કોલંબિયાના દક્ષિણ અમેઝોન વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં અનેક સૈનિકોના મોત થયા છે. ૧૧૦ સૈનિકોને લઈ જઈ રહેલું લોકહીડ માર્ટિન હર્ક્યુલસ સી -૧૩૦ વિમાન ટેક-ઓફના થોડા સમય બાદ જ ક્રેશ થઈ ગયું હતું.
આ દુર્ઘટનામાં શહીદ થનાર સૈનિકોની સંખ્યા વધીને ૬૬ થઈ ગઈ છે. આ અકસ્માત પેરૂની સરહદ પાસે આવેલા પ્યુર્ટાે લેગુઝામો નજીક સર્જાયો હતો. દુર્ઘટના સ્થળ રહેણાંક વિસ્તારથી માત્ર ૩ કિલોમીટર દૂર હતું. કાટમાળમાંથી અત્યાર સુધીમાં અંદાજે ૫૭ સૈનિકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી છે. સી-૧૩૦ હર્ક્યુલસ વિમાન ૧૯૫૦ના દાયકાથી વિશ્વભરમાં સૈન્ય પરિવહનનો મહત્વનો હિસ્સો રહ્યું છે. કોલંબિયા ૧૯૬૦ના દાયકાથી આ વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે. જાેકે, સમયાંતરે તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે, કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ગંભીર અકસ્માત ગણાવતા કહ્યું કે, જવાનોની સુરક્ષા સૌથી વધુ મહત્વની છે. રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે જાે સૈન્ય કે નાગરિક અધિકારીઓ સંસાધનોના આધુનિકી કરણના પડકારને પહોંચી વળવામાં નિષ્ફળ જશે તો તેમને પદ પરથી હટાવવામાં આવશે.
ભારતીય રેલવેએ ટિકિટ રદ કરવાના નિયમો બદલી નાખ્યા છે. હવે જાે કોઈ મુસાફર ટ્રેનના સમયથી ૮ કલાકથી ઓછા સમય પહેલા ટિકિટ રદ કરે છે, તો તેને કોઈ પૈસા પાછા મળશે નહીં. એટલે કે, જાે તમારી ટ્રેન સાંજે ૬ વાગ્યે છે, તો તમારે સવારે ૧૦ વાગ્યા પહેલા ટિકિટ રદ કરવી પડશે, તો જ રિફંડ મળશે.
પહેલા આ સમય ૪ કલાકનો હતો અને ત્યારે ૫૦% રિફંડ મળતું હતું. હવે સમય વધારીને ૮ કલાક કરવામાં આવ્યો છે, પરંતુ ૨૪ થી ૮ કલાકની વચ્ચે રદ કરવા પર હજુ પણ ૫૦% પૈસા જ પાછા મળશે. આ ઉપરાંત, હવે મુસાફરો ટ્રેન છૂટવાના ૩૦ મિનિટ પહેલા સુધી પોતાનું બોર્ડિંગ સ્ટેશન પણ બદલી શકે છે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે જણાવ્યું હતું કે આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે જેથી એજન્ટો અને દલાલો ટિકિટોનો સંગ્રહ ન કરી શકે. નવા નિયમો ૧ થી ૧૫ એપ્રિલ ૨૦૨૬ની વચ્ચે અલગ-અલગ તબક્કામાં લાગુ થશે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દલાલોની પેટર્નને જાેતા આ બદલાવ કરવામાં આવ્યો છે. દલાલો અવારનવાર વધારાની ટિકિટ બુક કરી લેતા હતા અને ગ્રાહક ન મળવા પર ટ્રેન છૂટવાના બરાબર પહેલા કેન્સલ કરીને રિફંડ લઈ લેતા હતા. રિફંડના નિયમોને કડક
કરવાથી દલાલો દ્વારા ટિકિટોની ‘કોર્નરિંગ‘ (ટિકિટ દબાવી રાખવી) ઓછી થશે અને સામાન્ય યાત્રીઓને કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના વધશે.
સશસ્ત્ર દળોમાં લિંગ સમાનતાને મજબૂત કરતા એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે ઠેરવ્યું છે કે શોર્ટ સર્વિસ કમિશન (જીજીઝ્ર)ના મહિલા અધિકારીઓ પરમેનન્ટ કમિશન (ઁઝ્ર) મેળવવા માટે હકદાર છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની અસાધારણ સત્તાનો ઉપયોગ કરીને આ ચુકાદો આપ્યો છે.
કોર્ટે અવલોકન કર્યું કે, અત્યાર સુધી મહિલા અધિકારીઓ પ્રત્યે પ્રણાલીગત પૂર્વગ્રહ રાખવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, મહિલા અધિકારીઓને ક્ષતિગ્રસ્ત અને ભેદભાવભર્યા મૂલ્યાંકન માળખાનો ભોગ બનવું પડ્યું હતું.
વર્ષે માત્ર ૨૫૦ મહિલા અધિકારીઓને જ પરમેનન્ટ કમિશન આપવાની મર્યાદા મનસ્વી છે અને તેને યોગ્ય માની શકાય નહીં. મહિલાઓના એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ્સ (છઝ્રઇજ) અત્યંત બેદરકારીથી તૈયાર કરવામાં આવ્યા હતા, કારણ કે એવું માની લેવામાં આવ્યું હતું કે તેઓ ક્યારેય ઁઝ્ર માટે પાત્ર બનશે જ નહીં.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, પુરુષ જીજીર્ઝ્રંજ એવી અપેક્ષા ન રાખી શકે કે પરમેનન્ટ કમિશન માત્ર પુરુષો માટે જ રહેશે. મહિલાઓને નકારવામાં આવેલો આ હક ભેદભાવનું પરિણામ હતું. જે મહિલા અધિકારીઓ પરમેનન્ટ કમિશન માટે હકદાર હતી, તેઓએ ૨૦ વર્ષની ક્વોલિફાઈંગ સેવા પૂર્ણ કરી હોવાનું માનવામાં આવશે. તેઓ પેન્શન અને તમામ આનુષંગિક લાભો માટે પાત્ર ગણાશે. જાેકે, આ આદેશ ત્નછય્ અને છઈઝ્ર કેડરના અધિકારીઓને લાગુ પડશે નહીં, એવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જાે આ યુદ્ધ ચાલુ રહેશે, તો તેના ગંભીર પરિણામો આવશે. તેમણે કહ્યું કે, ભારત દરેક ક્ષેત્રમાં એવો પ્રયાસ કરી રહ્યું છે કે કોઈપણ ક્ષેત્રમાં અન્ય દેશો પર વધુ પડતી ર્નિભરતા ન રહે. વડાપ્રધાને શિપ બિલ્ડિંગથી લઈને રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનિજાે) સુધી, આર્ત્મનિભરતાના પ્રયાસો ગણાવ્યા અને કહ્યું કે આ સંકટે દુનિયાને હચમચાવી દીધી છે. આમાંથી બહાર આવવામાં પણ વિશ્વને ઘણો સમય લાગશે. સરકાર પળેપળ બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. મોદીએ કહ્યું છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને ત્રણ સપ્તાહનો સમય થઈ ગયો છે. જેના કારણે વિશ્વમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું થયું છે. જેની અસર ભારત પર પણ પડી રહી છે. આ યુદ્ધના કારણે ભારતના વેપારના રસ્તા પ્રભાવિત થઈ રહ્યા છે. ગલ્ફ દેશોમાં એક કરોડથી વધુ ભારતીયો વસે છે, તેથી તેમની સુરક્ષા પણ ભારત માટે ચિંતાનો વિષય છે. મેં પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોના વડાઓ સાથે બે વખત વાતચીત કરી છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે. ત્યાંનાં તમામ દેશોએ ભારતીયોની સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. જાેકે કેટલાક ભારતીયોનું દુ:ખદ નિધન થયું છે, તેમની મદદ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે આયાત કરવામાં આવે છે. યુદ્ધ બાદથી જ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજાેની અવરજવર પડકારજનક થઈ ગઈ છે. એલપીજીનું પ્રોડક્શન ભારતમાં જ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પણ જળવાઈ રહે તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારત પાસે આજે ૫૩ લાખ મેટ્રિક ટનનું પેટ્રોલિયમ ભંડાર રિઝર્વ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, યુદ્ધની શરૂઆત બાદ મેં પશ્ચિમ એશિયાના દેશોના વડા સાથે બે વખત વાતચીત કરી છે.
