ફિલિપાઇન્સમાં સોમવારે સવારે ૭.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે અનેક ઇમારતોને નુકસાન થયું છે. અત્યાર સુધીમાં ૧૯ લોકોનાં મોત થયા છે, જ્યારે ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અનુસાર, ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે ૫:૦૭ વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મિન્ડાનાઓ ટાપુ નજીક સમુદ્રમાં હતું. તે સારંગાની પ્રાંતના માસીમ શહેરથી ૩૨ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અને ૩૩ કિ.મી.ની ઊંડાઈએ આવ્યો હતો. આ વર્ષે ફિલિપાઇન્સમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.ભૂકંપ બાદ સુનામી પણ આવી હતી. સૌથી ઊંચી લહેરની ઊંચાઈ ૪.૬ ફૂટ રહી હતી. સુનામીની ચેતવણી થોડા કલાકો પછી પાછી ખેંચી લેવાઇ હતી.
સોમવારે બપોરે આશરે દોઢ વાગ્યે ઓમાનના પૂર્વીય દરિયા કિનારે એક વિદેશી ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર ‘મેરીવેક્સ‘માં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ જહાજ પર ૨૪ ભારતીય નાવિકો સવાર હતા. શિપિંગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં તમામ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. શિપિંગ મંત્રાલયના ડાયરેક્ટર ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું કે આ ભયાનક આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી અને તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, સૌથી મોટી સકારાત્મક બાબત એ હતી કે આ ટેન્કર તે સમયે ખાલી હતું, એટલે કે તેમાં કોઈ પણ પ્રકારનો ઓઇલ કે ગેસનો કાર્ગો ભરેલો નહોતો. જાે તેમાં કાર્ગો હોત તો મોટો વિસ્ફોટ થવાનું જાેખમ વધી ગયું હોત. ડાયરેક્ટર શર્માએ ઉમેર્યું કે શિપિંગ મંત્રાલય આ મામલે વધુ સચોટ માહિતી મેળવવા માટે વિદેશ મંત્રાલય અને જહાજના માલિકના સતત સંપર્કમાં છે. ગ્લોબલ શિપ ટ્રેકિંગ ડેટા પૂરો પાડતી સંસ્થા ‘મરીન ટ્રાફિક’ના ડેટા અનુસાર, ઓઇલ ટેન્કર મેરીવેક્સ ભારતના કર્ણાટકમાં આવેલા કારવાર બંદરેથી રવાના થયું હતું અને ઓમાનના દુકમ બંદર તરફ આગળ વધી રહ્યું હતું, તે દરમિયાન જ ઓમાનના પૂર્વીય સમુદ્રમાં તે અકસ્માતનો ભોગ બન્યું હતું. ઓલ ઇન્ડિયા સીફેરર્સ યુનિયને પણ આ સેફ્ટી ઓપરેશનની પુષ્ટિ કરી છે અને તમામ પરિવારોના સંપર્કમાં હોવાનું જણાવ્યું છે.
ધારાસભ્યો પછી હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ પણ મમતાનો સાથ છોડી દીધો છે. ન્યૂઝ એજન્સી અનુસાર, લોકસભાના ૨૮ સાંસદોમાંથી ૨૦ સાંસદોએ NDA સરકારને સમર્થન આપવાનો ર્નિણય કર્યો છે. સાંસદ અનેTMCના પૂર્વ નેતા કાકોલી ઘોષે પણ સોમવારે આ જ દાવો કર્યો. તેમણે જણાવ્યું કે ૨૦ સાંસદોએ NDA ને સમર્થન આપવાનો ર્નિણય કર્યો છે. આ અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર પણ મોકલી દેવામાં આવ્યો છે. તેમાંથી ૧૧ સાંસદોએ સોમવારે બપોરે કેન્દ્રીય મંત્રી અને મ્ત્નઁના બંગાળ પ્રભારી ભૂપેન્દ્ર યાદવના ઘરે મીટિંગ કરી. આ દરમિયાન બંગાળના ઝ્રસ્ શુભેન્દુ અધિકારી પણ તેમને મળવા પહોંચ્યા. આ બેઠકમાં લોકસભા સાંસદ કાકોલી ઘોષ, શતાબ્દી રોય, અબુ તાહિર, અરુપ ચક્રવર્તી, ખલીલુર રહેમાન, શર્મિલા સરકાર, અસિત મલ, કાલીપદ સોરેન, જગદીશ બસુનિયા અને પ્રસુન બેનર્જી હાજર રહ્યા.
