જૂનાગઢ સમાચાર
-
કેશોદમાં આહીર સમાજના ડાયરામાં એક કરોડથી વધુ રૂપિયા ઊડ્યા
- 10, મે 2022 01:30 AM
- 3389 comments
- 5835 Views
કેશોદ ખાતે આહીર યુવા મંચ દ્વારા સમાજવાડી માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાત્રે માયાભાઈ આહીર, બિરજુ બારોટ તેમજ ઉર્વશી રાદડિયાનો લોકડાયરો યોજાયો હતો. એમાં આહીર સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરમાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાડ્યા હતા. આ દરમિયાન ડાયરામાં ૫૦૦ અને ૨ હજારની ગુલાબી ચલણી નોટોનો વરસાદ થયો હતો. અંદાજ મુજબ, એક કરોડથી પણ વધુ રૂપિયા ઊડ્યા હતા. લોકગાયક બિરજુ બારોટ સંતવાણી રજૂ કરી રહ્યા હતા, ત્યારે સતત બે કલાક સુધી પૈસા ઊડ્યા હતા.વધુ વાંચો -
કેસર કેરીની આવક વધતાં ભાવ ઘટે એવી શક્યતા
- 08, મે 2022 01:30 AM
- 3412 comments
- 2521 Views
જૂનાગઢ, મીઠી સુગંધથી મઘમઘતી અને જાેતા જ મોંમા પાણી આવી જાય તેવી કેસર કેરી હજી પણ મોટાભાગના લોકોના ઘર સુધી પહોંચી નથી. દર વર્ષે ઉનાળામાં માર્ચ-એપ્રિલ મહિનામાં માર્કેટમાં કેરી આવવાની શરૂ થઈ જાય છે. ખાસ કરીને કેસર કેરીની સીઝન દરમિયનાન વધારે માગ રહે છે. અત્યારે ધીમે-ધીમે કેસર કેરી માર્કેટમાં આવી રહી છે પરંતુ તેના ભાવ પણ ઝટકો આપે તેવા છે. એક કિલો કેરી ૧૫૦ રૂપિયાના ભાવે મળી રહી છે. આ સિવાય કેટલીક જગ્યાએ એક બોક્સ (૧૦ કિલો) કેરીનો ભાવ ૧૫૦૦થી ૧૭૦૦ રૂપિયા છે. જાે કે, આગામી સમયમાં કેસર કેરીના ભાવમાં થોડો ઘટાડો થશે તેવી શક્યતા છે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ કરવામાં આવી તેને ૧૦ દિવસ થઈ ગયા છે. ગત વર્ષ કરતાં બમણા ભાવથી શરૂ થયેલી કેસર કેરીનો ભાવ હજી પણ એટલો જ છે. ભાવમાં સહેજ પણ ઘટાડો થયો નથી. પરંતુ આગામી એક અઠવાડિયા બાદ તેમાં થોડો એવો ઘટાડો થવાની શક્યતા છે. તાલાલા યાર્ડમાં ૧૦ કિલો કેસર કેરી ૭૫૦ રૂપિયાના ભાવે વેચાઈ રહી છે.તાલાલા માર્કેટિંગ યાર્ડના છેલ્લા ૨૦ વર્ષના ઈતિહાસમાં આ વર્ષે કેસર કેરના ભાવ સૌથી વધારે નોંધાયા છે. સામાન્ય રીતે કેસર કેરીના ૧ ક્વિન્ટલનો ભાવ ૮૨૫થી ૩,૫૫૦ રૂપિયા રહ્યો છે, પરંતુ આ વર્ષે તે ભાવ ૭,૫૦૦ રૂપિયા છે. ૨૦૦૦-૦૧ના વર્ષમાં સરેરાશ ૮૨ રૂપિયા પ્રતિકિલોના ભાવે કેસર કેરીનું બોક્સ વેચાતું હતું, આજે તેનો ભાવ ૭૫૦ રૂપિયાએ પહોંચ્યો છે. ૨૦૨૨માં મે મહિના દરમિયાન એક ક્વિન્ટલ કેરીનો ભાવ ૩,૫૫૦ રૂપિયા હતા અને બોક્સનો ભાવ ૪૦૦ રૂપિયાની આસપાસ હતો. પરંતુ હાલના સમયમાં એક ક્વિન્ટલ કેરીનો ભાવ ૭૫૦૦ અને બોક્સનો સરેરાશ ભાવ ૭૫૦ રૂપિયા રહ્યો છે. તાલાલા યાર્ડમાં છેલ્લા ૧૦ દિવસમાં ૨૦,૩૨૬ બોક્સની આવક નોંધાઈ હતી. તાલાલા યાર્ડના ચેરમેન સંજય શિંગાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે કેસર કેરીમાં રોગ આવી ગયો છે. ઠંડા હવામાનના કારણે પાકને નુકસાન થયું છે. લંગડો અને હાફૂસ કેરી સારી આવે છે પરંતુ કેસર કેરી બજારમાં મોંઘી છે. પરંતુ દિવસ જતાં તે પણ થોડી સસ્તી થશે.વધુ વાંચો -
ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં બે ડાલામથ્થા સિંહોએ પશુનો શિકાર કર્યો
- 08, મે 2022 01:30 AM
- 2013 comments
- 7018 Views
જૂનાગઢ,ગીર જંગલની બોર્ડર આસપાસના ગ્રામ્યમાં બે સિંહો પશુનું મારણ કરી સાથે લઈ જતા હોવાના દ્રશ્યો રાહદારી ચાલકના કેમેરામાં કેદ થયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં દેખાતો વિસ્તાર ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલ આસપાસના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખોરાકની શોધમાં સિંહ સહિતના વન્યપ્રાણીઓ જંગલ બહાર ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે. ત્યારે રાત્રીના સમયે બે ડાલામથ્થા સિંહોએ રસ્તાની સાઈડમાં પશુનો શિકાર કર્યો હતો. જે બાદ એક સિંહ મૃત પશુને મોઢામાં લઈ જંગલ તરફ ચાલીને જઈ રહ્યો હતો. આ સમયે બીજાે સિંહ પાછળ દોડીને જઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના રસ્તા પરથી પસાર થઈ રહેલા કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. આ વીડિયો કયા ગામનો છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ સિંહોને તેમજ વિસ્તાર જાેઇને આ વીડિયો ગીર જંગલના બોર્ડર આસપાસના કોઈ ગ્રામ્ય વિસ્તારનો હોવાનું જાણકારો અનુમાન વ્યક્ત કરી રહ્યા છે. ગરમીમાં લોકો તો ઠીક વન્યપ્રાણીઓ પણ ત્રાસી ગયા છે. આ સીઝનમાં જંગલમાં પાણી અને ખોરાક સરળતાથી મળતો ન હોવાથી સિંહ, દિપડા જેવા વન્યપ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં જંગલ બહારની માનવ વસતી વાળા વિસ્તારોમાં આવી ચડતા જાેવા મળે છે.વધુ વાંચો -
મહિલા સભ્યના પતિએ રતાંગ ગામના પૂર્વ સરપંચ સાથે ગ્રાન્ટની બાબતે લાફાવાળી કરી
- 24, એપ્રીલ 2022 01:30 AM
- 6396 comments
- 4856 Views
જૂનાગઢ, જૂનાગઢની ભાજપ શાસિત વિસાવદર તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં જ શિસ્તના લીરેલીરા ઉડ્યા હતા. ભાજપના તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિએ રતાંગ ગામના પૂર્વ સરપંચ સાથે ગ્રાન્ટની પૂછપરછ બાબતે જીભાજાેડી કરી લાફાવાળી કરી હતી. ઘટના દસ દિવસ બાદ હવે તાલુકા પંચાયતના મહિલાના સભ્યના પતિ સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પંથકનું રાજકારણ ગરમાયું છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૨ એપ્રિલના રોજ રતાંગ ગામના પૂર્વ સરપંચ અને ભાજપ અગ્રણી અરવિંદભાઈ સાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં કોઈ કામ અર્થે ગયા હતા. ત્યારે ત્યાં હાજર તાલુકા પંચાયતના સભ્યના પતિ અશોક માળવીયાએ તું અમારા ગામની ગ્રાન્ટ માટે કેમ પૂછપરછ કરે છે? તેમ કહી ઝગડો કર્યો હતો. તેમજ જાેત જાેતામાં ઉગ્ર બોલાચાલી વચ્ચે અશોકભાઈએ ભાજપ અગ્રણી અરવિંદભાઈને ફડાકાવાળી કરી ચારેક લાફા ઝીંકી દઈ અપશબ્દો ભાંડી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના સમયે તાલુકા પંચાયતના પ્રમુખ નિતીન કપુરીયા ઉપરાંત અન્ય ગામના સરપંચો અને અગ્રણી લોકો પણ ચેમ્બરમાં હાજર હતા. તેમણે અરવિંદભાઈને છોડાવ્યા હતા. બાદમાં અશોક માળવીયાએ અરવિંદ સાંગાણીને તું ક્યાંય રસ્તામાં પણ સામો મળતો નહીં નહીતર તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઘટના અંગે ભાજપ અગ્રણી અરવિંદભાઈ સાંગાણીએ પોલીસમાં અરજી આપી હતી પરંતુ પોલીસે જે તે સમયે ગુનો દાખલ નહોતો કર્યો. હવે આ ઘટના અંગે પોલીસે દસ દિવસ બાદ તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ અશોકભાઈ સામે આઈપીસી કલમ ૩૨૩, ૨૯૪ (બી), ૫૦૬ (૨) હેઠળ વિધિવત ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
પ્રથમ વખત રેગ્યુલર ફલાઈટ શરૂ થતાં ૧૮ યાત્રિકોનું મુંબઈથી કેશોદ આગમન
- 19, એપ્રીલ 2022 01:30 AM
- 276 comments
- 6351 Views
જૂનાગઢ, કેશોદ એરપોર્ટ ૨૨ વર્ષ બાદ કોર્મસિયલ ફલાઈટ માટે ફરી ખુલ્લું મુકવામાં આવ્યું છે. રવીવારના દિવસે પ્રથમ વખત રેગ્યુલર ફલાઈટ શરૂ થતાં ૧૮ યાત્રીકોનું મુંબઈ થી કેશોદ આગમન થયું હતું. જયારે ૫૩ યાત્રીકો મુંબઈ જવા રવાના થયાં હતાં. જેમને પશુપાલન મંત્રી દેવાભાઈ માલમે મોં મીઠાં કરાવ્યાં હતાં. જયારે સ્થાનિક ટિક્ટિ બુક કરતી એક કંપની તરફથી પ્રથમ ટિક્ટિ બુક કરાવનાર અશોકભાઈ વાળાનું સન્માન કરાયું હતું. આમ અઠવાડિયામાં રવી, બુધ અને શુક્ર એરક્રાફ્ટ અવર જવર કરવાનું હોય આવતાં બુધવારના દિવસ માટે ૪૫ ટિક્ટિ એડવાન્સ બુક થઈ ચૂકી છે. આ પ્રથમ ફલાઇટમાં મુસાફરી કરતાં યાત્રાળુંઓએ મુસાફરીમાં સરળતાં રહેતી હોવાનું કહ્યું તો કોઈએ નાનપણમાં સેવેલા સ્વપ્નને સાકાર થતાં ખુશી વ્યક્ત કરી હતી.અશોકભાઈ વાળા કેશોદ થી ૪ કીમી દુર બળોદર રહે છે. તેણે ૧૦ વર્ષની ઉંમરે કેશોદ એરપોર્ટ પર થી ઉપડતાં પ્લેનમાં મુસાફરી કરવાં સ્વપ્ન જાેયું હતું પ્રથમ દિવસે તેમનું સ્વપ્ન ફળ્યું જેથી ખુશી વ્યક્ત કરી.મુંબઈના મુસાફર મુંબઈ થી ડૉ. રેશ્મા શાહ અને તેનો પરિવાર જુનાગઢ ગીરનાર અને ગીર અભારણ્ય સફારી પાર્ક ફરવા આવેલાં પરત જવા તેઓ રાજકોટ કે અમદાવાદ ફલાઈટ પકડવાના હતાં પરંતુ તેને કેશોદ વિમાની સેવા શરૂ થઈ તેવી જાણ થતાં ટિકિટ બુક કરાવી હતી.વધુ વાંચો -
કેશોદથી મુંબઇ કોમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ
- 17, એપ્રીલ 2022 01:30 AM
- 2302 comments
- 1367 Views
જૂનાગઢ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે આજે કેશોદ એરપોર્ટ ખાતે કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે કેશોદ એરપોર્ટ પર હવાઇ સેવાઓ માટેની આધુનિક સેવાઓનુ પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, આત્મ ર્નિભર ગુજરાતથી આત્મ ર્નિભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા પરિવહન ખાસ કરીને હવાઈ પરિવહનનો વિકાસ અગત્યનો છે. ગુજરાતનો પર્યટન વિકાસ પણ તેના મૂળમાં છે. આ સંકલ્પ થી સિદ્ધિ માટે વડાપ્રધાનનરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વ્યાપક એર કનેક્ટીવીટી પ્રસ્થાપિત થઇ રહી છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનની ર્દિઘ દ્રષ્ટી હેઠળ ગલોબલ વોર્મિંગની અસરોને ખાળવા કુદરતી સંશાધનોના સમતોલ ઉપયોગ અને સૂર્ય ઉર્જા માટેના પ્રોજેક્ટ આજે આપણને આજની સ્થિતિમાં ઉપયોગી બની રહ્યા છે તેમ જણાવી વડાપ્રધાનની આગવી દ્રષ્ટી હેઠળ દેશ આગળ વધી રહ્યો છે તેમ જણાવ્યુ કહ્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યુ કે, કેશોદમાં વિમાન સેવા શરૂ થતા પ્રવાસનને તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. વધુમાં તેઓએ કહ્યુ કે, આર્ત્મનિભર ગુજરાત થી આત્મ નીર્ભર ભારતના સંકલ્પમાં હવાઇ સેવાની કનેક્ટીવીટી ખુબ જ અગત્યની છે. મુખ્યમંત્રીએ કેશોદ એરપોર્ટ ખાતે વિમાન સેવા ઝડપથી શરૂ કરવા અંગે કેન્દ્ર સરકારનો ખાસ કરીને નાગરિક ઉડ્યન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો આભાર માન્યો હતો.દરેક ગામના ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું જૂનાગઢ ખાતેથી આહ્વાન ધી ગુજરાત રાજ્ય સહકારી બેંક લી. અમદાવાદના સહયોગથી ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. જૂનાગઢ બ્રાન્ચ દ્વારા આયોજીત ખેડૂત મહિલા ઉત્કર્ષ શિબિરમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી નવિનીકરણ કરાયેલ પ્રાંચી શાખાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણે ત્યા સૈકાઓથી નારી શક્તિના પુજનની પરંપરા રહેલી છે. ગુજરાતની ૩ જેટલી દિકરીઓએ ઓલમ્પિકમાં અને ૩ દિકરીઓ પેરા ઓલમ્પિકમાં ભાગ લઇ પુરવાર કર્યુ છે કે, જાે તક મળે તો નારી શક્તિ પોતાનું કૌવત બતાવી જાણે છે.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ધરતી માતાનું આરોગ્ય જાળવીએ તેના થકી જ માનવ જીવનનું આરોગ્ય જળવાશે.વધુ વાંચો -
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રસ્તે રઝળતાં યુવકની પોલીસે તપાસ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું
- 16, એપ્રીલ 2022 01:30 AM
- 9462 comments
- 434 Views
જૂનાગઢ, રાણીપમાં રહેતો યુવક દેવાદાર બની જતા લેણદારોથી કંટાળી જઈ ઉત્તરાયણના દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ યુવક ત્રણ માસથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રખડી રહ્યો હતો. આ યુવક પોલીસ સ્ટાફના ધ્યાને આવતા તેની પાસેથી જાણકારી મેળવી રાણીપ પોલીસની મદદથી તેના પરીવારને અત્રે બોલાવી મિલન કરાવ્યુ હતું. આમ જૂનાગઢ પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ હતું. પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે જૂનાગઢમાં રેલવે સ્ટેશન નજીક એક યુવક ચિંતામાં હોય તેવી પરિસ્થિતિમાં શંકાસ્પદ રીતે આંટા મારતો જાેવા મળ્યો હતો. જેના પર ડીવાયએસપી કચેરીના કમાન્ડોનું ધ્યાન જતા તેણે આ યુવકને પોલીસ કચેરી ખાતે લઈ આવ્યો હતા. બાદમાં બી ડિવિઝનના પીઆઇ આર.એસ. પટેલએ પુછપરછ કરતા તેણે પોતાનું નામ અમિત ગજ્જર (ઉ.વ.૩૮) હોવાનું અને પોતે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ૪૭ મૃદુલ એપાર્ટમેન્ટ કાશીબા રોડ પર રહેતો હોવાનું અને તે તા.૧૩-૦૧-૨૦૨૨ ના રોજ સવારે ૬ વાગ્યે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો કારણ કે, પોતાના પર દેવું થઈ ગયુ હોય જેથી લેણદારો શાંતી લેવા દેતા ન હોવાથી મોબાઈલ ફોન ઘરમાં મુકી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં ક્યારેક વાહનમાં અને ક્યારેક પગપાળા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રખડતો હોવાનું જણાવતા પોલીસ સ્ટાફ પણ ચોંકી ગયો હતો. બાદમાં યુવકે તેના ભાઈનો મોબાઈલ નંબર આપ્યો હતો જેના પર પોલીસે સંપર્ક કરતા તે બંધ આવતો હતો. આ અંગે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ રાણીપ પોલીસનો સંપર્ક કરી તપાસ કરાવતા ગત તા.૧૭-૧-૨૨ ના રોજ મળી આવેલ અમિત ગજ્જરના પત્ની ડિમ્પલબેન દ્વારા તેના પતિ ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. જેના આધારે યુવકના ભાઈ ભાવિક ગજ્જર સાથે મોબાઈલ ફોનથી વાત કરતા તેઓ અને ઘરના તમામ સભ્યો છેલ્લા ત્રણ મહિનાથી અમિતની ભાળ મેળવવાને લઈ ચિંતાતુર હતા. જૂનાગઢમાં તેમનો ભાઈ મળી આવ્યો હોવાના સમાચાર સાંભળીને તુરંત નીકળી જઈ તેમના પરીવારજનો જૂનાગઢ લેવા આવી પહોંચ્યા હતા. અહીં પોલીસ અધિકારીઓએ યુવકનું તેના પરીવાર સાથે મિલન કરાવતા હાજર સૌ ભાવવિભોર થઈ ગયા હતા.વધુ વાંચો -
