ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
18, સપ્ટેમ્બર 2025 1584   |   પોરબંદર   |  
પોરબંદર-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત

એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોતપોરબંદર-રાજકોટ હાઈવે પર કુતિયાણા નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં પતિ, પત્ની અને સાળા સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટ ખાતે તલાટીની પરીક્ષા આપીને પોરબંદર પરત ફરી રહ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર માલદેભાઈ ભાયાભાઈ ભૂતિયા, તેમના પત્ની આશાબેન માલદેભાઈ ભૂતિયા અને સાળા જયમલ વિંજા રાજકોટ ખાતે તલાટીની પરીક્ષા આપીને પોરબંદર પરત ફરી રહ્યા હતા. તેમની સાથે એક બાળકી પણ કારમાં સવાર હતી. કુતિયાણા-પોરબંદર હાઈવે પર અચાનક તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, માલદેભાઈ ભાયાભાઈ ભૂતિયા, આશાબેન માલદેભાઈ ભૂતિયા અને જયમલ વિંજાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ માર્ગ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ ચાલી રહી છે.


18, સપ્ટેમ્બર 2025 1485   |   સુરેન્દ્રનગર   |  
સાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજ વહન કરતા 5 ડમ્પર ઝડપાયા

સ્થાનિક તંત્રને અંધારામાં રાખી રાજકોટ ફલાઈગ સ્કોડની ટીમનું સાયલા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યુંસાયલા - સુરેન્દ્રનગર ખાણ ખનીજ સહિત સ્થાનિક તંત્રને અંધારામાં રાખી રાજકોટ ફલાઈગ સ્કોડની ટીમનું સાયલા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે સાયલા બાયપાસ પાસે ઓવરલોડ ભરી પસાર થતા પાંચ ડમ્પરને રોકવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન ડમ્પરના ચાલકો પાસે જરૃરી કાગળ માગતા રજૂ કરી શક્યા ન હતા. ઝડપાયેલા પાંચ ડમ્પરોમાંથી ચારડમ્પરોમાં રોયલ્ટી પાસ વગર વહન કરતાં જોવા મળ્યા હતા. ફલાઈગ સ્કોડની ટીમે બે કરોડ જેટલો મુદ્દામાલ સાયલા હાઈવે ઉપર આવેલી સ્થાનિક કવોરી ઉદ્યોગ પર સીઝ કર્યો ફલાઈગ સ્કોડની ટીમે બે કરોડ જેટલો મુદ્દામાલ સાયલા હાઈવે ઉપર આવેલી સ્થાનિક કવોરી ઉદ્યોગ પર સીઝ કર્યો હતો. ઝડપાયેલા પાંચ ડમ્પરમાંથી એક ડમ્પર માલિકે સ્થળ ઉપર જ દોઢ લાખનો દંડ ભરી ડમ્પર છોડાવ્યું હતું. સુરેન્દ્રનગર ખાણ ખનીજ સહિત સ્થાનિક તંત્રને અંધારામાં રાખી અચાનક ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે સાયલા પંથકમાં કામગીરી કરતા સ્થાનિક તંત્રની ઓચિંતી કાર્યવાહીથી સ્થાનિક તંત્રની પોલ છતી થઈ હતી. પાસ પરમિટ વગર રાત દિવસ અનેક ડમ્પરો માલ ભરી અને વહન થાય છે ત્યારે સરકારની તિજોરીને લાખો રૃપિયાનું નુકસાન સીધું જોવા મળી રહ્યું છે.


18, સપ્ટેમ્બર 2025 1584   |   સુરેન્દ્રનગર   |  
સુરેન્દ્રનગરના લખતર પંથકમાં એલસીબીનો દરોડો

તલવણી ગામે રહેણાંક મકાનમાંથી રૃા.2.76 લાખનો દારૃ ઝડપાયોસુરેન્દ્રનગર - લખતર તાલુકાના તલવણી ગામે રહેણાંક મકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડી રૃ. ૨.૭૬ લાખનો ઈંગ્લીશ દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. એલીસીબીના દરોડામાં આરોપી હાજર મળી ન આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીના દરોડામાં આરોપી હાજર મળી ન આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી લખતર તાલુકાના તલવણી ગામમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે ઈંગ્લીશ દારૃના જથ્થાનો વેચાણ માટે સંગ્રહ કર્યો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને દરોડો પાડયો હતો. દરોડામાં સ્થળ પરથી ઈંગ્લીશ દારૃની નાની-મોટી બોટલો ૬૩૬ અને ટેટ્રા પેકીંગના પાઉચ નંગ-૪૬ સહિત કુલ રૃા.૨,૭૬,૬૫૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જ્યારે ઈંગ્લીશ દારૃનો સંગ્રહ કરનાર આરોપી વિકિભાઈ સાગરભાઈ ચોવસીયા રહે.તલવણીવાળો હાજર મળી ન આવતા લખતર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.


