પાકિસ્તાનના બન્નુ જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક જીવલેણ આત્મઘાતી હુમલો થયો. એક આત્મઘાતી હુમલાખોરે પોતાનું વિસ્ફોટકોથી ભરેલું વાહન ફતેહ ખેલ પોલીસ ચોકી પર અથડાવ્યું. આ શક્તિશાળી વિસ્ફોટમાં ૧૫ પોલીસ કર્મચારીઓના મોત અને ત્રણ અન્ય ઘાયલ થયા છે.
અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પોલીસ ચોકી સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ. બન્નુના ડીઆઈજી સજ્જાદ ખાને જણાવ્યું હતું કે વિસ્ફોટથી ભારે વિનાશ થયો અને ઘણા અધિકારીઓ કાટમાળ નીચે દટાઈ ગયા. બચાવ ટીમોએ રાતોરાત કામગીરી બાદ કાટમાળમાંથી ત્રણ પોલીસ અધિકારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ઘાયલોને તાત્કાલિક જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અધિકારીઓએ મૃતક અધિકારીઓની ઓળખ કરી છે. તેમના નામ રહેમત અયાઝ, સનાઉલ્લાહ, નિયાઝ અલી, હબીબ, સદુલ્લાહ જાન, કામરાન (ખાન સિકંદરનો પુત્ર), અન્ય કામરાન, નૂરઉલ્લાહ, આબિદ જાની, ઇમરાન, કલીમુલ્લાહ, સાદિકુલ્લાહ, મુનીર આલમ ખાન, રહતુલ્લાહ ખાન અને ફારૂક છે. ઘાયલ સૈનિકોની ઓળખ મુજરિમ ફિરોઝ, હયાતુલ્લાહ અને કદરુલ્લાહ તરીકે થઈ છે.
બાંગ્લાદેશમાં હિન્દુ સંત બ્રહ્મચારી ચિન્મય કૃષ્ણ દાસને ઝટકો લાગ્યો છે. દેશની હાઈકોર્ટે રવિવારે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ૨૦૨૪માં વકીલની હત્યાના કેસમાં ચટ્ટોગ્રામની નીચલી કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે, તેથી, હાલમાં જામીન આપી શકાતા નથી. ચિન્મય કૃષ્ણ દાસ પર ૨૦૨૪માં રાજદ્રોહનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો અને ૨૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બે સભ્યોની હાઈકોર્ટની બેન્ચ, જસ્ટિસ કેએમ ઝાહિદ સરવર અને જસ્ટિસ શેખ અબુ તાહેરે જામીન અરજી ફગાવી દેતા કહ્યું હતું કે કેસમાં સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે, તેથી દખલગીરી યોગ્ય નથી. સંતના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે કોર્ટે અન્ય ચાર કેસોમાં જામીન અરજીઓની સુનાવણી માટે સોમવારનો દિવસ નક્કી કર્યો છે. એપ્રિલ ૨૦૨૪ માં, હાઇકોર્ટે તેમને રાજદ્રોહના કેસમાં જામીન આપ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના અપીલ વિભાગે તે આદેશ પર સ્ટે આપ્યો હતો. શેખ હસીના સરકારને હટાવ્યા પછી, ચિન્મય કૃષ્ણ દાસના સંગઠન, ‘સંમિલિત સનાતન જાગરણ જાેત’ એ હિન્દુ સમુદાય પર કથિત હુમલાઓ અને ભેદભાવ સામે અનેક વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું હતું.
અનેક માથાપચ્ચી બાદ આખરે તમિલનાડુમાં ટીવીકેનો સત્તાનો માર્ગ મોકળો થઈ ગયો અને આજે થલાપતિ વિજયના નામથી ઓળખાતા સી જાેસેફ વિજય મુખ્યમંત્રી પદના શપથ પણ લીધા. વિજયના શપથગ્રહણ સમારોહમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ થયા. શપથગ્રહણ સમારોહ ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાયો. થલાપતિ વિજય તરીકે ઓળખાતા સી જાેસેફ વિજયને રાજ્યપાલે મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. આ પળના તેમના માતા પિતા અને નીકટના મિત્રો સાક્ષી રહ્યા હતા. તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે વિજયને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. વિજયે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ૯ વિધાયકોએ મંત્રીપદના શપથ લીધા. જેમાં થિરુ એન આનંદ, સીટીઆર ર્નિમલકુમાર, અરુણ રાજ, આધવ અર્જૂના, કીર્તના, રાજમોહન, વેંકટરામનન અને સેનગોટ્ટેયાન સામેલ છે. થિરુ એન આનંદે કે જેઓ ત્યાગરાજ સીટથી ધારાસભ્ય બન્યા છે તેમણે મંત્રીપદના શપથ લીધા. તેઓ ટીવીકેના મહાસચિવ અને પ્રવક્તા પણ છે. ટીવીકે નેતા અને પ્રમુખ રણનીતિકાર આધવ અર્જૂન પણ મંત્રી બન્યા. તેઓ વિલ્લિવક્કમ સીટથી વિધાયક છે અને વીસીકેના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે. ટીવીકેના મહાસચિવ કેજી અરુણ રાજે પણ મંત્રીપદના શપથ લીધા ગોબીચેટ્ટિપાલયમ સીટથી નવા ચૂંટાઈ આવેલા વિધાયક કે એ સેંગોટ્ટેયને મંત્રી પદના શપથ લીધા. નવમી વખત વિધાયક બનેલા સેંગોટ્ટેયન ટીવીકે પહેલા લાંબા સમય સુધી છૈંછડ્ઢસ્દ્ભ જાેડે જાેડાયેલા રહ્યા. માયલાપુરથી નવા ચૂંટાઈ આવેલા પી વેંકટરામનન પણ મંત્રી બન્યા.તમિલનાડુમાં ભાજપના સોશિયલ મીડિયાના ચીફ રહી ચૂકેલા આર ર્નિમલકુમાર થુરુપરંકુદ્રમ શપથ લીધા. તેઓ એક સમયે છૈંછડ્ઢસ્દ્ભનો પણ ભાગ રહી ચૂક્યા છે. તમિલ અભિનેતા અને ડાયરેક્ટર ડો. ટી કે પ્રભુ પણ વિજય સરકારમાં મંત્રી બન્યા. ૨૯ વર્ષના એસ ર્કિતના પણ મંત્રી બન્યા. તેઓ ટીવીકે સરકારના સૌથી યુવા મંત્રી છે.
ઢોંગી ગોડમેન અશોક ખરાતના દુષ્કૃત્યો અને કારનામાઓએ મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ખળભળાટ મચાવ્યો છે. આ સનસનાટીભર્યા કેસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની નેતા રૂપાલી ચાકણકરની મુશ્કેલીઓ હવે વધી રહી છે. રવિવારે રૂપાલી ચાકણકર બળાત્કાર અને જાતીય શોષણના ગંભીર આરોપોમાં જેલમાં રહેલા સ્વ-ઘોષિત ગોડમેન અશોક ખરાત સાથેના તેના કથિત સંબંધો અંગે પૂછપરછ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થઇ હતી.મહારાષ્ટ્ર પોલીસ એકેડેમીમાં તેની પૂછપરછ કરાઇ રહી છે.
રૂપાલી ચાકણકરે રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ અને એનસીપી મહિલા પાંખના વડાપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. સીટ્ સમક્ષ હાજર થયા બાદ, તેણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. તેમની પૂછપરછ રવિવારે બપોરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. નાસિક પોલીસે ૧૮ માર્ચે એક મહિલા પર ત્રણ વર્ષ સુધી વારંવાર બળાત્કાર કરવાના આરોપસર અશોક ખરાટની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ, પોલીસની સંપૂર્ણ તપાસમાં જાતીય શોષણ, જમીન પચાવી પાડવા, નાણાકીય છેતરપિંડી અને કાળા જાદુના નામે છેતરપિંડી સહિતના ભયાનક ગુનાઓનું વિશાળ નેટવર્ક બહાર આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે આ બાબા સામે દાખલ થયેલા ૧૨ કેસોની તપાસ માટે સીટની રચના કરી છે. રૂપાલી ચાકણકર અને અશોક ખરાત વચ્ચે ગાઢ સંબંધ હોવાનું બહાર આવ્યા બાદ તેની સામે કાર્યવાહી વધુ તીવ્ર બની હતી. રૂપાલીએ ખરાત સાથે કેટલીક ધાર્મિક વિધિઓ કરી હતી. આ બાબા ઈશાનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પણ છે, અને રૂપાલી ટ્રસ્ટની સભ્ય છે. સીટ મુખ્યત્વે બંને વચ્ચેના સંબંધનું સ્વરૂપ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે. વધુમાં, તપાસ એજન્સી એ પણ તપાસ કરી રહી છે કે આરોપી બાબા ખરાતે રૂપાલી ચાકણકરની બહેનના બેંક ખાતાનો કથિત રીતે ઉપયોગ કેવી રીતે અને શા માટે કર્યો. ચાકણકરે જણાવ્યું છે કે તે સીટૈં્ના તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે આવી છે. સામાજિક કાર્યકર અંજલી દમણિયાએ આ કેસમાં રૂપાલી ચાકણકરની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. કોલ રેકોર્ડ્સનો ઉલ્લેખ કરીને દમણિયાએ દાવો કર્યો હતો કે એનસીપી નેતા રૂપાલીએ બાબા ખરાતને કુલ ૧૭૭ વખત ફોન કર્યો હતો, જેમાં એક જ દિવસમાં ૨૨ મિનિટની વાતચીતનો સમાવેશ થાય છે. આ પુરાવાના આધારે, દમણિયાએ ચાકણકરની સંપૂર્ણ તપાસની માગ કરી હતી. આ આરોપોનો જવાબ આપતા, રૂપાલી ચાકણકરે કહ્યું કે તેમને ખબર નથી કે કોણ શું કહી રહ્યું છે, પરંતુ તપાસ પૂર્ણ થયા પછી બધા પ્રશ્નોના જવાબ આપવામાં આવશે.
હૈદરાબાદમાં આશરે ૯,૪૦૦ કરોડ રૂપિયાના છ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા એ. રેવંત રેડ્ડી તરફ વળીને મજાકમાં કહ્યું હતું કે, ‘વધુ સારું રહેશે કે તમે મારી સાથે જાેડાઈ જાવ.’ અગાઉ રેવંત રેડ્ડીએ પોતાના ભાષણમાં વિનંતી કરી હતી કે મોદી સરકારે તેલંગાણાને તે રીતે ટેકો આપવો જાેઈએ જે રીતે મનમોહન સિંહ સરકારે ગુજરાતને આપ્યો હતો. તેના જવાબમાં સ્મિત સાથે પીએમ મોદીએ કહ્યું, કેન્દ્ર સરકારે (ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહ હેઠળ) ૧૦ વર્ષમાં ગુજરાતને જે કાંઈ આપ્યું હતું, તે હું પણ તમને આપવા તૈયાર છું... પરંતુ તે કિસ્સામાં રાજ્યને અત્યારે કેન્દ્ર પાસેથી જે મળી રહ્યું છે તેના કરતા અડધું જ મળશે, અને તમે તમારા લક્ષ્યો પૂરા કરી શકશો નહીં. એટલા માટે, વધુ સારું છે કે તમે મારી સાથે જાેડાઈ જાવ.
Loading ...
