ચીનના શાંક્સી પ્રાંતમાં એક કોલસાની ખાણમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૯૦ લોકોના મોત થયા. વિસ્ફોટ શુક્રવારે શાંક્સી પ્રાંતના કિનયુઆન કાઉન્ટીમાં થયો હતો.
દુર્ઘટના પહેલા ખાણમાં કાર્બન મોનોક્સાઇડ ગેસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેના થોડા સમય પછી જાેરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટ થયો, તે સમયે ખાણની અંદર ૨૪૭ મજૂરો કામ કરી રહ્યા હતા. હજુ એ સ્પષ્ટ નથી કે કેટલા લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. રાહત અને બચાવ અભિયાન ચાલુ છે.દુર્ઘટનાના તરત જ પછી શિન્હુઆએ પ્રારંભિક રિપોર્ટમાં માત્ર આઠ લોકોના મોતની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે ૨૦૦થી વધુ મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. પરંતુ બાદમાં અચાનક મૃતકોની સંખ્યા વધીને ૮૨ જણાવવામાં આવી.
સરકારી મીડિયાએ એ સ્પષ્ટ કર્યું નથી કે આંકડો આટલી ઝડપથી કેવી રીતે વધ્યો.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુમ થયેલા લોકોને બચાવવા માટે પૂરી તાકાતથી ઓપરેશન ચલાવવાના આદેશ આપ્યા છે. તેમણે દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરાવવા અને જવાબદાર લોકો વિરુદ્ધ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની વાત કહી છે.
ઉત્તર પ્રદેશમાં વક્ફ મિલકતોના ડિજિટાઇઝેશન અને વહીવટમાં પારદર્શિતા લાવવા માટે હાલમાં એક વ્યાપક સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત દસ્તાવેજાેની ચકાસણી દરમિયાન મોટા પાયે ગેરરીતિઓ અને વિસંગતતાઓ સામે આવી છે, જેના કારણે અત્યાર સુધીમાં ૩૧૦૦૦ થી વધુ વક્ફ મિલકતોની નોંધણી રદ કરી દેવામાં આવી છે.કેન્દ્ર સરકારના ‘ઉમીદ’ પોર્ટલ પર ચાલી રહેલી આ પ્રક્રિયામાં લીધેલા આકરા પગલાંથી અસંખ્ય જૂના કબ્રસ્તાનો અને દરગાહો (મજારો) ના અસ્તિત્વ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા ગયા વર્ષે ૫ જૂને ‘ઉમીદ’ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. વક્ફ ટ્રિબ્યુનલે ઉત્તર પ્રદેશ સુન્ની અને શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડની અપીલ બાદ નોંધણી માટેની મુદત વધારી આપી હતી, જેની અંતિમ તારીખ આગામી ૫ જૂનના રોજ પૂર્ણ થઈ રહી છે.
વક્ફ બોર્ડના ચોપડે નોંધાયેલા ‘ખાસરા’ (સર્વે પ્લોટ) નંબર અને સરકારી મહેસૂલ રેકોડ ના નંબરોમાં મોટો વિરોધાભાસ છે.જમીન વિસ્તારમાં અસમાનતા: નોંધાયેલા વાસ્તવિક વિસ્તાર (રકબા) અને દસ્તાવેજી વિસ્તારમાં મોટો તફાવત જાેવા મળ્યો છે.જૂના દસ્તાવેજાેમાં પુષ્કળ કાનૂની અને ટેકનિકલ અચોક્કસતાઓ જાેવા મળી છે.
વક્ફ ટ્રિબ્યુનલે કાયદાકીય રીતે માન્ય હોય તેટલું મહત્તમ સમયગાળાનું લંબાણ અગાઉથી જ આપી દીધું છે, તેથી હવે સામૂહિક રીતે મુદત વધવાની શક્યતા નહિવત છે.વક્ફ બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, મિલકતના રક્ષકો એટલે કે મુતાવલ્લીઓ પાસે હજુ પણ ૫ જૂન સુધીનો સમય છે. તેઓ સાચા અને આધારભૂત સરકારી દસ્તાવેજાે સાથે પોર્ટલ પર વિગતો ફરીથી અપલોડ કરી શકે છે. જાે આ સમયમર્યાદામાં વિસંગતતાઓ સુધારવામાં નહીં આવે, તો આ તમામ મિલકતોને પોર્ટલમાંથી કાયમી ધોરણે હટાવી દેવામાં આવશે. જાે સમય વીતી જશે તો મુતાવલ્લીઓએ વ્યક્તિગત રીતે કોર્ટ અથવા ટ્રિબ્યુનલના ધક્કા ખાવા પડશે, જે ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયા છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં ૨૭ દેશોએ મદદ માટે વર્લ્ડ બેંકનો સંપર્ક કર્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, વર્લ્ડ બેંકના એક આંતરિક દસ્તાવેજમાં આ માહિતી સામે આવી છે.
આ દેશોનું કહેવું છે કે ઈરાન સંકટને કારણે તેમની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી છે. જાેકે, દસ્તાવેજમાં આ દેશોના નામ કે માગવામાં આવેલી રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. વર્લ્ડ બેંકે પણ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ઈરાન યુદ્ધ શરૂ થયા પછી વૈશ્વિક ઉર્જા બજારોમાં ઉથલપાથલ મચી ગઈ છે. તેની અસર સપ્લાય ચેઈન પર પડી છે અને વિકાસશીલ દેશો સુધી જરૂરી ખાતર એટલે કે ફર્ટિલાઇઝરના સપ્લાય પર અસર પડી છે.
દરમિયાન, કેન્યા અને ઇરાકના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેઓ યુદ્ધની અસરનો સામનો કરવા માટે વર્લ્ડ બેંક પાસેથી તાત્કાલિક આર્થિક સહાય માગી રહ્યા છે. આ ૨૭ દેશો તે ૧૦૧ દેશોમાં શામેલ છે જેમને વર્લ્ડ બેંકની ઇમરજન્સી ફાઇનાન્સિંગ વ્યવસ્થા હેઠળ સંકટના સમયે તાત્કાલિક આર્થિક મદદ મેળવવાની સુવિધા મળી શકે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકામાં ગ્રીન કાર્ડનું સ્વપ્ન જાેતા લાખો લોકોને મોટો ફટકો આપ્યો છે. ફકત ગ્રીન કાર્ડ માટે અરજી કરવી હવે પૂરતું રહેશે નહીં. જાે તેઓ ઇચ્છે છે, તો તેમણે પહેલા અમેરિકા છોડવું પડશે. ટ્રમ્પ વહીવટીતંત્રે શુક્રવારે ઇમિગ્રેશન નીતિમાં મોટો ફેરફાર કરીને જાહેરાત કરી છે કે અમેરિકામાં રહેતા બિન-નાગરિકો હવે દેશમાં રહીને ગ્રીન કાર્ડ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે નહીં. તેમણે પોતાના દેશમાં પાછા ફરવું પડશે અને યુએસ એમ્બેસી દ્વારા અરજી કરવી પડશે અને ત્યાં રાહ જાેવી પડશે.
અત્યાર સુધી, યુએસમાં રહેતા ઘણા લોકો, જેમાં યુએસ નાગરિકોના જીવનસાથી અને બાળકોનો સમાવેશ થાય છે, ઉપરાંત, જેઓ વિદ્યાર્થી વિઝા અથવા કામચલાઉ વર્ક વિઝા પર છે, તેઓ સ્ટેટસ એડજસ્ટમેન્ટ દ્વારા યુએસમાં રહીને ગ્રીન કાર્ડ મેળવી શકતા હતા. જાેકે, ટ્રમ્પ વહીવટીતંત્રે આ માર્ગ પર મોટો બ્રેક લગાવી દીધો છે.
USCIS પ્રવકતા જેક કાહલરે જણાવ્યું હતું કે, યુએસ હવે કાયદાની મૂળ ભાવના તરફ પાછા ફરી રહ્યું છે. તેમના મતે, જે લોકો કામચલાઉ વિઝા પર યુએસ આવે છે, તેમની મુસાફરી ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં પ્રથમ પગલું ન હોવી જાેઈએ. જાે તેઓ કાયમી નિવાસ ઇચ્છતા હોય, તો તેમણે તેમના દેશમાં પાછા ફરવું પડશે અને ત્યાંથી અરજી કરવી પડશે. આ ર્નિણયની અસર નોંધપાત્ર છે. કેટો ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, ગ્રીન કાર્ડ અરજીઓ પેન્ડિંગ ધરાવતા આશરે ૧.૨ મિલિયન કાયદેસર ઇમિગ્રન્ટ્સ આ નવા નિયમથી પ્રભાવિત થઈ શકે છે અને તેમને તેમના દેશમાં પાછા ફરવાની ફરજ પડી શકે છે. ફકત ૨૦૨૪ માં, ૭૮૨,૦૦૦ થી વધુ લોકોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા સ્ટેટસ એડજસ્ટમેન્ટ દ્વારા ગ્રીન કાર્ડ મેળવ્યા હતા. હવે, આ માર્ગ લગભગ બંધ થઈ ગયો છે.ટ્રમ્પ તંત્રનો દાવો છે કે આનાથી ઇમિગ્રેશન સિસ્ટમ વધુ ન્યાયી અને કાર્યક્ષમ બનશે. વહીવટીતંત્રનો દાવો છે કે ઘણા લોકો પ્રવાસી, વિદ્યાર્થી અથવા કામચલાઉ વિઝા પર યુનાઇટેડ સ્ટેટ્સ આવે છે અને પછી ગ્રીન કાર્ડ મેળવવા માટે તેનો ઉપયોગ કરે છે. હવે, સરકાર આ છટકબારી બંધ કરવા માગે છે. જાેકે, વિરોધીઓ આને કાનૂની ઇમિગ્રન્ટ્સ પર ટ્રમ્પ દ્વારા મોટો હુમલો ગણાવી રહ્યા છે. ડેમોક્રેટિક કોંગ્રેસમેન જેમ્સ વોકિનશોએ કહ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્રે લાખો કાનૂની ઇમિગ્રન્ટ્સને યુનાઇટેડ સ્ટેટ્સ છોડીને ફરી શરૃ કરવા કહ્યું છે. દરમિયાન, કોંગ્રેસમેન ટેડ લિયુએ ચેતવણી આપી હતી કે આ ર્નિણય અમેરિકન વૈજ્ઞાનિકો, સંશોધકો, ટેકનોલોજી નિષ્ણાતો અને કુશળ વ્યાવસાયિકોને અન્ય દેશોમાં લઈ જઈ શકે છે, જેનાથી ચીન અને રશિયા જેવા દેશોને ફાયદો થઈ શકે છે.ટીકાકારો કહે છે કે આ ર્નિણય અમેરિકાની પહેલેથી જ બોજારૃપ ઇમિગ્રેશન સિસ્ટમને વધુ જટિલ બનાવશે. જે લોકો વર્ષોથી યુએસમાં રહી રહ્યા છે, ગ્રીન કાર્ડની રાહ જાેઈ રહ્યા છે, તેમને હવે તેમના દેશમાં પાછા ફરવું પડશે અને ફરીથી આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
પવિત્ર અમરનાથ યાત્રા ૨૦૨૬ની તૈયારીઓ વચ્ચે બાબા બર્ફાનીના બરફના લિંગની પહેલી તસવીરો સામે આવી છે. આ તસવીરોએ દેશભરના લાખો ભક્તોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો છે. આ તસવીરોમાં આશરે ૬થી ૭ ફૂટ ઊંચું કુદરતી બરફનું લિંગ દેખાય છે. રૂા યાત્રા શરૂ થાય તે પહેલાં સુરક્ષા જવાનોએ સૌથી પહેલા પવિત્ર બરફના લિંગના દર્શન કર્યા હતા. દર વર્ષની જે આ વર્ષે પણ,યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વહીવટ અને સુરક્ષા એજન્સીઓ યાત્રાના માર્ગો પર સતત નજર રાખી રહ્યા છે. આ વર્ષે, અમરનાથ ગુફાની યાત્રા આગામી ૩ જુલાઈથી શરૂ થશે અને ૨૮ ઓગસ્ટ, રક્ષાબંધનના શુભ અવસર પર સમાપ્ત થશે. ૫૭ દિવસની આ યાત્રા માટે ૩.૬ લાખથી વધુ ભક્તોએ પોતાની નોંધણી કરાવી લીધી છે.
Loading ...
