નવી દિલ્હી,સરકાર નિવૃત્ત અધિકારીઓ માટે ૨૦ વર્ષના કૂલિંગ-ઓફ પિરિયડ પર વિચાર કરી રહી છે. આ ર્નિણય પૂર્વ આર્મી ચીફ નરવણેના અપ્રકાશિત પુસ્તક પર થયેલા વિવાદ બાદ લેવામાં આવ્યો છે. સરકાર નિવૃત્તિ પછી પુસ્તકો લખતાં પહેલાં મિલિટરી અધિકારીઓ સહિત શક્તિશાળી પદો પર બેઠેલા અધિકારીઓ માટે ૨૦ વર્ષનો કૂલિંગ-ઓફ પિરિયડ શરૂ કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં નરવણેના પુસ્તક પર ચર્ચા થઈ હતી. ઘણા મંત્રીઓનું માનવું હતું કે શક્તિશાળી પદો પરથી નિવૃત્ત થયેલા લોકો માટે એક કૂલિંગ-ઓફ પિરિયડ હોવો જાેઈએ. અધિકારીઓએ કહ્યું હતું કે આ મુદ્દો કેબિનેટના સત્તાવાર ૨૭-પોઈન્ટ એજન્ડાનો ભાગ ન હતો, પરંતુ સામાન્ય ચર્ચાના ભાગ રૂપે સામે આવ્યો. આ અંગે ટૂંક સમયમાં આદેશ જાહેર થઈ શકે છે. પૂર્વ આર્મી ચીફ નરવણેના મેમોઇર ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિનીને લઈને વિવાદ ૨ ફેબ્રુઆરીએ શરૂ થયો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મેમોઇરમાં જણાવેલી ઘટનાઓનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો હતો અને સરકારે તેના પર સખત વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે પુસ્તક પ્રકાશિત થયું નથી.
ડિબ્રુગઢ/ગુવાહાટી, આસામમાં ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો જાેવા મળી રહ્યો છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયુસેનાના વિશેષ સી-૧૩૦ એરક્રાફ્ટ દ્વારા આસામના ડિબ્રુગઢ પહોંચ્યા હતા. તેમણે મોરાન બાયપાસ પર સ્થિત ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલીટી પર સફળ લેન્ડિંગ કરીને પોતાની મુલાકાતનો પ્રારંભ કર્યો હતો. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રૂ. ૩,૦૩૦ કરોડના ખર્ચે બ્રહ્મપુત્ર નદી પર બનેલા ભવ્ય ભાસ્કર વર્મા સેતુ અને આઈઆઈએમ ગુવાહાટીના ટેમ્પરરી કેમ્પસનું ઉદ્ઘાટન કરીને આસામના આધુનિકીકરણની નવી ક્ષિતિજાે ખુલ્લી મૂકી હતી. ઉલ્લેખનીય છેકે, છેલ્લા ત્રણ મહિનામાં પીએમ મોદીનો આ ત્રીજાે આસામ પ્રવાસ છે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે આ રણનૈતિક લોકાર્પણ ભાજપ સરકારની સુરક્ષા અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વડાપ્રધાન મોદીએ એક જંગી જનમેદનીને સંબોધતા કોંગ્રેસના ભૂતકાળના શાસન અને વર્તમાન નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસની તુષ્ટિકરણની અને વોટ બેંકની રાજનીતિએ હંમેશા વિકાસના અવરોધ તરીકે કામ કર્યું છે. જેવી રીતે સ્વતંત્રતા સમયે મુસ્લિમ લીગે દેશના ભાગલા પડાવ્યા હતા, તેવી જ રીતે આજની કોંગ્રેસ મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ બનીને દેશને તોડવાના પ્રયાસો કરી રહી છે અને આતંકવાદીઓને ખભે બેસાડી રહી છે. પુલવામા હુમલાની વરસી પર શહીદોને નમન કરતા તેમણે કોંગ્રેસને સવાલ કર્યો હતો કે, શું આતંકવાદીઓને પાઠ ભણાવવાની હિંમત તમારામાં હતી?વિકાસના આંકડા રજૂ કરતા વડાપ્રધાને માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા આસામની વિવિધ પરિયોજનાઓ માટે રૂ. ૫.૫૦ લાખ કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે. આસામમાં હવે સેમિકન્ડક્ટર પ્લાન્ટ બની રહ્યો છે, જેના કારણે ભવિષ્યમાં આસામી ચાની જેમ જ આસામી ચિપ્સ પણ દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવશે. કોંગ્રેસના સમયમાં રક્ષણના સોદામાં કૌભાંડો થતા હતા, જ્યારે વર્તમાન ભાજપ સરકાર સરહદો પર શાનદાર હાઈવે, ટનલ અને બ્રિજ બનાવીને દેશની સુરક્ષાને અત્યંત મજબૂત કરી રહી છે.
