જૂનાગઢ સમાચાર
-
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 5133 comments
- 9270 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
બૂટલેગર તથા પરિવારોનો કોડીનાર પોલીસ પર હુમલો, ૫ીઆઈ સહિત કોન્સ્ટેબલને ઇજા
- 14, માર્ચ 2023 01:30 AM
- 6802 comments
- 3618 Views
કોડિનાર ગુજરાતભરમાં દારૂબંધી છે તેમ છતાં ઘણા બેફામ બૂટલેગરો પોલીસી નજર ચુકવીને ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતાં હોય છે અને યુવાનોને નશાના રવાડે ચડાવતા હોય છે. જે માટે પોલીસ કડક કાર્યવાહી અને ચૂસ્ત બંદોબસ્ત રાખી બૂટલેગરોના હેરાફેરી પર પાણી ફેરવી તેમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હોય છે, પરંતુ આજે કોડીનારથી એક એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોલીસ વર્ષો જુના કુખ્યાત બૂટલેગર પર દરોડો પાડવા ગઈ અને લોહીલુહાણ થઈ ગઈ. કોડીનારમાં દારૂના દૂષણ સામે ઉઠેલી વ્યાપક ફરિયાદોને લઈ કોડીનારમાં નવનિયુક્ત ૫ીઆઈ આર.એ. ભોજાણી દ્વારા છેલ્લા ૧૫ દિવસથી કોડીનાર તાલુકામાં દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે કોડીનારમાં દેશી દારૂનો અડ્ડો જમાવી બેઠેલાં કુખ્યાત બૂટલેગરને ત્યાં પોલીસે રેડ કરી હતી. એ દરમિયાન ત્રણ કર્મીઓ ઉપર કુખ્યાત બૂટલેગરો તથા તેમના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. કારના કાચની પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં ત્રણ પોલીસ કર્મીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણવા મળતી વિગત મુજબ, કોડીનારમાં આવેલા જીન પ્લોટ વિસ્તારમાં વર્ષોથી દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા અને સમગ્ર વિસ્તારમાં દારૂની રેલમછેલ કરતા મુળજી અને રમેશ મોટાપાયે દેશી દારૂનું વેચાણ કરી ધંધો કરે છે. આ બૂટલેગર દ્વારા હેડ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ કરેલી, તે ફરિયાદની તપાસ અર્થે તેમજ લોકોમાંથી મળતી બાતમી આધારે કોડીનાર પોલીસ મોડી સાંજના સમયે રેડ કરવા ગઈ હતી.વધુ વાંચો -
ઉના અને નવાબંદર મરીન પોલીસે ૪૯ લાખના દારૂનો નાશ કર્યો
- 05, માર્ચ 2023 01:30 AM
- 9147 comments
- 8059 Views
ઉના અને નવાબંદર મરીન પોલીસે છેલ્લા એક વર્ષમાં ઝડપી પાડેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ત્યાંના અધિકારીની હાજરીમાં કરવામાં આવી હતી. ઉના ગીરગઢડા રોડ પર આવેલ ફેક્ટરી ગ્રાઉન્ડમાં દારૂના જથ્થા પર રોલર મશીન ફેરવી તમામ દારૂની બોટલોનો નાશ કરવામાં આવી હતી. ઉના પોલીસ દ્વારા ૩૦૦૩૭ બોટલ નંગ દારૂ પકડવામાં આવ્યો હતો. જેની કિંમત રૂ. ૪૪ લાખ ૩૫ હજાર ૧૧૬ હતી. જ્યારે નવાબંદર મરીન પોલીસે છેલ્લા એક વર્ષમાં ૪૭૭૧ બોટલ નંગ દારૂ ઝડપી પાડ્યો હતો. જેની કિંમત રૂ. ૪ લાખ ૬૭ હજાર ૨૦ છે. કુલ મળીને ૪૯ લાખ ૨ હજાર ૧૩૬ ના દારૂના જથ્થા પર રોલર મશીન ફેરવવામાં આવ્યું હતું. આ દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો.નારી ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બેને પોલીસે દબોચી લીધાં ભાવનગર ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગત રાત્રીના રોજ પેટ્રોલીંગ દરમિયાન નારી ચોકડી પાસેથી રાજસ્થાનથી ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં લઈ જવાતો પરપ્રાંતિય ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે આ દારૂની ખેપ લઈને આવી રહેલા ખેપીયાને તથા ડિલિવરી લેવા આવેલા બુટલેગરને પોલીસે ઝડપી લીધા હતા અને સાત બુટલેગરો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વરતેજ પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ નારી ચોકડી પાસે પેટ્રોલીંગમા હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ધોલેરા તરફથી આવી રહેલા એક ટ્રકમાં પરપ્રાંતિય દારૂનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો છે જે હકીકત આધારે ટીમ વોચમા હતી. ત્યારે બાતમીદારોએ કહેલ તે ટ્રક પસાર થતાં તેને અટકાવતા ડ્રાઈવર સીટની બાજુમાં બેસેલ શખ્સ નીચે ઉતરી ફરાર થઈ ગયો હતો. જાેકે, ડ્રાઈવર સહિત બે શખ્સો કેબીનમાંથી મળી આવ્યાં હતા. ચાલક તથા અન્ય શખ્સની પ્રાથમિક પુછપરછ સાથે ટ્રકની તલાશી લેતાં ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં પરપ્રાંતિય દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂના જથ્થા અંગે ડ્રાઈવર તથા સાથે રહેલ શખ્સ પાસે દસ્તાવેજ-પરમિટ માંગતા બંને શખ્સો યોગ્ય ખુલાસો ન કરી શકતા બંને શખ્સોને ટ્રક, ચોખા દારૂ સહિતના મુદ્દામાલ સાથે પોલીસ મથકે લાવી પુછતાછ હાથ ધરતા ઝડપાયેલ શખ્સોએ પોતાના નામ-સરનામાં સાથે આ શરાબનો જથ્થો મંગાવનાર બુટલેગરો સહિતની કબૂલાત આપી હતી.વધુ વાંચો -
ટીનમસ ગામની શાળાનું બિલ્ડિંગ જર્જરિત
- 24, જાન્યુઆરી 2023 01:30 AM
- 8266 comments
- 7394 Views
જૂનાગઢ જૂનાગઢના વંથલી તાલુકાના ટીનમસ ગામમાં આવેલી આદર્શ વિદ્યા વિનય મંદિરનું બિલ્ડિંગ જર્જરિત બનતા વિદ્યાર્થીઓ બહાર બેસી ભણવા મજબૂર બન્યા છે. શાળામાં આમ તો ૩૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ, મોટાભાગના વિદ્યાર્થીઓ ડરના માર્યા શાળાએ આવવાનું જ બંધ કરી દીધું છે. વંથલી તાલુકાના ટીનમસ ગામમાં આવેલી આદર્શ વિદ્યા વિનય મંદિરની ઈમારત ૧૯૮૬માં બની હતી. સમય જતા આ ઈમારત જર્જરિત થતા વર્ગખંડની છતમાંથી પોપડાઓ ખરવા લાગ્યા છે. જેના કારણે સલામતીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓને બહાર જ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ટીનમસ ગામની આદર્શ વિદ્યા વિનય મંદિરની સ્થિતિ એવી છે કે, અહીં હાલ નામ માત્રના એક જ શિક્ષક છે. આચાર્યો ચાર્જ પણ તેમની પાસે જ છે. વિદ્યાર્થીઓને તમામ વિષય એક જ શિક્ષકે ભણાવવાના રહે છે. શાળાના ઈન્ચાર્જ આચાર્ય પી.એસ.કાલરિયાએ કહ્યું હતું કે, ઘણા વર્ષો થઈ ગયા હોવાના કારણે સ્કૂલ બિલ્ડિંગ જર્જરિત બન્યું છે. એકવાર રિનોવેશન કરવામાં આવ્યું હતું. પરંતુ, ફરી જર્જરિત થઈ જતા અમારા તરફથી રજૂઆત કરવામાં આવી છે. જાે સરકાર ગ્રાન્ટની ફાળવણી કરે તો ફરી રિનોવેશન કરી શકાય.વધુ વાંચો -
ગેરકાયદે સંગ્રહ કરેલા અનાજના ગોડાઉન પર દરોડા
- 14, જાન્યુઆરી 2023 01:30 AM
- 5650 comments
- 2615 Views
જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા અપાતા ઘઉં ચોખાનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાવાની પ્રવૃત્તિઓ વધી હતી. જરૂરિયાતમંદ લોકો, ગરીબીરેખા હેઠળ બીપીએલ રેશનિંગ કાર્ડ અંતર્ગત અપાતો અનાજનો જથ્થો ગ્રાહકો પાસેથી ઓછા ભાવે ખરીદી ગોડાઉનમાં એકઠું કરી બહાર ટ્રકો દ્વારા મોકલવામાં આવતો હતો. આ અંગે પ્રાંત અધિકારીને જાણ થઈ હતી. તેથી વિસાવદર પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર સસ્તા અનાજ ભેગો કરી વેચતા વેપારીને ત્યાં દરોડા પાડ્યો હતો. જેથી વેપારીઓના આ કોભાંડનો પર્દાફાશ થયો છે. વિસાવદર અને બીલખાના અલગ અલગ ૪ જગ્યાએ દરોડા પાડી લાખો રૂપિયાના ગેરકાયદેસર નાજના જથ્થો કબજાે કર્યો છે. આ દરમિયાન અધિકારીઓ પર હુમલો થયાનું પણ સામે આવ્યું છે. વિસાવદરના પ્રાંત અધિકારી કીર્તન રાઠોડે જણાવ્યું હતું કે વિસાવદર પંથકમાં ઘણા સમયથી જરૂરિયાતમંદ લોકોને અપાતા સરકારી અનાજનું ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવી રહ્યું છે તેવી બાતમી મળી હતી. વિસાવદરમાં ત્રણ જગ્યા પર સમાજની વાડી પાસેથી જીઆઈડીસી, બગીચાની સામેની અલગ અલગ જગ્યા પરથી પ્રાંત અધિકારી ટીમ દ્વારા દરોડા પાડી ૯ લાખથી વધુનો ગેરકાયદેસર અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. વિસાવદરનાં ત્રણ ગોડાઉનમાં દરોડા પાડતા આ પગેરુ બીલખા સુધી પહોંચ્યું હતું. અધિકારીની ટીમ બીલખા દરોડા પાડવા જતા અધિકારીઓ પર સાત શખ્સોએ હુમલો કર્યાનું એસડીએમમે જણાવ્યું હતું. હાલ બીલખા ખાતેના ગોડાઉનમાં તપાસ શરૂ છે.રાણાવાવ ખાતે રાશનને બારોબાર વેચી માર્યાનું કૌભાંડ સામે આવ્યું ૧૨ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ રાણાવાવ ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી ગરીબોને આપવામાં આવતા રાશનને બારોબાર વેચી માર્યાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારબાદ આ મામલે આખરે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે કૌભાંડમાં સામેલ ૧૨ શખ્સો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામા આવી છે. જેમાં પુરવઠા વિભાગના અનાજના ગોડાઉનમાંથી અંદાજીત એક કરોડથી વધુના સસ્તા અનાજના જથ્થાના હિસાબમાં ગડબડી સામે આવી હતી. ત્યારબાદ પુરવઠા વિભાગની ટીમો દ્વારા રાણાવાવ ગોડાઉનમાં તપાસ હાથ ધરી ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું હતું. ૭ હજાર કટ્ટા ઘઉં-ચોખા અને ૨૨ કટ્ટા ખાંડનો હિસાબ ન મળતા આ સસ્તા અનાજના જથ્થાનું અંદાજીત એક કરોડ જેટલાનું કૌભાંડ થયાનું સામે આવ્યું હતું.વધુ વાંચો -
આણંદપરમાં આગથી મગફળી - અનાજ બળીને ખાખ
- 18, ડિસેમ્બર 2022 01:30 AM
- 1629 comments
- 3123 Views
કોડીનાર,કોડીનાર તાલુકાના આણંદપુર ગામે એક ખેડૂતના મગફળી ભરેલા ગોડાઉનમાં કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રીના સમયે ઈરાદાપૂર્વક આગ લગાડી દેવાની ઘટના બની છે. આ આગ લાગવાથી ગોડાઉનમાં રહેલ અનાજ, મગફળીનો જથ્થો ઉપરાંત ખાતરના બાચકા, ખેત ઓજાર સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ જતા ખેડુતને અંદાજે રૂ.૩૦ લાખનું નુકસાન થયુ છે. આ ઘટના અંગે આણંદપુરના ખેડુત અશ્વિન મોરીએ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર તાલુકાના આણંદપુર ગામે રહેતા અશ્વિન મોરીની ગામની સીમમાં દોઢેક હેક્ટર જેટલી ખેતીની જમીન આવેલી છે. આ ખેતરમાં ખેત પેદાશો સાચવવા તથા ખેતી માટે જરૂર સાધનો સહિતની વસ્તુઓ રાખવા માટે એક મોટું ગોડાઉન બનાવાયું છે. જેમાં દિવાળી સમયે ઉત્પાદન થયેલી ૮૦૦ મણ જેટલી મગફળી, ૮૦ મણ જેટલા ઘઉં અને બાજરો, ૩૦ થેલી યુરિયા ખાતર તથા ખેતીના ઓજારો રાખેલા હતા. આ ગોડાઉનમાં ગતરાત્રીના સમયે કોઈ અજાણ્યા શખસોએ ઈરાદાપૂર્વક આગ લગાડી દીધી હતી. જેની જાણ વહેલી સવારે ગામના ખેડુત વિજયભાઈ પોતાના ખેતરે ગયેલા ત્યારે થઈ હતી. આ સમયે પણ ખેતરના ગોડાઉનમાં આગ ચાલુ હતી. જેથી આગની ઘટના અંગે તેઓએ અશ્વિનભાઈ મોરીને જાણ કરતા તેઓ પરીવારના અન્ય સભ્યો સાથે વાડીએ દોડી આવી અન્ય ખેડુતો-ગ્રામજનોની મદદથી આસપાસના કુવામાંથી પાઇપ લાઇન મારફત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. બાદમાં આગની ઘટનાની જાણ કરતા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જાે કે, આગ લાગવાથી ગોડાઉનમાં રહેલ મગફળી, ઘઉં, બાજરો સહિતના અનાજનો જથ્થો, ખાતરનો જથ્થો તથા ખેતીના સાધનો બળીને ખાખ થઈ ગયા હતા. આમ ગોડાઉનમાં આગ લાગવાથી ખેડુતને અંદાજે ૩૦ લાખનું નુકશાન થયા અંગે પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. ખાનપર ધુનડા રોડ પર કપાસ ભરેલી ટ્રક વાયરને અડતા આગ મોરબીના ખાનપર ઘૂનડા રોડ પર શુક્રવારે સવારે કપાસ ભરેલો એક ટ્રક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક જીવંત વાયર સાથે કપાસનો ભાગ અડી જતાં તેમાંથી સ્પાર્ક થયો હતો અને તે કપાસ પર પાડતાં કપાસના મોટા જથ્થામાં આગ લાગી ગઈ હતી.જાેતજાેતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગની જ્વાળાઓ નિકળવા લાગી હતી. આથી આસપાસના લોકોએ તાબડતોબ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી તેમજ આગ પર કાબુ મેળવ્યો હતો. મોરબીના ખાનપર ઘુનડા રોડ પરથી કપાસ ભરીને જતો એક ટ્રક અચાનક જીવંત વીજ વાયરને અડી ગયો હતો, જેના કારણે કપાસના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે ટ્રક ચાલકે ટ્રક ત્યાં જ રોકી દઈ ફાયર વિભાગમાં જાણ કરતા મોરબી ફાયર વિભાગની ટીમના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.વધુ વાંચો -
સિંહ પરિવાર લટાર મારતા હોવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ
- 11, ડિસેમ્બર 2022 01:30 AM
- 6601 comments
- 2088 Views
દ્રોણેશ્વર નજીક એક સાથે પાંચ સિંહ પરિવાર મોડી રાત્રિના સમયે ખોડલ ફાર્મની બહારના ભાગે આવેલા રસ્તા ઉપરથી એક પછી એક પસાર થઈ રહ્યાં હતા. ત્યારે આ સિંહ પરિવાર લટાર મારતા હોવાની સમગ્ર ઘટના ફાર્મ બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જાેકે ગીર નજીક આ વિસ્તાર આવેલો હોય જેથી અવાર નવાર શિકારની શોધમાં આવી ચડતા હોય છે અને ગામની સીમ વિસ્તારમાં જઈ પશુના મારણ કરી મિજબાની માણી વહેલી સવારે ચાલ્યાં જતાં હોય છે.વધુ વાંચો -
વણાકબારામાં મકાનમાં અચાનક આગ લાગતા કરીયાણા સહિતનો સામાન બળીને ખાખ
- 22, નવેમ્બર 2022 01:30 AM
- 4848 comments
- 9578 Views
દિવ, દિવના વણાકબારામાં એક મકાનના રસોડામાં રાત્રિના અશાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટનાને પગલે રસોડામાં સૂતેલો શખ્સે નજીકની અગાસીમાંથે કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનામાં રસોડામાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. પરિવારની પરિસ્થિતીને ધ્યાને રાખી સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી લોકોએ અપીલ કરી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દિવના વણાકબારા ગામે મીઠી વાડી વિસ્તારમાં આવેલ રહેણાંક વિસ્તારમાં એક મકાનના રસોઈ ઘરમાં રાત્રિના બાર વાગ્યાના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી આજુબાજુમાં રહેતાં લોકો જાગી જતાં ઘરની બહાર નીકળી પોત પોતાની મોટર ચાલું કરી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. આ બનાવ બનતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. આ આગની ઘટનામાં રસોડામાં રહેલ પલંગ પર સૂતેલા જગાભાઈ રસોઈ ઘર નજીકની અગાસીમાંથે કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો. આગ ભભૂકતા જ આસપાસના લોકો એકઠા થઇને આગને કાબુમાં લીધી હતી. સ્થાનિકોની સૂઝબૂઝથી સમયસર રસોડામાં રહેલ ગેસની બોટલને બહાર કાઢી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આ આગના ઘટનામાં રસોડામાં ભરેલ આખા વર્ષનું અનાજ, રેફ્રીઝરેટર, પલંગ, ઘોડીયુ તેમજ માછીમારીની ઝાળી જેવી અનેક ખાદ્યચીજ વસ્તુ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ મકાનમાં જગાભાઈ ભાડે રહેતા હતા સાથે આગની ઘટનાથી તેમને લાખોનું નુકસાન થયું હતું. માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોવાથી તેઓના નુકશાનની ભરપાઈ થાય તે માટે તેઓએ પ્રશાસન પાસે સહાયની ગુહાર લગાવી છે.વધુ વાંચો -
