મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. એક શંકાસ્પદ વ્યક્તિએ પોતાને વડાપ્રધાન કાર્યાલય (PMO))નો અધિકારી ગણાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, તપાસ દરમિયાન તેની પાસેથી(PMO) કાર્યાલયનું નકલી ઓળખપત્ર પણ મળી આવ્યું હતું. જ્યારે સુરક્ષા તપાસ કરવામાં આવી ત્યારે ઓળખપત્ર નકલી હોવાનું માલૂમ પડ્યું હતું.
માહિતી અનુસાર, બીજા શંકાસ્પદ વ્યક્તિ પાસે બંદૂક પણ હતી.આ મામલે ક્રાઇમ બ્રાંચ આગળની તપાસ કરી રહી છે. આ લોકો નકલી ઓળખપત્ર અને હથિયાર સાથે કેમ આવ્યા હતા તે હેતુ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં બંનેને મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.મુંબઈ પોલીસે જણાવ્યું કે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી બે લોકોની અટકાયત કરવામાં આવી છે. અહીં વડાપ્રધાન મોદીનો એક કાર્યક્રમ પણ પ્રસ્તાવિત છે. પોલીસના જણાવ્યા અનુસાર, અટકાયત કરવામાં આવેલા વ્યક્તિની ઓળખ ૨૪ વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે. તેણે પોતાને વડાપ્રધાન કાર્યાલયનો અધિકારી ગણાવ્યો હતો. તેની સાથે એક બોડીગાર્ડ પણ હતો, જેની પાસે બંદૂક હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિ ગઈકાલે નકલી ઓળખપત્ર લઈને વેન્યુની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જાેકે, આ દરમિયાન મુંબઈ પોલીસે ચેકિંગ કર્યું હતું અને તપાસમાં તેનું ઓળખપત્ર નકલી મળ્યું હતું. BKC પોલીસ સ્ટેશનમાં બંને શંકાસ્પદો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ઈલોન મસ્ક અંતરીક્ષમાં ડેટા સેન્ટર બનાવવાનું સપનું જાેઈ રહ્યા છે. એટલું જ નહીં, તેમણે તો ૨૦૨૭ના અંત સુધીમાં આ પ્રોજેક્ટ લોંચ કરવાનો ટાર્ગેટ પણ સેટ કર્યાે છે. જાેકે, મસ્કના આ આઈડિયાને અત્યારના ટેકનોલોજી એક્સપર્ટ્સ તુક્કો ગણાવી રહ્યા છે. તેમના મતે હજુ એક દશકા સુધી આવી શક્યતા ખૂબ પાંખી છે. સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવા સામે અનેક પડકારો અત્યારે છે ને પહેલાં એના જવાબો શોધવા પડશે.ઈલોન મસ્ક ડેટા સેન્ટર્સ સ્પેસમાં બનાવીને અનેક ઉકેલ શોધવા માંગે છે. ડેટા સેન્ટર્સ સામે દુનિયાભરમાં વિરોધ વધતો જાય છે. કારણ કે તેની પાછળ ઈલેક્ટ્રિસિટી વધારે વપરાશે. કૂલિંગ માટે પાણીની જરૂર પડશે અને ડેટા સેન્ટર્સ માટે જમીનની પણ જરૂરિયાત પડે છે. એઆઈ ટેકનોલોજીના ઉદય પછી હવે ડેટા સેન્ટર્સની ડિમાન્ડ વધી છે. સતત વધતી જવાની છે. જાે સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવામાં આવે તો એનર્જી ક્રાઈસિસ નિવારી શકાય છે. વળી, માતબર જમીનની જરૂરિયાત પણ રહેતી નથી. આ વિચાર સાથે ઈલોન મસ્કે સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિચાર્યાે છે. ૨૦૨૭માં આ પ્રોજેક્ટ લોંચ થશે. સ્પેસએક્સ અને સ્ટારલિંક જેવી કંપનીઓની મદદથી મસ્ક આ પ્રોજેક્ટ પાર પાડવા ધારે છે.જાેકે, તેની સામે સવાલો પણ ખડા થયા છે. એક્સપર્ટ માને છે કે આ પ્રોજેક્ટ સમય કરતાં એક દશકા વહેલો છે.
