અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો થશે
17, સપ્ટેમ્બર 2025 અમદાવાદ   |   2178   |  

જીએસટીના દરમાં ઘટાડાની જાહેરાત થતાં મધર ડેરીએ પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી

અમૂલ તેના બટર સહિત તેના ૮૦૦ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરશે. જીએસટી કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા સંપૂર્ણ ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવા માટે આગામી બેથી ત્રણ દિવસમાં અમૂલ તરફથી જાહેરાત કરાય તેવી શક્યતા છે. મધર ડેરીએ તેના ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી તે પછી અમૂલના સૂત્રો દ્વારા પણ મિલ્કત પ્રોડક્ટની અનેક વસ્તુઓમાં ધટાડો કરવામાં આવશે. જેથી આમ જનતાને તેનો લાભ થશે.

અમૂલના સૂત્રોના જણાવ્યા મુજબ જીએસટી કાઉન્સિલના નિર્ણયને સ્વીકારીને તેના ઉત્પાદનોના ભાવમાં જીએસટીના દરના ઘટાડા પ્રમાણેનો ઘટાડો કરી દેવામાં આવશે. કાયદેસર કરવાનો થતો સંપૂર્ણ ઘટાડો કરવામાં આવશે. જેથી પનીર, ઘી, બટર, ચોકલેટ, ક્રીમ, આઈસક્રીમ સહિતના તમામ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થશે. ડેરીના ઉત્પાદનો પરનો જીએસટીમાં ખાસ્સો ઘટાડો કરવામાં આવ્યો છે. જીએસટીના દરમાં થયેલા ઘટાડા પ્રમાણેનો સો ટકા લાભ કિંમતના ઘટાડાના સ્વરૂપમાં અમે લોકોને પહોંચાડીશું. આગામી ત્રણેક દિવસમાં આ ઘટાડાની જાહેરાત કરવામાં આવશે.બાવીસમી સપ્ટેમ્બર પહેલા અમે આ ઘટાડાની જાહેરાત કરી દઈશું.

જ્યારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ-એનડીડીબીની સો ટકા સબસિડિયરી મધર ડેરીએ તેના ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution