ખેડા સમાચાર
-
ગરમી ૪૩.ર ડિગ્રી ઃ લૂ લગાડતો ધગધગતો પવન અને આકરા તાપ વચ્ચે ગળાકાપ સ્પર્ધા
- 13, મે 2023 01:15 AM
- 7906 comments
- 2431 Views
વડોદરા, તા. ૧૨ઓરેન્જ એલર્ટ વચ્ચે મહત્તમ તાપમાનનો પારામાં આંશિક ધટાડા વચ્ચે મહત્તમ તાપમાનનો પારો ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી અંગદઝાડતી ગરમીને કારણે બપોર દરમ્યાન અનેક લોકો ઘરની બહાર નિકળવાનું ટાળતા હોવાથી મોટાભાગના રોડ – રસ્તાઓ સૂમસામ નઝરે પડ્યા હતા. રાજ્યભરમાં અસહ્ય ગરમીની આગાહી વચ્ચે આજે મહત્તમ તાપમાનમાં આંશિક રાહત જાેવા મળી હતી. છ રાજ્ય પૈકી વડોદરા શહેરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે મહત્તમ તાપમાન ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાઈ હતી. અસહ્ય ગરમીને કારણે લૂ લાગવાના બનાવ , ચામડીના રોગો તેમજ ઝાડા ઉલ્ટી સહિતના વાયરલ બિમારીઓમાં વધારો જાેવા મળ્યો હતો. માનવીની સાથે પશી – પક્ષીઓમાં પણ ગરમીની અસર જાેવા મળી હતી. અસહ્ય તાપના કારણે તેમજ પીવાના પાણીના અભાવને કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓ મૃત્યુ પામેલા જાેવા મળ્યા હતા. અસહ્ય તાપને પગલે મોટાભાગના રસ્તાઓ પર ડામર પીગળવાના કારણે અકસ્માતના બનાવમાં પણ વધારો જાેવા મળ્યો હતો. આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં ૦.૬ ડીગ્રી સેન્ટીગ્રેડના ઘટાડા વચ્ચે તાપમાન ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૭ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૪૫ ટકાની સાથે સાંજે ૧૫ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૦૪.૧ મીલીબાર્સની સાથે પશ્ચિમ દિશા તરફથી નવ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા. પાલિકા દ્વારા ઠેર-ઠેર પાણીની પરબો શરૂ કરવામાં આવી અસહ્ય ગરમીને કારણે રાહદારીઓને શુધ્ધ પાણીની સુવિધા મળી રહે તે માટે પાલીકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય ત્રણ વિસ્તારો કારેલીબાગ , પાણીગેટ અને હરિનગર પાણીની ટાંકી પાસે પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. તે સિવાય સયાજીબાગ ખાતે પણ પાણીની પરબ શરુ કરવામાં આવી છે. મેયર , સ્ટેન્ડીંગ કમિટી સહિતના અગ્રણીઓ દ્વારા પરબનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. પાલીકા સિવાય અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની સાથે છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.વધુ વાંચો -
સૂર્યના શ્રાપથી શહેરીજનો સ્તબ્ધ તાપમાન ૩૮.૬ ઃ રસ્તાઓ સૂમસામ
- 08, એપ્રીલ 2023 01:15 AM
- 9990 comments
- 7142 Views
વડોદરા, તા. ૭ સાઈક્લોન સક્ર્યુલેશનના કારણે સતત એક મહિનાથી વાદળછાયા વાતાવરણ અને માવઠાંના કારણે ઉનાળામાં પણ ચોેમાસાનો અહેસાસ શહેરીજનોને થયો હતો. સાયકલોનનો વેગ ફંટાઈ જતા કાળઝાળ ગરમીની અનુભૂતિ શહેરીજનોને છેલ્લા બે દિવસથી થઈ રહી છે ત્યારે આજે ઉનાળાની ઋતુમાં સૌ પ્રથમવાર મહત્તમ તાપમાનનો પારો ૩૮.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા બપોર દરમ્યાન મોટાભાગના રોડ – રસ્તા સુમસામ જાેવા મળ્યા હતા. તે સિવાય ઉત્તર - પશ્ચિમ દિશા તરફથી તેર કીમીની ઝડપે ગરમ પવન ફૂંકાતા લૂ સહિતની વાયરલ બિમારીઓમાં વધારો જાેવા મળ્યો હતો. ઉનાળાની શરુઆત બાદ સતત સાયકલોન સક્ર્યુલેશનના કારણે વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને પગલે ઠંડકની સાથે બફારાની સ્થિતીનો અહેસાસ શહેરીજનોને થયો હતો. છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાતા બળબળતા તાપનો અહેસાસ શહેરીજનોને થયો હતો. આજે પણ દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો મહત્તમ તાપમાનમાં નોંધાતા ઉનાળાની ઋતુ દરમ્યાન સૌ પ્રથમવાર તાપમાનનો પારો ૩૮.૬ ડીગ્રી નોંધાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. અસહ્ય ગરમીને પગલે મોટાભાગના રોડ રસ્તા બપોર દરમ્યાન સુમસામ નઝરે પડયા હતા. ઠેકઠેકાણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લૂ થી બચવા માટેના પ્રયાસો અને લૂ લાગે ત્યારે કેવા પ્રકારના ઉપચાર કરવા તે માટેની ગાઈડલાઈન પણ બહાર પાડી દેવામાં આવી છે. તે સિવાય અન્ય વાયરલ બિમારીઓ જેમકે તાવ , શરદી , ખાંસી અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતા શહેરના વિવધ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં દર્દીઓની ભારે ભીડ જાેવા મળી હતી. તે સિવાય કેરી , તડબૂચ , શક્કરટેટી જેવા ફળો બજારમાં જાેવા મળી રહ્યા છે જ્યારે લીલી શાકભાજીના ભાવમાં વધારો જાેવા મળ્યો હતો. આજે દિવસ દરમ્યાન તાપમાનના પારામાં ૧.૨ ડીગ્રી સેન્ટીગ્રેડના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૩.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૫૨ ટકાની સાથે સાંજે ૧૨ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૧૦.૨ મીલીબાર્સની સાથે ઉત્તર - પશ્ચિમ દિશા તરફથી ૧૩ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા.વધુ વાંચો -
શહેર રખડતાં કૂતરાઓના હવાલે ઃ ૧ દિવસમાં ૨૩ને કરડયાં!
- 08, એપ્રીલ 2023 01:15 AM
- 3768 comments
- 6241 Views
વડોદરા, તા.૭વડોદરા શહેર-જિલ્લામાં માર્ગો પર રખડતી ગાયોના અસહ્ય ત્રાસ બાદ હવે રસ્તાઓ પર રખડતાં કૂતરાઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન રપથી વધુ લોકોને કૂતરાઓ કરડવા અને બચકાં ભરી હિંસક હુમલો કર્યાના બનાવો સત્તાવાર સયાજી હોસ્પિટલમાં નોંધાયા છે. આ તમામને એન્ટિ રેબિટસના ઈન્જેકશનો આપી સારવાર આપવામાં આવી રહી છે. કૂતરાઓના હુમલાઓમાં ત્રણ નાનાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આજે સયાજી હોસ્પિટલમાં એક કરતાં વધુ કૂતરાઓના કેસો આવતાં તબીબો અને સ્ટાફના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વડોદરા શહેરમાં અને તેની આસપાસ તેમજ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી રસ્તાઓ ઉપર રખડતાં ગાય-કૂતરાઓનો ત્રાસ શહેરીજનો અને નિર્દોષ પ્રજા સહન કરી રહી છે. આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆતો અને ફરિયાદો થઈ ચૂકી છે. પરંતુ અત્યાર સુધી કોઈ નિર્ણાયક પરિણામ આવ્યું નથી. જાે કે, સ્થાનિક પાલિકાના સત્તાધીશો ગાયો અને કૂતરાઓ પકડવાની કામગીરીને સંતોષ માણી રહ્યા છે. પાલિકાના સત્તાધીશો રસ્તે રખડતી ગાયો પકડયાની કામગીરીની પ્રસિદ્ધિ જણાવી રહ્યા છે પરંતુ લોકોની સમસ્યા હલ થવામાં કોઈ સુધારો જાેવા મળતો નથી. ખાસ જાણવા જેવી બાબત એ છે કે રસ્તે રખડતી ગાયોના ત્રાસ અસહ્ય બની રહ્યો છે, જેને કારણે નિર્દોષ લોકોને જાનહાનિ પહોંચે છે. આ બનાવની હજુ શાહી સુકાઈ નથી ત્યાં શહેરમાં વરસોવરસ કૂતરાઓની વધી રહેલી સંખ્યાને કારણે ગાયોની સાથે સાથે હવે રસ્તે રખડતાં કૂતરાઓનો ત્રાસ પર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. કૂતરાઓ કરડવાના અને હિંસક બચકાં ભરવાના બનાવોમાં રોજબરોજ વધારો જાેવા મળી રહ્યો છે, જે ખરેખર પાલિકાના સત્તાધીશો માટે પડકારરૂપ બની રહ્યો છે. શહેરની સયાજી હોસ્પિટલમાં વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન રપથી વધુ લોકોને કૂતરાઓ કરડવાના અને બચકાં ભરવાના બનાવો રજિસ્ટરમાં નોંધાયા છે જેમાં તા.૭ એપ્રિલે ર૩ નાના મોટા લોકો સારવાર માટે હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. જ્યારે ગત તા.૬ના રોજ સાત લોકો સારવાર માટે આવ્યા હતા. હાલ આ તમામ લોકોને એન્ટિ રેબિટસના ઈન્જેકશનો આપી સારવાર આપવામાં આવી રહી છે. હવે કૂતરાઓની વસતી ઓછી કરવાનો નિર્ણય લેવાનો સમય આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે.વધુ વાંચો -
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 7237 comments
- 2783 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
મુખ્યમંત્રીના રૂટના રસ્તા બંધ કરાતાં ઠેર-ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં ઃ લોકો અટવાયાં
- 13, ઓક્ટોબર 2022 01:15 AM
- 6574 comments
- 3045 Views
વડોદરા, તા.૭સંસ્કારી અને ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા ગણેશજીના દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે વિવિઘ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીના દર્શન કર્યા હતા.જ્યારે બીજી તરફ મુખ્યમંત્રીના આગમનને લઈને પોલીસ દ્વારા જેતે વિસ્તારોના રસ્તાઓ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. તેમજ પરીવાર સાથે દર્શનાર્થે નિકળેલા લોકો અચવાઈ ગયા હતા. ગણેશોત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી વિવિધ પંડાલોમાં બિરાજમાન શ્રીજીના દર્શન કર્યા હતા.તેઓ સાથે પ્રદેશ ભાજપા મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ,કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યના બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ મેયર કેયુર રોકડિયા તથા ધારાસભ્યો કાઉન્સિલરો તેમજ શહેરના હોદ્દેદારો,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે વર્ષો ની પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રીઓ વડોદરાના ગણેશ ઉત્સવમાં ગણેશજી ના દર્શન માટે અચૂક હાજરી આપે છે આજે વડોદરા શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્ર ભુપેન્દ્ર પટેલ ખાસ દર્શન માટે આવ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા શ્રીજીના દર્શન કર્યા હતા. જાેકે, મુખ્યમંત્રીનો કાફલો જેજે રૂટ પરથી પસાર થઈને જે ગણેશજીના પંડાલ માં જવાનો હતો જે માર્ગ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા સાથે પરીવારના સભ્યો સાથે ગણેશજીના દર્શનાર્થે નિકળેલા લોકો અટવાઈ ગયા હતા.મુખ્યમંત્રીએ હરણી રોડ, નવા બજાર, દાંડિયા બજાર એસવીપીસી ટ્રસ્ટ ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રજીને સુવર્ણ માળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ બગીખાના, વારસિયા રીંગ રોડ માંજલપુર , ઇલોરા પાર્ક તથા સુભાનપુરા હાઈ ટેન્શન વિસ્તારમાં સ્થાપના કરાયેલા ગણેશજીના દર્શન કર્યા હતા.વધુ વાંચો -
પેપર લીક કાંડનો રેલો આવતાં સરકાર રઘવાઈ બની
- 19, ડિસેમ્બર 2021 01:30 AM
- 8179 comments
- 3709 Views
