ત્રિપુરાના DGP અનુરાગ ધનખડ પોલીસ હેડક્વાર્ટરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેસમાં આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રિપુરાના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અનેIPS અધિકારી અનુરાગ ધનખડ સોમવારે ૨૦ જુલાઈએ અગરતલામાં પોલીસ હેડક્વાર્ટર માં આવેલી પોતાની ઓફિસમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમણે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, અનુરાગ ધનખડPHQમાં પોતાની ઓફિસમાં લટકતી હાલતમાં મળી આવ્યા છે. તેમને તાત્કાલિક અગરતલાની જીબી પંત હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાં આગળની પ્રક્રિયા ચાલી રહી છે. જીબી પંત હોસ્પિટલના સિનિયર ડોક્ટર પ્રદીપ ભૌમિકે જણાવ્યું કે, જ્યારે તેમને બપોરે લગભગ ૧૨:૦૦ વાગ્યે અહીં લાવવામાં આવ્યા, ત્યારે અમારા ડોક્ટરોએ તેમની તપાસ કરી. અમને તેમના પલ્સ, બ્લડ પ્રેશર કે અન્ય કોઈ પેરામીટરના સંકેત મળ્યા નહીં, જે બાદ તાત્કાલિક ઈમરજન્સી યુનિટમાં કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR ) શરૂ કરવામાં આવ્યું. અમારી ટીમે લગભગ ૪૮ મિનિટ સુધી CPR આપ્યું. અમારા તમામ પ્રયાસો છતાં અમે તેમને બચાવી શક્યા નહીં અને બપોરે ૧૨:૪૮ વાગ્યે અમે તેમને મૃત જાહેર કર્યા. મૃત્યુનું કારણ પૂછવા પર મેડિકલ ઓફિસરે કહ્યું કે, અમે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેમના મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે.
યુક્રેન નજીક ‘સ્ફ ગોલ્ડન લિઓ’ જહાજ પર થયેલા હુમલામાં ૪ ભારતીય ક્રૂ સભ્યોના મોત થયા છે, જ્યારે ૧ ભારતીય ગંભીર રીતે ઘાયલ છે. વિદેશ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઓડેસા બંદર પરથી અનાજ લઈને નીકળેલા આ જહાજ પર ૧૯ જુલાઈએ હુમલો થયો હતો. ભારતે આવા હુમલાઓની સખત નિંદા કરી છે.
યુક્રેન નજીક દરિયામાં એક જહાજ પર થયેલા હુમલામાં ૪ ભારતીય ક્રૂ સભ્યોના મોત થયા છે, જ્યારે એક ભારતીય નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો છે. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટના અંગે જાણકારી આપી છે. આ હુમલો ‘માય ગોલ્ડન લિઓ’ નામના જહાજ પર થયો હતો. આ જહાજ યુક્રેનના ઓડેસા બંદર પરથી રવાના થઈ રહ્યું હતું ત્યારે જ તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧૯ જુલાઈએ યુક્રેનના ઓડેસા બંદર પરથી નીકળતી વખતે ‘સ્ફ ગોલ્ડન લિઓ’ નામના જહાજ પર હુમલો થયો હતો. ઘટના સમયે જહાજ પર કુલ ૧૭ ક્રૂ સભ્યો હાજર હતા, જેમાંથી ૫ ભારતીય નાગરિકો હતા. આ હુમલામાં ૪ ભારતીયોના મૃત્યુ થયા છે, જ્યારે એક ભારતીય નાગરિક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિદેશ મંત્રાલયે આપેલી માહિતી મુજબ યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસ આ સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે અને પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે મૃતક ભારતીય નાગરિકોના પરિવારો પ્રત્યે ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલ ભારતીય નાગરિક ઝડપથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય તેવી કામના કરી છે.
ભારત આવા હુમલાઓની સખત નિંદા કરે છે. ભારતે રોષ ઠાલવતાં કહ્યું છે કમર્શિયલ શિપિંગને નિશાન બનાવવું, નિર્દોષ નાગરિકો (ક્રૂ સભ્યો)ના જીવ જાેખમમાં મૂકવા તેમજ નેવિગેશન અને વેપારની સ્વતંત્રતામાં અવરોધ ઊભો કરવોએ અત્યંત નિંદનીય છે અને આવું ન થવું જાેઈએ.
ન્યુ જર્સીના પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના હાઈ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલામાં સ્પેને શાનદાર પ્રદર્શન કરતા ગત ચેમ્પિયન આર્જેન્ટિનાને ૧-૦થી હરાવીને ફૂટબોલ જગત પર પોતાનો કબજાે જમાવ્યો છે. આ જીત સાથે સ્પેને ૧૬ વર્ષ લાંબો વર્લ્ડ કપનો દુકાળ ખતમ કર્યાે છે. અગાઉ સ્પેનિશ ટીમ ૨૦૧૦માં ચેમ્પિયન બની હતી. બીજી તરફ, લિયોનેલ મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાની ટીમ પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહી હતી અને સતત બે વાર વર્લ્ડ કપ જીતવાનો ઇટાલી અને બ્રાઝિલનો ઐતિહાસિક રેકોર્ડ બરાબરી ચૂકી ગઈ હતી. જેના બાદ મેદાનમાં મેસી રડતો દેખાયો હતો. ફાઇનલ મેચમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જાેવા મળી હતી. નિર્ધારિત ૯૦ મિનિટના સમય સુધી બંનેમાંથી એકપણ ટીમ ગોલ કરી શકી નહોતી અને સ્કોર ૦-૦ ની બરાબરી પર રહ્યો હતો. આથી મેચ એક્સ્ટ્રા ટાઈમમાં પ્રવેશી હતી. મેચની ૧૦૬મી મિનિટે સ્પેન માટે સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે આવેલા ફેરાન ટોરેસે નિકો વિલિયમ્સના શાનદાર પાસ પર ગોલ ફટકારીને સ્પેનને ૧-૦ની નિર્ણાયક લીડ અપાવી હતી, જે અંત સુધી જળવાઈ રહી હતી અને ટોરેસ જીતનો અસલી હીરો બન્યો હતો.
અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના ચકચારી કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી છે. આજે દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજાેની બેન્ચ સમક્ષ આ મામલાની સુનાવણી થઈ હતી. દેશની સર્વોચ્ચ અદાલતે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોઈ સિનિયરIPS અધિકારીની આગેવાની હેઠળ ગુનાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું પુનર્ગઠન કરવાનો મહત્ત્વનો આદેશ આપ્યો છે. બીજી તરફ, સરકાર પક્ષે હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને માહિતી આપી હતી કે આ મામલે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી દેવામાં આવ્યો છે. તેમણે કોર્ટને વધુમાં જણાવ્યું કે આ કેસની તપાસ ખૂબ જ સક્રિયતાથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કુલ ૮ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જાેયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલને સવાલ કર્યો હતો કે, હાલમાં આ કેસની તપાસ કોણ ચલાવી રહ્યું છે? આ પ્રશ્નના જવાબમાં સોલિસિટર જનરલે જણાવ્યું કે, આ સમગ્ર ઘટના પાછળનું સત્ય બહાર લાવવા માટે પહેલા એક SIT રચના કરવામાં આવી હતી. હાલમાં પોલીસ તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જીૈં્ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ એક કોગ્નિઝિબલ ઓફેન્સ (એવો ગંભીર ગુનો જેમાં પોલીસ વોરંટ વગર પણ આરોપીની ધરપકડ કરી શકે છે) છે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, કોર્ટ આ કેસની તપાસના દરેક પાસા પર બારીકાઈથી નજર રાખી રહી છે અને આગામી ૩-૪ દિવસમાં આ મામલે ફરી સુનાવણી કરવામાં આવશે. તેમણે સરકારને તપાસ માટે વરિષ્ઠ અધિકારીઓ સાથેની એક નવી અને સક્ષમ એસઆઈટી બનાવવાની તાકીદ કરી હતી, જેના પર સોલિસિટર જનરલે સહમતી દર્શાવતા કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં નવી ટીમ તૈયાર કરીને તેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરશે.
સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે સોમવારે પોતાની ૨૩ દિવસ લાંબી ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. કેન્દ્રીય મંત્રી JP નડ્ડાએ ઝ્રત્નઁના પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કર્યા બાદ તેમણે આ ર્નિણય લીધો હતો. જંતર-મંતર પર ઉપવાસ દરમિયાન વાંગચુકનું સ્વાસ્થ્ય બગડતાં ૧૮ જુલાઈએ તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમના શરીરમાં પાણીની ઉણપ (ડિહાઇડ્રેશન), પોટેશિયમનું ખૂબ નીચું સ્તર અને વધેલા કીટોન લેવલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વાંગચુક છેલ્લા ૨૩ દિવસથી પોતાની માંગણીઓને લઈને ભૂખ હડતાળ પર હતા. તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. સોમવારે કેન્દ્રીય મંત્રી JP નડ્ડા સાથે થયેલી ચર્ચા બાદ તેમણે પોતાનો ઉપવાસ સમાપ્ત કરવાનો ર્નિણય લીધો હતો.CJPના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત બાદ JP નડ્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે વાતચીતની પહેલ પ્રથમ વખત પ્રદર્શનકારીઓ તરફથી કરવામાં આવી હતી. તેમણે લખ્યું કે, ‘આજે સવારે પ્રથમ વખત પ્રદર્શનકારીઓ તરફથી સરકાર સાથે વાતચીત કરવાનો પ્રસ્તાવ આવ્યો હતો અને સવારે ૧૧:૫૦ અમારી ચર્ચા ચાલી રહી છે. ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મુલાકાત થઈ છે. તેમના પ્રતિનિધિમંડળ સાથે પહેલા વિસ્તૃત મૌખિક ચર્ચા થઈ અને ત્યારબાદ લગભગ ૪ વાગ્યે તેમણે મને લેખિત અરજી સોંપી હતી. મેં તમામ પ્રદર્શનકારીઓને વિનંતી કરી કે તેઓ પોતાના ધરણા સમાપ્ત કરે અને સામાન્ય સ્થિતિ પુન:સ્થાપિત કરવામાં વહીવટીતંત્રને સહકાર આપે.’ આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટી ના સ્થાપક અભિજીત દીપકેએ પણ પોતાનો આમરણ ઉપવાસ સમાપ્ત કરી દીધો છે. દીપકેએ ૧૮ જુલાઈએ સોનમ વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ભૂખ હડતાળ શરૂ કરી હતી. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ સાથે થયેલી પોતાની મુલાકાત પર કહ્યંુ આજે સવારે પ્રથમવાર પ્રદર્શનકારીઓ તરફથી સરકારની સાથે વાતચીત કરવાનો પ્રસ્તાવ આવ્યો અને સવારે ૧૧.૫૦ કલાકથી અમારી વાતચીત જારી છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મુલાકાત થઈ. તેમના ડેલીગેશનની સાથે વિસ્તારથી પહેલા મૌખિક ચર્ચા થઈ અને તેના દ્વારા લગભગ ૪ કલાકે મને લેખિત અરજી આપવામાં આવી. મેં બધા પ્રદર્શનકારીઓને વિનંતી કરી છે કે તે પોતાના ધરણા સમાપ્ત કરે અને સામાન્ય સ્થિતિ બહાલ કરવામાં તંત્રની મદદ કરે.
સીજેપી તરફથી ત્રણ માંગ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાની સામે રાખવામાં આવી છે. તેમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારજનોને વળતર અને સોનમ વાંગચુકને તત્કાલ છોડવામાં આવે. સીજેપી પ્રવક્તા સૌરભ દાવ તરફથી કહેવામાં આવ્યું કે મંત્રીએ અમને વિશ્વાસ અપાવ્યો કે આ મુદ્દે યોગ્ય જગ્યાએ વાતચીત થશે. પરંતુ હજુ કોઈ ગેરંટી આપવામાં આવી નથી.
Loading ...
