નવી દિલ્હી, હાલમાં જ ધ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા જારી ૨૦૨૫ ગ્લોબલ લિવેબલિટી ઈન્ડેક્સમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઈન્ડેક્સમાં આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, અને સુરક્ષાના માપદંડો સાથે રહેવા લાયક ઉત્કૃષ્ટ શહેરોની યાદીમાં ભારતનું સ્થાન ટોપ-૧૦માં પણ નથી. ભારત તો છોડો અમેરિકાના પણ એકપણ શહેરનું નામ ટોપ-૧૦માં નથી.
રિપોર્ટ અનુસાર, રહેલા લાયક ઉત્કૃષ્ટ શહેરોની ટોપ-૧૦ યાદીમાં અમેરિકા કે ભારતનું એકપણ શહેર સામેલ નથી.
જ્યારે ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડના અનેક શહેરો ટોપ-૧૦ યાદીમાં સામેલ છે. જ્યાં શહેરી જીવનધોરણની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે. વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા અને ઝડપથી ઉભરી રહેલા ભારતીય અર્થતંત્રમાં એકપણ શહેર આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને સુરક્ષાના ધોરણે રહેવા લાયક ટોચના શહેરોમાં સ્થાન ધરાવતા નથી.
ધ ઇકોનોમિસ્ટ મુજબ, યાદીમાં ટોચ પર ડેનમાર્કની રાજધાની કોપનહેગન છે, જેણે બે વર્ષ બાદ વિયેનાને પાછળ પાડી અવ્વલ સ્થાન લીધું છે. વિયેનાએ લાંબા સમયથી આ યાદીમાં પોતાનું જાળવી રાખેલુ સ્થાન તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે ગુમાવ્યું છે. હાલમાં જ વિયેનામાં ટેલર સ્વિફ્ટના કોન્સર્ટમાં સહિત અન્ય સ્થળો પર આતંકવાદી હુમલા થયા હતાં. જાે કે, આ હુમલા નિષ્ફળ રહ્યા હતાં. જેથી વિયેનાનો સ્ટેબિલિટી સ્કોર ઘટ્યો હતો. વિયેના હવે બીજા ક્રમે છે. જ્યારે સ્વિટ્ઝરલેન્ડનું ઝુરિચ ત્રીજા સ્થાને છે. મેલબર્ન, જિનિવા, સીડની ચોથા-પાંચમા-છઠ્ઠા ક્રમે છે. આ યાદીમાં ઉચ્ચ સ્થિરતા, કાર્યક્ષમ માળખાગત સુવિધાઓ ધરાવતા નાના અને સુવ્યવસ્થિત શહેરો આગળ વધી રહ્યા છે.
ટોચના રહેવાલાયક સુરક્ષિત શહેરો
૧. કોપનહેગન, ડેનમાર્ક
૨. વિયેના, ઑસ્ટ્રિયા
૩. ઝુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ
૪. મેલબર્ન, ઑસ્ટ્રેલિયા
૫. જિનિવા, સ્વિટ્ઝર્લૅન્ડ
૬. સિડની, ઑસ્ટ્રેલિયા
૭. ઓસાકા, જાપાન
૮. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ
૯. એડિલેડ, ઑસ્ટ્રેલિયા
૧૦. વેનકુવર, કેનેડા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે કેનેડાના કનાનાસ્કિસમાં ચાલી રહેલી જી૭ શિખર સંમેલનમાં મુલાકાત થઈ હતી. આ દરમિયાન મેલોનીએ પીએમ મોદીને કહ્યું કે, તમે શ્રેષ્ઠ છો, હું તમારી જેમ બનવાનો પ્રયત્ન કરી રહી છું. બંને નેતાઓ વચ્ચેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને નેતાઓ મુલાકાત કરતાં, હાથ મિલાવતા અને હસતા ચહેરે એકબીજાના ખબરઅંતર પૂછતાં જાેવા મળી રહ્યા છે.
