મુખ્ય સમાચાર

  • ગુજરાત

    નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન અચાનક શ્રધ્ધાળુઓનો ધસારો 

    નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન અચાનક શ્રધ્ધાળુઓનો ધસારો વધતા શ્રદ્ધાળુઓની સંખ્યા સામે નાવડીઓ ઓછી હોવાથી તિલકવાડાથી સામે પાર જવા માટે લોક્સત્તા જનસત્તાના અહેવાલને પગલે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખની સુચનાથી રાજપીપળા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ સહિત આસપાસના ગ્રામ પંચાયતના સરપંચોએ પોતાના ખર્ચે માંગરોલના નદી કિનારાથી સામે તિલકવાડા મણીનાગેશ્વર મંદિર સુધી કામચલાઉ પુલ બનાવવાની કામગીરીનો આરંભ કરી દીધો હતો. પરંતુ તંત્રે આ કામગીરી અટકાવી દીધી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    સયાજી અને ગોત્રી હોસ્પિટલની મેયરે મુલાકત લીધી ઃ તંત્ર સજ્જ હોવાનો દાવો

    વડોદરા, તા.૨૭મેયર નિલેશ રાઠોડ, અને આરોગ્ય સમિતીના ચેરમેન ડો. રાજેશ શાહ તેમજ સ્થાયી સમિતીના સભ્ય ડો.શીતલ મીસ્ત્રી ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જાેકે, ગોત્રી હોસ્પિટલમાં કોરોનાનો એકપણ કેસ નથી. કોરોના દર્દીઓ માટે ૨૫ જેટલા બેડ અને વેન્ટીલેટર સહિત વ્યવસ્થા અહી હાલ કરવામાં આવી છે. ગોત્રી હોસ્પિટલમાં મુલાકાત લીધા બાદ સયાજી હોસ્પિટલની પણ મુલાકાત લીઘી હતી. રવિવારે સયાજી હોસ્પિટલમાં કોરોનાના ૧૪ જેટલા પોઝિટીવ કેસ આવ્યા હતા. આ તમામ દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. હાલ તબીબો દ્વારા ગાઇડ લાઇન મુજબજ સારવાર આપવામાં આવી રહી છે. મેયરે જણાવ્યું હતુ કે, હાલ અહીં કોરોનાનો એક પણ દર્દી જાેવા મળ્યા નથી. કોરોનાને પહોંચી વળવા માટે તંત્રની પૂર્ણ તૈયારી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલમાં કોરોનાની લગતી તમામ દવાઓ, ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. ચિંતાનો કોઇ વિષય નથી. છતાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. તેમણે કહ્યુ હતુ કે,ગોત્રી હોસ્પિટલમાં ૯૦૦ ઓક્સિજન બેડ.૨૯૨ વેન્ટીલેટર,૩૮૮ મલ્ટીપેરા મોનીટર્સ તેમજ સયાજી હોસ્પિટલમાં ૧૦૦ ઓક્સિજન બેડ,૫૮૭ વેન્ટીલેટર વગેરે ઉપલબ્ઘ છે.જ્યારે બન્ને હોસ્પિટલોમાં રોજના કોરોનાના ૧૫૦૦ જેટલા આરટીપીસીઆર થઈ શકે તેવી વ્યવસ્થા હોંવાનુ કહ્યુ હતુ.
    વધુ વાંચો
  • ગુજરાત

    પાવાગઢ યાત્રાધામ ખાતે પાંચમા નોરતે દર્શન માટે બે લાખથી વધુ માઇભક્તો ઉમટી પડ્યા

    હાલોલ, તા.૨૬ચૈત્ર નવરાત્રીના પ્રથમ રવિવારના રોજ પાવાગઢ યાત્રાધામ ખાતે વહેલી સવારે માતાજીના દર્શન માટે કપાટ ખુલ્લા મૂકવામાં આવતા માઇભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.હિન્દુ સમાજમાં ચૈત્રી નવરાત્રીનો અનેરો મહિમા હોય છે.નવરાત્રીના પાંચમા નોરતે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન માટે બે લાખ ઉપરાંત માઇભક્તો ઉમટી પડ્યા હતા.જગત જનની મા મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચૈત્રી નવરાત્રી પર્વને લઇ ૫૧ શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન જગતજનની મા કાલિકાનાં દર્શનાર્થે આવનાર લાખોની સંખ્યામાં માઇભક્તોને લઇ વહીવટી તંત્ર સહિત મંદિર ટ્રસ્ટ, એસટી વિભાગ પણ સજ્જ બની ગયું છે.ચૈત્રી નવરાત્રી પર્વ લઇને માતાજીના દર્શને આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઇ પોલીસ તંત્ર દ્વારા ૩ ડીવાયએસપી,૮ પીઆઈ, ૩૦ પીએસઆઈ,૨૫૦ પોલીસ,જીઆરડી,હોમગાર્ડ,મહિલા પોલીસ સહિત અંદાજિત ૭૦૦ જેટલા પોલીસ કર્મીઓ યાત્રિકો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે.પોલીસ દ્વારા જુદા જુદા પોઇન્ટો ઉભા કરી વિડિયોગ્રાફી,સીસીટીવી કેમેરાથી યાત્રિકો પર બાજ નજર રાખવામાં ઉપરાંત સ્ટેન્ડ બાય ફાયર તેમજ એમબ્યુલન્સ સજજ રહેશે. જ્યારે એસ ટી નિગમ દ્વારા યાત્રિકોની અવર જવર કરવા માટે પાવાગઢ તળેટી બસ સ્ટેન્ડથી માંચી ડુંગર સુધી અપડાઉન કરવા ૬૦ જેટલી બસો અવિરત દોડતી રહેશે.હાલોલ ડોકટર એસોશીએશન દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન યાત્રિકો માટે ડોકટરની ટીમ પણ ઉપસ્થિત રહેશે.જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના ભક્તોને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સીસીટીવી કેમેરાથી સજ્જ બની ખાનગી સિક્યુરિટી દ્વારા યાત્રિકો પર નજર રાખવામાં આવી રહી છે.રવિવારનારોજ વહેલી થવાથી જ પાવાગઢ ખાતે આવેલા ઉડન ખટોલા પણ વહેલી સવારથી ચાલુ કરી દેવામાં આવ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    નર્મદા પંચકોશી પરિક્રમામાં અવ્યવસ્થા સર્જાઈ પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વિના પરત ફર્યા

    રાજપીપળા, તા.૨૬નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન અવ્યવસ્થા સર્જાઈ હતી.જેને કારણે લોકોએ પરિક્રમા કર્યા વિના પરત ફરવાનો વારો આવતા રોષ ફેલાયો છે.પરિક્રમા દરમીયાન અચાનક શ્રધ્ધાળુઓનો ધસારો વધતા પરિક્રમાવાસીઓની સંખ્યા સામે નાવડીઓ ઓછી હોવાથી તિલકવાડાથી સામે પાર જવા માટે લોકોએ કલાકો સુધી તપવાનો વારો આવ્યો હતો.તિલકવાડાથી નદી પાર કરી સામે પાર જવા માટે પુરતી નાવડીઓને અભાવે પરિક્રમાવાસીઓએ પોતાના જીવના જાેખમે ઓછા પાણીમાં ચાલીને નદી પાર કરવાનો વારો આવ્યો હતો, એ નદીમાં મગરોની સંખ્યા વધારે છે ત્યારે નદી પાર કરતા સમયે જાે કોઈ ભક્ત મગરનો શિકાર બને તો એનો જવાબદાર કોણ એ પ્રશ્ન ઊઠી રહ્યો છે.પરિક્રમાના ૨૧ કિમીના રૂટના મુખ્ય પોઇન્ટ પર ફ્રીમાં જમવાનુ, નાસ્તો, પાણી સહિત ટોઇલેટની વ્યવસ્થાઓ તો હતી જ.પરંતુ ભાઠામાં ઈ- ટોઈલેટ ન હોવાને કારણે મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી. પરિક્રમાના રૂટ પર પુરતા પ્રમાણમાં લાઈટોના અભાવે ભકતો પર જંગલી જાનવરોના હુમલાઓની સંભાવનાઓ વધી જાય છે. એટલે વધુ લાઈટો મુકવા માંગ ઉઠી છે.પરિક્રમા કરવા આવેલા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ભક્તોએ અનેક સમસ્યાઓ વિશે માહિતગાર કરતા એમણે આ બાબતે નર્મદા જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું હોવાનું પણ જાણવા મળે છે.હવે પરીક્રમા શરૂ થઈ એ અગાઉ સ્થાનિક આગેવાનોએ નદીના બંનેવ કિનારે લાઈફ જેકેટ સાથેની ૧૦- ૧૦ નાવડીઓ, બેરિકેટ, આરોગ્યની ટીમ, ડસ્ટબીન, અસ્થાયી પોલીસ સ્ટેશન, ૧૦૮ ની સુવિધા, શ્રદ્ધાળુઓના વિશ્રામ માટે મોટો ડોમની વ્યવસ્થા કરવા તંત્રને લેખીત રજુઆત કરી હતી.તો તંત્રએ એ વ્યવસ્થા ન કરતા અવ્યવસ્થા સર્જાઈ હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. આગામી દિવસોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા આવશે ત્યારે આનાથી વધુ કપરી સ્થિતિ પેદા થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    દિન-પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો ઃ નવા ૧૪ કેસ નોંધાયા

    વડોદરા, તા.૨૬વડોદરા શહેર-જિલ્લામાં ચાલી રહેલ બેવડી ઋતુમાં કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાઈ રહ્યો હોવાનું જાેવા મળી રહ્યું છે. વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન આજે શહેરમાં નવા ૧૪ જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. હોમ આઈસોલેશનમાં પણ દર્દીઓનો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ હોમ આઈસોલેશનમાં દર્દીઓની સંખ્યા ૬૮ ઉપર પહોંચી છે, જેને કારણે સ્થાનિક આરોગ્યતંત્ર એલર્ટ બન્યું છે અને શહેરીજનો માટે કોરોના વાઈરસથી બચવા માટે માસ્ક પહેરવાની અપીલ કરાઈ છે. હાલ શહેર-જિલ્લામાં બેવડીઋતુનો માહોલ ચાલી રહ્યો છે, તેવા સમયે કમોસમી વરસાદના માવઠાં થતાં પડયા પર પાટંુ મારવા જેવી સ્થિતિ સર્જાતાં સિઝનલ રોગચાળો વકર્યો છે. જેને લીધે સિઝનલ રોગ શરદી, ખાંસી, તાવ, સાંધાનો દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં તકલીફ જેવી બીમારીઓ થતાં શહેરમાં ઘેર-ઘેર બીમારી જાેવા મળી રહી છે. આ બીમારીની સાથે કોરોનાએ પણ માથું ઊંચકતાં કોરોનાના કેસોમાં પણ આંશિક વધારો જાેવા મળી રહ્યો છે. આ વધારો છેલ્લા દસ-પંદર દિવસમાં જાેવા મળ્યો છે. કોરોના પર અંકુશ મેળવવા માટે પાલિકાના આરોગ્યતંત્રે સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્વેની કામગીરી સાથે આરોગ્યલક્ષી કાર્યવાહી હાથ ધર છે. દિવસ દરમિયાન ૫૪૩ જેટલા લોકોના સેમ્પલો ટેસ્ટ માટે લેવાયાં હતાં જેમાં ૧૪ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત ૬૮ એક્ટિવ કેસ પૈકી ૬૪ કેસ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે જેમાં ચાર દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે અને બે દર્દીઓ ઓક્સિજન ઉપર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    મૌન પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું 

    કલકેટર કચેરીના પરિસરમાં શહેર કોગ્રેંસ દ્વારા કરવામાં આવેલ મૌન પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ લઇ લોકશાહી બચાવોના સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પરવાનગી લીધા વિના કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતાં પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશીની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. ત્યાર બાદ મનપાના વિરોધ પક્ષના નેતા અમી રાવતની મહિલા પોલીસે અટકાયત કરી હતી.સમગ્ર વિરોધ પ્રદર્શન કાર્યક્રમને પોલીસ દ્વારા રોકવામાં આવતાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઉગ્ર વાતાવરણ બની ગયું હતું. જાે કે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ૨૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    પવિત્ર ચૈત્ર માસના પ્રારંભે જ સમગ્ર શહેર ભક્તિમય બની ગયું છે. 

    પવિત્ર ચૈત્ર માસના પ્રારંભે જ સમગ્ર શહેર ભક્તિમય બની ગયું છે. મહિનાની શરૂઆતમાં ગુડી પડવો અને ચૈત્રી નવરાત્રિનો પ્રાંરભ થતાં કારેલીબાગ સ્થિત બહુચર માતાનું મંદિર અને શહેરના મધ્યમાં આવેલા જગતજનની માં અંબાના મંદિરે ભાવિભક્તો વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી પડયા હતા. મહારાષ્ટ્રીયન સમાજનું નવું વર્ષ એટલે ગુડી પડવા નિમિત્તે વહેલી સવારથી મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પ્રભાતફેરી યોજીને પોતપોતાના ઘરઆંગણે ગુડીની પૂજા-અર્ચના કરી વિધિ કરવામાં આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    બિલ્ડરે ઊંઘની ગોળીઓ આરોગી આપઘાતનો પ્રયાસ કરતા હાલત નાજુકબિલ્ડરે ઊંઘની ગોળીઓ આરોગી આપઘાતનો પ્રયાસ કરતા હાલત નાજુક

    વડોદરા, તા.૨૧વ્યવસાય સાથે સંકળાયેલા શહેરના બિલ્ડરે વ્યાજ ખોરોના ચક્રવ્યૂહમાં ફસાયા બાદ વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડરે તેમની ઓફીસમાં અંદાજે ૩૦ જેટલી ઊંઘની સામટી ગોળીઓ આરોગી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાે કે, તેને સારવાર અર્થે બેભાન હાલતમાં ગોત્રી જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલમાં દાખલ કરવાાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું તબિબ સુત્રોએ જણાવ્યું છે. આ બનાવની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. સમગ્ર ચકચારી બનાવની વિગત એવી છે કે, કંન્ટ્રક્શનનો ધંધો કરતા શહેરના બિલ્ડર જયેશભાઈ પારેખે કંન્ટ્ર્‌ક્શનના ધંધા અર્થે લક્ષ્ણણ ભરવાડ નામના વ્યક્તિ પાસે વ્યાજે રૂપિયા લીધા હતા. તે બાદ જયેશભાઈ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયા હતા અને આર્થિક ભીંસમાં આવી ગયા હતા અને અંદાજે રૂા.૩ કરોડ જેટલું આર્થિક દેવુ વધી ગયું હતું. આર્થિક દેવુ તથા વ્યાજખોરોના ત્રાસથી ત્રાહીમામ્‌ પોકારી ઉઠેલા બિલ્ડરે તેમની ઓફીસમાં જ ઊંઘની સાગમટે ૩૦ ગોળીઓ આરોગી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગોળીઓ આરોગ્યા બાદ તેઓ બેભાન બની જતાં સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ બનાવ સંદર્ભે તપાસના ભાગરૂપે હોસ્પિટલમાં પહોંચી ગયા પરંતુ તેઓ બેભાન અવસ્થામાં હોવાથી પોલીસે તેમનું નિવેદન નોંધી શક્યા નથી. તદ્‌ઉપરાંત હજી સુધી ગુનો કે ફરિયાદ પણ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જયેશભાઈ ભાનમાં આવવા માટેની રાહ જાેઈ રહી છે. દર્શનમના સુનિલ અગ્રવાલે થાય તે કરી લો તેવી ધમકી આપી જયેશ પારેખે લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું છેકે સેવાસીના બ્લોક નંબર ૧૪૭ની જમીન બિલ્ડર સુનિલ અગ્રવાલને વેચાણ આપી છે. આ જમીનના રૂપિયા લેવા જાય ત્યારે તેઓ થાય તે કરી લો તેવી ધમકી આપે છે. અને કોર્ટમાં જઈ રૂપિયા લઈ લો તેમ જણાવે છે તેવો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ચિઠ્ઠીમાં અન્ય ભાગીદારોના નામનો પણ ઉલ્લેખ કર્યો 

    આત્મહત્યાનો પ્રયાસ કરનાર બિલ્ડર જયેશ પારેખે કોંગ્રેસના લક્ષ્મણ ભરવાડ, ભાજપના રમેશભાઈ પ્રજાપતિ અને દર્શનમ ગ્રુપના સુનિલ અગ્રવાલ ઉપરાંત પોતાના ભાગાદીર વ્યોમેશ ચીમનભાઈ પટેલ, કૌશિક ચીમનભાઈ પટેલ, પિયુષ વિનયચંદ્ર શાહ અને ગીરીશ ભીખાભાઈ પટેલના નામનો ઉલ્લેખ કરી તેઓએ પણ ભાગીદારીમાં રોકેલા રૂપિયા નહીં આપ્યાનું જણાવ્યું છે.રમેશ પ્રજાપતિ પૂર્વ મેયર દલસુખ પ્રજાપતિના ભાઈ બિલ્ડર જયેશ પારેખે આપધાતના પ્રયાસ પૂર્વે લખેલી ચિઠ્ઠીમાં લખેલ નામ રમેશભાઈ ચતુરભાઈ પ્રજાપતિ એ શહેરના માજી મેયર અને માજી ધારાસભ્ય દલસુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિના ભાઈનું નામ છે. દલસુખભાઈ પ્રજાપતિ પણ જમીનોના આવા અનેક વિવાદો માટે જાણીતા છે. પરંતુ અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ માટે ભાજપના શાસનમાં આવા ગોરખધંધા કરવું મુશ્કેલ હતું. જેથી પહેલા પુત્ર વિષ્ણુ પ્રજાપતિને ભાજપમાં મોકલ્યા બાદ પાછળથી તોએ આખા પરિવારને ભાજપમાં લઈ આવ્યા હતા. ભાજપના ઓથા હેઠળ તેઓ આવા ધંધા બેરોકટોક કરતા હોવાનું પણ કહેવાય છે. ઉલ્લેખનીય છેકે લક્ષ્મણ ભરવાડ સહિત અનેક જમીનના વેપારીઓ અને ભાગીદારો મૂળ કોંગ્રેસી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    લક્ષ્મણ ભરવાડ, રમેશ પ્રજાપતિ અને સુનિલ અગ્રવાલના ત્રાસથી બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ

    વડોદરા તા. ૨૧શહેર અને રાજ્યમાં વ્યાજખોરોના ચાલતા ગેરકાયદે ધંધા સામે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ ઉપાડેલી ઝુંબેશને ગણકાર્યા સિવાય શહેરના પશ્વિમ વિસ્તારમાં રહેતા બિલ્ડર જયેશ પારેખ પાસે ઉંચુ વ્યાજ વસુલવાની ચાલતી પ્રવૃતિ અસહ્ય બનતા તેઓએ આજે ઉંધની ગોળીઓ ખાઈ આપધાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રયાસમાં તેઓએ લખેલી ચિઠ્ઠીમાં ઉંચા વ્યાજે રૂપિયા આપવા જાણીતા અને જમીનોનો કબ્જાે લેવાના ધંધા માટે કુખ્યાત લક્ષ્મણ ભરવાડ, જાણીતા બિલ્ડર રમેશ પ્રજાપતિ અને સુનિલ અગ્રવાલ સહિતના ભાગીદારોએ કરેલા વિશ્વાસધાત અને સતત રૂપિયા વસુલવા માટે આપવામાં આવતા ત્રાસને કારણ ગણાવ્યું છે. જેમાં મહિને રૂપિયા ૪.૫૦ લાખનું તગડું વ્યાજ વસુલનાર લક્ષ્મણ ભરવાડ સામે ફિટકાર વરસાવાઈ રહ્યો છે. જ્યારે રમેશ પ્રજાપતિ સ્કીમના મેમ્બરના બાનાખત કરવા નહીં આવતા હોવાનું તથા સુનિલ અગ્રવાલે વેચાણ રાખેલી જમીનના રૂપિયા નહીં આપતા હોવાનું પણ જણાવ્યું છે.આ બાબતે આત્મહત્યાનો પ્રયાસ કરનાર બિલ્ડર જયેશ પારેખના પત્ની અને ભાણેજે આજે મિડીયા સમક્ષ સ્ફોટક નિવેદન આપતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય નાગરીકોને ઉંચા વ્યાજે સરળતાથી રૂપિયા આપી તેઓ પાસેથી મુદ્દલ કરતા અનેક ગણું વ્યાજ વસુલ્યા બાદ પણ જંગી રકમની ઉધરાણી થતી હોવાની વ્યાપક ફરિયાદો રાજ્યભરમાં ઉઠવા પામી હતી. જેની સામે રાજ્યના ગૃહરાજ્ય મંત્રીએ જ ઉપાડેલી ઝુંબેશને ગણકાર્યા સિવાય કોંગ્રેસ સાથે નાતો ધરાવનાર જમીનોના અનેક વિવાદ સાથે સંકળાયેલા લક્ષ્મણ ભરવાડે મહિને ૪.૫૦ લાખ વ્યાજ વસુલ્યા પછી પણ આ બિલ્ડરને ધમકીઓ આપી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ મૂળ કોંગ્રેસી અને પાછળથી ભાજપ સાથે જાેડાયેલા રમેશ પ્રજાપતિએ વેચાણ આપેલી જમીનમાં પ્રોજેક્ટ ઉભો કરનાર બિલ્ડર જયેશ પારેખ કોઈ મિલકત વેચાણ આપે તો લક્ષ્મણ ભરવાડના દબાણમાં રમેશ પ્રજાપતિ બાનાખત કે દસ્તાવેજ કરવા માટે આવતા નહતા. જેના કારણે બિલ્ડરની આર્થિક સંકડામણ વધતી ગઈ હતી. આ ઉપરાંત ભાગીદારીમાં લીધેલી એક જમીન જાણીતા બિલ્ડર અને દર્શનમ ગ્રુપના સર્વેસર્વા સુનિલ અગ્રવાલને વેચાણ આપી હતી પરંતુ આ વેચાણ આપેલી જમીનના રૂપિયા સુનિલ અગ્રવાલ તેઓને નહીં આપી તેમના ભાગીદારોને જ આપતા હતા જે જયેશ પારેખને મળતા નહતા.જેનાથી પણ આર્થિક સમસ્યા ઉભી થઈ હતી. આમ, તમામ બાજુઓથી ઘેરાઈ હવે રૂપિયા આપવાની ક્ષમતા રહી નહી હોવાની ચિઠ્ઠી લખી બિલ્ડર જયેશ પારેખે આજે તેમની ઓફિસમાં ઉંધની ૩૦ ગોળીઓ ખાઈ આપધાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ધટના સ્થળેથી ચિઠ્ઠી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વિદ્યાર્થીઓને માઇનોર હિંટ્‌સ પુસ્તક વાંચવા અમિત શાહનો અનુરોધ 

    વડોદરા, તા ૧૮ એમએસ યુનિવર્સિટી નો ૭૧મો પદવીદાન સમારોહ સર સયાજીરાવ નગરગૃહ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  એમ એસ યુનિવર્સિટી નો ૭૧મો પદવીદાન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપસ્થિતિ રહી વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. અમિત શાહે તેમના સંબોધનના પ્રારંભે જ યુનિ.સાથે વિવિધ, સ્તર પર સંકળાયેલ રહેલ મહાનુભાવો અને વિદ્યાર્થી રહી ચુકેલા નાંમાકિત મહાનુભાવો જેવાકે વિનોબા ભાવે. અરવિંદ મહર્ષિ, આઇ,જી પટેલ, સહિત અનેક મહાનુભાવોને યાદ કર્યા હતા. અમિત શાહે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે આ તમારા સૌનાં માટે મહત્વનો દિવસ છે. અત્યાર સુધી તેમેજે પાપ્ત કર્યુ છે. તેને તમારે હવે સમાજનાં રચનાત્મક યોગદાન માટે ઉપયોગ કરવાનો છે. શિક્ષાનો ઉદેશ્ય વ્યકતિને સંપુર્ણ બનાવવાનો છે. વ્યકતિગત જીવનની ઉંચાઇઓ વ્યકતિગત રહે છે. જયારે સમાજ માટે કરેલ કાયો હમેંશા યાદ રાખવામાં આવે છે. અમિત શાહે યુનિવર્સીટી માંથી મેળવેલી શિક્ષાને સમાજ કાર્યો માટે ઉપયોગમાં લઈને સમાજપયોગી અને દેશહિત માટે કાર્ય કરવા જણાવ્યું સાથે સર સયાજીરાવ ગાયકવાડનાં શાશન ને યાદ કરી વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે આ વિઝનરી રાજવીએ કન્યા કેળવણી, પુસ્તકાલયો જે જે મહત્વ આપ્યુ તે આપણે સૌ જાણીએ છીએ. તેમણે વિધાર્થીઓને માઇનોર હિંટ્‌સ પુસ્તકને વાંચવા અને જીવનમાં ઉતારવા માટે જણાવ્યું હતું. આ પુસ્તકમાં સયાજીરાવ ગાયકવાડના શાસનની પ્રણાલીઓને વણી લેવામાં આવી છે. સાથે અમિત શાહે વઘુમાં વિદ્યાર્થીઓને નવી શિક્ષા નીતિને સમજવા માટે અનુરોધ કર્યો હતો . શિક્ષણ ઉદ્દેશ માત્ર સારા ગુણ મેળવવાનો અને પ્રમાણપત્ર મેળવવાનો નથી. અમિત શાહે સંબોધનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા હતા. અને આજના દિવસે નેતાજી બર્મામાં પ્રવેશ કર્યો હતો તેમ કહી ઉમેર્યુ હતુ કે નેતાજી એ દેશની આઝાદી માટે જે કઠનાઇઓ વેઠી છે તેને દુનિયા યાદ કરે છે. યુનિ.ના ૭૧મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સુવર્ણ પદક વિજેતા વિધાર્થીઓને સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા હતા. યુનિ.ના ચાન્સેલરે સ્નાતક અને અનુસ્નાતક ની ડીગ્રી મેળવનાર વિધાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા આપી હતી ૭૧માં પદવીદાન સમારોહમાં ૧૯૨ વિદ્યાર્થીઓને ૩૦૦ થી વધુ સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    યુનિ. ઈતિહાસનો સૌથી કલંકિત પદવીદાન સમારંભ સંપન્ન

    શહેરની એમ.એસ. યુનિવર્સિટીના ઈતિહાસનો સૌથી કલંકિત અને શરમજનક પદવીદાન સમારંભ આજે અત્રે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરી હોવા છતાં સમારંભસ્થળની બહાર હજારો વિદ્યાર્થીઓ દ્વારા હાય...વી.સી. ... હાય...ના નારા અને પોલીસ સાથે ઘર્ષણના બનાવો બન્યા હતા. એટલું જ નહીં, આ સમારંભ માટે મહત્ત્વની ગણાતી અને યુનિવર્સિટીની સર્વોચ્ચ ગણાતી સેનેટના બે સભ્યોની સમારંભના હોલમાંથી અટક કરાયાના બનાવે યુનિ.ના વર્તમાન સત્તાધીશોની આપખુદશાહીનો ઘૃણાસ્પદ પુરાવો પૂરો પાડયો હતો.ગેરવહીવટ અને એકહથ્થુ શાસનના કારણે છેલ્લાં ઘણાં વખતથી વિવાદમાં ઘેરાયેલી એમ.એસ. યુનિવર્સિટીના વિવાદાસ્પદ વા.ચા. ડૉ. વિજય શ્રીવાસ્તવ સામે છેલ્લાં લાંબા સમયથી વ્યાપેલા રોષના પડઘા આજે અત્રે ૭૧માં પદવીદાન સમારંભ દરમિયાન પડયા હતા. ગઈકાલે માવઠાને કારણે છેક છેલ્લી ઘડીએ પદવીદાન સમારંભનું સ્થળ ખસેડીને સર સયાજી નગરગૃહ ફાળવવામાં આવ્યું, પરંતુ લગભગ ૧પ હજાર જેટલા ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, સેનેટ સિન્ડિકેટ સભ્યો અને કેન્દ્રિય મંત્રીની ઉપસ્થિતિને કારણે શૈક્ષણિક સંસ્થાને બદલે રાજકીય પક્ષના બની ગયેલા કાર્યક્રમના કારણે ભાજપના ટોચના નેતાઓથી માંડી કાર્યકરો સુધીના લોકો એકઠા થયા હતા. પરંતુ સમારંભ સ્થળ હૉલમાં માત્ર ૧૧૦૦ લોકોની બેઠક વ્યવસ્થા હોવાને કારણે જેમણે પદવી ધારણ કરવાની તેવા તેજસ્વી વિદ્યાર્થીઓએ પણ સમારંભથી વેગળા રહેવું પડે એવા શરમજનક દૃશ્યો સર્જાયાં હતાં. યુનિવર્સિટીના સૌથી કલંકિત ૭૧માં પદવીદાન સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓ, સેનેટ સિન્ડિકેટ સભ્યો અને યુનિ.ના સિકયુરિટી સ્ટાફ તથા પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. આયોજનમાં ગંભીર ક્ષતિઓ, ગેરવહીવટ અને બેદરકારી તથા વા.ચા.ના મનસુફીભર્યા વલણને કારણે યુનિ.ના ઈતિહાસમાં કલંકિત બની રહેલા આજના આ ૭૧મા પદવીદાન સમારંભના મુખ્ય અતિથિપદે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હોવાથી કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓ તથા સ્થાનિક પોલીસ પણ સંપૂર્ણ સજ્જતા સાથે તહેનાત હોવા છતાં ઘર્ષણ, અટક અને હાય... વા.ચા. ... હાય... જેવા ગગનભેદી સૂત્રોચ્ચારોએ આજના આ પદવીદાન સમારંભે યુનિ.ના આપખુદ વા.ચા. ડૉ. વિજય શ્રીવાસ્તવની કારકિર્દી પર પ્રશ્નચિહ્ન મૂકી દીધાનું યુનિ.ના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વિદ્યાર્થીઓનો હોબાળો ટાળવા ગૃહ બહાર એલઇડી મુકવામાં આવ્યું 

     સયાજીનગરગૂહ ની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહમાં ભાગ લેવા આવતા યુનિ. આયોજકો ને આ વિદ્યાર્થીઓને કઇરીતે સમાવવા તેની ચિંતા વધી ગઇ હતી. અને છેલ્લી મિનિટે વિદ્યાર્થીઓનો રોષો ઓછો કરવા માટે સયાજીનગર ગૂહ બહાર એલઇડીમુકવામા આવ્યુ હતુ. અને બીજા બે એલઇડી ગૂહનાં પ્રવેશદ્રાર પહેલા બહાર મુકવામાં આવ્યા હતા અને ત્યાં ખુરશીઓ મુકવામાં આવી હતી.૫૨૦ રૂપિયાની ફી ચૂકવી વિદ્યાર્થીઓ હાંસિયામાં ધકેલાયા, ફી પરત મળશે?  યુનિ. સત્તાધીશોએ સમગ્ર પદવીદાન સમારોહને હાસ્યપદ બનાવી દિઘો હતો. ૫૨૦ રૂપિયા ભરી પોતાના શૈક્ષણિક કેરીયરની યાદગાર ક્ષણો પોતાના જીવનમાં યાદ કરવાની ઘટના ડીગ્રીધારકો વિદ્યાર્થીઓ માટે યુનિ. સત્તાધીશોએ દુસ્વપ્ન બનાવી દીઘુ હતુ અને જે વિદ્યાર્થીઓ પદવી લેવા આવ્યા હતા અને જેમના માટે આ પદવીદાન સમારોહ યોજાઇ રહ્યો હતો તેજ વિદ્યાર્થીઓ બહાર રહેતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. સમારોહમાં પ્રવેશ ન થનાર વિદ્યાથીઓને યુનિ. સત્તાધીશો ૫૨૦ રૂપિયા ફી પરત કરશે ખરા?
    વધુ વાંચો
  • ગુજરાત

    અંતે વડોદરાને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જાે પ્રાપ્ત

    વડોદરા,તા ૧૮વડોદરા સહિત મઘ્ય ગુજરાતનાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આંનદનાં સમાચાર છે. વડોદરાનાં સાસંદ રંજનબેન ભટ્ટનાં લાંબા સમયનાં અથાક પ્રયાસો છેવટે સફળ રહ્યા છે. વડોદરા એરપોર્ટ ને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જાે પ્રાપ્પ થયો છે. અને હવે વડોદરા એરપોર્ટથી જ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતા મુસાફરોનું ઇમિગ્રેશન અને સીકયુરીટી ચેકિંગ થઇ જશે. અને આ અંગેનું ભારત સરકારનું ગેઝેટ કેન્દ્વિય ગૂહ પ્રઘાન અમિત શાહે વડોદરાનાં સાસંદ રંજનબેન ભટ્ટને હાથોહાથ આપ્યુ હતુ. આ રાજપત્ર જાહેર થતા જ વડોદરા એરપોર્ટનું વિશ્વમાં સ્ટેટસ બદલાઇ ગયુ છે. તેને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જાે પ્રાપ્ત થયો છે. આ સુવિધાનો પ્રારંભ થતાજ વડોદરા સહિત મધ્ય ગુજરાત જતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સમય અને કનેકટીંગ ફલાઇટ નો લાભ મળતો થઇ જશે. હવે વડોદરા એરપોર્ટથી ગલ્ફ દેશો જેવા કે દુબઇ, અબુધાબી, શારજાહ, સિંગોપર સહિતનાં દેશોની વિમાની સેવાનો લાભ મળતો થઇ જશે. અને ગલ્ફ દેશોમાંથી વડોદરાથી જતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અમેરિકા, કેનેડા, યુકે સહિત વિશ્વનાં અનેક દેશોની કનેકટીંગ ફલાઇટ થી જાેડાઇ શકશે. જેનાંથી મુસાફરોનો સમય સાથે હવાઇ ટીકીટમાં પણ મોટી રાહત મળશે.  ઉલ્લેખનિય છે કે થોડા દિવસો અગાઉ જ વડોદરા એરપોર્ટની મુલાકાતે કેન્દ્રિય ગૂહ મંત્રાલયની ટીમ સુરક્ષા વ્યવસ્થા અને ઇમિગ્રેશન માટેની સુવિઘા અંગે ચકાસણી કરી હતી. ત્યારે વડોદરાનાં સાસંદ રંજનબેન ભટ્ટનાં પ્રયાસો અને સતત કેન્દ્ર ગૂહ મંત્રાલય સહિત એવીએશન મંત્રાલયમાં રજુઆત રંગ લાવી હતી. અને વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્વિય પ્રધાન અમિત શાહે લક્ષ્મીવિલાસ પેલેસ એલવીપી ખાતે સાંસદ રંજનબેન ભટ્ટને વડોદરા એરપોર્ટનો ગેઝેટ રાજપત્ર સોપ્યોં હતો. એરપોર્ટનું નામ ‘સર સયાજીરાવ ગાયકવાડ’ આપવા રજૂઆત  વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જાે મળ્યા બાદ હવે સાસંદ રંજનબેન ભટ્ટે કેન્દ્રિય ગૂહ પ્રઘાન અમિત શાહને એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ આપવા વિનંતી સાથે રજુઆત કરી હતી. અને આ અંગે અમિત શાહે સકારાત્મક સંકેત આપી આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાની ખાત્રી આપી હતી. આંમ આગામી દિવસોમાં વડોદરા એરપોર્ટનું નામકરણ સર સયાજીરાવ ગાયકવાડ સાથે જાેડવામાં આવે તેવી પુરી શકયતાઓ છે. ઇમિગ્રેશન અને સિકયુરિટી ચેકથી પ્રવાસીઓ માટે આર્શીવાદરૂપ વડોદરા એરપોર્ટ ખાતેથી કસ્ટમ ઇમિગ્રેશન અને સિકયુરીટી ચેકીંગ વડોદરા ખાતે જ સંપન્ન થતા વિદેશ જતા અને આવતા મુસાફરોનો સમય અને સાથે વડોદરાથી સીઘી ગલ્ફની ફલાઇટનો લાભ મળતા આગળ કનેકટીંગ ફલાઇટનો લાભ મળશે અને આ કારણે વિદેશ જતા મુસાફરોના પૈસા અને સમયનો ધંણો ફાયદો થશે
    વધુ વાંચો
  • ગુજરાત

