અમદાવાદ સમાચાર
-
લાલ દરવાજા ખાતે ઊનનું વેંચાણ
- 26, નવેમ્બર 2023 01:30 AM
- 4067 comments
- 7656 Views
લાલ દરવાજા ખાતે ઊનનું વેંચાણ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શહેરના લાલ દરવાજામાં ઊન વેચવાનું ચાલુ થઈ ગયું છે.વધુ વાંચો -
અમદાવાદ રેલવે સ્ટેશનની કાયાપલટ થશે પેસેન્જર્સને એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે
- 26, નવેમ્બર 2023 01:30 AM
- 6864 comments
- 6846 Views
અમદાવાદ ગુજરાતના સૌથી મોટા અમદાવાદ રેલવે સ્ટેશનની હવે કાયાપલટ થવા જઈ રહી છે. આ રેલવે સ્ટેશન પર મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે. કાલુપુરમાં આવેલું અમદાવાદ રેલ્વે સ્ટેશન આખરે ભારતીય રેલવે, બુલેટ ટ્રેન અને મેટ્રોને સેવા આપતું એક સંકલિત સ્ટેશન બનાવવા માટે એક મુખ્ય ફેસલિફ્ટ મેળવવા માટે તૈયાર છે. આ રેલવે સ્ટેશનનું રિડેવલોપેન્ટ થશે અને તેમાં ત્રણેય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ગુજરાતના સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિરની થીમ આધારિત આ નવું રેલ્વે સ્ટેશન ૨૦૨૭ સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણના બે સ્મારકો ઝૂલતા મિનારા અને બ્રિક મિનારા જે સ્ટેશન પરિસરમાં સ્થિત છે, તે નવા સંકુલનો ભાગ બની રહેશે અને તેમની જાળવણી કરવામાં આવશે. અમદાવાદ રેલવે સ્ટેશનમાં પેસેન્જર્સ માટે અન્ય ઘણા મનોરંજન રાખવામાં આવશે. રેલવે સ્ટેશન પર એક એમ્પિથીયેટર પણ બનાવવાની યોજના છે જે અડાલજની વાવ પર આવેલું છે તેવું જ હશે. રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સ્ટેશન પર પેસેન્જર સુવિધાઓ સાથે એક જ જગ્યાએ ટ્રેકની ઉપર એક વિશાળ છતનો પ્લાઝા મળશે, જેમાં સ્ટોર્સ, કાફેટેરિયા અને મનોરંજન માટેની જગ્યાનો સમાવેશ થાય છે. સ્ટેશન બિલ્ડીંગ ટ્રેકની બંને બાજુએ પહોંચશે. પર્યાપ્ત પાર્કિંગ સુવિધા સાથે ટ્રાફિકની સુચારૂ ગતિવિધિ માટે એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હવે એક જ સ્ટેશન પર રેલવે, મેટ્રો અને બુલેટ ટ્રેન માટેની સુવિધા હોય ત્યારે પેસેન્જર્સને કોઈ મૂંઝવણ ન થાય અને તેઓ સરળતાથી પોતાને જેમાં મુસાફરી કરવી હોય તે માટે જઈ શકે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ માટે અલગ સુવિધા કરવામાં આવશે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાલુપુર બાજુથી પ્રવેશ ભારતીય રેલવે અને મ્ઇ્જી માટે હશે. તેને મેટ્રો અને બુલેટ ટ્રેન સ્ટેશનો સાથે વોકવે દ્વારા જાેડવામાં આવશે. સરસપુર બાજુનો ગેટ બુલેટ ટ્રેન અને મેટ્રો સ્ટેશન સુધી સીધો પ્રવેશ ઉપલબ્ધ કરાવશે. હવે બધી જ સુવિધાએ એક જ જગ્યાએ હોવાથી ભીડ પણ વધશે. તેથી ભીડ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે અને આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભીડને ટાળવા માટે અલગ-અલગ એન્ટ્રી અને એક્ઝિટ હશે. આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ દિનેશચંદ્ર આર અગ્રવાલ ઈન્ફ્રાકોન અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનનું જાેઈન્ટ વેન્ચર છે. રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એ જુલાઈમાં ૨,૫૬૩ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યા બાદ નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પ્રાપ્ત બિડ આ મહિનાની શરૂઆતમાં ખોલવામાં આવી હતી અને તેમાંથી સૌથી ઓછી ૫,૫૦૦ કરોડ રૂપિયાથી વધુ હતી, જેના કારણે ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું. જાેકે, કંપનીઓ માટેનો અવકાશ વધારવા માટે જાેઈન્ટ વેન્ચર પાસેથી દરખાસ્તો મંગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો જેમાં તેમના બે ગુણવત્તાયુક્ત પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવું જરૂરી હતું. અગાઉના ટેન્ડરમાં એક જ બિડિંગ એન્ટિટીએ ત્રણ પ્રોજેક્ટ્સ દર્શાવવાના હતા. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, “બહુવિધ કંપનીઓએ બિડમાં ભાગ લીધો હતો અને બિડ ૨,૩૮૩ કરોડ રૂપિયા હતી. રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અમૃત ભારત સ્ટેશન યોજનાનો એક ભાગ છે અને પ્રોજેક્ટમાં એક હોટલ સહિત ૧૬ ઈમારતો જાેવા મળશે. મુસાફરોને એરપોર્ટ જેવી જ સુવિધાઓ મળશે.વધુ વાંચો -
અમદાવાદ-વડોદરા સહિત દેશભરમાં અનેક બ્રાંચ ધરાવતી સહકારી બેંક વર્ષ માટે સસ્પેન્ડ
- 26, નવેમ્બર 2023 01:30 AM
- 4486 comments
- 8074 Views
અમદાવાદ, દેશની કેન્દ્રિય બેંક દ્વારા વધુ એક બેંક પર આકરા પગલા લેવામાં આવ્યા છે. જે અંતર્ગત અભ્યુદય કોઓપરેટિવ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આરબીઆઈએ બોર્ડને ૧ વર્ષ માટે સસ્પેન્ડ કર્યું. આ સાથે આરબીઆઈએ સત્ય પ્રકાશ પાઠકને બેંકના એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા. જાે કે, કેન્દ્રીય બેંકના આ આકરા પગલાથી ગ્રાહકોને કોઈ અસર થશે નહીં. ગવર્નન્સના નબળા નિયમોને કારણે બોર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અહીં સ્પષ્ટ કરી દઈએ કે અભ્યુદય સહકારી બેંકની કામગીરી પર કોઈ પ્રતિબંધ નથી. આરબીઆઈનું કહેવું છે કે બેંકના ગ્રાહકો માટે સેવા પહેલા જેવી જ રહેશે. આ ફક્ત એક માળખાકીય પગલા લેવામાં આવ્યા છે. અભ્યુદય કોઓપરેટિવ બેંકની શરૂઆત વર્ષ ૧૯૬૪માં કરવામાં આવી હતી. ૫૦૦૦ રુપિયા સાથે બેંકનો પાયો નાખવામાં આવ્યો હતો. તે દૂધના વેપારીઓ અને નાના વેપારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. આ પછી જૂન ૧૯૬૫માં અભ્યુદય કો-ઓપ. બેંકિંગ શરૂ થઈ ગયું છે. વર્ષ ૧૯૮૮માં આરબીઆઈ દ્વારા બેંકને શેડ્યૂલ બેંકની શ્રેણીમાં મૂકવામાં આવી હતી. આ પછી મુંબઈ સહિત ઘણા મોટા શહેરોમાં બેંકની શાખાઓ ખુલી છે. બેંક મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકમાં બિઝનેસ કરે છે. નાના વેપારીઓ અને સામાન્ય લોકોને મદદ કરવા માટે સહકારી બેંકો શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં બચત અને રોકાણની ટેવને પ્રોત્સાહન આપવા માટે પહેલ કરવામાં આવી હતી. આરબીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે આ સેક્ટર દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકા હોવા છતાં, કુલ કૃષિ ધિરાણમાં તેનો હિસ્સો ૧૯૯૨-૯૩માં ૬૪ ટકાથી ઘટીને ૨૦૧૯-૨૦માં માત્ર ૧૧.૩ ટકા થઈ ગયો છે. દેશમાં સહકારી બેંકોની નોંધણી સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર સાથે કરવામાં આવે છે. હાલમાં લગભગ ૮.૬ કરોડ થાપણદારોની ૧૪૮૨ સહકારી બેંકોમાં ૪.૮૪ લાખ કરોડ રૂપિયાની થાપણો છે.વધુ વાંચો -
બે પગવાળા આખલા શોધવાના છે માલધારીઓ
- 25, નવેમ્બર 2023 01:30 AM
- 3858 comments
- 7705 Views
અમદાવાદ, રખડતાં ઢોરની સમસ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્પોરેશન અને પોલીસતંત્રની ઝાટકણી અવારનવાર કાઢવામાં આવે છે. ત્યારે હવે માલધારીઓ ગૌચરની જમીન મામલે આંદોલન પર ઊતરી આવ્યા છે. માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈ સહિતના માલધારીઓ આજે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન હનુમાન મંદિરની બહાર મોટી સંખ્યામાં ભેગા થયા હતા. એક તરફ એએમસીની ઢોર નિયંત્રણ પોલિસીમાં ઢીલાશને કારણે ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી તો હવે માલધારીઓએ પણ એએમસી સામે કમર કસી આંદોલન પર ઊતર્યા છે. ઉલ્લેખનીય છે કે ૧ ડિસેમ્બરથી ઢોર નિયંત્રણ પોલિસી લાગુ થઈ રહી છે. નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે અમારી માગ છે કે અમે વર્ષોથી રહેતા હોઈએ અને પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ, એ જગ્યાના ટેક્સબિલ અને લાઈટબિલના આધારે અમને લાઇસન્સ-પરમિટ આપવામાં આવે. થોડાં વર્ષો પહેલાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પશુ નોંધણીના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા, જેનો હિસાબ માલધારીઓને આપવામાં આવે. આજે સવારે બાપુનગરના ભીડભંજન હનુમાન મંદિર ખાતે દર્શન કરીને પશુપાલન બચાવો સમિતના નામે આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. પશુ નોંધણીના નામે પરિવારદીઠ ૨૦૦ રૂપિયા લેખે જે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે એનો હિસાબ માગવા માટે મંગળવારે સવારે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે પહોંચીશું. ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પશુ નોંધણીના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા, એની પહોંચ અમારી પાસે છે. આંદોલન રખડતાં પશુઓને પકડવા બાબતે નથી, પરંતુ પશુઓ રાખવા વ્યવસાય માટે જે દસ્તાવેજવાળી જગ્યા માગે છે એ બાબતે અમે રજૂઆત કરીશું. જાે દૂધનો વ્યવસાય કરવો હોય તો એના માટે દસ્તાવેજવાળી જગ્યા હોવી ફરજિયાત કરવામાં આવી છે. તો શું પાનની દુકાન-ગલ્લાવાળા સહિતના દુકાનદારો પાસે પણ લાઇસન્સ દસ્તાવેજવાળી જગ્યા હોવી જરૂરી છે? જાે આ બધાને લાગુ પડતું હોય તો અમને વાંધો નથી. અમારી માગણી છે કે આધારકાર્ડ, લાઈટબિલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ બિલમાં જે સરનામું છે, એ જગ્યા પર લાઇસન્સ આપવામાં આવે. અમે અમારા ઘર પાસે ઢોર બાંધીને રાખી શકીએ. જાે છૂટાં ઢોર ફરતાં હોય તો એને પકડવામાં આવે, એની સામે અમારે કોઈ વાંધો નથી. ગૌચરની જમીન ક્યાં છે અને કેટલી છે એની તેમને ખબર છે. બે પગવાળા આખલા કોણ છે અને કોણ જમીન લઈ ગયું છે? એ બધી તેમને જાણ છે. તેઓ શોધી કાઢે તો ઠીક છે, નહીં તો મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. આખો મોરચો પશુઓ સાથે ગૌચરની જમીન ઉપર પહોંચી જશે અને આ બિલ્ડિંગ જ્યાં બન્યું છે એ જમીન ગૌચરની છે અને એમાં હવે પશુઓને રાખો એમ કહીશું. રસ્તા ઉપર રખડતાં ઢોર પકડવાની કામગીરી સામે અમારો કોઈ વિરોધ નથી, પરંતુ માલધારીઓ પાસે પશુઓ રાખવાના દસ્તાવેજ માગવામાં આવે છે. આયોજનબધ્ધ આવું ઘડવામાં આવ્યું છે. ડેરીના સંચાલકો સાથે સત્તાધીશો મળી ગયા છે. અમે બધું જાણીએ છીએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી આગામી અઠવાડિયે કરી નાખીશું. બે પગવાળા આખલાઓને શોધવાના છે. અમદાવાદનો વિસ્તાર સતત વધાર્યો છે. કોઈપણ પ્રકારનું આયોજન કર્યા વિના પશુઓ અંગે વિચાર કર્યા વિના તેમણે શહેરમાં વધારો કરી દીધો છે, જેના કારણે મુશ્કેલી પડી છે.વધુ વાંચો -
ગુજરાતના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનું ઘોડાપુર
- 23, નવેમ્બર 2023 01:30 AM
- 2672 comments
- 9394 Views
અમદાવાદ દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઈ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન ૧૧થી ૨૦ નવેમ્બર ૨૦૨૩ સુધી દસ દિવસના સમયગાળામાં રાજ્યના ૧૮ પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની ૪૨ લાખ ૭૫ હજાર ૯૫૨ લોકોએ મુલાકાત લીધી હતી. આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્મૃતિ વન, સીમાદર્શન-નડાબેટ, ગિરનાર રોપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, દાંડી સ્મારક, સૂર્ય મંદિર, રાણ કી વાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર, ડાયનાસોર પાર્ક તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં. પ્રવાસન ક્ષેત્ર, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના વિકાસ માટે બજેટ ફાળવણીમાં ૩૪૬% વધારો રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. વર્ષ ૨૦૨૩-૨૪ના રાજ્યના બજેટમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના ફંડમાં ૩૪૬%નો વધારો કરવામાં આવ્યો છે. હેરિટેજ અને ઇકો ટુરિઝમ માટે ?