મુખ્ય સમાચાર

  • ગુજરાત

    સત્તાધીશોમાં સોંપો પડી ગયો!

    વડોદરા, તા. ૧૬રાજયભરમાં ચર્ચા જગાડનારા ગુજરાત પબ્લિક યુનિ.બિલ-૨૦૨૩ આજે વિધાનસભામાં બહુમતિના જાેરે મંજુર કરવામાં આવતા વિશ્વવિખ્યાત મ.સ.યુનિ.ની સ્વાયત્તતાનો અંત આવ્યો છે જેને પગલે યુનિ.ના સત્તાધીશોમાં સોંપો પડી ગયો છે. આ કોમન એક્ટ બિલનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જયારે મ.સ. યુનિ.ના કેટલાક સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ આ બિલને આવકારી હવે મ.સ.યુનિ.નું શૈક્ષણીક સ્તર ઉંચુ આવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. રાજયભરની ૧૧ યુનિ.ને સંલગ્ન ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ-કોમન એક્ટ બિલ વિધેયકને ગત ૨૦૦૪, ૨૦૧૬ અને ૨૦૨૧માં મંજુર કરવા માટે પ્રયાસો કરાયા હતા પરંતું તેનો વિરોધ થતાં તે મંજુર થઈ શક્યું નહોંતું. ચાલુ વર્ષે પણ આ બિલ ફરી વિધાનસભામાં રજુ કરવામાં આવ્યું હતું જેનો કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વિરોધ કરી બિલના વિરોધમાં મતદાન કર્યું હતું પરંતું ચર્ચાના અંતે બહુમતિના જાેરે આ બિલને મંજુરી મળી હતી. કોમન એક્ટ બિલ પાસ થયાની જાણ થતાં જ યુનિ.ના સત્તાધીશોમાં સોંપો પડી ગયો છે. આજે મંજુર થયેલા કોમન એક્ટ બિલથી વડોદરાની વિશ્વવિખ્યાત મ.સ.યુનિ.ની પણ સ્વાયત્તતા સમાપ્ત થતી હોઈ તેનો યુનિ.ના સેનેટ સભ્યો અને સિન્ડિકેટ સભ્યો અને શૈક્ષણીક આલમમાં મિશ્ર પ્રત્યાઘાતો પડયા છે. આ બિલને મંજુરી મળતાં કેટલાક સિન્ડીકેટ અને સેનેટ સભ્યોએ બિલને કાળા કાયદા સમાન ગણાવી બિલ પાસ થવાની ઘટનાને દુઃખદ ગણાવી હતી તો અન્ય સિન્ડીકેટ અને સેનેટ સભ્યોએ બિલને આવકારી તે યુનિ. અને શિક્ષણના હિતમાં ગણાવી હતી. બીજીતરફ આ બિલના પાસ થવા અંગેની યુનિ.ના ચાન્સેલર શુભાંગીનીરાજે ગાયકવાડનો સંપર્ક નહી થતા તેમની પ્રતિક્રિયા જાણી શકાઈ નહોંતી. વડોદરાના નાગરિકો માટે કમરતોડ સાબિત થશે સ્વપ્નદ્રષ્ટા મહાન રાજીવ સયાજીરાવ ગાયકવાડની અમુલ્ય ભેટ એવી ૧૦૦ વર્ષ જુની મ.સ.યુનિ.ને ભાજપા સરકારના શાસકોએ ગુલામીની બેડીઓમાં બાંધી સ્વાયત્તા ખતમ કરી નાખી છે. વડોદરાના નાગરિકો માટે મ.સ.યુનિ.માં ૭૦ ટકા બેઠકો અનામત છે જે તમામ માટે ભણવાની વ્યવસ્થા છે. આ બિલથી મ.સ.યુનિમાં પણ કોમર્સ, સાયન્સ અને આર્ટસ જેવા કોર્સમાં ગ્રેજ્યુએટ થવા માટે એન્જિ.,મેડિકલ કોર્સ જેવા લાખોનો ખર્ચો થશે જે વડોદરાના નાગરિકો માટે કમરતોડ સાબિત થશે. -નરેન્દ્ર રાવત, સેનેટ સભ્ય, મ.સ.યુ. ૮૦ ટકા હાજરીથી શૈક્ષણિક સ્તર સુધરશે કોમન યુનિ.એક્ટ બિલથી યુનિ.માં રાજકિય હસ્તક્ષેપ, જુથબંધી, એકહથ્થુ શાષણ અને ખોટી તરફેણ હોય તો તે દુર થશે. કોમન એજ્યુકેશન પોલીસી લાગુ પડશે તેમાં કોઈ સ્ટુડન્ટ લીડર, સેનેટ કે સિન્ડીકેટ સભ્યોની દરમિયાનગીરી નહી હોય તેના કારણે શિસ્તની ગુણવત્તા જળવાશે. કેટલીક ફેકલ્ટીમાં માત્ર દસ ટકા વિદ્યાર્થીઓ જ ભણવા આવે છે બાકીના ટ્યુશન ક્લાસમાં જાય છે જયારે આ બિલથી યુનિ.માં ૮૦ ટકા હાજરી ફરજિયાત થતાં શિક્ષણનું સ્તર પણ ઉંચુ આવશે. - હસમુખ વાઘેલા, સરકાર નિયુક્ત સિન્ડિકેટ-સેનેટ સભ્ય પારદર્શક વહીવટ થાય તેવા બોર્ડ બને તેવી અપેક્ષા વડોદરાની ઘરેલું મ.સ.યુનિ.માં પબ્લિક પાર્ટીશીપેશન ઓછુ થઈ હવે સરકારના હાથમાં આવ્યું છે તો હવે એવી અપેક્ષા રાખીયે કે મ.સ.યુનિ.માં શૈક્ષણીક અને બિનશૈક્ષણીક વિભાગમાં સ્ટાફના અને નિમણુંકના જે પડતર પ્રશ્નો છે તે તાત્કાલિક ઉકેલવા જાેઈએ. અત્યાર સુધી પબ્લિક પાર્ટીશીપેશન હતું જેથી યુનિ.માં થતી ગેરરીતી સેનેટ-સિન્ડીકેટ સભ્યોના કારણે તુરંત સપાટી પર આવતી હતી. સરકાર દ્વારા વીસીની નિમણુંક સહિત એવું બોર્ડ બનાવે કે જેનાથી પારદર્શક વહિવટ થાય. -મયંક પટેલ, સિન્ડિકેટ સભ્ય, મ.સ.યુ.
    વધુ વાંચો
  • ગુજરાત

