નવી દિલ્હી, ડેનમાર્ક દ્વારા તેમના કોપીરાઈટ કાયદામાં એક નવો સુધારો કરવામાં આવી રહ્યું છે. કોઈની પણ ક્રિએટીવિટી અને કામને પ્રોટેક્ટ કરવા માટેના કાયદામાં હવે લોકોના ચહેરા, અવાજ અને તેમના હાવભાવનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જાે આ બિલ પાસ થઈ ગયું તો કોઈ પણ વ્યક્તિનો અથવા તો તેના જેવા દેખાતા વ્યક્તિનો ફોટો અથવા તો વીડિયો તેમની પરવાનગી વગર શેર કરવો કાયદા વિરુદ્ધનું કામ હશે. સેલિબ્રિટીઝથી લઈને ટીચર અને સામાન્ય વ્યક્તિ દરેકનો એમાં સમાવેશ કરવામાં આવે છે. જાે કોઈ પણ વ્યક્તિનો આ રીતે ફોટો અથવા તો વીડિયો શેર કરવામાં આવ્યો હશે તો એેને સોશિયલ મીડિયા પરથી હટાવવામાં આવશે અને એ માટે જે તે વ્યક્તિ વળતરની માગણી પણ કરી શકશે. ડેનમાર્કના કલ્ચર મિનિસ્ટર જેકોબ એન્જેલ-શિમિડ્ટ આ બિલ વિશે કહે છે, ‘આ બિલ દરેક વ્યક્તિને તેમના અવાજ અને તેમના ચહેરાનો પણ અધિકાર આપે છે. કોઈ પણ વ્યક્તિ તેમની પરવાનગી વગર એને કોપી નહીં કરી શકે.’આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ખૂબ જ વાસ્તવિક વીડિયો, ફોટો અને અવાજ પણ બનાવી શકાય છે. આથી કોઈ પણ વ્યક્તિની નકલ કરવી હવે ખૂબ જ સરળ થઈ શકે છે. ડીપફેકનો ઘણી ખોટી રીતે ઉપયોગ કરી શકાય છે, જેવી રીતે - આ ડીપફેકની મદદથી કોઈ પણ વ્યક્તિએ લાઈફમાં કંઈ ન કર્યું હોય એ પણ કરાવી શકાય છે. પરવાનગી વગરની પોર્નોગ્રાફી ક્લિપ બનાવી શકાય, ખોટી માહિતી ફેલાવી શકાય અને સ્કેમ પણ કરી શકાય. લોકોને ઈમોશનલી છેતરવામાં આવી શકે છે. એને ઈમોશનલ હેકિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
નવી દિલ્હી,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ શનિવારે ટેક જાયન્ટ્સ ગૂગલ અને મેટાને સમન્સ પાઠવ્યા છે. ઈડીની આ કાર્યવાહી ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી એપ્સના કેસમાં હાથ ધરવામાં આવી રહેલી તપાસનો એક ભાગ છે. બંને કંપનીઓના પ્રતિનિધિની ૨૧ જુલાઇના રોજ પૂછપરછ કરવામાં આવશે.
ઈડ્ઢએ ઓનલાઇન સટ્ટાબાજી એપ્સ સંબંધિત કેસની તપાસના સંદર્ભમાં ગૂગલ અને મેટાને નોટિસ ફટકારી છે. એજન્સીનો આરોપ છે કે આ બંને કંપનીઓએ સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની જાહેરાતો અને વેબસાઇટ્સને પ્રાધાન્ય આપ્યું હતું. જેના કારણે તેમની પહોંચ અને લોકપ્રિયતા ઝડપથી વધી અને આ ગેરકાયદેસર કામગીરી દેશભરમાં ફેલાઈ ગઈ.
આ સમગ્ર કેસમાં પહેલી વાર એવું બન્યું છે કે ભારતમાં કાર્યરત કોઈ મોટી ટેક કંપનીને સટ્ટાબાજી જેવા મામલામાં સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. ઈડીની આ કાર્યવાહી ઓનલાઇન સટ્ટાબાજી સામેના વ્યાપક અભિયાનનો એક ભાગ છે, જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવા બદલ તપાસ થઈ રહી છે. એવામાં ઈડીના આ પગલાથી ખબર પડે છે કે તપાસ હવે મોટા પાયે થઈ રહી છે.
ઈડી દેશભરમાં ઓનલાઇન સટ્ટાબાજી સામે કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેલંગાણાના ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ સામે કેસ નોંધ્યો હતો.