હિંમતનગર,ગુજરાતમાં બહુચર્ચિત બનેલા પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધુ બે આરોપીને ઝડપી લઇ ૨૩ લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. હિંમતનગરના દર્શન વ્યાસના ઘરે તપાસ કરતાં પોલીસે તેના ઘરેથી રૂપિયા ૨૩ લાખ રોકડ જપ્ત કર્યા હતા. જ્યારે શનિવારે વધુ બે આરોપીને ઝડપી લીધા છે. જ્યારે ૧૧ પૈકીના ૮ આરોપીને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરીને પોલીસે ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની ૧૮૬ જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે ૬ દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું હતું. આગામી સમયમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી તમામ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસની ટીમો કામે લાગી છે. હાલમાં પોલીસે વધુ આરોપીઓને પકડવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.ગુજરાતમાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે શુક્રવારે ૧૧ લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, જે પૈકી ગઈકાલે ૬ આરોપીની અટકાયત કરાઈ હતી. હવે વધુ બે આરોપીની ધરપકડ કરી ૨૩ લાખ જેટલી રકમ પોલીસે જપ્ત કરી છે. આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પેપર લીક કૌભાંડ અંતર્ગત કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં તેમજ તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. હાલમાં ૧૧ આરોપી પૈકી ૮ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જેમને પ્રાંતિજ કોર્ટમાં મોકલી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવશે. સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા પેપર લીક કૌભાંડ મુદ્દે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધારે બે આરોપીઓને ઝડપી લઇને ૨૩ લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. ગત રવિવારના રોજ લેવાયેલી હેડક્લાર્કની ૧૮૬ જગ્યાઓની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફુટી ગયું હતું. જાે કે સરકારે આ મામલો ૬ દિવસ બાદ સત્તાવાર રીતે કબુલ્યું હતું. જાે કે સરકારે આ માટે ઉદાહરણીય પગલા ભરવા માટે આતંકવાદ વિરોધી કલમોનો ઉમેરો કરીને કડકમાં કડક કાર્યવાહી માટેની બાંહેધરી આપી છે. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કના પેપરલીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે શુક્રવારે ૧૧ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે પૈકી ૬ આરોપીઓની અટકાયત કરાઇ છે. જ્યારે ૧૧ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. જે પૈકી કાલે ૬ આરોપીઓની અટકાયત કરાઇ હતી. હવે વધારે ૨ આરોપીઓની ધરપકડ કરીને ૨૩ લાખ રૂપિયા જેટલી મોટી રકમ જપ્ત કરવામાં આવી છે. આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે, કોઇ પણ આરોપીને છોડવામાં નહી આવે. બીજી વખત કોઇ પેપર ફોડવાની હિંમત ન કરે તેવી કાર્યવાહી કરવામાં આવશે. જાે કે પોલીસ મુખ્ય આરોપીને શોધી રહી છે જે હજી પણ પોલીસ પકડથી બહાર છે. આ કેસમાં મંડળનાં જ કર્મચારીની સંડોવણી ઉપરાંત કોઇ રાજકીય વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. જાે હવે બાકીના આરોપીઓ ઝડપાય તે બાદ જ આગળની કાર્યવાહી અને તપાસ ચાલશે. જાે કે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહનો આરોપ છે કે, આમાં મંડળના ચેરમેન અસિત વોરાની સંડોવણી છે. અસિત વોરાને ૭૨ કલાકમાં હટાવવામાં નહી આવે તો ગુજરાતનાં યુવાનો રસ્તા પર ઉતરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે.પરીક્ષા રદ કરવા અને અસિત વોરાની હકાલપટ્ટીના મુદ્દે ગાંધીનગરમાં બેઠકોનો દોર ગુજરાત ગૌણ સેવા મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી જવા પામી છે. એટલું જ નહીં, આ પરીક્ષા યથાવત રાખવી કે રદ્દ કરવી તે અંગેનો ર્નિણય લેવાની સાથે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની હકાલપટ્ટી કરવી કે નહીં. તે મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠકો ચાલી હતી. સાથે સાથે ભાજપ હાઇકમાન્ડનું પણ સતત માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક મામલે ગઈકાલે મોડીરાત સુધી આ મુદ્દે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક ચાલી હતી. જ્યારે આજે ફરી ગૌણ સેવા મંડળના અધિકારીઓ તેમજ સરકારના પદાધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં પરીક્ષા રદ્દ કરવામાં આવે તેવી જ શક્યતા સેવાઈ રહી છે. આ અંગેનો આખરી ર્નિણય સોમવાર સુધીમાં જાહેર થઈ શકે છે.પેપર લીક કાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના વડા અસિત વોરા સામે કાર્યવાહી થવી જ જાેઈએ તેવી માંગણી પક્ષના નેતાઓ સહિત સરકારના કેટલાક મંત્રીઓમાં પ્રબળ બની છે. મુખ્યમંત્રી અને પક્ષ પ્રમુખ સહિત ભાજપના સિનિયર આગેવાનો આ મામલે પણ હાઇકમાન્ડનું સતત માર્ગદર્શન મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તેમની સામે કેવી કાર્યવાહી કરવી તે વિશે સરકાર દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વનું માર્ગદર્શન લેવામાં આવી શકે છે. ખેડાના માતરની કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશ પટેલનું નામ ખૂલ્યુંખેડા હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડના મૂળિયા વધુને વધુ ઉંડા ઉતરી રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ વધુને વધુ આરોપીઓ સામે આવી રહ્યાં છે. પેપર કાંડના તાર ઉત્તર ગુજરાતથી સીધા ખેડા જિલ્લા સુધી પહોંચ્યા છે. ખેડાની એક શાળાના આચાર્યનું નામ પેપર લીક કૌભાંડમા સામે આવ્યું છે. ખેડાના માતરમાં આવેલી કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશ ધનજીભાઈ પટેલનું નામ પેપર લીક કૌભાંડમાં ખૂલ્યુ છે. શંકાના આધારે પોલીસે શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અટકાયત કરી છે. હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં અંગે રાજ્યભરમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેમાં અમદાવાદના મણીનગરમાં અસિત વોરાના ઘરની બહાર નકલી ચલણી નોટનો વરસાદ કરી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. જામનગર સર્કલ પાસે અસિત વોરાના પૂતળા પર નકલી ચલણી નોટનો વરસાદ કરી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે ભાવનગરમાં દ્ગજીેંૈં, શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રસ્તા રોકી વિરોધ નોંધાવ્યો હતો. આણંદમાં ભીખ માગીને પેપરલીક કાંડ સામે અનોખી રીતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જાે કે વિરોધ નોંધાવતા અનેક સ્થળે કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ૮૮ હજાર ઉમેદવારોએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી. ૧૨ તારીખે લેવાયેલી પરીક્ષાનું પેપર ૧૦ તારીખે ફોડવામાં આવ્યું હતું. જેના કારણે હવે રાજ્ય સરકાર બે દિવસમાં સત્તાવાર રીતે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યું કે, પેપર કાંડના આરોપીઓને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ હિંમત ના કરે. જે રીતે દુષ્કર્મના કેસમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે છે એ જ રીતે આ કેસમાં પણ ઝડપથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓને તેમના અપરાધની સજાના અંજામ સુધી પહોંચાડવામાં આવશે.વધુ વાંચો -
કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ, ગુજરાતના આ પ્રવાસન સ્થળ પર લોકોની ઉમટી ભીડ
- 19, જુલાઈ 2021 06:49 PM
- 1773 comments
- 2540 Views
ખેડા-પ્રવાસન સ્થળ ઉપર વધતી ભીડને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી. તેમ છતાં જાણે કે કોરોનાની ત્રીજી લહેરને લોકોએ આમંત્રણ આપવાનું નક્કી જ કરી લીધું હોય તેમ વીકએન્ડમાં લોકો પ્રવાસન સ્થળ ઉપર ઉમટી પડતા હોય છે. ત્યારે આજે ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે પણ કંઈક આવા જ દ્રશ્યો જાેવા મળ્યા હતા.કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. એવામાં કોરોનાની બીજી લહેરનો કહેર ઓછો થતા જ કોરોનાનો ભય રહ્યો ન હોય તેમ મોટી સંખ્યામાં પ્રવાસન સ્થળો પર લોકો ઉમટી રહ્યા છે. ખેડા જિલ્લાના પ્રવાસન સ્થળ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી રહી છે અને કોરોના ગાઈડલાઈનનો ભંગ તેમજ ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોવાના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે.ખેડા જિલ્લાના ગળતેશ્વર પાસે મહિસાગર નદીના કિનારે મોટી સંખ્યામાં લોકોની ભીડ જાેવા મળી રહી છે. ગળતેશ્વરમાં મહીસાગર લોકમાતા નદીમાં મોટી સંખ્યામાં સ્નાન કરી ગરમીમાં રાહત મેળવતા નજરે પડ્યા હતા. જ્યાં ગઈ કાલે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો મહીસાગર નદીમાં નાહવાની મજા માણતા જાેવા મળ્યા જે આવનારા સમયમાં ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે તેમ છે. પ્રવાસન સ્થળ ઉપર વધતી ભીડને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ જ ચિંતા વ્યક્ત કરી હતી. તેમ છતાં જાણે કે કોરોનાની ત્રીજી વેવને લોકોએ આમંત્રણ આપવાનું નક્કી જ કર્યું હોય તેમ વીકએન્ડમાં લોકો પ્રવાસન સ્થળ પર ઉમટી પડ્યા હતા. ત્યારે આ દૃશ્યોને જાેતાં પ્રશાસને આ પરિસ્થિતિની નોંધ લેવાની જરૂર છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની જરૂર છે જેથી આવા પ્રવાસન સ્થળ ઉપર પ્રવાસીઓ આવતા અટકે અને સંભવિત કોરોનાની ત્રીજી લહેરને આવવાથી રોકી શકાય.વધુ વાંચો -
ખેડા જીલ્લાના આ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું, તંત્ર હરકતમાં આવ્યું
- 16, જુલાઈ 2021 04:52 PM
- 3101 comments
- 7576 Views
