જૂનાગઢ સમાચાર

  • ગુજરાત

    ફેબ્રુઆરી મહિનો આવ્યો છતાં ગીરના આંબા પર મોર ન આવતાં ખેડૂતોમાં ચિંતા

    જૂનાગઢ ઉનાળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉનાળો આવતાં જ લોકો ફળોના રાજા કેરીના આગમનની પણ રાહ જાેતા હોય છે, પરંતુ આ વર્ષે કેરીના રસિયા માટે માઠા સમાચાર આવ્યા છે. ગીરની પ્રખ્યાત કેસર કરીના આંબા પર ફેબ્રુઆરી સુધીમાં મોર લાગી જતા હોય છે, પરંતુ ૬૦ ટકા જેટલા આંબા પર ૧૨ ફેબ્રુઆરી સુધીમાં મોર ન બેસતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. આ સ્થિતિ માટે કૃષિ વૈજ્ઞાનિકો વાતાવરણને વિલન ગણાવી રહ્યા છે. ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લામાં આંબા પર મોર ન આવતાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બે દિવસ પહેલાં જ જૂનાગઢ, તાલાલા, આંકોલવાડી સહિતના વિસ્તારમાં આવેલા આંબાના બગીચાનો સર્વે કર્યો હતો, જેમાં મોટા ભાગના બગીચાઓમાં ૩૦થી ૪૦ ટકા જેટલું જ ફ્લાવરિંગ(મોર) થયું હોવાનું સામે આવ્યું છે.કેસર કેરીના બગીચાઓમાં ફેબ્રુઆરી મહિનામાં પણ આંબા પર મોર ન આવતાં જૂનાગઢમા કેરીનો બગીચો ધરાવતા ભોલાભાઈ બગડા નામના ખેડૂતની મુલાકાત કરવામાં આવી હતી. ભોલાભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે આંબા પર મોર જ નથી આવ્યા. અમે દર વર્ષે પાંચ લાખ રૂપિયામાં ઈજારો આપીએ છીએ, પરંતુ આ વર્ષે જે ઈજારેદારો જાેવા માટે આવે છે, તેઓ બે લાખ રૂપિયા આપવા પણ તૈયાર નથી. તેઓ આંબાની સ્થિતિ જાેઈને ચાલ્યા જાય છે.ગીર પંથકમાં દર વર્ષે આંબાના બગીચાનો ઈજારો રાખતા રાહુલ ગોહેલે કહ્યું હતું કે અમે અલગ અલગ ખેતરમાં આંબાની સ્થિતિ જાેવા માટે જઈ રહ્યા છીએ, પરંતુ ક્યાંય હજી સુધી મોર આવ્યા નથી. સામાન્ય રીતે અત્યારે તો ખાખડી કેરી આવી જતી હોય છે, પરંતુ આ વર્ષે વાતાવરણના કારણે હજી મોર પણ નથી દેખાતા. હાલ સ્થિતિ એવી છે કે જાે અમે ઈજારો રાખીએ તોપણ મુશ્કેલીમાં મુકાય એમ છીએ અને ન રાખીએ તોપણ મુશ્કેલીમાં મુકાઈ એમ છીએ.
    વધુ વાંચો
  • ગુજરાત

    લીલી પરિક્રમા પૂર્ણ થઈઃ ૧૩ લાખથી વધુ યાત્રાળુ પુણ્યનું ભાથું બાંધી વતન પરત ફર્યા

    જૂનાગઢ ગરવા ગઢ ગિરનારની ગોદમાં વર્ષોથી ચાલી આવતી પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ આવે છે. ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે ભવનાથની લીલી પરિક્રમા. આ પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ પોતપોતાના ગ્રુપ પરિવાર મિત્રો સાથે આવે છે .ત્યારે આ વર્ષે દીવ ઉઠી અગિયારસના દિવસે વિધિવત રીતે શરૂ થતી પરિક્રમા એક દિવસ અગાઉ શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજે કાર્તિકીય પૂર્ણિમાના દિવસે આ પરિક્રમા પૂર્ણ થઇ છે .આ લીલી પરિક્રમામાં તંત્ર દ્વારા જણાવ્યા મુજબ ૧૩ લાખ થી વધુ યાત્રાળુએ પરિક્રમા પૂર્ણ કરી છે .અને પોતાના વતન પરત ફર્યા છે. મુંબઈથી પરિક્રમા કરવા આવેલા મિતેશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મારું આખું ગ્રુપ મુંબઈથી પરિક્રમા કરવા માટે આવ્યું હતું. પરિક્રમા ના આનંદનું વર્ણન કરવું શબ્દોમાં ખૂબ જ કઠિન છે. ગિરનારના સાનિધ્યમાં પરિક્રમા ની અદભુત અનુભૂતિ અમારા ગ્રુપે કરી છે. આ પરિક્રમામાં પોલીસ અને પ્રશાસન પણ પરિક્રમામાં ખડે પગે હતું. તંત્રનું રાત દિવસ સતત યાત્રાળુઓને માર્ગદર્શન રહ્યું હતું. સ્વચ્છતા માટે પણ ઘણા સારા એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા .અને દરેક યાત્રાળુ એ પણ સ્વચ્છતા નું ધ્યાન રાખવું જાેઈએ. આજે પરિક્રમા પૂર્ણ થઈ છે અને લાખો પરિક્રમાથીઓએ આ પરિક્રમાનો લાભ લીધો છે.યાત્રાળુ અલ્પેશ નાયકી જણાવ્યું હતું કે, મનમાં એક ભાવ જાગ્યો હતો કે ગિરનારની પરિક્રમા કરવી છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    દીપડાએ બે વર્ષના બાળકનું માથું પકડી લેતાં ચામડી સહિત વાળ નીકળી ગયા

    જુનાગઢ, ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થતા માનવ પર હુમલાની ઘટનામાં પણ વધારો થયો છે. ચાર દિવસ પહેલા પરિક્રમા દરમિયાન દીપડાએ એક તરુણીને ફાડી ખાધા બાદ હવે બે વર્ષના બાળક પર હુમલાની ઘટના બની છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા પરિવારનું બે વર્ષનું બાળક ફળિયામાં રમી રહ્યું હતું ત્યારે ત્રાટકેલો દીપડો બાળકનું માથું પકડી ભાગવા લાગ્યો હતો. આ જ સમયે બાળકના માતાપિતાની નજર પડતા તેઓએ દીપડા સામે બાથ ભીડી હતી અને બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં માતાપિતાને સફળતા મળી હતી. જાે કે, દીપડાની ચુંગાલમાંથી બાળકને છોડાવતી સમયે બાળકના માથાના તમામ વાળ ચામડી સાથે નીકળી જતા બાળકને ગંભીરી ઈજા પહોંચી હતી. હાલ તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારના કિરીટનગરમાં રહેતા સીડા પરિવારનો બે વર્ષીય બાળક ગઈકાલે સાંજે ઘરના ફળિયામાં રમી રહ્યો હતો. ત્યારે જ જંગલ વિસ્તારમાંથી ધસી આવેલા દીપડાએ બાળકનું માથું પકડી દીવાલ પર ચઢી ગયો હતો.આ જ સમયે બાળકના માતાપિતાની નજર પડતા જ દીપડા સામે બાથ ભીડી હતી અને બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. માતાપિતાએ દીપડાનો સામનો કરતા દીપડો બાળકને મૂકીને નાસી છૂટ્યો હતો. જાે કે, બાળકના માથાના તમામ વાળ ચામડી સાથે નીકળી જતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. જેને પ્રાથમિક સારવાર જૂનાગઢ અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તાર સુધી દીપડો ઘૂસી આવીને હુમલો કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગની ટીમે પાંજરુ ગોઠવી ફરી હટાવી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જંગલ વિસ્તાર નજીક હોવાના કારણે અવારનવાર દીપડો આ વિસ્તારમાં ચડી આવતો હોવાનું અને પશુઓનો શિકાર કરતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    ૧૨લાખથી વધુએ ગીરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી

    જૂનાગઢ ગરવા ગિરનારની ૩૬ કિમીની લીલી પરિક્રમાને કમોસમી વરસાદનું વિધ્ન નડ્યું છે. અચાનક વાતાવરણમાં પલટા સાથે શનિવારની રાત્રિના ૩ઃ૩૦ વાગ્યાથી માવઠું વરસી પડતા પરિક્રમાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ખાસ કરીને પરિક્રમાનો માર્ગ ધૂળીયો છે.માવઠું થતા ધૂળીયા માર્ગ ગારો, કિચડ વાળા બની ગયા છે. જેના કારણે સેંકડો પરિક્રમાર્થીઓને ૧૫ કિમી સુધી ગારો, કિચડ અને લપસણા માર્ગ પરથી ભારે સાવચેતી પૂર્વક પસાર થવું પડ્યું હતું. અનેક પરિક્રમાર્થીઓએ નીચે પાથરવા લાવેલ પ્લાસ્ટિક- તાલપત્રીનો ઉપયોગ વરસાદથી બચવા માટે કરવો પડ્યો હતો. પ્લાસ્ટિક માથે ઓઢીને વરસાદથી બચવા પ્રયાસ કર્યો હતો. વરસાદના કારણે સેંકડો પરિક્રમાર્થીઓ પલળી જતા તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેજ ગતિથી ફૂકાતો પવન, વિજળીના ચમકારા અને કડાકાને ભડાકાથી જંગલમાં બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. હજુ પણ વરસાદ વરસી પડેતો મુશ્કેલીમાં ભારે વધારો થવાની દહેશતના કારણે અનેક પરિક્રમાર્થીઓને વ્હેલી પરિક્રમા પૂર્ણ કરી લેવાની ફરજ પડી હતી.બીજી તરફ જંગલમાં પડેલા વરસાદના કારણે ૪૦ થી વધુ અન્નક્ષેત્રોના સેવાર્થીઓને પણ બપોર બાદ ભોજન સેવા આટોપી લેવાની ફરજ પડી હતી.આમ, કમોસમી વરસાદ પડતા લીલી પરિક્રમાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જાેકે, અનેક યુવા પરિક્રમાર્થીઓએ વરસાદની મજા માણી હતી અને વરસતા વરસાદે પણ પરિક્રમા ચાલુ રાખી હતી.દરમિયાન આરએફઓ અરવિંદ ભાલીયાએ જણાવ્યું હતું કે, લીલી પરિક્રમા કરવા અત્યાર સુધીમાં ૧૩,૨૩,૦૦૦થી વધુ ભાવિકોએ જંગલમાં પ્રવેશ કરી લીધો છે. આમાંથી ૧૨,૪૮,૦૦૦થી વધુએ લીલી પરિક્રમા પૂર્ણ કરી લીધી છે અને વતન ભણી રવાના પણ થઇ ગયા છે.જાેકે, હજુ પણ અનેક ભાવિકો પરિક્રમાના રૂટ પર છે. અત્યારે માવઠાથી ખેડૂતોને ખુબ મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. જેમાં હાલ કપાસમાં જીંડવા ફાટેલા છે, તેમાં કપાસીયા ઉગી જશે જેથી રૂની કવોલીટી બગડી જશે. તો જ્યાં છેલ્લાં ૩ દિવસમાં ઘઉં,જીરૂ,ધાણાનું વાવેતર કરેલ હશે તે દબડાઈ જશે અને ઉગાવો ઓછો આવશે. તો વળી જ્યાં ચણા ઉગીને ૨૫ દિવસના થઈ ગયા હશે તેનો કુદરતી ખાર ધોવાઈ જવાથી ઉત્પાદન ઘટશે. જ્યારે ઉગી ગયેલા જીરૂ અને ધાણાના પાકમાં ભેજ વધવાથી ફુગનો રોગ વધવાની શક્યતા છે.તો વળી તુવેરના પાકમાં હાલ ફલાવરીંગ ખરી જવાથી ઉત્પાદન ઘટશે. ડુંગળી અને લસણને કોઈ નુકસાની થશે નહી. તો અમુક વિસ્તાર ખાસ કરીને બારાડી અને બરડા વિસ્તારમાં હાલ મગફળી કાઢવાની કામગીરી ચાલુ હોય પશુનો ચારો અને મગફળી પલળી ગઈ છે.આ માવઠું જતું રહે કે તુરત જ જીરૂ, ધાણા જેવા પાકમાં ફુગના રોગ ન લાગે તે માટે ડાયથેન એમ ૪૫ કે સાફ જેવી ફુગનાશક સાથે પ્રાયમસી આલ્ફાનો છંટકાવ કરવાથી પાકને બચાવી શકાય છે.પરિક્રમામાં મહિલા, યુવાન સહિત ૪ ભાવિકનાં મૃત્યુ લીલી પરિક્રમા કરવા આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દેવળીયા ગામના મારખીભાઈ હમીરભાઈ ગોજીયા ઉ. વ. ૫૪ની તબિયત ભવનાથ ખાતે બગડતા સિવિલમાં માત્ર મૃતદેહ જ પહોંચ્યો હતો. રાજકોટના મહેન્દ્રભાઈ જીવનભાઈ સરવૈયા માળવેલાની પથ્થરવાળી ઘોડી ચડતી વખતે પગે ઠેસ લાગતા તેઓ પડી જતા ગંભીર ઇજા થતા મૃત્યુ નીપજ્યું હતું. જામનગર જિલ્લાના સિક્કાનાં મુક્તાબેન અર્જુનભાઈ વાઘેલા ઉ. વ. ૩૮ નામના મહિલા પરિવાર સાથે લીલી પરિક્રમા કરવા આવ્યાં હતા અને બોરદેવી જંગલ વિસ્તારમાં અચાનક મુક્તાબેન અચાનક ઢળી ગયા હતા. આથી તેમને બેભાન હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુંબઈનો યુવાન સાયકલ લઈ જૂનાગઢ પહોંચ્યો મુંબઈમાં રહેતો અને બાયો મેડિકલ ટેકનિશિયન તરીકે કામ કરતો સિદ્ધેશ શિલર નામનો યુવન મુંબઈથી સાયકલ યાત્રા કરી પહોંચ્યો ગિરનાર પરિક્રમા કરવા જુનાગઢ.આ યુવાને   સાયકલિંગના વિડિયો જાેયું ને ઘેલું લાગ્યું સાયકલિંગ કરી જુનાગઢ પરિક્રમા કરવાનું વિચાર્યું હતું. મુંબઈના યુવાન સિદ્ધેશ શિલરે રે જણાવ્યું હતું કે મેં   સાયકલિંગ ના વિડીયો જાેવાનું શરૂ કર્યું. અને મને પણ આ સાયકલિંગ કરવાની ઈચ્છા જાગૃત થઈ હતી. ત્યારે મેં નક્કી ન કર્યું હતું કે હું ગિરનાર આવીશ. પણ હું જે મુંબઈની હોસ્પિટલમાં કામ કરું છું ત્યાં મારી સાથે કામ કરનાર લોકો ઘણીવાર ગિરનાર આવે છે. અને તેમને મને ગિરનારની ઘણી વાતો કરી અને મને પણ ગિરનાર પરિક્રમામાં આવવાની ઈચ્છા થઈ.
    વધુ વાંચો
  • ગુજરાત

    અસંખ્ય અન્નક્ષેત્રોમાં પરિક્રમાર્થીને શુદ્ધ અને સાત્વિક પ્રસાદીનું વિતરણ

    જુનાગઢ, ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા નો કાલ મધરાત થી પ્રારંભ થયો છે. ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા પહોંચ્યા છે.માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધવા લીલી પરિક્રમામાં ઉમટી પડ્યા છે. જે યાત્રાળુ પરિક્રમા કરવા આવે છે તેમાંથી ઘણા યાત્રાળુઓ પોતાની સાથે કાચું ભોજન લાવે છે અને જ્યાં પરિક્રમા રૂટ પર રાત્રી રોકાણ કરે છે ત્યાં આ ખોરાકને પકવી અને ખાય છે. પરંતુ જે યાત્રાળુ ભોજન લાવતા નથી તેના માટે અહીં વર્ષોથી અલગ અલગ સેવાકીય સંસ્થાઓ દ્વારા પ્રસાદીની સેવા શરૂ કરવામાં આવી છે. અહીં પરિક્રમા દરેક રૂટ પર જતા થોડે જ દૂર અન્નક્ષેત્રો ખોલવામાં આવ્યા છે .જે શુદ્ધ અને સાત્વિક ભોજન આપે છે.છેલ્લા નવ વર્ષથી જુના અખંડ ગીરી બાપુ અહી અન્નક્ષેત્ર ચલાવે છે. ગીરનાર પરિક્રમા ના રૂટ પર પ્રથમ ચાર ચોક પાસે અન્નક્ષેત્રમાં પ્રસાદીની સેવા આપી રહ્યું છે. જેમાં ૧૦૦ થી વધુ સ્વયંસેવકો પાંચ દિવસ સતત ખડે પગે રહીને સેવા આપે છે.છે જેમાં ગરમા ગરમ નાસ્તો સાથે બપોરે રોટલા રોટલી,ખીચડી,અને અલગ અલગ શાક સહિતનું ભોજન પીરસીને પરિક્રમમાં પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. જ્યારે મહિલાઓ પણ બહારથી પર સેવા માટે તત્પર બન્યા છે. જય ગિરનારીના નાદ સાથે શ્રદ્ધાળુઓએ પરિક્રમા શરૂ કરી દીધી છે.ઈટવા ગેટ થી શરૂ થતી પરિક્રમા નો પ્રથમ પડાવ જીણાબાવાની મઢી બાદમાં માળવેલાની ઘોડી, નળ પાણીની ઘોડી થઈને ચોથો પડાવ બોરદેવી ખાતે શ્રદ્ધાળુઓ આવી પહોંચે છે અને બાદમાં ભવનાથ ખાતે પહોંચે ત્યારે પરિક્રમા પૂર્ણ થાય છે ૩૬ ાદ્બ ની પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓ જુદા જુદા અન્નક્ષેત્રોમાં ભોજન પ્રસાદ લઈ રહ્યા છે.ધન્યતા અનુભવી રહ્યા છે .પરિક્રમા રૂટ પર પહેલી વાર બોરદેવી નજીક ૧૧ વર્ષની કિશોરી પર દીપડાએ હુમલો કરતા મોત નીપજ્યું જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. આ પરિક્રમામાં લાખો યાત્રાળુઓ દર વર્ષે ઊમટે છે. આ વખતે પરિક્રમામાં એક દુઃખદ ઘટના બની છે. એમાં ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત પરિક્રમા રૂટ પર બોરદેવી નજીક આજે વહેલી સવારે એક કિશોરી પર દીપડાએ હુમલો કર્યો હતો. જાજરૂ કરવા ગયેલી કિશોરીને દીપડો ઉઠાવીને દૂર લઈ ગયો હતો. એ બાદ તેને ફાડી ખાધી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડતી થઈ હતી. વન વિભાગની ટીમને માત્ર તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલાના વિક્ટર ગામેથી પરિક્રમા કરવા આવેલા પરિવારની ૧૧ વર્ષની કિશોરી પર દીપડાએ હુમલો કર્યો હતો. પરિક્રમા રૂટ પર બોરદેવી નજીક જંગલ વિસ્તારમાં સવારે કિશોરી ટોઈલેટ માટે ગઈ હતી ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો તેને જંગલ વિસ્તારમાં લઈ જઈ નાસી ગયો હતો. દીકરીને દીપડાની ચુંગાલમાંથી છોડાવવા માટે પરિવારે પાછળ દોડ લગાવી હતી, જાેકે દીપડો તેને જંગલમાં દૂર લઈ જઈ નાસી ગયો હતો. પરિક્રમા રૂટ પરના વન વિભાગને દીપડાના હુમલાની જાણ કરવામાં આવતાં વન વિભાગની ટીમ દોડતી થઈ હતી. વન વિભાગ દ્વારા જંગલમાં ૫૦થી ૭૦ મીટર દૂર જઈ કિશોરીને શોધી કાઢી હતી. જાેકે તેનું મોત થઈ ગયું હતું. તેના મૃતદેહને વન વિભાગ દ્વારા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને જ્યાં હાલ એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.પરિક્રમા રૂટ પર વન્ય પ્રાણી દ્વારા હુમલો થયો હોય એવી આ પ્રથમ ઘટના છે. વન વિભાગની ટીમે હાલ હુમલાખોર દીપડાને પકડવા માટે પાંજરાં મૂકવાની પ્રક્રિયા હાથ ધરી છે. ૧૧ વર્ષીય કિશોરી પર દીપડાએ હુમલો કરતાં પરિક્રમાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલ તો હુમલાની ઘટના બનતાં સીસીએફ, આરએફઓ સહિતનો વન વિભાગનો સ્ટાફ દોડતો થયો છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની કાળજી રાખવા મંત્રી મૂળુભાઈ બેરાએ વનવિભાગને તાત્કાલિક સૂચના આપી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    જૂનાગઢમાં મુચકુંદ મહાદેવ મંદિર ખાતે મહિલા તબીબ સહિત ૩૨ સંસારીઓએ દીક્ષા ગ્રહણ કરી

