જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ગોંડોલા કેબલ કારમાં ટેકનિકલ ખરાબીના કારણે પર્યટકો કલાકો સુધી રોપ વેની અંદર હવામાં લટકી રહ્યા. રાહતની વાત એ છે કે તમામ પર્યટકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, એશિયાની સૌથી મોટી કેબલ કાર પ્રોજેક્ટમાં ટેકનિકલ ખરાબી સામે આવ્યા બાદ અધિકારીઓએ ગોંડોલાને અટકાવી અને લગભગ એક કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં તમામ પર્યટકોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા. ૩૦૦ની નજીક પર્યટકો ગુલમર્ગ ગોંડોલામાં ફસાયેલા હતા. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલાની ઓફિસ તરફથી એક્સ પર લખવામાં આવ્યું છે કે ટેકનિકલ ખરાબીના કારણે કેબલ કાર સર્વિસ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યા બાદ સરકાર ગુલમર્ગ ગોંડોલામાં સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. તમામ કેબિન સહી સલામત છે અને જમીન પર ટ્રેન્ડ ટીમો સાથે ફસાયેલા ટૂરિસ્ટને સુરક્ષિત કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યા છે. સ્થિતિ હાલમાં કંટ્રોલમાં છે અને ગભરાવાની કોઈ વાત નથી.
મહારાષ્ટ્ર, તા.૨૫
મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલ સ્ટેશન મહાબળેશ્વર નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. કોંકણથી પરત ફરી રહેલા પ્રવાસીઓની એક સ્કોર્પિયો કાર અનિયંત્રિત થઈને આશરે ૧૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દર્દનાક દુર્ઘટનામાં સતારાના ૮ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. ખીણ અતિશય ઊંડી હોવાના કારણે દૂરબીનની મદદથી મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, આ ભયાનક અકસ્માત રાયગઢના આંબેનલી ઘાટ પર રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ વહેલી સવારે આશરે ૨:૪૫ વાગ્યે સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલી સ્કોર્પિયો કાર સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકાના આસગાંવની છે. આ તમામ યુવકો કોંકણના હરણાઈ બીચથી ફરીને વહેલી સવારે પોલાદપુર માર્ગ થઈને સતારા તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઇવરે કાર પરથી નિયંત્રણ ગુમાવતાં કાર સીધી ઊંડી ખીણમાં પડી ભાંગી હતી.
આ અકસ્માત એ જ જગ્યાની આસપાસ થયો છે, જ્યાં વર્ષ ૨૦૧૮માં દાપોલી કૃષિ યુનિવર્સિટીની બસ ખીણમાં ખાબકી હતી અને મોટો હોબાળો મચ્યો હતો. પોલાદપુર પોલીસ સ્ટેશનના અધિકારી આનંદ રાવડેએ જણાવ્યું કે, વહેલી સવારે અંધારામાં કાર પરથી કાબૂ ગુમાવવાને કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
બેંગલુરુ બાદ હવે ઓમાનમાં એર ઈન્ડિયાની ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી છે. બેંગલુરુમાં પ્લેનની ટેલ સ્ટ્રાઈક રન-વે સાથે અથડાયો હતો, ત્યારે હવે ઓમાનના મસ્કટ એરપોર્ટ પર એરલાઈન્સનું બોઈંગ રન-વે પરથી ટેકઓફ કરતી વખતે લાઈટ સાથે અથડાતા ભારે અફરાતરફરી મચી છે. ઓમાનની રાજધાની મસ્કટ એરપોર્ટ પર એરલાઈન્સનું બોઈંગ રન-વે પર ટેક ઓફ વખતે ખોટી દિશામાં જતું રહ્યું હતું, જેના કારણે પ્લેન રન-વે પર લાઈટ સાથે અથડાતા પ્લેનના નોજ ગિયરને નુકસાન થવાની સાથે કૉકપિટમાં જાેરદાર અવાજ સંભળાયો ે. આ વિમાન ૧૫ મેએ મસ્કટથી કન્નૂર આવી રહ્યું હતું. ઘટનામાં કોઈપણ મોટી જાનહાની થઈ નથી. મસ્કટથી કન્નૂર જઈ રહેલી આ ફ્લાઈટે રન-વે પર ટેકઓફની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, ત્યારે અચાનક ફ્લાઈટ થોડી આગળ વધતા જ ખોટી દિશા તરફ જતા લાઈટ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં રન-વે પર અનેક લાઈટો તૂટી ગઈ છે. આ ઉપરાંત પ્લેનના નોજ ગિયરને નુકસાન થયું છે. જાેકે પાયલોટે તાત્કાલીક સમસૂચકતા દાખવતા તાત્કાલીક ટેકઓફ અટકાવી દઈ મોટી દુર્ઘટના ટાળી દીધી છે.એર ઈન્ડિયાની આ ફ્લાઈટે રન-વે નંબર ૨૬ન્પર ટેક્સીવે ઈ૭ પરથી એન્ટ્રી કરી હતી. ઘટનામાં વિમાનનું હાઈડ્રોલિક લીકેજ અને ટાયર પંચર થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બહારની કોઈ વસ્તુ એન્જીનમાં આવી જતા બંને એન્જિનને નુકસાન થયું છે. પ્રવાસીઓ અને ક્રૂ સભ્યોને વિમાનમાંથી ઉતારી પરત ટર્મિનલ પર લઈ જવાયા છે. એરલાઈન્સે તુરંત કાર્યવાહી કરીને તમામ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપી હતી. તમામ મુસાફરોને બીજા દિવસે અન્ય ફ્લાઈટમાં કન્નૂર મોકલવામાં આવ્યા હતા, જાેકે તેમાં ૧૩ કલાકનો વિલંબ થઈ ગયો હતો.૨૧ મેએ બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયા ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી હતી.
સોમવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને તેલ કંપનીઓએ હવે વધુ આયાતનો બોજ સામાન્ય લોકો પર હપ્તામાં નાખવાનું શરૂ કર્યું છે. આજે પેટ્રોલમાં ૨.૬૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૨.૭૧ રૂપિયા પ્રતિ લિટર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લાં ૧૧ દિવસમાં ચોથી વખત છે. દિલ્હીમાં પેટ્રોલ રૂ.૨.૬૧ મોંઘુ થઈને પ્રતિ લિટર ૧૦૨.૫૨ પર પહોંચી ગયું છે. ડીઝલ રૂ.૨.૭૧ વધીને પ્રતિ લિટર રૂ.૯૫.૨૦ પર પહોંચી ગયું છે. સૌથી નોંધપાત્ર વધારો એ છે કે છેલ્લા ૧૧ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ચોથી વખત વધારો છે. પહેલો વધારો ૧૫ મેના રોજ લગભગ ૩ રૂપિયાનો, પછી ૧૯ મેના રોજ લગભગ રૂ.૯૦નો, ફરી ૨૩ મેના રોજ લગભગ રૂ.૯૦નો અને હવે ફરી ૨૫ મેના રોજ નોંધપાત્ર વધારો થયો છે. એકંદરે, છેલ્લા ૧૦ દિવસમાં પેટ્રોલ રૂ.૭.૩૫ અને ડીઝલ રૂ.૭.૫૩ પ્રતિ લિટર મોંઘુ થયું છે. આ ભાવ વધારા સાથે, ડીઝલ, જે અગાઉ દિલ્હીમાં પ્રતિ લિટર રૂ.૯૨ .૪૯ હતું, તે હવે આજથી રૂ.૯૫.૨૦ પ્રતિ લિટરના ભાવે વેચાશે. આનો અર્થ એ થયો કે ડીઝલ પ્રતિ લિટર રૂ.૨.૭૧ મોંઘુ થયું છે. એ જ રીતે, પેટ્રોલ, જે અગાઉ રૂ.૯૯.૫૧ પ્રતિ લિટર હતું, તે આજે ૨૫ મેના રોજ વધીને રૂ.૧૦૨.૧૨ પ્રતિ લિટર થયું છે. મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ રૂ.૧૧૧.૨૧ પ્રતિ લિટર છે, જે ગઈકાલના રૂ.૧૦૮.૪૫ કરતા થોડો વધારે છે. અહીં પેટ્રોલનો સૌથી ઓછો ભાવ ૬ મેના રોજ રૂ.૧૦૩ પ્રતિ લિટર હતો. ગાંધીનગરમાં ડીઝલનો ભાવ રૂ.૯૮.૧૩ પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ રૂ.૧૦૨.૦૧ પ્રતિ લિટર થયો હતો. આ સાથએ ગુજરાતમાં પણ ઈંધણના ભાવલોકોને દઝાડી રહ્યાં છે
ક્રૂડ ઑઇલના ભાવમાં ૫ ટકા સુધીનો ઘટાડો!
અમેરિકા અને ઈરાન વચ્ચે સોદાની વધતી આશાઓ વચ્ચે સોમવારે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ સોમવારે ૨૫ મેના રોજ બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. સોમવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ૪.૩૬% ઘટીને ૯૯.૦૩ પ્રતિ બેરલ થયું. ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ઓઇલના ભાવ ૪.૪૫, અથવા ૪.૬૧% ઘટીને ૯૨.૧૫ પ્રતિ બેરલ થયા. ક્રૂડ ઓઇલ ઉપરાંત, કુદરતી ગેસના ભાવ ૨.૮૯૧ પ્રતિ એમએમબી પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે ૦.૦૧૬ અથવા ૦.૫૫% થી થોડો ઓછો હતો.
ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતાં સરકાર પર એક લાખ કરોડનો બોજ : ર્નિમલા સીતારામનનો દાવો
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા વચ્ચે કેન્દ્રીય નાણા મંત્રી ર્નિમલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે, ફ્યૂલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાને કારણે સરકારને આશરે ૧ લાખ કરોડની આવકનું નુકસાન વેઠવું પડશે. વધુમાં નાણા મંત્રી સીતારામને નકારાત્મક વાતાવરણ ઊભું કરનારા લોકોની ટીકાકારોની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, નકારાત્મક વલણ ધરાવતા કેટલાક લોકો દેશમાં નિરાશાવાદ ફેલાવી રહ્યા છે, પરંતુ સરકારે શબ્દો અને કામથી લોકોને આત્મવિશ્વાસ આપવો પડશે. નાણા મંત્રીએ કહ્યું હતું કે, સામાન્ય પ્રજા અને ઉદ્યોગોને મોંઘવારીના મારથી બચાવવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર ૧૦ રૂપિયાનો ઘટાડો કરી દીધો છે.
પેટ્રોલ-ડીઝલનો ક્યારે કેટલો ભાવ વધ્યો?
• ૧૯ મે : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૯૦ પૈસાનો વધારો
• ૨૩ મે : પેટ્રોલમાં ૮૭ પૈસા અને ડીઝલમાં ૯૧ પૈસા પ્રતિ લિટરનો વધારો
• ૨૫ મે : પેટ્રોલ ૨.૬૧ અને ડીઝલ ૨.૭૧ રૂપિયા પ્રતિ લિટરનો વધારો
પેટ્રોલ અને ડીઝલ
૧૦ થી ૧૫ રૂપિયા સસ્તું થઈ શકે
પેટ્રોલ અને ડીઝલ૧૦ થી ૧૫ રૂપિયા સસ્તું થઈ શકે
છેલ્લા ૧૦ દિવસમાં આ ચોથી વખત છે જ્યારે બંને ઇંધણના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જેનાથી ગ્રાહકો અને વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (ઝ્ર્ૈં) એ આ સતત વધતી જતી ફુગાવામાંથી તાત્કાલિક રાહત મેળવવાની માંગ કરી છે. ઝ્ર્ૈં ચેરમેન બ્રિજેશ ગોયલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીને પત્ર લખીને તમામ રાજ્યના નાણામંત્રીઓની તાત્કાલિક બેઠક બોલાવવા વિનંતી કરી છે. ગોયલે આગામી ત્રણ મહિના માટે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ પર ફ્લેટ ૫% ફછ્ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી ગ્રાહકોને પ્રતિ લિટર રૂ.૧૦ થી રૂ.૧૫ ની રાહત મળશે.
એક વિશાળ અને રહસ્યમય પ્રાણી, એનાકોન્ડા વિશે ઘણીવાર ઘણા દાવા કરવામાં આવે છે. ચાલો સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોનું અન્વેષણ કરીએ. વિશ્વનો સૌથી મોટો અને ભારે સાપ માનવામાં આવતા એનાકોન્ડા, પાણીની નજીક રહેવાનું પસંદ કરતો હોય છે.