કારમાં બેસી મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલો એક શખ્સ ઝડપાયો
- 14, એપ્રીલ 2022 01:30 AM
- 2832 comments
- 6179 Views
જૂનાગઢ, જૂનાગઢમાં છાને ખુણે ક્રિકેટ મેચમાં સટ્ટો રમતો હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસ સતર્ક બની હતી. આ દરમિયાન બાતમીના આધારે એલસીબીની ટીમે શહેરના ગીરીરાજ રોડ પર કારમાં બેસી મોબાઈલ ફોન પર આઈડીમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલા એક શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી રોકડ, મોબાઈલ અને કાર મળી ૧૦ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સે સટ્ટો રમવા શહેરના મધુરમ વિસ્તારના યુવક પાસેથી આઈડી લીધું હોવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ક્રિકેટ ટૂર્નામેન્ટ હાલ ચાલી રહ્યો હોવાથી મોટા પાયે તેમાં સટ્ટો રમતો હોવાથી યુવાધન જુગાર રમવાના રવાડે ચડી રહ્યુ છે. આ વ્યસન ઝેરની જેમ પ્રસરી રહ્યુ હોવાથી અનેક યુવાનો અને પરીવારો બરબાદ પણ થઈ રહ્યા છે. ત્યારે સમાજમાં વ્યાપક રીતે પ્રસરી રહેલા આ જુગારની બદીને ડામી દેવા લોકો માંગ કરી રહ્યા છે. જેથી ક્રિકેટની સીઝનના સમયે જૂનાગઢ પોલીસ પણ સતર્ક બની કામગીરી કરી છે. જે અંતર્ગત બાતમીના આધારે જૂનાગઢ એલસીબીની ટીમે શહેરના ગીરીરાજ સોસાયટી પાસે રહેતો વિમલ ઉર્ફે વિક્કી દેવાનંદ હરવાણી (ઉ.વ.૩૦) ગીરીરાજ રોડ ઉપર પોતાની કારમાં બેસી મોબાઈલ ફોનમાં આઈડીમાંથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઝડપી લીધો હતો.એલસીબી સ્ટાફે આરોપી વિક્કી હરવાણી પાસેથી રોકડા ૭૦ હજાર, મોબાઈલ અને કાર મળી કુલ રૂ.૧૦.૨૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ તેની પૂછપરછ કરતા તેણે આ ક્રિકેટ સટ્ટો રમવાનું આઈડી મધુરમ વિસ્તારના દેવ ગઢવી નામના યુવક પાસેથી લીધા હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એલસીબીએ વિક્કી હરવાણી અને દેવ ગઢવી સામે બી ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
જુનાગઢ જિલ્લામાં ઉનાળુ પાકનું ૨૬,૬૫૫ હેકટરમાં વાવેતર
- 26, માર્ચ 2022 01:30 AM
- 3425 comments
- 4193 Views
જુનાગઢ હાલ ઉનાળાની સીઝનમાં જુનાગઢ જીલ્લામાં ઉનાળુ પાકમાં વાવેતર થવા પામ્યું છે જેમાં સૌથી વધુ વાવેતર તલના પાકમાં ૮૦૬૦ હેકટરમાં થવા પામ્યું છે અને સૌથી ઓછું વાવેતર ડુંગળી ૪૦ હેકટરમાં માત્ર મેંદરડા તાલુકામાં થવા પામ્યું છે.છેલ્લા બે વર્ષથી ૧૫૦ ટકાથી લઈને ૨૦૦ ટકા વરસાદ થવા પામ્યો છે જેથી જમીનના પાણીના તળ ઉંચા આવી જતા કુવા બોરમાં પાણીનો વિપુલ જથ્થો સાથે વીજ પુરવઠો પણ પુરતો મળી રહેતા આ વર્ષે વિપુલ પ્રમાણમાં જુનાગઢ જીલ્લામાં કુલ ૨૬૬૫૫ હેકટરમાં વિક્રમ સર્જક ઉનાળુ વાવેતર થયું છે. જીલ્લા ખેતીવાડી અધિકારી ડી.જી. રાઠોડે સાંજ સમાચારના જીલ્લાના પ્રતિનિધિ રાકેશ લખલાણીને માહિતી આપતા જણાવ્યું છે કે જીલ્લાના નવ તાલુકા અને જુનાગઢ શહેર સહિતમાં બાજરી, મગ- અડદ- ઉનાળુ મગફળી, તલ-ડુંગરી, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થવા પામ્યું છે.ઉનાળુ વાવેતરમાં તાલનું વિક્રમ સર્જન વાવેતર થવા પામ્યું છે જેમાં વિસાવદર તાલુકામાં ૩૦૦૦ હેકટર, ભેંસાણમાં ૧૨૫૦, માળીયા, માણાવદરમાં ૧૫૦ જુનાગઢ સીટીમાં ૫૦ સહિત કુલ જીલ્લામાં ૮૦૬૦ હેકટરમાં.બીજા ક્રમે ઉનાળુ મગનું જીલ્લામાં ૬૫૧૦ હેકટરમાં વાવેતર થવા પામ્યું છે. જેમાં પણ વિસાવદર તાલુકો અગ્રેસર રહેવા પામ્યો છે. ૩૦૦૦ હેકટરમાં વાવેતર થવા પામ્યુ છે. કેશોદમાં ૮૫૦, માંગરોળમાં ૬૦૦, મેંદરડામાં ૫૫૦, વંથલી ૫૦૦ જુનાગઢ ૪૮૦, માણાવદરમાં ૧૫૦, માળક્ષયા ૨૨૦ ભેંસાણ ૧૨૦, અને જુનાગઢ સીટીમાં ૪૦ હેકટરમાં વાવેતર થવા પામ્યું છે.ઉનાળુ અડદમાં પણ વિસાવદર પ્રથમ ક્રમે ૩૦૦૦ હેકટરમાં વાવેતર થવા પામ્યું છે. માંગરોળ-મેંદરડામાં ૭૦૦-૭૦૦ હેકટરમાં જુનાગઢ ૨૫૦, કેશોદ ૨૦૦ માળીયા ૧૫૦, માણાવદર ૭૫, અને ભેંસાણ તાલુકામાં ૫ હેકટર સહિત કુલ ૫૨૩૦ હેકટરમાં અડદનું વાવેતર જીલ્લામાં થવા પામ્યું છે.ઉનાળુ મગફળીનું વાવેતર પણ વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૭૦૦ હેકટર, ભેંસણ ૨૫૦, જુનાગઢ ૨૫૦, વંથલી ૮૦ માંગરોળ ૮૦, માણાવદર ૭૦ મેંદરડા ૫૫ કેશોદ ૨૫ માળીયા જુનાગઢ સીટી ૧૫-૧૫ હેકટર સહિત કુલ ૧૫૨૦ હેકટરમાં ઉનાળુ મગફળીનું વાવેતર નોંધાયું છે.ઉનાળુ બાજરીનું કુલ વાવેતર જીલ્લામાં ૭૬૫ હેકટરમાં થવા પામ્યું છે જેમાં સૌથી વધુ બાજરી માંગરોળમાં ૫૦૦ હેકટર માણાવદર ૧૦૦ કેશોદ ૯૦ વંથલી ૪૫ જુનાગઢ ૧૫ ભેંસાણ ૧૦ અને જુનાગઢ સીટીમાં ૫ હેકટરનું વાવેતર થવા પામ્યુ છે.જીલ્લામાં ડુંગળીનું વાવેતર માત્ર ૪૦ હેકટરમાં મેંદરડા તાલુકામાં નોંધાયું છે.શેરડીનું વાવેતર માત્ર ૧૦ હેકટરમાં જુનાગઢ અને કેશોદમાં પાંચ પાંચ હેકટરમાં નોંધાયું છે.જીલ્લામાં શાકભાજીનું કુલ વાવેતર ૧૫૨૦ હેકટરમાં નેંધાયું છે જેમાં વંથલીમાં ૨૮૦ વિસાવદર માંગરોળ અને જુનાગઢ તાુલકોમાં બસો બસો હેકટરમાં થવા પામ્યું છે. ભેસાણ કેશોદ માણાવદર જુનાગઢ સીટીમાં ૧૦૦-૧૦૦- ૧૦૦ હેકટરમાં માળીયા મેંદરડામાં ૧૨૦ -૧૨૦ હેકટરમાં વાવેતર નોંધાયું છે.જીલ્લામાં કુલ ઘાસચારો ૨૯૪૦ હેકટરમાં નોંધાયેલ છે જેમાં સૌથી વધુ કેશોદમાં ૬૦૦ હેકટર વંથલી ૪૦૦ હેકટર માણાવદર ૩૫૦, વિસાવદર ૩૦૦ માંગરોળ ૨૪૦ માળીયા હાટીના ૨૫૦ જુનાગઢ ૨૩૦ ભેંસાણ ૨૨૦ મેંદરડા ૨૫૦ અને જુનાગઢ સીટી ૧૦૦ હેકટરમાં વાવેતર થવા પામ્યું છે. સરેરાશ વાવેતર જીલ્લામાં જાેઈએ તો ભેંસાણ તાલુકા કુલ વાવેતર ૧૯૫૫, જુનાગઢ તાલુકા ૧૯૫૦, કેશોદ તાલુકા ૨૪૭૦ માળીયા ૯૫૦, માણાવદર ૯૯૫, માંગરોળ ૨૯૨૦ મેંદરડા ૨૯૧૫ વંથલી ૨૦૦૫, વિસાવદર ૧૦૨૩૦ જુનાગઢ સીટી ૩૧૦ હેટર મળી જીલ્લામાં ૨૬૬૫૫ હેકટરમાં ઉનાળુ વાવેતર વર્ષ ૨૦૨૨-૨૩માં નોંધાયું છે. ત્રણ વર્ષની સરેરાશ થયું છે.વધુ વાંચો -
માણાવદરમાં ૨૧૪ મધ્યમ કુપોષિત બાળકો અને ૨૮ અતિ કુપોષિત બાળકો
- 20, માર્ચ 2022 01:30 AM
- 845 comments
- 5391 Views
જૂનાગઢ, માણાવદરમાં ૨૫૨ જેટલા કુપોષિત બાળકોના આંકડા આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર બાળકોના સુપોષણ માટે અનેક યોજનાઓ અમલીકરણ કરી રહ્યા છે અને સુપોષણ બાળકના અભિયાનના મોટા મોટા બણગાં ફૂકી રહી છે પરંતુ નરવી વાસ્તવિકતા કંઈક અલગ જ હોય તેમ માણાવદરમાં ૨૧૪ મધ્યમ કુપોષિત બાળકો અને ૨૮ અતિ કુપોષિત બાળકો ના આંકડા સામે આવી રહ્યા છે. આંગણવાડી કેન્દ્ર માંથી સગર્ભાને પૂરતું પોષણ મળી રહે તે માટે માતૃશક્તિ તેમજ ૦થી ૫ વર્ષના બાળક કુપોષિત ના રહે તે માટે બાળ શક્તિ પાવડરના પેકેટ અને પ્રોટીન યુક્ત નિમક ના પેકેટ અપાય છે પરંતુ આ પેકેટો લાભાર્થી સુધી પહોંચે પછી ખરેખર તો એનો જાેઇએ તેટલો ઉપયોગ થતો નથી. તાજેતરમાં જ માણાવદર શહેરની એક આંગણવાડી વર્કસે આવા પેકેટો પણ વેચવા ની ઘટના સામે આવી હતી પરંતુ તેની સામે માત્ર નિવેદન લઇને જવા દેવાયા હતા ત્યારે શું તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી શું કોઈ અધિકારીઓની મીલીભગત છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.વધુ વાંચો -
ભૂમાફિયાઓ સામે તંત્ર ખુદ ફરિયાદી બની લેન્ડ ગ્રેબિંગ હેઠળ કડક કાર્યવાહી કરે તેવી માંગણી
- 06, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 9808 comments
- 1736 Views
જૂનાગઢ, જૂનાગઢમાં ગૌચરની જમીન પર ભુ-માફિયાઓ અને માથાભારે લોકોએ દબાણ કરી લીધુ છે. જેના લીધે ગામડાઓ અને શહેરોમાં જાહેર માર્ગે પર ફરજીયાત પશુધનને રખડવુ પડી રહ્યુ છે. જેથી ગૌચર પર દબાણ કરનારાઓ ભુમાફિયાઓ સામે તંત્ર ખુદ ફરીયાદી બની લેન્ડ ગ્રેબિંગ હેઠળ કડક કાર્યવાહી કરે તેવી ખેડૂત હિત રક્ષક સમિતિએ માંગણી કરી છે. આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. છેલ્લા ઘણા સમયથી રાજય સરકારના પ્રજાલક્ષી યોજના હોય કે અભિયાનોના કામોમાં અવ્વલ રહેતા જૂનાગઢ જિલ્લાથી જ ગૌચર મુક્ત કરાવી દબાણ કરનારા ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહીની શરૂઆત કરવા માંગ કરી છે.ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અતુલ શેખડાએ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું કે, રાજયના દરેક જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં પશુધનના ચરીયાણ માટેની ગૌચરની જમીન આવેલી છે. પરંતુ તમામ જિલ્લામાં આવેલા હજારો વિઘા ગૌચરની જમીનો પર માથાભારે શખ્સો અને ભુમાફિયાઓએ કબ્જાે કરી દબાણ કરી લીધુ છે. દબાણ કરનારા લોકો માથાભારે હોવાથી સ્થાનીક લોકો તેમની સામે તંત્ર સમક્ષ ફરીયાદ કરતા પણ ડર અનુભવે છે.દબાણકર્તાઓ ગૌચરની જમીન પર દબાણ કર્યુ હોવાથી અબોલ પશુઘન ગામડા અને શહેરોના વિસ્તારો અને જાહેરમાર્ગો પર રખડતા જાેવા મળે છે. અબોલ પશુઘનને ચરવા માટે પુરતો જરૂરી ખોરાક ન મળતો હોવાથી શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં જાહેરમાં ફેકાતા પ્લાસ્ટીક સહિતનો અન્ય કચરો ખાવા મજબુર બને છે. આ ઉપરાંત જાહેરમાર્ગો પર રખડતા ભટકતા અબોલ પશુઓના લીધે દરરોજ અકસ્માતો પણ થતા જાેવા મળે છે.આ બધી સમસ્યાથી અબોલ પશુ સાથે પ્રજા પણ નિસહાય હોય તેમ પીડાય રહી છે. એ પણ ગૌચરમાં થયેલા દબાણોના લીધે આ બધી સમસ્યાઓ ઉભી થાય છે. ત્યારે રાજયમાં સરકારી, અર્ધસરકારી કે ખાનગી જમીનો પર ગેરકાયદેસર કબ્જાે જમાવી બેસેલા ભુમાફિયાઓ પાસેથી જમીન મુકત કરાવવા લેન્ડ ગ્રેબીંગ એકટ-૨૦૨૦નો કાયદો રાજય સરકારએ અમલી બનાવ્યો છે.વધુ વાંચો -
જૂનાગઢમાં લેબોરેટરીમાં વિકરાળ આગ ખાનગી હોસ્પિટલમાં ધુમાડો પ્રસરતા દોડધામ
- 01, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 7682 comments
- 7992 Views
જૂનાગઢ જૂનાગઢમાં બસ સ્ટેન્ડ નજીક આવેલ દ્વારકાધીશ માર્કેટમાં ખાનગી લેબોરેટરીમાં આજે વહેલી સવારે આગ લાગવાથી લેબોરેટરીની બાજુમાં જ આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ ૧૦ જેટલા દર્દીઓને મહા મહેનતે રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવા પડ્યા હતા. ધુમાડામાં ગૂંગળાઈ ગયેલ ત્રણ દર્દીઓની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ શહેરમાં બસ સ્ટેન્ડ નજીક આવેલ દ્વારકાધીશ માર્કેટમાં પ્રથમ માળ પર આવેલ એસ.આર.એલ. નામની ખાનગી લેબોરેટરીમાં રાત્રિના ચાર વાગ્યા આસપાસ અચાનક જ આગ લાગી હતી. આગ ધીમે ધીમે વિકરાળ બનતા લેબોરેટરીને નજીક જ આવેલ કનેરીયા હોસ્પિટલમાં આગના ઘૂમાડા પ્રસરી જતા ત્યાં દાખલ દર્દીઓને ભારે ગૂંગળામણનો ભોગ બનવું પડ્યું હતું. કનેરીયા હોસ્પિટલમાં દસ જેટલા દર્દીઓ સારવાર માટે એડમિટ હતા તેમને અલગ અલગ જગ્યાએથી રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી પરંતુ દર્દીના પરિવારજનોના આક્ષેપ મુજબ ફાયરના સાધનો સમયસર કામ કરી રહ્યા ન હતા પાણીનો ધોધ થતો ન હતો ફાયર બ્રિગેડને વાહનમાંથી સીડી પણ ખુલતી ન હોવાનાં આક્ષેપ થયા છે. આ એસ.આર.એલ. લેબોરેટરીના સંચાલક હાર્દિક ઠાકર હોવાનું જાણવા મળે છે. બીજી તરફ લેબોરેટરીમાં આગ લાગવાના કારણે કનેરીયા હોસ્પિટલમાં સારવારમાં રહેલ દર્દીઓને બહાર નીકળવામાં ખૂબ જ મુશ્કેલી પડી હોવાનું નજરે જાેનાર પ્રત્યક્ષદર્શીઓ જણાવી રહ્યા હતા. હોસ્પિટલમાં કમ્પાઉન્ડર મુખ્ય દરવાજે તાળું મારી બહાર નીકળી ગયા હોય જેથી ફાયર બ્રિગેડે હોસ્પિટલમાં તાળા તોડી દર્દીઓના બહાર કાઢવા પડયા હતા. હોસ્પિટલના તબીબ ડો. મૌલિક કનેરીયાના જણાવ્યા પ્રમાણે કનેરીયા હોસ્પિટલમાં આગની કોઈ ઘટના નથી બની. પરંતુ નજીકમાં આવેલ લેબોરેટરીની આગના ધુમાડાથી સફોકેશન દર્દીઓને મુશ્કેલી પડી છે. દર્દીઓને સ્થળાંતર માટે પોલીસ અને ૧૦૮ સહિતનો કાફલાએ મહા મહેનતે દર્દીઓને બચાવવાની કામગીરી કરી હતી. આગની ઘટના અંગે તબીબ અને લેબોરેટરી સંચાલક ફાયર એનઓસી હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ હોસ્પિટલમાં આગ બાદ મીડિયાની ટીમે આગ કાબુમાં કરવા માટેના સાધનો એક્સપાયરી ડેટના હોવાનું બહાર આવ્યું છે. આગની ઘટનાથી મહાનગરપાલિકા ની કામગીરી પર અનેક સવાલો ઉઠયા છે હોસ્પિટલ સત્તાધીશો પાસે ફાયર એનઓસી છે કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે પરંતુ હાલ દર્દીઓને બચાવવાનો પ્રયાસ થયો છે ત્યારે જૂનાગઢમાં ફરી આવી ઘટના ન બને તે માટે તંત્ર શું કરે છે તે જાેવું રહ્યું.વધુ વાંચો -
સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તેમનું નામ છે પ્રેમ કાછડિયા
- 26, જાન્યુઆરી 2022 01:30 AM
- 3458 comments
- 2686 Views
