હાથથી મળ-કચરો ઉપાડવાની (મેન્યુઅલ સ્કેવેન્જિંગ) કુરિવાજની સખત ટીકા કરતા બોમ્બે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું કે, ભારત ભલે ચંદ્ર પર પહોંચી ગયો હોય, પરંતુ સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થાનું દૂષણ આજે પણ કાયમ છે, જે નાગરિકોને માનવ ગરિમા વિરુદ્ધનું કામ કરવા મજબૂર કરે છે. હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની એ નીતિને રદ કરી દીધી છે, જેના હેઠળ જાેખમી સફાઈ કામગીરી દરમિયાન જીવ ગુમાવનાર સફાઈ કામદારોના પરવારજનોને વળતર ચૂકવવાની જવાબદારી ખાનગી સોસાયટીઓ કે માલિકો પર નાખી દેવાઇ હતી. જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજૂષા દેશપાંડેની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કેરાજ્ય સરકારે પીડિત પરિવારજનોને તાત્કાલિક વળતર ચૂકવવું. ત્યારબાદ જાે સરકાર ઈચ્છે તો, તે રકમ સંબંધિત ખાનગી સંસ્થાઓ કે માલિકો પાસેથી વસૂલ કરી શકે છે.આગામી ૬ મહિનાની અંદર મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ ૨૦૧૩ની મર્યાદામાં આવતી જાેખમી સફાઈ દરમિયાન મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓની ઓળખ હાથ ધરવી.હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, ૨૦૧૩નો કાયદો સરકારી કે ખાનગી માલિક વચ્ચે સફાઈ કામદારોના સંદર્ભમાં કોઈ તફાવત કરતો નથી. આ નીતિને સમાનતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણાવીને કોર્ટે સરકારી પ્રસ્તાવની એ જાેગવાઈ રદ કરી દીધી હતી, જેના દ્વારા ખાનગી વ્યક્તિઓને વળતર ચૂકવવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
નવી દિલ્હી, તા.૫
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ ઝીના સ્થાપક સુભાષ ચંદ્રા અને અન્ય લોકો સામે LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ સાથે કથિત રીતે આશરે રૂ. ૧,૩૨૨ કરોડની છેતરપિંડી આચરવા બદલ ગુનો દાખલ કર્યો છે.
CBI હેડ ઓફિસમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, વિવિધ કંપનીઓના નામે સેંકડો કરોડની લોન સુભાષ ચંદ્રાની પર્સનલ ગેરંટી અને નેટવર્થ સર્ટિફિકેટના આધારે મંજૂર કરવામાં આવી હતી, જેમાં પાછળથી ડિફોલ્ટ સર્જાયું હતું.CBI દ્વારા ૩૧ ઓગસ્ટના રોજ નોંધવામાં આવેલી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં સુભાષ ચંદ્રાને આરોપી નંબર ૧ તરીકે નામિત કરવામાં આવ્યા છે. તેમની સામે ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતના આરોપો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર આરોપો બિઝનેસ એક્સપાન્શન અને રેન્ટલ સિક્યોરિટાઇઝેશન માટે LICHFL દ્વારા વિવિધ કંપનીઓને આપવામાં આવેલી લોન સુવિધાઓ સાથે સંબંધિત છે, જેમાં સુભાષ ચંદ્રાએ પર્સનલ કંટીન્યુઇંગ ગેરંટી આપી હતી.વસંત સાગર લોન ફેસિલિટી (રૂ.૫૦૦ કરોડ): વસંત સાગર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને સહ-ઉધારકર્તા પેન ઇન્ડિયા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને રૂ.૫૦૦ કરોડની લોન આપવામાં આવી હતી.
