જયાં વૃક્ષોની જાળવણીનું સૌથી વધુ ધ્યાન રખાય છે એવા સયાજીબાગમાં જ અને તે પણ મ્યુ.કમિ.ના બંગલાથી માંડ સો ફૂટ દૂર એક જીવતા જાગતા પામના વૃક્ષ પર ખીલા ઠોકી બોકસ લગાડી વાયરીંગ કરાયું.વૃક્ષ સાથે આટલું અસંવેદનશીલ કૃત્ય કરાયુ એ પણ છઠ્ઠી જુને પર્યાવરણ દિવસ જયારે બારણા પર ટકોરા મારી રહ્યો છે ત્યારે! એક જાગૃત નાગરિક ભરતસિંહ ચૌહાણે આ અંગે સોશ્યિલ મીડીયા પર ખેદ વ્યકત કરી
જાગૃતિ આણવાનો પ્રયાસ કર્યો છે.
વાડી મહાદેવ તળાવ ખાતે પ્રાસ્તાવિત શ્રી હનુમાનજીની ૩૧ ફૂટની વિરાટ પ્રતિમા આજે તૈયાર થઈને આવી પહોંચતાં શ્રદ્ધાળુઓમાં ભક્તિસાગર લહેરાયો હતો. ૧૫૦ ફૂટની ઊંચાઈ પર સ્થાપિત થનારી આ સ્ટેઈનલેસ સ્ટીલમાંથી બનેલી પ્રતિમા અત્રે સરદાર એસ્ટેટ ખાતે જ બનાવવામાં આવી છે. ૨૨ કરોડ રૂપિયાનો આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા હાથ ધરાયો છે. (તસવીર ઃ કેયૂર ભાટીયા)
વડોદરા, તા.૧કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આવતીકાલે બપોરે ૧ કલાકે વડોદરા નજીક નેશનલ હાઇ-વે પર આવેલા દુમાડ અને દેણા ચોકડી પર રૂ. ૫૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારબાદ દુમાડ જંક્શન ખાતે જાહેરસભાને સંબોધન કરશે. આ બ્રિજ બનવાથી અકસ્માત ઝોન ગણાતા દેણા ચોકડી અને દુમાડ ચોકડી ઉપર અકસ્માતોના બનાવોમાં ઘટાડો થવાની તેમજ ટ્રાફિકની સમસ્યા પણ હળવી થવાની શક્યતાઓછે.
દેણા ફ્લાય ઓવરબ્રિજ ૧ કિલોમીટરની લંબાઇનો ૬ લેનનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. અને દુમાડ ફ્લાય ઓવરબ્રિજ ૩ કિલોમીટરનો બનાવવામાં આવ્યો છે. દેણા ખાતે તે સાથે બ્રિજની બંને બાજુ ૩-૩ મીટરના સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે. આમ બંને બાજુ સર્વિસ રોડ સાથે ૧૨ લેનનો ફ્લાય ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બ્રીજની બન્ને બાજુ સર્વિસ રોડ સાથે બનાવયેલા આ ૧૨ લેનના ફ્લાયઓવર બ્રિજથી વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે જ, સાથે અકસ્માતોના બનાવોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાશે.
ઉલ્લેખનિય છે કે, દુમાડ ચોકડી પાસે દુમાડ, સાવલી, વડોદરા શહેર, નેશનલ હાઈવે નંબર-૮ અને એક્સપ્રેસ વે – આ તમામનું ટ્રાફિક ભેગું થતું હતું. જેના કારણે અહીં વાહનોની લાંબી કતારો લાગવાથી ઇંધણના બગાડ સાથે એક વાહનચાલકનો સરેરાશ ૩૫ મિનિટ જેટલો સમય પણ બગડતો હતો.
ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ બાદ વડોદરાથી દેણા ગામ થઇ સાવલી તરફ જનારા લોકો તેમજ સાવલીથી દેણા ગામ થઇ વડોદરા આવનારા લોકો હાઇવે ક્રોસ કરી શકશે. હવેથી માત્ર સાવલી કે વડોદરા શહેર આવતા-જતા વાહનચાલકો જ સર્વિસ રોડનો ઉપયોગ કરશે. જેના કારણે દેણા-દુમાડ ચોકડી પાસે ટ્રાફિકનું ભારણ અને અકસ્માતોનું પ્રમાણ બંને ઘટશે.
ઉલ્લેખનિય છે કે, સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા આ બન્ને સ્થળે ફ્લાય ઓવર બ્રીજ બનાવવા માટે રજૂઆત કરી હતી અને સપ્ટેમ્બર-૨૦૨૧ માં કેન્દ્રીય મંત્રી ગડકરીના હસ્તે વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંક્શનના સુધાર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રૂા બન્ને બ્રીજન ઉદ્ઘાટન સમારંભમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યઓ તથા એન.એચ. એ. આઈ અને માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
વડોદરા, તા. ૧વડસર વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા ૩૩ વર્ષીય ખુશ્બુબેને સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત ૨૨મી મેના રોજ મારા પતિના મોબાઈલમાં અજાણ્યા ઈન્ટરનેશનલ નંબરથી સેલિનાના નામે એક એવો વોટ્સએપ મેસેજ આવ્યો હતો કે તે તેમને એક એવી જાેબ ઓફર કરે છે જેમાં યુટ્યુબ સેલિબ્રીટીને ફોલો કરવા માટે બે હજારથી માંડી ૧૦ હજાર રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ તેમણે એક વિડીઓક્લિપ મોકલાઈ હતી જે લાઈક કરતા તેમાં બે ટાસ્ક સુધી સુધી વાત કરતા તેમને ટેલિગ્રામ આઈડીનું એડ્રેસ અને જાેઈન થવા માટે વર્ક કોડ આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેમને ટેલિગ્રામ આઈડી પર ટાસ્ક પુર્ણ કર્યા બાદ પૈસા લેવા માટે પતિનું નામ સરનામુ ઉરમ કામ અને બેંક એકાઉન્ટ નંબર સહિતની વિગતો મેળવાઈ હતી. તમામ માહિતી આપ્યા બાદ મારા પતિને કંપનીમાં ઓનલાઈન કામ કરતા માટે રાત્રે ૯.૩૦થી સવારના ૯.૩૦નો સમય આપ્યો હતો જેની માટે મારા પતિ સહમત થતાં તેમને અલગ અલગ ટાસ્ક માટેની યુટ્યુબની લીંક મોકલી હતી અને જેને લાઈક કરવવાના ટાસ્ક પુરા કરાવી એક ટાસ્કના ૫૦ રૂપિયા લેખે તેમના ખાતામાં ૭૫૦ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને અન્ય ટેલિગ્રામ લીન્ક અને ટાસ્ક મોકલાયા હતા જે પુરા થતા તેના વળતર પેટે ૩૦ ટકા કમિશન ભરવાની જાણ કરાઈ હતી.
જાેકે ત્યારબાદ તેમને પેમેન્ટમાં પ્રોબ્લેમ આવે છે તેમ કહી રાગીણી માથુર સાથે ૨૩મી તારીખે વાત કરવા માટે જણાવાયું હતું જેમાં રાગીણીએ એક લીન્ક મોકલ્યા બાદ પતિના ખાતામાં ૩૯૦૦ રૂપિયા જમા કરાવ્યા હતા અને જીઆઈજી કંપનીનો બનાવટી ગેરેન્ટી એગ્રીમેન્ટ મોકલી માતા પતિને અલગ અલગ ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરી એક વેબસાઈટ આપેલી જેમાં વિડીઓ લાઈક કરવાના ટાસ્ક એક બાદ એક મારા પતિએ પુર્ણ કરતા તેમને વળતરના નાણાં વેબસાઈટના વોલેટમાં જમા થયેલા બતાવ્યું હતું. વોલેટમાં મારા પતિને નફા સાથે ૧.૧૩ કરોડથી વધુ ઉપાડવા માટે કમિશન પેટે ૨૫.૦૫ લાખ જમા કરાવવા માટે અલગ અલગ બેંકના એકાઉન્ટ નંબર આપ્યા હતા જેમાં મારા પતિએ તેમના તેમજ તેમના ભાઈના ખાતામાંથી ૨૫ લાખથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.
જાેકે ત્યારબાદ પણ ગઠિયાઓએ વધુ નાણાંની માગણી કરી હતી અને જાે નાણાં નહી મળે તો ઈન્વેસ્ટ કરેલા રૂપિયા અને કમિશન નહી મળે તેવી ગઠિયાઓએ ચિમકી આપતા મારા પતિએ ભારે ડિપ્રેશનમાં આવી ગયા હતા અને તેમણે ગત ૨૬મી તારીખના સાંજે આપઘાતનો પ્રયાસ કરતા તેમને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડાયા હતા. આ ફરિયાદના પગલે પોલીસે ખુશ્બુબેનના પતિને અલગ અલગ લીન્ક મોકલનાર ટેલિગ્રામ એકાઉન્ટ અને બેંક એકાઉન્ટધારકો સહિત ૧૫ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વડોદરા, તા. ૧જામ્બુવા વિસ્તારમાં રહેતા ડ્રાઈવર યુવકે તરસાલી વિસ્તારના માથાભારે વ્યાજખોર પાસેથી ઉધાર લીધેલા ૫ લાખની સામે વ્યાજ સહિત ૬.૮૫ લાખ ચુકવ્યા હતા તેમ છતા વ્યાજખોર તેની પાસે વધુ ૧૨ લાખની માગણી કરી હતી તેમજ સિક્યુરીટી પેટે પડાવેલા ત્રણ ચેકોમાં ૧૪ લાખની રકમ ભરી તે ચેક બેંકમાં બાઉન્સ કરાવ્યા બાદ યુવકને નાણાં નહી આપે તો ટાંટિયા તોડી નાખવાની ધમકી આપતા કંટાળેલા યુવકે વ્યાજખોર વિરુધ્ધ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જામ્બુવા વિસ્તારના વિરામ-૩ ફ્લેટરમાં રહેતા ૩૫ વર્ષીય હરગોવિંદ હસમુખ સોલંકી મકરપુરા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ગત ૨૦૧૪માં તેને લગ્ન કરવા માટે પૈસાની જરૂર હોઈ તેમણે તેનું મકરપુરા ડેપો પાછળ આવેલા શ્રી નિવાસ ટેનામેન્ટવાળું મકાન અતલુ પટેલ પાસે ગીરવે મુકી પાંચ લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ ગત ૨૦૧૫માં ગીરવે મુકેલું મકાન છોડાવવાની જરૂરિયાત ઉભી થતાં તેણે મકાન ૧૩ લાખમાં વેંચવાનું નક્કી કર્યું હતું.
આ દરમિયાન તેનો વ્યાજખોર ભુદેવ પ્રસાદ તેંગુરિયા (વ્રજધારા સોસાયટી, નોવિનો તરસાલીરોડ) સાથે સંપર્ક થયો હતો. ભુદેવે તેમનું મકાન લેવા તૈયારી બતાવી વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો અને ટુકડે ટુકડે ૧૩ લાખ રૂપિયા આપ્યા હતા.
જાેકે અતુલ પટેલ મકાન ગીરવે મુકીને આપેલા પાંચ લાખની માગણી કરતો હોઈ હરગોવિંદે ભુદેવ પ્રસાદ પાસેથી ગત ૨૦૧૭માં પાંચ લાખ રૂપિયા દસ ટકા વ્યાજે લેવાનું નક્કી કર્યું હતું જેથી ભુદેવે અતુલ પટેલને પાંચ લાખના બે ચેક આપ્યા અને તેની સામે ભુદેવે હરગોવિંદ તેમજ તેના મામા અને મામી પાસેથી સિક્યુરીટી પેટે સહિઓ વાળા કોરા ચેક લીધા હતા. ત્યારબાદ હરગોવિંદે આ પાંચ લાખ ઉધારની સામે ભુદેવને ૬.૮૫ લાખ આપી દીધા છે તેમ છતાં તે ૧૨ લાખની કડક ઉઘરાણી કરતો હતો અને જાે તું પૈસા નહી આપે તો તારા ટાંટિયા તોડી નખાવી માર મારવાની ધમકી આપતો હતો. તેણે હરગોવિંદ તેમજ તેના મામા-મામી પાસેથી લીધેલા ત્રણ ચેકમાં ૧૪ની રકમ ભરી તે બેંકમાં નાખી બાઉન્સ કરાવ્યા હતા અને ત્રણેય વિરુધ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો. આ બનાવની હરગોવિંદની ફરિયાદના પગલે પોલીસે વ્યાજખોર ભુદેવ વિરુધ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા, તા.૧વડોદરા તાલુકાના દેણા ગામે વિશ્વામિત્રીના નદીકિનારે પાણીની બોટલ ભરવા માટે ગયેલ શખ્સ પર નદીકિનારે જ શિકારની શોધમાં બેઠેલ મગરને તરાપ મારીને હુમલો કર્યો હતો. મગરના હુમલામાં ઈજાગ્રસ્ત શખ્સને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
વડોદરા તાલુકાના દેણા ગામ નવીનગરીમાં રહેતો મહેશ પૂંજાભાઈ રાઠોડિયા (ઉં.વ.ર૪) ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતો હતો, તેની સાથે બકરાં ચરાવવાનું પણ કામ કરતો હતો. આજે સવારે તે ગામની સીમમાં બકરાં લઈને પાણીની બોટલ સાથે ચરાવવા માટે ગયો હતો. પાણીની બોટલ ખાલી થઈ જતાં તે ૧૨ વાગ્યાની આસપાસ નજીક આવેલ વિશ્વામિત્રી નદીના કોતરમાં પાણીની બોટલ ભરવા નદીકિનારે ગયો હતો, જ્યાં શિકારની શોધમાં નદીકિનારે જ બેઠેલા મગરે તરાપ મારી હુમલો કર્યો હતો. જાે કે, મગરના મોંમાં મહેશનો કમરનો ભાગ પકડમાં ન આવતાં તેને કમરના ઉપરના ભાગે ફેફસાં પાસે મગરના દાંતથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મગરના હુમલાને પગલે મહેશ રાઠોડિયાએ બૂમાબૂમ કરતાં નદીકિનારે અન્ય બે લોકો દોડી આવ્યા હતા અને લાકડાના ફટકા મારતાં મગર નદીના પાણીમાં સરકી ગયો હતો. જ્યારે મગરના હુમલામાં ઈજાગ્રસ્ત મહેશ રાઠોડિયાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
વડોદરા, તા. ૧મકરપુરા જી.આઇ.ડી.સીમાં નોકરી કરતો યુવક પોર ડિલીવરી કરવામાં માટે ગયો હતો તે સમયે પરત ફરતી વેળાએ મકરપુરા જી.આઇ.ડી.સી નર્મદા ટોયેટા નજીક ટેમ્પોએ ટક્કર મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામાં આવતા ફરજ પર હાજર તબીબે તેણે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે માંજલપુર પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતાં.
અનગઢ ભગવાનપુરા ફળિયામાં રહેતા પિયુષકુમાર રણવીરસિંહ ગોહિલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતુ કે, અમારા પડોશમાં રહેતા મારા કાકાનો પુત્ર રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોહિલ મકરપુરા જી.આઇ.ડી.સીમાં આવેલ વિનાયક એન્જીટેકની દુકાનમાં નોકરી કરે છે. તે રાબેતા મુજબ સવારે નોકરી પર જતો હોય છે અને સાંજના સમયે તે પરત આવતો હોય છે. પરંતુ સાંજના સાંત વાગ્યા ત્યાં સુધી તે પરત ન આવતા મારા કાકાએ તેને ફોન કરતા તેણે જણાવ્યું હતું કે હું પોર ડિલીવરી કરવા ગયેલ છું અને ત્યાંથી પરત દુકાને જઇ પછી ઘરે આવીશે તેમ જણાવેલ હતું. ત્યારબાદ રાત્રીના નવ વાગે જી.આઇ.ડી.સી માંથી કોઇકે મારા કાકાના મોબાઇલ પર ફોન કરીને જણાવેલ કે તમારા છોકરાનું અકસ્માત થયેલ છે અને તેને દવાખાને લઇ ગયા છે. આ બનાવની જાણ મારા કાકાએ મને કરતા હું તથા મારા કાકા સાથે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે આવેલ હતા ત્યાં રાજેન્દ્રસિંહને એસ.એસ.જી હોસ્પિટલમાં ૧૦૮ એમ્બુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવતા તેનું મોત નીપજયુ હતું. અમને જાણવા મળ્યુ હતું કે, પોરથી તેની દુકાને પરત જતા સમયે જી.આઇ.ડી.સી પાસે આવેલ ભુમી ચોકડીથી ટેમ્પો ચોકડી તરફ જતા નર્મદા ટોયોટા સર્વિસ શો રૂમની બાજુમાં, ઇપોચ ઓટો મેશન પ્રા.સંપની સામેથી પસાર થતા ટેમ્પો ચોકડીથી ભુમી ચોકડી તરફ જતા એક આઇસર ટેમ્પો ચાલક જેના ટેમ્પોના નંબરની ખબર નથી તેના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારતા અકસ્માત થાતે તેને માથામા ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે રાજેન્દ્રસિંહનું મોત નીપજ્યુ હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે પિયુષકુમારે માંજલપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માંજલપુર પોલીસે અકસ્માત કરી ફરાર થયેલા ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા, તા. ૩૧ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ઓનલાઈન માધ્યમથી આજે પરીણામ જાહેર થયુ હતું ત્યારે શિક્ષણ નગરી વડોદરાનું સૌથી ઓછા પરીણામ ધરાવતા જીલ્લામાં સ્થાન આવ્યું છે. આ વર્ષે ગત વર્ષ કરતા ૯.૩૦ ટકાના ઘટાડા સાથે ૬૭.૧૯ ટકા પરીણામ આવ્યુ છે. જેમાં આ વર્ષે એ વન ગ્રેડ મેળવનાર માત્ર પંચાવન વિદ્યાર્થીઓ જ જાેવા મળ્યા હતા.
