ભારતે પોતાના ચુસ્ત રીતે નિયંત્રિત પરમાણુ ઉર્જા ક્ષેત્રને ખાનગી ભાગીદારી માટે ખુલ્લું મૂકવાની કવાયત હાથ ધરી છે, ત્યારે અમેરિકી પરમાણુ ઉદ્યોગે આ દિશામાં મોટો રસ દાખવ્યો છે. કેન્દ્રીય પરમાણુ ઉર્જા વિભાગ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા ‘સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા’ કાયદા ના ડ્રાફ્ટ નિયમો પર યુએસ ન્યુક્લિયર ઈન્ડસ્ટ્રી એક વ્યાપક અને વિગતવાર રજૂઆત તૈયાર કરી રહી છે.
યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમએ DAE દ્વારા ૪ સપ્ટેમ્બર સુધીમાં માંગવામાં આવેલા સૂચનોના સંદર્ભમાં અમેરિકી ન્યુક્લિયર એનર્જી ઈન્સ્ટિટ્યૂટ અને ભારતીય કાનૂની નિષ્ણાતો સાથે ખાસ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ મંથનમાં ન્યુક્લિયર વેલ્યુ ચેઈનના ટોચના ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. બેઠકમાં લાયસન્સિંગ પ્રક્રિયા, જવાબદારી, પ્રોજેક્ટ માળખું અને ખાનગી ક્ષેત્રના પ્રવેશ અંગેના કાનૂની પાસાંઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
નવા ‘શાંતિ’ કાયદા હેઠળ ખાનગી કંપનીઓ અને સંયુક્ત સાહસો ને પરમાણુ પ્લાન્ટ સ્થાપવાની, તેની માલિકી ધરાવવાની અને સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત, ખાનગી ક્ષેત્રને પરમાણુ બળતણનું ઉત્પાદન કરવા તેમજ તબીબી, કૃષિ અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રો માટે આયનાઇઝિંગ રેડિયેશનનો ઉપયોગ કરવાની પણ છૂટ મળશે. ભારતે વર્ષ ૨૦૪૭ સુધીમાં ૧૦૦ ગીગાવોટ () પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
કર્ણાટક હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ મામલાની સુનાવણી વેળા ‘ગૃહિણી’ શબ્દની વ્યાખ્યા અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.
કોર્ટે કહ્યું કે જે મહિલા પોતાના પરિવારના સભ્યોની સેવા કરે છે અને તેમની સંભાળ રાખે છે, તેને
ગૃહિણી માનવામાં આવશે, ભલે તેની પાસે કેટલીય ઊંચી શૈક્ષણિક ડિગ્રી હોય અથવા તે નોકરી કરતી હોય. જસ્ટિસ ચિલ્લાકુર સુમલતાની બેન્ચે આ ટિપ્પણી કર્ણાટક માર્ગ પરિવહન નિગમની બસ સાથે થયેલા અકસ્માતના વળતર સંબંધિત કેસમાં કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ મહિલાને ગૃહિણી માનવા માટે તે અભણ હોવી કે માત્ર ઘરનું કામ કરતી હોવું જરૂરી નથી.અકસ્મતમાં થયેલી ઈજાઓને કારણે પોતાની આવકના નુકસાનનો ઉલ્લેખ કરીને મહિલાએ વળતરની રકમ વધારવાની માગ કરી હતી. જાેકે, બેંગલુરુ સ્થિત મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલએ આવકની સંભાવનાના આધારે વળતર આપવાનો ઇનકાર કર્યો હતો. KSRTCએ દલીલ કરી હતી કે અકસ્માત સમયે મહિલા નોકરી કરતી હતી તેનો કોઈ મજબૂત પુરાવો નથી. KSRTCએ એવો પણ દાવો કર્યો હતો કે મહિલાએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવાથી તેને માત્ર ‘ગૃહિણી’ તરીકે ગણી શકાય નહીં.
કર્ણાટક હાઈકોર્ટે પરિવહન નિગમની આ દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે પોતાના ઘરમાં પરિવારના સભ્યોની સેવા કરતી દરેક મહિલાને ગૃહિણી માનવામાં આવશે, પછી ભલે તેની પાસે ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન કે ડોક્ટરેટની ડિગ્રી હોય.
