સુપ્રીમ કોર્ટે કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો પર થયેલા લાઠીચાર્જ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. બુધવારે એક વકીલે CJI ની આગેવાની હેઠળની ૩ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ જનહિત અરજી દાખલ કરી હતી. CJI સૂર્યકાંતે કહ્યું, ‘અમને વીડિયો જાેવામાં કોઈ રસ નથી. અમારી પાસે તેને જાેવાનો સમય નથી.’ જ્યારે વકીલે વિદ્યાર્થીઓ સાથે મારપીટના વીડિયો જાેવાની બીજી વાર વિનંતી કરી ત્યારે CJI એ કહ્યું, ‘અમારો અને તમારો સમય બગાડો નહીં.’ જણાવી દઈએ કે ૧૫ મેના રોજ એક કેસની સુનાવણી દરમિયાન CJI એ કહ્યું હતું કે, ‘કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ જેવા હોય છે, જેઓ પાછળથી મીડિયા, સોશિયલ મીડિયા કે RTI કાર્યકર્તા બનીને સિસ્ટમ પર હુમલો કરવા લાગે છે.’ આ ટિપ્પણી પછી જ અભિજીત દીપકેએ ઇન્સ્ટાગ્રામ પર કોકરોચ જનતા પાર્ટી નામથી એકાઉન્ટ બનાવ્યું હતું. કોકરોચ જનતા પાર્ટીએ ૨૦ જુલાઈના રોજ સંસદ માર્ચ કાઢી હતી. આ દરમિયાન હજારો પ્રદર્શનકારીઓ સંસદ તરફ આગળ વધ્યા હતા, તેમને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં ૧૦૦થી વધુ પોલીસકર્મીઓ અને વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ હતી. ૨૦ જુલાઈએ કોકરોચ જનતા પાર્ટીએ સંસદ માર્ચ કાઢી હતી. આ દરમિયાન ઘણી જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.૨૦ જુલાઈએ કોકરોચ જનતા પાર્ટીએ સંસદ માર્ચ કાઢી હતી. આ દરમિયાન ઘણી જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.અરજદાર વકીલે કહ્યું, ‘વિદ્યાર્થીઓ દ્વારા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. તેઓ દ્ગઈઈ્ પરીક્ષાના યોગ્ય સંચાલન અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં સુધારા જેવા મુદ્દાઓની વાત કરી રહ્યા છે.’ અરજદાર વકીલે કહ્યું, પોલીસની કથિત બર્બરતાના વીડિયો પણ છે. જાે શક્ય હોય તો, કેસની સુનાવણી ગુરુવારે કરવામાં આવે, કારણ કે વિદ્યાર્થીઓ હજુ પણ પ્રભાવિત છે.આના પર ઝ્રત્નૈંએ કહ્યું, ‘અમને વીડિયોમાં રસ નથી, અમારી પાસે જાેવાનો સમય નથી.’
દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને પોલીસ પાસે જવાબ માગ્યો
રાજધાની દિલ્હીમાં ઝ્રત્નઁ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવેલી માર્ચ દરમિયાન પોલીસ દ્વારા આચરવામાં આવેલી કથિત ક્રૂરતા અને અતિશય બળપ્રયોગનો મુદ્દો હવે દેશની ઉચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. દિલ્હી હાઇકોર્ટે આ મામલે દાખલ કરવામાં આવેલી વિવિધ અરજીઓ પર ગંભીર નોંધ લેતા કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ જારી કરી છે અને સમગ્ર ઘટના અંગે વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને નાગરિકો પર પોલીસે ગેરકાયદેસર અને બરબરતાપૂર્વક લાઠીચાર્જ તેમજ બળપ્રયોગ કર્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસે માનવતાવાદી ધોરણો અને પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને પ્રદર્શનકારીઓને નિશાન બનાવ્યા હતા, જેના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અરજીકર્તાઓએ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે સ્વતંત્ર તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
દિલ્હી હિંસા આચરનારાઓ સામે પોલીસનું હાઇટેક ‘ઓપરેશન’
રાજધાની દિલ્હીમાં વિદ્યાર્થી સંગઠનોના હિંસક પ્રદર્શન બાદ દિલ્હી પોલીસ એક્શનમાં આવી ગઈ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાેખમાવનારા તથા આ હિંસક વિરોધના માસ્ટરમાઇન્ડ્સ સુધી પહોંચવા માટે પોલીસે હાઇટેક એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. ઉપદ્રવીઓની સચોટ ઓળખ કરવા માટે દિલ્હી પોલીસે પોતાની તપાસ અત્યંત ઝડપી બનાવી દીધી છે. હિંસક ઘટનાઓને ગંભીરતાથી લેતા દિલ્હી પોલીસે મુખ્ય ૫ પોલીસ સ્ટેશનોમાં કુલ ૧૦ ગુનાઓ નોંધીને કાયદાકીય શિકંજાે કસ્યો છે. જેમાંથી સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ૪, કનોટ પ્લેસમાં ૩, જ્યારે મંદિર માર્ગ, બારાખંભા રોડ અને કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં ૧-૧ FIR દાખલ કરવામાં આવી છે.
ખડગેએ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માગ કરી
સંસદના ચાલી રહેલા ચોમાસંુ સત્રના ત્રીજા દિવસે પણ નીટ-યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને પેપર લીકના મુદ્દે સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ભારે ગાજવીજ જાેવા મળી હતી. વિપક્ષી દળોએ આ ગંભીર મુદ્દે સરકારને ઘેરવા માટે એકજૂથ થઈને જાેરદાર સૂત્રોચ્ચારો કર્યા હતા, જેના કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ચેડાંનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આ સમગ્ર વિવાદની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક પ્રભાવથી પદ પરથી રાજીનામું આપે તેવી સ્પષ્ટ અને ઉગ્ર માંગ કરી હતી.
વિરોધ વચ્ચેPM મોદી શરદ પવાર- સુપ્રિયા સુલેને મળ્યાં
બુધવારે જ્યારે વિરોધ પક્ષના સાંસદો સંસદની બહાર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને નારેબાજી કરી રહ્યા હતા, ત્યારે વડાપ્રધાન કાર્યાલયમાં થયેલી બેઠકે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી દીધી છે. NCP (SP)ના પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલેએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં મુલાકાત કરી હતી. બેઠકની તસવીરોમાં અનુભવી મરાઠા નેતા અને વડાપ્રધાન એકબીજા સાથે વાતચીત કરતા અને ખુલ્લા મનથી હસતા જાેવા મળ્યા હતા. વડાપ્રધાન વરિષ્ઠ નેતાનું સ્વાગત કરતા અને તેમને પોતાના કાર્યાલયના દરવાજા પર આવકારી રહ્યા હોવાનું જાેવા મળ્યું હતું. એક રિપોર્ટ મુજબ આ બેઠક એવા સમયે થઈ છે, જ્યારે સરકાર સંસદમાં પરિસીમન વિધેયક માટે બે-તૃતીયાંશ બહુમતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર હાલના ચોમાસુ સત્ર દરમિયાન આ વિધેયક ફરીથી રજૂ કરવાની યોજના બનાવી રહી છે. સરકારની સંસદીય વ્યૂહરચના માટે NCP (SP)ના ૮ સાંસદો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
પોલીસકર્મીઓએ મારા કાનમાં કહ્યું, સરકારને હટાવો : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ દિલ્હીના ઇન્દિરા ભવનમાં વિદ્યાર્થીઓ વિરુદ્ધ લાઠીચાર્જ પર પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે સૌ પ્રથમ પોતાના પ્રેઝન્ટેશનમાં ૨૦ જુલાઈએ કોકરોચ જનતા પાર્ટીના સંસદ ચલો માર્ચમાં સામેલ વિદ્યાર્થીઓના વીડિયો ચલાવ્યા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે સુરક્ષા દળોએ વિદ્યાર્થીઓને ખરાબ રીતે માર્યા. આવું શા માટે કરવામાં આવ્યું. નીટ પેપર લીકથી દેશના ૭.૫ કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો આ ઘટનાથી પ્રભાવિત થયા છે. નીટ મામલે કોઈને પણ સજા થઈ નથી. રાહુલે કહ્યું- જ્યારે પોલીસકર્મીઓ મને હટાવવા આવ્યા ત્યારે તેમણે મારા કાનમાં કહ્યું કે સરકારને હટાવો. મને ખેંચ્યો તો મોઢામાંથી લોહી નીકળ્યું, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનને જવું પડશે.રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં સૌથી પહેલાં ૨૦ જુલાઈના રોજ થયેલા પ્રદર્શનની ક્લિપ ચલાવી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેનેરિક દવાઓની આયાત અંગે એક મોટી જાહેરાત કરી છે. તેમણે એક નવો ટેરિફ પ્લાન રજૂ કર્યો છે, જે હેઠળ ૧ ઓગસ્ટથી શરૂ થતાં આગામી બે વર્ષ સુધી જેનેરિક દવાઓ પર કોઈ આયાત ડ્યૂટી રહેશે નહીં. જાેકે, તે પછી, એક વર્ષ માટે ૧૦૦% ટેરિફ લાદવામાં આવશે, ત્યારબાદ ૨૦૦% ટેરિફ લાદવામાં આવશે. આ ર્નિણયથી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓને હાલમાં રાહત મળશે, કારણ કે ભારત વિશ્વના સૌથી મોટા જેનેરિક દવા નિકાસકારોમાંનું એક છે, અને યુએસ બજાર તેમના માટે આવકનો મુખ્યસ્ત્રેત છે. જાે કે, લાંબા ગાળે, આ ર્નિણય ભારતીય કંપનીઓના વ્યવસાય મોડેલ પર નોંધપાત્ર અસર કરી શકે છે.
નવી યોજના અનુસાર, ૧ ઓગસ્ટથી આગામી બે વર્ષ માટે જેનેરિક દવાઓ પર ૦% ટેરિફ લાદવામાં આવશે. તે પછી, એક વર્ષ માટે ૧૦૦% ટેરિફનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ ૨૦૦% ટેરિફ લાદવામાં આવશે. આનો અર્થ એ છે કે કંપનીઓ પાસે યુએસમાં તેમના કારખાનાઓ સ્થાપવા અને ઉત્પાદન શરૂ કરવા માટે લગભગ બે વર્ષ હશે. આમ કરવામાં નિષ્ફળતાને કારણે ભારે આયાત ડ્યૂટી લાગી શકે છે. ભારત અમેરિકાને સસ્તી જેનેરિક દવાઓનો સૌથી મોટો સપ્લાયર છે. અમેરિકામાં વેચાતી મોટાભાગની જેનેરિક દવાઓ ભારતીય કંપનીઓ તરફથી આવે છે. સન ફાર્મા, ઓરોબિદો ફાર્મા, ઝાયડસ લાઇફસાયન્સ, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને સિપ્લા જેવી કંપનીઓનો યુએસ બજારમાં નોંધપાત્ર વ્યવસાય છે. તાત્કાલિક ટેરિફ લાદવાથી આ કંપનીઓના ખર્ચ અને નફા પર નોંધપાત્ર અસર પડી શકે છે. બે વર્ષની રાહતથી આ કંપનીઓને તેમની સપ્લાય ચેઇન અને રોકાણ વ્યૂહરચના ફરીથી બનાવવાનો સમય મળ્યો છે.
ટ્રમ્પ વહીવટીતંત્રનો ધ્યેય ફાર્માસ્યુટિકલ કંપનીઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉત્પાદન શરૂ કરવા દબાણ કરવાનો છે. તેઓ માને છે કે યુનાઇટેડ સ્ટેટ્સે દવાઓ માટે અન્ય દેશો પર ર્નિભર ન રહેવું જાેઈએ. તેથી, યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉત્પાદન પ્લાન્ટ સ્થાપતી કંપનીઓને ફાયદો થશે. દરમિયાન, જે કંપનીઓ વિદેશથી દવાઓ આયાત કરવાનું ચાલુ રાખશે તેમને ભારે ટેરિફનો સામનો કરવો પડશે. આ ટ્રમ્પના ‘અમેરિકા ફર્સ્ટ’ ઉત્પાદન એજન્ડાનો એક ભાગ માનવામાં આવે છે.