આ ખતરનાક સાપ મુખ્યત્વે ઉત્તર અને મધ્ય દક્ષિણ અમેરિકામાં પૂરના મેદાનો, કળણવાળા જંગલો, ધીમી વહેતી નદીઓ અને ગાઢ ઉષ્ણકટિબંધીય ભીના મેદાનોમાં સૌથી વધારે જાેવા મળે છે. એનાકોન્ડાની ચોક્કસ વસ્તી નક્કી કરવી હંમેશા વૈજ્ઞાનિકો માટે એક મોટો પડકાર રહ્યો છે, તેઓ તેમનો મોટાભાગનો સમય કાદવવાળા પાણીમાં અથવા ગાઢ વનસ્પતિ હેઠળ છુપાઈને વિતાવતા હોય છે. સૌથી અગ્રણી મનાતા સાપ પ્રજાતિ “ગ્રીન એનાકોન્ડા” છે, જે મુખ્યત્વે વિશાળ એમેઝોન બેસિન સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે. વરસાદની ઋતુમાં જ્યારે આ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે આ સાપ બહાર આવે છે, દુષ્કાળ દરમિયાન, તેઓ નદીઓની નજીક ભેગા થઇ જાય છે.વૈજ્ઞાનિકો અને વન્યજીવન નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, દક્ષિણ અમેરિકાનો એક વિશાળ દેશ બ્રાઝિલ સમગ્ર વિશ્વમાં આ યાદીમાં ટોચ પર છે. બ્રાઝિલમાં અંદાજિત એનાકોન્ડાની વસ્તી ૪૦૦,૦૦૦થી વધુ હોવાનું માનવામાં આવે છે, કારણ કે એમેઝોન રેઈનફોરેસ્ટ અને પેન્ટાનાલ સ્વેમ્પનો મોટો ભાગ દેશની સરહદોમાં આવેલો છે.૨૦૦,૦૦૦ એનાકોન્ડા ધરાવતું વેનેઝુએલા બીજા ક્રમે છે. વેનેઝુએલાના વિશાળ પૂરના મેદાનો, જેને “લાનોસ“ કહેવાય છે, આ સાપ માટે આદર્શ રહેઠાણ માનવામાં આવે છે. વરસાદની ઋતુ દરમિયાન, આ સ્વેમ્પલેન્ડ્સ માછલીઓ, પક્ષીઓ અને અન્ય નાના જીવોથી ભરપૂર હોય છે, જે આ મોટા સાપ માટે પ્રિય ખોરાક તરીકે સેવા આપે છે. એમેઝોન બેસિન અને ઓરિનોકો વેટલેન્ડ્સમાં આશરે ૧૦૦,૦૦૦ એનાકોન્ડાનું ઘર કોલંબિયા ચોથા ક્રમે છે.
૭૦,૦૦૦ થી વધુ એનાકોન્ડા ધરાવતું બોલિવિયા, તેના ઉષ્ણકટિબંધીય સ્વેમ્પ્સ અને પૂર્વીય નીચાણવાળા વિસ્તારોમાં જાેવા મળે છે. પાંચમા ક્રમે આવેલ પેરુમાં એમેઝોનના જળમાર્ગો અને પૂરગ્રસ્ત જંગલોમાં આશરે ૬૦,૦૦૦ એનાકોન્ડા સક્રિય છે. ઇક્વાડોર છઠ્ઠા ક્રમે આવે છે, જેમાં આશરે ૩૦,૦૦૦ એનાકોન્ડા પૂર્વીય એમેઝોનના દૂરના વેટલેન્ડ્સમાં રહે છે. પેરાગ્વે સાતમા ક્રમે છે, જ્યાં પેન્ટાનાલ સાથે સંકળાયેલા સ્વેમ્પ્સમાં અંદાજે ૨૫,૦૦૦ એનાકોન્ડા છે. સૌથી વધુ એનાકોન્ડા વસ્તી ધરાવતા દેશોની આ યાદીમાં ગુયાના, સુરીનામ અને ફ્રેન્ચ ગુયાના છે. ગુયાનાના આંતરિક વરસાદી જંગલો અને નદીઓમાં આશરે ૧૫,૦૦૦ એનાકોન્ડા રહે છે, નવમા ક્રમે આવેલા સુરીનામમાં તેના ગાઢ જંગલો અને સ્વેમ્પી પ્રદેશોમાં આશરે ૧૦,૦૦૦ એનાકોન્ડા રહે છે. દસમા ક્રમે ફ્રેન્ચ ગુયાનામાં આશરે ૮,૦૦૦ એનાકોન્ડા તેની દરિયાકાંઠાની નદીની ખીણો અને દૂરના, જંગલી સ્વેમ્પમાં સુરક્ષિત રીતે રહે છે. શહેરી વસ્તી અને માનવ વસાહતોથી દૂર હોવાથી, આ બધા જંગલી વિસ્તારોમાં, એનાકોન્ડાને સરળતાથી પુષ્કળ શિકાર અને છુપાવવા માટે સલામત કુદરતી વાતાવરણ મળે છે.
Loading ...