વૈશ્વિક રાજકારણમાં જ્યારે પણ અસ્થિરતા આવે છે, ત્યારે ભારત અને અમેરિકા વચ્ચેનો સંવાદ નિર્ણાયક બની રહે છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોન પર ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ હતી. આ વાતચીતનો મુખ્ય એજન્ડા પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં સતત વણસી રહેલી પરિસ્થિતિ અને ખાસ કરીને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં સર્જાયેલું સંકટ હતું.
બંને નેતાઓએ ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષને કારણે સમગ્ર ક્ષેત્રમાં ફેલાયેલી અશાંતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીએ સ્વીકાર્યું હતું કે આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવી માત્ર પ્રાદેશિક જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે અનિવાર્ય છે. વાતચીતનો સૌથી મહત્વનો મુદ્દો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ હતો. આ તે દરિયાઈ માર્ગ છે જ્યાંથી વિશ્વનો ૨૦% તેલ પુરવઠો પસાર થાય છે.
આ માર્ગમાં કોઈપણ પ્રકારની સૈન્ય ગતિવિધિ કે અવરોધ ભારત જેવા દેશો માટે તેલના ભાવમાં તોતિંગ વધારો લાવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બંને નેતાઓએ દરિયાઈ વેપાર માર્ગોને સુરક્ષિત રાખવા અને ‘નેવિગેશનની સ્વતંત્રતા’ જાળવવા માટે સહમતી દર્શાવી હતી. પીએમ મોદીએ ભારતનો પરંપરાગત અભિગમ દોહરાવતા કહ્યું કે, આ યુદ્ધનો યુગ નથી. ભારતે સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો.
બીજી તરફ, ટ્રમ્પ પ્રશાસને પણ ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકાને સ્વીકારી હતી અને આ સંકટમાં ભારત એક સંતુલન જાળવનાર શક્તિ તરીકે ઉભરી શકે છે, તેમ જણાવ્યું હતું. ટ્રમ્પના ફરીથી સત્તામાં આવ્યા બાદ (જાન્યુઆરી ૨૦૨૫થી), ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં એક નવો વેગ જાેવા મળ્યો છે. બંને દેશો સંરક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ ગાઢ બનવા પર સંમત થયા છે. ટ્રમ્પે પીએમ મોદીને તેમના મિત્ર ગણાવતા ‘ભારત-અમેરિકા મૈત્રી’ ને વિશ્વની સૌથી મહત્વની ભાગીદારી ગણાવી હતી. પશ્ચિમ એશિયામાં જાે તેલનો પુરવઠો ખોરવાય છે, તો ભારત માટે મોંઘવારી મોટો પડકાર બની શકે છે. તેથી મોદી-ટ્રમ્પની આ મિટીંગ માત્ર રાજકીય શિષ્ટાચાર નથી, પરંતુ ભારતના મધ્યમ વર્ગના ખિસ્સા અને દેશની આર્થિક ગતિને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે.