૧૦ હજાર કરોડ સૂચિત કરવામાં આવ્યા છે. યાત્રાધામની મુલાકાતે જતા શ્રધ્ધાળુઓના અનુભવને બહેતર બનાવવા માટે યાત્રાધામ વિકાસ માટે ? ૨૦૭૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે. તાજેતરમાં, ભારતની યજમાનીમાં આયોજિત થયેલી ય્-૨૦ બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ જી-૨૦ બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, જી-૨૦ દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો. જી-૨૦ પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.વધુ વાંચો -
શિયાળામાં ‘હુંફ’ આપતી તિબેટીયન બજાર
- 23, નવેમ્બર 2023 01:30 AM
- 2286 comments
- 3244 Views
શિયાળાની ઋતુ આવી ગઈ છે એટલે સ્વાભાવિક છે કે, સૌ કોઈ સ્વેટર, મફલર, સ્કાફ, મોજા સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે. રાજ્યમાં સાંજ પડતા જ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારે પણ તમને ગુલાબી ઠંડીનો અહેસાસ થતો જ હશે. ત્યારે હવે સૌ કોઈ સ્વેટર, મોજા કે, મફલરની ખરીદી કરી રહ્યાં છે. કારણ કે, હવે શિયાળાની ઋતુનું આગમન થઈ ગયું છે, ત્યારે અમદાવાદમાં પણ તિબેટીયન લોકોનું આગમન થઈ ગયું છે અને માર્કેટ પણ શરૂ થઈ ગઈ છે.વધુ વાંચો -
લંડનમાં અભ્યાસ માટે ગયેલા ચાણસ્માના રણાસણ ગામના મીત પટેલે આત્મહત્યા કરી
- 23, નવેમ્બર 2023 01:30 AM
- 547 comments
- 6722 Views
અમદાવાદ વિદેશમાં યુવકોને અભ્યાસ અર્થે મોકલતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામનો ૨૩ વર્ષીય યુવક મીત પટેલ લંડન અભ્યાસ અર્થે ગયો હતો. પરંતુ કોઈ કારણોસર આપઘાત કર્યો હતો. યુવકનું શંકાસ્પદ મોતની જાણ પરિવારને થતા પરિવાર પર આભ ફાટ્યું છે. ખેડૂત પુત્ર મિત પ્રવીણભાઈ પટેલ (ઉંમર.૨૩)નો પાંચ દિવસથી સંપર્ક તૂટ્યો હતો. ત્યારબાદ એકાએક મીતના શંકાસ્પદ મોતની જાણ થતાં પરિવાર ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે, મીત પટેલે લંડનમાં આપઘાત પહેલા એક ઓડિયો બનાવ્યો હતો. જેમાં મીત પટેલે પોતે ફસાયો હોવાનો દાવો કર્યો હતો. મીતે આપઘાત પહેલા માતા-પિતાની માફી માંગી હતી. મીત પટેલે કહ્યું હતું કે, મમ્મી પપ્પા મેં તમારા ૧૫ લાખ બગાડ્યા મને માફ કરજાે. મીતે વધુમાં જણાવ્યું હતું કે, હું અહીં ફસાઈ ગયો છું. મારી પાસે કોઈ રસ્તો નથી. ઉલ્લેખનીય છે કે, કેનેડાથી અમેરિકા જવાનો પ્રયાસ કરતા લોકોની સંખ્યા વધી છે. ૨૦૨૨થી આ પ્રમાણ વધ્યું છે. ૨૦૨૨થી કેનેડાથી અમેરિકા જનારા લોકોની સંખ્યામાં ૮ ગણો વધારો થયો છે. ૨૦૨૨માં ૬ હજાર ૪૦૦થી વધુ લોકો ક્યુબેક કે ઓન્ટારિયો થઈ ન્યૂયોર્ક ગયા હતા. કેનેડામાં હિમવર્ષાનો માહોલ હોય ત્યારે એજન્ટ મેક્સિકોથી ઘૂસણખોરી કરાવે છે. મેક્સિકો-અમેરિકા વચ્ચે ટ્રમ્પ વોલ બની છે જ્યાંથી લોકો અમેરિકામાં ઘૂસે છે.વધુ વાંચો -
