પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં પોલીસે બુધવારે રાત્રે એક દરોડામાં ૨૮ કરોડથી વધુ રોકડ અને ૧૫ કિલો સોનું જપ્ત કર્યું છે. સોનાની કિંમત આશરે ૨૧ કરોડ આંકવામાં આવી છે. કુલ જપ્તી આશરે ૪૯ કરોડની છે. નોટોનો ઢગલો એટલો મોટો હતો કે તેને ગણતા ગણતા ૫ કરન્સી કાઉન્ટિંગ મશીનો ખરાબ થઈ ગયા હતા. પોલીસે આરોપી મિનાર મંડલની ધરપકડ કરી છે. તે પહેલા બસ ડ્રાઈવર હતો. બાદમાં તે પથ્થરના બિઝનેસ સાથે જાેડાઈ ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, તે પથ્થરના વેપારી તુલુ મંડલ ઉર્ફે મોહમ્મદ નજીબુદ્દીનનો સંબંધી છે. તુલુ મંડલ એ જ વ્યક્તિ છે, જેણે ૨૦૨૪માં પોતાની દીકરીના આશરે ૧૦૦ કરોડના ભવ્ય લગ્ન કરાવ્યા હતા.હવે પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે કરોડો રૂપિયા રોકડ અને સોનું ક્યાંથી આવ્યું અને તેની પાછળ કોનું નેટવર્ક કામ કરી રહ્યું હતું. આ ઉપરાંત, બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ કહ્યું છે કે કાયદા અમલીકરણ એજન્સીઓએ પ્રશંસનીય કામ કર્યું છે. તેમણે દરોડાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.આરોપીના ઘરેથી મળેલા કરોડો રૂપિયા ૨૫ બેગમાં જપ્ત કરવામાં આવ્યા. જ્યારે સોનાના ૨૪ નાના અને મોટા કદના બિસ્કિટ મળ્યા હતા.
ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા ((LAC) ) સામે ચીનની સરહદે ચીની વાયુસેનાની મોટી હલચલ સામે આવી છે. સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો થયો છે કે ચીને ભારતીય સરહદ તરફ તેના બે એરબેઝ પર ઓછામાં ઓછા ૧૨ અત્યાધુનિક J-20 સ્ટીલ્થ ફાઇટર જેટ તહેનાત કર્યા છે. તાજેતરના વર્ષોમાં સરહદ નજીક ફિફ્થ જનરેશન સ્ટીલ્થ વિમાનોનો આ સૌથી મોટો જમાવડો માનવામાં આવી રહ્યો છે. વાન્ટોર નામની કોમર્શિયલ સેટેલાઇટ ફર્મ દ્વારા લેવાયેલી આ તસવીરોમાં પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ (PLAAF) ) દ્વારા શિનજિયાંગના હોટાન એરબેઝ અને તિબેટના દામક્ષુંગ એરબેઝ પર આ વિમાનો તહેનાત કરાયેલા દેખાય છે. ૯ જુલાઈની તસવીરો અનુસાર, શિનજિયાંગ ઉઇઘુર સ્વાયત્ત વિસ્તારમાં નાગરિક અને લશ્કરી એરબેઝના ટારમેક (રન-વે) પર ૮ J-20 ‘માઇટી ડ્રેગન’ સ્ટીલ્થ ફાઇટર પાર્ક કરેલા જાેવા મળ્યા હતા. હોટાન એરબેઝ ઉત્તર લદાખમાં આવેલી ભારતીય વાયુસેનાની દૌલત બેગ ઓલ્ડી નામની ફોરવર્ડ પોસ્ટ આશરે ૨૪૫ કિ.મી. અને લેહથી આશરે ૩૮૯ કિમી દૂર આવેલું છે, જ્યારે ૨૫ જૂનની સેટેલાઇટ તસવીરમાં તિબેટના લ્હાસામાં આવેલા દામક્ષુંગ એરબેઝ પર વધુ ૪ J-20 વિમાનો પ્રોટેક્ટિવ કેનોપી કવર (રક્ષણાત્મક શેડ) નીચે પાર્ક થયેલા દેખાયા હતા. આ એરબેઝ અરુણાચલ પ્રદેશના તવાંગથી ઉત્તર-પશ્ચિમમાં આશરે ૩૪૪ કિમી દૂર છે. બે સપ્તાહમાં જ બંને લોકેશન પર મળીને કુલ ૧૨ જેટલા ફાઇટર જેટ કેમેરામાં કેદ થયા છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે ૨૦ જુલાઈએ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સંસદ માર્ચમાં ઘાયલ પ્રદર્શનકારીઓની સારવાર કરવામાં આવે. કોર્ટે કેન્દ્રને કહ્યું કે જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન તૈનાત RAFના હથિયારો અને દારૂગોળાના ઉપયોગનો સંપૂર્ણ રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવે. સીજેઆઇ સૂર્યકાંત, જસ્ટિસ જાેયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનની બેન્ચે પેલેટ ગનના ઉપયોગ પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે પોલીસ વિશેષ પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ કરી શકે છે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી પેલેટ ગનના ઉપયોગની મંજૂરી આપતા પોલીસ નિયમોને પડકારવામાં ન આવે, ત્યાં સુધી તેના પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવો મુશ્કેલ છે. કોર્ટે તેના ઉપયોગ સંબંધિત માર્ગદર્શિકા પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. પૂર્વ આઇપીએસ અધિકારી યશોવર્ધન આઝાદ, પ્રશાંત કુમાર સિંહ અને શેખ ઇરશાદ મન્સૂરી (બંને પીડિતો)એ અરજીમાં પેલેટ ગન પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે સંસદ માર્ચમાં રેપિડ એક્શન ફોર્સ એ વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવી હતી.
પેપરની ચોરી કરનાર બચતા રહ્યા, મહેનત કરનાર માર ખાતા રહ્યા
રાજ્યસભામાં પબ્લિક એક્ઝામિનેશન (સંશોધન) બિલ, ૨૦૨૬ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ ભારે હોબાળો મચ્યો હતો. ખડગેએ પેપર લીક મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. જે બાદ ગૃહમાં ભારે હોબાળો મચી ગયો. મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણની શરૂઆત શાયરીથી કરી અને પેપર લીકની ઘટનાઓને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, પેપરની ચોરી કરનાર બચતા રહ્યા, મહેનત કરનાર માર ખાતા રહ્યા, આ કેવો ન્યાય, આ કેવી રીત, ગુનેગાર હસતા રહ્યા, માસૂમ રડતા રહ્યા. તેમણે કહ્યું કે, હું આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે પેપર લીકના કારણે હજારો વિદ્યાર્થીઓને નુકસાન થયું. હજારો માતા-પિતાઓ, હજારો મહિલાઓ અને બાળકો પરેશાન થયા છે અને માત્ર કડક કાયદો લાવવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે.
સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ હાઈલેવલ કમિટી બનાવવાની વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની માગ
લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ૨૦ જુલાઈએ વિદ્યાર્થીઓના આંદોલનમાં કથિત પેલેટ ગનનો ઉપયોગ કરવા મામલે કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માંગ કરીને કહ્યું કે, આ સમગ્ર ઘટના મામલે સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ સ્વતંત્ર હાઈલેવલ કમિટી બનાવવાની તપાસ થવી જાેઈએ. દેખાવો દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા શેખ ઈરશાદ મંસૂરીનો મેડિકો લીગલ કેસ રિપોર્ટ સામે આવ્યા બાદ રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું છે કે, ‘વિદ્યાર્થીઓને ન્યાય મળવો જાેઈએ અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એક સ્વતંત્ર હાઈ કમિટીની રચના કરવી જાેઈએ અને વિદ્યાર્થીઓ પર થયેલી કથિત બર્બરતાની તપાસ થવી જાેઈએ.
દેશમાં શિક્ષણના સુધારા અને ‘સબ પઢેં, સબ બઢેં’ના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં રજૂ કરેલા અધિકૃત આંકડા મુજબ, દેશભરમાં ૧,૦૦,૮૪૩થી પણ વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે. રાજ્યસભામાં શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ આપેલા આ જવાબથી સ્પષ્ટ થાય છે કે, કાગળ પર વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર ભલે યોગ્ય દેખાતો હોય, પણ વાસ્તવમાં શિક્ષકોની ભારે અછત અને અસમાન ગોઠવણી છે.
યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન ૨૦૨૫-૨૬ના આંકડા અનુસાર, આ મામલે આંધ્ર પ્રદેશ દેશમાં સૌથી આગળ છે. રાજ્યમાં ૧૬,૩૫૭ શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષક દ્વારા ચલાવવામાં આવી રહી છે, જે રાષ્ટ્રીય આંકડાના ૧૬% કરતાં પણ વધુ છે. દેશની કુલ એક શિક્ષકવાળી શાળાઓમાંથી લગભગ ૬૫% શાળાઓ માત્ર ૭ રાજ્યોમાં જ આવેલી છે.
