ બ્રિજનાં રોડથી છુટી હોવાથી ભારે વાહનોની અવરજવર વખતે ઉછળે છે. સ્થાનિક રહિશોએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, વારંવાર ફરિયાદો કરવા છતાં હાઇવે ઓથોરિટીનાં બેદરકાર અધિકારીઓ ફરિયાદ પરત્વે ગંભીરતાથી ધ્યાન આપતાં નથી જેથી ગમે ત્યારે ગંભીર દુર્ઘટના સર્જાવાની દહેશત સતત વર્તાતી રહે છે.
વધુ બતાવો
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By:
Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...