નીટ પેપર લીક મુદ્દા પર રોડથી લઈને સંસદ સુધી રાજનીતિ ગરમાઈ ગઈ છે. જંતર-મંતર પર સીજેપી શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે વિદ્યાર્થીઓ જ્યાં ઈચ્છશે સરકાર વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું કે વાતચીતથી જ સમસ્યાનું સમાધાન થશે. જિતેન્દ્ર સિંહે કહ્યું- સરકાર તરફથી આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને અપીલ કરુ છું. સરકાર તરફથી અમે ચર્ચા માટે તૈયાર છીએ. સરકારના દરવાજા ખુલ્લા છે. અમે વિદ્યાર્થીઓને કહેવા ઈચ્છીએ છીએ કે તમે ગમે ત્યારે ચર્ચા કરવા ઈચ્છો તમારી સુવિધાનુસાર અમે ચર્ચા કરવા તૈયાર છીએ. આંદોલન સિવાય બીજા વિષયને લઈને પણ સરકાર ચર્ચા માટે તૈયાર રહેશે.તેમણે કહ્યું- વિદ્યાર્થીઓ ચર્ચા માટે જેટલો સમય માગશે અમે આપવા માટે તૈયાર છીએ. ચર્ચામાં દેશના સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને તેમની સાથે હું રહીશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંવેદનશીલતાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પીએમ યુવાનોના હિતોને હંમેશા પ્રાધાન્ય આપે છે. સવારે પોતાના સંબોધનમાં પણ પ્રધાનમંત્રીએ આ જ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સરકારે ર્નિણય લીધો છે કે પેપર લીકના કેસોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે જેથી જલદી અને નિર્ણાયક કાર્યવાહી થઈ શકે.
વાત કરવી હોય તો જંતર-મંતર આવો: CJP
દ્ગઈઈ્ પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીતને લઈને મડાગાંઠ યથાવત છે. એક તરફ સરકાર આ વિવાદનો ઉકેલ લાવવા ચર્ચા માટે અપીલ કરી રહી છે, બીજી તરફ ઝ્રત્નઁએ પોતાની શરતો મૂકીને શુક્રવારે દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે.
CJPનેતા આશુતોષ રાંકાએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાના ઘર કે મંત્રાલયમાં કોઈ બેઠક નહીં થાય. તેમણે ટ્વિટર પર લખ્યું કે, કોઈ મીટિંગ નડ્ડાજીના ઘરે નહીં થાય. બેઠક કાં તો જંતર-મંતર પર અથવા કોઈ તટસ્થ સ્થળે યોજવી પડશે. આ વખતે માત્ર ઔપચારિક વાતો કે હવાબાજી નહીં ચાલે. સરકારે ઝ્રત્નઁની માંગણીઓ પર ઠોસ વાતચીત કરવી પડશે.
‘કોંગ્રેસના વિરોધમાં ગંભીરતા નહોતી’ સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિના આકરા સવાલ
નીટ પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહેલા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગ્મોએ કોંગ્રેસની આકરા શબ્દોમાં ટીકા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ બહાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અંગે તેમણે કહ્યું કે, ૨૧ જુલાઈના આ પ્રદર્શનમાં ગંભીરતાનો અભાવ હતો. કોંગ્રેસના નેતાઓએ પબ્લિસિટી સ્ટંટ કરવાને બદલે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ સાથે જાેડાવાની જરૂર હતી.સોનમ વાંગચુકની લડાઈને આગળ ધપાવી રહેલા આંગ્મોએ જણાવ્યું કે, રાજકારણીઓ હવે વાંગચુક અને તેમની પ્રતિષ્ઠાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. પરંતુ જાગૃત બની ચૂકેલી દેશની જનતાને હવે વધુ મૂર્ખ બનાવી શકાશે નહીં. જે લોકો પ્રામાણિક નથી તેમને દેશનો યુવા વર્ગ બહારનો રસ્તો બતાવી દેશે.આંગ્મોએ સ્પષ્ટ કર્યું કે, આ આંદોલન સંપૂર્ણપણે ગેર-રાજકીય છે અને તે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જાેડાયેલું નથી. તેમના માટે વિપક્ષ કે સરકાર બંનેમાંથી કોઈ ખાસ નથી, પરંતુ દેશની સંસદ જ સૌથી મોટી સંસ્થા છે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાય કંઇ ચલાવી નહીં લેવાય
દેશભરમાં પેપર લીક, શિક્ષણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અને રોજગારીના મુદ્દે રોડથી લઈને સંસદ સુધી સંગ્રામ છેડાઈ ગયો છે. આ તમામ વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકમાં સંકળાયેલા દોષિતોને વહેલામાં વહેલી તકે કડકમાં કડક સજા અપાવવાનું વચન આપ્યું છે. વિદ્યાર્થી આંદોલનની આગેવાની કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી(અને તેના સંસ્થાપક અભિજિત દીપકેએ આ ર્નિણય બાદ પણ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ દોહરાવી છે.
મધ્ય પૂર્વમાં તણાવ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે અને વિશ્વ એક મોટા યુદ્ધના મુખમાં ધકેલાઈ રહ્યું હોય તેવી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર યુનાઇટેડ સ્ટેટ્સની આર્મી, નેવી અને એરફોર્સે ઈરાન તેમજ તેના સહયોગી હુથી બળવાખોરો સામે અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી ઘેરાબંધી શરૂ કરી દીધી છે. પર્સિયન ગલ્ફ અને લાલ સમુદ્રમાં ૨ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ, ૧૧ ડિસ્ટ્રોયર અને ૧ મરીન એક્સપિડિશનરી યુનિટ સહિત કુલ ૧૭ ઘાતક યુદ્ધ જહાજાે તૈનાત કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, અમેરિકા અને બ્રિટન સ્થિત એરબેઝ પરથી સુપરસોનિક ક્ષમતા ધરાવતા મ્-૧ લેન્સર બોમ્બર્સ અને એડવાન્સ ફાઈટર સ્ક્વોડ્રનને હાઈ એલર્ટ પર રાખીને સતત બોમ્બમારો કરવાની તૈયારીઓ આખરી ઓપ આપી દેવાયો છે. આ સમગ્ર જમાવટમાં સૌથી વધુ હલચલ મચાવનારો સંકેત જર્મનીના લેન્ડસ્ટુહલ સ્થિત મુખ્ય યુએસ લશ્કરી હોસ્પિટલમાં ૧૫૦થી વધુ કોમ્બેટ-ટ્રોમા મેડિકલ સ્પેશિયાલિસ્ટ્સનું આગમન છે. સામાન્ય રીતે મર્યાદિત કે નિયમિત એરસ્ટ્રાઈક માટે આટલી મોટી સંખ્યામાં આકસ્મિક તબીબી ટુકડીઓ મોકલવામાં આવતી નથી. સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે ઘાયલ સૈનિકોની સારવાર માટેનું આ માળખું સ્પષ્ટ કરે છે કે અમેરિકા માત્ર આકાશમાંથી બોમ્બ ફેંકવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ જમીની સ્તર પર અથવા લાંબા સમય સુધી ચાલનારા ભીષણ સંઘર્ષની અપેક્ષા રાખી રહ્યું છે. આ ઉપરાંત યુએસ આધારિત ક્ષેત્રોમાંથી સ્પેશિયલ ઓપરેશન ફોર્સને સીધા મધ્ય પૂર્વના ગુપ્ત મિશનો માટે રવાના કરી દેવાયા છે.
જાેર્ડનમાં THAAD ડિફેન્સ સિસ્ટમ તબાહ, કુવૈતમાં ડ્રૉન એટેક : દાવો
ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ મિડલ-ઈસ્ટમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર જવાબી હુમલા કર્યા છે. સેનાએ જાેર્ડન અને કુવૈતમાં યુએસ બેઝ પર ડ્રોન અને મિસાઈલથી હુમલા કર્યા છે.IRGC એ દાવો કર્યો કે જાેર્ડનમાં તૈનાત અમેરિકી THAAD (ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ) એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કુવૈતમાં અમેરિકી MQ-9 રીપર ડ્રોનના ઓપરેશન બેઝ પર પણ હુમલો કરવામાં આવ્યો. ઈરાનનું કહેવું છે કે આ કાર્યવાહી તાજેતરના અમેરિકી હુમલાઓના જવાબમાં કરવામાં આવી છે. આ પહેલાં અમેરિકાએ બુધવારે રાત્રે ઈરાનમાં ઈરાક બોર્ડર પર સ્થિત શલમચેહ બોર્ડર ક્રોસિંગ પર હવાઈ હુમલો કર્યો. ખુઝેસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું કે આ હુમલામાં બે લોકોનાં મોત થયા છે.
અમેરિકાની સતત ૧૨મી રાત્રે એરસ્ટ્રાઈક
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એ જણાવ્યું કે તેની સેનાએ ઈરાન પર સતત ૧૨મી રાત્રે એરસ્ટ્રાઈક કરી. આ હુમલાઓમાં ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ, દરિયાઈ સૈન્ય ક્ષમતાઓ, દરિયાકાંઠાના દેખરેખ કેન્દ્રો અને એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવવામાં આવ્યા છે. ઝ્રઈદ્ગ્ર્ઝ્રંસ્ અનુસાર, આ મહિને અત્યાર સુધીમાં ઈરાનના ડઝનબંધ સૈન્ય ઠેકાણાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાએ એવો પણ દાવો કર્યો કે તેણે ઈરાન વિરુદ્ધ દરિયાઈ નાકાબંધી લાગુ કરી છે. આ અંતર્ગત ૯ વ્યાવસાયિક જહાજાેનો રસ્તો બદલવામાં આવ્યો અને એક જહાજને ઈરાની બંદરગાહમાં આવવા-જવાથી રોકવામાં આવ્યું હતું.
પશ્ચિમ એશિયા તણાવને કારણે ભારતની ૨૬,૦૦૦ ફ્લાઇટ્સ રદ
અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે ૨૦ જુલાઈ સુધીમાં ભારતીય એરલાઈન્સને લગભગ ૨૬,૦૦૦ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી. આ ઉપરાંત, ઘણી ફ્લાઇટ્સના રૂટ બદલવામાં આવ્યા અને તેમાં વિલંબ પણ થયો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ સંકટને કારણે એરલાઈન્સને ભારે નુકસાન થઈ રહ્યું છે. જાેકે, તેઓ કામગીરી ચાલુ રાખવા અને નુકસાન ઘટાડવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા અમેરિકા-ઈરાન સંઘર્ષની ઉડ્ડયન ક્ષેત્ર પર ઊંડી અસર પડી છે. પહેલેથી જ ઇંધણના વધતા ભાવ અને પશ્ચિમ એશિયામાં હવાઈ ક્ષેત્ર પરના પ્રતિબંધોને કારણે એરલાઈન્સ મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.
અંતરિક્ષમાંથી લેવાયેલી સેટેલાઇટ તસવીરોમાં ભારતથી સાઉથ કોરિયા સુધી ૧૦,૦૦૦ કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી દેખાઈ છે. આ ‘મોનસૂન કન્વર્જન્સ ઝોન’ને કારણે ભારતમાં બમ્પર વરસાદની ચેતવણી અપાઈ છે. છેલ્લા ૨ દિવસમાં સરેરાશ કરતાં ૧૭૦% થી ૧૮૦% વધુ વરસાદ નોંધાયો છે. આને મોનસૂન કન્વર્જન્સ ઝોન કહેવાય છે. આ ત્યારે બન્યો જ્યારે હિંદ મહાસાગરથી આવેલી ભેજવાળી હવાઓ એશિયા તરફ આવી હતી. આ કારણે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, યુપી, પંજાબ, બિહાર, છત્તીસગઢ અને ગુજરાતમાં સતત ૬૦ કલાકથી વરસાદ થઈ રહ્યો છે. આ ઘટના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સૌથી સક્રિય તબક્કાની સાક્ષી પૂરે છે. આ વાદળો બમ્પર વરસાદ લાવીને દેશના જળાશયો ભરી રહ્યા છે, તો બીજી તરફ હિમાચલ-ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પૂર અને લેન્ડસ્લાઇડનો ભય પણ ઊભો થયો છે.
અભિજીત દી૫કેની કોકરોચ જનતા ૫ાર્ટીએ ગુરુવારે જંતર-મંતર ૫ર થઈ રહેલા વિદ્યાર્થી આંદોલનને એક ડગલું આગળ વધારવાની જાહેરાત કરી છે. દેશભરના તમામ જિલ્લાઓમાં આંદોલન કરવા માટે વિદ્યાર્થીઓને અ૫ીલ કરી છે. કોકરોચ જનતા ૫ાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ૫ર શેર કરવામાં આવેલા ૫ોસ્ટરમાં દેશભરમાં ૨૪ જુલાઈએ વિદ્યાર્થીઓને શાંતિ૫ૂર્ણ પ્રદર્શન કરવા માટે કહેવામાં આવ્યું છે. ગયા મહિનાથી દિલ્હીના જંતર-મંતર ૫ર વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ માટે ઝ્રત્નઁએ ૫ાંચ મુદ્દા બતાવ્યા છે. સૌથી ૫હેલાં વહીવટીતંત્ર ૫ાસેથી ૫રવાનગી લેવા માટે કહેવામાં આવ્યું છે. સ્થાનિક ૫ોલીસને લેખિતમાં પ્રદર્શન માટે અરજી કરો. કહેવામાં આવ્યું છે કે, મંજૂરી ૫ત્ર ૫ોતાની ૫ાસે રાખો, નંબર અને સમય વગેરે કન્ફર્મ કરો. માર્ચ માટે ઝડ૫થી કાનૂની સલાહ લેવા અંગે વિચાર કરો. આ સિવાય ૫ોસ્ટર અને ક્રિએટિવ ડિઝાઇન કરવા માટે કહેવાયું છે. સાથે જ સોશિયલ મીડિયા ૫ર અ૫ીલ કરો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ જાેડાઈ શકે. ૫ોસ્ટર્સ અને બેનર્સ પ્રિન્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ શાંતિ૫ૂર્ણ રીતે માર્ચ કરવા વિશે વાત કરવામાં આવી છે.
આ ૫હેલાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ૫ોતાની માંગને ફરીથી દોહરાવતા કહ્યું કે, પ્રશ્ન૫ત્ર લીકના કેસોમાં કાર્યવાહી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતમાં જવાબદેહીના મુદ્દે કોઈ વાત કરવામાં આવી નથી. મોદીએ સવારે ‘ ૫ર એક ૫ોસ્ટમાં પ્રશ્ન૫ત્ર લીકમાં સામેલ લોકોને વહેલી તકે કડકમાં કડક સજા અ૫ાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની જાહેરાત કરી અને કહ્યું કે, “આ૫ણા યુવાનોના કલ્યાણ અને ભવિષ્યથી વિશેષ કંઈ ૫ણ મહત્વ૫ૂર્ણ નથી.
૫ીએમ મોદીએ ૫ોસ્ટમાં કહ્યું કે, “આ૫ણા યુવાનોના કલ્યાણ અને ભવિષ્યથી વિશેષ કંઈ ૫ણ મહત્વ૫ૂર્ણ નથી. આ૫ણા યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને છોડવામાં આવશે નહીં.” નેશનલ એલિજિબિલિટી કમ એન્ટરન્સ ટેસ્ટ પ્રશ્ન૫ત્ર લીકને લઈને યુવાનોના સતત ચાલુ વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાને એ ૫ણ કહ્યું કે, પ્રશ્ન૫ત્ર લીકના કેસોમાં સામેલ લોકોને વહેલી તકે કઠોર સજા આ૫વા માટે સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટો સ્થા૫વાનો ર્નિણય લીધો છે.
મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને નકલી ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપવાનો વિડીયો વાયરલ થયા બાદ મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વિડીયોમાં દેખાતા પોલીસ ડ્રાઈવરને તેની હાલની પોસ્ટિંગ પરથી હટાવી દેવામાં આવ્યો છે. આ વિડીયો મુંબઈ કોંગ્રેસના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો, જે બાદ આ મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કૉકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ)ના નેતૃત્વમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો શિવાજી પાર્ક, ચેમ્બૂર અને આઝાદ મેદાન સહિત મુંબઈના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મુંબઈ પોલીસના ડ્ઢઝ્રઁ અકબર પઠાણે જણાવ્યું કે મુંબઈ કોંગ્રેસ દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વાયરલ વિડીયો અંગે પોલીસે તપાસના આદેશ આપી દીધા છે અને તથ્યોની ચકાસણી કર્યા પછી આગળના પગલાં લેવામાં આવશે. વાયરલ વિડીયોમાં ધમકી આપનાર પોલીસકર્મી સાયન પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ પવન સાંગલે છે, જે મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ સાથે જાેડાયેલો છે.
વાયરલ વિડીયોમાં કેટલાક વિદ્યાર્થીઓ પોલીસ વાહનની અંદર બેઠેલા જાેવા મળે છે. આ દરમિયાન આગળની સીટ પર બેઠેલો પોલીસકર્મી તેમને ફરીથી પ્રદર્શનમાં સામેલ ન થવાની ચેતવણી આપે છે. તે કહે છે કે તમારા બેગમાં ૫૦-૫૦ ગ્રામ પાવડર નાખી દઈશ, પછી આખી જિંદગી ખતમ થઈ જશે. આ સાથે જ તેણે એવું પણ કહ્યું કે આ પ્રદર્શનોના કારણે તેની પોતાની જિંદગી પણ મુશ્કેલ બની ગઈ છે.
વિડીયો સામે આવ્યા બાદ મુંબઈ પોલીસે આખી ઘટનાની સત્યતા તપાસવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તપાસ પૂર્ણ થયા બાદ મળેલા તથ્યોના આધારે સંબંધિત પોલીસ ડ્રાઈવર સામે આગળની ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.
Loading ...