ભારતથી યુએસ મોકલાતી દવાઓ ઘણી મોંઘી થશે
જાે ૧૦૦% અને પછી ૨૦૦% ટેરિફ ખરેખર લાગુ કરવામાં આવે, તો ભારતમાંથી અમેરિકામાં દવાઓ મોકલવી ઘણી મોંઘી થઈ જશે. આવી સ્થિતિમાં, ભારતીય કંપનીઓ પાસે ત્રણ વિકલ્પો હોઈ શકે છે અમેરિકામાં નવી ફેક્ટરીઓ સ્થાપવી, સ્થાનિક કંપનીઓ સાથે કરાર ઉત્પાદન કરવું અને તેમની સપ્લાય ચેઇનનું પુનર્ગઠન કરવું. નિષ્ણાતો માને છે કે મોટી ભારતીય કંપનીઓ પહેલાથી જ અમેરિકામાં તેમની હાજરી વધારવાની યોજના બનાવી રહી છે. આ નવી ટેરિફ યોજના તે પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી શકે છે.
હૂંડિયામણ બજારમાં ભારતીય ચલણ પર દબાણ વધ્યું
મુંબઈ: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારા અને ભૂ-રાજકીય તણાવ વધવાને કારણે સુરક્ષિત રોકાણ તરીકે યુએસ ડોલરની માંગ વધતા બુધવારે પ્રારંભિક કારોબારમાં ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે ૧૧ પૈસા ઘટીને ૯૬.૩૬ની સપાટીએ પહોંચી ગયો હતો. વિદેશી હૂંડિયામણના વેપારીઓના જણાવ્યા અનુસાર, લાલ સમુદ્ર અને હોર્મુઝની ખાડીમાંથી તેલના વહન સંબંધિત સુરક્ષા ચિંતાઓના કારણે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહ્યા છે. આ ઉપરાંત હુથી જૂથ દ્વારા શિપિંગ પરની ધમકીઓ અને યુએસ-ઈરાન વચ્ચે સતત ચાલી રહેલા સંઘર્ષને કારણે બજારમાં ભૂ-રાજકીય જાેખમનું પ્રીમિયમ જળવાઈ રહ્યું છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો ૯૬.૩૬ની સપાટીએ ખુલ્યો હતો, જે તેના પાછલા બંધ ભાવ કરતા ૧૧ પૈસાનો ઘટાડો દર્શાવે છે. નોંધનીય છે કે મંગળવારે રૂપિયો અમેરિકી ચલણ સામે ૯૬.૨૫ની સપાટીએ બંધ થયો હતો. બીજી તરફ, છ મુખ્ય ચલણોના બાસ્કેટ સામે ડોલરની મજબૂતી દર્શાવતો ડોલર ઇન્ડેક્સ ૦.૦૧ ટકા ઘટીને ૧૦૧.૧૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ યુએસ-ઈરાન સંઘર્ષમાં તાજેતરમાં થયેલા વધારાને કારણે સલામત રોકાણ તરીકે યુએસ ડોલરની માંગમાં વધારો જાેવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલનો વૈશ્વિક બેંચમાર્ક ગણાતું બ્રેન્ટ ક્રૂડ વાયદા વેપારમાં ૧.૧૮ ટકા વધીને બેરલ દીઠ ૯૨.૦૮ યુએસ ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એકવાર આધ્યાત્મિક નગરી વૃંદાવન ૫હોંચ્યા છે, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા ૫ર વાયરલ થઈ રહ્યા છે. ૨૯ જુલાઈના રોજ ગુરુ ૫ૂર્ણિમા ૫હેલા, વિરાટ અને અનુષ્કા તેમના ગુરુ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા વૃંદાવન ગયા હતા.
તેઓએ સંત પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવવા માટે શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમની મુલાકાત લીધી હતી.સંત પ્રેમાનંદ મહારાજ હાલમાં યમુના નદીની ૫ેલે ૫ાર બેલવનમાં તાજેતરમાં બંધાયેલા યમુના કુંજ આશ્રમમાં એકાંતમાં છે. જાે કે, ૨૯ જુલાઈના રોજ ગુરુ ૫ૂર્ણિમા નિમિત્તે દીક્ષિત શિષ્યોને દર્શન આ૫વા માટે આશ્રમમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, જે પ્રેમાનંદ મહારાજના દીક્ષિત શિષ્યો ૫ણ છે, તેમણે બુધવારે સવારે યમુના નદીની ૫ેલે ૫ાર બેલવનમાં સંત પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી હતી. વિરાટ અને અનુષ્કાએ આ મુલાકાત સં૫ૂર્ણ૫ણે ગુપ્ત રાખી હોવા છતાં, ચાહકોએ તેમને ઓળખી લીધા અને તેમને કેમેરામાં કેદ કર્યા.વૃંદાવનથી આવતા અનુષ્કા અને વિરાટના એક વીડિયોમાં, અનુષ્કા અને વિરાટ કડક સુરક્ષા વચ્ચે વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં ૫હોંચ્યા.
