પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટર પર ૨ જૂનની રાત્રે થયેલા ફાયરિંગ કેસમાં નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જ્ઞાન બિંદુ કોચિંગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિવાદ દરમિયાન ફાયરિંગ ખાન સરના ગાર્ડે કર્યું હતું.
જ્ઞાન બિંદુ ટીમના આદર્શ કુમારે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં વીડિયો જાહેર કરતા કહ્યું કે આખી ઘટના અગાઉથી પ્લાન કરવામાં આવી હતી. ફાયરિંગ ખાન સરના કહેવા પર કરવામાં આવ્યું. તેમણે સવાલ ઉઠાવ્યો કે વીડિયોમાં રોશન આનંદ ક્યાંય દેખાતા નથી, તો તેમની ધરપકડ કેમ થઈ. સાથે જ ખાન સરની ધરપકડની માંગ પણ કરી.
જ્યારે, વીડિયો સામે આવ્યા પછી પોલીસ ખાન સરના કોચિંગ સેન્ટર પહોંચી અને વીડિયોમાં ફાયરિંગ કરતા દેખાતા બંને ગાર્ડ્સને કદમકુઆં પોલીસ સ્ટેશન લઈ આવી. ૩ કલાકની પૂછપરછ પછી પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. પોલીસે બંનેના હથિયારો પણ તપાસ માટે જપ્ત કર્યા છે. આ તરફ, ખાન સરની પણ કોચિંગની અંદર ફાયરિંગના કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.૨ જૂનની રાત્રે લગભગ ૧૦ વાગ્યે પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટર પર હુમલો થયો હતો. આરોપ છે કે કેટલાક લોકોએ કોચિંગ સેન્ટરના ગાર્ડને માર માર્યો હતો.
આશરે ૧૫ વર્ષ અલગ રહેતા એક ડોક્ટર્સ દંપતીના છૂટાછેડાને મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લગ્ન સબંધિત કોર્ટ કેસો લાંબા સમય સુધી પડતર રહે તો લગ્ન માત્ર કાગળ પર જ જીવંત રહે છે. ભારતીય અદાલતો વારંવાર કહી ચૂકી છે કે વાજબી કારણ વગર જીવનસાથીને સતત શારીરિક સંબંધોથી વંચિત રાખવું ગંભીર ભાવનાત્મક પીડા પહોંચાડે છે અને લગ્નના મૂળ આધારને નબળો પાડે છે અને તે છૂટાછેડાનો આધાર બની શકે છે. ન્યાયાધીશ સંજય કરોલ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે નોંધ્યું હતું કે રાજસ્થાન હાઈકોર્ટે ઘણા આધારો પર છૂટાછેડા મંજૂર કર્યા હતાં, જેમાં પત્ની દ્વારા અનેક વખત જાતીય સંબંધોનો ઇનકાર કરીને પતિ સામે કરવામાં આવેલી ક્રૂરતા પણ એક આધાર હતો. પતિની અપીલને મંજૂરી આપીને આપવામાં આવેલ છૂટાછેડાનું હુકમનામું માન્ય રાખવામાં આવે છે. કોર્ટે જણાવ્યું હતું કે વાજબી કારણ વગર જાતીય સંબંધોનો સતત ઇનકાર કરવા સહિત વૈવાહિક અધિકારોનો ઇનકાર માનસિક ક્રૂરતા ગણાય છે અને હિન્દુ લગ્ન ધારાની કલમ ૧૩(૧) હેઠળ છૂટાછેડા માટે માન્ય આધાર છે.
આશરે ૧૫ વર્ષ અલગ રહેતા એક ડોક્ટર્સ દંપતીના છૂટાછેડાને મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લગ્ન સબંધિત કોર્ટ કેસો લાંબા સમય સુધી પડતર રહે તો લગ્ન માત્ર કાગળ પર જ જીવંત રહે છે. ભારતીય અદાલતો વારંવાર કહી ચૂકી છે કે વાજબી કારણ વગર જીવનસાથીને સતત શારીરિક સંબંધોથી વંચિત રાખવું ગંભીર ભાવનાત્મક પીડા પહોંચાડે છે અને લગ્નના મૂળ આધારને નબળો પાડે છે અને તે છૂટાછેડાનો આધાર બની શકે છે. ન્યાયાધીશ સંજય કરોલ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે નોંધ્યું હતું કે રાજસ્થાન હાઈકોર્ટે ઘણા આધારો પર છૂટાછેડા મંજૂર કર્યા હતાં, જેમાં પત્ની દ્વારા અનેક વખત જાતીય સંબંધોનો ઇનકાર કરીને પતિ સામે કરવામાં આવેલી ક્રૂરતા પણ એક આધાર હતો. પતિની અપીલને મંજૂરી આપીને આપવામાં આવેલ છૂટાછેડાનું હુકમનામું માન્ય રાખવામાં આવે છે. કોર્ટે જણાવ્યું હતું કે વાજબી કારણ વગર જાતીય સંબંધોનો સતત ઇનકાર કરવા સહિત વૈવાહિક અધિકારોનો ઇનકાર માનસિક ક્રૂરતા ગણાય છે અને હિન્દુ લગ્ન ધારાની કલમ ૧૩(૧) હેઠળ છૂટાછેડા માટે માન્ય આધાર છે.
બુધવારની સવારે દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં હોટલમાં લાગેલી આગમાં ૨૧ લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારમાં ગુરૂગ્રામના એક પરિવારના ૮ લોકોના મોત સામેલ છે. સાઉથ દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં હૌઝ રાનીમાં બનેલ ફ્લોરિશ સ્ટે બેડ એન્ડ બ્રેકફાસ્ટ હોટલમાં વિવેક અગ્રવાલનો પરિવાર પણ અહીં રોકાયો હતો. બુધવારે સવારે જે સમયે હોટલમાં આગ લાગી ત્યારે પરિવાર નાસ્તો કરી રહ્યો હતો. અહીં રોકાયેલા પરિવારના આઠ સભ્યોના મોત થયા છે. આ ઘટના બાદ સેક્ટર ૪૬મા વિવેકના ઘર પર સન્નાટો છવાયેલો છે અને આસપાસ રહેતા લોકો પણ શોકમાં છે. વિવેક અગ્રવાલનો પરિવાર દિલ્હીની નજીક આવેલા ગુરૂગ્રામના સેક્ટર ૪૬મા રહેતો હતો. વિવેકના ૮૦ વર્ષીય પિતા આ સમયે મેક્સ હોસ્પિટલમાં દાખલ છે. પરિવાર તેમના મળવા આવ્યો હતો અને હોસ્પિટલની પાસે આવેલી આ હોટલમાં રોકાયો હતો. વિવેકની સાથે તેની પત્ની તર્જની અગ્રવાલ, બે દીકરી જિવિશા અને વર્યા અને ૪ અન્ય સંબંધિઓ સાથે હતા. વિવેકે આ હોટલમાં બે રૂમ બુક કર્યાં હતા.
આ આગકાંડમાં પરિવાર અચાનક તબાહ થઈ ગયો છે. આ આઠ લોકોના મોત બાદ હવે પરિવારમાં વિવેકના પિતા ૮૦ વર્ષીય રાધે શ્યામ અગ્રવાલ જીવિત છે, જે મેક્સ હોસ્પિટલમાં દાખલ છે. પરિવારમાં થયેલી આ દુર્ઘટનાના સમાચાર સાંભળી સંબંધિઓ તેના મૃત શરીરને લેવા માટે પહોંચ્યા હતા, પરંતુ તંત્રએ કહ્યું કે જ્યાં સુધી ડીએનએ સેમ્પલ મેચ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સોંપવામાં આવશે નહીં.
માલવીય નગરમાં બનેલી આ પાંચ માળની હોટલમાં સવારે આશરે ૮.૩૦ કલાકે અચાનક આગ લાગી હતી. આગ ગણતરીની મિનિટોમાં બેકાબૂ થઈ ગઈ અને હોટલ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ ૨૧ લોકોના મોત થયા, જેમાં ૧૨ વિદેશી નાગરિક છે. ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જે સમયે આ દુર્ઘટના થઈ ત્યારે હોટલમાં ૪૦થી વધુ લોકો હાજર હતા.
દિલ્હી પોલીસે જણાવ્યું કે આ હોટલમાં માત્ર એક જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ હતો. હોટલની બારી સીલ હતી, જ્યારે હોટલનો મુખ્ય દરવાજાે સેન્સર ઓપરેટેડ હતો. તેવામાં અહીં ફસાયેલા લોકોને બહાર નીકળવા માટે સીમિત વિકલ્પ હતા. ઘણા લોકોએ બારીમાંથી કૂદકા મારી પોતાના જીવ બચાવ્યા હતા.
ઈરાને કુવૈત ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી છે. કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે ‘ઠ’ પર એક પોસ્ટમાં કુવૈત એરપોર્ટ પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું કે, તેઓ શોકગ્રસ્ત પરિવારની સાથે-સાથે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તમામ સંભવિત મદદ અને સહયોગ આપવા માટે કુવૈત પ્રશાસન સાથે સંકલન સાધી રહ્યા છે. કુવૈતે બુધવારે ત્યારે એર ટ્રાફિક સસ્પેન્ડ કરી દીધો, જ્યારે ઈરાનના હુમલામાં ‘ટર્મિનલ વન’ને નિશાન બનાવવામાં આવ્યું. આ હુમલાથી જાનમાલનું નુકસાન થયું અને એરપોર્ટને પણ નુકસાન પહોંચ્યું છે.
Loading ...
