ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન એ શુક્રવારે જણાવ્યું હતું કે ૨૦૨૬ વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપ ૨૧ થી ૨૮ નવેમ્બર દરમિયાન તુર્કીના ઇસ્તંબુલમાં યોજાશે. આ ઇવેન્ટ અગાઉ બહેરીનમાં યોજાવાની હતી.
બહેરીન ટેબલ ટેનિસ એસોસિએશને,BTTA સાથે પરામર્શ કર્યા પછી, પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે ઇવેન્ટમાં ભાગ લેનારા તમામ રમતવીરો, અધિકારીઓ અને પ્રતિનિધિમંડળોની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપતા, ઇવેન્ટનું આયોજન છોડી દેવાનો ર્નિણય લીધો.
ITTF ના પ્રમુખ પેટ્રા સોર્લિંગે આ જાહેરાતનું સ્વાગત કરતા કહ્યું, “અમે બહેરીનના આભારી છીએ કે તેમણે અમારી ચિંતાઓને સમજી અને અમારા રમતવીરોની સુખાકારીને પ્રાથમિકતા આપવાનું વચન પાળ્યું. અમને વિશ્વાસ છે કે તુર્કીમાં એક શાનદાર કાર્યક્રમ યોજાશે. અમે આગામી પેઢીના ચેમ્પિયન્સને આ ઐતિહાસિક મંચ પર સ્પર્ધા કરતા જાેવા માટે આતુર છીએ.”બહેરીન ટેબલ ટેનિસ એસોસિએશને, સાથે પરામર્શ કર્યા પછી, પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે ઇવેન્ટમાં ભાગ લેનારા તમામ રમતવીરો, અધિકારીઓ અને પ્રતિનિધિમંડળોની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપતા, ઇવેન્ટનું આયોજન છોડી દેવાનો ર્નિણય લીધો.તુર્કી ટેબલ ટેનિસ ફેડરેશનના પ્રમુખ કેરીમ કોકે જણાવ્યું હતું કે, ITFવર્લ્ડ યુથ ચેમ્પિયનશિપનું આયોજન તુર્કી ટેબલ ટેનિસ ફેડરેશન માટે એક મોટું પગલું છે. તે દેશમાં રમતને વિકસાવવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે દરેક સ્તરે રમતને વિકસાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ, અને વિશ્વના શ્રેષ્ઠ યુવા ખેલાડીઓનું આપણા દેશમાં સ્વાગત એ આગામી પેઢીને પ્રેરણા આપતી ક્ષણ છે. અમે એવી ઇવેન્ટનું આયોજન કરવા આતુર છીએ જેના પર તુર્કી ખરેખર ગર્વ અનુભવી શકે.”
તિલક વર્માના નેતૃત્વ હેઠળની ભારત છ ટીમ શુક્રવારે શ્રીલંકા છ અને અફઘાનિસ્તાન છ ટીમો વચ્ચે રમાનારી ત્રિકોણીય ર્ંડ્ઢૈં શ્રેણી માટે શ્રીલંકા પહોંચી હતી. આ શ્રેણી ૯ થી ૨૧ જૂન દરમિયાન રંગીરી દામ્બુલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારત ‘એ’ ૯ જૂને યજમાન શ્રીલંકા ‘એ’ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. શ્રીલંકા ક્રિકેટ (જીન્ઝ્ર) એ તિલક વર્મા, વૈભવ સૂર્યવંશી, રુતુરાજ ગાયકવાડ અને અનુકુલ રોય જેવા ખેલાડીઓના આગમનના ફોટા શેર કર્યા.
“ભારત ‘છ’ ટીમ રંગીરી દામ્બુલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી ત્રિ-રાષ્ટ્રીય શ્રેણી પહેલા શ્રીલંકા પહોંચી ગઈ છે. તેમની કુશળતા દર્શાવવા અને એક રોમાંચક ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર છે. શ્રીલંકા પહોંચતા પહેલા ભારત ‘એ’ ટીમમાં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા - હર્ષ દુબેને અફઘાનિસ્તાન સામેની શ્રેણી માટે ટેસ્ટ અને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રોયનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
પાછળથી, રિયાન પરાગને હેમસ્ટ્રિંગની ઇજાને કારણે બહાર કરવામાં આવ્યા બાદ ગાયકવાડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો. પરાગ ૈંઁન્ ૨૦૨૬ માં રાજસ્થાન રોયલ્સ (ઇઇ) વતી રમતી વખતે ઘાયલ થયો હતો. તે બેંગલુરુમાં મ્ઝ્રઝ્રૈં સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પુનર્વસનમાંથી પસાર થશે.
એવા અહેવાલો પણ છે કે રુતુરાજ ગાયકવાડને અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ર્ંડ્ઢૈં શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે . કારણ કે વિરાટ કોહલી ઈજાને કારણે અફઘાનિસ્તાન ર્ંડ્ઢૈં શ્રેણીમાંથી બહાર થઈ શકે છે.