જૂનાગઢ, છેલ્લા બે દિવસથી ગિરનારના ભૈરવજપનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ રમતાં રમતાં ભૈરવજપના સીધા ચઢાણને ચડી જાય છે અને એટલી જ સરળતાથી ઊતરી પણ જાય છે એવું વીડિયોમાં જાેઈ શકાય છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોને કારણે આ યુવાન ‘દેશી સ્પાઇડરમેન’ તરીકે જાણીતો બન્યો છે. અંદાજે ૪ મિનિટમાં જ આ યુવાન ભૈરવજપ સર કરીને ફરીથી નીચે ઊતરી જાય છે.દર મહિને ત્રણથી ચાર વખત જાય છે આ વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તેમનું નામ છે પ્રેમ કાછડિયા. જૂનાગઢ જિલ્લાના વડાલમાં રહેતા પ્રેમભાઈએ ધોરણ ૯ સુધી અભ્યાસ કર્યો છે અને હાલ ગિરનાર પર આવેલા સેવાદાસ બાપુના આશ્રમમાં સેવા આપી રહ્યા છે. પ્રેમભાઈ છેલ્લાં ૨૦ વર્ષથી ભૈરવજપ પર જાય છે. દર મહિને ત્રણથી ચાર વખત તેઓ આ રીતે સીધું ચઢાણ ચડી ભૈરવ દાદાના ધૂપ-દીવા અને સિંદૂર ચડાવવા માટે ભૈરવજપ પર જાય છે.પ્રેમભાઈ ગિરનાર પર આવેલા સેવાદાસ આશ્રમમાં ઇલેક્ટ્રિશિયન તરીકે સેવા આપે છે. માત્ર સેવાદાસ બાપુના આશ્રમે જ નહીં, ગિરનાર પર આવેલા કોઈપણ આશ્રમમાં લાઇટ જાય તો પ્રેમભાઈ જ એને ફ્રીમાં રિપેર કરી આપે છે. મોટે ભાગે તેઓ સેવાદાસ બાપુના આશ્રમમાં જ રાત્રિ રોકાણ કરતા હોય છે. માત્ર આશ્રમ જ નહીં, અન્ય કોઈ જગ્યાએ પણ ગિરનારમાં લાઇટ જાય તો પ્રેમભાઈ એને કોઈપણ ચાર્જ લીધા વિના રિપેર કરી આપે છે.વધુ વાંચો -
તામિલનાડુની વિદ્યાર્થિનીના આપઘાત મામલે પગલાં લેવા એબીવીપી દ્વારા માંગણી
- 26, જાન્યુઆરી 2022 01:30 AM
- 4260 comments
- 1029 Views
જૂનાગઢ, તમિલનાડુના થંજાવુરની ધોરણ ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. ત્યારે આ મામલે જૂનાગઢ એબીવીપીએ રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે,વિદ્યાર્થીનીને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરાતું હતું. આ માટે શારિરીક અને માનસિક ત્રાસ પણ અપાતો હતો જેનાથી કંટાળી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે.શાળાઓમાં શિક્ષણની આડમાં ધર્મપરિવર્તન કરાવાય છે. ત્યારે વિદ્યાર્થીને મરવા મજબુર કરનાર સેક્રેડ હાર્ટ હાયર સેકન્ડરી સ્કૂલ, થુંજાવુરની માન્યતા રદ કરવામાં આવે અને દોષિતો સામે કડક પગલાં ભરવાની એબીવીપીએ માંગ કરી છે.વધુ વાંચો -
વંથલીના સેંદરડા ગામે વાડીમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલના માતા-પિતાની હત્યા કરી ૭ લાખની લૂંટ
- 20, જાન્યુઆરી 2022 01:30 AM
- 3477 comments
- 763 Views
જૂનાગઢ, માતાપિતાને ઘરમાં એકલા મૂકીને નોકરી કરતા સંતાનો માટે લાલબત્તી સમાન કિસ્સો જૂનાગઢ શહેરમાં બન્યો છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલના માતાપિતાની હત્યા કરાઈ છે. ૭ લાખની લુંટ ચલાવી દંપતીની કરપીણ હત્યા કરાઈ છે. જૂનાગઢના વંથલી તાલુકાના સેંદરડા ગામે વાડી વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સેંદરડા ગામે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ વૃદ્ધ દંપતીની હત્યા કરી હતી. રાજાભાઈ જીલડીયા અને તેના પત્ની જીલુબેન જીલડીયાની ઘોર નિંદ્રામાં હતા ત્યારે અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હત્યા કર હતા.વૃદ્ધ દંપતી જ્યારે પોતાનાં ખેતરમા અવેલ ઘરમાં સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્શો દ્વારા ગળું દબાવીને માથા ભાગે બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી હતી. જેના બાદ ઘરમા રહેલ ૩ લાખ રોકડ અને સોનાંના દાગીના સહિત ૭ લાખની લુંટ ચલાવી હતી. ડબલ મર્ડરની ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. ડોગ સ્કોડ અને હ્લજીન્ ની મદદથી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે. વંથલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ડબલ મર્ડર ૩૦૨ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વંથલી તાલુકાના સેંદરડા ગામે રાજાભાઇ દેવદાનભાઇ જીલડિયા (ઉ. ૬૫) અને તેમના પત્ની જાલુબેન (ઉ. ૭૦) ટીનમસ જવાના રસ્તે સીમમાં આવેલી પોતાની જમીનમાં બનાવેલા મકાનમાં રહે છે. તેમની દીકરી કુંવરબેન જૂનાગઢમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ને દીકરો અશ્વિનભાઇ બાજુના ગામમાં ખેતી માટે ગયો હતો. વહેલી સવારે દૂધવાળો દૂધ આપવા આવ્યો ત્યારે તેણે જાેયુ કે રાજાભાઈ અને જાલુબેનનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. આ જાેઈ તેમણે તાત્કાલિક અશ્વિનભાઈ અને કુંવરબેનને જાણ કરી હતી. બંનેએ દોડી આવીને જાેયુ તો માતાપિતાનો મૃતદેહ પડ્યો હતો અને ઘરમાંથી દાગીના તેમજ રોકડા રૂપિયા ગાયબ હતા. ઉલ્લેખનીય છે કે, વાડીઓમાં એકલા રહેતા ખેડુતોમાં પણ લૂંટ અને હત્યાના બનાવથી ડરનો માહોલ છવાઇ ગયો છે. સતત આ પ્રકારે લૂંટના બનાવ વધી રહ્યાં છે. એકલા રહેતા વૃદ્ધ દંપતીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રા-હળવદ ના ધારાસભ્ય કોરોના પોઝિટીવ
- 11, જાન્યુઆરી 2022 01:30 AM
- 3142 comments
- 6766 Views
ધ્રાંગધ્રા, શહેરોમાં ધીરે-ધીરે કોરોના પોઝિટીવ કેસની સંખ્યામા વધારો થતો પણ દેખાય છે ત્યારે સામાન્ય લોકો સાથે રાજકીય તાયફા કરી સરકારી ગાઇડલાઇન્સનુ ઉલ્લંઘન સાથે કાયઁકરો કરતા રાજકીય નેતાઓ પણ હવે પોઝિટીવ આવ્યા છે જેમા ધ્રાગધ્રા-હળવદ ધારાસભ્ય પરશોતમ સાબરીયા કોરોના પોઝિટીવ આવતા ધારાસભ્યો પોતે જ ટ્વીટ કરી માહિતી જાહેર કરી હતી જેમા છેલ્લા ચારેક દિવસથી ધારાસભ્ય પરશોતમ બાબરીયાની તબીયત નાદુરુસ્ત હોય અને કોરોનાના લક્ષણો જણાતા પોતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રીપોટઁ પોઝિટીવ આવતા ધારાસભ્યે પોતે પોઝિટીવ હોવાનુ જાહેર કર્યું હતું.જૂનાગઢ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને માસ્ક પહેરાવ્યા જૂનાગઢ, હાલ કોરોના મહામારીની ત્રીજી લહેર આવી ગઇ છે. ત્યારે સંક્રમણથી બચવા માસ્ક પહેરવું જરૂરી છે. માસ્ક ન પહેરવાનો દંડ ૧,૦૦૦ છેે. પરંતુ સામાન્ય લોકો આ દંડની રકમ ભરી ન શકે. ત્યારે જૂનાગઢ પોલીસે શહેરના અનેક વિસ્તારોમાં ફરી લોકોને ફ્રિમાં માસ્ક પહેરાવી સાથે માસ્કનું ફ્રિમાં વિતરણ પણ કર્યું છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માસ્ક પહેરવા અંગે લોકોમાં જાગૃતિ આવે અને સામાન્ય મજૂરી કરતા લોકોને દંડ ભરવો ન પડે તે માટે ફ્રિમાં માસ્ક વિતરણ કરવા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના કરી હતી. બાદમાં એ ડિવીઝન, બી ડિવીઝન, સી ડિવીઝન સહીતના અધિકારીઓએ રિક્ષા ચાલકો, વાહન ચાલકો, ફ્રૂટ તેમજ અન્ય લારી વાળા, ગરીબો, મજૂરો, ફૂટપાથ પર રહેનારાને માસ્ક પહેરાવી, ફ્ર્રિમાં માસ્કનું વિતરણ કર્યું હતું.વધુ વાંચો -
વિરમગામ, સુરેન્દ્રનગરની જૈન સમાજની યુવતીઓએ જૂનાગઢની ૯૯ યાત્રા કરી
- 10, જાન્યુઆરી 2022 01:30 AM
- 6498 comments
- 6455 Views
જૂનાગઢ, વિરમગામ અને સુરેન્દ્રનગરની જૈન પરિવારની યુવતીઓએ જૂનાગઢની ૯૯ યાત્રા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે. જૈન ધર્મમાં તપનું વિશેષ મહત્વ રહ્યું છે. યુગપ્રધાન આચાર્ય સંઘ પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન હેમ વલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને શુભ નિશ્રામાં હાડ થીજવી નાખે તેવી ઠંડીમાં જૈન સમાજના ૩૦૦ યુવાન અને યુવતીઓ જૂનાગઢની ૯૯ યાત્રામાં જાેડાયા હતા. ૯૯ યાત્રા એટલે જુનાગઢ તળેટીથી નેમિનાથ જિનાલયના ચાર હજાર પગથિયા ચડીને જિનાલય પહોંચ્યા પછી ૧૦૮ વખત જિનાલયની પ્રદક્ષિણા, સહ સાવનના ૧૮૦૦ પગથિયા ઉતરવાના, ત્યારબાદ નેમિનાથ ભગવાનની દીક્ષા કલ્યાણક ભૂમિ પર ચૈત્યવંદન સહિતની ધાર્મિક વિધિ કરવાની સાથે યાત્રા દરમિયાન વિના ચંપલ ચાલવાનું અન્ન પાણીનો ત્યાગ કરવાનો હોય છે. ૩૦ દિવસ સુધી દરરોજ ૬૬૦૦ પગથિયા ચડવાના અને ઉતરવાના હોય છે. તળેટીમાં ઉતર્યા બાદ ઉકાળેલું પાણી અને એકાસણું કરવાનું હોય છે જેને ૯૯ યાત્રા કહેવાય છે. આવી કઠિન યાત્રામાં વિરમગામ જૈન પરિવારની ૨૧ વર્ષીય હેતવી સંજય કુમાર અને સુરેન્દ્રનગર જૈન પરિવારની ૨૪ વર્ષીય કોઠારી દેવાશ્રી વિજય કુમાર બંને યુવતીઓએ જુનાગઢ ગીરનારની ૩૬ દિવસની ૧૦૮ યાત્રા પૂર્ણ કરી પુણ્યનું ભાથુ બાથ્યું છે. વિરમગામ અને સુરેન્દ્રનગર જૈન સમાજ ગૌરવની સાથે આનંદની લાગણી અનુભવે છે.વધુ વાંચો -
તાલાલાના આંકોલવાડી ગામમાં સરકારી જમીનમાં ચાલતા ગેરકાયદેસર ખનન પર મામલતદારના દરોડા
- 09, જાન્યુઆરી 2022 01:30 AM
- 9188 comments
- 8411 Views
તાલાલા, ગીર સોમનાથના તાલાલા ગીર પંથકના આંકોલવાડી ગીર ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરી ખનીજ ચોરી થતી હોવાની માહિતીના આધારે મામલતદારે ટીમ સાથે દરોડો પાડ્યો હતો. ત્યારે તેમને જાેઈ ખનીજચોરો નાસી ગયા હતા, જેથી સ્થળ પરથી પથ્થર કાપવાની બે ચકરડીઓ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સૂત્રો અનુસાર જિલ્લાના તાલાલા તાલુકામાં ગીરના જંગલની બોર્ડર નજીક આવેલા આંકોલવાડી ગીર અને વાડલા ગીર ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનન કરી ખનીજની ચોરી થતી હોવાની તાલાલાના મામલતદાર દીશુભાઈ ગીડાને ફરિયાદ મળી હતી. જેના આધારે પોલીસ બંદોબસ્ત સાથે મામલતદાર, સર્કલ ઓફિસર, રેવન્યુ તલાટી મંત્રી સહિતની ટીમે ફરીયાદના સ્થળ ઉપર દોડી જઈ દરોડો પાડ્યો હતો. ત્યારે સરકારી જમીનમાંથી ચકરડી વડે ગેરકાયદેસર પથ્થર કાપી ખનીજ સંપત્તિની ચોરી થઈ રહ્યાનું સામે આવ્યું હતું. ટીમના દરોડાને પગલે ખનીજ ચોરી કરતા લોકો નાસી ગયા હતા. જેથી મામલતદારની ટીમે બનાવના સ્થળનું રોજકામ કરી પથ્થર કાપવાની બે ચકરડી કબજે કરી પોલીસને સોંપવાની કાર્યવાહી કરી હતી. આંકોલવાડી ગીર વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર ચાલતી કથિત પ્રવૃત્તિના કરેલા પંચનામા સાથે સરકારી જમીનમાંથી કેટલા પથ્થરની ચોરી થઇ છે તે અંગે જરૂરી તપાસ સાથે આગળની કાર્યવાહી કરવા મામલતદારે પકડી પાડેલી ખનન ચોરીનો અહેવાલ ભુસ્તર શાસ્ત્રીને મોકલવા તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે નોંધનીય છે કે, તાલાલા ગીર પંથક સહિત સમગ્ર જિલ્લામાં ઠેકઠેકાણે ગેરકાયદેસર રીતે બેરોકટોક તંત્રની રહેમ નજર હેઠળ ખનીજની ચોરી થઈ રહી છે.વધુ વાંચો -
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ૮૯૫એ દોટ મુકી
- 03, જાન્યુઆરી 2022 01:30 AM
- 3474 comments
- 5585 Views
જૂનાગઢ, તા.૫ ૩૬ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જાેમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા ૮૯૫ સ્પર્ધકોએ દોટ મુકી હતી. આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૪૧.૨૮ મીનીટના સમય સાથે મોરબી ખાતે પોલીસ બેડામાં ફરજ બજાવતા ભૂત પ્રિયંકા એ મેદાન માર્યું હતુ.સીનીયર ભાઈઓમાં જૂનાગઢના વિધાર્થી પરમાર લાલાભાઈએ ૫૭.૨૫ મીનીટના સમય સાથે ગિરનાર સર કર્યો હતો. જુનીયર બહેનોમાં ૪૦.૫૩ મીનીટના સમય સાથે પાટણની વિધાર્થીની પારૂલ વાળાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. જયારે જુનીયર ભાઈઓમાં બરોડા હાઈસ્કૂલના વિધાર્થી લલીતકુમાર નિશાદ ૫૯.૨૩ મીનીટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો. પવિત્ર ગિરનારની ભૂમીમાં સવારે ખુશનુમા વાતાવરણમાં ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો પશુપાલન અને ગૈા સંવર્ધન રાજયમંત્રી શ્રી દેવાભાઈ માલમ,મેયરશ્રી ધીરૂભાઈ ગોહેલ,નિવાસી અધિક કલેકટર શ્રી એલ.બી. બાંભણિયા,જિલ્લા પુરવઠા અધિકારી ગોવાણી,નાયબ કમિશ્નર લીખીયા,શૈલેષભાઈ દવે,ગીતાબેન પરમાર, અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી સાથે અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ફલેગ ઓફ થી પ્રારંભ કરાયો હતો. જયારે બહેનોની સ્પર્ધાનો ૯ કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે માળીયાહાટીના મિતલબેન ગુજરાતી, તૃતીય ક્રમે વેરાવળના નિશાબેન બામણીયા રહ્યા છે. જ્યારે સિનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે ચિત્રાસર ના સોમતભાઈ ભાઈ ભાલીયા, તૃતીય ક્રમે જૂનાગઢના અમિતભાઈ રાઠોડ રહ્યા છે. જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે માંગરોળના રોઝીનાબેન કાથુરીયા, તૃતીય ક્રમે દેલવાડાના હીનાબેન રાઠોડ રહ્યા છે. જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે ગીરગઢડાના દીપકભાઈ ડાભી અને તૃતીય ક્રમે સુત્રાપાડાના ચેતનભાઈ મેર રહ્યા હતા. વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ,પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, કોર્પોરેટર ભાવનાબેન, ગીતાબેન પરમાર, પૂર્વ મેયર આધ્યાશક્તિ બેન મજમુદાર, ગૌરવભાઈ રૂપારેલીયા મનોજભાઈ જાેશી, ગૌરવભાઇ, નાયબ કમિશનર લિખિયા, સહિતના પદાધિકારીઓ – અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા. આ તકે જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ, ગીરીશભાઈ કોટેચા અને પ્રદિપભાઇ ખીમાણીએ તમામ વિજેતા અને સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયે કર્યુ હતું. સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો,મીનરાજ સંકુલની વિધાર્થીનીઓ,રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યુ હતુ.વધુ વાંચો -
દેશના આર્થિક વિકાસમાં મહિલાઓનો સિંહફાળો હોવાનું જણાવતાં પાટીલ
- 28, ડિસેમ્બર 2021 01:30 AM
- 3267 comments
- 3650 Views
