સેરામ ટાપુ પર ૫.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ગભરાટ
૨૧ એપ્રિલ ૨૦૨૫, સોમવારના રોજ ઈન્ડોનેશિયાના સેરામ ટાપુ પર ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિલોમીટર નીચે હતું. ઊંડાઈને કારણે આંચકા જાેરદાર અનુભવાયા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપ સુલાવેસીનાસેરામ ટાપુ પર કોટામોબાગુથી દક્ષિણપૂર્વમાં રાત્રે ૧૧:૫૦ વાગ્યે આવ્યો હતો.
ઇન્ડોનેશિયાના ભૂંકપના આંચકા ઉત્તર ભારતમાં અનુભવાયા
બે દિવસ પહેલાં ૧૯ એપ્રિલ ૨૦૨૫, શનિવારે બપોરે ૧૨:૧૮ વાગ્યે દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભારતના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં જમીનથી ૧૩૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૮ નોંધાઈ હતી. કેન્દ્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપ આવે ત્યારે તેના આંચકા દિલ્હી અને ઉત્તર ભારતમાં અનુભવાય છે. ભૂકંપનું કેન્દ્ર ઊંડું હોવાથી દિલ્હીમાં તેની અસર નજીવી રહી અને માત્ર હળવા આંચકા લાગ્યા.
વિશ્વના ૯૦ ટકા ભૂકંપ રિંગ ઓફ ફાયર વિસ્તારમાં આવે છે
ઈન્ડોનેશિયા પેસિફિક મહાસાગરના કિનારે આવેલું છે અને ભૂકંપ અને જ્વાળામુખી ગતિવિધિઓની દૃષ્ટિએ વિશ્વના સૌથી જાેખમી પ્રદેશો પૈકીનું એક છે. આ વિસ્તાર ‘રિંગ ઓફ ફાયર’ તરીકે ઓળખાય છે, જે પેસિફિક ટેક્ટોનિક પ્લેટની સીમાઓ સાથે જાેડાયેલો છે. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણના અહેવાલ અનુસાર, વિશ્વના ૯૦ ટકા ભૂકંપ આ રિંગ ઓફ ફાયર વિસ્તારમાં આવે છે. જે વિશ્વના ૭૫ ટકા સક્રિય જ્વાળામુખીઓનું ઘર છે અને ૮૧ ટકા મોટા ભૂકંપોનું કેન્દ્ર છે. પ્રદેશમાં ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે ભૂગર્ભમાં સતત ગતિવિધિઓ થતી રહે છે, જે ભૂકંપ અને ક્યારેક સુનામીનું કારણ બને છે. ઈન્ડોનેશિયામાં આવેલા આ ભૂકંપે ફરી એકવાર આ પ્રદેશની ભૂસ્તરશાસ્ત્રીય અસ્થિરતાને પ્રકાશિત કરી છે.
સેરામ ટાપુ પર નુકશાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ કરાઇ
સેરામ ટાપુ પર આવેલા ભૂકંપની તીવ્રતા ૫.૫ હોવા છતાં, તેનું કેન્દ્ર નજીકની સપાટીએ હોવાથી આંચકા વધુ તીવ્ર લાગ્યા. સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક નુકસાનનું મૂલ્યાંકન શરૂ કર્યું, અને લોકોને શાંતિ જાળવવા અને સલામત સ્થળોએ રહેવાની સૂચના આપી. ઈન્ડોનેશિયાની ભૂકંપની આગાહી અને ચેતવણી પ્રણાલીએ આ ઘટનાને ઝડપથી નોંધી, જેનાથી સુનામીની સંભાવનાને નકારી કાઢવામાં આવી. ઘટનાએ ભૂકંપ-સંવેદનશીલ વિસ્તારોમાં આધુનિક ચેતવણી પ્રણાલીઓ અને બાંધકામ ધોરણોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
નવી દિલ્હી,દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. મુસ્તફાબાદ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં કાટમાળ નીચે દટાઈ જવાથી ૧૧ લોકોના મોત થયા હતા. બચાવ ટીમે તમામ ૧૧ મૃતદેહો બહાર કાઢ્યા છે. જ્યારે ૫ ગંભીર રીતે ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગેના વીડિયો પણ સામે આવ્યા છે. દિલ્હી પોલીસે મુસ્તફાબાદ અકસ્માતમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની યાદી જાહેર કરી. આ યાદી મુજબ, મકાન માલિક, તહસીન, જે ૬૦ વર્ષના હતા, તેમણે આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા ૧૧ લોકોમાંથી ૮ લોકો એક જ પરિવારના હતા. મૃતકોમાં ૩ મહિલાઓ અને ૪ બાળકોનો સમાવેશ થાય છે. ઇમારતના કાટમાળ નીચે દટાઈ જવાથી અને ઘાયલ થવાથી ૧૧ લોકોના મોત થયા હતા. ઘાયલોમાંથી ૬ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ૫ દર્દીઓ સારવાર હેઠળ છે.
જલંધર,પંજાબ પોલીસે બે ગુપ્તચર કામગીરીમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને આઇએસઆઇ દ્વારા વિદેશથી સંચાલિત આતંકવાદી મોડ્યુલનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે ૧૩ આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી મોટી માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. પહેલા કેસમાં, જાલંધર સીઆઈએ પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ જતિન્દર ઉર્ફે હની, જગજીત ઉર્ફે જગ્ગા (કપુરથલા), હરપ્રીત અને જગરૂપ (હોશિયારપુર) તરીકે થઈ છે. આરોપીઓ વિરુદ્ધ એસએસઓસી અમૃતસર ખાતે યુએપીએ અને વિસ્ફોટકો કાયદા હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. બીજા કેસનો માસ્ટરમાઈન્ડ, સતનામ સિંહ ઉર્ફે સટ્ટા, હોશિયારપુરનો રહેવાસી છે. પોલીસે આરોપીઓના કબજામાંથી ૨ આરપીજી (એક લોન્ચર), ૨ આઇઇડી (૨.૫ કિલોગ્રામ દરેક), ડેટોનેટર સાથે ૨ હેન્ડ ગ્રેનેડ, રિમોટ કંટ્રોલ સાથે ૨ કિલો આરડીએક્સ, ૫ પિસ્તોલ (બેરેટા અને ગ્લોક), ૬ મેગેઝિન, ૪૪ જીવંત કારતૂસ, ૧ વાયરલેસ સેટ અને ૩ વાહનો જપ્ત કર્યા છે. કેસની માહિતી આપતાં, આરોપીઓના ફ્રાન્સ સ્થિત જેપી નડ્ડા સાથેના સંબંધો પ્રકાશમાં આવ્યા છે. બીજા કેસમાં, એક સગીર સહિત ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મોડ્યુલનું સંચાલન જસવિંદર મન્નુ અગવાન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે પાકિસ્તાન સ્થિત હરવિંદર રિંડા સાથે સંકળાયેલા છે. આ આતંકવાદી મૂળ ગુરદાસપુરનો છે, જે ગ્રીસથી ગેંગ ચલાવી રહ્યો છે. આ કેસમાં, પોલીસે આરોપીઓના કબજામાંથી ૧ આરપીજી લોન્ચર, ૨ પિસ્તોલ (બેરેટા અને ગ્લોક), ૧૦ કારતૂસ, ૩ વાહનો જપ્ત કર્યા છે.
ઢાકા, ભાવેશ રોય બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદના બિરાલ એકમના ઉપપ્રમુખ હતા.બાંગ્લાદેશમાં એક મોટા હિન્દુ નેતાની અજાણ્યા લોકોએ હત્યા કરી દીધી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાવેશ ચંદ્ર રોય (૫૮)નું ગુરુવારે બપોરે તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને માર મારીને હત્યા કરવામાં આવી હતી.તેઓ બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદના બિરાલ એકમના ઉપપ્રમુખ હતા. હિન્દુ સમુદાયમાં તેમનો ભારે પ્રભાવ હતો. પોલીસે જણાવ્યું હતું કે તેઓ ઢાકાથી લગભગ ૩૩૦ કિમી દૂર દિનાજપુરના બસુદેવપુર ગામના રહેવાસી હતા.બે બાઇક પર ચાર લોકો આવ્યા અને તેમને બળજબરીથી ઉઠાવી ગયા
ભાવેશ ચંદ્ર રોયની પત્ની શાંતાનાએ જણાવ્યું કે ગુરુવારે સાંજે લગભગ ૪:૩૦ વાગ્યે તેમના પતિને એક ફોન આવ્યો. ફોન કરનાર ફક્ત એ જાણવા માગતો હતો કે ભાવેશ ઘરે છે કે નહીં. લગભગ અડધા કલાક પછી બે બાઇક પર ચાર માણસ તેમના ઘરે આવ્યા અને ભાવેશને બળજબરીથી લઈ ગયા.નજરે જાેનારના જણાવ્યા અનુસાર, તેને નજીકના નારાબારી ગામમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમને ર્નિદયતાથી માર મારવામાં આવ્યો. ગુરુવારે સાંજે જ હુમલાખોરોએ ભાવેશને બેભાન અવસ્થામાં વાનમાં તેના ઘરે મોકલી દીધો. તેમને પહેલા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પછી દિનાજપુર મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.બિરાલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અબ્દુસ સબુરે જણાવ્યું હતું કે આ મામલે કેસ નોંધવાની તૈયારી ચાલી રહી છે. પોલીસ શંકાસ્પદોની ઓળખ કરવા અને ધરપકડ કરવા માટે તપાસ કરી રહી છે. ભાવેશની પત્ની શાંતાનાએ કહ્યું હતું કે તે બે હુમલાખોરોને ઓળખી શકે છે.
બાંગ્લાદેશની સરકારને ૈંસ્હ્લનો ઝટકો : પાકિસ્તાન જેવી હાલત?
બાંગ્લાદેશમાં સત્તા- પરિવર્તન પછી તેના દેશની આર્થિક સ્થિતિ અત્યંત બેહાલ થઈ ગઈ છે. ગરીબીમાં પીસાતા બાંગ્લાદેશને હવે કરજ લેવું પડે તેમ છે પરંતુ ઠેકઠેકાણેથી તેને જાકારો મળી રહ્યો છે. ઠેર- ઠેર ઠોકરો ખાય છે, મદદ મળતી નથી. તાજેતરમાં તેણે આઇ.એમ.એફ. પાસેથી ૪.૭ બિલિયન ડોલરની સહાય માગી જે હપ્તે હપ્તે આપવા આઇ.એમ.એફ. તૈયાર થયું પરંતુ ચોથા અને પાંચમા હપ્તા પહેલા જ તેણે ૪ મુખ્ય શર્તો પૂરી કરવા કહ્યું તે પરિસ્થિતિમાં હવે તેને કરજ (લોન) લેવામાં મુશ્કેલી ઉભી થાય તેમ છે. આ ચાર શર્તો પૈકી સૌથી મહત્ત્વપૂર્ણ શર્ત, મહેસુલ તેમજ ટેક્સેસનની આવક વધારવાની છે. તેણે બજાર પર આધારિત નહી તેવો ગણતરી બહારનો વિનિમય દર પાટા પર ચઢાવવા, તથા બેફામ આપવી પડતી સબ્સીડી રોકવા તથા બેન્કિંગ ક્ષેત્રમાં ચાલી રહેલી ગેરરીતિઓ અને તે ક્ષેત્રની તદ્દન નબળી કાર્યવાહી સુધારવા તાકીદ કરી છે. આ પગલાઓનો અમલ બરોબર થાય છે કે કેમ તે જાેવા માટે આઠ દિવસથી આઇ.એમ.એફ.ની ટીમના વરિષ્ઠ અધિકારીઓ ઢાકામાં પડાવ નાખી પડયા છે પરંતુ હજી લોનનો બીજાે ભાગ મંજૂર કર્યો નથી. સવાલ તે ઉપસ્થિત થાય છે કે, હવે મોહમ્મદ યુનુસ કરશે શું ?
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ભારતે ફટકાર લગાવતાં કહ્યું- હવે બહાના બંધ કરો
બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ નેતા ભાવેશ ચંદ્ર રોયની ક્રૂર હત્યા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશની વચગાળાની સરકારને લઘુમતીઓના રક્ષણની જવાબદારીથી ભાગવા અને બહાના બનાવવાનું બંધ કરવા જણાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી નેતા ભાવેશ ચંદ્ર રોયના અપહરણ અને ક્રૂર હત્યાથી અમને દુ:ખ થયું છે. આ ઘટના બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પરના અત્યાચારોની શ્રેણીનો ભાગ લાગે છે, જ્યારે જૂના કેસોના ગુનેગારો હજુ પણ મુક્તપણે ફરે છે.
Loading ...