કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, જેઓ તેમના બેબાક નિવેદનો માટે જાણીતા છે, તેમણે ફરીથી એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે.
નાગપુુરમાં આયોજિત એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, ચૂંટણીમાં શિક્ષિત વિસ્તારો કરતાં ક્રિમિનલ, અંડરવર્લ્ડ અને રેડ લાઇટ વિસ્તારોમાંથી મને વધુ વોટ મળ્યા હતા. ગડકરીનું આ નિવેદન હવે વાયરલ થઈ રહ્યું છે. નાગપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ચૂંટણીમાં શિક્ષિત લોકો કરતાં અંડરવર્લ્ડ અને રેડ લાઇટ વિસ્તારોમાંથી મને વધુ વોટ મળ્યા હતા. શહેરના મોટા અને શિક્ષિત વિસ્તારોમાં મને કુલ મતદાન ટકાવારીના લગભગ ૭૦-૭૫% વોટ મળ્યા, જ્યારે ગુનેગાર, અંડરવર્લ્ડ અને રેડ લાઇટ વિસ્તારોમાંથી મને ૯૨% વોટ મળ્યા. ગડકરીએ હસતાં હસતાં કહ્યું કે, નાગપુરમાં અંડરવર્લ્ડ અને અસામાજિક કાર્યો સાથે જાેડાયેલા લગભગ ૯૯% લોકો મારા સમર્થક છે. જાેકે આનો અર્થ બિલકુલ એવો નથી કે હું તેમના કામ કે પ્રવૃત્તિઓનું સમર્થન કરું છું. મારો આ તમામ લોકો સાથે સંબંધ છે પરંતુ તેને ખોટા અર્થમાં લેવો જાેઈએ નહીં.ગડકરીએ વધુમાં સ્પષ્ટતા કરી કે, આનો અર્થ એવો ન કાઢવો જાેઈએ કે મારા તે લોકો સાથે સંબંધ છે અથવા હું તેમના કામોનું સમર્થન કરું છું. તે વિસ્તારોમાં રસ્તા બનાવડાવવા અને સામાજિક કાર્ય કરવાના કારણે ત્યાંના લોકોએ મને વોટ આપ્યા.
આ અગાઉ પણ નીતિન ગડકરીના અનેક નિવેદનો ચર્ચામાં આવ્યા છે. તેઓ કોઈ પૂર્વધારણા વગર પોતાની વાત મૂકનાર નેતા માનવામાં આવે છે. વિતેલા દિવસોમાં તેમણે જાતે જ કહ્યું હતું કે ખૂબ કામ કરી લીધું, હવે નવી પેઢીને તક મળે.
નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-૨૦૨૪નો ભવ્ય સમારોહ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાનાર છે.રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના ૭૦ વર્ષથી વધુના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની બહાર આ પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે, જે ગુજરાત અને નર્મદા જિલ્લા માટે વિશેષ ગૌરવની ક્ષણ બની રહેશે.
ભારતીય સિનેમા જગતમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓને સન્માનિત કરતા આ રાષ્ટ્રીય સમારોહમાં કુલ ૯૨ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આશરે ૭૫ મિનિટના ભવ્ય સમારોહમાં પુરસ્કારો એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાના આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ-બે એરિયા ખાતે જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ તૈયાર કરવામાં આવશે.કાર્યક્રમ સ્થળે અંદાજે ૧,૦૦૦ મહેમાનોની બેઠક ક્ષમતા સાથે જરૂરી માળખાકીય અને અન્ય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જેવા અતિમહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું સુચારૂં અને ગરિમાપૂર્ણ આયોજન થાય તે માટે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.બેઠકમાં કાર્યક્રમની વ્યવસ્થા, સુરક્ષા, પ્રોટોકોલ, મહાનુભાવોના આગમન-પ્રસ્થાન, સ્થળ વ્યવસ્થા તેમજ અન્ય આનુષંગિક તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
કુઆલાલંપુરથી ચેન્નાઈ આવી રહેલી મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ MH156માં મધ્ય આકાશમાં જ એક ભયાનક ટેકનિકલ ખામી સર્જાતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. વિમાન પોતાના ગંતવ્ય સ્થાન નજીક પહોંચવામાં જ હતું ત્યારે તેના બીજા નંબરના એન્જિનમાં અચાનક ગંભીર ખામી સર્જાઈ હતી. જાેકે, પાયલોટે અત્યંત માનસિક સંતુલન અને સૂઝબૂઝ દાખવીને ચેન્નાઈ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી માંગી હતી.
ઇમરજન્સીનો સિગ્નલ મળતાં જ ચેન્નાઈ એરપોર્ટ પર તાત્કાલિક ધોરણે હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું.
રનવેની આસપાસ ફાયર ફાઇટરો, ગ્રાઉન્ડ સ્ટાફ, મેડિકલ એમ્બ્યુલન્સ અને સીઆઈએસએફના જવાનોને કોઈપણ કટોકટી પહોંચી વળવા સ્ટેન્ડબાય પર રાખી દેવાયા હતા. વિમાનમાં ૧૮૬ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમના જીવ અધ્ધર થઈ ગયા હતા.
સદનસીબે, અનુભવી પાયલોટે વિમાનનું રનવે પર સલામત અને સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં સફળતા મેળવી હતી. એરપોર્ટ પ્રશાસન અને ઈમરજન્સી ટીમોએ તાત્કાલિક તમામ ૧૮૬ મુસાફરો અને ક્રૂ સભ્યોને સહીસલામત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કોઈને પણ ઈજા પહોંચી ન હોવાથી પ્રશાસન અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુપ્રીમ કોર્ટે સોમવારે મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષોના સભ્યો દ્વારા ડૉક્ટરો સાથે થતી મારામારીની વધતી ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે સરકારને કડક સૂચના આપી છે કે ડૉક્ટરો પર હુમલો કરનારા આવા રાજકારણીઓની તાત્કાલિક અટકાયત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની એક હૉસ્પિટલમાં શિવસેના નેતાઓ દ્વારા ડૉક્ટરો અને અન્ય કર્મચારીઓ સાથે કરવામાં આવેલી મારામારીના બીજા જ દિવસે આવી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે વહેલી સવારે રિલીફ હૉસ્પિટલમાં બની હતી. દહી હાંડી ઉત્સવ દરમિયાન ઘાયલ થયેલા એક વ્યક્તિને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાના મુદ્દે હૉસ્પિટલના પેસેજમાં અચાનક વિવાદ અને હંગામો શરૂ થયો હતો.
હૉસ્પિટલના એક કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, શિવસેનાના જિલ્લા પ્રમુખ કુંદન સંખે, શહેર પ્રમુખ રાહુલ ઘરત અને અન્ય લોકો હૉસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ઘૂસી ગયા હતા અને ડૉક્ટરો સાથે બહેસ કરવા લાગ્યા હતા. સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે પાર્ટીના કેટલાક સભ્યો હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પણ જબરદસ્તી ઘૂસી ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે જ્યારે એક રિસેપ્શનિસ્ટે વચગાળાનો રસ્તો કાઢવા અને બચાવ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે એક આરોપીએ તેને થપ્પડ મારી દીધી હતી.
દિલ્હીના પ્રતિષ્ઠિત સાઉથ કેમ્પસ પાસે આવેલા સત્ય નિકેતન વિસ્તારમાં તાજેતરમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે બોય્ઝ પીજી તરીકે વપરાતી બે ઇમારતો અચાનક ધરાશાયી થતાં ૭ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે, જ્યારે કાટમાળમાંથી ૧૨ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું કે, આ ઘટના માટે માત્ર બિલ્ડિંગનો માલિક જ નહીં, પરંતુ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ રહેલું મ્યુ. કોર્પોરેશન પણ એટલું જ જવાબદાર છે.
દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલીPIL પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસની બેન્ચે દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર, MCD, , દિલ્હી પોલીસ, દિલ્હી યુનિવર્સિટી અને નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનને નોટિસ પાઠવી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તેઓ દિલ્હી સરકાર, કેન્દ્ર અને MCD, તરફથી હાજર રહેશે. કોર્ટે આ ઘટનાને અત્યંત દર્દનાક અને કમનસીબ ગણાવી હતી અને કેસની આગામી સુનાવણી ૨૬ સપ્ટેમ્બરે નિયત કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે બહારના રાજ્યોમાંથી દિલ્હી ભણવા આવતા યુવાનો માટે ડ્ઢેં પાસે પૂરતા હોસ્ટેલની વ્યવસ્થા નથી, જેના કારણે વિદ્યાર્થીઓએ નાછૂટકે અસુરક્ષિત ખાનગી પીજીમાં રહેવું પડે છે. કોર્ટે MCD, ને ઉચ્ચ સ્તરે તપાસ કરવાનો આદેશ આપ્યો છે કે ધરાશાયી થયેલી ઇમારત પરવાનગી સાથે બની હતી કે નહીં. કોર્ટે અવલોકન કર્યું કે પીજી માલિકો મંજૂરી વિના વધારાના માળ બાંધી દે છે. મંજૂરી કદાચ ૨ માળની હોય અને બિલ્ડિંગ ૭ માળનું ખડકી દેવામાં આવે છે, જે આવી હોનારતોનું મુખ્ય કારણ બને છે. હાઈકોર્ટે MCD, ને સમગ્ર દિલ્હીમાં ચાલતાPG હોસ્ટેલોનું તાત્કાલિક ઓડિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથોસાથ દિલ્હી યુનિવર્સિટી પાસે પણ બહારથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા અને ઉપલબ્ધ હોસ્ટેલોનો ડેટા મંગાવ્યો છે. દુર્ઘટના બાદ દક્ષિણ દિલ્હી પોલીસે ફરાર થઈ ગયેલા બિલ્ડિંગ માલિક હરિરામ બંસલની ધરપકડ કરી લીધી છે. પોલીસ ટીમે તેના પાલમ વિહાર સ્થિત ઘરે દરોડા પાડ્યા બાદ તેને રાજસ્થાનના ભિવાડી ખાતેથી ઝડપી પાડ્યો છે.
ઈમારતના ફરાર માલિકને પોલીસે દબોચ્યો દિલ્હીના સત્ય નિકેતનમાં ૫ માળની ઈમારત તૂટી પડવાના મામલે એક મોટા સમાચાર આવ્યા છે. પોલીસે બિલ્ડિંગના માલિક હરિરામ બંસલને પકડ્યો છે. અકસ્માત બાદ તે ફરાર હતો અને પોલીસ તેની શોધમાં હતી. હાલ તેની પૂછપરછ થઈ રહી છે. પોલીસે હરિરામ બંસલ સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ઈમારતનો ઉપયોગ હોસ્ટેલ ડેઝ નામથી પીજી તરીકે થતો હતો. જ્યાં અનેક વિદ્યાર્થીઓ રહેતા હતા. અકસ્માત સમયે પણ ઈમારતમાં વિદ્યાર્થીઓ હાજર હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગના માલિક હરિરામ બંસલને પોલીસે અટકાયતમાં લીધો છે. ઘટના બાદથી તે ફરાર હતો અને પોલીસે તેના વિરુદ્ધ લૂટઆઉટ નોટિસ બહાર પાડી હતી. પોલીસે તેને રાજસ્થાનના ભિવાડીથી અટકમાં લીધો છે. હાલ તેની પૂછપરછ ચાલુ છે. પોલીસે સાઉથ કેમ્પસ પોલિસ સ્ટેશનમાં ઈમારતના માલિક હરિરામ અને અન્ય લોકો વિરુદ્ધ કેસ દાખલ કરેલો છે.
Loading ...
