અમદાવાદ સમાચાર
-
માનવ મૃત્યુ માટે રૂ. ૧.૫૩ કરોડ, ઇજાગ્રસ્તને રૂ. ૧૪.૬૦ લાખનું વળતર ચૂકવવામાં આવ્યું
- 14, માર્ચ 2023 10:53 PM
- 2967 comments
- 7689 Views
ગાંધીનગર, તા. ૧૪ રાજયમાં છેલ્લા બે વર્ષમાં સિંહ અને દીપડા દ્વારા કરાયેલા હુમલામાં ૩૪ વ્યક્તિના મોત નિપજ્યાં છે, જ્યારે ૨૨૯ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. સરકાર દ્વારા સિંહ-દીપડાના હુમલામાં માનવ મૃત્યુ માટે વળતર પેટે રૂ.૧.૫૩ કરોડ અને ઇજાગ્રસ્તો માટેને વળતર પેટે રૂ.૧૪.૬૦ લાખની રકમ ચૂકવાઈ હોવાનું વન અને પર્યાવરણ મંત્રીએ લેખિતમાં જણાવ્યુ હતું. વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન જામનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ સવાલ કર્યો હતો કે, તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજયમાં સિંહ તથા દીપડા દ્વારા કરાયેલા હુમલામાં કેટલા માનવ મૃત્યુના અને માનવ ઇજાના બનાવો બન્યા છે? અને ઉક્ત માનવ મૃત્યુ અને ઇજાના બનાવોમાં કુલ કેટલું વળતર ચૂકવવામાં આવ્યું છે? જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જવાબમાં વન અને પર્યાવરણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે, ઉક્ત સ્થિતિ રાજયમાં છેલ્લા બે વર્ષમાં સિંહ દ્વારા કરાયેલા હુમલામાં અનુક્રમે બે અને પાંચ મળીને કુલ પાંચ માનવ મૃત્યુ થયા હતા અને અનુક્રમે ૨૧ અને ૧૯ માનવ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ બે વર્ષમાં દીપડા દ્વારા કરાયેલા હુમલામાં અનુક્રમે ૧૫ અને ૧૨ માનવ મૃત્યુ થયા હતા અને અનુક્રમે ૧૦૫ અને ૮૪ માનવ ઇજાગ્રસ્ત થયા હતા. આમ છેલ્લા બે વર્ષમાં સિંહ અને દીપડા દ્વારા કરાયેલા હુમલામાં ૩૪ માનવ મૃત્યુ અને ૨૨૯ માનવ ઇજાના બનાવો બન્યા છે. જ્યારે સિંહ દ્વારા માનવ મૃત્યુના કિસ્સામાં કુલ રૂ.૩૩ લાખનું અને દીપડા દ્વારા માનવ મૃત્યુના કિસ્સામાં રૂ. ૧.૨૦ કરોડનું વળતર ચૂકવાયું છે. જ્યારે સિંહ દ્વારા માનવ ઇજાના કિસ્સાઓમાં રૂ.૨,૨૭,૪૦૦/નું વળતર અને દીપડા દ્વારા માનવ ઇજાના કિસ્સાઓમાં રૂ.૧૨,૩૩,૩૦૦/નું વળતર ચૂકવાયું છે.વધુ વાંચો -
પખવાડિયામાં વ્યાજખોરીના ૧૦૨૬ ગુના દાખલ
- 17, જાન્યુઆરી 2023 11:48 PM
- 4594 comments
- 3459 Views
ગાંધીનગર,તા.૧૭ગુજરાતમાં છેલ્લા ઘણા લાંબા સમયથી વ્યાજખોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, તેના કારણે રાજ્યના કેટલાય પરિવારો બરબાદ થયા છે. એટલું જ નહીં, કેટલીય વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેવા સંજાેગોમાં રાજયમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને મુક્ત કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક પખવાડિયાથી વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં રાજ્યના અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકાર દ્વારા તા. ૫ મી જાન્યુઆરીથી શરૂ કરાયેલી આ મેગા ડ્રાઇવથી પોલીસે મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોને સંદેશો આપ્યો છે કે, આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે. ગુજરાત પોલીસ દ્વારા બે સપ્તાહથી રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી મેગા ડ્રાઇવમાં કુલ ૬૨૨ એફઆઇઆર નોંધીને ૧૦૨૬ વ્યક્તિઓ સામે ગુના દાખલ કરાયા છે. જેના અંતર્ગત ૬૩૫ વ્યાજખોર કરતાં આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. રાજયમાં તા.૧૬મી જાન્યુઆરી સુધીમાં ૧૨૮૮ લોકદરબાર યોજયા છે. જેના થકી આવા વ્યાજખોરી કરતાં તત્વોના ભોગ બનેલા અનેક નાગરિકોએ પોતાની વ્યથા પોલીસને જણાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
શહેરમાં મેટ્રો ટ્રેન સવારે ૭ થી રાત્રે ૧૦ સુધી દોડશે
- 17, જાન્યુઆરી 2023 11:33 PM
- 3520 comments
- 9338 Views
અમદાવાદ,તા.૧૭અમદાવાદ શહેરના પુર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ છેડાને જાેડતી મેટ્રો ટ્રેન છેલ્લા સાડા ત્રણ મહિના જેવા સમયથી દોડી રહી છે.જેનો લાભ નોકરિયાતો,ધંધાર્થીઓ તેમજ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ પણ કરતા રહ્યા છે.સવારે ૯ કલાકથી શરૂ થતી મેટ્રોની સવારી રાત્રે ૮ વાગ્યા સુધી ચાલતી હતી.જાે કે વિદ્યાર્થીઓ,નોકરિયાતોની રજુઆતને ધ્યાને લઈને ગુજરાત મેટ્રો રેલ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાને લઈને સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં આગામી તા.૩૦ જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન સવારે ૯ ને બદલે ૭ વાગ્યાથી દોડવા લાગશે અને રાત્રે ૧૦ વાગ્યા સુધી દોડશે.જેને કારણે મેટ્રો ટ્રેનના મહત્તમ મુસાફરોને આસાની થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૦ સપ્ટેમ્બર ર૦રરના રોજ અમદાવાદ મેટ્રો સ્ટેશનના લોકાર્પણ બાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૧નો પ્રારંભ કરાવાયો હતો.જેમાં અમદાવાદના પુર્વ થી પશ્ચિમ વિસ્તારમાં ૧૭ સ્ટેશન અને ઉત્તર થી દક્ષિણ વિસ્તારમાં ૧પ મેટ્રો સ્ટેશન શરૂ કરીને બંને કોરિડોર પર કુલ ૪૦ કિલોમીટર મેટ્રો દોડતી થઈ હતી.અંદાજે સાડા ત્રણ મહિનામાં ૪૦ લાખ જેટલા મુસાફરોએ મેટ્રોની મુસાફરી કરી હતી અને મુસાફરોની સંખ્યામાં સતત વધારો થતો હોવાને કારણે હવે સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ થી થલતેજ અને વાસણા એપીએમસી થી મોટેરા ગામ સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે. મેટ્રોની ફ્રિકવન્સી પણ વધારી દેવામાં આવતાં પુર્વ-પશ્ચિમ માટે ૧૮ મિનિટે મેટ્રો રેલ મળે છે અને ઉત્તર-દક્ષિણ માટે રપ મિનિટે મેટ્રો મળતી હોય છે.જાે કે હવે ૧પ જ મિનિટમાં મેટ્રો ટ્રેન મળી રહે તે બાબતે પણ વિચારણા હાથ ધરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસના કથળી ગયેલા વહીવટને કારણે શહેરીજનો ઉપરાંત બહારગામથી આવતા નાગરિકો પણ મેટ્રો રૂટ હોય ત્યાં સુધી મેટ્રો રેલની મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. ૬.પ કિમી શહેરની નીચે દોડતી મેટ્રો અમદાવાદ શહેરમાં દોડતી મેટ્રો ટ્રેન પહેલા ફેઝમાં ૪૦ કિલોમીટર દોડી રહી છે.શહેરના પુર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ છેડાને મેટ્રો જાેડી રહી છે,જેમાં ૩ર મેટ્રો સ્ટેશનો આવેલા છે.મેટ્રો ટ્રેન સાબરમતી નદીની ઉપર અને શહેરના નીચેથી પણ પસાર થાય છે.શહેરના ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈને કાંકરિયા પુર્વમાં બહાર નીકળે છે.શાહપુર દરવાજા થી કાંકરીયા સુધી અંડરગ્રાઉન્ડ ૬.પ કિમીનો રૂટ છે.મેટ્રો ટ્રેનમાં ૭ મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાય છે.શહેરના ટ્રાફિકથી ત્રસ્ત અનેક લોકો મેટ્રોની મુસાફરીનો આનંદ માણી રહ્યા છે.વધુ વાંચો -
અમદાવાદ રેલવે તંત્રની કડકાઈ ઃ ટ્રેનમાં મુસાફરોને પજવતા ફેરિયાઓ સામે કાર્યવાહી
- 17, જાન્યુઆરી 2023 11:30 PM
- 9572 comments
- 2308 Views
અમદાવાદ,તા.૧૭કાલુપુર રેલવે સ્ટેશનમાં ચોરી, લૂંટ, સ્નેચિંગના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે જેને રોકવા સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે ત્યારે ટ્રેનમાં બિનઅધિકૃત રીતે ખાણી પીણીની ચીજવસ્તુઓ વેચતા લોકો ઉપર પણ રેલવે તંત્રએ લાલ આંખ કરી છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોને હેરાનગતિ થાય તે રીતે જાેરજાેરથી બૂમો પાડીને ખાણી પીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા દસ ફેરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનમાં ફેરિયાની ખાણી પીણીની ચીજ વસ્તુઓ વેચવા માટે પરમિશન આપવામાં આવતી હોય છે. પોલીસે જે દસ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે તેમની પાસે રેલવે તંત્રની પરમિશન નથી. ટ્રેનમાં મુસાફરી કરતા સમયે ચા, પાણી, નાસ્તો, રમકડાં, કપડાં વેચવા માટે ફેરિયા આવતા હોય છે. આ ફેરિયાઓ પોતાનો ધંધો કરવા માટે મોડી રાતે ટ્રેનમાં બૂમાબૂમ કરતા હોય છે. જેના કારણે પેસેન્જરોની ઊંઘ ખરાબ થતી હોય છે. દિવસે પણ પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડે તે રીતે ફેરિયા બૂમાબૂમ કરે છે. ફેરિયાએ ધંધો કરવા માટે પોતાની હદ પણ નક્કી કરી લીધી છે. જેના કારણે ધંધાકીય અદાવત ઊભી થાય નહીં. રેલવે સ્ટેશનમાં ચા, પાણી, નાસ્તો કે પછી કોઇ પણ ચીજવસ્તુ વેચવી હોય તો તંત્ર તેમજ પોલીસની મંજૂરી લેવી પડતી હોય છે. રેલવે તંત્રની મંજૂરી વગર રેલવે સ્ટેશનમાં કે પછી ટ્રેનમાં ચીજ વસ્તુઓનું વેચાણ કરવું ગુનો બને છે તેમ છતાંય કેટલાક લોકો બિનધાસ્ત વેચાણ કરે છે. રેલવે સ્ટેશનને ક્લિન કરવા માટે પોલીસ એક્શન પ્લાન બનાવી રહી છે, જેના ભાગરૂપે એક સ્પેશિયલ ડ્રાઇવ રાખી છે. જેમાં ગેરકાયદે ટ્રેનમાં ચીજ વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. રેલવે પોલીસે ૨૪ કલાકમાં એક મહિલા સહિત ૧૦ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.વધુ વાંચો -
વિધાનસભા પક્ષના નેતા તરીકે અમિત ચાવડાની વરણી
- 17, જાન્યુઆરી 2023 11:29 PM
- 8782 comments
- 1662 Views
ગાંધીનગર,તા.૧૭ વિધાનસભાની ચૂંટણીમાં નાલેશીભર્યા દેખાવ બાદ કોંગ્રેસ દ્વારા છેવટે આજે સવા મહિના બાદ વિધાનસભા પક્ષના નેતા અને ઉપનેતાની નિમણૂક કરવામાં આવી છે. જેમાં નેતાપદની રેસમાં શૈલેષ પરમાર અને ડૉ. સી. જે ચાવડાનો પનો ટૂંકો પડ્યો છે. જ્યારે યુવા નેતા અમિત ચાવડા મેદાન મારી ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભારે નાલેશીભર્યો દેખાવ કર્યો હતો. જેના કારણે ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં કોંગ્રેસે અત્યાર સુધીનો સૌથી ખરાબ દેખાવ જાેવા મળ્યો હતો. આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર ૧૭ બેઠકો પર જીતી શકી છે. વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ દેખાવ બાદ કોંગ્રેસમાં સન્નાટો પ્રસરી ગયો હતો. જેના કારણે વિધાનસભાની ચૂંટણીના પરિણામના ૩૮ દિવસ સુધી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાની પસંદગી કરી શક્યા ન હતા. વિધાનસભાના સચિવ દ્વારા સત્તા પક્ષ બાદ સૌથી વધુ બેઠક મેળવનાર પક્ષને વિપક્ષનું નેતાપદ મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં વિધાનસભા અધ્યક્ષને તા. ૧૯ જાન્યુઆરી સુધીમાં વિપક્ષના નેતા પદ માટેના નામની પસંદગી કરીને રજૂ કરવાનું અલ્ટિમેટમ અપાયું હતું. જેના કારણે કોંગ્રેસનાં મોવડી મંડળ દ્વારા આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે આંકલાવના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ એવા યુવા નેતા અમિત ચાવડાની નિયુક્તિ કરાઈ છે. જ્યારે ઉપનેતા પદ માટે દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેષ પરમારની વરણી કરવામાં આવી છે. સરકારી તંત્ર અને સરકારી બજેટનો ઉપયોગ મુઠ્ઠીભર લોકો માટે થાય છે ઃ અમિત ચાવડા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા જાહેર થયા પછી અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ભાજપના રાજમાં બેરોજગારી આસમાને પહોંચી ગઈ છે. પરીક્ષાઓમાં વારંવાર થતાં કૌભાંડથી યુવાનો નિરાશ થયા છે. નાગરિકોની પારાવાર સમસ્યા છે. ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી તંત્ર અને સરકારી બજેટનો ઉપયોગ મુઠ્ઠીભર લોકો માટે થાય છે. આ ઉપરાંત પ્રજાના જે કોઈ પ્રશ્નો છે તેને માટે અમે વિધાનસભાની અંદર અને બહાર લડતા રહીશું અને અવાજ પણ ઉઠાવીશું.વધુ વાંચો -
અમદાવાદમાં અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિન અપાશે
- 17, જાન્યુઆરી 2023 11:27 PM
- 1747 comments
- 172 Views
અમદાવાદ,તા.૧૭ અમદાવાદમાં આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ, સરકાર તરફથી આપવામાં આવ્યો કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો. વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાને લઇ ફરી એક વખત ચિંતા વ્યક્ત કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા પણ કોરોનાને લઈ ગાઇડલાઇનનો અમલીકરણ કરાવવાના પ્રયાસો શરૂ થયા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ કોરોનાને લઈને સતર્કતા દાખવામાં આવી રહી છે. કોરોના સામેનું વેક્સિનેશન લોકો માટે ખૂબ જ અક્સિર સાબિત થયું હતું. જેને લઇ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત રસીકરણ અભિયાન પર ધ્યાન આપવામાં આવ્યું છે. આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ કરાયું છે. સરકાર તરફથી કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો આપવામાં આવ્યો છે. સરકાર તરફથી કોવિશિલ્ડના ૧૮ હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ૨૫ હજાર ડોઝ કો-વેક્સિનના આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વિદેશમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા ભારતમાં પણ તકેદારીના ભાગરૂપે જે પણ લોકોને વેક્સિનનો પ્રિકોશન ડોઝ બાકી હોય તેને લેવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ અમદાવાદમાં વેક્સિનનો જથ્થો જ ઉપલબ્ધ નહોતો અને રાજ્ય સરકાર પાસે વેક્સિનની માંગણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકાર પાસેથી વેક્સિનની માંગ કરી હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, લોકોએ રસી લેવાની બંધ કરી હતી એટલે નવા ડોઝ મંગાવ્યા નહોતા. હાલ અચાનક લોકો રસી લેવામાં વધારો થયો છે. કોવિશિલ્ડ અને કો વેક્સિનની માંગણી ભારત સરકાર પાસે કરી છે, કોરોના વિરોધી રસીના ૧૨ લાખ ડોઝ ભારત સરકાર પાસે માગ્યા છે. રાજ્ય સરકારે ૧૦ લાખ કોવિશિલ્ડ અને ૨ લાખ કો-વેક્સિનના ડોઝની માંગણી કરી છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના રસીના એક પણ ડોઝ બગડ્યા નથી, સીરમ ઈન્સ્ટિટ્યૂટ તરફથી જે પણ ડોઝ મળ્યા તેના પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, એક વાયલમાંથી ૧૦ ડોઝ આપવામાં આવે છે અને પ્રથમ ડોઝ લીધા બાદ ૪ કલાકમાં તમામ ડોઝ લેવાના હોય છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો તેનો ઉપયોગ થતો નથી. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો વેક્સિનનો ડોઝ બગડ્યો ન કહેવાય. આમ મંત્રી દ્વારા વેક્સિનના ડૉઝ બગડી ગયા હોવા અંગે ખુલાસો કરીને જાણકારી આપી હતી.વધુ વાંચો -
પાંચ વર્ષમાં ૧૦૦ એકરમાં ફેલાયેલા દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામનું લોકાર્પણ કર્યું