ડિજિટલ લોન ફેસિલિટી (રૂ.૪૮૦ કરોડ): ડિજિટલ સબસ્ક્રાઇબર મેનેજમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને સહ-ઉધારકર્તા સ્પિરિટ ઇન્ફ્રાપાવર એન્ડ મલ્ટીવેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડને સ્કીમ ઓફ રેન્ટલ સિક્યોરિટાઇઝેશન હેઠળ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગ ફેસિલિટી તરીકે ?૪૮૦ કરોડની લોન આપવામાં આવી હતી.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ એક નવો વિશ્વ નકશો મંજૂર કર્યો છે, જે ખંડોના સંબંધિત કદને વધુ સચોટ રીતે દર્શાવવા માટે રચાયેલ છે. સમાન પૃથ્વી પ્રક્ષેપણ ને ટેકો આપતો ઠરાવ ૧૬૪ દેશોએ મંજૂર કર્યો હતો, જ્યારે અમેરિકાએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું અને છ દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. આ ઠરાવ યુએન સભ્ય દેશોને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા મર્કેટર નકશાને બદલે સમાન પૃથ્વી પ્રક્ષેપણ નો ઉપયોગ કરવાનું વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે. મર્કેટર પ્રક્ષેપણ ૧૫૬૯માં ફ્લેમિશ નકશાકાર ગેરાર્ડસ મર્કેટર દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે ખાસ કરીને નેવિગેશન માટે વિકસાવવામાં આવ્યું હતું અને ચોક્કસ દિશાઓ અને ખૂણા જાળવી રાખે છે. જાે કે, તે જમીનના વિસ્તારોના દેખીતા કદમાં નોંધપાત્ર ફેરફાર કરે છે. સપાટ સપાટી પર ગોળ પૃથ્વી જે રીતે દર્શાવવામાં આવે છે તેના કારણે, ધ્રુવોની નજીકના વિસ્તારો વિષુવવૃત્તની નજીકના વિસ્તારો કરતા ઘણા મોટા દેખાય છે. આનાથી યુરોપ અને ઉત્તર અમેરિકા જેવા પ્રદેશો ઘણા મોટા દેખાય છે, જ્યારે આફ્રિકા અને દક્ષિણ અમેરિકા થોડા નાના દેખાય છે. ૨૦૧૮માં નકશાકારોની ટીમ દ્વારા રજૂ કરાયેલ સમાન પૃથ્વી પ્રક્ષેપણ, ખંડોના સંબંધિત ક્ષેત્રોને જાળવી રાખીને આ અસંતુલનને સુધારવાનો પ્રયાસ કરે છે. તેથી, આફ્રિકા, લેટિન અમેરિકા, દક્ષિણ એશિયા અને ઓશનિયા વધુ સચોટ દ્રશ્ય જગ્યા ધરાવે છે. પ્રસ્તાવ રજૂ કરનાર ટોગોએ દલીલ કરી હતી કે નકશા શિક્ષણને અસર કરે છે અને ભૂગોળ પ્રત્યે લોકોની સમજને આકાર આપે છે. વિદેશ પ્રધાન રોબર્ટ ડ્યુસીએ કહ્યું કે અચોક્કસ નકશા પેઢીઓ માટે ગેરસમજાેને મજબૂત બનાવી શકે છે. ફ્રાન્સે પણ આ પહેલને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે તે મર્કેટર પ્રક્ષેપણને તબક્કાવાર રીતે દૂર કરવાની યોજના ધરાવે છે. વિદેશ પ્રધાન જીન-નોએલ બેરોટે કહ્યું હતું કે પરંપરાગત નકશો યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા અને ચીન જેવા દેશોને વધુ દ્રશ્ય મહત્વ આપે છે, જ્યારે ગ્રીનલેન્ડ વિશ્વને આફ્રિકાની સમકક્ષ દર્શાવે છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ ‘ઓપરેશન અશદર’ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. બડગાંવ જિલ્લાના અશદર ગલીમાં થયેલા ઘર્ષણમાં લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની આતંકવાદી યાસિરને ઠાર મરાયો છે. યાસિર પહલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના ભીષણ આતંકી હુમલાનો મુખ્ય આરોપી હતો. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. સુરક્ષાદળોએ આ હુમલાના તમામ ૪ આતંકવાદીઓને ઠાર મારી કડક સંદેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોએ ‘ઓપરેશન અશદર’ હેઠળ મોટી કાર્યવાહી કરતા પહલગામ આતંકી હુમલા સાથે જાેડાયેલા વધુ એક કુખ્યાત આતંકવાદીને ઠાર કર્યો છે. બડગાંવ જિલ્લાના અશદર ગલીના દુર્ગમ પહાડી વિસ્તારમાં થયેલા ઘર્ષણમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી યાસિરને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ આતંકવાદી પાકિસ્તાનનો વતની હતો અને ત્યાંના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો. સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનેગારો ગમે ત્યાં ભાગી શકે છે પરંતુ છૂપી શકતા નથી. પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાર મુખ્ય આતંકવાદીઓની સંયુક્ત તસવીર જારી કરવામાં આવી હતી. આ હુમલાને અંજામ આપનારા સુલેમાન શાહ, જુનેદ રમઝાન, હાશિમ મૂસા અને યાસિર સામેલ હતા. સુરક્ષાદળો અગાઉ અન્ય ત્રણ આતંકવાદીઓને ઠાર કરી ચૂક્યા છે. જ્યારે હવે યાસિરનો પણ ખાતમો થવાથી પહલગામ હુમલા સાથે સંકળાયેલા તમામ ચારેય આતંકવાદીઓનો સફાયો થઈ ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતના તાજેતરના જીડીપીના આંકડાઓની ટીકા કરનારાઓ પર જાેરદાર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જે લોકો ભૂતકાળમાં દેશને ‘ફ્રેજાઈલ ફાઈવ’ (વિશ્વની સૌથી નબળી પાંચ અર્થવ્યવસ્થાઓ)ની યાદીમાં ધકેલવા માટે જવાબદાર હતા, તેઓ આજે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ઉભરતું જાેઈને તેને સહન કે પચાવી શકી રહ્યા નથી. દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી મહોત્સવને સંબોધતા વડાપ્રધાન મોદીએ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા ૭.૮ ટકાના આર્થિક વિકાસ દરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો અને વૈશ્વિક વેપારમાં વિક્ષેપ છતાં ભારતીય અર્થતંત્રે પોતાની મજબૂતી સાબિત કરી બતાવી છે. “૭.૮ ટકાના ત્રિમાસિક જીડીપી ગ્રોથે દેશના આત્મવિશ્વાસને નવી ઊંચાઈ આપી છે, પરંતુ જે લોકો ભારતને ‘ફ્રેજાઈલ ફાઈવ’માં ધકેલવા માટે કુખ્યાત થયા હતા, તેમને આ આંકડા હજમ કરવા ભારે પડી રહ્યા છે,” તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું. પોતાના ૨૦૧૩ના ચર્ચિત સંબોધનના ૧૩ વર્ષ પછી ફરી એકવાર શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના મંચ પરથી બોલતા વડાપ્રધાન મોદીએ તેમના જૂના ‘અડધા ભરેલા ગ્લાસ’ વાળા ઉદાહરણને યાદ કર્યું હતું. ૨૦૧૩માં તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકોને ગ્લાસ અડધો ભરેલો દેખાય છે અને કેટલાકને અડધો ખાલી, પરંતુ તેઓ પોતે એ ગ્લાસને પૂરેપૂરો ભરેલો માને છે, જેમાં અડધું પાણી છે અને અડધી હવા.
આ જ કટાક્ષને આગળ ધપાવતા તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું, જે લોકો ૨૦૧૩માં દેશને અડધા ખાલી ગ્લાસની નજરે જાેતા હતા, તેઓ આજે પણ એ જ ચશ્મા પહેરીને બેઠા છે. તેમના માટે આ ગ્લાસ હંમેશા અડધો ખાલી જ રહેશે. હું અહીં માત્ર ગ્લાસની વાત કરી રહ્યો છું, બીજું કંઈ ખાલી રહી ગયું હોય તેની વાત નથી કરી રહ્યો.
‘ફ્રેજાઈલ ફાઈવ’થી લઈને સબળ અર્થતંત્ર સુધીની સફર
૨૦૧૩ના આર્થિક અને રાજકીય વાતાવરણને યાદ કરતા પીએમ મોદીએ પોઈન્ટ આઉટ કર્યું હતું કે તે સમયે રૂપિયો અત્યંત નબળો હતો, ફુગાવો ૧૦ ટકાની આસપાસ હતો, ચાલુ ખાતાની ખાધ રેકોર્ડ સ્તરે હતી, ઔદ્યોગિક વિકાસ મંદ પડી ગયો હતો અને ‘પોલિસી પેરાલિસિસ’ (નીતિ વિષયક પક્ષઘાત) તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપોથી દેશ ઘેરાયેલો હતો. તે સમયે સીમા પર હિંસા અને આતંકવાદી હુમલાઓને કારણે ચોતરફ નિરાશાનું વાતાવરણ હતું. ત્યારે દુનિયા ભારતને ‘ફ્રેજાઈલ ફાઈવ’માં ગણતી હતી. આજે સમગ્ર વિશ્વ ભારતને સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા તરીકે આશ્ચર્યથી જાેઈ રહ્યું છે, તેમ મોદીએ કહ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે જીડીપીના તાજેતરના આંકડા દર્શાવે છે કે ભારત માત્ર આર્થિક વિકાસ નથી કરી રહ્યું પરંતુ દેશમાં રોજગારીની નવી તકો પણ ઊભી થઈ રહી છે.
‘માઈ-બાપ’ કલ્ચર ને ‘મેક ઈન ઈન્ડિયા’ના ટીકાકારોને રોકડો જવાબ
સરકારની યોજનાઓ વિશે વાત કરતા વડાપ્રધાને આક્ષેપ કર્યો હતો કે તેમના ટીકાકારો ગરીબો અને વંચિતોને ઔપચારિક બેંકિંગ સિસ્ટમ સાથે જાેડવાના પ્રયાસોનો વિરોધ કરી રહ્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે સામાન્ય નાગરિકો ‘માઈ-બાપ’ કલ્ચર (સત્તાધીશો પર ર્નિભર રહેવાની માનસિકતા)માં જ જીવતા રહે. પણ આ મોદી છે, જે આ ‘માઈ-બાપ’ કલ્ચરના સમર્થકો સામે ખડકની જેમ અડીખમ ઊભો છે, તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
Loading ...
