આમ આદમી પાર્ટી છોડનાર રાજ્યસભાના ૭ સાંસદોને ભાજપમાં વિલય કરવાને મંજૂરી મળી ગઈ છે. આ સાથે ભાજપની રાજ્યસભા સાંસદોની સંખ્યા ૧૧૩ થઈ ગઈ છે. ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ આ આંકડા પર પહોંચ્યું છે. તો આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝટકો છે અને તેના ઉપલા ગૃહમાં હવે માત્ર ત્રણ સાંસદો વધ્યા છે. રાજ્યસભા સચિવાલયે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલા બધા સાંસદોને લઈને નોટિફિકેશન જારી કર્યું છે. તેમને ભાજપના સભ્યો ગણાવવામાં આવ્યા છે. હવે સંસદના ઉપલા ગૃહમાં ભાજપના સાંસદોની સંખ્યા ૧૧૩ થઈ ગઈ છે. નોંધનીય છે કે રાઘવ ચડ્ઢાના નેતૃત્વમાં સાત સાંસદોએ બળવો કરી આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો હતો. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણનને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આપ છોડનાર સાત સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે- આ સાંસદ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉપલા ગૃહ માટે ચૂંટાયા છે, પરંતુ બાદમાં તેમણે પાર્ટી છોડી ભાજપમાં સામેલ થવાનો ર્નિણય કર્યો.સંજય સિંહે કહ્યુ હતું કે આપના સાતેય સાંસદો તરફથી ઉઠાવવામાં આવેલું આ પગલું પક્ષપલટા સમાન છે. આ પંજાબની જનતા અને ભારતના બંધારણ સાથે વિશ્વાસઘાત છે. તેમણે કહ્યું કે જરૂર પડવા પર આમ આદમી પાર્ટી આ મામલામાં કાયદાકીય પગલાં ભરશે.
સ્થિતિ મજબૂત બની: રાજ્યસભામાં ભાજપનો મેજિક ફિગર હવે ૧૧૩ બેઠક પર પહોંચ્યો
રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત બની છે. આમ આદમી પાર્ટીના ૭ સાંસદોના વિલયની પ્રક્રિયા બાદ ઉપલા ગૃહમાં ભાજપના સાંસદોની સંખ્યા વધીને ૧૧૩-૧૧૪ની આસપાસ પહોંચી ગઈ છે. આ ફેરફાર બાદ સત્તાધારી પક્ષ હવે રાજ્યસભામાં નિર્ણાયક બહુમતીની વધુ નજીક પહોંચ્યો છે.
શું છે સમગ્ર મામલો?
અહેવાલ મુજબ, તાજેતરના રાજકીય ઘટનાક્રમમાં આમ આદમી પાર્ટીના સાત સાંસદોના જૂથના ભાજપમાં વિલયને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. પક્ષપલટા વિરોધી કાયદાની જાેગવાઈઓ હેઠળ જાે કોઈ પક્ષના બે-તૃતીયાંશ (૨/૩) સભ્યો બીજા પક્ષમાં જાેડાય અથવા વિલય કરે, તો તેમનું સભ્યપદ રદ થતું નથી. ‘આપ’ ના આ સાંસદોના જૂથના જાેડાવાથી ભાજપને સંખ્યાબળમાં મોટો ફાયદો થયો છે.
ભાજપની તાકાત વધવાથી શું થશે?
સાથી પક્ષોને સાથે રાખીને હવે ભાજપ રાજ્યસભામાં કોઈ પણ બિલ સરળતાથી પસાર કરાવી શકવાની સ્થિતિમાં આવી ગયું છે. આ ઘટનાક્રમ આગામી સમયમાં સંસદમાં રજૂ થનારા મહત્વના કાયદાઓ અને નીતિગત ર્નિણયો પર દૂરોગામી અસર કરી શકે છે. ભાજપ હવે બંધારણીય સુધારા કે અન્ય સંવેદનશીલ મુદ્દાઓ પર વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકશે.
સંખ્યાબળનું નવું ગણિત
રાજ્યસભામાં અત્યાર સુધી ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નહોતી, જેના કારણે મહત્વના બિલો પસાર કરાવવા માટે પક્ષે પ્રાદેશિક પક્ષો પર ર્નિભર રહેવું પડતું હતું.
વિરોધ પક્ષો માટે ફટકો
આમ આદમી પાર્ટી માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે, કારણ કે રાજ્યસભામાં તેમનું કદ હવે નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. બીજી તરફ, કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો માટે પણ ઉપલા ગૃહમાં સરકારને ઘેરવી હવે વધુ મુશ્કેલ બનશે.
સુપ્રીમ કોર્ટે લિવ-ઈન રિલેશનશિપ અને લગ્ન કરવાનું ખોટું વચન આપી યૌન શોષણ કર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે મહિલાને વેધક ટિપ્પણી કરી છે. મધ્યપ્રદેશમાં એક મહિલા લિવ-ઈન રિલેશનશીપમાં એક પુરુષ સાથે ૧૫ વર્ષ રહી હતી, ત્યારબાદ મહિલાએ પુરુષ વિરુદ્ધ યૌન શોષણ સહિતનો આક્ષેપ કરીને પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી, જેને મધ્યપ્રદેશ હાઈકોર્ટે રદ કરી દેતા મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટના જજ બી.વી.નાગરત્ના અને જજ ઉજ્જવલ ભુઈયાની બેંચે મહિલાને સવાલ કર્યો છે કે, જ્યારે પરસ્પર સંમતીથી સંબંધો બંધાયા હોય, ત્યારે તેમાં ગુનો ક્યાં બને? મહિલાના વકીલે કોર્ટમાં દલીલ કરી કે, ‘મહિલાના પહેલા પતિનું નિધન થયા બાદ તેણીના જીજાએ આરોપી સાથે તેની મુલાકાત કરાવી હતી. ત્યારપછી આરોપીએ મહિલાને લગ્ન કરવાનું વચન આપી યૌન શોષણ કર્યું હતું.’ તો કોર્ટે કહ્યું કે, ‘મહિલા લગ્ન પહેલા તે પુરુષ સાથે જઈને કેમ રહેવા લાગી? મહિલા પુરુષની સાથે રહી હતી, જેમાં તેમને એક બાળક પણ છે. હવે તે પુરુષ સંબંધો તોડીને જતો રહ્યો છે, કારણ કે તેઓએ લગ્ન કર્યા નથી અને બંને વચ્ચે કોઈ કાયદાકીય બંધન પણ નથી. લિવ-ઈન રિલેશનશિપમાં આવું જાેખમ તો રહે જ છે, તેથી પુરુષ સંબંધો તોડીને જતો રહ્યો હતો, તો તે કોઈ ગુનો ન કહેવાય.’ સુપ્રીમ કોર્ટે સલાહ આપી છે કે, મહિલા અન્ય કાયદાકીય રસ્તો અપનાવીને બાળક માટે ભરણપોષણની માંગ કરી શકે છે.
વિશ્વના સૌથી મોટા ઓઇલ ઉત્પાદક દેશોમાંના એક ઈરાન માટે અત્યારે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાનનું ઓઇલ નિકાસ થઈ રહ્યું નથી. પરિણામે, ઓઇલનો જથ્થો એટલી હદે વધી ગયો છે કે હવે તેને રાખવા માટે ઈરાન પાસે જગ્યા બચી નથી. ઈરાનનું ૯૦%થી વધુ ઓઇલ ઉત્પાદન અને નિકાસ ખાર્ગ આઇલૅન્ડ પરથી થાય છે. અહીં ૩૦ મિલિયન બેરલ ઓઇલ સંગ્રહ કરવાની ક્ષમતા છે, પરંતુ અમેરિકાએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં જે રીતે નાકાબંધી કરી છે, તેનાથી ઈરાનનો નિકાસ માર્ગ રૂંધાઈ ગયો છે. ઓઇલનો સંગ્રહ કરવા માટે જગ્યા ખૂટી પડતાં ઈરાને હવે તેના ૩૦ વર્ષ જૂના વિશાળ ટેન્કર નાશાને ફરીથી સક્રિય કર્યું છે. આ જહાજ વર્ષોથી ખાલી અને નકામું પડ્યું હતું. હવે તેનો ઉપયોગ ફ્લોટિંગ સ્ટોરેજ તરીકે કરવામાં આવશે. મેરીટાઇમ એનાલિસ્ટ્સના મતે સ્થિતિ અત્યંત ગંભીર છે. ઈરાન પાસે હવે માત્ર ૧૩ મિલિયન બેરલ ઓઇલ સંગ્રહવાની જગ્યા બાકી છે. રોજનું ૧૦થી ૧૧ લાખ બેરલ ઓઇલ સતત આવી રહ્યું છે. જાે આ જ ગતિ ચાલુ રહી, તો આગામી ૧૨થી ૧૩ દિવસમાં ઈરાનના તમામ સ્ટોરેજ ટેન્ક ફૂલ થઈ જશે. ઘણાને પ્રશ્ન થાય કે જાે સ્ટોરેજ નથી તો ઉત્પાદન કેમ બંધ નથી કરાતું? તેની પાછળ એક મોટું ટેકનિકલ કારણ છે કે જાે ઓઇલના કૂવાઓ અચાનક બંધ કરવામાં આવે, તો તેને કાયમી નુકસાન થઈ શકે છે. ઈરાનના ઓઇલના કૂવાઓને ચાલુ રાખવા માટે સતત ઓપરેશન જરૂરી છે. જાે તે બંધ થાય તો ભવિષ્યમાં ત્યાંથી ઓઇલ કાઢવું અશક્ય બની શકે છે.
અમેરિકામાં એચ-૧બી વિઝા પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવા માટે એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે ભારતીય આઈટી વ્યાવસાયિકો માટે અત્યંત ચિંતાજનક સાબિત થઈ શકે છે. આ બિલને કુલ સાત સાંસદે ટેકો જાહેર કર્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના સમર્થક રિપબ્લિકન સાંસદોએ અમેરિકી સંસદ (કોંગ્રેસ)માં આ નવું બિલ રજૂ કર્યું છે, જેનો હેતુ આગામી ત્રણ વર્ષ સુધી એચ-૧બી વિઝા આપવાની પ્રક્રિયા પર સંપૂર્ણ ‘ફ્રીઝ’ (પ્રતિબંધ) લાદવાનો છે. આ બિલમાં વિઝાની સંખ્યા ઘટાડવા, લઘુત્તમ પગારનું ધોરણ વધારવા અને પરિવારના સભ્યો (ડિપેન્ડન્ટ્સ)ને સાથે રાખવા પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરવામાં આવી છે. બિલની મુખ્ય જાેગવાઈઓ મુજબ, નવા પ્રસ્તાવ મુજબ, એચ-૧બી વિઝા મેળવવા માટે વિદેશી કામદારનો લઘુત્તમ વાર્ષિક પગાર $2,00,000 (આશરે રૂ.૧.૬૭ કરોડ) હોવો અનિવાર્ય છે. અત્યાર સુધી આ મર્યાદા ઘણી ઓછી હતી. આ નિયમનો હેતુ સસ્તા વિદેશી મજૂરોને બદલે માત્ર ઉચ્ચ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને જ અમેરિકા લાવવાનો છે.
દર વર્ષે આપવામાં આવતા એચ-૧બી વિઝાના ક્વોટામાં મોટો ઘટાડો કરવાની દરખાસ્ત છે. આનાથી અમેરિકામાં નોકરી મેળવવાની સ્પર્ધા વધુ કપરી બનશે. આ બિલની સૌથી આકરી જાેગવાઈ એ છે કે એચ-૧બી વિઝા ધારકોને તેમના જીવનસાથી અથવા બાળકો (એચ-૪ વિઝા ધારકો)ને સાથે રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આનાથી ભારતીય પરિવારોમાં વિખૂટા પડવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
ભારતીય આઈટી ક્ષેત્ર પર શું અસર થશે?
ભારતની મોટી આઈટી કંપનીઓ જેવી કે ઇન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ મોટાભાગે મધ્યમ સ્તરના પગાર પર એન્જિનિયરોને અમેરિકા મોકલે છે. ઇં૨,૦૦,૦૦૦ના પગારનો નિયમ લાગુ થવાથી આ કંપનીઓ માટે પ્રોજેક્ટ્સ ચલાવવા આર્થિક રીતે પરવડશે નહીં. આ ઉપરાંત, પરિવારને સાથે ન લઈ જવાની શરતને કારણે ઘણા કુશળ લોકો અમેરિકા જવાનું ટાળી શકે છે. જાે આ બિલ કાયદો બનશે, તો ભારતીય ટેક ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડી શકે છે અને અમેરિકા જવા માંગતા એન્જિનિયરો માટે દરવાજા બંધ થઈ શકે છે.
શું છે આ નવું બિલ?
રિપબ્લિકન સાંસદોનું કહેવું છે કે આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકાના સ્થાનિક કામદારોના હિતોનું રક્ષણ કરવાનો છે. પ્રસ્તાવ મુજબ, એચ-૧બી વિઝા પ્રોગ્રામને ત્રણ વર્ષ માટે સ્થગિત કરવામાં આવશે, જેથી અમેરિકન કંપનીઓ વિદેશી કામદારોને બદલે સ્થાનિક પ્રતિભાઓને નોકરી પર રાખવા માટે મજબૂર થાય. ટ્રમ્પ વહીવટીતંત્રની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
ભારત-ન્યૂઝીલૅન્ડે આજે નવી દિલ્હીમાં ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (હ્લ્છ) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ડીલથી બંને દેશોમાં વેપાર, રોકાણ અને રોજગારમાં વધારો થશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલૅન્ડના તેમના સમકક્ષ ટૉડ મૈક્લેની ઉપસ્થિતિમાં આ સમજૂતીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલૅન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૨૦ અબજ ડૉલરનું રોકાણ આવશે.
હ્લ્છ ની સૌથી મહત્ત્વની વાત એ છે કે, બંને દેશોએ મુક્ત વેપાર કરારને અંતિમરૂપ આપવા માટે ૧૬ માર્ચ-૨૦૨૫થી વાતચીત શરૂ કરી દીધી હતી, જેમાં માત્ર ૯ મહિનાના અંતે આ ડીલને ફાઇનલ કરી દેવાઈ છે. આ સમજૂતી લાગુ થયા બાદ ભારત અને ન્યૂઝીલૅન્ડના નિકાસકારો ટેક્સ વગર એકબીજાના દેશમાં નિકાસ કરી શકશે. સમજૂતી પહેલા ન્યૂઝીલૅન્ડે ભારતમાંથી નિકાસ થતાં ૪૫૦ ઉત્પાદનો પર ૧૦ ટકા ટેક્સ લગાવ્યો હતો. હવે નવી સમજૂતી થયા બાદ આ ટેક્સ સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. આનાથી ભારતીય કાપડ અને તૈયાર વસ્ત્રો, ચામડા ઉદ્યોગ, ટોપીઓ, ચીની માટીના વાસણો, ગાદલા, વાહનો તથા તેના સ્પેરપાર્ટ્સની નિકાસમાં વધારો થશે.
આ ઉપરાંત ભારતે પણ ન્યૂઝલૅન્ડથી આવતા ૯૫ ટકા ઉત્પાદનો પર ટેક્સમાં રાહત અથવા ઘટાડી દીધો છે.મુક્ત વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરતી વખતે ન્યૂઝીલૅન્ડે આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૨૦ અબજ ડૉલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
Loading ...
