નવી દિલ્હી,પહેલગામ હુમલામાં સંડોવાયેલા પાકિસ્તાની આતંકવાદીઓ અંગે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જે ત્રણ શંકાસ્પદ આતંકવાદીના સ્કેચ જાહેર કરાયા હતા, તેમાંથી એકની ઓળખ પાકિસ્તાની આતંકવાદી હાશિમ મુસા તરીકે થઈ છે. માહિતી અનુસાર, હાશિમ પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ ફોર્સનો ભૂતપૂર્વ પેરા કમાન્ડો છે. હાશિમ મુસા પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે કામ કરી રહ્યો છે. લશ્કરના અધિકારીઓએ તેને બિન-કાશ્મીરી લોકો અને સુરક્ષા દળો પર હુમલો કરવા માટે ખાસ મિશન પર કાશ્મીર મોકલ્યો હતો.
સૂત્રોએ એક સુરક્ષા અધિકારીને ટાંકીને જણાવ્યું છેકે, શક્ય છેકે તેને આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનના સ્પેશિયલ ફોર્સ જેવા સ્પેશિયલ સર્વિસ ગ્રુપ દ્વારા લશ્કરને સોંપવામાં આવ્યો હોય. ત્રણેય હુમલાઓમાં મુસા એક સામાન્ય ગુનેગાર તરીકે ઉભરી આવ્યો છે. પાકિસ્તાનમાં તાલીમ પામેલા બે અન્ય સ્થાનિક આતંકવાદી જુનૈદ અહમદ ભટ અને અરબાઝ મીર પણ ગગનગીર અને બુટા પાથરી હુમલામાં સામેલ હતા, પરંતુ નવેમ્બર અને ડિસેમ્બર ૨૦૨૪માં સુરક્ષા દળો સાથેની અલગ-અલગ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આ બે આતંકવાદીઓના મોત પછી મુસા કાશ્મીરમાં બહારના લોકોને નિશાન બનાવવાના આતંકવાદી મિશનને આગળ ધપાવવા માટે કામ કરી રહ્યો છે.
પહેલગામ હુમલાની તપાસમાં કાશ્મીરી ઓવરગ્રાઉન્ડ વર્કર્સ અને આતંકવાદી સુવિધા આપનારાઓના સ્થાનિક નેટવર્કની સંડોવણી બહાર આવી છે. તેણે હુમલામાં વપરાયેલા હથિયારો પહોંચાડવામાં મદદ કરી. પાકિસ્તાની આતંકવાદીઓએ સ્થાનિક લોકોની મદદથી હુમલાના સ્થળની રેકી કરી હતી. જે હુમલા પહેલા અને પછી આતંકવાદીઓ માટે છુપાઈ રહેવા માટે જગ્યા બનાવે છે.જાેકે, અત્યાર સુધી મળેલી માહિતીમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ, હાશ્મી મુસા અને અલી ભાઈ, અને ઘણા સ્થાનિક લોકો, આદિલ ઠોકર અને આસિફ શેખની ભૂમિકાની પુષ્ટિ થઈ છે. પરંતુ કાશ્મીરી ઓવરગ્રાઉન્ડ વર્કર્સની પૂછપરછમાં વધુ પાકિસ્તાની આતંકવાદીઓની સંડોવણી બહાર આવી રહી છે.
એટીએમમાં રૂા. ૧૦૦ અને ૨૦૦ની નોટો વધારવાના રિઝર્વ બેંકના નિર્દેશ
જાે તમે એટીએમમાંથી રૂા. ૧૦૦ કે ૨૦૦ની નોટ ન મળવાથી ચિંતિત છો, તો આ સમસ્યા ટૂંક સમયમાં દૂર થઇ જશે. રિઝર્વ બેંકે આ સંદર્ભમાં તમામ બેંકોને માર્ગદર્શિકા આપી છે. રિઝર્વ બેંકે બેંકોને એટીએમમાં શકય તેટલી વધુ રૂા. ૧૦૦ અને ૨૦૦ની નોટો રાખવા કહ્યું છે જેથી ગ્રાહકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
નિર્દેશના પાલન માટે રિઝર્વ બેંક દ્વારા સમયમર્યાદા પણ નક્કી કરાઇ
હાલમાં, મોટાભાગે એટીએમમાંથી રૂા. ૫૦૦ની નોટો નીકળે છે. આવી સ્થિતિમાં, જે લોકોને રૂા. ૧૦૦ કે ૨૦૦ની નોટની જરૂર હોય છે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રિઝર્વ બેંક ઇચ્છે છે કે એટીએમમાં વધુને વધુ રૂા. ૧૦૦ અને ૨૦૦ની નોટો ઉપલબ્ધ થાય. આ માટે રિઝર્વ બેંકે તમામ બેંકો અને વ્હાઇટ-લેબલ એટીએમ ઓપરેટરોને જરૂરી સૂચનાઓ આપી છે. રિઝર્વ બેંકે આ માટે એક સમયમર્યાદા પણ નક્કી કરી છે.
સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં ૭૫ ટકા એટીએમમાં નાની ચલણી નોટો વધારાશે
રિઝર્વ બેંકનું કહેવું છે કે, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં ૭૫ ટકા એટીએમમાં રૂા. ૧૦૦ અને ૨૦૦ દરની નાની ચલણી નોટો ઓછામાં ઓછી એક કેસેટમાં હાજર હોવી જાેઈએ. મતલબ કે, આ નોટો મોટાભાગના એટીએકમાં ઉપલબ્ધ હશે. પછી ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં, આ ૯૦ ટકા એટીએમમાં ઉપલબ્ધ થઈ જશે. આના કારણે લોકોને નાની નોટોની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
આતંકવાદ પર પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું કબૂલનામું આખી દુનિયાએ સાંભળ્યું
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે ખખડાવ્યું હતું. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ પોતે આતંકવાદીઓને તાલીમ આપવા અને તેમને નાણાં પૂરાં પાડવાની વાત સ્વીકારી છે, જે કબૂલનામું આખી દુનિયાએ સાંભળ્યું છે. કોઈપણ દેશનું નામ લીધા વિના પોતાના સંબોધનમાં ભારતે કહ્યું હતું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે એક વિશેષ પ્રતિનિધિમંડળે આ મંચનો દુરુપયોગ કરીને તેને નબળો પાડવા, ખોટો પ્રચાર કરવા અને ભારત વિરુદ્ધ પાયાવિહોણા આરોપો લગાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
યુએનમાં પાકિસ્તાનના કૃત્યોની આકરી ટીકા કરતું ભારત
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કૃત્યોની આકરી ટીકા કરી હતી. ભારતે કહ્યું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે તાજેતરમાં એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં આતંકવાદી સંગઠનોને સમર્થન, તાલીમ અને ભંડોળ પૂરું પાડવાના પાકિસ્તાનના ઇતિહાસને સ્વીકાર્યો છે, જે આખી દુનિયાએ સાંભળ્યું છે.
હવે દુનિયા આંખો મીંચી શકે તેમ નથી : યોજના પટેલ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અને ઉપ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે કહ્યું હતું કે, આ ખુલ્લું કબૂલનામું કોઈને પણ આશ્ચર્યચકિત કરતું નથી અને પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપનાર અને પ્રદેશને અસ્થિર કરનાર એક દુષ્ટ દેશ તરીકે ખુલ્લો પાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હવે દુનિયા વધુ આંખો મીંચી શકે તેમ નથી.
પાકિસ્તાન સામે ભારત લશ્કરી કાર્યવાહી માટે કેસ તૈયાર કરી રહ્યું છે
દરમિયાન ભારત સક્રિયપણે વૈશ્વિક સમર્થન એકત્ર કરવામાં વ્યસ્ત છે. આ શાંતિ સ્થાપિત કરવા માટે નહીં, પરંતુ સંભવિત લશ્કરી કાર્યવાહી માટે પોતાના તર્કને મજબૂત કરવા માટે છે. ગત સપ્તાહે થયેલા ભયાનક હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ડઝનથી વધુ વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરી છે. દરમિયાન ૧૦૦થી વધુ વિદેશી મિશનમાં તૈનાત રાજદ્વારીઓને તાત્કાલિક વિદેશ મંત્રાલય બોલાવાયા છે. અધિકારીઓનું કહેવું છે કે, ભારત પોતાના પાડોશી અને કટ્ટર દુશ્મન સામે લશ્કરી કાર્યવાહી માટે કેસ તૈયાર કરી રહ્યું છે.
બેંકિંગ, રેલવે અને નાણાકીય સેવાઓના કેટલાક નિયમોમાં થશે ફેરફાર
મે મહિનો દસ્તક આપવા જઈ રહ્યો છે, ત્યારે દેશભરમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમો બદલવાની તૈયારીઓ ચાલી રહી છે, જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. આ વખતે પણ પેટ્રોલ, સીએનજી, એલપીજી જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં દર મહિનાની શરૂઆતમાં કરવામાં આવતી નિયમિત સમીક્ષા મુજબ ફેરફાર થઈ શકે છે. આ સાથે જ બેંકિંગ, રેલવે અને નાણાકીય સેવાઓ સાથે જાેડાયેલા કેટલાક નિયમોમાં કેટલાક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે.
એલપીજી ગેસના ભાવમાં વધારો થવાની સંભાવના
દર મહિનાની શરૂઆત પહેલા તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. એપ્રિલમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂા. ૫૦નો વધારો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં મેની શરૂઆતમાં ફરીથી ભાવવધારો થવાની સંભાવના છે, જેની અસર ઘરના બજેટ પર પડી શકે છે.
વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરી શકાશે નહીં
રેલવેએ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ફેરફારના સંકેત આપ્યા છે. મળતી માહિતી અનુસાર હવે વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો સ્લીપર અને એસી કોચમાં મુસાફરી કરી શકશે નહીં. આ ફેરફાર લાખો મુસાફરોની મુસાફરી યોજનાઓને અસર કરી શકે છે.
બેંકિંગ સેક્ટર : એટીએમમાંથી રોકડ ઉપાડવી મોંઘી થશે
બેંકિંગ સેક્ટરમાં ૧ મેથી એટીએમમાંથી રોકડ ઉપાડવી પણ પહેલા કરતા મોંઘા થઈ શકે છે. અત્યાર સુધી, ગ્રાહકોને મેટ્રો શહેરોમાં ૩ વખત અને અન્ય શહેરોમાં ૫ વખત સુધી મફત ટ્રાન્ઝેક્શનની મંજૂરી અપાતી હતી. આ પછી રૂા. ૨૧ની ફી લેવાતી હતી, પરંતુ મેથી આ ફી રૂા. ૨૩ થઈ જશે. આની સીધી અસર તે ગ્રાહકો પર પડશે જેઓ એટીએમમાંથી વારંવાર રોકડ ઉપાડે છે.
એફડી તેમજ લોનના વ્યાજદરમાં ફેરફાર થવાની શક્યતા
એફડી અને બચત ખાતા ધરાવતા ગ્રાહકો માટે પણ આ મહિનો મહત્વનો હોઈ શકે છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડાને કારણે, ઘણી બેંકોએ પહેલાથી જ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે અને આ દરોને વધુ અસર પણ થઈ શકે છે. આના કારણે એફડી પરનું વળતર ઘટી શકે છે અથવા લોન પરના વ્યાજ દરમાં ફેરફાર થઈ શકે છે.
ઉપરાંત ગ્રામીણ બેંકિંગ માળખામાં પણ મોટા ફેરફારો જાેવા મળશે. આરબીઆઈની યોજના હેઠળ, દેશના ૧૧ રાજ્યોની સ્થાનિક ગ્રામીણ બેંકોને મર્જ કરીને એક મોટી બેંક બનાવાશે, જેથી બેંકિંગ સેવાઓને વધુ કેન્દ્રિય અને સરળ બનાવી શકાય. આ તમામ ફેરફારોની અસર સીધી સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. જાે ઘરેલુ ગેસના ભાવ વધશે તો રસોડાનો ખર્ચ વધશે, જાે એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જીસ મોંઘા થશે તો રોકડ ઉપાડવી મુશ્કેલ બનશે અને બેંકિંગ વ્યાજદરમાં ફેરફારથી રોકાણ અને લોન બંનેને અસર થશે.
Loading ...