અમદાવાદની વિમાન દુર્ઘટનાના મૃતદેહોને રાખવા માટે વડોદરાના વેપારીને એર ઈન્ડિયાએ માત્ર ૨૪ કલાકમાં ૧૭૦ કોફિન બનાવવાનો ઓર્ડર આપ્યો છે. વેપારી નેલ્વિન રજવાડીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, એમને એક સાથે આટલા બધા કોફિન બનાવવાનો ઓર્ડર મળશે. દિવસ-રાત મહેનત કરીને એમની ટીમે એટલા કોફિન તૈયાર કરી દીધા છે કે, એમને મૂકવા માટે મેદાન પણ નાનું પડી રહ્યું છે. આંખમાં આંસુ સાથે વેપારી નેલ્વિન કહે છે કે, ફરીવાર જાે આટલા બધા કોફિન બનાવવાનો ઓર્ડર મળશે તો હું ધંધો જ છોડી દઈશ..! (વધુ અહેવાલ અંદરના પાને) તસવીર : કેયુર ભાટિયા
ઈઝરાયલ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં ૧૩૮ ઇરાનીયન નાગરિકોના મોત થયા છે. જેમા ૯ ૯ પરમાણુ સાયન્ટિસ્ટનો પણ સમાવેશ થાય છે. શુક્રવારે રાત્રે ૧૦:૩૦ વાગ્યે ઇઝરાયલે બીજી વખત ઇરાનના પરમાણુ સ્થાપનો પર ફાઇટર જેટથી હુમલો કર્યો. જેમાં ભારે ખાનાખરાબી થઇ હતી. હુમલામાં ૬૦ લોકો માર્યા ગયા જ્યારે ૩૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. અગાઉ, શુક્રવારે સવારે ૫:૩૦ વાગ્યે થયેલા હુમલામાં ૭૮ લોકોના મોત થયા હતા, જેમાં ૯ પરમાણુ વૈજ્ઞાનિકો અને ૨૦થી વધુ ઇરાની કમાન્ડરનો પણ સમાવેશ થાય છે.
ઈરાને ઇઝરાયલના રક્ષા મંત્રાલયને પણ મિસાઇલોથી નિશાન બનાવ્યું છે. દરમિયાન, ઓછામાં ઓછી ૮ મિસાઇલો રક્ષા મંત્રાલય પર ઝીંકી હતી. જાેકે, ઇઝરાયલે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂને ઈરાન તરફથી હુમલાના ભયને કારણે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઇઝરાયલે એક દિવસ પહેલા શુક્રવારે સવારે ૫:૩૦ વાગ્યે ઈરાની પરમાણુ મથકો અને અનેક લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતા. આમાં, ૬ પરમાણુ વૈજ્ઞાનિકો અને ૨૦થી વધુ લશ્કરી કમાન્ડર માર્યા ગયા હતા. ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાન પર હુમલો કરવાનો ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રીને જણાવ્યું હતું કે, તેહરાન હવે સુરક્ષિત નથી. ઈરાનની રાજધાની હવે ઇઝરાયલી હુમલાઓથી બચી શકશે નહીં. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ ઈઝરાયલી હુમલામાં માર્યા ગયેલા ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના વાયુસેનાના નવા ચીફની નિમણૂક કરી છે. ઈરાનની ન્યૂઝ એજન્સી મેહર અનુસાર, અમીરલી હાજીઝાદેહના સ્થાને માજિદ મુસાવીને કમાન્ડર બનાવવામાં આવ્યા છે. શુક્રવારે ઇઝરાયલી હુમલામાં એરોસ્પેસ ચીફ અમીરલી હાજીઝાદેહ, ૯ પરમાણુ વૈજ્ઞાનિકો અને ૨૦થી વધુ ઈરાની કમાન્ડરો સાથે માર્યા ગયા હતા. ઇઝરાયલી સેનાએ શુક્રવારે સવારે ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની શરૂઆતમાં માર્યા ગયેલા નવ ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોના નામ જાહેર કર્યા છે. સેનાનો દાવો છે કે તેઓએ ઈરાનના પરમાણુ બોમ્બ બનાવવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ગત ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ ઘટનાના ૪૮ કલાકમાં એટલે કે ૧૪ જૂન, ૨૦૨૫ ના રોજ બપોરે ૩ વાગ્યે DNA મેચ થતા પહેલી ડેડબોડી પરિવારજનોને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ ૧૨૦૦ બેડ હોસ્પિટલના ગેટ પરથી ડેડબોડી લઇ એમ્બ્યુલન્સ બહાર નીકળી હતી. સિવિલ હોસ્પિટલ બહાર ૧૯૨ એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય રાખી અને ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટે લાવવામાં આવેલી અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગ ઉપર વિમાનની ટેલ અથડાઈ હતી. જે ટેલમાંથી આજે સવારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ સાધનોની મદદથી પ્લેનનો કાટમાળ કાપી અને એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે જે એર હોસ્ટેસનો હોવાની શક્યતા છે.
અમદાવાદ ફાયર બ્રિગેડનો એક કર્મચારી મહા મહેનતે અંદર સુધી ગયો હતો અને તેને સાધનોથી આગળનો ભાગ કાપ્યો હતો. ત્યારબાદ દોરડા વડે તેને બાંધી અને થોડો ખેંચવામાં આવ્યો હતો જે બાદ મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બિલ્ડીંગના ધાબા ઉપરથી મૃતદેહ કાઢવામાં આવ્યું હતું અને જેને એક કપડામાં બાંધી અને ત્યારબાદ તેને દોરડા વડે નીચે ઉતારવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે, ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ બપોરે ૧:૩૮ વાગ્યે ૪૦ થી ૪૨ ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-૧૭૧ ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ ૧:૪૦ વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડમાં પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું.
આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ક્રૂ-મેમ્બર્સ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ ૨૪૨ મુસાફરો હતા. જેમાં ૧૬૯ ભારતીય, ૫૩ બ્રિટિશ, ૭ પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના ૧૨ ક્રૂ-મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ-મેમ્બર અને પ્રવાસીઓ મળીને ૨૪૧નાં મોત થયા છે. જ્યારે ડોકટર્સની હોસ્ટેલ અને આસપાસના વિસ્તારમાં હાજર રહેલા અન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા.
સૂર્યની વધતી જતી પ્રવૃત્તિ પૃથ્વી પરથી આવતા ઉપગ્રહોને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે, ખાસ કરીને એલોન મસ્કના સ્પેસએક્સ દ્વારા લોન્ચ કરાયેલા સ્ટારલિંક નક્ષત્રના ઉપગ્રહો માટે તે ખતરનાક બની રહી છે.
યુએસ સ્પેસ એજન્સી નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના અવકાશ ભૌતિકશાસ્ત્રી ડેની ઓલિવેરાએ છેલ્લા કેટલાક વર્ષોમાં પૃથ્વી પર પાછા પડી ગયેલા ૫૨૩ સ્ટારલિંક ઉપગ્રહો પર એક અભ્યાસનું નેતૃત્વ કર્યું છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સૂર્યમાં વિસ્ફોટોથી સર્જાયેલા ભૂ-ચુંબકીય તોફાનો વાતાવરણમાં ખેંચાણ વધારે છે અને તેના કારણે ઉપગ્રહો ભ્રમણકક્ષામાંથી પડીને ઝડપથી વાતાવરણમાં ફરી પ્રવેશ કરે છે.
નાસા ટીમે આ અભ્યાસમાં લખ્યું છે, "તે સ્પષ્ટ છે કે વર્તમાન સૌર ચક્રની મજબૂત સૌર પ્રવૃત્તિએ સ્ટારલિંક ઉપગ્રહો પર મોટી અસર કરી છે. નીચા-પૃથ્વી ભ્રમણકક્ષા અને સૌર પ્રવૃત્તિમાં ઉપગ્રહોની સંખ્યા માનવ ઇતિહાસમાં સૌથી વધુ છે."
સાયન્સ એલર્ટ મુજબ, સૌર ચક્ર એ ૧૧ વર્ષનો સમયગાળો છે જેમાં સૂર્યની ગતિવિધિઓમાં વધઘટ થાય છે. તેમાં સૂર્યના ધ્રુવોનું ચુંબકીય ઉલટું, સૌર જ્વાળાઓ અને કોરોનલ માસ ઇજેક્શનનો સમાવેશ થાય છે. જ્યારે ધ્રુવો ફેરવાય છે અને ન્યૂનતમ ઘટે છે ત્યારે તે ટોચ પર પહોંચે છે. આ ૨૫મા ચક્રનું ઉચ્ચતમ સ્તર છે, જે આગાહી કરતા વધુ મજબૂત છે, જો કે તે રેકોર્ડ કરાયેલ સૌથી મજબૂત ચક્ર નથી.
આનાથી બધા નીચા ભ્રમણકક્ષાના ઉપગ્રહોને અસર થઈ છે. સ્પેસએક્સના સ્ટારલિંક નક્ષત્રમાં ૮,૮૭૩ ઉપગ્રહો છે અને ૭,૬૬૯ હાલમાં કાર્યરત છે. ઉપગ્રહ કામગીરી પર ટોચની સૌર પ્રવૃત્તિની અસરનું વિશ્લેષણ કરવા માટે આ એક અનોખો કેસ સ્ટડી છે. આ માટે ઉપગ્રહોને તેમના માર્ગ પર રહેવા માટે ગોઠવણો કરવાની જરૂર પડે છે અને કેટલાક ઉપગ્રહો વધતા ખેંચાણને કારણે ભ્રમણકક્ષામાંથી પડી શકે છે.
સ્પેસએક્સના સ્ટારલિંક ઉપગ્રહો ઘણા દેશોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરે છે, જેમાં મર્યાદિત અથવા કોઈ કનેક્ટિવિટી ન હોય તેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. સ્ટારલિંક ઉપગ્રહોનું આયુષ્ય સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછું હોય છે. આ પછી, આ ઉપગ્રહો વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરે છે અને પૃથ્વી પર પહોંચતા પહેલા બળી જાય છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ : ઘટના સદર્ભે આપી તમામ માહિતી
અમદાવાદ વિમાન દુર્ઘટના પર નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન દુર્ઘટના અંગેની કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, "૬૫૦ ફૂટની ઊંચાઈએ વિમાન ખરાબ થયું હતું. પાઇલટે ઇમરજન્સી કોલ આપ્યો હતો." આ અકસ્માત બપોરે ૧:૪૦ વાગ્યે થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વિમાન એરપોર્ટથી બે કિલોમીટરના અંતરે ક્રેશ થયું હતું. મંત્રાલયને અકસ્માતની માહિતી બપોરે ૨ વાગ્યે મળી હતી, જ્યારે સાંજે ૬ વાગ્યે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
મંત્રી રામ મોહન નાયડુએ માહિતી આપી કે, આ અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. અકસ્માત સ્થળ પરથી ગઈકાલે (શુક્રવારે, ૧૩ જૂન, ૨૦૨૫) સાંજે ૫ વાગ્યે બ્લેક બોક્સ મળી આવ્યું હતું, જેની તપાસ હજુ બાકી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે અકસ્માતનું કારણ શોધવામાં થોડો સમય લાગી શકે છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમીર કુમાર સિંહાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, "વિમાન બપોરે ૧:૩૯ વાગ્યે ઉડાન ભરી હતી. લગભગ ૬૫૦ ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી, તેની ઊંચાઈ ઘટવા લાગી. પાઇલટે બપોરે ૧:૩૯ વાગ્યે ATC (એર ટ્રાફિક કંટ્રોલ) ને સંપૂર્ણ કટોકટીની જાણ કરી. ATC ના જણાવ્યા અનુસાર, જ્યારે તેણે વિમાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને કોઈ પ્રતિસાદ મળ્યો નહીં. ૧ મિનિટ પછી, વિમાન એરપોર્ટથી ૨ કિમી દૂર મેઘાણી નગર ખાતે ક્રેશ થયું."
તેમણે ઉમેર્યું કે, આ અકસ્માત પહેલા, વિમાને પેરિસથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ કોઈપણ ઘટના વિના પૂર્ણ કરી હતી. અકસ્માતને કારણે, એરપોર્ટ બપોરે ૨:૩૦ વાગ્યે બંધ કરવામાં આવ્યું હતું. બધા પ્રોટોકોલ પૂર્ણ કર્યા પછી તેને સાંજે ૫ વાગ્યે ખોલવામાં આવ્યું હતું.
Loading ...