સુપ્રીમ કોર્ટે રસ્તાઓ પર રખડતા પશુઓને કારણે થતા અકસ્માતો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું- પશુઓને નેશનલ હાઈવે, રસ્તાઓ અને ગલીઓમાં આમ જ છોડી શકાય નહીં. તેઓ નેચરલ સ્પીડ બ્રેકર નથી.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે શુક્રવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આવા અકસ્માતોના પીડિતોને વળતર આપવાનિયમ બનાવવાનું કહ્યું. સાથે જ સૂચન કર્યું કે જાે જરૂર હોય તો આ માટે કાયદાઓ અને નિયમોમાં સુધારો પણ કરવામાં આવે.કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ સલાહ પંજાબના સંગરુરની રહેવાસી નિશાની અરજી પર આપી હતી. નિશાના પતિ વિજયનું ૨૧ સપ્ટે.૨૦૦૭ના રોજ રસ્તા પર ચાલતા સમયે રખડતા આખલાના હુમલામાં મૃત્યુ થયું હતું. કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો કે મહિલાને ચાર અઠવાડિયામાં રૂા.૧૫ લાખ વળતર આપે. કોર્ટે કહ્યું- જાેકે, તેને ભવિષ્યના કેસોમાં દાખલો માનવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું- રખડતા પશુઓની સમસ્યાનું સૌથી મોટું કારણ તેમને આર્થિક રીતે બિનઉપયોગી બન્યા પછી છોડી દેવાનું છે.
ભારતમાં આર્થિક ગતિવિધિઓ અને ખરીદીમાં મોટો ઉછાળો આવવાથી સરકારની આવકમાં વધારો થયો છે. જુલાઈ ૨૦૨૬માં દેશનું ગ્રોસ જીએસટી કલેક્શન ૧૫.૪%ના વધારા સાથે રૂ.૨.૧૧ લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. ૧૪ મહિનામાં ટેક્સ સંગ્રહમાં જાેવા મળેલો આ સૌથી ઝડપી ગ્રોથ છે. ૨૦૨૬-૨૭માં આ બીજી વખત બન્યું છે જ્યારે કોઈ એક જ મહિનામાં જીએસટી કલેક્શન રૂ.૨ લાખ કરોડનો આંકડો પાર કરી ગયું હોય, જે દેશની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.જુલાઇમાં ઘરેલુ જીએસટી આવક ૧૦.૧% વધીને ૧.૪૫ લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં ૧.૩૧ લાખ કરોડ રૂપિયા હતી. આયાત પરના જીએસટી કલેક્શનમાં ૨૮.૮%નો ભારે ઉછાળો જાેવા મળ્યો છે, તે વધીને ૬૬,૫૧૧ કરોડ પર પહોંચી ગયું છે. સરકારના ડેટા મુજબ, જુલાઈ દરમિયાન જીએસટી રિફંડ પણ ૧૩.૧% વધીને ૨૯,૯૬૮ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યું છે. આ રિફંડ બાદ કરીએ તો પણ સરકારને મળેલી નેટ જીએસટી રેવેન્યુ ૧.૮૧ લાખ કરોડ રૂપિયા રહી છે, જે જુલાઈ ૨૦૨૫ની સરખામણીએ ૧૫.૮% વધુ છે.
કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠન તરફથી મળેલી લેખિત ફરિયાદના આધારે,સીબીઆઇએ ૩૧ જુલાઈના રોજ મુંબઈ સ્થિત રિલાયન્સ કેપિટલ લિમિટેડ, તેના ભૂતપૂર્વ ચેરમેન અનિલ અંબાણી, અજાણ્યા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસ ભંગ અને ગુનાહિત ગેરવર્તણૂક જેવા ગુનાઓ કર્યા હતા, જેના કારણે ઇપીએફઓને ૧,૦૦૭.૫૫ કરોડનું નાણાકીય નુકસાન થયું હતું. , ૮૦૮.૬૭ કરોડની વ્યાજ જવાબદારી પણ ઉભી થઈ હતી. કુલ કથિત નુકસાન ૧,૮૧૬.૨૨ કરોડનો અંદાજ છે.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, ૨૦૧૩ અને ૨૦૧૪ દરમિયાન, રિલાયન્સ કેપિટલ લિમિટેડે સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ જારી કર્યા હતા.ઇપીએફઓએ રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ સહિત ચાર પોર્ટફોલિયો મેનેજરો દ્વારા આ એનસીડીમાં ૨,૫૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. આ એનસીડી ૨૦૨૩ અને ૨૦૨૪ માં પરિપક્વ થવાના હતા.ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે આરોપીઓ છેતરપિંડીભર્યા વ્યવહારોમાં રોકાયેલા હતા.
દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ૨ હિંદુ મજૂરોની હત્યા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના આતંકવાદીઓએ કરી છે. આ માહિતી ગુપ્તચર સૂત્રોએ આપી છે. આ ફ્રન્ટ લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલું છે. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટનાને આતંકવાદી મોહમ્મદ લતીફે અંજામ આપ્યો છે. આ જ આતંકવાદીએ ૨૨ જુલાઈના રોજ અનંતનાગમાં હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશીની લાલ ચોક વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરી હતી.
શુક્રવારે રાત્રે ૮:૩૦ વાગ્યે કુલગામના કેલામમાં આતંકવાદીઓએ ઈંટ-ભઠ્ઠા પર કામ કરી રહેલા ૨ હિંદુ મજૂરોને નામ પૂછીને ગોળી મારી દીધી હતી. પોલીસને આ માહિતી ઘટનાસ્થળે હાજર અન્ય મજૂરોએ આપી. બંને મૃતક છત્તીસગઢના રહેવાસી હતા. આ હત્યાઓ પહેલગામ જેવા પેટર્ન પર કરવામાં આવી હતી. ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજપહેલગામમાં આતંકી હુમલો થયો હતો. તેમાં આતંકીઓએ ૨૬ પર્યટકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યાં હતા.
લતીફ અને તેનો સાથી બાઇક પર પ્રવાસી મજૂરો પાસે પહોંચ્યા હતા. તેમણે ઓળખપત્રો તપાસ્યા અને ખૂબ નજીકથી ગોળીબાર કર્યો. સ્થાનિક લોકોના મતે, તેમણે ૧૦-૧૨ રાઉન્ડ ફાયરનો અવાજ સાંભળ્યો. લતીફે આ હુમલો એટલા માટે કર્યો જેથી તે સંદેશ આપી શકે કે તેનું મોડ્યુલ હજુ પણ સક્રિય છે ગુપ્તચર સૂત્રોનું માનવું છે કે આ ગોળીબારનું કાવતરું સરહદ પાર બેઠેલા લશ્કરના હેન્ડલરોએ રચ્યું હતું. શંકા મુખ્યત્વે સજ્જાદ જટ્ટ/સૈફુલ્લા પર છે, જે પાકિસ્તાનમાં રહેતો જૈશનો સિનિયર હેન્ડલર છે.
પીએમ મોદીએ શુક્રવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરી. તેમણે કહ્યું કે જંતર-મંતર પર કેટલાક તોફાની બાળકોએ મને અને મારી માતાને ગંદી-ગંદી ગાળો આપી, પરંતુ બાળપણમાં ભૂલો થાય છે. તેમણે આગળ કહ્યું કે બાળપણ ભૂલો સુધારવાનો અવસર પણ હોય છે. આ ગુમરાહ બાળકો છે, તેમને રાહ બતાવવાનો સમય છે, તેમને માફ કરવા માગંુ છું. આ છેલ્લા ૯ દિવસમાં પીએમ મોદીનો ૫મો વીડિયો છે. રાત્રે ૧૧ વાગ્યે જાહેર કરાયેલા વીડિયોને ૩૦ મિનિટમાં ૧૩ લાખ લોકોએ લાઇક કર્યો હતો.
પીએમ મોદીએ જંતર-મંતરની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં જે કંઈ પણ થયું, તે દુનિયાએ જાેયું છે. આ સભ્ય સમાજ માટે શોભનીય નથી. હું સમાજની અંદર રહેલા આક્રોશને સારી રીતે સમજી શકું છું. આ એક કલ્ચરલ શોક જેવું છે કે આપણી દીકરીઓ આ પ્રકારની
ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે.’તેમણે આગળ કહ્યું કે તેમને સજા આપવાથી આપણે પરિસ્થિતિઓ બદલી નહીં શકીએ. હું તમારા માટે જીવું છું, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખર્ચ કરું છું, તમે આગળ વધો.
હું ૧૫ વર્ષની છું, આ મારી પહેલી અને છેલ્લી ભૂલ
જંતર-મંતર પર પીએમ મોદીને ગાળો આપનાર છોકરીએ માફી માગી લીધી છે. તેણે વીડિયો મેસેજમાં કહ્યું, હું ફક્ત ૧૫ વર્ષની છું, આ મારી પહેલી અને છેલ્લી ભૂલ હતી. હું ભ્રમિત થઈ ગઈ હતી. આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ શનિવારે પૂછ્યું, શું સરકાર કેસ પણ પાછો ખેંચી લેશે. જંતર-મંતર પર પીએમને ગાળો આપનાર છોકરીએ હવે જાહેરમાં માફી માગી લીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં તે હાથ જાેડીને પોતાના નિવેદન પર માફી માગતી જાેવા મળી રહી છે. કહી રહી છે કે હું ૧૫ વર્ષની છું. વીડિયોમાં છોકરી કહે છે, હું મારા મિત્રો સાથે કનોટ પ્લેસ ફરવા ગઈ હતી. ત્યાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું હતું અને આસપાસ હાજર કેટલાક લોકો પીએમ વિરુદ્ધ અપમાનજનક નારા લગાવી રહ્યા હતા. હું તે જ માહોલ અને ભીડની વાતોમાં આવી ગઈ. ૩૦ જુલાઈએ નોઈડામાં છોકરી વિરુદ્ધ કેસ નોંધાયો છે.
Loading ...
