ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતાં સ્વદેશી ૩૫૦ કિલોગ્રામ થ્રસ્ટ-ક્લાસ એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન સફળતાપૂર્વક વિકસાવ્યું છે.
આ એન્જિનના વિકાસ સાથે ભારત હવે એવા પસંદગીના દેશોમાં સામેલ થયું છે, જે મિસાઇલ અને ડ્રોન માટે આધુનિક જેટ એન્જિનનું ડિઝાઇન અને ઉત્પાદન સ્વદેશમાં કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિદ્ધિ દેશની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની સાથે ‘આર્ત્મનિભર ભારત’ અભિયાનને પણ નવી દિશા આપશે.
આ એન્જિનનું ડિઝાઇન DRDOની બેંગલુરુ સ્થિત ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા તૈયાર કરાયું છે, જ્યારે તેનું ઉત્પાદન હૈદરાબાદ સ્થિત ખાનગી કંપની આઝાદ એન્જિનિયરિંગ દ્વારા કરવામાં આવ્યું છે. આ એક એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન છે, જેનો ઉપયોગ મુખ્યત્વે ક્રૂઝ મિસાઇલ, લોઈટરિંગ મ્યુનિશન (સુસાઇડ ડ્રોન), ટાર્ગેટ ડ્રોન અને હાઈ-સ્પીડ માનવરહિત વિમાનોમાં કરવામાં આવશે.ટર્બોજેટ એન્જિન એરોસ્પેસ ક્ષેત્રની સૌથી જટિલ ટેક્નોલોજીમાંનું એક માનવામાં આવે છે. આ એન્જિન હવામાંથી ઓક્સિજન ખેંચી તેને કમ્પ્રેસ કરે છે અને બળતણ સળગાવી સતત થ્રસ્ટ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા માટે ઉચ્ચ સ્તરની એન્જિનિયરિંગ, વિશેષ ધાતુઓ અને અત્યંત ચોકસાઈયુક્ત ઉત્પાદન ક્ષમતાની જરૂર પડે છે. આ કારણે આ ટેક્નોલોજી અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન જેવા મર્યાદિત દેશો પાસે જ ઉપલબ્ધ હતી.
ભારત-પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાન દ્વારા સૈન્ય ક્ષમતામાં વધારો કરવાના અહેવાલોએ વ્યૂહાત્મક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. પાકિસ્તાને ભારત સાથેની પૂર્વીય સરહદના વિવિધ મહત્વપૂર્ણ વિસ્તારોમાં ચીનમાં નિર્મિત SH-15 ટ્રક-માઉન્ટેડ સ્વચાલિત હોવિત્ઝર તોપોની આશરે ૨૫૦ એકમો તબક્કાવાર તૈનાત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જાેકે, આ દાવાઓ અંગે બંને દેશોની તરફથી સત્તાવાર વિગતવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી.
જીૐ-૧૫ એ ૧૫૫ મીમી/૫૨-કેલિબરની સ્વચાલિત આર્ટિલરી સિસ્ટમ છે, જે ચીનની સરકારી સંરક્ષણ કંપની નોરિંકો દ્વારા વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ ૬×૬ ટ્રક પ્લેટફોર્મ પર આધારિત હોવાથી ઝડપથી સ્થળાંતર કરી શકે છે અને વિવિધ પ્રકારના ભૂપ્રદેશમાં કાર્યરત રહેવા માટે તૈયાર કરવામાં આવી છે. સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ પ્રકારની મોબાઇલ આર્ટિલરી સિસ્ટમો ઝડપી તૈનાતી અને ઓપરેશનલ લવચીકતા માટે ઉપયોગી માનવામાં આવે છે.
પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની આર્ટિલરી અને અન્ય સંરક્ષણ સાધનોના આધુનિકીકરણ પર સતત ધ્યાન આપી રહ્યું છે. તેમાં ચીન સાથે વધતું સંરક્ષણ સહકાર પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સાધનોની ખરીદી, ટેક્નોલોજી સહયોગ અને સંયુક્ત લશ્કરી અભ્યાસો યોજાતા રહ્યા છે.
દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે મહિલા કુસ્તીબાજાેના જાતીય સતામણી કેસમાં ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. ૨૦૨૩માં આ આરોપો સામે આવ્યા બાદ જંતર-મંતર પર ધરણાં સહિત દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા હતા. બ્રિજભૂષણે ચુકાદા બાદ કહ્યું કે તેમની વાત સાચી સાબિત થઈ છે. ભારતીય કુસ્તી મહાસંઘ ના પૂર્વ પ્રમુખ અને છ વાર લોકસભા સાંસદ રહી ચૂકેલા બ્રિજભૂષણ શરણ સિંહને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે રાહત આપી છે. મહિલા કુશ્તીબાજાે દ્વારા લગાવાયેલા શારીરિક શોષણના ગંભીર આરોપોના મામલે કોર્ટે સોમવારે મહત્ત્વનો ચુકાદો આપતાં ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યા છે. આ ચુકાદો સંભળાવવામાં આવે તે પહેલાં સોમવારે સવારે જ બ્રિજભૂષણ શરણ સિંહ રાઉઝ એવેન્યુ કોર્ટ પહોંચ્યા હતા. તે સમયે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ફક્ત તે જ સાંભળીશ જે કોર્ટ કહેશે, મારા હાથમાં કશું જ નથી. ચુકાદા બાદ ભાજપના નેતા બ્રિજભૂષણે જણાવ્યું કે, ‘જે દિવસે મારા પર આરોપ લાગ્યા હતા, તે જ દિવસે મેં કહ્યું હતું કે જાે મારા પરના આરોપો સાબિત થશે તો હું ખુશીથી ફાંસીની સજા પણ સ્વીકારી લઈશ. આજે કોર્ટે મને નિર્દોષ જાહેર કર્યો છે અને મારી વાત સાચી સાબિત થઈ છે.
આખી સિસ્ટમ બચાવવામાં વ્યસ્ત હતી : વિનેશ ફોગાટ
વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટે સોમવારે કહ્યું કે બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરનાર મહિલા કુસ્તીબાજાે કોર્ટના ર્નિણય સામે અપીલ કરશે. દિલ્હીની એક કોર્ટે સોમવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણ શરણ સિંહ અને સહ-આરોપી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા. વિનેશ ફોગાટે આ ર્નિણય પર ઊંડી નિરાશા વ્યક્ત કરી. તેમણે આરોપ લગાવ્યો કે સમગ્ર વહીવટ, સરકાર અને તંત્ર શરૂઆતથી જ બ્રિજભૂષણને બચાવવા માટે કામ કરી રહ્યું હતું. ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર પોતાની પ્રતિક્રિયા શેર કરી. તેમણે કહ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહને જાતીય શોષણના આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યાથી મહિલા કુસ્તીબાજાે ખૂબ જ દુ:ખી છે. કુસ્તીઓએ તેમના વકીલોને શક્ય તેટલી વહેલી તકે ર્નિણય સામે અપીલ દાખલ કરવા સૂચના આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓએ આશા ગુમાવી નથી અને તેમની લડાઈ ચાલુ રાખશે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એક તરફ તેઓ યુવા પેઢી સાથે હોવાનો દાવો કરે છે, મહિલા સશક્તિકરણ અને મહિલા અનામત વિશે વાત કરે છે, અને બીજી તરફ તેઓ આવું કરે છે.
બાંકીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જનસુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરે જીતી લીધી છે. તેમણે ભાજપના ઉમેદવાર નીરજ કુમારને ૧૮,૯૫૩ મતોથી હરાવ્યા હતા. તેમણે પોતાની જીતને લોકોનો વિજય ગણાવ્યો હતો. જાેકે, જીતના થોડા સમય પહેલા પ્રશાંત કિશોરે પોતાની ભવિષ્યની રણનીતિ જાહેર કરી હતી. ભાજપના ઉમેદવાર નીરજ કુમાર સિંહા બીજા અને આરજેડી ઉમેદવાર રેખા કુમારી ત્રીજા સ્થાને રહ્યા હતા. મહત્ત્વનું એ છે કે, ૨૦૦૮માં સીમાંકન પછી અસ્તિત્ત્વમાં આવેલી આ બેઠક ભાજપ ક્યારેય હાર્યો ન હતો! તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે બાંકીપુર બેઠક જીતવાથી બાંકીપુર બેંગ્લુરુ નહીં બને. તેના બદલે રાજ્યના વડામાં પરિવર્તનની જરૂર છે. પ્રશાંત કિશોરે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ એનડીએ પાસે બિહારના એવા મુખ્યમંત્રીની નિમણૂકની માગ કરે છે જે રાજ્યના લોકોની ચિંતા કરે અને તેમના વિકાસ માટે કામ કરે.
પ્રશાંત કિશોરે શરૂઆતથી જ ચૂંટણી પરિણામોમાં લીડ જાળવી રાખી હતી. ૩૧ રાઉન્ડની મતગણતરીમાં તેઓ એક પણ વાર પાછળ રહ્યા નહીં. પીકેનો મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર નીરજ કુમાર સાથે હતો.નીરજ કુમારને ભાજપે ઉમેદવાર તરીકે પસંદ કર્યાહતા. નીરજ કુમાર ૩૧ રાઉન્ડની મતગણતરીમાં એક પણ વાર પીકેને હરાવવામાં નિષ્ફળ ગયા. પ્રશાંત કિશોરે બાંકીપુરની જીત વિસ્તારના લોકોને સમર્પિત કરી. તેમણે તેને લોકોનો વિજય ગણાવ્યો અને કહ્યું કે આગામી બે થી ત્રણ મહિનામાં આ જીતની અસર દેખાશે. તેઓ આ વિસ્તારના વિકાસ માટે શક્ય તેટલું બધું કરશે, પરંતુ ફક્ત એક બેઠક જીતવાથી બાંકીપુર બેંગ્લુરુ બનશે નહીં આ માટે મુખ્યમંત્રીનો સાથ જરૂરી છે. બાંકીપુર જીત્યા પછી તેઓ પહેલા શું કરશે તે પૂછવામાં આવતા, પ્રશાંત કિશોરે કહ્યું, બાંકીપુરને સુધારવા માટે હું મારાથી બનતું બધું કરીશ. તમને થોડા મહિનામાં સુધારો દેખાવા લાગશે. જે લોકોએ મને મત આપ્યો નથી તેમનો પણ હું વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરીશ. ભાજપના ઉમેદવાર નીરજ કુમારની હાર બાદ ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે. રાજ્યમંત્રી વિજય કુમાર સિંહાએ એક નિવેદન બહાર પાડ્યું. તેમણે કહ્યું, પાર્ટી આ હારની સંપૂર્ણ સમીક્ષા કરશે.
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬નો રંગારંગ સમાપન સમારોહ ભારત માટે એક નવા અને ઐતિહાસિક અધ્યાયની શરૂઆત બની ગયો છે. ૧૧ દિવસ સુધી ગ્લાસગોમાં રમાયેલા રમતોત્સવના સફળ આયોજન બાદ સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતને સોંપી દીધો છે. હવે સમગ્ર વિશ્વની નજરો વર્ષ ૨૦૩૦ના શતાબ્દી સંસ્કરણ પર રહેશે, જેની યજમાની ગુજરાતનું અમદાવાદ શહેર કરશે. અમદાવાદ ૨૦૩૦ની યજમાની સાથે ભારત એક નવો ઇતિહાસ પણ રચશે. ઓસ્ટ્રેલિયા પછી ભારત એવો બીજાે દેશ બનશે જે એક કરતાં વધુ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. આ અગાઉ ભારતે વર્ષ ૨૦૧૦માં નવી દિલ્હી ખાતે આ રમતોત્સવનું સફળ આયોજન કર્યું હતું.
ક્લોઝિંગ સેરેમનીના અંતે બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાના પ્રતિનિધિ અને ડ્યુક ઓફ એડિનબર્ગ પ્રિન્સ એડવર્ડે સત્તાવાર રીતે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ના સમાપનની ઘોષણા કરી હતી. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સનો કારવાં હવે ભારત તરફ આગળ વધી ચૂક્યો છે, જ્યાં ૨૦૩૦માં સીડબલ્યુજી ગેમ્સના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવશે.
સમાપન સમારોહમાં ગોલ્ડ મેડાલિસ્ટ બોક્સર જેસ્મિન લંબોરિયા ભારતના ધ્વજવાહક બન્યા હતા. ઔપચારિક રીતે ધ્વજ સોંપવાનો કાર્યક્રમ કોમનવેલ્થ ગેમ્સના ધ્વજની સમગ્ર પરિસરમાં સાંકેતિક યાત્રા સાથે શરૂ થયો હતો. સ્કોટલેન્ડ અને ભારતના ધ્વજવાહકોની આગેવાનીમાં જુલૂસે ગેમ્સના વળેલા ધ્વજને નીચે ઉતાર્યો હતો. આ પછી ગ્લાસગોના લોર્ડ પ્રોવોસ્ટ જેક્લીન મેકલેરેને આ ધ્વજ કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના
ઉપાધ્યક્ષ સુસાન જેક્સન, સ્કોટિશ નેટબોલ ખેલાડી એમિલી નિકોલ, કોમનવેલ્થ સ્પોર્ટના અધ્યક્ષ ડો. ડોનાલ્ડ રુકારે, બે વખતના ઓલિમ્પિક મેડાલિસ્ટ નીરજ ચોપરા અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષાને આપ્યો હતો. ત્યારબાદ આ ધ્વજ આખરે ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો હતો. હર્ષ સંઘવીએ ધ્વજ સ્વીકારવાની સાથે જ સ્કોટલેન્ડ તરફથી ભારતને યજમાનીની જવાબદારી સત્તાવાર રીતે સુપ્રત કરવામાં આવી હતી.
ધ્વજ સોંપણી બાદ સમગ્ર સમારોહ ભારતીય સાંસ્કૃતિક વિરાસતના જશ્નમાં ડૂબી ગયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય અને સ્કોટિશ કલાકારોએ સંયુક્ત પ્રસ્તુતિ આપીને બંને દેશોની ભાગીદારીની સુંદર ઝાંખી પણ રજૂ કરી હતી. ભારતે પોતાની પ્રસ્તુતિ દ્વારા સમગ્ર વિશ્વને અમદાવાદ આવવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું હતું, જેમાં ભારતીય દર્શન, લોકસંસ્કૃતિ અને આધુનિક ભારતની ઝલકને પ્રભાવશાળી અંદાજમાં રજૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન અત્યંત શાનદાર રહ્યું હતું. ભારતીય ટુકડીએ કુલ ૩૯ મેડલ પોતાના નામે કર્યા હતા, જેમાં ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રભાવશાળી પ્રદર્શન સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું હતું.
Loading ...