જુનાગઢ શનિવારના જુનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે નાતાલના દિને તેમજ અટલબિહારી વાજપેટીના જન્મદિને ૪૦ વિઘા જમીનમાં પથરાયેલી છે જેમાં ખેડુતો માટે વિશેષ સુવિધા આપવા કૃષિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. જે રૂા.૮ કરોડના ખર્ચે બનનાર આ ભવનનું ખાતમુહૂર્ત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.સાથે યોજાયેલી ખેડુતની શિબિરના પ્રારંભે યાર્ડના ચેરમેન કીરીટ પટેલે સ્વાગત કર્યુ હતું. એકી સાથે ૨૦૦ ખેડુતો રોકાઈ શકે તેવી વ્યવસ્ત સાથેનું કૃષિ ભવન બનાવાશે, ખેડુતોને સરકારી યોજનાનો લાભ મેળવવા સાથે કૃષિ ભવનમાં ખેડુતો સામાજીક પ્રસંગો પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ તકે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ખેતીની સાથે દૂધ ઉત્પાદન થકી શ્વેતક્રાંતિ લાવવા મહિલાઓનો સિંહફાળો રહ્યો છે. ગુજરાતનું ભવિષ્ય બહેનોના હાથમાં છે જેનાથી ગુજરાત સમૃધ્ધ થશે. ખેડુતોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે. દેશ દુનિયાનું પોષણ જગનો તાત ખેત જ કરે અનાજ પકાવી કરી રહ્યો છે. ખેડુતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળે અને ખેડુતોની આવક બમણી થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર કોઈ કચાસ રાખશે નહીં ખેડુતોના પાકને નુકશાન કરતા રખડતા ઢોર રાજડાનો ત્રાસ દુર કરવા આવનારા દિવસોમાં યોજના અમલી કરાશે. ખેડુતો પોતાના હકક અધિકારો મેળવવા પ્રતિબધ્ધ રહે અને વર્તમાન સરકાર ખેડુતોના હીત માટે તમામ પગલા ભરશે. પૂર્વ મંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા એ ફરતી અને પ્રકૃતિનું જતન કરવા ખેડુતોને આહવાન કરતા કહ્યું હતું કે ખેતીને સમૃધ્ધ બનાવવી તે ઈશ્વરીય કાર્ય છે ખેડુતોએ કોઈ ઉપર આધારીત રહેવાના બદલે જાતે ખેતી કરવાનો સમય પાકી ગયો છે. કુલપતિએ સમારોહમાં ભાજપનો ખેસ પહેરતા વિવાદઃ કોંગ્રેસની ડીસમીસ કરવા માંગ જુનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલા ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝાફડીયા સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયેલ મેગા ખેડુત શિબિરમાં જુનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ ડો. નરેન્દ્રકુમાર કે. ગોંટીયા સ્ટેજ ઉપર બેઠા હતા તેઓએ પણ સી.આર. પાટીલના ફોટા વાળો ખેંચ ગળે પહેર્યો હતો. અન્ય પદાધિકારીઓની સાથે તેઓ પણ ખેસમાં સજજ હતા તેની ચર્ચા જાગી હતી. આ બાબતે શહેર કોંગ્રેસ મહામંત્રી બી.ટી. ગીડાએ ભાજપનો ખેસ પહેરનાર જુનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિને ડીસમીસ કરવા કૃષિ વિભાગના અગ્રસચિવને રજુઆત કરી છે.વધુ વાંચો -
ગીરના જંગલમાંથી પસાર થતી ટ્રેનની ગતિ નિયંત્રણમાં રાખવાની માંગણી
- 21, ડિસેમ્બર 2021 01:30 AM
- 1936 comments
- 5469 Views
જુનાગઢ, ગિર જંગલમાં એશિયાટીક સિંહોના ટ્રેન અકસ્માત નીવારવા માટે વન વિભાગ સાથે તાલમેલ કરીને ટ્રેનની અવરજવર ઉપર ગતિ નિયંત્રણ સહિતના પગલા ભરવાનું વેસ્ટર્ન રેલવે મહાપ્રબંધક અલોક કંસલે જુનાગઢની મુલાકાતમાં જણાવ્યું હતું. જુનાગઢ વાયા સાસણ વેરાવળથી દેલવાડા સુધીની ટ્રેન મીટર ગેજ જંગલમાંથી પસાર થાય છે. જેમાં મુસાફરો જંગલની મજા લઇ શકે તે પાતાલકુંજ-કલાદાંડીમાં ચાલતી હેરીટેજ ટ્રેન જેવા કોચ જાેડી શકાય તે માટે વિચારણા કરવાની વાત થઇ હતી. રેલવે દ્વારા ચાલતા વિકાસના કામો સોમનાથ, માળીયા, કેશોદ સહિતના કામોનું ભાવનગર ડીઆરએમમાં માસુક અહમદ, રેવવે અધિકારીઓની ટીમે નિરીક્ષણ કર્યું હતું. પત્રકારોને જણાવ્યું હતું કે ગીર જંગલના આસપાસ વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનની ગતિમાં નિયંત્રણ રાત્રિના સમયે મોટા કોચ બનાવી જાેડી શકાય તે દિશામાં આગળ વધીશું તેમ જણાવ્યું હતું.વધુ વાંચો -
કલેક્ટર સહિત બાઇકસવારો રેલીમાં જાેડાયા
- 19, ડિસેમ્બર 2021 01:30 AM
- 4918 comments
- 1399 Views
જૂનાગઢ, ઐતિહાસિક નગરી જૂનાગઢમાં આંગણે મિશન સફાઇ વિઝન ટુરીઝમના ધ્યેય સાથે જિલ્લા વહિવટીતંત્ર જૂનાગઢ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર રચિત રાજ સહિત ૧૭૦ થી વધુ બાઇક સવારો જાેડાયા હતા. ટુરિઝમને પ્રમોટ કરવા સાથે સ્વચ્છતાનો સંદેશો જન-જન સુધી ગુંજતો કરવા આ રેલી યોજવામાં આવી છે. તેમ આ તકે જણાવી જિલ્લા કલેક્ટરે કહ્યું કે,આ રેલી શરૂઆત છે. ગિરનાર પર્વત, ગીરનું જંગલ, એશિયાટીક લાઇન, રોપ-વે, અંબાજી મંદિર, સાસણ ગીર સહિતના જગ વિખ્યાત સ્થળો સહિત ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોથી જૂનાગઢ જિલ્લો સમૃધ્ધ છે. આ બધાના સમન્વય થકી જૂનાગઢને પ્રવાસન હબ બનાવવા આપણે સૌએ સહિયારો પુરૂષાર્થ કરવાનો છે. અને જૂનાગઢના વિકાસમાં સહભાગી બનવાનું છે. બાઇક રેલી કલેક્ટર કચેરી ખાતેથી કાળવા ચોક, ગીરનાર દરવાજા, ભવનાથ મંદિર થઇ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ભવનાથ ખાતે સમાપન થયુ હતું. અહિં કલેક્ટર સાથે અધિક નિવાસી કલેક્ટર એલ.બી.બાંભણીયા, જૂનાગઢ પ્રાંત અધિકારી અંકિત પન્નુ, વંથલી પ્રાંત અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી એન.ડી.ગોવાણી, આર.ટી.ઓ. સોલંકી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.એન. સરવૈયા સહિત ફોરેસ્ટ, પોલીસ તથા અન્ય કચેરીના અધિકારી, કર્મચારીઓ રેલીમાં તેમજ સફાઇ અભિયાનમાં જાેડાયા હતા.વધુ વાંચો -
ઉનાના નવાબંદર પર તોફાનમાં લાપત્તા થયેલા વધુ એક માછીમારનો મૃતદેહ મળ્યો સાંસદનું સ્થળ નિરીક્ષણ
- 04, ડિસેમ્બર 2021 01:30 AM
- 5804 comments
- 7651 Views
જૂનાગઢ, ગીર સોમનાથના ઉનાના નવાબંદરમાં બે દિવસ પૂર્વે રાત્રીના ફુંકાયેલ તોફાની પવનના લીઘે સર્જાયેલ તારાજીમાં લાપતા ૭ માછીમારોની શોઘખોળમાં વઘુ એક માછીમારોનો મૃતદેહ આજે સવારે તંત્રની ટીમને મળી આવ્યો છે. જેથી આ તારાજીની ઘટનામાં કુલ બે માછીમારોના મૃતદેહો અત્યામર સુઘીમાં મળી આવ્યાર છે. હજુ પણ લાપતા ૬ જેટલા માછીમારોની શોઘખોળ એનડીઆરએફ, કોસ્ટ્ગાર્ડ, નેવી અને મરીન પોલીસની સંયુકત ટીમ કરી રહી છે.ઘટનાને લઇ ગઇકાલથી જ તંત્રએ કોસ્ટ ગાર્ડના હેલીકોપ્ટમર અને વેસલ બોટ તથા નેવીના ચોપર પ્લેમન મારફત રેસ્કનયુ ઓપરેશન કરી લાપતા બોટો અને માછીમારોની શોઘવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં ચાર માછીમારોને જીવિત બચાવી લીઘેલ જયારે જળસમાઘિ લીઘે પાંચ બોટોનો કાટમાળી તંત્રની ટીમને મળી આવ્યોવ હતો. જયારે ગઇકાલે મોડીસાંજે લાપતા ૮ માછીમારોની શોઘખોળ દરમ્યાન શોહીલ રહેમાન શેખ (ઉ.વ.૨૨) નામના માછીમારનો મૃતદેહ મળી આવેલ હતો. ગઇકાલે મોડીસાંજે ૨૫ સભ્યો ની એનડીઆરએફની ટીમ નવાબંદર પહોંચી હતી. એનડીઆરએફ, કોસ્ટા ગાર્ડ, નેવી, મરીન પોલીસની સંયુકત ટીમોએ હેલીકોપ્ટીર, વેસલ હોડી અને બોટો મારફત લાપતા ૭ માછીમારો તથા પાંચ બોટોની રાતભર શોઘખોળ કરી હતી. જેમાં વ્હેકલીસવારે નવાબંદરના માછીમાર રામુભાઇ દેવાભાઇ બાંભણીયા (ઉ.વ.૪૪)નો મૃતદેહ બંદરમાં જેટી પાસેથી ટીમને આવેલ હતો. જેથી મૃતદેહને પીએેમ અર્થે ઉના સરકારી હોસ્પીાટલએ ખસેડવામાં આવેલ છે. જયારે નવાબંદરમાં થયેલ તારાજીના કારણે ફીશીગ બોટો, માછીમારોને અને બંદરને થયેલ નુકસાનીની વિગતો એકત્ર કરવા માટે ફીશરીઝ વિભાગની ટીમએ પણ મુલાકાત લઇ કાર્યવાહી હાથ ઘરી હોવાનું જાણવા મળેલ છે. સવારે સાંસદ રાજેશભાઇ ચુડાસમા નવાબંદરમાં સર્જાયેલ તબાહીની પરિસ્યિવાતિનો તાગ મેળવવા નવાબંદર પહોચ્યાસ હતા. જયાં સાંસદે બંદરના અસરગ્રસ્ત્ વિસ્તાનરોનું રૂબરૂ સ્થતળ નિરીક્ષણ કર્યુ હતુ. નવાબંદરના માછીમાર સમાજના આગેવાનોને મળી નુકસાનીની વિગતો જાણી સરકાર તરફથી પુરી સહાય અપાવવાનું આશ્વાસન આપ્યુો હતુ.વધુ વાંચો -
લોકો મુંઝવણમાં મુકાયાઃકોરોના મૃત્યુ સહાયમાં સિટીસ્કેન પુરાવા તરીકે અમાન્ય
- 04, ડિસેમ્બર 2021 01:30 AM
- 7479 comments
- 9130 Views
જૂનાગઢ, સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામનાર લોકોનાં પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સહાય જાહેર કરાય છે. અને અનેક લોકોને સહાયની ચૂકવણી પણ થઈ ચૂકી છે. જાે કે, ફોર્મમાં કોઈ અપડેશનને લઈ જૂના ફોર્મ ન સ્વિકારાતા હોય. જેથી લોકોને ફરી નવા ફોર્મ ભરી કચેરીએ જમા કરાવવા જવું પડી રહ્યું છે. ત્યારે જ અમુક લોકોએ સોશ્યલ મિડીયામાંથી મેળવેલું ફોર્મ પણ ચાલતું નથી. ત્યારે જ કેશોદની વાત કરીએ તો લોકો કેશોદ મામલતદાર કચેરીએથી ફોર્મ લાવ્યા હતા. જાે કે, નવું અપડેશન આવતા તાલુકા હેલ્થ ઓફિસે ફોર્મ સ્વિકારાયા ન હતા. અને નવા ફોર્મ ભરવાની નોબત આવી હતી. આ અંગે તાલુકા હેલ્થ ઓફિસરે કહ્યું હતું કે, આવા પ્રકારનાં ફોર્મ મામલતદાર કચેરી, તાલુકા હેલ્થ ઓફિસ તેમજ વેબસાઈડ પરથી મળશે. આ માટે આરપીટીપીસીઆર અને એન્ટીજન રિપોર્ટ હોવો જરૂરી છે. જ્યારે જાે કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય. તો ૪ નંબર અને સારવાર દરમિયાન કોરોના દર્દીનું ઘરે મોત થયું હોય તો ૪-એ ફોર્મ જાેડવું ફરજીયાત છે. જાે કે, સીટીસ્કેન રિપોર્ટ માન્ય રખાતો નથી. જ્યારે બીજી બાજુ ૨૭ કોરોના દર્દી જે મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારને સહાય મળવા પાત્ર છે. તેમનું લીસ્ટ તાલુકા કચેરીએ પહોંચી ગયું છે. જાે કે, હાલમાં જે ફોર્મ સ્વિકારાય છે. તેમને પણ ઠરાવ થઈ ગયો હોવાનું જાણવા મળે છે.વધુ વાંચો -
વેરાવળથી હેલિકોપ્ટરમાં જાન લઈ વરરાજાઓ તાલાલા પરણવા પહોંચ્યા
- 04, ડિસેમ્બર 2021 01:30 AM
- 1844 comments
- 8225 Views
જૂનાગઢ, ગીર સોમનાથના વેરાવળ પંથકમાં આહીર સમાજના આગેવાનના બે પુત્રનો રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં બન્ને વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈ પરણવા પહોંચ્યા હતા. ગીર સોમનાથમાં હેલિકોપ્ટરમાં જાન આવી હોય એવો આ પ્રથમ કિસ્સો હતો, જેમાં વેરાવળ તાલુકામાંથી વરરાજાની જાન ઊપડી તાલાલા તાલુકામાં ઉતરાણ કરી માંડવે પહોંચી હતી. જિલ્લા મથક વેરાવળ તાલુકાના આજાેઠા ગામે રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો. એમાં આજાેઠા ગામના આહીર સમાજના અગ્રણી નાથુ સોલંકીના બે પુત્રનો શાહી લગ્નોત્સવ ઊજવાયો હતો. બન્ને વરરાજાની જાને આજાેઠાથી હેલિકોપ્ટર મારફત પાડોશી તાલાલા ગીરના ઘૂસિયા ગામમાં શૈક્ષણિક સંકુલના ગ્રાઉન્ડમાં ઉતરાણ કર્યું હતું. ત્યાં બન્ને વરરાજા જાન સાથે ધાવા ગીર ગામે લગ્નસ્થળે પહોંચ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં હેલિકોપ્ટરમાં વરરાજા પરણવા આવ્યા હોય એવો આ પ્રથમ કિસ્સો હતો. આ રજવાડી લગ્નોત્સવમાં સામેલ થયેલા આહીર સમાજના પરિવારો પારંપરિક પહેરવેશ સાથે મંગલ પરિણયમાં સહભાગી થયા હતા. જ્યારે રાસ-ગરબાની રમઝટમાં ગમન સાંથલ, ગીતા રબારી, જિજ્ઞેશ કવિરાજ, દિવ્યા ચૌધરી, ઉર્વશી રાદડિયા, નારાયણ ઠાકર સહિતના ખ્યાતનામ કલાકારોએ રંગત જમાવી હતી. આ લગ્નોત્સવમાં હેલિકોપ્ટરમાં વરરાજાના પ્રયાણને લઈ લોકોમાં અનેરો રોમાંચ જાેવા મળ્યો હતો. રજવાડી ઠાઠ સાથેની જાનને જાેવા હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્રામજનોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં હેલિકોપ્ટરમાં જાન જાેડાતાં નાનાં ભૂલકાંમાં અનેરો રોમાંચ જાેવા મળ્યો હતો.વધુ વાંચો -
ગીર- સોમનાથના ૨૦ માછીમારો વતન પરત ફર્યા ઃપરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા
- 19, નવેમ્બર 2021 01:30 AM
- 4522 comments
- 1653 Views
જૂનાગઢ, પાકિસ્તાન દ્વારા પોતાની જેલમાં બંધ ૨૦ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવતા તમામ માછીમારો વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. જેઓ ગુરૂવારના રોજ માદરે વતન વેરાવળ આવી પહોંચ્યા હતા. બે-ત્રણ વર્ષ સુધી પરિવારથી દૂર રહેલા માછીમારોને જાેતા જ તેના પરિવારજનો તેઓનો ભેટી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. માછીમારોએ લાંબો સમય જેલમાં રહ્યા બાદ માદરે વતન પરત ફર્યાનો આનંદ વ્યકત કર્યો હતો. પાકિસ્તાની જેલમાં બંધ પોતાના સાથીઓને વહેલીતકે મુક્ત કરાવવાની માગ પણ કરી હતી. પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય માછીમારો પૈકીના ૨૦ માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામા આવ્યા હતા. આ તમામ માછીમારોની વાઘા-અટારી બોર્ડર પર ભારતને સોંપણી કરવામા આવી હતી. ભારત પરત ફર્યા બાદ ફિશરિઝ વિભાગના માધ્યમથી આ તમામ માછીમારો આજે માદરે વતન વેરાવળ પરત પહોંચ્યા હતા. જે ૨૦ માછીમારો પરત ફર્યા છે તેમાં ૧૯ ગીર સોમનાથના અને ૧ પોરબંદરનો રહેવાસી છે. નવાબંદરનો એક માછીમાર ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતો. જ્યારે બાકીના માછીમાર બેથી ચાર વર્ષ સુધી પાકિસ્તાની જેલમાં બંધ હતા. પાકિસ્તાની મરીન દ્વારા ગીર સોમનાથના માછીમારોનું અપહરણ કરાયા બાદ કોઈ બે વર્ષથી તો કોઈ ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતું. તમામના પરિવારજનો પોતાના પરિજન પાકિસ્તાનની જેલમાંથી પરત આવે તેની રાહ જાેઈ રહ્યા હતા. ગુરૂવારના રોજ ૨૦ માછીમારો વેરાવળ પરત ફરતા જ તેના પરિવારજનો પોતાના સ્વજનને ભેટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જેના કારણે સ્થળ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.સૌ કોઈની આંખો ભીની થઈ ગઇ હતી. ગીર સોમનાથના ૧૯ અને પોરબંદર જિલ્લાનો ૧ માછીમાર પાકિસ્તાની જેલમાં યાતના ભોગવી માદરે વતન પરત ફરતા તેમના અને તેમના પરિવારજનોમાં આનંદ જાેવા મળતો હતો. પરંતુ, જે માછીમારો પરત ફર્યા છે તેઓને દુઃખ એ વાતનું છે કે, હજી પણ તેના ૫૮૦ જેટલા સાથીઓ પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે.વધુ વાંચો -
મોડી રાત સુધીમાં ૫૦ હજાર ભાવિકો ભવનાથ પહોંચી ગયા
- 16, નવેમ્બર 2021 01:30 AM
- 9862 comments
- 2204 Views
જુનાગઢ, ગરવા ગિરનારની લીલી પરિક્રમાને તંત્ર દ્વારા છેલ્લી ઘડીએ શરતી મંજૂરી આપતા મોડી રાત સુધીમાં ૫૦ હજાર જેટલા ભાવિકો ભવનાથ પહોંચી ગયા હતા. મોડી રાત્રે સાધુ સંતો અને વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં પરિક્રમાનો પ્રારંભ થયો હતો.જૂનાગઢ ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા અતિ કઠિન માનવામાં આવે છે. ગિરનાર ફરતે ૩૬ કિલોમીટર ચાલીને ત્રણ રાત્રિનું રોકાણ થાય છે. વર્ષોથી વહીવટી તંત્ર દ્વારા ૧૫ દિવસ અગાઉ તૈયારીઓ કરવામાં છે. પણ આ વર્ષે તંત્ર દ્વારા પહેલા માત્ર ૪૦૦ લોકો પરિક્રમા કરશે તેવી છૂટ આપવામાં આવી હતી. સામાજીક સંસ્થાની સાથે અનેક આગેવાનોએ પરિક્રમા થવી જાેઈએ તેવી ધારદાર રજૂઆત કરતા અંતે છેલ્લી ઘડીયે ભાવિકોને પરિક્રમા કરવાની છૂટ અપાઈ હતી. આ સમાચાર મળતા જ ભાવિકોનો ઘસારો ભવનાથ તરફ જાેવા મળ્યો હતો અને મોડી રાત સુધીમાં ૫૦ હજાર જેટલા ભાવિકો પરિક્રમા રૂટ ઉપર જાેવા મળ્યા હતા. ગિરનાર જંગલના પરિક્રમા રૂટ પર કોઈ પણ જાતની સુવિધા ઉભી કરવામાં આવી નથી. ભક્તો માટે લાઈટ, પાણી, ભોજન અને રસ્તા સહિતની સુવિધાનો અભાવ છે. જેના લીધે પરિક્રમા કરવા આવતા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. દેવ દિવાળી અને અગ્યારશથી વર્ષોની પરંપરા મુજબ ગિરનાર પરિક્રમા મધ્ય રાત્રિએ ૧૨ વાગે શરૂ થાય છે. ત્યારે ગિરનાર તીર્થ ક્ષેત્રના સાધુ સંતો અને વહીવટી તંત્ર અધિકારીઓ અને પદાઅધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ તળેટી પરિક્રમાના રૂપાયતન ગેટ પાસે દીપ પ્રાગટ્યની સાથે રીબીન કાપીને શ્રીફળ વધેરી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે ગિરનાર તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંત ઇન્દ્રભારતી બાપુના કહેવા મુજબ, સરકાર દ્વારા કોરોનાને ધ્યાને લઈને પરિક્રમાને મંજૂરી આપી છે. જેમાં વેહલી સવાર ૪ થી ૮ વાગ્યા સુધીમાં ૪૦૦-૪૦૦ ની સંખ્યામાં ભાવિકોને જવા દેવામાં આવશે. સાધુ સંતોએ સરકાર અને તંત્રને રજૂઆત કરતા અંતે જે રીતે મંજૂરી આપવામાં આવી છે તે જ રીતે પરિક્રમા યોજાશે. તો બીજી તરફ પરિક્રમા રૂટ ઉપર કોઈ પણ જાતની સુવિધા ઉભી કરવામાં નથી આવી. સાધુ સંતો દ્વારા જે બને તેટલી સુવીધા ઉભી કરવામાં આવી છે. વૃદ્ધોએ ખાસ ધ્યાનથી પરિક્રમા કરવી અને આ વર્ષે પરિક્રમા કરવા આવેલ ભાવિકોને મુશ્કેલી પડે તો માફી માંગીયે છે. જૂનાગઢમાં યોજાતી લીલી પરિક્રમા કરવા પ્રતિ વર્ષ ૮ થી ૧૦ લાખ લોકો દેશભરમાંથી ઉમટી પડતા હોય છે. પરંતુ આ વર્ષે પણ કોરોનાની અસર ઓછી થતા ઘણા ભાવિકો પરીક્રમા યોજાશે તેવા હેતુથી પહેલા જ આવી ગયા હતા અને ત્યારબાદ ગણતરીના કલાકો બાકી હતા ત્યારે પરિક્રમા થશે તેવા સમાચાર મળતા ભક્તોનું ઘોડાપૂર ભવનાથ તળેટી તરફ જાેવા મળ્યું હતું. અનેક ભાવિકો કોઈ પણ સુવિધા વગર પોતાનું ભોજન સાથે લાવીને પણ પરિક્રમા કરવા તૈયાર છે.વધુ વાંચો -
હવે ૪૦૦-૪૦૦ લોકોના જૂથમાં શ્રદ્ધાળુઓને પરિક્રમા કરવાની છુટ
- 15, નવેમ્બર 2021 01:30 AM
- 9545 comments
- 3320 Views
જૂનાગઢ, કોરોનાના કારણે સતત બીજા વર્ષે સામાન્ય લોકો માટે ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવામા આવી હતી. તેમ છતા રવિવારના રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી જતા હોબાળો મચ્યો હતો. તંત્ર દ્વારા પહેલા ફક્ત સાધુ-સંતો માટે પ્રતિકાત્મક પરિક્રમાને જ મંજૂરી આપવામા આવી હતી. પરંતુ, શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખી અંતે સામાન્ય લોકોને પણ ૪૦૦-૪૦૦ના જૂથમાં પરિક્રમા કરવા માટેની મંજૂરી આપવામા આવતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી છવાઈ હતી. જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિઘ્યે્ વર્ષોથી યોજાતી લીલી પરિક્રમા ચાલુ વર્ષે કોરોનાની ગાઇડલાઇન મુજબ માત્ર ૪૦૦ જેટલા સાઘુ-સંતો માટે સમિતિ પ્રતિકાત્મરક રીતે કરવાની તંત્રએ છુટ આપી હતી. જેને લઇ શ્રઘ્ઘાધળુઓમાં ભારોભાર રોષ જાેવા મળ્યો હતો. આજે મઘ્યએરાત્રીથી લીલી પરીક્રમા શરૂ થાય તે પૂર્વે જ રવિવારના સવારથી ગીરનાર તળેટી વિસ્તાોરમાં પરીક્રમાના રૂટ પર પ્રવેશવાના ઇટવા ગેઇટ પાસે દૂર દૂરથી આવી રહેલ શ્રઘ્ઘોળુઓ મોટી સંખ્યામાં એકત્ર થઇ રહ્યા હતા. બપોરના બારેક વાગ્યાાથી પરિક્રમા કરવાની માંગ સાથે પરિક્રમાર્થીઓ સતત હોબાળો મચાવી રહ્યા હતા. પરિસ્થિતિ વણસે નહીં તેને ઘ્યાંને લઇ તંત્ર દ્રારા સ્થાળનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને બહારની પોલીસ ભવનાથમાં બોલાવી બંદોબસ્તા તૈનાત કરવામાં આવ્યોો હતો.વધુ વાંચો -
વિસ્ફોટક જીલેટીન સ્ટીકના કેસમાં માણાવદર પંથકના શખસની અટકાયત
- 11, નવેમ્બર 2021 01:30 AM
- 4791 comments
- 3806 Views
જૂનાગઢ, જૂનાગઢના બીલખા રોડ પર આવેલી આઈ.જી.કચેરીની દિવાલ પાસે ફુલઝાડના ક્યારામાંથી ૨૬ વિસ્ફોટક જીલેટીન સ્ટીક મળી આવી હતી. આ સ્ટીક ભરેલી થેલી આઈ.જી.કચેરીના સ્ટાફના ધ્યાનમાં આવતા એફએસએલ અને એલસીબીને જાણ કરવામાં આવી હતી. માણાવદર પંથકના કતકપરા ગામના શખસ સામે ગેરકાયદેસર વિસ્ફોટક સ્ટીક રાખવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં બીલખા રોડ પર આવેલી ડી.આઈ.જી.પી. કચેરી પાસે ફુલઝાડના ક્યારામાંથી ગત તારીખ ૩૧ ના બપોરના સમયે એક કાળા કલરની થેલીમાં શંકાસ્પદ વસ્તુ પડી હોવાની જાણ થતા સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જે. રામાણીએ છ ડિવિઝન પોલીસ અને એલસીબીને જાણ કરી હતી. બાદમાં એફએસએલ અને બામ્બ ડિસ્પોઝીબલ સ્કવોડને બોલાવવામાં આવી હતી. આ થેલીમાં તપાસ કરતા તેમાંથી ૨૬ જેટલી વિસ્ફોટક જીલેટીન સ્ટીકો મળી આવી હતી. જેને લઈ ચકચાર મચી ગઈ હતી.આ મામલે છ-ડીવીઝન, એલસીબી, એસઓજીના સ્ટાફે આસપાસના સીસીટીવીની તપાસ કરતા જીજે ૯ એન ૬૮૮૦ નંબરના બાઈક પર આવેલો એક શખસ બાલાભાઈ હમીરભાઈ પાસે રાખી જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બાઇક નંબરના આધારે તપાસ કરતા આ શખસ માણાવદર તાલુકાના કતકપરા ગામનો અનિલ ઉર્ફે લખન મોહન સોલંકી (ઉ.વ.૩૧ ) હોવાનું ખુલ્યું હતું. જે આજે મળી આવતા એલસીબીએ તેને હસ્તગત કરી તેનું બાઈક કબ્જે કર્યું હતું. તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પોતે કુવા ગાળવાનું કામ કરે છે અને આ કામ દરમિયાન આ વિસ્ફોટક જીલેટીન સ્ટીક ચોરી છુપીથી ગેરકાયદેસર રીતે મેળવી વેંચવા માટે લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. આ મામલે એલસીબીના પીઆઇ એચ.આઈ. ભાટીએ જણાવ્યું કે, અનિલ ઉર્ફે લખન કુવા ગાળવાનું કામ કરે છે. તેના માટે તેણે ગેરકાયદે રીતે આ જીલેટીન વિસ્ફોટક સ્ટીકો મેળવી હતી. તા.૩૦ ના તે સ્ટીક લઈ જૂનાગઢ આવ્યો તે સમયે પથરીનો દુઃખાવો ઉપડતા આઇજીપી કચેરી નજીક લારીવાળાને ત્યાં મૂકી બતાવવા અર્થે દવાખાને ગયો હતો. જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો હોવાથી તે પરત લેવા ન આવતા લારીધારકે આ સ્ટીક ફુલઝાડના ક્યારામાં રાખી બાજુમાં રહેલા લોકોને કોઈ થેલી લેવા આવે તો આ ક્યારામાં રાખી છે તેમ કહ્યું હતું. પરંતુ બીજા દિવસે આ થેલી આઇજીપી કચેરીના સ્ટાફના ધ્યાનમાં આવી ગઈ હતી. આ અંગે એલસીબીના પીઆઈ ભાટીએ કતકપરાના અનિલ ઉર્ફે લખન મોહન સોલંકી સામે ગેરકાયદેસર મેળવેલી ૨૬ વિસ્ફોટક સ્ટીકો જાેખમરૂપ હોવાનું જાણવા છતાં પોતાની પાસે રાખી અને બાલભાઈ હમીરભાઈ પાસે મૂકી ઈરાદાપૂર્વક બેદરકારી દાખવી હોવાની ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલો સ્પષ્ટ થઈ જતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.વધુ વાંચો -
વંથલીમાં ૫ાંચ વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતાં પરિવારમાં માતમ
- 30, ઓક્ટોબર 2021 01:30 AM
- 4250 comments
- 8168 Views
જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વસપડા ગામની સીમમાં મજૂરીકામ કરતો એક પરિવાર રાત્રે વાડીએ આવેલા ગોડાઉનમાં સૂતો હતો. ત્યારે દરવાજાે અડધો ખુલ્લો રહી જતાં એક દીપડો અંદર ચડી આવી શ્રમિક માતાના પડખામાં ઊંઘી રહેલા પાંચ વર્ષના બાળકને ઉપાડી ગયો હતો. પરિવાર જાગી જતાં બુમારાણ મચી જવા પામી હતી, પરંતુ દીપડો બાળકને ઉપાડી નાસી ગયો હતો. આજે શુક્રવારે વહેલી સવારે દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવતાં શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું હતું. આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી હોવાથી સત્વર દીપડાને પાંજરે પૂરવાની માગ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણવા મળેલી વિગત મુજબ, મૂળ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાતા ગામના મિનેશભાઈ સોમાભાઇ ચરપોટ અને તેમના ભાઈ મનહરભાઈ ચરપોટ, પત્ની અને બાળકો સાથે ૧૫ દિવસ પહેલાં વંથલી તાલુકાના વસપડા ગામની સીમમાં દીપકભાઈ પટોળિયાની વાડીએ મજૂરીકામ અર્થે આવ્યાં હતા. ગઈકાલે ૨૮ ઓક્ટોબરની રાતે આ પરિવાર મજૂરીકામેથી આવી જમ્યા બાદ દીપકભાઇની વાડીના ગોડાઉનમાં ઊંઘી ગયો હતો. મનહરભાઈનો પાંચ વર્ષનો પુત્ર યોગેશ તેની માતા રમીલાબેનના પડખામાં પરિવારજનો સાથે ઊંઘી રહ્યો હતો. એ સમયે ગોડાઉનનો અડધો દરવાજાે ખુલ્લો રહી ગયો હોવાથી રાત્રિના પોણાબારેક વાગ્યા આસપાસ સીમમાંથી એક દીપડો ચડી આવ્યો હતો. દીપડો અડધા ખુલ્લા દરવાજામાંથી ગોડાઉનની અંદર ઘૂસી જઈ માતાના પડખામાં ઊંઘી રહેલા પાંચ વર્ષના માસૂમ યોગેશને ઉપાડી ગયો હતો. એ સમયે અવાજ થતાં શ્રમિક પરિવાર જાગી જતાં રાડારાડ કરી મૂકી હતી, પરંતુ દીપડો યોગેશને ઉપાડી દીપકભાઈના ખેતરની આગળ મીઠાપુર ગામની સીમ તરફ જતો રહ્યો હતો.આ અંગે મિનેશભાઇએ ખેતરમાં પાણી વાળતા વાડીના માલિક દીપકભાઈને જાણ કરતાં તેમણે આવી સરપંચને ફોન કરી બોલાવી વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ, શ્રમિક પરિવાર અને અન્ય ગ્રામજનોએ માસૂમ યોગેશની શોધખળ હાથ ધરી હતી. દરમિયાન વહેલી સવારે સાડાછ વાગ્યા આસપાસ વસપડાની સીમમાંથી યોગેશનો મૃતદેહ મળ્યો હતો, જેને પગલે શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. માસૂમ પાંચ વર્ષના યોગેશનાં આંતરડાં બહાર નીકળી ગયાં હતાં અને માથા, ગળા તેમજ ડાબા પગમાં ગંભીર ઇજા થઈ હતી. બાદમાં આ બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો. આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય પ્રસરી ગયો હોવાથી ખૂનખાર દીપડાને સત્વર પકડીને કેદ કરવાની માગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી, જેથી વન વિભાગના સ્ટાફે વાડી આસપાસ પાંજરાં મૂકી આદમખોર દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે.વધુ વાંચો -
હળવદમાં એક જ દિવસમાં હડકાયા કૂતરાએ ૨૩ લોકોને બચકાં ભર્યા
- 29, ઓક્ટોબર 2021 01:30 AM
- 4469 comments
- 7292 Views
મોરબી, મોરબી જિલ્લાના હળવદ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે જ હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો છે. આજે ગુરૂવારે એક જ દિવસમાં હડકાયા કુતરાએ ૨૩ લોકોને બચકાં ભરી લેતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ સુવિધા વગરની હળવદ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોવાથી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટેના ઇન્જેક્શન માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર દોડવું પડ્યું હતું.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે ગુરૂવારે હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા વિસ્તારમાં હડકાયા કૂતરાએ રીતસરનો આતંક મચાવી એક પછી એક એમ ૨૩ લોકોને બચકાં ભરી લીધા હતા. જેને લઈ આ વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. હડકાયા કૂતરાના આતંકના લીધે આસપાસના વિસ્તારના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.હળવદ સરકારી હોસ્પિટલમાં દશેરાના દહાડે જ ઘોડું ન દોડે ઉક્તિ મુજબ હડકવા વિરોધી રસીનો સ્ટોક જ ઉપલબ્ધ ન હોય મોટા પ્રમાણમાં હડકાયા કૂતરાનો ભોગ બનેલા લોકો સારવાર માટે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પરંતું હોસ્પિટલમાં હડકવા વિરોધી રસીનો પૂરતો સ્ટોક જ ન હોય લોકોને પોતાના ખર્ચે અને જાેખમે સારવાર કરાવવા માટે મોરબી અને સુરેન્દ્રનગર તરફ દોટ મુકવી પડી હતી.વસાપડા ગામે માતા પાસે સુઇ રહેલા બાળકને દીપડાએ ફાડી ખાધો જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં દીપડાના આતંક વધતો જાય છે. હાલ રવિ સીઝનનો પ્રારંભ થયો હોવાથી ખેડુતો સીમ-વાડીમાં કામ કરી રહ્યા છે. ત્યારે દીપડાના આતંકથી ખેડુતો ડરી રહ્યા છે. તાજેતરમાં વંથલીના વસાપડા ગામની સીમમાં દીપડાએ ૫ વર્ષના માસૂમ બાળકને ફાડી ખાદ્યો હતો. દાહોદનો શ્રમિક પરિવાર કામ અર્થે વસાપડા ગામે આવ્યો હતો. રાત્રે ઘરનો દરવાજાે ભૂલથી ખુલ્લો રહી ગયો હતો. ૫ વર્ષનો માસૂમ યોગેશ માતા પાસે સૂતો હતો. તે દરમિયાન દીપડો ઘરમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને બાળકને ઢસડીને બહાર લઈ જઈ તેના પર હુમલો કર્યો હતો. જેમાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો છે. જ્યારે દીપડાને પકડવા વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ ઘટનાને લઈ ગામમાં ભયની સાથે આક્રોશનો માહોલ જાેવા મળ્યો છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, આશરે ૩ મહિના પહેલા જ ભાવનગર અને અમરેલી પંથકમાં પણ દીપડાના આંતકની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પણ એક બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. ૩ જેટલા વ્યક્તિ પર દીપડાએ હુમલો પણ કર્યો હતો.વધુ વાંચો -