દિલ્હી-NCRમાં બદલાતા વાતાવરણ અને ભેજવાળા હવામાન વચ્ચે ૐ૧દ્ગ૧(સ્વાઇન ફ્લૂ) અને શ્વાસ સંબંધિત અન્ય ઈન્ફેક્શનના કેસોમાં ભારે વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે દિલ્હીમાં H1N1ના ૧૭૭૭ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલા ૨૨૯ કેસોની સરખામણીએ આશરે ૮ ગણા વધુ છે. ચોમાસાની સીઝનમાં શ્વાસ સંબંધિત વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ફ્લૂના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિલ્હીની એક સરકારી હૉસ્પિટલના વડા અને અન્ય ઘણા ડૉક્ટરો પણ H1N1 વાઇરસથી સંક્રમિત થયા છે. હૉસ્પિટલોમાં આવતા કેટલાક દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનનું લેવલ ઘટવાની ગંભીર સમસ્યાઓ જાેવા મળી રહી છે. જેના કારણે શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ અંગે ચિંતા ઊભી થઈ છે. જાેકે, દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. સ્થિતિની સમીક્ષા કરવા માટે દિલ્હી આરોગ્ય વિભાગે MCD અને હૉસ્પિટલોના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી, જેમાં સર્વેલન્સ વધારવા અને જરૂરી આરોગ્ય પ્રોટોકોલ લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આખરે રાહુલ ગાંધીના ધરણા બાદ દિલ્હી પોલીસ ઝૂકી છે. પેલેટ ગન મામલે FIR નોંધવા માટે તૈયાર થઈ ગઈ છે. રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ મથકે છેલ્લા ૪-૫ કલાકથી FIRનોંધવાની માંગ પર અડગ હતા. દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની માગ સ્વીકારી લીધી છે. સાહિલ લોબચની રજૂઆતને આધારે પોલીસ અજાણ્યા લોકો સામેFIR નોંધી છે. દિલ્હીના સંસદ માર્ગ પોલીસ મથકે આવેલી ડ્ઢઝ્રઁ ઑફિસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહોંચ્યા હતા. જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પેલેટ ગનના કથિત ઉપયોગ અંગે પોલીસ તપાસ કેટલે પહોંચી છે અને અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે, તેની વિગતો મેળવવી એ તેમનો મુખ્ય હેતુ હતો. આ દરમિયાન રાહુલ ગાંધી પેલેટ ગનથી પીડિત સાહિલને પણ પોતાની સાથે લાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં આ મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ એફઆઇઆર પણ નોંધવામાં આવી નથી. રાહુલ ગાંધી સાથે વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા, જયરામ રમેશ સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ ધરણામાં જાેડાયા છે. બીજી તરફ પોલીસે જણાવ્યું છે કે ફરિયાદ સ્વીકારી છે અને સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. શાંતિપૂર્ણ પ્રદર્શનકારી સાહિલ પર પેલેટ ગનથી હુમલો થયો અને તેની આંખની રોશની જાેખમમાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાન નિવાસમાં યોજાયેલી આ બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, સુરક્ષા, વિદેશ નીતિ અને સરકારી કામકાજને લગતા અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ અધિકારીઓને સલાહ આપી કે તેઓ માત્ર આજની સમસ્યાઓ કે હાલના આંકડાઓ સુધી જ મર્યાદિત ન રહે. તેમણે કહ્યું કે અધિકારીઓએ લાંબા ગાળાની દૃષ્ટિ રાખીને વિચારવું જાેઈએ કે આગામી વર્ષોમાં દેશને વધુ મજબૂત અને સક્ષમ બનાવવા માટે અત્યારથી શું તૈયારીઓ કરી શકાય. આ બેઠકમાં વડાપ્રધાને સરકારી વિભાગો વચ્ચે અલગ-અલગ વ્યવસ્થા એટલે કે ‘સાઇલોઝ’ પર ખાસ ભાર મૂક્યો હતો. તમણે કહ્યું કે, ‘સાઇલોઝ’ માત્ર સંગઠન સાથે જાેડાયેલી સમસ્યા નથી, પરંતુ વિચારસરણી સાથે જાેડાયેલો મુદ્દો પણ છે. આ સમસ્યા વિભાગોની વચ્ચે આડા અને ઊભા બંને સ્તરે જાેવા મળી શકે છે. મોદીએ અધિકારીઓને પોતાની જવાબદારીને માત્ર એક વિભાગ સુધી સીમિત ન રાખીને સમગ્ર દેશના હિતને ધ્યાનમાં રાખીને કામ કરવા કહ્યું હતું. તેમણે કહ્યું કે સરકારના કામકાજમાં ‘પૂરી સરકાર એક સાથ‘ની વિચારસરણી હોવી જાેઈએ. મોદીએ કોવિડ-૧૯ મહામારી અને મિડલ ઈસ્ટ તણાવનું ઉદાહરણ આપીને કહ્યું કે, આ સમયગાળા દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ સાથે મળીને જબરદસ્ત કામ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ડેટાને દેશની ભવિષ્યની મહત્વની સંપત્તિ ગણાવી. તેમણે કહ્યું કે સરકાર ડેટા એકત્ર કરવા, તેને સુરક્ષિત રાખવા અને સાચવવા માટે મોટા પાયે સંસાધનો પર ખર્ચ કરી રહી છે. પરંતુ અલગ-અલગ વિભાગોની સિસ્ટમ વચ્ચે પૂરતો તાલમેલ ન હોવાથી આ ડેટાનો પૂરો લાભ લઈ શકાતો નથી. અલગ હેતુઓ માટે ડેટા એકત્ર કરવાની, મેનેજ કરવાની રીત પણ અલગ હોય છે. તેથી વિવિધ વિભાગોના ડેટા સિસ્ટમ જાેડાઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.
Loading ...