પાછળથી, રિયાન પરાગને હેમસ્ટ્રિંગની ઇજાને કારણે બહાર કરવામાં આવ્યા બાદ ગાયકવાડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો. પરાગ ૈંઁન્ ૨૦૨૬ માં રાજસ્થાન રોયલ્સ (ઇઇ) વતી રમતી વખતે ઘાયલ થયો હતો. તે બેંગલુરુમાં મ્ઝ્રઝ્રૈં સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પુનર્વસનમાંથી પસાર થશે.
હર્ષ દુબેને અફઘાનિસ્તાન સામેની શ્રેણી માટે ટેસ્ટ અને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રોયનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઈન્ડિયા છ ટીમ: તિલક વર્મા (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, આયુષ બદોની, નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિપ્રાજ નિગમ, અરવિર સિંહ, અરવિર ખાન, અરવિંદ ખાન, અરવિંદ ખાન. અનુકુલ રોય.
પૉપ સ્ટાર શકીરા અને નાઇજિરિયન ગાયક બર્ના બોય ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપ ઉદઘાટન સમારોહમાં સાથે પરફોર્મ કરવા માટે તૈયાર છે. ફિફાએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. બંને કલાકારો અન્ય ઘણા મુખ્ય વૈશ્વિક સ્ટાર્સ સાથે સ્ટેજ શેર કરશે.શકીરા અને બર્ના બોય ફિફા ૨૦૨૬ માટેના સત્તાવાર ગીત, “ડાઈ ડાઈ” પર કામ કરી રહ્યા છે. આ ઓડિયો ૧૬ મેના રોજ રિલીઝ થઈ ચૂક્યો હતો. આ ગીતનો વિડિઓ મિયામીમાં શૂટ કરવામાં આવ્યો હતો. વિડિઓમાં, શકીરા મેક્સિકો સિટીના પ્રખ્યાત “એન્જલ ઓફ ઈન્ડિપેન્ડન્સ“ ની ટોચ પર ઉભી રહીને રણમાં આફ્રિકન બાળકો સાથે નૃત્ય કરતી જાેવા મળશે. ત્યારબાદ બર્ના બોય પોતાનું ડેબ્યૂ કરશે.ટુર્નામેન્ટ ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ મેક્સિકો સિટી સ્ટેડિયમ ખાતે શરૂ થશે. શકીરા ૧૯ જુલાઈના રોજ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે યોજાનાર વર્લ્ડ કપના ઇતિહાસના પ્રથમ “ફાઇનલ હાફ-ટાઇમ શો”માં મુખ્ય કલાકાર તરીકે પણ પરફોર્મ કરશે. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ૧૧ જૂનથી ૧૯ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકોમાં યોજાઈ રહ્યો છે.ફિફા ૨૦૨૬ માટે એક ખાસ આલ્બમ બનાવવામાં આવ્યું છે, જેમાં ૧૮ ગીતો છે. તે આજે, ૫ જૂનના રોજ રિલીઝ થઈ રહ્યું છે. આ આલ્બમમાં વિશ્વભરના મુખ્ય કલાકારો છે, જે વિવિધ સંગીત શૈલીઓ (જેમ કે કે-પોપ, આફ્રોબીટ્સ, લેટિન અને હિપ-હોપ)નું પ્રતિનિધિત્વ કરે છે.
ભારતમાં મુસાફરી માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ હોય તો તે છે ટ્રેન. તેની પાછળનું કારણ છે સસ્તું ભાડું અને સુવિધાજનક મુસાફરી. એ જ કારણ છે કે તમે દેશનું કોઈપણ રેલવે સ્ટેશન જાેઈ લો. ત્યાં મુસાફરોની ભીડ હંમેશા રહેશે. પરંતુ તમને જણાવી દઈએ કે, માત્ર આપણા દેશમાં જ સ્ટેશન આટલા વ્યસ્ત રહે છે એવું નથી. દુનિયામાં એક રેલવે સ્ટેશન એવું છે જ્યાં આશરે ૩૦ લાખ લોકોની ભીડ જાેવા મળે છે. તમે વિચારતા હશો કે સૌથી વધુ જનસંખ્યાવાળા દેશમાં જ આ રેલવે સ્ટેશન હશે, પરંતુ એવું નથી. આપણે બધા જાણીએ છીએ કે, દુનિયામાં સૌથી વધુ વસ્તી ભારત અને ચીનમાં છે. એવામાં કોઈપણ જાહેર સ્થળ પર આ દેશમાં જ સૌથી વધુ ભીડ જાેવા મળે છે. જાે કે આજે અમે તમને દુનિયાના સૌથી વ્યસ્ત સ્ટેશન વિશે જણાવીશું અને રસપ્રદ વાત એ છે કે, આ સ્થળ ભારત કે ચીનમાં નહીં પરંતુ એક નાનકડા દેશમાં આવેલું છે.
આ સ્ટેશનમાં ૨૦૦ ગેટ અને ૩૬ પ્લેટફોર્મ છે, જ્યારે દરરોજ અહીંથી ૩૦ લાખ ૮૦ હજાર મુસાફરો પસાર થાય છે. આ સ્ટેશન ભારત કે ચીનમાં નહીં પરંતુ જાપાનમાં આવેલું છે. ટોક્યોમાં આવેલું શિંજુકુ સ્ટેશનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર રીતે દુનિયાના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન તરીકે માન્યતા આપવામાં આવી છે. લગભગ ૧.૨૭ અબજ મુસાફરો ટ્રેન પકડવા માટે આ સ્ટેશનમાંથી પસાર થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે શિંજુકુ સ્ટેશનમાં ૩૬ પ્લેટફોર્મ છે? લગભગ ૩૮ લાખ લોકો દરરોજ તેના અલગ-અલગ ગેટમાંથી પસાર થાય છે. શિંજુકુ સ્ટેશન માત્ર સામાન્ય જંકશન નથી, પણ અંદરથી એક મિની શહેર જેવું છે. અહીં મુસાફરો ટ્રેનની રાહ જાેતા ખાવા-પીવા, ખરીદી કે ફરવા-ફરવા પણ જઈ શકે છે. આ સ્ટેશનમાં અનેક શોપિંગ સેન્ટર, ડિપાર્ટમેન્ટ સ્ટોર, અંડરગ્રાઉન્ડ માર્ગ અને નાના સેટેલાઇટ સ્ટેશનો છે, જે અહીં આવતા લોકોને સંપૂર્ણ અનુભવ આપે છે. પૂર્વ અને પશ્ચિમ એક્ઝિટ ડોર પર મુસાફરોને અલગ અલગ અનુભવ મળે છે. પૂર્વ તરફ મનોરંજન વિસ્તાર છે, જ્યારે પશ્ચિમ તરફ આધુનિક ઓફિસ વિસ્તાર છે. એટલું જ નહીં થોડું આગળ જશો તો તમને લીલાછમ શિંજુકુ ગ્યોએન ગાર્ડન મળશે, જે આ રેલવે સ્ટેશનની શાન ગણાય છે. અહીં મુસાફરો ટ્રેનની રાહ જાેતા ખાવા-પીવા, ખરીદી કે ફરવા-ફરવા પણ જઈ શકે છે. આ સ્ટેશનમાં અનેક શોપિંગ સેન્ટર, ડિપાર્ટમેન્ટ સ્ટોર, અંડરગ્રાઉન્ડ માર્ગ અને નાના સેટેલાઇટ સ્ટેશનો છે, જે અહીં આવતા લોકોને સંપૂર્ણ અનુભવ આપે છે. આસપાસના કેટલાક આકર્ષણોમાં ટોક્યો મેટ્રોપોલિટન ગવર્નમેન્ટ બિલ્ડિંગ ઓબ્ઝર્વેટરી પણ છે, જે શિંજુકુ સ્ટેશનના પશ્ચિમી એક્ઝિટથી માત્ર ૧૦ મિનિટના ચાલવાના અંતરે છે. આકાશ ચોખ્ખું હોય ત્યારે અહીંથી માઉન્ટ ફૂજીનું દૃશ્ય પણ જાેઈ શકાય છે. અહીંનું બીજું મહત્વપૂર્ણ આકર્ષણ કાબુકિચો છે, જે વિવિધ રેસ્ટોરન્ટ અને મનોરંજન સુવિધાઓથી ભરપૂર જીવંત ટુરિસ્ટ સેન્ટર છે. અહીં અનેક ઇઝાકાયા, બાર, ક્લબ, કરાઓકે અને મૂવી થિયેટર છે, જ્યાં લોકો મજા માણી શકે છે.
પશ્ચિમ આફ્રિકાના નાઇજર દેશમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વિશ્વના સૌથી ક્રૂર ગણાતા સહારાના રણ પ્રદેશમાં એક ટ્રક બગડી જતાં, તેમાં સવાર પ્રવાસીઓ ભયાનક ગરમી અને પાણીના અભાવે ફસાઈ ગયા હતા. આ અસહ્ય તાપમાન અને પાણીના એક-એક ટીપાં માટે તરસતા ૪૯ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો એક મુસ્લિમ તહેવારમાં હાજરી આપીને માલી દેશથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટનાનો શિકાર બન્યા હતા.સ્થાનિક અગાદેઝ ગવર્નરેટ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ ઘટના નાઇજર અને અલ્જીરિયાની સરહદ નજીક આવેલા ક્રોસિંગ પોઇન્ટ ‘અસમાકા’ થી આશરે ૮૦ કિલોમીટર દૂર એક ર્નિજન અને અત્યંત અંતરિયાળ વિસ્તારમાં બની હતી.રણની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક પ્રવાસીઓની ટ્રક ખોરવાઈ ગઈ હતી. ડ્રાઈવર, તેના મદદનીશો અને પ્રવાસીઓએ ગાડી રિપેર કરવાના અથાક પ્રયાસો કર્યા હતા પરંતુ વ્હીકલ ચાલુ થઈ શક્યું નહોતું. કમનસીબે, આ દરમિયાન ગાડીમાં રાખેલું પીવાનું પાણી પણ સંપૂર્ણપણે ખલાસ થઈ ગયું હતું.
Loading ...