    બરફના કરા સાથે કમોસમી વરસાદ ઃ વૃક્ષો ધરાશાઈ ઃ પાણી ભરાયાં

    વડોદરા, તા. ૧૭ભર ઉનાળે બપોર દરમ્યાન વિજ્ળીના ચમકારા સાથે એકાએક ધોધમાર વરસાદની સાથે વિવિધ વિસ્તારોમાં બરફના કરા પડતા શહેરીજનોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. ભારે પવનો સાથે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં મહાકાય વૃક્ષો ધરાશયી થયા હતા. રસ્તા વચ્ચે વૃક્ષો ધરાશયી થવાની સાથે બરફના કરા વરસતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. બપોર દરમ્યાન સતત એક કલાક સુધી વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉનાળામાં તાપને બદલે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કમોસમી વરસાદને પગલે પાણીજન્ય અને મચ્છર જન્ય રોગોમાં પણ વધારો જાેવા મળ્યો હતો. સાકલોનિક સક્ર્યુલેશનને પગલે વાતાવરણમાં પલટો આવતા હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી જાહેર કરવામાં આવી હતી. ત્યારે બે દિવસ બાદ આજે ફરીથી બપોર દરમ્યાન ભારે પવનો અને વિજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ધોધમાર વરસાદની સાથે બરફના કરાં પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. ભારે પવનની સાથે વરસાદ વરસતા કેરી, ધઉં તેમજ ઉભા પાકને ભારે નુકશાન થયુ હતું. બપોરે સતત એક કલાક શહેર – જીલ્લામાં વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તે સિવાય ગોત્રી , છાણી , ગોરવા સહિતના ના વિસ્તારોમાં બરફના કરા સાથે વરસાદ વરસતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. એકાએક બરફના કરાં પડતા શહેરીજનોમાં કુતુહલ સાથે જનજીવન પણ ખોરવાયું હતું. ભારે વરસાદ પડતા વિવિધ વિસ્તારોમાં મહાકાય વૃક્ષો પણ ધરાશયી થતા વાહનચાલકો દબાયા હતા. વાતાવરણના બદલાવને કારણે ફાયરબ્રિગેડ ની ટીમ પણ સક્રીય બની જતા જાનહાની ટળી હતી. મિશ્ર ઋતુને પગલે શહેરીજનોમાં બિમારીનું પ્રમાણ પણ વધેલું જાેવા મળ્યું હતું. એક અઠવાડિયાથી સતત છૂટાછવાયા વરસાદને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતા ખાનગી અને સરકારી હોસ્પીટલોમાં દર્દીઓની ભારે ભીડ જાેવા મળી હતી. તે સિવાય કોરોના સહિતના અન્ય રોગોમાં પણ વધારો જાેવા મળ્યો હતો. બરફના કરા વરસતાં તાપમાનમાં એક ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો બપોર દરમ્યાન બરફના કરાં સાથે વરસાદ વરસતા મહત્તમ તાપમાનમાં ૧.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ ધટાડા સાથે તાપમાન ૩૩ ડીગ્રી સેન્ટીગ્રેડ અને લધુત્તમ તાપમાન ૨૩ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૭૭ ટકાની સાથે સાંજે ૬૮ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૦૭.૪ મીલીબાર્સની સાથે દક્ષિણ – પશ્ચિમ દિશા તરફથી આઠ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા. ક્યાં કેટલો વરસાદ? વાતાવરણમાં એકાએક પલટો આવવાના કારણે એક અઠવાડિયાથી સતત છૂટાછવાયા વરસાદ વચ્ચે આજે બપોરે બે વાગ્યાથી સતત એક કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા વડોદરા શહેરમાં સત્તર એમ.એમ. જ્યારે પાદરા ખાતે પાંચ એમ.એમ. કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય સ્થળોએ છૂટુછવાયું ઝાપટું વરસતા વાતાવરણમાં ઠડક પ્રસરી હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં રહીશોમાં આક્રોશ એક કલાક વરસાદ વરસતા સયાજી હોસ્પીટલ સહિત વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા રહીશોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જાેકે સાંજ દરમ્યાન પાણી ઓસરતા રાહત થઈ હતી. પરતું નિચાણવાળા વિસ્તારોમાં પાણી ન ઓસરતા રહીશોમાં આક્રોશ જાેવા મળ્યો હતો. તે સિવાય ગોરવા વિસ્તારમાં ભૂવો પડતા વાહનચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક ઈંચ કરતા પણ ઓછા વરસાદમાં પણ રોડ ધોવાઈ જતા શહેરીજનોમાં આક્રોશ જાેવા મળ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    શહેરમાં કમોસમી વરસાદમાં સંખ્યાબંધ નાના-મોટા વૃક્ષો ધરાશાયી, અનેક વાહનો દબાયાં

    વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન ગુજરાત સહિત વડોદરા શહેરમાં આવેલા વાતાવરણ પલટામાં આજે પણ દિવસ દરમિયાન વાદળછાયું અને વરસાદી વાતાવરણ રહેતાં બપોરના બે-અઢી વાગ્યાની આસપાસ શહેરમાં તેજ ગતિ પવન સાથે પડેલા વરસાદના ઝાપટામાં કેટલાક સ્થળોએ નાના મોટા વૃક્ષો ધરાશાયી થતાં નાના મોટા વાહનો દબાયાં હતાં તેમજ ઈલેકટ્રીક વીજતાર પણ તૂટી પડયા હતા. વીજતાર તૂટી પડવાને કારણે વીજ સપ્લાય ખોરવાયો હતો, જેને કારણે લોકોને અંધારપટમાં રહેવાનો વારો આવ્યો હતો.શહેરના કારેલબાગ વિસ્તારમાં આવેલ બુદ્ધદેવ કોલોની સામે મ્યુનિ. કોર્પોરેશન વીએમસીના ક્વાર્ટર્સ ખાતે આંબાનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ બનાવમાં આંબાના ઝાડ નીચે ઝુંપડું બાંધીને રહેતા ભાઈલાલ માળીનો બચાવ થયો હતો. જ્યારે ઘર નજીક પાર્ક કરેલ ફોર વ્હીલર ટેમ્પો અને ટુ વ્હીલર વાહનો દબાઈ ગયાં હતાં. આ સાથે સલાટવાડા ગવર્નમેન્ટ કોલોની, ઊંડેરા સન રેસિડેન્સી, ગાયત્રી પેટ્રોલ પંપ પાછળ, અલકાપુરી સોસાયટી, સી.એચ.જ્વેલર્સની ગલીમાં, આર.સી. દત્ત રોડ, એક્સપ્રેસ હોટેલ મેઈન રોડ અને ગોરવા રોડ અરુણાચલ, શ્રીનાથજી સોસાયટી પાસે આવેલ ઝાડ સહિત સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થતાં ફાયર બ્રિગેડની ટીમે કામગીરી હાથ ધરી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    પાદરા તાલુકાના લતીપુરા ગામની સીમ વિસ્તારમાં વીજળી પડતાં ખેડૂતનું મોત

    પાદરા ઃ પાદરા ના લતીપુરા ગામ સિમ વિસ્તારમાં ખેડૂત પર વીજળી પડતા મોત નીપજ્યું હતું. ખેતરમાં મરચા વીણતા વેળાએ એકાએક વીજળી પડતા ખેડૂત નું ઘટના સ્થળેજ મોત થયું હતું. ૧૦૮ મદદ દ્વારા ખેડૂત ને પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા ખસેડ્યા જ્યા તબીબી બે ખેડૂત ને મૃત જાહેર કર્યા હતા. ખેડૂત ની આજુબાજુ રહેલી એક મહિલા ને પણ વીજળી નો ઝાટકો લાગ્યો જાેકે તેનો આબાદ બચાવ થયો હતો. ઝાડ સાથે અથડાઇ ને વીજળી ખેડૂત પર પડી હતી. પાદરા લતીપુરા ગામ સીમ વિસ્તારમાં ખેડૂત પર વીજળી પડતા એકાએક મોત થયું છે. આજે પાદરામાં બદલાયેલા મોસમ વચ્ચે બપોર બાદ એક સાથે પવનના સુસ્વાઠા સાથે વરસાદ પડ્યો હતો અને કરા પણ પડ્યા હતા તેની સાથે સાથે વીજળી પડી હતી લતીપુરા રોડ પર એક ખેતરમાં વીજળી પડતા ખેતરમાં મરચા વીણતા વેળાએ એકાએક વીજળી પડતા ખેડૂત નું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. ઠાકોરભાઈ પ્રભાત ભાઈ પઢીયાર નામના ખેડૂતનું વીજળી પડતા મોત થયું હતું. જે બાબતની જાન ૧૦૮ કરતા ૧૦૮ મદદ દ્વારા ખેડૂત ને પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા ખસેડ્યા હતા જ્યા ફરજ પરના તબીબી એ ખેડૂત ઠાકોરભાઈ પ્રભાત ભાઈ પઢીયાર ને મૃત જાહેર કર્યા હતા. ખેડૂત ની આજુબાજુ રહેલી એક મહિલા ને પણ વીજળીનો ઝાટકો લાગ્યો જાેકે તેનો આંબાદ બચાવ થયો હતો. ઝાડ સાથે અથડાઇ ને વીજળી ખેડૂત પર પડતા ખેડૂતનું ઘટના સ્થળેજ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. ખેડૂતના ખિસ્સા માં રહેલ રૂ.૨૦ ના સિક્કોને પણ વીજળી ની અસર થઇ હોય તેમ ખેડૂતના ખિસ્સા માંથી વીજળી થી ખરડાયેલ ૨૦ નો સિક્કો મળી આવ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    શૈલેષ નાયક જ ‘ખલનાયક’ હોવાની શંકાએ સ્થાયી સમિતિમાં ઊલટતપાસ 

    લોકસત્તા વિશેષ, તા.૧૭ભાજપના વોર્ડ નંબર ૩ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાના ઘરે ગેસ વિભાગની રેડ પાડી ગેરકાયદે કનેકશન પકડાયા હોવાના ઉભા કરવામાં આવેલા ચિત્ર પાછલ રાજકીય વિરોધીનો દોરીસંચાર હોવાની વાતે સ્થાયી સમિતિની બેઠકમાં હોબાળો મચ્યો હતો. જેમાં ગેસ વિભાગના કોર્પોરેશન તરફના ડાયરેકટર શૈલેષ નાયકને બોલાવી તેઓની ઉલટ તપાસ કરતી પુછપરછ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જ્યાં શૈલેષ નાયકની પુછપરછ કરી કોના ઈશારે રેડ પાડવામાં આવી અને ભવિષ્યમાં કોઈ પણ કોર્પોરેટરને ત્યાં રેડ પાડતા પહેલા મેયરની પરવાનગી લેવાની વાત મુકવામાં આવી હતી. કોર્પોરેશનમાં ૬ મહિના માટે નવા મેયરની નિયુક્તિની જાહેરાત પૂર્વે જ મેયર પદના પ્રબળ દાવેદાર પરાક્રમસિંહ જાડેજાના ઘરે ગેસ વિભાગની ટીમનો દરોડો પડે છે અને ગેરકાયદે કનેકશન હોવાની વાતો વહેતી કરવામાં આવે છે. આ મામલે ભારે વિવાદ થયા બાદ મેયરની સ્પર્ધામાંથી પરાક્રમસિંહ જાડેજાનું નામ કમી થયું હતું. પરંતું આ વાતના પડધા આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પડ્યા હતા. કોર્પોરેશનમાં આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ તેઓના ઘરે ગેસ વિભાગની તપાસ પાછળ કોઈ રાજકીય દોરીસંચાર કે કોઈ વિરોધીઓનું ષડયંત્ર હોવાની વાત મુકવામાં આવી હતી. જેના પગલે ગેસ વિભાગના વડા શૈલેષ નાયકને સ્થાયી સમિતિમાં બોલાવી તેઓની ઉલટ તપાસ કરવામાં આવી હતી. જેમાં કોના ઈશારે આ રેડ પાડવામાં આવી હતી તેને લઈ શૈલેષ નાયકની સતત પુછપરછ કરવામાં આવતા કોર્પોરેશનમાં ચકચાર મચી ગઈ હતી આ સમયે સ્થાયી સમિતિના તમામ સભ્યોએ એક સૂરમાં જણાવ્યું હતુંકે ભવિષ્યમાં કોઈ પણ કોર્પોરેટરને ત્યાં કોઈ પણ પ્રકારની તપાસ કોર્પોરેશન તરફથી કરવામાં આવે તો તે માટે મેયરની પૂર્વ મંજુરી લેવામાં આવે. જાેકે સ્થાયી સમિતિની બેઠકમાં રજુ કરવામાં આવેલા આ વિચારને કોઈ મંજુરી આપવામાં આવી નહતી. પરાક્રમસિંહની બાતમી આપનારને વિજિલન્સનો કોન્ટ્રાકટ? કોર્પોરેશનમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પરાક્રમસિંહના ઘરે પડેલી ગેસ વિભાગની રેડના મામલે એક કોન્ટ્રાકટરને આપવામાં આવેલી કામગીરીને લઈને પણ વિવાદ થયો હતો. જેમાં પરાક્રમસિંહના ઘરે ૨ ગેસ કનેકશન છે તેવી બાતમી આપનાર વ્યક્તિને વડોદરા ગેસ લિમીટેડ કંપનીનો વિજીલન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ ખુદ પરાક્રમસિંહ જાડેજાએ કર્યો હતો. તેઓએ આશંકા વ્યક્ત કરી હતીકે તેમને બદનામ કરનાર વ્યક્તિને ઈનામ સ્વરૃપે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આજે મેયર, ચેરમેન અને કમિશનર ર્નિણય કરશે કોર્પોરેશનમાં મળેલી સ્થાયી સમિતની બેઠકમાં કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ ખોટી રીતે દરોડો પાડી બદનામ કરવા પાછળ ષડયંત્રની શંકા વ્યક્ત કરવા સાથે આ મામલે બાતમી આપનાર વ્યક્તિને મહિને ૨ લાખ રૃપિયાનો વિજીલન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યાના પુરાવા રજુ કર્યા હતા. આવા કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા સાથે તેને બ્લેક લિસ્ટ કરવાની પરાક્રમસિંહ જાડેજાએ માંગણી કરતા ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે ખાતરી આપી હતી. આવતીકાલે આ અંગે આખરી ર્નિણય કરવા માટે મેયરના અધ્યક્ષ સ્થાને ચેરમેન અને કમિશનર બેઠક કરી આખરી ર્નિણય કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. બોલો, નાયક દરોડાના દિવસે કયા નેતાના ઘરે ગયા હતા? સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેટરના ઘરે પાડવામાં આવેલા ગેસ વિભાગના દરોડાના મામલે નારાજ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ શૈલેષ નાયકનો ઉધડો લીધો હતો. તેઓએ જણાવ્યું હતુંકે બોલો નાયક દરોડાના દિવસે અંબાજી ગયા હતા પરંતું તે પહેલા સવારે ક્યા નેતાના ઘરે ગયા હતા? શહેરના એક દિગ્ગજ નેતના ઘરે જઈને શેલેષ નાયકે જ આ ષડયંત્રને અંજામ આપ્યાની આશંકા સાથે પરાક્રમસિંહ જાડેજાએ ભારે નારાજગી વ્યક્ત કરી તેઓને બદનામ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ફાગણની ફોરમને બદલે અષાઢી માહોલ

    વડોદરા, તા. ૧૫હવામાન વિભાગ દ્વારા આગામી સોમવાર સુધી કમોસમી વરસાદની આગાહી જાહેર કરતા આજે સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણની સાથે રાત્રી દરમ્યાન વરસાદી છાંટાની સાથે વિજળીના ચમકારા પણ જાેવા મળ્યા હતા. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવવાના કારણે મહત્તમ તાપમાનમાં ત્રણ ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો ઘટાડો નોંધાયો હતો. વાતાવરણમાં બદલાવ આવવાના કારણે સંયુક્ત જીલ્લા ખેડૂત નિયામક દ્વારા ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર અને સાવચેતી રાખવા માટેના સુચનો પણ જાહેર કર્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૨૦ સુધી કમોસમી વરસાદની આગાહી જાહેર કરતા આજે દિવસ દરમ્યાન વાદળાં અને સૂર્યદેવ વચ્ચે સંતાકુકડીની રમત રમાઈ હતી. તે સિવાય આજે વિજળીના કડાકા અને ઠંડા પવનો સાથે વરસાદી છાંટા પણ વરસ્યા હતા. છેલ્લા એક મહિનામાં કમોસમી વરસાદની સમગ્ર રાજ્યમાં જાહેરાત કરાતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. જ્યારે બીજી તરફ રોગચાળાએ પણ માથું ઉચકતા વિવિધ ખાનગી અને સરકારી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જાેવા મળી હતી. તે સિવાય જીલ્લાના સંયુક્ત ખેતી નિયામક દ્વારા ખેડૂતો માટે સલામતીના પગલાં બહાર પાડયા હતા તેમાં તેઓએ જણાવ્યું હતું કે, પાક નુકશાનથી બચવા માટે પોતાના ખેત ઉત્સાદિત પાક , ખેતરમાં કાપણી કરેલાં પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાના કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલા ફરતે માટીનો પાળો કરવા સહિતની સુચનાઓ આપી હતી. તે સિવાય એક ટોલ ફ્રી નંબર પણ જીલ્લા કક્ષાએ જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતો ૧૮૦૦૧૮૦૧૫૫૧ ટોલફ્રી નંબર પર સંપર્ક સાધીને વિવિધ પ્રકારની મદદ મેળવી શકશે. તે સિવાય આજે દિવસ દરમ્યાન ૩.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો ઘટાડો નોંધાવાની સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી સેન્ટીગ્રેડ જ્યારે લધુત્તમ તાપમાન ૨૧.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૫૩ ટકાની સાથે સાંજે ૪૫ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૦૮.૫ મીલીબાર્સની સાથે પશ્ચિંમ દિશા તરફથી આઠ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    યુનિ.માં બે વિદ્યાર્થીજૂથો વચ્ચે મારામારી

    વડોદરા, તા૧૫મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીનો વિવાદ પીછો છોડતો નથી. અને યુનિ.પરીસરમાં બનતી વિવાદસ્પદ ઘટનાઓ યુનિમાં રોજીંદી બની ગઇ છે. ત્યારે ફરીએકવાર યુનિ. પરીસરમાં આર્ટસ ફેકલ્ટીમાં બે વિદ્યાર્થીઓ જુથો વચ્ચે છુટ્ટા હાથની મારામારીની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓ જુથોને યુનિ. સુરક્ષા વ્યવસ્થા કે વિજલન્સ ટીમનો ડર રહ્યો નથી. અને એટલા માટે વિદ્યાર્થીઓએ શૈક્ષણિકધામને અસમાજીક પ્રવુતિઓનું સ્થળ બનાવી દિઘુ છે.  અને વાંરવાર યુનિ. પરીસરમાં બનતી આવી હિસંક મારામારીની ઘટનાઓ સર સયાજીરાવ યુનિવસિર્ટીની ગરીમા ને ઠેસ પહોંચાડે છે. અને બહુમતિ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ પર આવી ઘટનાઓની નકારાત્મક અસર પડે છે. બીજી બાજુ યુનિ. સત્તાધીશો વિદ્યાર્થીઓ દ્વારા મારામારી સહિતની વિવાદસ્પદ ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.   યુનિની આર્ટસ ફેકલ્ટીમાં એએસયુ વિદ્યાર્થી સંગઠન સહિત એબીવીપી અને યુનાશકિત વિદ્યાર્થી જુથો વિદ્યાર્થીઓમાં પોતપોતાનું દબદબો રાખવા વિદ્યાર્થી સંગઠનોને એક બીજા સાથે કટ્ટર હરીફ બની ગયા છે.  અને તેઓ યુનિ.ની ગરીમાને બાજુ પર મુકી ગમે તે હદે વર્તન કરતા ખચકાતા નથી. વિદ્યાર્થી આલમમાં લોકપ્રિય થવા માટે ત્રણે સંગઠનના નેતાઓ કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે. અને ગમે તેવી અપ્રિય ઘટનાઓને અંજામ આપતા ખચકાતા નથી.  યુનિનાં આ ત્રણ વિદ્યાર્થી સંગઠનો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને સોશિયલ મીડીયામાં અભ્યાસક્રમ મામલે વિવાદ ઉભો થયો હતો. અને ત્યારબાદ સોશિયલ મિડિયામાંજ આ વિદ્યાર્થીઓ અપશબ્દો સહિત એકબીજા જુથોને ધામધમકી આપવાની હરકત પર ઉતરી આવ્યા હતા. આ સમગ્ર મામલો ઉગ્ર બની ગયો હતો અને તેના પડધા આર્ટસ ફેકલ્ટીમાં પડયા હતા અને વિદ્યાર્થીઓનાં જુથોના ટોળાઓ એકત્રિત થઇ ગયા હતા. અને એક સમયે સ્થિતિ વણસતા મારામારી પર ઉતરી આવ્યા હતા. અને યુનિ.પરીસરમાં વાતવરણ ઉગ્ર બની ગયુ હતુ.  યુનિ. આર્ટસ ફેકલ્ટી ખાતે સ્થિતિની ગંભીરતાને ધ્યાંનમા લઇને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જાે કે યુનિ. વિજલન્સ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    વડોદરાની રૂા.૨.૩૫ કરોડની ચોરી કેસમાં બે વર્ષથી વોન્ટેડ આરોપીની અમદાવાદ ન્ઝ્રમ્ દ્વારા ધરપકડ