    માંજલપુરમાં વધુ એક કૃત્રિમ તળાવ બનાવવા કામગીરી શરૂ

    માંજલપુરમાં વધુ એક કૃત્રિમ તળાવ બનાવવા કામગીરી શરૂ વડોદરા, તા.૧૬ ગણેશ મહોત્સવને હવે માત્ર ત્રણ કિવસ બાકી છે.વડોદરાનાગણેશ મંડળો દ્વારા વાજતે ગાજતે શ્રીજીની મૂર્તિઓ સોસાયટીઓ,પોળો અને મહોલ્લામાં બનાવેલા આકર્ષક પંડાલોમાં લાવવામાં આવી રહી છે. તો બીજી બાજુ કોર્પોરેશન દ્વારા શ્રીજી વિસર્જન માટે આગોતરું આયોજન શરૂ કરી દેવામાં આવ્યુ છે. જેમાં શહેરના માંજલપુર વિસ્તારમાં વધુ એક કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. માંજલપુરમાં સ્મશાન સામેના પ્લોટમાં હાલ ૧૫×૧૫ મીટર અને સાત ફૂટ ઊંડું તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ તળાવમાં નાની એટલે ૬ થી ૭ ફૂટ સુધીની મૂર્તીનુ વિસર્જન કરી શકાશે.આમ આ વર્ષે પાંચમુ કૃત્રીમ તળાવમાં પણ ગણેશ મંડળો શ્રીજીની પ્રતીમાનુ વિસર્જન કરી શકશે. શહેરના દક્ષિણ વિસ્તારમાં કોઈ કૃત્રિમ તળાવ નહીં હોવાથી આ વિસાતારના ગણેશ આયોજકોને વિસર્જન માટે દૂર સુધી એટલે સોમા તળાવ કે નવલખી કૃત્રીમ તળાવ સુધી આવવું પડતું હતું. ત્યારે કોર્પોરેશન ના નવા હોદ્દેદારો દ્વારા છેલ્લા બે દિવસથી કૃત્રિમ તળાવનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બે દિવસ અગાઉ નવલખી કૃત્રિમ તળાવમાં પાણી ભરવાની શરૂઆત પણ કરવામાં આવી છે. નવલખી ખાતેનુ સૌથી મોટું કૃત્રિમ તળાવ છે.મોટી મૂર્તિઓનુ અહીં વિસર્જન કરવામાં આવે છે. આ વખતે વધુ ઊંચી મૂર્તિઓની સ્થાપના થાય તેવી શક્યતા છે.ત્યારે દર વર્ષની જેમ સોમા તળાવ પાસે, હરણી સમા લિંક રોડ અને ગોરવા દશામા તળાવ ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. ે હરણી સમા લિંક રોડ પરનું તળાવ પણ ગત વર્ષોની સરખામણીમાં મોટું બનાવવાનું કામ હાથ ધરાયું છે. ત્યારે માંજલપુર ખાતે બનાવવામાં આવી રહેલા નવા કૃત્રીમ તળાવમાં ૬ થી ૭ ફૂટ સુધીની શ્રીજીની પ્રતીમાં ગણેશ મંડળો વિસર્જન કરી શકે તે માટે આ તળાવ પર પણ તમામ વ્યવસ્થા ઉભી કરવાની કાર્યવાહી પાલિકા દ્વારા શરૂ કરાઈ છે. આ તળાવામ ૧૫૦૦ જેટલી પ્રતિમાનુ વિસર્જન થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. પાલિકા અને પોલીસના સંકલનથી ગણેશ મંડળો માટે વધુ એક કૃત્રિમ તળાવ માંજલપુર પોલીસ મથકના પો.ઇ. ડી.બી. વાળાએ જણાવ્યું હતું કે, માંજલપુર વિસ્તારના ગણેશ મંડળો શ્રીજીનુ વિસર્જન શાંતિમય રીતે ધામધૂમ પુર્વક કરી શકે તે માટે પોલીસ દ્વારા પાલિકાને માંજલપુર વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવાનું સુચન કરતા પાલિકા અને પોલીસના સંકલનથી માંજલપુર સ્મશાન સામે વધુ એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં માંજલપુર વિસ્તારના વિવિધ ગણેશ મંડળો આ કૃત્રિમ તળાવમાં શ્રીજીનુ વિસર્જન કરી શક્શે. અગાઉ માજંલપુરના તમામ ગણેશ મંડળોને નવલખી કૃત્રિમ તળાવ પર કે પછી તરસાલી સોમા તળાવ પાસે આવેલ કૃત્રિમ તળાવ ખાતે શ્રીજીનુ વિસર્જન કરવા જવુ પડતુ હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    નર્મદા ડેમમાંથી ૫ાણી છોડાતાં જિલ્લાના ત્રણ તાલુકાના ૨૫ ગામોને એલર્ટ કરાયાં