- 13, જાન્યુઆરી 2023 01:30 AM
- 505 comments
- 396 Views
અમદાવાદ, સ્વામિનારાયણ અક્ષરધામ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણને અંજલિરૂપે રચાયેલ અને ભારતનાં પવિત્ર મૂલ્યો અને પ્રદાનો, મહાન આત્માઓ અને વ્યક્તિત્વો, પ્રચંડ પુરુષાર્થ અને પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ! પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના યમુના કિનારે મંદિર બનાવવાના સંકલ્પને પ્રમુખસ્વામી મહારાજે ૩૨ વર્ષની અપાર ધીરજ અને કઠોર પુરુષાર્થ દ્વારા સાકાર કર્યો હતો. બી.એ.પી.એસના પૂ. આદર્શજીવનસ્વામીએ ‘પ્રમુખચરિતમ’ વ્યાખ્યાનમાળામાં જણાવ્યું,“નગરના પ્રવેશમાં માળા કરતી પ્રમુખસ્વામી મહારાજની હસ્તમુદ્રા એ પ્રમુખસ્વામી મહારાજની ભજનાનંદી શૈલીનો પરિચય કરાવે છે. સંત દ્વાર પ્રમુખસ્વામી મહારાજ ની સર્વધર્મ પ્રત્યેની ઉદારતા અને સમભાવનાનો પરિચય કરાવે છે.મહામૂર્તિ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની પરોપકારની ભાવના પ્રદર્શિત કરાઈ છે. અક્ષરધામ એ પ્રમુખસ્વામી મહારાજની કલા કુશળતાનું દર્શન કરાવે છે. ‘મહોત્સવ પૂર્ણ પુરુષ કા’ શૉ પ્રમુખસ્વામી મહારાજ એક પૂર્ણ પુરુષ હતા તે દર્શાવે છે.પ્રમુખસ્વામી મહારાજે દેશ પરદેશમાં વિચરણ કર્યું છે, પરંતુ તેમનું મન ભગવાનના ચરણાવિંદમાં જ રહેતું. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં અનાસક્તિ અને આત્મીયતાનો સુભગ સમન્વય જાેવા મળતો હતો. અગ્રણીઓએ સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.”બી.એ.પી.એસના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપસ્વામીએ જણાવ્યું, “ગાંધીનગર અને દિલ્લી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ પ્રમુખસ્વામી મહારાજનું કલા કુશળતા અને સૂઝના ઉત્તમ ઉદાહરણ છે, કારણકે અક્ષરધામના બાંધકામમાં કણ કણમાં તેમનાં અમૂલ્ય સૂચનો અને માર્ગદર્શન રહેલાં છે, જેમાં અક્ષરધામમાં વપરાયેલો પત્થર હોય કે કળશ, ઘુમ્મટ હોય કે પરિક્રમા, મૂર્તિઓ અને સિંહાસન વગેરે તમામ બાબતોમાં પ્રમુખસ્વામી મહારાજે માર્ગદર્શન આપેલું છે. અક્ષરધામનાં દર્શન કરીને સૌ સ્વીકારે છે કે ભગવાનના આશીર્વાદ અને શક્તિ સિવાય આ કાર્ય શક્ય જ નથી.”બી.એ.પી.એસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને ગાંધીનગર - દિલ્લી અક્ષરધામ નિર્માણની તથા હાલ નિર્માણાધીન ન્યૂજર્સી અક્ષરધામની મુખ્ય જવાબદારી સંભાળનાર વરિષ્ઠ સંત પૂ. ઈશ્વરચરણસ્વામીએ જણાવ્યું, યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે ‘યમુના કિનારે મંદિર બનાવવું છે ‘ અને પ્રમુખસ્વામી મહારાજે અથાગ પુરુષાર્થ કરીને એ સંકલ્પ પૂર્ણ કર્યો છે. અમેરિકાના રોબિન્સવિલમાં અક્ષરધામ નિર્માણનો સંકલ્પ પ્રમુખસ્વામી મહારાજે કર્યો હતો અને ૯૪ વર્ષની જૈફ વયે પણ અને નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ અમેરિકા જઈને શિખરબદ્ધ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અને અક્ષરધામ મંદિરનું ખાત મુહુર્ત કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરીને સનાતન હિંદુ ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી દીધો છે. અમેરિકામાં આવનારી પેઢીઓને હિન્દુ ધર્મ શું છે અને હિન્દુ સંસ્કૃતિ શું છે તેનો પરિચય રોબિન્સવિલ અક્ષરધામના દર્શન કરીને થશે કારણકે આ અક્ષરધામ હિન્દુ ધર્મનું ગૌરવ અને પ્રતિક બનવાનું છે.”રૉબિન્સવિલ, ન્યૂજર્સીના મેયર માનનીય ડેવિડ ફ્રેડ દ્વારા ન્યૂજર્સીમાં નિર્માણાધીન અક્ષરધામના સર્જન માટે અને પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.વધુ વાંચો -
મેટ્રો સ્ટેશન પરના એસ્કેલેટર્સ બંધ રાખવાનો ર્નિણય
- 31, ડિસેમ્બર 2022 01:30 AM
- 3982 comments
- 6361 Views
અમદાવાદ, શહેરમાં મેટ્રો ટ્રેન શરુ થયાને ત્રણ મહિના થવા આવ્યા છે. જાેકે, હજુય મેટ્રોને ધાર્યો પ્રતિસાદ નથી મળી રહ્યો. પીક-અવર્સને બાદ કરતા મેટ્રો ટ્રેનો મોટાભાગે ખાલી જ જાેવા મળી રહી છે. તેવામાં સત્તાધીશો દ્વારા મેટ્રોના ખર્ચા ઓછા કરવા માટે લગભગ તમામ સ્ટેશનો પર એસ્કેલેટર્સ તેમજ લિફ્ટ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. મેટ્રોના અધિકારીઓનું માનીએ તો ૧૫ વર્ષના ગાળામાં મુસાફરોની સંખ્યા કેટલી વધશે તેનું આકલન કરીને એસ્કેલેટર્સ સહિતની સુવિધા ઉભી કરાઈ હતી. વળી, મેટ્રોમાં પ્રવાસ કરતા મોટાભાગના લોકો એસ્કેલેટર્સ વાપરતા પણ ના હોવાનો એક અધિકારીએ દાવો કર્યો હતો.અમદાવાદમાં ઓક્ટોબર મહિનાની શરુઆતમાં જ મેટ્રો ટ્રેનને સામાન્ય જનતા માટે ખૂલ્લી મુકવામાં આવી હતી. હાલ શહેરમાં વાસણા એપીએમસીથી મોટેરા અને વસ્ત્રાલથી થલતેજ વચ્ચે મેટ્રો દોડે છે. અમદાવાદનો મેટ્રો રુટ કુલ ૩૨ કિલોમીટર લાંબો છે. જાેકે, સર્વિસ ચાલુ થઈ ગઈ હોવા છતાંય હજુ સુધી સાબરમતી, થલતેજ તેમજ કાંકરિયા મેટ્રો સ્ટેશન શરુ નથી થઈ શક્યા. એટલું જ નહીં, મેટ્રોનો ટાઈમિંગ પણ સવારે નવથી રાત્રે આઠ વાગ્યા સુધીનો જ છે. મતલબ કે, અમદાવાદમાં મેટ્રો રોજના ૧૨ કલાક પણ નથી દોડતી. એક તરફ મેટ્રો ટ્રેન ચલાવવા માટે રોજનો ખર્ચો કરોડોમાં આવે છે તો બીજી તરફ, ટિકિટ પેટે મેટ્રોને માંડ સાડા પાંચ લાખ રુપિયાની રોજની આવક મળે છે. રવિવાર કે રજાના દિવસોમાં મેટ્રોમાં ૫૫ હજાર જેટલા પેસેન્જર મુસાફરી કરે છે, પરંતુ સામાન્ય દિવસોમાં આ આંકડો ૩૫ હજાર કરતા પણ ઓછો છે. હાલ શહેરમાં દોડતી મેટ્રોની ફ્રિકવન્સી પણ ૩૦ મિનિટની છે, મતલબ કે જાે પેસેન્જર એક ટ્રેન ચૂકી જાય તો બીજી ટ્રેન માટે તેને અડધો કલાક રાહ જાેવી પડે છે. જેનાથી મુસાફરોને ખાસ્સી અગવડતા પડી રહી છે. એટલું જ નહીં, મેટ્રો જે સ્ટેશન પર ઉતારે છે ત્યાંથી પેસેન્જરને જે ચોક્કસ જગ્યા પર પહોંચવાનું છે તેની કનેક્ટિવિટી પણ યોગ્ય રીતે ઉપલબ્ધ નથી. જેના કારણે અનેક લોકો મેટ્રોમાં પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. એટલું જ નહીં, પાર્કિંગ ફેસિલિટી ના હોવાના કારણે પણ ઘણા લોકો માટે મેટ્રો સ્ટેશન પહોંચવું અઘરું બની જાય છે. સૂત્રોનું માનીએ તો, શરુઆતના સમયમાં કેટલાક મેટ્રો સ્ટેશનો પર પ્રોપર્ટીને નુક્સાન પણ કરવામાં આવ્યું હતું. આખરે મેટ્રો સ્ટેશનોને ચોખ્ખા રાખવા માટે પાન-મસાલાની પિચકારીઓ મારવા ઉપરાંત મેટ્રોની સંપત્તિને નુક્સાન પહોંચાડવા આકરો દંડ વસૂલ કરવાનું શરુ કરવામાં આવ્યું હતું.વધુ વાંચો -
૪૦ છાત્રાલયો, શિક્ષણ સંકુલો વર્ષે ૨૨,૫૦૦ વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ કારકિર્દી આપે છે
- 31, ડિસેમ્બર 2022 01:30 AM
- 5669 comments
- 5430 Views
અમદાવાદ,વ્યક્તિ અને રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષણના મહત્ત્વથી પ્રમુખસ્વામી મહારાજ સુપરિચિત હતા. તેમાં પણ સંસ્કાર યુક્ત શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે તેમણે વિરાટ કાર્ય આદર્યું હતું. બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાની વિશ્વસ્તરે ફેલાયેલી અનેક શિક્ષણસેવાઓ વિદ્યાર્થીઓમાં લક્ષણયુક્ત શિક્ષણનું સિંચન કરે છે. ૧૯૬૫ માં વિદ્યાનગર ખાતે પ્રથમ છાત્રાલયની સ્થાપનારૂપી શિક્ષણપ્રવૃત્તિનું નાનું બીજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિશાળ વટવૃક્ષ બની ગયું છે. મ્છઁજી ના વિદ્વાન સંત પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ ‘સંસ્કારયુક્ત શિક્ષણનો યજ્ઞઃ પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે કરેલ શિક્ષણસેવાઓ વિષે વક્તવ્ય આપ્યું.ત્યારબાદ ‘સંસ્કારયુક્ત શિક્ષણનું અભિયાન ઃ પ્રમુખસ્વામી મહારાજ ’ વિષયક વિડિયો દર્શાવવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.વધુ વાંચો -
નળ સરોવરના કાંઠે રૂપકડાં ગગન વિહારીઓનો મેળાવડો
- 31, ડિસેમ્બર 2022 01:30 AM
- 1896 comments
- 8775 Views
અમદાવાદની નજીક આવેલા વન વિભાગ હસ્તકના નળ સરોવરમાં દેશ વિદેશના રૂપકડાં ગગનવિહારીઓનો મેળાવડો જામ્યો છે. સરોવરના ર્નિમળ જળ કાંઠે આવી પહોંચેલાં શિશિરના વિદેશી અતિથિઓ સ્થાનિકો તેમજ સરોવરની મુલાકાતે આવતા સહેલાણીઓના હૃદયમાં પણ આનંદ ભાવ પેદા કરી રહ્યા છે. નળ સરોવર કાંઠે હાલે રાજહંસ, ગાજ હંસ, કુંજ, લાલ ચાંચ કારચિયા,ભગતડુ, ગયનો,સારસ,સફેદ ઢોક સહિતના પક્ષીઓએ પોતાના આશિયાના ઉભા કર્યા છે.વધુ વાંચો -
અડાલજ નજીક સ્પીડ બ્રેકર ઉપર બાઈક કુદતા રાણીપના બે પિતરાઈએ જીવ ગુમાવ્યા
- 27, ડિસેમ્બર 2022 01:30 AM
- 152 comments
- 9666 Views
ગાંધીનગર, ગાંધીનગરના ઉવારસદ - વાવોલ હાઇવે પર બમ્પ કૂદીને બાઈક તળાવના ગરનાળા સાથેની આર.સી.સીની પાળીએ અથડાતાં બાઈક સવાર ત્રણ પિતરાઈ ભાઈઓ પૈકી બેનાં ગંભીર ઈજાઓ થવાથી કરૂણ મોત નિપજ્યા છે. આ અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદના રાણીપ મુખીવાસમાં રહેતો કેયૂર ઉર્ફે કુલદીપ અંબાલાલ વાઘેલા (ઠાકોર) ગઇ કાલ રાત્રીના આશરે સાડા દશેક વાગ્યાની આસપાસ તેના કુટુંબી ભાઇઓ વિશાલ જશુભાઇ ઠાકોર(ઉ. વ. ૨૪)તથા જય મહેશકુમાર ઠાકોર (ઉ.વ. ૨૦) સાથે ઉવારસદ ગામે લીલી વાડી જાેગણી માતાના મંદિરે દર્શન કરવા માટે બાઈક ઉપર નીકળ્યા હતા. એ વખતે બાઈક વિશાલ ચલાવતો હતો. એ દરમ્યાન ત્રણેય રાણીપ થઇ ચાંદખેડા થઇ અડાલજ થઇ ઉવારસદ - વાવોલ હાઇવે રોડ તરફ જઇ રહ્યા હતા. ત્યારે ઉવારસદ તળાવ સામે આવેલ ગરનાળા પહેલા બમ્પ આવતા વિશાલ ઠાકોરે બાઇકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં કારણે બાઈક રોડની બાજુમાં ગરનાળાની સાથે બનાવેલ આર.સી.સી.ની પાળી સાથે અથડાયુ હતું. આ અકસ્માત થતાં જ ત્રણેય જણાં બાઈક સાથે ફેંકાઈને રોડ ઉપર પટકાયા હતા. જેમાં વિશાલ અર્ધ બેભાન થઈ ગયો હતો જયારે જય બેભાન હાલતમાં રોડ પર પડ્યો હતો. જ્યારે કેયૂરને શરીરે સામાન્ય ઈજાઓ થવા પામી હતી. આ દરમ્યાન કોઈ રાહદારીએ ફોન કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ગઈ હતી. અને તપાસીને જયને મૃત જાહેર કર્યો હતો. બાદમાં કેયૂર અને વિશાલને ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિશાલને પણ મૃત જાહેર કર્યો હતો. અને કેયૂરને પ્રાથમિક સારવાર આપી રજા આપી દીધી હતી. આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ પહોંચી ગઈ હતી. અને બંને મૃતકના પોસ્ટ મોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.વધુ વાંચો -
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં કોરોના ગાઈડનો અમલ
- 27, ડિસેમ્બર 2022 01:30 AM
- 7534 comments
- 2913 Views
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આજથી કોરોના ગાઈડ લાઇનનું પાલન અને અમલ કરાવવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે પણ અવારનવાર કહેવામાં આવી રહ્યું છે. પ્રમુખસ્વામી નગર ૬૦૦ એકરમાં ફેલાયેલું જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને માસ્ક ફરજિયાત પહેરે તે માટે સ્વયમ સેવકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીના પગલે શતાબ્દીમાં પણ ગાઈડ લાઇન અમલમાં આવી છે. જેમાં ખાસ કરીને જે પણ હારી ભક્તો આવે છે તે માસ્ક પહેરીને આવે અને ખાસ જે લોકોને શરદી ખાંસી છે તેવા લોકો આ મહોત્સવમાં આવે નહીં તે માટે પણ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.વધુ વાંચો -
ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીની વેબસાઈટ જ અપડેટ નથી
- 20, ડિસેમ્બર 2022 01:30 AM
- 2445 comments
- 8976 Views
અમદાવાદ સરકાર ગામડાઓમાં વિકાસ થયો હોવાની જાેરશોરથી જાહેર કરી રહ્યું છે,ત્યારે જેમના માથે રાજ્યભરના ગામડાઓનો વિકાસ કરવાની જવાબદારી છે,તેવા ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીની વેબ સાઈટ વર્ષોથી અપડેટ કરવામાં આવી નથી.જેને કારણે ગ્્રામ્ય વિસ્તારના વપરાશકર્તાઓને સચોટ અને અપડેટ જાણકારી પ્રાપ્ત થઈ શકતી નથી.જ્યારે કોઈપણ યોજના કે કામોમાં ઓન લાઈન ફરીયાદ કરવાથી વંચિત રહેતા હોવાની લાગણી ગ્રામ્ય વિસ્તારોમાં જાેવા મળી રહી છે. ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરી દ્વારા ગ્રામીણ લોકોના ઉત્કર્ષ માટે ગ્રામીણ ગરીબો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરી શકાય તે માટે તાલીમો,સેમિનારો,નવતર કાર્યક્રમો અને કાર્યશાળાઓના આયોજન દ્વારા ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ સાથે સંકળાયેલ કર્મયોગીઓ અને પદાધિકારીઓની સંવેદનશીલતા અને ક્ષમતાનો વિકાસ કરવાનો આશય રાખવામાં આવ્યો હતો.જેમાં સ્વચ્છ ભારત મિશન, મનરેગા ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો સહિત અનેક યોજનાઓમાં તાલીમો આપીને જે તે ગ્રામ વિકાસ અને પંચાયતી રાજના કર્મચારીઓને ગ્રામના વિકાસ માટે સજ્જ કરવાની જવાબદારી સોંપવામાં આવેલ છે.જાે કે જમીની સ્તરે આ કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ તેવા સવાલો ગ્રામ વિકાસ કમિશ્નરની વેબ સાઈટ જાેઈને ઉઠી રહ્યા છે. અનેક જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ થઈ રહેલા કામો જેવા કે સ્વચ્છ ભારત મિશન,મનરેગા,પ્રધાનમંત્રી આવાસ યોજના, કૃષિ સિંચાઈ,સાંસદ આદર્શ ગ્રામ યોજના સહિતની યોજનાઓમાં ગેરરીતિઓ થતી રહી હોવાની બુમો ઉઠતી રહી છે.ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીની વેબ સાઈટ આઉટ ઓફ ડેટ હોવાને કારણે તમામ યોજનાઓ,અંદાજપંત્ર,એક્શન પ્લાન સહિત ઓન લાઈન ફરીયાદ જેવી સેવાઓનો લાભ સામાન્ય નાગરીકો લઈ શકતા નથી.ત્યારે આ બાબતે સત્વરે ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરી સાથે સાથે અમદાવાદ સહિત મોટાભાગની જિલ્લા પંચાયતો દ્વારા પણ પોતાની વેબ સાઈટ અપ ટુ ડેટ રાખે આવે તે ગ્રામીણ વિકાસ માટે આવશ્યક છે.ઓન લાઈન ફરીયાદ ઃ તમારી ફરીયાદ યોગ્ય દિશામાં ??? અમદાવાદ ઃ ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીની વેબ સાઈટ ઉપર કોઈપણ ગામના નાગરિકને જાે કોઈ ફરીયાદ હોય તો ઓન લાઈન ફરીયાદ કરી શકે તેવી વ્યવસ્થા મુકવામાં તો આવી છે.જાે કે ચાર વર્ષથી વેબ સાઈટ અપડેટ કરવામાં આવતી નથી,ત્યારે ઓન લાઈન ફરીયાદ યોગ્ય દિશામાં કેવી રીતે જઈ શકે તેવા સવાલો અસ્થાને નથી.ગ્રામીણ વિસ્તારના લોકો અને ગરીબોને મનરેગા,આવાસ અને એસ.બી.એમ.હેઠળ શૌચાલય યોજનાઓની ફરીયાદ સ્થાનિક જિલ્લા કક્ષાએ કોઈ સાંભળતુ નથી. છેલ્લે ર૦૧૮-૧૯માં એક્શન પ્લાન પછી કોઈ એક્શન નહિ ! અમદાવાદ ગ્રામ વિકાસ કમિશ્નર કચેરી દ્વારા છેલ્લે ર૦૧૮-૧૯માં વિવિધ કામગીરી સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક્શન પ્લાન બનાવ્યો હતો.જાે કે ત્યારબાદ આ એક્શન પ્લાનની શું સ્થિતિ છે,તે બાબતની કોઈપણ જાણકારી વેબ સાઈટ ઉપર મુકવામાં આવી નથી.જ્યારે નવી કોઈ કામગીરી અંગે પણ જાણકારી આપવામાં આવી નથી.સ્વચ્છ ભારત મિશન હેઠળની કામગીરી અત્યારે ક્યા સ્ટેજમાં ચાલી રહી છે તે બાબતે પણ વપરાશકર્તા જાણી શકતા નથી.વધુ વાંચો -