    અમદાવાદ, તા.૧૫વડોદરામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ૨.૩૫ કરોડની ચોરી કેસમાં અમદાવાદ ઝોન ૪ ન્ઝ્રમ્એ ૨ વર્ષથી વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. સાળા બનેવીની ગેંગએ આ ચોરી કરી હતી. અનેક ગુના કરીને આંતક મચાવતા સાળા બનેવીની કહાની જાણી પોલીસ પણ નવાઇ પામી હતી. પોલીસ કસ્ટડીમાં જાેવા મળતો આરોપી મુકેશ પરમાર છે. જે કુખ્યાત ગુનેગાર મનોજ સિંધીનો સાગરીત છે. અને સંબંધમાં સાળા બનેવી છે.આ સાળા બનેવીની જાેડીએ વડોદરામાં ૨.૩૫ કરોડની ચોરી કરીને આંતક મચાવ્યો હતો. ૨ વર્ષ પહેલાં આ સાળા બનેવીની જાેડીએ વડોદરામાં ચોરી કરવાનું કાવતરું રચ્યું હતું અને અમદાવાદથી વાહનો લઈને વડોદરા પહોંચ્યા હતા આરોપીઓએ વડોદરા ની આંગડિયા તેમજ સોની ની દુકાનોને ટાર્ગેટ કરી હતી. ૧૮ જૂન ૨૦૨૧ના રોજ આંગડિયા પેઢીનો કર્મચારી ગાડીમાં સોના ચાંદીના દાગીના લઈને નીકળ્યો ત્યારે આરોપી મનોજ અને મુકેશ તેમજ તેના સાગરીતોએ ડેકીમાંથી સોના ચાંદીના દાગીના ભરેલી ૨.૩૫ કરોડની બેગ ચોરી હતી. આ કેસમાં વોન્ટેડ આરોપીની ઝોન ૪ ન્ઝ્રમ્એ ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે. બનેવી મનોજ સિંધી ચોરી અને લૂંટ કરતો અને દાગીના વેચતો હતો. બાદમાં પૈસા આંગડિયા મારફતે સાળા ને મોકલતો હતો. વડોદરામાં થયેલી ચોરી કેસમાં પણ આરોપી મનોજ સિંધીએ ૭૬૦ ગ્રામ સોનુ વેચાણ કરી જેના રૂપિયા ૩૩ લાખ મેળવ્યા હતા. જેમાંથી ૨૭ લાખ રૂપિયા જુદા જુદા દિવસે ભુજથી આંગડિયા પેઢી મારફતે બાપુનગરના અલગ અલગ આંગડિયા પેઢીમાં મોકલ્યા હતા. આ કરોડોની ચોરી કેસમાં અગાઉ કુખ્યાત આરોપી મનોજ સિંધી સહિત ૧૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આરોપી મુકેશ પરમાર બે વર્ષથી વોન્ટેડ હતો અને પોલીસથી બચવા ભાવનગર અમદાવાદ અને અન્ય શહેરોમાં છુપાઈને રહેતો હતો. નોંધનીય છે કે, નામદાર કોર્ટે તેની વિરુદ્ધ સીઆરપીસી ૭૦ મુજબનો ધરપકડ વોરંટ કર્યું હતું. ઝોન ૪ એલીસીબીને બાતમી મળતા જ આરોપીની ધરપકડ કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ

    વડોદરા,તા.૧૪ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓનો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષાર્થીઓનું ફુલો,ગોળ - ધાંણા અને ઢોલ નગારા સાથે સ્વાગત સાથે પ્રારંભ થયો છે. બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષામાં આજે ધોરણ-૧૦નું ગુજરાતીનું પેપર હતું. પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. પરીક્ષાર્થીઓ એક આત્મવિશ્વાશ સાથે પરીક્ષાની તૈયારીઓ કરી પરીક્ષા આપવા આવ્યા હતા. પરીક્ષાર્થીઓએ જણાવ્યુ હતુ કે અમારા શૈક્ષણિક કેરીયરની મહત્વની જાહેર પરીક્ષા આપી રહ્યા છે. મહેનત કરી છે. અને પરીક્ષા આપવા તૈયાર છીએ.   ધો. ૧૦ અને ધો,૧૨ ની બોર્ડ પરીક્ષાનાં પ્રારંભે પ્રથમ દિવસે વડોદરા શહેર જિલ્લામાં ધોરણ ૧૦માં ૩૯,૩૯૧ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે ૪૨૪ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૩૩૮ પરીક્ષાર્થીઓ એ પરીક્ષા આપી હતી. જયારે ૮૪ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. કોમર્સમાં ૧૫૬૨૪ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને ૧૪૮ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.  ધોરણ ૧૦ માં બોર્ડ પરીક્ષામા પરીક્ષાર્થીઓ પ્રથમવાર જાહેર પરીક્ષા આપી રહ્યા છે. અને ધોરણ ૧૦ નું ગુજરાતીનું પેપર હતુ. જયારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક શાસ્ત્ર અને કોમર્સમાં એકાઉન્ટનું પેપર હતુ અંગ્રેજી ભાષાનાં પેપરમાં રખડતા ઢોરનો સવાલ પૂછાયો  ધોરણ ૧૦ ના બોર્ડ પરીક્ષામાં અંગ્રેજી પેપર અને ગુજરાતી પેપર સરળ પ્રશ્નો સાથે નિકળતા પરીક્ષાર્થીઓ માટે સરળ રહ્યુ હતુ. ભાષાનાં આ પ્રશ્નપત્રમાં રસપ્રદ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા વિસ્તારનો નાગરિકો માટે સળગતો પ્રશ્નને અંગ્રેજી વિષયમાં રખડતા પશુઓનો મુદ્દે સવાલ પૂછાયો હતો. રખડતા ઢોરના સમસ્યા અંગે કમિશ્નરને ફરિયાદ કરતો પત્ર લખવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જયારે અંગ્રેજી પેપરમાં શિક્ષણમાં ટ્યૂશન પ્રથા જરૂરિયાત કે દૂષણ જેવો સંવેદનશીલ શિક્ષણ સંબધિત વિષય પર નિબંધ પુછવામાં આવ્યો હતો. ભાષાના ૫ેપરમાં સારો સ્કોર મળવાની આશા ધોરણ ૧૦નું ભાષાનું પેપર હોવાથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતીનું તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને આજે અંગ્રેજીનું પેપર હતું. વિદ્યાર્થીઓના બન્ને પેપર સરળ રહ્યા હતા. ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનાં પરીક્ષાર્થીઓને પેપર સંપન્ન થયા બાદ વિશ્વાશ વ્યકત કર્યો હતો તેઓ ભાષાનાં પેપરમાં સારો સ્કોર મેળવી શકશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    નંદેસરીમાં પોલીસે પરીક્ષાર્થીઓનું ફુલ આપી સ્વાગત કર્યુ

    બોર્ડની જાહેર પરીક્ષામાં પોલીસ પણ પરીક્ષાર્થીઓનો આત્મવિશ્વાશ વધારવા માટે આગળ આવી હતી. શહેરનાં નંદેસરી પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓ અને સી.ટીમ દ્વારા પરીક્ષાર્થીઓનું ગુલાબનું ફુલ અને ચોકલેટ આપી સ્વાગત કર્યુ હતુ અને જર વિના પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ જણાવી તેમનો આત્મવિશ્વાશ વધાર્યો હતો. પરીક્ષા કેન્દ્રો પર મંડપ અને પાણીની વ્યવસ્થા  પોતાનું સંતાન જાહેર પરીક્ષા આપતું હોય ત્યારે સ્વાભાવિક રીતે વાલીઓ ચિંતીત હોય છે. અને પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા અને પરીક્ષાનું પેપર પુર્ણ થતા સુધી અનેક વાલીઓ પરીક્ષા કેન્દ્રો બહાર બેસી રહેતા હોય છે. ત્યારે વાલીઓ ને પરીક્ષા દરમ્યાન કેન્દ્ર પર કોઇ મુશકેલી ન પડે તેની તકેદારી શાળા- પરીક્ષા કેન્દ્ર સંચાલકો દ્વારા રાખવામાં આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    તે સમયે પુત્રી બોર્ડની પરીક્ષા આપી રહી હતી

    આજથી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે પ્રથમ દિવસે જ દંતેશ્વરમાં હ્યદય કંપાવી તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગઇ કાલે માતાનુ મૃત્યુ થયુ હતુ જે બાદ આજ સવારે દિકરીએ પરીક્ષા આપવા માટે બરોડા હાઇસ્કુલ ઓએનજીસી ખાતે પહોંચી હતી અને માતાના મૃત્યુના આઘાત વચ્ચે પરીક્ષા આપી હતી. જાે કે દિકરી પરીક્ષા આપતી હતી તે સમયે માતાની અંતિમ સંસ્કાર પરીવારજનો દ્વારા કરી નાખવામાં આવ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગેરરીતી રોકવા પશ્ચાતાપ બોક્ષ મુકવામાં આવ્યુ  

     શહેર- જિલ્લામાં ૭૫ હજારથી વધુ પરીક્ષાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ નાં વિવિધ પ્રવાહમાં પરીક્ષા આપી રહ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્વો સીસીટીવી થી સજ્જ કરવામાં આવ્યા છે. અને કડક સુરક્ષા વ્યવસ્થાનાં પગલે પરીક્ષામાં કોઇપણ ગેરરીતી ને રોકવા તમામ પ્રકારનાં પગલાઓ લેવામાં આવ્યા છે. તેમ છતા છેલ્લી ધડીએ કોઇ પરીક્ષાથી ગેરરીતી માટે કોઇ મન બનાવ્યુ હોય તો તેવા પરીક્ષાર્થીઓ માટે પશ્ચાતાપ બોક્ષ મુકવામાં આવ્યા છે. જેથી છેલ્લા સમયે પરીક્ષાર્થી તેનો ઉપયોગ કરી શકે છે. ધોરણ ૧૦ની પરીક્ષા ૧૪ માર્ચથી ૨૮ માર્ચ સુધી ચાલશે. અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧૪ માર્ચથી ૨૯ માર્ચ સુધી ચાલશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૧૪ થી ૨૫ માર્ચ સુધી ચાલશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    લેપટોપ પર બોર્ડની પરીક્ષા આપનાર પહેલી વિદ્યાર્થિની

    શહેરની બ્લાઇન્ડ સ્કૂલમાં અભ્યાસ કરતી ધો. ૧૦ની વિદ્યાર્થીની એશા મકવાણા લેપટોપ પર પરીક્ષા આપનાર ગુજરાત બોર્ડની પહેલી વિદ્યાર્થીની બની છે. એશા મકાવાણા રોઝરી સ્કૂલમાંથી બોર્ડની પરીક્ષા આપી રહી છે જેમાં તેણે આજે પહેલુ પેપર આપ્યુ હતું. બોર્ડ પરીક્ષા આપવા માટે બોર્ડ દ્વારા તેને જરૂરી મંજૂર આપવામાં આવી છે. આમ તેને રાઇટરની પણ જરૂર નથી રહી. વિદ્યાર્થીનીને બ્રેઇલ લિપિમાં પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું અને તેના જવાબ તેણે લેપટોપ પર જ ટાઇપ કરીને લખ્યા હતાં. લેપટોપમાં ઇન્સ્ટોલ સોફટવેરના કારણે તે જે પણ શબ્દ ટાઇપ કરશે તે તેને સંભળાતો હોવાથી તે શુ લખી રહી છે તેનો તેને ખ્યાલ આવી જતો હતો. જાે કે પેપર પુરુ થયા બાદ સુપરવાઇઝરે તેણે લખેલા જવાબોની પ્રિન્ટઆઉટ લઇને તેને ઉતરવાહી સાથે બીડાણ કરી દીધા હતા. આમ નોર્મલ વિદ્યાર્થીઓની જેમ જે તેનું પેપર પણ ચેક થશે. આ અંગ બ્લાઇન્ડ સ્કૂલના આચાર્યેએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ વડોદરામાંથી એક વિદ્યાર્થીનીએ ધો. ૧૦ની બોર્ડની પરીક્ષા આપી હતી પણ તે વિદ્યાર્થીની સેન્ટ્રલ બોર્ડની હતી. એશા મકવાણા ગુજરાત બોર્ડની લેપટોપ પર પરીક્ષા આપનાર પહેલી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની બની હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    તરન-તારન ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દરોડો ઃ અફીણના ગાંજા સાથે બે ઝડપાયા

    વડોદરા, તા. ૧૪શહેરના છેવાડે હાઈવે પર દુમાડ ગામની સીમમાં આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જિલ્લા એસઓજીની ટીમે દરોડો પાડી રાજસ્થાનથી અફીણની ડિલીવરી આપવા માટે આવેલા સપ્લાયર અને સ્થાનીક ટ્રાન્સપોર્ટરને ઝડપી પાડી તેઓની પાસેથી ૬૧ હજારથી વધુનું અફીણ અને કાર સહિત ૪.૭૭ લાખથી વધુની મત્તા કબજે કરી હતી. જિલ્લા એસઓજીની ટીમને માહિતી મળી હતી કે નેશનલ હાઈવે પર દુમાડ ગામની સીમમાં આવેલા તરન-તારન ટ્રેલર સર્વિસ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં માદકદ્રવ્યની ખેંપ મારવા માટે સપ્લાયર આવ્યો છે. આ વિગતોના પગલે એસઓજીની ટીમે ગત બપોરે તરન-તારન ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને ઓફિસની અંદરની ભાગે આવેલા કેબિનમાં ૪૨ વર્ષીય મનોજકુમાર બદ્રીલાલ સેન (મંગળવાડ ચોકડી, તા.ડુંગલા, ચિત્તોડગઢ, રાજસ્થાન) અને ૫૭ વર્ષીય સ્વીન્દરસિંહ જાગીરસિંહ બાજવા (શ્રીરામપાર્ક, ઉમિયાનગર, ન્યુસમારોડ) મળી આવ્યા હતા. આ પૈકી સ્વીન્દરસિંહના હાથમાં પ્લાસ્ટીકની ડબ્બી મળતાં તેણે ડબ્બીમાં અફીણ હોવાનું અને તે મનોજકુમાર વેંચાણ માટે લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની અંગજડતી કર્યા બાદ મનોજકુમારની હુન્ડાઈ કારમાં તપાસ કરી હતી જેમાં કારના ડેસ્કબોર્ડના નીચે ડ્રોઅરમાંથી બે પેકેટમાં પ્લાસ્ટીકની ડબીઓમાંથી કુલ ૬૧,૬૦૦ રૂપિયાની કિંમતનો ૬૧૬ ગ્રામ અફીણનો જથ્થો મળ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થાના ખરીદ-વેચાણ કરતા રંગે હાથ ઝડપાયેલા મનોજકુમાર સેન અને સ્વીન્દરસીંગ બાજવાની ધરપકડ કરી તેઓની પાસેથી ગાંજાનો જથ્થો તેમજ બે મોબાઈલ ફોન, રોકડા ૨૫૦ અને એક હુન્ડાઈ કાર સહિત કુલ ૪,૭૭,૧૦૦ રૂપિયાનો મુુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસને ટ્રાન્સપોર્ટ ઓફિસનું લાઈટબિલ મળ્યું હતું જે ભુપીન્દરસીંઘ રંધાવા તરણ તારન ટ્રેલરના નામે હોવાની વિગતો મળી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    શહેરમાં ૐ૩દ્ગ૨ના ખતરા વચ્ચે વડોદરામાં મહિલાનું સારવાર દરમિયાન મોત ‌

    વડોદરા, તા.૧૪દેશ રાજ્યો અને શહેરોમાં ર૩હ૨ ઇન્ફ્લુએન્ઝા ખતરા વચ્ચે કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. જેના પરિણામે વડોદરા શહેરમાં કોરોનાએ બિલ્લી પગે એન્ટ્રી કરતા વીતેલા ૨૪ કલાકમાં વધુ ચાર કોરોનાના કેસો નોંધાયા હતા. તદ ઉપરાંત ર૩હ૨ ઇન્ફ્લુએન્ઝા માં ૫૮ વર્ષીય મહિલા દર્દીનો સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં વડોદરામાં પ્રથમ મોત નીપજયુ હતું. જેના કારણે સ્થાનિક આરોગ્ય ચોંકી ઉઠયું હતું.‌ મૃત પામેલા મહિલા દર્દીને અંતિમ સંસ્કાર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશ અને રાજ્ય અને શહેરોમાં ર૩હ૨ ઇન્ફ્લુએન્ઝા વાઇરસ નાં વધી રહેલા કેસોના કારણે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોને ઈન્ફ્લુએન્ઝા બીમારી કે ગંભીર શ્વસન સંક્રમણ ના કેસોમાં દેખરેખ રાખવા દિશાન નિર્દેશ નું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. તેવા સંજાેગોમાં વડોદરા શહેરમાં ર૩હ૨ ઇન્ફ્લુએન્ઝા વાયરસને બીમારીથી પીડાતા અને ફતેગંજ ખાતે રહેતા ૫૮ વર્ષીય મહિલાનો સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દી ને તારીખ ૧૧ મીના રોજ સારવાર અર્થે સાયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ મહિલા દર્દીના અંતિમ સંસ્કાર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યા હતા. આ સાથે આજે શહેરમાં દિવસ દરમિયાન કોરોના પોઝિટિવ ના નવા ચાર કેસ સામે આવ્યા હતા. કોરોના ના નવ કેસ સાથે વડોદરા શહેરમાં ૧૫ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તદુપરાંત સ્થાનિક આરોગ્યતંત્ર દ્વારા આરોગ્યની ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય લક્ષી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાંથી શંકાસ્પદ કોરોના ના લક્ષણો ધરાવતા ૨૫૮ જેટલા વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ દરમિયાન ચાર વ્યક્તિઓમાં કોરોના લક્ષણ ધરાવતા પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યા હતા. કોરોના પોઝિટિવ કેસો અટલાદરા, અકોટા, અને દિવાળીપુરા વિસ્તારોમાંથી નોંધાયા હતા. આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખી સારવાર આપવામાં આવી રહી છે જાેકે હાલના તબક્કે એક પણ દર્દી વેન્ટિલેટર કે ઓક્સિજન પર ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતુ.
    વધુ વાંચો
  • ગુજરાત

    આજથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા

    આગામી ૧૪ માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર એસ.એસ.સી. અને એચ.એચ.સી પરીક્ષાઓ ૨૦૨૩ની જાહેર પરીક્ષાનો પ્રાંરભ થશે. ધોરણ ૧૦માં ૪૭,૪૮૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ ૧૨ માં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ મળીને ૩૦,૪૯૪ પરીક્ષાર્થીઓ છે. ત્યારે પરીક્ષા શરૂ થવાનાં આગલા દિવસે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરીક્ષા કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા નિહાળવા ઘસારો થયો હતો. અને ધો, ૧૦ અને ધો.૧૨નાં અલગ અલગ સ્ટોંગરૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. પરીક્ષા શાંતિપુર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રકારના તકેદારીનાં પગલાઓ લેવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પરીક્ષા કંન્ટ્રોલ રૂમ, વિકલાંગો માટેની બેઠક વ્યવસ્થા, સંવેદનશીલ પરીક્ષા કેન્દ્વો, અને સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર પર વર્ગ ૧અને વર્ગ ૨ ના અધિકારીઓની નીરીક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી છે. જાહેર પરીક્ષાનું સફળ સંચાલન માટે ચુસ્ત સુરક્ષાવ્યવસ્થા પણ ગોઠવવાનો એકશન પ્લાન તૈયાર કરવામનાં આવ્યો છે. પરીક્ષા દરમ્યાન કોઇપણ પ્રકારની ગેરરીતીઓ રોકવા માટે પણ ખાસ વ્યવસ્થાગોઠવવામાં આવી છે. અને અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર કડક સલામતીની વ્યવસ્થા કરવામા આવશે.પરીક્ષા સ્થળની આજુબાજુ પ્રતિબંધાત્મકકલમ ૧૪૪નાં હુકમો નો અમલ કરવામાં આવશે. અને પરીક્ષાનાં સ્થળોની આસપાસ હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમેજ પ્રશ્નપત્ર વહન કરતા વાહનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. તેમેન પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાની રહેશ. સાથે પરીક્ષાર્થી જાે પરીક્ષામાં ગેરરીતી ઝડપાશે તો તેની જવાબદારી પરીક્ષા કેન્દ્વનાં ખંડ નિરીક્ષકની રહેશે. આંમ બોર્ડની ઘોરણ ૧૦ અને ઘોરણ ૧૨ ની જાહેર પરીક્ષા શાંતિપુર્ણ રીતે સંપન્ન થાય તે માટેની તૈયારીઓને વહીવટતંત્રએ આખરી ઓપ આપી દિઘો છે. અને પરીક્ષા વિના વિધ્ન પુર્ણ થાય તે માટેની વ્યવસ્થા કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.ધો-૧૦ અને ૧૨ની બોર્ડમાં ઝોન પ્રમાણે પરીક્ષાર્થીઓ   ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષામાં ઝોન પ્રમાણે જાેઇએ તો રાવપુરા ઝોનમાં ૪૧૬ બ્લોકમાં ૧૨૬૯૧, મકરપુરા૩૭૨ બ્લોક ૧૧૨૪૪ કારેલીબાગ ૩૬૭ બ્લોકમાં૧૧૦૮૨ અને ગોત્રી ઝોનમાં ૪૧૧ બ્લોકમા ં૧૨૪૮૫ પરીક્ષાર્થીઓ મળી કુલ ૪૭૪૮૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. કુલ ૧૫૬૬ બ્લોકમાં સીસીટીવી થી સજ્જ કરવામાં આવ્યા છે. જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં બે ઝોનમાં માંડવી અને સયાજીગંજ માં ૭૦૪ બ્લોકમા ં૨૨૯૬૦ પરીક્ષાર્થીઓ છે. જયારે વિજ્ઞાન પ્રવાહમાં બે ઝોન માંડવી અને સયાજીગંજમાં ૩૮૧ બ્લોકમાં ૭૫૩૪ પરીક્ષાર્થીઓ છે. બોર્ડ પરીક્ષાને લઇ શી-ટીમ વિદ્યાર્થિનીઓ માટે ખડેપગે તહેનાત રહેશે આવતી કાલથી શરૂ થનારી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓને લઇને શહેર જીલ્લા પોલીસ તંત્ર ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને શહેર પોલીસ તંત્રની શી-ટીમ દરેક સ્કુલ ઉપર તૈનાત રહેશે. વિદ્યાર્થીઓને પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં તકલીફ પડશે તો શી-ટીમના ટોલ ફ્રી નંબર પર ફોન કરશે તો શી-ટીમની મદદ માંગતા જ શી-ટીમ સ્થળ પર પહોંચી જશે અને વિદ્યાર્થીને તેના કેન્દ્ર ઉપર મૂકી જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શી –ટીમ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર તેમજ આસપાસ ચાંપતી નજર પણ રાખશે. પાલિકા દ્વારા ૯૨ જેટલી શાળાઓની બહાર વાલીઓ માટે મંડપ અને પાણીની વ્યવસ્થા ઊભી કરાઇ છેલ્લા કેટલાક સમયથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્કુલોમાં બેઠક વ્યવસ્થા જાેવા માટે મોટી સંખ્યામાં પહોચ્યાં હતા ત્યારે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. જાેકે તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓને કોઇ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વડોેદરા મહાનગર પાલિકા દ્વારા શહેરની ૯૨ જેટલી શાળાઓની બહાર વાલીઓ માટે મંડપ અને પાણીની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું ઢોલ- નગારા સાથે કુમકુમ સ્વાગત કરાશે   બોર્ડની પરીક્ષામા ડે શાળાઓમાંં પરીક્ષા કેન્દ્વો ફાળવવામાં આવ્યા છે. તે કેન્દ્વ સંચાલકો દ્વારા પરીક્ષાર્થીઓ નું ઢોલ નગારા સાથે કંકુ અને ગોળ ધાંણા આપી સ્વાગત કરવામાં આવશે. જેથી એક તંદુરસ્ત વાતવરણમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે. એ સાથે મેયર નિલેશ રાઠોડ સવારે ૯ કલાકે બરોડા સ્કુલ ઓ.એન.જી.સી ડેરી ચાર રસ્તા ખાતે ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવશે. સેન્ટ્રલ જેલના ૧૯ કાચા-પાકા કામના કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે આવતી કાલથી શરૂ થનારી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. ત્યારે સેન્ટ્રલ જેલના વેલ્ફેર ઓફિસર મિતેષ રાઠોડે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ જેલના કાચા-પાકા કામના ૧૯ જેટલા કેદીઓ જે અધૂરો અભ્યાસ મુકીને આવ્યા છે તેવા કેદીઓ માટે તેમણો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે દર વર્ષની જે આ વર્ષે પણ સેન્ટ્રલ જેલમાં સ્પેશિયલ ક્વોરેન્ટાઇન બેરેક બનાયેલો છે તેમાં પરીક્ષા લેવામાં આવશે. જે અલગ જ બેરકે ફાળવેલો છે તેમાં દર વર્ષે પરીક્ષામાં લેવામાં આવે છે તેમા જ આ વર્ષે પરીક્ષા લેવામાં આવશે. વધુમાં જણાવ્યું હતુ કે, આ વર્ષે કુલ ૧૯ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેમાં એસએસસીમાં ૧૩ અને એચએસસીમાં ૬ કેદીઓ પરીક્ષા આપશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    શહેરમાં એચ-૩ અને એન-૨ના વાવર વચ્ચે કોરોનાના નવા કેસ નાંેધાતાં તંત્રની ચિંતા વધી

    વડોદરા, તા.૧૩એચ-૩ અને એન-રના વાવર વચ્ચે શહેરમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા હોવાથી તંત્ર સતર્ક બન્યું છે. આજે દિવસ દરમિયાન વધુ ત્રણ કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા. શહેરમાં શરદી, ખાંસી, તાવ અને ફલૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે, સાથે છેલ્લા બે-ત્રણ દિવસમાં કોરોનાના કેસોમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. શરદી, ખાંસી, તાવ અને ફલૂટના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સ્વાઈન ફલૂ એચ-૩ એન-રના કેસ વધતાં આરોગ્યતંત્ર એલર્ટ મોડ પર છે, ત્યારે કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી એકાએક ત્રણ કેસ કોરોના પોઝિટિવ સામે આવતાં આરોગ્યતંત્રની ચિંતા વધી છે. જેને લઈને સ્થાનિક આરોગ્ય વિભાગની સર્વેની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી કરી હતી, જેમાં શંકાસ્પદ રપર જેટલા લોકોના સેમ્પલો લઈ ટેસ્ટ કરાયા હતા જેમાં ત્રણ કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. આ નવા ત્રણ કેસ ગોરવા, ફતેપુરા, પાણીગેટ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. હાલ શહેરમાં ૧ર જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જાે કે, હાલના તબક્કે એકપણ દર્દી વેન્ટિલેટર કે ઓક્સિજન પર ન હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    આજવા રોડ પર આવેલ રામરહીમ સોસાયટીના રહીશોને ભરઉનાળે કાળા પાણીની સજા

    વડોદરા, તા. ૧૩વડોદરા મહાનગર પાલિકા દ્વાર શહેરના અનેક વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવાના નામે મીંડુ છે. હાલ જાે કે માથે ઉનાળાની શરૂઆત અને કાળઝાળ ગરમી માથે છે ત્યારે શહેરના આજવા રોડ પર આવેલ એકતાનગર રામ રહીમ સોસાયટીમાં કાળુ ડામર જેવુ પાણી આવતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી જાેવા મળી રહી છે. વડોદરા મહાનગર પાલીકા દ્વારા મોટી મોટી બાંગો પોકારે છે કે અમે શહેરને સ્માર્ટ સીટી બનાવ્યું છે પરંતુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ્યા સ્ટેન્ડીંગ ચેરમેનનો વોર્ડ આવેલો છે. તેવા એકતાનગરમાં આવેલ રામ રહીમ સોસાયટીના રહીશોને ત્યાં કાળુ પાણી આવે છે. રહીશો દ્વારા અવારનવાર આ મુદ્દે સ્થાનિક નગરસેવકથી લઇને પાલીકાની ઓફિસમાં ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આ સમસ્યાનો અંત હજુ સુધી આવ્યો નથી જેથી રહીશો દ્વારા પાલીકાના તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. વિસ્તારના રહીશો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, હાલ અત્યારે કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે. ત્યારે લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડી રહ્યા છે. જાે કે પાણી આવે તે વિસ્તારમાં પાણી કાળા ડામર જેવુ પાણી આવે છે જેનાથી કપડા પણ ન ધોવાય તેવું પાણી આવે છે. હજુ તો ઉનાળો શરૂ થઇ રહ્યો છે વધુ ગરમી પડે તે પહેલા પાલીકા દ્વારા જલ્દીથી જલ્દી આ સમસ્યાનુ નિરાકારણ કરે જેથી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી શકે. એકબાજુ શહેરીજનોને કાળું પાણી અને બીજી બાજુ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો હાલ શહેરમાં ઝાંડ, ઉલ્ટી, ઉઘરસ અને ખાસીના બનાવામાં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે પાલિકાના પાપે શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ અને કાળા કલરનું પાણી શહેરીજનોને આપવામાં આવે છે. જેથી રોગચાળો વધતો જાેવા મળી રહ્યો છે. શહેરના મોટાભાગના હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયેલા છે જયારે હોસ્પિટલમાં ઓપિડી તરીકે આવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વરણામા ખાતે કેપીજી યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળો

    વડોદરા, તા.૧૨શહેર નજીક વરણામા ખાતે આવેલી કેપીજી યુનિવર્સિટમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલમાં સુરક્ષા નો અભાવ, પ્રાથમિક સુવિધાઓનો અભાવ લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. અને યુનિ. સત્તાધીશો સામે તેમના પ્રશ્નો ને લઇને ભારે સુત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલાવ્યો હતો. વિદ્યાર્થીનીઓનાં ઉગ્ર આંદોલનના પગલે યુનિવર્સિટીના સત્તાધીશોએ દોડધામ કરી મુકી હતી. અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આંદોલનકારી વિદ્યાર્થીનીઓએ એ યુનિ.નાં મેનેજમેન્ટ સામે ગંભીર આરોપો કર્યા હતા. વિદ્યાર્થીનીઓએ આક્રોશ અને નારાજગી સાથે જણાવ્યુ હતુ કે યુનિ. એ ગર્લ્સ હોસ્ટેલનું સંચાલન એક ખાંનગી સંસ્થાને સોપ્યું છે. અને આ સંસ્થા દ્વારા જે રીતે હોસ્ટેલનું સંચાલન કરવામાં આવે છે. તેના કારણે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્ટેલમાં રહેતી ધારા પટેલ સહિત વિદ્યાર્થીનીઓએ જણાવ્યુ હતુ કે ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ લેનારાની સંખ્યા બોયઝ હોસ્ટેલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વધારે છે. અને એટલા માટે સંસ્થા દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને બોયઝ હોસ્ટેલમાં ખસેડવાનો ર્નિણય લેવાયો હતો. આ નિર્ણય પ્રમાણે આજે વિદ્યાર્થિનીઓ પેકીંગ કરી ને સામાન પણ શીફટ કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી હતી.અને ત્યાંજ ખાંનગી સંસ્થાનાં સંચાલકોએ તેમનો નિર્ણય બદલી અચાનક જ વિદ્યાર્થિનીઓને ગર્લ્સ હોસ્ટેલમાં સામાન પાછો મુકવા માટે કહેવામાં આવતા અમે મુશકેલીમાં મુકાઇ ગયા હતા. અને આ કારણે વિદ્યાર્થીનીઓમાં ભારે નારાજગી સાથે આક્રોશ બહાર આવ્યો હતો. હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ વધુમાં જણાવ્યુ હતુ કે હોસ્ટેલમાં ૧૭૬થી વધુ વિદ્યાર્થીનીઓ રહે છે.ગર્લ્સ હોસ્ટેલનુ સંચાલન સ્ટેન્ઝા નામની ખાંનગી સંસ્થાને સોપવામાં આવ્યુ છે આ સંસ્થા હોસ્ટેલના સંચાલન માટે યોગ્ય નથી તેવા આરોપ વિદ્યાર્થીનીઓએ લગાવ્યા હતા. જયારથી આ સંસ્થાને હોસ્ટેલનું સંચાલન આપવામાં આવ્યુ છે ત્યારથી અમારી મુશકેલીઓ વધી ગઈ છે.વિદ્યાર્થિનીઓ પાસે એક લાખથી વધુ રૂપિયા ફી પેટે લેવામાં આવે છે.પરંતુ હોસ્ટેલમાં જમવાની ગુણવત્તા સામે અનેક સવાલો છે. જમવાના ઠેકાણા નથી હોતા.જમવામાંથી ઇયળો પણ નીકળે છે . જયાં રસોડામાં રસોઇ તૈયાર કરવામાં આવે છે ત્યાં ભોજન ખુલ્લુ રાખવામાં આવે છે. હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, પીવાના પાંણીની સુવિધા પણ નથી . વોશ બેસિનજર્જરીત હાલતમાં છે. પૂરતા સાફ સફાઈ થતી નથી. જે ખાંનગી સંસ્થા હોસ્ટેલનો વહીવટ કરે છે તેને માત્ર ફી ઉધરાવવા માજ રસ છે. અમારી વાંરવારની રજુઆત બાદ પણ અમારી હાલાકીઓ અંગે કોઇ ગંભીરતા લેવામાં આવતી નથી. અને અમે સૌ વિદ્યાર્થીનીઓ અનેક મુશકેલીઓ સાથે હોસ્ટેલમાં નાછુટકે રહી રહ્યા છે. વિદ્યાર્થિનીઓની સુરક્ષાનો અભાવ - પુરુષ કર્મચારીઓની રૂમમાં અવરજવર વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ સંચાલકો સામે ચોંકવનારા આરોપ લગાડતા કહ્યુ હતુ કે હોસ્ટેલના અમારા રૂમના દરવાજાઓ તુટેલા છે. દરવાજાઓને લોક પણ નથી અને હોસ્ટેલમાં પુરૂષ કર્મચારીઓની સંખ્યા વધારે છે. તેઓ અમારા રૂમમા બે રોકટોક પ્રવેશ કરે છે. અમારા માતા- પિતાને પણ હોસ્ટેલ રૂમમા આવવાની પરવાનગી નથી તો પુરૂષ કર્મચારીઓને કેવી રીતે પ્રવેશ આપવામાં આવે છે. હોસ્ટેલની મેસમાં માત્ર પુરુષ કર્મચારીઓ છે.સિક્યુરીટી સ્ટાફમાં પણ પુરુષો જ છે અને તેઓ હોસ્ટેલની અંદર પણ અવર જવર કરતા હોય છે. આ સંવેદનશીલ અને ગંભીર મામલો છે અમે હોસ્ટેલ અને યુનિ. મેનેજમેન્ટને આ અંગે પણ રજુઆત કરી છે.પરંતુ તેઓ અમારી મુશકેલીઓ ને ગંભીરતાથી લેતા નથી. કેજીપી યુનિવર્સિટી મેનેજમેન્ટનો લૂલો બચાવ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલના સંચાલનમાં ગેરવહીવટને લઇને યુનિ. સત્તાધીશોએ લુલો બચાવ કર્યો હતો. હોસ્ટેલનુ સંચાલન કરતી ખાંનગી સંસ્થાને બદલવામાં આવે તેવી અમારી માંગણી છે. ત્યારે બીજી તરફ યુનિવર્સિટી સત્તાધીશો વતી યોગેશ પટેલ નામના વ્યકતિએ જણાવ્યુ હતુ કે હોસ્ટેલનું સંચાલન કરતી ખાંનગી એજન્સી અંગે અમને ફરીયાદો મળી છે. અમે યોગ્ય કાર્યવાહી કરીશુ, અને સંસ્થા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને વિદ્યાર્થિનીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    હિન્દુ આરોપીઓના જામીન મુસ્લિમોએ અને મુસ્લિમોના જામીન હિન્દુઓએ આપ્યા

    વડોદરા, તા. ૧૨સમીયાલા ગામમાં બે દિવસ પહેલા રાત્રે નીકળેલા લગ્નના વરઘોડામાં મસ્જીદ પાસે ફટાકડા નહી ફોડવાના મુદ્દે ગામમાં રહેતા મુસ્લીમો અને વરઘોડામાં સામેલ ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં મુસ્લીમોના શસસ્ત્ર ટોળા દ્વારા હુમલા બાદ બંને પક્ષોનો ટોળા વચ્ચે સામસામે પથ્થરમારા બાદ પાંચ વાહનોની આગચંપી થતાં નાસભાગના પગલે ઉત્તેજના ફેલાઈ હતી. જેથી બંને પક્ષે સામસામે ટોળા સામે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને કોમના કુલ ૩૩ની ધરપકડ કરી હતી જેમણે આજ રોજ તમામને જામીન મુક્ત કર્યા હતાં. ગોવિંદભાઇ સોમાભાઇ પટેલના ખેતરમાંથી વાજતે ગાજતે પુત્રનો વરઘોડો ગામમાં ફરી રહ્યો હતો. તે સમયે રાત્રીના સમયે ગામમાં આવેલ મસ્જીદ પાસે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઇ હતી. આ બોલીચાલીનુ ઉગ્ર સ્વરૂપ ધારણ થઇ જતા મામલો બિચક્યો હતો અને બંન્ને કોમના ટોળા સામસામે આવી જતા પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેથી સામસામે થયેલા પથ્થરમારાને પગલે વરઘોડામાં નાસભાગ મચી જવા પામી હતી અને ડી.જેમાં વાગતા ગીતોને બદલે લોકોની ચિચિયારીઓ શરૂ થઇ ગઇ હતી. વધુમાં તો બંને કોમના ઉશ્કેરાયેલા ટોળાઓએ રસ્તામાં પડેલી ઇક્કો કાર, ઓટો રીક્ષા સહિત કુલ ૩ થી વધુ વાહનોને આગચંપી કરી સળગાવી દીધી હતી. જયારે ૧૦ થી વધુ વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી. આ બનાવમાં બંને પક્ષે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી. જેથી તાલુકા પોલીસે ફરિયાદના આધારે કુલ ૩૩ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તમામની મોડી રાતથી બપોર સુધીમાં તોફાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. જાે કે, આજે આ તમામ લોકોની જામીન મુકત કરવામાં આવ્યા હતાં.
    વધુ વાંચો
  • ગુજરાત

    મારી ટિકિટ સ્થાનિક સાસંદે કાપી છે તેમનો હું ખૂલ્લો વિરોધ કરીશ ઃ મધુ શ્રીવાસ્તવ 

    વડોદરા, તા.૧૨વાધોડિયાનાં ભાજપનાં પુર્વ ધારાસભ્ય મધુભાઇ શ્રીવાસ્તવે ફરીએકવાર વાણીં વિલાસ કર્યો છે. હમેંશામાં વિવાદોનાં પર્યાય બની રહેતા મધુભાઇ શ્રીવાસ્તવે વાણીવિલાસ કરતા કહ્યુ કે હુ આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં છું અને મને ભાજપ દ્વારા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાનાં આમંત્રણ પણ મળે છે પરંતુ હુ જતો નથી. ગત વિધાનસભાની ચુંટણીમાં વાધોડિયા વિધાનસભા બેઠક પરથી મારી ટીકીટ પાક્કી હતી. પરંતુ સ્થાનિક સાસંદ નાં કહેવાથી મારી ટીકીટ કાપવામાં આવી છે. હવે આગામી ૨-૨૪ માં જાે હાલનાં સાસંદ ચુંટણી લડશે તો ખુલ્લો તેમનો વિરોધ કરીશ. આંમ ફરી એકવાર મધુભાઇ શ્રીવાસ્તવે વિવાદસ્પદ વાણી- ઉચાટ કરતા રાજકિય મોરચે ચર્ચા જગાવી છે. મઘુભાઇ શ્રીવાસ્તવ વાધોડિયા વિધાનસભાની બેઠક પરથી ૬ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા છે. પરંતુ ગત વિધાનસભાની ચુંટણીમાં ભાજપે તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા ન હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા ટીકીટ ન મળતા મધુભાઇએ વાધોડિયા બેઠક પરથી બ્ પાર્ટી સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરી હતી. અને તેઓને દસ હજાર મતો મેળવવા માટે પણ સંધર્ષ કરવો પડયો હતો. મઘુભાઇ ની છાપ એક વર્ગમાં બાહુબલીની છે. અને તેઓ અનેક વિવાદોનાં કારણે હમેંશા ચર્ચામાં રહે છે. જાહેરમાં ફાયરીંગ કરવુ, વિવાદસ્પદ રાજકિય ઉચ્ચારણો કરવા માટે હમેંશા વિવાદોમાં રહ્યા છે. મધુભાઇ શ્રીવાસ્તવ ને જયારે ગત વિધાનસભાની ચુંટણીમાં ટીકીટ ફાળવવામાં આવી ન હતી ત્યારે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી પ્રકિયા દરમ્યાન તેઓ વિવાદોમાં રહ્યા હતા. મધુભાઇ એ કરેલા વિવાદત રાજકિય નિવેદનો હમેંશામાં સોશિયલ મીડીયા વાયરલ થયા છે. ત્યારે ફરીએકવાર હુ ભાજપમાં જ છું અને મારી ટીકીટ સ્થાનિક સાસંદે કાપી છે તેવું રાજકિય નિવેદન આપી વિવાદ છેડયો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    મસ્જિદ પાસે ફટાકડા ફોડવાના મુદ્દે કોમી અથડામણ ઃ ૩ વાહનોની આગચંપી

    વડોદરા, તા. ૧૧શહેર નજીક આવેલા સમીયાલા ગામમાં ગત રાત્રે નીકળેલા લગ્નના વરઘોડામાં મસ્જીદ પાસે ફટાકડા નહી ફોડવાના મુદ્દે ગામમાં રહેતા મુસ્લીમો અને વરઘોડામાં સામેલ ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં મુસ્લીમોના શસસ્ત્ર ટોળા દ્વારા હુમલા બાદ બંને પક્ષોનો ટોળા વચ્ચે સામસામે પથ્થરમારા બાદ પાંચ વાહનોની આગચંપી થતાં નાસભાગના પગલે ઉત્તેજના ફેલાઈ હતી. હુમલા અને પથ્થરમારામાં મહિલા સહિતા પાંચને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની બંને પક્ષે સામસામે ટોળા સામે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને કોમના કુલ ૩૩ની ધરપકડ કરી હતી. સમીયાલા ગામમાં ખેતરમાં રહેતા ગોવિંદભાઈ સોમાભાઈ પટેલના પુત્ર મેહુલનું ગઈ કાલે લગ્ન હોઈ ગત રાત્રે દસ વાગે ખેતરમાંથી ડીજે બેન્ડ અને ઘોડાગાડીમાં મેહુલનો વરઘોડો નીકળ્યો હતો જેમાં મહિલાઓ સહિત સંબંધીઓ અને ગ્રામજનો સહિત ૫૦૦થી વધુ લોકો વરઘોડામાં જાેડાયા હતા. રાત્રે આશરે સાડા બાર વાગ્યાના સુમારે વરઘોડો ગામની મસ્જીદ પાસે કમલેશ પટેલના ઘર પાસે પહોંચતા વરઘોડામાં ડાન્સ કરતા યુવકો પૈકી મનીષ ચૈાહાણ વરઘોડાની આગળ ફટાકડા ફોડતા મસ્જીદ પાસે હાજર મુસ્લીમોના ટોળાએ મસ્જીદ પાસે ફટાકડા ફોડવાના મુદ્દે મનીષ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. આ ઝપાઝપીના પગલે વરઘોડામાં સામેલ ટોળું અને મુસ્લીમોનું ટોળું સામસામે આવી જતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મુસ્લીમોના ટોળાંએ રૂકનુભાઈ સૈયદના મકાનનું બાંધકામ ચાલતું હોઈ ત્યાં પડેલી ઈંટોના ટુકડાઓ વરઘોડામાં સામેલ ટોળા પર ફેંકતા વરઘોડામાં નાસભાગ મચી હતી. આ દરમિયાન મુસ્લીમોના ટોળાએ પથ્થરમારા સાથે તલવાર, ગુપ્તી અને લાકડીઆથી વરઘોડામાં આવેલા ટોળાં પર હુમલો કર્યો હતો જેમાં મંજુલબેન દિલીપભાઈ પઢિયાર, કિશોરભાઈ દરજી અને અજય ઉદેસિંહ સિંધાને ઈજાઓ પહોંચી હતી. આ બનાવની સમીયાલામાં મહાદેવવાળા ફળિયામાં રહેતા અલ્પેશ સોલંકીએ સમીયાલા ગામમાં રહેતા મુસ્લીમોનો ટોળાં સામે ફરિયાદ નોંધાવી હતી. જયારે સામા પક્ષે સમીયાલામાં રહેતા લિયાકતઅલી અબ્દુલમીયા સૈયદે પણ ઉક્ત બનાવની વરઘોડામાં સામેલ સમિયાલાના ૧૮ સહિત ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત રાત્રે તે અને ગામના મુસ્લીમ યુવકો મસ્જીદ પાસે ફટાકડા નહી ફોડવા માટે સમજાવતા આ મુદ્દે બોલાચાલી થઈ હતી જેમાં વરઘોડામાં સામેલ ટોળાએ પથ્થરમારો કરતા તેમને અને ઉબેદલઅલી સૈયદને માથામાં ઈંટ વાગતા ઈજા પહોંચી હતી. સામસામે કરાયેલા પથ્થરમારા બાદ ટોળાએ પાંચ વાહનોની આગચંપી અને તોડફોડ કરી હતી. દરમિયાન સમિયાલામાં કોમી અથડામણના બનાવની જાણ થતાં જ વડોદરા તાલુકા પોલીસના પીએસઆઈ વી.જી.લાંબરિયા સ્ટાફ સાથે સમીયાલા ગામે દોડી ગયો હતો. બનાવની ગંભીરતા જાેતા જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા એસઓજી અને એલસીબીનો સ્ટાફ પણ સમીયાલા ગામે દોડી ગયો હતો અને પોલીસે તુરંત કોમ્બીંગ હાથ ધરી બંને પક્ષના એક સગીર સહિત કુલ ૩૩ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ બનાવના ફરી પડઘા ના પડે તે માટે આજે પણ દિવસભર સમીયાલા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ત્રણ રિક્ષાની આગચંપી, બે વાહન અને મકાનમાં તોડફોડ ઃ ગામમાં ભારેલો અગ્નિ ગત રાત્રે વરઘોડા મસ્જીદ પાસે પહોંચ્યા બાદ કમલેશ પટેલના ઘર પાસે જતો હતો તે સમયે મસ્જીદ પાસે ફટાકડા ફોડવાના મુદ્દે બોલાચાલી બાદ કોમી ધીંગાણું થતા મુસ્લીમોનું ટોળું ઘાતક હથિયારો સાથે દોડી આવતા વરઘોડામાં સામેલ ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને ટોળાએ નીયાઝઅલી સૈયદ, સોહીલ સૈયદ અને રીયાઝુદ્દીન સૈયદની ત્રણ સીએનજી રિક્ષામાં આગચંપી કરી હતી તેમજ અસદઅલી સૈયદની ઈક્કો કાર અને ગુલામસબીર સૈયદની ઓમની વાનની તોડફોડ બાદ કુતબુદ્દીન સયૈદની મકાનની બારીના કાચ તોડી નાખ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના ભાઈ સહિત ચારનો દુકાનદાર પર હુમલો

    વડોદરા, તા. ૧૧સાવલીમાં આવેલી સાંઈ હોસ્પિટલની નીચે ગત ધુળેટીના દિવસે દુકાનદારો વચ્ચે મોટેથી ટેપ વગાડવાના મુદ્દે થયેલી બોલાચાલીમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના ભાઈ સહિત ચાર જણાએ દુકાનદાર અને તેના પુત્રને માર માર્યો હતો. આ હુમલામાં દુકાનદારને આંખમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. આ બનાવની ઈજાગ્રસ્ત દુકાનદારે સાવલી પોલીસ મથકમાં ધારાસભ્યના ભાઈ સહિત ચારેય હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતા જ ચારેય આરોપીઓ પલાયન થઈ ગયા છે. સાવલીમાં ભાલાવાડી ખડકીમાં રહેતા અને સાવલીમાં સાંઈ હોસ્પિટલની નીચે ભાડાની દુકાનમાં ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય કરતા ૫૬ વર્ષીય અનિલભાઈ પ્રેમશંકર મિસ્ત્રીએ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘ગત ૮મી તારીખે ધુળેટીની રાત્રે મારા પુત્ર ચિંતન સાથે મોટેથી ટેપ વગાડવાના મુદ્દે પાડોશી દુકાનદાર ચેતન વાળંદે ઝગડો કર્યો હતો જેમાં ત્યાં હાજર સંદીપ મહેન્દ્રભાઈ ઈનામદારે મારા પુત્ર સાથે મારામારી કરતા તે દુકાન ખુલ્લી મુકીને નાસી ગયો હતો. મને દુકાન બંધ કરવા માટે ફોન કરતાં હું દુકાન બંધ કરવા માટે જતાં ત્યાં હાજર સંદીપ ઈનામદાર તેમજ ચિંતન બારોટ, ચેતન વાળંદ અને હિરેન વાળંદે મને અપશબ્દો બોલી માર માર્યો હતો. હું જમીન પર પડી જતાં ચેતન વાળેત તેનો બેલ્ટ મને મારતા મારા હાથપગમાં ઈજાઓ પહોંચી હતી અને ઉક્ત ચારેય જણાએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મને આંખમાં ગંભીર ઈજા થતાં વડોદરામાં આંખની સુપર સ્પેશ્યાલી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.’ આ ફરિયાદના પગલે પોલીસે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના ભાઈ સંદિપ મહેન્દ્ર ઈનામદાર (કેતનફાર્મ ,પોઈચારોડ) તેમજ સાવલીના જશોદાનગરમાં રહેતા ચિંતન બારોટ, ચેતન વાળંદ અને હિરેન વાળંદ સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ચાલુ કારે હાર્ટએટેક આવતાં ચાલકનું ભરચક માર્ગ પર કરુણ મોત ઃ ૪ વાહનને અડફેટે લીધાં

    વડોદરા, તા. ૧૧માંજલપુર વિસ્તારમાં એક કાર ચાલકને કાર ચલાવતા સમયે હાર્ટ એટેક આવતા રાહદારીઓના ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. કાર ચાલકને બેભાન અવસ્થામાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા ફરજ પર હાજર તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતાં. વાઘોડીયા રોડ પર આવેલ ઉમા કોલોનીમાં રહેતા ૫૨ વર્ષીય દિપક ગોવિંદલાલ શાહ પોતાની કાર લઇને દીપ ચેમ્બર તરફથી તુલસીધામ ચાર રસ્તા તરફથી પસાર થઇ રહ્યા હતાં. તે સમયે કાર ચાલક દિપક શાહ સહિત પાછળની સીટ પર બેસેલ તેમણી દીકરી પણ બેઠી હતીં. જાે કે કાર ચલાવતા સમયે દિપક શાહને હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઇ ગયા હતાં જેથી તેમણો સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી બેઠા હતાં. સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા દિપક શાહે રસ્તાની સાઇડ પર ઉભેલા રાહદારીઓના પાર્ક કરેલ ચોર વ્હીલર કાર અને ટુ વ્હીલર વાહનોને અડફેટે લીધા હતાં. તે સમયે ત્યાં એક કારને અડફેટે લેતા દિપક શાહની કાર ત્યાંજ ઉભી રહી ગઇ હતીં. જેથી આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. કાર ચાલક દિપક શાહ બેભાન અવસ્થામાં હોઇ તેમણે બહાર કાઢવામાં આવ્યા હતાં. કાર ચાલક દિપક શાહની પુત્રીએ લોક ટોળાને સમજાવતા તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ખાનગી હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કાર ચાલક દિપક શાહને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. જેથી માંજલપુર પોલસને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. માંજલપુર પોલીસે સમગ્ર બનાવમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોકસ ઃ આઇ ટેન કાર ચાલકે બલેનો કાર, સ્કૂટર સહિત બે કારને ટક્કર મારી કાર ચાલક દિપક શાહ માંજલપુર વિસ્તારમાંથી પસાર થતા હાર્ટ એટેક આવતા દિપક શાહ પોતાની આઇ ટેન કાર ચાલકે રાહદારીની ઉભી રહેલી બલેનો કાર, સ્કૂટર સહિત બે કારને ટક્કર મારી હતી. જેથી ટક્કર મારતા ચારથી વધુ વાહનોને મોટી સંખ્યામાં નુકશાન થવા પામ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    વ્યાજખોર સાથી કર્મચારીઓનો ભોગ બનેલા બરોડા ડેરીના કર્મી દ્વારા ફરિયાદ

    વડોદરા, તા. ૧૧મકરપુરા પોલીસ સ્ટેશનમાં બરોડા ડેરીમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં સિનિયર આસિસટન્ટ તરીકે ફરજ બજાવતા યક્ષેસભાઇ ગોવિંદભાઇ શાહએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, હું બાજવાડામાં આવેલ શ્રીજી ભંજન ફ્લેટના બીજા માળે પરિવાર સાથે રહુ છું. જાે કે વર્ષ ૨૦૧૩માં માતા-પિતા તેમજ દાદી અવાર નવાર બીમાર પડતા હોવાથી તેમની સાથે બરોડા ડેરીમાં જ તેમના સાથી કર્મચારી અતુલ દામોદરદાસ બારોટ (રહે, મકરપુરા) પાસેથી ૧.૫૦ લાખ અને રોહિત ડાહ્યાભાઇ પટેલ (રહે, છાણી) પાસેથી પંચાસ હજાર રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતાં. જાે કે યક્ષેસભાઇ શાહે વધુ નાણાં જરૂરીયાત ઉભી થતા અતુલ બારોટ પાસેથી ૧૧.૫૦ લાખ અને રોહિત પટેલ પાસેથી ૯.૫૦ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતાં. ત્યારબાદ યક્ષેસભાઇએ ૨૦૨૨ના એપ્રિલ માસમાં અતુલ બારોટને ૨૫ લાખ અને રોહિત પટેલને ૨૦ લાખ રૂપિયા ચુકવી દીધા હતાં. જાેકે મુદ્દલ કરતા વધુ વ્યાજ ચુકવી દીધુ હોવા છતા પણ વ્યાજખોર અતુલ બારોટ અને રોહિત પટેલે યક્ષેસભાઇના એટીએમ કાર્ડ લઇ લીધુ હતુ અને તેમનો પગાર થાય ત્યારે બેંકમાંથી નાણાં ઉપાડી લીધા હતા. જાે કે વધુ નાણાંની રકમની માંગણી કરતા યક્ષેસેભાઇએ વ્યાજખોરને જણાવ્યું હતુ કે હાલ નાણાંની વ્યવસ્થા થાય તેમ નથી જેથી વ્યાજખોર કર્મચારીઓએ તેનું મકાન પણ લખાવી લીધુ હતું. વ્યાજખોર અતુલ બારોટ અને રોહિત પટેલ દ્વારા વારંવાર નાણાંની માંગણી કરતા ધમકીઓ આપતા હોવાથી કોર્ટમાં ચેક બાઉન્સની ફરિયાદ કરતા કંટાળી જતા યક્ષેસભાઇ શાહે મકરપુરા પોલીસમાં વ્યાજખોર સાથી કર્મચારીઓ વિરૂદ્ધ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધરે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર વડોદરાના રાજવી દીર્ઘદૃષ્ટા સર સયાજીરાવ ગાયકવાડની ૧૬૦મી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વર્તમાન રાજવી સમજિતસિંહ ગાયકવાડ, રાજમાતા શુભાંગિનીદેવી સહિત પરિવારજનોએ તેમજ શહેરના પ્રથમ નાગરિક મેયર નિલેશ રાઠોડે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

    શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર વડોદરાના રાજવી દીર્ઘદૃષ્ટા સર સયાજીરાવ ગાયકવાડની ૧૬૦મી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વર્તમાન રાજવી સમજિતસિંહ ગાયકવાડ, રાજમાતા શુભાંગિનીદેવી સહિત પરિવારજનોએ તેમજ શહેરના પ્રથમ નાગરિક મેયર નિલેશ રાઠોડે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે વિવિધ આકર્ષક ફલોટ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી

    કાલુપુરા ખાતેથી શરૂ થયેલ શોભાયાત્રામાં જાેડાયેલ સ્ત્રીઓ કેસરી રંગની નવવારી સાડી અને પુરુષો કેસરિયા સાફા સાથે જાેડાતાં સમગ્ર શહેર કેસરિયા રંગમાં રંગાયેલું જાેવા મળ્યું હતું. શોભાયાત્રામાં શિવાજી મહારાજના વંશજાે તેમજ અન્ય ઐતિહાસિક કિસ્સાઓની ઝાંખી દર્શાવતાં ફલોટ્‌સ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તે સિવાય વિવિધ મંડળો પૈકી અખાડા, લેઝીમ તેમજ ભજનમંડળી પણ જાેડાઈ હતી. શોભાયાત્રામાં જાેડાયેલ મોટી સંખ્યામાં લોકો દ્વારા જય ભવાની... જય શિવાજી...ના ગગનભેદી નાદ સાથે નારા લગાવવાની સાથે ડી.જે.માં વાગતા વિવિધ મરાઠી અને હિંદી ગીતો પર લોકો ઝૂમી ઊઠ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    વડોદરાના નવા મેયર તરીકે નિલેશ રાઠોડની નિયુક્તિ

    વડોદરા, તા.૧૦વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કેયુર રોકડિયા ધારાસભ્ય બન્યા હતા, જેથી એક વ્યક્તિ એક પદ ભાજપના સૂત્રનો અમલ કરતાં તાજેતરમાં રાજીનામું આપ્યું હતું. તેઓના મેયરપદના કાર્યકાળને બે વર્ષનો સમય આજે પૂર્ણ થયો હતો. આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્યસભામાં કેયુર રોકડિયાનું રાજીનામાને મંજૂરી સાથે આગામી ૬ મહિના માટે વોર્ડ નં.૧૭ના ભાજપના કાઉન્સિલર નિલેશ રાઠોડની ૬ મહિના માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવા નિયુક્ત મેયર નિલેશ રાઠોડ વર્ષોથી ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરતા રહ્યા હતા. તેઓને વર્ષ ૨૦૦૬થી યુવા મોરચામાં જાેડાઈને કાર્યકર તરીકેની જવાબદારી સ્વીકારી હતી. ત્યાર બાદ છેલ્લા ત્રણ ટર્મથી કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાવાની સાથે ગત બોર્ડમાં બે વખત પાલિકામાં ભાજપ પક્ષના નેતા તેમજ સ્થાયી સમિતિના સભ્ય તરીકે કામગીરી કરી ચૂક્યા છે. આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર પ્રમુખ ડો. વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ મહામંત્રીઓની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની એક બેઠક યોજાઇ હતી, જેમાં નિલેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્પોરેશનની મળેલી સામાન્યસભામાં મેયર કેયુર રોકડિયાના રાજીનામાને મંજૂરીની સાથે નવા મેયર નિલેશ રાઠોડના નામની દરખાસ્ત પક્ષના નેતા અને દંડકે મૂકી હતી, જેને ભાજપ કોંગ્રેસ બંનેએ સમર્થન આપી સર્વાનુમતે તેમની નિમણૂક કરવામાં આવી હતી. નવનિયુક્ત મેયરને ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરોએ શુભેચ્છા આપી હતી. કોર્પોરેશનના વર્તમાન બોર્ડની વર્ષ ૨૦૨૧માં ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ભાજપે કુલ ૭૬ બેઠકમાંથી ૬૯ બેઠક જીતી હતી. તા.૧૦ માર્ચ ૨૦૨૧ના રોજ જનરલ બોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી થઈ હતી. જેમાં કેયુર રોકડિયાની વરણી કરવામાં આવી હતી. તેઓ હવે સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય બનતાં તેમણે મેયર તરીકે રાજીનામું આપ્યું છે. બરાબર બે વર્ષે ૧૦મી માર્ચે જ તેમનું રાજીનામું આજે જનરલ બોર્ડે મંજૂર કર્યું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    નવાબજારમાં કાપડની ૩ દુકાનોમાં આગ લાગતાં અફરાતફરી મચી

    વડોદરા, તા.૧૦શહેરના ટ્રાફીક થી ઘમઘમતા એવા ચાંપાનેર દરવાજા પાસે નવાબજારના કોર્નર ઉપર આવેલા કાપડની ત્રણ દુકાનોમાં સવારના સમયે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા બજારમાં દોડધામ મચી ગઇ હતી. આગ લાગતાની સાથેજ આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીમારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જાે સમયસર આગ કાબુમાં આવી ન હોત તો આગની લપેટમાં આસપાસની અન્ય દુકાનો પણ આવી ગઈ હોત સદ્‌નસીબે આગમાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી. પ્રાપ્ત માહિતી મુજબ શહેેરની મધ્યમાં આવેલા મંગળબજાર અને નવાબજાર મુખ્ય બજારો છે.જ્યા લોકોની ખરીદી માટે ભારે હોંય છે. નવાબજારમાં કાપડ, હાર્ડવેર, ખેતીના ઓજારો સહિત વિવિધ ચિજવસ્તુઓની દુકાનો-શોરૂમો લાઈન બંઘ છે. આજે સવારના સમયે નવાબજારમાં ચાંપાનેર દરવાજા તરફથી અંદર જવાના કોર્નર ઉપર કાપડની દુકાનો આવેલી છે. જે દુકાનો પૈકી શ્રી મણીભાઇ ડાહ્યાભાઈ શાહ નામની કપડાંની બે માળની દુકાનમાં એકા એક આગ ફાટી નિકળી હતી.સાથે આગ શંખેશ્વર ટ્રેડીંગ કંપની, શ્રી ગણેશ રેડીમેડ સ્ટોર દુકાનમાં પણ ફેલાતા બજારમાં અફરા-તફરી મચી ગઇ હતી.અને ઘુમાડાના ગોટે ગોટા નિકળતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.કાપડની ત્રણ દુકાનમાં લાગેલી આગ ફાટી આસપાસની દુકાનોને પણ લપેટમાં લેતા દાંડિયા બજાર, પાણીગેટ અને વડીવાડી ફાયર સ્ટેશનના લાશ્કરો ફાયર ફાઈટરો સાથે દોડી ગયા હતા. અને આઘુનિક સાઘનોનો ઉપયોગ તેમજ પાણીમારો શરૂ કરી આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ઘર્યો હતો. બીજી બાજુ આ અંગની જાણ વીજ કંપનીને કરવામાં આવતા વીજ કંપનીની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને સલામતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધી કરી દીધો હતો. સાથે પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો.નવાબજારમાં આગ લાગતાજ બજારના વેપારીઓ, કર્મચારીઓ સહિત આસપાસમાં આવેલી પોળોના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. લોકોના ટોળેટોળા ઉમટી પડતા પોલીસ દ્વારા ટોળાને બનાવ સ્થળે થી દૂર ખસેડવાની સાથે ઉપરાંત ચાંપાનેરથી નવાબજારમાં જવાનો તેમજ અમદાવાદી પોળ તરફથી નવાબજારમાં જવાનો ઉપરાંત નવાબજારમાં જવાના તમામ રસ્તાઓ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.એક સાથે કાપડની ત્રણ દુકાનોમાં આગ લાગતા ચીફ ફાયર ઓફિસર પણ સ્થળ પર દોડી ગયા હતા. તેમણે કહ્યુ હતુ કે, કાપડની ત્રણ દુકાનમાં આગ લાગી છે.જાેકે, લાશ્કરોએ આજુ બાજુની દુકાનોમાં આગ વધુ પ્રસરે તે પહેલાંજ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જાેકે, આગમાં કાપડ, ફર્નિચર સહિત બળીને ખાખ થઈ ગયા હતા.પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સરકીટ થી લાગી હોંવાનુ મનાઈ રહ્યુ છે. નવનિયુક્ત મેયર સ્થળ પર દોડી ગયા નવાબજારમાં કાપડની ત્રણ દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાની માહિતી નવનિયુક્ત મેયર નિલેષ રાઠેડોને થતાં, તેઓ શુભેચ્છા આપવા માટે આવેલા લોકોની શુભેચ્છા સ્વિકાર કર્યા વગર તુરંત સીઘા નવાબજાર દોડી ગયા હતા. અને વડોદરાના પ્રથમ નાગરીક તરીકેની ફરજ બજાવી હતી. અને આગ અંગેની માહિતી મેળવી હતી અને જરૂરી સુચના આપી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ધાર્મિક માહોલમાં ભક્તિભાવ અને શ્રદ્ધાભેર ઠેર-ઠેર હોલિકાદહન સંપન્ન

    વડોદરા, તા.૬આસુરી શક્તિ પર દૈવીશક્તિના વિજયના પર્વ એવા હોળીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં ઠેર-ઠેર હોળીનું દહન કરવામાં આવ્યું હતું. શહેરની સોસાયટીઓના નાકે, પોળોમાં, ચાર રસ્તાઓ ઉપર હોલિકાદહન કરી શ્રદ્ધાભેર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ હોળી માતાને ધાણી, ચણા, ખજૂરનું નૈવેદ્ય અર્પણ કર્યું હતું અને હોળી પ્રાગટ્ય ફરતે પ્રદક્ષિણ કરી શારીરિક સુખાકારીની પ્રાર્થના કરી હતી. હોળી ક્યારે કરવી તેની અવઢવ છેલ્લાં કેટલાંય દિવસથી ચાલી રહી હતી. જ્યોતિષોમાં પણ મતમતાંતર હતા. જાે કે, સોમવારે ચતુર્દશી પર પૂર્ણિમા થતી હોવાથી અને એ પૂર્ણિમા મંગળવારે સાંજે ૬.૧૧ કલાકેુ પૂર્ણ થતી હતી, તેથી મોટાભાગના જ્યોતિષોએ શાસ્ત્રનો મત આગળ ધરી સોમવારે જ હોળીનું દહન કરવું તેવો મત વ્યક્ત કર્યો હતો. તેથી મોટાભાગના સ્થળોએ સોમવારે સાંજે ૬.૪પ કલાકથી ૮.૩૦ કલાક દરમિયાન હોળીનું દહન કરવામાં આવ્યંુ હતું.પર્વ અગાઉ બજારોમાં ભારે રોનક જાેવા મળી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી બજારમાં ધાણી, ચણા, ખજૂરની દુકાનોમાં ભારે ભીડ જાેવા મળી હતી. કોરોનાના કપરા કાળ બાદ ફરી એકવાર દરેક તહેવારની ઉત્સાહભેર ઉજવણીનો માહોલ છવાયેલો જાેવા મળી રહ્યો છે. આસુરી શક્તિ પર દૈવીશક્તિના વિજય પર્વ હોળી-ધુળેટીના પર્વની ખાસ મહત્ત્વતા રહેલી છે. સોસાયટી, પોળ સહિત વિસ્તારોમાં વહેલી સવારથી જ હોળી દહનની તૈયારીઓ આરંભી દેવાઈ હતી. લાકડાં, છાણાં વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાક સ્થળોએ હોળી ફરતે આકર્ષક રંગોળી પણ કરવામાં આવી હતી. સાંજના ૬.૪પ કલાકથી ૮.૩૦ કલાક દરમિયાન હોળીની પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને ત્યાર બાદ હોળીનું દહન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ દ્વારા હોળી માતાને ધાણી, ચણા, ખજૂરનું નૈવેદ્ય અર્પણ કરાયું હતું. તો હોળીના તાપે તપવાથી શારીરિક સુખાકારી જળવાઈ રહેતી હોવાની માન્યતાને લઈને શ્રદ્ધાળુઓ દ્વારા હોળી ફરતે પ્રદક્ષિણ પણ કરવામાં આવી હતી. શહેરના માંજલપુર, હરણી સહિતના કેટલાક વિસ્તારોમાં પરંપરાગત રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જાે કે, હોળીના એક દિવસ બાદ ધુળેટી પર્વની ઉજવણી કરાશે, જેની તૈયારીઓ પણ રંગોત્સવના શોખીનો દ્વારા કરવામાં આવી છે. હોળાષ્ટક પૂર્ણ થતાં પુનઃ માંગલિક કાર્યો કરી શકાશે હોળીના દહન સાથે જ હોળાષ્ટકના કમૂહૂર્તાની પુર્ણાહૂતિ થાય છે. તેથી હવે આગામી એક સપ્તાહ સુધી સારા મુહૂર્ત હોવાથી માંગલિક કાર્યો કરી શકાશે. લગ્ન સહિત શુભપ્રસંગો હોળાષ્ટક દરમિયાન કરી શકાતા નથી. હોળાષ્ટકની પુર્ણાહૂતિ હોળી દહન સાથે થતી હોય છે. તેથી આવતીકાલથી પુનઃ માંગલિક કાર્યોની ભરમાર જામશે. આ વરસે આખો એપ્રિલ અને વૈશાખની સુદ બારસ સુધી મીનારક કમુહૂર્તા છે તેથી હોળી પછીના એક જ સપ્તાહ સુધી મુહૂર્ત હોવાથી પુનઃ શહેનાઈના સૂર ગૂંજી ઊઠશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો ઃ વાવાઝોડા સાથે વરસાદી છાંટા ઃ વૃક્ષો-હોર્ડિંગ્સ ધરાશાયી થયાં

    વડોદરા, તા.૬હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેરમાં આજે સમી સાંજે અચાનક વાતાવરણમાં આવ્યો પલ્ટો આવ્યો હતો અને તેજ વાવાઝોડા સાથે પવન ફૂંકાતા ઘુળની ડમરી ઉડવા થી લોકો પરેશાન થયા હતા.૨૦ કી.મી.ની ઝડપે પવન ફૂંકાતા કેટલાક સ્થળે ઝાડ પડવાના તેમજ અનેક હોર્ડિંગ્સ ઉડીને પડ્યાના બનાવ બન્યા હતા. નસીબ જાેગે કોઈ ઈજા કેજાનહાની નો બનાવ બન્યો નથી.પરંતુ ઝાડ પડવા થી કેટલાક ટુ વ્હીલર અને ફોર વ્હીલરને નુકસાન થયુ હતૂ. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસ થી વાતાવરણમાં પલટો આવ્યો છે.કેટલાક સ્થળે કમોસમી વરસાદ પણ થતા ખેડૂતો ચીંતામાં મુકાયા છે.્‌ત્યારે વડોદરા શહેરમાં આજે સાંજે પાંચ વાગે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયુ વાતાવરણ સાથે પવનના સુસ્વાટા સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન થયા હતા.૨૦ કી.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ટૂંકી પડ્યા ના તેમ જ હોર્ડિંગ્સ પણ ઉડી ને પડ્યા હતા. ભારે પવનના સુસ્વાટાને પગલે કોર્પોરેશનની બહાર લોખંડની ગ્રીલ પણ ધરાશાઈ થઈ ગઈ હતી. શહેરના રાજમહેલ રોડ ન્યાયમંદિર પાસે વૃક્ષ ઘરાશાયી થતા એક મોપેડ અને કારને નુકસાન થયુ હતુ. ઉપરાંત ન્યાયમંદિર પદ્માવતી શોપીંગ સેન્ટર પાસે વૃક્ષ ઘરાશાયી થતા ટુવ્હીલરોને નુકસાન થયુ હતુ.જ્યારે વાઘોડિયા રોડ માનવ મંદિર સોસાયટી પાસે પણ એક ઝાડ તૂટી પડ્યુ હતુ. આ ઉપરાંત ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા તેમજ કમાટીબાગ પાસે સહિત વિવિઘ વિસ્તારોમાં આડેઘડ લગાડવામાં આવેલા કેટલાક હોર્ડીંગ બોર્ડ પણ તૂટી પડ્યા હતા તો કેટલાક ઉડીને પડ્યા હતા.હવામાંન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાતાવરણમાં પલટા વચ્ચે આજે મહત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન ૨૨ય૨ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંઘાયુ હતુ. સવારે હવામાં ભેજનુ પ્રમાણ ૫૮ ટકા જે સાંજે ૨૮ ટકા જ્યારે હવામાં ભેજનુ પ્રમાણ ૧૦૧૨ મિલીબાર્સ અને દક્ષિણ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતી પ્રતિ કલાકના ૧૫ કી.મી. નોંઘાઈ હતી. અચાનક વાતાવરણમાં આવેલા પલ્ટાને પગલે કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠુ થતા ઘરતી પૂત્રો ચીંતાતુર બન્યા છે. હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને તા.૭ અને તા.૮ના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવના છે. આવા સમયે વાદળછાયા વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને અનુરોધ કરવામાં આવ્યો છે.કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવા જણાવવ્યુ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ૧૬૫૪ મિલકતો સીલ ઃ ૧૧૪ મિલકતોના પાણીજાેડાણ કાપી ૨.૭૩ કરોડની વસૂલાત

