આગ્રામાં મંગળવારે સવારે ૧૧.૧૫ વાગ્યે આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં શોર્ટ સર્કિટ બાદ ધુમાડો નીકળ્યો. બેઝમેન્ટમાંથી નીકળેલા ધુમાડાને જાેઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગભરાઈ ગયા. અફરાતફરી વચ્ચે બધા તરત જ ભાગીને રસ્તા પર આવી ગયા. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થઈ નહીં. આ દરમિયાન ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ કોચિંગમાં અભ્યાસ કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, બેઝમેન્ટમાંથી અચાનક ધુમાડો નીકળતો દેખાયો. લોકો ચીસો પાડવા લાગ્યા. શિક્ષકોએ તાત્કાલિક તમામ વર્ગો ખાલી કરાવ્યા. ત્યારબાદ કોઈએ વીજળીની મેઈન લાઈન કાપી નાખી. પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર વિભાગના અધિકારીઓ કોચિંગ સેન્ટર પહોંચ્યા. તપાસ કરી.
સોમવારે લખનઉના એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ૧૫ લોકોના જીવ ગયા હતા. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના ૨૦ થી ૩૦ વર્ષની ઉંમરના હતા.
વિદ્યાર્થીની પૂનમે જણાવ્યું- અમારા ક્લાસ ચાલી રહ્યા હતા. અચાનક અમારા સ્ટાફ મેમ્બર્સ અને શિક્ષકો આવ્યા. કહ્યું કે જલ્દી-જલ્દી અહીંથી બધા બહાર નીકળો. પછી અમે તરત જ બહાર આવી ગયા હતા.
પુણેના ટ્રેકર અને બિઝનેસમેન કેતન વિશાલ અગ્રવાલના મોત મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસે મંગળવારે તેની મંગેતર સિયા ગોયલ (૨૦) અને તેના પ્રેમી ચેતન ચૌધરી (૨૨)ની ધરપકડ કરી. બંને પર પ્લાનિંગ હેઠળ કેતનની હત્યાનો આરોપ છે. કેતન ૧૮ જૂને તેની મંગેતર સાથે ટ્રેકિંગ પર ગયા હતા. બાદમાં તેમનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સિયા અને તેના પ્રેમીએ પુણેના લોહાગઢ કિલ્લા પરથી કેતનને લગભગ ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધક્કો માર્યો હતો. બાદમાં તેને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો.૨૬ વર્ષીય કેતન પુણે જિલ્લાના ગહુનજેના રહેવાસી હતા અને પરિવારની રિયલ એસ્ટેટ કંપનીમાં ડિરેક્ટર હતા. જ્યારે સિયા પુણેના એક મસાલા વેપારીની પુત્રી છે. બંનેના આ વર્ષે રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા એક પેલેસમાં લગ્ન થવાના હતા.પુણે ગ્રામીણ પોલીસના એસપી સંદીપ સિંહ ગિલ અનુસાર, કેતન ૧૮ જૂનની સવારે તેની મંગેતર સાથે તેનો પ્રી-બર્થડે સેલિબ્રેટ કરવા માટે લોહાગઢ કિલ્લા પર ગયો હતો. સવારે લગભગ ૧૦:૩૦ વાગ્યે તે ખાઈમાં પડ્યો.સિયાએ લોનાવલા ગ્રામીણ પોલીસને જણાવ્યું હતું કે કેતન ટ્રેકિંગ દરમિયાન ભારે પવનમાં ફોટો પાડી રહ્યો હતો.
