ભારતમાં મોબાઇલ રિચાર્જ પ્લાન પર લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા હવે સરકારી સ્તરે પહોંચી ગઈ છે. અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર ટેલિકોમ કંપનીઓને ૩૦-દિવસની વેલિડિટીવાળા પ્લાન વધુ સ્પષ્ટ રીતે ઓફર કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ૨૮-દિવસના પ્લાનમાં સમસ્યા અનુભવી રહેલા વપરાશકર્તાઓ તરફથી વધતી ફરિયાદોને પગલે આ પગલું લેવામાં આવી રહ્યું છે.રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં રાજ્યસભામાં આ મુદ્દો જાેરદાર રીતે ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન પ્લાન હેઠળ, જાે વપરાશકર્તાઓને પૂરા પાડવામાં આવતા દૈનિક ડેટાનો સંપૂર્ણ ઉપયોગ ન થાય તો તે દિવસના અંતે સમાપ્ત થઈ જાય છે.
તેમના મતે, જાે કોઈ ૨ય્મ્ ડેટા મેળવે છે અને ફક્ત ૧.૫ય્મ્ નો ઉપયોગ કરે છે તો બાકીનો ડેટા કોઈપણ રિફંડ અથવા રોલઓવર વગર સમાપ્ત થઈ જાય છે. તેમણે માંગણી કરી હતી કે વપરાશકર્તાઓને બાકીના ડેટાનો ઉપયોગ બીજા દિવસે અથવા આગામી સાઈકલમાં કરવાનો વિકલ્પ આપવો જાેઈએ.રાઘવ ચઢ્ઢાએ ૨૮-દિવસના રિચાર્જ પ્લાનને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમનો દલીલ છે કે આનાથી વપરાશકર્તાઓને આખા વર્ષ દરમિયાન વધુ વારંવાર રિચાર્જ કરવાની ફરજ પડે છે, જેનાથી તેમના ખર્ચમાં વધારો થાય છે. તેમણે એમ પણ કહ્યું કે રિચાર્જ સમાપ્ત થયા પછી ઓછામાં ઓછા એક વર્ષ સુધી જીસ્જી અને ઇનકમિંગ કોલ્સ જેવી મૂળભૂત સેવાઓ ઉપલબ્ધ રહેવી જાેઈએ. તેમણે ડિએક્ટિવેશન માટે લાંબા ગ્રેસ પીરિયડની પણ હિમાયત કરી.
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ‘ ગાવા અંગે ગૃહ મંત્રાલયના પરિપત્ર વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે સાર્વજનિક સ્થળો અને જાહેર કાર્યક્રમો માટે જાહેર કરાયેલ આ નિર્દેશ ફરજિયાત નથી. પરિપત્રને પડકારતી અરજી સમય પહેલા દાખલ કરવામાં આવી છે. આ મામલો ઝ્રત્નૈં જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જાેયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચ સમક્ષ હતો. બેન્ચે કહ્યું કે ગૃહ મંત્રાલયની એડવાઇઝરીમાં ‘વંદે માતરમ’ ન ગાવા પર કોઈપણ પ્રકારની સજાની જાેગવાઈ નથી.
બેન્ચે કહ્યું- આ દિશા નિર્દેશો ફક્ત એક પ્રોટોકોલ છે અને તેનું પાલન કરવું ફરજિયાત નથી. જ્યારે અરજદાર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થશે અથવા તેના માટે ગીત ગાવું ફરજિયાત કરવામાં આવશે, ત્યારે અમે આ બધી બાબતો પર ધ્યાન આપીશું. અરજદારનો દાવો- સલાહ આપવાના બહાને સાથે ગાવા મજબૂર કરવામાં આવશે
કોર્ટ મુહમ્મદ સઈદ નૂરી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. ઝ્રત્નૈંએ કહ્યું- “અમને તે નોટિસ બતાવો જેમાં તમને રાષ્ટ્રગાન વગાડવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. તમે એક શાળા ચલાવો છો, અમને એ પણ ખબર નથી કે તે માન્યતા પ્રાપ્ત છે કે નહીં. તેના પર તેમના વકીલે કહ્યું- “જે વ્યક્તિ વંદેમાતરમ ગાવાનો કે રાષ્ટ્રગીતના સમયે ઊભા રહેવાનો ઇનકાર કરે છે, તેના પર હંમેશા ખૂબ મોટો બોજ હોય છે. સલાહ આપવાના બહાને લોકોને સાથે ગાવા માટે મજબૂર કરી શકાય છે.”
દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી સરકારી કર્મચારીઓ માટે ઘરનું ઘર લેવાના સપનાને વાસ્તવિકતામાં ફેરવવાની તૈયારી કરી રહી છે. રામ નવમીના અવસરે શરૂ કરાયેલ “કર્મયોગી આવાસ યોજના” હેઠળ પાત્ર અરજદારો હવે મોટા ડિસ્કાઉન્ટ અને સસ્તા દરે તેમના ઇચ્છિત ફ્લેટ બુક કરાવી શકશે.
આ યોજનાની સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે ફક્ત હાલમાં સેવા આપતા અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ જ અરજી કરવા પાત્ર છે. આ પાત્રતા માપદંડમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, તેમજ સરકારી બેંકો, જાહેર ક્ષેત્રની કંપનીઓ, યુનિવર્સિટીઓ અને વિવિધ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓનો સમાવેશ થાય છે.આ યોજના સામાન્ય લોકો માટે નથી અને અરજી પ્રક્રિયા ૨૬ માર્ચે બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે. આ યોજના હેઠળના બધા ફ્લેટ દિલ્હીના નરેલાના પોકેટ ૬માં સ્થિત છે.ડીડીએ ખાસ જણાવ્યું છે કે નરેલા ઝડપથી શિક્ષણ કેન્દ્ર તરીકે વિકાસ કરી રહ્યું છે અને મેટ્રો નેટવર્ક સાથે સારી રીતે જાેડાયેલ છે, જે તેને વધુ આકર્ષક સ્થાન બનાવે છે.
આ યોજનાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તમામ પ્રકારના ફ્લેટ પર ૨૫%નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સરકારી કર્મચારીઓ માટે દિલ્હીમાં ઘર લેવાની આ એક શ્રેષ્ઠ તક છે. આ ફ્લેટ તદ્દન નવા છે અને તેની બનાવટ પણ મજબૂત અને આધુનિક છે. આ વિસ્તાર બેસ્ટ પરિવહન સુવિધાઓ સાથે એક શાનદાર રહેણાંક હબ તરીકે વિકસી રહ્યો છે. આ જગ્યા યુઇઆર-૨ અને જીટી વચ્ચે સ્થિત છે. તે કરનાલ રોડની ખૂબ નજીક છે.
ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકી એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન પર મિસાઈલ હુમલો કર્યો છે, જેના પછી તેને તે વિસ્તાર છોડીને પોતાની પોઝિશન (સ્થિતિ) બદલવી પડી હતી. ઈરાની સેનાના જણાવ્યા અનુસાર, નૌકાદળે ‘કાદેર’ ક્રૂઝ મિસાઈલોથી આ કેરિયરને નિશાન બનાવ્યું હતું. આ હુમલા બાદ અમેરિકી નૌકા કાફલાને પોતાની સ્થિતિ બદલવાની ફરજ પડી હતી. ઈરાની નૌકાદળના પ્રમુખ શહરામ ઈરાનીએ જણાવ્યું હતું કે, અમેરિકી કેરિયર સ્ટ્રાઈક ગ્રુપની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે જેવો આ કાફલો મિસાઈલ રેન્જમાં આવશે, તેના પર વધુ શક્તિશાળી હુમલા કરવામાં આવશે. જાેકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી અને અમેરિકા તરફથી આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.દરમિયાન સીએનએનના રિપોર્ટ મુજબ, અમેરિકી સેનાની ૮૨મી એરબોર્ન ડિવિઝનના આશરે ૧,૦૦૦ સૈનિકો આગામી દિવસોમાં મિડલ ઈસ્ટ મોકલવામાં આવી શકે છે. ૮૨મી એરબોર્ન ડિવિઝન અમેરિકી સેનાની એક ખાસ યુનિટ છે, જે નોર્થ કેરોલિનામાં આવેલા તેના બેઝ પરથી માત્ર ૧૮ કલાકમાં વિશ્વના કોઈપણ ખૂણે તૈનાત થઈ શકે છે. આ ક્ષમતાને ઈમીડિયેટ રિસ્પોન્સ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે.
ઈરાનમાં હુમલાની અસર
• લગભગ ૧,૫૦૦ના મોત, ૧૮,૫૫૧ ઘાયલ.
• મૃતકોમાં ૮ મહિનાના બાળકથી લઈને ૮૮ વર્ષ સુધીના વૃદ્ધો.
• ૨૦૦ મહિલાઓના મોત થયા
• ૨૮ ફેબ્રુ.એ શાળા પરના હુમલામાં ૧૬૮ બાળકોના મોત.
• યુદ્ધમાં ૫૫ હેલ્થ વર્કર્સ ઘાયલ, જેમાંથી ૧૧ના મોત
ઈઝરાયલે ૪ લાખ રિઝર્વ સૈનિકો ફરજ પર બોલાવ્યાં
ઈઝરાયલ સરકારે ૪ લાખ રિઝર્વ સૈનિકોને ફરજ પર બોલાવવાની મંજૂરી આપી દીધી છે. ઈઝરાયલની સેના (આઈડીએફ) એ સ્પષ્ટતા કરી છે કે આ સંખ્યા કુલ બોલાવવામાં આવનારા સૈનિકોની નિશ્ચિત સંખ્યા નથી, પરંતુ એક મહત્તમ મર્યાદા છે, જેને જરૂરિયાત મુજબ બદલી શકાય છે. સેનાના જણાવ્યા અનુસાર, આ ર્નિણય અલગ-અલગ મોરચે વધી રહેલા પડકારો અને યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટે લેવામાં આવ્યો છે.
પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વણસતી પરિસ્થિતિના પગલે ભારત સરકારે બુધવારે એક મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની મધ્યસ્થી કરવાની ઓફર પર કટાક્ષ કરતા સ્પષ્ટ કર્યું હતું કે ભારત વૈશ્વિક રાજકારણમાં પાકિસ્તાનની જેમ ‘દલાલ દેશ’ની ભૂમિકા ભજવશે નહીં.
‘દલાલ દેશ’વાળું નિવેદન કેમ આપ્યું?
બેઠક દરમિયાન વિપક્ષી સાંસદો ધર્મેન્દ્ર યાદવ અને મુકુલ વાસનિકે સવાલ ઉઠાવ્યો હતો કે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવાની દરખાસ્ત મૂકી છે, જેને ડોનાલ્ડ ટ્રમ્પે પણ શેર કરી છે. આના જવાબમાં જયશંકરે અત્યંત આક્રમક રીતે કહ્યું, ભારત, પાકિસ્તાન જેવો કોઈ બિચોલિયો કે દલાલ દેશ નથી. પાકિસ્તાન ૧૯૮૧થી આવા કામો કરતું આવ્યું છે, તેમાં કોઈ નવી વાત નથી. જાે અમેરિકાને પાકિસ્તાન દ્વારા વાતચીત કરવી ઉપયોગી લાગતી હોય, તો ભારત તેને રોકી શકે નહીં, પરંતુ ભારત પોતે ક્યારેય આવી ભૂમિકામાં નહીં હોય. વિપક્ષી સભ્યોએ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ અને ગેસના પુરવઠામાં આવતા અવરોધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે સરકારે અગમચેતીના પગલાં રૂપે પહેલેથી જ ૪ જહાજાે સુરક્ષિત કરી લીધા છે. તેલ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ ખાતરી આપી હતી કે દેશમાં ઈંધણના પુરવઠા પર હાલ કોઈ ખતરો નથી.
સર્વપક્ષીય બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું?
સરકાર તરફથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ (અધ્યક્ષ), અમિત શાહ, ર્નિમલા સીતારમણ, એસ. જયશંકર, હરદીપ પુરી અને કિરેન રિજિજૂ. જ્યારે વિપક્ષ તરફથી અસદુદ્દીન ઓવૈસી (છૈંસ્ૈંસ્), લલન સિંહ (ત્નડ્ઢેં), સસ્મિત પાત્રા (મ્ત્નડ્ઢ), ધર્મેન્દ્ર યાદવ (જીઁ) અને જાેન બ્રિટાસ (ઝ્રઁસ્).
વિપક્ષી સભ્યોએ અંતે સરકારના ભરોસાથી સંતોષ વ્યક્ત કર્યો : કિરેન રિજિજૂ
બેઠકના અંતે કિરેન રિજિજૂએ જણાવ્યું કે તમામ વિપક્ષી સભ્યોએ અંતે સરકારના ભરોસાથી સંતોષ વ્યક્ત કર્યો છે અને દેશના હિતમાં લેવાનારા દરેક પગલામાં સરકારને સાથ આપવાની ખાતરી આપી છે. ભારતનું વલણ સ્પષ્ટ છે- તે કોઈનો પક્ષ લેવાને બદલે રાષ્ટ્રીય હિત અને પ્રાદેશિક શાંતિને પ્રાથમિકતા આપશે.
વિપક્ષના આક્ષેપો અને વડાપ્રધાનની ગેરહાજરી સામે સરકારનો વળતો પ્રહાર
કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ આ બેઠકને ‘ઘણી મોડી બોલાવેલી’ ગણાવી હતી. કોંગ્રેસ સાંસદ મણિકમ ટેગોરે સવાલ કર્યો કે ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયી કે મનમોહન સિંહ આવા ગંભીર મુદ્દે પોતે હાજર રહેતા હતા, તો પીએમ મોદી કેમ ગેરહાજર રહ્યા? સપા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે ઈરાન પ્રત્યેના સરકારના વલણને કારણે દેશમાં જ સંકટ ઊભું થઈ શકે છે. ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષી નેતાઓ દેશની વિદેશ નીતિને નિષ્ફળ ગણાવીને દેશની જ વિરુદ્ધમાં ઉભા છે. સરકારે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની ‘ખામોશી’એ એક વ્યૂહાત્મક હથિયાર છે અને ભારત સતત તમામ પક્ષો સાથે સંપર્કમાં છે.
Loading ...