ધોરણ બાર સામાન્ય પ્રવાહનું આજે જાહેર થયું છે ત્યારે સમગ્ર જીલ્લાનું પરીણામ ૬૭.૧૯ ટકા નોંધાવાની સાથે ગત વર્ષ કરતા ૯.૩૦ ટકાનો ધટાડો જાેવા મળ્યો હતો. શિક્ષણની નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ૧૭,૮૩૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૧૧,૯૫૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે અન્ય ૫૮૭૨ વિદ્યાર્થીઓ નાપાસ થતા કભી ખુશી કભી ગમ જેવો માહોલ વિદ્યાર્થીઓમાં જાેવા મળ્યો હતો. આ વર્ષે એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ માત્ર ૫૫ જ છે જ્યારે એ ટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાં ૬૬૮ જાેવા મળી હતી. આમ , કોરોના કાળની વિદ્યાર્થીઓ પર અસર અને નબળાં શિક્ષણ સ્તરના કારણે વિદ્યાર્થીઓના પરીણામ પર અસર જાેવા મળી હતી. શહેરની વિવિધ શાળાઓ વિવિધ અદ્યતન સંસાધનોથી સજ્જ હોવા છતાં અનેેક સુવિધાઓ વિદ્યાર્થીઓને પુરી પાડવાં છતાં પણ પરીણામમાં ખાસ વધારો જાેવા મળ્યો ન હતો જેની અસર જીલ્લાના પરીણામ પર પણ જાેવા મળી હતી.
પરીક્ષાર્થીઓનું કેન્દ્ર અનુસાર પરિણામ
સયાજીગંજ ૬૬.૯૧%
રાવપુરા ૭૦.૧૨%
માંડવી ૬૮.૦૮
સમા ૭૫.૭૯%
ઈન્દ્રપુરી ૭૫.૦૫%
માંજલપુર ૬૮.૧૩%
ફતેગંજ ૬૫.૮૯%
અટલાદરા ૭૦.૧૨%
પ્રતાપનગર ૬૯.૩૪%
છાણી ૬૫.૧૫%
ફળની લારી ચલાવીને ગુજરાન ચલાવતા પિતાની પુત્રીએ એ-વન ગ્રેડ મેળવ્યો
લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતી રોઝી ફાતિમાના પિતા ફળની લારી ચલાવીને પરિવારમાં રહેતા આઠ સભ્યોનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમની દિકરીએ ધો.૧૨ (કોમર્સ)માં એ વન ગ્રેડ પ્રાપ્ત કરી હતી. તેને ૯૯.૯૬ પર્સન્ટાઈલ સાથે ૯૨.૫૩ ટકા પ્રાપ્ત કર્યા છે. તેઓ ભવિષ્યમાં સી.એ. બનાવાની ઈચ્છા ધરાવે છે.
છૂટક મજૂરી કરતી વિદ્યાર્થિનીએ ૯૨.૭૭ પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા
કલાલી વિસ્તારમાં રહેતી કશીશ વાધેલાના પિતા છૂટક મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. તેની સાથે વાતચિત્ત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, તેઓ રાત્રે જાગીને માત્ર શાળામાં ભણીને વગર ટ્યુશને ૯૨.૭૭ પર્સન્ટાઈલ મેેળવ્યા હતા.
મહેતા વ્રજે સમગ્ર શહેરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો
સેલ્સ મેન તરીકે ફરજ બજાવતા રોહિતકુમાર મહેતાનો પૂત્ર વ્રજ માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. આજે જાહેર થયેલ પરીણામમાં તેને સમગ્ર શહેરમાં પ્રથમ નંબર મેળવીને શાળા, પરીવાર તેમજ પોતાનું નામ રોેશન કર્યું હતુ. તેને ગુજરાતીમાં ૯૧ , અગ્રેજીમાં ૯૪ , ઈકોનોમિકસમાં ૯૫, ઓર્ગેનાઈઝેશન ઓફ કોમ.માં ૯૮ , આંકડશાસ્ત્રમાં ૯૮ , એકાઉન્ટમાં ૯૯ ગુણ પ્રાપ્ત કરવાની સાથે કુલ ૯૯.૯૯ પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.
વડોદરા, તા.૩૧મેલડી માતામાં અપાર શ્રદ્ધા ધરાવતા શહેરના બે યુવાન મિત્રો આણંદ જિલ્લાના મલાતજ ગામે આવેલ મેલડી માતાના મંદિરે બાઈક પર ગયા બાદ દર્શન કરી પરત ફરતી વેળા આણંદ જિલ્લાના બાંધણી ગામ પાસે રવિપુરા રેલવે બ્રિજ પાસે લકઝરી બસના ચાલકે બાઈકને અડફેટમાં લેતાં બંને યુવાનોને શારીરિક ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનનું શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત મોતના બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયા હતા.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા શહેરના દુમાડ ગામે રહેતા વિષ્ણુ અને સમા ગામ વિસ્તારમાં રહેતો ક્રિશ પ્રકાશભાઈ ચૌહાણ (ઉં.વ.ર૧) બંને યુવાન મિત્રો આજે બાઈક લઈને આણંદ જિલ્લાના મલાતજ ગામે આવેલ મેલડી માતાના દર્શને ગયા હતા. આ બંને મિત્રો મેલડી માતાના દર્શન કરીને પરત આવી રહ્યા હતા, તે વખતે આણંદના બાંધણી ગામ પાસે આવેલ રવિપુરા રેલવે બ્રિજ નજીક પૂરઝડપે જતી ખાનગી લકઝરી બસના ચાલકે બંને યુવાન મિત્રોને બાઈકને અડફેટમાં લીધી હતી. જેમાં વિષ્ણુ અને ક્રિશને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં વિષ્ણુ માથું ફાટી જવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ક્રિશને ઈજાઓ થતાં તેને સારવાર માટે શહેરની છાણી સ્થિત ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં તેનું પણ ટૂંકી સારવાર વેળા મોત નીપજ્યું હતું. અકસ્માત મોતના બનાવની જાણ પેટલાદ પોલીસને કરવામાં આવતાં પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.
વડોદરા, તા.૩૧ વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે એડવાન્સ વેરા ભરનાર માટે પ્રોત્સાહક વેરાવળ યોજના અમલમાં મૂકી છે. તા. ૧ એપ્રિલથી અત્યારે સુધી વડોદરા મ્યુનિ.કોર્પોરેશનને વેરા પેટે રૂા.૮૭.૧૭ કરોડ ની આવક થઈ છે. આમ આ યોજનાને સારો પ્રતિસાદ મળતા પ્રોત્સાહક વેરા વળતર યોજનાની મુદત એક માસ માટે એટલે તા.૬ જુલાઈ સુઘી કરવા દરખાસ્ત સ્થાયી સમિતીમાં રજૂ થઈ છે.
વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તા. ૬ મેથી પાંચ જૂન દરમિયાન એડવાન્સ પ્રોત્સાહક વેરા વળતર યોજના અમલમાં મૂકી છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રહેણાંક બીલો માટે ૧૦ ટકા અને કોમર્શિયલ મિલકતોના બિલો માટે પાંચ ટકા વળતર તેમજ ઓનલાઈન બિલ ભરનારને એક ટકા વધારાનું વળતર આ યોજના અંતર્ગત આપવામાં આવી રહ્યું છે. ત્યારે તા.૧ એપ્રિલ થી અત્યાર સુધી એટલે તા.૩૧મી મે સુઘીમાં વેરા પેટે રૂા.૮૭.૧૭ કરોડની આવક થઈ છે જેમાં મિલકત વેરા પેટે રૂા.૭૦.૬૫ કરોડ, રૂા. ૬.૭૧ કરોડ વ્હિકલ ટેક્ષ અને પાણી ચાર્જ પેટે રૂા. ૬૮.૮૪ લાખ ની આવક થઈ છે. જ્યારે પ્રોફેશનલ ટેક્સ પેટે રૂપિયા ૯.૧૧ કરોડની આવક થઈ છે, ગત વર્ષે વેરાની આવક પેટે રૂા. ૬૦૦ કરોડ જેટલી આવક થઈ હતી.પાલિકાને પ્રોત્સાહક વેરા વળતર યોજનાને સારો પ્રતિસાદ મળતા આ યોજના તા.૫ મી જુને પૂરી થઈ રહી છે.ત્યારે આ યોજના વઘુ એક માસ માટે લંબાવવા દરખાસ્ત સ્થાયી સમિતીમાં રજૂ કરાઈ છે.
તમારંુ મુખ્ય કામ પ્રજાના કામો કરવાનું છે - પાર્ટીનું નહીં. પણ શરમજનક છે કે તમારું પ્રત્યેક કૃત્ય પાર્ટીના લાભ આધારિત હોય છે. ૫છી એ કામ તમારા સાક્ષાત ઈશ્વર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ની સેન્ચુરીની ઉજવણી હોય કે તમારી પાર્ટીના એજન્ડાને આગળ ધપાવતા કોઈ ‘બાવા’નો જાહેર કાર્યક્રમ હોય. પાર્ટીના આકાઓની ચાપલુસી કરવા તમારી તમામ શક્તિ અને આવડતને આવા કામોમાં જેટલી વાપરો છો એમાંના ૧૦ ટકા પણ પ્રજાહિતના કામોમાં વાપરો એવી તમને મત આપીને વધુ એકવાર મુર્ખ સાબિત થયેલી પ્રજાની ‘મન કી બાત’ તમને સંભળાય છે ખરી ? (તસવીર ઃ કેયૂર ભાટીયા)
ડભોઇ, તા.૨૬વડોદરાના ચાંદોદ ગામની ગોદમાંથી પસાર થતી અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં ગંગા દશાહરા પર્વની ઉજવણીનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો. ગંગા દશાહરાના પર્વના પ્રથમ પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી બ્રાહ્મણવૃંદ દ્વારા વેદ મંત્રોના પઠન સાથે માતા ગંગા-નર્મદાની ભવ્ય અને દિવ્ય આરતી કરી હતી. વડોદરા જિલ્લાના ડભોઇના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના કિનારે દસ દિવસીય ગંગા દશહરા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા અને મહાઆરતી થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભાવિકોને મુખ્યમંત્રીશ્રીની સાલસતા અને મૃદુ સ્વભાવનો પરિચય થયો હતો. મહા આરતી બાદ ઘાટ ચઢતી વેળાએ મુખ્યમંત્રી ઉપસ્થિત ભાવિકોને મળ્યા હતા.બાળકો સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો.
મુખ્યમંત્રી ચાણોદ ખાતે ગંગા દશાહરા
પર્વમાં ઉપસ્થિત રહ્યા હોય તેવી પ્રથમ ઘટના
ચાણોદમાં ઉજવાતા ગંગા દશાહરા પર્વના છઠ્ઠા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઉપસ્થિત રહી મહા આરતી, પૂજન, અભિષેકનો લાભ લીધો હતો. મુખ્યમંત્રી ચાણોદ ખાતે ગંગા દશાહરા પર્વમાં ઉપસ્થિત રહ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા તેમજ ચાંણોદના નગરજનોના આમંત્રણને માન આપી ભૂપેન્દ્રભાઈ પટેલ ચાણોદ ખાતે ઉપસ્થિત રહેતા શૈલેષભાઇ મહેતાએ આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ સતિષભાઈ નિશાળીયા,જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ(પોર),જિલ્લા મહામંત્રી ડો.બી.જે.બ્રહ્મભટ્ટ,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ,શશીકાંતભાઈ પટેલ, ગંગા દશાહરા પર્વના મુખ્ય આયોજક સુરેશભાઈ જાેષી તેમજ ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
માન. નિલેશસિંહ રાઠોડ, આપ મેયર પછી છો - પણ એ પહેલાં તો આપના વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રજાપ્રતિનિધિ છો. આપના જ વોર્ડની સરહદ પર આવેલું આ રૂા.૧ કરોડથી વધુનો ખર્ચ કરી બ્યૂટિફિકેશન કરાયેલું દંતેશ્વર તળાવ છે. લગભગ બે દિવસ અગાઉ આ તળાવ સાફ તો થયું, પરંતુ તેમાંની બધી જ ગંદકી-કચરો તળાવના પગથિયાઓ પર અને કાંઠા પર ઢગલા વાળી રખાયા છે. સ્વાભાવિક રીતે જ એ કચરો ફરી તળાવમાં જઈ રહ્યો છે. તળાવ ફરીથી એ જ કચરાથી ભરાઈ જાય એટલે ફરીથી એને સાફ કરાવવાનો, ફરી એકવાર ખર્ચ કરવાનો! બિચારા નાગરિકો વેરા ભરી-ભરીને મરી જાય... આપણે શું...? આપ પણ એવું જ વિચારશો? કે આ કચરો તત્કાળ ઉઠાવી લેવાના આદેશ આપશો? મેયર સાહેબ, બે જગ્યાએ દીપપ્રાગટ્યમાં નહીં જાવ તો ચાલશે, ચાર જગ્યાએ રિબીન કાપવા નહીં પહોંચો તો ચાલશે અને આપના રાજકીય પક્ષના અચાનક આવી ચઢેલા કોઈ મોવડીની ચાપલુસી કરવા બધા કામ પડતા મુકી એરપોર્ટ પર નહીં દોડી જાવ તો ચાલશે... પણ આમપ્રજાના પૈસે થયેલી કામગીરીમાં બેદરકારી દાખવનારાઓ સામે લાલ આંખ નહીં બતાવો તો નહીં ચાલે.. કારણ, અઢી દાયકાના આપના શાસનથી ત્રાસીને નિરાશ થઈ ગયેલી પ્રજા જાે વિરોધ-ધરણાંની તલવાર ઉગામશે તો આપણું ક્ષત્રિયપણું લાજશે નહીં?(તસવીર કેયુર ભાટીયા)
વડોદરા, તા. ૨૪હરણી વિસ્તારમાં આવેલ એક સોસયટીમાં યુવાન દંપતિએ પોતાના ઘરમાં દારૂ અને નોનવેજની પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં દંપતિની ત્રણ બહેનપણીઓને પણ પાર્ટીમા બોલાવામાં આવી હતી. આ પાર્ટીમાં દંપતિ વચ્ચે ઝઘડો થતા સમગ્ર મામલો હરણી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જેથી હરણી પોલીસે નશામાં ઘૂત ત્રણ મહિલાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે સમયે કંટ્રોલરૂમમાં વર્દી મળી હતી કે, શહેરના હરણી વિસ્તારમાં આવેલ હરણી પાર્ટી પ્લોટની પાછળ આવેલ અભિષેક વિલાના ગેટ પાસે ત્રણ યુવતિઓનો નશામાં ધુત દારૂપીને જાેરશોરથી બુમાબુમ કરીને ઝઘડો કરી રહી છે. જેના આધારે હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે જઇ તપાસ કરતા ત્રણ યુવતીઓ મળી આવી હતી. જેમાં યુવતિઓએ જણાવ્યું હતું કે, વિલામાં રહેતા માં યુવાન દંપતિ કે જેઓ હાલ અભ્યાસ પણ કરે છે. મંગળવારે તેઓએ પોતાના ઘરમાં દારૂ અને નોનવેજ પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં નોનવેજ ખાવા દંપતિ દ્વારા વાઘોડીયા અને આજવા રોડ ઉપર રેહતી તેમની બહેનપણીને પણ બોલાવવામાં આવી હતી. દારૂ અને નોનવેજ પાર્ટી બાદ ત્રણે મહિલાઓ વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થવા પામ્યો હતો. ત્રણે મહિલાઓ વચ્ચે થયેલા ઝઘડાનો અવાજથી વિલામાં પ્રસરતા વિલાના રહીશો દ્વારા તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વિલાના લોકોની વાત સમજવાને બદલે તેઓ સાથે પણ ઝઘડો કરીને તેમણે પણ અપશબ્દો બોલ્યા હતાં. જેથી સમગ્ર મામલાની જાણ વિલાના રહીશ દ્વારા પોલીસ કંટ્રોલમાં કરવામાં આવી હતી. હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. વિલાના લોકો સાથે ઝઘડો કરી રહેલી અને નશામાં ધૂત ત્રણ યુવતી મળી આવતા ત્રણેય મહિલાઓને હરણી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યા હતાં. જાેકે મોડી સાંજે બનેલા આ બનાવના પગલે હરણી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હરણી પોલીસે ત્રણેય મહિલાઓ સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા, તા. ૨૪છાણી ખાતે આવેલ રૂત્વી વેલનેશ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નોકરી વાચ્છુકોને ફોન કરીને બોલાવીને તેમની પાસે ૧૨ હજાર રૂપિયા ઉઘરાવીને લોભામણી સ્કીમો આપીને ગોંધી રખાય હોવાની જાણ ભાજપના પુર્વ કાઉન્સિલરને થતા તેમની સતર્કતાથી નોકરી વાચ્છુક ૧૦૦થી વધુ યુવક યુવતિઓને છુટકારો કરાવી પોતાના વતન જવા માટે રવાના કરાયા હતાં.
ભાજપના પુર્વ કાઉન્સિલર પ્રદિપ જાેષી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છાણી જકાત નાકા પાસે આવેલ એક કોમ્પલેક્ષમાં ૨૦૪ નંબરના રૂમમાં ગાંધીનગરના રજીસ્ટ્રેશન વાળી રૂત્વી વેલનેશ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે અલગ અલગ શહેરમાં ફ્રેન્ચાઇઝીસ આપીને નોકરી વાચ્છુક યુવક યુવતીઓને છેતરી રહી છે. તે કંપની કોઇ બીઝનેશ કરતી નથી પરંતુ ગરીબ આદિવાસી અભણ યુવક યુવતીઓને નોકરી આપવાની લાલચ આપીને તમને કોમ્પ્યુટરની ટ્રેનીંગ આપીશુ, કોમ્પ્યુટરની શિક્ષણ આપીશુ, ૧૫ થી ૨૦ હજાર રૂપિયાની નોકરી અપાવીશું , લીંક બનાવવાની ચેન બનાવવવાની અને તમે બીજા દશ છોકરા લાવશો તો તમારી ગ્રેડ ઉપર જશે મહિને લાખથી પાંચ લાખ રૂપિયાની કમાણી થશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ નોકરી વાચ્છુક યુવક યુવતીને ઓફિસમાં બોલાવીને ડોક્યુમેન્ટ જેમા આધારકાર્ડ, સ્કુલ એલસી જેવા ડોક્યુમેન્ટ લઇ લીધા હતા. જેમાં ઓછુ અને અભણ આદીવાસી વિસ્તારના પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ ગોધરા, પાલનપુર, જેવા વિસ્તારમાંથી ૬૦ થી ૭૦ છોકરાઓને છાણી ગામની અંદર નાનકડી ઓરડીમાં રાખે છે અને જુની ક્રિષ્ણા હોસ્પિટલ પણ ભાડે રાખીને તેમા બધા છોકરાઓને ગોંધી રાખે છે. ગોંધી રાખેલ યુવક યુવતીઓ પાસેથી બળજબરી પુર્વક રહેવા જમવાના ખર્ચા પેટે કે નોકરી પેટે ૧૨ હજાર રૂપિયા જમા કરાવવો જેથી નોકરી વાચ્છુક યુવક યુવતીઓ દ્વારા તેમણે ૧૨ ૧૨ હજાર રૂપિયા આપ્યા હતાં. કંપની દ્વારા લોભામણી લાલચ આપીને યુવક યુવતીઓ પાસેથી તેમના જ સગાવ્હાલા મિત્રોને ફોન કરાવીને યાદી બનાવીને ફોન કરી તેમને બોલાવીને તેમને ખોટી માહિતી આપવાની ટીમ લીડર દ્વારા જણાવવામાં આવતુ હતું. ત્યારબાદ તે લોકો પણ લોભામણી લાલચો સાંભળીને આવે એટલે તેમની પાસેથી પણ ૧૨-૧૨ હજાર રૂપિયા પડાવતા હતા. નોકરી વાચ્છુક યુવક યુવતીઓને કોઇ કમિશન કે પગાર પણ આપતા ન હતાં. જેણી જાણ મને થતા હું તાત્કાલીક જયા યુવક યુવતિઓને રાખયા હતા ત્યા ગયો હતો ત્યા લગભગ ૬૦થી ૭૦ જેટલા છોકરા છોકરીઓ એક ઓરડીમાં હતા. જેથી મે ભોગબનનાર બધા છોકરાઓને છાણી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યો હતો. રૂત્વી વેલનેશ કંપની સામે છાણી પોલીસ સ્ટેશનમાં જણા કરી હતી અને ભોગ બનનાર યુવક યુવતીઓએ છાણી પોલીસ સ્ટેશનમાં પોતાની આપવીતી વર્ણાવી હતી ત્યારબાદ ભોગબનનાર યુવક યુવતિઓ વતન જવા માટે રવાના કરાયા હતા.
સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
પૂર્વ કાઉન્સિલર પ્રદિપ જાેષી દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે આવી રૂત્વી વેલનેશ પ્રાઇવેટ કંપની જેવી લેભાગુ કંપનીના સંચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સમાજમાં દાખલો બેસે તેવી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
પોલીસે અમારી સાથે દુર્વ્યવહાર કર્યો
ભોગનનાર યુવકે જણાવ્યું હતું કે અમે આઠ દિવસ અહિયા હતા જેમાં પાંચ દિવસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યાર બાદ અમને દરરોજ લોભામણી લાલચો આપવામાં આવી હતી. ત્યારબાદ અમે આજરોજ છાણી પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા તે સમયે બપોર સુધી પોલીસે અમારી જાેડે સારૂ વર્તન કર્યુ ત્યારબાદ પોલીસે અમારી સાથે દુર્વવ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું.
સુરત, તા. ૨૪ગુજરાત સરકારની વીજકંપનીમાં વિદ્યુત સહાયકની નિમણૂક માટે બે વર્ષ અગાઉ ઓનલાઈન લેવાયેલી પરીક્ષામાં થયેલા હાઇટેક ડમી કૌભાંડ થયાનો પર્દાફાશ કરનારી સુરત ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના એક શખ્સ વધુ બે પન્ટરોની ધરપકડ કરી છે. આ બંને પેપર લીક મામલે જેલવાસ ભોગવી ચૂક્યા છે. આ બંનેના પાંચ દિવસનાં રીમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.
સુરત ક્રાઈમ બ્રાંચના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સને ૨૦૨૦ થી ૨૦૨૧ દરમિયાન રાજ્યની વીજ કંપનીઓમાં ૨૧૫૬ વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)ની ભરતી માટે સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ૮ સ્થળોએ ઓનલાઇન, ઇન કેમેરા પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં કેન્દ્ર સંચાલકોએ હાઇટેક ગોઠવણ કરી ઉમેદવારોનાં ડમી એ પ્રશ્નપત્ર સોલ્વ કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વિદ્યુત સહાયકની નોકરી મેળવવા ડમી થકી પરીક્ષા પાસ કરવા ઇચ્છુક યુવકોને એજન્ટ શોધી લાવતાં હતાં. આ ઉમેદવારોનો કેન્દ્ર સંચાલકો સાથે સંપર્ક કરાવાતો હતો. આ માટે એજન્ટોને ઉમેદવાર દીઠ ૫૦,૦૦૦ રૂપિયા કમિશન અપાતું હતું. ત્યારબાદ કેન્દ્ર સંચાલકો ઉમેદવારો સાથે વાટાઘાટ કરતાં હતાં. જેમાં ૮ થી ૧૦ લાખમાં સોદો થતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે. આ કૌભાંડમાં ધરપકડ કરાઇ છે એ સારથી એકેડમીનાં સંચાલક મોહંમદ ઉવેશ મોહંમદ રફીક પઠાણ (રહે, વાડી ખત્રીપોળ, સ્વામિનારાયણ મંદિર પાછળ, વડોદરા) ૮૦ થી ૯૦ લાખ રૂપિયા કમાયો હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે ઇન્દ્રવદન અને ઓવેશ કાપડવાલા બાદ હવે વડોદરાનાં અટલાદરાની સ્ટેકવાઇઝ ટેકનોલોજીનાં ભાસ્કર ગુલાબચંદ ચૌધરી (રહે, સમસાસા લક્ઝરી એપાર્ટમેન્ટ, કેનાલ રોડ, છાણી જકાતનાકા પાસે, વડોદરા) અને ભરતસિંહ તખતસિંહ ઝાલા (હે, રામપુરા, નારાયણ નગર ચાર રસ્તા પાસે, વાસણા પાલડી, અમદાવાદ)ની ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચે આ બંનેને કોર્ટમાં રજુ કરી ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. રિમાન્ડ માટે રજુ કરાયેલા મુદ્દા ધ્યાને લઇ કોર્ટે ૨૯મી તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે.
વડોદરાના ભાસ્કર ચૌધરીએ ૨૪ ઉમેદવારોને મિસ્ટર ઇન્ડિયાથી પાસ કરાવ્યા
ભાસ્કર ગુલાબચંદ ચૌધરી વડોદરાના અટલાદરામાં આવેલી પ્રમુખ બજાર બિલ્ડીંગમાં સ્ટેકવાઇઝ ટેકનોલોજી નામથી કોમ્પ્યુટર એકેડમી ચલાવે છે. રાજ્યની વીજકંપનીઓ દ્વારા મુંબઇની એનએસએઆઇટી નામની આઇટી કંપનીને વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની ઓનલાઇન ભરતી પરીક્ષા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. મુંબઇની કંપનીએ ચૌધરીની સ્ટેકવાઇઝ ટેકનોલોજીને પેટા કોન્ટ્રાક્ટર આપ્યો હતો. આ વાતનો ગેરલાભ ઉઠાવી ચૌધરીએ ડમી કાંડ કર્યો હતો. તેણે નિશિકાંત સિન્હા, ચિરાયુ શાહ તથા ઇન્દ્રવદન પરમાર નામના એજન્ટ હસ્તક ૨૪ જેટલા ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરી ડમી થકી સાચા જવાબો લખાવી ગેરરીતિ આચરી હતી. જેના થકી તેણે ૪૦થી ૪૫ લાખ રૂપિયા મેળવ્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે.
શિક્ષક ભરતસિંહ ઠાકોરે ૮ ઉમેદવારો પાસેથી ૮૫ થી ૯૦ લાખ લીધા
ભરતસિંહ ઝાલા ઉર્ફે ઠાકોર મૂળ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વરધાનામુવાડા ગામનો વતની છે. તે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ઠાકોરે પણ આ પરીક્ષામાં ૧૧ ઉમેદવારોનું સેટિંગ ગોઠવ્યું હતું. તે ઇન્દ્રવદન પરમારના સંપર્કમાં રહયો અને પરીક્ષા કેન્દ્ર સંચાલક સાથે ડમીની ગોઠવણ કરી હતી. જેમાં ૮ જણા જ સફળ રહ્યા હતાં. ઠાકોરે તેની લાઇનમાં સેટ થયેલા પરીક્ષાર્થી દીઠ ૧૦થી ૧૨ લાખ રૂપિયા ઉસેટ્યા હતાં. આ રકમમાંથી ઇન્દ્રવદનને ૮ લાખ પેટે ૮ ઉમેદવારના ૬૪ લાખ રૂપિયા ચૂકવ્યા હતાં. હવે ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડીઓ પાસેથી તેમણે ઉમેદવારો પાસે વસૂલ કરેલા લાખ્ખો રૂપિયા રીકવર કરવા કવાયત શરૂ કરી છે. આ માટે તેઓએ વસાવેલી મિલકતોની તપાસ પણ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
ચૌધરી જુનિયર ક્લાર્ક અને ઠાકોર લોકરક્ષક ભરતી કૌભાંડમાં આરોપી
વીજકંપનીની પરીક્ષામાં ડમી થકી પેપર સોલ્વ કરવાના કૌભાંડમાં ધરપકડ કરાઇ છે એ ભાસ્કર ગુલાબચંદ ચૌધરી રીઢો ખેલાડી છે. વર્ષ ૨૦૧૯માં તે રાજસ્થાનના હાઇપ્રોફાઇલ બીટ્સ પીલાની કોલેજના એડમિશન કૌભાંડમાં સંડોવાયેલો હતો. ડોક્યૂમેન્ટલ ફ્રોડ કરી ગેરકાયદે એડમિશન અપવવામાં તેની સીબીઆઈ દ્વારા ધરપકડ કરાઇ હતી, ત્યારબાદ ૨૦૨૩માં તેણે ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપર લીક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રકરણે એટીએસ દ્વારા તેની ધરપકડ કરાઇ હતી. જ્યારે ભરતસિંહ વર્ષ ૨૦૧૮માં ગૃહ વિભાગની લોકરક્ષકની ભરતીના પેપર લીક કરવાના કૌભાંડમાં આ ઠાકોર સંડોવાયેલો હતો. જેમાં તેની સામે ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં ત્રણ માસ જેલમાં રહ્યા બાદ તે જામીન મુક્ત થયો હતો.
રાજપીપળા, તા.૨૪ ડેડીયાપાડા તાલુકાના બોગજ ગામે વર્ષ ૨૦૨૧ ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે બબાલ થઈ હતી.બોગજ ગામના સતિષ કુંવરજી વસાવાએ ડેડીયાપાડાના હાલના ધારાસભ્ય એવા ચૈતર વસાવા સહિત ૧૦ જણા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટ ચૈતર વસાવા સહિત તમામ આરોપીઓને ૬ મહિનાની સાદી કેદ તથા ૧ હજાર રૂપિયા દંડની સજા ફટકારી છે.પરંતુ ચૈતર વસાવા સહિત અન્ય ૧૦ લોકોએ સજા ભોગવવાની જરૂરિયાત રહેશે નહીં.તેની જગ્યાએ આ આરોપીઓએ સી.આર.પી.સી ની કલમ ૩૬૦ મુજબ સારી વર્તુણક માટે શરતોને આધીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.અને દરેક આરોપીને રૂ.૨૦,૦૦૦/- ના જાત જામીન ઉપર આપવાની અને દંડની રકમ ૧૫ દિવસમા કોર્ટમાં જમા કરાવવાની રહેશે.આ પ્રકારનો ચુકાદો ૨૩ મે ૨૦૨૩ ના રોજ નર્મદાની સેશન્સ કોર્ટના જજ આર.એન.જાેશી દ્વારા ખુલ્લી કોર્ટમા સંભળાવવામાં આવ્યો હતો.સતિષ કુંવરજી વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તારીખ ૧૯-૧૨-૨૦૨૧ ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘર આગળ ફળિયાના અન્ય ૬ માણસો સાથે બેસી તાપણું કરી રહ્યા હતા એ સમયે તેમના જ ગામના ચૈતરભાઈ દામજીભાઈ વસાવા સહિત અન્ય ૧૦ જણા ટોળા સ્વારૂપે ધસી આવી હુમલો કર્યો હતો.
આ બાબતે સતિષ કુંવરજી વસાવાએ ચૈતરભાઈ દામજીભાઈ વસાવા, શાંતિલાલ દામજીભાઈ વસાવા, સંજયભાઈ રૂપજીભાઈ વસાવા, જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા, મુકેશભાઈ છત્રસિંહ વસાવા, ઈશ્વરભાઈ મૂળજીભાઈ વસાવા અને અન્ય વિજય ચુનીલાલ વસાવા, ગણેશ રાવલજી વસાવા, રતિલાલ મંગા વસાવા, અને જયરામ ગોવિંદ વસાવા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.આ બાબતનો કેસ નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટ સમક્ષ ચાલી જતા, જજ આર.એન.જાેશીએ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય ૧૦ લોકો સામે ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૨૩ ના ગુના બદલ ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ ૨૩૫ (૨) અન્વયે તકસીરવાન ઠરેવી દરેક આરોપીને ૬ માસની સાદી કેદ અને ૧ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.અને જાે દંડ ના ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યા હતો.
વડોદરા, તા.૧૭વડોદરાની યુવતી નિશાકુમારીએ વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને પ્રબળ પરિશ્રમથી પોતાનો અઘરો સંકલ્પ પૂરો કર્યો છે. ખૂબ વિકટ આર્થિક પડકારો સામે ઝઝુમીને અને થાક્યા વગર પરિશ્રમ કરીને તે આ સિદ્ધિને પામી છે.સૈનિક પરિવારનું સંતાન એવી નિશા એવરેસ્ટના શિખરે પહોંચનારી વડોદરાની પ્રથમ યુવા સાહસિક છે અને આ સિદ્ધિ મેળવનારી ગુજરાતની આંગળીના વેઢે ગણાય એટલી યુવતીઓની યાદીમાં એણે પોતાનું નામ ઉમેર્યું છે.
નેપાળની વ્યવસાયિક પર્વતારોહણ સંસ્થા ૮ કે એક્સપેડીશન્સની ૨૦૨૩ વસંત આરોહણની પ્રથમ ટુકડીમાં એવરેસ્ટ ચઢાણ માટે નિશાની પસંદગી થઈ હતી.તે છેલ્લા ૩ વર્ષથી સઘન તાલીમ, સાયકલિંગ,રનીંગ દ્વારા આ અભિયાનની તૈયારી કરી રહી હતી.હિમાલયના બરફથી છવાયેલા વિસ્તારોમાં તેણે આકરી મહેનત કરી હતી. સંસ્થાએ પ્રસારિત કરેલા સંદેશામાં જણાવ્યુ છે કે, આ અભિયાન દળના ૮ સદસ્યોએ તા.૧૭ મી મે ની સવારે એવરેસ્ટ પર્વત શિખર પર ( ઉંચાઈ ૮૮૪૮.૮૬ મીટર) સફળ આરોહણ કર્યું છે.
આ દળમાં નિશા ઉપરાંત વધુ એક ભારતીય પર્વતારોહી સંતોષ દેગાડે નો સમાવેશ થાય છે.ચીન,અમેરિકા, મોંગોલિયા, ફ્રાન્સ વગેરેદેશોના સાહસિકો નો દળમાં સમાવેશ થાય છે. ૮ કે એકસપેડીશન્સ ના ૧૦ જેટલા કુશળ શેરપાઓના માર્ગદર્શન હેઠળ આ સાહસને સફળતા મળી છે. નિશાના માર્ગદર્શક અને પ્રોત્સાહક નિલેશ બારોટે જણાવ્યું કે આ અભિયાનમાં એવરેસ્ટની સાથે તેના જાેડીયા પર્વત જેવા માઉન્ટ લહોત્સેને સર કરવાનું આયોજન છે.
એટલે નિશા એ એવરેસ્ટની ટોચ પરથી અવરોહણ કરીને કે ૪ કેમ્પથી ઉપરોક્ત બીજા પર્વતનું આરોહણ શરૂ કર્યું છે અને તેમાં સફળતા પછી તેનું આ અભિયાન પૂરું થશે.હિમાલયનો આ એવો પર્વત છે જેનું અત્યાર સુધી બહુધા આરોહણ થયું નથી.નિશા એ પર્વતરાજ હિમાલય ની ઊંચાઈ જેટલી જ ઊંચી આ સિદ્ધિ મેળવીને વડોદરાની સાથે ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું છે.
ગટરનાં નવાં ઢાંકણાં નાંખવાને કારણે અથવા સાફસફાઈના કારણે ગટરમાંથી બહાર કઢાયેલી ગંદકી-માટીના આવા ઢગલાઓ ગટરની બાજુમાં પડેલા ઠેર-ઠેર જાેવા મળે છે. આ તસવીર રેસકોર્સ સર્કલ પાસેની છે. પાલિકાના તમામ કોર્પોરેટરો સહિતની ચૂંટાયેલી પાંખ અને સંગઠનના નેતાઓ આંતરિક જૂથબંધીથી ટાંટિયાખેંચમાં વ્યસ્ત છે તથા ‘સ્માર્ટ સિટી’ના કરોડોના વિકાસના કામોના નામે ટેન્ડરો બહાર પાડી જંગી કટકી કાઢવામાં સક્રિય છે. તેથી ભરચક જાહેર માર્ગ પર સામાન્ય પ્રજાને અડચણરૂપ બની રહેલા આવા ગંદકીના ઢગલાઓ બેદરકારીપૂર્વક છોડી દેનાર ‘ઈજારદારો’ને નોટિસ આપવાની વાત તો દૂર, એને ‘વિનંતી’ના સૂરમાં એને શહેરભરના આવા તમામ ઢગલાઓ તાત્કાલિક દૂર કરવાનું કહેતાં શબ્દો ખિસ્સું ગરમ કરી લેનારાઓના સિવાયેલા મોઢામાંથી નીકળતા નથી. આ શહેર પર ચૂંટાયેલી પાંખના તોડબાજ કોર્પોરેટરો-હોદ્દેદારો અને સંગઠનના ‘વહીવટદારો’ રાજ કરે છે એનાથી વધુ તો ઈજારદારો રાજ કરે છે. કારણ કે, પાલિકા દ્વારા હાથ ધરાતા એકેએક કામના તમામે-તમામ ઈજારદારો ઉપરોક્ત તમામના ચરણોમાં આવા જ ઢગલા ખડકીને કમાણી કરે છે. અલબત્ત, આ ઢગલા માટીના નહીં, ‘ગાંધીછાપ’ નોટોની થપ્પીઓના હોય છે. આથી જ હવે પ્રજાએ પોતે જ પોતાની આવી અડચણ દૂર કરવા પોતાના તરફથી ‘ઈજારો આપવાનો છે’ એવી ઝુંબેશ કરવી પડે એવા દિવસો આવી ગયા છે.
વડોદરા, તા.૧૭શહેરી ગરીબોનું શહેરમાં પોતાનું મકાન મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી હાઉસિંગ ફોર ઓલ યોજના અંતર્ગત વડોદરા કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા કુલ ૩૧,૨૩૪ મકાનોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, અને ૯૭૬૧ મકાનોનું કામ હાલ ચાલુ છે. શહેરને સ્લમ ફ્રી બનાવવા માટે સરકારી માલિકીની જમીન પર આગામી પાંચ વર્ષમાં બીજા ૨૪,૨૯૮ મકાનો બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. વડોદરા કોર્પોરેશને મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવેલા મકાનો પૈકી ૫૭૫ લાભાર્થીઓએ પોતાના ફાળાની બાકી આશરે ૩૯ કરોડ ની રકમ હજી સુધી જમા નહીં કરાવતા તે તા.૧૫ જૂન સુધીમાં ભરી દેવા નોટિસ આપવામાં આવી છે, અને જાે બાકી રૂપિયા નહીં ભરાય તો કોર્પોરેશન કોઈપણ જાતની જાણ કર્યા વગર ફાળવેલું મકાન રદ કરી દેશે ેતેવી સુચના પણ આપવામાં આવી છે.
જે મકાનના લાભાર્થી ફાળાની રકમ બાકી છે તેમાં ઇ ડબલ્યુ એસ સયાજીપુરા-સાંઈ રેસીડેન્સીની બાજુમાં, ગોત્રી-ચંદ્ર મોલેશ્વરની બાજુમાં, તાંદળજા-શુભમ પ્લોટની આગળ જતા, હરણી-અંબે વિદ્યાલયની બાજુમાં, એલઆઇજીના સયાજીપુરા-રુદ્રાક્ષ ફ્લેટની સામે, અટલાદરા-પ્રમુખસ્વામી હોસ્પિટલ પાસે, તાંદળજા-સન ફાર્માની પાછળ, માંજલપુર-લક્ષ્મી કૃપાની સામે, હરણી-સિગ્નસની પાછળ, ગોત્રી-પ્રત્યુશા ડુપ્લેક્સની પાસે, વાસણા રોડ-જકાતનાકા થી ગામ તરફ જતા તેમજ એમઆઈજી વાસણા રોડ-સોહમની સામે તથા સમા-ચાણક્યપુરી થી કેનાલ તરફ જતા મકાનોનો સમાવેશ થાય છે. લાભાર્થીઓએ આ મકાનો મેળવવા માટે અરજી કરતાં કોર્પોરેશન તરફથી પ્રોવિઝનલ ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાના લાભાર્થીઓ દ્વારા આજ સુધી મકાનની બાકી રહેતી રકમ જમા કરાવેલ નથી. કોર્પોરેશને બાકી રકમ છે તેવા લાભાર્થીઓના નામ સાથેની યાદી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મૂકેલી છે.
વડોદરા, તા.૧૭
વડોદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનિયર કોંગી આગેવાન સુરેશભાઇ પટેલ ને ે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાજેતરમાં આર.એસ.એસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતા. અને તેમણે કાર્યક્રમમાં પ્રવચન પણ આપ્યું હતું. જેથી તેમને ે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા રાજકીય મોરચે ખળભળાટ મચ્યો છે.
ગુજરાતમાં દિવસેને દિવસે કોંગ્રેસ તુટતી જાય છે. અને એક સાંઘતા તેર તૂટે તેવો ઘાટ ગુજરાત કોંગ્રેસમાં જાેવા મલી રહ્યો છે. મોટા ગજાના અનેક નેતાઓ ભાજપમાં જાેડાઇ ગયા છે. અને કેટલાય હજી જાેડાવવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતી વચ્ચે વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનિયર આગેવાન સુરેશ પટેલને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્શન લેટરમાં કહ્યુ છે કે, તાજેતરમાં વડોદરામાં આયોજિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગના ઉદ્ધાટન પ્રસંગે અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતા. એટલું જ નહિ તેમણે પ્રસંગે પ્રવન પણ આપ્યું હતું.આ ઘટનાની પ્રદેશ કક્ષાએ ગંભીર નોંધ લેવાતા તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
જાેકે,કોંગ્રેસના સિનિયર અગ્રણી અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે.કેટલાક કોંગ્રેસના અગ્રણીઓએ તેમને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે આડકતરી રીતે નારાજગી પણ વ્યક્ત કરી હતી.
મને આવો કોઈ પત્ર મળ્યો નથી ઃ સુરેશ પટેલ
વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે લોકસત્તા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે,અત્યાર સુઘી મને આવો કોઈ પત્ર મળ્યો નથી.સસ્પેન્ડ કરતા પહેલા ખુલાસો પૂંછવો જાેઈએ, આ પદ્ધતી યોગ્ય લાગતી નથી.તેમણે એમ પણ કહ્યુ હતુ કે, હુ ૩ પેઢી થી કોંગ્રેસમાં છુ અને રહેવાનો છુ.ભાજપમાં જાેડાવવાની કોઈ ઈચ્છા નથી.
પાર્ટીના સિદ્ધાંત વિરુદ્ધ કામ કર્યુ છે ઃ નરેન્દ્ર રાવત
પ્રદેશ કોંગ્રેના અગ્રણી નરેન્દ્ર રાવતે કહ્યુ હતુ કે, તા.૮મીએ વડોદરામાં આર.એસ.એસ,ની કાર્યશાળાનો આરંભ થયો જેના ઉદ્ધાટન પ્રસંગે સુરેશ પટેલ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે આર.એસ.એસ,ની તરફેણમાં વાતો પણ કરી,જે કોંગ્રેસની વિચારઘારા વિરૂદ્ધ છે. જે ચલાવી ના શકાય એ સંદર્ભે પ્રદેશ સમિતીનેે વિગતો મળતા તા.૯મીએજ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ પાર્ટીની શિસ્ત વિરૂદ્ધનુ નહી પરંતુ પાર્ટીના સિદ્ધાંત વિરૂદ્ધનુ કામ કર્યુ છે.જે નિર્ણય લીઘો છે તેને અમે આવકારીએ છે.
વડોદરા, તા. ૧૭ગોત્રી વિસ્તારમાં રહેતા જમીન દલાલ ચેતન વાળંદને વ્યાજે નાણાં આપ્યા બાદ તેમની પાસે પઠાણી ઉઘરાણી સાથે ધમકીઓ આપી તેમજ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં અરજી કરીને જમીન દલાલને આપઘાતની દૂષ્પ્રેરણા આપનાર ત્રણેય માથાભારે વ્યાજખોર ભરવાડોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી ગોત્રી પોલીસને સોંપ્યા હતા. ગોત્રી પોલીસે માથાભારે વ્યાજખોર ત્રિપુટીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેમના નવ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજુર કર્યા હતાં.
ગોત્રી વિસ્તારના લક્ષ્મીનગર-૧માં રહેતા ચેતનભાઇ વાળંદે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આપઘાત માટે ત્રણ માથાભારે વ્યાખોર સાજન ભરવાડ, વિઠ્ઠલ ભરવાડ અને સુરેશ ભરવાડ જવાબદાર હોવાનું તેમજ વ્યાજખોરોએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં પૈસા દબાવતા પોલસે પણ તેમણે વારંવાર ફોન કર્યો હોવાનો અંતિમ ચિઠ્ઠીમાં ઘટસ્ફોટ કર્યો હતો. જાે કે છ દિવસ બાદ ચેતન વાળંદનું મોત નિપજતા તેમના પુત્રની ફરિયાદના પગલે ગોત્રી પોલીસે ઇક્ત ત્રણેય વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. ગોત્રી પોલીસની નિષ્કાળજીથી ત્રણેય આરોપીઓ ફરાર થતા આ બનાવની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી. જાે કે ગોત્રી પોલીસ હવામાં બાચકા ભરતી રહી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા વરજાંગ ઉર્ફ સુરેશ વસરામ છોટિયા, વિઠ્ઠલ વસરામ છોટિયા (વાલ્મિકીકૃપા સોસાયટી, કૃણાલ ચારરસ્તા,ગોત્રી) અને સાજન વસરામ છોટિયા (વિશ્રાંતી એસ્ટેટ, લક્ષ્મીપુરા)ને ગત રાત્રે વાઘોડિયા ચોકડી પાસેથી ઝડપી પાડી તેઓને ગોત્રી પોલીસના હવાલે કર્યા છે. ગોત્રી પોલીસે ત્રણેય માથાભારે વ્યાજખોર સામે વિવિધ મુદ્દાઓ જેવા કે આરોપીઓએ ૧૦ ટકા વ્યાજે આપેલ નાણાં પેટે મકાનનો દસ્તાવેજ આરોપીઓએ આજ દિન સુધી પરત કરેલ ના હોય તે કબ્જે કરવાનો, વ્યાજે આપેલ નાણાં બાબતે આરોપીઓને સાથે રાખીને ઉંડાણ પુર્વક તપાસ કરવાની હોવા સહિત આ ગુનાના મુળ સુધી પહોચવા માટે આરોપીઓની હાજરી જરૂર હોય તેવા અનેક મુદ્દાઓ પર કોર્ટમાં રજુ કરીને ૧૪ દિવસના પોલીસ કસ્ટડીના રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમા કોર્ટે ત્રણેય આરોપીઓના નવ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતાં.
વડોદરા, તા.૧૨વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના પ્રવેશ દ્વાર ગોત્રી-સેવાસી રોડ ઉપરના રસ્તા રેષામાં આવતી કાચી-પાકી દુકાનો.ઓટલા સહિતના ૮૦ થી વઘુ દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો.૩૦ મીટરના ટીપી રોડ પર દબાણો દૂર કરવા માટે પહોંચેલી પાલિકાની ટીમ અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. જાેકે,પાલિકા તંત્ર દ્વારા તમામ દબાણો દૂર કર્યા હતા.
પાલિકાની દબાણ શાખાની ટીમ તાલુકા પોલીસના બંદોબસ્ત સાથે વડોદરાના પ્રવેશ દ્વાર સેવાસી-ગોત્રી રોડ ઉપર રસ્તા રેષામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ઘરી હતી.સવારે ૮ જેટલા જે.સી.બી., ડમ્પરો સહિતના કાફલા સાથે સેવાસી ગામ ખાતે પહોંચેલી દબાણ શાખાની ટીમ દ્વારા મુખ્ય રસ્તાની બંને બાજુમાં આવેલી કાચી-પાકી ૨૦ જેટલી દુકાનો તેમજ રસ્તા રેષામાં આવતા મોટા કોમર્શીયલ કોમ્પલેક્સના ઓટલા સહિત વઘારાના કરાયેલા બાંઘકામો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ઘરી હતી.
સેવાસી વાવ પાસે ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પૂર્વે ફાળવેલી દુકાનો પણ રસ્તા રેષામાં આવતી હોઈ તેને તોડવાની કામગીરી હાથ ધરાતા દુકાનદારો કામગીરી અટકાવવા માટે ઘર્ષણમાં ઉતર્યા હતા. દુકાનદારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા રસ્તાની એક બાજુનાજ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જાેકે,રોડની માપણી સાથે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.તેમ પાલિકા તંત્રએ કહ્યુ હતુ. સેવાસી રોડ ઉપરના ૩૦ મીટરમાં આવતા રસ્તાની બંને બાજુ દબાણો આવતા હશે તે દબાણો દૂર કરાયા હતા.
એક દુકાનદાર મહિલાએ વર્ષો જુની પોતાની દુકાન ઉપર જે.સી.બી. ફેરવવાનું શરૂ થતાં ભારે હોબાળો મચાવ્યો હતો. મહિલાએ કામગીરી અટકાવવા માટે પ્રયાસ કરતા મહિલા પોલીસ કાફલો મહિલાને બાજુ ઉપર લઇ જઇ સમજાવી મામલો થાળે પાડ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા ગોત્રી કેનાલ થી સોનારકુઈ સુઘીના ૮૦ જેટલા દબાણો દૂર કર્યા હતા.પાલિકા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત અહી સ્માર્ટ રોડ બનાવવામાં આવનાર હોંવાનુ જાણવા મળે છે.
આ એવરેસ્ટ માત્ર કચરાનો નથી - પણ, અઢી દાયકા દરમિયાન શાસક ભાજપાએ કરેલા બેફામ અને અક્ષમ્ય ભ્રષ્ટાચાર, શરમજનક ગેરરીતિઓ અને વિકાસ-સમાર્ટ સિટીના નામે પોતપોતાના ખિસ્સાઓ ભરી આર્થિક તગડા થવાના વૈયક્તિક પાપોનો સરવાળો છે. અલબત, વિપક્ષ તરીકે કોંગ્રેસે ખરેખર પ્રામાણિક પાઠ ભજવ્યો હોત તો આ એવરેસ્ટ આટલો ઊંચો થાત જ નહીં. ખેર! આજે તો એ વિપક્ષ તેનસિંગ-હિલેરીની અદામાં એ એવરેસ્ટની ટોચ પર ઊભા રહી પોતે આ પાપ માટે જવાબદાર નહીં હોવાનું પ્રમાણ આપી રહ્યો છે. સૌનો-સાથ-સૌનો વિકાસ વિના આ શક્ય છે? (તસવીર ઃ કેયુર ભાટીયા)
વડોદરા, તા. ૧૨ઓરેન્જ એલર્ટ વચ્ચે મહત્તમ તાપમાનનો પારામાં આંશિક ધટાડા વચ્ચે મહત્તમ તાપમાનનો પારો ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી અંગદઝાડતી ગરમીને કારણે બપોર દરમ્યાન અનેક લોકો ઘરની બહાર નિકળવાનું ટાળતા હોવાથી મોટાભાગના રોડ – રસ્તાઓ સૂમસામ નઝરે પડ્યા હતા.
રાજ્યભરમાં અસહ્ય ગરમીની આગાહી વચ્ચે આજે મહત્તમ તાપમાનમાં આંશિક રાહત જાેવા મળી હતી. છ રાજ્ય પૈકી વડોદરા શહેરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે મહત્તમ તાપમાન ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાઈ હતી. અસહ્ય ગરમીને કારણે લૂ લાગવાના બનાવ , ચામડીના રોગો તેમજ ઝાડા ઉલ્ટી સહિતના વાયરલ બિમારીઓમાં વધારો જાેવા મળ્યો હતો. માનવીની સાથે પશી – પક્ષીઓમાં પણ ગરમીની અસર જાેવા મળી હતી. અસહ્ય તાપના કારણે તેમજ પીવાના પાણીના અભાવને કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓ મૃત્યુ પામેલા જાેવા મળ્યા હતા. અસહ્ય તાપને પગલે મોટાભાગના રસ્તાઓ પર ડામર પીગળવાના કારણે અકસ્માતના બનાવમાં પણ વધારો જાેવા મળ્યો હતો. આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં ૦.૬ ડીગ્રી સેન્ટીગ્રેડના ઘટાડા વચ્ચે તાપમાન ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૭ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૪૫ ટકાની સાથે સાંજે ૧૫ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૦૪.૧ મીલીબાર્સની સાથે પશ્ચિમ દિશા તરફથી નવ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા.
પાલિકા દ્વારા ઠેર-ઠેર પાણીની પરબો શરૂ કરવામાં આવી
અસહ્ય ગરમીને કારણે રાહદારીઓને શુધ્ધ પાણીની સુવિધા મળી રહે તે માટે પાલીકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય ત્રણ વિસ્તારો કારેલીબાગ , પાણીગેટ અને હરિનગર પાણીની ટાંકી પાસે પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. તે સિવાય સયાજીબાગ ખાતે પણ પાણીની પરબ શરુ કરવામાં આવી છે. મેયર , સ્ટેન્ડીંગ કમિટી સહિતના અગ્રણીઓ દ્વારા પરબનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. પાલીકા સિવાય અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની સાથે છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
વડોદરા, તા. ૧૨સેન્ટ્રલ માધ્યમિક શિક્ષા બોર્ડ (સી.બી.એસ.સી.) બોર્ડ દ્વારા આજે ધોરણ દસ અને બારનું પરીણામ જાહેર થયું હતું. સમગ્ર શહેરમાં ધોરણ દસનું ૯૩.૧૨ ટકા પરીણામ જ્યારે ધોરણ બારનું ૮૭.૩૩ ટકા પરીણામ જાહેર થવાની સાથે મોટાભાગની શાળાનું પરીણામ પણ સો ટકા આવતા શિક્ષકો , વાલીઓ તેમજ વિદ્યાર્થી વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોરોના કાળ બાદ શિક્ષણ પધ્ધતિમાં બદલાવ આવવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો વિદ્યાર્થીઓને કરવો પડી રહ્યો છે ત્યારે પરીણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ એકબીજા વચ્ચે સ્પર્ધા ન લગાવે તે માટે સી.બી.એસ.સી. બોર્ડ દ્વારા મેરીટ લીસ્ટ જાહેર કર્યું નથી તેમજ પ્રથમ , દ્વીતીય અને તૃતીય નંબર પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા નથી. સી.બી.એસ.સી.નુ ધોરણ દસ અને બારનું પરીણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. શહેરની મોટાભાગની શાળાઓનું સો ટકા પરીણામ આવ્યું હતું. જેમાં સમગ્ર શહેરમાં ધોરણ બાર વિજ્ઞાનપ્રવાહમાં પ્રથમ ક્રંમાકે ગુજરાત પબ્લીક સ્કુલ અટલાદરાનો વિદ્યાર્થી હિંમાશું પંચાલ આવ્યો હતો. તે સિવાય નવરચના ઈન્ટરનેશનલ સ્કુલ , પ્રીન્સ અશોકરાજે ગાયકવાડ સ્કુલ , ગુજરાત પબ્લીક સ્કુલ , ઈરા ઈન્ટરનેશનલ સ્કુલ તેમજ ભવન્સ સ્કુલ સહિતની અન્ય શાળાઓએ પણ સો ટકા પરીણામ પ્રાપ્ત કર્યું હતું. કોરોનાકાળ બાદ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓએ મહેનત કરીને સો ટકા પરીણામ લાવતા અનેક શાળાઓના આચર્ય , શિક્ષક તેમજ વાલીઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.
હરીફાય ન સર્જાય તે માટે મેરિટ લીસ્ટ જાહેર ન કર્યું
આ વર્ષે સી.બી.એસ.સી. દ્વારા તેમની વેબસાઈટ પર મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ નથી.આ બાબતે તેઓએ એક પ્રેસનોટના માધ્યમથી માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓ વચ્ચે નાદુરસ્ત સ્પર્ધા યોજાતી હોય છે જેના પરીણામે આપધાત જેવા કિસ્સાઓ પણ વધતા જતા હોય છે આ પ્રકારના બનાવો ન બને તેમાટે તેઓ દ્વારા આ વર્ષે મેરીટ લીસ્ટ જાહેર કર્યું નથી. તે સિવાય વિદ્યાર્થીઓને પ્રથમ , દ્વિતીય ક્રમાંક પણ આપવામાં આવ્યા નથી
વડોદરા, તા. ૧૨ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા અને વન વિભાગ દ્વારા બરાનપુરા વિસ્તારમાં રહેતા એક પુરુષના ઘરમાંથી સંગ્રહિત કરેલા જમીન પરના તેમજ દરીયાઈ વન્યજીવો સહિતના ૨૩ વન્ય જીવો મળી આવતા તમામ જીવોનું રેસ્કયુ કરીને વન્યજીવ સંગ્રહીત કરનાર વ્યક્તિની વિરુધ્ધમાં સીડ્યુઅલ - ૧માં આવતા જીવને અનુંસધાનમાં રાખીને ફરીયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા વન્યજીવોને મુક્ત કરવા માટેની પહેલ ચલાવવામાં આવી રહી છે ત્યારે સંસ્થાના વડા રાજેશ ભાવસારને મળેલ ગુપ્ત માહિતીને આધારે તપાસ હાથ ધરતા બરાનપુરા વિસ્તારમાં આવેલ વ્રજ સાંઈ એપાર્ટમેન્ટમાં રહેતા રાણા ધર્મવીર પ્રવિણસિંહના ઘરે વન્યજીવોને રસાયણમાં મુકીને સંગ્રહ કર્યો હોવાનું જણાઈ આવતા તેઓએ વન વિભાગને સાથે રાખીને રેઈડ પાડતા ત્યાંથી મોટી સંખ્યામાં વન્યજીવો મળી આવ્યા હતા. રસાયણમાં સંગ્રહીત કરવા માટેની પરવાનગી ઝૂઓલોજી વિભાગ કે અન્ય સંસ્થાઓ જેની પાસે અધિકૃત લાયસન્સ ધરાવતા લોકોને જ હોય છે ત્યારે લાયસન્સ વિના ઘરમાં સંગ્રહિત કરેલા બે જમીન પરના કાચબા જીવતા મળી આવ્યા હતા. જ્યારે દરિયાઇ વન્ય જીવ જે રસાયણ માં રાખવામાં આવ્યા હતા જેમાં દરિયાઇ ઘોડા, દરિયાઇ કોરલ, જેલી ફિશ, વાત ફિશ, ક્રેબ, સ્ટાર ફિશ, ફ્રોગ, ઓક્ટોપસ, મીની શાર્ક સહિતના ૨૩ વન્ય જીવો મળી આવ્યા હતા.જેથી તમામ વન્યજીવોનું રેસ્કયુ કરીને રાણા ધર્મવીરની વિરુધ્ધમાં વન્ય જીવ અધિનિયમ ૧૯૭૨ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ અનેક વાર ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા રેઈડ પાડીને અનેક વન્ય જીવોને બચાવવામાં આવ્યા હતા. તેઓએ અપીલ કરી છે કે કોઈ પણ વન્ય જીવોને પીંજરામાં પુરી રાખવા કે તેના પર ક્રુરતા કરવી એ એક ગુનો છે માટે કોઈ પણ વન્યજીવોને પાળ્યા હોય તો તેઓ સ્વંય વન વિભાગ ખાતે આવી વન્યજીવોને સોંપીને કડક કાર્યવાહીમાં રાહત મેળવીને જીવોને મુક્ત કરી શકે.
હજી તો મૂંછનો દોરો નથી ફૂટ્યો પણ પેટનો ખાડો પૂરવા સલામતીના સાધનો વિના ગટર સાફ કરવા ઉતરતાં આ સગીર સફાઈસેવકને કામ પર રાખનાર કોન્ટ્રાકટરની સામે ફરિયાદ કરાશે? કે પાલિકના સંબંધિત અધિકારીએ કોન્ટ્રાકટરને ‘દમ મારી’ રૂપિયા પડાવી લઈ આ શોષણ અને ગેરકાનૂની કૃત્ય સામે આંખ આડા કાન કરશે? (તસવીર ઃ કેયૂર ભાટીયા)
વડોદરા, તા.૧૧
સૂર્યદેવે રૌદ્રરૂપ ધારણ કરતાં વડોદરા શહેર-જિલ્લામાં આકાશમાંથી વરસી રહેલ અગનવર્ષાના કારણે આકરી ગરમીના પ્રકોપથી મનુષ્યજીવ સાથે અબોલા પશુ-પક્ષીઓ-પ્રાણીઓ પણ આકુળ-વ્યાકુળ થઈ ઊઠયાં છે. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનના પારામાં અંદાજે ૩.૪ ડિગ્રી સેલ્શિયસનો વધારો થતાં આજે ઉનાળાની સીઝનનો સૌથી વધુ તાપમાન ૪૩.૮ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે. અબોલા પશુ-પક્ષીઓ-પ્રાણીઓ પણ વૃક્ષોનો છાંયડો શોધવા માટે માર્ગો પર આમ-તેમ ફરતાં નજરે પડી રહ્યાં છે.
ખાસ કરીને ફૂટપાથ પર રહેતાં ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં જીવન ગુજારતાં ગરીબ લોકોની હાલત વધુ કફોડી બની છે. જાે કે, કેટલીક સેવાકીય સંસ્થાઓ દ્વારા ગરમીથી રક્ષણ મેળવવા માટે છાશ અને લીંબુ સરબત સહિત આરોગ્યપ્રદ ઠંડાપીણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે દિવસ દરમિયાન શહેરમાં આકરી ગરમીનો પ્રકોપ રહેતાં લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા હતા. તદ્ઉપરાંત આ સાથે પવનની ગતિ પ્રતિકલાકના ૧૦ કિ.મી. નોંધાતાં ફૂંકાતા ગરમ પવનથી અંગ દઝાડતાં ટુ-વ્હીલરચાલકો, સાઈકલચાલકો, રાહદારીઓ, શ્રમજીવીઓ હેરાનપરેશાન થઈ ગયા હતા. એટલું જ નહીં, તેમને ફરજિયાત મોઢા પર રૂમાલ, ગોગલ્સ, ટોપી પહેરવાની ફરજ પડી હતી.
જાે કે, આકરી ગરમીમાં બહાર ન નીકળવા માટે તબીબો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે. જેથી બપોરના સમયે શહેરના રાજમાર્ગો પર વાહનવ્યવહાર ઓછો જાેવા મળ્યો હતો. અલબત્ત, કુદરતી કરફયૂનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ ગરમીથી બચવા માટે મહત્તમ ગરમીનું તાપમાન ૪૩.૮ ડિગ્રી સે. નોંધાયું હતું, જે ગઈકાલ કરતાં આજે ૦.૪ પોઈન્ટ તાપમાનમાં વધારો થયો હતો, જે ઉનાળાની સીઝનનો સૌથી તાપમાન નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન રપ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૫૧ ટકા અને સાંજે ૧૬ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિકલાકના ૧૦ કિ.મી. નોંધાઈ હતી. ગરમ લ્હાય જેવા ફૂંકાતા પવનને કારણે વાહનચાલકો અગનગોળાનો અહેસાસ કરી રહ્યા હતા. ખાસ કરીને હાથ અને હાથના પંજા ઉપર તેની વધુ અસર જાેવા મળી હતી. આકરી ગરમીમાં ઘરોમાં અને ઓફિસમાં એ.સી., કુલર અને પંખાનો સહારો લેવો પડી રહ્યો છે. જાે કે, પંખાની ગરમ હવાથી ગરમીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. ઉનાળાની સીઝનનો આ દિવસ આકરી ગરમીનો રહ્યો હતો.
વડોદરા, તા.૧૧વડોદરા મ્યુનિસિપલ કોર્પોેરેશનની તરસાલી બાયપાસ જામ્બુઆ સ્થિત લેન્ડફીલ સાઈટ પર બપોરે એકાએક આગ ફાટી નીકળી હતી. કચરાના મોટા મોટા ઢગલામાં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આ અંગેની જાણ કરાતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ૮ થી ૯ ફાયર ફાઈટરો સાથે દોડી ગયા હતા અને ચારથી પાંચ કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જાે કે, ધુમાડા નીકળવાના ચાલુ હોઈ મોડી રાત સુધી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. લેન્ડફીલ સાઈટ પર આગ લાગતાં મેયર પણ સભા છોડીને સ્થળ પર દોડી ગયા હતા.
વડોદરા કોર્પોેરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ એકત્ર કરાતો હજારો ટન કચરો જામ્બુઆ લેન્ડફીલ સાઈટ ખાતે ડમ્પ કરીને સાયન્ટિફિક રીતે તેનો નિકાલ કરવામાં આવે છે. જાે કે, આ સ્થળે કચરા પર કોઈ પ્રક્રિયા કરાતી નથી, માત્ર ડમ્પ કરવામાં આવે છે તેવા આક્ષેપો અનેક વખત થયા છે. આ સ્થળે અવારનવાર કચરામાં આગ લાગવાના બનાવો પણ બન્યા છે પરંતુ આગના કારણો અકબંધ રહ્યા છે.
ત્યારે આજે બપોરના સમયે જામ્બુઆ લેન્ડફીલ સાઈટ ખાતે કચરાના ઢગલામાં ફરી આગ લાગી હતી અને ક્ષણમાં જ આ આગ વિકરાળ બની હતી. કચરાના ઢગલામાં આગને પગલે ધુમાડાના ગોટેગોટા નીકળતાં આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ બનાવની જાણ થતાં જ જીઈઆડીસી, પાણીગેટ સહિતના ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધર હતી.
જાે કે, પાલિકાની સભા શરૂ થાય તે પૂર્વે મેયરને જાણ થતાં તેઓ પણ સભા છોડીને સ્થળ પરછોડી ગયા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ ૮ થી ૯ ફાયર ફાઈટરોની મદદથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જાે કે, ધુમાડાના ગોટેગોટા નીકળતાં હોઈ કુલિંગની કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી. જાે કે, આગ કયા કારણોસર લાગી તેનું કારણ બહાર આવશે કે આ વખતે પણ રહસ્ય જ રહેશે તેવી ચર્ચા પાલિકાના વર્તુળોમાં થઈ રહી છે.
રાજપીપળા, તા.૧૨ગુજરાતમાં ભાજપના જ નેતાઓ સરકારની વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું કહી રહ્યા છે.હાલમાં જ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે નલ સે જલ યોજનામાં જ્યારે ભરત કાનાબારે અમરેલી આરટીઓ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લગાવ્યા છે ત્યારે હવે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મનરેગા યોજનામાં અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો ગંભીર આક્ષેપ લગાવતા ખળભડાત મચ્યો છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી થકી ચાલુ વર્ષ ૨૦૨૩ ના મનરેગાના કામોનું ડેડીયાપાડા, તિલકવાડા, નાંદોદનું ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું, અને જાહેરાત મુજબ જે તે એજન્સીઓએ મટીરીયલ સપ્લાય માટે ટેન્ડર ભર્યા હતા.પરંતુ ટેન્ડર ખુલતા તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ તથા કેટલાક પદાધિકારીઓના મળતીયાઓની એજન્સીઓના ટેન્ડર ન લાગતા ખોટી રીતે તાત્કાલિક ટેન્ડર રદ કરવામાં આવી અને તરત ખુબજ ઝડપથી નવા ટેન્ડરની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે.પ્રથમ વખત ટેન્ડરની જે ગાઈડલાઈન હતી તેમાં સુધારો વધારો કરી ગાઈડલાઈન હળવી કરી અધિકારીઓ, પદાધિકારીઓના મળતીયાઓને અનુકૂળ, ગાઈડલાઈનમાં સુધારો કર્યો.હવે ચિંતા એ બાબતની છે કે જેમની ક્ષમતા નથી તેવી એજન્સીઓ પણ ઓનલાઈન ટેન્ડર ભરશે અને ખુબજ નીચા ભાવ ભરાશે તો કામોમાં ગુણવત્તા જળવાશે નહીં અને મારી પાસે એ પણ માહિતી છે કે કેટલીક એજન્સીઓ, કોન્ટ્રાક્ટરોએ એડવાન્સમાં નાણાકીય વ્યવહાર કર્યા છે.આ બાબતે હું રાજ્ય સરકાર અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓને આ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી કરનારાઓ, જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ, ડીઆરડી નિયામક તથા તેમનો સ્ટાફ અને તાલુકામાં જેમણે ટેન્ડર પ્રક્રિયામાં સહયોગ આપ્યો છે તેવા કર્મચારીઓની સામે પણ પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે મુજબની રજુઆત કરીશ.
ભારત દેશના સંવિધાનના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૨ મી જન્મજયંતિ નિમિત્તે મેયર નિલેશ રાઠોડ સહિત પાલિકાના હોદ્દેદારોએ પુષ્પાજંલી અર્પણ કરી હતી. તેમજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા સયાજીગંજ થી અલકાપુરી ડો.આંબેડકરજીની પ્રતિમાં સુઘી પદયાત્રાનું આયોજન કરાયું હતું.અને ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.કોંગ્રેસના અગ્રણીઓ તેમજ પાલિકા દ્વારા પણ ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી.
વડોદરા, તા. ૧૪છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનાં પારામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગત રાત્રી દરમ્યાન વાદળછાયા વાતાવરણને કારણે શહેરમાં ઠંડકનો માહોલ જાેવા મળ્યો હતો. પરતું આજે સવારથી સૂર્યદેવે તેમનું ઉગ્ર રુપ ધારણ કર્યુ હોવાથી બપોર દરમ્યાન અસહ્ય તાપથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે પણ દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો નોંધાવાની સાથે પારો ૩૯.૪ ડીગ્રી નોંધાતા શહેરીજનો વ્યાકુળ બન્યા હતા. અસહ્ય ગરમીને પગલે મોટાભાગના રોડ રસ્તા બપોર દરમ્યાન સુમસામ નઝરે પડયા હતા. ઠેકઠેકાણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લૂ થી બચવા માટેના પ્રયાસો અને લૂ લાગે ત્યારે કેવા પ્રકારના ઉપચાર કરવા તે માટેની ગાઈડલાઈન પણ બહાર પાડી દેવામાં આવી છે. તે સિવાય અન્ય વાયરલ બિમારીઓ જેમકે તાવ , શરદી , ખાંસી અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતા શહેરના વિવધ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં દર્દીઓની ભારે ભીડ જાેવા મળી હતી. છાસ , ઠંડા પીણા , આઈસક્રીમ તેમજ બરફ ખાવા માટે લોકોની ઠેકઠેકાણે ભીડ જાેવા મળી હતી. આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૯.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૪૭ ટકાની સાથે સાંજે ૨૩ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૦૭.૪ મીલીબાર્સની સાથે પશ્ચિમ દિશા તરફથી દસ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા.
વડોદરા, તા.૧૪વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસમાં નવો પાસપોર્ટ કઢાવવા, રીન્યૂ કરાવવવા માટે આજે રજાના દિવસે પણ લોકોને એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી.એપોઈન્ટમેન્ટ મળતા અનેક લોકો પોતાના બાળકો સાથે પાસપોર્ટ ઓફીસ પહોંચ્યા હતા.પાસપોર્ટ ઓફીસ દ્વારા મોડીરાત્રે રજા હોંવાથી એપોઈન્ટમેન્ટ રદ્દ કરવાના મેસેજ મોકલવામાં આવ્યા હતા.પરંતુ મેસેજ જાેયા વગર સવારે પહોંચેલા લોકોએ વહીવટ સામે રોષ વ્યક્ત કરીને હોબાળો મચાવ્યો હતો.અને આગામી સપ્તાહમાં આજની તારીખે એપોઈન્ટમેન્ટ રીશીડ્યુલ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પાસપોર્ટ માટે ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ લોકોને તારીખ અને સમય સાથેનો સ્લોટ ફાળવવામાં આવે છે.આજે તા.૧૪ એપ્રિલે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિના કારણે જાહેર રજા હોવાથી લોકોને આજના દિવસના સ્લોટ પણ ફાળવી દેવામાં આવ્યા હતા. જેના કારણે સવારે અનેક લોકો નિઝામપુરા સ્થિત પાસપોર્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. તેમાં કેટલાક બહારગામથી આવ્યા હતા.
પાસપોર્ટ ઓફિસ બંધ જાેઈને લોકાએે રોષ વ્યક્ત કર્યો હતો. અનેકે કહ્યુ હતુ કે, ત્રણ દિવસથી તમારી એપોઈન્ટમેન્ટ કન્ફર્મ હોવાના મેસેજ આવી રહ્યા હતા.અને ગઈકાલે રાત્રે સાડા બાર વાગ્યા બાદ એપોઈન્ટમેન્ટ કેન્સલ હોવાની જાણ એસએમએસ દ્વારા કરવામાં આવી હતી. જેના કારણે ઘણાએ મેસેજ વાંચ્યા પણ નહોતા.આંબેડકર જયંતિની જાહેર રજા હોય છે છતા એપોઈન્ટમેન્ટ કેમ આપવામાં આવી? લોકોએ ફરિયાદ કરી હતી કે, ઓફિસ પર કોઈ જવાબદાર વ્યક્તિ પણ હાજર પણ નથી. જે ફોન નંબર બોર્ડ પર દર્શાવાયો છે તેના પર કોઈ ફોન ઉપાડતુ નથી. હવે અમારી એપોઈન્ટમેન્ટ એક મહિના બાદ રીશિડયુલ કરવામાં આવશે અને અમારે એક મહિનો રાહ જાેવી પડશે. તેની જગ્યાએ અમને બે ત્રણ દિવસમાં એપોઈન્ટમેન્ટ ફાળવવામાં આવે.લોકોના હોબાળાના કારણે ફતેગંજ પોલીસને પણ દોડી આવવુ પડયુ હતુ. પોલીસે માંડ માંડ રોષે ભરાયેલા લોકોને શાંત પાડયા હતા.
વડોદરા, તા.૧૪વડોદરા શહેરમાં બેફામ હંકારતા ડમ્પર ચાલકો પૈકી એક ડમ્ફર ચાલકે આજે વહેલી સવારે ઓન ડ્યુટી ઉપર ફરજ બજાવતા ગોત્રી પોલીસ મથક ના કર્મચારીને ટક્કર મારી તેઓના માથા ઉપર ડમ્પરના વ્હીલ ચઢાવી દેતાં પોલીસ કર્મચારી નું આજે સવારે અકાળે મોત નિપજ્યું હતું. બનાવને પગલે બંદોબસ્ત કરીને છૂટા પડેલા સહકર્મચારીઓમાં ઘેરા શોખની લાગતી ગઈ હતી.અને ચકચાર મચી જવા પામી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ડમ્પર ના આધારે ડમ્પર ચાલકની ધરપકડનાર ચક્રો ગતિમાન કર્યા છે.તદ ઉપરાંત તેમના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.
અરેરાટી ભર્યા બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે સુરેન્દ્રનગરના અંતરિયાળ ગામે રહેતા લાલભા ભવાનસિંહ રાઠોડ પોલીસ કર્મચારી તરીકે પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓની છ માસ અગાઉ જ વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકે ટ્રાન્સફર થઈ હતી. ત્યારથી તેઓ ગોત્રી પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે તેઓ ફરજ બજાવતા હતા.
આજે ડોક્ટર બાબા આંબેડકર ની જન્મ જયંતી હોવાથી ગોત્રી પોલીસ મથકનો સ્ટાફ વહેલી સવારથી જ બંદોબસમાં હતો. આ બંદોબસમાં લાલાભાઇ રાઠોડ પણ સામેલ હતા. બંદોબસ્ત પૂર્ણ થયા બાદ તેઓ ને સોંપવામાં આવેલી અન્ય કામગીરીમાં જાેતરાયા હતા. ઓન ડ્યુટી ઉપર તેમની ફરજ નિભાવવા ભાઈલી રોડ ઉપરથી સન ફાર્મા રોડ તરફ જઈ રહ્યા હતા. તે વખતે માતેલા સાંઢની જેમ દોડતા આવતા ડમ્ફરના ચાલકે પોલીસ કર્મચારીની એકટીવા ને અડફેટે લીધી હતી. જેથી એકટીવા પરથી ફંગોળાયેલા પોલીસ કર્મચારી લાલાભાઇ રાઠોડ ઉપર ડમ્પર ચાલાકે ઉપર કાબુ ગુમાવતા ડમ્પર પોલીસ કર્મચારી ના માથા ઉપર ચડાવી દીધું હતું. જેથી પોલીસ કર્મચારીની ખોપડી ફાટી જવાથી તેમનું અકાળે મોત ને ભેટ્યા હતાં.
આ અકસ્માતના બનાવ ને પગલે સ્થાનિક લોકોના ટોળા દોડી આવ્યા હતા. ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટેના પ્રયાસ કર્યા હતા. પરંતુ ડમ્પર ચાલાક બનાવ સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા તાલુકા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. મૃતક શહેર પોલીસ તંત્રના કર્મચારી હોવાનું જાણવા મળતા આ બનાવ ની જાણ પોલીસ બેડામાં વાયુવેગે પસરી ગઈ હતી. એટલું જ નહીં ગોત્રી પોલીસ મથકના અને સવારે સાથે બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓને આ બનાવની જાણ થતા પોલીસ કર્મચારીઓમાં ભારે ઘેરા શોખની લાગણી આપી ગઈ હતી. અને આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. જાેકે બનાવ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થતાં ફરાર થયેલા ડમ્પર ચાલકનો ડમ્પર નો નંબર સીસીટીવી કેમેરામાં મળી આવ્યો હતો. જે નંબરના આધારે પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
હપ્તા રાજમાં પોલીસની રહેમ નજર હેઠળ દોડતા ભારદારી વાહન ચાલાકે પોલીસનો જ ભોગ લીધો
વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા નાના મોટા વાહનો માટે ટ્રાફિક નિયમન માટેના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ હપ્તા રાજમાં પોલીસના રહેમ નજર હેઠળ ભારદારી વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમનો સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં પણ પોલીસ અમુક પ્રેક્ષક બનીને અવરજવર કરી રહેલા બારદારી વાહનો સામે કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહીક કરવામાં આવતી ન હોવાથી ભારધારી વાહન ચાલકો બિન્દાસથી અવરજવર કરી રહ્યા છે. વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાનો લોકસત્તા જનસત્તા દ્વારા પડદા ફાસ કરવામાં આવ્યો હતો.
મહાનુભાવોની જન્મજયંતીઓ અને ૫ુણ્યતિથિઓએ તેમની પ્રતિમાઓને હારતોરા કરી ફોટા પડાવવા પડાપડી કરતાં રાજકારણીઓને કચરાના અને ભંગારના ઢગલા વચ્ચે સયાજીબાગમાં પડેલી બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા કયારેય દેખાઈ જ નહીં! તસવીર ઃ કેયૂર ભાટીયા
વડોદરા, તા.૧૩શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી અને કોરોગેટેડ બેક્સ બનાવતી સુમિત પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે ક્ષણોમાંજ વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયરબ્રિગેડને કરાતા તુરંત જ લાશ્કરો ફાયર ફાઈટરો સાથે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી હાથ ઘરી હતી. આગ ૫ કલાકની ભારે જહેમત બાદ કાબુમાં આવી હતી.સદ્નસીબે આગમાં કોઈનો ઈજા કે જાનહાની થઈ ન હતી.
ફા્રયર બ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી સુમિત પેકેજીંગ કંપનીમાં પુઠ્ઠા બનાવવાનું કામ કરવામાં આવે છે. કંપની દ્વારા તૈયાર કોરોગેટેડ બોક્સ અને કાચો માલ ગોડાઉનમાં મુકવામાં આવે છે. આ ગોડાઉનમાં મળસ્કે ૪ વાગે આગ લાગી હતી.
આગનો કોલ મળતા મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર સ્ટેશનનો સ્ટાફ ફાયર ફાઈટરો સાથે દોડી ગયા હતા અને પ્રથમ આગને પ્રસરતા અટકાવવાની કામગીરી શરૂ કરી હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જાેકે, ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરવા દીધી ન હતી. ૫ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આગ કાબુમાં લીઘા બાદ કુલીંગની કામગીરી સાથે ૫ કાલાક સુધી પાણીમારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી છે. ૭થી ૮ જેટલા ફાયર એન્જિનનો ઉપયોગ કરાયો હતો. આગના બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, પુઠ્ઠાનું ગોડાઉન બળીને ખાક થઇ ગયું છે.વહેલી સવારે લાગેલી આગને પગલે નોકરી ધંધાર્થે જનાર કર્મચારીઓ-મજૂરોના ટોળા એકઠા થયા હતા. આગનું લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી, પરંતુ પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળે છે.
ડભોઈ, તા.૧૩ડભોઇ ખાતે મજૂરી કામ અર્થે આવેલા માલુભાઈ વેલસિંગભાઈ કનાસિયા મૃતક મહિલાના ઘરમાં એક ઘરના સભ્ય તરીકે રહી મજૂરી કામ કરતો અને મૃતક મહિલાના ઘરના ઓટલે જ સૂઈ રહીને જીવન ગુજારતો હતો. આ યુવાને આ મહિલાનાં ઘરમાં રહેલાં રૂપિયા બે લાખ લૂંટી લીધા હતા અને મહિલાને ર્નિદયતાપૂર્વક મારી નાખી હતી. ત્યારબાદ યુવાન ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો હતો આ ચકચારી બનાવ અંગેની ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ફરિયાદના આધારે ડભોઈ પોલીસ સ્ટેશનનાં તત્કાલીન પી.આઈ. જે.એમ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસનાં જવાનોએ વિસ્તૃત તપાસ હાથ ધરી હતી.જેમા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રીસોર્સ, એફ.એસ.એલ. રીપોર્ટ, ડોગ સ્વોડ, પી.એમ.રીપોર્ટના આધારે પોલીસે ટૂંકા ગાળામાં જ ગૂનો ડીટેક્ટ કરી આરોપીને ઝડપી લીધો હતો અને આરોપી પાસેથી રૂપિયા ૮૨, ૭૯૦ કબજે લીધાં હતાં. આ સમગ્ર ઘટના અંગેના કેસમાં સામેલ આરોપીને સમાજમાં દાખલારૂપ સજા થાય તે માટે સરકારી વકીલ હિરેન ચૌહાણે કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. આ કેસમાં કોર્ટે ૧૫ સાહેદોને અને ૩૯ જેટલાં સંબંધિત પુરાવાઓ ચકાસ્યા હતાં અને આ પુરાવાઓને ધ્યાનમાં રાખી અદાલતે આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા ૫,૦૦૦ નો દંડ પણ ફટકાર્યો હતો. તેમજ દંડની રકમ ન ભરે તો વધુ છ વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી ડભોઈ સેશન્સ કોર્ટે ગુનામાં સંડોવાયેલા આ આરોપીને આજીવન કેદની સજા કડક સજા ફટકારી હતી.
વડોદરા, તા.૧૩વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરીમાં આગામી બે માસ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા) તેમજ ઉપપ્રમુખ પદે ક્રિપાલસિંહ મહારાઉલની સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી. આજે બરોડા ડેરીના બોર્ડરૂમ ખાતે ચુંટણી યોજવામાં આવી હતી. આગામી જુલાઇ માસ બાદ બરોડા ડેરીના વર્તમાન બોર્ડના બાકીના ૨.૫ વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટણી યોજાશે.
વડોદરા જિલ્લા દૂઘ ઉત્પાદન સંઘ બરોડા ડેરીના પ્રથમ ૨.૫ વર્ષ માટેની મુદ્દત આગામી જુલાઈ માસમાં પૂર્ણ થાય છે પરંતુ, છેલ્લા કેટલાક સમયથી બરોડા ડેરીમાં ચાલતા વિવાદના પગલે અને ગત વિધાનસભાની ચૂંટણી માં પાદરાની બેઠક ઉપરથી બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલે (દિનુમામા) અપક્ષ ચૂંટણી લડ્યા બાદ તેઓએ બરોડા ડેરીનાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી બરોડા ડેરીમાં શરૂ થયેલા વિવાદને પગલે ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ પણ કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. જેથી પ્રમુખ અને ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે આજે ચૂંટણી યોજાઈ હતી.
પ્રદેશ ભાજપના અગ્રણી મેન્ડેટ લઈને આવ્યા હતા.જેમાં આગામી બે માસ માટે પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં જિલ્લા ભાજપા પ્રમુખ અને ડેરીના ડિરેક્ટર સતીશ પટેલ (નિશાળિયા) પ્રમુખ તરીકે અને બે દિવસ પૂર્વે જ કોંગ્રેસમાંથી ભાજપામાં જાેડાયેલા ક્રિપાલસિંહ મહારાઉલની ઉપપ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
નવનિયુક્ત પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા)એ જણાવ્યું હતું કે તમામને સાથે રાખી બરોડા ડેરીના વિકાસને આગળ ધપાવવામાં આવશે. બરોડા ડેરીના દૂધની આવકમાં સતત વધારો થતો રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત બરોડા ડેરીમાં ઉનાળાની સિઝનમાં દૂધની આવક જળવાઈ રહે તે માટે પ્રયાસ સાથે પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવામાં પણ વિચારણા કરાશે
આજે બરોડા ડેરી ખાતે યોજાયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં તત્કાલીન ડેરીના ડીરેક્ટરો સહિત મેયર,શહેર ભાજપ પ્રમુખ,સાસદ,ધારાસભ્યો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ નિયુક્ત પ્રમુખ ઉપ પ્રમુખને શુભેચ્છા આપી હતી.
વડોદરા, તા.૧૩રાજ્ય સરકારે ૧૦૦ ટકા જંત્રીનો ભાવવધારો ૧૫મી એપ્રિલ સુધી સ્થગિત રાખ્યો હતો, તેથી રજિસ્ટ્રાર કચેરીમાં ૧૫મી એપ્રિલ પહેલાં દસ્તાવેજ થાય તે માટે ભારે ભીડના દૃશ્યો જાેવા મળી રહ્યાં છે. રાજ્ય સરકારે બે માસ અગાઉ જંત્રીના દરમાં ૧૦૦ ટકાનો વધારો ઝીંકી દીધો હતો. જાે કે, બિલ્ડરો સહિત આમ નાગરિકોએ ભારે વિરોધ કર્યો હતો, જેથી જંત્રીના ભાવ વધારાનું અમલીકરણ ૧૫મી એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. જેથી લોકોને રાહત મળી હતી. જાે કે, આ બે માસ દરમિયાન દસ્તાવેજ કરવા માટે લોકોએ ભારે દોડધામ કરવી પડી હતી.
જાે કે, સરકાર પણ ૧૫મી એપ્રિલ પછી જંત્રીના દરનું ૧૦૦ ટકા અમલીકરણ કરવા મક્કમ જણાઈ રહી છે. તેથી છેલ્લી ઘડીએ દસ્તાવેજ માટે લોકો ભારે દોડધામ કરી રહ્યા છે. રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ દસ્તાવેજ માટે ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. કચેરીમાં પણ એક દિવસમાં ચોક્કસ સંખ્યામાં જ દસ્તાવેજ થઈ શકે છે તેથી કચેરી દ્વારા ઘણાને ટોકન પણ અપાય છે, જેથી આવા નાગરિકો ૧૫મી એપ્રિલ પછી પણ જૂની જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરાવી શકે. બીજી તરફ સરકાર ૧૫મી એપ્રિલ પછી શું નિર્ણય લે છે તેના પર પણ સૌની મીટ મંડાઈ રહી છે. આ બધા વચ્ચે લોકોને જંત્રીના દર વધુ ચૂકવવા ન પડે તે માટે દસ્તાવેજ સહિતની કામગીરી માટે રજિસ્ટ્રાર કચેરીઓમાં ભારે ધસારો જાેવા મળી રહ્યો છે.
વડોદરા, તા.૧૨ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે કારેલીબાગ બહુચરાજી મંદિર ત્રણ રસ્તા પાસે વડોદરા શહેર ભાજપ કાર્યાલયનું ખાતમુર્હુત કર્યું હતું. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પાર્ટીના સંગઠનને મજબૂત કરીને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દરેક મતદાર સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે. અને તેના માટે સોશિયલ મીડિયા અને આઇટીના કાર્યકરોએ પ્રયાસ કર્યો છે. બુથમાં પણ પેજ કમિટીનું કામ વધુ મજબૂત કરવાની સૂચના આપી છે. આગામી ૩૦ દિવસમાં આ કાર્ય પૂર્ણ થઈ જશે. પ્રદેશ મહામંત્રીને દૂર કરવા મુદ્દે તેમણેે જણાવ્યું હતું કે, આ પાર્ટીની પ્રક્રિયા હોય છે ઘણા બધા ફેરફારો થયા છે અને સતત થતાં હોય છે. જાે કે, મંત્રીમંડળના વિસ્તરણને લઈને તેમણે ચૂપકિદી સેવી કહ્યું હતું કે, આ પ્રશ્ન મુખ્યમંત્રીને પૂછવો જાેઈએ.
તેમણે પત્રકારોને સંબોઘતા કહ્યુ હતુ કે,દરેક જિલ્લામાં કાર્યાલય ફરજીયાત હોવું જાેઈએ. શહેરથી થોડુ દૂર ભલે હોય પણ મોટું હોય. જ્યાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ હોય. વડોદરા શહેરનું ભાજપનું કાર્યાલય આજે પણ હયાત છે, પરંતુ પાર્કિંગની વ્યવસ્થા સાથે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ અને તેમની ટીમ, સાંસદ, મેયર, ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા આ જગ્યા પસંદ કરવામાં આવી હતી અને જગ્યા ખરીદીને આજે ખાતમુર્હુત કરવામાં આવ્યું છે અને ૬ એપ્રિલ-૨૦૨૪ સુધીમાં આ કાર્યાલયનું બાંધકામ પૂર્ણ કરીને કાર્યકર્તાઓ અને લોકો માટે સમર્પિત કરવાની યોજના બનાવી છે.
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કાર્યકરોના સહકાર વગર ક્યારેય કોઈ કાર્યાલય બનતુ નથી. અમે સુરેન્દ્રનગર, કચ્છ અને સુરત સહિતના જિલ્લાઓમાં કાર્યકરોએ આપેલા ફંડમાંથી કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે અને વડોદરા શહેરમાં પણ કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સાથ સહકાર સાથે નિર્માણ કરવામાં આવશે.
વડોદરા, તા.૧૨રામનવમીના દિવસે શહેરના ફતેપુરા વિસ્તારમાં થયેલા કોમીતોફાનો દરમિયાન ધુળધોયાવાડ ખાતે દરગાહ પાસે ફરજ પર હાજર એસઆરપી જવાન પર ત્રણ યુવકોએ હુમલો કરી તેમની રાયફલની લુંટનો પ્રયાસ કરવાના ચકચારભર્યા બનાવમાં વારસિયા પોલીસે એક હુમલાખોર વિધર્મી યુવકને ઝડપી પાડી તેનો એક દિવસના રિમાન્ડ મેળવ્યો હતો.
રામનવમીના દિવસે શહેરના સંવેદનશીલ ફતેપુરા ધુળધોયાવાડ ખાતે પાડાખાના પાસે કાલુ શહીદબાબાની દરગાહ પાસે ગોધરાની એસઆરપી ગ્રુપ-૫ના જવાનોને બંદોબસ્ત માટે તૈનાત કરાયા હતા. બપોર બાદ આ વિસ્તારમાં કોમી તોફાનના પગલે પરિસ્થિત તંગ બની હતી જે દરમિયાન સાંજે સાડા પાંચ વાગે મસ્જીદની ગલીમાંથી ટોળું બહાર આવ્યું હતું જે પૈકીના ત્રણ યુવકો દરગાહના પાછળના ગેટ પર ફરજ બજાવી રહેલા એસઆરપીના પોકો પંકજ બારિયા તરફ ધસી ગયા હતા અને તેમને લાફો ઝીંકીને ખભે લટકાવેલી ઈન્સાસ રાયફલની લુંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની ધુળધોયાવાડા મસ્જીદ પાસે રહેતા કાળોશર્ટ અને સફેદ ટોપી પહેરેલા રસીદ સત્તારભાઈ શેખ, જાંબલી શર્ટવાળા બીટુ રફીકભાઈ બંગાળી અને ગુલાબી શર્ટવાળો મોહસીન વિરુધ્ધ પોકો પંકજ વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની તપાસ કરી રહેલી વારસિયા પોલીસે ઉક્ત ઘટનાના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવ્યા હતા અને તેના આધારે પોકો પર હુમલો કરનાર ત્રિપુટી પૈકીના ૪૨ વર્ષીય અબ્દુલરસીદ અબ્દુલસત્તાર શેખ (ધૂળ ધોયાવાડા મસ્જીદ પાસે, ફતેપુરા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેનો એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો અને તેને સાથે રાખી બનાવનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.
વડોદરા, તા.૧૨લોકોમાં ઘટતી સહનશક્તિ, અસહ્ય મોંઘવારી, મહાત્ત્વાકાંક્ષામાં પીસાતા લોકો માનસિક ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે, જેનો તાદૃશ કરતો બનાવ આજે બપોરના સમયે સુશેન-તરસાલી રોડ પર બનવા પામ્યો હતો. ઘરથી તરછોડાયેલ ભૂખ-તરસ વેઠી જીવન ગુજારતા આધેડ શખ્સે માનસિક ડિપ્રેશનમાં આવી જઈને રોડ પર પૂરઝડપે જઈ રહેલા ડમ્પર સામે પડતું મૂકી મોતને વહાલું કર્યું હતું. આ બનાવની જાણ પોલીસને કરાતાં પોલીસે તપાસ કરતાં મૃતકનું નામ કાલિયો હોવાનું અને તે મૂળ બિહારનો હોવાનું જાણવા મળ્યું છે. જાે કે, આ બનાવને પગલે ડમ્પરચાલકે પોતાનું ડમ્પર ઊભું રાખી અજાણ્યા શખ્સની વહારે આવ્યો હતો. આ બનાવ સંદર્ભે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસની તપાસમાં સીસીટીવીના ફુટેજ સામે આવતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ ચકચારી બનાવની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા શહેરના મકરપુરા સુશેન-તરસાલીને જાેડતા માર્ગ પર આજે બપોરના સમયે એક વિચિત્ર પ્રકારનો બનાવ બનતાં નજરે જાેનાર લોકો પણ અચંબામાં પડી ગયા હતા અને ઘૃણાસ્પદની સાથે આપઘાત કરનાર શખ્સ સામે ફિટકારની લાગણી વરસાવી હતી. તરસાલી-સુશેન રોડ પર ગુરુદ્વારા પાસે મૂળ બિહારનો વતની કાલિયો નામનો આધેડ છેલ્લાં આઠેક વર્ષથી એકલવાયું જીવન ગુજારી રહ્યા હતા. તે ભીખ માગી પોતાનું ભરણપોષણ કરતા હતા. ભિખારી જેવી જિંદગી જીવતા આધેડ માનસિક ડિપ્રેશનમાં આવી ગયા હતા. ગુરુદ્વારા ખાતે આવતા લોકો અને સ્થાનિકોને મોત આવે તો સારું તેવું રટણ કરતા હતા. તેને અગાઉ પણ મોતને ભેટવાનો પ્રયાસ કર્યો હતો, જે તે વખતે માંગ્યું મોત મળ્યું ન હતું.
આજે તેને બીજીવાર પ્રયાસ કરી સુશેન સર્કલથી તરસાલી તરફ પૂરઝડપે જઈ રહેલ ડમ્પર સામે પોતાની જાતે જ પડતું મૂકી મોતને વહાલું કર્યું હતું. બનાવસ્થળે હાજર કેટલાક લોકો અચંબામાં પડી ગયા હતા. આ બનાવને પગલે રાહદારીઓ દોડી આવ્યા હતા અને ક્ષણવારમાં લોકોના ટોળાં એકત્રિત થઈ જતાં ટ્રાફિક પણ ખોરવાયો હતો. બનાવને પગલે ડમ્પરચાલકે પોતાનું ડમ્પર ઊભું રાખી અજાણ્યા શખ્સની વહારે આવ્યો હતો. આ બનાવની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવતાં મહિલા પીએસઆઈ એન.વી.નાઈ ટીમ સાથે બનાવસ્થળે આવી પહોંચ્યાં હતાં અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.
વડોદરા, તા.૧૨શહેરના આરાધના સિનેમા પાછળ સરકારી જગ્યામાં થયેલા ગેરેજ, કાચી ઓરડી સહિતના દબાણો નોટિસ આપવા છતાં દૂર નહીં કરાતાં આજે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ કચેરી-૩ના અધિકારીઓએ પાલિકાની દબાણ ટીમની મદદથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડયાં હતાં. આ બે દબાણો પૈકી એક ભાજપના પૂર્વ કોર્પોરેટરનું હોવાનું જાણવા મળે છે.
વડોદરા શહેરના આરાધના સિનેમા જૂના ક્વાર્ટર પાસે વડોદરા કસબાના ટીમ નં. ૨૪/૨ના સિટી સર્વે નં.૪ પૈકીના કુલ ૧૦૧૫.૩૬ ચો.મી. સરકારી જગ્યા આવેલી છે. આ જગ્યા પૈકી ૧૫૫.૮૮ ચો.મી. જગ્યા પર પતરાંના શેઠ બનાવી ગેરેજ તેમજ એક કાચી ઓરડી બનાવી તેમાં સેન્ટરિંગનો સામાન મૂકવામાં આવતો હોવાનું જાણવા મળે છે. આ દબાણ ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય બડગુજર અને મુન્નાભાઈ ગેરેજવાળાનું હોવાનું કહેવાય છે.
આ દબાણો દૂર કરવા માટે સિટી સર્વે સુપ્રિ.-૩ની કચેરીના અધિકારી દ્વારા નોટિસ આપી અંદર મૂકેલ માલસામાન ખાલી કરવાની સૂચના આપી હતી. છેલ્લે સોમવારે પણ રૂબરૂ મળીને સૂચના આપવામાં આવી હતી, તેમ છતાં દબાણો દૂર નહીં કરાતાં આજે સિટી સર્વે સુપ્રિ. મિરલ વાઘેલા તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી ટીમે વીજ કનેકશનો દૂર કરાવ્યા બાદ પાલિકાની દબાણ શાખાની ટીમની મદદથી જેસીબી દ્વારા સરકારી જમીન પર થયેલ ગેરકાયદે દબાણો તોડી પાડી જગ્યા ખૂલ્લી કરાવી હતી.
સયાજી હોસ્પિટલની નવી બિલ્ડિંગ માટે જગ્યા સુપરત કરાઈ
આરાધના સિનેમા પાછળની સરકારી જગ્યા સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડની બની રહેલી નવી બિલ્ડિંગ માટે આપવામાં આવી છે. પરંતુ જગ્યા પર દબાણો હોવાથી જગ્યનો કબજાે સયાજી હોસ્પિટલને સુપરત કરાયો ન હતો. આજે દબાણો દૂર થતાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટે જગ્યાનો કબજાે સયાજી હોસ્પિટલના વહીવટી અધિકારીને સુપરત કર્યો હતો.
વડોદરા, તા.૧૧વડોદરાના વેમાલીમાં પાણીની નવી લાઇનના પ્રારંભ સમયે મેયર,સાંસદ સ્થાનિક કોર્પોરેટરોને લોકોએ પાણીની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. અને કહ્યુ હતુ કે, આ પાણી વેમાલી ગામના ૯ ફળીયાને મળશે પરંતુ અન્ય સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ વગેરેને હજી પાણી મળતુ નથી. એક સ્થાનિક યુવાને પાલિકાના પાણી પુરવઠા અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરીને પાણી વેરો ભરવા છતા પાણી મળતુ નથી તેવી રજૂઆત કરી હતી.
વેમાલી પાણીની લાઈનના પ્રારંભ પ્રસંગે પાણી પુરવઠા અધિકારી સમક્ષ કેટલાક રહિશોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, શાંતિથી શેની વાત થાય, લોકોને પાણીની તકલીફ કેટલી છે, તએક વખત આવો તો ખરા તમે, એક દિવસ અહીં આવીને રોકાવ. આ લોકો બોલતા નથી એટલે તમે અહીં આવ્યા છો ક્યારે? કોઈ દિવસ અહીં પૂછવા આવ્યા છા ? અમને તકલીફ પડે છે તો અમારે શું કરવાનું? બોલો પાણી ક્યારે આવશે એ કહો |
સ્થાનિક કોર્પોરેટરો સમક્ષ પણ સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, રોડ, રસ્તા અને પાણી તો બેઝિક જરૂરિયાત છે. એના માટે મંજૂરી થોડી લેવાની હોય. પાણી તો મળવું જ જાેઈએ. આ ઉપરાંત સાંસદ અને મેયરને પણ ઉગ્ર રજૂઆતો કરી હતી.
વેમાલી ગામનો કોર્પોરેશનમાં સમાવેશ કરાયા બાદ રહીશો પ્રાથમિક સુવિધા આપવા અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકોએ તાજેતરમાં જ બાઈક રેલી યોજી વિરોધ કર્યો હતો. વેમાલીમાં પાણી, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાની કામગીરી અધૂરી છે. વેરો ભર્યા બાદ પણ પ્રાથમિક સુવિધાઓ ન મળતા વેમાલી વિસ્તારના લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
વેમાલીમાં ૯ લાખ લિટર પાણીનું વિતરણ કરાશે
વેમાલીના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. આજે જ્યારે મેયર નિલેષ રાઠોડ, સાંસદ રંજનબેન ભટ્ટ, સ્થાનિક કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સહિત અધિકારીઓ આજે વેમાલી પહોંચ્યા હતા અને ૯ લાખ લિટર પાણી વિતરણની કામગીરી શરૂ કરાઈ હતી.મેયરે કહ્યુ હતુ કે,વેમાલી ગામમાં દર ત્રણ દિવસે પાણી વિતરણ થતુ હતુ હેવે ૯ લાખ લિટર પાણીનુ વિતરણ વેમાલી ગામમાં નિયમિત કરવામાં આવશે, ઉપરાંત નેટવર્કની કામગીરી પૂર્ણ થતા બાકી રહેલી ૪૦ ટકા સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં મંજૂરી મેળવી કનેક્શન લીઘા હશે તેમને પણ પાણી મળી શકશે.
વડોદરા, તા.૧૧ઉનાળાનો પ્રારંભ થતાંની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ વર્ષથી પાણી ની સમસ્યા છે.ત્યારે મંગળવારના રોજ આક્રોશીત મહિલાઓ બાપોદ પાણીની ટાંકી એ જઈને સુત્રોચ્ચાર કરીને મહાનગર પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. અને પાણી પ્રશ્ને પાલિકાની વિવિઘ કચેરીઓમાં મોરચા શરૂ થઈ ગયા છે. આજે વાઘોડિયા રોડ ઉપર આવેલ વૈકુંઠ સોસાયટીની મહિલાઓ બાપોદ પાણીની ટાંકી ઉપર પહોંચી ગઇ હતી અને પાણી માટે રજૂઆત કરી હતી. મહિલાઓ સોસાયટીમાં એકઠી થઇ હતી અને ‘પાણી આપો..પાણી આપો..’ના સુત્રોચ્ચાર કર્યા હતા.
સોસાયટીની મહિલાઓએ ભારે જણાવ્યું હતું કે, અમે વૈકુંઠ સોસાયટીમાં રહીએ છે. છેલ્લા ત્રણ વર્ષથી પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી. અમે મોટર લગાવીએ છતા પાણી આવતુ નથી. પાણીનો પ્રશ્ન હલ કરવા માટે અનેક વખત સ્થાનિક કાઉન્સિલરો તેમજ પાલિકાની કચેરીએ રજૂઆત કરવામાં આવી છે પરંતુ, પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. અમે કોર્પોરેશન દ્વારા જે પાણી વેરો વસુલ કરવામાં આવે છે, છતાં, કોર્પોરેશન દ્વારા પાણી પૂરતા પ્રેશરથી આપવામાં આવતું નથી.
તેમણે કહ્યુ હતુ કે, હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે અત્યારથી જ પાણીની સમસ્યા શરૂ થઇ ગઇ છે પાણી વેચાતુ લાવીને પીવાનો વખત આવ્યો છે. આજે અમે બાપોદ પાણી ટાંકી ખાતે જઇ રજૂઆત કરી હતી. જાે અમારો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં નહી આવે તો હવે કોર્પોરેશનની કચેરીએ માટલા ફોડવાનો કાર્યક્રમ યોજવાની ચીમકી આપી હતી.
નસવાડી,તા.૧૧પુલ બાંધકામના બિલના ૧.૨૦ કરોડની ચુકવણી માટે બિલની રકમના દસ ટકા લાંચની માંગણી કર્યા બાદ ઈજારેદાર પાસેથી બે લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલો નસવાડી પંચાયતના માર્ગ-મકાન વિભાગનો ડે.ઈજનેર હરીશ ચૈાધરી આજે મોડી સાંજે નસવાડીના રેસ્ટ હાઉસમાંથી પોલીસને ચકમો આપી ફરાર થતાં તેને શોધવા એસીબી અને જિલ્લા પોલીસેમાં દોડધામ મચી હતી.
નસવાડી પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નસવાડી તાલુકામાં સ્લેબ ડ્રેન (નાનો પુલ)નું એક ઈજારદારે કામ પુર્ણ કર્યું હતું જે કામ પેટે કુલ ૧.૨૦ કરોડનું બીલ થયું હતું. દરમિયાન ઈજારેદારને બીલના નાણાં ચુકવવાનું મંજુર થતાં માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના ડેપ્યુટી ઈજનેર હરીશ સરદારભાઈ ચૈાધરીએ ઈજારેદાર પાસે બિલ પાસ કરવા માટે બિલના નાણાંના દસ ટકાની લાંચની માગણી કરી હતી. જાેકે વાટાઘાટાના અંતે ૧૦ લાખની રકમ માટે સહમતિ સંધાતા ઈજારેદારે ડેપ્યુટી ઈજનેરને પહેલા બે લાખ રૂપિયા ચુકવ્યા હતા. જાેકે ત્યારબાદ ડે.ઈજનેર હરીશે ઈજારદારને વારંવાર ઓફિસે બોલાવી બાકીના નાણાંની માગણી શરૂ કરી હતી પરંતું ઈજારેદાર તેને વધુ નાણાં આપવા માંગતા ન હોય તેમણે આ અંગેની વડોદરા એસીબીમાં ફરિયાદ કરી હતી.
લાંચિયા ડે.ઈજનેરને ઝડપી પાડવા માટે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં હરીશ ચૈાધરી બે લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતાં એસીબીની ટીમે તેની અટકાયત કરી હતી અને તેની વિરુધ્ધ છોટાઉદેપુર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. લાંચિયા ડેપ્યુટી ઈજનેરને એસીબીની ટીમ પ્રાથમિક કાર્યવાહી બાદ વધુ પુછપરછ માટે નસવાડી રેસ્ટ હાઉસમાં લાવી હતી. આશરે એકાદ કલાકની પુછપરછ બાદ મોડી સાંજે ડે.ઈજનેર એસીબીની ટીમને ચકમો આપી ફરાર થયો હતો. લાંચના ગુનામાં ઝડપાયેલો આરોપી ફરાર થયાની જાણ થતાં જ એસીબીની ટીમે તેની પ્રાથમિક શોધખોળ બાદ આ બનાવની નસવાડી પોલીસને જાણ કરતા જિલ્લા પોલીસમાં પણ દોડધામ મચી હતી. ડે.ઈજનેર આરામથી એસીબીને ચકમો આપીને ફરાર થતાં એસીબીની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી છે.
નસવાડી સરકારી રેસ્ટ હાઉસમાં જ સીસીટીવી કેમેરા નથી
જિલ્લા પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા નહી લગાવીને જાહેરનામાના ભંગ બદલ રોજેરોજ ફરિયાદો નોંધાય છે પરંતું આજે ડે.ઈજનેર ફરાર થવાના બનાવમાં ખુદ નસવાડીના સરકારી રેસ્ટ હાઉસમાં જ સીસીટીવી કેમેરા નહી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. સીસીટીવી કેમેરા નહી હોવાના કારણે લાંચિયા ડે.ઈજનેર ક્યાંથી અને કોની મદદથી ફરાર થયો તેની કોઈ વિગતો પોલીસને મળી નથી. જાેકે ડે.ઈજનેરને બે સ્થાનિક કોન્ટ્રાકટરો ગાડીમાં બેસાડીને ભગાડી ગયાની વિગતો ચર્ચામાં આવતા નસવાડી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
વડોદરા, તા.૧૧
વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક ન્યાય મંદિર ખાતે સિટી હેરીટેજ મ્યુઝિયમ,હેરીટેજ સ્ક્વેર અને ઈન્ટર નેશનલ કલ્ચરલ સેન્ટર ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કામગીરી માટે ડિઝાઈન અને ટેકિ્નકલ એજન્સીની નિમણૂંક કરવા રસ ધરાવતા આર્કિટેક પાસેથી એક્સ પ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે.
શહેરની મધ્યમાં આવેલી ઐતિહાસિક ન્યાયમંદિર ઈમારતને રાજ્ય સરકારે વડોદરા કોર્પોરેશનને સુપ્રત કરાયા બાદ ન્યાયમંદિરમાં સિટી હેરીટેજ મ્યુઝિયમ,ઈન્ટરનેશનલ કલ્ચરલ સેન્ટર તેમજ ન્યાયમંદિર અને આસપાસના વિસ્તારને સિટી હેરીટેજ સ્ક્વેર તરીકે વિકસાવવાનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત ઐતિહાસિક ન્યાયમંદિર ઈમારતની ભવ્યતાને નડતરરૂપ અને વર્ષો જૂના પદ્માવતી શોપીંગ સેન્ટરને દૂર કરવાની ચર્ચા પણ શરૂ થઈ છે.
કોર્પોરેશનને બજેટમાં ન્યાયમંદિરને હેરીટેજ સ્કવેર તરીકે વિકસાવવા માટેની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા આર્કિટેક્ચરલ ફર્મ, એજન્સીસ, આર્કિયોલોજીકલ એન્ડ આર્કિટેક્ચરલ એન્ડ આર્કિટેક્ચરલ કન્ઝર્વેશન ફર્મ ફોર એપોઈન્ટમેન્ટ ઓફ ડીઝાઈન ઓફ સિટી હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ સ્કવેર અને સિટી નેશનલ કલ્ચરલ સેન્ટર માટે અરજીઓ મંગાવી છે.
આ તમામ એજન્સીઓ આવતીકાલથી તેમનું ઈઓઆઈ પાલિકાની કચેરીએ રજૂ કરી શકશે. તા.૧૮મીએ ઈઓઆઈ બીડર સાથે બેઠક અને ત્યાર પછી રસ દાખવનાર એજન્સી સાથે પ્રેજન્ટેશન મિટિંગનું આયોજન કરવામાં આવશે. આમ હવે, પાલિકા તંત્ર દ્વારા ન્યાય મંદિર ખાતે સિટી હેરિટીજ મ્યુઝિયમ ,ઈન્ટરનેશનલ કલ્ચરલ સેન્ટર તેમજ ન્યાય મંદિર, સુરસાગર અને આસપાસના વિસ્તારને હેરિટેજ સ્કવેર તરીકે વિકસાવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં અનેક ઐતિહાસિક ધરોહર છે. ત્યારે ન્યાયમંદિર અને આસપાસના વિસ્તારોને સિટી હેરિટેજ સ્કવેર તરીકે વિકસાવી તેને વડોદરાને હેરીટેજ સિટીનો દરજ્જાે મળે તે માટેના પ્રયાસો પણ દંડક બાળકૃષ્ણ શુક્લએ હાથ ધર્યા છે.
વડોદરા, તા. ૭
સાઈક્લોન સક્ર્યુલેશનના કારણે સતત એક મહિનાથી વાદળછાયા વાતાવરણ અને માવઠાંના કારણે ઉનાળામાં પણ ચોેમાસાનો અહેસાસ શહેરીજનોને થયો હતો. સાયકલોનનો વેગ ફંટાઈ જતા કાળઝાળ ગરમીની અનુભૂતિ શહેરીજનોને છેલ્લા બે દિવસથી થઈ રહી છે ત્યારે આજે ઉનાળાની ઋતુમાં સૌ પ્રથમવાર મહત્તમ તાપમાનનો પારો ૩૮.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા બપોર દરમ્યાન મોટાભાગના રોડ – રસ્તા સુમસામ જાેવા મળ્યા હતા. તે સિવાય ઉત્તર - પશ્ચિમ દિશા તરફથી તેર કીમીની ઝડપે ગરમ પવન ફૂંકાતા લૂ સહિતની વાયરલ બિમારીઓમાં વધારો જાેવા મળ્યો હતો.
ઉનાળાની શરુઆત બાદ સતત સાયકલોન સક્ર્યુલેશનના કારણે વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને પગલે ઠંડકની સાથે બફારાની સ્થિતીનો અહેસાસ શહેરીજનોને થયો હતો. છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાતા બળબળતા તાપનો અહેસાસ શહેરીજનોને થયો હતો. આજે પણ દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો મહત્તમ તાપમાનમાં નોંધાતા ઉનાળાની ઋતુ દરમ્યાન સૌ પ્રથમવાર તાપમાનનો પારો ૩૮.૬ ડીગ્રી નોંધાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. અસહ્ય ગરમીને પગલે મોટાભાગના રોડ રસ્તા બપોર દરમ્યાન સુમસામ નઝરે પડયા હતા. ઠેકઠેકાણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લૂ થી બચવા માટેના પ્રયાસો અને લૂ લાગે ત્યારે કેવા પ્રકારના ઉપચાર કરવા તે માટેની ગાઈડલાઈન પણ બહાર પાડી દેવામાં આવી છે. તે સિવાય અન્ય વાયરલ બિમારીઓ જેમકે તાવ , શરદી , ખાંસી અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતા શહેરના વિવધ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં દર્દીઓની ભારે ભીડ જાેવા મળી હતી. તે સિવાય કેરી , તડબૂચ , શક્કરટેટી જેવા ફળો બજારમાં જાેવા મળી રહ્યા છે જ્યારે લીલી શાકભાજીના ભાવમાં વધારો જાેવા મળ્યો હતો. આજે દિવસ દરમ્યાન તાપમાનના પારામાં ૧.૨ ડીગ્રી સેન્ટીગ્રેડના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૩.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૫૨ ટકાની સાથે સાંજે ૧૨ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૧૦.૨ મીલીબાર્સની સાથે ઉત્તર - પશ્ચિમ દિશા તરફથી ૧૩ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા.