ગુજરાતમાં ધોરણ-૧૦ એસ.એસ.સી. પરીક્ષાનું કુલ પરિણામ ૮૩.૮૬% જાહેર થયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ પરિણામ છે. જેમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ ૮૮.૨૮% રહી વિદ્યાર્થીઓ કરતાં ૮.૧૬% આગળ રહ્યું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો ૯૦.૮૫% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું ૭૬.૪૨% નોંધાયું છે. વલસાડના અબ્રામા ધારાનગની બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં મેદાન માર્યું છે. વલસાડની દીકરી માર્ગી વેકરીયાએ રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. ગાંધીનગના આજાેલ કેન્દ્રે ૧૦૦% પરિણામ મેળવી મોખરાનું સ્થાન મેળવ્યું છે, દાહોદના મુનખોસલા કેન્દ્રનું પરિણામ ૩૩.૭૪% સાથે સૌથી છેલ્લે રહ્યું છે. આ પરીક્ષામાં કુલ ૭,૫૬,૩૯૨ નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી ૬,૩૪,૩૨૭ વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. રાજ્યમાં ૧,૬૯૭ શાળાઓએ ૧૦૦% પરિણામ નોંધાવ્યું છે, જ્યારે ૩૯ શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે. માધ્યમ મુજબ અંગ્રેજી માધ્યમનું પરિણામ ૯૨.૫૦% અને ગુજરાતી માધ્યમનું પરિણામ ૮૨.૬૭% નોંધાયું છે. બેઝિક મેથ્સમાં ૧,૦૬,૫૦૪ અને વિજ્ઞાનમાં ૯૪,૬૪૫ વિદ્યાર્થીઓ નાપાસ થતાં સાયન્સમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે.
પશ્ચિમ બંગાળની ખડગપુર સદર બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના પ્રદીપ સરકારને ૩૦,૫૦૬ મતોથી હરાવનાર ભાજપના નવનિર્વાચિત ધારાસભ્ય દિલીપ ઘોષે પોતાના મતવિસ્તારમાં બુલડોઝર પર પાર્ટીનો ઝંડો લહેરાવીને જીતની ઉજવણી કરી હતી. ૬૧ વર્ષીય પૂર્વ સાંસદ ઘોષે સબકા સાથ, સબકા, બાદ હવે સબકા હિસાબ કરાશે, એવી ગર્ભિત ચીમકી ઉચ્ચારી હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ હતા, જ્યારે ભાજપે ૪૨માંથી ૧૮ બેઠકો જીતીને બંગાળના રાજકારણમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી હતી.
હવે જ્યારે બંગાળમાં ભાજપ પોતાની પ્રથમ સરકાર બનાવવા જઈ રહ્યો છે, ત્યારે દિલીપ ઘોષે એક મુલાકાતમાં નવી સરકારના એજન્ડાથી લઈને મમતા બેનર્જીના વલણ સુધીના વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.
દિલીપ ઘોષે બંગાળમાં ભાજપ સરકારના એજન્ડા અને રાજ્ય સામેના આર્થિક પડકારો વિશે બોલતાં જણાવ્યું હતું કે, બિહારમાં પણ સ્થિતિ ખરાબ હતી પરંતુ હવે સુધરી રહી છે. અમારો વિશ્વાસ છે કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે, ત્યાં સુધી બધું જ શક્ય છે. પશ્ચિમ બંગાળમાં ક્ષમતા છે અને અહીંના લોકોમાં કાબેલિયત છે, તેથી આપણે રાજ્યને તક અને લોકોને સારો વહીવટ આપવો પડશે. ૫૦ લાખથી વધુ યુવાનો નોકરીની શોધમાં બંગાળ છોડી ગયા છે. તેઓ ઘરે પાછા આવીને અહીં કામ કરવા માગે છે. અમે તેમને તે તક આપીશું. અહીં કોઈ વહીવટ નહોતો, કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ નહોતું અને કોઈ ઉદ્યોગ નહોતો. શિક્ષણ વિભાગ ખખડધજ છે અને આરોગ્ય વિભાગની હાલત કફોડી છે.
જલંધરમાં બીએસએફ હેડક્વાર્ટરની બહાર મંગળવારે રાત્રે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. સદનસીબે, વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ નથી. આ બ્લાસ્ટનો વીડિયો પણ સામે આવ્યો છે. તે જ સમયે, અમૃતસરમાં આર્મી કેમ્પની અંદર પણ ગ્રેનેડ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે દીવાલ સાથે અથડાઈને ફાટી ગયો હતો. ડીજીપી ગૌરવ યાદવે અમૃતસર પહોંચીને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્વીકાર્યું કે જલંધર અને અમૃતસરમાં IED બ્લાસ્ટ થયા હતા. તેમણે કહ્યું કે જલંધરમાં ટાઈમર કે રિમોટથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. તેમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓનો હાથ છે. ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠને કારણે વિસ્ફોટો કરવામાં આવ્યા હોઈ શકે છે.
વિસ્ફોટ બાદ ચંદીગઢમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, જલંધર બ્લાસ્ટની જવાબદારી ખાલિસ્તાન લિબરેશન આર્મીએ એક પોસ્ટ શેર કરીને લીધી. તેમાં લખ્યું છે કે ડીઆઇજી સંદીપ ગોયલ અને તેમનો પરિવાર નિશાન પર છે. એટલું લોહી વહેવડાવશું કે બધું લાલ દેખાશે.
જલંધરમાં બીએસએફ ચોક પાસે રાત્રે ૭:૫૭ વાગ્યે એક સ્કૂટી પાસે વિસ્ફોટ થયો હતો. પોલીસ તપાસમાં એક શંકાસ્પદ પીએપી ચોક તરફથી ખોટી બાજુથી પગપાળા આવતો દેખાયો. તે સીધો તે જગ્યાએ પહોંચ્યો, જ્યાં ફૂટપાથ પર એક્ટિવા ઊભી હતી. યુવકે પોલિથીનમાં લપેટાયેલું પેકેટ ત્યાં છોડ્યું અને બસ સ્ટેન્ડ તરફ દોટ મૂકી. તેના થોડા સેકન્ડમાં વિસ્ફોટ થયો. જે એક્ટિવામાં વિસ્ફોટ થયો, તે બીએસએફના જ નિવૃત્ત જવાન કાશ્મીર સિંહની છે. તેનો દીકરો ગુરપ્રીત સિંહ પાર્સલ લેવા આવ્યો હતો. હેલ્મેટ ન પહેર્યું હોવાને કારણે મ્જીહ્લ જવાનોએ તેની એક્ટિવા બહાર ઊભી કરાવી દીધી. ગુરપ્રીત હાલ પોલીસ કસ્ટડીમાં છે.
તમિલનાડુમાં નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અભિનેતા-રાજનેતા વિજયે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. બીજી તરફ, તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ ને કોંગ્રેસનું સમર્થન મળી ગયું છે, જેનાથી સત્તાની રચનાનો રસ્તો સાફ થતો જણાય છે. પરંતુ રાજ્યપાલે વિજયની મુશ્કેલી વધારી દીધી છે. તેમણે ૧૧૮ ધારાસભ્યો સમર્થન સાથે પત્ર આપવાનું કહ્યું છે. હાલમાં ટીવીકેએ એઆઇએડીએમકેના ગઠબંધનના પ્રસ્તાવને હોલ્ડ પર રાખ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિજયે હજુ સુધી ૧૧૮ ધારાસભ્યોના સમર્થનનો પત્ર જમા કરાવ્યો નથી. તેમણે મૌખિક રીતે જણાવ્યું છે કે તેમની પાસે બહુમતી માટે જરૂરી સંખ્યા હાજર છે. માહિતી મુજબ, ટીવીકેએ રાજ્યપાલને ૧૦૭+૫ એટલે કે ૧૧૨ ધારાસભ્યોના હસ્તાક્ષર વાળો પત્ર સોંપ્યો હતો. પરંતુ તેના પર રાજ્યપાલે કહ્યું, ૧૧૮ની સહીવાળા પત્ર સાથે પાછા આવો. ટીવીકેએ આ માટે થોડો સમય માગ્યો છે. કોંગ્રેસ, જે લાંબા સમયથી ડીએમકે સાથે ગઠબંધનમાં રહી છે તેણે હવે તેની સાથે છેડો ફાડીને વિજયની પાર્ટી ટીવીકેને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પાર્ટીના તમિલનાડુ પ્રભારી ગિરીશ ચોડનકરે કહ્યું કે આ ર્નિણય જનતાના જનાદેશનું સન્માન કરવા માટે લેવામાં આવ્યો છે. જાે કે કોંગ્રેસે ટીવીકેને સમર્થન આપતી વખતે શરત મૂકી છે કે બંધારણમાં વિશ્વાસ ન રાખતી સાંપ્રદાયિક શક્તિઓને ગઠબંધનથી દૂર રાખવામાં આવે. રાજ્યમાં સરકાર બનાવવા માટે ૧૧૮ બેઠકોની જરૂર છે. હાલમાં ટીવીકે પાસે ૧૦૭ ઉપરાંત કોંગ્રેસના ૫ ધારાસભ્યોનું સમર્થન છે. સરકાર રચવા માટે હજુ પણ ૬ વધારે ધારાસભ્યોનું સમર્થન લેવું પડે તેમ છે. ે
વિજયને અટકાવવા જાની દુશ્મનો એક થશે?
થલાપતિ વિજયની પાર્ટી શપથગ્રહણ સમારોહની તૈયારીઓ કરી રહી છે, તો બીજીતરફ વિજયને અટકાવવા માટે DMK અને AIADMK જેવી એકબીજાના કટ્ટર વિરોધી પક્ષો વચ્ચે ગઠબંધન થવાની અટકળો શરૂ થઈ ગઈ છે. અટકળો મુજબ, એમ.કે.સ્ટાલિનની દ્રવિડ મુનેત્ર કઝગમ પાર્ટી અને કે.પલાનિસ્વામીની ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પાર્ટી ગઠબંધન કરવાની તૈયારીમાં છે.
કેન્દ્ર સરકારે વંદે માતરમને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન દરજ્જાે આપવાનો ર્નિણય કર્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી જીત બાદ પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની પ્રથમ બેઠકમાં આ ર્નિણય લેવાયો હતો. બેઠકમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમમાં સુધારાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટના ર્નિણય અનુસાર, બંકિમચંદ્ર ચેટર્જી રચિત વંદે માતરમ પર હવે તે જ નિયમો અને પ્રતિબંધો લાગુ પડશે, જે હાલમાં રાષ્ટ્રગાન પર લાગુ છે. એટલે કે, તેના અપમાન કે ગીતમાં અવરોધ ઊભો કરવાની સ્થિતિમાં સજા થશે. હાલમાં રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગાનના અપમાન પર જેલ, દંડ અથવા બંનેની જાેગવાઈ છે. હવે વંદે માતરમ પણ તેમાં સામેલ કરાશે. સરકાર વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂરા થવાના અવસરે બદલાવ કરી રહી છે. આ માટે કાયદાની કલમ ૩ માં સુધારો કરવામાં આવશે. આ કલમ અનુસાર, જાે કોઈ વ્યક્તિ જાણી જાેઈને રાષ્ટ્રગાન ગાવામાં અવરોધ ઉભો કરે અથવા તેને રોકે, તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે. ફરીથી ગુનો કરવા પર ઓછામાં ઓછી એક વર્ષની સજાની જાેગવાઈ છે. સુધારા પછી આ જ નિયમો વંદે માતરમ પર પણ લાગુ પડશે. સરકારે ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમ માટે સત્તાવાર પ્રોટોકોલ માટે ગાઈડલાઈન બહાર પાડી.
Loading ...
