નવી દિલ્હી, સંસદમાં બજેટ સત્રમાં આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંબોધન કર્યું. તેમણે ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો થયો હતો. કેન્દ્રના મોટા મંત્રીઓએ ઊભા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ ગાંધીએ કારવાંના પુસ્તક અને પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના ડોકલામ અંગેના પુસ્તકનો હવાલો આપતાં જ મામલો બીચક્યો હતો અને સંસદમાં હોબાળો મચી ગયો હતો. સત્તાપક્ષ તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને પડકારવાનો પ્રયાસ કર્યો હતો. હોબાળો વધી જતાં લોકસભાને ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ લોકો કહે છેકે, અમે આતંકવાદ સામે લડીએ છીએ પણ એક તથ્યથી ડરે છે. પુસ્તકમાં એવું તો શું છે જેને અમે ન વાંચી શકીએ. અમને વાંચવા તો દો. તેમાં એ તમામ હકીકતો જણાવાઈ છે જે ડોકલામમાં ઘટી હતી. આ પુસ્તક આર્મી જનરલ નરવણેએ જ લખ્યું છે. બસ આ વાત પર રાજનાથ સિંહ ભડક્યા અને તેમણે કહ્યું હતું કે, જાે નરવણેને લાગતું હતું કે રોક લગાવાઈ છે તો તેઓ કોર્ટ જઈ શકતા હતા. તેઓ કોર્ટ કેમ ન ગયા? રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચીનના ટેન્ક કૈલાશ રેન્જ પર ચઢી રહ્યા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન સામે પણ હોબાળો થવા લાગ્યો હતો.
ચીનની ઘૂસણખોરી મુદ્દે રાહુલ ગાંધીએ સંબોધન શરુ કરતાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઊભા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, જે માહિતી પ્રકાશિત ન થઈ હોય તેનો ઉલ્લેખ તમે અહીં ન કરી શકો. જે બાદ કોંગ્રેસના સાંસદોએ ભારે વિરોધ કરતાં કહ્યું હતું કે, હજુ રાહુલ ગાંધીએ બોલવાનું શરુ જ કર્યું છે.
રાજનાથ સિંહે આક્રોશમાં કહ્યું હતું કે, તમે જે પુસ્તકની વાત કરો છો તે પ્રકાશિત થઈ જ નથી. જે બાદ કોંગ્રેસના સાંસદોએ કહ્યું હતું કે, આ માહિતી મેગેઝીનમાં આવી ગઈ છે. સંસદમાં અગાઉ પણ મેગેઝીનના ક્વોટ બોલવામાં આવ્યા છે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઊભા થઈને કહ્યું હતું કે, તમે સ્પષ્ટતા કરો કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? મેગેઝીન તો કશું પણ લખી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું માત્ર ૫ જ વાક્ય બોલવા માંગુ છું જેમાં પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ નરવણેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ વિશે વાતો કહી છે. ત્યાર પછી સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, સંસદની કાર્યવાહી સાથે જાેડાયેલી ન હોય તેવી પુસ્તકનો કોઈ ઉલ્લેખ અહીં ન કરી શકો.
રાહુલ ગાંધીએ એક મેગેઝિનના લેખને ટાંકીને વાત કરી. આનાથી ટ્રેઝરી બેન્ચમાંથી પણ હોબાળો થયો. સંરક્ષણ મંત્રીએ વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે, તેમને આવું કરવાની મંજૂરી ન આપવી જાેઈએ. ચીનના મુદ્દાને સંવેદનશીલ ગણાવતા અખિલેશ યાદવે કહ્યું હતું કે, જાે કોઈ સૂચન રાષ્ટ્રીય હિતમાં હોય, તો વિપક્ષના નેતાએ તે વાંચવું જાેઈએ. ડૉ. લોહિયાથી મુલાયમ સિંહ યાદવ સુધીના ઉદાહરણો આપતા અખિલેશે કહ્યું હતું કે, આપણે ચીન સામે સાવધ રહેવું જાેઈએ.
નવી દિલ્હી, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચમી ટી૨૦ મેચમાં ઈશાન કિશને કિવી બોલરોને એવા ધોયા કે ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે તેનું નામ નોંધાઈ ગયું છે. મેચના પહેલા બોલથી જ ઈશાન કિશન વિસ્ફોટક બેટિંગના મૂડમાં હતો. તેણે માત્ર ૨૮ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પરંતુ અસલી રોમાંચ તો ૧૨મી ઓવરમાં આવ્યો જ્યારે ન્યૂઝીલેન્ડના સ્પિનર ઈશ સોઢી બોલિંગ કરવા આવ્યા. ઈશાને આ ઓવરને ટાર્ગેટ કરી રનનો વરસાદ કર્યો હતો. ઓવરની શરૂઆત વાઈડથી થઈ, ત્યારબાદ ઈશાને સતત ૩ ચોગ્ગા ફટકાર્યા. ચોથા બોલે આસમાની છગ્ગો, પાંચમા બોલે ફરી ચોગ્ગો અને છેલ્લે છગ્ગા સાથે ઓવર પૂરી કરી. એક જ ઓવરમાં ઈશાને કુલ ૨૯ રન ઝૂડી નાખ્યા.આ સાથે જ ઈશ સોઢીના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો, જે ન્યૂઝીલેન્ડ માટે ટી૨૦માં બીજી સૌથી મોંઘી ઓવર સાબિત થઈ. ઈશાન કિશન રીતસરનો ન્યૂઝીલેન્ડ પર તૂટી પડ્યો હતો. સોઢીની ઓવર પૂર્ણ થયા બાદ જ્યારે તે પછીની ઓવરમાં સ્ટ્રાઈક પર આવ્યો, ત્યારે તેણે પહેલા જ બોલે છગ્ગો ફટકારી દીધો. આમ, તેણે સતત ૭ બોલમાં ૭ ચોગ્ગા-છગ્ગા ફટકારવાનો અદભૂત રેકોર્ડ બનાવ્યો હતો. માત્ર ૧૪ બોલ ઈશાન કિશને ૫૦ રનથી ૧૦૦ રન સુધી ફટકાર્યા હતા એટલે કે ફિફ્ટી (૨૮ બોલ) જડ્યા બાદ બીજી ફિફ્ટી માત્ર ૧૪ બોલમાં લગાવી હતી. ન્યૂઝીલેન્ડ સામે ટી૨૦માં આ સૌથી ઝડપી સદી છે.
મુંબઈ, મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવારે શનિવારે મુંબઈના લોકભવન ખાતે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દ્ગઝ્રઁ અને ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ હાજર રહ્યા હતા.
અજિત પવારનું ૨૮ જાન્યુઆરીએ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અચાનક અવસાન થયું હતું. શપથ ગ્રહણ પહેલાં સુનેત્રા પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પણ ચૂંટાયા હતા. તેઓ હવે અજિત પવારના મૃત્યુથી ખાલી પડેલી બારામતી બેઠક માટે પેટાચૂંટણી લડશે. શપથ ગ્રહણ પહેલાં પવારે તેમની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. આ સાથે સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બની ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દ્ગઝ્રઁ તેમના મોટા પુત્ર પાર્થ પવારને તેમના સ્થાને રાજ્યસભામાં મોકલશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સુનેત્રા પવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન દેવગીરી બંગલામાં તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાજ્યસભા સાંસદ તરીકે સુનેત્રા પવાર વિધાનસભા ભવનમાં પહોંચ્યા હતા, જ્યાં તેમને પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવાનો સર્વાનુમતે ર્નિણય લેવામાં આવ્યો હતો. પાર્ટીના નેતાઓના મતે, આ ર્નિણય સંગઠન અને રાજ્યના રાજકારણ માટે નિર્ણાયક માનવામાં આવે છે. અગાઉ દ્ગઝ્રઁ નેતા અનિલ ભાઈદાસ પાટીલે જણાવ્યું હતું કે સુનેત્રા પવાર બારામતીમાં બધી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી અહીં પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ આઘાત એટલો ગંભીર હતો કે તેમના માટે સ્વસ્થ થવું લગભગ અશક્ય હશે. અમારું માનવું છે કે સુનેત્રા પવાર આ સમયે આ જવાબદારી સંભાળી શકે છે, કારણ કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ ટૂંક સમયમાં આવી રહી છે. અજિત પવાર ચૂંટણીમાં તેમણે ઉભા રાખેલા તમામ ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે પ્રવાસ કરી રહ્યા હતા. અજિત પવારના અવસાન પછી ઉમેદવારોનું સંચાલન કરવાની જવાબદારી હવે સુનેત્રા પવાર પર આવશે.
