જૂન ૨૦૨૬નીUGC-NET પરીક્ષામાં પ્રશ્નપત્ર સંબંધિત ગેરરીતિઓ સામે આવ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટેNTAએ ૫૦થી વધુ કર્મચારીઓ સામે કાર્યવાહી કરીને તેમને સંસ્થામાંથી હટાવ્યા છે.
આ ઉપરાંત પરીક્ષા વ્યવસ્થાના મહત્વના ક્ષેત્રોમાં ૧૦ નવા વ્યાવસાયિકોની ભરતી શરૂ કરવામાં આવી છે. જૂન ૨૦૨૬નીUGC-NET પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્ર સંબંધિત ખામીઓ સામે આવ્યા બાદ NTAની કાર્યપ્રણાલી સામે સવાલો ઊઠ્યા હતા. વિદ્યાર્થીઓ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની માગ કરી હતી. આ સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને NTA દ્વારા આંતરિક સ્તરે જવાબદારી નક્કી કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. ૫૦થી વધુ કર્મચારીઓને હટાવવાનો ર્નિણય પરીક્ષા વ્યવસ્થામાં મોટા વહીવટી સુધારાનો સંકેત માનવામાં આવી રહ્યો છે. પરીક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા NTAદ્વારા ૧૦ મહત્વના પદો પર નવા વ્યાવસાયિકોની ભરતી શરૂ કરવામાં આવી છે. તેમાં મુખ્ય પ્રૌદ્યોગિકી અધિકારી (CTO)), મુખ્ય નાણાં અધિકારી (CFO)), મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી (CISO),, પરીક્ષા સુરક્ષાના મહાપ્રબંધક ઉપરાંત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને સાયકૉમેટ્રિક્સ જેવા ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. NTAહવે સાયબર સિક્યોરિટી, પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા અને પરીક્ષા મૂલ્યાંકન સાથે જાેડાયેલી સાયકૉમેટ્રિક્સ વ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ પણ લેવાની તૈયારીમાં છે.
ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગે અયોધ્યા સ્થિત રામ મંદિરના ચઢાવાની ચોરીના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ((SIT))નો અંતિમ રિપોર્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આગળની કાર્યવાહી માટે સોંપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટમાં ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને પૂર્વ સભ્ય અનિલ મિશ્રાને ક્લીન ચિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે જ્યારે આ દાન ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે આ બંનેની ભૂમિકા પર સતત સવાલો ઊઠી રહ્યા હતા. જેના કારણે વિવાદ વધતા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.(SIT) દ્વારા રજૂ કરવામાં આવેલી આ અંતિમ રિપોર્ટમાં કુલ ૮ લોકોના નામ સામેલ છે, જેમની પોલીસ દ્વારા અગાઉ જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યાે તે પહેલાં જ, ઉત્તર પ્રદેશ સરકારે ટ્રસ્ટની વિનંતી પર ૧૩ જૂનના રોજ આ ત્રણ સભ્યોની જીૈં્ ની રચના કરી હતી. જાેકે, આ કેસની ગંભીરતાને જાેતા હાલમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ રચાયેલી બીજી જીૈં્ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો નકશો પોસ્ટ કરી તેને ‘NEW U.S. Territory’ ગણાવતા ખળભળાટ મચ્યો છે. ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરાયેલા આ નકશામાં ઈરાન અને ઓમાન વચ્ચેના આ મહત્વપૂર્ણ જળમાર્ગને અમેરિકાનો નવો વિસ્તાર દર્શાવાયો છે. ટ્રમ્પે હોર્મુઝ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનો દાવો કર્યો છે. ઈરાને ટ્રમ્પના દાવાઓને ફગાવીને યુદ્ધવિરામ ન થાય ત્યાં સુધી હોર્મુઝ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો નકશો પોસ્ટ કરીને તેને ‘NEW U.S. Territory’ ગણાવી છે. આ નકશામાં ઈરાન અને ઓમાન વચ્ચે આવેલા આ મહત્ત્વના દરિયાઈ જળમાર્ગને ઘેરીને તેને અમેરિકાનો નવો વિસ્તાર દર્શાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોસ્ટ કરાયેલા ગ્રાફિકમાં ઈરાન અને ઓમાન વચ્ચે આવેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિશાન બનાવી તેની ઉપર ‘NEW U.S. Territory’ લખવામાં આવ્યું છે. આ અગાઉ પણ તેમણે જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને અમેરિકાનો પ્રદેશ જાહેર કરી શકે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે હોર્મુઝ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે અને તે તેને પોતાની પાસે જ રાખશે. તેમણે અમેરિકન નેવીની નાકાબંધીને સ્ટીલની દીવાલ ગણાવીને કહ્યું હતું કે ઈરાનનું લશ્કરી માળખું નષ્ટ થઈ ગયું છે અને ત્યાં ૩૦૦% મોંઘવારી છે.
કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કેયર્સ ફંડ ની નવીનતમ નાણાકીય વિગતો અને હિસાબો જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જાહેર કરાયેલા સત્તાવાર ડેટા મુજબ, ફંડની કુલ બેલેન્સ વધીને રૂ. ૮,૪૫૨ કરોડ સુધી પહોંચી ગઈ છે. કોવિડ-૧૯ મહામારી અને અન્ય કુદરતી આપત્તિઓ સામે દેશની તૈયારીઓને સુદ્રઢ કરવાના હેતુથી સ્થાપિત આ ચેરિટેબલ ટ્રસ્ટે તેના પ્રાપ્ત થયેલા દાન અને ખર્ચનો વિગતવાર વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. જાહેર કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટ અનુસાર, આ નાણાકીય વર્ષ દરમિયાન વિદેશી અને દેશી સંગઠનો, કોર્પોરેટ જૂથો તેમજ વ્યક્તિગત નાગરિકો તરફથી મળેલા સ્વૈચ્છિક દાનને કારણે ફંડના ભંડોળમાં મોટો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, બેંક ખાતામાં જમા રકમ પર મળેલા વ્યાજની મોટી રકમ પણ આ કોર્પસમાં ઉમેરાઈ છે, જેના કારણે ફંડની કુલ સિલક રૂ. ૮,૪૫૨ કરોડના આંકડે પહોંચી છે. રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ, આ ફંડનો એક મોટો હિસ્સો દેશભરમાં હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે વાપરવામાં આવ્યો છે. જેમાં સરકારી હોસ્પિટલોમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ્સની સ્થાપના, વેન્ટિલેટર્સની ખરીદી, સ્વદેશી વેક્સિનના સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહન, તેમજ દેશભરના વાયરોલોજી લેબોરેટરીઝના વિસ્તરણ માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો સમાવેશ થાય છે.
Loading ...