રાજ્યની પ્રાથમિક શાળાના બે લાખથી વધુ શિક્ષકોને સીપીઆર તાલીમ અપાશે
- 23, નવેમ્બર 2023 01:30 AM
- 6089 comments
- 7432 Views
ગાંધીનગર રાજ્ય સરકાર, ભાજપાના ડૉક્ટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે એક ખાસ તાલીમ યોજાશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં તબીબી એસોસિયેશન અને વિવિધ શિક્ષણ સંઘો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ દરમ્યાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓના ૨ લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-ઝ્રઁઇ તાલીમ આપવામાં આવશે.આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાશે. તા. ૩ જી ડિસેમ્બર અને તા ૧૭ મી ડિસેમ્બર૨૦૨૩ ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી ઝ્રઁઇ તાલીમનો શુભારંભ કરાવશે.વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં તબીબી એસોસિયેશન અને વિવિધ શિક્ષણ સંઘો વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ જાેડાયા હતા.મંત્રી કુબેરભાઈ ડિંડોરે આ કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે, ઝ્રઁઇ વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરવાનું આયોજન કરાયું છે. અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી, હવે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ શિક્ષકોને આ તાલીમ આપવાનું આયોજન કરાયું છે. ત્યાર બાદ માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલેજના પ્રાધ્યાપકને પણ તબક્કાવાર તાલીમ આપવાનું આયોજન છે. તેમણે ઉમેર્યું કે, કોરોનાકાળ પછી હાર્ટ અટેકથી નાની વયે મૃત્યુ થવાનો દર વધ્યો છે ત્યારે મહામૂલી જીંદગી બચાવવામાં રાજયના શિક્ષકો પણ મદદરૂપ બને તે આશયથી આ તાલીમ આપવાનું નક્કી કરાયું છે. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મીનીટનો સમય જતો હોય છે. તે ૦૫ થી ૧૦ મીનીટ દરમિયાન મગજ સુધી લોહીના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ ઝ્રઁઇ ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.મંત્રી એ ઉમેર્યું કે, આ એક દિવસીય કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (ઝ્રઁઇ) તાલીમ ડૉકટર સેલ ટીમ અન ૈંજીછ ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાશે. જેમાં ૨ લાખથી વધારે શિક્ષકોને આ ઝ્રઁઇ ટ્રેનીંગ આપવામાં આવશે. જેમાં ગુજરાતની ૩૭ મેડિકલ કોલેજાે અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦ થી વધુ ડૉકટરો અને તબીબી વ્યાવસાયિકો દ્વારા આ ટ્રેનીંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે અપાશે.વધુ વાંચો -
અમદાવાદ એરપોર્ટે સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટનો વિક્રમ સર્જયો
- 21, નવેમ્બર 2023 01:30 AM
- 4272 comments
- 3644 Views
અમદાવાદ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને ૬ વિકેટથી હરાવીને વિશ્વ વિજેતા બન્યુ હતુ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ ઘર આંગણે હોવાને લઈ અમદાવાદમાં ગજબનો ઉત્સાહ જાેવા મળ્યો હતો. શહેરમાં સ્ટેડિયમ તરફ જતા તમામ રસ્તાઓ ક્રિકેટ રસિકોથી ઉભરાતા જાેવા મળતા હતા. ટ્રાફિક પણ મુશ્કેલ બન્યો હતો. એટલે જ ક્રિકેટ રસિયાઓએ પોતાના વાહનને બદલે મેટ્રો પર પસંદ ઉતારી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વિશ્વકપ ૨૦૨૩ ની ફાઈનલ મેચ ઘર આંગણે હોવાને લઈ અમદાવાદીઓ જ નહીં પરંતુ ગુજરાત અને દેશના ક્રિકેટ રસિકોમાં ગજબનો ઉત્સાહ હતો. અમદાવાદમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પર ક્રિકેટ રસિકોની ભીડ ઉભરાયેલી જાેવા મળતી હતી. જ્યારે રસ્તાઓ પર પણ ગજબની ભીડ ઉમટેલી જાેવા મળતી હતી. જેથી લોકોએ વાહનને સ્ટેડિયમ તરફ લઈ જવાને બદલે મેટ્રો ટ્રેનનો ઉપયોગ વધુ કર્યો હતો. સ્ટેડિયમ જ નહીં અમદાવાદમાં દરેક જગ્યા ઉપર ક્રિકેટ રસિકોનો જમાવડો જાેવા મળ્યો હતો. આ જ ક્રિકેટના કારણે લોકોને કમાણીની તક પણ મળી. ક્રિકેટ મેચ દરમિયાન ટ્રાફિકની અને પાર્કિંગ સમસ્યા માંથી મુક્તિ મેળવવા લોકોએ મેટ્રોની પસંદગી કરી. તો વિદેશથી આવનારા અને અન્ય શહેરથી આવનારા લોકો ના કારણે અમદાવાદ એરપોર્ટે તેનો એક દિવસનો રેકોર્ડ પણ તોડ્યો હતો. વર્લ્ડકપ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓ માટે મેટ્રો પહેલી પસંદગી બની હતી. જ્યાં અમદાવાદમાં રમાયેલ ૫ મેચ દરમિયાન મેટ્રોમાં કુલ ૪,૮૧,૭૭૯ લોકોએ મુસાફરી કરી. જેના કારણે મેટ્રોને રુપિયા ૮૨,૯૭,૭૯૮ જેટલી આવક થઈ. જેમાં સૌથી વધુ ૧૪ ઓક્ટોબરે રમાયેલી ભારત અને પાકિસ્તાન મેચ મેટ્રોને વધુ ફળી. શહેરમાં એક સ્થળે થી સ્ટેડિયમ પહોંચવા મેટ્રોમાં લોકોએ મુસાફરી કરી. તો સાથે જ અન્ય શહેર અને અન્ય દેશ માંથી મેચ જાેવા આવનારા અને મહેમાનોએ હવાઈ મુસાફરી પસંદ કરી. એરપોર્ટ પર હેવી હવાઈ ટ્રાફિક જાેવા મળ્યો. જ્યાં ૧૯ નવેમ્બરે ફાઇનલ મેચ દરમિયાન એરપોર્ટ પર એક જ દિવસમાં ૪૦,૮૦૧ મુસાફરોનો ધસારો નોંધાયો હતો. જે એક દિવસના મુસાફર સંખ્યાનો રેકોર્ડ નોંધાયો હતો.૧૯ નવેમ્બર એરપોર્ટ પર અત્યાર સુધીની સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ રહી. જ્યાં એરપોર્ટ પર ૨૬૦થી વધુ શિડ્યુલ્ડ અને ૯૯ નોન-શિડ્યુલ્ડ એમ કુલ ૩૫૯ એર ટ્રાફિક મૂવમેન્ટ્સ નો રેકોર્ડ સર્જાયો છે. જેમાં એરપોર્ટ પરથી મુસાફરી કરનારાઓમાં ૪૦,૮૦૧ મુસાફરોમાં ૩૩૬૪૨ જેટલા સ્થાનિક અને ૭૧૫૯ આંતરરાષ્ટ્રીય કક્ષાના મુસાફરોનો સમાવેશ થાય છે. આ રેકોર્ડ ભારતીય વાયુસેનાના એર શોને લઈને ૪૫ મિનિટથી વધુ સમય એર સ્પેસ બંધ રહેવા છતાં પણ સર્જાયો હતો.અગાઉ ૧૮ નવેમ્બરે એરપોર્ટ પર બીજી સૌથી વધુ મુસાફરોની અવર જવર જાેવા મળી હતી. જ્યારે એરપોર્ટે પર ૨૭૩ ફ્લાઇટ મૂવમેન્ટમાં ૩૮૭૨૩ મુસાફરોએ મુસાફરી કરી હતી. તો ૧૯ ફેબ્રુઆરીના રોજ ૨૬૮ ફ્લાઇટ શિડયુલ સાથે ૩૭,૭૯૩ મુસાફરોનીત્રીજી સૌથી વધુ મુવમેન્ટ જાેવા મળી હતી.વધુ વાંચો -
દેવ દિવાળી બાદ લગ્નોની મોસમ શરૂ આ વર્ષે લગ્ન માટે માત્ર ૪૪ શુભ મુહૂર્ત
- 21, નવેમ્બર 2023 01:30 AM
- 6901 comments
- 5204 Views
અમદાવાદ,દેવ દિવાળી બાદ લગ્નની સીઝન શરુ થાય છે. તુલસીવિવાહ બાદ શુભ લગ્નોનો પ્રારંભ થશે. નૂતન વર્ષ વિક્રમ સંવંત ૨૦૮૦ માં લગ્નના ૪૪ મુહૂર્તો છે. આ વખતે ગુરુ-શુક્રના અસ્તના કારણે મે મહિનામાં લગ્નના મુહૂર્તો નથી. જયારે ચાલુ નવેમ્બર માસમાં આગામી તા. ૨૭ના લગ્નનું પ્રથમ શુભ મુહૂર્ત છે. ગત વર્ષે લગ્નના ૬૩ શુભ મુહૂર્તો હતા જયારે આ વર્ષે માત્ર ૪૪ શુભ મુહૂર્તો છે. નવેમ્બરમાં તા. ૨૭, ૨૮ તથા ૨૯ના દિવસો લગ્ન માટે શુભ છે. ડિસેમ્બર મહિનામાં તા. ૬, ૭, ૮, ૧૪, ૧૫ શુભ છે. આમ ધનારક કમુહૂર્તા પહેલા લગ્નના આઠ મુહુર્ત છે. તા.૧૬-૧૨ થી ૧૪-૧ સુધી ધનારક કમુહુર્ત હોવાથી આ સમયગાળામાં લગ્ન થઈ શકે નહિં. જાન્યુઆરીમાં તા. ૨૧, ૨૨, ૨૭, ૨૮, ૩૦ તથા ૩૧ આ દિવસો લગ્ન માટે શુભ છે. ફેબ્રુઆરી મહિનામાં તા. ૨,૪,૬,૧૨,૧૭, ૧૮,૧૯,૨૪,૨૬,૨૭,૨૮, તથા તા. ૨૯ લગ્નના શુભ મુહૂર્તો છે. માર્ચ મહિનામાં તા. ૨,૩,૪,૬, ૧૧ તથા તા. ૧૩ના શુભ મુહૂર્તો છે. ત્યારબાદ તા. ૧૪-૩ થી ૧૩-૪ સુધી મીનારક કમુહૂર્તના કારણે લગ્ન થઈ શકે નહી તથા તા. ૧૭-૩ થી ૨૪-૩ સુધી હોળાષ્ટક છે. આમ મીનારક તથા હોળાષ્ટકમાં લગ્ન નિષેધ છે. એપ્રિલ મહિનામાં લગ્નના ચાર મુહુર્તો છે. તા. ૧૮, ૨૧, ૨૬ અને ૨૮ના લગ્ન માટે શુભ દિવસ છે. ત્યારબાદ શુક્ર ગ્રહનો અસ્ત થતા તા. ૧-૫ થી ૨૮-૬ સુધી મુહૂર્ત નથી. જયારે ગુરુ ગ્રહનો અસ્ત તા. ૭-૫ થી ૨ જૂન સુધી છે. આમ ગુરુ તથા શુક્રના અસ્તમાં લગ્ન થઈ શકતા નથી. આથી મે મહિનામાં લગ્નના એક પણ મુહુર્ત નથી. જયારે જૂનમાં લગ્નના બે જ મુહુર્તો છે. તેમણે મહિનાની આખર (તા. ૨૯ તથા ૩૦)માં છે. જુલાઈ મહિનામાં તા. ૯, ૧૧, ૧૨, ૧૩, ૧૪ તથા ૧૫ના મુહુર્તો છે. તા. ૧૭ જુલાઈના દેવશયની એકાદશી છે. દેવશયની એકાદશીના દિવસે દેવતાઓ પોઢી જાય છે. આથી ત્યારબાદ લગ્નના મુહૂર્તો હોતા નથી.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