વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં આગામી દિવસોમાં મોટા ફેરફારો અને વિસ્તરણ થવાની સંભાવનાઓ પ્રબળ બની છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આ કેબિનેટ વિસ્તરણનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વર્ષે જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે ત્યાંના રાજકીય અને સામાજિક સમીકરણોને સાધવાનો છે. સંસદનું ચોમાસું સત્ર ૨૦ જુલાઈથી શરૂ થવાની ધારણા છે, અને વડાપ્રધાનના સત્તાવાર પ્રવાસો ૧૧ જુલાઈ સુધી નિર્ધારિત હોવાથી, આ સત્રની શરૂઆત પહેલાં જ નવી ટીમની જાહેરાત થઈ શકે છે.
હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં વડાપ્રધાન સહિત ૭૨ મંત્રીઓ સામેલ છે, જેમાંથી મહત્તમ સંખ્યા ૮૧ સુધી થઈ શકે તેમ છે. આ નિયમ મુજબ હાલમાં ૯ પદ ખાલી છે અને કેટલાક મંત્રીઓના રાજીનામા બાદ કુલ ૧૩ નવી જગ્યાઓ ઉપલબ્ધ બને તેવી ગણતરી છે. પંકજ ચૌધરી અને હર્ષ મલ્હોત્રા અનુક્રમે ઉત્તર પ્રદેશ અને દિલ્હીના ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા હોવાથી, પક્ષના ‘એક વ્યક્તિ, એક પદ’ના સિદ્ધાંત હેઠળ તેઓ મંત્રીપદ છોડી શકે છે.
કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ મિશ્રણ કરવાની યોજના એક ચાલુ પ્રયોગ છે, અને આ રાષ્ટ્રીય નીતિની વાસ્તવિક અસરો આગામી વર્ષ સુધીમાં વધુ સ્પષ્ટ થઈ જશે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કર્ણાટક હાઈકોર્ટના એક આદેશને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરામણીએ સર્વોચ્ચ અદાલતમાં આ સત્તાવાર રજૂઆત કરી હતી. કર્ણાટક હાઈકોર્ટનો આ આદેશ વર્ષ ૨૦૨૫-૨૬ ના સપ્લાય વર્ષ માટે ઇથેનોલની ફાળવણી સાથે સંબંધિત છે. જે સમગ્ર દેશની મુખ્ય ઇથેનોલ પોલિસીને અસર કરી શકે તેમ છે.દેશભરમાં ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અંગે ચાલી રહેલી વ્યાપક ચર્ચા અને વાહનપ્રેમીઓની ચિંતાઓ વચ્ચે આ સુનાવણી થઈ છે. વાહનચાલકોનો એક વર્ગ ચિંતિત છે કે પેટ્રોલમાં ઇથેનોલનું વધુ પ્રમાણ જૂના વાહનોના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી ફ્યુઅલ એફિશિયન્સી (માઈલેજ) પણ ઘટી શકે છે. જાે કે, સરકારે આ આશંકાઓને ફગાવતા કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે ઈ૨૦ પેટ્રોલના કારણે વાહનોને કોઈ યાંત્રિક નુકસાન થયું હોય તેવા કોઈ પુરાવા નથી. આ નીતિ દેશની ઉર્જા સુરક્ષા, પર્યાવરણ અને ખેડૂતોના આર્થિક હિત માટે અત્યંત ફાયદાકારક છે.
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમિટને લઈને મૂકવામાં આવેલા ગંભીર આરોપો પર આકરી પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં જ ટ્રમ્પે એક વિવાદાસ્પદ નિવેદનમાં દાવો કર્યો હતો કે ઇટાલીમાં યોજાયેલી સમિટ દરમિયાન જ્યોર્જિયા મેલોનીએ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેનના વહીવટીતંત્રના ઈશારે અને તેમના પ્રભાવ હેઠળ કામ કર્યું હતું. ટ્રમ્પના આ સનસનાટીભર્યા આક્ષેપો બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે.રોમમાં એક પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પના આરોપો અંગે પૂછવામાં આવતા ઇટાલિયન પીએમ મેલોનીએ અત્યંત આક્રમક અને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, “હું કે મારું વહીવટીતંત્ર કોઈ વિદેશી શક્તિ કે કોઈ નેતાની કઠપૂતળી નથી. ઇટાલી એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર અમારા ર્નિણયો માત્ર અને માત્ર ઇટાલીના રાષ્ટ્રીય હિતો અને અમારા નાગરિકોની ભલાઈને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવે છે.” મેલોનીએ ઉમેર્યું કે ય્૭ સમિટનું આયોજન સંપૂર્ણપણે પારદર્શી અને લોકતાંત્રિક રીતે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કરવામાં આવ્યું હતું.
દેશના રાજકારણ અને સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. સોમવારે નવા ચૂંટાયેલા રાજ્યસભા સાંસદોએ શપથ લીધાની સાથે જ ગૃહનું આખું ગણિત બદલાઈ ગયું છે. હવે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા ગઠબંધનનું પલ્લું રાજ્યસભામાં પહેલાં કરતાં ઘણું વધારે મજબૂત થઈ ગયું છે. આ ફેરબદલને કારણે મોદી સરકાર માટે રાજ્યસભામાં બે-તૃતીયાંશ (૨/૩) બહુમતી મેળવવાની એક સુવર્ણ તક ઊભી થઈ છે.
જાે સરકાર આગામી સમયમાં લોકસભાની બેઠકો વધારવા અથવા આગામી સામાન્ય ચૂંટણીથી મહિલાઓ માટે ૩૩% અનામત બેઠકો લાગુ કરવા જેવા મોટા બંધારણીય સુધારાના બિલ પસાર કરાવવા માંગતી હશે, તો રાજ્યસભાનું આ નવું સમીકરણ સરકાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.વર્તમાન સમયમાં ૨૪૨ સભ્યોની સંખ્યા ધરાવતી રાજ્યસભામાં એનડીએના પોતાના સાંસદોની સંખ્યા વધીને ૧૪૧ થઈ ગઈ છે. આ ઉપરાંત, સરકારને ૧૦ નોમિનેટેડ અને અપક્ષ સાંસદોના સમર્થન પર પણ પૂરો ભરોસો છે.
પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા ભયાનક બોમ્બમારાને કારણે ભારત સરકાર ભારે ગુસ્સામાં છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. પાકિસ્તાની વાયુસેનાએ રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત આશરે ૬૦ નિર્દોષ નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેને ભારતે અત્યંત શર્મજનક કૃત્ય ગણાવ્યું છે.
બીજી તરફ, અફઘાનિસ્તાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આ આખી રાત ચાલેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૩૬ સામાન્ય નાગરિકો માર્યા ગયા છે અને ૧૬૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાના કારણે બંને પાડોશી દેશો વચ્ચે સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનની આ કાર્યવાહી અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર સીધો પ્રહાર છે અને તેનું પરિણામ પાકિસ્તાને ભોગવવું પડશે. ભારતે પ્રાદેશિક સ્થિરતા અંગે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, આ પ્રકારના હુમલાથી સમગ્ર વિસ્તારની શાંતિ અને સુરક્ષા જાેખમમાં મુકાઈ ગઈ છે.
Loading ...