    વડોદરા, તા.૧૬શનિવારે સવારે દસ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૫.૬૫ મીટરે નોંધાઈ હતી. માત્ર ૨ કલાકમા સપાટીમાં ૨૩ સે.મિ. નો વધારો થયો હતો. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.ડેમમાં પાણીની આવકમાં બે કલાક્મા ૩,૬૪,૬૨૯ ક્યુસેકનો વધારો થયો હતો.જાેકે,નર્મદા ડેમ ખાતે પાણીની આવક સતત વધતા સાંજે પાંચ વાગે સરદાર સરોવર ડેમના ૨૩ દરવાજા ૫.૬૦ મીટર ખોલીને નદીના નિચાણવાળા વિસ્તારમાં ૯ લાખ ક્યુસેક પાણી સાથે વિધ્યુત મથકના ૬ મશીનો સાથે કુલ ૯.૪૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા જિલ્લા કલેકટર અતુલ ગોરે વડોદરા જિલ્લાના નર્મદા નદી કાંઠા શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના ગામોને સાવધ કરવા સુચના આપી હતી. નર્મદા ઉપરાંત ઓરસંગ નદીમાં પણ પૂરની સ્થિતીને કારણે નર્મદા કાંઠાના ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત ૨૫ ગામોના નાગરિકોને નદીના પટમાં નહી જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ટાસ્ક આપવાના બહાને ૨૨ લાખનું ફુલેકુ કરનાર ઠગટોળકીનો પર્દાફાશ 

    વડોદરા, તા. ૧૬ઠગ ટોળકીના જીગર શુકલએ એક ફર્મ ઉભી કરી બે બેંકમાં ખાતા ખોલાવી કમિશન લઇને જતીન પટેલ મારફતે સંદિપ પંડયાને આપ્યું હતું. જનીત પટેલ બેંકિગ અને લોન-વિમા ક્ષેત્ર સાથે સાથે સંકળાયેલા હોવાથી બેંકમાં તેના મિત્રો મારફતે પણ ખાતાઓ ખોલાવીને સંદિપ પંડયાને આપ્યા હતાં, જેના બદલામાં તેને સારૂ કમિશન મેળવ્યું હતું. સંદિપ પંડ્યા અલગ અલગ માણસોના નામે ફર્મ બેંકમાં ખાતાઓ ખોલાવી તેમજ બેંક ખાતાઓમાં રજીસ્ટર્ડ મોબાઇલ નંબરના સિમકાર્ડ ભાવનગરના ખાલીદ પઠાણ પાસેથી મોટી રકમ આપી ગેમિંગમાં ઉપયોગના બહાને મેળવી લેતો હતો. ખાલીદ પઠાણ, રિયાઝ પઠાણને રૂપિયા આપીને તેની પાસેથી તેણે અન્ય લોકોના નામે રૂપિયાની લાલચ આપીને ઇશ્યુ કરેલા સિમકાર્ડ મેળવી લેતો હતો. આ રીતે તૈયાર થયેલા બેંક એકાઉન્ટમાં બેકિંગ કિટ અને સીમકાર્ડ પ્રદ્યુમનસિંહ વાઘેલાને રૂપિયા લઇ આપતો હતો. પ્રદ્યુમનસિંહ વાઘેલા તે કિટ અને સીમકાર્ડ સહઆરોપીઓને દુબઇ મોકલતો હતો. આરોપીઓ ડિજીટલ બેકિંગ ક્ષેત્રમાં જુદી જુદી બેંકમાં રહેલી ખાસીયતોનો ફાયદો ઉઠાવીને ગેમિંગ અથવા ટેકસ બચાવવા માટે ખાતાઓ ખોલાવતા હતાં. તે માટે ભાડાના સરનામાં પર જુદા જુદા નામના બોર્ડ લગાવીને ટેમ્પરરી ધંધાનું વ્યવસાય કરવામાં આવતું હતું. એક જ દિવસમાં રજીસ્ટર્ડ ફર્મ બનાવીને તે સરનામા પર એક બે દિવસમાં જ વિવિધ બેંક એજન્ટને બોલાવીને ઘણા બધા બેંક એકાઉન્ટ ખોલવામાં આવતા હતાં. આ ખાતાઓમાં એક બે દિવસમાં જ કરોડોનો વ્યવહારો કરીને ફ્રોડ આચરવામાં આવતુ હતું. સીમકાર્ડ કોઇને લાલચ અથવા તો ગેમીંગ અથવા ટેકસ બચાવવાના બહાને મેળવવામાં આવતા હતા. સીમકાર્ડ તેમજ બેંક ખાતાઓ વિદેશમાં મોકલવામાં આવતા હતા. આરોપી જીગર શુકલાએ ખોલેલા બેંક એકાઉન્ટમાં બેજ દિવસમાં ૬ કરોડથી વધુ ફ્રોડના નાણાંકિય વ્યવહારો થયા હતાં. પ્રાથમિક તપાસમાં બેંકનું ખાતું હોગકોગ, યુએઇ, કમ્બોડિયા જેવા દેશોમાં ઉપયોગમાં લેવાયેલુ હતું. સંદિપે પ્રદ્યુમન મારફતે ૩૦ થી વધુ બેંક ખાતાઓ અને સીમકાર્ડ દુબઇ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ પાસેથી મળી આવેલ બેંક એકાઉન્ટ વિરૂદ્ધ ૨૩ રાજયોમાં ફરિયાદો નોંધાઇ છે. આરોપીઓએ અત્યાર સુધીમાં બેંક ખાતાઓમાં કુલ ૨૨ કરોડથી વધુના નાણાંકીય વ્યવહારો કર્યા છે ડમી એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમના ગુનાઓ ટાસ્ક, જાેબ ઇન્વેસ્ટમેન્ટ, ફ્રોડ, ચાઇનીઝ લોન એપ, ચાઇનીઝ ગેમ્સ, ક્રિપ્ટો એપ-વેબ વગેરે ગેરકાયદેસર નાણાંકીય હેરફેર માટે ઉપયોગ થાય છે. ૨૨ કરોડના નાણાકીય વ્યવહારો ઠગ ટોળકીના ડમી બેંક ખાતાઓનો ઉપયોગ સાયબર ક્રાઇમના ગુનાઓ જેવા કે ટાસ્ક જાેબ ફોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ચાઇનીઝ લોન એપ ફ્રોડ, ચાઇનીઝ ગેમ્સ, ચાઇનીઝ ક્રિપ્ટો એપ વેબસાઇટ વગેરે જેવા ગેરકાયદેસરના નાણાંની હેરફેર માટે કરવામાં આવે છે. આરોપીઓ પાસેથી મળી આવેલ બેંક ખાતામાં કુલ ૨૨ કરોડના નાણાંકીય વ્યવહારો તપાસમાં બહાર આવ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    શ્રી કુબેરેશ્વર મંદિર ટ્રસ્ટમાં પાંચ ટ્રસ્ટીઓના નામ દાખલ કરવાનો ચેરિટી કમિશનરનો આદેશ !!

