નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટે મંગળવારે કોવિડ-૧૯ રસીકરણ પછીની આડઅસરોની તપાસ માટે નિષ્ણાત પેનલની રચના કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે તે એવા લોકો માટે નો-ફોલ્ટ વળતર નીતિ તૈયાર કરે, જેમને કોવિડ-૧૯ રસીકરણ પછી ગંભીર પ્રતિકૂળ ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. કોર્ટે આડઅસરો સંબંધિત ડેટા સમયાંતરે સાર્વજનિક કરવા પણ જણાવ્યું છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આજે તે અરજી પર સુનાવણી કરી, જેમાં માગ કરવામાં આવી છે કે રસી પછી થયેલી કથિત આડઅસરોને કારણે મૃત્યુ પામેલાઓના પરિવારને વળતર આપવામાં આવે. આરોપ છે કે ૨૦૨૧માં કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધા પછી ૨ મહિલાા મોત થયા હતા. કોર્ટે કહ્યું કે વળતર નીતિ બનાવવાનો અર્થ એ માનવામાં આવશે નહીં કે ભારત સરકાર અથવા અન્ય કોઈ ઓથોરિટીએ પોતાની ભૂલ કે કાનૂની જવાબદારી સ્વીકારી લીધી છે.વેણુગોપાલ ગોવિંદનનું કહેવું હતું કે તેમની પુત્રી કરુણ્યાનું જુલાઈ ૨૦૨૧માં કોવિશિલ્ડ વેક્સિન લીધાના એક મહિના પછી મોત થયું હતું. સીરમ ઇન્સ્ટિટ્યૂટે બ્રિટનની ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવેલા ફોર્મ્યુલા પર કોવિશિલ્ડ બનાવી છે. એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે તેમની કોવિડ-૧૯ વેક્સિનથી ખતરનાક આડઅસરો થઈ શકે છે.
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પર્સનલ લો હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની હિમાયત કરી હતી. કોર્ટે મોટી ટિપ્પણી કરતા કહ્યું કે, હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો છે. જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ કહ્યું કે, પર્સનલ લો ને અમાન્ય જાહેર કરીને શૂન્ય સ્થિતિ ઉત્પન્ન કરવાથી યોગ્ય એ રહેશે કે, તેને કાયદાકીય વિવેક પર છોડી દેવામાં આવે જેથી વિધાનસભા સમાન નાગરિક સંહિતા પર કાયદો બનાવી શકે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે પર્સનલ લોથી ઉદ્ભવતી મુશ્કેલીઓમાંથી બચવા વિધાનસભાને તેના પર કામ કરવાનું સૂચન આપ્યું છે. મુસ્લિમ મહિલાઓ માટે સમાન ઉત્તરાધિકાર અધિકારોની માંગ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, દેશની તમામ મહિલાઓ માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે. એક મુસ્લિમ પુરુષ... તે કોઈપણ પ્રક્રિયાનું પાલન કરીને તેની પત્નીને એકપક્ષીય રીતે તલાક આપી શકે છે.કોર્ટે કહ્યું કે, ‘શું આપણે પર્સનલ લો પર આધારિત તમામ દ્વિપક્ષીય સંબંધોને અમાન્ય જાહેર કરી શકીએ છીએ કે નહીં. તેથી આપણે મૂળભૂત ફરજાેને પ્રભાવી બનાવવા માટે કાયદાકીય શક્તિ પર આધાર રાખવો પડશે.’
નવી દિલ્હી,ઇરાન-ઇઝરાયલ-યુએસ વચ્ચે યુદ્ધથી ભારત સહિત અનેક દેશોમાં ઓઇલ અને ગેસનું સંક્ટ તોળાઇ રહ્યુ છે. તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી મળવા પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે વિદેશમંત્રી એસ જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ચર્ચા કરી. હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતની ગેસ આયાતમાં ૩૦%નો ઘટાડો નોંધાયો છે, જેનાથી દેશમાં ઓઈલ અને ગેસના પુરવઠા પર જાેખમ તોળાઈ રહ્યું છે. આ કટોકટી વચ્ચે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ મુલાકાતમાં દેશની ઉર્જા સુરક્ષા જાળવવા, ઇંધણના ભાવ પર અંકુશ રાખવા અને વૈકલ્પિક આયાત માર્ગો શોધવા અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
દેશની તમામરિફાઈનરીઓને ન્ઁય્ ઉત્પાદન વધારવા સરકારનો આદેશ વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ઇંધણ પુરવઠાની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને સરકારે ન્ઁય્ ગેસ અંગે કેટલાક મહત્વપૂર્ણ ર્નિણયો લીધા છે. સરકારે ઓઇલ રિફાઇનરીઓને ન્ઁય્ ઉત્પાદન વધારવા અને ઘરેલંુ સિલિન્ડરો માટે વધારાના ગેસને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો છે, જેથી અછત ન થાય. સરકારે ઘરેલુ ન્ઁય્ પુરવઠાને પ્રાથમિકતા આપી છે. સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આયાતી ન્ઁય્ હાલમાં હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી આવશ્યક સંસ્થાઓને ફાળવવામાં આવી રહી છે.
ગુજરાતના ઉદ્યોગોને મળતા ગૅસમાં ૫૦% કાપ મૂકાયો
ગુજરાતમાં ગેસના પુરવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. ઘરેલુ ગેસ પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે ઉદ્યોગોને આપવામાં આવતા ગેસના વપરાશમાં ૫૦ ટકા સુધીનો કાપ મૂકવામાં આવ્યો છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીયલ ગેસ પુરવઠામાં સીધો ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીઓમાં વપરાતા ગેસમાં પણ લગભગ ૪૦ ટકા સુધીનો કાપ લાદવામાં આવ્યો છે. વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે રાજ્યના એકપણ ઘરમાં ગેસના અભાવે ચૂલો બંધ ન રહે. તેથી ગેસના પુરવઠા અને વધતી માગ વચ્ચે સંતુલન જાળવવા માટે ઉદ્યોગ ક્ષેત્રે કાપ મૂકવાનો ર્નિણય લેવાયો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ કાપ મુખ્યત્વે મોટા ઔદ્યોગિક એકમો માટે જ લાગુ કરવામાં આવ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરના પુરવઠામાં હાલ કોઈપણ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો નથી. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના ઘરોમાં ગેસની બોટલ સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે.
-અને ગૂડ ન્યૂઝ ક્રૂડ ઓઇલ ૯% સસ્તું થઈને ૮૮ ડોલર પર આવ્યું : ગ્લોબલ -અને ગૂડ ન્યૂઝ ક્રૂડ ઓઇલ ૯% સસ્તું થઈને ૮૮ ડોલર પર આવ્યું : ગ્લોબલાર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આજે એટલે કે ૧૦મીએ મોટો ઘટાડો જાેવા મળ્યો છે. એશિયામાં શરૂઆતી કારોબાર દરમિયાન બ્રેન્ટ ક્રૂડના ભાવ લગભગ ૮.૫% ઘટીને ૯૨.૫૦ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયા. આ પહેલા ગઈકાલે તે ૧૧૫ ડોલરની નજીક પહોંચી ગયો હતો. જ્યારે અમેરિકી તેલ (ઉ્ૈં) પણ લગભગ ૯% ઘટીને ૮૮.૬૦ ડોલર પ્રતિ બેરલના સ્તરે આવી ગયું છે. તેલના ભાવમાં આ ઘટાડો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદન પછી આવ્યો છે, જેમાં તેમણે યુદ્ધ જલદી સમાપ્ત થવાની વાત કહી હતી.
નવી દિલ્હી, સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા દિવસે, લોકસભા અને રાજ્યસભામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધો પર ભારે હોબાળો થયો. વિપક્ષે યુદ્ધ પછીની પરિસ્થિતિ પર ચર્ચાની માંગ કરી. વિદેશ મંત્રીએ પહેલા રાજ્યસભામાં અને પછી લોકસભામાં ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ ગલ્ફ દેશોમાંથી ભારતીયોના પાછા લાવવા અને તે બાબતની તૈયારીઓ વિશે વાત કરી હતી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધ પર ભાષણ આપ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, ૨૮ ફેબ્રુઆરીથી મિડલ ઈસ્ટમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. ઘણા ખાડી દેશોમાં પરિસ્થિતિ તંગ છે. વાતચીત થવી જાેઈએ અને તણાવ ઓછો થવો જાેઈએ. અમે ભારતીયોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. વિદેશ પ્રધાન એસ.જયશંકરના નિવેદનો સાંભળીને વિપક્ષના સાંસદો હોબાળો મચાવી રહ્યા હતા. જયશંકરે કહ્યું- મિડલ ઈસ્ટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે ગલ્ફ દેશોમાં રહેતા ભારતીય નાગરિકો માટે ઘણી એડવાઈઝરી જારી કરી છે. ઈરાનમાં રહેતા તમામ લોકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપવામાં આવી છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસ સંપૂર્ણપણે કાર્યરત છે. અમે આ વિસ્તારોમાં રહેતા ભારતીય સમુદાયના તમામ સભ્યોને મદદ કરવા તૈયાર છીએ. ગલ્ફ દેશોમાં તમામ દૂતાવાસ એક્ટિવ છે. જયશંકરે કહ્યું- અમારા રાજદ્વારીઓ તેહરાન, યુએઈ, દુબઈ અને બહેરીનથી ભારતીયોને બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. અમે ભારતીયોને પાછા લાવવા માટે ઘણી કોમર્શિયલ ફ્લાઇટ્સ ચલાવી છે. ૬૭,૦૦૦ ભારતીયો પહેલાથી જ પાછા ફર્યા છે. ગલ્ફ દેશોમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જયશંકરે કહ્યું- પીએમ મોદીએ યુએઈ, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા, જાેર્ડન, ઓમાન અને ઇઝરાયલના પીએમ સાથે વાત કરી છે. હું આ દેશોના વિદેશ મંત્રીઓ સાથે પણ નિયમિત સંપર્કમાં છું. અમે અમારા રાજદ્વારી માધ્યમો દ્વારા પણ વાતચીત કરી રહ્યા છીએ. મેં ઈરાનના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી છે. અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો અમારી પ્રાથમિકતા છે. અમે ક્રૂડ ઓઈલ-ગેસના ભાવ પર નજર રાખી રહ્યા છીએ. વિદેશ મંત્રીના બોલતા જ સંસદમાં હોબાળો શરૂ થઈ ગયો. વિપક્ષે વોકઆઉટ કર્યો હતો.
નવી દિલ્હી,કેન્દ્ર સરકારે હવે ઘરેલું એલપીજી સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજાે સિલિન્ડર ૨૧ દિવસને બદલે ૨૫ દિવસ પછી જ બુક કરી શકશે. એટલે કે સરકારે રિફિલ બુકિંગના લઘુત્તમ વેઇટિંગ પિરિયડને ૪ દિવસ માટે વધારી દીધો છે. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે સરકારે આ પગલું ગેસનો સંગ્રહ અટકાવવા અને તમામ ગ્રાહકોને સમાન રીતે સપ્લાય સુનિશ્ચિત કરવા માટે ભર્યું છે. સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને આ માહિતી આપી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી એવું જાેવા મળી રહ્યું હતું કે જરૂર ન હોવા છતાં લોકો સિલિન્ડર બુક કરીને સ્ટોક કરી રહ્યા હતા. વેઇટિંગ પિરિયડને ૨૫ દિવસ કરવાથી બિનજરૂરી બુકિંગ પર અંકુશ આવશે. તેનાથી એવા લોકોને સરળતાથી સિલિન્ડર મળી શકશે જેમને ખરેખર જરૂર છે.
બે દિવસ પહેલા સરકારે ઘરેલું ગેસ સિલિન્ડર ૬૦ રૂપિયા મોંઘું કરી દીધું છે. દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામનું એલપીજી ગેસ સિલિન્ડર હવે ૯૧૩ રૂપિયામાં મળી રહ્યું છે. પહેલા આ ભાવ ૮૫૩ રૂપિયા હતો. બીજી તરફ, ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરમાં ૧૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. તે હવે ૧૮૮૩ રૂપિયામાં મળી રહ્યું છે. વધેલા ભાવ ૭ માર્ચથી લાગુ થઈ ગયા છે. આ પહેલા સરકારે ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ ઘરેલું સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો. એટલે કે આ વધારો લગભગ એક વર્ષ બાદ કરવામાં આવ્યો છે. તો ૧ માર્ચ ૨૦૨૬ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૩૧ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. સરકારે ગેસના ભાવમાં આ વધારો એવા સમયે કર્યો છે જ્યારે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે દેશમાં ગેસની અછત સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલ વધારાની કોઈ શક્યતા નથી. અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ૧૩૦ ડોલર પ્રતિ બેરલને પાર નહીં કરે, ત્યાં સુધી સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર રહેશે. વર્તમાન અનુમાનો અનુસાર, ક્રૂડ ઓઈલ ૧૦૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ રહેવાની અપેક્ષા છે. ઇંધણના પુરવઠા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશના કોઈપણ પેટ્રોલ પંપ પર તેલની અછત નથી. સપ્લાય ચેઇન સંપૂર્ણપણે સામાન્ય છે. ભવિષ્યમાં કોઈપણ સંભવિત સંકટનો સામનો કરવા માટે ભારતે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ઉપરાંત અન્ય માર્ગોથી ક્રૂડ ઓઈલની સોર્સિંગ ઝડપી કરી છે. તેનાથી દરિયાઈ માર્ગમાં કોઈપણ તણાવની સ્થિતિમાં પુરવઠામાં અવરોધ નહીં આવે. વિમાનોમાં ઉપયોગમાં લેવાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે છ્હ્લ અંગે પણ સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે દેશ પાસે છ્હ્લનો પૂરતો સ્ટોક છે અને ગભરાવાની કોઈ જરૂર નથી. ભારત માત્ર છ્હ્લનું ઉત્પાદક જ નથી, પરંતુ તેની નિકાસ પણ કરે છે. તેથી વિમાન સેવાઓ પર કોઈ અસર નહીં પડે.
Loading ...
