બેંગલુરુ,છેલ્લા એક મહિનામાં જ કર્ણાટકના હસન જિલ્લામાં ૨૦ થી વધુ લોકોના હૃદયરોગના હુમલાથી મોત થયા છે. સરકારે તેને ગંભીરતાથી લીધું છે. આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે છેલ્લા એક મહિનામાં જ હસન જિલ્લામાં વીસથી વધુ લોકો હૃદયરોગના હુમલાથી મોત થયા છે અને સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. તેમણે કહ્યું કે આ મૃત્યુના વાસ્તવિક કારણો ઓળખવા અને ઉકેલો શોધવા માટે, જયદેવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર સાયન્સિસ એન્ડ રિસર્ચના ડિરેક્ટર ડૉ. રવિન્દ્રનાથના નેતૃત્વમાં નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી છે, જેને ૧૦ દિવસમાં અભ્યાસ અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મોતના કારણો અને કોવિડ રસીઓની સંભવિત પ્રતિકૂળ અસરોની તપાસ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ સંદર્ભે, હૃદયરોગના દર્દીઓની તપાસ અને વિશ્લેષણની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ભાજપની નિંદા કરતા સિદ્ધારમૈયાએ કહ્યું કે હું ભાજપના નેતાઓની ટીકા કરું છું જેઓ આવા કેસોનો ઉપયોગ પોતાના રાજકીય લાભ માટે કરી રહ્યા છે. કોવિડ રસીની ઉતાવળમાં મંજૂરી અને જાહેર જનતા માટે વિતરણ પણ આ મૃત્યુનું સંભવિત કારણ હોઈ શકે છે તે વાતને નકારી શકાય નહીં.
વોશિંગ્ટન ડીસી,અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ ગણાતા ઉદ્યોગપતિ ઈલોન મસ્કનું ભવિષ્ય જાેખમમાં છે. ટ્રમ્પે તેમને આડકતરી રીતે ધમકી આપી છે અને કહ્યું હતું કે તેમને ‘પોતાની દુકાન બંધ કરવી પડી શકે છે’. ચૂંટણી પછી અમેરિકન વહીવટમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળ્યા પછી ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. આનું કારણ ઇવી એટલે કે ઇલેક્ટ્રોનિક વાહનો અંગેની નીતિ હોવાનું કહેવાય છે.
ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ મીડિયા પર લખ્યું- રાષ્ટ્રપતિ તરીકે મારો પ્રચાર કરતાં પહેલાં ઈલોન મસ્ક જાણતો હતો કે હું ઇવી મેન્ડેટના સખત વિરોધમાં છું. આ બકવાસ છે અને હંમેશાં મારા પ્રચાર અભિયાનનો ભાગ રહ્યો હતો. ઇલેક્ટ્રિક કાર ઠીક છે, પરંતુ બધાને એક જ કાર ખરીદવા માટે મજબૂર ના કરી શકાય. ઈલોનને ઇતિહાસમાં કોઈપણ વ્યક્તિ કરતાં વધુ સબસિડી મળી શકી હોત, અને સબસિડી વિના તો ઈલોનને કદાચ પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછા ફરવું પડ્યું હોત.
તેમણે આગળ લખ્યું, રોકેટ લોન્ચ નહીં થાય, ઉપગ્રહો કે ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન નહીં થાય અને આપણા દેશને ઘણા પૈસા બચશે. કદાચ ર્ડ્ઢંય્ઈ એ આ અંગે ગંભીરતાથી વિચાર કરવો જાેઈએ. ઘણા પૈસા બચશે. એક દિવસ પહેલાં જ મસ્કે ટ્રમ્પ સરકારના બિલ પર વાંધો ઉઠાવ્યો હતો અને નવી પાર્ટી બનાવવાનો સંકેત આપ્યો હતો. મસ્કે જણાવ્યું હતું કે ‘બકવાસ બિલ’માં રેકોર્ડ પાંચ લાખ કરોડ ડોલરની દેવાંની મર્યાદામાં વધારો સામાન્ય અમેરિકનોને ખૂબ નુકસાન પહોંચાડશે. તેમણે લખ્યું, આ બિલના વાહિયાત ખર્ચથી સ્પષ્ટ થાય છે કે દેવાંની મર્યાદાને રેકોર્ડ પાંચ ટ્રિલિયન ડોલર સુધી વધારીને આપણે એક પાર્ટીવાળા દેશમાં રહીએ છીએ - પોર્કી પિગ પાર્ટી! હવે એક નવો રાજકીય પક્ષ બનાવવાનો સમય છે, જે ખરેખર લોકોની ચિંતા કરે છે.’ તેમણે દલીલ કરી હતી કે આ બિલ સાબિત કરે છે કે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન એક જ ‘પોર્કી પિગ પાર્ટી’નો ભાગ છે, જે સામાન્ય અમેરિકનોના હિત કરતાં નકામા ખર્ચને પ્રાથમિકતા આપે છે. યુએસ પ્રમુખ ટ્રમ્પના ભૂતપૂર્વ સમર્થક મસ્કે કહ્યું હતું કે નવો રાજકીય પક્ષ એવા અમેરિકનોનું પ્રતિનિધિત્વ કરશે, જેઓ વર્તમાન બે-પક્ષીય પ્રણાલીથી વંચિત અનુભવે છે. તેમણે અગાઉ પણ ધમકીઓ આપી છે. ખાસ વાત એ છે કે ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ દ્વારા મસ્કને અબજાે ડોલરના સરકારી કરારો અને સબસિડીઓ સમાપ્ત કરવાની ધમકી આપી હતી. જવાબમાં મસ્કે તેમના પર ઉપકાર ભૂલી જવાનો આરોપ લગાવ્યો. મસ્કે કહ્યું હતું કે તેમના સમર્થન વિના ટ્રમ્પ ‘ચૂંટણી હારી ગયા હોત’. મસ્ક મૂળ દક્ષિણ આફ્રિકાના છે. તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો અને તેમણે જીવનનો મોટો ભાગ આફ્રિકામાં વિતાવ્યો છે. તેઓ ૧૯૮૯માં ૧૭ વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકાથી કેનેડા ગયા હતા અને બાદમાં કેનેડાથી અમેરિકા ગયા હતા. તેમણે અમેરિકામાં જ પોતાનો વ્યવસાય ઘણો વિસ્તાર્યો હતો.
નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે ૧ જુલાઈના રોજ યુવાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને લગતી અનેક મોટી યોજનાઓને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોજગાર પ્રોત્સાહન યોજના, ખેલો ઇન્ડિયા નીતિ ૨૦૨૫, સંશોધન, વિકાસ અને નવીનતા યોજના, તેમજ તમિલનાડુમાં એક મહત્વપૂર્ણ હાઇવે પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી છે. આ ર્નિણયો દેશમાં રોજગાર સર્જન, રમતગમત વિકાસ અને સંશોધનને વેગ આપવા ઉપરાંત માળખાગત સુવિધાઓને મજબૂત કરશે.
કેન્દ્ર સરકાર દ્વારા રોજગાર પ્રોત્સાહન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નોકરી મેળવનારાઓને સીધો લાભ અને ૩.૫ કરોડ નોકરીઓનું સર્જન થશે. જે બાબતે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, રોજગારી યોજનાના પ્રથમ તબક્કામાં પહેલીવાર રોજગાર મેળવનારા કર્મચારીઓને બે હપ્તામાં એટલે કે, નોકરી મળ્યાના છઠ્ઠા અને ૧૨મા મહિનામાં મહત્તમ રૂ. ૧૫,૦૦૦ અપાશે. જે બાદ બીજા તબક્કામાં દર મહિને રૂ. ૩,૦૦૦ અપાશે. આ યોજનાનો હેતુ ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવાનો છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર આ યોજનામાં કુલ રૂ. ૯૯,૪૪૬ કરોડનો ખર્ચ કરશે, જેનો હેતુ બે વર્ષમાં દેશમાં ૩.૫ કરોડથી વધુ નોકરીઓના સર્જનને પ્રોત્સાહન આપવાનો છે. આમાંથી ૧.૯૨ કરોડ લાભાર્થીઓ કાર્યબળમાં પહેલીવાર પ્રવેશ કરનારા હશે. રૂ. ૧ લાખ સુધીના વેતનવાળા કર્મચારીઓના સંબંધમાં નોકરીદાતાઓને પ્રોત્સાહન અપાશે. ઉત્પાદન ક્ષેત્ર માટે આ પ્રોત્સાહનો ત્રીજા અને ચોથા વર્ષ માટે પણ લંબાવી શકાય છે. આ યોજનાના લાભો ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી ૩૧ જુલાઈ, ૨૦૨૭ વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, કેબિનેટ દ્વારા ખેલો ઇન્ડિયા નીતિ ૨૦૨૫ને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં રમતગમતમાં ભારતને વૈશ્વિક સ્તરે ટોપ ૫માં લાવવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે ખેલો ઇન્ડિયા નીતિને મંજૂરી આપી છે, જે ૧૯૪૮ અને ૨૦૦૧ની રાષ્ટ્રીય રમત નીતિનું સ્થાન લેશે. જેનો હેતુ યુવાનોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ નીતિને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સાથે જાેડવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમતને લોક ચળવળ બનાવવાનો અને ગ્રામીણ વિસ્તારોમાં વ્યવસ્થિત રીતે પ્રતિભાઓને આગળ લાવવાનો છે.
અશ્વિની વૈષ્ણવે વધુમાં ઉમેર્યું હતું કે, કેબિનેટ દ્વારા સંશોધન, વિકાસ અને નવીનતા યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ યોજનામાં રૂ. ૧ લાખ કરોડનો ખર્ચ કરાશે. યોજનાનો ઉદ્દેશ યુવાનોને સંશોધન અને નવીનતા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના ઇઝરાયલ, અમેરિકા, સિંગાપોર, જર્મની જેવા દેશોના સફળ સંશોધન મોડેલોનો અભ્યાસ કરીને બનાવવામાં આવી છે, જે સંશોધનથી ઉત્પાદન સુધીનો સારો રોડમેપ ધરાવે છે.
તમિલનાડુમાં રૂ. ૧,૮૫૩ કરોડના ખર્ચે ફોર-લેન હાઇવે પ્રોજેક્ટને મંજૂરી
કેબિનેટે તમિલનાડુમાં રૂ. ૧,૮૫૩ કરોડના ખર્ચે ફોર -લેન પરમાકુડી-રામનાથપુરમ સેક્શનના ૪૬.૭ કિમીના નિર્માણને પણ મંજૂરી આપી છે. જે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારના લોકોની લાંબા સમયથી પડતર માંગ હતી. મદુરાઈથી પરમાકુડી સુધીનો હાઇવે પહેલેથી જ ફોર-લેનનો છે. હવે પરમાકુડીથી રામનાથપુરમ સુધીનો ભાગ પણ ફોર-લેનમાં રૂપાંતરિત થશે. ધનુષકોડી સુધીના દરિયાઈ ભાગ માટે ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ર્નિણયો દેશના ભવિષ્ય અને વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે, જેમાં રોજગારી, રમતગમત, સંશોધન અને માળખાગત સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
રમત ગમતને લોક ચળવળ બનાવવા સરકારે યોજના જાહેર કરી
કેબિનેટ દ્વારા લેવામાં આવેલા ર્નિણયો વિશે માહિતી આપતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૧ વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રમતગમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પ્રતિભાને આગળ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. નવી નીતિ આ પ્રયાસનો એક ભાગ છે. મંત્રીએ કહ્યું કે બીજાે મુખ્ય ઉદ્દેશ્ય રમતગમતને લોક ચળવળ બનાવવાનો છે.
૨ વર્ષમાં ૩.૫ કરોડથી વધુ નોકરીનું સર્જન
ઇએલઆઇ યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫માં ૪.૧ કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકોની સુવિધા આપવા માટે પીએમના પાંચ યોજનાઓના પેકેજના ભાગ રૂપે કરવામાં આવી હતી, જેનો કુલ બજેટ ખર્ચ રૂ. ૨ લાખ કરોડ છે. ૯૯,૪૪૬ કરોડ રૂપિયાના ખર્ચ સાથે, ઇએલઆઇ યોજનાનો હેતુ ૨ વર્ષના સમયગાળામાં દેશમાં ૩.૫ કરોડથી વધુ નોકરીઓના સર્જનને ઉત્તેજીત કરવાનો છે. આમાંથી ૧.૯૨ કરોડ લાભાર્થીઓ કાર્યબળમાં પહેલી વાર પ્રવેશ કરનારા હશે.
મુસાફરો માટે ટિકિટિંગથી ભોજન સુધીની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ
ભારતીય રેલવેના મુસાફરો માટે ડિજિટલ સુવિધાઓને વધુ સુગમ બનાવવાના હેતુથી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે CRIS (સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ) ના 40મા સ્થાપના દિવસ સમારોહમાં 'રેલવન' (RailOne) એપ લોન્ચ કરી છે. આ એપ એન્ડ્રોઇડ પ્લેસ્ટોર અને iOS એપ સ્ટોર બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જે મુસાફરોની બધી આવશ્યક સેવાઓ માટે એક-સ્ટોપ સોલ્યુશન પૂરું પાડે છે.
નવી એપની મુખ્ય સેવાઓ
• ટિકિટિંગ: રિઝર્વ્ડ, અનરિઝર્વ્ડ (UTS), અને પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ.
• ટ્રેન અને PNR પૂછપરછ: ટ્રેનની વર્તમાન સ્થિતિ અને PNR સ્ટેટસ ચેક કરવું.
• મુસાફરી આયોજન: યાત્રાનું આયોજન કરવા માટે જરૂરી માહિતી.
• રેલ સહાય સેવાઓ: મુસાફરી દરમિયાન કોઈપણ મદદ માટે સેવાઓ.
• ટ્રેનમાં ભોજન બુકિંગ: યાત્રા દરમિયાન ભોજન ઓર્ડર કરવાની સુવિધા.
• માલ પરિવહન: માલસામાન સંબંધિત પૂછપરછની સુવિધા પણ ઉપલબ્ધ.
આ એપનો મૂળ ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને વધુ સારો અનુભવ પ્રદાન કરવાનો છે, જે એક સરળ અને સ્પષ્ટ UI (યુઝર ઇન્ટરફેસ) દ્વારા સાકાર કરવામાં આવ્યો છે.
યુઝર ફ્રેન્ડલી ફીચર્સ અને કનેક્ટિવિટી
રેલવન એપ ફક્ત એક જ જગ્યાએ બધી સેવાઓનો સમાવેશ કરતું નથી, પરંતુ સેવાઓ વચ્ચે સંકલિત કનેક્ટિવિટી પણ પ્રદાન કરે છે, જે વપરાશકર્તાને ભારતીય રેલવે સેવાઓનું એક સંપૂર્ણ પેકેજ આપે છે. આ એપની એક ખાસ વિશેષતા સિંગલ સાઇન-ઓન છે, જે વપરાશકર્તાઓને બહુવિધ પાસવર્ડ યાદ રાખવાની જરૂરિયાતને દૂર કરે છે. RailOne એપ ડાઉનલોડ કર્યા પછી, RailConnect અથવા UTSonMobile એપના હાલના યુઝર આઈડીનો ઉપયોગ કરીને લોગિન કરી શકાય છે.
આનાથી યુઝર્સને અલગ અલગ સેવાઓ માટે અલગ એપ્સ રાખવાની જરૂરિયાત દૂર થાય છે, જેનાથી ડિવાઇસ સ્ટોરેજ બચે છે. આ એપમાં R-Wallet (રેલવે ઈ-વોલેટ) સુવિધા પણ ઉમેરવામાં આવી છે. ન્યુમેરિક mPIN અને બાયોમેટ્રિક લોગિન જેવી સરળ લોગિન સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. નવા યુઝર્સને ન્યૂનતમ માહિતી આપીને રજીસ્ટ્રેશન કરાવવાની જોગવાઈ છે, જે રજીસ્ટ્રેશન પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવે છે. જે યુઝર ફક્ત પૂછપરછ કરે છે તેઓ ગેસ્ટ લોગિન દ્વારા મોબાઈલ નંબર અને OTPનો ઉપયોગ કરીને પણ લોગિન કરી શકે છે.
સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) એ કર્ણાટક સરકારના વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી વિકાસ કુમાર વિકાસ સામેના સસ્પેન્શનના આદેશને રદ કર્યો છે. વિકાસને ગયા મહિને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની સામે થયેલી મોટી ભાગદોડની ઘટનાને પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાં 4 જૂને 11 લોકોના મોત થયા હતા. આ કેસમાં આયોજન અને ભીડ વ્યવસ્થાપનની ગંભીર ટીકા કરવામાં આવી હતી.
વિકાસ કુમાર વિકાસે સરકારના 5 જૂનના સસ્પેન્શનના આદેશને ટ્રિબ્યુનલ સમક્ષ પડકાર્યો હતો, જેમાં તત્કાલીન બેંગલુરુ પોલીસ કમિશનર બી. દયાનંદ અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) શેખર એચ. ટેક્કનવરના નામ પણ હતા.
ટ્રિબ્યુનલની બેંગલુરુ બેન્ચમાં જસ્ટિસ બી.કે. શ્રીવાસ્તવ અને વહીવટી સભ્ય સંતોષ મેહરાનો સમાવેશ થતો હતો. બેન્ચે 24 જૂને પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો અને મંગળવારે, વિકાસનું સસ્પેન્શન રદ કર્યું. વિકાસના વકીલ સિનિયર એડવોકેટ ધ્યાન ચિનપ્પાએ જણાવ્યું હતું કે, "ટ્રિબ્યુનલે અરજી સ્વીકારી અને સસ્પેન્શન રદ કર્યું. ટ્રિબ્યુનલે કહ્યું છે કે તેઓ સેવા નિયમો મુજબ તમામ લાભો મેળવવા માટે હકદાર છે."
CAT એ એમ પણ કહ્યું હતું કે તેના તારણો દયાનંદ અને ટેક્કનવરના કેસોમાં પણ લાગુ કરી શકાય છે, જેનાથી તેમના સંભવિત પુનઃસ્થાપનનો માર્ગ ખુલી શકે છે. આ ઘટના બાદ, મુખ્યમંત્રીએ બેંગલુરુ શહેરના પોલીસ કમિશનર દયાનંદ, સ્ટેડિયમના ઇન્ચાર્જ વધારાના પોલીસ કમિશનર વિકાસ કુમાર વિકાસ, સેન્ટ્રલ ડિવિઝનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શેખર એચ. ટેક્કનવર, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) સી. બાલકૃષ્ણ અને ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનના સર્કલ ઇન્સ્પેક્ટર એ.કે. ગિરીશને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.
સરકારે ત્રણ IPS અધિકારીઓને ઓલ ઈન્ડિયા સર્વિસીસ (ડિસિપ્લિનરી એન્ડ અપીલ) રૂલ્સ, 1969 હેઠળ સસ્પેન્ડ કર્યા હતા, જ્યારે ACP અને સર્કલ ઈન્સ્પેક્ટર સામે કર્ણાટક રાજ્ય પોલીસ (ડિસિપ્લિનરી પ્રોસિડિંગ્સ) રૂલ્સ, 1965 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
સસ્પેન્શન ઓર્ડર મુજબ, RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) એ 3 જૂને બેંગલુરુ શહેર પોલીસ કમિશનરને 4 જૂને વિજય પરેડ અને કાર્યક્રમ યોજવા અંગે જાણ કરી હતી. જોકે, પોલીસ કમિશનરની ઓફિસ આયોજકોને લેખિત જવાબ આપવામાં નિષ્ફળ રહી હતી અને સમયના અભાવે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.
સસ્પેન્શન ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ક્રિકેટ એસોસિએશને ઉજવણી વિશે ટ્વિટ કર્યું હતું અને ટિકિટ કે પાસ આપવાની સામાન્ય પ્રક્રિયામાંથી પસાર થયા વિના ચાહકોને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આમંત્રણ આપ્યું હતું. પોલીસને ઘટનાક્રમ અને ક્રિકેટ ચાહકોની મોટી ભીડની શક્યતા વિશે વાકેફ હોવા છતાં, સ્ટેડિયમમાં કાર્યક્રમ વ્યવસ્થિત રીતે ચલાવવા અથવા લોકોને તેમની સલામતી માટે જરૂરી સાવચેતી રાખવા અથવા યોગ્ય ભીડ વ્યવસ્થાપન માટે વધારાની પોલીસ ફોર્સ પૂરી પાડવા માટે પૂરતી માહિતી પૂરી પાડવા માટે પગલાં લેવામાં આવ્યા ન હતા.
Loading ...