દિલ્હીથી બેંગલુરુ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બની હતી. બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ફ્લાઇટ છૈં૨૬૫૧ને ટેઇલસ્ટ્રાઇકનો સામનો કરવો પડ્યો હતો. વિમાનનો ટેઇલ સેક્શન અચાનક રનવે સાથે અથડાઈ ગયો હતો. પાઇલટે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને સુરક્ષિત લેન્ડિંગ પૂર્ણ કર્યું. બધા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ ૧૭૯ લોકોને લઈ જઈ રહી હતી.લેન્ડિંગ દરમિયાન, ભારે ભરેલા આ વિમાનના પાયલટે આગળ ઉડતા બીજા વિમાનમાંથી વેક ટર્બ્યુલન્સનો અનુભવ કર્યો, જેના પરિણામે નિયંત્રણ ગુમાવ્યું અને વિમાનનો પૂંછડી ભાગ રનવે સાથે અથડાઈ ગયો. તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું.આ ઘટનાને કારણે, બેંગલુરુથી દિલ્હી પરત ફરવાની ફ્લાઇટ AI2651 રદ કરવામાં આવી છે. એરલાઈને જણાવ્યું છે કે અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહી છે. ઉડ્ડયન નિષ્ણાતોના મતે, વેક ટર્બ્યુલન્સ અચાનક પાછળ આવતા વિમાનની સ્થિરતાને અસર કરી શકે છે, જેના કારણે આવી ઘટનાઓનું જાેખમ વધી જાય છે.
દિલ્હી એરપોર્ટ પર ઇબોલા વાયરસને લઈને સ્વાસ્થ્ય સંબંધી એડવાઇઝરી જાહેર કરાઇ છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસએ આ ખતરનાક વાયરસને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, ઇબોલા વાયરસથી પ્રભાવિત દેશોમાંથી આવતા અથવા ત્યાંથી પસાર થતા મુસાફરોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હાઈ-રિસ્ક દેશો ડીઆર કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની યાત્રા કરનારા મુસાફરોમાં જાે ઇબોલા સંબંધિત કોઈ પણ લક્ષણો દેખાય, તો તેના પર તાત્કાલિક પગલાં લેવામાં આવે. આ દેશોમાંથી દિલ્હી એરપોર્ટ પર આવતા મુસાફરોમાં જાે તાવ, નબળાઈ અથવા થાક, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઉલ્ટી-ઝાડા, અસ્પષ્ટ રક્તસ્રાવ,, ગળામાં ખરાશ જેવા કોઈ પણ લક્ષણો દેખાય તો તેને અવગણશો નહીં. ઇબોલા રોગના દર્દીઓ અથવા શંકાસ્પદ દર્દીઓના લોહી કે શારીરિક પ્રવાહીના સીધા સંપર્કમાં આવેલા મુસાફરોએ ઇમિગ્રેશન ક્લિયરન્સ પહેલાં એરપોર્ટ પર હેલ્થ ઓફિસર અથવા હેલ્થ ડેસ્કને તરત જ જાણ કરવી જાેઈએ.
દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા-આફ્રિકા સમિટ મોકૂફ
આફ્રિકા ખંડમાં ઝડપથી ફેલાઈ રહેલા ખતરનાક અને જીવલેણ ઇબોલા વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને, ભારતમાં યોજાનારી પ્રતિષ્ઠિત ચોથી ‘ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ’ને સત્તાવાર રીતે મોકૂફ રાખવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે આફ્રિકન યુનિયન સાથે સંયુક્ત બેઠક કર્યા બાદ આ મોટો ર્નિણય લીધો છે.આ સમિટ આગામી ૨૮થી ૩૧ મે દરમિયાન નવી દિલ્હીમાં યોજાવાની હતી, જેમાં આફ્રિકાના ૪૦થી વધુ દેશોના રાષ્ટ્રીય નેતાઓ અને હજારો ડેલિગેટ્સ ભાગ લેવાના હતા. પરંતુ ભારતના નાગરિકોની સુરક્ષા અને પબ્લિક હેલ્થને ટોપ પ્રાયોરિટી આપીને આ ર્નિણય લેવાયો છે.
વન નેશન, વન ઈલેકશન મામલે રચાયેલી જાેઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ અલગ અલગ રાજ્યોમાં જઈ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કર્યો છે. જે અંતર્ગત ત્રણ દિવસ જાેઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટી (જેપીસી)ના સભ્યો ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આજે એટલે કે ત્રીજા અને અંતિમ દિવસે અધિકારીઓ, વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષો, મીડિયા અને સંસ્થાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના વિરોધના મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જ્યારે શિક્ષણ, ઉદ્યોગ અને મીડિયા ક્ષેત્ર સાથે જાેડાયેલા લોકો દ્વારા પણ અલગ-અલગ અભિપ્રાયો રજૂ કરાયા હતા.
આ બેઠક પૂર્ણ થયા બાદ જેપીસી અધ્યક્ષ પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૭માં વિધાનસભા ચૂંટણી યોજાશે અને તેની ટર્મ ૨૦૩૨ સુધી રહેશે. જાે ‘એક દેશ-એક ચૂંટણી’ સંબંધિત સુધારો ૨૦૨૯માં અમલમાં આવે તો ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૩૪માં યોજાઈ શકે છે. જેપીસી અધ્યક્ષે આગળ કહ્યું કે, ગુજરાતમાં પહેલીવાર મ્યુનિસિપાલિટી અને પંચાયતોની ચૂંટણી એક સાથે થઈ અને તેનાથી પ્રદેશને ફાયદો પણ થયો છે. ચૂંટણીમાં શિક્ષકોને ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે અને પછી બૂથ પર મોકલવામાં આવે છે. લોકસભા, પંચાયત, વિધાનસભા ચૂંટણીઓમાં અલગ અલગ સમય બગડે છે. સમિતિ ગૃહમંત્રાલય અને ચૂંટણી પંચ સાથે વાત કરશે. દેશમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરે અને ન્યાયિક ચૂંટણી કરવા માટે આ પ્રક્રિયા ચાલી રહી છે. લોજિસ્ટક્સની જરૂરિયાતને એ બધું ધ્યાનમાં લઈને અમે ભલામણ કરીશું.
તેમણે ઉમેર્યું કે કમિટીમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદો સામેલ છે અને તમામ સભ્યો દેશહિતને પ્રાથમિકતા આપી કામ કરી રહ્યા છે. સાથે જ શિક્ષણ ક્ષેત્રને વારંવારની ચૂંટણીથી સૌથી વધુ અસર થતી હોવાનો દાવો પણ કર્યો હતો.
૨૦૨૯ પહેલાંની તમામ ચૂંટણીની ટર્મ ૫ વર્ષ રહેશે
ચૌધરી આગળ કહે છે કે, જેનું ૧ વર્ષ જ બાકી રહ્યું તે અંગે અલગ અલગ પાર્ટીના મંતવ્યો આવ્યા છે. તેના અંગે સમિતિઓ વિચારી રહી છે અને તેનો રિપોર્ટ આપીશું. પછી સંસદ તેને પાસ કરે છે કે કેમ તે તેના પર છે. ૨૦૨૯ પહેલા જે પણ ચૂંટણીઓ થશે એ ૫ વર્ષ માટે રહેશે. ૨૦૨૯માં લાગુ થશે. જાે ૨૦૨૯માં ૩૦ મેના રોજ લાગુ થઈ ગયો હોય તો ૩૦ મે પછીની તમામ ચૂંટણી પર કાયદો લાગુ થશે.
મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં વધી રહેલા સૈન્ય તણાવ અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી નાકાબંધીના કારણે ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો આંચકો આવવાના સંકેતો મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઇએમએફ)ના પૂર્વ ડેપ્યુટી એમડી અને હાર્વર્ડના પ્રોફેસર ગીતા ગોપીનાથે ભારત માટે ‘ત્રિપલ વોર્નિંગ‘ જારી કરી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ જાે આગામી જૂન મહિના સુધી વધુ ઘેરો બનશે, તો ભારત માટે આર્થિક મોરચે કપરા ચઢાણ સાબિત થશે. ગીતા ગોપીનાથે ચેતવણી આપી છે કે, ભારત પોતાની જરૂરિયાતના મોટાભાગના ઓઈલ અને ગેસ માટે મિડલ ઈસ્ટ પર ર્નિભર હોવાથી અહીં ભાવ વધારાની જ સમસ્યા સર્જાઈ શકે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચું તેલ પ્રતિ બેરલ ૧૪૦ ડોલરની સપાટીએ પહોંચી શકે છે, જેના કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઝીંકાશે. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ડૉલર સામે રૂપિયો ૯૧ના સ્તરે હતો તે ઘટીને અત્યારે ૯૭ની નજીક છે. જાે કે, તેમણે ઉમેર્યું કે આરબીઆઈએ રૂપિયાના ૧૦૦ ના આંકડાને વટાવવાના મનોવૈજ્ઞાનિક દબાણમાં આવ્યા વગર રોજગાર અને ઉત્પાદન પર ધ્યાન આપવું જાેઈએ. વિશ્વના અન્ય દેશોએ હોર્મુઝ સંકટના કારણે પોતાના દેશમાં ઇંધણના ભાવ ૮૦ ટકા સુધી વધારી દીધા છે, જ્યારે ભારતમાં હજુ આશરે ૪નો જ વધારો ઝીંકાયો છે. તેલ કંપનીઓને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૭ થી ૯ પ્રતિ લીટરનો ઝીંકાય તેવા સ્પષ્ટ સંકેતો છે, જાે કે આ વધારો એકસાથે કરવાને બદલે તબક્કાવાર (ધીમે-ધીમે) કરવામાં આવશે. ગીતા ગોપીનાથે સ્પષ્ટ કર્યું છે કે આ વૈશ્વિક સંકટ ભારત સાર્વભૌમ રીતે અટકાવી શકે તેમ નથી. આવી સ્થિતિમાં સરકાર સામાન્ય જનતા અને મોટી કંપનીઓને બચાવવા માટે થોડી આર્થિક રાહત આપશે તો સરકારની રાજકોષીય ખાધમાં મોટો વધારો નોંધાશે. જાે કે, તેમણે ભારતીય અર્થતંત્રની મજબૂતી પર કહ્યું કે દેશમાં ગંભીર મંદી આવે તેવી કોઈ શક્યતા નથી.
ફ્યૂઅલ આપવાની ના પાડી તો ખેર નથી!
સરકારના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગ્રાહકોને ઇંધણ આપવાનો ઇનકાર કરનારા પેટ્રોલ પંપો સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યા છે. સમગ્ર દેશના તમામ રિટેલ આઉટલેટ્સ પર ઇંધણનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા સખત દેખરેખ રખાઈ રહી છે.
ભારતમાં આયાતમાં દરરોજ ૪ લાખ બેરલની ઘટથી ટેન્શન
નિક્કેઈ એશિયાની રિપોર્ટ મુજબ એપ્રિલમાં ભારતની એલપીજી આયાત પ્રતિ દિન ૩.૭૭ લાખ બેરલ હતી, જે ફેબ્રુઆરીમાં ૮.૫ લાખ બેરલ હતી. આ બતાવે છે કે એલપીજીની આયાતમાં ૫૦ ટકા ઉપરાંતનો નોંધપાત્ર ઘટાડો થયો છે. નિક્કેઈ એશિયાએ કેપ્લરના આંકડાના આધારે આ વાત જણાવી છે. ફેબ્રુઆરીમાં હોર્મુઝ ચાલુ હતી. યુદ્ધના કારણે ભારત હાલમાં રાંધણગેસના મોરચે વિપરિત પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર હાલમાં આપત્તિને અવસરમાં ફેરવવામાં લાગેલી છે. તે રાંધણ ગેસમાં પુરવઠાના ઘટાડાનો લાભ ઉઠાવીને તેને પીએનજી કનેકશન્સમાં પરિવર્તીત કરવા આતુર છે. આના ભાગરૂપે આગામી છ મહિનામાં ૬૦ લાખ પીએનજી જાેડાણ આપવામાં આવનાર છે.
પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી અરજમંદ ગુલઝાર ઉર્ફે હમઝા બુરહાનને પાકિસ્તાનમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારી છે. સૂત્રોના અનુસાર, આ હુમલામાં આતંકવાદીનું મોત થયું છે. આતંકી હમઝા બુરહાનને પાકિસ્તાનના મુજફ્ફરાબાદમાં ગોળી મારવામાં આવી હતી. મુજફ્ફરાબાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલું છે. આતંકી હમઝા બુરહાન ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ્સમાંથી એક હતો. આ આતંકવાદી પાકિસ્તાનમાં પોતાની ઓળખ શિક્ષક તરીકે આપતો હતો.
પુલવામા હુમલો ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ થયો હતો, જ્યારે આતંકીઓએ સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ આતંકી હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી અનુસાર, અજાણ્યા શખ્સે મુજફ્ફરાબાદમાં આતંકી હમઝા બુરહાનને ગોળી મારી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે આ આતંકી પાક અધિકૃત કાશ્મીરમાં આવેલી પોતાની ઓફિસમાં બેઠો હતો.
અરજમંદ ગુલઝાર મૂળ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રત્નીપોરા વિસ્તારનો વતની હતો. તે આશરે ૮ વર્ષ પહેલાં પાકિસ્તાન ગયો હતો, જ્યાં તે આતંકવાદી સંગઠન અલ-બદ્રમાં જાેડાઈ ગયો હતો. પછી તે સંગઠનનો ઓપરેશનલ કમાન્ડર બની ગયો હતો અને પાકિસ્તાનમાં બેસીને કાશ્મીરમાં આતંકવાદીઓની ભરતી, ફંડિંગ અને હથિયારોની સપ્લાયનું નેટવર્ક ચલાવવા લાગ્યો હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેને લાંબા સમયથી ‘મોસ્ટ વોન્ટેડ’ની યાદીમાં રાખ્યો હતો. વર્ષ ૨૦૨૨માં ભારત સરકારના ગૃહ મંત્રાલયે તેને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યો હતો. મંત્રાલયના જણાવ્યા મુજબ, તે પુલવામા અને દક્ષિણ કાશ્મીરમાં આતંક ફેલાવવા, યુવાનોની આતંકી સંગઠનોમાં ભરતી કરવા અને આતંકવાદ માટે ફંડ એકત્ર કરવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યો હતો.
પુલવામા વિસ્તાર લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓનો સંવેદનશીલ કેન્દ્ર રહ્યો છે. આ જ વિસ્તારમાંથી અનેક મોટા આતંકી ચહેરાઓ સામે આવ્યા છે, જેમાં બુરહાન વાનીનું નામ પણ સામેલ છે, જેણે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને કટ્ટરપંથી તરફ પ્રભાવિત કર્યા હતા. અરજમંદ ગુલઝારને પણ આવા જ ‘ડિજિટલ કટ્ટરપંથ’ મોડલનો ભાગ માનવામાં આવે છે, જેમાં સોશિયલ મીડિયા અને સ્થાનિક નેટવર્કના માધ્યમથી યુવાનોને હથિયાર ઉઠાવવા માટે ઉશ્કેરવામાં આવતા હતા.
Loading ...