લોકસભામાંTMCના હાલ ૨૮ અને રાજ્યસભામાં ૧૩ સાંસદો છે. આ પહેલા ૩ જૂને બંગાળના ૮૦માંથી ૫૮ ધારાસભ્યો અલગ જૂથ બનાવી ચૂક્યા છે. આ જૂથે ઋતબ્રતને પોતાના નેતા બનાવ્યા છે. ન્યૂઝ એજન્સી અનુસાર,TMCના ૨૦ સાંસદોની રવિવારે મોડી રાત્રે દિલ્હીના એક અજાણ્યા સ્થળે અનૌપચારિક બેઠક પણ થઈ. તેમાં સાંસદોએ વર્તમાન નેતૃત્વ વ્યવસ્થાને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો.
સોમવારે આ બેઠકની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી. ઘણાTMC સાંસદો એક ટેબલની આસપાસ બેઠેલા દેખાઈ રહ્યા છે. તે સમયે એક સાંસદના ફોટો પાડવા પર વિવાદ પણ થયો. તેમાં સુખેન્દુ શેખર પણ બેઠેલા દેખાઈ રહ્યા છે.TMC ના વરિષ્ઠ નેતા સુખેન્દુ શેખરે રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું અને પાર્ટી પણ છોડી દીધી. રાજીનામા પત્રમાં તેમણે મમતાના ૧૫ વર્ષના અરાજક શાસનને પાર્ટીની હારનું પરિણામ ગણાવ્યું હતું અને ભાજપના વખાણ કર્યા હતા. રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને સુખેન્દુ શેખરનું રાજીનામું મંજૂર કરી લીધું છે. સુખેન્દુએ રાજીનામા પછી મીડિયાને કહ્યું હતું કે પાર્ટીના ઘણા લોકો મમતા મનસ્વી રીતે પાર્ટી ચલાવી રહ્યા હતા, આ જ કારણોસર તેમણે રાજીનામું આપી દીધું.
ઈરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સીધા મિસાઈલ યુદ્ધની વચ્ચે સોમવારે હૂથીઓએ મધ્ય ઇઝરાયેલ તરફ કેટલાય રોકેટ દાગ્યા હતા. જાે કે, આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. આ હુમલા બાદ હૂથી જૂથના સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ મોટી ધમકી આપતા જણાવ્યું છે કે, લાલ સમુદ્રમાં ઇઝરાયેલી જહાજાેની અવરજવર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, અને હવે કોઈપણ ઇઝરાયેલી ટાર્ગેટને નિશાન બનાવવામાં આવશે. તેમણે ચેતવણી આપી કે, ઈંટનો જવાબ પથ્થરથી અપાશે અને ક્ષેત્રની પરિસ્થિતિઓ અનુસાર અમારા સૈન્ય અભિયાનો વધુ ઝડપી બનશે. રોકેટ હુમલાની જવાબદારી લેતા હૂથી પ્રવક્તાએ કહ્યું કે, ફ્રન્ટ્સની એકતાના સિદ્ધાંત હેઠળ અને લેબનાન, ઈરાન તેમજ ગાઝા વિરુદ્ધ ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીના જવાબમાં હૂથી દળોએ કબ્જા હેઠળના જાફા (તેલ અવીવ વિસ્તાર) માં સંવેદનશીલ ઠેકાણાઓ પર મિસાઇલોનો મારો ચલાવ્યો છે. સોમવારે સવારે યમનથી દાગવામાં આવેલી એક શક્તિશાળી મિસાઈલ બાદ ઇઝરાયેલના મોટાભાગના વિસ્તારોમાં એર રેડ (હવાઈ હુમલા) ની ચેતવણી આપતા સાયરન વાગી ઉઠ્યા હતા. આના એક દિવસ પહેલા જ ઈરાને ઇઝરાયેલ પર સીધો મિસાઈલ હુમલો કર્યો હતો.
Loading ...