સરકારના કૃષિ રાહત પેકેજમાં જૂનાગઢનો સમાવેશ ન થયો હોવાથી ખેડૂતોમાં નારાજગી
- 26, ઓક્ટોબર 2021 01:30 AM
- 4935 comments
- 968 Views
જૂનાગઢ, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢની મુલાકાતે પહોંચ્યાત હતા. આ તકે જૂનાગઢનો કૃષિ રાહત પેકેજમાં સમાવેશ થયો ન હોવા અંગે મંત્રીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ તાલુકામાં હવે કોઈ વિસ્તાર કૃષિ રાહત પેકેજમાં જાહેર કરવાપાત્ર જણાતો નથી.સરકારના ખેતીવાડી વિભાગે ખેતીને થયેલ નુકસાનીના સર્વેના આઘારે જ પેકેજ જાહેર કર્યુ છે, જેથી જૂનાગઢમાં હવે કોઈ વિસ્તાર કૃષિ રાહત પેકેજમાં જાહેર કરવાપાત્ર જણાતો નથી. જેના પગલે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. આથી આ રાહત પેકેજમાં જૂનાગઢનો સમાવેશ કરી ખેડૂતોનો રોષ શાંત પાડવા અંગે કિસાન ક્રાન્તિ ટ્રસ્ટે લેખીત રજૂઆત કરી છે. જ્યારે બીજી બાજુ રાહત પેકેજમાં ગીર સોમનાથ જીલ્લાનની બાદબાકી કરાઇ છે, ત્યારે જીલ્લાુનો સમાવેશ કરી ખેતી નુકશાનીનું ૧૦૦ ટકા વળતર ચૂકવવા સોમનાથના ધારાસભ્યકએ કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી પાક અને ખેતીની જમીનને ભારે નુકસાન થયું હોવા અંગે રજૂઆતો થઈ હતી. જેથી ખેતીની નુકસાની અંગે રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી વિભાગને સર્વે કરવા આદેશ કરાયો હતો. જેને લઇ ખેતીવાડી અઘિકારીઓ સહિતની ટીમે ભારે વરસાદથી પ્રભાવિત જે-તે જીલ્લા ના તાલુકાઓમાં સર્વેની કામગીરી કરી હતી. આના આધારે રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર, માંગરોળ, માણાવદર અને કેશોદ તાલુકાના ગામડાઓનો કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરી વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. ત્યાલરે રાહત પેકેજમાં જૂનાગઢમાં પણ ભારે વરસાદના લીધે નુકસાન થયું હોવા છતાં સમાવેશ ન થવાની તાલુકાના ખેડૂતો અન્યાય થયાની લાગણી અનુભવી રહ્યા છે. આ મુદે ખેડૂત સંગઠનોએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે. આ દરમિયાન જૂનાગઢ તાલુકાની કૃષિ રાહત પેકેજમાંથી થયેલી બાદબાકી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાંથી ખેતીને નુકસાનીની રજૂઆત મળી હતી, તે વિસ્તારમાં ખેતીવાડી વિભાગ મારફત સર્વે કરાવવામાં આવ્યો હતો. જેના આઘારે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.વધુ વાંચો -
જૂનાગઢમાં વણઝારી ચોક ગરબી મંડળમાં ૧૮૦ બાળાઓ ગરબે ઘુમી
- 09, ઓક્ટોબર 2021 01:30 AM
- 3747 comments
- 4123 Views
જૂનાગઢ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા માં આજે નવરાત્રિ ના પ્રથમ દિવસે શહેર અને તાલુકાઓના જુદા જુદા વિસ્તારોમાં શેરી ગરબાઓનો પ્રારંભ થયો હતો. ગરબીના સંચાલકોએ પ્રથમ દિવસએ આરતી કરી ગરબીની શરૂઆત કરી હતી. કોરોનાના લીધે બે વર્ષ દરમ્યાન નવરાત્રી પર્વે ગરબીના આયોજનો પર રોક લાગી હતી. જેની સામે ચાલુ વર્ષે મર્યાદિત સંખ્યામાં નવરાત્રિ મહોત્સવ યોજવા માટે સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. જેના લીધે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પારંપરીક શેરી ગરબા શરૂ થતા વર્ષો જૂની પરંપરાના દર્શન ફરી જાેવા મળતા હતા. જેમાં આજે પ્રથમ નોરતાએ જૂનાગઢ શહેરની પ્રખ્યાત એવી વણઝારી ચોક ગરબી મંડળમાં ૧૮૦ જેટલી બાળાઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી. આજે નવરાત્રીના પ્રથમ દિવસે વણઝારી ચોક ગરબીની આરતી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, ગરબીના પ્રમુખ કિશોરભાઈ ધનેશા સહિતનાએ કર્યું હતું. જાે કે, પ્રથમ નોરતે મોટાભાગની ગતબીઓમાં ખેલૈયાઓની પંખી હાજરી જાેવા મળી રહેલ તો લોકોમાં પણ નવરાત્રી ઉત્સવને લઈ કોઈ ખાસ ઉત્સાહ જાેવા મળતો ન હતો.વધુ વાંચો -
ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણીથી વિનાશ અનેક ગામોમાં જમીન ત્યાં જળની સ્થિતિ
- 02, ઓક્ટોબર 2021 01:30 AM
- 9279 comments
- 7121 Views
જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં માણાવદર તાલુકામાં ઓઝત નદીના પાણી ફરી વળતા અનેક ગામોમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે. થોડા સમય પહેલા જ ઓઝત નદીમાં આવેલા પૂરના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું હતું. ત્યારબાદ ફરી એકવાર ઓઝતના પાણી આ વિસ્તારમાં ફરી વળતા ખેતીના પાક અને જમીનને વ્યાપક નુકસાન થયાની ફરિયાદો ઉઠી છે. ઘેડ પંથકની હાલ સ્થિતિ એવી છે કે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જૂનાગઢના ઘેડ પંથકમાં માણાવદર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં નજર કરતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી ફરી વળવાના કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયાની ફરિયાદો ઉઠી છે. ઓઝત નદીના પાણીએ ખેડૂતોની સારા પાકની આશા પર પાણી ફેરવી દીધા છે. ગઈકાલે ગીરનાર પર્વત અને જૂનાગઢ જિલ્લામાં વરસેલ ભારે વરસાદના પગલે ડેમો ઓવરફ્લો થઈ છલકાતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેમાં માણાવદર પંથકની ઓઝત નદી ગાંડીતૂર થઈને રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ઘેડ પંથક જ્યાં નજર પડે ત્યાં પાણી પાણી થઈ ગયું છે. ત્યારે હજુ થોડા સમય પહેલાં જ આ પંથકમાં ઘોડાપૂર આવતા હજારો એકર ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું હતું. આજે ફરીવાર ઓઝત નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પંથકના પીપલાણા, આંબલીયા, કોયલાણા, મટીયાણા, બાલાગામ, બામણાસા પાદરડી સહિત ઘેડ પંથકને ધમરોળી નાખ્યું છે ત્યારે આ વિસ્તારમાં મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.વધુ વાંચો -
ભાજપના પૂર્વ સાંસદની સજા સ્થગિત કરતી હાઇકોર્ટ ૧લાખના જામીન પર મુક્ત
- 01, ઓક્ટોબર 2021 01:30 AM
- 9609 comments
- 2547 Views
અમદાવાદ, સમગ્ર દેશમાં ચર્ચા જગાવનારા આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકાંડના કેસમાં ભૂતપૂર્વ ધારાસભ્ય દીનુ સોલંકીને જામીન પર છોડવાનો ગુજરાત હોઇકોર્ટે આદેશ કર્યો છે.ગુજરાત હાઈકોર્ટે આજે ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીની આજીવન કેદની સજા સ્થગિત કરી હતી, જેને ૨૦૧૯ માં સીબીઆઈની વિશેષ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.તેની સજા સ્થગિત કરીને અને તેને શરતી જામીન આપતાં, જસ્ટિસ પરેશ ઉપાધ્યાય અને જસ્ટિસ એ.સી. જાેશીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે કેસ સંજાેગોવશાત પુરાવા પર આધારિત છે.દિનુ સોલંકીએ તેમને કરાયેલી સજા સામે હાઈકોર્ટમા અપીલ કરી હતી. જેની સુનાવણી બાદ કોર્ટે એક લાખ રૂપિયાના જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે શરતોને આધીન જામીન આપ્યાં છે જેમાં દેશની બહાર મંજૂરી વિના ન છોડવાની પણ શરત રાખવામાં આવી છે.આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ વર્ષ ૨૦૧૦માં ગીર અભયારણ્યમાં ગેરકાયદે ખનન થતું હોવાનો આરોપ લગાવીને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. આ અરજીની સુનાવણી શરૂ થતાંની સાથે જ અમિત જેઠવાની હાઇકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. ર્ ૨૦૧૦ની ૨૦મી જુલાઇના રોજ થયેલી હત્યામાં તત્કાલિન સાંસદ અને પૂર્વ ધારાસભ્ય દિનુ બોઘા સોલંકીનું નામ સામે આવ્યું હતું., અમિત જેઠવાના પિતાએ આ મામલે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં દીના સોલંકીની સંડોવણીનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ કરાઇ હતી. જેમાં દીનુ સોલંકીને સંડોવણીને નકારી તેમને ક્લિન ચીટ આપી હતી.દીના સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી,વધુ વાંચો -
જૂનાગઢમાં નવાબ શાસનની કન્યા શાળા ધરાશાયી કોઇ જાનહાની નહીં
- 30, સપ્ટેમ્બર 2021 01:30 AM
- 772 comments
- 1546 Views
જૂનાગઢ જૂનાગઢ શહેરમાં આવી તો અનેક ઐતિહાસિક ઇમારતો આવેલી છે, જેની પૂરતી સાર-સંભાળ ન થવાને કારણે આજે તેની હાલત દયનિય બની ગઈ છે. શહેરી વિસ્તારમાં જ્યાં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહે છે, તેવા વિસ્તારમાં પણ કેટલીક ઐતિહાસિક ઇમારતો મોત થઈને ઝળુંબી રહી છે, જે બાબતે મનપા તંત્રને અનેક વખત રજુઆત કરવામાં આવી છે, જૂનાગઢની વર્ષો જૂની એક ઇમારત ધરાશાયી થઈ છે, જેસમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જૂનાગઢ શહેરમાં આવેલ ચિત્તાખાના ચોકની કન્યા શાળા નંબર-૩ આજરોજ તા.૨૯મી સપ્ટેમ્બર ના દિવસે સવારના સમયગાળામાં ધરાશાયી થઈ છે. સ્થાનિકોને કહેવા મુજબ આ કન્યા શાળા નવાબી કાળથી અસ્તિત્વ ધરાવતી હતી. છેલ્લાં કેટલાંક સમયથી ખંડેર હાલતમાં જાેવા મળતી આ ઈમારતનો કેટલોક ભાગ આજે ધરાશાયી થયો હતો. રસ્તા પર કાટમાળ પડતાં તેને હટાવવા માટે તાત્કાલિક ધોરણે મનપાની ટિમ પહોંચી હતી, પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જાેવા મળ્યાં હતાં. કન્યા શાળા નંબર-૩ ધરાશાયી થવાની ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સ્થાનિક લારી ધારકોની લારી ઉપર દીવાલ પડતાં લારીઓ દીવાલ નીચે દબાઈ ગઈ હતી. જેથી લારીનો કચ્ચરઘાણ નીકળી જતાં સ્થાનિક લારિધારકોએ પોતાની રોજીરોટી જરૂરથી ગુમાવી છે.વધુ વાંચો -
જૂનાગઢના વાલાસિમાડી ગામની સીમમાંથી ૩૪૫ આધાર કાર્ડ મળ્યાં
- 30, સપ્ટેમ્બર 2021 01:30 AM
- 7917 comments
- 5591 Views
જૂનાગઢ, જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામની સીમમાંથી ૩૪૫ આધારકાર્ડ અને ૫૧૧ સાદી ટપાલોનો એક જથ્થો બિનવારસી હાલતમાં ગ્રામજનોને ધ્યાનમાં આવ્યો હતો. જે અંગે તાત્કાલિક જુનાગઢ મામલતદાર અને વાલાસીમડીના તલાટી મંત્રીને જાણ કરાઈ હતી. તપાસ કરતા આધારકાર્ડ અને સાદી ટપાલોનો જથ્થો ધોરાજી પોસ્ટ ઓફિસમાંથી રવાના થયા હોવાનું ખુલતાં રાજકોટ જિલ્લાની ધોરાજી પોસ્ટ ઓફિસને જાણ કરાતા ધોરાજી પોસ્ટ ઓફિસના અધિકારીઓ દોડી આવ્યા હતા.તેમણે મળી આવેલ ૩૪૫ આધારકાર્ડ અને ૫૧૧ સાદી ટપાલો કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં ૨૦૧૯ માં બનેલા આ આધારકાર્ડ હોવાનું ખુલ્યું છે. ગામના લોકોના જણાવ્યા અનુસાર, સીમ વિસ્તારમાં આ થેલો કોઈ ફેંકી ગયું હતું પરંતુ તાજેતરમાં થયેલા વરસાદથી પાણી ભરાયેલા હતા જે પાણી ઉતરી જતા આધારકાર્ડ અને સાદી ટપાલો આસપાસના ખેડૂતોની નજરમાં ચડ્યા હતા.આ અંગે તલાટી મંત્રી અને મામલતદારને જાણ કરાઇ હતી. જે આધારકાર્ડ ઉપર અત્યારે નાગરિકોની મોટાભાગની અરજીઓ અહેવાલ થઈ શકે છે જરૂરી દસ્તાવેજ તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે આધારકાર્ડ અને પોસ્ટ વિભાગ ઉપર વિશ્વાસ મોકલવામાં આવેલ કવર તથા પત્રો ધોરાજીથી આટલે દૂર કયા કારણોસર ? કોના દ્વારા ? ફેંકી દેવામાં આવ્યો છે. તે હાલમાં તપાસનો વિષય બન્યો છે.વધુ વાંચો -
માંગરોળના ૭ વર્ષથી ગાયબ દીકરો મોહિત મુંબઈથી મળ્યો
- 25, સપ્ટેમ્બર 2021 01:30 AM
- 2846 comments
- 3722 Views
જૂનાગઢ, માંગરોળના સુખી સંપન્ન પરિવારનો દીકરો ૨૦૧૪ થી અચાનક ગુમ થયો હતો. ૭ વર્ષના વહાણ વિત્યા બાદ દીકરો મુંબઈથી મળી આવ્યો છે. જૂનાગઢના માંગરોળનો મોહીત મળી આવતા તેના ઘરે હરખની હેલી ઉત્સવ જેવો માહોલ જાેવા મળ્યો છે. મોહિત મળી આવતા પરિવાર દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજી ખુશી મનાવી હતી. પરંતુ મોહિતને પરત ઘરે લાવવામા પોલીસનો મોટો રોલ છે. કાયદા પ્રમાણે પોલીસ તેને મૃત જાહેર કરવાની હતી, પરંતુ તે પહેલા જ ડીવાયએસપી જુગલ પુરોહિતે ૭ વર્ષ બાદ મોહિતને શોધી કાઢ્યો હતો. સમગ્ર કિસ્સા પર નજર કરીએ તો, જૂનાગઢ જિલ્લાના માંગરોળના શેરીયાજ ગામનો યુવાન મોહિત મકવાણા સુરેન્દ્રનગર ખાતે જે.સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ૨૦૧૪ ના વર્ષમાં મોહિત એમ.બી.બી.એસ. અભ્યાસ કરતો હતો અને છેલ્લા સેમેસ્ટરમા ફેલ થયો હતો, નાપાસ થવાની બાબતથી તેને એટલું મનદુઃખ થયું હતું કે, સુરેદ્રનગર છોડીને જતો રહ્યો હતો. ત્યારથી તેનો અતોપત્તો લાગ્યો ન હતો. પરિવારે તેને બહુ જ શોધ્યો હતો, પણ તે ૭ વર્ષમાં ક્યાંય મળ્યો ન હતો. આખરે મોહિત મુંબઈ હોવાના સમાચાર મળ્યા હતા. ૭ વર્ષ બાદ મોહિત મુંબઈથી મળી આવ્યો હતો. મુંબઈના વાગલી ગામના મુસ્લિમ પરિવાર સલીમ શેખે મોહિતને આશરો આપ્યો હતો. મુસ્લિમ પરિવારમાં કોઇ બાળક ના હોવાથી તેમણે મોહિતને દીકરાની જેમ ૭ વર્ષ સુધી સાચવ્યો હતો. ગુમ થયેલ મોહિતના બેંક એકાઉન્ટ અને મોબાઇલ ડિટેલના આધારે ગુજરાત અને મુંબઈ પોલીસની મદદથી તે મળી આવ્યો હતો. જૂનાગઢ એસ.પી.રવિ તેજા વાસમ શેટ્ટી અને માંગરોળના ડીવાયએસપી જેડી પુરોહિતની મહેનત અને માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આકરી મહેનત બાદ મોહિત મુંબઈથી મળી આવ્યો હતો.મોહિત અચાનક ગુમ થતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. મોહિત વગરના ૭ વર્ષ જાણે તેમના માટે ૭૦૦ વર્ષ જેવા વિત્યા હતા. યુવાન ગુમ થતા માતા પિતાએ કોઈપણ તહેવાર ન ઉજવવાની અને ચપ્પલ ના પહેરવાની બાધા લીધી હતી. ત્યારે અચાનક જ દીકરાની ભાળ મળી જતા ઘરે ઉત્સવનો માહોલ સર્જાયો હતો.વધુ વાંચો -
