દિલ્હી વિધાનસભામાં સુરક્ષાની ગંભીર બેદરકારી સામે આવી છે. આજ રોજ એક અજ્ઞાત કાર વિધાનસભાનો ગેટ તોડીને અંદર ઘૂસી ગઈ હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં હડકંપ મચી ગયો છે. ઉત્તરપ્રદેશ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી સફેદ રંગની ટાટા સિયેરા કાર બપોરે ૨:૦૫ વાગ્યે મોલ રોડ પર આવેલા અને સામાન્ય રીતે બંધ રહેતા ગેટ નંબર ૨ને તોડીને વીઆઈપી એન્ટ્રીથી અંદર પ્રવેશી હતી. માહિતી અનુસાર, કાર સવાર શખ્સોએ વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની ગાડી પર શાહી ફેંકી હતી. એટલું જ નહીં, કાર ચાલકે વિધાનસભા અધ્યક્ષની ઓફિસ પાસે બરામદામાં ફૂલોનો એક ગુલદસ્તો પણ મૂક્યો હોવાની માહિતી મળી રહી છે. આ હરકત કર્યા બાદ આરોપીઓ તે જ કારમાં પૂરપાટ ઝડપે ગેટની બહાર નીકળીને ફરાર થઈ ગયા હતા. જે ગેટથી આ કાર અંદર ઘૂસી ત્યાં ઝ્રઇઁહ્લના જવાનો તૈનાત હતા, તેમ છતાં કાર અંદર ઘૂસવામાં સફળ રહી હતી. દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ વિધાનસભા પરિસરમાં તપાસ કરી રહ્યા છે.
ડીસીપીના જણાવ્યા અનુસાર, કારની ટક્કરથી લોખંડનો ગેટ પણ ક્ષતિગ્રસ્ત થયો છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ ખંગાળી રહી છે અને યુપી નંબરની તે કારના આધારે આરોપીઓની ઓળખ કરવા અને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. દિલ્હી વિધાનસભામાં બનેલી આ ઘટનાએ સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષાના દાવાઓ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
ઈઝરાયલે સોમવારે ઈરાનમાં અનેક મહત્વના સૈન્ય મથકો પર હુમલા કર્યા છે. તેહરાન પાસે આવેલા ત્રણ એરપોર્ટ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલનું કહેવું છે કે આ હુમલાઓમાં અનેક એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને અન્ય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન બુશેહરમાં ઈરાનના મોટા નેવી બેઝ પર પણ જાેરદાર વિસ્ફોટ થયો હતો. અહીં નેવલ બેઝની સાથે એરફોર્સ બેઝ, એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ અને ડ્રોનના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ આવેલા હતા.
ઈઝરાયલે ઈરાનની સૌથી મોટા ગેસ ફિલ્ડ, સાઉથ પાર્સ પર પણ ફરીથી હુમલો કર્યો છે. આ વિશ્વનો સૌથી મોટો ગેસ ફિલ્ડ છે અને ઈરાન માટે અત્યંત મહત્વનું છે. આ હુમલાથી ઈરાનના ઉર્જા પુરવઠા અને અર્થવ્યવસ્થા પર માઠી અસર પડી શકે છે.ઈઝરાયલે સોમવારે ઈરાનની સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર ફરીથી મિસાઈલ હુમલો કર્યો છે.
આ વિશ્વની સૌથી મોટું ગેસ ફિલ્ડ છે, જે ઈરાન અને કતાર વચ્ચે ફેલાયેલું છે.કૈરોમાં ઈરાની રાજદ્વારી મિશનના વડા મોજતબા ફરદૌસી પોરે પ્રેસને જણાવ્યું હતું કે, અમે ફક્ત યુદ્ધવિરામ નહીં સ્વીકારીએ. અમને ખાતરી જાેઈએ કે અમારા પર ફરીથી હુમલો કરવામાં આવશે નહીં.
ઈરાનના પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર ઈઝરાયલનો હુમલો
ઈઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઈરાનના અસાલુયેહમાં આવેલા સૌથી મોટા પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર હુમલો કર્યો છે. આ પ્લાન્ટમાં ઈરાનનું લગભગ ૫૦% પેટ્રોકેમિકલ પ્રોડક્શન થતું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે આ પહેલા પણ એક અન્ય મોટા પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ બંને હુમલા બાદ ઈરાનના મોટાભાગના પેટ્રોકેમિકલ પ્લાન્ટ કાર્યરત નથી. હુમલાઓથી ઈરાનને અબજાે ડોલરનું નુકસાન થયું છે અને તેનાથી તેના સૈન્ય ખર્ચ પર પણ માઠી અસર પડશે.
ઈરાનમાં એરપોર્ટ અને નેવી બેઝ પર બોંબમારો
ઈઝરાયલે. તેહરાન પાસે આવેલા ત્રણ એરપોર્ટ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. બુશેહરમાં ઈરાનના મોટા નેવી બેઝ પર પણ જાેરદાર વિસ્ફોટ થયો હતો. નેવલ બેઝની સાથે એરફોર્સ બેઝ, એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ અને ડ્રોનના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ આવેલા હતા.
ઇન્ટેલિજન્સ ચીફ માજિદ ખાદેમીનું ેંજી-ઈઝરાયલના એરસ્ટ્રાઇકમાં મોત
અમેરિકા-ઈઝરાયલે આજે ઈરાન પર ભયાનક હુમલા કર્યા છે, જેમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સના ઇન્ટેલિજન્સ ચીફ જનરલ મજીદ ખાદમીનું મોત થયું છે. ઈરાને ખાદમીના મોતની પુષ્ટિ કરી છે, તો આ મુદ્દે ઈઝરાયલે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. આઇઆરજીસીએ પોતાની ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરીને ખાદમીનું મોત થયું હોવાની માહિતી આપી છે. પોસ્ટમાં લખાયું છે કે, ‘અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં, દુશ્મને ૬ એપ્રિલની સવારે કરેલા આતંકવાદી હુમલામાં આઇઆરજીસીના ગુપ્ત સંગઠનના ચીફ મેજર જનરલ મજીદ ખાદમી શહીદ થયા છે.’ ે
મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ વચ્ચે કેન્દ્ર સરકારે ૫ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના વેચાણના નિયમોને સરળ બનાવ્યા છે. હવે કોઈપણ વ્યક્તિ કોઈપણ એડ્રેસ પ્રૂફ વિના નાનો ગેસ સિલિન્ડર ખરીદી શકશે. પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર, આ પગલું પ્રવાસી મજૂરો અને એવા લોકો માટે લેવામાં આવ્યું છે, જેમની પાસે શહેરમાં કોઈ કાયમી સરનામું નથી. હવે ગ્રાહકોએ ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને ફક્ત પોતાની કોઈપણ એક ફોટો-આઈડી બતાવવી પડશે અને તેઓ તરત જ સિલિન્ડર લઈ શકશે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ૫ કિલોગ્રામના ફ્રી ટ્રેડ એલપીજી (એફટીએલ) સિલિન્ડર માટે હવે ઘણા બધા ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. ગ્રાહકો આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી જેવા ડોક્યુમેન્ટ્સ બતાવીને સિલિન્ડર લઈ શકે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એનર્જી લોજિસ્ટિક્સ પર અસર પડી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે નાના સિલિન્ડરોની ઉપલબ્ધતા વધારવાનો પણ ર્નિણય કર્યો છે.
અરૂણાચલ પ્રદેશના ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડૂના પરિવારજનોની કંપનીઓને રાજ્યના સરકારના કામોના કોન્ટ્રાક્ટ અપાયા હોવાના કથિત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનવાણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે આ મામલે ઝ્રમ્ૈંને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સીબીઆઈને બે અઠવાડિયાની અંદર તપાસ શરૂ કરવા અને ૧૬ સપ્તાહમાં તપાસનો રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવા કહ્યું છે. ન્યાયાધીશ વિક્રમ નાથની બેંચે સીબીઆઈને આદેશ આપ્યો છે કે, એક જાન્યુઆરી-૨૦૧૫થી ૩૧ ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં રાજ્યમાં કેટલાક જાહેર કાર્યો થયા, કેટલા કોન્ટ્રાક્ટ અપાયા અને કોના દ્વારા આદેશ આપ્યા બાદ કામની ફાળવણી કરાઈ સહિતની સીબીઆઈ તપાસ કરે. સુનાવણી દરમિયાન કોર્ટમાં દલીલ કરાઈ છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં મુખ્યમંત્રી ખાંડૂના પરિવારજનો સાથે જાેડાયેલી કંપનીઓને ૧૨૭૦ કરોડના સરકારી કોન્ટ્રાક્ટ અપાયા છે.
અરજદાર તરફથી એડવોકેટ પ્રશાંત ભૂષણે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાનો ઉલ્લેખ કરીને દલીલ કરી છે કે, રાજ્યમાં ઘણા કોન્ટ્રાક્ટ મુખ્યમંત્રીના પરિવારની માલિકીની કંપનીઓને અપાયા છે. જાેકે રાજ્ય તરફથી હાજર થયેલા વકીલે કહ્યું હતું કે, આ અરજી પ્રાયોજિત કેસ છે. સુપ્રીમ કોર્ટે અગાઉ બે ડિસેમ્બર-૨૦૨૫માં સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે અરૂણાચલ પ્રદેશ સરકારને આદેશ આપ્યો હતો કે, સરકાર મુખ્યમંત્રીના પરિવારજનોની કંપનીઓને અપાયેલા કોન્ટ્રાક્ટ સહિત ૨૦૧૫થી ૨૦૨૫ સુધીમાં અપાયેલા તમામ કોન્ટ્રાક્ટનું સોગંદનામું કોર્ટમાં રજૂ કરે. આ કેસમાં પેમા ખાંડુ, તેમના પિતા દોરજી ખાંડૂના બીજી પત્ની રિંચિન ડ્રેમા અને તેમના ભત્રીજા ત્સેરિંગ તાશીને પક્ષકાર બનાવાયા છે.
તમિલનાડુની મદુરાઈ કોર્ટે સથાનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં ૯ પોલીસકર્મીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. કોર્ટે તેને ‘રેરેસ્ટ ઓફ રેર’ (અતિ દુર્લભ) ગણાવતા અત્યંત ક્રૂરતા અને સત્તાના દુરુપયોગનો મામલો ગણાવ્યો હતો. આ મામલો ૨૦૨૦માં પિતા-પુત્રના કસ્ટડીમાં થયેલા મૃત્યુ સાથે સંબંધિત છે. છ વર્ષ ચાલેલી સુનાવણી બાદ ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જી. મુથુકુમારને તમામ આરોપીઓને હત્યા અને અન્ય કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે સીબીઆઈની દલીલ સ્વીકારી કે કસ્ટડીમાં આપવામાં આવેલી યાતના સુનિયોજિત હતી. આખી રાત ટોર્ચર કરવામાં આવ્યું, તેથી મહત્તમ સજા આપવામાં આવી હતી.
વાસ્તવમાં, આ મામલો ૧૯ જૂન ૨૦૨૦નો છે. પોલીસે વેપારી પી. જયરાજ (૫૯) અને તેમના પુત્ર જે. બેનિક્સ (૩૧)ને લોકડાઉન દરમિયાન દુકાન ખુલ્લી રાખવાના આરોપમાં કસ્ટડીમાં લીધા હતા. બંનેને સથાનકુલમ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને પછી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, જ્યાં થોડા જ દિવસોમાં તેમનું મૃત્યુ થયું હતું.પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ સ્ટેશનમાં આખી રાત બંને સાથે મારપીટ કરવામાં આવી હતી. તેમના શરીર પર ગંભીર ઈજાના નિશાન અને લોહી વહેવાના સંકેતો મળ્યા હતા. મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશ પર તપાસ રાજ્યની સીબી-સીઆઇડી પાસેથી લઈને સીબીઆઈને સોંપવામાં આવી હતી. એજન્સીએ એક ઇન્સ્પેક્ટર, બે સબ-ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસકર્મીઓ સહિત ૧૦ આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન એક મહિલા કોન્સ્ટેબલે નિવેદન આપ્યું કે પિતા-પુત્રને આખી રાત માર મારવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ટેબલ અને લાકડીઓ પર લોહીના નિશાન હતા. આ જુબાની કેસમાં મહત્વપૂર્ણ પુરાવો બની ગઈ હતી.તપાસમાં એ પણ સામે આવ્યું કે સથાનકુલમ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવામાં આવ્યા ન હતા. રેકોર્ડિંગ દરરોજ આપમેળે ડિલીટ થઈ જતું હતું, જેના કારણે મહત્વપૂર્ણ પુરાવા મળી
શક્યા નહીં.
આખી ઘટના શું હતી?
• ૧૯ જૂન, ૨૦૨૦: લોકડાઉન દરમિયાન નિર્ધારિત સમય કરતા વધુ સમય દુકાન ખુલ્લી રાખવાના આરોપમાં જયરાજ અને બેનિક્સની અટકાયત કરાઈ.
• પોલીસ સ્ટેશનમાં અત્યાચાર: રાત્રિ દરમિયાન પોલીસ સ્ટેશનમાં બંનેને બેરહેમીથી માર મારવામાં આવ્યો.
• ક્રૂરતાની પરાકાષ્ઠા: પિતા અને પુત્રને બદલાની ભાવનાથી નગ્ન કરી બેરહેમીથી પીટવામાં આવ્યા હતા.
• મોત: ૨૨ જૂને પુત્ર બેનિક્સ અને ૨૩ જૂને પિતા જયરાજનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું.
દોષિત પોલીસકર્મીઓ
ઈન્સ્પેક્ટર એસ. શ્રીધર, સબ-ઈન્સ્પેક્ટર કે. બાલકૃષ્ણન અને પી. રઘુ ગણેશ, હેડ કોન્સ્ટેબલ એસ. મુરુગન અને એ. સમદુરાઈ, તેમજ કોન્સ્ટેબલ એમ. મુથુરાજા, એસ. ચેલાદુરાઈ, એક્સ થોમસ ફ્રાન્સિસ અને એસ. વેલમુથુ. (૧૦મો દોષિત પાલદુરાઈ ૨૦૨૦માં કોવિડથી મૃત્યુ પામ્યો હતો)
Loading ...
