પેપર લીક માફિયાા સંજીવ મુખિયાને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આર્થિક અપરાધ એકમ ((EOU) ) દ્વારા કરવામાં આવેલી કડક પૂછપરછ દરમિયાન સંજીવ મુખિયાએ કથિત રીતે NEET અનેTRE-3 સહિત અનેક પરીક્ષાઓના પેપર લીક મામલે પોતાની સંડોવણી કબૂલી લીધી છે. પૂછપરછ દરમિયાન તેણે પેપર લીકનું આખું નેટવર્ક અને તેમાં પોતાની ભૂમિકાને લઈને ઘણા મહત્ત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. જેના આધારે હવે તપાસ એજન્સી નેટવર્કની કડીઓ જાેડવામાં સક્રિય બની છે.પટનામાં EOU ની તપાસ દરમિયાન સંજીવ મુખિયાએ પોતાના ગુનાની કબૂલાત કરતા અનેક ચર્ચિત ભરતી પરીક્ષાઓના પેપર લીક કેસમાં પોતાની ભૂમિકા સ્વીકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંજીવ મુખિયાએ ૨૦૧૭ ના NEET પેપર લીક, ૨૦૨૩ ની CSBC સિપાહી ભરતી પરીક્ષા પેપર લીક અને BPSC શિક્ષક બહાલીTRE-3 Ãપેપર લીક મામલે પોતાની સંડોવણી સ્વીકારી છે. EOU આ પૂછપરછ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ પેપર લીકનું પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવતું હતું, તેમાં કોણ-કોણ સામેલ હતું અને ઉમેદવારો સુધી પ્રશ્નપત્રો કેવી રીતે પહોંચાડવામાં આવતા હતા.
ભાજપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનો SIR વિવાદ હજુ શમ્યો નથી. પંજાબના વોટર લિસ્ટમાંથી રાઘવ ચઢ્ઢાનું નામ હટી જવાથી રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે એક જીૈંઇ કાંડે હલચલ મચાવી દીધી છે. હવે પીએમ મોદીના વિશ્વાસુ નંદન નિલેકણીનું નામ જ SIRની ગરબડ વાળી લિસ્ટમાં સામેલ છે.
કર્ણાટકમાં વોટર લિસ્ટના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન બહાર આવેલી યાદીમાં નંદન નીલેકણિ અને તેમના પરિવારજનોના નામો સામેલ કરવામાં આવ્યા છે.આ યાદીમાં ૭૧ વર્ષીય નંદન નીલેકણિ, તેમના પત્ની રોહિણી (૬૭ વર્ષ), પુત્રી જાન્હવી(૩૮ વર્ષ) અને પુત્ર નિહાર (૩૬ વર્ષ)ના નામ સામેલ છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ દરમિયાન તેમને નોટિસ પાઠવવામાં આવી શકે છે. આ તમામના નામ સામે ‘Unmapped with last SIR’ ’ લખવામાં આવ્યું છે, જેનો અર્થ એ થાય છે કે વર્ષ ૨૦૦૨ના વોટર લિસ્ટમાં તેમના નામ નથી મળ્યા. નંદન નીલેકણિ પરિવારનું નામ મ્સ્ લેઆઉટ મતવિસ્તારના ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં છે. તેઓ કોરમંગલાના થર્ડ બ્લોકમાં આવેલી રેડ્ડી જનસંઘ હાઈસ્કૂલમાં મતદાન કરે છે. ફાઈનલ વોટર લિસ્ટ ૨૭ ઓક્ટોબરે જારી કરાશે. જેમાં નામ યથાવત રાખવા માટે તેમણે ચૂંટણી પંચ દ્વારા માન્ય ૧૧ ડોક્યુમેન્ટ્સમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ રજૂ કરવો પડશે.નંદન નીલેકણિએ ૨૦૧૪માં બેંગલુરુ સાઉથ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી.
ગલવાન સંઘર્ષ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો વચ્ચે જે તિરાડ પડી હતી તે બાદ હવે બ્રિક્સ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ચીનના પ્રમુખ શી જિનપિંગ સાત વર્ષ પછી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે આજે સત્તાવાર જાહેરાત કરી છે કે શી જિનપિંગ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનારી ૧૮મી BRICS સમિટમાં ભાગ લેશે. આટલું જ નહીં બ્રિક્સ સમિટની સાથે ૧૨ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ચીનના પ્રમુખ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે. શી જિનપિંગનો આ ભારત પ્રવાસ ૨૦૧૯ પછીનો પ્રથમ પ્રવાસ છે. વર્ષ ૨૦૨૦ ના જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં થયેલા લોહિયાળ સંઘર્ષમાં ભારતના ૨૦ જવાનો વીરગતિ પામ્યા હતા, ત્યારથી સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ હતી. જાેકે, બંને પક્ષોએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પરના વિવાદિત પોઇન્ટ્સ પરથી સૈનિકોને પાછા ખેંચીને પરિસ્થિતિ સ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે, છતાં સમગ્ર સીમા વિવાદ હજુ વણઉકેલાયેલો છે. આ સાથે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ૧૧ સપ્ટેમ્બરે પહોંચશે, જ્યારે ચીનના પ્રમુખ શી જિનપિંગ ૧૨ સપ્ટેમ્બરે પાલમ એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કરશે. ઈરાનના નેતા પેઝેશ્કિયાન પણ સામેલ થશે. વૈશ્વિક નેતાઓના આગમનને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ, હોટલો અને મુખ્ય કાર્યક્રમ સ્થળ ‘ભારત મંડપમ‘ ખાતે આશરે ૩૦,૦૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે, જેમાં અડધા દિલ્હી પોલીસના અને બાકીના અર્ધલશ્કરી દળોના જવાનો છે. ચીન અને રશિયાની પોતાની એડવાન્સ સુરક્ષા ટીમો અત્યાધુનિક હથિયારો અને ઉપકરણો સાથે દિલ્હી આવી પહોંચી છે. આ ટીમો નેતાઓ જે હોટલમાં રોકાવાના છે તેના ગ્રાઉન્ડ ફ્લોર, રૂફટોપ અને પ્રમુખોના રૂમવાળા માળ પર તહેનાત થઈ ચૂકી છે. દિલ્હી પોલીસ દ્વારા હોટલના પ્રત્યેક કર્મચારીનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરવામાં આવ્યું છે, જેમાં દિલ્હી તેમજ તેમના મૂળ રાજ્યોમાંથી રેકોર્ડ તપાસવામાં આવ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સુરક્ષા વ્યવસ્થા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપવામાં આવી છે. જ્યારે રશિયન પ્રમુખ જે હોટલમાં રોકાશે ત્યાં એક એડિશનલ ડીસીપી, બે એસીપી ખડેપગે રહેશે. રશિયા અને ચીન બંને દેશોના રાષ્ટ્રપતિઓ પોતાના વિશેષ વિમાનો દ્વારા પોતાના સુરક્ષા વાહનો અને કાફલાની લક્ઝરી કાર્સ સાથે લાવશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે મહત્ત્વપૂર્ણ નિવેદનોને કારણે રાજકીય અને આર્થિક ક્ષેત્રે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ તેમણે અમેરિકન નાગરિકોને પાંચ હજાર ડૉલરનું ડિવિડન્ડ આપવાનું વચન આપ્યું છે, તો બીજી તરફ ઈરાન સાથેના યુદ્ધના કારણે વધી રહેલા ક્રૂડ ઓઇલના ભાવ મિડટર્મ ચૂંટણી સુધી નીચે નહીં આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ બંને નિવેદનો અમેરિકાની અર્થવ્યવસ્થા અને રાજકારણ સાથે સીધા જાેડાયેલા છે.કોઈ સફળ કંપની પોતાના શેરધારકોને જે રીતે કેશ ડિસ્ટ્રિબ્યુશન આપે છે, તેવી જ રીતે અમેરિકાની આર્થિક સફળતાનો લાભ પહોંચાડતા ડોનાલ્ડ ટ્રમ્પે દરેક પુખ્ત નાગરિકને પાંચ હજાર ડૉલર (આશરે ૪.૨ લાખ) ડિવિડન્ડ રૂપે આપવાની જાહેરાત કરી છે. શરત એ છે કે જાે રિપબ્લિકન પાર્ટી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેની ચૂંટણી જીતી જાય તો આ યોજના અમલમાં આવશે. આ પ્રસંગે તેમણે ગત વર્ષે સૈન્ય જવાનોને આપવામાં આવેલા ૧૭૭૫ ડૉલરની પણ યાદ અપાવી હતી, જેમાં તેમણે અમેરિકાની આઝાદીના વર્ષ સાથે જાેડવા માટે પોતાની તરફથી એક ડૉલર ઉમેરીને રકમ ૧૭૭૬ ડૉલર કરી દીધી હતી.અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તીવ્ર હુમલાઓના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જેને પગલે જુલાઈ પછી પ્રથમવાર કિંમતો ૧૦૦ ડૉલરને વટાવી ગઈ છે. આ સ્થિતિને લઈને ટ્રમ્પે સ્વીકાર્યું છે કે આ યુદ્ધની અસરોને કારણે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ મિડટર્મ ચૂંટણી અગાઉ નીચે આવે તેવી સંભાવના નહિવત છે. શરૂઆતમાં આ સંઘર્ષ માત્ર કેટલાક જ અઠવાડિયામાં ખતમ થઈ જશે તેવો દાવો કરનાર ટ્રમ્પનું આ યુદ્ધ હવે સાતમાં મહિનામાં પહોંચી ગયું છે. ડલ્લાસ ખાતેના રિપબ્લિકન મિડટર્મ કન્વેન્શનમાં પ્રસ્થાન કરતા પૂર્વે પત્રકારો સમક્ષ તેમણે એવું જણાવ્યું હતું કે ચૂંટણી પૂરી થતા જ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ જશે, છતાં આ પ્રક્રિયામાં ચૂંટણીના સમયગાળા કરતાં થોડો વધુ સમય અવશ્ય લાગી શકે છે. આ સાથે તેમણે એવો વિશ્વાસ પણ પ્રગટ કર્યાે હતો કે ચૂંટણી પૂરી થતાં જ ઈરાન વધુ સમય સુધી ટકી ન શકવાને કારણે આખરે પીછેહઠ કરવા માટે મજબૂર થઈ જશે.
બ્રિટિશ સંસદમાં આંતરરાષ્ટ્રીય સન્માન સ્વીકારવા માટે લંડન જઈ રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદેના કાફલાની ફ્લાઈટને લંડનના હિથ્રો એરપોર્ટ પર સાયબર હુમલાની આશંકા અને ટેકનિકલ એલર્ટના કારણે તાત્કાલિક સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિક ખાતે ડાયવર્ટ કરવી પડી હતી. નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદે પોતે અલગ બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં હોવાથી તેઓ નિર્ધારિત સમયે લંડન પહોંચી ગયા હતા. જાેકે, તેમના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી અને ફોટોગ્રાફર સહિત છ અધિકારીઓની ટીમ જે ફ્લાઈટમાં હતી, તેને ઝ્યુરિખ ડાયવર્ટ કરાતાં તેઓ ત્યાં અટવાઈ પડ્યા હતા. હિથ્રો એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા સાયબર એટેકની શંકાને પગલે તાત્કાલિક ઈમરજન્સી એલર્ટ જારી કરીને અંદાજે ૧૨૦૦ જેટલી ફ્લાઈટ્સને અન્ય એરપોર્ટ્સ પર ડાયવર્ટ કરાઈ હતી. સ્થિતિ સામાન્ય થતાં શિંદેની ટીમને ઝ્યુરિખથી ફરી લંડન રવાના કરાયાં હતા.
Loading ...
