ઉત્તર ગુજરાત સમાચાર

  • ગુજરાત

    રૂપાલાની ટિકિટ પરત નહીં ખેંચાય તો વિરૂધ્ધમાં મતદાન કરવાનું અલ્ટિમેટમ

    અમદાવાદ એક તરફ લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તારીખો નજીક આવી રહી છે, તો બીજી બાજુ મતદાન માટે ભાજપગઢ ગણાતું ગુજરાત રાજ્યમાં વિરોધના વાદળો ફરી વળ્યા છે. અગાઉ ધંધુકા તાલુકામાં ક્ષત્રિય સમાજના મુખ્ય આગેવાનો દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી એકવાર ક્ષત્રિય સમાજના આગેવાનોએ મહાસંમેલનનું આયોજન કર્યું છે. આજરોજ ગુજરાતમાં ભાજપ માટે મતદાનગઢ તરીકે ગણાતું રાજકોટ શહેરમાં ક્ષત્રિય સમાજના મુખ્ય આગેવાનોએ મહાસંમેલનનું આયોજન કર્યું છે. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈ આગામી દિવસોમાં સરકાર વિરુદ્ધની રણનીતિ જાહેર કરવામાં આવી છે. આ સંમેલનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે. આ મહાસંમેલન રાજકોટના રતનપુર વિસ્તારમાં યોજવામાં આવ્યું છે. આ સંમેલનની શરૂઆત યજ્ઞ સાથે ગાયત્રી મંત્ર કરી છે. તે આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના દાતાઓ પણ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં તૃપ્તિ બા, મહિપાલ સિંહ મકરાણા, વિરભદ્ર સિંહ, રાજ શેખાવત, રાજ્ય સ્તરે ક્ષત્રિય સમાજના આગેવાન રમજૂભાઈ વગેરે જેવા મુખ્ય ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ સાથે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતુ રાજકોટના રતનપરમાં પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સાથે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચ્યા હતા. રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ક્ષત્રિય આગેવાનોએ પણ ભાગ લેવા પહોંચ્યા છે. લાખોની ભીડ વચ્ચે ક્ષત્રિય સમાજે અલ્ટીમેટમ આપ્યું છે કે જાે રૂપાલની ટીકીટ કેન્સલ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એક થઈને તેમની સામે વોટ આપશે. ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટીકીટ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટીમેટમ આપ્યું છે. રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલનમાં આગેવાનોએ જણાવ્યું હતું કે જાે ભાજપ રૂપાલાની ટીકીટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે. સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી બેઠકોમાં જ્યાં ક્ષત્રિય મતદારો એક થઈને અન્ય પક્ષને મત આપશે. ક્ષત્રિય આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે. આવી સ્થિતિમાં આ વિવાદનો એક જ ઉપાય છે કે ભાજપે પરષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવી જાેઈએ. ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે જમાનો બદલાયો છે, લોહી એ જ છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ મહાસંમેલન દ્વારા પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોના મહાસંમેલનની સાઈડ ઈફેક્ટની વાત કરીએ તો રતનપર ગામ નજીક નેશનલ હાઈવે પર ૧૦ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઈવે પર વાહનોના થપ્પા લાગ્યા હતો.પરષોત્તમ રૂપાલાને હવે અફસોસ થતો હશેઃ પદ્મિનીબા રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં પદ્મિનીબા એ બોલતા જણાવ્યું હતું કે પરષોત્તમ રૂપાલાને હવે અફસોસ થતો હશે પોતાના નિવેદન બાદ કે કયા નિવેદન કરી નાખ્યું.વધુમાં જણાવ્યું હતું કે ઘોબા તો ઉપાડવાના બાકી છે ભાઈ.આપણી એક્તા હશે તો જીત આપણી છે, હવે રૂપાલાભાઈને થતું હશે તે કોની ઝપટે ચડી ગયા તેમ પદ્મિનિબા જાડેજાએ રોષ સાથે કહ્યું હતું. શીલા સુખદેવ ગોગામેડી અરવલ્લી પોલીસની નજરકેદમાં રખાયા હતા તો બીજી બાજુ ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા માટે નીકળેલા રાજપૂત કરણીસેના પૂર્વ અધ્યક્ષનાં પત્ની શીલા સુખદેવ ગોગામેડી અને અન્ય કાર્યકરોની ગુજરાત રાજસ્થાન સરહદે ગુજરાત પોલીસ દ્વારા અટકાયત કરીને નજરકેદ કરાયાં હતા. જ્યાં સુધી રાજકોટ સંમેલન પૂર્ણ ના થાય ત્યાં સુધી અરવલ્લી પોલીસના નજરકેદમાં રખાયા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    સ્થિતિ વણસતા વાદ-વિવાદમાંથી બહાર આવવા સી આર પાટીલની કાર્યકરોને અપીલ

    ગાંધીનગર વિવિધ રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીને લઇને જાેર શોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. જાે કે ચૂંટણી વચ્ચે વિવિધ રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ પણ સપાટી પર આવી રહ્યા છે. ગુજરાતની વડોદરા બેઠક પણ આંતરિક વિખવાદને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, ત્યારે સી આર પાટીલ કાર્યકર્તાઓને વિવાદોમાંથી બહાર આવવા અપીલ કરી છે. વડોદરા લોકસભા બેઠક પર પહેલા રંજનબેન ભટ્ટના નામને લઇને વિરોધ ઊભો થયો હતો. જે પછી રંજનબેને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો. જે પછી ભાજપે વડોદરા બેઠક પર હેમાંગ જાેષીને ટિકિટ આપવામાં આવી છે. જાે કે તે પછી પણ ભાજપમાં નાના મોટા વિરોધ સામે આવતા રહ્યા છે. એટલુ જ નહીં ગુજરાતમાં અન્ય કેટલીક બેઠક પર પણ ભાજપમાં વિખવાદ સામે આવી રહ્યા છે, ત્યારે ભાજપના આંતરિક અસંતોષ પર સી આર પાટીલે નિવેદન આપ્યુ છે. સી આર પાટીલે કાર્યકર્તાઓને વાદ-વિવાદમાંથી બહાર આવવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યુ કે કોણ શું કહે છે એની ચિંતા ના કરો. તમે માત્ર કામ પર ફોકસ કરો. થોડું કામ કરવાની જરૂર છે.બુથમાં, સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરને કામ આપજાે. આમાંથી કોઈથી ડરતા નહીં, તમારૂ ન માને તો મને ફોન કરજાે.
    વધુ વાંચો
  • ગુજરાત

    આણંદ અને મહીસાગર જિલ્લામાં ૩૯૮ આંગણવાડી કેન્દ્ર જર્જરિત

    ગાંધીનગર રાજ્યના આણંદ અને મહીસાગર જિલ્લામાં ૧૦૦૮ જેટલી આંગણવાડીઓ પૈકીની ૩૯૮ આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં હોવાનો એકરાર રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ વિધાનસભામાં કર્યો હતો.વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન કોંગ્રેસનાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સવાલ કર્યો હતો કે, મહીસાગર અને આણંદ જિલ્લામાં જિલ્લાવાર કેટલા આંગણવાડી કેન્દ્રોના મકાન જર્જરિત હાલતમાં છે? ઉક્ત આંગણવાડીઓની શી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે?ગુલાબસિંહ ચૌહાણના સવાલના પ્રત્યુત્તરમાં મહિલા અને બાલ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં ૩૦૫ આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે. સરકારે આ આંગણવાડીના બાળકોની સલામતીની ચિંતા કરીને ૧૦૬ આંગણવાડીઓ ભાડાના મકાનમાં જ્યારે બાકીની ૧૯૯ આંગણવાડીઓ શાળાના ઓરડા, પંચાયત ઘર અથવા સમાજ ઘર જેવી સલામત જગ્યાએ ખસેડવામાં આવી છે.તેવી જ રીતે, આણંદ જિલ્લામાં પણ ૯૩ આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે. જે પૈકીના ૨૩ કેન્દ્રો ભાડાના મકાનમાં તેમજ બાકીના ૭૦ કેન્દ્રો શાળાના ઓરડા, પંચાયતઘર અથવા સમાજ ઘર જેવી જગ્યાએ ખસેડાયા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ જર્જરિત આંગણવાડી કેન્દ્રોનું રિનોવેશન અને બાંધકામ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં માતબર રકમ ની જાેગવાઈ કરાઈ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભાજપે અચાનક ૨૬ બેઠકો પર ત્રણ ત્રણ નિરીક્ષકોને મોકલ્યા

    ગાંધીનગર લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આજે અચાનક ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ત્રણ ત્રણ નિરીક્ષકોને મોકલીને ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બે દિવસ સેન્સ પ્રક્રિયા લેવાયા બાદ ૨૮મીએ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને ત્યાર બાદ ૨૯મીએ દિલ્હી ખાતે કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રાજ્યના ઉમેદવારોની યાદી સુપ્રત કરવામાં આવશે. એટલું જ નહીં, આગામી સપ્તાહના અંત સુધીમાં ભાજપના મોવડી મંડળ દ્વારા દેશની પ્રથમ ૧૦૦ બેઠકોની યાદી જાહેર કરી શકે છે, જેમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના નામની જાહેરાત થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપ દ્વારા પણ તેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગુજરાતની ૨૬ બેઠકો માટે આજથી ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી દેવાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આજે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠક માટે ઉમેદવારોની પસંદગી માટે ત્રણ ત્રણ નિરીક્ષકોની ટીમને જુદી જુદી બેઠકો પર મોકલવામાં આવી છે. આ નિરીક્ષકોની ટીમો દ્વારા આવતીકાલ સુધી એટલે કે મંગળવાર સુધી સેન્સ લેવામાં આવશે.બે દિવસ સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૨૮મી ફેબ્રુઆરીએ ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં નિરીક્ષકો દ્વારા મેળવાયેલા નામોની યાદીને તૈયાર કરાશે.ત્યાર બાદ તા. ૨૯ ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હી ખાતે કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગુજરાતની ૨૬ બેઠક માટે આવેલા નામોની યાદીને સુપ્રત કરવામાં આવશે. આ કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા વિચારણા કરાયા બાદ સંભવત ઃ કેટલીક બેઠકો માટેના નામની જાહેર કરવામાં આવી શકે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સહિત લગભગ ૧૦૦ જેટલા ઉમેદવારો કઈ બેઠક પરથી લડશે તેની જાહેરાત કરવામાં આવી શકે તેવી શક્યતા છે.અમદાવાદ પૂર્વ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ લોકસભા બેઠક પર ઉમેદવારોની પસંદગી માટે ભાજપના ત્રણ ત્રણ નિરીક્ષકની ટીમ દ્વારા આજથી બે દિવસ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેના અંતર્ગત આજે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટેના ઉમેદવારની પસંદગી માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં નિકોલમાં આવેલી કોઠીયા હોસ્પિટલ ખાતે સેન્સની પ્રક્રિયા માટે રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુ બેરા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા અને ધારાસભ્ય સંગીતા પાટીલ પહોંચ્યા હતા. તેમણે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે પક્ષના કાર્યકરોને મળીને તેમના અભિપ્રાયો અને સૂચનો મેળવ્યા હતા. પ્રદેશ પ્રમુખની વર્તમાન અને પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનો સાથે બેઠક લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આજથી બે દિવસ ઉમેદવારોની પસંદગી માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે બીજી તરફ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા રાજ્યના વર્તમાન અને પૂર્વ મેયરો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા, પોલિસી મેટરને લઈને ચર્ચા કરવામાં આવી હતી. 
    વધુ વાંચો
  • ગુજરાત

    કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા

    રાજકોટ ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલને શનિવારે રાત્રે બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને જામનગરથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. રાઘવજી પટેલ અત્યારે ભુપેન્દ્ર પટેલ સરકારમાં કૃષિ મંત્રાલય સંભાળે છે. તેમની તબિયત અચાનક લથડ્યા પછી તેમને રાજકોટ લઈ જવાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મામલે ડોક્ટરો સાથે વાતચીત કરી છે. રાઘવજી પટેલને હાલમાં ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. તેમની તબિયત સ્થિર હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. ન્યુરોસર્જન ડો. સંજય ટીલાળા તેમને સારવાર આપી રહ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તાજેતરમાં જામનગર હતા અને જામનગરના પસાયા બેરાજામાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમમાં જાેડાયા હતા. આ દરમિયાન મોડી રાત્રે તેમને માઈનર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. સીનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરિયાએ તેમના હેલ્થ અપડેટ આપતા જણાવ્યું કે, વહેલી સવારે સિનરજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં રાઘવજીભાઈ પટેલ તબિયત સ્થિર છે.સિનર્જી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે રાઘવજી પટેલને દિમાગની જમણી બાજુએ હેમરેજ થયું છે. શનિવારે રાતે લગભગ ૧૦.૩૦ વાગ્યાની આસપાસ તેમને સ્ટ્રોક આવ્યો હતો. તેમને જામનગરની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાર પછી તેમને રાજકોટ અમારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
    વધુ વાંચો
  • ગુજરાત

    અમિત શાહ આજે ગાંધીનગર પ્રીમિયર લીગનું ઉદઘાટન કરશે

    ગાંધીનગર કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તા.૧૨ ફેબ્રુઆરીના રોજ ગુજરાત આવી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ આવતીકાલે એએમસી દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ સાંજે ગાંધીનગર પ્રીમિયર લીગનું ઉદઘાટન પણ કરશે.લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેના અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૨ ફેબ્રુઆરીના રોજ વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જેના અંતર્ગત અમિત શાહ સવારે ૧૦ કલાકે થલતેજ વોર્ડમાં એએમસી દ્વારા નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ સવારે ૧૦-૩૦ કલાકે ઝૂપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત એએમસી દ્વારા નવનિર્મિત ઇડબલ્યુએસના ૫૮૮ આવાસોનું લોકાર્પણ કેન્દ્રિય મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.જ્યારે અમિત શાહ સવારે ૧૦-૪૫ કલાકે અમદાવાદ મ્યુ. સ્કૂલ બોર્ડ દ્વારા નવનિર્મિત વાડજ શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લોકાર્પણ કરશે. ત્યાર બાદ જૂના વાડજ ખાતે સ્વાતિક સ્કૂલ ખાતે માર્ગના નામકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત અમિત શાહ સવારે ૧૧-૧૫ કલાકે એએમસીના વિવિધલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જાહેરસભાને સંબોધન કરશે, ત્યાર બાદ જેતલપુર ખાતે નરનારાયણ શાસ્ત્રી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનૉલોજી, જેતલપુરના ઉદઘાટન પ્રસંગે જાહેરસભાને કેન્દ્રિય મંત્રી અમિત શાહ સંબોધન કરશે.ત્યાર બાદ સાંજે ૪-૩૦ કલાકે છારોડી ખાતે ગાંધીનગર પ્રીમિયર લીગના ઉદઘાટન સમારોહમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ઉપસ્થિત રહીને જાહેરસભાને સંબોધિત કરશે.૨૧ દિવસ સુધી ચાલનારી પ્રીમિયર લીગમાં ૧૦૦૦થી વધુ ટીમો ભાગ લેશે ખેલો ગાંધીનગર”ના ધ્યેય સાથે ક્રિકેટ રમત માટે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનો એસ.જી.વી.પી. છારોડી ખાતેથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેમાં ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ સાત વિધાનસભાના નાગરિકો વચ્ચે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સૌથી વિશાળ અને વ્યાપક ફલક પર યોજાનાર આ સ્પર્ધા કુલ ૧૩ મેદાનો પર સતત ૨૧ દિવસ સુધી ચાલશે. આ સ્પર્ધામાં ૧ હજારથી વધુ ટીમો અને ૧૫ હજાર વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ટેનિસ બોલ સાથે યોજવામાં આવશે અને તેમાં પ્રત્યેક મેચ ૧૦ ઓવરની રહેશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગાંધીનગર જીઆઈડીસીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

    ગાંધીનગર ભગવાન શ્રીરામના પાવન સ્પર્શથી સતી અહલ્યાનો ઉદ્ધાર થયો હતો, તેવી રીતે ગાંધીનગરની સેક્ટર-૨૮ની જીઆઇડીસી પણ તેને ઉદ્ધાર માટે કોઈ શ્રી રામ જેવી હસ્તીની રાહ જાેઈ રહી છે.ગાંધીનગર રાજયનું પાટનગર હોવાની સાથે સ્માર્ટ સિટી અને હરિયાળું શહેરનો દરજ્જાે ધરાવે છે. જાે કે, સેક્ટર-૨૮ની જીઆઇડીસી છેલ્લા ઘણા લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓની રાહ જાેઈ રહી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૭ વર્ષ કરતાં વધુ સમયથી સ્થાયી સરકારની સાથોસાથ હવે તો ડબ્બલ એન્જિનની સરકાર છે. ત્યારે આ ડબ્બલ એન્જિનની સરકારના વહીવટમાં પાટનગરની સેક્ટર-૨૮ની જીઆઈડીસીમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય તો તેનો ઉદ્ધાર થાય તેની રાહ જાેઈ રહી છે. રાજ્યના પાટનગરમાં છાસવારે વાઈબ્રન્ટ ગુજરાત જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાય છે, પાટનગરને નવોઢાની માફક શણગારવામાં આવે છે. પરંતુ આવા તમામ મોટા કાર્યક્રમોના ખર્ચાઓમાં દર વખતે સેક્ટર-૨૮ની જીઆઈડીસીના નાના-મોટા ઉદ્યોગપતિઓ યથાશક્તિ ફાળો આપે છે. આવા સહભાગી થતાં સેક્ટર ૨૮ જીઆઈડીસીના નાના-મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ ઘણા લાંબા સમયથી પાયાની સુવિધા કે સગવડોથી વંચિત છે. દરેક ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ દ્વારા લોભામણા વાયદા કરવામાં આવે છે. પરંતુ જીત્યા પછી જીઆઇડીસી વિસ્તાર તરફ નજર પણ કરવામાં આવતી નથી.છાશવારે સમગ્ર ગાંધીનગરના રોડ-રસ્તા, ફૂટપાથ, ગટરોના કામ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગાંધીનગરના છેવાડે આવેલી સેક્ટર-૨૮ની જીઆઈડીસી સાથે તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરી વિકાસ અને પાયાની જરૂરિયાતોથી વંચિત રાખવામાં આવી છે.સેક્ટર ૨૮ ની જીઆઈડીસીમાં ઉદ્યોગપતિઓ દ્વારા મોટા પ્રોપર્ટી ટેક્સ અને જીએસટી ટેક્સ ભરવામાં આવે છે, તેમ છતાં તેમના જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગકારોની સ્થિતિ ભારે દયનિય છે.સેક્ટર ૨૮ ની જીઆઈડીસીના મુખ્ય મુદ્દાઓ ૧. આ ઔદ્યોગિક વિસ્તારમાં એક કલાક જ પાણીનો પૂરવઠો અપાય છે ૨. આટલી મોટી જીઆઈડીસીમાં જાહેર શૌચાલય કે મુતરડીનો અભાવ ૩. જીઆઈડીસીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે તાત્કાલિક સારવાર કેન્દ્રનો અભાવ ૪. વર્ષોથી તૂટેલા અને રિપેરિંગ માંગતા રોડ રસ્તા. ૫. જીઆઈડીસી વિસ્તારમાં છાશવારે ઉભરાતી ગટરોનો નિકાલ નથી આવતો ૬. ફાયર સેફ્ટી માટે સ્ટેન્ડબાય અગ્નિશામક વાહન કે આપતકાલીન ઘટનાને વખતે પહોંચી વળવા માટે સ્ટાફનો અભાવ ૭. જીઆઇડીસીમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનું વાહન સ્ટેન્ડબાય અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપવા માંગ ૮. જીઆઈડીસીમાં પોલીસચોકી કે પીસીઆર વાનની નજીકમાં વ્યવસ્થા કરવા માંગ ૯. જીઆઈડીસી વિસ્તારમાં રખડતા કુતરાઓનો ત્રાસ હોવાથી કરડવાનો ડર ૧૦. જાહેરમાં પીવા માટેના પેયજળની વ્યવસ્થા નથી.
    વધુ વાંચો
  • ગુજરાત

    અમદાવાદ એસવીપીઆઈ એરપોર્ટે વધુ એક માઈલ્સટોન હાંસલ કર્યો

    અમદાવાદ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે એસવીપીઆઈ ચાલુ નાણાકીય વર્ષમાં ૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં ૧૦ મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગત વર્ષની સરખામણીમાં ૫૦-દિવસ વહેલા મળી છે. અગાઉ ૨૯ માર્ચ, ૨૦૨૩ના રોજ ૧૦ મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો હતો. અમદાવાદ એરપોર્ટે મહત્વપૂર્ણ માઈલ્સટોન હનસલ કર્યો છે જેમાં અમદાવાદમાં મુસાફરોની આ નોંધપાત્ર વૃદ્ધિ એરપોર્ટનું સતત અપગ્રેડેશન અને કનેક્ટિવિટી વધારવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જીફઁૈં એરપોર્ટ હવે સરેરાશ ૨૪૦ થી વધુ દૈનિક ફ્લાઇટ મૂવમેન્ટની સુવિધા આપે છે અને તેના બે ટર્મિનલ દ્વારા ૩૨,૦૦૦ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પૂરી સેવા પાડે છે. જનરલ એવિએશન ટર્મિનલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જી૨૦, યુ૨૦ અને વર્લ્ડ કપ મેચો જેવી મોટી ઈવેન્ટ્‌સને સેવા આપવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે રેકોર્ડ પેસેન્જર સંખ્યામાં ફાળો આપે છે. ૨૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ એરપોર્ટે ૪૨૨૨૪ મુસાફરોને સેવા આપી હતી જ્યારે ૧૯ નવેમ્બરના રોજ ૪૦,૮૦૧ મુસાફરો અને ૧૮ નવેમ્બરના રોજ ૩૮,૭૨૩ મુસાફરોએ મુસાફરી કરી હતી. ૧૯ નવેમ્બર ૨૦૨૩ ના રોજ ૩૫૯ ફ્લાઇટ મૂવમેન્ટ સાથે સમાન સમયગાળા દરમિયાન સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ રેકોર્ડ કરવામાં આવી હતી. પેસેન્જર ટ્રાફિકમાં ઝડપી વધારો થવા છતાં એસવીપીઆઈ એરપોર્ટે સીમલેસ મુસાફરીના અનુભવને પ્રાથમિકતા આપી છે.ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં સ્થાનિક ટર્મિનલના વિસ્તારમાં ૯,૦૦૦ ચોરસ મીટર અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલના વિસ્તારમાં ૧૦,૦૦૦ ચોરસ મીટરનો વધારો થયો છે, જેમાં અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્‌સનો સમાવેશ થાય છે.તાજેતરમાં કરાયેલા વિકાસ કાર્યો નવો પ્રસ્થાન સ્થળાંતર અને વિસ્તૃત આગમન વિસ્તાર • આંતરરાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર સુવિધા • ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ફાસ્ટેગ પ્રવેશ અને નિકાસ • ઈ-ગેટની સ્થાપના, સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધા અને ડિજી યાત્રા પ્રવેશ • વિસ્તૃત સુરક્ષા હોલ્ડ એરિયા અને બસ બોર્ડિંગ ગેટ • ડોમેસ્ટિક-ટુ-ડોમેસ્ટિક ટ્રાન્સફર સુવિધા • બહુવિધ લેન સાથે ઉન્નત પિકઅપ અને ડ્રોપ-ઓફ પોઈન્ટ • સમર્પિત પરિવહન બુકિંગ ઝોન • લેન્ડસાઇડ અને ડોમેસ્ટિક ટર્મિનલની અંદર નવા ફૂડ અને રિટેલ આઉટલેટ્‌સહાલ સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ૪૨ સ્થાનિક સ્થળોને સાત એરલાઈન્સ સાથે અને ૧૫ ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનને ૧૮ એરલાઈન્સ સાથે જાેડે છે. જે પ્રવાસીઓને અનેક કનેક્ટિવિટીના વિકલ્પો આપે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સોલાર રૂફટોપ યોજના’માં રાજકોટ, વડોદરા અને સુરતના ૯૦ હજારથી વધુ વીજ ગ્રાહકોને લાભ મળ્યો

    ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા સોલાર રૂફટોપ યોજના ‘સૂર્ય ગુજરાત’ અંતર્ગત રાજ્યના વડોદરા, સુરત અને રાજકોટ જિલ્લામાં ૯૦ હજારથી વધુ વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે. જેના અંતર્ગત આ વીજ ગ્રાહકોને કુલ મળીને રૂ.૫૭૭.૨૨ કરોડની સબસિડી નો લાભ અપાયો હોવાની માહિતી રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં આપી હતી. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં સોલાર રૂફટોપ યોજના ‘સૂર્ય-ગુજરાત’ની વિગતો અંગે વિધાનસભા ગૃહ ખાતે ઊર્જા મંત્રી કનુ દેસાઈ ને સંબોધીને પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રાજકોટ જિલ્લામાં ૨૮,૮૩૫ વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે, જેની કુલ ક્ષમતા ૧,૧૧,૦૩૧ કીલોવોટ છે. સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ રૂ. ૧૬૯.૦૬ કરોડની સબસિડી ચૂકવાઇ છે. આવી જ રીતે સુરત જિલ્લામાં કુલ ૩૨,૨૫૩ વીજ ગ્રાહકોએ કુલ ૧,૪૭,૦૨૯ કીલોવોટની ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવી છે, આ સોલાર સિસ્ટમ લગાવનાર વીજ ગ્રાહકોને કુલ રૂ.૨૨૩.૮૭ કરોડની સબસિડી અપાઈ છે. જ્યારે વડોદરા જિલ્લામાં પણ આ યોજના હેઠળ ૨૯,૦૯૪ વીજ ગ્રાહકોએ કુલ ૧,૨૧,૦૩૩ કીલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવી છે, જેના પરિણામે વીજ ગ્રાહકોને કુલ રૂ.૧૮૪.૨૯ કરોડની સબસિડી ચૂકવાઈ છે. આમ, સોલાર રૂફટોપ યોજના ‘સૂર્ય-ગુજરાત’ હેઠળ રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લાના આશરે ૯૦ હજારથી વધુ વીજ ગ્રાહકોને છેલ્લા બે વર્ષમાં રૂ. ૫૭૭.૨૨ કરોડની સબસિડીનો લાભ અપાયો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ફાર્માસ્યુટિકલ હબ બન્યું ભૂપેન્દ્રભાઇ પટેલ

    ગાંધીનગર પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ફાર્માસ્યુટિકલ હબ બન્યું છે દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં ૪૦ ટકા અને ફાર્મા એક્સપોર્ટમાં ૨૮ ટકા ગુજરાતનો છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે હોલિસ્ટિક હેલ્થકેર સમિટના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું.ગુજરાતની ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકેની ખ્યાતિને સુદ્રઢ કરનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડી યોજાઈ રહી છે, તેના પ્રિ-ઈવેન્ટ તરીકે આ હોલિસ્ટિક હેલ્થકેર સમિટનું આજે ગાંધીનગર ખાતે આયોજન કરાયું હતું.‘હોલિસ્ટિક હેલ્થકેર-ગુડ હેલ્થ એન્ડલ વેલ બિઈંગ ફોર ઓલ’ના વિચાર સાથે યોજાઈ રહેલી આ સમિટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મળેલી વૈશ્વિક ઓળખ અને પ્રસિદ્ધિની સરાહના કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટેનો ટેક ઑફ પોઇન્ટ બનાવી છે. ઉદ્યોગોના વિકાસ સાથે તેને અનુરૂપ માનવ સંસાધન વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, અર્બન ડેવલપમેન્ટ, હેલ્થકેર જેવા સોશિયલ સેક્ટર્સનો પણ વર્લ્ડક્લાસ વિકાસ થાય એ માટે આ વાઇબ્રન્ટ સમિટ યોગ્ય પ્લેટફોર્મ સાબિત થઈ છે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટે આરોગ્યની પ્રાથમિક સેવાઓ-પ્રાઇમરી હેલ્થ ફેસિલિટીઝ મજબૂત હોય તે આવશ્યક છે. આ પ્રિ-વાઇબ્રન્ટી હેલ્થ સમિટ વડાપ્રધાનશ્રીના હેલ્થકેર ફોર ઓલને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
    વધુ વાંચો

અમદાવાદ સમાચાર

ગાંધીનગર સમાચાર

મહેસાણા સમાચાર

પાટણ સમાચાર

બનાસકાંઠા સમાચાર

સાબરકાંઠા સમાચાર

અરવલ્લી સમાચાર