અમદાવાદમાં સતત બીજા દિવસે વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો
- 03, ડિસેમ્બર 2022 01:30 AM
- 6467 comments
- 7704 Views
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીનો અમદાવાદમાં સતત બીજા દિવસે મેગા રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીને જાેવા માટે લોકો મોટી સંખ્યામાં રસ્તા પર જાેવા મળી રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીનો રોડ શો શાહીબાગથી શરુ થયો હતો. રાત્રે સરસપુરમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ નગરદેવી ભદ્રકાળી માતાનાં દર્શન કર્યા હતા. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું હતું. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીએ નરોડાથી ચાંદખેડા ગામ સુધી અમદાવાદ શહેર અને ગાંધીનગરની એક કુલ ૧૪ બેઠકને આવરતો ૫૪ કિમીનો લાંબો રોડ શો કર્યો હતો. આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં પીએમ મોદી રોડ શો કરી રહ્યા હતા. તેઓ એરપોર્ટથી વાયા શાહીબાગ તેઓ લાલદરવાજા ભદ્રના કિલ્લા પહોંચ્યા હતા. જ્યાં તેઓ આજે નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સતત બીજા દિવસે પણ રોડ શો યોજ્યો છે. શહેરના શાહીબાગથી સારંગપુર સુધી રોડ શો યોજ્યો છે. રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું છે. કોટ વિસ્તારમાં ભાજપને મજબુત કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ રોડ શો યોજ્યો.વધુ વાંચો -
અટલ બ્રિજ નાગરિકો માટે પહેલી પસંદ બન્યો દસ લાખથી વધુ સહેલાણીઓ આવ્યા
- 30, નવેમ્બર 2022 01:30 AM
- 7345 comments
- 1773 Views
અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જાેડનારો આઇકોનિક ફૂટઓવરબ્રિજ એટલે અટલબ્રિજનું તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૨એ ઉદ્ઘાટન કરાયું હતું. અટલબ્રિજને તેના ઉદ્ઘાટન બાદ બે દિવસ માટે લોકો માટે ખુલ્લો મુકાયો હતો, જાેકે તે દરમિયાન પાન-મસાલાના અનેક વ્યસનીઓએ ઠેરઠેર પિચકારી મારીને અટલબ્રિજની નયનરમ્યતાને ડાઘ લગાડતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ૩૧ ઓગસ્ટથી અટલબ્રિજનો લહાવો લેવા માટે ટિકિટના દર નક્કી કર્યા છે એટલે અટલબ્રિજની લટાર મારવા માટે હવે પુખ્ત વયના લોકો માટે રૂ. ૩૦ અને ૧૨ વર્ષથી વધુ વયનાં બાળકો માટે રૂ. ૧૫ એન્ટ્રી ફી રખાઈ છે. તમામ મુલાકાતીઓને અટલબ્રિજ માટે તંત્ર દ્વારા ૩૦ મિનિટ ફાળવાઈ છે, તેમ છતાં આ અટલબ્રિજે લોકોમાં ભારે ઘેલું લગાડ્યું છે. એક પ્રકારે અટલબ્રિજ મ્યુનિ.નો કમાઉ દીકરો પુરવાર થયો છે, કેમ કે અત્યાર સુધીમાં અટલબ્રિજની એન્ટ્રી ફીથી મ્યુનિ. તિજાેરીમાં રૂ. ૩.૧૦ કરોડથી વધુ નાણાં ઠલવાઈ ચૂક્યાં છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂ. ૭૪ કરોડના ખર્ચે આઇકોનિક અટલબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની ડિઝાઇનમાં ગુજરાતના પતંગોત્સવને સાંકળી લેવાયો છે. દેશમાં પ્રથમ એવા આ ફૂટઓવરબ્રિજનું વજન ૨૧૦૦ ટન છે અને તેમાં આરસીસીનું ફ્લોરિંગ હોઈ સ્ટેનલેસ સ્ટીલ તેમજ ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે. અટલબ્રિજની એન્ટ્રી ફી રૂ. ૩૦ હોવા છતાં અમદાવાદીઓએ તેને પહેલા દિવસથી એટલે કે ૩૧ ઓગસ્ટથી ઊમળકાથી વધાવી લીધો છે. તે દિવસે ૧૭,૬૨૯ મુલાકાતીઓ અટલબ્રિજ નિહાળવા આવ્યા હતા.વધુ વાંચો -
કરચોરો સામે તવાઈ એટીએસ અને જીએસટીનું રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન
- 30, નવેમ્બર 2022 01:30 AM
- 8162 comments
- 312 Views
અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરતા ખળભળાટ સર્જાયો છે. ચૂંટણી અગાઉ રાજ્યમાં દેશવિરોધી પ્રવૃત્તિ અને આર્થિક નુકસાન પહોંચાડતા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં દરોડા પડ્યાં છે. ટીમોએ દ્વારા તપાસ હાથધરાઈ છે. ટેક્સ ચોરી મામલે રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અમદાવાદ, ગાંધીધામ અને સુરત તેમજ ભરૂચ અને વડોદરામાં પણ તપાસ હાથ ધરાઈ છે. રાજ્યના અમદાવાદ, ગાંધીધામ, સુરત, ભરૂચ અને વડોદરામાં ટીમોએ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે. ટેક્સ ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખોટી રીતે આઈટીસી મેળવવાના કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કરચોરીમાં ખૂબ મોટાપાયે દસ્તાવેજ જપ્ત કરાયા હતા. અમદાવાદમાંથી ૧૪, વડોદરામાંથી ૧૨, સુરતમાં ૯, ભાવનગરમાં ૩, ગાંધીધામમાં ૨ અને રાજકોટમાં ૧ સહિત ૪૧ બોગસ પેઢીઓ ઝડપાઇ હતી. આ બોગસ બિલિંગના કૌભાંડમાં ભાવનગર બોગસ બિલિંગનું એપી સેન્ટર ઊભરાઇ આવ્યું હતું. જાેકે તમને જણાવી દઇએ કે, આ સમગ્ર કૌભાંડની કડી તપાસમાંથી મળી હતી.૧૨ નવેમ્બરના રોજ રાજ્યમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્યભરમાં અલગ અલગ ૧૪૦થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ટીમો દ્વારા અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. એકસાથે ૧૪૦થી વધુ સ્થળો પર તપાસ ચાલી હતી. એવા પણ સમાચાર સામે આવી રહ્યા હતા કે આ મામલે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી ૯૦થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.વધુ વાંચો -
કેન્દ્રીય સુરક્ષા દળોની ૬૦૦થી વધુ કંપનીઓ સ્ટેન્ડ ટુ
- 27, નવેમ્બર 2022 01:30 AM
- 9362 comments
- 2757 Views
ગાંધીનગર,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ એકશનમાં આવી ગયુ છે. સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા બળના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય સુરક્ષા બળોની ૬૦૦થી વધુ કંપનીઓ ખડેપગે રાખવામાં આવી છે. હજુ ચૂંટણી સુધીમાં વધુ ૧૦૦ કંપનીઓ આવશે. તો ગુજરાતમાં સર્વેલન્સ-સ્કવૉડના ૪૨ હજારથી વધુ જવાનો મુકાયા છે. ચૂંટણીમાં સંવેદનશીલ કેન્દ્રો પર જવાનો ફરજ બજાવશે. ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ થાય ત્યાં સુધી સર્વેલન્સની કામગીરી કરશે. મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણીપંચ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બંને તબક્કાની ચૂંટણીમાં ૧૬ હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ છે. ૨૦૨૨માં ૫૧,૭૮૨ મથકોમાંથી ૧૬ હજારથી વધુ સંવેદનશીલ જાહેર કરાયા છે.સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મથકોમાં પેરામીલીટ્રી ફોર્સ તહેનાત કરાશે. સંવેદનશીલ મથકો પર પોલીસ અને પેરામીલીટ્રી ફોર્સના જવાનો તહેનાત રહેશે. પ્રથમ તબક્કામાં ૮૯ અને બીજા તબક્કામાં ૯૩ બેઠકોની ચૂંટણી યોજાશે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ૧ હજાર ૫૧૮ મતદાન મથકો વધ્યા છે. ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી ૮ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં ૮૯ બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર મતદાન થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આપ જાેરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે. જાે કે આ તમામમાં ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ પુરતો સમય આપવાનો ર્નિણય લીધો છે. વડાપ્રધાન ગુજરાતમાં ૨૫ રેલી કરીને પ્રચાર કરવાના છે, તેમની રેલીઓ માટેના આયોજન થઇ ગયા છે. કાર્યક્રમ માટેની તૈયારીઓ પણ પૂરજાેશમાં ચાલી રહી છે.વધુ વાંચો -
એસડીએમ આત્મહત્યા કેસ પરિવારની સીબીઆઈતપાસની માંગ
- 27, નવેમ્બર 2022 01:30 AM
- 3671 comments
- 2883 Views
અમદાવાદ, પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલની આત્મહત્યા કેસમાં પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી છે. ગુજરાત ચૂંટણી પહેલા પ્રાંત અધિકારીનાં આપઘાતને કારણે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે પરિવાર પોતાની વ્યથા જણાવતા કહે છે કે, સ્થાનિક પોલીસ નહીં પરંતુ કોઇ સ્વતંત્ર એજન્સી તપાસ કરે તેવી અપીલ છે. પરિવારે જણાવ્યું કે, આપઘાતનાં સમાચાર મળ્યાંનાં માત્ર દોઢ જ કલાકમાં પોલીસે ફટાફટ તપાસ કરી લીધી હતી. આ સાથે મૃતકનાં પત્ની જણાવે છે કે, આપઘાત પહેલા જ પતિએ વીડિયો કોલ કરીને મારી અને પુત્ર સાથે વાત કરી હતી. પતિ તણાવમાં લાગતા ન હતા.પરિવારની ગેરહાજરીમાં મકાનમાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત પરિવાર જુએ તે પહેલા જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યા હતા. આપઘાતનાં દિવસે જ સવારે વીડિયો કોલમાં પત્નીને પતિ તણાવમાં લાગ્યા ન હતા. મૃતકનાં પત્નીએ પતિ સાથે વીડિયો કોલમાં થયેલી વાત અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, મંગળવારે સવારે ૬.૧૫ની આસપાસ વાત થઇ હતી. આખી રાત કામ કરીને હાલ જ ઓફિસથી ઘરે આવ્યા હોવાનું જણાવ્યુ હતુ. ૯.૧૫ કલાકે તેમનો ફોન આવ્યો હતો. થોડીનારમાં વીડિયો કોલ કરીને અમારી સાથે વાત કરી હતી. આ પાંચેક મિનિટની વાતમાં કોઇ ટેન્શન દેખાતુ ન હતુ. પરિવારે આ અંગે વધુ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ કે, તે આત્મહત્યા ક્યારેય ન કરી શકે.અમને સ્થાનિક પોલીસ ઉપર ભરોસો નથી. તેમના પર ચોક્કસ પોલિટિકલ પ્રેશર રહ્યું હશે. અમારા પરિવારનો એકમાત્ર સહારો છીનવાઇ ગયો છે. અમે ન્યાય માટે વડાપ્રધાન સુધી જવું પડે તો જઇશું. આ ઉપરાંત પણ તેમણે સ્થાનિક પોલીસ અંગે જણાવ્યુ કે, ઘરના લોકો ઘરે પહોંચે તે પહેલા જ તેમને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા હતા. ઘરને પણ સીલ કર્યું ન હતુ. જેથી લોકોની અવરજવર પણ વધી હતી.વધુ વાંચો -
ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલનો રોડ શો
- 27, નવેમ્બર 2022 01:30 AM
- 2095 comments
- 3243 Views
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય ઘાટલોડિયામાં રોડ શો નીકળ્યો હતો. મેમનગરના સુભાષ ચોકથી બોડકદેવ સુધી ભવ્ય રોડ શોમાં મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. ઘાટલોડિયા વિધાનસભામાં અંદાજિત ૧૨ કિમી કરતાં લાંબો રોડ શોમા તેમને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જાેડાયા હતા.વધુ વાંચો -
ગુજરાતમાં ભાજપને ફાયદો કરાવવા માટે આપનો ચૂંટણી પ્રચાર બ્રાર
- 25, નવેમ્બર 2022 01:30 AM
- 5091 comments
- 878 Views
ગાંધીનગર, આમ આદમી પાર્ટીએ ભાજપની ‘બી’ ટીમ છે અને તેઓ હિમાચલ છોડીને માત્ર ગુજરાતની અંદર ભાજપને ફાયદો કરાવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે તેમ પંજાબ કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય અમરિન્દરસિંઘ રાજા બ્રારે જણાવ્યું હતું.પંજાબમાં આમ આદમી પાર્ટીએ આપેલા વાયદાઓનું પાલન નથી થઈ રહ્યું. પંજાબમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ૮૦ ના દસક જેવી સ્થિતિ જાેવા મળી રહી હોવાનો પણ અમરિન્દરસિંઘેકર્યો હતો.ગુજરાતની મુલાકાતે આવેલા પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, ધારાસભ્ય અમરિન્દરસિંઘ રાજા બ્રારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ભાજપની ‘બી’ ટીમ છે. પંજાબના મુખ્યમંત્રી વારંવાર અહીં આવે છે, પંજાબથી કરોડો રૂપિયાની જાહેરાતો કરાઈ રહી છે. પંજાબથી ચૂંટણી પ્રચાર માટે પેઈડ વર્કર મોકલવામાં આવી રહ્યાં છે. બ્રારે વધુમાં જણાવ્યું હતું કે, આ જ પ્રમાણે દિલ્હીની અંદર પણ અરવિંદ કેજરીવાલ સરકાર માત્રને માત્ર ખોટા વાયદાઓનો વેપાર કરી રહી છે. દિલ્હીની ચૂંટણી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે, પંજાબના લીધે દિલ્હીમાં પ્રદૂષણ થાય છે અને અમે આ પ્રદૂષણની સમસ્યાનું સમાધાન કરી દીધુ છે. દિલ્હીમાં સફાઈ ઉપર ૬૮ લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે અને તેની જાહેરાત માટે ૨૩ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. આજે દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાના લીધે શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીને એક એડવર્ડટાઈઝ કંપનીની જેમચલાવી રહ્યાં છે.બ્રારે વધુમાં કહ્યું હતું કે, આજે પંજાબમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતી ૮૦ના દસક જેવી થઈ ગઈ છે. સિધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરાઈ. હિંદુત્વવાદી નેતાની હત્યા કરવામાં આવી. કાળી માતાના મંદિર ઉપર હુમલો કરાયો. આજે આઈ.બી.ના કાર્યાલય ઉપર હેન્ડ ગ્રેનેડ હુમલો કરાય છે. દિલ્હીનો ગેંગસ્ટર લોરેન્સ બીશનોઈ તિહાડ જેલમાંથી બે હજાર ગુંડાઓના નેટવર્કથી આખુ ખંડણીનું ગેરકાયદેસર તંત્ર ચલાવી રહ્યો છે. આજ વ્યક્તિના માણસોએ સિઘુ મુસેવાલાની હત્યા કરી હતી. પંજાબમાં છેલ્લા ૨૧ દિવસમાં ૧૯ મર્ડર થયા છે. આજે હવે પંજાબમાં આઝાદીના નારા અને ખાલિસ્તાનના નારા પણ લગાવી રહ્યાં છે. મને પણ ઈન્દિરા ગાંધીની જે રીતે હત્યા થઈ હતી તે રીતે મારી નાખવાની ધમકી અપાઈ છે. આજે પંજાબના વેપારીઓને ગુંડાઓ કનડી રહ્યાં છે અને તેમની જાનની સુરક્ષા માટે તેઓ ૧૦ થી ૨૦ લાખની ખંડણી ચુકવી રહ્યાં છે. જે પ્રમાણે આ બધી બાબતો પર પંજાબ પોલીસ નિષ્ક્રીય છે એ જ રીતે કેન્દ્રીય એજન્સીઓ પણ આંખ આડા કાન કરી રહી છે.વધુ વાંચો -
મોરબી પુલકાંડના મૃતકોને દસ લાખ ચૂકવો હાઈકોર્ટ
- 25, નવેમ્બર 2022 01:30 AM
- 4806 comments
- 6739 Views
અમદાવાદ, મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં હાઈકોર્ટે સુઓમોટો લીધા બાદ આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારે આપેલા વળતર સામે હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરીને દસ લાખ વળતર આપવા સરકારને સૂચન કર્યુ છે. હાઇકોર્ટે નોંધ્યુ છે કે મૃતકોના પરિવારને ૪ લાખનું વળતર એ પૂરતું નથી.. ઘણા એવા લોકોએ જીવ ગુમાવ્યા છે કે જેમના પરિવારનો તેઓ આધાર હતા, બની શકે છે કે જે ઘરના એક માત્ર કમાનાર વ્યક્તિ હોઈ શકે છે. હાઈકોર્ટે પ્રાથમિક રીતે કહ્યું હતું કે, સરકારે ઓછામાં ઓછું ૧૦ લાખ વળતર ચૂંકવવું જાેઈએ.મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, મૃતકોની જ્ઞાતિ જાતિ જાણવાની સરકારને કઇ જરૂરિયાત ઉભી થઇ છે. તમામ મૃતકો સમાન રીતે જ ગણાય. માતા અને પિતા બંને ગુજરી ગયા હોય એવા બાળકોને પ્રતિ મહિને ૩ હજારનું વળતર સરકાર ચૂકવશે તેમ જણાવતાં હાઈકોર્ટે કહ્યું કે, ૩૦૦૦માં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહીં આવે, વળતર પૂરતું નથી.સરકાર વતી એડવોકેટ જનરલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીના રાજવી પરિવારે તમામ મૃતકોને ૧ લાખ વળતર ચૂકવ્યું છે. માતા પિતા બંને ગુજરી ગયા હોય એવા કુલ ૭ બાળકો છે. જેમને મુખ્યમંત્રી રાહત કોષ, પ્રધાનમંત્રી રાહત કોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકને ૩૭ લાખ રૂપિયા ચૂકવવાશે. આમાં અદાણી ફાઉન્ડેશન તરફથી પ્રતિ બાળક ૨૫ લાખ અપાયા છે.કોર્ટનો હુકમ છે.હાઇકોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, જાે ઘાયલ થનાર વ્યક્તિને મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય, ત્યાં રાજ્ય સરકાર તરત પગલાં લે અને તેમને યોગ્ય સારવાર અપાવે.હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે ઓરેવા ગ્રુપના સંચાલકો સામે શું પગલા લેવાયા? હાઈકોર્ટે સખત વલણ અપનાવીને મોરબી નગર પાલિકાને પૂછ્યું... સાડા પાંચ વર્ષ સુધી કોઈ એગ્રિમેન્ટ વિના ઑરેવા ગ્રુપને બ્રિજને વાપરવા કેમ દીધો? શા માટે પાંચ પાંચ વર્ષ સુધી ચૂપ રહ્યા.ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હતો કે જીૈં્ની તપાસનો રિપોર્ટ કોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવે. જીૈં્ની તપાસ યોગ્ય ન લાગે તો હાઇકોર્ટ અન્ય એજન્સીને તપાસ સોંપી દેશે. હાઈકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, બ્રીજની મરામત માટેના કોન્ટ્રાક્ટ અને એ અંગેના પત્ર વ્યવહારમાં મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપને ટિકિટના ભાવમાં જ રસ હોય એવું તેમની વચ્ચેના પત્ર વ્યવહારથી ફલિત થાય છે. બ્રીજની દશા અને જાેખમ મુદ્દે ચિંતા ના હોય એવું પણ દેખાઈ આવે છે. આટલી મોટી દુર્ઘટના બાદ પણ મોરબી નગરપાલિકાને સુપર સીડ કેમ નથી કરી? જાે સરકાર પોતાની સત્તા નહીં વાપરે તો કોર્ટ રીટ ઈશ્યુ કરશે. સુઓમોટોની વધુ સુનાવણી નવી સરકાર બનશે ત્યારે હાથ ધરાશે. એટલે કે આગામી સુનાવણી૧૨ ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. રાજ્ય સરકારને હાઇકોર્ટે સણસણતા સવાલ કર્યા “રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધી કામની બક્ષિસ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, ૧૯૬૩નું પાલન કર્યું હતું કે નહીં તેવો પણ ધારદાર સવાલ કર્યો હતો. આના પરિણામે ૧૩૫ લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં,” એવી કોર્ટે આજના ઓર્ડરમાં નોંધ કરી હતી. હવે આગામી બુધવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ અજંતા બ્રાન્ડથી ઘડિયાળો બનાવતા ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો ૧૫ વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો. ગુજરાતના તમામ બ્રિજના સર્વે કરાવો હાઇકોર્ટ મોરબી જેવી કોઇ બીજી દુર્ઘટના ન સર્જાય અને નિર્દોષ નાગરિકોના જાન ન જાય તે માટે સુઓમોટો સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો હતો અને કહ્યું હતું કે, રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવામાં આવે અને તમામ બ્રિજ યુઝ કરવા માટે ફિટ છે એ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે. જે બ્રિજમાં મરમ્મત કરવાની હોય એ તત્કાલ કરવામાં આવે. ૧૦ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.વધુ વાંચો -
કમલમ્માં પીએમ, સીએમ, અને સીઆરની ગુફતેગુ
- 21, નવેમ્બર 2022 01:30 AM
- 950 comments
- 5211 Views
ગાંધીનગર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગુજરાત આવેલા પીએમ મોદીએ રાજભવન જતાં પૂર્વે અચાનક પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમની મુલાકાત લઈને સીએમ. પ્રદેશ પ્રમુખ સહિતના પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. કમલમ ખાતેની અચાનક મુલાકાતમાં પક્ષના નેતાઓ સાથે વિધાનસભાની ચૂંટણીની પ્રવર્તમાન સ્થિતિને લઈને નવી રણનીતિ સંદર્ભે ચર્ચા કરી હતી. મોદી ગયા બાદ કમલમ ખાતે સીએમ, પ્રદેશ પ્રમુખ અને ગૃહ રાજ્ય મંત્રીએ પણ બેઠક યોજી હતી.ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અન્ય રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રિય મંત્રીઓએ પ્રચાર અર્થે ગુજરાતમાં ધામા નાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગઇકાલે ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. ગઇકાલે દક્ષિણ ગુજરાતના વાપીમાં રોડ શો કર્યા બાદ આજે સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવના દર્શન કરીને વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જન સભાને સંબોધી હતી. પીએમ મોદી બોટાદથી અમદાવાદ એરપોર્ટ આવીને ગાંધીનગર રાજભવન ખાતે જવાના હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ ભવન જતાં પૂર્વે અમદાવાદ એરપોર્ટથી સીધા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી સંગઠન રત્નાકર પાંડે, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિતના પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં વિધનસભાની ચૂંટણીને લઈને પક્ષની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમજ હાલના સંજાેગોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની નવી રણનીતિ અંગે ચર્ચા કરી હતી.પીએમ નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભા સંબોધ્યા બાદ ઓચિંતાની બેઠક માટે ગાંધીનગર કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના આગમન અગાઉ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મોટા નેતાઓ કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. સાત બળવાખોરો ભાજપમાંથી સસ્પેન્ડ ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં શિસ્ત બદ્ધ ગણાતી ભાજપના જ સાત આગેવાનો અને પૂર્વ ધારાસભ્યોએ બંડ પોકાર્યું હતું. અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જે અંગે પક્ષ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં સાત નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આટલા વર્ષો બાદ ભાજપમાં વિરોધનો સૂર જાેવા મળ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત અનેક આગેવાનો અને પૂર્વ ધારાસભ્યોને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી ન હતી. પાર્ટી દ્વારા ટિકિટ ન મળતાં ભાજપના આગેવાનો અને પૂર્વ ધારાસભ્યોમાં નારાજગી પ્રસરી હતી.જેના કારણે અનેક સ્થળોએ ભાજપમાં વિરોધનાં સૂર ઉઠવા પામ્યા હતા. આ નારાજ આગેવાનો અને પૂર્વ ધારાસભ્યો પૈકીનાં સાત જેટલાએ પક્ષથી નારાજ થઈને બળવાખોર બન્યા હતા. એટલું જ નહીં, પક્ષના ઉમેદવારની સામે જ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા ખાતેથી કરણ બારૈયાએ, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ બેઠક પરથી ઉદય શાહ, જૂનાગઢ જિલ્લાની કેશોદ બેઠક પરથી અરવિંદ લાડાણીએ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બેઠક પરથી છત્રસિંહ ગુંજારિયાએ, રાજકોટ જિલ્લાની રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભરત ચાવડાએ, નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પરથી હર્ષદ વસાવાએ અને વલસાડ જિલ્લાની પારડી બેઠક પરથી કેતન પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોધાવીને પક્ષની શિસ્તના ધજિયા ઉડાડયા હતા. જેના કારણે પક્ષના મોવડીમંડળ દ્વારા તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી. જેના અંતર્ગત આજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા આ તમામ નેતાઓ અને પૂર્વ ધારાસભ્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા બળવો કરનારા આ તમામ બંડખોર નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.વધુ વાંચો -
વિધાનસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધી આજે ગુજરાતમાં
- 21, નવેમ્બર 2022 01:30 AM
- 7035 comments
- 4832 Views
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં તેઓ દક્ષિણ ગુજરાતનાં સુરત જિલ્લાના મહુવા ખાતે અને સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને નેતા રાહુલ ગાંધી હાલમાં ‘ભારત જાેડો યાત્રા’ અંતર્ગત દક્ષિણ ભારતથી શરૂ કરેલી પદ યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે. ત્યારે રાહુલ ગાંધી આવતીકાલે ‘ભારત જાેડો યાત્રા’માંથી વિરામ લઈને આવતી કાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે જનસભાનું આયોજન કરાયું છે. જેમાં રાહુલ ગાંધી સૌપ્રથમ સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામ પાસે પાંચ કાકડા ખાતે બપોરે એક કલાકે જનસભાને સંબોધન કરશે. ત્યાર બાદ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાન ખાતે એક જનસભાને સંબોધન કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના પ્રચાર માટે ગાંધી પરિવારમાંથી રાહુલ ગાંધી સૌપ્રથમ ગુજરાત આવી રહ્યા છે.કોંગ્રેસમાં કકળાટ વિરોધીઓએ કમાની સ્ટાઇલમાં ખેડાવાલાનો ફોટો શેર કર્યો અમદાવાદ અમદાવાદની જમાલપુર ખાડીયા વિધાનસભા પરથી કોંગ્રેસે ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપી છે. પરંતુ આ બેઠક પરથી શાહનવાઝ શેખે પણ ટિકિટ માંગી હતી. શાહનવાઝ માટે યુથ કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ ઓફિસમાં વિરોધ પણ કર્યો હતો છતાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપતા શાહનવાઝ જૂથના કાર્યકરોએ સોશિયલ મીડિયામાં કમાના નામનું ગ્રૂપ બનાવ્યું છે. જેમાં ઇમરાન ખેડાવાલાનો ફોટો રાખવામાં આવ્યો છે. જમાલપુર ખાડીયા વિધાનસભા પરથી શાહનવાઝને ટિકિટ ના મળતા જ તેમના જૂથના કાર્યકરોએ અગાઉથી જ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં પ્રચાર કરવાનું નક્કી કર્યું હતું. તે મુજબ હવે સોશિયલ મીડિયામાં પણ ઇમરાન ખેડવાલા વિરુદ્ધમાં પ્રચાર શરૂ કર્યા છે. વોટ્સએપમાં એક ગ્રૂપ બનાવ્યું છે. આ ગ્રુપનું નામ કમાને ગાંડો કરવાનો છે રાખવામાં આવ્યું છે. તથા ગ્રુપના પ્રોફાઈલ ફોટોમાં ઇમરાન ખેડાવાલાનો ફોટો રાખવામાં આવ્યો છે. આ ગ્રુપમાં શાહનવાઝ જૂથના કાર્યકરોએ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધ ટિપ્પણી શરૂ કરી છે. ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં મેસેજ કરવામાં આવી રહ્યા છે. આ ગ્રૂપ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં જ પ્રચાર કરવા માત્ર બનાવવામાં આવ્યું હોવાથી ગ્રુપમાં માત્ર ઇમરાન ખેડાવાલાના વિરોધીઓને જ રાખવામાં આવ્યા છે.વધુ વાંચો -
ઐસીતૈસી હાટકેશ્વરનો ફોર-લેન ફ્લાયઓવર બ્રિજ જર્જરિત
- 21, નવેમ્બર 2022 01:30 AM
- 1573 comments
- 2704 Views
અમદાવાદ, તાજેતરમાં જ મોરબીમાં જે હોનારત સર્જાઈ તેના ઘા હજી રુઝાયા નથી. જે લોકોએ તે દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તેમના પરિવારના લોકો તો આજીવન આ ગોઝારી ઘટનાને નહીં ભૂલી શકે. આ ઘટના પછી સરકારની લાપરવાહીની ખૂબ ટીકા થઈ રહી છે. પરંતુ સરકાર જાણે એક દુર્ઘટના પરથી સબક શીખવાના મૂડમાં હોય તેમ લાગી નથી રહ્યું. અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ ફોર-લેન ફ્લાયઓવરનું ઉદ્ઘાટન ૨૦૨૦માં કરવામાં આવ્યુ હતું. પરંતુ ગણતરીના વર્ષોમાં તે બ્રિજ જર્જરિત થઈ ગયો છે. ૫૦ કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ફ્લાયઓવર ટ્રકોનું ભારણ ઉઠાવવા માટે સક્ષમ નથી. જેના પરિણામે ટ્રાફિકના લોડ તેમજ બ્રિજ સુપરસ્ટ્રક્ચરના વજનને ટ્રાન્સફર કરતી સ્ટ્રક્ચરલ ડિવાઈસને નુકસાન પહોંચ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાછલા થોડા દિવસોમાં સ્ટ્રક્ચરને સપોર્ટ કરવા માટે પાલખો મૂકવામાં આવી છે તેમજ ડેમેજ થયેલી પેટ બેરિંગને રિપ્લેસ કરવામાં આવી રહી છે. હાટકેશ્વરનો આ ફ્લાયઓવર સીટીએમ અને ખોખરા વિસ્તારને જાેડે છે. આ પહેલા પણ બ્રિજ પર ભૂવા પડી ગયા હતા અને ૨૦૨૧માં તેનું સમારકામ થયુ હતું. છસ્ઝ્રના એક ઉચ્ચ અધિકારી જણાવે છે કે, દિવાળી સમયે સૌથી પહેલા તો ડેમેજની જાણકારી મળી હતી. ત્યારપછી પાલખની મદદથી સુપરસ્ટ્રક્ચરને સપોર્ટ આપવામાં આવ્યો છે. અત્યારે પણ સમારકામ ચાલી રહ્યું છે. જ્યારે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે બ્રિજ ટ્રકનું વજન કેમ ઉઠાવી ના શક્યો તો જણાવ્યું કે, વડોદરા એક્સપ્રેસવે પરથી ઘણી ભારે ભરખમ સામાન ધરાવતી ટ્રકો શહેરમાં પ્રવેશ કરે છે અને તેઓ કાંકરિયા નજીક આવેલા રેલવે યાર્ડ પાસે જતી હોય છે. હાટકેશ્વર ફ્લાયઓવરની રચના ૮૦ ટન ટ્રકનો ભાર ઉઠાવી શકે તે પ્રમાણેની કરવામાં નથી આવી.પરંતુ જ્યારે પૂછવામાં આવ્યં કે જ્યારે બ્રિજની ડિઝાઈન મંજૂર કરવામાં આવી ત્યારે એએમસીના સુપરવાઈઝિંગ એન્જિનિયરો તેમજ ડિઝાઈન કન્સલ્ટન્ટે ભારે વાહનોની અવરજવર બાબતે વિચાર નહોતો કર્યો? ત્યારે કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો. અધિકારીએ જણાવ્યું કે, આ ડેમેજનું કારણ જાણવા માટે ઈન્ટરનલ ઈન્ક્વાયરી કરવામાં શરુ કરવામાં આવી છે. હજી અમે વિજિલન્સ ડિપાર્ટમેન્ટને પણ તેમાં સામેલ નથી કર્યો.વધુ વાંચો -
મોદી નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે હિમંત બિસ્વા
- 20, નવેમ્બર 2022 01:30 AM
- 263 comments
- 3369 Views
અમદાવાદ, દિલ્હીની શ્રદ્ધા વોકરની હૃદયદ્રાવક હત્યાના પડઘા ગુજરાત ચૂંટણીમાં પણ પડવા લાગ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કચ્છમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, જાે દેશમાં કોઈ મજબૂત નેતા ન હોત તો આફતાબ દરેક શહેરમાં પેદા થશે અને આપણે આપણા સમાજની રક્ષા નહીં કરી શકીશું. શર્મા એ વાત પર ભાર મૂકી રહ્યા હતા કે, નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં ત્રીજાે કાર્યકાળ આપવાની જરૂર છે. હિમંત શર્માએ આ હત્યાનું વિવરણ આપતા તેને લવ જિહાદ ગણાવ્યું હતું. શર્માએ કહ્યું કે, આફતાબ શ્રદ્ધા બહેનને મુંબઈથી લાવ્યો અને લવ જિહાદના નામ પર તેના ૩૫ ટૂકડા કરી નાખ્યા. અને મૃતદેહને ક્યાં રાખ્યો? ફ્રિઝમાં. જ્યારે શ્રદ્ધાનો મૃતદેહ ફ્રિઝમાં હતો ત્યારે તે વધુ એક મહિલાને ઘરે લાવ્યો હતો અને તેને ડેટ કરવાનું શરૂ કરી દીધું. શર્માએ આગળ કહ્યું કે, જાે દેશમાં એક શક્તિશાળી નેતા નહી હોય જે રાષ્ટ્રને પોતાની માતા માને છે તો આવા આફતાબ દરેક શહેરમાં પેદા થશે. આપણે આપણા સમાજની રક્ષા નહીં કરી શકીશું. તેમણે આગળ કહ્યું કે, એટલા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, નરેન્દ્ર મોદીને ૨૦૨૪માં ત્રીજી વખત ફરીથી પીએમ બનાવવામાં આવે. શ્રદ્ધા અને આફતાબ બંને કોલ સેન્ટરમાં નોકરી કરતા હતા. બંને મુંબઈથી દિલ્હી આવી ગયા હતા અને આફતાબે તેની હત્યા કરી નાખી. તેણે તેનું ગળુ દબાવીને હત્યા કરી નાખી અને ત્યારબાદ તેના શરીરના ૩૫ ટુકડા કરી નાખ્યા અને તેને એક ફ્રિઝમાં રાખી દીધા હતા. અને તેને અલગ-અલગ ઠેકાણે ફેંક્યા હતા.વધુ વાંચો -
અમદાવાદ સીપી અને જેસીપી વચ્ચે પેપર વોર! બદલીના હુકમો રદ્દ થતાં ન ઘરના કે ન ઘાટના
- 21, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 1479 comments
- 315 Views
અમદાવાદ, શહેરમાં પોલીસબેડામાં હવે ભારે મુંઝવણ અને ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ રજા પરથી પરત ફરતા ઇન્ચાર્જ સીપીએ બદલીના કરેલા ઓર્ડર રદ્દ કરી દેતા વિવાદ ઉભો થયો છે.અજય ચૌધરીએ કરેલા બદલીના હુકમોની વાત તેમના ધ્યાને આવતાં ફક્ત ૧૦ દિવસમાં જ બદલીના ઓર્ડર રદ્દ કરી દીધા હતા. શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ રજા પર જતાં પોલીસ કમિશ્નરનો ચાર્જ અજય ચૌધરીને સોપાયો હતો. જાેકે હવે કમિશ્નર સંજય શ્રીવાસ્તવની રજાએ તો ભારે ચર્ચા જગાવી.કેમકે સંજય શ્રીવાસ્તવ રજા પર જતા તેમની જગ્યાએ થોડા દિવસ માટે બનેલા પોલીસ કમિશ્નરે વચગાળાની કામગીરી સંભાળી હતી.તો બીજી તરફ મુખ્ય પોલીસ કમિશનર રજા પર જતા જ ચાર્જમાં આવલા પોલીસ કમિશ્નરે પોલીસ વિભાગને લગતા અનેક કામ યુધ્ધના ધોરણે હાથ પર લીધા જેના કારણે ન થવી જાેઇએ તેવી ચર્ચાઓ પણ પોલીસબેડામાં શરૂ થઈ હતી. અજય ચૌધરીના કેટલાક ર્નિણયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યાના ગણતરીની કલાકોમાં જ ચૌધરીએ કેટલાક પોલીસ કોન્સ્ટેબલના ઓર્ડર કર્યા હતા. આ કોન્સ્ટેબલની બદલીઓ પૈકી કેટલાક ‘કે’ કંપનીમાં ફરજ બજાવતા એવા કોન્સ્ટેબલની બદલી પણ તેમનાથી થઈ ગઈ હતી. કે જે ભૂતકાળમાં વિવાદિત રહ્યાં હોય અથવા જેમની સામે આક્ષેપ થયા હોય. આવા વિવાદિત લોકોના નામ બદલી ઓર્ડરમાં આવતા જ ચૌધરી દ્વારા કરાયેલી બદલીઓ પણ વિવાદમાં આવી ગઈ. પોલીસ કમિશનર રજા પરથી પરત ફરતાની સાથે જ તેમના ધ્યાને આ વિવાદ આવ્યો અને તેમણે પખવાડિયા માટે બનેલા પોલીસ કમિશનરના બદલી ઓર્ડર રદ કરી નાંખ્યા. પહેલા બદલી અને હવે બદલી રદ એમ બંન્ને ઓર્ડરની ચર્ચા જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાથી પોલીસ વિભાગમાં ચાલી રહી છે. બીજીબાજુ પીએસઆઇ રોડ પર બાખડ્યા બાદ આઈપીએસ કાગળ પર બાખડી રહ્યા હોવાની ચર્ચા પણ ઠેરઠેર ચાલી રહી છે.શહેરભરની પોલીસમાં ઈ. સીપી તરીકે રહેલા ચૌધરીનું ગુપ્ત સ્કવોડ ભારે ચર્ચામાં રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર મળીને પાંચેક કોન્સ્ટેબલને અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી બોલાવી ઈ. સીપીએ એક સ્કવોર્ડની રચના કરી હતી. આ સ્કવોર્ડ શું કામગીરી કરી તેને લઈને હજુ પણ પોલીસ અધિકારીઓ અસમંજસમાં છે. ઈન્ચાર્જ સીપીને પખવાડિયા માટે સ્કવોડ બનાવવાની જરૂર કેમ પડી? ભૂતકાળમાં ઈ. આઈ.પી.એસ.એ ક્યારેય સ્કવોર્ડ બનાવ્યાં નથી. હવે આ સ્કવોર્ડમાં લેવાયેલા કોન્સ્ટેબલોની હાલત પણ ન ઘરના કે ના ઘાટના રહ્યાં જેવી થઈ છે. ગણતરીના દિવસોમાં આઈજી અને ડીઆઈજી ની બદલીના ભણકારા રાજ્યમાં ચૂંટણી જાહેર થાય તે પહેલાં એક જગ્યાએ ત્રણ વર્ષથી વધુ ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને સરકારી કર્મચારીઓની બદલી ગમે તે સમયે કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.ગુજરાતમાં આવનારી આઇપીએસ અધિકારીઓની બદલીમાં આઈજી અજય ચૌધરીનો પણ સમાવેશ થવા જઈ રહ્યો છે, જ્યારે સેક્ટર વન રાજેન્દ્ર અસારી, સેક્ટર ટુ ગૌતમ પરમાર અને રાજ્યની મહત્વની રેન્જના આઈજીની બદલી પણ થાય તેવી વિશ્વસનીય માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.વધુ વાંચો -
ગુજરાત બોર્ડના અસલ લોગો લગાવી નકલી માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
- 14, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 3036 comments
- 8914 Views
અમદાવાદ, એલિસબ્રિજ પોલીસે આંબાવાડીના ગ્રાન્ડ મોલમાંથી ગુજરાત બોર્ડના અસલ લોગો લગાવી તૈયાર થતી નકલી માર્કશીટ બનાવવાનું રેકેટ ઝડપી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે રેડ કરતા વિદેશ જવા ઇચ્છતા પેસેન્જરોને વિઝા અપાવવા માટે આ રેકેટ ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી.પટેલે બાતમી મુજબ આંબાવાડીના ગ્રાન્ડ મોલ ખાતે ત્રીજા માળે આવેલી યુનિવર્લ્ડ નામની ઓફિસમાં શુક્રવારે બપોરે દરોડા પાડી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ ઓફિસના સંચાલક મનીષભાઈ સુરેન્દ્રભાઈ ઝવેરી (ઉં,૫૧)રહે, ચંદનબાળા સુવિધા શોપિંગ સેન્ટરની સામે પાલડી, નીરવ વિનોદ વખારીયા (ઉં,૪૬)રહે, સિલ્વર નેસ્ટ, આઇસીબી ફ્લોરા સામે, ગોતા અને જીતેન્દ્ર ભવાનભાઈ ઠાકોર ઉં,૪૦,રહે, સુભદ્રાપુરા, ઠાકોર વાસ, ગુલબાઈ ટેકરાવાળો ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના વેપલો કરતો હતો. આરોપીઓની પૂછપરછમાં ખૂલેલી વિગત મુજબ વિદેશ ઇચ્છતા લોકોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની અસલ માર્કશીટ લઈ આરોપીઓ તેમાંથી ગુજરાત બોર્ડનો અસલ લોગો અને સિક્કો કાઢી માર્ક સુધારી તૈયાર થયેલી નકલી માર્કશીટ પર આ લોગો અને સિક્કો લગાવી દેતા હતા. આમ વિદેશ જવા ઇચ્છતા લોકોને વિઝા અપાવવા માટે આ રેકેટ ચાલતું હોવાનું ખુલ્યું હતું. પોલીસને સ્થળ પરથી ૩૫ જેટલી નકલી માર્કશીટ મળી આવી હતી. પોલીસ તપાસમાં ઓફિસમાંથી રૂ.૨૩,૭૫,૨૦૦ની રોકડ, ૬૦ હજારનું કોમ્પ્યુટર, ૨૭ હજારના મોબાઈલ ફોન અને પૈસા ગણવા માટેનું રૂ.બે હજારનું મશીન મળી કુલ રૂ.૨૪,૬૪,૨૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
અંજુમન ઇસ્લામિક સ્કૂલને તિરંગાથી સજાવી
- 14, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 3129 comments
- 5382 Views
આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે દરેકના હાથમાં અનેક ઘરો અને ઈમારતો પર તિરંગો લહેરાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની દાણાપીઠમાં આવેલ અંજુમન ઈસ્લામિક સ્કૂલને તિરંગાથીવધુ વાંચો -
રાજ્યની ૩૬ આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં ૧.૫૮ લાખ લાઇસન્સ ડિસ્પેચ કરવાના બાકી
- 10, જુલાઈ 2022 01:30 AM
- 7890 comments
- 9496 Views
અમદાવાદ, રાજ્યની ૩૬ આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં ૧.૫૮ લાખ લાઇસન્સ ડિસ્પેચ કરવાના બાકી છે. આમાંથી ૨૫ હજારથી વધુ અમદાવાદીને છેલ્લા દોઢ વર્ષથી લાઇસન્સ મળ્યાં નથી. અરજદારો લર્નિંગ લાઇસન્સના છ મહિના સમયગાળામાં બેથી ત્રણ વખત વાહનનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપે છે, નાપાસ થાય તો ફરી લર્નિંગ લાઇસન્સ રીન્યુ કરવીને ફરી ડ્રાઇવિંગ ટેસ્ટ આપે છે, પાસ થાય તો પણ સ્માર્ટ કાર્ડના અભાવે બેથી ચાર મહિને પાકું લાઇસન્સ મળે છે. રાજ્ય સરકારે કરેલી નવી વ્યવસ્થાના લીધે વાહનના પાકાં ડ્રાઇવિંગ લાઇસન્સધારકોને આધારકાર્ડ બેઝ્ડ રિન્યુ, ડુપ્લિકેટ કરાવવા ઉપરાંત નામ-સરનામું બદલવા માટે અરજી કરે તો આરટીઓમાં આવવાની જરૂર રહેતી નથી. આવા અરજદારો આરટીઓમાં ઓનલાઇન અરજી તો કરે છે. પરંતુ અરજી કર્યા પછી અરજદારોને ઓછામાં ઓછા એક મહિનાથી લઇ ચાર મહિના સુધી પાકાં લાઇસન્સ જ મળતાં નથી. છેલ્લા દોઢ વર્ષથી લાઇસન્સ તૈયાર કરતી કંપનીની નબળી કામગીરીના લીધે અરજદારો પરેશાન થઇ ગયા છે.રાજ્યની આરટીઓમાં ૧,૫૭,૬૫૦ વાહનના પાકાં લાઇસન્સ ડિસ્પેચ થયા વગર પેન્ડિંગ છે. જેના લીધે લોકોને ટ્રાફિક પોલીસની કનડગતથી લઇ અકસ્માતમાં વાહન ઇન્સ્યોરન્સનો ઉપયોગ કરવો હોય તો ઘણી સમસ્યાઓ પડી રહી છે.વધુ વાંચો -
અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર ખાડા રાજ
- 10, જુલાઈ 2022 01:30 AM
- 3086 comments
- 5236 Views
અમદાવાદ ભારે વરસાદને કારણે અમદાવાદનાં તમામ રસ્તાઓ ધોવાઇ જતાં અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી ગઇ છે. અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે ખાડા પડી ગયા છે, જેણા કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે. છતાં તંત્ર ઉંઘતું ઝડપાયું છે. વરસાદ બાદ ઠેર-ઠેર રસ્તાઓ પર ખાડાઓ પડતા વાહનચાલકો અને નાગરિકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ડિસ્કો બનતા ચાલકોની હાલત દયનીય બની છે. ત્યારે કોર્પોરેશન હજુ પણ શહેરમાં ખાડાનું પુરાણ કર્યાની વાતો કરી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે આ બેદરકારીની જવાબદારી ક્યારે સ્વીકારશે. આ સરકારે જેમ નાગરીકોની ચિંતા વ્યક્ત કરીને ટ્રાફિકનાં દંડમાં વધારો કર્યો છે. તેમ કોર્પોરેશના અધિકારીઓને ક્યારે તેમની બેદરકારી બદલ દંડશે?ધોધમાર વરસાદથી સ્માર્ટસિટી અમદાવાદ ખાડાવાદ બન્યું છે. શુક્રવારે પડેલા વરસાદના કારણે ઈસ્કોન બ્રિજ, મણિનગર, રાણીપ, વાડજમાં રોડ બેસી જવાની અનેક ઘટનાઓ બની છે. તો ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. અમદાવાદમાં વરસાદના ૨૪ કલાક બાદ પણ હજુ સુધી લોકોને અનેક પરેશાનીઓ પડી રહી છે. અમદાવાદમાં આવેલા ય્જી્ રેલવે ક્રોસિંગ પાસે હજુ સુધી પણ વરસાદી પાણી ઓસર્યા નથી. વરસાદી પાણી ભરાવવાના કારણે લોકોને સવારે નોકરી-ધંધે જતી વખતે ભારે હાલાકી ભોગાવવી પડી રહી છે. છેલ્લા ૨ વર્ષથી અંડરપાસનું કામ પણ બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે. રેલવેના પાટા પર ચાલીને જવા માટે લોકો મજબૂર થયા છે. અમદાવાદના નવા વાડજના કીટલી સર્કલ પાસે પહેલા જ વરસાદમાં રોડ બેસી ગયો છે. રોડ બેસી જવાના કારણે અનેક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગાવવી પડી રહી છે. આ ઘટનાની માહિતી તંત્રને ખબર પડતા છસ્ઝ્રએ રોડને કોર્ડન કરી કામગીરી હાથ ધરી છે. ભારે વરસાદથી મુખ્ય ચાર રસ્તા પર જ રોડ બેસી જતા લોકોને પારાવાર મુશ્કેલીઓ થઈ રહી છે. આ સિવાય અમદાવાદના મણિનગરમાં વસંતનગર સોસાયટીની સામે પણ રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા છસ્ઝ્રએ ખોદકામ કર્યુ હતું, પરંતુ બરાબર કામગીરી ન થવાના કારણે પહેલા જ વરસાદમાં રોડ બેસી જવાની ઘટના બની છે. ડ્રેનેજ અથવા પાણીની લાઈન માટે એએમસીએ ખોદકામ કર્યું હતું. નેલસન સ્કૂલથી થોડા અંતરે જ રોડ બેસવાની ઘટના બની છે. વસંતનગર સોસાયટીમાંથી વાહનો બહાર ન નિકળી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં બીજા દિવસે વરસાદી માહોલ હાલ સમગ્ર રાજ્યમાં ચોમાસું જામ્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જેમાં એસજી હાઈ, પ્રહલાદ નગર, સાઉથ બોપલ, ઘુમા, ઈસ્કોન, મકરબા, શ્યામલ અને વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. ગઈ કાલે ભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી, ત્યાં ફરી વરસાદ શરૂ થયો હતો. અમદાવાદમાં મોટાભાગના ગ્રાઉન્ડમાં પાણી ભરાવાના કારણે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં આજે બીજા દિવસે ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં ત્રીજા, ચોથા અને પાંચમાં દિવસે પણ અમદાવાદમાં વરસાદ રહેશે. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આગામી ૫ દિવસ વરસાદી માહોલ રહેશે. ૧૨ અને ૧૩ જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ બપોરે એરપોર્ટ પાસે ધોધમાર વરસાદ શરુ થયો છે. એરપોર્ટ, સરદાર નગર, કુબેરનગર પાસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ, સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય રાજકોટ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી છે.વધુ વાંચો -
રખડતા ઢોરોના ત્રાસ અંગે પોલીસ કમિશનરનું જાહેરનામુ ૬૦ દિવસમાં ચીપ લગાવવા આદેશ
- 10, જુલાઈ 2022 01:30 AM
- 1269 comments
- 1249 Views
અમદાવાદ, શહેરમાં રખડતા ઢોર અંગે શહેર પોલીસ કમિશ્નર એક્શન મોડમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. રખડતા ઢોરના ત્રાસ અંગે કમિશ્નરે મહત્વપૂર્ણ જાહેરનામુ બહાર પાડ્યું હતું.જેમાં હાઈકોર્ટ આસપાસના વિસ્તારને નો-કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.બીજીબાજુ ૬૦ દિવસમાં ઢોરને ચીપ લગાવવા આદેશ આપવામાં આવ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા થતી હોવાથી અકસ્માત માટે પશુના માલિક જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે આ આદેશના ભંગ કરનારા સાથે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.શહેરમાં રખડતા પશુઓના ઉપદ્રવને કારણે ગંભીર અકસ્માતો , ટ્રાફિકની સમસ્યા અને ગ્રીન પેચને નુકશાન થવાના કિસ્સા બને છે. જેથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ સમસ્યાના કાયમી નિકાકરણ મામલે હવે આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વસવાટ કરતા ગૌપાલકોએ તેમની માલિકીના પશુઓમાં આગામી ૬૦ દિવસની અંદર ટેપ અને ચીપ ફરજિયાત લગાવવી તેમજ પશુઓની માલિકીના ફેરબદલ અંગે પણ મ્યુનિલપલ કોર્પોરેશનના સંલગ્ન વિભાગને જાણ કરવી. જ્યારે આદેશનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.વધુ વાંચો -
ભૂતિયા રાજકીય પક્ષોના કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર પકડાયા
- 10, જુલાઈ 2022 01:30 AM
- 5448 comments
- 632 Views
અમદાવાદ, ઈન્કમ ટેક્સ બચાવવા માટે માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતા રાજકીય પક્ષોને ડોનેશન આપનારા ગુજરાતના ચાર હજાર જેટલા કરદાતાને નોટિસ ફટકારવા આવકવેરા વિભાગ તૈયારી કરી રહ્યો છે. હાલમાં જ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકીય પક્ષોના હિસાબો તેમજ ડિક્લેરેશન ચેક કરવામાં આવ્યા હતા, જેમાં બહાર આવ્યું હતું કે ઘણા પક્ષો સક્રિય રાજકારણમાં કોઈ ભૂમિકા નથી ધરાવતા. આ પ્રકારના રાજકીય પક્ષો વ્હાઈટમાં ડોનેશન મેળવે છે, અને ૧૦-૨૦ ટકા જેટલું કમિશન બાદ કરીને બાકીની રકમ કેશમાં પરત કરી દે છે. જાેકે, ટેક્સ બચાવવા માટે આવા પક્ષોને ડોનેશન આપનારા પગારદાર કરદાતા હવે મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર ‘કેશબેક’ની મોડસ ઓપરેન્ડી સમજવા માટે અનેક નાના તેમજ સ્થાનિક રાજકીય પક્ષો સામે મોટાપાયે એક્શન લેવામાં આવ્યા છે. ૨૦૨૦-૨૧ના વર્ષમાં ઈન્કમ ટેક્સના અધિકારીઓ દ્વારા ૨,૦૦૦ કરોડના શંકાસ્પદ વ્યવહાર તેમજ ૩૦ કરોડ રોકડા જપ્ત કરાયા હતા. આ અંગેનો રિપોર્ટ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને મોકલ્યા છે. ગુજરાતમાં જ ચાર હજાર જેટલા કરદાતાએ રાજકીય પક્ષોને ડોનેશન આપીને ટેક્સ બચાવવા પ્રયાસ કર્યો છે. આ તમામ ટેક્સ પેયર્સને નોટિસ મોકલવાની ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયારી શરુ કરી છે. ચેક લીધા બાદ કમિશન કાપીને રોકડ પાછી આપતા આ ભૂતિયા રાજકીય પક્ષોની મોડસ ઓપરેન્ડી પણ ઘણી સરળ છે. કલમ ૮૦ય્ય્મ્ હેઠળ રાજકીય પક્ષોને આપેલા દાન પર ઈન્કમ ટેક્સ બાદ મળે છે. જેનો ફાયદો ઉઠાવી કાગળ પર અસ્તિત્વ ધરાવતા રાજકીય પક્ષોને પેઢીઓ કે પછી ટેક્સ પેયર ચેકમાં ડોનેશન આપે છે. વ્હાઈટમાં મળેલી રકમમાંથી આવા પક્ષો દ્વારા ૧૦-૨૦ ટકા જેટલું કમિશન કાપી લેવાય છે અને બાકીની રકમ રોકડમાં પાછી આપી દેવાય છે. આવકવેરા વિભાગના અધિકારીઓનું માનીએ તો ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ છાશવારે આવા કૌભાંડ બહાર આવતા રહે છે.વધુ વાંચો -
ત્રિવેણી સંગમ પર શાસ્ત્રોક્ત વિધિથી ગંગા દશાહરાની ઉજવણી
- 11, જુન 2022 01:30 AM
- 3907 comments
- 9020 Views
હિરણ-કપિલા-સરસ્વતી નદી અને સમુદ્ર સાથે સંગમ થાય છે, આ પવિત્ર ત્રિવેણી સંગમ નો શાસ્ત્રોક્ત મહિમા પણ અનેરો છે, જ્યાં આજરોજ ગંગા દશેરાની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ ગંગા પુજન ત્રિવણી સંગમ ખાતે વિવિધિ પૂષ્પો-દ્રવ્યો વગેરેથી કરવામાં આવેલ, ત્યાર બાદ સૌ ભક્તોએ સ્વહસ્તે આરતી ઉતારી કૃતકૃત્ય થયા હતા. આ પ્રસંગે ખારવા સમાજના અગ્રણી લખમ ભેસલા, સોમપુરા બ્રહ્મસમાજના પ્રમુખ દુષ્યંત ભટ્ટ, ચંદ્રપ્રકાશ ભટ્ટ ટ્રસ્ટી પ્રો. જે ડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના જાેડાઇ ધન્ય બન્યા હતા.વધુ વાંચો -
નપુર શર્મા સામે કાર્યવાહીની માંગણી સાથે મુસ્લિમો રસ્તા પર ઉતર્યાં
- 11, જુન 2022 01:30 AM
- 3415 comments
- 5903 Views
મહંમદ પયગંબરના કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલું ઢાલગરવાડ બજાર અને ત્રણ દરવાજા બજાર તેમજ દરિયાપુર વિસ્તાર બંધ રાખવામાં આવ્યું.બાદમાં સ્થાનિકોએ નૂપૂર શર્માની ધરપકડની માંગ કરતા બેનર લઈને રેલી કાઢી હતી.સવારે દસ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ બજાર શરૂ થયું હતું. બીજીબાજુ પાથરણા બજારને ૧૨ વાગ્યા બાદ કેટલાક લોકોએ આવીને બંધ કરાવી દીધું હતું. પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ક્યાંય કોઇ અનિચ્છનીય ઘટના કે તોફાની તત્વો કાંકરીચાળો ન કરે તેના પગલે પેટ્રોલિંગ પણ કયંર્ી હતું. મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પગલે વિરોધ કરવા ગુરુવારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં બંધના મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા. જેના પગલે લાલ દરવાજા, કારંજ, પટવાશેરી સહિતના આસપાસના વિસ્તારોના સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને સ્થાનિક પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિ તથા ભાઈચારાની એકતા જળવાઈ રહે તે માટે બંધ ન રાખવા સમજાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા બંધ ન રાખવા સંમતિ દર્શાવી હતી.વધુ વાંચો -
રીક્ષા ચાલકની દીકરીએ ૯૫ ટકા મેળવ્યા દીકરી તન્વી ઠાકોરની આઈએએસ અધિકારી બનવાની ઇચ્છા
- 07, જુન 2022 01:30 AM
- 2263 comments
- 8407 Views
અમદાવાદ,ગુજરાત બોર્ડનું ધોરણ ૧૦નું પરિણામમાં અનેક કેટલાંય તેજસ્વી તારલાઓએ પોતાની પ્રતિભા દર્શાવી છે. અમદાવાદના રીક્ષા ચાલકની દીકરીએ ૯૫ ટકા મેળવ્યા છે. આ દીકરી અધિકારી બનવાનું સપનુ સેવી રહી છે.તન્વી ઠાકોર નામની વિદ્યાર્થિનીને ધોરણ ૧૦મા ૯૫ ટકા મેળવીને અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બની છે. સી.એન.વિદ્યાલયમાં ભણતી આવ્યા છે. તન્વીના પિતા રીક્ષા ચલાવે છે અને માતા ઘરે છૂટક કામ કરે છે. ઘરની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી પહેલાથી જ તન્વીએ ટ્યુશન રખાવ્યું નહોતું. તન્વીએ ૧૦મા ધોરણમાં બોર્ડ હોવા છતાં માતા-પિતાની સ્થિતિ ધ્યાનમાં રાખીને વિના ટ્યુશને ભણવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં સ્કૂલમાં અને બાદમાં ઘરે મહેનત કરવાનું શરૂ કર્યું અને બોર્ડની પરીક્ષા સુધી ખૂબ જ મહેનત સાથે તૈયારી કરી હતી. બોર્ડનું જ્યારે પરિણામ આવ્યું ત્યારે પરિણામ જાેતા જ તન્વી અને પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. કારણકે તેને જે પ્રકારે મહેનત કરી હતી તેનું પરિણામ તેને મળ્યું હતું. તન્વીએ જણાવ્યું હતું કે, ઘરમાં મમ્મી પપ્પા બંને કામ કરે છે. ઘરની સ્થિતિ એટલી સારી નથી જેથી મેં ટ્યુશન રાખવ્યું નહોતું. જાતે મહેનત કરતી હતી ક્યાંક સ્કૂલના ટીચરની પણ મદદ લેતી હતી. આજે સારું પરિણામ આવ્યું છે, અહીંયા જ અટકવું નથી હજુ મારે બનવું છે અને મમ્મી પપ્પા અત્યારે જે રીતે રહે છે તેમાંથી તેમને બહાર લાવવા છે.તન્વીના પિતા રાજેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે તો મજૂરી કરી ગુજરાન ચલાવીએ છીએ.અમારી દીકરીને અમે જેમ તેમ કરીને ભણાવી હતી.વધુ વાંચો -
મોટેરા મુકામે સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડીયમ
- 07, જુન 2022 01:30 AM
- 6681 comments
- 6969 Views
અમદાવાદના મોટેરા મુકામે સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડીયમ યથાવત રાખવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક હૉલ, શાહીબાગ, અમદાવાદ ખાતે દિનશા પટેલના અધ્યક્ષ સ્થાને એક સંકલ્પ સભા યોજાઈ હતીવધુ વાંચો -
ડ્રગ્સનો વેપલો અટકાવવા એટીએસ મેદાનમાં
- 07, જુન 2022 01:30 AM
- 5146 comments
- 7531 Views
અમદાવાદ, એટીએસની ટીમે દરિયાઈ માર્ગ પરથી ભારતમાં માદક પદાર્થ લઈને આવેલ પાકિસ્તાની બોટ પકડીને સાત પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. જાે કે એટીએસની બોટ જાેતા જ પકડાઈ જવાના બીકે પાકિસ્તાનીઓએ માદક પદાર્થનો જથ્થો દરિયામાં નાખી દીધો હતો. જેથી એટીએસની ટીમે સાતેય આરોપીની ધરપકડ કરીને દરિયામાંથી માદક પદાર્થનો જથ્થો શોધવાની તજવીજહાથધરી હતી. દરમિયાન જે જગ્યાએ માદક પદાર્થનો જથ્થો નાખ્યો હતો, તે જગ્યાથી ૪૦ થી ૪૫ નોટીકલ માઈલ દુર શિયાળ ક્રીક ખાતેથી જથ્થો મળી આવ્યો હતો, જેની તપાસ કરતા કુલ૪૯ જેટલા પેકેટમાં આશરે ૫૦ કિલો જેટલો હેરોઈન મળી આવ્યુ હતુ જેની આતર રાષ્ટ્રીય કિંમત ૨૫૦ કરોડ થતી હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીઓની સઘન પુછપરછ હાથધરી છે. થોડા દિવસ અગાઉ ગુજરાત એટીએસનની ટીમને બાતમીના આધારે પાકિસ્તાની બોટ અલ નોમાનને રોકીને મોહમ્મદઅકરમ બલોચ, ઝુબેર બલોચ, ઈશાક બલોચ, શાઈદઅલી બલોચ, અશરફ બલોચ, શોએબ બલોચ અને શહેઝાદ બલોચ નામના પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. બાદમાં તેમની પુછપરછ કરતા. આ સાતેય ભારતીય સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના હોવાનુ તથા પાકિસ્તાની બોટનો માલીક મોહમ્મદ વસીમ હોય તથા આ બોટને શહાબ અને રાહીદ વાપરતા હતા, શહાબના કહેવાથી રાહીદે માદક પદાર્થ ભરેલા બે પ્લાસ્ટીકના થેલા આ બોટમાં ચડાવ્યા હતા તેની ડિલવીરી ભારતીય જળસીમામાં કરવાનુ બોટ ટંડેલ તથા ખલાસીઓને જણાવ્યુ હતુ. તે બદલમાં ટંડેલને બેલાખ રૂપિયા તથા દરેક ખલાસીને ૫૦ હજાર રૂપિયા આપવાનુ નક્કી કર્યુ હતુ. મોટી બોટ દેખાઈ આવતા તમામ લોકોએ તેમની બોટમાં રહેલ માદક પદાર્થનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હોવાનુ જણાવ્યુ હતુ.આ મામલે એટીએસની ટીમે તમામ આરોપીની સઘન પુછપરછ હાથધરી છે. સાથે જ દરિયામાં ફેંકી દીધેલા માદક પદાર્થને શોધવા ખોળહાથધરી હતી. સાથે જ ફેંકેલ જથ્થાની તપાસમાં રહેવા માટે ભારતીય કોસ્ટગાર્ડ અને એસઓજી અને મરીન પોલીસ સ્ટેશનને ચૂચના આપી હતી. જેથી જખૌ મરીન પોલીસ દ્વારા દરિયાકિનારાની સઘન તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન જખૌના દરિયાકિનારે કે જ્યાંથી જથ્થો ડુબાઈ દીધો હતો જે જગ્યાથી ૪૦થી ૪૫ નોટીકલ માઈલ દૂર શિયાળ ક્રીક ખાતેથી બન્ને થેલા મળી આવ્યા હતા. બાદમાં થેલાની તપાસ કરતા તેમાં કુલ ૪૯ જેટલા પેકેટમાં આશરે ૫૦ કિલો જેટલો હેરોઈન મળી આવ્યુ હતુ જેની આતર રાષ્ટ્રીય કિંમત ૨૫૦ કરોડ થતી હોવાનુ સામે આવ્યુ હતુ. જેના પગેલ એટીએસ સહિતની એજન્સીઓ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી જેમાં એવી વિગતો સામે આવી હતી કે, આરોપીઓ ઇરાન બોર્ડર નજીકથી નિકળ્યા હતા અને વેસ્ટ બાજુ જવાના હોવાનું પણ સામે આવ્યું છે. એજન્સીઓની મોટી બોટ જાેતા જ આરોપીઓએ દોરી બાંધી આ ડ્રગ્સ ભરેલા કોથળા ફેંકી દીધા હતા. જે દોરી વડે બાંધી તેઓ ફેંકી દે અને તેના પર એક બોલ બાંધી દેતા જેથી આ જથ્થો તેમના અન્ય સાગરીતો ફરી મેળવી શકે. બે થેલાની સાથે એક બેગ તોડેલું હતું. જે આરોપીઓએ ટેસ્ટિંગ માટે તોડ્યું હતું અને તે બેગ પાણીમાં નાખી દીધા બાદ તેમાં પાણી ભરાઈ ગયું હતું. ટંડેલ અક્રમ એ આ બેગ દરિયામાં નાખી દીધું હોવાનું સામે આવ્યું છે. અને આરોપીઓને આની ટ્રેઇનિંગ અને ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવે છે. આરોપીઓ અગાઉ આફ્રિકા, સોમાનીયા, કતાર દુબઇ જઇ આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ ગુજરાતના દરિયા કિનારે કે અન્ય કોઈ જગ્યાએ કેટલી વાર ડ્રગ્સ આપી ચુક્યા છે તે બાબતે તપાસ શરૂ કરાઇ છે. તપાસમાં આ જથ્થો પાકિસ્તાની ડ્રગ માફિયા રાહીદ અને શહાબ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું સામે આવતા એટીએસ સહિતની એજન્સીઓએ આ અંગે પણ તપાસ ધમધમાવી છે. ૮૦ ગ્રામ એમડી, ૩૨૫ ગ્રામ ચરસ, સાડા ત્રણ કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ રાજ્યમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે. ડ્રગ પેડલરો યુવાધનને બરબાદ કરવા નશાનો કારોબાર ચલાવી રહ્યા હોય તેં મ લાગી રહ્યું છે. ત્યારે ગુજરાત એટીએસએ ડ્રગ્સની બદીને ડામવા માટે કવાયત હાથ ધરી છે. ગુજરાત એટીએસના સ્ટાફને બાતમીના આધારે વસ્ત્રાપુર જેવાં પોશ અને ભરચક વિસ્તરમાંથી ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થ સાથે એક શખસને ઝડપી લીધો. મળતી માહિતી મુજબ હજુ તો ગત અઠવાડિયે જ શહેરના અંધજન મંડળ વિસ્તારમાં જાહેરમાં ડ્રગ્સ લઈને ફરતા બે ભાઈઓની શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરાઈ હતી. આરોપીઓ પાસેથી રૂ. ૪૨ લાખનું ૪૨૧.૧૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું હતું. પોલીસે તેમની પૂછપરછ કરતા તેમણે શહેરભરમાં ૩ જેટલા ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સનું વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું હતું. જેના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આજે શુક્રવારે વેજલપુરમાંથી ફારૂક તતા રાયખડમાંથી મારૂફ અને સલમાન નામના પેડલરોની અટકાયત કરી હતી.જાેકે હવે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અમરેલીના રાજુલાનો એક વ્યક્તિ ડ્રગ્સની ડીલિંગ કરાવતો હતો. એટીએસને બાતમી મળતા અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી એક શખસની ધરપકડ કરી છે. એમ.ડી, ચરસ અને ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. જેમાં ૮૦ ગ્રામ એમ.ડી, ૩૨૫ ગ્રામ ચરસ, સાડા ત્રણ કિલો ગાંજાે મળ્યો હોવાની વિગત જાણવા મળી છે.વધુ વાંચો -
આઈપીએલ ની ફાઇનલ પહેલા ગરબાની રમઝટ જામશે રણવીર અને રહેમાન પર્ફોમન્સ કરશે
- 29, મે 2022 01:15 AM
- 2181 comments
- 2181 Views
અમદાવાદ, આઈપીએલ ક્રિકેટની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે રમાવવાની હોવાથી લગભગ ૧.૨૦ લાખ દર્શકો આવવાના છે. જેના કારણે શહેર પોલીસ દ્વારા દર્શકોના વાહનોના પાર્કિંગ યોગ્ય જગ્યાએ અને સલામતીપૂર્વક થાય તે માટે ૩૧ પાર્કિંગ પ્લોટ નિયત કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આઈપીએલ ક્રિકેટની ફાઈનલ મેચ રમાવવાની છે, મેચ જાેવા માટે લગભગ ૧.૨૦ લાખ લોકો આવવાના છે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે,મેચ જાેવા માટે આવતા લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે સ્ટેડિયમની આજુબાજુના કુલ ૩૧ પાર્કિંગ લોકેશન બનાવવામાં આવ્યા છે. જેમાં ટુવ્હિલર માટે કુલ ૮ પાર્કિંગ અને ૪ વ્હિલર માટે કુલ ૨૩ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ટુ વ્હિલર માટેના પાર્કીંગની ક્ષમતા ૧૨૦૦૦ ટુવ્હિલર આવી શકે તેટલી રાખવામાં આવી છે, તો બીજી બાજુ ફોર વ્હિલર માટેના પાર્કિંગની ૧૫૦૦૦ ફોરવ્હિલર પાર્કીંગ થઈ શકે તેટલી રાખવામાં આવી છે. મેચ જાેવા માટે આવનાર દર્શકોએ વાહન પાર્કિંગ માટે શૉ માય પાર્કિંગ પરથી ફરજીયાત એડવાન્સ બુક કરીને આવવાનું રહેશે.આઈપીએલની ફાઈનલ મેચનાં સમાપન સમારોહમાં જાણિતા અભિનેતા રણવીર સિંહ અને સુવિખ્યાત સંગીતકાર એ.આર.રહેમાન સંગીતનાં સુરો રેલાવશે.૧.૨૦ લાખ પ્રેક્ષકો માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં મોટા નેતાઓ મંત્રીઓ સહિતના રાજનેતાઓ અને ફિલ્મના સુપરસ્ટારો પણ આવવાના છે, તો બીજી બાજુ આઈપીએલની ફાઈનલ જાેવા માટે લગભગ ૧.૨૦ લાખ દર્શકો આવવાના હોવાના કારણે શહેર પોલીસે દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્તમાં ૧૦૦૦ હોમગાર્ડ, ૧૭ ડીસીપી, ૨૮ એસીપી, ૯૧ પીઆઈ,૨૬૮ પીએસઆઈ,૫૦૦૦ કોન્સ્ટેબલ સુરક્ષામાં તૈનાત રાખવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર દ્રારા નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. ચાર વર્ષ બાદ યોજાઈ રહેલી ક્લોઝિંગ સેરેમનીમાં આઈસીસીના અધિકારીઓ અને ક્રિકેટ જગતની હસ્તીઓ ઉપસ્થિત રહેશે આજે આઈપીએલની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે સાથે જ ક્લોઝિંગ સેરેમની પણ યોજાવાની છે, આ દરમિયાન સમાપના સમારોહમાં ગરબાની રમઝટ પણ જામશે. લોક કલાકારો દ્વારા ગરબા રજૂ થશે.જેમાં રણવીરસિંહ અને સંગીતકાર એ.આર.રહેમાનનું પરફોર્મન્સ અને આઈસીસીસીના અધિકારીઓ અને ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓ હાજર રહેશે. સાથે ચાર વર્ષ પછી ક્લોઝિંગ સેરેમની યોજાવાની હોવાને કારણે દર્શકોમાં પણ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આજે મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ ૨૦૨૨ની ફાઈનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાવાની છે, જેને લઈને ક્રિકેટના રસીયાઓમાં એક અનેરો ઉમંગ જાેવા મળી રહ્યો છે. ફાઈનલ શરૂ થાય તે પહેલાં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રણવીરસિંહ અને સંગીતકાર એ.આર.રહેમાનનું પરફોર્મન્સ અને આઈસીસીસીના અધિકારીઓ અને ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓ હાજર રહેશે.વધુ વાંચો -
કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સની ટીમને શુભેચ્છા આપતાં પોસ્ટર લગાવ્યાં
- 28, મે 2022 01:30 AM
- 2363 comments
- 3655 Views
કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સની ટીમને શુભેચ્છા આપતાં પોસ્ટર લગાવ્યાં છે, પણ એમાં મેદાનના નામમાં ‘સરદાર પટેલ સ્ટેડિયમ‘ તરીકે ઉલ્લેખ કર્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડ પર ગુજરાત ટાઈટન્સને અભિનંદન આપતા બેનર લગાવવા મામલે વિવાદ થતાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે સમગ્ર રોડ પર લગાવેલા બેનર ઉતારીને હટાવી લેવામાં આવ્યા છે. બીજી ક્વોલિફાયર મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેની મેચ રમાઇ હતી. ઘણાલાંબા સમય બાદ અમદાવાદમાં દર્શકોની હાજરીમાં રમાઇ રહેલી મેચમાં અભૂતપૂર્વ ધસારો જાેવા મળ્યો હતો. નરન્દ્ર મોદી સ્ટેડિયમે ખીચોખીચ ભરાઇ ગયું હતું. તેમજ ક્રિકેટ ચાહકો અલગ અલગ બેનર્સ અને પ્લેકાર્ડતેમજ પોતાના ચહેરા ઉપર ક્રિકેટને લગતાં અલગ અલગ ટેટુ બનાવીને આવ્યાં હતા. આ મેચના પગલે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો આ મેચના પગલે ભારતના ખુણે ખુણેથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી હતા. બંન્ને ટીમોના ઉત્સાહ વધારવા માટે લોકો મોટા પ્રમાણમાં આવી હતા સ્ટેડિયમમાં લોકોનો અભૂતપૂર્વ ધસારો જાેવા મળ્યો હતો . અમદાવાદ ઃ ૈંઁન્ ૨૦૨૨ ની બીજી ક્વોલિફાયર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે ખેલાઇ હતી.વધુ વાંચો -
તેલના કાળાબજારીયાઓ પર કેન્દ્રનું ગુપ્ત ઓપરેશન
- 28, મે 2022 01:30 AM
- 4786 comments
- 2527 Views
અમદાવાદ, તેલની કાળાબજારી કરતા વ્હાઇટ કોલર ક્રિમિનલોનો પર્દાફાશ કરવા માટે કેન્દ્ર સરકારનું આ ગુપ્ત ઓપરેશન છે. જે તે રાજ્ય સરકારની ટીમને સાથે રાખીને કાર્યવાહી કરે છે પરંતુ કાળાબજારી કરતા વેપારીઓ વિરુદ્ધ શી કાર્યવાહી કરાશે તેની જાણ ખુદ રાજ્ય સરકારને પણ હોતી નથી. મોંઘવારીએ એ હદે માજા મૂકી છે કે હવે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પણ કૂદકેને ભુસકે વધી રહ્યા છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં તેલના ભાવ હાલ આસમાનને આંબી રહ્યા છે. જેના કારણે મધ્યમવર્ગના તેમજ ગરીબવર્ગના લોકો મોંઘવારીના મારથી પીસાઇ રહ્યા છે. લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડે નહીં તેમજ તેલમાં સંઘરાખોરી અને કાળાબજારી થાય નહીં તે માટે કેન્દ્ર સરકારની ફૂડ એન્ડ સિવિલ સપ્લાયની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે અને ઠેર ઠેર સરપ્રાઇઝ ચેકિંગ કરી રહી છે. ગાંધીનગર ફૂડ એન્ડ સિવિલ સપ્લાયની ટીમ તેમજ અમદાવાદ પુરવઠા વિભાગની ટીમને સાથે રાખીને દિલ્હીની ટીમે અમદાવાદ તેમજ અમદાવાદ જિલ્લાના ચાંગોદર, બગોદરા સહિતની જગ્યા પર આવેલા ખાદ્યતેલના ડેપો પર સિક્રેટ ઓપરેશન હાથ ધર્યું છે. છેલ્લા ચાર દિવસથી તેલ તેમજ તેલીબિયાંનો ધંધો કરતા વેપારીઓની દુકાનો તેમજ હોલસેલરના ત્યા ચેકિંગ શરૂ કરાતાં ગુજરાતના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.સરકારના અનેક પ્રયાસો બાદ પણ તેલના ભાવ આસમાનને આંબી રહ્યા છે જેના કારણે કેન્દ્ર સરકારે તેલના ભાવને રોકવા અને તેમની ઉપલબ્ધતા વધારવા માટે ખાદ્યતેલ અને તેલીબિયાંની સંઘરાખોરી અને કાળાબજારીને રોકવા માટે નિરીક્ષણ અભિયાન શરૂ કર્યું હતું. ગત મહિને કેન્દ્ર સરકારની ટીમે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવાં મોટાં રાજ્યોમાં તેલીબિયાં અને ખાદ્યતેલ ઉત્પાદક રાજ્યોમાં નિરીક્ષણ કર્યું હતું. જે તે રાજ્યની ફૂડ એન્ડ સિવિલ સપ્લાયની ટીમને સાથે રાખીને ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં કેટલાક વેપારીઓની સંઘરાખોરી અને કાળાબજારીનો પણ પર્દાફાશ થતાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ત્રણ રાજ્યમાં શરૂ થયેલા સર્ચ ઓપરેશન બાદ કેન્દ્રીય ટીમે ગુજરાતમાં ચેકિંગની ઝુંબેશ વધુ તીવ્ર કરી છે. વૈશ્વિક પરિસ્થિતિને જાેતાં છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ પ્રકારનાં રસોઈ તેલના છૂટક ભાવમાં તીવ્ર વધારો જાેવા મળી રહ્યો છે. ભાવ વધારાને રોકવા માટે સરકાર દ્વારા અનેક પગલાં ભરાયાં હોવાં છતાંય ભાવ અંકુશમાં આવતા નથી. ભાવ અંકુશમાં નહીં આવવા પાછળ તેલ તેમજ તેલીબિયાંની સંઘરાખોરી તેમજ કાળાબજારી હોવાનું કારણ પણ સામે આવ્યું હતું. એપ્રિલ મહિનાથી ખાદ્યતેલ અને તેલીબિયાંના વેપારીઓની તપાસ કરવા માટેનું મહાઅભિયાન શરૂ કરવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું હતું. આ અભિયાન બાદ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને કેટલીક જગ્યાએ નારાજગી વ્યક્ત કરીને કેન્દ્ર સરકારના આ ર્નિણયનો વિરોધ પણ કર્યો હતો. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા એડિબલ ઓઇલ ટ્રેડર્સ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કેન્દ્ર સરકારને રજૂઆત કરીને પોતાની નારાજગી વ્યકત કરી હતી. સરકારે પહેલેથી જ ખાદ્યતેલ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે આ વર્ષના અંત સુધી સ્ટોક હોલ્ડિંગ મર્યાદામાં વધારો કર્યો છે અને બંદરો પર જહાજાે ઉપરાંત ખાનગી વેપારીઓ દ્વારા આયાતની સુવિધા આપી છે. સ્ટોક લિમિટ ઓર્ડરના અમલ માટે કડક પાલનની ખાતરી કરવા માટે આઠ કેન્દ્રીય ટીમ નિયુક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની જાેગવાઈઓ અનુસાર ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.લિમિટ ઓર્ડરના અમલ માટે કડક પાલનની ખાતરી કરવા માટે આઠ કેન્દ્રીય ટીમ નિયુક્ત કરવામાં આવી છે. મોટાભાગનાં રાજ્યનાં ખાદ્યતેલ અને તેલીબિયાંના સ્ટોકની તપાસ કરવા માટે તપાસ ચાલી રહી છે જેમાં છૂટક વિક્રેતાઓ, જથ્થાબંધ વેપારીઓ, મોટી સાંકળના છૂટક વિક્રેતાઓ અને પ્રોસેસર્સનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની જાેગવાઈઓ અનુસાર ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.વધુ વાંચો -
એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડ કંપનીની ઓફીસ સહિત ૪૦થી વધુ જગ્યાઓ પર આઇ.ટી.ની રેડ
- 27, મે 2022 01:30 AM
- 6925 comments
- 6165 Views
હિંમતનગર-અમદાવાદ, સમગ્ર વિશ્વ અને ગુજરાતમાં ટાઇલ્સ ઉત્પાદકોમાં ખૂબ જ જાણીતી અને અગ્રેસર એવી એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડ કંપનીના ચેરમેન સહિત ડીરેકટરોના નિવાસ સ્થાને, અમદાવાદ ખાતે આવેલી કોર્પોરેટ ઓફીસ સહિત ૪૦થી વધુ જગ્યાએ ગુરૂવારે સવારે ૨૦૦થી વધુ ઇન્કમટેક્ષના અધિકારીઓએ મેઘા સર્ચ ઓપરેશન હાથ ધરી ઇન્કમટેક્ષના દરોડા કરતા અન્ય સિરામીક કંપનીના સંચાલકોમાં પણ ભય ફેલાઇ ગયો હતો. એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડ દ્વારા થોડાક દિવસ અગાઉ જ આઇ.પી.ઓ. બહાર પાડવામાં આવ્યો હતો. જેની સફળતા બાદ એશિયન ગ્રેનિટો ઇન્ડીયન લીમીટેડ કંપનીના તમામ આર્થિક વ્યવહારો પર ઇન્કમટેક્ષ વિભાગે વોચ રાખી એક સાથે જ ૪૦થી વધુ સ્થળો પર દરોડા કરતા તપાસના અંતે કરોડો રૂપિયાની કર ચોરી બહાર આવે તેવી આશંકા જાેવા મળી છે. આ અંગેની વિગત એવી છે કે પ્રાંતિજના કાટવાડ તેમજ ઇડર ખાતે સૌપ્રથમ ટાઇલ્સનું ઉત્પાદન કરનારી એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડ કંપનીએ સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં મોટી હરણફાળ ભરીને સમગ્ર વિશ્વમાં સિરામીક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડના સંચાલકો દ્વારા અમદાવાદ સહિત દેશ વિદેશમાં કોર્પોરેટ ઓફીસો શરૂ કરીને વિદેશમાં પણ પોતાની પ્રોડકટોનું વેચાણ કરવામાં આવે છે. થોડાક દિવસ અગાઉ કંપની દ્વારા શેર બજારમાં આઇ.પી.ઓ. બહાર પાડવામાં આવતા તેને પણ રોકાણકારોએ સુંદર આવકાર આપીને એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડના શેરમાં રોકાણ કરતા આઇ.પી.ઓ.ની કિંમતમાં પણ ભારે ઉછાળો આવ્યો હતો. જાેકે કંપની દ્વારા કરવામાં આવતા આર્થિક વ્યવહારો પર છેલ્લા ઘણા સમયથી ઇન્કમટેક્ષ વિભાગના જાંબાજ અધિકારીઓ બાજ નજર રાખી રહ્યા હતા. ગુરૂવારે વહેલી સવારથી જ એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડની અમદાવાદ ઇસ્કોન ખાતે આવેલી કોર્પોરેટ ઓફીસ, કાટવાડ નજીક આવેલી ફેકટરી તેમજ ઓફીસ ઉપરાંત હિંમતનગરમાં રહેતા તમામ ડીરેકટરો અને ચેરમેન ઉપરાંત અન્ય કંપનીના અધિકારીઓ ઉપરાંત મોરબીમાં આવેલી જાેઇન્ટ વેન્ચર કંપનીમાં પણ આઇ.ટી. વિભાગના અધિકારીઓએ મેઘા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સમગ્ર વિશ્વમાં જાણીતી એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડના ચેરમેન કમલેશભાઇ પટેલ, ડીરેકટર કાળીદાસભાઇ પટેલ, સુરેશભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ સહિતના ડીરેકટરોના નિવાસ સ્થાને પોલીસના મોટા કાફલા સાથે ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓ સવારથી જ પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ઇન્કમટેક્ષનું મેઘા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓ એકીસાથે ૪૦થી વધુ સ્થળો પર દરોડા પાડી કરોડો રૂપિયાના નાણાંકીય લેવડ દેવડના હિસાબોની તપાસ કરવામાં આવી હતી. ઘણા લાંબા સમય બાદ ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ હાથ ધરેલુ આઇ.ટી.નું મેઘા સર્ચ ઓપરેશનથી અન્ય સિરામીક કંપનીના માલિકોમાં પણ ફફડાટ જાેવા મળ્યો હતો. મોડી રાત સુધી ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ હિંમતનગર ખાતે આવેલા નિવાસ સ્થાનો પર તેમજ કાટવાડ ખાતે આવેલી ફેકટરીમાં તપાસ કરી છે ત્યારે તપાસના અંતે કરોડોના આર્થિક વ્યવહારોની તપાસ બાદ મોટી રકમની કર ચોરી બહાર આવે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.વધુ વાંચો -
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૨૭થી ૨૯મે દરમિયાન ૫૦ કિમીની ઝડપે વાવાઝોડાની સંભાવના
- 26, મે 2022 01:30 AM
- 2743 comments
- 9862 Views
અમદાવાદ, ગુજરાતના જખૌ, માંડવી, મુંદ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા તથા પોરબંદરના દરિયાકાંઠે ૨૭થી ૨૯ મે ૨૦૨૨ દરમિયાન ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છેતેવી આગાહી હવામાન વિભાગે કરી છે. , હવામાન વિભાગે વધુ કહ્યું છે કે આ ૬૦ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે. એવામાં માછીમારોને આ સમય દરમિયાન દરિયો ખેડવા ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.રાજ્યભરમાં મંગળવારે તેજ પવનો સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદનાં ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતનાં કેટલાંક સ્થળોને બાદ કરતા મોટાભાગનાં શહેરોમાં ૪૦ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડમાં તેજ પવનો સાથે ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે ગરમીમાં રાહત મળી હતી. ચોમાસુ ૧૫ જૂનની આસપાસથી શરૂઆત થશે.હવામાન વિભાગ મુજબ, ગુજરાતના જખૌ, માંડવી, મુંદ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા તથા પોરબંદરના દરિયાકાંઠે ૨૭થી ૨૯ મે ૨૦૨૨ દરમિયાન ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ૬૦ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે. એવામાં માછીમારોને આ સમય દરમિયાન દરિયો ખેડવા ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યભરમાં મંગળવારે તેજ પવનો સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદનાં ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતનાં કેટલાંક સ્થળોને બાદ કરતા મોટાભાગનાં શહેરોમાં ૪૦ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં પણ અડધાથી બે ઇંચ સુધી વરસાદ પડતા માત્ર એક કલાકમાં તાપમાનમાં ૧૦ ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો. વાતાવરણમાં આવેલા પલટાને કારણે રાજકોટ સહિત કેટલાંક વિસ્તારમાં ઝાપટું પડ્યું હતું.વધુ વાંચો -
સાયન્સ સીટી રોડ પરના મેકડોનાલ્ડમાં કોલ્ડડ્રીંક્સમાંથી ગરોળી નીકળતાં હોબાળો
- 22, મે 2022 01:30 AM
- 5080 comments
- 5772 Views
અમદાવાદ, અમદાવાદના સાયન્સ સીટી રોડ પર આવેલા મેકડોનાલ્ડમાં કોલ્ડ્રીંકમાંથી મરેલી ગરોળી નીકળતા ગ્રાહકે હોવાળો મચાવ્યો હતો. ગ્રાહકનું કહેવું હતું કે, આ બાબતે મેનેજરને ફરિયાદ કરી પરંતુ તેઓએ કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. અંતે ગ્રાહકે આ વિશે ફુડ અને ડ્રગ્સ વિભાગ, મીડિયા અને પોલીસને પણ જાણ કરી છે. અમદાવાદની સાયન્સ સીટી રોડ પર આવેલા મેકડોનાલ્ડમાં ભાર્ગવ જાેષી અને તેમના મિત્ર નાસ્તો કરવા માટે ગયા હતા. ત્યારે તેમણે આપેલા ઓર્ડરમાંથી કોકાકોલાની અંદર મરેલી ગરોળી નીકળતા તેઓ ચોંકી ગયા હતા. આ અંગે તેમણે હોબાળો કરતાં મામલો બિચક્યો હતો. ભાર્ગવ જાેશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, હું જ્યાં બેઠો હતો ત્યારે મંગાવેલા કોલ્ડ્રીંકમાં એક-બે ઘૂંટ પીધા બાદ મેં સ્ટ્રો વડે હલાવતા જ તળીયે રહેલી ગરોળી ઉપર આવી ગઈ હતી. મરેલી ગરોળી દેખાતા જ મેં આ અંગે કાઉન્ટર પર જઈને ફરિયાદ કરી તો કાઉન્ટર પર મને રિફન્ડ લઈ લેવા માટે જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાથી હું ડરી ગયો હતો. બીજીતરફ મેનેજરને પણ ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. અવાર નવાર બનતી ઘટનાઓ છતાં ખાસ કોઈ પગલાં ના લેવાતાં લોકો ભોગ બનતા રહે છે. પરંતુ આ અંગે હું છેક સુધી ફરિયાદ કરવાના મૂડમાં છું.વધુ વાંચો -
પોલીસ કમિશનરની સ્કવોડના નારોલમાં દેશી દારૂના છ જાહેર સ્ટેન્ડો પર દરોડા
- 22, મે 2022 01:30 AM
- 5244 comments
- 2971 Views
અમદાવાદ, નારોલ વિસ્તારમાં એસએમસીએ રેડ કરી હતી અને સ્થાનિક પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ થયા હતા તેમ છતા નારોલ વિસ્તારમાં દારૂની રેલમ રેલમ છેલ હોવા ચાલુ હોવાનું નકારી શકાય તેમ નથી. દારૂ બેફામ રીતે વેચાતુ હોવાની અનેક ફરિયાદો પીસીબીને મળતા રેડ કરી દારૂ સહિત ૧૨ લાખથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂ પકડ્યા બાદ નારોલ પોલીસ સ્ટેસન બુટલેગરે આવી પોલીસ સ્ટેશન માથે લીધુ હતુ પૈસા લીધા તો રેડ કેમ કરી તેમ કહીને હોબાળો કર્યો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. જાે કે ત્યાં પહોંચ્યા પછી જાણવા મળ્યુ હતુ કે, પોલીસ નહીં પરંતુ પીસીબીએ રેડ કરી હતી. જાે કે પીસીબીએ આ રેડ અંગે ગુનો પણ નોંધ્યો છે.નારોલ વિસ્તારમાં મોટા પાયે સાતથી વધુ જગ્યાઓ પર મોટા દેશીના જાહેર સ્ટેન્ડ ચાલી રહ્યા હતા. તે અંગે વારંવાર ફરિયાદો થઇ હતી પરંતુ સ્થાનિકથી લઇ ઉચ્ચ અધિકારીઓ વહિવટદારના ઇશારે કોઇ કાર્યવાહી ન કરતા આ અંગેની ફરિયાદ પોલીસ કમિશનરને થઇ હતી. જેના કારણે પોલીસ કમિશનરના સ્કવોર્ડે રેડ કરવાની ફરજ પડી હતી. પીસીબીએ રેડ કરતા આરીફ ફર્ફે લાલો મહેબુબ હુસેન શેખ(રહે. જુહાપુરા) અને અબ્દુલરાશીદ રહીમ અંસારી(રહે શાહપુર) ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૫૦૨ લીટર દેશી દારુ પકડી પાડ્યો હતો. પોલીસે વાહનો અને દારુનો જથ્થો મળી કુલ ૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ વિસ્તારમાં દારુ પહોચાડવા માટે ઇલીયાસ પોતાની ગાડીમાં નડીયાદથી દેશી દારુ લાવતો હતો. બબાલુ સૈયદ આસપાસના તમામ વિસ્તાર એટલે કે, ૧૦ પોલીસ સ્ટેસનથી વધુ વિસ્તારમાં હોલસેલનો દેશી દારુ સપ્લાય કરે છે. તખુબેન સુદામાં એસ્ટેટ નજીક દારુનુ સ્ટેન્ડ ચલાવે છે. ધમી નારોલ ગામમાં દારુનુ સ્ટેન્ડ ચલાવે છે. ગીત ઉર્ફે જુલાવાળી ગીતા રંગોલીનગર ખાતે, વારાવાળી ડોશી નારોલ ગામમાં અને રોબીન રાણીપુર ગામ ખાતે દેશી દારુના જાહેર સ્ટેન્ડ ચલાવતો હોવાનું પીસીબીની તપાસમાં ખુલ્યું છે. નારોલ વિસ્તારમાં અનેક બુટલેગરોના ત્યા રેડ થતાં તેઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને કેમ રેડ કરી માલ પાછો આપી દો, પૈસા તો લઇ જાવ છો. કહીને હોબાળો કર્યો હતો. જાેકે આ વિજયસિંહ નામનો વહિવટદાર તમામને સમજાવી રહ્યો હતો. આખરે પીસીબીએ રેડ કરી હોવાનુ ધ્યાને આવતા બુટલેગરો ભાગી ગયા હતા. જાેકે રેડ થતાં વિજયસિંહ અને ઉચ્ચ અધિકારીના વહિવટદાર રોહિતસિંહ દોડધામ કરવા લાગ્યા હતા. આ અંગે નારોલ પીઆઇ આર એમ ઝાલાએ જણાવ્યુ હતુ કે, આવુ કંઇ મારા ધ્યાને આવ્યું નથી.વધુ વાંચો -
એસજી હાઈવે પર પોલીસ સ્પીડ ગનથી લોકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવશે
- 22, મે 2022 01:30 AM
- 5268 comments
- 8231 Views
અમદાવાદ, અમદાવાદમાં આજથી કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ હવે સ્પીડ ગનની મદદથી લોકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવશે. જાે તમે આ વિસ્તારમાંથી નીકળવાના હોય તો વાહન ચલાવતી વખતે સ્પીડ મીટર પર નજર નહીં રાખો તો દંડ ભરવો પડશે.એસજી હાઈવે પર પોલીસ દ્વારા સ્પીડ લિમિટની આજથી કડક અમલવારી શરૂ થઈ છે. વાહન ગતિ મર્યાદાનો અમલ કરવા માટે રોડ પર ઠેર ઠેર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં એક ખાસ પ્રકારનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જેના પરથી વાહનની સ્પીડ જાણી શકાશે, અને જાે વાહન નિશ્ચિત સ્પીડથી વધારે ઝડપે હંકારવામાં આવ્યું હશે તો દંડ ફટકારવામાં આવશે. ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે જાે કોઈ વાહન ચાલક પ્રથમ વખત ગતિ મર્યાદાનો ભંગ કરશે તો તેની પાસથી બે હજાર રૂપિયા દંડ વસૂલ કરાશે. બીજી વખત પકડાશે તો ચાર હજાર રૂપિયા દંડ વસૂલ કરાશે. ત્યારબાદ પણ જાે પકડાશે તો છ મહિના માટે લાઇસન્સ જ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હાલ આ અમલવારી પ્રાયોગિક ધોરણે ફક્ત એસ.જી હાઈવે પર કરવામાં આવશે. ગાંધીનગર જવા માટે સૌથી વધારે સરખેજ ગાંધીનગર હાઇવેનો ઉપયોગ થાય છે. આ હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે મોટાભાગના ક્રોસ રોડ પર ઓવરબ્રિજ બની ગયા છે એથવા કામ ચાલુ છે. જાેકે, સરકારના તમામ પ્રયાસો છતાં એસ.જી. હાઈવે પર સૌથી વધારે અકસ્માત થાય છે. આ હાઇવે સિક્સ લેનનો હોવાથી અહીં ચાલકો વધારે ઝડપમાં વાહનો હંકાર છે. આ જ કારણ છે કે અહીં અકસ્માતો પણ વધારે થાય છે. જે બાદમાં સૌથી પહેલા આ હાઇવે પર ગતિ મર્યાદા લાગુ કરવાનો ર્નિણય કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.વધુ વાંચો -
પાણીની પળોજણ કોંગ્રેસે મનપાની ઓફિસ ગજવી
- 22, મે 2022 01:30 AM
- 8107 comments
- 6438 Views
અમદાવાદ, શહેરમાં અનેક જગ્યાઓ પર ઉનાળામાં પનાઈની પોકાર આવી રહી છે દૂષિત પાણીની સમસ્યાઓ સામે આવી રહી છે ત્યારે આજે મ્યુનિસિપલ કોર્પોરેશના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ અને અન્ય કોર્પોરેટર દવારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. વિપક્ષમાં હલ્લાબોલ કાર્યક્રમ ને ધ્યાનમાં રાખીને આજે તમામ પદાધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. મેયર પણ પોતાની કેબીન છોડીને અન્ય કાર્યક્રમમાં જતા રહેતા વિપક્ષ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું..વિપક્ષના કાર્યકમને લઈને આજે કોર્પોરેશનમાં ગેટ પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસ બંદોબસ્ત ફાળવી દેવમાં આવ્યો હતો.આજે પાણીના મુદ્દે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અલગ અલગ જગ્યાના કોર્પોરેટર અને વિપક્ષના નેતાની આગેવાનીમાં પાણીની ડોલ લઇને વિરોધ કરવામાં આવ્યો હતો અને પાણીની માગ કરવામાં આવી હતી. મોટીસંખ્યામાં કાર્યકરો ભેગા થઈ જતા મનપાનો મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો જેથી રોડ પર ટ્રાફિકજામ થયો હતો. કાર્યકરોએ ગેટ પર ચડીને માનપમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. જાેકે મનપાના ૩એ ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બાઉનસરો ગોઠવી દીધા હતા કાર્યકરોએ પાણી આપો પાણી આપો ના નારા લગાવ્યા હતા અને ભાજપ ની હાય હાય બોલાવી હતી. કાર્યકરોએ મનપા બહાર ડોલ તોડી ને વિરોધ કર્યો હતો. આજ ના વિરોધને લઈને વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ એ જણાવ્યું હતું કે શહેરની જનતા ના મૂળભૂત અધિકારો જ ભાજપ છીનવી રહી છે. પાણી જનતાની પહેલી જરૂરિયાત છે પરંતુ ૧૦ કલાક પણ પાણી મળતું નથી મનપા અને ભાજપ પાર્ટી ૨૪ કલાક પાણી આપવાના જુઠા વાયદા કરે છે અનેક જગ્યાઓ પર કેમિકલ યુક્ત પાણી આવે છે તેની પણ સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું નથી અને કરોડો રૂપિયા કોન્ટ્રાકટર ને આપી અને પોતાના ફાયદા કરે છે. આટલી ગરમીમાં ટેન્કરથી પણી લેવા માટે મજબૂર છે.તો પૂર્વ વિસ્તારમાં પ્રદુષિતપાણી થી રોગચાળો ફેલાય છે અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. આવી અનેક સમસ્યાઓ થી શહેરની જનતા પીડાય છે તો પણ ભાજપના લોકોને તેમની કોઈ પરવાહ નથીવધુ વાંચો -
રથનું સમારકામ
- 21, મે 2022 01:30 AM
- 9381 comments
- 3555 Views
રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ના ૩એ રથનું સમારકામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. અખાત્રીજના દિવસે ભગવાનના ૩ રથનું પૂજન કરવામાં આવ્યું હતું અને ભગવાન પાસે રથનું સમારકામ કરવાની પરવાનગી માગવામાં આવી હતી. ૧૬ જૂનના રોજ ભગવાનની જળયાત્રા નીકળશે જેમાં રાજ્યના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ૧ જુલાઇના રોજ જગતના નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે હાથી. ઘોડા, ટ્રકો અખાડા સાથે નગરચર્યા કરવા માટે નીકળશે. કોરોના મહામારીના ૨ વર્ષ બાદ ભગવાનની ભવ્ય રથયાત્રા યોજાશે.વધુ વાંચો -
શોર્ટકટ જવામાં આધેડ ૩૦ થી ૩૫ ફૂટ ઊંડા વરસાદી પાણીના કુવામાં પડ્યા
- 21, મે 2022 01:30 AM
- 6970 comments
- 3288 Views
અમદાવાદ, મણિનગરમાં અંડર પાસ ફરીને જવાની જગ્યાએ શોટકટ મારીને જઈ રહેલા આધેડ અચાનક જ વરસાદી પાણીના કુવામાં પડ્યા હતા. કુવો ૩૦ થી ૩૫ ફૂટ ઉંડો હોવાના કારણે તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જાે કે ઘટનાની જાણ આસપાસના વેપારીઓને તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને આધેડને ગંભીર હાલતમાં બહાર કાઢીને તેમને સારવાર માટે એલજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ અંગેની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો બાદમાં ઘટના અંગેની તપાસ શરૂ કરી છે. શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષિય રાજુભાઇ ચૌધરી સવારે મણીનગર ક્રોસીંગ પાસે આવેલ અંડર પાસ નજીક થી શોટકટ મારી નિકળવા ગયા હતા. જાે કે, અચાનક જ તેમનો પગ પાણીના નિકાલ માટેના કુવાના ઢાંકણા પર પડ્યો હતો. તે ઢાંકણુ તુટેલું હોવાથી તેઓ તરત જ ૩૦ થી ૩૫ ફૂટ ઉંડા કુવામાં ગરકાવ થઇ ગયા હતા. ઘટનાની જાણ મણિનગરના વેપારીઓને થતા તેમણે તાત્કાલીક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે રાજુભાઇને ૩૦થી ૩૫ ફૂટ ઊંડા કુવામાંથી બહાર કાઢ્યા માટે ચક્રોગતિમાન કર્યા હતા. દોરડા વડે એક ફાયરબ્રિગેડનો જવાન કુવામાં ઉતરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રાજુભાઈને બહાર કાઢ્યા હતા.વડોદરા કોર્પોરેશનનો ર્નિણય કેમ એ.એમ.સીનો નહીં વડોદરા કોર્પોરેશના સ્ટેન્ડીંગ કમિટી દ્વારા એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે, વડોદરા શહેરમાં ખોદાયેલા બિનજરૂરી ખાડાઓને તાત્કાલિક અસરથી પૂરી દેવામાં આવશે, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ તેમજ અકસ્માતની ઘટનાઓ ઓછી બને અથવાતો તેને નિવારી શકાય જેના કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ સંજાેગોમાં અમદાવાદ શહેરમાં પણ આજે જે ઘટના બની છે તેને અનુલક્ષીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આવો કોઈ ર્નિણય લેવામાં આવે તો અમદાવાદ વાસીઓને મોટી રાહત મળી શકે તેમ છે.વધુ વાંચો -
બજેટ રિવ્યુ બેઠકમાં વિપક્ષના આક્ષેપ, ૮૮૦૭ કરોડનું બજેટ પરંતુ સમયસર કામ મનપા કરતી નથી
- 21, મે 2022 01:30 AM
- 2575 comments
- 386 Views
અમદાવાદ,એએમસીની આજે વર્ષ ૨૧- ૨૨ની બજેટ રિવ્યુની બેઠક મળી હતી જેમાં આજે બજેટમાં લેવામાં આવેલા મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું કે આ અવાસ્તવિક બજેટ છે. આ બજેટમાં પૈસા ફાળવવામાં આવ્યા છે પરંતુ એક પણ કામ થયું નથી તેવા વિપક્ષ દ્વારા આજે આક્ષેપ લગાવવામાં આવ્યા છે. વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણ એ જણાવ્યુ હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સને ૨૦૨૨-૨૦૨૩ ના વર્ષનું રેવન્યુ ખર્ચનું રૂા. ૪૭૦૪.૦૦ કરોડ અને કેપીટલ ખર્ચનું રૂા. ૪૧૦૩.૦૦ કરોડ મળી કુલ રૂા. ૮૮૦૭.૦૦ કરોડનું બજેટ સત્તાધારી ભા.જ.પ દ્વારા મંજુર કરવામાં આવેલ હતું બજેટમાં છેલ્લા કેટલાય વર્ષોથી અવાસ્તવિક આવક અંદાજવામાં આવે છે પરંતુ વાસ્તવમાં આવક માત્ર ને માત્ર બજેટની બુકમાં દર્શાવીને ભા.જ.૫.બજેટની પ્રક્રિયા પુરી કરે છે જેનો અમલ કરવાની કોઇ વ્યવસ્થા કે ઇચ્છાશકિતનો સંર્પૂણ અભાવ જ રહેલો હોય છે આગામી સમયમાં શું મુશ્કેલીઓ પડનાર છે તેના નિવારણ હેતુ શું કરી શકાય તે અંગે પ્રજાને વિઝન આપવામાં સત્તાધારી ભા.જ.પ. નિષ્ફળ ગયેલ છે જેથી તે જાેગવાઇ માત્રને માત્ર કાગળ પર જ રહેવા પામી છે ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાં સત્તાધારી ભાજપ દ્વારા ખોટા વાયદાઓ આપેલ તે પૈકી મોટા ભાગના વાયદાઓ પૂર્ણ કરી શકાઇ નથી.બજેટ રિવ્યુ બેઠકમાં વિપક્ષના આક્ષેપ, ૮૮૦૭ કરોડનું બજેટ પરંતુ સમયસર કામ મનપા કરતી નથી અમદાવાદ એએમસીની આજે વર્ષ ૨૧- ૨૨ની બજેટ રિવ્યુની બેઠક મળી હતી જેમાં આજે બજેટમાં લેવામાં આવેલા મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું કે આ અવાસ્તવિક બજેટ છે. આ બજેટમાં પૈસા ફાળવવામાં આવ્યા છે પરંતુ એક પણ કામ થયું નથી તેવા વિપક્ષ દ્વારા આજે આક્ષેપ લગાવવામાં આવ્યા છે. વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણ એ જણાવ્યુ હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સને ૨૦૨૨-૨૦૨૩ ના વર્ષનું રેવન્યુ ખર્ચનું રૂા. ૪૭૦૪.૦૦ કરોડ અને કેપીટલ ખર્ચનું રૂા. ૪૧૦૩.૦૦ કરોડ મળી કુલ રૂા. ૮૮૦૭.૦૦ કરોડનું બજેટ સત્તાધારી ભા.જ.પ દ્વારા મંજુર કરવામાં આવેલ હતું બજેટમાં છેલ્લા કેટલાય વર્ષોથી અવાસ્તવિક આવક અંદાજવામાં આવે છે પરંતુ વાસ્તવમાં આવક માત્ર ને માત્ર બજેટની બુકમાં દર્શાવીને ભા.જ.૫.બજેટની પ્રક્રિયા પુરી કરે છે જેનો અમલ કરવાની કોઇ વ્યવસ્થા કે ઇચ્છાશકિતનો સંર્પૂણ અભાવ જ રહેલો હોય છે આગામી સમયમાં શું મુશ્કેલીઓ પડનાર છે તેના નિવારણ હેતુ શું કરી શકાય તે અંગે પ્રજાને વિઝન આપવામાં સત્તાધારી ભા.જ.પ. નિષ્ફળ ગયેલ છે જેથી તે જાેગવાઇ માત્રને માત્ર કાગળ પર જ રહેવા પામી છે ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાં સત્તાધારી ભાજપ દ્વારા ખોટા વાયદાઓ આપેલ તે પૈકી મોટા ભાગના વાયદાઓ પૂર્ણ કરી શકાઇ નથી.વધુ વાંચો -
સ્માર્ટ કાર્ડનો સ્ટોક ખુટતા ૨૫ હજારથી વધુ અરજદારોની લાઈસન્સની કામગીરી અટકી
- 21, મે 2022 01:30 AM
- 9091 comments
- 4739 Views
અમદાવાદ લાઈસન્સ માટેના સ્માર્ટ કાર્ડનો સ્ટોક ખૂટી પડતાં અમદાવાદમાં ૨૫ હજાર સહિત રાજ્યમાં ૮૦ હજારથી વધુ અરજદારોના પાકાં લાઈસન્સની કામગીરી અટકી ગઈ છે. હવે ફરી કયારે સ્માર્ટ કાર્ડ મળશે ? તે અંગે આરટીઓના અધિકારીઓ સ્પષ્ટ કહી શકતા નથી. છ મહિના અગાઉ સ્માર્ટ કાર્ડ ખૂટી પડતાં વાહનના પાકાં લાઇસન્સનો બેકલોગ બે લાખથી વધુ પહોંચી ગયો હતો. આ પછી વાહનવ્યવહાર વિભાગે કંપનીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરતા લોકોને ઝડપથી પાકાં લાઇસન્સ મળવા લાગ્યા હતાં. અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ સહિત ૩૮ આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે. પરંતુ પાકાં લાઇસન્સ મળતા નથી. આરટીઓના અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, સ્માર્ટ કાર્ડ કયારે આવશે ? તેની કોઇ જાણકારી નથી. જેના લીધે પાકાં લાઇસન્સનો બેકલોગ વધતો જશે. લાઇસન્સના કાર્ડમાં આવતી ચીપ હાલ આવતી નથી. જેના લીધે સ્માર્ટ કાર્ડ તૈયાર થઇ શકતા નથી. આ પછી કંપનીના અધિકારીએ વાત કરવાનું ટાળ્યું હતું. આખા રાજ્યનો કોન્ટ્રાક્ટ લઇને બેઠેલી કંપનીના અધિકારીએ પૂરતો જવાબ આપવાની પણ તસ્દી લીધી નથી. માત્ર ચીપનું બહાનું કાઢવાનું ચાલું રાખ્યું હતું.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