હોર્મુઝ જળમાર્ગમાં અવરજવર ફરી શરૂ થઈ છે. ૧૭ જૂનથી અત્યાર સુધીમાં ૧૧ ભારતીય જહાજાેએ આ માર્ગ સુરક્ષિત રીતે પાર કર્યો છે, જ્યારે ૧૦ જહાજાે હજુ રાહ જાેઈ રહ્યા છે. હોર્મુઝમાં તણાવ હોવા છતાં ભારતની ઉર્જા અને ખાદ્ય સુરક્ષા પર કોઈ નકારાત્મક અસર પડી નથી.હોર્મુઝ એ મધ્ય પૂર્વનો અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વનું લગભગ ૨૦-૨૫% ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ પસાર થાય છે. ભારત પોતાની કુલ તેલની જરૂરિયાતના ૮૦-૮૫% આ જ રૂટથી આયાત કરે છે. તાજેતરમાં તણાવને કારણે અહીં અવરજવર પ્રભાવિત થઈ હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પુષ્ટિ કરી છે કે, બે ભારતીય જહાજાે આ બાજુથી ફારસની ખાડીમાં સફળતાપૂર્વક પ્રવેશી ચૂક્યા છે, જ્યારે ભારતીય ધ્વજ ધરાવતા અન્ય ૧૦ જહાજાે હજુ પણ તે વિસ્તારમાં હાજર છે. એમઓયુ પર હસ્તાક્ષર થયા બાદથી ભારત તરફ આવી રહેલા ૧૧ જહાજાે હોર્મુઝ જળમાર્ગ પાર કરી ચૂક્યા છે.
ભારતના ૩ મોટા ક્રૂડ ઓઈલ ટેન્કર - દેશ વૈભવ, દેશ વિભોર અને સનમાર હેરાલ્ડ ૮,૬૦,૦૦૦ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઈલ સાથે સફળતાપૂર્વક હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. આ જહાજાે પર ૯૪ ભારતીય નાવિકો સવાર છે. દેશ વૈભવ ગુજરાતના વડિનાર, દેશ વિભોર સિક્કા અને સનમાર હેરાલ્ડ ૧ જુલાઈએ ઓડિશાના પારાદીપ પહોંચશે.
જ્યારે હોર્મુઝ સંકટ ચાલી રહ્યું ત્યારે યુરિયાની અછત સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા, ત્યારે હવે હોર્મુઝ ખુલતા ખેડૂતોને મોતી રાહત થવાની છે. માત્ર તેલ જ નહીં, પરંતુ ભારતની ખાદ્ય સુરક્ષા માટે ખાતરનો પુરવઠો પણ આ જ માર્ગે આવે છે.
તૃણમૂલ કોંગ્રેસ એ ચૂંટણી પંચને પાર્ટીના પદાધિકારીઓ અને નેશનલ વર્કિંગ કમિટીની નવી યાદી મોકલી છે. આમાં મમતા બેનર્જીને પાર્ટીના અધ્યક્ષ તરીકે દર્શાવવામાં આવ્યા છે. સુભ્રત બક્ષીને ઉપાધ્યક્ષ અને અભિષેક બેનર્જીને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે જણાવવામાં આવ્યા છે. પાર્ટી સૂત્રો અનુસાર, ચૂંટણી પંચને મોકલવામાં આવેલી યાદી ૨૦ જૂન ૨૦૨૬ સુધીની સંગઠનાત્મક સ્થિતિના આધારે તૈયાર કરવામાં આવી છે.આના એક દિવસ પહેલા ્બળવાખોર જૂથના નેતા ઋતબ્રત બેનર્જીએ સમાંતર વર્કિંગ કમિટીની જાહેરાત કરી હતી. ધારાસભ્ય અરુપ રોયને અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ તરફ, બળવાખોર જૂથમાં સામેલ થનારા ૮ નેતાઓને કારણદર્શક નોટિસ જારી કરી છે. આ નેતાઓ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ લગાવવામાં આવ્યો છે યાદી અનુસાર, ડેરેક ઓ’બ્રાયન અને ડોલા સેન સંયુક્ત સચિવ છે. સુભાષીષ ચક્રવર્તીને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નેશનલ વર્કિંગ કમિટીમાં કુલ ૨૪ નેતાઓના નામ છે. સોમવારે વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના જૂથે કોલકાતામાં વિશેષ બેઠક યોજીને સમાંતર નેશનલ વર્કિંગ કમિટી બનાવવાની જાહેરાત કરી હતી.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં સોમવારે એક ત્રણ માળની ઇમારતમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાના કારણે ૧૫ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૯ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની ગંભીરતાને જાેતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરીને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીના નિર્દેશ પર બેદરકારી દાખવવા બદલ ૪ અધિકારીઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે ઇમારતના સંયુક્ત માલિકો સહિત ૪ લોકોની ધરપકડ કરી લીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભયાનક ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિજનોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ’માંથી ૨-૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિજનોને ૫-૫ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતે ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી.
Loading ...