સુનેત્રા પવારે ગયા વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે બારામતીથી તેમની ભાભી સુપ્રિયા સુલે સામે લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. ત્યારબાદ ૧૮ જૂન, ૨૦૨૪ના રોજ તેઓ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા હતા. હવે તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. સુનેત્રા પવારની કુલ સંપત્તિ તેમના પતિ અજિત પવાર કરતાં વધુ છે. તેમની પાસે ૧૫૦ કરોડથી વધુની સંપત્તિ છે. ૨૦૨૪માં દાખલ કરાયેલા તેમના સોગંદનામા મુજબ, તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે ૩ લાખ રોકડા છે. સુનેત્રા પવાર પાસે સરકારી, સહકારી અને ખાનગી બેંકો સહિત અનેક બેંક ખાતા છે. તેમની પાસે કુલ ૬ કરોડ જમા છે. વધુમાં તેમની પાસે ૬૬ લાખથી વધુ મૂલ્યના બોન્ડ અને કંપનીના શેર છે. સુનેત્રા પવાર પાસે મુંબઈ, પુણે અને બારામતી સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જમીન છે. તેમની પાસે ખેતીની જમીન, રહેણાંક મકાનો, પ્લોટ અને વ્યાપારી ઇમારતો સહિત ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની મિલકતો છે.
નવી દિલ્હી, આવતીકાલે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬નો દિવસ ભારતીય અર્થતંત્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ આવતીકાલે સતત ૯મી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરીને એક અદ્વિતીય ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યા છે. ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ નાણામંત્રી સતત ૯ વર્ષ સુધી બજેટ રજૂ કરી શક્યા નથી. જાેકે, મોરારજી દેસાઈએ કુલ ૧૦ બજેટ રજૂ કર્યા હતા, પરંતુ તે સતત નહોતા. આમ, સતત બજેટ રજૂ કરવાની બાબતમાં ર્નિમલા સીતારમણ નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરશે.
આ વર્ષે નાણામંત્રીએ બજેટ રજૂ કરવાની વર્ષો જૂની પરંપરામાં મોટો ફેરફાર કરવાની રણનીતિ ઘડી છે. સામાન્ય રીતે બજેટનો પાર્ટ-બી માત્ર ટેક્સ સ્લેબ અને કરવેરાના દરો પૂરતો સીમિત હોય છે, પરંતુ આ વખતે તેમાં ભારતની આર્થિક વિઝનની વિસ્તૃત રૂપરેખા જાેવા મળશે. આ વિભાગમાં ભારતની સ્થાનિક તાકાતને વૈશ્વિક સપ્લાય ચેઈનનો હિસ્સો બનાવવા માટેની ચોક્કસ પ્લાનિંગ અને ભવિષ્યનો રોડમેપ રજૂ કરવામાં આવશે. આગામી બજેટમાં ભારતની હાલની ક્ષમતાઓ અને ટૂંકા તેમજ લાંબા ગાળાના લક્ષ્યો પર વિશેષ ભાર મૂકવામાં આવશે તેવી ધારણા છે. ભારતની સ્થાનિક પ્રોડક્ટ્સ અને સર્વિસને ગ્લોબલ માર્કેટમાં કઈ રીતે મજબૂત બનાવવી, તેનું વિઝન આ બજેટ દ્વારા દુનિયા સમક્ષ મૂકવામાં આવશે. આ ફેરફારને કારણે દુનિયાભરના આર્થિક નિષ્ણાતો અને રોકાણકારોની નજર ભારત પર ટકેલી છે. આ સાથે દેશના કરોડો ટેક્સપેયર્સ, ઉદ્યોગ જગત, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પણ મોટી આશા સાથે બજેટની રાહ જાેઈ રહ્યા છે.
આજે નાણાંમંત્રીનો કાર્યક્રમ
• સવારે ૮:૪૫ વાગ્યે : નાણામંત્રી ર્નિમલા સીતારમણ નાણા મંત્રાલય (નોર્થ બ્લોક) છોડીને રાષ્ટ્રપતિ ભવન જશે.
• સવારે ૯:૧૫ વાગ્યે : નાણામંત્રી રાષ્ટ્રપતિને મળશે અને બજેટ વિશે માહિતી આપશે અને રજૂ કરવા માટે તેમની ઔપચારિક મંજૂરી લેશે. જે બંધારણીય પરંપરાનો એક ભાગ છે. આ પછી, નાણામંત્રી અને તેમની ટીમ એક સંક્ષિપ્ત ફોટોશૂટમાં જાેડાશે.
• સવારે ૧૦:૦૦ વાગ્યે : નાણામંત્રી સંસદ ભવનમાં પહોંચશે અને એક ખાસ કેબિનેટ બેઠકમાં હાજરી આપશે, જ્યાં બજેટને અંતિમ મંજૂરી આપવામાં આવે છે.
• સવારે ૧૧:૦૦ વાગ્યે : નાણામંત્રી લોકસભામાં તેમનું બજેટ ભાષણ શરૂ કરશે. જે સામાન્ય રીતે દોઢથી બે કલાક ચાલે તેવી સંભાવના છે.
બજેટમાં એક જાહેરાતથી સોના-ચાંદીના ભાવમાં કડાકાની સંભાવના
નવી દિલ્હી : આવતીકાલે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં સરકાર સોના અને ચાંદી પર લાગતી કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરી શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં સોના-ચાંદી પર ૬ ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી અને ૩ ટકા જીએસટી મળીને કુલ ૯ ટકા ટેક્સ લાગે છે. જાે સરકાર સ્મગલિંગ રોકવા માટે ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીને ૪ ટકા કરે, તો સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૩,૦૦૦ અને ચાંદીમાં પ્રતિ કિલો રૂ. ૬,૦૦૦નો ઘટાડો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સરકારે જુલાઈ ૨૦૨૪માં પણ ડ્યૂટી ૧૫ ટકાથી ઘટાડીને ૯ ટકા કરી હતી. વર્ષ ૨૦૨૧ની સરખામણીએ કિંમતી ધાતુઓના ભાવમાં તોતિંગ ઉછાળો જાેવા મળ્યો છે. ૨૦૨૧માં રૂ. ૪૮,૦૦૦ના સ્તરે રહેલું સોનું ૨૦૨૬માં રૂ. ૧.૫૦ લાખની સપાટીએ પહોંચ્યું છે. ૫ વર્ષમાં રોકાણકારોની મૂડી બમણાથી વધુ થઈ છે. વર્ષ ૨૦૨૫ સોના માટે સવર્શ્રેષ્ઠ રહ્યું, જેમાં ૪૭ ટકા વળતર મળ્યું હતું. જ્યારે ૨૦૨૧માં રૂ. ૬૩,૦૦૦ પ્રતિ કિલોથી શરૂ થયેલી સફર આજે રૂ. ૩.૩૦ લાખથી રૂ. ૩.૫૦ લાખ સુધી પહોંચી છે. ૨૦૨૧માં કરેલું રૂ. ૧ લાખનું રોકાણ આજે રૂ. ૩.૫૧ લાખ થઈ ગયું છે. ૨૦૨૫માં ચાંદીના ભાવમાં ૧૭૩ ટકાનો તોતિંગ વધારો નોંધાયો હતો. માર્કેટ એક્સપર્ટ્સ મુજબ, બજેટ પહેલા મોટી ખરીદી કરવાને બદલે રોકાણકારોએ બાય ઓન ડિપ્સની વ્યૂહનીતિ અપનાવવી જાેઈએ. બજેટના દિવસે થનારી ભારે ઉથલપાથલથી બચવા માટે એકસાથે રોકાણ કરવાના બદલે નાના નાના હપ્તામાં ખરીદી કરવી હિતાવહ છે. ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જાેવા મળી શકે છે, જાેકે લાંબા ગાળાનો ટ્રેન્ડ પોઝિટિવ હોવાનું મનાય છે. જાે સરકાર ડ્યૂટી ઘટાડે તો તેની અસર ટૂંકા ગાળા માટે રહેશે, કારણ કે ભાવ આંતરરાષ્ટ્રીય પરિબળો પર વધુ ર્નિભર હોય છે
Loading ...
