આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા રાઘવ ચડ્ઢાએ પંજાબમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા વચ્ચે ગંભીર આરોપ લગવ્યા છે. ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી નામ હટી જતા તેમણે રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર પર રાજકીય બદલો લેવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ ચડ્ઢાના આરોપ પર પલટવાર કર્યો છે. આ બધા વચ્ચે હવે જે એક સવાલ એ ઊભો થયો છે કે શું રાઘવ ચડ્ઢાના રાજ્યસભાના સભ્યપદ પર જાેખમ તોળાયું છે? પંજાબમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા હેઠળ ૧૩ ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થઈ હતી. જેમાં રાઘવ ચડ્ઢાનું નામ શિફ્ટેડ કેટેગરીમાં દર્શાવ્યું છે.
તેમનું વોટર આઈડી મોહાલીમાં રજિસ્ટર્ડ છે. મતદાર યાદીમાં તેમના નામ આગળ સ્થાયી રીતે ટ્રાન્સફર નોંધાયું છે. રિપોર્ટ મુજબ પંજાબની પ્રી એસઆઈઆર સૂચિની સરખામણીએ લગભગ ૨૦.૬૬ લાખ મતદારોના નામ ડ્રાફ્ટ રોલથી હટાવાયા છે. આ સંખ્યા રાજ્યના કુલ પહેલાના મતદારોની લગભગ ૯.૭ ટકા ગણાવવામાં આવી છે. આ નામો હટાવવા પાછળ અલગ અલગ કારણો હોઈ શકે છે. જેમાં મતદારોનું બીજી જગ્યાએ જવું, મૃત્યુ, ડુપ્લીકેટ રેકોર્ડ કે સંબધિત એડ્રસ પર મતદારનું ઉપલબ્ધ ન હોવું વગેરે સામેલ છે. આવા કેસોમાં અંતિમ સૂચિ તૈયાર થતા પહેલા દાવા અને આપત્તિઓની પ્રક્રિયા મહત્વપૂર્ણ હોય છે.
પંજાબથી રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાએ સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડીને આમ આદમી પાર્ટીની સરકાર અને અધિકારીઓની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. ચડ્ઢાનો આરોપ છે કે પંજાબ સરકારની પોલીસ અને પ્રશાસન આમ આદમી છોડીને ભાજપમાં ગયેલા નેતાઓને નિશાન બનાવી રહ્યા છે.
ભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અને વીર ચક્ર વિજેતા અભિનંદન વર્ધમાન હવે ગોવા સ્થિત પ્રાદેશિક એરલાઇન ‘હ્લઙ્મઅ૯૧’ સાથે પાયલોટ તરીકે જાેડાઈ ગયા છે. વર્ષ ૨૦૧૯માં પાકિસ્તાની ફાઇટર જેટ F-16 ને તોડી પાડવા અને પોતાની શૌર્યગાથાથી દેશનું નામ રોશન કરનાર અભિનંદન વર્ધમાને ભારતીય વાયુસેનામાંથી નિવૃત્તિ લીધા બાદ હવે કોમર્શિયલ એવિએશન ક્ષેત્રે નવી સફરની શરઆત કરી છે.
ભારતીય વાયુસેનાના બહાદુરપૂર્વ ગ્રુપ કેપ્ટન અને વીર ચક્ર વિજેતા અભિનંદન વર્ધમાને સૈન્ય સેવા પૂર્ણ કર્યા બાદ હવે ગોવાની રિજિયોનલ એરલાઇન ‘ફ્લાય૯૧’માં પાયલોટ તરીકે કામકાજ શરૂ કર્યું છે. ૨૦૧૯માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી હવાઈ લડાઈ દરમિયાન તેમણે પોતાના મિગ-૨૧ બાઈસન વિમાનથી પાકિસ્તાનનું અત્યાધુનિકF-16 વિમાન તોડી પાડ્યું હતું, જેના કારણે તેઓ વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યા હતા. આ પરાક્રમ બદલ તેમને ભારત સરકાર દ્વારા યુદ્ધ સમયના ત્રીજા સૌથી મોટા વીરતા પુરસ્કાર ‘વીર ચક્ર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.જ્યારે તેમણે પાકિસ્તાની વિમાનને ધ્વસ્ત કર્યું ત્યારે તેમના પોતાના વિમાન પર પણ મિસાઈલ હુમલો થયો હતો.
ગુજરાતી ફિલ્મ જગત અને સુગમ સંગીતના આકાશમાંથી એક તેજસ્વી સૂર ખોવાઈ ગયો છે. ગુજરાતના જાણીતા સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં મોડી રાત્રે નિધન થયું છે.
