જ્યારે સંસદમાં લોકસભાની બેઠકોના સીમાંકનને લગતું બિલ લાવવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસ, ડીએમકે અને ટીએમસી જેવા તમામ વિપક્ષી પક્ષોનાગઠબંધનના ૨૩૦ સાંસદોએ એક થઈને તેનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે ONOE (એક દેશ, એક ચૂંટણી) અને સીમાંકન બિલ ટૂંક સમયમાં ફરી એકવાર સંસદમાં રજૂ થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ) અને તમિલનાડુમાં દ્રવિડ મુન્નેત્ર કઝગમ જેવા મોટા પ્રાદેશિક પક્ષોને તાજેતરમાં મળેલી ચૂંટણી હાર વચ્ચે ભાજપ આ મામલે મોટો પ્લાન ઘડી રહ્યું છે. સરકાર ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ રજૂ કરી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નવું સીમાંકન બિલ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલ છે. અગાઉ વિપક્ષનો મુખ્ય વિરોધ એ હતો કે, સરકારે મહિલા અનામત કાયદાને લોકસભાની બેઠકો વધારવાના વિવાદિત મુદ્દા સાથે જાેડી દીધો હતો. આ સાથે જ દક્ષિણના રાજ્યોને ડર હતો કે, વસ્તીના આધારે બેઠકો નક્કી થવાથી ઉત્તર ભારતની સરખામણીએ તેમની બેઠકો ઓછી થઈ જશે.તાજેતરની વિધાનસભા ચૂંટણીઓ બાદ ભાજપના પ્રયાસો તેજ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુમાં હાર બાદ ડ્ઢસ્દ્ભ કેટલાક મુદ્દાઓ પર ભાજપ સાથે વાતચીત કરવા તૈયાર હોવાનું જણાય છે.
ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરારને આખરી ઓપ આપવા માટે બંને દેશોના ટોચના સ્તરે પ્રયાસો વધુ તીવ્ર બન્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અમેરિકાના વરિષ્ઠ વ્યાપારી અધિકારીઓ સાથે બેઠક યોજીને પેન્ડિંગ કલમો પર ચર્ચા કરી છે.આ કરાર અંતર્ગત બંને દેશો વર્ષોથી ચાલી આવતા વ્યાપારિક અવરોધોને દૂર કરવા અને પરસ્પર આયાત-નિકાસ ડ્યુટીમાં મોટી રાહત આપવા માટે સહમત થયા છે. બંને દેશો આગામી થોડા દિવસોમાં એક સત્તાવાર સંયુક્ત નિવેદન જાહેર કરીને આ ઐતિહાસિક ટ્રેડ ડીલની જાહેરાત કરી શકે છે.
શું છે ‘સેક્શન ૩૦૧ ટેરિફ’નો વિવાદ?
અમેરિકાના ટ્રેડ એક્ટના સેક્શન ૩૦૧ હેઠળ, યુએસ પ્રશાસન અન્ય દેશોની એવી વ્યાપારિક નીતિઓ પર દંડનાત્મક ટેરિફ (વધારાની ડ્યુટી) લગાવી શકે છે જે અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડતી હોય. ભારત દ્વારા ડિજિટલ સેવાઓ પર લાદવામાં આવેલા ટેક્સ અને બૌદ્ધિક સંપદા અધિકારોના નિયમો સામે અમેરિકાએ આ કલમ હેઠળ વાંધો ઉઠાવ્યો હતો. પિયુષ ગોયલ આ મંત્રણા દ્વારા અમેરિકાને ભારતીય ઉત્પાદનો પરથી આવા કડક નિયમો અને ટેરિફ હટાવવા માટે દબાણ કરી રહ્યા છે.
જૂનની ડેડલાઇન પર નજર
અગાઉ અહેવાલ આવ્યા હતા કે અમેરિકાનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૧ થી ૪ જૂન દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યું છે. બંને પક્ષો આ મુલાકાત દરમિયાન જ કરારની બાકી રહેલી માત્ર ૧% કલમોના વિવાદોને ઉકેલીને સત્તાવાર દસ્તાવેજાે તૈયાર કરવા માગે છે.
ભારત-ઓમાન વચ્ચે થયેલો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર એટલે કે CEPAપહેલી જૂન એટલે કે આજથી સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે. આ માત્ર સોદો મુક્ત વ્યાપાર કરાર નથી, પરંતુ તેનાથી બંને દેશો વચ્ચે રોકાણ, નોકરીઓ, સેવાઓ અને વ્યૂહાત્મક સંબંધોને એક નવી ઊંચાઈ મળશે. ખાસ કરીને ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વર્તમાન તણાવને જાેતાં આ કરાર ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર આ ડીલ અંગે ખુશી વ્યક્ત કરી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારત અને ઓમાન વચ્ચેનો કુલ વેપાર ૧૦.૬૧ અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે, જે અગાઉના વર્ષે ૮.૯૪ અબજ ડૉલર હતો. આ વ્યાપારમાં ભારત તરફથી ૪.૦૬ અબજ ડૉલરની નિકાસ કરવામાં આવી હતી, જ્યારે ઓમાનથી ૬.૫૫ અબજ ડૉલરની આયાત થઈ હતી. વેપારની સાથે આઇટી, ટેલિકોમ, ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ જેવા સર્વિસ સેક્ટરમાં પણ ભારતની આવક વર્ષ ૨૦૨૦ના ૩૯૭ મિલિયન ડૉલરથી વધીને વર્ષ ૨૦૨૩માં ૬૧૭ મિલિયન ડૉલર થઈ ગઈ છે. આ કરારની ખાસિયત એ છે કે, હવે ઓમાનના બજારમાં ભારતના લગભગ ૯૯.૩૮% સામાન પર કોઈ આયાત વેરો એટલે કે ડ્યુટી ચૂકવવી નહીં પડે. અગાઉ માત્ર ૧૫.૩૩% સામાનને જ લાભ મળતો હતો. હવે ટેક્સ ફ્રી એક્સેસ મળવાના કારણે ઓમાનના બજારમાં ભારતીય પ્રોડક્ટ્સ સસ્તી થશે અને અન્ય દેશોની સરખામણીમાં ભારતીય વેપારીઓ વધુ મજબૂત બનશે.
ઓમાનનું આયાત બજાર ૨૮ અબજ ડૉલરથી વધુનું છે. આ ડીલના કારણે ભારતના એન્જિનિયરિંગ સામાન, મશીનરી, દવાઓ, ખેતી ઉત્પાદનો, પ્રોસેસ્ડ ફૂડ, કપડાં, ઈલેક્ટ્રોનિક્સ અને દાગીના ઉદ્યોગને સીધો ફાયદો થશે. આ ઉપરાંત ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે સ્જીસ્ઈ સેક્ટરની હજારો ફેક્ટરીઓ માટે આ કરાર ગેમચેન્જર સાબિત થશે, જેનાથી દેશમાં ઉત્પાદન વધશે અને નવી રોજગારીની તકો ઊભી થશે. ભારત સરકારે ખેડૂતો અને સ્થાનિક ઉદ્યોગોની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખ્યું છે. આ અંતર્ગત ડેરી પ્રોડક્ટ્સ, ખાદ્ય તેલ, મધ, શાકભાજી, ફળો, ચા, કોફી અને મસાલા જેવા સંવેદનશીલ ઉત્પાદનોને આ કરારથી બહાર રાખવામાં આવ્યા છે, જેથી વિદેશથી આવતી સસ્તી વસ્તુઓના કારણે ખેડૂતોને નુકસાન ન થાય. ભૌગોલિક દૃષ્ટિએ ઓમાનના બંદરો દરિયાઈ તણાવવાળા વિસ્તારોથી બહાર છે. ખાડી દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ અને ભારતનો અન્ય દેશો સાથેનો વેપાર ઘટ્યો ત્યારે ઓમાનથી આયાતમાં ૨૪૬%નો ઉછાળો આવ્યો હતો.
ભારતભરમાં લાંબા સમયથી પ્રતીક્ષિત દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આખરે કેરલમના દરિયાકાંઠે આગમન થઈ ગયું છે. કાળઝાળ ગરમીથી તપી રહેલા કેરલમવાસીઓ માટે આ ચોક્કસપણે રાહતના સમાચાર છે, પરંતુ હવામાન વિભાગે ભારે વરસાદને પગલે સાવચેતી રાખવા માટે એલર્ટ પણ જાહેર કર્યા છે. હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ)એ ચોમાસાના આગમનને પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે જ્યાં ભારે વરસાદની સંભાવના છે.
બુધવાર અને ગુરુવાર: અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, થ્રિસુર, મલપ્પુરમ
માત્ર ગુરુરુવાર: પથાનમથિટ્ટા, કોઝિકોડ
હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કેટલાક વિસ્તારોમાં ટૂંકા ગાળામાં ૧૧થી ૨૦ સેન્ટિમીટર સુધીનો વરસાદ પડી શકે છે. આટલો ભારે વરસાદ શહેરી વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જાેખમ ઊભું કરે છે. તેને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. માછીમારો માટે સૂચના: દરિયાઈ સ્થિતિ તોફાની બનવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવા સલાહ આપવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા ડ્રેનેજ સિસ્ટમ અને નહેરોની સફાઈનું કામ ઝડપી બનાવવામાં આવ્યું છે જેથી પૂર જેવી સ્થિતિને ટાળી શકાય.ચોમાસું એ ખેતી અને પાણીના સંસાધનો માટે જીવનરેખા છે, પરંતુ ભારે વરસાદના દિવસોમાં નાગરિકોએ વહીવટીતંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જાેઈએ. કરોડો ભારતીયો જેની રાહ જાેઈ રહ્યા હતા તે ચોમાસું હવે કેરલમના આંગણે છે.
તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ ચર્ચામાં આવેલા કે. અન્નામલાઈની ભૂતકાળની સફર પણ એટલી જ રોમાંચક રહી છે. એક એવા પૂર્વ આઈપીએસ અધિકારી, જેમને તેમની કડક અને બાંધછોડ વગરની પોલીસિંગ શૈલીના કારણે કર્ણાટક પોલીસમાં ‘સિંગમ’નું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમની લોકપ્રિયતા એવી હતી કે જ્યારે ઉડુપીના એસપી તરીકે તેમની બદલી કરવામાં આવી, ત્યારે સ્થાનિક લોકોએ તે ર્નિણયનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી પ્રદર્શનો કર્યા હતા. જાે કે, રાજકારણમાં પ્રવેશવાના પોતાના સપનાને પૂરું કરવા માટે અન્નામલાઈએ મે ૨૦૧૯માં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (બેંગલુરુ સાઉથ)ના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. વર્ષ ૨૦૧૧ની બેચના કર્ણાટક કેડરના આ અધિકારીએ તે સમયે પોતાના મિત્રો અને હિતેચ્છુઓને સંબોધીને એક ભાવુક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે ખુલાસો કર્યો હતો કે સિવિલ સર્વિસ (સરકારી નોકરી) છોડતા પહેલાં તેમણે ખૂબ જ લાંબો અને ઊંડો વિચાર કર્યો હતો. તેમણે રાજીનામું આપવા પાછળના કેટલાક મુખ્ય કારણો પણ દર્શાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજીનામું આપવાના એક વર્ષ પહેલાં તેમણે કરેલી કેલાસ માનસરોવરની યાત્રાએ તેમને જીવનની પ્રાથમિકતાઓને વધુ સારી અને સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરી હતી. ઉપરાંત, અન્નામલાઈએ લખ્યું હતું કે ડિસેમ્બર ૨૦૧૮માં વરિષ્ઠ આઈપીએસ અધિકારી મધુકર શેટ્ટીનું સ્વાઈન ફ્લૂના કારણે થયેલું અવસાન તેમના આ ર્નિણય માટે મોટું નિમિત્ત બન્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મધુકર શેટ્ટીએ બલ્લારીમાં ગેરકાયદેસર ખનન (માઇનિંગ) નો પર્દાફાશ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અન્નામલાઈએ તેમના વિદાય પત્રમાં ગંભીરતાપૂર્વક લખ્યું હતું કે, ‘મધુકર શેટ્ટી’ સરના અવસાને મને એક પ્રકારે મારું પોતાનું જીવન ફરીથી તપાસવા માટે મજબૂર કર્યો હતો. અને આ જ આંતરિક મંથનના અંતે તેમણે ખાખી વર્દી છોડીને જનસેવા અને રાજકારણના માર્ગે આગળ વધવાનો મક્કમ ર્નિણય કર્યો હતો.
Loading ...
