આજથી ભારતીય જનતા પાર્ટીમાં નીતિન નબીન યુગની શરુઆત થઈ છે. નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ હેડક્વાર્ટર ખાતે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદી ભાજપ હેટક્વાર્ટર સંબોધન કરતાં કહ્યું, ભાજપે શૂન્યથી લઈને શિખર સુધીની યાત્રા જાેઈ છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે ભાજપના એક સંસ્કાર છે, એક પરિવાર છે અને સભ્યપદ કરતાં સંબંધો વધુ મહત્ત્વપૂર્ણ છે. ભાજપ એક પરંપરા છે, જે પદથી નહીં, પરંતુ પ્રક્રિયાથી ચાલે છે. આપણી પાસે એક કાર્ય વ્યવસ્થા છે, જીવનભરની જવાબદારી. અહીં અધ્યક્ષ બદલાય છે, પણ આદર્શ બદલાતા નથી. નેતૃત્વ બદલાય છે, પણ દિશા બદલાતી નથી.
મોદીએ કહ્યું, “ભાજપ એક એવી પાર્ટી છે, જ્યાં લોકો વિચારી શકે છે કે મોદીજી આટલી નાની ઉંમરે મુખ્યમંત્રી કેમ બન્યા? તેઓ સરકારના વડા બન્યા. સૌથી ઉપર, હું ભાજપનો કાર્યકર છું.” પણ હું માનું છું કે નીતિન જી મારા બોસ છે, હું એક કાર્યકર છું.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્રાન્સના વાઇન અને શેમ્પેન પર ૨૦૦% ટેરિફ લગાવવાની ધમકી આપી છે. તેમણે સોમવારે આ ચેતવણી ફ્રાન્સના ગાઝા પીસ બોર્ડમાં સામેલ થવાનો ઇનકાર કરવાના વિરોધમાં આપી.ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે અમે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને સામેલ પણ કરવા માંગતા નથી, કારણ કે ખૂબ જ જલ્દી તેમની ખુરશી છીનવાઈ જવાની છે. તેમણે કહ્યું, ‘જાે મને લાગશે તો હું ફ્રેન્ચ વાઇન અને શેમ્પેન પર ૨૦૦% ટેરિફ લગાવીશ, પછી મેક્રોન પોતે પીસ બોર્ડમાં સામેલ થઈ જશે.’ ગાઝા પીસ પ્લાન બીજા તબક્કામાં પહોંચી ચૂક્યો છે. ટ્રમ્પે ગાઝાના વહીવટને ચલાવવા અને તેને ફરીથી વસાવવા માટે નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા ( ની રચનાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ કમિટીમાં સામેલ થવા માટે ૬૦ દેશોને આમંત્રણ મોકલ્યું છે.ટ્રમ્પે મેક્રોનના એક પ્રાઇવેટ મેસેજનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર મંગળવારે લીક કરી દીધો છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ટ્રમ્પને બેઠક બોલાવવાનો પ્રસ્તાવ આપ્યો સીરિયાના મુદ્દે અમે સંપૂર્ણપણે તમારી સાથે સહમત છીએ. ઈરાનના મામલે અમે ઘણું બધું કરી શકીએ છીએ, પરંતુ મને સમજાતું નથી કે તમે ગ્રીનલેન્ડમાં શું કરી રહ્યા છો.
લખનઉ/નોઈડા: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહીવટી શિથિલતા અને લાપરવાહી સામે ફરી એકવાર આકરું વલણ અપનાવ્યું છે. નોઈડામાં રઝળતા પશુઓને કારણે થયેલા અકસ્માતમાં એક સોફ્ટવેર એન્જિનિયરના કરુણ મોત બાદ સરકારે મોટી કાર્યવાહી કરતા નોઈડા ઓથોરિટીના સીઈઓ લોકેશ એમ.ને તેમના પદ પરથી હટાવી દીધા છે.
આઈએએસ અધિકારી લોકેશ એમ. પાસે નોઈડા ઓથોરિટીના સીઈઓ ઉપરાંત નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો પણ મહત્વનો ચાર્જ હતો. યોગી સરકારે તાત્કાલિક અસરથી તેમને આ બંને પદો પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ ર્નિણયને વહીવટી તંત્રમાં ‘ઝીરો ટોલરન્સ‘ના કડક સંદેશ તરીકે જાેવામાં આવી રહ્યો છે.