18, સપ્ટેમ્બર 2025 1485   |   સુરેન્દ્રનગર   |  
લીંબડી તાલુકાના ઘલવાણા ગામે રહેણાંક મકાનમાં ક્લીનીક ચલાવતો બોગસ તબીબ

ગામના લોકોની સારવાર તેમજ આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને એસસોજી પોલીસે ઝડપી પાડયોસુરેન્દ્રનગર - લીંબડી તાલુકાના ઘલવાણા ગામે રહેણાંક મકાનમાં ક્લીનીક ખોલી લોકોની સારવાર તેમજ આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને એલસોજી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે ક્લિનીકમાંથી રૃ.૧૪ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ક્લીનીકમાથી ૧૪૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટયો હોવાની ફરિયાદ ઉઠતા એસઓજી ટીમે લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં તાલુકના ધલવાણા ગામે બાતમીના આધારે રહેણાંક મકાનમાંથી કોઈ પણ જાતની ડિગ્રી કે તબીબી સર્ટીફીકેટ વગર લોકોની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર ક્રિષ્નાબાલા સંતોષબાલા (ઉ.વ.૩૭ રહે.ધલવાણા તા.લીંબડી (મુળ રહે.પશ્ચીમ બંગાળ)ને ઝડપી પાડયો હતો. દરોડા દરમ્યાન પરનાળા પીએચસી સેન્ટરના મેડીકલ ઓફીસર એચ.એન.પરીખ સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે બોગસ ડોક્ટરના અલગ-અલગ કંપનીની એલોપેથી દવા સહિત કુલ રૃા.૧૪,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલ બોગસ ડોક્ટર વિરૃધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.


17, સપ્ટેમ્બર 2025 2079   |  
રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના શહેર જિલ્લા પ્રમુખોને સંગઠનના પાઠ ભણાવશે

ગાંધીનગર કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી એક સપ્તાહમાં ફરી એક વખત આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત રાજ્યના શહેર-જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિરમાં ફરી વખત ઉપસ્થિત રહીને સંગઠનના પાઠ ભણાવાશે.કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં સંગઠનને મજબૂત બનાવવા માટે સંગઠન સૃજન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેનો સૌ પ્રથમ પ્રારંભ ગુજરાતમાંથી કરાયો છે. જેના અંતર્ગત ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ શહેર અને જિલ્લા પ્રમુખો માટે તા. ૧૦ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધી જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાત કોંગ્રેસનાં શહેર-જિલ્લા પ્રમુખોને સંગઠન સંદર્ભે પ્રશિક્ષણ અપાય રહ્યું છે. આ પ્રશિક્ષિણ શિબિરમાં ગત તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસનાં શહેર-જિલ્લા પ્રમુખોને સંગઠનના પાઠ ભણાવ્યા હતા. ત્યાર બાદ ફરી એક વખત રાહુલ ગાંધી આવતીકાલે જૂનાગઢ આવી રહ્યા છે. જેના અંતર્ગત આવતીકાલે બપોરે ૧૨-૩૦ કલાકે કેશોદ એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યાર બાદ તેઓ મોટર માર્ગે જૂનાગઢ જવા રવાના થશે. આ દરમિયાનમાં વંથલી ખાતે અને જૂનાગઢના કાળવા ચોક ખાતે એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ બપોરે બે કલાકે જૂનાગઢનાં ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણા ધામ આશ્રમમાં ચાલી રહેલી શહેર-જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહીને સંગઠનના પાઠ ભણાવશે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
18, સપ્ટેમ્બર 2025 1386   |   વડોદરા   |  
એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝના વેચાણ મામલે ચાર દુકાનોમાં પોલીસના દરોડા

મોબાઈલની ડુપ્લીકેટ એસેસરીઝ સહિતનો ઘણો બધો સામાન મળી આવ્યોરાજમહેલ રોડ પર મરીમાતાના ખાચામાં એપલ કંપનીના મોબાઇલની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાની બાતમી મળતા કંપનીના માણસોએ રાવપુરા પોલીસના સ્ટાફ સાથે મરીમાતા ખાંચામાં ચેકિંગ હાથ ધર્યું હતું. દરોડા દરમ્યાન પોલીસે વિવિધ એસેસરીઝ મળી કુલ રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના દરોડાના પગલે કેટલીક દુકાનો ટપોટપ બંધ કરી વેપારીઓ રવાના થઈ ગયા આજે એપ્પલ કંપનીના નામે હેડફોન, કેબલ, ચાર્જર, ઈયરફોન ,વોચ સહિતની ચીજવસ્તુઓનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે રંગકૃપા, ઓડિયો ટ્રેક, કલાદર્શન અને મહાદેવ નામની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોબાઈલની ડુપ્લીકેટ એસેસરીઝ સહિતનો ઘણો બધો સામાન મળી આવ્યો હતો. મરી માતાના ખાંચામાં મોટી માત્રામાં મોબાઈલ તથા મોબાઈલની એસેસરીઝનું વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર વધુ નફાની લાલચે કંપનીના ડુપ્લીકેટ માલનું વેચાણ પણ કેટલાક વેપારીઓ કરતા હોય છે. જેથી કંપની દ્વારા મરી માતાના ખાંચામાં અવારનવાર રેડ કરીને ડુપ્લીકેટમાં માલ ઝડપી પાડવામાં આવે છે. અગાઉ પણ મરીમાતાના ખાંચામાં એપલ કંપની ડુબલીકેટ એસેસરીઝ વેચાણ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી થઈ હતી.


18, સપ્ટેમ્બર 2025 1485   |   વડોદરા   |  
કોર્ટમાંથી ભાગેલ હાર્દિકને ૨૦૦૦ હજાર રૃપિયાની મદદ કરનાર સાવલીના મિત્ર રવિને પોલીસે ઝડપી પાડ્યો

કોર્ટની કેન્ટીનમાંથી ફરાર થઇ જતા હાર્દિકને સુરત ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતોદરજીપુરાના ચકચારી દિપેન મર્ડર કેસમાં પકડાયેલો સૂત્રધાર હાર્દિક પ્રજાપતિ કોર્ટની કેન્ટીનમાંથી ફરાર થઇ જતાં પોલીસે સીસીટીવી ફૂટેજ મારફતે તેને સુરત ખાતે બહેનને મળવા જતાં ઝડપી પાડયો હતો. હાર્દિક કોર્ટમાંથી ભાગીને સાવલી ગયો હતો અને ત્યાં રવિને મળી રૃ.૨હજાર લઇ ફરાર થઇ ગયો હતો હાર્દિકે કોર્ટમાંથી ભાગ્યા બાદ બાઇક પર લિફ્ટ લઇ કાલાઘોડા ઉતર્યો હોવાની અને ત્યાંથી ફતેગંજ,નિઝામપુરા,છાણી થઇ દુમાડ પહોંચ્યો હોવાની કબૂલાત કરી હતી. જ્યાં ફ્રુટવાળા મારફતે ફોન કરીને રવિને દુમાડ બોલાવતાં તે બાઇક પર આવી રૃ.૨હજાર આપી ગયો હોવાનું કબૂલ્યું હતું. અકોટાના પીઆઇ ડીવી બલદાનિયાએ સાવલીમાં રહેતા રવિ માળીને ઝડપી પાડી પૂછપરછ કરતાં હાર્દિકનું જુઠ્ઠાણું પકડાયું હતું.હાર્દિક કોર્ટમાંથી ભાગીને સાવલી ગયો હતો અને ત્યાં રવિને મળી રૃ.૨હજાર લઇ ફરાર થઇ ગયો હતો.જેથી પોલીસે રવિની પણ ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દિપેન મર્ડર કેસમાં પકડાયેલા હાર્દિક પ્રજાપતિ અને તેના ભાઇ હિતેશને વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા.જે દરમિયાન સાવલીનો રવિ માળી પણ કોર્ટમાં હાજર નહિ રહેવાના કેસમાં વોરંટ નીકળતાં પકડાયો હોવાથી ત્રણ-ચાર દિવસ જેલમાં હતો.જે દરમિયાન હાર્દિક અને રવિ વચ્ચે પરિચય થયો હતો.


18, સપ્ટેમ્બર 2025 1386   |   વડોદરા   |  
અંકોડિયા- કોયલી રોડ પરથી 7 ફૂટના અજગરને રેસ્ક્યુ કરાયો

વરસાદના વિરામ વચ્ચે સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી જવાનો સીલસીલો યથાવતહાલ છેલ્લા કેટલાક દિવસથી મેધરાજાએ વિરામ પાળ્યો છે. પરંતુ શહેર તેમજ આસપાસના વિવિધ વિસ્તારોમાં મગર, સાપ, અજગર વગેરે રહેણાંક વિસ્તારોમાં આવી જવાનો સીલસીલો યથવાત રહ્યો છે. ત્યારે શહેર નજિક અંકોડિયા- કોયલી રોડ ઉપર ગત મોડીરાત્રે 7 ફૂટનો અજગર આવી જતાં તેને પ્રાણી પ્રેમી સંસ્થાના કાર્યકરોએ રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપ્રત કર્યો હતો. વાઇલ્ડ લાઇફ રેસકયુ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવારને ગત મોડી રાત્રે અંકોડિયા- કોયલી રોડ ઉપર થી કિરણભાઈ ચાવડા નો કોલ આવ્યો હતો કે એક મોટો સાપ જોવા મા આવ્યો છે. જેથી તુરંત વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના કાર્યકર કિરણ શર્મા, હિતેષ પરમાર, અને ધ્રુવને સ્થળ ઉપર મોકલ્યા હતા. ત્યા સ્થળ પર જઈ ને જોઈ તો એક સાત 7 ફુટ નો ઈન્ડિયન રોક પાયથન એટલે અજગર જોવા મળ્યો હતો. પ્રાણી પ્રેમી સંસ્થાના કાર્યકરોએ અજગર ને અડધો કલાક ની ભારે જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગ ને સુપ્રત કર્યો હતો.


18, સપ્ટેમ્બર 2025 1287   |   વડોદરા   |  
મૂર્તિકારો દ્વારા તૈયાર કરાયેલી માતાજીની વિવિધ મુદ્રા અને શણગાર સાથે ની મૂર્તિઓ ભારે આકર્ષણ જમાવી રહી છે.

ઉત્સવ પ્રિય નગરીમાં નવલી નવરાત્રીના ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબાના આયોજકો તથા ગરબા ખેલૈયાઓમાં અનેરા ઉત્સાહ સાથે મહોત્સવને રંગે ચંગે ઉજવવા માટેનો થનગનાટઆદ્યશક્તિ માં જગદંબાની આરાધના નો પર્વ એટલે નવરાત્રી મહોત્સવ.... ઉત્સવ પ્રિય નગરીમાં નવલી નવરાત્રીના ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબાના આયોજકો તથા ગરબા ખેલૈયાઓમાં અનેરા ઉત્સાહ સાથે મહોત્સવને રંગે ચંગે ઉજવવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે. અને ઉત્સવને ઉજવવા માટે તૈયારીઓ અને ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ગરબા આયોજકોએ ગરબા ના મેદાનો પણ આખરીઓ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ માતાજીની સ્થાપના માટે ની આકર્ષક શણગાર સાથેની માતાજીની મૂર્તિઓ બજારમાં આવી ગઈ છે. જે લોકોમાં અને ગરબા આયોજકોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે.   ‌‌ મૂર્તિકારો એ માતાજીની વૈવિધ્યસભર અને આકર્ષક મુદ્રા સાથેની મૂર્તિઓ તૈયાર કરી દીધી છે. તો બીજી તરફ નાના મોટા ગરબા ના આયોજકો તેમજ ઘર સ્થાપન માટે ભક્તો દ્વારા માતાજીની મૂર્તિ ખરીદવા માટે માર્કેટમાં નજરે પડી રહ્યા હતા.


18, સપ્ટેમ્બર 2025 1485   |   વડોદરા   |  
પદમલા ગામની ભાગોળે નાળા પાસે રખડતી ગાયે આધેડને ભેટી મારી સીંગડે ભેરવી ઘાયલ કર્યા

 રખડતી ગાયે આધેડને ભેટી મારી શિંગડે ભેરવી જમીન ઉપર પછાડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી  ખાનગી કંપનીમાં નાઈટ શિફ્ટ ડ્યુટી પૂરી કરી વહેલી સવારે ચાલતા ઘરે આવતા ગામની ભાગોળે આવેલા નાળા પાસે રખડતી ગાયે આધેડને ભેટી મારી શિંગડે ભેરવી જમીન ઉપર પછાડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.   ‌ વડોદરા શહેર નજીક પદમલા ગામ ના અલકાપુરી ફળિયામાં રહેતા ચંદુભાઈ મેલાભાઈ ચરોતરા ઉંમર વર્ષ 52 તેમના પરિવાર સાથે રહે છે અને છાણી ખાતે આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલ તેઓ નાઈટ ડ્યુટીની નોકરી પૂરી કરીને સવારે 7:00 વાગ્યાની આસપાસ નોકરી પરથી છૂટીને ઘરે ચાલતા આવતા હતાં. તે વખતે ગામની ભાગોળ પાસે આવેલ નાળા પરથી તેઓ આવતા હતા તે દરમિયાન નાળા ઉપર રખડતી ગાય પાછળથી આવી બેટી મારી આધેડ ચંદુભાઈને સિંગડે ભેળવ્યા હતા અને જમીન પર પછાડ્યા હતા.આ બનાવવામાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે સયાજી હોસ્પિટલમાં છાણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે તેઓને હોસ્પિટલમાંથી સારવાર કરી રજા આપી હોવાનું પરિવારના સૂત્રો દ્વારા ધ્યાનમાં મળ્યું છે.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
18, સપ્ટેમ્બર 2025 1683   |   ગાંધીનગર   |  
કુડાસણમા ફેશન કંપની ચલાવતી મહિલાને લંડન ફેશન શોમાં પ્રીમિયમ વુમન્સ વેર રજૂ કરવાની લાલચ આપી ઠગાઇ

લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડીગાંધીનગરના કુડાસણમા ફેશન કંપની ચલાવતી મહિલાને લંડન ફેશન શોમાં પ્રીમિયમ વુમન્સ વેર રજૂ કરવાની લાલચ આપીને દિલ્હીમાં રહેતી મહિલા અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા ૩૨.૯૧ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. કંપનીના સલાહકાર તરીકે રાખવામાં આવ્યા હતા અને તેમનો પગાર મહિને ૧,૧૦,૦૦૦ નક્કી કરાયો હતો આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કુડાસણની ફ્લેપર-૬ ફેશન પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર સોનલબેન શૈલેષકુમાર દેસાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે,ગત મે મહિનામાં ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ગૌરવ મંડલ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ગૌરવ મંડલ રહે. ન્યુ રાજેન્દ્રનગર, દિલ્હીને તેમની કંપનીના સલાહકાર તરીકે રાખવામાં આવ્યા હતા અને તેમનો પગાર મહિને ૧,૧૦,૦૦૦ નક્કી કરાયો હતો. ગૌરવ મંડલે સોનલબેનને લંડન ફેશન શોમાં તેમના પ્રીમિયમ વુમન્સ-વેર રજૂ કરવા સલાહ આપી હતી. જેથી વિદેશમાં તેમના કપડાનો પ્રચાર અને વેચાણ વધે. ત્યારબાદ ગૌરવ મંડલે સોનલબેનને દિલ્હીના સોનલ જિંદાલનો સંપર્ક કરાવ્યો હતો, જેઓ મેડુશા ફેશન કંપની ચલાવે છે. સોનલ જિંદાલે સેન્ટ ઝોન ચર્ચ, હાઈડ પાર્ક, લંડન ખાતે ફેશન વીક શોમાં ભાગ લેવડાવવાની વાત કરી હતી. આ માટે ૩૨,૯૧,૦૦૦નું અંદાજિત પેમેન્ટ નક્કી થયું. જેથી તેમના દ્વારા બે હપ્તામાં રકમ ચૂકવી દેવામાં આવી હતી. ૧૯ સપ્ટેમ્બરના રોજ શો યોજાવાનો હોવાથી સોનલબેન તેમના પતિ શૈલેષભાઈ અને મેનેજર હેતલ ત્રિવેદીનું જવાનું નક્કી થયું હતું. બીજી બાજુ ગત બે સપ્ટેમ્બરના રોજ


