આજેર્ન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે સોમવારે એક ઇન્સ્ટા પોસ્ટ દ્વારા આની જાણકારી આપી હતી. મેસ્સીએ લખ્યું કે હવે તેઓ રાષ્ટ્રીય ટીમની જર્સી નહીં પહેરે. વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેન સામે હાર્યાના બે દિવસ પછી તેમણે આ ર્નિણય લીધો હતો. મેસ્સીએ કહ્યું કે, આ ર્નિણય તેમના માટે ખૂબ જ મુશ્કેલ અને પીડાદાયક છે.આગળ તેઓ કહે છે કે, ફાઇનલ પછી ઘણો સમય વીતી ગયો છે. ઘણું વિચાર્યા પછી હું બધાને જણાવવા માગું છું કે હું નેશનલ ટીમમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આ એક એવો ર્નિણય હતો જેણે મને દુ:ખ પહોંચાડ્યું અને આજે પણ ઊંડે સુધી દુ:ખ આપે છે, પરંતુ હું સમજું છું કે આ જ યોગ્ય સમય છે. મેં હંમેશા આ જર્સી માટે મારું સર્વસ્વ આપ્યું છે. મેં હંમેશા લડાઈ લડી અને શ્રેષ્ઠ આપ્યું, જેથી તમને ખુશી મળે. ફૂટબોલ દ્વારા તમને આજેર્ન્ટિનાના હોવાનો ગર્વ અનુભવાય.મેસ્સીએ આગળ લખ્યુ કે, હવે સમય ઓછો બચ્યો છે. કારકિર્દીના કેટલાક પ્રકરણો સમાપ્ત થવા લાગ્યા છે.
નેપાળના ભોટેકોશી નદીમાં આવેલ અચાનક પુરના કારણે રસુવા-નુવાકોટ જિલ્લામાં બેકિંગ વ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. પુરની ઝપેટમાં અહી ૧૧ કોમર્શિયલ બેંકની ૧૭ શાખાઓ પાણીમાં તણાય છે. આ શાખામાં અંદાજે ૪૩.૫ અરબ નેપાળી રૂપિયાની જમા રકમ અને ૨૪.૨ અરબ નેપાળી રૂપિયાનું કર્જ હતુ. આ શાખાઓ સાથે જાેડાયેલા ૭૩,૨૭૫ જમા ખાતા અને ૨,૧૨૫ લોન ખાતા હતા.
આનો મતલબ એ નથી કે, ૪૩.૫ અરબ રૂપિયાની રકમ પૂરમાં તણાઇ છે. આ રીતે ૨૪.૨ અરબ રૂપિયા આ ગ્રાહકોને આપેલા લોનનો આંકડો છે. પૂરના કારણે રસુવા અને આસપાસ કહેવાતા વિસ્તારોમાં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે. આ પ્રોજેક્ટમાં બેંકનું મોટું રોકાણ છે પરંતુ આ મોટી લોન સામાન્ય રીતે અનેક બેંકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને બેંકના કેન્દ્રીય કાર્યાલય દ્વારા મંજૂર કરવામાં આવે છે. તેથી, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં બેંકોના રોકાણો હોવા છતાં, આ ભંડોળ સ્થાનિક શાખાઓના ડિપોઝિટ અને લોન ડેટામાં સામેલ નથી.પૂર પછી શનિવાર સાંજ સુધી ૩૫ બેકિંગ કર્મચારીઓ સાથે સંપર્ક થયો નથી. જેમાં ૨૭ કોમર્શિયલ બેંક, ૬ માઇક્રોફાઇનાન્સના અને ૨ કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ આ વિસ્તારના પ્રવાસ પર હતા. બેંક અને નાંણાકીય સંસ્થા આ ગુમ કર્મચારીઓના ફોટો અને ઓળખની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જેનાથી શોધખોળમાં મદદ મળી શકે.
દેશની રાજધાની દિલ્હીના સૌથી હાઈ-પ્રોફાઈલ, વીઆઈપી અને અતિ લક્ઝુરિયસ ગણાતા લ્યુટિયન્સ ઝોનમાં એક એવી મહાકાય રિયલ એસ્ટેટ ડીલ થઈ છે જેણે સમગ્ર ભારતીય કોર્પોરેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલિયન્સ ઈન્ડસ્ટ્રીઝે લ્યુટિયન્સ દિલ્હીના પ્રખ્યાત પૃથ્વીરાજ રોડ પર સ્થિત એક અત્યંત આલીશાન અને ઐતિહાસિક બંગલો ૩૫૦ કરોડ (અંદાજે ૩૬.૭ મિલિયન ડોલર)ની મસમોટી કિંમતમાં ખરીદી લીધો છે. આ હાઈ-વોલ્ટેજ સોદો સિંગાપોર સ્થિત ભારતીય મૂળના જાણીતા ઉદ્યોગપતિ ભૂપેન્દ્ર કુમાર મોદી (બીકે મોદી અથવા ડૉ. એમ) પાસેથી કરવામાં આવ્યો છે. ૯૦ના દાયકામાં ભારતમાં ટેલિકોમ ક્રાંતિના મંડાણ કરનારા બીકે મોદીને ‘ભારતના પહેલા મોબાઈલ કિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમની કંપની ‘મોદી ટેલ્સ્ટ્રા’એ જ વર્ષ ૧૯૯૫માં ભારતમાં સર્વપ્રથમ સેલ્યુલર મોબાઈલ સેવા શરૂ કરી હતી. ઝેરોક્સ, અલ્કાટેલ અને ટેલસ્ટ્રા જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે બિઝનેસ કરનારા બીકે મોદીના આ ઐતિહાસિક બંગલાની માલિકી હવે રિલિયન્સના નામે ટ્રાન્સફર થઈ ગઈ છે.
ભારતે આજે ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સિંધુ જળ સંધિ પર વર્લ્ડ બેંકની મધ્યસ્થતાવાળી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ( (CoA)ના ચુકાદાને ફગાવી દીધો છે. ભારતે કોર્ટને ગેરકાયદે ગણાવતા કહ્યું કે આ મામલે કોઈ પણ સુનાવણી તેના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને કહ્યું કે CoA દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓનો ભારતની કાર્યવાહી પર કોઈ પ્રભાવ પડશે નહીં. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાના ર્નિણય યથાવત જ રહેશે.
વિદેશ મંત્રાલયે કોર્ટ ઓફ આર્બિટ્રેશનને સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવ્યું છે. ભારતનું કહેવું છે કે વર્લ્ડ બેંકે સિંધુ જળ સંધિના નિયમોનું ઉલ્લંઘન કરીને આ કોર્ટની રચના કરી હતી, તેથી ભારત તેના કોઈ પણ ચુકાદા કે આદેશને સ્વીકારતું નથી. MEA એ કહ્યું, ભારતે આ કોર્ટના કાયદાકીય અસ્તિત્વને ક્યારેય સ્વીકાર્યું નથી. ભારતનું માનવું છે કે તેનું ગઠન જ સિંધુ જળ સંધિનું મોટું ઉલ્લંઘન છે. આ જ કારણે ભારત ન તો ક્યારેય આ કોર્ટ સમક્ષ રજૂ થયું છે અને ન તો તેના કોઈ ચુકાદા પર ધ્યાન આપ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આ કોર્ટ પાસે ભારતના સાર્વભૌમત્વ ર્નિણયો પર બોલવાનો કોઈ અધિકાર નથી. MEA એ કહ્યું, કોર્ટના અત્યારના કે ભવિષ્યના કોઈ પણ ચુકાદાની ભારતની પરિયોજનાઓ પર કોઈ અસર પડશે નહીં. CoAના કોઈ પણ આદેશની ભારતની જળ પરિયોજનાઓ પર કોઈ અસર નહીં થાય. સિંધુ જળ સંધિને હાલ પૂરતી સ્થગિત રાખવાનો ભારત સરકારનો ર્નિણય સંપૂર્ણપણે લાગુ રહેશે. કોર્ટ ઓફ આર્બિટ્રેશનએ ચુકાદામાં કહ્યું છે કે સિંધુ જળ સંધિ સંપૂર્ણપણે લાગુ છે અને ભારતે આ હેઠળ જવાબદારીઓનું પાલન કરવું પડશે. જેમાં કહેવામાં આવ્યું કે કોર્ટે ભારત દ્વારા સંધિને સ્થગિત કરવાના કારણોની સમીક્ષા કરી અને દાવો કર્યો કે આ આધાર સંધિને નિલંબિત કે સમાપ્ત કરવા માટે યોગ્ય નથી.
છેલ્લા કેટલાક દિવસોમાં મોંઘવારી વધવાને કારણે અનુમાન હતું કે ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે થોડી ડગમગી શકે છે. પરંતુ તાજેતરમાં આવેલા મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિક્સ એન્ડ પ્રોગ્રામ (MoSPI) ના રિપોર્ટે જે આંકડા રજૂ કર્યાં છે તે ચોંકાવનારા છે. આ આંકડા પ્રમાણે ભારતની અર્થવ્યવસ્થાએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન) માં સારી ગતિ બનાવી રાખી છે. આ દરમિયાન દેશનો અસલી GDP ૭.૮ ટકાના દરથી વધ્યો છે.
હકીકતમાં ૩૧ ઓગસ્ટ સોમવારે MoSPI એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭ના પ્રથમ ક્વાર્ટરના GDP ના આંકડા રજૂ કર્યાં છે. તે પ્રમાણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નોમિનન GDP માં ૧૦.૩ ટકાની તેજી જાેવા મળી છે. સરકાર અનુસાર દુનિયામાં ચાલી રહેલા આર્થિક પડકારો છતાં ભારતીય અર્થવ્યવસ્થાએ પોતાના વિકાસની ગતિ બનાવી રાખી છે.
આ વખતે જીડીપીના આંકડા ૨૦૨૨-૨૦૨૩ને બેઝ યર એટલે કે પાયાનું વર્ષ ગણી જારી કરવામાં આવ્યા છે. સરકારે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના GDP ની વાર્ષિક અને ક્વાર્ટર ગણતરીની નવી સિરીઝ જારી કરી હતી. ત્યારબાદ ૫ જૂને ૨૦૨૬ એ નાણઆકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના GDP ના શરૂઆતી એટલે કે પ્રોવિઝનલ આંકડા જાહેર કર્યાં હતા. મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૨- ૨૩, ૨૦૨૩- ૨૪ અને ૨૦૨૪- ૨૫ ના વાર્ષિક આંકડાને પણ અપડેટ કર્યાં છે. તે માટે નવો ડેટા અને અલગ-અલગ સરકારી સ્ત્રોતમાંથી મળેલા આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ ક્વાર્ટરથી ૨૦૨૫-૨૦૨૬ના ચોથા ક્વાર્ટર સુધીના GDP ના આંકડાને અપડેટ કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના પ્રોવિઝનલGDP આંકડામાં પણ નવા ડેટાને સામેલ કરવામાં આવ્યા છે.
Loading ...
