જાે તમે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દેશની બે સૌથી મોટી એરલાઇન્સ એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ સ્થાનિક ઉડ્ડયનોમાં મોટો કાપ મૂકવાનો ર્નિણય કર્યો છે. ૧ જૂન ૨૦૨૬થી આગામી ૯૦ દિવસ સુધી બંને કંપનીઓ ઘણા સ્થાનિક રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરશે.એરલાઇન્સ કંપનીઓ દ્વારા લેવાયેલા આ આકરા ર્નિણય પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. એક તો ATFના ભાવમાં ભડકો જાેવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અને ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘણા શહેરોમાં તેની કિંમત પ્રતિ કિલોલીટર ૮૦,૦૦૦થી વધીને ૧ લાખ રૂપિયાને પાર થઈ ગઈ છે.ઉનાળાની રજાઓ પૂર્ણ થતાં જ દર વર્ષે હવાઈ મુસાફરોની સંખ્યામાં કુદરતી ઘટાડો જાેવા મળે છે. એરલાઇન્સે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ રૂટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે નહીં, માત્ર ફ્લાઇટ્સની ફ્રીક્વન્સી ઓછી કરાશે. મુસાફરોને છેલ્લી ઘડીએ હાલાકી ન ભોગવવી પડે તે માટે આવી ફ્લાઇટ્સને બુકિંગ વેબસાઇટ્સ પરથી પહેલેથી જ હટાવી દેવામાં આવી છે.
કેરલમના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇડીએ કેરલમના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વિપક્ષના નેતા પિનારાઈ વિજયન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા તેમના અનેક સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા છે. ઈડીની આ મેગા એક્શન તેમની દીકરી વીણા વિજયનની આઈટી ફર્મ એક્સાલોજિક સોલ્યુશન્સ સાથે જાેડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે.ઈડીની અલગ-અલગ ટીમો સવારથી જ પૂર્વ મુખ્યપ્રમુખ સાથે જાેડાયેલા પરિસરો પર સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પૂર્વ સીએમના નિવાસસ્થાન સહિત કુલ ૧૦ સ્થળો પર હાલ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર કાર્યવાહી કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઈલ લિમિટેડ (CMRL) અને વીણા વિજયનની કંપની વચ્ચેના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસનો એક ભાગ છે.નોંધનીય છે કે આ દરોડા મંગળવારે (૨૬ મે) કેરલમ હાઈકોર્ટ દ્વારા લેવાયેલા એક મહત્વપૂર્ણ ર્નિણયના બીજા જ દિવસે પડ્યા છે. હાઈકોર્ટે CMRL અને વીણા વિજયનની કંપની વચ્ચેના આ શંકાસ્પદ વ્યવહારોમાં ઈડીની મની લોન્ડરિંગ તપાસ પર સ્ટે આપવાની માંગ કરતી અરજીને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી.
દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં૧૭૩માં અધવચ્ચે ટેકનિકલ ખામી સર્જાતાં તેને બુધવારે સવારે પરત દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. બોઇંગ ૭૭૭-૩૦૦ ઈઇ એરક્રાફ્ટમાં સર્જાયેલી આ ખામી સમયે પ્લેનમાં આશરે ૨૩૦ જેટલા મુસાફરો સવાર હતા, જેમનો આબાદ બચાવ થયો છે.ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ અનુસાર, આ ફ્લાઇટે દિલ્હીથી ટેકઓફ કર્યા બાદ આશરે ૩ કલાકથી વધુનો સમય હવામાં રહ્યું હતું. પ્લેન જ્યારે ચીનની એરસ્પેસમાં હતું, ત્યારે જ તેમાં ટેકનિકલ ખામી હોવાનું માલૂમ પડ્યું હતું. પાઇલટે નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ પ્લેનને તુરંત જ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તરફ ડાયવર્ટ કરવાનો ર્નિણય લીધો હતો. આખી પ્રક્રિયા દરમિયાન પ્લેન આશરે ૮ કલાક કરતાં વધુ સમય સુધી હવામાં રહ્યું હતું અને આખરે બુધવારે સવારે દિલ્હીમાં તેનું સેફ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.આ ગંભીર ઘટના અંગે એર ઇન્ડિયાના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, “૨૭ મેના રોજ દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઇટ છૈં૧૭૩ ટેકનિકલ ખામીના કારણે નક્કી કરેલી પ્રક્રિયા મુજબ દિલ્હી પરત ફરી છે.
લાંબા સમયથી મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર લશ્કરી સંઘર્ષ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે આખા વિશ્વને મોટી રાહત આપતા એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વિશ્વના અર્થતંત્ર અને ક્રૂડ ઓઈલના પરિવહન માટે જે દરિયાઈ માર્ગ સૌથી મહત્વનો ગણાય છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા માટેનો રસ્તો હવે સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. અમેરિકા ઈરાનની આસપાસ લગાવેલી પોતાની કડક નૌસૈનિક નાકેબંધીને કાયમી ધોરણે ખતમ કરવા માટે તૈયાર થઈ ગયું છે, જેના બદલામાં ઈરાન પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આંતરરાષ્ટ્રીય જહાજાેની અવરજવર પર લગાવેલા તમામ પ્રતિબંધો હટાવી લેશે. આ ચોંકાવનારો અને ઐતિહાસિક દાવો ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવ્યો છે. ઈરાનના સરકારી ટીવીના અહેવાલ અનુસાર, તેહરાનને અમેરિકા સાથે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ અને વિવાદનો કાયમી અંત લાવવા માટે એક મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ એટલે કે પરસ્પર સમજૂતીના પ્રારંભિક, બિન-સત્તાવાર માળખાનો એક વિશેષ મુસદ્દો પ્રાપ્ત થયો છે. આ અનૌપચારિક મુસદ્દાની નકલ ઈરાન સરકારના હાથમાં આવી ગઈ છે, જે વૈશ્વિક સ્તરે યુદ્ધના વાદળો હટાવવા માટે પાયાનો પથ્થર સાબિત થશે. આ કરારની મુખ્ય શરતો મુજબ, ઈરાન આગામી એક મહિનાની અંદર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ કોમર્શિયલ અને વ્યાપારી જહાજાેની આંતરરાષ્ટ્રીય અવરજવરને યુદ્ધ શરૂ થયું તે પહેલાના સામાન્ય સ્તર પર સંપૂર્ણપણે બહાલ કરી દેશે.
કરારના મુખ્ય ૪ મહત્વપૂર્ણ મુદ્દાઓ
• અમેરિકી સૈન્યની વાપસી: યુનાઇટેડ સ્ટેટ્સનું લશ્કર ઈરાનની સરહદી ભૌગોલિક સરહદોની આસપાસના તમામ વિસ્તારોમાંથી પોતાની સૈન્ય ટુકડીઓ અને લડાયક દળોને સત્તાવાર રીતે પાછા ખેંચી લેશે.
• વ્યાપારી જહાજાેની બહાલી: આ આંતરરાષ્ટ્રીય સમજૂતી લાગુ થયાના એક મહિનાની અંદર, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા વૈશ્વિક વાણિજ્યિક અને વ્યાપારી જહાજાેના ટ્રાન્ઝિટને યુદ્ધ પહેલાની મૂળ સ્થિતિ પર લાવવા કટિબદ્ધ રહેશે.
• યુદ્ધ જહાજાેનો સમાવેશ નહીં: આ શાંતિ કરારની જાેગવાઈઓમાં વ્યાપારી અને માલવાહક જહાજાેને જ છૂટછાટ છે. કોઈ પણ દેશના લશ્કરી કે યુદ્ધ જહાજાેની અવરજવરનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
• ઓમાનના સહયોગથી ટ્રાફિક મેનેજમેન્ટ: હોર્મુઝમાંથી પસાર થતાં જહાજાેની સુરક્ષા અને દરિયાઈ ટ્રાફિક વ્યવસ્થાપનનું સંપૂર્ણ સંચાલન ઓમાનના સહયોગથી સંયુક્ત રીતે કરવામાં આવશે.
આફ્રિકન દેશ કોંગોમાં હાલ ઇબોલા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જેને પગલે આફ્રિકન દેશોમાંથી ગુજરાત આવતા લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. જેમાં અમદાવાદ આવેલા ૧૧ લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે મુંબઈથી વડોદરા આવેલા ૩૭ વર્ષીય બિઝનેસમેનમાં શંકાસ્પદ લક્ષણો જાેવા મળતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વ્યક્તિની સાથે બીજા બે વ્યક્તિ હતા. આ બંને વ્યક્તિને પણ જીફઁ હોસ્પિટલમાં અલાયદા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે. અને એક ડૉક્ટર પણ સંપર્કમાં આવ્યા હતા. તો એમને પણ ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ પોઝિટિવ નથી, ટેસ્ટ ચાલી રહ્યા છે: આરોગ્ય મંત્રી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, એક બિઝનેસમેન(ઉ.વ.૩૭) આ પાંચ-સાત દિવસ પહેલા કોંગોથી બોમ્બે આવે છે અને ત્યાંથી પછી વડોદરા આવે છે. વડોદરામાં એમને તાવ આવતો હોય એવું જણાતા એને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી હેલ્થ વિભાગને જાણ થતાં તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ૧૧ દિવસ માટે ક્વોરન્ટીન કરી તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને વિવિધ ટેસ્ટ ચાલી રહ્યા છે. અત્યાર સુધી કોઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
અમદાવાદની જીફઁમાં ૬૦ બેડ તૈયાર
યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન દેશોમાંથી આવતા લોકોને એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. જીફઁ હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન રાખવા માટે અલગથી ૬૦ બેડનો વોર્ડ તૈયાર કરાયો છે.
બેંગલુરુમાં શંકાસ્પદ કેસ મળી આવ્યો
યુગાન્ડાથી ભારત આવેલી એક મહિલામાં ઇબોલા વાયરસના ગંભીર લક્ષણો જાેવા મળ્યા છે. સંક્રમણની આશંકાને પગલે તંત્ર દ્વારા મહિલાને બેંગલુરુની ખાસ મેડિકલ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરી દેવામાં આવી છે અને તેના સેમ્પલ તપાસ અર્થે મોકલાયા છે.
Loading ...
