‘તહેલકા’ મેગેઝિનના પૂર્વ એડિટર તરુણ તેજપાલને ૨૦૧૩ના ચકચારી જાતીય શોષણ અને દુષ્કર્મના કેસમાં બોમ્બે હાઈ કોર્ટની ગોવા બેન્ચે દોષિત ઠેરવતા ૧૦ વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં અગાઉ ૨૦૨૧માં ટ્રાયલ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા, જે ચુકાદાને હાઈકોર્ટે પલટી નાંખ્યો છે. આ મામલો વર્ષ ૨૦૧૩નો છે. ૭ અને ૮ નવેમ્બર, ૨૦૧૩ના રોજ ગોવા સ્થિત એક હોટેલમાં યોજાયેલા ‘થિંકફેસ્ટ’ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર તરુણ તેજપાલ પર તેમની જ જુનિયર મહિલા સહયોગીએ હોટેલની લિફ્ટમાં જાતીય સતામણી કરવાનો ગંભીર આરોપ હતો.
આ કેસની સુનાવણી વર્ષ ૨૦૧૭માં માપુસાની ટ્રાયલ કોર્ટમાં શરૂ થઈ હતી. લાંબી કાયદાકીય લડાઈ બાદ વર્ષ ૨૦૨૧માં ટ્રાયલ કોર્ટે તરુણ તેજપાલને આ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરીને બરી કરી દીધા હતા. જાે કે, આ ચુકાદા સામે રાજ્ય સરકાર દ્વારા બોમ્બે હાઈ કોર્ટની ગોવા બેન્ચમાં અપીલ દાખલ કરાઈ હતી. આ સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલત સમક્ષ દોષિતને સખતમાં સખત સજા આપવાની માંગણી કરી હતી. તેમણે કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે ‘પીડિતા, જે તેજપાલની પુત્રીની ઉંમરની હતી, તેણે વારંવાર ના પાડવા છતાં આ ગુનો આચરાયો હતો. કોર્ટે સ્પષ્ટ સંદેશ આપવો જાેઈએ કે જ્યારે કોઈ છોકરી ‘ના‘ કહે છે, ત્યારે તેનો મતલબ ફક્ત ‘ના‘ જ થાય છે.’
દોષિત જાહેર થયા બાદ તરુણ તેજપાલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પોતાને પીડિત ગણાવતા કહ્યું હતું, ‘હું ૬૨ વર્ષનો છું અને મારું માનવું છે કે હું પીડિત છું. મારી પત્ની છે અને આ સિવાય કહેવા માટે વધુ કંઈ નથી. હું ફક્ત એટલું કહી શકું છું કે અમે ઉચ્ચ કોર્ટમાં અપીલ કરી શકીશું. કૃપા કરીને મારા પ્રત્યે નરમી રાખો.’ અગાઉ તેમણે આ ઘટના અંગે ખેદ વ્યક્ત કરતા તેને સ્થિતિની ગેરસમજ ગણાવી હતી, જ્યારે બાદમાં રાજકીય બદલાની ભાવનાનો શિકાર બન્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ હવે તેમની પોતાની જ મુશ્કેલીઓ વધારી રહ્યો છે અને અમેરિકા પર ભારે પડી રહ્યો છે. વિતેલા વર્ષના એપ્રિલ મહિનામાં તેમણે વિશ્વના તમામ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનું શરૂ કર્યું હતું, જેના કારણે વૈશ્વિક સ્તરે ટ્રેડ વોરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જાેકે, આ ટેરિફ સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતા અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને મોટો આંચકો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્ત્વના ચુકાદામાં આંતરરાષ્ટ્રીય આપાતકાલીન આર્થિક શક્તિ અધિનિયમ (IEEPA)હેઠળ લાદવામાં આવેલા ટેરિફના મોટા હિસ્સાને ગેરકાયદે ગણાવીને રદ કર્યો છે. આ સાથે જ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને વસૂલેલી રકમ રિફંડ કરવાનો આદેશ પણ આપ્યો હતો. તાજેતરની અપડેટ મુજબ, આ આદેશ બાદ આશરે $100 અબજનું ટેરિફ કલેક્શન પરત કરી દેવામાં આવ્યું છે.