સામાન્ય રીતે નાની હોનારતોમાં નીચલા સ્તરના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માનવામાં આવતો હોય છે, પરંતુ આ કિસ્સામાં મુખ્યમંત્રીએ સીધો સંસ્થાના વડા એટલે કે સીઈઓ સામે પગલાં ભરીને સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોની સુરક્ષામાં ક્ષતિ માટે સર્વોચ્ચ અધિકારી પણ જવાબદાર ગણાશે.
સરકારના આ આદેશ બાદ નોઈડા અને ગ્રેટર નોઈડાના વહીવટી વર્તુળોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં લોકેશ એમ.ના સ્થાને નવા અધિકારીની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. યોગી સરકારની આ ત્વરિક એક્શનથી ઉત્તરપ્રદેશ સરકારની આઇએએસ લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સંપૂર્ણ ડિજિટલ પેમેન્ટ: હવે ટોલ પ્લાઝા પર રોકડ (Cash) સ્વીકારવામાં આવશે નહીં. તમારે ફરજિયાતપણે FASTag અથવા UPI (Google Pay, PhonePe, વગેરે) દ્વારા જ પેમેન્ટ કરવાનું રહેશે.
નવા નિયમો લાગુ થયા પછી વાહનચાલકોને ટોલ ટેક્સ ચૂકવવા માટે ફક્ત ફાસ્ટેગ અથવા યુપીઆઇ પેમેન્ટનો જ ઉપયોગ કરવો પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ટોલ પર રોકડ (કેશ) વ્યવહારોને સંપૂર્ણપણે બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ નાકાઓ પર લાગતી લાંબી કતારોને સમાપ્ત કરવી અને મુસાફરીને અવરોધમુક્ત બનાવવાનો છે. આ ‘નો-સ્ટોપ’ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ હાલમાં દેશના ૨૫ ટોલ પ્લાઝા પર પરીક્ષણ કરવામાં આવી રહ્યો છે. જાેકે, હજુ સત્તાવાર નોટિફિકેશન આવવાનું બાકી છે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય આ ડિજિટલ પરિવર્તનને લાગુ કરવા માટે અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. વર્તમાનમાં ફાસ્ટેગ ફરજિયાત હોવા છતાં ઘણી જગ્યાએ રોકડ વ્યવહારો થાય છે. ડિજિટલ પેમેન્ટ ન કરતા વાહનોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ રહે છે. રોકડ વ્યવહાર બંધ થવાથી વાહનોને ટોલ બૂથ પર રોકાવું પડશે નહીં.ટોલ પ્લાઝા પર વાહનોના વારંવાર રોકાવા અને ચાલવાને કારણે ભારે માત્રામાં ડીઝલ અને પેટ્રોલનો બગાડ થાય છે.
નવી દિલ્હી, દિગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટમાં મોટો હિસ્સો વેચનાર ટાઇગર ગ્લોબલ પર ટેક્સ લાગવો જાેઈએ કે નહીં, તે અંગે સુપ્રીમ કોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ટાઇગર ગ્લોબલને ઝટકો આપતા સ્પષ્ટતા કરી છે કે, તેને ટેક્સ ચૂકવવો પડશે. નોંધનીય છે કે, ટાઇગર ગ્લોબલે ઈ-કોમર્સ કંપનીમાં પોતાની ૧.૬ અબજ ડોલર (આશરે રૂ.૧૪,૪૪૦ કરોડ) ની હિસ્સેદારી વોલમાર્ટને વેચી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, કંપની ભારત-મોરેશિયસ ટેક્સ સંધિ અંતર્ગત લાભ મેળવવા માટે હકદાર નથી. ટાઇગર ગ્લોબલ અને વોલમાર્ટ વચ્ચે થયેલા આ સોદામાં કેપિટલ ગેઈન્સ પર ભારતમાં ટેક્સ લાગુ થશે; કારણ કે દેશની અંદર થતી આર્થિક પ્રવૃત્તિ દ્વારા જનરેટ થયેલી આવક પર ટેક્સ લગાવવો એ દેશનો સ્વાભાવિક સાર્વભૌમ અધિકાર છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેંચે ગુરુવારે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ટાઇગર ગ્લોબલ અને વોલમાર્ટ વચ્ચે શેર વેચાણની આ સમજૂતી ટેક્સ ચોરીની એક પદ્ધતિ હતી, તેથી તેને કોઈ પણ રીતે ટેક્સમાં મુક્તિ મળી શકે નહીં. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ભારતના મહેસૂલ વિભાગ માટે મોટી જીત માનવામાં આવે છે.
Loading ...
