મોસ્કો, રશિયાની રાજધાની મોસ્કોમાં પુતિનના ટોચના જનરલ વ્લાદિમીર અલેકસેયેવ પર. હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રશિયન તપાસ સમિતિના પ્રવક્તા સ્વેત્લાના પેટ્રેન્કોએ આ માહિતી આપી હતી. આ હુમલો ઉત્તરપશ્ચિમ મોસ્કોના એક રહેણાંક વિસ્તારમાં થયો હતો. ૬ ફેબ્રુઆરીના રોજ જનરલ અલેકસેયેવ વોલોકોલામ્સ્કોય હાઇવે નજીક એક ઇમારતમાં હતા ત્યારે એક અજાણ્યા હુમલાખોરે તેમના પર હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. તેમણે કહ્યું કે હત્યાના પ્રયાસ અને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓ અને ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાસ્થળે પુરાવા એકઠા કરી રહ્યા છે. વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી સાક્ષીઓની પૂછપરછ કરાઇ રહી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે હુમલાખોરોને ઓળખવા અને પકડવા માટે એક સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. આ હુમલા પાછળ કોણ હોઈ શકે છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. જનરલ અલેકસેયેવ ૨૦૧૧થી રશિયાના લશ્કરી ગુપ્તચર વિભાગમાં ઉચ્ચ પદ પર છે. યુક્રેનિયન યુદ્ધની શરૂઆતથી, ઘણા વરિષ્ઠ રશિયન લશ્કરી અધિકારીઓ પર હુમલા કરવામાં આવ્યા છે.૨૦૨૫માં લેફ્ટનન્ટ જનરલ ફેમિલ સર્વરોવ કાર બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા.
વોશિંગ્ટનડીસી, તા.૬
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે, અમેરિકાએ ઈરાનમાં તેના નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવાની ચેતવણી આપી છે.
ઈરાનમાં “વર્ચ્યુઅલ યુએસ એમ્બેસી” દ્વારા જારી કરાયેલી સલાહમાં, સમગ્ર દેશમાં અશાંતિને ધ્યાનમાં રાખીને, અમેરિકન નાગરિકોને સ્થળાંતર માટે એક એવી યોજના વિકસાવવા વિનંતી કરવામાં આવી છે જે અમેરિકન સરકારની સહાય પર આધાર રાખતી નથી. સલાહમાં સૂચવવામાં આવ્યું છે કે જાે ફ્લાઇટ્સ રદ કરવામાં આવે તો, નાગરિકોએ સરહદ પાર કરીને આર્મેનિયા અથવા તુર્કી જવું જાેઈએ અને સલામત આશ્રયસ્થાનોમાં પહોંચવું જાેઈએ. નાગરિકોને પૂરતો ખોરાક, પાણી અને દવાનો સંગ્રહ કરવાની અને સુરક્ષિત ઇમારતની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકા અને ઈરાની નાગરિકતા ધરાવતા લોકોએ ખાસ કરીને સતર્ક રહેવાની જરૂર છે. ટ્રમ્પ અને ઈરાન વચ્ચેનો શબ્દયુદ્ધ હવે હુમલાની ધમકીઓ સુધી વધી ગયો છે. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન મધ્ય પૂર્વમાં નવા યુદ્ધને રોકવા માટે તેમના તમામ પ્રયાસો કરી રહ્યા છે.
વોશિંગ્ટન, યુએસએ ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ગુનાઓ પરની તેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી છે, જેમાં ૮૯ ભારતીય નાગરિકોને “સૌથી ખરાબમાં ખરાબ” યાદીમાં ઉમેરી દેવાયા છે. આ યાદી યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા એક નવી જાહેર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી હતી જેમાં ગંભીર ગુનાઓમાં દોષિત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનું વર્ણન કરાયું છે. વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ વેબસાઇટમાં ગુનેગારોના નામ, ફોટોગ્રાફ્સ, રાષ્ટ્રીયતા અને ગુનેગારો દ્વારા કરવામાં આવેલા ગુનાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. વિભાગ જણાવે છે કે આ પહેલનો હેતુ અમેરિકન નાગરિકોને બતાવવાનો છે કે કયા ગુનેગાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે અને તેમના સમુદાયોમાંથી દૂર કરવામાં આવ્યા છે. હત્યા, જાતીય ગુનાઓ, ડ્રગ હેરફેર અને હિંસક ગુનાઓમાં સંડોવાયેલા લોકો પ્રથમ સૂચિબદ્ધ છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ આ વેબસાઇટની માહિતી શેર કરી અને કહ્યું કે હવે સામાન્ય લોકો પોતે જાેઈ શકે છે કે કયા ગુનેગારો પકડાયા છે, તેમણે કયા ગુના કર્યા છે અને કયા વિસ્તારોમાંથી તેમને દૂર કરાયા છે. યાદીમાં સમાવિષ્ટ ૮૯ ભારતીય નાગરિકો પર જાતીય ગુનાઓ, બળાત્કાર, ડ્રગ્સની હેરાફેરી, ચોરી, ડીયુઆઇ , હિટ એન્ડ રન, દાણચોરી, છેતરપિંડી, લૂંટ, હુમલો, અપહરણ, મની લોન્ડરિંગ, ઘરેલુ હિંસા અને એક હત્યા જેવા ગંભીર આરોપો છે. આ બધા નામ એવા લોકોના છે જેમની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે.
પિથોરાગઢ, ભારતની સરહદે આવેલા નેપાળના બૈતાડીમાં દુલ્હનને લઈ જઇ રહેલી લગ્નની બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. જેમાં જઇ રહેલા તેર મહેમાનોના મોત અને ૩૪ ઘાયલ થયા છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ગુરુવારે રાત્રે, બૈતાડીના પુરચુની મ્યુનિસિપાલિટીના સત ભવને ગામથી બૈતાડીના સુનકુડા જઈ રહેલી દુલ્હનને લઈ જતી બસ પુરચુનીના બડગાંવ વળાંક પર કાબુ ગુમાવી દીધી અને ૧૫૦ મીટર ઊંડી ખાડીમાં પડી ગઈ. પોલીસ નિરીક્ષક બલદેવ બડુએ જણાવ્યું હતું કે રાત્રે નેપાળ એપીએફ, પોલીસ અને સ્થાનિક લોકોએ મુસાફરોને બચાવી લીધા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં કેશવ રાજ જાેશી (૪૦), અશોક રાજ જાેશી (૧૩), બસંત રાજ જાેશી (૩૫), બિષ્ણુ દત્ત જાેશી (૪૧), નરેશ રાજ જાેશી (૪૨), બિશન દત્ત જાેશી (૧૭), દીપક જાેશી (૨૮), કિશન જાેશી (૪૬), મોહન દેવ ભટ્ટ (૬૦), કેશવ ભટ્ટ (૨૭), બજંગ કેદારસ્યુ, બજંગ જય પૃથ્વી,બસંત રાજ રતલા (૪૦), પુષ્પા અવસ્થી (૪૦), સુશીલ જાેશીનો સમાવેશ થાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર બલદેવ બડુએ જણાવ્યું હતું કે અકસ્માતમાં છ મહેમાનોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પાંચ મહેમાનોનું દાડેલધુરા હોસ્પિટલમાં અને બેનું કોટિલા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. અન્ય ઘણા ઘાયલ મહેમાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ઇસ્લામાબાદ,પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. શુક્રવારની નમાજ દરમિયાન તરલાઈ વિસ્તારમાં આવેલા ઇમામ બરગાહ ખાદીજાત-ઉલ-કુબ્રામાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ સમગ્ર શહેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. ફિત્ના અલ-ખાવરીજ સાથે સંકળાયેલા હુમલાખોરે ગેટ પર રોકાયા બાદ પોતાને ઉડાવી દીધો હતો. વિસ્ફોટનું સ્થળ શિયા મસ્જિદ છે. આ વિસ્ફોટમાં ૩૧ લોકો માર્યા ગયા છે.૧૬૯ થી વધુ ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. વિસ્ફોટ એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હતો. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવની બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન આ હુમલો થયો હતો. પીઆઇએમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નિર્દેશ પર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે..
Loading ...