પહેલા બુથ પર પહોંચી મતદાન કરો પછી જ લગ્નમાં હાજરી પુરાવજાે
- 21, નવેમ્બર 2022 01:30 AM
- 457 comments
- 2430 Views
જૂનાગઢ, વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિના સંદેશામાં આપવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં લગ્નકાર્ડમાં મતદાન જાગૃતિના સંદેશા સાથે અચુક મતદાન કરવા અપીલ કરાઇ રહી છે. આ અંગે જિલ્લા કલેકટર રચિત રાજે જણાવ્યું છે કે, ચૂંટણીના સમયની આસપાસ ઘણા બધા લગ્નો નિર્ધારિત હોવાથી લગ્નમાં આવો અને મતદાન કરવાની અનેક પરિવારો દ્વારા અપીલ કરાઇ રહી છે. દરમિયાન જૂનાગઢના જયંતિભાઇ રવજીભાઇ કાચા પરિવારના ઘરે લગ્ન હોય તેમણે અનોખા પ્રકારની લગ્ન કંકોત્રી છપાવી છે. જેમાં મતદાનનું મહત્વ અને જરૂરિયાત દર્શાવવામાં આવી છે. સાથે ૧ ડિસેમ્બરે પહેલા મતદાન કરો પછી જ લગ્નમાં પધારશો તેવું પણ જણાવી મતદાન જાગૃતિ માટેના પ્રયાસો કરાયા છે. મતદારોની સંખ્યા વધે તે માટે દરેકને અપીલ પણ કરવામાં આવી છે. સાથે લગ્ન કંકોત્રીમાં એવું પણ લખાવાયું છે કે, હું તમને અપીલ કરૂં છું કે, આપનો કિંમતી મત આપીને લોકશાહીને મજબૂત બનાવો. અવસર લોકશાહીનો, અવસર મતદાનનો હોય ત્યારે મતદાન કરો અને તમે પણ લોકશાહીના સિંહ બનો. શું તમે તૈયાર છો? આ રીતે તદ્દન અનોખા અંદાજમાં લગ્ન કંકોત્રી બનાવી મતદાન વધારવા માટેનો પ્રયાસ કરાયો છે.વધુ વાંચો -
આઠ વર્ષથી રોડ ન બનતા મધુરમ મારૂતી નગરના લોકો મતદાનનો બહિષ્કાર કરશે
- 15, નવેમ્બર 2022 01:30 AM
- 3193 comments
- 4261 Views
જૂનાગઢ, મધુરમના મારૂતી નગરમાં ૮ વર્ષ પછી પણ રોડ ન બનતા સ્થાનિક લોકોએ ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચિમકી ઉચારી છે. આ અંગે સ્થાનિક રહેવાસી પ્રવિણભાઇ સોલંકીએ જણાવ્યું છે કે, વોર્ડ નંબર ૧૩માં આવેલ મધુરમમાં મારૂતીનગર સોસાયટી આવેલ છે. આ સોસાયટીમાં છેલ્લા ૮ વર્ષથી રોડ જ બન્યો નથી. ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે. લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે.આ અંગે સ્થાનિક કોર્પોરેટરને ફરિયાદ કરતા ઉડાઉ જવાબ આપી દેવાયા છે. રોડ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની અનેક રજૂઆત છત્તાં સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ કોઇ જાેવા પણ આવ્યું નથી. અગાઉની ચૂંટણી વખતે રજૂઆત કરતા મત મેળવવા માટે ખોટા વાયદા અપાયા હતા. હાલ રોડ ઉપરાંત સફાઇ, પૂરતી સ્ટ્રીટ લાઇટની તેમજ પીવાના પાણીની સુવિધા નથી. ત્યારે આ વિસ્તારના ૪૦થી વધુ રહેવાસીઓએ સહિ કરી આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતૂર
- 14, જુલાઈ 2022 01:30 AM
- 6652 comments
- 5505 Views
ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના અને ગીર જંગલ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ઠંડા પવન સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જે સવારથી પણ ધીમી ધારે વરસી રહ્યો છે. જિલ્લામાં રાત્રિથી લઈ સવાર સુધીમાં સૌથી વધુ ગીર-ગઢડામાં ૫ ઈંચ તથા બાકીના પાંચેય તાલુકામાં સરેરાશ ૨થી ૩ ઈંચ વરસાદ વરસી ગયો છે. આજના ભારે વરસાદને પગલે ગીર-ગઢડાની રૂપેણ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતાં ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જાેડતા અનેક રસ્તાઓ અને પુલો પર પૂરના પાણી ફરી વળેલા નજરે પડ્યા છે. તો જિલ્લાના ડેમોમાં પણ ધીમી ધારે નવા નીરની આવક જાેવા મળી રહી છે. ગઈકાલથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવવાની સાથે ઘટાટોપ વાદળો બંધાયાં બાદ છએય તાલુકાઓમાં ક્રમશઃ વારાફરતી ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ થયો હતો. આખી રાત દરમિયાન ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ અવિરત વરસ્યા બાદ સવારથી પણ સૂર્ય નારાયણની ગેરહાજરી વચ્ચે મેઘાવી માહોલમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગતરાત્રિના ધીમી ધારે વરસ્યા બાદ વહેલી સવારના પાંચેક વાગ્યાથી ગીર-ગઢડા શહેર-પંથકમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જેમાં રાત્રિના એકાદ ઈંચ બાદ સવારે ચાર કલાકમાં વધુ ૪ ઈંચ વરસાદ ખાબકી જતાં પંથકમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના પગલે ગીર-ગઢડા પંથકની નાની-મોટી તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હોય એમ બર કાંઠે વહેતી જાેવા મળતી હતી. પંથકની મછુન્દ્રી, સાંગવાડી, સાહી અને રૂપેણ જેવી મુખ્ય નદીઓમાં ઘોડાપૂર આવેલું નજરે પડતું હતું. આ નદીઓમાં આવેલા પૂરના પાણી પંથકના ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જાેડતા માર્ગો અને તેના પુલો પર ફરી વળતાં વાહનવ્યવહાર અમુક સમય માટે બાધિત થયો હતો, જેમાં ગીર-ગઢડાથી હરમડિયા અને ઘોકડવાને જાેડતા બન્ને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં બેએક કલાક સુધી વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ માર્ગે પર ઠેરઠેર ધસમસતા વરસાદી પાણી વહેતા જાેવા મળી રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને હવામાન વિભાગે હજુ પણ ગુજરાતમાં બે દિવસની ધોધમાર વરસાદની આગાહી આપી છે. ચારે બાજુ હજુ પાણી ઉતર્યુ નથી એ વચ્ચે ભારે વરસાદની આગાહીથી તંત્રપણ સતર્ક બની ગયુ છે.ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જાેવા મળતાં પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. રાજકોટ શહેરમાં ગઈકાલે ભારે વરસાદને પગલે ચારેબાજુ પાણી જ પાણી ભરાઈ ગયા હતા.એ સમયે પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી. જ્યાં શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં. આથી વાહનચાલકોમાં મુશ્કેલી જાેવા મળી હતી. આ અંગે આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ અમે શહેરના લગભગ તમામ રાજમાર્ગ અને મુખ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા ઝ્રઝ્ર્ફ નેટવર્કનો ઉપયોગ રસ્તાના ખાડાઓ શોધવા માટે કરી રહ્યા છીએ. અને ખાડા શોધીને તેને બુરવાની સૂચના પણ મે ત્રણે ઝોનના સીટી ઇજનેરોને આપી દીધી છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ગઈકાલથી જ તમામ ઇજનેરોને પોતપોતાના ઝોન અને વોર્ડમાં ઝ્રઝ્ર્ફમાંથી નિહાળીને ખાડા બુરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મેટલ, મોરમ જે પ્રકારે ખાડા બુરાતા હોય તે કેમેરામાંથી જાેઇને તુરંત સુચના આપવા અને વાહન ચાલકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે બાબત ધ્યાને રાખવા સૂચનાઓ જાહેર કરી હતી.રાજકોટના વીરપુર-જસદણમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસતા પાણીપાણી રાજકોટ, રાજકોટના. વીરપુર અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો. જસદણ અને આટકોટમાં સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. તેમજ ખેતરો પણ પાણી પાણી થયા છે. જયારે રાજકોટ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં વરસાદી ઝાપટા અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વીરપુર સહિત પીઠડીયા,મેવાસા,જેપુર, હરિપર,ઉમરાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ઉપલેટા તાલુકાના સાજડીયારી ગામ પાસેથી પસાર થતા પૂલની એક સાઈડમાં ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે. વોકળામાં પાણીની પુષ્કળ આવકને લઈ અને પૂલના એક સાઈડનું ધોવાણ થયું છે. જેને કારણે પૂલનો અમુક ભાગ ધરાશાયી થયો છે. હાલ સાજડીયારીથી ટીબડી જવા માટેના વાહન ચાલકો હેરાન થયા છે. ગત વર્ષે પણ આ પુલના ભાગનું થયું હતું ધોવાણ તેવી પણ વિગતો સામે આવી છે. એ સમયે ઇદ્ગમ્ વિભાગ દ્વારા માત્ર માટી નાખીને કામચલાઉ રીપેરીંગ કરવામાં આવ્યું હતું. હાલ વરસાદી વાતાવરણ છે. જાે ધોધમાર વરસાદ પડશે તો દુર્ઘટના સર્જાય શકે છે. હાલ વરસાદને પગલે શહેરના માંડાડુંગર વિસ્તારમાંથી એક અજગર મળી આવ્યો હતો. જેનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.જામનગર-દ્વારકામાં સાડાચાર ઇંચ વરસાદ વરસ્યો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં એક ઇંચથી લઈ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈ રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. બીજી તરફ ભારે વરસાદની આગાહીના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં એનડીઆરએફની એક-એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા વરસાદના સતાવાર આંકડાઓ જાેઈએ તો આજે સવારે પૂર્ણ થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીયામાં ૨ ઇંચ, કલ્યાણપુરમાં ૧ ઇંચ, ભાણવડ અને દ્વારકામાં પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર જિલ્લામાં તાલુકા મથકે વાત કરવામાં આવે તો કાલાવડમાં સવા ઇંચ, જામજાેધપુરમાં અડધો ઇંચ, જામનગર શહેરમાં ૨ ઇંચ, જાેડીયામાં સાડા ચાર ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.વધુ વાંચો -
ધોરાજીના ઐતિહાસિક ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો
- 10, જુલાઈ 2022 01:30 AM
- 6601 comments
- 4302 Views
રાજકોટ, રાજકોટ જિલ્લામાં છેલ્લા ૫ દિવસથી મેઘરાજા વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યા છે. અનરાધાર વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. આવું જ કુદરતી સૌંદર્ય ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પણ જાેવા મળ્યું છે. ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. આથી અદભૂત દૃશ્યો સર્જાયા છે. તેમજ વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ્મ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે. આ ધોધનો અદભૂત નજારો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે. થોડા દિવસ પહેલા પણ ધોરાજીમાં ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જાેવા મળી રહ્યો છે. ઓસમ ડુંગર પ્રવાસીઓ માટે પ્રવાસન ક્ષેત્રે પ્રખ્યાત બની રહ્યો છે. આ ઓસમ ડુંગર ઉપર તહેવારોની સીઝનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ઓસમ ડુંગર ધોરાજી હિમાચલ પ્રદેશ જેવી હરિયાળીનો નજારો જાેઇને પર્યટકો પ્રફૂલ્લિત બની જાય છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, હિડંબાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ, સહિતના જૈન ધર્મની આસ્થાસમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે. ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જાેવા મળે છે. ભીમ અને હિડંબા અહીં સાથે રહ્યા હતા. ઓમ આકારનો પર્વત દેખાતાં ઓમ સમ= ઓસમ પર્વત નામ પડ્યું હતું. ભાદરવી અમાસે આ ડુંગર પર ભવ્ય લોકમેળો ભરાઇ છે. જેમાં સોળેકળાએ ખીલેલી પ્રકૃતિની સુંદરતા પ્રકૃતિપ્રેમીઓ મનભરીને માણે છે.ગીર સોમનાથના સુત્રાપાડામાં ચાર દિવસથી અનરાધાર વરસાદથી બ્રિજ ધોવાઇ ગયો ગીર - સોમનાથ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગીર-સોમનાથના સુત્રાપાડામાં અનારાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. આ ઉપરાંત અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. આ દરમિયાન અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. બીજી તરફ ખેરા અને વસાવડ ગામ વચ્ચે વાડી વિસ્તારમાં ભારે વરસાદથી એક બ્રિજ ધોવાયો છે. આ બ્રિજ પરથી ખેડૂતો અવરજવર કરતા હતા. ખેરા અને વસાવડ ગામનો જાેડતો બ્રિજ ધોવાઈ ગયાની માહિતી મળી છે. બ્રિજ ધોવાઈ ગયાનો આખો બનાવ ખેડૂતો પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો છે. આ દ્રશ્યોમાં જાેઈ શકાય છે કે આખો બ્રિજ પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ રહ્યો છે. ભારે વરસાદને પગલે જામકંડોરણાનો ફોફળ-૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. ફોફળ ડેમમાં ૧૧ ફૂટ નવા નીરની આવક થઈ છે. જેના પગલે ડેમની સપાટ ગઈકાલે ૨૩ ફૂટે પહોંચી હતી. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. દુધીવદર, ઇશ્વરીયા, તરવડા અને વેગડી ગામના લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. જામકંડોરણા પંથકમાં સાડા ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડતા દુધીવદર ગામ ખાતે આવેલો ફોફળ-૧ ડેમ હાલ ભરાયો છે. આ ડેમની કુલ સપાટી ૮૧.૭૫ મીટર છે. ડેમની ગુરુવારની સપાટી ૮૦.૨૯ મીટર હતી. બીજી તરફ ધોરાજીના ભૂખી ગામ ખાતે આવેલો ભાદર-૨ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેના પગલે ૩૭ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. ભાદર -૨ ડેમની જળ સપાટી ૫૩.૧ મીટર છે, જ્યારે જળાશયની હાલની સપાટી ૫૧.૧ મીટરે પહોંચી છે. ડેમમાં ૬,૭૧૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી વધતા ધોરાજી તાલુકાના ૪ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ભોળા, ભોળગામડા, છાડવાવદર, સુપેડી ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉપલેટાના ૧૫ ગામ, કુતિયાણાના ૧૦ ગામ અને પોરબંદરના ૪ ગામને એલર્ટ કરાયા છે. ખાલી પડેલા તમામ ડેમો,તળાવો,નદીઓ ઓગની જતા પાણી ગામો અને ખેતરોમાં ઘુસતા હાલાકી કચ્છ પશ્ચિમ કચ્છમાં છેલ્લા ૪ દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે.જેના કારણે ખાલી પડેલા તમામ ડેમો,તળાવો,નદીઓ ઓગની જતા પાણી ગામો અને ખેતરોમાં ઘુસી રહ્યું છે .સતત વરસાદના કારણે ખેતરો પણ તળાવમાં ફેરવાઈ ગયા છે.છેલ્લા ચાર જ દિવસમાં લખપત,અબડાસા,નખત્રાણા અને માંડવી-મુન્દ્રામાં સાંબેલાધાર મેઘો વરસ્યો હોવાથી અહીં તરોમાં ઉભા પાકને નુકશાન થવા પામ્યું છે.વાવણી કરેલો પાક ધોવાઈ જવા સાથે ખેતરોના બંધારા પણ તૂટી ગયા છે જેથી સરકાર દ્વારા સહાય આપવામાં આવે તે જરૂરી છે.. અબડાસા અને લખપતને જાેડતા માર્ગ પર પાણી ફરી વળ્યા..રામપર નજીક આવેલ મીઠી ડેમ ઓવરફ્લો થતાં રામપર નદીના પાણી બે કાંઠે વહ્યા હતા જ્યારે અબડાસા અને લખપતને જાેડતો માર્ગ થયો બંધ થતાં સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ...થઇ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. બાલાગામ ઘેડમાં ઓઝત નદીનો પાળો તૂટતા હજારો વિઘા જમીન પાણીમાં કેશોદ પંથકના બામણાસા ધેડ અને બાલાગામ ખાતે આવેલ ઓઝત નદીમાં ઉપરવાસમાં પડેલાં વરસાદી પાણીની આવક થતાં ખેડુતોએ પાણી રોકતાં બનાવેલાં માટીના પાળા તૂટી પડતાં હજારો વીધા જમીન પાણીમાં ગરકાવ થઈ હતી. જેથી મગફળીને નુકસાન થયું હતું. આ અંગેની મળતી વિગત મુજબ ઘેડ પંથકની ઓઝત નદી સાંકળી બનતાં તેમજ નાના વોકળા પેશકદમી કરી બંધ કરાતાં વારંવાર પાળા તુટવાની ઘટના બને છે.છેલ્લા ૩ વર્ષમાં બામણાસા ગામે પાળો તૂટવાથી મોટા પાયે ખેડૂતોની જમીનનું ધોવાણ તેમજ મગફળીના પાકને નુકશાન થઈ રહ્યું છે. એવી જ રીતે બે વર્ષ પહેલાં ૮૦ મીટર તૂટેલો પાળો તંત્રએ આરસીસીથી બનાવી આપ્યો તો ગત વર્ષે તેની બાજુમાં આવેલ પાળો તૂટ્યો હતો. આ પાળાને પાકો બનાવવા તંત્રએ સહાય મંજૂર કરી પણ સમયસર પાળો બનાવવા ઉણું ઉતર્યું જેને લઈ ખેડૂતે હજારો ખેડૂતોની ચિંતા કરી સરકારી વાહનનો ઉપયોગ કરી માટીનો કાચો પાળો બનાવી નાખ્યો હતો. નદી વળાંક લેતી હોય પાળાની નીચે પોલાણ સર્જાતાં પાળો તૂટી ગયો હતો. આ ઘટનાથી આખું ચોમાસું જ્યાં સુધી નદીમાં પાણીની આવક રહેશે ત્યાં સુધી બામણાસા ગામ કેશોદ તાલુકાથી વિખુંટુ રહેશે. અને હજારો વીધામાં વાવેતર કરાયેલ મગફળી નિષ્ફળ જશે.વધુ વાંચો -
સુત્રાપાડામાં ૧૩ અને કોડીનારમાં ૯ ઈંચ વરસાદ
- 07, જુલાઈ 2022 01:30 AM
- 8610 comments
- 7845 Views
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું. એમાં સુત્રાપાડામાં નવ કલાકમાં ૧૩ ઇંચ, કોડીનારમાં નવ કલાકમાં ૧૧ ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્યવહાર ખોરવાઇ જતાં બંન્ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે. રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગીર સોમનાથના દરિયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગત રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. આ ત્રણેય તાલુકામાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુત્રાપાડામાં રાત્રિના શરૂ થયેલી મેઘસવારીએ સવારે પણ ચાલુ રહી હતી. સૂત્રાપાડામાં ૩૦૨મિમી (૧૨ ઇંચ), કોડીનારમાં ૨૭૯ મિમી (૧૧ ઇંચ) અને વેરાવળમાં ૧૨૪ મિમી (૫ ઇંચ) વરસાદ વરસાવી દીધો હતો. એને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદને પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુત્રાપાડા શહેર-પંથકમાં ગત રાત્રિના અઢી વાગ્યા આસપાસ મેઘરાજાએ પધરામણી કર્યા બાદ વહેલી સવારે સાત વાગ્યા સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતું. આમ, સાત કલાકમાં ૧૨ ઇંચ જેવો વરસાદ વરસી જતાં શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યું હતું, ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જાેવા મળતો હતો. પંથકના મટાણા સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાનાં દૃશ્યો સામે આવ્યાં છે. મટાણા ગામને જાેડતા બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તા-શેરીઓમાં નદી વહેતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતનાં ગામોની શેરીમાં નદી વહેતી થતાં બેટમાં ફેરવાયા જેવો નજારો જાેવા મળતો હતો. સુત્રાપાડાનો વાડી વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુત્રાપાડા તાલુકાનાં અન્ય ગામોને જાેડતા ઉંબરી સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા બંધ થઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કોડીનાર પંથકમાં પણ ગત રાત્રિથી જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જે સવારે પણ અવિરત ચાલુ હતા. એને લીધે કોડીનાર શહેર-પંથકમાં ૧૧ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જળમગ્ન જેવી સ્થિતિ અનેક જગ્યાએ જાેવા મળી હતી. કોડીનાર શહેરની અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો પંથકના દરિયાકાંઠાના મૂળ દ્વારકા, માલાશ્રમ સહિતનાં ગામોની અંદર નદીઓ વહેતી થઇ હતી. તો અનેક લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો પરેશાન થયાં હતાં. ભારે વરસાદને પગલે કોડીનાર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ જળમગ્ન જેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે.દ્વારકામાં ભારે વરસાદથી જગત મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવાઈ દ્વારકામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં ૬.૬ ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે સમગ્ર દ્વારકા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. જેને કારણે દ્વારકામાં જગત મંદિરનાં શિખરે અડધી કાઠીએ ધજા ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લીધો હતો. વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધજા ફરકાવાશે. કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદથી પાણી પાણી બની ગયુ છે. તો દ્વારકામાં ૪ અને ખંભાળિયામાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. મૂશળધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. દ્વારકામાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા થયા છે. રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. સાની નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. લોકો જીવના જાેખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે. ભારે વરસાદથી જિલ્લાના નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. તો બીજી તરફ સીમાની કાલાવડથી બારા તરફ જતાં માર્ગ પર પુલ પર પાણી ફરી વળતા લોકોને જીવના જાેખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે. દ્વારકામાં જગત મંદિરનાં શિખરે ધજા અડધી કાઠીએ ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લેવાયો છે. ખરાબ હવામાન, વરસાદની આગાહીને પગલે વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી ધજા અડધી કાઠીએ ફરકાવાશે. મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં સતત ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. જેના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર પર ફરકાવવામાં આવતી ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જામનગર જામનગર જિલ્લા અને શહેરમાં મેઘરાજાએ વ્હેલી સવારથી ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું. સતત વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે જામનગરને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા દેધનાધન વરસાદ વરસાવી રહ્યા છે. સૌથી વધારે પડાણા ગામમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જામનગર સહિત રાજ્યભરમાં વરસાદની આગાહીની પગલે વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને જિલ્લાને મેઘરાજાએ મુકામ બનાવ્યો છે. તેમજ ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગ વાદળો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બાળકોએ વરસાદમાં નાહવાની મોજ માણી હતી. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. જામનગર જિલ્લા અને શહેરમાં વહેલી સવારથી જ સતત વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારી એવી મેઘમહેર જાેવા મળી રહી છે.જામનગરમાં મકાનની અગાસી પર વિજળી પડી જામનગરના ગુલાબનગર વિસ્તાર નજીક મોહનનગરમાં આવેલા આવાસના ૧૨ નંબરના બિલ્ડીંગની અગાસીના ખૂણા પર વીજળી પડતાં બિલ્ડીંગનો ખૂણો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ ત્યાં વસવાટ કરતા સેંકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. જામનગરના ગુલાબ નગર નજીક મોહનનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ નું નિર્માણ કરાયું છે. જેમાં ૧૨ નંબરની બિલ્ડીંગની અગાસીના એક ખૂણા પર આજે ભારે વરસાદની સાથે વિજળી પડી હતી. જે વીજળીના કારણે બિલ્ડીંગનો અગાસીના ખૂણાનો કેટલોક હિસ્સો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે બિલ્ડીંગમાં વસવાટ કરતા અનેક લોકો પોતાના ઘરમાં જ હતા, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી. પરંતુ સેકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. હજુ પણ વરસાદી વાતાવરણ ચાલુ હોવાથી અન્ય સ્થાનિકોમાં ભયનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે.વધુ વાંચો -
વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનો દરિયો તોફાની બન્યો ઃ ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
- 28, મે 2022 01:30 AM
- 9221 comments
- 7562 Views
જૂનાગઢ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ-પશ્ચિમી ચોમાસું આજે કેરળ પહોંચે તેવી શક્યતા છે. શનિવારે અથવા ૪ દિવસમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે. ત્યારે તે પહેલા જ ગુજરાતનો દરિયો તોફાની બન્યો છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. સામાન્ય રીતે ૧ જૂન આસપાસ કેરળમાં ચોમાસું પહોંચે છે. ત્યારે ગુજરાતમાં ૧૫ જૂન આસપાસ ચોમાસું શરૂ થશે. પરંતુ અત્યારથી જ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અમદાવાદ, વડોદરા, તથા દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. આ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આજે હળવો વરસાદ પડી શકે છે. તેમજ દક્ષિણ-પશ્ચિમી ચોમાસું આજે કેરળ પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જેથી અનેક સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે ૨૮ થી ૨૯ મેના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. મોટાભાગની બોટો હાલ મધ દરિયામાં માછીમારી કરી રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે માંગરોળ બંદર તમામ બોટને પરત બોલાવી લેવાઈ છે. આગામી ૨૯ મે સુધી દરીયો નહી ખેડવાની ફિશરીઝ વિભાગે સુચના આપી છે. ફિશરીઝ વિભાગે માછીમારી કરવા જતા માછીમારોને ટોકન આપવાનું બંધ કર્યું છે. આ વચ્ચે અચાનક દરિયામાં ૬૦ ાદ્બ ઝડપે પવન ફુંકાવાની અને દરિયામા કરંટ અનુભવાયો છે. જેને કારણે માછીમારી બંધ કરવાં આદેશ અપાયો છે. હાલ માંગરોળ બંદર પર કૂલ નાની મોટી ૨૮૦૦ જેટલી બોટ છે. હાલ ૮ જેટલી બોટ દરિયા કિનારે સાંજ સુધી આવી જશે. માછીમારો એ પોતાની તમામ બોટ માંગરોળ બંદર પર લાગવી દેવામા આવી છે. નોંધનીય છે કે, કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ આગળ વધતું હોય છે. મહારાષ્ટ્ર અને ગોવામાં પહોંચ્યા બાદ હવામાન અનુકુળ ન હોય તો સ્થિર થઈ જાય છે એટલે કે, ક્યારેક ગુજરાતમાં એન્ટ્રી મોડી થતી હોય છે. તો ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.વધુ વાંચો -
કેશોદમાં આહીર સમાજના ડાયરામાં એક કરોડથી વધુ રૂપિયા ઊડ્યા
- 10, મે 2022 01:30 AM
- 7994 comments
- 4879 Views
કેશોદ ખાતે આહીર યુવા મંચ દ્વારા સમાજવાડી માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાત્રે માયાભાઈ આહીર, બિરજુ બારોટ તેમજ ઉર્વશી રાદડિયાનો લોકડાયરો યોજાયો હતો. એમાં આહીર સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરમાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાડ્યા હતા. આ દરમિયાન ડાયરામાં ૫૦૦ અને ૨ હજારની ગુલાબી ચલણી નોટોનો વરસાદ થયો હતો. અંદાજ મુજબ, એક કરોડથી પણ વધુ રૂપિયા ઊડ્યા હતા. લોકગાયક બિરજુ બારોટ સંતવાણી રજૂ કરી રહ્યા હતા, ત્યારે સતત બે કલાક સુધી પૈસા ઊડ્યા હતા.વધુ વાંચો -
કેસર કેરીની આવક વધતાં ભાવ ઘટે એવી શક્યતા
- 08, મે 2022 01:30 AM
- 1220 comments
- 3127 Views
જૂનાગઢ, મીઠી સુગંધથી મઘમઘતી અને જાેતા જ મોંમા પાણી આવી જાય તેવી કેસર કેરી હજી પણ મોટાભાગના લોકોના ઘર સુધી પહોંચી નથી. દર વર્ષે ઉનાળામાં માર્ચ-એપ્રિલ મહિનામાં માર્કેટમાં કેરી આવવાની શરૂ થઈ જાય છે. ખાસ કરીને કેસર કેરીની સીઝન દરમિયનાન વધારે માગ રહે છે. અત્યારે ધીમે-ધીમે કેસર કેરી માર્કેટમાં આવી રહી છે પરંતુ તેના ભાવ પણ ઝટકો આપે તેવા છે. એક કિલો કેરી ૧૫૦ રૂપિયાના ભાવે મળી રહી છે. આ સિવાય કેટલીક જગ્યાએ એક બોક્સ (૧૦ કિલો) કેરીનો ભાવ ૧૫૦૦થી ૧૭૦૦ રૂપિયા છે. જાે કે, આગામી સમયમાં કેસર કેરીના ભાવમાં થોડો ઘટાડો થશે તેવી શક્યતા છે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ કરવામાં આવી તેને ૧૦ દિવસ થઈ ગયા છે. ગત વર્ષ કરતાં બમણા ભાવથી શરૂ થયેલી કેસર કેરીનો ભાવ હજી પણ એટલો જ છે. ભાવમાં સહેજ પણ ઘટાડો થયો નથી. પરંતુ આગામી એક અઠવાડિયા બાદ તેમાં થોડો એવો ઘટાડો થવાની શક્યતા છે. તાલાલા યાર્ડમાં ૧૦ કિલો કેસર કેરી ૭૫૦ રૂપિયાના ભાવે વેચાઈ રહી છે.તાલાલા માર્કેટિંગ યાર્ડના છેલ્લા ૨૦ વર્ષના ઈતિહાસમાં આ વર્ષે કેસર કેરના ભાવ સૌથી વધારે નોંધાયા છે. સામાન્ય રીતે કેસર કેરીના ૧ ક્વિન્ટલનો ભાવ ૮૨૫થી ૩,૫૫૦ રૂપિયા રહ્યો છે, પરંતુ આ વર્ષે તે ભાવ ૭,૫૦૦ રૂપિયા છે. ૨૦૦૦-૦૧ના વર્ષમાં સરેરાશ ૮૨ રૂપિયા પ્રતિકિલોના ભાવે કેસર કેરીનું બોક્સ વેચાતું હતું, આજે તેનો ભાવ ૭૫૦ રૂપિયાએ પહોંચ્યો છે. ૨૦૨૨માં મે મહિના દરમિયાન એક ક્વિન્ટલ કેરીનો ભાવ ૩,૫૫૦ રૂપિયા હતા અને બોક્સનો ભાવ ૪૦૦ રૂપિયાની આસપાસ હતો. પરંતુ હાલના સમયમાં એક ક્વિન્ટલ કેરીનો ભાવ ૭૫૦૦ અને બોક્સનો સરેરાશ ભાવ ૭૫૦ રૂપિયા રહ્યો છે. તાલાલા યાર્ડમાં છેલ્લા ૧૦ દિવસમાં ૨૦,૩૨૬ બોક્સની આવક નોંધાઈ હતી. તાલાલા યાર્ડના ચેરમેન સંજય શિંગાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે કેસર કેરીમાં રોગ આવી ગયો છે. ઠંડા હવામાનના કારણે પાકને નુકસાન થયું છે. લંગડો અને હાફૂસ કેરી સારી આવે છે પરંતુ કેસર કેરી બજારમાં મોંઘી છે. પરંતુ દિવસ જતાં તે પણ થોડી સસ્તી થશે.વધુ વાંચો -
ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં બે ડાલામથ્થા સિંહોએ પશુનો શિકાર કર્યો
- 08, મે 2022 01:30 AM
- 4149 comments
- 7922 Views
જૂનાગઢ,ગીર જંગલની બોર્ડર આસપાસના ગ્રામ્યમાં બે સિંહો પશુનું મારણ કરી સાથે લઈ જતા હોવાના દ્રશ્યો રાહદારી ચાલકના કેમેરામાં કેદ થયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં દેખાતો વિસ્તાર ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલ આસપાસના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખોરાકની શોધમાં સિંહ સહિતના વન્યપ્રાણીઓ જંગલ બહાર ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે. ત્યારે રાત્રીના સમયે બે ડાલામથ્થા સિંહોએ રસ્તાની સાઈડમાં પશુનો શિકાર કર્યો હતો. જે બાદ એક સિંહ મૃત પશુને મોઢામાં લઈ જંગલ તરફ ચાલીને જઈ રહ્યો હતો. આ સમયે બીજાે સિંહ પાછળ દોડીને જઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના રસ્તા પરથી પસાર થઈ રહેલા કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. આ વીડિયો કયા ગામનો છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ સિંહોને તેમજ વિસ્તાર જાેઇને આ વીડિયો ગીર જંગલના બોર્ડર આસપાસના કોઈ ગ્રામ્ય વિસ્તારનો હોવાનું જાણકારો અનુમાન વ્યક્ત કરી રહ્યા છે. ગરમીમાં લોકો તો ઠીક વન્યપ્રાણીઓ પણ ત્રાસી ગયા છે. આ સીઝનમાં જંગલમાં પાણી અને ખોરાક સરળતાથી મળતો ન હોવાથી સિંહ, દિપડા જેવા વન્યપ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં જંગલ બહારની માનવ વસતી વાળા વિસ્તારોમાં આવી ચડતા જાેવા મળે છે.વધુ વાંચો -
મહિલા સભ્યના પતિએ રતાંગ ગામના પૂર્વ સરપંચ સાથે ગ્રાન્ટની બાબતે લાફાવાળી કરી
- 24, એપ્રીલ 2022 01:30 AM
- 6646 comments
- 3297 Views
જૂનાગઢ, જૂનાગઢની ભાજપ શાસિત વિસાવદર તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં જ શિસ્તના લીરેલીરા ઉડ્યા હતા. ભાજપના તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિએ રતાંગ ગામના પૂર્વ સરપંચ સાથે ગ્રાન્ટની પૂછપરછ બાબતે જીભાજાેડી કરી લાફાવાળી કરી હતી. ઘટના દસ દિવસ બાદ હવે તાલુકા પંચાયતના મહિલાના સભ્યના પતિ સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પંથકનું રાજકારણ ગરમાયું છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૨ એપ્રિલના રોજ રતાંગ ગામના પૂર્વ સરપંચ અને ભાજપ અગ્રણી અરવિંદભાઈ સાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં કોઈ કામ અર્થે ગયા હતા. ત્યારે ત્યાં હાજર તાલુકા પંચાયતના સભ્યના પતિ અશોક માળવીયાએ તું અમારા ગામની ગ્રાન્ટ માટે કેમ પૂછપરછ કરે છે? તેમ કહી ઝગડો કર્યો હતો. તેમજ જાેત જાેતામાં ઉગ્ર બોલાચાલી વચ્ચે અશોકભાઈએ ભાજપ અગ્રણી અરવિંદભાઈને ફડાકાવાળી કરી ચારેક લાફા ઝીંકી દઈ અપશબ્દો ભાંડી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના સમયે તાલુકા પંચાયતના પ્રમુખ નિતીન કપુરીયા ઉપરાંત અન્ય ગામના સરપંચો અને અગ્રણી લોકો પણ ચેમ્બરમાં હાજર હતા. તેમણે અરવિંદભાઈને છોડાવ્યા હતા. બાદમાં અશોક માળવીયાએ અરવિંદ સાંગાણીને તું ક્યાંય રસ્તામાં પણ સામો મળતો નહીં નહીતર તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઘટના અંગે ભાજપ અગ્રણી અરવિંદભાઈ સાંગાણીએ પોલીસમાં અરજી આપી હતી પરંતુ પોલીસે જે તે સમયે ગુનો દાખલ નહોતો કર્યો. હવે આ ઘટના અંગે પોલીસે દસ દિવસ બાદ તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ અશોકભાઈ સામે આઈપીસી કલમ ૩૨૩, ૨૯૪ (બી), ૫૦૬ (૨) હેઠળ વિધિવત ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
પ્રથમ વખત રેગ્યુલર ફલાઈટ શરૂ થતાં ૧૮ યાત્રિકોનું મુંબઈથી કેશોદ આગમન
- 19, એપ્રીલ 2022 01:30 AM
- 5982 comments
- 4912 Views
જૂનાગઢ, કેશોદ એરપોર્ટ ૨૨ વર્ષ બાદ કોર્મસિયલ ફલાઈટ માટે ફરી ખુલ્લું મુકવામાં આવ્યું છે. રવીવારના દિવસે પ્રથમ વખત રેગ્યુલર ફલાઈટ શરૂ થતાં ૧૮ યાત્રીકોનું મુંબઈ થી કેશોદ આગમન થયું હતું. જયારે ૫૩ યાત્રીકો મુંબઈ જવા રવાના થયાં હતાં. જેમને પશુપાલન મંત્રી દેવાભાઈ માલમે મોં મીઠાં કરાવ્યાં હતાં. જયારે સ્થાનિક ટિક્ટિ બુક કરતી એક કંપની તરફથી પ્રથમ ટિક્ટિ બુક કરાવનાર અશોકભાઈ વાળાનું સન્માન કરાયું હતું. આમ અઠવાડિયામાં રવી, બુધ અને શુક્ર એરક્રાફ્ટ અવર જવર કરવાનું હોય આવતાં બુધવારના દિવસ માટે ૪૫ ટિક્ટિ એડવાન્સ બુક થઈ ચૂકી છે. આ પ્રથમ ફલાઇટમાં મુસાફરી કરતાં યાત્રાળુંઓએ મુસાફરીમાં સરળતાં રહેતી હોવાનું કહ્યું તો કોઈએ નાનપણમાં સેવેલા સ્વપ્નને સાકાર થતાં ખુશી વ્યક્ત કરી હતી.અશોકભાઈ વાળા કેશોદ થી ૪ કીમી દુર બળોદર રહે છે. તેણે ૧૦ વર્ષની ઉંમરે કેશોદ એરપોર્ટ પર થી ઉપડતાં પ્લેનમાં મુસાફરી કરવાં સ્વપ્ન જાેયું હતું પ્રથમ દિવસે તેમનું સ્વપ્ન ફળ્યું જેથી ખુશી વ્યક્ત કરી.મુંબઈના મુસાફર મુંબઈ થી ડૉ. રેશ્મા શાહ અને તેનો પરિવાર જુનાગઢ ગીરનાર અને ગીર અભારણ્ય સફારી પાર્ક ફરવા આવેલાં પરત જવા તેઓ રાજકોટ કે અમદાવાદ ફલાઈટ પકડવાના હતાં પરંતુ તેને કેશોદ વિમાની સેવા શરૂ થઈ તેવી જાણ થતાં ટિકિટ બુક કરાવી હતી.વધુ વાંચો -
કેશોદથી મુંબઇ કોમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ
- 17, એપ્રીલ 2022 01:30 AM
- 692 comments
- 1632 Views
જૂનાગઢ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે આજે કેશોદ એરપોર્ટ ખાતે કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે કેશોદ એરપોર્ટ પર હવાઇ સેવાઓ માટેની આધુનિક સેવાઓનુ પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, આત્મ ર્નિભર ગુજરાતથી આત્મ ર્નિભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા પરિવહન ખાસ કરીને હવાઈ પરિવહનનો વિકાસ અગત્યનો છે. ગુજરાતનો પર્યટન વિકાસ પણ તેના મૂળમાં છે. આ સંકલ્પ થી સિદ્ધિ માટે વડાપ્રધાનનરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વ્યાપક એર કનેક્ટીવીટી પ્રસ્થાપિત થઇ રહી છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનની ર્દિઘ દ્રષ્ટી હેઠળ ગલોબલ વોર્મિંગની અસરોને ખાળવા કુદરતી સંશાધનોના સમતોલ ઉપયોગ અને સૂર્ય ઉર્જા માટેના પ્રોજેક્ટ આજે આપણને આજની સ્થિતિમાં ઉપયોગી બની રહ્યા છે તેમ જણાવી વડાપ્રધાનની આગવી દ્રષ્ટી હેઠળ દેશ આગળ વધી રહ્યો છે તેમ જણાવ્યુ કહ્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યુ કે, કેશોદમાં વિમાન સેવા શરૂ થતા પ્રવાસનને તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. વધુમાં તેઓએ કહ્યુ કે, આર્ત્મનિભર ગુજરાત થી આત્મ નીર્ભર ભારતના સંકલ્પમાં હવાઇ સેવાની કનેક્ટીવીટી ખુબ જ અગત્યની છે. મુખ્યમંત્રીએ કેશોદ એરપોર્ટ ખાતે વિમાન સેવા ઝડપથી શરૂ કરવા અંગે કેન્દ્ર સરકારનો ખાસ કરીને નાગરિક ઉડ્યન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો આભાર માન્યો હતો.દરેક ગામના ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું જૂનાગઢ ખાતેથી આહ્વાન ધી ગુજરાત રાજ્ય સહકારી બેંક લી. અમદાવાદના સહયોગથી ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. જૂનાગઢ બ્રાન્ચ દ્વારા આયોજીત ખેડૂત મહિલા ઉત્કર્ષ શિબિરમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી નવિનીકરણ કરાયેલ પ્રાંચી શાખાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણે ત્યા સૈકાઓથી નારી શક્તિના પુજનની પરંપરા રહેલી છે. ગુજરાતની ૩ જેટલી દિકરીઓએ ઓલમ્પિકમાં અને ૩ દિકરીઓ પેરા ઓલમ્પિકમાં ભાગ લઇ પુરવાર કર્યુ છે કે, જાે તક મળે તો નારી શક્તિ પોતાનું કૌવત બતાવી જાણે છે.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ધરતી માતાનું આરોગ્ય જાળવીએ તેના થકી જ માનવ જીવનનું આરોગ્ય જળવાશે.વધુ વાંચો -
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રસ્તે રઝળતાં યુવકની પોલીસે તપાસ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું
- 16, એપ્રીલ 2022 01:30 AM
- 7428 comments
- 2221 Views
જૂનાગઢ, રાણીપમાં રહેતો યુવક દેવાદાર બની જતા લેણદારોથી કંટાળી જઈ ઉત્તરાયણના દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ યુવક ત્રણ માસથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રખડી રહ્યો હતો. આ યુવક પોલીસ સ્ટાફના ધ્યાને આવતા તેની પાસેથી જાણકારી મેળવી રાણીપ પોલીસની મદદથી તેના પરીવારને અત્રે બોલાવી મિલન કરાવ્યુ હતું. આમ જૂનાગઢ પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ હતું. પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે જૂનાગઢમાં રેલવે સ્ટેશન નજીક એક યુવક ચિંતામાં હોય તેવી પરિસ્થિતિમાં શંકાસ્પદ રીતે આંટા મારતો જાેવા મળ્યો હતો. જેના પર ડીવાયએસપી કચેરીના કમાન્ડોનું ધ્યાન જતા તેણે આ યુવકને પોલીસ કચેરી ખાતે લઈ આવ્યો હતા. બાદમાં બી ડિવિઝનના પીઆઇ આર.એસ. પટેલએ પુછપરછ કરતા તેણે પોતાનું નામ અમિત ગજ્જર (ઉ.વ.૩૮) હોવાનું અને પોતે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ૪૭ મૃદુલ એપાર્ટમેન્ટ કાશીબા રોડ પર રહેતો હોવાનું અને તે તા.૧૩-૦૧-૨૦૨૨ ના રોજ સવારે ૬ વાગ્યે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો કારણ કે, પોતાના પર દેવું થઈ ગયુ હોય જેથી લેણદારો શાંતી લેવા દેતા ન હોવાથી મોબાઈલ ફોન ઘરમાં મુકી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં ક્યારેક વાહનમાં અને ક્યારેક પગપાળા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રખડતો હોવાનું જણાવતા પોલીસ સ્ટાફ પણ ચોંકી ગયો હતો. બાદમાં યુવકે તેના ભાઈનો મોબાઈલ નંબર આપ્યો હતો જેના પર પોલીસે સંપર્ક કરતા તે બંધ આવતો હતો. આ અંગે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ રાણીપ પોલીસનો સંપર્ક કરી તપાસ કરાવતા ગત તા.૧૭-૧-૨૨ ના રોજ મળી આવેલ અમિત ગજ્જરના પત્ની ડિમ્પલબેન દ્વારા તેના પતિ ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. જેના આધારે યુવકના ભાઈ ભાવિક ગજ્જર સાથે મોબાઈલ ફોનથી વાત કરતા તેઓ અને ઘરના તમામ સભ્યો છેલ્લા ત્રણ મહિનાથી અમિતની ભાળ મેળવવાને લઈ ચિંતાતુર હતા. જૂનાગઢમાં તેમનો ભાઈ મળી આવ્યો હોવાના સમાચાર સાંભળીને તુરંત નીકળી જઈ તેમના પરીવારજનો જૂનાગઢ લેવા આવી પહોંચ્યા હતા. અહીં પોલીસ અધિકારીઓએ યુવકનું તેના પરીવાર સાથે મિલન કરાવતા હાજર સૌ ભાવવિભોર થઈ ગયા હતા.વધુ વાંચો -
કારમાં બેસી મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલો એક શખ્સ ઝડપાયો
- 14, એપ્રીલ 2022 01:30 AM
- 4656 comments
- 4030 Views
જૂનાગઢ, જૂનાગઢમાં છાને ખુણે ક્રિકેટ મેચમાં સટ્ટો રમતો હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસ સતર્ક બની હતી. આ દરમિયાન બાતમીના આધારે એલસીબીની ટીમે શહેરના ગીરીરાજ રોડ પર કારમાં બેસી મોબાઈલ ફોન પર આઈડીમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલા એક શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી રોકડ, મોબાઈલ અને કાર મળી ૧૦ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સે સટ્ટો રમવા શહેરના મધુરમ વિસ્તારના યુવક પાસેથી આઈડી લીધું હોવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ક્રિકેટ ટૂર્નામેન્ટ હાલ ચાલી રહ્યો હોવાથી મોટા પાયે તેમાં સટ્ટો રમતો હોવાથી યુવાધન જુગાર રમવાના રવાડે ચડી રહ્યુ છે. આ વ્યસન ઝેરની જેમ પ્રસરી રહ્યુ હોવાથી અનેક યુવાનો અને પરીવારો બરબાદ પણ થઈ રહ્યા છે. ત્યારે સમાજમાં વ્યાપક રીતે પ્રસરી રહેલા આ જુગારની બદીને ડામી દેવા લોકો માંગ કરી રહ્યા છે. જેથી ક્રિકેટની સીઝનના સમયે જૂનાગઢ પોલીસ પણ સતર્ક બની કામગીરી કરી છે. જે અંતર્ગત બાતમીના આધારે જૂનાગઢ એલસીબીની ટીમે શહેરના ગીરીરાજ સોસાયટી પાસે રહેતો વિમલ ઉર્ફે વિક્કી દેવાનંદ હરવાણી (ઉ.વ.૩૦) ગીરીરાજ રોડ ઉપર પોતાની કારમાં બેસી મોબાઈલ ફોનમાં આઈડીમાંથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઝડપી લીધો હતો.એલસીબી સ્ટાફે આરોપી વિક્કી હરવાણી પાસેથી રોકડા ૭૦ હજાર, મોબાઈલ અને કાર મળી કુલ રૂ.૧૦.૨૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ તેની પૂછપરછ કરતા તેણે આ ક્રિકેટ સટ્ટો રમવાનું આઈડી મધુરમ વિસ્તારના દેવ ગઢવી નામના યુવક પાસેથી લીધા હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એલસીબીએ વિક્કી હરવાણી અને દેવ ગઢવી સામે બી ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
જુનાગઢ જિલ્લામાં ઉનાળુ પાકનું ૨૬,૬૫૫ હેકટરમાં વાવેતર
- 26, માર્ચ 2022 01:30 AM
- 4210 comments
- 9404 Views
જુનાગઢ હાલ ઉનાળાની સીઝનમાં જુનાગઢ જીલ્લામાં ઉનાળુ પાકમાં વાવેતર થવા પામ્યું છે જેમાં સૌથી વધુ વાવેતર તલના પાકમાં ૮૦૬૦ હેકટરમાં થવા પામ્યું છે અને સૌથી ઓછું વાવેતર ડુંગળી ૪૦ હેકટરમાં માત્ર મેંદરડા તાલુકામાં થવા પામ્યું છે.છેલ્લા બે વર્ષથી ૧૫૦ ટકાથી લઈને ૨૦૦ ટકા વરસાદ થવા પામ્યો છે જેથી જમીનના પાણીના તળ ઉંચા આવી જતા કુવા બોરમાં પાણીનો વિપુલ જથ્થો સાથે વીજ પુરવઠો પણ પુરતો મળી રહેતા આ વર્ષે વિપુલ પ્રમાણમાં જુનાગઢ જીલ્લામાં કુલ ૨૬૬૫૫ હેકટરમાં વિક્રમ સર્જક ઉનાળુ વાવેતર થયું છે. જીલ્લા ખેતીવાડી અધિકારી ડી.જી. રાઠોડે સાંજ સમાચારના જીલ્લાના પ્રતિનિધિ રાકેશ લખલાણીને માહિતી આપતા જણાવ્યું છે કે જીલ્લાના નવ તાલુકા અને જુનાગઢ શહેર સહિતમાં બાજરી, મગ- અડદ- ઉનાળુ મગફળી, તલ-ડુંગરી, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થવા પામ્યું છે.ઉનાળુ વાવેતરમાં તાલનું વિક્રમ સર્જન વાવેતર થવા પામ્યું છે જેમાં વિસાવદર તાલુકામાં ૩૦૦૦ હેકટર, ભેંસાણમાં ૧૨૫૦, માળીયા, માણાવદરમાં ૧૫૦ જુનાગઢ સીટીમાં ૫૦ સહિત કુલ જીલ્લામાં ૮૦૬૦ હેકટરમાં.બીજા ક્રમે ઉનાળુ મગનું જીલ્લામાં ૬૫૧૦ હેકટરમાં વાવેતર થવા પામ્યું છે. જેમાં પણ વિસાવદર તાલુકો અગ્રેસર રહેવા પામ્યો છે. ૩૦૦૦ હેકટરમાં વાવેતર થવા પામ્યુ છે. કેશોદમાં ૮૫૦, માંગરોળમાં ૬૦૦, મેંદરડામાં ૫૫૦, વંથલી ૫૦૦ જુનાગઢ ૪૮૦, માણાવદરમાં ૧૫૦, માળક્ષયા ૨૨૦ ભેંસાણ ૧૨૦, અને જુનાગઢ સીટીમાં ૪૦ હેકટરમાં વાવેતર થવા પામ્યું છે.ઉનાળુ અડદમાં પણ વિસાવદર પ્રથમ ક્રમે ૩૦૦૦ હેકટરમાં વાવેતર થવા પામ્યું છે. માંગરોળ-મેંદરડામાં ૭૦૦-૭૦૦ હેકટરમાં જુનાગઢ ૨૫૦, કેશોદ ૨૦૦ માળીયા ૧૫૦, માણાવદર ૭૫, અને ભેંસાણ તાલુકામાં ૫ હેકટર સહિત કુલ ૫૨૩૦ હેકટરમાં અડદનું વાવેતર જીલ્લામાં થવા પામ્યું છે.ઉનાળુ મગફળીનું વાવેતર પણ વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૭૦૦ હેકટર, ભેંસણ ૨૫૦, જુનાગઢ ૨૫૦, વંથલી ૮૦ માંગરોળ ૮૦, માણાવદર ૭૦ મેંદરડા ૫૫ કેશોદ ૨૫ માળીયા જુનાગઢ સીટી ૧૫-૧૫ હેકટર સહિત કુલ ૧૫૨૦ હેકટરમાં ઉનાળુ મગફળીનું વાવેતર નોંધાયું છે.ઉનાળુ બાજરીનું કુલ વાવેતર જીલ્લામાં ૭૬૫ હેકટરમાં થવા પામ્યું છે જેમાં સૌથી વધુ બાજરી માંગરોળમાં ૫૦૦ હેકટર માણાવદર ૧૦૦ કેશોદ ૯૦ વંથલી ૪૫ જુનાગઢ ૧૫ ભેંસાણ ૧૦ અને જુનાગઢ સીટીમાં ૫ હેકટરનું વાવેતર થવા પામ્યુ છે.જીલ્લામાં ડુંગળીનું વાવેતર માત્ર ૪૦ હેકટરમાં મેંદરડા તાલુકામાં નોંધાયું છે.શેરડીનું વાવેતર માત્ર ૧૦ હેકટરમાં જુનાગઢ અને કેશોદમાં પાંચ પાંચ હેકટરમાં નોંધાયું છે.જીલ્લામાં શાકભાજીનું કુલ વાવેતર ૧૫૨૦ હેકટરમાં નેંધાયું છે જેમાં વંથલીમાં ૨૮૦ વિસાવદર માંગરોળ અને જુનાગઢ તાુલકોમાં બસો બસો હેકટરમાં થવા પામ્યું છે. ભેસાણ કેશોદ માણાવદર જુનાગઢ સીટીમાં ૧૦૦-૧૦૦- ૧૦૦ હેકટરમાં માળીયા મેંદરડામાં ૧૨૦ -૧૨૦ હેકટરમાં વાવેતર નોંધાયું છે.જીલ્લામાં કુલ ઘાસચારો ૨૯૪૦ હેકટરમાં નોંધાયેલ છે જેમાં સૌથી વધુ કેશોદમાં ૬૦૦ હેકટર વંથલી ૪૦૦ હેકટર માણાવદર ૩૫૦, વિસાવદર ૩૦૦ માંગરોળ ૨૪૦ માળીયા હાટીના ૨૫૦ જુનાગઢ ૨૩૦ ભેંસાણ ૨૨૦ મેંદરડા ૨૫૦ અને જુનાગઢ સીટી ૧૦૦ હેકટરમાં વાવેતર થવા પામ્યું છે. સરેરાશ વાવેતર જીલ્લામાં જાેઈએ તો ભેંસાણ તાલુકા કુલ વાવેતર ૧૯૫૫, જુનાગઢ તાલુકા ૧૯૫૦, કેશોદ તાલુકા ૨૪૭૦ માળીયા ૯૫૦, માણાવદર ૯૯૫, માંગરોળ ૨૯૨૦ મેંદરડા ૨૯૧૫ વંથલી ૨૦૦૫, વિસાવદર ૧૦૨૩૦ જુનાગઢ સીટી ૩૧૦ હેટર મળી જીલ્લામાં ૨૬૬૫૫ હેકટરમાં ઉનાળુ વાવેતર વર્ષ ૨૦૨૨-૨૩માં નોંધાયું છે. ત્રણ વર્ષની સરેરાશ થયું છે.વધુ વાંચો -
માણાવદરમાં ૨૧૪ મધ્યમ કુપોષિત બાળકો અને ૨૮ અતિ કુપોષિત બાળકો
- 20, માર્ચ 2022 01:30 AM
- 3609 comments
- 4567 Views
જૂનાગઢ, માણાવદરમાં ૨૫૨ જેટલા કુપોષિત બાળકોના આંકડા આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર બાળકોના સુપોષણ માટે અનેક યોજનાઓ અમલીકરણ કરી રહ્યા છે અને સુપોષણ બાળકના અભિયાનના મોટા મોટા બણગાં ફૂકી રહી છે પરંતુ નરવી વાસ્તવિકતા કંઈક અલગ જ હોય તેમ માણાવદરમાં ૨૧૪ મધ્યમ કુપોષિત બાળકો અને ૨૮ અતિ કુપોષિત બાળકો ના આંકડા સામે આવી રહ્યા છે. આંગણવાડી કેન્દ્ર માંથી સગર્ભાને પૂરતું પોષણ મળી રહે તે માટે માતૃશક્તિ તેમજ ૦થી ૫ વર્ષના બાળક કુપોષિત ના રહે તે માટે બાળ શક્તિ પાવડરના પેકેટ અને પ્રોટીન યુક્ત નિમક ના પેકેટ અપાય છે પરંતુ આ પેકેટો લાભાર્થી સુધી પહોંચે પછી ખરેખર તો એનો જાેઇએ તેટલો ઉપયોગ થતો નથી. તાજેતરમાં જ માણાવદર શહેરની એક આંગણવાડી વર્કસે આવા પેકેટો પણ વેચવા ની ઘટના સામે આવી હતી પરંતુ તેની સામે માત્ર નિવેદન લઇને જવા દેવાયા હતા ત્યારે શું તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી શું કોઈ અધિકારીઓની મીલીભગત છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.વધુ વાંચો -
ભૂમાફિયાઓ સામે તંત્ર ખુદ ફરિયાદી બની લેન્ડ ગ્રેબિંગ હેઠળ કડક કાર્યવાહી કરે તેવી માંગણી
- 06, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 1835 comments
- 6703 Views
જૂનાગઢ, જૂનાગઢમાં ગૌચરની જમીન પર ભુ-માફિયાઓ અને માથાભારે લોકોએ દબાણ કરી લીધુ છે. જેના લીધે ગામડાઓ અને શહેરોમાં જાહેર માર્ગે પર ફરજીયાત પશુધનને રખડવુ પડી રહ્યુ છે. જેથી ગૌચર પર દબાણ કરનારાઓ ભુમાફિયાઓ સામે તંત્ર ખુદ ફરીયાદી બની લેન્ડ ગ્રેબિંગ હેઠળ કડક કાર્યવાહી કરે તેવી ખેડૂત હિત રક્ષક સમિતિએ માંગણી કરી છે. આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. છેલ્લા ઘણા સમયથી રાજય સરકારના પ્રજાલક્ષી યોજના હોય કે અભિયાનોના કામોમાં અવ્વલ રહેતા જૂનાગઢ જિલ્લાથી જ ગૌચર મુક્ત કરાવી દબાણ કરનારા ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહીની શરૂઆત કરવા માંગ કરી છે.ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અતુલ શેખડાએ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું કે, રાજયના દરેક જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં પશુધનના ચરીયાણ માટેની ગૌચરની જમીન આવેલી છે. પરંતુ તમામ જિલ્લામાં આવેલા હજારો વિઘા ગૌચરની જમીનો પર માથાભારે શખ્સો અને ભુમાફિયાઓએ કબ્જાે કરી દબાણ કરી લીધુ છે. દબાણ કરનારા લોકો માથાભારે હોવાથી સ્થાનીક લોકો તેમની સામે તંત્ર સમક્ષ ફરીયાદ કરતા પણ ડર અનુભવે છે.દબાણકર્તાઓ ગૌચરની જમીન પર દબાણ કર્યુ હોવાથી અબોલ પશુઘન ગામડા અને શહેરોના વિસ્તારો અને જાહેરમાર્ગો પર રખડતા જાેવા મળે છે. અબોલ પશુઘનને ચરવા માટે પુરતો જરૂરી ખોરાક ન મળતો હોવાથી શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં જાહેરમાં ફેકાતા પ્લાસ્ટીક સહિતનો અન્ય કચરો ખાવા મજબુર બને છે. આ ઉપરાંત જાહેરમાર્ગો પર રખડતા ભટકતા અબોલ પશુઓના લીધે દરરોજ અકસ્માતો પણ થતા જાેવા મળે છે.આ બધી સમસ્યાથી અબોલ પશુ સાથે પ્રજા પણ નિસહાય હોય તેમ પીડાય રહી છે. એ પણ ગૌચરમાં થયેલા દબાણોના લીધે આ બધી સમસ્યાઓ ઉભી થાય છે. ત્યારે રાજયમાં સરકારી, અર્ધસરકારી કે ખાનગી જમીનો પર ગેરકાયદેસર કબ્જાે જમાવી બેસેલા ભુમાફિયાઓ પાસેથી જમીન મુકત કરાવવા લેન્ડ ગ્રેબીંગ એકટ-૨૦૨૦નો કાયદો રાજય સરકારએ અમલી બનાવ્યો છે.વધુ વાંચો -
જૂનાગઢમાં લેબોરેટરીમાં વિકરાળ આગ ખાનગી હોસ્પિટલમાં ધુમાડો પ્રસરતા દોડધામ
- 01, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 8729 comments
- 8388 Views
જૂનાગઢ જૂનાગઢમાં બસ સ્ટેન્ડ નજીક આવેલ દ્વારકાધીશ માર્કેટમાં ખાનગી લેબોરેટરીમાં આજે વહેલી સવારે આગ લાગવાથી લેબોરેટરીની બાજુમાં જ આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ ૧૦ જેટલા દર્દીઓને મહા મહેનતે રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવા પડ્યા હતા. ધુમાડામાં ગૂંગળાઈ ગયેલ ત્રણ દર્દીઓની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ શહેરમાં બસ સ્ટેન્ડ નજીક આવેલ દ્વારકાધીશ માર્કેટમાં પ્રથમ માળ પર આવેલ એસ.આર.એલ. નામની ખાનગી લેબોરેટરીમાં રાત્રિના ચાર વાગ્યા આસપાસ અચાનક જ આગ લાગી હતી. આગ ધીમે ધીમે વિકરાળ બનતા લેબોરેટરીને નજીક જ આવેલ કનેરીયા હોસ્પિટલમાં આગના ઘૂમાડા પ્રસરી જતા ત્યાં દાખલ દર્દીઓને ભારે ગૂંગળામણનો ભોગ બનવું પડ્યું હતું. કનેરીયા હોસ્પિટલમાં દસ જેટલા દર્દીઓ સારવાર માટે એડમિટ હતા તેમને અલગ અલગ જગ્યાએથી રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી પરંતુ દર્દીના પરિવારજનોના આક્ષેપ મુજબ ફાયરના સાધનો સમયસર કામ કરી રહ્યા ન હતા પાણીનો ધોધ થતો ન હતો ફાયર બ્રિગેડને વાહનમાંથી સીડી પણ ખુલતી ન હોવાનાં આક્ષેપ થયા છે. આ એસ.આર.એલ. લેબોરેટરીના સંચાલક હાર્દિક ઠાકર હોવાનું જાણવા મળે છે. બીજી તરફ લેબોરેટરીમાં આગ લાગવાના કારણે કનેરીયા હોસ્પિટલમાં સારવારમાં રહેલ દર્દીઓને બહાર નીકળવામાં ખૂબ જ મુશ્કેલી પડી હોવાનું નજરે જાેનાર પ્રત્યક્ષદર્શીઓ જણાવી રહ્યા હતા. હોસ્પિટલમાં કમ્પાઉન્ડર મુખ્ય દરવાજે તાળું મારી બહાર નીકળી ગયા હોય જેથી ફાયર બ્રિગેડે હોસ્પિટલમાં તાળા તોડી દર્દીઓના બહાર કાઢવા પડયા હતા. હોસ્પિટલના તબીબ ડો. મૌલિક કનેરીયાના જણાવ્યા પ્રમાણે કનેરીયા હોસ્પિટલમાં આગની કોઈ ઘટના નથી બની. પરંતુ નજીકમાં આવેલ લેબોરેટરીની આગના ધુમાડાથી સફોકેશન દર્દીઓને મુશ્કેલી પડી છે. દર્દીઓને સ્થળાંતર માટે પોલીસ અને ૧૦૮ સહિતનો કાફલાએ મહા મહેનતે દર્દીઓને બચાવવાની કામગીરી કરી હતી. આગની ઘટના અંગે તબીબ અને લેબોરેટરી સંચાલક ફાયર એનઓસી હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ હોસ્પિટલમાં આગ બાદ મીડિયાની ટીમે આગ કાબુમાં કરવા માટેના સાધનો એક્સપાયરી ડેટના હોવાનું બહાર આવ્યું છે. આગની ઘટનાથી મહાનગરપાલિકા ની કામગીરી પર અનેક સવાલો ઉઠયા છે હોસ્પિટલ સત્તાધીશો પાસે ફાયર એનઓસી છે કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે પરંતુ હાલ દર્દીઓને બચાવવાનો પ્રયાસ થયો છે ત્યારે જૂનાગઢમાં ફરી આવી ઘટના ન બને તે માટે તંત્ર શું કરે છે તે જાેવું રહ્યું.વધુ વાંચો -
સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તેમનું નામ છે પ્રેમ કાછડિયા
- 26, જાન્યુઆરી 2022 01:30 AM
- 2208 comments
- 5330 Views
જૂનાગઢ, છેલ્લા બે દિવસથી ગિરનારના ભૈરવજપનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ રમતાં રમતાં ભૈરવજપના સીધા ચઢાણને ચડી જાય છે અને એટલી જ સરળતાથી ઊતરી પણ જાય છે એવું વીડિયોમાં જાેઈ શકાય છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોને કારણે આ યુવાન ‘દેશી સ્પાઇડરમેન’ તરીકે જાણીતો બન્યો છે. અંદાજે ૪ મિનિટમાં જ આ યુવાન ભૈરવજપ સર કરીને ફરીથી નીચે ઊતરી જાય છે.દર મહિને ત્રણથી ચાર વખત જાય છે આ વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તેમનું નામ છે પ્રેમ કાછડિયા. જૂનાગઢ જિલ્લાના વડાલમાં રહેતા પ્રેમભાઈએ ધોરણ ૯ સુધી અભ્યાસ કર્યો છે અને હાલ ગિરનાર પર આવેલા સેવાદાસ બાપુના આશ્રમમાં સેવા આપી રહ્યા છે. પ્રેમભાઈ છેલ્લાં ૨૦ વર્ષથી ભૈરવજપ પર જાય છે. દર મહિને ત્રણથી ચાર વખત તેઓ આ રીતે સીધું ચઢાણ ચડી ભૈરવ દાદાના ધૂપ-દીવા અને સિંદૂર ચડાવવા માટે ભૈરવજપ પર જાય છે.પ્રેમભાઈ ગિરનાર પર આવેલા સેવાદાસ આશ્રમમાં ઇલેક્ટ્રિશિયન તરીકે સેવા આપે છે. માત્ર સેવાદાસ બાપુના આશ્રમે જ નહીં, ગિરનાર પર આવેલા કોઈપણ આશ્રમમાં લાઇટ જાય તો પ્રેમભાઈ જ એને ફ્રીમાં રિપેર કરી આપે છે. મોટે ભાગે તેઓ સેવાદાસ બાપુના આશ્રમમાં જ રાત્રિ રોકાણ કરતા હોય છે. માત્ર આશ્રમ જ નહીં, અન્ય કોઈ જગ્યાએ પણ ગિરનારમાં લાઇટ જાય તો પ્રેમભાઈ એને કોઈપણ ચાર્જ લીધા વિના રિપેર કરી આપે છે.વધુ વાંચો -
તામિલનાડુની વિદ્યાર્થિનીના આપઘાત મામલે પગલાં લેવા એબીવીપી દ્વારા માંગણી
- 26, જાન્યુઆરી 2022 01:30 AM
- 2690 comments
- 818 Views
જૂનાગઢ, તમિલનાડુના થંજાવુરની ધોરણ ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. ત્યારે આ મામલે જૂનાગઢ એબીવીપીએ રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે,વિદ્યાર્થીનીને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરાતું હતું. આ માટે શારિરીક અને માનસિક ત્રાસ પણ અપાતો હતો જેનાથી કંટાળી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે.શાળાઓમાં શિક્ષણની આડમાં ધર્મપરિવર્તન કરાવાય છે. ત્યારે વિદ્યાર્થીને મરવા મજબુર કરનાર સેક્રેડ હાર્ટ હાયર સેકન્ડરી સ્કૂલ, થુંજાવુરની માન્યતા રદ કરવામાં આવે અને દોષિતો સામે કડક પગલાં ભરવાની એબીવીપીએ માંગ કરી છે.વધુ વાંચો -
વંથલીના સેંદરડા ગામે વાડીમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલના માતા-પિતાની હત્યા કરી ૭ લાખની લૂંટ
- 20, જાન્યુઆરી 2022 01:30 AM
- 3175 comments
- 1911 Views
જૂનાગઢ, માતાપિતાને ઘરમાં એકલા મૂકીને નોકરી કરતા સંતાનો માટે લાલબત્તી સમાન કિસ્સો જૂનાગઢ શહેરમાં બન્યો છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલના માતાપિતાની હત્યા કરાઈ છે. ૭ લાખની લુંટ ચલાવી દંપતીની કરપીણ હત્યા કરાઈ છે. જૂનાગઢના વંથલી તાલુકાના સેંદરડા ગામે વાડી વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સેંદરડા ગામે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ વૃદ્ધ દંપતીની હત્યા કરી હતી. રાજાભાઈ જીલડીયા અને તેના પત્ની જીલુબેન જીલડીયાની ઘોર નિંદ્રામાં હતા ત્યારે અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હત્યા કર હતા.વૃદ્ધ દંપતી જ્યારે પોતાનાં ખેતરમા અવેલ ઘરમાં સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્શો દ્વારા ગળું દબાવીને માથા ભાગે બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી હતી. જેના બાદ ઘરમા રહેલ ૩ લાખ રોકડ અને સોનાંના દાગીના સહિત ૭ લાખની લુંટ ચલાવી હતી. ડબલ મર્ડરની ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. ડોગ સ્કોડ અને હ્લજીન્ ની મદદથી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે. વંથલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ડબલ મર્ડર ૩૦૨ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વંથલી તાલુકાના સેંદરડા ગામે રાજાભાઇ દેવદાનભાઇ જીલડિયા (ઉ. ૬૫) અને તેમના પત્ની જાલુબેન (ઉ. ૭૦) ટીનમસ જવાના રસ્તે સીમમાં આવેલી પોતાની જમીનમાં બનાવેલા મકાનમાં રહે છે. તેમની દીકરી કુંવરબેન જૂનાગઢમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ને દીકરો અશ્વિનભાઇ બાજુના ગામમાં ખેતી માટે ગયો હતો. વહેલી સવારે દૂધવાળો દૂધ આપવા આવ્યો ત્યારે તેણે જાેયુ કે રાજાભાઈ અને જાલુબેનનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. આ જાેઈ તેમણે તાત્કાલિક અશ્વિનભાઈ અને કુંવરબેનને જાણ કરી હતી. બંનેએ દોડી આવીને જાેયુ તો માતાપિતાનો મૃતદેહ પડ્યો હતો અને ઘરમાંથી દાગીના તેમજ રોકડા રૂપિયા ગાયબ હતા. ઉલ્લેખનીય છે કે, વાડીઓમાં એકલા રહેતા ખેડુતોમાં પણ લૂંટ અને હત્યાના બનાવથી ડરનો માહોલ છવાઇ ગયો છે. સતત આ પ્રકારે લૂંટના બનાવ વધી રહ્યાં છે. એકલા રહેતા વૃદ્ધ દંપતીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રા-હળવદ ના ધારાસભ્ય કોરોના પોઝિટીવ
- 11, જાન્યુઆરી 2022 01:30 AM
- 8281 comments
- 1169 Views
ધ્રાંગધ્રા, શહેરોમાં ધીરે-ધીરે કોરોના પોઝિટીવ કેસની સંખ્યામા વધારો થતો પણ દેખાય છે ત્યારે સામાન્ય લોકો સાથે રાજકીય તાયફા કરી સરકારી ગાઇડલાઇન્સનુ ઉલ્લંઘન સાથે કાયઁકરો કરતા રાજકીય નેતાઓ પણ હવે પોઝિટીવ આવ્યા છે જેમા ધ્રાગધ્રા-હળવદ ધારાસભ્ય પરશોતમ સાબરીયા કોરોના પોઝિટીવ આવતા ધારાસભ્યો પોતે જ ટ્વીટ કરી માહિતી જાહેર કરી હતી જેમા છેલ્લા ચારેક દિવસથી ધારાસભ્ય પરશોતમ બાબરીયાની તબીયત નાદુરુસ્ત હોય અને કોરોનાના લક્ષણો જણાતા પોતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રીપોટઁ પોઝિટીવ આવતા ધારાસભ્યે પોતે પોઝિટીવ હોવાનુ જાહેર કર્યું હતું.જૂનાગઢ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને માસ્ક પહેરાવ્યા જૂનાગઢ, હાલ કોરોના મહામારીની ત્રીજી લહેર આવી ગઇ છે. ત્યારે સંક્રમણથી બચવા માસ્ક પહેરવું જરૂરી છે. માસ્ક ન પહેરવાનો દંડ ૧,૦૦૦ છેે. પરંતુ સામાન્ય લોકો આ દંડની રકમ ભરી ન શકે. ત્યારે જૂનાગઢ પોલીસે શહેરના અનેક વિસ્તારોમાં ફરી લોકોને ફ્રિમાં માસ્ક પહેરાવી સાથે માસ્કનું ફ્રિમાં વિતરણ પણ કર્યું છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માસ્ક પહેરવા અંગે લોકોમાં જાગૃતિ આવે અને સામાન્ય મજૂરી કરતા લોકોને દંડ ભરવો ન પડે તે માટે ફ્રિમાં માસ્ક વિતરણ કરવા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના કરી હતી. બાદમાં એ ડિવીઝન, બી ડિવીઝન, સી ડિવીઝન સહીતના અધિકારીઓએ રિક્ષા ચાલકો, વાહન ચાલકો, ફ્રૂટ તેમજ અન્ય લારી વાળા, ગરીબો, મજૂરો, ફૂટપાથ પર રહેનારાને માસ્ક પહેરાવી, ફ્ર્રિમાં માસ્કનું વિતરણ કર્યું હતું.વધુ વાંચો -
વિરમગામ, સુરેન્દ્રનગરની જૈન સમાજની યુવતીઓએ જૂનાગઢની ૯૯ યાત્રા કરી
- 10, જાન્યુઆરી 2022 01:30 AM
- 6691 comments
- 9401 Views
જૂનાગઢ, વિરમગામ અને સુરેન્દ્રનગરની જૈન પરિવારની યુવતીઓએ જૂનાગઢની ૯૯ યાત્રા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે. જૈન ધર્મમાં તપનું વિશેષ મહત્વ રહ્યું છે. યુગપ્રધાન આચાર્ય સંઘ પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન હેમ વલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને શુભ નિશ્રામાં હાડ થીજવી નાખે તેવી ઠંડીમાં જૈન સમાજના ૩૦૦ યુવાન અને યુવતીઓ જૂનાગઢની ૯૯ યાત્રામાં જાેડાયા હતા. ૯૯ યાત્રા એટલે જુનાગઢ તળેટીથી નેમિનાથ જિનાલયના ચાર હજાર પગથિયા ચડીને જિનાલય પહોંચ્યા પછી ૧૦૮ વખત જિનાલયની પ્રદક્ષિણા, સહ સાવનના ૧૮૦૦ પગથિયા ઉતરવાના, ત્યારબાદ નેમિનાથ ભગવાનની દીક્ષા કલ્યાણક ભૂમિ પર ચૈત્યવંદન સહિતની ધાર્મિક વિધિ કરવાની સાથે યાત્રા દરમિયાન વિના ચંપલ ચાલવાનું અન્ન પાણીનો ત્યાગ કરવાનો હોય છે. ૩૦ દિવસ સુધી દરરોજ ૬૬૦૦ પગથિયા ચડવાના અને ઉતરવાના હોય છે. તળેટીમાં ઉતર્યા બાદ ઉકાળેલું પાણી અને એકાસણું કરવાનું હોય છે જેને ૯૯ યાત્રા કહેવાય છે. આવી કઠિન યાત્રામાં વિરમગામ જૈન પરિવારની ૨૧ વર્ષીય હેતવી સંજય કુમાર અને સુરેન્દ્રનગર જૈન પરિવારની ૨૪ વર્ષીય કોઠારી દેવાશ્રી વિજય કુમાર બંને યુવતીઓએ જુનાગઢ ગીરનારની ૩૬ દિવસની ૧૦૮ યાત્રા પૂર્ણ કરી પુણ્યનું ભાથુ બાથ્યું છે. વિરમગામ અને સુરેન્દ્રનગર જૈન સમાજ ગૌરવની સાથે આનંદની લાગણી અનુભવે છે.વધુ વાંચો -
તાલાલાના આંકોલવાડી ગામમાં સરકારી જમીનમાં ચાલતા ગેરકાયદેસર ખનન પર મામલતદારના દરોડા
- 09, જાન્યુઆરી 2022 01:30 AM
- 4197 comments
- 840 Views
તાલાલા, ગીર સોમનાથના તાલાલા ગીર પંથકના આંકોલવાડી ગીર ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરી ખનીજ ચોરી થતી હોવાની માહિતીના આધારે મામલતદારે ટીમ સાથે દરોડો પાડ્યો હતો. ત્યારે તેમને જાેઈ ખનીજચોરો નાસી ગયા હતા, જેથી સ્થળ પરથી પથ્થર કાપવાની બે ચકરડીઓ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સૂત્રો અનુસાર જિલ્લાના તાલાલા તાલુકામાં ગીરના જંગલની બોર્ડર નજીક આવેલા આંકોલવાડી ગીર અને વાડલા ગીર ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનન કરી ખનીજની ચોરી થતી હોવાની તાલાલાના મામલતદાર દીશુભાઈ ગીડાને ફરિયાદ મળી હતી. જેના આધારે પોલીસ બંદોબસ્ત સાથે મામલતદાર, સર્કલ ઓફિસર, રેવન્યુ તલાટી મંત્રી સહિતની ટીમે ફરીયાદના સ્થળ ઉપર દોડી જઈ દરોડો પાડ્યો હતો. ત્યારે સરકારી જમીનમાંથી ચકરડી વડે ગેરકાયદેસર પથ્થર કાપી ખનીજ સંપત્તિની ચોરી થઈ રહ્યાનું સામે આવ્યું હતું. ટીમના દરોડાને પગલે ખનીજ ચોરી કરતા લોકો નાસી ગયા હતા. જેથી મામલતદારની ટીમે બનાવના સ્થળનું રોજકામ કરી પથ્થર કાપવાની બે ચકરડી કબજે કરી પોલીસને સોંપવાની કાર્યવાહી કરી હતી. આંકોલવાડી ગીર વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર ચાલતી કથિત પ્રવૃત્તિના કરેલા પંચનામા સાથે સરકારી જમીનમાંથી કેટલા પથ્થરની ચોરી થઇ છે તે અંગે જરૂરી તપાસ સાથે આગળની કાર્યવાહી કરવા મામલતદારે પકડી પાડેલી ખનન ચોરીનો અહેવાલ ભુસ્તર શાસ્ત્રીને મોકલવા તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે નોંધનીય છે કે, તાલાલા ગીર પંથક સહિત સમગ્ર જિલ્લામાં ઠેકઠેકાણે ગેરકાયદેસર રીતે બેરોકટોક તંત્રની રહેમ નજર હેઠળ ખનીજની ચોરી થઈ રહી છે.વધુ વાંચો -
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ૮૯૫એ દોટ મુકી
- 03, જાન્યુઆરી 2022 01:30 AM
- 7324 comments
- 843 Views
જૂનાગઢ, તા.૫ ૩૬ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જાેમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા ૮૯૫ સ્પર્ધકોએ દોટ મુકી હતી. આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૪૧.૨૮ મીનીટના સમય સાથે મોરબી ખાતે પોલીસ બેડામાં ફરજ બજાવતા ભૂત પ્રિયંકા એ મેદાન માર્યું હતુ.સીનીયર ભાઈઓમાં જૂનાગઢના વિધાર્થી પરમાર લાલાભાઈએ ૫૭.૨૫ મીનીટના સમય સાથે ગિરનાર સર કર્યો હતો. જુનીયર બહેનોમાં ૪૦.૫૩ મીનીટના સમય સાથે પાટણની વિધાર્થીની પારૂલ વાળાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. જયારે જુનીયર ભાઈઓમાં બરોડા હાઈસ્કૂલના વિધાર્થી લલીતકુમાર નિશાદ ૫૯.૨૩ મીનીટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો. પવિત્ર ગિરનારની ભૂમીમાં સવારે ખુશનુમા વાતાવરણમાં ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો પશુપાલન અને ગૈા સંવર્ધન રાજયમંત્રી શ્રી દેવાભાઈ માલમ,મેયરશ્રી ધીરૂભાઈ ગોહેલ,નિવાસી અધિક કલેકટર શ્રી એલ.બી. બાંભણિયા,જિલ્લા પુરવઠા અધિકારી ગોવાણી,નાયબ કમિશ્નર લીખીયા,શૈલેષભાઈ દવે,ગીતાબેન પરમાર, અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી સાથે અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ફલેગ ઓફ થી પ્રારંભ કરાયો હતો. જયારે બહેનોની સ્પર્ધાનો ૯ કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે માળીયાહાટીના મિતલબેન ગુજરાતી, તૃતીય ક્રમે વેરાવળના નિશાબેન બામણીયા રહ્યા છે. જ્યારે સિનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે ચિત્રાસર ના સોમતભાઈ ભાઈ ભાલીયા, તૃતીય ક્રમે જૂનાગઢના અમિતભાઈ રાઠોડ રહ્યા છે. જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે માંગરોળના રોઝીનાબેન કાથુરીયા, તૃતીય ક્રમે દેલવાડાના હીનાબેન રાઠોડ રહ્યા છે. જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે ગીરગઢડાના દીપકભાઈ ડાભી અને તૃતીય ક્રમે સુત્રાપાડાના ચેતનભાઈ મેર રહ્યા હતા. વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ,પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, કોર્પોરેટર ભાવનાબેન, ગીતાબેન પરમાર, પૂર્વ મેયર આધ્યાશક્તિ બેન મજમુદાર, ગૌરવભાઈ રૂપારેલીયા મનોજભાઈ જાેશી, ગૌરવભાઇ, નાયબ કમિશનર લિખિયા, સહિતના પદાધિકારીઓ – અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા. આ તકે જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ, ગીરીશભાઈ કોટેચા અને પ્રદિપભાઇ ખીમાણીએ તમામ વિજેતા અને સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયે કર્યુ હતું. સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો,મીનરાજ સંકુલની વિધાર્થીનીઓ,રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યુ હતુ.વધુ વાંચો -
દેશના આર્થિક વિકાસમાં મહિલાઓનો સિંહફાળો હોવાનું જણાવતાં પાટીલ
- 28, ડિસેમ્બર 2021 01:30 AM
- 4038 comments
- 3307 Views
જુનાગઢ શનિવારના જુનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે નાતાલના દિને તેમજ અટલબિહારી વાજપેટીના જન્મદિને ૪૦ વિઘા જમીનમાં પથરાયેલી છે જેમાં ખેડુતો માટે વિશેષ સુવિધા આપવા કૃષિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. જે રૂા.૮ કરોડના ખર્ચે બનનાર આ ભવનનું ખાતમુહૂર્ત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.સાથે યોજાયેલી ખેડુતની શિબિરના પ્રારંભે યાર્ડના ચેરમેન કીરીટ પટેલે સ્વાગત કર્યુ હતું. એકી સાથે ૨૦૦ ખેડુતો રોકાઈ શકે તેવી વ્યવસ્ત સાથેનું કૃષિ ભવન બનાવાશે, ખેડુતોને સરકારી યોજનાનો લાભ મેળવવા સાથે કૃષિ ભવનમાં ખેડુતો સામાજીક પ્રસંગો પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ તકે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ખેતીની સાથે દૂધ ઉત્પાદન થકી શ્વેતક્રાંતિ લાવવા મહિલાઓનો સિંહફાળો રહ્યો છે. ગુજરાતનું ભવિષ્ય બહેનોના હાથમાં છે જેનાથી ગુજરાત સમૃધ્ધ થશે. ખેડુતોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે. દેશ દુનિયાનું પોષણ જગનો તાત ખેત જ કરે અનાજ પકાવી કરી રહ્યો છે. ખેડુતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળે અને ખેડુતોની આવક બમણી થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર કોઈ કચાસ રાખશે નહીં ખેડુતોના પાકને નુકશાન કરતા રખડતા ઢોર રાજડાનો ત્રાસ દુર કરવા આવનારા દિવસોમાં યોજના અમલી કરાશે. ખેડુતો પોતાના હકક અધિકારો મેળવવા પ્રતિબધ્ધ રહે અને વર્તમાન સરકાર ખેડુતોના હીત માટે તમામ પગલા ભરશે. પૂર્વ મંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા એ ફરતી અને પ્રકૃતિનું જતન કરવા ખેડુતોને આહવાન કરતા કહ્યું હતું કે ખેતીને સમૃધ્ધ બનાવવી તે ઈશ્વરીય કાર્ય છે ખેડુતોએ કોઈ ઉપર આધારીત રહેવાના બદલે જાતે ખેતી કરવાનો સમય પાકી ગયો છે. કુલપતિએ સમારોહમાં ભાજપનો ખેસ પહેરતા વિવાદઃ કોંગ્રેસની ડીસમીસ કરવા માંગ જુનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલા ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝાફડીયા સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયેલ મેગા ખેડુત શિબિરમાં જુનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ ડો. નરેન્દ્રકુમાર કે. ગોંટીયા સ્ટેજ ઉપર બેઠા હતા તેઓએ પણ સી.આર. પાટીલના ફોટા વાળો ખેંચ ગળે પહેર્યો હતો. અન્ય પદાધિકારીઓની સાથે તેઓ પણ ખેસમાં સજજ હતા તેની ચર્ચા જાગી હતી. આ બાબતે શહેર કોંગ્રેસ મહામંત્રી બી.ટી. ગીડાએ ભાજપનો ખેસ પહેરનાર જુનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિને ડીસમીસ કરવા કૃષિ વિભાગના અગ્રસચિવને રજુઆત કરી છે.વધુ વાંચો -
ગીરના જંગલમાંથી પસાર થતી ટ્રેનની ગતિ નિયંત્રણમાં રાખવાની માંગણી
- 21, ડિસેમ્બર 2021 01:30 AM
- 5655 comments
- 4630 Views
જુનાગઢ, ગિર જંગલમાં એશિયાટીક સિંહોના ટ્રેન અકસ્માત નીવારવા માટે વન વિભાગ સાથે તાલમેલ કરીને ટ્રેનની અવરજવર ઉપર ગતિ નિયંત્રણ સહિતના પગલા ભરવાનું વેસ્ટર્ન રેલવે મહાપ્રબંધક અલોક કંસલે જુનાગઢની મુલાકાતમાં જણાવ્યું હતું. જુનાગઢ વાયા સાસણ વેરાવળથી દેલવાડા સુધીની ટ્રેન મીટર ગેજ જંગલમાંથી પસાર થાય છે. જેમાં મુસાફરો જંગલની મજા લઇ શકે તે પાતાલકુંજ-કલાદાંડીમાં ચાલતી હેરીટેજ ટ્રેન જેવા કોચ જાેડી શકાય તે માટે વિચારણા કરવાની વાત થઇ હતી. રેલવે દ્વારા ચાલતા વિકાસના કામો સોમનાથ, માળીયા, કેશોદ સહિતના કામોનું ભાવનગર ડીઆરએમમાં માસુક અહમદ, રેવવે અધિકારીઓની ટીમે નિરીક્ષણ કર્યું હતું. પત્રકારોને જણાવ્યું હતું કે ગીર જંગલના આસપાસ વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનની ગતિમાં નિયંત્રણ રાત્રિના સમયે મોટા કોચ બનાવી જાેડી શકાય તે દિશામાં આગળ વધીશું તેમ જણાવ્યું હતું.વધુ વાંચો -
કલેક્ટર સહિત બાઇકસવારો રેલીમાં જાેડાયા
- 19, ડિસેમ્બર 2021 01:30 AM
- 4840 comments
- 3084 Views
જૂનાગઢ, ઐતિહાસિક નગરી જૂનાગઢમાં આંગણે મિશન સફાઇ વિઝન ટુરીઝમના ધ્યેય સાથે જિલ્લા વહિવટીતંત્ર જૂનાગઢ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર રચિત રાજ સહિત ૧૭૦ થી વધુ બાઇક સવારો જાેડાયા હતા. ટુરિઝમને પ્રમોટ કરવા સાથે સ્વચ્છતાનો સંદેશો જન-જન સુધી ગુંજતો કરવા આ રેલી યોજવામાં આવી છે. તેમ આ તકે જણાવી જિલ્લા કલેક્ટરે કહ્યું કે,આ રેલી શરૂઆત છે. ગિરનાર પર્વત, ગીરનું જંગલ, એશિયાટીક લાઇન, રોપ-વે, અંબાજી મંદિર, સાસણ ગીર સહિતના જગ વિખ્યાત સ્થળો સહિત ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોથી જૂનાગઢ જિલ્લો સમૃધ્ધ છે. આ બધાના સમન્વય થકી જૂનાગઢને પ્રવાસન હબ બનાવવા આપણે સૌએ સહિયારો પુરૂષાર્થ કરવાનો છે. અને જૂનાગઢના વિકાસમાં સહભાગી બનવાનું છે. બાઇક રેલી કલેક્ટર કચેરી ખાતેથી કાળવા ચોક, ગીરનાર દરવાજા, ભવનાથ મંદિર થઇ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ભવનાથ ખાતે સમાપન થયુ હતું. અહિં કલેક્ટર સાથે અધિક નિવાસી કલેક્ટર એલ.બી.બાંભણીયા, જૂનાગઢ પ્રાંત અધિકારી અંકિત પન્નુ, વંથલી પ્રાંત અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી એન.ડી.ગોવાણી, આર.ટી.ઓ. સોલંકી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.એન. સરવૈયા સહિત ફોરેસ્ટ, પોલીસ તથા અન્ય કચેરીના અધિકારી, કર્મચારીઓ રેલીમાં તેમજ સફાઇ અભિયાનમાં જાેડાયા હતા.વધુ વાંચો -
ઉનાના નવાબંદર પર તોફાનમાં લાપત્તા થયેલા વધુ એક માછીમારનો મૃતદેહ મળ્યો સાંસદનું સ્થળ નિરીક્ષણ
- 04, ડિસેમ્બર 2021 01:30 AM
- 6751 comments
- 9396 Views
જૂનાગઢ, ગીર સોમનાથના ઉનાના નવાબંદરમાં બે દિવસ પૂર્વે રાત્રીના ફુંકાયેલ તોફાની પવનના લીઘે સર્જાયેલ તારાજીમાં લાપતા ૭ માછીમારોની શોઘખોળમાં વઘુ એક માછીમારોનો મૃતદેહ આજે સવારે તંત્રની ટીમને મળી આવ્યો છે. જેથી આ તારાજીની ઘટનામાં કુલ બે માછીમારોના મૃતદેહો અત્યામર સુઘીમાં મળી આવ્યાર છે. હજુ પણ લાપતા ૬ જેટલા માછીમારોની શોઘખોળ એનડીઆરએફ, કોસ્ટ્ગાર્ડ, નેવી અને મરીન પોલીસની સંયુકત ટીમ કરી રહી છે.ઘટનાને લઇ ગઇકાલથી જ તંત્રએ કોસ્ટ ગાર્ડના હેલીકોપ્ટમર અને વેસલ બોટ તથા નેવીના ચોપર પ્લેમન મારફત રેસ્કનયુ ઓપરેશન કરી લાપતા બોટો અને માછીમારોની શોઘવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં ચાર માછીમારોને જીવિત બચાવી લીઘેલ જયારે જળસમાઘિ લીઘે પાંચ બોટોનો કાટમાળી તંત્રની ટીમને મળી આવ્યોવ હતો. જયારે ગઇકાલે મોડીસાંજે લાપતા ૮ માછીમારોની શોઘખોળ દરમ્યાન શોહીલ રહેમાન શેખ (ઉ.વ.૨૨) નામના માછીમારનો મૃતદેહ મળી આવેલ હતો. ગઇકાલે મોડીસાંજે ૨૫ સભ્યો ની એનડીઆરએફની ટીમ નવાબંદર પહોંચી હતી. એનડીઆરએફ, કોસ્ટા ગાર્ડ, નેવી, મરીન પોલીસની સંયુકત ટીમોએ હેલીકોપ્ટીર, વેસલ હોડી અને બોટો મારફત લાપતા ૭ માછીમારો તથા પાંચ બોટોની રાતભર શોઘખોળ કરી હતી. જેમાં વ્હેકલીસવારે નવાબંદરના માછીમાર રામુભાઇ દેવાભાઇ બાંભણીયા (ઉ.વ.૪૪)નો મૃતદેહ બંદરમાં જેટી પાસેથી ટીમને આવેલ હતો. જેથી મૃતદેહને પીએેમ અર્થે ઉના સરકારી હોસ્પીાટલએ ખસેડવામાં આવેલ છે. જયારે નવાબંદરમાં થયેલ તારાજીના કારણે ફીશીગ બોટો, માછીમારોને અને બંદરને થયેલ નુકસાનીની વિગતો એકત્ર કરવા માટે ફીશરીઝ વિભાગની ટીમએ પણ મુલાકાત લઇ કાર્યવાહી હાથ ઘરી હોવાનું જાણવા મળેલ છે. સવારે સાંસદ રાજેશભાઇ ચુડાસમા નવાબંદરમાં સર્જાયેલ તબાહીની પરિસ્યિવાતિનો તાગ મેળવવા નવાબંદર પહોચ્યાસ હતા. જયાં સાંસદે બંદરના અસરગ્રસ્ત્ વિસ્તાનરોનું રૂબરૂ સ્થતળ નિરીક્ષણ કર્યુ હતુ. નવાબંદરના માછીમાર સમાજના આગેવાનોને મળી નુકસાનીની વિગતો જાણી સરકાર તરફથી પુરી સહાય અપાવવાનું આશ્વાસન આપ્યુો હતુ.વધુ વાંચો -
લોકો મુંઝવણમાં મુકાયાઃકોરોના મૃત્યુ સહાયમાં સિટીસ્કેન પુરાવા તરીકે અમાન્ય
- 04, ડિસેમ્બર 2021 01:30 AM
- 7014 comments
- 961 Views
જૂનાગઢ, સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામનાર લોકોનાં પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સહાય જાહેર કરાય છે. અને અનેક લોકોને સહાયની ચૂકવણી પણ થઈ ચૂકી છે. જાે કે, ફોર્મમાં કોઈ અપડેશનને લઈ જૂના ફોર્મ ન સ્વિકારાતા હોય. જેથી લોકોને ફરી નવા ફોર્મ ભરી કચેરીએ જમા કરાવવા જવું પડી રહ્યું છે. ત્યારે જ અમુક લોકોએ સોશ્યલ મિડીયામાંથી મેળવેલું ફોર્મ પણ ચાલતું નથી. ત્યારે જ કેશોદની વાત કરીએ તો લોકો કેશોદ મામલતદાર કચેરીએથી ફોર્મ લાવ્યા હતા. જાે કે, નવું અપડેશન આવતા તાલુકા હેલ્થ ઓફિસે ફોર્મ સ્વિકારાયા ન હતા. અને નવા ફોર્મ ભરવાની નોબત આવી હતી. આ અંગે તાલુકા હેલ્થ ઓફિસરે કહ્યું હતું કે, આવા પ્રકારનાં ફોર્મ મામલતદાર કચેરી, તાલુકા હેલ્થ ઓફિસ તેમજ વેબસાઈડ પરથી મળશે. આ માટે આરપીટીપીસીઆર અને એન્ટીજન રિપોર્ટ હોવો જરૂરી છે. જ્યારે જાે કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય. તો ૪ નંબર અને સારવાર દરમિયાન કોરોના દર્દીનું ઘરે મોત થયું હોય તો ૪-એ ફોર્મ જાેડવું ફરજીયાત છે. જાે કે, સીટીસ્કેન રિપોર્ટ માન્ય રખાતો નથી. જ્યારે બીજી બાજુ ૨૭ કોરોના દર્દી જે મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારને સહાય મળવા પાત્ર છે. તેમનું લીસ્ટ તાલુકા કચેરીએ પહોંચી ગયું છે. જાે કે, હાલમાં જે ફોર્મ સ્વિકારાય છે. તેમને પણ ઠરાવ થઈ ગયો હોવાનું જાણવા મળે છે.વધુ વાંચો -
વેરાવળથી હેલિકોપ્ટરમાં જાન લઈ વરરાજાઓ તાલાલા પરણવા પહોંચ્યા
- 04, ડિસેમ્બર 2021 01:30 AM
- 8801 comments
- 623 Views
જૂનાગઢ, ગીર સોમનાથના વેરાવળ પંથકમાં આહીર સમાજના આગેવાનના બે પુત્રનો રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં બન્ને વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈ પરણવા પહોંચ્યા હતા. ગીર સોમનાથમાં હેલિકોપ્ટરમાં જાન આવી હોય એવો આ પ્રથમ કિસ્સો હતો, જેમાં વેરાવળ તાલુકામાંથી વરરાજાની જાન ઊપડી તાલાલા તાલુકામાં ઉતરાણ કરી માંડવે પહોંચી હતી. જિલ્લા મથક વેરાવળ તાલુકાના આજાેઠા ગામે રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો. એમાં આજાેઠા ગામના આહીર સમાજના અગ્રણી નાથુ સોલંકીના બે પુત્રનો શાહી લગ્નોત્સવ ઊજવાયો હતો. બન્ને વરરાજાની જાને આજાેઠાથી હેલિકોપ્ટર મારફત પાડોશી તાલાલા ગીરના ઘૂસિયા ગામમાં શૈક્ષણિક સંકુલના ગ્રાઉન્ડમાં ઉતરાણ કર્યું હતું. ત્યાં બન્ને વરરાજા જાન સાથે ધાવા ગીર ગામે લગ્નસ્થળે પહોંચ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં હેલિકોપ્ટરમાં વરરાજા પરણવા આવ્યા હોય એવો આ પ્રથમ કિસ્સો હતો. આ રજવાડી લગ્નોત્સવમાં સામેલ થયેલા આહીર સમાજના પરિવારો પારંપરિક પહેરવેશ સાથે મંગલ પરિણયમાં સહભાગી થયા હતા. જ્યારે રાસ-ગરબાની રમઝટમાં ગમન સાંથલ, ગીતા રબારી, જિજ્ઞેશ કવિરાજ, દિવ્યા ચૌધરી, ઉર્વશી રાદડિયા, નારાયણ ઠાકર સહિતના ખ્યાતનામ કલાકારોએ રંગત જમાવી હતી. આ લગ્નોત્સવમાં હેલિકોપ્ટરમાં વરરાજાના પ્રયાણને લઈ લોકોમાં અનેરો રોમાંચ જાેવા મળ્યો હતો. રજવાડી ઠાઠ સાથેની જાનને જાેવા હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્રામજનોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં હેલિકોપ્ટરમાં જાન જાેડાતાં નાનાં ભૂલકાંમાં અનેરો રોમાંચ જાેવા મળ્યો હતો.વધુ વાંચો -
ગીર- સોમનાથના ૨૦ માછીમારો વતન પરત ફર્યા ઃપરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા
- 19, નવેમ્બર 2021 01:30 AM
- 5429 comments
- 636 Views
જૂનાગઢ, પાકિસ્તાન દ્વારા પોતાની જેલમાં બંધ ૨૦ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવતા તમામ માછીમારો વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. જેઓ ગુરૂવારના રોજ માદરે વતન વેરાવળ આવી પહોંચ્યા હતા. બે-ત્રણ વર્ષ સુધી પરિવારથી દૂર રહેલા માછીમારોને જાેતા જ તેના પરિવારજનો તેઓનો ભેટી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. માછીમારોએ લાંબો સમય જેલમાં રહ્યા બાદ માદરે વતન પરત ફર્યાનો આનંદ વ્યકત કર્યો હતો. પાકિસ્તાની જેલમાં બંધ પોતાના સાથીઓને વહેલીતકે મુક્ત કરાવવાની માગ પણ કરી હતી. પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય માછીમારો પૈકીના ૨૦ માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામા આવ્યા હતા. આ તમામ માછીમારોની વાઘા-અટારી બોર્ડર પર ભારતને સોંપણી કરવામા આવી હતી. ભારત પરત ફર્યા બાદ ફિશરિઝ વિભાગના માધ્યમથી આ તમામ માછીમારો આજે માદરે વતન વેરાવળ પરત પહોંચ્યા હતા. જે ૨૦ માછીમારો પરત ફર્યા છે તેમાં ૧૯ ગીર સોમનાથના અને ૧ પોરબંદરનો રહેવાસી છે. નવાબંદરનો એક માછીમાર ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતો. જ્યારે બાકીના માછીમાર બેથી ચાર વર્ષ સુધી પાકિસ્તાની જેલમાં બંધ હતા. પાકિસ્તાની મરીન દ્વારા ગીર સોમનાથના માછીમારોનું અપહરણ કરાયા બાદ કોઈ બે વર્ષથી તો કોઈ ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતું. તમામના પરિવારજનો પોતાના પરિજન પાકિસ્તાનની જેલમાંથી પરત આવે તેની રાહ જાેઈ રહ્યા હતા. ગુરૂવારના રોજ ૨૦ માછીમારો વેરાવળ પરત ફરતા જ તેના પરિવારજનો પોતાના સ્વજનને ભેટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જેના કારણે સ્થળ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.સૌ કોઈની આંખો ભીની થઈ ગઇ હતી. ગીર સોમનાથના ૧૯ અને પોરબંદર જિલ્લાનો ૧ માછીમાર પાકિસ્તાની જેલમાં યાતના ભોગવી માદરે વતન પરત ફરતા તેમના અને તેમના પરિવારજનોમાં આનંદ જાેવા મળતો હતો. પરંતુ, જે માછીમારો પરત ફર્યા છે તેઓને દુઃખ એ વાતનું છે કે, હજી પણ તેના ૫૮૦ જેટલા સાથીઓ પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે.વધુ વાંચો -
મોડી રાત સુધીમાં ૫૦ હજાર ભાવિકો ભવનાથ પહોંચી ગયા
- 16, નવેમ્બર 2021 01:30 AM
- 7226 comments
- 4158 Views
જુનાગઢ, ગરવા ગિરનારની લીલી પરિક્રમાને તંત્ર દ્વારા છેલ્લી ઘડીએ શરતી મંજૂરી આપતા મોડી રાત સુધીમાં ૫૦ હજાર જેટલા ભાવિકો ભવનાથ પહોંચી ગયા હતા. મોડી રાત્રે સાધુ સંતો અને વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં પરિક્રમાનો પ્રારંભ થયો હતો.જૂનાગઢ ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા અતિ કઠિન માનવામાં આવે છે. ગિરનાર ફરતે ૩૬ કિલોમીટર ચાલીને ત્રણ રાત્રિનું રોકાણ થાય છે. વર્ષોથી વહીવટી તંત્ર દ્વારા ૧૫ દિવસ અગાઉ તૈયારીઓ કરવામાં છે. પણ આ વર્ષે તંત્ર દ્વારા પહેલા માત્ર ૪૦૦ લોકો પરિક્રમા કરશે તેવી છૂટ આપવામાં આવી હતી. સામાજીક સંસ્થાની સાથે અનેક આગેવાનોએ પરિક્રમા થવી જાેઈએ તેવી ધારદાર રજૂઆત કરતા અંતે છેલ્લી ઘડીયે ભાવિકોને પરિક્રમા કરવાની છૂટ અપાઈ હતી. આ સમાચાર મળતા જ ભાવિકોનો ઘસારો ભવનાથ તરફ જાેવા મળ્યો હતો અને મોડી રાત સુધીમાં ૫૦ હજાર જેટલા ભાવિકો પરિક્રમા રૂટ ઉપર જાેવા મળ્યા હતા. ગિરનાર જંગલના પરિક્રમા રૂટ પર કોઈ પણ જાતની સુવિધા ઉભી કરવામાં આવી નથી. ભક્તો માટે લાઈટ, પાણી, ભોજન અને રસ્તા સહિતની સુવિધાનો અભાવ છે. જેના લીધે પરિક્રમા કરવા આવતા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. દેવ દિવાળી અને અગ્યારશથી વર્ષોની પરંપરા મુજબ ગિરનાર પરિક્રમા મધ્ય રાત્રિએ ૧૨ વાગે શરૂ થાય છે. ત્યારે ગિરનાર તીર્થ ક્ષેત્રના સાધુ સંતો અને વહીવટી તંત્ર અધિકારીઓ અને પદાઅધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ તળેટી પરિક્રમાના રૂપાયતન ગેટ પાસે દીપ પ્રાગટ્યની સાથે રીબીન કાપીને શ્રીફળ વધેરી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે ગિરનાર તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંત ઇન્દ્રભારતી બાપુના કહેવા મુજબ, સરકાર દ્વારા કોરોનાને ધ્યાને લઈને પરિક્રમાને મંજૂરી આપી છે. જેમાં વેહલી સવાર ૪ થી ૮ વાગ્યા સુધીમાં ૪૦૦-૪૦૦ ની સંખ્યામાં ભાવિકોને જવા દેવામાં આવશે. સાધુ સંતોએ સરકાર અને તંત્રને રજૂઆત કરતા અંતે જે રીતે મંજૂરી આપવામાં આવી છે તે જ રીતે પરિક્રમા યોજાશે. તો બીજી તરફ પરિક્રમા રૂટ ઉપર કોઈ પણ જાતની સુવિધા ઉભી કરવામાં નથી આવી. સાધુ સંતો દ્વારા જે બને તેટલી સુવીધા ઉભી કરવામાં આવી છે. વૃદ્ધોએ ખાસ ધ્યાનથી પરિક્રમા કરવી અને આ વર્ષે પરિક્રમા કરવા આવેલ ભાવિકોને મુશ્કેલી પડે તો માફી માંગીયે છે. જૂનાગઢમાં યોજાતી લીલી પરિક્રમા કરવા પ્રતિ વર્ષ ૮ થી ૧૦ લાખ લોકો દેશભરમાંથી ઉમટી પડતા હોય છે. પરંતુ આ વર્ષે પણ કોરોનાની અસર ઓછી થતા ઘણા ભાવિકો પરીક્રમા યોજાશે તેવા હેતુથી પહેલા જ આવી ગયા હતા અને ત્યારબાદ ગણતરીના કલાકો બાકી હતા ત્યારે પરિક્રમા થશે તેવા સમાચાર મળતા ભક્તોનું ઘોડાપૂર ભવનાથ તળેટી તરફ જાેવા મળ્યું હતું. અનેક ભાવિકો કોઈ પણ સુવિધા વગર પોતાનું ભોજન સાથે લાવીને પણ પરિક્રમા કરવા તૈયાર છે.વધુ વાંચો -
હવે ૪૦૦-૪૦૦ લોકોના જૂથમાં શ્રદ્ધાળુઓને પરિક્રમા કરવાની છુટ
- 15, નવેમ્બર 2021 01:30 AM
- 8924 comments
- 9335 Views
જૂનાગઢ, કોરોનાના કારણે સતત બીજા વર્ષે સામાન્ય લોકો માટે ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવામા આવી હતી. તેમ છતા રવિવારના રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી જતા હોબાળો મચ્યો હતો. તંત્ર દ્વારા પહેલા ફક્ત સાધુ-સંતો માટે પ્રતિકાત્મક પરિક્રમાને જ મંજૂરી આપવામા આવી હતી. પરંતુ, શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખી અંતે સામાન્ય લોકોને પણ ૪૦૦-૪૦૦ના જૂથમાં પરિક્રમા કરવા માટેની મંજૂરી આપવામા આવતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી છવાઈ હતી. જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિઘ્યે્ વર્ષોથી યોજાતી લીલી પરિક્રમા ચાલુ વર્ષે કોરોનાની ગાઇડલાઇન મુજબ માત્ર ૪૦૦ જેટલા સાઘુ-સંતો માટે સમિતિ પ્રતિકાત્મરક રીતે કરવાની તંત્રએ છુટ આપી હતી. જેને લઇ શ્રઘ્ઘાધળુઓમાં ભારોભાર રોષ જાેવા મળ્યો હતો. આજે મઘ્યએરાત્રીથી લીલી પરીક્રમા શરૂ થાય તે પૂર્વે જ રવિવારના સવારથી ગીરનાર તળેટી વિસ્તાોરમાં પરીક્રમાના રૂટ પર પ્રવેશવાના ઇટવા ગેઇટ પાસે દૂર દૂરથી આવી રહેલ શ્રઘ્ઘોળુઓ મોટી સંખ્યામાં એકત્ર થઇ રહ્યા હતા. બપોરના બારેક વાગ્યાાથી પરિક્રમા કરવાની માંગ સાથે પરિક્રમાર્થીઓ સતત હોબાળો મચાવી રહ્યા હતા. પરિસ્થિતિ વણસે નહીં તેને ઘ્યાંને લઇ તંત્ર દ્રારા સ્થાળનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને બહારની પોલીસ ભવનાથમાં બોલાવી બંદોબસ્તા તૈનાત કરવામાં આવ્યોો હતો.વધુ વાંચો -
વિસ્ફોટક જીલેટીન સ્ટીકના કેસમાં માણાવદર પંથકના શખસની અટકાયત
- 11, નવેમ્બર 2021 01:30 AM
- 9388 comments
- 1615 Views
જૂનાગઢ, જૂનાગઢના બીલખા રોડ પર આવેલી આઈ.જી.કચેરીની દિવાલ પાસે ફુલઝાડના ક્યારામાંથી ૨૬ વિસ્ફોટક જીલેટીન સ્ટીક મળી આવી હતી. આ સ્ટીક ભરેલી થેલી આઈ.જી.કચેરીના સ્ટાફના ધ્યાનમાં આવતા એફએસએલ અને એલસીબીને જાણ કરવામાં આવી હતી. માણાવદર પંથકના કતકપરા ગામના શખસ સામે ગેરકાયદેસર વિસ્ફોટક સ્ટીક રાખવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં બીલખા રોડ પર આવેલી ડી.આઈ.જી.પી. કચેરી પાસે ફુલઝાડના ક્યારામાંથી ગત તારીખ ૩૧ ના બપોરના સમયે એક કાળા કલરની થેલીમાં શંકાસ્પદ વસ્તુ પડી હોવાની જાણ થતા સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જે. રામાણીએ છ ડિવિઝન પોલીસ અને એલસીબીને જાણ કરી હતી. બાદમાં એફએસએલ અને બામ્બ ડિસ્પોઝીબલ સ્કવોડને બોલાવવામાં આવી હતી. આ થેલીમાં તપાસ કરતા તેમાંથી ૨૬ જેટલી વિસ્ફોટક જીલેટીન સ્ટીકો મળી આવી હતી. જેને લઈ ચકચાર મચી ગઈ હતી.આ મામલે છ-ડીવીઝન, એલસીબી, એસઓજીના સ્ટાફે આસપાસના સીસીટીવીની તપાસ કરતા જીજે ૯ એન ૬૮૮૦ નંબરના બાઈક પર આવેલો એક શખસ બાલાભાઈ હમીરભાઈ પાસે રાખી જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બાઇક નંબરના આધારે તપાસ કરતા આ શખસ માણાવદર તાલુકાના કતકપરા ગામનો અનિલ ઉર્ફે લખન મોહન સોલંકી (ઉ.વ.૩૧ ) હોવાનું ખુલ્યું હતું. જે આજે મળી આવતા એલસીબીએ તેને હસ્તગત કરી તેનું બાઈક કબ્જે કર્યું હતું. તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પોતે કુવા ગાળવાનું કામ કરે છે અને આ કામ દરમિયાન આ વિસ્ફોટક જીલેટીન સ્ટીક ચોરી છુપીથી ગેરકાયદેસર રીતે મેળવી વેંચવા માટે લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. આ મામલે એલસીબીના પીઆઇ એચ.આઈ. ભાટીએ જણાવ્યું કે, અનિલ ઉર્ફે લખન કુવા ગાળવાનું કામ કરે છે. તેના માટે તેણે ગેરકાયદે રીતે આ જીલેટીન વિસ્ફોટક સ્ટીકો મેળવી હતી. તા.૩૦ ના તે સ્ટીક લઈ જૂનાગઢ આવ્યો તે સમયે પથરીનો દુઃખાવો ઉપડતા આઇજીપી કચેરી નજીક લારીવાળાને ત્યાં મૂકી બતાવવા અર્થે દવાખાને ગયો હતો. જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો હોવાથી તે પરત લેવા ન આવતા લારીધારકે આ સ્ટીક ફુલઝાડના ક્યારામાં રાખી બાજુમાં રહેલા લોકોને કોઈ થેલી લેવા આવે તો આ ક્યારામાં રાખી છે તેમ કહ્યું હતું. પરંતુ બીજા દિવસે આ થેલી આઇજીપી કચેરીના સ્ટાફના ધ્યાનમાં આવી ગઈ હતી. આ અંગે એલસીબીના પીઆઈ ભાટીએ કતકપરાના અનિલ ઉર્ફે લખન મોહન સોલંકી સામે ગેરકાયદેસર મેળવેલી ૨૬ વિસ્ફોટક સ્ટીકો જાેખમરૂપ હોવાનું જાણવા છતાં પોતાની પાસે રાખી અને બાલભાઈ હમીરભાઈ પાસે મૂકી ઈરાદાપૂર્વક બેદરકારી દાખવી હોવાની ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલો સ્પષ્ટ થઈ જતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.વધુ વાંચો -
વંથલીમાં ૫ાંચ વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતાં પરિવારમાં માતમ
- 30, ઓક્ટોબર 2021 01:30 AM
- 154 comments
- 2563 Views
જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વસપડા ગામની સીમમાં મજૂરીકામ કરતો એક પરિવાર રાત્રે વાડીએ આવેલા ગોડાઉનમાં સૂતો હતો. ત્યારે દરવાજાે અડધો ખુલ્લો રહી જતાં એક દીપડો અંદર ચડી આવી શ્રમિક માતાના પડખામાં ઊંઘી રહેલા પાંચ વર્ષના બાળકને ઉપાડી ગયો હતો. પરિવાર જાગી જતાં બુમારાણ મચી જવા પામી હતી, પરંતુ દીપડો બાળકને ઉપાડી નાસી ગયો હતો. આજે શુક્રવારે વહેલી સવારે દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવતાં શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું હતું. આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી હોવાથી સત્વર દીપડાને પાંજરે પૂરવાની માગ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણવા મળેલી વિગત મુજબ, મૂળ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાતા ગામના મિનેશભાઈ સોમાભાઇ ચરપોટ અને તેમના ભાઈ મનહરભાઈ ચરપોટ, પત્ની અને બાળકો સાથે ૧૫ દિવસ પહેલાં વંથલી તાલુકાના વસપડા ગામની સીમમાં દીપકભાઈ પટોળિયાની વાડીએ મજૂરીકામ અર્થે આવ્યાં હતા. ગઈકાલે ૨૮ ઓક્ટોબરની રાતે આ પરિવાર મજૂરીકામેથી આવી જમ્યા બાદ દીપકભાઇની વાડીના ગોડાઉનમાં ઊંઘી ગયો હતો. મનહરભાઈનો પાંચ વર્ષનો પુત્ર યોગેશ તેની માતા રમીલાબેનના પડખામાં પરિવારજનો સાથે ઊંઘી રહ્યો હતો. એ સમયે ગોડાઉનનો અડધો દરવાજાે ખુલ્લો રહી ગયો હોવાથી રાત્રિના પોણાબારેક વાગ્યા આસપાસ સીમમાંથી એક દીપડો ચડી આવ્યો હતો. દીપડો અડધા ખુલ્લા દરવાજામાંથી ગોડાઉનની અંદર ઘૂસી જઈ માતાના પડખામાં ઊંઘી રહેલા પાંચ વર્ષના માસૂમ યોગેશને ઉપાડી ગયો હતો. એ સમયે અવાજ થતાં શ્રમિક પરિવાર જાગી જતાં રાડારાડ કરી મૂકી હતી, પરંતુ દીપડો યોગેશને ઉપાડી દીપકભાઈના ખેતરની આગળ મીઠાપુર ગામની સીમ તરફ જતો રહ્યો હતો.આ અંગે મિનેશભાઇએ ખેતરમાં પાણી વાળતા વાડીના માલિક દીપકભાઈને જાણ કરતાં તેમણે આવી સરપંચને ફોન કરી બોલાવી વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ, શ્રમિક પરિવાર અને અન્ય ગ્રામજનોએ માસૂમ યોગેશની શોધખળ હાથ ધરી હતી. દરમિયાન વહેલી સવારે સાડાછ વાગ્યા આસપાસ વસપડાની સીમમાંથી યોગેશનો મૃતદેહ મળ્યો હતો, જેને પગલે શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. માસૂમ પાંચ વર્ષના યોગેશનાં આંતરડાં બહાર નીકળી ગયાં હતાં અને માથા, ગળા તેમજ ડાબા પગમાં ગંભીર ઇજા થઈ હતી. બાદમાં આ બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો. આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય પ્રસરી ગયો હોવાથી ખૂનખાર દીપડાને સત્વર પકડીને કેદ કરવાની માગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી, જેથી વન વિભાગના સ્ટાફે વાડી આસપાસ પાંજરાં મૂકી આદમખોર દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે.વધુ વાંચો -
હળવદમાં એક જ દિવસમાં હડકાયા કૂતરાએ ૨૩ લોકોને બચકાં ભર્યા
- 29, ઓક્ટોબર 2021 01:30 AM
- 3427 comments
- 8335 Views
મોરબી, મોરબી જિલ્લાના હળવદ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે જ હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો છે. આજે ગુરૂવારે એક જ દિવસમાં હડકાયા કુતરાએ ૨૩ લોકોને બચકાં ભરી લેતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ સુવિધા વગરની હળવદ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોવાથી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટેના ઇન્જેક્શન માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર દોડવું પડ્યું હતું.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે ગુરૂવારે હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા વિસ્તારમાં હડકાયા કૂતરાએ રીતસરનો આતંક મચાવી એક પછી એક એમ ૨૩ લોકોને બચકાં ભરી લીધા હતા. જેને લઈ આ વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. હડકાયા કૂતરાના આતંકના લીધે આસપાસના વિસ્તારના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.હળવદ સરકારી હોસ્પિટલમાં દશેરાના દહાડે જ ઘોડું ન દોડે ઉક્તિ મુજબ હડકવા વિરોધી રસીનો સ્ટોક જ ઉપલબ્ધ ન હોય મોટા પ્રમાણમાં હડકાયા કૂતરાનો ભોગ બનેલા લોકો સારવાર માટે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પરંતું હોસ્પિટલમાં હડકવા વિરોધી રસીનો પૂરતો સ્ટોક જ ન હોય લોકોને પોતાના ખર્ચે અને જાેખમે સારવાર કરાવવા માટે મોરબી અને સુરેન્દ્રનગર તરફ દોટ મુકવી પડી હતી.વસાપડા ગામે માતા પાસે સુઇ રહેલા બાળકને દીપડાએ ફાડી ખાધો જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં દીપડાના આતંક વધતો જાય છે. હાલ રવિ સીઝનનો પ્રારંભ થયો હોવાથી ખેડુતો સીમ-વાડીમાં કામ કરી રહ્યા છે. ત્યારે દીપડાના આતંકથી ખેડુતો ડરી રહ્યા છે. તાજેતરમાં વંથલીના વસાપડા ગામની સીમમાં દીપડાએ ૫ વર્ષના માસૂમ બાળકને ફાડી ખાદ્યો હતો. દાહોદનો શ્રમિક પરિવાર કામ અર્થે વસાપડા ગામે આવ્યો હતો. રાત્રે ઘરનો દરવાજાે ભૂલથી ખુલ્લો રહી ગયો હતો. ૫ વર્ષનો માસૂમ યોગેશ માતા પાસે સૂતો હતો. તે દરમિયાન દીપડો ઘરમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને બાળકને ઢસડીને બહાર લઈ જઈ તેના પર હુમલો કર્યો હતો. જેમાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો છે. જ્યારે દીપડાને પકડવા વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ ઘટનાને લઈ ગામમાં ભયની સાથે આક્રોશનો માહોલ જાેવા મળ્યો છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, આશરે ૩ મહિના પહેલા જ ભાવનગર અને અમરેલી પંથકમાં પણ દીપડાના આંતકની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પણ એક બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. ૩ જેટલા વ્યક્તિ પર દીપડાએ હુમલો પણ કર્યો હતો.વધુ વાંચો -
સરકારના કૃષિ રાહત પેકેજમાં જૂનાગઢનો સમાવેશ ન થયો હોવાથી ખેડૂતોમાં નારાજગી
- 26, ઓક્ટોબર 2021 01:30 AM
- 3633 comments
- 118 Views
જૂનાગઢ, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢની મુલાકાતે પહોંચ્યાત હતા. આ તકે જૂનાગઢનો કૃષિ રાહત પેકેજમાં સમાવેશ થયો ન હોવા અંગે મંત્રીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ તાલુકામાં હવે કોઈ વિસ્તાર કૃષિ રાહત પેકેજમાં જાહેર કરવાપાત્ર જણાતો નથી.સરકારના ખેતીવાડી વિભાગે ખેતીને થયેલ નુકસાનીના સર્વેના આઘારે જ પેકેજ જાહેર કર્યુ છે, જેથી જૂનાગઢમાં હવે કોઈ વિસ્તાર કૃષિ રાહત પેકેજમાં જાહેર કરવાપાત્ર જણાતો નથી. જેના પગલે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. આથી આ રાહત પેકેજમાં જૂનાગઢનો સમાવેશ કરી ખેડૂતોનો રોષ શાંત પાડવા અંગે કિસાન ક્રાન્તિ ટ્રસ્ટે લેખીત રજૂઆત કરી છે. જ્યારે બીજી બાજુ રાહત પેકેજમાં ગીર સોમનાથ જીલ્લાનની બાદબાકી કરાઇ છે, ત્યારે જીલ્લાુનો સમાવેશ કરી ખેતી નુકશાનીનું ૧૦૦ ટકા વળતર ચૂકવવા સોમનાથના ધારાસભ્યકએ કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી પાક અને ખેતીની જમીનને ભારે નુકસાન થયું હોવા અંગે રજૂઆતો થઈ હતી. જેથી ખેતીની નુકસાની અંગે રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી વિભાગને સર્વે કરવા આદેશ કરાયો હતો. જેને લઇ ખેતીવાડી અઘિકારીઓ સહિતની ટીમે ભારે વરસાદથી પ્રભાવિત જે-તે જીલ્લા ના તાલુકાઓમાં સર્વેની કામગીરી કરી હતી. આના આધારે રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર, માંગરોળ, માણાવદર અને કેશોદ તાલુકાના ગામડાઓનો કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરી વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. ત્યાલરે રાહત પેકેજમાં જૂનાગઢમાં પણ ભારે વરસાદના લીધે નુકસાન થયું હોવા છતાં સમાવેશ ન થવાની તાલુકાના ખેડૂતો અન્યાય થયાની લાગણી અનુભવી રહ્યા છે. આ મુદે ખેડૂત સંગઠનોએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે. આ દરમિયાન જૂનાગઢ તાલુકાની કૃષિ રાહત પેકેજમાંથી થયેલી બાદબાકી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાંથી ખેતીને નુકસાનીની રજૂઆત મળી હતી, તે વિસ્તારમાં ખેતીવાડી વિભાગ મારફત સર્વે કરાવવામાં આવ્યો હતો. જેના આઘારે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.વધુ વાંચો -
જૂનાગઢમાં વણઝારી ચોક ગરબી મંડળમાં ૧૮૦ બાળાઓ ગરબે ઘુમી
- 09, ઓક્ટોબર 2021 01:30 AM
- 7737 comments
- 7730 Views
જૂનાગઢ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા માં આજે નવરાત્રિ ના પ્રથમ દિવસે શહેર અને તાલુકાઓના જુદા જુદા વિસ્તારોમાં શેરી ગરબાઓનો પ્રારંભ થયો હતો. ગરબીના સંચાલકોએ પ્રથમ દિવસએ આરતી કરી ગરબીની શરૂઆત કરી હતી. કોરોનાના લીધે બે વર્ષ દરમ્યાન નવરાત્રી પર્વે ગરબીના આયોજનો પર રોક લાગી હતી. જેની સામે ચાલુ વર્ષે મર્યાદિત સંખ્યામાં નવરાત્રિ મહોત્સવ યોજવા માટે સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. જેના લીધે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પારંપરીક શેરી ગરબા શરૂ થતા વર્ષો જૂની પરંપરાના દર્શન ફરી જાેવા મળતા હતા. જેમાં આજે પ્રથમ નોરતાએ જૂનાગઢ શહેરની પ્રખ્યાત એવી વણઝારી ચોક ગરબી મંડળમાં ૧૮૦ જેટલી બાળાઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી. આજે નવરાત્રીના પ્રથમ દિવસે વણઝારી ચોક ગરબીની આરતી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, ગરબીના પ્રમુખ કિશોરભાઈ ધનેશા સહિતનાએ કર્યું હતું. જાે કે, પ્રથમ નોરતે મોટાભાગની ગતબીઓમાં ખેલૈયાઓની પંખી હાજરી જાેવા મળી રહેલ તો લોકોમાં પણ નવરાત્રી ઉત્સવને લઈ કોઈ ખાસ ઉત્સાહ જાેવા મળતો ન હતો.વધુ વાંચો -
ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણીથી વિનાશ અનેક ગામોમાં જમીન ત્યાં જળની સ્થિતિ
- 02, ઓક્ટોબર 2021 01:30 AM
- 859 comments
- 5062 Views
જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં માણાવદર તાલુકામાં ઓઝત નદીના પાણી ફરી વળતા અનેક ગામોમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે. થોડા સમય પહેલા જ ઓઝત નદીમાં આવેલા પૂરના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું હતું. ત્યારબાદ ફરી એકવાર ઓઝતના પાણી આ વિસ્તારમાં ફરી વળતા ખેતીના પાક અને જમીનને વ્યાપક નુકસાન થયાની ફરિયાદો ઉઠી છે. ઘેડ પંથકની હાલ સ્થિતિ એવી છે કે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જૂનાગઢના ઘેડ પંથકમાં માણાવદર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં નજર કરતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી ફરી વળવાના કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયાની ફરિયાદો ઉઠી છે. ઓઝત નદીના પાણીએ ખેડૂતોની સારા પાકની આશા પર પાણી ફેરવી દીધા છે. ગઈકાલે ગીરનાર પર્વત અને જૂનાગઢ જિલ્લામાં વરસેલ ભારે વરસાદના પગલે ડેમો ઓવરફ્લો થઈ છલકાતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેમાં માણાવદર પંથકની ઓઝત નદી ગાંડીતૂર થઈને રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ઘેડ પંથક જ્યાં નજર પડે ત્યાં પાણી પાણી થઈ ગયું છે. ત્યારે હજુ થોડા સમય પહેલાં જ આ પંથકમાં ઘોડાપૂર આવતા હજારો એકર ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું હતું. આજે ફરીવાર ઓઝત નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પંથકના પીપલાણા, આંબલીયા, કોયલાણા, મટીયાણા, બાલાગામ, બામણાસા પાદરડી સહિત ઘેડ પંથકને ધમરોળી નાખ્યું છે ત્યારે આ વિસ્તારમાં મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.વધુ વાંચો -
ભાજપના પૂર્વ સાંસદની સજા સ્થગિત કરતી હાઇકોર્ટ ૧લાખના જામીન પર મુક્ત
- 01, ઓક્ટોબર 2021 01:30 AM
- 8473 comments
- 4797 Views
અમદાવાદ, સમગ્ર દેશમાં ચર્ચા જગાવનારા આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકાંડના કેસમાં ભૂતપૂર્વ ધારાસભ્ય દીનુ સોલંકીને જામીન પર છોડવાનો ગુજરાત હોઇકોર્ટે આદેશ કર્યો છે.ગુજરાત હાઈકોર્ટે આજે ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીની આજીવન કેદની સજા સ્થગિત કરી હતી, જેને ૨૦૧૯ માં સીબીઆઈની વિશેષ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.તેની સજા સ્થગિત કરીને અને તેને શરતી જામીન આપતાં, જસ્ટિસ પરેશ ઉપાધ્યાય અને જસ્ટિસ એ.સી. જાેશીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે કેસ સંજાેગોવશાત પુરાવા પર આધારિત છે.દિનુ સોલંકીએ તેમને કરાયેલી સજા સામે હાઈકોર્ટમા અપીલ કરી હતી. જેની સુનાવણી બાદ કોર્ટે એક લાખ રૂપિયાના જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે શરતોને આધીન જામીન આપ્યાં છે જેમાં દેશની બહાર મંજૂરી વિના ન છોડવાની પણ શરત રાખવામાં આવી છે.આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ વર્ષ ૨૦૧૦માં ગીર અભયારણ્યમાં ગેરકાયદે ખનન થતું હોવાનો આરોપ લગાવીને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. આ અરજીની સુનાવણી શરૂ થતાંની સાથે જ અમિત જેઠવાની હાઇકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. ર્ ૨૦૧૦ની ૨૦મી જુલાઇના રોજ થયેલી હત્યામાં તત્કાલિન સાંસદ અને પૂર્વ ધારાસભ્ય દિનુ બોઘા સોલંકીનું નામ સામે આવ્યું હતું., અમિત જેઠવાના પિતાએ આ મામલે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં દીના સોલંકીની સંડોવણીનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ કરાઇ હતી. જેમાં દીનુ સોલંકીને સંડોવણીને નકારી તેમને ક્લિન ચીટ આપી હતી.દીના સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી,વધુ વાંચો -
જૂનાગઢમાં નવાબ શાસનની કન્યા શાળા ધરાશાયી કોઇ જાનહાની નહીં
- 30, સપ્ટેમ્બર 2021 01:30 AM
- 8269 comments
- 4129 Views
જૂનાગઢ જૂનાગઢ શહેરમાં આવી તો અનેક ઐતિહાસિક ઇમારતો આવેલી છે, જેની પૂરતી સાર-સંભાળ ન થવાને કારણે આજે તેની હાલત દયનિય બની ગઈ છે. શહેરી વિસ્તારમાં જ્યાં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહે છે, તેવા વિસ્તારમાં પણ કેટલીક ઐતિહાસિક ઇમારતો મોત થઈને ઝળુંબી રહી છે, જે બાબતે મનપા તંત્રને અનેક વખત રજુઆત કરવામાં આવી છે, જૂનાગઢની વર્ષો જૂની એક ઇમારત ધરાશાયી થઈ છે, જેસમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જૂનાગઢ શહેરમાં આવેલ ચિત્તાખાના ચોકની કન્યા શાળા નંબર-૩ આજરોજ તા.૨૯મી સપ્ટેમ્બર ના દિવસે સવારના સમયગાળામાં ધરાશાયી થઈ છે. સ્થાનિકોને કહેવા મુજબ આ કન્યા શાળા નવાબી કાળથી અસ્તિત્વ ધરાવતી હતી. છેલ્લાં કેટલાંક સમયથી ખંડેર હાલતમાં જાેવા મળતી આ ઈમારતનો કેટલોક ભાગ આજે ધરાશાયી થયો હતો. રસ્તા પર કાટમાળ પડતાં તેને હટાવવા માટે તાત્કાલિક ધોરણે મનપાની ટિમ પહોંચી હતી, પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જાેવા મળ્યાં હતાં. કન્યા શાળા નંબર-૩ ધરાશાયી થવાની ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સ્થાનિક લારી ધારકોની લારી ઉપર દીવાલ પડતાં લારીઓ દીવાલ નીચે દબાઈ ગઈ હતી. જેથી લારીનો કચ્ચરઘાણ નીકળી જતાં સ્થાનિક લારિધારકોએ પોતાની રોજીરોટી જરૂરથી ગુમાવી છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