ખેડા- જીલ્લાના મુખ્ય મથક નડીયાદ બાદ માતર તાલુકાના સંધણા ગામમાં પણ એક કોલેરાનો કેસ મળી આવ્યો છે.જેને લઈ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરાયુ છે. ગામમાં રોગચાળો ફેલાવા પાછળ ગ્રામ પંચાયતની બેદરકાર કામગીરી સામે આવી છે.ગામમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય ફેલાયું છે.આરોગ્ય કેન્દ્રની બહાર જ ગંદકી જોવા મળી રહી છે તેમજ ગામમાં દૂષિત પાણીની પણ સમસ્યા છે. ગામમાં કોલેરાનો એક કેસ આવતા તાત્કાલિક જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેએ ગંભીરતા સમજી ગામની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ તાત્કાલિક કાર્યવાહી કરી સમગ્ર સંધાણા ગામમાં જરૂરી પગલા લીધા હતા. તાત્કાલિક પગલાં સ્વરૂપે સંધાણા ગામમાં સફાઈ,પાણીના નિકાલ અને ફોગિંગ સહિતની કામગીરી આરંભી દેવામાં આવી હતી. રોગચાળો નિયંત્રિત કરવા આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં દરેક વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.સાથે જ આશા બહેનોની મદદથી કોલેરાના બચાવના પગલાની જાણકારી આપવામાં આવી રહી છે. ખેડા જીલ્લાના માતર તાલુકાના સંધાણા ગામને જાહેરનામું પાડી જીલ્લા કલેકટર દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે.ગામમાં કોલેરાનો એક કેસ મળી આવતા તંત્ર દોડતું થયું છે.તેમજ ગામમાં રોગચાળો નિયંત્રિત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વધુ વાંચો -
માતરના ધારાસભ્ય અને અર્ધનગ્ન સ્ત્રીઓ સહિત ૨૬ ઝડપાયા
- 02, જુલાઈ 2021 01:30 AM
- 6783 comments
- 5175 Views
ગોધરા, પંચમહાલ જિલ્લાના શિવરાજપુરમાં આવેલા જીમીરા રિસોર્ટમાં માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા ઝડપાઇ જતાં અટકાયત કરાઇ હતી. પોલીસના દરોડા બાદ ધારાસભ્યની સાથે ૧૯ પુરુષ અને ૭ મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે. આજે શુક્રવારે અન્ય ૧૫૦ જેટલાં મોટામાથાઓ પણ જુગાર રમવા આવવાના હતા પણ એ અગાઉ પોલીસ ત્રાટકતા સૌ સુન્ન થઇ ગયા હતા.પંચમહાલ જિલ્લાના શિવરાજપુર નજીક આવેલા જીમીરા રિસોર્ટમાં વિદેશી મશીનો પર મોટાપાયે જુગાર રમવાનું આયોજન કરવામાં આવ્યું છે એવી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે અચાનક રેડ કરતા ૧૫ ખાનદાન નબીરોઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા છે. ઝડપાયેલામાં માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે દરોડા દરમિયાન વિદેશી બનાવટની દારૂની નવ બોટલો પણ કબ્જે કરી હતી. આ લોકો પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે લીધો છે.પોલીસે પાડેલા દરોડાના પગલે ભારે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો પ્રજાએ જેને મતો આપી ભાજપના ધારાસભ્ય તરીકે ચુંટાયેલા છે એવા ખેડા જીલ્લાના માતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેસરીસિંહ જુગાર રમતા પોલીસના હાથે રંગેહાથ ઝડપાતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે આ સાથે પોલીસના હાથે ઝડપાયેલા લોકો દારૂ પાર્ટી પણ કરી રહ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.જુગાર રમવામાં કયા કયા ખાનદાની નબીરાઓ સામેલ છે તે પોલીસ ફરીયાદ બાદ જ બહાર આવશે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. રીસોર્ટનો મુખ્ય માલિક કોણ છે, જુગારનો મુખ્ય સુત્રધાર કોણ છે. જે ૧૫ જેટલા લોકો છે તે ક્યાંના ખાનદાની નબીરા છે અને કેટલા સમય થી આ પ્રકારે જુગાર રમાડવામાં આવતો હતો તે દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિર દ્વારા પ્રસાદના ભાવમાં કરાયો વધારો, ભાવ વધારો કરાતા ભાવિકોમાં નારાજગી
- 30, જુન 2021 05:34 PM
- 1984 comments
- 2569 Views
ખેડા-જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડરાયજીના પ્રસાદમાં વધારો કરવામાં આવ્યો છે. ડાકોર રણછોડરાયજી મંદિર પ્રસાશન દ્વારા મંદિરના પ્રસાદીના લાડુના ભાવમાં વધારો કરાયો છે. મંદિર તંત્ર દ્વારા કોરોના મહામારી પહેલા પ્રસાદના લાડુના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે ભાવ વધારા મામલે વિવાદ થતા ભાવ વધારો પાછો ખેંચાયો હતો. મંદિર ખાતે અત્યાર સુધી ભાવિકોને રૂપિયા 10 લેખે જોઈએ તેટલા લાડુ આપવામાં આવતા હતા. હવે મંદિર તંત્ર દ્વારા નવા ભાવ વધારા મુજબ એક લાડુના રૂપિયા10, બે લાડુના 20 ,ત્રણ લાડુના રૂપિયા 50 અને 6 લાડુના રૂપિયા 100 ભાવ નક્કી કરવામાં આવ્યા છે. રોજેરોજ વિવિધ ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મોંઘો પરિવહન ખર્ચ કરી ડાકોર ખાતે દર્શને પહોંચેલા ભાવિકોએ હવે પ્રસાદી માટે પણ વધારે ખર્ચ કરવો પડશે, જેને લઈ ભાવિકોમાં નારાજગી જોવા મળી હતી.વધુ વાંચો -
ડાકોર મંદિરમાં પ્રવેશબંધી છતાં બળજબરીથી દર્શન કરવાનો મામલો પોલીસમાં, જાણો વધુ
- 27, મે 2021 03:21 PM
- 598 comments
- 4245 Views
ખેડા-ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસને અરજી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પરેશભાઇ રમેશચંદ્ર નામના વ્યક્તિએ સવારના સમયે 7 મહિલાઓ સાથે રાજા રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. એટલું જ નહી આ વ્યક્તિએ મંદિરના નિતિ નિયમો વિરૂદ્ધ જઇ મહિલાઓને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરાવ્યા હતા. જે મંદિરની કમિટીના નિતિ નિયમો વિરૂદ્ધનું કામ કરી વારાદારી સેવકએ પરંપરા તોડી છે. જેથી પોલીસ અરજીને ધ્યાને લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને વિવાદ સર્જાયો છે. જેને લઇને વારાદારી સેવક પરેશભાઇ રમેશચંદ્રએ જણાવ્યું હતું કે આજે અમારા પરિવારનો વારો હતો. અમારો વારો હોય ત્યારે હું મારા પરિવારના કોઇપણ સભ્ય દર્શન કરવા લઇ જઇ શકું છું. મારા વારાદારીઓ કે સેવકો કોઇને કશું પુછવાનું હોતું નથી. અમે અમારા પરિવારના સભ્યોને નીજ મંદિરમાં લઇ જઇ શકીએ છીએ. જેમને હું મારી સાથે લઇ ગયો હતો. તે મારી પત્નિ અને મારા ભાભી સહિતના પરિવારના સભ્યો હતાં. ડાકોરના પીએસઆઇએસએ જણાવ્યું હતું કે ડાકોર ટેમ્પલ બોર્ડ દ્વારા અરજી આપવામાં આવી છે. મહિલાઓ નિજ મંદિર પ્રવેશ કરી શકે કે નહીં તે મંદિરનો વિષય છે. મેનેજરે અરજી આપી છે. જેમાં કોરોના ગાઈડ લાઈનનો ભંગ કર્યો છે. તે બાબતનો ઉલ્લેખ કરાયો છે. સમગ્ર બાબતે જવાબ લેવાની કાર્યવાહી ચાલુ છે. તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર બાબતે અમે પોલીસને જાણ કરી કાયમી બંદોબસ્ત માંગ્યો છે. જેથી ફરી આવો બનાવ ન બને. મહિલાઓ નિજ મંદિરમાં પ્રવેશ કરી શકે કે કેમ તે બાબતે નિયમોમાં કોઈ ઉલ્લેખ નથી. પરંતુ સામાન્ય રીતે મહિલાઓને નિજ મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. નિયમોમાં જે મર્યાદા છે તે મુજબ અમે પરેશભાઈનો ખુલાસો માગ્યો છે. ફરીવાર આવો કોઈ બનાવ ના બને તે જરૂરી છે. વર્ષો વર્ષની પરંપરા તૂટતાં પરંતુ આ બાબતે સ્પષ્ટ નિયમો નહી હોવાને કારણે આ વિવાદમાંથી આરોપીઓ છટકી ગયા હોવાની વાતો વહેતી થઈ છે. ઘટના બાદ વિવાદ થતાં મેનેજર અરવિંદ ફુલશંકર મહેતાની ફરિયાદના આધારે ડાકોર પોલીસે પરેશ સેવક વિરુદ્ધ માત્ર કોવિડના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. પોલીસે આ અંગે આઈપીસી 188 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
ગુજરાતના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યૂને લઈને જુઓ શું લેવાયો નિર્ણય, આ તારીખ સુધી કર્ફ્યૂ યથાવત
- 11, મે 2021 05:49 PM
- 2793 comments
- 9416 Views
ગાંધીનગર-ગુજરાતની 8 મનપા સહિત 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે સરકારે ગુજરાતના 36 શહેરોમાં લાગેલા કર્ફ્યૂને લંબાવ્યું છે, આગામી 18 મે સુધી કર્ફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે. આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાને લઈને સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ નિયંત્રણો મુકવા કરેલા સૂચનનો સરકાર સ્વીકાર કરી લગ્નો અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ કડક હાથે કામ લ્યે તેવી શકયતા છે. એટલુ જ નહિ લગ્ન સમારોહ ઉપર ૧૫ દિવસનો પ્રતિબંધ લાદવામાં આવે તેવી શકયતા છે. ધાર્મિક કાર્યક્રમોમા પણ સંખ્યા સીમીત કરવામાં આવે તેવી શકયતા છે. હાઈકોર્ટમાં એવી દરખાસ્ત થઈ હતી કે લગ્નોમાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો ૧૫ દિવસ માટે પ્રતિબંધીત કરવામાં આવે. અનેક ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન કાર્યક્રમોમાં ભીડ થાય છે તે બંધ થવુ જોઈએ. હાલ લગ્ન સમારોહમાં ૫૦ લોકોની હાજરી નિશ્ચિત કરવામાં આવી છે. તેમા ઘટાડો કરવામા આવે તેવુ સૂચન થયુ છે. સરકારે પણ આ સંખ્યા ઘટાડવા તૈયારી દર્શાવી છે.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
- 10, એપ્રીલ 2021 03:37 PM
- 9255 comments
- 8370 Views
વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ
- 10, એપ્રીલ 2021 03:13 PM
- 6822 comments
- 3247 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ
- 08, એપ્રીલ 2021 03:03 PM
- 2373 comments
- 5439 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ
- 07, એપ્રીલ 2021 03:05 PM
- 2332 comments
- 279 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ
- 06, એપ્રીલ 2021 02:45 PM
- 7771 comments
- 2322 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ
- 05, એપ્રીલ 2021 02:51 PM
- 7322 comments
- 1539 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ
- 16, માર્ચ 2021 03:11 PM
- 8463 comments
- 4559 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 810 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,78,207 કેસ
- 15, માર્ચ 2021 02:49 PM
- 4223 comments
- 5038 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 810 થી વધુ નોંધાયા છે. જેની સામે 586 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4424 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 810 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,78,207 થયો છે. તેની સામે 2,69,361 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4422 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4422 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 54 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4368 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,361 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4424 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
રાતોરાત દાંડીપથ પર બોર્ડ મૂકાયાં!
- 14, માર્ચ 2021 12:00 AM
- 7505 comments
- 2402 Views
નડિયાદ : અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડીયાત્રાના પ્રતીક રૂપ યાત્રાનું આગમન શનિવારના રોજ સમી સાંજે ખેડા જિલ્લામાં થવાનું હતું. એ પહેલાં વહીવટી તંત્ર સજ્જ થઈ ચૂક્યું હતું. જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આ યાત્રા હજી બે દિવસ બાદ આવવાની છે છતાં તંત્ર દ્વારા દાંડીપથ પર સફાઈ અભિયાન આરંભી દેવાયુંં હતું. નવાઈની વાત તો એ છે કે, આ માર્ગ પર દાંડીપથ દર્શાવતા બોર્ડ રાતોરાત લગાવી દેવામાં આવ્યા હતાં!ખેડા જિલ્લામાંથી પસાર થતાં દાંડીમાર્ગ પર રાતોરાત સાફસફાઈ અભિયાનનો આરંભ કરાવાયો હતો, જે જાેઈ શકાતું હતું. પૂ. મહાત્મા ગાંધી પોતે સ્વચ્છતાના ખુબ જ આગ્રહી હતા. અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાના પ્રતીક રૂપ યાત્રા તા.૧૨ માર્ચને શુક્રવારે નીકળી હતી. આ યાત્રાનું શનિવારે સમી સાંજે ખેડા જિલ્લામાં આગમન થયું હતું. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રએ આ સંદર્ભની તમામ તૈયારીઓ આટોપી લીધી હતી. જાેકે, નડિયાદ પાલિકા દ્વારા શનિવારે સફાઈ કર્મીઓની અલગ અલગ ટીમો બનાવી દાંડીપથ પર સાફસફાઈ અભિયાન યુદ્ધના ધોરણે આરંભી દેવાયું હતું. ખાસ કરીને નડિયાદ શહેરના ઉત્તરસંડા રોડ પરથી મિશન રોડ અને આગળ નગરપાલિકા દ્વારા દાંડીમાર્ગની સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત ડભાણ રોડ પર ટ્રેક્ટર મારફતે માર્ગ પર ઉડીને આવેલી ધૂળ તેમજ ઝાડીઝાંખરાને ઊભાં ઊભાં દૂર કરાયાં હતાં. આ માર્ગ પર દાંડીપથ દર્શાવતાં બોર્ડ પણ રાતોરાત ગોઠવાઈ જતાં સ્થાનિકોમાં અચરજ વ્યાપ્યું હતું. આટલું ઓછું હોય તેમ નડિયાદ શહેરમાંથી પસાર થનાર યાત્રા સંદર્ભે નડિયાદ પોલીસે ખાસ ફૂટપેટ્રોલિંગ કર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રસ્તા અંગેની રૂપરેખા મેળવી દાંડીપથનું નિરીક્ષણ કર્યું હતું.વધુ વાંચો -
રાતોરાત દાંડી માર્ગ સાફ થયો,નદી પર કામચલાઉ બ્રિજ બન્યો, પૂ.બાપુનું પૂતળું લાગી ગયું!
- 14, માર્ચ 2021 12:00 AM
- 8648 comments
- 9178 Views
ખેડા : આઝાદીના ૭૫મા વર્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને સાબરમતી આશ્રમ અમદાવાદથી દાંડીયાત્રાનો શુભ આરંભ તા.૧૨ માર્ચને શુક્રવારે કરવામાં આવ્યો હતો. આ પ્રતીકાત્મક દાંડીયાત્રા ખેડા જિલ્લાના પિંગળજ ચોકડીથી ખેડા જિલ્લામાં પ્રવેશી હતી. ત્યારબાદ નવાગામ રાત્રી રોકાણ માટે માતર તાલુકામાં પ્રવેશી હતી. પ્રતીકાત્મક દાંડી યાત્રા આવતી હોવાથી વર્ષોથી ધૂળીયો માતર દાંડી માર્ગ અચાનક ચકાચક બની ગયો છે! આ માર્ગ પર છેલ્લાં ૧૦ વર્ષમાં જે કામ થયું ન હતું તે માત્ર છેલ્લાં ત્રણ દિવસમાં થઈ ગયું હતું. માતરના ધૂળીયા દાંડી માર્ગની રોનક બદલાઈ જતાં સ્થાનિકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું!આ બાબતે માતરના ગાંધીવાદી વિચારધારાને માનનારા સંજયભાઈ રાવે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦માં મનમોહન સરકાર દ્વારા સાબરમતી આશ્રમથી દાંડી સુધીના દાંડી માર્ગ માટે ૧૦૦ કરોડ ફાળવ્યાં હતાં, જેમાં દાંડી માર્ગમાં આવતાં રોડ, રસ્તા, બ્રિજ, સ્મૃતિભવન બનાવવા માટે હેરિટેજ વિભાગને કહેવામાં આવ્યું હતું. દાંડી યાત્રા વખતે પૂ.મહાત્મા ગાંધીએ ખેડા તાલુકાના વાસણાબુજર્ગ ગામથી વાત્રક નદીમાં થઈ માતરમાં પ્રવેશ કર્યો હતો. અહીં નદી પર બ્રિજ બનાવવાનો હતો, પણ આજદિન સુધી અહીં બ્રિજ બન્યો ન હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ ૧૦ વર્ષ વીતી ગયાં, બ્રિજ બન્યો ન હતો. જાેકે, હવે પીએમ નરેન્દ્ર મોદીએ જેનો આરંભ કરાવ્યો છે એ પ્રતીકાત્મક દાંડી યાત્રા આ માર્ગ પરથી પસાર થવાની હતી એટલે તંત્રએ તાત્કાલિક ત્રણ જ દિવસમાં નદીનાં પાણીનાં વહેણમાં ભૂંગળા મૂકીને તેની ઉપર ડામરનો કાચો રોડ બનાવી દીધો હતો! વળી, આ માર્ગ પર દાંડી માર્ગના થાંભલા પણ હતાં. તે નદીના ૭૦૦ મીટરના રસ્તા પર લગાવી દેવામાં આવ્યા છે. દાંડી માર્ગ પર આજદિન સુધી સફાઈ થઈ ન હતી, પણ છેલ્લાં ત્રણ દિવસથી સફાઈકામ જાેરશોરથી ચાલી રહ્યું છે. દાંડી માર્ગ પર ઠેર-ઠેર પેઇન્ટિંગ કરીને સ્વચ્છતા અભિયાનના ચિત્રો બનાવવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીજી માતરમાં જ્યાં રોકાયાં હતાં તે સ્મૃતિભવનમાં ગાંધીજીનું સ્ટેચ્યૂ ન હતું. તે પણ તાત્કાલિક મૂકવામાં આવ્યું છે. દુઃખની વાત તો એ છે કે ગાંધીજીનું જે સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું છે તે ફાઇબરનું છે. પ્રધાનમંત્રીએ આરંભ કરાવેલી પ્રતીકાત્મક દાંડી યાત્રા માતરમાંથી પસાર થવાની હોવાથી બધા કામ રાતોરાત થઈ ગયાં છે. સંજયભાઈ રાવનું વધુમાં કહેવું છે કે, ૨૦૨૦માં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી અહીં આવ્યા હતાં. તેઓએ માતરમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ વાત્રક નદીના પાણીમાં થઈને આવ્યા હતા. એ વખતે સ્મૃત્તિભવનમાં ગાંધીજીનું સ્ટેચ્યૂ પણ ન હતું. આજે કેન્દ્ર સરકારના અધિકારીઓ આવવાના હોવાતી વાત્રક નદી પર કામચલાઉ બ્રિજ પણ બની ગયો અને વર્ષોથી અસ્વચ્છ રહેલો દાંડી માર્ગ પણ સ્વચ્છ થઈ ગયો છે! બાકી હતું તો સ્મૃત્તિભવનમાં પૂ.બાપુનું સ્ટેચ્યૂ પણ લાગી ગયું છે.વધુ વાંચો -
આજે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટીબોર્ડ ગૃહસ્થ વિભાગની ચૂંટણીનું મતદાન
- 14, માર્ચ 2021 12:00 AM
- 4843 comments
- 1750 Views
નડિયાદ : આજે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટીબોર્ડ ગૃહસ્થ વિભાગની ચૂંટણીનું મતદાન યોજવામાં આવ્યું છે. સવારે ૭ઃ૩૦થી સાંજે ૫ઃ૩૦ સુધી મતદાન થશે. વડતાલ સંસ્થામાં આસ્થા ધરાવતાં ૭૨ હજાર ભક્તો પોતાના મતાધિકારનો ઊપયોગ કરશે. વડતાલ, સુરત, રાજકોટ, મુંબઈ, જલગાંવ (મહારાષ્ટ્ર) અને કુક્ષી (મધ્યપ્રદેશ)માં મતદાન થશે. તા.૧૫એ મતપેટીઓ વડતાલ આવશે અને તા.૧૬એ મત ગણતરી થશે. વિજેતા બનશે તે ટીમ વડતાલ મંદિર અને તેનાં તાબાના મંદિરો સાથે નિઃશુલ્ક હોસ્પિટલ, સંસ્કૃત પાઠશાળા, ગૌશાળા વગેરેનો વહિવટ સંભાળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડતાલ બોર્ડના કુલ સાત પૈકીના ત્રણ સીટ બિનહરીફ જાહેર થયેલી છે. સાધુ વિભાગમાં શ્રીદેવપ્રકાશદાસજી સ્વામી (ચેરમેન), પાર્ષદ ઘનશ્યામ ભગત, અને બ્રહ્મચારી પ્રભુતાનંદજી. આ ત્રણ ત્યાગી બિનહરીફ થયાં છે અને ત્રણેય દેવપક્ષના છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 700 પોઝીટીવ કેસ, કુલ 2,75,907 કેસ
- 12, માર્ચ 2021 03:01 PM
- 6755 comments
- 1626 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 700 થી વધુ નોંધાયા છે. જેની સામે 451 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 700 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,907 થયો છે. તેની સામે 2,67,701 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3788 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3788 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 49 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3739 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,701 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે કોરોના થી કોઈ મૃત્યુ નોંધાયા નથી.વધુ વાંચો -
ખેડા જિલ્લામાં જુદાં જુદાં ત્રણ ગામોમાં પદયાત્રીઓ રાત્રી રોકાણ કરશે
- 12, માર્ચ 2021 12:00 AM
- 6825 comments
- 8640 Views
૧૨ માર્ચ, ૨૦૨૧ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરાવશે. અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળનારી દાંડીયાત્રા ખેડા જિલ્લામાં પ્રવેશ કરશે અને પૂ.મહાત્મા ગાંધીબાપુની ૧૯૩૦માં નીકળેલી મૂળ દાંડીયાત્રા મુજબના જ રૂટ ઉપરથી આ યાત્રા ખેડા જિલ્લામાંથી પસાર થશે. ખેડા જિલ્લામાં જુદાં જુદાં ત્રણ ગામોમાં પદયાત્રીઓ રાત્રી રોકાણ કરશે. અમદાવાદ સાબરમતીથી નીકળ્યાં બાદ પ્રથમ દિવસે અસલાલી ગામ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે પદયાત્રીઓ નવાગામ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્રીજા દિવસે માતરમાં રાત્રી રોકાણ કરશે. તેમજ જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે સંતરામ મંદિરમાં પણ આ દાંડીયાત્રા રાત્રી રોકાણ કરશે. ૧૨મી માર્ચથી ગુજરાત રાજ્યના આઝાદી સાથે જાેડાયેલાં ૭૫ સ્થળોએ ૭૫ જેટલાં કાર્યક્રમનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લામાં પ્રવેશનારી આ યાત્રાના માર્ગની રૂપરેખા જાેઈએ તો ૧૩ માર્ચે ખેડા જિલ્લામાં પ્રવેશ થશે. રાત્રી રોકાણ નવાગામ ખાતે કરવામાં આવશે. તા.૧૪ માર્ચે આ યાત્રા નવાગામ ખાતે આવશે ત્યાર પછી વાસણા ગામે અને ત્યાંથી માતર ખાતે આવશે, જ્યાં રાત્રી રોકાણ કરાશે.૧૫ માર્ચના દિવસે માતર ખાતેથી નીકળી ડભાણ ખાતે આવશે, જ્યાં દિવસનો આરામ કરી રાત્રી રોકાણ નડિયાદ ખાતે કરવામાં આવશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 675 પોઝીટીવ કેસ, કુલ 2,75,197 કેસ
- 11, માર્ચ 2021 02:50 PM
- 4096 comments
- 7324 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 675 થી વધુ નોંધાયા છે. જેની સામે 484 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 675 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,197 થયો છે. તેની સામે 2,67,250 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3529 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3529 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 47 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3482 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,250 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 581 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,74,522 કેસ
- 10, માર્ચ 2021 03:40 PM
- 2885 comments
- 6790 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 581 થી વધુ નોંધાયા છે. જેની સામે 453 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 581 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,74,522 થયો છે. તેની સામે 2,66,766 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3338 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3338 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 43 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3295 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,766 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
વડતાલધામ દ્વારા ૫૦ હજાર જાેડી ચપ્પલનું વિતરણ
- 10, માર્ચ 2021 12:00 AM
- 6740 comments
- 2140 Views
વડતાલ ધામમાં સુવર્ણજ્યંતિ રવિસભા વડતાલ પીઠાધીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યું હતું. આ સુવર્ણ જ્યંતિ રવિસભા અંતર્ગત વડતાલ મંદિર તથા સહયોગી સંસ્થાઓ દ્વારા ઉનાળામાં જરૂરિયાતમંદ અને દરિદ્રનારાયણો માટે ૫૦ હજાર જાેડી ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ, સાસંદ દેવુસિંહ ચૌહાણ સહિત સંપ્રદાયના સંતો-મહંતો-હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાદર્શનનો લાભ લીધો હતો.વધુ વાંચો -
વડતાલ મંદિરમાં પ્રથમવાર નાસિકની દ્રાક્ષનો શણગાર
- 10, માર્ચ 2021 12:00 AM
- 5160 comments
- 3563 Views
નડિયાદ : શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્વહસ્તે જ્યાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે, એવાં વડતાલધામમાં ૧૯૬ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર તાજી લીલી-કાળી દ્રાક્ષના શણગાર અને સજાવટ કરવામાં આવ્યા હતા. આ માટે પૂ પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ મંદિર નાસિકથી ૨૫૦૦ કિલો દ્રાક્ષ વડતાલ મોકલાવી હતી અને પૂ.શ્યામવલ્લભ સ્વામી અને સ્વયં સેવક મંડળે ભક્તિપૂર્વક અપૂર્વ સજાવટ કરીને દેવની શણગાર કર્યા હતા. વડતાલ મંદિરના ઈતિહાસમાં આ શણગાર પ્રથમવાર હોય, હજારો ભક્તોનું પૂર ઊમટી પડ્યું હતું. સભામાં પૂ. આચાર્ય મહારાજે પૂ. માધવ સ્વામી નાસિકવાળાની સેવા ભાવનાને બિરદાવી હતી. રવિસભા સુવર્ણ જયંતિ પ્રસંગે ઉપસ્થિત ભક્તોને પ્રસાદમાં પણ દ્રાક્ષ આપવામાં આવી હતી. આ સમગ્ર વ્યવસ્થા પૂજારી હરિકૃષ્ણાનંદજીએ સંભાળી હતી.વધુ વાંચો -
૭ દિવસમાં ૧૭ લાખ વસૂલ કરો
- 10, માર્ચ 2021 12:00 AM
- 5287 comments
- 7434 Views
મહુધા : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામે વાંસ પ્રોજેક્ટમાં અનેક ગેરરીતિ આચરીનેે સરકારના રૂ.૧૭ લાખની રકમની ઉચાપતના પ્રકરણમાં તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલિયાનાં રિપોર્ટ બાદ ખેડા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીએ કૌભાંડમાં સંડોવાયેલાં ૧૦ જેટલાં કર્મચારી અને પદાધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાના આદેશ આપતાં ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત તેઓને ફરજ મુક્ત કરવાની સાથે રૂ.૧૭.૬૩ લાખની સાત દિવસમાં વસૂલાત કરવાના આદેશ પણ આપ્યાં છે. આ હુકમાં પગલે મહુધામાં ભ્રષ્ટાચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. મહુધા તાલુકામાં વર્ષ ૨૦૧૨થી મનરેગા યોજનામાં વાંસ પ્રોજેક્ટ ચુણેલમાં મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં મહુધા તાલુકામાં એપીઓ, ટીએ, તલાટી, જીઆરએસ તથા અમઇ, સરપંચો અને ડેપ્યૂટી સરપંચ સહિત ૧૦ લોકોએ ભેગાં મળી ખોટાં ડોક્યૂમેન્ટ્સ ઊબાં કરીને,કોઈપણ જાતના સ્થળ પરીક્ષણ વગર બેંકોના ખાતામાંથી શ્રમિકોને જાણ બહાર નાણાં ઉપાડી લીધાં હોવાના ગંભીર તથ્યો તપાસમાં બહાર આવ્યાં હતાં! આ ઉપરાંત સ્થળ ઉપર સતત ગેરહાજરી, ફોન ઉપર જ સ્થળની ચકાસણી, ડિજિટલ સહીનો દુરુપયોગ, ફરજમાં ગંભીર બેદરકારી, સરકારી નાણાં અપાવવામાં સંડોવણી, પદાધિકારીઓ સાથે સાઠગાંઠ જેવાં ગોરખધંધા તપાસ દરમિયાન બહાર આવ્યા હતા, જેથી તત્કાલીન ટીડીઓ કાજલ આંબલિયાએ અરજદાર કમલેશ ચૌહાણની ફરિયાદને આધારે આખા કૌભાંડની તપાસ કરી જિલ્લા વિકાસ અધિકારીને અહેવાલ સોંપ્યો હતો. જાેકે, આ દરમિયાન મહુધા ટીડીઓની કામગીરીના વિરોધથી બદલી કરી દેવામાં આવી હતી. ખેડા જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવેલાં ચુણેલ ભ્રષ્ટાચારના અહેવાલ બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા ગ્રામવિકાસ એજન્સીને સ્પષ્ટ આદેશ કરીને સરકારી નાણાંની વસૂલાત સાત દિવસમાં કરવા જણાવાયું છે. જાેકે, મહુધા તાલુકાના એનઆરજી કર્મચારીઓના નેતાઓ સાથે મળીને કરવામાં આવેલાં કૌભાંડમાં રૂ.૧૭.૬૩ લાખને ઓળવી જવામાં આવ્યા છે, જેથી તાલુકા વિકાસ અધિકારીને સ્પષ્ટ સૂચના આપીને સંડોવાયેલાં સરકારી અને મનરેગાના કર્મચારીઓ ઉપર પોલીસ ફરિયાદ કરીને ફરજમાંથી મુક્ત કરવાના આદેશ પણ કરવામાં આવ્યા છે. મને મારી ફરજ સમજાવશો નહીં ઃ મહુધા ટીડીઓ ખેડા જિલ્લા વિકાસ અધિકારીએ તા.૫ માર્ચના રોજ કરેલાં વસૂલાત હુકમ અને કાર્યવાહી સંદર્ભે મહુધા તાલુકા વિકાસ અધિકારી દ્વારા શું પગલાં લેવામાં આવ્યાં તેવું પૂછવામાં આવતાં મહુધા તાલુકા વિકાસ અધિકારી જબુકા કોટડિયાએ માહિતી આપવાના બદલે ‘મને મારી ફરજ ના સમજાવશો’ એવું જણાવી ફોન કાપી નાખ્યો હતો. વસૂલાત હુકમના પેરા બે સંદર્ભે બીજી વખત ફોન કરી માહિતી મેળવતાં હજુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, તેમ જણાવ્યું હતું. કોની સામે શું કાર્યવાહી કરવા આદેશ? • વિક્રમ રાઓલજી - ઉપસરપંચ, ચુણેલ ગ્રામ પંચાયત, પોલીસ ફરિયાદ ગુ.પ.અધિ. ૧૯૯૩ મુજબ • એમ.એમ. ચાવડા - તલાટી (નિવૃત ) નાયબ ડીડીઓના માર્ગદર્શન મુજબ • આર.એ. વાઘેલા - તલાટી - પોલીસ ફરિયાદ ઉપરાંત શિસ્ત અધિ. શિક્ષાત્મક કાર્યવાહી • હસમુખભાઈ એન.પટેલ - માજી સરપંચ - પોલીસ ફરિયાદ • મહેશભાઈ મણીભાઈ મકવાણા - જીઆરએસ - પોલીસ ફરિયાદ • ગણપતભાઈ રઈજીભાઈ - જીઆરએસ - પોલીસ ફરિયાદ અને ફરજ મુક્ત • વિજયકુમાર પ્રભાતસિંહ ભોજાણી - પૂર્વ ટેક્નિકલ આસિસ્ટન્ટ - પોલીસ ફરિયાદ • જીતેન્દ્ર આર. ગોસાઈ - ટેક્નિકલ આસિસ્ટન્ટ - પોલીસ ફરિયાદ અને ફરજ મુક્ત • તેજસ શાહ - અધિક મદદનીશ ઈજનેર, મહુધા તાલુકા -પોલીસ ફરિયાદ અને ગુ.પ.અધિ. ૧૯૯૭ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી • પંકજ જે. પ્રજાપતિ - એપીઓ - પોલીસ ફરિયાદ અને ફરજમુક્તવધુ વાંચો -
રાસ ગામે દાંડી સત્યાગ્રહના સાક્ષી ઐતહાસિક સ્થળોની મુલાકાતે પહોંચ્યા જશોદાબેન!
- 10, માર્ચ 2021 12:00 AM
- 8902 comments
- 7520 Views
વિરસદ : ભારતની આઝાદી માટેની ચળવળ દરમિયાન ખુબ જ મહત્વની ગણાયેલી ઐતિહાસીક દાંડીયાત્રાના ૯૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. સરકાર દ્વારા આ ઐતિહાસિક દાંડીયાત્રાની યાદમાં ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આણંદ જિલ્લામાં દાંડીયાત્રા સાથે સંકળાયેલાં ગામો અને વિવિધ સ્થળોએ યોગ્ય આયોજન માટે સરકારી તંત્રનો ધમધમાટ ચાલું છે. અધિકારીઓ છેલ્લાં ત્રણ દિવસથી આણંદ જિલ્લાના રૂટ પર કાફલા સાથે વિવિધ સ્થળો અને મહિકાંઠાની મુલાકાત લઈ રહ્યાં છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન પણ આજે રોજ બોરસદ તાલુકાના કંકાપુરા અને રાસ ગામની મુલાકાતે પહોંચ્યા હતા.જશોદાબોન હાલ સામજિક અને પારિવારિક સંબંધોના હેતુસર આણંદ જિલ્લામાં છે. જાેકે, દાંડીયાત્રાની યાદમાં ઉજવણી માટે સરકારી ધમધમાટ વચ્ચે પણ જશોદાબેનની ઐતહાસિક સ્થળોની મુલાકાત સાદગીપૂર્ણ રહી હતી. સ્થાનિક ગામોના આગેવાનોએ સ્વાગત સન્માન કર્યું હતું. તેમજ સ્થાનિક આગેવાનો સાથે ઐતહાસિક સ્થળ બાબતે અને આઝાદી ચળવળ સંદર્ભે જાણકારીનું આદાન પ્રદાન કર્યું હતું. સૂત્રોનું કહેવું છે કે, ઐતહાસિક સ્થળોની મુલાકાત દરમિયાન રાસ ગામના ઐતહાસિક સરદાર વડને જશોદાબેન સહિતના અગ્રણીઓએ વંદન કર્યા હતા. રાસ ગામના અગ્રણી કિરણભાઈ પટેલ, પૂર્વ સરપંચ ઠાકોરભાઈ પટેલ, રાજુભાઈ જાેષી, જાણીતા એડવોકેટ અને નોટરી નીતાબેન પંજાબી વગેરે ઐતહાસિક દાંડીયાત્રા સ્થળોની મુલાકાતે જાેડાયા હતા.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 555 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,941 કેસ
- 09, માર્ચ 2021 03:07 PM
- 7613 comments
- 6674 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 555 થી વધુ નોંધાયા છે. જેની સામે 482 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4416 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 555 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,941 થયો છે. તેની સામે 2,66,313 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3212 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3212 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 41 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3171 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,313 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4416 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
શેકાવા માટે તૈયાર રહેજો: ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચશે
- 09, માર્ચ 2021 02:13 PM
- 9742 comments
- 4935 Views
ગાંધીનગર-રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડીગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ, રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યનાં શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો ૩૭.૫ ડીગ્રીએ પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો ૩૬.૮ ડીગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં ૩૬.૪ ડીગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૩૬.૭ ડીગ્રી, વડોદરામાં ૩૬.૬ ડીગ્રી, સુરતમાં ૩૫.૫ ડીગ્રી, અમરેલીમાં ૩૭.૮ ડીગ્રી, ભાવનગરમાં ૩૫.૨ ડીગ્રી, રાજકોટમાં ૩૭.૬ ડીગ્રી સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડીગ્રી, મહુવામાં ૩૫.૬ ડીગ્રી, કેશોદમાં ૩૫.૨ ડીગ્રી, ભુજમાં ૩૫ ડીગ્રી નોંધાયું હતું. માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતનાં શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ
- 08, માર્ચ 2021 03:06 PM
- 8114 comments
- 8206 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ઉનાળાની એન્ટ્રીઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો
- 08, માર્ચ 2021 02:31 PM
- 9395 comments
- 2338 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.વધુ વાંચો -
દાંડીયાત્રાના ૯૧ વર્ષ
- 07, માર્ચ 2021 10:57 PM
- 3244 comments
- 6900 Views
નડિયાદ : મહાત્મા ગાંધીજીએ મીઠાનાં કર માટે અહિંસાની લડત લડી અંગ્રેજાેને હંફાવી દીધાં હતાં. વર્ષ ૧૯૩૦માં અમદાવાદ સાબરમતી આશ્રમથી છેક દાંડી ગામ સુધી બાપુ ચાલીને ગયા અને ભારે જુવાળ પ્રગટાવ્યો હતો. આ યાદગાર યાત્રાને ૯૧ વર્ષ થતાં ૧૨ માર્ચે આ યાત્રાનો પુનઃ પ્રારંભ કરાશે, જે યાત્રા ખેડા જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ રોકાણ કરશે. જેનાં પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે.મીઠાનાં સત્યાગ્રહ માટે સમગ્ર દેશમાં જુવાળ પ્રગટાવનાર દાંડીયાત્રાને ૧૨મી માર્ચે ૯૧ વર્ષ પૂરાં થાય છે. મહાત્મા ગાંધીજીએ વર્ષ ૧૯૩૦માં આ યાત્રા થકી બ્રિટિશ સરકારને હચમચાવી મૂકી હતી. જેનાં કારણે અંગ્રેજ હુકુમત જુકી હતી. તા.૧૨ માર્ચ ૨૦૨૨ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમથી પુનઃ આ યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા ખેડા જિલ્લામાં પ્રવેશ કરશે અને જે રૂટ ઉપરથી દાંડીયાત્રા પસાર થઈ ત્યાં ત્યાં રાતવાસો કરશે, જેમાં ખેડા જિલ્લામાં જુદાં જુદાં ત્રણ ગામોમાં પદયાત્રીઓનું રોકાણ કરવામાં આવશે. પ્રથમ દિવસે અસલાલી ગામ ખાતે રાત્રી રોકાણ કરાશે. ત્યારબાદ બીજા દિવસે પદયાત્રીઓ ખેડાના નવાગામ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્રીજા દિવસે માતર મુકામે અને છેલ્લે જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે સંતરામ મંદિરમાં રોકાણ કરી આગળ આણંદ જિલ્લામાં જશે. આ બાબતની તમામ વ્યવસ્થાઓ વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. સાથે સાથે જે ગામમાં આ યાત્રા પ્રવેશ કરશે ત્યાં ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું.વધુ વાંચો -
નટપુરમાં અઢી વર્ષ પછી કોણ પ્રમુખ બનશે, એ માટે અત્યારથી ખેંચતાણ!
- 07, માર્ચ 2021 10:54 PM
- 4640 comments
- 1893 Views
નડિયાદ : નડિયાદ નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. આ વખતે પાલિકામાં અનુસુચિત જાતિના ઉમેદવાર માટે પ્રમુખપદ અનામત હોવાથી ખુદ નહીં બેસી શકનારાં પોતાના ુમેદવારને ગોઠવવા પાસા ફેંકી રહ્યાં હોવાની ચર્ચા છે. જાેકે, મોવડી મંડળ ત્રણ ઉમેદવારમાંથી કોના પર કળશ ઢોળશે, તે જાેવું રહ્યું. નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામ જાહેર થયાં બાદ હવે પ્રમુખપદ, ઉપપ્રમુખપદ અને કમિટી કોને ફાળે જશે, તેની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. પાલિકામાં આ વખતે પ્રથમ ટર્મમાં અનુસુચિત જાતિના ઉમેદવારને પ્રમુખપદ આપવાનું છે. હાલ ત્રણ નામો વચ્ચે રસાકસી ચાલી રહી છે. સૌથી મહત્વની કારોબારી સમિતિ કોણ સંભાળશે, તે મુદ્દો પણ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ઉપરાંત અન્ય મલાઇદાર કમિટી મેળવવા માટે રીતસર હોડ જામી છે. આ હોડમાં કોણ ફાવશે અને કોણ રહી જશે એ આગામી થોડાં દિવસમાં સ્પષ્ટ થઈ જશે.કમિટીની વહેંચણીમાં પણ અઢી વર્ષ બાદ બીજા ટર્મના પ્રમુખ કોને બનાવવા તેનો હિસાબ-કિતાબ અત્યારથી જ કરવામાં આવશે તેવું સૂત્રોનું કહેવું છે. બીજી ટર્મમાં સામાન્ય ઉમેદવારને પ્રમુખપદ મળવાનું હોવાથી તેનાં માટે અત્યારથી જ થનગન ગોપાલો થનગની રહ્યાં છે. ખરેખર નટપુરમાં હોડ પહેલી ટર્મ કરતાં બીજી ટર્મ માટે વધુ જામી છે. નડિયાદમાં પ્રથમ ટર્મ અનુસુચિત જાતિ, જ્યારે બીજી ટર્મ સામાન્ય બેઠક માટે છે. તેવી જ રીતે કપડવંજમાં પ્રથમ ટર્મ માટે સામાન્ય મહિલા અનામત અને બીજી ટર્મ માટે પછાત વર્ગની બેઠક છે.વધુ વાંચો -
જૂઓ રાજ્યના આ પ્રખ્યાત મેળાને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ
- 07, માર્ચ 2021 09:21 AM
- 6079 comments
- 9383 Views
ખેડા-ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પુનમનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસે ભક્તો રણછોડજી મંદિરમાં દર્શાનાર્થે આવે છે. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. કોરોના મહામારીમાં વકરતા કેસના કારણે ડાકોરના મેળાને મોટું ગ્રહણ લાગ્યું છે. ડાકોરમાં ફાગણી પુનમનો મેળો આ વર્ષે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૨૮ માર્ચે ડાકોરમાં પુનમનો મેળો યોજવાનો હતો, પરંતુ ડાકોરનો મેળો બંધ રાખવા જિલ્લા કલેક્ટરે મોટો આદેશ કર્યો છે. એટલું જ નહીં, કલેક્ટરે પદયાત્રિકોને ડાકોર નહીં આવવા માટે નિર્દેશ કર્યો છે. ફાગણી મેળાની સાથે ૨૭, ૨૮, ૨૯ માર્ચ એમ ત્રણ દિવસ પણ મંદિર બંધ રાખવાનો ર્નિણય કરાયો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે યાત્રાધામ ડાકોરનો આગામી ફાગણી પૂનમનો મેળો બંધ રાખવા જિલ્લા કલેકટરનો નિર્દેશ જાહેર થતાં ભક્તોમાં નિરાશા વ્યાપી ગઈ છે. આગામી ૨૮ માર્ચના રોજ ફાગણી પુનમ છે, ત્યારે ૨૭, ૨૮, ૨૯ એમ ત્રણ દિવસ પણ ડાકોર મંદિર બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાંથી આવતા પદયાત્રિકોને ડાકોર નહીં આવવા માટે જિલ્લા કલેકટરે નિર્દેશ પણ આપી દીધા છે.વધુ વાંચો -
પતિ-પત્ની વચ્ચે બોલાચાલી પછીરિસાયેલી પત્નીએ પિયરમાં કહેતાં ઝઘડો મારામારી સુધી પહોંચ્યો
- 07, માર્ચ 2021 12:00 AM
- 3543 comments
- 2834 Views
નડિયાદ : નડિયાદ તાલુકાના જાવોલમાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતને લઈ બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ રિસાઈ ગયેલી પત્નીએ પોતાના પિયરમાં વાત જણાવતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો. પિયરિયાઓએ પરિણીતાનાં સાસરે આવી મારામારી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.નડિયાદ તાલુકાના જાવોલ ગામે નવાપુરા વિસ્તારમાં રહેતાં પૂનમભાઈ શનાભાઈ સોલંકીને ગત રોજ પત્ની જલ્પાબેન સાથે કોઈ બાબતને લઈ બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ રિસાઈ ગયેલાં જલ્પાબેને આ વાતની જાણ પોતાના પિયરમાં કરી હતી. એ પછી આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિણીતાનાં પિયરના લોકોએ ગત રોજ જાવોલ મુકામે પૂનમભાઈના ઘરે આવી તેઓની સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલાં લોકોએ પૂનમભાઈને લાકડી વડે માર માર્યો હતો. આ અંગે પૂનમભાઈએ ચકલાસી પોલીસ મથકે તેઓના સસરાં ખોડાભાઈ નાથાભાઈ પરમાર, સાળો હાર્દિકભાઈ પરમાર, સાઢુ ભગવાનભાઈ સોલંકી અને વિજયભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.વધુ વાંચો -
૧૦ પ્રશ્નો રજૂ કરી ધરતીપૂત્રોએ ઉકેલ માગ્યો
- 07, માર્ચ 2021 12:00 AM
- 1010 comments
- 369 Views
નડિયાદ : ખેડા જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા શનિવારે ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જિલ્લાના ખેડૂતોના વણઉકેલ્યા પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. કેનાલ, બોરકૂવા ન હોય તેવાં વિસ્તારમાં દિવસે થ્રી ફેઝ વીજળી મળે, ઉનાળાના સમયમાં કેનાલને રીપેરિંગ કરાવવી, જિલ્લામાં ડેમનું નિર્માણ કરવું જેવાં અનેક સળગતા પ્રશ્નો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ખેડા જિલ્લાના ખેડૂતોના વણઉકેલ્યાં પ્રશ્નોનોને તાત્કાલિક ઉકેલ લાવવા ભારતીય કિસાન સંઘે માગ કરી છે. આ સંદર્ભે કિસાન સંઘે આજે એક આવેદનપત્ર જિલ્લા સમાહર્તા આઈ.કે. પટેલને આપ્યું હતું. આવેદનમાં ૧૦ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે. આ ૧૦ પ્રશ્નોમાં ખેતીની જમીન રિ-સરવે રેકોર્ડ પ્રમોલગેશનમાં થયેલી ભૂલો સુધારી પુનઃ સરવેની કામગીરી હાથ ધરવી, જંગલી પશુઓથી થતાં પાકને નુકસાન અટકાવવા યોગ્ય પ્લાન ઘડવા, જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં કેનાલ, બોરકૂવા નથી તેવાં વિસ્તારમાં દિવસે થ્રી ફેઝ વીજળી મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરવી, પાકની વાવણી થાય તે પહેલાં ટેકાના ભાવો નક્કી કરવા અને તેને ખરીદવા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી, ઓછા ભાવથી ખરીદી ન કરે તેવી જાેગવાઈમાં સુધારો લાવવા, નવાં બનેલાં તાલુકામાં આરોગ્ય કેન્દ્ર રેન્જ ફોરેસ્ટ ઓફિસ, પશુ દવાખાના વગેરેમાં સ્ટાફ ઓછો હોવાથી ભરતી કરવા બાબત, નડિયાદ તાલુકામાં અનાજ મંડી બનાવવા, કપડવંજ તાલુકાના વિવિધ ગામોને આવરી લે તેવાં અલગ ડેમનું નિર્માણ કરવા વીજબિલમાં લેવાતાં વધારાના ચાર્જને બંધ કરવા, ખેત ઓજારો સબસિડી ડ્રો સિસ્ટમ હોવાથી જરૂરીયાત ધરાવતાં ખેડૂતોને લાભ નથી મળતો, જે નિયમમાં સુધારો લાવવા, ઉનાળાના સમયમાં કેનાલને રીપેરિંગ કરાવવી જેવા અનેક પ્રશ્નો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કિસાન સંઘનું કહેવું છે કે, દર વર્ષે આ રીતે રજૂઆત કરવામાં આવતી હોવા છતાં સરકારી અધિકારીઓ કે રાજનેતાઓ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવતાં ન હોવાથી ધરતીપુત્રોમાં નારાજગી અને રોષ વ્યાપ્યો છે.વધુ વાંચો -
ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો રદ!
- 07, માર્ચ 2021 12:00 AM
- 1474 comments
- 5007 Views
નડિયાદ : ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો રદ કરાયો છે. આ વખતે કોરોનાના સંક્રમણને કારણે મંદિર પ્રસાશને અને જિલ્લા વહીવટી તંત્રએ ર્નિણય લીધો છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આજે સત્તાવાર ર્નિણય લેવાયો હતો. સાથે સાથે ભક્તોને ઘરે રહીને જ દર્શન કરવા વિનંતી કરવામાં આવી છે.ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આગામી ફાગણી પૂનમનો મેળો રદ કરાયો છે. ફાગણી પૂનમનું ખુબ જ ધાર્મિક મહત્વ હોય છે. આ દિવસે લાખો પદયાત્રીઓ ચાલતાં ડાકોર શ્રી રણછોડરાયના દરબારમાં આવી શીશ નમાવે છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત મુંબઈ, અમદાવાદ જેવાં શહેરોમાંથી ચાલતાં તો ક્યાંક સંઘમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર આવે છે. ખુબ જ ધામધૂમથી ફાગણી પૂનમની હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જાેકે, આ વખતે આ ઉજવણીમાં કોરોનાનું સંકટ ફરી વિઘ્ન બન્યું છે. ૨૮મી માર્ચે ફાગણી પૂનમ હોવાથી તા.૨૭, ૨૮, ૨૯ માર્ચ એમ ત્રણ દિવસ ડાકોર મંદિર બંધ રહેશે, તેવો ર્નિણય કરાયો છે. જાેકે, આ તમામ બાબતો વચ્ચે ઠાકોરજીની સેવાપૂજા નિત્યક્રમ મુજબ થશે, પરંતુ બંધ બારણે. ઠાકોરજીની તમામ પૂજા વિધી બંધ બારણે થશે તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. આ બેઠકમાં મંદિરના મેનેજર, જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યાં હતાં. ડાકોરના ઠાકોરને ફાગણી પૂનમે મળવા આવતાં પદયાત્રીઓને ઘરેથી દર્શન કરવા અથવા તો મંદિર પ્રસાશન દ્વારા ઓનલાઇન દર્શન કરવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, તેવી કહેવાયું હતું. ડાકોરમાં ફાગણી પૂનમે દર વર્ષે વહેલી સવારે મંગળા આરતી થાય છે. આ બાદ શણગાર વસ્ત્રો તથા શૃંગાર ધરાવવામાં આવે છે. ઉપરાંત ભોગ ધરાવવામાં આવે છે, જેમાં ધાણી, ચણા, લાડંુનો પ્રસાદ હોય છે. આ સમયે ભક્તો ગુલાલ ઉછાળી ભક્તીના રંગમાં રંગાઈ જાય છે. સવારથી ભક્તોનો ભારે ઘસારો હોય છે. જાેકે, આ વખતે પૂનમના દિવસે મંદિર બંધ રહેશે અને સંપૂર્ણ સાદગી અને બંધ બારણે પૂજન કરવામાં આવશે.વધુ વાંચો -
શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો મળશે લાભ, શિક્ષણમંત્રી ચુડાસમાએ ગૃહમાં કરી જાહેરાત
- 05, માર્ચ 2021 03:53 PM
- 7593 comments
- 4260 Views
ગાંધીનગર-રાજ્યમાં આવેલી યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો લાભ આપવાનું ગૃહમાં શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારના અ નિર્ણયથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. રાજ્યમાં આવેલી યુનિવર્સીટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા તેઓની પડતર માંગણીઓને લઈને અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકા તેમજ જીલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના પરિણામ આવી ગયા બાદ વિધાનસભા સત્ર શરુ થતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જાહેરાત કરી હતી. ત્યારે તા.1-1-૨૦૧૬ થી કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવાનું સરકારે નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કર્મચારીઓને એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા ટૂંક સમયમાં આપવામાં આવશે. જેથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં ખુશી વ્યાપી જવા પામી હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 480 પોઝીટીવ કેસ, કુલ 2,71,725 કેસ