    ચાણોદ, તા.૧૬ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાણ તરીકે જાણીતા કરનાળી ના કુબેરેશ્વર મહાદેવ નો અનેરો મહીમા ધરાવે છે પવિત્ર નર્મદા ના કિનારે આવેલ શ્રી કુબેરેશ્વર અને સોમેશ્વર સંયુક્ત સંસ્થાના ટ્રસ્ટ નંબર એ/૬૮૬/વડોદરા થી નોંધાયેલ ટ્રસ્ટ છે જેનો વિવાદ સંયુક્ત ચેરીટી કમીશ્નર કચેરી માં વિવાદ ચાલતો હતો જેમાં અગાઉ ના ચુકાદા ના પડધા સમ્યા નથી ત્યાં ચેરટી કમીશ્નર દ્વારા ૧૩/૯/૨૦૨૩ ના ચુકાદા માં પાંચ નવા ટ્રસ્ટી ઉમેરવા નો હુકમ કરવામાં આવ્યો છે જેને પગલે બંન્ને ટ્રસ્ટો કાયદાકીય જ્ઞાન લેવા કાયદા નિષ્ણાતો પાસે દોડી ગયા છે             આધાર ભૂત સુત્રો માંથી જાણવા મળ્યાં મુજબ ૧૩/૯/૨૦૨૩ ના ચુકાદા માં શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન દ્વારા કરાયેલા હુકમ માં સદર ટ્રસ્ટ ધ્વારા તેના કોલમ ૬ મુજબ ટ્રસ્ટી ઓની મુદત ત્રણ વર્ષ ની હોય છે ૧૯૯૯ માં નિયુક્તિ થયેલા ટ્રસ્ટી ઓની મુદત વર્ષ ૨૦૦૨ માં પૂર્ણ થયેલ છે ત્યાર બાદ પુનઃ નિમંણૂક નો કોઈ એહવાલ ચેરીટી કમીશ્નર ફેરફાર રીપોર્ટ દાખલ કરવામાં આવ્યો આમ ૨૦ વર્ષ થી નામદાર મદદનીશ ચેરટી કમીશ્નર ની મંજૂરી વિના કાર્ય કરી રહયા ની ગંભીર નોંધ જાેવા મળે છે વધુ માં સદર ટ્રસ્ટ ના પી.ટી.આર નોંધાયેલ મિલકત માં અન અધિકૃત રીતે વહીવટ કરી રહયા નો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ટ્રસ્ટી ઓ ધ્વારા ટ્રસ્ટ ની જમીન માં મનસ્વી રીતે રૂમો, દુકાનો તથા શોપિંગ સેન્ટરો બાંધી દેવામાં આવેલા છે તથા મેનેજર ના હોદ્દા ની કોઈ જાેગવાઈ હોવા છતાંય બની બેઠેલા મેનેજર જ તમામ વહીવટ કરી રહયા છે હાલના પી.ટી.આર ના પાંચ દર્શાવવામાં આવેલા તેઓ તેમની ફરજ બજાવવા માં નિષ્ફળ ગયા ની નોંધ પણ હુકમ માં જાેવા મળે છે જેથી સને ૧૯૯૯ બાદ ટ્રસ્ટી ઓની નિમંણૂક કરેલ ન હોવાને લઈ પાંચ ટ્રસ્ટી ઓની નિમંણૂક કરવા હુકમ કરેલ છે મદદનીશ ચેરીટી કમીશ્નરે ૧ નિરંજન માધવલાલ વૈધ,૨ શ્રી મહંત દિનેશ ગીરીગુરૂ શિવગીરી,૩ શ્રી મહંત નંદગીરી ગુરુ નિરંજન દેવ,૪ શ્રી પરેન્દુ ભાઈ કનૈયાલાલ ભગત ૫ ,ભરત વિરુદભાઈ ભગત આમ આ પાંચ ટ્રસ્ટી ઓની નિમંણૂક ૨૧ દિવસ માં કરી જાણકારી મદદનીશ ચેરટી કમીશ્નર ને જાણ કરવા ની રહેશે આવનાર સમય માં કુબેરેશ્વર અને સોમેશ્વર ટ્રસ્ટ માટે પડકાર હશે એ નક્કી છે છેલ્લા ૨૦ વર્ષ ના વહીવટ ની ગંભીર ગેરરીતિ પણ આવનાર સમય માં ચર્ચાના એરણે હશે એ નક્કી !!
    વધુ વાંચો
  • ગુજરાત

    ૨૬નું દિલ ૪૪માં ધડક્યું સયાજી હોસ્પિટલના મેડિસિન

    ૨૬નું દિલ ૪૪માં ધડક્યું સયાજી હોસ્પિટલના મેડિસિન સર્જરી એનેસ્થેશિયા, એસઆઈસીયુની ટીમે અમદાવાદથી આવેલ તજ્‌જ્ઞ ટીમના સહયોગથી શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડી વડોદરા, તા.૮ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત ર૬ વર્ષીય યુવાનને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતાં મૃતકના પરિવારજનોની સંમતિથી હૃદય, લીવર, બંને કિડની, નેત્રો ઓર્ગન ડૉનેટ કરવામાં આવ્યાં હતાં. સયાજી હોસ્પિટલના ઈતિહાસમાં સૌ પ્રથમવાર શસ્ત્રક્રિયા કરી હૃદયનું દાન કરાયું હતું. આ આખી પ્રોસેસ માટે અમદાવાદ - વડોદરા વચ્ચે ગ્રીન કોરિડોર ઊભો કરવામાં આવ્યો હતો અને ગળતરીના કલાકોમાં આખી પ્રોસેસને પાર પાડવામાં આવી હતી. સયાજી હોસ્પિટલના મેડિસિન, સર્જરી, એનેસ્થેશિયા, એસઆઈસીયુ, ડીઓટીની ટીમ સહિત અમદાવાદથી આવેલ ખાસ તજ્‌જ્ઞ તબીબના સહયોગથી આ ઓર્ગન ડૉનેટની શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડી હતી. પરિવારજનોએ મૃતક યુવાનના ઓર્ગન ડૉનેશનથી ૬ જેટલા જરૂરિયાતમંદ લોકોને નવજીવન બક્ષ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. મૃતક વિજયસિંહ દલપતસિંહ મકવાણા (ઉં.વ.ર૬) રહેવાસી ઠાસરા તાલુકાના સેવાલિયા ગામે રહેતો હતો. તેને તા.૭મીના રોજ અકસ્માત થયો હતો, જેથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને તબીબી દ્વારા બ્રેઈનડેડ ઘોષિત કર્યો હતો. બ્રેઈનડેડ જાહેર થયા બાદ તબીબ દ્વારા મૃતકના પરિવારજનોને ઓર્ગન ડોનેશન કરવા માટે કાઉન્સેલિંગ કરાયું હતું. પરિવારજનોએ સહમતિ આપતાં સયાજી હોસ્પિટલ અને અમદાવાદથી ખાસ આવેલ તજજ્ઞ તબીબો ઓર્ગન ડોનેશનની શસ્ત્રક્રિયા હાથ ધરી હતી. ઓર્ગન ડૉનેશન પ્રક્રિયાની ટાઇમલાઇન • સયાજી હોસ્પિટલમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત ર૬ વર્ષીય વિજય મકવાણાને રાત્રિના ૧ર.ર૮ કલાકે બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. • સવારે ૧ર કલાકે મૃતકના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને ઓર્ગન ડૉનેટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. • બપોરે ૧.૩૦ થી ર.૦૦ કલાક વચ્ચે ઓર્ગન ડૉનેટ લીધા બાદ કોરીડોર દ્વારા સયાજી હોસ્પિટલની તબીબ ટીમ હરણી એરપોર્ટ પહોંચી હતી. • ચાર્ટર્ડ પ્લેન દ્વારા સાંજે ૪ કલાકે એરપોર્ટથી નીકળ્યાં બાદ સાંજે ૭ કલાકે અમદાવાદ હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં, જ્યાં ઈમ્પ્લાન્ટની પ્રક્રિયા શરૂ થઈ હતી. સયાજી હોસ્પિટલમાં હૃદયનું સૌ પ્રથમવાર ડૉનેટ કરાયું સયાજી હોસ્પિટલમાં હોસ્પિટલના તજજ્ઞ તબીબોએ અમદાવાદ સીમ્સના તજજ્ઞ તબીબ ટીમ સાથે ચોથું અંગદાન કરવામાં આવ્યું હોવાથી આનંદની લાગણી સાથે સયાજી હોસ્પિટલના તબીબ અધિક્ષક ડો. રંજનકૃષ્ણ ઐયરે જણાવ્યું હતું કે, હૃદયનું સયાજી હોસ્પિટલમાં સૌ પ્રથમવાર ડૉનેટ કરાયું છે. જ્યારે અન્ય ઓર્ગન અગાઉ ડૉનેટ કરવામાં આવ્યાં છે, જે ગર્વની વાત ગણાવી હતી અને ઉમેર્યું હતું કે, સર્જરી મેડિસિન, ટ્રાન્સપ્લાનટ કો-ઓર્ડિનેટર ટીમ, એલઆઈસીયુ, ડીઓટી, એનેસ્થેશિયા, માઈક્રોબાયોલોજી ઓર્ગન ડૉનેટ કમિટીના સુપ્રિ. ડો. દીપાલીબેનનો સહકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રેઈનડેડ ર૬ વર્ષીય યુવાનનું હૃદય ૪૪ વર્ષીય વ્યક્તિમાં ધબકશે ઃ તજ્‌જ્ઞ તબીબ સયાજી હોસ્પિટલમાં હૃદય સહિત લીવર, બંને કિડની, નેત્રો ડૉનેટ કરાયા બાદ ર૬ વર્ષીય યુવાનનું હાર્ટ ૪૪ વર્ષીય જરૂરિયાતમંદ વ્યક્તિમાં ધબકશે. જ્યારે લીવર અને કિડની, નેત્રો અન્ય વ્યક્તિને નવજીવન બક્ષશે. ઓર્ગન ડોનેશન બાદ સ્ત્રી-પુરુષની અસર લાગુ પડતી નથી. અલબત્ત, પુરુષ એટલે કે મેઈલના ઓર્ગન ફિમેલ સ્ત્રીમાં પ્રત્યારોપણ કરી શકાય છે. યુવાન વ્યક્તિનું હૃદય વધુ કામ કરતું હોય છે. જાે કે, દરેક ઓર્ગનમાં આ બાબત અસર કરે છે. ડૉનેશન કરાયેલ ઓર્ગનને તબીબો દ્વારા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ લઈ જવાયા ઓર્ગન ડોનેશનની શસ્ત્રક્રિયા માટે તજજ્ઞ તબીબોની ટીમ બાયરોડ દ્વારા સયાજી હોસ્પિટલમાં અમદાવાદથી આી પહોંચ્યાં હતાં. જ્યાં હૃદય સહિત લીવર, બંને કિડની, નેત્રો ઓર્ગનની સફળતાપૂર્વક ઓર્ગન લીધા બાદ બપોરના ૧ થી ર વાગ્યાની આસપાસ ગ્રીન કોરીડોર સાથે ઓર્ગન લઈને એરપોર્ટ પહોંચ્યાં હતાં, જ્યાં ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યાં હતાં. સાંજના સાત વાગે જરૂરિયાતમંદ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટની કામગીરી કરી રહ્યાનો સંદેશો મળતાં સયાજી હોસ્પિટલના તબીબી ટીમમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. જાે સમાજ વધારે જાગૃત થાય તો અનેકને નવજીવન બક્ષી શકાય રાજ્ય સરકાર દ્વારા ઓર્ગન ડોનેશન માટે રાજ્યવ્યાપી અવેરનેસ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. તબીબો દ્વારા પણ જનતા તથા નગરવાસીઓને અપીલ કરી રહ્યા છે કે અંગદાન એ કેટલાક જરૂરિયાતમંદોની જિંદગી બચાવી શકે છે. એક વ્યક્તિના અંગો એ એકસાથે પાંચથી છ વ્યક્તિની જિંદગી બચાવી શકાય છે. કોઈપણ બ્રેઈનડેડ વ્યક્તિ તેના હૃદય, કિડની, ફેફસાં, આંખો, લીવર સહિતના અંગો દાન કરી શકે છે અને કરવા જાેઈએ. અંગદાનથી કેટલાક લોકોની જિંદગી બચી શકે છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં દાનનું મહત્ત્વ વર્ણવ્યું છે. અંગદાનની સાથે દેહદાન પણ ખૂબ જ અગત્યનું છે. ટ્રાન્સપોર્ટ સમયે હૃદયને કેવી રીતે સાચવવામાં આવ્યું? તજજ્ઞ તબીબોએ રૂંવાડા ઊભાં કરી દેતી આખી પ્રોસેસને વર્ણવતા જણાવ્યું હતું કે, પ્રિજએક્ટિવ લિક્વિડની મદદથી તેનાં સેલ બંધ થવા દેવામાં આવતા નથી, હૃદયને સૂવડાવી દેવામાં આવે છે! હૃદયને ટ્રાન્સપોર્ટ સમયે આઈસ-બોક્સમાં પ્રિજએક્ટિવ લિક્વિડની મદદ વચ્ચે હૃદયને જરૂરી ખોરાક મળી રહે તે લઈ જવાય છે. તદ્‌ઉપરાંત હૃદયના સેલને બંધ થવા દેવામાં આવતાં નથી, પરંતુ થોડા સમય સુધી સૂવડાવી રાખવામાં આવે છે. ખાસ જાણવા જેવી બાબત એ છે કે, જ્યારથી તે તેને બહાર લેવામાં આવે છે ત્યારથી ચાર કલાકમાં ઈમ્પ્લાન્ટ કરી દેવામાં આવે છે. આ તમામ પ્રક્રિયામાં હૃદયમાં સાઈઝ સાથે ડૉનર અને રિસીવરનું મેચ કરવું પડે છે. જેમ કે, વજન, કદ, ઉંમર, છાતી વગેરે વિગતો સરખાવવામાં આવે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભૂજ જેલમાં કેદ કુખ્યાત અસલમ બોડિયાની જેલમાંથી ખંડણી માટે રિક્ષાચાલકને ધમકી 

    વડોદરા,તા. ૮ગુજસીટોકના ગુનામાં ભુજ જેલમાં કેદ શહેરના કુખ્યાત અસલમ બોડિયા જેલમાંથી બેઠા બેઠા મોબાઈલ ફોનથી તેના સાગરીતો મારફત હજુ પણ ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. શહેરના એક રિક્ષાચાલકને અસલમે જેલમાંથી ખંડણી માટે ધમકી આપ્યા બાદ સાગરીતો મારફત ૯૦ હજાર પડાવી લેતા આ બનાવની રિક્ષાચાલકે અસલમ તેમજ તેની પત્ની અને બે સાગરીતો સહિત ચાર વિરુધ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. મુળ સંખેડાના વતની ૪૭ વર્ષીય વિજયભાઈ વાયડે હાલમાં ખોડિયાનગર પાસે પામ વ્યુ એપાર્ટમેન્ટમાં રહે છે અને રિક્ષા ડ્રાઈવીંગ કરે છે. પંદર દિવસ અગાઉ તે રાત્રે સ્ટેશન પાસે રિક્ષામાં હતા તે સમયે તેમને અજાણ્યા નંબરથી ફોન કરનાર વ્યકિતએ જણાવ્યું હતું કે હું અસલમ બોડિયા શેખ ભુજ જેલમાંથી બોલું છે. મને ત્રીસ હજાર રૂપિયા ખર્ચ માટે આપવા પડશે નહી તો તું સ્ટેશન પર ધંધો કરવાના લાયક પણ નહી રહે અને તને તેમજ તારા પરિવારને મારી નાખીશ, હું હમણાં જેલમાં છું પણ જેલમાંથી બેઠા બેઠા તને પતાવી શકુ છું. અસલમે અકોટામાં રહેતા તેના સાગરીત અબ્દુલ વોરા મારફત વિજયભાઈ પાસેથી ૨૦ હજારની ખંડણી ઉઘરાવી તે નાણાં અસલમના પુત્ર અસગરને અપાવ્યા હતા. અઢી વર્ષ અગાઉ અસલમના સાગરીત નીરજ ઉર્ફ લાલો શર્માએ અસલમના કહેવાથી વિજયભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની ઓટિરક્ષા અને બર્ગમેન સ્કુટર તેમજ બંને ગાડીના અસલ કાગળો લઈ લીધા હતા જયારે અસલમના સાગરીત અબ્દુલ વોરા અને અસલમની પત્ની રૂબીનાએ પણ અસલમના ઈશારે વિજયભાઈને ધાકધમકી આપી અસલમના વકીલનો ખર્ચો અને ઘરખર્ટ પેટે ૭૦ હજાર પડાવ્યા હતા. વિજયભાઈ પાસેથી પડાવેલા કુલ ૯૦ હજારમાંથી તેમને માત્ર ૧૫ હજાર પરત આપી અસલમ અને તેના સાગરીતો સતત ધમકી આપતા કંટાળેલા વિજયભાઈએ આ બનાવની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે હાલમાં ભુજ જેલમાં કેદ અસલમ બોડિયો તેમજ તેની પત્ની રૂબિના (તહુરાપાર્ક સોસાયટી, તાંદલજા), અબ્દુલ વોરા પટેલ (અકોટા વુડાના મકાનમાં,રામપુરા) અને નિરજ ઉર્ફ લાલો રાજેશ શર્મા (ગોકુળનગર, ગોત્રી) સામે ફરિયાદ નોંધાવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ડભોઇના ફિઝિયોથેરાપીસ્ટે પરિણીત મહિલા પર દુષ્કર્મ આચરતાં ધરપકડ

    ડભોઇ, તા.૮લકવાગ્રસ્ત પતિની સારવાર માટે મજબુર મહીલા બે સંતાનો ની માતા ને ડભોઇ ના ફીજીયોથેરાફીસ્ટ દ્વારા મહીલા ને ઘેર જઈ તેના પતિ ની સારવાર મા વિશ્વાસ કેળવી દોઢ વર્ષથી પરીણીતા સાથે,લગ્નની લાલચ આપી.શારીરીક સબંધો બનાવી આખરે તરછોડી દેતા પોલીસે મહીલાની ફરીયાદ આધારે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. મહીલા તેના લકવાગ્રસ્ત પતિ અને બે સંતાનો સાથે મા રહે છે.ત્યારે બે વર્ષ અગાઉ તેના પતિ ને બ્રેન સ્ટોક આવતા મહીલા નો પતિ લકવાગ્રસ્ત થયો હતો.જેથી પ્રથમ રાજકોટ સારવાર કરાયા બાદ ડભોઇ ના ગ્રામ્ય વિસ્તાર મા પોતાના ઘેર રહેવા આવી ગઈ હતી.જે બાદ મા તેને પોતાના પતિની સારવાર અર્થે અગાઉ ના તબીબ ની સલાહ મુજબ કસરત ની જરુર હોય ડભોઇ ના રાધે કોમ્પ્લેક્ષ મા ફીજીયોથેરાફિસ્ટ તરીકે દવાખાનુ ધરાવતા ડૉ.શિવાંગ મધુસુદન મોદી તબીબ નો સંપર્ક કર્યો હતો.અને ઘેર આવી પતિને કસરત કરાવે તેની ફી આપવા મહીલાએ તૈયારી બતાવી હતી.જેથી તબીબે મહીલાના ઘેર જઈ કસરત કરાવાનુ શરુ કર્યુ હતુ.બીજીબાજુ મીઠા બોલ બોલી પરીણીત મજબુર મહીલા સાથે વિશ્વાસ કેળવી મહીલાનુ શિયળ લુંટવાની શરુઆત કરી હતી.મહિલા ની ફરિયાદ પ્રમાણે તબીબે તેના પતિ બાળકો ને પણ રાખશે તેમ કહી લગ્નની લાલચ પણ આપી હતી.દોઢ વર્ષથી સબંધો રાખનાર તબીબે આખરે મોઢુ ફેરવતા મહીલા એ તેની સામે બળાત્કાર ની ફરીયાદ આપતા પોલીસે તબીબ સામે ગુંહો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વડોદરામાં તમે જે શ્વાસ લો છો એ શુદ્ધ નથી

    વડોદરા, તા.૪વડોદરા મ્યુનિ. કોર્પોેરેશન ડબલ્યુઆરઆઈ ઈન્ડિયાના સહયોગથી હવાની ગુણવત્તા પર સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપ સાથે ઈન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લૂ સ્કીસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ સરકારી વિભાગોએ વર્કશોપમાં ભાગ લીધો હતો. પાલિકાના અધિકારીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ, બિલ્ડરો, ડેવલપર્સ અને નાગરિકોએ વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે વાહનોના ઉત્સર્જન, રસ્તાની ધૂળ અને બાંધકામ પ્રવૃત્તિઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. મ્યુનિ. કોર્પોેરેશન, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ ક્લીન એર એકશન પ્લાન અને માઈક્રો એકશન પ્લાનનો અમલ કરી રહી છે. ડબલ્યુઆરઆઈ ઈન્ડિયા વડોદરા કોર્પોરેશનને અમલીકરણમાં ટેકનિકલ સપોર્ટ આપી રહી છે. ધ એનર્જિ એન્ડ રિસોર્સ ઈન્સ્ટિટયૂટ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક એનાલિસીસ મુજબ વડોદરામાં વાયુ પ્રદૂષણમાં ફાળો આપતી કેટલીક ચાવીરૂપ પ્રવૃત્તિઓમાં વાહનોનો એક્ઝોસ્ટ, રોડ ડસ્ટ / રિ-સસ્પેન્શન, બાંધકામ પ્રવૃત્તિઓ, બાયોમાસ બર્ન્િંાગ અને ઔદ્યોગિક ઉત્સર્જન મુખ્યત્વે છે. તમામ સ્ટેકહોલ્ડર્સ દ્વારા હાથ ધરવામાં આવતાં ક્ષેત્રિય હસ્તક્ષેપો, હવાની ગુણવત્તા સુધારવા માટે જરૂરી ભાવિ પગલાંઓ અને હવાની ગુણવત્તા માટે માઈક્રો એકશન પ્લાનના અમલીકરણ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિ. કમિ. દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, વડોદરામાં સ્વચ્છ હવા માટે પ્રયાસોના ભાગરૂપે અમે વ્યક્તિગત વાહનનો ઉપયોગ ઘટાડવા માટે ઈ-બસો જવી માસ ટ્રાન્સિટ સેવાઓમાં રોકાણ કરી રહ્યા છીએ. જૂના વાહનોને બદલીને ટ્રાફિકને સુગમ બનાવવો અને રસ્તાઓની રાઈડિંગ ગુણવત્તામાં સુધારો કરવો, ઈ-વ્હીકલ ઈન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત બનાવવું. જેમ કે ચાર્જિંગ પોઈન્ટ બનાવવા, સૌરઊર્જા તરફ પ્રયાણ અને મોટાપાયે વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ સ્વચ્છ હવા તરફ કામ કરવાના કેટલાક ઉકેલો છે. વધુમાં અમે પ્લાનિંગ, પ્રોજેક્ટની પસંદગી અને અમલીકરણ માટે પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતોને ઓળખવા માટે પદ્ધતિસરનો અભ્યાસ ટેરી દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂકતા જ્યોતિ પંકજ પટેલ, નાયબ પોલીસ કમિ. (ટ્રાફિક) જણાવેલ કે વાહનનું પ્રદૂષણ ઘટાડવા માટે આપણે સામૂહિક પ્રયાસની જરૂર છે. એકંદરે પ્રદૂષણમાં વાહનોનું ઉત્સર્જન મુખ્ય ફાળો આપે છે અને આરટીઓના ડેટા દર્શાે છે કે શહેરમાં ર૧ લાખ નોંધાયેલા વાહનો છે. ચાલવું, સાઈકલ ચલાવવી, ટ્રાફિક સિગ્નલો પર એન્જિન બંધ કરવા અને વનીકરણ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું એ પ્રદૂષણ અટકાવવાના કેટલાક નિર્ણાયક પગલાં છે. આ કાર્યક્રમમાં બોલતા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશીક નિયામક ડો. પ્રસૂન ગરગવાએ જણાવ્યું કે, તેમણે શહેરમાં વાયુ પ્રદૂષણના મુદ્‌ાને ઉકેલવા માટે વૈજ્ઞાનિક સમજણને સામેલ કરવા પર ભાર મૂકયો હતો. તેમણે શહેરમાં પ્રદૂષણના મોટો ફાળો આપતા સ્ત્રોતોને ઓળખીને ચાલુ સ્ત્રોત વિભાજન અભ્યાસના તારણોના આધારે હોટસ્પોટ એકશન પ્લાન અને વાર્ષિક એકશન પ્લાનને ફરીથી ગોઠવવા પર પણ ભાર મૂકયો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    વડતાલ તાબા હેઠળના વાડી અને કલાલી સ્વામીનારાયણ મંદિરો પોલીસ છાવણીમાં 

    વડોદરા, તા.૪સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભિંતચિત્ર વિવાદ સમાધાનની વાતોની વચ્ચે વડતાલાના સ્વામીએ ઉશ્કેરીજનક નિવેદ આપતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે. વિવાદ વધુ ન વર્કે અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહેત તે આગમચેતીના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા વડતાલા તાબા હેઠળ આવેલા વાડી અને કલાલી સ્વામિનારાયણ મંદિરો પોલીસ છાવણીમાં ફેરવાયા છે. વાડી અને કલાલી સ્વામિનારાયણ મંદિરોના સાંધુ સતો અને વ્યવસ્થાપકો પણ સતત પોલીસના સંપર્કમાં છે. સાળંગપુર મંદિરમાં હનુમાન જયંતી પર્વની પૂર્વે સંધ્યાએ સાળંગપુર કા રાજા (હનુમાનજી મહારાજ)ની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિની નીચે પથ્થરના કોતરણવાળી અલગ અલગ આકૃતિ છે. જેમાં શ્રીરામ ભક્ત હનુમાનજી મહારાજને ઉત્તર પ્રદેશના છાપૈયા ગામના ઘનશ્યામ પંડયા ઉર્ફે સહજાનંદ સ્વામી ઉર્ફે નિલકંઠ વર્ણીના હાથ જાેડીને દાસ તરીકે દર્શાવી સનાતન હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાવવામાં આવી છે. જેની તસ્વીરો- વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયા સાળંગપુરમાં વહીવટકર્તા સ્વામીઓ પ્રત્યે રોષ ફેલાયો હતો. સાળંગપુરના પ્રતિમાના વિવાદના પગલે શહેર-જીલ્લામાો કોઇ અનિચ્છીનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે યોગ્ય તકેદારીના તમામ પગલા લેવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. વડોદરા શહેરમાં આવેલા એવા સંવેદનસીલ વિસ્તારમાં વાડીમા વાડી તાબા હેઠળ ચાલતા સ્વામીનારાયણ મંદિરમાં પણ એક પીસીઆર વાન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, તેમજ ૨૪ કલાક ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જયારે બીજી બાજુ માંજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ કલાલી મંદિરમાં પણ ૨૪ કલાક પોલીસની એક પીસીઆર વાન તેમજ મંદિરાના વ્યવસ્થાપકો સતત પોલીસના સંપર્કમાં છે. કલાલીના વ્યવસ્થાપકો તેમજ સાધુ-સંતો પોલીસના સતત સંપર્કમાં છે વડતલા તાબા હેઠળ શહેરના માંજલપુર કલાલી ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ-સંતો તેમજ મંદિરના વ્યવસ્થાપકો સતત પોલીસના સંપર્કમાં છે. પોલીસ દ્વારા મંદિરના પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસની પીસીઆર વાન સ્ટેન્ડ બાય તેમજ ફુટ પેટ્રોલિંગ રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહ્યું છે. -એ.સી.પી એફ. ડિવિઝન, પ્રણવ કટારીયા
    વધુ વાંચો

રાષ્ટ્રીય સમાચાર

રાજકીય સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

બિઝનેસ

રમત ગમત


રાશી ફળ

ટેલિવુડ


ફૂડ એન્ડ રેસિપી


અજબ ગજબ


બૉલીવુડ