    વડોદરા, તા.૬કેન્દ્ર અને રાજ્ય સરકારની રૂપિયા ૨૬ કરોડની બાકી લેણા ની વસૂલાતમાં નિષ્ફળ વડોદરા કોર્પોરેશને વેરા નહિ ભરનાર શહેરીજનો સામે માસ સિલીંગ ઝુંબેશ આજે વહેલી સવારથી શરૂ કરી છે.પાલિકાની ૧૯ વોર્ડની ૧૫૨ કર્મચારીઓની આઠ ટીમો દ્વારા સવાર થી બાકી વેરાની વસૂલાત માટેકોમર્શિલ કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની અને રહેણાંક મકાનોના બાકી વેરા સામે પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં આજે દિવસ દરમિયાન ૧૬૫૪ કોમર્શીયલ મિલ્કતોને સીલ તેમજ ૨૪૦૪ રહેણાંક મિલ્કતોને નોટીસ આપવામાં આવી હતી.જ્યારે ૧૧૪ મિલ્કતોના પાણીના કનેક્શનો કાપવામાં આવ્યા હતા. અને રૂા.૨.૭૩ કરોડની વસૂલાત કરવામાં આવી હતી. પાલિકાના સૂત્રો અનુસાર શહેરમાં ચાલુ વર્ષે રૂપિયા ૭૨૦ કરોડનો વેરો વસૂલવાનો લક્ષ્યાંક મુકાયો છે. જેની સામે અત્યાર સુધીમાં રૂપિયા ૫૩૦૨.૪૫ કરોડ વસૂલ થઈ ચૂક્યા છે. શહેરી હદ વિસ્તારમાં નવા સાત ગામના સમાવેશ થવા સાથે પાલિકાએ ચાલુ વર્ષે કુલ રૂપિયા આઠ લાખથી વધુના વેરા બિલની બજવણી કરી હતી જેમાંથી રૂપિયા ૬.૪૮ લાખના રહેણાંક મિલકતો અને રૂપિયા ૧.૫૩ લાખની કોમર્શિયલ મિલકતો પાસેથી વેરાની વસુલાત થઈ હતી. જ્યારે વેરો નહિ ભરનાર કુલ. ૭૨૨૭ મિલકતોને અત્યાર સુઘીમાં સીલ કરી છે. આ ઉપરાંત ૪૮,૨૦૦ મિલકતોને નોટીસ ફટકારવામાં આવી છે. પાલિકા તંત્રએ આજથી શહેરના તમામ ૧૯ કુલ ૧૫૨ કર્મચારીઓની ૮ ટીમો તૈયાર કરી છે. જેમાં વેરો નહિ ભરનારને ત્યાં સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. ઉપરાંત દરેક વોર્ડમાં બે યુસીડી કર્મીઓ, બે રેવન્યુ કર્મીઓ, બે એન્જિનિયર અને એક ક્લાર્ક તથા પટાવાળા સહિત કુલ આઠ સભ્યોની ટીમો કોમર્શિયલ મિલકતોને સીલ કરવા વહેલી સવારથી કાર્યવાહી હાથ ઘરી છે. આ વોર્ડ ઓફિસરો તેમજ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પણ જાેડાયા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    યુવકને લાકડીના ફટકા મારી ત્રણ દાંત તોડી નાંખનાર ભરવાડ ત્રિપુટી ઝડપાઈ

    વડોદરા, તા. ૪મકરપુરા ગામમાં જયરામનગર પાસે બાઈક ધીમી ચલાવવાનું કહેનાર વિધર્મી યુવકને જાહેરમાર્ગ પર ઘેરી લઈ ઢોર માર માર્યા બાદ ડાંગનો ફટકો મારી રોડ પર પાડી દઈ ત્રણ દાંત તોડી નાખવાના બનાવમાં માંજલપુર પોલીસે સગીર સહીત ચાર માથાભારે ભરવાડોને ઝડપી પાડ્યા હતા. મકરપુરા ગામમાં સ્વામીનારાયણ મંદિર સામે મરાઠીચાલીમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાહ કરતા સમીર ઐયાસભાઈ પઠાણ ગત ૧લી તારીખના બપોરે મકરપુરા ગામ જયરામનગર પાસે બકરો લઈ રોડ પર ઉભો હતો તે સમયે મકરપુરાગામ જશોદા કોલોનીના નાકે ભરવાડવાસમાં રહેતો મેહુલ ભરવાડ તેની એકદમ નજીકથી પુરઝડપે બાઈક પર પસાર થયો હતો જેના કારણે અકસ્માત થતાં રહી ગયો હતો. સમીરે તેને બાઈક જાેઈને ચલાવવાનું કહેતા જ મેહુલે બોલાચાલી કર્યા બાદ ફોન કરીને મકરપુરા ભરવાડવાસમાં રહેતા તેના સાગરીતોને સંજય ભરવાડ, ધમો ભરવાડ અને દેવરાજ ભરવાડને બોલાવ્યા હતા. ઘટનાસ્થળે દોડી આવેલા તમામ ભરવાડોએ ભેગા મળીને સમીર પઠાણને જાહેરમાર્ગ પર ઘેરી લઈ ઢોર માર્યો હતો અને ડાંગનો ફટકો મારી નીચે પાડી દેતા સમીરના ત્રણ દાંત તુટી ગયા હતા જે બનાવની સમીરે માથાભારે ભરવાડો સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં સંડોવાયેલા ધર્મેશ ભરવાડ, સંજય ભરવાડ, દેવરાજ ભરવાડ અને એક સગીર વયના આરોપીને મકરપુરા પોલીસે આજે ઝડપી પાડ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    તંત્ર દ્વારા કાર્યવાહીના મોટા દાવા છતાં રખડતાં ઢોર બિન્દાસ્ત છોડી દેવાય છે !

    વડોદરા, તા.૪વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, તંત્ર દ્વારા કાર્યવાહીના મોટા મોટા દાવા છતા હજી અનેક વિસ્તારોમાં ગાયો રોડ પર રખડતી જાેવા મળે છે.ગઈકાલે બે ગાયોએ વૃદ્ધાને શિંગડે ભેરવીને તેનો જીવ લઈ લીધો હતો. એક તરફ કોર્પોરેશન દ્વારા રખડતી ગાયો પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, બીજી તરફ ઢોરના માલિકો ગાયો રોડ પર છૂટી મૂકવાની ટેવ હજુ છોડતા નથી. જેના કારણે અવાર નવાર અકસ્માતોના બનાવો બને છે. જે જાેતા પાલિકા તંત્ર, પોલીસ તંત્ર સમસ્યાના ઠોસ નિરાકરણ માટે વામણુ પૂરવાર થઈ રહ્યુ છે તે સ્પષ્ટ થાય છે. કોર્પોરેશન દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૨ થી તા. ૩ માર્ચ સુધીમાં ૫૨૪૩ રખડતા ઢોર પકડી લીધા છે. જેમાંથી ૨,૨૨૦ ઢોર ટ્રાન્સફર એટલે કે ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલી દેવાયા છે. ૧૭૫ ઢોર દંડ વસૂલ કરીને મુક્ત કરવામાં આવ્યા છે. આ દંડની વસુલાત ૯,૪૬,૯૦૦ ની થઈ છે. બીજી બાજુ સખ્ત કાર્યવાહી ્‌અંતર્ગત આ જ સમયગાળા દરમિયાન ઢોરના માલિકો સામે ૧૩૬ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં રખડતા ઢોર છુટા મૂકી દેવાની ટેવધરાવતા ૮૨ ગોપાલકોને પકડી લેવાયા છે. આમ રખડતા ઢોર છુટા મુકનારા ગૌપાલકો સામે કાર્યવાહી છતા કોઈ ડર જ નથી તેમ હજી રખડતા ઢોર બિંદાસ છુટા ફરતા જાેવા મળી રહ્યા છે.રખડતા ઢોરોના કારણે અનેક ગંભીર બનાવો બનાવા છતાય તંત્ર સમસ્યાના નિરાકરણ માટે નિષ્ફળ રહ્યુ છે.અને તંત્ર આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કેમ કાર્યવાહી કરતુ નથી તેવી ચર્ચા સાથે રોષ પણ હવે નગરજનો વ્યક્ત કરી રહ્યા છે.તેમાય ગઈકાલે વૃદ્ધાને જે રીતે બે ગાયોએ હુમલો કરીને મોંતને ઘાટ ઉતારી તેનો સોશીયલ મિડીયા પર વિડિયો જાેઈને તંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે. પાલિકાની ૬ ટીમોએ વધુ ૫૨ રખડતાં ઢોર પકડયાં રસ્તે રખડતા ઢોર પકડવાની સઘન કામગીરી પાલિકાની ટીમો દ્વારા જારી રાખવામાં આવતા આજે સવાર થી વિવિઘ વિસ્તારોમાં ઢોર પાર્ટીની ટીમો દ્વારા ખાસ કરીને પેરાફેરી વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરીને વિવિઘ વિસ્તારો માંથી ૫૨ રખડતા ઢોરને પકડીને પાલિકાના ઢોર ડબ્બામાં પૂર્યા હતા.આ ઉપરાંત પકડાયા બાદ ઢોર ડબ્બામાં પૂરેલા ૪૯ પશુઓનુ ટેગીંગ કરવામાં આવ્યુ હતુ.
    વધુ વાંચો
  • ગુજરાત

    મહિલા કારચાલકે એક્ટિવાને ટક્કર મારતાં બેને ઇજા

    વડોદરા, તા. ૦૪ન્યુ.વી.આઇ.પી રોડ પર આવેલી સુપર બેકરી પાસે ગત મોડી રાત્રે પસાર થઇ રહેલા વારસિયા વિસ્તારમાં રહેતા એકટીવા ચાલક અને તેના બે મિત્રોને પુરપાટ ઝડપે આવેલ કાર ચાલક મહિલાએ ટક્કર મારી હતી. ત્યારબાદ કાર આગળ જઇ ધડાકા ભેર અથડાતા કાર પણ પલ્ટી જતા એક્ટિવા ચાલક સહિત બે લોકો ઇજાગ્રસ્ત થતા બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. વારસિયા વિસ્તારની પંચશીલ સોસાયટીમાં રહેતા ગૌતમ કમલ નાથાણી અને તેમનો બે મિત્ર સાથે ગઇકાલે મોડી રાત્રે સુપર બેકરી પાસેથી પોતાની એકટીવા લઇને પસાર થઇ રહ્યા હતાં. તે સમયે રાજકોટની વતની અને વડોદરામાં અભ્યાસ કરતી રૂત્વી દિપકભાઇ સીંગાડા પણ મોડી રાત્રે પોતાની કાર લઇને ન્યુ.વી.આઇ.પી રોડ ઉપરથી પુરપાટ ઝડપે પસાર થતી હતી. ત્યારે તેને ગૌતમ કમલભાઇ નાથાણીને જાેરદાર ટક્કર મારતા ગૌતમભાઇ રોડ ઉપર ફોંગાળાઇ ગયા હતા. જયારે રૂત્વીની કાર ધડાકા સાથે રોડ ઉપર પલ્ટી ખાઇ ગઇ હતી. જાે કે મોડી રાત્રે ધડાકા સાથે થયેલા આ બનાવને પગલે વિસ્તારના સ્થાનિક લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા અને એક્ટીવી ચાલક ગૌતમ નાથાણી સહિત બે જણાને ગંભીર ઇજાઓ થતા તેમણે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતના બનાવની જાણ વારસીયા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. ત્યારબાદ કાર ચાલક રૂત્વી સંગાડા સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ કાર ચાલક યુવતીએ કોઇ નશો કરેલી હાલતમાં હતી કે, કેમ તે અંગે પણ કાર્યવાહી હથ ધરી હતી. જાે કે મોડી રાત્રે બનેલા આ બનાવથી વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ઘરેલું ગેસ બોટલના ભાવવધારા સામે વિરોધ દર્શાવવા ગેસબોટલની સ્મશાનયાત્રા કઢાઈ!

    વડોદરા, તા.૪ શહેર આમ આદમી પાર્ટી દ્વારા ઘરેલુ રાંધણગેસનાં બોટલના ભાવ વધારાનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. ગેસનાં બોટલની સ્મશાંનયાત્રા કાઢવામાં આવી હતી. અને કલેકટરને ભાવ વધારોનાં વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. રાંધણ ગેસના બોટલ દીઠ ૫૦ રૂપિયાના વધારાથી મઘ્યમવર્ગીય પરીવારોનો આર્થિક બોજાે વધશે. અને મોંધવારીમાં પીસાતી ગરીબ જનતા માટે આ ભાવ વધારો તદ્દન ગેરવ્યાજબી છે.અને આ ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેચવાની માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ બે ગેસના બોટલોને ઠાઠડી સાથે બાંધ્યા હતા અને ગેસનાં બોટલને ફુલહાર કર્યા હતા અને તમામ કાર્યકરો ઠાઠડી લઇને સરધસ આકારે કલેકટર કચેરી આવી પહોંચ્યા હતા. કલેકટર કચેરીના પરીસરમાં નીચે બેસી મોંધવારી વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. અને હાથમાં પ્લેકાર્ડ દર્શાવી જીડીપી નીચે ગેસ બોટલનાં ભાવ ઉપર જનતા બેહાલનાં લખાણ દ્વારા મોંધવારી સામે નારાજગી દર્શાવી હતી.  વડોદરા શહેર આમ આદમી પાર્ટીએ કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે રાંધણગેસનાં બોટલમાં જે ભાવવધારો કરવામાં આવ્યો છે તેને પાછો ખેચવા જાેઇએ અને સામાન્ય જનતાને રાહત આપવી જાેઇએ. મોંધવારીમાં પીસાતી જનતાને ગેસબોટલનાં ભાવ વધારામા રાહત આપવામાં નહી આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી મોંધવારીનો પ્રશ્ન જાહેર રસ્તા પર લઇ જશે અને મોંધવારી સામે ઉગ્ર આંદોલન કરશે. તેની ચિમકી ઉચ્ચારી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    આખરે ૧૮ માર્ચે મ.સ. યુનિ.નો પદવીદાન સમારંભ યોજવાની જાહેરાત કરવામાં આવી

    વડોદરા, તા.૪ હજારો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે થઇ રહેલા ચેંડાને લઇ ચિંતીત સિન્ડિકેટ સભ્યોએ એમ.એસ. યુનિયુનિવર્સિટીના મેનેજમેન્ટમાં નિષ્ફળ રહેતા વીસી પ્રો. વિજય કુમાર શ્રીવાસ્તવને લાલ આંખ બતાવતા યુનિ. વા.ચા.એ તાત્કાલિક યુનિ. પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવાની ફરજ પડી છે. ત્યારે હવે લાંબા વિલંબ બાદ આગામી ૧૮ માર્ચે સાંજે પાચ વાગ્યે યુનિ.નો પદવીદાન સમારોહ યોજાશે. યુનિ.ના સિન્ડીકેટ સભ્યોનું પોતાનું એક અલાયદુ વોટસઅપ ગ્રુપ છે. આ ગ્રુપમાં સિન્ડિકેટ સભ્યે લખ્યું કે, શનિવાર સાંજ સુધીમાં જાે કોન્વોકેશનની તારીખ નક્કી કરી જાહેર કરવામાં નહી આવે તો આગામી સિન્ડિકેટ બેઠકનો બહિષ્કાર કરવામાં આવશે અને યુનિ. હેડ ઓફિસ ખાતે તમામ સિન્ડિકેટ સભ્યો પ્રતીક ઉપવાસ પર બેસી વિદ્યાર્થી સંગઠનોની પદવીદાન સમારોહ ની તારીખ જાહેર કરવાની માંગ કરશે. આ મેસેજ કર્યાના થોડીક જ મીનીટમાં વાઇસ ચાન્સલરે પદવીદાન સમારોહની તારીખ ૧૮ માર્ચે સાંજે પાંચ વાગ્યે યોજાશે તેવી જાહેરાત કરી દીધી હતી. યુનિ. પદવીદાન સમારોહના આયોજન કરવામાં યુનિ. સત્તાધીશો એ વિલંબ કરતા ગત સિન્ડિકેટ બેઠકમાંથી તમામ સિન્ડિકેટ સભ્યો બેઠકમાંથી વોક આઉટ કરી યુનિ. વા.ચા.ની કાર્યપધ્ધતિ સામે ખુલ્લો બળવો પોકાર્યો હતો. અને પદવીદાન સમારોહ અંગે સિન્ડિકેટ સભ્ય મયંક પટેલ દ્વારા કરવામાં આવેલા વોટસઅપ મેસેજને બીજા સિન્ડીકેટ સભ્યો દ્વારા ટેકો આપવામાં આવતા વા.ચા.ને સમગ્ર બાબતની ગંભીરતા સમજી ગયા હતા. અને પદવીદાન સમારોહને લઇને વધુ વિવાદ વકરે તે પહેલા જ પદવીદાન સમારોહની તારીખ કરી દેવામાં આવી હતી. પદવીદાન સમારોહમાં વિલંબના કારણે વિદેશમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ મુશકેલીમાં  યુનિમાં ૧૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ સ્નાતક થઇ પોતાની ડીગ્રી અને માર્કસીટની રાહ જાેઇ રહ્યા છે. યુનિ. સત્તાધીશોની લાપરવાહીનાં કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મુશકેલીમાં મુકાઇ ગયા છે. જે વિદ્યાર્થીઓએ વિદેશમા ંઆગળ અભ્યાસ માટે યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યો છે તેમને વિદેશમાં પ્રવેશ પ્રકિયા પુર્ણ કરવામાં ટેકનિકલ પ્રશ્નો ઉભા થયા છે. તેઓ સમયસર તેમની ડિગ્રી જમા કરાવી શક્યા નથી. અને એક ચિંતા સાથે તેઓ અનેક મુશકેલીઓનો સામનો કરી રહ્યા છે. આગામી સિન્ડિકેટ બેઠક ફરી એકવાર વા.ચા.માટે આકરી સાબિત થાય તેવી શકયતા  જાે વા.ચા. પ્રોફેસર વિજયકુમાર દ્વારા પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવામાં આવી ન હોત તો ૯ માર્ચના રોજ સિન્ડીકેટની બેઠકનો સિન્ડિકેટ સભ્યો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુવિવાદ ને ઉગ્ર બનતા રોકવા વાં.ચા.નરમ પડયા અને પદવીદાન સમારોહની તારીખ જાહેર કરી. જાે કે વિદ્યાર્થીઓની માર્કસીટ વિતરણ કરવામાં પણ વિલંબ થયો છે.ત્યારેઆ મુદ્દો પણ બેઠકમાં ઉગ્ર બને તેમ લાગી રહ્યુ છે. ત્યારે કેટલાક સિન્ડિકેટ સભ્યો૧૮ માર્ચ થી પણ પહેલાની તારીખમાં પદવીદાન સમારોહ યોજવાની માંગ કરી રહ્યા છે. જાે કે વા.ચા.ની કાર્યધ્ધ્ધતિ સામે નારાજ સિન્ડિકેટ સભ્યો હાઇપાવર કમિટિનો રીપોર્ટ, વિદ્યાર્થીઓની માર્કસીટ સહિતનાં મુદ્દે વા.ચાને સામે મોરચો માંડે અને બેઠક તોફાની બને તેવા એંધાણ વર્તાય રહ્યા છે.
    વધુ વાંચો

રાષ્ટ્રીય સમાચાર

રાજકીય સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર