નવી દિલ્હી, લોકસભાના સ્પીકર ઓમ બિરલાનું કહેવું છે કે, તેમણે જ વડાપ્રધાનને સંસદમાં આવવાની મનાઈ કરી હતી. તેમણે મોટો દાવો કરતા કહ્યું કે, આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે કોંગ્રેસના સાંસદો તેમના પર શારીરિક હુમલો કરી શકતા હોત. આ દરમિયાન હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. સ્પીકરે કહ્યું કે, જાે કોઈ ઘટના બની હોત તો લોકશાહીની ગરિમા ખરડાઈ હોત. તેનાથી બચવા માટે મેં પીએમને વિનંતી કરી કે, તેઓ ગૃહમાં જ ન આવે.
આખરે તેમના ભાષણ વિના જ આભાર પ્રસ્તાવને મંજૂરી આપવાનો ર્નિણય લેવામાં આવ્યો. આ અંગે વાત કરતા ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ કહ્યું કે, તે વાત સાચી છે કે પીએમ મોદીની સુરક્ષા ખતરામાં હતી. તેથી અમે આભારી છીએ કે લોકસભા સ્પીકરે બુધવારે પીએમ મોદીને સંસદમાં આવતા અટકાવ્યા.જ્યારે આ અંગે પ્રિયંકા ગાંધીને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, આવી વાતો ખોટી છે. તેમણે કહ્યું કે, જાે ત્રણ મહિલા સાંસદો પીએમ નરેન્દ્ર મોદીની નજીક ઉભી રહે છે, તો તેઓ ખતરો અનુભવે છે. આ કેવા પ્રકારની વાત છે? એટલું જ નહીં, તેમણે મીડિયા કર્મચારીઓને પણ પ્રશ્ન કર્યો કે, તેમણે અમિત શાહ કે મોદીને કેમ પૂછ્યું નહીં કે વિપક્ષના નેતાને શા માટે બોલવા દેવામાં આવ્યા નથી. રાહુલ ગાંધીને સંસદમાં બોલતા અટકાવવાનો આધાર શું હતો? તેઓ આ વિશે શું કઈ કહેશે? તેમણે કહ્યું કે, શું તમે સરકારને કોઈ પ્રશ્ન પૂછી શકો છો?લોકસભા સ્પીકરએ સંસદના કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત રાખવાની જાહેરાત કરી. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કેસ બુધવારે જે બન્યું તે ખૂબ જ અણધાર્યું હતું. તેમણે કહ્યું કે, લોકસભામાં વિપક્ષના કેટલાક સાંસદોનું જે વર્તન હતું, તે લોકસભાના ઇતિહાસમાં કાળા ડાઘ તરીકે નોંધાયું છે. તેમણે કહ્યું કે, જે પ્રકારનું વર્તન થયું તે અણધાર્યું હતું.
નવી દિલ્હી, રાજ્યસભામાં વિપક્ષના ભારે સૂત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના ભાષણ પરના આભાર પ્રસ્તાવ પર સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, આભાર પ્રસ્તાવના સમર્થન માટે આ ગૃહમાં મારી લાગણીઓ વ્યક્ત કરવી એ મારું સૌભાગ્ય છે. દેશ આજે ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. મારી એક વિનંતી છે, આદરણીય ખડગેજીની ઉંમરને ધ્યાનમાં રાખીને, જાે તેઓ બેઠા બેઠા ગીત ગાવા માંગતા હોય, તો તેઓ આમ કરી શકે છે. તેમની પાછળ ઘણા યુવા નેતાઓ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ સંસદમાં મધ્યમ વર્ગ, નીચલા મધ્યમ વર્ગ, ગરીબો, ગામડાઓ, ખેડૂતો, મહિલાઓ, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ખૂબ જ વિગતવાર વાત કરી છે અને ભારતની પ્રગતિને સમર્થન આપ્યું છે. તેમણે દેશના યુવાનો ભારતની ક્ષમતાને કેવી રીતે આગળ વધારી રહ્યા છે તેની પણ વિગતવાર ચર્ચા કરી. રાષ્ટ્રપતિએ ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ આપણા બધા માટે પ્રેરણાદાયક છે. તે
મણે કહ્યું, છેલ્લી સદીમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામનો બીજાે ક્વાર્ટર ખૂબ જ નિર્ણાયક હતો. હું સ્પષ્ટપણે જાેઉં છું કે આ બીજાે ક્વાર્ટર પણ એટલો જ શક્તિશાળી રહેશે અને વિકસિત ભારત બનાવવા તરફ એટલી જ ઝડપથી આગળ વધશે. રાષ્ટ્રના દરેક વ્યક્તિને લાગે છે કે આપણે એક મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયા છીએ. આપણે ન તો રોકાવું જાેઈએ કે ન તો પાછળ જાેવું જાેઈએ. આપણે ફક્ત આગળ જાેવું જાેઈએ અને આપણા લક્ષ્યો પ્રાપ્ત કર્યા પછી જ શ્વાસ લેવો જાેઈએ. આપણે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.
ભારતના અર્થતંત્ર વિશે પીએમ મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જ્યારે આપણે ૨૦૧૪માં સત્તામાં આવ્યા, જ્યારે દેશને આઝાદી મળી, ત્યારે દેશ છઠ્ઠા નંબરની અર્થવ્યવસ્થા હતો. આજે, આપણે વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનવાની નજીક છીએ. આજે, ભારત દરેક ક્ષેત્રમાં આત્મવિશ્વાસ સાથે વિકાસ કરી રહ્યું છે. વિશ્વ કોવિડ પછી ઉભી થયેલી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. તે સ્પષ્ટપણે દેખાય છેકે, વિશ્વ એક નવી વૈશ્વિક વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધ પછી એક વિશ્વ વ્યવસ્થા સ્થાપિત થઈ હતી. હવે, દેશ એક નવી વિશ્વ વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે. જાે આપણે બધી વર્તમાન ઘટનાઓનું બિન-રાજકીય રીતે વિશ્લેષણ કરીએ, તો ઝુકાવ ભારત તરફ રહેશે. વિશ્વ મિત્ર તરીકે, વિશ્વ ભાઈ તરીકે. આજે, ભારત વિશ્વના ઘણા દેશોનો વિશ્વસનીય ભાગીદાર બની ગયો છે. આપણે વૈશ્વિક કલ્યાણ તરફ ખભા મિલાવીને આગળ વધી રહ્યા છીએ.
આપણો દેશ યુવાન થઈ રહ્યો છે : મોદી
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, જાે આપણે વર્તમાનને જાેઈએ, તો ભારતના ભાગ્યના ઘણા સંયોગો એક સાથે આવી રહ્યા છે. આ પોતાનામાં એક અદ્ભુત સંયોગ છે. સૌથી મહત્વની વાત એછેકે, વિશ્વના સૌથી સમૃદ્ધ દેશો પણ વૃદ્ધ થઈ રહ્યા છે. તેમની વસ્તી તે વયના તબક્કા સુધી પહોંચી ગઈ છે જેને આપણે વૃદ્ધ તરીકે જાણીએ છીએ. જેમ જેમ આપણો દેશ વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો છે, તેમ તેમ આપણો દેશ પણ યુવાન બની રહ્યો છે. તે યુવા વસ્તી ધરાવતો દેશ બની રહ્યો છે.
ભારત પ્રત્યે વૈશ્વિક આકર્ષણ વધતું જાય છે
નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે, હું જાેઈ રહ્યો છું કે ભારત પ્રત્યે વિશ્વનું આકર્ષણ કેવી રીતે વધ્યું છે. વિશ્વ ભારતની પ્રતિભાના મહત્વને ઓળખી રહ્યું છે. આજે, આપણી પાસે વિશ્વમાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રતિભા પૂલ છે. સપના, નિશ્ચય અને શક્તિ સાથેનો યુવા પ્રતિભા પૂલ. આનો અર્થ એ છે કે આપણી પાસે શક્તિના આશીર્વાદ છે.
પીએમ મોદીએ ખડગેની ઉંમર પર કટાક્ષ કર્યો
વડાપ્રધાન મોદીએ વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેની ઉંમર પર પણ કટાક્ષ કર્યો. તેમણે જણાવ્યું હતું કે, આદરણીય ખડગેજીની ઉંમરને જાેતા, જાે તેઓ બેઠા બેઠા સૂત્રોચ્ચાર કરવા માંગતા હોય, તો તેઓ આમ કરી શકે છે. તેમની પાછળ ઘણા યુવા નેતાઓ છે.
આજે વિશ્વના પડકારોનો ઉકેલ ભારત પૂરો પાડી રહ્યું છે, ભારતનો વિકાસ ખૂબ જ ઊંચો : વડાપ્રધાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત એક એવો દેશ બની ગયો છે જે આજે વિશ્વમાં ઉભરી રહેલા પડકારોનો ઉકેલ પૂરો પાડે છે, એક એવો દેશ જે આશાનું કિરણ પૂરું પાડે છે, અને અમે ઉકેલો પૂરા પાડી રહ્યા છીએ. આજે, મુખ્ય અર્થતંત્રોમાં ભારતનો વિકાસ ખૂબ જ ઊંચો છે. ઉચ્ચ વિકાસ દર અને ઓછો ફુગાવો એક અનોખી સિદ્ધિ છે.
યુરોપિયન યુનિયન સાથેના એફટીએ વિશે તેમણે શું કહ્યું?
વડાપ્રધાને યુરોપીયન યુનિયન સાથેના એફટીએ અંગે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ વૈશ્વિક દક્ષિણની ચર્ચા કરે છે, પરંતુ તે ચર્ચાના સહાયક તરીકે, ભારત વૈશ્વિક પ્લેટફોર્મ પર વૈશ્વિક દક્ષિણનો મજબૂત અવાજ બની ગયો છે. આજે, ભારત ઘણા દેશો સાથે ભવિષ્ય માટે તૈયાર વેપાર સોદાઓમાં પ્રવેશ કરી રહ્યું છે. જેઓ થાકી ગયા હતા, ગરીબ સાથીઓ, તેઓ ચાલ્યા ગયા છે. પરંતુ તેમણે જવાબ આપવો પડશે કે તેઓ દેશમાં એવી પરિસ્થિતિ કેવી રીતે બનાવી શક્યા કે વિશ્વનો કોઈ દેશ અમારી સાથે કરાર કરવા માંગતો ન હતો. તમે પ્રયાસ કર્યો હશે, પરંતુ કોઈ તમારી સાથે આવવા માંગતું ન હતું. વિશ્વભરના દેશો હવે ભારત સાથે કારણ વગર સોદા કરી રહ્યા નથી. આ પાછળનું એક કારણ એ છે કે જ્યારે વિકસિત દેશ વિકાસશીલ દેશ સાથે વ્યવહાર કરે છે, ત્યારે તેને મોટું બજાર મળે છે. આ મારા માટે નવું નથી. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે મેં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કર્યું હતું. તે સમયે, આ વાઇબ્રન્ટ સમિટમાં રાજ્યના ભાગીદારોમાંનું એક જાપાન હતું. આ રાજ્ય માટે ગર્વની વાત હતી.
નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ પર કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે લોકસભામાં નિવેદન આપ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ કહ્યુ કે પીએમ મોદીના ફેબ્રુઆરી ૨૦૨૫ના અમેરિકાના પ્રવાસ બાદ બંને પક્ષોના વાર્તાકારોએ ગંભીર ચર્ચા કરી. ભારતીય પક્ષ પોતાના સંવેદનશીલ પક્ષોની રક્ષા કરવામાં સફળ રહ્યો. પીએમ મોદીએ ઘણીવાર ટ્ર્મ્પ સાથે વાતચીત કરી. ત્યારબાદ અમેરિકાએ ભારત પર ટેરિફ ૫૦ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરી દીધો છે. આ ટેરિફ દર ઘણા દેશો પર લાગેલા ટેરિફથી ઓછો છે. કૃષિ અને ડેરી ક્ષેત્રમાં આપણે ભારતના હિતને સુરક્ષિત રાખવામાં સફળ રહ્યાં છીએ.કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે લોકસભામાં કહ્યુ કે ભારત અને અમેરિકા એકબીજાની પૂરક અર્થવ્યવસ્થા છે. અમેરિકા ડેટા, ઉર્ચાના ક્ષેત્રમાં અગ્રણી દેશ છે અને આપણે આ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે. ઘણા ક્ષેત્રોમાં ભારતની નિકાસ અમેરિકામાં ખૂબ વધશે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા સાથે આ સમજુતિ નવાચારને ગતિ પ્રદાન કરશે. આ ભારતના હિતમાં છે અને દેશને ખૂબ લાભ થશે. સાંસદોના હંગામા વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યુ- પીએમ મોદીની ફેબ્રુઆરી ૨૦૨૫ની અમેરિકાની યાત્રા બાદ ભારત અને અમેરિકા વચ્ચે સંતુલિત, પરસ્પર રૂપથી, લાભકારી અને દ્વિપક્ષીય ટ્રેડ ડીલ કરવાને લઈને સતત અને નિયમિત ચર્ચા થતી રહી છે.
નવી દિલ્હી, લોકસભામાં બુધવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવનો જવાબ પીએમ નરેન્દ્ર મોદી આપવાના હતા, પરંતુ વિપક્ષના સતત હંગામાને કારણે તેમનું સંબોધન થઈ શક્યું નહોતું. સાંજે પાંચ વાગ્યે પીએમ મોદી જ્યારે ગૃહમાં પહોંચ્યા ત્યારે વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સ્પીકર ઓમ બિરલાની તમામ કોશિશ છતાં વિપક્ષી સાંસદો શાંત ન થતા અંતે ગૃહની કાર્યવાહી ગુરુવાર સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
ગૃહમાં આજે ફરી એકવાર શિસ્તના ધજાગરા ઉડ્યા હતા, જ્યાં વિપક્ષી સાંસદોએ અધ્યક્ષની ખુરશી તરફ કાગળો ઉડાડ્યા હતા. બપોરે ૨ વાગ્યે શરૂ થયેલી કાર્યવાહી માત્ર ૮ મિનિટ જ ચાલી શકી હતી. આ અગાઉ બપોરે ૧૨ વાગ્યે પણ ગૃહ માત્ર ૫ મિનિટ જ ચાલ્યું હતું. સતત ગતિરોધને કારણે પીએમ મોદી હવે ગુરુવારે ગૃહને સંબોધિત કરે તેવી શક્યતા છે.
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે પાંચ વાગ્યે સંસદમાં હાજર થયા ત્યારે ભાજપના સાંસદોએ ઉભા થઈને તેમનું સ્વાગત કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે હાથ જાેડી પીએમનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદી પોતાની બેઠક પર બેઠા તે પૂર્વે જ વિપક્ષી સાંસદોએ ફરી હોબાળો મચાવ્યો હતો. અહેવાલો મુજબ, વિપક્ષની મહિલા સાંસદોએ પીએમ મોદીની ખુરશીની આસપાસ ઘેરાબંધી કરી લીધી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની હતી.
પીએમનું સંબોધન ટળ્યા બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, પીએમ ડરી ગયા છે. આ નિવેદન સામે ભાજપના વિવેક ઠાકુરે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે અને વિપક્ષ તેના પરથી ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહ્યો છે. લોકશાહી માટે આ કમનસીબ બાબત છે. પીએમ મોદી કોઈનાથી ડરતા નથી.
બુધવારે સવારથી જ વિપક્ષના હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી ત્રણ વખત સ્થગિત કરવી પડી હતી. બુધવારે સાંજે ૫ વાગ્યે પીએમ મોદી આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવા માટે લોકસભામાં પહોંચી ગયા હતા. જાેકે, વિપક્ષના પ્રચંડ હંગામા અને નારેબાજીને કારણે સ્પીકરે ગૃહની કાર્યવાહી ગુરુવાર સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. અગાઉ પણ હંગામાને કારણે દિવસ દરમિયાન અનેકવાર કાર્યવાહી ખોરવાઈ હતી. કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે સરકાર પર સંસદને મજાક બનાવવાનો આરોપ મૂક્યો છે. હવે પીએમ મોદીનું સંબોધન ગુરુવારે થવાની શક્યતા છે.
પીએમનું ભાષણ ટળ્યા બાદ ભાજપ-કોંગ્રેસ આમને-સામને
ગૃહમાં વિવાદનું મુખ્ય કેન્દ્ર પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેનું પુસ્તક રહ્યું હતું, જે રાહુલ ગાંધી આજે ફરી ગૃહમાં લઈને આવ્યા હતા. રંજીત રંજન અને રાજીવ શુક્લાએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીને મેગેઝિન ક્વોટ કરવા બદલ બોલતા રોકવામાં આવ્યા, જ્યારે ભાજપના સાંસદને નહેરુ અને ઇન્દિરા ગાંધી વિરુદ્ધ અપશબ્દો બોલવાની મંજૂરી અપાઈ. આ ભેદભાવના વિરોધમાં કોંગ્રેસે રાજ્યસભામાંથી વૉકઆઉટ કર્યો હતો. જેનો જવાબ આપતા ભાજપના નિશિકાંત દુબેએ માંગ કરી હતી કે, ગૃહમાં ૧૫૦ જેટલા એવા પુસ્તકો પર ચર્ચા થવી જાેઈએ જે પ્રમાણિત છે, જ્યારે રાહુલ ગાંધી જે પુસ્તક બતાવે છે તે ક્યાંય છપાયું જ નથી. પીએમ મોદીનું સંબોધન ટળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએમ મોદી સંસદમાં નહીં આવે કારણ કે તેઓ ડરેલા છે અને સચ્ચાઈનો સામનો કરવા માંગતા નથી. જેના જવાબમાં ભાજપના મનજિંદર સિંહ સિરસાએ ગાંધી પરિવારને અસલી ગદ્દાર ગણાવ્યો, જ્યારે દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી હતી. કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પણ રાહુલ ગાંધી પર શીખ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો હતો.
વિપક્ષી મહિલા સાંસદો ઁસ્ પર હુમલાનું કાવતરું ઘડી રહી હતી
લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પૂર્વે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાતા રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના સાંસદ મનોજ તિવારીએ અત્યંત ગંભીર અને સનસનીખેજ દાવો કરતા જણાવ્યું હતું કે, વિપક્ષી મહિલા સાંસદો વડાપ્રધાન પર હુમલો કરવાની યોજના બનાવી રહી હતી. વિપક્ષી સાંસદો ટ્રેઝરી બેન્ચ તરફ ધસી આવ્યા હતા અને મહિલા સાંસદોએ પીએમની ખુરશીને ઘેરી લીધી હતી. તેમનો ઈરાદો પીએમની ખુરશી પર હુમલો કરવાનો હતો.
પુસ્તકો બતાવી સાંસદ નિશિકાંત દૂબેના પ્રહાર
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં ગાંધી પરિવાર અને કોંગ્રેસ પર લખાયેલા વિવિધ પુસ્તકો અને નોટ્સ પ્રદર્શિત કર્યા હતા. તેમણે એડવિના એન્ડ નહેરુ, રેમિનિસેન્સ ઓફ ધ નહેરુ એજ, ધ રેડ સાડી અને એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર જેવા પુસ્તકો ટાંકીને ગાંધી પરિવાર પર ભ્રષ્ટાચાર અને ગદ્દારીના ગંભીર આક્ષેપો કર્યા હતા.
ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં બેઠકોનો દોર
ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સ્પષ્ટ કર્યું હતું કે, જાે તેમના સભ્યોને બોલવા દેવામાં નહીં આવે, તો વિપક્ષ પણ સરકારના સભ્યોને બોલવા દેશે નહીં. આ તંગદિલી વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી. જેમાં વિપક્ષી સાંસદોએ સ્પીકરને મળીને નિશિકાંત દુબે સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ ગૃહમંત્રી અમિત શાહે સ્પીકર સાથે મુલાકાત કરી હતી, જેમાં નિશિકાંત દુબેને પણ બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અમિત શાહે પીએમ મોદી સાથે મુલાકાત કરીને ગૃહની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
ગૃહમાં ‘યુદ્ધ’ જેવી સ્થિતિ સર્જાઈ
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી ગૃહમાં આવે તે પહેલા જ વિપક્ષી સાંસદોએ નિશિકાંત દુબેના નિવેદન મુદ્દે ઘેરાબંધી કરી હતી. વિપક્ષી સાંસદો જનરલ નરવણેના પુસ્તકનું મોટું બેનર લઈને વેલમાં ધસી આવ્યા હતા. વિપક્ષની મહિલા સાંસદો પીએમની ખુરશી તરફ આગળ વધવા લાગી હતી અને તેઓ ટ્રેઝરી બેન્ચની બે હરોળ સુધી પહોંચી ગઈ હતી. સ્થિતિ વણસતી જાેઈને મ
નવી દિલ્હી, સંસદમાં બજેટ સત્રમાં આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંબોધન કર્યું. તેમણે ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો થયો હતો. કેન્દ્રના મોટા મંત્રીઓએ ઊભા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ ગાંધીએ કારવાંના પુસ્તક અને પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના ડોકલામ અંગેના પુસ્તકનો હવાલો આપતાં જ મામલો બીચક્યો હતો અને સંસદમાં હોબાળો મચી ગયો હતો. સત્તાપક્ષ તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને પડકારવાનો પ્રયાસ કર્યો હતો. હોબાળો વધી જતાં લોકસભાને ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ લોકો કહે છેકે, અમે આતંકવાદ સામે લડીએ છીએ પણ એક તથ્યથી ડરે છે. પુસ્તકમાં એવું તો શું છે જેને અમે ન વાંચી શકીએ. અમને વાંચવા તો દો. તેમાં એ તમામ હકીકતો જણાવાઈ છે જે ડોકલામમાં ઘટી હતી. આ પુસ્તક આર્મી જનરલ નરવણેએ જ લખ્યું છે. બસ આ વાત પર રાજનાથ સિંહ ભડક્યા અને તેમણે કહ્યું હતું કે, જાે નરવણેને લાગતું હતું કે રોક લગાવાઈ છે તો તેઓ કોર્ટ જઈ શકતા હતા. તેઓ કોર્ટ કેમ ન ગયા? રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચીનના ટેન્ક કૈલાશ રેન્જ પર ચઢી રહ્યા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન સામે પણ હોબાળો થવા લાગ્યો હતો.
ચીનની ઘૂસણખોરી મુદ્દે રાહુલ ગાંધીએ સંબોધન શરુ કરતાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઊભા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, જે માહિતી પ્રકાશિત ન થઈ હોય તેનો ઉલ્લેખ તમે અહીં ન કરી શકો. જે બાદ કોંગ્રેસના સાંસદોએ ભારે વિરોધ કરતાં કહ્યું હતું કે, હજુ રાહુલ ગાંધીએ બોલવાનું શરુ જ કર્યું છે.
રાજનાથ સિંહે આક્રોશમાં કહ્યું હતું કે, તમે જે પુસ્તકની વાત કરો છો તે પ્રકાશિત થઈ જ નથી. જે બાદ કોંગ્રેસના સાંસદોએ કહ્યું હતું કે, આ માહિતી મેગેઝીનમાં આવી ગઈ છે. સંસદમાં અગાઉ પણ મેગેઝીનના ક્વોટ બોલવામાં આવ્યા છે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઊભા થઈને કહ્યું હતું કે, તમે સ્પષ્ટતા કરો કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? મેગેઝીન તો કશું પણ લખી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું માત્ર ૫ જ વાક્ય બોલવા માંગુ છું જેમાં પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ નરવણેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ વિશે વાતો કહી છે. ત્યાર પછી સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, સંસદની કાર્યવાહી સાથે જાેડાયેલી ન હોય તેવી પુસ્તકનો કોઈ ઉલ્લેખ અહીં ન કરી શકો.
રાહુલ ગાંધીએ એક મેગેઝિનના લેખને ટાંકીને વાત કરી. આનાથી ટ્રેઝરી બેન્ચમાંથી પણ હોબાળો થયો. સંરક્ષણ મંત્રીએ વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે, તેમને આવું કરવાની મંજૂરી ન આપવી જાેઈએ. ચીનના મુદ્દાને સંવેદનશીલ ગણાવતા અખિલેશ યાદવે કહ્યું હતું કે, જાે કોઈ સૂચન રાષ્ટ્રીય હિતમાં હોય, તો વિપક્ષના નેતાએ તે વાંચવું જાેઈએ. ડૉ. લોહિયાથી મુલાયમ સિંહ યાદવ સુધીના ઉદાહરણો આપતા અખિલેશે કહ્યું હતું કે, આપણે ચીન સામે સાવધ રહેવું જાેઈએ.
Loading ...
