રેલવે મુસાફરોને રાહત આપતા એક સારા સમાચાર છે. હવે તમે તમારી ટ્રેન ઉપડવાના સમય પહેલાં જ તમારા પ્રવાસના આયોજનમાં ફેરફાર કરી શકો છો. આ સુવિધા માટે ભારતીય રેલવેએ ૧ એપ્રિલ, ૨૦૨૬થી અમલમાં આવતા બોર્ડિંગ પોઇન્ટ બદલવાના નિયમોને સરળ બનાવ્યા છે. જેનો સીધો લાભ લાખો મુસાફરોને થશે.
મુસાફરો હવે ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાનના માત્ર ૩૦ મિનિટ પહેલાં સુધી તેમની ટ્રેનનું બોર્ડિંગ સ્ટેશન બદલી શકે છે. પહેલાં આ સમય મર્યાદા નોંધપાત્ર રીતે લાંબી હતી. જેના કારણે ઘણીવાર મુસાફરોને અસુવિધા થતી હતી. તમે આઇઆરસીટીસી વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા અથવા રેલવે રિઝર્વેશન કાઉન્ટર દ્વારા સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકો છો. નવું બોર્ડિંગ પોઇન્ટ હવે બીજા રિઝર્વેશન ચાર્ટમાં અપડેટ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે ટ્રેન પ્રસ્થાન પહેલાં તરત જ ફેરફારો શક્ય બનશે. આ એવા મુસાફરો માટે ફાયદાકારક સાબિત થશે જેના પ્લાનમાં અચાનક છેલ્લી ઘડીએ ફેરફાર થાય છે.આ સુવિધા ફક્ત કન્ફર્મ્ડ થવા આરએસી (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) ટિકિટ ધરાવતા મુસાફરો માટે જ ઉપલબ્ધ છે. તે વેઇટિંગ લિસ્ટ ટિકિટ પર લાગુ પડતી નથી. એક મુખ્ય શરત એ છે કે બોર્ડિંગ પોઈન્ટ ફક્ત એક જ વાર બદલી શકાય છે. વધુમાં આ વિનંતી બીજા રિઝર્વેશન ચાર્ટ તૈયાર થાય તે પહેલાં સબમિટ કરવી જરૂરી છે.હવે, જાે કોઈ મુસાફર પ્રસ્થાનના ૨૪ થી ૭૨ કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરે છે, તો તેને ભાડાની રકમનો ૨૫% રકમ ગુમાવવી પડશે.
લાંબા સમયથી દેશના ઘણા રાજ્યોમાં સ્માર્ટ પ્રી-પેડ વીજળી મીટરને લઈને હંગામો થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર સરકાર થોપી રહી છે. ઘણા લોકોએ દાવો કર્યો કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેનું બિલ વધુ આવી રહ્યું છે. હવે સરકારે સ્માર્ટ વીજળી મીટરના યુઝર્સને મોટી રાહત આપી છે. દેશભરમાં સ્માર્ટ વીજળી મીટરને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોટું સ્પષ્ટીકરણ આપ્યું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે લોકસભામાં કહ્યુ કે પ્રીપેડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર બધા ગ્રાહકો માટે ફરજીયાત નથી.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક સવાલોનો જવાબ આપતા તેમણે આ જાણકારી આપી, જેમાં સામાન્ય ઉપભોક્તાઓને મોટી રાહત મળી છે. તાજેતરમાં તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સરકાર બધા ઘરોમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવું ફરજીયાત કરી શકે છે.કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે સ્પષ્ટ કરી દીધું કે ગ્રાહકોને પ્રીપેડ સ્માર્ટ મીટર અપનાવવા માટે મજબૂર કરવામાં આવશે નહીં. આ સંપૂર્ણ રીતે વૈકલ્પિક છે અને ગ્રાહકો પોતાની સુવિધા અનુસાર પસંદગી કરી શકે છે. તેમણે તે પણ જણાવ્યું કે સ્માર્ટ મીટર અપનાવવાથી ગ્રાહકો, રાજ્યો અને વીજળી વિતરણ કંપનીઓ બધાને ફાયદો થઈ શકે છે. સરકાર અનુસાર પ્રીપેડ સ્માર્ટ મીટર વીજળી ઉપભોગને વધુ પારદર્શી અને નિયંત્રિત બનાવે છે. તેનાથી ગ્રાહકો પહેલાથી રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકે છે, જેનાથી બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રહે છે.
રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીએ ચડ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ સાંસદ અશોક મિત્તલ આપના ઉપનેતા હશે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને કહ્યુ કે રાઘવ ચડ્ઢાને
ગૃહમાં પાર્ટી નેતા તરીકે બોલવાની તક આપવામાં ન આવે. એટલે કે તેમના રાજ્યસભામાં બોલવાના સમય પર પણ કાતર ફરશે.
સૂત્રોનું માનીએ તો સંસદમાં તેમને બોલવા માટે ફાળવવામાં આવતા સમયમાં પણ ઘટાડો થવાનો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાઘવ ચડ્ઢા સંસદમાં લોકો સાથે જાેડાયેલા મુદ્દા જાેરશોરથી ઉઠાવી રહ્યાં છે, જેમાં એરપોર્ટ પર ૧૦ રૂપિયાની ચાથી લઈને ડિલીવરી વર્કરના મુદ્દા સામેલ છે. આ વચ્ચે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રો પ્રમાણે રાઘવ ચડ્ઢા પાર્ટી સાથે ચર્ચા કર્યા વગર કેટલાક મુદ્દા પર બોલી રહ્યા હતા. તે રાજ્યસભામાં ક્યા મુદ્દા પર વાત રાખવાના છે, તેની જાણકારી પણ પાર્ટીને આપતા નહોતા. આમ આદમી પાર્ટીએ આ મુદ્દે ચડ્ઢાને ચેતવણી પણ આપી હતી. પરંતુ પાર્ટી તરફથી તેમના વિરુદ્ધ કેમ કાર્યવાહી કરવામાં આવી તેનું કારણ જણાવવામાં આવ્યું નથી. પરંતુ પાર્ટીના આ ર્નિણય પાછળ અનુશાસનહીનતા અને પાર્ટી લાઇન હેઠળ કામ ન કરવું હોઈ શકે છે.
રાજકીય વર્તુળોમાં તે પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે રાઘવ ચડ્ઢા આમ આદમી પાર્ટીની લાઇનથી અલગ વાત કરતા હતા. એટલું જ નહીં તાજેતરમાં જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને શરાબ કાંડ મામલામાં રાઉઝ એવેન્યુ કોર્ટમાંથી નિર્દોષ જાહેર કરાયા તો રાઘવ ચઢ્ઢા તરફથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહીં.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ વિરુદ્ધ ટીએમસીની હોય તેવું લાગી રહ્યું છે. ૨૦૨૬ની ચૂંટણી જીતવા માટે ભાજપે પશ્ચિમ બંગાળની સુકાન ભાજપના ચાણક્ય અમિત શાહને સોંપી દીધી હતી. આજે ભાજપના ઉમેદવાર સુવેન્દ્ર અધિકારીની ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભવાનીપુરામાં જાહેરસભાને અમિત શાહે સંબોધી હતી. આ જાહેરસભમાં અમિત શાહે કહ્યું કે, આ ચૂંટણીમાં મમતા દીદીની વિદાય નક્કી છે. હંુ બોરિયા બિસ્તરાં સાથે ૧૫ દિવસ પશ્ચિમ બંગાળમાં જ રહેવાનો છું. હવે તે સમગ્ર પશ્ચિમ બંગાળની જનતા કહી રહી છે કે, મમતા દીદીને વિદાય આપો.
અમિત શાહે પોતાની આગવી શૈલીમાં ભવાનીપુર ખાતે જાહેરસભાને સંબોધતા કહ્યું, બંગાળ રાજ્યમાં પરિવર્તન લાવવાની શક્તિ હવે તમારા હાથમાં છે. મારી પાસે તમારા માટે એક શોર્ટકટ છે. જાે ભવાનીપુરના લોકો આ એક બેઠક પર ભાજપના ઉમેદવાર સુવેન્દ્રુ અધિકારીને વિજયી બનાવે, તો બાકીના બંગાળમાં આપોઆપ પરિવર્તન થઈ જશે. અમિત શાહે વધુમાં કહ્યું કે, સુવેન્દુ-દા શરૂઆતમાં નંદીગ્રામથી વિધાનસભાની ચૂંટણી લડવા માગતાં હતા. જાેકે, મેં તેમને કહ્યું હતું કે તેમણે ફક્ત નંદીગ્રામથી જ ચૂંટણી લડવી જાેઈએ નહીં બલ્કે, તેમણે મમતા બેનર્જીના પોતાના ગઢ ગણાતા ગૃહક્ષેત્ર ભવાનીપુરમા જવું જાેઈએ અને ત્યાં દીદીને હરાવવા જાેઈએ.
અમિત શાહે ટિપ્પણી કરી હતી કે, ૨૦૨૧માં પાછલી ચૂંટણીઓમાં મમતા બેનર્જી બંગાળમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી, પરંતુ તેમને નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી સામે વ્યક્તિગત હારનો સામનો કરવો પડ્યો હતો. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મમતા બેનર્જીને ફક્ત બંગાળમાં જ નહીં પરંતુ ભવાનીપુરમાં પણ હારનો સામનો કરવો પડશે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નાટો જાેડાણની સુસંગતતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે, સંભવિત ખસી જવાનો સંકેત આપ્યો છે. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ટ્રમ્પે અનેક ઇન્ટરવ્યુમાં નાટો-સંલગ્ન દેશોના સહયોગના અભાવની તીવ્ર ટીકા કરી છે. સીએનએન અનુસાર, ટ્રમ્પ અમેરિકાને સંગઠનમાંથી ખસી જવાનું વિચારી રહ્યા છે, પરંતુ આ પગલું તેમના માટે સરળ રહેશે નહીં. ટ્રમ્પે અનેક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું છે કે તેઓ અમેરિકાને નાટો છોડવાનું વિચારશે. તેમણે નાટો સભ્યોની ટીકા કરતા કહ્યું કે યુદ્ધમાં તેમનો લશ્કરી ટેકો ખૂબ નબળો રહ્યો છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે ઈરાન યુદ્ધ અઠવાડિયામાં સમાપ્ત થઈ શકે છે.
ઈરાન સાથે યુદ્ધ એક મહિના કરતાં વધુ સમય પહેલાં શરૂ થયું ત્યારથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર નાટોની ટીકા કરી છે અને તાજેતરના બે ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેઓ દેશને સંગઠનમાંથી બહાર કાઢવાનું વિચારશે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં કાયમી શાંતિ સુનિશ્ચિત કરવા માટે ૧૯૪૯માં નાટો લશ્કરી જાેડાણ બનાવવામાં આવ્યું હતું.કાનૂની નિષ્ણાતો અને યુએસ કોંગ્રેસ ટ્રમ્પના નાટો છોડવાના દાવા પર વિભાજિત છે. ૨૦૨૩માં યુએસ કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા કાયદા અનુસાર, રાષ્ટ્રપતિ સેનેટના બે તૃતીયાંશ મત અથવા કોંગ્રેસના કાયદા વિના યુએસને નાટોમાંથી પાછી ખેંચી શકતા નથી. વર્તમાન રાજ્ય સચિવ માર્કો રુબિયો આ બિલના સહ-પ્રાયોજકોમાં સામેલ હતા.
Loading ...