18, સપ્ટેમ્બર 2025 1485   |   ગાંધીનગર   |  
ગાંધીનગરના ચિલોડની શુભ લાભ આવાસમાં તસ્કરોનો તરખાટ

એક જ રાતમાં આવાસના ચાર મકાનના તાળા તૂટ્યાગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડામાં શુભ લાભ આવાસ યોજનામાં ગઈ રાત્રીએ તસ્કરો ત્રાટકયા હતા અને એક પછી એક એમ બંધ મકાનોને નિશાન બનાવીને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી લીધી હતી જ્યારે અન્ય એક મકાન બહારથી બાઈક પણ ચોરીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તસ્કરો સોના ચાંદીના દાગીના અને બાઇક સહિત કુલ 1.83 લાખનીચોરી કરી ફરાર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડાની શુભ લાભ આવાસ યોજનામાં એક સાથે ત્રણ બંધ મકાનોના તાળા તોડીને તેમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરીની ઘટના બનવા પામી છે. જે સંદર્ભે આ વસાહત માં રહેતા લાલાભાઇ કનુભાઈ બારોટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તે તેમનું મકાન બંધ કરીને છોટાઉદેપુર જેતપુર ખાતે તેમની સાસરીમાં ગયા હતા તે દરમિયાન તેમની વસાહતમાં રહેતા પાડોશીએ ફોન કરીને જાણ કરી હતી કે, તમારા ઘરનું તાળું તૂટેલું છે. જેના પગલે તેઓ ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને જોતા તેમના ઘરનો સામાન વેરવિખેર હાલતમાં હતો અને તેમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ તેમજ અન્ય ચીજ વસ્તુ મળીને ૧.૦૭ લાખ રૃપિયાની ચોરી થઈ હતી જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમની જ વસાહતમાં રહેતા નિમેષ અશ્વિનભાઈ ક્રિશ્વિયનના બંધ મકાનનું પણ તાળું તૂટયું હતું અને તેમાંથી ૭,૦૦૦ની મત્તાની ચોરી થઈ હતી જ્યારે આ જ વસાહતમાં રહેતા શ્રવણકુમાર અય્યપન આદિદ્રવિડના બંધ મકાનનું પણ તાળું તોડીને તસ્કરો તેમાંથી ચાંદીના સિક્કા અને ૩૦૦૦૦ રૃપિયાની મત્તા ચોરી ગયા હતા. અન્ય એક મકાનનું તાળો તૂટયું હતું પરંતુ તેમાંથી કોઈ ચીજ વસ્તુ ચોરી જવામાં તસ્કરો સફળ રહ્યા ન હતા. જ્યારે આ વસાહતમાં રહેતા વિનોદકુમારનું બાઈક પણ ચોરી લેવામાં આવ્યું હતું. જેથી આ સંદર્ભે હાલ ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને શોધખોળ શરૃ કરવામાં આવી છે.


18, સપ્ટેમ્બર 2025 2277   |   ગાંધીનગર   |  
ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી જમીન પર ગેરકાયદે બનેલા મકાનો પર કાર્યવાહીઅમદાવાદ સહિત શહેરોમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ ગાંધીનગર ખાતે આજે વહેલી સવારથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસના કાફલા સાથે વર્ષો જૂના રહેણાંક દબાણો પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી જમીન પર ગેરકાયદે બનેલા કાચા-પાકા મકાનો સહિતના દબાણો દૂર કરવા મેગા ડિમોલીશન અભિયાન હાથ ધર્યું છે. સાબરમતી નદીના કાંઠે આવેલા GEB, પેથાપુર અને ચરેડી જેવા વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ગદરીબ, શ્રમજીવી પરિવારોના 700થી વધુ કાચા-પાકા મકાનોને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, તંત્રની આ કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. નાગરિકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, પ્લાન્ડ સિટી ગાંધીનગરને 'અન-પ્લાન્ડ' બનાવનાર મોટા કોમર્શિયલ બાંધકામો અને સેક્ટરોમાં થયેલા પાકા દબાણો સામે આંખ આડા કાન કરીને તંત્ર માત્ર ગરીબોના આશરા છીનવી રહ્યું છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સાબરમતી નદીકાંઠાના વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ દબાણકર્તાઓને અગાઉ વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસની સમયમર્યાદા પૂરી થવા છતાં દબાણકારોએ જગ્યા ખાલી ન કરતા આખરે તંત્રએ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ નદી કિનારે વર્ષોથી રહેતા લોકોના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગાંધીનગરના મુખ્ય સેક્ટરોમાં થયેલા મોટા અને પાકા દબાણો સામે કોર્પોરેશનની નિષ્ક્રિયતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.


18, સપ્ટેમ્બર 2025 1584   |   અમદાવાદ   |  
યુવતીએ ફેક્ટરી માલિક સાથે મિત્રતા કરી 97 લાખ રૃપિયા ખંખેરી લીધા

યુવતીએ મુંબઇમાં રહેતી હોવાનું અને ડાયવોર્સી હોવાનું કહીને પારિવારિક સંબધ બનાવીને જાળ બીછાવી ઠગ યુવતીએ 4.61 કરોડનો નફો મેળવવા ૩૦ ટકા ટેક્સ પણ માંગ્યોશહેરના વસ્ત્રાપુરમાં રહેતા અને પંપ બનાવવાની ફેક્ટરી ધરાવતા વ્યક્તિ સાથે ફેસબુકથી સંપર્ક કરીને મિત્રતા કેળવ્યા બાદ આર્થિક પરિસ્થિતિ અંગે તમામ વિગતો મેળવીને યુવતીએ ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ સાથે મળીને ૯૭ લાખ રૂપિયાની છેતરપિંડીકરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ ખાતે નોંધવામાં આવી છે. રોકાણ પર કુલ ૪.૬૧ કરોડનો નફો ઉપાડવાની સામે તે રકમ પર ૩૦ ટકા ટેક્સની માંગણી કરતા ફેક્ટરી માલિકને શંકા ગઇ હતી અને તપાસ કરતા છેતરાયાની જાણ થઇ હતી. ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા તેમના નાણાં પડાવી લેવામાં આવ્યા હતા શહેરના વસ્ત્રાપુરમાં આવેલા સંસ્કૃતિ બંગલોઝમાં રહેતા ૫૪ વર્ષીય મનીષ પટેલ કઠવાડામાં પાણીના પંપ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. ગત ૨૮મી જુલાઇના રોજ તેમને ફેસબુકમાં સીમા શર્મા નામની યુવતીની ફ્રેન્ડશીપ રીક્વેસ્ટ આવી હતી. ત્યારબાદ તે યુવતીએ મેસેજ કરીને સામાન્ય વાતચીત શરૂ કરી હતી અને ટેલીગ્રામ આઇડીની લીંક મોકલી હતી. યુવતીએ બે સપ્તાહ સુધી તેમની સાથે વાત કરીને પારિવારિક અને મિત્રતાના સંબધ કેળવીને જણાવ્યું હતું કે મુંબઇમાં રહે છે અને રીયલ એસ્ટેટનું કામ કરે છે. ત્યારબાદ સીમા શર્માએ તેના પિતા ઇન્વેસ્ટમેન્ટમાં ડેટા એનાલીસીસનું કામ કરે છે અને રોકાણની સામે સારૂ વળતર અપાવે છે. તેમ જણાવીને એક લીંક મોકલીને રોકાણ કરાવ્યાને નફો અપાવ્યો હતો. જેથી મનીષભાઇને વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ તેમણે તબક્કાવાર ૯૭ લાખ જેટલી રકમ જમા કરાવી હતી. જે રોકાણની સામે તેમને એકાઉન્ટમાં ૪.૬૧ કરોડનો નફો જોવા મળ્યો હતો. જેથી તેમણે નફો વીથડ્રો કરવા માટે કહ્યું ત્યારે તેમને નફો લેવા માટે ૩૦ ટકા ટેક્સ ભરવાનું કહેવામાં આવતા મનીષભાઇને અજગતુ લાગતા તેમણે પરિચીત સીએને પુછ્યુ ત્યારે જાણવા મળ્યું હતું કે ે ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા તેમના નાણાં પડાવી લેવામાં આવ્યા હતા. આ અંગે તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં નાણાંકીય વ્યવહાર અંગેની વિગતો તપાસવામાં આવી રહી છે.


18, સપ્ટેમ્બર 2025 1485   |   અમદાવાદ   |  
ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો

અમદાવાદમાં કેટલાક સમયથી લૂખ્ખા તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છેગોમતીપુરમાં રાયપુર મીલ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન પાસે રહેતો યુવકે ગઇકાલે રાતે જમીને ચાલવા જતો હતો ત્યારે આરોપી તેને જોઇને ગાળો બોલતો હતો યુવકે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને યુવકને તલવારના ઘા માર્યા બાદ તેને છોડાવવા વચ્ચે પડેલા મિત્રને પણ તલવાર ના ઘા મારતાં બન્ને યુવકો લોહી લુહાણ થઇ ગયા હાલમાં ગંભીર હાલતમાં યુવક સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને તલવારના ઘા માર્યા ગોમતીપુરમાં રહેતા અને છૂટક મજૂરી કરતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગોમતીપુરમાં ગુ.હા. બોર્ડના મકાનમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ગઇકાલે રાતે ૧૦.૩૦ વાગે જમીને ચાલવા જતા હતા ત્યારે આરોપી તેને જોઇને ગાળો બોલતો હતો યુવકે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને યુવકને તલવારના ઘા મારતા ખભાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આ સમયે તેમનો મિત્ર તેમને છોડાવવા વચ્ચે પડેલા મિત્રને પણ તલવાર ના ઘા મારતાં બન્ને યુવકો લોહી લુહાણ થઇ ગયા હુમલો કરીને આરોપી નાસી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ ફરિયાદી યુવક હાલમાં સરસપુર શારદાબહેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
18, સપ્ટેમ્બર 2025 594   |   વડોદરા   |  
બુધવારની રાત્રે વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં આગના બનાવ બાદ ગુરૂવારે પણ ટ્રેનો મોડી 

