દેશના ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભાગોમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી હવામાનમાં પલટો આવશે. જેમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે. વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતા છે. વરસાદને કારણે હવે તીવ્ર ગરમી ઓછી થઈ શકે છે. દેશમાં ઘણી જગ્યાએ તાપમાન ૪૫ થી ૪૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તીવ્ર ગરમીનો અનુભવ થયો.
હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે ઉત્તર ભારતમાં વરસાદ, વાવાઝોડા અને જાેરદાર પવનોની અપેક્ષા છે. ૨૯ થી ૩૧ મે દરમિયાન ઘણા રાજ્યોમાં તાપમાનમાં ૬ થી ૮ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૫૦-૬૦ કિમી/કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની અને કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે.દિલ્હી-એનસીઆર: ૨૯ મે દરમિયાન વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૪૩-૪૪ ડિગ્રી સેલ્સિયસથી ઘટીને ૩૬-૩૮ ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો અને સોના અને ચાંદી પર આયાત શુલ્કમાં વધારો જૂન સુધીમાં રિટેલ ફુગાવાને લગભગ ૫% સુધી ધકેલી શકે છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે રિઝર્વ બેંક વ્યાજ દરોમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે થોભો અને રાહ જુઓનો અભિગમ અપનાવશે.
૧૫ મેથી શરૂ થતા ૧૨ દિવસના સમયગાળામાં, પેટ્રોલના અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર વધારો થયો છે. અર્થશાસ્ત્રીઓના મતે, ઇંધણના ભાવમાં આ વધારો પરિવહન, સંગ્રહ અને થોડા અંશે વીજળી જેવા ક્ષેત્રોમાં ખર્ચમાં વધારો કરીને ફુગાવા પર સીધી અસર કરશે. વધુમાં, સરકારે ૧૩ મેના રોજ સોના અને ચાંદી પર આયાત શુલ્ક વધારીને ૧૫% કરીને કિંમતી ધાતુઓની બિન-આવશ્યક આયાતને રોકવાનો પ્રયાસ કરાયો હતો.અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં સરેરાશ રૂા. ૭.૫ પ્રતિ લિટરનો વધારો રિટેલ ફુગાવામાં લગભગ ૦.૭૫% વધારો કરી શકે છે.
ભારતે લદ્દાખની ધરતી પરથી એક એવો ચક્રવ્યૂહ રચી દીધો છે, જેના ગુંજારવથી ઇસ્લામાબાદથી લઈને રાવલપિંડી સુધીના શાસકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. લદ્દાખના ઉપરાજ્યપાલે એક દિવસ પહેલા સિંધુ જળ સમૃદ્ધિ અભિયાન અંતર્ગત લેહમાં સિંધુ એટલે કે ઇન્ડસ નદી પર પ્રથમ રોક ચેક ડેમનું ઉદ્ઘાટન શું કર્યું, તો સરહદ પાર દોડધામ મચી ગઈ. પાકિસ્તાનની નસેનસથી વાકેફ કર્નલ અજય રૈનાએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનની દુખતી રગ પર હાથ મૂકી દીધો છે. જાે થોડા વધુ પહાડી ડેમ અને ટનલ બની જશે તો પાકિસ્તાનીઓનું ગળું સુકાઈ જશે.કર્નલ રૈનાએ એક્સ પર લખ્યું છે કે,આ તો શરૂઆત છે. જે દિવસે સિંધુ નદી પર ડાયવર્ઝન ટનલની સાથે કોંક્રિટના મોટા ડેમ બની ગયા, તે દિવસે પાકિસ્તાનની કહાની હંમેશા માટે ખતમ થઈ જશે. સિંધુ નદી પાકિસ્તાનની ગળાની નસ છે, અમે એ નસ દબાવી દીધી છે.કર્નલ અજય રૈનાએ ભૂગોળ અને ઇતિહાસની ગૂંચવણને પણ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે, સિંધુ નદી એટલે કે ઇન્ડસ રિવરનું પ્રાચીન અને વાસ્તવિક મહત્વ શું છે. આ નદી લદ્દાખમાંથી થઈને વહે છે અને ત્યારબાદ પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્થાન અને આગળના વિસ્તારોમાં પ્રવેશ કરે છે.
ઉત્તર પ્રદેશના મથુરાના મહોલી ગામમાં ગુરુવારે જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. વિવાદ એટલો બધો વધી ગયો હતો કે, બંને તરફથી જાેરદાર ઈંટ-પથ્થરો ફેંકાયા અને જાહેરમાં ધડાધડ ગોળીબાર કરાયો હતો. આ હુમલાને કારણે આસપાસના લોકો અને યાત્રાળુઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ઝઘડામાં ૧૨થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકને ગોળીઓ વાગી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગામના ગુડ્ડી પ્રધાન અને ચંદ્રપાલ વચ્ચે અગાઉ છ મહિના પહેલા ઝઘડો થયો હતો. તે સમયે ગામના લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો,ગુરુવારે જ્યારે પરિક્રમા ચાલી રહી હતી, ત્યારે ચંદ્રપાલ પક્ષ તરફથી શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ લગાવાયો હતો. ગુડ્ડી પ્રધાનના માણસો પણ ત્યાં કેળા અને અન્ય સામગ્રી વહેંચવા પહોંચી ગયા હતા. આ વાતને લઈને બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા.
ભારત-ચીન સરહદ પર ૨૦૨૦ના ગલવાન સંઘર્ષ પછી બંધ થયેલો લિપુલેખ વેપાર માર્ગ હવે ફરી ખુલવા જઈ રહ્યો છે. ઉત્તરાખંડના પિથોરાગઢથી ૩૦૦ વેપારીઓની યાદી વિદેશ મંત્રાલયને મોકલવામાં આવી છે. વિઝા-પાસપોર્ટ વિના ટ્રેડ પાસ દ્વારા વેપારીઓ તિબેટના તકલાકોટ બજાર સુધી પહોંચશે. ખાસ વાત એ છે કે આ વખતે પહેલીવાર સરહદ સુધી રસ્તો પહોંચવાથી સામાન ઘોડા-ખચ્ચરને બદલે વાહનો દ્વારા જશે.
સદીઓ જૂના આ વ્યાપારી માર્ગનો ઇતિહાસ માત્ર વેપાર જ નહીં, પરંતુ હિમાલયી સભ્યતાઓના સંબંધો સાથે પણ જાેડાયેલો છે. ક્યારેક તિબેટી વેપારીઓ યાક અને ઘેટાંના કાફલાઓ સાથે મીઠું, ઊન અને બોરેક્સ લઈને ભારત આવતા હતા, જ્યારે ભારતીય વેપારીઓ કાપડ, અનાજ અને મસાલા તિબેટ લઈ જતા હતા. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી આ સિલસિલો લાંબા સમય સુધી બંધ રહ્યો, પછી ૧૯૯૧માં ફરી શરૂ થયો અને હવે ગલવાન તણાવ પછી ફરી પાટા પર આવી રહ્યો છે. આ વખતે વેપાર ખુલવાની અસર માત્ર કારોબાર પૂરતી સીમિત માનવામાં આવતી નથી. આદિ કૈલાસ યાત્રા પહેલા જ સરહદી વિસ્તારોની અર્થવ્યવસ્થામાં હલચલ વધી છે, હવે વેપાર શરૂ થવાથી બ્યાસ, દાર્મા અને ચૌંદાસ ઘાટીના લોકોને રોજગાર અને આવકની નવી આશા દેખાઈ રહી છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તાજેતરના રાજદ્વારી પ્રયાસો વચ્ચે તેને વિશ્વાસ અને સંવાદ પુન:સ્થાપિત કરવાના સંકેત તરીકે પણ જાેવામાં આવી રહ્યું છે. જાેકે, લિપુલેખ ક્ષેત્રને લઈને નેપાળની વાંધાઓ અને જૂનો સીમા વિવાદ હજુ પણ આ સમગ્ર વિસ્તારને વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ બનાવી રહ્યા છે. ચીનનું તકલાકોટ શહેર જેને બુરંગ ટાઉન પણ કહેવાય છે, ત્યાં ભારતીય વેપારીઓ હંમેશા ચીનમાં પહોંચીને આ જ શહેરમાં પોતાની દુકાનો લગાવતા રહ્યા છે.ચીનનું તકલાકોટ શહેર ત્યાં ભારતીય વેપારીઓ હંમેશા ચીનમાં પહોંચીને આ જ શહેરમાં પોતાની દુકાનો લગાવતા રહ્યા છે.વિદેશ મંત્રાલય અને ચીની પ્રશાસનની સહમતિ બાદ વેપારીઓનો પહેલો કાફલો જૂનના પહેલા કે બીજા સપ્તાહમાં રવાના થઈ શકે છે.
ભારત માટે સૌથી મોટો ખતરો પાકિસ્તાન અને ચીનથી રિપોર્ટમાં બોલ્ડ દાવો
એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારતના પરંપરાગત સુરક્ષા પડકારો પાકિસ્તાન અને ચીનની આસપાસ કેન્દ્રિત રહેશે. સિંગાપોરમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સંવાદ પહેલા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે ભવિષ્યમાં કોઈપણ સંભવિત પરંપરાગત યુદ્ધ સ્થાનિક પ્રકૃતિનો હશે. લંડન સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના અહેવાલ, જેનું શીર્ષક એશિયા-પેસિફિક રિજનલ સિક્યુરિટી એસેસમેન્ટ છે, તેમાં જણાવાયું છે કે ભારત તેના બંને પરમાણુ સશસ્ત્ર પડોશીઓ સાથે લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદોને કારણે મોટા પાયે પરંપરાગત લશ્કરી કાર્યવાહી માટે તેની સેનાને તૈયાર કરી રહ્યું છે., ચીન સાથે ભારતના સરહદી વિવાદો પ્રમાણમાં પરંપરાગત સ્વભાવના છે અને ભારત-પાકિસ્તાન સંઘર્ષની તીવ્રતા સુધી વધવાની શક્યતા નથી. તેમ છતાં, ચીન અને પાકિસ્તાન બંને સાથેની ભારતની સરહદો લશ્કરી રીતે સંવેદનશીલ રહેશે.
Loading ...