એક ઓસ્ટ્રેલિયન મહિલાએ ચાર સરખી છોકરીઓને જન્મ આપ્યો, જેનાથી ડોકટરો સ્તબ્ધ થઈ ગયા. ડોકટરોએ આ ગર્ભાવસ્થાને અત્યંત દુર્લભ ગણાવી છે. માતા બનેલી મહિલા ૩૪ વર્ષની છે અને તેનું નામ જાનિટર સૌ નામોઆના છે. આ મહિલાએ ગયા અઠવાડિયે આ છોકરીઓને જન્મ આપ્યો હતો, જ્યારે તેના ૫હેલાથી જ ચાર બાળકો છે. આનો અર્થ એ થયો કે તે હવે કુલ આઠ બાળકોની માતા બની ગઈ છે.
મહિલાએ ક્વીન્સલેન્ડની રોયલ બ્રિસ્બેન અને મહિલા હોસિ્૫ટલમાં ચાર છોકરીઓને જન્મ આપ્યો. મહિલાના ડૉક્ટર, એલેક્સા બેન્ડલે, હોસિ્૫ટલ દ્વારા બહાર ૫ાડવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે છોકરીઓ કુદરતી રીતે ગર્ભધારણ કરવામાં આવી હતી અને ચાર ભાગોમાં વિભાજીત એક જ ફળદ્રુ૫ ઇંડામાંથી જન્મી હતી.
તેમણે આ ઘટનાને અવિશ્વસનીય ગણાવી હતી. ડૉ. બેન્ડલે કહ્યું, “અમારું માનવું છે કે આ પ્રકારનો કેસ લગભગ ૧૫ મિલિયનમાંથી એકમાં થાય છે. અમને નથી લાગતું કે ઓસ્ટ્રેલિયામાં આ ૫હેલા ક્યારેય બન્યું હોય. હોસિ્૫ટલના અધિકારીઓએ કહ્યું કે નામોઆના અને તેના ૫તિ, જાેર્થમ, ૫હેલાથી જ ચાર બાળકોના માતાિ૫તા હતા, તેથી તેમની ૫ાસે વધુ બાળકો ૫ેદા કરવાની કોઈ યોજના નહોતી.
ફ્રાન્સના ૫ર્યાવરણ મંત્રી મોનિક બાર્બુએ રાજીનામું આ૫વાની જાહેરાત કરી છે. તેમણે આ ર્નિણય વિવાદાસ્૫દ કૃષિ બિલના વિરોધમાં લીધો છે, જેમાં બે પ્રતિબંધિત જંતુનાશકોના ઉ૫યોગને મંજૂરી આ૫વામાં આવી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ જંતુનાશકો મધમાખીઓ અને અન્ય ૫રાગનયન કરતા કીડાઓ માટે હાનિકારક છે.
૫ર્યાવરણ મંત્રી બનેલા બાર્બુ આજે રાષ્ટ્ર૫તિ ઇમેન્યુઅલ મેક્રોંને ૫ોતાનું રાજીનામું સુ૫રત કરશે. સરકારે દાવો કર્યો કે આ કાયદો ખેડૂતોની મદદ માટે લાવવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે ખેડૂતોને ઘટતી આવક અને ખેતીના વધતા ખર્ચ જેવી સમસ્યાઓનો સામનો કરવો ૫ડી રહ્યો છે.
પ્રતિબંધિત જંતુનાશકો એસેટામિપ્રિડ અને ફ્લુ૫ાયરાડિફ્યુરોનના ઉ૫યોગને અસ્થાયી મંજૂરી આ૫વી. તેનો ઉ૫યોગ બીટ, સફરજન અને ચેરીની ખેતીમાં કરી શકાશે. આગામી ૧૦ વર્ષમાં ખેડૂતો માટે ૫ાણીના સંગ્રહ ની મંજૂરીની મર્યાદા બમણી કરવી. આ જ જાેગવાઈઓને લઈને ૫ર્યાવરણ વિદો અને સરકારની અંદર ૫ણ વિરોધ વધ્યો છે.
Loading ...
