ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશની પીપલ્સ લિબરેશન આર્મી આંતરિક સફાઈ અભિયાન વધુ આક્રમક બનાવતા ભારત સાથેના સરહદી વિવાદો સાથે જાેડાયેલા ભૂતપૂર્વ જનરલ ઝાઓ ઝોંગકીને દેશની સર્વોચ્ચ રાજકીય સલાહકાર સંસ્થામાંથી આકરા પાણીએ દૂર કરી દીધા છે. જનરલ ઝાઓ એ જ અધિકારી છે જેણે ૨૦૧૭ ના ડોકલામ સ્ટેન્ડઓફ અને ૨૦૨૦ની ગલવાન ખીણની હિંસક અથડામણ વખતે ચીનની સરહદ સાચવતી પીએલએની ‘વેસ્ટર્ન થિયેટર કમાન્ડ’નું નેતૃત્વ કર્યું હતું.
જનરલ ઝાઓને ચાઇનીઝ પીપલ્સ પોલિટિકલ કન્સલ્ટેટિવ કોન્ફરન્સ તેમજ અન્ય બે મહત્વના હોદ્દા પરથી તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવ્યા છે. જાેકે, બેઇજિંગે તેમને પદભ્રષ્ટ કરવા પાછળનું ચોક્કસ કારણ કે તેમની સામે ચાલતી કોઈ તપાસ અંગે સત્તાવાર મૌન જાળવ્યું છે. અમેરિકી ગુપ્તચર અહેવાલો મુજબ, ૨૦૨૦ માં ભારતીય સેનાને “પાઠ ભણાવવા” ના ઈરાદાથી ગલવાન ખીણમાં ઘૂસણખોરી અને હુમલાની યોજનાને મંજૂરી આપનાર જનરલ ઝાઓ જ મુખ્ય માસ્ટરમાઇન્ડ હતા.
ચીનમાં છેલ્લા કેટલાક સમયથી સેનાના વરિષ્ઠ અધિકારીઓ, શસ્ત્ર ખરીદી વિભાગ અને થિયેટર કમાન્ડરો સામે મોટા પાયે બરતરફીની પ્રક્રિયા ચાલી રહી છે. તાજેતરમાં જ શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના વડા શી જિનપિંગે સેન્ટ્રલ મિલિટરી કમિશનમાંથી બે અત્યંત વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ ઝાંગ યુક્સિયા અને લિયુ ઝેનલીને પણ હટાવી દીધા હતા.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને H-1B અને અન્ય વિદેશી પ્રોફેશનલ્સ માટે નોકરી છૂટી ગયા પછી મળતા ૬૦ દિવસના ગ્રેસ પીરિયડ (છૂટની મુદત) ને નાબૂદ કરવાના પ્રસ્તાવની સમીક્ષા પૂર્ણ કરી લીધી છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ ((DHS) ) દ્વારા ૬ ઓગસ્ટે વ્હાઇટ હાઉસના ઓફિસ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સને સોંપાયેલા આ પ્રસ્તાવને ૨૭ ઓગસ્ટે કેટલાક સુધારા સાથે સંમતિ આપવામાં આવી છે. આ ર્નિણયથી અમેરિકામાં કાર્યરત હજારો ભારતીય કર્મચારીઓ અને તેમના પરિવારજનો પર અનિશ્ચિતતાના કાળા વાદળો ઘેરાયા છે. હાલના નિયમો અનુસાર, નોકરી ગુમાવનારા H-1B, L-1 અને O-1 વિઝાધારક કર્મચારીઓને ૬૦ દિવસ સુધી અમેરિકામાં રહેવાની છૂટ મળે છે. આ સમયગાળા દરમિયાન તેઓ નવો સ્પોન્સર શોધી શકે છે, પોતાના વિઝા સ્ટેટસમાં ફેરફાર કરી શકે છે અથવા સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી શકે છે. H-1B વિઝા મેળવનારાઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. જાે આ ૬૦ દિવસનો ગ્રેસ પીરિયડ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે, તો નોકરી ગુમાવતા જ ભારતીય પ્રોફેશનલ્સને રાતોરાત દેશ છોડવાની ફરજ પડી શકે છે.
કેનેડામાં ભારતીય યુવાનોને રાહત વર્ક પરમિટ માટે હવે ૯૦ દિવસ મળશે
કેનેડામાં રોજગાર મેળવી રહેલા ભારતીય અને પંજાબી યુવાનો માટે આશ્વાસન આપતા મોટા સમાચાર આવ્યા છે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગે ‘ઇન-કેનેડા વર્ક પરમિટ’ વિસ્તારવાની પ્રક્રિયા હેઠળ મળતો સમયગાળો ૬૦ દિવસથી વધારીને ૯૦ દિવસ કર્યો છે. જે યુવાનોનો વર્ક પરમિટ પૂરો થવાના આરે છે અને તેમના એમ્પ્લોયરે તેમના માટે લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA)ની અરજી પહેલાથી જ જમા કરાવી દીધી છે, તેમને હવે વર્ક પરમિટ એક્સટેન્શનની પ્રક્રિયા પૂરી કરવા માટે ૩૦ દિવસનો વધારાનો સમય મળશે. કેનેડામાં ભણતર પૂરું કર્યા પછી મોટી સંખ્યામાં ભારતના યુવાનો અસ્થાયી વર્ક પરમિટ પર નોકરી કરી રહ્યા છે. યુવાનો વર્તમાન માલિક સાથે નોકરી ચાલુ રાખવા માગે છે. ભવિષ્યમાં પીઓર તરફ આગળ વધી રહ્યા છે. આ ફેરફારથી તેમને ફાયદો થશે.
પડોશી દેશ નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે ચારેય તરફ ભારે તારાજી સર્જાઈ છે. કુદરતી આપત્તિના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને સ્થિતિ અત્યંત ગંભીર બની છે. નેપાળ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ આવેલા અચાનક પૂરના કારણે મૃત્યુઆંક વધીને ૬૬૯ સુધી પહોંચી ગયો છે. બચાવ ટુકડીઓ દ્વારા અત્યાર સુધીમાં ૬૨૬ મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે, જ્યારે ૨,૪૦૦ થી વધુ લોકો હજુ પણ ગુમ છે અને તેમની શોધખોળ માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં ભારતે પડોશી ધર્મ નિભાવીને નેપાળ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે બચાવ અને રાહત કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું કે, પૂરના કારણે જીવ ગુમાવનારા લોકોની ઓળખ સુનિશ્ચિત કરવા અને તેમના DNA સેમ્પલની તપાસ કરવા માટે ભારતથી ૬ ફોરેન્સિક નિષ્ણાતોની ટીમો રવાના કરવામાં આવી છે, જે શનિવારે જ રાજધાની કાઠમંડુ પહોંચવાની છે. સુરાંગોમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા માટે ૨૮ ઓગસ્ટના રોજ એક ખાસ ટેકનિકલ ટીમને સર્વેક્ષણ માટે મોકલવામાં આવી હતી. ટનલોમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
કાળું પાણી થઈ રહ્યું છે, ગમે ત્યારે તળાવ તૂટશે
ચીને નેપાળ સરકારને તાજી ચેતવણી જારી કરતા કહ્યું છે કે લ્હેંડે નદીના ઉપરી હિસ્સામાં કાટમાળથી બનેલું નેચરલ તળાવ ગમે તે સમયે તૂટી શકે છે. ચીની અધિકારીઓના જણાવ્યા અનુસાર, તળાવના પાણીનો રંગ સતત ઘેરો થઈ રહ્યો છે, જે તેના ગમે ત્યારે પણ ફાટવાનો સંકેત હોઈ શકે છે. નેપાળ સાથે શેર કરાયેલા મેસેજમાં ચીને નીચલા વિસ્તારોના લોકો અને પ્રશાસનને સતર્ક રહેવાની સલાહ આપી છે. ચીનના જણાવ્યા અનુસાર, કાટમાળથી બનેલા આ તળાવમાં શુક્રવાર સુધી લગભગ ૨૫ લાખ ક્યુબિક મીટર પાણી જમા થઈ ચૂક્યું છે અને જળસ્તર સતત વધી રહ્યું છે. તળાવ ચીન તરફ છોચેન નદી અને નેપાળ તરફ પુરેપુ નદીના સંગમ પાસે કાટમાળના ભેગા થવાથી બન્યું છે.
નેપાળની હાલત અત્યારે ઘણી ખરાબ છે. પૂર બાદ નેપાળનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હજુ પણ અંદાજે ૨૫૦૦થી વધારે લોકો ગુમ છે. આવી પરિસ્થિતિ વચ્ચે નેપાળ પોલીસે ૨૯ લોકોની ધરપકડ કરી છે. આ તમામ પર પૂરના પાણીમાં તણાઈને આવેલા બેંકના સેફ બોક્સને તોડીને તેમાંથી પૈસા ચોરવાનો આરોપ લાગ્યો છે.
ધરપકડ કરાયેલા શખ્સો પાસેથી ૯૨ લાખ ૬૮ હજાર ૫૦૫ નેપાળી રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ આખી કાર્યવાહી નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળની સંયુક્ત ટીમે મળીને કરી હતી. પોલીસ અધિકારી શૈલેન્દ્ર થાપાએ જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પૂરના પાણીમાં કોઈ બેંકનું સેફ બોક્સ તણાઈ ગયું હતું અને તે ત્રિશૂલી નદીના કિનારે પહોંચી ગયું હતું. ત્યારબાદ કેટલાક લોકોએ મોકાનો ફાયદો ઉઠાવીને સેફ બોક્સ તોડવા પ્રયાસ કર્યો, જેથી તેમાં રાખેલી રકમ કાઢી શકાય. પોલીસને આની જાણ થતાં જ ઘટના સ્થળે ટીમ મોકલવામાં આવી અને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. ડ્ઢજીઁ પ્રકાશ દાહાલે પણ આ ધરપકડની પુષ્ટિ કરી છે. હજુ તપાસ કરવામાં આવી રહી છે કે આ આખા મામલામાં અન્ય કોણ-કોણ સામેલ છે.
ઇન્ફોસિસે ૨૮ ઓગસ્ટના રોજ જણાવ્યું હતું કે, નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ તેની સબસિડિયરી કંપની ‘ઇન્ફોસિસ પબ્લિક સર્વિસીઝ’ ના પ્રમુખ લેક્સ ગોપીસેટ્ટીનો હાલ સંપર્ક થઈ શકતો નથી.IT સર્વિસની મોટી કંપની ઇન્ફોસિસની સબસિડિયરી ‘ઇન્ફોસિસ પબ્લિક સર્વિસીઝ’ મુખ્યત્વે અમેરિકા અને કેનેડામાં પબ્લિક સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બેંગલુરુમાં હેડક્વાર્ટર ધરાવતી આIT કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ગોપીસેટ્ટી વ્યક્તિગત રીતે નેપાળ બાજુના કોઈ એક વિસ્તારના પ્રવાસે હતા અને કંપનીની પ્રથમ પ્રાથમિકતા તેમની સુરક્ષા તેમજ સુખાકારી સુનિશ્ચિત કરવાની છે. ઇન્ફોસિસે જણાવ્યું, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે, અમારા સહયોગી લેક્સ ગોપીસેટ્ટી, જેઓ વ્યક્તિગત રીતે તે વિસ્તારના પ્રવાસે હતા, હાલમાં તેમનો સંપર્ક થઈ શકતો નથી. કંપનીએ વધુમાં ઉમેર્યું કે, તે માહિતી એકત્ર કરવા અને ગોપીસેટ્ટીનો સંપર્ક સાધવા માટે સંબંધિત એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. ઇન્ફોસિસે એમ પણ કહ્યું કે, તે તેમના પરિવારના સતત સંપર્કમાં છે અને આ મુશ્કેલ સમયમાં તમામ જરૂરી મદદ પૂરી પાડી રહી છે. ઇન્ફોસિસે કહ્યું, અમે પરિવારના નજીકના સંપર્કમાં છીએ અને આ કપરા સમય દરમિયાન તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ.
Loading ...
