કોલકાતા, ક્રિકેટના મહાકુંભ જેવી ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ની ઓપનિંગ સેરેમની ૨૨ માર્ચે યોજાશે. આ વખતે તેની ઓપનિંગ સેરેમની શનિવારે સાંજે ૬થી કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે યોજાશે. ઓપનિંગ સેરેમની બોલિવૂડના સુપરસ્ટાર્સ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ સાથે શરૂ થશે. શ્રેયા ઘોષાલ, શ્રદ્ધા કપૂર, દિશા પટણી, કરણ ઔજલા, અરિજિત સિંહ અને વરુણ ધવન ઓપનિંગ સેરિમનીમાં પર્ફોર્મ કરી શકે છેે. પોપ બેન્ડ વન રિપબ્લિકે તાજેતરમાં કરણ ઔજલા અને દિશા પટણી સાથે મળીને ‘ટેલ મી’ સોન્ગ બનાવ્યું છે.
આજે પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. શાહરુખ ખાન તેની ટીમને સપોર્ટ કરવા અને સલમાન પણ તેની ફિલ્મ ‘સિકંદર’ના પ્રમોશન માટે સ્ટેડિયમમાં આવી શકે છે. ઓપનિંગ સેરેમની લગભગ ૨૫થી ૩૫ મિનિટ ચાલશે. આઇપીએલ ૨૦૨૫ની પહેલી મેચ પહેલાં ઓપનિંગ સરેમનીનું આયોજન થશે.ઓપનિંગ મેચ ૨૨ માર્ચે કોલકાતામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) વચ્ચે રમાશે. આ વખતે ૬૫ દિવસમાં ૭૪ મેચ રમાશે. ૧૮ મે સુધી ૭૦ લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં ૧૨ ડબલ હેડરનો સમાવેશ થશે. એટલે કે ૧ દિવસમાં ૨ મેચ ૧૨ વખત રમાશે. ફાઈનલ ૨૫ મેના રોજ કોલકાતામાં યોજાશે.
લંડન,
લંડનનું હીથ્રો એરપોર્ટ આજ રાત સુધી બંધ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્યાં વીજળીની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. શુક્રવારે સવારે (ભારતીય સમય મુજબ) એક પોસ્ટમાં એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોને મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સાથે જ કહ્યું હતું કે, મુસાફરો વધુ વિગતો માટે એ એરલાઇન્સનો સંપર્ક કરે, જેમા તેઓ મુસાફરી કરવાના હતા.
એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે એક પોસ્ટમાં કહ્યું છે કે, એરપોર્ટને વીજળી પૂરી પાડતા ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે હીથ્રો ખાતે વીજળીની ભારે અછત છે. અમારા મુસાફરો અને સાથીદારોની સલામતી માટે હીથ્રો ૨૧ માર્ચે રાત્રે ૧૧.૫૯ વાગ્યા સુધી બંધ રહેશે.
એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, મુસાફરોને એરપોર્ટ ન જવાની અને વધુ માહિતી માટે એરલાઇનનો સંપર્ક કરવાની સલાહ અપાઇ હતી. અસુવિધા બદલ અમને દુ:ખ છે. એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અગ્નિશામક દળ કામ કરી રહ્યો છે, પરંતુ વીજળી ક્યારે પુન:સ્થાપિત થશે તે સ્પષ્ટ નથી. અમે પરિસ્થિતિને ઉકેલવા માટે અમારાથી બનતું બધું કરી રહ્યા છીએ.
નવી દિલ્હી:દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી લગભગ ૧૫ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા બાદ તેમના ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં પાછા મોકલવાનો ર્નિણય લીધો છે.
હોળીની રજા દરમિયાન દિલ્હીમાં જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. તે ઘરે નહોતા. પરિવારના સભ્યોએ પોલીસ અને ઇમરજન્સી સેવાઓને ફોન કરીને આગ વિશે જાણ કરી હતી. જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘરમાં લાગેલી આગ ઓલવવા ગઈ ત્યારે તેમને મોટી રોકડ મળી આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને રોકડ રકમ વિશે ખબર પડી ત્યારે પાંચ સભ્યોના કોલેજિયમે તેમની ટ્રાન્સફર કરી દીધી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે સીજેઆઇ સંજીવ ખન્નાને આ બાબતની જાણ થઈ, ત્યારે ૫ સભ્યોના કોલેજિયમે તેમને ટ્રાન્સફર કરવાનો ર્નિણય લીધો હતો. જાે કે, તે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું નથી. અહીં, હાઈકોર્ટ બાર એસોસિએશને જસ્ટિસ વર્માને અલ્હાબાદ પાછા ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો છે. એસોસિએશને કહ્યું કે કોલેજિયમનો ર્નિણય એક ગંભીર પ્રશ્ન ઉઠાવે છે કે શું અમે કચરાપેટી છીએ.