    જુનાગઢ,આજે કારતક સુદ અગિયારસ એટલે કે પરિક્રમા વિધિવત રીતે શરૂ થવાનો દિવસ છે .ત્યારે આજના પવિત્ર દિવસે મુચકુંદ મહાદેવ મંદિર ખાતે ૩૨થી વધુ સંસારીઓએ સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો.જેમાં ૨૬ જેટલા પુરુષો અને ૬ મહિલાઓએ વિધિવત રીતે સંસારનો ત્યાગ કરી ભગવો ધારણ કર્યો હતો. જુનાગઢ મુચકુંદ મહાદેવ મંદિર ખાતે આ દીક્ષા લેવાની પરંપરા શિવરાત્રી સમયથી શરૂ છે. આ પહેલા પણ શિવરાત્રી સમયે , ગુરુ પૂર્ણિમા સમયે અને હાલમાં આજે ગિરનાર પરિક્રમા શરૂ થવાના વિધિવત દિવસે ૩૨થી વધુ સંસારીઓએ દીક્ષા ધારણ કરી છે. અત્યાર સુધીમાં ૫૫૦ થી વધુ સાંસારીઓએ સન્યાસ ધારણ કરી સનાતન ધર્મને આગળ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.આ તમામ લોકોએ પોતાની રોજિંદી જીવનશૈલી છોડી સનાતન ધર્મ માટે અને પોતાના ગુરુમંત્રને સાર્થક કરવા સેવાભાવ અને સમાજ માટેના ઉત્તમ કાર્યો કરવાની નેમ લીધી હતી. આ દીક્ષાર્થીઓમાં એક મહિલા તબીબે પોતાની સવલતભરી જિંદગી છોડી ભગવો ધારણ કર્યો હતો. પોરબંદરના વતની અને ગાયનેક મહીલા ડો. જીયા રાઠોડે જણાવ્યું હતું કે, સનાતન ધર્મથી મોટું કંઈ જ નથી. અને મૃત્યુ એ બધાનું નિશ્ચિત છે. ત્યારે સદગુરુના આશીર્વાદથી સનાતન ધર્મની રક્ષા માટે આ દિક્ષા ધારણ કરવાનું નક્કી કર્યું છે. કારણકે સંસારમાં રહીને ઈશ્વરને પામી ન શકાય અને ભજન પણ ન થઈ શકે. ત્યારે મારા વ્યવસાયમાં ઇમરજન્સી કામકાજ અને દર્દીઓના કોલ આવે છે. તે બધું છોડી આજે સદગુરુના આશીર્વાદથી સનાતન ધર્મ માટે દીક્ષા ગ્રહણ કરી છે. મહામંડલેશ્વર મહેન્દ્વાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે, જૂનાગઢની પાવન ભૂમિ પર ગિરનારી મહારાજના સાનિધ્યમાં મુચકુંદ ગુફા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દીક્ષા મહોત્સવ યોજાયો હતો. આ તમામ લોકોએ પોતાનું ભૌતિક સાંસારિક જીવન છોડી સનાતન ધર્મની સેવા માટે પોતાનું જીવન અર્પણ કર્યું છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    વિધિવત પ્રારંભ થાય એ પહેલાં સવા ત્રણ લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી

    જૂનાગઢ, પાવનકારી ગિરનાર લીલી પરિક્રમામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યમાંથી ભાવિકો ઉમટી પડ્યા છે. યાત્રાળુઓ અનેરો ઉત્સાહ સાથે અને લીલી વનરાઈ વચ્ચે આનંદ-ઉમંગ સાથે પગપાળા ગિરનાર લીલી પરિક્રમા કરી રહ્યા છે. ભાવિકોની સગવડતા માટે જિલ્લા વહીવટી તંત્ર જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરિક્રમાનો વિધિવત પ્રારંભ આજે રાત્રે ૧૧ વાગ્યે થશે. જાેકે, પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય એ પહેલાં સવાત્રણ લાખથી વધુ ભાવિકોએ પૂર્ણ પણ કરી દીધી છે. સૌરાષ્ટ્ર-ગુજરાતની સંસ્કૃતિની ઉજાગર કરતા સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલતા અન્નક્ષેત્રો પણ હરી હરના નાદથી ગુંજી ઉઠ્‌યા છે, ભાવિકો પણ ભાવ સાથે ભોજન-ભજન કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે. આમ, ભક્તિમય માહોલ વચ્ચે અને અનેરા ઉત્સાહ સાથે પરિક્રમાના સમગ્ર રૂટ પર જય ગિરનારીનો નાદ ગૂંજી ઉઠ્‌યો છે.ત્યારે પરિક્રમા રૂટ પર તંત્ર ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે, જેને લઇ ભાવિકોમાં પણ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.હાલ ભાવિકોએ વહેલા ઉત્સાહ સાથે પરિક્રમા શરૂ કરી દીધી છે. વર્ષો વર્ષ પરિક્રમામાં આવતા મહેસાણા કડી નજીકના મુક્તેશ્વર મહાદેવ મંદિરના સેવક કહે છે કે, જિલ્લા વહીવટી તંત્ર-વન વિભાગ દ્વારા ખૂબ સારી વ્યવસ્થાઓ છે. જેમાં લોકોએ પણ તંત્રને સહકાર આપવો જાેઈએ. તેમ તેમણે જણાવ્યું હતું.પરિક્રમામાં પોલીસ પ્રજાની મિત્ર બની પરિક્રમાર્થીને છાતીમાં દુખાવો થતાં હોમગાર્ડ દ્વારા સાીપીઆર આપ્યું પરિક્રમામાં આવેલ પરિવારના એક કિશોર અડી કડી વાવની દીવાલ પરથી નીચે પટકાયો હતો.જે બાબતની જાણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.એમ.જાદવ ,પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ગેલાભાઈ,વેલસીભાઈ છગનભાઈ તથા ડાયાભાઈ ગઢવી જ્યારે પરિક્રમાંના બંદોબસ્ત માં હતા ત્યારે થતા ઉપરકોટ તરફ પેટ્રોલિંગમાં જતા કિશોર ને મોબાઈલ વાનમાં લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે સારવાર ખસેડાયો હતો.ત્યાં જાણવા મળેલ કે .જ્યા ફરજ પરના ડોક્ટરોએ અકસ્માતમાં ઈજા પામનાર કિશોરના બંને પગ ઘુટીના ભાગે ગંભીર ઈજા થયાનું જણાવી સારવાર શરુ કરી હતી. તો બીજી તરફ પરિક્રમા આવેલા પ્રદીપ સુરેશભાઈ ગીર સોમનાથના તેના માતાથી અલગ પડી જતા તેમના માતાને શોધી તેમના દીકરાને સોંપી આપેલ હતા. પરીક્રમા ઝોન ૫ પોઇન્ટ નંબર ૧૯ સુરેન્દ્રનગરના ધોકડવા ગામના રાયધનભાઈ કમાંભાઈ દેગામાં​​​​​​​ને છાતીમાં દુખાવો થતાં હોમગાર્ડ આશિષભાઈ દ્વારા ઝ્રઁઇ આપવામાં આવી હતી.અને ૧૦૮ ની મદદ થી સીવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા તેમની વધુ સારવાર શરૂ કરવામાં આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    એક દિવસ પહેલાં જ ગીરનારની લીલી પરિક્રમા શરૂ

    જુનાગઢ, દેવ ઊઠી અગિયારસના દિવસથી વિધિવત્‌ રીતે ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થાય છે, પરંતુ ભાવિકો વહેલા આવી જતા તેમજ ભાવિકોનો ધસારો ખૂબ વધી જતાં તંત્ર દ્વારા એક દિવસ પહેલાં જ પરિક્રમાનો ગેટ ખોલવામાં આવ્યો છે. જેને પગલે ભાવિકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ જંગલને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે અને પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરે તેવી પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આજે વહેલી સવારે વનવિભાગ દ્વારા ઈટવા ગેટ ખોલવામાં આવ્યો હતો. જેમાં ૫૦ હજારથી વધુ ભાવિકોએ પરિક્રમા રૂટ પર એન્ટ્રી લીધી છે. પરિક્રમાર્થીઓને વહેલી પરિક્રમાની પરવાનગી આપવામાં આવતા ભાવિકોએ તંત્રનો આભાર માન્યો હતો. દેવભૂમિ દ્વારકાથી આવેલા નાગજીભાઇએ જણાવ્યું હતું કે, પરિક્રમાની એક દિવસ પહેલાં મંજૂરી આપવામાં આવી છે, જેને લઈ ભાવિકોમાં ખૂબ જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્ત્વ છે. અહીં આવનાર કોઈ શ્રદ્ધાળુએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જાેઈએ. અમે પરિક્રમા દરમિયાન જીણાબાવાની મઢી અને મારવેલે રાત રોકાશું. આ રાત્રીરોકાણ કરી પરિક્રમાનો પડાવો નાખશું. અમે સાથે કાચું ભોજન લઈને જ આવ્યાં છીએ જ્યાં રોકાશું ત્યાં ભોજન પકવીને જમશું. માનગઢથી આવેલા સંજયે જણાવ્યું હતું કે, અમે આઠ વર્ષ બાદ આજે ફરી પરિક્રમામાં આવ્યા છીએ. અમારી સાથે ૧૫ લોકો છે. પરિક્રમાને લઈ લોકોમાં ઘણો ઉત્સાહ છે અને દરેકે જીવનમાં એકવાર આ પરિક્રમા અવશ્ય કરવી જાેઈએ. આમ તો વિધિવત્‌ રીતે ૨૩ તારીખે પરિક્રમા શરૂ થવાની હતી, પરંતુ શ્રદ્ધાળુઓની ભીડ વધતા તંત્ર દ્વારા એક દિવસ વહેલી પરિક્રમા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જંગલમાં વન્યજીવોનું રક્ષણ કરવું અને કોઈ પણ પ્રકારનો કચરો ન ફેલાવવો તે પણ સૌ પરિક્રમાર્થીઓની પહેલી ફરજ છે. ગિરનારની લીલી પરિક્રમામાં પાંચ દિવસ સુધીમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેને લઈ વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય અને વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પરિક્રમા ઈંટવા ગેટથી શરૂ થઈને પ્રથમ પડાવ જીણાબાવાની મઢી ત્યાંથી બીજાે પડાવ માળવેલાની જગ્યા, ત્યાંથી ત્રીજાે પડાવ બોરદેવીની જગ્યા અને ત્યાંથી છેલ્લો પડાવ ભવનાથ તળેટી ખાતે પરિક્રમાં પૂર્ણ થતી હોય છે. ત્યારે પરિક્રમાના તમામ રૂટ પર લાઈટ, પાણી, શૌચાલય સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ગિરનાર જંગલની અંદર સિંહ સહિતના અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. ત્યારે પરિક્રમા રૂટ પર વન્યપ્રાણીઓ અવરજવર ન કરે જેથી વન વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પરિક્રમામાં આવનાર યાત્રાળુઓ સફાઈ અને સ્વચ્છતા અંગે જાગૃત થાય માટે પ્લાસ્ટિકના ૪૦૦ જેટલાં ડસ્ટબીન લગાવવામાં આવ્યાં છે. વસુંધરા નેચર ક્લબ દર વર્ષે ગિરનાર પરિક્રમા બાદ પરિક્રમાર્થી દ્વારા થયેલો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરે છે, અને સ્વયંસેવકો તરીકે ડોક્ટર એન્જિનિયર, પ્રોફેસર, શિક્ષક જેવા અલગ અલગ પ્રોફેશનલ લોકો સેવા આપે છે. ગયા વર્ષે વસુંધરા નેચર ક્લબ દ્વારા મેન્યુઅલી આ કામ કરીને ૪.૫ ટન પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. આ વખતે વસુંધરા નેચર ક્લબ દ્વારા એક અલગ પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં સમગ્ર પરિક્રમાના માર્ગ પર સતત થોડા થોડા અંતર પર પ્લાસ્ટિક બેગ ડસ્ટબિન તરીકે મૂકવામાં આવી છે. આ સેવા કાર્ય પરિક્રમામાં આવતા દરેક લોકો સુધી પહોંચે અને લોકો ડસ્ટબિનનો વધુમાં વધુ વપરાશ કરે, જેથી કુદરતનાં સૌંદર્યને હાનિ પહોંચાડતું પ્લાસ્ટિક જંગલમાં ફેંકાતું અટકે માટે પરિક્રમાના સમગ્ર માર્ગ પર વસુંધરા નેચર ક્લબ દ્વારા ૪૦૦ જેટલી મોટી પ્લાસ્ટિકની બેગ ડસ્ટબિન રૂપે લગાડવામાં આવી છે.પ્રકૃતિ મિત્રના સભ્યો દ્વારા પરિક્રમામાં આવતા યાત્રાળુઓને પ્લાસ્ટિકની બેગ લઈ તેના બદલામાં કાગળની બેગ આપી પ્રકૃતિનું જતન જુનાગઢ લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે. ત્યારે અહીં આવતા યાત્રાળુ પર્યાવરણ બચાવે તેના માટેની પ્રકૃતિ મિત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવે છે. છેલ્લા દસ વર્ષથી પ્રકૃતિ મિત્ર ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ બચાવવા માટે અલગ અલગ દાતાઓ પાસેથી કાગળની બેગ એકત્રિત કરી અને પરીક્રમાર્થીઓને આપે છે. પરિક્રમામાં આવતા યાત્રાળુ પ્લાસ્ટિકની બેગ જંગલમાં ન લઈ જાય ,અને કાગળની બેગ લઈ પરિક્રમા કરે તે માટે આ ફાઉન્ડેશન દ્વારા પ્રકૃતિનું જતન કરવા મદદરૂપ થાય છે. પ્રકૃતિ મિત્રના ફાઉન્ડર ડર પ્રોફેસર ચિરાગ ગોસાઈ એ જણાવ્યું હતું છેલ્લા દસ વર્ષથી પ્લાસ્ટિક મુક્ત પરિભ્રમાની અમારા પ્રકૃતિ મિત્ર દ્વારા જુનિયર ચલાવવામાં આવે છે. પરિક્રમા દરમિયાન આવતા યાત્રાળુઓ પાસેથી પ્લાસ્ટિકની બેગ થેલીઓ લઈ તેના બદલામાં કાગળની થેલીઓનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે પરિક્રમા દરમિયાન બેથી ત્રણ ત્રણ જેટલું પ્લાસ્ટિક પરિક્રમા ના માર્ગ પર જતું અટકાવીએ છીએ. આ વર્ષે પણ ૧૧૫ જેટલા સભ્યો સાથે પરિક્રમામાં પ્લાસ્ટિક અટકાવવા માટેની ઝુંબેશ હાથ ધરી છે.ગઈકાલ રાતે જ પરિક્રમા ના માર્ગ પર થી પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક જમીનમાં દટાય તો જમીન તેની ફળદ્રુપતા ઘટાડે છે. જેને લઇ પ્રકૃતિ મિત્ર દ્વારા પરીક્રમાર્થીઓ પાસેથી પ્લાસ્ટિક લઈ તેમને વિનામૂલ્ય કાપડની બેગ આપે છે. ત્રણ લાખથી વધુ કાપડની થેલીઓ આ વર્ષે પણ પરિક્રમાર્થીઓને આપવામાં આવશે. અલગ અલગ દાતાઓ દ્વારા આ કાગળની થેલીઓ આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો પ્લાસ્ટિક આપી બદલામાં કાગળની થેલીઓ લઈ પરિક્રમા કરે છે. જેમાં ઘણા લોકો અહીં અમે આપેલી કાગળની ભેગો લઈ આવે છે અને પ્રકૃતિને જતન કરવામાં મદદરૂપ બને છે. પરિક્રમાના દરમિયાન તાપમાન ૧૭ થી ૧૪ ડિગ્રી રહેશે ગરવા ગિરનારને ફરતે ૩૬ કિમીની લીલી પરિક્રમાનો ૨૩ નવેમ્બર- કારતક સુદ અગિયારસથી પ્રારંભ થવાનો છે.હાલમાં શિયાળાની ઋતુ દસ્તક દઇ રહી છે. ત્યારે પરિક્રમાના ૫ દિવસ દરમિયાન ગિરનાર જંગલમાં ૧૪ થી ૧૭ ડિગ્રી સુધી ઠંડી પડવાની સંભાવના વ્યકત કરાઇ છે. સાથે ૨૫ અને ૨૬ નવેમ્બરે હળવા કમોસમી વરસાદની પણ સંભાવના વ્યકત કરાઇ રહી છે. ત્યારે ભાવિકોએ કેટલીક ખાસ કાળજી રાખવાની પણ જરૂર છે જેથી કોઇ મુશ્કેલી ઉભી ન થાય. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુની શરૂઆત થઇ ગઇ છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. એમાં પણ શહેર કરતા ગિરનારના જંગલમાં ઠંડીના પ્રમાણમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થતો હોય છે. હાલમાં લીલી પરિક્રમા દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૭ થી લઇને ૧૪ ડિગ્રી સુધી થવાની સંભાવના છે. ત્યારે શિયાળાની ઋતુને લઇ ઠંડીના પ્રમાણને ધ્યાને રાખતા એકતો પુરતા પ્રમાણમાં વસ્ત્રો રાખવા. વસ્ત્રોમાં પણ રૂ અને ઉનના ગરમ વસ્ત્રોનો વધુ ઉપયોગ કરવો જેથી ઠંડી સામે રક્ષણ મેળવી શકાય. સાથે નિયમીત પણે ગરમ પાણી પીવાનું રાખવું.ઠંડા પીણાનો ઉપયોગ ટાળવો હિતાવહ છે. ગાદી વાળા હાથમોજાનો ઉપયોગ કરવો જરૂરી છે. એમાં પણ ૨૫ અને ૨૬ નવેમ્બરે હળવા કમોસમી વરસાદની પણ સંભાવના છે. ત્યારે આ બઘી સ્થિતીને ધ્યાને રાખીને પુરતી તૈયારીઓ કરીને પરિક્રમાર્થીઓએ જવું જેથી કોઇ મુશ્કેલી ન ઉભી થાય અને વિના વિધ્ને પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધી શકાય.પરિક્રમાના ૫ દિવસ દરમિયાન ગિરનાર જંગલમાં ૧૪ થી ૧૭ ડિગ્રી સુધી ઠંડી પડવાની સંભાવના વ્યકત કરાઇ છે. યાત્રિકો- સિંહ બન્નેની સલામતી માટે ગિરનાર નેચર સફારી બંધ જૂનાગઢ શહેરમાં દોલતપરા વિસ્તારમાં આવેલ ગિરનાર નેચર સફારી પાર્ક આગામી ૨૩ નવેમ્બર અગિયારસના દિવસે શરૂ થનાર ગિરનારની લીલી પરિક્રમાને લીધે ૨૨ થી ૨૮ નવેમ્બર ૭ દિવસ માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા ર્નિણય લેવામાં આવેલ છે. મૂળભૂત સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ એક પ્રવાસન નગરી છે. અહીં રજાના દિવસોમાં ઠેર- ઠેરથી પ્રવાસીઓ આવતા હોય છે. એમાં પણ સિંહ દર્શનએ યાત્રિકોની પહેલી પસંદ હોય છે. જૂનાગઢમાં શરૂ થયેલ ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન માટે મુલાકાતીઓનો ભારે ધસારો જાેવા મળે છે. જેમાં સવાર અને સાંજ એમ બે સફારી કરાવવામાં આવે છે. પ્રવાસીઓ ખુલ્લા દિપડા, સિંહ સહિતના વન્યપ્રાણીઓને જાેઇને આનંદની લાગણી અનુભવે છે. આગામી સમયમાં શરૂ થનાર ગરવા ગિરનારની લીલી પરિક્રમાને લઇને યાત્રિકો સાથે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુંથી તંત્ર દ્વારા ૨૨ થી ૨૮ નવેમ્બર એમ ૭ દિવસ સુધી ગિરનાર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ રાખેલ છે.ઉપરાંત ૨૯ તારીખને બુધવારથી રાબેતા મુજબ સફારી પાર્ક શરૂ થશે જેની મુલાકાતીઓએ નોંધ લેવાની રહેશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ‘જય ગિરનારી’ના નાદ સાથે આવતીકાલથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે

    જૂનાગઢ, જૂનાગઢમાં આવેલી ગિરનાર ટેકરી ભારતના સૌથી આધ્યાત્મિક અને પવિત્ર સ્થળોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે ગિરનાર ખાતે ૩૩ કરોડ દેવી-દેવતાઓ, ૬૪ જાેગણીયો, ૫૨ વીર અને નવનાથ રહે છે. ગિરનાર ટેકરી ભગવાન શિવના શિવલિંગ જેવી લાગે છે. જૂનાગઢના ગિરનાર ટેકરી પર હિંદુ અને જૈન ધર્મના અનેક મંદિરો, આશ્રમો, ગુફાઓ, ધર્મશાળાઓ અને ભોજનાલયો આવેલા છે. હિંદુ અને જૈન ધર્મના પવિત્ર ગ્રંથોમાં ગિરનારનું મહત્વ અને ઈતિહાસ ઉલ્લેખ છે. ત્યારે આટલું જ આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતાં ગિરનારની દર વર્ષે ૩૬ કિમીની પરિક્રમા કરવામાં આવે છે.ભારતીય કેલેન્ડર અનુસાર દર વર્ષે કારતક સુદ ૧૧ થી ૧૫ ના રોજ પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. ગિરનાર પરિક્રમાનું ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વ ઘણું વધારે છે. જંગલની કડકડતી ઠંડીની પરવા કર્યા વિના પણ સમગ્ર ભારતમાંથી લોકો અહીં આવે છે અને જંગલોના માર્ગ પર પસાર થઇ પરિક્રમા કરે છે.ધાર્મિક દૃષ્ટિકોણ ઉપરાંત, પરિક્રમા સામાજિક દૃષ્ટિકોણથી પણ એટલી જ મહત્વપૂર્ણ છે કારણ કે આ પવિત્ર પ્રસંગે વિવિધ જાતિ અને સમુદાયના લોકો એકઠા થાય છે. તેઓ અલગ-અલગ સમુદાયની અલગ-અલગ સંપત્તિઓ વિશે જાણે છે. અહીં દરેક વ્યક્તિ કોઈપણ મતભેદ વિના અન્ય લોકો સાથે રહે છે.ભવનાથ તળેટીના દૂધેશ્વર મંદિરથી પરિક્રમા શરૂ થાય છે. પછી લોકો ઘનઘોર જંગલમાંથી ઈંટવા ની ઘોડી દ્વારા પસાર થાય છે .તેઓ આ ઘોડી પસાર કર્યા પછી, તેઓ જૂનાગઢ જિલ્લાના સૌથી મોટા ડેમ-હસનાપુર ડેમની નજીક સ્થિત ઝીણા બાવાની મઢી પહોંચે છે. યાત્રાળુઓ અહીં રાત્રી રોકાણ કરે છે. અહીં ચંદ્ર-મૌલેશ્વર નામનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. અહીં સિંહો જાેવાની સંભાવના મહત્તમ છે. આ જગ્યાને રાણિયો કુવો તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ યાત્રિકો માટે એક મહત્વપૂર્ણ સૂચના છે કે, આ સ્થળે પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મંદિરમાં પ્રવેશવા માટે તમારે વન વિભાગની પરવાનગી લેવી પડશે. ત્યારે ઝીણા બાવાની મઢીથી યાત્રાળુઓ માટે બે વિકલ્પો છે. પહેલો વિકલ્પ સીધો માલવેલા પહોંચવાનો છે અને બીજાે વિકલ્પ સરખાડિયા હનુમાન થઈને માલવેલા પહોંચવાનો છે. ‘સરખડિયા હનુમાન’ જૂનાગઢનું શ્રેષ્ઠ હનુમાન મંદિર છે. તે ગાઢ જંગલની વચ્ચે આવેલું છે. આ જગ્યાએ સિંહની ગર્જના લગભગ સામાન્ય છે. હરણો દ્વારા સામનો કરવાની શક્યતા પણ મહત્તમ છે. તીર્થયાત્રીઓ સરખડિયા હનુમાનથી સૂરજ-કુંડની પણ મુલાકાત લઈ શકે છે. યાત્રાળુઓ ઉપરોક્ત કોઈપણ માર્ગેથી માલવેલા પહોંચે છે. માડવેલા ખાતે ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. જેમ જેમ યાત્રાળુઓ માડવેલાથી આગળ વધવાનું શરૂ કરે છે, ત્યારે સૌથી મુશ્કેલ ઘોડી તેમનું સ્વાગત કરવા જઈ રહી છે. આ સૌથી અઘરી ઘોડી નળ-પાણી ઘોડી અથવા માલવેલા ની ઘોડી તરીકે ઓળખાય છે. આ ઘોડી એટલી નમેલી છે કે મહત્તમ નંબરના આ સ્થળેથી અકસ્માતો નોંધાયા છે. ઘણા વૃદ્ધ યાત્રાળુઓને આ ઘોડી પાર કરવામાં મુશ્કેલી પડે છે. એકવાર યાત્રાળુઓ ઘોડીની ટોચ પર પહોંચે છે, ત્યાં એક જંગલ ઝૂંપડું આવેલું છે જે નં. પરિક્રમા હાથ ધરનાર યાત્રાળુઓની. હવે યાત્રિકોએ નાલપાણી ઘોડીની ઉંચી ઊંચાઈ પરથી નીચે ઉતરવું પડશે. તેઓ નીચે ચઢી ગયા પછી, તેઓ બોરદેવી પહોંચે છે. બોરદેવી એ દેવીનું મંદિર છે. તે મંદિરની ત્રણ બાજુએ આંબાના ઝાડથી ઘેરાયેલું છે. કાલા-ઘુનો અને ટાટાનીયો ઘુનો જેવા સ્થાનો એ સ્થાનો છે જ્યાં આખું વર્ષ પાણી વહન થાય છે. તાતનીયો ઘુનો અથવા ખોડિયાર ઘુનો મગરોને આશ્રય આપે છે.યાત્રાળુઓ હવે બોરદેવીથી ભવનાથ તળેટી તરફ જવાનું શરૂ કરે છે. આ રીતે ૫ાંચ દિવસ ચાલતી ફળદાયી ગિરનાર પરિક્રમામાં લાખો પરિક્રમાર્થીઓ પુણ્યનું ભાથું બાંધે છે.૭૧ જેટલા અન્નક્ષેત્રોમાં પરિક્રમાર્થીઓને અવનવાં ભોજન પીરસવામાં આવશે ગિરનારની પરિક્રમામાં આવતા પરિક્રમાર્થી પોતાની સાથે કાચું કરિયાણું સહીત ભોજન બનાવવા માટેની સામગ્રી લઇને આવતા હોય છે. તેમજ પરિક્રમાના રૂટ પર જ તેઓને શાકભાજી તેમજ મરી-મસાલા સહીતની અનેક વસ્તુઓ પણ મળી રહે છે. જેથી જંગલમાં ભોજન કરવાનો આનંદ માણી શકે. ઉપરાંત અનેક સેવાકીય સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો પણ ચલાવવામાં આવેે છે. જેમાં ચા,દુધ થી લઇને અવનવાં ભોજન પીરસવામાં આવે છે. ચાલુ વર્ષે જેટલા અન્નક્ષેત્રોને પરમિશન અપાઇ છે જેઓ પોતાની પાસે અગ્નિશમન યંત્ર રાખશે. કારણ કે, મોસમ બદલાતા ઘાસ સુકાઇ ગયું છે જેથી આગ લાગે તો બુઝાવી શકાય. પરિક્રમા રૂટ પર ૬ રેસ્કયુ અને ટ્રેકરની ટીમ તૈનાત રહેશે અભ્યારણમાં મોબાઇલ નેટવર્ક હોતું નથી માટે સ્ટાફને વોકીટોકી અને વાયરલેસ સેટ અપાયા છે જેથી પરિક્રમાર્થીઓને કંઇપણ મુશ્કેલી હોય તો વન વિભાગના સ્ટાફનો તુરત સંપર્ક કરી શકાશે. પરિક્રમા રૂટ પર વન્યપ્રાણીઓ આવી ન જાય તે માટે ૬ રેસ્ક્યુ અને ટ્રેકરની ટીમ વેટરનરી તબીબ સાથે રહેશે જે વન્યપ્રાણીઓનું સતત મોનીટરીંગ કરશે. જંગલમાં વાસ અને બીજા ઝાડનું કટિંગ અટકાવવા પરિક્રમાર્થીઓને લાકડીઓનું પણ વિતરણ કરાશે. જ્યારે પરિક્રમાર્થીઓ કેટલા આવ્યા તેની ગણતરી માટે નળપાણીની ઘોડી અને ગિરનારની સીડી મળી બે પોઇન્ટ ઉભા કરાયા છે. લીલી પરિક્રમા માટે જૂનાગઢ એસટી ૨૨૫ બસ દોડાવશે પરિક્રમમાં આવનાર પરિક્રમાર્થીઓને આવવા- જવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે એસટી દ્વારા વિશેષ બસ દોડાવવાનું આયોજન કરાયું છે. આ બસ સેવાનો ૨૩ નવેમ્બરથી પ્રારંભ થશે અને ૨૭ નવેમ્બરે લીલી પરિક્રમા પૂર્ણ થાય ત્યા સુધી બસનું સંચાલન કરાશે. આમાં બહારગામથી જૂનાગઢ આવવા અને જવા માટે મોટી ૧૬૫ બસ દોડાવાશે. જ્યારે જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી જવા - આવવા ૬૦ મિની બસ દોડાવાશે. બસ સ્ટેશનથી ભવનાથ જવા - આવવાનું ભાડું ૨૫-૨૫ રૂપિયા નક્કી કરાયું છે. કેટલાક ખાનગી વાહન ચાલકો ભાડામાં ઉઘાડી લુંટ ચલાવતા હોય છે. ત્યારે પરિક્રમાર્થીઓને ખાનગી વાહનોમાં વધુ ભાડું ચૂકવવું ન પડે તે માટે એસટી દ્વારા વધારાની બસ દોડાવવાનું આયોજન કરાયું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    જૂનાગઢ જિલ્લામાં દિવાળીના તહેવારો સમયે જ માવઠું થતા રસ્તાઓ પર પાણી વહેતા થયા

    જુનાગઢ ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના પંથકમાં માવઠું થતા ખેડૂતો અને વેપારી વર્ગમાં ચિંતા ફેલાઈ છે. જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જુથડ, ગડોદર સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ ખેડૂતોના ખેતરોમાં પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ દિવાળીના તહેવાર આવી રહ્યા છે. ત્યારે અચાનક જ કોમોસમી વરસાદ આવતા લોકોના જીવ તાળવે ચોંટયા છે. માળીયા હાટીના પંથકમાં વરસાદી માહોલ સાથે ધીમી ધારનો વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદી માહોલના કારણે ખેડૂતોની દિવાળી બગડે તેવા પણ એંધાણ જાેવા મળી રહ્યા છે. ખેડૂતો દ્વારા એક તરફ રવિ પાકોની કામગીરી શરૂ છે.તો બીજી તરફ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. તેમજ આ વરસાદી માહોલમાં ફટાકડાના વેપારીઓમાં પણ ચિંતા નું મોજુ ફરી વળ્યું છે.તેમજ લાખો રૂપિયાના ખરીદી કરેલા ફટાકડામાં નુકસાન થવાની ચિંતા વેપારીઓમાં જાેવા મળી રહી છે.અને દિવાળીની ચીજવસ્તુઓ વહેંચતા વેપારીઓમાં પણ વરસાદને લઈ મુશ્કેલીમાં જાેવા મળી રહ્યા છે.
    વધુ વાંચો