આ સમસ્યા માત્ર ચોક્કસ રાજ્યો પૂરતી સીમિત નથી, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ ફેલાયેલી છે. તેલંગાણામાં ૪,૭૯૩, તમિલનાડુમાં ૩,૯૫૭, અસમમાં ૩,૧૫૯, હિમાચલ પ્રદેશમાં ૩,૧૨૮, ઉત્તરાખંડમાં ૨,૬૫૫ અને છત્તીસગઢમાં ૨,૪૬૧ શાળાઓ એક શિક્ષકના ભરોસે ચાલે છે. બીજી તરફ કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિતિ પ્રમાણમાં ઘણી સારી છે. કેરળમાં આવી માત્ર ૬૭, નાગાલૅન્ડમાં ૩૫, સિક્કિમમાં ૩૧, લદ્દાખમાં ૨૮, દિલ્હીમાં ૭ અને અંદમાન-નિકોબારમાં માત્ર ૧ શાળા જ એક શિક્ષક પર ર્નિભર છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (દ્ગઈઁ) હેઠળ દેશમાં સરેરાશ વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર યોગ્ય મર્યાદામાં છે. પ્રાઇમરી લેવલે દર ૧૯ બાળકો પર ૧ શિક્ષક, અપર પ્રાઇમરીમાં દર ૧૭ બાળકો પર ૧, સેકન્ડરીમાં દર ૧૫ બાળકો પર ૧ અને હાયર સેકન્ડરીમાં દર ૨૩ બાળકો પર ૧ શિક્ષકની સરેરાશ છે. પરંતુ આ સરેરાશ આંકડા એ વાસ્તવિકતાને છુપાવે છે કે જમીની સ્તરે એક જ શિક્ષકને અભ્યાસ કરાવવાની સાથે સાથે વહીવટી કામગીરી, મિડ-ડે મીલની દેખરેખ અને અલગ-અલગ ધોરણના બાળકોને એકસાથે ભણાવવાની ફરજ પડે છે. સંસદમાં મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે શિક્ષકોની ભરતી, સેવાની શરતો અને શાળાઓમાં તેમની ગોઠવણી કરવાની જવાબદારી સંપૂર્ણપણે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હોય છે. શિક્ષકોની નિવૃત્તિ, રાજીનામા, નવા પદોનું સર્જન અને ગ્રામીણ કે આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થતા સતત ફેરફારને કારણે પદો ખાલી રહેતા હોય છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે રાજ્યોને પારદર્શક પ્રક્રિયા દ્વારા ખાલી જગ્યાઓ ભરવાની સલાહ આપવામાં આવે છે અને ‘સમગ્ર શિક્ષા’ યોજના હેઠળ આ માટે નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે.
કેન્દ્ર સરકારે સમુદ્રમાં છુપાયેલા ભારતના પ્રાચીન ઇતિહાસને ઉજાગર કરવા માટે એક મોટી ઝુંબેશ શરૂ કરી છે. ૨૦૩૦ સુધી અનેક ઐતિહાસિક દરિયાઈ સ્થળોએ પાણીની અંદર પુરાતત્વીય સંશોધન અને ખોદકામ હાથ ધરવામાં આવશે. આ મિશનનો હેતુ સમુદ્ર નીચે દટાયેલા પ્રાચીન શહેરો, બંદરો, કિલ્લાઓ અને સંસ્કૃતિઓના પુરાવા શોધવાનો છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની પાણીની અંદરની પુરાતત્વ શાખા હાલમાં ગુજરાતના દ્વારકા અને બેટ દ્વારકા, તમિલનાડુના મહાબલીપુરમ અને પુડુચેરીના કરાઈકલમાં સર્વેક્ષણ અને સંશોધન કરી રહી છે. તમિલનાડુના પુમપુહાર અને ગુજરાતના બેટ દ્વારકા, ચારી અને ગંગટા બેટમાં પાણીની અંદરની શોધ અને ખોદકામ માટે પણ પરવાનગી આપવામાં આવી છે. ૨૦૩૦ સુધીમાં, દ્વારકા, બેટ દ્વારકા, વિજયદુર્ગ, જંજીરા, કરાઈકલ અને મહાબલીપુરમ આ મિશનના મુખ્ય કેન્દ્રો હશે.
દ્વારકા આ મિશનનું સૌથી લોકપ્રિય કેન્દ્ર છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ ભગવાન કૃષ્ણની રાજધાની હતી, જે પાછળથી સમુદ્રમાં ડૂબી ગઈ. વર્ષોથી, સમુદ્રની નીચે પથ્થરની રચનાઓ, પ્રાચીન લંગર અને અન્ય અવશેષો મળી આવ્યા છે. જાે કે, હજુ સુધી વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી.
Loading ...