નવી દિલ્હી,શુક્રવારે બજેટ સત્રના આઠમા દિવસે અમિત શાહે ગૃહ મંત્રાલયના કામકાજ પર ચર્ચાનો જવાબ આપ્યા હતોે. શાહે કહ્યું કે ચર્ચા દરમિયાન કેટલાક ઉપયોગી સૂચનો સામે આવ્યા છે. અમારી ખામીઓ દર્શાવવામાં આવી છે. કેટલીક રાજકીય ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. કેટલાક રાજકીય આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. હું બધાને સંસદીય ભાષામાં જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.
નક્સલવાદ વિશે બોલતાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે, કોઈએ ડાબેરી ઉગ્રવાદને રાજકીય સમસ્યા ગણાવી છે. આ વિચાર પર મને દયા આવે છે. ૫-૨૫ વર્ષમાં કોઈ વિકાસ સુધી નથી પહોંચાડી શક્યા. પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે દેશની વ્યવસ્થાનું પાલન ન કરવું જાેઈએ. હિંમત જુઓ, તેમણે પશુપતિનાથથી તિરુપતિ સુધીના અનેક પોલીસ સ્ટેશનો પર કબજાે કર્યો અને એક સમાંતર વ્યવસ્થા અને ચલણ ચલાવ્યંંું હતુંું. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ દેશમાંથી ડાબેરી આતંકવાદનો અંત આવશે. અમે સંવાદ, સુરક્ષા અને સંકલનના સિદ્ધાંતોના આધારે ડાબેરી ઉગ્રવાદ સામે લડી રહ્યા છીએ.૨૦૦૪થી ૨૦૧૪ અને ૨૦૧૪થી ૨૦૨૪ વચ્ચે થયેલી આતંકવાદી ઘટનાઓ પર તેમણે કહ્યું, કોઈને સમજવું જાેઈએ કે હું કોંગ્રેસનું નામ કેમ લઈ રહ્યો છું. હું તેમની સાથે તેની સરખામણી કેમ કરી રહ્યો છું? હું કહી રહ્યો છું કે જાે ભાજપનો કોઈ ગૃહમંત્રી ૧૦ વર્ષ પછી આવશે, તો તે અમારા જ આંકડા આપશે, તમારા નહીં. આ પહેલા તમારુંં શાસન હતું, તેથી હું તમારા આંકડા આપી રહ્યો છું. હું તમને કહેવા માગું છું કે અગાઉ નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ૧૨૬ હતી. હવે ૧૨ બાકી છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ, શૂન્ય હશે. હું ગૃહને આ ખાતરી આપવા માગું છું.
તેઓએ આગળ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં છેલ્લા ૧૦ વર્ષમાં ઘણું બદલાયું છે. પૂર્વોત્તરમાં આતંકવાદ, નક્સલવાદ અને બળવાખોરી આપણને પાછલી સરકારે વારસા તરીકે સોંપી હતી. આ એક દુ:ખાવો બની ગયો હતો. ૨૦૧૪માં જ્યારે અમારી સરકાર બની, ત્યારે અમે આ ત્રણ મોરચે લડ્યા.
ગૃહમંત્રીએ જમ્મુ-કાશ્મીર વિશે બોલતાં કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં વિપક્ષના ૩૩ વર્ષના શાસન દરમિયાન ત્યાં સિનેમા હોલ પણ ખુલ્યા ન હતા. અમે ૨૦૧૯માં કલમ ૩૭૦ દૂર કરી. જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલાં જી૨૦ સમિટમાં દુનિયાભરના રાજદ્વારીઓ આપણે ત્યાં આવ્યા હતા. અમે ત્યાં સફળતાપૂર્વક ચૂંટણીઓ પણ યોજી. એક પણ ગોળી ચલાવવામાં આવી ન હતી. જે લોકો કાળા ચશ્મા પહેરીને આંખો બંધ કરીને બેઠા છે તેમને આ દૃશ્ય બતાવી શકાતું નથી. જાે આતંકવાદી તમારી નજરમાં હોય, તો તે તમારા સપનામાં પણ તમારી પાસે આવશે.
૧૦ દિવસની અંદર પાકિસ્તાને તેમના ઘરોમાં હવાઈ હુમલા કરીને જવાબ આપ્યો :ગૃહમંત્રી
અમિત શાહે કહ્યું, ‘પહેલાં આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીર આવતા હતા. મોદીજીના આગમન પછી પણ હુમલા થયા હતા. ઉરી અને પુલવામામાં હુમલા થયા હતા. ૧૦ દિવસની અંદર, પાકિસ્તાને તેમના ઘરોમાં હવાઈ હુમલા કરીને જવાબ આપ્યો હતો. દુનિયામાં ઇઝરાયલ અને અમેરિકાની યાદીમાં મહાન ભારતનું નામ ઉમેરાયું છે, જ્યાં આવી કાર્યવાહી કરવામાં આવી છે.
બાર કાઉન્સિલમાં આતંકી પરિવારના સભ્યો હતા, જે આજે જેલમાં છે
ગૃહમંત્રીએ કહ્યું હતું કે, અમે ઘણા પગલાં લીધાં છે, જેના કારણે આતંકવાદ સાથે જાેડાનારા ભારતીય બાળકોની સંખ્યા લગભગ શૂન્ય થઈ છે. જ્યારે પણ આતંકવાદીઓ માર્યા જતા, ત્યારે એક મોટું સરઘસ કાઢવામાં આવતું. આજે પણ આતંકવાદીઓને મારી નાખવામાં આવે છે અને જ્યાં માર્યા જાય છે ત્યાં જ દફનાવવામાં આવે છે. પરિવારનો એક સભ્ય આતંકવાદી બની જતો અને પરિવારના સભ્યો આરામથી સરકારી નોકરીમાં કામ કરતા હતા. અમે તેને દૂર કરવાનું કામ કર્યું છે. આતંકવાદીઓના પરિવારના સભ્યો બાર કાઉન્સિલમાં બેઠા હતા અને વિરોધ પ્રદર્શનો થતાં હતા. આજે તે શ્રીનગર કે દિલ્હીની જેલમાં છે.
એ જ લાલ ચોકમાં, કોઈ ઘર એવું નહોતું જેના પર તિરંગો ન હોય
અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, મુરલી મનોહર જાેશીના નેતૃત્વમાં લાલ ચોક ખાતે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમને લાલ ચોક જવાની પરવાનગી મળી રહી ન હતી. જ્યારે અમે આગ્રહ કર્યો, ત્યારે અમારે સૈન્ય રક્ષણ હેઠળ જવું પડ્યું અને ઉતાવળમાં ત્રિરંગો ફરકાવીને પાછા ફરવું પડ્યું. એ જ લાલ ચોકમાં, હર ઘર તિરંગા અભિયાનમાં કોઈ ઘર એવું નહોતું જેના પર ત્રિરંગો ન હોય.
નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકરે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વધતાં ટેરિફ અને પ્રતિબંધોનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, તે અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, હવે આ માત્ર આર્થિક ઉપાય નથી રહ્યો, પરંતુ દેશો માટે પોતાના હિતોનું રક્ષણ કરવા માટેનું શક્તિશાળી સાધન બની ગયું છે.
વિદેશ મંત્રી જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લા દાયકામાં નાણાકીય પ્રવાહ, ઉર્જા પુરવઠો અને ટૅક્નોલૉજી જેવી ઘણી આર્થિક ગતિવિધિઓમાં ઝડપથી એક હથિયાર તરીકે વધુને વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિશ્વ એક નવા આર્થિક સમીકરણ તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં નીતિઓ અને પ્રતિબંધ એક નવા યુગની વ્યૂહાત્મક સ્પર્ધાનો ભાગ બની ગયા છે.
જયશંકરે નવી દિલ્હીમાં આયોજિત રાયસીના સંવાદ દરમિયાન “કમિશર્સ અને મૂડીવાદીઓ: રાજકારણ, વ્યવસાય અને નવી વિશ્વ વ્યવસ્થા” પેનલ ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમની આ ટિપ્પણી એવા સમયે થઈ છે, કે જ્યારે અમેરિકા દ્વારા ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર
વિવિધ ટેરિફની જાહેરાત કરવામાં આવી છે.
વધુમાં વિદેસ મંત્રી જયશંકરે કહ્યું કે, ‘આ દુનિયાની વાસ્તવિકતા છે. તમે તમારા વ્યવસાય માટે લડો છો, કારણ કે તમે તમારા રોજગાર માટે લડી રહ્યા છો, તમે તમારી વ્યાપક રાષ્ટ્રીય શક્તિ માટે લડી રહ્યા છો, જેમાં વ્યવસાયનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન છે.’ વિશ્વભરના વિકસિત થઈ રહેલા વૈશ્વિક લેવલ પર અલગ અલગ દેશોના સંબંધો પર જયશંકરે કહ્યું કે, ‘મને લાગે છે કે આજે વિવિધ ક્ષેત્રોને વિભાજિત કરતી રેખાઓ ભૂસાઈ ગઈ છે. જાે તમે આંતરરાષ્ટ્રીય સંબંધો જાેશો તો, મને લાગે છે કે આજની સંસ્કૃતિ એક દાયકા પહેલાની તુલનામાં ઓછી સંયમિત છે.
આ પહેલા ૧૩ માર્ચે, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે વિવિધ દેશો દ્વારા અમેરિકા પર લાદવામાં આવેલા ટેરિફ પર દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જેમાં ભારત દ્વારા અમેરિકાના વાઇન અને કૃષિ ઉત્પાદનો પર લાદવામાં આવેલા ટેરિફનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
Loading ...