દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે વહેલી સવારે એક ભયાનક વિમાની અકસ્માત થતા રહી ગયો હતો. જ્યુરિખ જઈ રહેલા સ્વિસ એરના વિમાનના લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો નીકળતા જાેતા જ પાયલટે રનવે પર જ ટેક-ઓફ અટકાવી દીધું હતું. આ ઘટના બાદ એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
વિમાન જ્યારે રનવે પર ઉડાન ભરવા માટે દોડી રહ્યું હતું, ત્યારે અચાનક લેફ્ટ લેન્ડિંગ ગિયરમાંથી કાળો ધુમાડો નીકળતો દેખાયો હતો. પાયલટે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઇમરજન્સી બ્રેક લગાવી ટેક-ઓફ રદ કર્યું હતું. વિમાનમાં કુલ ૨૩૨ લોકો સવાર હતા, જેમને તાત્કાલિક બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.વિમાનના તમામ ૭ ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલી દેવામાં આવ્યા હતા અને મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડર (સીડી) દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા. આ અફરાતફરીમાં ૪ મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી ૩ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા મેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીના ૨૨૭ મુસાફરોને સુરક્ષિત રીતે રિસેપ્શન સેન્ટરમાં ખસેડાયા છે.ઘટનાની જાણ થતા જ ફાયર ટેન્ડરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ડાયલ દ્વારા ક્રાઇસિસ મેનેજમેન્ટ સેન્ટર અને મલ્ટી એજન્સી રિસ્પોન્સ ટીમને સક્રિય કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ટેકનિકલ ખામી હોવાની આશંકા સેવાઈ રહી છે, જાેકે ડ્ઢય્ઝ્રછ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે શનિવારે અરબી સમુદ્રમાં એક મહત્ત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને ઈરાન પર લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલા વેપારી જહાજ સેવાનને અટકાવ્યું છે. આ જહાજ ઈરાની ઓઈલ અને ગેસ ઉત્પાદનોને ગેરકાયદે રીતે વિદેશી બજારોમાં પહોંચાડતા શેડો ફ્લીટનો ભાગ હોવાનું અમેરિકી સેનાએ જણાવ્યું છે.અમેરિકી સુરક્ષા એજન્સીઓના મતે શેડો ફ્લીટએ ૧૯ જહાજાેનો એવો સમૂહ છે જે ઈરાન પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હોવા છતાં વિશ્વના અન્ય દેશોમાં ઓઈલ અને ગેસનું પરિવહન કરે છે. આ જહાજાે અબજાે ડોલરના મૂલ્યના ઓઈલ, ગેસ, પ્રોપેન અને બ્યુટેન જેવા ઉત્પાદનો ઈરાનથી બહાર લઈ જાય છે. ઈરાન આ જહાજાેનો ઉપયોગ અમેરિકી પ્રતિબંધોથી બચવા અને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત રાખવા માટે કરે છે. અમેરિકાએ આ તમામ ૧૯ જહાજાે પર કડક પ્રતિબંધો લાદેલા છે.આ કાર્યવાહી યુએસ નૌકાદળના માર્ગદર્શિત-મિસાઇલ વિનાશક યુએસએસ પિંકની દ્વારા હાથ ધરવામાં આવી હતી. વિનાશક જહાજના હેલિકોપ્ટરે અરબી સમુદ્રમાં સેવાન જહાજને અટકાવી તેને યુએસ લશ્કરી સૂચનાઓનું પાલન કરવા આદેશ આપ્યો હતો.
હૈદરાબાદથી ચેન્નાઈ જઈ રહેલી ચારમીનાર એક્સપ્રેસમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ટ્રેન જ્યારે તેલંગાણાના યાદદ્રી ભુવનગીરી જિલ્લાના અલેર સ્ટેશન નજીક પહોંચી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
ટ્રેનના જી૫ કોચમાં અચાનક ધુમાડો નીકળતો જાેવા મળ્યો હતો અને જાેતજાેતામાં આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. કોચમાં ધુમાડો ભરાઈ જતાં મુસાફરો ગભરાઈ ગયા હતા. ટ્રેન ઉભી રહે તે પહેલા જ પોતાનો જીવ બચાવવા માટે કેટલાક મુસાફરો ચાલુ ટ્રેને કોચમાંથી બહાર કૂદી પડ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ આગ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીને કારણે લાગી હોવાનું મનાય છે, જાેકે રેલવે દ્વારા સત્તાવાર તપાસ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે. ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવતા મોટી હોનારત ટળી હતી. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી, પરંતુ અફરાતફરીમાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની શક્યતા છે.
ઘટના સ્થળે હાજર મુસાફરોના જણાવ્યા મુજબ, ટ્રેન અલેર સ્ટેશનની નજીક હતી ત્યારે અચાનક કોચમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. મુસાફરોએ તુરંત ચેઈન પુલિંગ કરીને ટ્રેન ઉભી રાખી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ટ્રેનના કોચમાંથી કાળો ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળતી સ્પષ્ટ જાેઈ શકાય છે. રેલવે કર્મચારીઓ અને સ્થાનિક રાહત ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
હજારીબાગ જિલ્લાના ચૌપારણ સ્થિત દનુઆ ઘાટીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના ૬ લોકોના મોત થઈ ગયા છે. બીસીસીએલના ગોવિંદપુર વિસ્તાર હેઠળ મહેશપુર કોલિયરીમાં લાઈનમેન શિવ કુમાર ભુઈયા પોતાની કારથી પરિવાર સાથે ગયાજીના આમસમાં એક કૌટુંબિક લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતા. જ્યારે ધનબાદ નંબર પ્લેટવાળી કાર ચૌપારણના દનુઆ ઘાટીના જાેડરાહી પુલ પાસે પહોંચી ત્યારે અચાનક આગળ ચાલી રહેલા ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ. કારમાં સવાર લોકો કંઈ સમજી શકે તે પહેલાં તેજ રફ્તાર ટ્રકે પાછળથી કારને જાેરદાર ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં કાર બે ભારે વાહનો વચ્ચે ડબાઈ જવાથી કાટમાળનો ઢગલો બની ગઈ. અકસ્માત બાદ ટ્રક અને ટ્રેલર ચાલકો ભાગી ગયા.અકસ્માતમાં કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. મૃત દેહો અંદર ફસાઈ ગયા હતા. મૃતકોની ઓળખ ધનબાદના મધુબનમાં બુદૌરા કોલોનીના નિવાસી કર્મચારી શિવ કુમાર ભુઈયા (૪૫),ી પત્ની રૂબી દેવી (૩૮), તેમનીમોટી દીકરી સોની (૧૨), તેમની નાની દીકરી સુહાની (૯), શિવ કુમારના સાળાનો દીકરો પ્રેમ (૭) અને તેમના સસરા તરીકે થઈ હતી.
ઈરાનમાં શહીદોને સમર્પિત એક કાર્યક્રમમાં મોજતબા ખામેનેઈની તસ્વીર લગાવાયેલા પોસ્ટરો દેખાતા વિવાદ અને અટકળો શરૂ થઈ ગઈ છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે જાેડાયેલા આ કાર્યક્રમમાં સામાન્ય રીતે શહીદોની તસ્વીરો જ મૂકવામાં આવે છે, જેના કારણે મોજતબાની તસવીર દેખાતા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
તાજેતરમાં થયેલા અમેરિકી હુમલામાં મોજતબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમનો ચહેરો દાઝી ગયો હોવાથી તેમને બોલવામાં તકલીફ પડી રહી હતી. જાેકે, ઈરાન સરકાર દ્વારા તેમના મોત કે ગંભીર હાલત અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. તેઓ ઘણા સમયથી જાહેરમાં દેખાયા ન હોવાથી આ શંકા વધી ગઈ છે.બીજી તરફ ૈંઇય્ઝ્રએ આક્રમક રીતે કહ્યું છે કે, ઈરાન તમામ ખતરાઓનો સામનો કરવા માટે તૈયાર છે. જમીની લડાઈ સહિતની તમામ સંરક્ષણ યોજનાઓને અપડેટ કરવામાં આવી છે.
ઈરાની સુરક્ષા દળો તમામ મોરચે અને ઈન્ટેલિજન્સ સ્તરે એલર્ટ પર છે.ૈંઇય્ઝ્રએ હોર્મુઝ સ્ટ્રેટને પોતાની વ્યૂહાત્મક પ્રાથમિકતા ગણાવી છે અને તેમણે ફરી કહ્યું કે, આ જળમાર્ગ પર ઈરાનનું જ નિયંત્રણ રહેશે. અમેરિકા અને તેના સાથીઓની ગતિવિધિઓને રોકવી એ ઈરાનની પ્રાથમિકતા છે.
Loading ...