વિસાવદર તાલુકાના ધારાસભ્યના પુત્ર અને ભાઈ પર હુમલો કરનારા ૯ આરોપી પોલીસે ઝડપી પાડ્યા
- 23, સપ્ટેમ્બર 2021 12:00 AM
- 3242 comments
- 325 Views
જૂનાગઢજૂનાગઢ જિલ્લાના વિસાવદરના ધારાસભ્યના પુત્ર અને ભાઈ પર હુમલો કરનારા આરોપીઓ ઝડપાઈ ગયા છે. પોલીસે નવ અસામાજિક તત્વોને ઝડપી પાડી ઘટનાસ્થળે લઈ ગઈ હતી. જ્યાં આરોપીઓને સાથે રાખી બનાવનું રિકંસ્ટ્રક્શન કરાવ્યું હતું. રિકંસ્ટ્રક્શનને લઈ આરોપીઓને જાેવા મોટી સંખ્યામાં ટોળાં એકઠાં થયા હતાં. મહત્વનું છે કે, આ બનાવને લીધે વિસાવદરમાં અસામાજિક તત્વો સામે ભારોભાર રોષ હતો. જેથી આ મામલે રાજકીય પક્ષોએ તથા વેપારીઓ સાથે મળીને ન્યાય માટે રેલી કાઢી હતી. હવે આ ઝડપાયેલા તમામ આરોપીઓના રિમાન્ડની માંગ સાથે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વિસાવદરના ધારાસભ્યના પરિવારજનો પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. હર્ષદ રીબડીયાના પિતરાઇ ભાઇ આ હુમલામાં ઘાયલ થયા હતાં. તલવારો સહીતના હથિયારો વડે લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો. ત્યારે આ હુમલાના વિરોધમાં વિસાવદરમાં અચોક્કસ મુદત સુધી બંધનું એલાન અપાયું હતું. ખંડણી ઉઘરાવતા લુખ્ખા તત્વોને ટપારતા આ હુમલાનો બનાવ બન્યો હોવાની ચર્ચા વહેતી થઇ હતી. આ હુમલા બાદ તમામ રાજકીય પક્ષોએ એક થઈને બંધનું એલાન આપ્યું હતું. આ હુમલાના વિરોધમાં ધારાસભ્ય સહિતના લોકો રાત્રે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. વિસાવદરમાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાના ભાઇ પર હુમલાના વિરોધમાં ગામમાં રેલી નીકાળાઇ હતી.વધુ વાંચો -
વર્ષ 1965: આજના દિવસે ગીર જંગલને રાષ્ટ્રીય અભ્યારણ જાહેર કરવામાં આવ્યું
- 18, સપ્ટેમ્બર 2021 11:19 AM
- 2853 comments
- 4986 Views
જૂનાગઢ- 18 સપ્ટેમ્બર 1965ના દિવસે ગીર જંગલ વિસ્તારને અભ્યારણ જાહેર કરવામાં આવ્યું હતું ત્યાર થી લઈને આજ સુધી ગીરમાં અનેક પરિવર્તનો કરવામાં આવ્યા છે. વર્ષ 1965 માં 3,12,459.11 એકર જમીન વિસ્તારમાં ગીરનું જંગલ જોવા મળતું હતું ત્યારબાદ અભ્યારણ જાહેર થતા વર્ષ 1971માં ગણતરીના અંતે અભ્યારણમાં 129 જેટલા નેશોમાં 845 કુટુંબો વસવાટ કરતા હતા જેને ગીર અભ્યારણની બહાર વસાવવામાં આવ્યા હતા. હાલ ગીર અભયારણ્યની અંદર 54 જેટલા નેશ હજુ પણ અસ્તિત્વ ધરાવી રહ્યા છે સાથે સાથે 14 જેટલા ગામો સેટલમેન્ટ ગામો તરીકે અભ્યારણમાં જોવા મળે છે. વર્ષ 1965માં ગીર જંગલમાં 165 જેટલા સિંહો જોવા મળતા હતા, જે આજે અભ્યારણ બનવાને કારણે 600ની સંખ્યાને પાર કરી ચૂક્યા છે અને અભયારણ્ય જાહેર થયા બાદ ગીરમાં પ્રવાસન પ્રવૃતિઓ પણ ખૂબ જ વેગવંતી બની જેને કારણે ગીરની સાથે સિંહો ને પણ નજીકથી જોવાનો અને જાણવાનો મોકો વિશ્વના પ્રવાસીઓને મળી રહ્યો છે જેના થકી રાજ્ય સરકારને દર વર્ષે અંદાજીત 11 કરોડ કરતાં વધુની આવક થઇ રહી છે. વર્ષ 1911 બાદ ગીરમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થયો છે. 1911 પહેલા ગીરમાં સિંહનો શિકાર સામાન્ય વાત હતી આવી પરિસ્થિતિમાં સિંહોની સંતતિ સંકટગ્રસ્ત બની ગઈ હતી. જૂનાગઢના નવાબના સહકારથી સિંહોને ગીરમાં ફરી નવજીવન મળ્યું હતું. ગીરમાં શિકાર જેવી તમામ ગતિવિધિઓ પર અંકુર આવે તે માટે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને હથિયારના સહારે તેમજ જંગલમાં પગપાળા પેટ્રોલિંગ કરીને પણ સંભવિત શિકાર કે ગેરકાયદેસર સિંહ દર્શનની તમામ ગતિવિધિઓ પર અંકુશ મેળવવામાં સફળતા મળી છે.વર્ષ 1990થી ગણતરી કરીએ તો તે વર્ષે 300 ચોરસ કિલોમીટરના જંગલમાં 284 જેટલા સિંહો જોવા મળતા હતા જેમાં દર પાંચ વર્ષે સિંહોની સંખ્યામાં વધારાની સાથે જંગલ વિસ્તારમાં પણ ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. વર્ષ 1990માં 300 ચોરસ કિલોમીટર વિસ્તારના જંગલમાં 284 જેટલા સિંહો જોવા મળતા હતા જ્યાંરે વર્ષ 2020માં 30,000 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 674 જેટલા સિંહ વસવાટ કરી રહ્યા છે. ધારી નજીકના મોરજર અને ગોપાલ ગામમાં દીપડાના હુમલાને લઈને લોકોમાં અને ખેડૂતોમાં રોષ જોવા મળે છે પરંતુ વાત જ્યારે સિંહની આવે ત્યારે આ બંને ગામના લોકો પણ સિંહને આદર આપવાનું આજે પણ ચૂકતા નથી" સાસણ સિંહ દર્શન ખાતે અંદાજિત એક વર્ષમાં અંદાજીત 5 થી લઇને 6 લાખ પ્રવાસીઓ સિંહોને જોવા માટે આવતા હોય છે, જેના થકી વન વિભાગને પ્રતિવર્ષ 11 કરોડ કરતાં વધુની આવક થતી જોવા મળે છે. વન વિભાગને થયેલી આવક ગીર વિસ્તારના સિંહોના સંવર્ધન અને સિંહોની સુરક્ષા પાછળ કરવામાં આવી રહી છે સિંહોની સુરક્ષા આજે આધુનિક ઢબે પણ થઈ રહી છે જેમાં રેડિયો કોલર જીપીએસ અને સીસીટીવી ના માધ્યમથી પણ સિંહોની અવર-જવર અને તેની સતામણી પર ચોક્કસ નજર રાખવામાં આવી રહી છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં જળ પ્રલય: ભારે વરસાદના કારણે 15 સ્ટેટ હાઈવે સહિત કુલ 136 રસ્તા બંધ, રાહત કાર્ય ચાલુ
- 14, સપ્ટેમ્બર 2021 01:51 PM
- 8451 comments
- 7275 Views
ગાંધીનગર-ભારે વરસાદની સંભાવનાને પગલે NDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસની હવામાનની આગાહી જાેતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે NDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં ગત રાત્રીના ૧૧ વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે હાલ રાજકોટના આજી ૨ ડેમના ચાર દરવાજા ૧.૫ ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી ૭.૭૬ મીટર છે અને ડેમમાં ૪૪૯૨ ક્યુસેક પાણીની આવક થઈ છે.હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૧૨ તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે રાજ્યમાં ૧૫ સ્ટેટ હાઈવે સહિત ૧૩૬ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગર, વલસાડ, રાજકોટ અને દ્વારકામાં થયો છે. તે ઉપરાંત છેલ્લા બે કલાક એટલે કે આજે સવારે ૧૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધીમાં ૭૧ તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં ૧૮૦ મિમી અને રાજકોટના લોધિકામાં ૧૩૬ મિમી વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ રહી છે. ત્યારે અત્યાર સુધી સિઝનનો ૬૪.૪૪ ટકા વરસાદ થયો છે. ઝોન પ્રમાણેની સ્થિતિ જાેઈએ તો, કચ્છમાં ૬૬.૧૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૪.૪૫ ટકા, મધ્યગુજરાતમાં ૫૫.૯૨ ટકા અને સૌરાષ્ટ્રમાં ૬૮.૭૪ ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૬૪.૪૪ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદ થવાથી નવા નીરની આવક થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશી જાેવા મળી છે. ખેડૂતોનો ઉભો પાક વરસાદને કારણે બચી ગયો છે. ધોરાજીમાં ૭ ઇંચ અને ગોંડલમાં ૫ ઇંચ વરસાદ વરસ્યો છે. તેમાંય ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યા છે તો ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજ કેડ સમાં પાણી ભરાયા હતા. સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો ર્નિણય લેવામાં આવ્યો છે. ધનીય છે કે, આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે.વધુ વાંચો -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિનો તાગ મેળવવા હવાઈ માર્ગે બે જિલ્લાની મુલાકાતે જશે
- 14, સપ્ટેમ્બર 2021 12:43 PM
- 6539 comments
- 8313 Views
ગાંધીનગર-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા આ બે જિલ્લાની મુલાકાતે હવાઈ માર્ગે જશે.મુખ્યમંત્રી ગાંધીનગરથી બપોરે 1 કલાકે પૂર્વ મંત્રી આર.સી ફળદુ તેમજ જામનગરના સાંસદ પૂનમ માડમ અને મુખ્યસચિવ પંકજ કુમાર સાથે આ બે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની જાત માહિતી મેળવવા રવાના થશે.ઉલ્લેખનીય છે કે ગઇ કાલે મુખ્યમંત્રીએ શપથ લીધા ત્યારથી કામે લાગી છે.પહેલા બેઠક બોલાવી પરિસ્થિતિનો તાગ મેળવવી તંત્રને કામે લગાડ્યું હતુ.જ્યારે આજે પોતે ખુદ જઇને પરિસ્થિતિનો તાગ મેળવશે.વધુ વાંચો -
રાજકોટ-જામનગરમાં ભારે વરસાદના કારણે ભારે તારાજી,સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને મદદ કરવાનો નિર્દેશ આપ્યો
- 14, સપ્ટેમ્બર 2021 10:31 AM
- 9380 comments
- 6085 Views
રાજકોટ-ગુજરાતમાં રાજકોટ અને જામનગર છેલ્લા ઘણા કલાકોથી વરસાદને કારણે ખરાબ હાલતમાં છે. આ બંને સ્થળોએ વરસાદને કારણે અત્યાર સુધીમાં ૩ લોકોના મોત થયા છે. ઘણા ગામોમાં પાણી ભરાવાના કારણે લોકો ટેરેસ પર બેસીને મદદની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં ભારે વરસાદને લઈને રાજ્યના મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી છે કે તેઓ પૂરમાં ફસાયેલા લોકોને તમામ શક્ય મદદ પૂરી પાડે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઇઓસી) અનુસાર રાજકોટ અને જામનગરમાં સોમવારે ૧૦ કલાકની અંદર ભારે વરસાદ થયો હતો. રાજકોટના લોધિકા તાલુકામાં ૪૩૫ મીમી, રાજકોટ તાલુકામાં ૩૦૫ મીમી, ધોરાજીમાં ૨૦૨ મીમી, કોટદાસગંજ ૧૯૦ મીમી અને ગોંડલમાં ૧૬૨ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ જામનગરમાં કાલાવડમાં ૩૪૮ મીમી અને જૂનાગઢના વિસાવદર તાલુકામાં ૩૬૪ મીમી વરસાદ નોંધાયો છે.એટલું જ નહીં જામનગરના ૩૫ ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે. લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સાથે એરફોર્સની મદદથી લોકોને પણ બચાવી લેવામાં આવી રહ્યા છે. આ હેતુ માટે ૪ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. જામનગરના કાલવડમાંથી એનડીઆરએફ અત્યાર સુધીમાં ૩૦ થી વધુ લોકોને બચાવી ચૂકી છે.જામનગર ઉપરાંત અવિરત વરસાદના કારણે રાજકોટના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. જિલ્લા કલેકટરે મુશળધાર વરસાદને કારણે શાળા -કોલેજોમાં એક દિવસની રજા જાહેર કરી છે.જામનગરમાં અવિરત વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી એક કાર પાણીમાં ધોવાઈ ગઈ. જોરદાર કરંટને કારણે તેને બચાવવાના કોઈ પ્રયાસ કરવામાં આવ્યા ન હતા. આ સિવાય ચારેબાજુ પાણીના કારણે લગભગ ૩ ગામોના લોકો ફસાયા હતા. સોમવારે સીએમ પટેલે જિલ્લા કલેકટરને બચાવ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમની સૂચનાઓ બાદ વહીવટીતંત્ર સક્રિય થયું અને લોકોને બહાર કાવાનું કામ ચાલી રહ્યું છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન: જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ, તમામ ડેમો છલકાયા
- 13, સપ્ટેમ્બર 2021 05:06 PM
- 1633 comments
- 4171 Views
જૂનાગઢ- વિસાવદરમાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં સત્તાવાર માહિતી મુજબ 347 મિમિ વરસાદ એટલે કે 13 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે વિસાવદરમાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વધુ પ્રમાણમાં પડ્યો હતો, ત્યારે વિસાવદરની પોપટડી અને મયારિયો બન્ને નદીમાં પૂર આવ્યા હતા. ત્યારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા સિઝનના નદીમાં આવેલા પહેલા પૂરના વધામણાં કરવામાં આવ્યા હતા. વિસાવદરના ધારી બાયપાસ અંડર બ્રિજમાં પણ પાણી ભરાઇ ગયા હતા, ત્યારે બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. હાલમાં અંડર બ્રિજમાં પાણી ભરાતા આર. એન. બી વિભાગ દ્વારા 4 મહિના પહેલા અંડર બ્રિજમાં પાણીના નિકાલ માટે સિમેન્ટના મોટા પાઇપ મૂકીને કામગીરી કરવામાં આવી હતી. તે કામગીરી પાણીમાં ધોવાઇ ગઇ હતી. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વિસાવદરમાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં સત્તાવાર માહિતી મુજબ 347 મિમિ વરસાદ એટલે કે 13 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે વિસાવદરમાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા.વધુ વાંચો -
જળબંબાકાળ થયો જામનગર -રાજકોટ જિલ્લો...અનેક ગામો સંપર્ક વિહોણા
- 13, સપ્ટેમ્બર 2021 01:14 PM
- 9791 comments
- 5783 Views
રાજકોટ -રાજકોટમાં અનરાધાર 11 ઈંચ વરસાદથી શહેર જળબંબાકાર થયું છે.હજુ પણ વરસાદ શરૂ છે., શહેર પોલીસ, કલેકટર , કોર્પોરેશનની ટીમ ખડેપગે કામે લાગી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે..સાથે રાજકોટથી NDRFની ટીમને જામનગર મોકલવામાં આવી છે.ક્યાં કેટલો વરસાદરાજકોટ,જૂનાગઢ,જામનગરમાં ભારે વરસાદ જૂનાગઢનાં વિસાવદરમાં આભ ફાટયું2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડયોરાજકોટનાં લોધિકામાં 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદરાજકોટમાં 2 કલાકમાં વધુ 4 ઇંચ વરસાદકોટડાસાંગાણીમાં વધુ 3 ઇંચ વરસાદગોંડલમાં 2.5 ઇંચ વરસાદ પડયોવિસાવદરમાં છેલ્લાં 6 કલાકમાં 12 ઇંચ વરસાદજામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જામનગર જિલ્લાનો વોડીસંગ ડેમ ઓવરફ્લો થયો છે. જેથી ધુતારપુર સુમરી અને ધુડશીયાના ગ્રામજનોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.વધુ વાંચો -
ગુજરાતની આ રોપ-વે સેવા ભારે પવનને કારણે બંધ કરાઈ, પવનની ગતિ વધતા કરવામાં આવ્યો નિર્ણય
- 04, સપ્ટેમ્બર 2021 02:02 PM
- 2340 comments
- 4261 Views
જુનાગઢ-ગિરનાર પર્વત પર આજે ભારે પવન ને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે. રોપવેના સંચાલન માટે નક્કી કરાયેલી પવનની ગતિ કરતા હાલ ગિરનાર પર 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે જેથી ભારે પવનને કારણે તેમજ રોપવે અને યાત્રિકોને સુરક્ષાને ધ્યાને રાખીને રોપવે સેવા હાલપુરતી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ભારે પવનના કારણે શનિવારના રોજ ગિરનાર રોપ-વે સેવા આજે બંધ રાખવાનો નિર્ણય સંચાલક ઉષા બ્રેકો કંપની દ્વારા કરવામાં આવ્યો છે. મેનેજર જી.એમ.પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "પવનની ગતિ નિયંત્રિત થયે રોપવે સેવા ફરી એક વખત પુર્વવત કરવામાં આવશે"વધુ વાંચો -
સાતમ અને આઠમ નિમિતે એક્સ્ટ્રા ST બસો દોડાવાશે
- 28, ઓગ્સ્ટ 2021 11:49 AM
- 3076 comments
- 7175 Views
જુનાગઢ-આગામી જન્માષ્ટમીના તહેવારોને લઈને જૂનાગઢ એસટી નિગમ દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે; જે અન્વયે આગામી સાતમ-આઠમના તહેવારો નિમિત્તે મુસાફરોની અવર-જવરને ધ્યાનમાં રાખીને, મુસાફરોને સવલત મળી રહે અને અગવડતા ન પડે તેવા હેતુથી જૂનાગઢ એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિભાગીય નિયામક જી.ઓ.શાહએ જણાવ્યું કે; સાતમ-આઠમ જેવા તહેવારોમાં અનેક લોકો મુસાફરી કરતાં હોય છે, ત્યારે તેઓને અગવડતા ન પડે તે માટે આગામી તા.૨૯ અને ૩૦ ઓગષ્ટ સાતમ-આઠમના રોજ એક્સ્ટ્રા બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. જેનો મહત્તમ મુસાફરો લાભ લઈ રહ્યાં છે, ત્યારે હજુ પણ તહેવારોમાં મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસ સર્વિસનું સંચાલન હાથ ધરાશે. તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને સોમનાથ થી જુનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદરતેમજ જૂનાગઢ થી રાજકોટ, સોમનાથ, ભાવનગર, જામનગર, દ્વારકા, સારંગપુર, ઉનાજવા માટે એકસ્ટ્રા સર્વિસો મુસાફરની અવર જવર ને ધ્યાને લઈ દોડાવવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢ બસ સ્ટેશન ખાતે ૨૪ કલાક ઓનલાઇન બુકીંગની સેવા શરૂ કરવામાં આવશે.વધુ વાંચો -
નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ગિરનાર પરથી અનોખી માંસાહારી વનસ્પતિ શોધી
- 26, ઓગ્સ્ટ 2021 06:07 PM
- 5129 comments
- 6723 Views
જૂનાગઢ-જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સિસ ભવનના પ્રોફેસર સુહાસ વ્યાસ અને વિદ્યાર્થીઓની ટીમે “યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી” નામની વનસ્પતિ શોધી કાઢી છે. દેખાવમાં તો વનસ્પતિ સામાન્ય જ છે, પરંતુ તેની વિશેષતા બીજી વનસ્પિતથી ઘણી અલગ છે. કારણ કે, આ વનસ્પતિ માંસાહારી છે, તેના મૂળ કોથળી જેવા હોય છે, જ્યાંથી તે સૂક્ષ્મ જીવાતોને ચૂસી લે છે. પ્રોફેસર સુહાસ વ્યાસના જણાવ્યા મુજબ આ વનસ્પતિ ભારતમાં અંદાજિત ૧૦૦ વર્ષથી મહારાષ્ટ્રમાં જાેવા મળે છે. બાદમાં પહેલીવાર ગુજરાતમાં જૂનાગઢના ગિરનારમાંથી મળી આવી છે. બાદમાં તપાસ કરતાં તે યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી હોવાનું સામે આવ્યું હતું. આ વનસ્પતિની અલગ-અલગ ૪ જાત મળી આવી છે. હજુ ગિરનાર પર આવી અનેક વનસ્પતિઓ હોવાની શક્યતા છે. વનસ્પતિને જીવાણુ નહીં પરંતુ વનસ્પતિ તેને ખાય છે, તેના મૂળ કોથળી જેવા દેખાય છે, એકથી દોઢ હાથવેંત જેટલી લાંબી હોય છે, ફ્લાવરિંગ પરથી તેની ઓળખ થાય છે લાઈફ સાયન્સિસ ભવનની ટીમે વનસ્પતિની શોધ માટે ગિરનાર ખૂંદ્યો હતો. પ્રોફેસર ઉપરાંત ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી કમલેશ ગઢવી, સંદીપ ગામિત, દુષ્યંત દૂધાગરા તેમજ રશ્મિ યાદવ સહિતનાઓની મુખ્ય ભૂમિકા રહી છે. આ ઉપરાંત ટીમે અગાઉ ખારાપાટ વિસ્તારમાં થતી વનસ્પતિ અને તેની વિશેષતાની શોધ કરી હતી. સાથે હાલ ગિરનાર પર પણ આ ટીમ શોધ માટે કામે લાગી છે. ગિરનારને વનસ્પતિનું હબ માનવામાં આવે છે ત્યારે ગિરનારમાંથી એક એવી વનસ્પતિ મળી આવી છે, હાલ દેશમાં માત્ર મહારાષ્ટ્રમાં જાેવા મળે છે. બાદમાં વિશ્વભરમાં ક્યાંય જાેવા નથી મળી. ત્યારે હવે ગુજરાતમાં પહેલીવાર શોધ થયેલ વનસ્પિતનું નામ છે યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી. જાણીને નવાઈ લાગશે પરંતુ આ વનસ્પતિ માંસાહારી છે! કારણ કે, તેનો ખોરાક નાના જીવાણુ છે.વધુ વાંચો -
CM રૂપાણીએ જૂનાગઢ ખાતે ફરકાવ્યો તિરંગો, કહ્યું - ગુજરાતની હરીફાઈ અન્ય રાજ્યો સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે
- 15, ઓગ્સ્ટ 2021 10:01 AM
- 1299 comments
- 4409 Views
જુનાગઢ- આજે તારીખ 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી જૂનાગઢમાં શરૂ થઇ રહી છે. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચીવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતુ. આજે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. ધ્વજવંદન વખતે વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સીએમ વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સ્વાતંત્રય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દેશ માટે અવિરત સંઘર્ષ કરીને આપણને મહામૂલી આઝાદી આપનાર સૌ વીરોને નમન કરવાની અને પુણ્ય સ્મરણ કરવાની આ તક છે. આપણે જ્યારે જુનાગઢની ધરતી પર સ્વાતંત્રય દિનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે જુનાગઢનો વિશેષ ઇતિહાસ અવશ્ય યાદ આવે. ભારત 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયુ પરંતુ જુનાગઢને તો ત્રણ મહિના પછી 9મી નવેમ્બરે આઝાદી મળી. આરઝી હકુમતના જન જુનાવળના કારણે ભારતનું અભિન્ન અંગ બન્યુ. હું આરઝી હકુમતનાં સૈનાનીઓને પણ વંદન કરું છું. ગુજરાતની હરીફાઈ અન્ય રાજ્યો સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે. વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આપણે ગુજરાતમાં બનાવ્યું છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં બનાવ્યું છે. વિશ્વનો સૌથી મોટો રિન્યુબલ પાર્ક ગુજરાતમાં છે. વિશ્વની સૌથી મોટી 12 હજાર બેડની મેડીસિટી ગુજરાતમાં બનાવ્યું છે. દેશનું સૌથી મોટુ સીએનજી પોર્ટ ભાવનગરમાં બનાવ્યું છે. દેશની સૌથી મોટી બુલેટ ટ્રેન ગુજરાતમાંથી ચાલુ થશે. એફડીઆઇમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. વિશ્વનું સૌથી મોટો કોમર્શિયલ કોમ્પલેક્ષ સુરતમાં, ગુજરાતમાં છે. દરિયા પર સ્માર્ટ સિટી પણ ગુજરાતમાં છે. ખારા પાણીને મીઢું બનાવવાનાં પ્રયત્નો ગુજરાતે હાથ ધર્યા છે.વધુ વાંચો -
World Lion Day : સૌ પ્રથમ વર્ષ 1911 મા જૂનાગઢ નવાબે ગીરના સિંહોને કર્યા સંરક્ષિત અને આજે સંખ્યા 600 પાર પહોંચી
- 10, ઓગ્સ્ટ 2021 02:33 PM
- 3845 comments
- 909 Views
રાજકોટ-એશિયાનું ગૌરવ અના જૂનાગઢની શાન એશીયેટીક લાયનની આગવી પ્રતિભા અંકીત કરતા વિશ્વ સિંહ દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે.સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ઘન માટે લોકોમાં જાગૃતિ અને સિંહનાં સંરક્ષણ અને સંવર્ઘનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. એશિયાનું એક માત્ર ગુજરાતના ગીરમાં જોવા મળતા સિંહોનું સામ્રાજ્ય ભારતના અનેક રાજ્યોની સાથે અન્ય દેશોમાં પણ જોવા મળતું હતું, પરંતુ કાળક્રમે સિંહોના નૈસર્ગિક કુદરતી અને લોકો દ્વારા નુકશાન થતા સિંહ આજે માત્ર ગુજરાત અને ગીરના જંગલમાં જોવા મળે છે,ગુજરાત અને ભારત સિવાય વર્ષો પહેલા જંગલના રાજા સિંહ મેસોપોટેમીયા,અરેબિયા અને પર્શિયા જેવા દેશોમાં પણ જોવા મળતા હતા,પરંતુ સિંહોના અકાળે શિકાર અને તેના રહેઠાણો નષ્ટ થવાને કારણે જંગલના રાજા સિંહ એશિયામાં એક માત્ર ગુજરાત ગીરમાં જોવા મળી રહ્યા છે.સિંહોનું એકમાત્ર નિવાસ્થાન 'ગીર' ગીરમાં જોવા મળતા જંગલના રાજા સિંહનું વર્ચસ્વ ભારત સહિત વિશ્વના કેટલાક દેશોમાં જોવા મળતું હતું,પરંતુ જંગલના રાજાની ડણક જાણે કે કેટલાક રાજ્ય અને દેશના લોકોને જાણે આંખમાં કણાની જેમ ખૂંચતી હોય તે પ્રકારે સિંહોના પ્રાકૃતિક નિવાસ્થાનોને ખૂબ મોટું નુકશાન કરીને સિંહોના શિકાર જેવા શોખ પાડીને જંગલના રાજા સમા જાજરમાન પ્રાણી સિંહ કાળક્રમે નષ્ટ થયા અને આજે એકમાત્ર એશિયામાં અને તે પણ ગુજરાતના ગીરમાં જોવા મળી રહ્યા છે. જંગલના રાજાને સંભાળવાનું અભિમાન આજે ગુજરાતની સાથે ગીર લઈ રહ્યું છે.તેની પાછળની મહેનતના કારણે ગીરના જંગલોમાં સિંહ મુક્ત મને ફૂલ્યા ફાલ્યા રહે છે. ગીરનાં સાવજોની સંખ્યામાં વધારો એશિયા સહીત વિશ્વના અરેબિયા, પર્શિયા અને મોસોપોટેમીયા દેશોમાં સિંહ કાળક્રમે આજે લુપ્ત બન્યા છે,પરંતુ જંગલના રાજાને સાચવવાનું અભિમાન આજે ગીર લઈ રહ્યું છે, વર્ષ 1884માં સૌરાષ્ટ્રની બહાર એકમાત્ર સિંહની હાજરી નોંધાય હતી, વર્ષ 1963માં ગિરનાર વિસ્તારમાં અંતિમ વખત સિંહ જોવા મળ્યો હતો, પરંતુ આજે સિંહોના સંવર્ધન અને તેની સલામતી ખુબજ મજબૂત થતાં ગિરનાર વિસ્તારમાં પણ આજે 20 કરતા વધુ વનરાજો જોવા મળી રહ્યા છે.જૂનાગઢમાં વર્ષ 1911માં નવાબે સતત ઘટતી જતી સિંહોની સંતતિને લઈને સિંહોના શિકાર પર પ્રતિબંધ લાગાવ્યોઅને પકડાયેલા પ્રત્યેક વ્યક્તિને મરણતુલ્ય સજા આપવાનું નક્કી કર્યું, ત્યારથી ગીરમાં સિંહોને જાણે કે મોકલું મેદાન મળ્યું હોય તે પ્રકારે સિંહોની સંતતિ સતત વધતી રહી છે. જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર મુક્યો પ્રતિબંધ નવાબી કાળમાં સિંહોનો શિકાર થતો હતો, જેના કારણે જંગલના રાજાની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો અને જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર પ્રતિબંધ મૂકીને આ પ્રકારની ગેર કાનૂની ગતિવિધિમાં સામેલ સૌ કોઈને આકરી સજા ફટકારવાનો નિર્ણય કર્યો હતો.આ કારણે ગીરના સિંહોની સંતતિ સલામત રહી અને આજે સમગ્ર એશિયામાં 600 કરતા વધુ સિંહો એકમાત્ર ગીરના જંગલમાં જોવા મળે છે. સતત ઘટતી જતી સિંહોની સંખ્યા અને સિંહોની સુરક્ષાને લઈને નવાબ બાદ રાજ્યના વનવિભાગે કેટલાક સચોટ અને પરિણામલક્ષી કાર્યક્રમો ઘ્વારા આજે ગીરમાંથી સિંહોને લુપ્ત થતા અટકાવી દીધા છે. જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓની સંખ્યામાં ઘટાડોસમય બદલવાની સાથે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને માનવ બળે સિંહના શિકાર અને તેની પજવણીની ઘટનાઓ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો છે. વન વિભાગના કર્મચારી અને અધિકારીઓને સિંહોની સુરક્ષા માટે હથિયાર સહિત આધુનિક કહી શકાય તેવાત વાયરલેસ ટેકનોલોજી સભર વાહનો, સિંહોને રેડિયો કોલર, CCTV કેમેરા અને 24 કલાક સતત જંગલના એક એક રસ્તા પર નજર રાખતા વન વિભાગના કાર્યનિષ્ઠ કર્મચારીઓને કારણે 2008 બાદ સિંહોના શિકારની એક પણ ઘટના કે ગતિવિધિ સામે આવી નથી. આગામી દિવસોમાં વન વિભાગ ટેકનોલોજીના સહારે સિંહોની સુરક્ષાને લઇને વધુ કેટલાક પગલાં ઉઠાવવા જઈ રહી છે, જેને કારણે જંગલના રાજા સિંહની સુરક્ષા વધુ ચોક્કસ બની શકશે. સાસણ નજીક પણ સિંહોની સુરક્ષા અને તેની ગતિવિધિ પર 24 કલાક નજર રહી શકે તેમજ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર થતા પ્રવેશને રોકી શકાય તે માટે કંટ્રોલ યુનિટની પણ સ્થાપના કરવામાં આવી છે. જેના થકી જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર વ્યક્તિઓની સંખ્યામાં પણ ખુબજ ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે તમામ લોકોને અભિનંદન આપ્યાવિશ્વ સિંહ દિવસ નિમિત્તે તમામ લોકોને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, "સિંહ જાજરમાન અને હિંમતવાન છે. ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે. વિશ્વ સિંહ દિવસ પર, હું સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી એવા તમામ લોકોને અભિનંદન આપું છું. તમને જાણીને આનંદ થશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સિંહની વસ્તીમાં સતત વધારો થયો છે. ”વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