હોર્મુઝ પાર કરીને ન્ઁય્ ટેન્કર ભારત તરફ આગળ વધ્યાં
પાઇન ગેસ એલપીજી કેરિયરના હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરવાના વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે. જગ વસંત અને પાઇન ગેસ નામના બે ભારતીય ન્ઁય્ ટેન્કર, જેમાં કુલ ૯૨,૬૧૨.૫૯ મેટ્રિક ટન ન્ઁય્ છે, તે સુરક્ષિત રીતે હોર્મુઝમાંથી પસાર થઈ ચૂક્યા છે. જગ વસંત પર ૩૩ અને પાઇન ગેસ પર ૨૭ ભારતીય નાવિકો સવાર છે. બંને જહાજાે હવે ભારત તરફ આગળ વધી રહ્યા છે.
યુદ્ધનો અંત નજીક?
ઈરાનના મોજતબા ખામેનેઈ ટ્રમ્પ સાથે વાતચીત કરવા તૈયાર
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધને આજે ૨૫ દિવસ પૂર્ણ થયા છે. એક તરફ બંને પક્ષો વચ્ચે વિસ્ફોટક હુમલાઓ ચાલુ છે, તો બીજી તરફ યુદ્ધવિરામ માટેના સંકેતો પણ મળી રહ્યા છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ હવે આ જંગનો અંત લાવવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે. સાઉદી અરેબિયાના મીડિયા રિપોર્ટ્સ મુજબ, મોજતબા ખામેનેઈ કેટલીક શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા અને સમજૂતી કરવા માટે સંમત થયા છે, જે આ યુદ્ધમાં એક મોટો વળાંક સાબિત થઈ શકે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ દિશામાં હકારાત્મક સંકેતો આપ્યા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ’ પર પોસ્ટ કરીને ઈરાન સાથેની વાતચીતને પ્રોત્સાહક ગણાવી છે. આ વાટાઘાટોને સફળ બનાવવા માટે ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા હુમલાઓને મુલતવી રાખવાનો ર્નિણય લીધો છે.
સેન્સેક્સની પણ હકારાત્મક ચાલ ૧૩૭૨ પોઇન્ટનો ઉછાળો નોંધાયો
શેરબજારમાં શાનદાર તેજી જાેવા મળી છે. આ ઉછાળામાં એશિયન પેઇન્ટ્સ, ઇન્ડિગો અને એલ એન્ડ ટી જેવા શેરોએ સૌથી વધુ ફાળો આપ્યો હતો, જેના પરિણામે આજે રોકાણકારોને આશરે ૮ લાખ કરોડનો ફાયદો થયો હતો. ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે સોમવારનો દિવસ ખૂબ જ દુ:ખદાયક સાબિત થયો. નિફ્ટી ૬૦૦ પોઈન્ટ ઘટીને ૨૨,૫૦૦ ની સપાટીથી ઉપર બંધ થયો, જ્યારે સેન્સેક્સ ૧,૮૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૭૩,૦૦૦ ની નજીક પહોંચ્યો.
જાેકે, ટ્રમ્પની જાહેરાત બાદ, શેરબજારમાં ઉછાળો આવ્યો અને મંગળવારે એક શાનદાર તેજી જાેવા મળી. બપોરે ૧:૨૯ વાગ્યે, સેન્સેક્સ ૧,૬૫૫.૯૭ પોઈન્ટ (અથવા ૨.૨૮%) વધીને ૭૪,૩૫૨.૩૬ પર બંધ થયો, જ્યારે નિફ્ટી ૫૧૦.૩૫ પોઈન્ટ (અથવા ૨.૨૭%) વધીને ૨૩,૦૨૩ પર પહોંચ્યો. લગભગ ૨,૯૩૨ શેર વધ્યા, ૯૪૫ ઘટ્યા અને ૧૩૧ યથાવત રહ્યા. બજાર બંધ થતાં સુધીમાં સેન્સેક્સ ૧,૩૭૨ પોઈન્ટ (અથવા ૧.૮૯%) વધીને ૭૪,૦૬૮ પર બંધ થયો હતો, અને નિફ્ટી ૪૪૫ પોઈન્ટ (અથવા ૧.૯૮%) વધીને ૨૨,૯૫૭ પર બંધ થયો હતો.
Loading ...