કોલકાતા, એક કેસમાં પશ્ચિમ બંગાળવની કોર્ટે પહેલીવાર ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે ૯ આરોપીને દોષિત સાબિત કરીને ઉંમર કેદની સજા ફટકારી છે. આ ચુકાદો પશ્ચિમ બંગાળના નદિયાની કલ્યાણી કોર્ટે આપ્યો હતો. ૯ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને એડિ.સેશન્સ જજે સજા સંભળાવી હતી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બિવાસ ચેટર્જીએ જણાવ્યું હતું કે, દેશમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં આ પહેલી સજા છે. ટ્રાયલ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના દિવસે શરૂ થઈ હતી અને માત્ર સાડા ચાર મહિનામાં પૂર્ણ થઈ હતી. ઘટનાના આઠ મહિનામાં સમગ્ર ટ્રાયલ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. આ કેસ ૬ નવેમ્બર ૨૦૨૪નો છે, જ્યારે એક વૃદ્ધ વ્યક્તિ પાર્થ કુમાર મુખર્જી, જે એક નિવૃત્ત વિજ્ઞાની છે, તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મને એક વોટ્સએપ કોલ આવ્યો હતો જેમાં ફોન કરનારે પોતાને મુંબઈ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર હેમરાજ કોલી તરીકે ઓળખાવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે, હું કોઈ નાણાંકીય કૌભાંડમાં આરોપી છે અને કેટલાક દસ્તાવેજાે પણ મોકલ્યા. આરોપીએ મને ધમકી આપી હતી કે જાે તે જે કહે છે તેનું તેમનું પાલન નહીં કરું તો મને અમે મારી પત્નીની ધરપકડ કરવામાં આવશે. ફરિયાદમાં જણાવાયું હતું કે, કોલ કરનારે તેને કોલ ડિસ્કનેક્ટ ન કરવાનો આદેશ આપ્યો અને ડિજિટલ એરેસ્ટના નામે તેને અલગ અલગ બેન્ક ખાતામાં કુલ ૧ કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું. સાયબર ક્રાઇમ પોલીસે કેસ દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે, કોલ કંબોડિયાથી કરવામાં આવ્યો હતો અને વોટ્સએપ નંબર ભારતમાં જારી કરાયેલા સિમ કાર્ડમાંથી રજિસ્ટર કરવામાં આવ્યો હતો. આરોપીઓ કંબોડિયામાં રહેતા હતા અને હિન્દી અને બંગાળી ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતા. ૯ આરોપીઓમાં ૭ના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું કે, આ આરોપીઓએ દેશભરમાં ૧૦૮ લોકો સાથે આવી જ છેતરપિંડી કરી હતી.
મુંબઈ, મહારાષ્ટ્રમાં ઠાકરે બ્રધર્સ હિન્દીનો વિરોધ કરવા મેદાનમાં ઉતર્યા છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જાેકે, હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે. આટલું જ નહીં લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલ વિશે પણ વિવાદિત ટિપ્પણી કરી છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મીરા ભાયંદરમાં એક સભામાં દાવો કર્યો છે કે ગુજરાતી વેપારીઓ અને ગુજરાતી નેતાઓ દાયકાઓથી મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આટલું જ નહીં આચાર્ય અત્રેના એક પુસ્તકના સંદર્ભને ટાંકીને રાજ ઠાકરેએ કહ્યું છે કે મને એ જાણીને આઘાત લાગ્યો કે મુંબઈ મહારાષ્ટ્રને ન આપવું જાેઈએ તેવી સૌથી પ્રથમ માગણી વલ્લભભાઈ પટેલે કરી હતી. વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને આપવું જાેઈએ નહીં. રાજ ઠાકરેના આ નિવેદન બાદ ગુજરાતનાં પાટીદાર નેતાઓમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. આટલું જ નહીં તેમણે સરદાર પટેલની સાથે સાથે મોરારજી દેસાઇ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જ્યારે પણ મહારાષ્ટ્રમાં આંદોલન થયા ત્યારે મોરારજી દેસાઇએ મરાઠી લોકો પર ગોળીબાર કરાવી તેમની હત્યા કરાવી.
રાજ ઠાકરેનું નિવેદન ...જાે તમારી ભાષા ગઈ તો ધીરે-ધીરે તેઓ મુંબઈને ગુજરાતમાં ભેળવી દેશે
મનસે પ્રમુખે પોતાના અંદાજમાં કહ્યું કે, તમે અહીંના માલિક છો. બહારથી લોકો આવીને તમારા પર રૌફ જમાવશે? જાે કોઈ તમારા પર આ રીતે રૌફ બતાવે તો તેના કાનની નીચે બજાવો. તમારી ભાષા ગઈ તો પગ નીચેથી જમીન સરકી જશે. ધીરે-ધીરે કરીને મુંબઈને ગુજરાતમાં ભેળવી દેશે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, હિન્દી ભાષા આડીઅવળી તૈયાર કરાઈ, ૨૦૦ વર્ષ જૂની ભાષા છે. હિન્દીએ ૨૫૦થી વધુ ભાષાઓને મારી નાખી. હનુમાન ચાલીસા અવધિ ભાષામાં લખાયેલી છે, હિન્દીમાં નથી.
મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત મોકલી દેવાયા, હા, અમે ગુંડા જ છીએ : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત મોકલી દેવાયા, હા, અમે ગુંડા જ છીએ : ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ અગાઉ કહ્યું હતું, કે ‘અમે બે ભાઈઓ સાથે રહેવા માટે જ આજે એક થયા છીએ. ફડણવીસ કહે છે કે ગુંડાગીરી સાંખી નહીં લેવાય. પણ જાે પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી છે, તો હા અમે ગુંડા છીએ. અમને હિન્દુ અને હિન્દુસ્તાન મંજૂર છે પણ હિન્દી નહીં. હિન્દી થોપવાનો પ્રયાસ સાંખી નહીં લેવાય. તમારી સાત પેઢી ખતમ થઈ જશે પણ અમે આવું થવા નહીં દઈએ. એક ગદ્દાર ગઈકાલે બોલ્યો કે ‘જય ગુજરાત’. મહારાષ્ટ્ર આવતા તમામ ઉદ્યોગ ધંધા ગુજરાત મોક ઉદ્ધવે કહ્યું- મુંબઈને અલગ કરશે તેના ટુકડા કરી નાખીશું
ઉદ્ધવે કહ્યું- મુંબઈને અલગ કરશે તેના ટુકડા કરી નાખીશું
બીજી તરફ રાજ ઠાકરેના ભાઈ ઉદ્ધવ ઠાકરેએ પણ દાવો કર્યો છે કે મુંબઈ દેશનું આર્થિક પાટનગર છે એ વાત લોકોને આંખના કણાની જેમ ખૂંચે છે. તેથી મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત લઈ જવાયા. મુંબઈ આર્થિક પાટનગર તરીકે વિકસી રહ્યું છે તેથી અમદાવાદ માટે બુલેટ ટ્રેન શરૂ થઈ રહી છે. લી દેવાયા. આ લોકોએ ગુજરાતમાં પટેલોને ભડકાવ્યા તેમને હાંસિયે ધકેલ્યા અને સત્તા પ્રાપ્ત કરી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ એવું જ કર્યું.’
રાજ-ઉદ્ધવ, બંને ભાઈઓએ અગાઉ પણ ગુજરાત વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી
રાજ-ઉદ્ધવ, બંને ભાઈઓએ અગાઉ પણ ગુજરાત વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી
થોડા દિવસ અગાઉ મુંબઈના વરલીમાં થયેલી સભામાં પોતાના સંબોધનમાં રાજ ઠાકરેએ ધમકી આપતાં કહ્યું હતું કે કોઈ નાટક કરશે તો અમે થપ્પડ મારીશું જ. રાજ ઠાકરેએ કહ્યું, કે ‘તમારી પાસે વિધાનસભામાં સત્તા હશે, અમારી પાસે રસ્તા પર સત્તા છે. જે બાળાસાહેબ ન કરી શક્યા એ ફડણવીસે કરી બતાવ્યું, અમને બે ભાઈઓને એક કર્યા. અમે ૧૨૫ વર્ષ સુધી મરાઠાઓએ રાજ કર્યું, અમે કોઈના પર મરાઠી થોપવાનો પ્રયાસ નથી કર્યો. મીરા રોડ પર એક શખસે ગુજરાતીને થપ્પડ મારી, પણ શું કોઈના માથે લખ્યું છે કે તે ગુજરાતી છે? હજુ તો અમે કશું કર્યું પણ નથી! કારણ વગર મારામારીની જરૂર નથી પણ કોઈ નાટક કરશે તો કાનની નીચે બજાવવી જ પડશે. હવે ધ્યાન રાખજાે, આવું કશું કરો ને ત્યારે વીડિયો ન બનાવતા, સમજી ગયા ને?
ઇસ્લામાબાદ,પાકિસ્તાનના રહીમ યાર ખાન એરબેઝનો રનવે હજુ કાર્યરત થયો નથી. ૧૦ મેના રોજ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત દ્વારા આ એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં તેને નુકસાન થયું હતું. ત્યારથી, એરપોર્ટ કામગીરી માટે બંધ છે અને બંધનો સમયગાળો હવે લંબાવવામાં આવ્યો છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા એરમેનને બીજી એક નોટિસ જારી કરવામાં આવી છે, જે મુજબ રનવે હવે ઓછામાં ઓછા ૬ ઓગસ્ટના રોજ સવારે ૪:૪૯ વાગ્યા સુધી (ભારતીય સમય મુજબ સવારે ૫:૨૯ વાગ્યા સુધી) બંધ રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન, પાકિસ્તાને એક નોટમ જારી કરીને કહ્યું હતું કે એરબેઝનો રનવે એક અઠવાડિયા સુધી ફ્લાઇટ ઓપરેશન માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ પછી, આ રનવેના ઉદઘાટન માટે ઘણી તારીખો આપવામાં આવી હતી પરંતુ તે હજુ સુધી શરૂ થયો નથી. બીજાે નોટામ ૪ જૂને જારી કરવામાં આવ્યો હતો, જેમાં બંધ ૪ જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો હતો. રહીમ યાર ખાન એરબેઝ ઉપરાંત, શેખ ઝાયેદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ અહીં આવેલું છે. પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ભારત દ્વારા નિશાન બનાવવામાં આવેલા ૧૧ સ્થળોમાં રહીમ યાર ખાન એરબેઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. આ પછી, ભારતે પાકિસ્તાનમાં ઘણી જગ્યાએ હુમલો કર્યો. આ હુમલા પછી, પાકિસ્તાને ભારત સાથે યુદ્ધવિરામ કરાર માટે વાટાઘાટો કરવી પડી.
Loading ...