ગત ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ ઘટનાના ૪૮ કલાકમાં એટલે કે ૧૪ જૂન, ૨૦૨૫ ના રોજ બપોરે ૩ વાગ્યે DNA મેચ થતા પહેલી ડેડબોડી પરિવારજનોને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ ૧૨૦૦ બેડ હોસ્પિટલના ગેટ પરથી ડેડબોડી લઇ એમ્બ્યુલન્સ બહાર નીકળી હતી. સિવિલ હોસ્પિટલ બહાર ૧૯૨ એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય રાખી અને ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટે લાવવામાં આવેલી અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગ ઉપર વિમાનની ટેલ અથડાઈ હતી. જે ટેલમાંથી આજે સવારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ સાધનોની મદદથી પ્લેનનો કાટમાળ કાપી અને એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે જે એર હોસ્ટેસનો હોવાની શક્યતા છે.
અમદાવાદ ફાયર બ્રિગેડનો એક કર્મચારી મહા મહેનતે અંદર સુધી ગયો હતો અને તેને સાધનોથી આગળનો ભાગ કાપ્યો હતો. ત્યારબાદ દોરડા વડે તેને બાંધી અને થોડો ખેંચવામાં આવ્યો હતો જે બાદ મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બિલ્ડીંગના ધાબા ઉપરથી મૃતદેહ કાઢવામાં આવ્યું હતું અને જેને એક કપડામાં બાંધી અને ત્યારબાદ તેને દોરડા વડે નીચે ઉતારવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે, ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ બપોરે ૧:૩૮ વાગ્યે ૪૦ થી ૪૨ ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-૧૭૧ ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ ૧:૪૦ વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડમાં પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું.
આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ક્રૂ-મેમ્બર્સ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ ૨૪૨ મુસાફરો હતા. જેમાં ૧૬૯ ભારતીય, ૫૩ બ્રિટિશ, ૭ પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના ૧૨ ક્રૂ-મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ-મેમ્બર અને પ્રવાસીઓ મળીને ૨૪૧નાં મોત થયા છે. જ્યારે ડોકટર્સની હોસ્ટેલ અને આસપાસના વિસ્તારમાં હાજર રહેલા અન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા.
સૂર્યની વધતી જતી પ્રવૃત્તિ પૃથ્વી પરથી આવતા ઉપગ્રહોને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે, ખાસ કરીને એલોન મસ્કના સ્પેસએક્સ દ્વારા લોન્ચ કરાયેલા સ્ટારલિંક નક્ષત્રના ઉપગ્રહો માટે તે ખતરનાક બની રહી છે.
યુએસ સ્પેસ એજન્સી નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના અવકાશ ભૌતિકશાસ્ત્રી ડેની ઓલિવેરાએ છેલ્લા કેટલાક વર્ષોમાં પૃથ્વી પર પાછા પડી ગયેલા ૫૨૩ સ્ટારલિંક ઉપગ્રહો પર એક અભ્યાસનું નેતૃત્વ કર્યું છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સૂર્યમાં વિસ્ફોટોથી સર્જાયેલા ભૂ-ચુંબકીય તોફાનો વાતાવરણમાં ખેંચાણ વધારે છે અને તેના કારણે ઉપગ્રહો ભ્રમણકક્ષામાંથી પડીને ઝડપથી વાતાવરણમાં ફરી પ્રવેશ કરે છે.
નાસા ટીમે આ અભ્યાસમાં લખ્યું છે, "તે સ્પષ્ટ છે કે વર્તમાન સૌર ચક્રની મજબૂત સૌર પ્રવૃત્તિએ સ્ટારલિંક ઉપગ્રહો પર મોટી અસર કરી છે. નીચા-પૃથ્વી ભ્રમણકક્ષા અને સૌર પ્રવૃત્તિમાં ઉપગ્રહોની સંખ્યા માનવ ઇતિહાસમાં સૌથી વધુ છે."
સાયન્સ એલર્ટ મુજબ, સૌર ચક્ર એ ૧૧ વર્ષનો સમયગાળો છે જેમાં સૂર્યની ગતિવિધિઓમાં વધઘટ થાય છે. તેમાં સૂર્યના ધ્રુવોનું ચુંબકીય ઉલટું, સૌર જ્વાળાઓ અને કોરોનલ માસ ઇજેક્શનનો સમાવેશ થાય છે. જ્યારે ધ્રુવો ફેરવાય છે અને ન્યૂનતમ ઘટે છે ત્યારે તે ટોચ પર પહોંચે છે. આ ૨૫મા ચક્રનું ઉચ્ચતમ સ્તર છે, જે આગાહી કરતા વધુ મજબૂત છે, જો કે તે રેકોર્ડ કરાયેલ સૌથી મજબૂત ચક્ર નથી.
આનાથી બધા નીચા ભ્રમણકક્ષાના ઉપગ્રહોને અસર થઈ છે. સ્પેસએક્સના સ્ટારલિંક નક્ષત્રમાં ૮,૮૭૩ ઉપગ્રહો છે અને ૭,૬૬૯ હાલમાં કાર્યરત છે. ઉપગ્રહ કામગીરી પર ટોચની સૌર પ્રવૃત્તિની અસરનું વિશ્લેષણ કરવા માટે આ એક અનોખો કેસ સ્ટડી છે. આ માટે ઉપગ્રહોને તેમના માર્ગ પર રહેવા માટે ગોઠવણો કરવાની જરૂર પડે છે અને કેટલાક ઉપગ્રહો વધતા ખેંચાણને કારણે ભ્રમણકક્ષામાંથી પડી શકે છે.
સ્પેસએક્સના સ્ટારલિંક ઉપગ્રહો ઘણા દેશોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરે છે, જેમાં મર્યાદિત અથવા કોઈ કનેક્ટિવિટી ન હોય તેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. સ્ટારલિંક ઉપગ્રહોનું આયુષ્ય સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછું હોય છે. આ પછી, આ ઉપગ્રહો વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરે છે અને પૃથ્વી પર પહોંચતા પહેલા બળી જાય છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ : ઘટના સદર્ભે આપી તમામ માહિતી
અમદાવાદ વિમાન દુર્ઘટના પર નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન દુર્ઘટના અંગેની કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, "૬૫૦ ફૂટની ઊંચાઈએ વિમાન ખરાબ થયું હતું. પાઇલટે ઇમરજન્સી કોલ આપ્યો હતો." આ અકસ્માત બપોરે ૧:૪૦ વાગ્યે થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વિમાન એરપોર્ટથી બે કિલોમીટરના અંતરે ક્રેશ થયું હતું. મંત્રાલયને અકસ્માતની માહિતી બપોરે ૨ વાગ્યે મળી હતી, જ્યારે સાંજે ૬ વાગ્યે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
મંત્રી રામ મોહન નાયડુએ માહિતી આપી કે, આ અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. અકસ્માત સ્થળ પરથી ગઈકાલે (શુક્રવારે, ૧૩ જૂન, ૨૦૨૫) સાંજે ૫ વાગ્યે બ્લેક બોક્સ મળી આવ્યું હતું, જેની તપાસ હજુ બાકી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે અકસ્માતનું કારણ શોધવામાં થોડો સમય લાગી શકે છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમીર કુમાર સિંહાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, "વિમાન બપોરે ૧:૩૯ વાગ્યે ઉડાન ભરી હતી. લગભગ ૬૫૦ ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી, તેની ઊંચાઈ ઘટવા લાગી. પાઇલટે બપોરે ૧:૩૯ વાગ્યે ATC (એર ટ્રાફિક કંટ્રોલ) ને સંપૂર્ણ કટોકટીની જાણ કરી. ATC ના જણાવ્યા અનુસાર, જ્યારે તેણે વિમાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને કોઈ પ્રતિસાદ મળ્યો નહીં. ૧ મિનિટ પછી, વિમાન એરપોર્ટથી ૨ કિમી દૂર મેઘાણી નગર ખાતે ક્રેશ થયું."
