ભારતની સૈન્ય શક્તિમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે જેસલમેર એરફોર્સ સ્ટેશન પરથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર(ન્ઝ્રૐ) ‘પ્રચંડ’માં ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ ‘પ્રચંડ’માં કો-પાયલટ તરીકે ઉડાન ભરનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. રાષ્ટ્રપતિ આ અગાઉ ફાઇટર પ્લેન સુખોઈ અને રાફેલમાં પણ ઉડાન ભરી ચૂક્યા છે, જે આવી ક્ષમતા ધરાવનાર દેશના એકમાત્ર રાષ્ટ્રપતિ છે. સવારે લગભગ ૯:૧૫ વાગ્યે વાયુસેના સ્ટેશન પહોંચેલા રાષ્ટ્રપતિને સૈન્ય અધિકારીઓએ હેલિકોપ્ટરની ખાસિયતો વિશે માહિતી આપી હતી. સવારે ૧૦:૧૫ વાગ્યે ગ્રૂપ કૅપ્ટન એન. એસ. બહુઆ સાથે તેમણે આકાશમાં ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારો અને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. સાંજે રાષ્ટ્રપતિ પોખરણ ખાતે વાયુસેનાના સૌથી મોટા યુદ્ધાભ્યાસ ‘વાયુ શક્તિ-૨૦૨૬’ના સાક્ષી બન્યા હતા. પાકિસ્તાન સરહદ નજીક યોજાનારા આ શૌર્ય પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન ઘાતક મારક ક્ષમતા અને સચોટ લક્ષ્ય ભેદવાની કળાનું પ્રદર્શન કર્યું હતું.
નવી દિલ્હી, દિલ્હીની બહુચર્ચિત દારૂ નીતિ સાથે જાેડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટ તરફથી બંનેને મોટી રાહત અને ક્લિનચીટ મળી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો કરી શકે જ્યારે તેની સાથે નક્કર અને પૂરતા પુરાવા હોય. કોર્ટે અવલોકન કર્યું કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા અને અપૂરતા છે. કોર્ટે સૌથી પહેલા આબકારી વિભાગના પૂર્વ કમિશ્નર કુલદીપ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ મનીષ સિસોદિયાને રાહત આપવામાં આવી અને છેલ્લે અરવિંદ કેજરીવાલને પણ નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અનેક ખામીઓ હતી અને એવા ઘણા મુદ્દાઓ છે જેના પર તપાસ એજન્સી સંતોષકારક જવાબ આપી શકી નથી. કોર્ટે નોંધ્યું કે, જ્યારે બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવવામાં આવે, ત્યારે તેને સાબિત કરવા માટે મજબૂત સામગ્રી હોવી જરૂરી છે. માત્ર આરોપોના આધારે કેસ ચલાવી શકાય નહીં.
કોર્ટે ક્લીનચીટ આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે હંમેશા કહેતા હતા કે સત્યની જીત થશે અને અમને ન્યાયતંત્ર પર ભરોસો હતો. હું હંમેશા કહેતો હતો કે ભગવાન અમારી સાથે છે. આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે કાવતરું રચ્યું. ૫ મોટા નેતાઓ પર ખોટા આરોપો લગાવાયા. અમારા ડેપ્યુટી ઝ્રસ્ને બે વર્ષ સુધી જેલમાં રાખ્યા.જાે કે, સીબીઆઇએ જણાવ્યું છે કે, તેઓ આ આદેશથી સંતુષ્ટ નથી અને તેને હાઇકોર્ટમાં પડકારશે. સીબીઆઇના વકીલોએ સંકેત આપ્યો છે કે ચુકાદાનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ ઉપલી અદાલતમાં અપીલ દાખલ કરાશે. કોર્ટની ટિપ્પણીથી તે સ્પષ્ટ થયું કે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઘણી ખામીઓ હતી. કોર્ટે કહ્યું કે ઘણા એવા બિંદુ છે જેના પર સંતોષજનક જવાબ આપવામાં આવ્યો નહીં. આ આધારે રાહત આપવામાં આવી છે.પરંતુ તપાસ એજન્સીનું કહેવું છે કે તે આ આદેશથી સંતુષ્ટ નથી અને તેને હાઈકોર્ટમાં પડકારશે. સીબીઆઈના વકીલો તરફથી સંકેત આપવામાં આવ્યો કે આદેશનો વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ ઉપરી અદાલતમાં અરજી કરવામાં આવશે. આ મામલો ૨૦૨૨-૨૦૨૩ની દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જાેડાયેલો છે. તે આધાર પર સીબીઆઈએ કેસ દાખલ કર્યો અને બાદમાં ઈડીએ પણ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. આમ આદમી પાર્ટીના ઘણા નેતા આ કેસમાં જેલમાં ગયા હતા. ઘણીવાર જામીન અરજીઓ નકારવામાં આવી અને બાદમાં જામીન મળ્યા હતા. શુક્રવારે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ સીબીઆઈની ચાર્જશીટના આધાર પર અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા વિરુદ્ધ મામલો બનતો નથી. કોર્ટે ચાર્જશીટને નબળી ગણાવતા રાહત આપી છે. આ મામલો ૨૦૨૨-૨૩ની દિલ્હી એક્સાઇઝ પોલિસી (દારૂ નીતિ) સાથે જાેડાયેલો છે. આ મામલે સીબીઆઇએ કેસ નોંધ્યો હતો અને બાદમાં ઈડીએ મની લોન્ડરિંગના આરોપમાં તપાસ શરૂ કરી હતી.
દેશ ન્યાયિક અને સુરક્ષા વ્યવસ્થાની તાકાત પર ચાલે છે : અણ્ણા હજારે
દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર થતાં એક સમયે કેજરીવાલના રાજકીય ગુરુ રહેલા અન્ના હજારેએ કોર્ટના ર્નિણયનું સ્વાગત કરતાં કહ્યું કે, આપણો દેશ તેની ન્યાયિક અને સુરક્ષા વ્યવસ્થાની તાકાત પર ચાલે છે. આટલી બધી વિવિધ પાર્ટીઓ, જ્ઞાતિઓ, ધર્મો અને સમુદાયો ધરાવતો આટલો મોટો દેશ ન્યાયતંત્રને કારણે જ સુચારૂ રીતે ચાલી રહ્યો છે. જાે ન્યાયતંત્ર ન હોય તો દેશમાં ભારે અરાજકતા અને અશાંતિ ફેલાઈ જાય. અદાલતેના ર્નિણયનો સંપૂર્ણપણે સ્વીકાર થવો જાેઈએ.
હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી : દિલ્હી ભાજપની પોસ્ટરવૉર
કોર્ટના આ ર્નિણય બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટના ચુકાદાના થોડા કલાકોમાં દિલ્હી ભાજપે આક્રમક પોસ્ટર શેર કરી પ્રહારો કર્યા છે. દિલ્હી ભાજપે શેર કરેલા પોસ્ટરમાં કેજરીવાલની મોટી તસવીર જાેવા મળી છે અને તેમાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટીના પાપ હજુ ધોવાયા નથી. તેમાં એવું પણ લખાયું છે કે, ‘આ નીચલી કોર્ટે ર્નિણય સંભળાવ્યો છે, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો ર્નિણય બાકી છે. મની લોન્ડ્રિંગ કેસ પેન્ડિંગ છે અને તમે અનેક કૌભાંડોમાં પણ આરોપી છો.
હિંમત હોય તો દિલ્હીમાં ફરી ચૂંટણી કરી બતાવો
કથિત દારૂ કૌભાંડ મામલે અદાલત તરફથી મોટી રાહત મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. પોતાની ઈમાનદારી પર ભાર મૂકતા કેજરીવાલે કહ્યું, મેં જીવનમાં માત્ર ઈજ્જત અને ઈમાનદારી કમાઈ છે, એક નવો પૈસો નથી કમાયો. આજે કોર્ટના આદેશથી સાબિત થઈ ગયું છે કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ કટ્ટર ઈમાનદાર છે. જે રીતે ટોચના પાંચ નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, તેનાથી સ્પષ્ટ થાય છે કે સત્તાની ભૂખ માટે આ બધું કરવામાં આવ્યું હતું. જાે મોદીજીમાં હિંમત હોય તો દિલ્હીમાં ફરીથી ચૂંટણી કરાવી જુએ, ભાજપ ૧૦ બેઠકો પણ નહીં જીતી શકે.
ઇસ્લામાબાદ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરી ભયાનક ઘર્ષણ શરૂ થયું છે. પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલા કર્યા બાદ વળતો જવાબ આપી અફઘાન સુરક્ષા દળોએ પૂર્વ દિશામાં આવેલા રાજ્યોમાં હુમલા શરૂ કર્યા હતા. અફઘાનિસ્તાનની સેનાના ખાલિદ બિન વલીદ કૉર્પ્સના પ્રવક્તાએ આ અંગે માહિતી આપી હતી. અફઘાન સરકારે દાવો કર્યો છેકે, તેણે પાકિસ્તાનની ૧૯ સરહદી પોસ્ટો પર કબજાે કરી લીધો છે, જેમાં અનેક પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે અને કેટલાકની ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી, જેના જવાબમાં અફઘાનિસ્તાન દ્વારા કાર્યવાહી કરાઈ હોવાનો ખાલિદ બિન વલીદ કૉર્પ્સના પ્રવક્તાએ દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાને પાકિસ્તાની સરહદ પાસે મોટાપાયે સૈન્ય અભિયાન શરૂ કરી દીધું છે. પાકિસ્તાની સેનાએ વારંવાર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી શાંતિ કરારનું ઉલ્લંઘન કર્યું છે, જેના જવાબમાં વિવાદાસ્પદ ડુરંડ લાઈનની આસપાસ મોટાપાયે સૈન્ય કાર્યવાહી શરૂ કરાઈ છે.
અફઘાનિસ્તાની સેનાએ એક સાથે કાર્યવાહી કરીને પાકિસ્તાની સરહદી ચોકીઓને નિશાન બનાવી છે. સમગ્ર બાબતે અફઘાનિસ્તાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ખોસ્ત, પકતિયા અને નૂરિસ્તાન રાજ્ય સહિત અનેક વિસ્તારોમાં પાકિસ્તાન સેના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. હાલ બંને દેશો વચ્ચે સ્થિતિ તંગ બની છે. બીજીતરફ ઘર્ષણમાં મૃત્યુઆંકનો કે લડાઈ મામલે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ નિવેદનથી સંકેત મળ્યા છેકે, આ કોઈ નાનું ઘર્ષણ નથી, પરંતુ મોટી સૈન્ય કાર્યવાહી છે.
ઉલ્લેખનીય છેકે, આ પહેલા ૨૪ ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું, જેમાં પાકિસ્તાની તોપોએ અફઘાન પર અનેક હુમલા કર્યા હતા. સરહદ પર પાંચ જગ્યાઓએ ભારે ગોળીબાર કરાયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. સેનાએ ઉરઘા બોર્ડર પાસે અફઘાનિસ્તી પોસ્ટ પર આર્ટિલરીનો ઉપયોગ કરીને તોપમારો કર્યો હતો. ત્યારબાદ ઉરાઘા બોર્ડર, જકા ખેલ, વરઘા, શાહકોટ અને લંદી કોટલ વિસ્તારોમાં ઘર્ષણ શરૂ થયું હતું. ત્યારે પાકિસ્તાને આતંકી હુમલાઓનો બદલો લેવા અફઘાનિસ્તાનમાં આતંકીઓના સાત સ્થળો પર હવાઈ હુમલો કરી ૭૦ આતંકીઓનો સફાયો કર્યો હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર રવિવારે ફરી એક વખત એરસ્ટ્રાઈક કરી હતી.
ઘમાસાણમાં ૧૩૩ તાલિબાની લડાકુનાં મોત, ૨૦૦થી વધુ ઘાયલ : પાકિસ્તાનનો દાવો પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા અનુસાર ઓપરેશન ગઝબ લિલ હક દરમિયાન ૭૨થી ૧૩૩ જેટલા તાલિબાની લડાકુઓ માર્યા ગયા છે અને ૨૦૦થી વધુ ઘાયલ થયા છે. એટલું જ નહીં ૮૦થી વધુ ટેન્ક, આર્ટિલરી અને સૈન્ય વાહનો તબાહ થયા છે. તાલિબાનની ૨૭ ચેકપોસ્ટ નષ્ટ કરવામાં આવી છે, જેમાંથી ૯ પર પાકિસ્તાની દળોએ કબજાે કર્યો હોવાનો દાવો છે.
પાકિસ્તાનનો હુમલો કાયરતાપૂર્ણ : અફઘાનિસ્તાન
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો છે અને કાબુલ-કંદહારમાં હુમલાની પુષ્ટિ કરી છે. જાેકે, તેમણે કોઈ મોટું નુકસાન ન થયું હોવાનો દાવો કર્યો છે. આ અગાઉ તાલિબાને દાવો કર્યો હતો કે, તેમણે સીમા પરના ઓપરેશન દરમિયાન ૫૫ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે અને ૧૯ સૈન્ય ચોકીઓ પર કબજાે જમાવી લીધો છે.
પાકિસ્તાનના હુમલામાં મહિલા, બાળકો સહિત સામાન્ય નાગરિકનાં મોત થયા : યુએન
સંયુક્ત રાષ્ટ્ર અને અફઘાન સૂત્રોએ અલગ જ ચિત્ર રજૂ કર્યું છે. યુએનના અહેવાલ મુજબ, પાકિસ્તાનના હવાઈ હુમલામાં આશરે ૧૩ સામાન્ય નાગરિકોના મોત નિપજ્યાં છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. કાબુલ વહીવટીતંત્રે આ હુમલાઓને પોતાની સાર્વભૌમત્વનંે ઉલ્લંઘન ગણાવીને યોગ્ય સમયે જવાબ આપવાની ચેતવણી આપી છે.
પાક. અને અફઘાન જાની દુશ્મન કેમ બન્યા?
૨૦૨૧માં કાબુલ પર તાલિબાનના કબજા બાદથી જ પાકિસ્તાનમાં આતંકી હુમલાઓમાં ભારે વધારો થયો છે. પાકિસ્તાનનો આરોપ છેકે, ટીટીપીના લડાયકો અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય મેળવી રહ્યા છે. જાેકે, કાબુલ હંમેશા આ આરોપોને નકારતું આવ્યું છે. તાજેતરના હુમલા પહેલા બાજાેર જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલામાં ૧૧ પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. જેનો આરોપ પાકિસ્તાને અફઘાન મૂળના હુમલાખોર પર લગાવ્યો હતો.
પાક-અફઘાનિસ્તાન યુદ્ધમાં સાઉદીની ઍન્ટ્રી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ હવે પાકિસ્તાને પોતાના રક્ષા સહયોગી સાઉદી અરબનો સંપર્ક સાધ્યો છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન રહમાન સાથે ફોન પર વાતચીત કરી છે. જેડ્ડામાં આયોજિત ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠક દરમિયાન થયેલી વાતચીતમાં પાકિસ્તાને વિસ્તારમાં વધી રહેલા તણાવને ઓછો કરવા માટે સાઉદીની મદદ માંગી છે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા સંરક્ષણ કરાર મુજબ, એક દેશ પર હુમલો એ બીજા પર હુમલો માનવામાં આવે છે, જે પાકિસ્તાન માટે આ યુદ્ધમાં મહત્ત્વનું સાબિત થઈ શકે છે.
પાક-અફઘાનિસ્તાન યુદ્ધમાં સાઉદીની ઍન્ટ્રી
અફઘાનિસ્તાને દિન-દહાડે કરેલી એર સ્ટ્રાઇકમાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પાસે આવેલા એક મિલિટરી કેમ્પ પર હુમલો કરાયો હતો. સાથે જ ખૈબર પખ્તુનખ્વાના નૌશેરામાં એક સૈન્ય બેરેક અને જમરુદમાં એક લશ્કરી સ્થળને નિશાન બનાવવામાં આવ્યું હતું. જેમાં ઇસ્લામાબાદ, નૌશેરા, જમરૂદ અને એબટાબાદનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન-તાલિબાન વિવાદનું કારણ
પાકિસ્તાન લાંબા સમયથી ટીટીપીના આતંકીઓ સરહદ પાર કરી હુમલા કરી રહ્યા હોવાના આક્ષેપો કરતું રહ્યું છે. જાેકે, તાલિબાન સરકાર અને ટીટીપીએ આક્ષેપોને સતત નકારી કાઢ્યા છે. પાકિસ્તાનનું માનવું છેકે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને તેમની જમીનનો પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવવા માટે ઉપયોગ નહીં કરવા દેવા વારંવાર વિનંતી કરાઈ હતી. પરંતુ તેઓ આતંકીઓ સામે નોંધપાત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
અફઘાનિસ્તાનની સેનાના હુમલાથી અકળાયેલા પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી ઍરસ્ટ્રાઇક
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ ખુબ જ વધી ગયો છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો દ્વારા કરાયેલા હુમલાના જવાબમાં પાકિસ્તાની વાયુસેનાએ ગત રાત્રે કાબુલ સહિત અનેક શહેરો પર એરસ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશનને પાકિસ્તાને ગઝબ લિલ હક નામ આપ્યું છે. અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર દ્વારા પાકિસ્તાનની એરસ્ટ્રાઈકના જવાબરૂપે સરહદે હુમલો કરાયાની માહિતી સામે આવતા જ પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાઝા આસિફે અફઘાનિસ્તાન તાલિબાન વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધું હતું.
અફઘાનિસ્તાનના હુમલા સામે પાકિસ્તાનની સેનાનું ઓપરેશન ગઝબ લિલ હક
પાકિસ્તાની વાયુસેનાએ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ની વહેલી સવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓપરેશન ગઝબ લિલ હક શરૂ કર્યું હતું. જેમાં તાલિબાન સૈન્ય ઠેકાણાઓ પર વળતો હુમલો કર્યો છે. પાકિસ્તાની દાવા મુજબ, એરસ્ટ્રાઈકમાં કાબુલમાં બે બ્રિગેડ હેડક્વાર્ટર સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત કંદહારમાં કોર હેડક્વાર્ટર, દારૂગોળો ડેપો અને લોજિસ્ટિક્સ બેઝ પર પણ ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે. પક્તિયા પ્રાંતમાં પણ એક કોર હેડક્વાર્ટરને નિશાન બનાવીને તોડી પડાયું છે.
નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના ૫૫માં સત્રમાં પાકિસ્તાને હંમેશાની જેમ કાશ્મીરનો રાગ આલાપવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતના ડિપ્લોમેટ અનુપમા સિંહે તેને એવો જડબાતોડ જવાબ આપ્યો કે દુનિયા જાેતી જ રહી ગઈ. તેમણે પાકિસ્તાનને ફટકાર લગાવતા કહ્યું કે, પાકિસ્તાન લા-લા લેન્ડ એટલે કે કાલ્પનિક દુનિયામાં જીવી રહ્યું છે. અનુપમા સિંહે પાકિસ્તાનને અરીસો દેખાડીને તેની બોલતી બંધ કરી દીધી. તેમણે પાકિસ્તાનના પ્રોપગેન્ડાને તો ધ્વસ્ત કરી જ દીધો, પરંતુ આ સાથે-સાથે તેની આર્થિક પાયમાલી અને જમ્મુ-કાશ્મીરની ખુશહાલી વચ્ચેનું એ અંતર પણ દુનિયાને જણાવ્યું, જેનાથી ચોક્કસપણે પાકિસ્તાનને મરચા લાગશે. તેમણે કહ્યું કે, કાશ્મીરનું બજેટ તમને મળેલી આઇએમએફની ભીખ કરતાં પણ વધારે છે.
અનુપમા સિંહે પાકિસ્તાનના આર્થિક સંકટ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, કદાચ પાકિસ્તાનને એ બાબત પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગી રહ્યો છે કે, એકલા જમ્મુ-કાશ્મીરનું વિકાસ બજેટ તેના સમગ્ર બેલઆઉટ પેકેજથી બમણા કરતા પણ વધુ છે, જેના માટે પાકિસ્તાન આઇએમએફ યયયયયય સામે કટોરો લઈને ઊભુ છે. જાે પાકિસ્તાનને વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ ચિનાબ બ્રિજ નકલી લાગે છે, તો તે સ્પષ્ટ છે કે તે વાસ્તવિકતાથી ખૂબ દૂર, એક કાલ્પનિક દુનિયામાં જીવી રહ્યું છે. ભારતે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ તેના સૂરમાં સૂર મિલાવનાર ઓર્ગેનાઇઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનને પણ આડે હાથ લીધું. અનુપમા સિંહે કહ્યું કે ઓઆઇસી સંપૂર્ણપણે એક દેશ (પાકિસ્તાન)ના પ્રોપગેન્ડાનો ગુલામ બની ચૂક્યું છે. આ સંગઠન હવે માત્ર પાકિસ્તાનની રાજકીય મજબૂરીઓનું પુનરાવર્તન કરનારું એક ઈકો ચેમ્બર બનીને રહી ગયું છે. પાકિસ્તાની પ્રોપગેન્ડાના તથ્યોને કચડતા ભારતીય રાજદ્વારીએ સ્પષ્ટ કહી દીધુ છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. કોઈ પણ ખોટો પ્રચાર આ સત્યને બદલી શકશે નહીં. ૧૯૪૭ના ભારતીય સ્વતંત્રતા કાયદા હેઠળ કાશ્મીરનો ભારતમાં વિલય સંપૂર્ણપણે કાયદેસર અને અંતિમ છે.
જેરુસાલેમ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાતનો બીજાે દિવસ હતો. ઇઝરાયલમાં પણ હવે ભારતની યુપીઆઈ ચુકવણી સિસ્ટમ ચાલશે. આ મુદ્દે નરેન્દ્ર મોદી અને ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન સમજુતી થઈ હતી.
પીએમ નેતન્યાહૂ સાથે જાેઈન્ટ પ્રેસ કોન્ફ્રન્સમાં મોદીએ જણાવ્યું હતું કે, ભારત ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે, ઇઝરાયલ આવવું મારા માટે ગર્વની વાત છે. ઇઝરાયલની નવી ટેકનોલોજી ભારતના ગામે ગામ પહોંચશે, જેનાથી લાખો ખેડૂતોની આવક અને ઉત્પાદનમાં વધારો થશે. સાથે મળીને, આપણે ભવિષ્ય માટે તૈયાર ખેતી માટે નવા ઉકેલો વિકસાવીશું. ભારતમાં ભારત-ઇઝરાયલ ઇનોવેશન સેન્ટર ફોર એગ્રીકલ્ચરની સ્થાપના આ સહયોગને વધુ મજબૂત બનાવશે.
તો બીજી તરફ નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, આજે, શિક્ષણ ક્ષેત્રે નવી ટેકનોલોજી અને એઆઇની મદદથી, દરેક વિપર્થી સુધી સરળતાથી પહોંચી શકાય છે અને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવાની તક આપી શકાય છે. પહેલા જે સમસ્યાઓ અને મર્યાદાઓ હતી તે હવે રહી નથી. ભવિષ્ય એવા દેશોનું છે જે નવું વિચારે છે અને નવું કામ કરે છે. ઇઝરાયલ અને ભારત બંને નવા વિચારો અને ટેકનોલોજી પર ભાર મૂકી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી અને ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઇ હતી. આ બેઠકમાં સંરક્ષણ સહયોગ, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, સાયબર સુરક્ષા અને અદ્યતન ટેકનોલોજી પર ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા.
આ પહેલા પીએમ મોદીએ જેરુસલેમમાં હોલોકોસ્ટ મેમોરિયલ યાદ વાશેમ ખાતે માર્યા ગયેલા યહૂદીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ મોદીએ ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ યાદ વાશેમ ખાતે એક વૃક્ષ વાવ્યું. મોદીએ ગેસ્ટ બુકમાં ભારતનો મેસેજ પણ લખ્યો.
ત્યારબાદ મોદી ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મળ્યા હતા. બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક કરી જે દરમિયાન, આઇઝેકે મોદીનું સ્વાગત કરતા કહ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ પામી રહી છે, જેનાથી પુરી દુનિયાનું ધ્યાન તેની તરફ ખેંચાઈ રહ્યું છે. પીએમ મોદીએ પણ કહ્યું હતું કે, ઇઝરાયલને ભારતીયો પ્રત્યે ગાઢ પ્રેમ છે.
પીએમએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીઓને યાદ કર્યા
વડાપ્રધાને ઈઝરાયેલની સંસદમાં સંબોધન કરતી વખતે ગુજરાતના જામ સાહેબ અને તેમણે શરણ આપેલા પોલિશ (પૉલેન્ડ) અને યહૂદી લોકોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, હોલોકોસ્ટ માનવતાના ઈતિહાસના સૌથી અંધકારમય પ્રકરણોમાંનું એક છે. તેમ છતાં, તે સંઘર્ષના વર્ષો દરમિયાન પણ, માનવતાના કેટલાક એવા કાર્યો સામે આવ્યા જે ખરેખર અનન્ય હતા. ગુજરાતના નવાનગરના મહારાજા, જેઓ જામ સાહેબ તરીકે પણ ઓળખાય છે, તેમણે પોલિશ બાળકોને આશ્રય આપ્યો હતો, જેમાં એવા યહૂદી બાળકો પણ સામેલ હતા જેમને આશરો આપનાર બીજું કોઈ નહોતું. હિટલરે પોલેન્ડ પર આક્રમણ કરીને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી ત્યારે પોલેન્ડના સૈનિકોએ ૫૦૦ મહિલાઓ અને લગભગ ૨૦૦ બાળકોને જહાજમાં બેસાડી સમુદ્રમાં છોડી દીધા હતા. તેમજ જહાજના કપ્તાનને કહેવાયું હતું કે, તેઓને કોઈ પણ દેશમાં લઇ જાઓ કે જ્યાં તેમને આશ્રય મળી શકે અને અમે યુદ્ધમાં બચી જશું તો ફરી મળીશું. જહાજ ભટકતું ગુજરાતના જામનગર પહોંચ્યું. ત્યારે જામનગરના તત્કાલીન રાજા જામ સાહેબ દિગ્વિજય સિંહજીએ તેમને આશરો આપ્યો હતો. એટલું જ નહીં, નવ વર્ષ સુધી આટલા લોકોની સંભાળ પણ લીધી.
અમે શાંતિના દૂત, ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન : મોદી
લગભગ ૯ વર્ષ બાદ ઇઝરાયલની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ઇઝરાયલી સંસદ, નેસેટને પણ સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ સંસદમાં હોવું મારા માટે સન્માનની વાત છે. મારો જન્મદિવસ એ જ દિવસે હોય છે, જે દિવસે ભારતે ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપી. ભારત પણ આતંકવાદનો શિકાર છે. મારી સંવેદનાઓ તે તમામ લોકોના પરિવાર સાથે છે, જેમણે હમાસના હુમલાઓમાં પોતાના જીવ ગુમાવ્યા. ભારત ઈઝરાયલની સાથે ઉભું છે અને આગળ પણ ઉભું રહેશે. નિર્દોષ નાગરિકોની હત્યા કોઈપણ સંજાેગોમાં સહન નહીં. શાંતિનો રસ્તો હંમેશા સરળ નથી હોતો, પરંતુ ભારત શાંતિ લાવવાની આ પ્રક્રિયામાં હંમેશા સાથે છે. યુએન સુરક્ષા પરિષદ દ્વારા સમર્થન પામેલ ગાઝા શાંતિ પહેલ આગળ વધવાનો માર્ગ પ્રદાન કરે છે. ભારતે આ પહેલ માટે પોતાનો મજબૂત ટેકો વ્યક્ત કર્યો છે.
હિટલરના શાસનમાં માર્યા ગયેલા યહૂદીઓની યાદમાં ‘યદ વાશેમ’ સ્મારક બનેલું
યાદ વાશેમ હોલોકોસ્ટ દરમિયાન માર્યા ગયેલા લાખો યહૂદીઓની યાદમાં બનાવવામાં આવ્યું છે. સ્મારક ઇઝરાયલની રાજધાની યેરુશલમમાં આવેલું છે અને દર વર્ષે દુનિયાભરના લોકો અહીં આવીને ઇતિહાસને સમજે છે અને શ્રદ્ધાંજલિ આપે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરે લગભગ ૬૦ લાખ યહૂદીઓની હત્યા કરી હતી. આ નરસંહારને હોલોકોસ્ટ કહેવામાં આવે છે. ઇઝરાયલની સંસદ નેસેટે વર્ષ ૧૯૫૩માં ર્નિણય કર્યો કે હોલોકોસ્ટમાં માર્યા ગયેલા લોકોની યાદમાં એક ખાસ સ્મારક બનાવવામાં આવે.
મોદી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનારા વિશ્વ નેતા બન્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનાર વિશ્વના પસંદગીના નેતાઓમાં સામેલ થઈ ગયા છે. બુધવારે ઇઝરાયેલી સંસદ (નેસેટ)માં તેમના ઐતિહાસિક સંબોધન બાદ તેમને સ્પીકર ઓફ ધ નેસેટ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નેસેટનું સર્વોચ્ચ સન્માન છે અને પીએમ મોદી આ પદક મેળવનારા પ્રથમ નેતા બન્યા છે. આ સન્માન ૨૦૧૮ પ્રાપ્ત પેલેસ્ટાઇનના સર્વોચ્ચ પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનની સાથે મળીને પીએમ મોદીની રાજદ્વારી સિદ્ધિને વધુ વિશેષ બનાવે છે.
બંને દેશોએ કઈ કઈ સમજૂતીઓ કરી?
૧. સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જાે : બંને દેશોએ પોતાની ભાગીદારીને સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ તરીકે જાહેર કરવાની સમજૂતી કરી લીધી છે. વડાપ્રધાને આ સેન્ટરની સંખ્યા ૧૦૦ સુધી પહોંચાડવાની જાહેરાત કરી છે.
૨. ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પાર્ટનરશિપ : એઆઇ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ સ્થાપિત કરવાનો ર્નિણય લેવાયો છે.
૩. સેન્ટર અને વિલેજ ઓફ એક્સેલન્સ : ભારતમાં સેન્ટર ઓફ એક્સેલન્સની સંખ્યા વધારીને ૧૦૦ સુધી લઈ જવાનો અને વિલેજ ઓફ એક્સેલન્સ બનાવવાનો ર્નિણય લેવાયો.
૪. ઇન્ડિયા ઇઝરાયેલ એકેડેમિક ફોરમ : શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બંને દેશોના જાેડાણ માટે આ ફોરમની સ્થાપનાની જાહેરાત કરાઈ.
૫. વિવિધ ક્ષેત્રોમાં સમજૂતી કરાર : રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી અને કૃષિ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અનેક સમજૂતી પત્રો પર હસ્તાક્ષર કરાયા છે.
૬. આતંકવાદ વિરુદ્ધ સહયોગ : આતંકવાદનો સામનો કરવા માટે ખભેખભા મિલાવીને કામ કરવાની અને આંતરરાષ્ટ્રીય મંચ પર એકબીજાને સહકાર આપવાની સમજૂતી થઈ છે.
ભવિષ્યમાં કઈ કઈ સમજૂતીઓ કરાશે?
૧. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ : વડાપ્રધાન મોદીએ જણાવ્યું છેકે, ભારત અને ઇઝરાયેલ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ટૂંક સમયમાં જ અંતિમ રૂપ આપવામાં આવશે.
૨. કેર ગિવર્સ સહયોગનો વિસ્તાર : કેર ગિવર્સ સેન્ટર અને ભારતીય કામદારોના જે સફળ સહયોગ છે, તેનો વ્યાપ હવે કોમર્સ (વાણિજ્ય) અને સર્વિસ (સેવા) જેવા નવા ક્ષેત્રોમાં પણ વધારશે.
૩. ફ્યુચર રેડી ફાર્મિંગ : આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ભવિષ્યની જરૂરિયાતો મુજબની ખેતી પદ્ધતિઓ વિકસાવવાની દિશામાં આગળ વધશે.
૪. આઈમેક કોરિડોર અને આઈ૨યુ૨ પ્રોજેક્ટ્સ : આઈમેક (ઇન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ કોરિડોર) અને આઈ૨યુ૨ (ભારત, ઇઝરાયેલ, યુએઈ, યુએસ) જેવી મોટી વૈશ્વિક યોજનાઓ પર નવી ગતિથી કામ કરાશે.
૫. આર્થિક પ્રોજેક્ટ્સ : બંને દેશો વચ્ચેના લોકોના જાેડાણને પ્રાથમિકતા આપીને વિવિધ સામાજિક અને આર્થિક પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું આયોજન છે.
Loading ...