રેલવે દ્વારા હેલ્પડેસ્ક શરૂબુધવારની રાત્રે વલસાડી ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં આગના બનાવ બાદ ગુરૂવારે સવારે પણ ટ્રેન વ્યવહાર પર અસર રહી હતી અને ટ્રેનો મોડી પડી હતી.મુંબઇ સેન્ટ્રલથી વલસાડ તરફ જતી વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન (નં. 59023)માં બુધવારે સાંજે એક મોટી ઘટના બની હતી. સાંજે લગભગ 7:56 વાગ્યે ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગતાં મુસાફરોમાં એક ક્ષણ માટે ગભરાટ ફેલાયો હતો. સદનસીબે, ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત બહાર આવી શક્યા હતા અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.મળતી વિગતો અનુસાર, ટ્રેન કેલવે રોડ સ્ટેશન નજીક પહોંચી રહી હતી ત્યારે અચાનક એન્જિનમાંથી જ્વાળાઓ અને ઘાટો ધુમાડો નીકળવા લાગ્યો હતો. ટ્રેનને તરત જ અટકાવવામાં આવી અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી. થોડા જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.આ ઘટનાને પગલે મુંબઇથી અમદાવાદ વચ્ચેના રેલવે ટ્રાફિક પર સીધી અસર પડી હતી. અનેક ટ્રેનો 1 થી 3 કલાક સુધી મોડું ચલાવવી પડી રહી હતી, જેના કારણે મુસાફરોને તકલીફ પડી હતી. યાત્રીઓને મદદરૂપ થવા માટે વલસાડ રેલવે વિભાગે તાત્કાલિક હેલ્પલાઇન ડેસ્ક સ્થાપિત કર્યું હતું. વલસાડ સ્ટેશન ઉપરાંત સુરત રેલવે સ્ટેશન પર પણ મુસાફરોને માહિતી આપવા માટે હેલ્પલાઇન ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું હતું.આકસ્મિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે અધિકારીઓએ તમામ તકેદારીઓ અપનાવી હતી. મુસાફરોને સલામત સ્થળે ઉતારીને ટ્રેનની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા જણાવાયું છે કે મુસાફરોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે અને આવા બનાવો ફરીથી ન બને તેની ખાતરી માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.


17, સપ્ટેમ્બર 2025 1980   |   સુરત   |  
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સિવિલ હોસ્પિટલ જળબંબાકાર

એક જ કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો  શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાસુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર એક જ કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ વરસાદની સૌથી વધુ અસર સુરતની સિવિલ હોસ્પિટલ પર જોવા મળી છે, જે જાણે એક તળાવમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.સિવિલ હોસ્પિટલના મુખ્ય રસ્તાઓ અને કેમ્પસના આંતરિક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને ટ્રોમા સેન્ટર, પોસ્ટમોર્ટમ (પીએમ) રૂમ અને જૂની બિલ્ડિંગ પાસે ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે, જેના કારણે દર્દીઓ, તેમના સંબંધીઓ અને ફરજ પરના તબીબોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ પાણી ભરાવાને કારણે હોસ્પિટલની અંદર અને બહાર અવરજવર અટકી પડી છે, જેના કારણે દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરમાં પડેલા આ ભારે વરસાદને કારણે ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલો છે, પરંતુ સિવિલ હોસ્પિટલ જેવી અગત્યની સંસ્થામાં આ પ્રકારની સ્થિતિ સર્જાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે, પરંતુ ટૂંકા ગાળામાં પડેલા ભારે વરસાદે સમગ્ર શહેરની પોલ ખોલી નાખી છે.


17, સપ્ટેમ્બર 2025 2079   |   સુરત   |  
વડાપ્રધાનના 75મા જન્મદિવસે સુરતમાં ભવ્ય ઉજવણી

સી.આર. પાટીલે સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કર્યું ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં અભિષેક અને સ્વચ્છતા અભિયાનવડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ભવ્ય ઉજવણી સુરત શહેરમાં પણ કરવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની આગેવાની હેઠળ અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના જન્મદિવસને "સેવા પખવાડિયા" તરીકે ઉજવવાની પરંપરાને જાળવી રાખીને, આ ઉજવણીમાં વિશેષ કરીને સ્વચ્છતા અને ધાર્મિક ભાવના પર ભાર મૂકવામાં આવ્યો હતો.ઉજવણીના ભાગરૂપે, સી.આર. પાટીલે સુરતના જાણીતા ઈચ્છાનાથ મહાદેવ મંદિરે શિવજીનો અભિષેક કર્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમ બાદ, તેમણે મંદિરની બહારના પરિસરની સફાઈ કરી હતી, જેમાં તેમણે જાતે જ સફાઈ કામમાં ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિ વડાપ્રધાનના "સ્વચ્છ ભારત અભિયાન"ના સંદેશને મૂર્તિમંત કરતી હતી. આ પ્રસંગે સુરતના સ્થાનિક ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો અને અન્ય અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ આગેવાનોએ પણ સફાઈ અભિયાનમાં જોડાઈને સામૂહિક ભાવના પ્રદર્શિત કરી હતી.આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનો જ ન હતો, પરંતુ વડાપ્રધાનના જનસેવાના અને સામાજિક જવાબદારીના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો હતો. સફાઈ અભિયાન દ્વારા જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાર્યક્રમો દ્વારા નેતાઓ અને કાર્યકરોએ સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી અને લોકોને પણ આવા સેવાકાર્યોમાં જોડાવા માટે પ્રેરણા આપી.


16, સપ્ટેમ્બર 2025 2574   |   સુરત   |  
સુરતમાં મિત્રએ જ મિત્રનું માથું કાપી કચરામાં નાખી દીધું

એક અઠવાડિયા પહેલા કચરાના ઢગલામાંથી એક ધડ વગરનું માથું મળ્યું હતું હત્યા પાછળનું કારણ અકબંધ સુરતના લસકાણા વિસ્તારમાં થયેલી એક હચમચાવી નાખતી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યામાં મૃતકના જ મિત્રની સંડોવણી ખુલી છે. પોલીસે હત્યાના આરોપી મુન્ના બિહારીને ઝડપી પાડ્યો છે. લગભગ એક અઠવાડિયા પહેલા લસકાણાના વિપુલનગર તળાવ પાસે કચરાના ઢગલામાંથી એક ધડ વગરનું માથું મળ્યું હતું, અને તેનાથી લગભગ 500 મીટર દૂર વાળીનાથ નગરમાં એક મકાનમાંથી ધડ મળી આવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવી દીધો હતો.પોલીસ તપાસમાં મૃતકની ઓળખ બિહારના વતની દિનેશ મહંતો (ઉ.વ. 30) તરીકે થઈ હતી. દિનેશના ભાઈએ જણાવ્યું કે તે છેલ્લા ચાર મહિનાથી લસકાણામાં રહેતો હતો. પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરી, ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો. એક ફૂટેજમાં આરોપી મુન્ના બિહારી એક થેલીમાં મૃતકનું માથું લઈને રસ્તા પર ચાલીને જતો દેખાય છે. અન્ય એક ફૂટેજમાં હત્યાના દિવસે આરોપી અને મૃતક બંને સાથે ચાલીને જતા જોવા મળ્યા હતા.વધુ તપાસમાં જાણવા મળ્યું કે મૃતક દિનેશ અને આરોપી મુન્નો બંને એક જ કારખાનામાં નોકરી કરતા હતા. હત્યાના લગભગ પંદર દિવસ પહેલા, મુન્નાએ પગારના 8 હજાર રૂપિયા લઈ નોકરી છોડી દીધી હતી અને તે જ દિવસે દિનેશ સાથે જોવા મળ્યો હતો. જે રૂમમાં હત્યા થઈ હતી તે રૂમ ભાડે આપવામાં આવી ન હતી, તેનો ઉપયોગ માત્ર હત્યા માટે જ કરવામાં આવ્યો હતો. પોલીસે રૂમમાંથી એક સળિયો પણ શોધી કાઢ્યો છે, જેનો ઉપયોગ દિનેશના માથા પર પ્રહાર કરવા અને બાદમાં તેનું માથું ધડથી અલગ કરવા માટે થયો હતો.પોલીસે મુન્ના બિહારીની સુરત જિલ્લાના GIDC વિસ્તારમાંથી ધરપકડ કરી છે. હાલ, લસકાણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી હત્યા પાછળનો ચોક્કસ ઈરાદો અને આટલી ક્રૂરતાપૂર્વક ડોકું કાપી નાખવા પાછળનું કારણ જાણી શકાય. આ કેસમાં CCTV ફૂટેજ મુખ્ય પુરાવા તરીકે કામ આવ્યા છે, જેના આધારે પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.


16, સપ્ટેમ્બર 2025 2673   |   વડોદરા   |  
સુરતની યુફોરિયા હોટલમાં દોઢ વર્ષના બાળકનું રમતાં રમતાં પાણીમાં ડૂબી જવાથી મોત

પાણીવાળી હોટલ કહેવાય છેસુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટલમાં એક કરૂણ બનાવ બન્યો છે. અહીં દોઢ વર્ષનો નાનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો હતો. દુર્ભાગ્યવશ, બાળક લગભગ 15 મિનિટ સુધી પાણીમાં જ રહ્યો, જેના કારણે તેનું મોત થયું છે.બનાવના પગલે હોટલમાં અફરાંતફરી મચી ગઇ હતી.મૃતકના પિતા વિજયભાઈ તેમની પત્ની અને બાળક ક્રિસીવ સાથે હોટલમાં જમવા માટે આવ્યા હતા. પરિવાર મસ્તીમાં સમય વિતાવી રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના બની ગઈ. બાળક રમતા રમતા અચાનક પાણીમાં જઈ પડ્યો અને કોઈને સમયસર ખબર ન પડી ન હતી,ઘટના બાદ પરિવાર અને આસપાસના લોકોમાં શોક અને અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે યુફોરિયા હોટલ પાણીવાળી હોટલ તરીકે જાણીતી છે, જ્યાં પાણીની આસપાસ બેઠકો અને અન્ય સુવિધાઓ છે. પરંતુ એ જ વાત એક નિર્દોષ બાળકના જીવન માટે જીવલેણ સાબિત થઈ હતી,આ બનાવે સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા કર્યા છે અને લોકોને સાવચેતી રાખવાની ચેતવણી પણ આપી છે.આ સંબંધમાં પોલીસે ગહન તપાસ હાથ ધરી છે.પોલીસે હોટલની વ્યવસ્થા અંગે ગહન તપાસ કરીને વિવિધ લોકોના નિવેદનો લીધા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution