ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા પર જઈ રહેલા ભારતીય નાગરિકો માટે વિદેશ મંત્રાલયે મહત્વની એડવાઇઝરી જાહેર કરી છે.
મંત્રાલયે જણાવ્યું છે કે પ્રાઈવેટ ટૂર ઓપરેટરો દ્વારા ચીનના જરૂરી એન્ટ્રી પરમિટ અને વિઝા મેળવ્યા વિના જ યાત્રા પર નીકળેલા અનેક ભારતીય નાગરિકો હાલ નેપાળમાં અટવાયા છે. જેમના તરફથી મદદ માટે વિનંતીઓ મળી રહી છે. હાલ આવા અંદાજે બાવન ભારતીય શ્રદ્ધાળુઓ નેપાળના કાઠમંડુમાં ફસાયા છે..વિદેશ મંત્રાલયે દેશના નાગરિકોને સ્પષ્ટ સલાહ આપી છે કે જ્યાં સુધી સંપૂર્ણ પ્રવાસ માટેના તમામ જરૂરી પ્રવાસ દસ્તાવેજાે હાથમાં ન આવી જાય, ત્યાં સુધી ભારતમાંથી પોતાની યાત્રા શરૂ ન કરવી. અધૂરા દસ્તાવેજાે સાથે અથવા વિઝા મળી જશે તેવી આશાએ પ્રવાસ શરૂ કરવાથી અધવચ્ચે અટવાઈ જવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે.
આ ઉપરાંત, મંત્રાલયે શ્રદ્ધાળુઓને ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ જે ટૂર ઓપરેટર સાથે જઈ રહ્યા છે તે સત્તાવાર રીતે રજિસ્ટર્ડ અને પ્રમાણિત છે કે નહીં તેની પણ અગાઉથી ખાતરી કરી લે.
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ચઢાવાની ચોરીના મામલામાં પોલીસની તપાસ અત્યંત વેગીલી બની છે. મુખ્યમંત્રી યોગીના આદેશ પર ગઠિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના પ્રારંભિક અહેવાલ બાદ પોલીસે રવિવારે વહેલી સવારે ધરપકડ કરાયેલા તમામ આઠ આરોપીઓના નિવાસસ્થાને એકસાથે દરોડા પાડ્યા છે. આ અગાઉ પોલીસ આરોપીઓ પાસેથી ૮૦ લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ રિકવર કરી ચૂકી છે, રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક સુમિત શ્રીવાસ્તવના નેતૃત્વમાં પોલીસ ટીમોએ રામધામ સ્થિત સ્વર્ગદ્વાર મહોલ્લામાં રહેતા અને ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના ખૂબ નજીકના ગણાતા રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ, કૌશલપુરીના અનુકલ્પ મિશ્રા અને રુદૌલીના લવકુશ મિશ્રા સહિત તમામ આરોપીઓના આવાસ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓના પરિવારજનો અને પડોશીઓની પણ પૂછપરછ કરીને માહિતી એકત્ર કરી છે. પોલીસ હવે તપાસ કરી રહ્યું છે કે મંદિરમાં નોટો ગણવાની કામગીરીમાં જાેડાયા પહેલા આ લોકોની આર્થિક સ્થિતિ કેવી હતી અને હાલ તેમની પાસે કેટલી સંપત્તિ છે.
ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે રવિવારે જંતર-મંતર ખાતે ભૂખ હડતાળ શરૂ કરી હતી, જ્યાં કોકરોચ જનતા પાર્ટી ૨૦ જૂનથી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહી છે.
વાંગચુકે ઉપવાસ શરૂ કર્યા ત્યારે સેંકડો વિરોધીઓ, જેમાં મોટાભાગે યુવાનો અને વિદ્યાર્થીઓ હતા, જંતર-મંતર પર એકઠા થયા હતા. વિરોધ સ્થળ પર ઘણા ખેડૂત નેતાઓ પણ હાજર હતા. ભૂખ હડતાળ શરૂ કરતા પહેલા, વાંગચુક અને CJPના સ્થાપક અભિજીત દીપકેએ રાજઘાટની મુલાકાત લઇ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. દિપક્કે ભૂતકાળમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સંગઠનોને વિરોધ પ્રદર્શનમાં જાેડાવા અને મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ સહિત પરીક્ષા પ્રણાલીમાં કથિત અનિયમિતતાઓ અંગે જવાબદારીના આહ્વાનને સમર્થન આપવા અપીલ કરી છે. રવિવારે સવારે, તેમણે એકસ પર કહ્યું કે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના ઘણા ખેડૂત નેતાઓને જંતર-મંતર પહોંચતા અટકાવવા માટે નજરકેદ કરાઇ રહ્યા છે.
પશ્ચિમ એશિયામાં એકવાર ફરી તણાવ વધી ગયો છે. અમેરિકાએ શનિવારે ઈરાનના વધુ એક સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો. આ કાર્યવાહી સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે પનામાના ધ્વજવાળા એક તેલ ટેન્કર પરથયેલા હુમલા બાદ કરવામાં આવી છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાને યુદ્ધવિરામ સમજુતિનું ઉલ્લંઘન કર્યું, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જાે ઈરાન નહીં માને તો તેનું અસ્તિત્વ ખતમ થઈ શકે છે.
અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી છે. આ હુમલો સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે એક તેલ ટેન્કર પર ડ્રોન હુમલા બાદ કરાયો. તેનાથી બે સપ્તાહ પહેલા થયેલા શાંતિ કરાર છતાં બંને દેશો વચ્ચે ફરી તણાવ વધી ગયો છે.અમેરિકી સેના અનુસાર સવારે આશરે ૪.૩૦ કલાકે પનાનાના ઝંડાવાળા તેલ ટેન્કર એમ/ટી કિકુ પર ડ્રોન હુમલો થયો. આ ટેન્કર સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે બે મિલિયનથી વધુ બેરલ કાચુ તેલ લઈને પસાર થઈ રહ્યું હતું. અમેરિકાએ આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે નિવેદન જાહી કરી કહ્યું કે રાષ્ટ્રપતિના નિર્દેશ પર આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી. એક દિવસ પહેલા પણ ઈરાન સાથે જાેડાયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ કાર્યવાહી કરી હતી, પરંતુ ઈરાનને યુદ્ધવિરામનું પાલન કરવાની તક આપવામાં આવી. તેમ છતાં ઈરાની સેનાએ ડ્રોન હુમલો કર્યો, જેથી અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરી.અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર ઈરાનને ચેતવણી આપી. તેમણે કહ્યું કે અમેરિકી વિમાનોએ યુદ્ધવિરામ સમજુતિનું વારંવાર ઉલ્લંઘન કરવા પર ઈરાનની મિસાઈલ, ડ્રોન ભંડાર અને રડાર સિસ્ટમ પર હુમલો કર્યો છે.
રવિવારે પૂર્વી ફ્રાન્સમાં એક દુ:ખદ વિમાન દુર્ઘટના બની. સ્કાયડાઇવિંગ મિશન પર રહેતું એક નાનું નાગરિક વિમાન ક્રેશ થયું, જેમાં સવાર તમામ ૧૧ લોકોના મોત થયા. આ અકસ્માત ટોમ્બલોન પ્રદેશમાં નેન્સી-એસે એરફિલ્ડ નજીક થયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાને ટેકઓફ કર્યા પછી તરત જ કાબુ ગુમાવ્યો અને ક્રેશ થયું. પોલીસ, અગ્નિશામકો અને તબીબી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. વિસ્તારને ઘેરી લીધો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અહેવાલો દર્શાવે છે કે વિમાન પેરાશૂટ તાલીમ સંસ્થાનું હતું. તેમાં એક પાઇલટ, પાંચ ટ્રેનર અને પાંચ ઇન્ટર્ન સવાર હતા. કમનસીબે, અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં સવાર કોઈ પણ વ્યક્તિ બચી શક્યો નહીં. સ્થાનિક અધિકારીઓએ તપાસ અને બચાવ પ્રયાસોમાં અવરોધ ન આવે તે માટે લોકોને ક્રેશ સ્થળથી દૂર રહેવા વિનંતી કરી છે. ઘટનાસ્થળે સુરક્ષા પણ કડક કરવામાં આવી છે.
Loading ...