અમેરિકન કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી એક અરજીમાં ટેરિફ રિફંડ અંગે મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે, સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ પ્રશાસને આશરે $100 અબજની રકમ પરત કરી દીધી છે.US આંતરરાષ્ટ્રીય વ્યાપાર ન્યાયાલયમાં રજૂ કરાયેલી અરજી મુજબ, વ્યાજ સહિત રિફંડની પ્રક્રિયા સરકારની કસ્ટમ્સ રિફંડ સિસ્ટમ દ્વારા પૂરી કરી દેવામાં આવી છે અને નાણાંના વિતરણ માટે આ રકમ નાણા વિભાગને મોકલી આપવામાં આવી છે.રિપોર્ટ અનુસાર, રદ કરાયેલા આશરે ઇં૧૬૬ અબજના ટેરિફમાંથી આ અડધાથી વધુ રકમનું રિફંડ છે. ચાલુ વર્ષની શરૂઆતમાં ૨૦ ફેબ્રુઆરીના રોજ ૬-૩ની બહુમતીથી આપવામાં આવેલા ઐતિહાસિક ચુકાદામાં કોર્ટે આ ટેરિફને અમાન્ય જાહેર કર્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા ઇમરજન્સી માટે ૧૯૭૭માં બનેલા કાયદાનો ઉપયોગ કરીને વ્યાપારી ભાગીદારો પર આકરો ટેરિફ લાદીને ટ્રમ્પે પોતાના અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે.
તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં સામાન્ય માણસના રસોડા અને ખિસ્સાનું બજેટ ભારે ખોરવાઈ ગયું છે. પ્રાઇસ મોનિટરિગ સિસ્ટમના ડેટા દર્શાવે છે કે છેલ્લા પાંચ મહિનામાં લગભગ દરેક રાશનની વસ્તુના ભાવમાં વધારો થયો છે. સરકારી આંકડા મુજબ, છેલ્લા પાંચ મહિનામાં ૧૬ માંથી ૧૫ આવશ્યક દૈનિક ખાદ્ય ચીજાેના ભાવમાં વધારો થયો છે. આનો અર્થ એ થયો કે દેશમાં ૯૯% રાશન વસ્તુઓ હવે ઊંચા ભાવે ઉપલબ્ધ છે. રક્ષાબંધનથી દિવાળી સુધી, તહેવારોની મોસમ શરૂ થવાની છે,પરંતુ આ પહેલા, સરકારી ડેટાએ સામાન્ય લોકોની ચિતા વધારી દીધી છે. ગ્રાહક બાબતોના વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ મહિનામાં લગભગ દરેક ખાદ્યપદાર્થો મોંઘી થઈ ગઈ છે. શ્રાવણની શરૂઆત સાથે, દેશમાં તહેવારોની મોસમ આવી રહી છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવથી લઈને દિવાળી સુધી, મુખ્ય તહેવારોની શ્રેણી આવવાની છે. પરંતુ આ તહેવારોની મોસમ પહેલા, સામાન્ય માણસના રસોડા અને ખિસ્સાનું બજેટ ભારે ખોરવાઈ ગયું છે. ગ્રાહક બાબતોના વિભાગના ભાવ મોનિટરિગ સિસ્ટમના ડેટા દર્શાવે છે કે છેલ્લા પાંચ મહિનામાં લગભગ દરેક રાશનની વસ્તુના ભાવમાં વધારો થયો છે. નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને આયાતી ખાદ્ય તેલના ભાવ ઘટશે નહીં, ત્યાં સુધી સ્થાનિક બજારમાં રાહતની શક્યતા ઓછી છે. વધુમાં, જાે ચોમાસાની ઋતુનો બીજાે ભાગ સારો નહીં રહે, તો તહેવારોની ઋતુ દરમિયાન કઠોળ અને ખાદ્ય તેલના ભાવ પર દબાણ વધુ વધી શકે છે.
શું-શું, કેટલું મોંઘું થયું?
• તુવેર દાળના ભાવમાં આશરે રૂા.૬ પ્રતિ કિલોનો વધારો થયો છે, જે રૂા.૧૨૩.૪૬ પર પહોંચી ગયો છે.
• ચણાની દાળ રૂા.૮૬.૬૬ અને અડદની દાળ રૂા.૧૨૧.૫૧ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
• સરસવના તેલના ભાવમાં પ્રતિ લિટર રૂા.૭.૫૬નો વધારો થયો છે, જે રૂા.૧૯૬.૪૪ પર પહોંચી ગયો છે.
• સોયાબીન, સૂર્યમુખી અને પામ તેલના ભાવમાં પણ ૪ થી ૪.૫ ટકાનો વધારો થયો છે.
• દૂધના ભાવમાં પણ પ્રતિ લિટર રુા.૩નો વધારો થયો છે.
• ઉત્સવની માગ અને ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીના વપરાશને કારણે ખાંડ રૂા.૨.૨૫ મોંઘી થઈ છે અને રૂા.૪૯.૩૩ પ્રતિ કિલો થઈ છે.
• પૂરતા સરકારી ઘઉંના સ્ટોક અને સુધારેલા પુરવઠાને કારણે, લોટના ભાવ (રૂા.૩૭.૩૫/કિલો) સ્થિર રહ્યા છે અને તેમાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો નથી.
અર્થશાસ્ત્રીઓનું શું કહેવું છે?અર્થશાસ્ત્રીઓ અને બજાર નિષ્ણાતોના મતે, તહેવારો પહેલા આ ફુગાવા માટે ત્રણ મુખ્ય વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. પહેલું નબળું અને અનિશ્ચિત ચોમાસું છે, જેના પરિણામે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કઠોળના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે. આના કારણે આગામી દિવસોમાં ઉત્પાદનમાં ઘટાડો અને આયાત વધવાની આશંકા હોવાથી બજારમાં ભાવ વધી રહ્યા છે. પ.એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવથી વૈશ્વિક પુરવઠા શૃંખલા પર અસર પડી છે. ભારત મોટા પ્રમાણમાં ખાદ્ય તેલની આયાત કરે છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ પામ અને સોયાબીન તેલની કિમતમાં વધારો થયો છે. રક્ષાબંધન અને દિવાળીની અપેક્ષાએ, કન્ફેક્શનર્સ, પ્રોસેસર્સ અને રિટેલર્સ દ્વારા આગોતરી સ્ટોકિગ શરૂ થઈ ગયું છે, જેના કારણે બજારમાં માગમાં અચાનક વધારો થયો છે.
જાે તમને કોઈ એમ કહે કે તમારા ઘર કે ગામનું ગાયનું છાણ અને કચરો તમને કરોડપતિ બનાવી શકે છે, તો તમને કદાચ મજાક લાગશે, પરંતુ આ વાત હવે સો ટકા સાચી સાબિત થવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશના ઊર્જા ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્રને પલટી નાખનાર એક ઐતિહાસિક ર્નિણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુરુવારે દેશની ઈકોનોમીને અસર કરતાં ગોબરધન યોજનાને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ભારતમાં ગેસ બનાવવા અને વિતરણને પ્રોત્સાહન મળશે. સરકારે દેશમાં બાયોગેસ ઉત્પાદનને નવી દિશા આપવા માટે ૨૩,૭૩૧ કરોડ રૂપિયાની ગોવર્ધન રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી છે. આ યોજના ૨૦૨૬-૨૭થી ૨૦૩૫-૩૬ સુધી ચાલશે. તેનો ઉદ્દેશ્ય ગોબર, પાકના અવશેષ, શહેરોનો જૈવિક કચરો અને બીજા બાયોમાસથી કંપ્રેસ્ડ બાયોગેસ બનાવવાનો છે.
આ યોજનાનો સૌથી મોટો ફાયદો ખેડૂતોને મળશે. હવે ગોબર અને ખેતીનો કચરો ખાલી ખેતરો સુધી મર્યાદિત નહીં રહે, ખેડૂતો તેને બાયોગેસ પ્લાન્ટને વેચીને વધારાની કમાણી કરી શકશે. તેનાથી પરાળી અને બીજા ખેતીના કચરાને સળગાવવાની જરૂરિયાત પણ ઓછી થશે, જેનાથી પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે.
સરકારનો ટાર્ગેટ દેશમાં બાયોગેસ ઉત્પાદનને હાલના સ્તરથી લગભગ ૧૦ ગણું વધારવાનું છે. તેના માટે દેશભરમાં નવા કંપ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવશે અને ખાનગી કંપનીઓ સાથે ઉદ્યમીઓને પણ રોકાણ માટે પ્રોત્સાહિત કરાશે. બાયોગેસ પ્લાન્ટ લગાવવાથી ગામમાં રોજગારના નવા અવસર પેદા થશે. કચરાનો સંગ્રહ, પરિવહન પ્રોસેસિંગ અને ગેસ ઉત્પાદન સાથે જાેડાયેલા કેટલાય નવા કારોબાર શરૂ થઈ શકશે. તેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળશે. યોજના અંતર્ગત બાયોગેસ ખરીદની ગેરેન્ટી આપવામાં આવશે, જેથી પ્લાન્ટ લગાવનારાને બજારની ચિંતા ન રહે. બાયોગેસ માટે નિશ્ચિત અને સ્થિર કિંમત મળશે. નવા પ્લાન્ટ લગાવવા લોન અને સબ્સિડી અપાશે. ગેસની સપ્લાય વધારવા માટે પાઈપલાઈન નેટવર્ક વિકસિત કરાશે. આ ઉપરાંત એમએસએમઈ અને બીજા ઉદ્યમીઓને સરળ લોન અને લોન ગેરેન્ટીની સુવિધા મળશે.
સરકાર કરોડોની સબસિડી અને પાઇપલાઇન કનેક્શનની સુવિધા આપશે
નવો પ્લાન્ટ સ્થાપવા માટે નાણાકીય મુશ્કેલી ન
પડે તે માટે સરકાર ક્ષમતાના આધારે પ્રતિ ટન રૂપિયા બે કરોડ સુધીની સીધી મૂડી સહાય (સબસિડી) પૂરી પાડી રહી છે. આ ભંડોળ મશીનરીથી લઈને કચરો એકત્ર કરવાની સિસ્ટમ સુધીના કાર્યોમાં ઉપયોગમાં લઈ શકાશે. આ ઉપરાંત, પ્લાન્ટથી લઈને શહેરની મુખ્ય ગેસ પાઇપલાઇન સુધી જાેડાણ કરવાનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે અને બેંક લોન માટે ગેરંટી પણ આપશે. ગેસ વેચવા ઉપરાંત પાછળ બચેલા ઉત્તમ ગુણવત્તાના કાર્બનિક ખાતરને વેચીને ખેડૂતો અને પ્લાન્ટ માલિકો બમણો નફો કમાઈ શકશે.
સ્વર્ગસ્થ જાણીતા ઉદ્યોગપતિ સંજય કપૂરની સંપત્તિ અને કૌટુંબિક ટ્રસ્ટને લઈને પરિવારમાં ચાલી રહેલા હાઈ-પ્રોફાઈલ વિવાદમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ પારિવારિક ઝઘડાનો સૌહાર્દપૂર્ણ અને કાયમી ઉકેલ લાવવા માટે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની મધ્યસ્થી તરીકે નિમણૂક કરી છે. કોર્ટે આ મામલે અત્યાર સુધીની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં આશા વ્યક્ત કરી છે કે બંને પક્ષો ટૂંક સમયમાં જ સમાધાન પર પહોંચી શકે છે.
આ કાનૂની લડાઈ સ્વર્ગસ્થ સંજય કપૂરની ૮૦ વર્ષીય માતા રાની કપૂર અને તેમની પત્ની પ્રિયા કપૂર વચ્ચે સંપત્તિના હકને લઈને ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સામે આવ્યું હતું કે પૂર્વ ઝ્રત્નૈં ડી.વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળ અત્યાર સુધી મધ્યસ્થીના છ મહત્વના સત્રો યોજાઈ ચૂક્યા છે, જેમાં પરિવારના તમામ સભ્યો સાથે વિગતવાર વાતચીત કરવામાં આવી છે.
રાની કપૂર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવેએ કોર્ટને જણાવ્યું હતું કે મધ્યસ્થી પ્રક્રિયા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે, પરંતુ મધ્યસ્થી ફીને લઈને કેટલીક મુશ્કેલીઓ છે. તેમણે ઉમેર્યું કે ૮૦ વર્ષની વયે પહોંચેલા રાની કપૂર હાલમાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
Loading ...