ડિબ્રુગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાયુસેનાના ઝ્ર-૧૩૦ વિમાનમાં મુસાફરી કરીને આસામના ડિબ્રુગઢથી મોરાન પહોંચ્યા હતા. જાેકે, આ મુસાફરી કોઈ સામાન્ય મુસાફરી નહોતી. આ મુસાફરી પર સમગ્ર વિશ્વની નજર હતી. તેમની આ યાત્રા અનેક બાબતે મહત્ત્વની છે. વડાપ્રધાન મોદી જે વિમાનમાં સવાર થઈને મોરાન પહોંચ્યા, તેને ભારતીય વાયુસેનાનો ‘સંકટમોચક’ પણ કહેવામાં આવે છે. આ વિમાન ન માત્ર યુદ્ધના મેદાનમાં, પરંતુપ્રાકૃતિક આફતો અને બચાવ કામગીરીમાં પણ વિશ્વાસપાત્ર સાથી સાબિત થયું છે.
આસામના ડિબ્રુગઢમાં મોરન બાયપાસ પર એક ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા (ઈન્હ્લ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાત દરમિયાન આ સુવિધાને વ્યક્તિગત રીતે જાેઈ હતી. તેમણે તેને આસામ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું હતું. પીએમ મોદીની હાજરીમાં ફાઇટર, ટ્રાન્સપોર્ટ અને હેલિકોપ્ટર વિમાનોના હવાઈ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. આ પૂર્વોત્તર રાજ્યોમાં પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા છે. તેના નિર્માણથી ઇમર્જન્સી દરમિયાન લશ્કરી અને નાગરિક વિમાનોના લેન્ડિંગ અને ટેકઓફને સરળ બનાવવામાં મદદ કરશે. હરક્યુલિસ ઝ્ર-૧૩૦ત્ન વિમાન એ ૩૦ મીટર લાંબુ અને ૧૨ મીટર ઊંચુ છે. આ વિમાન ૧૯ ટન સુધીનો વજન ઉપાડી શકે છે, તે ૬૪૩ કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે અને એક વખતમાં ૩,૩૩૪ કિમી સુધીની ઉડાન ભરી શકે છે. આ વિમાનને છેવાડાના વિસ્તારોમાં યોગ્ય રીતે કામ કરવા માટે અપગ્રેડ કરવામાં આવ્યું છે. ૪ એન્જિન ધરાવતું આ વિમાન લગભગ ૯૦ સામાન્ય મુસાફરો કે ૬૪ સૈનિકો સાથે ઉડાન ભરી શકે છે. આ વિમાન ખૂબ નાના રનવે પર પણ ઉતરી શકે છે અને ખરબચડી જમીન પર પણ લેન્ડ કરી શકે છે. આટલું જ નહીં, આ વિમાન ખરાબથી ખરાબ હવામાનાં પણ ઉડાન ભરવા માટે સક્ષમ છે.
કોલંબો, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના સૌથી મોટો મુકાબલો એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની પૂર્વસંધ્યાએ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કરી દીધું છે કે ટીમ ઇન્ડિયા કોઈ પણ પડકારને પહોંચી વળવા તૈયાર છે. છેલ્લી મેચમાં પેટની તકલીફને કારણે બહાર રહેલા આક્રમક ઓપનર અભિષેક શર્મા હવે ફિટ છે અને પાકિસ્તાન સામેની હાઈ-પ્રોફાઈલ મેચમાં ધમાકેદાર વાપસી કરશે.
રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ નિવેદન આપ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે અભિષેક શર્મા આ મેચમાં રમે. આ વાતનો જવાબ આપતા સૂર્યકુમારે રમૂજી અંદાજમાં કહ્યું, જાે તેઓ (પાકિસ્તાન) ઈચ્છે છે કે અભિષેક રમે, તો અમે ચોક્કસપણે તેમને કાલે મેદાનમાં ઉતારીશું. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારતીય છાવણીમાં આત્મવિશ્વાસ છલોછલ છે.
પાકિસ્તાનના નવા મિસ્ટ્રી સ્પિનર ઉસ્માન તારિક અંગે પૂછાયેલા સવાલ પર સૂર્યાએ કડક શબ્દોમાં કહ્યું, અમે ઉસ્માન તારિક સામે સરેન્ડર કરી શકીએ નહીં. અમે અગાઉ પણ આવા અઘરા બોલરોનો સામનો કર્યો છે અને આ વખતે પણ અમારી પાસે તેનો તોડ તૈયાર છે.
એક પત્રકારના સવાલ- શું પાક. ટીમ સાથે ભારતીય ખેલાડીઓ હાથ મિલાવશે?પર જવાબ આપતાં ભારતીય કપ્તાન સૂર્યકુમારે કહ્યું કે, ૨૪ કલાક રાહ જુઓ, ટોસ સમયે ખબર પડી જશે કે અમે શું નક્કી કર્યું છે.
કોલંબોના અનિશ્ચિત હવામાન અંગે કેપ્ટને કહ્યું કે વરસાદ પર અમારો કાબૂ નથી, પણ સારું ક્રિકેટ રમવંક એ અમારા હાથમાં છે. અમે આ મેચ માટે માનસિક રીતે પૂરેપૂરી રીતે તૈયાર છીએ અને અમારું ધ્યાન માત્ર અમારી પ્રોસેસ પર છે. સૂર્યકુમાર યાદવની પ્રેસ કોન્ફરન્સ જાેતા લાગે છે કે ટીમ ઇન્ડિયા માત્ર રમત પર જ નહીં, પણ પાકિસ્તાન સામેના માઇન્ડ ગેમ્સ પર પણ પૂરો કાબૂ ધરાવે છે. અભિષેક શર્માની વાપસી પાકિસ્તાની બોલરો માટે ચોક્કસપણે મુશ્કેલી ઉભી કરશે.
ઢાકા, બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાયેલી ૧૩મી સંસદીય ચૂંટણીમાં ૨૦ વર્ષના લાંબા વિરામ બાદ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) એ ભવ્ય જીત મેળવી છે. ૨૯૯ બેઠકોમાંથી બીએનપી અત્યાર સુધીમાં ૧૬૫ બેઠકો પર વિજયી બની છે, જેનાથી પક્ષના અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનનું વડાપ્રધાન બનવું હવે નિશ્ચિત મનાય છે. તારિક રહેમાને પોતે બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંનેમાં વિજય મેળવ્યો છે.
આ વખતે ૫૯.૪૪ ટકા મતદાન નોંધાયું છે, જે ૨૦૨૪ની ચૂંટણીના ૪૧.૮ ટકા કરતા અંદાજે ૧૭ ટકા વધારે હતું. જેમાં તારેઈખ રહેમાનની પાર્ટી બીએનપીને ફાળે અત્યાર સુધી ૧૬૫ બેઠક આવી છે. જ્યારે જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વમાં ૧૧ પક્ષોના ગઠબંધનને ૪૫ બેઠકો મળી છે, જેમાં જમાત ચીફ શફીકુર રહેમાને ઢાકા-૧૫ બેઠક પર જીત મેળવી છે. ચૂંટણીમાં કુલ ૧૯૮૧ ઉમેદવારમાંથી માત્ર ૭૮ મહિલા મેદાનમાં હતી, જેમાંથી ૭ મહિલાને જીત મળી છે. પૂર્વ પીએમ હસીનાના ગઢ ગણાતા ગોપાલગંજ જિલ્લાની ત્રણેય બેઠકો પર બીએનપીના ઉમેદવારો વિજેતા બન્યા છે. ગોપાલગંજ-૧ બેઠક પર સલીમ જમાન મોલ્લા, ગોપાલગંજ-૨ બેઠક પર ડો. કેએમ બાબર અને ગોપાલગંજ-૩ બેઠક પર એસએમ જિલાનીએ જીત મેળવી. આ ત્રણેય બીએનપીના ઉમેદવારો છે. ગોપાલગંજ એ જ જિલ્લો છે જ્યાં શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક નેતા શેખ મુજીબનું ઘર હતું. શેખ મુજીબનું પૈતૃક ગામ ટુંગીપાડા પણ આ જ જિલ્લામાં છે. આ જ કારણોસર આ વિસ્તાર અવામી લીગનો મજબૂત ગઢ માનવામાં આવે છે.તે ઉપરાંત ૩ બેઠકો પર અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. અત્યાર સુધી ૨૦૬ બેઠકોના પરિણામો સામે આવ્યા છે. સામાન્ય ચૂંટણી માટે બપોરે ૨ વાગ્યા સુધી ૪૮ ટકા મતદાન થયું હતું. મતદાન સાંજે ૪:૩૦ સુધી ચાલ્યું હતું. હજુ કુલ મતદાનના આંકડા આવવાના બાકી છે. હાલમાં ઢાકા શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે. તારિક રહેમાને વિજયની કોઈ પણ જાતની રેલી કે જુલૂસ ન કાઢવા અને કાર્યકર્તાઓને સંયમ જાળવવા અપીલ કરી છે.
બંધારણીય સુધારાને જનતાની મહોર
સંસદીય ચૂંટણીની સાથે જ દેશમાં બંધારણીય સુધારા માટે જનમત સંગ્રહ પણ યોજાયો હતો, જેમાં ૬૮.૦૬ ટકા લોકોએ હાની તરફેણમાં મતદાન કર્યું છે. આ સુધારા હેઠળ વડાપ્રધાનની સત્તામાં કાપ મૂકાશે અને રાષ્ટ્રપતિના અધિકારો વધશે. હવે કોઈ પણ વ્યક્તિ જીવનમાં મહત્તમ ૧૦ વર્ષ સુધી જ વડાપ્રધાન રહી શકશે. બાંગ્લાદેશમાં હવે બે ગૃહોવાળી સંસદની વ્યવસ્થા અમલમાં આવશે. કુલ ૪૮,૦૭૪,૪૨૯ મતો હાની તરફેણમાં પડ્યા, જ્યારે ૨૨,૫૬૫,૬૨૭ મતો નાની તરફેણમાં પડ્યા.
અભિનંદન પાઠવવામાં પાકિસ્તાન પણ જાેડાયું
.ના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું હતું કે, પાકિસ્તાન બાંગ્લાદેશની લોકતાંત્રિક આકાંક્ષાઓને સમર્થન આપે છે. અમે નવી સરકાર સાથે વેપાર, સંરક્ષણ અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા કામ કરવા તૈયાર છે.
પીએમ અને મમતાના અભિનંદન
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાનને જીત બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું છેકે, આ જીત જનતાના તેમના નેતૃત્વ પરના ભરોસાને દર્શાવે છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ તારિક રહેમાનને ‘ભાઈ’ કહીને શુભકામનાઓ પાઠવી છે. અમેરિકા અને પાકિસ્તાને પણ નવી સરકાર સાથે વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
Loading ...
