દેશમાં ઈ૨૦ પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું નિવેદન ફરી વિવાદનું કેન્દ્ર બન્યું છે. તેમણે કહ્યું છે કે સામાન્ય કાર માલિક પોતાની ગાડીનું માઇલેજ ચોક્કસ રીતે જાતે માપી શકતો નથી. વાહનનું વાસ્તવિક માઇલેજ જાણવા માટે કંપની દ્વારા અધિકૃત ડીલર પાસે ઉપલબ્ધ ટેસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવો જાેઈએ. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
એક મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન મહિલા પત્રકારે દાવો કર્યો હતો કે ઈ૨૦ પેટ્રોલનો ઉપયોગ શરૂ કર્યા બાદ તેમની કારનું માઇલેજ ઘટ્યું છે. તેના જવાબમાં ગડકરીએ કહ્યું કે સામાન્ય રીતે લોકો જે રીતે ફ્યુઅલ ભરાવીને કિલોમીટર ગણતા હોય છે, તે વૈજ્ઞાનિક પદ્ધતિ નથી. તેમના જણાવ્યા અનુસાર, વાહનનું સાચું માઇલેજ જાણવા માટે નિયંત્રિત પરિસ્થિતિમાં ખાસ ટેસ્ટિંગ સાધનોની જરૂર પડે છે, જે માત્ર અધિકૃત સર્વિસ સેન્ટર અથવા ડીલર પાસે ઉપલબ્ધ હોય છે.ઈ૨૦ પેટ્રોલ એટલે કે ૨૦ ટકા ઇથેનોલ અને ૮૦ ટકા પેટ્રોલનું મિશ્રણ. કેન્દ્ર સરકારનો હેતુ ક્રૂડ ઓઈલની આયાત પર ર્નિભરતા ઘટાડવાનો, પ્રદૂષણ ઓછું કરવાનો અને શેરડી આધારિત ઇથેનોલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે.
ઇથેનોલ સંબંધિત નીતિ અંગે ભ્રમ ફેલાવવાના આરોપમાં ચાર સામે કેસ
નાગપુરમાં સાયબર પોલીસે ચાર સોશિયલ મીડિયા પ્રભાવકો સામે કેસ દાખલ કર્યો છે. નાગપુર સાયબર પોલીસે બિહાર સહિત દેશના ચાર સોશિયલ મીડિયા પ્રભાવકો સામે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઇથેનોલ સંબંધિત નિવેદન અને નીતિ અંગે સોશિયલ મીડિયા પર ભ્રમ ફેલાવવાના આરોપસર કેસ દાખલ કર્યો છે. નાગપુર ભાજપ સોશિયલ મીડિયા સેલની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરાઇ હતી.
કેજરીવાલે કેન્દ્ર સરકારને અપીલ કરી
આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ઈ૨૦ પેટ્રોલના ભાવ ઘટાડવાની અપીલ કરવામાં આવી હતી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઈ૨૦ ઇંધણના ભાવ ઘટાડવા વિનંતી કરી દલીલ કરી હતી કે તેના ઓછા માઇલેજને કારણે તેની કિંમત પણ ઘટાડવી જાેઈએ. કેજરીવાલે વડા પ્રધાન સાથે મુલાકાતનો સમય પણ માંગ્યો છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું, “મેં વડા પ્રધાન મોદીને ઈ૨૦ પેટ્રોલના ભાવ ઘટાડવા વિનંતી કરી છે કારણ કે તેનું ઓછું માઇલેજ એટલે કે તેની કિંમત પણ ઘટાડવી જાેઈએ. હું દરેકને કહેવા માંગુ છું કે જેઓ આ બધાથી નાખુશ છે તેઓ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે કારણ કે આ સરકાર આટલી સરળતાથી અમારી વાત સાંભળશે નહીં.”
યુરોપ ખંડ હાલમાં દાયકાના સૌથી ભીષણ અને રેકોર્ડબ્રેક હીટવેવની અસહ્ય ઝપેટમાં આવી ગયો છે. જૂનના અંતિમ સપ્તાહ દરમિયાન પશ્ચિમ યુરોપના દેશોમાં ફેલાયેલી અતિશય ગરમીએ માનવ જીવન પર ભારે વિનાશ વેર્યો છે. જાહેર થયેલા અધિકૃત મૃત્યુના આંકડાઓ મુજબ૨૨થી ૨૮ જૂન દરમિયાન સાત દિવસના ટૂંકા ગાળામાં યુરોપના ૨૭ દેશોમાં ૧૦,૬૫૦થી વધુ વધારાના મૃત્યુ નોંધાયા છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા સમર્થિત મોનિટરિંગ નેટવર્ક ‘યુરોમોમો’ના ડેટામાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગરમીના કારણે મૃત્યુ પામેલા લોકોમાં ૯,૦૦૦થી વધુ વ્યક્તિઓ ૬૫ વર્ષ કે તેથી વધુ વયના વયોવૃદ્ધો છે. અતિશય ગરમીને કારણે હીટસ્ટ્રોક, હૃદયરોગ અને શ્વસનતંત્રની બીમારીઓમાં એકાએક વધારો થતાં આ મૃત્યુઆંક નોંધાયો છે.માનવસર્જિત આબોહવા પરિવર્તન મુખ્ય કારણવૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોના મતે, આ ભયાનક સ્થિતિ માટે માનવસર્જિત આબોહવા પરિવર્તન જવાબદાર છે.
મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. યમનની રાજધાની સનાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક મિસાઈલ હુમલાના દાવાઓ બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતા વધી છે. સ્થાનિક અહેવાલો અનુસાર, ઈરાનથી આવતું એક મુસાફર વિમાન સના એરપોર્ટ પર ઉતરવાની તૈયારીમાં હતું ત્યારે એરપોર્ટના રનવેને નિશાન બનાવી હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જાેકે, આ ઘટનાની સ્વતંત્ર અને સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હુમલા બાદ એરપોર્ટ પર ધડાકા સંભળાયા હતા અને રનવે વિસ્તારમાં ધુમાડો જાેવા મળ્યો હતો. સુરક્ષા કારણોસર એરપોર્ટ પર વિમાનોની અવરજવર થોડા સમય માટે અસરગ્રસ્ત થઈ હતી. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે સંબંધિત વિમાનને વૈકલ્પિક એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું, જાેકે અધિકૃત સ્તરે તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી. ઘટના બાદ હૂતી સંગઠને સાઉદી અરેબિયા પર એરપોર્ટને નિશાન બનાવી હવાઈ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. હૂતી પ્રવક્તાઓએ આ ઘટનાને ગંભીર ગણાવી ભવિષ્યમાં જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. બીજી તરફ, સાઉદી સમર્થિત યમન સરકાર સાથે સંકળાયેલા અધિકારીઓએ અલગ દાવો કરતા જણાવ્યું છે કે કાર્યવાહી સુરક્ષા કારણોસર કરવામાં આવી હતી અને વિમાન અંગે પણ અલગ માહિતી રજૂ કરી છે.
સંયુક્ત આરબ અમીરાત ના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે હોર્મુઝમાં યુએઈનો ધ્વજ ધરાવતા બે ટેન્કરો પર ઈરાની ક્રૂઝ મિસાઈલો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ક્રૂના એક ભારતીય સભ્યનું મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય આઠ સભ્યો ઘાયલ પણ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું કે ઓમાનના જળક્ષેત્રમાં હોર્મુઝની સામુદ્રધુની ના દક્ષિણી લેનમાં ‘મોમ્બાસા’ અને ‘બાહિયા’ નામના ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં છ ભારતીય નાગરિકો અને બે યુક્રેનિયન નાગરિકો સામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલાના પરિણામે ટેન્કર ‘મોમ્બાસા’ના ક્રૂના એક ભારતીય સભ્યએ જીવ ગુમાવ્યો છે અને અન્ય ૮ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ૪ લોકોને ગંભીર ઇજાઓ થઇ છે, જેમાં ઘાયલોમાં ૬ ભારતીય નાગરિકો અને ૨ યુક્રેનિયન નાગરિકો છે. સંરક્ષણ મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે મિસાઇલ હુમલાના કારણે બંને જહાજાેમાં આગ લાગી ગઈ હતી, પરંતુ બાદમાં તેના પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવાયો હતો. યુએઈએ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. આને ગંભીર ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવીને ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા માટે ખતરો ગણાવ્યો છે. દરમિયાન મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજાે પર થઈ રહેલા હુમલા વચ્ચે ઈરાનના બુશેહર અને બંદર અબ્બાસ શહેર નજીક જાેરદાર વિસ્ફોટ થયા છે. ઈરાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ઈરાનમાં આવેલા બુશેહરમાં (જ્યાં પરમાણુ મથકો આવેલા છે) ૪ સ્થળો પર અમેરિકી મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા ઈરાનના સરકારી ટેલિવિઝને અહેવાલ આપ્યો હતો કે, દક્ષિણના શહેર બંદર અબ્બાસ નજીક ઓછામાં ઓછા ૫ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.
ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યાં
ઓમાનના દરિયાકાંઠે વેપારી જહાજાે પર થયેલા તાજેતરના હુમલાઓ, જેના પરિણામે એક ભારતીય નાવિકનું મૃત્યુ થયું હતું, તે સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓ (ડેપ્યુટી ચીફ ઓફ મિશન મોહમ્મદ જાવદ હોસેની)ને સમન્સ મોકલ્યા છે. ઓમાનના પાણીમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા બે યુએઈ-ધ્વજવાળા ટેન્કરો પર થયેલા હુમલા બાદ આ રાજદ્વારી પગલું લેવામાં આવ્યું છે. આ હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું હતું અને ભારતીય નાગરિકો સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. ભારતે ઈરાની દૂતાવાસ પાસેથી સમજૂતી માગી હતી અને હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો : ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થા પર ખતરો
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષની અસર હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સ્પષ્ટ રીતે જાેવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ અને વેપારી જહાજાેની સુરક્ષા અંગે ઉભી થયેલી ચિંતાઓના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર તેજી જાેવા મળી છે. મંગળવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૮૪ ડોલરથી ઉપર પહોંચી ગયો હતો, જ્યારે અમેરિકન ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ ૮૦ ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ઊર્જા બજારના નિષ્ણાતોનું માનવું છે કે જાે મધ્ય પૂર્વમાં હાલનો સંઘર્ષ લાંબો ચાલશે તો ક્રૂડ ઓઈલ ફરી એકવાર ૧૦૦થી ૧૨૦ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી શકે છે.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોમાંનો એક છે. ઈરાન, ઓમાન અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે આવેલો આ દરિયાઈ માર્ગ વૈશ્વિક ઊર્જા વેપાર માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. દુનિયાના કુલ ક્રૂડ ઓઈલ અને એલએનજી પુરવઠાનો લગભગ ૨૦ ટકા હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. આવી સ્થિતિમાં અહીં કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી અથવા જહાજાેની અવરજવરમાં વિક્ષેપ સર્જાય તો તેની સીધી અસર વૈશ્વિક તેલ બજાર અને ઊર્જા પુરવઠા પર પડે છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે વર્ષ ૨૦૨૫માં થયેલા આતંકવાદી હુમલા કેસમાં તપાસને મહત્વપૂર્ણ વળાંક મળ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની અરજીના આધારે જમ્મુની વિશેષ કોર્ટે લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ સામે બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કર્યો છે. આ પગલું કેસની તપાસ અને આગળની કાનૂની કાર્યવાહી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.માહિતી મુજબ, દ્વારા કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટે આ ર્નિણય લીધો હતો. તપાસ એજન્સીનું કહેવું છે કે આરોપીની ધરપકડ અને પૂછપરછ કેસની સંપૂર્ણ અને અસરકારક તપાસ માટે જરૂરી છે. હાફિઝ સઈદ પાકિસ્તાનમાં હોવાની માન્યતા છે અને ભારતીય તપાસ એજન્સીઓ લાંબા સમયથી તેની સામે વિવિધ આતંકવાદી કેસોમાં કાર્યવાહી કરી રહી છે.
કોર્ટના આદેશ બાદ હવે સત્તાવાર પ્રક્રિયા મુજબ વોરંટ સંબંધિત માધ્યમો દ્વારા આગળ મોકલવામાં આવશે. સાથે જ, તપાસ એજન્સી આરોપીને કાયદાકીય રીતે ફરાર જાહેર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી શકે છે. જાે આરોપી ભારતીય કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો લાગુ કાયદાકીય જાેગવાઈઓ મુજબ તેની ગેરહાજરીમાં ટ્રાયલ ચલાવવાના વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
Loading ...
