ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં ૨૭ દેશોએ મદદ માટે વર્લ્ડ બેંકનો સંપર્ક કર્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, વર્લ્ડ બેંકના એક આંતરિક દસ્તાવેજમાં આ માહિતી સામે આવી છે.
આ દેશોનું કહેવું છે કે ઈરાન સંકટને કારણે તેમની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી છે. જાેકે, દસ્તાવેજમાં આ દેશોના નામ કે માગવામાં આવેલી રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. વર્લ્ડ બેંકે પણ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ઈરાન યુદ્ધ શરૂ થયા પછી વૈશ્વિક ઉર્જા બજારોમાં ઉથલપાથલ મચી ગઈ છે. તેની અસર સપ્લાય ચેઈન પર પડી છે અને વિકાસશીલ દેશો સુધી જરૂરી ખાતર એટલે કે ફર્ટિલાઇઝરના સપ્લાય પર અસર પડી છે.
દરમિયાન, કેન્યા અને ઇરાકના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેઓ યુદ્ધની અસરનો સામનો કરવા માટે વર્લ્ડ બેંક પાસેથી તાત્કાલિક આર્થિક સહાય માગી રહ્યા છે. આ ૨૭ દેશો તે ૧૦૧ દેશોમાં શામેલ છે જેમને વર્લ્ડ બેંકની ઇમરજન્સી ફાઇનાન્સિંગ વ્યવસ્થા હેઠળ સંકટના સમયે તાત્કાલિક આર્થિક મદદ મેળવવાની સુવિધા મળી શકે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકામાં ગ્રીન કાર્ડનું સ્વપ્ન જાેતા લાખો લોકોને મોટો ફટકો આપ્યો છે. ફકત ગ્રીન કાર્ડ માટે અરજી કરવી હવે પૂરતું રહેશે નહીં. જાે તેઓ ઇચ્છે છે, તો તેમણે પહેલા અમેરિકા છોડવું પડશે. ટ્રમ્પ વહીવટીતંત્રે શુક્રવારે ઇમિગ્રેશન નીતિમાં મોટો ફેરફાર કરીને જાહેરાત કરી છે કે અમેરિકામાં રહેતા બિન-નાગરિકો હવે દેશમાં રહીને ગ્રીન કાર્ડ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે નહીં. તેમણે પોતાના દેશમાં પાછા ફરવું પડશે અને યુએસ એમ્બેસી દ્વારા અરજી કરવી પડશે અને ત્યાં રાહ જાેવી પડશે.
અત્યાર સુધી, યુએસમાં રહેતા ઘણા લોકો, જેમાં યુએસ નાગરિકોના જીવનસાથી અને બાળકોનો સમાવેશ થાય છે, ઉપરાંત, જેઓ વિદ્યાર્થી વિઝા અથવા કામચલાઉ વર્ક વિઝા પર છે, તેઓ સ્ટેટસ એડજસ્ટમેન્ટ દ્વારા યુએસમાં રહીને ગ્રીન કાર્ડ મેળવી શકતા હતા. જાેકે, ટ્રમ્પ વહીવટીતંત્રે આ માર્ગ પર મોટો બ્રેક લગાવી દીધો છે.
USCIS પ્રવકતા જેક કાહલરે જણાવ્યું હતું કે, યુએસ હવે કાયદાની મૂળ ભાવના તરફ પાછા ફરી રહ્યું છે. તેમના મતે, જે લોકો કામચલાઉ વિઝા પર યુએસ આવે છે, તેમની મુસાફરી ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં પ્રથમ પગલું ન હોવી જાેઈએ. જાે તેઓ કાયમી નિવાસ ઇચ્છતા હોય, તો તેમણે તેમના દેશમાં પાછા ફરવું પડશે અને ત્યાંથી અરજી કરવી પડશે. આ ર્નિણયની અસર નોંધપાત્ર છે. કેટો ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, ગ્રીન કાર્ડ અરજીઓ પેન્ડિંગ ધરાવતા આશરે ૧.૨ મિલિયન કાયદેસર ઇમિગ્રન્ટ્સ આ નવા નિયમથી પ્રભાવિત થઈ શકે છે અને તેમને તેમના દેશમાં પાછા ફરવાની ફરજ પડી શકે છે. ફકત ૨૦૨૪ માં, ૭૮૨,૦૦૦ થી વધુ લોકોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા સ્ટેટસ એડજસ્ટમેન્ટ દ્વારા ગ્રીન કાર્ડ મેળવ્યા હતા. હવે, આ માર્ગ લગભગ બંધ થઈ ગયો છે.ટ્રમ્પ તંત્રનો દાવો છે કે આનાથી ઇમિગ્રેશન સિસ્ટમ વધુ ન્યાયી અને કાર્યક્ષમ બનશે. વહીવટીતંત્રનો દાવો છે કે ઘણા લોકો પ્રવાસી, વિદ્યાર્થી અથવા કામચલાઉ વિઝા પર યુનાઇટેડ સ્ટેટ્સ આવે છે અને પછી ગ્રીન કાર્ડ મેળવવા માટે તેનો ઉપયોગ કરે છે. હવે, સરકાર આ છટકબારી બંધ કરવા માગે છે. જાેકે, વિરોધીઓ આને કાનૂની ઇમિગ્રન્ટ્સ પર ટ્રમ્પ દ્વારા મોટો હુમલો ગણાવી રહ્યા છે. ડેમોક્રેટિક કોંગ્રેસમેન જેમ્સ વોકિનશોએ કહ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્રે લાખો કાનૂની ઇમિગ્રન્ટ્સને યુનાઇટેડ સ્ટેટ્સ છોડીને ફરી શરૃ કરવા કહ્યું છે. દરમિયાન, કોંગ્રેસમેન ટેડ લિયુએ ચેતવણી આપી હતી કે આ ર્નિણય અમેરિકન વૈજ્ઞાનિકો, સંશોધકો, ટેકનોલોજી નિષ્ણાતો અને કુશળ વ્યાવસાયિકોને અન્ય દેશોમાં લઈ જઈ શકે છે, જેનાથી ચીન અને રશિયા જેવા દેશોને ફાયદો થઈ શકે છે.ટીકાકારો કહે છે કે આ ર્નિણય અમેરિકાની પહેલેથી જ બોજારૃપ ઇમિગ્રેશન સિસ્ટમને વધુ જટિલ બનાવશે. જે લોકો વર્ષોથી યુએસમાં રહી રહ્યા છે, ગ્રીન કાર્ડની રાહ જાેઈ રહ્યા છે, તેમને હવે તેમના દેશમાં પાછા ફરવું પડશે અને ફરીથી આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
પવિત્ર અમરનાથ યાત્રા ૨૦૨૬ની તૈયારીઓ વચ્ચે બાબા બર્ફાનીના બરફના લિંગની પહેલી તસવીરો સામે આવી છે. આ તસવીરોએ દેશભરના લાખો ભક્તોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો છે. આ તસવીરોમાં આશરે ૬થી ૭ ફૂટ ઊંચું કુદરતી બરફનું લિંગ દેખાય છે. રૂા યાત્રા શરૂ થાય તે પહેલાં સુરક્ષા જવાનોએ સૌથી પહેલા પવિત્ર બરફના લિંગના દર્શન કર્યા હતા. દર વર્ષની જે આ વર્ષે પણ,યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વહીવટ અને સુરક્ષા એજન્સીઓ યાત્રાના માર્ગો પર સતત નજર રાખી રહ્યા છે. આ વર્ષે, અમરનાથ ગુફાની યાત્રા આગામી ૩ જુલાઈથી શરૂ થશે અને ૨૮ ઓગસ્ટ, રક્ષાબંધનના શુભ અવસર પર સમાપ્ત થશે. ૫૭ દિવસની આ યાત્રા માટે ૩.૬ લાખથી વધુ ભક્તોએ પોતાની નોંધણી કરાવી લીધી છે.
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેવા તીર્થમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પીએમ મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું.
મીડિયા રિપોર્ટ અનુસાર મોદી અને રુબિયો વચ્ચે ૧ કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર ઉપરાંત એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા. આ દરમિયાન અમેરિકા અને ભારત વચ્ચે સુરક્ષા, વેપાર અને મહત્વપૂર્ણ તકનીકોના ક્ષેત્રમાં સહયોગને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા થઈ.
રુબિયોની આ યાત્રા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચીન પ્રવાસના માત્ર ૭ દિવસ પછી થઈ રહી છે. આવા સમયે અમેરિકી મીડિયાનું કહેવું છે કે રુબિયોની આ યાત્રા માત્ર રાજદ્વારી જ નહીં પરંતુ ડેમેજ કંટ્રોલ મિશન પણ છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ટ્રમ્પની તાજેતરની ચીન યાત્રાએ એશિયાની રાજનીતિમાં નવી બેચેની પેદા કરી દીધી છે. બીજિંગમાં ટ્રમ્પે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની ખુલ્લેઆમ પ્રશંસા કરી. તેમણે જિનપિંગને મહાન નેતા અને ખાસ મિત્ર ગણાવ્યા.ભારત-અમેરિકામાં ૧ વર્ષથી તણાવ ચાલુ રૂબિયોની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ગયા વર્ષના મધ્યથી ભારત-અમેરિકા સંબંધોમાં કેટલાક મુદ્દાઓને લઈને તણાવ જાેવા મળ્યો હતો. માનવામાં આવે છે કે આ યાત્રાનો હેતુ બંને દેશોના સંબંધોને ફરીથી મજબૂત કરવાનો પણ છે. હવે દિલ્હીમાં રૂબિયોની વાતચીતનો સૌથી મોટો હેતુ એ જ માનવામાં આવે છે કે ભારત એ સમજી શકે કે ટ્રમ્પ સરકાર એશિયામાં આગળ શું રણનીતિ અપનાવવાની છે અને ચીન સાથે તેના સંબંધોની દિશા શું હશે.
ગયા વર્ષે ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લગાવ્યા હતા કારણ કે વડાપ્રધાન મોદીએ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પનો દાવો હતો કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ રોકવામાં મોટી ભૂમિકા ભજવી હતી, પરંતુ ભારતે જાહેરમાં આ દાવાને નકારી કાઢ્યો હતો.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ ૮૭ પૈસા મોંઘુ થઈને રૂા.૯૯.૫૧ પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. ડીઝલ ૯૧ પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે. તેના ભાવ રૂા.૯૨.૪૯ પર પહોંચી ગયા છે. અમદાવાદમાં પેટ્રોલ ૯૯.૦૭ અને ડીઝલ ૯૪.૯૯ રૂપિયા પ્રતિ લિટર થયું.
આ ઉપરાંત, દિલ્હી-એનસીઆરમાં સીએનજીની કિંમતોમાં ૧ રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. આ ફેરફાર બાદ દિલ્હીમાં સીએનજી હવે ૮૧.૦૯ રૂપિયા પ્રતિ કિલો મળશે. છેલ્લા ૧૦ દિવસમાં આ ત્રીજાે વધારો છે. આ પહેલા સરકારે ૧૫ મેના રોજ સીએનજીના ભાવમાં ૨ રૂપિયા અને પછી ૧૮ મેના રોજ ૧ રૂપિયાનો વધારો કર્યો હતો.
ઈંધણની કિંમતોમાં ૯ દિવસમાં આ ત્રીજાે વધારો છે. ૪ દિવસ પહેલા ૧૯ મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ ૯૦ પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે, ૧૫ મેના રોજ પણ કિંમતોમાં ૩ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.
આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતાં પહેલા ક્રૂડ ઓઈલના ભાવ ૭૦ ડોલર હતા જે હવે વધીને ૧૦૦ ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ક્રૂડની કિંમતો વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી કંપનીઓએ નુકસાન ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જાે ક્રૂડ ઓઈલની કિંમતોમાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે.
ઇંધણમાં સતત ભાવ વધારો, લોકોની કમાણી હપ્તામાં લૂંટાઈ રહી છે : કોંગ્રેસ પ્રમુખ ખડગેનો આક્ષેપ
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારા અંગે રાજકારણ તેજ બન્યું છે. આઠ દિવસમાં ઇંધણના ભાવમાં સતત ત્રીજા વધારા બાદ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કેન્દ્ર સરકાર પર જનતાની કમાણી લૂંટવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઘટવા છતાં, સરકારે લોકોને રાહત આપી નથી, પરંતુ તેમના પર કર વધારીને બોજ નાખ્યો છે. ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરતા કહ્યું કે દેશ નેતૃત્વ સંકટનો સામનો કરી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે પશ્ચિમ એશિયા અને વિશ્વના ઘણા દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ વિકસિત થઈ છે જેનાથી તેમના નાગરિકોને રાહત મળી રહી છે, ત્યારે ભારતમાં ભાજપ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારીને સામાન્ય લોકોના ખિસ્સા પર સતત નુકસાન પહોંચાડી રહી છે. તેમણે કહ્યું કે પેટ્રોલ હવે ઘણી જગ્યાએ પ્રતિ લિટર ૧૦૦ ને વટાવી ગયું છે અને સરકાર હપ્તામાં જનતાની કમાણી લૂંટી રહી છે.
Loading ...