તહેરાન, વોશિંગ્ટન, ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના ૮૬ વર્ષીય સુપ્રીમ લીડર અયાતુલ્લા અલીમ ખામેનેઈ સતત એકલા પડતા નજરે પડી રહ્યા છે. યુદ્ધ શરૂ થયાના માત્ર ૬ દિવસની અંદર ખામેનેઈએ પોતાના મુખ્ય સૈન્ય અને સુરક્ષા સલાહકારોને ઈઝરાયલી હવાઈ હુમલામાં ગુમાવી દીધા છે, તેના મોટા ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ માર્યા ગયા છે. તેનાથી ખામેનેઈના ઇનર સર્કલમાં મોટું ગાબડું પડી ગયું છે અને ઈરાન તરફથી રણનીતિક ખામીઓનો ખતરો વધી ગયો છે. આ વચ્ચે ટ્રમ્પ આ યુદ્ધની શરૂઆતથી જ ઈરાનને આત્મસમર્પણ કરવા ધમકી અને સલાહ આપી રહ્યા છે. ત્યારે હવે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ કહ્યું કે, ઈઝરાયલે મોટી ભૂલ કરી દીધી છે અને તેની સજા મળશે. અમે શહીદોની કુરબાનીને નહીં ભૂલીએ. ઈરાનના લોકો આ હુમલો નહીં ભૂલે. અમારી સેના રક્ષા માટે તૈયાર છે. અમેરિકા સમજી લે, અમે આત્મસમર્પણ નહીં કરીએ.
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાના કૂદવાની અટકળો વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું કે, તેમનો દેશ કોઈપણ સંજાેગોમાં આત્મસમર્પણ નહીં કરે. રાષ્ટ્રીય ટેલીવિઝન પર ખામેનેઈએ દેશના નામે રાષ્ટ્રીય સંબોધનમાં કહ્યું કે, ઈરાન કોઈપણ સંજાેગોમાં આત્મસમર્પણ નહીં કરે. ઈરાનની જનતા પોતાના શહીદોના ખૂનને ક્યારેય નહીં ભૂલે. દેશની હવાઈ સરહદનું ઉલ્લંઘન કરનારાઓને ક્યારે માફ નહીં કરવામાં આવે. જાે અમેરિકા ઇસ્લામી ગણરાજ્યના દુશ્મનોનો સાથ આપ્યો તો તેને ગંભીર પરિણામ ચૂકવવા પડશે. અમેરિકનોને જાણ હોવી જાેઈએ કે, સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા કોઈપણ સૈન્ય હસ્તક્ષેપથી તેને અપૂરણીય ક્ષતિ ઉઠાવવી પડશે.
તેમણે ઈઝરાયલને કહ્યું કે, જાે અમેરિકા યુદ્ધના મેદાનમાં ઝંપલાવશે તો પછી ઓલઆઉટ વોર થશે. ઈરાને કહ્યું કે, તેઓ ઈઝરાયલને આકરો જવાબ આપશે અને જાે અમેરિકન સેનાઓ સંઘર્ષમાં સામેલ થશે તો તેઓ તેમના વિરુદ્ધ પણ એવું જ કરશે. જિનેવામાં ઈરાનના રાજદૂત અલી બહરીનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, જાે ઈઝરાયલી એટેક થતાં રહેશે તો તેહરાન તરફથી આકરો જવાબ આપવામાં આવશે. હાલમાં જ ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ અક્ષરોમાં પોસ્ટ કરી ઈરાનને શરતો વિના આત્મસમર્પણ કરવા કહી રહ્યા છે. ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ માટે આકરા શબ્દોમાં કહ્યું છે કે, અમને જાણ છે કે, સુપ્રીમ લીડર ક્યાં છુપાયા છે. તેઓ એક સરળ ટાર્ગેટ છે, પરંતુ હાલ તેઓ સુરક્ષિત છે. અમે હાલ તેમના પર હુમલો કરવા જઈ રહ્યા નથી. અમે નથી ઈચ્છતા કે, મિસાઈલ વડે નાગરિકો પર હુમલો થાય અને અમેરિકાના સૈનિકોને ટાર્ગેટ બનાવાય. પરંતુ હવે અમારી ધીરજ ખૂટી રહી છે.
હવે દયા નહીં : ટ્રમ્પની ધમકી બાદ ઈરાનના સુપ્રીમો ખોમેનીનું ઍલાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ યુદ્ધમાં ઝંપલાવવા માટે તલપાપડ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ઈરાનને સીધું આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી દીધી છે. ઈરાનના સંપૂર્ણ એરસ્પેસ પર હવે અમારો કબજાે છે. ત્યારે આ ટ્રમ્પની ધમકી છતાં ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર ભયાનક મિસાઈલ હુમલા કર્યા હતા. ઈરાને આ વખતે હાઈપરસોનિક મિસાઈલ વડે ઈઝરાયલમાં તબાહી મચાવી હતી. દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ઈઝરાયલને ધમકાવતા યુદ્ધનું એલાન કરી દીધું છે. તેમણે કહ્યું કે યહૂદીઓની સરકારને અમે બતાવી દઈશું. તેમના પર કોઈ દયા નહીં બતાવવામાં આવે.
સાઈટ નષ્ટ કરી
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી ભીષણ યુદ્ધમાં ઈઝરાયલના ૫૦ ફાઈટર જેટ ઈરાનમાં ઘૂસ્યા છે. તહેરાન સ્થિત ઈરાનના સેન્ટ્રીફ્યુઝ પ્રોડક્શન અને અનેક હથિયારો બનાવતા સ્થળોને ટાર્ગેટ કરતાં હુમલા કર્યા છે. આ હુમલામાં સેન્ટ્રીફ્યુઝ અને મિસાઈલ બનાવતી સાઈટ નષ્ટ થઈ છે. ઈરાનને ભારે નુકસાન થયુ છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સએ જણાવ્યું કે, અમારા ૫૦થી વધુ ફાઈટર પ્લેને આ હુમલાને અંજામ આપ્યો છે. આ હુમલામાં યુરેનિયમને સમૃદ્ધ બનાવવા વપરાતા સેન્ટ્રીફ્યુઝનું ઉત્પાદન કરતા પ્લાન્ટ તથા સરફેસ-ટુ-સરફેસ હુમલો કરતી મિસાઈલ બનાવતી સાઈટને નષ્ટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે,પરમાણુ હથિયારોની બનાવટમાં યુરેનિયમ એનરિચમેન્ટને વેગ આપવા સેન્ટ્રીફ્યુઝ વપરાય છે.
અમેરિકાએ ૩૦ ફાઈટર જેટ તૈયાર કર્યાં
ઈરાન સામે યુદ્ધમાં ઝંપલાવવા અમેરિકાએ યુરોપમાં આશરે ૩૦ ફાઈટર જેટ મોકલ્યા છે. જેનો ઉપયોગ અમેરિકાના સૈન્ય મથકોની રક્ષા કરનારા ફાઈટર જેટની સહાયતા માટે કરવામાં આવશે. જે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર કોઈપણ સંભવિત હુમલામાં સામેલ ફાઈટર જેટની મદદ કરશે.
ઈરાનના ૫૮૫ લોકોનાં મોત, ૧૩૨૬ ઈજાગ્રસ્ત
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને તેલ અવીવમાં હાઈપરસોનિક મિસાઈલ વડે હુમલો કર્યો છે. જેમાં ઈરાને હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. જેમાં ઈઝરાયલના ૨૪ લોકો માર્યા ગયા છે. બીજી બાજુ ઈઝરાયલ પણ તહેરાન સહિતના વિસ્તારોમાં મોટાપાયે હુમલા કરી રહ્યું છે. ઈઝરાયલના હુમલામાં ઈરાનના ૫૮૫ લોકો માર્યા ગયા છે. અને ૧૩૨૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈરાનના અનેક ટોપ કમાન્ડર માર્યા ગયા છે.
યુદ્ધના માહોલ વચ્ચે ચીનના કાર્ગો વિમાન ઈરાનમાં ઊતર્યાં
શુક્રવારે ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો કે તરત જ, એક કાર્ગો વિમાને ચીનથી ઉડાન ભરી. બીજા દિવસે, બીજા કાર્ગો વિમાને દરિયાકાંઠાના શહેરથી ઉડાન ભરી અને સોમવારે ત્રીજું કાર્ગો વિમાન ચીનથી રવાના થયું. એટલે કે, ત્રણ દિવસમાં ત્રણ કાર્ગો વિમાનો ઉડાન ભરીને રહસ્યમય રીતે ઇરાનમાં ઉતર્યા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કાર્ગો વિમાનો દ્વારા શસ્ત્રો મોકલીને ચીને તેના મિત્ર ઈરાનને લશ્કરી રીતે મદદ કરી છે. મીડિયા અહેવાલ મુજબ, તે કાર્ગો વિમાનોના ડેટા દર્શાવે છે કે ત્રણેય વિમાનો ઉત્તર ચીનથી પશ્ચિમ તરફ કઝાકિસ્તાન, પછી ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન થઈને દક્ષિણ તરફ ઉડાન ભરી હતી અને ઈરાન નજીક આવતા હોય તેવું લાગ્યું, પરંતુ ઈરાન નજીક આવતાની સાથે જ આ કાર્ગો વિમાન રહસ્યમય રીતે રડાર પરથી ગાયબ થઈ ગયા.
ઈઝરાયલ સંકટમાં, ૧૦ દિવસ જ ૈંિર્હ ર્ડ્ઢદ્બ બચાવી શકશે
ઈરાન સાથે શરૂ ભીષણ મિસાઇલ યુદ્ધમાં ઈઝરાયલ ભલે ઈરાનના સૈન્ય માળખાને ગંભીર નુકસાન પહોંચાડવાનો દાવો કરી રહ્યું હોય, પરંતુ તેની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પર ઈરાન સતત પોતાનું દબાણ બનાવી રહ્યું છે. એક અમેરિકન રિપોર્ટ અનુસાર, ઈઝરાયલનો લૉન્ગ-રેન્જ મિસાઇલ ઇન્ટરસેપ્ટર્સનો પૂરવઠો સતત ખતમ થઈ રહ્યો છે, જેના કારણે તેમની સંરક્ષણ ક્ષમતાઓની સ્થિરતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે.
કોરોના મહામારી પછી ભારતનું રિયલ એસ્ટેટ બજાર ફરી એકવાર ઝડપથી પાટા પર પાછું ફર્યું છે. ગ્રાન્ટ થોર્ન્ટનના એક નવા રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૫ સુધીમાં, દેશના મુખ્ય શહેરોમાં મકાનોના વેચાણમાં લગભગ ૭૭ ટકાનો જબરદસ્ત વધારો નોંધાયો છે. આ દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં નોંધપાત્ર રિકવરી થઈ છે.
વેચાણના પ્રકાર અને વૈભવી મિલકતોની માંગ
રિપોર્ટમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં થયેલા તમામ પ્રોપર્ટી સોદામાંથી ૫૭ ટકા પ્રાથમિક વ્યવહારો હતા, એટલે કે બિલ્ડર દ્વારા સીધા વેચાયેલા બાંધકામ હેઠળના ફ્લેટ. જ્યારે બાકીના ૪૩ ટકા સોદા સેકન્ડરી માર્કેટ (રિ-સેલ પ્રોપર્ટીઝ) માંથી હતા. નાણાકીય વર્ષ ૨૦૧૯ માં, ગૌણ વેચાણનો હિસ્સો ફક્ત ૩૮ ટકા હતો, જે આ સેગમેન્ટમાં પણ સારો વધારો સૂચવે છે.
આ અહેવાલ મુજબ, ₹૧ કરોડથી વધુની વૈભવી મિલકતોની માંગમાં પણ સતત વધારો થયો છે. આનું મુખ્ય કારણ લોકોની વધતી આવક, બદલાતી જીવનશૈલી અને વિકાસકર્તાઓનું લક્ષિત માર્કેટિંગ માનવામાં આવે છે.
ઓફિસ લીઝિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ વૃદ્ધિ
ઓફિસ લીઝિંગ સેગમેન્ટમાં પણ વૃદ્ધિ રેકોર્ડ સ્તરે રહી છે. ટાયર ૧ શહેરો તેમજ ટાયર ૨ હબમાં, GCC (ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ), IT-ITES, ઈ-કોમર્સ અને ફ્લેક્સિબલ વર્કસ્પેસ સેક્ટરને કારણે ઓફિસ સ્પેસની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
અહેવાલ દર્શાવે છે કે ભારતના ઓફિસ માર્કેટમાં જગ્યા ઝડપથી ભરાઈ રહી છે, પરંતુ ભાડા પણ સતત વધી રહ્યા છે, જે રોકાણકારો અને બિલ્ડરો બંને માટે નફાનો સંકેત છે. લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ ક્ષેત્ર પણ ઝડપથી વધી રહ્યું છે. આનું કારણ 'મેક ઇન ઇન્ડિયા', GSTમાં સુધારા અને રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ જેવા સરકારી પ્રયાસો છે.
નાણાકીય વ્યવહારો અને ભવિષ્યની સંભાવનાઓ
અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ભારતમાં કુલ ૯૯ રિયલ એસ્ટેટ સોદા થયા હતા, જેનું મૂલ્ય $૬.૯૯ બિલિયન હતું. આમાંથી, ખાનગી ઇક્વિટી $૩.૧૫ બિલિયન હતી, જ્યારે બાકીના આશરે $૩ બિલિયન IPO અને QIP જેવા જાહેર ચેનલો દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા.
અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે રિયલ એસ્ટેટમાં AI, બ્લોકચેન, સ્માર્ટ બિલ્ડિંગ ટેકનોલોજી અને ગ્રીન કન્સ્ટ્રક્શનનો ઉપયોગ પણ વધી રહ્યો છે, જે સમગ્ર ઉદ્યોગના કાર્ય કરવાની રીતને બદલી રહ્યો છે. રિયલ એસ્ટેટ ટોકનાઇઝેશન અને નાના અને મધ્યમ કદના રિયલ એસ્ટેટ રોકાણ ટ્રસ્ટ (SM-REITs) જેવા નવા રોકાણ વિકલ્પો પણ વધુને વધુ લોકપ્રિય બની રહ્યા છે.
અહેવાલ મુજબ, ડિજિટલ નવીનતા, શહેરી વિકેન્દ્રીકરણ અને રોકાણકારોના વધતા રસને કારણે આગામી સમયમાં પ્રીમિયમ હાઉસિંગ, કોમર્શિયલ ઓફિસ સ્પેસ, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈકલ્પિક રોકાણો મજબૂત રહેશે. ગ્રાન્ટ થોર્ન્ટનની નેતૃત્વ ટીમે જણાવ્યું હતું કે ભારતની રિયલ એસ્ટેટ હવે ડિજિટલ, ટકાઉ અને રોકાણકાર-મૈત્રીપૂર્ણ રીતે નવી દિશામાં આગળ વધી રહી છે. ભાવિ વૃદ્ધિ ટેકનોલોજી, પારદર્શિતા અને વૈવિધ્યસભર રોકાણ મોડેલો પર આધારિત છે.
Loading ...