પટનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.નીટની તૈયારી કરી રહેલી વિદ્યાર્થિની શ્રુતિ કુમારીનું હોસ્ટેલમાં શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. મંગળવારે સવારે પત્રકાર નગર વિસ્તારમાં આવેલા રાધે કૃષ્ણ હોસ્ટેલના રૂમમાં તેણી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી.ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જાેકે પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે. મૃતક શ્રુતિ કુમારી મૂળ સમસ્તીપુરની રહેવાસી હતી અને વર્ષ ૨૦૨૪થી પટનામાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તેની મિત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી તે માનસિક રીતે પરેશાન હતી. હોસ્ટેલ સંચાલિકાએ જણાવ્યું કે સોમવારે રાત્રે શ્રુતિએ સામાન્ય રીતે ભોજન લીધું હતું અને ત્યારબાદ પોતાના રૂમમાં જતી રહી હતી. તેઓએ કહ્યું કે શ્રુતિ શાંત સ્વભાવની અને અભ્યાસપ્રેમી વિદ્યાર્થીની હતી. મંગળવારે સવારે લાંબા સમય સુધી શ્રુતિ રૂમમાંથી બહાર ન નીકળતાં બાજુના રૂમમાં રહેતી વિદ્યાર્થીનીઓને શંકા ગઈ હતી. અનેક વખત દરવાજાે ખખડાવ્યા છતાં કોઈ જવાબ ન મળતા દરવાજાે ખોલવામાં આવ્યો, જ્યાં શ્રુતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. વિદ્યાર્થીનીઓએ તરત જ હોસ્ટેલ સંચાલન અને પોલીસને જાણ કરી હતી. આ મામલામાં એક યુવકનું નામ પણ સામે આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીની કોઈ વ્યક્તિગત કારણસર પરેશાન હતી. હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
બાળકોની ઓનલાઇન સુરક્ષાને વધુ મજબૂત કરવાના વૈશ્વિક પ્રયાસોના ભાગરૂપે મલેશિયાએ સોમવાર ૧ જૂન ૨૦૨૬થી ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા પર કાયદાકીય પ્રતિબંધ મૂકતા કડક નિયમો લાગુ કરી દીધા છે. જાે કે, આ ર્નિણયને લઈને તમામ પક્ષો સહમત નથી અને કેટલાક નિષ્ણાતોએ ડેટા સુરક્ષા તેમજ યુઝર્સ પર સંભવિત દેખરેખ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
મલેશિયાના કોમ્યુનિકેશન એન્ડ મલ્ટીમીડિયા કમિશનના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલના યુઝર્સની ઉંમરની ચકાસણી આગામી ૬ મહિનાની અંદર શરૂ કરવામાં આવશે. જે યુઝર્સની ઉંમર ૧૬ વર્ષથી ઓછી છે, તેમને તેમના ફોટા, વીડિયો અને અન્ય ડેટા ડાઉનલોડ અથવા ટ્રાન્સફર કરવા માટે ૧ મહિનાનો સમય આપવામાં આવશે. ત્યારબાદ તેમના એકાઉન્ટ બ્લોક કરવા અથવા અન્ય કડક પગલાં લેવામાં આવશે. જાે કે, જાે કોઈ બાળક આ નિયમોને બાયપાસ કરીને એકાઉન્ટ બનાવવામાં સફળ રહેશે, તો તેના માતા-પિતાને કોઈ સજા કરવામાં આવશે નહીં.
મલેશિયા સરકારનું કહેવું છે કે, આ નિયમોનો મુખ્ય હેતુ બાળકોને સાયબર બુલિંગ, નુકસાનકારક કન્ટેન્ટ અને સોશિયલ મીડિયાના અતિરેકથી બચાવવાનો છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મુંબઈ ઝોનલ ઓફિસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર સલીમ ઈસ્માઈલ ડોલાના નેટવર્ક પર મોટી કાર્યવાહી શરૂ કરી છે. ટીમે મુંબઈ તેમજ ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત ૨૦ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આ ઓપરેશન મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના કેસ અંતર્ગત હાથ ધરવામાં આવ્યું છે.
આ કાર્યવાહી સલીમ ઈસ્માઈલ ડોલા અને તેના સાથીદારો દ્વારા ચલાવવામાં આવતા એવા ડ્રગ સિન્ડિકેટ સામે છે, જેનું નેટવર્ક કેટલાય દેશોમાં ફેલાયેલું છે અને તે હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ કારોબાર સાથે જાેડાયેલું છે. ભારત સરકાર તાજેતરમાં જ સલીમ ડોલાને તુર્કિયેથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવી હતી. તપાસ એજન્સીઓ મુજબ, તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત માદક પદાર્થોનું નેટવર્ક ચલાવીને મોટા પાયે ગેરકાયદે કમાણી કરતો હતો. ઈડીની આ તપાસ ડ્રગ્સ બનાવવા માટે વપરાતા પ્રીકર્સર કેમિકલ્સના સપ્લાયર્સ, કેમિકલ બિઝનેસના વચેટિયાઓ, સિન્થેટિક ડ્રગ મેફેડ્રોનના ઉત્પાદકો અને વિતરકો પર કેન્દ્રિત છે. આ સિવાય હવાલા ઓપરેટરો અને બેનામી મિલકતોના માલિકોને પણ તપાસના દાયરામાં લેવાયા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ હેઠળ શરૂ કરાયેલી આ તપાસ મુંબઈમાં સલીમ ડોલા અને અન્ય આરોપીઓ સામે નોંધાયેલી અસંખ્ય આધારે શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પુરાવા મળ્યા છે કે, આ સંગઠિત ગુનાહિત નેટવર્ક કેમિકલની ખરીદી, ગુપ્ત રીતે મેફેડ્રોનનું ઉત્પાદન, રાજ્યો વચ્ચે ડ્રગ્સની સપ્લાય અને વિદેશમાં તસ્કરી જેવી પ્રવૃત્તિઓ કરતું હતું. ગુના દ્વારા મેળવેલા આ નાણાંને હવાલા ચેનલ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
ચોમાસું ૪ જૂને કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. હવામાન વિભાગે મંગળવારે આ માહિતી આપી. અગાઉના અનુમાનમાં તે ૨૬ એપ્રિલે કેરળ પહોંચવાનો અંદાજ હતો. ચોમાસું સામાન્ય રીતે ૧ જૂનની આસપાસ કેરળ પહોંચે છે અને આગામી દોઢ મહિનામાં સમગ્ર દેશને આવરી લે છે.
આ તરફ, જૂનની શરૂઆત સાથે ૨૩ રાજ્યોમાં ગરમીથી રાહત મળી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા અને બિહારના ઘણા વિસ્તારોમાં વરસાદ, વાવાઝોડું અને કરા પડ્યા. ઘણી જગ્યાએ વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન સામાન્ય કરતાં નીચે નોંધાયું. મધ્યપ્રદેશના નીમચમાં સોમવારે રાત્રે મકાનની છત ધરાશાયી થતાં માતા-પુત્રનું મોત થયું. જ્યારે, રાજસ્થાનના જેસલમેર અને બાડમેરમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકો સહિત ૩ લોકોના મોત થયા.ઉત્તર પ્રદેશના આગ્રામાં મંગળવારે સવારે એક કલાક સુધી ભારે પવન સાથે વરસાદ પડ્યો. જેના કારણે ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું. ઘણી જગ્યાએ રસ્તાઓ બેસી ગયા હતા.
જ્યારે મુંબઈ સં૫ૂર્ણ૫ણે જાગ્યું ૫ણ નથી હોતું, સફેદ ટો૫ી અને કુર્તામાં કેટલાક લોકો સાયકલ ૫ર ઊંચા-ઊંચા ટિફિનના ઢગલા લઈને રેલવે સ્ટેશનો ૫ર ૫હોંચી જાય છે. ટ્રેનમાં ચઢે છે, શહેર ૫ાર કરે છે અને ૫છી ૫ગ૫ાળા કે સાયકલથી ઘરનું બનેલું ગરમ ભોજન ઓફિસો સુધી ૫હોંચાડે છે.આ છે મુંબઈના ડબ્બાવાળા- એક એવી વ્યવસ્થા, જેને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલે ઓછા ખર્ચના લોજિસ્ટિક્સનો માસ્ટરક્લાસ ગણાવ્યો અને જેને જાેવા માટે ૨૦૦૩માં તત્કાલીન પ્રિન્સ ચાર્લ્સ ૫ોતે મુંબઈ આવ્યા હતા. ૫રંતુ આજે આ જ ડબ્બાવાળા અસ્તિત્વ માટે લડી રહ્યા છે. ડબ્બાવાળા વ્યવસ્થાની શરૂઆત ૧૯મી સદીના અંતમાં થઈ, જ્યારે બ્રિટિશ રાજ દરમિયાન બોમ્બે (હવે મુંબઈ) ઝડ૫થી ફેલાઈ રહ્યું હતું. ઓફિસ જતા લોકોને ઘરનું ભોજન જાેઈતું હતું. બીબીસી વર્લ્ડના રિ૫ોર્ટ મુજબ, ૧૮૯૦માં મહાદેવ બાચચેએ ૧૦૦ કામદારો સાથે તેને વ્યવસ્થિત રૂ૫ આપ્યું. ધીમે-ધીમે આ વ્યવસ્થા એટલી સચોટ બની ગઈ કે કોઈ એ૫ કે જી૫ીએસ વગર રોજ હજારો ટિફિન સાચા સરનામે ૫હોંચવા લાગ્યા. તેના ચરમસીમા ૫ર ૪,૫૦૦ ડબ્બાવાળા રોજ ૫૦,૦૦૦ થી વધુ ટિફિન ૫હોંચાડતા હતા. ૫છી કોરોના આવ્યો અને બધું બદલાઈ ગયું. ઓફિસો બંધ થઈ છે.
Loading ...
