પટિયાલા:પંજાબ પોલીસે પટિયાલાના રાજપુરાથી બે યુવાનોની ધરપકડ કરી છે જેમને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ ૨૦૨૩માં રાજપુરામાં બંને વિરુદ્ધ હત્યાના આરોપમહ્લૈંઇ નોંધવામાં આવી હતી. જે બાદ બંને ફરાર થઈ ગયા હતા. ધરપકડ કરાયેલા બે યુવાનોના નામ સંદીપ અને પ્રદીપ છે. અગાઉ અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૩૩ ગુજરાતીઓનું એક જૂથ અમદાવાદ પહોંચ્યું હતું.અમેરિકાથી દેશનિકાલ કરવા માટે ૧૨૦ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક ખાસ વિમાન શનિવારે (૧૫મી ફેબ્રુઆરી) મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. આમાંથી ૬૦થી વધુ પંજાબના અને ૩૦ થી વધુ હરિયાણાના છે. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. આ ભારતીયોનો બીજાે સમૂહ છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે.
વોશિંગ્ટન:અમેરિકાએ ભારત સહિત અનેક દેશોને મોટો ઝટકો આપ્યો છે. ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળના ર્ડ્ઢંય્ઈ વિભાગે ભારતમાં વૉટર ટર્નઆઉટ માટે ફાળવવામાં આવતી ૨૧ મિલિયન અમેરિકન ડૉલરની ફન્ડિંગને રદ કરવાની જાહેરાત કરી ચોંકાવી દીધા છે. ર્ડ્ઢંય્ઈ તરફથી એક્સ પર ટિ્વટ કરવામાં આવી હતી કે અમેરિકન ટેક્સપેયર્સના પૈસા અત્યાર સુધી આ મામલાઓ પર ખર્ચવામાં આવતા હતા જે હવે બંધ કરવામાં આવી રહ્યા છે. આ મામલે ભારત તરફથી ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે વોટર ટર્નઆઉટ માટે ૨૧ મિલિયન ડૉલરની ફન્ડિંગ શબ્દ પર વાંધો ઊઠાવતા સવાલ કર્યો અને કહ્યું કે આ નક્કી જ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં બાહ્ય હસ્તક્ષેપ દર્શાવે છે. આનાથી કોને લાભ થતો હશે? નક્કી જ સત્તાપક્ષને નહીં! ભારત ઉપરાંત અમેરિકાએ અન્ય દેશોના વોટર ટર્નઆઉટ ફન્ડિંગમાં પણ કાપ મૂક્યો હતો. બાંગ્લાદેશને અપાતી ૨૯ મિલિયન ડૉલરની ગ્રાન્ટ પણ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઈલોન મસ્કના ર્ડ્ઢંય્ઈ ડિપાર્ટમેન્ટે વિદેશી સહાયતા હેઠળ અપાતી ફન્ડિંગમાં કુલ ૭૨૩ મિલિયન ડૉલરનો કાપ મૂકવાનો ર્નિણય લીધો છે.
નવી દિલ્હી,૨૭ વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં વાપસી કરનાર ભાજપ હવે સીએમની પસંદગીને લઈને મોટી બેઠક યોજવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે સોમવારે વિધાયક દળની બેઠક બોલાવી છે જેમાં મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. તમામ ધારાસભ્યોને જાણ કરવામાં આવી છે. આ બેઠક દિલ્હી સ્ટેટ ઓફિસમાં યોજાશે.દિલ્હીમાં ૫ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી પરિણામ ૮ ફેબ્રુઆરીએ આવ્યા હતા. ભાજપે દિલ્હીમાં ૭૦માંથી ૪૮ બેઠકો જીતીને જાેરદાર વાપસી કરી છે. ભાજપે ચૂંટણી સમયે કોઈ સીએમ ચહેરો જાહેર કર્યો ન હતો. પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પછી, ભાજપ તેના સીએમ ચહેરાની જાહેરાત કરશે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ૨૩ ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે, તેથી તે પહેલા શપથ ગ્રહણની શક્યતા છે.
છેલ્લા આઠ દિવસમાં મનજિંદર સિંહ સિરસા અને રેખા ગુપ્તાથી લઈને પ્રવેશ વર્મા સુધીના નામોની ચર્ચા થઈ હતી. દિલ્હીમાં ભાજપને દરેક વર્ગના મત મળ્યા છે, પછી તે જાટ હોય, શીખ હોય કે પૂર્વાંચલીના મત હોય, દરેકે ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આવી સ્થિતિમાં સીએમ અને કેબિનેટ સભ્યોના નામોની પસંદગીમાં આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે તેવી અપેક્ષા છે.
નવી દિલ્હી:શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ અંગે દિલ્હી પોલીસે એક નિવેદન જારી કર્યું છે. બે ટ્રેનોના નામ સરખા હોવાથી મુસાફરો મૂંઝવણમાં મુકાયા કે તેમણે કઈ ટ્રેન પકડવી. પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેનના આગમનની જાહેરાત બાદ, પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેનની રાહ જાેઈ રહેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જતી વખતે ભાગદોડ મચી હતી. દિલ્હી પોલીસે રવિવારે જણાવ્યું હતું કે બે ટ્રેનો પ્રયાગરાજ એક્સપ્રેસ અને પ્રયાગરાજ સ્પેશિયલના નામ સમાન હોવાને કારણે મૂંઝવણ ઊભી થઈ હતી.. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ ૧૬ પર આવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે પ્લેટફોર્મ ૧૪ પર પ્રયાગરાજ એક્સપ્રેસની રાહ જાેઈ રહેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે મૂંઝવણમાં, પ્લેટફોર્મ ૧૪ પરના મુસાફરોએ વિચાર્યું કે તેમની ટ્રેન પ્લેટફોર્મ ૧૬ પર આવી રહી છે, જેના કારણે મુસાફરોમાં નાસભાગ મચી જેના પરિણામે ૧૮ લોકોનાં મોત થયા. જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો પ્લેટફોર્મ ૧૨, ૧૩ અને ૧૪ તરફ દોડવા લાગ્યા. નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી પ્રયાગરાજ માટે ચાર ટ્રેનો રવાના થવાની હતી, જેમાંથી ત્રણ મોડી ચાલી રહી હતી. જેના કારણે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. ભાગદોડ સમયે, પ્રયાગરાજ એક્સપ્રેસ પ્લેટફોર્મ ૧૪ પર, મગધ એક્સપ્રેસ પ્લેટફોર્મ ૧૨ પર, સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ પ્લેટફોર્મ ૧૩ પર અને ભુવનેશ્વર રાજધાની નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ૧૫ પર ઉભી હતી.. દિલ્હી પોલીસે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ અંગેની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને ડીસીપી રેન્કના અધિકારીના નેતૃત્વમાં તપાસ શરૂ કરી હતી. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં ૨૫થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલમાં ચાલી રહી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. સરકારેમૃતકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલ લોકોને ૨.૫ લાખ અને સામાન્ય ઇજા પામેલા લોકોને ૧ લાખ રૂપિયા આપવામાં આવશે.
વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ સંવેદના વ્યક્ત કરી
આ ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ મૃતકોેના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પીએમએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. મારા સંવેદનાઓ તે બધા લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. . રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે ઘાયલોને શક્ય તેટલી સારવાર આપવામાં આવી રહી છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું.”
કોંગ્રેસે પ્રશાસન પર આરોપ લગાવ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હી પ્રશાસન અને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને બંને સરકારોને મૃતકો અને ઘાયલોના સાચા આંકડા જાહેર કરવાની માંગ કરી છે. તેમણે લખ્યું કે કોંગ્રેસ માંગ કરે છે કે ભાગદોડમાં માર્યા ગયેલા લોકોની સાચી સંખ્યા જાહેર કરવામાં આવે. ગુમ થયેલા અને ઘાયલ થયેલા લોકોની ઓળખ જાહેર કરવી જાેઈએ. અકસ્માતનું સત્ય આ રીતે છુપાવવાથી કંઈ ઉકેલ નહીં આવે. ઉત્તર પ્રદેશમાં પણ આવું જ બન્યું અને હવે દિલ્હીમાં પણ આવું જ થઈ રહ્યું છે. અકસ્માતના ગુનેગારોને પકડીને કડકમાં કડક સજા આપવી જાેઈએ.
અકસ્માત ૩ પ્લેટ ફોર્મ વચ્ચે થયો હતો
આ અકસ્માત રેલવે સ્ટેશનના ૩ પ્લેટફોર્મ વચ્ચે થયો હતો. લોકો પ્લેટફોર્મ નંબર ૧૩, ૧૪, ૧૫ પર મહાકુંભ જવા માટે ટ્રેનની રાહ જાેઈ રહ્યા હતા.ટ્રેન આવતાની સાથે જ નાસભાગ મચી ગઈ. આ અકસ્માત રાત્રે લગભગ ૯ઃ૨૬ વાગ્યે થયો હતો. સાંજે ૪ વાગ્યાથી લોકો રેલ્વે સ્ટેશન પર ભેગા થવા લાગ્યા. લગભગ ૮ઃ૩૦ વાગ્યે, ૩ ટ્રેનો પ્રયાગરાજ આવવાની હતી પરંતુ તે મોડી પડી. ભીડ વધતી જતી હતી, જેના પરિણામોએ આખા દેશને હચમચાવી નાખ્યો.
મૃતકોમાં અડધા લોકો બિહારના
૧૮ મૃતકોમાંથી ૧૦ લોકો બિહારના છે. નવાદાના બે, પટના, વૈશાલી, બક્સર અને સારણના ૧-૧નો સમાવેશ થાય છે. સમસ્તીપુર જિલ્લાના કોઠિયા ગામના એક જ પરિવારના ૩ મૃતકોમાં વિજય શાહ, પત્ની કૃષ્ણા દેવી અને પૌત્રી સુરુચીનો સમાવેશ થાય છે. વૈશાલી જિલ્લાના ડાભૈચ ગામના સંજીત પાસવાનના પુત્ર નીરજનું મૃત્યુ થયું. મૃતકોની ઓળખ નવાદા જિલ્લાના પટવાસરાય ગામના રાજકુમાર માંઝીની પત્ની શાંતિ દેવી અને પુત્રી પૂજા કુમારી તરીકે થઈ છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની યાદી
૧. બક્સુર બિહારના રહેવાસી રવિંદી નાથના પત્ની આહા દેવી, ઉંમર ૭૯ વર્ષ
૨. સંગમ વિહાર દિલ્હીના રહેવાસી ઉપેન્દ્ર શર્માની પત્ની પિંકી દેવી, ઉંમર ૪૧ વર્ષ
૩. સરિતા વિહાર દિલ્હીના રહેવાસી ઉમેશ ગિરીના પત્ની શીલા દેવી, ઉંમર ૫૦ વર્ષ
૪. વ્યોમ, ધર્મવીરનો પુત્ર, બવાના દિલ્હી, ઉંમર ૨૫ વર્ષ
૫. પૂનમ દેવી, મેઘનાથના પત્ની, બિહારના સારણના રહેવાસી, ઉંમર ૪૦ વર્ષ
૬. પરણા બિહારના રહેવાસી સંતોષની પત્ની લલિતા દેવી, ઉંમર ૩૫ વર્ષ
૭. સુરુચી, મનોજ શાહની પુત્રી, મુઝફ્ફરપુર, બિહારના રહેવાસી, ઉંમર ૧૧ વર્ષ
૮. કૃષ્ણા દેવી, બિહારના સમસ્તીપુરના રહેવાસી વિજય શાહના પત્ની, ઉંમર ૪૦ વર્ષ
૯. વિજય સાહ, રામ સરૂપ સાહનો પુત્ર, સમસ્તીપુર, બિહારનો રહેવાસી, ઉંમર ૧૫ વર્ષ
૧૦. નીરજ, ઇન્દ્રજીત પાસવાનનો પુત્ર, નિવાસી, વૈશાલી, બિહાર, ઉંમર ૧૨ વર્ષ
૧૧. શાંતિ દેવી, બિહારના નવાદાના રહેવાસી રાજ કુમાર માંઝીના પત્ની, ઉંમર ૪૦ વર્ષ
૧૨. પૂજા કુમાર, બિહારના નવાદાના રહેવાસી રાજ કુમાર માંઝીની પુત્રી, ઉંમર ૮ વર્ષ
૧૩. સંગીતા મલિક, મોહિત મલિકની પત્ની, રહેવાસી, ભિવાની, હરિયાણા, ઉંમર ૩૪ વર્ષ
૧૪. મહાવીર એન્ક્લેવના રહેવાસી વીરેન્દ્ર સિંહની પત્ની પૂનમ, ઉંમર ૩૪ વર્ષ
૧૫. મમતા ઝા, વિપિન ઝાના પત્ની, દિલ્હીના નાંગલોઈના રહેવાસી, ઉંમર ૪૦ વર્ષ
૧૬. રિયા સિંહ, ઓપિલ સિંહની પુત્રી, રહેવાસી, સાગરપુર, દિલ્હી, ઉંમર ૭ વર્ષ
૧૭. બેબી કુમારી, દિલ્હીના બિજવાસનના રહેવાસી પ્રભુ શાહની પુત્રી, ઉંમર ૨૪ વર્ષ
૧૮. મનોજ પુત્ર પંચદેવ કુશવાહ નિવાસી નાંગલોઈ દિલ્હી ઉંમર ૪૭ વર્ષ
દિલ્હીમાં ભાગદોડ પછી મ.પ્ર.ના સતના રેલવે સ્ટેશન પર સુરક્ષાના લીરેલીરા ઉડાવતો વીડિયો વાયરલ
સતનાઃ દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ બધી બાબતોની ઉત્તર પ્રદેશને અડીને આવેલા જિલ્લા સતનાના રેલ્વે વહીવટ પર કોઈ ખાસ અસર થતી હોય તેવું લાગતું નથી. સતના રેલ્વે સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં, સતના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે ભીડ જાેવા મળી રહી છે, જેમાંથી ઘણા લોકો રેલ્વે ટ્રેક પર જાેવા મળ્યા હતા. એક તરફ, મુસાફરો પોતાનો જીવ જાેખમમાં મૂકીને મહાકુંભમાં જવા માટે ઉત્સુક છે.બીજી તરફ, સતના રેલ્વે વહીવટીતંત્ર મુસાફરોની સુરક્ષાને ખૂબ જ હળવાશથી લઈ રહ્યું છે. આ વીડિયો સતના રેલ્વે પ્રશાસન દ્વારા કરવામાં આવેલા દાવા પાછળની સત્યતાનો પર્દાફાશ કરે છે. આ વીડિયો શનિવાર અને રવિવારનો છે. રવિવાર રજાનો દિવસ હોવાથી, ૫૦,૦૦૦ થી વધુ મહાકુંભ સ્નાન કરનારાઓની ભીડ રેલ્વે સ્ટેશન પર પહોંચી હતી. આનાથી રેલ્વે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા સુરક્ષા દાવાઓ ખોરવાઈ ગયા. ભારે ભીડ વચ્ચે એક પણ રેલ્વે વહીવટીતંત્ર, આરપીએફ, જીઆરપી, સિવિલ પોલીસ કે રેલ્વે સુરક્ષા કર્મચારી હાજર નથી.
વોશિંગ્ટન:એમએજીએ સમર્થક લેખિકા અને કોલમિસ્ટ એશલી સેન્ટ ક્લેયરે દાવો કર્યો છે કે તેણે પાંચ મહિના પહેલા ગુપ્ત રીતે ઈલોન મસ્કના ૧૩માં બાળકને જન્મ આપ્યો. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, પાંચ મહિના પહેલા મેં એક બાળકને જન્મ આપ્યો. ઈલોન મસ્ક તેના પિતા છે. હું અત્યાર સુધી પોતાના બાળકની સુરક્ષા અને ગોપનીયતા માટે આ વાત સંતાડીને રાખી હતી, પરંતુ હવે મીડિયા આને ઉજાગર કરવાની છે.
એશલી સેન્ટ ક્લેયરે મીડિયાથી અપીલ કરી છે કે, તેના બાળકની ગોપનીયતાનું સન્માન કરવામાં આવે અને કોઈ દખલગિરી ના કરવામાં આવે. ઈલોન મસ્કે આની પર સીધી કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ એક યુઝરે ટિપ્પણી કરી હતી કે, વધુ એક બાળક બનાવવું માત્ર એક સાઈડ ક્વેસ્ટ છે.
રિપોર્ટ અનુસાર સેન્ટ ક્લેયર ગત એક વર્ષથી ન્યૂયોર્કના મેનહેટનમાં એક મોંઘા એપાર્ટમેન્ટમાં રહી રહી છે. જેનું માસિક ભાડું ૧૨૦૦૦ થી ૧૫૦૦૦ ડોલર વચ્ચે જણાવવામાં આવે છે. તેના એપાર્ટમેન્ટના રહેવાસીઓનું કહેવું છે કે, તે આ ઈમારતમાં ટેસ્લા સાઈબર્ટ્રક ખરીદનારી શરૂઆતી લોકોમાંની એક હતી.
તેણે સુરક્ષા વધારવા માટે રિંગ ડોરબેલ કેમેરા લગાવ્યો જ્યારે બિલ્ડિંગમાં પહેલેથી જ સુરક્ષાની કડક વ્યવસ્થા હતી. તે બિલ્ડિંગ સ્ટાફથી ઓછી વાતચીત કરતી હતી અને તેના દરવાજાની બહાર ડિલીવરી પેકેજ ખોલ્યા વિનાના પડ્યા રહેતાં હતાં. કહેવાઈ રહ્યું છે કે તે એક ટોડલર (નાનું બાળક) અને મસ્કના કથિત બાળકની સારસંભાળ કરી રહી છે, જેની સારસંભાળ માટે તેની પાસે ફુલ-ટાઈમ નેની છે.
ઈલોન મસ્કના પહેલેથી જ ત્રણ મહિલાઓ (જસ્ટિન, વિલ્સન, ગ્રિમ્સ અને શિવોન જિલિસ) થી ૧૨ બાળકો છે. તેમણે ગર્ભાવસ્થા દરમિયાન કેમેરાની સામે આવવા અને પબ્લિક ઈવેન્ટ્સમાં જવાનું ટાળ્યું. જાેકે તેમણે પોતાના બાળકના જન્મ બાદ માર-એ-લાગો (ટ્રમ્પની ઈવેન્ટ) માં ભાગ લીધો.
બાદમાં તેમને અમેરિકી રાજનેતાઓ જેવા મેટ ગેટ્સની પત્ની, જિંજર, જીઓપી પ્રવક્તા એલિઝાબેથ પિપકો, વિવેક રામાસ્વામી અને કાશ પટેલની સાથે જાેવામાં આવ્યો.
Loading ...