તેઓ ૮૭ વર્ષના હતા. સંગીતકાર-ગીતકાર સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાના પિતાની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ વધારીને ગુજરાતી સંગીતને પોતાની આગવી ઓળખ આપી હતી.૨૪ નવેમ્બર ૧૯૩૮ના રોજ જન્મેલા ગૌરાંગ વ્યાસને સંગીતનો વારસો ઘરમાંથી જ મળ્યો હતો. તેમના પિતા અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીત જગતનું અગ્રગણ્ય નામ હતા. ગૌરાંગ વ્યાસે પાંચ વર્ષની ઉંમરે હાર્માેનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડવાનું શરૂ કર્યું હતું. તેમણે ૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું. ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રમાં તેમણે ૫૦૦થી વધુ રચનાઓનું સ્વરાંકન કર્યું હોવાનું ગુજરાતી વિશ્વકોશ નોંધે છે. રાસ-ગરબા, ભજન, લોકસંગીત, નૃત્યનાટિકા અને ટેલિવિઝન માટે પણ તેમણે નોંધપાત્ર સંગીત આપ્યું છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદ અને તંગદિલી વચ્ચે અમેરિકન વિદેશ મંત્રી માર્કાે રુબિયોએ વિશ્વના દેશોને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર લાદવામાં આવેલા અમેરિકન પ્રતિબંધોમાંથી તેને બચાવવાનો પ્રયાસ કરનાર કે તેની સાથે વેપાર કરનાર કોઈ પણ દેશ પર ટ્રમ્પ પ્રશાસન કડક પ્રતિબંધો લગાવતા ખચકાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી તાજેતરની બેઠક બાદ આ નિવેદન સામે આવ્યું છે.ભૌગોલિક નકશા તપાસોબિશકેકમાં SCO સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને ઈરાની પ્રમુખ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી બેઠક અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અમેરિકન વિદેશ મંત્રી માર્કાે રુબિયોએ જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે હાલ કોઈ નવી ટ્રેડ ડીલ થઈ હોય તેવું તેમને લાગતું નથી. પરંતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નીતિ સ્પષ્ટ કરી છે કે કોઈ પણ દેશે ઈરાનને અમેરિકન પ્રતિબંધોથી બચાવવામાં મદદ ન કરવી જાેઈએ.અમેરિકન વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે ઈરાન કમાણી કરી શકે અને તે પૈસાનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા કે પરમાણુ હથિયારો બનાવવા માટે કરે તેવી કોઈ વ્યવસ્થા બનાવવામાં કોઈ દેશે મદદ ન કરવી જાેઈએ. જાે કોઈ દેશ ઈરાન સાથે આવો વેપારી કરાર કરવાનો ર્નિણય કરશે, તો અમેરિકા તે દેશ પર પણ આકરા પ્રતિબંધો લાદવા મજબૂર બનશે.કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં યોજાયેલી ‘શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન’ (SCO) પરિષદ દરમિયાન પીએમ મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન પરિસ્થિતિ અને ક્ષેત્રમાં વધી રહેલા વિવાદ પર ચર્ચા કરી હતી.ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતનું વલણ પુનરાવર્તિત કરતા કહ્યું હતું કે તમામ વિવાદોનો ઉકેલ યુદ્ધના બદલે માત્ર વાટાઘાટો અને કૂટનીતિ (દ્વારા જ લાવવો જાેઈએ. તેમણે દરિયાઈ વાહતુક અને મુક્ત વેપારની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને સામાન્ય નાગરિકો તેમજ જહાજાે પર કામ કરતા નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને તાજેતરના સંઘર્ષ સમયે ભારતે આપેલા સહયોગની પ્રશંસા કરી હતી અને ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે ભારત પોતાની કૂટનીતિક ક્ષમતાઓનો ઉપયોગ કરે તેવી વિનંતી કરી હતી. આ સાથે જ તેમણે અમેરિકા પર આરોપ લગાવ્યો હતો કે કૂટનીતિનો માર્ગ અપનાવવાના બદલે અમેરિકાએ યુદ્ધ અને અશાંતિનો રસ્તો પસંદ કર્યાે છે.
ભારત યુરોપિયન યુનિયન અને યુરોપ સાથે તેના સંબંધોને મજબૂત બનાવી રહ્યું છે. આ સંદર્ભમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બેલ્જિયમના વડા પ્રધાન બાર્ટ ડી વેવર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ રાજધાનીના હૈદરાબાદ હાઉસ ખાતે મળ્યા હતા.અગાઉ, વડા પ્રધાન ડી વેવરે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ફૂલો અર્પણ કર્યા હતા. બેલ્જિયમના વડા પ્રધાને રાજઘાટ ખાતે મુલાકાતીઓની પુસ્તિકામાં પણ હસ્તાક્ષર કર્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે ભારત-બેલ્જિયમ સંબંધો પરંપરાગત સહયોગ ક્ષેત્રોથી આગળ વધીને સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વિસ્તર્યા છે. તેમણે જાેરાવર ટેન્ક અને આંધ્રપ્રદેશમાં એક મુખ્ય ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ પર સહયોગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં બેલ્જિયમના વડા પ્રધાન બાર્ટ ડી વેવર સાથે સંયુક્ત નિવેદન આપતી વખતે આ નિવેદન આપ્યું હતું. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, “આજે, આપણા સહયોગનો વ્યાપ પરંપરાગત ક્ષેત્રોથી આગળ વધીને સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વિસ્તર્યો છે. અમે જાેરાવર ટેન્ક જેવા આધુનિક સંરક્ષણ સાધનો પર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.” અમે આંધ્રપ્રદેશના કાકીનાડામાં વિશ્વના સૌથી મોટા ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સમાંના એકનો પણ વિકાસ કરી રહ્યા છીએ.
તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોના ઐતિહાસિક મહત્વ પર પણ ભાર મૂકતા કહ્યું કે, “ભારત અને બેલ્જિયમના સંબંધો ઇતિહાસમાં ઊંડા મૂળ ધરાવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જિયમમાં હજારો ભારતીય સૈનિકોની હિંમત અને બલિદાન આપણી સહિયારી યાદોનો મહત્વપૂર્ણ ભાગ છે. આજે, લોકશાહી મૂલ્યો, બજાર-આધારિત અર્થતંત્ર અને મજબૂત લોકો-થી-લોકોના સંબંધો આપણને કુદરતી ભાગીદાર બનાવે છે.” ભારત અને ઇયુ વચ્ચે એફટીએની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશોએ રોકાણ માટે “ફાસ્ટ-ટ્રેક મિકેનિઝમ“ બનાવ્યું છે. તેમણે કહ્યું, “આ વર્ષની શરૂઆતમાં, અમે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક ઐતિહાસિક મુક્ત વેપાર કરાર ને અંતિમ સ્વરૂપ આપ્યું. વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓ વચ્ચેનો આ અભૂતપૂર્વ સહયોગ વૈશ્વિક સ્થિરતા, વિકાસ અને સહિયારી સમૃદ્ધિને વધુ મજબૂત બનાવશે. ભારતની સતત આર્થિક પ્રગતિ અને આ કરારે આપણા આર્થિક સંબંધો માટે નવી શક્યતાઓ ખોલી છે.” આજે, અમે આ સંભાવનાઓને નક્કર પરિણામોમાં રૂપાંતરિત કરવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે
બેલ્જિયમની ૧૫ કંપનીઓ ભારતમાં હથિયાર બનાવશે
ભારત અને બેલ્જિયમ વચ્ચે ડિફેન્સ ક્ષેત્રમાં સહયોગ હવે નવી ઊંચાઈએ પહોંચવા જઈ રહ્યો છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેબર અને ડિફેન્સ ક્ષેત્રની ૧૫ કંપનીઓના પ્રતિનિધિમંડળની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે લગભગ ૧૦ મોટા સંરક્ષણ કરારો થવા જઈ રહ્યા છે. આ સહયોગ હેઠળ આધુનિક ટેક્નોલોજી, રડાર, ડ્રોન, હથિયાર સિસ્ટમ અને ગોળા-બારૂદનું ભારતમાં ઉત્પાદન કરવાનો પ્રસ્તાવ છે. બેલ્જિયમની કંપનીઓ ‘મેક ઇન ઈન્ડિયા’ પ્રોજેક્ટ હેઠળ ભારતીય કંપનીઓ સાથે મળીને વિવિધ ડિફેન્સ પ્રોજેક્ટ પર કામ કરશે. તેમાં ૭૦દ્બદ્બ રોકેટનું ભારતમાં એસેમ્બલિંગ, કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ, સેન્સર અને દરિયાઈ સુરક્ષા સાથે જાેડાયેલી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. એક પ્રોજેક્ટ હેઠળ દર વર્ષે લગભગ ૧૦ કરોડ રાઉન્ડ ગોળા-બારૂદ બનાવવાની ક્ષમતા ધરાવતું ઉત્પાદન કેન્દ્ર ઊભું કરવાની પણ યોજના છે.ભારત અને બેલ્જિયમ વચ્ચે સૈન્ય તાલીમ, અધિકારીઓની આપ-લે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સંયુક્ત સૈન્ય અભ્યાસ અને મરીન સિક્યુરિટી જેવા ક્ષેત્રોમાં સહયોગ માટે ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ પર પણ હસ્તાક્ષર થવાના છે. બંને દેશો ડિફેન્સ ઈન્ડસ્ટ્રી માટે એક સંયુક્ત ઔદ્યોગિક રોડમૅપ તૈયાર કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છે. ભારત અને બેલ્જિયમ વચ્ચે દરિયાઈ સુરક્ષા સહયોગનું મહત્વ પણ વધી રહ્યું છે. ભારતીય નૌસેનાના માઈન કાઉન્ટરમેઝર્સ વેસલ્સ માટે સ્વાયત્ત સિસ્ટમ, અંડરવોટર રોબોટિક્સ અને અત્યાધુનિક સેન્સર ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે. બંદરો, પાઈપલાઈન અને સમુદ્રની અંદર રહેલી મહત્વપૂર્ણ ડેટા કેબલની સુરક્ષા પણ આ સહયોગનો ભાગ બની શકે છે.
Loading ...
