અમેરિકન એરફોર્સનું B-52 બોમ્બર વિમાન દક્ષિણ કેલિફોર્નિયાના એડવર્ડ્સ એરફોર્સ બેઝ પરથી ઉડાન ભર્યાના થોડી જ વારમાં ક્રેશ થઈ ગયું. એરફોર્સ બેઝના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ ૮ લોકોના મોત થયા છે. આ ઘટના સોમવારે સ્થાનિક સમય મુજબ સવારે ૧૧:૨૦ વાગ્યે બની હતી, જ્યારે વિમાન એક સામાન્ય મિશન પર હતું. વિમાન તૂટી પડ્યા પછી ઘટનાસ્થળેથી આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા, જેને માઈલો દૂરથી પણ જાેઈ શકાતા હતા.કર્નલ જેમ્સ હેસે પત્રકારોને જણાવ્યું કે, “આજે એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર એક ભયાનક અકસ્માત થયો છે અને આપણે આઠ મહાન અમેરિકનોને ગુમાવ્યા છે. આ ઘટના ખૂબ જ દુ:ખદ હતી અને તેમાં કોઈના પણ બચવાની શક્યતા નહોતી.” તેમણે વધુમાં જણાવ્યું કે ક્રૂ મેમ્બર્સમાં લશ્કરી જવાનો, સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો સામેલ હતા.
અકસ્માત શેના કારણે થયો તેની માહિતી હજુ સુધી મળી નથી અને ઝીણવટભરી તપાસ બાદ જ તેની ખબર પડશે. હેસે કહ્યું કે આ મામલાની આગળની તપાસ પૂર્ણ થવામાં ૬ મહિનાથી વધુ સમય લાગી શકે છે.આ પ્લેન અકસ્માત એરફોર્સ બેઝના રનવે પર જ થયો હતો અને હાલ પૂરતું બેઝ પર તમામ કામકાજ રોકી દેવામાં આવ્યા છે. કર્નલ હેસે જણાવ્યું કે બોમ્બર વિમાન બેઝના ‘રડાર મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ‘માં મદદ કરી રહ્યું હતું.
સંઘ લોક સેવા આયોગ UPSC) પ્રિલિમ્સ ૨૦૨૬નું પરિણામ સોમવારે રાત્રે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામની સાથે જ યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬ને લઈને નવો વિવાદ શરૂ થઈ ગયો છે.
કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬માં કથિત ગેરરીતિ અને પેપર લીક થવાની આશંકા વ્યક્ત કરાઇ છે. દેશમાં ચાલી રહેલા દ્ગઈઈ્ પેપર લીક વિવાદની વચ્ચે હવે યુપીએસસી પ્રિલિમ્સને લઈને નવો હોબાળો મચી ગયો છે.એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડે યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬માં ગેરરીતિ અને પેપર લીકની આશંકા વ્યક્ત કરી છે. જાખડે આ અંગે એનએસયુઆઈના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ‘૨૪ મેના રોજ યોજાયેલી પ્રિલિમ્સ પરીક્ષા આપનારા કેટલાક ઉમેદવારો એનએસયુઆઈ ઓફિસે આવ્યા હતા, જેમણે પ્રિલિમ્સનું પેપર લીક થયું હોવાની શંકા વ્યક્ત કરી છે. તેઓએ દાવો કર્યો છે કે, યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬ની પરીક્ષામાં પૂછાયેલા ૧૦૦ માંથી ૮૨ સવાલો એક ખાનગી કોચિંગ સંસ્થા ‘અનંતમIAS’ દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટડી મટીરિયલ સાથે મેળ ખાય છે. જાખડે એવો પણ આક્ષેપ કર્યો છે કે, યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬માં પૂછાયેલા ઘણા સવાલો માત્ર ખાનગી કોચિંગ સંસ્થાના સ્ટડી મટીરિયલને મળતા આવતા હતા એટલું જ નહીં, પરંતુ તે સવાલોની ભાષા અને તેની રજૂઆત પણ બિલકુલ તેના જેવી જ હતી.જાખડે આ ખાનગી કોચિંગ સંસ્થા પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે. જાખડે આક્ષેપ કર્યો કે, યુપીએસસી પ્રિલિમ્સની પરીક્ષા પૂરી થયા પછી આ ખાનગી કોચિંગ સંસ્થા દ્વારા સંબંધિત સ્ટડી મટીરિયલમાં ફેરફાર કરવામાં આવ્યા હતા
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ભવાનીપુર વિધાનસભા બેઠક ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પશ્ચિમ બંગાળની પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા ચૂંટણીના પરિણામને કોલકાતા હાઈકોર્ટમાં પડકાર્યો છે. મંગળવારે બપોરે મમતા બેનર્જી અચાનક કોલકાતા હાઈકોર્ટ પહોંચી. તેમની સાથે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયન, ડોલા સેના અને કલ્યાણ બેનર્જી પણ હાજર રહ્યા હતા.
અહેવાલો મુજબ મમતા બેનર્જી ચૂંટણી પરિણામ સામે દાખલ કરવામાં આવેલી અરજીના દસ્તાવેજાે પર હસ્તાક્ષર કરવા માટે કોર્ટ પહોંચી હતી. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર જાેવા મળી હતી. આ ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ જીત મેળવી હતી, જ્યારે મમતા બેનર્જીને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ચૂંટણીના અંતિમ પરિણામ મુજબ શુભેન્દુ અધિકારીને ૭૩,૯૧૭ મત મળ્યા હતા, જ્યારે મમતા બેનર્જીને ૫૮,૮૧૨ મત મળ્યા હતા. આ રીતે શુભેન્દુ અધિકારીએ ૧૫,૧૦૪ મતના અંતરથી જીત નોંધાવી હતી.
ચીનના કિંઘાઈ પ્રાંતમાં મંગળવારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૩ માપવામાં આવી હતી. આ શક્તિશાળી ભૂકંપથી સમગ્ર પ્રદેશમાં ગભરાટ ફેલાયો હતો, જેના કારણે લોકો ભયભીત થઈને પોતાના ઘરો અને ઓફિસો છોડીને ભાગી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ હેક્સી પ્રાંતમાં હતું. ચીની વહીવટીતંત્રે તાત્કાલિક બચાવ અને રાહત ટીમોને એલર્ટ પર રાખી હતી. માત્ર ૪૦ મિનિટમાં આ વિસ્તારમાં આઠ જાેરદાર ભૂકંપ અનુભવાયા હતા. વારંવાર આવતા ભૂકંપ બચાવ અને રાહત કાર્યકરો માટે નોંધપાત્ર મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. આ સતત આફ્ટરશોક્સને કારણે લોકો ભયમાં જીવી રહ્યા છે. હેક્સી પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં એક વ્યક્તિનું મોત થયું છે. અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સિસ્મોલોજીકલ ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સાંજે ૫:૦૬ વાગ્યે આવ્યો હતો.
G7 સમિટ ૨૦૨૬ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એક ખાસ મુલાકાત પણ કરી હતી, જ્યાં બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે ખૂબ જ ગરમ અને મૈત્રીપૂર્ણ વાતાવરણ જાેવા મળ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ફ્રાન્સમાં એવિયન-લેસ-બેન્સ ખાતે ૧૭ જૂન સુધી યોજાનાર G7 સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ભાગીદાર દેશ તરીકે ભારતની આ સમિટમાં ભાગીદારી મુખ્ય વૈશ્વિક અર્થતંત્રોના પ્રતિષ્ઠિત મેળાવડામાં ૧૩મી હાજરી છે, જ્યારે પીએમ મોદીની હાજરી આ ફોરમમાં તેમની સતત સાતમી ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે.વડાપ્રધાન મોદી મંગળવારે ફ્રાન્સના એવિયન પહોંચ્યા હતા,જ્યા વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું,
જ્યાં G7 સમિટના ભવ્ય સ્થળ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમિટમાં, પીએમ મોદી વૈશ્વિક અર્થતંત્ર, સુરક્ષા, આબોહવા પરિવર્તન અને તકનીકી સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અન્ય વિશ્વ નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચામાં ભાગ લેશે, જે ભારત-ફ્રાન્સ દ્વિપક્ષીય સંબંધો તેમજ વૈશ્વિક રાજદ્વારીને નવી ગતિ આપશે. પ્રધાનમંત્રી મોદી G7સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સના પહોંચ્યા પછી, તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને વિશ્વના ટોચના નેતાઓ સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી હતી.
Loading ...