તેમણે ઉમેર્યું કે, આ અકસ્માત પહેલા, વિમાને પેરિસથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ કોઈપણ ઘટના વિના પૂર્ણ કરી હતી. અકસ્માતને કારણે, એરપોર્ટ બપોરે ૨:૩૦ વાગ્યે બંધ કરવામાં આવ્યું હતું. બધા પ્રોટોકોલ પૂર્ણ કર્યા પછી તેને સાંજે ૫ વાગ્યે ખોલવામાં આવ્યું હતું.
મણિપુરમાં સુરક્ષા દળોએ ઇમ્ફાલ ખીણના પાંચ જિલ્લાઓમાંથી ૩૨૮ થી વધુ રાઇફલ્સ સહિત મોટી માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો છે. એક અધિકારીએ શનિવારે (૧૪ જૂન, ૨૦૨૫) આ માહિતી આપી. તેમણે કહ્યું કે શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ ગુપ્ત માહિતીના આધારે સંકલિત કાર્યવાહી દરમિયાન, મણિપુર પોલીસ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને સેનાની સંયુક્ત ટીમોએ આ સફળતા મેળવી.
મણિપુર લાંબા સમયથી અશાંતિમાં છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં શસ્ત્રો જપ્ત કરવાનું ખૂબ મહત્વ ધરાવે છે અને રાજ્યમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
જપ્ત કરાયેલા શસ્ત્રોની વિગત
• ૧૫૧ SLR (સેલ્ફ-લોડિંગ રાઇફલ્સ)
• ૬૫ INSAS રાઇફલ્સ
• ૭૩ અન્ય રાઇફલ્સ
• પાંચ કાર્બાઇન્સ
• બે MP5 બંદૂકો
• ૧૨ લાઇટ મશીનગન (LMG)
• છ AK શ્રેણીની રાઇફલ્સ
• બે અમોગ રાઇફલ્સ
• એક મોર્ટાર
• છ પિસ્તોલ
• એક AR-15
• બે ફ્લેર ગન
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ૧૪ જૂન, ૨૦૨૫ ના રોજ NEET UG ૨૦૨૫ નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાનના હનુમાનગઢના મહેશ કેશવાનીએ પહેલો ક્રમ મેળવીને દેશમાં ટોપર બન્યો છે, જ્યારે ઇન્દોરના ઉત્કર્ષ અવધિયાએ બીજો ક્રમ મેળવ્યો છે.
૭૫ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર નહીં થાય
ઉલ્લેખનીય છે કે, ઇન્દોર કેન્દ્રો પર NEET UG પરીક્ષા આપનારા ૭૫ ઉમેદવારોએ ફરિયાદ કરી હતી કે, ૪ મેના દિવસે તોફાન અને વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે તેમનું પેપર બગડ્યું હતું. આ વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં ૯ જૂને સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું હતું કે, NTA આ ૭૫ ઉમેદવારો સિવાયના પરિણામ જાહેર કરી શકે છે.
NEET-UG 2025 ટોપ ૧૦ લિસ્ટ
• રેન્ક ૧: મહેશ કુમાર, ૯૯.૯૯૯૯૫૪૭ પર્સન્ટાઇલ, રાજસ્થાન
• રેન્ક ૨: ઉત્કર્ષ અવધિયા, ૯૯.૯૯૯૯૦૯૫ પર્સન્ટાઇલ, મધ્ય પ્રદેશ
• રેન્ક ૩: કૃષાંગ જોશી, ૯૯.૯૯૯૮૧૮૯ પર્સન્ટાઇલ, મહારાષ્ટ્ર
• રેન્ક ૪: મૃણાલ કિશોર ઝા, ૯૯.૯૯૯૮૧૮૯ પર્સન્ટાઇલ, દિલ્હી
• રેન્ક ૫: અવિકા અગ્રવાલ, ૯૯.૯૯૯૬૮૩૨ પર્સન્ટાઇલ, દિલ્હી
• રેન્ક ૬: જેનીલ વિનોદભાઈ ભાયાણી, ૯૯.૯૯૯૬૮૩૨ પર્સન્ટાઇલ, ગુજરાત
• રેન્ક ૭: કેશવ મિત્તલ, ૯૯.૯૯૯૬૮૩૨ પર્સન્ટાઇલ, પંજાબ
• રેન્ક ૮: ઝા ભવ્ય ચિરાગ, ૯૯.૯૯૯૬૩૭૯ પર્સન્ટાઇલ, અમદાવાદ, ગુજરાત
• રેન્ક ૯: હર્ષ કેદાવત, ૯૯.૯૯૯૫૪૭૪ પર્સન્ટાઇલ, દિલ્હી
• રેન્ક ૧૦: આરવ અગ્રવાલ, ૯૯.૯૯૯૫૪૭૪ પર્સન્ટાઇલ, મહારાષ્ટ્ર
આ યાદીમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓ - જેનીલ વિનોદભાઈ ભાયાણી (રેન્ક ૬) અને ઝા ભવ્ય ચિરાગ (રેન્ક ૮) - ટોપ ૧૦ માં સ્થાન મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
પરિણામ કેવી રીતે તપાસવું?
ઉમેદવારો NTA ની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પરથી પોતાનું પરિણામ ચેક કરી શકે છે. રિઝલ્ટ ચેક કરવા માટે ઉમેદવારે પોતાનો રોલ નંબર અને જન્મતારીખ દાખલ કરવાની રહેશે.
NEET UG Result 2025 ચેક કરવાની પ્રક્રિયા
૧. સૌથી પહેલાં સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in ઓપન કરો. ૨. ત્યારબાદ હોમ પેજ પર NEET-UG 2025 Result પર ક્લિક કરો. ૩. હવે તમારી સામે એક નવું પેજ ઓપન થઈ જશે, જેમાં લોગ ઇન કરવા માટે તમારો રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો. ૪. હવે તમારી સામે NEET UG Result 2025 રિઝલ્ટ ખુલશે.
NEET-UG 2025 પરીક્ષાની વિગતો
નોંધનીય છે કે, નીટ યુજી ૨૦૨૫ ની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ત્રીજી જૂન, ૨૦૨૫ ના દિવસે જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારોને ૫ જૂન સુધી આન્સર કી સામે વાંધો ઉઠાવવાની તક આપવામાં આવી હતી. ફાઇનલ આન્સર કી ૧૪ જૂને દાખલ કરવામાં આવી હતી.
નીટ ૨૦૨૫ ની પરીક્ષાનું આયોજન ૪ મે, ૨૦૨૫ ના દિવસે દેશભરમાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો પર સિંગલ શિફ્ટમાં બપોરે ૨ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી લેવામાં આવી હતી. ઉમેદવારોને પરીક્ષામાં ત્રણ સેક્શન ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સેક્શનમાંથી ૪૫-૪૫ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, જોકે બાયોલોજી સેક્શનમાંથી ૯૦ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ઉમેદવારોને કુલ ૧૮૦ અનિવાર્ય પ્રશ્ન પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા, જેનો કુલ અંક ૭૨૦ છે. નીટ ૨૦૨૫ પરીક્ષમાં વિદ્યાર્થીઓને સાચો જવાબ આપવા પર ૪ માર્ક્સ આપવામાં આવે છે અને કોઈપણ ખોટા જવાબ આપવા પર ૧ માર્ક નેગેટિવ માર્કિંગના રૂપે કાપવામાં આવે છે.
Loading ...