ભોપાલ,મધ્યપ્રદેશના શિહોર જિલ્લા એક વ્યક્તિએ ૧૦૯ વર્ષ પહેલાં તેના દાદા દ્વારા બ્રિટિશ સરકારને આપવામાં આવેલી લોન પરત મેળવવા માટે કાયદાકીય લડત શરૂ કરી છે. ભોપાલના ૬૩ વર્ષીય વિવેક રુથિયા નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે વર્ષ ૧૯૧૭માં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન તેમના દાદા શેઠ જુમ્મા લાલ રુથિયાએ બ્રિટિશ સામ્રાજ્યને ૩૫,૦૦૦ રૂપિયાની લોન આપી હતી. તાજેતરમાં પોતાના પારિવારિક દસ્તાવેજાે તપાસતી વખતે વિવેકને આ ઐતિહાસિક લોનનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું, જેના આધારે તેઓ હવે વ્યાજ સહિત કરોડો રૂપિયાની રકમ પરત માંગવાની યોજના બનાવી રહ્યા છે. પરિવાર પાસે રહેલા જૂન ૧૯૧૭ના આ સર્ટિફિકેટ મુજબ, શેઠ જુમ્મા લાલે ‘ઇન્ડિયન વોર લોન’ હેઠળ આ રકમ જમા કરાવી હતી. આ દસ્તાવેજ પર તે સમયના ભોપાલના પોલિટિકલ એજન્ટ ડબલ્યુ. એસ. ડેવિસના હસ્તાક્ષર પણ છે. વિવેક રુથિયાનું કહેવું છે કે તેમના દાદાએ બ્રિટિશ સરકાર પ્રત્યે વફાદારી દર્શાવવા અને યુદ્ધમાં સહાય કરવા માટે આ મોટી રકમ આપી હતી, પરંતુ આ લોન ક્યારેય પરત કરવામાં આવી નથી. તેમના પિતાએ આ બાબતે ક્યારેય કોઈ કાર્યવાહી કરી ન હતી, પરંતુ હવે જ્યારે આ દસ્તાવેજ સામે આવ્યો છે, ત્યારે તેઓ વર્તમાન યુકે સરકાર પાસેથી આ નાણાં વસૂલવા માટે વકીલોની સલાહ લઈ રહ્યા છે.
જાે ૧૯૧૭ની ૩૫,૦૦૦ રૂપિયાની રકમની ગણતરી આજના મોંઘવારી દર અને ૫.૫ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ મુજબ કરવામાં આવે, તો આ રકમ અનેક ગણી વધીને કરોડોમાં પહોંચી શકે છે. જાે સોનાના ભાવ સાથે તેને સરખાવવામાં આવે તો પણ આ કિંમત ૧૦ કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે. જાેકે, કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આટલા જૂના અને સંસ્થાનવાદી સમયના દાવાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પડકારવા ખૂબ જ જટિલ છે. ૧૦૯ વર્ષ જૂનું સર્ટિફિકેટ રુથિયા પરિવાર માટે એક ઐતિહાસિક વારસો બની રહ્યું છે.
નવી દિલ્હી, અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં એક મોટો આંચકો લાગ્યો છે. અમેરિકન સરકારના કોમર્સ ડિપાર્ટમેન્ટે ભારત સહિત ત્રણ દેશોમાંથી આયાત થતા સોલર સેલ્સ અને પેનલ્સ પર અધધ ૧૨૫%થી વધુની કાઉન્ટરવેલિંગ ડ્યુટી લાદી દીધી છે.અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટે પ્રાથમિક તપાસ બાદ આ મોટો ર્નિણય લીધો છે.
અમેરિકાની સરકારનું માનવું છે કે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસની સોલર કંપનીઓને તેમની સરકારો તરફથી મોટી સબસિડી મળી રહી છે. આ સબસિડીને કારણે આ કંપનીઓ અમેરિકામાં ખૂબ જ સસ્તા ભાવે સોલર પેનલ્સ વેચી રહી છે, જેનાથી અમેરિકાની સ્થાનિક કંપનીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ અયોગ્ય સ્પર્ધાને રોકવા માટે આ ભારે ટેક્સ લાદવામાં આવ્યો છે. આ આદેશમાં ભારત પર સૌથી કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ભારતમાંથી આવતા સોલર ઉત્પાદનો પર કુલ સબસિડી રેટ ૧૨૫.૮૭% નક્કી કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતની મુંદ્રા સોલર પર ૧૨૫.૮૭% ડ્યુટી લાગશે. આ ઉપરાંત ઇન્ડોનેશિયા માટે આ દર ૧૦૪.૩૮% અને લાઓસ માટે ૮૦.૬૭% રાખવામાં આવ્યો છે. અમેરિકાની કંપનીઓ જેવી કે ફર્સ્ટ સોલર અને હનવા ક્યુસેલ્સે ફરિયાદ કરી હતી કે સસ્તી આયાતને કારણે તેમના અબજાે ડોલરનું રોકાણ અને નોકરીઓ જાેખમમાં છે.વર્ષ ૨૦૨૫માં ભારત સહિત આ ત્રણ દેશોમાંથી અમેરિકામાં આશરે ૪.૫ બિલિયન ડોલરનું સોલર ઇમ્પોર્ટ થયું હતું. અગાઉ જ્યારે અમેરિકાએ વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશો પર ડ્યુટી લગાવી હતી, ત્યારે ઘણી કંપનીઓ ભારત શિફ્ટ થઈ હતી. હવે ભારત પરના આ પ્રતિબંધોને કારણે ભારતીય સોલર એક્સપોર્ટર્સ માટે અમેરિકા જેવું મોટું માર્કેટ મોંઘું થઈ જશે. જાેકે, આ ર્નિણય હજુ પ્રાથમિક છે અને અંતિમ ફેંસલો માર્ચમાં લેવામાં આવશે.
મુંબઈ,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) મની લોન્ડરિંગ કેસમાં આજે ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મુંબઈ સ્થિત ‘અબોડ’ નામના નિવાસ સ્થાનને જપ્ત કર્યું છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ, ૧૭ માળના આ આલીશાન ઘરની કિંમત લગભગ ૩૭૧૬.૮૩ કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. મની લોન્ડરિંગ કેસ હેઠળ અત્યાર સુધીમાં અનિલ અંબાણી અને તેમના ગ્રૂપની કંપનીઓની કુલ રૂ.૧૫,૭૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. આ કાર્યવાહી પહેલા બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અનખડની બેંચે અનિલ અંબાણીને મોટો ઝટકો આપીને સિંગલ બેંચના એ આદેશને રદ કરી દીધો હતો, જેમાં અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડના બેંક એકાઉન્ટોને ફ્રોડ જાહેર કરવાની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી હતી. જાહેર ક્ષેત્રની ત્રણ બેંકો - ઇન્ડિયન ઓવરસીઝ બેંક, આઈડીબીઆઈ બેંક અને બેંક ઓફ બરોડા - તેમજ એકાઉન્ટિંગ કન્સલ્ટન્સી ફર્મ બીડીઓ ઇન્ડિયા એલએલપીએ સિંગલ બેંચના વચગાળાના આદેશને હાઈકોર્ટમાં પડકારી અપીલ દાખલ કરી હતી. સિંગલ બેંચે ડિસેમ્બર ૨૦૨૫માં ત્રણે બેંકો અને ફર્મ દ્વારા વર્તમાન અને ભવિષ્યમાં થનારી કાર્યવાહી પર રોક લગાવતો વચગાળાનો આદેશ આપ્યો હતો. આ બેંચે કહ્યું હતું કે, કાયદાકીય રીતે ખામીયુક્ત ફોરેન્સિક ઓડિટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે, જે ભારતીય રિઝર્વ બેંકના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન છે. ત્રણેય બેંકોએ અંબાણી અને તેમની કંપનીઓને વચગાળાની રાહત આપતા સિંગલ બેંચના તે આદેશને પડકાર્યો હતો, જેમાં બેંચે ઇમ્ૈંના નિયમોનું ઉલ્લંઘનને ટાંકીને કહ્યું હતું કે, બેંકો વર્ષો બાદ ઉંઘમાંથી જાગી છે. સિંગલ બેંચના આદેશને બોમ્બે હાઈકોર્ટમાં પડકારતી અપીલમાં બેંકોએ કહ્યું કે, જે ફોરેન્સિક ઓડિટના આધાર પર ખાતાઓને ફ્રોડ જાહેર કરાયા, તે કાયદેસર રીતે માન્ય અને તેમાં નાણાંની હેરાફેરી તેમજ દુરુપયોગ થયો હોવાના ગંભીર પુરાવા સામે આવ્યા છે. બેંકોએ દલીલ કરી છે કે, અંબાણીએ સિંગલ બેંચ સમક્ષ ફોરેન્સિક ઓડિટને ટેકનિકલ આધારે પડકાર્યો હતો. ત્યારબાદ બેંકોએ હાઈકોર્ટને સિંગલ બેંચના આદેશને રદ કરવાની વિનંતી કરી હતી. અનિલ અંબાણીએ ત્રણે બેંકોની તે કારણદર્શક નોટિસને પડકારી હતી, જેમાં તેમના અને રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડના ખાતાઓને ફ્રોડ જાહેર કરવાનો પ્રસ્તાવ હતો. બોમ્બે હાઈકોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ સિંગલ બેંચના આદેશને ગેરકાયદે ગણાવ્યો હતો. દલીલ દરમિયાન અંબાણીના વકીલોએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે, આદેશ પર રોક લગાવવામાં આવે, જેથી કરીને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય. પરંતુ કોર્ટે વકીલોની આ માગને નકારી દીધી છે.
તેલ અવીવ, નવ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના બે દિવસીય પ્રવાસ માટે તેલ અવીવ પહોંચી ગયા છે. ઈઝરાયલ વડાપ્રધાન નેતન્યાહૂએ પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર પીએમ મોદીનું ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ ભારતના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ઇઝરાયલની યાત્રા પર નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઈટ લોકેશન દુનિયામાં સૌથી વધારે સર્ચ થઈ હતી. દુનિયાભરના વિમાનોની અવર જવર પર દેખરેખ રાખતા ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લાઈટ રડાર પર સૌથી વધુ એર ઈન્ડિયા વનને ટ્રેક કરવામાં આવ્યું હતું.
છેલ્લા ૯ વર્ષમાં પીએમ મોદીની આ બીજી મુલાકાત છે. વર્ષ ૨૦૧૭માં તેમની મુલાકાત બાદ ભારત અને ઈઝરાયલના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીમાં ફેરવાયા હતા. જાેકે, વર્તમાન યુદ્ધની સ્થિતિ વચ્ચે આ મુલાકાત રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વની છે.
ઈઝારયલી કોન્સ્યુલેટ જનરલના જણાવ્યા મુજબ, ‘બંને દેશો વચ્ચે હથિયારોની ખરીદી-વેચાણ માટે સમજૂતી થવાની સાથે આર્ત્મનિભર ભારતની પહેલ હેઠળ ભારતમાં જ સિસ્ટમનું નિર્માણ થાય તે પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ઈઝરાયલ બંને દેશોની સમજૂતીને તે બાબતો સુધી લઈ જવા માંગે છે, જેમાં ભારતમાં મેન્યુફેક્ચરીંગ અને આયરન ડોમ જેવી ટેકનીક સામેલ છે. બંને દેશો સમાન પડકારોનો સામનો કરી રહ્યા છે. ઈઝરાયલ પોતાની સંરક્ષણ સિસ્ટમની ટેકનીક ભારતને શેર કરવા માટે તૈયાર છે, કારણ કે ભારત એક મજબૂત અને વિશ્વાસુ વ્યૂહાત્મક ભાગીદાર છે.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન આ સમજૂતીનો વિસ્તાર વધારવાની યોજના પર કામ ચાલી રહ્યું છે, જેથી કીને બંને દેશો વચ્ચે કેટલીક મુખ્ય બાબતોમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી શકાય. આ વિશેષ બાબતોમાં ભારતમાં મેન્યુફેક્ચરીંગ, સંરક્ષણ ભાગીદારી, આયરન ડોમ તથા ઈઝરાયલની સંરક્ષણ સિસ્ટમોમાં સહયોગ સામેલ છે. ઈઝરાયલ પોતાની સંરક્ષણ ટેકનીકલ પોતાના ભાગીદારને શેર કરી શકે છે.’
