વોશિંગ્ટન:અમેરિકા ૨ એપ્રિલથી તેના વિઝા બોન્ડ પ્રોગ્રામમાં વધુ ૧૨ દેશોનો સમાવેશ કરશે અને તેનાથી આ પ્રોગ્રામ હેઠળના દેશોની સંખ્યા વધી ૫૦ થશે. બે એપ્રિલથી વધુ ૧૨ દેશોના નાગરિકોએ બિઝનેસ અને ટુરિઝમ માટે બી-વન અને બી-વન વિઝા મેળવવા માટે ૧૫,૦૦૦ ડોલરના બોન્ડ આપવા પડશે. જાેકે અમેરિકામાં ઓવરસ્ટે ન કરે અને અને સમયસર યુએસ છોડી દેનારા વિઝાધારકોને આ નાણા પરત કરાશે. આ નિયમનો હેતુ વિઝાની મુદત પછી પણ અમેરિકામાં રહેતા લોકો પર અંકુશ મેળવવાનો છે. બીજી એપ્રિલથી આ પ્રોગ્રામ હેઠળ વધુ ૧૨ દેશોનો સમાવેશ થશે. તેમાં કંબોડિયા, ઇથોપિયા, જ્યોર્જિયા, ગ્રેનાડા, લેસોથો, મોરેશિયસ, મંગોલિયા, મોઝામ્બિક, નિકારાગુઆ, પાપુઆ ન્યૂ ગિની, સેશેલ્સ અને ટ્યુનિશિયાનો સમાવેશ થાય છે. અગાઉ આ યાદીમાં બાંગ્લાદેશ, ભૂતાન, ક્યુબા, ફિજી, નામિબિયા, નેપાળ, નાઇજિરાય, યુગાન્ડા, વેનેઝુએલા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે જેવા ૩૮ દેશોનો સમાવેશ કરાયો હતો.વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન જાેખમ પરિબળોના આધારે આ કાર્યક્રમને વિસ્તૃત બનાવી શકાય છે. હજુ બીજા કેટલાંક દેશોનો પણ તેમાં સમાવેશ થઈ શકે છે. આ પ્રોગ્રામથી અમેરિકાને થતાં નાણાકીય લાભનો ઉલ્લેખ કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદે રહેતાં વિદેશીઓનો દેશનિકાલ કરવા માટે અમેરિકાને સરેરાશ ૧૮,૦૦૦ ડોલરનો ખર્ચ થાય છે. વિઝા બોન્ડ પ્રોગ્રામ ઓવરસ્ટે ઘટાડે છે.તેનાથી અમેરિકાને ૮૦ કરોડ ડોલર સુધીની બચત થાય છે.
દિલ્હી :રાજ્યસભાના ૭૩ સાંસદો પર ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોમ્સએ ગુરુવારે રાજ્યસભાના ૨૨૯ સાંસદોનો એક રિપોર્ટ જાહેર કર્યો હતો.
આમાં તાજેતરમાં ચૂંટાયેલા ૩૭ સાંસદો પણ સામેલ છે. રાજ્યસભામાં ૨૪૫ સભ્યો હોય છે. રાજ્યસભાના ૭૩ સાંસદોમાંથી ૩૬ (૧૬%) પર ગંભીર આરોપો છે. એક સાંસદ પર મર્ડરનો કેસ અને ચાર સાંસદો પર હત્યાના પ્રયાસ અને ત્રણ પર મહિલાઓ સંબંધિત ગુનાના કેસ છે ૩૧ સાંસદો (૧૪%)એ પોતાને અબજાેપતિ જાહેર કર્યા છે. મોટી પાર્ટીઓમાં ઘણા સાંસદોએ ૧૦૦ કરોડથી વધુની સંપત્તિ દર્શાવી છે.ભાજપાના ૬, કોંગ્રેસના ૫, વાયએસઆરસીપીના ૪, આપના ૨,બીઆરએસ ના ૨, એનસીપીના ૩ અને અન્ય પક્ષોના ૯ સાંસદો આ યાદીમાં છે. એક રાજ્યસભા સાંસદ પાસે સરેરાશ આશરે ૧૨૦.૬૯ કરોડ રૂપિયાની સંપત્તિ છે.પ્.ભાજપાના ૯૯ સાંસદો પાસે સરેરાશ ૨૮.૨૯ કરોડ, કોંગ્રેસના ૨૮ સાંસદો પાસે ૧૨૮.૬૧ કરોડ, ટીએમસી ના ૧૩ સાંસદો પાસે ૧૭.૭૦ કરોડ અને આપના ૧૦ સાંસદો પાસે ૫૭૪.૦૯ કરોડ રૂપિયા છે. ડીએમકેના ૮ સાંસદો પાસે સરેરાશ ૧૧.૯૦ કરોડ, વાયએસઆરસીપીના ૭ સાંસદો પાસે ૫૨૨.૬૩ કરોડ, સમાજવાદી પાર્ટીના ૪ સાંસદો પાસે ૩૯૯.૭૧ કરોડ, બીજેડી ૬ સાંસદો પાસે ૧૦૫.૬૩ કરોડ રૂપિયાની સંપત્તિ છે.સૌથી વધુ તેલંગાણાના ભારત રાષ્ટ્ર સમિતિના સાંસદ બંદી પાર્થ સારથી પાસે રૂા.૫૩૦૦ કરોડની સંપત્તિ છે.
મુંબઈ :એચડીએફસી બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અતનુ ચક્રવર્તીએ ૧૮ માર્ચના રોજ મોડી રાત્રે રાજીનામું આપી દીધું હતું. બેંકે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. ચક્રવર્તીએ બેંકના કામકાજની રીતો પર સવાલો ઉઠાવ્યા છે. તેમના ગયા પછી રિઝર્વ બેંકની મંજૂરીથી કેકી મિસ્ત્રીને ૧૯ માર્ચથી ત્રણ મહિના માટે વચગાળાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. રાજીનામાના સમાચાર પછી આજે એચડીએફસીના શેરમાં ૫%નો ઘટાડો જાેવા મળ્યો છે. તે ૪૩ રૂપિયા ઘટીને ૮૦૦ રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે. આ વર્ષે એચડીએફસી બેંકનો શેર લગભગ ૨૦% તૂટી ચૂક્યો છે.
અતનુ ચક્રવર્તીએ તેમના રાજીનામા પત્રમાં બેંકના આંતરિક કલ્ચર અને કામકાજ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષ દરમિયાન મેં બેંકની અંદર કેટલીક એવી ઘટનાઓ અને પ્રથાઓ જાેઈ છે, જે મારા વ્યક્તિગત મૂલ્યો અને નૈતિકતાને અનુરૂપ નથી. કેકી મિસ્ત્રી હાલમાં બેંકના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. તેઓ એચડીએફસી લિમિટેડના બેંકમાં વિલિનીકરણ પહેલા તેના વાઇસ ચેરમેન અને ઝ્રઈર્ં રહી ચૂક્યા છે. બેંકિંગ સેક્ટરમાં તેમના લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને તેમને હાલમાં ૩ મહિના માટે કમાન સોંપવામાં આવી છે.
કેકી મિસ્ત્રીએ ગરુવારે રોકાણકારો અને હિતધારકોને ખાતરી આપી હતી કે બેંક સંપૂર્ણપણે સ્થિર છે. બેંકમાં ચિંતાજનક કોઈ મોટી વાત નથી. મિસ્ત્રીએ કહ્યું કે બોર્ડ દેશની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર બેંકમાં વિશ્વાસ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
એચડીએફસી માં કોઈ ગંભીર ચિંતાની વાત નથી : રિઝર્વ બેંક
આ મામલે રિઝર્વ બેંકે કહ્યું કે એચડીએફસી બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન પદને લઈને બેંક તરફથી જે અસ્થાયી વ્યવસ્થા માગવામાં આવી હતી, તેને રિઝર્વ બેંકે મંજૂરી આપી દીધી છે. એચડીએફસી બેંક દેશની એક ‘સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક’ છે, જેની નાણાકીય સ્થિતિ મજબૂત છે. બોર્ડ વ્યવસાયિક રીતે કામ કરી રહ્યું છે અને મેનેજમેન્ટ ટીમ ખૂબ જ સક્ષમ છે. બેંકના કામકાજ કે ગવર્નન્સને લઈને હાલમાં કોઈ ગંભીર ચિંતાની વાત નથી. બેંક પાસે પૂરતી મૂડી છે અને લિક્વિડિટી એટલે કે રોકડની સ્થિતિ પણ સંતોષજનક છે. રિઝર્વ બેંક આગળના રસ્તાઓને લઈને બેંકના બોર્ડ અને મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં રહેશે.
વોશિંગ્ટન :વોશિંગ્ટનમાં અમેરિકન સેનાના એક મહત્વપૂર્ણ બેઝ ઉપર શંકાસ્પદ ડ્રોન જાેવા મળ્યા છે. વોશિંગ્ટન પોસ્ટ મુજબ, વિદેશ મંત્રી માર્કો રુબિયો અને રક્ષા મંત્રી પીટ હેગસેથ સૈન્ય બેઝ ફોર્ટ લેસ્લી મેકનેયરની અંદર રહી રહ્યા છે. આ તે જ બેઝ છે જ્યાં વિદેશ મંત્રી માર્કો રુબિયો અને રક્ષા મંત્રી પીટ હેગસેથ રહે છે. આ મામલાની જાણકારી ધરાવતા ત્રણ લોકોએ જણાવ્યું કે આ ડ્રોનની ઓળખ હજુ સુધી થઈ શકી નથી અને તે પણ સ્પષ્ટ નથી કે તેઓ ક્યાંથી આવ્યા હતા.
એક ઉચ્ચ અધિકારીમા જણાવ્યા મુજબ, અમેરિકા અને ઇઝરાયલના ઇરાન પરના હુમલાઓને કારણે સુરક્ષા એલર્ટ પહેલેથી જ વધારી દેવામાં આવ્યું છે. આ જ કારણોસર સેના સંભવિત જાેખમો પર બાજ નજર રાખી રહી છે. છેલ્લા ૧૦ દિવસમાં એક રાત દરમિયાન ફોર્ટ લેસ્લી મેકનેયર ઉપર ઘણા ડ્રોન જાેવા મળ્યા, જેના પછી સુરક્ષા વધારી દેવામાં આવી અને વ્હાઇટ હાઉસમાં આ મુદ્દે ઇમરજન્સી બેઠક પણ થઈ હતી. ફોર્ટ મેકનેયર ઉપર ડ્રોન દેખાયા પછી અધિકારીઓએ એ પણ વિચાર્યું કે શું રુબિયો અને હેગસેથને કોઈ બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. જાેકે, હજુ સુધી તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા નથી.
દુનિયાભરમાં અમેરિકન દૂતાવાસો માટે ચેતવણી જારી
અમેરિકાએ દુનિયાભરમાં પોતાના દૂતાવાસો માટે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે અને દેશની અંદર ઘણા સૈન્ય ઠેકાણાઓ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ન્યૂજર્સીના જાેઈન્ટ બેઝ મેકગ્વાયર-ડિક્સ-લેકહર્સ્ટ અને ફ્લોરિડાના મેકડિલ એર ફોર્સ બેઝ પર સુરક્ષા સ્તર વધારીને ‘ચાર્લી’ કરી દેવામાં આવ્યું છે. આનો અર્થ એ થાય છે કે કોઈ હુમલા કે ખતરાની આશંકા છે. આનાથી ઉપર ફક્ત ‘ડેલ્ટા’ સ્તર હોય છે, જે ત્યારે લાગુ પડે છે જ્યારે હુમલો થઈ ચૂક્યો હોય કે થવાનો હોય.
૬ મહિના પહેલાં લોકેશનનો ખુલાસો થયો
ઓક્ટોબરમાં ઘણી મીડિયા રિપોર્ટ્સમાં રક્ષા મંત્રી પીટ હેગસેથ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોના ત્યાં રહેવાની માહિતી સાર્વજનિક થઈ ચૂકી હતી. સામાન્ય રીતે આટલા મોટા પદો પર બેઠેલા લોકો ક્યાં રહે છે, તે માહિતી સાર્વજનિક કરવામાં આવતી નથી, કારણ કે તેનાથી તેમની સુરક્ષાને જાેખમ થઈ શકે છે.
યુદ્ધ વચ્ચે મોદીની ત્રણ દેશોના વડા સાથે મંત્રણા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ આ પહેલા મલેશિયાના વડાપ્રધાન, કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન પણ તેમણે પશ્ચિમ એશિયાના સંકટ પર ચર્ચા કરી હતી.
મુંબઈ :મધ્ય-પૂર્વમાં યુદ્ધની અસર ફરી શેરબજાર પર જાેવા મળી છે. આજે સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં ૨૨ મહિનામાં સૌથી મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. સેન્સેક્સ ૭૪,૨૦૭ પર બંધ થયો હતો, જેમાં ૨,૪૯૭ પોઈન્ટ (૩.૨૬%)નો ઘટાડો થયો હતો. તેવી જ રીતે, નિફ્ટીમાં પણ ૭૭૬ પોઈન્ટ (૩.૨૬%)નો ઘટાડો નોંધાયો હતો, જે ૨૩,૦૦૨ પોઈન્ટથી નીચે આવી ગયો હતો, જેના કારણે એક જ દિવસમાં રોકાણકારોના અંદાજે ૧૨ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આ પહેલા, ૪ જૂન, ૨૦૨૪ના રોજ સેન્સેક્સ ૫.૭૪% ઘટ્યો હતો. આજે બેંકિંગ અને ઓટો શેરોમાં સૌથી મોટો ઘટાડો જાેવા મળ્યો. ભૂરાજકીય તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ફુગાવો વધવાનું જાેખમ રહેલું છે. આનાથી કોર્પોરેટ નફામાં ઘટાડો થઈ શકે છે. પરિણામે, રોકાણકારો તેમના શેર વેચવાનું શરૂ કરે છે અને તેમની મૂડીને સુરક્ષિત રોકાણના સ્થળોએ ફરીથી ફાળવવાનું શરૂ કરે છે, જેના પરિણામે બજારમાં ઘટાડો થાય છે.
સેન્સેક્સ ગઈકાલે ૭૪,૭૫૦.૯૨ પોઈન્ટ પર બંધ થયા બાદ આજે ૭૪,૭૫૦.૯૨ પોઈન્ટ પર ખુલ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સૌથી ઊંચા મથાળે ૭૫,૩૫૪.૧૮ પોઈન્ટ પર સ્પર્શ્યા બાદ નીચેમાં ૭૩,૯૫૦.૯૫ પોઈન્ટ પર પહોંચ્યું હતું, છેવટે દિવસના અંતે ૩.૨૬ ટકાના ઘટાડા સાથે ૭૪,૨૦૭.૨૪ પોઈન્ટ પર બંધ થયું હતું. એટલે કે આજે સેન્સેક્સમાં ૨,૪૯૬.૮૯ પોઈન્ટનો ઘટાડો થયો છે.
નિફ્ટી ૫૦ની વાત કરીએ તો આજે તેમાં ૩.૨૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ૨૩,૭૭૭.૮૦ પોઈન્ટ પર બંધ થયા બાદ આજે ૨૩,૧૯૭.૭૫ પોઈન્ટ પર ખુલ્યું હતું. આજે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી ૫૦ ઊંચા મથાળે ૨૩,૩૭૮.૭૦ પોઈન્ટ પર સ્પર્શ્યું હતું અને નીચામાં ૨૨,૯૩૦.૩૫ પોઈન્ટ પર પહોંચ્યું હતું. છેવટે દિવસના અંતેર નિફ્ટી ૫૦ ૨૩,૦૦૨.૧૫ પર બંધ થયું છે. એટલે કે આજે નિફ્ટી ૫૦માં ૭૭૫.૬૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.
નિફ્ટી બેંક આજે ૩.૩૯ ટકા એટલે કે ૧,૮૭૫.૦૫ના મોટા ઘટાડા સાથે ૫૩,૪૫૧ પોઈન્ટ પર બંધ છે. નિફ્ટી બેંક ગઈકાલે ૫૫,૩૨૬.૦૫ પોઈન્ટ પર બંધ થયા બાદ આજે ૫૩,૪૭૪.૫૫ ખુલ્યું હતું. દિવસ દરમિયાન ઊંચામાં ૫૪,૧૫૦.૩૦ પોઈન્ટ અને નીચામાં ૫૩,૨૪૦.૬૦ પોઈન્ટ નોંધાયું હતું. એટલે કે તેમાં ૧૮૭૫.૦૫ પોઈન્ટનો મોટો કડાકો નોંધાયો છે. આ ઉપરાંત નિફ્ટી આઈટીમાં ૩.૩૧ ટકા એટલે કે ૯૭૯.૭૦ પોઈન્ટનો કડાકો નોંધાયો છે અને આજે તે ૨૮,૫૭૯.૬૦ પોઈન્ટ પર બંધ થયું છે. જ્યારે નિફ્ટી ઓટોમાં ૪.૨૫ ટકા એટલે કે ૧,૦૮૮.૯૫ પોઈન્ટનો કડાકો નોંધાયો છે અને તે ૨૪,૫૦૯.૯૦ પોઈન્ટ પર બંધ થયું છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ગુરુવારે સોના અને ચાંદીના ભાવ ઘટ્યા. ચાંદીના ભાવ રૂ.૧૪,૨૩૦ ઘટીને રૂ.૨.૩૩ લાખ પ્રતિ કિલો થયા, જ્યારે સોનાના ભાવ રૂ.૫,૩૩૦ ઘટીને રૂ.૧.૪૮ લાખ પ્રતિ ૧૦ ગ્રામ થયા. આ દરમિયાન, યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દર સ્થિર રાખ્યા છે. ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલે તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણી વખત અનિશ્ચિતતા શબ્દનો ઉલ્લેખ કર્યો હતો, અને સૂચવ્યું હતું કે ટેરિફ અને ઊર્જા કટોકટી ફુગાવાના દબાણમાં વધારો કરી શકે છે. તેમનું વલણ પ્રમાણમાં કટ્ટરપંથી માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો જાેવા મળી રહ્યો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધ હવે એક મોટા તેલ યુદ્ધમાં ફેરવાઈ રહ્યું છે. ખાડી દેશોમાં તેલ અને ગેસ ક્ષેત્રો પર ધનાધન મિસાઈલ હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ અચાનક ૧૧૩ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. આનાથી એશિયન શેરબજારોમાં હાહાકાર મચ્યો છે, અને ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ધડામ થઈને તૂટી પડ્યું.
Loading ...