અમેરિકા પર ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા ભીષણ આતંકવાદી હુમલાને ૨૫ વર્ષ વીતી ચૂક્યા છે, પરંતુ તે કાવતરાના એવા રહસ્યો હવે સામે આવી રહ્યા છે જેણે સમગ્ર તપાસ એજન્સીઓની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. બીબીસીની એક વિશેષ તપાસમાં સામે આવેલા અગાઉ ક્યારેય ન જાેવાયેલા વીડિયો ફૂટેજ દર્શાવે છે કે ૯/૧૧ હુમલાખોરો સાથે જાેડાયેલો શંકાસ્પદ ઓમર અલ-બાયોમી સાઉદી સરકારના અધિકારીઓ સાથે ગાઢ સંપર્કમાં હતો અને તે અલ-કાયદાના ભાવી લીડર અનવર અલ-અવલાકી સાથે પેઇન્ટબોલ રમતો પણ જાેવા મળ્યો હતો.આ ફૂટેજ, જે ૨૦૦૧ના હુમલાના ગણતરીના દિવસોમાં જ હ્લમ્ૈંના હાથમાં આવી ગયા હતા, તે હવે ૯/૧૧ના પીડિત પરિવારો દ્વારા સાઉદી અરેબિયા સામે કરવામાં આવેલા ૧ ટ્રિલિયન ડોલરના દાવાના પુરાવા તરીકે સાર્વજનિક થયા છે. પીડિત પરિવારોનો આક્ષેપ છે કે બાયોમીએ હુમલો કરનારા ૧૯ હાઇજેકર્સમાંથી બેને સીધી મદદ પહોંચાડી હતી. બીજી તરફ, સાઉદી અરેબિયાએ કોઈપણ પ્રકારની સંડોવણીનો સતત ઇનકાર કર્યાે છે.ઓમર અલ-બાયોમી ૧૯૯૪માં સાઉદી અરેબિયાથી અંગ્રેજીનો અભ્યાસ કરવાના બહાને સાન ડિએગો આવ્યો હતો. જાેકે, કોર્ટના દસ્તાવેજાે સ્પષ્ટ કરે છે કે તેણે અભ્યાસ પડતો મૂકીને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાનું શરૂ કરી દીધું હતું.
સ્વાગત પ્રવચનમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ફ્રેઈટ કોરિડોરની કલ્પના સ્વર્ણિમ ચતુર્ભુજ હાઇવેના જ્યારે અટલજીએ સ્વર્ણિમ ચતુર્ભુજ બનાવ્યો હતો, તેની સાથે સાથે કરવામાં આવી હતી. ૨૦૧૪માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જવાબદારી સંભાળી, તે પહેલા સુધી ફ્રેઈટ કોરિડોરનું કામ ૧ કિલોમીટર પણ કામ થયું નહોતું. આજે દાદરથી જેએનપીટી સુધીનો સંપૂર્ણ ફ્રેટ કોરિડોર પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. રેલવેના તમામ સિસ્ટમ્સ જેમા સ્ટેશનનું ઈન્ફ્રાસ્ર્ટ્કચર, ટ્રેક, વીજળીના વાયર, સિગ્નલિંગ ઓપરેટિંગ સિસ્ટમ આ તમામનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે યુવાનોને વંદે ભારત ટ્રેન, અમૃત ભારત, નમો ભારત, અને હવે વંદે ભારતની કાર્ગો ટ્રેન અંગે માહિતી આપી હતી. રેલવેના ૭ મોટા કોરિડોરને ‘ફોર લાઇનિંગ‘ કરવામાં આવી રહ્યા છે, તેમ જણાવી વડોદરાથી રતલામના રૂટ માટે આજે ફોર લાઇનિંગનું કરવામાં આવેલું શિલાન્યાસ આવનારા સમયમાં ભારતીય રેલવેના આધુનિક રૂપનો લાભ આવનારી કેટલીય પેઢીઓને મળશે. તેમણે કહ્યું કે, દેશના વિવિધ ૨૮૦ રેલવે સ્ટેશનોનું રીડેવલોપમેન્ટ થઈ ગયું છે. ‘આર્ત્મનિભર ભારત’ના સંકલ્પથી બુલેટ ટ્રેન ભારતમાં બની રહી છે. આવતા વર્ષે મે-જૂન સુધીમાં ભારતમાં બનેલી ભારતની બુલેટ ટ્રેન ટેસ્ટિંગ માટે રેલવે ટ્રેક પર આવશે અને ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન થશે. બુલેટ ટ્રેનનું સુરતથી વાપી વચ્ચેનું કામ આ વર્ષે ડિસેમ્બરમાં પૂર્ણ થઈ જશે. બુલેટ ટ્રેનમાં વડોદરાથી મુંંબઈ માત્ર ૧-૩૦ કલાકમાં પહોંચી જવાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં રૂા.૩૫,૨૦૦ કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. નમો વિકસિત ભારત કાર્યક્રમમાં સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતમાં હવે ચિપ્સથી લઈને શિપ્સ સુધી નિર્માણની નવી ગાથા લખી રહ્યું છે. તેમણે વિપક્ષ પર ટીપ્પણી કરતાં કહ્યું કે, પાછલા એક દશકમાં ભારત રેલ એન્જિન અને મેટ્રો કોચ બનાવી રહ્યું છે. ૨૦૧૪થી અત્યાર સુધી ૫૦,૦૦૦ આધુનિક રેલ કોચ બનાવ્યા છે. જૂની સરકાર ૧૦ વર્ષમાં ૫૦,૦૦૦ ટોયલેટ્સ બનાવી શકતી ન હતી. વડાપ્રધાને કહ્યું કે, લાલ કિલ્લા પરથી જાહેર કરાયેલા ‘સપ્તધારા’ માં એક ગતિ શક્તિની પણ છે. તેમણે વિકસિત ભારતમાં એવી કનેક્ટીવીટી જાેઈએ જે સુગમ પણ હોય અને તેજ પણ હોય. તેમણે કહ્યું કે, જે ૨૮૦૦-કિલોમીટરના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના પૂર્ણતાને દર્શાવે છે. તેમણે વડોદરાને ગતિ શક્તિ યુનિવર્સિટીના સાચા શહેર તરીકે બિરદાવ્યું જ્યાં આ વિશાળ પ્રોજેક્ટની અંતિમ કડીઓ જાેડવામાં આવી હતી. ૨૧મી સદીના ભારત માટેનું આ ઐતિહાસિક કાર્ય પૂર્ણ થયું છે.
તેમણે કહ્યું કે, ગત ૧૨ વર્ષમાં દેશમાં કામ કરવાની સંસ્કૃતિ કેવી રીતે બદલાઈ છે. ડીએફસીનો વિચાર ૨૦૦૪માં શરૂ થયો હતો. ૨૦૦૬માં આ માટે વિશેષ કંપની બનાવાઈ પરંતુ ૨૦૧૪ સુધી તેની ફાઈલો ફરતી રહી, અટકતી રહી અને ભટકતી રહી. ૨૦૧૪માં દિલ્હી પહોંચતાજ તેને ગતી આપવાનું કામ શરૂ કર્યુર્તે પૂર્વે ૭-૮ વર્ષમાં એક કી.મીનું કામ પણ પૂર્ણ થયું ન હતુ., વડાપ્રધાને કહ્યું કે, પૂર્વ અને પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરએ વિકાસનો આધાર બની રહેશે. વડાપ્રધાને કહ્યું કે, પેસેન્જર અને ફ્રેઇટ ટ્રાફિકને અલગ કરવાથી દરરોજ ૪૩૦થી વધુ માલગાડીઓ દોડી શકે છે, જેનાથી ૩૦-કલાકની ટ્રકની મુસાફરી ઘટીને માત્ર ૧૦-૧૨ કલાક થઈ ગઈ છે. તેમણે સમજાવ્યું કે ૧૦૦ કિલોમીટરનું અંતર કાપવામાં હવે અગાઉના સમય કરતાં અડધાથી પણ ઓછો સમય લાગે છે, જેનાથી બળતણની બચત થાય છે, અને પર્યાવરણનું રક્ષણ થાય છે. રોકાણ એક જ ટ્રેક પર કરવામાં આવ્યું હતું, પરંતુ તેનાથી અનેક ગણા ફાયદા થયા.
વિસ્તૃત લોજિસ્ટિક્સ નેટવર્કના કારણે કૃષિ લાભો અંગે કહેતા પૂર્વ અને પશ્ચિમ ભારતના ખેડૂતો હવે ઝડપથી બગડી જતી વસ્તુઓને મોટા બજારોમાં ઝડપથી પહોંચાડી શકે છે. નવા કોરિડોર પર એક નોંધપાત્ર ઓપરેશનલ માઇલસ્ટોન શેર કરતા, પ્રધાનમંત્રીએ જેએનપીટી પોર્ટથી વડોદરા સુધી ડબલ-સ્ટેક કન્ટેનર ફ્રેઇટ ટ્રેનના સફળ સંચાલનની પ્રશંસા કરતા એક જ ટ્રેનની મુસાફરીએ મુંબઈથી સીધા ૨૫૦થી વધુ ટ્રકો જેટલા માલનું વહન કર્યું.
તેમણે ઉલ્લેખ કર્યો કે ૨૦૧૪ થી, રાષ્ટ્રે ૫૦,૦૦૦ આધુનિક કોચનું સફળતાપૂર્વક ઉત્પાદન કર્યું છે અને રેલવે નેટવર્કમાં લગભગ ૨.૫ લાખ વેગન ઉમેર્યા છે. જ્યારે તેમણે વિપક્ષ પર ટીકા કરતા કહ્યુ કે, જૂની સરકાર ૧૦ વર્ષમાં ૫૦,૦૦૦ ટોઈલેટ્સ પણ બનાવી શકતી ન હતી. પ્રધાનમંત્રએ સોલર પીવી મોડ્યુલ્સના સ્થાનિક ઉત્પાદનના કારણે અગાઉના અત્યંત આયાત ખર્ચમાં કાપ મૂક્યો અને વિશાળ ૨૦૦ ગીગા વોટ ક્ષમતા ઊભી કરી. તેમણે કડાણા ડેમ ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું હતુ. તેમણે કહ્યું કે, પીએમ સૂર્ય ઘર મફ્ત વીજળી યોજના અંતર્ગત દેશભરમાં ૫૫ લાખ પરિવારો તેમના ધરની છત પર સોલાર પ્લાન્ટ લગાડી ચૂક્યા છે. અને વિજળીનું નિર્માણ કરી રહ્યાં છે. જેમાં ગુજરાતના ૧૧ લાખ પરિવારોનો સમાવેશ થાય છે. વીજળી ઉત્પાદક બનવા અને સ્થાનિક સ્તરે રોજગારી ઊભી કરવા માટે સક્ષમ બનાવ્યા છે.ભારત હવે ચિપથી લઈને શિપ સુધી મેન્યુફેક્ચરિંગની નવી ગાથા લખી રહ્યું છે.
વડાપ્રધાને મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મુંબઈ ખાતે ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’નું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે ભારતના ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને ફિનટેક સેક્ટરની સતત વધી રહેલી પહોંચનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) હવે માત્ર ભારત પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તેનો વિસ્તાર ૧૧ દેશો સુધી થઈ ચૂક્યો છે. વિકસિત ભારત અને ફિનટેક: વર્ષ ૨૦૨૪ માં સતત ત્રીજી વખત સરકાર બનવાની ‘હેટ્રિક’ બાદ ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પણ આ તેમની સતત ત્રીજી હાજરી છે. આ દર્શાવે છે કે ‘વિકસિત ભારત’ના નિર્માણમાં ફિનટેક ક્ષેત્ર અને તેનાથી જાેડાયેલા લોકોની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે.દરેક વખતે આ ફેસ્ટમાં પહેલા કરતાં વધુ યુવાનો, વધુ ઊર્જા અને નવી સક્ષમતા જાેવા મળે છે. યુવાનોમાં જાેખમ લેવાની ક્ષમતા અને મોટા સપના જાેવાની વૃત્તિ વધી રહી છે, જે ભારતના ઉજ્જવળ ભવિષ્યનો વિશ્વાસ મજબૂત કરે છે. પીએમ મોદીએ જણાવ્યું કUPI ની સફળતા બાદ હવે આપણો આગામી લક્ષ્યાંક અન્ય દેશોના પેમેન્ટ સિસ્ટમ સાથે સીધા જાેડાણ કરવાનો હોવો જાેઈએ.
Loading ...