- 05, માર્ચ 2021 03:48 PM
- 1797 comments
- 4333 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 480 થી વધુ નોંધાયા છે. જેની સામે 369 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 480 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,725 થયો છે. તેની સામે 2,64,564 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2749 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2749 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 40 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2709 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,564 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
જલારામ વૃદ્ધાશ્રમના વડીલોને રસીનું સુરક્ષાકવચ અપાયું
- 05, માર્ચ 2021 12:00 AM
- 6300 comments
- 6858 Views
નડિયાદ : સમગ્ર દેશમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે. પહેલી માર્ચથી ત્રીજા તબક્કાનું રસીકરણ શરૂ થઈ ગયું છે, જેમાં સિનિયર સિટીઝન્સને રસી આપવામાં આવી રહી છે. ખેડા જિલ્લાના વિવિધ આરોગ્ય સેન્ટર પર આ રસીકરણ હાલ ચાલી રહ્યું છે. વસો તાલુકાના પીજ ખાતે આવેલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પીજના જલારામ વૃદ્ધાશ્રમના વૃદ્ધાઓને રસી આપવામાં આવી હતી. આ તમામ વૃદ્ધો અને ૪૫ વર્ષથી ૫૯ વર્ષના વિવિધ બીમારી ધરાવતાં લોકોને કોવિડ-૧૯ રસીકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જલારામ ઘરડા ઘરના ટ્રસ્ટી હર્ષદ પટેલ, મેનેજર અરવિંદ સોની, તાલુકા પંચાયત વસોના સભ્ય હેમલ રાજેન્દ્ર પટેલ, વસો તાલુકા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, મેડિકલ ઓફિસર ડો.હર્ષદ નાયક તેમજ સમગ્ર આરોગ્ય ટીમ હાજર રહી હતી. તંત્રએ અપીલ કરી છે કે, કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપી તમામ લોકોએ રસીકરણમાં ભાગ લેવો જાેઈએ.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 400 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,71,245 કેસ
- 04, માર્ચ 2021 03:43 PM
- 7797 comments
- 1588 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 400 થી વધુ નોંધાયા છે. જેની સામે 358 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 400 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,245 થયો છે. તેની સામે 2,64,195 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2638 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2638 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 39 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2599 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,195 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દી નું મૃત્યુ નોંધાયુ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 454 પોઝીટીવ કેસ, કુલ 2,70,770 કેસ
- 03, માર્ચ 2021 02:38 PM
- 4292 comments
- 6699 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 454 થી વધુ નોંધાયા છે. જેની સામે 361 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 454 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,770 થયો છે. તેની સામે 2,63,837 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2522 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2522 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 37 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2485 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,63,837 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ખેડા જિલ્લામાં ભગવો લહેરાતાં ભવ્ય વિજયોત્સવ ઉજવાયો
- 03, માર્ચ 2021 12:00 AM
- 9008 comments
- 1905 Views
નડિયાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે ૮ તાલુકા પંચાયત અને ૫ નગરપાલિકામાં ઐતિહાસિક જીત મેળવનાર વિજેતા ઉમેદવારોની હાજરીમાં ભવ્ય વિજ્યોત્સવ યોજાયો હતો. વિશેષ માર્ગદર્શન આપવા માટે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે પ્રભારી જયસિંહજી ચૌહાણ, પ્રમુખ અર્જુનસિંહજી ચૌહાણ, સાંસદ દેવુસિંહજી ચૌહાણ, પ્રદેશ મંત્રી જ્હાન્વી વ્યાસ, મહામંત્રી વિપુલ પટેલ, વિકાસભાઈ શાહ, નટુભાઈ સોઢા, ઉપપ્રમુખ ગોપાલભાઈ શાહ રાજન દેસાઈ, ચંદેશ પટેલ તથા હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.વધુ વાંચો -
ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકા અને ૭ તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો, કોંગ્રેસનાં સૂપડાં સાફ
- 03, માર્ચ 2021 12:00 AM
- 3374 comments
- 8751 Views
નડિયાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. પાંચ નગરપાલિકા અને આઠ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી સાથે વિજય થયો છે, જેને કારણે ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયાં છે. આજે યોજાયેલી મતગણતરીમાં નગરપાલિકા અને પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. નડિયાદ નગરપાલિકામાં ફક્ત એક જ વોર્ડમાં એક જ ઉમેદવાર કોંગ્રેસનો આવતાં કોંગ્રેસ પક્ષની કારમી પરાજય થઈ છે. જ્યારે કપડવંજ નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ તો કણજરી નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસની ટાઈ પડી છે. કઠલાલ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી પાસેથી ભાજપે સત્તા છીનવી લીધી છે. વળી, ઠાસરા નગરપાલિકામાં આ વખતે અપક્ષનો દબદબો રહ્યો છે.સમગ્ર ખેડા જિલ્લામાં પક્ષના શાસનમાં ક્યાંક બદલાવ તો ક્યાંક વર્ચસ્વ ઘટ્યું હોવાનો ચિતાર આજે પ્રજાએ આપ્યો છે. પાંચ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે સંબંધિત કેન્દ્રો પર હાથ ધરાઈ હતી. નડિયાદ નગરપાલિકામાં ભારે ઉત્સુકતા વચ્ચે ભાજપે પૂર્ણ બહુમતીથી વિજય મેળવ્યો છે. બીજી તરફ કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. પાલિકામાંથી માત્ર એક જ વોર્ડ નંબર ૧ના જતીન પ્રવાસી નામના ઉમેદવારની જીત થઈ છે. બાકી તમામ ઉમેદવારોની કારમી હાર થતાં કોંગ્રેસ પાલિકામાંથી બહાર ફેંકાઇ ગઇ છે. નડિયાદ નગરપાલિકામાં કુલ ૧૩ વોર્ડમાંથી વોર્ડ નંબર ૩, ૪, ૯, ૧૦માં ભારતીય જનતા પાર્ટીની પૂરેપૂરી પેનલે વિજય મેળવ્યો છે, જ્યારે ૮ ઉમેદવારો અપક્ષમાંથી ચૂંટાઈ આવ્યા છે. શહેરના લઘુમતી વિસ્તારમાંથી ખુદ કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો છે. જાેકે, તેની સામે અપક્ષ તરીકે લડતાં મુસ્લિમ ઉમેદવારે જ તેમને હરાવ્યા છે. નડિયાદ નગરપાલિકાનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને ભાજપે ભગવો પૂર્ણ બહુમતી સાથે લહેરાવ્યો છે. કપડવંજ નગરપાલિકામાં ૭ વોર્ડની કુલ ૨૮ બેઠક પર ટાઈ પડી છે. અહીં પહેલાંથી જ કોંગ્રેસ આઉટ હતી અને ભાજપ તથા અપક્ષ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાંથી ૧૪ સીટ પર ભાજપનો વિજય જ્યારે અન્ય ૧૪ સીટ પર અપક્ષે કબજાે જમાવ્યો છે. કણજરી નગરપાલિકા પણ ટાઈ પડી છે, જેમાં ભાજપે ૧૨ અને કોંગ્રેસે ૧૨ એમ બંનેએ સરખી સીટ મેળવતાં ટાઈ પડી છે. જાેકે, અહીં વર્ચસ્વ કોનું રહેશે અને કયો પક્ષ પાલિકાની સત્તા સંભાળશે તે જાેવું રહ્યું. કઠલાલ નગરપાલિકાની વાત કરવામાં આવે તો છેલ્લી બે ટર્મથી ચાલતાં સમાજવાદી પાર્ટીના શાસનનો અંત આવ્યો છે. આજે યોજાયેલી મતગણતરીમાં પ્રજાએ પરિવર્તન કરી સમાજવાદી પાર્ટી પાસેથી નગરપાલિકા આંચકી ભાજપને આપી છે. સમાજવાદી પાર્ટીના ભાગે ૯ સીટ અને ભાજપના ભાગે ૧૫ સીટ આવતાં ભાજપનો ભગવો પાલિકા ઉપર લહેરાયો છે. ઠાસરા નગરપાલિકામાં અપક્ષોનો દબદબો વધ્યો છે, કારણ કે અહીં પહેલાંથી જ અપક્ષ અને ભાજપ વચ્ચે જંગ હતો, જેમાં ભાજપને ફાળે ૯ અને અપક્ષના ફાળે ૧૫ બેઠકો આવી છે. અહીં નગરપાલિકામાં અપક્ષનો દબદબો વધ્યો છે.વધુ વાંચો -
ELECTION 2021: 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ
- 02, માર્ચ 2021 03:33 PM
- 6741 comments
- 1488 Views
અમદાવાદ-ગુજરાતની રાજકોટ સહિત 31 જિલ્લા પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મતગણતરી યોજાઇ રહી છે તેમાં 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ હોવાના પ્રારંભીક સંકેતો સાંપડયા છે. સૌરાષ્ટ્રની 8 સહિત ગુજરાતની 28 જિલ્લા પંચાયતોમાં ભાજપના બહુમતી ઉમેદવારો જીતના માર્ગે હોવાથી ભાજપનું શાસન આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. 2015ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને માત્ર 7 જિલ્લા પંચાયતોમાં સત્તા મળી હતી. તેના બદલે આ વખતે બહુમતી જિલ્લા પંચાયતો પર ભાજપનો કબ્જો આવવાના એંધાણ પ્રારંભીક ટ્રેન્ડમાં મળી રહ્યા છે. સમગ્ર 31 જિલ્લા પંચાયતોમાં 74 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ ગઇ છે ત્યારે કોંગ્રેસને માત્ર 15 બેઠકો જ મળી છે. તાલુકા પંચાયતોમાં 358 બેઠકોમાં ભાજપના ઉમેદવારોને સરસાઇ હતી. જયારે કોંગ્રેસના ફાળે 94 બેઠકો હતી. નગરપાલિકામાં આ બેઠકો અનુક્રમે 238 અને 60 હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 427 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,70,316 કેસ
- 02, માર્ચ 2021 03:27 PM
- 6957 comments
- 6136 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 427 થી વધુ નોંધાયા છે. જેની સામે 360 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 427 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,316 થયો છે. તેની સામે 2,64,476 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,316 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2429 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,316 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2429 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 35 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2394 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,476 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