નવી દિલ્હી, ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતના સખત વાંધા બાદ રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (એનસીઈઆરટી)ના ધોરણ ૮ના પુસ્તકમાં સામેલ જ્યુડિશિયલ કરપ્શન પ્રકરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છેકે, દુનિયામાં કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એનસીઈઆરટીના સૂત્રોએ પુષ્ટિ કરી છેકે, આ વિવાદાસ્પદ પ્રકરણવાળા પુસ્તકોનું વેચાણ અટકાવી દેવામાં આવ્યું છે.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ વિપુલ એમ. પંચોલી અને જસ્ટિસ જાેયમાલ્યા બાગચીની બેન્ચે તેની ગંભીર નોંધ લીધી હતી. સીજેઆઈ સૂર્યકાંત પ્રતિભાગ આવતા જણાવ્યું હતું કે, આ સમગ્ર ન્યાયિક સંસ્થા માટે ચિંતાનો વિષય છે. આ એક સમજી-વિચારીને લેવાયેલું પગલું લાગે છે. ભલે ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હોય, સંસ્થાને બદનામ કરનાર સામે હું વ્યક્તિગત રીતે આ કેસની તપાસ કરીશ. બીજી તરફ સીજેઆઈના સાથી ન્યાયાધીશ જસ્ટિસ બાગચીએ અવલોકન કર્યું હતું કે, આ પુસ્તકની વિગતો બંધારણના બેસિક સ્ટ્રક્ચર વિરુદ્ધ લાગે છે.
સમગ્ર બાબતે એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, આમાં આટલી સિલેક્ટિવિટી કેમ? બ્યૂરોક્રેસી કે પોલિટિક્સમાં ભ્રષ્ટાચાર વિશે એક શબ્દ પણ નથી, માત્ર ન્યાયતંત્રને જ નિશાન બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ વિવાદ એનસીઈઆરટીના નવા સેક્શનમાં ન્યાયતંત્ર સામેના પડકારોને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા બાદ ઉભો થયો હતો. એનસીઈઆરટી દ્વારા પુસ્તકમાં કોર્ટના માળખાને સમજાવવાને બદલે ભ્રષ્ટાચાર અને કેસના બેકલોગને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તેમજ પુસ્તકમાં ઉલ્લેખ હતો કે, સેન્ટ્રલ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનીટરીંગ સીસ્ટમ (સીપીજીઆરએએમએસ) દ્વારા ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે ન્યાયતંત્ર સામે ૧,૬૦૦થી વધુ ફરિયાદો મળી હતી. તે ઉપરાંત પ્રકરણમાં લખાયું હતું કે, ન્યાયતંત્રના વિવિધ સ્તરે ભ્રષ્ટાચારને કારણે ગરીબો અને જરૂરિયાતમંદો માટે ન્યાય મેળવવો મુશ્કેલ બને છે. એટલું જ નહીં પુસ્તકમાં ન્યાયાધીશોને હટાવવાની મહાભિયોગ પ્રક્રિયા અને પૂર્વ સીજેઆઈ બી. આર. ગવઈના જુલાઈ ૨૦૨૫ના નિવેદનનો પણ ઉલ્લેખ હતો, જેમાં તેમણે ભ્રષ્ટાચારની પબ્લિક ટ્રસ્ટ પર થતી ખરાબ અસર અંગે વાત કરી હતી.
સરકારી સૂત્રોએ પણ આ બાબતે સંમતિ દર્શાવતા કહ્યું હતું કે, બાળકોના પુસ્તકોમાં પ્રેરણાદાયી વિષયો હોવા જાેઈએ, આવા નકારાત્મક પાસાઓને પ્રકાશિત કરવા અયોગ્ય છે. સીએજઆઈએ જણાવ્યું હતું કે, આ પુસ્તકને કારણે દેશભરની હાઈકોર્ટના જજ અને બેન્ચ-બારના તમામ સ્ટેકહોલ્ડર્સ પરેશાન છે. કાયદો પોતાનું કામ કરશે અને થોડા દિવસોમાં આ મામલે અંતિમ ર્નિણય લેવાશે.
થોડા દિવસ રાહ જૂઓ, બધા જ પરેશાન છે : સીજેઆઈ
સીજેઆઈ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, પ્લીઝ થોડા દિવસો રાહ જૂઓ, બાર અને બેન્ચ બધા પરેશાન છે. સિસ્ટમના દરેક સ્ટેકહોલ્ડર પરેશાન છે, મને અનેક કોલ અને મેસજ આવી રહ્યા છે. બધા જ હાઈકોર્ટના જજ પરેશાન છે. હું આ કેસને જાતે જ જાેઈશ. કાયદો પોતાનું કામ કરશે.
Loading ...
